Book Title: Tattvartha sutra
Author(s): Umaswati, Umaswami, Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/001074/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ C વાચન ન [ ગૂજરાતી વ્યાખ્યા સહિત ] વિવેચક પંડિત સુખલાલજી શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ For Private & Personal use only www.ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જેનાથમાલા-૧૭ તત્વાર્થસૂત્ર [ ગુજરાતી વ્યાખ્યા સહિત] વિવેચક પંડિત સુખલાલજી सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે મળીને મેક્ષમાગ બને છે. [ તવાથ૦ ૧, ૧] શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક રામલાલ ડાહ્યાભાઈ પરીખ વ્યવસ્થાપક ટ્રસ્ટી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪ મુદ્રક શાન્તિલાલ હરજીવન શાહ નવજીવન પ્રેસ અમદાવાદ-૩૮૦૦૧૪ કિં. ૨૦-૦૦ પ્રથમ આવૃત્તિ સન ૧૯૩૦ દ્વિતીય આવૃત્તિ સન ૧૯૪૦ તૃતીય આવૃત્તિ સન ૧૯૪૯ ચતુર્થ આવૃત્તિ સન ૧૯૭૭ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ ૩૮૦૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ સન્મિત્ર કપૂરવિજયજી મહારાજ અને આશ્રમનિવાસી ભાઈ રમણિકલાલ મોદી આ પુસ્તક લખવાની પ્રેરણાના જન્મમાં આપ બંનેના સાત્વિક સહકારની સ્મૃતિને સારુ આ પુસ્તક બનેને અપણ કરું છું. આપને સુખલાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંડિત સુખલાલજી સંપાદિત તત્વાર્થસૂત્ર ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. પંડિત સુખલાલજીએ પિતાના વિવેચનમાં જૈન સિદ્ધાંતના બધા મુદ્દા એવા વિસ્તારથી તથા તુલનાત્મક રીતે રજૂ કર્યા છે કે, શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ થતા તેમજ થનારા જૈન આગમના અનુવાદો માટે એ પુસ્તક સહેજે પ્રાવેશિક પુસ્તકની ગરજ સારે. એ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ગૂજરાત પુરાતત્વ મંદિર ગ્રંથાવલી’માં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ થઈ હતી. તેની બીજી આવૃત્તિ શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરવાની રજા આપવા માટે ગૂજરાત વિદ્યાપીઠને આભાર માનવો ઘટે છે. આ આવૃત્તિ પહેલી આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નથી. પંડિત સુખલાલજીએ આ પુસ્તકની હિંદી આવૃત્તિ વખતે શરૂઆતના “પરિચય” નામના લાંબા ઉઘાતમાં કેટલાંક ચર્ચાસ્પદ સ્થળોની બાબતમાં જે સુધારા–વધારા કર્યા છે, તે આ અનુવાદમાં શબ્દશ: ઉતારી લીધા છે. તે માટેની રજા Page #7 -------------------------------------------------------------------------- ________________ ખુશીથી આપીને આ આવૃત્તિને વિશેષ સમૃદ્ધ બનાવવા દેવા માટે પંડિતજીને આ સ્થળે આભાર માનું છું. પહેલી આવૃત્તિ વખતે જે મુદ્રણદોષ રહી ગયા હતા, તે આ વખતે સુધારી લીધા છે, એ કહેવાની જરૂર નથી. પરંતુ આ આવૃત્તિની વિશેષતાનું કારણ જુદું જ છે. તત્ત્વાર્થસૂત્રની હિંદી આવૃત્તિમાં પંડિતજીએ બે મુખ્ય અને આવશ્યક ઉમેરા કરાવ્યા છે. એક તે “તવાર્થસૂત્ર'નાં સૂત્રોને પાઠ અન્ય પાઠાંતરે સાથે અલગ તારવી આપે છે તે; અને બીજે, પુસ્તકને અંતે પારિભાષિક શબ્દોની વિસ્તૃત સૂચિ જોડી છે, તે. એ સૂચિને કારણે એ ગ્રંથ જૈન દર્શન અને આચારના સંદર્ભઠેષ જેવો બની ગયો છે. તે બંને ઉમેરા આ બીજી આવૃત્તિમાં કરી લીધા છે. એટલે પહેલી આવૃત્તિ જેની પાસે છે, તેને પણ આ બીજી આવૃત્તિ સંઘરવી ઉપયોગી થઈ પડશે એવું માનવું છે. ' ધાર્યા કરતાં ઓછા વખતમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ ખલાસ થઈ જતાં, આ ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની થાય છે. જૈન શાસ્ત્રના અભ્યાસીવર્ગમાં પંડિત સુખલાલજીની આ સફળ કૃતિ કેટલી ઉપયોગી તથા લોકપ્રિય થઈ પડી છે, તેને એ પુરાવો છે. આ આવૃત્તિ વખતે, મળેલી તકને લાભ લઈ, જે એકબે સ્થળેએ સામાન્ય અભ્યાસીની દૃષ્ટિએ કંઈક વિશેષ વિવરણ આપવાની જરૂર જેવું લાગ્યું, તે સ્થળે પંડિતજી સમક્ષ રજૂ Page #8 -------------------------------------------------------------------------- ________________ કરતાં, તેઓશ્રીએ અભ્યાસીવગને ઉપયોગી થઈ પડવાની પોતાની હંમેશની તત્પરતાથી, ખાસ મહેનત લઈ, જે કંઈ સમજૂતી પૂરી પાડી, તે ત્યાં ત્યાં ઉમેરી લેવામાં આવી છે. તેમાંને કેટલાક ભાગ પુસ્તકને અંતે ‘પુરવણી' રૂપે આપેલા છે; તથા સૂચિને અ ંતે પણ એકાદ છે ચાખવટો કરેલી છે. આશા છે કે આ નવી આવૃત્તિ પણ જૈન સિદ્ધાંતના જિજ્ઞાસુવર્ગીની વિશિષ્ટ આવશ્યકતા પૂરી પાડવાની પોતાની પ્રણાલી ચાલુ રાખશે. ચેાથી આવૃત્તિનું નિવેદન તત્ત્વા સૂત્રની ત્રીજી આવૃત્તિ ધણાં વર્ષોંથી સમાપ્ત હતી. આ ચોથી આવૃત્તિના પ્રકાશન ખર્ચ પેટે અમને ૫. શ્રી સુખલાલજી દ્વારા સ્થાપિત જ્ઞાનાય ટ્રસ્ટની આર્થિક સહાયતા શ. ૪૦૦૦ મળી તે માટે અમે ટ્રસ્ટીઓના આભારી છીએ. પ્રસ્તુત આવૃત્તિમાં ૫. સુખલાલજીનું વક્તવ્ય’-છે તેમાં તેમણે તત્ત્વાર્થ સૂત્રની હિંદીની ખીજી આવૃત્તિ (ઈ. ૧૯૫૨) વેળા જે ઉમેશ કર્યાં હતા તેને ગુજરાતી અનુવાદ સમાવી લેવામાં આવ્યો છે. ઉપરાંત પુરવણીમાં શ્રી સુઝૂકે આહિરાના તત્ત્વા સૂત્રના મૌલિક પાઠ વિષેના અંગ્રેજી લેખનુ ડૉ. કનુભાઈ શેઠે કરેલ ગુજરાતી ભાષાન્તર પણ પંડિતજીની સંમતિથી ઉમેરવામાં આવ્યું છે. અમે શ્રી એહીરા તથા ડૅા. શેઠના આભારી છીએ. પરિચય”માં ઉમાસ્વાતિના સમયની વિચારણામાં નયચક્રગત તત્ત્વા અને ભાષ્યના ઉલ્લેખાની નોંધ લેવામાં આવી છે અને ધ્યાન વિષેના સૂત્ર ૯–૨૮માં એક નોંધ ઉમેરવામાં આવી છે. આ નવા ઉમેરણા વિષે વિદ્રાનાનું ધ્યાન દોરવું જરૂરી છે. પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ પં. સુખલાલજીનું વક્તવ્ય [પહેલી આવૃત્તિમાંથી ] લગભગ બાર વર્ષ પહેલાં હું મારા સહૃદય મિત્ર શ્રી રમણિકલાલ મગનલાલ મોદી સાથે પૂનામાં હતું તે વખતે બંનેએ મળી સાહિત્યનિર્માણ વિષે અનેક પૂનમ ના વિચાર દોડાવ્યા પછી ત્રણ ગ્રંથો લખવાની સ્પષ્ટ કલ્પના બાંધી. શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં દિવસે દિવસે વધતી જતી પાઠશાળાઓ, છાત્રાલય અને વિદ્યાલયોમાં જૈનદર્શનના શિક્ષણની જરૂરિયાત જેમ જેમ વધારે સમજાવા લાગી હતી, તેમ તેમ બંને ફિરકાને માન્ય એવાં, નવી ઢબનાં, લેકભાષામાં લખાયેલાં જૈનદર્શનવિષયક પુસ્તકોની માગણે પણ ચેમેરથી થવા લાગી હતી. એ જોઈ અમે નક્કી કરેલ કે “તત્વાર્થ” અને “સન્મતિતર્ક એ બે ગ્રંથનાં તે વિવેચને કરવાં અને તેને પરિણામે ત્રીજું પુસ્તક “જેન પારિભાષિક શબ્દકેશ’ એ સ્વતંત્ર લખવું. અમારી આ પ્રથમ કલ્પના પ્રમાણે તસ્વાર્થના વિવેચનનું કામ અમે બંનેએ આગ્રામાં આજથી ૧૧ વર્ષ પહેલાં શરૂ કર્યું. Page #11 -------------------------------------------------------------------------- ________________ અમારી વિશાળ જના પ્રમાણે અમે કામ શરૂ કર્યું, અને ઈષ્ટ સહાયકે આવતા ગયા. પણ તેઓ આવી સ્થિર થાય તે પહેલાં જ એકે એકે પાછા જુદી જુદી દિશાઓમાં પંખીઓની પેઠે વીખરાઈ ગયા અને છેવટે એ આગ્રાના માળખામાં હું એકલે જ રહી ગયે. “તત્વાર્થ'નું આરંભેલ કાર્ય અને બીજાં કાર્યો મારા એકલાથી થવાં શક્ય જ ન હતાં, અને તે ગમે તે રીતે કરવાં એ નિશ્ચય પણ ચૂપ બેસી રહેવા દે તેમ ન હતો. સંયોગ અને મિત્રોનું આકર્ષણ જોઈ હું આગ્રા છોડી અમદાવાદ આવ્યા. ત્યાં મેં સન્મતિતર્કનું કામ હાથમાં લીધું અને તત્વાર્થનાં બે ચાર સૂત્રે ઉપર આગ્રામાં જે લખેલું તે એમ ને એમ પડયું રહ્યું. ભાવનગરમાં ઈ. સ. ૧૯૨૧-૨૨માં સન્મતિતર્કનું કામ કરતો ત્યારે વચ્ચે વચ્ચે તત્વાર્થનું અધૂરું રહેલું કામ મનમાં આવતું અને મન વ્યાકુલ કરી મૂકતું. માનસિક સામગ્રી છતાં જોઈતા સહાયક મિત્રોને અભાવે મેં “તત્ત્વાર્થ'ના વિવેચનની પ્રથમ નક્કી કરેલ વિશાળ જના મનમાંથી દૂર કરી અને તેટલે ભાર ઓછો કર્યો, પણ એ કામને નાદ છૂટો જ ન હતો. તેથી તબિયતના કારણે જ્યારે વિશ્રાંતિ લેવા ભાવનગરની પાસેના વાત્સુકડ ગામમાં ગમે ત્યારે પાછું “તત્ત્વાર્થનું કામ હાથમાં લીધું અને તેની વિશાળ જનાને ટૂંકાવી મધ્યમ માર્ગે કામ શરૂ કર્યું. એ વિશ્રાંતિ દરમિયાન જુદે જુદે સ્થળે રહી કંઈક લખ્યું. એ વખતે લખાયું પણ તેની પદ્ધતિ મનમાં નિશ્ચિત થઈ ગઈ અને એકલે હાથે પણ ક્યારેક લખી શકવાને વિશ્વાસ ઉત્પન્ન થયે. Page #12 -------------------------------------------------------------------------- ________________ હું તે વખતે રહેતા અને લખતે હતો ગૂજરાતમાં; પદ્ધતિ પણ પ્રથમ નક્કી કરેલી ટૂંકાવી જ હતી; છતાં પૂર્વ સંસ્કારે એક જ સાથે કદી નથી ખરી પડતા એ માનસશાસ્ત્રના નિયમથી હું પણ બદ્ધ જ હત; એટલે આગ્રામાં લખવા ધારેલ અને શરૂ કરેલ હિંદી ભાષાને સંસ્કાર મારા મનમાં કાયમ હતો, તેથી તે જ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી. બે અધ્યાય હિંદી ભાષામાં લખાયા – ન લખાયા ત્યાં તે વચ્ચે રહેલ “સન્મતિ'ના કામનું ચક્ર પાછું ચાલુ થયું અને એના વેગે “તત્ત્વાર્થ'ના કામને ત્યાં જ અટકાવ્યું. સ્થૂલ રીતે કામ ચાલતું ન દેખાતું, પણ મન તે વિશેષ અને વિશેષ જ કામ કરી રહ્યું હતું. તેનું મૂર્ત રૂપ પાછું બે વર્ષ પછી કલકત્તામાં રજાના દિવસોમાં થોડું સિદ્ધ થયું અને ચાર અધ્યાયો સુધી પહોંચ્યા. ત્યાર બાદ માનસિક અને શારીરિક અનેક જાતનાં દબાણ વધતાં જ ગયાં એટલે તત્ત્વાર્થ અને હાથમાં લેવું કઠણ થઈ પડવું, અને એમ ને એમ ત્રણ વર્ષ પાછાં બીજા જ કામોએ લીધા. ઈ.સ. ૧૯૨૭ના ઉનાળામાં રજા દરમિયાન લીંબડી રહેવાનું થયું ત્યારે વળી “તત્ત્વાર્થ' હાથમાં આવ્યું અને થોડું કામ આગળ વધ્યું. આમ લગભગ છ અધ્યાય સુધી પહોંચે. પણ મને છેવટે દેખાયું કે હવે સન્મતિતર્ક'નું કાર્ય પૂર્ણ કર્યા પછી જ “તત્વાર્થ ને હાથમાં લેવામાં એ કામને અને મને ન્યાય મળશે. આ નિશ્ચયથી સન્મતિતર્કના કામને બેવડા વેગથી આપવા લાગે. પણ આટલા વખત સુધીમાં ગુજરાતમાં રહેવાથી અને ઇષ્ટ મિત્રોના કહેવાથી એમ લાગ્યું હતું કે પહેલાં “તત્વાર્થ ગુજરાતીમાં બહાર પાડવું. આ નવો સંસ્કાર છૂટ ન હતું અને જૂના Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંસ્કારે હિંદી ભાષામાં છ અધ્યાય જેટલું લખાવ્યું હતું. હિંદીમાંથી ગૂજરાતી જાતે જ કરવું એ શક્ય અને ઇષ્ટ છતાં તે માટે વખત ન હતો; બાકીનું ગૂજરાતીમાં લખું તે પ્રથમ હિંદી લખેલ તેનું શું ? યોગ્ય અનુવાદક મેળવે એ પણ દરેક ધારે તેમ સહેલી વાત નથી. આ બધી મૂંઝવણ હતી; પણ સદ્દભાગ્યે એને અંત આવી ગયે. વિદ્વાન અને સહૃદય મિત્ર રસિકલાલ છોટાલાલ પરીખે હિંદીને ગૂજરાતીમાં ઉતાર્યું અને બાકીના ચાર અધ્યાયે મેં ગૂજરાતીમાં જ લખી નાંખ્યા. આ રીતે લગભગ અગિયાર વર્ષ પહેલાં શરૂ કરેલ સંકલ્પ છેવટે પૂરો થયો. પહેલાં તત્ત્વાર્થ ઉપર વિવેચન લખવાની કલ્પના થઈ ત્યારે તે વખતે નક્કી કરેલ જનાની પાછળ દષ્ટિ એ હતી કે સંપૂર્ણ જૈન તત્વજ્ઞાન અને જૈન આચારનું પદ્ધતિ સ્વરૂપ એક જ સ્થળે પ્રામાણિક રૂપમાં એના વિકાસક્રમ પ્રમાણે જ લખાયેલું દરેક અભ્યાસીને સુલભ થાય, જેન અને જૈનેતર તત્વજ્ઞાનના અભ્યાસીઓને નડતી પરિભાષાભેદની દીવાલ તુલનાત્મક વર્ણન દ્વારા તૂટી જાય, અને અત્યાર સુધીમાં ભારતીય દર્શનમાં કે પશ્ચિમીય તત્વજ્ઞાન ચિંતનમાં સિદ્ધ તેમજ સ્પષ્ટ થયેલ મહત્વના મુદ્દાઓ વડે જૈન જ્ઞાનકેશ સમૃદ્ધ થાય એ રીતે તત્ત્વાર્થનું વિવેચન લખવુ. આ ધારણમાં તત્ત્વાર્થની બને ફિરકાઓની કઈ પણ એક જ ટીકાના અનુવાદને કે સારને અવકાશ ન હત; એમાં બધી ટીકાઓના દેહન ઉપરાંત બીજા પણ મહત્ત્વના જૈન ગ્રંથોના તારણને સ્થાન હતું. પણ જ્યારે એ વિશાળ જનાએ મધ્યમ માર્ગનું રૂપ લીધું ત્યારે Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ તેની પાછળ દૃષ્ટિ પણ ટૂંકાઈ. છતાં મેં આ મધ્યમમાગી વિવેચનપદ્ધતિમાં મુખ્યપણે નીચેની બાબતે ધ્યાનમાં રાખી છે : ૧. કાઈ પણ એક જ ગ્રંથને અનુવાદ કે સાર ન લખતાં તેમજ કોઈ એક જ ફિરકાના મંતવ્યનું અનુસરણ ન કરતાં જે કાંઈ આજ સુધી જૈન તત્ત્વજ્ઞાનને અંગે વાંચવાવિચારવામાં આવ્યું છે, તેના તટસ્થ ભાવે ઉપયાગ કરી વિવેચન લખવુ. ૨. મહાવિદ્યાલય કે કોલેજના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને અનુકૂળ આવે તેમ જ જૂની ઢબથી ભણતા વિદ્યાર્થીઓને પણ માફક આવે એ રીતે સાંપ્રદાયિક પરિભાષા કાયમ રાખ્યા છતાં તેને સરલ કરી પૃથક્કરણ કરવું. ૩. જ્યાં ઠીક લાગે અને જેટલું ઠીક લાગે તેટલા જ પ્રમાણમાં સંવાદ રૂપે અને બાકીના ભાગમાં સંવાદ સિવાય જ સીધી રીતે ચર્ચા કરવી, ૪. વિવેચનમાં સૂત્રપાઠ એક જ રાખવા અને તે પણ ભાષ્યસ્વીકૃત. અને જ્યાં જ્યાં મહત્ત્વના અર્થોભેદ હોય ત્યાં એ જુદુ પડતુ' સૂત્ર ટાંકી એનેા અર્થ નીચે ટિપ્પણીમાં આપવા. અષ્ટિએ બંધ બેસે તેવાં એક કે અનેક સÀાને સાથે લઈ ને તેમના અથ લખવા અને સાથે જ વિવેચન કરવું, તેમ કરતાં વિષય લાંખા હોય તે તેના પેટા ભાગ પાડી મથાળાં દ્વારા વક્તવ્યનું પૃથક્કરણ કરવું. પ, બહુ પ્રસિદ્ધ હૈાય ત્યાં જ અને બહુ ગૂ'ચવાડો ઊભો ન થાય તેવી જ રીતે જૈન પરિભાષાની જૈનેતર પરિભાષા સાથે સરખામણી કરવી. ૬. કાઈ પણ એક બાબત પરત્વે કેવલ શ્વેતાંબરનાં કે વલ દિગંબરનાં કે બન્નેનાં મળી અનેક મંતવ્ય હાય ત્યાં કેટલું અને કયુ લેવુ' અને કયુ છેાડવુ' એને નિણૅય સૂત્રકારના આશ્ચયના નજીકપણા અને વિવેચનના Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરિમાણની મર્યાદાને લક્ષમાં રાખી સ્વતંત્રપણે કરો અને કઈ એક જ ફિરકાને વશ ન થતાં જૈન તત્વજ્ઞાનને અગર તો સૂત્રકારને જ અનુસરવું. આટલી બાબતે ધ્યાનમાં રાખ્યા છતાં પ્રસ્તુત વિવેચનમાં ભાષ્ય, તેની વૃત્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકના જ અંશો વિશેષપણે આવે એ સ્વાભાવિક છે; કારણ કે એ જ ગ્રંથ મૂળ સૂત્રના આત્માને સ્પર્શ કરી સ્પષ્ટ કરે છે. તેમાંયે ઘણે સ્થળે ભાષ્યનું જ પ્રાધાન્ય મેં રાખ્યું છે. કારણ કે જેમ એ જૂનું છે તેમ પજ્ઞ હેઈ, સૂત્રકારના આશયને વધારે સ્પર્શનારું પણ છે. - પ્રસ્તુત વિવેચનમાં પ્રથમની વિશાળ જના પ્રમાણે સરખામણું કરવામાં નથી આવી તેથી એ ઊણપ બહુ ડે અંશે દૂર કરવા અને સરખામણીમાં પ્રધાનતાવાળી આજ. કાલની રસપ્રદ શિક્ષણપ્રણાલીને અનુસરવા સરખામણીનું કાર્ય પરિચયમાં કર્યું છે. દેખીતી રીતે પરિચયમાં કરેલી સરખામણી વાંચનારને પ્રમાણમાં બહુ જ ઓછી લાગશે એ ખરું, પણ બારીકીથી અભ્યાસ કરનારાઓ જોઈ શકશે કે એ એટલે અંશે નાની લાગે છે તેટલી જ તે વધારે વિચારણીય છે. પરિચયમાં કરાતી સરખામણીમાં લાંબી લાંબી વિગતે અને હકીકતને સ્થાન ન જ હોય; તેથી સરખામણીના મુખ્ય મુદ્દાઓ પહેલાં તારવી, પછી સંભવિત બાબતે વૈદિક અને બૌદ્ધ દર્શને સાથે સરખાવવામાં આવી છે અને વિગતે વિચારી જવા માટે તે તે દર્શનના ગ્રંથોનાં સ્થળો મોટે ભાગે સૂચિત કર્યા છે. આથી અભ્યાસીને પિતાની બુદ્ધિ અજમાવવાને Page #16 -------------------------------------------------------------------------- ________________ અવકાશ પણ રહેશે અને તે નિમિત્તે દર્શનાંતરના અવલોકનને માર્ગ ખુલ્લે થશે એવી આશા મેં રાખી છે. માત્ર પ્રથાને અનુસરવા નહિ પણ આ આખા કામમાં મારો ફાળો કેટલે અલ્પમાત્ર છે એ सहायको જણાવવા હું અહીં કેટલાક સહાયનું સ્મરણ કરવું એગ્ય લેખું છું. પ્રસ્તુત વિવેચનમાં શરૂઆતના અમુક અધ્યાયો ઉપર હું જે મહેનત કરી શક્યો છું, તે પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના વિદ્યાપ્રિય પ્રશિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીના સક્રિય ઉત્સાહને જ આભારી છે. લિખિત આખી પ્રેસપી કાળજીપૂર્વક જોઈ જવાથી માંડી પ્રેસને લગતાં બધાં કામે તે ન્યાયવ્યાકરણતીર્થ અને સન્મતિતર્કના સહસંપાદક પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ કર્યો છે જ, પણ તેમની અસાધારણ મદદ બીજી જ છે. અને તે એ કે પરિચયના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં તથા તેમના ઉપર ઐતિહાસિક ટિપણે લખવામાં તેઓના જ બહુશ્રુતત્વે અને વિશાળ અવલેકને કામ કર્યું છે, એટલું જ નહિ પણ ઘણાં ટિપ્પણે તે તેઓએ પિતે જ લખેલાં છે જે હું કરી ન જ શક્ત. . . . પં. ભગવાનદાસ હરખચંદ અને ભાઈ શ્રી હીરાચંદ દેવચંદના જૈનશાસ્ત્રના અભ્યાસને પણ મેં પ્રસ્તુત કાર્યમાં ઉપયોગ કર્યો છે. . . . હું વિદ્યાપીઠમાં જોડાયા ન હતા ત્યારે જ તત્ત્વાર્થનું કામ આરંભેલું અને કેટલુંક કરેલું. એની પણી સમાપ્તિ તે વિદ્યાપીઠમાં રહીને જ અત્યારે કરી છેતેથી આ પુસ્તક વિદ્યાપીઠને સોંપી. દેવાનું મને એગ્ય લાગ્યું છે. હું પુરાતત્ત્વમંદિરની સાત્વિક Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુફામાં ચિંતન કરી શકો છું અને ઉત્સાહી સાથીઓ મેળવી નિશ્ચિતપણે આંખ, હાથ અને શરીરનું કામ લઈ રહ્યો છું, તે વિદ્યાપીઠની વિવોપાસનાની નીતિને જ આભારી છે એમ મારે કબૂલ કરવું જોઈએ. છેલ્લા કેટલાક માસ થયાં પ્રસ્તુત કાર્યમાં જ નિશ્ચિતપણે જોડાઈ રહેવા બદલ અને જ્યારે જે માગણી કરી ત્યારે તે માગણી પૂરી પાડવા બદલ હું વિદ્યાપીઠને આભારી છું. માગશીર્ષ શ૦ ૧૧/૦૬ સુખલાલ હિન્દીની બીજી આવૃત્તિમાંથી લેખકનું વક્તવ્ય ગુજરાતી વિવેચનનાં લગભગ ૨૧ વર્ષ પછી હિંદી વિવેચનની આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એટલા સમય દરમ્યાન તત્વાર્થ સંબંધિત સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયું છે. ભાષાની દષ્ટિએ સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને હિંદી આ ચાર ભાષાઓમાં તત્ત્વાર્થ સંબંધી સાહિત્ય પ્રગટ થયું છે. એમાં પણ ફક્ત પ્રાચીન સાહિત્યના જ પ્રકાશનને સમાવેશ નહીં પરંતુ સમાલોચનાત્મક, અનુવાદાત્મક, સંશોધનાત્મક અને વિવેચનાત્મક એવાં અનેકવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. પ્રાચીન ટીકાગ્રંથમાંથી સિદ્ધસેનીય અને હરિભદ્રીય બને ભાષ્ય વૃત્તિઓને સંપૂર્ણ પ્રકાશિત કરવા-કરાવવાનું શ્રેય વસ્તુતઃ શ્રીમાન સાગરાનન્દ સૂરીશ્વરને ફાળે જાય છે. તેઓએ એક સમાલોચનાત્મક નિબંધ પણ હિંદીમાં લખીને પ્રકાશિત કરાવ્યો છે, જેમાં વાચક ઉમાસ્વાતિના શ્વેતામ્બરીયત્વના વિષયમાં ખાસ કરીને ચર્ચા છે. તસ્વાર્થનાં ફક્ત મૂળ સૂત્રો Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ને અનુવાદ શ્રી હિરાલાલ કાપડિયા એમ. એ. ને, તથા તત્વાર્થભાષ્યના પ્રથમ અધ્યાયને ગુજરાતી અનુવાદ વિવે. ચન સાથે પં. પ્રભુદાસ બેચરદાસ પરીખને પ્રકાશિત થયે છે. તત્ત્વાર્થને હિંદી અનુવાદ જે વસ્તુતઃ મારા ગુજરાતી વિવેચનને અક્ષરશઃ અનુવાદ છે તે ધી મારવાડવાળા શ્રી મેઘરાજજી મુણત દ્વારા તૈયાર થઈ પ્રકાશિત થયા છે. સ્થાનકવાસી મુનિ આત્મારામજી ઉપાધ્યાય (હાલ આચાર્ય) દ્વારા “તત્વાર્થસૂત્ર – જૈનાગમ સમન્વય” નામની બે પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. એમાંથી એક હિંદી અર્થયુક્ત છે. અને બીજી હિન્દી અર્થ વિનાની આગમપાઠવાળી છે. શ્રી રામજીભાઈ દોશીએ તત્વાર્થનું વિવેચન ગુજરાતીમાં લખી સેનગઢથી પ્રકાશિન કર્યું છે. પ્ર. જી. આર. જૈનના તત્ત્વાર્થના પાંચમા અધ્યાયનું વિવેચન આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ અંગ્રેજીમાં લખનૌથી પ્રકાશિત થયું છે. પં. મહેન્દ્રકુમારજી દ્વારા સંપાદિત કૃતસાગરાચાર્યકૃત તત્ત્વાર્થ વૃત્તિ, પં. લાલબહાદુર શાસ્ત્રી કૃત તત્વાર્થસૂત્ર ને હિંદી અનુવાદ અને પં. ફૂલચંદજીનું હિંદી વિવેચન બનારસથી પ્રકાશિત થયાં છે. તત્વાર્થસૂત્રની ભાસ્કરનંદિકૃત સુખબેધવૃત્તિ રિએન્ટલ લાયબ્રેરી પબ્લીકેશનની સંસ્કૃત શ્રેણીમાં ૮૪ મા પુસ્તક તરીકે પંડિત શાન્તિરાજ શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ ૧૪ મી શતાબ્દીની છે. તત્વાર્થરિસત્રી પ્રકાશિકા નામની વ્યાખ્યા જે શ્રી વિજયલાવરયસૂરિત છે અને જે શ્રી વિજય નેમિસૂરી ગ્રંથમાળાના ૨૨ મા રત્નરૂપે પ્રકાશિત થઈ છે. તે પાંચમા અધ્યાયના ઉત્પાદવ્યયાદિ ત્રણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સૂત્રો (૫. ૨૯-૩૧) ની સભા સિદ્ધસેનીય વૃત્તિનુ વિસ્તૃત વિવરણ છે. પાછલાં ૨૧ વર્ષમાં પ્રકાશિત યા નિર્મિત તત્ત્વા સબંધી સાહિત્યના ઉલ્લેખ અહીં એટલા માટે કર્યાં છે કે ૨૧ વર્ષ પહેલાં જે તત્ત્વાર્થના અધ્યયન-અધ્યાપનના પ્રચાર હતા તે પાછલાં વર્ષામાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વધી ગયા છે અને દિવસે દિવસે તેના વધવાની કેટલી પ્રબળ સંભાવના છે તે જાણવામાં આવે પાછલાં વર્ષોંના તત્ત્વા સબધી ત્રણે સંપ્રદાયાના સમ્યક્ અધ્યયનમાં મારા ‘ગુજરાતી વિવેચન' ના કેટલા ફાળેા છે એ બતાવવાનુ મારુ કામ નથી. છતાંયે હું એટલું તો કહી શકું છું કે ત્રણે સંપ્રદાયાના યાગ્ય અધિકારીઓએ મારા ‘ગુજરાતી વિવેચન'ને એટલું તા અપનાવ્યું છે કે જે મારી કલ્પનામાં ન હતું. = તત્ત્વાની પ્રથમ હિંદી આવૃત્તિ પ્રકાશિત થયા પછી તત્ત્વા સૂત્ર, તેનુ ભાષ્ય, અને વાચક ઉમાસ્વાતિ અને તત્ત્વાની અનેક ટીકાઓ – વગેરે વિષયાને વિશે અનેક લેખકોના અનેક લેખા નીકળ્યા છે. પરંતુ અહીં... મારે શ્રીમાન નાથુરામજી પ્રેમીના લેખના વિષયમાં જ કંઈક કહેવુ છે. પ્રેમીજીના ‘ભારતીય વિદ્યા’ – સિંધી સ્મારક અંકમાં વાચક ઉમાસ્વાતિના ભાષ્ય તત્ત્વાર્થ સૂત્ર અને તેના સ`પ્રદાય' નામે લેખ પ્રસિદ્ધ થયા છે. તેઓએ લાંબા ઊહાપાહ પછી એ બતાવ્યું છે કે વાચક ઉમાસ્વાતિ યાપનીય સંધના આચા હતા. તેની અનેક લીલા એવી છે જે તેઓના મતવ્યને માનવાને માટે આકર્ષિત કરે છે. એટલા માટે તેના મતવ્યાની વિશેષ પરીક્ષા કરવાને માટે સટીક ભગવતી . Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ આરાધનાનું ખાસ સમ્યકૂઅધ્યયન પં. શ્રી દલસુખ માલવણિયાએ કર્યું. તે સમ્યક્ અધ્યયનના ફળસ્વરૂપ જે સેંધ તેઓએ તૈયાર કરી તેના ઉપર તેઓની સાથે મળીને મેં પણ વિચાર કર્યો. વિચાર કરતી વખતે ભગવતી આરાધના, એની ટીકાઓ અને બૃહત્કલ્પભાષ્ય વગેરે ગ્રંથનું આવશ્યક અવકન પણ કર્યું. બની શકે એટલે આ પ્રશ્ન ઉપર મુક્તમને વિચાર કર્યો. છેવટે અમે બંને એ પરિણામ ઉપર પહોંચ્યા કે વાચક ઉમાસ્વાતિ યાપનીય ન હતા, તેઓ સચેલ પરંપરાના હતા જે અમે પરિચયમાં બતાવ્યું છે. અમારું અવલોકન અને વિચારનો નિચોડ આ પ્રમાણે છે: (૧) ભગવતી આરાધના અને તેના ટીકાકાર અપરાજિત બને જ યાપનીય હેય તે તેમના ગ્રંથ પરથી યાપનીય સંધના આચાર વિષે નીચેનાં લક્ષણે ફલિત થાય છે - (૪) યાપનીય આચારનું ઐત્સર્ગિક અંગ અચેલત્વ અર્થાત નગ્નત્વ છે. | (0) યાપનીય સંઘમાં મુનિની જેમ આર્યાનું પણ મેક્ષલક્ષી સ્થાન છે. અને અવસ્થા વિશેષમાં તેમના માટે પણ નિવસન ભાવને ઉપદેશ છે. () યાપનીય આચારમાં પાણિતલ (હથેળી) ભોજનનું વિધાન છે, અને કમંડળ – પિચછના સિવાય બીજા કેઈ સાધનનું ઐસર્ગિક વિધાન નથી. ૧. જુઓ અનેકાન્ત વર્ષ ૩. અંક ૧, ૪, ૧૧, ૧૨; વર્ષ ૪ અંક ૧, ૪, ૬, ૭, ૮, ૧૧, ૧૨; વર્ષ ૫ અંક ૧ -૧૧ જૈન” સિદ્ધાંત ભાસ્કર વર્ષ ૮ અને ૯. જૈન સત્યપ્રકાશ વર્ષ ૬ અંક ૪. ભારતીય વિદ્યા-સિંધી સ્મારક અંક. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - ઉપર કહેલાં લક્ષણે ઉમાસ્વાતિના ભાગ્ય અને પ્રશમરતિ જેવા ગ્રંથેના વર્ણન સાથે બિલકુલ બંધબેસતાં નથી કેમકે તેમાં સ્પષ્ટ રીતે મુનિના વસ્ત્ર – પાત્રનું વર્ણન છે, અને ક્યાંયે નગ્નત્વનું ઐત્સર્ગિક વિધાન નથી તેમ જ કમંડળ – પિછ જેવાં સાધનનું તે નામ પણ નથી. (૨) શ્રી પ્રેમીજીની દલીલે પૈકી એક એ પણ છે કે પુણ્યપ્રકૃતિ આદિ વિષય સંબંધી ઉમાસ્વાતિનું મંતવ્ય અપરા જિતની ટીકામાં મળે છે. પરંતુ સમુદાય તથા પરંપરાની તત્ત્વજ્ઞાન સંબંધી માન્યતાઓને ઇતિહાસ કહે છે કે ક્યારેક ક્યારેક એક જ પરંપરામાં પરસ્પર વિરુદ્ધ જણાતી સામાન્ય અને મહત્ત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓ જોવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ બે પરસ્પર વિરોધી માનવામાં આવતી પરંપરાઓમાં પણ ક્યારેક ક્યારેક એવી સામાન્ય અને મહત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓનું એકત્વ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં વસ્ત્રપાત્રના સમર્થક ઉમાસ્વાતિના વસ્ત્રપાત્રના વિરોધી યાપનીય સંઘની અમુક માન્યતાઓ સાથે સમાનતા જણાય છે એમાં કાંઈ નવાઈ નહીં. પં. ફૂલચંદ્રજીએ તત્ત્વાર્થસૂત્રના વિવેચનની પ્રસ્તાવનામાં ગુબ્રપિચ્છને સૂત્રકાર અને ઉમાસ્વાતિને ભાગ્યકાર બતાવવાને પ્રયત્ન કર્યો છે. પરંતુ આ પ્રયત્ન જેવી રીતે ઇતિહાસવિરુદ્ધ છે તેવી જ રીતે તકની સાથે અસંગત પણ છે. તેઓએ જ્યારે આ લખ્યું કે શરૂઆતની કારિકાઓમાં એવી કોઈ કારિકા નથી કે જે ઉમાસ્વાતિને સૂત્રકાર બતાવતી હોય ત્યારે માલૂમ પડે છે કે એકમાત્ર પોતાના મન્તવ્યની સ્થાપના કરવાના પિતાના આગ્રહને કારણે જે અર્થ સ્પષ્ટ છે, તે પણ ક્યાં તે તેઓના જણાય તે એની અમુક મતના વસ્ત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં આવ્યો ન હોય અથવા તો તેઓએ તેની ઉપેક્ષા કરી. બીજી કારિકાઓની વાત છેડી દઈએ તે પણ કારિકા નં.૨૨ અને ૩૧ એટલી સ્પષ્ટ છે કે જેમના, ઉમાસ્વાતિ કૃત સૂત્રસંગ્રહ અથવા ઉમાસ્વાતિ કૃત મેક્ષમાર્ગ શાસ્ત્રરૂપ અર્થમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન રહેતું નથી. પં. કૈલાશચંદ્રજીનું હિંદી અર્થ સાથે લખેલું તત્વાર્થસૂત્ર હાલ પ્રગટ થયું છે. તેની પ્રસ્તાવનામાં તેઓએ તત્વાર્થ-ભાષની ઉમાસ્વાતિકર્તકતા તથા ભાગના સમય વિષે જે વિચારે પ્રદર્શિત કર્યા છે તેને ધ્યાનપૂર્વક જોતાં કોઈ તટસ્થ ઐતિહાસિક તેમને પ્રમાણભૂત નહીં માની શકે. પંડિતજીએ જ્યાં પણ ભાષ્યની સ્વપજ્ઞતા અથવા રાજવાર્તિક વગેરેમાં ભાષ્યના ઉલ્લેખને સંભવ દેખાય ત્યાં ઘણું કરીને સર્વત્ર આધાર વિનાની કલ્પનાના જોરે બીજી વૃત્તિને માનીને ભાષ્ય ગ્રંથનું આધુનિકત્વ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિષયમાં પં. ફૂલચંદ્રજી વગેરે અન્ય પંડિતે એક જ માર્ગના અનુગામીઓ છે. - હિંદીની પહેલી આવૃત્તિ પૂરી થઈ જતાં અને તેની માંગ વધતી રહેવાથી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસના મંત્રી અને મારા મિત્ર પં. દલસુખ માલવણિયા બીજી આવૃત્તિ બહાર પાડવાનો વિચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સહૃદય શ્રી રિષભદાસજ રાંકાને તેમની સાથે પરિચય થયું. શ્રી રાંકાજીએ હિંદી આવૃત્તિ પ્રકાશિત કરવાનું અને યથાસંભવ સસ્તામાં સહેલાઈથી મળે એવું કરવાને પિતાને વિચાર રજૂ કર્યો અને તેને પ્રબંધ પણ કર્યો એ માટે હું ઋણી છું. Page #23 -------------------------------------------------------------------------- ________________ “જેન જગત'ના સંપાદક શ્રી જમનાલાલ જેને અથથી. ઇતિ સુધીનાં પુફ જોયાં છે. પ્રેસ વર્ધામાં અને શ્રી માલવણિયાજી બનારસમાં-એટલે સમગ્ર દષ્ટિથી જોતાં વર્ધામાં જ પ્રફ સંશોધનનું કાર્ય વિશેષ અનુકૂળ હતું, જે શ્રી જમનાલાલજીએ યથાસંભવ ધ્યાનપૂર્વક ગોઠવી આપ્યું છે. તે માટે અમે તેમના આભારી છીએ. તત્ત્વાર્થ હિંદીના જ નહીં પરંતુ મારી લખેલી કોઈ પણ ગુજરાતી કે હિન્દી પુસ્તિકા અથવા લેખના પુનઃ પ્રકાશનમાં પ્રત્યક્ષ રીતે ભાગ લેવાને મારે રસ ઘણા સમયથી રહ્યો નથી. મેં ઘણા સમયથી વિચારી રાખ્યું છે કે અત્યાર સુધી જે કંઈ વિચાર્યું અને લખવામાં આવ્યું છે તે જે કોઈપણ દષ્ટિએ કોઈ સંસ્થા અથવા કોઈ વ્યક્તિઓને ઉપયોગી લાગશે તે તેઓ તેને માટે જે કંઈ કરવું પડશે કરશે. તે હું પિતાને લેખ વગેરેમાં કેમ ફસાઈ રહું ? આ વિચાર પછી જે કંઈ મારું જીવન યા શક્તિ બચી છે તેને હું જરૂરી નવા ચિંતન વગેરે તરફ ખેંચી રહ્યો છું. આવી સ્થિતિમાં હિંદી તત્વાર્થની બીજી આવૃત્તિના પ્રકાશનમાં મુખ્ય રીતે રસ લેવાનું મારે માટે તો સંભવિત ન હતું. જે આ ભાર ફક્ત મારા ઉપર જ હેત તે નિસંદેહ બીજી આવૃત્તિ ન નીકળી શકત. - પરંતુ આ બાબતમાં મારા ઉપર આવતી બધી જવાબદારી પિતાની ઇચ્છા અને ઉત્સાહથી ૫. માલવણિયાએ પિતાના ઉપર લઈ લીધી. અને તેને છેવટ સુધી સારી રીતે નિભાવી પણ. આ નવી આવૃત્તિના પ્રકાશન માટે જેટલું અને જે કંઈ સાહિત્યને અભ્યાસ કરવો પડ્યો, સમુચિત પરિવર્તનને માટે જે કંઈ ઊહાપોહ કરવો પડ્યો અને બીજી વ્યવહાર Page #24 -------------------------------------------------------------------------- ________________ વાતને તેડ કાઢવો પડ્યો તે બધું શ્રી માલવણિયાએ જાતે ફૂર્તિથી કર્યું છે. અમારા બન્નેની વચ્ચે જે સબંધ છે તે આભાર માનવાને માટે પ્રેરણા નથી આપતા. છતાં પણ હું એ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે જિજ્ઞાસુ પાઠક વસ્તુસ્થિતિ જાણી શકે. આ વર્ષની ઉનાળાની રજાઓમાં શ્રી માલવણિયા ખાસ કરીને અમદાવાદ એટલા માટે આવ્યા કે હું અમદાવાદમાં જ હતા. તેમણે પહેલેથી જ જે કાંઈ નવું જૂનું જરૂરી સાહિત્ય જોઈને નોંધ લઈ રાખી હતી તેના ઉપર મેં તેમની સાથે મળીને જ યથાસંભવ તટસ્થ રીતે વિચાર કર્યો અને જે કંઈ વધારવા ઘટાડવા જેવું લાગ્યું અને જે પરિવર્તન લાગ્યું તે આ નવી આવૃત્તિને માટે કર્યું. હવે આ આવૃત્તિ જિજ્ઞાસુઓની સામે મૂકવામાં આવી રહી છે. તેઓ એને રૂચ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરે. ' તા. ૨૪–૨–૫૧ – સુખલાલ Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિચય ૧. તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિ જન્મવંશ અને વિદ્યાવંશ એમ વંશ બે પ્રકારના છે. જ્યારે કેઈના જન્મનો ઇતિહાસ વિચારવાનું હોય છે, ત્યારે તેની સાથે લેહીને સંબંધ ધરાવતી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિ પરંપરાને વિચાર કરે પડે છે; અને જ્યારે કેઈ વિદ્યા-શાસ્ત્રનો ઈતિહાસ જાણવાનો હોય છે, ત્યારે તે શાસ્ત્રના રચનાર સાથે વિદ્યા સંબંધ ધરાવનાર ગુરુ, મગુરુ તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરુશિષ્યભાવવાળી પરંપરાને વિચાર આવે છે. ૧. આ બે વશે આર્યપરંપરા અને આર્યસાહિત્યમાં હજારે વર્ષ થયાં જાણીતા છે. “જન્મવંશ” અર્થાત નિસંબંધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમસાપેક્ષ છે, અને વિદ્યાવંશ” અર્થાત્ વિદ્યાસંબંધ પ્રધાનપણે ગુરુપરંપરાસાપેક્ષ છે. આ બંને વશેને ઉલ્લેખ પાણિનીયવ્યાકરણસૂત્રમાં તે સ્પષ્ટ છે જ. “વિયોનિવિભ્યોડુત્ર” ૪, ૨, ૭૭પાણિનીયસૂત્ર. એટલે આવા બે વંશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુ જ જૂની છે. ત. ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ” એ ભારતીય દાર્શનિક વિદ્યાની જેમ શાખાનું એક શાસ્ત્ર છે, તેથી તેના ઈતિહાસમાં વિદ્યાવંશને ઇતિહાસ આવે છે. તત્ત્વાર્થ માં જે વિદ્યા તેના કર્તાએ સમાવી છે, તે તેમણે પૂર્વ ગુરુપરંપરાથી મેળવી છે અને તેને વિશેષ ઉપયોગી બનાવવાના હેતુથી પિતાની દૃષ્ટિ પ્રમાણે અમુક રૂપમાં ગોઠવી છે, તેમજ તેમણે એ વિદ્યાનું તત્ત્વાર્થ. શાસ્ત્રમાં જે સ્વરૂપ ગોઠવ્યું, તે જ સ્વરૂપ કાંઈ આગળ કાયમ નથી રહ્યું. તેના અભ્યાસીઓ અને તેના ટીકાકારોએ પિતાપિતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સમયમાં ચાલતી વિચારધારાઓમાંથી કેટલુંક લઈએ વિદ્યામાં સુધારો, વધારે, પુરવણી અને વિકાસ કર્યો છે, તેથી પ્રસ્તુત પરિચયમાં તત્ત્વાર્થ અને તેના કર્તા ઉપરાંત તત્ત્વાર્થને વંશવેલારૂપે વિસ્તરેલી ટીકાઓ તેમજ તે ટીકાઓના કર્તાઓને પણ પરિચય કરાવવો પ્રાપ્ત થાય છે. તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાયના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્યા છે. દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા અને તાંબરો તેમને પોતાની શાખામાં થયેલા માનતા આવ્યા છે. દિગંબર પરંપરામાં એ “ઉમાસ્વામી” અને “ઉમાસ્વાતિ” એ નામથી જાણીતા છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં ફક્ત “ઉમાસ્વાતિ” એ નામ જાણીતું છે. બધા જ દિગંબરે અત્યારે એકમતે તત્ત્વાર્થશાસ્ત્રના પ્રણેતા ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય તરીકે માને છે; અને શ્વેતાંબરોમાં પણ થોડી ઘણી એવી સંભાવના ૧. જુઓ “સ્વામી સમતભદ્ર પૃ૦ ૧૪૪થી આગળ २. “आर्य महागिरेस्तु शिष्यौ बहुल-बलिस्सही यमलभ्रातरौ तत्र Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ દેખાય છે કે, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા શ્યામાચાર્યના ગુરુ હાસ્તિગોત્રીય “સ્વાતિ એ જ તત્વાર્થસૂત્રના પ્રણેતા ઉમાસ્વાતિ છે. આ બંને પ્રકારની માન્યતાઓ પ્રમાણભૂત આધાર વિનાની હાઈ, પાછળથી પ્રચલિત થયેલી જણાય છે, કારણ કે દશમા સૈકા પહેલાંના કેઈપણ વિશ્વસ્ત દિગંબરીય ગ્રંથ પટ્ટાવલી કે શિલાલેખ આદિમાં એ ઉલ્લેખ જોવામાં નથી આવ્યો કે જેમાં ઉમાસ્વાતિને તત્વાર્થસૂત્રના રચનાર કહ્યા હોય, અને તે જ ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય પણ કહ્યા હોય. આવી મતલબવાળા જે ઉલ્લેખ દિગંબર સાહિત્યમાં बलिस्सहस्य शिष्यः स्वातिः , तत्त्वार्थादयो ग्रन्थास्तु तत्कृता एव संभाव्यन्ते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् श्रीवीरात् સત્યધિકાશતત્ર (૨૬) મા ” – ધર્મસાગરીય લિખિત “પટ્ટાવલિ ૧. શ્રવણ બેલ્ગોલના જે જે શિલાલેખેમાં ઉમાસ્વાતિને તત્વાર્થના રચયિતા અને કુંદકુંદના શિષ્ય કહ્યા છે, તે બધા જ શિલાલેખે અગિયારમા સૈકા પછીના છે. જુઓ “જૈનશિલાલેખ સંગ્રહ [ માણેક્લાલ પાનાચંદ ગ્રંથમાલા પ્રકાશિત) લેખ નં. ૪૦, ૪૨, ૪૩, ૪૭, ૫૦ અને ૧૦૮. નંદિસંઘની પટ્ટાવલી” પણ બહુ જ અપૂર્ણ અને ઐતિહાસિક તથ્ય વિનાની હોઈ, તેના ઉપર પૂરે આધાર રાખી શકાય તેમ નથી. વળી તે બહુ પ્રાચીન પણ નથી, એમ પં૦ જુગલકિશેરજીએ પિતાની પરીક્ષામાં સિદ્ધ કર્યું છે. જુઓ સ્વામી “સમંતભદ્ર પૃ૦ ૧૧૪ થી. તેથી એ અને એના જેવી બીજી પઢાવલીઓમાં મળતા ઉલેખને પણ બીજા વિશ્વસ્ત પ્રમાણના આધાર સિવાય ઐતિહાસિક માની શકાય નહિ. . Page #29 -------------------------------------------------------------------------- ________________ છે અત્યાર સુધીમાં જોવામાં આવ્યા છે, તે બધા જ દશમા– અગિયારમા સૈકા પછીના છેઅને તેમને જૂને વિશ્વસ્ત આધાર કાંઈ પણ દેખાતું નથી. ખાસ વિચારવા જેવી બાબત તો એ છે કે, પાંચમાથી નવમા સૈકા સુધીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રના પ્રસિદ્ધ અને મહાન દિગંબરીય વ્યાખ્યાકારોએ પિતાપિતાની વ્યાખ્યામાં ક્યાંય પણ તત્ત્વાર્થસૂત્રને ઉમાસ્વાતિનું રચેલું સ્પષ્ટપણે કહ્યું નથી, અને એ ઉમાસ્વાતિને દિગંબરીય શ્વેતાંબરીય કે તટસ્થ તરીકે જણાવ્યા જ નથી. જો કે શ્વેતાંબરીય સાહિત્યમાં આઠમા સૈકાના ગ્રંથમાં તત્ત્વાર્થસૂત્ર વાચક ઉમાસ્વાતિરચિત હોવાના વિશ્વસ્ત ઉલ્લેખ મળે છે અને એ ગ્રંથકારની દૃષ્ટિમાં ઉમાસ્વાતિ શ્વેતાંબરીય હોય એમ લાગે છે, પણ સેળમા, સત્તરમા સૈકાની ધર્મસાગરની તપાગચ્છની પટ્ટાવલી બાદ કરીએ, તે કોઈ શ્વેતાંબરીય ગ્રંથ કે પટ્ટાવલી આદિમાં તત્વાર્થસૂત્રપ્રણેતા વાચક ઉમાસ્વાતિ, શ્યામાચાર્યના ગુરુ છે એ નિર્દેશ સુદ્ધાં જણાતું નથી. વાચક ઉમાસ્વાતિની પિતાની જ રચેલી પિતાના કુળ અને ગુરુની પરંપરાને દર્શાવતી જરા પણ સંદેહ વિનાની તત્ત્વાર્થસૂત્રની પ્રશસ્તિ આજ સુધી કાયમ હોવા છતાં, તેમના " तत्त्वार्थशास्त्रकर्तार गृध्रपिच्छोपलक्षितम् । वन्दे गणीन्द्रसंजातमुमास्वामिमुनीश्वरम् ।” ॥ આ અને આ મતલબનાં બીજાં ગદ્યપદ્ય દિગંબરીય અવતરણ કોઈ પણ વિશ્વસ્ત અને જૂના આધાર વિનાનાં છે, તેથી તેમને પણ છેવટના આધાર તરીકે મૂકી શકાય નહિ. ૧. વિશેષ ખુલાસા માટે જુઓ આ પરિચયને અંતે પુરવણી.” ૨. જુઓ આ “પરિચયમાં આગળ પા. ૨૦ ઉપર નેધ ન. ૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુરુશિષ્યભાવ પરત્વે અગર તો ગોત્ર પરત્વે આટલી ભ્રમણા કેમ ચાલી હશે, એ એક આશ્ચર્યકારક કેયડે છે. પણ જ્યારે પૂર્વકાલીન સાંપ્રદાયિક વ્યામોહ અને ઐતિહાસિક દૃષ્ટિના અભાવ તરફ ધ્યાન જાય છે, ત્યારે એ કેયડે ઉકેલાઈ જાય છે. વાચક ઉમાસ્વાતિના ઈતિહાસ વિષે એમણે પોતે જ રચેલી નાનકડી શી પ્રશસ્તિ એ એક જ સાચું સાધન છે. તેમના નામની સાથે જોડાયેલી બીજી ઘણું હકીકતો બંને સંપ્રદાયની પરંપરામાં ચાલી આવે છે. પણ તે બધી હજી પરીક્ષણીય હોઈ તેમને અક્ષરશઃ વળગી રહી શકાય નહિ. તેમની એ ટૂંકી પ્રશસ્તિ અને તેને સાર આ પ્રમાણે છે: "वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयससः प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्ते ः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ॥ ३ ॥ अर्ह द्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखातं च दुरागमविहतमति लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन सत्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम्" ॥ ६ ॥ ૧. જેમકે દિગંબરેમાં ગૃધ્રપિચ્છ, આદિ તથા શ્વેતાંબરમાં પાંચસે ગ્રંથ રચનાર આદિ. Page #31 -------------------------------------------------------------------------- ________________ જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનદી” ક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરુના ગુરુ વાચકમુખ્ય “શિવશ્રી હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ મૂલ”નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ” ક્ષમણ હતા; જેઓ ગેત્રે “કૌભીષણિ” હતા; જેઓ સ્વાતિ” પિતા અને “વાસી’ માતાના પુત્ર હતા; જેમને જન્મ ન્યાયિકામાં થયો હત; જેઓ “ઉનાગર૧ શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ ૧. ઉજ્જૈનગર શાખાનું પ્રાપ્ત રજાનાર એવું નામ મળે છે. આ શાખા કઈ ગામ કે શહેરના નામ ઉપરથી પ્રસિદ્ધ થઈ હશે એમ તે ચોખ્ખું દેખાય છે. એ ગામ ક્યું નગર એ નક્કી કરવું કઠણ છે. હિંદુસ્તાનના અનેક ભાગોમાં નાગર નામનાં, કે જેને છેડે નગર નામ હોય એવા નામનાં અનેક શહેર અને ગામ છે. "વડનગર એ ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર છે. વડનો અર્થ મેટું અને મોટું એટલે કદાચ ઊંચું એ પણ અર્થ થાય. વળી વડનગર એ નામ પણ કોઈ પૂર્વ દેશના તે અગર તેના જેવા નામના શહેર ઉપરથી ગૂજરાતમાં લેવામાં આવ્યું છે, એવી પણ વિદ્વાનેની કલ્પના છે. એટલે ઉચ્ચનાગર શાખાને વડનગર સાથે જ સંબંધ છે એમ ભાર દઈ કહી ન શકાય. ઉપરાંત જે કાળમાં ઉચ્ચનાગર શાખા ઉદ્ભવી, તે કાળમાં વડનગર હતું કે નહિ, અને હતું તે તેની સાથે જનેને સંબંધ કેટલે હતા, એ પણ વિચારવાની બાબત છે. ઉચ્ચનાગર શાખાનાં ઉદ્ભવસમયને જૈનાચાર્યોને મુખ્ય વિહાર ગંગા યમુના તરફ હેવાનાં પ્રમાણે મળે છે. તેથી વડનગર સાથે ઉચ્ચનાગર શાખાને સંબંધ હોવાની કલ્પના સબળ નથી રહેતી. કનિંગહામ આ વિષે લખે છે કે, “આ ભૌગેલિક નામ ઉત્તરપશ્ચિમ પ્રાંતના અત્યારના બુલંદ શહેરમાં આવેલા ઊંચાનગર નામના કિલ્લા Page #32 -------------------------------------------------------------------------- ________________ આહંત ઉપદેશને બરાબર ધારણ કરી, તેમજ તુચ્છ શસ્ત્ર વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુખિત લેકેને જોઈને, પ્રાણુઓની અનુકંપાથી પ્રેરાઈ, આ સ્પષ્ટતાવાળું “તત્ત્વાથધિગમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર” (પાટલીપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્ત્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરશે, તે મેક્ષનામક પરમાર્થને જલદી મેળવશે.” - આ પ્રશસ્તિમાં ઐતિહાસિક હકીકત સૂચવનાર મુખ્ય છ મુદ્દા છે. ૧. દીક્ષાગુરુ અને દીક્ષા...ગુનું નામ અને દીક્ષાગુરુની યોગ્યતા, ૨. વિદ્યાગુરુ અને વિદ્યામગુરુનું નામ, ૩. શેત્ર, પિતા અને માતાનું નામ, ૪. જન્મસ્થાનનું અને ગ્રંથરચના સ્થાનનું નામ, ૫. શાખા અને પદવીનું સૂચન, ૬. ગ્રંથકર્તા અને ગ્રંથનું નામ. જે પ્રશસ્તિનો સાર ઉપર આવે છે, અને જે અત્યારે ભાષ્યના અંતમાં મળી આવે છે, તે પ્રશસ્તિ ઉમાસ્વાતિની પિતાની રચેલી નથી એમ માનવાને કશું જ કારણ નથી. ડે. હર્મન જેકેબી જેવા વિચારકે પણ એ પ્રશસ્તિને ઉમા સ્વાતિની જ માને છે. તેથી એમાં જે હકીકત નેંધાયેલી છે, તેને જ યથાર્થ માની, તે ઉપરથી વાચક ઉમાસ્વાતિ વિષેની સાથે મળતું આવે છે.” જુઓ, “આર્કિયુલેજિકલ સર્વે ઓફ ઈડિયા રિપોર્ટ, વોલ્યુમ ૧૪, પૃ. ૧૪૭. નાગરેત્પત્તિના નિબંધમાં ર. રા. માનશંકર નાગર શબ્દનો સંબંધ દર્શાવતાં અનેક નગર નામનાં ગામોને ઉલ્લેખ કરે છે, એટલે એ પણ વિચારની સામગ્રીમાં આવે છે. જુઓ, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ.” ૧. જુઓ તત્વાર્થસૂત્રના તેમના જર્મન અનુવાદને ઉઘાત. Page #33 -------------------------------------------------------------------------- ________________ . દિગ ખર, શ્વેતાંબર પર પરામાં ચાલી આવતી માન્યતાઓના ખુલાસા કરવા એ અત્યારે રાજમાર્ગ છે. ઉપર તારવેલ છ મુદ્દાઓ પૈકી પહેલા અને ખીજે મુદ્દો કુંદકુંદ સાથેના દિગંબરસંમત ઉમાસ્વાતિના સંબંધને ખોટો પાડે છે. કુંદકુંદનાં મળી આવતાં અનેક નામેામાં એવુ એકે નામ નથી જે ઉમાસ્વાતિએ દર્શાવેલ પોતાના વિદ્યાગુરુ અને દીક્ષાગુરુનાં નામેામાં આવતું હાય. એટલે કુંદકુંદન ઉમાસ્વાતિ સાથે વિદ્યા અગર દીક્ષાની બાબતમાં ગુરુશિષ્યભાવ સંબંધ હતા, એ કલ્પનાને સ્થાન જ નથી. તેમજ ઉક્ત પ્રશસ્તિમાં ઉમાસ્વાતિ વાચકપર પરામાં થવાનુ અને ઉચ્ચનાગરશાખામાં થવાનુ સ્પષ્ટ કથન છે, જ્યારે કુંદકુંદ નદિસંધમાં થવાની દિગંબર માન્યતા છે; અને ઉચ્ચનાગરનામની કોઈ શાખા દિગંબર સંપ્રદાયમાં થઈ ગઈ હાય એમ અદ્યાપિ જાણવામાં આવ્યુ નથી. તેથી દિગંબર પરંપરામાં કુંદકુંદના શિષ્ય તરીકે મનાયેલા ઉમાસ્વાતિ જો ખરેખર ઐતિહાસિક વ્યક્તિ હોય, તે પણ તેઓએ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું હતુ એ માન્યતા જ વિશ્વસ્ત આધાર વિનાની હાઈ ૨પાછળથી બંધાયેલી હોય તેમ લાગે છે. ઉક્ત મુદ્દાઓમાં ત્રીજો મુદ્દો શ્યામાચાર્ય સાથેના ઉમાસ્વાતિના સંબધની શ્વેતાંબરીય સંભાવનાને ખોટી પાડે ૧. જુએ, સ્વામી સમતભદ્ર' પૃષ્ઠ ૧૫૮થી. તેમજ જુએ આ પરિચય’ને અંતે ‘પુરવણી ’ ૨. જુઓ આ ‘પરિચય’પાન ૩, નોંધ ૧ તથા આ પરિચયને અંતે ‘પુરવણી ’. Page #34 -------------------------------------------------------------------------- ________________ છે; કારણ કે વાચક ઉમાસ્વાતિ પિતાને કૌભાષણિ કહી પિતાનું “કૌભીષણ ગોત્ર સૂચવે છે, જ્યારે શ્યામાચાર્યના ગુરુ તરીકે પટ્ટાવલીમાં દાખલ થયેલ “સ્વાતિ “હારિત' ગેત્રના વર્ણન વાયેલ છે. વળી તત્ત્વાર્થના પ્રણેતા ઉમાસ્વાતિ વાચકવંશમાં થયેલા હોવાનું ઉક્ત પ્રશસ્તિ સ્પષ્ટ કહે છે; જ્યારે શ્યામાચાર્ય કે તેમના ગુરુ તરીકે નિર્દેશાયેલ સ્વાતિ નામ સાથે વાચક વંશસૂચક કેઈ વિશેષણ પટ્ટાવલીમાં દેખાતું નથી. આ પ્રમાણે ઉક્ત પ્રશસ્તિ એક બાજુ દિગંબર અને તાંબર પરંપરામાં ચાલતી બ્રાંત કલ્પનાઓનું નિરસન કરે છે, અને બીજી બાજુ તે ગ્રંથકર્તાનો ટૂંકે છતાં સાચો ઇતિહાસ પૂરે પાડે છે. વાચક ઉમાસ્વાતિના સમય વિષે ઉક્ત પ્રશસ્તિમાં કશે જ નિર્દેશ નથી, તેમજ સમયનું ચોક્કસ નિર્ધારણ કરી આપે તેવું બીજું પણ કોઈ સાધન હજી પ્રાપ્ત સમય થયું નથી. આવી સ્થિતિમાં પણ એ વિષે કાંઈક વિચાર કરવા માટે ત્રણ બાબતોને અહીં ઉપયોગ કરવામાં આવે છે. ૧. શાખાનિર્દેશ, ૨. જૂનામાં જૂના ટીકાકારોનો સમય, અને ૩. અન્ય દાર્શનિક ગ્રંથેની સરખામણી. ૧. પ્રશસ્તિમાં જે “કનારફલા' ને નિર્દેશ છે, તે શાખા ક્યારે નીકળી એ નિશ્ચયપૂર્વક કહેવું કઠણ છે, છતાં કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં વિદ્યાનાર શાખા આવે ૧. “હરિચયુત્ત સહું ૨ ચંદ્રિમો હારિચ ૨ સામi” | ૨૬ ! –નંદિસૂત્રની સ્થવિરાવલી પૃ૦ ૪૯. Page #35 -------------------------------------------------------------------------- ________________ . છે;૧ એ શાખા આર્ય શાંતિશ્રેણિકથી નીકળેલી છે. આર્યશાંતિશ્રેણિક આર્ય સુહસ્તીથી ચેાથી પેઢીએ આવે છે. આસુહસ્તીના શિષ્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધ અને તેમના શિષ્ય ઇંદ્રદિન્ન. ઇંદ્રદિનના શિષ્ય દિન્ન અને દિશના શિષ્ય શાંતિશ્રેણિક નોંધાયેલ છે. શાંતિશ્રેણિક એ આવાના ગુરુ જે આસ હગિરિ, તેમના ગુરુભાઈ થાય; એટલે તે આવાની પહેલી પેઢીમાં આવે છે. આ સુહસ્તીને સ્વર્ગવાસસમય વીરાત્ ૨૯૧ અને વજ્રા સ્વર્ગવાસસમય વીરાત ૫૮૪ નોંધાયેલા મળે છે, એટલે સુહસ્તીના સ્વર્ગવાસસમયથી વજ્રના સ્વવાસસમય સુધીનાં ૨૯૩ વર્ષમાં પાંચ પેઢી મળી આવે છે. આ રીતે સરેરાશ એકએક પેઢીને સાઠ વષઁ કાળ લેતાં સુહસ્તીથી ચોથી પેઢીએ થનાર શાંતિશ્રેણિકના પ્રારંભકાળ લગભગ વીરાત્૪૭૧ ને આવે. આ વખત દરમિયાન કે થાડું આગળ પાછળ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી હશે. વાચક ઉમાસ્વાતિ, શાંતિશ્રેણિકની જ ઉચ્ચનાગર શાખામાં થયા છે એમ માની લઈ એ, અને એ શાખા નીકળ્યાના ઉપર અટકળ કરેલ સમય સ્વીકારી આગળ ચાલીએ, તે પણ એ કહેવું કઠણ છે કે, વાચક ઉમાસ્વાતિ એ શાખા નીકળ્યા પછી કારે થયા ? કારણ કે પોતાના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુનાં જે નામે પ્રશસ્તિમાં તેમણે "थेरेहितो णं अजसंतिसेणिएहितो माढरसगुत्तेहितो एत्थ णं ઉષાનારી સાદા નિમ્નયા” । મૂળ કલ્પસૂત્રસ્થવિરાવલિ, પૃ૦ ૫૫, આર્ય શાંતિશ્રેણિકની પૂર્વપર પરા જાણવા માટે એથી આગળનાં ‘કલ્પસૂત્ર’નાં પાનાં જુએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આપ્યાં છે, તેમાંનું એકે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં કે બીજી કોઈ તેવી પટ્ટાવલીમાં આવતું નથી. એટલે ઉમાસ્વાતિના સમય વિષે સ્થવિરાવલિના આધારે કંઈ કહેવું હોય તો વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે, તેઓ વીરાત ૪૭૧ અર્થાત વિક્રમ સંવતના પ્રારંભની લગભગ ક્યારેક થયા છે, તે પહેલાં નહિ. આથી વિશેષ માહિતી અત્યારે અંધકારમાં છે. ૨, એ અંધારામાં તદ્દન આ પ્રકાશ નાખે એવું એક કિરણ તત્વાર્થસૂત્ર ઉપરના જૂના ટીકાકારના સમયનું છે, જે ઉમાસ્વાતિના સમયની અનિશ્ચિત ઉત્તરસીમાને મર્યાદિત કરે છે. સ્વપજ્ઞ મનાતા ભાષ્યને બાદ કરીએ, તો તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સીધી ટીકાઓ અત્યારે મળે છે, તે બધીમાં પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ જૂની છે. પૂજ્યપાદનો સમય વિદ્વાનોએ વિક્રમનો પાંચ-છ સૈક નિર્ધા છે; એટલે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ વિક્રમના પાંચમા સૈકા પહેલાં ક્યારેક થયા છે, એમ કહી શકાય. ઉપરની વિચારસરણી પ્રમાણે વાચક ઉમાસ્વાતિને વહેલામાં વહેલે સમય વિક્રમનો પહેલો સૈક અને મોડામાં મોડે સમય વિક્રમ પછી ત્રીજે–ચે સેંકે આવે છે. આ ત્રણ-ચાર વર્ષના ગાળામાંથી જ ઉમાસ્વાતિનો નિશ્ચિત સમય શોધવાનું કામ બાકી રહે છે. ૩. સમય વિષેની આ સંભાવનામાં અને ભાવિ શેધમાં ઉપયોગી થાય એવી કેટલીક વધુ વિગતો, જે તેમના તત્વાર્થસૂત્ર અને ભાષ્ય સાથે દર્શનાંતર તેમજ જૈન આગમની સરખામણીમાંથી ફલિત થાય છે, તે પણ અહીં આપવામાં આવે છે. એ વિગતે સમયનો ચોક્કસ નિર્ણય બાંધવામાં સીધી રીતે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અત્યારે સહાયક થઈ શકે તેમ નથી. છતાં જે બીજાં સબળ પ્રમાણે મળી આવે, તો એ વિગતોને કીમતી ઉપગ થવા વિષે તો કશી જ શંકા નથી. અત્યારે તે એ વિગતે પણ આપણને ઉમાસ્વાતિના ઉપર અટકળેલ સમય તરફ જ લઈ જાય છે. 7. જૈન આગમ “ઉત્તરાધ્યયન” એ કણંદનાં સૂત્ર પહેલાંનું હોય એવી સંભાવના પરંપરાથી અને બીજી રીતે રહે છે. કણાદનાં સૂત્રે ઈસવીસન પૂર્વે પહેલા સૈકાનાં બહુધા મનાય છે. જૈન આગમેને આધારે રચાયેલાં તત્વાર્થસૂત્રોમાં ત્રણ સૂત્રો એવાં છે કે, જેમાં ઉત્તરાધ્યયનની છાયા ઉપરાંત કણાદસૂત્રોનું સદશ્ય દેખાય છે. એ ત્રણ સૂત્રોમાં પહેલું દ્રવ્યના, બીજુ ગુણના અને ત્રીજું કાળના લક્ષણ પરત્વે છે. ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૬માં દ્રવ્યનું લક્ષણ, “ ગુમાસયો વ્ય” સુનામાશ્રયો દ્રવ્યમ્ ! અર્થાત જે ગુણોને આશ્રય તે દ્રવ્ય,’ એટલું જ છે. કણાદ દ્રવ્યના લક્ષણમાં ગુણ ઉપરાંત ક્રિયા અને સમાયિકારણુતાને દાખલ કરી કહે છે કે, “ ત્રિપુત સકવયિમિતિ વ્યક્ષ” - ૧, ૧, ૨ અર્થાત “જે ક્રિયાવાળું, ગુણવાળું તેમજ સમવાયી કારણ હોય, તે દ્રવ્ય છે.” વાચક ઉમાસ્વાતિ ઉત્તરાખ્યયનકથિત ગુણપદ કાયમ રાખી, કણાદના સૂત્રમાં દેખાતા ક્રિયાશબ્દની જગ્યાએ જૈન પરંપરા પ્રસિદ્ધ પર્યાય શબ્દ મૂકી, દ્રવ્યનું લક્ષણ બાંધે છે કે, “ગુણપત્ર વ્ય” , રૂ૭. અર્થાત જે ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય.” ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગા. ૬ માં ગુણનું લક્ષણ, g ણમ ગુ”- gવ્યાબિતી ગુનઃ અર્થાત જે એક Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યના આશ્રિત હોય તે ગુણ,’ એટલું જ છે. કણાદના ગુણલક્ષણમાં વિશેષ ઉમેરે દેખાય છે. તે કહે છે કે, "द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेक्ष इति गुणलक्षणम्" ૧, ૧, ૧૬ ! અર્થાત “દ્રવ્યને આશ્રિત, નિર્ગુણ, અને સંયોગવિભાગમાં અનપેક્ષ છતાં જે કારણ ન થાય, તે ગુણ.” ઉમા સ્વાતિના ગુણલક્ષણમાં ઉત્તરાધ્યયનના ગુણલક્ષણ ઉપરાંત કણાદના ગુણલક્ષણમાને એક નિર્ગુણ એ અંશ છે. તે કહે છે કે, વ્યાશ્રય નિષ્ણુ ગુખT:” . ૬૦ અર્થાત્ “જે દ્રવ્યના આશ્રિત અને નિર્ગુણ હોય તે ગુણ ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૧૦ માં કાલનું લક્ષણ “વત્તળો ટો”વર્તનાક્ષ: શાસ્ત્ર: અર્થાત્ “વર્તના તે કાલનું સ્વરૂપ, એટલું જ છે. કણાદના કાલલક્ષણમાં વર્તન પદ તે નથી જ, પણ બીજા શબ્દો સાથે અપર અને પર શબ્દ દેખાય છે. “પરમિન્ય ' ક્ષિપ્રતિ ન” ૨, ૨, ૬. ઉમાસ્વાતિકૃત કાલલક્ષણમાં વર્તના પદ ઉપરાંત જે બીજાં પદો દેખાય છે, તેમાં પરત્વ અને અપરત્વ એ બે શબ્દો પણ છે. જેમકે “વર્તના પરિણામઃ ત્રિજ્યા. परत्वापरत्वे च कालस्य" ५, २२ । ઉપર આપેલાં દ્રવ્ય, ગુણ અને કાલનાં લક્ષણવાળાં તત્વાર્થનાં ત્રણ સૂત્રોને ઉત્તરાધ્યયન સિવાય કોઈ જૂના શ્વેતાંબરીય જૈન આગમ અંગને ઉત્તરાધ્યયન એટલે જ શાબ્દિક આધાર હોય એમ અદ્યાપિ જોવામાં નથી આવ્યું; પરંતુ વિક્રમના પહેલા-બીજા સૈકામાં થયેલા મનાતા કુંદકુંદનાં પ્રાકૃત વચન સાથે તત્વાર્થનાં સંસ્કૃત સૂત્રોનું ક્યાંક પૂર્ણ સાદારય છે અને ક્યાંક બહુ જ થોડું છે. વેતાંબરીય સૂત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ પાઠમાં દ્રવ્યનાં લક્ષણવાળાં બે જ સૂત્રો છે. રશ્ચિયધ્રૌવ્યયુ સત”", ૨૬ ! “ગુખપર્યાવત દ્રવ્યમ્ ૫, રૂ૭ | એ બે ઉપરાંત દ્રવ્યના લક્ષણ પર એક ત્રીજું સૂત્ર દિગંબરીય સૂત્રપાઠમાં છેઃ “સત દ્રવ્ય ક્ષણમ્ ” , ૨૬ આ ત્રણે દિગંબરીય સૂત્રપાઠમાંનાં સૂત્રો કુંદકુંદના પંચાસ્તિકાયની નીચેની પ્રાકૃત ગાથામાં પૂર્ણપણે વિદ્યમાન છે: "दव्यं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुक्त । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू" ॥१०॥ આ ઉપરાંત કુંદકુંદના પ્રસિદ્ધ ગ્રંથે સાથે તત્વાર્થ. સૂત્રોનું જે શાબ્દિક અને વસ્તુગત મહત્ત્વનું સૌદશ્ય છે, તે આકસ્મિક તે નથી જ. ૩. ઉપલબ્ધ યોગસૂત્રોના રચયિતા પતંજલિ મનાય છે. વ્યાકરણ મહાભાષ્યના કર્તા પતંજલિ જ યોગસૂત્રકાર છે. કે બીજા કોઈ પતંજલિ, એ વિષે આજે કાંઈ નિશ્ચય નથી. જે મહાભાષ્યકાર અને યોગસૂત્રકાર પતંજલિ એક હોય, તે યોગસૂત્રો વિક્રમની પૂર્વે પહેલા બીજા સૈકાનાં છે, એમ કહી શકાય. ગસુત્રનું વ્યાસભાષ્ય ક્યારનું છે, તે પણ નિશ્ચિત નથી; છતાં વિક્રમના ત્રીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કારણ નથી. યોગસૂત્રો અને તેમના ભાષ્ય સાથે તત્વાર્થનાં સૂત્રો અને તેમના ભાષ્યનું શાબ્દિક તેમજ આર્થિક સદશ્ય ઘણું છે અને આકર્ષક પણ છે; છતાં એ બેમાંથી કઈ એક ઉપર ૧. આના વિશેષ વિસ્તાર માટે જુઓ મારું લખેલું હિન્દી “ગદર્શન, પ્રસ્તાવના પૃત્ર પર થી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ખીજાતી અસર છે એમ ખાતરીથી કહેવુ શકય નથી, કારણુ કે, તત્ત્વાર્થીનાં સૂત્રો અને ભાષ્યને ચેગ નથી પ્રાચીન એવા જૈન અંગ પ્રથાના વારસા મળેલા છે; તેમજ યોગસૂત્ર અને તેમના ભાષ્યને જૂની સાંખ્ય, ચાગ તેમજ બૌદ્ધ આદિ પરપરા આના વારસા મળેલા સ્પષ્ટ લાગે છે; તેમ છતાં તત્ત્વાર્થના ભાષ્યમાં એક સ્થળ એવુ છે કે, જે જૈન અંગ પ્રથામાં અત્યારે ઉપલબ્ધ નથી, અને યેાગસૂત્રના ભાષ્યમાં છે. પહેલાં નિર્મિત થયેલું આયુષ એલ્લુ પણ થઈ શકે અર્થાત્ વચ્ચે તૂટી પણ જાય અને તૂટી ન પણ શકે, એવી ચર્ચા જૈન અંગ પ્રથામાં છે. પણ એ ચર્ચામાં આયુષ તૂટી શકવાના પક્ષની ઉપપત્તિ કરવા માટે ભીના કપડા અને સૂકા ઘાસને દાખલા અંગ ગ્રંથામાં નથી. તત્ત્વાર્થીના ભાષ્યમાં એ જ ચર્ચાને પ્રસગે એ બને દાખલા અપાયેલા છે, જે યેાગસૂત્રના ભાષ્યમાં પણ છે. આ દાખલામાં ખૂબી એ છે કે, અંતે ભાષ્યનું શાબ્દિક સાદૃશ્ય પણ ધણું છે. અહીં એક વિશેષતા છે અને તે એ કે, યોગસૂત્રના ભાષ્યમાં નહિ એવા ગણિતવિષયક ત્રીજો દાખલા તત્ત્વા સૂત્રના ભાષ્યમાં છે. અને ભાષ્યને પાઠ ક્રમશઃ આ પ્રમાણે છેઃ १५ તત્ત્વાથ સૂત્ર शेषा मनुष्यास्तिर्यग्योनिजाः सोपक्रमा निरुपक्रमाश्चा પવાયુષ ડનપવ યુથ મન્તિ । . . . અવવર્તન શીઘ્રમન્તમુદૂતાં ... મોપમોઃ ૩પ બોડપવતનનિમિત્તમ્ । . . . સંતગુતૃળાशिदहनवत् । यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दह्यमानस्य चिरेण दाहो भवति तस्यैव शिथिलप्रकीर्णापचितस्य सर्वतो युगपदादीपितस्य 6. . Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ पवनोपक्रमाभिहतस्याशुदाहो भवती। तद्वत् । यथा वा सङ्ख्यानाचार्यः करणलायवार्थे गुणकारभागहाराभ्यां राशि छेदादेवापवर्तयति न च सङ्ख्येघास्वार्थस्याभावो भवति तद्वदुपक्रमाभिहतो मरणसमुदघातदुःखात : कर्मप्रत्ययमनामोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघवार्थ कर्मापवर्तयति न चास्य फलाभाव इति । किं चान्यत् । यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति स एव च वितानितः सूर्यरश्मिवाय्वभिहत: क्षिप्रं शोषमुपयाति न च संहते तस्मिन् प्रभूतस्नेहागमा नापि वितानितेऽकृत्स्नशोषः तद्वद् यथोक्तनिमित्तापवर्तनैः कर्मण: क्षिप्रं फलोपभोगो भवति । न च कृतप्रणाशाकृताभ्यागमाफल्यानि"। --तत्त्वार्थभाष्य २, ५२ । ગસત્ર “आयुर्विपाकं कर्म द्विविधं सोपक्रम निरुपक्रमं च । तत्र यथार्द्र वस्त्रं वितानितं हसीयसा कालेन शुष्येत्तथा सोपक्रमम् । यथा च तदेव संपिण्डितं चिरेण संशुष्येदेवं निरुपक्रमम् । यथा वाग्निः शुष्के कक्षे मुक्तो वातेन समन्ततो युक्तः क्षेपीयसा कालेन दहेतु तथा सोपक्रमम्। यथा वा स एवाग्निस्तृणराशौ क्रमशोऽवयवेषु न्यस्तश्चिरेण दहेत् तथा निरुपक्रमम् । तदैकभविकमायुष्करं कर्म द्विविधं सेापक्रम निरुपक्रमं च"। -योगभाष्य ३, २२ । અક્ષપાનું “ન્યાયદર્શન’ ઈસવીસનના આરંભે લગભગ રચાયેલું મનાય છે. તેના ઉપરનું “વાસ્યાયનભાષ્ય” બીજાત્રીજા સૈકાની ભાષ્યકાળની પ્રાથમિક કૃતિઓમાંની એક કૃતિ છે. તેના કેટલાક શબ્દો અને વિષય તત્વાર્થભાષ્યમાં છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ન્યાયદર્શન (૧, ૨, ૩)માન્ય પ્રમાણચતુષ્કવાદને નિર્દેશ તત્વાર્થ અ. ૧, સૂ૦ ૬ અને ૩૫ ને ભાષ્યમાં છે. તત્ત્વાર્થ ૧, ૧૨ ના ભાષ્યમાં અર્થપત્તિ, સંભવ અને અભાવ આદિ પ્રમાણના ભિન્નપણાનું નિરસન ન્યાયદર્શન (૧, ૨, ૧) આદિના જેવું છે. ન્યાયદર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં “ન્દ્રિયાસંનિમ્” (૧, ૧, ૪) એવો શબ્દ છે. તત્ત્વાર્થ અ. ૧, સૂ૦ ૧૨ ના ભાષ્યમાં અપત્તિ આદિ જુદાં મનાતાં પ્રમાણેનો મતિ અને શ્રુતજ્ઞાનમાં સમાવેશ કરતાં તે જ શબ્દ વપરાયેલ છે. જેમ કે, "सर्वाण्येतानि मतिश्रुतयोरन्तभूतानि इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्।। એ જ રીતે પતંજલિમહાભાષ્ય અને ન્યાયદર્શન (૧, ૧, ૧૫) આદિમાં પર્યાય શબ્દને સ્થાને અનર્થાન્તર શબ્દ વાપરવાની જે પ્રદ્ધતિ છે, તે તત્ત્વાર્થસૂત્ર (૧, ૧૩)માં પણ છે. . બૌદ્ધદર્શનની શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ શાખાઓનાં ખાસ મંતવ્યોનો કે વિશિષ્ટ શબ્દોનો જેવી રીતે “સર્વાર્થસિદ્ધિમાં ઉલ્લેખ છે, તેવી રીતે તત્ત્વાર્થભાષ્યમાં નથી, તેમ છતાં બૌદ્ધ દર્શનનાં ચેડાંક સામાન્ય મંતવ્યો સંત્રાંતરનાં મંતવ્ય તરીકે બેએક સ્થળે આવે છે. એ મંતવ્ય પાલી પિટક ઉપરથી લેવામાં આવ્યાં છે, કે મહાયાને રચેલ સંસ્કૃત પિટકે ઉપરથી લેવામાં આવ્યાં છે, કે કઈ બીજા તષિયક ગ્રંથ ઉપરથી લેવામાં ૧. “પ્રત્યક્ષનુમાનપાના : પ્રમાનિ . ” --ન્યાયદર્શન, ૧, ૧, ૭ “તુર્વિદ્યમિત્યે નવાન્તરે” તવાર્થ–ભાષ્ય, ૧, ૬ અને यथा वा प्रत्यक्षानुमानापमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थ प्रमीयते" તત્વાર્થ ભાષ્ય, ૧, ૩૫. ૨. જુઓ ૧, ૧, ૫૬; ૨, ૩, ૫, અને ૫, ૧, ૫૯નું મહાભાષ્ય. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભાષ્ય, અન બૌદ્ધસતમ પગલાં આવ્યાં છે, એ સવાલ વિચારવા જેવો છે. તેમાં પહેલે ઉલ્લેખ જૈનમત પ્રમાણે નરકભૂમિઓની સંખ્યા બતાવતાં બૌદ્ધસમ્મત સંખ્યાનું ખંડન કરવા માટે આવેલ છે. તે આ પ્રમાણે-“પ ર તન્ત્રાન્તરીયા વંત્યેષુ ધાતુસાદ થવસ્તારા રૂત્વવ્યવસિતાઃ” તસ્વાર્થભાષ્ય, અ. ૩, સૂ૦ ૧. બીજો ઉલ્લેખ પુદ્ગલનું જૈનમત પ્રમાણે લક્ષણ બતાવતાં બૌદ્ધસમ્મત પુદ્ગલ શબ્દના અર્થનું નિરાકરણ કરતાં આવેલ છે. “પુનિત તન્ત્રાન્તરીયા નીવાન પરિમાન્ત” | અવ ૫, સૂ૦ ૨૩ નું ઉત્થાન ભાષ્ય. ઉમાસ્વાતિના પૂર્વવતી જૈનાચાર્યોએ સંસ્કૃત ભાષામાં લખવાની શક્તિ કેળવી ન હતી, અને તે ભાષામાં લખવાને પ્રઘાત શરૂ કર્યો ન હોત, તે ઉમાસ્વાતિ થતા આટલી સરળ અને પ્રસન્ન સંસ્કૃત શૈલીમાં પ્રાકૃત પરિભાષામાં રૂઢ સાંપ્રદાયિક વિચારોને આટલી સફળતાપૂર્વક ગૂંથી શક્યા હોત કે નહિ, એ એક ૧. અહીં એક બાબત ખાસ નેધવા જેવી છે તે એ કે, ઉમાસ્વાતિ બૌદ્ધસમ્મત “પુદ્ગલ’ શબ્દના “છ” અથને માન્ય ન રાખતા હોય તેમ તેને મતાંતર તરીકે ઉલ્લેખ કરી પછી જ જૈનશાસ્ત્ર પુદ્ગલ શબ્દને શો અર્થ માને છે એ સૂત્રમાં બતાવે છે. પરંતુ ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશક ૧૦; અને શ૦ ૨૦, ૯૦ રમાં “પુદ્ગલ” શબ્દને ‘જીવ ” અર્થ વર્ણવાયેલે દેખાય છે. જે ભગવતીમાં વર્ણવાયેલ પુગલ શબ્દને જીવ અર્થ જૈન દૃષ્ટિએ જ વર્ણવાયો છે એમ માનીએ, તે ઉમાસ્વાતિએ એ જ મતને બૌદ્ધમતરૂપે કેમ અમાન્ય રાખ્યો હશે, એ સવાલ છે. શું તેઓની દષ્ટિમાં ભગવતીમાંને પુગલ શબ્દને જીવ અર્થ એ બૌદ્ધમતરૂપે જ હશે ? Page #44 -------------------------------------------------------------------------- ________________ સવાલ જ છે. છતાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન વાડમયને ઇતિહાસ તો એમ જ કહે છે કે, ઉમાસ્વાતિ જ જૈનાચાર્યોમાં પ્રથમ સંસ્કૃત લેખક છે. તેમના ગ્રંથોની પ્રસન્ન, સંક્ષિપ્ત અને શુદ્ધ શૈલી તેમના સંસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વની સાક્ષી પૂરે છે. જૈન આગમમાં આવતી જ્ઞાન, ય, આચાર, ભૂગોળ, ખગળ આદિને લગતી બાબતોને સંગ્રહ જે સંક્ષેપથી તેમણે તત્વાર્થાધિગમસૂત્રમાં કર્યો છે, તે તેમના વાચકવંશમાં થવાની અને વાચકપદની યથાર્થતાની સાક્ષી પૂરે છે. તેમની તત્ત્વાર્થના પ્રારંભની કારિકાઓ અને બીજી પદ્યકૃતિઓ સૂચવે છે કે, તેઓ ગદ્યની પેઠે પદ્યના પણ પ્રાંજલ લેખક હતા. તેમનાં ભાષ્ય સૂત્રોનું બારીક અવલોકન તેમના જૈન આગમ સંબંધી સર્વગ્રાહી અભ્યાસ ઉપરાંત વૈશેષિક, ન્યાય, ગ અને બૌદ્ધ આદિ દાર્શનિક સાહિત્યના તેમના અભ્યાસની પ્રતીતિ કરાવે છે. તત્ત્વાર્થભાષ્ય (૧, ૫, ૨, ૧૫) માં ટાંકેલાં વ્યાકરણનાં સૂત્રો એમના પાણિનીય વ્યાકરણના અભ્યાસની પણ સાક્ષી પૂરે છે. જો કે તેમની પાંચસો ગ્રંથના કર્તા તરીકે પ્રસિદ્ધિ શ્વેતાંબર સંપ્રદાયમાં છે, અને અત્યારે કેટલાક ગ્રંથો તેમની કૃતિ તરીકે જાણીતા છે; છતાં એ વિષે આજે ખાતરી લાયક કાંઈ પણ કહેવાનું સાધન નથી. એવી સ્થિતિમાં ૧, જંબુદ્વીપસમાપ્રકરણ, પૂજા પ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર, પ્રશમરતિ સિદ્ધસેન પિતાની વૃત્તિમાં [૭, ૧૦, પૃ. ૭૮, ૫, ૨] તેમના ચપ્રકરણ, નામના ગ્રંથને ઉલ્લેખ કરે છે, જે અત્યારે ઉપલબ્ધ નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ २० પણ “પ્રશમરતિ ની ભાષા અને વિચારસરણ એ ગ્રંથ ઉમાસ્વાતિકર્તક હોવાનું માનવાને લલચાવે છે. ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે, એને અર્થ ‘પૂર્વ વિતર કરી પ્રથમથી જ વેતાંબરાચાર્યો ઉમાસ્વાતિને પૂર્વ વિત ૧. વૃત્તિકાર સિદ્ધસેન પ્રશમરતિને ભાષ્યકારની જ કૃતિ તરીકે સૂચવે છે જેમકે –“ ચતઃ પ્રરાક્ષરતૌ (૦ ૨૦ ૮) નેનૈવેnपरमाणुरप्रदेशा, वर्णादिगुणेषु भजनीय : ।" " वाचकेन त्वेतदेव સંજ્ઞા પ્રશમરતી (૦ ૮૦) ૩૫ત્તમ ”૫, ૬ તથા ૯, ની ભાષ્યવૃત્તિ. સિદ્ધસેન ભાષ્યકાર તેમ જ સૂત્રકારને એક તે સમજે જ છે. જેમકે, “જીતસૂત્રસંનિવેરામાોિમ્ ! ”—૯, ૨૨, પૃ૦ ૨૫૩. "इति श्रीमदह त्चने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां च टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायः।” – તત્વાર્થભાષ્યના સાતમા અધ્યાયની ટીકાની પુપિકા પ્રશમરતિ પ્રકરણની ૧૨૦મી કારિકા “ મા મદ” કહીને નિશીથચૂણિમાં ઉદ્ધરેલી છે. એ ચૂર્ણિના પ્રણેતા જિનદાસ મહત્તરને સમય વિ. ને આઠમો તૈકે એમણે પિતાની નંદિસૂત્રની ચૂણિમાં જણાવ્યા છે, એ ઉપરથી એમ કહી શકાય કે, “પ્રશમરતિ વિશેષ પ્રાચીન છે. એથી અને ઉપર જણાવેલા કારણોથી એ કૃતિ વાચકની હોય તે ના નહિ. ૨. પૂર્વે ચૌદ હેવાનું સમવાયાંગ આદિ આગમમાં વર્ણન છે. તે “દૃષ્ટિવાદ” નામના બારમા અંગને પાંચમે ભાગ હતાં એ પણ ઉલ્લેખ છે. પૂર્વશ્રત એટલે ભગવાન મહાવીરે સૌથી પહેલાં આપેલ ઉપદેશ, એવી ચાલુ પરંપરાગત માન્યતા છે પશ્ચિમચ વિદ્વાનોની એ વિષે કલ્પના એવી છે કે, ભ૦ પાશ્વનાથની Page #46 -------------------------------------------------------------------------- ________________ તરીકે ઓળખતા આવ્યા છે. દિગંબર પરંપરામાં પણ તેમને “બુતશિૌ ’ કહ્યા છે. એમનો તત્ત્વાર્થ ગ્રંથ એમના અગિયાર અંગવિષયક શ્રુતજ્ઞાનની તે પ્રતીતિ કરાવી જ રહ્યો છે. એટલે એટલી ગ્યતા વિષે કશો જ સંદેહ નથી. એમણે પોતાને વારસામાં મળેલ આતશ્રુતના બધા પદાર્થોને સંગ્રહર તત્ત્વાર્થમાં કો છે; એક પણ મહત્ત્વની દેખાતી બાબત તેમણે વણકહે છેડી નથી. તેથી જ આ હેમચંદ્ર સંગ્રહકાર તરીકે ઉમાસ્વાતિનું સ્થાન સર્વોત્કૃષ્ટ અંકે છે. ૩ એ જ ગ્યતાને લીધે તેમના તત્ત્વાર્થની વ્યાખ્યા કરવા બધા જ તાંબર, દિગંબર આચાર્યો પ્રેરાયેલા છે. પરંપરાનું જે પૂર્વકાલીન કૃત ભ૦ મહાવીરને અગર તેમના શિષ્યોને મળ્યું, તે પૂર્વશ્રત. આ કૃત ક્રમે ક્રમે ભ૦ મહાવીરના ઉપદિષ્ટ શ્રતમાં જ મળી ગયું, અને તેના જ એક ભાગ તરીકે ગણાયું. જેઓ ભ૦ મહાવીરની દ્વાદશાંગીના ધારક હતા, તેઓ એ પૂર્વશ્રુતને તે જાણતા જ હોય. કંઠે રાખવાને પ્રઘાત અને બીજા કારણોને લીધે ક્રમે ક્રમે પૂર્વશ્રુત નાશ પામ્યું અને આજે ફક્ત પૂર્વગતગાથારૂપે નામમાત્રથી શેષ રહેલું નેધાયેલું મળે છે. ૧. નગર તાલુકાના એક દિગંબર શિલાલેખ નં. ૪૬માં તેમને “શ્રુતકેવલિદેશીય” કહ્યા છે. જેમકે, "तत्त्वार्थसूत्रकर्तारमुमास्वातिमुनीश्वरम् । श्रुतकेवलिदेशीयं वंदेऽहं गुणमन्दिरम् ॥" ૨. તત્વાર્થમાં વર્ણવાયેલા વિષયોનું મૂળ જાણવા માટે જુઓ ઉ૦ આત્મારામજી સંપાદિત “તાવાર્થસૂત્ર-જૈનાગમસમન્વય”. : “વોમાાતિ સંગ્રહીતર” - સિદ્ધહેમ, ૨, ૨, ૩૯. Page #47 -------------------------------------------------------------------------- ________________ દિગંબરો વાચક ઉમાસ્વાતિને પિતાની પરંપરાના માની તેમની કૃતિ તરીકે માત્ર તત્વાર્થસૂત્રને જ સ્વીકારે છે. જ્યારે તાંબરે તેમને પિતાની પરંપરામાં થયેલા Fરંપરા માને છે અને તેમની કૃતિ તરીકે તત્ત્વાર્થ સૂત્ર ઉપરાંત ભાષ્યને સ્વીકારે છે. આમ હોવાથી પ્રશ્ન એ થાય છે કે, ઉમાસ્વાતિ દિગંબર પરંપરામાં થયેલા છે, કે તાંબર પરંપરામાં થયેલા છે, કે એ બેથી કઈ જુદી જ પરંપરામાં થયેલા છે? આ પ્રશ્નને નિકાલ ભાષ્યના કર્તવની પરીક્ષા અને પ્રશસ્તિની સત્યતાની પરીક્ષાથી જેવો આવી શકે, તે બીજા એકે સાધનથી આવી શકે તેમ અત્યારે લાગતું નથી; તેથી ઉક્ત ભાષ્ય ઉમાસ્વાતિની કૃતિ છે કે અન્યની, તેમ જ તેને અંતમાં આપેલી પ્રશસ્તિ યથાર્થ છે, કલ્પિત છે, કે પાછળથી પ્રક્ષિપ્ત છે, એ સવાલ ચર્ચવા પ્રાપ્ત થાય છે. ભાષ્યના પ્રારંભમાં જે ૩૧ કારિકાઓ છે, તે જોકે ફક્ત મૂળ સૂત્રરચનાને ઉદ્દેશ જણાવવા પૂરતી હેઈ, મૂળ ૧. આ સિવાય ભાષ્યના અંતમાં પ્રશસ્તિ પહેલાં ૩ર અનુષ્ટ્રપ છંદનાં પડ્યો છે. એ પદ્યોની વ્યાખ્યા ભાગની ઉપલબ્ધ બંને વ્યાખ્યામાં છે જ અને વ્યાખ્યાકારે એ પોને ભાષ્યનાં સમજીને જ તે ઉપર લખે છે. એમાંના ૮મા પદ્યને ઉમાસ્વાતિજ્વક માની આ હરિભકે પિતાના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય”માં ૬૯૨ મા પદ્ય તરીકે ઉધૃત કર્યું છે. એટલે આઠમા સૈકામાં શ્વેતાંબર આચાર્યો ભાષ્યને નિર્વિવાદપણે પણ માનતા એ નક્કી છે. આ પદ્યોને પૂજ્યપાદે શરૂઆતની કારિકાની પેઠે છોડી જ દીધાં છે, તેમ છતાં પૂજ્યપાદના અનુગામી અકલકે પાછાં પોતાના રાજવાત્તિકના અંતમાં તે પદ્યો લીધાં હોય તેમ લાગે છે; કારણું કે Page #48 -------------------------------------------------------------------------- ________________ २३ સૂત્રગ્રંથને જ લક્ષી લખાયેલી ભાસે છે; તેમ જ ભાષ્યના અંતમાં રહેલી પ્રશસ્તિ પણ મૂળ સૂત્રકારની માનવામાં કાંઈ ખાસ અસંગતિ નથી. તેમ છતાંય એ પ્રશ્ન ઊભો જ રહે છે કે જે ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન હોય, અને તેમની સામે સૂત્રકારની રચેલી કારિકાઓ તથા પ્રશસ્તિ હોય, તે તેઓ પિતે પિતાના ભાષ્યના પ્રારંભમાં અને અંતમાં કાંઈ ને કાંઈ મંગલ, પ્રશસ્તિ જેવું લખ્યા વિના રહે ખરા? વળી એમણે પિતા તરફથી આદિ કે અંતમાં કશું જ નથી લખ્યું એમ માની લઈએ તોયે, એક સવાલ રહે જ છે કે, ભાષ્યકારે જેમ સૂત્રનું વિવરણ કર્યું, તેમ સૂત્રકારની કારિકાઓ અને પ્રશસ્તિગ્રંથનું વિવરણ કેમ ન કર્યું કે શું તેઓ સૂત્રગ્રંથની વ્યાખ્યા કરે અને તેના આદિ તથા અંતના ગંભીર મનહર અને મહત્વપૂર્ણ ભાગની વ્યાખ્યા કરવી છેડી દે, એમ બને ખરું ? આ સવાલ આપણને એવી નિશ્ચિત માન્યતા ઉપર લઈ જાય છે કે, ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન નથી અને તેથી જ તેમણે ભાષ્ય લખતી વખતે શરૂઆતમાં પિતાના સૂત્રગ્રંથને લક્ષી કારિકાઓ રચી તેમજ મૂકી, અને અંતમાં સૂત્ર તેમજ મુદ્રિત “રાજવારિકને અંતે તે પદ્યો જોવામાં આવે છે. દિગંબરાચાર્ય અમૃતચંદ્ર પણું પોતાના “તત્વાર્થસારમાં એ જ પદ્યો નંબરના થોડાક ફેરફાર સાથે લીધાં છે. આ અંતનાં પદ્યો ઉપરાંત ભાષ્યમાં વચ્ચે વચ્ચે મારી જીં ' ઇત્યાદિ નિર્દેશન સાથે અને ક્યાંઈક કશા જ નિદેશ વિના કેટલાંક પદ્યો આવે છે. એ પડ્યો ભાષ્યના કર્તાનાં જ છે કે બીજા કેઈનાં છે. એ જાણવાનું કાંઈ વિશ્વસ્ત સાધન નથી. પણ ભાષા અને રચના જોતાં તે પદ્ય ભાષ્યકારનાં જ હોવાનો સંભવ વિશેષ લાગે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાય બંનેના કર્તા તરીકે પોતાને જણાવનારી પિતાની પ્રશસ્તિ લખી છે. આ ઉપરાંત નીચેની બે દલીલે આપણને સૂત્રકાર અને ભાષ્યકારનું એક માનવા પ્રેરે છે: ૧. શરૂઆતની કારિકાઓમાં અને કેટલેક સ્થળે ભાષ્યમાં “કહીશું' એવા અર્થ માં “વફા” “વચાર:' વગેરે પ્રથમ પુરુષને નિર્દેશ છે અને એ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પાછું સૂત્રમાં જ કહેવામાં આવ્યું છે, તેથી સૂત્ર અને ભાષ્ય બંનેને એકની કૃતિ માનવા વિશે સંદેહ રહેતું નથી. ૨. પહેલેથી ઠેઠ સુધીનું ભાષ્ય જોઈ જતાં એક વાત મન પર હસે છે અને તે એ કે, કોઈ પણ સ્થળે સૂત્રને અર્થ કરવામાં શબ્દની ખેંચતાણ થયેલી નથી, ક્યાયે સૂત્રને અર્થ કરવામાં સંદિગ્ધપણું અગર તો વિકલ્પ કરવામાં નથી આવ્યા; તેમજ સૂત્રની બીજી કોઈ વ્યાખ્યા મનમાં સામે રાખીને સૂત્રને અર્થ કરવામાં નથી આવ્યો, અને ક્યાંયે પણ સૂત્રને પાઠભેદ અવલંબવામાં નથી આવ્યું. આ વસ્તુ સૂત્ર અને ભાષ્ય એકકતૃક હોવાની ચિરકાલીન માન્યતાને સાચી ઠરાવે છે. જ્યાં મૂળ અને ટીકાના કર્તા १. "तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थे संग्रह लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममहद्वचनैकदेशस्य । २२ ॥ "नर्ते च मोक्षमार्गाद्ब्रतोपदेशोऽस्ति ज गति कृत्स्नेऽस्मिन् । “તમારામેતિ મોક્ષના પ્રવક્યામ” રૂ . ૨. ગુજન સૃક્ષો વાઃા –-૫, ૩૭નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫. ૪૦ અનાદિરારમાંજ સં પરસ્તાક્યા: ' --૫, ૨૨નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૨. Page #50 -------------------------------------------------------------------------- ________________ જુદા હોય, ત્યાં તત્ત્વજ્ઞાનવિષયક પ્રતિષ્ઠિત તેમજ અનેક સંપ્રદાયમાં માન્ય થયેલા ગ્રંથોમાં ઉપરના જેવી વસ્તુસ્થિતિ હતી નથી. દાખલા તરીકે વૈદિકદર્શનમાં પ્રતિષ્ઠિત બ્રહ્મસૂત્ર ગ્રંથને લે. જે તેના જ કર્તા પોતે વ્યાખ્યાકાર હેત, તે તેના ભાગોમાં આજે જે શબ્દોની ખેંચતાણ, અર્થના વિકલ્પ અને અર્થનું સંદિગ્ધપણું તેમજ સુત્રના પાઠભેદ દેખાય છે, તે કદી ન હતી. એ જ રીતે તત્વાર્થસૂત્રના પ્રણેતાએ જ જે સર્વાર્થસિદ્ધિ, “રાજવાર્તિક અને “શ્લેકવાર્તિક' આદિ કઈ વ્યાખ્યા લખી હેત, તે તેમાં જે અર્થની ખેંચતાણ, શબ્દનું મચરડવાપણું, અધ્યાહાર અર્થનું સંદિગ્ધપણું અને પાઠભેદો દેખાય છે, તે કદી જ ન હોત. આ વસ્તુ નિશ્ચિત રીતે એકકક મૂળ અને ટીકા હોય તેવા ગ્રંથે જોવાથી બરાબર સમજી શકાય તેવા છે. આટલી ચર્ચા મૂળ અને ભાષ્યના કર્તા એક હોવાની માન્યતાની નિશ્ચિત ભૂમિકા ઉપર આપણને લાવી મૂકે છે. મૂળ અને ભાષ્યના કર્તા એક જ છે એ નિશ્ચય તેઓ ૧. દાખલા તરીકે જુઓ સર્વાર્થસિદ્ધિ –“વર રૂતિ વા. પાઠ ”—૨, રૂ . અથવા છાશ નિને ન સન્તીતિ વીરોષ પનીરઃ સોપરાનું સુત્રામ્” – ૬, ૧૧ અને “સિન केन सिद्धिः ? अवेदत्वेन त्रिभ्यो वा वेदेभ्यः सिद्धिर्भावतो न द्रव्यतः, द्रव्यतः पुंलिङ्गेनैव अथवा निम्रन्थलिङ्गेन सग्रन्थलिनेन वा सिद्धिर्भूतપૂર્વનયાપેક્ષા " – ૧૦, ૧ | ૨. ઉપલબ્ધ સંસ્કૃત વામય જતાં મૂળકારે જ મૂળ સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું હોય એ આ પ્રથમ દાખલો છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કઈ પરંપરાના હતા એ પ્રશ્નને નિકાલ આણવામાં બહુ ઉપયોગી છે. ઉમાસ્વાતિ દિગંબર પરંપરાના ન જ હતા એવી ખાતરી કરવા માટે નીચેની દલીલે બસ છેઃ (૧) પ્રશસ્તિમાં સૂચવેલ ઉચ્ચનાગર શાખા અગર તો નાગરશાખા ક્યારે પણ દિગંબર સંપ્રદાયમાં થયાનું એક પણ પ્રમાણ નથી. (૨) સૂત્રમાં પ્રથમ કહ્યા પ્રમાણે બાર સ્વર્ગોનું ભાષ્યમાં વર્ણન છે, તે માન્યતા દિગંબર સંપ્રદાયને ઈષ્ટ નથી. “કાળ” એ કઈને મતે વાસ્તવિક દ્રવ્ય છે એવું સૂત્ર (૫, ૩૮) અને ભાષ્યનું વર્ણન દિગંબરીય પક્ષ(૫, ૩૯)થી વિરુદ્ધ છે. કેવળીમાં (૯,૧૧) અગિયાર પરીષહ હોવાની સૂત્ર અને ભાષ્યગત સીધી માન્યતા તથા પુલાક આદિ નિગ્રંથમાં દ્રવ્યલિંગના વિકલ્પની અને સિદ્ધમાં લિંગદ્વારનું ભાષ્યગત વક્તવ્ય દિગંબર પરંપરાથી ઊલટું છે. ૧. જુઓ ૪, ૩ અને ૪, ૨૦ તથા તેનું ભાષ્ય ૨. જુઓ ૪, ૧૯ની “સર્વાર્થસિદ્ધિ. પરંતુ “જૈન જગત’ વર્ષ ૫, અંક ૨માં પૃ૦ ૧૨ ઉપર પ્રગટ થયેલા લેખથી માલુમ થાય છે કે, દિગંબરીય પ્રાચીન ગ્રંથમાં બાર કલ્પ (સ્વર્ગ) હેવાનું કથન છે. આ જ બાર કલ્પ સેળ સ્વગરૂપે વર્ણવાયાં છે. તેથી મૂળ બારની જ સંખ્યા હતી, અને પછીથી જ કેઈ કાળે સોળની સંખ્યા દિગંબરીય ગ્રંથમાં આવી છે. ૩. સરખા ૯, ૪૯ અને ૧૦. છના ભાષ્યને તે જ સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે. અહીં એ પ્રશ્ન થશે કે, ૧૦, ૯ની “સર્વાર્થ સિદ્ધિમાં લિંગ અને તીર્થદ્વારની વિચારણા પ્રસંગે જૈનદષ્ટિને બંધ બેસે એવા ભાષ્યના વક્તવ્યને બદલી તેને સ્થાને રૂઢ દિગંબરીયષક અર્થ કરવામાં આવ્યો છે, તો પછી ૯, ૪૭ ની “સર્વાર્થસિદ્ધિમાં પુલાક Page #52 -------------------------------------------------------------------------- ________________ २७ (૩) ભાષ્યમાં જે કેવલીમાં કેવલ ઉપરાંત મીન ઉપયાગ માનવા ન માનવાની જુદી જુદી માન્યતા (૧, ૩૧) છે, તે કોઈ પણ દિગંબરીય ગ્રંથમાં દેખાતી નથી, અને શ્વેતાંબરીય ગ્રંથામાં છે. ઉક્ત લીલે। વાચક ઉમાસ્વાતિને દિગંબર પર પરાના નથી એમ સાખિત કરે, તેાયે એ તે જોવાનું બાકી જ રહે છે કે, તેઓ કઈ પરંપરાના હતા ? નીચેની લીલા તેમને શ્વેતાંબર પર પરાના હોવાની તરફ લઈ જાય છેઃ ૧. પ્રશસ્તિમાં જણાવેલી ઉચ્ચનાગરી શાખા શ્વેતાંબરીય પટ્ટાવલીમાં છે. ૨. અમુક વિષયપરત્વે મતભેદ કે વિરોધ બતાવ્યા છતાં પણ કાઈ એવા પ્રાચીન કે અર્વાચીન શ્વેતાંબર આચાય નથી કે જેમણે દિગ ંબર આચાર્યાની પેઠે ભાષ્યને અમાન્ય રાખ્યુ હોય. ૩. ઉમાસ્વાતિની કૃતિ તરીકે માનવામાં શંકાને ભાગ્યે જ અવકાશ છે એવા ‘પ્રશમરતિ’ર ગ્રંથમાં મુનિના વજ્રપાત્રનું આદિમાં લિંગદ્વારને વિચાર કરતાં તેમ કેમ નથી ક્યું", અને રૂઢ દ્વિગ ખરીચત્વથી વિરુદ્ધ જતા ભાષ્યના વક્તવ્યને અક્ષરશઃ કેમ લેવામાં આવ્યું છે ? આને ઉત્તર એ જ લાગે છે કે, સિદ્ધમાં લિ દ્વારની વિચારણામાં પરિવર્તન કરી શકાય તેવું હતું, માટે ભાષ્ય છેડી પરિવર્તન ક્યું. પણ પુલાક આદિમાં દ્રચલિ ́ગના વિચાર પ્રસંગે ખીન્નું કાંઈ પરિવર્તન શકય હતું નહિ, તેથી ભાષ્યનું જ વક્તવ્ય અક્ષરશઃ રાખ્યું. જો કોઈ પણ રીતે પરિવર્તન શચ જણાયુ હેાત, તા પૂજ્યપાદ નહિ તા છેવટે અકલંક પણ એ પરિવત ન કરત. ૧. જીએ આ ‘પરિચય', પૃ॰ ૫ અને ૮, ૨. જીએ શ્લાક નં૦ ૧૩૫ થી. Page #53 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થિત નિરૂપણ જોવામાં આવે છે, જેને શ્વેતાંબર પરંપરા નિર્વિવાદપણે સ્વીકારે છે. ૪. ઉમાસ્વાતિના વાચકવંશને ઉલ્લેખ અને તે જ વંશમાં થયેલ અન્ય આચાર્યોનું વર્ણન વેતાંબરીય પટ્ટાવલીઓ, પન્નાવણા, અને નંદિની સ્થવિરાવલીમાં છે. આ દલીલો વાચક ઉમાસ્વાતિને શ્વેતાંબર પરંપરાના મનાવે છે, અને અત્યાર સુધીના સમગ્ર શ્વેતાંબર આચાર્યો તેમને પોતાની જ પરંપરાના પ્રથમથી માનતા આવ્યા છે. વાચક ઉમાસ્વાતિ શ્વેતાંબર પરંપરામાં થયા છે, દિગંબરમાં નહીં, એવું મારું પિતાનું મંતવ્ય અધિક વાચન-ચિંતન બાદ અત્યાર સુધીમાં દઢ થયું છે. આ મંતવ્યને વિશેષ સ્પષ્ટ કરવા સારુ દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ વિષયક ઇતિહાસના કેટલાક પ્રશ્નો ઉપર પ્રકાશ નાખવું જરૂરી છે. પ્રથમ પ્રશ્ન એ છે કે, આજે જે દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ કે વિરોધનો વિષય શ્રુત તથા આચાર જોવામાં આવે છે, તેનું પ્રાચીન મૂળ ક્યાં સુધી મળે છે, તથા તે પ્રાચીન મૂળ મુખ્યત્વે શી બાબતમાં હતું. બીજો પ્રશ્ન એ છે કે, બંને ફિરકાઓને સમાનરૂપે માન્ય એવું શ્રુત હતું કે નહીં, અને હતું તે ક્યાં સુધી તે સમાન માન્યતાને વિષય રહ્યું, અને ક્યારથી તેમાં મતભેદ દાખલ થ, તથા તે મતભેદના અંતિમ ફલસ્વરૂપ એકબીજાને પરસ્પર પૂર્ણરૂપે અમાન્ય એવા શ્રુતભેદનું નિર્માણ ક્યારે થયું ? ત્રીજે પણ અંતિમ પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિ પિતે કઈ પરંપરાના આચારનું પાલન કરતા હતા, તથા તેમણે જે શ્રુતને આધાર રાખીને તત્ત્વાર્થની રચના કરી, તે મૃત ઉક્ત બંને ફિરકાઓને પૂર્ણપણે સમાનભાવથી માન્ય હતું, કે કોઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ २९ એક ફિરકાને જ પૂર્ણરૂપે માન્ય, પર ંતુ બીજા ફિરકાને પૂર્ણ રૂપે અમાન્ય હતું? ૧. જે કાંઈ ઐતિહાસિક સામગ્રી અત્યારે મળે છે, તેનાથી નિવિવાદ રીતે એટલું સ્પષ્ટ માલૂમ પડે છે કે, ભગવાન મહાવીર પાર્શ્વપત્યની પરપરામાં થયા હતા, અને તેમણે શિથિલ અથવા મધ્યમ ત્યાગ માર્ગોમાં પોતાના ઉત્કટ ત્યાગમામય વ્યક્તિત્વ દ્વારા નવીન જીવન રેડયું. શરૂઆતમાં વિરોધ તેમજ ઉદાસીનતા રાખનારા અનેક પાસ તાનિક સાધુ–શ્રાવક ભગવાન મહાવીરના શાસનમાં આવી મળ્યા. ભગવાન મહાવીરે પોતાની નાયકવાચિત ઉદાર પરંતુ તાત્ત્વિકદષ્ટિથી પોતાના શાસનમાં તે બંને દળાનું સ્થાન નિશ્ચિત કર્યું, જેમાંનુ એક બિલકુલ નગ્નજીવી તથા ઉત્કટ વિહારી હતું, અને બીજું ૩ ૧. આચારાંગસૂત્ર, ૧૭૮. ૨. કાલાસવેસિયપુત્ત (ભગવતી॰ ૧, ૯), કેશી (ઉત્તરાધ્યયન૨૩), ઉદકપેઢાલપુત્ર (સૂત્રકૃતાંગ ૨, ૭), ગાંગેય (ભગવતી૦ ૯, ૩૨) ઇત્યાદિ. વિશેષ માટે જીએ ઉત્થાન મહાવીરાંક ' પૃ॰ ૫૮. કેટલાક પાપાએ તાપ'ચમહાવ્રત અને પ્રતિક્રમણ સહિત નગ્નત્વને પણ સ્વીકાર કર્યાં, એવા ઉલ્લેખ આજ સુધી અંગામાં સુરક્ષિત છે. દાખલા તરીકે ભગવતી॰ ૧, ૯. ૩, આચારાંગમાં સંચેલ અને અચેલ એમ અને પ્રકારના મુનિએનું વર્ણન છે. અગ્નેલ મુનિનાં વર્ણન માટે પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યાયના ૧૮૩મા સૂત્રથી આગળનાં સૂત્ર જેવાં જોઈએ; અને સચેલ મુનિના વસ્ત્ર વિષયક આચાર માટે દ્વિતીય શ્રુતસ્કંધનુ પાંચમુ’ અધ્યયન જેવુ જોઈએ. તથા સંચેલ મુનિ અને અચેલ મુનિ એ અને મેહને કેવી રીતે જીતે એ બાબતના રાચક વર્ણન માટે જીએ આચારાંગ ૧, ૮, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બિલકુલ નગ્ન નહીં એવું મધ્યમમાગી પણ હતું. એ ખતે ળામાં બિલકુલ નગ્ન રહેવા કે ન રહેવાના વિષયમાં તથા બીજા કેટલાક આચારાના વિષયમાં ભેદ હતા,૧ તા પણ ભગવાનના વ્યક્તિત્વને કારણે તે વિરોધનું રૂપ ધારણ કરી શકયો નહિ. ઉત્તમ અને મધ્યમ ત્યાગમાર્ગના એ પ્રાચીન સમન્વયમાં જ વર્તીમાન દિગંબર શ્વેતાંબરાના ભેદનું મૂળ છે. એ પ્રાચીન સમયમાં જૈન પર પરામાં દિગ ંબર શ્વેતાંબર એવા શબ્દ ન હતા તે પણ આચારભેદ સૂચવનારા નગ્ન, અચેલ (ઉત્ત૦ ૨૩, ૧૩, ૨૯) જિનકલ્પિક, પાણિપ્રતિગ્રહ (કલ્પસૂત્ર ૯, ૨૮), પાણિપાત્ર વગેરે શબ્દ ઉત્કટ ત્યાગવાળા દળને માટે; તથા સચેલ, પ્રતિગ્રહધારી, (કલ્પસૂત્ર ૯, ૩૧), સ્થવિરકલ્પ (કલ્પસૂત્ર ૯, ૬૩) વગેરે શબ્દ મધ્યમ ત્યાગવાળા દળને માટે મળી આવે છે. ૨. એ એળામાં આચારવિષયક ભેદ હાવા છતાં ભગવાનના શાસનના મુખ્ય પ્રાણરૂપ શ્રુતની બાબતમાં કાંઈ ભેદ ન હતા; અને દળ બાર અગરૂપે મનાતા તત્કાલીન શ્રુતને સમાન ભાવે સ્વીકારતાં હતાં. આચારવિષયક કાંઈક ભેદ, અને શ્રુતવિષયક પૂર્ણ અભેદની આ સ્થિતિ તરતમભાવથી ભગવાન બાદ આશરે દોઢસો વર્ષ સુધી રહી. એટલું યાદ રાખવુ જોઈએ કે, આ દરમ્યાન પણ બંને દળના અનેક ચેાગ્ય આચાર્યએ તે શ્રુતના આધારથી નાના મેાટા ગ્રંથ રચ્યા હતા. તેમને સામાન્યરૂપે અંતે દળના અનુગામી તથા વિશેષ રૂપે તે તે ગ્ર ંથના રચયિતાના શિષ્યગણુ સ્વીકારતા હતા, તથા પોતપોતાના ગુરુ-પ્રગુરુની કૃતિ સમજીને તેના પર વિશેષ ૧. જીએ ઉત્તરાધ્યયન૦ ૦ ૨૩. Page #56 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ · અગમાä ', • અનગ’ ૧ ઓળખાતા હતા. અંતે ળાની શ્રુતની બાબતમાં એટલી બધી નિષ્ઠા કે વફાદારી હતી કે, અંગ તથા અંગબાહ્યનું પ્રામાણ્ય સમાન રૂપે સ્વીકારવા છતાં પણ કાઈ એ અંગ તેમજ અનંગ શ્રુતની ભેદક રેખાને ગૌણુ ન કરી, અને આજે પણ બંને દળના વમાન સાહિત્યમાં તે સ્થિર છે. ભાર મૂકતા હતા. તે જ અથવા · ઉપાંગ ’ નામથી * . ३१ એક તરફથી અચેલત્વ, સચેલત્વાદિ આચારના પૂર્વી કાલીન મતભેદ, કે જે એકબીજાની સહિષ્ણુતાના તથા સમન્વયના કારણથી ખાઈ રહ્યો હતા, તે ધીરે ધીરે તીવ્ર બનતા ચાલ્યા. તેથી કરીને બીજી બાજુથી તે જ આચાર વિષયક મતભેદનુ સમન બંને દળવાળા મુખ્યતયા અંગ-શ્રુતના આધાર વડે કરવા લાગ્યા; અને સાથે સાથે જ પેાતાના દળદ્વારા રચિત વિશેષ 'ગબાહ્ય શ્રુતને પણ ઉપયાગ તેના સમનમાં કરવા લાગ્યા. તે પ્રમાણે મુખ્યતયા આચારના ભેદમાંથી જે દળભેદ સ્થિર થયા, તેને કારણે આખાય શાસનમાં અનેકવિધ ગરબડ પેદા થઈ. તેના ફલસ્વરૂપ પાટલિપુત્રની વાચના (વી॰ નિ ૧૬૦ના અરસામાં) થઈ. આ વાચના સુધી તેમજ તેની પછી પણ એવું અભિન્ન અંગ-શ્રુત હતુ જેને બંને દળવાળા સમાનપણે માનતા હતા, પરંતુ કહેતા જતા હતા કે, તે મૂલશ્રુતને અનુયાગદ્વાર, ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપના, ૧. દશવૈકાલિક, આવશ્યક ઇ. ૨. ‘પરિશિષ્ટપ,’ સ ૯, શ્લા ૫૫થી. ‘વીરનિર્વાળસંવત્ ગૌર નૈનાળના,' પૃ૦ ૯૪. Page #57 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ હાસ થતું જાય છે. સાથે સાથે જ તેઓ પોતપિતાને અભિમત આચારને પિષક ગ્રંથ પણ રચતા ચાલ્યા. આ આચારભેદ પિષક શ્રત દ્વારા અંતે તે પ્રાચીન અભિન્ન અંગશ્રુતમાં મતભેદને જન્મ થયે, કે જે શરૂઆતમાં અર્થ કરવામાં જ હતો, પણ આગળ જઈને પાઠભેદની તથા પ્રક્ષેપ આદિની કલ્પનામાં પરિણત થયો. આ પ્રમાણે આચારભેદજનક વિચાર ભેદે બંને દળની તે અભિન્ન અંગશ્રુતવિષયક સમાન માન્યતામાં પણ ભેદ ઊભો કર્યો, જેથી એક દળ તે એમ માનવામનાવવા લાગ્યું કે, તે અભિન્ન મૂલ અંગભુત મોટે ભાગે લુપ્ત જ થઈ ગયું છે, જે બાકી છે, તે પણ બનાવટ તથા નવા પ્રક્ષેપ વિનાનું નથી. એવું કહીને પણ તે દળ તે મૂલ અંગ શ્રતને સર્વથા છોડી બેઠું નહિ. પરંતુ સાથે સાથે જ પોતાના આચારને પષક શ્રુતનું વિશેષ નિર્માણ કરવા લાગ્યું, અને તે દ્વારા પોતાના પક્ષને પ્રચાર પણ કરતું રહ્યું. બીજા દળે જોયું કે પહેલું દળ તે મૂલ અંગશ્રુતમાં બનાવટી વાત દાખલ થવાનો આક્ષેપ પણ કરે છે, પરંતુ તેને સર્વથા છોડતું પણ નથી, કે તેની રક્ષામાં સાથ પણ આપતું નથી. આ જોઈને બીજા દળે મથુરામાં એક સંમેલન કર્યું, જેમાં મૂલ અંગભુતની સાથે પિતાને માન્ય અંગબાહ્ય શ્રુતને પાઠનિશ્ચય, વર્ગીકરણ તેમજ સંક્ષેપ–વિસ્તાર વગેરે કર્યા; અને તે દળમાં ભાગ લેનાર બધા સ્થવિરોને તે બધું પ્રાય: માન્ય હતું. જોકે આ અંગ અને અનંગ મૃતનું આ સંસ્કરણ નવું હતું તથા તેમાં અંગ તેમજ અનંગની ભેદક રેખા હોવા છતાં પણ અંગમાં અનંગને ૧. વિનિ. ૮૨૭ અને ૮૪૦ની વચ્ચે જુએ “વીનિવાસંવત શૌર જૈન રાખના, ૫૦ ૧૪. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ તથા હવાલે કે જે બંનેના સમપ્રામાણ્યનાં સૂચક છે, તે આવી ગયાં હતાં તથા તેના વગીકરણ તથા પાઠસ્થાપનમાં પણ ફરક પડ્યો હત; તે પણ આ નવું સંસ્કરણ તે મૂલ અંગકૃતને અતિશય મળતું હતું, કારણ કે, તેમાં વિરોધી દળના આચારની પિષક તે બધી બાબતો હતી, કે જે મૂલ અંગકૃતમાં હતી. આ માથુર-સંસ્કરણના વખતથી તો મૂલ અંગકૃતની સમાન માન્યતામાં બંને દળામાં એક જ અંતર પડી ગયું. તેણે બંને દળોના તીવ્ર મૃતભેદને પાયે નાખે. અચેલત્વનું સમર્થન કરનાર દળ કહેવા લાગ્યું કે, મૂલ અંગશ્રત સર્વથા લુપ્ત જ થઈ ગયું છે. જે શ્રુત સંચેલ દળની પાસે છે, અને જે અમારી પાસે છે, તે બધું મૂલ અર્થાત ગણધરકૃત હોવાને બદલે પાછળના પિતપતાના આચાર્યો દ્વારા રચિત તથા સંકલિત છે. સચેલ દળવાળા કહેતા હતા કે, બેશક પછીના આચાર્યો દ્વારા અનેકવિધ નવું શ્રત પણ રચવામાં આવ્યું છે, તેમજ તેમણે નવી સંકલન પણ કરી છે, તે પણ મૂલ અંગ&તના ભાવમાં કઈ પરિવર્તન કે કાપકૂપ કરવામાં આવ્યાં નથી. બારીકીથી જોતાં તથા ઐતિહાસિક કસોટીથી કસતાં સચેલ દળનું એ કથન મોટે ભાગે સાચું જ જણાય છે. કારણ કે, સચેતત્વને પક્ષપાત અને તેનું સમર્થન કરવા છતાં પણ તે દળે અંગ શ્રુતમાંથી અચેલત્વ સમર્થક અચેલત્વ ૧. જેમ ભગવતીસૂત્રમાં અનુયોગદ્વાર, પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જીવાભિગમસૂત્ર તથા રાજપ્રશ્નીયને ઉલ્લેખ છે. જુઓ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “ભગવતી’ ચતુર્થ ખંડનું, પરિશિષ્ટ, ત. ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદક કેઈ ભાગ ઉડાવી દીધો નથી. જેમ અચેલ દળ કહેતું કે, મૂલ અંગશ્રુત લુપ્ત થઈ ગયું છે, તેમ તેની સામે સએલ દળ એમ કહેતું કે, જિનકલ્પ અર્થાત પાણિપાત્ર કે અચેલત્વને જિનસંમત આચાર પણ કાલભેદને કારણે લુપ્ત જ થયો છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ કે, સચેલ દળ દ્વારા સંસ્કૃત, સંગૃહીત, અને નવસંકલિત શ્રુતમાં અચેલત્વને આધારભૂત બધા પાઠ તથા તેને અનુકૂલ વ્યાખ્યાઓ મેજૂદ છે. સચેલ દળ દ્વારા અવલંબિત અંગકૃત મૂલ અંગશ્રતને અતિશય મળતું હોવાની સાબિતી એ છે કે, ઉત્સર્ગ– સામાન્ય ભૂમિકાવાળું છે, તેમાં અચેલ દળના બધા અપવાદોનું અથવા વિશેષ માર્ગોનું વિધાન પૂર્ણપણે આજ પણ મેજૂદ છે. જ્યારે અચેલ દળ દ્વારા સંમત નગ્નત્વાચારશ્રત ઔત્સર્ગિક નથી, કારણ કે, તે માત્ર અચેલત્વનું વિધાન કરે છે. સલદળનું શ્રત અચેલ તથા સચેલ બંને આચારોને મોક્ષનું અંગ માને છે; વાસ્તવિક અચેલ–આચારની પ્રધાનતા પણ બતાવે છે. તેને મતભેદ તેની સામયિતા માત્રમાં છે. જ્યારે અચેલદળનું શ્રત સચેલત્વને મોક્ષનું અંગ જ નથી માનતું, તેને તેનું પ્રતિબંધક પણ માને છે. આ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, સચેલ દળનું શ્રત અચેલ દળના મૃતની અપેક્ષાએ મૂલ અંગશ્રતને ઘણું મળતું છે. ૧. જુઓ આ “પરિચય ૫ ૨૯ ધ નં. ૩. २. गण-परमोहि-पुलाए आहार-खवग-उवसमे कप्पे । संजमतिय-केवलि-सिज्झणा य जम्बुम्मि बुच्छिण्णा ॥ विशेष० २५९३ । ૩. “સર્વાર્થસિદ્ધિ માં નગ્નત્વને મેક્ષનું મુખ્ય તથા અબાધિત કારણ માન્યું છે–પૃ૦ ૨૪૮. Page #60 -------------------------------------------------------------------------- ________________ મથુરા પછી વલભીમાં ફરીથી શ્રુત-સંસ્કાર છે, તેમાં સ્થવિર અર્થાત્ સચેલ દળને રહ્યો સહ્યો મતભેદ પણ નામશેષ થઈ ગયો. પરંતુ તેની સાથે જ તે દળ સામે અચેલ દળને શ્રતવિષયક વિરોધ ઉગ્રતર થઈ ગયો. તે દળમાંથી કેટલાકએ હવે રહ્યું રહ્યું ઔદાસીન્ય છેડીને સચેલ દળના શ્રતને સર્વથા બહિષ્કાર કરવાનું ઠરાવ્યું. ૩. વાચક ઉમાસ્વાતિ સ્થવિર અર્થાત સચેલ પરંપરાના આચારવાળા અવશ્ય હતા. નહીં તે તેમના પ્રશમરતિ ગ્રંથમાં સચેલ ધર્માનુસારી પ્રતિપાદન કદી ન હેત; કારણ કે, અચેલ દળના કેઈ પણ પ્રવરમુનિ સચેલ પ્રરૂપણા કરે એ કદી સંભવિત નથી. અચેલ દળના પ્રધાન મુનિ કુંદકુદે પણ એકમાત્ર અચેતત્વને જ નિર્દેશ કર્યો છે, ત્યારે કુંદકુંદના અન્વયમાં થનારા કોઈ અચેલમુનિ સચેતત્વનું પ્રતિપાદન કરે એ સંગત લાગતું નથી. “પ્રશમરતિનું ઉમાસ્વાતિકર્તક હોવાપણું પણ વિશ્વસનીય છે. સ્થવિરદળની પ્રાચીન તથા વિશ્વસ્ત વંશાવલીમાં ઉમાસ્વાતિની ઉચ્ચાનાગર શાખા તથા વાચકપદનું મળી આવવું, એ પણ તેમના સ્થવિરપક્ષીય હોવાનું સૂચક છે. ઉમાસ્વાતિ વિક્રમના ત્રીજા સૈકાથી પાંચમા સૈકા દરમ્યાન કેઈ પણ સમયમાં ભલેને થયા હોય, પરંતુ તેમણે તત્વાર્થોની રચનાના આધારરૂપજે અંગ-અનંગ મૃતનું અવલંબન લીધું હતું, તે પૂર્ણતયા સ્થવિરપક્ષને માન્ય હતું. અને અચેલ ૧. વીનિ ૮૨૭ થી ૮૪૦ ની વચ્ચે. જુઓ વીનિર્વાણ संवत् और जैन कालगणना', पृ० ११०. ૨. પ્રવચનસાર, અધિ૦ ૩. Page #61 -------------------------------------------------------------------------- ________________ ३६ દળવાળા તેની બાબતમાં કાંતા ઉદાસીન હતા અથવા તેના ત્યાગ જ કરી બેઠા હતા. જો ઉમાસ્વાતિ માથુરીવાચનાથી થોડાક પહેલાં થઈ ગયા હાય તે તો તેમના વડે અવલખિત અંગ તથા અનગશ્રુતની બાબતમાં અચેલપક્ષ પ્રાયઃ ઉદાસીન હતા. પરંતુ જો તે વાલભી વાચનાની આસપાસ થયા હાય, તે તે તેમના દ્વારા અવલંબિત શ્રુતની બાબતમાં અચેલ દળમાંથી કેટલાક ઉદાસીન જ નહીં, પરંતુ વિરોધી પણુ બની ગયા હતા. અહીં એ પ્રશ્ન જરૂર થાય કે, જે ઉમાસ્વાતિ અવલંબિત શ્રુત અચેલ દળમાંથી કેટલાકને માન્ય ન હતું, તેા તે દળના અનુયાયીઓએ તત્ત્વાર્થને આટલું બધું અપનાવ્યું શા માટે ? તેના જવાબ ‘ભાષ્ય' અને ' સર્વાસિદ્ધિ ’ની તુલનામાંથી તથા મૂલસૂત્રમાંથી મળી જાય છે. ઉમારવાતિ જે સચેલપક્ષાવલખિત શ્રુતને ધારણ કરતા હતા, તેમાં નગ્નત્વનું પણ પ્રતિપાદન તથા આદર હતાં જ, કે જે સૂત્રગત (૯, ૯) • નાન્ય ' શબ્દથી સૂચિત થાય છે. તેમના ભાષ્યમાં અગબાહ્યરૂપે જે શ્રુતના નિર્દેશ છે, તે બધું - સર્વાં་સિદ્ધિ ’માં નથી આવ્યું; કારણ કે દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર આદિ અચેલ પક્ષને અનુકુલ જ નથી. તે બધાં સ્પષ્ટપણે સંચેલપક્ષનાં પોષક છે; પરંતુ ‘ સર્વાસિદ્ધિ 'માં દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનનુ નામ આવે છે; તે જોકે ખાસ અચેલ પક્ષના કાઈ આચાર્યની કૃતિ છે એવું નિશ્ચિત ન હેાવા છતાં પણ અચેલપક્ષનાં સ્પષ્ટ વિરોધી નથી. . ઉમાસ્વાતિનાં મૂલસૂત્રોની આકર્ષકતા, તથા ભાષ્યને છેાડી દેવા માત્રથી તેમને પોતાના પક્ષને અનુકૂળ બનાવવાની યોગ્યતા જોઈ ને જ પૂજ્યપાદે તે સૂત્રો ઉપર એવી વ્યાખ્યા Page #62 -------------------------------------------------------------------------- ________________ ३७ લખી કે જે કેવલ અચેલ ધર્મનું જ પ્રતિપાદન કરે, અને સચેલધના સ્પષ્ટપણે નિરાસ કરે. એટલું જ નહિ, પરંતુ પૂજ્યપાદ સ્વામીએ સચેલ પક્ષાવલખિત એકાદશ અંગ તથા અંગખાદ્ય શ્રુત કે જે વાલભી વાચનાનું વ`માન રૂપ છે, તેનું પણ સ્પષ્ટપણે અપ્રામાણ્ય સૂચિત કરી દીધું છે. તેમણે કહ્યુ છે કે, કેવલીને કવલાહારી માનવા તથા માંસ આદિનાં ગ્રહણની વાત એ અનુક્રમે કેવલીઅવર્ણવાદ તથા શ્રુતાવર્ણવાદ છે. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે, પૂજ્યપાદની * સર્વાર્થ સિદ્ધિ ' કે જે મુખ્યરૂપે સ્પષ્ટ - અચેલધની પ્રતિપાદિકા છે, તેના રચાયા બાદ સચેલપક્ષાવલંબિત સમગ્ર શ્રુતના જેવા બહિષ્કાર, અમુક અચેલપક્ષે કર્યાં, તેવા દૃઢ અને ઐકાન્તિક બહિષ્કાર સર્વાસિદ્ધિ 'ની રચના પહેલાં થયા નહતા. ‘સર્વાર્થસિદ્ધિ”ની રચના બાદ અચેલ દળમાં સચેલપક્ષીય શ્રુતના પ્રવેશ નામમાત્રને જ રહ્યો તેનુ એ જ કારણ છે. ઉત્તરકાલીન દિગંબરીય વિદ્વાનોની શ્રુતપ્રવૃત્તિથી એ વસ્તુ દેખાઈ આવે છે. એ બાબતમાં અપવાદ છે; પણ તે અગણ્ય જેવા છે. ' ' ૧. ભગવતી ( શતક ૧૫), આચારાંગ ( શીલાંક ટીકાસહિત ૧૦ ૩૩૪, ૩૩૫, ૩૪૮. ૩૫૨, ૩૬૪), પ્રશ્નવ્યાકરણ (૫૦ ૧૪૯, ૧૫૦) આદિમાં જે માંસ સંબંધી પાઠ આવે છે, તેમને લક્ષમાં રાખીને સર્વાર્થસિદ્દિકારે ક છે કે, આગમમાં એવી ખાખતા છે એવુ’ કબૂલ કરવું એ શ્રુતાવણ વાદ છે. અને ભગવતી ( શતક ૧૫) આદિમાં કેવલીના આહારનું વન છે, તેને લક્ષમાં રાખીને કહ્યું છે કે, એ ના કેવલીને અવણ વાદ છે. ૩. અકલ'ક અને વિદ્યાનă આદિ સિદ્ધસેનના ગ્રંથાથી પરિચિત હતા. જીઆ રાજવાત્તિક’૮, ૧, ૧૭; ‘લેાકવાત્તિ’પૃ૦ ૩. C Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્ વસ્તુત: પૂજ્યપાદની આસપાસના સમયમાં અચેલ અને સચેલ પક્ષમાં એટલી ખેંચતાણુ અને પક્ષાપક્ષી વધી ગઈ હતી કે, તેના ક્લસ્વરૂપ સર્વાર્થસિદ્ધિ' રચાયા બાદ તથા તેની અતિ પ્રતિષ્ઠા જામી ગયા બાદ, અચેલ પક્ષમાંથી તત્ત્વા ભાષ્યનુ રહ્યુંસધુ સ્થાન પણ નીકળી ગયું. ઘણા ધણા વિચાર કરવા છતાં એ પ્રશ્નને હજુ સુધી કેાઈ ઉત્તર જડતો નથી કે, જેમ તેમ કરીને પણ સચેલપક્ષે અગતને અત્યાર સુધી કોઈ ને ઢાઈ રૂપમાં સાચવી રાખ્યું, તો પછી ત્રુદ્ધિમાં, શ્રુતભક્તિમાં, અને અપ્રમાદમાં સચેલ પક્ષથી કઈ રીતે ઊતરતા નહિ એવા અચેલપક્ષે અગ‰તને સમૂલ નષ્ટ પ્રેમ થવા દીધું ? જો અચેલ પક્ષના અગ્રગાની કુંદકુંદ, પૂજ્યપાદ, સમતભદ્ર આદિના આટલા અધે। શ્રુતવિસ્તાર્ અચેલપક્ષે સાચવી રાખ્યા, તે આજ સુધી અંગશ્રુતના કાંઈક મૂલ ભાગ પણ સાચવી ન રાખવાનું કાંઈ જ કારણુ ન હતું. અંગશ્રુતની વાત છેડી અગબાહ્ય તરફ નજર કરીએ, તે પણ પ્રશ્ન જ થાય છે કે, પૂજ્યપાદ દ્વારા નિર્દિષ્ટ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા નાનાસરખા ગ્રંથ અચેલપક્ષીય શ્રતમાંથી લુપ્ત કેવી રીતે થયા ? કારણકે તેમનાથી પણ મોટા ગ્રંથ તે પક્ષમાં બરાબર સચવાઈ રહ્યા છે. બધી વાત ઉપર વિચાર કરવાથી હું અત્યાર સુધીમાં એ જ નિશ્ચિત નિય ઉપર આવ્યો છું કે, મૂલ અ ંગશ્રતના પ્રવાહુ અનેક અવશ્યંભાવી પરિવનાની ચાટ સહન કરવા છતાં આજ સુધી ચાલ્યા આવ્યા છે; જોકે તેને દિગંબર ફિરકા બિલકુલ માન્ય રાખતા નથી, : શ્રુત વિષયક ચર્ચાને આ પ્રસંગે એક પ્રશ્ન તરફ ઐતિહાસિક વિદ્વાનનું ધ્યાન ખેંચવું આવશ્યક છે. તે પ્રશ્ન Page #64 -------------------------------------------------------------------------- ________________ એ છે કે, પૂજ્યપાદ તથા અકલંક દ્વારા દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનને નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ દશવૈકાલિક ઉપર તે દિગંબર પક્ષના મનાતા અપરાજિત આચાર્યો ટીકા પણ લખી હતી. તેમણે જ ભગવતી-આરાધના ઉપર પણ ટીકા લખી છે. આ સ્થિતિમાં આખી દિગંબર પરંપરામાંથી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનો પ્રચાર કેમ કરીને નીકળી ગયું ? તેમાંય વળી જયારે આપણે જોઈએ છીએ કે, મૂલાચાર, ભગવતી-આરાધના જેવા અનેક ગ્રંથ કે જે વસ્ત્ર આદિ ઉપધિનું પણ મુનિના સંબંધનાં નિરૂપણ કરે છે અને જેમાં આર્થિકાઓના માર્ગનું પણ નિરૂપણ છે, તેમ જ જે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની અપેક્ષાએ મુનિ-આચારનું કઈ પ્રકારે ઉત્કટ પ્રતિપાદન નથી કરતા, તે ગ્રંથે તો આખી દિગંબરપરંપરામાં એકસરખા માન્ય છે, અને તેમના ઉપર કેટલાય પ્રસિદ્ધ દિગંબર વિદ્વાનોએ સંસ્કૃતમાં તથા ભાષામાં ટીકાઓ પણ લખી છે, ત્યારે તો આપણે ઉપર્યુક્ત પ્રશ્ન વળી વધુ બલવાન બની જાય છે. મૂલાચાર તથા ભગવતીઆરાધના જેવા ગ્રંથને શ્રુતમાં સ્થાન આપનારી દિગંબરપરંપરા દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનને કેમ નથી માનતી ? અથવા બીજી રીતે કહીએ તે દશવૈકાલિક આદિને છોડી દેનારી દિગંબરપરંપરા મૂલાચાર આદિને કેવી રીતે માની શકે છે? આ અસંગતિ સૂચક પ્રશ્નનો જવાબ સરલ પણ છે, અને કઠણ પણ. આપણે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તે તે સરલ છે, અને કેવલ પંથદષ્ટિથી વિચાર કરીએ ત્યારે કઠણ છે. ૧. જુઓ “અનેકાંત', વર્ષ ૨, અંક ૧, પૃ. ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ ४० જેએ ઇતિહાસ નથી જાણતા તે બહુધા એમ જ માને છે કે, અચેલ અથવા દિગ ંબર પરંપરા એકમાત્ર નગ્નત્વને જ મુનિત્વનું અંગ માને છે, અથવા માની શકે; નગ્નત્વ સિવાય થાડાઘણા ઉપકરણધારણને પણ દિગ ખરત્વના વિચારમાં કાઈ સ્થાન નથી. તથા જ્યારથી દિગંબરપર ંપરામાં તેરાપંથની ભાવનાએ જોર પકડયુ, અને ખીજા દિગંબરીય અવાંતરપક્ષ યા તે નામશેષ થઈ ગયા અથવા તો તેરાપંથના પ્રભાવમાં ખાઈ ગયા, ત્યારથી તે। ૫થદષ્ટિવાળાઓના ઉપ ક્ત વિચાર વળી વધારે પુષ્ટ થઈ ગયા કે, મુનિત્વનું અંગ એકમાત્ર નગ્નત્વ છે, ઘેાડી પણ ઉપધિ તેનુ અંગ થઈ નથી શકતી; તથા નમત્વ સંભવી શકતુ ન હેાવાથી સ્રર્ઝા મુનિધની અધિકારિણી બની શકતી નથી. એવી પથદૃષ્ટિવાળા ઉપર્યુક્ત અસંગતિનું સાચું સમાધાન મેળવી જ ન શકે, તેમને માટે એ જ રસ્તા બાકી રહે છે કે, યા તો તે કહી દે કે, તેવા ઉપધિપ્રતિપાદક બધા ગ્ર ંથ શ્વેતાંબરીય છે, અથવા શ્વેતાંબરીય · પ્રભાવવાળા ફાઈ વિદ્વાનાએ બનાવ્યા છે, અથવા તેમનું તાત્પ પૂર્ણ દિગંબર મુનિત્વનું પ્રતિપાદન કરવુ, એટલું જ નથી. એટલુ કહેવા છતાં પણ તે અનેક મુશ્કેલીઓમાંથી મુક્ત તા થઈ જ શકતા નથી. તેથી જ તેમને માટે પ્રશ્નને સાચેા જવાબ કઠિન છે. પરંતુ જૈન પર ંપરાના ઇતિહાસની અનેક બાજુએનુ અધ્યયન તથા વિચાર કરનારાઓને માટે તેવી કાઈ કઠિનતા નથી. જૈન પરંપરાના ઇતિહાસ કહે છે કે, અચેલ અથવા દિગંબર · કહેવાતા પક્ષમાં પણ અનેક સધ અથવા ગુચ્છ થયા કે જે મુનિધના અગરૂપે ઉપધિના આત્યંતિક ત્યાગ માનવા Page #66 -------------------------------------------------------------------------- ________________ ન માનવાની બાબતમાં પૂર્ણ એકમત નહેતા. કેટલાક સંધ એવા પણ હતા કે જે નગ્નત્વ તથા પાણિપાત્રત્વને પક્ષ કરતા હોવા છતાં વ્યવહારમાં થેડી ઘણી ઉપધિને સ્વીકાર અવશ્ય કરતા હતા. તે એક પ્રકારે મૃદુ અથવા મધ્યમમાગી અચેલદળવાળા હતા કેઈ સંઘ અથવા કેટલાક સંધ એવા પણ હતા કે જે માત્ર નગ્નત્વને પક્ષ કરતા હતા અને વ્યવહારમાં પણ તેનું જ અનુસરણ કરતા હતા. તેઓ જ તીવ્ર અથવા ઉત્કટ અચેલ દળવાળા હતા. એવું જણાય છે કે, કેઈ પણ સંધ અથવા દળ છે, પરંતુ પાણિપાત્રત્વ એ બધાનું સમાન સ્વરૂપ હતું. તેથી જ તેઓ બધા દિગંબર જ ગણાતા હતા. આ મધ્યમ તથા ઉત્કટ ભાવનાવાળા જુદા જુદા સંધ અથવા ગચ્છના વિદ્વાને અથવા મુનિઓ દ્વારા રચાયેલા આચારગ્રંથમાં નગ્નત્વ અને વસ્ત્ર આદિનું વિરોધી નિરૂપણ આવી જાય, એ સ્વાભાવિક છે. તે ઉપરાંત યાપનીય જેવા કેટલાક એવા સંઘે પણ થયા કે જે છેક સચેલપક્ષના પણ ગણાતા નહિ, અને જે છેક અચેલપક્ષમાં પણ સ્થાન પામી શક્યા નહિ તેવા સંઘ જ્યારે લુપ્ત થઈ ગયા, ત્યારે તેમના આચાર્યોની કેટલીક કૃતિઓ કે જે પોતાના પક્ષને વિશેષ અનુકૂળ હતી, તે શ્વેતાંબરપક્ષ દ્વારા જ મુખ્યતયા સાચવી રખાઈ અને કેટલીક કૃતિઓ દિગંબર પક્ષમાં જ વિશેષપણે રહી ગઈ, અને કાલક્રમે દિગંબરીય જ મનાવા લાગી. આ પ્રમાણે પ્રાચીન અને મધ્યકાલીન તથા મધ્યમ અને ઉત્કટભાવનાવાળા અનેક દિગંબરીય સંઘના વિદ્વાનોની કૃતિઓમાં સમુચિતપણે ક્યાંક નગ્નત્વનું આત્યંતિક પ્રતિપાદન અને ક્યાંક મર્યાદિત ઉપધિનું પ્રતિપાદન દેખાઈ આવે, તે તેમાં અસંગતિ નથી. આજકાલ Page #67 -------------------------------------------------------------------------- ________________ જે દિગંબર ફિરકાઓમાં નગ્નત્વને આત્યંતિક આગ્રહ રાખનારી તેરાપંથીય ભાવના પ્રધાન દેખાય છે, તે પાલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષોનું પરિણામ છે. આજકાલની જ એ ભાવનાના આધારથી પુરાણકાળના દિગંબરીય ગણાતા બધા સાહિત્યનો ખુલાસો થો કદી સંભવિત નથી, દેશવૈકાલિક આદિ ગ્રંથ શ્વેતાંબરપર પરામાં એટલી બધી પ્રતિષ્ઠા પામ્યા છે, તેમને ત્યાગ દિગંબર પરંપરામાં સ્વાભાવિક રીતે જ સિદ્ધ થઈ ગયો. સંભવ છે કે, જે મૂલાચાર વગેરે ગ્રંથને પણ શ્વેતાંબર પરંપરા પૂરેપૂરા અપનાવી લેત, તે દિગંબરપરંપરામાં તે ગ્રંથો ભાગ્યે જ પોતાનું આવું સ્થાન કાયમ રાખી શક્ત. પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની જાતિ વિષે કાંઈ કથન નથી, છતાં માતાનું નેત્રસૂચક “વાસી” નામ એમાં છે અને કભીષણ” એ પણ ગોત્રસૂચક વિશેષણ જાતિ અને છે. આ ગોત્રનો નિર્દેશ ઉમાસ્વાતિ ગન્મસ્થાન બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન કરે છે એમ કહેવું, એ ગેત્રપરંપરાને ચીવટથી વળગી રહેનાર બ્રાહ્મણ જાતિના વંશાનુક્રમના અભ્યાસીને ભાગ્યે જ ખોટું દેખાશે. વાચક ઉમાસ્વાતિના જન્મસ્થાન તરીકે પ્રશસ્તિ “ન્યાધિકા” ગામને નિર્દેશ છે; આ ન્યાધિકા સ્થાન કયાં આવ્યું, તેનો ઇતિહાસ શું છે, અને અત્યારે તેની શી સ્થિતિ છે, એ બધું અંધારામાં છે; એની શેધ કરવી એ એક રસને વિષય છે. તત્ત્વાર્થસૂત્રની રચનાના સ્થાન તરીકે પ્રશસ્તિમાં “કુસુમપુર ને નિર્દેશ છે. કુસુમપુર એ જ અત્યારનું બિહારમાં આવેલું પટણા. પ્રશસ્તિમાં કહેવામાં Page #68 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે કે, વિહાર કરતાં કરતાં પટણામાં તસ્વાર્થ રચ્યું છે. આ ઉપરથી નીચેની કલ્પનાઓ ફુરે છે. ૧. ઉમાસ્વાતિના સમયમાં અને તેથી કાંઈ આગળ પાછળ મગધમાં જૈન ભિક્ષુકોને ખૂબ વિહાર થતો હોવો જોઈએ અને તે તરફ જૈનસંધનું બળ અને આકર્ષણ પણ હેવું જોઈએ. ૨. વિશિષ્ટ શાસ્ત્રના લેખક એવા જૈન ભિક્ષુકો પણ પિતાની અનિયત સ્થાનવાસની પરંપરાને બરાબર સાચવી રહ્યા હતા અને તેમ કરી તેઓએ પિતાના કુળને “જગમ વિદ્યાલય બનાવી દીધું હતું. ૩. વિહારસ્થાન પાટલીપુત્ર (પટણા) અને મગધદેશથી જન્મસ્થાન ન્યાધિકા સામાન્ય રીતે બહુ દૂર તે નહિ જ હેય. ૨. વ્યાખ્યાકારે તત્વાર્થના વ્યાખ્યાકાર શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં થયેલા છે; પરંતુ એ બેમાં ફેર એ છે કે, મૂળ સૂત્ર ઉપર સીધી વ્યાખ્યા સૂત્રકાર ઉમાસ્વાતિ સિવાય બીજા કોઈ તાંબરીય વિદ્વાને લખી હોય તેમ જણાયું નથી; જ્યારે દિગંબરીય બધા લેખકોએ સૂત્રો ઉપર જ પિતપોતાની વ્યાખ્યાઓ લખી છે. શ્વેતાંબરીય અનેક વિદ્વાનોએ સૂત્રો ઉપરના ભાષ્યની વ્યાખ્યાઓ કરી છે, જ્યારે દિગંબરીય પ્રસિદ્ધ કઈ વિદ્વાને સૂત્રો ઉપરના પણ ભાષ્યની વ્યાખ્યા કરી હોય તેમ જાણ્યું નથી. બંને સંપ્રદાયના એ વ્યાખ્યાકારમાં કેટલાક એવા વિશિષ્ટ વિદ્વાને છે કે, જેમનું સ્થાન ભારતીય દાર્શનિકોમાં આવી શકે તેવું છે. તેથી તેવા કેટલાક વિશિષ્ટ વ્યાખ્યાકારેને અત્રે ટૂંક પરિચય આપવા ધાર્યો છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ સૂત્ર ઉપર ભાષ્યરૂપે વ્યાખ્યા લખનાર સૂત્રકાર પોતે જ ઉમાસ્વાતિ છે; તેથી તેમને વિષે જુદું લખવાપણું નથી उमास्वाति રહેતું. કારણ કે તે બાબતમાં આગળ કહી આવ્યા છીએ. સિદ્ધસેનગણિ' તથા આચાર્ય હરિભદ્ર પણ ભાષ્યકાર તથા સૂત્રકારને એક જ માને છે, એવુ તેમની ભાટીકાનુ અવલાકન કરવાથી સ્પષ્ટ માલૂમ પડી આવે છે. દશવૈકાલિકની અગસ્ત્યસિ હંકૃત ચૂર્ણિમાં ઉમાસ્વાતિના નામે સૂત્ર અને ભાષ્ય અને ઉદ્ધૃત છે–પૃ૦ ૮૫. નયનચક્રમાં પણ ભાષ્ય ઉષ્કૃત છે–પૃ॰ ૫૯૬. હરિભદ્ર ‘પ્રશમરતિ’તે ભાષ્યકારની જ રચના માને છે. એ સ્થિતિમાં ભાષ્યને સ્વોપન ન માનવાની આધુનિક કલ્પના ભ્રાંત છે. પૂજ્યપાદ, અકલંક આદિ કોઈ પ્રાચીન દિગબરીય ટીકાકારે એવી વાત નથી ચીરી કે જે ભાષ્યની સ્વાપન્નતાથી વિરુદ્ધ હાય. વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યા અગર ભાષ્ય રચનાર તરીકે એ ગંધહસ્તીક જૈનપર ંપરામાં પ્રસિદ્ધ છે. ૧, જુઓ આ ‘પરિચય’ પૃ૦ ૨૦, ને૦ ૧. २. " एतन्निबन्धनत्वात् संसारस्येति स्त्राभिप्रायमभिधाय मतान्तरमुपन्यसन्नाह-एके त्वित्यादिनां पृ० १४१. . ૩. “ચથોત્તમને નૈવ મૂળિા પ્રવળાન્તરે” એવુ કહીને હિરભદ્ર ભાટીકામાં પ્રશમરતિની ૨૧૦મી તથા ૨૧૧મી કારિકા ઉદ્ભુત કરે છે. ૪, શક્રસ્તવ' નામે પ્રસિદ્ધ થયેલ “નમોડસ્થુળ ” ના પ્રાચીન Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તેમાં એક દિગંબરાચાર્ય અને બીજા "હ્રસ્તી શ્વેતાંબરાચાર્ય મનાય છે. ગંધહસ્તી એ વિશેષણ છે. દિગંબર પરંપરામાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાન સમંતભદ્રનું એ વિશેષણ મનાય છે અને તેથી ફિલિત એમ થાય છે કે, આપ્તમીમાંસાના રચનાર ગંધહસ્તીપદધારી સ્વામી સમંતભદ્ર વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યા રચી હતી. શ્વેતાંબર પરંપરામાં ગંધહસ્તી એ વિશેષણ વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકરનું છે એવી માન્યતા અત્યારે ચાલે છે. તે માન્યતા પ્રમાણે ફલિત એમ થાય છે કે, સન્મતિના રચનાર અને વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકરે વાચક ઉમાસ્વાતિનાં તત્વાર્થસૂત્રો ઉપર વ્યાખ્યા રચી હતી. આ બને માન્યતા અને તે ઉપરથી ફલિત થતું ઉક્ત મંતવ્ય પ્રમાણ વિનાનું હોઈ ગ્રાહ્ય નથી. દિગંબરાચાર્ય સમંતભદ્રની કૃતિ માટે ગંધહસ્તી વિશેષણ વપરાયેલું મળે છે. તે લધુસમંતભદ્રકૃત અષ્ટસહસ્ત્રીને ટિપ્પણમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. લઘુમંતભદ્ર ૧૪મી૧૫મી શતાબ્દીની આસપાસ ક્યારેક થઈ ગયા એમ મનાય છે. તેમના પ્રસ્તુત ઉલ્લેખનું સમર્થન કરનારું એક પણ સુનિશ્ચિત પ્રમાણુ હજુ સુધી ઉપલબ્ધ નથી. અત્યાર સુધીનાં વાચનતેત્રમાં “પુરિસંવરજલ્લીકહીને શ્રીતીથકરને ગંધહસ્તી એવું વિશેષણ આપેલું છે. તથા શકના દશમા અને અગિયારમાં સૈકાના દિગંબરીય શિલાલેખોમાં એક દ્ધાને ગધહસ્તીનું ઉપનામ આપેલું છે અને એક જૈનમંદિરનું નામ પણ ‘સવતિ ગધવારણ જિનાલય” છે. જુઓ છે. હીરાલાલ સંપાદિત “જેનશિલાલેખ સંગ્રહ” પૃ૦ ૧૨૩ તથા ૧૨૯, “ચંદ્રગિરિ પર્વત પર કે શિલાલેખ.” ૧. જુઓ પંડિત જુગલકિશોરજી લિખિત “સ્વામી સમંતભદ્ર પૃ૦ ૨૧૪-૨૨૦. Page #71 -------------------------------------------------------------------------- ________________ ચિંતનથી હું ચોક્કસ એ નિર્ણય ઉપર આવ્યો છું કે, ક્યાંક ભાષ્ય, ક્યાંક મહાભાષ્ય, ક્યાંક તત્ત્વાર્થભાષ્ય, ક્યાંક ગંધહસ્તીભાષ્ય એવા અલગ અલગ વેરાયેલા અનેક ઉલ્લેખ દિગંબરીય સાહિત્યમાં મળી આવે છે, અને ક્યાંક સ્વામી સમંતભદ્રના નામનો તત્ત્વાર્થ–મહાભાષ્યની સાથે નિર્દેશ પણ છે. આ બધું જોઈને પાછલા અર્વાચીન લેખકે એ શ્રાંતિમૂલક વિશ્વાસ થઈ ગયો કે, સ્વામી સમંતભદ્ર ઉમાસ્વાતિના તત્વાર્થ ઉપર ગંધહસ્તી નામનું મહાભાષ્ય રચ્યું હતું. તે વિશ્વાસ ઉપરથી તેઓ એવું લખવાને પ્રેરાયા. વસ્તુતઃ તેમની સામે ન તે કોઈ પ્રાચીન એવો આધાર હતો, કે ન કોઈ એવી કૃતિ હતી કે જે તત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી-ભાષ્ય નામની વ્યાખ્યાને સમંતભદ્રકર્તક સિદ્ધ કરે. ભાષ્ય, મહાભાષ્ય ગંધહસ્તી વગેરે જેવા મેટા મેટા શબ્દો તે હતા જ; તેથી એ વિચાર આવો સ્વાભાવિક છે કે, સમંતભદ્ર જેવા મહાન આચાર્ય સિવાય એવી કૃતિ કોણ રચે ? અકલંક આદિ પાછળના આચાર્યો દ્વારા રચાયેલી કઈ કૃતિ ગંધહસ્તી-ભાષ્ય નામથી નિશ્ચિત કરી ન શકાતી હોય, તેવી હાલતમાં તે તે તદ્દન સ્વાભાવિક છે. ઉમાસ્વાતિના અતિપ્રચલિત તત્ત્વાર્થ ઉપર સ્વામી સમંતભદ્ર જેવાની નાની-મોટી કઈ કૃતિ હોય, તે તેને ઉલ્લેખ કે કેઈ અવતરણ “સર્વાર્થસિદ્ધિ', “રાજવાર્તિક, વગેરે જેવી અતિશાસ્ત્રીય ટીકાઓમાં સર્વથા ન મળવા કદી સંભવિત નથી. એવું પણ સંભવિત નથી કે, તેવી કે કૃતિ “સર્વાર્થસિદ્ધિ” આદિના સમય સુધીમાં લુપ્ત જ થઈ ગઈ હોય; કારણ કે ત્યારે પણ સમંતભદ્રના અન્ય મહત્વપૂર્ણ ગ્રંથ મેજૂદ જ હતા. ગમે તેમ, તેય એ વાતમાં મને હવે Page #72 -------------------------------------------------------------------------- ________________ કાંઈ જ સંદેહ નથી કે, તત્ત્વાર્થ ઉપર સમંતભદ્રકૃત ગંધહસ્તી નામનું કઈ ભાષ્ય જ નહોતું. શ્રીયુત પં૦ જુગલકિશોરજીએ “અનેકાંત' (વર્ષ ૧, પૃ૦ ૨૧૬)માં લખ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી ભાષ્યને ઉલ્લેખ આવે છે; પરંતુ મને “ધવલા'ની મૂળ નકલની તપાસ કરનારા ૫૦ હીરાલાલજી ન્યાયતીર્થ દ્વારા વિશ્વસ્તરૂપે માલૂમ પડ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી-ભાષ્ય શબ્દનો કેઈ ઉલ્લેખ નથી. વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકર ગંધહસ્તી છે એવી વેતાંબરીય માન્યતા સત્તરમાં અઢારમા સૈકાના પ્રસિદ્ધ વિદ્વાન ઉપાધ્યાય યશવિજયજીના એક ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે. ઉ૦ યશોવિજયજીએ પિતાના મહાવીરસ્તવમાં ગંધહસ્તીના કથનરૂપે સિદ્ધસેન દિવાકરના સન્મતિની એક ગાથા ટાંકી છે તે ઉપરથી અત્યારે એમ મનાતું આવે છે કે, સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી છે. પણ ઉ૦ યશોવિજયજીને એ ઉલ્લેખ શ્રાંતિજનિત છે. આ મુદ્દો સાબિત કરનાર બે પુરાવાઓ અત્યારે સ્પષ્ટ છે. એક તો એ કે, ઉ યશોવિજયજી પહેલાંના કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથકારેએ સિદ્ધસેન દિવાકર સાથે કે તેમની નિશ્ચિત મનાતી કૃતિઓ સાથે અગર તે એ કૃતિઓમાંથી ઉકત કરેલાં અવતરણો સાથે એક પણ સ્થળે ગંધહસ્તી વિશેષણ વાપર્યું નથી. સિદ્ધસેન દિવાકરની કૃતિના અવતરણ સાથે ગંધહસ્તી વિશેષણ વાપરનાર માત્ર ઉક્ત યશોવિજયજી જ છે. એટલે એમનું એ કથન કોઈ પણ પ્રાચીન ૧. “નૈવામિળ ધક્તી સન્મતૌ–” -ન્યાયખંડખાવ, પ્લે ૧૬ પૃ૦ ૧૬ દ્વિ Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ આધાર વિનાનું છે. તે ઉપરાંત સિદ્ધસેન દિવાકરના જીવનવૃત્તાંતવાળા જે પ્રાચીન કે અર્વાચીન પ્રબંધો મળે છે, તેમાં ક્યાય પણ ગંધહસ્તીપદ વપરાયેલું નજરે નથી પડતું. જ્યારે દિવાકરપદજૂના પ્રબંધ સુધ્ધામાં અને બીજા પ્રાચીન આચાર્યોના ચર સુધ્ધામાં વપરાયેલું મળે છે. બીજો પ્રબળ અને અકાટય પુરાવો એ છે કે, ઉ. યશોવિજ્યજી પહેલાંના અનેક ૧. ભદ્રેશ્વરકૃત “કથાવલી ગત સિદ્ધસેન પ્રબંધ, અન્યલિખિત સિદ્ધસેનપ્રબંધ', “પ્રભાવક ચરિત્ર ”ગત વૃદ્ધવાદિપ્રબંધાતગત સિદ્ધસેન પ્રબંધ, પ્રબંધચિંતામણિ ગત વિક્રમપ્રબંધ અને ચતુર્વિશતિપ્રબંધ. સિદ્ધસેનના જીવનપ્રબંધમાં જેમ દિવાકર ઉપનામ આવે છે અને તેનું સમર્થન મળે છે, તેમ ગંધહસ્તી વિષે કાંઈ જ નથી. જે ગધહસ્તીપદને આટલો બધે જૂને પ્રયોગ મળે છે, તે એ પ્રશ્ન રહે જ છે કે, જુના ગ્રંથકારોએ દિવાકરપદની જેમ ગંધહસ્તીપદ સિદ્ધસેનના નામ સાથે કે તેમની કેઈ ઉપલબ્ધ નિશ્ચિત કૃતિ સાથે વાપરેલું કેમ નથી મળતું ? ૨. જુઓ હરિભદ્રસૂરિકૃત "પંચવસ્તુ ગાથા ૧૦૪૮, પૃ. ૧૫૬. ૩. સરખામણું માટે જુઓ – “निद्गादयो यत: समधिगताया एव दर्शनलब्धेः उपयोगघाते प्रवर्तन्ते चक्षुर्दर्शनावरणादिचतुष्टयं तूझाच्छेदित्वात् मूलघातं निहन्ति નશ્વિમ” કૃતિ – ‘તત્ત્વાર્થભાષ્યવૃત્તિ” પૃ૦ ૧૩૫, ૫૦ ૪. __“आह च गन्धहस्ती निद्रादयः समधिगताया एव दर्शनलब्धेरुपघाते वर्तन्ते दर्शनावरणचतुष्टयं तूगमाच्छेदित्वात् समूलघातं हन्ति મિતિ” – ‘પ્રવચનસારોદ્ધાર ની સિદ્ધસેનીય વૃત્તિ પૃ. ૩૫૮, પ્રવ પં૫, “સિત્તરીટીકા”, મલયગિરિકૃત, ગાથા ૫. દેવેન્દ્રત પ્રથમ કર્મગ્રંથ ટીકા, ગાથા ૧૨. સ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોમાં જે ગંધહસ્તીને નામે અવતરણો મળે છે, તે બધાં જ અવતરણે ક્યાંયેક જસ પણ પરિવર્તન વિના જ અને કયાંયેક ___ " या तु भवस्थकेवलिना द्विविधस्य सयोगायोगभेदस्य सिद्धस्य वा दर्शनमीहनीयसप्तकक्षयादपायसद्र्व्यक्षयाचोदपादि सा सादिरपर्यव. साना इति"। 'तत्वाय माध्यत्ति' ५० ५६, ५.० २७. ___"यदाह गन्धहस्ती-भबस्थकेवलिनो द्विविधस्य सयोगायोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयाविर्भूता सम्यग्दृष्टिः सादिरपर्यवसाना इति ।" 'नवपत्ति ', ५० ८८ द्वि०. ___ “तत्र याऽपायसद्र्व्यवर्तिनी श्रेणिकादीनां सद्व्यापगमे च भवति अपायसहचारिणी सा सादिसपर्यवसाना" तत्वाय माध्यत्ति ५० ५६, ५. २७. “ यदुक्तं गन्धहस्तिना-तत्र या पायसद्व्यवर्तिनी अपायोमतिज्ञानांशः,सद्व्याणि-शुद्धसम्यक्त्वदलिकानि तद्वर्तिनीश्रेणिकादीनां च सद्व्यापगमे भवत्यपायसहचारिणी सा सादिसपर्यवसाना इति । 'नवपत्ति ', ५० ८८ द्वि०. "प्राणापानावुवासनिःश्वासक्रियालक्षणौ" 'तत्वाय माध्यत्ति, ५० १६१, ५० १३. “ यदाह गन्धहस्ती-प्राणापानौ उच्छ्वासनिःश्वासौ इति ।" 'ध सात्ति' (मलयगिरि) ५० ४२, ५० २. "अत एव च भेदः प्रदेशानामवयवानां च, ये न जातुचिद् वस्तुव्यतिरेकेणोपलभ्यन्ते ते प्रदेशाः, ये तु विशकलिताः परिकलितमूर्तयः प्रज्ञापथमवतरन्ति तेऽवयवा इति ।” 'तत्वाय माध्यत्ति', ५० ३२८. ५० २१. “यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु मेदोऽस्ति "" - 'स्याबाहभ ', ५० १३, ० ८. त. ४ Page #75 -------------------------------------------------------------------------- ________________ બહુ જ થવા પરિવર્તન સાથે અને કયેક ભાવસામ્ય સાથે સિંહસૂરના પ્રશિષ્ય અને ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેનની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિમાં મળે છે. આ ઉપરથી એટલું નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે, ગંધહસ્તી ચાલુ માન્યતા પ્રમાણે સિદ્ધસેન દિવાકાર નહિ પણ ઉપલબ્ધ તત્ત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેન જ છે. નામની સમાનતાથી અને પ્રકાંડવાદી તરીકે અને કુશળ ગ્રન્થકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી સંભવી શકે એવી સંભાવનામાંથી ઉ૦ યશેવિયની દિવાકર માટે ગંધહસ્તી વિશેષણ વાપરવાની ભ્રાંતિ જન્મી હોય, એ સંભવ છે. ઉપરની દલીલે ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે, શ્વેતાંબર પરંપરામાં પ્રસિદ્ધ ગંધહસ્તી એ તત્વાર્થસૂત્રના ભાષ્યની ઉપલબ્ધ વિસ્તીર્ણ વૃત્તિના રચનાર સિદ્ધસેન જ છે. આ ઉપરથી આપણને નિશ્ચિત રૂપે એમ માનવાને કારણ મળે છે કે, સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવે પિોતાની ટીકામાં બે સ્થળે ગંધહસ્તીપદ વાપરી તેમની ૧. સન્મતિના બીજા કાંડની પ્રથમગાથાની વ્યાખ્યાની સમાતમાં ટીકાકાર અભયદેવે તવાર્થના પ્રથમ અધ્યાયનાં ૯, ૧૦, ૧૧ અને ૧૨ એમ ચાર સૂત્રો ટાંકેલાં છે અને ત્યાં એ સૂત્રોની વ્યાખ્યા વિષે ગંધહસ્તીની ભલામણ કરતાં તેઓ જણાવે છે કે "अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रभृतिभिर्विहितेति न प्रदर्श्यते" ---ઍ પલ્પ, પં. ૨૪. એ જ પ્રમાણે તૃતીયાકાંડની ૪૪મી ગાથામાં આવેલા “હેતુવાદ” પદની વ્યાખ્યા આપતાં તેમણે સ નજ્ઞાનરિત્રાળ મોક્ષમા” આ સૂત્ર મૂકી તે માટે પણ લખ્યું છે કે, "तथा गन्धहस्तिप्रभृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात्"પૃ૦ ૬૫૧, ૫૦ ૨૦. WWW.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ ५१ રચેલ તત્વાર્થવ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે, તે ગંધહસ્તી બીજા કોઈ નહિ પણ ઉપલબ્ધ ભાષ્યવૃત્તિના રચનાર ઉક્ત સિદ્ધસેન જ છે. એટલે સન્મતિટીકામાં અભયદેવે તત્ત્વાર્થ ઉપરની જે ગંધહસ્તીકૃત વ્યાખ્યા જોઈ લેવાની ભલામણ કરી છે, તે વ્યાખ્યા માટે હવે નષ્ટ કે અનુપલબ્ધ સાહિત્ય તરફ નજર દોડાવવાની જરૂર નથી. આ જ અનુસંધાનમાં એ પણ માનવું પ્રાપ્ત થાય છે કે, નવમા દસમાં સૈકાના ગ્રંથકાર શીલાંકે પિતાની આચારાંગસૂત્ર ઉપરની ટીકામાં જે “ગંધહસ્તિકૃત વિવરણનો ઉલ્લેખ કર્યો છે, તે વિવરણ પણ તત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેનનું જ હોવું જોઈએ. કારણ કે, બહુ જ થોડું અંતર ધરાવતા શીલાંક અને અભયદેવ એ બન્ને ભિન્ન ભિન્ન આચાર્યો માટે ગંધહસ્તીપદ વાપરે એ સંભવિત નથી, અને અભયદેવ જેવા બહુશ્રુત વિદ્વાને જૈન આગમાં પ્રથમ પદ ધરાવતા આચારાંગસૂત્રની પોતાની નજીકમાં જ પૂર્વે થઈ ગયેલા શીલાંકરિની રચેલી ટીકા જેઈ ન હોય એ પણ કલ્પવું કઠણ છે. વળી શીલાંકે પિતે જ પિતાની ટીકાઓમાં જ્યાં જ્યાં સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિની ગાથાઓ ઉદ્ધત કરી છે, ત્યાં કોઈ પણ ૧. જુઓ આ૦ શ્રીજિનવિજયજસંપાદિત “જતકલ્પ' ની પ્રસ્તાવના પૃ૦ ૧૯, તથા પરિશિષ્ટ, શીલાંકાચાર્ય વિષે વધારે વિગત.” ૨. “શસ્ત્રપરિજ્ઞાવિવરાતિવા જ જસ્તિકૃતનતથા शस्त्रपरिज्ञपाविवरणमतिबहुगहनमितीव किल वृतं पूज्यैः। श्रीगन्धहस्तिमित्रैर्विवृणोमि ततोऽहमवशिष्टम् " ॥ -- “આચારાંગટીકા, પૃ૦ ૧ તથા ૮૨ની શરૂઆત Page #77 -------------------------------------------------------------------------- ________________ ५२ સ્થળે ગંધહસ્તીપદ વાપર્યું” નથી, એટલે શીલાંકના ગંધહસ્તી પણ દિવાકર નથી એ ખુલ્લુ છે, ઉપરની વિચારસરણીને આધારે મેં દશ વર્ષોં પહેલાં જે નિર્ણય કર્યાં હતા, તેનું સંપૂર્ણ રીતે સમક ઉલ્લિખિત પ્રાચીન પ્રમાણ પણ હવે મળી ગયુ` છે, કે જે હસ્જિદ્રીય અધૂરી વૃત્તિના પૂરક યશેાભદ્રસૂરિના શિષ્યે લખ્યું છે. તે આ પ્રમાણે છે : सूरियशोभद्रस्य (हि) शिष्येण समुद्धृता स्वबोधार्थम् । तत्त्वार्थस्य हि टीका जडकायार्जना धृता यात्यां नृधृता ॥ (૦ યર્જુને ધૃતાન્ત્યાŕ) ॥ ૧ ॥ हरिभद्राचार्येणारब्धा विवृतार्धषडध्यायांश्च । पूज्यैः पुनरुद्धृतेयं तत्त्वार्थार्द्धस्य टीकान्त्या ।। २ ।। रुति ।। एतदुक्तं भवति - हरिभद्राचार्येणार्धषण्णामध्यायानामाद्यानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थानैर्व्याकुला, तस्या एव शेषं उद्धृतश्चाचार्येण ( शेषं मया ) स्वबोधार्थम् । सात्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम्” – पृ० ५२१ । તત્ત્વાર્થીભાષ્ય ઉપર શ્વેતાંબરાચાર્યાની રચેલી એ આખી વૃત્તિઓ અત્યારે મળે છે. તેમાં એક મોટી છે અને બીજી તેથી નાની છે. મેાટી વૃત્તિના રચનાર સિદ્ધસેન એ જ અહીં પ્રસ્તુત છે. એ સિદ્ધસેન દિનગણિના શિષ્ય સિંહસરના ર सिद्धसेन ૧, જીએ, ગુજરાતી તત્ત્વાથ વિવેચન-પરિચય, પૃ૦ ૩૬ (પ્રથમ આવૃત્તિ.) ૨. આ જ સિહસૂરિ નયનચક્રના ટીકાકાર છે. જુઓ, આત્માનંદ પ્રકાશ ૪૫-૧૦, પૃ૦ ૧૯૧, Page #78 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય ભાસ્વામીના શિષ્ય હતા, એ વાત એમની ભાષ્યવૃત્તિને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ છે. ગંધહસ્તીની વિચારણું પ્રસંગે ઉપર આપેલી દલીલોથી આપણે એ પણ જાણ્ય કે, ગંધહસ્તી એ પ્રસ્તુત સિદ્ધસેન જ છે. એટલે બીજું કઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાં સુધી, તેમની બે કૃતિઓ માનવા વિષે શંકા રહેતી નથી. એક તે આચારાંગવિવરણ જે અનુપલબ્ધ છે, અને બીજી તત્ત્વાર્થભાષ્યની ઉપલબ્ધ મોટી વૃત્તિ. એમનું ગંધહસ્તી' નામ કોણે અને કેમ પાડયું, તે વિષે ફક્ત કલ્પના જ કરી શકાય. એમણે પોતે તે પિતાની પ્રશસ્તિમાં 'ગંધહસ્તીપદ કેજર્યું નથી. તેથી એમ લાગે છે કે, જેમ સામાન્ય રીતે બધા માટે બને છે તેમ, તેમના માટે પણ બન્યું હોવું જોઈએ. એટલે કે, તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમને ગંધહસ્તી તરીકે પ્રસિદ્ધ કર્યા હોય. એમ કરવાનું કારણ એ લાગે છે કે, પ્રસ્તુત સિદ્ધસેન સૈદ્ધાંતિક હતા અને આગનું વિશાળ જ્ઞાન ધરાવવા ઉપરાંત આગમવિરુદ્ધ તેમને જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ આવેશપૂર્વક ખંડન કરતા, અને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતા. આ વાત તેમની તર્કિક વિરુદ્ધની કટુક ચર્ચા જોવાથી વધારે સંભવિત લાગે છે. વળી તેમણે તત્વાર્થભાષ્ય ઉપર જે વૃત્તિ લખી છે, તે અઢાર હજાર શ્લોકપ્રમાણ હોઈ ત્યાર સુધીમાં રચાયેલી તસ્વાર્થભાષ્ય ઉપરની બધી જ વ્યાખ્યાઓમાં કદાચ મોટી હશે. અને જે રાજવાર્તિક તથા શ્લેકવાર્તિકના પહેલાં જ એમની વૃત્તિ રચાઈ હશે, તે એમ પણ કહેવું જોઈએ કે, તત્વાર્થસૂત્ર ઉપરની ત્યાર સુધીમાં હયાત બધી જ વેતાંબરીય દિગંબરીય વ્યાખ્યાઓમાં એ સિદ્ધસેનની જ વૃત્તિ મોટી હશે. Page #79 -------------------------------------------------------------------------- ________________ આ મોટી વૃત્તિ અને તેમાં કરવામાં આવેલ આગમનું સમર્થન જોઈ તેમના કેઈ શિખ્યું કે ભા અનુગામીએ તેમની હયાતીમાં અગર તેમની પછી તેમને માટે “ગંધહસ્તી” વિશેષણ વાપરેલુ હોય એમ લાગે છે. તેમના સમય વિષે ચક્કસપણે કહેવું અત્યારે શક્ય નથી. તેમ છતાં તેઓ સાતમા સૈકા અને નવમા સૈકાની વચ્ચે થયા હોવા જોઈએ, એ ચોખું છે. કારણકે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં વસુબંધુ ૧ આદિ અનેક બૌદ્ધ વિદ્વાનો ઉલ્લેખ કરે છે. તેમાં એક સાતમા સૈકાના ધર્મકીર્તિર પણ આવે છે. એટલે સાતમા સૈકા પહેલાં તેઓ નથી થયા એટલું તો નક્કી થાય છે. બીજી બાજુ નવમા સૈકાના વિદ્વાન શીલાકે ગંધહસતી નામથી તેમને ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ નવમા સૈકા પહેલાં ક્યારેક થયેલા હોવા જોઈએ. સિદ્ધસેન નયચક્રની વૃત્તિના રચયિતા સિંહસૂરિ ગણિક્ષમા. શ્રમણના પ્રશિષ્ય હતા. સિંહસૂરિ વિક્રમની સાતમી શતીના મધ્યમાં વિદ્યમાન હતા એટલે સિદ્ધસેનને સમય વિ. સાતમી ૧. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુબંધુને “ભાષ' કહી તેઓ નિદેશે છે – તરગાનઃપતનું વયુવવોરામિષચ વૃદ્ધાડ ચારિખઃ ” “જ્ઞાતિન્યા વસુવવુબેન “તત્વાર્થભાષ્યવૃત્તિ', પૃ૦ ૬૮,૫. ૧ તથા ૨૯ નાગાર્જુનરચિત “ધર્મસંગ્રહ’ પૃ૦ ૧૩ માં આવતાં આનંતર્ય પાંચ પાપે, જેમનું વર્ણન શીલાંક સૂત્ર તાંગની (પૃ. ૨૧૫) ટીકામાં પણ આપે છે, તેમને ઉલ્લેખ પણ સિદ્ધસેન કરે છે; “ભાષ્યવૃત્તિ પૃ૦ ૬૭. २. भिक्षुवरधर्मकीर्ति नाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादौ" તવાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૩૯૭, પં. ૪. ૩. જુઓ આ “પરિચયમાં પા. ૫૧, નેધ ૨. Page #80 -------------------------------------------------------------------------- ________________ શતીના અંતિમપાદથી માંડીને આઠમી શતીના મધ્ય ભાગ સુધીમાં સંભવે એમ મને લાગે છે. સિદ્ધસેને પિતાની વૃત્તિમાં સિદ્ધિવિનિશ્ચયને ઉલ્લેખ (પૃ. ૩૭) કર્યો છે જે કદાચ અકલ ક કૃત હોય. પણ વધારે સંભવ તો એ છે કે તે શિવસ્વામીકૃતનો હાય. શિવસ્વામીના સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ શાકટાયને સ્ત્રીનિર્વાણ પ્રકરણની પોતાની ટીકામાં કર્યો છે–પૃ. ૧૯. પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે પ્રસ્તુત સિદ્ધસેનના પ્રગુરુ સિંહસૂરિ એ જે મલવાદિકૃત નયચક્રના ટીકાકાર સિંહસૂરિ જ હોય, તો એમ કહી શકાય કે, નયચક્રની ઉપલબ્ધ સિંહસૂરિકૃત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હેવી જોઈએ ઉપર સૂચિત કરેલી તસ્વાર્થભાષ્યની નાની વૃત્તિના પ્રણેતા હરિભદ્ર જ અહીં પ્રસ્તુત છે. આ નાની વૃત્તિ રતલામસ્થ શ્રી ઋષભદેવજી કેસરીમલજી નામક સંસ્થા हरिभद्र દ્વારા પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ કેવળ હરિભદ્રાચાર્યની કૃતિ નથી, પરંતુ તેની રચનામાં ઓછામાં ઓછા ત્રણ આચાર્યોનો હાથ છે. તેમાં એક હરિભદ્ર પણ છે. આ હરિભદ્રને વિચાર અહીં પ્રસ્તુત છે. શ્વેતાંબર પરંપરામાં હરિભદ્ર નામના કેટલાય આચાર્ય ૧. ત્રણથી વધારે પણ આ વૃત્તિના રચયિતા હોઈ શકે છે. કારણ કે હરિભક, યશેભદ્ર, અને ચશભદ્રનો શિષ્ય એ ત્રણ તે નિશ્ચિત જ છે; પરંતુ નવમ અધ્યાયના અંતની પુષ્પિકાના આધારથી અન્યની પણ કલ્પના થઈ શકે છે-- “તશ્રી સ્વાર્થી हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकतृकायां નવનોડીયઃ સમાતઃ”| Page #81 -------------------------------------------------------------------------- ________________ ५६ થઈ ગયા છે, તેમાંથી યાકિનીસૂનુ રૂપે પ્રસિદ્ધ, સેંકડે ગ્રંથના રચયિતા આ હરિભદ્ર જ આનાની વૃત્તિના રચયિતા માનવામાં આવે છે. પરંતુ આ વિષે કોઈ અસંદિગ્ધ પ્રમાણ અત્યારે અમારી સમક્ષ છે નહિ. મુની શ્રી અંબૂવિજયજીએ હરિભદ્રીય વૃત્તિ અને સિદ્ધસેનીય વૃત્તિ એ બન્નેની તુલના કરી છે અને બતાવ્યું છે કે હરિભદ્ર સિદ્ધસેનીય વૃત્તિનું અવલંબન લીધું છે. જે આ વાત બરાબર હોય તે કહેવું જોઈએ કે સિદ્ધસેનીય વૃત્તિ પછી જ હરિભદુની વૃત્તિ રચાઈ છે. દેવગુતે ભાષ્યની સંબંધ કારિકાની જ વૃત્તિ રચી છે. દેવગુપ્ત નામના અનેક આચાર્યો થયા છે તેથી તેમના ગુરુના નામના અભાવમાં આ દેવગુપ્ત કયા તે જાણી શકાય તેમ નથી. ઉક્ત હરિભદ્ર સાડાપાંચ અધ્યાયની વૃત્તિ રચી. ત્યાર પછી તત્ત્વાર્થભાષ્યના આખા ભાગ ઉપર જે વૃત્તિ છે, તેની રચના બે વ્યક્તિઓ દ્વારા થયેલી તે ચેકસ વગુણ, યમ જણાય છે. તેમાંથી એક યશોભદ્ર નામના તથા મદ્રના આચાર્ય છે. બીજા તેમના શિષ્ય છે, સિષ્ય જેમના નામને કઈ પત્તો નથી. યશોભદ્રના તે અજ્ઞાતનામક શિષ્ય દશમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે. તેની પહેલાંના હરિભદ્ર બાકી રહેવા દીધેલા બધા ભાષ્યભાગ ઉપર ૧. જુઓ મુનિ કલ્યાણવિજ્યજી લિખિત “ધર્મસંગ્રહણ”ની પ્રસ્તાવના પૃ૦ ૨ થી. ૨. આત્માનંદ પ્રકાશ, વર્ષ ૪૫, અંક ૧૦, પૃ. ૧૯૩. Page #82 -------------------------------------------------------------------------- ________________ થશેભદ્રની વૃત્તિ છે. આ વાત તે યશોભદ્રસૂરીના શિષ્યનાં વચનોથી જ સ્પષ્ટ છે. ૧ શ્વેતાંબર પરંપરામાં યશોભદ્ર નામના અનેક આચાર્ય તથા ગ્રંથકાર થયા છે. તેમાંથી પ્રસ્તુત યશોભદ્ર કેણ છે, તે અજ્ઞાત છે. પ્રસ્તુત યશોભદ્ર ભાષ્યની અધૂરી વૃત્તિના રચયિતા હરિભદ્રના શિષ્ય હતા, તેવું નિર્ણાયક પ્રમાણ નથી. તેની વિરુદ્ધ એટલું તે કહી શકાય છે કે, જે પ્રસ્તુત થશેભદ્ર તે હરિભદ્રના શિષ્ય હત, તે યશભદ્રને શિષ્ય કે જેણે વૃત્તિની સમાપ્તિ કરી છે, તથા જેણે હરિભદ્રની અધૂરી વૃત્તિને પિતાના ગુરુ યશોભદ્ર પૂરી કરી એવું લખ્યું છે, તે પિતાના ગુરુના નામની સાથે હરિભદ્રશિષ્ય” વગેરે કેઈ વિશેષણ લગાવ્યા વિના ભાગ્યે જ રહેત. અસ્તુ ગમે તે હે; પરંતુ એટલું તે હજી વિચારવાનું રહે છે કે, તે યશોભદ્ર ક્યારે થયા, તથા તેમની બીજી કૃતિઓ છે કે નહિ? વળી તે યશભટ્ટે આખરી એક માત્ર સૂત્રની વૃત્તિ કેમ રચી ન શક્યા ? તથા તે તેમના શિષ્યને કેમ રચવી પડી ? તુલના કરવાથી જણાય છે કે, યશોભદ્ર તથા તેમના શિષ્યની ભાષ્યવૃતિ ગંધહસ્તીની વૃત્તિના આધારે લખવામાં આવી છે. હરિભદ્રના ષોડશક પ્રકરણ ઉપર વૃત્તિ લખનારા એક યશોભદ્રસૂરિ થયા છે, તે જ પ્રસ્તુત યશોભદ્ર છે કે બીજા, એ પણ એક વિચારણી પ્રશ્ન છે. મળી આવતાં વિસ્તૃત ૧. જુઓ આ પરિચય, પા. ૫૨.. ૨. જુઓ “નૈન સાહિત્યને સંક્ષિપ્ત તિહાર' પરિશિષ્ટમાં ચશભદ્ર.” Page #83 -------------------------------------------------------------------------- ________________ ५८ દાર્શનિકવાદ નાની વૃત્તિમાં નથી; અથવા કવાંક છે, તે બિલકુલ સંક્ષિપ્ત છે. અધિક ધ્યાન દેવા ગ્ય વાત તો એ છે કે, “કાવ્યચધ્રૌવ્યયુ હતુ” એ સૂત્રનું ભાષ્ય બંને વૃત્તિઓમાં એક નથી, તથા કઈ એકમાં બીજી વૃત્તિએ સ્વીકારેલે ભાષ્યપાઠ નિર્દિષ્ટ પણ થયું નથી. મલયગિરિએ લખેલી તસ્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યા નથી મળતી. તેઓ વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા વિદ્યુત શ્વેતાંબર વિદ્વાનોમાંનું એક છે. મરિન તેઓ આ હેમચંદ્રના સમકાલીન અને સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે જાણીતા છે. તેમની કેડીબંધ મહત્ત્વપૂર્ણ કૃતિઓર ઉપલબ્ધ છે. ચિરંતનમુનિ એક અજ્ઞાત નામના શ્વેતાંબર સાધુ છે. તેમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ ટિપ્પણ લખ્યું છે. તેઓ વિક્રમની ચાદમી સદી પછી ક્યારેક થયેલા છે; ચિરંતનમુનિ કારણ કે તેમણે અહ ૫, સૂ૦ ૩૧ ના ટિપ્પણમાં વૈદમાં સૈકામાં થયેલ મલ્લેિષણની સ્યાદ્વાદમંજરી'નો ઉલ્લેખ કર્યો છે. વાચક યશોવિજયે ભાષ્ય ઉપર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે ભાગ મળે છે. તેઓ કહેતાંબર સંપ્રદાયમાં જ ૧. મલયગિરિએ તત્વાર્થટીકા લખી હતી એવી માન્યતા, તેમની પ્રજ્ઞાપનાવૃત્તિમાં મળતા “સાપ્તારિત્વ તસ્વાર્થી વાત છે પ્રસાધિતમિતિ તતડવધારીચન” (પદ ૧૫ પૃ૦ ૨૯૮) – આ અને આના જેવા બીજા ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે. ૨. જુઓ “ધમ સંગ્રહની પ્રસ્તાવના પૃ૦ ૩૧. Page #84 -------------------------------------------------------------------------- ________________ નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં વાવ વિનય છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન ' તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જૈન શ્રુતને તર્કબદ્ધ કર્યું છે, અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર અનેક પ્રકરણે લખી, જૈન તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસનો માર્ગ તૈયાર કર્યો છે. ગણી યશોવિજ્ય ઉપરના વાચક યશોવિજયજીથી જુદા છે. એ ક્યારે થયા તે માલુમ નથી, એમના વિષે બીજી પણ ઐતિહાસિક માહિતી અત્યારે કાંઈ નથી. ગળી યશોવિનય એમની કૃતિ તરીકે અત્યારે ફક્ત તત્ત્વાર્થ સૂત્ર ઉપરને ગુજરાતી ટબ પ્રાપ્ત છે; આ ઉપરાંત એમણે બીજું કાંઈ રચ્યું હશે કે નહિ તે જ્ઞાત નથી. ટબાની ભાષા અને શૈલી જોતાં તેઓ ૧૭–૧૮ મા સૈકામાં થયા હોય એમ લાગે છે. એમની નેંધવા જેવી વિશેષતા બે છેઃ ૧. જેમ વાચક યશવિજયજી વગેરે શ્વેતાંબર વિદ્વાનોએ “અષ્ટસહસ્ત્રી જેવા દિગંબરીય ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે, તેમ એ ગણું યશોવિજયજીએ પણ તત્વાર્થના દિગંબરીય સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લઈ તેના ઉપર માત્ર સૂત્રના અર્થ પૂરત બે લખે છે અને બે લખતાં તેમણે જ્યાં જ્યાં શ્વેતાંબર અને દિગંબરને મતભેદ કે મતવિરોધ આવે છે, ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રને અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગંબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે. ૧. જુઓ જન તકભાષા), પ્રસ્તાવના–સીધી સીરીઝ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨. આજ સુધીમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર ગુજરાતીમાં બે લખનાર પ્રસ્તુત યશોવિજય ગણું જ પહેલા આવે છે; કારણ કે તેમના સિવાય તત્ત્વાર્થસૂત્ર ઉપર કોઈનું ગુજરાતીમાં કાંઈ લખેલ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. ગણી યશોવિજયજી શ્વેતાંબર છે એ વાત તે નકકી છે, કારણકે ટબાના અંતમાં એ ઉલ્લેખ છે અને બીજું સબલ પ્રમાણ તે તેમનો ટબ જ છે. સૂત્રનો પાઠભેદ અને સૂત્રોની સંખ્યા દિગંબરીય સ્વીકાર્યા હતાં તેનો અર્થ કોઈ પણ જગ્યાએ તેમણે દિગંબર પરંપરાને અનુકૂળ કર્યો નથી. અલબત્ત અહીં એક સવાલ થાય છે અને તે એ કે, યશોવિજયજી શ્વેતાંબર હોવા છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ કેમ લીધે હશે? શું તેઓ વેતાંબરીય સૂત્રપાઠથી પરિચિત નહિ જ હોય? કે પરિચિત હોવા છતાં તેમને દિગંબરીય સૂત્રપાઠમાં જ તાંબરીય સૂત્રપાઠ કરતાં વધારે મહત્ત્વ દેખાયું હશે ? આને ઉત્તર એ જ વ્યાજબી લાગે છે કે, તેઓ તાંબર સૂત્રપાઠથી પરિ. ચિત તો અવશ્ય હશે જ અને તેમની દષ્ટિમાં તે જ પાઠનું १. “इति श्वेतांबराचार्यश्रीउमास्वामिगण(णि)कृतत त्वार्थसूत्रं તર વીણાવવો: શ્રીયશોવિનયત: સમ” પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના શાસ્ત્રસંગ્રહમાંની લિખિત ટબાની પોથી. ૨. આ સ્વીકારમાં અપવાદ પણ છે જે બહુ જ શેડે છે. દાખલા તરીકે અ૦ ૪નું ૧૯ મું સૂત્ર એમણે દિગંબરીય સૂત્રપાઠમાંથી નથી લીધું. દિગંબરે સેળ સ્વર્ગ માનતા હેવાથી તેમનો પાઠ લેવામાં તાંબરીયતા રહી શકે નહિ, એટલે એમણે એ સ્થળે શ્વેતાંબરીય સૂત્રપાઠમાંથી જ બાર સ્વર્ગોનાં નામવાળું સૂત્ર લીધું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ મહત્વ પણ હશે જ કારણ કે તેમ ન હોત તો તેઓ તાંબરીય પરંપરા પ્રમાણે બે રચત જ નહિ; તેમ છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ લીધે તેનું કારણ એવું હોવું જોઈએ કે, જે સૂત્રપાઠને આધારે દિગંબરીય બધા વિદ્વાન હજાર વર્ષ થયાં દિગંબર પરંપરા પ્રમાણે જ વેતાંબર આગમોથી વિરુદ્ધ અર્થ કરતા આવ્યાં છે, તે જ સૂત્રપાઠમાંથી શ્વેતાંબર પરંપરાને બરાબર બંધ બેસે એવો અર્થ કાઢો અને કર તદ્દન શક્ય અને સંગત છે, એવી છાપ દિગબરીય પક્ષ ઉપર પાડવી અને સાથે જ શ્વેતાંબરીય અભ્યાસીઓને જણાવવું કે, દિગંબરીય સૂત્રપાઠ કે તાંબરીય સૂત્રપાઠ ગમે તે લે એ બનેમાં પાઠભેદ હોવા છતાં અર્થ તે એક જ પ્રકારને નીકળે છે, અને તે શ્વેતાંબર પરંપરાને બંધ બેસે તે જ. તેથી દિગંબરીય સૂત્રપાઠથી ભડકવાની કે તેને વિરોધી પક્ષને સૂત્રપાઠ માની ફેંકી દેવાની કશી એ જરૂર નથી. તમે ઇચ્છો તે ભાષ્યમાન્ય સૂત્રપાઠ શીખો અગર સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ યાદ કરો. તત્ત્વ બન્નેમાં એક જ છે. આ રીતે એક બાજુ દિગંબરીય વિદ્વાનોને તેમના સૂત્રપાઠમાંથી સીધી રીતે સાચો અર્થ શું નીકળી શકે છે તે જણાવવાના, અને બીજી બાજુ શ્વેતાંબરીય અભ્યાસીઓ પક્ષભેદને કારણે દિગંબરીય સૂત્રપાઠથી ન ભડકે તેમ સમજાવવાના ઉદ્દેશથી જ, એ યશોવિજયજીએ તાંબરીય સૂત્રપાઠ છોડી દિગંબરીય સૂત્રપાઠ ઉપર ટ ર હેય તેમ લાગે છે. પૂજ્યપાદનું અસલી નામ દેવનંદી છે, એ વિક્રમના પાંચમાં છઠ્ઠા સૈકામાં થયેલા છે. એમણે વ્યાકરણ આદિ અનેક વિષયો ૧, જુઓ, “સર્વાર્થસિદ્ધિ ૨, ૩, ૯,૧૧; તથા ૧૦,૯. Page #87 -------------------------------------------------------------------------- ________________ ६२ ઉપર ગ્રંથ લખ્યા છે, જેમાંના કેટલાક पूज्यपाद ઉપલબ્ધ છે. દિગમ્બર વ્યાખ્યાકારામાં પૂજ્યપાદ પહેલાં ફક્ત શિવોટી૨જ થવાનું સૂચન મળે છે. તેમની જ દિગ ંબરીયત્વ સમક સર્વાસિદ્ધિ નામની તત્ત્વા - વ્યાખ્યા પછીના બધા દિગંબરીય વિદ્વાનોને આધારભૂત થઈ છે. ભટ્ટ અકલક વિક્રમના આઠમા-નવમા સૈકાના વિદ્વાન છે. ‘સર્વા સિદ્ધિ’ પછી તત્ત્વાર્થી ઉપર એમની જ વ્યાખ્યા મળે છે, જે રાજવાર્તિક’ના નામથી જાણીતી છે. જૈન ન્યાયપ્રસ્થાપક વિશિષ્ટ ગણ્યાગાંથા વિદ્વાનેામાંના એ એક છે. भट्ट अकलंक તેમની કેટલીક કૃતિ ઉપલબ્ધ છે, જે દરેક જૈન ન્યાયના અભ્યાસી માટે મહત્ત્વની છે. વિદ્યાનંદનું બીજું નામ ‘પાત્રકેસરી' જાણીતુ છે. પરંતુ પાત્રકેસરી વિદ્યાનથી જુદા હતા, એ વિચાર હાલમાં જ ૫૦ જુગલકિશારજીએ પ્રસ્તુત કર્યાં છે. विद्यानंद તેના સ્પષ્ટીકરણ માટે તેમના ‘ અનેકાન્ત' માસિકપત્રનું પ્રથમ વ તું બીજું કિરણ જોવુ ૧. જીએ, ‘જૈનસાહિત્યસંશોધક,' પ્રથમ પુસ્તક પૃ૦ ૮૩, ૨. શિવકાટિકૃત તત્ત્વા વ્યાખ્યા કે તેને ઉતારા વગેરે આજે ઉપલબ્ધ નથી. તેમણે તત્ત્વાર્થ॰ ઉપર કાંઈક લખ્યું હતુ. એવુ. સૂચન કેટલાક અ†ચીન શિલાલેખામાંની પ્રશસ્તિ ઉપરથી થાય છે શિવકાર્ટિ સમતભદ્રના શિષ્ય હાવાની માન્યતા છે, જીઆ, ‘સ્વામી સમતભદ્ર’ પૃ૦ ૯૬. ૩. જીએ, 'ન્યાયકુમુદચંદ્ર'ની પ્રસ્તાવના. Page #88 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. તેઓ વિક્રમના નવમા દશમા સૈકામાં થયેલા છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે. તેઓ ભારતીય દર્શનેના વિશિષ્ટ અભ્યાસી છે અને તેમણે તત્ત્વાર્થ ઉપર શ્લેકવાર્તિક નામની પદબંધ મોટી વ્યાખ્યા લખીને કુમારિલ જેવા પ્રસિદ્ધ મીમાંસક ગ્રંથકારેની હરીફાઈ કરી છે અને જેનદર્શન ઉપર થયેલ મીમાંસકેના પ્રચંડ આક્રમણને સબળ ઉત્તર આપે છે. મૃતસાગર નામના બે દિગંબર પંડિતએ તત્વાર્થ ઉપર શ્રુતસTR બે જુદી જુદી ટીકા રચી છે. વિબુધસેન વગેરે બધા દિગંબર વિદ્વાને છે અને એમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ વ્યાખ્યાઓ લખી છે. એને વિષે ખાસ માહિતી નથી મળી. આટલા સંસ્કૃત વિવધન, ચોવીન્દ્ર વ્યાખ્યાકારો ઉપરાંત તત્ત્વાર્થ ઉપર ભાષામાં ફેવ, યોવ, ટીકા લખનાર અનેક દિગંબર વિદ્વાને સ્ત્રીવ, એને થયા છે, જેમાંના અનેક તો કર્ણાટક અમરિરિ માર ભાષામાં પણ ટીકા લખી છે, અને બીજાઓએ હિંદી ભાષામાં ટીકા લખી છે. ૩. મૂળ તત્વાર્થસૂત્ર તત્વાર્થશાસ્ત્રની બાહ્ય તથા આત્યંતર સવિશેષ માહિતી મેળવવા માટે પહેલાં મૂળગ્રંથને અવલંબી નીચે લખેલી ચાર બાબતે ઉપર વિચાર કરવામાં આવે છેઃ ૧. પ્રેરક સામગ્રી, ૨. રચનાને ઉદ્દેશ, ૩. રચનાશૈલી, અને ૪. વિષયવર્ણન. ૧. જુઓ, “અષ્ટસહસ્ત્રી ” અને “તત્વાર્થપ્લેકવારિકના પ્રસ્તાવના ૨. આ માટે જુઓ બતાવાર્થભાષ્ય' હિંદી અનુવાદની પ્રસ્તાવના પં. શ્રીનાથુરામજી પ્રેમીલિખિત. Page #89 -------------------------------------------------------------------------- ________________ જે સામગ્રીએ કર્તાને તત્ત્વાર્થ લખવા પ્રેર્યા, તે ઘર સામગ્રી મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. ૧. આગમ જ્ઞાનને વારસોઃ વૈદિક દર્શનેમાં વેદની જેમ જૈન દર્શનમાં આગમ ગ્રંથે જ મુખ્ય પ્રમાણ મનાય છે; બીજા ગ્રંથનું પ્રામાણ્ય આગમને અનુસરવામાં છે. એ આગમ જ્ઞાનનો પરાપૂર્વથી ચાલ્યો આવતે વારસો વાચક ઉમાસ્વાતિને બરાબર મળ્યો હતો, તેથી આગમિક બધા વિષયોનું તેમનું જ્ઞાન સ્પષ્ટ તથા વ્યવસ્થિત હતું. ૨. સંસ્કૃતભાષાઃ કાશી, મગધ, બિહાર આદિ પ્રદેશમાં રહેવા અને વિચારવાને લીધે અને કદાચિત બ્રાહ્મણત્વ જાતિને લીધે પિતાના સમયમાં પ્રધાનતા ભોગવતી સંસ્કૃત ભાષાને ઊડે અભ્યાસ વાચક ઉમાસ્વાતિએ કર્યો હતો. જ્ઞાન મેળવવાનું પ્રાકૃતભાષા ઉપરાંત સંસ્કૃત ભાષાનું દ્વાર બરાબર ઊઘડવાથી સંસ્કૃત ભાષામાં રચાયેલ વૈદિક દર્શન સાહિત્ય અને બૌદ્ધ દર્શન સાહિત્ય જાણવાની તેમને તક મળી, અને એ તકનો યથાર્થ ઉપયોગ કરી તેમણે પોતાના જ્ઞાનભંડળને ખૂબ સમૃદ્ધ કર્યું. ૩. દર્શનાન્તરનો પ્રભાવ: સંસ્કૃત ભાષા દ્વારા તેમણે જે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પ્રવેશ કર્યો, તથા તેને લીધે જે નવનવી તત્કાલીન રચનાઓ જોઈને તેમાંથી વસ્તુઓ અને વિચારસરણીઓ જાણું, તે બધાનો તેમના ઉપર ઊંડે પ્રભાવ પડ્યો. અને એ જ પ્રભાવે તેમને જૈન સાહિત્યમાં પહેલાં સ્થાન નહિ પામેલી એવી ટૂંકી દાર્શનિક સૂત્રશૈલીમાં અને સંસ્કૃત ભાષામાં ગ્રંથ લખવા પ્રેર્યા. ૪. પ્રતિભાઃ ઉક્ત ત્રણે હેતુઓ હોવા છતાંય જો તેમનામાં પ્રતિભા ન હતા, તે તત્વાર્થને આ સ્વરૂપમાં કદી Page #90 -------------------------------------------------------------------------- ________________ જન્મ જ ન થાત. તેથી ઉક્ત ત્રણે હેતુઓ સાથે પ્રેરક સામગ્રીમાં તેમની પ્રતિભાને સ્થાન આપ્યા વિના ન જ ચાલે. કઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પિતાના વિષયનું શાસ્ત્ર રચે છે, ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે મોક્ષને જ મૂકે છે, પછી ભલે રચના ઉદ્દેશ તે વિષય અર્થ, કામ, તિષ કે વૈદ્યક જે આધિભૌતિક દેખાતે હોય, કે તત્ત્વજ્ઞાન અને યોગ જે આધ્યાત્મિક દેખાતો હોય. બધાં જ મુખ્ય મુખ્ય વિષયનાં શાસ્ત્રના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાને, અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાર્થી મિક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું. વૈશેષિક દર્શનના પ્રણેતા “કણાદ' પિતાની પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં તે વિદ્યાના નિરૂપણને મોક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રવર્તે છે.૧ ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણપદ્ધતિના જ્ઞાનને મોક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઊતરે છે. સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મેક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મોક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. યોગ દર્શનમાં યોગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું ૧. ૧, ૧, ૪, કણદસૂત્ર. ૨. ૧, ૧, ૧, ન્યાયસૂત્ર. ૩. જુઓ ઈશ્વરકૃષ્ણકૃત “સખ્ય કારિ', કાત્ર ૨. ત. ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ६६ વર્ણન એ માત્ર મેાક્ષના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાગી એનાં શાસ્ત્ર કે જેમાં જીવ, જગત અને ઈશ્વર આદિ વિષયાનું વર્ણન છે, તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મેક્ષિ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદના અગર ચાર આ સત્યામાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણને ઉદ્દેશ પણ મેાક્ષ વિના બીજો કરો જ નથી. જૈન દર્શનનાં શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલ ને રચાયેલાં છે. વાચક ઉમાસ્વાતિએ પણ અતિમ ઉદ્દેશ માક્ષના જ રાખી, તેની પ્રાપ્તિના ઉપાયો સિદ્ધ કરવા માટે પોતે વર્ણવવા ધારેલ બધી વસ્તુઓનું વર્ણન તત્ત્વા માં કરેલું છે. ૧, વાચક ઉમાસ્વાતિની તત્ત્વાર્થઃ રચવાની કલ્પના ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનને આભારી હોય એમ લાગે છે. એ અધ્યયનનું નામ મેાક્ષમાગ છે. એ અધ્યયનમાં મેાક્ષના માગે સૂચવી તેના વિષય તરીકે જૈન તત્ત્વજ્ઞાનનું તદ્દન ટૂંકમાં નિરૂપણ કરેલુ છે. એ જ વસ્તુને વા॰ ઉમાસ્વાતિએ વિસ્તારી તેમાં સમગ્ર આગમનાં તત્ત્વા ગઢવી દીધાં છે. તેમણે પેાતાના સૂત્રગ્રંથની શરૂઆત પણ મેક્ષમા પ્રતિપાદક સૂત્રથી જ કરી છે. રિંગ ભર સપ્રદાયમાં તે તત્ત્વાર્થ સૂત્ર ‘મેાક્ષરાાસ્ત્ર’ના નામથી અતિ જાણીતું છે. બૌદ્ધ પર પરામાં ‘વિશુદ્ધિમાગ’ અતિ મહત્ત્વના ગ્રંથ પ્રસિ છે; તે બુદ્ધાય દ્વારા પાંચમા સૈકાની આસપાસ પાલિમાં રચાયા છે, અને તેમાં સમગ્ર પાલિષિટકાના સાર છે. તેના પૂર્વ વતી વિમુક્તિ માગ” નામના ગ્રંથ પણ ખૌદ્ધપરંપરામાં હતા; તેના અનુવાદ ચીની ભાષામાં મળે છે. વિશુદ્ધિમાગ તથા વિમુક્તિમાગ એ મને શબ્દોને અથ ‘માક્ષમાગ” જ છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ ६७ પહેલેથી જ જૈન આગમોની રચનાશૈલી ઔદ્ધ પિટકો જેવી લાંબા વર્ણનાત્મક સૂત્રરૂપે ચાલી આવતી, અને તે પ્રાકૃત ભાષામાં હતી, બીજી બાજુ બ્રાહ્મણ વિદ્વાનેरचनाशैली એ સંસ્કૃતભાષામાં શરૂ કરેલી ટૂંકાં ટૂં...કાં સૂત્રેા રચવાની શૈલી ધીરે ધીરે બહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક ઉમાસ્વાતિને આકર્ષ્યા અને તેમાં જ લખવા પ્રેર્યા. આપણે જાણીએ છીએ ત્યાં સુધી જૈન સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ફૂં કાં ટૂંકાં સૂત્રેા રચનાર તરીકે સૌથી પહેલા ઉમાસ્વાતિ જ છે. તેમના પછી જ એવી સૂત્રશૈલી જૈન પર પરામાં બહુ જ પ્રતિતિ થઈ અને વ્યાકરણ, અલ’કાર, આચાર, નીતિ, ન્યાય આદિ અનેક વિષયો ઉપર શ્વેતાંબર, દિગબર અને સોંપ્રદાયના વિદ્યાનેાએ તે શૈલીમાં સંસ્કૃતભાષાબહ ગ્રંથો લખ્યા. ઉમાસ્વાતિનાં તત્ત્વાર્થસૂત્રો કણાદનાં વૈશેષિક સૂત્રોની પેઠે દશ અધ્યાયમાં વહેચાયેલાં છે. એમની સંખ્યા ફક્ત ૩૪૪ જેટલી છે, જ્યારે કણાદનાં સૂત્રોની સંખ્યા ૩૩૩ જેટલી જ છે. એ અધ્યાયામાં વૈશેષિક આદિ સૂત્રોની પેઠે આહ્રિક-વિભાગ અગર તે બ્રહ્મસૂત્ર આદિની માફક પાદ-વિભાગ નથી. જૈન સાહિત્યમાં અધ્યયન’તે સ્થાને ‘અધ્યાય’તે આરંભ કરનાર પણ ઉમાસ્વાતિ જ છે, તેમણે શરૂ નહિ કરેલા આહ્નિક અને પાદ વિભાગ પણ આગળ જતાં તેમના અનુગામી અકલંક આદિએ પોતપોતાના ગ્રંથમાં શરૂ કરી લીધા છે. બાહ્ય રચનામાં કણાદ અને યોગસૂત્ર સાથે તત્ત્વાર્થસૂત્રનું વિશેષ સામ્ય હોવા છતાં તેમાં એક ખાસ જાણવા જેવા ફેર છે, જે જૈન દનના પર પરાગત માનસ પર પ્રકાશ પાડે છે. કણાદ પેાતાનાં Page #93 -------------------------------------------------------------------------- ________________ મંતવ્યો સૂત્રમાં રજૂ કરી, તેમને સાબિત કરવા અક્ષપાદ ગીતમની પેઠે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ નથી કરતા, છતાં તેની પુષ્ટિમાં હેતુઓનો ઉપન્યાસ તો બહુધા કરે જ છે; જ્યારે વાચક ઉમાસ્વાતિ પોતાના એક પણ સિદ્ધાંતની સાબિતી માટે ક્યાંય યુક્તિ-પ્રયુક્તિ કે હેતુ મૂકતા જ નથી. તેઓ પોતાના વક્તવ્યને સ્થાપિત સિદ્ધાંત રૂપે જ કોઈ પણ દલીલ કે હેતુ આપ્યા વિના, અગર પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કર્યા સિવાય જ, યોગસૂત્રકાર પતંજલિની પેઠે વર્ણવ્યે જ જાય છે. ઉમાસ્વાતિનાં સૂત્રો અને વૈદિક દર્શનેનાં સૂત્રો સરખાવતાં એક છાપ મન ઉપર પડે છે, અને તે એ કે, જૈન પરંપરા શ્રદ્ધાપ્રધાન છે; તે પોતે સર્વજ્ઞના વક્તવ્યને અક્ષરશઃ સ્વીકારી લે છે અને તેમાં શંકા, સમાધાનને અવકાશ જોતી જ નથી; જેને પરિણામે સુધારા વધારો અને વિકાસ કરવા જેવા અનેક બુદ્ધિના વિષયે તર્કવાદના જમાનામાં પણ અણખેડાયેલા રહી માત્ર શ્રદ્ધાના પાયા ઉપર આજ સુધી ટકી રહ્યા છે. પરંતુ વૈદિક દર્શનપરંપરા ૧. સિદ્ધસેન, સમંતભદ્ર આદિ જેવા અનેક ધુરંધર તાર્કિ– કોએ કરેલ તર્ક વિકાસ અને તાકિકચર્ચા ભારતીય વિચારવિકાસમાં ખાસ સ્થાન ભેગવે છે એ વાતને ઇનકાર થઈ શકે તેમ નથી. છતાં પ્રસ્તુત કથન ગૌણપ્રધાનભાવ અને દૃષ્ટિભેદની અપેક્ષાએ જ સમજવાનું છે. એને એકાદ દાખલાથી સમજવું હોય તો તત્વાર્થસૂત્રો અને ઉપનિષદ આદિ લઈએ. તસ્વાર્થને વ્યાખ્યાકારે ધુરંધર તાકિ હોવા છતાં અને સંપ્રદાયભેદમાં વહેચાયા છતાં જે ચર્ચા કરે છે અને તર્કબળ વાપરે છે, તે બધું પ્રથમથી સ્થાપિત જેનસિદ્ધાંતને સ્પષ્ટ કરવા અગર તે તેનું સમર્થન કરવા પૂરતું છે. એમાંથી કોઈ વ્યાખ્યાકારે નવું વિચારસર્જન કર્યું નથી, કે તાં Page #94 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રધાન હોઈ, પોતે માનેલ સિદ્ધાંતોની પરીક્ષા કરે છેતેમાં શંકા-સમાધાનવાળી ચર્ચા કરે છે, અને ઘણું વાર તો પ્રથમથી મનાતા આવેલા સિદ્ધાંતોને તર્કવાદના બળે ઉથલાવી નાખી નવા સિદ્ધાંત સ્થાપે છે, અગર તો તેમાં સુધારા-વધારે કરે છે. સારાંશ એ છે કે વારસામાં મળેલ તત્ત્વજ્ઞાન અને આચારને સાચવવામાં જેટલું ફાળો જૈન પરંપરાએ આપ્યો છે, તેટલો નવા સર્જનમાં નથી આપે. વિષયની પસંદગી : કેટલાક દર્શનમાં વિષયનું વર્ણન યમીમાંસાપ્રધાન છે. જેમકે, વૈશેષિક, સાંખ્ય અને વેદાંત દર્શન. વૈશેષિક દર્શન પિતાની દૃષ્ટિએ विषयवर्णन જગતનું નિરૂપણ કરતાં, તેમાં મૂળ દ્રવ્ય કેટલાં છે? કેવા છે? અને તેને લગતા બીજા પદાર્થો કેટલા અને કેવા છે વગેરે વર્ણવી, મુખ્યપણે જગતનાં પ્રમેયની જ મીસાંસા કરે છે. સાંખ્ય દર્શન પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કરી, પ્રધાનપણે જગતનાં મૂળભૂત પ્રમેય તત્તવોની જ મીસાંસા કરે છે. એ જ રીતે વેદાંત દર્શન પણ જગતના મૂળભૂત બ્રહ્મતત્ત્વની જ મસાંસા પ્રધાનપણે કરે છે. બર-દિગંબરની તાત્વિક માન્યતામાં કશો જ ફેર પડ્યો નથી. જ્યારે, ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રના વ્યાખ્યાકારે તકબળથી એટલે સુધી સ્વતંત્ર ચર્ચા કરે છે કે, તેમની વચ્ચે તાત્ત્વિક માન્યતામાં પૂર્વ પશ્ચિમ જેટલું અંતર ઊભું થયું છે. આમાં ક ગુણ અને કયો દેષ એ વ્યક્તવ્ય નથી. વક્તવ્ય ફક્ત વસ્તુસ્થિતિ પૂરતું છે. ગુણ અને દેષ સાપેક્ષ હેઈ, બને પરંપરામાં હોઈ અગર ન હેઈ શકે. Page #95 -------------------------------------------------------------------------- ________________ વળી કેટલાંક દર્શનમાં ચારિત્રની મીમાંસા મુખ્ય છે. જેમકે ગ અને બૌદ્ધ દર્શનમાં જીવનની શુદ્ધિ એટલે શું ? તે કેમ સાધવી ? તેમાં શું શું બાધક છે? વગેરે જીવનને લગતા પ્રશ્નોને નિકાલ યોગદર્શન હેય-દુઃખ, હે હેતુ–દુખનું કારણ, હાન–મોક્ષ, અને હા પાય-મોક્ષનું કારણ એ ચતુર્વ્યૂહનું નિરૂપણ કરીને, અને બૌદ્ધ દર્શને ચાર આર્યસત્યનું નિરૂપણ કરીને કર્યો છે; એટલે કે પ્રથમ દર્શનવિભાગને વિષય યતત્વ છે અને બીજા દર્શનવિભાગને વિષય ચારિત્ર છે. ભગવાન મહાવીરે પોતાની મીમાંસામાં ગેયતત્ત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપ્યું છે, તેથી જ તેમની તવમીમાંસા એક બાજુ જીવ–અજીવના નિરૂપણ દ્વારા જગતનું સ્વરૂપે વર્ણવે છે, અને બીજી બાજુ આસ્ત્રવ, સંવર આદિ તને વર્ણવી ચારિત્રનું સ્વરૂપ દર્શાવે છે. એમની તત્ત્વમીમાંસા એટલે ય અને ચારિત્રને સમાનપણે વિચાર. એ મીમાંસામાં ભગવાને નવ તો મૂકી, એ તો ઉપરની અડગ શ્રદ્ધાને જૈનત્વની પ્રાથમિક શરત તરીકે કહી છે. ત્યાગી કે ગૃહસ્થ કેઈ ને પણ મહાવીરના માર્ગને અનુગામી તે જ માની શકાય, કે જે તેણે એ નવ તત્ત્વનું જ્ઞાન ભલે ન મેળવ્યું હોય તે પણ ઓછામાં ઓછું એના ઉપર શ્રદ્ધા તે કેળવી જ હોય; અર્થાત “જિનકથિત એ તો જ સત્ય છે' એવી ખાતરી બરાબર કરી હોય. આ કારણથી જૈન દર્શનમાં નવ તત્ત્વના જેટલું બીજા કશાનું મહત્ત્વ નથી. આવી વસ્તુસ્થિતિને લીધે જ વાચક ઉમાસ્વાતિએ પિતાના પ્રસ્તુત શાસ્ત્રના વિષય તરીકે એ નવ તર પસંદ કર્યા, અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સૂત્રોને વિષયાનુરૂપ “તત્ત્વાર્થાધિગમ એવું નામ આપ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ વાચક ઉમાસ્વાતિએ નવ તત્ત્વની મીમાંસામાં રેયપ્રધાન અને ચારિત્રપ્રધાન બંને દર્શનેને સમન્વય જે છતાં તેમને તેમાં પિતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ એથી એમણે પિતાના ગ્રંથને પોતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્ત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણાવવાની પિતાના જ સૂત્રોમાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ કહેવું જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પિતાના સૂત્રનાં વિષય તરીકે જ્ઞાન, ય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દષ્ટિ અનુસાર લીધેલી છે. વિષયને વિભાગ : પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પિતાની દશાધ્યાયીમાં આ પ્રમાણે વહેંચી નાખે છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં યની, અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની મીમાંસા કરી છે. ઉક્ત ત્રણે મીમાંસાના અનુક્રમે મુખ્ય મુદ્દાઓ આપી, તે દરેકની બીજા દર્શને સાથે ટૂંકમાં સરખામણી અહીં કરવામાં આવે છે. જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતો: પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબત આઠ છેઃ ૧. નન્ય અને પ્રમાણરૂપે જ્ઞાનનો વિભાગ, ૨. મતિ આદિ આગમપ્રસિદ્ધ પાંચ જ્ઞાન અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમને ભેદપ્રભેદ અને તેમની ઉત્પત્તિનો ક્રમ સૂચવતા પ્રકારે, ૪. જૈનપરંપરામાં પ્રમાણ મનતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન Page #97 -------------------------------------------------------------------------- ________________ ७२ ૫. અવિધ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ અને તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચે જ્ઞાનનું તારતમ્ય જણાવતા તેમના વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવયનીયતા, છ. કેટલાં નાના ભ્રમાત્મક પણ હાઈ શકે તે, અને જ્ઞાનની યથાતા તથા અયથાતાનાં કારણેા. ૮. નયના ભેદપ્રભેદો. સરખામણી : જ્ઞાનમીમાંસામાં જ્ઞાનચર્ચા છે, તે ‘પ્રવચનસાર’ના જ્ઞાનાધિકાર જેવી તપુરઃસર અને દાર્શનિકશૈલીની નથી; પણ નંદીસૂત્રની જ્ઞાનચર્ચા જેવી આગમિક શૈલીની હાઈ, જ્ઞાનના બધા ભેદપ્રભેદાનુ તથા તેમના વિષયાનુ માત્ર વર્ણન કરનારી અને જ્ઞાન-અજ્ઞાન વચ્ચેને તફાવત બતાવનારી છે, એમાં જે અવગ્રહ-હા આદિ લૌકિકજ્ઞાનની ઉત્પત્તિના ક્રમ સૂચવવામાં આવ્યા છે, તે ન્યાયશાસ્ત્રમાંર આવતી નિવિકલ્પ-સર્વિકલ્પ જ્ઞાનની અને બૌદ્ધ અભિધમ્મુથસંગહામાં આવતી જ્ઞાનાત્પત્તિની પ્રક્રિયાનું સ્મરણ કરાવે છે. એમાં જે અવધિ આદિત્રણ દિવ્યજ પ્રત્યક્ષ જ્ઞાનાનુ વર્ણન છે, તે વૈદિકપ અને બૌદ્ધના દર્શનના સિદ્ધ, યોગી અને ઈશ્વરના જ્ઞાનનું સ્મરણ કરાવે છે. એના દિવ્ય જ્ઞાનમાં આવતુ મન:પર્યાયનું નિરૂપણુ યોગદર્શન અને બૌદ્ધ દર્શનના ૧. ‘તત્ત્વાર્થ’ ૧, ૧૫-૧૯, ૨. જુએ ‘મુકતાવિલે' કા પર થી આગળ, ૩. ‘અભિધમ્મ’૦ પરિચ્છેદ ૪, પેરેગ્રાફ ૮ થી. ૪. ‘તત્ત્વા’ ૧, ૨૧-૨૬ અને ૩૦, ૫. ‘પ્રશસ્તપાદક લી' પૃ૦ ૧૮૭, ૬. યાગદર્શન, ૩, ૧૯, ૭. ‘અભિધમ્મથસ’ગહેા' પરિ॰ ૯, પ્રેરેગ્રાફ ૨૪ અને નાગાજુનને ‘ધમ સ‘ગ્રહ' પૃ૦ ૪. Page #98 -------------------------------------------------------------------------- ________________ પરિચિત્તજ્ઞાનની યાદ આપે છે. એમાં જે પ્રત્યક્ષ-પરોક્ષરૂપે પ્રમાણનો વિભાગ છે, તે વૈશેષિક અને બૌદ્ધ દર્શનમાં આવતા બે પ્રમાણના, સાંખ્યું અને એગ દર્શનમાં આવતા ૩ ત્રણ પ્રમાણના, ન્યાયદર્શનમાં આવતા ચાર પ્રમાણને અને મીમાંસા દર્શનમાં આવતા છ આદિ પ્રમાણના વિભાગોનો સમન્વય છે. એ જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાનઅજ્ઞાનને વિવેક છે, તે ન્યાયદર્શનના યથાર્થઅયથાર્થ બુદ્ધિના તથા ગદર્શનના પ્રમણ અને વિપર્યયના વિવેક જેવો છે. એમાં જે નયનું સ્પષ્ટ નિરૂપણ છે, તેવું દર્શનાતરમાં ક્યાંય નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, વૈદિક અને બૌદ્ધ દર્શનમાં આવતી પ્રમાણમીમાંસાના સ્થાનમાં જૈનદર્શન શું માને છે, તે બધું વિગતવાર પ્રસ્તુત જ્ઞાનમીમાંસામાં વાચક ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે. યમીમાંસાની સારભૂત બાબત : યમીમાંસામાં જગતનાં મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્તનું વર્ણન છે; તેમાંથી ૧. “તત્વાર્થ” ૧, ૧૨-૧૨, ૨. “પ્રશસ્તપાદકંદલી” પૃ૦ ૨૧૩, ૫૦ ૧૨ અને ‘ચાયબિંદુ ૧, ૨. ગદર્શન, ૧,૭. ૩. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા કા ૪; અને ૪. ન્યાયસૂત્ર, ૧, ૨, ૩. ૫. મીમાંસાસૂત્ર ૧, ૫ નું “શાબરભાષ્ય.” ૬. ‘તાવાર્થ' ૧, ૩૩. ૭. “તક સંગ્રહ –બુદ્ધિનિરૂપણ ૮. યોગસૂત્ર ૧, ૬. ૯, “તત્વાર્થ ૧, ૩૪-૩૫. Page #99 -------------------------------------------------------------------------- ________________ માત્ર જીવતત્ત્વની ચર્ચા બીજાથી ચોથા સુધીના ત્રણ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વના સામાન્ય સ્વરૂપ ઉપરાંત સંસારી જીવનના અનેક ભેદપ્રભેદોનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અલેકમાં વસતા નારકે અને મધ્યમ લેકમાં વસતા મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબતો સાથે પાતાળ અને મનુષ્યલકની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવસૃષ્ટિનું વર્ણન હેઈ, તેમાં ખગળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધર્મ-વિધર્મી દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે. યમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતો આવે છે, જે નીચે પ્રમાણે છે: અધ્યાય ૨ : ૧. જીવતત્ત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારે, ૩. ઈદ્રિયના ભેદ-પ્રભેદો, તેમનાં નામો, તેમના વિષયો અને જીવરાશિમાં ઇન્દ્રિયોની વહેંચણી પ. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. ૫. જન્મના અને તેના સ્થાનના પ્રકાર તથા તેમની જાતિવાર વહેંચણી, ૬. શરીરનાં પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામીઓ અને એક સાથે તેમનો સંભવ, ૭. જાતિઓનો લિંગ વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભેગવનારાઓનો નિર્દેશ. અધ્યાય ૩ જે અને ૪ : ૮. અધોલકના વિભાગ, તેમાં વસતા નારક છે અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે ૯. દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ ઠાર મધ્યમ લેકનું Page #100 -------------------------------------------------------------------------- ________________ ७५ ભૌગેાલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિને જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિએ, તેમને પરિવાર, ભેગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જ્યોતિમ`ડળ દ્વારા ખગોળનું વર્ણન. અધ્યાય ૫ મેઃ ૧૧. દ્રવ્યના પ્રકારા, તેમનું પરસ્પર સાધર્યું-વૈધ ; તેમનુ સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદ્ગલનુ સ્વરૂપ, તેના પ્રકારે અને તેની ઉત્પત્તિનાં કારણેા, ૧૩, સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૩. પૌલિક બંધની ચેાગ્યતા અને અયેાગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનુ લક્ષણ, કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દૃષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણા અને પરિણામના પ્રકારો, સરખામણી : ઉક્ત બાબતમાંની ઘણીક બાબતા આગમા અને પ્રકરણ ગ્રંથામાં છે, પણ તે બધી અહીંની જેવી ટૂંકાણમાં સંકલિત અને એક જ સ્થળે ન હોતાં છૂટીવાઈ છે. પ્રવચનસાર'ના નાયાધિકારમાં અને ‘પંચાસ્તિકાય'ના દ્રવ્યાધિકારમાં ઉપર જણાવેલ પાંચમા અધ્યાયને જ વિષય છે, પણ તેનુ નિરૂપણ અહીંનાથી જુદું પડે છે. ‘પ’ચાસ્તિકાય’ અને ‘પ્રવચન સારમાં તર્ક પદ્ધતિ તેમજ લંબાણ છે, જ્યારે ઉક્ત પાંચમા અધ્યાયમાં ક્રૂ તેમજ સીધું વર્ણન માત્ર છે. ઉપર જે ખીજા, ત્રીજા અને ચાથા અધ્યાયના મુદ્દ મૂકવા છે તેવું સળંગ, વ્યવસ્થિત અને સાંગેાપાંગ વર્ણન કઈ પણ બ્રાહ્મણ કે બૌદ્ધ મૂળ દાર્શનિક સુત્રગ્રંથમાં નથી દેખાતુ. બાદરાયણે પોતાના બ્રહ્મસૂત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં ‘હિંઃ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ', ખીજો ભાગ, પૃ૦ ૧૬૨ થી ૧. આગળ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જે વર્ણન આપ્યું છે, તે ઉક્ત બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયની કેટલીક બાબતો સાથે સરખાવવા જેવું છે, કેમકે એમાં પણ મરણ પછીની સ્થિતિ, ઉત્ક્રાંતિ, જુદી જુદી જાતિના છે, જુદા જુદા લોકો અને તેમનાં સ્વરૂપનું વર્ણન છે. ઉક્ત બીજા અધ્યાયમાં જીવનું જે ઉપયોગ લક્ષણ કહેવામાં આવ્યું છે, તે આત્મવાદી બધાં દર્શનેએ સ્વીકારેલા તેના જ્ઞાન કે ચૈતન્ય લક્ષણથી જુદું નથી. વૈશેષિક અને ન્યાયદર્શનના ઈદ્રિયવર્ણન કરતાં ઉક્ત બીજા અધ્યાયનું ઇદ્રિયવર્ણન જુદુ દેખાવા છતાં તેના ઈદ્રિયસંબંધી પ્રકારે, તેમનાં નામે અને તે દરેકને વિષય ન્યાય અને વૈશેષિક દર્શન સાથે લગભગ શબ્દશ: સમાન છે. વૈશેષિક દર્શનમાં જે પાર્થિય, જલીય, તેજસ અને વાયવીય શરીરનું વર્ણન છે. તથા સાંખ્ય દર્શનમાં જે સૂક્ષ્મ લિંગ અને સ્કૂલ શરીરનું વર્ણન છે, તે તત્ત્વાર્થના શરીરવર્ણનથી જુદું દેખાવા છતાં ખરી રીતે એક જ અનુભવની ભિન્ન બાજુઓનું સૂચક છે. તત્ત્વાર્થમાં જે વચ્ચેથી તૂટી શકે અને ન તૂટી શકે એવા આયુષનું વર્ણન છે અને તેની જે ઉપપત્તિ દર્શાવવામાં આવી ૧. ‘તત્ત્વાર્થ” ૨, ૮. ૨. “તવાર્થ', ૨, ૧૫-૨૦ ૩. ‘ન્યાયસૂત્ર' ૧, ૧, ૧૨, અને ૧૪. ૪. જુઓ “તર્કસંગ્રહ, પૃથ્વીથી વાયુ સુધીનું નિરૂપણ. ૫. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા” કાવ, ૪૦ થી ૪૨. ૬. “તત્ત્વાર્થ.” ૨, ૩૭–૪૯. ૭. ‘તસ્વાથ ૨, પર. Page #102 -------------------------------------------------------------------------- ________________ છે, તે યોગસૂત્ર અને તેના ભાષ્ય સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. ઉક્ત ત્રીજા અને ચોથા અધ્યાયમાં દર્શાવેલી ભૂગોળવિદ્યા કઈ પણ દર્શનાન્તરના સૂત્રકારે સ્પર્શ નથી; તેમ છતાં યોગસૂત્ર ૩,૨૬ ના ભાષ્યમાં નરકભૂમિઓનું, તેમનાં આધારભૂત ઘન, સલિલ, વાત, આકાશ આદિ તત્વનું, તેમાં રહેતા નારકોનું મધ્યમ લેકનું; મેરુનું નિષધ, નીલ આદિ પર્વનું, ભરત, ઇલાવૃત્ત આદિ ક્ષેત્રોનું જ બુદ્વીપ, લવણસમુદ્ર આદિ દીપ-સમુદ્રોનું તથા ઊર્ધ્વ લેકને અંગે વિવિધ સ્વર્ગોનું, તેમાં રહેતી દેવ જાતિઓનું, તેમના આયુષનું, તેમના સ્ત્રી, પરિવાર આદિ ભોગોનું અને તેમની રહેણીકરણીનું જે લાંબું વર્ણન છે, તે તત્વાર્થને ત્રીજા, ચોથા અધ્યાયની ઐલોકળપ્રાપ્તિ કરતાં ઓછું લાગે છે. એ જ રીતે બૌદ્ધ ગ્રંથોમાં આવતું દ્વીપ, સમુદ્રો, પાતાળ, શીત-ઉષ્ણ, નારકે, અને વિવિધ દેવેનું વર્ણન પણ તત્ત્વાર્થની શૈલેજ્યપ્રજ્ઞપ્તિ કરતાં ટૂંકું જ છે. તેમ છતાં એ વર્ણનેનું શબ્દસામ્ય અને વિચારસરણીની સમાનતા જોઈ આર્યદર્શનની જુદી જુદી શાખાઓનું એક મૂળ શોધવાની પ્રેરણા થઈ આવે છે. પાંચમે અધ્યાય વસ્તુ, શૈલી અને પરિભાષામાં બીજા કોઈ પણ દર્શન કરતાં વૈશેષિક અને સાંખ્ય દર્શન સાથે વધારે સામ્ય ધરાવે છે. એને પદ્રવ્યવાદ વૈશેષિક દર્શનના ૧. યોગસૂત્ર ૩, ૨૨. વિસ્તાર માટે જુઓ આ “પરિચય', પૃ. ૧૫-૧૬. ૨. ધર્મસંગ્રહ” પૃ૦ ૨૯-૩૧ તથા “અભિધમ્મFસંગહો' પરિચ્છેદ ૫, પેરેગ્રાફ ૩ થી આગળ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ષપદાર્થવાદની યાદ આપે છે. એમાં આવતી સાધમ્યવૈધર્મ્સવાળી શૈલી વૈશેષિક દર્શનની એ શૈલીનું પ્રતિબિંબ હોય તેમ ભાસે છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્યની કલ્પના બીજા કોઈ દર્શનકારે કરી નથી અને જેનદર્શનનું આત્મસ્વરૂપ પણ બીજાં બધાંય દર્શન કરતાં જુદાં જ પ્રકારનું છે. છતાં આત્મવાદ અને પુદ્ગલવાદને લગતી ઘણી બાબતો વૈશેષિક, સાંખ્ય આદિ સાથે વધારે સામ્ય ધરાવે છે. જેનદર્શનની જેમ ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દર્શને પણ આત્મબહુત્વવાદી જ છે. જૈન દર્શનનો પગલવાદ વૈશેષિક દર્શનના પરમાણુવાદ અને સાંખ્ય દર્શનના પ્રકૃતિવાદના સમન્વયનું ભાન કરાવે છે. કારણ કે એમાં આરંભ અને પરિણામ ઉભયવાદનું સ્વરૂપ આવે છે. એક બાજુ તત્ત્વાર્થમાં કાલને દ્રવ્ય માનનારા મતાંતરનો ૧૧ કરેલ ઉલ્લેખ અને ૧, વૈશેષિક. ૧, ૧, ૪. ૨. પ્રશસ્તપાદ પૃ૦ ૧૬ થી. ૩. તત્વાર્થ૦ ૫, ૧, અને ૫, ૧૭. વિશેષ વિગત માટે જુઓ ‘જૈનસાહિત્ય સંશોધક ખંડ ત્રીજે, અંક પહેલ તથા ચોથ. ૪. “તવાથ, ૫, ૫. ૧૫–૧૬. ૫. તસ્વાર્થ ૫, ૨. ૬. “વ્યવસ્થાતો નાના”-૩, ૨, ૨૦. ૭. “gવાં વિદ્વ” ઈશ્વરકૃષ્ણકૃત “સખ્યકારિકા.” ૧૮ ૮. તરવાથ૦ ૫, ૨૩–૨૮ ૯. જુઓ “તર્કસંગ્રહ પૃથ્વી આદિ ભૂતોનું નિરૂપણ. ૧૦. ઈશ્વરકૃષ્ણ કૃત “સાંખ્યકારિકા ૨૨ થી આગળ. ૧૧. તાવાર્થ૦ ૫, ૩૮. Page #104 -------------------------------------------------------------------------- ________________ બીજી બાજુ તેનાં નિશ્ચિતપણે બતાવેલાં લક્ષણ ઉપરથી એમ માનવા લલચાઈ જવાય છે કે, જેને તત્ત્વજ્ઞાનના વ્યવસ્થાપક ઉપર કાલ દ્રવ્યની બાબતમાં વૈશેષિકર અને સાંખ્ય દર્શન એ બન્નેનાં મંતવ્યની સ્પષ્ટ છાપ છે; કારણ કે, વૈશેષિકદર્શન કાલને સ્વતંત્ર માને છે; જ્યારે સાંખ્ય દર્શન એમ નથી માનતું. તત્ત્વાર્થમાં સૂચવાતા કાલ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વવિષયક બન્ને પક્ષે જે આગળ જતાં દિગંબર અને શ્વેતાંબર પરંપરાની જુદી જુદી માન્યતારૂપે વહેંચાઈ ગયા છે, તે પ્રથમથી જ જૈન દર્શનમાં હશે, કે વૈશેષિક અને સાંખ્ય દર્શનના વિચારસંઘર્ષણને પરિણામે ક્યારેક જૈન દર્શનમાં સ્થાન પામ્યા હશે, એ એક શોધને વિષય છે. પણ એક વાત તે દીવા જેવી છે કે તત્વાર્થ મૂળ અને તેની વ્યાખ્યાઓમાં જે કાળનાં લિંગનું વર્ણન છે, તે વૈશેષિકસૂત્ર સાથે શબ્દશઃ મળતું આવે છે. સત અને નિત્યની તસ્વાર્થગત વ્યાખ્યા જે કોઈપણ દર્શન સાથે વિશેષ સાદશ્ય ધરાવતી હોય, તે તે સાંખ્ય અને ગ દર્શન જ છે. એમાં આવતું પરિણામીનિત્યનું સ્વરૂપ, તત્ત્વાર્થના સત અને નિત્યના સ્વરૂપ સાથે શબ્દશઃ મળે છે. વૈશેષિક દર્શનમાં પરમાણુંઓમાં દ્રવ્યારંભની જે યોગ્યતા બતાવવામાં આવી છે, તે તત્ત્વાર્થ માં વર્ણવેલ ૧. તસ્વાર્થ ૫, ૨૨. ૨. “વૈશેષિક દર્શન’ ૨, ૨, ૬. ૩. જુઓ કુંદકુંદના “પ્રવચનસાર ” અને “પંચાસ્તિકાયનું કાલનિરૂપણ તથા ૫, ૩૯ ની “સર્વાર્થસિદ્ધિ. ૪. જુઓ ૫, ૨૨ની ભાષ્યવૃત્તિ, તથા આ “પરિચય', પા. ૧૩. ૫. પ્રશસ્તપાદ, વાયુનિરૂપણ પૃ૦ ૪૮. Page #105 -------------------------------------------------------------------------- ________________ પાલિકબંધ-દ્રવ્યારંભની યોગ્યતા કરતાં જુદા જ પ્રકારની છે. તત્ત્વાર્થની દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા વૈશેષિક દર્શનની તે વ્યાખ્યા સાથે વધારેમાં વધારે સાદશ્ય ધરાવે છે. તત્ત્વાર્થ અને સાંખ્ય દર્શનની પરિણામસંબંધી પરિભાષા સમાન જ છે. તત્વાર્થને દ્રવ્ય, ગુણ, અને પર્યાય રૂપે સત પદાર્થને વિવેક, સાંખ્યના સત અને પરિણામવાદની તથા વૈશેષિક દર્શનના દ્રવ્ય, ગુણ અને કર્મને મુખ્ય સત્ માનવાના વલણની યાદ આપે છે. ચારિત્રમીમાંસાની સારભૂત બાબતો : જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે ? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળ બીજ શું છે ? હેય પ્રવૃત્તિઓનો ત્યાગ શકય હોય તો તે ક્યા કયા પ્રકારના ઉપાય દ્વારા થઈ શકે, અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે ? એ બધો વિચાર છટ્ટાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. આ બધે વિચાર જૈનદર્શનની તદ્દન જુદી પડતી પરિભાષા અને સાંપ્રદાયિક પ્રણાલીને લીધે જાણે કોઈ પણ દર્શન સાથે સામ્ય ન ધરાવતો હોય એવો આપાતતઃ ભાસ થાય છે; છતાં બૌદ્ધ અને વેગ દર્શનને બારીકીથી અભ્યાસ કરનારને એમ જણાયા વિના કદી પણ ન રહે, કે જૈન ચારિત્રમીમાંસાને વિષય ચારિત્રપ્રધાન ઉકત બે દર્શન સાથે વધારેમાં વધારે ૧. “તસ્વાર્થ.” ૫, ૩૨–૩૫ ૨. “તવાર્થ૦' ૫, ૩૭, તથા ૪૦. ૩. જુઓ આ પરિચય, પા. ૧૨. Page #106 -------------------------------------------------------------------------- ________________ અને અદ્ભુત રીતે સામ્ય ધરાવે છે. એ સામ્ય ભિન્ન ભિન્ન શાખાઓમાં વહેંચાયેલા, જુદી જુદી પરિભાષાઓમાં ઘડાયેલા અને તે તે શાખાઓમાં ઓછોવત્તો વિકાસ પામેલા છતાં અસલમાં એક જ એવા આર્ય જાતિના આચારવારસાનું ભાન કરાવે છે. ચારિત્રમીમાંસાની મુખ્ય બાબતો અગિયાર છે: છઠ્ઠો અધ્યાયઃ ૧. આસવનું સ્વરૂપ, તેના પ્રકારો અને કઈ કઈ જાતના આગ્નવસેવનથી ક્યાં ક્યાં કર્મો બંધાય છે તેનું વર્ણન. સાતમે અધ્યાયઃ ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારો અને વ્રતની સ્થિરતાના માર્ગો, ૩. હિંસા આદિ દોષનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દે. ૫. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ. આઠમે અધ્યાયઃ ૬ કર્મબંધના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારે. નવમે અધ્યાયઃ ૭. સંવર અને તેના વિવિધ ઉપાય અને તેના ભેદ-પ્રભેદો. ૮. નિર્જરા અને તેનો ઉપાય. ૯. જુદા જુદા અધિકારવાળા સાધકે અને તેમની મર્યાદાનું તારતમ્ય. દશમે અધ્યાય : ૧૦. કેવળજ્ઞાનના હેતુઓ અને મેક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે, તેનું વર્ણન. સરખામણીઃ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસા પ્રવચનસારના ચારિત્રવર્ણનથી જુદી પડે છે. કેમકે, એમાં તત્ત્વાર્થની પેઠે આસવ, સંવર આદિ તોની ચર્ચા નથી; એમાં તે ફક્ત સાધુની દશાનું અને તે પણ દિગંબર સાધુને ખાસ લાગુ Page #107 -------------------------------------------------------------------------- ________________ પડે તેવું વર્ણન છે. “પંચાસ્તિકાય” અને “સમયસારમાં તત્ત્વાર્થની પેઠે જ આસવ, સંવર, બંધ આદિ તને લઈ ચારિત્રમીમાંસા કરવામાં આવી છે, છતાં એ બે વચ્ચે તફાવત છે અને તે એ કે, તત્વાર્થના વર્ણનમાં નિશ્ચય કરતાં વ્યવહારનું ચિત્ર વધારે ખેંચાયું છે. એમાં દરેક તત્ત્વને લગતી બધી હકીકત છે, અને ત્યાગી, ગૃહસ્થ તથા સાધુના બધા પ્રકારના આચાર તથા નિયમે વર્ણવાયેલા છે, જે જૈનસંધનું બંધારણ સૂચવે છે. જ્યારે “પંચાસ્તિકાય” અને “સમયસાર'માં તેમ નથી. એમાં તે આસ્ત્રવ, સંવર આદિ તની નિશ્ચયગામી તેમજ ઉપપત્તિવાળી ચર્ચા છે; એમાં તત્ત્વાર્થની પેઠે જૈન ગૃહસ્થ તેમજ સાધુનાં પ્રચલિત વ્રત, નિયમો અને આચારે આદિનું વર્ણન નથી. યોગદર્શન સાથે પ્રસ્તુત ચારિત્રમીમાંસાની સરખામણીને જેટલે અવકાશ છે, તેટલો જ તે વિષય રસપ્રદ છે; પરંતુ એ વિસ્તાર એક સ્વતંત્ર લેખન વિષય હેઈ, અહીં તેને સ્થાન નથી. છતાં અભ્યાસીઓનું ધ્યાન ખેંચવા માટે તેમની સ્વતંત્ર તુલનાશક્તિ ઉપર વિશ્વાસ રાખી, નીચે ટૂંકમાં એક સરખામણી કરવા યોગ્ય મુદ્દાઓની યાદી આપવામાં આવે છે: તત્વાર્થ યોગદર્શન ૧. કાયિક, વાચિક, માન- ૧. કર્ભાશય (૨, ૧૨). સિક પ્રવૃત્તિરૂપ આસવ (૬,૧). ૨. માનસિક આસ્રવ ૨. નિરોધના વિષય તરીકે (૮,૧). લેવામાં આવતી ચિત્તવૃત્તિઓ (૧, ૬). Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩. સકષાય અને અકષાય એ એ પ્રકારના આસ્રવ (૬,૫). ૪. સુખદુ:ખજનક શુભ, અશુભ આસવ (૬,૩–૪). ૫. મિથ્યાદર્શન પાંચ અંધ હેતુએ (૮,૧). ૬. પાંચમાં મિથ્યાદર્શનની આદિ પ્રધાનતા. ૭, આત્મા અને કતા વિલક્ષણ સંબંધ તે અંધ (૮,૨-૩). ૮. બંધ જ શુભ, અશુભ હેય વિપાકનુ કારણ છે. ૯. અનાદિ ધ મિથ્યાદર્શનને આધીન છે. ८३ ૧૦. કર્મોના અનુભાગઅધના આધાર કષાય છે(૬,૫). ૧૧. આસ્રવનિરાધ એ સંવર (૯, ૧). ૧૨. ગુપ્તિ, સમિતિ આદિ, અને વિવિધ તપ આદિ સવરના ઉપાયો (૯, ૨-૩). ૧૩. અહિંસા આદિ મહા વ્રતા (૭, ૧). ૩. કિલષ્ટ અને અકિલષ્ટ એ પ્રકારના કર્માશય (૨, ૧૨). ૪. સુખદુઃખજનક પુણ્યઅપુણ્ય કર્માશય (૨, ૧૪). ૫. અવિદ્યા આદિ પાંચ અંધક ક્લેશા (૨, ૩). ૬. પાંચમાં અવિદ્યાની પ્રધાનતા (૨, ૪). ૭. પુરુષ અને પ્રકૃતિને વિલક્ષણ સંયોગ તે બધ (2, 2009). ૮. પુરુષ, પ્રકૃતિને સંચાગ જ હેય દુઃખના હેતુ છે (૨,૧૭). ૯. અનાદિસ યાગ અવિદ્યાને આધીન છે (૨, ૨૪). ૧૦. કર્માંના વિપાકજનનનું મૂળ કલેશ હે (૨,૧૩) ૧૧. ત્તિવૃત્તિનિરાધ એ ચાગ (૧, ૨). ૧૨. યમ, નિયમ આદિ અને અભ્યાસ, વૈરાગ્ય આદિ યેાગના ઉપાયા (૧, ૧૨થી અને ૨, રથી). ૧૩. સાભૌમ (૨, ૩૦). યમે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૧૪. હિંસા આદિ વૃત્તિ. ૧૪. પ્રતિપક્ષ ભાવના વડે એમાં ઐહિક, પારલૌકિક હિંસા આદિ વિતર્કોને રોકવા દોષનું દર્શન કરી, તે વૃત્તિઓને (૨, ૩૩-૩૪). રેકવી (૭, ૪). ૧૫. હિંસા આદિ દોષમાં ૧૫. વિકીની દષ્ટિમાં દુખપણાની જ ભાવના કરી બધા કર્માશય દુઃખરૂપ જ છે તેમને તજવા (, ૫). (૨, ૧૫). ૧૬. મૈત્રી આદિ ચાર ૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાઓ (૭, ૬). ભાવનાઓ (૧, ૩૩). ૧૭. પૃથકૃત્વવિતર્ક સવિ- ૧૭. સવિતર્ક, નિર્વિતર્ક, ચાર અને એકવિતર્કનિર્વિ. સવિચાર અને નિર્વિચાર રૂપ ચાર આદિ ચાર શુકલધ્યાને ચાર સંપ્રજ્ઞાત સમાધિઓ (૯, ૪૧-૪૬). (૧, ૧૬, અને ૪૧, ૪૪). ૧૮. નિર્જરા અને મેક્ષ ૧૮. આંશિકહાન – બંધ(૯, ૩ અને ૧૦, ૩). પરમ અને સર્વથાણાના (૨, ૨૫). ૧૯. જ્ઞાનસહિત ચારિત્ર ૧૯. સાંગયોગસહિત એ જ નિર્જરા અને મોક્ષનો વિવેકખ્યાતિ એ જ હાનનો હેતુ (૧. ૧). ઉપાય (૨, ૨૬). ૧. આ ચાર ભાવનાઓ બૌદ્ધપરંપરામાં “બ્રહ્મવિહાર' કહેવાય છે અને તેમના ઉપર બહુ ભાર આપવામાં આવે છે. ૨. આ ચાર ધ્યાનના ભેદ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે. ૩. આને બૌદ્ધ દર્શનમાં નિર્વાણુ કહે છે, જે ત્રીજું આર્ય સત્ય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૦. જાતિસ્મરણ, અવધિ ૨૦. સંયમજનિત તેવી જ્ઞાન આદિ દિવ્યજ્ઞાનો અને જ વિભૂતિઓ (૨, ૩૯ અને ચારણુવિધા આદિ લબ્ધિઓ ૩, ૧૬ થી આગળ). (૧, ૧૨, અને ૧૦,૭નું ભાષ્ય). ૨૧. કેવળજ્ઞાન (૧૦, ૧). ૨૧. વિવેકજન્ય તારક જ્ઞાન (૩, ૧૪). ૨૨, શુભ અશુભ, શુભા- ૨૨. શુકલ, કૃષ્ણ, શુક્લ શુભ અને ન શુભ, ન અશુભ કૃષ્ણ અને અશુફલાકૃષ્ણ એવી એવી કર્મની ચતુર્ભગી. ચતુષ્પદી કર્મ જાતિ (૪, ૭). આ સિવાય કેટલીક બાબતે એવી પણ છે કે, જેમાંથી એક બાબત ઉપર એક દર્શને તો બીજી બાબત ઉપર બીજા દર્શને ભાર આપેલ હોવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તરીકે અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મનો સિદ્ધાંત બૌદ્ધ અને વેગ દર્શનના કર્મના મૂળ સિદ્ધાંતો તે છે જ, એગ દર્શનમાં તે એ સિદ્ધાંતનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંત વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર બની ગયેલું છે, જેવું બીજા કોઈ પણ દર્શનમાં દેખાતું નથી. તેથી જ ચારિત્રમીમાંસામાં કર્મના સિદ્ધાંતનું વર્ણન કરતાં જૈનસંમત ૧. બૌદ્ધ દર્શનમાં આના સ્થાનમાં પાંચ અભિજ્ઞાઓ છે. “ધર્મસંગ્રહ’ પૃ. ૪, અને “અભિધમ્મસ્થસંગહો', પરિચ્છેદ ૯ પ્રેરેગ્રાફ ૨૪ ૨. ૨, ૩-૧૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનમાં સમાન હોવા છતાં, કેટલાક કારણેથી વ્યવહારમાં ફેર પડી ગયેલો નજરે પડે છે અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. ફ્લેશ અને કષાયનો ત્યાગ એ જ બધાને મતે ચારિત્ર છે; તેને સિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈ એ એક ઉપર તો બીજાએ બીજા ઉપર વધારે ભાર આપે છે. જૈન આચારના બંધારણમાં દેહદમનનીય પ્રધાનતા દેખાય છે, બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મુકાય છે, અને યોગદર્શનાનુસારી પરિવ્રાજકના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાયો છે. જે મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિને બરાબર ઉપયોગ થાય, તો તે એ દરેકનું સરખું જ મહત્વ છે; પણ જ્યારે એ બાહ્ય અંગે માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે, અને તેમાંથી મુખ્ય ચારિત્રની સિદ્ધિને આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગધ આવે છે, અને એક સંપ્રદાયને અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે. બૌદ્ધ સાહિત્યમાં અને શૈદ્ધ અનુગામી વર્ગમાં જૈનોના દેહદમનની પ્રધાનતાવાળા તપની ૧. ‘તવાર્થ' ૬, ૧૧-૨૦ અને ૮, ૪–૨૬. ૨. “તત્વાર્થ૯, ૯. “દુર મહું” દશવૈકાલિક અધ્યચન ૮, ઉ૦ ૨. ૩. “મજિઝમનિકાય' સૂ૦ ૧૪. Page #112 -------------------------------------------------------------------------- ________________ વગેવણી નજરે પડે છે; જૈન સાહિત્ય અને જેના અનુગામી વર્ગમાં બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનનો તેમજ પરિવ્રાજકના પ્રાણાયામ અને શૌચને પરિહાસ દેખાય છે. આમ હેવાથી તે તે દર્શનની ચારિત્રમીમાંસાના ગ્રંથમાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જુદું દેખાય તે સ્વાભાવિક છે; એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એક સૂત્ર નથી જોતા, તેમજ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હોવા છતાં તેને સિદ્ધ કરવાના બૌદ્ધ કે વેગ દર્શનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાય આપણે નથી જોતા. એ જ રીતે તત્ત્વાર્થમાં જે પરીષહ અને તપનું વિસ્તૃત તેમજ વ્યાપક વર્ણન છે, તેવું આપણે એગ કે બૌદ્ધની ચારિત્રમીમાંસામાં નથી જોતા. આ સિવાય ચારિત્રમીમાંસાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે ઉક્ત ત્રણે દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) બંનેને સ્થાન હોવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મોક્ષના સાક્ષાત કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનને તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે; જ્યારે બૌદ્ધ અને ગ દર્શનમાં જ્ઞાનને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ વસ્તુ ઉક્ત ત્રણે દર્શનના સાહિત્યને અને તેમના અનુયાયી વર્ગના જીવનને બારીકીથી અભ્યાસ કરનારને જણાયા વિના નહિ રહે; આમ હોવાથી તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી ૧. “સૂત્રકૃતાંગ અધ્યયન ત્રણ, ઉદ્દેશ ૪. ગા. ૬ ની ટીકા તથા અધ્ય૦ ૭, ગા. ૧૪ થી આગળ, Page #113 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓનું અને તેમના ભેદપ્રભેદોનું વધારે વર્ણન હેય તે સ્વાભાવિક છે. સરખામણી પૂરી કરીએ તે પહેલાં ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મોક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુઃખના ત્યાગમાંથી જ મેક્ષની કલ્પના જન્મેલી હોવાથી, બધાં દર્શને દુઃખની આત્યંતિક નિવૃત્તિને જ મેક્ષ માને છે. ન્યાય, ૧ વૈશેષિક યોગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુઃખના નાશ ઉપરાંત મેક્ષમાં બીજી કાંઈ ભાવાત્મક વસ્તુ નથી; તેથી એમને મતે મેક્ષમાં જે સુખ હોય તે તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહિ, પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પેઠે એમ માને છે કે, મેક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વસ્તુ પણ છે. માત્ર સુખ જ નહિ પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ જૈન દર્શન એ અવસ્થામાં સ્વીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મેક્ષના સ્થાન વિષે જૈન દર્શનને મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તે સ્વતંત્ર આત્મતત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મેક્ષના સ્થાન વિષે તેમાંથી કોઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દર્શને આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મતે મોક્ષનું સ્થાન કેઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી ૧. ૧, ૧, ૨૨ ૨. ૫, ૨, ૧૮, Page #114 -------------------------------------------------------------------------- ________________ ८९ નથી. પરંતુ જૈન દર્શન સ્વતંત્ર આત્મતત્ત્વવાદી છે અને છતાં આત્મવિભુત્વવાદી નથી; તેથી તેને મેાક્ષનું સ્થાન ક્રાં છે એનેા વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યો પણ છે. તત્ત્વાના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, ‘મુક્ત થયેલ જીવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊર્ધ્વગામી થઈ, છેવટે લોકના અંતમાં સ્થિર થાય છે અને ત્યાં જ હુંમેશને માટે રહે છે.’ ૪. વ્યાખ્યા પેાતાના ઉપર રચાયેલી સાંપ્રદાયિક વ્યાખ્યાની બાબતમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સરખામણી બ્રહ્મસૂત્ર સાથે થઈ શકે. જેમ ધણી બાબતેમાં પરસ્પર તદ્દન જુદો મત ધરાવનાર અનેક આચાર્યાએ બ્રહ્મસૂત્ર પર વ્યાખ્યાઓ લખી છે, અને તેમાંથી જ પોતાના વક્તવ્યને ઉપનિષદોને આધારે સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે, તેમ શ્વેતાંબર–દિગબર એ ખતે સંપ્રદાયના વિદ્વાનાએ તત્ત્વા ઉપર વ્યાખ્યા લખી છે, અને એમાંથી જ પોતાનાં પરસ્પર વિધી મંતવ્યોને પણ આગમને આધારે ફલિત કરવાના પ્રયત્ન કર્યાં છે. આટલા ઉપરથી સામાન્ય બાબત એટલી જ સિદ્ધ થાય છે કે, જેમ બ્રહ્મસૂત્રની વેદાંત સાહિત્યમાં પ્રતિષ્ઠા હોવાને લીધે ભિન્ન ભિન્ન મત ધરાવનાર પ્રતિભાશાળી આચાર્યને તે બ્રહ્મસૂત્રના આશ્રય લઈ ને તે દ્વારા જ પોતાનાં વિશિષ્ટ વક્તવ્યો દર્શાવવાની જરૂર જણાઈ, તેમ જૈન વાડ્મયમાં જામેલી તત્ત્વાર્થાધિગમની પ્રતિષ્ઠાને લીધે જ તેને આશ્રય લઈ અને સંપ્રદાયના વિદ્વાનેાને ૧. શકર, નિંબાર્ક, મઘ્ન, રામાનુજ, વલ્લભ આદિ. Page #115 -------------------------------------------------------------------------- ________________ પોતપોતાના મંતવ્યો દર્શાવનારી જરૂર જણાઈ. આટલું સ્કૂલ સામ્ય છતાં બ્રહ્મસૂત્રની અને તત્ત્વાર્થની સાંપ્રદાયિક વ્યાખ્યાએમાં એક ખાસ મહત્ત્વનો ભેદ છે અને તે એ કે, જગત, વ, ઈશ્વર આદિ જેવા તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયોમાં બ્રહ્મ સૂત્રના પ્રસિદ્ધ વ્યાખ્યાકારે એક બીજાથી બહુ જ જુદી પડે છે અને ઘણીવાર તો તેમના વિચારોમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર દેખાય છે, ત્યારે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયને અનુસરનારા તત્ત્વાર્થના વ્યાખ્યાકારોમાં તેમ નથી. તેઓ વચ્ચે તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયો પર કશે જ ભેદ નથી; જે કાંઈ થડે ઘણો ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતોમાં છે અને તે પણ એ નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય અગર તો પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય. ખરી રીતે તે જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંત પરત્વે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયમાં ખાસ મતભેદ જ નથી પડ્યો; એટલે તેમની તત્ત્વાર્થની વ્યાખ્યાઓમાં દેખાતે મતભેદ એ બહુ ગંભીર ન ગણાય. તત્વાધિગમસૂત્રની જ ઉપર લખાયેલી પ્રાચીન, અર્વાચીન, નાની, મોટી સંસ્કૃત અગર લૌકિક ભાષામય અનેક વ્યાખ્યાઓ છે; પણ તેમાંથી જેનું ઐતિહાસિક મહત્વ હોય, જેણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં અને વિકસાવવામાં ફાળો આપ્યો હોય, અને જેનું દાર્શનિક મહત્ત્વ હોય એવી ચાર જ વ્યાખ્યાઓ અત્યારે મેજૂદ છે. તેમાંની ત્રણ તે દિગંબર સંપ્રદાયની છે, જે માત્ર સાંપ્રદાયિક ભેદની જ નહિ પણ વિરોધની તીવ્રતા થયા પછી પ્રસિદ્ધ દિગંબર વિદ્વાને દ્વારા લખાયેલી છે; અને એક તો સૂત્રકાર વાચક ઉમાસ્વાતિની WWW.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ९१ સ્વપજ્ઞ જ છે. સાંપ્રદાયિક વિરોધ જામ્યા પછી કઈ પણ શ્વેતાંબર આચાર્યો માત્ર મૂળ સૂત્રે ઉપર લખેલી બીજી તેવી મહત્ત્વની વ્યાખ્યા હજી જાણવામાં આવી નથી. તેથી એ ચાર વ્યાખ્યાઓ વિષે જ પ્રથમ અત્રે કાંઈ ચર્ચા કરવી યોગ્ય ધારી છે. આ બંને ટીકાઓ વિષે કાંઈક વિચાર કરીએ તે પહેલાં તે બંનેના સૂત્રપાઠ વિષે વિચારવું પ્રાપ્ત થાય છે. અસલમાં એક જ છતાં પાછળથી સાંપ્રદાયિક ભેદને ભાષ્ય અને કારણે સૂત્રપાઠે બે થઈ ગયા છે. જેમાં સર્વાર્થસિદ્ધિ એક તાંબરીય અને બીજે દિગંબરીય તરીકે જાણીતું છે. શ્વેતાંબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ ભાષ્ય સાથે બંધબેસતું હેઈ, તેને ભાષ્યમાન્ય કહી શકાય; અને દિગંબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ “સર્વાર્થ સિદ્ધિ સાથે બંધબેસતું હોઈ, તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહી શકાય, બધા જ વેતાંબરીય આચાર્યો ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ અનુસરે છે; અને બધા જ દિગંબરીય આચાર્યો સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને અનુસરે છે. સૂત્રપાઠપરત્વે નીચેની ચાર બાબતો અત્રે જાણવી જરૂરી છે. ૧. સંખ્યા : ભાષ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ ની છે. ૨. અર્થફેર સૂત્રની સંખ્યા અને ક્યાંક ક્યાંક શાબ્દિક રચનામાં ફેર હોવા છતાં માત્ર મૂળ સૂત્રો ઉપરથી જ અર્થમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દેખાય એવાં ત્રણ સ્થળો છે; બાકી બધે મૂળ સૂત્ર ઉપરથી ખાસ અર્થમાં ફેર નથી પડત. એ ત્રણ સ્થળોમાં સ્વર્ગની બાર અને સોળ સંખ્યા વિષેનું પહેલું . Page #117 -------------------------------------------------------------------------- ________________ ર (૪, ૧૯), કાળનું સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વ માનવા વિષેના સિદ્ધાંતનું બીજું (૫, ૩૮); અને ત્રીજું સ્થળ પુણ્યપ્રકૃતિઓમાં હાસ્ય આદિ ચાર પ્રકૃતિઓ હવા-ન હેવાનું (૮, ૨૬). એ છે. ૩. પાઠાંતરવિષયક ફેર : બંને સૂત્રપાઠના પારસ્પરિક ફેર ઉપરાંત પાછો એ પ્રત્યેક સૂત્રપાઠમાં પણ ફેર આવે છે. સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં એ ફેર ખાસ નથી. એકાદ સ્થળે સર્વાર્થસિદ્ધિના કર્તાએ જે પાઠાંતર નોંધ્યું છે, તેને બાદ કરીએ તો સામાન્ય રીતે એમ જ કહી શકાય કે બધા જ દિગંબરીય ટીકાકારે સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં કશી જ પાહભેદ સૂચવતા નથી. તેથી એમ કહેવું જોઈએ કે, પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિ રચતી વખતે જે સૂત્રપાઠ પ્રાપ્ત કર્યો, અને સુધાર્યો-વધાર્યો, તેને જ નિર્વિવાદપણે પાછળના બધા દિગંબરીય ટીકાકારોએ માન્ય રાખે, જ્યારે ભાષ્યમાન સૂત્રપાઠની બાબતમાં એમ નથી; એ સૂત્રપાઠ શ્વેતાંબરીય તરીકે એક જ હોવા છતાં, તેમ કેટલેક સ્થળે ભાષ્યનાં વાક્યો સૂત્રરૂપે દાખલ થઈ ગયાનું, કેટલાક સ્થળે સૂત્રરૂપ મનાતા વાક્યો ભાષ્યરૂપે પણ ગણાયાનું, કેટલેક સ્થળે અસલનું એક જ સૂત્ર બે ભાગમાં વહેંચાઈ ગયાનું, ક્યાંક અસલનાં બે સૂત્રો મળી અત્યારે એક જ સૂત્ર થઈ ગયાનું સૂચન ભાષ્યની લભ્ય બને ટીકાઓમાં સૂત્રના પાઠાંતરપર ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે.૨ ૧. ૨, ૫૩. ૨. ૨, ૧૯; ૨, ૩૭; ૩, ૧૧; ૫, ૨-૩; ૭, ૩, અને ૫ વગેરે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ९३ ૪. અસલીપણા વિષે : ઉક્ત અને સૂત્રપાઠામાં અસલી કયા અને ફેરફાર પામેલા કયા એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અત્યાર સુધી કરેલા વિચાર ઉપરથી મારી ખાતરી થઈ છે કે, ભાષ્યમાનન્ય સૂત્રપાઠ જ અસલી છે, અને આની સિદ્ધિ માટે શ્રી સુઝુકેાએહીરાનું એક પરિશિષ્ટ અહીં આપવામાં આવ્યું છે. સૂત્રપાઠ વિષે આટલી ચર્ચા કર્યાં પછી હવે સૂત્રો ઉપર સર્વ પ્રથમ રચાયેલ ભાષ્ય અને સર્વાસિદ્ધિ એ એ ટીકાઓ વિષે કાંઈક વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભાષ્યમાન્યસૂત્રપાઠનુ અસલીપણુ અગર તે! અસલીપાઠની વિશેષ નજીક હાવાપણુ, તેમજ પ્રથમ કહેવામાં આવ્યુ છે તે પ્રમાણે ભાષ્યનુ વાચક ઉમાસ્વાતિક કષણું દિગંબર પર પરા કદી કબૂલ કરી શકે નહિ એ ખુલ્લું છે; કારણ કે દિગંબરપરંપરામાન્ય બધી જ તત્ત્વા ઉપરની ટીકાઓના મૂળ આધાર સર્વાર્થસિદ્ધિ અને તેને માન્ય સૂત્રપાઠ એ જ છે; એટલે ભાષ્ય કે ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ ઉમાસ્વાતિક કે માનવા જતાં, પોતે માનેલા સૂત્રપાઠ અને ટીકાત્રં થાનુ પ્રામાણ્ય પૂરેપૂરું ન રહે. તેથી કોઈ પણ સ્થળે લિખિત પ્રમાણ ન હોવા છતાં ભાષ્ય અને ભાષ્યમાન્ય સૂત્રપાઠ વિષે દિગ ંબરપરંપરાનું શું કહેવું હાઈ શકે તે સાંપ્રદાયિકત્વના દરેક અભ્યાસી કલ્પી શકે એમ છે. દિગબર પરંપરા સર્વાર્થસિદ્ધિ અને તેના માન્ય સૂત્રપાઠને પ્રમાણસર્વસ્વ માને છે અને એમ માની સ્પષ્ટ સૂચવે જ છે કે, ભાષ્ય એ સ્વાપન્ન નથી અને તેને માન્ય સૂત્રપાઠ પણ અસલી નથી. આમ હાવાથી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ તેનુ પ્રામાણ્યવિષયક બળાબળ તપસ્યા સિવાય પ્રસ્તુત પરિચય અધૂરા જ રહે. ભાષ્યની સ્વેપન્નતા વિષે કશે। જ સંદેહ ન Page #119 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં થોડીવાર દલીલ ખાતર એમ માની લેવામાં આવે કે એ પણ નથી; તે પણ એટલું નિર્વિવાદ કહી શકાય તેમ છે કે, ભાષ્ય એ સર્વાર્થસિદ્ધિ કરતાં પ્રાચીન અને કોઈ રૂઢ વેતાંબરીય નહિ એવા તટસ્થ વિદ્વાન દ્વારા લખાયેલી તત્ત્વાર્થસૂત્ર ઉપરની પ્રથમ જ ટીકા છે; એટલે કે ભાષ્ય સર્વાર્થસિદ્ધિ જેવું સંપ્રદાયિક નથી. આ મુદ્દો સમજવા માટે અહીં ત્રણ બાબતોની પર્યાચના કરવામાં આવે છે: ૧. શૈલીભેદ, ૨. અર્થવિકાસ, અને ૩. સાંપ્રદાયિકતા. ૧. શૈલીભેદ : કોઈ પણ એક જ સૂત્ર ઉપરનું ભાષ્ય અને તેની સર્વાર્થસિદ્ધિ સામે રાખી સરખામણીની દષ્ટિએ જોનાર અભ્યાસીને એમ જણાયા વિના કદી જ નહિ રહે કે, સર્વાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની શૈલી પ્રાચીન છે અને ડગલે અને પગલે સર્વાર્થસિદ્ધિમાં ભાષ્યનું પ્રતિબિંબ છે. એ બંને ટીકાઓથી જુદી અને બંનેથી પ્રાચીન એવી ત્રીજી કઈ ટીકા તત્વાર્થસૂત્ર ઉપર હોવાનું પ્રમાણ ન મળે, ત્યાં સુધી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિની સરખામણી કરનાર એમ કહ્યા વિના કદી જ નહિ રહે કે, ભાષ્યને સામે રાખી સર્વાર્થસિદ્ધિની રચના કરવામાં આવી છે. ભાષ્યની શૈલી પ્રસન્ન અને ગંભીર, હોવા છતાં, દાર્શનિકત્વની દૃષ્ટિએ સર્વાર્થસિદ્ધિની શૈલી, ભાષ્યની શૈલી કરતાં વધારે વિકસિત અને વધારે ખેડાયેલી. છે એમ ચોખ્ખું લાગે છે. સંસ્કૃત ભાષામાં લેખન અને દાર્શનિક શૈલીને જૈનસાહિત્યમાં જે વિકાસ થયા પછી, સર્વાર્થસિદ્ધિ લખાઈ છે, તે વિકાસ ભાષ્યમાં દેખાતો નથી; તેમ છતાં એ બંનેને ભાષામાં જે બિંબપ્રતિબિંબભાવ છે તે સ્પષ્ટ સૂચવે છે કે, બંનેમાં ભાગ્યે જ પ્રાચીન છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ દાખલા તરીકે, પહેલા અધ્યાયના પહેલા સૂત્રના ભાષ્યમાં “સમ્યફ શબ્દ વિષે લખ્યું છે કે, “સમ્યકુ એ નિપાત છે અથવા “સમ ઉપસર્ગ પૂર્વક “ગd' ધાતુનું રૂપ છે. આ જ બાબતમાં સર્વાર્થસિદ્ધિકાર લખે છે કે, “સમ્યફ શબ્દ અવ્યુત્પન્ન એટલે વ્યુત્પત્તિ વિનાનો અખંડ છે, અથવા વ્યુત્પન્ન એટલે ધાતુ અને પ્રત્યય બંને મળી વ્યુત્પત્તિપૂર્વક સિદ્ધ થયેલ છે. “મા” ધાતુને કિવપ” પ્રત્યય લગાડવામાં આવે ત્યારે “સમુર્તિ એ રીતે “સમ્યફ શબ્દ બને છે. “સમ્ય' શબ્દવિષયક નિરૂપણની ઉક્ત બે શૈલીમાં ભાષ્ય કરતાં સિદ્ધિની સ્પષ્ટતા વિશેષ છે. એ જ રીતે ભાષ્યમાં દર્શન’ શબ્દની વ્યુત્પત્તિ વિષે ફક્ત એટલું જ લખ્યું છે કે, 'દર્શન” એ “દશિ' ધાતુનું રૂ૫ છે; જ્યારે સિદ્ધિમાં દર્શન’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ સ્પષ્ટ બતાવવામાં આવી છે. ભાષ્યમાં જ્ઞાન અને ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ જણાવી નથી; જ્યારે સિદ્ધિમાં એ બંને શબ્દોની વ્યુત્પત્તિ ત્રણ રીતે સ્પષ્ટ જણાવી છે અને પછી તેનું જૈન દષ્ટિએ સમર્થન કરવામાં આવ્યું છે. એ જ રીતે દર્શન અને જ્ઞાન શબ્દમાંથી પહેલો સમાસમાં કોણ આવે અને પછી કેણ આવે એ સામાસિક ચર્ચા ભાષ્યમાં નથી; જ્યારે સિદ્ધિમાં તે સ્પષ્ટ છે. એ જ રીતે પહેલા અધ્યાયના બીજા સૂત્રના ભાષ્યમાં “તત્વ' શબ્દના ફક્ત બે અર્થ સૂચવવામાં આવ્યા છે, જ્યારે સિદ્ધિમાં એ બંને અર્થોની ઉપપત્તિ કરવામાં આવી છે, અને “દશિ” ધાતુનો શ્રદ્ધા અર્થ કેમ લે એ બાબત પણ દર્શાવવામાં આવી છે, જે ભાષ્યમાં નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ९६ ૨. અવિકાસ' : અની દૃષ્ટિએ જોઈ એ તો પણ ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિ અર્વાચીન છે એમ જ જણાય છે. જે એક બાબત ભાષ્યમાં હેાય છે, તેને વિશેષ વિસ્તૃત કરી તેના ઉપર વધારે ચર્ચા કરી સર્વાસિદ્ધિમાં નિરૂપણ કરવામાં આવ્યુ છે. વ્યાકરણશાસ્ત્ર અને જૈનેતર દર્શનાની જેટલી ચર્ચા સર્વાં સિદ્ધિમાં છે, તેટલી ભાષ્યમાં નથી. જૈન પરિભાષાનું જે ટ્રક છતાં સ્થિર વિશદીકરણ અને વક્તવ્યનુ જે પૃથક્કરણ સર્વા સિદ્ધિમાં છે, તે ભાષ્યમાં એછામાં ઓછુ છે. ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિની તાર્કિકતા વધી જાય છે, અને ભાષ્યમાં નથી તેવાં વિજ્ઞાનવાદી બૌદ્ધ આદિનાં મંતવ્યો તેમાં ઉમેરાય છે. અને દર્શાનાંતરનું ખંડન જોર પકડે છે. એ બધુ સર્વાસિદ્ધિ કરતાં ભાષ્યની પ્રાચીનતા પુરવાર કરે છે. ૩. સાંપ્રદાયિકતા : ઉક્ત એ ખાખતા કરતાં વધારે મહત્ત્વની બાબત સાંપ્રદાયિકતાની છે. કાળતત્ત્વ, કેવળીકવલાહાર, અચેલકત્વ અને સ્ત્રીમેાક્ષ જેવી બાબતાએ તીવ્ર મતભેદનુ' રૂપ ધારણ કર્યા પછી અને એ બાબત પરત્વે સાંપ્રદાયિક આગ્રહ અંધાયા પછી જ સર્વાર્થસિદ્ધિ લખાઈ છે; જ્યારે ભાષ્યમાં એ સાંપ્રદાયિક અભિનિવેશનું તત્ત્વ દેખાતું નથી. જે જે ખાખતામાં રૂઢ શ્વેતાંબર સંપ્રદાય સાથે દિગંબર સપ્રદાયના વિરાધ છે, તે બધી જ બાબતો સર્વાસિદ્ધિના પ્રણેતાએ ૧. દાખલા તરીકે સરખાવેા ૧, ૨; ૧, ૧૨; ૧, ૩૨ અને ૨, ૧ વગેરે સૂત્રોનુ ભાષ્ય અને સર્વાસિદ્ધિ ૨, ૫, ૩૯; ૬, ૧૩; ૮, ૧; ૯, ૯; ૯, ૧૧; ૧૦ ૯ વગેરે સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે તે જ સૂત્રોનુ ભાષ્ય. Page #122 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં ફેરફાર કરીને કે તેના અર્થમાં ખેંચતાણ કરીને કે અસંગત અધ્યાહાર આદિ કરીને ગમે તે રીતે દિગંબર પરંપરાને અનુકૂલ થાય તે રીતે સૂત્રમાંથી ઉપજાવી કાઢવાનો સાંપ્રદાયિક પ્રયત્ન કરેલ છે, જે પ્રયત્ન ભાષ્યમાં ક્યાંય દેખાતા નથી. તેથી એમ સ્પષ્ટ લાગે છે કે, સર્વાર્થસિદ્ધિ એ સાંપ્રદાયિક વિરોધનું વાતાવરણ જામ્યા પછી પાછળથી લખાઈ છે; અને ભાષ્ય એ વિરોધના વાતાવરણથી મુક્ત છે. ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે જે એ રીતે ભાષ્ય તટસ્થ અને પ્રાચીન હોય, તે તેને દિગંબર પરંપરાએ છેવું કેમ ? એને ઉત્તર એ છે કે સર્વાર્થસિદ્ધિના કર્તાને જે બાબતમાં શ્વેતાંબર સંપ્રદાયની માન્યતાઓનું સ્પષ્ટ ખંડન કરવું હતું, એવું ખંડન ભાષ્યમાં ન જ હતું એટલું જ નહીં પણ, ભાષ્ય મોટે ભાગે રૂઢ દિગંબર પરંપરાનું પિષક થઈ શકે તેમ પણ ન હતું, અને ઘણે સ્થળે તો ઊલટું તે દિગંબર પરંપરાથી બહુ વિરુદ્ધ જતું હતું. તેથી પૂજ્યપાદ ભાષ્યને પડતું મૂકી સૂત્રો ઉપર સ્વતંત્ર ટીકા લખી, અને તેમ કરતાં સૂત્રપાઠમાં ઇષ્ટ સુધારે વધારે કર્યો અને તેની વ્યાખ્યામાં મતભેદવાળી બાબતમાં આવી ત્યાં સ્પષ્ટપણે દિગંબર મંતવ્યોનું જ સ્થાપન કર્યું; આ કરવામાં પૂજ્યપાદને કુંદકુંદના ગ્રંથો મુખ્ય આધાર ૧. ૯, ૭ તથા ર૪ ના ભાષ્યમાં વસ્ત્રને ઉલ્લેખ છે. તથા ૧૦, ૭ ના ભાષ્યમાં “તીર્થકરીતીથી ને ઉલ્લેખ છે. ૨. જ્યાં જ્યાં અર્થ ખેંચ્યું છે, અથવા પુલાક આદિ જેવા સ્થળે બંધબેસતું વિવરણ નથી થઈ શક્યુ તે સૂત્રો જ કેમ ન કાઢી નાખ્યાં, એને ઉત્તર સૂત્રપાઠની અતિપ્રસિદ્ધિ અને ફેંકવા જતાં અપ્રામાણ્યનો આક્ષેપ આવવાને ભય હેય, એમ લાગે છે. ત–૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ९८ ભૂત થઈ પડેલા લાગે છે. આમ થવાથી દિગંબર પર પરાએ સર્વાં་સિદ્ધિને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારી, અને ભાષ્ય સ્વાભાવિક રીતે જ શ્વેતાંબર પરંપરામાં માન્ય રહી ગયું. ભાષ્ય ઉપર કાઈ પણ દિગ'બર આચાયૅ ટીકા નથી લખી કે તેના ઉલ્લેખ નથી કર્યાં; એટલે તે દિગંબર પરંપરાથી દૂર જ રહી ગયું; અને અનેક શ્વેતાંબર આચાર્યાએ ભાષ્ય ઉપર ટીકાઓ લખી છે તેમ જ કવચિત્ ભાષ્યનાં મંતવ્યોને વિરાધ કર્યા છતાં એક ંદરે તેનુ પ્રામાણ્ય સ્વીકાર્યું છે, તેથી જ કાઈ તટસ્થ પરંપરાના પ્રાચીન વિદ્વાને રચેલું હેાવા છ્તાં તે શ્વેતાંબર સંપ્રદાયનેા પ્રમાણભૂત ગ્રંથ થઈ પડયો છે. તાપણ એટલુ યાદ રાખવું જોઈએ કે, ભાષ્ય પ્રત્યે દિગંબરીય પરંપરામાં આજકાલ જે મનેવૃત્તિ જોવામાં આવે છે, તે જૂના દિગંબરાચાર્યામાં ન હતી. કારણ કે, અકલંક જેવા પ્રમુખ દિગબરાચાર્ય પણ યથાસ'ભવ ભાષ્યની સાથે પોતાના કથનની સંગતિ બતાવવાના પ્રયત્ન કરીને ભાષ્યના વિશિષ્ટ પ્રામાણ્યનું સૂચન કરે છે (જુઓ રાજવાર્ત્તિક ૫, ૪, ૮), અને કયાંય ભાષ્યનું નામેાલ્લેખપૂર્વક ખંડન નથી કરતા અથવા અપ્રામાણ્ય નથી બનાવતા. ગ્રંથેાના નામકરણ પણ આકસ્મિક નથી હોતાં; મેળવી શકાય તે તેને પણ વિશિષ્ટ ઇતિહાસ હેાય છે જ. પૂર્વકાલીન અને સમકાલીન વિદ્વાનેાની ભાવનામાંથી તે વાોિ તેમજ સાહિત્યના નામકરણપ્રવાહમાંથી પ્રેરણા મેળવીને જ ગ્રંથકારો પોતાની કૃતિનું નામકરણ કરે છે. પતંજલિના વ્યાકરણુ ઉપરના મહાભાષ્યની Page #124 -------------------------------------------------------------------------- ________________ ९९ પ્રતિષ્ઠાની અસર પાછલા અનેક ગ્રંથકાર ઉપર થયેલી આપણે તેમની કૃતિના ભાષ્ય નામથી જાણી શકીએ છીએ. એ જ અસરે વાચક ઉમાસ્વાતિને ભાષ્ય નામકરણ કરવા પ્રેર્યા હાય એમ સંભવે છે. બૌદ્ધ સાહિત્યમાં એક ગ્રંથનું નામ ‘સર્વાસિદ્ધિ' હાવાનું સ્મરણ છે. તેનેા અને પ્રસ્તુત સર્વાસિદ્ધિના નામના પૌર્વાપસંબંધ અજ્ઞાત છે; પણ વાત્તિકાની બાબતમાં એટલુ નક્કી છે કે, એક વાર ભારતીય વાડ્મયમાં વાર્ત્તિ કયુગ આવ્યા અને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર વાર્ત્તિક નામના અનેક ગ્રંથા લખાયા. તેની અસર તત્ત્વા ઉપરનાં પ્રસ્તુત વાત્તિકાનાં નામકરણુ ઉપર છે. અકલ કે પોતાની ટીકાનું ‘રાજવાર્તિક' નામ રાખ્યુ છે. તે નામના ખીજો કોઈ ગ્રંથ પૂર્વકાલીન અન્ય વિદ્વાનાના હજી મારી જાણમાં નથી આવ્યો; પરંતુ વિદ્યાન ંદનું ક્ષેાકવાત્તિક એ નામ કુમારિલના શ્લોકવાત્તિક નામની અસરને આભારી છે. એમાં કશી જ શંકા નથી. તત્ત્વાર્થસૂત્ર ઉપર અકલ કે જે ‘રાજવાન્તિક' લખ્યું છે અને વિદ્યાન દે જે શ્લોકવાર્તિક લખ્યું છે, તે બંનેના મૂળ આધાર સર્વાસિદ્ધિ' જ છે. જો સર્વાં સિદ્ધિ' અકલ કને મળી ન હોત, તો ‘રાજવાન્તિ'ક’નું વર્તમાન સ્વરૂપ આવુ વિશિષ્ટ ન જ હાત અને જો રાજવાર્તિકના આશ્રય ન હેાત, તે વિદ્યાનંદના શ્લોકવાત્તિ'માં જે વિશિષ્ટતા દેખાય છે, તે પણ ન જાત, એ નક્કી છે. ‘રાજવાર્ત્તિક' અને શ્લોકવાત્તિ’ એ બંને સાક્ષાત્ અને પરંપરાથી ‘સર્વાસિદ્ધિ’નાં ઋણી હોવા છતાં એ બંનેમાં, ‘સર્વા સિદ્ધિ' કરતાં વિશેષ વિકાસ થયેલા છે. ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક'ની જેમ ‘રાજવાર્ત્તિક' Page #125 -------------------------------------------------------------------------- ________________ १०० ગદ્યમાં છે, જ્યારે શ્લેાકવાત્તિક કુમારિલના શ્લોકવાર્ત્તિક’ અને ધર્માંકાતિના પ્રમાણુવાર્તિક'ની જેમ પદ્યમાં છે. કુમારિલ કરતાં વિદ્યાન ંદની વિશેષતા એ છે કે, તેણે પોતે જ પેાતાના પદ્ય વાર્દિકની ટીકા લખી છે. રાજવાર્ત્તિક'માં લગભગ આખી ‘સર્વાસિદ્ધિ' આવી જાય છે, છતાં તેમાં નવીનતા અને પ્રતિભા એટલી બધી છે કે, ‘સર્વાર્થસિદ્ધિ' સાથે રાખીને ‘રાજવાત્તિ ક’ વાંચતાં છતાં તેમાં કશું જ પૌનરુત્ય દેખાતું નથી. લક્ષણનિષ્ણાત પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત પ્રત્યેક મુદ્દાવાળાં વાકયોને અકલ કે પૃથક્કરણ અને વર્ગીકરણપૂર્વક વાર્ત્તિકમાં ફેરવી નાખ્યાં છે અને પોતાને ઉમેરવા લાયક દેખાતી ખાખતા કે તેવા પ્રશ્નો વિષે નવાં પણ વાન્તિકા રચ્યાં છે અને બધાં ગદ્ય વાર્ત્તિા ઉપર પોતે જ સ્ફુટ વિવરણ લખ્યુ છે. એથી એકંદર રીતે જોતાં ‘રાજવાર્ત્તિક' એ સવાસિદ્ધિનુ વિવરણ હેાવા છતાં વસ્તુતઃ તે સ્વતંત્ર જ ગ્રંથ છે. ‘સર્વાં સિદ્ધિ’માં દેખાતા દાર્શનિક અભ્યાસ કરતાં રાજવાર્ત્તિકને દાર્શનિક અભ્યાસ બહુ જ ચઢી જાય છે. ‘રાજવાત્તિક’ના એક ધ્રુવમંત્ર છે કે તેને જે બાબત ઉપર જે કાંઈ કહેવુ હાય, તે અનેકાંતના આશ્રય કરીને જ કહે છે. અનેકાંત એ રાજવાર્તિક'ની પ્રત્યેક ચર્ચાની ચાવી છે. પોતાના સમય સુધીમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના વિદ્વાનેાએ જે અનેકાંત ઉપર આક્ષેપો મૂકેલા અને અનેકાંતવાદની જે ત્રુટિઓ બતાવેલી, તે બધાનું નિરસન કરવા અને અનેકાંતનું વાસ્તવિક સ્વરૂપ જણાવા માટે જ અકલ કેનુ પ્રતિષ્ઠિત તત્ત્વાર્થસૂત્રના પાયા ઉપર સિદ્ધલક્ષણવાળી સર્વાસિદ્ધિના આશ્રય લઈ પેાતાના રાજવાર્તિક'ની ભન્ય ઇમારત ઊભી કરી છે. સર્વાસિધ્ધિ'માં જે આગમિક Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વિષયોને અતિ વિસ્તાર છે, તેને રાજવાર્તિકકારે ઘટાડી ઓછો કર્યો છે અને દાર્શનિક વિષને જ પ્રાધાન્ય આપ્યું છે. - દક્ષિણ હિંદુસ્તાનમાં વસતા વિદ્યાનંદે જોયું કે, પૂર્વકાલીન અને સમકાલીન અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન દર્શન ઉપર કરેલ હુમલાઓને ઉત્તર આપવો ઘણે જ બાકી છે, અને ખાસ કરી મીમાંસક કુમારિક આદિએ કરેલ જૈન દર્શનના ખંડનનો ઉત્તર આપ્યા વિના તેમનાથી કોઈ પણ રીતે રહી શકાયું નહિ, ત્યારે જ તેમણે “કવાર્તિકીની રચના કરી. આપણે જોઈએ છીએ કે એમણે પિતાને એ ઉદેશ સિદ્ધ કર્યો છે. તત્વાર્થપ્લેકર્ધાર્તિકમાં જેટલું અને જેવું સબળ મીમાંસાદર્શનનું ખંડન છે, તેવું બીજી કોઈ તત્વાર્થની ટીકામાં નથી. તત્ત્વાર્થપ્લેકવાર્તિકમાં “સર્વાર્થ સિદ્ધિ અને જ વાર્તિક માં ચર્ચાયેલા મુખ્ય કોઈ પણ વિષયે છૂટવા નથી; ઊલટું ઘણે સ્થળે તો “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિક કરતાં શ્લોકવાર્તિક'ની ચર્ચા વધી જાય છે. કેટલીક બાબતની ચર્ચા તે કાર્તિકમાં તદ્દન અપૂર્વ જ છે. “રાજવાર્તિકમાં દાર્શનિક અભ્યાસની વિશાળતા છે, તે “શ્લેકવાર્તિક'માં એ વિશાળતા સાથે સૂક્ષ્મતાનું તત્વ ઉમેરાયેલું નજરે પડે છે. સમગ્ર જૈન વાડમયમાં જે ડી કે ઘણી કૃતિઓ મહત્ત્વ ધરાવે છે, તેમાંની બે કૃતિઓ “રાજવાર્તિક’ અને ‘શ્લેકવાર્તિક પણ છે. તત્ત્વાર્થ ઉપરના ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ “રાજવાર્તિક કે “શ્લેકવાર્તિક'ની સરખામણી કરી શકે તેવો દેખાય નથી. ભાષ્યમાં દેખાતો આછો દાર્શનિક ૧. સરખાવો ૧, ૭-૮ની “સર્વાર્થસિદ્ધિ તથા “રાજવાર્તિક.” Page #127 -------------------------------------------------------------------------- ________________ १०२ અભ્યાસ “સર્વાર્થસિદ્ધિમાં કાંઈક ઘેરે બને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે કવાર્તિક માં ખૂબ જામે છે. “રાજવાર્તિક' અને “શ્લોકવાર્તિકના ઇતિહાસત્ત અભ્યાસીને એમ જણાવાનું જ કે, દક્ષિણ હિંદુસ્તાનમાં જે દાર્શનિક વિદ્યા અને સ્પર્ધાને સમય આવેલે, અને અનેકમુખી પાંડિત્ય વિકસેલું, તેનું જ પ્રતિબિંબ આ બે ગ્રંથમાં છે. પ્રસ્તુત બે વાર્તિકે જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા માટે દરેકને સાધન પૂરું પાડે છે, પણ તેમાંયે “રાજવાર્તિકનું ગદ્ય, સરળ અને વિસ્તૃત હોવાથી તત્ત્વાર્થના બધા ટીકાગ્રંથની ગરજ તે એકલું જ સારે છે. આ બે વાર્તિકે ન હોત, તે દશમા સૈકા પહેલાંના દિગંબરીય સાહિત્યમાં જે વિશિષ્ટતા આવી છે, અને તેની જે પ્રતિષ્ઠા બંધાઈ છે, તે જરૂર અધૂરી રહેત. એ બે વાર્તિકે સાંપ્રદાયિક છતાં અનેક દષ્ટિએ ભારતીય દાર્શનિક સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવે તેવી યોગ્યતા ધરાવે છે. એમનું અવલોકન બૌદ્ધ અને વૈદિક પરંપરાના અનેક વિષય ઉપર તેમજ અનેક ગ્રંથ ઉપર ઐતિહાસિક પ્રકાશ પાડે છે. મૂળ સૂત્ર ઉપર રચાયેલી વ્યાખ્યાઓને ટૂંક પરિચય કર્યા પછી, વ્યાખ્યા ઉપર રચાયેલી વ્યાખ્યાઓનો પરિચય કરવાનું પ્રાપ્ત થાય છે. એવી બે વ્યાખ્યાઓ રે વૃત્તિો પૂરેપૂરી અત્યારે ઉપલબ્ધ છે, જે બન્ને - શ્વેતાંબરીય છે. આ બન્નેનું મુખ્ય સામ્ય ટૂંકમાં એટલું જ છે કે, તે બન્ને વ્યાખ્યાઓ ઉમાસ્વાતિના સ્વપજ્ઞભાષ્યને શબ્દશઃ સ્પર્શે છે અને તેનું વિવરણ કરે છે. ભાષ્યનું વિવરણ કરતાં ભાષ્યને આશરીને સર્વત્ર આમિક Page #128 -------------------------------------------------------------------------- ________________ १०३ > વસ્તુનું જ પ્રતિપાદન કરવું અને જ્યાં ભાષ્ય આગમથી વિરુદ્ધ જતું દેખાતુ હોય ત્યાં પણ છેવટે આગમિક પરંપરાનું જ સમર્થન કરવું એ બન્ને વૃત્તિઓનું સમાન ધ્યેય છે. આટલું સામ્ય છતાં એ એ વૃત્તિઓમાં પરસ્પર ફેર પણ છે. એક વૃત્તિ જે પ્રમાણમાં મેટી છે, તે એક જ આચાર્યની કૃતિ છે. જ્યારે ખીજી નાની વૃત્તિ ત્રણ આચાર્યની મિશ્ર કૃતિ છે. લગભગ અઢાર હાર બ્લેક પ્રમાણ માટી વૃત્તિમાં અધ્યાયને અંતે બહુ તા માધ્યાનુર્નારી' એટલા જ ઉલ્લેખ મળે છે; જ્યારે નાની વૃત્તિના દરેક અધ્યાયના અંતમાં જણાતા ઉલ્લેખા કાંઈ ને કાંઈ ભિન્નતાવાળા છે. કયાંક મિત્રવિરચિતાયામ્' (પ્રથમાધ્યાયની પુષ્ટિકા), તે કયાંક ‘મિત્રોશ્વેતાયામ્' ( દ્વિતીય, ચતુર્થ અને પ`ચમાધ્યાયના અંતમાં) છે; કયાંક ‘ મિનાર પાયામ્ ' ( છઠ્ઠા અધ્યાયના અંતમાં ) તે કયાંક ‘પ્રાર્વ્યાયામ્ ’ (સાતમા અધ્યાયના અંતમાં) છે. કયાંક ‘યશોમત્રાચાયનિચૂંટાયામ્ ' ( છઠ્ઠા અધ્યાયના અંતમાં), તે કયાંક ‘યશોમત્રસૂરિશિષ્યનિર્વાદિતાયામ્ ' (દશમા અધ્યાયના અંતમાં) છે; વચમાં કયાંક ‘ જૈવાન્યનું ાયામ્ ' ( આઠમા અધ્યાયના અંતમાં) તથા “ તથામેવાન્યતાયામ્ ' ( નવમા અધ્યાયના અંતમાં) છે. આ બધા ઉલ્લેખાની ભાષા, શૈલી તથા સમુચિત સ ંગતિના અભાવ જોઈ ને કહેવુ પડે છે કે, આ બધા ઉલ્લેખ કર્તાના પોતાના નથી. હરિભદ્રે પોતાના પાંચ અધ્યાયાના અંતમાં જાતે જ લખ્યું હોત તે વિરચિત તથા ઉદ્ધૃત એવા ભિન્નાથ ક શબ્દો ન વાપરત. કારણ, કે તે શબ્દોમાંથી કોઈ એક નિશ્ચિત અર્થ નથી નીકળી શકતા કે, તે ભાગ હરિભદ્રે પોતે નવા રચ્યા હતા કે કોઈ એક અથવા અનેક વૃત્તિઓને સંક્ષેપ . . ( Page #129 -------------------------------------------------------------------------- ________________ १०४ વિસ્તારરૂપે “ઉદ્ધાર કરીને મૂક્યો હતો. એ પ્રમાણે યશોભદ્રલિખિત અધ્યાયના અંતમાં પણ એકવાક્યતા નથી. “યશોભદ્રનિર્વાહિતાયામ' એવા શબ્દ હેવા છતાં પણ “ સર્જીયા લખવું કાં તે વ્યર્થ છે. અથવા કઈ અર્થાતરનું સૂચક છે. આ બધી ગરબડ જોઈને હું અનુમાન કરું છું કે, અધ્યાયના અંતવાળા ઉલ્લેખ કઈ એક યા અનેક લેખકે દ્વારા એક સમયમાં અથવા જુદા જુદા સમયમાં નકલ કરતી વખતે દાખલ થયા છે તથા તેવા ઉલ્લેખની રચનાનો આધાર યશેભદ્રના શિષ્યનું પેલું પદ્ય–ગદ્ય છે, કે જે તેણે પિતાની રચનાના પ્રારંભમાં લખ્યું છે. ઉપર્યુક્ત ઉલ્લેખ પાછળથી દાખલ થયા છે એ કલ્પનાનું સમર્થન એથી પણ થાય છે કે, અધ્યાયના અંતમાં આવતું “પુપિયામ” એવું પદ અનેક જગાએ ત્રુટિત છે. ગમે તેમ પણ અત્યારે તે તે ઉલ્લેખ પરથી નીચેની વાતે ફલિત થાય છે. 1. તત્વાર્થ ભાષ્ય ઉપર હરિભદ્ર વૃત્તિ રચી, કે જે પૂર્વકાલીન અથવા સમકાલીન નાની નાની ખંડિત—અખંડિત વૃત્તિઓના ઉદ્ધારરૂપ છે; કારણકે, તેમાં તે વૃત્તિઓને યાચિત સમાવેશ થઈ ગયું છે. ૨. હરિભદ્રની અધૂરી વૃત્તિને યશભદ્ર તથા તેમના શિષ્ય ગંધહસ્તીની વૃત્તિને આધારે પૂરી કરી. ૩. વૃત્તિનું ‘ડુપડુપિકા” નામ (ખરેખર જ તે નામ સાચું તથા ગ્રંથકારોએ રાખ્યું હોય તે) એ કારણે પડેલું લાગે છે કે, તે ટુકડે ટુકડે રચાઈને પૂરી થઈ કઈ એક દ્વારા પૂરી ન થઈ શકી. Page #130 -------------------------------------------------------------------------- ________________ १०५ ડુપડુપિકા શબ્દ આ સ્થળ સિવાય અન્યત્ર ક્યાંય જોયો કે સાંભળ્યું નથી. સંભવ છે કે, તે અપભ્રષ્ટ પાઠ હોય અથવા કઈ દેશીય શબ્દ હોય. મેં પહેલાં કલ્પના કરી હતી કે, તેને અર્થ “નાની નાવડી” કદાચ હોય; તેમજ કોઈ વિદ્વાન મિત્રે એમ પણ કહ્યું હતું કે તે સંસ્કૃત “યહૂ શબ્દને ભ્રષ્ટ પાઠ છે. પરંતુ હવે વિચાર કરવાથી એ કલ્પના તેમ જ એ સૂચના ઠીક નથી લાગતી, કારણકે તે કલ્પનાને આધાર ગંધહસ્તીની મોટી વૃત્તિમાંથી નાની વૃત્તિ તારવવા બાબતને ખ્યાલ હતો, જે હવે છેડી દે પડ્યો છે. યશોભદ્રના શિવે અંતે જે વાક્ય લખ્યું છે તેથી તે એવું કાંઈક ધ્વનિત થાય છે કે, આ નાની વૃત્તિ છેડી અમુક રચી, ડી બીજા કોઈકે, અને થોડી ત્રીજા કેઈકે, તેથી તે ડુપડુપિકા બની ગઈ, અર્થાત એક કંથા જેવી બની ગઈ. સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિક સાથે સિદ્ધસેનીય વૃતિનું તેલન કરીએ તે સ્પષ્ટ જણાય છે કે, ભાષાને જે પ્રસાદ, રચનાની વિશદતા અને અર્થનું પૃથક્કરણ “સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં છે, તે સિદ્ધસેનીય વૃત્તિમાં નથી. આનાં બે કારણે છે. એક તે ગ્રંથકારને પ્રકૃતિભેદ અને બીજું કારણ પશ્રિત રચના છે. સવાર્થસિદ્ધિકાર અને રાજવાર્તિકકાર સૂત્રો ઉપર પોતપોતાનું વક્તવ્ય સ્વતંત્રપણે જ કહે છે, જ્યારે સિદ્ધસેનને ભાષ્યનું શબ્દશઃ અનુસરણ કરવાનું હોઈ, પરાશ્રિતપણે ચાલવાનું છે. આટલો તફાવત હોવા છતાં સમગ્ર રીતે સિદ્ધસેનીયવૃત્તિનું અવલોકન કરતાં મન ઉપર બે વાત તો ૧. પહેલી આવૃત્તિ, પરિચય ૪૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ १०६ અંકિત થાય છે જ. તેમાં પહેલી એ કે, “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિક' કરતાં સિદ્ધસેનીયવૃત્તિની દાર્શનિક યોગ્યતા ઓછી નથી. પદ્ધતિભેદ છતાં એકંદર એ વૃત્તિમાં પણ ઉક્ત બે ગ્રંથ એટલે જ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, ગ અને બૌદ્ધ દર્શનની ચર્ચાને વારસે છે; અને બીજી વાત એ છે કે, સિદ્ધસેન પિતાની વૃત્તિમાં દાર્શનિક અને તાર્કિક ચર્ચા કરીને પણ છેવટે જિનભદ્રગણિક્ષમાશ્રમણની પેઠે આગમિક પરંપરાનું પ્રબળપણે સ્થાપન કરે છે અને એ સ્થાપનમાં તેમનો આગમિક અભ્યાસ પ્રચુરપણે દેખાય છે. સિદ્ધસેનની વૃત્તિ જોતાં માલૂમ પડે છે કે, તેમના સમય સુધીમાં તત્ત્વાર્થ ઉપર અનેક વ્યાખ્યાઓ રચાયેલી હતી. કેઈ કોઈ સ્થળે એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં તેઓ પાંચછ મતાંતરે ટાંકે છે. તે ઉપરથી એવું અનુમાન બાંધવાને કારણ મળે છે કે, સિદ્ધસેને વૃત્તિ રચી ત્યારે તેમની સામે ઓછામાં ઓછી તત્ત્વાર્થ ઉપર રચાયેલી પાંચ ટીકાઓ હોવી જોઈએ, જે સર્વાર્થસિદ્ધિ આદિ પ્રસિદ્ધ દિગંબરીય ત્રણ વ્યાખ્યાઓથી જુદી હશે એમ લાગે છે; કારણ કે “રાજવાર્તિક” અને “ વાર્તિક ”ની રચના પહેલાં જ સિદ્ધસેનીય વૃત્તિ રચાઈ હેવાને બહુ સંભવ છે. પહેલાં રચાઈ ન હોય તે પણ એની રચના અને પેલાં બેની રચના વચ્ચે એટલું તો એછું અંતર છે કે, સિદ્ધસેનને “રાજવાર્તિક અને “શ્લોકવાર્તિક પરિચય થવાનો પ્રસંગ જ આવ્યો નથી. “સર્વાર્થસિદ્ધિ'ની રચના પૂર્વકાલીન હેઈ, સિદ્ધસેનના સમયમાં તે ચોક્કસ હતી ખરી પણ દૂરવર્તી દેશભેદને ૧. જુઓ ૫, ૩ની સિદ્ધસેનીયવૃત્તિ પૂ૦ ૩૧૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ १०७ કારણ કે બીજા કોઈ કારણે સિદ્ધસેનને “સર્વાર્થસિદ્ધિ' જોવાની તક મળી હોય એમ લાગતું નથી. સિદ્ધસેન એ પૂજ્યપાદ આદિ દિગંબરીય આચાર્યો જેવા સંપ્રદાયાભિનિવેશી છે એમ તેમની વૃત્તિ જ કહે છે. હવે જે એમણે “સર્વાર્થસિદ્ધિ કે બીજો કોઈ દિગંબરીયાભિનિવેશી ગ્રંથ જોયો હોત, તે તેના પ્રત્યાઘાતરૂપે તેઓ પણ તે તે સ્થળે દિગંબરીયત્વનું સર્વાર્થસિદ્ધિનાં વચનોના નિર્દેશપૂર્વક ખંડન કર્યા વિના સતિષ પકડી શકત જ નહિ. વળી કઈ પણ સ્થળે દિગંબરીય સાંપ્રદાયિક વ્યાખ્યાઓની તેમણે સમાલેચના કરી જ નથી. જે પિતાના પૂર્વવર્તી વ્યાખ્યાકારોને સૂત્ર કે ભાગવિષયક મતભેદોની તેમજ ભાગ્યવિવરણ સંબંધી નાનીમોટી માન્યતાઓની ટૂંકી પણ નેંધ લીધા સિવાય ન રહે, અને પિતે માન્ય રાખેલ શ્વેતાંબર પરંપરા કરતાં તર્કબળથી સહેજ પણ વિરુદ્ધ કહેનાર શ્વેતાંબરીય મહાન આચાર્યોની કટુક સમાલોચના કર્યા વિના સંતોષ ન પકડે. તે સિદ્ધસેન વ્યાખ્યાપરત્વે પ્રબળ વિરેાધ ધરાવનાર દિગંબરીય આર્ચાયેની પૂરેપૂરી ખબર લીધા વિના રહી શકે એ કલ્પવું જ અશક્ય છે. તેથી એવી કલ્પના થાય છે કે, ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્થાનમાં થયેલ અને રહેલ એ શ્વેતાંબર આચાર્યને દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને પિષાયેલ તત્ત્વાર્થ ઉપરની પ્રસિદ્ધ દિગંબર વ્યાખ્યા જોવાની તક સાંપડી ન હોય. એ જ રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં થયેલ અકલંક આદિ દિગંબરીય ટીકાકારેને ઉત્તર હિંદુસ્તાનમાં રચાયેલ તત્કાલીન વેતાંબરીય તત્ત્વાર્થના ટીકાગ્ર થે જોવાની તક મળેલી લાગતી જ નથી; તેમ છતાં સિદ્ધસેનની વૃત્તિ અને રાજવાર્તિકમાં જે કવચિત ધ્યાન ખેંચનારું શબ્દસાદશ્ય દેખાય Page #133 -------------------------------------------------------------------------- ________________ છે, તે બહુ તા એટલુ' જ સૂચવે છે કે, એ કેઈ ત્રીજા જ સમાન ગ્રંથના અભ્યાસના વારસાનું પરિણામ છે. સિદ્ધસેનની વૃત્તિમાં તત્ત્વાર્થંગત વિષયપરત્વે જે વિચાર અને ભાષાને પુષ્ટ વારસા નજરે પડે છે, તે જોતાં એમ ચા` લાગે છે કે, એ વૃત્તિ પહેલાં શ્વેતાંબરીય સ ંપ્રદાયમાં પુષ્કળ સાહિત્ય રચાયેલુ અને ખેડાયેલુ હોવુ જાઈ એ. C ૧. એક બાજુ સિદ્ધસેનીય વૃત્તિમાં દ્બેિગ ખરીય સૂત્રપાઠવિરુદ્ધ સમાલોચના કાંઇક કચાંઈક દેખાય છે, દા॰ ત॰ અવરે પુર્વિદ્યાસોતિષદૃનિ સ્વયં વિરચય્યાસ્મિન પ્રસ્તાવે મૂત્રાશીયતે' ઇત્યાદિ ૩, ૧૧ ની. વૃત્તિ પૃ૦ ૨૬૧, તથા અરે સૂત્રથમેતષીયતે– ‘દ્રવ્યાનિ' ‘નીવાશ્ર' '' ઇત્યાદિ ૫, ૨ ની વૃત્તિ પૃ૦ ૩૨૦; તેમજ ‘અન્ય પઠન્તિ સૂત્ર' ૭, ૨૩, પૃ ૧૦૯, તેમજ કાંઈક કાંઇક સર્વાર્થસિદ્ધિ અને ‘ રાજવૃત્તિક 'માં દેખાય છે તેવી વ્યાખ્યાઓનુ ખંડન પણ છે. દા॰ ત॰ ये त्वेतद्भाष्यं गमनप्रतिषेधद्वारेण चारणविद्याधर द्धि प्राप्तानामाचक्षते तेषामागमविरोधः " ઇત્યાદિ ૩, ૧૩ની વૃત્તિ પૃ॰ ૨૧૩; તથા કચાંઈક કાંઈક વાત્તિ સાથે શબ્દસાશ્ય છે, નિત્યપ્રજ્ઞલ્પિતવ'' ઇત્યાદિ ૫, ૩ની વૃત્તિ પૃ॰ ૩૨૧. "" १०८ 2 બીજી ખાજી શ્વેતાંબર ૫થનુ ખંડન કરનારી સૌથસિદ્ધિ આર્દિની ખાસ વ્યાખ્યાઓનુ સિદ્ધસેન વૃત્તિમાં નિરસન નથી; આથી એમ સ`ભાવના થાય છે કે, સર્વાસિદ્ધિમાં સ્વીકારાયેલ સૂત્રપાઠને અવલંબી રચાયેલ કાઈ દિગબરાચાયની કે અન્ય તટસ્થ આચાયની વ્યાખ્યા જેમાં શ્વેતાંબરીય વિશિષ્ટ માન્યતાઓનુ` ખંડન નહિ હોય અને જે પૂન્યાપાદ કે અકલ કને પણ પેાતાની ટીકા લખવામાં આધારભૂત થઈ હશે, તે સિદ્ધસેનની સામે હશે. Page #134 -------------------------------------------------------------------------- ________________ १०९ ભાષ્ય ઉપર ત્રીજી વૃત્તિ ઉપાધ્યાય યોાવિજયજીની છે. જો એ પૂર્ણ મળતી હાત તા તે સત્તરમા અઢારમા સૈકામાં થયેલ ભારતીય દર્શનશાસ્ત્રના વિકાસને કુંત્તિવૃત્તિ એક નમૂના પૂરા પાડત એમ અત્યારે ઉપલબ્ધ એ વૃત્તિના એક નાના ખંડ ઉપરથી જ કહેવાનુ મન થઈ જાય છે. એ ખંડ પૂરા પ્રથમ અધ્યાય ઉપર પણ નથી, અને તેમાં ઉપરની એ વૃત્તિઓની પેઠે જ શબ્દશઃ ભાષ્યને અનુસરી વિવરણ કરવામાં આવ્યું છે; તેમ છતાં તેમાં જે ઊંડી તર્કાનુગામી ચર્ચા, જે બહુશ્રુતતા અને જે ભાવસ્ફોટન દેખાય છે, તે યશોવિજયજીની ન્યાયવિશારદતાની ખાતરી કરાવે છે. જો એ વૃત્તિ એમણે સંપૂર્ણ રચી હશે, તે અઢીસા જ વર્ષમાં તેને સનાશ થઈ ગયા હાય એમ માનતાં જીવ અચકાય છે, એટલે એની શેાધ માટેના પ્રયત્ન નિષ્ફળ જવાનો સ ંભવ નથી. રત્નસિ‘હનુ' ટિપ્પણ અનેકાંત વર્ષ ૩, કિરણ ૧ ( ઈ. ૧૯૩૯ ) માં ૫. જુગલકિશારજીએ સટિપ્પણ તત્ત્વા સૂત્રની એક પ્રતિને પરિચય આપ્યો છે. એ ઉપરથી જણાય છે કે આ ટિપ્પણ કેવલ મૂલસૂત્રને સ્પર્શે છે. ટિપ્પણકાર શ્વે રત્નસિંહના સમય તેમાં આપ્યા નથી પણ ભાષા અને લેખન શૈલી ઉપરથી જણાય છે કે તે ૧૬ મી સદીના પૂર્વે હાય એવા સંભવ છે. પ્રતિના આઠ પત્ર છે, અમુદ્રિત છે. છે ઉપર જે તત્ત્વાર્થી ઉપરના મહત્ત્વપૂર્ણ અને અભ્યાસચેાગ્ય થાડાક પ્રથાના પરિચય આપ્યા છે. તે ફક્ત Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અભ્યાસીઓની જિજ્ઞાસા જાગરિત કરવા અને એ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાની સૂચના પૂરતું છે. વસ્તુતઃ તે પ્રત્યેક ગ્રંથને પરિચય એક એક સ્વતંત્ર નિબંધની અપેક્ષા રાખે છે અને એ બધાને સંમિલિત પરિચય તે એક દળદાર પુસ્તકની અપેક્ષા રાખે છે. તે કામ આ સ્થળની મર્યાદા બહારનું છે, તેથી આટલા જ પરિચયમાં સતિષ ધારણ કરી વિરમવું ગ્ય લેખું છું. સુખલાલ Page #136 -------------------------------------------------------------------------- ________________ પુરવણી મેં પં. નાથુરામ પ્રેમીજી અને પં. જુગલકિશોરજીને ઉમાસ્વાતિ તેમજ તત્ત્વાર્થને લગતી બાબતે વિષે કેટલાક પ્રશ્નો પૂછેલા એને જે ઉત્તર તેમના તરફથી મને મળ્યો છે, તેને મુખ્ય ભાગ તેમની જ ભાષામાં મારા પ્રશ્નોની સાથે જ નીચે આપવામાં આવે છે. એ બંને મહાશયે ઐતિહાસિક દષ્ટિ ધરાવે છે અને અત્યારના દિગંબરીય વિદ્વાનમાં ઐતિહાસિક દષ્ટિએ એ બન્નેની ગ્યતા ઉચ્ચ કેટિની છે. એટલે તેમના વિચારો અભ્યાસ માટે કામના હેઈ, પુરવણરૂપે અહીં મૂકું છું. પં. જુગલકિશોરજીના ઉત્તરમાંથી જે અંશપરત્વે મારે કાંઈક પણ કહેવાનું છે, તે તેમના પત્ર પછી “મારી વિચારણા' એ મથાળા નીચે હું નીચે જણાવી આપીશ. ૧. ઉમાસ્વાતિ કુંદકુંદકા શિષ્ય યા વંશજ હૈ ઈસ ભાવકા ઉલ્લેખ સબસે પુરાના કિસ ગ્રંથમેં, પટ્ટાવલીમેં યા શિલાલેખમેં આપકે દેખનેમેં અબ તક આયા હૈ? અથવા મેં કહિયે કિ દસવીં સદકે પૂર્વવત કિસ ગ્રંથ, પદાવલી આદિમેં ઉમાસ્વાતિકા કુંદકુંદકે શિષ્ય હેના યા વંશજ હના અબ તક પાયા ગયા હૈ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨. આપકે વિચારમેં પૂજ્યપાદકા સમય ક્યા હૈ? તત્વાર્થકા શ્વેતાંબરીય ભાષ્ય આપકી વિચારણસે સ્વપજ્ઞ હૈ યા નહીં; યદિ પણ નહીં હૈ તે ઉસ પક્ષમેં મહત્ત્વકી દલીલેં ક્યા હૈ? ૩. દિગંબરીય પરંપરામેં કઈ “ઉચ્ચનાગર” નામક શાખા કભી હુઈ હૈ, ઔર વાચકવંશ યા વાચક પદધારી કઈ મુનિગણ પ્રાચીન કાલમેં કભી હુઆ હૈ, ઔર હુઆ હૈ તે ઉસકા વર્ણન યા ઉલ્લેખ કહાં પર હૈ ? ૪. મુઝે સંદેહ હૈ કિ તત્વાર્થસૂત્ર કે રચયિતા ઉમાસ્વાતિ કુંદકુંદકે શિષ્ય થ; કોં કિ કોઈ ભી પ્રાચીન પ્રમાણ અભી તક મુઝે નહીં મિલા. જે મિલે વે સબ બહારવીં સદી કે બાદકે હૈ. ઇસલિયે ઉક્ત પ્રશ્ન પૂછ રહા હૂં. જે સરસરી તેરસે ધ્યાનમેં આવે સે લિખના. ૫. પ્રસિદ્ધ તત્વાર્થશાસ્ત્રકી રચના કુંદકુદકે શિષ્ય ઉમાસ્વાતિને કી હૈ, ઈસ માન્યતા કે લિયે દસવી સદીસે પ્રાચીન ક્યા ક્યા સબૂત યા ઉલ્લેખ હૈ ઔર વે કેસે ? ક્યા દિગંબરીય સાહિત્યમેં દસવીં સદીસે પુરાના કેઈ ઐસા ઉલ્લેસ હૈ જિસમેં કુંદકુંદકે શિષ્ય ઉમાસ્વાતિક દ્વારા તત્ત્વાર્થ સૂત્રની રચના કિયે જાનેકા સૂચન યા કથન છે ? ૬. વાર્થસૂત્રસ્તરે પ્રવિપતિ ” યહ પદ્ય કહાંકા હૈ ઔર કિતના પુરાના હૈ? ૭. પૂજ્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ પ્રાચીન ટીકાકારેને કહીં ભી તત્ત્વાર્થસૂત્રકે રચયિતા રૂપસે ઉમાસ્વાતિકા ઉલ્લેખ કિયા હૈ? ઔર નહીં કિયા હૈ, તે પીછે? યહ માન્યતા ક્યોં ચલ પડી ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ११३ પ્રેમીજીને પત્ર આપકા તા. ક કા કૃપાપત્ર મિલા. ઉમાસ્વાતિ કુંદકુંદકે વંશજ હૈં, ઇસ બાત પર મુઝે જરાભી વિશ્વાસ નહીં હૈ. યહ વંશકલ્પના ઉસ સમય કી ગઈ હૈ, જબ તત્ત્વાર્થસૂત્ર પર સર્વાર્થસિદ્ધિ, શ્લેકવાર્તિક, રાજવાર્તિક આદિ ટીકા બન ચુકી થી ઔર દિગંબર સંપ્રદાયને ઈસ ગ્રંથકો પૂર્ણતયા અપના લિયા થા. દસવી શતાબ્દિકે પહેલેકા કેઈભી ઉલ્લેખ અભી તક મુઝે ઇસ સંબંધમેં નહીં મિલા. મેરા વિશ્વાસ હૈ કિ, દિગંબર સંપ્રદાયમેં જે બડે બડે વિદ્વાન ગ્રંથાઁ હુએ હૈ, પ્રાયઃ વે કિસી મઠ યા ગદ્દીકે, પટ્ટધર નહીં મેં પરંતુ જિન લેગેને ગુર્નાવલી યા પટ્ટાવલી બનાઈ હૈ, ઉનકે મસ્તકમેં યહ બાત ભરી હુઈ થી કિ, જિતને ભી આચાર્ય યા ગ્રંથકર્તા હેતે હૈ, વે કિસી ન કિસી ગદ્દીકે અધિકારી હોતે હૈ. ઇસલિયે ઉન્હોને પૂર્વવત સભી વિદ્વાન કી ઇસી ભ્રમાત્મક વિચારકે અનુસાર ખતીની કરડાલી હૈ ઔર ઉન્હેં પટ્ટધર બના ડાલા હૈ. યહ તે ઉન્હેં માલૂમ નહીં થા કિ ઉમાસ્વાતિ ઔર કુંદકુંદ કિસ કિસ સમયમેં હુએ હૈં; પરંતુ ચૂંકિ વે બડે આચાર્ય થે ઔર પ્રાચીન થે, ઈસલિયે ઉનકા સંબંધ જેડ દિયા ઔર ગુરુશિષ્ય યા શિષ્યગુરુ બના દિયા. યહ સેચને ઉનને કષ્ટ નહીં ઉઠાયા કિ કુંદકુંદ કર્ણાટક દેશકે કંડકુંડ ગ્રામકે નિવાસી થે ઔર ઉમાસ્વાતિ બિહારમેં ભ્રમણ કરનેવાલે. ઉનકે સંબંધીકી કલ્પના ભી એક તરહસે અસંભવ હૈ. શ્રુતાવતાર, આદિપુરાણ, હરિવંશપુરાણ, જબૂદીપપ્રાપ્તિ આદિ પ્રાચીન ગ્રંથોમેં જે પ્રાચીન આચાર્યપરંપરા દી હઈ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. હૈ, ઉસમેં ઉમાસ્વાતિકા બિલકુલ ઉલ્લેખ નહીં હૈ. મૃતાવતારમેં કુંદકુંદકા ઉલ્લેખ હૈ ઔર ઉન્હેં એક બડા ટીકાકાર બતલાયા હૈ, પરંતુ ઉનકે આગે યા પીછે ઉમાસ્વાતિકા કઈ ઉલ્લેખ નહીં હૈ. ઈકનંદીકા “મૃતાવતાર' યદ્યપિ બહુત પુરાના નહીં હૈ, ફિરભી ઐસા જાન પડતા હૈ વહ કિસી પ્રાચીન રચનાકા રૂપાન્તર હૈ ઔર ઈસ દષ્ટિસે ઉસકા કથન પ્રમાણકટિકા હૈ. દર્શનસાર ૯૯૦ સંવતકા બનાયા હુઆ હૈ, ઉસમે પદ્મનંદી યા કુદકુંદકા ઉલ્લેખ હૈ, પરંતુ ઉમાસ્વાતિકા નહીં. જિનસેનકે સમય “રાજવર્તિક ઔર શ્લેકવાર્તિક' બની ચુકે છે; પરંતુ ઉન્હોંને ભી બસ આચાર્ય ઐર ગ્રંથકર્તાકા પ્રશંસાકે પ્રસંગમેં ઉમાસ્વાતિકા ઉલ્લેખ નહી ક્રિયા, કોંકિ વે ઉન્હેં અપની પર પરાકા નહીં સમઝતે થે. એક બાત ઔર હૈઃ આદિપુરાણ, હરિવંશપુરાણ આદિકે કર્તાઓને કુંદકુંદકા ભી ઉલ્લેખ નહીં કિયા હૈ યહ એક વિચારણીય બાત હૈ. મેરી સમઝમેં કુંદકુંદ એક ખાસ આમ્નાય યા સંપ્રદાયકે પ્રવર્તક છે. ઈનોને જૈનધર્મક વેદાંતકે સોચેમે ઢાલા થા. જાન પડતા હૈ કિ જિનસેન આદિકે સમય તક ઉનકા મત સર્વમાન્ય નહી હુઆ ઔર ઇસી લિયે ઉનકે પ્રતિ ઉન્હ કેઈ આદરભાવ નહીં થા. તાર્થાત્ર પ્રષિઋક્ષિત” આદિ બ્લેક માલૂમ નહીં કહાં હૈ ઔર કિતના પુરાના હૈ. તત્વાર્થસૂત્રકી મૂલ પ્રતિ મેં યહ પાયા જાતા હૈ. કહીં કહીં કુંદકુંદકો ભી ગૃધ્રપિચ્છ લિખા હૈ. ગૃધ્રપિચ્છ નામકે એક ઔર ભી આચાર્ય કા ઉલેખ હૈ. જૈનહિતૈષી” ભાગ ૧૦ પૃષ્ઠ ૩૬૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ ११५ ઔર ભાગ ૧૫ અંક ૬ કે કુંદકુંદસબધી લેખ પઢવા કર દેખ લીજિયેગા. ‘બાહુડ’કી ભૂમિકા ભી પઢવા લીજિયેગા. શ્રુતસાગરને આશાધરકે મહાભિષેકકી ટીકા સંવત ૧૫૮૨ મેં સમાપ્ત કી હૈ. અત એવ ચે વિક્રમી સાલહવી શતાબ્દીકે હૈ. તત્ત્વાર્થંકી વૃત્તિકે આર ‘પાહુડ ’ કી તથા ‘ યશસ્તિલક ’ ટીકાકે કર્તા ભી યહી હૈ. દૂસરે શ્રૃતસાગરકે વિષયમે મુઝે માલૂમ નહી. હૈ. આબુ જુગલકિશારજીને પત્ર “ આપકે પ્રશ્નો કામૈં સરસરી તારસે કુછ ઉત્તર દિયે તા હૂઁ. ૧. અભી તક જો દિગમ્બર પટ્ટાવલિયા 'થાાિંમે દી હુઈ ગુર્વાવલિયાંસે ભિન્ન ઉપલબ્ધ હુઈ હૈ. વે પ્રાયઃ વીક્રમકી ૧૨વી શતાબ્દીકે બાદકી બની હુઈ જાન પડતી હૈ, ઐસા કહના ઠીક હાગા. ઉનમે સબસે પુરાની કૌનસી હૈ ઔર વહુ કબકી બની હુઈ અથવા કિસકી બનાઈ હુઈ હૈ, ઇસ વિષયમેં મૈં ઇસ સમય કુછ નહીં કહ સકતા. અધિકાંશ પટ્ટાવલિયાં પર નિર્માણકે સમયાદિકકા કુછ ઉલ્લેખ નહીં હૈ ઔર ઐસા ભી અનુભવ હાતા હૈ કિ કિસી કિસીમે અંતિમ આદિ કુછ ભાગ પીઅેસે ભી શામિલ હુઆ હૈ. કુંદકુંદ તથા ઉમાસ્વાતિકે સંબંધવાલે કિતને હી શિલાલેખ તથા પ્રશસ્તિયા હૈ. પરતુ વૈ સબ ઈસ સમય મેરે સામને નહીં હૈ. હૈં। શ્રવણુએન્ગેાલકે જૈન શિલાલેખાંકા સંગ્રહ સ સમય મેરે સામને હૈ, જો માણેકચંદ ગ્રંથમાલાકા ૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ વો ગ્રંથ હૈ. ઇસમેં ૪૦, ૪૨, ૪૩, ૪૭, ૫૦, ૧૦૫ ઔર ૧૦૮ નંબરકે ૭ શિલાલેખ નેકે ઉલ્લેખ તથા સંબંધને લિયે હુએ હૈ. પહેલે ચ લેખેમેં “ત ' પદકે દ્વારા આર નં૧૦૮ મેં “વં ત િપદ કે દ્વારા ઉમાસ્વાતિક કુંદકુંદકે વંશમે લિખા હૈ. પ્રકૃત વાક્યોંકા ઉલ્લેખ સ્વામીસમંતભદ્રકે ” પૃ૦ ૧૫૮ પર ફટનેટમેં ભી કિયા ગયા હૈ. ઇનમેં સબસે પુરાના શિલાલેખ નં. ૪૭ હૈ, જો શક સં. ૧૦૩૭ કા લિખા હુઆ હૈ. ૨. પૂજ્યપાદકા સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી હૈ. ઇસકો વિશેષ જાનને કે લિયે “ સ્વામીસમંતભદ્ર” કે પૃ૦ ૧૪૧ સે ૧૪૩ તક દેખિયે. તસ્વાર્થકે શ્વેતાંબરીય ભાષકે મેં અભી તક પણ નહીં સમઝતા હૈં. ઉસ પર કિતના હી સંદેહ હૈ, જિસ સબકા ઉલ્લેખ કરને કે લિયે મેં ઇસ સમય તૈયાર નહીં હૂં. * ૩. દિગંબરીય પરંપરામેં મુનિકી કોઈ “૩ના ” શાખા ભી હુઈ હૈ, ઈસકા મુઝે અભી તક કુછ પતા નહીં હૈ ઔર ન ઉવાચકવંશ યા વાચકપદધારી મુનિયેક હી કઈ વિશેષ હાલ માલુમ હૈ. હોં “જિનેંદ્ર કલ્યાણાન્યુદય ગ્રંથમે “અન્વયાવલિકા વર્ણન કરતે હુએ કુંદકુંદ ઔર ઉમાસ્વાતિ દોને કે લિયે “વાચક' પદક પ્રયોગ કિયા ગયા હૈ, જેસા કિ ઉસકે નિમ્ન પદ્યસે પ્રકટ હૈ: "पुष्पदन्तो भूतबलिर्जिनचन्द्रो मुनिः पुनः । कुन्दकुन्दमुनीन्द्रोमास्वातिवाचकसंज्ञितौ ॥ ૪. કુંદકુંદ ઔર ઉમાસ્વાતિક સંબંધકા ઉલ્લેખ નં. ૨ મેં કિયા જા ચૂકા હૈ. મૈ અભી તક ઉમાસ્વાતિકે કુંદકુંદકા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિકટાન્વયી માનતા હૈં – શિષ્ય નહીં. હે સકતા હૈ કિ વે કુંદકુંદકે પ્રશિષ્ય રહે હોં ઔર ઉસકા ઉલ્લેખ મૈને “સ્વામીસમંતભદ્ર’ પૃ૦ ૧૫૮, ૧૫૯ પર ભી કિયા હૈ. ઉક્ત ઈતિહાસમેં “ઉમાસ્વાતિ-સમય” ઔર કુંદકુંદસમય નામકે દેનેં લેખુંકે એક વાર પઢ જાના ચાહિયે. ૫. વિક્રમકી ૧૦વી શતાબ્દીસે પહેલેકા કોઈ ઉલ્લેખ મેરે દેખનેમેં ઐસા નહીં આયા જિસમેં ઉમાસ્વાતિકે કુંદ કુંદકા શિષ્ય લિખા હે. ૬. “તત્વાર્થસૂત્રવાર્તારું ઘપિરોપજીક્ષિત” ઈત્યાદિ પદ્ય તત્વાર્થસૂત્રકી બહુતસી પ્રતિકે અંતમે દેખા જાતા હૈ, પરંતુ વહ કહા હૈ ઔર કિતના પુરાના હૈ યહ અભી કુછ નહીં કહા જા સક્તા.. ૭. પૂજ્યપાદ ઔર અકલંક દેવકે વિષયમેં તો મેં અભી ઠીક નહીં કહ સકતા પરંતુ. વિદ્યાનંદને તે તત્વાર્થસૂત્રકે ક્તરૂપસે ઉમાસ્વાતિકા ઉલ્લેખ કિયા હૈ – બ્લેકવાર્તિક મેં ઉનકા દ્વિતીય નામ ગૃધ્રપિચ્છાચાર્ય દિયા હૈ. ઔર શાયદ આપ્તપરીક્ષા ટીકા આદિમેં ઉમાસ્વાતિ નામકા ભી ઉલ્લેખ હૈ. ઇસ તરહ પર યહ આપકે દેને પત્રોંકા ઉત્તર છે; જે ઇસ સમય બની સકા હૈ. વિશેષ વિચાર ફિર કિસી સમય કિયા જાયેગા.” મારી વિચારણા નવમા-દશમા સૈકાના દિગંબરાચાર્ય વિદ્યાનંદે “આપ્તપરીક્ષા (શ્લેક ૧૧૯) ની પજ્ઞવૃત્તિમાં “વાર્થસૂત્રજામજ્ઞાનમૂરિમિ: ” એવું કથન કર્યું છે અને તત્ત્વાર્થ. શ્લેકવાર્તિકની પત્તવૃત્તિ (પૃ. ૬-૫૦–૩૧) માં એ જ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આચાર્ય ‘તેની નૃપ્રવિત્રાર્યપર્યન્તમુનિસૂત્રેળવ્યમિનારિતા નિરસ્તા” એવું કથન કર્યુ છે. આ બન્ને કથને તત્ત્વાર્થોશાસ્ત્ર ઉમાસ્વાતિરચિત હેાવાનુ અને ઉમાસ્વાતિ તથા ગૃધ્રપિચ્છ આચાર્ય અને અભિન્ન હેાવાનુ સૂચવે છે એવી ૫૦ જુગલ કિરોારજીની માન્યતા છે. પરંતુ એ માન્યતા વિચારણીય છે, તેથી એ બાબતમાં મારી વિચારણા શી છે તે ટૂંકમાં જણાવી દેવુ ચાગ્ય થશે. C પહેલા કથનમાં તત્ત્વાર્થસૂત્રકાર એ, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાનુ વિશેષણ છે, નહિ કે માત્ર ઉમાસ્વાતિનુ . હવે આજીજીએ બતાવેલ રીતે અ કરીએ તે ફલિત એમ થાય છે કે, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાં તત્ત્વાર્થસૂત્રના કર્તા છે. અહીં તત્ત્વાર્થસૂત્રને અ જો તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર કરવામાં આવે, તો એ ફલિત અર્થ ખાટા ઠરે છે. કારણ કે તત્ત્વાર્થીધિગમશાસ્ત્ર એકલા ઉમાસ્વામીએ રચેલુ' મનાયેલુ છે, નહિ કે ઉમાસ્વામી વગેરે અનેક આચાર્યાએ. તેથી વિશેષણગત તત્ત્વાર્થસૂત્રપદના અર્થ માત્ર તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર ન કરતાં જિનકથિત તત્ત્વપ્રતિપાદક બધા જ ગ્રંથા એટલેા કરવા જોઈ એ, એ અર્થ કરતાં ફલિત એ થાય છે કે, જિનકથિત તત્ત્વપ્રતિપાદક ગ્રંથના રચનાર ઉમાસ્વામી વગેરે આચાર્યાં. આ ફલિત અ મુજબ સીધી રીતે એટલું જ કહી શકાય કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી પણ જિનકથિત તત્ત્વપ્રતિપાદક કોઈ પણ ગ્રંથના પ્રણેતા છે. એ ગ્રંથ તે ભલે વિદ્યાન ંદની દૃષ્ટિમાં તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર જ હોય, પણ એમને એ આશય ઉક્ત કથનમાંથી ખીજા આધારે। સિવાય સીધી રીતે નીકળતા નથી. એટલે વિદ્યાનંદના આપ્તપરીક્ષાગત પૂર્વોક્ત પ્રથમ કથન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉપરથી આપણે એમને આશય સીધી રીતે એટલે જ કાઢી શકીએ છીએ કે, ઉમાસ્વામીએ જૈન તત્ત્વ ઉપર કઈ ગ્રંથ અવશ્ય રચેલો છે. પૂર્વોક્ત બીજું કથન તત્ત્વાર્થાધિગમશાસ્ત્રનું પહેલું મેક્ષ માર્ગવિષયકસૂત્ર સર્વજ્ઞ વીતરાગપ્રણીત છે એ વસ્તુને સિદ્ધ કરનારી અનુમાનચર્ચામાં આવેલું છે. એ અનુમાનચર્ચામાં મોક્ષમાર્ગવિષયક સૂત્ર પક્ષ છે, સર્વજ્ઞવીતરાગપ્રણીતત્વ એ સાધ્ય છે, અને સૂત્રત્વ એ હેતુ છે. એ હેતુમાં વ્યભિચારદેષનું વારણ કરતાં વિદ્યાનંદે તેન ઇત્યાદિ કથન કરેલું છે. વ્યભિચારદોષ પક્ષથી જુદા સ્થળમાં સંભવિત બને છે. પક્ષ તે મોક્ષમાર્ગવિષયક પ્રસ્તુત તસ્વાર્થ સૂત્ર જ છે, એટલે વ્યભિચારનું વિષયભૂત મનાયેલું ગૃધ્રપિચ્છાચાર્ય સુધીના મુનિઓનું સૂત્ર એ વિદ્યાનંદની દષ્ટિમાં ઉમાસ્વાતિના પક્ષભૂત મોક્ષમાર્ગવિષયક પ્રથમસત્રથી ભિન્ન જ હોવું જોઈએ, એ વાત ન્યાયવિદ્યાના અભ્યાસીને ભાગ્યે જ સમજાવવી પડે તેમ છે. વિદ્યાનંદની દૃષ્ટિમાં પક્ષરૂપ ઉમાસ્વાતિના સૂત્ર કરતાં વ્યભિચારનું વિષયભૂત કલ્પાતું સૂત્ર જુદું જ છે, માટે જ તેમણે એ વ્યભિચારદોષનું વારણ કર્યા બાદ હેતુમાં અસિદ્ધતા દોષ નિવારતાં “પ્રકૃત ” એમ કહેલું છે. પ્રકૃતિ એટલે જેની ચર્ચા પ્રસ્તુત છે તે ઉમાસ્વામીનુ મોક્ષમાર્ગવિષયકસૂત્ર. અસિદ્ધતાદોષ નિવારતા સૂત્રને પ્રકૃતિ એવું વિશેષણ આપ્યું છે અને વ્યભિચાર નિવારતાં તે વિશેષણ નથી આપ્યું તેમ જ પક્ષરૂપસૂત્રની અંદર વ્યભિચાર નથી આવતો એમ પણ નથી કહ્યું. ઊલટું ખુલ્લી રીતે એમ કહ્યું છે કે, ગૃધ્રપિચ્છ આચાર્ય સુધીનાં મુનિઓનાં સૂત્રોમાં વ્યભિચાર નથી આવતો. આ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બધું નિર્વિવાદપણે એ જ સૂચવે છે કે, વિદ્યાનંદ ઉમાસ્વામીથી ગૃધ્રપિચ્છને જુદા જ સમજે છે. બન્નેને એક નહિ. આ જ મુદ્દાની પુષ્ટિમાં એક લીલ એ પણ છે કે, વિદ્યાનંદ જે ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામીને અભિન્ન જ સમજતા હતા, તે એક જગાએ ઉમાસ્વામી અને બીજી જગાએ ગૃધ્રપિચ્છ આચાર્ય” એટલું વિશેષણ જ તેમને માટે ન વાપરત બકે ગૃધ્રપિચ્છ પછી તેઓ ઉમાસ્વામી શબ્દ વાપરત. ઉક્ત બને કથનની મારી વિચારણુ જે ખોટી ન હોય, તે તે પ્રમાણે ફલિત એમ થાય છે કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા હશે, પણ તેમની દૃષ્ટિમાં ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામી એ બન્ને ખાતરીથી જુદા જ હેવા જોઈએ. ગૃધ્રપિચ્છ, બલાકપિરછ, મયૂરપિરછ વગેરે વિશેષણેની સૃષ્ટિ નગ્નત્વમૂલક વસ્ત્રપાત્રના ત્યાગવાળી દિગંબર ભાવનામાંથી થયેલી છે. જે વિદ્યાનંદ ઉમાસ્વામીને ખાતરીથી દિગંબરીય સમજતા હોત, તો તેમના નામની સાથે પાછળના વખતમાં લગાડાતું ગૃધ્રપિચ્છ આદિ વિશેષણ તેઓ જરૂર જત. તેથી એમ કહેવું પ્રાપ્ત થાય છે કે, વિદ્યાનંદે ઉમાસ્વામીને શ્વેતાંબર, દિગંબર કે કેઈ ત્રીજો સંપ્રદાય સૂચવ્યું જ નથી. સુખલાલ Page #146 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ વિષે સૂચન જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનારે જેન, જૈનેતર (પછી તે વિદ્યાર્થી હોય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે, એવું એક પુસ્તક ક્યું છે કે જેને ટૂંકાણથી અગર લંબાણથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય. એ પ્રશ્નનો ઉત્તર આપનાર “તત્વાર્થ સિવાય બીજા કેઈ પુસ્તકનો નિર્દેશ ન જ કરી શકે. તત્ત્વાર્થની આટલી યોગ્યતા હોવાથી આજકાલ જ્યાં ત્યાં જૈન દર્શનના અભ્યાસક્રમમાં તે સર્વપ્રથમ આવે છે. આમ હોવા છતાં તેને અભ્યાસ જે રીતે ચાલતે જોવામાં આવે છે, તે રીત વિશેષ ફળપ્રદ થતી જણાતી નથી; તેથી તેની અભ્યાપદ્ધતિ વિષે અત્રે કાંઈક સૂચન અગ્ય નહિ ગણાય. સામાન્ય રીતે “તત્વાર્થ ના અભ્યાસી શ્વેતાંબરે તે ઉપરની દિગંબરીય ટીકાઓ નથી જેતાઃ અને દિગંબરે તે ઉપરની શ્વેતાંબરીય ટીકાઓ નથી જોતા. આનું કારણ સાંકડી દષ્ટિ, સાંપ્રદાયિક અભિનિવેશ કે માહિતીને અભાવ એ ગમે તે હોય; પણ જે એ વાત સાચી હોય, તે તેને લીધે અભ્યાસીનું જ્ઞાન કેટલું સંકુચિત રહે છે, તેની જિજ્ઞાસા કેટલી અણખેડાયેલી રહે છે, અને તેની તુલના તેમજ પરીક્ષણશક્તિ કેટલી બુટ્ટી રહે છે, અને તેને પરિણામે તત્ત્વાર્થના અભ્યાસીનું Page #147 -------------------------------------------------------------------------- ________________ १२२ પ્રામાણ્ય કેટલું ઓછું ઘડાય છે, એ વાત સમજવા માટે અત્યારની ચાલુ બધી જૈન સંસ્થાઓના વિદ્યાથીઓથી વધારે દૂર જવાની જરૂર નથી. જ્ઞાનના માર્ગમાં, જિજ્ઞાસાના ક્ષેત્રમાં અને સત્યની શોધમાં ચકાવૃત્તિને અર્થાત દષ્ટિસંકેચ કે સંપ્રદાયમહને સ્થાન હોય, તે તેથી મૂળ વસ્તુ જ સિદ્ધ ન થાય, જેઓ સરખામણના વિચારમાત્રથી ડરી જાય છે, તેઓ કાંતે પિતાના પક્ષની સબળતા અને પ્રામાણિકતા વિષે શંકિત હોય છે, કાંત બીજી સામેની બાજુ સાથે ઊભવાનું સામર્થ્ય ઓછું ધરાવે છે, કાંતે અસત્યને છોડતાં અને સત્યને સ્વીકારતાં ગભરાય છે અને કાંત સાચી પણ પિતાની બાબતને સાબિત કરવા જેટલું વૈર્ય અને બુદ્ધિબળ નથી ધરાવતા. જ્ઞાનને અર્થ જ એ છે કે, સંકુચિતતાઓ, બંધન અને આડોને પાર કરી આત્માને વિસ્તારો અને સત્ય માટે ઊંડા ઊતરવું. આ કારણથી શિક્ષકો સમક્ષ નીચેની પદ્ધતિ રજૂ કરું છું. તેઓ એ પદ્ધતિને છેવટની સૂચના ન માની લેતાં, તેમાં પણ અનુભવથી ફેરફાર કરે અને પોતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સાધન બનાવી ખરી રીતે પોતે જ તૈયાર થાય. ૧. પ્રથમ મૂળ સૂત્ર લઈ તેને સીધી રીતે જે અર્થ થતું હોય તે કર. ૨. ભાષ્ય કે સર્વાર્થસિદ્ધિ એ બેમાંથી એક ટીકાને મુખ્ય રાખી તે પ્રથમ શીખવવી અને પછી તુરત જ બીજી વંચાવવી. એ વાચનમાં વિદ્યાથીઓનું ધ્યાન નીચેની ખાસ બાબતો તરફ ખેંચવું. (૪) કઈ કઈ બાબત ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિમાં એક સરખી છે ? અને એકસરખી હોવા છતાં ભાષા અને પ્રતિપાદન-પદ્ધતિમાં કેટકેટલે ફેર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પડ્યો છે ? (ર) કઈ કઈ બાબતે એકમાં છે અને બીજામાં નથી અગર તો રૂપાંતરથી છે ? જે બાબતે બીજામાં છેડાઈ હેય અગર નવી ચર્ચાઈ હોય તે કઈ, અને તેમ થવાનું શું કારણ? () ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બંનેનું પૃથક્કરણ ઉપર પ્રમાણે કર્યા પછી જે વિદ્યાથી વધારે યોગ્ય હોય, તે તેને આગળ “પરિચયમાં આપેલ સરખામણ પ્રમાણે બીજાં ભારતીય દર્શને સાથે સરખામણી કરવામાં ઉતાર; અને જો વિદ્યાથી સાધારણ હોય તો આગળ જતાં તેની સરખામણી કરી શકે તે દૃષ્ટિથી કેટલાંક રોચક સૂચને કરવાં. (૬) ઉપર પ્રમાણે પાઠ ચલાવ્યા પછી ચાલેલ તે સૂત્ર ઉપર રાજવાર્તિક વાંચી જવાનું વિદ્યાથી ઉપર છેડવું. તે બધું રાજવાર્તિક વાંચી તેમાંથી પૂછવા લાયક સવાલે અગર સમજવાની બાબતે કાગળ ઉપર નોંધી બીજે દિવસે શિક્ષક સમક્ષ રજૂ કરે અને એ રજૂઆત વખતે શિક્ષક બની શકે ત્યાં સુધી વિદ્યાથીઓમાં જ અંદરોઅંદર ચર્ચા ઊભી કરાવી તેમની મારફત જ (માત્ર પોતે તટસ્થ સહાયક રહી) પિતાને કહેવાનું બધું કહેવરાવે. ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ કરતાં રાજવાન્તિકમાં શું ઘટયું છે, શું વધ્યું છે, શું નવું છે, એ જાણવાની દૃષ્ટિ વિદ્યાથી. એમાં કેળવે. ૩. ઉપર પ્રમાણે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિનો અભ્યાસ થઈ જાય અને તે રાજવાર્તિકના અવલોકન દ્વારા પુષ્ટ થાય, ત્યાર પછી ઉક્ત ત્રણે ગ્રંથમાં ન હોય તેવા અને ખાસ ધ્યાન આપવા જેવા છે જે મુદ્દાઓ સ્લેકવાર્તિકમાં ચર્ચાયા હોય તેટલા જ મુદ્દાઓની યાદી તૈયાર કરી રાખવી અને અનુકૂળતાએ તે વિદ્યાર્થીઓને વંચાવવી અગર વાંચવા Page #149 -------------------------------------------------------------------------- ________________ १२४ ભલામણ કરવી. આમ કરી સૂત્ર ઉપર ઉક્ત ચારે ટીકાઓએ ક્રમશઃ કેટકેટલે અને કઈ કઈ જાતનો વિકાસ કર્યો છે અને તેમ કરવામાં તે તે ટીકાઓએ બીજા દર્શનેમાંથી કેટલે ફાળો મેળવ્યો છે, અગર તો બીજાંઓને કેટલે ફાળે આપે છે એ બધું વિદ્યાથીને જણાવવું. ૪. કોઈ પણ પરિસ્થિતિને કારણે રાજવાર્તિક વાંચવું કે વંચાવવું શક્ય ન હોય તો છેવટે શ્લેકવાર્તિકની પેઠે રાજવાર્તિકમાં પણ જે જે મુદ્દાઓ બહુ સુંદર રીતે ચર્ચવામાં આવ્યા હોય અને જેનું મહત્ત્વ જૈન દર્શનની દષ્ટિએ ઘણું વધારે હોય, તેવાં સ્થળોની એક યાદી તૈયાર કરી ઓછામાં ઓછું તેટલું તે શીખવવું જ. એટલે કે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બે અભ્યાસમાં નિયત હોય અને રાજવાર્તિક તેમજ કવાકિનાં ઉક્ત બે ગ્રંથમાં નહિ આવેલાં એવાં વિશિષ્ટ પ્રકરણે જ અભ્યાસમાં નિયત હોય અને બાકીનું ઐચ્છિક હોય. દા.ત. રાજવાર્તિકમાંથી સપ્તભંગી અને અનેકાંતવાદની ચર્ચા અને લેકવાત્તિકમાંથી સર્વજ્ઞ, આપ્ત, જગત્કર્તા આદિની, નયન, વાદની અને પૃથ્વીભ્રમણની ચર્ચા લેવી. એ જ રીતે તત્ત્વાર્થભાષ્યની સિદ્ધસેનીય વૃત્તિમાંથી વિશિષ્ટ ચર્ચાવાળા ભાગો તારવી તેમને અભ્યાસમાં નિયત ૧. અ૦ ૧ સૂ૦ ૬. ૨. પૃ. ૧-૫૭. ૩. પૃ. ૨૬૭–૨૭૬. ૪. પૃ૦ ૨૭૭–૩૧૧. ૫. પૃ૦ ૩૪૫–૩૪૭. ' Page #150 -------------------------------------------------------------------------- ________________ १२५ રાખવા. દા. ત. અ. ૧, ૧; ૫, ૨૯ અને ૫, ૩૧ ન ભાષ્યની વૃત્તિમાંની ચર્ચાઓ. ૫. અભ્યાસ શરૂ કરાવ્યા અગાઉ શિક્ષકે તત્ત્વાર્થનો બાહ્ય અને આંતરિક પરિચય કરાવવા વિદ્યાથીઓ સામે કેટલાંક સામાન્ય પરંતુ રુચિકર પ્રવચનો કરવાં અને તે રીતે વિદ્યાથીઓ રસવૃત્તિ જગાડવી. વચ્ચે વચ્ચે જ્યારે પ્રસંગ આવે ત્યારે દર્શનને ઈતિહાસ અને ક્રમવિકાસ તરફ વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન ખેંચાય તે માટે યોગ્ય પ્રવચન ગોઠવવાં. ૬. ભૂગોળ ખગોળ, સ્વર્ગ અને પાતાળવિદ્યાના ત્રીજા તથા ચેથા અધ્યાયનું શિક્ષણ આપવા બાબત બે મોટા વિરોધી પક્ષો છે. એક પક્ષ તેમને શિક્ષણમાં રાખવા ના પાડે છે, જ્યારે બીજે તેના શિક્ષણ વિના સર્વજ્ઞદર્શનને અભ્યાસ અધૂરો માને છે. આ બંને એકાંતની છેલ્લી સીમાઓ છે; તેથી શિક્ષકે તે બે અધ્યાયનું શિક્ષણ આપવા છતાં તેમની પાછળની દૃષ્ટિ બદલવી એ જ અત્યારે સલાહ કારક છે. ત્રીજા અને ચોથા અધ્યાયનું બધું વર્ણન સર્વજ્ઞકથિત છે તેમાં લેશ પણ ફેરફાર ન જ હોઈ શકે, આજ કાલની બધી અને વિચારણાઓ તદ્દન ખોટી હેઈ અગર તે જૈન શાથી વિરુદ્ધ પડતી હાઈ ફેંકી દેવા લાયક છે, એમ કહી એ અધ્યાયના શિક્ષણ ઉપર ભાર આપવા કરતાં, એક કાળે આર્ય દર્શનમાં સ્વર્ગ, નરક, ભૂગોળ અને ખગોળ વિષે કેવી કેવી માન્યતાઓ ચાલતી અને એ માન્યતા માં જૈન દર્શનનું શું સ્થાન છે એવી ઐતિહાસિહ દૃષ્ટિથી જ એ અધ્યાયેનું શિક્ષણ આપવામાં આવે, તે ખોટું સમજી Page #151 -------------------------------------------------------------------------- ________________ १२६ ફેંકી દેવાતા વિષયેામાંથી જાણવા જેવુ ધણું જ ખાતલ ન રહી જાય અને સત્યશોધન માટે જિજ્ઞાસાનું ક્ષેત્ર તૈયાર થાય તેમજ જે સાચું હોય તેને સવિશેષપણે મુદ્ધિની કસાટીએ ચઢવાની તક મળે. જો પ્રસ્તુત ગુજરાતી વિવેચનારા જ ‘તત્ત્વાર્થ શીખવાનું હાય તા શિક્ષકે એક એક સૂત્ર લઈ તેમાંની બધી વસ્તુઓ પહેલાં મેઢેથી જ સમજાવી દેવી અને તેમાં વિદ્યાર્થીઆને પ્રવેશ થાય એટલે તે તે ભાગનું પ્રસ્તુત વિવેચન વિદ્યાર્થીઓ પાસે જ વંચાવવું અને કેટલાક સવાલા પૂછી તેની સમજણ વિષે ખાતરી કરી લેવી. પ્રસ્તુત વિવેચનદ્વારા એક સંદર્ભે પૂરતાં સૂત્રેા અગર અધ્યાય પૂર્ણ શીખી જવાય ત્યારબાદ પરિચયમાં કરેલી સરખામણીની દિશાને આધારે શિક્ષકે અધિકારી વિદ્યાથી એ સમક્ષ સ્પષ્ટ તુલના કરવી. ઉપર સૂચવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં શિક્ષકની ઉપર ખાજો વધે છે ખરા, પણ તે બેજો ઉત્સાહ અને બુદ્ધિપૂર્વક ઊંચકવ્યા સિવાય શિક્ષકનું સ્થાન જ ઉચ્ચ બની શકતું નથી, અને વિદ્યાથી વર્ગ પણ વિચારદરિદ્ર જ રહી જાય છે. તેથી શિક્ષકાએ વધારેમાં વધારે તૈયારી કરવી અને પેાતાની તૈયારીને ફળદ્રુપ બનાવાતા વિદ્યાર્થીઓનું માનસ તૈયાર કરવું એ અનિવાર્ય છે. શુદ્ધ જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ તા એમ કરવુ એ અનિવાર્ય છે જ, પણ ચામેર ઝડપથી વધતા જતા વર્તમાન જ્ઞાનવેગને જોઈ સૌ સાથે સમાનપણે ખેસવાની વ્યવહારદષ્ટિએ પણ એમ કરવું એ અનિવાર્ય છે. સુખલાલ " Page #152 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमसूत्राणि Page #153 -------------------------------------------------------------------------- ________________ Page #154 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमसूत्राणि भा० भाष्य में मुद्रित सूत्र स-पा०सर्वार्थसिद्धि में निर्दिष्ट रा० राजवात्तिक में मुद्रित सूत्र पाठान्तर स० सर्वार्थसिद्धिमें मुद्रित सूत्र सि-पा० सिद्धसेनवृत्ति का श्लो० श्लोकवात्तिक में मुद्रित सूत्र प्रत्यन्तर का पाठ . सि० सिद्धसेनीय टीका में मुद्रित सि-भा० सिद्धसेनीयवृत्ति का सूत्र भाष्य पाठ हा० हारिभद्रीय टीका में मुद्रित सि-वृ० सिद्धसेनीयवृत्तिसंमत पाठ रा-पा० राजवात्तिककार द्वारा सि-वृ-पा० सिद्धसेनीयवृत्तिः निर्दिष्ट पाठान्तर निर्दिष्ट पाठान्तर प्रथमोऽध्यायः । सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग : ॥ १ ॥ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ २ ॥ तन्निसर्गादधिगमाद्वा ॥ ३ ॥ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ।। ४ ।। १ आश्रव-हा० । .. ...... त० ९ Page #155 -------------------------------------------------------------------------- ________________ १३० नामस्थापनाद्रव्यभायतस्तन्न्यासः ॥ ५ ॥ प्रमाणनयरधिगमः ॥ ६ ॥ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥७॥ सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥८॥ मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥ ९ ॥ तत् प्रमाणे ॥ १० ॥ आद्ये परोक्षम् ॥ ११ ॥ प्रत्यक्षमन्यत् ॥ १२ ॥ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम्।१३। तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १४ ॥ अवग्रहेहावायधारणाः ॥ १५ ॥ बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुवाणा सेतराणाम् ।१६। अर्थस्य ॥ १७ ॥ व्यञ्जनस्यावग्रहः ॥ १८ ॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥ १९ ॥ १ मनःपर्यय-स०, रा०, श्लो० । २ तत्र आद्ये-हा। ३ -हापाय -भा० हा० सि० । ४ -निःसृतानुक्तध्रु० -स०, रा० । -निसृतानुक्तध्रु० -इलो । -क्षिप्रनिःसृतानुक्तध्रु०-स-पा०। -प्रानिश्रितानुक्तध्रु० -मा०, सि-वृ० । -श्रितनिश्चितध्रु० -सि-वृ-पा० । Page #156 -------------------------------------------------------------------------- ________________ १३१ श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् ॥ २० ॥ द्विविधोऽवधिः ॥ २१ ॥ भवप्रत्ययो नारकदेवानाम् ॥ २२ ॥ यथोक्तिनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥ २३ ॥ ऋजुविपुलमती मनःपर्यायः ॥ २४ ॥ विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ॥ २५ ॥ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥२६॥ मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेष ॥ २७ ॥ रूपिष्ववधेः ॥ २८ ॥ तदनन्तभागे मनःपर्यायस्य ॥ २९ ॥ सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥ ३० ॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ॥ ३१ ॥ १ स० रा० श्लो० मा सूत्र ३थे नथी. उत्थानमा २० २१० માં છે २ तत्र भव -सि० । भवप्रत्ययोऽवधिदेवनारकाणाम् -स०, रा०, श्लो० । ३ क्षयोपशमनिमित्तः -स० रा० श्लो० । ४ मनःपर्ययः -स० रा० श्लो० । ५ मनःपर्यययोः -स० रा० श्लो० । ६ -निबन्धः द्रव्ये -स० रा० श्लो० । ७ मनःपर्ययस्य -स० रा० श्लो । Page #157 -------------------------------------------------------------------------- ________________ १३२ मतिश्रुताऽवधयो विपर्ययश्च ॥ ३२ ॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धरुन्मत्तवत् ॥ ३३ ॥ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥ ३४ ॥ आद्यशब्दौ द्वित्रिभेदौ ॥ ३५ ॥ द्वितीयोऽध्यायः । औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ॥ १ ॥ द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ॥ २ ॥ सम्यक्त्वचारित्रे ॥ ३ ॥ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥ ४ ॥ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमास्यमाश्च ॥ ५ ॥ गतिकषायलिङ्गमिथ्यादर्शनाऽज्ञानाऽसंयताऽसिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ॥ ६ ॥ १ -श्रुताविभङ्गा विप -हा० । २ -शब्दसमभिरूढेवम्भूता नयाः -स० रा० श्लो० । રૂ આ સૂત્ર સા રા માં નથી. ४ -दर्शनलब्धय -स० रा० श्लो० । ५ -भेदाः सम्य -स० रा० श्लो० । ६ -सिद्धलेश्या -स० रा० श्लो० । Page #158 -------------------------------------------------------------------------- ________________ ३ जीवभव्याभव्यत्वादीनि च ॥ ७ ॥ उपयोगो लक्षणम् ॥ ८ ॥ स द्विविधोऽष्टचतुर्भेदः ॥ ९ ॥ संसारिणो मुक्ताश्च ॥ १० ॥ समनस्काऽमनस्काः ॥ ११ ॥ संसारिणस्त्रसस्थावराः ॥ १२ ॥ पृथिव्यग्बुवनस्पतयः स्थावराः ॥ १३ ॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ॥ १४ ॥ पञ्चेन्द्रियाणि ॥ १५॥ द्विविधानि ॥ १६ ॥ निर्वत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥ १८ ॥ उपयोगः स्पर्शादिषु । १९ ॥ १ त्वानि च -स० रा० श्लो० । २ 'स' नथी सि-वृ-पा० રૂ સિદ્ધસેને કઈકે કરેલ સુત્રવિયસની સમાલોચના કરી છે. ४ पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः -स० रा० श्लो० । ५ द्वीन्द्रियादयस्त्रसाः -स०, रा०, श्लो०।। ६ स० रा० श्लो० मा नथी. सिरसेन हे छ " आने સૂત્રરૂપે માનતા નથી અને તેમનું કહેવું છે કે આ તો ભાષ્યવાકયનું સૂત્ર બનાવી દીધું છે.” પૃ. ૧૬૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ १३४ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥ २० ॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ श्रुतमनिन्द्रियस्य ॥ २२ ॥ वाय्वन्तानामेकम् ॥ २३ ॥ कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥२४॥ संज्ञिनः समनस्काः ॥ २५ ॥ विग्रहगतौ कर्मयोगः ॥ २६ ॥ अनुश्रेणि गतिः ॥ २७ ॥ अविग्रहा जीवस्य ॥ २८ ॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्यः ॥ २९ ॥ एकसमयोऽविग्रहः ॥ ३० ॥ १ -तदर्थाः --स० रा० श्लो० । 'तदर्थाः' मा समस्त५६ બરાબર નથી—એ શંકાનું સમાધાન અકલંક-વિદ્યાનંદે કર્યું છે. orयारे श्वे० ३२ असमरत श! माटे छे तेनु समाधान ४२ छे. २ वनस्पत्यन्तानामेकम् –स० रा० श्लो०। રૂ સિદ્ધસેન કહે છે કે કેઈ સૂત્રમાં મનુષ્ય પદને અનાર્થ માને છે. ४ सिरसेन डे छे / 21 सूत्र पछी 'अतीन्द्रियाः केवलिनः' मे सूत्र माने छे. ५ एकसमयाऽविग्रहा -स० रा० श्लो० । Page #160 -------------------------------------------------------------------------- ________________ एकं द्वौ वाऽनाहारकः ॥ ३१ ॥ सम्मूर्छन गर्भोपपाता जन्म ॥ ३२ ॥ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः ॥ ३३ ॥ १३५ 3. जराय्वण्डपोतजानां गर्भः ॥ ३४ ॥ ४ नारकदेवानामुपपातः ॥ ३५ ॥ शेषाणां सम्मूर्छनम् ॥ ३६ ॥ ५ ६ औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि शरीराणि ॥ ३७ ॥ परं परं सूक्ष्मम् ॥ ३८ ॥ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥ २ - पाताज्जन्म स० । पादा जन्म - रा० १ द्वौ त्रीन्वा - स० रा० श्लो० । सूत्रगत 'वा' शब्दथी श्रेष्ठ ‘ત્રણના પણ સંગ્રહ કરતા-એમ હરિભદ્ર અને સિદ્ધસેન કહે છે. श्लो० । ३ जरायुजाण्डपोतजानां गर्भः - हा० । जरायुजाण्डपोतानां गर्भः -स० रा० श्लो० । २० ने से० 'पोतज' या विषे व्यापत्ति કરે છે. સિદ્ધસેનને આવી આપત્તિમાં ઔચિત્ય દેખાતું નથી. ४ देवनारकाणामुपपादः - स० रा० श्लो० । ५ - वैक्रियिका - स० रा० श्लो० ६. सिद्धसेन उड़े छे ने भते 'शरीराणि' में पृथ सूत्र छे. ७ तेषां या यह सूत्रांश ३ये लाभां छपायुं छे. या ભાષ્યના ટીકાકારીને મતે તે ભાષ્યાંશ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ २ ४ अनन्तगुणे परे ॥ ४० ॥ अप्रतिघाते ॥ ४१ ॥ अनादिसम्बन्धे च ॥ ४२ ॥ सर्वस्य ॥ ४३ ॥ तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्थ्यः ॥ ४४ ।। निरुपभोगमन्त्यम् ॥ ४५ ॥ गर्भसम्मूर्छनजमाद्यम् ॥ ४६ ॥ वैकियमौपपातिकम् ॥ ४७ ।। लब्धिप्रत्ययं च ॥ ४८ ॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥४९॥ १ अप्रतीधाते -स० रा० श्लो। २ -देकस्मिन्ना चतु० -स० रा० श्लो०। परंतु माथी સ્પષ્ટ થાય છે કે “એકસ્ય” એવો સૂત્રપાઠ છે. ३ औपपादिकं वैक्रियिकम् -स० रा० श्लो० । ४ २५ पछी स० रा० श्लो० मा 'तैजसमपि' मे सूत्र छे. भा०मां 20 सूत्र३पे छायुं नथी. हा०मा 'शुभम्' त्याहि सूत्र પછી આ સૂત્રરૂપે છે. સિમાં આ ક. ખ૦ પ્રતિને પાઠાંતર છે. ५ -कं चतुर्दशपूर्वधर एव-सि० -कं प्रमत्तसंयतस्यैव -स० रा० श्लो० । सिरसेननु छ आमा 'अकृत्स्नश्रुतस्यद्धिमतः એવું અધિક વિશેષણ જોડે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ १३७ नारकसम्मूछिनो नपुंसकानि ॥ ५० ॥ न देवाः ॥ ५१ ॥ औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः ॥ ५२ ॥ तृतीयोऽध्यायः ।। रत्नशर्करावालुकापधूमतमोमहातमःप्रभा भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतरा ॥१॥ तासु नरकाः ॥ २ ॥ १ । पछी स०रा० श्लो० मा 'शेषास्त्रिवेदाः' मे सूत्र છે. . પાઠમાં આ ભાષ્યવાક્ય છે. २ औपपादिकचरमोत्तमदेहाऽसं० -स० रा० श्लो। __ ३ चरमदेहोत्तमदेहपु० -स० रा० श्लो० । सिसेनन हे छ । सा सूत्रमा सूत्रारे 'उत्तमपुरुष' ५ प्रहय युं नथी એવું કેાઈ માને છે. પૂજ્યપાદ, અકલંક અને વિદ્યાનંદ ચરમને 'उत्तमनु विशेषष्य भान छे. ૪ આના વિગ્રહમાં સિદ્ધાન્ત પાઠ અને સામર્થ્યગમ્ય પાઠની ચર્ચા સર્વાર્થસિદ્ધિમાં છે. ५ 'पृथुतराः' स० रा० श्लो०मां नथी. qणा 2 1 પાઠની અનાવશ્યકતા બતાવી છે. ६ तासु त्रिंशत्पञ्चविंशतिपंचदशत्रिपञ्चोनैकनरकशतसहस्राणि पंच चैव यथाक्रमम् -स० रा० श्लो० ॥ सूत्रगत गाना ભાષ્યમાં આપી છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ १३८ नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ॥३॥ परस्परोदीरितदुःखाः ॥ ४ ॥ संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥ ५ ॥ तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमा सत्त्वानां परा स्थितिः ॥ ६ ॥ जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वोपसमुद्राः ॥ ७॥ द्विििवष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८॥ तन्मध्ये मेरुनाभिर्वत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९॥ तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ॥ १० ॥ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥ ११ ॥ १ तेषु नारका नित्या-सि० । नारका नित्या-स० रा० श्लो० । २ -लवणोदादयः' -स० रा० श्लो० । ३ 'तत्र। -स० रा० श्लो० मा नथा. ४ 'वंशधरपर्वताः' -सि । ५ मा सूत्र पछी 'तत्र पञ्च' त्यादि भाष्यवायने । સૂત્ર સમજે છે–એમ સિદ્ધસેને કહ્યું છે. ૨૦માં આ અર્થનું સૂત્ર ૨૪મું છે. હરિભદ્ર અને સિદ્ધસેન કહે છે કે અહીં કોઈ વિદ્વાન Page #164 -------------------------------------------------------------------------- ________________ १३९ द्विर्धातकीखण्डे ।। १२ ॥ पुष्करार्धे च ।। १३ ।। प्राङ् मानुषोत्तरान् मनुष्याः ॥ १४ ॥ आर्या म्लेच्छाश्च ।। १५ ।। भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ॥ १६ ॥ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥ १७ ॥ तिर्यग्योनीनां च ॥ १८ ॥ વિસ્તાર માટે પોતે જ બનાવીને અનેક સૂત્રેા ઉમેરે છે, તેમનું આ કથન સંભવત સ॰ માન્ય સૂત્રપાઠને લક્ષમાં લઈ ને હાય એમ શકય છે, કારણ કે એમાં આ સૂત્ર પછી ૧૨ સુત્ર એવાં છે જે શ્વે પાઠમાં નથી. અને તે પછીના ૨૪ અને ૨૫મા સૂત્રેા या लाण्यमान्य ११मा सूत्रना भाष्यवायश्ये ४ छे. स० रा० ना २६थी ३२ सूत्र। पशु अधिछे सब्नुं १3भुं सूत्र श्लो० માં વિભક્ત કરીને એ સૂત્રો બનાવ્યાં છે. અધિકસૂત્રેાના પાઠ भाटे स० रा० श्लो० ले सेवां. १ आर्या मिलशश्च - भा० हा० । २ परावरे रा० श्लो० । ३ तिर्यग्योनिजानां च - स० रा० श्लो० । Page #165 -------------------------------------------------------------------------- ________________ १४० चतुर्थोऽध्यायः देवाश्चतुर्निकायाः ॥ १ ॥ तृतीयः पीतलेश्यः ॥ २ ॥ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ॥ ३ ॥ 3 इन्द्रसामानिकायस्त्रिशपारिषद्यात्मरक्ष लोकपालानीकप्रकीर्णकाभियोग्य किल्विषिकाश्चैकशः ॥ ४॥ त्रायस्त्रशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः ॥ ५ ॥ पूर्वयोर्द्वन्द्रा ॥ ६ ॥ ६ पीतान्तलेश्याः ॥ ७ ॥ कायप्रवीचारा आ ऐशानात् ॥ ८ ॥ शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ॥ ९ ॥ परेऽप्रवोचाराः ॥ १० ॥ १ देवाश्चतुणिकायाः - स० रा० श्लो० । २ आदितस्त्रिषु पीतान्तलेश्याः - स० रा० श्लो० भयो, विवेशन पृ० १६२ टि० १ । ३ - पारिषदा - स० रा० श्लो० । ४ शल्लोक - स० । ५ - वर्जा - सि० । ६ २५ सूत्र - स० रा० श्लो० भां नथी ७ ' द्वयोर्द्वयोः ' - स० रा० श्लो० मां नथी. या पहोने સૂત્રમાં રાખવા જોઈ એ એવી ક્રાઈની શંકાનું સમાધાન કરતા અકલંક કહે છે કે એવું કરવામાં આર્ષ વિરાધ થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ १४१ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वी पदिक्कुमाराः ॥ ११ ॥ व्यन्तराः किन्नरकिंपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ॥ १२ ॥ ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ॥ १३ ॥ मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥ १४ ॥ तत्कृतः कालविभागः ॥ १५ ॥ बहिरवस्थिताः ॥ १६ ॥ वैमानिकाः ॥ १७ ॥ कल्पोपन्नाः कल्पातीताश्च ॥ १८ ॥ उपर्युपरि ॥ १९ ॥ सौधर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहसारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु वेयकेषु विजयवैजयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्वे च ॥ २० ॥ १ -गन्धर्व -हा० स० रा० श्लो० । २ -सूर्याचन्द्रमसौ -स० रा० श्लो० । ३ -प्रकीर्णकता० -स० रा० श्लो०। ४ ताराश्च -हा। ५ -माहेन्द्रब्रह्मब्रह्मोत्तरलान्तवकापिष्ठशुक्रमहाशुक्रशतारसहस्रा -स० रा० ।-सतार-श्लो० ६ -सिद्धौ च -स० रा० श्लो। Page #167 -------------------------------------------------------------------------- ________________ १४२ स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिकाः ॥ २१ ॥ गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ॥ २२ ॥ पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु ॥ २३ ॥ प्राग् ग्रैवेयकेभ्यः कल्पाः ॥ २४ ॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ॥ २४ ॥ सारस्वतादित्यवहयरुणगर्दतोयतुषिताव्याबाधमरुतोऽरिष्टाश्च ॥ २६ ॥ विजयादिषु द्विचरमाः ॥ २७ ॥ औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥ २८ ॥ स्थितिः ॥ २९ ॥ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ १ पीतमिश्रपद्ममिश्रशुक्ललेश्या द्विद्विचतुश्चतुः शेषेष्विति रा-पा० । २ -लया लौका -स० रा० श्लो० । सि-पा०। ३ -व्याबाधारिष्टाश्च -स० रा० श्लो० । ४ो विवेयन पृ० १८३ टि० १। ४ -पादिक -स० रा० श्लो० । ५ मा सूत्रथी ३२मा सूत्र भाटे 'स्थितिरसुरनागसुपर्णद्वीपशेषाणां सागरोपमत्रिपल्योपमा हीनमिता' आ स०रा० श्लो० માં એક જ સૂત્ર છે. બે દિ બને પરંપરામાં ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં મતભેદ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ १४३ शेषाणां पादोने ॥ ३१ ॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ३२ ॥ सौधर्मादेषु यथाक्रमम् ॥ ३३ ॥ सागरोपमे ॥ ३४ ॥ अधिके च ॥ ३५ ॥ सप्त सानत्कुमारे ॥ ३६ ॥ विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदभिरधिकानि च ॥ ३७ ॥ आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु अवेयकेषु विजयादिषु सार्वर्थसिद्धे च ॥ ३८ ॥ अपरा पल्योपममधिकं च ॥ ३९ ॥ सागरोपमे ॥ ४० ॥ अधिके च ॥ ४१ ॥ १ २॥ सूत्रया ३५मा सूत्र भाटे ये ४ सूत्र सौधर्मशानयोः सागरोपमे अधिके च मे -स० रा० श्लो० मा छे. मतमे માટે જુઓ પ્રસ્તુત સૂત્રની ટીકા. २ सानत्कुमारमाहेन्द्रयोः सप्त -स० रा० श्लो० । ३ त्रिसप्तनवैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि तु-स० रा० श्लो०। ४ -सिद्धौ च -स० रा० श्लो० । ५ मा भने तन। पछीतुं सूत्र स० रा० श्लो० मा नथी. Page #169 -------------------------------------------------------------------------- ________________ १४४ परतः परतः पूर्वांपूर्वानन्तरा ॥ ४२ ॥ नारकाणां च द्वितीयादिषु ॥ ४३ ॥ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥ ४४ ।। भवनेषु च ॥ ४५ ॥ व्यन्तराणां च ॥ ४६ ॥ परा पल्योपमम् ॥ ४७ ॥ . ज्योतिष्काणामधिकम् ॥ ४८ ॥ ग्रहाणामेकम् ॥ ४९ ॥ नक्षत्राणामर्धम् ॥ ५० ॥ तारकाणां चतुर्भागः ॥ ५१ ॥ जघन्या त्वष्टभागः ॥ ५२ ॥ चतुर्भागः शेषाणाम् ॥ ५३ ॥ १ परा पल्योपममधिकम् -स० रा० श्लो० । २ ज्योतिष्काणां च -स० रा० श्लो० । ३ ॥ अने ५०, ५१ सूत्री स० रा० श्लोमा नथी. ४ तदष्टभागोऽपरा -स० रा० श्लो० ज्येतिनी स्थिति વિષે જે સૂત્રો દિ. પાઠમાં નથી તે સૂત્રોના વિષયની પૂર્તિ રાજવાર્તિકમાં આ જ સૂત્રના વાર્તિકમાં છે. ५ स० रा० श्लो० मां नथा. स० रा० मां से अन्य अन्तिमसूत्र लौकान्तिकानामष्टौ सागरोपमाणि सर्वेषाम् ४२ छे. पण ते श्लो० मा नथा. Page #170 -------------------------------------------------------------------------- ________________ १४५ पञ्चमोऽध्यायः । अजीवकाया धर्माधर्माकाशपुद् गलाः ॥ १ ॥ 9 દ્રાનિ નીવાવ ॥ ૨ ॥ नित्यावस्थितान्यरूपाणि ॥ ३ ॥ વિન: વુદ્ઘ : || ૪ || 3 आकाशादेकद्रव्याणि ॥ ५ ॥ નિયિાનિ ૬ ॥ ૬ ॥ o સ૦ રા॰ જો૦ માં આ એકસૂત્રને બદલે 'द्रव्याणि ' ‘નીવારવ’ એમ એ સૂત્રેા છે. 'સિદ્ધસેનનેા આક્ષપ છે કે કાઈ આ સૂત્રના એ સૂત્રો બનાવી મૂત્રપાઠ કરે છે તે ઠીક નથી. અકલંક સામે પણ કાઈ એ શંકા કરી છે કે 'મૂવ્યનિ નીવાઃ' આવું ‘શ્વ’ વિનાનુ એક જ સૂત્ર કેમ નથી બનાવતા ? વિદ્યાનંદ તા કહે છે કે સ્પષ્ટ પ્રતીતિ માટે જ એ સૂત્રેા બનાવ્યા છે. ૨ સિસેન મ્હે છે કે ફ્રાઈ આ સૂત્રના બે ભાગ કરી ‘નિત્યવસ્થિતાનિ ' ‘અખિ’–એમ એ સૂત્રેા બનાવે છે. વળી તેમણે ‘નિત્યાયસ્થિત પાળિ' એવા પાઠાંતરને પણ નિર્દેશ કર્યાં છે. અને નિમ્નાવયિતાન્યાનિ' એવા પણ પાઠાંતરને ઉલ્લેખ કર્યો છે. વળી ક્રાઈ નિત્યપદને અવસ્થિતનું વિશેષણુ સમજે છે એમ પણ કહ્યું છે આ સૂત્રની વ્યાખ્યાના મતાન્તરા માટે સિ॰ વૃત્તિ જોવી જોઈ એ. રૂ જુએ, ગુજરાતી વિવેચન પૃ૦ ૨૬૬ દિગ્ : Page #171 -------------------------------------------------------------------------- ________________ १४६ असख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ७ ॥ जीवस्य ॥ ८ ॥ आकाशस्यानन्ताः ॥ ९ ॥ सख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् ॥ १० ॥ नाणोः ॥ ११ ॥ लोकाकाशेऽवगाहः ॥ १२ ॥ धर्माधर्मयोः कृत्स्ने ॥ १३ ॥ एकप्रदेशादिद्गषु भाज्यः पुद्गलानाम् ॥ १४ ॥ असख्येयभागादिषु जीवानाम् ॥ १५ ॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥ १६ ॥ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥ १७ ॥ आकाशस्यावगाहः ॥ १८ ॥ शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ॥ १९ ॥ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥ २० ॥ १ -धर्माधर्मकजीवानाम् –स० रा० श्लो० । २ स० रा० श्लो० मा या सूत्र : नथा. अने पृथ કેમ રાખ્યું છે તેનું રહસ્ય સિદ્ધસેન દેખાડે છે. ३ -विसर्पा० -स० रा० श्लो०। ४ -पग्रहो -सि० स० रा० श्लो० । स हिवयननु समर्थन युं छे. सुमो भुगती विवयन पृ० २१० टि० १। Page #172 -------------------------------------------------------------------------- ________________ १४७ परस्परोपग्रहो जीवानाम् ॥ २१ ॥ वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।। २२ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ॥ २३ ॥ शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानमेदतमश्छायातपोद्योतवन्तश्च ॥ २४ ॥ अणवः स्कन्धाश्च ॥ २५ ॥ संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ २६ ॥ भेदादणुः ॥ २७ ॥ भेदसंघाताभ्यां चाक्षुषाः ।। २८ ॥ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ २९ ॥ तद्भावाव्ययं नित्यम् ॥ ३० ॥ १ वर्तनापरिणामक्रियाः पर० स०। वर्तनापरिणामक्रिया पर० रा०।-या संपनी प्रान्तिय ५isit२ होय तम જણાય છે. કારણ કે બન્ને ટીકાકારેએ આ સૂત્રમાં સમસ્ત પદ હોવાની કોઈ સૂચના આપી નથી. २ भेदसंघातेभ्य उ० –स० रा० श्लो। ३ चाक्षुषः -स० रा० श्लो० सिसेन सा सुनी व्याच्या માં કેઈને મતભેદ જણાવે છે. ४ 41 सूत्रता पूर्व स० भने श्लो० मा 'सद्रव्यलक्षणम्' એવું સૂત્ર છે. પણ 1માં એવું જુદુ સૂત્ર નથી. આ વસ્તુને તેમણે ઉત્થાનમાં કહી છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ अर्पितानर्पितसिद्धेः ॥ ३१ ॥ स्निग्घरूक्षत्वाद्द्बन्धः ॥ ३२ ॥ १४८ २ न जधन्यगुणानाम् ॥ ३३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ३४ ॥ द्वयधिकादिगुणानां तु ॥ ३५ ॥ 3 बन्धे समाधिको पारिणामिको ॥ ३६ ॥ गुणपर्यायवद् द्रव्यम् ॥ ३७ ॥ कालश्चेत्येके || ३८ ॥ सोऽनन्तसमयः ॥ ३९ ॥ द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ४० ॥ तद्भावः परिणामः ॥ ४१ ॥ આ સૂત્રની વ્યાખ્યામાં મતભેદ છે. હરિભદ્ર સૌથી જુદા અર્થ આપે છે. હરિભદ્રગત વ્યાખ્યાના સિદ્ધસેને મતાંતર તરીકે ઉલ્લેખ કર્યાં છે. २ पन्धनी अडियामां श्वे० दि० मतले माटे भो गु राती विवेशन पृ० २३४. ३ बन्धेऽधिको पारिणामिकौ - स० श्लो० । रा०मां सूत्रना व्यंते च व्यधिउ छे. संडे 'समाधिको पाउनु निश२य छे. ४ स० रा० श्लो० । गुभराती विवेशन पृ० २४३ टि० १ । ' कालश्च' Page #174 -------------------------------------------------------------------------- ________________ १४९ अनादिरादिमांश्च ॥ ४२ ॥ रूपिष्वादिमान् ॥ ४३ ॥ योगोपयोगी जीवेषु ॥ ४४ ॥ षष्ठोऽध्यायः 3 कायवाङमनःकर्म योगः ॥ १ ॥ स आस्रवः ॥ २ ॥ शुभः पुण्यस्य ॥ ३ ॥ अशुभः पापस्य ॥ ४ ॥ सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः ॥ ५ ॥ अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङख्या: पूर्वस्य भेदाः ॥ ६ ॥ १ ॥ अंतिम य सूत्र। स० रा० श्लो० मा नथा. ભાષ્યના મતનું ખંડન કર્યું છે. વિસ્તાર માટે જુઓ ગુજરાતી विवेयन पृ० २४८ । २ सुमो गुजराती वियन पृ० २५१ टि० १। ३ ॥ हा०मा सूत्र३थे नथी. परंतु 'शेषं पापम् ' मे सूत्र छ. सिमा 'अशुभः पापस्य' सूत्र३थे भुद्रित छ ५५ आने साधारे ते माध्यवाय हाय तेमाय छे. सिसेनने 'शेषं पापम्' એવું સૂત્ર માન્ય જણાય છે. www Page #175 -------------------------------------------------------------------------- ________________ १५० ४ इन्द्रियकषायाव्रतक्रियाः हा० सि० । स० रा० श्लो० तथा माण्यमान्य पाठमा 'अव्रत' ०४ प्रथम छे. सिद्धसेन टीड उरे छे ત્યારે તેમની સમક્ષ પ્રથમ इन्द्रिय' पाठ છે. સિદ્ધસેને સૂત્ર ભાષ્યની અસંગતિ દૂર કરવા પ્રયત્ન કર્યાં છે. . " तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।७। अधिकरणं जीवाजीवाः ॥ ८ ॥ आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ।। ९ ।। निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गाद्विचतुद्वित्रिभेदाः तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शना परम् ॥१०॥ वरणयोः ॥ ११ ॥ दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वे द्यस्य ॥ १२ ॥ भूतवत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्यस्य ॥ १२ ॥ केवलिश्रुतसङ्घधर्म देवावर्णवादी दर्शनमोहस्य ॥ १४ ॥ कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥ १५ ॥ स० रा० श्लो० । 3 १ - भावाधिकरणवीर्यविशे० २ भूतव्रत्यनुकम्पादानसरागसंयमादियोगः - स० रा० इलो० । ३ तीव्रपरि० स० रा० श्लो० । 10 Page #176 -------------------------------------------------------------------------- ________________ बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ।। १६ । माया तैर्यग्योनस्य ॥ १७ ॥ १५१ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥ १८ ॥ 3 निःशीलव्रतत्वं च सर्वेषाम् ॥ १९ ॥ सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य * ॥ २० ॥ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य || २२ ॥ दर्शन विशुद्धिर्विनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधि ७ १ -त्वं नार० स० रा० श्लो० । જીએ ગુજરાતી વિવેચન પૃ૦૨૬૫, ટિ. ૧. દિ પરંપરામાં આને સ્થાને એ સૂત્ર છે. એક જ સૂત્ર મ ન બનાવ્યું એવી રાંકાનું સમાધાન પણ દિ. ટીકાકાર કરે છે. ३ भुमो गुराती विवेशन पृ० ४ लुय्यो गुनशती विवेशन पृ० ५ तद्विप० स० रा० श्लो० । ६ - भीक्षणज्ञा० - स० रा० श्लो० । ७ -सी साधुसमाधिवं० स० रा० श्लो० । २६६ टि० १ । २६६ टि० २ । ६ Page #177 -------------------------------------------------------------------------- ________________ १५२ २ वैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्गिप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥ २३ ॥ परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्ये ॥ २४ ॥ तद्विपर्ययो नीचर्तुत्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥ विघ्नकरणमन्तरायस्य ॥ २६ ॥ सप्तमोऽध्याय हिंसानतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्वतम् ॥ १ ॥ देशसर्वतोऽणुमहती ॥ २ ॥ तत्स्थैर्यार्थ भावनाः पञ्च पच्च ॥ ३ ॥ १ तीर्थकरत्वस्य स० रा० श्लो। २ गुणोच्छा० -स० । गुणच्छा० -रा० श्लो० । सि-वृ० संमत- 'गुणच्छा'. -छ। ३ 'पञ्च पञ्चशः' सि-व-पा० असं 'पञ्चशः' मेवे। 418 डापानी श री छ. 20 सूत्र पछी 'वाङ्मनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकितपानभोजनानि पञ्च ॥४॥क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पञ्च ॥ ५ ॥ शून्यागारविमोचितावासपरोपरोधाकरणभैक्ष(क्ष्य-रा०) शुद्धिसद्धर्मा(सधर्मा -श्लो०)विसंवादाः पञ्च ॥६॥ स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्येष्टरसस्वशरीरसंस्कारत्यागाः पञ्च ॥७॥ मनोज्ञामनोजेन्द्रियविषयरागद्वेषवर्जनानि पञ्च ॥८॥ यावा पाय सूत्र। स० रा० श्लो०मा छ भने। ભાવ આના ભાષ્યમાં છે જ. Page #178 -------------------------------------------------------------------------- ________________ १५३ हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥ ४ ॥ दुःखमेव वा ॥ ५ ॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु ॥ ६ ॥ जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७ ॥ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ ८ ॥ असदभिधानमनृतम् ॥ ९ ॥ अदत्तादानं स्तेयम् ॥ १० ॥ मैथुनमब्रह्म ॥ ११ ॥ मूर्छा परिग्रहः ॥ १२ ॥ निःशल्यो व्रती ।। १३ ॥ अगार्यनगारश्च ॥ १४ ॥ अणुव्रतोऽगारी ॥ १५ ॥ १ -मुत्रापाया -स० रा० श्लो०। २ सिरसेन ४ छे , सा सूत्रना 'व्याधिप्रतीकारत्वात् कण्डपरिगतत्वाच्चाब्रह्म' तथा 'परिग्रहेष्वप्राप्तप्राप्तनष्टेषु काङ्क्षाशोको प्राप्तेषु च रक्षणमुपभोगे वाऽवितृप्तिः' ॥ ભાષ્યવાકયોને કોઈ સૂત્ર માને છે. ३ -माध्यस्थानि च स० –स० रा० श्लो० । ४ -वौ वा सं० -स० रा० श्लो०। . Page #179 -------------------------------------------------------------------------- ________________ १५४ दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगपरिमाणातिथिसंविभागवतसंपन्नश्च ॥ १६ ॥ ___ मारणान्तिकी संलेखनां जोषिता ॥ १७ ॥ शङ्काकाङक्षाविचिकित्सान्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टरतिचाराः ॥ १८ ॥ व्रतशोलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥ १९ ॥ बन्धवधच्छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः५ ॥२०॥ ५ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः ॥ २१ ॥ स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहाराः ॥ २२ ॥ १ -यिकपोषधो० -स० रा० श्लो०। २ -परिभोगातिथि -भा० । सिरसेननी वृत्तिमा ॥ सूत्रनुं ભાષ્ય છે તેમાં પણ પરિમાણુ શબ્દ છે નહિ જુઓ વૃત્તિ પૃ. ८3, पं. १२ ३ नुमेगुती विवेयन पृ० ३०४ टि० १। ४ सल्लेखनां स० रा० श्लो०। ५ -रतीचाराः -भा० सि० रा० श्लो। ६ -वधच्छेदाति० -स० रा० श्लो० । ७ -रहोभ्या० -स० रा० श्लो० । Page #180 -------------------------------------------------------------------------- ________________ १५५ परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिनिवेशाः ॥ २३ ॥ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ॥ २४ ॥ ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥२५॥ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ॥ २६ ॥ १ -रणेत्वरिकापरि० -स० रा० श्लो० । २ -डाकामतीवाभि० -स० रा० श्लो० । ३ मा सूचना स्थान - 'परविवाहकरणेत्वरिकापरिगृही तापरिगृहीतागमनानङ्गक्रीडातीवकामाभिनिवेशः(शाः)-' साईं સૂત્ર માને છે એમ સિદ્ધસેને કહ્યું છે. આ સૂત્ર ૬િ૦ પાઠથી ડું મળતું આવે છે, સંપૂર્ણ નહીં. જુઓ આ પૂર્વેની ટિપ્પણુ. ४ १८९४ qणा 2001 सूत्रन। पपिच्छेद-'परविवाहकरण, इत्वरिकागमनं,परिगृहीतापरिगृहीतागमनं, अनङ्गक्रीडा, तीवकामाभिनिवेशः-मेभ रे छे थेQ सिरसेन युं छे. 20 आक्षेप પણ ૦િ વિષે હેય એમ જણાતું નથી આ પદચ્છેદ કરનાર 'इत्वरिका' ने अर्थ ४२ छ ते ५५ सिरसेनते मान्य नथा. ५ जना मते 'आनायन' ५४ छे ये सिरसेन हे छे. ६ पुद्गलप्रक्षेपाः -मा० हा। हा०-वृत्तिमा तो छ. 'पुद्गलक्षेपाः' सि-वृ० पुद्गलप्रक्षेप २ प्रती४३ ले छे. Page #181 -------------------------------------------------------------------------- ________________ १५६ कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ॥ २७ ॥ योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥ २८ ॥ अप्रत्यवेक्षिताप्रमाजितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ॥ २९ ॥ सचित्तसंबद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ॥ ३० ॥ सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः __जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ॥ ३२ ॥ अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ॥ ३३ ॥ विविधद्रव्यदातृपात्रविशेषात् तद्विशेषः ॥ ३४ ॥ १ -कौकुच्य -भा० हा० । २ -करणोपभोगपरिभोगानर्थक्यानि -स० रा० श्लो० । ३ स्मृत्यनुपस्थानानि -स० रा० श्लो० । ४ अप्रत्युप्रेक्षि० -हा। ५ दानसंस्तरो० -स० रा० श्लो० । ६ -स्मृत्यनुपस्थानानि -स० रा० श्लो० । ७ -सम्बन्ध -स० रा० श्लो० । ८ -क्षेपापिधान -स० रा० श्लो० । ९ निदानानि -स० रा० श्लो० । Page #182 -------------------------------------------------------------------------- ________________ १५७ अष्टमोऽध्यायः मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ॥ १ ॥ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते ॥ २ ॥ स बन्धः ॥ ३ ॥ प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ॥ ४ ॥ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायाः ॥ ५ ॥ पञ्चनवद्वयष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् ॥ ६ ॥ मत्यादीनाम् ॥ ७ ॥ १ -वत्ते स बन्धः ॥ स०॥ स० रा० श्लो० । २ -त्यनुभव -स० रा० श्लो। ३ -नीयायुर्नाम -स० रा० श्लो० । ४ -भेदो -रा० । ५ मतिश्रुतावधिमनःपयर्यकेवलानाम् -स० रा० श्लो० । કિન્તુ આ પાઠ સિદ્ધસેનને અપાર્થક જણાય છે. અકલંક અને વિદ્યાનંદ - સંમત લધુ પાઠ કરતા ઉપરના પાઠને ઉચિત मान छे. Page #183 -------------------------------------------------------------------------- ________________ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचला २ प्रचलास्त्यानगृद्धिवेदनीयानि च ॥ ८ ॥ सदसद्वे ॥ ९ ॥ 3 १५८ दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्वि षोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानाप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोभा हास्यरत्यरतिशोकभयजु गुप्सास्त्रीपुंनपुंसकवेदाः ॥ १० ॥ { uinta-fero. FH-GOAL 418 #nyfa' 214 म भयाय है. सिद्धसेन हे छे स्त्यानद्धरिति वा पाठः । २ - स्त्यानगृद्धयश्च -स० रा० श्लो० । सिद्धसेने वेहनीय पह સમર્થન કર્યું છે. 1 ३ दर्शनचारित्रमोहनीयाकषायकषाय वेदनीयाख्यास्त्रिद्विनवषोडशभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयान्यकषायकषायौ हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुन्नपुंसक वेदा अनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोभाः - स० रा० श्लो० । ૪ કાઈ ને આવું લાંબુ સૂત્ર નથી ગમતું તેમને સિદ્ધસેને જે જવાબ આપ્યા છે તે આ છે. ४ “ दुर्व्याख्यानो गरीयांश्च मोहो भवति बन्धनः । न तत्र लाघवादिष्टं सूत्रकारेण दुर्वचम् ॥ " Page #184 -------------------------------------------------------------------------- ________________ नारकतैर्यग्योनमानुषदैवानि ॥ ११ ॥ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलघूपघातपराधातातपोद्योतो च्छवासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ॥ १२ ॥ उचैर्नीचश्च ॥ १३ ॥ दानादीनाम् ॥ १४ ॥ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोटयः परा स्थितिः ॥ १५ ॥ सप्ततिर्मोहनीयस्य ॥ १६ ॥ नामगोत्रयोविंशतिः ॥ १७ ॥ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥ १८ ॥ १ -नुपूागु० -स० रा० श्लो० । सि०-वृ०मा 'आनुपूर्व्य' પાઠ છે. બીજાના મતાનુસાર સિદ્ધસેને “બાપૂથ એવો પાઠ જણાવ્યું છે. અને બન્ને મતે સૂત્રનું રૂપ કેવું થાય તે પણ याव्युं छे. २ -देययशस्की (शःको)तिसेतराणि ीर्थकरत्वं च -स० रा० श्लो। ३ दानलाभभोगोपभोगवीर्याणाम् -स० रा० श्लो। ४ विशति गोत्रयोः -स० रा० श्लो० । ५ -ण्यायुषः -स० रा० श्लो०। Page #185 -------------------------------------------------------------------------- ________________ १६० अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥ १९ ॥ नामगोत्रयोरष्टौ ॥ २० ॥ 9 शेषाणामन्तर्मुहूर्तम् ॥ २१ ॥ विपाकोऽनुभावः ॥ २२ ॥ स यथानाम ॥ २३ ॥ ततश्च निर्जरा ॥ २४ ॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्त प्रदेशाः ॥ २५ ॥ सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ४ ॥ २६ ॥ नवमोऽध्यायः आस्रवनिरोधः संवरः ॥ १ ॥ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥ २ ॥ तपसा निर्जरा च ॥ ३ ॥ सम्यग्योगनिग्रहो गुप्तिः ॥ ४ ॥ ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः ॥ ५ ॥ १ - मुहूर्ता स० रा० श्लो० । २ - नुभवः - स० रा० श्लो० । ३ - वगाहस्थि० स० रा० श्लो० । ४ । गुजराती विवेचन पृ० ३४२ टि० १ । 3 Page #186 -------------------------------------------------------------------------- ________________ १ उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ॥ ६ ॥ ... अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥ मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परीषहाः ॥ ८ ॥ क्षुत्पिपासाशीतोष्णदंशमशकनापन्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि ॥ ९ ॥ सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥ १० ॥ एकादश जिने ॥ ११ ॥ १ उत्तमक्ष० -स० रा० श्लो० । २ -शुच्यास्रव -स० रा० श्लो० । ३ "अपरे पठन्ति अनुप्रेक्षा इति अनुप्रेक्षितव्या इत्यर्थः। अपरे अनुप्रेक्षाशब्दमेकवचनान्तमधीयते" -सि० वृ०। ४ मा श्वे० दि० अन्यामा परिषोडव्याः' वाष पाने! ५।पायो छ प १२तुतः 'परिसोडव्याः ' म ये सिम २-३-४८ मने पाणिनि ८-3-११५. ५ -प्रज्ञाज्ञानसम्यक्त्वानि हा० । अदर्शन- हा-भा० ६ -साम्पराय -स० रा० श्लो। . ७ नमो गुराती विवेयन पृ० ३६० टि० १॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ १६२ बादरसंपराये सर्वे ॥ १२ ॥ ज्ञानावरणे प्रज्ञाज्ञाने ॥ १३ ॥ दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥ १४ ॥ चारित्रमोहे नाग्न्यारतिस्त्रिीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः ॥ १५ ॥ वेदनीये शेषाः ॥ १६ ॥ एकादयो भाज्या युपगदैकोनविंशतेः ॥ १७ ॥ सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि५ चारित्रम् ॥ १८ ॥ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ॥ १९ ॥ १ नुस। गुजराती विवयन पृ० ३६१ टि० १। - २ -देकानविंशतः -हा० । -युगपदेकस्मिन्नकानविंशतेः -स०। युगपदेकस्मिन्नेकोनविंशतः -रा० श्लो०। परंतुं मन्ने वाति मां स० व ५४ छे. ३ -पस्थापनापरि० -स० रा० श्लो। ४ सूक्ष्मसाम्पराययथाख्यातमिति चा० -स. रा० श्लो० ॥ રાજવાર્તિકને થાક્યાત ઇષ્ટ હોય તેમ જણાય છે. કારણ કે तमा यथाख्यातने विक्ष्ये भूज्युं छे. सि&सेनने ५ अयाख्यात. राष्ट छ. यो ५. २ ३५ ५० १८. . ५ केचित् विच्छिन्नपदमेव सूत्रमधीयते -सिद्धसेन वृत्ति। ६ -वमोदर्य -स० रा० श्लो० । . Page #188 -------------------------------------------------------------------------- ________________ प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् ॥ २० ॥ नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग्ध्यानात् ॥२१॥ आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनानि ॥ ज्ञानदर्शनचारित्रोपचाराः ॥ २३ ॥ आचार्योपाध्यायतपस्विशक्षकग्लानगणकुलसङ्घसाधुसमनोज्ञानाम् ॥ २४ ॥ वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः ॥ २५ ॥ बाह्याभ्यन्तरोपध्योः ॥ २६ ॥ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ २७ ॥ आ मुहूर्तात् ॥ २८ ॥ आर्तरौद्रधर्मशुक्लानि ॥ २९ ॥ १ -द्विभेदा -स० श्लो० । २ -स्थापनाः -स० रा० श्लो० । ३ -शैक्षग्ला० -स० । शैक्ष्यग्ला० -रा० श्लो० । ४ -धुमनोज्ञानाम् -स० रा० श्लो० । . ५ –स० रा० श्लोमा 'ध्यानमान्तर्मुहूर्तात्' छ; अत: २८ મું સૂત્ર અલગ નથી. જુઓ ગુજરાતી વિવેચન ૬૦ રૂ૭૦ ६ -धर्म्यशु० -स. रा० श्लो० । Page #189 -------------------------------------------------------------------------- ________________ १६४ परे मोक्षहेतु ॥ ३० ॥ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसम - न्वाहारः ॥ ३१ ॥ २ वेदनायाश्च ॥ ३२ ॥ विपरीतं मनोज्ञानाम् ॥ ३३ ॥ निदानं च ॥ ३४ ॥ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥ ३५ ॥ हिंसानृतस्ते यविषय संरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः ॥ ३६ ॥ १ - नोज्ञस्य स० रा० श्लो० । * २५ सूत्रने स० रा० श्लो० मां 'विपरीतं मनोज्ञानाम् પછી મૂકયું છે. અર્થાત્ તેમને મતે ધ્યાનના દ્વિતીય નહિ પણુ તૃતીય ભેદ છે. ३ मनोज्ञस्य - सं० रा० श्लो० । Page #190 -------------------------------------------------------------------------- ________________ १६५ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य છે રૂ૭ છે. उपशान्तक्षीणकषाययोश्च ॥ ३८ ॥ રાવ ગાથે પૂર્વવિદ રૂ8 परे केवलिनः ॥ ४० ॥ ૨ જાય ઘર્ચમy -- -નયા વચ્ચે રૂદ્દો સ0 ૪૦ ૨૦. દિ. સૂત્રપાઠમાં સ્વામીનું વિધાન કરનાર “સરસંવતસ્ત્ર' અંશ છે નહિ. એટલું જ નહિ પણ આ પછીનું ઉપરાન્તા ' આ સૂત્ર પણ નથી. સ્વામીનું વિધાન સવર્થે સિદ્ધિમા છે. એ વિધાનને ધ્યાનમાં લઈ અકલંકે પરંપરા સંમત સૂત્રપાઠગત સ્વામીની બાબતનું ખંડન પણ કર્યું છે. આનું જ અનુસરણ વિદ્યાનન્દ પણ કરી છે. જુઓ ગુજરાતી વિવેચન पृ० ३७७ ૨ જુઓ ગુજરાતી વિવેચન ૬૦ રૂ૭ ટિ૧. પૂર્ણવિરઃ આ અંશ મા દુામાં આ સૂત્રના અંશરૂપે કે સ્વાતંત્રરૂપે પણ છપાયે નથી. ૪૦માં અલગ સુત્રરૂપે છે. પરંતુ ટીકાકાર એને અલગ નિથી માનતા. દિ. ટીકાઓમાં તે આ સૂત્રના અંશરૂપે જ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानि-१ वृत्तीनि ॥ ४१ ॥ तत्त्र्येककाययोगायोगानाम् ॥ ४२ ॥ एकाश्रये सवितर्के पूर्वे३ ॥ ४३ ॥ अविचारं द्वितीयम् ॥ ४४ ॥ वितर्कः श्रुतम् ॥ ४५ ॥ विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्तिः ॥ ४६ ॥ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसङख्येयगुणनिर्जरा ॥ ४७ ॥ - पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ॥ ४८॥ संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ॥ ४९ ॥ १ 'निवर्तीनि' -हा० सि०। स०रा० श्लो। सन्नी प्रत्य-तरन। 48 निवृत्तीनि ५५ छे. - २ 'तत्' -स० रा० श्लोमा नया... ३ -तर्कविचारे पूर्वे -स०। -तर्कवीचारे पूर्व रा० श्लो० । ૪ સંપાદકની ભ્રાન્તિને કારણે આ સૂત્ર અલગ છપાયું નથી. रा० श्लोमा अवीचारं ५४ छे. ५ लेश्योपपादस्था० –स० रा० श्लो० । Page #192 -------------------------------------------------------------------------- ________________ १६७ दशमोऽध्याय मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ॥ १ ॥ बन्धहेत्वभावनिर्जराभ्याम् ॥ २ ॥ कृत्स्नकर्मक्षयो मोक्षः ॥ ३ ॥ औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञान दर्श नसिद्धत्वेभ्यः २ || 8 || तदनन्तरमूर्ध्वं गच्छत्या लोकान्तात् ॥ ५ ॥ पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च तद्गतिः ॥ ६ ॥ T क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्वबोधितज्ञानावगाहनान्तरसङख्याल्पबहुत्वतः साध्याः ॥ ७ ॥ १ - भ्यां कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः ॥ २ ॥ - स० रा० श्लो० । २ या स्थाने स० रा० श्लो० भां ' औपशमिकादिभव्यत्वानां च' भने 'अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः येम मे सूत्रे छे. ३ ' तद्गतिः' ५६ स० रा० श्लो०भां नथी थ्यने या सूत्र પછી 'आविद्धकुलालचक्रवद्व्यपगत लेपालाबु वदेरण्डबीजवदग्निशिखावच्च' ने 'धर्मास्तिकायाऽभावात्' येवां मे सूत्रो અધિક છે જેને ભાવ ભાષ્યમાં છે જ, Page #193 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા અધ્યાય ૧ પાન ૩ થી ૭૯: પ્રતિપાદ્ય વિષય ૩–સમ્યગ્દર્શનનું લક્ષણ ૮- સમ્યગ્દશનની ઉત્પત્તિનાં નિમિત્ત ૮- તને નામનિદેશ ૧૧-નિક્ષેપને નામનિદેશ ૧૩– તને જાણવાના ઉપાય ૧૫- તત્તરના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણુદ્ધારે ૧૬ – સમ્યજ્ઞાનને ભેદે ૨૧ – પ્રમાણચર્ચા ૨૩–- મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ ૨૫– મતિજ્ઞાનનું સ્વરૂપ ૨૬ –– મતિજ્ઞાનના ભેદ ૨૭ –– અવગ્રહ આદિના ભેદે ૨૮–સામાન્યરૂપે અવગ્રહ આદિને વિષય ૩૦ ઇકિયાની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાંતર ભેદે ૩૫– શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ ૪૩-અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી ૪૭ – મન:પર્યાચના ભેદે અને તેમને તફાવત પર–- અવધિ અને મન:પર્યાયનો તફાવત પપ–-પાંચ જ્ઞાનના ગ્રાહ્ય વિષયો ૫૫– એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેનું વર્ણન ૫૮ – વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યચતાનાં નિમિત્તો ૬૦ –- નયનભેદ ૬૩. અધ્યાય ૨ પાન ૮૦ થી ૧૩૮: જીવના પાંચ ભાવ, એમના ભેદ અને ઉદાહરણે ૮૦ – જીવનું લક્ષણ ૮૭– ઉપયોગની વિવિધતા ૮૯– છવરાશિના વિભાગ ૯૨– સંસારી જીવના ભેદ–પ્રભેદ ૯૩ – ઇંદ્રિયોની સંખ્યા, એમના ભેદ-પ્રભેદ અને નામનિદેશ ૯૬– ઇકિનાં શેય અર્થાત વિષચ ૯.- ઇન્દ્રિયોના સ્વામી ૧૦૩– અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતનું વર્ણન ૧૦૬– જન્મ અને યોનીના ભેદ તથા એમના સ્વામી ૧૧૪– શરીરને લગતું વર્ણન ૧૧૮–લિંગ - વેદવિભાગ * ૧૩૧ –- આયુષ્યને પ્રકાર અને તેમના સ્વામી ૧૩૩. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અધ્યાય ૩ પાન ૧૩૯ થી ૧૧: નારકનું વર્ણન ૧૩૯–મધ્યલોકનું વર્ણન ૧૫૧. અધ્યાય ૪ પાન ૧૧ર થી ૧૯૨ : દેવેના પ્રકાર ૧૬૨ – ત્રીજા નિકાયની લેશ્યા ૧૬૨-ચાર નિકાના ભેદ ૧૬૩–ચનિકાયના અવાંતર ભેદે ૧૬૪–ઇદ્રોની સંખ્યાને નિયમ ૧૬૫–પહેલા બે નિકામાં લેશ્યા ૧૬૬–દેવના કામસુખનું વર્ણન ૧૬૬–ચતુનિ– કાયના દેશના પૂર્વોક્ત ભેદેનું વર્ણન ૧૬૯–કેટલીક બાબતોમાં દેવેની ઉત્તરેતર અધિક્તા અને હીનતા ૧૭૭—વૈમાનિકામાં લેશ્યાને નિયમ ૧૮૨ – કલ્પની પરિગણુના ૧૮૩–– કાંતિક દેવેનું વર્ણન ૧૮૭– અનુત્તર વિમાનના દેવનું વિશેષ૦ ૧૮૫ – તિય ચાનું સ્વરૂપ ૧૮૬ – અધિકારસૂત્ર ૧૮૬–ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન ૧૮૬—વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન ૧૮૭–વૈમાનિકેની જધન્ય સ્થિતિ ૧૮૯–નારની જધન્યસ્થિતિ ૧૯૦—ભવનપતિની જઘન્ય સ્થિતિ ૧૯૧ – વ્યંતરની સ્થિતિ ૧૯૧–તિષ્કની સ્થિતિ ૧૯૨. અધ્યાય ૫ પાન ૧૯૩ થી ૨૪૯ : અજીવના ભેદો ૧૯૩–મૂલ દ્રવ્યોનું ધૂન ૧૯૫– છ મૂલ દ્રવ્યનું સાધમ્ય વૈધમ્મ ૧૯૫–પ્રદેશની સંખ્યાને વિચાર ૧૯૯– દ્રના સ્થિતિક્ષેત્રને વિચાર ૨૦૨– કાર્ય દ્વારા ધર્મ, અધમ અને આકાશનાં લક્ષણનું કથન ૨૧૦-– કાર્ય દ્વારા પુદ્ગલનું લક્ષણ ૨૧૩–કાર્યદ્વારા જીવનું લક્ષણ ૨૧૪ –કાર્ય દ્વારા કાળનું લક્ષણ ૨૧૫-પુદ્ગલના અસાધારણ પર્યાય ૨૧૬ – પુદ્ગલના મુખ્ય પ્રકાર ૨૨૦ – અનુક્રમથી સ્કંધ અને અણુની ઉત્પત્તિનાં કારણું ૨૨૧–અચાક્ષુષ સ્કંધના ચાક્ષુષ બનવામાં Page #195 -------------------------------------------------------------------------- ________________ હેતુ ૨૨૩– “સતની વ્યાખ્યા ૨૨૫ – વિરોધને પરિહાર અને પરિણમી નિત્યત્વનું સ્વરૂપ ૨૨–બીજી વ્યાખ્યા વડે પૂર્વોક્ત સના નિત્યત્વનું વર્ણન ૨૨૯–અનેકાંતના સ્વરૂપનું સમર્થન ૨૩૦ –બીજી વ્યાખ્યા ૨૩૧–પૌગલિક બંધના હેતુનું કથન ૨૩૨– બંધના સામાન્ય વિધાનમાં અપવાદ ૨૩૩–પરિણામનું સ્વરૂપ ૨૩૮–દ્રવ્યનું લક્ષણ ૨૩૯-કાળ વિશે વિચાર ૨૪૩–ગુણનું સ્વરૂપ ૨૪૪–પરિણામનું સ્વરૂપ ૨૪૫–પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ ૨૪૬. અધ્યાય ૬ પાન ર૫૦ થી ર૭૯ ઃ યુગના વર્ણન દ્વારા આસ્રવનું સ્વરૂપ ૨૫૦–ગના ભેદ અને એમના કાયભેદ ૨૫૧–સ્વામીભેદથી યોગના ફલભેદ ૨૫૪–સાંપરાયિક કર્માસ્ત્રવના ભેદ ૨૫૫–બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણુમભેદથી કર્મબંધમાં આવતી વિશેષતા ૨૫૮–અધિકરણના બે ભેદ ૨૬૦–આઠ પ્રકારમાંથી પ્રત્યેક સાપરાચિક કર્મના ભિન્ન ભિન્ન બંધહેતુઓનું કથન ૨૬૩. અધ્યાય ૭ પાન ૨૮૦ થી ૩ર૧ : વ્રતનું સ્વરૂપ ૨૮૦. વ્રતના ભેદો ૨૮૩ વ્રતોની ભાવનાઓ ૨૮૩–ભાવનાઓની સમજ ૨૮૫-બીજી કેટલીક ભાવનાઓ ૨૮૭-હિંસાનું સ્વરૂપ ર૯-અસત્યનું સ્વરૂપ ૨૯૬ –ચોરીનું સ્વરૂપ ૨૯૭–અબ્રહ્મનું સ્વરૂ૫ ર૯૮–પરિગ્રહનું સ્વરૂપ ૨૯–ખરા વ્રતી બનવાની પ્રાથમિક લાયકાત ૩૦૦–વતીના ભેદ ૩૦૧–અગારી વ્રતનું વર્ણન ૩૦૨ સમ્યગદર્શનના અતિચાર ૩૦૭–વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન ૩૦૯–દાનનું વર્ણન ૩૧૯. અધ્યાય ૮. પાન ૩રર થી ૩૪૪ : બંધહેતુઓને નિર્દેશ ૩૨૨–બંધ હેતુઓની વ્યાખ્યા ૩૨૪–બંધનું સ્વરૂપ ૩૨૫–બંધના પ્રકાર Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૩૨૬–મૂલપ્રકૃતિના ભેદને નામનિર્દેશ ૩૨૭–ઉત્તરપ્રકૃતિના ભેદની સંખ્યા અને નામનિર્દેશ ૩૨૯–ચારિત્રમેહનીચના પચીસ પ્રકારે ૩૩૨–નામકમની બેંતાલીશ પ્રકૃતિઓ ૩૩૩–સ્થિતિબંધનું વર્ણન ૩૩૬– અનુભાવબંધનું વર્ણન ૩૩૮ – પ્રદેશબંધનું વર્ણન ૩૪૦–પુણ્ય અને પાપપ્રકૃતિઓને વિભાગ ૩૪૨. અધ્યાય ૯ પાન ૩૪૫ થી ૩૮૯ઃ સંવરનું સ્વરૂપ ૩૪૫– સંવરના ઉપાય ૩૪૬– ગુપ્તિનું સ્વરૂપ ૩૪૭– સમિતિના ભેદે ૩૪૭– ધર્મના ભેદે ૩૪૮ – અનુપ્રેક્ષાના ભેદે ૩પર–પરીષહનું વર્ણન ૩૫૬– ચારિત્રના ભેદે ૩૬૨–તપનું વર્ણન ૩૬૩ – પ્રાયશ્ચિત્ત આદિ તપાના ભેદની સંખ્યા ૩૬૫– પ્રાયશ્ચિતના ભેદો ૩૬૫–વિનચના ભેદે ૩૯૭– વૈયાવૃત્યના ભેદે ૩૬૭– સ્વાધ્યાયના ભેદો ૩૬૮ – વ્યુત્સર્ગના ભેદો ૩૬૯– ધ્યાનનું વર્ણન ૩૬૯–ધ્યાનના ભેદો ૩૭૩ – આર્તધ્યાનનું નિરૂપણ ૩૭૪ – રૌદ્રધ્યાનનું નિરૂપણું ૩૭૫ – ધર્મધ્યાનનું નિરૂપણ ૩૭૬ – શુકલધ્યાનનું નિરૂપણું ૩૭૭– સમ્યગદૃષ્ટિએની કમનિજરનો તરતમભાવ ૩૮૨ – નિગ્રંથના ભેદો ૩૮૪–આઠ બાબતમાં નિર્ચની વિશેષ વિચારણું ૩૮૫. અધ્યાય ૧૦. પાન ૩૯૦ થી ૩૯૮: કૈવલ્યની ઉત્પત્તિના હેતુઓ ૩૯૦ – કમના આત્યંતિક ક્ષયનાં કારણે અને મોક્ષનું સ્વરૂપ ૩૯૧– અન્ય કારણનું કથન ૩૯૨– મુક્ત જીવનું મેક્ષ પછી લાગતું જ કાર્ય ૩૯૩ – સિધ્યમાન ગતિના હેતુઓ ૩૯૩ – બાર બાબતો વડે સિદ્ધિની વિશેષ વિચારણું ૩૫. પારિભાષિક શબ્દકેષ ૩૯૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ Page #198 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર Page #199 -------------------------------------------------------------------------- ________________ Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ પ્રાણી અનંત છે અને બધાયે સુખને ચાહે છે. સુખની કલ્પના પણ બધાંની એકસરખી નથી. છતાંયે વિકાસના એછાપણુ-વધતાપણું પ્રમાણે પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે. પહેલા વર્ગમાં અલ્પ વિકાસવાળાં પ્રાણીઓને સમાવેશ થાય છે. તેમના સુખની કલ્પના બાહ્ય સાધન સુધી પહોંચે છે. બીજા વર્ગમાં અધિક વિકાસવાળાં પ્રાણુઓ આવે છે. તેઓ બાહ્ય અર્થાત ભૌતિક સાધનોની સંપતિમાં સુખ ન માનતા ફક્ત આધ્યાત્મિક ગુણની પ્રાપ્તિમાં જ સુખ માને છે. બન્ને વર્ગે માનેલા સુખમાં તફાવત એ છે કે, પહેલું સુખ પરાધીન છે, જ્યારે બીજું સુખ સ્વાધીન છે. પરાધીન સુખને સામ અને સ્વાધીન સુખને મોક્ષ કહે છે, કામ અને મોક્ષ બે જ પુરુષાર્થ છે. તે બે સિવાય બીજી કોઈ પણ વસ્તુ પ્રાણીઓને માટે મુખ્ય સાધ્ય નથી. પુરુષાર્થોમાં અર્થ અને પર્વને ગણવામાં આવે છે તે મુખ્ય સાધ્યરૂપે નહિ પણ કામ અને મોક્ષના સાધનરૂપે. અર્થ એ કામનું અને ધર્મ એ મોક્ષનું પ્રધાન Page #201 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર સાધન છે. પ્રસ્તુત શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદ્ય વિષય મેાક્ષ છે. તેથી મેાક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી શાસ્ત્રકાર પહેલા સૂત્રમાં તેને નિર્દેશ કરે છેઃ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે મળી મેાક્ષનુ સાધન છે, આ સૂત્રમાં મેાક્ષનાં સાધનાને માત્ર નામનિર્દેશ છે. જો કે મેાક્ષ, એના સાધનાનું સ્વરૂપ તથા પ્રકાર આગળ વિસ્તારથી કહેવામાં આવશે. છતાં અહીં સંક્ષેપમાં માત્ર સ્વરૂપ આપી દેવામાં આવે છે. મેક્ષનું સ્વરૂપ : બંધનાં કારણાને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે, તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા એ જ મેાક્ષ છે. સાધનાનું હ્રસ્વ : જે ગુણુ એટલે કે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય અર્થાત્ છાડી દેવા ચાગ્ય અને ઉપાય અર્થાત્ સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથા વિવેકની અભિરુચિ થાય; તે ‘સમ્યગ્દર્શન.’ નય અને પ્રમાણથી થનારું જીવાદિ તત્ત્વાનું યથા જ્ઞાન તે ‘સમ્યજ્ઞાન' છે. ૧–૨. જે જ્ઞાન, શબ્દમાં ઉતારી શકાય છે, અર્થાત્ જેમાં ઉદ્દેશ્ય અને વિધેચરૂપથી વસ્તુ કહેવાય છે, તે જ્ઞાન નય અને છે, જેમાં `શ્ય-વિધેયના વિભાગ સિવાય જ એટ્લે કે અવિભકત વસ્તુનું સ ́પૂર્ણ અથવા અસપૂણ યથાથ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાળ છે, વિશેષ ખુલાસા માટે જુએ અધ્યાત્ર ૧. ` સૂત્ર ૬; તેમ જ ત્યાચાવતાર શ્લાક ર૯-૩૦ ના ગુજરાતી અનુવાદ. Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૧ સમ્યગૂજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવની એટલે કે રાગષની અને ગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્મચારિત્ર” છે. - સાધનાનું સહર્ષ : ઉપર જણાવેલાં ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે, સમ્યગ્ગદર્શન અને સમ્યગૂજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. છતાં સમ્યફક્યારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનમાં પૂર્ણ મોક્ષ અર્થાત અશરીરસિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી, અને ચૌદમાં ગુણસ્થાનમાં શૈલેશ ૧. “ગ” એટલે માનસિક, વાચિક તેમ જ કાયિક ક્રિયા. ૨. હિંસાદિ દેને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતોનું આચરણું પણ સભ્યશ્ચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે અને એમની નિવૃત્તિથી દોને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વત:સિદ્ધ થઈ જાય છે. ૩. જે કે તેરમાં ગુણસ્થાનમાં વીતરાગભાવરૂપ ચારિત્ર તો પૂર્ણ જ છે, છતાં અહીં જે અપૂર્ણતા કહેવામાં આવી છે, તે વીતરાગત્વ અને અગતા એ બંનેને પૂર્ણ ચારિત્ર માનીને જ. આવું પૂર્ણ ચારિત્ર ચૌદમાં ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે અને તરત જ અશરીરસિદ્ધિ થાય છે. ૪. શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેરુ સરખી નિપ્રકંપતા કે નિશ્ચલતા આવે છે. વધારે ખુલાસા માટે જુઓ હિંદી કમગ્રંથ બીજે, પૃ. ૩૦. Page #203 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ શક્ય થાય છે. સર્યનિચન: ઉપરનાં ત્રણે સાધનેમાંથી પહેલાં બે એટલે કે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતાં નથી, તેમ જ સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યક્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવયંભાવી નથી. કારણ કે સમ્યક્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જોવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યક્યારિત્ર માટે એવો નિયમ છે ૧. એક એ પણ પક્ષ છે જે દર્શન અને જ્ઞાનનું અવશ્ય ભાવી સાહચર્ય ન માનતાં વૈકલ્પિક સાહચર્ય માને છે. એ મત પ્રમાણે કેઈક વાર દશનકાળમાં જ્ઞાન ન પણ હોય. એનો અર્થ એવો છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થવા છતાં દેવ, નાટક, તિયોને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ કૃતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હેતું નથી. આ મત પ્રમાણે દશનના સમયે જ્ઞાન ન હેવાનો અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ કૃતજ્ઞાન હેતું નથી પરંતુ દર્શન અને જ્ઞાનને અવશ્ય સહચારી માનતા પક્ષને આશય એ છે કે, દશનપ્રાપ્તિ પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે, તે સમ્યગદશનની ઉત્પત્તિ અથવા મિથ્યા દૃષ્ટિની નિવૃત્તિથી સમ્યગરૂપમાં પરિણુત થઈ જાય છે, અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે છે અને જેટલો વિશેષ બોધ સમ્યકત્વ પ્રાપ્તિકાલમાં હોય, તે જ સમ્યગજ્ઞાન સમજવું, માત્ર વિશિષ્ટ શ્રત નહિ. Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૧ કે, જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેનાં સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય છે. પ્ર- જે આત્મિક ગુણને વિકાસ એ જ મોક્ષ છે અને સમ્યગદર્શન આદિ એનાં સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ જ છે, તે પછી મેક્ષ અને એને સાધનમાં શું તફાવત છે ? ઉ૦ – કાંઈ પણ નહિ. પ્ર૦ –– જો તફાવત નથી, તો મોક્ષ સાધ્ય અને સમ્ય દર્શન આદિ રત્નત્રય એનું સાધન એ સાધ્ય સાધન ભાવ કેવી રીતે સમજે ? કારણ કે સાધ્ય સાધનસંબંધ ભિન્ન વસ્તુઓમાં દેખાય છે. ઉ૦ – સાધક–અવસ્થાની અપેક્ષાએ મેક્ષ અને રત્નત્રયન સાધ્યસાધનભાવ કહ્યો છે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમ કે સાધકનું સાધ્ય પરિપૂર્ણ રત્નત્રયરૂપ મેક્ષ હોવાં છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના ક્રમિક વિકાસથી જ થાય છે. આ શાસ્ત્ર સાધકને માટે છે, સિદ્ધને માટે નથી. આથી આમાં સાધકને માટે ઉપયોગી એવા સાયસાધનના ભેજું જ કથન છે. પ્ર૦ – સંસારમાં તે ધન સ્ત્રી આદિ સાધનોથી સુખપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તો પછી એને છોડીને મોક્ષના પરોક્ષ સુખ માટે ઉપદેશ શા માટે કરવામાં આવે છે ? ઉ૦ – મોક્ષને ઉપદેશ એટલા માટે છે કે એમાં સાચું સુખ મળે છે. સંસારમાં સુખ મળે છે પણ સાચું સુખ નહિ, સુખાભાસ મળે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર મેક્ષમાં સાચું સુખ અને સંસારમાં સુખાભાસ — એટલે શું ? . ઉ સાંસારિક સુખ, ઇચ્છાઓને તૃપ્ત કરવાથી થાય છે. હવે ઇચ્છાના એવા સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય એટલામાં તેા ખીજી સેકડો ઘૃચ્છાએ ઉત્પન્ન થઈ જાય છે. આ બધી ઇચ્છાઓની તૃપ્તિ થવાના સંભવ નથી; અને ધારા કે હોય તે પણ તેટલામાં એવી ખીજી હજારા ઇચ્છા પેદા થઈ જવાની કે જેમની તૃપ્તિ થવાના સ ંભવ નથી. આથી જ સંસારમાં ઇચ્છાઓની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ જ સુખના પશ્ચા કરતાં અતૃપ્ત ઇચ્છાએથી ઉત્પન્ન થયેલા દુઃ ખનું પલ્લું ભારે જ રહેવાનું. તેથી સંસારના સુખને સુખાભાસ કહ્યો છે. મેાક્ષની સ્થિતિ એવી છે કે એમાં ઈચ્છાઓના જ અભાવ થઈ જાય છે, અને સ્વાભાવિક સંતેાષ પ્રગટ થાય છે; તેથી એમાં સ ંતોષથી ઉત્પન્ન થતુ સુખ એ જ સુખ છે અને એ જ સાચું સુખ છે. [૧] હવે સમ્યગ્દનનું લક્ષણ કહે છે : तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । २ । ચથા રૂપથી પદાર્થાના નિશ્ચય કરવાની જે રુચિ, તે ‘સમ્યગ્દન ’ છે. હવે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં નિમિત્તો કહે છે: तन्निसर्गादधिगमाद्वा । ३ । તે ( સમ્યગ્દર્શ`ન ) નિસગ થી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે ખાદ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - ૩ જગતના પદાર્થાને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કાઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગ્દČન નથી. કેમ કે એનું પરિણામ મેક્ષ પ્રાપ્તિ ન હેાવાથી, એનાથી સંસાર જ વધે છે. પરન્તુ જે તત્ત્વનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે થાય છે, તે સમ્યગદર્શન છે. નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી પ્રથાર : આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માના પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે. તે જ્ઞેયમાત્રને તાત્ત્વિક રૂપમાં જાણવાની, હેયને છેાડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે. રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ વ્યવહારસભ્યત્વ છે. સમ્યક્ત્વનાં ોિ: સમ્યગદર્શનની પિછાન કરાવે એવાં પાંચ લિંગ માનવામાં આવે છે. જેવાં કે પ્રથમ, સવેગ, નિવેદ, અનુક ંપા અને આસ્તિક. ૧. તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષાના ઉપશમ એ જ પ્રશમ' છે. ૨. સાંસારિક અંધનેાના ભય એ સવેગ' છે. ૩. વિષયામાં આસક્તિ ઓછી થવી એ ‘નિવેદ' છે. ૪. દુ:ખી પ્રાણીઓનું દુ:ખ દૂર કરવાની ઇચ્છા એ અનુકંપા' છે. ૫. આત્મા આદિ પરાક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થાના સ્વીકાર એ આસ્તિકય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર હેતુને ઃ સમ્યગદર્શનને વેગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પણ આમાં કઈ આત્માને એના આવિર્ભાવ માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કેઈને રહેતી નથી. એ તે પ્રસિદ્ધ છે કે કઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પિતાની જાતે જ શીખી લે છે. આન્તરિક કારણોની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને પ્રસ્તુત સૂત્રમાં સમ્યગદર્શનના નિસર્ગસમ્યગ્દર્શન અને “અધિગમસમ્યગદર્શન એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારનાં હોય છે. કોઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેકનથી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કોઈ ગુરુને ઉપદેશ સાંભળી, કોઈ શાસ્ત્રો ભણીને અને કોઈ સત્સંગથી. રવત્તિન : અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહનાં દુઃખોનો અનુભવ કરતાં કરતાં યેગ્ય આત્મામાં કેઈક વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામ શુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ સચવ છે. [ ૨-૩ ] ૧. ઉત્પત્તિકમની સ્પષ્ટતા માટે જુઓ હિંદી “કર્મગ્રંથ બીજે પૃ. ૭ તથા કર્મગ્રંથ” ચોથાની પ્રસ્તાવના પૃ. ૧૩. Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૪ હવે તવાને નામ-નિર્દેશ કરે છેઃ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । ४ । જીવ, અજીવ, આસવ, અંધ, સંવર, નિર્જરા અને મેક્ષ એ તત્ત્વો છે. ઘણા ગ્રંથામાં પુણ્ય અને પાપ ઉમેરી નવ તત્ત્વના કહ્યાં છે. પરંતુ અહીં પુણ્ય અને પાપ અને તત્ત્વતા આસ્રવ' અથવા બંધ' તત્ત્વમાં અંતર્ભાવ કરી, ફક્ત સાત જ તત્ત્વા કહ્યાં છે. એ અંતર્ભાવ આ રીતે સમજવા જોઈ એ : પુણ્ય, પાપ અને દ્રવ્ય અને ભાવ રૂપથી બબ્બે પ્રકારનાં છે. શુભ કર્મો પુદ્ગલ દ્રવ્યપુણ્ય અને અશુભ કર્મ પુદ્ગલ દ્રવ્યપાપ છે. આથી દ્રવ્યરૂપ પુણ્ય તથા પાપ, બુધ’ તત્ત્વમાં અતભૂત થાય છે. કેમ કે આત્મસંબદ્ધ ક`પુદ્ગલ અથવા આત્મા અને કર્મ પુદ્ગલને સંબંધવિશેષ એ જ ‘દ્રવ્યબ’ધ’ તત્ત્વ કહેવાય છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અવ્યવસાય જે ભાવપુણ્ય કહેવાય છે અને દ્રવ્યપાપનુ કારણ અશુભ અધ્યવસાય જે ભાવપાપ કહેવાય છે, તે પણ બંધ' તત્ત્વમાં અંતર્ભૂત છે; કેમ કે ‘બંધ’ના કારણભૂત કાષાયિક અધ્યવસાય પરિણામ એ જ ‘ભાવબંધ' કહેવાય છે. ભાવબંધ એ જ ભાવઆસ્રવ છે, તેથી પુણ્યાપને આસ્રવ પણ કહી શકાય. ૧૧ --- ૧. બૌદ્ધ દશનમાં જે દુ:ખ, સમુય, નિરોધ અને માર્ગ એ ચાર આય સત્યા છે, સાંખ્ય તથા ચોગદર્શનમાં જે હેય, હેતુ, હાન અને હાનેાપાય એ ચતુર્વ્યૂહ છે, ન્યાયદર્શનમાં જેમને અર્થપદ ક્યાં છે તેમના સ્થાનમાં આસ્રવથી લઈ મેાક્ષ સુધીનાં પાંચ તત્ત્વા જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર૦— આસ્રવથી લઈ મેાક્ષ સુધીનાં પાંચ તત્ત્વા જીવ અજીવની જેમ સ્વતંત્ર નથી તેમ જ અનાદિ અનંત પણ નથી. પણ તે જીવ અથવા અવની યથાસંભવ અમુક અમુક અવસ્થારૂપ છે. તે પછી તેમની, જીવ અવની સાથે તત્ત્વ તરીકે કેમ ગણતરી કરી ? ૧૨ ૩. — વસ્તુસ્થિતિ એવી જ છે. અર્થાત્ અહીંયાં તત્ત્વ શબ્દના અર્થ અનાદિ—અનંત અને સ્વતંત્ર ‘ભાવ’ નથી, કિન્તુ મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ‘જ્ઞેય’ એવે છે. આ શાસ્ત્રના મુખ્ય વિષય મેાક્ષ હાવાથી મેાક્ષના જિજ્ઞાસુએ માટે જે વસ્તુઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, એ જ વસ્તુએને અહીંયાં તત્ત્વ તરીકે ગણાવી છે. મેાક્ષ તેા મુખ્ય સાધ્ય જ રહ્યુ એટલે એને તથા એના કારણને જાણ્યા વિના મોક્ષમાર્ગમાં મુમુક્ષુની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. એ રીતે જો મુમુક્ષુ મેક્ષનાં વિરાધી તત્ત્વનું અને એ વિરેધી તત્ત્વાનાં કારણાનું સ્વરૂપ ન જાણે, તેપણ પેાતાના માર્ગમાં તે અસ્ખલિત પ્રવૃત્તિ કરી શકે નહિ. અને એ તે મુમુક્ષુને સૌથી પહેલું જ જાણી લેવુ પડે છે કે, હું જો મેાક્ષના અધિ કારી તે મારામાં જણાતું સામાન્ય સ્વરૂપ કોનામાં છે અને કાનામાં નથી. આ જ્ઞાનની પૂર્તિ માટે સાત તત્ત્વાનુ કથન છે. જીવ તત્ત્વના કથનથી મેાક્ષના અધિકારીના નિર્દેશ થાય છે. અજીવ તત્ત્વથી એમ સૂચિત થાય છે કે, જગતમાં એક એવુ પણ તત્ત્વ છે, જે જડ હોવાથી મેાક્ષમાના ઉપદેશનું અધિકારી નથી. બંધ તત્ત્વથી મેાક્ષને વિરાધી ભાવ અને આસ્રવ તત્ત્વથી એ વિરાધી ભાવનું કારણ બતાવ્યું Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૫ ૧૩ છે. સંવર તત્ત્વથી મોક્ષનું કારણ અને નિર્જરા તત્ત્વથી મેક્ષનો ક્રમ બતાવ્યો છે. [૪] હવે નિક્ષેપોનો નામનિર્દેશ કરે છે? नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ।। નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમને એટલે કે સમ્યગ્દર્શન આદિ અને જીવ આદિને ન્યાસ એટલે કે વિભાગ થાય છે. બધા વ્યવહારનું કે જ્ઞાનની આપ-લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દ, પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દને ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના અર્થસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગને જ નિક્ષેપ” – ન્યાસ કહે – છે. એ જાણવાથી તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. એ માટે પ્રસ્તુત સૂત્રમાં એ ચાર અર્થનિક્ષેપ બતાવ્યા છે. એનાથી એટલું પૃથક્કરણ થઈ જશે કે મોક્ષમાર્ગ રૂપે સમ્યગદર્શન આદિ અર્થ, અને તત્ત્વ રૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, બીજ પ્રકારના નહિ. એ ચાર નિક્ષેપ આ પ્રમાણે છે: ૧. જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માતાપિતા અથવા બીજા લેકના સંકેતબળથી જાણી શકાય છે, તે અર્થ “નામનિક્ષેપ.” જેમ કે, કોઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક એગ્ય કઈ પણ ગુણ નથી પણ કેઈએ એનું નામ સેવક રાખ્યું છે. આ નામસેવક છે. ૨. જે વસ્તુ Page #211 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વા સૂત્ર મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હાય અથવા જેમાં મૂળ વસ્તુના આરેપ કરાયા હોય, તે ‘સ્થાપનાનિક્ષેપ.’ જેમ કે કાઈ સેવકનું ચિત્ર, ઋષ્મી અથવા મૂર્તિ એ સ્થાપનાસેવક છે. ૩. જે અ ભાવનિક્ષેપને પૂરૂપ અથવા ઉત્તરરૂપ હાય અર્થાત્ એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થા રૂપ હાય, તે ‘દ્રવ્યનિક્ષેપ.' જેમ કે એક એવી વ્યક્તિ હાય કે જે વમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાંતા ભૂતકાળમાં સેવા કરી છે અથવા આગળ કરનાર છે. તે દ્રવ્યસેવક છે. ૪. જે અર્થાંમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર ૧૪ ૧. ટૂંકમાં નામ બે જાતનાં છે: ચૌગિક અને રૂઢ, રસોઇયા, લઈગર વગેરે યૌગિક શબ્દો છે. ગાય, ઘેાડા વગેરે રૂઢ શબ્દો છે. રસાઈ કરે તે રસાયે અને લઈ કરે તે કલઈગરા. અહીં રસેાઈ અને લઈ કરવાની ક્રિયા એ જ રસોઇયા અને લૂઇંગશ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે, અર્થાત્ એ શબ્દો એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે ને તેથી જ એ ક્રિચા એવા રાખ્તોની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃત શબ્દો લઈને ઘટાવવું હાય તેા પાચક, કુંભકાર આદિ શબ્દોમાં અનુક્રમે પાકક્રિયા અને ઘટનિર્માણક્રિયાને ‘વ્યુત્પત્તિનિમિત્ત’સમજવું જોઈએ. સારાંશ કે ચૌગિક રાબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેમની પ્રવૃત્તિનું નિમિત્ત છે. પણ રૂઢ શબ્દોમાં એમ હું ધંટે, એવા શબ્દો વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં નથી આવતા પરંતુ રૂઢિ પ્રમાણે તેમના અથ થાય છે. ગાય (નો), ધાડા (અન્ન) આદિ શબ્દોની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કાઈ કરે તેા પણ તેના વ્યવહાર તા છેવટે વ્યુત્પત્તિ પ્રમાણે નહિ કિંતુ રૂઢિ પ્રમાણે જ દેખાય છે. અમુક અમુક પ્રકારની આકૃતિ, જાતિ એ જ ગાય ધાડા આદિ રૂઢ શબ્દોના વ્યવહારનું' નિમિત્ત છે. તેથી તે તે આકૃતિ કે Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ ચ ક ૧૫ ઘટતુ હોય, તે ‘ભાવનિક્ષેપ’, જેમકે એક એવી વ્યક્તિ છે કે જે સેવક ચાગ્ય કાર્ય કરે છે, તે ભાવસેવક કહેવાય. અવ - સમ્યગ્દન આદિ મેાક્ષમાર્ગના અને જીવ આદિ તત્ત્વાના પણ ચાર ચાર નિક્ષેપ – અ વિભાગ – સંભવે છે. પરંતુ ચાલુ પ્રકરણમાં એ ભાવરૂપે સમજવાના છે. [૫] હવે તત્ત્વાને જાણવાના ઉપાયા કહે છે: प्रमाणनयैरधिगमः | ६ | પ્રમાણેા અને નયાથી જ્ઞાન થાય છે. नय अने प्रमाणमां तफावत : નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે ‘નય' વસ્તુના એક અંશને ખેધ કરે છે અને ‘પ્રમાણ' અનેક અંશને. અર્થાત્ વસ્તુમાં અનેક ધર્મ હેાય છે, એમાંથી જ્યારે કાઈ એક ધ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નચ કહેવાય છે. જેમ કે નિત્યત્વ ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુ નિત્ય છે એવા નિશ્ચય. અને જ્યારે અનેક ધર્મો દ્વારા વસ્તુના અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાળ કહેવાય. જેમ કે, નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મા દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુએ નિયાનિત્ય આદિ અનેકરૂપ છે એવા નિશ્ચય. અથવા બીજા શબ્દોમાં કહીયે તે। નય એ પ્રમાણનેા માત્ર એક અંશ છૅ અને જાતિ એવા શબ્દોનું વ્યુત્પત્તિનિમિત્ત નહિ પણ 'પ્રવૃત્તિનિમિત્ત’ કહેવાય છે. ચૌગિક શબ્દ (વિશેષણરૂપ) હાય ત્યાં વ્યુત્પત્તિનિમિત્તવાળા અ ભાવનિક્ષેપ, અને રૂઢ શબ્દ (તિનામ) હેાય ત્યાં પ્રવૃત્તિનિમિત્તવાળા અથ ભાવનિક્ષેપ જાણવા. Page #213 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર પ્રમાણ એ અનેક નેને સમૂહ છે. કેમ કે નય, વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દષ્ટિઓથી ગ્રહણ કરે છે. [૬] હવે તના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણા દ્વારનું કથન કરે છે: निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः । ७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।८। નિદેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા — સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબત્વથી સમ્યગ્દર્શનાદિ વિષયનું જ્ઞાન થાય છે. નાનો કે મોટો કોઈ પણ જિજ્ઞાસુ જ્યારે તે પહેલવહેલે કઈ વિમાન કે બીજી એવી નવી વસ્તુ જુએ છે અને એનું નામ સાંભળે છે, ત્યારે એની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઊઠે છે. અને એથી તે પૂર્વે નહિ જોયેલી અથવા નહિ સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્ન કરવા લાગી જાય છે. ૧. કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરે એટલે તેની માહિતી મેળવવી અગર વિચારણું કરવી. એમ કરવાનું મુખ્ય સાધન તે વસ્તુ વિષે વિવિધ પ્રશ્નો કરવા એ છે. પ્રશ્નને ખુલાસે મળે તે પ્રમાણમાં વસ્તુમાં પ્રવેશ કર્યો ગણાય. તેથી પ્રશ્નો એ જ વસ્તુમાં પ્રવેશ કરવાનાં અર્થાત્ વિચારણું મારફત તેમાં ઊંડા ઊતરવાનાં દ્વારે છે, તેથી વિચારણા-દ્વાર એટલે પ્રશ્નો એમ સમજવું. શાસ્ત્રોમાં તેમને અનુગદ્વાર કહ્યાં છે. અનુગ એટલે વ્યાખ્યા કે વિવરણ, તેના દ્વારે એટલે તે તે પ્રશ્નો. Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-મૂત્ર ૮ ૧૭ તે એ વસ્તુને આકાર, રૂપ, રંગ, એને માલિક, એને બનાવવાના ઉપાય, એને રાખવાની જગ્યા, એના ટકાઉ પણાની મર્યાદા અને એના પ્રકાર આદિના સંબંધમાં વિવિધ પ્રશ્નો કરે છે. અને એ પ્રશ્નને ઉત્તર પ્રાપ્ત કરી પિતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આ રીતે જ અંતર્દષ્ટિવાળી વ્યક્તિ પણ મોક્ષમાર્ગ વિષે સાંભળીને અથવા હેય, ઉપાદેય એવાં આધ્યાત્મિક તત્ત્વ વિષે સાંભળીને એમના સંબંધમાં વિવિધ પ્રશ્નો દ્વારા પિતાનું જ્ઞાન વધારે છે. આ જ આશય ચાલુ બે સૂત્રમાં પ્રગટ કર્યો છે. ઉદાહરણ તરીકે, નિર્દેશ આદિ સૂક્ત ચૌદ પ્રશ્નોને લઈને સમ્યગ્દર્શન વિષે સંક્ષેપમાં નીચે પ્રમાણે વિચાર કરવામાં આવે છે: ૧. નિરા – સ્વરૂપ. તત્ત્વ તરફ રુચિ એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. ૨. સ્વામિત્વ – અધિકારિત્વ. સમ્યગ્દર્શનનો અધિકારી જીવ જ છે, અજીવ નહિ; કેમ કે તે જીવન જ ગુણ અથવા પર્યાય છે. ૩. સાધન – કારણ. દર્શનમોહનીય કર્મને ઉપશમ, ક્ષયપશમ અને ક્ષય એ ત્રણે સમ્યગ્દર્શનનાં અંતરંગ કારણ છે. એનાં બહિરંગ કારણે અનેક છે; જેવાં કે, શાસ્ત્રજ્ઞાન, જાતિસ્મરણ, પ્રતિમાદર્શન, સત્સંગ ઇત્યાદિ. ૪. મધિકાર – આધાર. સમ્યગૂદર્શનનો આધાર જીવ જ છે, કેમ કે એ એનો પરિણામ હોવાથી એમાં જ રહે છે. સમ્યગ્ગદર્શન ગુણ છે, તેથી એને સ્વામી અને અધિકરણ જુદાં જુદાં નથી તે પણ જ્યાં જીવ આદિ દ્રવ્યના સ્વામી અને અધિકરણનો વિચાર કરવાનો હોય, ત્યાં એ બન્નેમાં જુદાઈ પણ જોવામાં આવે છે. જેમ કે, વ્યવહારદષ્ટિથી જોતાં એક જીવને સ્વામી કોઈ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તવાથસૂત્ર બીજે જીવ હેય પણ એનું અધિકરણ તે કોઈ સ્થાન અથવા શરીર જ કહેવાય. ૫. રિથતિ – કાળમર્યાદા. સમ્યગ્ગદર્શનની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનંત છે. ત્રણે પ્રકારનાં સમ્યફ અમુક સમયમાં ઉત્પન્ન થાય છે એથી એ “સાદિ એટલે કે પૂર્વ અવધિવાળાં છે. પરંતુ ઉત્પન્ન થયેલું પણ ઔપશમિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કાયમ રહેતું નથી તેથી એ બને તો સાંત એટલે કે ઉત્તર અવધિવાળાં પણ હોય છે; પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી નષ્ટ જ થતું નથી તેથી તે અનંત છે. આ અપેક્ષાએ સામાન્ય રીતે સમ્યગદર્શનને સાદિ સાન્ત અને સાદિ અનંત સમજવું જોઈએ. ૬. વિધાન – પ્રકાર. સમ્યકત્વના ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકાર છે. ૭. સત્ત – સત્તા. જો કે સમ્યક્ત્વ ગુણ સત્તારૂપથી બધા જીવોમાં હયાત છે તો પણ એનો આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવોમાં જ થઈ શકે છે, અભવ્યોમાં નહિ. ૮. સંસ્થા –સમ્યક્ત્વની સંખ્યાનો આધાર એને પ્રાપ્ત કરનારાઓની સંખ્યા ઉપર છે. આજ સુધીમાં અનંત જીવોને સમ્યક્ત્વનો લાભ થયે છે અને આગળ પણ અનંત જીવો એને પ્રાપ્ત કરશે. આ દૃષ્ટિથી સમ્યગદર્શન, સંખ્યામાં અનંત છે. ૯. ક્ષેત્ર- લોકાકાશ. સમ્યગદર્શનનું ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ નથી કિન્તુ એનો અસંખ્યાતમે ભાગ છે. સમ્યગદર્શનવાળા એક જીવને લઈ અથવા અનંત જીવને લઈ વિચાર કરીએ તે પણ સામાન્યરૂપથી સમ્યગ્દર્શનનું ક્ષેત્ર લેકનો અસંખ્યાત ભાગ જ સમજવો જોઈએ, કેમ કે બધાય સમ્યગુદર્શનવાળા જીવોનું નિવાસક્ષેત્ર પણ લેકનો અસંખ્યાત ભાગ જ છે. હા, Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૮ એટલો તફાવત અવશ્ય હોવાનો કે એક સમ્યક્ત્વી જીવના ક્ષેત્ર કરતાં અનંત જીવોનું ક્ષેત્ર પ્રમાણમાં મોટું હશે કેમ કે લેકનો અસંખ્યાતમે ભાગ પણ તરતમભાવથી અસંખ્યાત પ્રકારને છે. ૧૦. સ્પીન - નિવાસસ્થાનરૂપ આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં ફક્ત આધારભૂત આકાશ જ લેવાય છે, અને સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશપ્રદેશ જેને અડકીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શનો તફાવત છે. સમ્યગૂદર્શનનું સ્પર્શ સ્થાન પણ લેકને અસંખ્યાતમે ભાગ જ સમજ જોઈએ. પરંતુ આ ભાગ એના ક્ષેત્ર કરતાં કાંઈક મેટો હોવાને, કેમ કે એમાં ક્ષેત્રભૂત આકાશના પર્યતવત પ્રદેશે પણ આવી જાય છે. ૧૧. 10 – સમય એક જીવની અપેક્ષા એ સમ્યગ્દર્શનને કાળ વિચારીએ તે તે સાદિ સાન્ત અથવા સાદિ અનંત થાય, પણ બધા જીની અપેક્ષાએ તે અનાદિ અનંત સમજવો જોઈએ; કેમ કે ભૂતકાળનો એ કઈ પણ ભાગ નથી કે જેમાં સમ્યફવી બિલકુલ ન હોય. ભવિષ્યકાળના વિષયમાં પણ એ જ બાબત છે. તાત્પર્ય કે અનાદિ કાળથી સમ્યગ્દર્શનના આવિર્ભાવ ક્રમ ચાલુ છે, જે અનંતકાળ સુધી ચાલતો જ રહેશે. ૧૨. સત્તર – વિરહકાળ. એક જીવને લઈને સમ્યગ્દર્શનના વિરહકાળને વિચાર કરીએ તો તે જઘન્ય અંતર્મુહૂર્તન અને ઉત્કૃષ્ટ ૧. નવ સમયથી માંડી બે ઘડી - ૪૮ મિનિટ– માં એક સમય ઓછો હોય ત્યાં સુધીના વખતને અંતમુહુત કહે છે. નવ સમય એ જધન્ય અંતમુહૂર્ત, અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વચલા બધા સમયે મધ્યમ અંતમુહૂર્ત. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્ત્વાર્થ સૂત્ર અપાદ્ધ પુદ્ગલપરાવત॰ પ્રમાણુ સમજવા જોઈ એ; કેમ કે, એક વાર સમ્યક્ત્વ શ્રુત થઈ ગયા પછી ફરીથી તે જલદીમાં જલદી અંતર્મુદ્ભમાં પ્રાપ્ત કરી શકાય છે; અને એમ ન થાય તા છેવટે અપાપુદ્ગલપરાવત પછી અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ વિવિધ જીવાની અપેક્ષાએ તે વિરહકાળ બિલકુલ હાતા નથી; કેમ કે વિવિધ જીવામાં તે કોઈ ને અને કાઈને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. ૧૩. માવ – અવસ્થા વિશેષ. સમ્યક્ત્વ આપશમિક, ક્ષાયેાપમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હાય છે. એ ભાવ, સમ્યકૃત્વના આવરણભૂત દર્શનમાહનીય કર્મીના ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણી શકાય છે. ઔપમિક કરતાં ક્ષાયેાપમિક અને ક્ષાયે।પમિક કરતાં ક્ષાયિકભાવવાળું સમ્યક્ત્વ ઉત્તરાત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હાય છે. ઉપરના ત્રણ ભાવા ઉપરાંત ખીજા ૧. જીવ પુદ્ગલાને ગ્રહણ કરી શરીર, ભાષા, મન અને શ્વાસેાશ્ર્વાસ રૂપે પરિણમાવે છે, જ્યારે કોઈ એક જીવ જગતમાંનાં સમગ્ર પુદ્ગલ પરમાણુઓને આહારક શરીર સિવાય ખીજા શરી રૂપે તથા ભાષા, મન અને શ્ર્વાસાશ્ર્વાસ રૂપે મૂકી દે અને એમાં જેટલેા કાળ લાગે તે પુદ્ગલપરાવતઃ એમાં ઘેાડા કાળ એછા હોય તે અપાન્દુ પુદ્ગલપરાવત કહેવાય છે. પરિણમાવી ૨. અહીં ક્ષાયેાપશમિકને ઔપમિક કરતાં શુદ્ધે કહ્યુ છે તે પરિણામની અપેક્ષાએ નહિ પણ સ્થિતિની અપેક્ષાએ. પરિણામની અપેક્ષાએ તા. ઔપશમિક જ વધારે શુદ્ધ છે; કારણ કે ક્ષાયેાપશમિક સમ્યક્દ્લ વખતે મિથ્યાત્વના પ્રદેશાય હાય છે, જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ વખતે તા કાઈ પણજાતને મિથ્યાત્વમેાહુ Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ સૂત્ર ૯ બે ભાવે પણ છે – ઔદયિક અને પરિણામિક. આ ભાવોમાં સમ્યક્ત્વ હેતું નથી. અર્થાત દર્શનમોહનીયની ઉદયાવસ્થામાં સમ્યકત્વને આવિર્ભાવ થઈ શકતું નથી. એવી જ રીતે સમ્યકત્વ અનાદિકાળથી છવત્વની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતું ન હોવાથી પારિણામિક એટલે કે સ્વાભાવિક પણ નથી. ૧૪. અત્યવદુત્વ–ઓછાવત્તાપણું. પૂર્વોક્ત ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં પથમિક સમ્યકત્વ સૌથી ઓછું છે, કેમ કે એવા સમ્યકત્વવાળા જીવ અન્ય પ્રકારના સમ્યક્ત્વવાળા જીવોથી હંમેશાં થોડા જ મળી આવે છે. ઓપશમિક સમ્યકત્વથી સાપથમિક સમ્યકત્વ અસંખ્યાતગણું અને ક્ષાપથમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ અનંતગણું છે. ક્ષાયિક સમ્યકત્વ અનંતગણું હોવાનું કારણ એ છે કે એ સમ્યક્ત્વ સમસ્ત મુક્ત જીવોમાં હોય છે, અને મુક્ત છો અનંત છે. [ ૭-૮ ] હવે સમ્યજ્ઞાનના ભેદ કહે છે: मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् [९] મતિ, શ્રત, અવધિ, મનઃપર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે. જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ સૂત્રમાં બતાવ્યું છે તેમ સમ્યજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે સમ્યગ્દર્શનનું લક્ષણ જાણે લીધા પછી સમ્યજ્ઞાનનું લક્ષણ નયને ઉદય નથી. તેમ છતાં ઔપશમિક કરતાં ક્ષાપશમિકની સ્થિતિ ઘણી લાંબી છે; એટલે એને એ અપેક્ષાએ વિશુદ્ધ પણ કહી શકાય. onal Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨ર, તિવાથચત્ર . અનાયાસે જાણી શકાય છે. તે આ રીતેઃ છવ કેઈક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી, કોઈને કોઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યકત્વને આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વસહચરિત છે, જ્યારે બીજુ સમ્યક્ત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. - પ્રવ –સમ્યકત્વને એવું તે શું પ્રભાવ છે કે એ ન હોય ત્યારે જ્ઞાન ગમે તેટલું અધિક અને અબ્રાન્ત હેય છતાં તે અસમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને જ્ઞાન થોડું, અસ્પષ્ટ અને ભ્રમાત્મક હોય છતાં સમ્યકત્વ પ્રગટ થતાં જ તે સમ્યજ્ઞાન કહેવાય છે ? ઉ૦–આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન-અસમ્યગ્નાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે; પ્રમાણશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતું નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન – પ્રમાણ, અને જેને વિષય અયથાર્થ હેય તે જ અસમ્યજ્ઞાન – પ્રમાણમાસ કહેવાય છે. પરંતુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં પ્રમાણુશાસ્ત્રને સંમત સમ્યમ્ અસમ્ય જ્ઞાનનો એ વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંયાં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાનિત થાય તે સવજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય એ જ સચીન, એ દષ્ટિ મુખ્ય છે. એ પણ સંભવ છે કે સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કેઈક વાર કાઈક વિષયમાં સંશય પણ થાય, ભ્રમ પણ થાય, અસ્પષ્ટ Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સુદ ૧૦-૧૨ રક જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાઝહરહિત હોવાથી પિતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પિતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યત્વે વાસનાના પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યકત્વ વિનાના જીવને સ્વભાવ એનાથી ઊલટ જ હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પિતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઈ વિશેષદર્શીના વિચારને પણ તુચ્છ સમજે છે; અને અંતે પિતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સાંસારિક મહત્ત્વાકાંક્ષામાં જ કરે છે. [૯] પ્રમાણચર્ચા– તત પ્રમાણે ૨૦ આ પોલમ ૨૧ प्रत्यक्षमन्यत् । १२ । તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન એ પ્રમાણરૂપ છે. પ્રથમનાં બે જ્ઞાન પક્ષ પ્રમાણ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુ છે. પ્રમાવિમા : જ્ઞાનના મતિ, કૃત આદિ જે પાંચ પ્રકાર ઉપર કહ્યા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણમાં વિભક્ત થઈ જાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્રમામળ : પ્રમાણનુ સામાન્ય લક્ષણ પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, જે જ્ઞાન વસ્તુના અનેક અંશને જાણે તે પ્રમાણ. એનુ વિશેષ લક્ષણ આ પ્રમાણે છે : જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની ચેાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ; અને જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે વાક્ષ છે. જ્જ ઉપરનાં પાંચમાંથી પહેલાં એ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણ કહેવાય છે; કેમ કે એ બન્ને, ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે. અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણે પ્રત્યક્ષ છે; કેમ કે એ ઇંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની ચોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે. ન્યાયશાસ્ત્રમાં પ્રત્યક્ષ અને પરેાક્ષનું લક્ષણ ખીજી રીતે કયુ' છે. એમાં ઇંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને લિંગ – હેતુ – તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પરાક્ષ કહેલું છે. પરંતુ એ લક્ષણુ અહીં સ્વીકારવામાં આવ્યું નથી. અહીંયાં તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષરૂપે અને આત્મા સિવાય ઇંદ્રિય તથા મનની અપેક્ષા રાખતુ જ્ઞાન પરાક્ષરૂપે માન્ય છે. આ કારણથી મતિ અને શ્રુત બન્ને જ્ઞાન ઇંદ્રિય અને મનની અપેક્ષા રાખતાં હાવાથી પરેાક્ષ સમજવાં જોઈ એ. અને આકીનાં અવધિ આદિ ત્રણે જ્ઞાન ઈંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની યાગ્યતાના બળથી ઉત્પન્ન થતાં હાવાથી પ્રત્યક્ષ સમજવાં જોઈ એ. ઇંદ્રિય અથા મનેાજન્ય Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૧૩ મતિજ્ઞાનને કઈ કઈ સ્થાને પ્રત્યક્ષ કહ્યું છે; તે પૂર્વોક્ત ન્યાયશાસ્ત્રના લક્ષણ પ્રમાણે લૌકિક દૃષ્ટિને લઈ સમજવું. [૧૦ – ૧૨] હવે મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દો કહે છે? मतिःस्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ! રૂ. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબંધ એ શબ્દો પર્યાય – એકાÁવાચક છે. પ્રહ – કયા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે? ઉ૦ – જે જ્ઞાન વર્તમાનવિષયક હોય તેને. પ્ર– શું સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા પણ વર્તમાન વિષયક જ છે? ઉ–નહિ. પૂર્વમાં અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ “સ્મૃતિ છે; આથી તે અતીતવિષયક છે. પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા” અથવા “પ્રત્યભિજ્ઞાન” છે; આથી તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. અને “ચિન્તા' ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે; તેથી તે અનામતવિષયક છે. પ્ર. – આમ કહેવાથી તે મતિ, સ્મૃતિ, સંતા અને ચિંતા એ પર્યાયશબ્દો થઈ શકતા નથી; કેમ કે એમને અર્થ જુદા જુદા છે. ૧. “પ્રમાણુમીમાંસા આદિ તત્તવગ્રંથમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે ઇદ્રિયમને જન્ય અવગ્રહ આદિ જ્ઞાનનું વર્ણન છે. વિશેષ ખુલાસા માટે જુઓ “ન્યાયાવતારના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જૈન પ્રમાણુમીમાંસા પદ્ધતિને વિકાસક્રમ. અક્સ, , : Page #223 -------------------------------------------------------------------------- ________________ ક તત્ત્વાર્થ સૂત્ર ઉ વિષયભેદ અને કંઈક નિમિત્તભેદ હેાવા છતાં પણ મતિ, સ્મૃતિ, સત્તા અને ચિંતા જ્ઞાનનું અ ંતરંગ કારણ જે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ છે, તે એક જ અહીં સામાન્યરૂપે વિક્ષિત છે. આ અભિપ્રાયથી અહી મતિ આદિ શબ્દોને પર્યાય કથા છે. પ્ર અભિનિષેાધ શબ્દના સંબંધમાં તે। કાંઈ કહ્યુ નહિ. માટે એ કયા પ્રકારના જ્ઞાનનેા વાયક છે એ કહો. ઉ અભિનધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધાં જ્ઞાને માટે વપરાય છે અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં અધાં નાનાને માટે અભિનિષેાધ શબ્દ સામાન્ય છે. અને મતિ આદિ શબ્દો એ ક્ષયાપશમજન્ય ખાસ ખાસ જ્ઞાનેા માટે છે. મ આ રીતે તે અભિનિષેધ એ સામાન્ય શબ્દ થયા અને મતિ આદિ શબ્દો એના વિશેષ થયા, તે પછી એ પર્યાયશબ્દો શી રીતે ? ઉ અહીંયાં સામાન્ય અને વિશેષની ભેદવિવક્ષા કર્યા વિના જ બધાને પર્યાયશબ્દ કહ્યા છે. [૧૩] હવે મતિજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् | १४ | ―― તે અર્થાત્ મતિજ્ઞાન ઈંદ્રિય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે. અને અનિંદ્રિય પ્ર અહીંયાં મતિજ્ઞાનનાં ઇંદ્રિય અને અર્નિંદ્રિય એ એ કારણા ખતાવ્યાં છે. એમાં ઇંદ્રિય તા ચક્ષુ આદિ પ્રસિદ્ધ છે, પણ અનિદ્રિયને શા અ ? Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૧૫ ઉ– અનિક્રિય એટલે મન. પ્ર–જે ચક્ષુ આદિ તથા મન એ બધાંય મતિજ્ઞાનનાં સાધનરૂપ છે તે એકને ઈદ્રિય અને બીજાને અનિંદ્રિય કહેવાને શે હેતુ છે? ઉ–ચક્ષુ આદિ બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે. આ જ ભેદ ઈદ્રિય અને અનિંદ્રિય એ સંજ્ઞાભેદનું કારણ છે. [૧૪] હવે મતિજ્ઞાનના ભેદ કહે છે: વધવાથધરી છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું એ ચાર ભેદ મતિજ્ઞાનના છે. પ્રત્યેક ઈદ્રિયજન્ય અને મને જન્ય મતિજ્ઞાનના ચાર ચાર ભેદે સંભવે છે. તેથી પાંચ ઈદ્રિય અને એક મન એમ છના અવગ્રહ આદિ ચાર ચાર ભેદો ગણતાં ચોવીસ ભેદો મતિજ્ઞાનના થાય છે. તેમનાં નામ નીચે પ્રમાણે સમજવાં? સ્પર્શન અવગ્રહ ઈહા અવાય ધારણા રસન ધ્રાણ જ છે. ' 2 켜 = શ્રોત્ર એ છે જે છે અવ આરિ ૩ વાર ના ફળેઃ ૧. નામ, જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્ય જ્ઞાન ૧. – હીપાવળઃ એવો પણ પાઠ છે. - -- Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તત્ત્વાર્થસૂત્ર હાય તે અવમદ્. જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શી થતાં આ કાંઈક છે' એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ માલૂમ પડતુ નથી કે એ કઈ ચીજના સ્પર્શ છે. આથી તે અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે. ૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે, તે હા. જેમ કે, < આ દોરડાના સ્પર્શી છે કે સાપને ?’ એવા સંશય થતાં એવી વિચારણા થાય છે કે આ દોરડાને સ્પ હાવા જોઈ એ; કેમ કે જો સાપ હાય તે! આટલા સખત આધાત લાગતાં ફૂંફાડા માર્યા વિના રહે નહિ. આને વિચારણા, સભાવના અથવા ઈહા કહે છે. ૩. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કાંઈક અધિક અવધાન–એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમ કે થોડાક સમય તપાસ કર્યા પછી એવા નિશ્ચય થાય કે આ સાપને સ્પર્શ નથી, દોરડાના જ છે, તે અવાય – અપાય કહેવાય છે. ૪. અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ તે રહે છે. પણ પછી મન ખીજા વિષયામાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવા સંસ્કાર મૂક જાય છે કે જેથી આગળ કાઈ યાગ્ય નિમિત્ત મળતાં એ નિશ્રિત વિષયનું સ્મણુ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજન્ય સ ંસ્કાર અને સંસ્કારજન્ય મતિવ્યાપાર ધારા છે. સ્મરણુ એ બધા પ્રશુ ઉપરના ચાર ભેદોના જે ક્રમ આપ્યા છે, તે નિર્હતુક છે કે સહેતુક છે? Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૧૬ ઉ૦–સહેતુક છે. સૂત્રમાં કહેલા ક્રમથી એમ સૂચિત કરવામાં આવે છે કે, જે ક્રમ સૂત્રમાં કહ્યો છે, એ ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે. [૧૫]. હવે અવગ્રહ આદિના ભેદ કહે છે: बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुषाणां सेतराणाम् ।१६। સેતર (પ્રતિપક્ષસહિત) એવા બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવનાં અવગ્રહ, હા, અવાય, અને ધારણું રૂપ મતિજ્ઞાન હોય છે. પાંચ ઈદ્રિય અને એક મન એ છ સાધનોથી થનાર મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા આદિ રૂપથી જે એવીસ ભેદ થાય છે, તે બધા ક્ષપશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે. જેમ કે: બહુગ્રાહી છ અવશ્રવ છ ઈહિ છ અવાય છ ધારણ અલ્પગ્રાહી બહુવિધગ્રાહી , છ , , એકવિધગ્રાહી ક્ષિપ્રગ્રાહી અક્ષિકગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી સંદિગ્ધગ્રાહી પૂવગ્રાહી અધૂવગ્રાહી Page #227 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર બહને અર્થ અનેક અને “અલ્પ નો અર્થ એક સમજવો. જેમ કે, બે અથવા બેથી અધિક પુસ્તકોને જાણતાં અવગ્રહ, ઈહા આદિ ચારે ક્રમભાવી મતિજ્ઞાને અનુક્રમે બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રહિણી ઈહા, બહુગ્રાહી અવાય અને બહુગ્રહિણી ધારણ કહેવાય; અને એક પુસ્તકને જાણતાં અવગ્રહ આદિ અલ્પગ્રાહી અવગ્રહ, અપગ્રાહિણી ઈહા, અલ્પગ્રાહી અવાય, અને અલ્પગ્રાહિણું ધારણ કહેવાય છે. બહુવિધ અર્થ અનેક પ્રકાર અને “એકવિધ ને અર્થ એક પ્રકાર સમજવો. જેમ કે, આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકોને જાણતાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધગ્રાહિણી ઈહિ, બહુવિધગ્રાહી અવાય અને બહુવિધગ્રાહિણી ધારણા કહેવાય છે. તે જ રીતે આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં એક જ જાતનાં પુસ્તકને જાણવાવાળા જ્ઞાને એકવિધગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી ઈહા આદિ કહેવાય છે. બહુ તથા અલ્પનો અર્થ વ્યક્તિની સંખ્યા સમજ અને બહુવિધ તથા એકવિધ અર્થ, પ્રકાર, કિસમ અથવા જાતિની સંખ્યા સમજવો. બંનેમાં એ જ તફાવત છે. શીઘ્ર જાણતાં ચાર મતિજ્ઞાન “શીઘગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે, અને વિલંબથી જાણતાં એ ચિરગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. એ તે અનુભવની વાત છે કે ઈદ્રિય, વિષય આદિ બધી બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત પશમની પટુતાને લીધે એક મનુષ્ય એ વિષયનું જ્ઞાન જલદી કરી લે છે, જ્યારે ક્ષપશમની મંદતાને લીધે બીજે માણસ તે જ વિષયનું જ્ઞાન વિલંબથી કરી શકે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૧૬ ૩૧ અનિશ્રિતને અર્થ લિંગ દ્વારા અપ્રમિત અર્થાત હેતુ દ્વારા અનિષ્ણુત વસ્તુ સમજ; અને “નિશ્રિત ને અર્થ લિંગપ્રમિત વસ્તુ સમજ. જેમ કે, પૂર્વમાં અનુભવેલ શીત, કોમળ અને સુકુમાર સ્પર્શરૂપલિંગથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી નિશ્રિતગ્રાહી સલિંગગ્રાહી અવગ્રહ આદિ, અને એ લિંગ સિવાય જ તે ફૂલોને જાણવાવાળાં જ્ઞાન ક્રમે અનિશ્રિતગ્રાહી – અલિંગગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. 'અસંદિગ્ધને અર્થ નિશ્ચિત અને સંદિગ્ધને અર્થ અનિશ્ચિત છે. જેમ કે, આ ચંદનનો સ્પર્શ છે, ફૂલનો નહિ. ૧. અનિશ્રિત અને નિશ્રિત શબ્દને જે અર્થ ઉપર આપે છે તે નંદિસૂત્રની ટીકામાં પણ છે, પરંતુ એ સિવાય બીજો અર્થ પણ એ ટીકામાં શ્રીમલયગિરિએ બતાવ્યું છે: પરધર્મોથી મિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત કરું અને પરધર્મોથી અમિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત સવંદ છે. જુઓ પૃ. ૧૮૩, આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત. “નિઃસૃત' દિ૫૦. તે પ્રમાણે એમાં એ અથ કરેલો છે કે, સંપૂર્ણ રીતે આવિર્ભત નહિ એવાં પુદ્ગલોનું ગ્રહણ “સાનઃસૃતાવઘટ્ટ અને સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ નાતાવપ્રદ છે. જુઓ આ સૂત્ર ઉપર રાજવાસ્તિક નં. ૧૫. ૨. “અનુવત’ દિ૦૫૦. તે પ્રમાણે એમાં એવો અર્થ કર્યો છે કે વક્તાના મુખમાંથી એક જ વર્ણ નીકળતાં વેંત એ પૂર્ણ અનુચ્ચરિત શબ્દને માત્ર અભિપ્રાયથી જાણી લે કે “તમે અમુક શબ્દ બેલવાના છો” આ જાતને અવગ્રહ તે અનુક્તાવગ્રહ અથવા સ્વરનું સંચારણું કર્યા પહેલાં જ વણા આદિ વાજિંત્રની ઠણક માત્રથી જાણી લેવું કે ‘તમે અમુક સ્વર વગાડવાના છો? આ અનુક્તાવગ્રહ. આનાથી વિપરીત તે ઉક્તાવગ્રહ. જુઓ આ જ સૂત્રનું રાજવાસ્તિક નં. ૧૫. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩ર તત્ત્વાર્થસૂત્ર એ પ્રકારે સ્પર્શીને નિશ્ચિત રૂપે જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન નિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. અને ચ ંદન તથા ફૂલ બન્નેના સ્પર્શે શીતળ હાવાથી આ ચંદનના સ્પર્શી છે કે ફૂલના એવા વિશેષની અનુપલબ્ધિથી થતાં સદેહયુક્ત ચારે જ્ઞાન અનિશ્ચિતગ્રહી અવગ્રહ આદિ કહેવાય છે. ‘ધ્રુવ'ના અર્થ અવશ્યંભાવી; અને અધ્રુવ’। અ કદાચિદ્ભાવી સમજવા. ઇંદ્રિય અને વિષયના સંબંધ તથા મનેયાગ રૂપ સામગ્રી સમાન હેાવા છતાં પણ એક મનુષ્ય એ વિષયને અવશ્ય જાણી લે છે, જ્યારે બીજો કદાચિત્ જાણે છે અને કદાચિત્ નહિ. સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. જ્યારે સામગ્રી હોવા છતાં પણ ક્ષયાપશમની મંદતાને લીધે વિષયને કાઈક વાર ગ્રહણ કરે અને કઈક વાર ગ્રહણ ન કરે એવાં ઉક્ત ચારે નાન અવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. પ્ર—ઉપરના બાર ભેદ્યમાંથી કેટલા વિષયની વિવિધતાને લીધે અને કેટલા ક્ષયેાપશમની પટુતા-મંદતારૂપ વિવિધતાને લીધે થાય છે? . શ્વેતાંબરીય ગ્ર ંથેામાં નત્રિમાં અòિષ્ણ' એવા જ ફક્ત એક પાઠ છે. એનેા અથ ઉપર લખ્યા પ્રમાણે જ એની ટીકામાં છે. બ્રુ પૃ. ૧૮૩, પર`તુ તવા ભાષ્યની વૃત્તિમાં અનુક્ત · પાઠ પણ આપ્યા છે, એના અથ પૂર્વોક્ત રાજવાત્તિક પ્રમાણે છે. પરંતુ વૃત્તિકારે લખ્યુ છે કે, ‘અનુક્ત' પાઠ રાખવાથી એ ફક્ત શબ્દવિષયક અવગ્રહ આદિમાં જ લાગુ પડશે; સ્પવિષયક અવગ્રહ આદિમાં નહિ. એ અપૂર્ણતાને લીધે અન્ય આચાર્યાએ ‘અસંદિગ્ધ પાઠ રાખ્યા છે. જીએ તત્ત્વા ભાષ્યવૃત્તિ પૃ. ૫૮, < Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- ૧૧૭ ઉ બહુ, અલ્પ, બહુવિધ અને અપવિધ એ ચાર ભેદ વિષની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના આઠે ભેદ ક્ષયાપશમની વિવિધતા ઉપર આધાર રાખે છે. અત્યાર સુધી કુલ ભેદ કેટલા થયા ? અસે। અટ્ઠચાશી. પ્ર ઉ --- પ્ર - – કેવી રીતે ? xxded ઉ - · પાંચ ઇંદ્રિય અને મનના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ચાવીસ અને બહુ, અલ્પ આદિ ઉક્ત ખાર પ્રકારાની સાથે ચોવીસને ગુણવાથી બસે અટ્ઠચાશી. [૧૬] હવે સામાન્ય રૂપે અવગ્રહ આદિતા વિષય કહે છેઃ અર્થT । ૭ । કર અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચાર મતિજ્ઞાન અને ગ્રહણ કરે છે. પ્ર૦——અથ એટલે વસ્તુ અને પર્યાય. દ્રવ્ય અને પર્યાય અન્ને વસ્તુ કહેવાય છે. તો શું ઇંદ્રિયજન્ય અને મજન્ય અવગ્રહ, ઈહા આદિ જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાયરૂપ વસ્તુને ? ઉ॰ —ઉક્ત અવગ્રહ, ઈંડા આદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે; સંપૂર્ણ દ્રવ્યને નહિ. દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે. કેમ કે ઇંદ્રિય અને મનના મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યને એક અશ છે; આથી અવગ્રહ, ઈહા, આદિ જ્ઞાન દ્વારા જ્યારે ઇંદ્રિયા કે મન તાતાના વિષયભૂત પર્યાયને જાણે છે, ત્યારે તે, તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અંશતઃ જાણે છે; કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતા નથી અને દ્રવ્ય પણ પર્યાય રહિત Page #231 -------------------------------------------------------------------------- ________________ - તવાથસૂત્ર હેતું નથી. જેમ કે નેત્રને વિષય રૂ૫ અને સંસ્થાન – આકાર – આદિ છે કે જે પુગલ દ્રવ્યના અમુક મર્યા છે. નેત્ર આમ્રફલ આદિને ગ્રહણ કરે છે એનો ભાવાર્થ એટલે જ છે કે, તે આમ્રફલના રૂપ તથા આકારવિશેષને જાણે છે. રૂપ અને આકારવિશેષ, કેરીથી જુદા નથી; આથી સ્કૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે આંખથી કેરી દેખાઈ. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. કેમ કે કેરીમાં તે રૂ૫ અને સંસ્થાન ઉપરાંત સ્પર્શ, રસ, ગંધ આદિ અનેક પર્યા છે; જે જાણવા નેત્ર અસમર્થ છે. તેમ જ સ્પર્શન, રસન અને ઘાણ ઈદ્રિય જ્યારે ગરમ ગરમ જલેબી આદિ વસ્તુનું ગ્રહણ કરે છે, ત્યારે તે ક્રમથી તે વસ્તુના ઉષ્ણ સ્પર્શ, મધુર રસ અને સુગંધ રૂપ પર્યાને જ જાણે છે. કોઈ પણ એક ઈદ્રિય એક વસ્તુના સંપૂર્ણ પર્યાને જાણી શકતી નથી. કાન પણ ભાષાત્મક પુદ્ગલના ધ્વનિરૂપ પર્યાને જ ગ્રહણ કરે છે, બીજા નહિ. મને પણ કોઈ વિષયના અમુક અંશનો જ વિચાર કરે છે; એકસાથે સંપૂર્ણ અંશોને વિચાર કરવામાં તે અસમર્થ છે. આથી એમ સાબિત થાય છે કે ઈદ્રિયજન્ય અને મને જન્ય, અવગ્રહ ઈહા આદિ ચારે જ્ઞાન પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે. પ્ર. - પૂર્વસૂત્ર અને આ સૂત્ર વચ્ચે શું સંબંધ છે? ઉ૦ – આ સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે અને પૂર્વસૂત્ર વિશેષનું. અર્થાત આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂ૫ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-~ર ૧૮-૧૯ w રૂપે બતાવી છે, તેને જ સંખ્યા, જાતિ આદિ દ્વારા પૃથક્કકરણ કરી બહુ, અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. [૧૭] હવે ઈદ્રિયની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાન્તર ભેદ કહે છે: ચલનાડવ: ૨૮ न चक्षुरनिन्द्रियाभ्याम् ।१९। વ્યંજન (ઉપકરણ ઇંદ્રિયને વિષયની સાથે સંયેગ) થતાં અવગ્રહ જ થાય છે. નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું નથી. લંગડા માણસને ચાલવા માટે લાકડીની મદદની જરૂર હોય છે તેવી જ રીતે આત્માની આવૃત – ઢંકાયેલી– ચેતને શક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે છે. તેથી એને ઇંદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. બધી ઇદ્રિ અને મનને સ્વભાવ એકસરખો નથી. તેથી એમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવને ક્રમ પણ એકસરખે હેતો નથી. એ ક્રમ બે પ્રકારનો છે: મંદક્રમ અને પટુક્રમ. મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણે દ્રિયને સંગ –ચંદન – થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે એથી “આ કંઈક છે એ સામાન્ય બોધ પણ થત ૧. આના ખુલાસા માટે જુઓ અધ્યાય ૨, સે. ૧૭. . Page #233 -------------------------------------------------------------------------- ________________ તરવાથત્ર - પતાવઝલે એટલે આ નથી. પરંતુ જેમ જેમ વિષય અને ઇંદ્રિયને સંગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે. ઉક્ત સંગ – વ્યંજન - ની પુષ્ટિની સાથે જ થોડાક સમયમાં તેનાથી ઉત્પન્ન થયેલી જ્ઞાનમાત્રા પણ એટલી પુષ્ટ થતી જાય છે કે એનાથી “આ કંઈક છે એ વિષયનો સામાન્યધ - અર્થાવગ્રહ – થાય છે. આ અર્થાવગ્રહને પૂર્વવત્ત જ્ઞાનાવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ ક્રમશઃ પુષ્ટ થતું જાય છે, તે બધા બનાવટુ કહેવાય છે, કેમ કે એના ઉત્પન્ન થવામાં વ્યંજનની અપેક્ષા છે. આ વ્યંજનાવગ્રહ નામનો દીર્ઘ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલે અલ્પ હોય છે કે એનાથી વિષયને સામાન્ય બોધ પણ થતું નથી; આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે એ જ્ઞાનવ્યાપાર એટલે પુષ્ટ થઈ જાય કે એનાથી “આ કંઈક છે' એ સામાન્ય બંધ થઈ શકે, ત્યારે જ એ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ અર્થાવગ્રહ કહેવાય છે. અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહનો એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમ કે એમાં પણ વિષય અને ઈદ્રિયને સંયોગ અપેક્ષિત છે. છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ ગણવાનું અને તેનું અર્થાવગ્રહ નામ રાખવાનું પ્રયોજન એ છે કે, એ જ્ઞાનાંશથી ઉત્પન્ન થનાર વિષયને બોધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહની પછી એની દ્વારા સામાન્ય રૂપે જાણેલા વિષયની વિશેષ રૂપે જિજ્ઞાસા–જાણવાની ઈચ્છી, વિશેષનો નિર્ણય, એ નિર્ણયની ધારા, તેનાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને સંસ્કારથી ઉત્પન્ન થતી સ્મૃતિ એ બધે જ્ઞાનવ્યાપાર થાય છે; જે ઉપર ઈહા, અવાય માર Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યો છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ મંદિક્રમમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે વ્યંજનને અવગ્રહ જ થાય છે અર્થાત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહા આદિમાં નહિ. પટુક્રમમાં ઉપકરણેદ્રિય અને વિષયના સંગની અપેક્ષા નથી. દૂર, પૂરતર હોવા છતાં પણ યોગ્ય સન્નિધાન માત્રથી ઈદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઇંદ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદક્રમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે, પટુક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઊલટું મંદક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સંગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અવ્યક્તતર રૂપ વ્યંજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે અને છેવટનો અંશ સ્મૃતિરૂપ ધારણું જ્ઞાન છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૯ તસ્વાર્થ સૂત્ર દાન્તઃ મંદક્રમની જ્ઞાનધારાના આવિર્ભાવને માટે ઇન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા છે. એને સ્પષ્ટતાથી સમજવાને માટે શરાવ અર્થાત્ શકરાનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપું નાંખ્યું હોય, તો તે શરાવ તુરત જ તેને શેકી લે છે અને તે એટલે સુધી કે તેનું કાંઈ નામનિશાન રહેતુ નથી. આ રીતે પછી પણ એક એક કરી નાંખેલાં અનેક પાણીનાં ટીપાંઓને એ શરાવ શોષી લે છે. પરંતુ અંતમાં એ સમય આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંઓને શષવામાં અસમર્થ થાય છે અને એનાથી ભીંજાઈ જાય છે. ત્યારે એમાં નાંખેલાં જલકણ સમૂહ રૂપે એકઠાં થઈ દેખાવા લાગે છે. શરાવની ભીનાશ પહેલવહેલી જ્યારે માલૂમ પડે છે તે પહેલાં પણ શરાવમાં પાણી હતું. પરંતુ એણે પાણીને એવી રીતે શોષી લીધુ હતું કે એમાં પાણી તદ્દન સમાઈ ગયું હોઈ એ પાણી આંખે જોઈ શકાય એવું ન હતું, પરંતુ તે શરાવમાં અવશ્ય હતું. જ્યારે પાણીનું પ્રમાણ વધ્યું અને શરાવની શેષવાની શક્તિ ઓછી થઈ ત્યારે ભીનાશ દેખાવા લાગી અને પછી અંદર નહિ શેષાયેલું પાણી એના ઉપરના તળમાં એકઠું થઈ દેખાવા લાગ્યું. એવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાંટા પાડવામાં આવે ત્યારે તે શબ્દ એના કાનમાં સમાઈ જાય છે. બે ચાર વાર બૂમ મારવાથી એના કાનમાં જ્યારે પૌલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાંઓથી પ્રથમ પ્રથમ ભીના થતા શરાવની માફક ઊંઘતા માણસને કાન પણ શબ્દોથી પરિપૂરિત થઈ એ શબ્દોને સામાન્ય રૂપે જાણવામાં સમર્થ Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ ૩૯ થાય છે, કે આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે જે પહેલવહેલુ શબ્દને સ્ફુટ રીતે જાણે છે. ત્યાર પછી વિશેષ જ્ઞાનને ક્રમ શરૂ થાય છે. જેમ થાડાક સમય સુધી પાણીનાં ટીપાં પડવાથી જ તે રૂક્ષ શરાવ ધીમે ધીમે ભીનુ થાય છે અને એમાં પાણી દેખાવા લાગે છે, તેમ જ કેટલાક સમય સુધી શબ્દપુદ્ગલાના સયાગ રહેતા હેાવાથી તે ઊંઘતા માણસના કાન ભરાઈ જવાને લીધે એ શબ્દોને સામાન્ય રૂપે જાણે છે અને પછી શબ્દોની વિશેષતાઓને જાણે છે. જો કે આ ક્રમ ઊંધતાની માફક જાગતા માણસને માટે પણ લાગુ પડે છે તે પણ તે એટલા શીઘ્રભાવી હોય છે કે સાધારણ લોકોના ધ્યાનમાં તે મુશ્કેલીથી આવે છે. આથી શરાવની સાથે ધૃતાનું સામ્ય બતાવ્યું છે. પટુક્રમિક જ્ઞાનધારા માટે અરીસાનું દૃષ્ટાંત ઠીક છે. અરીસાની સામે કાઈ વસ્તુ આવે કે તુરત જ એમાં એનુ પ્રતિબિંબ પડી જાય છે અને તે દેખાય છે. આને માટે અરીસાની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સયાગની જરૂર રહેતી નથી, જેમ કાનની સાથે શબ્દોને સાક્ષાત્ સ ંચાગની જરૂર હાય છે. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું યાગ્ય સ્થળમાં સન્નિધાન આવશ્યક છે; આવુ સન્નિધાન થતાં જ પ્રતિબિંબ પડી જાય છે અને તે તુરત જ દેખાય છે. આ રીતે આંખની આગળ કાઈ રંગવાળી વસ્તુ આવી કે તુરત જ સામાન્ય રૂપે દેખાય છે. આને માટે નેત્ર અને એ વસ્તુના સંયોગ અપેક્ષિત નથી, જેવી રીતે કાન અને શબ્દોને સયાગ અપેક્ષિત છે. ફક્ત દણુની Page #237 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર માફક આંખ અને એ વસ્તુનું યોગ્ય સન્નિધાન જોઈએ. આથી પટુક્રમમાં સૌથી પ્રથમ અર્થાવગ્રહ માન્ય છે. મંદકમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે, અને પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. એથી એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ કઈ ઇન્દ્રિયોથી થાય છે અને કઈ કઈથી નહિ. આનો ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આવે છે. નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી, કેમ કે એ બન્ને સંયોગ વિના જ માત્ર એગ્ય સન્નિધાનથી અથવા અવધાનથી પિતપિતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે. આ કેણ જાણતું નથી કે દૂર દૂર રહેલાં વૃક્ષ, પર્વત આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મન સુદૂરવર્તી વસ્તુનું પણ ચિંતન કરે છે; આથી નેત્ર તથા મન અપ્રાયકારી મનાય છે. અને એનાથી ઉત્પન્ન થતી જ્ઞાનધારાને પહુક્રમિક કહી છે. કર્ણ, જિદુવા, ઘાણ અને સ્પર્શન એ ચાર ઇંદ્રિય મંદઝમિક જ્ઞાનધારાનું કારણ છે, કેમ કે એ ચારે પ્રાયકારી અર્થાત્ ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. એ સૌ કોઈને અનુભવ છે કે જ્યાં સુધી શબ્દ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણ નાકમાં ન પિસે અને પાણી શરીરને ન અડકે ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરને સ્વાદ નહિ આવે, કૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડું છે કે ગરમ એની ખબર નહિ પડે. પ્ર–મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થયા? ઉ૦-૩૩૬. પ્ર--કેવી રીતે ? Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧–સૂત્ર ૧૮-૧૯ ઉ – પાંચ ઇદ્રિ અને મન એ છને અથવગ્રહ આદિ ચાર ચાર ભેદોથી ગુણતાં ચેવિસ થાય. એમાં ચાર પ્રાપ્યકારી ઇંદ્રિયના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય. એ ૨૮ ને બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ થાય. આ ભેદોની ગણતરી સ્થળદૃષ્ટિથી છે; વાસ્તવિક રીતે તે પ્રકાશ આદિની ફુટતા, અસ્ફટતા, વિષયોની વિવિધતા અને ક્ષયપશમની વિચિત્રતાને લીધે તરતમભાવવાળા અસંખ્ય ભેદ થાય છે. પ્ર. - પહેલાં જે બહુ, અલ્પ આદિ બાર ભેદો કહ્યા છે તે તો વિષયેના વિશેષોમાં જ લાગુ પડે છે, જ્યારે અથવ. ગ્રહો વિષય તે માત્ર સામાન્ય છે; આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે ? ઉ૦ – અર્થાવગ્રહ બે પ્રકારનો માનવામાં આવે છે: વ્યાવહારિક અને નૈઋયિક. બહુ, અલ્પ આદિ જે ૧૨ ભેદ કહ્યા છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહના જ સમજવા જોઈએ; નૈઋયિકના નહિ. કેમ કે નૈયિક અર્થાવગ્રહમાં જાતિ-ગુણ–ક્રિયાથી શૂન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે, આથી એમાં બહુ, અલ્પ આદિ વિશેના ગ્રહણનો સંભવ જ નથી. - પ્રવ –વ્યાવહારિક અને નૈઋયિકમાં શો તફાવત છે? ઉ૦ – જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્યમાત્રનું ગ્રહણ કરે છે તે નૈૠયિક, અને જે જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી નવા નવા વિશેની જિજ્ઞાસા અને અન્યાય થતાં રહે છે, તે બધાં સામાન્યવિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. અર્થાત ફક્ત તે જ અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ ન સમજવો કે જેની પછી બીજા વિશેષોની Page #239 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થસૂત્ર પેાતાની જિજ્ઞાસા ન થાય. બીજા બધાં અવાયજ્ઞાન જે પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા પેદા કરે છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. પ્ર અર્થાવગ્રહના બહુ, અલ્પ આદિ ઉક્ત ૧૨ ભેદોના સંબંધમાં જે એમ કહ્યું કે તે ભેદ વ્યાવહારિક અર્થાવગ્રહના સમજવા જોઈ એ, નૈૠયિકના હિ; તેા તે વિષે પ્રશ્ન થાય છે કે જો એમ જ માનીએ તા પછી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ૩૩૬ ભેદો કેવી રીતે થઈ શકે? કેમ કે ૨૮ પ્રકારના મતિજ્ઞાનને બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ ભેદ થાય છે અને ૨૮ પ્રકારોમાં તા ૪ વ્યંજનાવગ્રહ પણ આવે છે જે નૈૠયિક અર્થાવગ્રહના પણ પૂર્વવત્તી હાવાથી અત્યંત અવ્યક્તરૂપ છે. આથી એના બાર બાર એટલે કુલ ૪૮ ભેદો કાઢી નાખવા પડશે ? Mwana ઉ॰ — અર્થાવગ્રહમાં તે। વ્યાવહારિકને લઈ ને ઉપરના ૧૨ ભેદો સ્પષ્ટ રીતે કરી શકે છે તેથી સ્થૂલ દૃષ્ટિએ એવા ઉત્તર આપ્યા છે. વાસ્તવિક રીતે જોતાં નૈઋયિક અર્થાવગ્રહ અને એના પૂવી' વ્યંજનાવગ્રહના પણ બાર બાર ભેદો સમજી લેવા જોઇ એ; તે કાર્યકારણની સમાનતાના સિદ્ધાંતને આધારે. અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનું કારણ નૈઋયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. હવે જે વ્યવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટરૂપે બહુ, અલ્પ આદિ વિષયગત વિશેષોના પ્રતિભાસ થાય, તા એના સાક્ષાત્ કારણભૂત નૈૠયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષોના પ્રતિભાસ માનવા પડશે. જો કે તે પ્રતિભાસ અસ્ફુટ હોવાથી દુનીેય છે. અસ્ફુટ હાય Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૨૦ અથવા સ્ફટ હેય અહીંયાં તો ફક્ત સંભવની અપેક્ષાએ ઉક્ત બાર બાર ભેદે ગણવા જોઈએ. [ ૧૮ – ૧૯] હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ કહે છે: કૃત મત્તિર્વ નેટમેમ ! ૨૦૫ શ્રતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તે બે પ્રકારનું છે; જે અનેક પ્રકારનું અને બાર પ્રકારનું હોય છે. મતિજ્ઞાન કારણ અને શ્રુતજ્ઞાન કાર્ય છે, કેમ કે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી શ્રુતજ્ઞાનને મતિપૂર્વક કહ્યું છે. જે વિષયનું શ્રુતજ્ઞાન કરવાનું હોય એ વિષયનું મતિજ્ઞાન પહેલાં અવશ્ય થવું જોઈએ. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂરણ કરવાવાળું કહેવાય છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પરંતુ તે બહિરંગ કારણ છે. એનું અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણને ક્ષયે પશમ છે, કેમ કે કોઈ વિષયનું મતિજ્ઞાન થયા છતાં પણ જે ઉક્ત ક્ષયોપશમ ન હોય તે એ વિષયનું શ્રુતજ્ઞાન થઈ શકતું નથી. - પ્રવ – મતિજ્ઞાનની માફક શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઇદ્રિય અને મનની મદદ અપેક્ષિત છે તો પછી બન્નેમાં તફાવત છે ? જ્યાં સુધી બનેનો ભેદ સ્પષ્ટ રીતે જાણી ન શકાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે એ કથનને કાંઈ ખાસ અર્થ રહેતો નથી. તેમ જ મતિજ્ઞાનનું કારણ મતિજ્ઞા– નાવરણીય કર્મને ક્ષપશમ અને શ્રુતજ્ઞાનનું કારણ શ્રુતજ્ઞા નાવરણીય કર્મને ક્ષયોપશમ છે, આ કથનથી પણ બન્નેને ભેદ ધ્યાનમાં આવતું નથી, કેમ કે ક્ષયપશમનો ભેદ સાધારણ બુદ્ધિને ગમ્ય નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ઉ મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રુતજ્ઞાન અતીત, વિદ્યમાન તથા ભાવિ એ શૈકાલિક વિષયામાં પ્રવૃત્ત થાય છે. આ વિષયકૃત ભેદ ઉપરાંત બન્નેમાં એ પણ 'તર છે કે મતિજ્ઞાનમાં શબ્દોલ્લેખ હાતા નથી અને શ્રુતજ્ઞાનમાં હાય છે. આથી બન્નેનુ ફલિત લક્ષણ એ થાય છે કે, જે જ્ઞાન ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય હાવા છતાં શબ્દોલ્લેખસહિત હાય તે શ્રુતજ્ઞાન, અને જે શબ્દોલ્લેખ રહિત હૈાય તે મતિજ્ઞાન. સારાંશ એ છે કે બન્ને જ્ઞાનેામાં ઇંદ્રિય અને મનની અપેક્ષા તુલ્ય હાવા છતાં મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનાવ્યાપારની પ્રધાનતા હાવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. અથવા ખીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇંદ્રિય તથા મનજન્ય એક દી જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપકવ અશ મતિજ્ઞાન અને ઉત્તરવતી પરિપક્વ અને સ્પષ્ટ અંશ શ્રુતજ્ઞાન છે. તેથી એમ પણ કહી શકાય કે, જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવા પરિપાકને પ્રાપ્ત ન થયું હેાય તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનને જો ખીર કહીએ, તા મતિજ્ઞાનને દૂધ કહી શકાય. * ૫૦ શ્રુતના એ અને એ દરેકના અનુક્રમે ખાર અને અનેક પ્રકાર કેવી રીતે થાય ? ૧. શબ્દોલ્લેખને અર્થ વ્યવહારકાળમાં રાખ્તશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવુ તે છે. અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સ"કેતસ્મરણ અને શ્રુતમ થતુ અનુસરણ અપેક્ષિત છે, એ રીતે ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં અપેક્ષિત નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૨૦ ઉ —— ‘અંગખાદ્ય’, ‘અ’ગપ્રવિષ્ટ’ રૂપે શ્રુતજ્ઞાનના એ પ્રકાર - છે. એમાંથી અંગખાદ્ય શ્રુત ઉત્કાલિક, કાલિક એવા ભેદોથી અનેક પ્રકારનુ' છે; અને અ'ગપ્રવિષ્ટ શ્રુત આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ રૂપે ખાર પ્રકારનુ છે. પ્ર અખાદ્ય અને અંગપ્રવિષ્ટના તફાવત કઈ અપેક્ષાએ છે? ઉ — મ વક્તાના ભેદની અપેક્ષાએ. તી કરા દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ બુદ્ધિમાન સાક્ષાત્ શિષ્ય ગણધરાએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગી રૂપે સૂત્રબદ્ધ કર્યુ. તે અવિદ. અને સમયના દોષથી બુદ્ધિ, ખળ તેમ જ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધા પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યએ જે શાસ્ત્રો રચ્યાં તે સઁગવાઘ. અર્થાત જે શાસ્ત્રના રચનાર ગણધર હેાય તે અંગપ્રવિષ્ટ અને જેના રચનાર અન્ય આચાય હોય તે અંગખાદ્ય ―――― ૪૫ પ્ર ખાર અગા કર્યાં? અને અનેકવિધ અગબાહ્યમાં મુખ્યપણે કયા કયા પ્રાચીન ગ્રંથા ગણાય છે ? ઉ આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા. પ્રાપ્તિ-ભગવતીસૂત્ર, જ્ઞાતાધમ કથા, ઉપાસકદશાધ્યયન, અંતકૃદ્દા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગેા છે. સામાયિક, ચતુવિ શતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયેાત્સ` અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક તથા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, ――――― Page #243 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે. પ્ર. – આ જે ભેદ બતાવ્યા તે તો જ્ઞાનને વ્યવસ્થિત રૂપે સંગૃહીત કરવાવાળાં શાસ્ત્રોના ભેદ થયા; તો પછી શું શાસ્ત્રો આટલાં જ છે ? ઉ૦ –નહિ, શાસ્ત્ર અનેક હતાં, અનેક છે, અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધાં શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીંયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનને આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે એ બધાંને અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલા હોવાં જોઈએ. પ્ર. – આજકાલ જે વિવિધ વિજ્ઞાનવિષયક શાસ્ત્રો તથા કાવ્ય તથા નાટકાદિ લૌકિક વિષયના ગ્રંથ બને છે, તે પણ શું શ્રત કહેવાય ? ઉ૦ –- અવશ્ય, તે શ્રુત કહેવાય. - પ્રવ –– તો તે પછી એ પણ શ્રતજ્ઞાન હોવાથી મોક્ષને માટે ઉપયોગી થઈ શકે? - ઉ૦ – મેક્ષમાં ઉપયોગી થવું અગર ન થવું એ કઈ શાસ્ત્રનો નિયત સ્વભાવ નથી; પણ એનો આધાર અધિકારીની યોગ્યતા ઉપર છે. જે અધિકારી યોગ્ય અને મુમુક્ષુ હોય, તો લૌકિક શાસ્ત્રોને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવી શકે ૧. પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમ કે, ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪૭. અધ્યાય ૧-સૂત્ર ૧- છે, અને અધિકારી ગ્ય ન હોય, તે તે આધ્યાત્મિક કોટિનાં શાથી પણ પિતાને નીચે પાડે છે. છતાં વિષય અને પ્રણેતાની લેગ્યતાની દૃષ્ટિએ લોકોત્તર શ્રતનું વિશેષત્વ અવશ્ય છે. પ્ર – શ્રત એ જ્ઞાન છે તે પછી ભાષાત્મક શાસ્નેને અને જેના ઉપર તે લખાય છે તે કાગળ વગેરેને પણ શ્રુત કેમ કહે છે? ઉ૦ – ઉપચારથી. મૂળમાં શ્રત તે જ્ઞાન જ છે, પરંતુ એવું જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન ભાષા છે, અને ભાષા પણ એવા જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. કાગળ વગેરે પણ એ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત રાખવાનું સાધન છે; આ કારણથી ભાષા અથવા કાગળ વગેરેને પણ ઉપચારથી બુત કહેવામાં આવે છે. (૨૦) હવે અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી કહે છે: द्विविधाऽवधि : तत्र भवप्रत्ययो नारकदेवानाम्२ _| ૨૬ | | ર૨ ૧. શ્વે ગ્રંશેમાં આ સૂત્રની ઉપર “મવપ્રત્યયઃ પરામનિમિત્ત એટલું ભાષ્ય છે. પરંતુ દિ ગ્રંથમાં આ અંશ સૂત્રરૂપે નથી તે પણ ઉક્ત ભાગ સહિત આ અંશ સૂત્ર ૨૧ની ઉસ્થાનિકાના રૂપમાં “સર્વાર્થસિદ્ધિમાં મળે છે. ૨. આ સૂત્ર દિગંત્ર ગ્રંથમાં આ પ્રમાણે છે: માલ્યો वधिदेवनारकाणाम् । Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૧ એનિમિત્તઃ વિજ્યઃશેષજ્ઞળામ્ | ૨ | અવધિજ્ઞાન એ પ્રકારનુ છે. એ એમાંથી ભવપ્રત્યય, નારક અને દેવાને થાય છે. યથાક્ત નિમિત્તાથી ઉત્પન્ન થતું ( ક્ષયે પશમજન્ય અવધિજ્ઞાન છ પ્રકારનુ છે જે શેષ એટલે બાકી રહેલ તિયાઁચ તથા મનુષ્યને થાય છે. તત્ત્વાર્થસૂત્ર અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા એ ભેદ થાય છે. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે, તે ‘ભવપ્રત્યય'; અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુ જન્મસિદ્ધ અધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. અને જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી કિન્તુ જન્મ લીધા બાદ વ્રત, નિયમ આદિ ગુણાના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે, તે ‘ગુણપ્રત્યય’ અથવા ક્ષયાપશમજન્ય કહેવાય છે. પ્ર -શું ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષયાપમ સિવાય જ ―― ઉત્પન્ન થાષ છે ? ઉ છે જ. નહિ. એને માટે પણ ક્ષયેાપશમ તે અપેક્ષિત ૧. આ સૂત્રના સ્થાનમાં દિ॰ ગ્રંથેામાં ક્ષયોપાનિમિત્તઃ ષવિલ્પ: શેષાળાનૢ એવા પાઠ છે. આ પાઠમાં ક્ષયોરાનિમિત્તઃ એટલેા જે અંશ છે તે શ્વે॰ ગ્રામાં ભાષ્યરૂપે છે, જેમ કે, यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यथः । Page #246 -------------------------------------------------------------------------- ________________ અને કઈ છતાં પધાનનું વિવિધતા કહેલ છે અધ્યાય ૧-સૂત્ર-૨૩ પ્ર -- ત્યારે તે ભવપ્રત્યય પણ ક્ષયપસમજન્ય જ ઠર્યું તે પછી ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બન્નેમાં શે તફાવત છે? ઉ– કોઈ પણ જાતનું અવધિજ્ઞાન કેમ ન હોય પણ તે યોગ્ય ક્ષપશમ સિવાય થઈ શકતું જ નથી. એ રીતે અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ તે સર્વ અવધિજ્ઞાનનું સાધારણ કારણ છે જ; એમ હોવા છતાં પણ કઈક અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને કઈકને ક્ષયોપશમ જન્ય – ગુણપ્રત્યય કહેલ છે તે ક્ષાપશમના આવિર્ભાવનાં નિમિત્તોની વિવિધતાની અપેક્ષાએ જાણવું, દેહધારીઓની કેટલીક જાતિઓ એવી છે કે જેમાં જન્મ – ભવ લેતાં જ યોગ્ય ક્ષપશમનો આવિર્ભાવ અને તે દ્વારા અવધિજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. અર્થાત્ એ જાતિવાળાઓને અવધિજ્ઞાનને યોગ્ય ક્ષયોપશમ માટે એ જન્મમાં કાંઈ તપ આદિ અનુષ્ઠાન કરવાં પડતાં નથી. તેથી જ એવી જાતિવાળા બધા જીવોને ન્યૂનાધિકરૂપમાં જન્મસિદ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવન પર્યત રહે છે. એનાથી ઊલટું કેટલીક જાતિઓ એવી પણ છે કે જેમનામાં જન્મ લેતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થવાને નિયમ હોતો નથી. આવી જાતિવાળાઓને અવધિજ્ઞાનયોગ્ય પશમના આવિર્ભાવને માટે તપ આદિ ગુણનું અનુષ્ઠાન કરવું આવશ્યક છે. તેથી એવી જાતિવાળા બધા જીવોમાં અવધિજ્ઞાનને સંભવ હેતે નથી. ફક્ત જેઓએ એ જ્ઞાનને યોગ્ય ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમનામાં જ સંભવે છે. તેથી ક્ષયપશમરૂપ અંતરંગ કારણ સમાન હોવા છતાં પણ એને માટે કેઈક જાતિમાં ફક્ત જન્મની અને કોઈક જાતિમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ પ૦ તત્વાર્થસૂત્ર તપ આદિ ગુણની અપેક્ષા હોવાને લીધે સરળતાની દૃષ્ટિએ અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવાં બે નામ રાખ્યાં છે. દેહધારી છના ચાર વર્ગ કર્યા છેઃ નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા જીવમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે, અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણેથી અવધિજ્ઞાન થાય છે. - પ્રવ – જે બધા અવધિજ્ઞાનવાળા દેહધારી જ છે, તે પછી એમ કેમ છે કે કેટલાકને પ્રયત્ન વિના જ તે જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજાને એને માટે ખાસ પ્રયત્ન કરવો પડે છે ? ઉ– કાર્યની વિચિત્રતા અનુભવસિદ્ધ છે. એ કોણ જાણતું નથી કે પક્ષી જાતિમાં માત્ર જન્મ લેવાથી આકાશમાં ઊડવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યજાતિમાં માત્ર જન્મ લેવાથી કોઈ આકાશમાં ઊડી શકતું નથી, સિવાય કે તે વિમાન આદિની મદદ લે. અથવા જેમ કેટલાકમાં કાવ્યશક્તિ જન્મસિદ્ધ દેખાય છે તો બીજા કેટલાકમાં તે પ્રયત્ન વિના આવતી જ નથી. તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના છ ભેદ બતાવ્યા છે. ૧. આનુગામિક ર. અનાનુગામિક ૩. વર્ધમાન ૪. હીયમાન ૫. અવસ્થિત અને ૬. અનવસ્થિત. ૧. જેમ કેઈ એક સ્થાનમાં વસ્ત્ર આદિ કોઈ વસ્તુને Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૨૩ M ૧ રંગ લગાવ્યા હાય અને પછી એ સ્થાન ઉપરથી એ વસ્ત્રને લઈ લેવામાં આવે તે પણ તે પ્રમાણે જે અવધિજ્ઞાન ખીજી જગ્યા ઉપર જવા છતાં એને વસ્ત્રના રંગ કાયમ જ રહે, ઉત્પત્તિના ક્ષેત્રને છેડીને એની પણ કાયમ રહે છે, તે ‘આનુગામિક.’ ૨. જેમ કાઈનું જ્યાતિષજ્ઞાન એવુ હૈાય છે કે જેથી તે અમુક સ્થાનમાં જ પ્રશ્નોને ઠીક ઠીક ઉત્તર આપી શકે છે ખીજા સ્થાનમાં નહિ, તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન પેાતાનુ ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી, તે ‘અનાનુગામિક’. ૩, જેમ દીવાસળી અથવા અરણિ આદિથી ઉત્પન્ન થતી દેવતાની ચિનગારી બહુ નાની હાવા છતાં પણ અધિક અધિક સૂકાં લાકડાં આદિને પ્રાપ્ત કરી ક્રમથી વધતી જાય છે, તેમ જે અધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પવિષયક હાવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમપૂર્વક અધિક અધિક વિષયવાળું થતું જાય છે, તે 'વ'માન'. ૪. જેમ પરિમિત દાદ્ય વસ્તુઓમાં લાગેલી આગ નવુ ખાળવાનું ન મળવાથી ક્રમપૂર્વક ધટતી જ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળુ હોવા છતાં પણ પરિણામશુદ્ધિની કમી થતાં ક્રમશઃ અલ્પ અલ્પ વિષયવાળું થઈ જાય છે, તે ‘હીયમાન'. ૫. જેમ કાઈ પ્રાણીને એક જન્મમાં પ્રાપ્ત થયેલ પુરુષ આદિ વેદ યા ખીજા અનેક પ્રકારના શુભ અશુભ સ ંસ્કારો એની સાથે ખીજા જન્મમાં જાય છે, અથવા જિંદગી સુધી કાયમ રહે છે, તેમ જ જે અવધિજ્ઞાન ખીજો જન્મ થવા છતાં ૧. જુઓ અધ્યાય ૨ સૂ૦ ૬. Page #249 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થ સૂત્ર આત્મામાં કાયમ રહે છે અથવા વળજ્ઞાનની ઉત્પત્તિ પત કિવા જીવન પર્યંત સ્થિર રહે છે, તે અવસ્થિત.’ ૬. જળતરંગની માફક જે અવધિજ્ઞાન કદી ધટે છે કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિાહિત થાય છે, તે ‘અનવસ્થિત.’ જો કે તી કરમાત્રને તથા કાઈ કોઈ અન્ય મનુષ્યાને પણ અવધિજ્ઞાન જન્મસિદ્ધ પ્રાપ્ત થાય છે, તથાપિ એ ગુણપ્રત્યય સમજવું જોઇએ. કેમ કે યોગ્ય ગુણ ન રહે તે એ અવધિજ્ઞાન જિંદગી સુધી કાયમ રહેતું નથી; જેવી રીતે દેવ અથવા નર્કગતિમાં રહે છે.[૨૧-૨૩] હવે મન:પર્યાયના ભેદો અને તેમના તફાવત કહે છેઃ ઋતુવિપુરુમતી મન:પર્યાયઃ ॥ ૨૪ । विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः | २५ | ઋજુમતિ અને વિપુલમતિ એ બે મન:પર્યાય છે, વિશુદ્ધિથી અને પુનઃપતનના પુનઃપતનના અભાવથી તે અન્નેમાં તફાવત છે. મનવાળાં સ'ની પ્રાણી કેાઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિતનના સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવતેલું મન ભિન્ન ભિન્ન આટૅતિઓને ધારણ કરે છે. એ આકૃતિએ જ મનના પર્યાય છે. અને એ માનસિક આકૃતિને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન મન:પર્યાય જ્ઞાન છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિંતનીય વસ્તુ જાણી શકાતી નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૨૪-૨૫ પ્ર—તો પછી શું ચિંતનીય વસ્તુઓને મન:પર્યાયજ્ઞાની જાણી શકતા નથી ? ઉજાણી શકે છે, પર ંતુ પછીથી અનુમાન દ્વારા. પ્ર૦—એ કેવી રીતે ? ઉ—જેમ કાઈ કુશલ માણસ કાઈ ને ચહેરા અથવા હાવભાવ પ્રત્યક્ષ જોઈ એના ઉપરથી એ વ્યક્તિના મનેાગત ભાવા અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી કરી લે છે, તે જ પ્રમાણે મન:પર્યાયજ્ઞાની મન:પર્યાયજ્ઞાનવડે કેાઈના મનની આકૃતિને પ્રત્યક્ષ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે કે આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિ ંતન કયું; ક્રૅમ કે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે. પ્ર—ઋજુમતિ અને વિપુલમતિને શે। અર્થ છે ? ઉ—વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતિ મનઃપર્યાય' અને જે વિશેષરૂપથી જાણે છે તે ‘વિપુલમતિ મન:પર્યાય.’ —જો ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે। તો તે દન જ થયું કહેવાય, એને જ્ઞાન શા માટે કહેા છે ? ઉ- તે સામાન્યગ્રાહી છે એનેા અર્થ એટલે જછે કે તે વિશેષા જાણે છે પરંતુ વિપુલમતિ જેટલા વિશેષોને જાણતું નથી. ઋજુમતિની અપેક્ષાએ અપેક્ષાએ વિશુદ્ધતર હેાય છે; કેમ કે તે અને અધિક વિશેષાને સ્કુટ રીતે એ બન્નેમાં એ પણ તફાવત છે ત-૪ ૧૩ વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન ઋજુમતિ કરતાં સૂક્ષ્મતર જાણી શકે છે. એ સિવાય કે ઋજુમતિ ઉત્પન્ન થયા Page #251 -------------------------------------------------------------------------- ________________ ભજ તત્ત્વાર્થસૂત્ર પછી કદાચિત્ ચાલ્યું પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. દિગં॰ ગ્રંથામાં ૨૪મા સૂત્રમાં મનઃવચ' શબ્દ છે, મન:પર્યાય? નહિ. (૨૪–૨૫) ' હવે અવધિ અને મન:પર્યાયને તફાવત કહે છે : विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्येऽवधिमनः पर्याययोः | २६ | વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા અવિધ અને મન:પર્યાયને તફાવત જાણવા જોઈ એ. જો કે અવધિ અને મન:પર્યાય એ અને પારમાર્થિક વિકલ–અપૂર્ણ પ્રત્યક્ષરૂપે સમાન છે, છતાં એ બન્નેમાં કેટલીક રીતે તફાવત છે. જેમ કે વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત. ૧. મન:પર્યાયજ્ઞાન, અવધિજ્ઞાનની અપેક્ષાએ પોતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે એથી તે વિશુદ્ધતર છે. ૨. અવધિજ્ઞાનનુ ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી તે આખા લાક સુધી છે, જ્યારે મનઃ પર્યાયજ્ઞાનનુ ક્ષેત્ર તે માનુષાત્તર પત પર્યંત જ છે. ૩. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિવાળા હાઈ શકે છે પરંતુ મન:પર્યાયને સ્વામી ફક્ત સંયંત અનુષ્ય હોઈ શકે છે. ૪. અવધિને વિષય કેટલાક પર્યાય સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે, પરંતુ મન:પર્યાયને વિષય તે ફક્ત એના અનંતમા ભાગ (જીએ સૂત્ર॰ ૨૯) છે; અર્થાત્ માત્ર મનેદ્રવ્ય છે. પ્ર૦—વિષય ઓછો હાવા છતાં પણ મનઃપર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયુ' છે તેનુ શું કારણ ? Page #252 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ – સૂત્ર ૨૭-૩૦ ય —વિશુદ્ધિના આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી, કિ ંતુ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાએને જાણવા ઉપર છે. જેમ એ વ્યકિતઓમાંથી એક એવી હોય કે જે અનેક શાસ્ત્રોને જાણે છે; અને બીજી ફક્ત એક શાસ્ત્રને જાણે છે. હવે જો અનેક શાસ્ત્રજ્ઞ કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પેાતાના વિષયની સૂક્ષ્મતાએને અધિક જાણતી હાય, તે એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ કહેવાય. એવી રીતે વિષય અલ્પ હોવા છતાં પણ એની સૂક્ષ્મતાએને વિશેષ પ્રમાણમાં જાતુ હોવાથી મનઃપર્યાય, અવધિ કરતાં વિશુદ્ધતર કહેવાય છે. (૨૬) હવે પાંચે જ્ઞાનના ગ્રાહ્ય વિષયા કહે છે: मतिश्रुतयेोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु |२७| વિષ્યવધઃ રા तदनन्तभागे मनः पर्यायस्य |२९| सर्वद्रव्यपययेषु केवलस्य |३०| મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રાહ્યતા સ પર્યાયરહિત અર્થાત્ પરિમિત પર્યાયેથી યુક્ત સર્વાં દ્રવ્યામાં હાય છે. અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સ`પર્યાયરહિત ફક્ત રૂપી – મૂર્ત દ્રવ્યામાં હોય છે. મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ સર્વ પર્યાયરહિત રૂપી દ્રવ્યના અનંતમા ભાગમાં હોય છે. કેવલજ્ઞાનની પ્રવૃત્તિ માં દ્રવ્યામાં અને બધા પર્યાયામાં હાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર | મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી, અરૂપી બધાં દ્રવ્ય જાણી શકાય છે, પરંતુ એના પર્યાય તે કેટલાક જ જાણું શકાય છે; બધા નહિ. પ્રત–ઉપરના કથનથી એમ સમજાય છે કે મતિ અને તના ગ્રાહ્ય વિષયોમાં ન્યૂનાધિકતા છે જ નહિ એ ખરું છે? ઉ–દ્રવ્યરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયમાં જૂનાધિકતા નથી. પરંતુ પર્યાયરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ બંનેના વિષયમાં ન્યૂનાધિકતા અવશ્ય છે. ગ્રાહ્ય પર્યાયમાં ઓછા વત્તાપણું હોવા છતાં પણ ફક્ત એટલી સમાનતા છે કે તે બંને જ્ઞાન ના પરિમિત પર્યાને જ જાણી શકે છે, સંપૂર્ણ પર્યાને નહિ. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઈદ્રિયેની શક્તિ અને આત્માની યોગ્યતા પ્રમાણે દ્રવ્યોના કેટલાક વર્તમાન પર્યાને જ ગ્રહણ કરી શકે છે, પરંતુ શ્રતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયને ડાઘણું પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. પ્ર–મતિજ્ઞાન ચક્ષુ આદિ ઇદ્રિયથી પેદા થાય છે અને ઈદ્રિયમાં ફક્ત મૂર્તા દ્રવ્યોને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તે પછી બધાં દ્રવ્યો મતિજ્ઞાનનાં ગ્રાહ્ય કેવી રીતે ગણાય? ઉ–મતિજ્ઞાન ઈંદ્રિયની માફક મનથી પણ થાય છે. અને મન, સ્વાનુભૂત અથવા શાસ્ત્રક્રુત બધાં મૂર્ત, અમૂર્ત દ્રવ્યનું ચિંતન કરે છે. આથી મને જન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી. જો કે, દિગં ગ્રંથમાં ર૭મા સૂત્રમાં કળે ને બદલે માત્ર જો એવું જ છે.) Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧–સૂત્ર ૨-૩૦ પ્ર-સ્વાનુભૂત અથવા શાસ્ત્રકૃત વિષયમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુતજ્ઞાન પણ થાય છે. તે બન્નેમાં ફરક શું રહ્યો ? ઉ૦–જ્યારે માનસિક ચિંતન શબ્દોલ્લેખસહિત હોય ત્યારે શ્રુતજ્ઞાન, અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન. - પરમ પ્રકર્ષને પહોંચેલા જે પરમાવધિજ્ઞાનનું અલેકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનું સામર્થ્ય છે, તે પણ ફક્ત મૂર્ત દ્રવ્યોને સાક્ષાત્કાર કરી શકે છે, અમૂર્તોને નહિ. તેમ જ તે મૂર્ત દ્રવ્યના પણ સમગ્ર પર્યાને જાણું શકતું નથી. મનઃ પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યોને જ સાક્ષાત્કાર કરે છે, પરંતુ અવધિજ્ઞાન એટલે નહિ. કેમ કે અવધિજ્ઞાન દ્વારા સર્વપ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરી શકાય છે; પરંતુ મન:પર્યાયજ્ઞાન દ્વારા તો ફકત મનરૂપ બનેલાં પુદ્ગલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે. તેથી મન:પર્યાયજ્ઞાન વિષય અવધિજ્ઞાનના વિષયને અનંત ભાગ કહ્યો છે. મન:પર્યાયજ્ઞાન ગમે તેટલું વિશુદ્ધ હોય છતાં પિતાનાં ગ્રાહ્ય દ્રવ્યોના સંપૂર્ણ પર્યાયને જાણી શકતું નથી. જે કે મન:પર્યાયજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તો ફક્ત ચિંતનશીલ મૂર્ત મનને થાય છે, છતાં પછી થનાર અનુમાનથી એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તા અમૂર્ત બધાં દ્રવ્યો જાણી શકાય છે. - મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં તે ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવોને જાણવામાં અસમર્થ હોય છે. એ નિયમ છે કે જે જ્ઞાન કોઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવોને Page #255 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર જાણી શકે, તે ખધી વસ્તુઓના સંપૂર્ણ ભાવાને પણ ગ્રહણ કરી શકે અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. એ જ કેવળજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રકટ થાય છે; તેથી એના અપૂર્ણ તાજન્ય ભેદપ્રભેદ થતા નથી. કોઈ પણ એવી વસ્તુ નથી અથવા એવા ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. એ કારણથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયામાં મનાઈ છે. [૨૭–૩૦] એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેાનું વર્ણન : एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्भ्यः | ३१ | એક આત્મામાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, ભજનાથી—અનિયત રૂપે થાય છે. ૫. કોઈ આત્મામાં એક વખતે એક, કેટલાકમાં છે, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં એક સાથે ચાર સુધી જ્ઞાન સભવે છે, પરં'તુ પાંચે જ્ઞાન એકી સાથે કાઈમાં હોતાં નથી. જ્યારે એક હાય ત્યારે કેવળજ્ઞાન સમજવું જોઈ એ, કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હાવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનાને સંભવ જ નથી. જ્યારે એ હાય છે ત્યારે મતિ અને શ્રુત; કેમ કે પાંચ જ્ઞાનમાંથી નિયત સહચારી એ એ જ્ઞાન જ છે. બાકીનાં ત્રણ એક બીજાને છેાડીને પણ હાઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મન:પર્યાયજ્ઞાન હોય છે; કેમ કે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે અને એવે સમયે ભલે અવધિજ્ઞાન હોય અથવા તો મન:પર્યાયજ્ઞાન હાય પણ મતિ અને શ્રુત બને અવશ્ય હોય છે. જ્યારે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાય ૧-સૂત્ર ૩૧ ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મને પર્યાય હોય છે. કેમ કે એ ચારે જ્ઞાન અપૂર્ણ અવસ્થામાં થતાં હોવાથી એકી સાથે હોઈ શકે છે. કેવળજ્ઞાનનું અન્ય કોઈ પણ જ્ઞાનની સાથે સાહચર્ય એટલા માટે નથી કે તે પૂર્ણ અવસ્થામાં પ્રકટે છે, અને બીજાં બધાં અપૂર્ણ અવસ્થામાં. પૂર્ણતા તથા અપૂર્ણતાને પરસ્પર વિરોધ હોવાથી બન્ને અવસ્થાઓ એકી સાથે આત્મામાં હોતી નથી. બે, ત્રણ અથવા ચાર જ્ઞાનોને એકી સાથે સંભવ કહ્યો છે તે શક્તિની અપેક્ષાએ, પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. પ્ર–એનો અર્થ શું ? ઉ–જેમ મતિ, શ્રત એ બે જ્ઞાનવાળો અથવા અવધિજ્ઞાન સહિત ત્રણ જ્ઞાનવાળે કેઈ આત્મા જે સમયે મતિજ્ઞાનની દ્વારા કેઈ વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે, તે સમયે તે આત્મા પિતાનામાં શ્રતની શક્તિ અથવા અવધિની શક્તિ હોવા છતાં પણ એને ઉપયોગ કરીને તે દ્વારા એમના વિષયેને જાણી શકતો નથી. એવી જ રીતે તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને સમયે મતિ અથવા અવધિશક્તિને પણ કામમાં લઈ શકતો નથી. એ જ હકીકત મન:પર્યાયની શક્તિના વિષયમાં સમજવી જોઈએ. સારાંશ એ છે કે, એક આત્મામાં એકી સાથે વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હોય તે પણ એક સમયમાં કેઈ એક જ શક્તિ પોતાનું જાણવાનું કામ કરે છે, અન્ય શક્તિઓ એ સમયે નિષ્ક્રિય રહે છે. કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન હોતાં નથી. આ સિદ્ધાંત સામાન્ય હોવા છતાં પણ એની ઉપપત્તિ બે રીતે કરવામાં આવે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ હોય છે, પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિને પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પિતા પોતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે મતિ આદિ જ્ઞાનપર્યાય હોતા નથી. બીજા આચાર્યોનું કથન એવું છે કે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મના ક્ષયોપશમરૂપ હોવાથી પાધિક અર્થાત કર્મસાપેક્ષ છે, એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે તે ઔપાધિક શક્તિઓનો સંભવ જ હતો નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્યશક્તિ સિવાય નથી હોતી અન્ય કઈ જ્ઞાનશક્તિઓ, કે નથી હોતું તેઓનું મતિ આદિ જ્ઞાનપર્યાયરૂપ કાર્ય. [૩૧]. વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તોઃ मतिश्रुताऽवधयो विपर्ययश्च ॥३२॥ सदसतारविशेषाद् यदृच्छापलब्धेरुन्मत्तवत् ॥३३॥ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ વિપર્યય— અજ્ઞાનરૂપ પણ હોય છે. વાસ્તવિક અને અવાસ્તવિકને તફાવત ન જાણવાથી યચ્છપલબ્ધિ–વિચારશૂન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે જ્ઞાન પણ અજ્ઞાન જ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૩૨–૩૩ મતિ, મૃત આદિ પાંચે, ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય તિપિતાના વિષયને પ્રકાશિત કરવો એ છે. એથી તે બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન અને અજ્ઞાન રૂપ મનાય છે; જેમ કે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન –વિર્ભાગજ્ઞાન. પ્ર–મતિ, કૃત, અને અવધિ એ ત્રણ પર્યાય પોતપોતાના વિષયનો બેધ કરાવતા હોવાથી જે તેઓ જ્ઞાન કહેવાય છે, તે પછી તેમને અજ્ઞાન કેમ કહેવામાં આવે છે ? કેમ કે જ્ઞાન અને અજ્ઞાન એ બન્ને શબ્દ પરસ્પર વિરુદ્ધ અર્થના વાચક હોવાથી એક જ અર્થમાં પ્રકાશ અને અંધકાર શબ્દની માફક લાગુ પડી શકે નહિ. ઉ૦–અલબત્ત એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન તો છે જ, પરંતુ અહીંયાં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યા છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે. આધ્યાત્મિક શાસ્ત્રનો એ સંકેત છે કે મિથ્યાદષ્ટિના મતિ, શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે, અને સમ્યગ્દષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયે જ્ઞાન જ માનવા જોઈએ. પ્ર. એ અસંભવિત છે કે ફક્ત સમ્યગ્દષ્ટિ આત્મા જ પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાદષ્ટિ ચલાવતા નથી. એ પણ અસંભવિત છે કે સમ્યગ્દષ્ટિને સંશય તેમ જ ભ્રમસ્વરૂપ મિથ્યાજ્ઞાન બિલકુલ ન જ હોય અને મિથ્યાદષ્ટિને તે હંમેશાં હોય જ. એ પણ બરાબર નથી કે ઈદ્રિયાદિ સાધન સમ્યગ્દષ્ટિનાં તે પૂર્ણ તથા નિર્દોષ જ હોય અને મિથ્યાદૃષ્ટિનાં અપૂર્ણ તથા દુષ્ટ જ હોય. એ પણ કેણ કહી શકે Page #259 -------------------------------------------------------------------------- ________________ કર તત્ત્વાર્થ સૂત્ર એમ છે કે વિજ્ઞાન, સાહિત્ય આદિ વિષયો ઉપર અપૂ પ્રકાશ નાખનારા અને એના યથા નિર્ણય કરનારા બધા સમ્યગ્દષ્ટિ છે ? તેથી એ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન અજ્ઞાન સંબંધી સંકેતના શે! આધાર છે? ઉઆધ્યાત્મિક શાસ્ત્રના આધાર આધ્યાત્મિક દૃષ્ટિ છે; લૌકિક દૃષ્ટિ નથી. જીવ એ પ્રકારના છે ઃ કેટલાક મેાક્ષાભિમુખ અને કેટલાક સંસારાભિમુખ, મેાક્ષાભિમુખ આત્માઓમાં સમભાવની માત્રા અને આત્મવિવેક હાય છે, એથી તે પોતાના બધા જ્ઞાનને ઉપયાગ સમભાવની પુષ્ટિમાં જ કરે છે; સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ એ કારણથી લૌકિક દૃષ્ટિએ એમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હાય તો પણ તે જ્ઞાન કહેવાય છે. એનાથી ઊલટું સંસારાભિમુખ આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હાય છતાં તે સમભાવનુ પાષક ન હેાવાથી જેટલા પરિમાણમાં સાંસારિક વાસનાનું પોષક હાય છે એટલા પરિમાણમાં અજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ ઉન્મત્ત મનુષ્ય સાનાને સેાનું અને લોઢાને લાહુ સમજી યથા જ્ઞાન મેળવી લે છે; પર ંતુ ઉન્માદના કારણથી તે સત્ય અસત્યને તફાવત જાણવામાં અસમર્થ હાય છે, આથી એનું સાચું જૂહુ બધું જ્ઞાન વિચારશૂન્ય અથવા અજ્ઞાન જ કહેવાય છે, તેમ સંસારાભિમુખ આત્મા ગમે તેટલા અધિક જ્ઞાનવાળા હાય છતાં એ આત્માના વિષયમાં આંધળા હાવાથી એનુ બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. સારાંશ કે, ઉન્મત્ત મનુષ્યને અધિક આવે અને કદાચિત્ વસ્તુને યથા જાય તાયે એના ઉન્માદ વધ્યા જ કરે વિભૂતિ પણુ મળી મેધ પણ થઈ છે; એ રીતે જ Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫ મિથ્યાદષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના અજ્ઞાનને લીધે પેતાના વિશાળ જ્ઞાનરાશિના ઉપયાગ પણ ફક્ત સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે, એથી એના જ્ઞાનને અજ્ઞાન કહે છે. એનાથી ઊલટુ· સમ્યગ્દષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા ન હેાવાથી અને આત્મજ્ઞાન હાવાથી પોતાના થોડા પણ લૌકિક જ્ઞાનના ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે; એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનુ નામ આધ્યાત્મિક દૃષ્ટિ. [ ૩૨-૩૩ ] હવે નયના ભેદો કહે છે : नैगमसंग्रह व्यवहारर्जुसूत्रशब्दा नयाः । ३४ । आद्यशब्दौ द्वित्रिभेदौ । ३५ । અને શબ્દ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋનુસૂત્ર એ પાંચ નય છે. ૬૩ આદ્ય એટલે નગમના એ અને શબ્દના ત્રણ ભેદ છે. નયના ભેદોની સંખ્યા વિષે કાઈ એક જ પરંપરા નથી. એની ત્રણ પરપરાએ જોવામાં આવે છે, એક પરંપરા સીધી રીતે પહેલેથી જ સાત ભેદો વર્ણવે છે. જેમ કે: ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર પ. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવભૂત. આ પર પરા આગમામાં અને દિગંબરીય ગ્રંથામાં છે. બીજી પરંપરા સિદ્ધસેન દિવાકરની છે. તેનૈગમને છેાડી બાકીના છ ભેદો સ્વીકારે છે. ત્રીજી પરંપરા પ્રસ્તુત સૂત્રેા અને તેના ભાષ્યમાં છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ તવાથસૂત્ર તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો અને પછી પાંચમા શબ્દનયન સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદો છે. નોનું નિરૂપ ઘટે શું ?: કેઈ એક કે અનેક વસ્તુ વિષે એક જ કે અનેક મનુષ્ય અનેક પ્રકારના વિચાર કરે છે. એ બધા વિચારે વ્યક્તિરૂપે જોતાં અપરિમિત છે. તેથી તે બધાંનું એક એક લઈને ભાન કરવું અશક્ય હોવાથી તેનું અતિટૂંકાણ કે અતિલંબાણ છોડી મધ્યમ માર્ગે પ્રતિપાદન કરવું એ જ નાનું નિરૂપણ છે. તેનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારનાં કારણે, તેનાં પરિણામે કે તેના વિષયની જ ચર્ચા નથી આવતી, પણ એમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિરેધી એવા વિચારના અવિરધીપણાના કારણનું ગવેષણ મુખ્યપણે હોય છે. તેથી ટૂંકામાં નયવાદની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર. દાખલા તરીકે એક આત્માના જ વિષયમાં પરસ્પર વિરોધી મંતવ્ય મળે છે. ક્યાંક “આત્મા એક છે એવું કથન છે, તો ક્યાંક “અનેક છે એવું કથન છે. એકપણું અને અનેકપણું પરસ્પર વિરોધી દેખાય છે. એવી સ્થિતિમાં આ વિષેધ વાસ્તવિક છે કે નહિ અને જે વાસ્તવિક ન હોય તો તેની સંગતિ શી છે? એની શોધ નયવાદે કરીને એ સમન્વય કર્યો છે કે વ્યક્તિની દૃષ્ટિએ આત્મતત્વ અનેક છે, પણ શુદ્ધચૈતન્યની દૃષ્ટિએ તે એક જ છે. આ Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૩૪–૩૫ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરોધી દેખાતાં વાક્યોને અવિરોધ – એકવાર્થતા સાધે છે. એ જ રીતે આત્માના વિષયમાં નિત્યપણી અને અનિત્યપણા તેમ જ કર્તાપણા અને અર્તાપણાના મતાને અવિરેાધ પણ નયવાદ ઘટાવે છે. આવા અવિરોધનું મૂળ વિચારકની દૃષ્ટિ – તાત્પર્યમાં રહેલું હોય છે. એ દૃષ્ટિને પ્રસ્તુત શાસ્ત્રમાં “અપેક્ષા” નામથી ઓળખવામાં આવે છે, તેથી નયવાદ, અપેક્ષાવાદ પણ કહેવાય છે. नयवादनी जुदी देशना शा माटे अने तेने लीधे વિરોષતા શા માટે ? : પ્રથમ કરવામાં આવેલા જ્ઞાનનિરૂપણમાં શ્રતની ચર્ચા આવી જાય છે. શ્રત એ વિચારાત્મક જ્ઞાન છે અને નય પણ એક જાતનું વિચારાત્મક જ્ઞાન જ છે. તેથી નય એ શ્રુત જ્ઞાનમાં સમાઈ જાય છે. માટે જ પહેલે પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રતનું નિરૂપણ કર્યા પછી નયને તેથી જુદા પાડી નયવાદની જુદી દેશના શા માટે કરવામાં આવે છે? જેન તત્ત્વજ્ઞાનની એક વિશેષતા નયવાદને લીધે માનવામાં આવે છે; પણ નયવાદ એટલે તે શ્રત અને શ્રત એટલે આગમ પ્રમાણ. જેનેતર દર્શનોમાં પણ પ્રમાણચર્ચા અને તેમાંયે વળી આગમ પ્રમાણનું નિરૂપણ છે જ. એટલે બીજો પ્રશ્ન સહજ રીતે જ ઉદ્ભવે છે કે જ્યારે ઇતર દર્શનમાં આગમ પ્રમાણને સ્થાન છે ત્યારે આગમ પ્રમાણમાં સમાવેશ પામતા નયવાદની ફક્ત જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેજતા કેમ માની શકાય ? અથવા એમ કહો કે જૈન દર્શનના ૧. જુઓ અધ્યાય ૧, સૂત્ર ૨૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર પ્રવર્તકેએ મૃત પ્રમાણ ઉપરાંત નયવાદની જુદી સ્વતંત્ર દેશના કરી તે શા ઉદ્દેશથી ? શ્રત અને નય અને વિચારાત્મકજ્ઞાન છે ખરાં, છતાં બનેમાં તફાવત છે; અને તે એ કે કઈ પણ વિષયને સર્વા શે સ્પર્શ કરનાર અથવા તેને સર્વાશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે મૃત; અને તે વિષયને માત્ર એક અંશે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય. આ કારણથી નયને સ્વતંત્ર રીતે પ્રમાણ ન કહી શકાય; છતાં તે અપ્રમાણ પણ નથી જ. જેમ આંગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય; છતાં એ અંગુલીનો અંશ તો છે જ. તેમ નય પણ શ્રત પ્રમાણનો અંશ છે. વિચારની ઉત્પત્તિનો ક્રમ અને તેનાથી થતે વ્યવહાર એ બને દષ્ટિએ નયનું નિરૂપણ શ્રત પ્રમાણથી છૂટું પાડી કરવામાં આવેલું છે. કેઈપણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. જે ક્રમે વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તત્વબોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ, એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ શ્રત પ્રમાણથી જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. વળી કઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ તે અંશે અંશે જ થવાનો, તેથી પણ સમગ્રવિચારાત્મક શ્રત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. જે કે જૈનેતર દર્શનમાં આગમ પ્રમાણની ચર્ચા છે. છતાં તે જ પ્રમાણમાં સમાઈ જતા નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શન કરી તેનું કારણ નીચે પ્રમાણે છે, અને એ જ Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૩૪-૩૫ ૬૭ કારણ તેની વિશેષતા માટે બસ છે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને અસ્મિતા-અભિનિવેશ સામાન્ય રીતે વિશેષ હોય છે. તેથી જ્યારે કઈ પણ બાબતમાં તે અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટનો અને સંપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખૂઈ બેસે છે અને છેવટે પિતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરેપ કરી લે છે. આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણ ઊભી થાય છે અને તેને લીધે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. એક દર્શન આત્મા વગેરે કોઈ પણ વિષયમાં પતે માન્ય રાખેલ પુરુષને એકદેશીય વિચારને જ્યારે સંપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરોધી પણ યથાર્થ વિચાર ધરાવનાર બીજા દર્શનને તે અપ્રમાણુ કહી અવગણે છે. આ જ રીતે બીજું દર્શન પહેલાને અને એ જ રીતે એ બને ત્રીજાને અવગણે છે. પરિણામે સમતાની જગાએ વિષમતા અને વિવાદ ઊભાં થાય છે. તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનું દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે; અને તે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે દરેક વિચારક પિતાના વિચારને આગમ પ્રમાણુ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કેટિએ મુકાય તેવો સર્વા શી છે કે નહિ. આવું સૂચન કરવું એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્વાર્થસૂત્ર સામાન્ય રક્ષા : કોઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર એ નય. નયના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવે છે: ૧. દ્રવ્યાર્થિક અને ૨. પર્યાયાર્થિક. જગતમાંની નાની મોટી બધી વસ્તુઓ એક બીજાથી છેક જ અસમાન નથી જણાતી. તેમ જ એ બધી છેક જ એકરૂપ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના બને અંશે દેખાય છે. તેથી જ વસ્તુમાત્રને સામાન્ય વિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણી વાર વસ્તુઓના માત્ર સામાન્ય અંશ તરફ ઢળે છે, તે ઘણી વાર વિશેષ અંશ તરફ. જ્યારે તે સામાન્યઅંશગામી હોય ત્યારે તેને તે વિચાર “દવ્યાર્થિકનય અને જ્યારે વિશેષઅંશગામી હોય ત્યારે તેનો તે વિચાર “પર્યાયાર્થિકનય' કહેવાય છે. બધી સામાન્ય દૃષ્ટિઓ કે બધી વિશેષ દૃષ્ટિઓ પણ એકસરખી નથી હોતી, તેમાં પણ અંતર હોય છે. એ જણાવવા ખાતર આ બે દૃષ્ટિઓના પણ ટૂંકમાં ભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાર્થિકના ચાર એમ એકંદર સાત ભાગ પડે છે, અને તે જ સાત નય છે. દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયદષ્ટિમાં દ્રવ્ય નથી આવતું એમ તે નથી જ; પણ એ દષ્ટિવિભાગ ગૌણપ્રધાન ભાવની અપેક્ષાએ સમજવો જોઈએ. - પ્રવ—ઉપર કહેલ બને નાને સરળ દાખલાથી સમજાવે. ઉગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં રહી દરિયા તરફ નજર ફેકતાં જ્યારે પાણીને રંગ, સ્વાદ, તેનું ઊંડાણ કે છીછરાપણું, તેનો વિસ્તાર કે સીમા વગેરે તેની Page #266 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ – સૂત્ર ૩૪-૩૫ $& કાંઇ પણ વિશેષતા તરફ જ ધ્યાન ન જાય અને માત્ર પાણી પાણી તરફ ધ્યાન જાય, ત્યારે તે માત્ર પાણીના સામાન્ય વિચાર કહેવાય; અને તે જ, પાણી વિષે દ્રવ્યાકિનય છે. આથી ઊલટુ જ્યારે રંગ, સ્વાદ વગેરે વિશેષતાએ તરફ ધ્યાન જાય, ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હાવાથી તેને પાણી વિષે પયાકિનય કહી શકાય. જેમ પાણી તેમ જ શ્રીજી ભૌતિક વસ્તુઓમાં પણ એ જ પ્રમાણે ધટાવી શકાય. જુદા જુદા સ્થળ ઉપર ફેલાયેલ એક જાતની પાણી જેવી આજી અનેક વસ્તુ વિષે જેમ સામાન્યગામી અને વિશેષગામી વિચારા સંભવે છે, તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ ઉપર પથરાયેલ ક્રાઈ એક જ આત્માદિ વસ્તુ વિષે સામાન્યગામી અને વિશેષગામી વિચાર સંભવે છે. કાળ અને અવસ્થાભેદોનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિ કનય કહેવાય અને એ ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાએ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને પર્યાયાકિનય સમજવા. વિશેષ મેવોનું સ્વરૂપ : ૧. જે વિચાર, લૌકિક રૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે, તે નૈનમનચ. ૨. જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિને કોઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે संग्रहनय. ૩. જે વિચાર સામાન્ય તત્ત્વ ઉપર એકરૂપે ગાઠવાવાયેલી વસ્તુએના વ્યાવહારિક પ્રયેાજન પ્રમાણે ભેદ પાડે છે -ક Page #267 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર તે વ્યવહારનય. આ ત્રણે નયના ઉદ્ગમ દ્રવ્યાર્થિ કની ભૂમિકામાં રહેલા છે તેથી એ ત્રણ દ્રવ્યાર્થિક પ્રકૃતિ' કહેવાય છે. ૧૦ પ્ર—આગળના નયેાની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપ રના ત્રણ નયને દાખલા આપી વધારે સ્પષ્ટ કરે, ઉદેશકાળના અને લેાકસ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરૂઢિઓ તેમ જ તજ્જન્ય સંસ્કાર અનેક જાતના હેાય છે. તેથી તેમાંથી જન્મેલા નૈગમનય પણ અનેક પ્રકારના હાઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને ખીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે કયાં જા છે ? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડો લેવા કે કલમ લેવા જાઉં છુ. આવા ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે ખરુ લેવા જતા હાય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાંધે સમજી લે છે. આ એક લાઢિ છે. ન્યાત જાત છેાડી ભિક્ષુ અનેલ કાઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણ શ્રમણ છે એ કથન વગર વાંધે સ્વીકારી લેવાય છે. ચૈત્ર શુકલ નવમી કે ત્રયેાદીનેા વિસ આવતાં, હજારો વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેાકા એ દિવસને એળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લાકઢિ છે. જ્યારે કોઈ અમુક અમુક માણસા ટાળાબંધ થઈ લડતાં હાય ત્યારે લોકેા તે માણસેાતી નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂર ૩૪-૩૫ કે, હિંદુસ્તાન લડે છે' “ચીન લડે છે, ઇત્યાદિ અને એ કથનને ભાવ સાંભળનાર સમજી લે છે. આ પ્રમાણે વિવિધ લેકરૂઢિઓમાંથી પડેલા સંસ્કારને પરિણામે જે વિચારે જન્મે છે, તે બધા નૈગમનયને નામે પહેલી શ્રેણમાં મૂકવામાં આવે છે. જડ, ચેતન રૂપ અનેક વ્યક્તિઓમાં જે સરૂપ સામાન્યતત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષ્યમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચારવામાં આવે કે વિશ્વ બધું સરૂપ છે. કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ જ નથી. ત્યારે તે સંગ્રહનય થયું કહેવાય. એ જ પ્રમાણે કપડાંની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાંપણનું સામાન્ય તત્ત્વ નજર સામે રાખી વિચારવામાં આવે કે આ સ્થળે એક કાપડ જ છે, ત્યારે તે સંગ્રહનય થયે કહેવાય. સંગ્રહનયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચડતા ઊતરતા અનંત દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું વિશાળ એટલે તે સંગ્રહનય વિશાળ, અને સામાન્ય જેટલું નાનું એટલે તે સંગ્રહનય ટૂંકે. પણ જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા જ સંગ્રહનયની શ્રેણીમાં મૂકી શકાય. વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમને વ્યવહારુ ઉપયોગ કરવાનો પ્રસંગ આવે છે, ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથકકરણ કરવું પડે છે. કપડું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાંઓની સમજ નથી પડતી અને માત્ર ખાદી લેવા Page #269 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ઇચ્છનાર, કપડાંને વિભાગ કર્યા સિવાય તે મેળવી નથી શકતે, કેમકે કપડું અનેક જાતનું છે. તેથી ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારની છે અને ચેતન તત્ત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથકકરણભૂખ બધા વિચારો વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે. ઉપર જણાવેલ દાખલાઓ ઉપરથી જોઈ શકાશે કે નૈગમનય એ લેક રૂઢિ ઉપર આધાર રાખતો હોવાથી અને લેકરૂઢિ આરોપ ઉપર નભતી હોવાથી તેમ જ આરોપ એ સામાન્ય તત્ત્વાશ્રયી હોવાથી નૈગમનયમાં સામાન્યગામીપણું સ્પષ્ટ છે. સંગ્રહનય તે સીધી રીતે જ એકીકરણ રૂપ બુદ્ધિવ્યાપાર હોવાથી સામાન્યગામી જ; વ્યવહારનય એ પૃથકકરણોન્મુખ બુદ્ધિવ્યાપાર હોવા છતાં તે ક્રિયા સામાન્યની ભિત્તિ ઉપર થતી હોવાથી તે પણ સામાન્યગામી જ. આમ હોવાથી જ એ ત્રણે નયોને દ્રવ્યાર્થિકનયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે. પ્રવ—ઉક્ત ત્રણે નમાં અંદરોઅંદર તફાવત કે તેમને સંબંધ શું છે ? ઉ–નૈગમનયને વિષય સૌથી વધારે વિશાળ છે; કારણ કે તે સામાન્ય-વિશેષ બનેને લેકરૂઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે તે ક્યારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહને વિષય નૈગમથી ઓછો છે; કારણ તે માત્ર સામાન્યલક્ષી છે. અને વ્યવહારનો વિષય તે સંગ્રહથી પણ ઓછો છે, કેમ કે તે સંગ્રહને સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૩૪-૩૫ ૭૩ આધારે પૃથક્કરણ કરતે હોવાથી માત્ર વિશેષગામી છે. આ રીતે ત્રણેનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જતું હોવાથી તેમને અંદર અંદર પૌવંપર્ય સંબંધ છે જ. સામાન્ય, વિશેષ અને તે ઉભયના સંબંધનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી જ સંગ્રહનાં જન્મ લે છે અને સંગ્રહની ભીંત ઉપર જ વ્યવહારનું ચિત્ર ખેંચાય છે. પ્ર–ઉપરની ઢબે બાકીના ચાર નોની વ્યાખ્યા તેના દાખલાઓ અને બીજી સમજૂતી આપે. ઉ૦–૧. જે વિચાર ભૂત અને ભવિષ્ય કાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને સ્પર્શ કરે, તે ગુસૂત્રના. ૨. જે વિચાર શબ્દપ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થભેદ કલ્પે, તે શબ્દના. ૩. જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કલ્પ, તે સમઢના. ૪. જે વિચાર, શબ્દથી ફલિત થતે અર્થ ઘટતે હેયા ત્યારે જ તે વસ્તુને તે રૂપે સ્વીકારે; બીજી વખતે નહિ, તે મૂતની. જે કે માનવી કલ્પના ભૂત અને ભવિષ્યને છેક જ છેડી નથી ચાલી શકતી, છતાં ઘણી વાર મનુષ્યબુદ્ધિ તાત્કાલિક પરિણામ તરફ ઢળી માત્ર વર્તમાન તરફ વલણ પકડે છે. આવી સ્થિતિમાં તે એમ માનવા પ્રેરાય છે કે જે ઉપસ્થિત છે તે જ સત્ય છે, તે જ કાર્યકારી છે અને ભૂત કે ભાવી વસ્તુ અત્યારે કાર્યસાધક ન હોવાથી શૂન્યવત છે. વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય, પણ ભૂત સમૃદ્ધિનું સ્મરણ કે ભાવી સમૃદ્ધિની કલ્પના એ Page #271 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર વર્તમાનમાં સુખ સગવડ પૂરાં ન પાડતી હોવાથી એને સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છેક હયાત હેઈ માતાપિતાની સેવા કરે, તે પુત્ર છે; પણ જે છોકરા ભૂત કે ભાવી હોઈ આજે નથી, તે પુત્ર જ નથી આ જાતના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારો જુસૂત્રનયની કેટિમાં મૂકવામાં આવે છે. જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્ય કાળનો છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથીયે આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે. તેથી જ કઈ વાર તે શબ્દને સ્પશી ચાલે છે અને એમ વિચાર કરે છે કે જે વર્તમાનકાળ ભૂત કે ભાવથી જુદો હોઈ માત્ર તે જ સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્ન ભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરુષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે ? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કોઈ નથી પણ વર્તમાનકાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્ન ભિન્ન લિંગવાળા, ભિન્ન ભિન્ન સંખ્યાવાળા અને ભિન્ન ભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ માનવી ઘટે; આમ વિચારી બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમ કે, શાસ્ત્રમાં એવું વાક્ય મળે છે કે “રાજગૃહ નામનું નગર હતું.” આ વાક્યને અર્થ સ્થૂળ રીતે એમ થાય છે કે એ નામનું નગર ભૂતકાળમાં હતું, પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ રાજગૃહ છે જ. હવે જો વર્તમાનમાં છે તે તેને હતું” એમ લખવાને શે ભાવ ? એ સવાલનો જવાબ Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫ શબ્દય આપે છે. તે કહે છે કે વર્તમાન રાજગૃહ. કરતાં ભૂતકાળનું રાજગૃહ જુદું જ છે; અને તેનું જ વર્ણન પ્રસ્તુત હેાવાથી ‘રાજગૃહ હતુ' એમ કહેવામાં આવે છે. આ કાળભેદે અભેદના દાખલા થયા. હવે લિંગભેદમાં અભેદ : જેમ કે, કૂવા, સૂઈ. અહીં પહેલો શબ્દ નરજાતિ અને ખીજો નારીજાતિમાં છે; એ બન્નેને કપાયેલા અભેદ પણ વ્યવહારમાં જાણીતા છે. કેટલાક તારાઓને નક્ષત્રને નામે ઓળખાવવામાં આવે છે, પરંતુ આ નય પ્રમાણે અમુક તારાઓ નક્ષત્ર છે” એવા અગર તો ‘આ મધા નક્ષત્ર છે' એવા વ્યવહાર નહિ કરી શકાય. કારણ કે તે નય લિ ગભેદે અભેદ સ્વીકારતા હેાવાથી તારા અને નક્ષત્ર તેમ જ મધા અને નક્ષત્ર એ બન્ને શબ્દોને એકસાથે એક અર્થ માટે નહિ વાપરી શકે. સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન તથા તે જ પ્રમાણે આરામ, વિરામ વગેરે શબ્દોમાં એક જ ધાતુ હોવા છતાં જે અર્થભેદ દેખાય છે, તે જ આ શબ્દનયની ભૂમિકા તૈયાર કરે છે. આ પ્રકારના વિવિધ શાબ્દિક ધર્માને આધારે જે અભેદની અનેક માન્યતાઓ ચાલે છે, તે બધી શબ્દનયની શ્રેણિમાં સમાય છે. શાબ્દિક ધર્મના ભેદને આધારે અભેદ કલ્પવા તૈયાર થયેલ બુદ્ધિ તેથી આગળ વધી વ્યુત્પત્તિભેદ તરફ ઢળે છે, અને એમ માનવા પ્રેરાય છે કે જ્યાં અનેક જુદા જુદા શબ્દોને એક અર્થ માનવામાં આવે છે ત્યાં પણ ખરી રીતે એ બધા શબ્દોનો એક અર્થ નથી; પણ જુદા જુદા અ છે, દલીલમાં તે એમ કહે છે કે, જો લિંગભેદ અને સંખ્યાભેદ વગેરે અભેદ માનવા માટે બસ હાય, તે શબ્દભેદ પણ અર્થભેદક પ્રેમ ન મનાય ? એમ કહી તે, રાજા, નૃપ, ભૂપતિ પ Page #273 -------------------------------------------------------------------------- ________________ 'તત્વાર્થસૂત્ર આદિ એકાર્થક મનાતા શબ્દને વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ કલ્પ છે, અને કહે છે કે, રાજચિહ્નોથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામોથી કહેવાતા એક જ અર્થમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર “સમભિરૂઢનય' કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે ઊંડાણમાં સવિશેષ ટેવાયેલી બુદ્ધિ હવે છેવટના ઊંડાણમાં ઘૂસે છે અને કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનવામાં આવે તે એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દને તે અર્થ સ્વીકાર અને તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવું; બીજી વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી ક્યારેક શેવાની યેગ્યતા ધરાવવી કે ક્યારેક મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જ “રાજા” અને “નૃપ” કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજદંડ ધારણ કરી તે વડે શોભા પ્રમાતી હોય, અગર ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર રાજા અને નૃપ કહેવડાવી શકાય; અર્થાત ત્યારે જ તેવી વ્યક્તિ વિષે રાજા અને નૃપ શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે છે. આ જ રીતે જ્યારે કઈ ખરેખરી સેવામાં લાગેલ હોય ત્યારે જ અને તેટલી જ વાર તે સેવક નામ ધરાવી શકે. જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ નામ વાપરવું. એ જાતની માન્યતા એવંભૂતનયની શ્રેણિમાં આવે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૩૪-૩૫ ૭૭. ઉપર કહેલ ચારે પ્રકારની વિચારશ્રેણિઓમાં જે તફાવત છે તે દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થઈ શકે તેમ હોવાથી તેને જુદો જણાવવાની જરૂર નથી. અને એ પણ જાણી લેવું જોઈએ કે પૂર્વ પૂર્વ નય કરતાં પછી પછી નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોવાથી ઉત્તરોત્તર નયના વિષયને આધાર પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર રહેલું છે. આ ચારે તેનું મૂળ પર્યાયાર્થિક નયમાં છે એમ જે કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે, જુસૂત્ર વર્તમાનકાળ સ્વીકારી ભૂત અને ભવિષ્યને ઈનકાર કરે છે. અને તેથી તેનો વિષય સ્પષ્ટપણે એકદમ સામાન્ય મટી વિશેષરૂપે ધ્યાનમાં આવે છે; એટલે જુસૂત્રથી જ પર્યાયાર્થિકનયનો (વિશેષગામી દૃષ્ટિને) આરંભ માનવામાં આવે છે. ઋજુસૂત્ર પછીના ત્રણ ન તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જતા હોવાથી પર્યાયાર્થિક સ્પષ્ટપણે છે જ. પણ અહીં એટલું સમજી લેવું જોઈએ કે આ ચાર નેમાં પણ જ્યારે ઉત્તર પૂર્વ કરતાં સૂક્ષ્મ કહેવામાં આવે છે ત્યારે તે પૂર્વ તેટલે અંશે ઉત્તર કરતાં સામાન્યગામી તે છે જ. એ જ રીતે દ્રવ્યાર્થિકનયની ભૂમિકા ઉપર ગોઠવાયેલા નૈગમ આદિ ત્રણ નયોમાં પણ પૂર્વ કરતાં ઉત્તર સૂક્ષ્મ હોવાથી તેટલે અંશે તે પૂર્વ કરતાં વિશેષગામી છે જ. તેમ છતાં પ્રથમના ત્રણને દ્રવ્યાર્થિક અને પછીના ચારને પર્યાયાર્થિક કહેવામાં આવે છે તેનો અર્થ એટલે જ સમજે ઘટે કે પ્રથમ ત્રણમાં સામાન્ય તત્ત્વ અને તેનો વિચાર વધારે સ્પષ્ટ છે, કારણ કે તે ત્રણ વધારે સ્કૂલ છે. ત્યાર પછીના ચાર ને વિશેષ સૂક્ષ્મ હોઈ તેમાં વિશેષ તત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે. આટલી જ સામાન્ય અને વિશેષની Page #275 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર સ્પષ્ટતા કે અસ્પષ્ટતાને લીધે, તથા તેમની મુખ્યતા ગૌણતા ધ્યાનમાં રાખી સાત નયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. પણ ખરી રીતે વિચારવા જતાં સામાન્ય અને વિશેષ એ બંને એક વસ્તુની અવિભાજ્ય બે બાજુઓ હોવાથી એકાંતિકપણે એક નયના વિષયને બીજા નયના વિષયથી તદ્દન છૂટો પાડી શકાય જ નહિ. નયદષ્ટિ, વિચારસરણી અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દોને એક જ અર્થ છે. ઉપરના વર્ણન ઉપરથી એટલું જાણી શકાશે કે કઈ પણ એક જ વિષય પરત્વે વિચારસરણીઓ અનેક હોઈ શકે. વિચારસરણીઓ ગમે તેટલી હોય પણ તેમને ટૂંકાવી અમુક દૃષ્ટિએ સાત ભાગમાં ગોઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીજમાં અને બીજી કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મપણું આવતું જાય છે. છેવટની એવંભૂત નામની વિચારસરણીમાં સૌથી વધારે સૂક્ષ્મપણું દેખાય છે. આ કારણથી ઉક્ત સાત વિચારસરણીઓને બીજી રીતે પણ બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે : વ્યવહાર અને નિશ્ચયનય. વ્યવહાર એટલે સ્કૂલગામી અને ઉપચારપ્રધાન, તથા નિશ્ચય એકલે સૂક્ષ્મગામી અને તત્ત્વસ્પર્શ. ખરી રીતે એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. વળી ત્રીજી રીતે પણ ઉક્ત સાત નોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છેઃ નય અને મર્થના. જેમાં અર્થની વિચારણા પ્રધાનપણે હોય તે અર્થનય અને જેમાં શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દનય. ઋજુસૂત્ર પર્યત પહેલા ચાર અર્થનય છે અને બાકીના ત્રણ શબ્દનાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અધ્યાય ૧- સૂત્ર ૩૪ – ૩૫ ઉપર કહેલ દષ્ટિએ ઉપરાંત બીજી પણ ઘણી દૃષ્ટિઓ છે. જીવનના બે ભાગ છે. એક સત્ય જોવાનો અને બીજે તે સત્યને પચાવવાને. જે ભાગ માત્ર સત્યનો વિચાર કરે છે અર્થાત તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ જ્ઞાનની. અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે, તે ક્રિયાદષ્ટિ ત્રિજ્યાનચ. ઉપર વર્ણવેલા સાત ન તત્ત્વવિચારક હોવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ય શધાયું હોય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દૃષ્ટિ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે જીવનને સત્યમય બનાવવું. [૩૪-૩૫] Page #277 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ પહેલા અધ્યાયમાં સાત પદાર્થોના નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં ક્રમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનો છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્ત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનું વર્ણન ચોથા અધ્યાય સુધી કરે છે. જીવના પાંચ ભા, એમના ભેદો અને ઉદાહરણો : औपशमिकक्षायिकौ भावों मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । १ । द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् । २ । सम्यक्त्वचारिले । ३ । शानदर्शनदानलाभोंगोपभोगवीर्याणि च । ४ । शानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चमेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासयमाश्च । ५ । गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतु"तुत्येकैकैकैकषभेदाः । ६ । जीवभव्याभव्यत्वादीनि च । ७ । Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૧૭ ઔપશમિક, ક્ષાયિક અને મિશ્ર (ક્ષાયેાપશમિક) એ ત્રણ, તથા ઔયિક અને એમ કુલ પાંચ ભાવેા છે; તે ૧ પારિણામિક એ બે જીવનુ સ્વરૂપ છે. ઉપરના પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભે થાય છે. સમ્યક્ત્વ અને ચારિત્ર એ અને ઔપશમિક છે. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દન, દાનાદુિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર - સર્વાંવિરતિ અને સયામાસયમ – દેશિવરિત એ અઢાર ક્ષાયેાપશમિક છે, ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ — વેદ, એક મિથ્યાન્નુન, એક અજ્ઞાન, એક અસયમ, એક અસિદ્ધત્વ અને છ લેશ્યાએ એ એકવીસ ઔયિક છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજા પણ પારિણામિક ભાવા છે, આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય દનાની સાથે શા મતભેદ છે એ બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર છે. સાંખ્ય અને વેદાંત દન આત્માને ફૂટસ્થંનિત્ય માની એમાં કોઈ જાતના પરિણામ માનતાં નથી. જ્ઞાન, સુખદુ:ખાદિ પરિણામોને તેએ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દન જ્ઞાન આદિને આત્માના ગુણ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧ તત્ત્વા સૂત્ર આત્માને એકાંત નિત્ય-અપરિણામી માને છે ખરાં, પણ તે માને છે. નવીન મીમાંસકાના મત વૈશેષિક અને નૈયાયિક જેવા જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક અર્થાત્ નિરન્વયપરિણામેાના પ્રવાહ માત્ર છે. જૈન દનનુ કહેવુ છે કે પ્રાકૃતિક – જડ – પદાર્થોમાં ફૂટસ્થંનિત્યતા નથી તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી; કિન્તુ પરિણામી નિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુ:ખ આદિ પયા આત્માના જ સમજવા જોઈ એ. - આત્માના બધા પર્યાયેા એક જ અવસ્થાવાળા નથી હાતા. કેટલાક પર્યાયા કાઈ એક અવસ્થામાં તે। ખીજા ફેટલાક ખીજી કોઈ અવસ્થામાં મળી આવે છે. પાંચેની તે ભિન્નભિન્ન અવસ્થા માત્ર કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા હાઈ શકે છે. તે પાંચ ભાવા આ પ્રમાણે ઃ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયેાપરામિક, ૪. ઔયિક અને ૫. પારિણામિક, ૧. ભિન્ન ભિન્ન ક્ષણામાં સુખ, દુ:ખ, આછુંવત્તુ" ભિન્ન વિષયનુ જ્ઞાન આદિ જે પરિણામેા અનુભવાય છે, તે પરિણામેા માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વનું નહાવું તે જ નિરન્ઘચપરિણામેાના પ્રવાહ. ૨. ગમે તેટલા હથેાડાના ધા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જેમાં જરાયે ફેરકાર નથી થતા એ ફૂટસ્થનિત્યતા. ૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિન્યતા. Page #280 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર ૧૭ મનું સ્વરૂપ : ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ “ઔપશમિક” કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરો નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મને ઉદય તર્જ રોકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મના ક્ષયથી પેદા થાય તે “ક્ષાયિક” ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પેદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ, ધોવાને લીધે માદકશકિત કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કંદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક' ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પિતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે અર્થાત કેઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પારિણમિક ભાવ કહેવાય. એ જ પાંચ ભાવો આત્માનું સ્વરૂપ છે; અર્થાત સંસારી અથવા મુક્ત કઈ પણ આત્મા હોય એના સર્વ પર્યા. ઉક્ત પાંચ ભામાંથી કોઈ ને કઈ ભાવવાળા અવશ્ય હોવાના. અછવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાયને સંભવ નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર તેથી એ પાંચે અછવનું સ્વરૂપ થઈ શક્તા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એવો નિયમ નથી. સમસ્ત મુક્ત જીવોમાં ફક્ત બે ભાવ હોય છે : ક્ષાયિક અને પારિણમિક. સંસારી જેમાં કોઈ ત્રણ ભાવવાળા, કઈ ચાર ભાવવાળા અને કઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ બે ભાવવાળું કઈ હોતું નથી. અર્થાત મુક્ત આત્માના પર્યા ઉક્ત બે ભાવોમાં અને સંસારીના પર્યાયો ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન જીવરાશિની અપેક્ષાએ કે કોઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું. જે પર્યાયે ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક” અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે “સ્વાભાવિક છે. ઉક્ત પાંચ ભાના કુલ ૫૩ ભેદ આ સૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળા કેટકેટલા પર્યાય છે અને તે કયા કયા. તે આગળ બતાવવામાં આવે છે. સર્વોપશમ માત્ર મેહનીયને જ થાય છે. દર્શનમેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રકટ થાય છે અને ચારિત્રમેહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ સમ્યકત્વ અને ચારિત્ર એ બને પર્યાયે ઔપથમિક ભાવવાળા સમજવા જોઈએ. કેવલજ્ઞાનાવરણને ક્ષયથી કેવલજ્ઞાન, કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શનમોહનીય કર્મના ક્ષયથી સમ્યકત્વ અને ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી Page #282 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર ૧-૭ ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવલજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, અને મનઃ પર્યાયજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિ, ભૂત, અવધિ અને મનપર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષય પશમથી મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુન્દર્શન અને અવધિદર્શન પ્રગટ થાય છે. પંચવિધ અંતરાયના ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમેહનીયના ક્ષયોપશમથી સમ્યકત્વ પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયોપશમથી દેશવિરતિ પ્રગટ થાય છે. અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. માટે મતિ જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પર્યાયે ક્ષાપશમિક છે. ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. કષાયમહનીયના ઉદયથી કૅધ, માન, માયા અને લેભ એ ચાર કષાય પેદા થાય છે. વેદમેહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમેહનીયના ઉદયથી મિથ્યાદર્શન– તત્ત્વ વિષે અશ્રદ્ધા – થાય છે. અજ્ઞાન – જ્ઞાનાભાવ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણયનું ફળ છે. અસંયતત્વ – વિરતિને સર્વથા અભાવ અનંતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્રમેહનીયના ઉદયનું ફળ છે. અસિદ્ધત્વ – શરીરધારણ વેદનીય, આયુ, ત Page #283 -------------------------------------------------------------------------- ________________ નામ અને ગોત્ર કર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પર્વ અને શુકલ એ છ પ્રકારની લેયાઓ - કષાયદયરંજિત યુગપ્રવૃત્તિ કે યોગપરિણામ - કવાયના ઉદયનું અથવા ગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે, તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાયે ઔદયિક કહેવાય છે. જીવત્વ (ચૈતન્ય), ભવ્યત્વ (મુક્તિની ગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા), એ ત્રણ ભાવો સ્વાભાવિક છે. અર્થાત્ તે, કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષપશમથી પેદા થતા નથી; કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પરિણામિક છે. પ્ર–શું પરિણામિક ભાવ ત્રણ જ છે? ઉ–નહિ. બીજા પણ છે. પ્ર–તે કયા? ઉ–અસ્તિત્વ, અન્યત્વ, કર્તવ, ભેતૃત્વ, ગુણવત્વ, પ્રદેશવત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂપત્ર આદિ અનેક છે. પ્ર–તે પછી ત્રણ જ કેમ ગણાવ્યા ? ઉ– અહીંયાં જીવનું સ્વરૂપ બતાવવું છે અને તે એના અસાધારણ ભાવોથી બતાવી શકાય. માટે ઔપથમિક આદિની સાથે પરિણામિક ભાવે એવા જ બતાવ્યા છે કે જે જીવના અસાધારણ છે. અસ્તિત્વ આદિ ભાવો પરિણામિક છે ખરા, પરંતુ તે જીવની માફક અછવમાં પણ છે; તેથી તે જીવન અસાધારણ ભાવ ન કહેવાય. માટે જ અહીંયા એમને નિર્દેશ કર્યો નથી. તેમ છતાં છેવટે જે આદિ શબ્દ Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂગ ૮ રાખે છે તે, એ જ વસ્તુસૂચન કરવાને માટે છે. દિગંબર સંપ્રદાયમાં આ જ અર્થ “ચ” શબ્દથી લીધે છે. [૧–૭] હવે જીવનું લક્ષણ કહે છે : उपयोग लक्षणम् ।८। ઉપગ એ જીવનું લક્ષણ છે. જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે, તે અનાદિસિદ્ધ (સ્વતંત્ર) દ્રવ્ય છે. તાત્વિક દૃષ્ટિએ અરૂપી હેવાથી એનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી, પરંતુ સ્વસંવેદન પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કરી શકાય છે. એમ હવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય –ય છે; અને ઉપયોગ લક્ષણ - જાણવાને ઉપાય – છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તે ઉપયોગ દ્વારા થઈ શકે છે; કેમ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હેત નથી. પ્ર—-ઉપયોગ એટલે શું? ઉ–ઉપયોગ એટલે બેધરૂપ વ્યાપાર. પ્ર – આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી ? Page #285 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ઉ–બેધનું કારણ ચેતનાશક્તિ છે. તે જેમાં માં તેમાં બેધક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જડમાં નહિ. પ્રવ–આમા સ્વતંત્ર દ્રવ્ય છે એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ; તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું ? ઉ–સાચે જ આત્મામાં અનંત ગુણપર્યાય છે, પરંતુ તે બધામાં ઉપગ જ મુખ્ય છે. કેમ કે સ્વપરપ્રકાશરૂપ હોવાથી તે ઉપયોગ જ પિતાનું તથા ઈતર પર્યાનું જ્ઞાન કરાવી શકે છે. એ સિવાય આત્મા જે કાંઈ અસ્તિ – નાસ્તિ જાણે છે, નવુ - ૨ કરે છે, સુખ દુઃખને અનુભવ કરે છે તે બધું ઉપયોગને લીધે જ. એથી જ ઉપયોગ એ બધા પર્યાયમાં મુખ્ય છે. પ્ર–શું લક્ષણ, સ્વરૂપથી ભિન્ન છે? ઉ –નહિ. પ્ર–તો તે પહેલા પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી તે પણ લક્ષણ થયું તે પછી બીજું લક્ષણ બતાવવાનું શું પ્રયોજન ? ઉ–અસાધારણ ધર્મ પણ બધા એકસરખા હતા નથી. કેટલાક તે એવા હોય છે કે જે લક્ષ્યમાં હોય છે ખરા, પણ તે કેઈક વાર હોય છે અને કોઈક વાર નહિ; કેટલાક એવા પણ હોય છે કે જે સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી; જ્યારે બીજા કેટલાક એવા હોય છે કે જે ત્રણે કાળમાં સમગ્ર લક્ષ્યમાં રહે છે. સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણ ધર્મ ઉપગ જ છે. એથી લક્ષણરૂપે એનું પૃથક થન કર્યું છે અને તદ્દારા એવું સૂચિત એ જ સમય જ છે. ચિત Page #286 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર હ ૧૯ કર્યું` છે કે ઔપમિક આદિ ભાવા જીવનું સ્વરૂપ તેા છે; પરંતુ તે, બધા આત્માઓમાં મળતા નથી અને ત્રિકાળવતી પણ નથી. ત્રિકાળવતી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એવા એક જીવત્વરૂપ પારિણામિક ભાવ છે, જેના ફલિત અર્થ ઉપયાગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણરૂપે કહ્યો છે. ખીજા બધા ભાવે। કાદાચિત્ક——કયારેક મળે એવા અને કયારેક ન મળે એવા, કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કસાપેક્ષ હાવાથી જીવના ઉપલક્ષણરૂપ થ શકે છે, લક્ષણ નહિ. ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત એ છે કે, જે પ્રત્યેક લક્ષ્યમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય, તે લક્ષણ; જેમ કે અગ્નિમાં ઉષ્ણત્વ, અને જે કાર્યક લક્ષ્યમાં હાય અને કાર્યક્રમાં ન હાય, કદાચિત્ ાય અને કદાચિત ન હ્રાય અને સ્વભાવસિદ્ધ ન હાય, તે ઉપલક્ષણ, જેમ કે, અગ્નિનુ ઉપલક્ષણ ધુમાડો. જીવત્વને છેડીને ભાવાના આવન ભેદ આત્માના ઉપલક્ષણરૂપ જ છે. [૮] હવે ઉપયાગની વિવિધતા કહે છે ઃ सद्विविधोऽष्टचतुर्भेदः । ९ । તે અર્થાત્ ઉપયાગ એ પ્રકારના છે તથા આઠ પ્રકારના અને ચાર પ્રકારને છે. જ્ઞાનની શક્તિ-ચેતના, સમાન હેાવા છતાં પણ જાણુવાની ક્રિયા માધવ્યાપાર અથવા ઉપયોગ, બધા આત્મામાં સમાન દેખાતી નથી. આ ઉપયેગની વિવિધતા ખાદ્ય–આભ્યતર કારણેાના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે વિષયભેદ, ઇંદ્રિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઇત્યાદિ વિવિધતા Page #287 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર બાહ્ય સામગ્રીની છે. આવરણની તીવ્રતામંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. એ સામગ્રીવૈચિત્ર્યને લીધે એક જ આત્મા ભિન્નભિન્ન સમયમાં ભિન્નભિન્ન પ્રકારની બેધક્રિયા કરે છે અને અનેક આત્મા એક જ સમયમાં ભિન્નભિન્ન બંધ કરે છે. રમા બોધની વિવિધતા અનુભવ સિદ્ધ છે; એને સંક્ષેપમાં વર્ગીકરણ દ્વારા બતાવવી એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. ઉપગરાશિના સામાન્યરૂપથી બે વિભાગ કરવામાં આવે છે એક સાવાર અને બીજે નિરાર. વિશેષરૂપથી સાકારઉપયોગના આઠ અને નિરાકારઉપયોગના ચાર વિભાગ કરવામાં આવે છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થાય છે. સાકારના આઠ ભેદ આ પ્રમાણે છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન.. નિરાકારઉપયોગના ચાર ભેદ આ પ્રમાણે છે ચક્ષુદ્ર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. પ્ર–સાકાર અને નિરાકારનો શું અર્થ છે? ઉ–જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકારઉપયોગ.” અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે “નિરાકારઉપગ.” સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે અને નિરાકારને “દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે. પ્ર–ઉપરના બાર ભેદોમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે? For. Private & Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર ૯૧ ઉ——કેવળજ્ઞાન અને કેવળદર્શીન એ બન્ને પૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધા અપૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે. પ્ર પ્ર૦ વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપયાગના ભેદ સભવે છે; પરંતુ વિકાસની પૂર્ણ તા વખતે ઉપયાગમાં ભેદ કેવી રીતે સંભવે ? .. —વિકાસની પૂર્ણતાને સમયે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી જે ઉપયાગના ભેટ્ઠા મનાયા છે, તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે; અર્થાત્ પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે એથી એને જાણતા ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી એ પ્રકારના થાય છે. •~ પ્ર~સાકારના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં શા તફાવત છે? ઉબીજો કાંઈ જ નહિ, ફક્ત સમ્યકૂંત્વના સહભાવ કે અસહભાવને તફાવત છે. પ્ર॰~તા પછી બાકીનાં એ જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દર્શનનાં પ્રતિપક્ષી અદન કેમ નહિ ? ઉ॰મન:પર્યાય અને કેવળ એ મે જ્ઞાન સમ્યક્ત્વ વિના થઈ જ શકતાં નથી; આથી એમના પ્રતિપક્ષીના સંભવ નથી. દર્શાનામાં કેવળદર્શીન સમ્યકૃત્વ સિવાય થતું નથી; પરંતુ બાકીનાં ત્રણ દર્શાના સમ્યકૃત્વના અભાવ હોય તેપણુ થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનુ કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્યને ખાધ છે, એથી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થસૂત્ર સમ્યક્તી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતા નથી. પ્ર॰—ઉપરના માર ભેદોની વ્યાખ્યા શી છે ? ઉ~~જ્ઞાનના આઠ ભેદોનું સ્વરૂપ પહેલાં જ બતાવ્યું છે. દનના ચાર ભેદાનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. જે સામાન્ય મેધ નેત્રજન્ય હોય તે ચતુર્દન,’ર, નેત્ર સિવાય મીજી કોઈ પણ ઈંદ્રિય અથવા મનથી થતા સામાન્ય એધ તે ‘અચક્ષુન,' ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થાના સામાન્ય મેધ તે ‘અવધિદર્શન' અને ૪. કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થાના સામાન્ય ખેાધ તે ‘કેવળદર્શન' કહેવાય છે. [૯] હવે જીવરાશિના વિભાગ કહે છે : संसारिणा मुक्ताश्च । १० । સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે. જીવ અનત છે. ચૈતન્યરૂપે તે બધા સમાન છે. અહીંયાં એમના બે વિભાગ કરવામાં આવ્યા છે તે અમુક વિશેષની અપેક્ષાએ; અર્થાત્ એક સ*સારરૂપ પર્યાયવાળા અને ખીજા સંસારરૂપ પર્યાય વિનાના. પહેલા પ્રકારના જીવેા સ સારી અને બીજા પ્રકારના મુક્ત કહેવાય છે. પ્ર—સંસાર’ શી વસ્તુ છે ? સંસાર છે. ઉદ્રવ્યબંધ અને ભાવબંધ એ જ કલના વિશિષ્ટ સબંધ દ્રવ્યબંધ' છે અને રાગદ્વેષ આદિ વાસનાઓના સંબંધ ભાવબંધ' છે. [૧૦] ૧. જુઓ અધ્યાય ૧, સૂ॰ ૯ થી ૩૩. Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪ હવે સંસારી જીવનના ભેદપ્રભેદ કહે છે : समनस्काऽमनस्काः ११ માળિયક્ષસ્થાનઃ | ૨ | पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः | १३ | तेजेोवायू द्वीन्द्रियादयश्च त्रसाः | १४ | મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ હાય છે. તેવી જ રીતે તે ત્રસ અને સ્થાવર છે. પૃથ્વીકાય, ત્રણ સ્થાવર છે. જલકાય અને વનસ્પતિકાય એ તેજ કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિ ત્રસ છે. સંસારી જીવા પણ અનંત છે. સંક્ષેપમાં એમના એ વિભાગ કર્યા છે; અને તે પણ એ રીતે. પહેલા વિભાગ મનના સંબંધ અને અસબંધને લઈ તે છે; અર્થાત્ મનવાળા અને મનવિનાના એવા બે વિભાગ કર્યા છે, જેમાં સકળ સંસારીઓના સમાવેશ થઈ જાય છે. બીજો વિભાગ ત્રસત્વ અને સ્થાવરત્વના આધાર ઉપર કર્યાં છે, અર્થાત્ એક ત્રસ અને બીજા સ્થાવર. આ વિભાગમાં પણ બધા સંસારીઓના સમાવેશ થઈ જાય છે. પ્ર॰' મન' કોને કહે છે ? આત્માની ઉ—જેનાથી વિચાર કરી શકાય એવી શક્તિ તે નન છે અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાયક Page #291 -------------------------------------------------------------------------- ________________ જવાથસૂત્ર થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે. પ્ર૦–સત્વ અને સ્થાવરત્વને અર્થ છે? ઉ–ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિ એ ત્ર િઅને એવી શક્તિ ન હોવી તે સ્થાવરત્વ. પ્ર – જે જીવ મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કોઈ પ્રકારનું મન નથી હતું ? ઉ–ફક્ત ભાવમન હોય છે. પ્ર–ત્યારે તે બધા જ મનવાળા થયા, પછી મનવાળા અને મનરહિત એવો વિભાગ કઈ રીતે ? ઉ૦–દ્રવ્યમનની અપેક્ષાએ. અર્થાત્ જેમ બહુ ઘરડે માણસ પગ અને ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીના ટેકા સિવાય ચાલી શકતું નથી, એ રીતે ભાવમન હોવા છતાં પણ જીવ, દ્રવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકતું નથી. એ કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એ વિભાગ કર્યો છે. પ્રહ–બીજે વિભાગ કરવાનું શું છે તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનસ્ક છે ? ઉ૦-નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, પણ બધા નહિ; જ્યારે સ્થાવર તો બધા અમનસ્ક જ હોય છે. સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે અને ત્રસના તેજ:કાય અને વાયુકાય એવા Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૧૧-૧૪ ૯૫ એ ભેદ તથા ફ્રી દ્રિય, ત્રીદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે. પ્રત્રસ અને સ્થાવરના અર્થ શા છે ? ઉ—જેને ત્રસનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે સ', અને જેતે સ્થાવરનામ કર્મના ઉદય થયા હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર. પ્ર૦—સનામ કર્મના ઉદ્યની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય ? ઉ—દુ:ખને છેડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય, ત્યાં ત્રસનામ કર્મોના ઉદય સમજવા અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ કર્મના ઉદય સમજવા. પ્ર—શું ! દ્રિયાદિની માફ્ક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી એમને ત્રસ મનાય ? ઉનહિ. પ્રતા પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર કેમ ન કહ્યા ? ખરી રીતે સ્થાવર જ ગતિનું ઉ—ઉક્ત લક્ષણ પ્રમાણે તે છે. અહીયાં ી દ્રિયાદિની સાથે ફક્ત સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. અર્થાત્ સ બે પ્રકારના છે : ‘લબ્ધિત્રસ' અને ગતિત્રસ.' જેમને ત્રસનામકર્મના ઉદય થયા છે તે લબ્ધિત્રસ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે જેમ કે, હ્રી દ્રિયથી લઈ તે પ ંચેન્દ્રિય સુધીના જીવા. સ્થાવરનામ Page #293 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર કમના ઉદય હાવાં છતાં પણ ત્રસના સરખી ગતિ હાવાથી ત્રસ કહેવાય છે તે ગતિત્રસ, એ કેવળ ઉપચારથી જ સ કહેવાય છે. જેમ કે, તેજ:ક્રાયિક અને વાયુકાયિક. [૧૧–૧૪] હવે ઇંદ્રિયાની સંખ્યા, એમના ભેદપ્રભેદ અને નામ કહે છે : पञ्चेन्दियाणि । १५ । द्विविधानि । १६ । निवृत्युपकरणे द्रव्येन्द्रियम् | १७ | હ્રદ્યુખ્યામાં માલેન્દ્રિયમ્ । ૧૮ । उपयोगः स्पर्शादिषु । १९ । स्पर्शनरसनप्राणचक्षुः श्रोत्राणि । २० । ઇંદ્રિયો પાંચ છે. તે પ્રત્યેક ખએ પ્રકારની છે. દ્રવ્યે દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ રૂપ છે. ભાવે'દ્રિય, લબ્ધિ અને ઉપયાગ રૂપ છે. ઉપયાગ સ્પર્ધાદિ વિષયામાં થાય છે. સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ ઇંદ્રિયાનાં નામ છે. અહીંયાં ઇંદ્રિયાની સંખ્યા બતાવવાના ઉદ્દેશ એ છે કે ઇન્દ્રિયા ઉપરથી સંસારી જીવાના વિભાગ કરવા હેાય તા માલૂમ પડી શકે કે તેમના કેટલા વિભાગ થાય. ઇંદ્રિયા પાંચ છે. બધા સંસારીઓને પાંચે ઇંદ્રિયે! હાતી નથી. કેટલાકને એક, કેટલાકને એ, એ રીતે એક એક વધતાં વધતાં કેટલાકને પાંચ સુધી હાય છે. જેને એક ઇંદ્રિય હાય છે તે એક દ્રિય, Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ – સૂગ ૧૫ - ૨૦ ૯૭ આ રીતે ત્રીદ્રિય, જેને એ ઇંદ્રિયા હોય છે તે દ્દી દ્રિય. ચતુરિદ્રિય, અને પચે પ્રિય એવા પાંચ ભેદ સંસારી જીવના થાય છે. પ્ર૦—ઇંદ્રિય એટલે શું? ઉ—જેનાથી જ્ઞાનને લાભ થઇ શકે તે રૂન્દ્રિય. પ્ર—શુ પાંચથી અધિક ઇંદ્રિયા નથી હોતી ? ઉનહિ. જ્ઞાને ક્રિયા પાંચ જ હાય છે. જો કે સાંખ્ય આદિ શાસ્ત્રામાં વાકૂ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ—જનનેંદ્રિય)ને પણ ઇંદ્રિયા કહી છે; પર ંતુ તે કમેઈન્દ્રિયેા છે. અહીંયાં ફક્ત જ્ઞાનેંદ્રિયાને જ બતાવી છે, કે જે પાંચથી અધિક નથી. પ્ર—જ્ઞાનેન્દ્રિય અને મે દ્રિયાના અથ શા ? ઉ—જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયેાગી જ્ઞાન થઈ શકે તે જ્ઞાનેંદ્રિય;' અને જેનાથી જીવનયાત્રાને ઉપયાગી આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયા થઈ શકે તે ક્રમે દ્રિય.’ પાંચે ઇંદ્રિયાના દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે ભેદ થાય છે. પુદ્ગલમય જડ ઇંદ્રિય ‘દ્રવ્યે દ્રિય' છે; અને આત્મિક પરિણામરૂપ ઇંદ્રિય ભાવે દ્રિય’ છે. દ્રષ્યે દ્રિય નિવૃત્તિ' અને ‘ઉપકરણ’રૂપથી એ પ્રકારની છે. શરીર ઉપર દેખાતી ઇંદ્રિયાની આકૃતિએ જે પુદ્ગલસ્કંધાની વિશિષ્ટ રચનાઓ છે, તે ‘નિવૃત્તિઇંદ્રિય;' અને નિવૃત્તિઇંદ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિઇંદ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે “ઉપકરણે દ્રિય’ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ભાવે દ્રિય પણ લબ્ધિ' અને ‘ઉપયાગ' રૂપે એ પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્યું આદિને ક્ષયાપશમ જે એક પ્રકારના આત્મિક પરિણામ છે, તે લબ્ધિઇંદ્રિય’ છે. અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયાના સામાન્ય અને વિશેષ મેધ થાય છે તે ઉપયાગઇન્દ્રિય છે. ઉપયાગાદ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિ રૂપ છે. ૯૮ મતિજ્ઞાનરૂપ ઉપયોગ જેને ભાવેદ્રિય કહેલ છે તે અરૂપીઅમૂર્ત –પદાર્થને જાણી શકતા નથી; રૂપી પદાર્થાને જાણે છે ખરા, પરન્તુ એના બધા ગુણપર્યાયાને જાણી શકતા નથી; ફક્ત સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાયને જ જાણી શકે છે. પ્ર॰~~પ્રત્યેક ઇંદ્રિયના દ્રવ્ય તથા ભાવ રૂપથી બબ્બે અને દ્રવ્યના તથા ભાવના પણ અનુક્રમે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ તથા લબ્ધિ અને ઉપયાગ રૂપ એ બે ભેદ બતાવ્યા છે. તે હવે એ કહા કે એમના પ્રાપ્તિક્રમ કેવા છે ? ઉલબ્ધિઇંદ્રિય હાય ત્યારે જ નિવૃત્તિના સંભવ છે. નિવૃત્તિ વિના ઉપકરણદ્રિય હાતી નથી; અર્થાત્ લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ હાઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે તે જ ઉપકરણ અને ઉપયોગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયાગના સ’ભવ છે. સારાંશ એ છે કે, પૂર્વાપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થયે છતે જ ઉત્તરઉત્તર ઇંદ્રિયા પ્રાપ્ત થવાના સભવ છે. પરન્તુ એવા નિયમ નથી કે ઉત્તરઉત્તર ઇંદ્રિયાની પ્રાપ્તિ થયે તે જ પૂર્વપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થાય. Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર ર૧-૨૨ - ૯૯ ઇકિનાં નામ: ૧. સ્પર્શનેંદ્રિય-ત્વચા, ૨. રસનેંદ્રિય -જીભ, ૩. ઘાણે દ્વિય–નાક, ૪. ચક્ષુરિંદ્રિય–આંખ, પ. શ્રોત્રંદ્રિય-કાન. આ પાંચે લબ્ધિ, નિર્ધ્વત્તિ, ઉપકરણ અને ઉપયોગ રૂપ ચાર ચાર પ્રકારની છે. અર્થાત આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઈદ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા. - પ્ર–ઉપયોગ તે જ્ઞાનવિશેષ છે અને તે ઇન્દ્રિયનું ફળ છે. એને ઇદ્રિય કેવી રીતે કહી ? ઉ—જો કે વાસ્તવિક રીતે ઉપયોગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, અહીંયાં ઉપચારથી અર્થાત કાર્યમાં કારણ આરોપ કરી પરંતુ એને પણ ઈદ્રિય કહી છે. [૧૫-૨૦] હવે ઇદ્રિનાં સે–વિષયે કહે છે : स्पर्शरसगन्धवर्ण शब्दास्तेषामर्थाः । २१ । શ્રુતમનિદ્રિય તે રર ! સ્પર્શ, રસ, ગંધ વર્ણ (રૂ૫) અને શબ્દ એ પાંચ કમથી એમને અર્થાત્ પૂર્વોક્ત પાંચ ઇંદ્રિયેના. અર્થ –ય છે. અનિંદ્રિય – મન –ને વિષય શ્રત છે. જગતના બધા પદાર્થો એકસરખા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય તે મૂર્ત. મૂર્ત પદાર્થ જ ઈથિી જાણી શકાય ૧. આના વિશેષ વિચાર માટે જુઓ હિંદી કમગ્રંથ” ચે, પૃ. ૩૬ ઇઢિયશબ્દવિષયક પરિશિષ્ટ, Page #297 -------------------------------------------------------------------------- ________________ તવાથસૂત્ર છે, અમૂર્ત નહિ. પાંચે ઈદિના વિષયે જે જુદા જુદા બતાવ્યા છે તે એકબીજાથી સર્વથા ભિન્ન અને મૂળ તત્ત્વ-દ્રવ્યરૂપ નહિ, પણ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશે-પર્યાય છે; અર્થાત્ પાંચે ઇંદ્રિયે એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન ભિન્ન અવસ્થાઓને જાણવામાં પ્રવૃત્ત થાય છે. એથી જ આ સૂત્રમાં પાંચ ઇદ્રિના જે પાંચ વિષયે બતાવ્યા છે, તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત-પૌગલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે, એક લાડુ છે, એને ભિન્ન ભિન્ન પ્રકારે પાંચે ઈદ્રિ જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી એનો શીતઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે; જીભ ચાખીને એને ખાટ, મીઠો આદિ રસ બતાવે છે; નાક સૂધીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવે છે; આંખ જોઈને એને લાલ, સફેદ આદિ રંગ બતાવે છે; કાન એ લાડુને ખાતાં ઉત્પન્ન થતો અવાજ બતાવે છે. એમ પણ નથી કે એ એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ આદિ ઉક્ત પાંચે વિષયેનું સ્થાન અલગ અલગ હેય, કિન્તુ તે બધા એના બધા ભાગમાં એક સાથે રહે છે; કેમ કે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. એમને વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે, જે ઈદ્રિયથી થાય છે. ઈદ્રિયેની શક્તિ જુદી જુદી છે. તે ગમે તેટલી પટુ હેય તે પણ પોતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચે ઈદ્રિયોના પાંચે વિષય અસંકીર્ણ-પૃથફ પૃથક છે. પ્રસ્પર્શ આદિ પાંચે વિષયો સહયરિત છે તે પછી એમ કેમ કે કઈ કઈ વસ્તુમાં એ પાંચેની ઉપલબ્ધિ ન હોઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૧૧-૨૨ ૧૦૧ ફક્ત એક અથવા એની જ હેાય છે ? જેમ કે, સૂર્ય આદિની પ્રભાનું રૂપ માલૂમ પડે છે પર ંતુ સ્પ, રસ, ગંધ આદિ નહિ, એ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુને સ્પર્શે માલૂમ પડતા હોવા છતાં પણ રસ, ગંધ આદિ માલૂમ પડતાં નથી. ઉ—પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શે આદિ ઉપરના બધા પર્યાયેા હાય છે, પરંતુ જો પર્યાય ઉત્કટ હાય તે તે ઈદ્રિયગ્રાહ્ય થાય છે. કેટલાકમાં સ્પર્શે આદિ પાંચે પર્યાય ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે અને કેટલાકમાં એક, એ. બાકીના પર્યાયા અનુત્કટ અવસ્થામાં હાવાથી કેંદ્રિયાથી જાણી શકાતા નથી; પરંતુ તેમાં હોય છે અવશ્ય. ઇંદ્રિયાની પટુતા—ગ્રહણશક્તિ–પણ બધી જાતનાં પ્રાણીઓની એકસરખી હાતી નથી. એક જાતનાં પ્રાણીમાં પણ ઇંદ્રિયાની પટુતા વિવિધ પ્રકારની દેખાય છે. આથી સ્પર્શે આદિની ઉત્કટતા–અનુત્કટતાના વિચાર ઇંદ્રિયની પટુતાના તરતમભાવ ઉપર નિર્ભર છે. ઉપરની પાંચ ઇંદ્રિયા ઉપરાંત એક બીજી પણ ઇંદ્રિય છે, જેને મન કહે છે. મન એ જ્ઞાનનું સાધન છે. પરંતુ સ્પર્શન આદિની માફક બાહ્ય સાધન ન હોઈ એ આંતરિક સાધન છે; એથી તેને અંતઃકરણ પણ કહે છે. મનના વિષય બાહ્ય છિદ્રયાની માફક પરિમિત નથી, ખાદ્ય ક્રિયા ફક્ત ઈ મૂ` પદાર્થાન ગ્રહણ કરે છે, અને તે પણ અશરૂપે. મન મૂર્ત, અમૂ, બધા પદાર્થાતુ તેમનાં અનેકરૂપો સાથે ગ્રહણ કરે છે. મનનુ કાર્યાં વિચાર કરવાનું છે. ઈંદ્રિયા દ્વારા ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયેામાં વિકાસયેાગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ શ્રુત છે. એથી त० ७ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ' તત્વાર્થસૂત્ર જ એમ કહેવામાં આવ્યું છે કે અનિંદ્રિયનો વિષય શ્રત છે; અર્થાત મૂર્ત, અમૂર્ત બધાં તનું સ્વરૂપ મનનું પ્રવૃત્તિક્ષેત્ર છે. પ્ર–જેને શ્રુત કહે છે તે જે મનનું કાર્ય હેય અને તે એક પ્રકારનું સ્પષ્ટ તથા વિશેષગ્રાહી જ્ઞાન હોય તે પછી શું મનથી મતિજ્ઞાન ન થાય ? * ઉ–થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાર્થસંબંધ, પૌવપર્ય–આગળપાછળનું અનુસંધાન–અને વિકલ્પરૂપ વિશેષતા ન હોય તે “મતિજ્ઞાન છે. એની પછી થનારી ઉક્ત વિશેષતાવાળી વિચારધારા તે “શ્રુતજ્ઞાન છે. તાત્પર્ય કે મને જન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અલ્પ અંશ મતિજ્ઞાન” છે, અને પછીને અધિક અંશ “શ્રુતજ્ઞાન” છે. સારાંશ એ છે કે સ્પર્શન આદિ પાંચ ઈદ્રિયોથી ફક્ત મતિજ્ઞાન થાય છે, પરંતુ મનથી મતિ અને શ્રુત બંને થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રત જ પ્રધાન છે, એથી અહીંયાં મનને વિષય શ્રત કહ્યો છે. પ્ર–મનને અનિંદ્રિય કેમ કહ્યું છે? ઉ–ો કે તે પણ જ્ઞાનનું સાધન હોવાથી ઈદ્રિય છે જ; પરંતુ રૂ૫ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઈદ્રિયોને આશ્રય લેવો પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિંદ્રિય અથવા નેઈદ્રિય-ઈષદ્રિય જેવું કહ્યું છે. - પ્ર–શું મન પણ નેત્ર આદિની માફક શરીરના કોઈ ખાસ સ્થાનમાં જ રહે છે કે સર્વત્ર? Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ર૩રપ ઉ–તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે, કેઈ ખાસ સ્થાનમાં નથી; કેમ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તમાન ઇદ્રિ દ્વારા ગ્રહણ કરેલા બધા વિષયેમાં મનની ગતિ થાય છે, જે તેને આખા દેહમાં માન્યા સિવાય ઘટી શક્તી નથી; એથી એમ કહ્યું છે કે, “ચત્ર પવનતંત્ર અનઃ ” રિ૧-૨૨] હવે ઇદ્રિના સ્વામી કહે છે : वाय्वन्तानामेकम् । २३ । મિસ્ટિાગ્રામનુષ્યનવૃત્તનિ રક संशिनः समनस्काः । २५ । વાયુકાય સુધીના જીવને એક ઇંદ્રિય હોય છે. કૃમિ-કરમિયાં, પિપાલિકા-કડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમે કમે એક એક ઇંદ્રિય અધિક હેય છે. સંસી મનવાળાં હોય છે. તેરમા અને ચૌદમા સૂત્રમાં સંસારી જીના સ્થાવર અને ત્રસ એવા બે વિભાગ બતાવ્યા છે, એમાં નવ નિકાય જાતિઓ છે. જેમ કે, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજ:કાય અને વાયુકાય એ પાંચ તથા દ્વિયાદિ ચાર. એમાંથી વાયુકાય સુધીના પાંચ નિકાને ફક્ત એક ઈદ્રિય હોય છે, અને તે પણ સ્પર્શનઈદ્રિય. ૧. આ શ્વેતાંબર પરંપરાનો મત છે; દિગંબર પરંપરા પ્રમાણે દ્રવ્યમનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી, કિન્તુ ફક્ત દય છે, Page #301 -------------------------------------------------------------------------- ________________ ex તત્ત્વાર્થસૂત્ર કૃમિ, જળા, આહ્નિ બે ઈદ્રિયો હેાય છે ઃ એક સ્પર્શીન અને બીજી રસન. કીડી, કથવા, માંકડ આદિને ઉક્ત એ અને ઘ્રાણુ એ ત્રણ ઋન્દ્રિયા હોય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઈંદ્રિયા હાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન એ પાંચ ઇન્દ્રિયા હાય છે. પ્ર—શુ આ સંખ્યા દ્રવ્ય દ્રિયની, ભાવઇ દ્રિયની કે ઉભય દ્રિયની સમજવી ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્યેન્દ્રિયની સમજવી જોઈ એ. કેટલાકમાં દ્રવ્યેન્દ્રિય આછી હાવા છતાં ભાવઈ દ્રિય તે પાંચે હાય છે. = પ્ર॰~તા શું કૃમિ આદિ જં તુઓ ભાવઈ દ્રિયના બળથી જોઈ અથવા સાંભળી શકે ? 01 —નહિ. કેવળ ભાવદ્રિય કામ કરવામાં સમ નથી; એને’કામ કરવામાં દ્રવ્યઇંદ્રિયની મદદની જરૂર છે. એથી બધી ભાવઈદ્રિયા હેાવા છતાં કૃમિ તથા કીડી આદિ જંતુ નેત્ર તથા કાન રૂપ દ્રવ્યઈંદ્રિય ન હેાવાથી જેવા કે સાંભળવાના ક્રામમાં અસમર્થ છે; તેાયે તે પાતાતાની દ્રવ્ય દ્રિયની પદ્ભુતાના બળથી જીવનયાત્રાને નિર્વાહ તા કરી જ લે છે. પૃથ્વીકાયથી સુરિ દ્રિય સુધીના આઠ નિકાયાને તો મન હેતું જ નથી. પંચેદ્રિયને મન àાય છે, પરન્તુ બધાને નહિ. પંચેન્દ્રિયના ચાર વર્ગો છે: દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ. આમાંથી પહેલા એ વર્ગમાં તે બધાને મન હોય છે, અને પાછલા બે વર્ગીમાં તે ફ્ક્ત જેએ ગĚમન્ન હોય Page #302 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય હૈં – સૂત્ર ૨૩-૨૫ - ૧૫ તેઓને જ હાય છે. તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યં ચ ગોપન્ન તથા સમૂમિ એમ બચ્ચે પ્રકારના હાય છે, જેમાં સમૂમિ મનુષ્ય અને તિર્યંચને મન હેાતું નથી. એક‘દર જોતાં પંચેદ્રિયામાં દેવ, નારક અને ગ જ મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચાને જ મન હેાય છે પ્ર——અમુકને મન છે અને અમુકને નથી એ જાણવુ શી રીતે ? ઉ‘સજ્ઞા' હાય અથવા ન હેાય એ ઉપરથી તે જાણી શકાય છે. પ્ર—‘સ’જ્ઞા,' વૃત્તિને કહે છે અને વૃત્તિ તે ન્યૂનાધિક રૂપે કાઈ અને કોઈ પ્રકારની બધામાં દેખાય છે. જેમ કે, કૃમિ, કીડી આદિ જંતુએમાં પણ આહાર, ભય, આદિની વૃત્તિએ દેખાય છે. તેા પછી એ જીવામાં મન છે એમ કેમ મનાતું નથી ? —અહીંયાં ‘સંજ્ઞા'ના અર્થ સાધારણ વૃત્તિ નથી; પરન્તુ વિશિષ્ટ વૃત્તિ એવા છે. વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણ દોષની વિચારણા કે જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થઈ શકે છે. એ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં ‘સંપ્રધારણ સંજ્ઞા' કહે છે. એ સત્તા મનનુ કાર્ય છે, જે દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગજ તિયચમાં જ સ્પષ્ટરૂપે દેખાય છે. એથી જ તેમને મનવાળા માન્યા છે. * અથ॰ માટે જીએ આગળ અ૦ ૨, સૂત્ર ૩૨. ૧. વિશેષ ખુલાસા માટે જીએ હિંદી ‘કમ ગ્ર‘થ’ચોથા, પૃ. ૩૮, ‘સંજ્ઞા' શબ્દનું પરિશિષ્ટ Page #303 -------------------------------------------------------------------------- ________________ તાર્થસૂત્ર પ્ર–શું કૃમિ, કીડી આદિ જેવો તિપિતાના ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવાનો પ્રયત્ન નથી કરતા ? ઉ–કરે છે. પ્ર–તો પછી એમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મન કેમ નથી માન્યુ ? – કમિ આદિમાં પણ અત્યંત સૂક્ષ્મ મન હોય છે અને તેથી તેઓ ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે; પરંતુ તેઓનું તે કાર્ય ફક્ત દેહયાત્રાને જ ઉપયોગી છે, તેથી અધિક નથી. અહીંયાં એવા પુષ્ટ મનની વિવેક્ષા છે, કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજે પણ વિચાર કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે એટલી વિચારની યોગ્યતા તે “સંપ્રધારણ સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞાવાળા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચ જ હોય છે; એથી જ એમને અહીંયાં સમનસ્ક કહ્યા છે. [૨૩–૨૫] - હવે અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતોનું વર્ણન કરે છે? विग्रहगतौ कर्मयोगः । २६ । જિ નિ | ૨૭ . વિઝા વિશ્વા ૨૮ ૧. જુઓ “જ્ઞાનબિંદુ પ્રકરણ, (ચશેવિજય જૈન ગ્રંથમાળા) ૫૦ ૧૪૪. ૨. આ વિષયને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે જુઓ હિંદી કર્મગ્રંથ” ચોથ, પૃ. ૧૪૩, “અનાહારકશબ્દ' ઉપરનું પરિશિષ્ટ, Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- ૨૬-૩૧ ૧૦૭ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥२९॥ રમાડવા રૂo | एकं द्वौ वानाहारकः । ३१ । વિગ્રહગતિમાં કર્મયોગ-કાશ્મણયોગ જ હોય છે. ગતિ, શ્રેણિ-સરળ રેખા પ્રમાણે થાય છે. જીવની–મેક્ષમાં જતા આત્માની–ગતિ વિગ્રહરહિત જ હોય છે. સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હોય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અર્થાત્ ત્રણ સુધી હોઈ શકે છે. એક વિગ્રહ એક જ સમયને હૈય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે. પુનર્જન્મ માનતા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબંધી નીચે લખેલા પાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ૧. જન્માંતર માટે અથવા મોક્ષ માટે જયારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્કૂલ શરીર ના હેવાથી છવ કેવી રીતે પ્રયત્ન કરે છે? ૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી? ૩. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા કયા ? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી છે ? ૪. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ૫. અંતરાલગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે નહિ? અને જે નથી કરતે તે જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થ સૂત્ર સમય સુધી? અને અનાહારક સ્થિતિનું કાલમાન કયા નિયમ ઉપર અવલખિત છે ? આત્માને વ્યાપક માનનારાં દનાને પણ આ પાંચ પ્રશ્નો ઉપર વિચાર કરવા જરૂરતા છે, કેમ કે તેઓને પણ પુનર્જન્મની ઉપપત્તિ માટે છેવટે સૂક્ષ્મશરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે; પરન્તુ જૈન દનને તે પોતે દેહવ્યાપી આત્મા માનતું હાવાથી ઉપરના પ્રશ્નો ઉપર અવશ્ય વિચાર કરવા પડે છે. તે જ વિચાર અહીયાં ક્રમશઃ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે : ચોળ : અંતરાલતિ એ પ્રકારની છેઃ ઋજુ અને વક્ર. ઋજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવા પ્રયત્ન કરવા પડતા નથી, કેમ કે જ્યારે તે પૂર્વે શરીર છોડે છે ત્યારે તેને તે પૂર્વશરીરજન્ય વેગ મળે છે; તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષથી છૂટેલા ખાણની માફક સીધો જ નવા સ્થાન ઉપર પહેોંચી જાય છે. બીજી ગતિ વ–વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવા પ્રયત્ન કરવા પડે છે, કેમ કે પૂ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વાં દેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે એ સમયે પણ હાય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મશરીરજન્ય પ્રયત્ન જ ‘કામ યાગ ' કહેવાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યુ છે કે વિગ્રહગતિમાં કાણુયાગ જ છે. સારાંશ એ છે કે વક્રગતિથી જતા જીવ માત્ર પૂર્વીશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહેાંચી શકતા નથી; એને માટે નવો પ્રયત્ન કા ણ – સૂક્ષ્મ – શરીરથી જ સાધ્ય છે, કેમ કે એ સમયે એને - - Page #306 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ૩-૩૧ ૧૦૯ બીજું કઈ- સ્થૂલ – શરીર હેતું નથી. સ્થૂલ શરીર ન હોવાથી એ સમયે એને મને અને વચનયોગ પણ હેતે નથી. [૨૬] તિને નિયમ : ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે: જીવ અને પુગલ. એ બન્નેમાં ગતિક્રિયાની શક્તિ છે. એથી તેઓ નિમિત્ત મળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી વાંકી ગતિ ભલે કરે, પરંતુ એઓની સ્વાભાવિક ગતિ તે સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં જીવ અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યા જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુશ્રેણિ હોય છે. શ્રેણિને અર્થ પૂર્વ સ્થાન જેટલી – ઓછી કે વધારે નહિ એવી – સરળ રેખા – સમાનાંતર સીધી લીટી છે. આ સ્વાભાવિક ગતિના વર્ણનથી સૂચિત થાય છે કે કોઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુલ શ્રેણિ – સરળ રેખા –ને છોડીને વક્રરેખાએ પણ ગમન કરે છે. સારાંશ એ છે કે ગતિશીલ પદાર્થોની ગતિક્રિયા પ્રતિઘાતક – અટકાયત કરનાર – નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાન પ્રમાણુ સરળ રેખાથી થાય છે, અને પ્રતિઘાતક નિમિત્ત હોય ત્યારે વક્રરેખાથી થાય છે. [૨૭] તિના પ્રાર: પહેલાં કહ્યું છે કે ગતિ ઋજુ અને વાંકી બે પ્રકારની છે. ઋજુગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાનો ભંગ ન થાય; અર્થાત એક પણ વાંક ન લેવો પડે. વક્રગતિ એ છે કે જેમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્વાર્થસૂત્ર પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં સરળરેખાને ભંગ થાય; અર્થાત ઓછામાં ઓછા એક વાંક તે અવશ્ય લેવો પડે. એ પણ ઉપર કહેવામાં આવ્યું છે કે જીવ અને પુદ્ગલ બને ગતિના અધિકારી છે. અહીંયાં મુખ્ય પ્રશ્ન જીવને છે. પૂર્વ શરીર છોડી બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે: ૧ સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો. તેઓ “મુચ્ચમાન” – મોક્ષે જતા – કહેવાય છે. અને ૨. જેઓ પૂર્વ સ્થૂલ શરીરને છોડી નવા સ્કૂલ શરીરને પ્રાપ્ત કરે છે તે જીવો. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટાયેલા હોય છે. એવા જીવો સંસારી કહેવાય છે. મુશ્યમાન છવ મેક્ષના નિયત સ્થાન ઉપર જુગતિથી જ જાય છે, વક્રગતિથી નહિ; કેમ કે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મેક્ષસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આઘા પાછા નહિ. પરંતુ સંસારી જીવના ઉત્પત્તિસ્થાન માટે કોઈ નિયમ નથી. કેઈક વાર તે જે નવા સ્થાનમાં એને ઉત્પન્ન થવાનું છે તે પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે, અને કયારેક વકરેખામાં પણ આનું કારણ એ છે કે પુનર્જન્મના નવીન સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે; અને કર્મ વિવિધ પ્રકારનાં હોય છે, એથી સંસારી જીવ ઋજુ અને વક્ર બને ગતિના અધિકારી છે. સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળગતિ હોય છે; અને પુનર્જન્મને માટે સ્થાનાંતર કરતા જવાની સરળ તથા વક્ર બન્ને ગતિઓ હેય છે. ઋજુગતિનું બીજું નામ “ઈષગતિ’ પણ છે, કેમ કે તે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે. વક્રગતિનાં પાણિમુક્તા', Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સૂત્ર ૨૬-૩૧ ૧૧૧ ‘લાંગલિકા' અને ‘ગામૂત્રિકા' એવાં ત્રણ નામ છે. જેમાં એક વાર સરળરેખાના ભંગ થાય તે પાણિમુક્તા’, જેમાં એ વાર થાય તે લાંગલિકા' અને જેમાં ત્રણ વાર થાય તે ‘ગામૂત્રિકા,’ જીવની કોઈ પણ એવી વક્રગતિ નથી હતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે; ક્રમ કે જીવનું નવું ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિપતિત – વક્રરેખાસ્થિત – હોય તે પણ તે ત્રણ વાંકમાં તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની વક્રગતિમાં વાંકની સ ંખ્યાને કશાયે નિયમ નથી; એના આધાર પ્રેરક નિમિત્ત ઉપર છે. [૨૮–૨૯] – ૪. તિનું ામાન : અંતરાલગતિનું કાલમાન જધન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનુ છે. જ્યારે ઋજુગતિ હાય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હાય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સ ંખ્યાની વૃદ્ધિના આધાર વાંકની સ ંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હાય એનુ કાલમાન એ સમયનુ, જેમાં એ હાય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હાય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. સારાંશ એ છે કે એક વિગ્રહની ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જ્યારે જવાનુ હોય છે, ત્યારે પૂસ્થાનથી વાંકવાળા સ્થાન ઉપર પહેાંચવા માટે એક સમય, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિસ્થાન સુધી જતાં બીજો સમય લાગે છે. આ નિયમ પ્રમાણે ખે વિગ્રહની ગતિમાં ત્રણ સમય અને ત્રણ વિગ્રહની ગતિમાં ચાર સમય લાગે છે. અહીયાં એ પણ જાણી લેવું જોઈ એ કે ઋજુ • ૧. આ પાણિમુક્તા આદિ નામે દ્દિગંખરીયટીકાગ્ર થામાં પ્રસિદ્ધ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્વાર્થસૂત્ર ગતિથી જન્માંતર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ, અને ગતિ કર્મને ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્ર સ્થાને નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે, પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેને ઉદય રહે છે. [૩૦]. અનારનું શાસ્ત્રમીન: મુચ્ચમાન જીવને માટે તે અંતરાલગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમ કે તે સૂક્ષ્મ, સ્કૂલ બધાં શરીરથી રહિત છે; પરંતુ સંસારી જીવને માટે એ આહારનો પ્રશ્ન છે, કેમ કે એને અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હોય છે. આહારનો અર્થ એ છે કે સ્કૂલ શરીરને મેગ્ય પુદગલે ગ્રહણ કરવાં. એવો આહાર સંસારી જીવોમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે અને નથી પણ હોતે. જે હજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા કેમકે જુગતિવાળા છે જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેમાં સમયાંતર થત નથી. એથી એઓને ઋજુગતિનો સમય ત્યાગ કરેલ પૂર્વભાવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનના ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે; કેમ કે એના બે સમયમાંથી પહેલો સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારનો છે અને બીજો સમય નવા ઉત્પતિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીરધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- -ઘ ૨૬-૩૧ એ વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ અંતે ગતિઓના ક્રમપૂર્ણાંક ત્રણ અને ચાર સમયેામાંથી પહેલા સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારના અને અંતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહરના છે. પરંતુ એ પ્રથમ તથા અંતિમ એ સમયેાને છેાડીને વચલા કાલ અહારશૂન્ય હાય છે. એથી જ િિવગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં છે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. એ જ ભાવ પ્રસ્તુત સૂત્રમાં પ્રગટ કર્યો છે. સારાંશ એ છે કે, ઋજ્જુગતિ અને એક વિગ્રહગતિમાં આહારક દશા જ રહે છે; અને દ્વિવિગ્રહ તથા ત્રિવિગ્રહગતિમાં પ્રથમ અને ચરમ એ સમયાને છેડીને અનુક્રમે મધ્યવતી એક તથા એ સમય પર્યંત અનાહારક દશા રહે છે. કાઈ કાઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશાના માનવામાં આવે છે, તે પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવુ પ્ર—અંતરાલ ગતિમાં શરીરપાષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલાના ગ્રહણના અભાવ તે સમજાયે, પરન્તુ એ સમયે ક પુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ? ઉ—કરાય છે. ૪૦—કેવી રીતે ? ઉ—અંતરાલગતિમાં પણ સંસારી જીવાને કાણુ શરીર અવશ્ય હાય છે, એથી એ શરીરજન્ય : આત્મપ્રદેશનુ કંપન, જેને કાણુયાગ કહે છે, તે પણ અવશ્ય હાય છે જ. જ્યારે યાગ હાય છે ત્યારે ક પુદૂગલનું ગ્રહણ પણ અનિવાર્ય હાય છે; કેમ કે યોગ જ કવણાના આકષ ણુનું કારણ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્વાર્થસૂત્ર જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત બાણ જલકનું ગ્રહણ કરે છે અને તેમને શેષતું ચાલ્યું જાય છે, તેવી જ રીત અંતરાલગતિના સમયે કાર્મગથી ચંચલ જીવ પણ કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે; અને એમને પિતાની સાથે મેળવી લઈને સ્થાનાંતર કરે છે. [૩૧]. - હવે જન્મ અને યોનિના ભેદ તથા એમના સ્વામી વિષે કહે છે : संमूर्छ नगीपपाता जन्म । ३२ । सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः॥३३॥ जरायवण्डपातज़ानां गर्भ: । ३४ । રાવવાના મુખપત રૂ I शेषाणां संमूर्छनम् । ३६ । સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપાત ભેદથી ત્રણ પ્રકારના જન્મ છે. સચિત્ત, શીત, અને સંસ્કૃત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત અચિત, ઉષ્ણુ અને વિવૃત તથા મિશ્ર અર્થાત સચિત્તાચિત્ત, શીતષ્ણ અને સંવૃતવિવૃત એમ કુલ નવ એની–જન્મની યોનિઓ છે. જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણુઓને ગર્ભજન્મ હોય છે. નારકે અને દેને ઉપપાતજન્મ હોય છે. બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્છાિમજન્મ હોય છે. જન્મઃ પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ ન ભવ ધારણ કરે છે, એથી એને જન્મ લેવો પડે છે. પરંતુ Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૩૨-૩૬ ૧૫ બધાના જન્મ એક સરખા હાતા નથી એ વાત જ અહીંયાં બતાવી છે. પૂર્વ ભવનું સ્થૂલ શરીર છેડા પછી અંતરાલગતિથી ફક્ત કા શરીરની સાથે આવીને નવીન ભવને ચેાગ્ય સ્થૂલ શરીરને માટે યાગ્ય પુદ્ગલાનું પહેલવહેલાં ગ્રહણ કરવું એ ‘જન્મ' છે. એના સ’મૂર્છિમ, ગર્ભ અને ઉપપાત એવા ત્રણ ભેદ છે. સ્ત્રીપુરુષના સબંધ સિવાય જ ઉત્પત્તિસ્થાનમાં સ્થિત ઔદારિક પુદ્દગલાને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ સ’મૂમિજન્મ' છે. ઉત્પત્તિસ્થાનમાં રહેલાં શુક્ર અને શાણિતનાં પુદ્ગલને પહેલવહેલાં શરીરને માટે ગ્રહણ કરવાં એ ‘ગર્ભજન્મ’ છે. સ્ત્રીપુરુષના સંબંધ સિવાય ઉત્પત્તિસ્થાનમાં રહેલાં વૈક્રિય પુદ્ગલાને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ ’ઉપપાતજન્મ' છે. [૩૨] નિમેટ્: જન્મને માટે કાઈ સ્થાન તે જોઈ એ જ. જે સ્થાનમાં પહેલવહેલાં સ્થૂલ શરીરને માટે ગ્રહણ કરેલાં પુદ્ગલ, કાણુશરીરની સાથે તપેલા લાઢામાં પાણીની જેમ સમાઈ જાય છે, તે સ્થાન ચેાનિ' કહેવાય છે. યેાનિના નવ પ્રકાર છેઃ સચિત્ત, શીત, સ‰ત, અચિત્ત, ઉષ્ણ, વિદ્યુત, સચિત્તાચિત્ત, શીતેાધ્યુ અને સંવૃત્તવિવ્રત. ૧. જે યાનિ જીવપ્રદેશાથી અધિષ્ઠિત-વ્યાપ્ત હોય તે સચિત્ત, ૨. જે અધિષ્ઠિત ન હેાય તે અચિત્ત,' ૩, જે કેટલાક ભાગમાં અધિષ્ઠિત હાય અને કેટલાક ભાગમાં ન હોય તે ‘મિશ્ર,' ૪. જે ઉત્પત્તિસ્થાનમાં શીત સ્પર્શ હાય તે ‘શીત,.' ૫. જેમાં ઉષ્ણુ સ્પર્શ હાય તે ‘ઉષ્ણ’ , ૬. જેના કેટલાક ભાગમાં શીત તથા કેટલાક ભાગમાં ઉષ્ણુ સ્પર્શે. હેાય તે ‘મિશ્ર’ ૭ જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું અથવા દબાયેલુ હાય તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વા સૂત્ર ‘સંવૃત,' ૮. જે ઢંકાયેલું ન હેાય પણ ખુલ્લું હાય તે ‘વિદ્યુત,' અને ૯. જેના ઘેાડા ભાગ ઢંકાયેલા હાય તથા થાડા ખુલ્લા હાય તે ‘મિશ્ર.’ કઈ કઈ યાનિમાં કયા કયા જીવ ઉત્પન્ન થાય છે તેને કાઠો નીચે મુજ્બ છે : યાનિ અચિત્ત મિત્ર : સચિત્તાચિત્ત વ નારક અને દેવ ગજ મનુષ્ય અને તિ"ચ બાકીના બધા, અર્થાત પાંચ સ્થાવર, ત્રણ વિકલે'દ્રિય અને અગજ પચે દ્રિય તિય "ચ અને મનુષ્ય ગજ મનુષ્ય અને તિય ચ તથા દેવ૧ તેજ:કાયિક-અગ્નિકાય આકીના સર્વાં અર્થાત્ ચાર સ્થાવર, ત્રણ વિકલે દ્રિય, અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યં‘ચ તથા નારક નારક, દેવ અને એક દ્રિય ગર્ભજ મનુષ્ય અને તિચ ખાકીના સર્વ અર્થાત્ ત્રણ ત્રિવિધ : સચિત્ત અચિત્ત અનેમિશ્ર મિશ્ર : શીતા ઉષ્ણ ત્રિવિધઃ શીત, ઉષ્ણ અને શીતાગુ સવ્રત મિત્ર : સં‰તવિવૃત વિકલે દ્રિય, અગજ પંચે દ્રિય વિદ્યુત મનુષ્ય અને તિર્યંચ ૧. દિગબરીય ટીકાગ્ર થામાં શીત અને ઉષ્ણ ચૈાનીના સ્વામી દેવ અને નારક માન્યા છે. તે પ્રમાણે ત્યાં શીત, ઉષ્ણ આદિ ત્રિવિધ ચાનીઓના સ્વામીઓમાં નારકને ન ગણી ગર્ભજ મનુષ્ય અને તિયાઁ"ચ આદિને ગણવા જોઈએ. Page #314 -------------------------------------------------------------------------- ________________ નવ કેમ ? અધ્યાય ૨ – સૂગ ૩૨-૩૬ – પ્રયાનિ અને જન્મમાં શે! ભેદ છે ? ઉ~~યાનિ આધાર છે અને જન્મ આપેય છે, અર્થાત્ સ્થૂલ શરીર માટે યોગ્ય પુદ્ગલાનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે જગ્યા ઉપર થાય તે યાનિ. પ્રમેાનિ તા ચેારાસી લાખ કહી છે તે। પછી ૧૧૭ ઉચારાસી લાખનું કથન છે તે વિસ્તારની દૃષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શેનાં તરતમભાવવાળાં જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાના હાય તેટલી તેટલી ચેાનિ ચેારાસી લાખમાં તે તે નિકાયની ગણાય છે. અહીંયાં તે ચેારાસી લાખના સચિત્તાદિરૂપે સ ક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ બતાવ્યા છે. [૩૩] : જન્મના સ્વામિનો ઉપર કહેલા ત્રણ પ્રકારના જન્મમાંથી કયા કયા જન્મ કયા કયા જીવામાં હાય છે એને વિભાગ નીચે લખ્યા પ્રમાણે છે : જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગજન્મ હાય છે. દેવ અને નારકાને ઉપપાતજન્મ હાય છે. બાકીના અધા અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેદ્રિય અને અગજ પચેદ્રિય તિર્યંચ તથા મનુષ્યને સમૂમિજન્મ હોય છે, જે જરાયુથી પેદા થાય તે જરાયુજ. જેમ કે ઃ મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જાતિના જીવ. જરાયુ એક પ્રકારની જાળ જેવું આવરણ હાય છે, જે માંસ અને લેાહીથી ભરેલુ હાય છે, અને જેમાં પેદા થનારું બચ્ચું લપેટાઈ રહેલું હાય છે. જે ઇંડામાંથી પેદા થાય તે અંડજ, Page #315 -------------------------------------------------------------------------- ________________ - તરવાથસૂત્ર જેમ કેઃ સાપ, મેર, કીડીઓ કબૂતર આદિ જાતિના છે. જે કોઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પિતજ. જેમ કે: હાથી, સસલું, નેળિયો, ઉંદર આદિ જાતિના છે. આ છ જરાયુથી લપેટાઈને કે ઈડામાંથી પેદા થતા નથી; કિન્તુ ખુલ્લા અંગે પેદા થાય છે. દે અને નારમાં જન્મને માટે ખાસ નિયત સ્થાન હોય છે; તે ઉપપાત કહેવાય છે. દેવશપ્યાનો ઉપર ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલું રહે છે તે દેવનું ઉપપાતક્ષેત્ર છે. અને વમય ભીંતનો ગેખ જ નારકનું ઉપપાતા ક્ષેત્ર છે. કેમ કે તેઓ તે શરીરને માટે એ ઉપપાત ક્ષેત્રમાં રહેલાં વૈક્રિય પુદ્ગલને ગ્રહણ કરે છે. [૩૪-૩૬] હવે શરીરને લગતું વર્ણન કરે છેઃ औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि ॥३७॥ परं परं सूक्ष्मम् । ३८। प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् । ३९ । अनन्तगुणे परे । ४०। અતિત ૪૨ अनादिसम्बन्धे च । ४२ । ચા કરૂ I तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्थ्य: । ४४। નિહvમોમાન્સ કદ્દા ૧. અહીંયાં પ્રદેશ શબ્દનો અર્થ “અનન્તાધુવાજીંઘ એ ભાષ્યની વૃત્તિમાં કર્યો છે. પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિમાં પરમાણુ અર્થ લીધા છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૩૭-૪૬ ૧૧૯ गर्भ सम्मूर्छ नजमाधम् । ४६ । શિયનપતિ | કકા ઋષિ ત્યાં જ આ જ૮ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव४९। ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ પાંચ પ્રકારનાં શરીરે છે. ઉપરના પાંચ પ્રકારમાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષ્મ છે. તૈજસનાં પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરેત્તર શરીરના પ્રદેશે – સ્કવડે અસં. ખ્યાતગુણ હોય છે. અને પછીનાં બે અથ તૈજસ અને કાશ્મણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે. તૈજસ અને કાર્પણ અને શરીરે પ્રતિઘાતરહિત છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી જીને એ હોય છે. ૧. તૈના િદિ ૫૦. “સવાથસિદ્ધિ આદિમાં એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીરપણ લબ્ધિજન્ય છે, અર્થાત જેમ વૈશિરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તૈજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તવાથસૂત્ર એકી સાથે એક જીવને તૈજસ અને કાર્મણથી લઈને ચાર સુધી શરીર, વિક૫થી હોય છે. અંતિમ-કાશ્મણશરીર જ ઉપલેગ – સુખદુઃખાદિના અનુભવ રહિત છે. પહેલું અર્થાત્ ઔદારિક શરીર સંમૂઈિમજન્મથી અને ગર્ભજન્મથી જ પેદા થાય છે. વૈકિયશરીર ઉપપાતજન્મથી પેદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે. આહારકશરીર શુભ – પ્રશસ્ત પુદ્ગલદ્રવ્યજન્ય, વિશુદ્ધ – નિપાપકાર્યકારી અને વ્યાઘાત – બાધા રહિત હોય છે તથા તે ચૌદપૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે. જન્મ એ જ શરીરને આરંભ છે. એથી જન્મની પછી શરીરનું વર્ણન કર્યું છે, જેમાં એની સાથે સંબંધ રાખતા અનેક પ્રશ્નો વિષે નીચે લખ્યા પ્રમાણે ક્રમથી વિચાર કર્યો છે : શારીરના પ્રશ્નાર મને તેમની વ્યા: દેહધારી છો અનંત છે; એમનાં શરીર પણ ભિન્નભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત છે. પરંતુ કાર્યકારણ આદિના સદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી એમના પાંચ પ્રકાર બતાવ્યા છે. જેમ કેઃ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદનભેદન થઈ શકે, તે ગૌરિવા. Page #318 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ સૂત્ર ૩૭૪૯ ૧૧ ૨. જે શરીર કયારેક નાનું, મોટું, કયારેક પાતળુ, ક્યારેક જાડું, કયારેક એક, કયારેક અનેક ઈત્યાદિ વિવિધ રૂપોને – વિક્રિયાને ધારણ કરી શકે, તે વૈક્ષ્યિ. ૩. જે શરીર ફક્ત ચતુર્દશપૂર્વ ધારી મુનિથી જ રચી શકાય છે, તે આહાર. ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિન પચાવવામાં અને કૃપ્તિમાં કારણભૂત થાય છે, તે તૈસ. વ્રતાને' ૫. કસમૂહ એ જ જાળવીર છે. [૩૭] સ્થૂળ અને આવઃ ઉપરનાં પાંચ શરીરામાં સૌથી અધિક સ્થૂલ ઔર્દકન શરીર છે; વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે; આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તેજસ અને તેજસથી કાણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. પ્ર૦——અહીંયાં સ્થૂલ અને સૂક્ષ્મના અશા છે ? ઉસ્કૂલના અને સૂક્ષ્મને અ રચનાની શિથિલતા અને સધનતા એ છે, પરિમાણ નહિ. ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, પરંતુ એ આહારકથી સ્થૂલ છે. આ રીતે જ આહારક આદિ શરીર પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તરઉત્તરની અપેક્ષાએ સ્થૂલ છે. અર્થાત્ આ સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ અપેક્ષાથી સમજવા જોઈએ. એના ભાવાય એ છે કે, જે શરીરની રચના ખીજા શરીરની રચનાથી શિથિલ હેાય છે, તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂક્ષ્મ. રચનાની શિથિલતા અને સઘનતાના આધાર પૌદ્ગલિક પરિણતિ ઉપર છે. પુદ્ગલેામાં અનેક પ્રકારનાં પરિણામેા પામવાની શક્તિ છે. એથી તે પરિમાણમાં થાડાં હેાવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્થૂલ કહેવાય છે; અને પરિમાણમાં બહુ હોવા છતાં પણ જેમજેમ Page #319 -------------------------------------------------------------------------- ________________ = ૧૧૨ તત્ત્વાર્થસૂત્ર ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમ કે: ભીંડો અને હાથીના દાંત એ બ તે બરાબર પરિમાણુવાળા લઈને તપાસેા. ભીંડાની રચના શિથિલ છે અને હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણ બરાબર હાવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનુ પૌલિક દ્રવ્ય અધિક છે. [૩૮] आरंभक થાય ૩૫વાન – દ્રવ્યનું પરિમાળ - સ્થૂલ અને સૂક્ષ્મપણાની ઉપરની વ્યાખ્યા પ્રમાણે થાયત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ-પૂર્વ શરીર કર પરિમાણમાં અધિક હાય છે એ વાત માલૂમ પડી જ જાય છે; છતાં તે પરિમાણ જેટજેટલુ સંભવિત છે, એ એ સૂત્રોમાં બતાવ્યું છે, - પરમાણુઓથી બનેલા જે ધાથી શરીરનું નિર્માણ થાય છે, તે જ સ્કંધા શરીરનું આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હાય, ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી, પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે, એનાથી જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓના બનેલા હોવા જોઈ એ. ઔદારિકશરીરના આરંભક સ્કધાથી વૈક્રિયશરીરના આર્લક સ્કધા અસંખ્યાતગુણ છે; અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્ક ંધા અનંત પરમાણુઓના બનેલા હાય છે અને વૈક્રિયશરીરના આર.ભક સ્કંધા પણ અનંત પરમાણુઓના બનેલા હાય છે; છતાં પણ વૈક્રિયશરીરના સ્કંધગત પરમાણુએની અનંત સંખ્યા ઔદારિકશરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સ ંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હેાય છે. એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરનાં સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યામાં જ Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ સૂથ ૩૭-૪૯ ૧૨૩ સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણી હેય છે. આ રીતે તૈજસથી કાર્મણના કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. એ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વ-પૂર્વ શરીર કરતાં ઉત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક જ હોય છે; છતાયે પરિણમનની વિચિત્રતાને લીધે ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર અને નિબિડતમ બનતું જાય છે, જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે. પ્ર- ઔદારિકના સ્કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના સ્કંધ પણ અનંત પરમાણુવાળા છે; તે પછી એ સ્કંધમાં ઓછાવત્તાપણું શી રીતે સમજવું ? –અનંત સંખ્યા અનંત પ્રકારની છે. એથી અનંત રૂપે સમાનતા હોવા છતાં પણ દારિક આદિના સ્કંધથી વૈક્રિય આદિના સ્કંધેનું અસંખ્યાતગુણ અથવા અનંતગુણ અધિકહેવું અસંભવિત નથી. [૩૯-૪૦] __ छेल्लां बे शरीरोना स्वभाव, काळमर्यादा अने स्वामी : ઉપરનાં પાંચ શરીરમાંથી પહેલાં ત્રણ કરતાં પછીનાં બે શરીરમાં જે કાંઈક ભિન્નતા છે, તે અહીં ત્રણ બાબતે દ્વારા બતાવી છે? તેજસ અને કાર્મણ એ બંને શરીરે આખા લેકમાં ક્યાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વા જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી, કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતને નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિ. સૂક્ષ્મ . Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તાવાર્થ સૂત્ર વસ્તુ કાયા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ. પ્ર–તે પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણું અપ્રતિઘાતી છે એમ કહેવું જોઈએ? ઉ૦–અવશ્ય. તે પણ પ્રતિપાત વિના પ્રવેશ કરી શકે છે; પરંતુ અહીંયાં અપ્રતિઘાતને અર્થ લેકાંતપર્યન્ત અવ્યાહત-અખલિત-ગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે; પરંતુ તેજસ અને કાર્મણની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિંતુ લેકના ખાસ ભાગ -ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે. - તેજસ અને કાર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે જેવો અનાદિ છે, તે પહેલાં ત્રણ શરીરેને નથી; કેમ કે એ ત્રણે શરીરે અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. એથી ઔદારિક આદિ ત્રણ શરીરે કદાચિત્ક-અસ્થાયી સંબંધવાળાં– કહેવાય છે, અને તેજસ, કાર્મણ અનાદિ સંબંધવાળાં. - પ્રવ—જે તેમને જીવની સાથે અનાદિ સંબંધ છે, તે પછી એમને અભાવે કદી પણ ન થવો જોઈએ. ઉ –ઉપરનાં બને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે એથી જ એમને પણ અપચય, ઉપચય થયા કરે છે. જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય, તે જ નાશ નથી પામતો. જેમકે પરમાણુ. - તેજસ અને કાર્મણ શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારકને નહિ. એથી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અધ્યાય ૨- સૂત્ર ૩૭૨૯ જ તૈજસ અને કાર્મણના સ્વામી બધા સંસારીઓ છે અને ઔદારિક આદિના સ્વામી કેટલાક જ હોય છે. - પ્ર–તૈજસ અને કાર્મણની વચ્ચે કેટલે તફાવત છે તે સમજાવો. ઉ–કાશ્મણ એ બધાંય શરીરનું મૂળ છે, કેમ કે તે કર્મ સ્વરૂપ છે. અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્તકારણ-છે, તેવી જ રીતે તૈજસ બધાનું કારણ નથી. તે સૌની સાથે અનાદિસંબદ્ધ રહીને ભુક્ત-લીધેલા–આહારના પાચન આદિમાં સહાયક થાય છે. [૪૧-૪૩] एक साथे लभ्य शरीरोनी जघन्य तथा उत्कृष्ट संख्या : તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરે સર્વ સંસારી જીને સંસારકાળ પર્યત અવશ્ય હોય છે; પરંતુ ઔદારિક આદિ શરીર બદલાતાં રહે છે, એથી તે ક્યારેક હોય છે અને ક્યારેક નહિ. એથી જ એ પ્રશ્ન થાય છે કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે? આને ઉત્તર પ્રસ્તુત સત્રમાં આપ્યો છે. એકી સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારે પણ હોતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તૈજસ અને કાર્પણ હોય છે, કેમ કે એ બને યાવત્સસારભાવી-જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં–છે. એવી સ્થિતિ અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમ કે એ સમયે અન્ય કોઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હોય છે ત્યારે તેજસ, કાર્પણ અને ઔદારિક અથવા તે તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં અને બીજો પ્રકાર દેવ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્વાર્થસૂત્ર અને નારકમાં જન્મકાળથી લઈ મરણ પર્યત હેાય છે. જ્યારે ચાર હોય છે, ત્યારે તેજસ, કામણ, દારિક અને વૈક્રિય અથવા તે તેજસ, કાર્મણ, દારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિય લબ્ધિના પ્રયોગના સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યામાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશપૂર્વ મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કેઈને પણ હેતાં નથી; કેમ કે વૈલબ્ધિ અને આહારકલબ્ધિને પ્રયોગ એકી સાથે સંભવ નથી. પ્ર–ઉક્ત રીતે ત્રણ અથવા ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની સાથે એક જ સમયમાં એક જીવને સંબંધ કેવી રીતે ઘટી શકે ? ઉ–જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ ઉપર પડી શકે છે, તેમ એક જ જીવના પ્રદેશ અનેક શરીરની સાથે અખંડપણે સંબદ્ધ હેઈ શકે છે. પ્ર–શું કોઈ વાર કોઈને એક જ શરીર હોતું નથી ? ઉ–ના. સામાન્ય સિદ્ધાંત એવો છે કે, તૈજસ અને કાર્મણ એ બંને શરીર ક્યારે પણ અલગ હતાં નથી, એથી જ કેઈ એક શરીરને ક્યારે પણ સંભવ હોતો નથી. પરંતુ કેટલાક આચાર્યોને એવો મત છે કે તૈજસશરીર કાર્મણની માફક યાવસંસારભાવી નથી; કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય જ છે. એ મત પ્રમાણે અંતરાલ ૧. આ મત ભાષ્યમાં નિર્દિષ્ટ છે; જુઓ અ. ૨, ૪૪. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ અધ્યાય ૨-સૂત્ર ૩૯૪૯ ગતિમાં ફક્ત કાર્મણશરીર હોય છે, તેથી એ સમયે એક જ શરીર હેવાને સંભવ છે. પ્ર–જે એમ કહ્યું કે વૈક્રિય અને આહારક એ બે લબ્ધિઓને યુગપતું –એકી સાથે – પ્રયોગ થતું નથી તેનું કારણ શું? ઉ – વૈલિબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્તદશા હોય છે, પરંતુ આહારકના વિષયમાં એમ નથી; કેમ કે આહારકલબ્ધિને પ્રયોગ તો પ્રમત્તદશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની બન્ને લબ્ધિઓને પ્રયોગ એકી સાથે થશે એ વિરુદ્ધ છે. સારાંશ કે. એકી સાથે પાંચે શરીર ન હોવાનું કહ્યું છે, તે આવિર્ભાવની અપેક્ષાએ, શક્તિરૂપે તે એ પાંચે હોઈ શકે છે; કેમ કે આહારકલબ્ધિવાળા મુનિને વૈક્રિયલબ્ધિનો પણ સંભવ છે. [૪] કોડનઃ પ્રત્યેક વસ્તુનું કંઈને કંઈ પ્રોજન તે હોય છે જ; એથી શરીર પણ સપ્રયજન હોવું જોઈએ. તેથી એનું મુખ્ય પ્રયજન શું છે અને તે બધાં શરીરે માટે સમાન છે કે કોઈ વિશેષતા છે, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર અહીંયાં આપે છે. શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે; ફક્ત અંતિમકાર્પણ-શરીરમાં તે સિદ્ધ થતો નથી, માટે તેને નિરુપભોગઉપભોગ રહિત–કહ્યું છે. ૧. આ વિચાર આ૦ ૨, સૂર ૪૪ ની ભાષ્યવૃત્તિમાં છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર૦—ઉપભાગના અર્થ શું ? ઉકાન આદિ ઇંદ્રિયથી શુભ, અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી, સુખદુઃખના અનુભવ કરવા; હાથ પગ આદિ અવયવાથી દાન, હિંસા આદિ શુભ અશુભ ક્રિયા દ્વારા શુભઅશુભ કર્મારૂપી અંધ કરવા; અદ્ધ કર્માંના શુભ, અશુભ વિપાકના અનુભવ કરવા, અને પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા–ક્ષય–કરવી એ બધા ઉપભાગ કહેવાય છે. ૧૨૯ પ્ર—ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સેન્દ્રિય તથા સાવયવ છે, આથી ઉક્ત પ્રકારના ઉપભોગ એમનાથી સાધ્ય થઈ શકે; પરંતુ તૈજસશરીર સેંદ્રિય પણ નથી અને સાવયવ પણ નથી, તો તેનાથી ઉક્ત ઉપભેાગ હાવાના સભવ શી રીતે હાઈ શકે ? ઉ- જો કે તેજસશરીર સેદ્રિય અને સાવયવ હસ્ત પાદાદિ યુક્ત—નથી, તથાપિ એના ઉપયોગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે કે જેનાથી સુખદુઃખના અનુભવ આદિરૂપ ઉક્ત ઉપભોગ સિદ્ધ થાય છે; તેનુ અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. અર્થાત્ અન્નપાચનાદિ કાર્યોમાં તેજસ શરીરના ઉપયાગ તા બધાયે કરી શકે છે; પરંતુ જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પોતાના પપાત્રને ખાળી પણ શકે છે, અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા પોતાના અનુગ્રહપાત્રને શાંતિ પણ આપી શકે છે. આ રીતે તૈજસ શરીરને શાપ અનુગ્રહ આદિમાં ઉપયોગ થઈ શકવાથી, સુખદુઃખને અનુભવ, શુભાશુભ કર્માંના બંધ આદિ ઉપરના ઉપભોગા એના મનાયા છે. Jain' Education International Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અધ્યાય ૨ - ૨૩૪૯ પ્ર–એવી બારીકીથી જોઈએ તે કાર્યણશરીર કે જે તેજસની જેમ સેંદ્રિય અને સાવયવ નથી, તેને પણ ઉપભેગ ઘટી શકે; કેમ કે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી અન્ય શરીરેના ઉપભોગ ખરું જોતાં કામણના જ ઉપભેગ માનવા જોઈએ, તે પછી એને નિરુપભોગ કેમ કહ્યું ? ઉ–ડીક છેએ રીતે જોતાં તે કાર્મણ પણ સેપભોગ છે જ. અહીંયાં એને નિરુપભેગ કહેવામાં અભિપ્રાય એટલે જ છે કે, જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય, ત્યાં સુધી એકલું કાર્મણશરીર ઉપભેગને સાધી શકતું નથી. અર્થાત ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં સાક્ષાત સાધન ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર સોપગ – ઉપભોગ સહિત – કહેવાય છે; અને પરંપરાથી સાધન હોવાને લીધે કાર્મણને નિરુપભોગ કહેવામાં આવ્યું છે. [૪૫. - કમસિદ્ધતા અને કૃત્રિમતા : છેવટે એક એ પણ પ્રશ્ન થાય છે કે કેટલાં શરીર જન્મસિદ્ધ છે અને કેટલાં કૃત્રિમ છે ? તથા જન્મસિદ્ધમાં કયું શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમનું કારણ શું છે? આને ઉત્તર ચાર સૂત્રમાં આપે છે. તેજસ અને કાર્મણ એ બે ને જન્મસિદ્ધ પણ નથી અને કૃત્રિમ પણ નથી; અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિસંબદ્ધ, ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંમૂર્ણિમ એ બન્ને જન્મમાં પેદા થાય છે. તેને સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈક્રિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉપપાત Page #327 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર જન્મ દ્વારા પેદા થાય છે, અને એ દેવ તથા નારકને જ હોય છે. કૃત્રિમ વૈક્રિયનું કારણ "લબ્ધિ છે. “લબ્ધિ એક પ્રકારની તજન્ય શક્તિ છે; જેને સંભવ કેટલાક જ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. આથી એવી લબ્ધિથી થનાર વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હેઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે, એ તજન્ય ન હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ કેટલાક બાદરવાયુકાયિક જીવોમાં જ માનવામાં આવે છે. આથી તે પણ લબ્ધિજન્ય – કૃત્રિમ – વૈWિશરીરના અધિકારી છે. આહારકશરીર કૃત્રિમ જ છે. એનું કારણ વિશિષ્ટ લબ્ધિ જ છે; જે મનુષ્ય સિવાય અન્ય જાતિમાં હતી નથી; અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે. પ્ર–વિશિષ્ટ મુનિ કયા? ઉ–ચતુર્દશપૂર્વ પાડી. પ્ર—તેઓ તે લબ્ધિને પ્રયોગ કયારે અને શેના માટે કરે છે? ઉ–જ્યારે તેઓને કોઈ સક્સ વિષયમાં સંદેહ હેય છે, ત્યારે સંદેહનિવારણને માટે તેઓ તેને ઉપયોગ કરે છે. અર્થાત જ્યારે કેઈ ચતુર્દશપૂર્વીને ગહન વિષયમાં સંદેહ થાય અને સર્વનું સંનિધાન ન હોય ત્યારે તે દારિકશરીર વડે અન્ય ક્ષેત્રમાં જવું અસંભવિત સમજી પિતાની વિશિષ્ટ લબ્ધિનો પ્રયોગ કરે છે. અને તે દ્વારા હાથ જેવડું નાનું સરખું શરીર બનાવે છે. તે શુભ પુગલેથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, પ્રશસ્ત ઉદ્દેશથી બનાવેલું Page #328 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨-સૂત્ર ૫૦-૫૧ ૧૩૧ હોવાથી નિરવા હોય છે, અને અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યાઘાતી હોય છે, એટલે કે કઈને રેકે એવું કે કેઈથી રોકાય એવું હોતું નથી. આવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞની પાસે જઈ એમની પાસે સંદેહ દૂર કરે છે; પછી એ શરીર વીખરાઈ જાય છે. આ કાર્ય ફક્ત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. પ્ર–બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી ? નહિ. પ્ર–શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસને જે ઉપભેગ બતાવ્યો, તેથી તે તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તે પછી બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી એ કથન કેવી રીતે ઘટે ? ઉ૦–અહીંયાં લબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ છે, પ્રયોગ નહિ. વૈક્રિય અને આહારકની જેમ તૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ એનો પ્રવેગ ક્યારેક લબ્ધિથી કરી શકાય છે. એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય – કૃત્રિમ-કહ્યું નથી. [૪૬-૪૯]. હવે લિંગ-વેદ-વિભાગ કહે છે? नारकसम्मूर्छिनो नपुंसकानि । ५० । જ લેવાઃ 8 | નારક અને સંમૂર્ણિમ નપુંસક જ હોય છે. દેવ નપુંસક હેતા નથી. શરીરનું વર્ણન થઈ ગયા પછી લિંગને પ્રશ્ન આવે છે. એને ખુલાસો અહીંયાં કર્યો છે. લિંગ ચિહ્નને કહે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થસૂત્ર તે ત્રણ પ્રકારનું છે, એ વાત પહેલાં ઔદયક આદિ ભાવાની સંખ્યા બતાવતી વખતે કહી છે. ત્રણ લિંગ આ પ્રમાણે છેઃ પુલ્લિંગ, સ્ત્રીલિ’ગ અને નપુસકલિગ. લિંગાનું બીજું નામ ‘વેદ' પણ છે. એ ત્રણ વેદો દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે પ્રકારના છે. દ્રવ્યવેદના અર્થ ઉપરનું ચિહ્ન છે અને ભાવ– વેદના અ અમુક અભિલાષા– ઇચ્છા છે. ૧. જે ચિહ્નથી પુરુષની પિછાન થાય છે, તે દ્રવ્ય પુરુષવૈદ અને સ્ત્રીના સંસ સુખની અભિલાષા એ ભાવ પુરુષવેદ છે. ૨. સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ; અને પુરુષના સસસુખની અભિલાષા ભાવ સ્ત્રીવેદ છે. ૩. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હેાય તે દ્રવ્ય નપુ ંસકવેદ; અને સ્ત્રીપુરુષ બન્નેના સંસસુખની અભિલાષા ભાવ નપુસકવેદ છે. મૂલ્યવેત્ એ પૌદ્ગલિક આકૃતિરૂપ છે, જે નામકર્મના ઉદયનું ફળ છે. માવેર્ એક પ્રકારના મનેાવિકાર છે, જે મેાહનીયકર્મીના ઉદયનું ફળ છે, દ્રવ્યવેદ અને ભાવવેદની વચ્ચે સાધ્ય સાધન અથવા પાથ્ય પોષકના સબંધ છે. વિમાપ : નારક અને સમૂર્ણિમ જીવાને નપુંસકવેદ હાય છે. દેવાને નપુંસકવેદ હાતા નથી; અર્થાત્ બાકીના એ વેદ તેમનામાં હોય છે. બાકીના બધામને એટલે કે ગર્ભજ મનુષ્યા તથા તિય ચાને ત્રણે વેદ હોઈ શકે છે. ૧. જીએ અ૦ ૨, સૂ૦ ૬. ૨. દ્રવ્ય અને ભાવ વેદના પારસ્પરિક સબંધ તથા અન્ય આવશ્યક ખાખતા જાણવાને માટે જીએ હિંદી ‘ કમ ગ્રંથ ’ચેાથેા પૃ. પત્તુ ટિપ્પણ. Page #330 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર પર વિરની તરતમતા : પુરુષવેદનો વિકાર સૌથી ઓછા સ્થાયી હોય છે; સ્ત્રીવેદને વિકાર એનાથી વધારે સ્થાયી, અને નપુંસકવેદનો વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે. આ બાબત ઉપમા દ્વારા આ રીતે સમજાવવામાં આવે છે ? પુરુષદને વિકાર ઘાસમાં સળગતા અગ્નિ સમાન છે; જે તેની વિશિષ્ટ શરીરરચનાને લીધે જલદી પ્રગટ થતા દેખાય છે અને જલદી શાંત થતે પણ દેખાય છે. સ્ત્રીવેદન વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતે દેખાતું નથી અને જલદી શાંત પણ થતે દેખાતો નથી. નપુંસકવેદને વિકાર તપેલી ઈટના જેવો છે; જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં કોમળભાવ મુખ્ય છે, એથી તેને કઠોર તત્ત્વની અપેક્ષા રહે છે; પુરુષમાં કઠોરભાવ મુખ્ય હોવાથી એને કોમળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુંસકમાં બંને ભાનું મિશ્રણ હોવાથી બંને તરની અપેક્ષા રહે છે. [૫–૫૧] હવે આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી કહે છે ? औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽऽयुषाનવયુ: પરા ૧. દિગબરીય પરંપરામાં વહિવત્તાસંઘેચવષયુષોડનપત્યયુષ' એવું સૂત્ર છે. “સર્વાર્થસિદ્ધિ આદિ ટીકાઓમાં વરમે એવું પાઠાંતર પણ આપ્યું છે, તદનુસાર “વરમામદ એ પાઠ પણ માનવો જોઇએ. Page #331 -------------------------------------------------------------------------- ________________ તન્નાથસૂત્ર ઔષપાતિક (નારક અને કેવ), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાતવર્ષજીવી એ અનાવર્તન મીય આયુષ્યવાળા જ હોય છે. યુદ્ધ આદિ વિપ્લવેમાં હજારે હૃષ્ટપુષ્ટ નવયુવાને મસ્તા જોઈ અને ઘરડા તથા જર્જર દેહવાળાઓને પણ ભયાનક આફતમાંથી બચતા જોઈ એવો સંદેહ થાય છે કે શું અકાળ મૃત્યુ પણ છે કે જેનાથી અનેક વ્યક્તિઓ એકી સાથે મરી જાય છે અને કેઈ નથી પણ મરતું? એને ઉત્તર હા અને ના બંનેમાં અહીં આવે છે. મામા જે પ્રર : આયુષ “અપવર્તનીય' અને અનપવર્તનીય” એ બે પ્રકારે છે. જે આયુષ બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીઘ ભેગવી શકાય છે, તે “અપવર્તનીય'; અને જે આયુષ બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે “અનાવર્તનીય.” તાત્પર્ય કે, જેને ભોગકાળ બંધકાળની સ્થિતિની મર્યાદાથી ઓછો હોય, તે અપવર્તનીય; અને જેને ભેગકાળ એ મર્યાદાની બરોબર જ હોય, તે “અનેપવર્તનીય' આયુષ કહેવાય છે. અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને બંધ સ્વાભાવિક નથી; કેમ કે તે પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવી જન્મના આયુષનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. તે સમયે જે પરિણામ મંદ હોય તે આયુષને બંધ શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં બંધકાળની કાળમર્યાદા ઘટી જાય છે. એનાથી ઊલટું જે ભાવી અને તેથી નિમિતું Page #332 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ - સૂત્ર પર પરિણામ તીવ્ર હાય, તે। આયુષને બંધ ગાઢ થાય છે; તેથી નિમિત્ત મળવા છતાં પણ બધકાળની કાળમર્યાદા ઘટતી નથી અને આયુષ પણ એકી સાથે ભાગવાતું નથી. જેમ કે, અત્યંત દૃઢ બની ઊભેલા પુરુષાની હાર અભેદ્ય – ભેદાય નહિ એવી, અને શિથિલ બની ઊભેલા પુરુષાની હાર ભેદ્ય હૈાય છે, અથવા જેમ સધન વાવેલાં ખીજોના છોડ પશુઓને માટે દુષ્પ્રવેશ – પ્રવેશ ન થાય એવા, અને છૂટાં છૂઢાં વાવેલાં બીજોના છેાડ એમને માટે સુપ્રવેશ થાય છે; તેવી જ રીતે તીવ્રપરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બંધવાળુ આયુષ શસ્ત્રવિષ આદિના પ્રયોગ થયા છતાં પણ પેાતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતું નથી; અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બધવાળુ આયુષ ઉપર કહેલા પ્રયાગા થતાં જ પેાતાની નિયત કાળમર્યાદા સમાપ્ત થયા પહેલાં જ તદૂત માત્રમાં ભોગવાઈ જાય છે. આયુષના આ શીધ ભાગને જ ‘પવના', અથવા અકાળ મૃત્યુ કહે છે; અને નિયતસ્થિતિવાળા ભાગને ‘ અનપવના' અથવા કાળમૃત્યુ કહે છે. પવનીય આયુષ સાક્રમ-ષક્રમસહિત જ હોય છે. તીવ્ર શસ્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિત્તોથી અકાળ મૃત્યુ થાય છે, તે નિમિત્તોનુ પ્રાપ્ત થવું તે ઉપક્રમ' છે; આવે! ઉપક્રમ અપવર્તનીય આયુષને અવશ્ય હોય છે, કેમ કે તે આયુષ નિયમથી કાળમર્યાદા પૂરી થયા પહેલાં જ ભેગવવાને યોગ્ય હોય છે. પરંતુ અનપવનીય આયુષ સાપક્રમ અને નિશ્પક્રમ એ પ્રકારનુ હાય છે; અર્થાત્ એ આયુષને અકાળ મૃત્યુ કરે એવાં ઉક્ત નિમિત્તો પ્રાપ્ત થાય પણ ખરાં અને ન પણ થાય; મને ઉક્ત નિમિત્તોનું સનિષાન Page #333 -------------------------------------------------------------------------- ________________ - તવાથસૂત્ર હેવા છતાં પણ અનપવર્તનીય આયુષ નિયત કાળમર્યાદાની પહેલાં પૂર્ણ થતું નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુષવાળાં પ્રાણીઓને શસ્ત્ર આદિ કઈને કઈ નિમિત્ત મળી જ રહે છે, જેથી તે અકાળ મૃત્યુ પામે છે, અને અનપવર્તનીય આયુષવાળાઓને ગમે તેવું પ્રબળ નિમિત્ત આવે તે પણ તેઓ અકાળ મૃત્યુ પામતા નથી. ધારી : ઉપપાત જન્મવાળા નારક અને દેવ જ છે. ચરમદેહ તથા ઉત્તમ પુરુષ મનુષ્ય જ હોય છે. જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેક્ષ મેળવનાર “ચરમદેહ” કહેવાય છે. તીર્થકર ચક્રવત, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ' કહેવાય છે. “અસંખ્યાતવર્ષ જીવી' કેટલાક મનુષ્ય અને કેટલાક તિર્યંચ જ હોય છે. પપાતિક અને અસંખ્યાતવર્ષજીવી, નિપક્રમ અનપવર્તનીય આયુષવાળા જ હોય છે, ચરમદેહ અને ઉત્તમ પુરુષ, સેપક્રમ અનપવર્તનીય આયુષ અને નિરુપક્રમ અનપવર્તનીય આયુષવાળા હોય છે. એ સિવાય બાકીના બધા મનુષ્ય અને તિર્યએ અપવર્તનીય તથા અનપવર્તનીય આયુષવાળા હોય છે. પ્ર–નિયત કાળમર્યાદાની પહેલાં આયુષને ભોગ થઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતાનો દોષ લાગશે, જે શાસ્ત્રમાં ઇષ્ટ નથી એનું નિવારણ કેવી રીતે કરશે ? ૧. અસંખ્યાતવર્ષજીવી મનુષ્ય ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતાં યુગલિક જ છે; પરન્તુ અસંખ્યાતવર્ષ જીવી તિર્યંચ તે ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત અઢી કીપની બહારના દ્વિીપ–સમુદ્રોમાં પણ મળી આવે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨- સૂત્ર પર ૧૩૭ ઉ–શીધ્ર ભોગવી લેવામાં ઉપરને દોષ નથી આવત; કેમ કે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એક સાથે ભોગવી લેવાય છે. એને કઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટ નથી આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં નથી. એ જ રીતે કર્માનુસાર આવનાર મૃત્યુ પણ આવે છે, એથી જ અકૃત કમના આગમને દોષ પણ આવતા નથી. જેમ ઘાસની ગાઢી ગંજીમાં એક બાજુએથી નાની સરખી ચિણગારી મૂકી દેવામાં આવે, તે તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી બાળતી તે આખી ગંજીને વિલંબથી બાળી શકે છે, તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવામાં આવે, તે એકી સાથે એને બાળી નાખે છે. આ વાતને વિશેષ ફુટ કરવા માટે શાસ્ત્રમાં બીજાં બે દૃષ્ટાંત આપ્યાં છેઃ ૧. ગણિતક્રિયાનું અને ૨. વસ્ત્ર સૂકવવાનું. જેમ કઈ વિશિષ્ટ સંખ્યાને લઘુતમ છેદ કાઢો હોય, તો તેને માટે ગણિત પ્રક્રિયામાં અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ જવાબ લાવવાને માટે એક એવી રીતને ઉપગ કરે છે કે જેથી બહુ જ ઉતાવળથી જવાબ નીકળી આવે છે, જ્યારે બીજે સાધારણ જાણનાર મનુષ્ય ભાગાકાર આદિ વિલંબસાધ્ય ક્રિયાથી તે જવાબને ધીમે ધીમે લાવી શકે છે. પરિણામ સરખું હેવા છતાં પણ કુશળ ગણિતજ્ઞા એને શીધ્ર નિકાલ લાવી શકે છે, જ્યારે સાધારણ ગણિતજ્ઞ વિલંબથી નિકાલ લાવી શકે છે. એ જ રીતે સમાનરૂપે ભીનાં થયેલાં બે કપડાંમાંથી એકને વાળીને અને બીજાને છૂટ Page #335 -------------------------------------------------------------------------- ________________ કરીને સૂકવામાં આવે, તે વાળેલું વિલંબથી અને છૂટું કરેલું જલદીથી સુકાઈ જશે. પાણીનું પરિમાણ અને શવાણકિયા સમાન હોવા છતાં પણ કપડાના સંકોચ અને વિસ્તારના કારણથી એના સુકાવામાં વિલંબ અને શીવ્રતાને ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને ભેળવવામાં પણ ફક્ત વિલંબ અને શીઘતાને જ તફાવત છે; બીજું કાંઈ નહિ. એથી કતનાશ આદિ ઉક્ત દોષો આવતા નથી. પિરી Page #336 -------------------------------------------------------------------------- ________________ अध्याय-3 બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવવાનું છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ અને ચૂનુષ્યનું વર્ણન છે અને ચેથામાં દેવનું વર્ણન છે. પ્રથમ નારકેનું વર્ણન કરે છે? रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम प्रभाभूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः समाधोऽध:पृथुतराः । १ । तासु नरकाः । २। नित्याशुभतरलेल्यापरिपामदेहवेदनाविक्रियाः ॥३॥ परस्परोदीरितदुःखाः । ४। संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ।। तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानां परा स्थितिः । ६ । Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વાર્થસૂત્ર રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે જે ઘનાંબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે, એકબીજાની નીચે છે, અને નીચેનીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાળી છે. એ ભૂમિમાં નરક છે. તે નરક નિત્ય – નિરંતર અશુભતર લેસ્યા, પરિણામ, દેહ, વેદના, અને વિક્રિયાવાળાં છે. તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુઃખવાળાં હોય છે. અને એથી ભૂમિથી પહેલાં અથત ત્રણ ભૂમિઓ સુધી સંકિલન્ટ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુઃખવાળાં પણ હોય છે. એ નરકમાં વર્તમાન પ્રાણીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. લેકના અધ, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસે જનના ઊંડાણ પછી ગણાય છે, જેને આકાર ઊંધા કરેલા શરાવ-શંદેરા જે છે, અર્થાત્ નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસે જન તેમ જ તેની ઉપરના નવસે જન અર્થાત કુલ અઢારસે જનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે બરાબર આયામવિખંભ-લંબાઈ Page #338 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-સૂત્ર ૧૬ અને પહોળાઈવાળે છે. મધ્યમ લેકની ઉપર લેક ઊર્ધ્વ લેક છે, જેનો આકાર પખાજ જે ૧૪૧ સ પૂર્ણ છે. - નારકેના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે, જે અધેલકમાં છે. એવી ભૂમિએ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોઈ એક બીજાથી નીચે છે. એમનો આયામ – લંબાઈ અને વિખંભ – પહોળાઈ પરસ્પર સમાન નથી; પરતુ નીચેનીચેની ભૂમિની લંબાઈ-પહોળાઈ અધિક અધિક છે; અર્થાત્ પહેલી ભૂમિથી બીજીની લંબાઈ-પહોળાઈ અધિક છે; બીજીથી ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ અધિકઅધિક સમજવી જોઈએ. આ સાત ભૂમિએ એક બીજાથી નીચે છે; પરંતુ એક બીજાને અડીને રહેલી નથી. અર્થાત એક બીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમથી નીચેનીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની ૧. ભગવતીસૂત્રમાં લેકસ્થિતિનું સ્વરૂપ સમજાવતાં બહુ સ્પષ્ટ હકીક્ત નીચે પ્રમાણે આપેલી છે? - ત્રસ, સ્થાવરાદિ પ્રાણુઓને આધાર પૃથ્વી છે; પૃથ્વીને અધિાર ઉદધિ છે; ઉદધિને આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે? આ પ્રશ્નને ખુલાસે નીચે પ્રમાણે છે • કોઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબૂત ગાંઠથી મસકનું મોઢું બાંધી લે. એ જ રીતે મસ Page #339 -------------------------------------------------------------------------- ________________ ? તત્ત્વાર્થસૂત્ર પૂછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ નૈષિ આદુિને એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિની નીચે એ ક્રમથી ધનેાદિષ આદિ વમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડ -- ભૂમિની જાડાઈ અર્થાત્ ઉપરથી લઈ નીચેના તલ સુધીના ભાગ આ એમ છે. જેમ કે પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંશી હજાર યેાજન, ખીજીની એક લાખ ખત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, ઠ્ઠીની એક લાખ માળ હજાર તથા સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર ાજન છે. સાતે ભૂમિએની નીચે જે સાત ધનાધિવલય છે, એ બધાની જાડાઈ એક સરખી છે એટલે કે વીસ વીસ હજાર ચેાજનની છે; અને જે સાત ધનવાત તથા સાત તનુવાત વલયેા છે એમની જાડાઈ સામાન્ય કના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે; એમ થવાથી મસકમાં ભરેલા પવનના એક વિભાગ થઈ જશે અને મસકને આકાર ડાલા જેવા લાગશે. હવે મસકનુ” મેઢું ઉઘાડી ઉપલા ભાગના પવન કાઢી નાંખે અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછું મસકનુ” મેઢું અધ કરે, અને પછી વચ્ચેનું મધન છેાડી નાખે. તા જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલુ” છે તે ઉપરના ભાગમાં જ રહેશે – વાયુની ઉપર જ રહેશે “ નીચે નહિ જાય, કારણ કે ઉપરના ભાગમાં રહેલા પાણીને મસક્રની નીચેના ભાગમાં રહેલા પવનના આધાર છે, અર્થાત્ જેમ મસકમાં પવનના આધારે પાણી ઉપર જ રહે છે. તેમ પ્રથિવી વગેરે પણ પવનને આધારે પ્રતિષ્ઠિત છે.” શતક ૧, ઉદ્દેશક ૬. Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩ સત્ર ૧-૬ ૧૪૩ રૂપથી અસ ંખ્યાત યોજન પ્રમાણ હવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી; અર્થાત્ પ્રથમ ભૂમિની નીચેના ધન્વાવલય તથા તનુવાતવલયની અસંખ્યાત યાજન પ્રમાણુ જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તનુવાતવલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તર છઠ્ઠી ભૂમિના ધનવાત, તનુવાત વલયથી સાતમી ભૂમિના ધનવાત, તનુવાત વલયની જાડાઈ વિશેષ વિશેષ છે, એ રીતે આકાશનું પણ સમજવું. પહેલી ભૂમિ રત્નપ્રધાન હેાવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે ફ્રે કાંકરાની બહુલતાની લીધે ખીજી શરાપ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પક એટલે કે ફાદવની અધિકતાથી ચેાથી પદ્મપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમ: એટલે કે મધારાની વિશેષતાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમઃ એટલે ધન અધકારની પ્રસુરતાથી સાતમી ભૂમિ મહાતમ પ્રભા કહેવાય છે, એ સાતેનાં નામ ક્રમપૂર્વક ધર્મા, વ’શા, શૈલા, અંજના, રિા, માધવ્યા અને માધવી છે. રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ – ભાગ છે. પહેલા ખરકાંડ રત્નપ્રચુર છે; જે સૌથી ઉપર છે, તેની જાડાઈ ૧૬ હજાર યોજન પ્રમાણ છે. એની નીચેને ખીજો કાંડ પકબહુલ કાદવથી ભરેલા છે; જેની જાડાઈ ૮૪ હજાર ચેાજન છે. એની નીચેના ત્રીજો ભાગ જલબહુલ – પાણીથી ભરેલા છે; જેની જાડાઈ ૮૦ હજાર યોજન છે. ત્રણે કાંડાની જાડાઈ મ સરવાળા કરીએ તેા એક લાખ એંશી હજાર યેાજન થાય છે. આ પહેલી ભૂમિની જાડાઈ થઈ. ખીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવે વિભાગ નથી, કેમ કે એમાં શર્કરા વાલુકા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - તત્વાર્થસૂત્ર આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એક સરખા છે. રત્નપ્રભાને પ્રથમ કાંડ બીજા ઉપર અને બીજે કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ઘનોદધિવલય ઉપર, ઘનોદધિ ઘનવાતવલય ઉપર; ઘનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કોઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ઠિત છે; કેમ કે આકાશને સ્વભાવ જ એ છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. બીજી ભૂમિને આધાર એને ઘનોદધિવલય છે; તે વલય પિતાની નીચેના ઘનવાતવલય ઉપર આશ્રિત છે; ઘનવાત પિતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાતે ભૂમિઓ સુધી દરેક ભૂમિ અને એના ઘનોદધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લેવું. ઉપર ઉપરની ભૂમિથી નીચે નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં પણ એને વિખુંભ આયામ અધિકઆધિક વધતું જ જાય છે. એથી એનું સંસ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત ઉત્તરોત્તર પૃથવિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧] સાત ભૂમિઓની જેટજેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હજાર યોજન છેડી દઈને બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે, જેમ કે રત્નપ્રભાની એક લાખ એંશી હજાર જનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર યોજન છોડીને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લે. નરકેનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શોચન આદિ અશુભ નામ છે, જેમને સાંભળતાં જ ભય પેદા થાય Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩- સૂત્ર ૧-૬ ૧૪૫ છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઈ મહાતમઃપ્રાગત અપ્રતિષ્ઠાનનામક નગરકાવાસ સુધીના બધા નરકાવાસ વજીના છરાના જેવાં તળવાળાં છે; પણ બધાનાં સંસ્થાન – આકાર એક સરખા નથી. કેટલાક ગોળ, કેટલાક ત્રિકેણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લાં જેવા, કેટલાક લેઢાના ઘડા જેવા, એ રીતે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. પ્રસ્તર– પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છે: રત્નપ્રભામાં તેર પ્રસ્તર છે અને શર્કરાપ્રભામાં અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તોમાં નરક છે. મૂચિત્રોમાં નરવાલીયોની રહ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯,૯૯૫) અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે. પ્રવ – પ્રસ્તરોમાં નરક છે એમ કહેવાને શું અર્થ ? ઉ– એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાનવાળાં નરક છે. પ્ર. – નરક અને નરકનો સંબંધ ? ઉ૦ –નારક એ જીવ છે, અને નરક એના સ્થાનનું નામ છે. નરક નામના સ્થાનના સંબંધથી જ તેઓ નારક કહેવાય છે. [૨] Page #343 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી એ રીતે સંતિમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમે રચનાવાળાં છે. એ પ્રકારે એ નરમાં રહેલ નારની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરઉત્તર અધિકઅધિક અશુભ છે. શ્યાઃ રત્નપ્રભામાં કાપત લેશ્યા છે; શર્કરામભામાં પણ કાપિત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંકલેશવાળી છે. વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેફ્સા છે; પંકપ્રભામાં નીલેશ્યા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા છે; તમ પ્રભામાં કૃષ્ણલેશ્યા છે. અને મહાતમઃપ્રભામાં કૃષ્ણલેશ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી તીતમ છે. વરિન : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં પગલિક પરિણામો સાતે ભૂમિઓમાં ઉત્તરોત્તર અધિકઅધિક અશુભ હોય છે. શરીરઃ સાતે ભૂમિઓના નારકનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અધિકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે. વેદના : સાતે ભૂમિઓના નારકેની વેદના ઉત્તરોત્તર આધક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉણુ વેદના, ચેથીમાં ઉષ્ણશીત, પાંચમીમાં શીતોષ્ણુ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હોય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત હોય છે કે એ વેદનાઓને ભગવનારા નારકો જે મર્યલકની સખત ગરમી અથવા Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-સૂત્ર ૧-૬ લાઇ સખત શરદીમાં આવી જાય તો તેઓ ખૂબ આરામથી ઊંધી શકે. વિત્રિયાઃ એમની વિક્રિયા પણ ઉત્તરશત્તર અધિક અશુભ હાય છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતાં એમને દુઃખનાં સાધન જ મળી જાય છે. તે વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પર ંતુ ખતી જાય છે અશુભ. પ્રક્ષેશ્યા આદિ અશુભતર ભાવાને નિત્ય કલા એનેા શેશ અર્થ ? ૩૦——નિત્યના અર્થે નિર ંતર છે. ગતિ, જાતિ, શરીર અને અગાપાંગ નામકર્મના ઉદ્યથી નરકગતિમાં લેશ્યા આદિ ભાવા જીવન પર્યંત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે કત્યારે પણ અ ંતર પડતુ નથી, અને એક પળ ભર શુભ પણ થતા નથી. [૩] પ્રથમ તા નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ શરદી – ગરમીનું ભયંકર દુઃખ તા હાય છે જ; પરન્તુ ભૂખ અને તરસનું દુઃખ એનાથી પણ વધારે ભયંકર હાય છે. ભૂખનુ દુ;ખ એટલુ અધિક હોય છે કે અગ્નિની માક બધુ ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટુ ભૂખની જ્વાલા તેજ થતી જાય છે. તરસનું કષ્ટ એટલું અધિક છે કે ગમે તેટલુ પાણી હાય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુ:ખ ઉપરાંત વધારે મોઢુ દુ:ખ તા એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી થાય છે. જેમ બિલાડી અને ઉંદર તથા સાપ અને નાળિયેા જન્મશત્રુ છે, તેમ જ નારક જીવા પણ જન્મશત્રુ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થસૂત્ર આથી તેએ એક બીજાને જોઈ ને કૂતરાની માફક પરસ્પર લડે છે, કરડે છે, અને ગુસ્સાથી મળે છે; આથી તે પરસ્પરજનિત દુઃખવાળા કહેવાય છે. [૪] S. નારકાની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી ક્ષેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યુ છે. ત્રીજી વેદના પરમાધાર્મિકજનિત છે. પહેલાં ખે પ્રકારની વેદના સાતે ભૂમિએમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમ કે એ ભૂમિએમાં પરમાધાર્મિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવા છે. જે ધણા જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હાય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હાય છે કે એમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તે નારકાને અનેક પ્રકારના પ્રહારેાથી દુ:ખી કર્યાં જ કરે છે. તેઓ કૂતરા, પાડા અને મલ્લોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેને અંદરઅંદર લડતા કે મારપીટ કરતા જોઈ તે તે બહુ ખુશી થાય છે. જો કે આ પરમાધાર્મિક એક પ્રકારના દેવા છે, અને તેઓને બીજા પણ સુખનાં સાધન છે. તેપણ પૂજન્મકૃત તીવ દોષના કારણથી તે બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે. નારકો પણ બિચારા કવશ અશરણ હાઈ તે આખુ જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલીયે હોય પરંતુ નારકોને કોઈનું શરણુ પણ નથી અને અનપવનીય–વચમાં આ નહિ થનાર આયુષના કારણથી તેમનું જીવન પણ જલ્દી સમાપ્ત થતું નથી. [૫] Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩- સૂત્ર કે ૧૪૯ નારાની સ્થિતિ : દરેક ગતિના જીવોની સ્થિતિઆયુમર્યાદા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જઘન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકેની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલીમાં એક સાગરોપમની, બીજીમાં ત્રણની, ત્રીજીમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અહીં સુધી સામાન્ય રીતે અધોલેકનું વર્ણન પૂરું થાય છે. એમાં બે બાબતે ખાસ જાણી લેવી જોઈએઃ ગતિઆગતિ અને દીપ–સમુદ્ર આદિને સંભવ. મતિઃ અસંસી પ્રાણી મરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે, આગળ નહિ; ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિંહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છ ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારક નહિ; કારણ કે એમનામાં એવા અધ્યવસાયને અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતું નથી; અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી, એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે. ૧. જુઓ આ સૂત્ર ૪૩-૪૪. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્વાર્થસૂત્ર પતિઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકો મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તીર્થંકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓના નારકે મનુષ્યગતિમાં સંયમનો લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા નારકો દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યકત્વને લાભ મેળવી શકે છે. દ્વીપ, સમુદ્ર મારિનો સમઃ રત્નપ્રભાને છોડીને બાકીની છ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર આદિ નથી વૃક્ષ, લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદ્રિયથી લઈને પંચેંદ્રિય પર્યત તિર્યંચ નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છોડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરને ચેડે ભાગ મધ્યલેકતિર્યગૂલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિઓમાં ફક્ત નારક અને કેટલાક એકેદ્રિય જીવો હોય છે. આ સામાન્ય નિયમનો અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિઓમાં ક્યારેક કોઈ સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચંદ્રિય તિર્યંચને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ તે એ અપેક્ષાએ છે કે કેવલિસમુદ્દઘાત કરતો મનુષ્ય સર્વલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિર્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ વિષયમાં હકીક્ત આ Page #348 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮ ૧૫૧ પ્રમાણે છે. કેટલાક દેવો ક્યારેક ક્યારેક પિતાના પૂર્વજન્મના મિત્ર નારકની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદેશથી જાય છે. એ રીતે જનારા દે પણ ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે; આગળ નહિ પરમધાર્મિક જે એક પ્રકારના દેવ છે, અને નરકમાલ કહેવાય છે, તે તો જન્મથી જ પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે. બીજા દે समयी पहेली भूमिमा न होय छे. [३] वे मध्यसोनु वर्णन 3रे छ : जम्बूद्वीपलवणादयः शुभनामानों द्वीपसमुद्राः ।। द्विविविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः।८। तन्मध्ये मेरुनाभित्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ।९। तत्र भरतहैमवतहरिविदेहरम्यकहरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।१०। तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः। ११ । द्विर्धातकीखण्डे । १२ । पुष्कराधे च । १३ । प्रा. मानुषोत्तरान् मनुष्याः ।१४। आर्या म्लेच्छाश्वः । १५ । भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकु. रुभ्यः ।१६। नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ।१७। तिर्यग्योनीनां च । १८ । Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર તવાર્થસૂત્ર જંબુદ્વીપ વગેરે શુભ નામવાળા દ્વીપ તથા લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે. તે બધા દ્વીપ અને સમુદ્ર, વલય જેવી આકૃતિવાળા, પૂર્વ પૂર્વને વેષ્ટિત કરવાવાળા અને બમણું બમણું વિષ્કભ-વ્યાસ-વિસ્તારવાળા છે. " એ બધાની વચમાં જંબુદ્વીપ છે, જે વૃત એટલે કે ગોળ છે, લાખ જન વિધ્વંભવાળે છે અને જેની મધ્યમાં મેરુ પર્વત છે. એમાં–જંબુદ્વીપમાં ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હૈરયવતવર્ષ, અરાવતવર્ષ એ સાત ક્ષેત્ર છે. એ ક્ષેત્રોને જુદા કરતા અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર – વંશધર પર્વત છે. ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રે જંબુદ્વીપથી બમણું છે. પુષ્કરાર્ધદ્વીપમાં પણ એટલાં જ છે. માનુષેત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મનુષ્ય છે. તે આર્ય અને મ્યુચ્છ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, એરાવત, તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-ત્ર ૭-૧૮ ૫૩ મનુષ્યાની સ્થિતિ આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપમ સુધી અને જધન્ય અત દૂત પ્રમાણ હોય છે. તથા તિય ચોની સ્થિતિ પણ એટલી જ છે. દ્વીપ અને સમુદ્રો : મધ્યમલોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે; આ જ હકીકત દ્વીપ–સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. મધ્યમલેાકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગેાઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહીં દ્વીપ–સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને આકૃતિ એ ત્રણ ખાખતા બતાવી છે, જેનાથી મધ્યમ લાકને આકાર માલૂમ પડે છે. વ્યાસ – જાંબુદ્રીપનેા પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ યોજનનેા છે. લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણા છે. ધાતકીખંડના લવણુસમુદ્રથી બમણા, કાલાધિના ધાતકીખંડથી બમણા, પુષ્કરવરદ્વીપના કાલેદધિથી ખમણેા, અને પુષ્કરાદધિસમુદ્રના પુષ્કરવરદ્વીપથી ખમણે વિસ્તાર છે. આ જ વિસ્તારના ક્રમ છેવટ સુધી સમજવે જોઈ એ, અર્થાત્ છેવટના દ્વીપ સ્વય’ભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણના વિસ્તાર બમણા છે. રચના : દ્વીપ-સમુદ્રોની રચના ઘ’ટીના પડ અને થાળાની સમાન છે; અર્થાત્ જબુદ્વીપ લવણુસમુદ્રથી વેષ્ટિત છે, લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલેદદ્ધિથી, કાલાધિ પુષ્કરવરદ્વીપથી અને પુષ્કરવર પુષ્કરાધિથી વેષ્ટિત છે. આ જ ક્રમ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર શ્રાદ્ઘતિ જંબુદ્રીપ થાળી જેવા ગાળ છે અને ખીજા બધા દ્વીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીન જેવી છે. [૭–૮] ૧૫૪ નાં ક્ષેત્રોને પ્રધાન ન ચૂદ્દીપ, જંબૂદ્દીપ એવા દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપ–સમુદ્રોની વચમાં છે. અર્થાત્ એનાથી કોઈ દ્વીપ અથવા સમુદ્ર વેષ્ટિત થયેલ નથી. જ ખૂદ્દીપના વિસ્તાર લાખ યેાજન પ્રમાણ છે. તે ગાળ છે; પરંતુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારના નથી પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેરુ પત છે. મેરુનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે : મેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, જેમાં હજાર યાજન જેટલો ભાગ જમીનમાં અર્થાત્ અદૃશ્ય છે, નવ્વાણું હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈ-પહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર યેાજન પ્રમાણ છે; પરન્તુ બહારના ભાગના ઉપરના અશ, જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર ચેટજન પ્રમાણ લાંખા-પહેાળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લાકમાં અવગાહિત થઈને રહેલા છે અને ચાર વનાથી ધેરાચેલા છે. પહેલા કાંડ હજાર યેાજન પ્રમાણ છે, જે જમીનમાં છે, ખીન્ને ત્રેસઠ હજાર યોજન અને ત્રીજો છત્રીસ હજાર યોજન પ્રમાણ છે. પહેલાં કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, ખીજામાં ચાંદી, સ્ફટિક આદિ, અને ત્રીજામાં સાનું અધિક છે. ચાર વનાનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક છે. લાખ યેાજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અધ્યાય ૩- સૂત્ર ૭-૧૮ ગેટલી છે, જે ચાલીસ જન ઊંચી છે; અને જે મૂળમાં બાર એજન, વચમાં આઠ જન અને ઉપર ચાર યોજન પ્રમાણ લાંબી–પહોળી છે. જબૂદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. તે ‘વંશ', “વર્ષ', અથવા “વાસ્ય' કહેવાય છે. તેમાં પહેલું ભરત છે; તે દક્ષિણ તરફ છે. ભારતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હૈરણ્યવત અને હૈરયવતની ઉત્તરે ઐરાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહેલું છે. સાતે ક્ષેત્રોને એકબીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પર્વત છે; તે “વર્ષધર” કહેવાય છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમાવાન પર્વત છે; હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમવાન છે; હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે; વિદેહ અને રમ્યક વર્ષની વચમાં નીલ પર્વત છે; રમ્યક અને હૈરણ્યવતને રુકમી પર્વત ભિન્ન કરે છે; હૈરણ્યવત અને ઐરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૯-૧૧] ૧. દિશાને નિયમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મોઢું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે. તેથી ત્યાં પણ સૂર્યોદય તરક મોટું કરતાં મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજા ક્ષેત્રોમાં પણ મેરુનું ઉત્તરવતિપણું સમજી લેવું. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ' તરવાથસૂત્ર ઘાતજીવંર અને પુજારી: જંબૂદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા બમણી છે; અર્થાત એમાં બે મેરુ, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે, પરંતુ નામ એકસરખાં જ છે. તાત્પર્ય કે જંબૂઢીપમાં આવેલા મેરુ, વર્ષધર અને વર્ષનાં જે નામ છે, તે જ ધાતકીખંડમાં આવેલા મેર આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ એવા બે ભાગ છે. પૂર્વ અને પશ્ચિમાદ્ધને વિભાગ બે પર્વતથી થઈ જાય છે; તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને ઈષ્પાકાર – બાણની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષ અને છ છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જબૂદીપમાં છે, તે ધાતકીખંડમાં બમણાં છે. ધાતકીખંડન પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્ક રૂપે વિભક્ત કરતાં દક્ષિણથી ઉત્તર ફેલાયેલા ઈષ્પાકાર –બાણના આકારના બે પવત છે; તથા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે, તે બધા એક બાજુએ કાલેદધિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણોદધિને સ્પર્શ કરે છે. પૂર્વ અને પશ્ચિમાર્કમાં રહેલા છ છ વર્ષધોને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તે એ વર્ષધરેના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રોને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ. મેર, વર્ષ અને વર્ષધરેની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્ધદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. તે બાણકાર પર્વતેથી Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩- સૂગ ૭-૧૮ ૧૫૭ વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્કમાં રહેલા છે. આ રીતે સરવાળો કરતાં અઢીદ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્રો, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજય અને પાંચ ભરત તેમ જ પાંચ ઐરાવતના બસે પંચાવન “આર્યદેશ” છે. અંતરીપ ફક્ત લવણસમુદ્રમાં હોવાથી છપ્પન છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષત્તર” નામને પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકાર ઊભો છે અને મનુષ્યલેકને ઘેરે છે. જબુદીપ, ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ એ અઢીદ્વીપ તથા લવણ અને કાલેદધિ એ બે સમુદ્ર એટલે જ ભાગ “મનુષ્યલેક” કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્યલેક અને ઉક્ત પર્વતનું નામ માનુષેત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતું નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કઈ મનુષ્ય અઢીદીપની બહાર જઈ શકે છે, પરંતુ એમાં પણ જન્મ, મરણ માનુષોત્તરની અંદર જ થાય છે. [૧૨ – ૧૩] - મનુષ્યનાતિનું સ્થિતિક્ષેત્ર અને પ્રર : માનુષત્તરની પૂર્વે જે અઢીઠીપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એને એ અર્થ નથી કે દરેક જગ્યાએ છે. એનો ભાવાર્થ એ છે કે જન્મથી તે મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અઢીદ્વીપથી અંદર રહેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરીપ કહ્યાં છે એમાં છે; પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદ્વીપના તથા બે સમુદ્રના કઈ પણ ભાગમાં દેખાય છે; એટલું જ નહિ પણ મેરુપર્વતની ચૂલિકા – ચોટલી ઉપર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્વાર્થસૂત્ર એમ હોવા છતાં પણ તેઓ ભારતીય છે, તેઓ હૈમવતીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબંધથી અને તેઓ જંબુદ્વીપીય છે, તેઓ ધાતકીખંડીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના દ્વીપના સંબંધથી સમજ જોઈએ. [૧૪]. મનુષ્યજાતિના મુખ્યપણે બે ભાગ છે : “આર્ય” અને લૈ૭.” નિમિત્તભેદથી છ પ્રકારના આર્ય માનવામાં આવે છે. જેમ કે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી. “ક્ષેત્રઆર્ય” તે છે જે પંદર કર્મભૂમિઓમાં અને એમાંય પણ આદેશમાં પેદા થાય છે. જે ઈક્વાકુ, વિદેહ, હરિ જ્ઞાત, કુરુ, ઉગ્ર આદિ વંશમાં પેદા થાય છે, તે જાતિઆર્ય' કહેવાય છે. કુલકર, ચક્રવત, બળદેવ, વાસુદેવ, અને બીજા પણ જે વિશુદ્ધ, કુળવાળા છે, તે “કુળઆર્ય' છે. યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનાર કર્મઆર્ય” છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિંદ્ય આજીવિકાથી જીવે છે, તે શિલ્પઆર્ય' છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ ૧. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં સાડી પચીસ સાડી પચીસ આદેશ ગણાવ્યા છે. આ રીતે એ બસે પંચાવન આદેશ અને પાંચ વિદેહની એકસો સાઠ ચક્રવતી-વિજય, જે આર્યદેશ છે, તેમને છોડીને બાકીના પંદર કર્મભૂમિએના ભાગ આર્યદેશરૂપ માનવામાં આવતા નથી. ૨. તીર્થકર, ગણધર આદિ જેઓ અતિશયસંપન્ન છે, તે શિષ્ટ. તેમની ભાષા સંસ્કૃત, અર્ધમાગધી ઇત્યાદિ. . Page #356 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮ ૧૫૯ રીતે ખેલવા આદિના વ્યવહાર કરે છે, તે ભાષાથ્યા' છે. એ છ પ્રકારના આર્યાંથી ઊલટાં લક્ષણવાળા બધા મ્લેચ્છ૧ છે; જેમ કે, શક, યવન, ખાજ, શખર, પુલિંદ, આદિ. છપ્પન અંતરદ્વીપમાં રહેતા બધાયે અને ક્ર ભૂમિમાં પણ જે અનાદેશાત્પન્ન છે તે પણ મ્લેચ્છ જ છે. [૧૫] ર્મભૂમિત્રોને નિર્દે શ : જેમાં મેાક્ષમાને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તી કર પેદા થઈ શકે છે, તે Ο ર્મભૂમિ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરદ્વીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની ક ભૂમિએ પંદર જ છે; જેમ કે, પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અંતરદ્દીપ અમૂમિ જ છે. જોકે દેવકુરુ અને ઉત્તરકુરુ એ એ વિદેહની અંદર જ છે, તેપણ તે ક ભૂમિએ નથી; કેમ કે એમાં યુગલધર્મી હેાવાને કારણે ચારિત્રને સંભવ ત્યારેય પણ હાતા નથી, જેમ હૈમવત આદિ અકર્મ ભૂમિએમાં નથી. [૧૬] મનુષ્ય અને તિ વની સ્થિતિ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિજીવિતકાળ ત્રણ પત્યેાયમ અને જધન્ય સ્થિતિ અંતર્મુ ત પ્રમાણ જ છે; તિય ચાની પણ ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે ત્રણ પલ્યાપમ અને અંત પ્રમાણ જ છે. ૧. આ વ્યાખ્યા પ્રમાણે હૈમવત આદિ ત્રીસ ભાગભૂમિમાં અર્થાત્ અકમ ભૂમિઓમાં રહેનારા મ્લેચ્છા જ છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ભવ અને કાય ભેદથી સ્થિતિ એ પ્રકારની છે. કા પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે ભવસ્થિતિ; અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવુ, તે ‘કાયસ્થિતિ' છે. ઉપર જે મનુષ્યની તિય ચની જધન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હેાય અથવા તિર્યંચ, એ બધાની જધન્ય કાયસ્થિતિ તા ભવસ્થિતિની માફક અતદૂત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠે ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત્ કાઈ પણ મનુષ્ય પાતાની મનુષ્યજાતિમાં લાગલાગઢ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છેડી દે છે. ૧૩૦ અધા તિર્યંચાની કાયસ્થિતિ અને ભસ્થિતિ એકસરખી નથી. એથી એમની બન્ને સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણે : પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષી, જયકાળની સાત હજાર વર્ષી, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ અહારાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષા અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી—અવસર્પિણી પ્રમાણ છે. ી દ્રિયની ભવસ્થિતિ ખાર વર્ષ, ત્રીદ્રિયની એગણપચાસ અહેારાત્ર અને ચતુરિદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેન કાયસ્થિતિ સ ંખ્યાત હજાર વર્ષની છે. પંચેન્દ્રિય તિયામાં ગજ અને સમૂમિની ભવસ્થિતિ જુદી જુદી છે. ગજની Page #358 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩-સૂરા ૭-૧૮ ૧૬૧ એટલે જળચર, ઉરગ અને ભુજગની કરેડ પૂર્વ, પક્ષીઓની પાપમને અસંખ્યાતમો ભાગ, અને ચારપગાં સ્થલચરની ત્રણ પલ્યોપમ ભવસ્થિતિ છે. સંભૂમિમાં જલચરની કરેડ પૂર્વ, ઉરગની ત્રેપન હજાર અને ભુજગની બેંતાલીસ હજાર વર્ષની ભવસ્થિતિ છે. પક્ષીઓની બોતેર હજાર અને સ્થલચરની ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મગ્રહણ અને સંમૂછિમની સાત જન્મગ્રહણ પરિમાણ છે. [૧૭–૧૮] Page #359 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ ત્રીજા અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. પ્રથમ, દેના પ્રકાર કહે છે: સેવાશ્ચતુર્નિયાઃ | દેવ ચાર નિકાયવાળા છે. નિકાયનો અર્થ અમુક સમૂહ એટલે જાતિ છે. દેવના ચાર નિકાય છે; જેમ કે, ૧. ભવનપતિ, ૨. વ્યંતર. ૩. જ્યોતિષ્ક અને ૪. વૈમાનિક. [૧] ત્રીજા નિકાયની લેયા કહે છે: તૃતિય: : ! ! ૧. દિગંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર અને તિષ્ક એ ત્રણ નિકામાં કૃષ્ણથી તેજ: પયત ચાર વેશ્યાઓ માને છે. પરન્તુ વેતાંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪-સૂત્ર ૩ ત્રીજો નિકાય પીતલેશ્યાવાળા છે. જ્યાતિષ્ઠ પૂર્વેřક્ત ચાર નિકાયામાં ત્રીજા નિકાયના દેવ છે. એમાં ફક્ત પીત–તેજોલેશ્યા છે. અહીંયાં લેસ્યાના અ દ્રવ્યક્ષેશ્યા એટલે કે શારીરિક વર્ણ છે, અય્યવસાયવિશેષરૂપ ભાવલેશ્યા નથી; કેમ કે ભાવલેશ્યા તે! ચારે નિકાયાના દેવામાં મે હૈાય છે. [૨] હવે ચાર નિકાયાના ભેદ કહે છે : दशा पञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः । ३। કલ્પપપન્ન દેવ સુધીના ચતુને કાયિક દેવાના અનુક્રમે દશ, આઠ, પાંચ અને ખાર ભેદ છે. ભવનપતિનિકાયના દશ, વ્યંતરનિકાયના આઠેક જ્યાતિષ્ઠનિકાયના પાંચ અને વૈમાનિકનિકાયના બાર ભેદો છે. તે બધાનું વર્ણન આગળ કરે છે. વૈમાનિકનિકાયના ખાર ભેદો કહ્યા છે તે કલ્પાપપન્ન વૈમાનિક દેવ સુધીના સમજવા જોઈ એ; કેમ કે કલ્પાતીત દેવા . વૈમાનિકનિકાયના હેાવા છતાં પણ ઉપરના બાર ભેદોમાં આવતા નથી. સૌધર્માથી અચ્યુત સુધીનાં બાર સ્વર્ગ–દેવલાક છે, તે કલ્પ કહેવાય છે. [ ૩ ] જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે, અને જ્યાતિષ્ઠનિકાયમાં ફક્ત તેોલેશ્યા માને છે. આ મતભેદના કારણે શ્વે॰ ૫૦માં આ બીજી અને આગળનુ સાતમુ' એ બન્ને સૂત્રો ભિન્ન છે; જ્યારે દિ૦ ૫૦ માં આ બે સૂત્રોના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમ કે, 6 " आदितस्त्रिषु पीतान्तलेश्या : ૧૩૩ ૧. લૈશ્યાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જીઆ હિંદી ‘કમ ગ્રંથ' ચાથાનું લેફ્યાશવિષયક પરિશિષ્ટ, પૃ. ૩૩. Page #361 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર હવે ચતુર્નિકાયના અવાન્તર ભેદ કહે છે? इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालाનવરામિિિરષિારઃ ૪૫ त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ।। ચતુર્નિકાયના ઉપરના દશ આદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્ચિશ, પારિષદ્ય, આત્મરક્ષ, લેકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિગ્ય અને કિબિષિક રૂપે છે. વ્યંતર અને જ્યોતિષ્ક ત્રાયસિંશ તથા લેકપાલ રહિત છે. ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવ છે; તે પ્રત્યેક દેવ ઈન્દ્ર, સામાનિક આદિ દશ ભાગોમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી | કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈન્દ્રની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઇંદ્રવ નથી, તે સામનિ કહેવાય છે. ૩. જે દેવો મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, તે ત્રી કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે, તે રિષ છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે સામરક્ષ કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે તે રોપાત્ર છે. ૭. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે અનવર છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે પ્રજીવા કહેવાય છે. ૯. જે દાસની તુલ્ય છે, તે સમય સેવક અને ૧૦. જે અંત્યજ સમાન છે, તે વિસ્થિષિવ. Page #362 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪- સૂત્ર ૬ ૧૪પ બારે દેવલોકમાં અનેક પ્રકારના વૈમાનિક દેવ પણ ઇંદ્ર, સામાનિક આદિ ભાગમાં વિભક્ત છે. | વ્યંતરનિકાયના આઠ અને જ્યોતિષ્કનિકાયના પાંચ ભેદે ફક્ત ૮ આદિ આઠ વિભાગમાં જ વિભક્ત છે; કેમ કે એ બને નિકામાં ત્રાયશ્ચિંશ અને લેકપાલની જાતિના દેવો હેતા નથી. [૪-૫] ઇદ્રોની સંખ્યાનો નિયમ કહે છે ? પૂર્વજો દ્વારા દા પહેલા બે નિકામાં બે બે ઇંદ્ર છે. ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે પ્રકારના દેવામાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠ પ્રકારના દેવામાં બે બે ઇદ્ર છે. જેમ કે, ચમર અને બલિ અસુર કુમારેમાં, ધરણ અને ભૂતાનંદ નાગકુમારેમાં, હરિ અને હરિસહ વિઘુકુમારોમાં, વેણુદેવ અને વેણુદારી સુપર્ણકુમારેમાં, અગ્નિશિખ અને અગ્નિમાણવ અગ્નિકુમારમાં, વેલંબ અને પ્રભંજન વાયુકુમારમાં, સુષ અને મહાઘોષ સ્વનિતકુમારેમાં, જલકાંત અને જલપ્રભ ઉદધિકુમારેમાં, પૂર્ણ અને વાસિષ્ઠ દ્વીપકુમારોમાં તથા અમિતગતિ અને અમિતવાહન દિકકુમારિમાં ઇદ્ર છે. એ રીતે વ્યંતરનિકામાં પણ, કિન્નરમાં કિન્નર અને કિંગુરુષ, કિંપુરુષોમાં સતપુરુષ અને મહાપુરુષ, મહેરગમાં અતિકાય અને મહાકાય, ગાંધમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષોમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોમાં ભીમ અને મહાભીમ, ભૂતોમાં પ્રતિરૂપ અને અને અપ્રતિરૂપ તથા પિશાચેમાં કાળ અને મહાકાળ એમ બે બે ઈકો છે. ત-૧૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ભવનપતિ અને વ્યંતર એ એ નિકાયામાં એ એ ઇંદ્ર કહેવાથી બાકીના નિકાયામાં એ એ ઈંદ્રોના અભાવ સૂચિત કર્યા છે. જ્યાતિષ્કમાં તે ચદ્ર અને સૂર્ય' જ ઇંદ્ર છે. ચંદ્ર અને સૂર્યાં અસ ંખ્યાત છે; એથી જ્યાતિનિકાયમાં દ્ર પણ એટલા જ હાય છે. વૈમાનિકનિકાયમાં પ્રત્યેક કલ્પમાં એક એક ઈંદ્ર છે. સૌધ કલ્પમાં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાતકુમારમાં સનત્કુમાર નામના ઇંદ્ર છે. આ રીતે ઉપર જણાવેલ દેવલાકામાં તે તે દેવલાકના નામવાળા એક એક ઇંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ બંનેને ઇંદ્ર એક છે, અને તેનું નામ પ્રાણત છે. આરણ અને અચ્યુત એ એ કલ્પાના ઇંદ્ર પશુ એક છે અને તેનુ નામ અચ્યુત છે. [૬] હવે પહેલા એ નિકાયામાં લેશ્યા કહે છે : ૧૯૬ पीतान्तलेश्या: । ७ । પહેલા એ નિકાયના દેવ પીત–તેને પ ત લેફ્સાવાળા છે. ભવનપતિ અને વ્યંતર જાતિના દેવામાં શારીરિક વરૂપ દ્રવ્યલેશ્યા ચાર જ મનાય છે. જેમ કે, કૃષ્ણ, નીલ, કાપાત અને પીત-તેજ. [૭] દેવાના કામસુખનું વર્ણન કરે છેઃ कायप्रवीचारा आ पेशानात् । ८ । शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयाः । ९ । परेऽप्रवीचाराः । १० । Page #364 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪-સૂત્ર ૮-૧૦ ૧૩૭ ઈશાન સુધીના દેવા કાયપ્રવીચાર એટલે કે શરીરથી વિષયસુખ ભાગવવાવા ! છે, બાકીના ધ્રુવા એ એ કલ્પમાં ક્રમથી ૫, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભાગવે છે, બીજા બધા દેવા પ્રવીચારરહિત અર્થાત્ વૈયિક સુખભાગથી રહિત હાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ક અને પહેલા તથા ખીજા સ્વના વૈમાનિક, આટલા દેવા મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવા મનુષ્યની સમાન સર્વાંગાના શરીરસ્પ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તે વૈષિયક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચાથા સ્વર્ગના દેવા તેા દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણાની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવા, દેવીઓના સુસજ્જિત રૂપને જોઈ ને જ વિષયજન્ય સુખ સાષ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવાની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવના નવમા અને દશમા, અગિયારમા અને જોડીઓના અર્થાત ચાર સ્વર્ગાના દેવાની દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે; એમને દેવીના સ્પર્શની કે રૂપ જોવાની સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે ખીજા આનંદ મળે છે; આમ એ એ વૈષયિક તૃપ્તિ ફક્ત આ તૃપ્તિને માટે કે ગીત આદિ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તરવાથસૂત્ર સ્વર્ગ સુધી જ દેવીઓની ઉત્પત્તિ છે. એની ઉપર નથી; એથી જ્યારે તેઓ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા દેને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેઓને પોતા તરફ આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવોની પાસે પહોંચી જાય છે. ત્યાં પહોંચતાંની સાથે જ એના હાથ આદિને માત્ર સ્પર્શથી ત્રીજા-ચોથા સ્વર્ગના દેવેની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસજિજત મનોહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવોની કામલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમા સ્વર્ગના દેવ વૈષયિક આનંદને અનુભવ કરી લે છે. દેવીઓ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી બારમા સ્વર્ગના દેવની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિતન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ શાંત અને કામલાલસા રહિત હોય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાયે તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમ જેમ કામવાસનાની પ્રબળતા, તેમ તેમ ચિત્તને કલેશ અધિક; તથા જેમ જેમ ચિત્તને કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભેગ પણ અધિકાધિક જોઈએ. બીજા સ્વર્ગ સુધીના દેવેની અપેક્ષાએ ત્રીજા, ચોથાની અને તેમની અપેક્ષાએ પાંચમ, છઠ્ઠાની એ રીતે ઉપરઉપરના સ્વર્ગના દેવેની કામવાસના મંદ હોય છે; એથી એમના ચિત્તસંક્લેશની માત્રા પણ કમ હોય છે, તેથી જ એમના કામભોગનાં સાધન Page #366 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ - સુત્ર ૧૫-૨૦ પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપરના દેવેની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન આદિમાંથી કઈ પણ ભોગની ઈચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવની અપેક્ષાએ ઉપરઉપરના દેવેનું સુખ અધિકાધિક માનવામાં આવે છે. [૮-૧૦] હવે ચતુર્નિકાયના દેવના પૂર્વોક્ત ભેદોનું વર્ણન કરે છે : भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनिते।દ્વિપરિમા | ૨૨ व्यन्तराः किन्नरकिम्पुरुषमहारगगान्धर्व यक्षराक्षમૂતપિશાવાઃ ૨૨ . ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतार• કાગ્ર / રૂ मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । તત: વિમાનઃ | ૨૬/ વgિવસ્થિતા જેમના ૨૭ વાપાના: Wાતીતજ્ઞ ! ૨૮૫ ઉપર્યુરિ ૨૨ તૌધાનતારવુજાહેરસ્ટારતww. ૧. શ્વેતાંબર સંપ્રદાયમાં બાર કલ્પે છે, પરંતુ દિગંબ સંપ્રદાય સેળ કલ્પને માને છે. એમાં બ્રહ્મોત્તર, કાપિષ્ઠ, શુક અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે કમપૂર્વક છઠ્ઠા, આઠમા, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. દિગંબરીય સૂત્રપાઠ માટે સૂત્રોનું તુલનાત્મક પરિશિષ્ટ જુઓ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ महाशुक्रसहस्त्रारेष्वानतप्राण तयोरारणाच्युतयेोर्न' वसु ग्रैवेयकेषु विजयवैजयन्ताजयन्ता पराजितेषु सर्वार्थ सिद्धेच ।૨૦। અસુરકુમાર, નાગકુમાર, વિશ્વકુમાર, સુપણું - કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને ક્રિકુમાર, એ ભવનવાસિનિકાય છે. તત્ત્વાર્થ સૂત્ર કિંનર, કિંપુરુષ, કિંપુરુષ, મહેારગ, ગાંધવ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્ય'તરનિકાય છે. સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકી તારા એ જ્યાતિષ્ઠનિકાય છે. તે મનુષ્યલેાકમાં મેરુની ચારે માજુએ પ્રદક્ષિણા કરવાવાળા તથા નિત્ય ગતિશીલ છે. કાળના વિભાગ એ ચર જ્યાતિષ્ઠે કરાયા છે. હાય છે. મનુષ્યલેાકની બહાર જ્યાતિષ્ઠો સ્થિર રહેલા ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવા છે. તે કલ્પાપપન્ન અને પાતીત રૂપ છે. અને ઉપર ઉપર રહે છે. દ્વારા સૌધર્મ, અશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણુત અને આરણ અશ્રુત તથા નવ પ્રૈવેયક અને વિજય, Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪- સૂત્ર ૧૧- ૨૦ વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધમાં એમને નિવાસ છે. રવિધ સંવનપત્તિ : દશે પ્રકારના ભવનપતિ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકેટિ લક્ષ જન સુધી રહે છે. અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્યારેક ભવનમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મોટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાને પૃથ્વીપિંડમાંથી ઊંચે, નીચે એક એક હજાર જન છેડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજનપરિમાણ ભાગમાં આવા દરેક જગ્યાએ છે; પરતુ ભવને તે રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપરિમાણ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે. ભવન બહારથી ગેળ, અંદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં હોય છે. બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ કુમારની માફક જોવામાં મનોહર તથા સુકુમાર હેય છે; અને મૃદુ, મધુરગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પિતપોતાની જાતિમાં જુદી જુદી હોય છે. જેમ કે અસુર કુમારને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય છે. નાગકુમારોને નાગનું, વિઘુકુમારને વજનું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારેને અશ્વનું, સ્તનિકકુમારને ૧. “સંગ્રહણીમાં ઉદધિકુમારને અશ્વનું અને વાયુમારને મકરનું ચિહ્ન લખ્યું છે, ગા. ૨૬. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર તવાથસૂત્ર વર્ધમાન–શરાવની જોડીનું, ઉદધિકુમારને મકરનું, દ્વીપકુમારને સિંહનું અને દિકકુમારેને હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર આદિ બધાએાનાં ચિહ્ન, એમના આભરણમાં હોય છે. બધાનાં વસ્ત્ર, શસ્ત્ર, ભૂષણ આદિ વિવિધ હેય છે. [૧૧] ચંતરના મેટ્ર-કમે બધા વ્યંતર દેવો ઊર્ધ્વ, તિરછા અને નીચે ત્રણે લેકમાં ભવન અને આવાસમાં વસે છે. તે પિતાની ઈચ્છાથી અથવા બીજાની પ્રેરણાથી ભિન્નભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી કેટલાક તો મનુષ્યોની પણ સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પહાડોમાં, ગુફાઓ તથા વનના આંતરાઓમાં વસવાના કારણથી વ્યંતર કહેવાય છે. એમાંથી કિનર નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, કિંમર, લિંપુરુષ, કિં પુરુષોત્તમ, કિંનત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય અને રતિષ્ઠ. કિં પુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમ કે, પુરુષ, પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાન. મહારગના દશ પ્રકાર આ પ્રમાણે છેઃ ભુજગ, ભોગશાલી, મહાકાય, અતિકાય. સ્કંધશાલી, મનેરમ, મહાવેગ, મહેષ્વક્ષ, મેરુકાંત, અને ભાસ્વાન. ગાંધર્વના બાર પ્રકાર આ પ્રમાણે છે: હાહા, હૃદુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશસૂ. યક્ષોના તેર પ્રકાર આ પ્રમાણે છે: પૂર્ણભદ્ર, માણિભદ્ર, તભદ્ર, હરિભક, સુમનભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતેભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ. રાક્ષસના સાત પ્રકાર આ પ્રમાણે છે: ભીમ, મહાભીમ, વિન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. ભૂતોના ભદ્ર, હરિભકાવનાહાર, નામ, મહાભીમ વિ Page #370 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪-સૂત્ર ૧૧ – ૨૦ ૧૦૭ નવ પ્રકાર આ પ્રમાણે છે : સુરૂષ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતાત્તમ, સ્ક ંદિક, મહાસ્ક દિક, મહાવેગ, પ્રતિષ્ઠન અને આકાશગ. પિશાચાના પદર ભેદ આ પ્રમાણે છે : કૂષ્માંડ, પટક, જોષ, આહ્વક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, અને વપિશાચ. આઠ પ્રકારના વ્યંતરાનાં ચિહ્ન અનુક્રમે આ પ્રમાણે છેઃ અશાક, ચ ંપક, નાગ, તું ખરું, વટ, ખાંગ (યાગીએ પાસેને ખાપરીવાળા દંડ), સુલસ અને કદંબક. ખાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્નો વૃક્ષ જાતિનાં છે; શ્મા બધાં ચિહ્નો એમના આભૂષણુ આદિમાં હોય છે. [૧૨] પંચવિધ ઐતિષ્ઠ : મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા તેવું યાજનની ઊંચાઈ ઉપર જ્યાતિશ્રશ્નના ક્ષેત્રના આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઈમાં એકસો દશ યોજનપરિમાણ છે, અને તીરğ અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિમાણ છે. એમાં દશ યોજનની ઊંચાઈ ઉપર અર્થાત્ ઉક્ત સમતલથી આઠસ યેાજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે; ત્યાંથી એંશી યેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આઢસા એંશી યેાજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે, ત્યાંથી વીશ યેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત્ સમતલથી નવસા યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકી તારા કહેવાની મતલબ એ છે કે ખીજા કેટલાક તારાઆ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી. કારેક સૂ ચંદ્રની નીચે પણ ચાલ્યા જાય છે અને કયારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર ગીશ ચેાજનની ઊંચાઈમાં પહેલા ચાર યાજનની ઊંચાઈ પર નક્ષત્ર છે, એની પછી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્વાર્થસૂત્ર ચાર એજનની ઊંચાઈ ઉપર બુધ ગ્રહ, બુધથી ત્રણ જન ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ યોજન ઊંચે ગુરુ, ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ યોજન ઊંચે શનૈશ્ચર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ એજનપ્રમાણ જ્યોતિષ ક્ષેત્રમાં ચાલે છે, જ્યોતિષ-પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય આદિ તિષ્ક કહેવાય છે. એ બધાના મુકુટોમાં પ્રભામંડલ જેવું ઉજજવલ સૂર્યાદિના મંડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્યમંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાને તારામંડળના જેવું ચિહ્ન હોય છે. [૧૩] ૨ ચોતિ: માનુષોત્તર નામના પર્વત સુધી મનુષ્યલેક છે, એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલોમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસો બત્રીસ એકસો બત્રીસ છે. જેમ કે જબુદીપમાં બે બે, લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં બાર બાર, કાલોદધિમાં બેંતાલીસ બેંતાલીસ અને પુષ્કરમાં બોતેર બેતર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચંદ્રને પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અડ્યાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પંચોતેર કટાકેટિ તારાઓ છે. જે કે લેકમર્યાદાના સ્વભાવથી જ તિષ્ક વિમાન સદાયે પિતાની જાતે જ ફરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આભિયોગ્ય-સેવક નામકર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દે એ વિમાનને ઉપાડીને ફરે છે. પૂર્વ ૧. જુઓ અ૦ ૩, સૂ૦ ૧૪. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાય ૪- સૂત્ર ૧૧-૨૦ દિશામાં સિંહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાગૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઈને બ્રમણ કર્યા કરે છે. [૧૪] મનુષ્યલેકમાં મુહૂર્ત, અહેરાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ: સંખેય, તથા અસંખેય આદિ રૂપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલકની બહાર જે કઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવો વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલેકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમ કે વ્યાવહારિક કાળવિભાગનો મુખ્ય આધાર માત્ર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિકોની ગતિ જ છે; ગતિ પણ સર્વ તિષ્કમાં સર્વત્ર હેતી નથી, ફક્ત મનુષ્યલોકમાં વર્તતા તિષ્કમાં જ હોય છે. એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ તિષ્ઠોની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સૂર્ય આદિ તિષ્કની નિયત ગતિ ઉપર અવલંબિત હોવાથી એનાથી જાણી શકાય છે; સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતું નથી. અમુક નિયત સ્થાનમાં જે સૂર્યનું પ્રથમ દર્શન થાય છે અને અમુક સ્થાનમાં છે તેનું અદર્શન થાય છે તે ઉદયાત છે. એ ઉદયાસ્ત વચ્ચેની સૂર્યની ક્રિયાથી દિવસને વ્યવહાર થાય છે. આ રીતે જ સૂર્યના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાતનો વ્યવહાર થાય છે. દિન અને રાતને ત્રીસમો ભાગ મુહૂર્ત છે, પંદર દિન, રાત એ પણ કહેવાય છે, બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુ અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષોનો યુગ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તત્વાર્થસૂત્ર ઇત્યાદિ અનેક પ્રકારને લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ હોય તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીતકાળ. જે કાળ ગણતરીમાં આવી શકે તે સંખ્યય, જે ગણતરીમાં નથી આવી શકતો પણ ફક્ત ઉપમાન દ્વારા જાણી શકાય છે તે અસંખ્યય, જેમ કે, પલ્યોપમ, સાગરેપમ આદિ; અને જેનો અંત નથી તે અનંત. [૧૫] રિચર ક્યોતિ : મનુષ્યલકની બહારનાં સૂર્ય આદિતિષ્ક વિમાન સ્થિર છે. કેમ કે એમનાં વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે. અહીંતહીં ભમતા નથી. આ કારણથી એમની લેશ્યા અને એમને પ્રકાશ પણ એક રૂપે સ્થિર છે; અર્થાત્ ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી જ્યોતિષ્કનો સ્વાભાવિક પીળો રંગ જેમને તેમ રહે છે, અને ઉદય અસ્ત ન હોવાથી લક્ષ જનપરિમાણ પ્રકાશ પણ એકસરખે સ્થિર રહે છે. [૧૬]. વૈમાનિ : ચતુર્થનિકાયના દેવ વૈમાનિક કહેવાય છે. એમનું વૈમાનિક એ નામ માત્ર પારિભાષિક છે; કેમ કે વિમાનથી ચાલતા એવા તો બીજા નિકાયના દેવ પણ હોય છે. વૈમાનિકના કલ્પપપન્ન અને કલ્પાતીત એવા બે ભેદ હોય છે. જે કલ્પમાં રહે છે, તે કલ્પપપન્ન અને જે કલ્પની બહાર રહે છે તે કલ્પાતીત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં હોતા નથી, કે તીરછા પણ હતા નથી; કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહેલા હોય છે. [૧૮–૧૯] કલ્પના સૌધર્મ, ઐશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચક્રની ઉપર અસંખ્યાત જન ચડવા Page #374 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ સૂત્ર-ર૧-૨૨ ૧૭૭ પછી મેના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશપ્રદેશમાં રહેલે છે. એની ઉપર કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાનકલ્પ છે. સૌધર્મકલ્પની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને ઐશાનની ઉપર સમશ્રેણીમાં મહેંદ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલેક કલ્પ છે; એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કપ એક બીજાની ઉપર ઉપર છે. એમની ઉપર સૌધર્મ અને ઐશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પ છે. એમની ઉપર સમશ્રેણીમાં સાનકુમાર અને માહેદ્રની માફક આરણ અને અય્યત કલ્પ છે. આ કલ્પોની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાથી શૈવેયક કહેવાય છે. એમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. તે સૌથી ઉત્તર પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અચુત સુધીના દેવો કલ્પપપન્ન અને એમની ઉપરના બધા દેવે કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી સેવકભાવ છે, પરંતુ કલ્પાતીતમાં નથી, ત્યાં તે બધા ઈંદ્ર જેવા હેવાથી “અહમિંદ્ર કહેવાય છે. મનુષ્યલેકમાં કેઈ નિમિત્તથી જવાનું થાય તો કલ્પપપન્ન દેવ જ જાય-આવે છે. કલ્પાતીત પિતાના સ્થાનને છોડી ક્યાંય જતા નથી. [૨૦] હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરોત્તર અધિકતા અને હીનતા કહે છે : स्थितिप्रभावमुखद्युतिलेश्याविशुद्धीन्द्रियाऽवधिવિષયતા : ૨૨. તિરારિબfમાન હીના રા Page #375 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર સ્થિતિ, પ્રભાવ, સુખ, દ્યુતિ, લેસ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયવિષય અને અધિવિષયમાં ઉપરઉપરના દેવા અધિક હાય છે. ૧૭૮ ગતિ, શરીર, ઉપરઉપરના દેવા હીન છે. પરિગ્રહ અને અભિમાનમાં નીચેનીચેના દેવાથી ઉપરઉપરના દેવા સાત વાતામાં અધિક હાય છે. તે નીચે પ્રમાણે : ૧; સ્થિતિ : આના વિશેષ ખુલાસા આગળ તેવીસમા સૂત્રમાં છે. ૨. માવ : નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય'; અણિમા મહિમા આદિ સિદ્ધિનું સામર્થ્ય, અને આક્રમણ કરી બીજાએ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે; આવા પ્રભાવ જો કે ઉપરઉપરના દેવામાં અધિક હાય છે તે પણ તેમાં ઉત્તરાત્તર અભિમાન અને સફ્લેશ ઓછા હેાવાથી તેઓ પેાતાના પ્રભાવનેા ઉપયાગ ઓછે જ કરે છે. ૩,૪. પુલ અને યુતિ : ઇંદ્રિયા દ્વારા ગ્રાહ્ય વિષયેાના અનુભવ કરવા એ સુખ છે. શરીર, વસ્ત્ર અને આભરણ આદિનું તેજ એ દ્યુતિ છે. એ સુખ અને શ્રુતિ ઉપરઉપરના દેવામાં અધિક હાવાનું કારણ ઉત્તર।ત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પુદ્ગલપરિણામની પ્રકૃષ્ટતા જ છે. ૫. સ્ટેયાની વિશુદ્ધિ : લેશ્યાના નિયમ આગળ તેવીસમા સૂત્રમાં સ્પષ્ટ થશે. અહીંયાં એટલું જાણી લેવુ જોઈ એ કે જે દેવાની લેસ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ Page #376 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ – સૂત્ર ૨૧-૨૨ - ૧૭૯ ઉપરના દેવાની લેશ્યા, સફ્લેશના છાપણાના કારણથી ઉત્તરાત્તર વિશુદ્ધ; વિશુદ્ધત્તર જ હાય છે. ૬. ત્રિવિષય : દૂરથી ષ્ટ વિષયાનુ ગ્રહણ કરવાનુ જે ઇંદ્રિયાનું સામર્થ્ય તે પણ ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ અને સલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હોય છે. ૭, અવધિજ્ઞાનને વિવય અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવામાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરા ભાગમાં અસંખ્યાત લાખ ચેાજન સુધી અને ઊંચા ભાગમાં પોતપોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હાય છે. ત્રીજા અને ચાથા સ્વર્ગના દેવા નીચેના ભાગમાં શરાપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યેાજન સુધી અને ઊર્ધ્વ ભાગમાં પોતપાતાના ભવન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાનવાસી દેવા સંપૂર્ણ લાકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવાના અધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હાય છે, તેઓમાં પણ નીચેની અપેક્ષાએ ઉપરના દેવાને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હાય છે. [૨૧] ચાર બાબતો એવી છે જે નીચેના દેવાની અપેક્ષાએ ઉપરઉપરના દેવામાં આછી હેાય છે. જેમકે ; ૧. રામનયિાની રાપ્તિ અને મનયિામાં પ્રવૃત્તિ : એ અને ઉપરઉપરના દેવામાં એા હાય છે; કેમ કે ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હાવાને કારણે દેશાંતરવિષયક ક્રીડા કરવાની રતિ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વાર્થસૂત્ર ઓછીઓછી થતી જાય છે. સાનકુમાર આદિ દેવે જેમની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ હોય છે, તે અધોભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર કેડાર્કડિ જન પર્યત જવાનું સામર્થ્ય રાખે છે, એમની પછીના દેવને ગતિવિષય ઘટતાંઘટતાં એટલે બધા ઘટી જાય છે કે ઉપરના દેવ વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઈ શકે છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયો નથી અને જશે નહિ. ૨. શારીરનું રિમાળ : એ અનુક્રમે પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા-ચોથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું; સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ રૈવેયકમાં બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હોય છે. ૩. પરિપ્રદઃ પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, બીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચેથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છકામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાંથી બારમા સુધી સાતસે, અધવતી ત્રણ રૈવેયકમાં એક સે. અગિયાર, મધ્યમ ત્રણ સૈવેયકમાં એક સાત, ઊર્ધ્વ ત્રણ રૈવેયકમાં સો અને અનુત્તરમાં પાંચ જ વિમાનને પરિગ્રહ છે. ૪. ગમિનાનઃ એનો અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન Page #378 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪- સૂત્ર ૨૧૨૨ પેદા થાય છે; આવું અભિમાન, કષાય છે હેવાથી ઉપરઉપરના દેવોમાં ઉત્તરોત્તર ઓછું જ હોય છે. સૂત્રમાં કહી નથી એવી બીજી પણ પાંચ બાબતો દેના સંબંધમાં જાણવા જેવી છે. ૧. ઉચ્છવાસ, ૨. આહાર, ૩. વેદના, ૪. ઉપપાત અને ૫. અનુભાવ. - ૧. કાસ: જેમ જેમ દેવેની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે. જેમ કે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉવાસ સાત સાત સ્તોકપરિમાણ કાળમાં થાય છે, એક પલ્યોપમના આયુષવાળા દેવને ઉચ્છવાસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષવાળા દેવોના વિષયમાં એ નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેને એક એક ઉચ્છવાસ તેટકેટલા પખવાડિયે થાય છે. ૨. સર: એના સંબંધમાં એવો નિયમ છે કે દશ હજાર વર્ષના આયુષવાળા દેવે એક એક દિવસ વચમાં છેડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દે દિનપૃથકુત્વની પછી આહાર લે છે; સાગરોપમના આયુષવાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. - ૩. વેરના સામાન્ય રીતે દેવને સાત – સુખ વેદના જ હોય છે, ક્યારેક અસાત – દુખ વેદના થઈ જાય તો તે, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના ૧. પૃથફ શબ્દને બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે. -૧ર Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્વાર્થસૂત્ર પણ લાગલગાટ છ મહિના સુધી એક સરખી રહીને પછી બદલાઈ જાય છે. ૪. ૩૫૫તઃ એને અર્થ ઉત્પત્તિસ્થાનની યોગ્યતા છે. અન્ય – જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે; સ્વ– જૈનલિંગિક મિથ્યાત્વી રૈવેયક સુધી જઈ શકે છે, અને સમ્યગુદષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થ સિદ્ધ પર્યત પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી. ૫. અનુમાવ: એનો અર્થ લકસ્વભાવ – જગદ્ધર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે. ભગવાન અરિહંતના જન્માભિષેક આદિ પ્રસંગો ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ લેકનુભાવનું જ કાર્ય છે. આસનકંપની પછી અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થકરને મહિમા જાણી કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થંકરની ચર્ચા કરે છે. આ પણ બધું જ કાનુભાવનું જ કાર્ય છે. [૨૨] હવે વૈમાનિકોમાં લેશ્યાને નિયમ કહે છે : पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु । २३ । બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં કમપૂર્વક પીત, પદ્મ અને શુકલ લેશ્યાવાળા દેવે છે. - પહેલા બે સ્વર્ગના દેવામાં પીત – તેજોલેશ્યા હોય છે, ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીને દેામાં પડ્યૂલેશ્યા અને છઠ્ઠાથી Page #380 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ સૂત્ર ૨૪-૨૬ ૧૮૩ સર્વાર્થ સિદ્ધ પર્યંતના દેવામાં શુકલલેશ્યા હોય છે. આ નિયમ શરીરવરૂપ દ્રવ્યલેસ્યાને માટે જ છે, કેમ કે અવ્યવસાયરૂપ ભાવલેશ્યા તા બધાયે દેવામાં ધ્યે મળી આવે છે. [૨૩] હવે કપાની પરિગણના કરે છે: કાળુ પ્રવેયયઃ ૫૪o / ૨૪ | ગ્રેવેયકની પહેલાં કલ્પ છે. . છે. જેમાં ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્મિશ આદિ રૂપે દેવાના વિભાગની કલ્પના છે, તે ‘ કલ્પ.’ એવા કલ્પ ત્રૈવેયકની પહેલાં, અર્થાત્ સૌધથી અચ્યુત સુધી બાર ત્રૈવેયકથી લઈ બધા કલ્પાતીત છે. કેમ કે એમાં ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્પ્રિંશ આદિ રૂપે દેવાના વિભાગની કલ્પના નથી; અર્થાત્ તે બધા ખરેાખરીવાળા હાવાથી અહમિદ્ર' કહેવાય છે. [૨૪] હવે લેાકાન્તિક દેવાનું વર્ણન કરે છેઃ ब्रह्मलोकालया लोकान्तिकाः । २५ । सारस्वतादित्यवह्नयरुणगर्द' तोयतुषिताव्याबाध૧મોમ્મિ । ર૬ । ૧. રાયલ એશિયાટિક સાસાયટીના મુદ્રિત પુસ્તકમાં ‘રિશ્ચં’ એવા અંશ નિશ્ચિતરૂપે સૂત્રમાં ન રાખતાં કાષ્ઠકમાં રાખ્યા છે; પરતુ મ. ભ. ના મુદ્રિત પુસ્તકમાં તે અ’શ ‘રિટાર્શ્વ’પાઠ સૂત્રગત જ નિશ્ચિતરૂપે છાપ્યા છે, જો કે શ્વેતાંખર સપ્રદાયના મૂળસૂત્રમાં ાિસ્ત્ર એવા પાડે છે. છતાં પણ એ સૂત્રના ભાષ્યની ટીકામાં જે ‘મૂરિોવત્તા: રિવિમાનપ્રસ્તારતિ મિ:' ઇત્યાદિ ઉલ્લેખ છે, એમાં અરિષ્ટ ના સ્થાને રિષ્ટ હાવાને પણ તર્ક થઈ શકે છે; પરંતુ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્ત્વાર્થસૂત્ર બ્રહ્મલેક એ જ કાતિક દેવેનું આલયનિવાસસ્થાન છે. સારસ્વત, આદિત્ય, વલિન, અરુણ, ગર્દય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ લેકાતિક છે. લોકાંતિક દેવો વિષયરતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના મોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તીર્થકરના નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઊભા રહી “વુ ગુરુ શબ્દ દ્વારા પ્રતિબોધ કરવાના પિતાના આચારનું પાલન કરે છે. તે બ્રહ્મલેક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની દિશાઓવિદિશાઓમાં રહે છે; બીજે ક્યાંય રહેતા નથી. તે બધા ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. દરેક દિશા, દરેક વિદિશા અને મધ્યભાગમાં એકએક જાતિ વસવાના કારણે એમની કુલ નવ જાતિઓ છે. જેમ કે, પૂર્વોત્તર એટલે કે ઈશાન ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ એટલે અગ્નિ ખૂણામાં વહિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગર્દય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમેત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં મફત અને વચમાં અરિષ્ટ નામના લોકાંતિક દે રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના નામથી પ્રસિદ્ધ દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વાધારિષ્ટા એ પાઠ છે તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમ જ મરુતનું વિધાન પણ નથી. Page #382 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪- સૂત્ર ૨૭ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઈએ કે આ બને સૂત્રોના મૂળ ભાષ્યમાં કાંતિક દેવના આઠ જ ભેદો બતાવ્યા છે, દિગંબર સૂત્રપાઠ પ્રમાણે પણ આઠ જ સંખ્યા જણાય છે, તેમાં મરુતને ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણાંગ આદિ સૂત્રોમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદોને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં “માતો પાઠ પ્રક્ષિપ્ત થયેલ છે. [૨૫-૨૬] હવે અનુત્તર વિમાનના દેવનું વિશેષત્વ કહે છે: વિનવિહુ ત્રિરમા ર૭ | વિજયાદિમાં દેવ, વિચરમ-ફક્ત બે વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા હોય છે. અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં જે દે રહે છે, તે દિચરમ હોય છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મોક્ષ પામે છે. એને ક્રમ આ પ્રમાણે છે : ચાર અનુત્તર વિમાનથી ચુત થયા પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર વિમાનમાં દેવ જન્મ, ત્યાંથી પાછો મનુષ્યજન્મ અને તે જ જન્મમાં મેક્ષ. પરંતુ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે, તે એ વિમાનથી શ્યત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કેઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કેઈક તે એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કે બે વાર, કોઈ ત્રણ વાર, કેઈ ચાર વાર અને કોઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨] Page #383 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર હવે તિ"ચાનુ સ્વરૂપ કહે છે: औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्येोनयः । २८ । ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જે જે આકી રહ્યા તે તે તિય ચયાનિવાળા છે. ૧૮૬ તિય "ચ કોણ કહેવાય છે એ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે. ઔપપાતિક અર્થાત્ દેવ તથા નારક અને મનુ– જ્યને છેાડીને બાકીના બધા સંસારી જીવા તિય ચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પ ંચેન્દ્રિય હોય છે; પરન્તુ તિય ચમાં એકેદ્રિયથી પ ંચેદ્રિય સુધીના બધા પ્રકારના જીવા આવી જાય છે. જેમ દેવ, નારક અને મનુષ્ય, લોકના ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવુ તિર્યંચા વિષે નથી; કેમ કે તેમનું સ્થાન લેાકના બધા ભાગમાં છે. [૨૮] અધિકારસૂત્ર— સ્થિતિઃ ।૨૨। આયુષનું વર્ણન કરવામાં આવે છે. મનુષ્ય અને તિર્યંચનાં જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ બતાવ્યાં છે. દેવ અને નારકનાં બતાવવાનાં બાકી છે. તે આ અધ્યાયની સમાપ્તિ સુધી બતાવાશે. [૨૯] ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન : भवनेषु दक्षिणार्धाधि पतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ शेषाणां पादोने । ३१ । અનુત્ત્વા: સારણેવમમધિનું ચ । રૂર । ભવનામાં દક્ષિણા ના ઇન્દ્રોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અધ્યાય ૪- સૂત્ર ૩૩-૩૬ શેષ ઈન્દ્રીની સ્થિતિ પિણે બે પલ્યોપમની છે. બે અસુરે કોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમની છે. અહીયાં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમ કે જઘન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સૂત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દશ ભેદો પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાર્ધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈંદ્ર છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધું છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે: દક્ષિણાર્ધના અધિપતિ અમર નામના અસુરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધના અધિપતિ બલિ નામના અસુરેંદ્રની સ્થિતિ સાગરેપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઇદ્ર છે, એમની સ્થિતિ દોઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઇંદ્ર છે, એમની સ્થિતિ પણ બે પલ્યોપમની છે. [૩૦-૩૨] હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે ? सौधर्मादिषु यथाक्रमम् । ३३ । સાવા છે રૂ૪ . અપિ =ા રૂ. રાત તાનસુમારે રૂદા ' ' : "! ", " Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તત્ત્વાર્થસૂત્ર विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधि હાનિ ચ । રૂ૭ | आरणाच्युतादूर्ध्व मेकैकेन नवसु गैवेयकेषु विजया दिषु सर्वार्थसिद्धे च । ३८ । સૌધમ આદિ દેવલેાકમાં અનુક્રમે સ્થિતિ જાણવી. સૌધમ માં એ સાગરાપમની સ્થિતિ છે. અધિક એ અશાનમાં કાંઈક સ્થિતિ છે. નીચે જણાવ્યા પ્રમાણે સાગરાપમની સાનકુમારમાં સાત સાગરોપમની સ્થિતિ છે. માહેદ્રથી આરણામ્બુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરોપમ, ત્રણથી અધિક સાત સાગરોપમ, સાતથી અધિક સાત સાગરોપમ, દશથી અધિક સાત સાગરાપમ, અગિયારથી અધિક સાત સાગરે પમ, તેરથી અધિક સાત સાગરાપમ, ૫ દરથી અધિક સાત સાગરોપમ પ્રમાણુ સ્થિતિ છે. આરણુ અચ્યુતની ઉપર નવ ત્રૈવેયક, ચાર વિજય આદિ અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એક એક સાગરોપમ અધિક સ્થિતિ છે. અહીંયાં વૈમાનિક દેવાની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જધન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલા સ્વર્ગોમાં એ સાગરોપમના, ખીજા સ્વર્ગોમાં એ સાગરાપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરાપમની, ચેાથામાં સાત સાગરાપમથી કાંઈક અધિક Page #386 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ - સૂત્ર ૩૯-૪૨ પાંચમામાં દશ સાગરોપમની, છઠ્ઠામાં ચૌદ સાગરેાપમની, સાતમામાં સત્તર સાગરાપમની, આઠમામાં અઢાર સાગરાપમની; નવમા-દશમામાં વીસ સાગરાપમની અને અગિયારમા-બારમા સ્વર્ગોમાં બાવીસ સાગરાપમની સ્થિતિ છે. નવ ત્રૈવેયકમાંના પહેલા ત્રૈવેયકમાં તેવીસ સાગરાપમની, ખીજામાં ચોવીસ સાગરે પમની, એ રીતે એક એક વધતાં નવમા ત્રૈવેયકમાં એકત્રીસ સાગરાપમની સ્થિતિ છે. પહેલાં ચાર અનુત્તર વિમાનમાં૧ બત્રીસ અને સર્વાસિધ્ધમાં તેત્રીસ સાગરાપમની સ્થિતિ છે. [૩૩–૩૮] હવે વૈમાનિકાની જધન્ય સ્થિતિ કહે છે अपरा पल्येोपममधिकं च । ३९ । સાપત્તપમે । ૪૦ | અધિને ચ। ઘઉં 1 પતઃ પરતઃ પૂર્વા પૂર્વનન્તા। ૪૨ । અપરા-જધન્ય સ્થિતિપત્યેાપમ અને કાંઈક અધિક પલ્યોપમની છે. એ સાગરાપમની છે. કાંઈક અધિક એ સાગરાપમની છે. આગળઆગળ ની પૂર્વ પૂર્વની સ્થિતિ અન તરઅન તરની જઘન્ય સ્થિતિ છે. ૧૮૯ ૧. દિગંબરાની ટીકાઓમાં અને કાંક કાંક વેતાંબર ગ્રંથામાં પણ વિજય આદિ ચાર વિમાને માં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરાપમની માની છે. જીએ આ અધ્યાયના સૂ. ૪રનું ભાષ્ય, સંગ્રહણી'માં ૩૩ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. પરા-ઉત્કૃષ્ટ Page #387 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર સૌધર્માદિની જઘન્ય સ્થિતિ અનુક્રમે આ પ્રમાણે છે : પહેલા સ્વર્ગમાં એક પલ્યોપમની, બીજામાં પલ્યોપમથી કાંઈક અધિક, ત્રીજામાં બે સાગરોપમની, ચોથામાં બે સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જઘન્ય સ્થિતિ તે જ છે જે પોતપોતાની અપેક્ષાએ પૂર્વ પૂર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હેય. આ નિયમ પ્રમાણે ચોથા દેવલેકની કાંઈક અધિક સાત સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલોકમાં જધન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરેપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ એ છઠ્ઠામાં જઘન્ય સ્થિતિ છે, છઠ્ઠાની ચૌદ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ નવમાદશમામાં જધન્ય; નવમા-દશમાની વિશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા બારમાની જઘન્ય; અગિયારમાબારમાની બાવીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ ચૈવેયકની જઘન્ય સ્થિતિ છે. એ રીતે નીચેનીચેના રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપર ઉપરના પ્રવેયકની જધન્ય સ્થિતિ સમજવી. આ ક્રમે નવમા ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરેપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધિમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર નથી. અર્થાત તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૯-૪ર. હવે નારકની જઘન્ય સ્થિતિ કહે છેઃ नारकाणां च द्वितीयादिषु । ४३ । Page #388 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪-સૂત્ર ૪૪-૪૭ दशवर्षसहस्राणि प्रथमायाम् । ४४ । બીજી આદિ ભૂમિમાં નારકેની જઘન્ય સ્થિતિ પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. જેમ બેંતાળીસમા સૂત્રમાં દેવેની જધન્ય સ્થિતિને ક્રમ છે, તે જ બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીના નારકેની જઘન્ય સ્થિતિને ક્રમ છે. એ નિયમ પ્રમાણે પહેલી ભૂમિને એક સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ બીજીમાં જઘન્ય સ્થિતિ છે, બીજીની ત્રણ ત્રણ સાગરોપમ પ્રમાણ ઉત્કટ સ્થિતિ ત્રીજમાં જઘન્ય, ત્રીજીની સાત સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ચેથીમાં જધન્ય; ચોથીની દશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમીમાં જઘન્ય, પાંચમીની સત્તર સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છઠ્ઠીમાં જઘન્ય, અને છઠ્ઠીની બાવીશ સાગરોપમ ઉત્કકૃષ્ટ સ્થિતિ સાતમીમાં જઘન્ય છે. પહેલી ભૂમિમાં જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષ પ્રમાણ છે. [૪૩-૪૪] હવે ભવનપતિની જધન્યસ્થિતિ કહે છે: મને ર ા કલા ભવનમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણુની જઘન્ય સ્થિતિ છે. હવે બંતની સ્થિતિ કહે છે? ના ા કદ્દા परा पल्पोपमम् । ४७। Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તવાર્થ સૂત્ર ત્યંતરોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પપમ પ્રમાણ છે. [૪૬-૪૭] હવે તિષ્કોની સ્થિતિ કહે છે : ज्यातिष्काणामधिकम् । ४८ । ग्रहाणामेकम् । ४९। नक्षत्राणामर्धम् । ५० । तारकाणां चतुर्भागः । ५१ । કન્યા તમારા કરા ચતુમારશેવાળ રૂા તિષ્ક અર્થાત્ સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે. ગ્રહની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પોપમની છે. નક્ષત્રેની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પપમની છે. તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની ચેથી ભાગ છે. અને જઘન્ય સ્થિતિ તે પલ્યોપમને આઠ ભાગ છે. શેષ અર્થાત્ તારાઓને છોડીને બાકીના જ્યોતિષ્ક એટલે કે ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચેથે ભાગ છે. [૪૮૩] Page #390 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫. બીજાથી ચોથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણ થાય છે. પ્રથમ અછવના ભેદ કહે છેઃ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાર્ય છે. નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલું લક્ષણ અને પછી ભેદનું કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યું છે. એમ કરવાનું કારણ એ છે કે, અજીવનું લક્ષણ છવના લક્ષણથી જ જાણું જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી; કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપગ એ જીવનું લક્ષણ છે, તો જેમાં ઉપયોગ ન હોય તે તત્ત્વ મળી; અર્થાત્ ઉપયોગને અભાવ અજીવનું લક્ષણ થયું. Page #391 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર અજીવ એ જીવનું વિરોધી ભાવાત્મક તત્ત્વ છે. તે માત્ર અભાવાત્મક નથી. ધર્મ આદિ ચાર અજીવ તને મસ્તિય કહેવાને અભિપ્રાય એ છે કે, તે તત્ત્વ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે તે પ્રદેશ પ્રચયરૂપ છે અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ છે. અજીવ તત્ત્વનાં ભેદોમાં કાળની ગણના કરી નથી; કેમ કે કાળ તસ્વરૂપ છે કે નહિ એ વિષયમાં મતભેદ છે. જે આચાર્ય એને તત્ત્વ માને છે તે પણ તેને ફક્ત પ્રદેશાત્મક માને છે, પ્રદેશ પ્રચયરૂપ નહિ. એથી એમના મતે પણ અસ્તિકાની સાથે કાળને ગણ યુક્ત નથી; અને જે આચાર્ય કાળને સ્વતંત્ર તત્ત્વ માનતા નથી તેમના મતે તે તત્ત્વના ભેદોમાં કાળની ગણના થાય જ શી રીતે ? પ્ર–શું ઉપરનાં ચારે અજીવતો બીજાં દર્શનને પણ માન્ય છે? ઉ–નહિ, આકાશ અને પુદગલ એ બને તો તે વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શનેને પણ માન્ય છે, પરંતુ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બને તો જૈનદર્શન સિવાય બીજું કઈ પણ દર્શન માનતું નથી, જૈનદર્શન જેને આકાશાસ્તિકાય કહે છે, તેને બીજાં દર્શને આકાશ કહે છે. પુદગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોનો ઉપયોગ થાય છે. [૧] Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાય ૫-સૂત્ર ૨-૪ હવે મૂળ દ્રવ્યનું કથન કરે છે: વ્યાજ વા ૨) ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્ત્વ અને જીવ એ પાંચ દ્રવ્ય છે. જૈન દષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિ. વર્તનરૂપ જ નથી; કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાંય તે અનાદિનિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સત્રમાં બતાવ્યાં છે. આ સૂત્રથી લઈ આગળનાં કેટલાંક સૂત્રોમાં દ્રવ્યોના સામાન્ય તથા વિશેષ ધર્મોનું વર્ણન કરીને એમનું પરસ્પરનું સાધર્મી વૈધર્મ બતાવ્યું છે. સાધર્મને અર્થ સમાનધર્મ - સમાનતા, અને વૈધમ્યને અર્થ વિરુદ્ધ ધર્મ – અસમાનતા. આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે, તે ધર્માસ્તિકાય આદિ પાંચ પર્દાથેનું દ્રવ્ય તરીકે સામ્ય છે; અને જે તે વૈધર્મ હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પર્યાયનું જ હોઈ શકે; કેમ કે ગુણ અથવા પર્યાય સ્વયં દ્રવ્ય નથી. [૨] હવે મૂળ દ્રવ્યનું સાધમ્મ વૈધર્મે કહે છે: नित्यावस्थितान्यरूपाणि । ३ । પિપઃ વિટારા ૪T. ૧. સ્પે. પરંપરામાં આ એક જ સૂત્ર ગણાય છે, પરંતુ દિગં પરંપરામાં “વ્યા “જીવાશ્વ એવાં બે સૂત્ર અલગ અલગ મળે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તત્વાર્થસૂત્ર રિત્રિકાળ ર ૬ ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પુદ્ગલ રૂપી એટલે કે મૂર્તિ છે. ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક એક છે. અને નિષ્ક્રિય છે. ધમસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે અર્થાત તે પિતપોતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાંચે સ્થિર પણ છે, કેમ કે એમની સંખ્યામાં કક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તે ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બને પાંચે દ્રવ્યોનું સાધમ્ય છે; પરંતુ અરૂપિત પુદ્ગલને છેડીને બાકીનાં ચાર દ્રવ્યનું સાધમ્ય છે. પ્ર. – નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શો તફાવત છે ? ઉ – પિતા પોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી સ્મૃત ન થવું એ નિત્યત્વ છે, અને પિતા પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન ૧. ભાષ્યમમા મારા” એવો સંધિરહિત પાઠ છે, દિગબરીય પરંપરામાં તે સૂત્રમાં જ એવો સંધિરહિત પાઠ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫- સુગર કરવું તે અવસ્થિતત્વ છે. જેમ જીવતત્વ પિતાના કવ્યાત્મક સામાન્યરૂપને અને ચેતનાત્મક વિશેષરૂપને ક્યારે પણ છોડતું નથી, એ તેનું નિત્યત્વ છે, અને ઉક્તસ્વરૂપને છોડ્યા વિના પણ તે અજીવતત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપને ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બને અંશ-ધર્મ બધાં દ્રવ્યમાં સમાન છે; એમાંથી પહેલે અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. દ્રવ્યના નિત્યત્વકથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વના કથનથી એમનો પરસ્પર સંકર—મિશ્રણ થત નથી એમ સૂચવાય છે; અર્થાત તે બધાં દ્રવ્યો પરિવર્તનશીલ હોવા છતાં પણ પિતાપિતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવ–લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિનિધન પણ છે અને એનાં મૂળતત્ત્વોની સંખ્યા પણ એકસરખી રહે છે. પ્ર—ધર્માસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્ત્વ પણ છે તે પછી એમનું કેઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે; તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ? ઉ૦–અહીંયાં અરૂપિત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે; અને એમને જે કઈ સ્વરૂપ જ ન હોય તે તો તે અશ્વશૃંગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીંયાં અરૂપિત્વના કથનથી રૂપ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપને અર્થ અહીંયાં મૂર્તિ જ છે. રૂપ આદિ સંસ્થાના પરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને “મૂતિ કહે છે; ત-૧૩ wal Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ તત્ત્વાર્થ સૂત્ર આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વામાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપી પદથી કહી છે. [૨] રૂપ, મૂત્વ, મૂતિ એ બધા શબ્દો સમાનાર્થીક છે. રૂપ, રસ આદિ જે ગુણા ઇંદ્રિયા દ્વારા ગ્રહણ કરી શકાય છે, તે ઇંદ્રિયગ્રાહ્ય ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુદ્દગલાના ગુણ ઇંદ્રિય ગ્રાહ્ય છે; એથી પુદ્ગલ એ સૂત એટલે કે રૂપી છે. સિવાય બીજુ કાઈ પણ દ્રવ્ય મૂત નથી. ક્રમ કે તે ઇંદ્રિયથી ગૃહીત થતું નથી; એથી જ રૂપિત્વ એ જ પુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વાથી ભિન્ન કરતુ વૈધ છે. પુદ્ગલ જો કે અતી દ્રિય હાવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યો અને એમના ગુણા ઇંદ્રિયગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપ અમુક અવસ્થામાં તે જ ઇંદ્રિયા દ્વારા ગ્રહણ થવાની યાગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે અતીદ્રિય હાવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અરૂપી કહેવાતા ધર્મોસ્તિકાય આદિ ચાર દ્રવ્યાને તે ઇંદ્રિયના વિષય બનવાની ચેાગ્યતા જ હાતી નથી. આ જ અતી દ્રિય પુદ્ગલ અને અતીદ્રિક ધર્માસ્તિકાય આદિ દ્રવ્યામાં તફાવત છે. [૪] - ઉપરનાં પાંચ દ્રવ્યામાંથી આકાશ સુધીનાં ત્રણ દ્રા અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક એક વ્યક્તિ રૂપ છે. એમની એ અથવા એથી અધિક વ્યક્તિ જતી નથી, એ રીતે જ એ ત્રણે નિષ્ક્રિય એટલે ક્રિયારહિત છે. એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ એ ધર્મા ઉક્ત ત્રણ દ્રવ્યાનું સાધ અને જીવાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાયનુ વૈધત્મ્ય છે. જીવ અને પુદ્ગલદ્રવ્યની અનેક વ્યક્તિએ છે, અને તે ક્રિયાશીલ પણ છે. જૈનદર્શન વેદાંતની માફક } * : Page #396 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫ - સૂત્ર ૭-૧૧ આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂપ માનતું નથી અને સાંખ્ય વૈશેષિક આદિ બધાં વૈદિક દર્શનેની માફક એને નિષ્ક્રિય. પણ માનતું નથી, - પ્રવ—જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યમાં પર્યાયપરિણમન –ઉત્પાદવ્યય માનવામાં આવે છે. આ પરિણમન ક્રિયાશીલ દ્રવ્યોમાં જ થઈ શકે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યને જે નિષ્ક્રિય માનવામાં આવે, તો તેઓમાં પર્યાય પરિણમન. કેવી રીતે ઘટી શકે ? ઉ–અહીંયાં નિષ્ક્રિયત્નથી ગતિક્રિયાને નિષેધ કરવામાં આવ્યો છે, ક્રિયામાત્રને નહિ. જૈન મત પ્રમાણે નિયિ. દ્રવ્યને અર્થ ગતિશૂન્ય વ્ય એટલે જ છે. ગતિશૂન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ સદશ પરિણમનરૂપ ક્રિયા જેનદર્શન માટે જ છે. [૫-૬] હવે પ્રદેશની સંખ્યાને વિચાર કરે છે ? असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः । ७। जीवस्य च ।८। आकाशस्यानन्ताः ।९। सङ्ख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् । १०। ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. એક જીવના પ્રદેશ અસ યાત છે. આકાશના પ્રદેશ અનંત છે. પુદ્ગલદ્રવ્યના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. કે Page #397 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી. ધર્મ અધર્મ આદિ ચાર અજીવ અને જીવ એ પાંચ દ્રવ્યો માટે “કાય' શબ્દ વાપરી પહેલાં એ સૂચિત કર્યું છે કે પાંચ દ્રવ્ય અસ્તિકાય અર્થાત પ્રદેશ પ્રચયરૂપ છે; પરંતુ એ પ્રદેશની વિશેષ સંખ્યા પહેલાં બતાવી નથી. તે સંખ્યા અહીંયાં બતાવવામાં આવી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. પ્રદેશને અર્થ એક એવો સૂક્ષ્મ અંશ છે કે, જેના બીજા અંશેની કલ્પના સર્વશની બુદ્ધિથી પણ થઈ શકતી નથી; એવા અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરંશ અંશ પણ કહે છે. ધર્મ, અધર્મ એ બન્ને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ છે, અને એમના પ્રદેશ–અવિભાજ્ય અંશ અસંખ્યાત, અસંખ્યાત છે; એમ કહેવાથી એ ફલિત થાય કે ઉક્ત બને દ્રવ્ય એક એવા અખંડ કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ ફક્ત બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુભૂત સ્કંધથી અલગ કરી શકાતા નથી. જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધર્માસ્તિકાયની માફક અસંખ્યાત પ્રદેશપરિમાણ છે. આકાશ દ્રવ્ય બીજાં બધાં દ્રવ્યોથી મોટો સ્કંધ છે; કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે. પુદ્ગલદ્રવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજા ચાર દ્રવ્યોની માફક નિયતરૂપ નથી. કેમ કે કઈ પુદ્ગલકંધ સંખ્યાત યો પ્રદેશનો હોય છે, કેઈ અસંખ્યાત પ્રદેશને, કેઈ અનંત પ્રદેશને અને કેઈ અનંતાનંત પ્રદેશનો પણ હોય છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય પસૂત્ર ૭-૧૧ ૨૦૧ પુદ્ગલ અને બીજા દ્રવ્યાની વચમાં એટલા તફાવત છે કૈ પુદ્ગલના પ્રદેશ પેાતાના ધથી જુદા જુદા થઈ શકે છે, પરન્તુ બીજા ચાર દ્રવ્યોના પ્રદેશ પોતપોતાના ધથી અલગ થઈ શકતા નથી; કેમ કે પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૃત છે, અને અમૂર્તના સ્વભાવ ખંડિત ન થવુ એ છે. પુદ્ગલ દ્રવ્ય મૂત છે, મૂર્તીના ખંડ પણ હેાઈ શકે છે; કેમ કે સશ્લેષ અને વિશ્લેષ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂ દ્રવ્યામાં દેખાય છે. આ તફાવતના કારણથી પુદ્ગલસ્ક ધના નાના મોટા બધા શાને અવયવ કહે છે. અવયવના અથ જુદા થતા અંશ એવા છે. 2 જો કે પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય હેવાના કારણથી મૂર્ત છે. તેા પણ તેના વિભાગ થઈ શકતા નથી, કેમ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલને નાનામાં નાના અંશ છે; પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ છે; એથી તે માત્ર અવિભાજ્ય અંશ છે. અહીંયાં પરમાણુના ખંડ એટલે કે અશ થતા નથી એમ જે કહ્યુ` છે, તે દ્રવ્યવ્યક્તિરૂપે; પરન્તુ પર્યાયરૂપે નહિ. પર્યાયરૂપે તે એના પણ અજ્ઞાની કલ્પના કરવામાં આવી છે; કેમ કે એક જ પરમાણુવ્યક્તિમાં વર્ણ, ગંધ, રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશ જ છે. એથી એક પરમાણુવ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે. પ્રધર્મ આદિના પ્રદેશ અને પુગલના પરમાણુ વચ્ચે શા તફાવત છે ? Page #399 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર ઉ–પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણુ રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ, એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર બન્નેય પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો તફાવત છે કે પરમાણુ પિતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે છે; પરન્તુ ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી. પ્ર–નવમા સૂત્રમાં “અનંત’ પદ છે. એથી પુદ્ગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હવાને અર્થ તો નીકળી શકે છે; પરંતુ અનંતાનંત પ્રદેશ હેવાને જે અર્થ ઉપર કાવ્યો છે તે ક્યા પદથી ? ઉ૦–અનંતપદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત સંખ્યાઓને બંધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. [૭-૧૧] હવે દ્રવ્યના સ્થિતિક્ષેત્રને વિચાર કરે છે : શriાડવઃ શરા. વધr: તા ૨૩ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् । १४ । असव्येयभागादिषु जीवानाम् । १५ । प्रदेशसहारविसर्गाभ्यां प्रदीपवत् । १६ । આધેય-સ્થિતિ કરનારાં દ્રવ્યની સ્થિતિ કાકાશમાં જ છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬ ૨૦૩ ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લકાકાશમાં છે. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ લેકાકાશના એક પ્રદેશઆદિમાં વિકલ્પ એટલે અનિયત રૂપે હોય છે. જીવની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગાદિમાં હોય છે. કેમ કે પ્રદીપની માફક એમના પ્રદેશને સંકેચ અને વિસ્તાર થાય છે. જગત પાંચ અસ્તિકાય રૂ૫ છે. એથી પ્રશ્ન થાય છે કે આ પાંચ અસ્તિકાયોને આધાર-સ્થિતિક્ષેત્ર શું છે ? શું એમને આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કેઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યોનો આધાર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આકાશ એ જ આધાર છે અને બાકીનાં બધાં દ્રવ્ય આધેય છે. આ ઉત્તર વ્યવહારદષ્ટિએ સમજવો જોઈએ; નિશ્ચયદષ્ટિએ નહિ. બધાં દ્રવ્ય પ્રતિષ્ઠ અર્થાત્ પિતપોતાના સ્વરૂપમાં સ્થિત છે; કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિકદષ્ટિથી રહી શક્ત નથી. હવે એ પ્રશ્ન થાય છે કે જેમ ધર્માદિ ચારે દ્રવ્યોને આધાર વ્યવહારદષ્ટિએ આકાશ માનવામાં આવે છે તે રીતે આકાશનો આધાર શું છે? આનો ઉત્તર એ જ છે કે આકાશને કેાઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી. કેમ કે એનાથી મોટા પરિમાણવાળું અથવા એની બરાબર પરિમાણવાળું બીજું કોઈ તત્ત્વ જ નથી. એથી વ્યવહારદૃષ્ટિએ અને નિશ્ચયદષ્ટિએ આકાશ સ્વપ્રતિષ્ઠ જ છે. આકાશને બીજા Page #401 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ તવાથa દ્રવ્યોનો આધાર કહેવાનું કારણ એ છે કે આકાશ તે દ્રવ્યથી મહાન છે. આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્ય પણ સમગ્ર આકાશમાં રહેતાં નથી. તે આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે એટલો આકાશભાગ ટેવ કહેવાય છે. લેકને અર્થ જ પાંચ અસ્તિકાય. આ ભાગની બહાર આસપાસ ચારે તરફ અનંત આકાશ વિદ્યમાન છે; એમાં બીજાં દ્રવ્યની સ્થિતિ ન હોવાને લીધે એ મારા કહેવાય છે. અહીંયાં અસ્તિકાયના આધારઆધેય સંબંધને જે વિચાર છે, તે લોકાકાશને લઈને જ સમજવો જોઈએ. ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાય એવા અખંડ સ્કંધરૂપ છે કે તે સંપૂર્ણ કાકાશમાં જ સ્થિર છે. એ બાબતને આમ પણ કહી શકાય ? વસ્તુત: અખંડ આકાશના પણ જે લેક અને અલેક એવા બે ભાગની કલ્પના બુદ્ધિથી કરવામાં આવે છે, તે ધર્મ, અધર્મ દ્રવ્યના સંબંધથી છે. જયાં એ દ્રવ્યોને સંબંધ ન હોય તે અલેક અને જેટલા ભાગમાં તેમનો સંબંધ હોય તે લક. પુદ્ગલ દ્રવ્યને આધાર સામાન્ય રીતે કાકાશ જ નિયત છે. તથાપિ વિશેષરૂપે ભિન્ન ભિન્ન પુદ્ગલદ્રવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુદ્ગલદ્રવ્ય, કાંઈ ધર્મ, અધર્મ દ્રવ્યની માફક માત્ર એક વ્યક્તિ તે છે જ નહિ કે જેથી તે માટે એકરૂપ આધારક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હોવાથી પુદ્ગલના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીંયાં એના Page #402 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-સૂત્ર ૧૨–૧૬ ર૦૫ આધારનું પરિમાણ વિકલ્પ – અનેક રૂપે બતાવવામાં આવ્યું છે. કોઈ પુદ્ગલ કાકાશના એક પ્રદેશમાં, તે કઈ બે પ્રદેશમાં રહે છે. એ રીતે કેક પુદ્ગલ અસંખ્યાતપ્રદેશપરિમિત કાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરિમાણુની સંખ્યાથી ન્યૂન અથવા એની બરાબર હોઈ શકે છે, અધિક નહિ. એથી જ એક પરમાણુ એકસરખા આકાશપ્રદેશમાં સ્થિત રહે છે; પરંતુ શ્રવણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ એ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં વધતાં વ્યક, ચતુરણુક એમ સંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે; સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હોતી નથી. અસંખ્યાતણુક સ્કંધ એક પ્રદેશથી લઈ અધિકમાં અધિક પિતાની બરોબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રોમાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાનંતાણુક સ્કંધ પણ એક પ્રદેશ, બે પ્રદેશ ઇત્યાદિ ક્રમથી વધતાં વધતાં સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી. ૧. બે પરમાણુઓનો બનેલો સ્કંધ – અવયવી –“ઢયણુક” કહેવાય છેત્રણ પરમાણુઓને સકંધ “વ્યક” કહેવાય છે. એ રીતે ચાર પરમાણુઓને “ચતુરણક” સંખ્યાત પરમાણુઓને સંખ્યાતામુક, અસંખ્યાતને “અસંખ્યાતાક અનંતને અનંતાણુક અને અનંતાનંત પરમાણુઓનો બનેલે સ્કંધ અનંતાનંતાણુક કહેવાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્ત્વાર્થસૂત્ર પુદ્દગલ દ્રવ્યના સૌથી મોટામાં મોટા સ્કંધ જેને અચિત્ત મહાસ્ક ધ કહે છે અને જે અનંતાનંત અણુઓના બનેલા હાય છે, તે પણ અસંખ્યાતપ્રદેશ લાકાકાશમાં જ સમાય છે, જૈનદર્શનમાં આત્માનું પરિમાણુ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણુ પશુ નથી, કિન્તુ મધ્યમ પરિમાણુ માનવામાં આવે છે; જો કે બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસ ંખ્યાની દૃષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઈ-પહેાળાઈ આદિ એકસરખાં પણ નથી. એથી પ્રશ્ન થાય છે કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર આખામાં એન્ડ્રુ અને અધિકમાં અધિક કેટલું માનવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તર અહીંયાં એ આપ્યા છે કે એક જીવનું આધારક્ષેત્ર લાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈ ને સંપૂર્ણ લાકાકાશ સુધી હોઈ શકે છે, જો કે લેાકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકારા હાવાથી લેાકાકાશના એવા અસંખ્યાત ભાગાની કલ્પના કરી શકાય છે કે જે અંશુલાસ'ધ્યેય ભાગ પરિમાણ હોય છે. આટલે નાના એક ભાગ પણ અસંખ્યાતપ્રદેશાત્મક જ હાય છે. એ એક ભાગમાં કોઈ એક જીવ રહી શકે છે. એટલા એટલા એ ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરના સ` લેાકમાં પણ એક જીવ રહી શકે છે. અર્થાત્ જીવ દ્રવ્યનું નાનામાં નાનુ આધારક્ષેત્ર અંશુલાસ ધ્યેય ભાગ પરિમાણુ લાકાકાશને ખંડ હેાય છે, જે સમગ્ર લોકાકાશને એક અસંખ્યાતમા ભાગ જ હોય છે. એ જીવનુ કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવન, કંઈક માટુ Page #404 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬ ૨૦૭ આધારક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવે છે. આ રીતે એ જીવનું અથવા જીવાન્તરનુ આધારક્ષેત્ર ત્રણગણુ, ચારગણું, પાંચગણુ આદિ ક્રમથી વધતાં વધતાં કયારેક અસખ્યાતગણું અર્થાત્ સ લેાકાકાશ થઈ શકે છે. એક જીવનુ આધારક્ષેત્ર સલાકાકાશ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે જીવ કેલિસમુદ્ધાતની દશામાં હોય છે. જીવના પરિમાણની ન્યૂનાધિકતાને લીધે એના આધારક્ષેત્રના પરિમાણની જે ન્યૂનાધિકતા ઉપર કહી છે, તે એક વની અપેક્ષાએ સમજવી જોઈ એ; સજીવરાશિની અપેક્ષાએ તે જીવતત્ત્વનું આધારક્ષેત્ર સંપૂર્ણ લાકાકાશ જ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, તુલ્ય પ્રદેશવાળા એક જીવ દ્રવ્યના પરિમાણમાં કાળભેદથી જે ન્યૂનાધિકતા દેખાઈ આવે છે. અથવા ભિન્નભિન્ન જીવેાના પરિમાણમાં એક જ સમયમાં જે ન્યૂનાધિકતા દેખાય છે, એનુ કારણ શું છે ? એને ઉત્તર અહીંયાં એ આપ્યા છે કે, ક, જે અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં છે અને જે અનંતાન ંત અણુપ્રચયરૂપ હેાય છે, એમના સંબંધથી એક જ જીવના પરિમાણમાં અથવા વિવિધ જીવાના પરિમાણમાં વિવિધતા આવે છે.કર્મા સદા એકસરખાં રહેતાં નથી, એમના સંબંધથી ઔદારિક આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે, તે પણ કર્મ અનુસારે નાનાંમેટાં હાય છે. છવદ્રવ્ય વસ્તુત: હાય છે તે। અમૂ, પરંતુ તે કસબંધને લીધે મૂવત્ બની જાય છે. એથી જ્યારે જ્યારે જેટલું જેટલુ* ઔદારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે, ત્યારે ત્યારે એનું પરિમાણ તેટલું જ હોય છે, Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તરવાથસૂત્ર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે. તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી અને બીજાનું કેમ વધે ઘટે છે? આ પ્રશ્નનો ઉત્તર સ્વભાવભેદ સિવાય બીજું કાંઈ નથી. જીવતત્વને સ્વભાવ જ એવો છે કે તે નિમિત્ત મળતાં જ પ્રદીપની જેમ સંકોચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે, પરંતુ એને જ્યારે એક કોટડીમાં રાખવામાં આવે છે ત્યારે એનો પ્રકાશ કોટડીના જેટલે જ બની જાય છે, પછી એને એક કુંડા નીચે રાખીએ તે તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેટાની નીચે રાખીએ તે એને પ્રકાશ એટલે જ થઈ જાય છે, તેમ – એ પ્રદીપની માફક છવદ્રવ્ય પણ સંકોચ—વિકાસશીલ છે. એથી તે જ્યારે જ્યારે જે નાના અથવા મેટા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે તે શરીરના પરિમાણ પ્રમાણે એના પરિમાણમાં સંકે વિકાસ થાય છે. અહીંયાં એ પ્રશ્ન થાય છે કે જે જીવ સંકેચસ્વભાવના કારણથી માને છે ત્યારે તે કાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત આકાશના એક પ્રદેશ ઉપર અથવા બે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતું નથી ? એ જ રીતે જે એનો સ્વભાવ વિકસિત થવાનું હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લકાકાશની માફક એકાકાશને વ્યાપ્ત કેમ નથી કરતો ? એને ઉત્તર એ છે કે, સંકેચની મર્યાદા કાર્મણ શરીર ઉપર નિર્ભર છે. કોઈ પણ કાર્માણ શરીર અંગુલાસંખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી જીવનું સંકેચકાર્ય પણ ત્યાં સુધી જ Page #406 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૨૪ ૧૨-૧૬ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા કાકાશ સુધીની જ માનવામાં આવી છે; એનાં બે કારણ બતાવી શકાય છે. પહેલું તે એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લોકાકાશના છે. અધિકમાં અધિક વિકાસદશામાં જીવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, બે અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસદશામાં પણ કાકાશના બહારના ભાગને તે વ્યાપ્ત કરી શકતું નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હેઈ શકતી નથી. એ કારણથી લેકાકાશની બહાર જીવને ફેલાવાને પ્રસંગ જ આવતું નથી. પ્ર – અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંત જી કેવી રીતે સમાઈ શકે છે ? ઉ–સૂક્ષ્મભાવમાં પરિણમેલા હોવાથી નિગદશરીરથી વ્યાપ્ત એક જ આકાશક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એક સાથે રહે છે. તથા મનુષ્ય આદિના એક દારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવામાં આવે છે. એ કારણે કાકાશમાં અનંતાનંત જીવોને સમાવેશ વિરુદ્ધ નથી. જે કે પુદ્ગલદ્રવ્ય અનંતાનંત અને મૂર્ત છેતથાપિ લેકાકાશમાં એ સમાવાનું કારણ એ છે કે પુદગલમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શક્તિ છે. આવું પરિણમન જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એક બીજાને વ્યાઘાત કર્યા વિના અનંતાનંત પરામાણુ અને અનંતાનંત સ્કંધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે: જેમ એક જ સ્થાનમાં હજારે દીવાઓને પ્રકાશ વ્યાઘાત વિના જ સમાઈ શકે છે. પુદ્ગલદ્રવ્ય મૂર્તિ હોવા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્વાર્થસૂત્ર છતાં પણ વ્યાઘાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલભાવમાં પરિણત થાય છે. સૂક્ષ્મત્વપરિણામ દશામાં તે કેઈને વ્યાઘાત પહોંચાડતાં નથી અને પોતે પણ કેઈથી વ્યાઘાત પામતાં નથી. [૧૨-૧૬] હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન કરે છે: गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । १७ । आकाशस्यावगाहः । १८ । ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું, એ જ અનુકમે ધર્મ અધર્મ દ્રવ્યનું કાર્ય છે. અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે. ધર્મ, અધર્મ, અને આકાશ એ ત્રણે અમૂર્ત હેવાથી ઈદ્રિયગમ્ય નથી; એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દ્વારા થઈ શકતી નથી. જો કે આગમ પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે, તે પણ આગમપષક એવી યુક્તિ પણ છે, કે જે ઉક્ત દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે યુતિ એ છે કે, જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુદ્ગલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ બને ઉક્ત બે દ્રવ્યોનું પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી જ પેદા થાય ૧. જે કે “ ગતિસ્થિસ્થા એ પણ પાઠ ક્યાંક કયાંક દેખાય છે તે પણ ભાષ્ય જેવાથી “તિચિહ્યુપBહી” એ. પાઠ વધારે સંગત જચ છે. દિગંબરીય પરંપરામાં તે “ તિ અિત્યારૈ” એ પાઠ જ નિર્વિવાદ સિદ્ધ છે. . . . Page #408 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫સૂત્ર ૧–૧૮ ૨૧૧ છે, અર્થાત્ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવ અને પુદ્ગલ જ છે. તે પણ નિમિત્તકારણ, જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાન કારણથી ભિન્ન હેવું જ જોઈએ. એથી જીવ-પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધમસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું” અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું” એટલું જ બતાવ્યું છે. ધર્મ, અધર્મ, જીવ અને પુદગલ એ ચારે દ્રવ્ય કક્યાંક ને કયાંક સ્થિત છે. અર્થાત આધેય થવું અથવા અવકાશ મેળવો એ એમનું કાર્ય છે. પરંતુ પિતાનામાં અવકાશ-સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. એથી જ અવગાહપ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાયું છે. પ્રહ –સાંખ્ય, ન્યાય, વૈશેષિક આદિ દર્શનેમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધર્મ દ્રવ્યને બીજા કોઈએ માન્યાં નથી, તો પછી જૈનદર્શને એમને સ્વીકાર કેમ કર્યો છે ? ઉ–જડ અને ચેતન દ્રવ્ય જે દૃશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે, એમની ગતિશીલતા તે અનુભવસિદ્ધ છે. જો કોઈ નિયામક તત્ત્વ ન હોય તે તે દ્રવ્ય પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં ક્યાંય પણ ચાલી, જઈ શકે છે. જો એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તે આ દશ્યોદશ્ય વિશ્વનું નિયતસ્થાન જે સદા સામાન્ય Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તવાર્થસૂત્ર રૂપે એકસરખું નજરે પડે છે, તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમ કે અનંત પુદ્ગલ અને અનંત જીવ વ્યકિતઓ પણ અનંતપરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે; તેથી તે એવાં પૃથફ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તો કઠિન તે જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વને સ્વીકાર જેને દર્શન કરે છે. એ જ તત્ત્વ ધર્માસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાના નિયામકરૂપે ઉપરના તત્વને સ્વીકાર કર્યા પછી પણ એ જ દલીલથી સ્થિતિમર્યાદાના નિયામકરૂપે અધર્માસ્તિકાય તત્ત્વને સ્વીકાર પણ જૈનદર્શન કરે છે. પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્રવ્યનું કાર્ય મનાય છે, તેની ઉપપત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિગદ્રવ્યને આકાશથી જુદું માનવાની જરૂર નથી. પરંતુ ધર્મઅધર્મ દ્રવ્યનું કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાં તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દશ્યાદશ્ય વિશ્વના સંસ્થાનની અનુપત્તિ થઈ જશે. એથી ધર્મ-અધર્મ દ્રવ્યને આકાશથી જુદું-સ્વતંત્ર માનવું એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પિતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મઅધર્મ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. [૧–૧૮]. Page #410 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-સૂત્ર ૧૯-૨૦ હવે કાર્યો દ્વારા પુદ્ગલનું લક્ષણ કહે છે : शरीरवाङ्मनः प्राणापाना : पुद्गलानाम् । १९ । सुखदुःखजीवितमरणोपग्रहाश्च । २० । શરીર, વાણી, મન, નિ:શ્વાસ અને ઉચ્છ્વાસ એ પુદ્દગલાના ઉપકાર—કાય છે. તથા સુખ, દુ:ખ, જીવન અને મરણુ એ પણ પુદ્દગલાના ઉપકાર છે. ૨૧૩ અનેક પૌદ્ગલિક કાર્યોમાંથી કેટલાંક કાર્ય અહીંયાં બતાવ્યાં છે, જે જીવા ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે. ઔદારિક આદિ બધાં શરીર પૌગલિક એટલે પુદ્દગલના જ બનેલાં છે; જો કે કા શરીર અતી દ્રિય છે, તેપણ તે બીજા ઔદારિકાદિ મૂર્તી દ્રવ્યના સંબંધથી સુખદુઃખાદિ વિપાક આપે છે; જેમ પાણી વગેરેના સંબંધથી ધાન્ય કણ, એથી જ એને પણ પૌગલિક સમજવુ જોઈ એ. એ પ્રકારની ભાષામાંથી ભાવભાષા એ વીર્માંન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી તથા અગેાપાંગનામક ના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુદગલસાપેક્ષ હોવાથી પૌલિક છે, અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈ ને વચનરૂપમાં પરિણત થતા ભાષાવાના સ્કંધ દ્રવ્ય ભાષા છે. લબ્ધિ તથા ઉપયાગરૂપ ભાવમન પુદ્ગલાવલ ખિતહાવાથી પૌદ્ગલિક છે. જ્ઞાનાવરણ તથા વીર્યાન્તરાયના ક્ષયેાપશમથી અને અગાપાંગનામકર્મના ઉદયથી મનાવાના જે કધા ગુણદોષવિવેચન, સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ તા-૧૪ Page #411 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ તત્વાર્થસૂત્ર આત્માના અનુગ્રાહક અર્થાત એના સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે. એ રીતે આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ – પ્રાણ અને ઉદરની અંદર જતો ઉચશ્વાસ વાયુ – અપાન એ બન્ને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે. ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાને વ્યાઘાત અને અભિભવ દેખાય છે. એથી તે શરીરની માફક પૌગલિક જ છે. જીવન પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે, જે સાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પરિતાપ એ જ દુ:ખ છે. તે અસાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે, અને પ્રાણાપાનને ઉચછેદ થવો એ મરણ છે. આ બધા સુખ, દુઃખ આદિ પર્યાય જીવોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલે દ્વારા ઉત્પન્ન થાય છે. એથી તે છોના પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. [૧૯-૨૦] હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે: परस्परोपग्रहो जीवानाम् । २१ । પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે. આ સૂત્રમાં જીના પારસ્પરિક ઉપકારનું વર્ણન છે. એક જીવ હિત અથવા અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ Page #412 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫- સૂર – ૨૨ ૨૧૫ ઉપર ઉપકાર કરે છે. માલિક પૈસા આપી નોકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સત્કર્મને ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે, અને શિષ્ય અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે. [૧] હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે; वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ । વર્તના, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાળના ઉપકારે છે. કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને અહીંયાં એના ઉપકાર બતાવ્યા છે. પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન ધર્મ આદિ દ્રવ્યને નિમિત્તરૂપે પ્રેરણા કરવી એ વના કહેવાય છે. પિતાની જાતિને ત્યાગ કર્યા વિના થતા દ્રવ્યને અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપે છે, એને પરિણામ સમજવો. આ પરિણામ જીવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ, પુદ્ગલમાં નીલ, પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકીનાં દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે. ગતિ (પરિસ્પંદ) જ ક્રિયા છે. પરત્વ એટલે જયેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ. જો કે વર્તના આદિ કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્તકરણ હોવાથી અહીંયાં તેનું કાળના ઉપકારરૂપે વર્ણન કર્યું છે. [૨] કાળજી પા લિમિનર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થસૂત્ર હવે પુગલના અસાધારણ પર્યાય કહે છે: स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । २३ । शब्दबन्धसौक्षम्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽરોતનતષ્ઠા રજા પુદગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત વાળા પણ છે. બૌદ્ધ લકે પુદ્ગલને જીવ અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનમાં પૃથિવી આદિ મૂર્ત દ્રવ્યોને સમાનરૂપે સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિંતુ પૃથિવીને ચતુર્ગુણ, જળને ગંધરહિત ત્રિગુણ, તેજને ગંધ-રસરહિત દ્વિગુણ અને વાયુને માત્ર સ્પર્શગુણવાળે માન્ય છે. એ રીતે તેઓ મનમાં સ્પર્શ આદિ ચાર ગુણે માનતાં નથી. એથી એ બૌદ્ધ આદિથી મતભેદ બતાવો એ પ્રસ્તુત સૂત્રને ઉદ્દેશ છે. આ સૂત્રથી એ સૂચિત કરવામાં આવે છે કે, જૈનદર્શનમાં જીવ અને પુદ્ગલતત્ત્વ ભિન્ન છે. એથી જ પુદ્ગલ શબ્દને વ્યવહાર જીવતત્ત્વને વિષે થતા નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુગલરૂપે સમાન છે. અર્થાત તે બધાં સ્પર્ધાદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈનદર્શનમાં મન પણ પૌત્રલિક હોવાથી સ્પર્શાદિ ગુણ વાળું જ છે. સ્પર્શ આઠ પ્રકારનું માનવામાં આવે છે, જેમ કે Page #414 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ - સૂત્ર ર૩–૨૪ ર૧૭ કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ એટલે ચીકણે અને રૂક્ષ એટલે લૂખે. રસના પાંચ પ્રકાર છેઃ કડવો, તીખ, કષાય – તૂરો, ખાટો અને મીઠ, સુગંધ અને દુર્ગધ એ બે ગંધ છે. વર્ણ પાંચ છેઃ કાળે લીલે, લાલ, પીળો અને સફેદ. ઉક્ત પ્રકારથી સ્પર્શ આદિના કુલ વિશ ભેદ થાય છે. પરંતુ એમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ તરતમભાવથી થાય છે. જે જે વસ્તુ મૃદુ હોય છે, તે બધાને મૃદુવમાં કાંઈને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે; એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ. ' શબ્દ એ કઈ ગુણ નથી; જેમ કે વૈશેષિક, નૈયાયિક આદિ માને છે. કિન્તુ તે ભાષાવર્ગણાના પુદ્ગલેને એક પ્રકારને વિશિષ્ટ પરિણામ છે. નિમિત્તભેદથી એને અનેક ભેદ કરાય છે. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે “પ્રયોગજ', અને જે કેઈના પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે, તે વૈઋસિક'. વાદળોની ગર્જના વૈઐસિક છે. પ્રાગજ શબ્દના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. “ભાષા': મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યક્ત, એવી અનેકવિધ ભાષાઓ, ૨. “તત’: ચામડું લપેટાયું હોય એવા વાઘને એટલે કે મૃદંગ, પટલ આદિનો શબ્દ, ૩. “વિતતઃ તારવાળાં વિણા, સારંગી આદિ વાઘોને શબ્દ, ૪. “ઘન’: ઝાલર, ઘંટ આદિના શબ્દ, ૫. “સુષિરઃ ફૂકીને Page #415 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ તાથ સૂત્ર છે તથા સલેબસ સેવ ધનસાપેક્ષ વગાડવાના શંખ, બંસી આદિના શબ્દ, ૬. “સંઘર્ષ': લાકડી આદિને સંઘર્ષણથી થતા શબ્દ. પરસ્પર આશ્લેષરૂપ બંધના પણ પ્રાયોગિક અને વૈઐસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરને સંબંધ તથા લાકડી અને લાખો સંબંધ પ્રયત્નસાપેક્ષ હોવાથી પ્રાયગિકબંધ છે; વીજળી, મેઘ, ઈન્દ્રધનુષ આદિને પ્રયત્નનિરપેક્ષ પૌગલિક સંશ્લેષ વૈઋસિક બંધ છે. - સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વના અંત્ય તથા આપેક્ષિક એવા બે બે ભેદે છે. જે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ બન્ને એક જ વસ્તુમાં અપેક્ષાભેદથી ઘટી ન શકે તે અંત્ય, અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગદ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે, કેમ કે અન્ય પુગલેની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહાત્કંધમાં સૂક્ષ્મત્વ ઘટી શકતું નથી. કચણુક આદિ મધ્યવત સ્કંધનું સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે; જેમ આંબળાનું સૂક્ષ્મત્વ અને બીલાનું ભૂલત્વ. આંબળું બીલાથી નાનું હોવાથી એનાથી સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે, પરંતુ તે આંબળું બારની અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કેળા કરતાં સૂક્ષ્મ પણ છે. આ રીતે જેમ આપેક્ષિક હેવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વ બન્ને વિરુદ્ધ પર્યા. હાઈ શકે છે, તેમ અંત્યસૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં હોઈ શકતાં નથી. સંસ્થાન ઈચૅસ્વરૂપ અને અનિત્થવરૂપ બે પ્રકારનું છે. જે આકારની કેઈની સાથે તુલના કરી શકાય તે અત્યં ત્વરૂપ; અને જેની કેઈની સાથે તુલના ન કરી શકાય તે અનિત્યં Page #416 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય પસૂત્ર ૨૩-૨૪ ૨૧૯ વરૂપ. મેધ આદિનું સંસ્થાન એટલે કે રચના અનિત્ય ત્વરૂપ છે; કેમ કે અનિયતરૂપ હાવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતુ નથી; ખીજા પદાર્થોનું સંસ્થાન નૃત્ય ત્વરૂપ છે; જેમ કે ડા, શિંગડું આદિનું. ગાળ, ત્રિકાળુ, ચતુષ્કાણુ, દી પરિમંડલ-વલયાકાર આદિ રૂપથી સ્ત્ય ત્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે. એકત્વરૂપમાં પરિણત પુદ્દલપિંડના વિશ્લેષ–વિભાગ થવા એ ભેદ છે. એના પાંચ પ્રકાર છે. ૧. ‘ઔરિક’: ચીરવાથી અથવા ફાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનુ ભેદન, ૨. ‘ચૌણિક' : કણ કણ રૂપે ચૂ થવું તે, જેમ જવ આદિના સાથવા, આટા ઇત્યાદિ, ૩. ‘ખંડ’ : ટુકડા ટુકડા થઈ છૂટી જવું તે, જેમ ધડાનાં ઠીકરાં, ૪. ‘પ્રતર’ : પડતુ નીકળવુ તે, જેમ ખરખ, ભાજપત્ર આદિમાં, ૫. ‘અનુતટ' : છાલ નીકળવી, જેમ વાંસ, શેરડી આદિની. તમ અંધકારને કહે છે. તે જોવામાં હરત નાંખતા પ્રકાશના વિાધી એક પરિણામ છે. છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના બે પ્રકાર છે. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખના વર્ણ, આકાર આદિ જેમના તેમ દેખાય છે તે વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, અને અન્ય અસ્વચ્છ દ્રવ્યા ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયેા) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે. સૂર્ય આદિના ઉષ્ણુ પ્રકાશ આતપ અને ચંદ્ર આદિને અનુષ્ટુ પ્રકાશ ઉદ્યોત કહેવાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ જવાથશ્વસ સ્પર્શ આદિ તથા શબ્દ આદિ ઉપર્યુક્ત બધા પર્યાય પુલનું જ કાર્ય હેવાથી પૌલિકપર્યાય મનાય છે. તેવીસમા અને ચોવીસમા સૂત્રને જુદાં કરીને એ સૂચિત કર્યું છે કે, સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે, પરંતુ શબ્દ, બંધ આદિ પર્યાય ફક્ત સ્કંધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ પરમાણુ અને સ્કંધ બંનેનો પર્યાય છે, છતાં પણ એનું પરિગણન સ્પર્ધાદિની સાથે ન કરતાં શબ્દાદિની સાથે કર્યું છે, તે પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. [૨૩-૨૪] હવે પુદગલના મુખ્ય પ્રકાર કહે છે : : Wા રવા પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે. વ્યક્તિરૂપે પુદ્ગલ દ્રવ્ય અનંત છે અને એની વિવિધતા પણ અપરિમિત છે. તથાપિ આગળનાં બે સૂત્રોમાં પૌગલિક પરિણામની ઉત્પત્તિનાં ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે અહીંયાં તદુપયોગી પરમાણુ અને સ્કંધ બંને પ્રકાર સંક્ષેપમાં બતાવ્યા છે. સંપૂર્ણ પુદ્ગલરાશિ આ બે પ્રકારમાં સમાઈ જાય છે. જે પુદ્ગલદ્રવ્ય કારણરૂપ છે, અને કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય પરમાણુ છે, તે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કોઈ પણ એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત છે. એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇદ્રિયેથી તે થઈ જ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પરમાણુનું અનુમાન, કાર્ય હેતુથી માનવામાં આવે Page #418 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫ સૂત્ર ૨૬-૨૭ ૧ છે. જે જે પૌદ્ગલિક કાર્ય દૃષ્ટિગોચર થાય છે, એ બધાં સકારણુ હાય છે; એ રીતે જે અદશ્ય અંતિમ કાર્યો હાય છે, એનુ પણ કારણ હાવું જોઈ એ. તે કારણ પરમાણુ દ્રવ્ય છે. એનુ કારણ ખીજું કાઈ દ્રવ્ય ન હેાવાથી એને અંતિમ કારણ કહ્યું છે. પરમાણુ દ્રવ્યના કાઈ વિભાગ નથી અને થઈ પણ શકતા નથી, આથી તેનાં આદિ, મધ્ય અને અંત તે પોતે જ છે. પરમાણુ દ્રવ્ય અમૃદ્ધ અસમુદાયરૂપ હાય છે. પુદ્ગલદ્રવ્યને ખીજો પ્રકાર સ્કધ છે. સ્કંધ બધા બહુસમુદાયરૂપ હાય છે, અને તે પેાતાના કારદ્રવ્યની અપેક્ષાએ કાર્યદ્રવ્યરૂપ તથા પેાતાના કાર્ય દ્રવ્યની અપેક્ષાએ કારણુદ્રવ્યરૂપ છે. જેમ દ્વિપ્રદેશ આદિ કધ એ પરમાણુ આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિનું કારણ પણ છે. [૨૫] હવે અનુક્રમથી સ્કંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે સંખ્યાત મેદ્રસ્ય ઉત્પદ્યન્તે। રદ્દ । મેવાળુઃ ।૨૭। સંઘાતથી, ભેદથી અને સંધાત-ભેદ બન્નેથી સ્કંધ ઉત્પન્ન થાય છે. અણુ ભેથી જ ઉત્પન્ન થાય છે. સ્કંધ-અવયવી—દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની હોય છે, કાઈ સ્કંધ સધાત–એકત્વપસ્મ્રુિતિ-થી ઉત્પન્ન થાય છે; કાઈ ભેદથી બને છે, અને કેાઈ એક સાથે ભેદ તેમ જ સંધાત અને નિમિત્તથી અને છે. જ્યારે અલગ અલગ રહેલા એ પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, ત્યારે તે Page #419 -------------------------------------------------------------------------- ________________ રરર તત્વાર્થસૂત્ર સંઘાતજન્ય કહેવાય છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસં ખાત, અનંત અને અનંતાનંત સુધી પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ, અનંતપ્રદેશ, અને અનંતાનંતપ્રદેશ સુધી સકંધ બને છે. તે બધા સંઘાતજન્ય છે. કેઈક મોટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ થાય છે, તે ભેદજન્ય છે. એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી હોઈ શકે છે. જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં એના અવયવની સાથે એ સમયે બીજુ કેઈ દ્રવ્ય મળવાથી નવો સ્કંધ બને છે, ત્યારે તે સ્કંધ, ભેદ તેમ જ સંઘાત બનેથી જન્ય છે. એવા સ્કંધ પણ ઢિપ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ, ચાર આદિ અલગ અલગ પરમાણુઓના મળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ સ્કંધ થાય છે. અને ક્રિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ, તથા દ્વિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સ્કંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી ચતુપ્રદેશ સ્કંધ બની શકે છે. અણુ દ્રવ્ય કેઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યના સંધાતને સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે. તથાપિ અહીંયાં એની જે ઉત્પત્તિ બતાવી છે તે પર્યાયદષ્ટિથી અર્થાત પરમાણુ દ્રવ્યરૂપે તે નિત્ય છે, પરંતુ પર્યાયદષ્ટિથી તે જન્ય પણ છે. ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત ( છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુના પર્યાય-અવસ્થા–વિશેષ Page #420 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-સૂત્ર -૨૯ ૨૨૩ જ છે. વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીયાં ભેદથી અણુની ઉત્પત્તિના કથનના અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્યાં છે, શુદ્ધ પરમાણુ નહિં. [૨૬ – ૨૭ હવે અચાક્ષુષ સ્ક ંધના ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે : મેાંધાતામ્યાં ચાક્ષુષોઃ ।૨૮। ભેદ અને સંઘાતથી ચાક્ષુષ સ્કંધ અને છે. ← અચાક્ષુદ્ર સ્કંધ પણ નિમિત્ત પ્રાપ્ત કરી ચાક્ષુષ બની શકે છે; એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. પુદ્ગલના પરિણામ વિવિધ છે, એથી જ કેાઈ પુદુગલસ્ક ધ અચાક્ષુષ ( ચક્ષુથી અગ્રાહ્ય ) હોય છે, તે કોઈ ચાક્ષુષ ( ચક્ષુથી ગ્રાહ્ય ) હાય છે. જે કધ પહેલાં સુક્ષ્મ હેાવાને કારણે અચાક્ષુષ હાય છે. તે પણ નિમિત્તવશ સૂક્ષ્મવ પરિણામ છેાડીને બાદર ( સ્થૂલ ) પરિણામવિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. એ સ્કંધને એમ થવામાં ભેદ તથા સધાત બંને હેતુ અપેક્ષિત છે. જ્યારે કાઈ સ્કધમાં સમત્વ પરિણામની નિવૃત્તિ થઈ સ્થૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાંક નવાં અણુએ તે સ્ક ંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે ખીજાં કટલાક અણુએ એ સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિપૂર્વક સ્થૂલત પરિણામની ઉત્પત્તિ કેવળ સધાત એટલે અણુઓના મળવા માત્રથી જ થતી નથી, રસને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલત્વ – બાદરત્વ – રૂપ પરિણામ સિવાય કોઈ સ્કંધ ચાક્ષુષ તેા થઈ શકતા જ નથી. એથી અહીંયાં નિયમપૂર્વક કહ્યું છે કે ચાક્ષુષ સ્કંધ ભેદ અને સધાત અનેથી થાય છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ભેદ શબ્દના બે અર્થોં : (૧) સ્ક ંધનું તૂટવું અર્થાત્ એમાંથી અણુઓનુ અલગ થવુ, અને (૨) પૂ`પરિણામ નિવૃત્ત થઈ ખીજા પરિણામનું ઉત્પન્ન થવુ. તે બંને અર્થાંમાંથી પહેલા અથ લઈ ઉપરના સત્રા લખ્યા છે. બીજા અ પ્રમાણે સૂત્રની વ્યાખ્યા આ રીતે થાય જ્યારે કાઈ સૂક્ષ્મ સ્કંધ નેત્રથી ગ્રહણ કરવા યેાગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અર્થાત્ અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે, ત્યારે એના એમ થવામાં સ્કૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ – અનંતાણુ – સંખ્યા ( સધાત ) ની અપેક્ષા છે. કેવળ સૂક્ષ્મત્વરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્ણાંક નવીન સ્થૂલત્વ પરિણામ ચક્ષુષ અનવાનું કારણ નથી અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષુષ બનવામાં કારણ નથી, કિ ંતુ પરિણામ ( ભેદ ) અને ઉક્ત સંખ્યારૂપ સધાત ખનેય સ્કંધના ચાક્ષુષ બનવામાં કારણ છે. ૩૧૪ જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તે ચક્ષુર્માંદ્ય સ્કંધના જ એધ થાય છે, તે પણ અહીંયાં ચક્ષુપદથી સમસ્ત ઇંદ્રિયાના લાક્ષણિક એધ વિવક્ષિત છે. તે પ્રમાણે સૂત્રને અ એ થાય છે કે બધા અતી દ્રિય સ્કંધના ઐદ્રિયક (ઇંદ્રિયપ્રાદ્ઘ ) બનવામાં ભેદ અને સંધાત તે હેતુ અપેક્ષિત છે. પૌદ્ગલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી જેમ પહેલાંના અતીદ્રિય સ્કંધ પણ પછીથી ભેદ તથા સધાતરૂપ નિમિત્તથી ઐદ્રિયક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્ક ંધ સૂક્ષ્મ પણ બની જાય છે; એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇંદ્રિયાથી ગ્રહણ કરાતા સ્કંધ અલ્પ ઇંદ્રિયગ્રાહ્ય બની જાય છે. જેમ મીઠું', હિંગ આદિ પદાર્થ નેત્ર, Page #422 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫ – સૂત્ર -૨૯ રર૫ સ્પર્શન, રસન અને ઘાણ ચારે ઈદ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં મળી જવાથી ફક્ત રસન અને ધ્રાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે. પ્ર–કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું ઉછવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પત્તિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કંધની ઉત્પત્તિના અર્થાત્ અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનું વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંઘાત એ ત્રણે હેતુથી અચાક્ષુષ સ્કંધ બને છે. [૨૮] હવે “સત ' ની વ્યાખ્યા કહે છે : 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । २९ । જે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણેથી યુક્ત અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય છે. સતના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત પદાર્થને (બ્રહ્મને) કેવળ ૧. દિગંબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમા આંક ઉપર છે. એમાં ઓગણત્રીસમા નંબર ઉપર “સત્ દ્રવ્યરક્ષણ” એવું સૂત્ર છે, જે શ્વેતાંબરીય પરંપરામાં નથી, ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત–ઔપનિષદ શાંકરમત. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્વાર્થસૂત્ર ધ્રુવ (નિત્ય ) જ માને છે. કોઈ દર્શન સત પદાર્થને નિરન્વય ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કોઈ દર્શનર ચેતનતત્વ રૂપ સતને તે કેવળ ધ્રુવ ( ફૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સતને પરિણામી નિત્ય ( નિત્યનિય) માને છે. કોઈ દર્શન અનેક સત પદાર્થોમાંથી પરમાણ, કાળ, આત્મા આદિ કેટલાંક સત તને ફૂટસ્થનિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સત્ના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે. જૈનદર્શનનું માનવું એ છે કે, જે સત્ – વસ્તુ – છે તે ફક્ત પૂર્ણરૂપે કૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વય વિનાશી, અથવા એને અમુક ભાગ ફૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામીનિત્ય અથવા એને કોઈ ભાગ તો ફક્ત નિત્ય અને કેઈ ભાગ તો માત્ર અનિત્ય એમ હઈ શકતી નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્કૂલ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે. પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કોઈ એક બાજુએ ૧. બદ્ધ. ૨. સાંખ્ય. ૩. ન્યાય, વૈશેષિક Page #424 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫ - સૂત્ર ૩૦ રર૭ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે, પરંતુ બંને અંશેની બાજુએ દૃષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી બંને દૃષ્ટિએને અનુસારે જ આ સૂત્રમાં સત્ – વસ્તુ – નું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. [ ૨૯ ] હવે વિરોધને પરિહાર કરી પરિણામી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે: तभावाव्ययं नित्यम् ।३०। જે એના ભાવથી (પિતાની જાતિથી) ચુત ન થાય તે નિત્ય છે. પાછલા સૂત્રમાં કહ્યું છે કે, વસ્તુ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, અર્થાત્ સ્થિરાસ્થિર ઉભયરૂપ છે; પરંતુ અહીંયાં પ્રશ્ન થાય છે કે આ કેવી રીતે ઘટી શકશે ? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે ? અને જે અસ્થિર છે તે સ્થિર કેવી રીતે ? એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વ બંને અંશ શીતઉષ્ણની માફક પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સમયમાં ઘટી ન શકે. એથી સત્ની ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા શું વિરુદ્ધ નથી ? એ વિરોધનો પરિહાર કરવા માટે જૈનદર્શનસંમત, નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. - જે બીજાં કેટલાંક દર્શનની માફક જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ એવું માને કે કઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એક રૂપમાં વસ્તુ સ્થિર રહે,” તે એ ફૂટસ્થ નિત્યમાં અનિત્યત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વને વિરોધ આવે; એ રીતે જે જૈનદર્શન એક જ એવી રમત Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તત્વાર્થસૂત્ર વસ્તુને માત્ર ક્ષણિક માને અર્થાત્ પ્રત્યેક વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી તથા નષ્ટ થનારી માને અને એને કોઈ સ્થિર આધાર ન માને, તો પણ ઉત્પાદવ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વને સંભવ ન હોવાના કારણે ઉપરને વિરેાધ આવે. પરંતુ જૈનદર્શન કઈ વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય અથવા કેવળ પરિણામી માત્ર ન માનતાં પરિણામી નિત્ય માને છે. એથી બધાં તો પિતપિતાની જાતિમાં સ્થિર રહ્યાં છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ–વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળજાતિ (દ્રવ્ય) ની અપેક્ષાએ ધ્રૌવ્ય, અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય એ બંને ઘટિત થવામાં કેઈ વિરોધ આવતો નથી. જૈનદર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માફક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિંતુ ચેતનતત્ત્વમાં પણ તે લાગુ પડે છે. બધાં તમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઈ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણમી હોય, અથવા માત્ર પરિણામરૂપ હય, બાહ્ય આત્યંતર બધી વસ્તુઓ પરિણામી નિત્ય માલૂમ પડે છે. જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ એને કઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાને અનુભવ ક્યારે પણ ન થાય. અર્થાત પહેલાં કોઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે “આ તે જ વસ્તુ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કઈ પણ રીતે ન થાય. કેમ કે Page #426 -------------------------------------------------------------------------- ________________ હોય તો એ છે સણક્ષણમાં ત્પન્ન ના અધ્યાય - સૂત્ર ૩ પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વ માત્ર જે નિર્વિકાર હોય તો એ બંને તના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દર્શન યુક્તિસંગત માને છે. - હવે બીજી વ્યાખ્યા વડે, પૂર્વોક્ત સતના નિત્યત્વનું વર્ણન કરે છે. તમાવવ્ય નિત્યપૂ” સત પિતાના સ્વભાવથી ચુત થતું નથી માટે નિત્ય છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ જ સત્ કહેવાય છે. સ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કેઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે, એ જ સતનું નિત્યત્વ છે. પોતપોતાની જાતિને ન છોડવી એ જ બધાં દ્રવ્યનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદવ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદત્રયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. - આ ચક્રમાંથી ક્યારે પણ કોઈ અંશ મુક્ત–લુપ્ત થતો નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં ૪-૧૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થ સૂત્ર ધ્રૌવ્યનુ કથન છે, તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને લઈ તે છે; અને અહીંયાં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અશાના અવિચ્છિન્નત્વને લઈ ને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે. [૩૦] હવે અનેકાંતના સ્વરૂપનુ સમર્થન કરે છે: अर्पितानर्पित सिद्धेः । ३१ । પ્રત્યેક વસ્તુ અનેક ધર્માંત્મક છે; કેમ કે અર્પિત એટલે કે અપÖા અર્થાત્ અપેક્ષાથી અને અર્પિત એટલે કે, અનપણા અર્થાત્ મીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મના સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ બતાવવું; તથા વિદ્યમાન અનેક ધર્મોમાંથી કથારેક એકનુ અને કન્યારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું, એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત્ છે. એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનુ ભાન હેાય છે, તે બધી રીતે ટિત થતું નથી, જો એમ હાય તા આત્મા, ચેતના આદિ સ્વ-રૂપની માફક ધટાદિ પર-રૂપથી પણ સત્ સિદ્ધ થાય, અર્થાત એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી એનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપના અર્થ જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને બીજી અપેક્ષાએ અસત્ત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ * Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અધ્યાય -સૂત્ર ૩૧ અસત્ત્વનું છે, તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય (સામાન્ય) દૃષ્ટિએ નિત્ય અને પર્યાય (વિશેષ) દૃષ્ટિએ અનિત્ય સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાભેદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકત્વ આદિ ધર્મોને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેકધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છેઃ કર્ષિતાનિશિ” પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમ કે અર્પણું અને અર્પણથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે. અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુનો વ્યવહાર થાય છે, તે અપ્રામાણિક અથવા બાધિત નથી; કેમ કે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તે ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કર્તા છે તે જ એના ફળને ભોક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવા માટે આત્મામાં દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ તત્વાર્થસૂત્ર કારણે ગૌણ છે; પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યદષ્ટિસિદ્ધ નિયત્વ મુખ્ય હેતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બન્ને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એ વાચક શબ્દ ન હોવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાએના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્યરચનાઓ બને છે; જેમ કે: નિત્યાનિત્ય, નિત્યઅવક્તવ્ય, અનિત્યઅવક્તવ્ય અને નિત્યઅનિત્યઅવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સમજી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને તેમાં પણ બે વાક્યો મૂળ છે જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે; તેમ બીજા પણ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સર્વ અસત્વ, એકત્વ-અનેકત્વ, વાચ્યત્વ-અવાચ્ચત્વ આદિ ધર્મયુગ્મને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેકધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારને વિષય મનાય છે. [૩૧] હવે પૌગલિક બંધના હેતુનું કથન કહે છે? fજાપત્યા રેરા Page #430 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫-જુન ૨૩-૩૫ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બંધ થાય છે. પૌગલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પરિક સંગમાત્રથી થતી નથી. એને માટે સંગ ઉપરાંત બીજું પણ કાંઈક અપેક્ષિત છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયવોના પારસ્પરિક સંયોગ ઉપરાંત એમાં સ્નિગ્ધત્વ – ચીકણાપણું, રૂક્ષત્વ – લૂખાપણું એ ગુણ હોવા પણ જરૂરી છે. જ્યારે નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમનો બંધ એટલે કે એકત્વપરિણામ થાય છે. આ બંધથી થાણુક આદિ સ્કંધ બને છે. સ્નિગ્ધ, રૂક્ષ અવયવોને શ્લેષ બે પ્રકારે થઈ શકે છે. : સદશ અને વિસદશ. સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષને રૂક્ષની સાથે શ્લેષ થ એ સદશ કહેવાય છે. સ્નિગ્ધને રૂક્ષની સાથે સંગ થ એ વિસદશ શ્લેષ છે. [૨] હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છેઃ न जघन्यगुणानाम् ।३३। गुणसाम्ये सहशानाम् ॥३४॥ यधिकादिगुणानां तु ॥३५॥ જઘન્ય ગુણ – અંશ – વાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવને બંધ થતું નથી. સમાન અંશ હોય તે સદશ અર્થાત્ સર સરખા સ્નિગ્ધ-સ્નિગ્ધ અવયને તથા સરખે સરખા રૂક્ષ-રૂક્ષ અવયવોને બંધ થતો નથી. બે અંશ અધિકવાળા આદિ અવયને તે બંધ થાય છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તવાર્થસૂત્ર પ્રસ્તુત સૂત્રમાં પહેલું સૂત્ર બંધનો નિષેધ કરે છે. તે પ્રમાણે, જે પરમાણુઓમાં નિગ્ધ અથવા રૂક્ષત્વનો અંશ જઘન્ય હોય, એ જઘન્યગુણવાળા પરમાણુઓને પારસ્પરિક બંધ થત નથી. આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુક્ત અંશવાળા સ્નિગ્ધ, રૂક્ષ બધા અવયવોનો પારસ્પરિક બંધ થઈ શકે છે. પરંતુ એમાં પણ અપવાદ છે, જે આગલા સૂત્રમાં બતાવ્યું છે. એ પ્રમાણે સદશ અવયવ જે સમાન અંશવાળા હોય એમનો પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેથી સમાન અંશવાળા સ્નિગ્ધ સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના સ્કંધ બનતા નથી. આ નિષેધ પણ ફલિત અર્થ એ થાય છે કે, અસમાન ગુણવાળા સદશ અવયવોને તે બંધ થઈ શકે છે. આ ફલિત અર્થને સંકોચ કરી ત્રીજા સૂત્રમાં સદશ અવયના અસમાન અંશની બન્ધોપયોગી મર્યાદા નિયત કરવામાં આવી છે. તે પ્રમાણે, અસમાન અંશવાળા, પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું નિધત્વ અથવા રૂક્ષત્વ બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તે, એ બે સદશ અવયને બંધ થઈ શકે છે. તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ ફક્ત એક અંશ અધિક હોય તે તે બે સદશ અવયવોને બંધ થઈ શકતે નથી. શ્વેતાંબર અને દિગંબર બંનેની પરંપરાઓમાં પ્રસ્તુત ત્રણ સૂત્રેામાં પાઠભેદ નથી, પરંતુ અર્થભેદ છે. અર્થભેદમાંય ત્રણ બાબત ધ્યાન આપવા ગ્ય છે : ૧. જઘન્યગુણ પરમાણુ Page #432 -------------------------------------------------------------------------- ________________ ધ થઈ કે મારા જધન્યા પરમાણુ અધ્યાય પસૂત્ર ૩૭-૩૫ ૨૩૫ એક સંખ્યાવાળો હોય ત્યારે બંધ થશે કે ન થ, ૨. પાંત્રીસમા સૂત્રમાં આદિ પદથી ત્રણ આદિ સંખ્યા લેવી કે નહિ, ૩. પાંત્રીસમા સૂત્રનું બંધવિધાન ફક્ત સદશ દશ અવયવોને માપે માનવું કે નહિ. ૧. ભાષ્યની વૃત્તિ પ્રમાણે બંને પરમાણુઓ જ્યારે જધન્યગુણવાળા હોય છે, ત્યારે એમને બંધ નિષિદ્ધ છે, અર્થાત એક પરમાણુ જઘન્યગુણવાળ હોય અને બીજે જઘન્યગુણવાળો ન હોય તે ભાગ તથા વૃત્તિ પ્રમાણે એમને બંધ થઈ શકે છે. પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિ બધી દિગંબરીય વ્યાખ્યાઓ પ્રમાણે જધન્યગુણ યુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની માફક એક જઘન્યગુણ પરમાણુને બીજા અજઘન્યગુણ પરમાણુની સાથે પણ બંધ થતું નથી. ૨. ભાગ્યની વૃત્તિ પ્રમાણે પાંત્રીસમા સૂત્રમાં આદિ પદને ત્રણ આદિ સંખ્યા અર્થ લેવાય છે. આથી જ એમાં કોઈ એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રક્ષત્વના અંશ બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક હોય તો પણ બંધ માનવામાં આવે છે; ફક્ત એક અંશ અધિક હોય તે બંધ માનવામાં આવતું નથી. પરંતુ દિગંબરીય બધી વ્યાખ્યાઓ પ્રમાણે ફક્ત બે અંશ અધિક હોય તો જ બંધ માનવામાં આવે છે. અર્થાત એક અંશની માફક ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અંશ સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવતું નથી. ૩. પાંત્રીસમાં સૂત્રમાં ભાષ્યની વૃત્તિ પ્રમાણે બે, ત્રણ આદિ અંશે અધિક હોય તે પણ જે બંધનું વિધાન છે તે Page #433 -------------------------------------------------------------------------- ________________ વિવાર સદશ અવયવોમાં જ લાગુ પડે છે, પરંતુ દિગંબરીય વ્યાખ્યાઓમાં તે વિધાન સદશ સદશની માફક અસદશ પરમાણુઓના બંધમાં પણ લાગુ પડે છે. આ અર્થભેદના કારણથી બંને પરંપરામાં બંધવિષયક જે વિધિનિષેધ ફલિત થાય છે, તે નીચેના કઠામાં બતાવ્યો છે. ભાષ્યરૂચનુસારી કેષ્ટક સદશ વિસરશ ૧. જધન્ય + જધન્ય નથી. નથી. ૨. જધન્ય + એકાધિક નથી. ૩. જઘન્ય + ધિક છે. ' છે. ૪. જઘન્ય + ચાદિ અધિક છે. છે. ૫. જાતર + સમ જઘન્યતર નથી. ૬. જાન્યતર + એકાધિક જઘન્યતર નથી. છે. ૭. જાવેતર + ધિક જધન્યતર છે. છે. ૮. જધન્યતર + વ્યાદિઅધિક જઘન્યતર નથી નથી સર્વાર્થસિદ્ધિ આદિના સદશ વિદેશ અનુસારે છક ૧. જધન્ય + જઘન્ય નથી. નથી. ૨. જધન્ય + એકાધિક નથી. નથી. ૩. જઘન્ય + ધિક નથી. નથી. ૪. જઘન્ય + ચાદિ અધિક નથી. નથી. ૫. જઘન્યતર + સમ જઘન્યતર નથી. નથી, ૬. જાન્યતર + એકાધિક જધન્યતર નથી. નથી. ૭. જઘન્યતર + 6યધિક જધન્યતર છે. છે. ૮. જઘન્યતર + વ્યાદિઅધિક જજેતર નથી. નથી. Page #434 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય પર ૩-૩૫ ૨૩૭ સ્નિગ્ધત્વ, રૂક્ષત બંને સ્પર્શ વિશેષ છે. તે પિતપેતાની જાતિની અપેક્ષાએ એકએક રૂપ હોવા છતાં પણ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના થાય છે. તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશોને તફાવત હોય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વને તફાવત. બંનેમાં સ્નિગ્ધત્વ હોય છે જ પરંતુ એકમાં ઘણું ઓછું અને બીજામાં ઘણું જ વધારે. તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામોમાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અથાત્ અવિભાજ્ય હોય, તે જઘન્ય અંશ કહેવાય છે; જઘન્યને છોડીને બાકીના બધા જઘન્યતર કહેવાય છે. જાજેતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે. જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ; અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધાં પરિણામો મધ્યમ હોય છે. જઘન્ય સ્નિગ્ધત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અનંતાનંતગુણ અધિક હેવાથી જે જધન્ય સ્નિગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વને અનંતાનંત અંશપરિમિત સમજ જોઈએ. બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને એક એાછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઈએ. અહીંયાં સદશને અર્થ એ છે કે નિષ્પને નિષ્પની સાથે અથવા રૂક્ષને રૂક્ષની સાથે બંધ થશે અને વિસદશનો અર્થ એ છે કે સ્નિગ્ધને રૂક્ષની સાથે બંધ થશે. એક અંશ જઘન્ય અને એનાથી એક અધિક અર્થાત્ બે અંશે Page #435 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ તત્વાર્થસૂત્ર એકાધિક છે. બે અંશ અધિક હોય તે ઠરાધિક અને ત્રણ અંશ અધિક હેય તે વ્યધિક, આ રીતે ચાર અંશ અધિક હોય તે ચતુરધિક, એ રીતે અનંતાનંત અધિક સુધી જાય છે. “સમને અર્થ સમસંખ્યા છે; બંને તરફના અંશોની સંખ્યા બરાબર હોય તે તે સમ છે. બે અંશ જઘજેતરના સમ જઘન્યતર બે અંશ છે. બે અંશ જાજેતરના એકાધિક જધન્યતર ત્રણ અંશ છે, બે અંશ જઘજેતરના ચાર અંશ ઠયધિક જઘન્યતર છે. બે અંશ જઘજેતરની વ્યધિક જઘન્યતર પાંચ અંશ છે અને ચતુરધિક જધન્યતર છ અંશ છે; આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જઘન્યતર સુધીના સમ, એકાધિક, યધિક અને ત્રિઆદિ અધિક જધન્યતરને સમજી લેવા. [૩૪-૩૫] હવે પરિણામનું સ્વરૂપ છેઃ बन्धे समाधिको पारिणामिको । ३६ । બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાળા હોય છે. બંધનો વિધિ અને નિષેધ બતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદશ પરમાણુઓને અથવા વિસદશ પરમાણુઓનો બંધ થાય છે એમાં કેણ કેને પરિણત કરે છે. એને ઉત્તર અહીંયાં આપ્યો છે. ૧. દિગંબરીય પરંપરામાં “ વધિ પરિણામિ ” એ સૂત્રપાઠ છે; તે પ્રમાણે એમાં એક સમનું બીજા સમને પોતાના સ્વરૂપમાં મેળવવું ઇષ્ટ નથી; ફક્ત અધિક પિતાના સ્વરૂપમાં હીનને મેળવી લે એટલું જ ઇષ્ટ છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫- સૂત્ર ૩૭ ૨૩૯ સમાંશ સ્થલમાં સદશ બંધ તે થતું જ નથી, વિસદશ થાય છે. જેમ કે, બે અંશ સ્નિગ્ધના બે અંશ રૂક્ષની સાથે અથવા ત્રણ અંશ સ્નિગ્ધના ત્રણ અંશ રૂક્ષની સાથે. એવા સ્થળમાં કઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણત કરી લે છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ક્યારેક સ્નિગ્ધત્વ જ રૂક્ષત્વને સ્નિગ્ધત્વરૂપમાં બદલી નાંખે છે અને ક્યારેક રૂક્ષત્વ, સ્નિગ્ધત્વને રૂક્ષત્વરૂપમાં બદલી નાંખે છે; પરંતુ અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પોતાના સ્વરૂપમાં બદલી શકે છે. જેમ પંચાંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશે સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપમાં પરિણત કરે છે અર્થાત્ ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ સ્નિગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણુ થઈ જાય છે. આ રીતે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને પણ સ્વસ્વરૂપમાં મેળવી લે છે. અર્થાત્ રક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે; જ્યારે રૂક્ષત્વ અધિક હોય ત્યારે તે પણ પિતાનાથી ઓછા સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપ અર્થાત રક્ષસ્વરૂપ બનાવી લે છે. [૩૬] : હવે દ્રવ્યનું લક્ષણ કહે છે: गुणपर्यायवद् द्रव्यम् ।३७। દ્રવ્ય, ગુણપર્યાયવાળું છે. દ્રવ્યને ઉલ્લેખ તે પહેલાં કેટલીયે વાર આવી ગયું છે. તેથી એનું લક્ષણ અહીંયાં બતાવવામાં આવે છે. જેમાં ગુણ અને પર્યાય હેય, તે દ્રવ્ય કહેવાય છે. પ્રત્યેક કવ્ય પિતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે, Page #437 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તત્ત્વાર્થસૂત્ર અર્થાત્ વિવિધ પરિણામાને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એના ગુરૂ કહેવાય છે, અને ગુણજન્ય પરિણામ પર્યાય કહેવાય છે. ગુણુ કારણ છે અને પર્યાય કાર્યાં છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિ ભાજ્ય છે. પ્રત્યેક ગુણ શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા વૈકાલિક પર્યાયેા અનત છે. દ્રવ્ય અને એના અશ રૂપ શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાત્ અનાદિઅનંત છે. પરંતુ બધા પર્યાયેા પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિસાંત છે, અને પ્રવાહની અપેક્ષાએ પર્યાયેા પણ અનાદિઅનંત છે. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા શૈકાલિક પર્યાયપ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત શક્તિઓથી તજજન્યપર્યાયપ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાયે એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે; પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્યાયેા એક દ્રશ્યમાં એક સમયમાં હાતા નથી. આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે; કેમ કે એમનામાં ચેતના આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનત ગુણ છે અને જ્ઞાન, દર્શોનરૂપ વિવિધ ઉપયાગ આદિ તથા નીલપીતાદિ વિવિધ અનંત પર્યાયા છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગ રૂપમાં અને પુદ્ગલ રૂપશક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીતદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રીતે રૂપશક્તિ પુદ્દગલ દ્રવ્યથી અને પુદ્ગલગત અન્ય શક્તિઓથી Page #438 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય પર સત્ર ૩૭ ૨૪ પૃથફ થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગના કાલિકપ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપગાત્મક છે. પુગલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે, અને નીલપતિ આદિ વિવિધ વર્ણપર્યાયપ્રવાહ તે રૂપશકિતનું કાર્ય છે. આત્મામાં ઉપગાત્મક પર્યાપપ્રવાહની માફક સુખદુઃખ વેદનાત્મક પર્યાયપ્રવાહ, પ્રવૃત્યાત્મક પર્યાયપ્રવાહ વગેરે અનંત પર્યાયપ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક તે તે સજાતીય પર્યાયપ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુગલમાં પણ રૂપપર્યાયપ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત પર્યાયપ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગંધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં થાય છે, પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપગપર્યાય અથવા વિવિધ વેદના પર્યાય એક સમયમાં થતા નથી; કેમ કે પ્રત્યેક શક્તિને એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુદ્ગલેમાં પણ રૂ૫, ગંધ આદિ ભિન્ન ભિન્ન શક્તિઓના ભિન્નભિન્ન પર્યાયે એક સમયમાં થાય છે; પરંતુ એક રૂપશક્તિના નીલ, પીત આદિ વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદગલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તથા રૂપ આદિ શકિતઓ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપયોગ પર્યાય Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વાર્થસૂત્ર અથવા રૂપશક્તિજન્ય નીલપીતપર્યાય નિત્ય નથી, કિંતુ સદૈવ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપયોગમર્યાયપ્રવાહ તથા રૂપપર્યાયપ્રવાહ વૈકાલિક હેવાથી નિત્ય છે. અનંત ગુણનો અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે. તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણે જ સાધારણ બુદ્ધિવાળા છઘથની કલ્પનામાં આવે છે. બધા ગુણે આવતા નથી. આ રીતે પુદ્ગલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે, બધા નહિ. એનું કારણ એ છે કે આત્મા અથવા પુદ્ગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાય પ્રવાહ વિશિષ્ટ જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પર્યાયપ્રવાહ સાધારણ બુદ્ધિથી જાણી શકાય છે, એમના કારણભૂત ગુણોને વ્યવહાર કરાય છે. આથી તે ગુણે વિકણ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ ગુણે વિકઃપ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે છે; અને પુગલના રૂપ આદિ ગુણે વિકપ્ય છે; બાકીના બધા અવિકપ્ય છે અને તે ફક્ત કેવળીગમ્ય છે. - વૈકાલિક અનંત પર્યાના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ (ગુણ) તથા એવી અનંત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે; આ કથન પણ ભેદસાપેક્ષ છે. અભેદ દૃષ્ટિથી પર્યાય પિતા પોતાના કારણભૂત ગુણસ્વરૂપ, અને ગુણ દ્રવ્ય સ્વરૂપ હેવાથી, દ્રવ્ય ગુણપર્યાયાત્મક જ કહેવાય છે. દ્રવ્યમાં બધા ગુણ એકસરખા નથી દેતા. કેટલાક સાધારણ અર્થાત બધા દ્રવ્યોમાં હોય એવા હોય છે; જેમ કે અસ્તિત્વ, પ્રદેશવત્વ, યત્વ આદિ; અને કેટલાક અસાધારણ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અધ્યાય -સૂત્ર-૩૮-૩૯ અર્થાત્ અમુક અમુક દ્રવ્યમાં હોય એવો હોય છે; જેમ કે ચેતના રૂ૫ આદિ. અસાધારણ ગુણ અને તજજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકબીજાથી જુદું પડે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યના ગુણ તથા પર્યાનો વિચાર ઉપર પ્રમાણે કરી લેવો જોઈએ અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી એના ગુણ “ગુરુલઘુ તથા પર્યાય પણ “ગુરુલઘુ કહેવાય છે, પરંતુ બાકીનાં બધાં દ્રવ્ય અમૂર્ત હેવાથી એમના ગુણ અને પર્યાય અગુરુલઘુ કહેવાય છે. [૩૭] હવે કાળ વિષે વિચાર રજૂ કરે છે : સાહિત્યના રૂ૮. सोऽनन्तसमयः । ३९ । કેઈ આચાર્ય કહે છે કે કાળ પણ દ્રવ્ય છે અને તે અનંત સમય (પર્યાય) વાળે છે. પહેલાં કાળના વર્તના આદિ અનેક પર્યાય બતાવ્યા છે, પરંતુ ધર્માસ્તિાય આદિની માફક એમાં દ્રવ્યત્વનું વિધાન ૧. દિગંબરીય પરંપરામાં “પાત્ર એવો સૂત્રપાઠ છે. તે પ્રમાણે તે લેકે કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે. પ્રસ્તુત સૂત્રને એકદેશીય મતવાળું ન માનતાં તેઓ સિદ્ધાંતરૂપે જ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારા સૂત્રકારનું તાત્પર્ય બતાવે છે. જેઓ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા અને જેઓ માને છે, તે બધા પોતપોતાના મંતવ્યની પુષ્ટિ થે પ્રકારે છે, કાળનું સ્વરૂપ કેવું બતાવે છે, એમાં બીજા કેટલા મતભેદ છે, ઈત્યાદિ બાબતેને સવિશેષ જાણવાને માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથામાંથી કાળવિષયક પરિશિષ્ટ, પૃ૦ ૧૫૭. Page #441 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ તાર્થસૂત્ર કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાના હેતુ કાળ દ્રવ્ય નથી એ છે ? એ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે. સૂત્રકારનુ કહેવુ એમ છે કે, કાઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વત ંત્ર દ્રવ્યરૂપે સર્વ સંમત નથી. કાળને અલગ દ્રવ્ય માનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યુ નથી. ફક્ત એનુ વર્ણન માત્ર ક" છે. આ વનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળા છે. વના આદિ પર્યાય તે પહેલાં કહી ચૂકવ્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય છે તે ફક્ત એક હાય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે. આથી કાળને અનંત સમયવાળા કહ્યો છે. [ ૩૮ – ૩૯ ] છે: હવે ગુણનું સ્વરૂપ વર્ણવે મુખ્યપ્રયા નિષ્ણુ તુ: | ૩૦ | જે દ્રવ્યમાં હુંમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે. દ્રવ્યના લક્ષણમાં ગુણુનું કથનર કર્યુ છે, એથી એનુ સ્વરૂપ અહીયાં બતાવ્યું છે. જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે. તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હોવાથી દ્રવ્યમાં સન્ન રહેતા ૧. જીઓ એ. ૫ સૂ .૧૨. ૨. જીએ એ. ૫ સ. Page #442 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય પસૂત્ર ૪૧ ૪૫ નથી; પરંતુ ગુણ તો નિત્ય હાવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે. દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિએ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે, તેમનું નામ જ ગુળ. આ ગુણામાં વળી બીજા ગુણા માનવાથી અનવસ્થાને દેષ આવે છે. માટે દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણુ માન્યા છે. આત્માના ગુણુ ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, આનંદ, વી આદિ છે. અને પુદ્ગલના ગુણુ રૂપ, રસ, ગંધ અને સ્પ આદિ છે. [૪] હવે પરિણામનું સ્વરૂપ વર્ણવે છે : તનૂમાનઃ ાિમઃ । ?? | તે થવું” અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવુ તેનું નામ પરિણામ. ૧પહેલે કેટલેક સ્થાને પરિણામનું કથન કર્યું છે. તેનું અહીંયાં સ્વરૂપ બતાવે છે. - બૌદ્ધ લાકે વસ્તુમાત્રને ક્ષણસ્થાયી – નિરન્વયવિનાશી માને છે; આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ, ઉત્પન્ન થઈ સથા નષ્ટ થઈ જવું અર્થાત નાશની પછી કાંઈ પણ તત્ત્વનું કાયમ ન રહેવુ, એવા થાય છે. નૈયાયિક આદિ ભેદવાદી દર્શીન કે જે ગુણ અને દ્રવ્યના એકાંત ભેદ માને છે, એમના મત પ્રમાણે, સર્વા અવિકૃત દ્રવ્યામાં ગુણાનુ ઉત્પન્ન થવું તથા નષ્ટ થવુ, એવા પરિણામને અફલિત થાય છે આ બંને પક્ષની સામે પરિણામના ૧. જીએ અ. ૫. સૂ. ૨૨, ૩૬. ત-૧૬ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨ લપાથર સ્વરૂપના સંબંધમાં જૈન દર્શનને મંતવ્યભેદ આ સૂત્રમાં બતાવ્યો છે. કોઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ એ નથી કે જે સર્વથા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કોઈ દ્રવ્ય અથવા કેઈ ગુણ પિતાની મૂળ જાતિને સ્વભાવને ત્યાગ કરતા નથી. સારાંશ એ છે કે, દ્રવ્ય હેય અથવા ગુણ, દરેક પિતતાની જાતિને ત્યાગ કર્યા વિના જ પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કર્યા કરે છે. આ જ દ્રવ્યોને તથા ગુણોને પરિણામ કહેવાય છે. આત્મા મનુષ્યરૂપે હોય અથવા પશુપક્ષીરૂપે હોય, પરંતુ તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતો હોવા છતાં પણ તેનામાં આત્મત્વ કાયમ રહે છે. એ જ રીતે જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ હોય અથવા દર્શનરૂપ નિરાકાર ઉપગ હોય; ઘટવિષયક જ્ઞાન હોય અથવા પટવિષક જ્ઞાન હોય; પરંતુ એ બધા ઉપગ પર્યાયમાં ચેતના તે કાયમ રહે છે. ચણુક અવસ્થા હોય અથવા ચણક આદિ અવસ્થા હોય, પરંતુ એ અનેક અવસ્થામાં પણ પુદ્ગલ પિતાનું પુગલત્વ છોડતું નથી. એ રીતે ઘળાશ છેડી કાળાશ ધારણ કરે, કાળાશ છોડી પીળાશ ધારણ કરે, તે પણ તે બધા વિવિધ પર્યાયોમાં રૂપ–સ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણના વિષયમાં ઘટાવી લેવું જોઈએ. [૪૧]. હવે પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ કહે છે: - અનારિરિમાંa ા કર ! Page #444 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૫ - સૂત્ર ૪૩-૪૪ શષ્યિાદિમાન ા કરૂ योगोपयोगी जीवेषु । ४४ । તે અનાદિ અને આદિમાન બે પ્રકારના છે. રૂપી અર્થાત પુદ્ગલ દ્રવ્યમાં આદિમાન છે. જીમાં વેગ અને ઉપગ આદિમાન છે. જેના કાળની પૂર્વ કોટિ જાણું ન શકાય તે અનાદિ, અને જેને કાળની પૂર્વકાટિ જાણી શકાય તે આદિમાન કહેવાય છે. અનાદિ અને આદિમાન શબ્દને ઉપરને અર્થ જે સામાન્ય રીતે સર્વત્ર પ્રસિદ્ધ છે, એને માની લઈને કિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વેળાએ એ સિદ્ધાંત સ્થિર થાય છે કે, દ્રવ્ય ગમે તે રૂપી હોય અથવા અરૂપી હોય, દરેકમાં અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધાંમાં સમાનરૂપે ઘટાવી શકાય છે. એમ હોવા છતાં પણ પ્રસ્તુત સૂત્રોમાં તથા એના ભાષ્ય સુદ્ધામાં ઉક્ત અર્થ સંપૂર્ણ તથા સ્પષ્ટ કેમ નથી કર્યો ? આ પ્રશ્ન ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકારે ઉઠાવ્યો છે અને અંતમાં કબૂલ કર્યું છે કે, વસ્તુતઃ બધાં દ્રવ્યોમાં અનાદિ તથા આદિમાન બંને પરિણામે હોય છે. | સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરના વ્યાખ્યાગ્રંથોમાં બંને પ્રકારનાં પરિણામ હોવાનું સ્પષ્ટ કથન છે; અને તેનું આ રીતે સમર્થન પણ કર્યું છે કે, દ્રવ્યસામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેષની અપેક્ષાએ આદિમાન પરિણામ સમજવા જોઈએ. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્વાર્થસૂત્ર દિગંબર વ્યાખ્યાકારોએ બેતાળીસથી ચૂંવાળીસ સુધીનાં ત્રણ સૂત્રો સૂત્રપાઠમાં ન રાખી “તમવ: વરા:” એ સૂત્રની વ્યાખ્યામાં જ પરિણામના ભેદ અને એમના આશ્રયનું કથન જે સંપૂર્ણ રીતે તથા સ્પષ્ટ રીતે કર્યું છે, એથી જાણી શકાય છે કે એમને પણ પરિણામના આશ્રયવિભાગની ચર્ચા કરતાં પ્રસ્તુત સૂત્રોમાં તથા એમના ભાષમાં અર્થની ત્રુટિ કિંવા અસ્પષ્ટતા અવશ્ય માલૂમ પડી હશે. આથી તેઓએ અપૂર્ણર્થક સૂત્રોને પૂર્ણ કરવા કરતાં પોતાના વક્તવ્યને સ્વતંત્રરૂપે જ કહેવું ઉચિત ધાર્યું. ગમે તે હોય, પરંતુ અહીંયાં એક પ્રશ્ન થાય છે કે આટલા સૂક્ષ્મદશી અને સંગ્રાહક સૂત્રકારના ધ્યાનમાં એ વાત ન આવી કે જે વૃત્તિકારને ધ્યાનમાં આવી? અથવા સર્વાર્થસિદ્ધિ આદિ વ્યાખ્યાઓમાં પરિણામને જે આશ્રયવિભાગ સંપૂર્ણ રીતે દેખાય છે, તે શું સૂત્રકારને ન સૂઝયો ? ભગવાન ઉમાસ્વાતિને માટે આવી બાબતના વિષયમાં ત્રટિની કલ્પના કરવી યોગ્ય નથી. એના કરતાં તો એમના કથનના તાત્પર્યનું પોતાનું અજ્ઞાન કબૂલ કરવું વધારે ચોગ્ય છે. એમ પણ હોઈ શકે છે કે, અનાદિ અને આદિમાન શબ્દના જે અર્થ આજે સર્વત્ર પ્રસિદ્ધ છે અને જે અર્થ વ્યાખ્યાકારોએ લીધા છે, તે સૂત્રકારને ઇષ્ટ ન હોય. શબ્દના અનેક અર્થમાંથી કઈ એક અર્થ ક્યારેક એટલે પ્રસિદ્ધ થઈ જાય છે અને બીજો અર્થ એટલે અપ્રસિદ્ધ થઈ જાય છે કે, કાળાંતરે તે અપ્રસિદ્ધ અર્થને સાંભળતાં પહેલવહેલાં એ ધ્યાનમાં પણ નથી આવતું કે તે શબ્દને એ પણ અર્થ થઈ શકે. એમ દેખાય છે કે અનાદિ અને આદિમાન શબ્દના કાંઈક બીજા જ અર્થો સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ હશે; અને Page #446 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર-૪૩-૪૪ ૨૪૯ એ અર્થ એમને વિવક્ષિત હશે. જો આ કલ્પના ઠીક હોય તે કહેવું જોઈએ કે, સૂત્રકારને અનાદિ શબ્દને “આગમપ્રમાણ ગ્રાહ્ય” અને આદિમાન શબ્દને પ્રત્યક્ષગ્રાહ્ય” એવો અર્થ ઇષ્ટ હશે. જો આ કલ્પના વાસ્તવિક હોય, તે પરિણામના આશ્રય વિભાગના સંબંધમાં જે કાંઈ ત્રુટિ માલમ પડે છે, તે રહેશે નહિ. તે અર્થ પ્રમાણે સીધે અને સરળ વિભાગ એ થઈ જાય છે કે, ધર્માસ્તિકાયધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને છવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યને પિતાને પરિણામ અનાદિ એટલે કે આગમપ્રમાણગ્રાહ્ય છે, અને પુદ્ગલને પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે; તથા અરૂપી હોવા છતાં પણ જીવના ગ – ઉપગ પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે, અર્થાત એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ જીવ અને અજીવનું નિરૂપણ થઈ ગયું, હવે ક્રમશઃ આસ્રવનું નિરૂપણ આવે છે, પ્રથમ ચેાગના વર્ણન દ્વારા આસ્રવનું સ્વરૂપ કહે છેઃ कायवाङ्मनः कर्म योगः | १ | સ આસવઃ ।૨। કાય, વચન, મનની ક્રિયા ચાગ છે. તે જ આસ્રવ અર્થાત્ કના સંબ ંધ કરાવનાર હાવાથી આસ્રવ કહેવાય છે. વીર્યંતરાયના ક્ષયાપશમ અથવા ક્ષયથી તથા પુદ્ગલાના આલંબનથી થતા આત્મપ્રદેશેાના પરિસ્પદ – કંપનવ્યાપાર ચોળ કહેવાય છે. તેના આલબનભેદથી ત્રણ ભેદો છે : કાયયાગ, વચનયાગ અને મનેાયાગ. ઔદારિકાદિ શરીરવ ણુાના પુદ્ગલાના આલબ નથી જે યાગ પ્રવર્તીમાન થાય છે, તે ‘ કાયયેાગ.’ મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતાવરણ આદિ કર્મના ક્ષયાપથમથી આંતિરક વાબ્ધિ ઉત્પન્ન થતાં વચનવણાના આલંબનથી Page #448 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૩-૪ ૫૧ ભાષા પરિણામ તરફ અભિમુખ આત્માને જે પ્રદેશપરિસ્પદ થાય છે, તે “ વાગ' છે. ઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મને લબ્ધિ થતાં મવર્ગણાના આલંબનથી મનઃપરિણામ તરફ આત્માનું જે પ્રદેશકંપન થાય છે, તે “મને ગછે. ઉક્ત ત્રણ પ્રકારના યંગ જ ના કહેવાય છે. યોગને આસવ કહેવાનું કારણ એ છે કે, કેગ દ્વારા જ આત્મામાં કર્મવર્ગણાનું “આસ્રવ – કર્મરૂપે સંબંધ – થાય છે. જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળાં આદિનાં મુખ અથવા દ્વાર આશ્રવ – વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે, તે જ રીતે કર્માસ્ત્રવનું નિમિત્ત થવાથી યોગને આસવ કહે છે. [૧-૨] હવે યોગના ભેદ અને એમના કાર્યભેદ કહે છે: મઃ પુષ્ય . રૂ! अशुभः पापस्य । ४। ૧. ત્રીજા અને ચોથા સૂત્રના સ્થાનમાં “ગુમઃ પુણાગુમ પએવું એક જ સૂત્ર ત્રીજા સૂત્ર તરીકે દિગંબરીય ગ્રંથમાં છપાયેલું છે, પરંતુ રાજવાર્તિકમાં “તતઃ સૂત્રદયનર્નવમ્ એ ઉલ્લેખ પ્રસ્તુતસૂત્રોની ચર્ચામાં મળે છે. (જુઓ પૃ. ૨૪૮; વાર્તિક ૭ ની ટીકા). આ ઉલ્લેખથી સમજાય છે કે વ્યાખ્યાકારાએ બન્ને સૂત્રને સાથે લખી એના ઉપર એકી સાથે જ વ્યાખ્યા કરી હશે, અને લખનારાઓ તથા છાપનારાઓએ સૂત્રપાઠને તથા તેની ટીકાને પણ એક સાથે જ જોઈને, બંને સૂત્રોને અલગ અલગ ન માનતા એક જ સૂત્ર સમજ્યા હશે અને એના ઉપર એક જ સંખ્યા લખી હશે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તરવાથસૂત્ર - શુભ ગ પુણ્યને આસવ અર્થાત બંધહેતુ છે. અને અશુભ ગ પાપને આસ્રવ છે. કાયયોગ આદિ ઉક્ત ત્રણે યોગ શુભ પણ હેય છે અને અશુભ પણ હોય છે. કેગના શુભત્વ અને અશુભત્વને આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ શુભ અને અશુભ ઉદેશથી પ્રવૃત્ત એગ અશુભ છે. કાર્ય– કર્મબંધની શુભાશુભતા ઉપર યુગની શુભાશુભતા અવલંબિત નથી; કેમકે એમ માનવાથી બધા વેગ અશુભ જ કહેવાશે, કેઈ શુભ કહેવાશે જ નહિ; કેમકે શુભ યોગ પણ આઠમા આદિ ગુણસ્થાનમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ થાય છે. હિંસા, ચેરી, અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ, અને દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાગ છે. સત્ય કિન્તુ સાવદ્ય ભાષણ, મિથ્યાભાષણ, કઠોર ભાષણ આદિ અશુભ વાગ્યો છે અને નિરવા સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય આદિ ભાષણ શુભ વાગ છે. બીજાના અહિતનું તથા વધનું ચિંતન આદિ કર્મ એ અશુભ મનોયોગ છે અને બીજાની ભલાઈનું ચિંતન તથા એને ઉત્કર્ષ જેઈને પ્રસન્ન થવું આદિ શુભ મનગ છે. શુભયોગનું કાર્ય પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય પાપપ્રકૃતિને બંધ છે, એવું પ્રસ્તુત સૂત્રોનું વિધાન, અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે સંકલેશ-કષાયની મંદતાના ૧. આને માટે જુઓ હિંદી “કમ ગ્રંથ છે; “ગુણસ્થાનમાં બંધવિચાર'; તથા હિંદી કર્મગ્રંથ બીજે. Page #450 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧- સૂત્ર ૩-૪ ૨૫૩ સમયે થતે યોગ શુભ અને સંકલેશની તીવ્રતાના સમયે તે યોગ અશુભ કહેવાય છે. જેમ અશુભયોગના સમયે પ્રથમ આદિ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય આદિ બધી પુણ્ય–પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે, તેમ જ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે જ. તે પછી શુભગનું પુણ્યબંધના કારણરૂપે અને અશુભાગનું પાપબંધના કારણરૂપે અલગ અલગ વિધાન કેવી રીતે સંગત થઈ શકશે ? તેથી પ્રસ્તુત વિધાનને મુખ્યતયા અનુભાગબંધની અપેક્ષાએ સમજવું જોઈએ. શુભયોગની તીવ્રતાના સમયે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ-રસ-ની માત્રા અધિક, અને પાપ પ્રકૃતિઓના અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે; એનાથી ઊલટું અશુભયોગની તીવ્રતાના સમયે પાપ પ્રકૃતિનો અનુભાગબંધ અધિક, અને પુણ્યપ્રકૃતિઓનો અનુભાગ બંધ અલ્પ હોય છે. એમાં શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાનું અને અશુભયોગજન્ય પાપાનુભાગની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને સૂત્રમાં અનુક્રમે શુભાગને પુણ્યનું અને અશુભયોગને પાપનું બંધકારણ કહ્યો છે, શુભયોગજન્ય પાપાનુભાગની હીન માત્રા અને અશુભયોગજન્ય પુણ્યાનુભાગની હીન માત્રા વિવક્ષિત નથી, કેમકે લોકની માફક શાસ્ત્રમાં પણ પ્રધાનતાથી વ્યવહાર કરવાનો નિયમ પ્રસિદ્ધ છે. [] ૧. પ્રાધાન્ચન પરા મવત્તિ એ ન્યાય. જેમ, જ્યાં બ્રાહ્મણોની પ્રધાનતા હોય અથવા સંખ્યા અધિક હેય, એવું ગામ બીજા વર્ણનાં લોકો હોય તે પણ, બ્રાહ્મણનું ગામ કહેવાય છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાથસૂત્ર હવે સ્વામીભેદથી યેાગના ફ્લભેદ કહે છે सकषायाकषाययेाः साम्परायिकेर्यापथयेाः | ५ | ક્યાયસહિત અને કષાયરહિત આત્માના યાગ અનુક્રમે સાંપરાયિક કમ અને ઈર્ષ્યાપથ કના ખધહેતુ —આસ્રવ—થાય છે. ૫૪ જેનામાં ક્રાધ, લાભ આદિ કષાયોને ઉય હાય તે કષાયસહિત, અને જેનામાં ન હેાય તે કષાયરહિત છે. પહેલાથી દશમા ગુણસ્થાન સુધીના બધા જીવા ન્યૂનાધિક પ્રમાણમાં સકષાય છે, અને અગિયારમા આદિ આગળના ગુરુસ્થાનવાળા અકષાય છે. - આત્માના સપરાય પરાભવ કરતુ ક્રર્મ સાવરાચિન્હ કહેવાય છે. જેમ ભીના ચામડા ઉપર હવાથી પડેલી રજ એની સાથે ચોંટી જાય છે, તેમ યોગ દ્વારા આત્કૃષ્ટ જે કર્મ કષાયાદયના કારણથી આત્માની સાથે સંબદ્ધ થઈ તે સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે કર્માં સાંપરાયિક છે, સૂકી ભી'તની ઉપર લાગેલા લાકડાના ગાળાની માફક યાગથી આકૃષ્ટ જે ક કષાયાય ન હેાવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, તે આવથ ક કહેવાય છે. ઈર્યાપથ કની સ્થિતિ ફક્ત એ સમયની માનવામાં આવે છે. કષાયેાયવાળા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારે શુભ-અશુભ યાગથી જે ક આંધે છે, તે સાંપરાયિક કહેવાય છે, અર્થાત્ તે કષાયની તીવ્રતા—મતા પ્રમાણે અધિક અથવા ઓછી સ્થિતિવાળુ થાય છે, અને યથાસંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ થાય છે. પરંતુ કષાયમુક્ત આત્મા ત્રણે Page #452 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૫-૬ ૨૫૫ પ્રકારના વેગથી જે કર્મ બાંધે છે, તે કવાયના અભાવના કારણે નથી તે વિપાકનું જનક થતું, કે નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. આવા બે સમયની સ્થિતિવાળા કર્મને ઈપથિક નામ આપવાનું કારણ એ છે કે, તે કર્મ કષાય ન હોવાથી ફક્ત ઈ–ગમનાગમનાદિ પ્રવૃત્તિ દ્વારા બંધાય છે. સારાંશ એ છે કે, ત્રણ પ્રકારના વેગ સમાન હોય છતાં પણ જે કષાય ન હોય, તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ થતું નથી. સ્થિતિ અને રસ બન્નેનું બંધકારણ કષાય જ છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. [૧] હવે સાંપરાયિક કર્મોત્સવના ભેદ કહે છે: अब्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसंख्याः पूर्वस्य भेदाः ।६। પૂર્વના અર્થાત બેમાંથી સાંપરાયિક કર્માસ્ત્રના અવત, કષાય, ઈદ્રિય અને ક્રિયા રૂપ ભેદ છે, તે અનુક્રમે સંખ્યામાં પાંચ, ચાર, પાંચ અને પચીસ છે. જે હેતુઓથી સાંપરાયિક કર્મને બંધ થાય છે, તે સાંપરાયિક કર્મને આસ્ત્રવ સકષાય જીવોમાં જ હોઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં જે આસ્રવભેદનું કથન છે. તે સાંપરાયિક કર્માસ્ત્રવ છે; કેમકે તે કષાયમૂલક છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ ચત છે, તેમનું વર્ણન અધ્યાય ૭ ના સૂ૦ ૮–૧૨ સુધીમાં છે. ક્રોધ, માન, માયા, લેભ એ ચાર વષાય છે, તેમનું વિશેષ સ્વરૂપ અ૦ ૮ સૂ૦ ૧૦ માં છે. સ્પર્શન આદિ પાંચ Page #453 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ તવાથસૂત્ર રંદ્રિયોનું વર્ણન અ૦ ૨ સૂ૦ ૨૦ માં આવી ગયું છે. અહીંયાં ઈદ્રિયને અર્થ એમની રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિ છે, કેમકે સ્વરૂપમાત્રથી કોઈ ઈદ્રિય કર્મબંધનું કારણ થઈ શકતી નથી, અને ઇદ્રિના રાગદ્વેષરહિત પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ થઈ શકતી નથી. પચીસ ત્રિયાઓનાં નામ અને એમનાં લક્ષણ આ પ્રમાણે છેઃ ૧. “સમ્યફર્તક્રિયા' અર્થાત દેવ, ગુરુ અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિ રૂપ હોઈ સમ્યકત્વની પિષક ક્રિયા. ૨. મિથ્યાત્વક્રિયા' અર્થાત મિથ્યાત્વમોહનીય કર્મના બળથી થતી સરાગદેવની સ્તુતિ-ઉપાસના આદિરૂપ ક્રિયા. ૩. શરીર આદિ દ્વારા જવા આવવા આદિ સકષાય પ્રવૃત્તિ કરવી તે “પ્રગક્રિયા છે. ૪. ત્યાગી થઈને ભોગવૃત્તિ તરફ ઝૂકવું એ “સમાદાનક્રિયા છે. ૫. ઈપથકર્મના બંધનનું કારણ થયેલી ક્રિયા “ઈપથક્રિયા' કહેવાય છે. ૧. દુષ્ટભાવ યુક્ત થઈને પ્રયત્ન કરે અર્થાત કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ “કાયિકી ક્રિયા” છે. ૨. હિંસાકારી સાધનોને ગ્રહણ કરવાં એ “આધિકરણિકી ક્રિયા” છે. ૩. ક્રોધના આવેશથી થતી ક્રિયા “પ્રાદોષિકી” છે. પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકીકહેવાય છે. ૫. પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા “પ્રાણાતિપાતિકી' છે. ૧. રાગવશ થઈ રૂપ જેવાની વૃત્તિ “દર્શનક્રિયા છે. ૨. પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પર્શને ૧. પાંચ ઈદ્રિય, મન-વચન-કાચબલ, ઉકાસનિકવાસ, અને વાયુ, એ દશ પ્રાણ છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –સૂત્ર ૫-૬ ૨૫૭ અનુભવ કરવા એ સ્પ’નક્રયા' છે. ૩. નવાં શસ્ત્ર બનાવવાં તે ‘પ્રાત્યયિકી ક્રિયા’ છે. ૪. સ્ત્રી, પુરુષ અને પશુઓને જવા-આવવાની જગ્યા ઉપર મળમૂત્રાદિતા ત્યાગ કરવા એ ‘સમતાનુપાતનક્રિયા’ છે. ૫. જોયા વિનાની અથવા સાફ કર્યાં વિનાની જગ્યા ઉપર શરીર રાખવુ એ ‘અનાભાગ ક્રિયા’ છે. ૧. જે ક્રિયા ખીજાને કરવાની હાય તે પાતે કરી લેવી એ ‘સ્વહસ્તક્રિયા' છે. ૨. પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે ‘નિસર્ગ ક્રિયા’ છે. ૩. ખીજાએ જે પાપકાર્યાં કર્યું. હાય એને પ્રકાશિત કરવું એ ‘વિદારણ ક્રિયા' છે. ૪. પાલન કરવાની શક્તિ ન હોવાથી શાસ્ત્રોક્ત આજ્ઞાની વિપરીત પ્રરૂપણા કરવી તે આજ્ઞાવ્યાપાીિ ' અથવા ‘આનયની ક્રિયા’ છે. ૫. ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાના અનાદર ‘અનવકાંક્ષ ક્રિયા' છે. t ૧. ભાંગવા, ફાડવા અને ધાત કરવામાં સ્વયં રત રહેવુ અને ખીજાની એવી પ્રવૃત્તિ જોઈ ને ખુશી થવું, તે ‘આરંભક્રિયા' છે. ૨ જે ક્રિયા પરિગ્રહનેા નાશ ન થવાને માટે કરવામાં આવે, તે પારિગ્રહિકી.’ ૩. જ્ઞાન, દર્શોન આદિના વિષયમાં ખીજાને ઠગવા, તે માયા ક્રિયા.' ૪. મિથ્યાદષ્ટિને અનુકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને ‘તુ ઠીક કરે છે' ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા મિથ્યાત્વમાં વધારે દઢ કરવા, તે મિથ્યાદર્શન ક્રિયા. ' ૫. સંયમબાતી કના પ્રભાવના કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવુ, એ ‘અપ્રત્યાખ્યાન ક્રિયા' છે. · પાંચ પાંચ ક્રિયાનું એક એવાં ઉપરનાં પાંચ પંચામાંથી ફક્ત ઈર્ષ્યાપથિકી ક્રિયા સાંપરાયિક કતા આસ્રવ નથી. અહીં + Page #455 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તરવાથસૂત્ર બધી ક્રિયાઓને કષાય પ્રેરિત હેવાના કારણે સાંપરાયિક કર્માસ્ત્ર કહ્યો છે, તે બાહુલ્યની દૃષ્ટિએ સમજવું. જો કે અવ્રત, ઇંદ્રિયની પ્રવૃત્તિ અને ઉક્ત ક્રિયાઓનું બંધમાં કારણ થવાપણું રાગદ્વેષ ઉપર જ અવલંબિત છે. અને એથી વસ્તુતઃ રાગદ્વેષ (કષાય) જ સાંપરાયિક કર્મનું બંધકારણ છે; તથાપિ કષાયથી અલગ અવ્રત આદિનું બંધકારણરૂપે સૂત્રમાં જે કથન કર્યું છે, તે કષાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્યપણે દેખાય છે, અને સંવરના અભિલાષીએ કઈ કઈ પ્રવૃત્તિને રોકવી જોઈએ અને કોના ઉપર ધ્યાન આપવું જોઈએ એ સમજાવવાને માટે છે. [૬] હવે બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામભેદથી કર્મબંધમાં આવતી વિશેષતા જણાવે છે: तीव्रमन्दज्ञाताशातभाववीाधिकरणविशेषेभ्यस्तद्विशेषः । ७। તીવભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય અને અધિકરણના ભેદથી એની એટલે કે કર્મબંધની વિશેષતા થાય છે. પ્રાણાતિપાત, ઇદ્રિયવ્યાપાર અને સન્મુત્રક્રિયા આદિ ઉપરના આસ્રવ (બંધકારણ) સમાન હોવા છતાં પણ તજજન્ય કર્મબંધમાં કયા કયા કારણથી વિશેષતા આવે છે, તે આ સૂત્રમાં બતાવ્યું છે. બાહ્ય બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ ભિન્નભિન્ન થાય છે. જેમકે એક જ દશ્યને જોતી બે વ્યકિતઓમાં મંદ આસક્તિપૂર્વક જેનાર કરતાં તીવ્ર આસક્તિપૂર્વક જેનાર વ્યક્તિ Page #456 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સૂત્ર છ ૨૫૯ કુને તીવ્ર જ બાંધે છે. ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ 'જ્ઞાતભાવ' છે; અને ઇરાદા સિવાય કૃત થઈ જાય એ અજ્ઞાતભાવ’ છે. જ્ઞાત અને અજ્ઞાત ભાવમાં બાહ્ વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મબંધમાં ક્રક પડે છે. જેમકે, કેાઈ એક વ્યક્તિ હરણને હરણ સમજી બાણથી વીધી નાંખે, અને ખીજો કોઈ નિર્જીવ નિશાન ઉપર ખાણ તાકતાં ભૂલથી હરણને સીધી નાંખે; આ એમાં ભૂલથી મારનાર કરતાં સમજપૂર્વક મારનારના કર્મબંધ ઉત્કટ થાય છે. વી (શક્તિવિશેષ) પણ કર્મબંધની વિચિત્રતાનુ કારણ થાય છે. જેમ દાન, સેવા આદિ કાર્ય શુભ કામ હોય અથવા હિંસા, ચારી આદિ અશુભ કામ હેાય તે બધાં શુભાશુભ કામેાને બળવાન મનુષ્ય સહેલાઈથી અને ઉત્સાહથી કરી શકે છે; પણ નબળા માણસ તે જ કામેાને મુશ્કેલી તેમ જ ઓછા ઉત્સાહથી કરે છે, માટે જ બળવાન કરતાં નિળને શુભાશુભ કર્મોંબંધ મદ જ હાય છે. જીવ જીવ રૂપ અધિકરણના અનેક ભેદ કહેવામાં આવશે; એમની વિશેષતાથી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે. જેમકે હત્યા, ચેરી આદિ અશુભ અને પારકાનું રક્ષણ આદિ શુભ કામ કરતા એ માણસે માંથી એકની પાસે અધિકરણ એટલે કે શસ્ત્ર ઉમ હાય અને બીજાની પાસે સાધારણ હાય, તે સાધારણ શસ્ત્રવાળાના કરતાં ઉગ્ર શસ્ત્રધારીને કબંધ તીવ્ર થવાના સંભવ છે, કેમકે ઉગ્ર શસ્ત્ર પાસે હેાવાથી એનામાં એક પ્રકારના અધિક આવેશ રહે છે. જો કે બાહ્ય આસવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે, એના કારણરૂપે વીર્ય, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તત્ત્વાર્થસૂત્ર અધિકરણ આદિની વિશેષતાનું કથન સૂત્રમાં કર્યું છે; તથાપિ કર્મબંધની વિશેષતાનું ખાસ નિમિત્ત કાષાયિક પરિણામને તીવ્ર–મંદ-ભાવ જ છે. સજ્ઞાન પ્રવૃત્તિ, અજ્ઞાન પ્રવૃત્તિ, અને શક્તિની વિશેષતાને કર્મબંધની વિશેષતાનું કારણ કહ્યું છે, તે પણ કાષાયિક પરિણામની વિશેષતા દ્વારા જ. આ રીતે કર્મબંધની વિશેષતામાં શસ્ત્રની વિશેષતાના નિમિત્તભાવનું કથન પણ કાષાયિક પરિણામની તીવ્રમંદતા દ્વારા જ સમજવું જોઈએ. [૭] હવે અધિકરણના બે ભેદ કહે છે: अधिकरणं जीवाजीवाः । ८॥ आद्यं संरम्भसमारम्भयोगकृतकारितानुमतकषायવિશે બ્રિષ્યિગુરઃ ૧T निर्धर्तनानिक्षेपसंयोगनिसर्गा विचतुद्वित्रिभेदाः ૫૧ | ૨૦ | અધિકરણ, જીવ અને અજીવ રૂપ છે. આદ્ય - પહેલું જીવરૂપ અધિકરણ ક્રમશઃ સંરંભ, સમારંભ અને આરંભ ભેદથી ત્રણે પ્રકારનું; ગભેદથી ત્રણ પ્રકારનું કૃત, કારિત અને અનુમતભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદથી ચાર પ્રકારનું છે. પર અર્થાત અછવાધિકરણ અનુ મે બે ભેદ, ચાર ભેદ, બે ભેદ અને ત્રણ ભેદવાળા નિર્વતૈના, નિક્ષેપ, સંયોગ અને નિસગ રૂપ છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૮-૧૦ ૨૬૧ શુભ, અશુભ બધાં જ કાર્ય જીવ અને અજીવની દ્વારા જ સિદ્ધ થાય છે, એકલે છવ અથવા એકલું અજીવ કાંઈ કરી શકતાં નથી. આથી જીવ અને અજીવ બંને “અધિકરણ અર્થાત કર્મબંધનું સાધન, ઉપકરણ અથવા શસ્ત્ર કહેવાય છે. ઉપરનાં બંને અધિકરણ દ્રવ્ય અને ભાવરૂપે બે બે પ્રકારનાં છે. જીવ વ્યક્તિ અથવા અજીવ વસ્તુ વ્યાધિકરણ છે, અને જીવગત કષાય આદિ પરિણામ તથા છરી આદિ નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતારૂપ શક્તિ આદિ “ભાવાધિકરણ છે. [2] સંસારી જીવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળા એકસો ને આઠ અવસ્થાઓમાંથી કોઈને કોઈ અવસ્થામાં અવશ્ય હોય છે, આથી તે અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમકે ધકૃત કાયસંરંભ, માનકૃત કાયસંરંભ, માયાકૃત કાયસંરંભ, અને લેભકૃત કાયસંરંભ એ ચાર, અને એ રીતે કૃતપદના સ્થાનમાં “કારિત” તથા “અનુમત’ પર લગાવવાથી ક્રોધકારિત કાયસંરંભ આદિ ચાર તથા ક્રોધ અનમત કાયસંરંભ આદિ ચાર એમ બાર ભેદ થાય છે. એ રીતે કાયના સ્થાનમાં વચન અને મન પર લગાવવાથી બાર, બાર ભેદ થાય છે; જેમકે, કોધકૃત વચનસંરંભ આદિ તથા કૈધકૃત મનસંરંભ આદિ. આ છત્રીશ ભેદમાંથી સંરંભ પદના સ્થાનમાં સમારંભ અને આરંભ પદ મૂકવાથી બીજા પણ છત્રીશ-છત્રીશ ભેદ ‘થાય છે. એ બધાને સરવાળો કરીએ તો કુલ ૧૦૮ ભેદ થાય. પ્રમાદી જીવને હિંસા આદિ કાર્યને માટે પ્રયત્નને આવેશ “સંરંભ” કહેવાય છે; એ કાર્યને માટે સાધનોને ભેગાં કરવાં એ “સમારંભ,” અને છેવટે કાર્યને કરવું એ ત–૧૭ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર તરવાથસૂત્ર આરંભ” કહેવાય છે. અર્થાત કાર્યની સંકલ્પાત્મક સૂક્ષ્મ અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપે પૂરું કરી દેવા સુધીમાં જે ત્રણ અવસ્થાઓ થાય છે, તે અનુક્રમે સંરંભ, સમારંભ, અને આરંભ કહેવાય છે. કેગના ત્રણ પ્રકાર પહેલાં કહેલા છે. “કૃત’ને અર્થ પિતે કરવું તે, “કારિતને અર્થ બીજા પાસે કરાવવું તે, અને “અનુમતને અર્થ કેઈના કાર્યમાં સંમત થવું તે, છે. ક્રોધ, માન આદિ ચારે કષાય પ્રસિદ્ધ છે. - જ્યારે કોઈ સંસારી જીવ દાન આદિ શુભ અથવા હિંસા આદિ અશુભ કાર્યની સાથે સંબંધ રાખે છે, ત્યારે તે કધ અથવા માન આદિ કઈ કષાયથી પ્રેરિત થાય છે. કષાય પ્રેરિત થઈને પણ તે ક્યારેક તે કામને પિતે કરે છે, અથવા બીજા પાસે કરાવે છે, અથવા બીજાએ કરેલા કામમાં સંમત થાય છે. આ રીતે તે ક્યારેક તે કામને માટે કાયિક, વાચિક અથવા માનસિક સંરંભ, સમારંભ અથવા આરંભથી યુક્ત અવશ્ય થાય છે. [૯] પરમાણુ આદિ મૂર્ત વસ્તુ, દ્રવ્ય અછવાધિકરણ છે. જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થતું મૂર્ત દ્રવ્ય જે જે અવસ્થામાં વર્તમાન હોય છે, તે બધું ભાવ અછવાધિકરણ કહેવાય છે. અહીંયાં આ ભાવ અધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. જેમકે નિર્વના (રચના), નિક્ષેપ (મૂકવું), સંગ (એકઠું કરવું), અને નિસર્ગ (પ્રવર્તાવવું.) નિર્વતનાના મૂલગુણનિર્વતના” અને “ઉત્તરગુણનિર્વતના એવા બે ભેદ છે. પુદ્ગલ દ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે “મૂલગુણનિર્વર્તાના'; અને પુદગલદ્રવ્યની લાકડી. Page #460 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૧૧-૧૩ પથ્થર આદિપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણનિર્વતના” છે. નિક્ષેપના “અપ્રત્યતિનિક્ષેપ,” “દુખમાર્જિતનિક્ષેપ,” સહસાનિક્ષેપ” અને “અનાગનિક્ષેપ” એવા ચાર ભેદ છે. પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત બરાબર જોયા વિના જ કોઈ વસ્તુને ક્યાંય પણ મૂકી દેવી, એ “અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરીને પણ સારી રીતે સાફસૂફ કર્યા વિના જ કોઈ વસ્તુને જેમતેમ મૂકી દેવી, તે “દુષ્પમાજિતનિક્ષેપ છે. પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી, એ “સહસાનિક્ષેપ છે. ઉપયોગ સિવાય જ કઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી,તે “અનાભોગ, નિક્ષેપ” છે. “સંગ ના બે ભેદ છે: અન્ન જળ આદિનું સંજન કરવું તથા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણનું સરોજન કરવું, તે અનુક્રમે “ભક્ત-પાનસંયોગાધિકરણ અને ઉપકરણ સંગાધિકરણ' કહેવાય છે. શરીરની, વચનની અને મનની પ્રવર્તાના અનુક્રમે કાયનિસર્ગ, વચનનિસર્ગ અને મનોનિસર્ગ એ ત્રણરૂપે નિસર્ગ કહેવાય છે. [૧૦] હવે આઠ પ્રકારોમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બંધહેતુઓનું કથન કરે છે? __तत्पदोषनिस्वमात्सर्यान्तरायासादोपघाता शानવરનાવર : ૨૨ दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभय. स्थान्यसद्वेधस्य । १२ । भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः शौचमिति सद्वेधस्य । १३ । Page #461 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર केवलित संघधर्म देवावर्णवादा व्रिनमाहस्य । १४ । कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य । १५ । बहवारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः । १६ । माया तैर्यग्यानस्य । १७ । ૨૬૪ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जव च मानु षस्य | १८ | निः शीलव्रतत्वं च सर्वेषाम् । १९ । सरागसंयमसंयमास यमाकामनिर्जराबालतपांसि देवस्य | २० | arrasता विसंवादनं चाशुभस्य नाम्नः । २१ । विपरीतं शुभस्य । २२ । दर्शनविशुद्धिर्विनयसंपन्नता शीलवतेष्वनतिचारोsitaणं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी संघसाधुसमाधिवैयावृत्त्यकरणम है दाचार्यबहुश्रुतप्रवचनभक्ति रावश्षका परिहाणिर्मार्ग प्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य । २६ ॥ परात्मनिन्दाप्रश से सदसद्गुणाच्छादनोद्भावने च नोचैत्रस्य । २४ ॥ तद्विपर्यया नीचैर्वृत्यनुत्सेको चोत्तरस्य । २५ । विघ्नकरणमन्तरायस्य । २६ । तत्प्रदोष, निलव, भत्सर, अंतराय, आसाहन, અને ઉપઘાત, એ જ્ઞાનાવરણુકમ તથા દેશનાવરણુકમના अधहेतु-भासव छे. Page #462 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય – સૂત્ર ૧૪ - ૨૬ ૨૬૫ પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુઃખ, શેક, તાપ, આકંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ છે. ભૂતઅનુકંપા, વ્રતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાન્તિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે. , કેવળજ્ઞાની, કૃત, સઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શન મેહનીય કર્મના બંધહેતુ છે.. કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમેહનીય કર્મને બંધહેતુ છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બં ધહેતુ છે. માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે. અલ્પ આરંભ, અલપ પરિગ્રહ. સ્વભાવની મૃતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના ૧બંધહેતુ છે. ૧. આ સૂત્રના સ્થાનમાં દિપભાં “અપરમપરિઝર્વ મનુષ ” એવું સૂત્ર સત્તરમા નંબર ઉપર છે અને બીજું અઢારમા નંબર ઉપર માવના ર” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસ્રવપ્રતિપાદક છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર શીલરહિત અને તરહિત થવું તથા પૂર્વક્તિ અલ્પ આરંભ આદિ, એ બધાં આયુષોના ખ હેતુ છે. ૨૬૪ સરાગસ’ગમ, સયમાસયમ, અકામનિર્જરા અને માલતપ, એ દેવાયુષના બંધહેતુ છે. ચેાગની વક્રતા અને વિસંવાદ, એ અશુભ નામકમના અધહેતુ છે. એનાથી ઊલટું, અર્થાત્ યાગની અવક્રેતા અને અવિસ'વાદ, એ શુભ નામકર્મના બંધહેતુ છે. ૧. દિ॰ ૫૦પ્રમાણે આ સૂત્રના અથ એવા છે કે નિ:શીલપણું અને નિ તપણું... એ બંને નારક આદિત્રણ આયુષના આસ્રવે છે; તેમજ ભાગભૂમિમાં જન્મેલા મનુષ્યેાની અપેક્ષાએ નિ:શીલપણુ અને નિત્ર તપણું તે દેવઆયુષના પણ આસ્રવા છે. આ અÖમાં દેવઆયુષના આસ્રવેશના સમાવેશ થાય છે, જે શ્વેતાંબરીય ભાષ્યમાં વવવામાં નથી આવ્યા. પરન્તુ એ ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકાર વિચારપૂર્વક ભાષ્યની એ ત્રુટિ જાણી લઈ તેની પૂર્તિ આગમાનુસાર કરી લેવા વિદ્વાનેને સૂચવે છે. ૨. દિગંબરીય પર પરામાં દેવઆયુષના પ્રસ્તુત સૂત્રમાં આ આસ્રવા ઉપરાંત બીજો પણ એક આસ્રવ ગણાવેલ છે, અને તે માટે આ પછી બીજુ એક જુદું સૂત્ર “સમ્યક્ત્વ ” એવુ છે. તે પર પરા પ્રમાણે તે સૂત્રને અથ એમ છે. કે, સમ્યક્ત્ત્વ એ સૌધમ આદિ કલ્પવાસી દેવાના આયુષને આસ્રવ છેઃ શ્વેતાંબરીય પરપરા પ્રમાણે ભાષ્યમાં એ વાત નથી; છતાં વૃત્તિકારે ભાષ્યવૃત્તિમાં બીજા કેટલાક આસ્રવા ગણાવતાં સમ્યક્ત્વને પણ લીધેલ છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩ સૂત્ર ૧૪-૨૬ ૨૧૭ દનવિશુદ્ધિ, વિનયસ પન્નતા, શીલ અને તેામાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સ`વેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ, સંધ અને સાધુનુ સમાધાન તથા વૈયાનૃત્ય કરવાં, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાઓને ન છેડવી, મેાક્ષમાગ ની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય, એ તી કર નામકમના મ હેતુ છે. પરનિંદા, આત્મપ્રશ'સા, સદ્ગુણૢાનું આચ્છાદન અને અસગુણાનું પ્રકાશન, એનીચ ગાત્રના અ હેતુ છે. એનાથી ઊલટું, અર્થાત્ પરપ્રશ ંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ ગાત્રકમના અધહેતુ છે. દાનાદિમાં વિત્ર નાંખવુ. તે અંતરાયકમ ના અ હેતુ છે. અહીંથી લઈ અઘ્યાયના અંત સુધીમાં દરેક મૂળ કર્મપ્રકૃતિના બધહેતુઓનું ક્રમશઃ વન છે. જો કે બધી કર્યું. પ્રકૃતિએના બંધહેતુ સામાન્ય રૂપે યાગ અને કષાય જ છે, તથાપિ કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કઈ કઈ પ્રવૃત્તિઓ કયા કયા કર્માંના બંધનેા હેતુ થઈ શકે છે એ વિભાગપૂર્વક બતાવવું, એ પ્રસ્તુત પ્રકરણના ઉદ્દેશ છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ તત્વાર્થસૂત્ર ज्ञानावरणीय अने दशनावरणीय कर्मना बंधहेतुओर्नु स्वरूपः ૧. જ્ઞાન. જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કર અર્થાત તત્ત્વજ્ઞાનનું નિરૂપણ થતું હોય ત્યારે કોઈ પિતાના મનમાં જ એ તત્ત્વજ્ઞાન પ્રત્યે, તેના વક્તા પ્રત્યે કે તેનાં સાધને પ્રત્યે બળ્યા કરે. એ “ત~દોષ – જ્ઞાનપ્રષ' કહેવાય છે. ૨. કેઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માગે, ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે, હું નથી જાણત, અગર મારી પાસે તે વસ્તુ નથી, તે જ્ઞાનનિહ્નવ” છે. ૩. જ્ઞાન અભ્યસ્ત અને પાકું કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હય, છતાં કોઈ તેને ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ, તે “જ્ઞાનમાત્સર્ય. ૪. કેઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી, તે જ્ઞાનાંતરાય”. પ. બીજે કઈ જ્ઞાન આપતે હેાય ત્યારે વાણી અને શરીરથી તેને નિષેધ કરો, તે “જ્ઞાનાસાદન. ૬. કેઈએ વાજબી કહ્યું હોય છતાં પોતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દોષ પ્રગટ કરવા, તે “ઉપઘાત'. જ્યારે ઉપર જણાવેલા પ્રદેષ, નિદ્ભવ આદિ જ્ઞાન, જ્ઞાની કે તેના સાધન આદિ સાથે સંબંધ ધરાવતા હોય, ત્યારે તે જ્ઞાનપ્રષ, જ્ઞાનનિવ રૂપે ઓળખાય છે, અને તે જ પ્રષ, નિદ્ભવ આદિ, દર્શન (સામાન્ય બેધ, દર્શની અથવા દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે, ત્યારે દર્શનપ્રષ, દર્શન નિહ્નવ આદિ રૂપે સમજવા. પ્રવ–આસાદન અને ઉપઘાતમાં શું ફેર ? ઉ૦–છતે જ્ઞાને તેને વિનય ન કરો, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણ ન જણાવવા, એ “આસાદન” છે; અને Page #466 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧ -સૂત્ર ૧૪૨૬ ર૬૯ ઉપઘાત” એટલે જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાને ઇરાદો રાખવો. આ બે વચ્ચે એટલે તફાવત છે. [૧૧] ૩ સાતવેદનીચ વર્મા તુમોનું સ્વા: ૧. બાહ્ય કે આંતરિક નિમિત્તથી પીડા થવી, તે “દુઃખ. ૨. કેઈ હિતૈષીને સંબંધ તૂટતાં જે ચિંતા કે ખેદ થાય છે, તે “શોક.” ૩. અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્ર સંતાપ થાય છે, તો “તાપ.” ૪. ગગદ સ્વરે આંસુ સારવા સાથે રડવું, તે આક્રંદન’. ૫. પ્રાણ લે, તે “વધ’. ૬. વિયેગી પાત્રના ગુણે યાદ આવવાથી ઉત્પન્ન થતું કરુણાજનક રુદન, તે “પરિદેવન'. ઉક્ત દુઃખ આદિ છે અને બીજાં તેના જેવાં તાડન, તર્જન આદિ અનેક નિમિત્તો જ્યારે પિતામાં કે બીજાની અંદર કે બંનેમાં ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે તે ઉત્પન્ન કરનારને અસાતવેદનીય કર્મના બંધહેતુ થાય છે. પ્ર–જે દુઃખ આદિ ઉપર કહેલાં નિમિત્તો પિતામાં કે પરમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય કર્મનાં બંધક થતાં હોય, તે પછી લોચ, ઉપવાસ, વ્રત અને બીજા તેવા નિયમો દુઃખકારી હોવાથી તે પણ અસાતવેદનીયના બંધક થવા જોઈએ; અને જે તેમ હોય તે તે વ્રત-નિયમનું અનુષ્ઠાન કરવાને બદલે તેમને ત્યાગ જ કરે કેમ ન ઘટે ? ઉ–ઉક્ત દુઃખ આદિ નિમિત્તો જ્યારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય, ત્યારે જ આસ્રવ બને છે; નહિ કે માત્ર સામાન્ય રીતે. ખરા ત્યાગી કે તપસ્વીને ગમે તેવા કઠોર શત નિયમો પાળવા છતાં અસાતવેદનીયન બંધ નથી થતો, તેનાં બે કારણો છે. પહેલું તો એ કે, ખરા Page #467 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ કે જાણીતું છે જ એવો નિયમ જાય તે જ તવાથસૂત્ર ત્યાગીઓ ગમે તેવું કઠોર શ્રત પાળી દુઃખ વહેરે છે પણ તે ધ કે બીજી તેવી દુષ્ટ લાગણીથી નહિ પણ સવૃત્તિ અને સદ્દબુદ્ધિથી પ્રેરાઈને જ. તેઓ કઠણ વ્રત લે છે ખરા; પણ ગમે તેવા દુઃખને પ્રસંગ આવવા છતાં તેમનામાં ક્રોધ, સંતાપાદિ કષાય ન થતા હોવાથી એ પ્રસંગે તેમને માટે બંધક નથી બનતા. બીજું કારણ એ છે કે, ઘણીવાર તે એવા ત્યાગીઓને કઠોરતમ રતનિયમો પાળવામાં પણ વાસ્તવિક પ્રસન્નતા હોય છે અને તેથી તેવા પ્રસંગોમાં તેમને દુઃખ કે શેક આદિને સંભવ જ નથી. એ તો જાણીતું છે કે, એકને જે પ્રસંગમાં દુઃખ થાય, તે જ પ્રસંગમાં બીજાને દુઃખ થાય જ એ નિયમ નથી તેથી એવાં વિષમ વ્રતે પાળવામાં પણ માનસિક રતિ હોવાથી એમને માટે એ દુઃખરૂપ ન હતાં સુખરૂપ જ હોય છે. જેમ કેઈ દયાળુ વૈદ્ય વાઢકાપથી કોઈને દુઃખ અનુભવાવવામાં નિમિત્ત થવા છતાં તે કરુણવૃત્તિથી પ્રેરાયેલ હોવાને લીધે પાપભાગી નથી થતું, તેમ સાંસારિક દુઃખ દૂર કરવા તેના ઉપાયોને પ્રસન્નતાપૂર્વક અજમાવતે ત્યાગી પણ સવૃત્તિને લીધે પાપબંધક નથી થતું. [૧૨] સાતવેરનીય વર્ષના અંધામનું : ૧. પ્રાણીમાત્ર ઉપર અનુકંપા કરવી, તે “ભૂતાનુકંપા” (બીજાના દુઃખને પિતાનું માનવાથી થતી લાગણી તે “અનુકંપા). ૨. વ્રત્યનું કંપા” એટલે અલ્પાંશે વ્રતધારી ગૃહસ્થ અને સર્વશે વ્રતધારી ત્યાગી એ બંને ઉપર વિશેષ પ્રકારે અનુકંપા કરવી તે. ૩. પિતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું, તે 'દાન'. ૪. “સરાગસંયમાદિ ગ” એટલે સરોગસંયમ, Page #468 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૧૪–૨૬ ૨૭૧ સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપ, એ બધામાં યાચિત ધ્યાન આપવું તે. [સંસારની કારણરૂપ તૃણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતાં પણ જ્યારે મનમાં રાગના સંસ્કારો ક્ષીણ થયા હતા નથી, ત્યારે તે સંયમ “સરાગસંયમ', કહેવાય છે. થોડો સંયમ સ્વીકારો તે “સંયમસંયમ.' વેચ્છાથી નહિ પણ પરતંત્રપણે કરવામાં આવતે ભોગેનો ત્યાગ, તે “અકામનિર્જરા.” બાલ એટલે યથાર્થ જ્ઞાન વિનાના મિથ્યાદષ્ટિવાળાનું જે અગ્નિપ્રવેશ, જળપતન, છાણુભક્ષણ, અનશન વગેરે તપ, તે “બાલતપ.] ૫ “ક્ષાંતિ એટલે ધર્મદષ્ટિથી ક્રોધાદિ દોષનું શમન. ૬. લેભ વૃત્તિ અને તેના જેવા દેષનું શમન, “શૌચ'. [૧૩] રનમોહનીચ વર્ષના વંધોનું પણ ૧. “કેવળીને અવર્ણવાદ” એટલે દુર્બદ્ધિથી કેવળીના અસત્ય દોષને પ્રગટ કરવા તે. જેમકે, સર્વજ્ઞપણાના સંભવનો સ્વીકાર ન કરે અને એમ કહેવું કે સર્વજ્ઞ છતાં તેમણે મેક્ષના સરલ ઉપાયે ન બતાવતાં ન આચરી શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા ? ઈત્યાદિ. ૨. “શ્રતને અવર્ણવાદ એટલે શાસ્ત્રના બેટા દોષે બુદ્ધિથી વર્ણવવા તે. જેમકે, એમ કહેવું કે, આ શાસ્ત્ર અભણ લેકેની પ્રાકૃત ભાષામાં કે પંડિતની જટિલ સંસ્કૃત આદિ ભાષામાં રચાયેલું હોવાથી તુચ્છ છે, અથવા આમાં વિવિધ વ્રત, નિયમ અને પ્રાયશ્ચિત્ત વગેરેનું જ નકામું તેમજ કંટાળાભરેલું વર્ણન છે વગેરે. ૩. સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંધના મિથ્થા દોષો પ્રકટ કરવા તે www. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર - તત્વાર્થસૂત્ર : સંઘઅવર્ણવાદ. જેમકે, એમ કહેવું કે, સાધુઓ વ્રતનિયમ આદિમાં નકામે કલેશ વેઠે છે, સાધુપણું સંભવતું જ નથી, અને તેનું કશું સારું પરિણામ પણ નથી; શ્રાવકે માટે એમ કહેવું કે, તેઓ સ્નાન, દાન વગેરે શિષ્ટ પ્રવૃત્તિ નથી કરતા, પવિત્રતામાં નથી માનતા ઈત્યાદિ. ૩. “ધર્મને અવર્ણવાદ” એટલે અહિંસા વગેરે મહાન ધર્મોના ખોટા દોષો બતાવવા તે. જેમકે, એમ કહેવું કે, ધર્મ ક્યાં પ્રત્યક્ષ દેખાય છે ? અને જે પ્રત્યક્ષ ન દેખાય તેનું અસ્તિત્વ કેમ સંભવે ? તથા એમ કહેવું કે અહિંસાથી મનુષ્યજાતિનું કે રાષ્ટ્રનું પતન થયું ઈત્યાદિ. ૫. દેવોને અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી તે. જેમકે, એમ કહેવું કે, દેવો નથી જ અને હોય તે નકામા જ છે, કારણ કે તેઓ શક્તિશાળી હવા છતાં શા માટે અહીં આવી આપણને મદદ નથી કરતા, કે પોતાના સંબંધીઓનું દુઃખ દૂર નથી કરતા ? વગેરે. [૧૪] વારિત્રમોહનીચ ના ધતુરોનું સ્વરૂપ: ૧. પતે કષાય કરવા અને બીજામાં પણ કષાય પ્રગટાવવા તથા કષાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી તે કષાયમહનીય કર્મના બંધનું કારણ છે. ૨. સત્યધર્મને ઉપહાસ કરે, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી, ઠઠ્ઠાબાજીની ટેવ રાખવી વગેરે હાસ્યની વૃત્તિઓ, હાસ્યમોહનીય કર્મના બંધનું કારણ છે. ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું, વ્રતનિયમ આદિ યોગ્ય અંકુશમાં અણગમે રાખો વગેરે રતિમોહનીયના આસ્રવ છે. ૪. બીજાઓને બેચેની ઉપજાવવી, કેઈન આરામમાં ખલેલ નાંખવી, હલકી જનની સોબત કરવી વગેરે અરતિહનીયના આસ્રવ છે. ૫. પોતે શોકાતુર રહેવું અને બીજાની શોકવૃત્તિને ઉજવી વગેરે શેકમોહનીયના આસ્રવ છે. ૬. પોતે ડરવું Page #470 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૧૪-૨૬ ૨૭૩ અને બીજાને ડરાવવા, એ ભયમેહનીયના આસ્રવ છે. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણું કરવી વગેરે જુગુપ્સાહનીયના આસ્રવ છે. ૮–૧૦. ઠગવાની ટેવ, પરદોષદર્શન વગેરે, સ્ત્રીવેદના આસવ છે. સ્ત્રી જાતિને યોગ્ય, પુરુષજાતિને ગ્ય અને નપુંસક જાતિને યોગ્ય સંસ્કાર કેળવવા, તે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના આસવ છે. [૧] નાદ ગાયુષના વંધતુમૌનું સ્વા: ૧. પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાયપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “આરંભ. ૨. આ વસ્તુ મારી છે અને હું આનો માલિક છું એવો સંકલ્પ રાખવે, તે “પરિગ્રહ. જ્યારે આરંભ અને પરિગ્રહવૃત્તિ બહુ જ તીવ્ર હેય અને હિંસાદિ દૂર કામોમાં સતત પ્રવૃત્તિ થાય, બીજાના ધનનું અપહરણ કરવામાં આવે, તથા ભોગમાં અત્યંત આસક્તિ રહે, ત્યારે તે નારકઆયુષના આસવ થાય છે. [૧] ઉતર ગાયુકર્મના વંધતુગોનું સ્વા: છળપ્રપંચ કરે કે કુટિલ ભાવ રાખે તે “માયા'. જેમકે, ધર્મતત્વના ઉપદેશમાં ધર્મને નામે બેસું તત્ત્વ મેળવી તેને સ્વાર્થ બુદ્ધિથી પ્રચાર કરવો અને જીવનને શીલથી દૂર રાખવું વગેરે માયા છે. તે તિર્યચઆયુષને આસવ છે. [૧] મનુષ્ય સાયુજર્મના વધામોનું : આરંભવૃત્તિ અને પરિગ્રહબુદ્ધિ ઓછી રાખવી, સ્વભાવથી જ અર્થાત વગર કહ્યું મૃદુતા અને સરળતા હોવી, એ મનુષઆયુષના આસ છે. [૧૮] નારક, તિર્યચ, મનુષ્ય એ ત્રણે આયુષના જુદા જુદા બંધહેતુઓ જે પહેલાં કહેવામાં આવ્યા છે, તે ઉપરાંત એ la! Page #471 -------------------------------------------------------------------------- ________________ કે ૨૭૪ તનવાર્થસૂત્ર ત્રણે આયુષના સામાન્ય બંધહેતુ પણ છે અને તેનું જ પ્રસ્તુત સૂત્રમાં કથન છે. તે બંધહેતુ નિશીલપણુ અને નિર્વતપણું છે. ૧. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રધાન નિયમો “વ્રત” કહેવાય છે. ૨. એ વ્રતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજાં ઉપવ્રત જેમકે–ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત તે શીલ' કહેવાય છે. એ જ રીતે ઉક્ત વતેને પાળવા માટે જ ક્રોધ, લોભ આદિનો ત્યાગ એ પણ શીલ કહેવાય છે. વ્રત અને શીલનું ન હોવું એ “નિવૃતપણું” અને નિ:શીલપણું” છે. [૧૯] સેવ ગાયુષમના વંધહેતુગોનું : ૧. હિંસા, અસત્ય, ચોરી આદિ મહાન દેની વિરમવારૂપ સંયમ લીધા છતાં જ્યારે કષાયના કાંઈક અંશો બાકી હોય, ત્યારે તે “સરાગસંયમ' કહેવાય છે. ૨. હિસાવિરતિ આદિ વ્રતે જ્યારે અલ્પાંશે લેવાય, ત્યારે તે “સંયમસંયમ” કહેવાય છે. ૩. પરાધીનપણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિને કે આહાર આદિને ત્યાગ, તે “અકામનિર્જરા” કહેવાય છે. અને ૪ બાલભાવે એટલે વિવેક વિના જ જે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વતપ્રપાત, વિષભક્ષણ, અનશન આદિ દેહદમન કરવું, તે “બાલતપ” કહેવાય છે. [૨] अशुभ अने शुभ नामकर्मना बधहेतुओर्नु स्वरूप : १. ગવતા” એટલે મન, વચન અને કાયાની કુટિલતા. કુટિલતા એટલે ચિંતવવું કંઈ, બેલિવું કંઈ, અને કરવું કંઈ તે. ૨. “વિસંવાદન’ એટલે અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે નેહીઓ વચ્ચે ભેદ પડાવ. આ બે અશુભ નામકર્મના આસ્ત્ર છે. ' Page #472 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧-સુદ ૧૪-૨૬ રિપ પ્ર–આ બેમાં તફાવત શો? ઉ–સ્વપરને આશ્રી તફાવત ઘટાવો. પોતાના જ વિષયમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય, ત્યારે તે ગવક્રતા કહેવાય. અને બીજાના વિષયમાં તેમ થતું હોય, ત્યારે તે વિસંવાદન કહેવાય; જેમકે, કેઈ સારે માર્ગે જતો હોય, તેને ઊલટું સમજાવી એમ નહિ પણ આમ એમ કહી આડે રસ્તે દોરો. ઉપર કહ્યું તેથી ઊલટું, એટલે મન, વચન અને કાયાની સરલતા” (પ્રવૃત્તિની એકરૂપતા), અને “સંવાદન” એટલે બે વચ્ચે ભેદ દૂર કરી એકતા કરાવવી, કે આડે રસ્તે જતાને સારે રસ્તે ચડાવ, તે બંને શુભ નામકર્મના આસ છે. [૨૧-૨૨] - તીર નામના સુત્રોનું : “દર્શનવિશુદ્ધિ” એટલે વીતરાગે કહેલાં તો ઉપર નિર્મળ અને દઢ સચિ. ૨. “વિનયસંપન્નતા” એટલે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે યોગ્ય રીતે બહુમાન રાખવું તે. ૩. અહિંસા, સત્યાદિ મૂળગુણરૂપ વ્રતો અને તે વ્રતના પાલનમાં ઉપયોગી એવા અભિગ્રહ આદિ બીજા નિયમે તે “શીલ,” એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો એ “શીલવ્રતાનતિચાર” છે. ૪. તત્ત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગરિત રહેવું તે ‘અભીષણ શાને પગ.” ૫. સાંસારિક ભેગે જે ખરી રીતે સુખને બદલે દુઃખનાં જ સાધને બને છે, તેમનાથી ડરતા રહેવું, એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ “અભીણું સંવેગ.” . જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાન, Page #473 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર અભયદાન, શાનદાન વગેરે દાને વિવેકપૂર્વક કરવાં, તે યથાશક્તિ ત્યાગ.” છે. જરાયે શક્તિ છુપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી, તે યથાશક્તિ તપ.' ૮. ચતુર્વિધ સંઘ અને વિશેષે કરી સાધુને સમાધિ પહોંચાડવી અર્થાત તે સ્વસ્થ રહે તેમ કરવું, એ “સંઘસાધુસમાધિકરણ.” ૯. કઈ પણ ગુણ મુશ્કેલીમાં આવી પડે, ત્યારે યોગ્ય રીતે તેમની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવો, તે “વૈયાવૃત્યકરણ.” ૧૦, ૧૧, ૧૨, ૧૩. અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને શાસ્ત્ર એ ચારેમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે, “અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચન-ભક્તિ.” ૧૪. સામાયિક આદિ છ આવશ્યકેનું અનુષ્ઠાન ભાવથી ન છોડવું, તે આવશ્યકાપરિહાણી. ૧૫. અભિમાન છોડી, જ્ઞાનાદિ મેક્ષમાર્ગને જીવનમાં ઉતારી, અને બીજાને તેને ઉપદેશ આપી તેનો પ્રભાવ વધાર, તે “માર્ગ પ્રભાવના.” ૧૬. વાછરડા ઉપર ગાય રાખે છે તેમ સાધર્મિક ઉપર નિષ્કામ સનેહ રાખો, તે “પ્રવચન વાત્સલ્ય.” [૨૩] નીર જોત્રના સત્સવોનું સ્વા: ૧. બીજાની નિંદા કરવી, તે “પરનિંદા.” (નિંદા એટલે સાચા કે ખોટા દોષોને દુબુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ). ૨. પિતાની બડાઈ હાંકવી તે “આત્મપ્રશંસા.” (સાચા કે ખોટા ગુણોને પ્રકટ કરવાની વૃત્તિ તે “પ્રશંસા). ૩. બીજામાં ગુણ હેય તેમને ઢાંકવા. અને તેમને કહેવાને પ્રસંગ આવતાં છતાં કષથી તેમને ન કહેવા, તે પરના “સદ્દગુણનું આચ્છાદન અને ૪. પિતામાં ગુણ ન હોય છતાં તેમનું પ્રદર્શન કરવું, તે પોતાનાં “અસદ્ગુણોનું ઉદ્દભાવન.” [૨૪] Page #474 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૧૪૨૬ ૨૭૭ ૩જ ગોત્રના માઢવોનું સ્વઃ ૧. પિતાના દોષે જેવા, તે “આત્મનિંદા.” ૨, બીજાના ગુણો જેવા, તે “પપ્રશંસા.” ૩. પિતાના દુર્ગણેને પ્રગટ કરવા, તે અસદુગુણોદ્દભાવન. ૪. પિતાના છતા ગુણને ઢાંકવા, તે સ્વગુણા છાદન.” ૫. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ ધારણ કરવી, તે “નમ્રવૃત્તિ અને ૬. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે “અનુસેક.' [૨૫] સંતરાય ર્મના નાસ્ત્રોનું સ્વરૂઃ કેઈ ને દાન કરતાં, કોઈને કાંઈ મેળવતાં, કે કોઈને ભોગ, ઉપભોગ આદિમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી, તે “વિઘકરણ” અગિયારમાથી છવ્વીસમા સૂત્ર સુધીમાં સાંપરાયિક કર્મની દરેક મૂળ પ્રકૃતિના જે જુદા જુદા આસ્ત્ર કહેવામાં આવ્યા છે, તે ઉપલક્ષણ માત્ર છે; એટલે દરેક મૂળ પ્રકૃતિના ગણાવેલ આસો ઉપરાંત બીજા પણ તેના જેવા, તે તે પ્રકૃતિના આસ્ત્ર, નહિ કહ્યા છતાં પોતે જ સમજી લેવા. જેમકે આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીયના આસ્ત્ર નથી ગણાવ્યા, છતાં તેમના આસવમાં તે પણ ગણવા જોઈએ. તેમ જ વધ, બંધન, તાડન આદિ તથા અશુભ પ્રયોગ વગેરે અસાતવેદનીયના આસ્ત્રોમાં નથી ગણાવ્યા, છતાં તે પણ તેના આ સમજવા. પ્ર૦ - દરેક મૂળ પ્રકૃતિના આસો જુદાજુદા કહેવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, શું જ્ઞાનપ્રદોષાદિ ગણવેલ આસો માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના જ બંધક છે, કે જ્ઞાનાવરણીયાદિ ઉપરાંત અન્ય કર્મના પણ બંધક છે ? જે ત–૧૮ Page #475 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ તરવાથસૂત્ર એક કર્મપ્રકૃતિના આવો અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હેય, તે પ્રકૃતિવાર જુદા જુદા આસોનું વર્ણન કરવું નકામું છે, કારણ કે એક કર્મપ્રકૃતિના આએવો પણ અન્ય કર્મપ્રકૃતિના આવો છે જ. અને જો કોઈ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આવો માત્ર તે જ કર્મપ્રકૃતિના આવો છે, બીજીના નહિ, એમ માનવામાં આવે, તે શાસ્ત્રનિયમમાં વિરોધ આવે છે. શાસ્ત્રનિયમ એવો છે કે, સામાન્ય રીતે આયુષને છેડી સાતે કર્મપ્રકૃતિએને બંધ એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીયનો બંધ થતો હોય, ત્યારે બીજી વેદનીય આદિ છ પ્રકૃતિઓને બંધ પણ થાય છે એમ માનવું પડે છે. આસ્રવ તો એક સમયે એક એક કર્મપ્રકૃતિને જ થાય છે, પરંતુ બંધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરોધી કર્મપ્રકૃતિઓને થાય છે. એટલે અમુક આસ્ત્ર અમુક પ્રકૃતિના જ બંધક છે એ પક્ષ શાસ્ત્રીય નિયમથી બાધિત થાય છે. એટલે પ્રકૃતિવાર આવોના વિભાગ કરવાનો અર્થ શો ? ઉ–અહીં જે આવોને વિભાગ દર્શાવવામાં આવ્યું છે, તે અનુભાગ અર્થાત રસબંધને ઉદ્દેશીને સમજ જોઈએ; એટલે કે કઈ પણ એક કર્મપ્રકૃતિના આસવના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજી પણ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે એ શાસ્ત્રીય નિયમ ફક્ત પ્રદેશબંધમાં ઘટાવ; અનુભાગબંધમાં નહિ. સારાંશ એ છે કે, આવોનો વિભાગ એ પ્રદેશબંધની અપેક્ષાએ નહિ, પણ અનુભાગબંધની અપેક્ષાએ છે, તેથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂત શાસ્ત્રીય નિયમમાં અડચણ નથી આવતી; અને Page #476 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૧૪–૨૬ ર૭૯ પ્રકૃતિવાર ગણવેલા આસ્ત્ર, માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાગબંધમાં જ નિમિત્ત હોવાથી, અહીં કરવામાં આવેલે આવોને વિભાગ પણ બાધિત થતો નથી. આ રીતે વ્યવસ્થા કરવાથી પૂર્વોકત શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આને વિભાગ બન્ને અબાધિત રહે છે; તેમ છતાં એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે, અનુભાગબંધને આશ્રી આસવના વિભાગનું જે સમર્થન કરવામાં આવે છે, તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવું; અર્થાત જ્ઞાનપ્રદોષ આદિ આસ્ત્રોના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે અને તે વખતે બંધાતી ઇતર કર્મ પ્રકૃતિના અનુભાગને ગૌણપણે બંધ થાય છે એટલું જ સમજવું જોઈએ. એમ તે નથી જ માની શકાતું કે એક સમયે એક કર્મપ્રકૃતિના જ અનુભાગને બંધ થાય છે અને બીજ કર્મપ્રકૃતિઓના અનુભાગને બંધ થતા નથી; કારણ કે જે સમયે જેટલી કર્મપ્રકૃતિઓનો પ્રદેશબંધ વેગ દ્વારા સંભવે છે, તે જ સમયે કષાય દ્વારા તેટલી પ્રકૃતિઓને રમનુભાગબંધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે અનુભાગબંધની અપેક્ષા સિવાય આસ્રવના વિભાગનું સમર્થને બીજી રીતે ધ્યાનમાં નથી આવતું. [૨૬] આમ એક અનુભાગના અધિગ ધગધ Page #477 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય—૭ સાતવેદનીયના આસવામાં વ્રતી ઉપર અનુકપા અને દાન એ એ ગણવામાં આવ્યાં છે; તેમના વધારે ખુલાસા કરવાના પ્રસંગ લઈ, જૈનપર પરામાં મહત્ત્વ ધરાવતાં વ્રત અને દાન તેનું સવિશેષ નિરૂપણુ આ અધ્યાયમાં કરવામાં આવે છે. પ્રથમ વ્રતનું સ્વરૂપ કહે છે ઃ हिंसात्तस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिब्रतम् । १ । હિંસા, અસત્ય, ચારી,મૈથુન અને પરિગ્રહથી (મન, વચન, કાયા વડે) નિવૃત્ત થવું તે વ્રત. હિંસા, અસત્ય આદિ દોષોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. દાષાને સમજી, તેમને ત્યાગ સ્વીકારી પછી તે દોષા ન સેવવા એ જ વ્રત' છે. અહિંસા એ બીજા વ્રતા કરતાં પ્રધાન હાવાથી તેનું સ્થાન પહેલું છે. પાકની રક્ષા માટે વાડની જેમ, બીજા બધાં વ્રતા અહિંસાની રક્ષા માટે હોવાથી, તેની પ્રધાનતા માનવામાં આવે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ બને છે, એટલે તેને પ્રાપ્ત થઈ સકાય અધ્યાય - ૧ વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે અંશ હોય છે; તે બંને હોય તે જ વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસત્કાર્યોમાંથી પ્રથમ નિવૃત્ત થવું જોઈએ, એ આપોઆપ પ્રાપ્ત થાય છે. અને અસત્કાર્યોથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી સત્કાર્યોમાં મન, વચન, કાયાને પ્રવર્તાવવાનું આપોઆપ પ્રાપ્ત થાય છે. તેથી આ સ્થળે જ કે દેખીતી રીતે દેષની નિવૃત્તિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં તેમાં સમ્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે એટલે વ્રત એ માત્ર નિક્રિયતા નથી, એમ સમજવું જોઈએ, પ્ર–રાત્રિભોજનવિરમણ એ વ્રત તરીકે પ્રસિદ્ધ છે. તે પછી અહીં સૂત્રમાં તેને કહેવામાં કેમ નથી આવ્યું ? ઉ૦–રાત્રિભોજનવિરમણ એ જુદા વ્રત તરીકે ઘણા કાળ થયાં પ્રસિદ્ધ છે, પણ ખરી રીતે એ મૂળ વ્રત નથી. એ તે મૂળ વ્રતમાંથી નિષ્પન્ન થતું એક આવશ્યક વ્રત છે. એવાં બીજાં પણ ઘણું વ્રત છે અને કલ્પી શકાય; છતાં અહીં તો મૂળ વ્રતનું જ નિરૂપણ કરવાનું હોવાથી ફક્ત તેમનું વર્ણન છે. તેમાંથી નિષ્પન્ન થતાં બીજા અવાંતર વ્રતે મૂળ વ્રતના વ્યાપક નિરૂપણમાં આવી જ જાય છે રાત્રિભોજનવિરમણ એ અહિંસાવૃતમાંથી નિષ્પન્ન થતાં અનેક વ્રતોમાંનું એક વ્રત છે. પ્ર–અંધારામાં ન જોઈ શકાયાથી થતા જંતુનાશને લીધે અને દી કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભને લીધે રાત્રિભોજનના વિરમણને અહિંસાવ્રતનું અંગ માનવામાં આવે છે; પણ અહીં પ્રશ્ન થાય છે કે, અંધારું પણ ન હોય અને દીવામાંથી નીપજતા આરંભને પ્રસંગ પણ ન Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ • તરવાથસૂત્ર , હોય, એવા શીતપ્રધાન દેશમાં તથા વીજળીના દીવા આદિની સગવડ હોય ત્યાં રાત્રિભોજન અને દિવાભોજન એ બેમાં હિંસાની દૃષ્ટિએ તફાવત છે ? ઉ૦ઉષ્ણપ્રધાન દેશ અને પ્રાચીન ઢબના દીવા આદિની વ્યવસ્થામાં દેખાતી સ્પષ્ટ હિંસાની દષ્ટિએ જ રાત્રિભોજનને દિવસભોજન કરતાં વિશેષ હિંસાવાળું કહેવામાં આવ્યું છે, એ વાતને સ્વીકાર કર્યા છતાં, અને કઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ વિશેષ હિંસાને પ્રસંગ નથી આવતે એ કલ્પનાને યોગ્ય સ્થાન આપવા છતાં પણ, એકંદર સમુદાયની દૃષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી જીવનની દૃષ્ટિએ રાત્રિભોજન કરતાં દિવસભોજન જ વિશેષ પ્રશસ્ય છે. એમ માનવાના કારણો ટૂંકામાં નીચે પ્રમાણે છે : ૧. આરોગ્યની દૃષ્ટિએ વીજળી અને ચંદ્ર આદિને પ્રકાશ ગમે તેટલે સારો હોય, છતાં તે સૂર્યપ્રકાશ જેટલે સાર્વત્રિક, અખંડ અને આરોગ્યપ્રદ નથી; તેથી જ્યાં બંનેની શક્યતા હોય ત્યાં સમુદાય માટે સૂર્યના પ્રકાશનો જ ઉપયોગ આરોગ્યની દૃષ્ટિએ સ્વીકારવા જેવો છે. ૨. ત્યાગધર્મનું મૂળ સંતેષમાં હોવાથી તે દૃષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ સંકેલી લેવી અને સંતોષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ યોગ્ય લાગે છે, તેથી સારી રીતે નિદ્રા આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે, પરિણામે આરોગ્યની પુષ્ટિ પણ થાય છે. ૩. દિવસભોજન અને રાત્રિભોજન એ બંનેમાંથી સંતેષ ખાતર એકની જ પસંદગી કરવાની હોય, તો જાગતી Page #480 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સૂગ ૨-૩ ૨૮૩ કુશળ બુદ્ધિ દિવસભોજન તરફ જ વલણ લે, એમ આજ સુધીના મહાન સંતને જીવનઇતિહાસ કહે છે. ૧] હવે વ્રતના ભેદે કહે છે? देशसर्वतोऽणुमहती ।२। અલ્પ અંશે વિરતિ તે “આશુવ્રત અને સશે વિરતિ તે “મહાવ્રત.” • દરેક ત્યાગેછુ દોષથી નિવૃત્ત થાય છે; પણ એ બધાનો ત્યાગ એક સરખો નથી હોતો અને તેમ હોવું એ વિકાસક્રમ પ્રમાણે સ્વાભાવિક પણ છે. તેથી અહીં હિંસા આદિ દેની થેડી અને ઘણી એ બધી નિવૃત્તિઓને વ્રત માની તેમના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવ્યા છે? - ૧. હિંસા આદિ દોષોથી મન, વચન, કાયા વડે દરેક પ્રકારે છૂટવું, તે હિંસાવિરમણ મહાવ્રત. અને ૨. ગમે તેટલું હેય, છતાં કોઈ પણ અંશે ઓછું છુટાય, એ હિસાવિરમણ અણુવ્રત કહેવાય છે. [૨] હવે વ્રતની ભાવનાએ કહે છે : तत्यर्यार्थ भावनाः पञ्च 'पञ्च ।३। - તે વ્રતને સ્થિર કરવા માટે તે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. ૧. આ સૂત્રમાં જે ભાવનાઓનો નિર્દેશ છે, તે ભાવનાઓ શ્વેતાંબરીય પરંપરા પ્રમાણે ભાષ્યમાં જ મળે છે, તે માટે જુદાં સૂત્રો નથી. દિગંબરીય પરંપરામાં એ ભાવનાઓ માટે પાંચ સૂત્રો ૪-૮ નંબર સુધી વધારે છે. જુઓ પરિશિષ્ટ Page #481 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર ખાસ કાળજીપૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિ સેવવામાં ન આવે, તો સ્વીકારવા માત્રથી વ્રતો કાંઈ આત્મામાં ઊતરતાં નથી. તેથી ગ્રહણ કરેલાં વ્રત જીવનમાં ઊંડાં ઊતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દૃષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે, જે ભાવનાના નામથી પ્રસિદ્ધ છે. જો એ ભાવનાઓ પ્રમાણે બરાબર વવામાં આવે, તે લીધેલાં વ્રતા ઉત્તમ ઔષધની પેઠે પ્રયત્નશીલ મનુષ્ય માટે સુદર પરિણામકારક સિદ્ધ થાય છે. એ ભાવનાઓ અનુક્રમે નીચે પ્રમાણે છે : ૧. ર્યાિસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, દાનનિક્ષેપણસમિતિ અને આલાકિતપાનભોજન, એ પાંચ ભાવનાએ અહિંસાવ્રતની છે. ૨. અનુવીચિભાષ, ક્રોધપ્રત્યાખ્યાન, લાભપ્રત્યાખ્યાન, નિયતા અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવના સત્ય વ્રતની છે. ૨૮૪ ૩. અનુવીચિઅવગ્રહયાચન, અભીક્ષ્ણઅવગ્રહયાચન, અવગ્રહાવધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહયાચન અને અનુજ્ઞાતિપાનભોજન એ પાંચ ભાવનાએ અચૌર્ય વ્રતની છે. ૪. સ્ત્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શયન આદિત્તુ વન, રાગપૂર્વક કથાનુ વન, સ્ત્રીની મનેાહર ઇંદ્રિયાના અવલાકનનું વર્જન, પ્રથમના રતિવિલાસના સ્મરણનું વન અને પ્રણીતરસભોજનનું વન, એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે. . ૫. મનેાન કે અમનેન સ્પર્શી, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવેા, એ પરિગ્રહની પાંચ ભાવનાએ છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ અધ્યાય -સૂત્ર ૨-૩ ભાવનાઓની સમજ ૧. સ્વપરને કલેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી, તે ઈસમિતિ.” મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાને લગાવવું, તે “મને ગુપ્તિ'. વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે પ્રકારની એષણમાં દોષ ન આવે માટે ઉપયોગ (સાવચેતી) રાખવે, તે “એષણા સમિતિ.” વસ્તુને લેવામૂકવામાં અવલોકન અને પ્રમાર્જિન આદિ દ્વારા યતના (કાળજી) રાખવી તે “આદાન નિક્ષેપણ સમિતિ.” ખાવાપીવાની વસ્તુ બરોબર જોઈતપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી, તે “આલેકિતપનભોજન.” ૨. વિચારપૂર્વક બોલવું તે “અનુવચિભાષણ.” ક્રોધ, લોભ, ભય અને હાસ્યનો ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે. ૩. બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અર્થાત્ સ્થાનની માગણી કરવી, તે “અનુવાચિઅવગ્રહયાચન.” રાજા, કુટુંબપતિ, શયાતર (જેની જગ્યા માગી લીધી હોય તે), સાધર્મિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સંભવે છે, તેમાંથી જે જે સ્વામી પાસેથી જે જે સ્થાન માગવામાં વિશેષ ઔચિત્ય હોય, તે તે પાસેથી તે તે સ્થાન માગવું તથા એક વાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રેગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માગી લેવાં, તે “અભણાવગ્રહયાચન. માલિક પાસેથી માગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે “અવગ્રહાવધારણ” કહેવાય છે. પિતાની પહેલાં બીજા સમાનધર્મવાળાએ કઈ ‘અભીમાણ નક્કી કરીને સમ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ તરવાથસૂત્ર સ્થાન મેળવી લીધું હોય, અને તે સ્થાનને ઉપયોગ કરવાને પ્રસંગ આવે, તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન. વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે, તે “અનુજ્ઞાપિત પાનભોજન.” ૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પિતાની વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનનો ત્યાગ કરે, તે “સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવર્જન.” બ્રહ્મચારીએ કામવર્ધક વાતે ન કરવી, તે “રાગસંયુક્ત સ્ત્રીકથાવર્જન.” બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામોદ્દીપક અંગે ન જેવાં, તે “મને હરેન્દ્રિયાલોકવર્જન”. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગે ભોગવ્યા હોય તેમનું સ્મરણ ન કરવું, તે પ્રથમના રતિવિલાસના સ્મરણનું વજન.' કામોદ્દીપક રસવાળાં ખાણીપીણાં ત્યજવાં, તે “પ્રણીતરસભોજન વર્જન.' , ૫. રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું, અને દ્વેષ કરે એવામાં ગુસ્સે ન થવું, તે અનુક્રમે, “મનોજ્ઞામને જ્ઞસ્પર્શ સમભાવ', “મનેઝામનેણરસસમભાવ' આદિ પાંચ ભાવનાઓ છે. જૈન ધર્મ ત્યાગલક્ષી હેવાને કારણે જૈન સંઘમાં મહાવ્રતધારી સાધુનું સ્થાન પહેલું છે. તેથી મહાવ્રતને ઉદ્દેશીને જ સાધુધર્મ પ્રમાણે અહીં ભાવનાઓ વર્ણવવામાં આવી છે; છતાં વ્રતધારી પિતાની ભૂમિકા પ્રમાણે સંકોચ, વિસ્તાર કરી શકે એવી તે છે; તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક ગ્યતા ધ્યાનમાં રાખી માત્ર વ્રતની Page #484 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭ - સૂત્ર ૪-૭ ૨૮૭ સ્થિરતાના શુદ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય. [૩] બીજી કેટલીક ભાવનાઓ કહે છે : हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् । ४ । સુમેર યા ાલા मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । ६। जगत्कायस्वभावौ च संवेगवैराग्याथम् । ७ । હિંસા આદિ પાંચ દેશમાં અહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું. અથવા ઉક્ત હિંસા આદિ દોષમાં દુઃખ જ છે, એવી ભાવના કેળવવી. પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ, ગુણથી મેટાઓમાં પ્રમેદવૃત્તિ, દુઃખ પામતાઓમાં કરુણવૃત્તિ અને જડ જેવા અપાત્રામાં માધ્યચ્યવૃત્તિ કેળવવી. - સંવેગ અને વૈરાગ્ય માટે જગતને સ્વભાવ અને શરીરને સ્વભાવ ચિંતવ.' જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષેનું ખરું દર્શન થવાથી જ તે ત્યાગ ટકી શકે; એ કારણથી અહિંસા આદિ વ્રતની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે. એ દોષદર્શન અહીં બે રીતે બતાવવામાં આવ્યું છેઃ ઐહિક દોષદર્શન અને પારલૌકિક દેષદર્શન. હિંસા, અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ પિતામાં કે પરમાં અનુભવાય છે, તેનું ભાન સદા Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તત્ત્વાર્થસૂત્ર તાજું રાખવું એ ઐહિક દોષદર્શન છે; અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિક દોષદર્શન છે. એ બંને જાતનાં દર્શનના સંસ્કાર પિષવા તે અહિંસા આદિ વ્રતની ભાવનાઓ છે. પૂર્વની રીતે જ ત્યાજ્ય વૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તે જ એમને ત્યાગ વિશેષ ટકે; તે માટે હિંસા આદિ દોષને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાનો (દુઃખ ભાવનાને) અહીં ઉપદેશ કરવામાં આવે છે. અહિંસા આદિ વ્રત લેનાર હિંસા આદિથી પિતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુઃખની કલ્પના કરે એ જ દુઃખભાવના છે. અને એ ભાવના એ વ્રતના સ્થિરીકરણમાં ઉપયોગી પણ છે. મૈત્રી, પ્રમોદ આદિ ચાર ભાવનાઓ તો કોઈ પણ સદગુણ કેળવવા માટે વધારેમાં વધારે ઉપયોગી હોવાથી અહિંસા આદિ વ્રતની સ્થિરતામાં ખાસ ઉપયોગી છે જ; એમ ધારી અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. એ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદો છે; કારણ કે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ વાસ્તવિક પરિણામ આવે. તેથી એ ભાવનાઓ સાથે એમને વિષય પણ જુદો જુદો દર્શાવવામાં આવ્યા છે. ૧. મૈત્રીવૃત્તિ પ્રાણીમાત્રમાં કેળવી હોય તો જ દરેક પ્રાણી પ્રત્યે અહિંસક અને સત્યવાદી આદિ તરીકે રહીને વતી શકાય; તેથી મૈત્રીને વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી Page #486 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૪-૭ ૨૮૯ એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ, અને તેથી જ પોતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇછા. ૨. માણસને ઘણી વાર પિતાથી ચડિયાતાને જોઈ અદેખાઈ આવે છે; એ વૃત્તિને નાશ ન થાય ત્યાં સુધી અહિંસા સત્ય આદિ ટકી જ ન શકે; તેથી અદેખાઈ વિરુદ્ધ પ્રમોદ ગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવ્યું છે. પ્રમોદ એટલે પિતાથી વધારે ગુણવાન પ્રત્યે આદર કરે અને તેની ચડતી જોઈ ખુશ થવું તે. આ ભાવનાને વિષય માત્ર અધિક ગુણવાન જ છે; કારણ કે તેના પ્રત્યે જ અદેખાઈ, અસૂયા આદિ દુર્ઘત્તિઓને સંભવ છે. ૩. કોઈને પીડાતા જોઈ જે અનુકંપા ન ઊભરાય, તે અહિંસાદિ વ્રતો નથી જ ન શકે; તેથી કરુણા ભાવનાને આવશ્યક માનવામાં આવી છે. એને વિષય માત્ર કલેશ પામતાં દુઃખી પ્રાણીઓ છે; કારણ કે અનુગ્રહ અને મદદની અપેક્ષા દુઃખી, દીન કે અનાથને જ રહે છે. ૪. દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક નથી થતી; ઘણી વાર અહિંસાદિ વ્રતોને ટકાવવામાં માત્ર તટસ્થપણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્યભાવના ઉપદેશવામાં આવી છે. માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જ્યારે તદ્દન જડ સંસ્કારના અને કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની યેગ્યતા ન હોય એવાં પાત્રો મળે, અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદ્દન શૂન્ય જ દેખાય, તે તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવામાં જ શ્રેય છે. તેથી માધ્યસ્થ ભાવનાને વિષય અવિનય અર્થાત અયોગ્ય પાત્ર એટલે જ છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તત્ત્વાર્થ સૂત્ર સવેગ અને વૈરાગ્ય ન હૈાય તે અહિંસાદિ વ્રતા સ’ભવી જ ન શકે; તેથી એ વ્રતાના અભ્યાસી માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે. સંવેગ અને વૈરાગ્યનાં બીજ જગત્સ્વભાવ અને શરીરસ્વભાવના ચિન્તનમાંથી નંખાય છે, તેથી એ બંનેના સ્વાભાવનુ ચિન્તન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવ્યું છે. પ્રાણીમાત્ર એછાવત્તો દુઃખના અનુભવ કર્યા જ કરે છે. જીવન તદ્દન વિનશ્વર છે અને ખીજું પણ કાંઈ સ્થિર નથી; અને એ જાતના જગત્સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેના માહુ દૂર થઈ તેનાથી ભય સ ંવેગ ઉત્પન્ન થાય છે. તે જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસાણાના સ્વભાવચિંતનમાંથી જ ખાદ્યાન્યતર વિષયેાની અનાસક્તિ– વૈરાગ્ય જન્મે છે. [૪–૭] હવે હિંસાનું સ્વરૂપ કહે છે : प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । ८ । પ્રમત્તયાગથી થતા જે પ્રાણવધ તે હિંસા. અહિંસા આદિ જે પાંચ વ્રતાનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે, તે વ્રતાને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા ખાતર તેમના વિરોધી દોષાનું સ્વરૂપ યથાપણે જાણવું જ જોઈ એ; તેથી એ પાંચ દાષાના નિરૂપણનું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાંના પહેલા દોષ હિંસાની વ્યાખ્યા આ સૂત્રમાં છે. હિંસાની વ્યાખ્યા એ અશાથી પૂર્ણ કરવામાં આવી છે. પહેલા પ્રમત્તયાગ અર્થાત્ રાગદ્વેષવાળી તેમ જ અસાવધાન પ્રવૃત્તિ, અને બીજો પ્રાણવધ. પહેલા અંશ કારણરૂપે અને Page #488 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭ -સૂત્ર ૮ ૨૦૧ ખીજો કારૂપે છે. તેથી ફલિત અથ એવા થાય છે કે, જે પ્રાણવધ પ્રમત્તયાગથી થાય, તે હિંસા. પ્ર—કાઈના પ્રાણ લેવા કે કેાઈ ને દુઃખ આપવુ એ હિંસા. હિંડસાના આ અં સૌથી જાણી શકાય તેવા અને બહુ પ્રસિદ્ધ છે; છતાં તે અથ માં પ્રમત્તયણને અ શ ઉમેરવામાં કેમ આવ્યા હશે ? ઉજ્જયાં સુધી મનુષ્યસમાજમાં વિચાર અને વન ઉચ્ચ સંસ્કારવાળાં દાખલ નથી થયાં હતાં, ત્યાં સુધી તે સમાજ અને ખીજા પ્રાણીએ વચ્ચે જીવનવ્યવહારમાં ખાસ અંતર નથી હાતુ. જેમ પશુ પક્ષી, તેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દારાઈ ને જાણ્યું કે અજાણ્યે જીવનની જરૂરિયાત માટે જ કે તેવી જરૂરિયાત વિના જ કાઈના પ્રાણ લે છે. માનવસમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જ્યારે કોઈ એકાદ માણસના વિચારમાં હિંસાના સ્વરૂપ વિષે જાગૃતિ આવે છે, ત્યારે તે ચાલુ હિંસાને એટલે પ્રાણનાશને દોષરૂપ બતાવે છે, અને કાઈ ના પ્રાણ ન લેવાનું ઉપદેશે છે. એક બાજુ હિંસા જેવી પ્રથાના જૂના સંસ્કાર અને બીજી ખાજુ અહિંસાની નવી ભાવનાના ઉદય, આ બે વચ્ચે અથડામણુ થતાં હિંસક વૃત્તિ તરથી હિંસાનિષેધક સામે કેટલાક પ્રશ્નો આપે!આપ ઊભા થાય છે અને તેં તેની સામે મૂકવામાં આવે છે. તે પ્રશ્નો ટૂંકમાં ત્રણ છે: ૧. અહિંસાના પક્ષપાતીએ પણુ જીવન તે ધારણ કરે જ છે, અને જીવન એ કાઈ ને કાઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હેાવાથી, તેને અંગે તેઓ તરફથી થતી હિંસા એ હિ`સાદોષમાં આવી શકે કે નહિ ? ૨. ભૂલ અને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્ત્વાર્થસૂત્ર અજ્ઞાન એ માનુષી વૃત્તિમાં તદ્દન નથી જ હોતાં એવુ સાબિત ન થઈ શકે ત્યાં સુધી, અહિંસાના પક્ષપાતીઓને હાથે પણ અજાણપણે કે ભૂલથી કાઈ તેા પ્રાણનાશ થઈ જવાને સભવ છે. એટલે એવા પ્રાણુનાશ હિ સાદોષમાં આવે કે નહિ ? ૩. ઘણીવાર અહિંસક વૃત્તિવાળા કોઈ ને બચાવવા કે તેને સુખ સગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ તે તેથી ઊલટુ આવે છે, એટલે કે, સામાના પ્રાણ જાય છે; તેવી સ્થિતિમાં એ પ્રાણુનાશ હિંસાોષમાં આવે કે નહિ ? આવા પ્રશ્નો સામે આવતાં તેના ઉત્તર માટે હિંસા અને અહિંસાના સ્વરૂપની વિચારણા ઊંડી ઊતરે છે અને તેમ થતાં તેને અ પણ વિસ્તરે છે. કોઈના પ્રાણ લેવા કે બહુ તો તે માટે દુઃખ આપવુ, એવા હિંસાના અ થતા, અને કાઈના પ્રાણ ન હરવા કે તે માટે કાઈ ને તકલીફ ન આપવી એટલે જ અર્થ અહિંસાને થતા, તેને બદલે હવે અહિંસાના વિચારકેએ ઝીણવટમાં ઊતરી નક્કી કર્યું કે, માત્ર કોઈના પ્રાણ લેવા કે માત્ર કોઈ ને દુઃખ આપવું એ હિંસાદોષ જ છે એમ ન કહી શકાય; પણ પ્રાવધ કે દુ:ખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને જ તેવી હિંસાના દ્વેષપણા કે અદોષપણાને નિર્ણય કરી શકાય. તે ભાવના એટલે રાગ ષની વિવિધ ઊમિ અગર બિનકાળજીપણુ, જેને શાસ્ત્રીય પરિભાષામાં ‘પ્રમાદ’ કહેવામાં આવે છે. આવી અશુભ અને ક્ષુદ્ર ભાવનાથી જે પ્રાણનાશ થયા હાય કે જે દુઃખ દેવાયું હાય, તે જ હિંસા અને તે જ હિ ંસા દોષરૂપ; અને એવી ભાવના વિના થયેલાં પ્રાણુનાશ કે દુ:ખપ્રદાન એ દેખીતી રીતે હિંસા જ Page #490 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭ - સત્ર ૮ કહેવાવા છતાં દોષકેટિમાં આવી ન શકે. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારોનો ફેલાવો થતાં અને તેને લીધે વિચારવિકાસ થતાં દોષરૂપ હિંસા માટે માત્ર પ્રાણનાશ એટલે જ અર્થ બસ ન ગણાયો અને તેમાં પ્રમત્તગ એ મહત્ત્વને અંશ ઉમેરાય. - પ્ર–હિંસાની આ વ્યાખ્યા ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જે પ્રમત્તયાગ વિના જ માત્ર પ્રાણવધ થઈ જાય છે તે હિંસા કહેવાય કે નહિ ? તેવી રીતે જે પ્રાણવધ થવા ન પામ્યો હોય અને છતાં પ્રમત્તયોગ હોય તો તે પણ હિંસા ગણાય કે નહિ ? જે એ બંને સ્થળે હિંસા ગણાય, તે તે હિંસા પ્રમત્તયાગજનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ કે તેથી જુદા પ્રકારની? ઉ–માત્ર પ્રાણવધ સ્થૂલ હોઈ દશ્ય હિંસા તે છે જ અને માત્ર પ્રમત્ત એ સૂક્ષ્મ હોઈ અદશ્ય જેવો છે. એ બંનેમાં દશ્યપણું-અદશ્યપણના તફાવત ઉપરાંત એક બીજે મહત્ત્વને જાણવા જે તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દોષપણા અને અદોષપણાનો આધાર છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દેષ જ છે એવો એકાન્ત નથી; કારણ કે તેનું દેષપણું સ્વાધીન નથી. હિંસાનું દોષપણું એ હિંસકની ભાવના ઉપર અવલંબેલું છે તેથી પરાધીન છે. ભાવના જાતે ખરાબ હોય છે તેમાંથી થયેલ પ્રાણવધ તે દેષરૂપ છે; અને ભાવના તેવી ન હોય તે એ પ્રાણવધ દેષરૂપ નથી; તેથી જ શાસ્ત્રીય પરિભાષામાં આવી દોષરૂપ હિંસાને દ્રવ્યહિંસા અથવા વ્યાવહારિક હિંસા કહેવામાં આવી છે. દ્રવ્યહિંસા યા વ્યાવહારિક હિંસાને અર્થ એટલે ત. ૧૯ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તત્ત્વાર્થસૂત્ર જ કે તેનુ દોષપણું અબાધિત નથી; તેથી ઊલટુ પ્રમત્તયોગ જે સૂક્ષ્મ ભાવના તે જાતે જ દોષરૂપ હાઈ તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દ્વેષપણાના આધાર સ્થૂલ પ્રાણુનાશ કે બીજી કાઈ ખાદ્ય વસ્તુ ઉપર અવલ ંબિત નથી. સ્થૂલ પ્રાણનાશ ન પણ થયે હાય, કાઈ ને દુઃખ ન પણ દેવાયું હાય, બલ્કે પ્રાણનાશ કરવા જતાં કે દુઃખ દેવા જતાં સામાનું જીવન લખાયુ હોય અગર તે। સામાને સુખ પહોંચ્યું હોય છતાં, જો તેની પાછળની ભાવના અશુભ હાય, તે તે એકાન્ત દોષ જ ગણાવાની. તેથી આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિસા કહેવામાં આવી છે. ભાવહિંસા અને નિશ્ચયહિંસાને અ એટલા જ છે કે, તેનું દેષપણુ` સ્વાધીન હોવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે. માત્ર પ્રમત્તયાગ કે માત્ર પ્રાણવધ એ બંને છૂટા છૂટા હિંસા કહેવાવા છતાં તેમના દેાષપણાનુ તારતમ્ય ઉપર પ્રમાણે જાણી લીધા પછી એ બંને પ્રકારની હિંસાએ પ્રમત્તયાગજનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ છે, કે તેથી જુદા પ્રકારની એ પ્રશ્નોના ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે; અને તે એ કે, ભલે સ્થૂલ આંખ ન જાણી શકે છતાં તાત્ત્વિક રીતે માત્ર પ્રમત્તયેાગ એ પ્રમત્તયોગજનિત પ્રાણુનાશની ાટિની જ હિંસા છે, અને માત્ર પ્રાણનાશ એ, એ કેટિમાં આવે તેવી હિંસા નથી. પ્ર૦—જો ઉપર કહ્યા પ્રમાણે પ્રમત્તયાગ એજ હિંસાના દોષપણાનુ' મૂળ બીજ હાય, તેા હિંસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયાગ એ હિંસા. અને જો આ દલીલ સાચી હાય તે। એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે Page #492 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૮ હિંસાની વ્યાખ્યામાં પ્રાણનાશને સ્થાન આપવાનું શું કારણ? ઉ–પ્રમત્તયાગ એ જ તાવિક રીતે હિંસા છે છતાં સમુદાયમાં તેને ત્યાગ એકાએક અને મોટે ભાગે શક્ય નથી. તેથી ઊલટું માત્ર પ્રાણવધ એ સ્થૂલ હોવા છતાં તેને ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે; અને પ્રમાણમાં મોટે ભાગે શક્ય પણ છે. પ્રમોગ છૂટો ન હોય છતાં સ્થૂલ પ્રાણુનાશવૃત્તિ ઓછી થઈ જાય તોયે ઘણીવાર સામુદાયિક જીવનમાં સુખશાંતિ વર્તે છે. અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલનાશને ત્યાગ અને ધીરે ધીરે પ્રમત્તયેગને ત્યાગ સમુદાયમાં સંભવિત બને છે. તેથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્તગરૂપ હિંસાને જ ત્યાગ ઈષ્ટ હેવા છતા સામુદાયિક જીવનની દષ્ટિએ હિંસાના સ્વરૂપમાં સ્થૂલ પ્રાણનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાકેટિમાં મૂકવામાં આવ્યો છે. પ્ર-શાસ્ત્રકારે જેને હિંસા કહી છે, તેથી નિવૃત્ત થવું એ અહિંસા, એ સમજાયું; પણ એ જણાવે કે આવી અહિંસાનું વ્રત લેનારને જીવન ઘડવા માટે કઈ કઈ ફરજો ઊભી થાય છે ? ઉ૦ - ૧. જીવન સાદું કરતાં જવું અને તેની જરૂરિયાત ઓછી ને ઓછી જ કરતા જવી. ૨. માનુષી વૃત્તિમાં અજ્ઞાનને ગમે તેટલું સ્થાન હોય છતાં જ્ઞાનનું પણ પુરુષાર્થ પ્રમાણે સ્થાન હોવાથી, દર ક્ષણે સાવધાન રહેવું અને ક્યાંય ભૂલ ન થાય એ માટે ધ્યાન રાખવું; તેમ જ ભૂલ થઈ જાય તે તે ધ્યાન બહાર ન જાય તેટલી દૃષ્ટિ કેળવવી. ૩. જરૂરિયાત ઓછી કર્યા છતાં અને સાવધાન રહેવાનું લક્ષ્ય હોવા છતાં Page #493 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તત્ત્વાર્થસૂત્ર પણ ચિત્તના ખરા દોષ જે સ્થૂલ જીવનથી તૃષ્ણા અને તેથી ઉત્પન્ન થતા જે બીજા રાગદ્`ષાદિ દોષો, તેમને ધટાડવા સતત પ્રયત્ન કરવા. પ્ર—ઉપર જે હિંસાનું દોષપણું કહ્યુ તેને શો અર્થ? ઉ—જેથી ચિત્તની કામળતા ઘટી કઠારતા વધે અને સ્થૂલ જીવનની તૃષ્ણા લખાય, તે જ હિંસાતુ દોષપણુ છે; અને જેથી ઉક્ત કઠોરતા ન વધે તેમ જ સહેજ પ્રેમાળવૃત્તિ અને અંતર્મુખ જીવનમાં જરા પણ ખલેલ ન પહાંચે, તે જ હિંસા દેખાવા છતાં તેનુ દોષપણુ છે. [૮] હવે અસત્યનુ સ્વરૂપ છેઃ असदभिधानमनृतम् । ९ । અસત્ કહેવુ તે અમૃત-અસત્ય. જો કે સૂત્રમાં અસતકથનને અસત્ય કહેવામાં આવ્યું છે, છતાં તેના ભાવ વિશાળ હોઈ તેમાં અસચિંતન, અસચરણ એ બધાના સમાવેશ થાય છે. તેથી જ અસત્ ચિતવવું, અસત્ ખેલવું અને અસત્ આચરવુ' તે અધું જ અસત્ય દેાષમાં આવી જાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં તેમ અસત્યની અને ૧અદત્તાદાનાદિ બાકીના દોષોની વ્યાખ્યામાં પણ પ્રમત્તયાગ એ વિશેષણુ સમજી જ લેવું જોઈ એ, તેથી પ્રમત્તયેાગપૂર્વક જે અસત્કથન તે અસત્ય એવા અસત્યદોષને ફલિત અ થાય છે. ૧. અબ્રહ્મમાં પ્રમત્તયાગ' વિશેષણ ન લગાડવું; કારણ કે એ દોષ અપ્રમત્તદશામાં સંભવી જ નથી શકતા. આમ છે માટે જ બ્રહ્મચર્ચીને નિરપવાદ કહેલું છે; વિશેષ ખુલાસા માટે જીએ આ માળામાં પ્રસિદ્ધ થયેલા ‘જૈનદૃષ્ટિએ બ્રહ્મચય” નામના નિષધ, Page #494 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ અધ્યાય - સૂત્ર ૧૦ અસત શબ્દના મુખ્ય બે અર્થ લેવાથી અહીંનું કામ સરે છેઃ ૧. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેનો તદ્દન નિષેધ કરવો અગર તે તદ્દન નિષેધ ન કરવા છતાં તે હોય તે કરતાં જુદા રૂપમાં કહેવી તે અસત. ૨. ગર્વિત અસત અર્થાત, જે સત્ય છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત્. પહેલા અર્થ પ્રમાણે પૂજી હોવા છતાં લેણદાર માગે ત્યારે કાંઈ નથી જ એમ કહેવું તે અસત્ય, તેમ જ પાસે પૂછ હોવાને સ્વીકાર કર્યા છતાં પણ લેણદાર સફળ ન થાય એવી રીતે તેનું ખ્યાન આપવું તે અસત્ય. બીજા અર્થ પ્રમાણે કેઈ અભણ કે અણસમજુને હલકે પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું પણ “અભણ કે અણસમજુ એવું વચન કહેવામાં આવે તે અસત્ય. અસત્યના આ અર્થ ઉપરથી સત્ય વ્રત લેનાર માટે નીચેનો અર્થ ફલિત થાય છેઃ ૧. પ્રમત્ત બને ત્યાગ કરવો. ૨. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા સાધવી. ૩. સત્ય છતાં દુર્ભાવથી અપ્રિય ન ચિંતવવું, ન બોલવું કે ન કરવું. [૯] હવે ચેરીનું સ્વરૂપ કહે છે अदत्तादान स्तेयम् ॥१०॥ અણદીધું લેવું તે તેય એટલે ચેરી. જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય, તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકીમતી હોય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચોર્યબુદ્ધિથી લેવી, એ તેય કહેવાય છે. આ વ્યાખ્યા ઉપરથી અચૌર્યવ્રત લેનાર માટે નીચેને અર્થ ફલિત થાય છેઃ ૧. કઈ પણ ચીજ તરફ લલચાઈ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ તત્ત્વાર્થ સૂત્ર જવાની વૃત્તિ દૂર કરવી. ૨. જ્યાં સુધી લાલચુપણું દૂર ન થાય ત્યાં સુધી પોતાની લાલચની વસ્તુ પોતે જ ન્યાયતે માર્ગ મેળવવી અને તેવી બીજાની વસ્તુ વગર પરવાનગીએ લેવાના વિચારસુદ્ધાં ન કરવા. [૧૦] હવે અબ્રહ્મનું સ્વરૂપ કહે છે: मैथुनमब्रह्म | ११ | મૈથુનપ્રવૃત્તિ તે અબ્રહ્મ. મૈથુન એટલે મિથુનની પ્રવૃત્તિ. ‘મિથુન’ શબ્દ સામાન્ય રીતે સ્ત્રી-પુરુષનુ જોડલું એવા અમાં પ્રસિદ્ધ છે, છતાં અહીં તેના અ જરા લંબાવવાને છે. જોડલું એટલે સ્ત્રી– પુરુષનું, પુરુષ-પુરુષનું કે સ્ત્રી સ્ત્રીનું અને તે પણ સજાતીય (મનુષ્ય આદિ એક જાતિનું) કે વિજાતીય એટલે મનુષ્ય પશુ આદિ ભિન્ન ભિન્ન જાતિનુ સમજવુ, આવા જોડલાની હકામ રાગના આવેશથી થયેલી માનસિક, વાચિક કે કાયિક કાઈ પણ પ્રવૃત્તિ તે મૈથુન એટલે અબ્રહ્મ કહેવાય છે, પ્ર૦-જ્યાં જોડલુ ન હેાય, માત્ર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ વ્યક્તિ કામરાગાવેશથી જડ વસ્તુના આલંબન વડે અગર પોતાના હસ્ત આદિ અવયવ વડે મિથ્યા સેવે, તેને ઉપરની વ્યાખ્યા પ્રમાણે શું મૈથુન કહી શકાય? આચાર ઉન્હા. મૈથુનના ખરા ભાવાર્થ કામરાગજનિત કાઈ પણ ચેષ્ટા એટલા જ છે. આ અથ તા કાઈ એક વ્યક્તિની તેવી દુશ્ચેષ્ટાને પણ લાગુ પડે જ છે; તેથી તે પણ મૈથુન દાવ જ છે. પ્ર—મૈથુનને અબ્રહ્મ કહ્યું તેનું શું કારણ? ઉ-જે બ્રહ્મ નહિ તે અબ્રહ્મ. બ્રહ્મ એટલે જેના Page #496 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭-સૂત્ર ૧૨ ૨૯૯ પાલન અને અનુસરણથી સગુણ વધે તે; અને જે તરફ જવાથી સદગુણો ન વધે પણ દોષ જ પોષાય, તે અબ્રહ્મ. મૈથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દોષોનું પિોષણ અને સદ્ગુણેને હાસ–ઘસારે શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રહ્મ કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે. મૂછ પરિવ્ર ી ૨૨ . . મૂછ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ. નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બંધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસો એ પરિગ્રહ છે. પ્ર-હિંસાથી પરિગ્રહ સુધીના પાંચ દેતું ' સ્વરૂપ ઉપરઉપરથી જોતાં જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કઈ ખાસ જાતને ભેદ દેખાતે નથી; કારણકે એ પાંચે કહેવાતા દેને દોષપણને આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે. અને તેથી જ તે વૃત્તિઓ દોષ કહેવાય છે. હવે જે આ કથન સાચું હોય, તે રાગદ્વેષ આદિ જ દોષ છે, એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાંચ કે તેથી ઓછાવત્તા ભેદો કરી વર્ણવવા શા માટે ? ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેષ આદિને લીધે થાય છે. તેથી રાગ દ્વેષ આદિ જ મુખ્યપણે દોષ છે અને એ દોષથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્ત્વાર્થ સૂત્ર રાગ, દ્વેષ આદિને ત્યાગ ઉપદેશવાને હાય ત્યારે તેથી થતી પ્રવૃત્તિ સમજાવીને જ તે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિ ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દૃષ્ટિવાળા લેાકેા માટે બીજો ક્રમ શકય નથી. રાગદ્વેષથી થતી અસ ંખ્ય પ્રવૃતિઓ પૈકી હિંસા, અસત્ય આદિ મુખ્ય છે. અને તે જ પ્રવૃત્તિઓ મુખ્યપણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કાતરી ખાય છે; તેથી હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં ગઢવી પાંચ દોષ વર્ણવવામાં આવ્યા છે. દોષની આ સંખ્યામાં વખતે વખતે અને દેશભેદે ફેરફાર થતા રહ્યો છે અને થતા રહેવાને; છતાં સંખ્યાના અને સ્થૂલ નામના મેહમાં પડયા વિના એટલું જ મુખ્યપણે સમજી લેવુ' જોઈ એ કે તે દ્વારા રાગ, દ્વેષ અને માહરૂપ દોષને ત્યાગ જ કરવાનું સૂચન કરાયેલું છે. આ જ કારણને લીધે હિંસા આદિ પાંચ ષોમાં કયા દોષ પ્રધાન કે કયા ગૌણ, કયા પહેલાં ત્યાગ કરવા લાયક છે કે કયા પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ નથી રહેતા. હિ‘સાદાષની વિશાળ વ્યાખ્યામાં બાકીના બધા દોષો સમાઈ જાય. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધર્મ માનનાર, હિંસાદોષમાં અસત્યાદિ બધા દોષોને સમાવી માત્ર હિંસાના જ ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે; અને સત્યને પરમ ધર્મ માનનાર, અસત્યમાં બાકીના બધા દેષા ટાવી માત્ર અસત્યના ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે. એ રીતે સંતેાષ, બ્રહ્મચર્ય આદિને મુખ્ય ધર્મ માનનાર પણ કરે છે. [૧૨] હવે ખરા વ્રતી બનવાની પ્રાથમિક લાયકાત કહે છે : નિઃશો વ્રતી ।। Prayo Page #498 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭ - સૂત્ર ૧૪ જે શલ્ય વિનાને હોય તે વ્રતી સંભવે. અહિંસા, સત્ય આદિ શત લેવા માત્રથી કે ખરે વ્રતી નથી બની શકતો, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત છે જે અહીં બતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યને ત્યાગ કરવો. શલ્ય ટૂંકામાં ત્રણ છે: ૧. દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભોગોની લાલસા. ૩. સત્ય ઉપર શ્રદ્ધા ન ચાટવી અથવા અસત્યને આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કેતરી ખાય છે, અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી; તેથી શલ્યવાળે આત્મા કેઈ કારણસર વ્રત લઈ પણ લે, છતાં તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જેમ શરીરના કેઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીણ વસ્તુ ભેંકાઈ હોય, તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કઈ પણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉક્ત માનસિક દોષો પણ તેવા જ વ્યગ્રતાકારી હોવાથી, તેમનો ત્યાગ વૃતી બનવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યો છે. [૧૩] વ્રતીના ભેદો કહે છે? અર્ચનાઢ ૨૪. વતી અગારી–ગૃહસ્થ અને અનગાર–ત્યાગી એમ બે પ્રકારે સભવે. વ્રત લેનાર દરેકની કઈ સરખી યોગ્યતા નથી હોતી, તેથી યોગ્યતાના તારતમ્ય પ્રમાણે ટૂંકમાં વતીના બે ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે: ૧. અગારી, ૨. અનગાર. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ તત્ત્વાર્થસૂત્ર અગાર એટલે ધર. જેને ધર સાથે સંબંધ હોય તે ‘અગારી.’ અગારી એટલે ગૃહસ્થ. જેને ધર સાથે સંબંધ હાય તે ‘અનગાર' એટલે ત્યાગી-મુનિ. જો કે અગારી અને અનગાર એ એ શબ્દના સીધા અર્થે ધરમાં વસવું કે ન વસવું એટલે જ છે છતાં, અહીં તેને તાત્પર્યા લેવાના છે, અને તે એ કે જે વિષયતૃષ્ણા ધરાવતા હેાય તે અગારી, અને જે વિષયતૃષ્ણાર્થી મુક્ત થયા હાય તે અનગાર. આ તાત્પર્યા લેવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, કોઈ ઘરમાં વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત હાય, તે તે અનગાર જ છે; અને કાઈ ઘર છેાડી જંગલમાં જઈ વસવા છતાં વિષય તૃષ્ણાથી મુક્ત ન હેાય, તેા તે અગારી જ છે. અગારીપણા અને અનગારીપણાની સાચી તેમ જ મુખ્ય કસોટી એ એક જ છે, અને તેને આધારે જ અહી વ્રતીના એ ભેદ પાડવામાં આવ્યા છે. પ્ર—જે વિષયતૃષ્ણા હાવાને લીધે અગારી હાય, તેને પછી વ્રતી કેમ કહી શકાય? સ્થૂલ દષ્ટિથી. જેમ માણસ પોતાના ધર આદિ કાઈ નિયત સ્થાનમાં જ રહેતા હેાય છે અને છતાં તે અમુક શહેરમાં રહે છે એવા વ્યવહાર અપેક્ષાવિશેષથી કરવામાં આવે છે, તેમ વિષયતૃષ્ણા છતાં અલ્પાંશે વ્રતનેા સબંધ હાવાને લીધે તેને વ્રતી પણ કહી શકાય છે. [૧૪] અગારી વતીનુ વ્રન કરે છે: अणुतेाऽगारी । १५ । दिग्देशानर्थ दण्डविरतिसामायिक पौषघेापवासेा पभोगपरिभोगपरिमाणातिथिस विभागवतसम्पन्नश्च | ÎFI Page #500 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –સૂત્ર ૧૭ मारणान्तिकीं संलेखनां जोषिता । १७ । જે અણુવ્રતધારી હાય તે અગારી વ્રતી કહેવાય છે. તે વ્રતી, દિગ્વિરતિ, દેશવિરતિ, અન દણ્ડવિરતિ, સામાયિક, પૌષધેાપવાસ, ઉપભાગપરિભાગપરિમાણુ અને અતિથિસ વિભાગ એ વ્રતાથી પણ સંપન્ન હેાય છે. અને તે મારણાંતિક સલેખનાના આરાધક પણ હાય છે. ૩૦૩ જે ગૃહસ્થ અહિંસા આદિ તેને સંપૂર્ણ પણે સ્વીકારવા સમ ન હેાય અને છતાં ત્યાગવૃત્તિવાળા હાય, તે ગૃહસ્થમર્યાદામાં રહી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે સ્વીકારે છે; એવા ગૃહસ્થ અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે. • સંપૂર્ણપણે સ્વીકારાતાં વ્રતા મહાવ્રતા કહેવાય છે અને તેમના સ્વીકારની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં નથી આવતું; પણ જ્યારે વ્રતા અલ્પાંશે સ્વીકારવાનાં હાય છે, ત્યારે અલ્પતાની વિવિધતાને લીધે એ માટેની પ્રતિજ્ઞા પણ અનેકરૂપે જુદી જુદી લેવામાં આવે છે. તેમ છતાં એક એક અણુવ્રતની વિવિધતામાં ન ઊતરતાં સૂત્રકારે સામાન્ય રીતે ગૃહસ્થનાં અહિંસાદિ વ્રતાને એક એક અણુવ્રત તરીકે જ વર્ણવ્યાં છે. આવાં અણુવ્રતા પાંચ છે, જે મૂળભૂત એટલે ત્યાગના પ્રથમ પાયારૂપે હોવાથી ‘મૂળ ગુણ ’ કે * મૂળ વ્રત' કહેવાય છે. એ મૂળ વ્રતાની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા પણ કેટલાંક વ્રતા · સ્વીકારે Page #501 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થ સૂત્ર છે જે “ઉત્તરગુણ” કે “ઉત્તરવ્રત'ને નામે પ્રસિદ્ધ છે. આવાં ઉત્તર અહીં ટૂંકમાં સાત વર્ણવવામાં આવ્યાં છે. અને ગૃહસ્થ વ્રતી જિંદગીને છેડે જે એક વ્રત લેવા પ્રેરાય છે, તેને પણ અહીં નિર્દેશ છે. તે સંખનાને નામે પ્રસિદ્ધ છે. એ બધાં વ્રતોનું સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે છે: પાંચ પુત્રો: ૧. નાના મેટા દરેક જીવની માનસિક, વાચિક, કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ન સચવાવાથી ૧. સામાન્ય રીતે ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રતની પાંચ સંખ્યા, તેમનાં નામ અને તેમના ક્રમમાં કશે જ ભેદ નથી. દિગંબરપરંપરામાં કેટલાક આચાર્યોએ રાત્રિભોજનના ત્યાગને છઠ્ઠા અણુવ્રત તરીકે ગણાવ્યું છે, પરંતુ ઉત્તરગુણરૂપે મનાતાં શ્રાવકનાં વ્રતમાં અનેક જૂની અને નવી પરંપરાઓ છે. વેતાંબર સંપ્રદાયમાં એવી બે પરંપરા દેખાય છે. પહેલી તત્વાર્થસૂત્રની અને બીજી આગમ આદિ અન્ય ગ્રંથની. પહેલીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભેગપરિમાણવ્રત ન ગણાવતાં દેશવિરમણવ્રત ગણાવવામાં આવ્યું છે. બીજીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભાગપરિમાણવ્રત ગણાવાય છે, અને દેશવિરમણવ્રત સામાયિકવ્રત પછી ગણાવાય છે. આ ક્રમભેદ છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશે જ મતભેદ દેખાતો નથી. પરંતુ ઉત્તરગુણેની બાબતમાં દિગંબરીય સંપ્રદાયમાં જુદી જુદી છે પરંપરાઓ દેખાય છે. કુંદકુંદ, ઉમાસ્વાતિ, સમંતભક, સ્વામી કાર્તિકેચ, જિનસેન, અને વસુનન્દી એ આચાર્યોની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ મતભેદમાં ક્યાંક નામને, ક્યાંક કમને, ક્યાંક સંખ્યાને અને કયાંક અર્થવિકાસને ફેર છે. એ બધું વિસ્તૃત જાણવા ઈચ્છનારે બાબુ જુગલકિશોરજી મુખ્તારલિખિત “જૈનાચાર્યો કા શાસનભેદ” નામક પુસ્તક પૃ. ૨૧ થી આગળ ખસૂસ વાંચવું ઘટે. Page #502 -------------------------------------------------------------------------- ________________ માન વિભાગની વિવાર સિવાય કોઈ અધ્યાય સૂર ૧૭ ૩૦૫ પિતે નક્કી કરેલી ગૃહસ્થપણની મર્યાદા સચવાય તેથી વધારે હિંસાને ત્યાગ કરે, એ “અહિંસાઅણુવ્રત.” ૨–૫. એ જ રીતે અસત્ય, ચેરી, કામાચાર અને પરિગ્રહને પિતાની પરિસ્થિતિ પ્રમાણે મર્યાદિત ત્યાગ કરવો, તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અણુવ્રત છે. - ત્રણ ગુણઃ ૬. પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નકકી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી, તે “દિગ્વિરતિવ્રત.” ૭. દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રયજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યથી નિવૃત્તિ લેવી, તે “દેશવિરતિવ્રત.” ૮. પિતાના ભેગરૂપ પ્રયજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી, તે “અનર્થદંડવિરતિવ્રત. ચાર શિક્ષાત: ૯. કાળને અભિગ્રહ લઈ અર્થાત અમુક વખત સુધી અધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાને અભ્યાસ કરે, તે “સામાયિકવ્રત.” ૧૦. આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું, તે પૌષધોપવાસવૃત.” ૧૧. જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણસણ વગેરેને ત્યાગ કરી, ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભગ માટે પરિમાણ બાંધવું, તે “ઉપભેગપરિભેગપરિમાણવ્રત.' ૧૨. ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ Page #503 -------------------------------------------------------------------------- ________________ ગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું, તે “અતિથિસંવિભાગવત.” કષાયને અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે “સંખના.” આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક લેખના' કહેવાય છે. એવું લેખનાગ્રત ગૃહસ્થ પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે. પ્ર–સલેખનાવ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે, એ તે આત્મવધ થયો અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તે પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે યોગ્ય ગણાય? ઉ–દેખીતું દુઃખ હોય કે દેખીતે પ્રાણનાશ હોય તેટલા માત્રથી તે હિંસાની કટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મેહની વૃત્તિથી ઘડાય છે, સલેખનાગ્રતમાં પ્રાણને નાશ છે ખરો, પણ તે રાગ, દ્વેષ કે મોહથી ન થતો હોવાને લીધે હિંસાકટિમાં આવતો નથી; ઊલટું નિર્મોહપણું અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે, તેથી તે હિંસા નહિ પણ શુભ ધ્યાન કે શુદ્ધ ધ્યાનની કટિમાં મૂકવા લાયક હોઈ ત્યાગધર્મમાં સ્થાન પામ્યું છે. - પ્ર–કમળપૂજા, ભૈરવજપ, જળસમાધિ વગેરે અનેક રીતે જૈનેતર પથમાં પ્રાણનાશ કરવાની અને તેને ધર્મ Page #504 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭–સૂત્ર ૧૭ માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને લેખનાની પ્રથામાં શું ફેર ? ઉ–પ્રાણનાશની સ્થૂલ દૃષ્ટિએ એ બધું સરખું જ છે, ફેર હેય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે. કમળપૂજા વગેરેની પાછળ કઈ ભૌતિક આશા કે બીજું પ્રલેભન ન હોય અને માત્ર ભક્તિને આવેશ કે અર્પણની વૃત્તિ હોય, તે એવી સ્થિતિમાં અને તેવા જ આવેશ કે પ્રલેભન વિનાની સંલેખનાની સ્થિતિમાં તફાવત છે તે જુદા જુદા તત્વજ્ઞાન ઉપર બંધાયેલી જુદી જુદી ઉપાસનાની ભાવનાને છે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્ત્વજ્ઞાન પ્રમાણે પરાર્પણ કે પરપ્રસન્નતા નથી, પણ આત્મશોધન માત્ર છે. જુના વખતથી ચાલી આવતી ધર્મ પ્રાણનાશની વિવિધ પ્રથાઓનું એ જ ધ્યેયની દૃષ્ટિએ સંશોધિતરૂપ સંલેખનાગ્રત રૂપે જૈનસંપ્રદાયમાં અસ્તિત્વ ધરાવે છે; આ જ કારણને લીધે સંલેખનાગ્રતનું વિધાન ખાસ સંગમાં કરવામાં આવ્યું છે. જ્યારે જીવનને અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે, તેમ જ કઈ પણ જાતનું દુન ન હોય, ત્યારે જ એ વ્રત વિધેય માનવામાં આવ્યું છે. [૧૫-૧૭ હવે સમ્યગદર્શનના અતિચારો કહે છે? शंकाकाङ्क्षाविचिकित्साऽन्यदष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।१८। શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર જે જાતનાં ખલનોથી કઈ પણ સ્વીકારેલ ગુણ મલિન થાય અને ધીરે ધીરે હ્રાસ પામી ચાલ્યો જાય, તેવાં અને અતિચાર કહેવાય છે. સમ્યક્ત્વ એ ચારિત્રધર્મનો મૂળ આધાર છે, તેની શુદ્ધિ ઉપર જ ચારિત્રની શુદ્ધિ અવલંબિત છે. તેથી સમ્યકુત્વની શુદ્ધિમાં ખલેલ પહોંચવાને જેનાથી સંભવ છે એવા અતિચારેને અહીં પાંચ ભાગમાં વર્ણવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે ૧. આહંતપ્રવચનની દૃષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો (જે માત્ર કેવલજ્ઞાન અને આગમગમ્ય હોય તેમને) વિષે શંકા લેવી કે તે એમ હશે કે નહિ, એ “શંકાઅતિચાર.” સંશય અને તપૂર્વક પરીક્ષાનું જૈનતત્વજ્ઞાનમાં સંપૂર્ણ સ્થાન હોવા છતાં, અહીં શંકાને અતિચારરૂપે જણાવેલ છે, તેને અર્થ એ છે કે, તકવાદની પારના પદાર્થોને તર્કદષ્ટિએ કસવાને પ્રયત્ન ન કરે; તેમ કરવા જતાં સાધક માત્ર શ્રદ્ધાગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુદ્ધિગમ્ય પ્રદેશને પણ છોડી દે છે. તેથી સાધનાના વિકાસમાં બાધા આવે તેવી જ શંકા અતિચારરૂપે તજવાની છે. ૨. ઐહિક અને પારલૌકિક વિષયની અભિલાષા કરવી એ “કાંક્ષા.” જે આવી કાંક્ષા થવા લાગે, તે ગુણદોષના વિચાર વિના જ સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાંન્તને છોડી દે. તેથી તેને અતિચાર દોષ કહેલ છે. ૩. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પિતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમન્દતાથી Page #506 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭-સૂત્ર ૧૮ એમ વિચારે કે, એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા.” આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્ત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે. ૪–૫. જેમની દૃષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી કે પરિચય કરવો, તે અનુક્રમે મિથ્યાદષ્ટિપ્રશંસા અને “ મિચ્છાદષ્ટિસંસ્તવ અતિચાર છે. બ્રાન્ત દષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણી વાર વિચાર, ત્યાગ આદિ ગુણ હોય છે; આ ગુણેથી આકર્ષાઈ દોષ અને ગુણને ભેદ કર્યા સિવાય જ તેવી વ્યકિતની પ્રશંસા કે તેને પરિચય કરવામાં આવે, તો અવિવેકી સાધકને સિદ્ધાંતથી ખલિત થઈ જવાનો ભય છે. તેથી જ અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવને અતિચાર કહેલ છે. મધ્યસ્થતા અને વિવેકપૂર્વક ગુણને ગુણ અને દોષને દોષ સમજે તેવા સાધકોને આવા પ્રશંસા, સંસ્તવ હાનિકારક થાય જ એવો એકાંત નથી. આ પાંચ અતિચારે વતી શ્રાવક અને સાધુ બંને માટે સમાન છે; કારણ કે સમ્યક્ત્વ બંનેને સાધારણ ધર્મ છે. [૧૮] હવે વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન કહે છે: व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् । १९ । बन्धवधच्छविच्छेदाऽतिभारारोपणाऽन्नपाननिશષા ૨૦ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेवाः २१ । Page #507 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્ણ स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहोनाधिकमानेोन्मानप्रतिरूपकव्यवहारा: । २२ । ३१० परविवाह करणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीत्रकामाभिनिवेशाः | २३ | क्षेत्रवास्तुहिरण्य सुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः । २४ । ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्र वृद्धिस्मृत्यन्तर्धानानि । २५ । आनयनप्रेष्य प्रयोगशब्द रूपानुपातपुद्गलक्षेपाः |२६| कन्दर्प कौत्कुच्मौखर्याऽसमीक्ष्याधिकरणेोपभोगाधिकत्वानि । २७ । योग दुष्प्रणिधानाऽनादरस्मृत्यनुपस्थापनानि २८ । अप्रत्यवेक्षिताप्रमाजि तात्सर्गादान निक्षेपस स्तारा' प्रक्रमणानादरस्मृत्यनुपस्थापनानि । २९ । सचित्तसम्बद्धल मिश्राऽभिषवदुष्पक्वाहाराः |३०| सचित निक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ॥३१ । जीवितमरणारा सामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि । ३२ । વ્રત અને શીલમાં પાંચ પાંચ અતિચારે છે. તે અનુક્રમે આ પ્રમાણે : અન્ય, વધ, છવિચ્છેદ્ય, અતિભારનુ આપણુ અને અન્નપાનના નિરાધ એ પાંચ અતિચાર પ્રથમ અણુવ્રતના છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૭- સૂકા–કર મિપદેશ, રહસ્યાભ્યાખ્યાન, ફૂટલેખકિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર બીજા અણુવ્રતના છે. સ્તનપ્રગ, સ્તન-આહુત-આદાન, વિરુદ્ધ રાજ્યને અતિક્રમ, હીન-અધિક-માનેન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ ત્રીજા આણુવ્રતના અતિચાર છે. પરવિવાહકરણ, ઈત્વપરિગ્રહીતાગમન, અપરૂિ ગૃહીતાગમન, અનંગકીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ અતિચાર ચેથા અણુવ્રતના છે. ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણને અતિક્રમ, હિસ્ય અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ, ધન અને ધાન્યના પ્રમાણને અતિક્રમ, દાસ-દાસના પ્રમાણને અતિક્રમ, તેમજ કુષ્યના પ્રમાણને અતિક્રમ એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતના છે. ઊર્વવ્યતિક્રમ, અધવ્યતિકમ, તિર્યવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ અતિચાર છ દિગ્વિતિવ્રતના છે. આનયનમગ, પ્રખ્યપ્રવેગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિતના છે. કંદર્પ, કૌત્સુચ, મૌખર્ય, અસમીક્ષ્યઅધિકરણ અને ઉપભેગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ તવાથસુત્ર - કાયદુપ્પણિધાન, વચનદુપ્રણિધાન, મનેદુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિકવ્રતના છે. અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિંતમાં આદાનનિક્ષેપ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચાર પિષધવ્રતના છે. સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિન સંમિશ્ર આહાર, અભિષવ આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ગોપભેગવતના છે. . સચિત્તમાં નિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશક માત્સર્ય, અને કાલાતિકમ એ પાંચ અતિચાર અતિથિ. સંવિભાગ વ્રતના છે. જીવિતાશંસા, મરણુશસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ, અને નિદાનકરણું એ મારણુતિક સંલેખનાના પાંચ અતિચારે છે. - જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે. તે “વ્રત કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે શ્રાવકનાં બારે વ્રત વ્રત શબ્દમાં આવી જાય છે; છતાં અહીં વ્રત અને શીલ એ બે શબ્દ વાપરી એમ સૂચવવામાં આવ્યું છે કે, ચારિત્રધર્મના મૂળ નિયમે અહિંસા, સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમો તે એ. મૂળ Page #510 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સૂત્ર ૧૯-૧૨ નિયમેાની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે. દરેક વ્રત અને શીલના પાંચ પાંચ અતિચારે। ગણાવવામાં આવ્યા છે તે મધ્યમ દૃષ્ટિએ સમજવું; સંક્ષેપ દૃષ્ટિએ તેા એથી એછા પણ કલ્પી શકાય અને વિસ્તાર દૃષ્ટિએ પાંચથી વધારે પણ વર્ણવી શકાય. ચારિત્ર એટલે રાગદ્વેષ આદિ વિકારાને અભાવ સાધી સમભાવ કેળવવા તે. ચારિત્રનું આવું મૂળ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અહિંસા. સત્ય આદિ જે જે નિયમે વ્યાવહારિક જીવનમાં સ્વીકારવામાં આવે છે, તે બધાયે ચારિત્ર જ કહેવાય છે. વ્યાવહારિક જીવન દેશ, કાળ આદિની પરિસ્થિતિ અને મનુષ્યબુદ્ધિની સંસ્કારિતા પ્રમાણે ઘડાતુ હાવાથી, એ એ પરિસ્થિતિ અને સસ્કારિતામાં ફેર પડતાં જીવનધારણમાં પણ ફેર પડે છે અને તેથી ચારિત્રનું મૂળ સ્વરૂપ એક જ હાવા તાં તેના પાષક તરીકે સ્વીકારાતા નિયમેાની સખ્યા અને સ્વરૂપમાં ફેરફાર થવા અનિવાર્ય છે; એ જ કારણથી શ્રાવકનાં વ્રત–નિયમા પણ શાસ્ત્રમાં અનેક રીતે ભેદ પામેલાં દેખાય છે, અને ભવિષ્યમાં પણ ફેરફાર પામવાનાં; તેમ છતાં અહીં તા ગ્રંધકારે શ્રાવકધમના તેર જ ભાગ કલ્પી, તે દરેકના અતિચારાનું કથન કરેલુ છે. તે અનુક્રમે નીચે પ્રમાણે: ૩૧૩ અહિંસા વ્રતના અતિષ: ૧. કાઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતાં અટકાવવું અને ખાંધવું, તે બંધ'; ૨. પરાણા, ચાબખા આદિ વડે ફટકા મારવા, તે ‘વધ’; ૩. કાન, નાક, ચામડી આદિ અવયવાને ભેદવા કે છંદવા, તે 'વિચ્છેદ'; ૪. મનુષ્ય કે પશુ આદિ ઉપર તેના ગજા કરતાં વધારે ભાર લાદવે, તે અતિભારનું આરોપણ’; ૫. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તત્ત્વાર્થસૂત્ર કાઈના ખાનપાનમાં અટકાયત કરવી, તે અન્નપાનના નિરોધ.’ આ પાંચે દોષો ગૃહસ્થવ્રતધારીએ કાંઈ પણ પ્રયેાજન ન હોય તે ન જ સેવવા અવા ઉત્સગ માર્ગ છે; પરંતુ ગૃહસ્થપણાની ફરજને અંગે કાંઈ પ્રયાજનસર એમને સેવવા જ પડે, તેાયે તેણે કામલ વૃત્તિથી કામ લેવુ. [૨૦] સત્ય વ્રતના અતિષ: ૧. સાચું ખાટુ' સમજાવી કાઈ તે આડે રસ્તા દોરવા, તે ‘મિથ્યા ઉપદેશ.' ૨. રાગથી પ્રેરાઈ વિનાદ ખાતર કાઈ પતિ-પત્નીને કે બીજા સ્નેહીઓને છૂટાં પાડવાં કે કોઈ એકની સામે બીજા ઉપર આરેાપ મૂકવા, તે ‘રહસ્યાભ્યાખ્યાન’૩. મહેાર, હસ્તાક્ષર આદિ વડે ખાટા દસ્તાવેજો કરવા, ખાટા સિક્કો ચલાવવા વગેરે ‘ફૂટલેખક્રિયા.’ ૪. થાપણ મૂકનાર કાંઈ ભૂલી જાય તેા તેની ભૂલને લાભ લઈ ઓછીવત્તી થાપણ મેળવવી, તે ન્યાસાપહાર.’૫. અદરાઅંદર પ્રીતિ તૂટે તે માટે એક બીજાની ચાડી ખાવી અગર કેાઈની ખાનગી વાત પ્રગટ કરી દેવી, તે ‘સાકારમંત્રભેદ.’ [૨૧] અસ્તેય વ્રતના અતિચારો: ૧. કોઈને ચેરી કરવા માટે જાતે પ્રેરણા કરવી કે બીજા દ્વારા પ્રેરણા અપાવવી અગર તેવા કાર્યમાં સંમત થવું, તે ‘સ્તનપ્રયાગ;’૨. પાતાના પ્રેણા વિના કે સમતિ વિના કોઈ ચોરી કરી કાંઈ પણ વસ્તુ લાવ્યા હાય તે વસ્તુ લેવી. તે ‘તેનઆહુતઆદાન;’૩. જુદાં જુદાં રાજ્યે માલની આયાત-નિકાશ ઉપર જે અંકુશ મૂકે છે યા તે માલ પર દાણ—જકાત વગેરેની વ્યવસ્થા બાંધે છે, તેનું ઉલ્લંધન કરવું, તે ‘વિરુદ્ધરાજ્યાતિક્રમ;’ ૪. એાંવત્તાં માપ, કાટલાં, ત્રાજવાં આદિ વડે લેવડદેવડ કરવી, તે Page #512 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સૂત્ર ૧૯-૩૨ ૩૧૫ હીનાધિકમાન્માન, ૫. અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે “પ્રતિરૂપક વ્યવહાર.” [૨] બ્રહ્મત્ર વૈતના અતિચારે : ૧. પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે “પરવિવાહકરણ; '૨. કેઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રીને સ્વીકારી હોય, ત્યારે તે જ વખતમાં તે સ્ત્રીને ઉપભોગ કરે, તે “ઇવર પરિગ્રહીતાગમન; ૩. વેશ્યા, પરદેશ ગયેલ ધણીવાળી સ્ત્રી કે અનાથ સ્ત્રી જે અત્યારે કઈ પુરુષના કબજામાં નથી, તેને ઉપભેગ કરે, તે “અપરિગૃહીતાગમન' ૪. અસ્વાભાવિક રીતે– સૃષ્ટિ વિરુદ્ધ કામસેવન, તે “અનંગક્રીડા;” ૫. વારંવાર ઉદ્દીપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી, તે તીવ્ર કામાભિલાષ.” [૩] મરણ વ્રતના સિવારે : ૧. જે જમીન ખેતીવાડી લાયક હોય તે ક્ષેત્ર અને રહેવા લાયક હોય તે “વાસ્તુ'; એ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી લેભવશ થઈ તેની મર્યાદાનું અતિક્રમણ કરવું, તે ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ૨. ઘડાયેલ કે નહિ ઘડાયેલ રૂપું અને તેનું એ બંનેનું વ્રત લેતી વખતે નકકી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું, તે “હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ:' ૩. ગાય, ભેંસ આદિ પશુરૂપ ધન અને ઘઉં, બાજરી આદિ ધાન્યનું સ્વીકારેલું પ્રમાણ ઉલ્લંઘવું તે ધનધાન્યપ્રમાણતિક્રમ ૪. નેકર ચાકર વગેરે કર્મચારીના પ્રમાણને અતિક્રમ કરે, તે “દાસીદાસપ્રમાણપ્રતિક્રમ) ૫. અનેક પ્રકારનાં વાસણ ૧. આ સંબંધી વધારે હકીકત માટે જુઓ આ જ માળામાં પ્રસિદ્ધ થયેલ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવચાર એ નિબંધ. Page #513 -------------------------------------------------------------------------- ________________ બાવાળી શિવ કમર તરવાથસૂત્ર અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેને અતિક્રમ કરો, તે “કુખ્યપ્રમાણતિક્રમ”. [૨૪] વિવિરમણ વ્રતના તિવાર ઃ ૧. ઝાડ, પહાડ વગેરે ઉપર ચડવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણની મર્યાદા તેડવી, તે “ઊર્ધ્વવ્યતિક્રમ; ૨-૩. એ જ રીતે નીચે જવાનું પ્રમાણ અને તીરછા જવાનું પ્રમાણ નક્કી કરી તેનો મોહવશ ભંગ કરે, તે અનુક્રમે “અધવ્યતિક્રમ,” અને “તિર્ય_વ્યતિક્રમ; ૪. જુદીજુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણુવાળી દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી, ઇષ્ટ દિશાના પ્રમાણમાં વધારો કરવો, તે ક્ષેત્રવૃદ્ધિ; ૫. દરેક નિયમના પાલનને આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મોહને લીધે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલી જવાં, તે “મૃત્યન્તર્ધાન.” [૨૫] * સેવ શિવ પ્રતા તિવારા: ૧. જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પોતે ન જતાં સંદેશા આદિ દ્વારા બીજા પાસે તે વસ્તુ મંગાવવી, તે “આનયનપ્રયોગ;” ૨. જગ્યાની સ્વીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં, નેકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું, તે પ્રેગ્યપ્રયોગ; ૩. સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કેઈને બેલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી, હસમું આદિ શબ્દદ્વારા તેને પાસે આવવા સાવધાન કર, તે “શબ્દાનુપાત; ૪. કોઈ પણ જાતને શબ્દ કર્યા વિના Page #514 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૧૯–૩ર ૩૧૭ માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને પિતાની નજીક આવવા સાવધાન કરે, તે “રૂપાનુપાત; ૫. કાંકરી, ઢેકું વગેરે ફેંકી કેઈને પોતાની નજીક આવવા સૂચના આપવી, તે પુલ પ્રક્ષેપ.” [૨૬] અનર્થ વિરમણ વ્રતની ગતિચાઃ ૧. રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવાં તે કંદર્પ"; ૨. પરિહાસ અને અશિષ્ટ ભાષણ ઉપરાંત ભાંડ જેવી શારીરિક દુચેષ્ટાઓ કરવી તે “કૌન્દુ૩. નિર્લજપણે સંબંધ વિનાનું તેમજ બહુ બક્યા કરવું તે “મૌખર્ય'; ૪. પિતાની જરૂરિયાતને વિચાર કર્યા વિના જ જાત જાતનાં સાવદ્ય ઉપકરણે બીજાને તેના કામ માટે આપ્યા કરવાં, તે “અસમીક્ષ્યાધિકરણ; ૫. પિતા માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ, ચંદન આદિ રાખવાં, તે “ઉપભોગાધિકત્વ.” [૨૭] સામાયિક વ્રતના પ્રતિઃ ૧. હાથ, પગ વગેરે અંગેનું નકામું અને બેટી રીતે સંચાલન, તે “કાયદુપ્પણિધાન; ૨. શબ્દસંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી, તે વચનદુપ્રણિધાન'; ૩. ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો, તે “મનોદુષ્મણિધાન'; ૪. સામાયિકમાં ઉત્સાહ ન રાખવો અર્થાત વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર: ૫, એકાગ્રતાને અભાવ અર્થાત ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને ભ્રંશ, તે “સ્કૃતિનું અનુપસ્થાપન.” [૨૮] ૌષધ ગ્રતના તાઃ ૧. કઈ જતુ છે કે નહિ એ આંખે જોયા વિના તેમ જ કેમળ ઉપકરણવડે પ્રમાર્જન કર્યા Page #515 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તવા સુત્ર વિના કયાંય પણ મળ, મૂત્ર, લીંટ આદિ ત્યાગવાં, તે ‘અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ'; ૨. એ જ પ્રમાણે પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી અને મૂકવી, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ'; ૩. પ્રત્યવેક્ષણ અને પ્રમાન કર્યા વિના જ સંથારા અર્થાત્ બિછાનું કરવું કે આસન નાખવું, તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપક્રમ;, ૪. પૌષધમાં ઉત્સાહ વિના જ ગમે તેમ પ્રવૃત્તિ કરવી, તે ‘અનાદર’; ૫. પૌષધ કયારે અને કેમ કરવા કે ન કરવો, તેમજ કર્યાં છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું, તે ‘સ્મૃત્યનુપસ્થાપન.’[૨૯] भोगोपभोग व्रतना અતિન્નાર: ૧. કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતનપદાના આહાર, તે સચિત્ત આહાર;' ૨. ઠળિયા, ગેાટલી આદિ સચેતન પદાથી યુકત એવાં ખેર, કેરી વગેરે પાકાં ફ્ળોને આહાર કરવા, તે ‘સચિત્તસંબદ્ધહાર’; ૩. તલ, ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનુંભાજન કે કીડી, કથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુનુ ભાજન, તે 'ચિત્તસ મિશ્રાહાર'; ૪. કાઈ પણ જાતનું એક માદક દ્રવ્ય સેવવુ અગર વિવિધ દ્રવ્યાના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનું સેવન, તે અભિષવ આહાર'; પ. અધકચરું રાંધેલું કે બરાબર ન રાંધેલું ખાવુ’, તે ‘દુષ્પક્વ આહાર.’ [૩૦] અતિથિસ વિમાન વત્તના અતિવાદઃ ૧. ખાનપાનની દેવા યેાગ્ય વસ્તુને ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કાઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી, તે ‘સચિત્તનિક્ષેપ’; ૨. એ જ Page #516 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સૂત્ર ૭૩-૭૪ ૩૧૯ રીતે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી, તે “સરિત્તપિધાન; ૩. પિતાની દેય વસ્તુને “એ પારકાની છે એમ કહી તેના દાનથી પિતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી, તે પરવ્યપદેશ: ૪. દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું, તે માત્સર્ય, ૫. કેઈને કાંઈ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાને વખત ન હોય તે વખતે ખાઈ-પી લેવું, તે “કાલાતિક્રમ.” [૩૧] સંતના દ્વિતને અતિઃ ૧. પૂજા, સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈ જીવનને ચાહવું, તે જીવિતાસંસા ૨. સેવા, સત્કાર આદિ માટે કોઈ ને પાસે આવતે ન જોઈ કંટાળાથી મરણને ચાહવું તે “મરણશંસા: ૩. મિત્રો ઉપર કે મિત્રની પેઠે પુત્રાદિ ઉપર સ્નેહબંધન રાખવું તે મિત્રાનુરાગ, ૪. અનુભવેલાં સુખો યાદ લાવી મનમાં તાજાં કરવાં, તે “સુખાનુબંધ; ૫. તપ કે ત્યાગને બદલે કોઈ પણ જાતના ભાગરૂપે માગી લેવો, તે નિદાનકરણ” ઉપર જે બધા અતિચારો કહ્યા છે, તે જે ઈરાદાપૂર્વક અને વક્રતાથી સેવવામાં આવે, તો તે વ્રતના ખંડનરૂપ હોઈ અનાચાર છે, અને જો ભૂલથી અસાવધાનપણે સેવાય, તે તે અતિચારરૂપ છે. [૨] હવે દાનનું વર્ણન કરે છે : अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । ३३ । विधिद्रव्यदातपात्र विशेषात्तविशेषः । ३४ । અનુગ્રહ માટે પોતાની વસ્તુને ત્યાગ કરે તે દાન છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તરવાથસૂત્ર વિધિ, દયવસ્તુ, દાતા અને ગ્રાહકની વિશેષતાથી તેની અર્થાત્ દાનની વિશેષતા છે. દાનધર્મ એ જીવનના બધા સગુણોનું મૂળ છે; તેથી એને વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદ્દગુણોના ઉત્કર્ષને આધાર છે, અને વ્યવહાર દષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે. દાન એટલે ન્યાયપૂર્વક પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. એ અર્પણ તેના કરનારને અને તેને સ્વીકારનારને ઉપકારક હેવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરની તેની મમતા ટળે અને તે રીતે તેને સંતોષ અને સમભાવ કેળવાય; સ્વીકાર કરનારને ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સદ્દગુણો ખીલે. બધાં દાન, દાનરૂપે એક જેવાં જ હોવા છતાં તેમના ફળમાં તરતમભાવ રહેલું હોય છે એ તરતમભાવ દાનધર્મની વિશેષતાને લઈને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાનધર્મનાં ચાર અંગોની વિશેષતાને આભારી છે. એ ચાર અંગોની વિશેષતા નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે : . વિધિની વિશેષતા : એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિદ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતને સમાવેશ થાય છે. દ્રવ્યની વિરોષતી ? એમાં દેવાતી વસ્તુના ગુણોનો સમાવેશ થાય છે. જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પિતાના ગુણવિકાસમાં નિમિત્ત થાય તેવી હોવી જોઈએ. , Page #518 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૩- સૂત્ર ૩૭–૩૪ કર૧ વાતાની વિરોષતા: એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું ન હોવું, અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કરે, વગેરે દાતાના ગુણેને સમાવેશ થાય છે. પાત્રની વિરોષતા : દાન લેનારે પુરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું, તે પાત્રની વિશેષતા છે. [૩૩-૩૪] Page #519 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૮ આસ્રવના વર્ણન પ્રસંગે વ્રત અને દાનનું વર્ણન કરીને હવે બધતત્ત્વનું વર્ણન કરવામાં આવે છે. પ્રથમ બધહેતુઓને નિર્દેશ કરે છે: मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः |१| મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ એ પાંચ ખંધના હેતુઓ છે. બંધનું સ્વરૂપ આગળના સૂત્રમાં વર્ણવવામાં આવનાર છે. અહી' તે તેના હેતુના નિર્દેશ છે. બંધના હેતુઓની સંખ્યા વિષે ત્રણ પરંપરાએ દેખાય છે. એક પરંપરા પ્રમાણે કષાય અને યાગ એ એ જ બધના હેતુએ છે; ખીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર બંધહેતુઓની છે. ત્રીજી પરપરા ઉક્ત ચાર હેતુઓમાં પ્રમાદને ઉમેરી પાંચ બધહેતુઓ વર્ણવે છે. આ રીતે સખ્યાને અને તેને લીધે નામાના ભેદ હેાવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ એ પર પરાઓમાં કશે જ ભેદ નથી, પ્રમાદ એ એક પ્રકારના અસંયમ જ Page #520 -------------------------------------------------------------------------- ________________ અસય ૮સૂત્ર ૧ ર૩ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એ જ દૃષ્ટિથી કર્મપ્રકૃતિ” વગેરે ગ્રંથોમાં ફક્ત ચાર બંધહેતુઓ કહેવામાં આવ્યા છે. બારીકીથી જોતાં મિથ્યાત્વ અને અસંયમ એ બંને કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી કષાય અને યોગ એ બે જ બંધહેતુઓ ગણાવવા પ્રાપ્ત થાય છે. પ્રહ–જે એમ જ છે તે અહીં પ્રશ્ન થાય છે કે આ સંખ્યાભેદની જુદી જુદી પરંપરા શા આધારે ચાલી આવે છે? ઉ–કઈ પણ કર્મ બંધાય છે, ત્યારે તેમાં વધારેમાં વધારે જે ચાર અંશેનું નિર્માણ થાય છે, તેમના જુદા જુદા કાર તરીકે કષાય અને યોગ એ બે હોય છે. પ્રકૃતિ તેમજ પ્રદેશ અંશનું નિર્માણ યોગને લીધે થાય છે, અને સ્થિતિ તેમજ અનુભાગ અંશનું નિર્માણ કષાયને લીધે થાય છે. આ રીતે એક જ કર્મમાં ઉત્પન્ન થતા ઉક્ત ચાર અંશેનાં કારણોનું વિશ્લેષણ કરવાની દૃષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરવામાં આવ્યું છે, અને આધ્યાત્મિક વિકાસની ઊતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનોમાં બંધાતી કર્મપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બંધહેતુઓનું કથન કરવામાં આવ્યું છે. જે ગુણસ્થાને બંધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય, તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બંધ; અને જ્યાં એ બંધહેતુઓ ઓછા, ત્યાં કર્મપ્રકૃતિઓને બંધ પણ છે. આ રીતે મિથ્યાત્વ આદિ ચાર હેતુઓના કથનની પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાનમાં તરતમભાવ પામતા કર્મબંધના કારણને ખુલાસો કરવા માટે છે. અને કવાય તેમજ યોગ એ બે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થસૂત્ર હેતુઓના કથનની પરંપરા કાઈ પણ એક જ કર્મોંમાં સંભવતા ચાર અશાના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પાંચ અંધહેતુઓની પરંપરાના આશય । ચારની પરંપરા કરતાં જુદો નથી જ, અને જો હાય તો તે એટલેા જ છે કે, જિજ્ઞાસુ શિષ્યાને બહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું. અંધહેતુઓની વ્યાખ્યા મિથ્યાત્વ : મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન, અર્થાત્ સભ્યગ્દર્શનથી ઊલટુ હાય તે. સમ્યગ્દર્શન એ વસ્તુનું તાત્ત્વિક શ્રદ્ધાન હાવાથી, વિપરીત દૃન એ પ્રકારનું ફલિત થાય છે. પહેલુ, વસ્તુના યથા શ્રદ્દાનના અભાવ, અને ખીજી વસ્તુનુ અયથા શ્રદ્ધાન. પહેલા અને બીજામાં ફેર એ છે કે, પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હેાય, જ્યારે બીજું તે વિચારદશામાં જ હાય. વિચારશક્તિને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કાઈ એક જ દૃષ્ટિને વળગી રહેવામાં આવે છે, ત્યારે વિચારદશા હૈાવા છતાં અતત્ત્વના પક્ષપાતને લીધે એ દૃષ્ટિ મિથ્યાદર્શોન કહેવાય છે. એ ઉપદેશજન્ય હોવાથી અભિગૃહીત કહેવાય છે. જ્યારે વિચારદશા જાગી ન હેાય, ત્યારે અનાદિ કાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હેાય છે. તે વખતે જેમ તત્ત્વનું શ્રદ્ધાન નથી, તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી; એ વખતે ફકત મૂઢતા હાઈ તત્ત્વનું અશ્રદ્ઘાન હેાય છે. તે નૈસગિક-ઉપદેશનિરપેક્ષ હાવાથી અનભિગ્રહીત' કહેવાય છે. દૃષ્ટિ કે પ’થના ઐકાંતિક બધા જ દાગ્રહો અભિગૃહીત મિથ્યાદર્શન છે; તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હાઈ શકે. અને બીજુ અનભિગ્રહીત મિથ્યાદર્શીન કીટ, પત ંગ આદિ જેવી મૂર્છિત ચૈતન્યવાળી જાતિમાં સંભવે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ અને અહીં સાદિ છે ત્યારે મિથ્યાભથાતથી માં અધ્યાય ૮- સૂત્ર રર૩ વિરતિઃ અવિરતિ એટલે દોષોથી ન વિરમવું તે. પ્રકાર : પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અર્થાત્ કુશળ કાર્યોમાં આદર ન રાખો; કર્તવ્ય, અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે. વાર: કષાય એટલે સમભાવની મર્યાદા તેડવી તે. : વેગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલા ત~દોષ આદિ બંધહેતુઓ અને અહીં જણાવેલા મિથ્યાત્વ આદિ બંધહેતુઓ વચ્ચે તફાવત એ છે કે, ત~દોષાદિ હેતુઓ પ્રત્યેક કર્મના ખાસ ખાસ બંધહેતુઓ હોઈ વિશેષરૂપ છે, જ્યારે મિથ્યાત્વ આદિ તે સમસ્ત કર્મના સમાન બંધહેતુ હોઈ સામાન્ય છે. મિથ્યાત્વથી માંડી યુગ સુધીના પાંચે હતુઓમાં જ્યારે પૂવ પૂર્વના બંધહેતુઓ હેય ત્યારે તેના પછીના બધા તે હોય છે જ; જેમ કેમિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હેય. પણ જ્યારે પછી હોય ત્યારે આગલે હેતુ હોય અને ન પણ હોય; જેમકે, અવિરતિ હોય ત્યાં પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હોય, પરંતુ બીજે, ત્રીજે, ચોથે ગુણસ્થાને અવિરતિ હોવા છતાં મિથ્યાત્વ નથી હોતું; એ રીતે બીજા વિષે પણ ઘટાવી લેવું. [૧] હવે બંધનું સ્વરૂપ કહે છે? सकषायत्वाज्जीवः कर्मणो योग्यान पुद्गलानादत्त।२। પર વજા રે ! કષાયના સંબંધથી જીવ કર્મને એવાં પુદ્ગલનું ગ્રહણ કરે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તત્વાર્થસૂત્ર તે બંધ કહેવાય છે. પુદગલની વર્ગણાઓ અર્થાત પ્રકારે અનેક છે. તેમની જે વર્ગણ કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જેડી દે છે. અર્થાત જીવ સ્વભાવે અમૂત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળે હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે, મૂર્ત કર્મપુદ્ગલેનું ગ્રહણ કરે છે. જેમ દી વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પિતાની ઉણુતાથી તેને જ્વાળારૂપે પરિણાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી તેમને કર્મભાવરૂપે પરિણમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુદ્ગલેને સંબંધ તે બંધ' કહેવાય છે. આવા બંધમાં મિથ્યાત્વ આદિ અનેક નિમિત્તે હોય છે; છતાં અહીં કષાયના સંબંધથી પુદ્ગલેનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવ્યું છે, તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા સૂચવવા ખાતર જ સમજવું. [૨-a] હવે બંધના પ્રકારે કહે છે: प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । ४। પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત બંધના પ્રકારે છે. - કર્મ પુદ્ગલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે એનો અર્થ એ છે, કે તે જ વખતે તેમાં ચાર અંશેનું નિર્માણ થાય છે; તે જ અંશે બંધના પ્રકારે છે. જેમકે, જ્યારે બકરી, ગાય, ભેંસ આદિ વડે ખવાયેલું ઘાસ આદિ દુધ રૂપે પરિણમે છે, ત્યારે તેમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે; તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેવાની કાળ Page #524 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮-સૂત્ર ૪-૫ ૩ર૭ મર્યાદા તેમાં નિર્મિત થાય છે; એ મધુરતામાં તીવ્રતા, મંદતા આદિ વિશેષતાઓ આવે છે; અને એ દૂધનું પૌલિક પરિમાણ પણ સાથે જ નિર્માય છે. તેમ જીવ દ્વારા ગ્રહણ થઈ તેના પ્રદેશેામાં સ ંશ્લેષ પામેલા ક પુદ્દગલામાં પણ ચાર અ શાનું નિર્માણ થાય છે: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ. ૧. કપુદ્ગલામાં જ્ઞાનને આવૃત કરવાના, દર્શનને અટકાવવાને, સુખદુઃખ અનુભવાવવાના વગેરે, જે સ્વભાવ બધાય છે, તે સ્વભાવનિર્માણ એ ‘પ્રકૃતિબંધ.’ ૨. સ્વભાવ બંધાવા સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ચ્યુત ન થવાની મર્યાદા પુદ્ગલામાં નિમિત થાય છે, તે કાલમર્યાદાનું નિર્માણ તે ‘સ્થિતિબંધ.’ ૩. સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મંદતા આદિપણે લાનુભવ કરાવનારી વિશેષતા અંધાય છે, એવી વિશેષતા એ જ અનુભાવબંધ.' ૪. ગ્રહણ કરાઈ ભિન્નભિન્ન સ્વભાવમાં પરિણામ પામતા કર્મ પુદ્ગલરાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, એ પરિમાણવિભાગ તે ‘પ્રદેશબંધ’. બંધના આ ચાર પ્રકારામાં પહેલા અને છેલ્લા ચેાગને આભારી છે; કારણ કે યેાગના તરતમભાવ ઉપર જ પ્રકૃતિ અને પ્રદેશખ ધના તરતમભાવ અવલંબિત છે. ખીજો અને ત્રીજો પ્રકાર કષાયને આભારી છે; કારણ કે કષાયની તીવ્રતા, મંદતા ઉપર જ સ્થિતિ અને અનુભાવબંધની અધિકતા કે અલ્પતા અવલંબિત છે. [૪] હવે મૂલપ્રકૃતિના ભેદોના નામનિર્દેશ કરે છે : आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनाम गोत्रान्तरायाः | ५ | Page #525 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પહેલે અર્થાત્ પ્રકૃતિમધ, જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય રૂપ છે. વ અધ્યવસાયવિશેષથી જીવદ્રારા એક જ વાર ગ્રહણુ કરાયેલ કમ પુદ્ગલરાશિમાં એક સાથે આધ્યવસાયિક શક્તિની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવાનુ નિર્માણ થાય છે. એ સ્વભાવા અદૃશ્ય છે, છતાં તેમનુ પરિગણન માત્ર તેમનાં કાર્યો – અસરા દ્વારા કરી શકાય. એક કે અનેક સંસારી જીવ ઉપર થતી કની અસંખ્ય અસરે અનુભવાય છે. એ અસરાના ઉત્પાદક સ્વભાવેા ખરી રીતે અસંખ્યાત જ છે; તેમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેચી નાખવામાં અવ્યા છે. તે મૂલપ્રકૃતિબંધ કહેવાય છે. એ જ આઠ મૂલપ્રકૃતિના ભેદને નિર્દેશ અહીં કરવામાં આવ્યા છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ક, નામ, ગાત્ર અને અંતરાય. ૧. જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ ખાધ આવરાય, તે ‘જ્ઞાનાવરણ’. ૨. જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય ધ આવરાય, તે દર્શનાવરણ'. ૩. જેથી સુખ કે દુઃખ અનુભવાય, તે ‘વેદનીય’. ૪. જેના વડે આત્મા માહ પામે, તે મેાહનીય ’. ૫. જેથી ભવધારણ થાય, તે ‘ આયુષ’. ૬. જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે ‘નામ’. ૭. જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય, તે ગાત્ર’. ૮. જેથી દેવા લેવા આદિમાં વિશ્ન આવે તે 'અ'તરાય '. કર્મીના વિવિધ સ્વભાવાને સક્ષેપ દષ્ટિએ ઉપરના આઠ ભાગમાં વહેંચી નાખ્યા છતાં વિસ્તૃતરુચિ જિજ્ઞાસુએ માટે Page #526 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮- સૂત્ર ૬-૧૪ ३२८ મધ્યમ માર્ગથી જે આઠના વળી બીજા પ્રકારે વર્ણવવામાં આવ્યા છે; તે ઉત્તરપ્રકૃતિના ભેદના નામે પ્રસિદ્ધ છે. એવા ભેદો ૯૭ છે; તે મૂલપ્રકૃતિવાર આગળ અનુક્રમે દર્શાવવામાં आवे छे. [५] ઉત્તરપ્રકૃતિના ભેદોની સંખ્યા અને નામનિર્દેશઃ पञ्चनवव्यष्टाविंशतिचतुर्द्विचत्वारिंशदूद्विपञ्चभेदा यथाक्रमम् ।६। मत्यादीनाम् । ७। चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीयानी च । ८। सदसवेद्ये । ९। दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्या. स्त्रिद्विषोडषनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्याना. वरणसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोमा हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुनपुंसकवेदाः ।१०। नारकतैर्यग्यानमानुषदैवानि । ११ । गतिजातिशरीराङ्गोपालनिर्माणबन्धनसंघातसंस्थान संहननस्पर्शरसगन्दवर्णानुपूर्व्यगुरुलघूपघातपराधाता. तपोधोताच्छवासविहाःयोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च । १२। उच्चर्नीचैश्च । १३ । दानादीनाम् । १४। Page #527 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ ભેદો છે. જ મતિ વગેરે પાંચ જ્ઞાનેના આવરણે એ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુદ્ર્શન અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણે; તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ પાંચ વેદનીય એમ નવ દર્શનાવરણીય છે. પ્રશસ્ત-સુખદનીય અને અપ્રશસ્ત–દુઃખદનીય એ બે વેદનીય છે. દર્શનમેહ, ચારિત્રમેહ, કષાયવેદનીય અને નેકષાયવેદનયના અનુક્રમે ત્રણ, બે, સેળ અને નવ ભેદ છે, જેમ કે સમ્યકત્વ, મિથ્યાત્વ, તદુભય – સમ્યકત્વમિફત્વ એ ત્રણ દર્શનમેહનીય. કષાય અને નેકષાય એ બે ચારિત્રમેહનીય. ક્રોધ, માન, માયા અને લેભ એપ્રત્યેક અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનરૂપે ચાર ચાર પ્રકારના હાઈ એ સેળ કષાયચારિત્રમોહનીય. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નેકષાયચારિત્રમેહનીય છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી એમ ચાર આયુષ છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮-સૂત્ર ૬-૧૪ ૩૩૧ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાગતિ, અને પ્રતિપક્ષ સહિત અર્થાત્ સાધારણ અને પ્રત્યેક, સ્થાવર અને ત્રાસ, દુર્ભગ અને સુભગ, દુઃસ્વર અને સુસ્વર, અશુભ અને શુભ, બાદર અને સૂક્ષ્મ, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અસ્થિર અને સ્થિર, અનાદેય, અને આદય, અયશ અને યશ તેમજ તીર્થકરપણું એ બેંતાલીશ પ્રકારનું નામકર્મ છે. ઉચ્ચ અને ની એ બે પ્રકાર નેત્રના છે. દાન વગેરેના પાંચ અંતરાયે છે. ज्ञानावरणकमनी पांच अने दर्शनावरणनी नव प्रकृतिओ : १. મતિ, મૃત આદિ પાંચ જ્ઞાન અને ચક્ષુર્દર્શન આદિ ચાર દર્શનનું વર્ણન થઈ ગયું છે; તે દરેકને આવ્રત કરનાર સ્વભાવવાળાં કર્મો અનુક્રમે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણ; અને ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ ચાર દર્શનાવરણ છે. ઉક્ત ચાર ઉપરાંત બીજાં પાંચ દર્શનાવરણે છે, તે નીચે પ્રમાણે ૧. જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે, તે “નિદ્રાવેદનીય દર્શનાવરણ. ૨. જેના ઉદયથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ બને, તે “નિદ્રાનિદ્રાવેદનીય ૧. જુઓ અ. ૧. સૂ ૯ થી ૩૩ અને અ. ૨, સૂ ૯. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર તાવાર્થ સૂત્ર દર્શનાવરણ.” ૩. જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે, તે પ્રચલાવેદનીય. ૪. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે “પ્રચલાપ્રચલાવેદનીય.” ૫. જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે, તે “સ્યાનગૃદ્ધિ.” એ નિદ્રામાં સહજ બળ કરતાં અનેકગણું બળ પ્રકટે છે. [૭-૮] વેનીય મની ૨ પ્રકૃતિમો ઃ ૧. જેના ઉદયથી પ્રાણીને સુખને અનુભવ થાય, તે સાતવેદનીય; ૨. જેના ઉદયથી પ્રાણીને દુઃખને અનુભવ થાય, તે “અસાતવેદનીય.” [૯]. - ફર્શનમોનીયની ત્રણ પ્રકૃતિગઃ ૧. જેના ઉદયથી તના યથાર્થ સ્વરૂપની રુચિ થતી અટકે, તે “મિથ્યાત્વમેહનીય.” ૨. જેના ઉદય વખતે યથાર્થપણાની રુચિ કે અરુચિ ન થતાં ડેલાયમાન સ્થિતિ રહે, એ “મિશ્રમેહનીય.” ૩. જેને ઉદય તાત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપશમિક કે ક્ષાયિક ભાવવાળી તત્ત્વરુચિને પ્રતિબંધ કરે, તે “સમ્યક્ત્વમેહનીય.” ચારિત્રમેહનીયના પચીસ પ્રકારે સેઝ પાયોઃ ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયના મુખ્ય ચાર પ્રકાર છે. તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કર્મ ઉક્ત ક્રોધ આદિ ચાર કષાયોને એટલા બધા તીવ્રપણે પ્રકટાવે, કે જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે, તે કર્મ અનુક્રમે “અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ કહેવાય છે. જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કપાયા વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય તે “અપ્રત્યાખાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભ કહેવાય છે. જેમને Page #530 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮-સૂગ ૧-૧૪ ૩૩૩ વિપાક દેશવિરતિને ન રોક્તાં ફક્ત સર્વવિરતિને રેકે, તે “પ્રત્યાખ્યાનાવરણીય’ ક્રોધ, માન, માયા અને લોભજેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી હોય, તે સંજ્વલન' ક્રોધ, માન, માયા અને લેભ. નવ નોષાયઃ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્મ હાસ્યમેહનીય ક્યાંક પ્રીતિ અને ક્યાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ અનુક્રમે “રતિમોહનીય” અને “અરતિમોહનીય;” ભયશીલતા આણનાર “ભયમોહનીય,’ શેકશીલતા આણનાર શેકમોહનીય” અને ઘણાશીલતા આણનાર “જુગુપ્સાહનીય કહેવાય છે ઐશુભાવની વિકૃતિ પ્રકટાવનાર “સ્ત્રીવેદ, પૌરુષભાવની વિકૃતિ પ્રકટાવનાર “પુરુષવેદ,” અને નપુંસકભાવની વિકૃતિ પ્રકટાવનાર કર્મ “નપુંસકવેદ' કહેવાય છે. આ નવે મુખ્ય કષાયના સહચારી તેમજ ઉદ્દીપક હોવાથી અનેકષાય કહેવાય છે. [૧૦] માયુષ શર્મના ચાર પ્રકાર: જેના ઉદયે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનું જીવન ગાળવું પડે છે, તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ છે. [૧૧] નામકર્મની બેંતાલીશ પ્રકૃતિઓ વૌઢ જિંદગૃતિ ૧. સુખદુઃખ ભોગવવા યોગ્ય પર્યાયવિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે “ગતિનામ. ૨. એકે દિયત્વથી લઈ પંચૅપ્રિયત્વ સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે “જાતિનામ.” ૩. ઔદારિક આદિ શરીરો પ્રાપ્ત કરાવનાર કર્મ તે “શરીરનામ”. ૪. શરીરગત અંગે અને ઉપાંગેનું નિમિત્ત નામકર્મ તે Page #531 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તત્વાર્થસૂત્ર “અંગોપાંગનામ.” ૫–. પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ગલે સાથે નવાં ગ્રહણ કરાતાં તેવાં પુદગલેને સંબંધ કરી આપનાર કર્મ તે “બંધનનામ', અને બદ્ધપુગલોને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ સંઘાતનામ”. ૭-૮. હાડબંધની વિશિષ્ટ રચનારૂપ “સંહનનનામ”, અને શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત કર્મ તે “સંસ્થાનનામ'. ૯-૧૨. શરીરગત ત આદિ પાંચ વર્ણો, સુરભિ આદિ બે ગંધ, તિક્ત આદિ પાંચ રસ અને શીત આદિ આઠ સ્પર્શીનાં નિયામક કમે અનુક્રમે વર્ણનામ”, “ગંધનામ', રસનામ’ અને “સ્પર્શનામ'. ૧૩. વિગ્રહ વડે જન્માંતર જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર કર્મ તે આનુપૂર્વનામ’. ૧૪. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ તે વિહાયોગતિનામ'. આ ચૌદે પિંડ પ્રકૃતિઓ કહેવાય છે; તે એટલા માટે કે તેમના બીજા અવાંતર ભેદો છે. ત્રસરા અને વરરાજ ૧-૨. જે કર્મના ઉદયથી સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તે “ત્રનામ'; તેથી ઊલટું જેના ઉદયથી તેવી શક્તિ પ્રાપ્ત ન થાય, તે સ્થાવરનામ. ૩–૪. જેના ઉદયથી છનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે બાદરનામ'; તેથી ઊલટું જેનાથી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય, તે “સૂમનામ'. પ-૬. જેના ઉદયથી પ્રાણું યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે, તે પર્યાપ્ત નામ'; તેથી ઊલટું જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી ન શકે, તે “અપર્યાપ્ત નામ'. ૭-૮. જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તે પ્રત્યેકનામ”; જેના ઉદયથી અનંત જીવો વચ્ચે એક Page #532 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –સૂત્ર ૬-૧૪ કપ " : સાધારણ શરીર પ્રાપ્ત થાય, તે સાધારણનામ ' ૯–૧૦. જેના ઉદયથી હાડકાં, દાંત, આદિ સ્થિર અવયવા પ્રાપ્ત થાય, તે ‘સ્થિરનામ’; અને જેના ઉદયથી જિહવા આદિ અસ્થિર અવયવેશ પ્રાપ્ત થાય, તે અસ્થિરનામ. ’ ૧૧-૧૨. જેના ઉદયથી નાભિની ઉપરના અવયવ પ્રશસ્ત થાય છે તે ‘શુભનામ’, અને જેથી નાભિની નીચેના અવયવા અપ્રશસ્ત થાય છે, તે અશુભનામ'. ૧૩-૧૪. જેના ઉદયથી જીવને સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તે ‘સુસ્વરનામ', અને જેનાથી તે સાંભળનારને અપ્રીતિ ઉત્પન્ન કરે, તે ‘દુઃસ્વરનામ’. ૧૫–૧૬. જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સના મનને પ્રિય લાગે, તે ‘સુભગનામ', અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સર્વાં મનુષ્યને પ્રિય ન થાય, તે ‘દુર્લીંગનામ’. ૧૭–૧૮. જેના ઉદયથી ખેલ્યું બહુમાન્ય થાય, તે ‘ આયનામ ', અને જેના ઉયથી તેમ ન થાય, તે ‘અનાદેયનામ’. ૧૯–૨૦. જેના ઉદયથી દુનિયામાં યશઃકીતિ પ્રાપ્ત થાય, તે યશઃકીતિ'નામ', અને જેના ઉદયથી યશ:ક્રીતિ પ્રાપ્ત ન થાય, તે ‘અયશઃકીર્તિ નામ’ કહેવાય છે. આઠ પ્રત્યે પ્રવૃતિયો: ૧. જેના ઉદયથી શરીર ગુરુ કે લઘુ પરિણામ ન પામતાં અગુરુલઘુરૂપે પરિણમે, તે ક ‘ અગુરુલઘુનામ ’. ૨. પડજીભ, ચારદાંત, રસાળી વગેરે ઉપધાતકારી અવયવા પ્રાપ્ત કરાવનાર કર્મ તે ‘ઉપધાતનામ’. ૩. દન કે વાણીથી ખીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર ક તે પરાશ્ચાતનામ’. ૪. શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કમાઁ તે શ્વાસોચ્વાસનામ’. ૫-૬, અનુષ્ટુ શરીરમાં ઉષ્ણુ પ્રકાશનું નિયામક કર્યું તે ' આતપનામ,’ અને • Page #533 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર શીત પ્રકાશનું નિયામક કર્મ તે “ ઉદ્યોતનામ'. ૭. શરીરમાં અંગપ્રત્યંગોને યાચિત સ્થાને ગોઠવનાર કર્મ તે “નિર્માણનામ'. ૮. ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિ અર્પનાર કર્મ તે તીર્થંકરનામ'. [૧૨] નોત્રમની જે પ્રકૃતિયોઃ પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર કર્મ તે “ઉચ્ચગોત્ર', અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મ તે નીચગેત્ર'. [૧૩] સન્તરાય જર્મની જ પ્રતિમોઃ જે કર્મ કાંઈ પણ દેવામાં, લેવામાં, એકવાર કે વારંવાર ભોગવવામાં અને સામર્થ ફોરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે “દાનાંતરાય', “લાભાંતરાય”, “ભોગાંતરાય”, “ઉપભોગાંતરાય અને વીર્યા રાય કર્મ કહેવાય છે. [૧૪]. - હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે? __ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमપાટી સ્થિતિઃ ૨૬ सप्ततिमहिनीयस्य । १६ । नामगोत्रयोविंशतिः ।१७। त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १८ । अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य । १९ । નામનોત્રાષ્ટી ૨૦ शेषाणामन्तमुहूर्तम् । २१ । પહેલી ત્રણ પ્રકૃતિએ અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય તથા અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરેપમ પ્રમાણ છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮ -સૂત્ર ૧૫-૨૦ ૩૩૭ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કટીકેટી સાગરોપમ પ્રમાણ છે. નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશે કેટકેટી સાગરેપમ પ્રમાણ છે. આયુષની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમ પ્રમાણ છે. જઘન્ય સ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત પ્રમાણ છે. નામ અને શેત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ છે. બાકીનાં પાંચે અર્થાત્ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, અંતરાય, મેહનીય અને આયુષની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિય હોય છે; જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ છની જધન્ય સ્થિતિ સૂક્ષ્મસં૫રાય નામક દશમ ગુણસ્થાનમાં સંભવે છે; મેહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસપરાય નામક ગુણસ્થાનમાં સંભવે છે, અને આયુષની જઘન્ય સ્થિતિ સંખ્યાતવર્ષજીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે, અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. [૧૫-૨૧] Page #535 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ તત્વાર્થસૂત્ર હવે અનુભાવબંધનું વર્ણન કરે છે? વિપાડગુમાવઃ ૨૨. स यथानाम । २३ । તસ% નિર્માતા ર૪ વિપાક એટલે વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, તે અનુભાવ કહેવાય છે. તે અનુભાવ જુદાં જુદાં કર્મની પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વેદાય છે. તે વેદનથી નિર્જરા થાય છે. મનુમાર અને તેના વંધનું પૃથળ : બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર–મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે; એ ફળ દેવાનું સામર્થ્ય તે “અનુભાવ અને તેનું નિર્માણ તે અનુભાવબંધ” છે. અનુમાવનો પવનો પ્રાર: અનુભાવ એ અવસર આવ્યું ફળ આપે છે; પણ એ બાબતમાં એટલું જાણી લેવું જોઈએ કે, દરેક અનુભાવ અર્થાત ફળપ્રદ શક્તિ પિતે જે કર્મનિષ્ઠ હોય, તે કર્મના સ્વભાવ અર્થાત પ્રકૃતિ પ્રમાણે જ ફળ આપે છે, અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેમકે, જ્ઞાનાવરણ કર્મને અનુભવિ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ ઉત્પન્ન કરે છે, એટલે તે જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે; પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ નથી આપતું, એટલે તે દર્શનશક્તિને આવૃત નથી કરતો કે સુખદુઃખને અનુભવ આદિ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૬૯ અધ્યાય ૮- સૂત્ર રર-૨૪ કાર્ય ઉત્પન્ન નથી કરતે. એ જ રીતે દર્શનાવરણને અનુભાવ દર્શનશક્તિને તીવ્ર કે મંદપણે આવૃત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદન આદિ અન્ય કર્મોનાં કાર્યોને નથી કરતો. કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો અનુભાવબંધનો નિયમ પણ મૂલપ્રકૃતિઓમાં જ લાગુ પડે છે, ઉત્તરપ્રવૃતિઓમાં નહિ; કારણ કે, કોઈ પણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અધ્યવસાયને બળે તે જ કર્મની બીજી ઉત્તરપ્રકૃતિરૂપે બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભાવ બદલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીશ કે મંદ ફળ આપે છે. જેમકે, મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુત જ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પામે, ત્યારે મતિજ્ઞાનાવરણને અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનને કે અવધિ આદિ જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે. ઉત્તરપ્રકૃતિએમાં પણ કેટલીક એવી છે કે, જે સજાતીય હોવા છતાં પરસ્પર સંક્રમ નથી પામતી. જેમકે, દર્શનમોહ અને ચારિત્રમોહમાં દર્શનમોહ ચારિત્રમોહરૂપે કે ચારિત્રમોહ દર્શનમોહરૂપે સંક્રમ નથી પામત; એ જ રીતે નારક આયુષ તિર્યંચ આયુષરૂપે કે તે આયુષ અન્ય કોઈ આયુષરૂપે સંક્રમ નથી પામતું. પ્રકૃતિ સંક્રમની પેઠે બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય છે, તીવ્ર રસ મંદ અને મંદ રસ તીવ્ર બને છે, તેમજ સ્થિતિ ઉત્કૃષ્ટમાંથી જઘન્ય અને જધન્યમાંથી ઉત્કૃષ્ટ બને છે. ય પછી થતી ની : અનુભાવ પ્રમાણે કર્મનું તીવ્ર કે મંદ ફળ વેદાયું એટલે તે કર્મ આત્મપ્રદેશથી છૂટું જ પડે છે, સંલગ્ન રહેતું નથી. એ જ કર્મનિવૃત્તિ-નિર્જરા Page #537 -------------------------------------------------------------------------- ________________ તવા સૂત્ર કહેવાય છે. કર્મની નિર્જરા જેમ તેના ફ્ળવેદનથી થાય છે, તેમ ઘણી વાર તપથી પણ થાય છે. તપના બળથી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાં જ ક આત્મપ્રદેશથી છૂટુ પડી શકે છે. એ જ વાત સૂત્રમાં ‘' શબ્દ મૂકી સૂચવવામાં આવી છે. [૨૨–૨૪] પ્રદેશખ ધનુ વર્ષોંન : ૩૪૦ नामप्रत्ययाः सर्वतो योग विशेषात् सूक्ष्मक क्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः | २५ | કમ (પ્રકૃતિ) ના કારણભૂત, સૂક્ષ્મ, એક ક્ષેત્રને અવગાહીને રહેલા અને અનંતાનંત પ્રદેશવાળા પુન્દ્ગલા ચેવિશેષથી બધી તરફથી બધા આત્મપ્રદેશમાં ધાય છે. પ્રદેશ ધ એ એક જાતના સબંધ હાવાથી અને તે સબંધના કમસ્કંધ અને આત્મા એ એ આધાર હાવાથી તેને અંગે જે આઠ પ્રશ્નો ઉત્પન્ન થાય છે, તેનેા ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપવામાં આવ્યા છે. આઠ પ્રશ્નો આ પ્રમાણે છે; તેમાંથી શું ખને ૧. જ્યારે ક`સ્કંધ બંધાય છે ત્યારે છે? અર્થાત્ તેમાં શું નિર્માણ થાય છે? ૨. એ ધા ઊંચા, નીચા કે તીરછામાંથી કયા આત્મપ્રદેશાવડે ગ્રહણ થાય છે? ૩. બધા જીવોના કર્માંધ સમાન છે કે અસમાન ? જો અસમાન હાય તે। તે શા કારણથી? ૪.તે કસ્કા સ્થૂલ હોય છે કે સૂક્ષ્મ ? ૫. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા જ કાઁસ્કધા જીવપ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ ૬. બંધ પામતી વખતે તે ગતિશીલ હોય છે Page #538 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય૮-સૂત્ર ૨૫ ૪૧ કે સ્થિતિશીલ ? ૭. તે ક`સ્કંધા સંપૂર્ણ આત્મપ્રદેશામાં બંધાય છે કે થાડા આત્મપ્રદેશામાં ? ૮. તે કકધા સંખ્યાત, અસ ખ્યાત, અનંત કે અન તાનતમાંથી કેટલા પ્રદેશવાળા હાય છે? આ આઠે પ્રશ્નોના ક્રમથી સત્રમાં અપાયેલા ઉત્તર નીચે પ્રમાણે છેઃ ૧. આત્મપ્રદેશા સાથે બંધાતા પુદ્ગલસ્કંધામાં કભાવ અર્થાત્ જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિ બને છે. એટલે કે તેવા સ્કંધોમાં તે પ્રકૃતિનું નિર્માણ થાય છે. તેથી જ એ સ્કંધોને બધી પ્રકૃતિના કારણ કહેવામાં આવ્યા છે. ૨. ઊંચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશાવડે કર્માંક ધા ગ્રહણ થાય છે; કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે નહિ. ૩. બધા સંસારી જીવાને ક અંધ અસમાન હેાવાનું કારણ એ છે કે બધાને માનસિક, વાચિક અને કાયિક યાગ-વ્યાપાર એક સરખા નથી હાતા, તેથી જ યાગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમભાવ આવે છે. ૪. કયેાગ્ય પુદ્ગલસ્ક ધો સ્થૂલ-ખાદર નથી હેાતા, પણ સૂક્ષ્મ હેાય છે; એવા જ સૂક્ષ્મ સ્કંધો કવામાંથી ગ્રહણ થાય છે. પ. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા ક`સ્કધો અંધાય છે; તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. ૬. માત્ર સ્થિર હાવાથી બંધ પામે છે; કારણ કે ગતિવાળા ધા અસ્થિર હાવાથી બધમાં નથી આવતા. ૭. પ્રત્યેક કર્મોના અનંત સ્ક ંધો બંધાયે આત્મપ્રદેશમાં બંધાય છે. ૮. ધ પામતા દરેક ક યાગ્ય સ્કંધો અનંતાનંત પરમાણુના જ બનેલા હાય છે. કાઈ સખ્યાત, અસખ્યાત કે અનંત પરમાણુના બનેલ નથી હાતા. ૨૫. Jain Educationtonational Page #539 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તવાર્થસૂત્ર પુણ્ય અને પાપ પ્રકૃતિને વિભાગ: सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि સાતવેદનીય, સમ્યકમેહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર એટલી પ્રકૃતિએ જ પુણ્યરૂપ છે; બાકીની બધી પાપરૂપ છે. જે જે કર્મ બંધાય છે તે બધાને વિપાક માત્ર શુભ કે માત્ર અશુભ નથી હોતો, પણ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારને નિર્મિત ૧. દિગંબરીય પરંપરામાં આ એક સૂત્રને સ્થાને બે સૂત્રો છે; તે આ પ્રમાણે: “ સાસુમાયુમાત્રાઉન શુગમ્ ! ૨૬.” “અ ન્યત્વ ! ૨૬ ” તેમાંથી પહેલા રસૂત્રમાં સમ્યકત્વ હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પુષ્પકૃતિઓને અહીંના જેવો ઉલ્લેખ નથી અને જે બીજું સૂત્ર છે તે તાંબરીય પરંપરામાં સૂત્ર રૂપે ન હેતાં ભાષ્યવાક્યરૂપે છે. વિવેચનમાં ગણાવેલી ૪૨ પુણ્યપ્રકૃતિઓ “કમ પ્રકૃતિ, “નવતાવ' આદિ અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. દિગંબરીય ગ્રંથમાં પણ તે જ પ્રકૃતિએ પુણ્યરૂપે પ્રસિદ્ધ છે. શ્વેતાંબરીય પરંપરાના પ્રસ્તુત સૂત્રમાં પુણ્યરૂપે નિદેશાલી સમ્યત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિએ બીજા ગ્રંથમાં પુણ્યરૂપે વર્ણવાયેલી નથી. એ ચાર પ્રકૃતિઓને પુણ્યસ્વરૂપ માનનારે મતવિશેષ બહુ પ્રાચીન હેય તેમ લાગે છે; કારણ કે પ્રસ્તુત સૂત્રમાં મળતા તેના ઉલ્લેખ ઉપરાંત ભાષ્યવૃત્તિકારે પણ મતભેદ દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું કે, એ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયને વિચ્છેદ થવાથી અમે નથી જાણતા, ચૌદપૂર્વધરે જાણતા હશે. Page #540 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૮-સૂત્ર ૨૬ ૩૪૩ થાય છે. શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક શુભ -ઇષ્ટ હોય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલ વિપાક અશુભ-અનિષ્ટ હોય છે. જે પરિણામમાં સંકલેશ જેટલા પ્રમાણમાં ઓછો હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ, અને જે પરિણામમાં સંક્લેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ. કોઈ પણ એક પરિણામ એ નથી કે જેને માત્ર શુભ કે માત્ર અશુભ કહી શકાય. દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હોવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વને જે વ્યવહાર થાય છે, તે ગૌણમુખ્યભાવની અપેક્ષાએ સમજ; તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃતિઓમાં શુભ અનુભાગ બંધાય છે, તે જ પરિણામથી પાપ પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે; એથી ઊલટું જે અશુભ પરિણામથી પાપ પ્રકૃતિએમાં અશુભ અનુભાગ બંધાય છે, તે જ પરિણામથી પુણ્ય પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બંધાય છે. તફાવત એટલે જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતો શુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે; એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે, અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. પુષ્ય નાતી કર પ્રકૃતિ : સાતવેદનીય, મનુષ્પાયુષ, દેવાયુષ, તિર્યંચાયુષ, મનુષ્યગતિ, દેવગતિ, પંચૅક્રિયજાતિ; ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ એ પાંચ શરીર; ઔદારિકાંગોપાંગ, વૈક્રિયપાંગ, આહારકાંગે પાંગ, સમચતુરસ સંસ્થાન, વજીર્ષભનારાચસંહનન, પ્રશસ્ત વર્ણ, રસ, ગંધ, સ્પર્શ; મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી, અગુરુલઘુ, પરાઘાત, ઉશ્વાસ, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ તત્ત્વાર્થસૂત્ર આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાયાગતિ, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્તિ, નિર્માણુનામ, તી કરનામ અને ઉચ્ચગેાત્ર. પાવરૂપ ગળાતી ૮૨ પ્રકૃતિઓઃ નાનાવરણ પાંચ, દર્શોનાવરણ નવ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સેાળ કષાય, નવ નાકષાય, નારકાયુષ, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય; હ્રીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પહેલું સહનન છેાડી ખાકીનાં પાંચ સંહનન-અવભનારાચ, નારાય. અનારાય, કીલિકા અને સેવા; પહેલું સસ્થાન છેડી બાકીનાં પાંચ સંસ્થાન-યંગ્રેાધપરિમ`ડલ, સાદિ, કુખ્ત, વામન અને હું; અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શી, નારકાનુપૂર્વી, તિય‘ચાનુપૂર્વી, ઉપધાતનામ, અપ્રશસ્તવિહાયાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, દુઃસ્વર; અનાદેય, અયશ:કીર્તિ, નીચગેાત્ર અને પાંચ અંતરાય, [૨૬] Page #542 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૯ આઠમા અધ્યાયમાં બંધનું વર્ણન કરવામાં આવ્યું. હવે આ અધ્યાયમાં ક્રમ પ્રાપ્ત સંવરતત્વનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રથમ સંવરનું સ્વરૂપ કહે છે : आस्रवनिरोधः संवरः ।। આશ્વવને નિધિ તે સંવર. જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસવ, એવી આસવની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે, તે આસવને નિરોધ એટલે પ્રતિબંધ કરવો એ સંવર કહેવાય છે. આસવના ૪૨ ભેદો પહેલાં ગણાવવામાં આવ્યા છે, તેને જેટજેટલે અંશે નિધિ થાય તે, તેટકેટલે અંશે સંવર કહેવાય. આધ્યાત્મિક વિકાસને ક્રમ એ આસવનિરોધના વિકાસને આભારી છે, તેથી જેમ જેમ આસ્રવનિરોધ વધતો જાય, તેમ તેમ ગુણસ્થાન ચઢતું જાય છે. [૧] - ૧. જે ગુણસ્થાને મિથ્યાત્વ, અવરિત આદિ ચાર હેતુઓમાંથી જે જે હેતુઓને સંભવ અને તેને લીધે જે જે કર્મપ્રકૃતિઓના બંધને સંભવ હેય, તે હેતુઓ અને તજજન્ય કર્મ પ્રકૃતિના Page #543 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તત્વાર્થસૂત્ર હવે સંવરના ઉપાયો કહે છે: ___ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः।२। तपसा निर्जरा च ।३। ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય અને ચારિત્રવડે તે અર્થાત્ સંવર થાય છે. તપ વડે સંવર અને નિર્જરા થાય છે. સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એક જ છે તેમ છતાં ઉપાયના ભેદથી તેના અનેક ભેદો દર્શાવવામાં આવ્યા છે. એના ઉપાય સંક્ષેપમાં ૭ અને વિસ્તારથી ૬૯ ગણાવવામાં આવ્યા છે; ભેદોની આ ગણના ધાર્મિક આચારનાં વિધાનો ઉપર અવલંબેલી છે. તપ એ જેમ સંવરનો ઉપાય છે, તેમજ નિર્જરને પણ ઉપાય છે. સામાન્ય રીતે તપ એ અભ્યદય અર્થાત લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે, તેમ છતાં એ જાણવું જોઈએ કે તે નિઃશ્રેયસ અર્થાત્ આધ્યાત્મિક સુખનું પણ બને છે; કારણ કે તપ એક જ હોવા છતાં તેની પાછળના ભાવનાભેદને લીધે તે સકામ અને નિષ્કામ બંને પ્રકારનું હોય છે. સકામ તપ અભ્યદય સાધે અને નિષ્કામ તપ નિઃશ્રેયસ સાધે. [૨-૩] બંધને વિચ્છેદ એ જ તે ગુણસ્થાનની ઉપરના ગુણસ્થાનને સંવર, અર્થાત પૂવપૂર્વવતી ગુણસ્થાનના આસવ કે તજ્જન્ય બંધને અભાવ એ જ ઉત્તરઉત્તરવતી ગુણસ્થાનને સંવર. આ માટે જુઓ બીજા કમગ્રંથમાંનું બંધપ્રકરણ અને ચે કમગ્રંથે (ગાથા પ૧ -૫૮) તેમજ પ્રસ્તુત સૂત્રની સર્વાર્થસિદિ. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અધ્યાય - સૂત્ર ૪-૫ જ હવે ગુપ્તિનું સ્વરૂપ કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः ।४। પ્રશસ્ત એ વેગોને નિગ્રહ તે ગુપ્તિ. કાયિક, વાચિક અને માનિસિક ક્રિયા અર્થાત યોગનો બધી જાતનો નિગ્રહ એ ગુપ્તિ નથી; પણ જે નિગ્રહ પ્રશસ્ત હોય તે જ ગુપ્તિ હઈ સંવરનો ઉપાય બને છે. પ્રશસ્તનિગ્રહ એટલે જે નિગ્રહ સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવ્યો હોય છે તે, અર્થાત્ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે. યોગના ટૂંકમાં ત્રણ ભેદ હોવાથી નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે ૧. કાંઈ પણ ચીજ લેવામૂકવામાં કે બેસવા–ઊઠવા-ફરવા આદિમાં કર્તવ્ય અર્તવ્યને વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું, તે “કાયગુપ્તિ'. ૨. બેલવાના દરેક પ્રસંગે કાંતિ વચનનું નિયમન કરવું અને કાંતિ પ્રસંગ જોઈ મૌન રહેવું, એ “વચનગુપ્તિ.” ૩. દુષ્ટ સંકલ્પને તેમજ સારાનરસા મિશ્રિત સંકલ્પને ત્યાગ કરે અને સારા સંકલ્પને સેવો, એ “મને ગુપ્તિ'. [૪] . હવે સમિતિના ભેદ કહે છે: ई-भाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः । ५ । સમ્યમ્ અર્થાત નિર્દોષ ઈર્યા, સમ્ય ભાષા, સમ્યગ એષણ, સમ્યગ આદાનનિક્ષેપ અને સમ્યઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તાવાર્થસૂત્ર બધી સમિતિઓ વિવેજ્યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવરને ઉપાય બને છે. પાંચે સમિતિઓ આ પ્રમાણે છે: ૧. કઈ પણ જતુને કલેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે “ઈસમિતિ.” ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બેલવું, તે 'ભાષાસમિતિ.” ૩. જીવનયાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું, તે “એષણાસમિતિ. ૪. વસ્તુમાત્રને બરાબર જોઈપ્રમાઈને લેવી કે મૂકવી, તે “આદાનનિક્ષેપસમિતિ.” ૪. જ્યાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઈ અનુપયોગી વસ્તુઓ નાંખવી તે “ઉત્સર્ગસમિતિ.” પ્ર–ગુપ્તિ અને સમિતિમાં અંતર શું ? ઉ –ગુપ્તિમાં અસક્રિયાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [] હવે ધર્મના ભેદો કહે છે : उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिश्चन्यब्रह्मचर्याणि धर्मः । ६ । ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ ધર્મ છે. ક્ષમાં આદિ ગુણે જીવનમાં ઊતરવાથી જ ક્રોધ આદિ દોષને અભાવ સધાઈ શકે છે, તેથી એ ગુણોને સંવરના ઉપાય કહેલ છે. ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ જ્યારે અહિંસા, સત્ય આદિ મૂલગુણ, અને સ્થાન, આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત હોય, ત્યારે યતિધર્મ બને છે; અન્યથા નહિ. અર્થાત અહિંસા આદિ મૂલગુણે કે તેમના Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૯ હોવું ૧૧ માં આવી છે તે ક્ષમા જ તેને અધ્યાય ૯ - સૂત્ર –ક ઉત્તરગુણના પ્રકર્ષ વિનાના જે ક્ષમા આદિ ગુણ હોય, તે તે સામાન્યધર્મ ભલે કહેવાય, પણ યતિધર્મની કેટિમાં ન મૂકી શકાય. એ દશ ધર્મ નીચે પ્રમાણે ૧. “ક્ષમા ” એટલે સહનશીલતા રાખવી અર્થી ગુસ્સાને ઉત્પન્ન થવા ન દેવો અને ઉત્પન્ન થાય તો તેને વિવેકબળથી નકામે કરી નાખવો તે. ક્ષમા કેળવવાની પાંચ રીતે બતાવવામાં આવી છે, જેમકે: પિતામાં ધના નિમિત્તનું હોવું કે ન લેવું ચિંતવીને, ક્રોધવૃત્તિના દોષ વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પિતાનાં કરેલ કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણે ચિંતવીને. () કોઈ ગુસ્સે કરે ત્યારે તેનાં કારણની પિતામાં શોધ કરવી; જે સામાના ગુસ્સાનું કારણ પિતામાં નજરે પડે, તે એમ વિચારવાનું કે ભૂલ તે મારી જ છે, એમાં સામે જૂહું કહે છે; અને જે પિતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે, તે એમ ચિંતવવું કે આ બિચારો અણસમજથી મારી ભૂલ કાઢે છે, તે પિતામાં ક્રોધના નિમિત્તનું હોવા-ન હેવાપણાનું ચિંતન. (g) જેને ગુસ્સો આવે છે, તે સ્મૃતિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે કે નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પિતાના અહિંસા વ્રતનો લેપ કરે છે, ઇત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન તે ધવૃત્તિના દોષનું ચિંતન. (1) કઈ પિતાની પાછળ કડવું કહે, તે એમ ચિંતવવું કે બાલ –અણસમજુ લેકેને એવો સ્વભાવ જ હોય છે, આમાં તે શું ? ઊલટે લાભ છે કે, એ બિચારે પાછળ ભાડે છે; સામે નથી આવતે એ જ ખુશીની વાત છે; જ્યારે કોઈ સામે Page #547 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ - તત્ત્વાર્થસૂત્ર આવીને જ ભાંડે, ત્યારે એમ ચિંતવવું કે બાલ લોકેામાં તો એમ હોવાનું જ; એ પોતાના સ્વભાવ પ્રમાણે કરે છે, વિશેષ કાંઈ નથી કરતે; સામે આવી ભાડે છે, પણ પ્રહાર નથી કરતો એ લાભમાં જ લેખું છે, એ જ પ્રમાણે જે કઈ પ્રહાર કરતો હોય, તો પ્રાણમુક્ત ન કરવા બદલ તેનો ઉપકાર માનવો, અને જે કઈ પ્રાણમુક્ત કરતો હોય, તે ધર્મભ્રષ્ટ ન કરી શકવા ખાતર લાભ માની તેની દયા ચિંતવવી. એ પ્રમાણે જેમ જેમ વધારે મુશ્કેલી ઊભી થાય, તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેકવૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી, તે બાલસ્વભાવનું ચિંતન. (૫) કેઈ ગુસ્સે કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગમાં સામે તે માત્ર નિમિત્ત છે, ખરી રીતે એ પ્રસંગ મારાં પોતાનાં જ પૂર્વકતા કર્મનું પરિણામ છે; તે પિતાનાં કરેલાં કર્મનું ચિંતન. (૪) કઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, ક્ષમા ધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે; તથા બદલે લેવા કે સામા થવામાં ખર્ચાતી શક્તિ સચવાઈ તેનો ઉપયોગ સન્માર્ગે શક્ય બને છે; તે ક્ષમાના ગુણોનું ચિંતન. ૨. ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તે માર્દવ.” આ ગુણ મેળવવા માટે જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્યમોટાઈ વિજ્ઞાન-બુદ્ધિ, કૃત-શાસ્ત્ર, લાભ-પ્રાપ્તિ વીર્ય–તાકાતની બાબતમાં પોતાના ચડિયાતાપણાથી ન મલકાવું અને ઊલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્તમાંથી અભિમાનને કાંટો કાઢી નાંખો. ૩. ભાવની વિશુદ્ધ અર્થાત વિચાર, ભાષણ અને વર્તનની એકતા તે “આર્જવ; એને કેળવવા માટે કુટિલતાના દોષે વિચારવા. ૪. ધર્મનાં સાધનો Page #548 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯ - સૂગ ૬ ૩૫૧ અને શરીર સુધ્ધામાં આસક્તિ ન રાખવી એવી નિર્લોભતા, તે “શૌચ. પ. પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન, તે “સત્ય”. ભાષાસમિતિ અને આ સત્ય વિષે થોડો તફાવત બતાવવામાં આવ્યો છે, અને તે એ કે, દરેક માણસ સાથેના સંભાષણવ્યવહારમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ અને પિતાના સમશીલ સાધુ પુરુષો સાથેના સંભાષણવ્યવહારમાં હિત, મિત અને યથાર્થ વચનનો ઉપયોગ કર, તે “સત્યનામક યતિધર્મ. ૬. મન, વચન અને દેહનું નિયમન રાખવું અર્થાત વિચાર, વાણી અને ગતિ, સ્થિતિ આદિમાં યતના કેળવવી, તે “સંયમ. ૭. મલિન વૃત્તિઓને નિમૂર્ણ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મદમન કરવામાં આવે છે, તે તપ ૧. સંચમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે, તે પણ જુદી જુદી રીતે મળે છે. પાંચ ઇદ્રિનો નિગ્રહ, પાંચ અવતને ત્યાગ, ચાર કષાયને જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમજ પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સંચમ, પ્રેક્ષ્યસંચમ, ઉપેશ્યસંયમ, અપહત્યસંચમ, પ્રસૃજ્યસંયમ, કાર્યસંચમ, વાસંચમ, મનઃસંયમ અને ઉપકરણસંયમ એ કુલ સત્તર. ૨. આનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦માં છે: એ ઉપરાંત અનેક તપસ્વીઓ દ્વારા જુદી જુદી રીતે આચરવામાં આવતાં અનેક તપે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે; જેમકે, ચવમગ્ર અને વજમધ્ય એ બે, ચાંદ્રાયણ; કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એ ત્રણ ક્ષુલ્લક અને મહા એ બે સિંહવિક્રીડિત, સણસણમિકા, અષ્ટઅષ્ટમિકા, નવનવમિકા, દશદ શમિકા એ ચાર પ્રતિમાઓ; ક્ષક અને મહા એ બે સર્વતોભદ્ર; ભદ્રોત્તર; આચાર્લી; વર્ધમાન; તેમજ બાર ભિક્ષુપ્રતિમા વગેરે. આના વિશેષ વર્ણન માટે જુઓ આત્માનંદ સભાનું “શ્રીત પરત્નમહોદધિ.” Page #549 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર તાવાર્થસૂત્ર ૮. પાત્રને જ્ઞાનાદિ સદગુણ આપવા, તે “ત્યાગ.” ૯. કોઈ પણ વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે આકિચન્ય. ૧૦. ખામીઓ ટાળવા જ્ઞાન આદિ સદ્ગુણે કેળવવા તેમજ "ગુરુની અધીનતા સેવવા માટે બ્રહ્મ અર્થાત ગુરુકુળમાં “ચર્ય, એટલે કે વસવું તે “બ્રહ્મચર્ય,’ એના પરિપાલન માટે અતિશય ઉપકારક કેટલાક ગુણો છે તે આ આકર્ષક સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, અને શરીરસંસ્કાર વગેરેમાં ન તણાવું, તેમજ સાતમા અધ્યાયના સૂત્ર ત્રીજામાં ચતુર્થ મહાવ્રતની જે પાંચ ભાવનાઓ ગણાવી છે, તે ખાસ કેળવવી. [૬] હવે અનુપ્રેક્ષાના ભેદ કહે છે: अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवर निर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनु અનિત્યનું, અશરણનું, સંસારનું, એકત્વનું, અન્યત્વનું અશુચિનું, આસવનું, સંવરનું, નિર્જરાનું, લેકનું, બેધિદુર્લભત્વનું અને ધર્મના સ્વાખ્યાતત્વનું જે અનુચિંતન, તે અનુપ્રેક્ષા. ૧. ગુરુ અથત આચાર્યો પાંચ પ્રકારના વર્ણવવામાં આવ્યા છે: પ્રવ્રાજક, દિગાચાર્ય, મૃતદેષ્ટા, શ્રતસમુદ્રષ્ટા, આસ્રાયાWવાચક. જે પ્રત્રજ્યા આપનાર હોય, તે પ્રવ્રાજક; જે વસ્તુમાત્રની અનુજ્ઞા આપે તે, દિગાચાર્ય. જે આગમને પ્રથમ પાઠ આપે, તે મુદ્દેષ્ટા. જે સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે, તે શ્રતસમુદેષ્ટા. અને જે આમ્રાજ્યના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણાવે, તે આસાયાથવાચક. Page #550 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯-સૂત્ર ૭ ૩૫૩ અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન. જે ચિંતન તાત્વિક અને ઊંડું હોય, તો તે દ્વારા રાગદ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે; તેથી એવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે. જે વિષયનું ચિંતન જીવનશુદ્ધિમાં વિશેષ ઉપયોગી થવાને સંભવ છે, તેવા બાર વિષય પસંદ કરી તેમનાં ચિંતનેને બાર અનુપ્રેક્ષા તરીકે ગણાવેલાં છે. અનુપ્રેક્ષાને “ભાવના” પણ કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે: ૧. કોઈ પણ મળેલી વસ્તુને વિગ થવાથી દુઃખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાંથી આસક્તિ ઘટાડવી આવશ્યક છે; અને એ ઘટાડવા જ શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધે એ બધું નિત્ય – સ્થિર નથી એવું ચિંતન કરવું, તે “અનિત્યાનુપ્રેક્ષા. ૨. માત્ર શુદ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે, તે સિવાયની બીજી બધી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે; તે ખસેડવા માટે જે એમ ચિંતવવું કે, જેમ સિંહના પંજામાં પડેલ હરણને કાંઈ શરણ નથી, તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત એ હું પણ હમેશને માટે અશરણું છું, તે અશરણાનુપ્રેક્ષા'. ૩. સંસારતૃષ્ણા ત્યાગ કરવા માટે સાંસારિક વસ્તુઓમાં નિર્વેદ અર્થાત ઉદાસીનપણું કેળવવું જરૂરી છે, અને તે માટે એવી વસ્તુઓમાંથી મન હઠાવવા જે એમ ચિંતવવું કે, આ અનાદિ જન્મમરણની ઘટમાળમાં ખરી રીતે કોઈ સ્વજન કે, પરજન નથી; કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબંધ જન્મ જન્માંતરે થયેલા છે, તેમ જ રાગદ્વેષ અને મેહથી સંતપ્ત પ્રાણીઓ વિષયતૃષ્ણાને લીધે એકબીજાને Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તવાથ–સૂત્ર ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખ અનુભવે છે; ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુઃખ આદિ ઠક્કોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે, તે “સંસારાનુપ્રેક્ષા.” ૪. મેક્ષ મેળવવા માટે રાગ ના પ્રસંગમાં નિર્લેપપણું કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલ ઉપર બંધાતો રાગ અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતે જ ફેંકી દેવા જે એમ ચિંતવવું કે, હું એકલે જ જમું છું, મરું છું, અને એકલો જ પિતાનાં વાવેલાં કમબીજોનાં સુખદુઃખ આદિ ફળો અનુભવું છું, તે “એકત્વાન પ્રેક્ષા’. ૫. મનુષ્ય મહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતીપડતી પિતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે; તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પિતાપણાને અધ્યાસ દૂર કરે આવશ્યક છે; તે માટે એ બંનેના ગુણધર્મોની ભિન્નતાનું ચિંતન કરવું કે, શરીર એ તો સ્થૂળ, આદિ અને અંતવાળું તેમજ જડ છે અને હું પોતે તો સૂક્ષ્મ, આદિ અને અંત વિનાનો તેમજ ચેતન છું, તે “અન્યત્યાનુપ્રેક્ષા'. ૬. સૌથી વધારે તૃષ્ણાસ્પદ શરીર હોવાથી તેમાંથી મૂછ ઘટાડવા એમ ચિંતવવું કે, “શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ વસ્તુઓથી પિલાયેલું છે, અશુચિનું સ્થાન છે, અને અશુચિપરંપરાનું કારણ છે, તે અશુચિ–ાનુપ્રેક્ષા.' ૭. ઈતિના ભોગેની આસક્તિ ઘટાડવા એક એક ઇંદ્રિયના ભાગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામનું ચિંતન કરવું તે “આસવાનુપ્રેક્ષા. ૮. દુર્વત્તિનાં દ્વારો બંધ કરવા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું, તે “સંવરાનુપ્રેક્ષા.” Page #552 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯- સત્ર ૭ ૩૫૫ ૯. કર્મનાં બંધનોને ખંખેરી નાંખવાની વૃત્તિ દઢ કરવા માટે તેના વિવિધ વિપાકનું ચિંતન કરવું કે, “દુઃખના પ્રસંગે બે પ્રકારના હોય છે. એક તો ઈરછા અને સજ્ઞાન પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા, જેમકે–પશુ, પક્ષી અને બહેરા-મૂગા આદિના દુઃખપ્રધાને જન્મ તથા વારસામાં મળેલી ગરીબી; અને બીજા, સદુદેશથી સજ્ઞાન પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરાયેલા, જેમકે–તપ અને ત્યાગને લીધે પ્રાપ્ત થયેલ ગરીબી અને શારીરિક કૃશતા આદિ. પહેલામાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળાનું કારણ બની અકુશલ પરિણામદાયક નીવડે છે; અને બીજા તો સદુવૃત્તિજનિત હોવાથી તેમનું પરિણામ કુશલ જ આવે છે. માટે અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જ્યાં શકય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશલ પરિણામ આવે તેવી રીતે સંચિત કર્મોને ભોગવી લેવાં એ જ શ્રેયસ્કર છે; તે ચિંતન એ “નિર્જરાનુપ્રેક્ષા. ૧૦. તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું, તે કાનુપ્રેક્ષા. ૧૧. પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણું કેળવવા એમ ચિંતવવું કે, “અનાદિ પ્રપંચજાળમાં, વિવિધ દુબેના પ્રવાહમાં વહેતા અને મેહ આદિ કર્મોના તીવ્ર આઘાત સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે,' તે “બધિદુર્લભત્વાનુપ્રેક્ષા.” ૧૨. ધર્મમાર્ગથી ચુત ન થવી અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિંતવવું કે, “જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય તે સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદે તે કેટલું મોટું સદભાગ્ય છે, એ “ધર્મસ્વાખ્યાતવાનુપ્રેક્ષા.” Page #553 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર હવે પરીષહનું વર્ણન કરે છે? मार्गाच्यवननिर्जराथ परिसोढव्याः परीषहाः । ८ । क्षुत्पिपासाशीतोष्णदशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनालाभरोगतृणस्पर्श मलसत्कारपुरस्कारप्रशाज्ञानादर्शनानि ।९। सूक्ष्मसंपरायच्छमस्थवीत रागयोश्चतुर्दश। १० । एकादश जिने । ११ । बादरसंपराये सर्वे । १२ । शानावरणे प्रज्ञाशाने । १३ । दर्शन मोहान्तराययोरदर्शनालाभौ । १४ । चारित्रमेाहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः । १५ । वेदनीये शेषाः । १६ । एकादयो भाज्या शुगपदैकोन.शतेः । १७ । માર્ગથી ચુત ન થવા અને કર્મ ખપાવવા માટે જે સહન કરવા ગ્ય છે તે પરીષહ. क्षुधानी, तृषाना, शीतना, Gegal, शमशनी, नग्नयना, ५२तिना, स्त्रीना, यानी, निषधानी, शय्याना, माडीशनी, वधना, यायनानी, मदालना, शगनी, ५-५शना, मसानी, सा२५२२४ारना, પ્રજ્ઞાને અજ્ઞાનને અને અદર્શનને પરીષહ એમ કુલ બાવીસ પરીષહ છે. સૂક્ષ્મસંપરાય અને છદ્મસ્થવીતરાગમાં વૈદ પરીષહ સંભવે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –સૂત્ર ૮-૧૭ ૩૫૭ જિનમાં અગિયાર સંભવે છે. બાદરસપરાયમાં બધા અર્થત બાવશે સંભવે છે. જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ થાય છે. - દર્શ મેહ અને અંતરાયકર્મથી અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ થાય છે. ચારિત્રમેહથી નવ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચન અને સત્કાર પુરસ્કાર પરીષહ થાય છે. બાકીના બધા વેદનીયથી થાય છે. એક સાથે એક આત્મામાં એકથી માંડી ૧૯ સુધી પરીષહ વિકલ્પ સંભવે છે. સંવરના ઉપાય તરીકે પરીષહનું વર્ણન કરતાં સૂત્રકારે જે પાંચ મુદ્દાઓનું નિરૂપણ કર્યું છે, તે આ છેઃ પરીષહનું લક્ષણ, તેમની સંખ્યા, અધિકારી પરત્વે તેમનો વિભાગ, તેમનાં કારણેને નિર્દેશ, અને એક સાથે એક જીવમાં સંભવતા પરીષહેની સંખ્યા. દરેક મુદ્દાનો વિશેષ વિચાર નીચે પ્રમાણે છે : સૂક્ષઃ સ્વીકારેલ ધર્મ માર્ગમાં ટકી રહેવા અને કર્મબંધનને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે “પરીષહ” કહેવાય છે. [2] સંસ્થા : જો કે પરીષહે ટૂંકમાં ઓછા અને લંબાણથી વધારે પણ કપી તેમજ ગણાવી શકાય; છતાં ત્યાગને વિકસાવવા જે ખાસ આવશ્યક છે, તે જ બાવીશ શાસ્ત્રમાં ગણાવેલા છે. તે આ પ્રમાણે : त-२३ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તરવાથસૂત્ર ૧-૨. ગમે તેવી ક્ષુધા અને તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહાપાણી ન લેતાં સમભાવપૂર્વક એ વેદનાઓ સહન કરવી, તે અનુક્રમે “સુધા” અને પિપાસા' પરીષહ. ૩-૪. ગમે તેટલી ટાઢ અને ગરમીની મુશ્કેલી છતાં તેને દૂર કરવા અક૯ય કઈ પણ વસ્તુનું સેવન કર્યા વિના જ સમભાવપૂર્વક એ વેદનાઓ સહી લેવી, તે અનુક્રમે “શીત” અને ઉષ્ણ પરીષહ. ૫. ડાંસ મચ્છર વગેરે જતુઓના આવી પડેલ ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવપૂર્વક સહી લેવો, તે દશમશક પરીષહ. ૬. નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ” પરીષહ. ૭. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાને પ્રસંગ આવે ત્યારે કંટાળે ન લાવતાં ધૈર્યપૂર્વક તેમાં રસ લે, તે “અરતિપરીષહ ૮. સાધક પુરુષ કે સ્ત્રીએ પિતાની સાધનામાં વિજાતીય આકર્ષણથી ૧. આ પરીષહના વિષયમાં વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં ખાસ મતભેદ છે; એ જ મતભેદને લીધે શ્વેતાંબર અને દિગંબર એવાં નામો પડેલાં છે. શ્વેતાંબર શાસ્ત્રો વિશિષ્ટ સાધકો માટે સર્વથા નઝપણું સ્વીકારતા હોવા છતાં અન્ય સાધક માટે મર્યાદિત વસ્ત્રપાત્રની આજ્ઞા આપે છે, અને તેવી આજ્ઞા પ્રમાણે અમૂઈિતભાવથી વસ્ત્રાપાત્ર સ્વીકારનારને પણ તેઓ સાધુ તરીકે માને છે જ્યારે દિગંબર શાસ્ત્રો મુનિનામધારક બધા સાધુ માટે એક સરખું એકાંતિક નગ્નત્વનું વિધાન કરે છે. નગ્નત્વને “અચેલક પરીષહ પણું કહે છે. આધુનિક શોધક વિદ્વાને વસ્ત્રાપાટા ધારણ કરવાની તાંબરીય મતની પરંપરામાં ભગવાન પાર્શ્વનાથની સવસ્ત્ર પરંપરાનું મૂળ જુએ છે, અને સર્વથા નગ્નપણું રાખવાની દિગંબરીય મતની પરંપરામાં ભગવાન મહાવીરની અવશ્વ પરંપરાનું મૂળ જુએ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૮-૧૭ ૩૫૯ ન લલચાવું, તે સ્ત્રી પરીષહ. ૯. સ્વીકારેલ ધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગપણે જુદાં જુદાં સ્થાનમાં વિહાર કરવો અને કઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન સ્વીકાર, તે “ચર્યા પરીષહ. ૧૦. સાધનાને અનુકૂલ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બાંધી બેસતાં આવી પડતા ભયોને અડેલપણે જીતવા અને આસનથી સ્મૃત ન થવું, તે “નિષઘા” પરીષહ. ૧૧. કમળ કે કઠિન, ઊંચી કે નીચી જેવી સહજ ભાવે મળે તેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું, તે “શયા” પરીષહ. ૧૨. કોઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું, તે “આક્રેશ પરીષહ. ૧૩. કઈ તાડન તર્જન કરે ત્યારે તેને સેવા ગણવી, તે “વધ પરીષહ. ૧૪. દીનપણું કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી, તે “યાચનાપરીષહ. ૧૫. યાચના કર્યા છતાં જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિને ખરું તપ ગણું તેમાં સંતોષ રાખવો, તે “અલાભ પરીષહ. ૧૬. કઈ પણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવપૂર્વક તેને સહ, તે રોગ પરીષહ. ૧૭. સંથારામાં કે અન્યત્ર તૃણ આદિની તીક્ષ્ણતાનો કે કઠોરતાને અનુભવ થાય ત્યારે મૃદુ શયામાં રહે તે ઉલ્લાસ રાખો, એ તૃણસ્પર્શ પરીષહ. ૧૮. ગમે તેટલે શારીરિક મળ થાય છતાં તેમાં ઉગ ન પામવો અને સ્નાન આદિ સંસ્કાર ન ઇચ્છવા, તે “માલ”પરીષહ. ૧૯. ગમે તેટલે સત્કાર મળ્યા છતાં તેમાં ન ફુલાવું અને સત્કાર ન મળે તો ખિન્ન ન થવું, તે “સત્કારપુરસ્કાર પરીષહ. ૨૦. પ્રજ્ઞા-ચમત્કારી બુદ્ધિ હોય તે તેને ગર્વ ન કર અને ન હેય તે ખેદ ધારણ ન કરે, તે “પ્રજ્ઞા પરીષહ. ૨૧, વિશિષ્ટ Page #557 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર શાસ્ત્રજ્ઞાનથી ગર્વિત ન થવું અને તેના અભાવમાં આત્મામાનના ન રાખવી, તે “જ્ઞાન” પરીષહ, અથવા “અજ્ઞાન” પરીષહ. ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રદ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું, તે “અદર્શન' પરીષહ. [૯]. મધારી પરત્વે વિમાન: જેમાં સંપરાય – લેભ કષાયનો બહુ જ ઓછો સંભવ છે, તેવા સૂક્ષ્મસં૫રાય નામક ગુણસ્થાનમાં અને ઉપશાંતમૂહ તથા ક્ષીણમેહ નામક ગુણસ્થાનમાં ચૌદ જ પરીષહ સંભવે છે, તે આ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. બાકીના આઠ નથી સંભવતા. તેનું કારણ એ છે કે, તે મેહજન્ય છે; અને અગિયારમા બારમા ગુણ સ્થાનમાં મેહદયનો અભાવ છે. જો કે દશમા ગુણસ્થાનમાં મોહ છે ખરે, પણ તે એટલે બધે અલ્પ છે કે હોવા છતાં ન જેવો જ છે; તેથી તે ગુણસ્થાનમાં પણ મહજન્ય આઠ પરીષહોને સંભવ ન લેખી, ફક્ત ચોદને જ સંભવ લેખવામાં આવ્યો છે. તેરમા ચૌદમાં ગુણસ્થાનમાં ફક્ત અગિયાર જ પરીષહ સંભવે છે તે આ છે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ૧. આ બે ગુણસ્થાનોમાં પરીષહની બાબતમાં દિગંબરીય અને વેતાંબર પરંપરા વચ્ચે મતભેદ છે. એ મતભેદ સર્વજ્ઞમાં કવલાહાર માનવા અને ન માનવામાં મતભેદને આભારી છે. તેથી દિગબરીય વ્યાખ્યાગ્રંથ બાવા નિને એવું જ સૂત્ર માનવા છતાં તેની વ્યાખ્યા મરડીને કરતા હોય તેમ લાગે છે. વ્યાખ્યા પણ એક જ નથી, એની બે વ્યાખ્યા કરવામાં આવી છે અને તે બન્ને સંપ્રદાયના Page #558 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૮-૧૭ ૩૬૧ ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. બાકીના અગિયાર ઘાતિકર્મજન્ય હોવાથી તે કર્મના અભાવને લીધે તે ગુણસ્થાનમાં નથી સંભવતા. જેમાં સંપરાય-કષાયને બાદર એટલે વિશેષપણે સંભવ હેય, તે બાદરસિં૫રાયનામક નવમા ગુણસ્થાનમાં બાવીશે પરીષહે સંભવે છે, કારણ કે પરીષહાનાં કારણભૂત બધાયે કમે ત્યાં હોય છે. નવમાં ગુણસ્થાનમાં બાવીશને સંભવ કહેવાથી તેની પહેલાંનાં છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં તેટલા જ પરીષહોને સંભવ છે એ સ્વતઃ ફલિત થાય છે. [૧૦–૨] . જળોને નિરા: પરીષહાનાં કારણ કુલ ચાર કર્મો માનવામાં આવ્યા છે. તેમાંથી જ્ઞાનાવરણ એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે; અંતરાય કર્મ અલાભ પરીષહનું કારણ તીવ્ર મતભેદ પછીની હેચ એમ ચોખ્ખું લાગે છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે અર્થ એ છે કે, જિનસર્વજ્ઞમાં સુધા આદિ અગિયાર પરીષહ (વેદનીય કર્મજન્યો છે. પણ મેહ ન હોવાથી તે સુધા આદિ વેદનારૂપ ન થવાને લીધે માત્ર ઉપચારથી દ્રવ્ય પરીષહ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે “ન’ શબ્દને અધ્યાહાર કરી અર્થ એ કરવામાં આવ્યું છે કે, જિનમાં વેદનીય કર્મ હોવા છતાં તદાશ્રિત સુધા આદિ અગિયાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ ન થતા હેવાથી, નથી જ. ૧. દિગંબર વ્યાખ્યાગ્રંથે આ સ્થળે બાદરસં૫રાય શબ્દને સંજ્ઞારૂપ ન રાખતાં વિશેષણરૂપ રાખીને તેના ઉપરથી છઠ્ઠા આદિ ચાર ગુણસ્થાને અર્થ ફલિત કરે છે. ૨. ચમત્કારી બુદ્ધિ ગમે તેટલી હોય છતાં તે પરિમિત હેવાથી જ્ઞાનાવરણને આભારી છે, માટે પ્રજ્ઞા પરીષહને જ્ઞાનાવરણુજન્ય સમજો . Page #559 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તત્ત્વાર્થસૂત્ર છે; મેહમાંથી દર્શીનમેહ એ અદનનું અને ચારિત્રમાહ એ નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કાર એ સાત પરીષહનું કારણ છે; વેદનીય ક એ ઉપર ગણાવેલ સર્વજ્ઞમાં સંભવતા અગિયાર પરીષહાનુ કારણ છે. [૧૩-૬ ] જ સાથે જ નીવમાં સમવતા પરીષદોની સંખ્યા : બાવીશ પરીષામાં એક સમયે પરસ્પર વિરાધી કેટલાક પરીષહા છે, જેમકે—શીત, ઉષ્ણુ; ચર્યા, શય્યા; અને નિષદ્યા; તેથી પહેલા એ અને પાછલા ત્રણેને એક સાથે સંભવ જ નથી. શીત હેાય ત્યારે ઉષ્ણ અને ઉષ્ણુ હેાય ત્યારે શીત ન સભવે; એ જ પ્રમાણે ચર્યાં, શય્યા અને નિષદ્યામાંથી એક વખતે એક જ સંભવે. માટે જ ઉક્ત પાંચમાંથી એક વખતે કાઈ પણ એના સભવ અને ત્રણના અસભવ માની એક આત્મામાં એક સાથે વધારેમાં વધારે ૧૯ પરીષહના સંભવ જણાવવામાં આવ્યા છે. [૧૭] હવે ચારિત્રના ભેદા કહે છે : सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् | १८ | સામાયિક, છેદ્યા પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. આત્મિક શુદશામાં સ્થિર થવાના પ્રયત્ન કરવા, તે ચારિત્ર.’ પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ ઉપર્યુક્ત પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ કરવા, તે ‘સામાયિક’ ચારિત્ર, છેદેપસ્થાપન Page #560 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - સૂત્ર ૧૯-૨૦ ૩૬૩ આદિ બાકીનાં ચારે ચારિત્રો સામાયિક રૂપ તો છે જ; તેમ છતાં કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે એ ચારને સામાયિકથી જુદાં પાડી વર્ણવવામાં આવ્યાં છે. “ઇવરિક અર્થાત થોડા વખત માટે કે “યાવસ્કથિક અર્થાત આખી જિંદગી માટે જે પહેલ વહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે “સામાયિક. ૨. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્વતની ફરી દીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેનો છેદ કરી ફરી નવેસર દીક્ષાનું જે આરે પણ કરવામાં આવે છે, તે છેદો પસ્થાપન” ચારિત્ર. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદો પસ્થાપન કહેવાય છે. ૩. જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તપપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ૧ ચારિત્ર. ૪. જેમાં ક્રોધ આદિ કષાયે તે ઉદયમાન નથી હોતા; ફક્ત લેભને અંશ અતિ સૂક્ષ્મપણે હેય છે, તે “સૂક્ષ્મસંપરાય” ચારિત્ર. ૫. જેમાં કઈ પણ કષાય ઉદયમાન નથી જ હોતે, તે “યથાખ્યાત અર્થાત્ “વીતરાગ” ચારિત્ર. [૧૮] હવે તપનું વર્ણન કરે છે: अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः । १९ । । प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानाજુર ! ૨૦. ૧. જુઓ હિંદી ચોથે ‘કર્મગ્રંથ” પૃ. ૫૯-૬૧. ૨. આનાં અથાખ્યાત અને તથાખ્યાત એવાં નામ પણ મળે છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તત્વાર્થસૂત્ર આ અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસપરિયાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ એ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વાદયાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ આભ્યતર તપ છે. વાસનાઓને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઈદ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધું “તપ' છે. તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ પાડેલા છે. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ વડે દેખી શકાય, તે બાહ્ય' ત૫; તેથી ઊલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય, તે “આત્યંતર તપ. બાહ્ય તપ એ સ્થૂળ અને લૌકિક જણવા છતાં તેનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપયોગી થવાની દૃષ્ટિએ જ મનાયેલું છે. આ બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમોને સમાવેશ થઈ જાય છે. વાહ્ય તા: ૧. મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરે, તે “અનશન. આમાં પહેલું ઈવરિક અને બીજું કાવત્કથિક સમજવું. ૨. પિતાની સુધા માગે તે કરતાં ઓછો આહાર લે, તે અવમૌદર્ય –ઊણદરી, ૩. વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી, તે “વૃત્તિસંક્ષેપ”. ૪. ઘી-દૂધ આદિ તથા દારૂ, આ નિયમને સમ વખત માટે, તે Page #562 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯ – સૂત્ર ૨૧-૨૨ મધ, માખણ આદિ વિકારકારક રસને ત્યાગ કરવા, તે ‘રસપરિત્યાગ’. ૫. બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે ‘વિવિક્તશય્યાસનસ લીનતા'. ૬. ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે ‘કાયકલેશ’. આયંતર તપ : ૧. લીધેલ વ્રતમાં થયેલ પ્રમાદજનિત દોષાનુ જેના વડે શેાધન કરી શકાય, તે પ્રાયશ્ચિત્ત’. ૨. જ્ઞાન આદિ સદ્ગુણો વિષે બહુ માન રાખવુ, તે ‘વિનય’. ૩. યાગ્ય સાધના પૂરાં પાડીને કે પોતાની જાતને કામમાં લાવીને સેવાસુશ્રુષા કરવી. તે વૈયાવૃત્ત્વ'. વિનય અને વૈયાવૃત્ત્વ વચ્ચે અંતર એ છે કે, વિનય એ માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ત્વ એ શારીરિક ધર્મ છે. ૪. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવા, તે સ્વાધ્યાય’. ૫. અર્હત્વ અને મમત્વના ત્યાગ કરવા, તે ‘વ્યુત્સ. ૬. ચિત્તના વિક્ષેપેાના ત્યાગ કરવા, તે ‘ધ્યાન’. [૧૯-૨૦] હવે પ્રાયશ્ચિત્ત આદિ તાના ભેદોની સંખ્યા કહે છે ઃ नवचतुर्दशपञ्चद्विभेद' यथाक्रमं प्राग्ध्यानात् | २१| ધ્યાન પહેલાંના આભ્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દેશ, પાંચ અને બે ભેદ છે. ધ્યાનના વિચાર વિસ્તૃત હોવાથી તેને છેવટે રાખી તેની પહેલાંના પ્રાયશ્ચિત્ત આદિ પાંચ આભ્યંતર તાના ભેદાની સંખ્યા માત્ર અહીં દર્શાવવામાં આવી છે. [૨૧] હવે પ્રાયશ્ચિત્તના ભેદો કહે છે : आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्ग' तपश्छेद परिवांरोपस्थापनानि । २२ । ૩૬૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે. દોષ–ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારો છે, તે બધા પ્રાયશ્ચિત્ત’ છે. એના અહીં ટૂંકમાં નવ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ગુરુ સમક્ષ નિખાલસભાવે પિતાની ભૂલ પ્રકટ કરવી, તે “આલોચન.” ૨. થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે પ્રતિક્રમણ.” ૩. ઉક્ત આલોચન અને પ્રતિક્રમણ બને સાથે કરવામાં આવે, ત્યારે “તદુભય”-અર્થાત્ “મિશ્ર.” ૪. ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તો તેને ત્યાગ કરવો, તે “વિવેક'. ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારે છેડી દેવા, તે બુત્સર્ગ. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું, તે “તપ.” ૭. દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવ્રજ્યા ઘટાડવી, તે છેદ.” ૮. દેશપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે ૧પરિહાર. ૯. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવ્રતોનો ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું, તે ઉપસ્થાપન.” [૨] ૧. પરિહાર અને ઉપસ્થાપન એ બેની જગાએ મૂળ, અનવસ્થાપ્ય, પારાચિક એ ત્રણ પ્રાયશ્ચિત્ત હોવાથી ઘણુ ગ્રંથમાં દશ પ્રાચશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રત્યેક પ્રાયશ્ચિત્ત કયા કયા અને કેવી કેવી જાતના દેષને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહાર, ‘જતકલ્પસૂત્ર આદિ પ્રાયશ્ચિત્તપ્રધાન ગ્રંથમાંથી જાણી લેવું. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અધ્યાય ૯-૧૦ ૨૩-૨૪ હવે વિનયના ભેદ કહે છે: शानदर्शनचारित्रोपचाराः । २३ । જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે. વિનય એ વસ્તુતઃ ગુણરૂપે એક જ છે, છતાં અહીં તેના જે ભેદો પાડવામાં આવ્યા છે, તે માત્ર વિષયની દષ્ટિએ. વિનયના વિષયને મુખ્યપણે ચાર ભાગમાં અહીં વહેંચવામાં આવ્યો છે. જેમકે : ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ, અને તેને ભૂલવું નહિ એ “જ્ઞાનને ખર વિનય છે. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિશંકપણું કેળવવું, તે “દર્શનવિનય.” ૩. સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે “ચારિત્રવિનય. ૪. કઈ પણ સગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર સાચવવો; જેમકે, તેની સામે જવું, તે આવે ત્યારે ઊઠી ઊભા થવું, આસન આપવું, વંદન કરવું વગેરે, તે “ઉપચારવિનય.” [૨૩] હવે વૈયાવૃત્તના ભેદો કહે છે आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसघकરાપુરનોશાના ર૪ 1 આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષ, ગ્લાન, ગણ, કુલ સંઘ, સાધુ અને સમગ્ર એમ દશ પ્રકારે વૈયાવૃન્ય છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ તત્વાર્થસૂત્ર વૈયાવૃત્ય એ સેવારૂપ હેવાથી, સેવાયોગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય – સેવાયોગ્ય પાત્રને લીધે તેને પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય, તે “આચાર્ય. ૨. મુખ્યપણે જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય, તે “ઉપાધ્યાય.” ૩. મોટાં અને ઉગ્ર તપ કરનાર હોય, તે તપસ્વી.” ૪. જે નવદીક્ષિત હેઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય, તે શૈક્ષ.” ૫. રોગ વગેરેથી ક્ષીણ હોય, તે “ગ્લાની ૬. જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તેમને સમુદાય તે “ગણ.” છે. એક જ દીક્ષાચાર્યને શિષ્ય પરિવાર, તે “કુલ. ૮. ધર્મના અનુયાયીઓ તે “સંધ” એના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ભેદ છે. ૯. પ્રવજ્યાવાન હોય, તે “સાધુ. ૧૦. જ્ઞાન આદિ ગુણે વડે સમાન હોય, તે “સમને ઝ’–સમાનશીલ. [૨૪] હવે સ્વાધ્યાયના ભેદો કહે છે : वाचनाप्रच्छनानुप्रेक्षाम्नाय धर्मोपदेशाः ।२५ । વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદે છે. જ્ઞાન મેળવવાને, તેને નિઃશંક, વિશદ અને પરિપક્વ કરવાનો તેમજ તેના પ્રચારને પ્રયત્ન એ બધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી, તેના અહીં પાંચ ભેદો અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે જ દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: ૧. શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો, તે “વાચના.” ૨. શંકા Page #566 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૨૬-૨૮ દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી, તે “પ્રચ્છના.” ૩. શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું, તે અનુપ્રેક્ષા.' ૪. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરા વર્તન કરવું, તે “આમ્નાય' અર્થાત્ પરાવર્તન. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું, તે ધર્મોપદેશ.” અથવા ધર્મનું કથન કરવું, તે ધર્મોપદેશ” [૨૫] હવે વ્યુત્સર્ગના ભેદો કહે છે : ગ્રાહ્યાજી ! રદ્દ બાહ્ય અને આત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારને વ્યુત્સર્ગ છે. ખરી રીતે અહત્વ – મમત્વની નિવૃત્તિરૂપ ત્યાગ એક જ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારની હોવાથી, તેના અર્થાત વ્યુત્સર્ગ કે ત્યાગના બે પ્રકાર માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: ૧. ધન, ધાન્ય, મકાન, ક્ષેત્ર આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે “બાહ્યોપધિવ્યુત્સર્ગ. ૨. અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમ જ કાષાયિક વિકારોમાંથી તમયપણાને ત્યાગ કરે, તે “આત્યંતરે પધિવ્યુત્સર્ગ.' રિ૬] હવે ધ્યાનનું વર્ણન કરે છે: उत्तमसहननस्यैकाग्रचिन्तानिरोघो ध्यानम् ।२७। સમુહૂર્તા ર૮ ૧. ભાષ્યમાં અહીં સૂત્રમાં “પ્રજા ચિંતા” અને “નિરોધ એવા ધ્યાનના બે પ્રકારનો નિર્દેશ છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. પણ આ બાબતમાં કોઈપણ ટીકાકારે ભાષ્યનું અનુસરણ કર્યું નથી તેથી અમે પણ બધાજ ટીકાકારેને અનુસરી વ્યાખ્યા કરી છે, અને ખરેખર આ સત્રમાં બે ધ્યાને અભિપ્રેત છે. એ માટે જુઓ દશવૈની અગસ્ય ચૂર્ણિ પૃ; ૧૬ અને ‘વિદ્યા ભા. ૧૫, અંક-૨માં દલસુખ માલવણિયાને લેખ. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તવાથસૂત્ર ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. તે મુહૂર્ત સુધી એટલે અંતર્મુહર્ત પર્યત રહે છે. ધિર : છ પ્રકારનાં સિંહન-શારીરિક બંધારણામાં વજીર્ષભનારાચ, અર્ધવજીર્ષભનારા અને નારાચ એ ત્રણ ઉત્તમ ગણાય છે. જે ઉત્તમ સંહનનવાળો હોય તે જ ધ્યાનનો અધિકારી છે. કારણ કે, ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિક બળ જોઈએ, તેને સંભવ ઉક્ત ત્રણ સંહનનવાળા શરીરમાં છે; બાકીનાં બીજા ત્રણ સંહનનવાળામાં નહિ. એ તે જાણીતું જ છે કે, માનસિક બળનો એક મુખ્ય આધાર શરીર જ છે અને શરીરબળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે, તેથી ઉત્તમ સિવાયના સંહનનવાળા ધ્યાનના અધિકારી નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મને બળ ઓછું; જેટલે અંશે મનોબળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણવાળા અર્થાત્ અનુત્તમ સંહનનવાળા લેકે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ વિષયમાં જે એકાગ્રતા ૧. દિગંબરીય ગ્ર માં ત્રણે ઉત્તમ સંહનનવાળાને ધ્યાનના અધિકારી માન્યા છે; ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સંહનનવાળાને ધ્યાનના સ્વામી માનવાને પક્ષ કરે છે. ૨. બે હાડકાંના છેડા એકબીજાના ખાડામાં ગેાઠવવામાં આવે, તે તે મર્કટબંધ અથવા નારા કહેવાય. તે પ્રકારના સાંધા ઉપર હાડને પટે આવે, તે તે ઋષભનારાએ બંધ થાય. અને તે ત્રણને વધે એ એક વજખીલ ઉપર પરોવવામાં આવે, તે તે પૂરે વર્ષભનારાચસંહનન બંધ થયો કહેવાય. Page #568 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૨૬- ૨૮ ૩૦૧ સાધી શકે છે, તે એટલી બધી ઓછી હોય છે કે, તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી. ૫: સામાન્ય રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાનધારા, ભિન્ન ભિન્ન દિશામાંથી વહેતી હવાની વચ્ચે રહેલ દીપશિખાની પેઠે અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા - ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયેથી હઠાવી કઈ પણ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત્ જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એકવિષયગામની બિનાવી દેવી, તે “ધ્યાન” છે. ધ્યાનનું એ સ્વરૂપ અસર્વજ્ઞ – છાસ્થમાં જ સંભવે છે, તેથી એવું ધ્યાન બારમાં ગુણસ્થાન સુધી હોય છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત્ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરું; પણ તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. તેમાં ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરોધને ક્રમ શરૂ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના અસ્તિત્વ વખતે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી” નામનું ત્રીજું શુકલધ્યાન માનવામાં આવ્યું છે, અને ચૌદમાં ગુણસ્થાનમાં સંપૂર્ણ અગિપણની દશામાં શૌલેશીકરણ વખતે સમુચિછન્નક્રિયાનિવૃત્તિ' નામનું ચોથું શુકલધ્યાન માનવામાં આવ્યું છે. આ બંને ધ્યાને તે તે દશામાં ચિત્ત વ્યાપાર ન હોવાથી છવાસ્થની પેઠે એકાગ્રચિંતાનિધિરૂપ તે નથી જ; તેથી તે બંને દશામાં ધ્યાન ઘટાવવા માટે સૂત્રમાં કહેલ પ્રસિદ્ધ અર્થ ઉપરાંત ધ્યાન શબ્દનો અર્થ વિશેષ વિસ્તારવામાં આવ્યો છે, અને તે એ કે, માત્ર કાયિક સ્કૂલવ્યાપારને રોકવાને પ્રયત્ન તે પણ ધ્યાન છે, અને આત્મપ્રદેશોની નિપ્ર W Page #569 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તત્ત્વાર્થસૂત્ર ક ંપતા એ પણ ધ્યાન છે. હજી ધ્યાનની બાબતમાં એક પ્રશ્ન રહે છે અને તે એ કે, તેરમા ગુણસ્થાનના પ્રાર ભથી માંડી યાનિરોધને ક્રમ શરૂ થાય ત્યાં સુધીની અવસ્થામાં અર્થાત્ સત્તપણે જીવન વ્યતીત કરવાની સ્થિતિમાં કાઈ ધ્યાન હેાય છે ખરું ? અને હાય ! તે કયું? આને ઉત્તર બે રીતે મળી આવે છેઃ ૧. એ વિહરમાણ સર્વજ્ઞની દશાને ધ્યાનાંતરિકા કહી તેમાં અબ્યાનીપણું જ કબૂલ રાખી, કોઈ ધ્યાન સ્વીકારવામાં આવ્યુ નથી. ૨. એ દશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધી સુદૃઢ પ્રયત્નને જ ધ્યાન તરીકે સ્વીકારવામાં આવેલ છેઃ જાનુ રિમાળ : ઉપર્યુક્ત એક ધ્યાન વધારેમાં વધારે અંત સુધી જ ટકી શકે છે; તેથી આગળ તેને ટકાવવુ કઠણ હાવાથી તેનું કાલપરિમાણ અંતર્મુ દૂત માનવામાં આવ્યું છે. શ્વાસ-ઉચ્છ્વાસને બિલકુલ રાકવા એને કેટલાક ધ્યાન માને છે, વળી ખીજા કેટલાક ૧માત્રાથી કાલની ગણના કરવાને ધ્યાન માને છે, પણ જૈનપરંપરા એ કથન નથી સ્વીકારતી. કારણમાં તે કહે છે કે, જો સંપૂર્ણપણે શ્વાસ-ઉચ્છ્વાસ બંધ જ કરવામાં આવે, તે છેવટે શરીર ટકે જ નહિ; એટલે મદ કે મંદતમ પણ શ્વાસના સંચાર ધ્યાનાવસ્થામાં હોય છે જ; તેવી રીતે જ્યારે કોઈ માત્રા વડે કાલનું માપ કરે, ત્યારે ૧. ૐ ૐ’ આદિ એક એક હસ્વ સ્વર ખેલવામાં જેટલા વખત લાગે છે, તેટલા વખતને એક માત્રા' કહેવામાં આવે છે. વ્યંજન જ્યારે સ્વરહીન ખાલાય છે, ત્યારે તેમાં અધ માત્રા જેટલા વખત લાગે છે. માત્રા કે અમાત્રા જેટલા વખતને જાણી લેવાના અભ્યાસ કરી, કાઈ તે ઉપરથી ખીજી ક્રિયાના વખત માપે કે અમુક કામમાં આટલી માત્રાઓ થઈ, તે માત્રા વડે કાલની ગણના કહેવાય છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય – સૂત્ર ૨૯-૩૦ તે તેનું મન ગણતરીના કામમાં અનેક ક્રિયાઓ કરવામાં રોકાયેલું હેઈ, એકાગ્રતાને બદલે વ્યગ્રતાવાળું જ સંભવે છે. તેવી જ રીતે દિવસ, માસ અને તેથી વધારે વખત સુધી ધ્યાન ટકવાની લેકમાન્યતા પણ જેનપરંપરાને ગ્રાહ્ય નથી; તેનું કારણ તે એમ બતાવે છે કે, વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇંદ્રિયને ઉપઘાત સંભવતો હોવાથી, તે અંતર્મુહૂર્તથી વધારે લંબાવવું કઠણ છે. એક દિવસ, એક અહોરાત્ર કે તેથી વધારે વખત સુધી ધ્યાન કર્યું એમ કહેવાનો અર્થ એટલે જ છે કે, તેટલા વખત સુધી ધ્યાનનો પ્રવાહ લંબાયો અર્થાત્ કઈ પણ એક આલંબનમાં એક વાર ધ્યાન કરી, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે, અને વળી એ જ રીતે આગળ ધ્યાન કરવામાં આવે, ત્યારે તે ધ્યાનપ્રવાહ લંબાય છે. આ અંતર્મુહૂર્ત કાલપરિમાણ છોઘસ્થિક ધ્યાનનું સમજવું. સર્વજ્ઞમાં ઘટાવાતા ધ્યાનનું કાલપરિમાણ તે વધારે પણ સંભવે; કારણ કે મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિષેના સુદઢ પ્રયત્નને વધારે વખત સુધી પણ સર્વજ્ઞ લંબાવી શકે. જે આલંબન ઉપર ધ્યાન ચાલે, તે આલંબન સંપૂર્ણ દ્રવ્યરૂપ ન હતાં તેને એક દેશ-ઈ પર્યાય હોય છે; કારણ કે દ્રવ્યનું ચિંતન એ તેના કઈ ને કઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. [૨૭–૨૮] હવે ધ્યાનના ભેદો કહે છે : आर्तरौद्रधर्म शुक्लानि । २९ । જે મહેન્દ્ર રૂ. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકાર ધ્યાનના છે. त-२४ Page #571 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર તેમાંથી પર-પછીનાં એ મેાક્ષનાં કારણ છે. ઉક્ત ચાર ધ્યાનમાં આત અને રૌદ્ર એ એ સંસારનાં કારણ હાવાથી દુર્ધ્યાન હાઈ હેય–ત્યાજ્ય છે; ધ' અને શુલ' એ એ મેાક્ષનાં કારણ હાવાથી સુધ્યાન હાઈ, ઉપાધ્ય અર્થાત્ ગ્રહણ કરવા યાગ્ય મનાય છે. [૨૯-૩૦] હવે આખ્ખાનનુ નિરૂપણ કરે છે: आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति ૩૭૪ સમન્વાહાર: રૂૐ । ટ્રેનવસ્ત્ર | ૨૨ | विपरीतं मनोज्ञानाम् । ३३ । ઉનાન ન । ૩૪ । तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । ३५ । અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેાગ માટે જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આત ધ્યાન. દુઃખ આવ્યે તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજું' આ ધ્યાન. પ્રિયવસ્તુના વિયાગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજી આત ધ્યાન, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિના સ`લ્પ કરવા કે સતત ચિંતા કરવી, તે ચાથું આત ધ્યાન. તે આત ધ્યાન અવિરત, દેશસ'ચત અને પ્રમત્તસયત એ ગુણસ્થાનામાં જ સભવે છે. અહી આખ્યાનના ભેદો અને તેના સ્વામીએ એમ એ બાબતેનુ નિરૂપણ છે. અતિ અર્થાત્ પીડા કે દુઃખ જેમાંથી Page #572 -------------------------------------------------------------------------- ________________ જાય ત્યારે રાધાન 'છવિશે અધ્યાય ૯ સૂત્ર ૩૬ ૩૭૫ ઉદ્ભવે તે આર્ત. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણે છે. અનિષ્ટ વસ્તુને સંયોગ, ઈષ્ટ વસ્તુને વિયોગ, પ્રતિકૂલ વેદના અને ભેગની લાલચ. એ કારણો ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. જ્યારે અનિષ્ટ વસ્તુને સંગ થાય છે, ત્યારે તદ્દભવ દુઃખથી વ્યાકુળ થયેલે આત્મા તેને દૂર કરવા તે વસ્તુ ક્યારે પિતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે “અનિષ્ટસંગઆર્તધ્યાન.” ૨. એ જ રીતે કેઈ ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે “અષ્ટવિયોગઆર્તધ્યાન.” ૩. તેમજ શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દુર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે “ગચિંતાઆર્તધ્યાન.” અને ૪. ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાને જે તીવ્ર સંકલ્પ, તે નિદાનબાતધ્યાન.” પ્રથમનાં ચાર ગુણસ્થાન, દેશવિરત અને પ્રમત્તસંયત મળી કુલ છ ગુણસ્થાનોમાં ઉક્ત ધ્યાન સંભવે છે; તેમાં વિશેષતા એટલી કે પ્રમત્ત સંતગુણસ્થાનમાં નિદાન સિવાયનાં ત્રણ જ આર્તધ્યાને સંભવે છે. [૩૧–૩૫] હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છે? हिंसानृतस्तेय विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशવિાતો / રૂદ્દા હિંસા, અસત્ય. ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે, તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે. પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામીઓનું વર્ણન છે. રૌદ્રધ્યાનના ચાર ભેદો તેનાં કારણે ઉપરથી Page #573 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તવાર્થસૂત્ર આર્તધ્યાનની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્ત દૂર કે કઠોર હોય, તે રુ; અને તેવા આત્માનું જે ધ્યાન, તે રૌદ્ર.” હિંસા કરવાની, જૂઠું બોલવાની, ચોરી કરવાની અને પ્રાપ્ત વિષયને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કઠોરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અમૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણેનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પહેલાં પાંચ ગુણસ્થાનવાળા એ ધ્યાનના સ્વામીઓ છે. હવે ધર્મધ્યાનનું નિરૂપણ કરે છે? आज्ञापायविपाकसंस्थानविचयाय धर्म मप्रमत्तसंयસર્ચ . ૩૭T કારાત્તક્ષાયાત્રા રૂ૮૫ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનીવિચારણા માટે જે એકાગ્ર મનવૃત્તિ કરવી તે ધર્મ ધ્યાન છે; એ અપ્રમત્તસંયતને સંભવે છે. વળી તે ધર્મધ્યાન ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ ગુણસ્થાનમાં સંભવે છે. - ધર્મધ્યાનના ભેદો અને તેના સ્વામીઓને અહીં નિર્દેશ છે. મેવો ? વીતરાગ અને સર્વજ્ઞ પુરુષની આજ્ઞા શી છે ? કેવી હોવી જોઈએ ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શોધી કાઢવા માટે મનોવેગ આપે, તે આજ્ઞાવિયધર્મધ્યાન.” દોષના સ્વરૂપને અને તેમાંથી કેમ છુટાય એને વિચાર કરવા માટે જે મનોયોગ આપો, તે “અપાયરિચયધર્મધ્યાન.” Page #574 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯- સૂત્ર ૩૯ અનુભવમાં આવતા વિપાકામાંથી કયા કયા વિપાક કયા કયા કને આભારી છે તેનેા, તથા અમુક ક'ના અમુક વિપાક સભવે તેના વિચાર કરવા મનાયેાગ આપવા, તે ‘વિપાકવિચયધર્મ ધ્યાન.’લાકના સ્વરૂપના વિચાર કરવા મનેાયેગ આપવા, તે ‘સંસ્થાનવિચયધર્મ ધ્યાન.' સ્વામીત્રો : ધમ ધ્યાનના સ્વામી પરત્વે શ્વેતાંબરીય અને દિગબરીય મતની પરપરા એક નથી. શ્વેતાંબરીય માન્યતા પ્રમાણે ઉપર સૂત્રમાં કહેલ સાતમા, અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં તેમજ એ કથન ઉપરથી સૂચવાતા આઠમા વગેરે વચલાં ત્રણ ગુણસ્થાનમાં એટલે કે એક દર સાતમાથી બારમા સુધીનાં છ ગુણસ્થાનમાં ધર્મધ્યાન સ`ભવે છે. દિગંબરીય પરંપરા ચોથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં જ ધધ્યાનને સંભવ સ્વીકારે છે. તેની દલીલ એવી છે કે, સમ્યગ્દષ્ટિને કોણીના આરંભ પહેલાં જ ધર્મધ્યાન સભવે છે અને શ્રેણીના આરંભ તા આઠમા ગુણસ્થાનથી થતા હાવાને લીધે આઠમા આદિમાં એ ધ્યાન નથી જ સભવતું. [૩૭–૩૮] હવે શુકલધ્યાનનું નિરૂપણ કરે છે : શુદ્ધે આઘે પૂર્વવિદ્ઃ। રૂ૧। ર૭ ૧. ‘પૂર્વવિદ્:’ એ અ’શ પ્રસ્તુત સૂત્રનો જ છે અને તેટલું' સૂત્ર જીદું નથી, એવું ભાષ્યના ટીકાકારા જણાવે છે. દિગંખરીય પરંપરામાં પણ એ અ’રાતુ જીદા સૂત્રરૂપે સ્થાન નથી, તેથી અહીં પણ તેમજ રાખ્યુ છે. છતાં ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ‘પૂર્વવિદ્ :’ એ જીદુ' જ સૂત્ર છે, Page #575 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તત્વાર્થસૂત્ર परे केवलिनः । ४०। पृथक्त्वैकत्ववितर्कसूक्ष्म क्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ।४१। तत् ग्येककाययोगायोगानाम् । ४२ । एकाश्रये सवितर्के पूर्व ।४३ । 'अविचारं द्वितीयम् । ४४। वितर्कः श्रुतम् । ४५ ॥ विचारोऽर्थव्यजनयोगसंक्रन्तिः । ४६ । ઉપશાંત અને ક્ષીણમેહમાં પહેલાં બે શુકલધ્યાન સંભવે છે; બંને પહેલાં શુકલધ્યાન પૂર્વધરને હોય છે. પછીનાં બે કેવલીને હોય છે. પૃથકત્વવિતર્ક, એકવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચાર શુકલધ્યાન છે. - તે શુકલધ્યાન અનુક્રમે ત્રણ ગવાળા, કે પણ એક વેગવાળા, કાયયેગવાળા અને વેગ વિનાને હોય છે. પહેલા બે, એક આશ્રયવાળા તેમજ સવિતર્ક છે. એમાંથી બીજી અવિચાર છે, અર્થાત પહેલું સવિચાર છે. . વિતર્ક એટલે શ્રત. ૧. પ્રસ્તુત સ્થળમાં “અવીવાર એવું પણ રૂપ પુષ્કળ દેખાય છે છતાં અહીં રજૂરામાં અને વિવેચનમાં હસ્વ “વિ” વાપરી એક્તા સાચવી છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯- સૂત્ર ૪૦-૪૬ વિચાર એટલે અર્થ, વ્યંજન અને ગની સંક્રાંતિ. પ્રસ્તુત વર્ણનમાં શુકલધ્યાનને લગતા સ્વામી, ભેદો અને સ્વરૂપ એ ત્રણ મુદ્દાઓ છે. સ્વામી : સ્વામીનું કથન અહીં બે પ્રકારે કરવામાં આવ્યું છે. એક તો ગુણસ્થાનની દષ્ટિએ અને બીજું ગની દષ્ટિએ. ગુણસ્થાનને હિસાબે શુકલધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયારમાં–બારમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હોય તે હોય છે. પૂર્વધર એ વિશેષણથી સામાન્ય રીતે એટલું જ સમજવાનું કે જે પૂર્વધર ન હોય અને અગિયાર આદિ અંગેના ધારક હોય, તેમને તે અગિયારમાબારમા ગુણસ્થાન વખતે શુકલ નહિ પણ ધર્મધ્યાન હોય છે. આ સામાન્ય વિભાગને એક અપવાદ પણ છે અને તે એ કે, પૂર્વધર ન હોય તેવા આત્માઓને જેમકે–માષતુષ, મરુદેવી વગેરેને પણ શુકલધ્યાન સંભવે છે. શુકલધ્યાનના છેલ્લા બે ભેદોના સ્વામી ફક્ત કેવલી અર્થાત્ તેરમા-ચૌદમા ગુણસ્થાન વાળા છે. અને હિસાબે ત્રણ ગવાળા હોય તે જ ચારમાંથી પહેલા શુકલધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયમાંથી કેઈપણ એક જ ગવાળા હોય, તે શુકલધ્યાનના બીજા ભેદના સ્વામી છે. એના ત્રીજા ભેદના સ્વામી માત્ર કાયયોગવાળા અને ચોથા ભેદના સ્વામી માત્ર અગી જ હોય છે. મેવો ઃ શુકલધ્યાનના પણ અન્ય ધ્યાનની પેઠે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમના ચાર નામ આ પ્રમાણે Page #577 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્વાર્થસૂત્ર ૧. પૃથકૃત્વવિતર્કસવિચાર ૨. એકવવિતકનિર્વિચાર ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ૪. વ્યુપરતક્રિયાનિવૃત્તિ-સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ. સ્વપ : પ્રથમનાં બે શુકલધ્યાનોને આશ્રય એક છે અર્થાત્ એ બંને પૂર્વજ્ઞાનધારી આત્મા વડે આરંભાય છે તેથી જ એ બને યાન “વિતર્ક” અર્થાત શ્રુતજ્ઞાન સહિત છે બન્નેમાં વિતર્કનું સામ્ય હોવા છતાં બીજું વૈષમ્ય પણ છે, અને તે એકે પહેલામાં “પૃથકૃત્વ” અર્થાત ભેદ છે; જ્યારે બીજામાં એકત્વ' અર્થાત્ અભેદ છે. એ જ રીતે પહેલમાં “વિચાર” અર્થાત્ સંક્રમ છે જ્યારે બીજામાં વિચાર નથી. આને લીધે એ બને ધ્યાનનાં નામ અનુક્રમે “પૃથકૃત્વવિતર્કસવિચાર” અને “એકત્વવિતર્ક અવિચાર’ એવાં રાખવામાં આવ્યાં છે. જ્યારે કોઈ ધ્યાન કરનાર પૂર્વધર હાય, ત્યારે પૂર્વગત શ્રતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતામાં સંભવિત શ્રુતને આધારે, કઈ પણ પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ અમૂર્તવ આદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક આદિ વિવિધ નય વડે ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનને આધારે કોઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂ૫ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવર્તે, તેમ જ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય વેગને અવલંબે, ત્યારે તે ધ્યાન “પૃથકૃત્વવિતર્કસવિચાર' કહેવાય છે. કારણ કે એમાં વિર્તક” અર્થાત્ શ્રુતજ્ઞાનને Page #578 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -સૂત્ર ૪૦-૪૬ ૩૮૧ અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાને ભેદ અર્થાત પૃથકૃત્વ વિવિધ દૃષ્ટિએ ચિંતવાય છે અને શ્રુતજ્ઞાનને જ અવલંબી એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર; અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક યોગ ઉપરથી બીજા યોગ ઉપર “સંક્રમ” અર્થાત સંચાર કરવાનો હોય છે. તેથી ઊલટું જ્યારે કેઈ ધ્યાન કરનાર પિતામાં સંભવિત શ્રતને આધારે કોઈ પણ એક જ પર્યાયરૂ૫ અર્થને લઈ તેમાં એકત્વઅભેદપ્રધાન ચિંતન કરે, અને મન આદિ ત્રણ વેગમાંથી કેઈપણ એક જ વેગ ઉપર અટળ રહી શબ્દ અને અર્થના ચિંતનનું તેમજ ભિન્ન ભિન્ન યોગમાં સંચરવાનું પરિવર્તન ન કરે, ત્યારે તે ધ્યાન “એકત્રવિતર્ક અવિચાર” કહેવાય છે. કારણ કે તેમાં વિતર્ક” અર્થાત્ શ્રુતજ્ઞાનનું અવલંબન હોવા તાં “એકત્વ” અર્થાત્ અભેદ પ્રધાનપણે ચિંતવાય છે અને અર્થ, શબ્દ કે યોગનું પરિવર્તન નથી હોતું. ઉક્ત બેમાંથી પહેલા ભેદપ્રધાનનો અભ્યાસ દઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્પ આદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડંખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમજ આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દૃઢ થતાં જેમ ઘણાં ઈધણ કાઢી લેવાથી અને બચેલાં થોડાં ઈધણો સળગાવી દેવાથી અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન Page #579 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તત્વાર્થસૂત્ર પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈને નિષ્પકંપ બની જાય છે અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન યોગનિરોધના ક્રમમાં છેવટે સક્ષ્મ શરીરોગને આશ્રય લઈ બીજા બાકીના યોગને રોકે છે ત્યારે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ધ્યાને કહેવાય છે, કારણ કે તેમાં શ્વાસઉચશ્વાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલ હોય છે, અને તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. જ્યારે શરીરની શ્વાસ–પ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રકટે, ત્યારે તે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિધ્યાન” કહેવાય છે, કારણ કે એમાં સ્કૂલ કે સૂક્ષ્મ કઈ પણ જાતની માનસિક, વાચિક, કાયિક ક્રિયા હતી જ નથી અને તે રિથતિ પાછી જતી પણ નથી. આ ચતુર્થ ધ્યાનને પ્રભાવે સર્વ આસ્રવ અને બંધને નિરોધ થઈ. શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુકલ ધ્યાનમાં કઈ પણ જાતના શ્રતજ્ઞાનનું આલંબન નથી હતું, તેથી તે બને અનાલંબન પણ કહેવાય છે. [૩૯-૪૬] - હવે સમ્યગ્દષ્ટિઓની કર્મનિર્જરાને તરતમભાવ કહે છે: ૧. આ ક્રમ આ પ્રમાણે માનવામાં આથે છે: સ્થૂલ કાયયોગના આશ્રયથી વચન અને મનના પૂલ યોગને સૂમ બનાવવા માં આવે છે, ત્યાર બાદ વચન અને મનના સૂક્ષ્મ યોગને અવલંબી શરીરને સ્કૂલ યોગ સૂક્ષ્મ બનાવાય છે; પછી શરીરના સૂક્ષ્મ યેગને અવલંબી વચન અને મનના સૂક્ષ્મ અને નિરાધ કરવામાં આવે છે; અને અંતે સૂક્ષ્મ શરીર યોગને પણ નિરાધ કરવામાં આવે છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય –સૂત્ર ૪૭ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमाहजिनाः क्रमशो સંચેયગુનિક૭! સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયેજક, દર્શન મેહક્ષપક, ઉપશામક, ઉપશાંતમૂહ, ક્ષપક, ક્ષીણમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્યયગુણ નિર્જરાવાળા હોય છે. | સર્વ કર્મબંધનોને સર્વથા ક્ષય તે મોક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બંનેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં મેક્ષતત્વનું પ્રતિપાદન મુખ્ય હોવાથી તેની અંગભૂત જ નિર્જરા વિચાર અહીં કરે પ્રાપ્ત થાય છે. તેથી જે કે સંસારી સમગ્ર આત્માઓમાં કર્મનિર્જરાને ક્રમ ચાલુ હોય છે જ, છતાં અહીં ફક્ત વિશિષ્ટ આત્માઓની જ કર્મનિર્જરાને ક્રમ વિચારવામાં આવે છે. તે વિશિષ્ટ આત્માઓ એટલે મેંક્ષાભિમુખ આત્માઓ. ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને તે જિન અર્થાત્ સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. સ્થૂલ દષ્ટિએ સમ્યદૃષ્ટિની પ્રાપ્તિથી માંડી સર્વજ્ઞદશા સુધીમાં મોક્ષાભિમુખતાના દશ વિભાગે કરવામાં આવ્યા છે, એમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર વિભાગમાં પરિણામની વિશુદ્ધિ સવિશેષ હોય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, તેટલી કર્મનિર્જરા પણ વિશેષ; તેથી પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મનિર્જરા થાય છે, તે કરતાં ઉપરઉપરની અવસ્થામાં પરિણામવિશુદ્ધિની Page #581 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર વિશેષતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જ જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞઅવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થઈ જાય છે. કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમભાવમાં સૌથી ઓછી નિર્જ સમ્યગ્દષ્ટિની અને સૌથી વધારે સર્વસની છે. એ દશ અવસ્થાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૧. જે અવસ્થામાં મિયાદષ્ટિ ટળી સમ્યક્ત્વ પ્રગટે છે, તે “સમ્યગ્દષ્ટિ. ૨. જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત્ ત્યાગ પ્રગટે છે, તે “શ્રાવક.” ૩. જેમાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી સર્વાશે વિરતિ પ્રગટે છે, તે “વિરત, ૪. જેમાં અનંતાનુબંધી કષાઅને ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે છે, તે અનંતવિજક.” ૫. જેમાં દર્શનમેહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે છે, તે ‘દર્શનમોહક્ષપક.” ૬. જે અવસ્થામાં મેહની શેષ પ્રકૃતિઓને ઉપશમ ચાલતો હોય, તે “ઉપશમક” છે. જેમાં એ ઉપશમ પૂર્ણ થયું હોય, તે ઉપશાંતમહ.” ૮. જેમાં મેહની શેષ પ્રતિકૃઓને ક્ષય ચાલતો હોય, તે “ક્ષપક.” ૯. જેમાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થયે હોય, તે “ક્ષીણમેહ. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે જિન.' [૪૭]. હવે નિગ્રંથના ભેદો કહે છે? પુસ્ત્રાવરપુનિથસ્નાતક નિશા (૪૮) પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્ગથ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯- સૂત્ર ૪૮ ૩૮૫ નિગ્રંથ શબ્દને તાત્વિક – નિશ્ચયનયસિદ્ધ અર્થ જુદો છે અને વ્યાવહારિક-સાંપ્રદાયિક અર્થ જુદો છે. આ બન્ને અર્થના એકીકરણને જ અહીં નિગ્રંથ સામાન્ય માની, તેના જ પાંચ વર્ગો પાડી, પાંચ ભેદો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રાગ ઠેષની ગાંઠ બિલકુલ ન જ હોય, તે નિગ્રંથ શબ્દને તાત્ત્વિક અર્થ છે, અને જે અપૂર્ણ હોવા છતાં ઉક્ત તાત્ત્વિક નિગ્રંથપણાને ઉમેદવાર હોય, અર્થાત્ ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઈચ્છતા હોય, તે વ્યાવહારિક નિગ્રંથ. પાંચ ભેદોમાંથી પ્રથમના ત્રણ વ્યાવહારિક અને પછીના બે તાત્વિક છે. એ પાંચ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણેઃ ૧. મૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વીતરાગપ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય, તે “પુલાક નિગ્રંથ.” ૨. જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, અવિવિક્ત – સસંગપરિવારવાળા હોય અને છેદ (ચરિત્રપર્યાયની હાનિથી) તથા શબલ (અતિચાર) દોષોથી યુક્ત હોય, તે “બકુશ.” ૩. કુશીલના બે ભેદમાંથી જેઓ ઈદ્રિયને વશવર્તી હેવાથી કઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે “પ્રતિસેવનાકુશીલ'; અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મંદ કષાયને ક્યારેક વશ થાય, તે “કષાયકુશીલ.” ૪. જેમાં સર્વાપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુદ્દત જેટલા વખત પછી જ જેમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય, તે “નિગ્રંથ.” ૫. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે સ્નાતક.” [૪૮] આઠ બાબતમાં નિર્ચ થેની વિશેષ વિચારણા Page #583 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविપત ક્ષr / 9 સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત અને સ્થાનના ભેદ વડે એ નિર્ગથે વિચારવા ગ્ય છે. પહેલાં જે પાંચ નિર્ચ થનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અહીં આઠ વસ્તુઓ લઈ દરેકના પાંચ નિર્ચ થે સાથે કેટકેટલા સંબંધ છે તે વિચારવામાં આવ્યું છે. જેમકેઃ સંયમ સામાયિક આદિ પાંચ સંયમમાંથી સામાયિક અને છેદો પસ્થાપનીય એ બે સંયમમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ નિગ્રંથ વર્તે, કષાયકુશીલ ઉક્ત બે અને પરિહારવિશુદ્ધિ તથા સૂક્ષ્મસંપરાય એ ચાર સંયમમાં વર્તે; નિગ્રંથ અને સ્નાતક બને માત્ર યથાખ્યાત સંયમમાં વર્તે. - કૃત: પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ કૃત પૂર્ણ દશ પૂર્વ અને કષાયકુશીલ તેમજ નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદ પૂર્વ હોય છે, જઘન્યકૃત પુલાકનું આચારવસ્તુ; અને બકુશ, કુશીલ તેમજ નિગ્રંથનું અષ્ટપ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) હોય છે. સ્નાતક સર્વસ હોવાથી મુતરહિત જ છે. પ્રતિસેવના (વિરાધના)ઃ પુલાક પાંચ મહાવ્રત અને રાત્રિ. ભોજનવિરમણ એ છમાંથી કોઈ પણ વ્રતનો બીજાના દબાણથી ૧. આ નામનું એક નવમા પૂર્વમાં ત્રીજું પ્રકરણ છે, તે જ અહીં લેવાનું છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯-સૂત્ર ૪૯ બલાત્કારે ખંડન કરનાર હોય છે, કેટલાક આચાર્યો પુલાકને ચતુર્થ વ્રતના જ વિરાધક તરીકે માને છે. બકુશ બે પ્રકારના હોય છેકેઈ ઉપકરણબકુશ અને કઈ શરીરબકુશ. જેઓ ઉપકરણમાં આસક્ત હોવાથી જાત જાતનાં, કીમતી અને અનેક વિશેષતાવાળાં ઉપકરણો ઇછે, તેમજ સંગ્રહે છે, અને નિત્ય તેમના સંસ્કાર-ટાપટીપ કર્યા કરે છે, તે ઉપકરણબકુશ.” જે શરીરમાં આસક્ત હોવાથી તેની શોભા માટે તેના સંસ્કારો કર્યા કરે છે, તે “શરીરબકુશ.” પ્રતિસેવનાકુશીલ મૂળ ગુણોની વિરાધના કર્યા વિના જ ઉત્તર ગુણોની કાંઈક વિરાધના કરે છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકને તે વિરાધના હતી જ નથી. તીન (શાસન)ઃ પાંચે નિર્ચ બધા તીર્થકરેનાં શાસનમાં મળી આવે છે. કેટલાકનું એવું માનવું છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ તીર્થમાં નિત્ય હોય છે અને બાકીના – કષાયકુશીલ આદિ તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. (ચિહ્ન): એ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું છે. ચારિત્રગુણ એ ભાવલિંગ, અને વિશિષ્ટ વેષ આદિ બાહ્ય સ્વરૂપ તે દ્રવ્યલિંગ. પાંચે નિર્ગમાં ભાવલિંગ અવશ્ય હોય છે; પરંતુ વ્યલિંગ તે એ બધામાં હોયે ખરું અને ન પણ હોય. સ્થાઃ પુલાકને પાછલી તેજે, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યા હોય. બકુશ અને પ્રતિસેવનાકુશીલને યે લેશ્યા હેય. કષાયકુશીલ જે પરિહારવિશુદ્ધિચારિત્રવાળો હોય, તો તેને આદિ ઉક્ત ત્રણ લેશ્યા હેય; અને જે સૂકસંપરયવાળો ૧. દિગંબરીય ગ્રંથે ચાર લેસ્થા વર્ણવે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર સિદ્ધિ વિમલ અને તેના બાવીશ સાગરના હોય તે શુક્લ જ હોય. નિગ્રંથ અને સ્નાતકને શુકલ જ લેસ્યા હોય છે; પણ સ્નાતકમાં જે અગી હોય, તે અલેશ્ય હોય છે. ૩૫૫ત (ઉત્પત્તિસ્થાન)ઃ પુલાક આદિ ચાર નિર્ચ થે જધન્ય ઉપપાત સૌધર્મકલ્પમાં ૧પપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવમાં છે; ઉત્કૃષ્ટ ઉપપાત પુલાકને સહસ્ત્રાર કલ્પમાં વિશ સાગરોપમની સ્થિતિમાં છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અચુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિમાં છે; કષાયકુશીલ અને નિગ્રંથનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં છે; સ્નાતકનો ઉપપાત નિર્વાણ છે. - થાન (સંયમનાં સ્થાનો-પ્રકાર) : કવાયનો નિગ્રહ અને “ યોગને નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાને બધી વખતે એક સરખો હોઈ ન શકે, કષાય અને યોગના નિગ્રહવિષયક તારતમ્ય પ્રમાણે જ સંયમમાં પણ તરતમભાવ હોય છે. જે ઓછામાં ઓછી નિગ્રહ સંયમકટિમાં આવે છે, ત્યાંથી માંડી સંપૂર્ણ નિગ્રહરૂપ સંયમ સુધીમાં નિગ્રહની તીવ્રતા મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારે સંભવે છે; એ બધા પ્રકારે સંયમસ્થાન કહેવાય છે. એમાં જ્યાં સુધી કષાયને લેશ પણ સંબંધ હોય, ત્યાં સુધીનાં સંયમસ્થાને કષાયનિમિત્તક, અને ત્યાર પછીનાં માત્ર યોગનિમિત્તક સમજવાં. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે છેલ્લું સંયમસ્થાન સમજવું. જેમજેમ પૂર્વ પૂર્વવત સંયમસ્થાન, ૧. દિગંબરીય ગ્રંશે બે સાગરેપમની સ્થિતિ વર્ણવે છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૯ - સૂત્ર ૪૯ તેમતેમ કાષાયિક પરિણતિ વિશેષ; અને જેમજેમ ઉપરનું સંયમસ્થાન, તેમ તેમ કાષાયિકભાવ છે; તેથી ઉપરઉપરનાં સંચમસ્થાને એટલે વધારે ને વધારે વિશુદ્ધિવાળાં સ્થાને એમ સમજવું. અને માત્ર ગનિમિત્તક સંયમસ્થામાં નિષ્કષાયત્વરૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં જેમજેમ ગનિરોધ છે વધત, તેમતેમ સ્થિરતા ઓછી વધતી. યોગનિધની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હેય છે, એટલે માત્ર ગનિમિત્તક સંયમસ્થાને પણ અસંખ્યાત પ્રકારના બને છે. છેલ્લે સંયમસ્થાન જેમાં પરમપ્રકૃષ્ટ વિશુદ્ધ અને પરમપ્રકૃષ્ટ સ્થિરતા હોય છે, તે તેવું એક જ હોઈ શકે. ઉક્ત પ્રકારનાં સંયમસ્થાનમાંથી સૌથી જઘનત્યસ્થાને પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી સાથે જ વચ્ચે જાય છે; ત્યારબાદ પુલાક અટકે છે; પરંતુ કષાયકુશીલ એકલે ત્યાર બાદ અસંખ્યાત સ્થાને સુધી ચડળે જાય છે. ત્યાર પછી અસંખ્યાત સંયમસ્થાન સુધી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે વચ્ચે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે; ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે; અને ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી ચડી કષાયકુશીલ અટકે છે. ત્યારપછી અકષાય અર્થાત માત્ર નિમિત્તક સંયમ સ્થાને આવે છે, જેને નિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ તેવાં અસંખ્યાત સ્થાને સેવી અટકે છે. ત્યાર પછી એક જ છેટલું સર્વોપરી, વિશુદ્ધ અને સ્થિર સંયમસ્થાન આવે છે, જેને સેવી સ્નાતક નિર્વાણ મેળવે છે. ઉક્ત સ્થાને અસંખ્યાત હેવા છતાં તે દરેકમાં પૂર્ણ કરતાં પછીનાં સ્થાનની શુદ્ધિ અનંતાનંત ગુણ માનવામાં આવી છે. [૪૯] Page #587 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧૦ નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું નિરૂપણ થઈ જવાથી છેવટે બાકી રહેલ મોક્ષતત્વનું જ નિરૂપણ આ અધ્યાયમાં કમપ્રાપ્ત છે. હવે કૈવલ્યની ઉત્પત્તિના હેતુઓ કહે છેઃ मोहक्षयाज्ञानदर्शनावरणान्तरायक्षयाच વસ્ત્રમ્ ! ! મેહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાંયના ક્ષયથી કેવલ પ્રગટે છે. મેક્ષ પ્રાપ્ત થયા પહેલાં કેવલ ઉપયોગ (સર્વજ્ઞત્વ, સર્વદર્શિત) ની ઉત્પત્તિ જૈનશાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે; તેથી જ મેક્ષના સ્વરૂપનું વર્ણન કરતાં કેવલ ઉપયોગ કયાં કારણોથી ઉદ્દભવે છે, એ અહીં પ્રથમ વર્ણવવામાં આવ્યું છે. પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવલ ઉપયોગ આવિર્ભાવ પામે છે. એ પ્રતિબંધક કર્મો ચાર છે, જેમાંથી પ્રથમ મેહ જ ક્ષીણ થાય છે અને Page #588 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧૦ - સૂત્ર ૨-૩ ૩૯ ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદબાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો ક્ષય પામે છે. મોહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી જ અન્ય કર્મોને નાશ શક્ય બને છે. કેવલ ઉપયોગ એટલે સામાન્ય અને વિશેષ બંને પ્રકારને સંપૂર્ણ બેધ. આ સ્થિતિ જ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વની છે. [૧] હવે કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે અને મોક્ષન સ્વરૂપ કહે છે: बन्धहेत्वभावनिर्जराभ्याम् । २। શાર્મિસા મોઃ રૂ. બંધ હેતુઓના અભાવથી અને નિર્જાથી કર્મને આત્યંતિક ક્ષય થાય છે. સંપૂર્ણ કર્મને ક્ષય થવે એ મોક્ષ છે. એકવાર બંધાયેલું કર્મ કયારેક ક્ષય તે પામે છે જ; પણ તે જાતનું કર્મ ફરી બંધાવાને સંભવ હોય અગર તે જાતનું કઈ કર્મ હજી શેષ હોય, ત્યાં સુધી તેને આત્યંતિક ક્ષય થયો છે એમ ન કહેવાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મને અને નવા કર્મને બાંધવાની યોગ્યતાને અભાવ. મોક્ષની સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના નથી જ સંભવતી. તેથી એવા આત્યંતિક ક્ષયનાં કારણે અહીં બતાવ્યાં છે. તે બે છે: બંધહેતુઓને અભાવ અને નિર્જરા. બંધહેતુઓને અભાવ થવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે, અને નિર્જરાથી પ્રથમ બંધાયેલાં કર્મોને અભાવ થાય છે. બંધહેતુઓ મિયાદર્શન આદિ પાંચ છે, જેમનું કથન પહેલાં Page #589 -------------------------------------------------------------------------- ________________ કલર તાવાર્થ સૂત્ર થયેલું છે. તેમને યથાયોગ્ય સંવરધારા અભાવ થઈ શકે છે, અને તપ ધ્યાન આદિ દ્વારા નિર્જરા પણ સધાય છે. મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોને આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિ ચાર કર્મો બહુ જ વિરલ રૂપમાં શેષ હોવાથી મોક્ષ નથી તે; તે માટે તે એ શેષ રહેલ વિરલ કર્મોને ક્ષય પણ આવશ્યક છે. જ્યારે એ ક્ષય થાય છે, ત્યારે જ સંપૂર્ણ કર્મોને અભાવ થઈ, જન્મમરણનું ચક્ર બંધ પડે છે. એ જ મેક્ષ છે. [૩] હવે અન્ય કારણોનું કથન કરે છે: औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यकत्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।४। ક્ષાયિકસમ્યફવ, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને સિદ્ધવ સિવાયના પશમિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રગટે છે. પલિક કર્મના આત્યંતિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવોને નાશ પણ મેક્ષપ્રાપ્તિ પહેલાં આવશ્યક હોય છે. તેથી જ અહીં તેવા ભાવોના નાશનું મેક્ષના કારણ તરીકે કથન છે. એવા ભાવો મુખ્ય ચાર છે: ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિણામિક. આમાં ઔપશમિક આદિ પ્રથમ ત્રણ પ્રકારના તે દરેક ભાવ સર્વથા નાશ પામે છે જ. પણ પરિણામિકભાવની બાબતમાં એવો એકાંત નથી. પરિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે; બીજાને નહિ. કારણ કે જીવત, અસ્તિત્વ Page #590 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧૦ - સૂત્ર ૫-૬ . આદિ બીજા બધા પારિણામિક ભાવા મેાક્ષ અવસ્થામાં પણ હાય છે, ક્ષાયિકભાવ જો કે કર્માંસાપેક્ષ છે, છતાં તેના અભાવ મેાક્ષમાં નથી થતા. એ જ જણાવવા સૂત્રમાં ક્ષાયિક સમ્યક્ત્વ આદિ ભાવા સિવાયના ભાવાના નાશને મેાક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રમાં ક્ષાયિક વી, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક સુખાદિ ભાવાનું વન ક્ષાયિક સમ્યક્ત્વ આદિની પેઠે નથી કર્યું, છતાં સિદ્ધત્વના અમાં એ બધા ભાવેાને સમાવેશ કરી લેવાના હેાવાથી એ ભાવાનું વન પણ થઈ જાય છે. [૪] ૩૯૩ હવે મુક્ત જીવનુ મેાક્ષ પછી લાગલુ જ કા કહે છે : तदनन्तरमूर्ध्वं गच्छत्यालाकान्तात् । ५ । સંપૂર્ણ કા ક્ષય થયા પછી તુરત જ મુક્ત જીવ લેકના અંત સુધી ઊંચે જાય છે. સંપૂર્ણ કર્યાં અને તદાશ્રિત ઔપશમિક આદિ ભાવા નાશ પામ્યા કે તુરત જ એક સાથે એક સમયમાં ત્રણ કા થાય છે ઃ શરીરના વિયાગ, સિધ્યમાન ગતિ અને લાકાન્તપ્રાપ્તિ. [૫] હવે સિધ્યમાન ગતિના હેતુઓ કહે છે 0 पूर्वप्रयेोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च 'જ્ઞકૃત્તિ: । ૬ । પૂર્વ પ્રયાગથી, સ`ગના અભાવથી, અ ંધન તૂટવાથી અને તે પ્રકારના ગતિપરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે. આ સૂત્ર પછી સાતમા અને આઠમા નંબરવાળાં બે સૂત્રો નિંગ ખરીચ પર પશમાં છે. એ મને સૂત્રોના અર્થ અને શાબ્દિક વિન્યાસ પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં કહે છે જ, ૧. Page #591 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર જીવ કર્મથી છૂટો કે તુરત જ ગતિ કરે છે, સ્થિર રહેતો નથી. ગતિ પણ ઊંચી અને તે પણ લેકના અંત સુધી જ, ત્યારપછી નહિ, આવી શાસ્ત્રીય માન્યતા છે. એમાં પ્રશ્ન થાય છે કે, કર્મ કે શરીર આદિ પૌલિક પદાર્થોની મદદ વિના અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે ? અને કરે તે ઊર્ધ્વગતિ જ કેમ, અધોગતિ કે તીરછી ગતિ કેમ નહિ ? આ પ્રશ્નોને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે. છવદ્રવ્ય એ સ્વભાવથી જ પુલિદ્રવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલે જ છે કે પુદ્ગલ સ્વભાવથી અધોગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચી યા તીરછી દિશામાં ગતિ કરે છે તે તે અન્ય પ્રતિબંધક દ્રવ્યના સંગને લીધે યા બંધનને લીધે એમ સમજવું. એવું દ્રવ્ય તે કર્મ. જ્યારે કર્મને સંગ છૂટો અને તેનું બંધન તૂટયું ત્યારે કઈ પ્રતિબંધક તો નથી જ રહેતું એટલે મુક્ત જીવને પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાનો પ્રસંગ આવે જ છે. આ પ્રસંગે પૂર્વપ્રયાગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વપ્રયાગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલે વેગઆવેશ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલે ચાક લાકડી અને હાથ ઉઠાવી લીધા પછી પણ પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરે જ છે. એની ઊર્ધ્વગતિ લેકના અંતથી આગળ નથી ચાલતી. તેનું કારણ ત્યાં ધર્માસ્તિકાયને અભાવ એ જ છે. પ્રતિબંધક કર્મેદ્રવ્ય ખસી જવાથી જીવની ઊર્ધ્વગતિ કેવી Page #592 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧૦- સૂથ ૭ ૩૯૫ રીતે સુકર થાય છે, તે સમજાવવા તુંબડાન અને એરંડબીજનો દાખલે આપવામાં આવે છે. અનેક લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડયું રહે છે, પણ લે ખસી જતાં જ તે સ્વભાવથી જ પાણું ઉપર તરી આવે છે; કેશ (ડવા) માં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડી બહાર નીકળે છે, તેમ કર્મબંધન દૂર થતાં જ જીવ ઊર્ધ્વગામી બને છે. [૧] હવે બાર બાબતે વડે સિહની વિશેષ વિચારણા કરે છે? क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितशानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः । ७। ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબેધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહુત્વ એ બાર બાબતે વડે સિદ્ધ જીવો ચિંતવવા. સિદ્ધ છનું સ્વરૂપ વિશેષપણે જાણવા માટે અહીં બાર બાબતેનો નિર્દેશ કર્યો છે. એ દરેક બાબત પર સિદ્ધનું સ્વરૂપ વિચારવાનું છે. જો કે સિદ્ધ થયેલ સમગ્ર છમાં ગતિ લિંગ આદિ સાંસારિક ભાવો ન હોવાથી કોઈ ખાસ પ્રકારને ભેદ નથી જ હોતે, છતાં ભૂતકાળની દૃષ્ટિએ તેઓમાં પણ ભેદ કલ્પી અને વિચારી શકાય. અહીં ક્ષેત્ર આદિ જે બાર બાબતને લઈ વિચારણા કરવાની છે, તે દરેક બાબતમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દૃષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી તે નીચે પ્રમાણે હોત્ર (સ્થાન – જગ્યા: વર્તમાન ભાવની દૃષ્ટિએ બધાને. સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધક્ષેત્ર અર્થાત આત્મપ્રદેશ અગર આકાશપ્રદેશ છે. ભૂતભાવની દૃષ્ટિએ એમનું સિદ્ધ થવાનું Page #593 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ લાયસૂત્ર સ્થાન એક નથી, કારણ કે જન્મદષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાક સિદ્ધ થનાર હોય છે અને સંહરણદષ્ટિએ સમગ્ર માનુષક્ષેત્રમાંથી સિદ્ધિ મેળવી શકાય છે. (અવસર્પિણી આદિ લૌકિક કાળ) : વર્તમાનદષ્ટિએ સિદ્ધ થવાનું કેઈ લૌકિક કાળચક્ર નથી અને એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જન્મની અપેક્ષાએ અવસર્પિણ ઉત્સર્પિણી અને અનવસર્પિણી અનુત્સર્પિણીમાં જન્મેલે સિદ્ધ થાય છે. એ જ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાલમાં સિદ્ધ થાય છે. પતિ: વર્તમાનદષ્ટિએ સિદ્ધગતિમાં જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જો છેલ્લે ભવ લઈ વિચારીએ, તે મનુષ્યગતિમાંથી અને છેલ્લાના પહેલા ભવ લઈ વિચારીએ, તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે. હિંગ: એટલે વેદ અને ચિહ્ન પહેલા અર્થ પ્રમાણે વર્તમાનદૃષ્ટિએ અવેદ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અલિંગ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જે ભાવલિંગ અર્થાત્ આંતરિક ગ્યતા લઈને વિચારીએ તે સ્વલિંગે અર્થાત વીતરાગપણે જ સિદ્ધ થયા છે; અને વ્યલિંગ અર્થાત બાહ્યવેશ લઈ વિચારીએ તે સ્વલિંગ અર્થાત જૈનલિંગ, પરલિંગ અર્થાત જેનેતરપથનું લિંગ, અને ગૃહસ્થલિંગ એમ ત્રણે લિંગે સિદ્ધ થાય છે. * સીકેઈ તીર્થકરરૂપે અને કોઈ અતીર્થકરરૂપે સિદ્ધ થાય છે. અતીર્થ કરમાં કોઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કઈ તીર્થ ચાલુ ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૧૦- સૂત્ર ૭ ૩૯૭ ચારિત્ર: વર્તમાનદષ્ટિએ સિદ્ધ થનાર ચારિત્રી નથી હોતો. ભૂતદએિ જે છેલ્લે સમય લઈએ તો યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થાય છે. અને તે પહેલાં સમય લઈએ તે ત્રણ, ચાર અને પાંચે ચારિત્રથી સિદ્ધ થાય છે. સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ત્રણ અથવા છેદોપસ્થાપનીય, સૂમસંe, તથા યથાખ્યાએ ત્રણ, સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંe, તથા યથાખ્યા. એ ચાર, તેમજ સામા, છેદપસ્થા, પરિહારવિ, સૂક્ષ્મસં), તથા યથાપ્યા. એ પાંચ ચારિત્ર સમજવાં. - પ્રવુધિત એટલે પ્રત્યેકબધિત અને બુધિત. પ્રત્યેકબધિત અને બુદ્ધિબધિત બંને સિદ્ધ થાય છે. જે કોઈના ઉપદેશ વિના પિતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય, તે “સ્વયં બુદ્ધ બે પ્રકારના છે. એક અરિહંત અને બીજા અરિહંતથી ભિન્ન જેઓ કેઈ એકાદ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પામી સિદ્ધ થાય તે આ બંને પ્રત્યેકબધિત કહેવાય છે. જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય, તે બુદ્ધાધિત. એમાં વળી કોઈ બીજાને બેધ પમાડનાર પણ હોય છે અને કેઈ માત્ર આત્મકલ્યાણસાધક હોય છે. જ્ઞાન : વર્તમાનદષ્ટિએ ફક્ત કેવળજ્ઞાનવાળા જ સિદ્ધ થાય છે, ભૂતદષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળો સિદ્ધ થાય છે. બે એટલે મતિ, મૃત; ત્રણ એટલે મતિ, મુત, અવધિ કે મતિ, મૃત અને મન:પર્યાય; અને ચાર એટલે મતિ, શ્રત, અવધિ અને મનઃ પર્યાય. અવાહના(ઊંચાઈ): જઘન્ય અંગુલપૃથફત્વહીન સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ ઉપર ધનુષપૃથકુત્વ જેટલી અવગાહ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ તત્વાર્થસૂત્ર નામાંથી સિદ્ધ થાય છે. આ તે ભૂતદષ્ટિએ કહ્યું. વર્તમાનદૃષ્ટિએ કહેવું હોય તે, જે અવગાહનામાંથી સિદ્ધ થયે હોય, તેની જ બે તૃતીયાંશ અવગાહના કહેવી. - અન્તર (વ્યવધાન) : કોઈ એક સિદ્ધ થયા પછી લાગલા જ જ્યારે બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે. જ્યારે કેઈની સિદ્ધિ પછી અમુક વખત ગયા બાદ જ સિદ્ધ થાય, ત્યારે તે સાંતરસિદ્ધ કહેવાય છે. બંને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. પંડ્યાઃ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસે આઠ સિદ્ધ થાય છે. કલ્પવદુત્વ (ઓછા વધતાપણું): ક્ષેત્ર આદિ જે અગિયાર બાબતો લઈ ઉપર વિચાર કરવામાં આવ્યું છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદોનું અંદર અંદર ઓછાવધતાપણું વિચારવું તે અ૫હત્વવિચારણા. જેમકે ક્ષેત્રસિદ્ધમાં સંહરસિદ્ધ કરતાં જન્મસિદ્ધ સંખ્યાતગુણ હોય છે. તેમજ ઊáલેકસિદ્ધ સૌથી થોડા હોય છે. અલેકસિદ્ધ તેથી સંખ્યાતગણ અને તિર્યશ્લેકસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી થોડા હોય છે અને પસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. આ રીતે કાલ આદિ દરેક બાબત લઈ અલ્પબહુત્વને વિચાર કરવામાં આવ્યો છે, જે વિશેષાથીએ મૂળ ગ્રંથમાંથી જાણું લે. [૭] Page #596 -------------------------------------------------------------------------- ________________ પૂતિ કેટલાક મુદ્દાઓ વિષે વિશેષ વિવરણ નીચે આપ્યું છે. પાન ૬૪ઃ પહેલી લીટી તથા તે પછીને ફકરો નીચે પ્રમાણે વાંચવાં – તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો છે. અને પછી પ્રથમ નૈગમના (ભાષ્યમાં જણાવ્યા પ્રમાણે) દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એવા બે તથા પાંચમા શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદે છે. પન [લીટી ૨૦]: નૈામના શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનેટ સમજવી: નગમના શ્રી ઉમાસ્વાતિએ સૂચવેલા બે ભેદની વ્યાખ્યા આ પ્રમાણે –ઘટ-પટ જેવા સામાન્ય બોધક નામથી જ્યારે એકાદ ઘટ-પટ જેવી અર્થવસ્તુ જ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર દેશ પરિક્ષેપી નૈગમ, અને જ્યારે તે નામથી વિવક્ષિત થતા અર્થની આખી જાતિ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર સર્વપરિક્ષેપી નગમ કહેવાય છે. પાન ૭૨ [લીટી ૧૩]: નચ શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનોટ સમજવી : સૂત્રમાં શ્રીઉમાસ્વાતિએ શબ્દનયના સૂચવેલ ત્રણ ભેદો પૈકી પ્રથમ ભેદ સાંપ્રત છે. એટલે કે, નયે Page #597 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર એવું સામાન્ય પદ સાંપ્રત, સમભિરૂઢ, અને એવંભૂત એ ત્રણ ભેદોને આવરે છે; પરંતુ ચાલુ બધી પરંપરાઓમાં સાંપ્રત નામના પહેલા ભેદમાં જ શબ્દનય એ સામાન્ય પદ રૂઢ થઈ ગયું છે અને સાંપ્રતની પદનું સ્થાન “શબ્દનય” પદે લીધું છે. તેથી અહીં સાંપ્રતનયની સામાન્ય વ્યાખ્યા ન આપતાં આગળની વિશેષ સમજૂતીમાં રન પદને જ વ્યવહાર કર્યો છે. અને તેની જે સમજૂતી આપી છે, તે જ ભાષ્યકથિત સાંપ્રતનયની સમજૂતી સમજવી ઘટે છે. પાન ૨૪ [લીટી ૮ ]: અગુરુલઘુ શબ્દ જૈન પરંપરામાં ત્રણ સ્થળે જુદા જુદા અર્થોમાં વપરાય છે : (૧) આત્માના જ્ઞાન, દર્શન આદિ જે આઠ ગુણો આઠ કર્મથી આવાયે– આવરણ યોગ્ય–મનાયા છે, તેમાં એક અગુરુલઘુત્વ નામે આત્મગુણ છે, જે ગોત્રકર્મથી આવાર્ય છે. ગોત્રકર્મનું કાર્ય જીવનમાં ઉચ્ચનીચ ભાવ આપવાનું છે. જન્મથી, જાતિકુળથી, દેશથી, રૂપરંગથી અને બીજા અનેક નિમિત્તોથી લેકવ્યવહારમાં જીવો ઉચ્ચ કે નીચ વ્યવહારાય છે. પણ આત્માઓ સમાન છે, કેઈ નથી ચડતો કે કઈ નથી ઊતરતે. આ રીતે શક્તિ અને યોગ્યતામૂલક જે સામ્ય છે તે સામ્યને ટકાવી રાખનાર જે સહજ ગુણ કે શક્તિ તે અગુરુલઘુત્વ. (૨) અગુરુલઘુ નામ એ પ્રકારનું એક કર્મ છે જે છઠ્ઠા નામકર્મના પ્રકારમાં આવે છે તેનું કૃત્ય આગળ ઉપર [પા. ૩૩૫] નામકર્મની ચર્ચા પ્રસંગે દર્શાવેલું છે તે ત્યાંથી જોઈ લેવું. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ (૩) પ્રથમ નંબર ઉપર જે અગુરુલઘુત્વની વ્યાખ્યા કરી છે તે અગુરુલઘુત્વ માત્ર આત્મગત છે; જ્યારે પ્રસ્તુત અગુરુલઘુ ગુણ બધાં જ જીવ અજીવ દ્રવ્યને વ્યાપે છે. જે દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ હોય તે ક્યારેક પણ એમ કેમ ન બને કે તે દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે પણ પરિણામ પામે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં રહેલી જુદી જુદી શક્તિઓ અર્થાત્ ગુણો પિતપોતાનાં પરિણામ ઉત્પન્ન કર્યા જ કરે છે તે કઈ એક શક્તિ પિતાના પરિણામની નિયત ધારાની સીમા બહાર જઈ અન્ય શક્તિનાં પરિણામો કેમ ન જન્માવે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં જે અનેક શક્તિઓ સ્વીકારાઈ છે તે પિતાનું નિયત સચરત્વ છોડી વિખરાઈ કેમ ન જાય ? આ ત્રણે પ્રશ્નનો ઉત્તર અગુરુલઘુગુણથી અપાય છે. આ ગુણ બધાં જ દ્રવ્યોમાં નિયામક પદ ભોગવે છે જેથી એક દ્રવ્ય દ્રવ્યાન્તર થતું નથી, એક ગુણ ગુણાન્તરનું કાર્ય કરતા નથી અને નિયત સહભાવી ગુણે પરસ્પરથી વિખૂટા પણ પડતા નથી. અગુરુલઘુગુણની છેલ્લી વ્યાખ્યા ગ્રંથના સુસ્પષ્ટ આધાર સિવાય મેં વિચારેલી. હું એને સંવાદ શોધતે. મને કંઈ પૂછતું ત્યારે આ વ્યાખ્યા કહેતે પણ સંવાદ મેળવવાની જિજ્ઞાસા રહેતી જ. પ્રસ્તુત નેંધ લખવાનો સમય આવ્યો ત્યારે એકાએક સ્વ. પંડિત ગોપાલદાસજી બરૈયાની શ્રી જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પુસ્તિકા હાથમાં આવી. જેમાં શ્રીયુત બરૈયાજીએ પણ એવો જ વિચાર દર્શાવેલ છે. એટલે આટલે અંશે મારા વિચારને સંવાદ મળ્યો કહેવાય. તેથી હું એને આ સ્થળે ધું છું. વિશિષ્ટ અભ્યાસીઓ વધારે શોધ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ તત્વાર્થસૂત્ર કરે. પં. બરૈયાજી જૈન તત્ત્વજ્ઞાનના પ્રમાણભૂત અસાધારણ જ્ઞાતા હતા. ઉપર જે અગુરુલઘુગુણ માનવા માટે દલીલ આપવામાં આવી છે, લગભગ તેના જેવી જ એક દલીલ જૈન પરંપરામાં મનાયેલ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના સમર્થનમાં આપવામાં આવે છે. તે તુલનાદષ્ટિએ જાણવા જેવી છે. જડ અને ચેતના ગતિશીલ હોવાથી આકાશમાં ગમે ત્યાં ચાલ્યાં ન જાય તે માટે ઉક્ત બંને કાયા નિયામક તરીકે માનવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે એને લીધે ગતિશીલ દ્રવ્યોની ગતિસ્થિતિ લેકક્ષેત્ર પૂરતી મર્યાદિત રહે છે. જેમ આ બંને કા ગતિસ્થિતિના નિયામક તરીકે મનાયા છે; તેમજ અગુલઘુગુણ વિષે સમજવું. ગતિસ્થિતિની મર્યાદા માટે ગતિસ્થિતિશીલ પદાર્થોને સ્વભાવ જ માનીએ અગર આકાશને એવો સ્વભાવ માનીએ અને ઉક્ત કાયે ન માનીએ તે શું ખોટું? એવો પ્રશ્ન થાય ખરે. પણ આ વિષય અહેતુવાદનો હોવાથી માત્ર સિદ્ધનું સમર્થન કરવાનું રહે છે. તે વિષય હેતુવાદ કે તર્કવાદને નથી કે જેથી માત્ર તર્કબળે એ કાને સ્વીકાર કે અસ્વીકાર કરવો ઘટે. અગુરુલઘુગુણના સમર્થનની બાબતમાં પણ અહેતુવાદને આશ્રય જ મુખ્યપણે લેવાને. હેતુવાદ છેવટે અહેતુવાદની પુષ્ટિ અર્થે જ છે એમ માન્યા વિના ન ચાલે. આવી રીતે બધાં જ દર્શનમાં અમુક વિષય હેતુવાદ અને અહેતુવાદની મર્યાદામાં આવે છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ તત્વાર્થસૂત્રને મૂળપાઠ તત્વાર્થસૂત્રને કે પાઠ મૂળરૂપમાં બને પરંપરામાં જળવાઈ રહ્યો છે, તે અંગે ખાતરીપૂર્વક કથન કરવું તે એક ચર્ચાસ્પદ પ્રશ્ન છે. એની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક ભાવનાથી વિમુક્ત રહીને આ અંગે વિચારણા કરવામાં આવે તે પ્રસ્તુત પ્રશ્ન અર્થપૂર્ણ અને મહત્ત્વનું બની રહે છે. કર્તાને સમય ગુપ્તયુગ જેને માટે એક ઘેર અજ્ઞાનને કાળ હતો, તે પછી સામાજિક-આર્થિક બળે તેમને ઉત્તરમાંથી પશ્ચિમ અને દક્ષિણમાં સ્થળાંતર કરવાની ફરજ પાડી તે કારણે, તેમજ તે સાથે આકસ્મિક પ્રાણઘાતક દુષ્કાળ જેવી આક્ત અને એના પરિણામરૂપ બેલાવેલી વલ્લભીની ધર્મસભામાં જૈન સંઘ વર્તમાનમાં પ્રાપ્ત તાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયો. દેશાંતર ગયેલાઓ સાથે સ્થળાંતર થયેલ સભાષ્ય તત્વાર્થસૂત્ર જરૂરી પરિવર્તન પામી સર્વાર્થસિદ્ધિ સાથે સંકળાયેલ દિગંબર પાઠ તરીકે સ્થાપિત થયું. આ પ્રમાણે જોઈએ તે તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ જૈન ધર્મના ઈતિહાસના એવા વળાંક પર આવીને ઊભા રહે છે કે જ્યાંથી તેણે બન્ને પરંપરાઓ પર અગાધ પ્રભાવ પાડ્યો છે. આ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે કેમકે એના નિર્ણયક ઉકેલ અર્થે પ્રમાણિક પ્રમાણેની અન્વેષણ કરવી તે અત્યંત કઠિન કાર્ય છે. અત્રે જુદા જુદા ત્રણ દષ્ટિબિન્દુથી તે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. (૧) ભાષાગત પરિવર્તન (૨) વિલેપન અને વૃદ્ધિ અને (૩) સૂત્રગત મતભેદ. અત્રે પ્રથમ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ તરવાથસૂત્ર તે કહી દેવું ઉચિત જણાય છે કે આ પ્રશ્ન હલ કરવા મુખ્યત્વે છેલ્લા બે સાધનને વિનિયોગ કરવામાં આવ્યો છે કે જે તપૂર્ણ સમુચિત નિર્ણય તારવી આપવા માટે અસમર્થ જણાય છે. ભાષાગત અધ્યયન કે જેની પાસે સફળ પરિણામની અપેક્ષા રાખી શકાય તે પણ આશ્ચર્યકારક રીતે નિષ્ફળ નીવડયું છે. અત્રે એ નોંધવું જોઈએ કે તત્વાર્થસૂત્રનું ભાગ પણ છે કે નહીં તેની ચકાસણી કરવાનો પ્રશ્ન પ્રસ્તુત પ્રશ્ન સાથે સંકળાયેલ છે. પણ તેને આપણે બાજુ પર રાખીએ છીએ કેમકે તે સ્વયં એક મોટો પ્રશ્ન છે કે જેને માટે એક જુદું જ પ્રકરણ લખવું જરૂરી બને. આપણે પ્રસ્તુત વિવેચનને આરંભ તત્ત્વાર્થસૂત્રના બન્ને સંસ્કરણમાં પ્રાપ્ત થતા ભાષાગત પરિવર્તનની મોજણીથી કરીશું. આ પ્રશ્ન હલ કરવા માટે પ્રસ્તુત સૂત્રોને એની વિશેષતાને આધારે વિભિન્ન વર્ગોમાં એક સાથે મૂકવામાં આવ્યા છે. અને તેનું મૂલ્યાંકન સંદર્ભની અપેક્ષાએ અર્થની સ્પષ્ટતાના આધારે કરવામાં આવ્યું છે. પ્રત્યેક વર્ગને અંતે આપવામાં આવેલ અંક આ પ્રકારના મૂલ્યાંકનને સૂચવે છે. કૌંસની બહારની સંખ્યા વેતાંબર સૂત્રો, નાના કૌંસ ( ) ની અંદર એક દિગંબર સૂત્રો તથા મેટા કોંસ [ ]ની અંદરને અંક અનિષ્ણુત સૂત્રોને નિર્દેશ કરે છે. ઉદાહરણ અર્થે ૩, (૨), [૧] નું તાત્પર્ય એ છે કે આ વર્ગના કુલ છ સૂત્રોમાંથી શ્વેતાંબરને માન્ય એવા ત્રણ સૂત્ર અને દિગંબરને માન્ય એવાં બે સૂત્ર અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતર છે. તથા એક સૂત્ર અંગે ચોક્કસપણે કંઈ પણ કહેવું કઠિન છે દિગંબર સૂત્રોને સર્વત્ર કૌંસમાં અંતર્ગત મૂકવામાં આવ્યાં Page #602 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ ૪૦૫ છે. અને એને સૂવાંક નાના કૌંસમાં આપવામાં આવ્યો છે. અત્રે સર્વ સ્ત્રોતમાંથી જે સામગ્રી સંકલિત કરવામાં આવી છે તે પ્રર્યાપ્ત નથી પણ કઈ વાજબી તારણ કરવા માટે અપર્યાપ્ત પણ નથી, આ ચર્ચાવિચારણામાં તરવાથધિમસૂત્ર [સમાધ્ધીસંપા. શ્રી કેશવલાલ પ્રેમચંદ મેદી (કલકતા, ૧૯૦૯) તથા સર્વાર્થસિદ્ધિ, સંપા. કુલચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી (બનારસ, ૧૯૭૧) એ બે ગ્રંથને ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેખ તૈયાર કરવામાં ડો. કૃણકુમાર દીક્ષિતે જે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે તે માટે હું એમની અત્યંત આભારી છું. ૧. ભાષાગત પરિવર્તન ૧. શબ્દો તેમજ સૂત્રોને કમ (१) १२, २ ६५: नारकदेवानाम् । नारकदेवानाम् १.(२१) २., (३४) देव-नारकाणाम्। देव नारकाणाम् આગમમાં ચાર ગતિનું વર્ણન નિયમ પ્રમાણે નિમ્ન ક્રમથી આરંભાઈ ઉચ્ચ ક્રમે પૂર્ણ થયું છે કેમકે ત્રણે લેકનું વર્ણન ચડતા ક્રમે જ કરવામાં આવ્યું છે. શ્વેતાંબર પાઠ આગમ સાથે સામ્ય ધરાવે છે. જ્યારે દિગંબર પાઠ વ્યાકરણ અનુસાર છે. ૦, (), [૨ (૨) ૬.૬ અત્રત-સાઉથ-fr... इन्द्रियकषायावतक्रिया: ... મrafઅવાજ... ... માવધિવર-વીર્ય.. ૮. ૨૦ ... વાચ-પાય.... .-૨૬ Page #603 -------------------------------------------------------------------------- ________________ લવાથસૂત્ર ... અaષા-પાય સૂત્ર ૬. () માં શબ્દને ક્રમ માનસિક કે આમિક પ્રક્રિયા પર આધારિત કાર્ય-કારણ ભાવ પ્રમાણે હોય એમ જણાય છે. અથવા સામ્પરાયિક આસવના સર્વાધિક મહત્ત્વપૂર્ણ કારણરૂપ ઈન્દ્રિય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનાંગ ૫. ૨. ૫૧૭ અને સમવાયાંગ ૫. ૧૬ જેવા આગમમાં પાંચ આસવને ઉલ્લેખ છે. જેમકે, મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેને તત્વાર્થ સૂત્ર ૮.૧ માં બંધનાં કારણે ગણાવવામાં આવ્યાં છે. ત્યાર પછીના 2માં પ્રમાદનો સામાન્યતઃ અવિરતિ અથવા કષાયમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સૂત્ર ૬૬ પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સૂત્રકાર આગમિક પરંપરાને અનુસરે છે. સૂત્ર ૬.૭ માં તે વિશેષ સ્પષ્ટ થાય છે–પ્રથમ કેમકે ભાવ અને વીર્ય ક્રિયાના આત્મિક અને કાયિક રૂપ છે. બીજુ, અધિકરણનું પ્રતિપાદન ત્યાર પછીના સૂત્રમાં જ કરવામાં આવ્યું છે. સૂત્ર ૮.૧૦ ને શ્વેતાંબર પાઠ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ છે. કર્મશાસ્ત્રીઓએ નોકષાય શબ્દને પ્રવેગ પારિભાષિક સંજ્ઞા તરીકે કર્યો છે. સંસ્કૃતમાં અકષાય શબ્દ અર્થ અંગે શ્રમ કરનાર છે. ૨, (), [૧] ૩). ૧ ૩૨ (રર) રેનાઝ રૂર (રૂ) विपरीतं मनोक्षस्य સૂત્ર ૧. ૨૧ (૨૨) અમનોજ્ઞ સાથે સંકળાયેલ છે. એટલે દક્ષિણી (દિગંબર) પાઠમાંથી કોઈ અર્થ નિષ્પન્ન થતો નથી. ૧, (૦). [૧] Page #604 -------------------------------------------------------------------------- ________________ ૨. સમાસ ५. २२ (२२) ६. १३ (१२) 3. शब्दविन्यास (१) ६. १६ (१५) તત્ત્વાર્થસૂત્રને મૂળપાઠં संयम... શબ્દોના સમાસ, આમ તે આપણને દેખીતીરીતે સ્પષ્ટ અભિવ્યક્તિથી પ્રભાવિત કરે છે. તે પણ પ્રત્યેકની મહત્ત્વપૂર્ણ અવધારણામાં કેટલીક ન્યૂનતા રહી જાય છે. એટલે શ્વેતાંબર પાઠ વધુ ઉપયુક્ત છે. २, ( ० ), [ ० ] बहवारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः नारकस्यायुषः " वर्तना परिणामः क्रिया वर्तनापरिणामक्रियाः " ... भूतवत्यनुकम्पा दानं सरागसंयम... ७. ४ (९) ७. ७ (१२) " सूत्र ६. ૧૬ તેમજ ૭. ૪ માં ‘~'સયાજક જરૂરી नयी. परंतु सूत्र ७.७ (१२) भां वा स्थाने 'च' वधु योग्य छे. ... भूतवत्यनुकम्पादानसराग 29 ४०७ १, ( २ ), [ ० ] [५.२ भाष्य-उक्तं हि द्रव्येष्वसर्व पर्यायेषु...] (२६) द्रव्येष्वसर्व पर्यायेषु (२) १.२७ सर्वद्रव्येष्वसर्व पर्यायेषु इहामुत्र इहामुत्र . स्वभावौ च संवेग... वा Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪. J S २. ७ २. २१ (२०) ३. १ (१) ४. ९ (८) ४. १३ (१२) ४. ५२ (४१) ६. १५ (१४) ६. २३ (२४) ७. २९ (३४) ७. ३२ (३७) १०. ६ (६) ... તત્ત્વાર્થ સૂત્ર दानादिलब्धय... लब्धय.. जीवभव्यभव्ययत्वादीनि च जीव- भव्याभव्यत्वानि शब्दास्तेषामर्थाः शब्दास्तदर्थाः धोऽधः पृथुतरा: [ भाष्य - रत्नप्रभा सप्त अधोऽधः ] अधोऽधः प्रवीचाराः इयेाईयेाः प्रवीचाराः .. ... ... ... ... सूर्याचन्द्रमसेो... सूर्याचन्द्रमसौ. आदान.. निदानकरणानि निदानानि परिणामाच्च तद्गतिः परिणामाच्च जघन्या त्वष्टभाग: तदष्टभागोऽपरा तीवात्मपरिणाम .. तीव्र - परिणाम... संघ- साधु-समाधि.. समाधि... आदान-निक्षेप... साधु Page #606 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્રને મૂળપાઠ ૪૦૯ સૂત્ર ૧. (૨૬)માં “સર્વ' શબ્દ ઉમેરવાથી એના અર્થની સંદિગ્ધતા દૂર થઈ જાય છે. “લબ્ધિ” શબ્દ અન્ય અર્થોમાં પણ પ્રયુક્ત થાય છે. એટલે સૂત્ર : ૨ (૫) માં “દાનાદિ શબ્દ જરૂરી છે. સૂત્ર ૨.૭ માં “માલીનિ' શબ્દ છવના એ લક્ષણોને માટે પ્રયોજવામાં આવ્યા છે કે જેનો ઉલ્લેખ પૂર્વના કોઈ સૂત્રમાં થયું નથી. ઉ. ત. કર્તવ, ભકતૃત્વ આદિ. “a” શબ્દથી એ અર્થ નિષ્પન્ન થઈ શકતો નથી. એનાથી દ્રવ્યના સામાન્ય લક્ષણ જેવા કે અસ્તિત્વ, ગુણવત્ત્વ આદિને બંધ થાય છે. એટલે આ સૂત્રમાં “શારીરિ' શબ્દ અપેક્ષિત છે. સૂત્ર ૨. (૨૦) માં “તત્ શબ્દથી અસ્પષ્ટતા આવે છે. સુત્ર રૂ.૧ માં “પૃથુતરા” શબ્દ ઉમેરવાથી જૈન મત પ્રમાણેના “અલેક’ની રચનાનું તાત્પર્ય તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. સૂત્ર ૪.૧ ને વેતાંબર પાઠ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. સૂત્ર ક્ર. ૧૨ માં જૈન મતાનુસાર ચન્દ્ર અને સૂર્યની અનેકતાને સુસ્પષ્ટ કરવામાં આવી છે. સૂત્ર ક. ૨ (૪૧) માં તાંબર પાઠથી અર્થ વધુ સ્પષ્ટ બને છે. “રામ” શબ્દ કષાય–પરિણામ, લેશ્યા–પરિણામ, યોગપરિણામ આદિ અર્થોમાં પ્રયોજાયો છે. એટલે સત્ર ૬.૧૫ માં “આત્મ–રિજન' શબ્દ વધુ સ્પષ્ટ અર્થનો ઘાતક બને છે. “સંધ એક સ્વતંત્ર અવધારણા છે. એટલે સૂત્ર ૬.૨૪ માં એનો સમાવેશ જરૂરી છે. “આદાન-નિક્ષેપ” એ એક પારિભાષિક શબ્દ છે એટલે એને એવી રીતે મૂકવો જોઈએ કે જે તે જેવી રીતે સૂત્ર ૭.૨૬ (રૂ ) માં છે. જ્યાં સુધી સૂત્ર ૭.૩૨ (૨૭) ને લાગેવગળે છે, ત્યાં સુધી. બાકીના બધા સમાસ સંજ્ઞા અને ક્રિયામાંથી સંયુકત રૂપે ઘડી કાઢવામાં Page #607 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર साव्या छ. मेटले 'निदान-करणानि' ५४ वधु सुसमत छ. सूत्र १०. ६ (६)नु विषय वस्तु 'ताति' छे. मेटसे मेने ઉલ્લેખ પણ સૂત્રમાં હવે જોઈએ. 13. (०), [.] (३) १. २३ यथोक्त निमित्तः [भाष्य-यथोक्त निमित्तः क्षयोपशम-निमित्त इत्यर्थः] (२२) क्षयोपशम-निमित्तः .. २. ३८ तेषां परं पर सूक्ष्मम् (३७) परं पर सूक्ष्मम् ३. १० तत्र भरत... (१०) भरत... ६. २२ विपरीतं शुभस्य (२३) तद्विपरीतं शुभस्य ७. ६ मैत्री-प्रमोद कारुण्य-माध्यस्थानि ., " " , च ८. ७ मत्यादीनाम् मतिश्रुतावधिमनःपर्ययकेवलानाम् ८. १४ दानादीनाम् [भाष्य-अन्तरायः पजविधः तद्यथा-दानस्यान्त रायः लाभस्यान्तरायः ... (१३) दान-लाभ-भोगोपभोग-वीर्याणाम् Page #608 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રનો મૂળપાઠ ૪૧૧ અમાં વેતાંબર પાઠમાં ભાષ્યના વ્યાખ્યાત્મક શબ્દો ઉમેરવાથી કે બિન જરૂરી શબ્દોને દૂર કરવાથી કે ઓછામાં ઓછા શબ્દ ઉમેરી બનાવવામાં આવનાર દિગબર સૂત્રો દ્વારા વધુ સ્પષ્ટ અર્થો નિષ્પન્ન થાય છે. સુત્ર ૮.૭ અને માં ૧૪ પ્રયુક્ત કરિ શબ્દના અર્થ માટે પૂર્વેના સૂત્ર ૧.૧ અને ૨.૪ જોવા જોઈએ. ૦, (૭), [...] (૪) રૂ. ૨ તાપુ ના મિષ્ટા-રત્નમાં નવાણાના વિંછતસાજિशेषासु पचविंशतिः नरकशतसहस्रम् - इत्याषष्ठ्याः ] સાણ જિરાત-વંવિરાસ... यथाक्रमम् ૭. ર૭ ... પિત્તાન (૩ર) ... તમારા નવનિ ૮. ૮ .. સ્વાદિ- વેચન s આ સૂત્રો પ્રકીર્ણ પ્રકારના છે, જેના પાઠભેદનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. સૂત્ર ૮.૮ માં પ્રત્યેક પ્રકારની નિંદ્રાની સાથે વેર શબ્દ ઉમેરવાથી એની અનુભૂતિને ચોક્કસ અર્થ પ્રગટે છે. એમ તે આ શબ્દને સૂત્રમાંથી દૂર કરવામાં આવે તે પણ એના અર્થમાં કોઈ ન્યૂનતા આવતી નથી. : Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તરવાથસૂત્ર , (), [૩] જે ૨૨, (૬) [૬] રૂા. ૪. બે સૂત્રોની એક સૂત્રમાં અભિવ્યક્તિ (૧) દિગંબર સંસ્કરણના બે સૂત્રોને શ્વેતાંબર સંસ્કરણમાં એક સૂત્રમાં સમાવેશ : ૨ द्रव्याणि जीवाश्च (૨૩) द्रव्याणि । जीवाश्च अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवा जव च मानुषस्य (૨૭૨૮) અહવામ-બિલ્વે માનુષ૪ स्वभाव-मार्दवच આ સંદર્ભમાં સૂત્ર ૫.૨ નું (૨) અને (૩)માં વિભાજન કરવામાં આવ્યું છે તે યોગ્ય છે. સૂત્ર ૬૧૮ માં 'સાર્ક' શબ્દ જે રીતે ઉમેરાયેલે છે, તે યોગ્ય છે. કેમકે અલ્પારંભ આદિ તેમજ સ્વભાવ–માર્દવ આદિની અવધારણામાં કઈ બહુ મોટો ફરક નથી. ૦, (૧), [૧] (૨) શ્વેતાંબર સંસ્કરણના બે સૂત્રોને દિગંબર સંસ્કરણમાં એક સૂત્રમાં સમાવેશ ૨. ર૨, રર ત્રિવિધ ઃિ મવ-પ્રત્યે नारकदेवानाम् (२१) भव-प्रत्ययोऽवधिध-नारकाणाम् Page #610 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ ૧૭ असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः। , વાચા ૧. . ૩- રામ: જુએ આમ પાપા ! - પુ રૂમ , ૮. ૨૨ सकषायत्वाज्जीवः..पुद्गलान् मादत्ते । અન્યઃ "R અન્ય 1 ૬. ૨૭-૨૮ નાં સાત (ર૭) નમાજ પ્રતિ ૨૦. ૨૩ જહેમા- નિષ્ણાના - - માણ (ર) , , પિત્તળે રાજા –વિમો નો દિગંબર સૂત્રકારને પ્રયાસ એક જ વિષય અંગેના બે સૂત્રોને એક જ સૂત્રમાં સમાવવાનો છે. સૂત્ર ૧. ૨૧-૨૨ અને અસંદિગ્ધપણે જણાવે છે. સત્ર ૫. ૭-૮ને શ્વેતાંબર પાઠ વધુ સારે છે કેમકે ધર્મ-અધર્મ અને જીવ અને વિભિન્ન વર્ગોમાં છે. સૂત્ર ૬. ૩-૪ને ભાર દર્શાવવાને બે સૂત્રોમાં વિભાગવામાં આવ્યું છે. તેને એક જ સૂત્રમાં સમાવી શકાય. આ ગ્રંથમાં જે શબ્દ “સ” સર્વનામથી આરંભાય છે, તે નવા સૂત્રનો આરંભ સૂચવે છે. જેમકે ૨. ૮-૯(૮–૯), ૬. ૧-૨ (૧-૨) ૮. ૨૨-૨૩ (૨૨-૨૩) તથા ૯. ૧-૨ (૧-૨) જે નિ:સંદેહપણે સૂત્રકારની રચના-શૈલી છે. આ જ શૈલી સૂત્ર ૮. ૨-૩માં દૃષ્ટિગોચર થાય છે. સૂત્ર ૯. ર૭-૨૮ અથવા ત. ૨૬- Page #611 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર ૯. (૨૭) ધ્યાતા, ધ્યાન તથા એના કાળની પરિભાષા આપવામાં આવી છે કે જેમાં ત્રણ જુદી જુદી વસ્તુને સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રત્યેકનો સ્વતંત્રપણે વિચાર કરવો જરૂરી છે. આ રીતે જોતાં બેમાંથી એકેય પાઠ યોગ્ય નથી. વેતાંબર સૂત્ર ૧૦. ૨ માંથી કોઈ અર્થ નિષ્પન્ન થતું નથી. સૂત્ર ૧૦. રનાં ભાષ્ય પરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર ૨ સૂત્ર ૧૦.૧ સાથે હોવું જોઈએ કેમકે એમાં જીવન-મુક્તિનાં કારણેને ઉલ્લેખ છે. કેવલ જ્ઞાન પ્રગટથવાનાં કારણોને ઉલ્લેખ સૂત્ર ૧૦: ૧ માં પ્રાપ્ત થાય છે. અને તે જ જીવ-મુક્તિની અવસ્થાને વ્યક્ત કરવાને પર્યાપ્ત છે, એટલે સૂત્ર ૧૦. ૨ વ્યર્થ પ્રતીત થાય છે. વળી તેના કારણે વિરોધ પણ ઉપસ્થિત થાય છે. સાગકેવળી અવસ્થામાં અન્ત સુધી ત્રણ પ્રકારના યોગ જળવાઈ રહે છે એટલે ઇર્યાપથિક બન્ધનું કારણ આ સમયે પણ ઉપસ્થિત રહે છે. જો કે બન્ધની સ્થિતિ અતિ અલ્પકાળ માટે હોય છે. એટલે “બન્ધહેતુને અભાવ” સાગ–કેવળીત્વ પ્રાપ્તિનું કારણ છે એ કથન કેમ્પ નથી. સૂત્ર ૧૦. ૯ના ભાગમાં ત્વમાવવોત્તરચાતુર્માતઃ એવો ઉલ્લેખ છે. એમાં ક્ષેત્રમાણ માંથી કરા માવાતુ અર્થ જ નીકળે છે. એમાંથી એ સૂચિત થાય છે કે સૂત્ર ૧૦. રને પણ વિદેહમુક્તિના કારણ તરીકે ગણવું જોઈએ, એટલે ૧૦. ૨ સંદિગ્ધ છે. એટલે જૈન સ્થિતિને સ્પષ્ટપણે અભિવ્યક્ત કરનાર દિગંબર પાઠ સુયોગ્ય છે. ૩, (૧), [૨] , , ગ ૨, (૨), [૨]... ૮ જ૨૨, (૨૨),[૧] • કર Page #612 -------------------------------------------------------------------------- ________________ તન્ત્રાળનો મૂળપાઠ ભાષાગત પરિવર્તનના વિશ્લેષણથી એ પ્રતીત થાય છે કે બન્ને પરપરામાં માન્ય એવા તત્ત્વાર્થસૂત્રનાં ઉપયુક્ત ૪૨ ઉદાહરણેામાંથી ૨૨માં શ્વેતાંબર માન્ય પાઠ વધુ સ્પષ્ટ અર્થાદાયક છે. જ્યારે દિગંબર પાઠનાં આવાં ફક્ત ૧૧ ઉદાહરણા છે. બાકી રહેલાં ૯ ઉદાહરણા અનિીત રહે છે. વ્યાકરણ અને પવિન્યાસની દષ્ટિએ પૂજ્યપાદે સહજપણે તત્ત્વાર્થ સૂત્રનાં સૂત્રોની નીચે પ્રમાણે સુધારણા કરવાને પ્રયાસ કર્યાં છે. જેમકે, (૧) એક પ્રકારના વિચારાનું" સમાસી કરણ કરીને અને એ સૂત્રોને એક સૂત્રમાં સમાવી લેવાં (૨) શબ્દમની ગોઠવણ અને (૩) અને બિન જરૂરી શબ્દો દૂર કરી તથા ભાવની સ્પષ્ટ અભિવ્યક્તિ માટે જરૂરી ઓછામાં ઓછા શબ્દો ઉમેરવા. આમ કરવામાં આયેાજનની દષ્ટિએ ધણી ભૂલા થઈ છે, જેના પરિણામે સૂત્રોના સાચા સમજવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે પાઠનુ પુન મૂલ્યાંકન સ ંપ્રદાયાનું વિભાજન થયા પછી બહુ ઓછા સમય બાદ થયું હાવું જોઈ એ. એટલે દક્ષિણમાં સમાન ગમિક પરપરા તે સમયે અસ્તિત્વ ધરાવતી હશે એટલે અત્રે આયેાજન પરત્વેની ભૂલ દક્ષિણ ભારતમાં આમિક પરપરાના અભાવને કારણે થઈ છે. એમ નથી. મૂળપાઠને ભાષાકીય દૃષ્ટિએ સુધારવા પર વિશેષ ભાર મૂકવાને કારણે આમ બનવા સંભવ છે. પણ આમ છતાં આ મેાજણીથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભાષાગત અધ્યયન એવી ભૂમિકા આપવામાં નિષ્ફળ થયું છે કે જેથી એવા નિષ્કર્ષ પર આવી શકાય છે કે કયુ` સંસ્કરણ મૂળ હતુ કે જેના પરથી બીજુ ઘડી કાઢવામાં આવ્યું હેાય. ઉપર્યુક્ત પરિણામના આધાર પર Seat Page #613 -------------------------------------------------------------------------- ________________ ×૧૬ તત્ત્વાર્થસૂત્ર આપણે એવી દલીલ પણ કરી શકીએ કે શ્વેતાંબર સંસ્કરણે અન્ય સંસ્કરણની સુધારણા આગમિક પરંપરા સાથે સકળાયેલ આયેાજનની દૃષ્ટિએ કરી છે. અને વૃદ્ધિ ૨. વિલાપન ૧. હિંગ’બર પાઠમાં સૂત્રોનું વિલાપન. उपयोग: स्पर्शादिषु ૨. K ૪. ૪૨-૨ ग्रहाणामेकम् । नक्षत्राणामर्धम् । तारकाणां चतुर्भाग: ૪. । चतुर्भागः शेषाणाम् । ૯. ઘર-૪૪ અન ્ાિંશ્ચ વિવિજ્ઞાન । योगोपयोगौ जीवेषु । રૂપાન્ત-ક્ષીળવષયોમા ९ : ३८ તત્ત્વાર્થસૂત્રના કલકત્તા-સંસ્કરણમાં નાંધવામાં આવ્યુ છે X કે હસ્તપ્રત ક્રૂ'ના હાંસિયામાં એવા ઉલ્લેખ છે કે કેટલાક આચાર્યં સૂત્ર ૨. ૧૯ ને ભાષ્યના અંશ હાવાનુ માને છે. પણ સિદ્ધસેન એને સૂત્ર રૂપે જ સ્વીકારે છે. કદાચ દિગંબર પાઠમાં એને ભાષ્યને અંશ માની પડતા મૂકવામાં આવ્યા હોય. સૂત્ર ૪.૪૯-૫૧ અને ૫૩ ખાસ મહત્ત્વના ન હેાઈ એને પડતા મૂકવાથી અ-સંદર્ભ માં કાઈ ન્યૂનતા આવતી નથી. સૂત્ર ૫. ૪૨-૪૪માં આપવામાં આવેલી ‘પરિણામ'ની વ્યાખ્યા દોષયુક્ત હાવાથી એનુ વિલાપન યોગ્ય રીતે થયું છે, જેની ચર્ચા ૫. સુખલાલજીએ કરી છે. સૂત્ર ૯, ૩૮ નું વિલાપન તત્ત્વાર્થ સૂત્રનાજુદું. દૃષ્ટિબિન્દુ ધરાવતા દક્ષિણી : લેખકને આભારી છે. આમ શ્વેતાંબર પાઠ દિગંબર સંસ્કરણમાં સારરૂપે જળવાયેલો છે. પરંતુ એના અર્થ એ નથી કે શ્વેતાંબર પાઠ Page #614 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ મૂળ છે અને દિગંબર એનું સેવન કરવામાં આવ્યું છે. કેમકે પછીનું સંસ્કરણ પૂર્વ સંસ્કરણને સુધારવાને બદલે બગાડી ५ श छे. - ૨. શ્વેતાંબર પાઠમાં સૂત્રોનું વિલાપન (१) ४: (४२) लौकान्तिकानामष्टौ सागरोपमाणि सर्वेषाम् । ६ : (२१) सम्यक्त्वं च (२) २. (४८) तैजसमपि [४९ भाष्य-तैजसमपि शरीरं लब्धिप्रत्ययं भवति] २. (५२) शेषास्त्रिवेदाः[५१ भाष्य-पारिशेष्या च्च गम्यम्तेजराय्वण्ड-पोतजास्त्रि. विधा भवन्ति-स्त्रियः पुमांसो नपुंसकानीति] ७ (४-८) [भावनामानुवर्शन सूत्र ३ ५२न। ભાગમાં છે, તે પણ બન્ને પાઠમાં था लिन्नता छ.] ८ (२६) अतोऽन्यत् पापम् [२६ भाष्य-अतो. ऽन्यत् पापम् १०. (७) आधिद्ध-कुलाल-चक्रवद्-व्यपगत लेपालाबुवद्-परण्ड-बीजवद-ग्निशिखावच्च ९०. ७i B५ बार કા. ૧૦-૧૨ અને ૧૪માં આનું અનુ સંધાન મળે છે નહીં કે ૧૦.૬ પરના ભાષ્યમાં જ્યાં આત્માના ઊર્ધ્વગમનના Page #615 -------------------------------------------------------------------------- ________________ ne કરવામાં બીજા તથા ચોથા કારણની અભિવ્યક્તિ ડીક સંદિગ્ધ છે.) १०. (८) धर्मास्तिकायाभावात् [ माय भने उपहार ॥२०॥ २२-धर्मास्तिका. ' याभावात (3)३. (१२-३२) सुदीपनु वन.हिमर सूत्र (२४) भरतः पडविंशति पर-योजनशत-विस्तारः षड् चैकोनविंशतिभागा योजनस्य भने (२५) तद्द्विगुण-द्विगुण-विस्तारा वर्षधर वर्षा विदेहान्ताः, ३. ११ नी उपना auri या प्रभारी छ: तत्र पंच योजनशतानि षविंशानि षट्चैका. मविंशतिभागा भरतविष्कम्भः स द्विििहमषधैमवतादीनामा विदेहेभ्य ।। भूत्र (२७) भरतैरावतयोवृद्धिहासौ षट्समयाभ्यामुत्सपिण्यवसर्पिणीभ्याम मे ४.१५ न जायभाया प्रभारे छता मनुलोम-प्रतिलोमा अवसपिण्युत्सपिण्यौ भरतैरावतेष्व नाचनन्तं परिवर्तन्तेऽहोरात्रवत्] (४) ५. (२९) सद व्यलक्षणम् । Page #616 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્રને મૂળપાઠ પ્રથમ વિભાગનાં સૂત્રો ગૌણ સ્વરૂપનાં છે. એટલે એનું વિલેપન થવાથી ગ્રંથના મુખ્ય અર્થ–સંદર્ભમાં કેઈ ન્યૂનતા આવતી નથી. બીજા વિભાગમાં સર્વ દિગંબર અને ભાગ્યમાં ઉપલબ્ધ થાય છે. એટલે સુધી કે કેટલાક તે શબ્દશઃ સમાન છે. ભાવનાઓના વિશ્લેષણ પૂર્વે સૂત્ર ૭. ૩ (૩) માં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ તસ્વૈચાઈ માવના જ વા પદાર્થોના ઉપભેદોની ગણતરી વખતે લેખક થથાનમ્ શબ્દ પ્રયોગ કરે છે જેને અર્થ એ થાય છે કે પૂર્વોક્તક્રમ અનુસાર વર્ણન કરવું.” સૂત્ર ૭:૩ (૩) માં “યથાશ્રમ” શબ્દ નથી એટલે અને ભાવનાઓ અંગેહવે કાંઈ વિવેચન કરવાનું અપેક્ષિત નથી. એમ સમજવાનું છે. એનાથી તે સૂચવાય છે કે દિગંબર સૂત્ર ૭. (૩) મૂળ રૂપનું નથી. એવી જ સ્થિતિ પૂર્વોક્ત સૂત્ર ૩. (૨) ની છે કે જેમાં નરકેની ગણતરીમાં આગળ કાંઈ વિવેચન કરવામાં આવ્યું નથી. ત્રીજા વર્ગના દિગંબર સૂત્રમાં ૩. (૧૨-૩૨) અર્થાત ત્રીજા અધ્યાયના ૩૯ સૂત્રોમાંથી ૨૧ સૂત્રો શ્વેતાંબર પાઠમાં અનુપલબ્ધ છે. એમાંથી ત્રણ સૂત્ર અર્થાત્ ૩. (૨૪-૨૫, - ૨૭), ૩. ૧૧ અને ૪. ૧૫ના ભાગમાં ઉપલબ્ધ થાય છે. જે કે એમાં શબ્દશ: સામ્ય નથી. અત્રે વિલુપ્ત થયેલા સૂત્રોની સંખ્યા પ્રમાણમાં મોટી છે એટલે શ્વેતામ્બર પાઠમાં જંબુદ્વીપનું વર્ણન ઊર્વકની અપેક્ષાએ અતિ સંક્ષિપ્ત છે. આ વધારાનાં સૂત્રોમાં નિમ્નત વસ્તુઓને સમાવેશ કરવામાં આવ્યો છે. ૧. જંબુકીપનું વર્ણન-એમાં પર્વત, સરવરે, નદીઓ અને ક્ષેત્ર-વિસ્તાર (૧૨-૨૬) Page #617 -------------------------------------------------------------------------- ________________ જર તરવાર ૨. વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણના આરામાં વૃદ્ધિ અને હાલ તથા મનુષ્યનું આયુષ્ય " (૨૭-૩૧) ૩. ભરત ક્ષેત્રને વિસ્તાર-જંબુદીપને એકસો નેવું ભાગ (૩૨). આમાંથી પ્રથમ વિભાગના સૂત્રોમાંથી જંબુદીપની ભૌગોલિક રચના અંગે ચોક્કસ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે કે જેની વેતાંબર પાઠમાં ક્ષેત્રો અને પર્વત દ્વારા માત્ર રૂપરેખા જ આપવામાં આવી છે. બીજા અને ત્રીજા વિભાગનાં સૂત્રો વધુ મહત્ત્વનાં છે. એમાંથી વિશેષ મહત્ત્વપૂર્ણ સર્વ સૂત્રો ભાગ્યમાં ઉપલબ્ધ થાય છે. સમગ્રપણે વિકતાં આ સૂત્રોનું અધિક મહત્ત્વ છે. કેમકે પશ્ચિમી પરંપરાની હસ્તપ્રત માં આ અધ્યાયમાં શકય હોય તેટલા વધુમાં વધુ આ દિગંબર સૂત્રોને સમાવેશ થયેલ છે. “જબુદ્વીપસમાસ' નામના એક અન્ય પ્રકરણ ગ્રંથમાં કે જેના કર્તા ઉમાસ્વાતિ માનવામાં આવે છે, છ ક્ષેત્રો અને છ પર્વતનું વર્ણન ક્રમબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. એમાં મધ્યના કુરુ અને વિદેહના ચાર ક્ષત્રોને બાકાત રાખવામાં આવ્યા છે, કે જેનું વર્ણન બીજા આહનિકમાં કરવામાં આવ્યું છે. એમાં હિમવાન પર્વતના વર્ણનમાં એના રંગની ચર્ચા કરવામાં આવી છે. [સરખાસૂત્ર ૩: (૧૨)] આ પછી એના પર આવેલ તળાવનું નામ, [ સરખાવો - સૂત્ર (૧૪). એના વિસ્તાર, (સરખા સૂત્ર (૧૫–૧૬), એની મધ્યમાં આવેલ એક યેાજન પુષ્કર, (સરખા – સૂત્ર (૧૭) એમાં નિવાસ કરનારી દેવીનું નામ (સરખા - સૂત્ર (૧૯)[ એમાં વહેતી બે નદીઓનાં નામ Page #618 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ ૪૨૧ (સરખાવો) ૨૦] અને એની દિશાઓનું વર્ણન સરખો સૂત્ર (૨૧–૨૨) મળે છે. પ્રત્યેક વર્ષધર પર્વતના વર્ણનમાં એના રંગ તેમ જ એનાં સરેવ, દેવીઓ અને નદીઓના નામ તથા નદીઓની દિશાઓને નિર્દેશ છે. તત્ત્વાર્થસૂત્રમાં શિખરી પર્વતને હેમ રંગને કહેવામાં આવ્યું છે. જ્યારે જંબુદ્વીપસમાસમાં એને તપનીય રંગને કહેવામાં આવ્યો છે. સૂત્ર ૩ઃ (૧૬) ચોથા આનિકમાં પણ છે-વાપીવુe-ફૂવા ટ્રાવ , એ પ્રમાણે સૂત્ર ૩. (૨૬) અને (૩૨) પણ આ આનિકમાં छे-मेरूत्तरासु विपर्यायः तथा रूपादिद्विगुण-राशिगुणो द्वीप-व्यासो नवति-शत-विभक्तो मरतादिषु विष्कम्भः । ઉપર્યુક્ત વિશ્લેષણ પરથી એ પ્રતીત થાય છે કે દિગંબર સૂત્રો ૩. (૧૨-૩ર) ની રચના ભાષ્ય અને જંબુકીપસમાસના આધાર પર કરવામાં આવી છે. તાર્કિક રીતે આનાથી વિપરીત દલીલ કરી શકાય કે ભાષ્ય અને જંબુદ્વીપસમાસની રચના દિગંબર પાઠના આધાર પર કરવામાં આવી છે. શ્વેતાંબર પાઠના ૧-૩ વિભાગનાં સૂત્રોના વિલેપનના આધાર પર અત્યાર સુધી જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ પરથી એ પ્રમાણિત થાય છે કે તાંબર પાઠ મૂળ રૂપને છે. કેમકે સૂત્ર-શૈલીમાં થથાનમ્ શબ્દને પ્રયોગ ઉપલબ્ધ થાય છે. પણ આ એક ગૌણ બાબત ઉપરથી સમગ્રપણે કાંઈ પ્રતિપાદિત કરી શકાય નહીં. સામાન્ય રીતે એમ કહી શકાય કે શબ્દો તથા સૂત્રોનું વિલેપન યા વૃદ્ધિ દ્વારા કોઈ પણ એક પાઠની પ્રામાણિકતા ચોકકસપણે સિદ્ધ થતી નથી, જેથી એમ કહી શકાય, કે એક પાઠ બીજા પાઠ પર આધારિત છે. આમ અત્યાર સુધીને આપણે લક્ષ્ય સાધવાને પ્રયાસ અસફળ રહ્યો છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ વાર્થસૂત્ર હવે ચોથા વિભાગનાં સૂત્રોની તપાસ કરવાની બાકી છે. શ્વેતાંબર સંસ્કરણમાં સત્ કચ્ચ ઢક્ષણમ્ ૫ (૨૯) સૂત્ર નથી. જ્યારે દિગંબર સંસ્કરણમાં તે વાઢ-ચય-ધ્રૌવ્ય-પુરસંત [૨૯ (૩૦) 3ની પૂર્વે આવેલું છે. અત્રે પ્રશ્ન એ છે કે “લત” અંગેનું આ કથન કયા સંદર્ભમાં છે ? એનું પુદગલની અન્તર્ગત અર્થાત્ સૂત્ર પઃ ૨૩–૭૬ ના સંદર્ભમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાંથી સત્ર ૨૫-૨૮ અને ૩૨–૩૬માં અણુ-ર્કંધનું આ પ્રમાણે વર્ણન મળે છે. અણુ-કધ ૨૫–૨૮ ૨૫ અણુ–સ્કન્ધ પુદ્ગલના ભેદના રૂપમાં ૨૬-૨૭ અણુરકલ્પની ઉત્પત્તિ ૨૮ સ્કન્ધને ચાક્ષુષ થવાનું કારણ ૩૨-૩૬ પુદ્ગલિક બન્ધની પ્રક્રિયા. સત- નિત્યત્વ ૨૯ સની વિરૂપાત્મક વ્યાખ્યા. ૩૦ નિત્યત્વની વ્યાખ્યા. ૩૧ સૂત્ર ૨૯-૩૦ની યુક્તિયુક્તતા દ્રવ્ય ૩૭–૪૪ ગુણ–પર્યાય-પરિણામ, કાલ. આ સૂત્રોની ગોઠવણ વિષે આપણને આશ્ચર્ય એ અંગે થાય છે કે સૂત્ર ૫૪ ૨૯-૩૧ અણુ સ્કલ્પની સાથે કેમ મૂકવામાં આવ્યું હશે ? ખરી રીતે એનું નિરૂપણ દ્રવ્યની સાથે કરવું ઉચિત છે. પ્રસ્તુત સમસ્યા હલ કરવા માટે એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે સૂત્ર ૫ (૨૯) પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે નહીં. સૂત્ર ૫૦ ૨૮ ના ભાષ્યમાં આવો ઉલ્લેખ છે પરીનિ સન્તીતિ Jાત તિ/પત્રો/ક્ષત: આમાં દ્રવ્ય સત્લક્ષણયુક્ત છે એ સ્પષ્ટ ઉલ્લેખ નથી જે કે સૂત્ર ૫ઃ Page #620 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ રક ૨૯ ની સર્વાર્થસિદ્ધિમાં વત્ સત્ તત્ દ્રવ્ય એવા રૂપમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ભાષ્યમાં આ જ ફલિતાર્થ છે. ભાગ્ય એ પ્રતિપાદન કરે છે કે સંત ને સ્વરૂપના આધાર પર આ દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે જે પછીના સૂત્રની પૂર્વભૂમિકા બની જાય છે. પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ કરવાની આ આનુમાનિક પદ્ધતિ જૈન પરંપરાના વૈચારિક માળખાને અપરિચિત છે. એના મૂળસ્ત્રોતની અન્વેષણ ઉમાસ્વાતિના સમયે વિદ્યમાન જૈનેતર સાહિત્યમાં કરવી જોઈએ. ચન્દ્રાનન્દત વૈશેષિક સૂત્રના ચતુર્થ અધ્યાયના પહેલા આહ્નિકમાં એ ઉલ્લેખ છે – જાળવત્ તનિત્ય I૧ સચ વર્ષ લિમ્ ારા कारणाभावाद्धि कार्याभावः । ३। अनित्यम्... इति च विशेषપ્રતિ–ભાવ : ૪ મહત્યને વ્યાતિ પાડ્યો છે જ अद्रव्यवत्त्वात् परमाण्वनुपलब्धिः ।७॥ संख्या परिमाणानि पृथकत्वं संयोग-विभागौ परत्वापरत्वे कर्म च रूपि-द्रव्य समवायात् વાક્ષનિ છે ૧૨ વષિષ્યવાણુષત્વનું છે ૧ર છે – પરમાણુના અસ્તિત્વનું અનુમાન એના કાર્યથી થાય છે, કેમકે પરમાણુ નિત્ય અને અચાક્ષુષ છે. જે મહત હોય છે, તે ચાક્ષુષ હોય છે કેમકે એમાં અનેક દ્રવ્ય હોય છે અને તે રૂપી હોય છે, રૂપી કવ્યની સાથે સંખ્યા આદિ, વિવિધ ગગન જે સમવાય સંબંધ છે, એના કારણે પદાર્થ દષ્ટિગોચર થાય છે. જે સત્ અને કારણરહિત છે તેને નિત્ય કહેવામાં આવે છે. એટલે અમે સત્—નિત્ય, અણુ-કન્ધ અને ' ચાક્ષુષ–અચાક્ષુષના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને વસ્તુતઃ પરમાણુ-મહતુને આ સંદર્ભમાં સામાન્ય વિષય લેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તે સૂત્ર ૫ઃ ૨૯ Page #621 -------------------------------------------------------------------------- ________________ અ૪ તત્વાર્થસૂત્ર ૩૯ માં સત-નિત્ય અંગે જે વ્યાખ્યા છે તે અણુ–કંધના ઉત્પાદ અને ચાક્ષુષત્વને અનુલક્ષીને છે. અર્થાત તે પુગલના માળખાના અન્તર્ગત છે. નહીં કે દ્રવ્યના સ્વરૂપ સંબંધે સતના સ્વરૂપના વિષયમાં. જો તે પ્રકારના સતનું સ્વરૂપ સૂત્રકારને અભીષ્ટ હત તે દ્રવ્યના વિષયમાં પંચાસ્તિકાય અંગે ઉપસ્થિત કરવામાં આવ્યો છે એવો પ્રશ્ન ઉપસ્થિત કરી શકાય પણ અત્રે એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે સદ્ દ્રવ્યરક્ષણમ્ સૂત્ર પ્રસ્તુત સંદર્ભમાં ઉપયુક્ત પ્રતીત થતું નથી. એટલે આમ તે પાછળથી ઉમેરવામાં આવેલ છે. આ દિગંબર સૂત્ર એટલું મહત્ત્વ ધરાવે છે કે તેનું વિલેપન થવું શક્ય નથી. અને તે મૂળસુત્ર શ્વેતાંબર સંસ્કરણમાં ઉલ્લિખિત નથી તેવા પ્રકારનું વિપરીત અનુમાન પણ શકય નથી. આ પરથી એ સિદ્ધ થાય છે કે સૂત્ર ૫ (૨૯) તત્વાર્થ સૂત્રના મૂળપાઠની અન્તર્ગત છે. ' ઉપર “વિલોપન અને વૃદ્ધિ'ના ઉપક્રમે જે ચાર વિભાગ અંગે વિચારણા કરવામાં આવી છે એમાં દિગંબર પાઠ, પહેલા વિભાગના સૂત્ર પઃ ૪૨-૪૪ દેષપૂર્ણ પરિણામને દૂર કરીને, બીજા વિભાગના સૂત્ર ૭: ૩ની અગત્યની ભાવનાઓની વૃદ્ધિ કરીને અને ત્રીજા તથા ચેથા વિભાગમાં સૂત્ર ૩: (૧૨-૧૩) અને ૫ (૨૯) ની પૂર્તિ કરીને શ્વેતાંબર પાઠમાં સુધારણા રજૂ કરે છે તે સર્વ મૂલ્યવાન છે. પણ શ્વેતાંબર સંસ્કરણની પ્રમાણભૂતતાને પુષ્ટ કરી શકે એવું નિર્ણાયક સૂત્ર તે માત્ર ચોથા વિભાગનું સૂત્ર ૫ઃ ૨૯ જ આપી શકે તેમ છે. આમાં સૂત્રકાર દ્વારા બીજા વિભાગના સૂત્ર ૭: ૩ (૩) માં સૂત્ર ૭: (૪–૮)ના અન્વયે જે ગૌણ પણ Page #622 -------------------------------------------------------------------------- ________________ R તરવાર્થસૂત્રને મૂળપાઠ વિધાયક પ્રમાણ રૂ૫ રૂઢિગત પ્રયોગ થએલો છે તે ઉમેરી શકાય. ૩. સૂત્રગત મતભેદ નીચે આપેલા આઠ કિસ્સાઓ અને બે વિવાદાત્મક ઉદાહરણ મુખ્ય મતભેદના વિષય છે કે જેની પછીથી વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. એમાં બને પરંપરાઓની સૈદ્ધાતિક વિષમતાઓ તથા તત્ત્વાર્થસૂત્રના અને સંસ્કરણમાં ઉપલબ્ધ વિભિન્ન મતને સમાવેશ કરવામાં આવ્યો છે. અમે સર્વ પ્રથમ અને સંસ્કરણોમાં પ્રાપ્ત મતભેદના આઠ કિસ્સાઓની નેંધ કરીશું ૧. ૧: ૩૪-૩૫ નય પાંચ પ્રકારના છે જેમકે નૈગમ સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ-સાવય નિમ્નતિ ૧૪૪ આનું સમર્થન કરે છે. (૩૩) આમાં સમભિરૂઢ અને એવંભૂત ઉમેરવાથી એની સંખ્યા સાતની થાય છે. - अनुयोगद्वार ९५३, आवस्सयनिजत्ति ७५४ સિદ્ધસેન દિવાકર વળી છ નય હોવાનું માને છે. પરંતુ બને પરંપરાઓના મોટા ભાગના વિદ્વાનો સાત નયને જ સ્વીકાર કરે છે. એટલે આ પ્રકારની ભિન્નતા કે જેને વિકાસ વિભિન્ન સ્તરે પર થયે હો જોઈએ એને વસ્તુતઃ મતભેદ લેખી શકાય નહીં. ૨, ૨:૧૩ – ૧૪ સ્થાવર ત્રણ પ્રકારના છે. જેમકે પૃથ્વી, અપૂ અને વનસ્પતિ, તેજસ્ અને વાયુ ત્રસ છે. – 21 રૂ. ૩. ૨૯; બીવાનીમિયમ ૧.૨૨ આદિ Page #623 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર ૩રચા રૂ. ૬૦ - ૭૦ વગેરે (૧૩) સ્થાવર પાંચ પ્રકારના છે. જેમકે- પૃથ્વીથી વનસ્પતિ પર્યન્ત – કાળ પ. ૧. ૪૮૮; પ્રાતિ ૧૪૨ રૂ. ૨ઃ૩૧ અન્તરાલ – ગતિમાં જીવ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. - માવ ૭.૧.૨૬s; સૂયગડ નિગુત્તિ ૧૦૪. (૩૦) બે પળ સુધી જ રહે છે. – Towવા ૧૧૫ [દીક્ષિત, જૈન એન્ટો લે, પૃ ૮૭] ૪.૨ ૪૯ આહારક—શરીર ચતુદર્શ–પૂર્વધરનું હેય છે. (૪૯) વળી તેવું પ્રમત્ત-સંયતનું પણ હોય છે. - Twવણ ૨૧.૬ સાચી રીતે કહીએ તે આ કઈ મતભેદ નથી પરંતુ વ્યાખ્યાત્મક ભિન્નતા છે. વળી બને શ્વેતાંબર અને દિગંબર અનુસાર તે ફક્ત ચતુદર્શ–પૂર્વધરનું જ હોય છે. તથા એના ઉપયોગ વખતે અનિવાર્ય પણે પ્રમત્ત-સંયત હોય છે. બન્ને પરંપરા અનુસાર બધા પ્રમત્ત-સંયત આહારક-શરીર ધરાવતા નથી. ૫. ૪૨ તિષ્ક તેલેશ્યાયુક્ત હોય છે. તથા ભવનવાસી તેમજ વ્યંતરે ચાર લેશ્યાયુક્ત હોય છે. જેમકે કૃણથી તેજસ્ પર્યન્ત. ठाण १.७२ (૨) ચાર-લેયાઓ ત્રણ દેવ-નિકામાં પ્રાપ્ત થાય Page #624 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્રને મૂળપાઠ છે – ભવનવાસી, વ્યતર અને તિક ૬. ૪ઃ૩, ૨૦ બાર કલ્પ -આગમમાં ૧૨ કલ્પને એકમતે સ્વીકાર છે. - guavir S. ૨૪૩; ૩રક્ષચળ રૂ. ૨૧૧- ૧૨ (૩,૧૯) સૂત્ર ૪ (૩) માં ૧૨ કલ્પને સ્વીકાર છે. પણ ૪: (૧૯) માં ૧૬ કલ્પની ગણના કરવામાં આવી છે. – તિોયomતિ ૮.૧૧૪ માં ૧૨ કોની ગણના કરવામાં આવી છે. ૭.૫ ૩૮ કેઈ આચાર્ય કાળને પણ દ્રવ્ય ગણવે છે. (૩૯) કાળ પણ દ્રવ્ય છે. આગમિક પરંપરામાં લેકનું વિવેચન પાંચ અસ્તિકા અથવા છઃ દ્રવ્યના રૂપમાં કરવામાં આવ્યું છે. બીજા એક મત પ્રમાણે કાળને પણ એક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવ્યો છે. જેમકે ઉત્તરાયણ ૨૮.૭–૮ પહેલા મત પ્રમાણે કાળને કાં તે પાંચ અસ્તિકાયોથી તદ્દન અલગ રાખવામાં આવ્યો છે અથવા તે એને જીવ અને અજીવના પર્યાય તરીકે માનવામાં આવ્યો છે. એટલે આ કિસ્સાને કઈ તાવિક ભેદને ન ગણી શકાય. ૮. ૮: ૨૬ સમ્યક્ત્વ, હાસ્ય, રતિ અને પુરુષનો પુણ્યકર્મોમાં (૨૫) સમાવેશ એમને પુણ્યકર્મોમાં સમાવેશ સિદ્ધસેન ગણિએ આ ચા-કર્મોને પુણ્યમાં સમાવેશ કરવાનું યંગ્ય ગણ્યું નથી પણ તેમણે એવી કારિકાઓ ઉદધૃત કરી છે જેનાથી બને મનું સમર્થન થાય. Page #625 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ - તરવાર્થસૂત્ર ઉપર્યુક્ત આઠ કિસ્સાઓમાંથી ત્રણ અર્થાત્ બીજા ત્રીજા અને આઠમામાં બને મતની પુષ્ટિ આગમિક પરંપરા દ્વારા થાય છે; ત્રણમાં અર્થાત પહેલા, ચેથા અને સાતમામાં વાસ્તવમાં મતભેદ નથી. બાકીના બે અર્થાત પાંચમે અને છ વિશેષ મહત્ત્વના નથી. બને પરંપરાઓના ગ્રંથમાં ઉપલબ્ધ આ વિભિન્ન મતાના આધારે એ નિર્ણય થઈ શકતું નથી કે ક પાઠ મૂળ છે. આમ અહીં પણ આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. - હવે અમે બે વિવાદાત્મક ઉદાહરણોની છણાવટ કરીશું, જે આ પ્રમાણે છે. (૧) પુદ્ગલિક બન્ધના નિયમો અને (૨) પરીષહ. બીજા ઉદાહરણમાં બન્ને સંસ્કરણોના સૂત્ર અભિન્ન છે, જ્યારે પહેલા ઉદાહરણમાં સૂની થેડીક ભિન્નતા છે, ૧. પુદ્ગલિક બન્ધના નિયમ સૂત્ર ૫ : ૩૨-૩૬ (૩૩-૩૭) માં પુદ્ગલિક બન્ધનું નિરૂપણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. ૯ઃરૂર (૩૩) હિપ-હત્વપ : ३३ (३४) न जघन्य-गुणानाम् રૂક (૩૬) ગુછ-સાથે-રણદરાના ३५ (३६) प्रथधिकादि-गुणानां तु ३६ बन्धे समाधिको पारिणामिको (३७) बन्धेऽधिको पारिणामिको व બને પાઠમાં ઉપર્યુકત સૂત્ર અભિન્ન રૂપમાં છે. ફક્ત ૩૬ (૩૭) માં થોડી ભિન્નતા છે. સૂત્ર ૫ઃ૩૩-૩૫ (૩૪–૩૬), જેમાં બન્ધના નિયમનું પુદ્ગલના સદશ અને વિસદશ Page #626 -------------------------------------------------------------------------- ________________ તવાથનો મૂળપાઠ બન્ને પ્રકારના ગુણોની દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે તે બન્ને પરંપરામાં કઈ પણ પાઠ–ભેદ ઉપલબ્ધ નથી પરંતુ અર્થની દષ્ટિએ એની ટીકાઓમાં અસમાનતા મળે છે. આ અસમાનતા નીચેની તાલિકામાં સ્પષ્ટ કરવામાં આવી છે. ગુણાંશ . ટીકાઓ, દિ. ટીકાઓ સદ અસદશ સદશ અસદશ ૧. જધન્ય + જધન્ય નથી નથી નથી નથી ૨. , + એકાધિક નથી છે નથી નથી ૩. 9 + 4થધિક છે છે નથી ૪. , + યાદિ અધિક છે છે નથી નથી ૫. જઘન્યતર સમજઘન્યતર નથી છે " નથી નથી ૬. , + એકાધિક નથી છે નથી નથી ૭. , + 6યધિક , છે છે કે છે ૮. , + ગ્યાદિ , છે છે નથી નથી અભિન્ન સૂત્રોમાં આટલી ભિન્નતા હેવી આશ્ચર્યકારક છે. સૂત્ર ૩૩-૩૫ (૩૪-૩૬)માં પ્રતિપાદિત પુગલિક બન્ધના નિયામેના પરિપેક્ષ્યમાં આઠેય કિસ્સાઓમાં બંધની સંભાવના અને અસંભાવનાની ગવેષણથી એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે આ સૂત્રો શ્વેતાંબર પરંપરા–સંમત અર્થ સાથે સંવાદી છે પણ દિગંબર પરંપરા-સંમત અર્થ સાથે એની વિસંવાદિતા છે. આ સૂત્ર પરના ભાગથી સૂત્ર કરતાં કાંઈ પણ વધુ જાણવા મળતું નથી. તે પણ કેટલાક ઉદાહ રણે દ્વારા એને સમજવામાં સહાયતા થાય છે. વાસ્તવમાં સૂત્ર ૨૩-૩૫ માટે ભાષ્યની કોઈ વિશેષ આવશ્યક્તા નથી. કેમકે Page #627 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર તે પિતે અર્થને સ્પષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દિગંબર ટીકાઓમાં આ સૂત્રોને આટલે બધે ભિન્ન અર્થ કેમ કરવામાં આવ્યું છે ? એની છણાવટ સર્વાર્થસિદ્ધિ અનુસાર કરવામાં આવશે કેમકે રાજવાર્તિક અને લેકવાર્તિકમાં પૂજ્યપાદથી ભિન્ન કાંઈ પણ કહેવામાં આવ્યું નથી. પૂજ્યપાદે સૂત્ર ૫ (૩૫)માં સદણ શબ્દનો અર્થ તુલ્યજાતીય” કર્યો છે. જે શ્વેતાંબર પરંપરાની સાથે અસંગતિ બતાવતું નથી. “સમાન ગુણાંશ હોવાથી સદશ પરમાણુઓને બન્ધ થતું નથી.” સૂત્ર (૩૫)ને આ અર્થ નીચે આપેલા ઉદાહરણથી જ્ઞાત થાય છે. ૧. અસદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ ત્રણ સિનગ્ધ + ત્રણ રુક્ષ ૨. સદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ, બે રુક્ષ + બે રક્ષ અત્રે નિષધને નિયમ અસદશ ઉદાહરણને પણ લાગુ પાડવામાં આવ્યો છે. જેથી સૂત્રના કથનનું ચક્કસ પણે ખંડન થઈ જાય છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એવં સદા-બvi વિક્રાર્થમ્ ? એને એ ઉત્તર આપવામાં આવ્યો छ । गुणवैषम्ये सदृशानामपि बन्ध-प्रतिपत्त्यर्थ सदृश-ग्रहणं ચિત્તે . આ ઉત્તર નિઃસંદેહ ૫ : ૩૪ના ભાષમાંથી લેવામાં આવ્યો છે. સદરાનીમ્ શબ્દની અસ્પષ્ટ સ્થિતિની વધુ છણાવટ કરવામાં આવી નથી. પુદ્ગલિક બન્ધ થવા કે ન થવાની બાબત સવર્થિસિદ્ધિમાં સંક્ષિપ્તમાં આ પ્રમાણે આપવામાં આવી છે. (જાતે જ રજૂ થવા અ થવી Page #628 -------------------------------------------------------------------------- ________________ (નથી) તરવારને મૂળપાઠ ૪૩૧ ૧. સમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી) (બ) અસદશ છે ) ૨. વિષમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (છે) (બ) અસદશ , , છેલ્લી બાબતનું અર્થાત્ ર(બ)નું પ્રતિપાદન આમાં કરવામાં આવ્યું નથી પણ પછીના સૂત્ર દ્વારા આ પ્રકારના બધ થવાની સંભાવનાને બોધ થઈ જાય છે. ટીકાકાર સ્વયં એ વસ્તુને સ્વીકાર કરે છે કે સદનામ શબ્દને આ સંદર્ભમાં કઈ અર્થ નથી. વાસ્તવમાં તે અનાવશ્યક છે. કેમકે એનાથી દિગંબર સિદ્ધાન્ત અનુસાર થનાર પુદ્ગલિક બન્ધના સ્વરૂપ અંગે ભ્રમ પેદા થાય છે. સૂત્ર (૩૬) માં બે ગુણાંશ વધુ હેય એવા પરમાણુઓને બધું માનવામાં આવ્યો છે. એમાં ટૂધમદ્રિ શબ્દનો અર્થ પવિતા' કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં અભિપ્રેત બન્ધનું સ્વરૂપ પૂજ્યપાદની દૃષ્ટિએ આ પ્રમાણે છે. ૧. અસદશ બે સ્નિગ્ધ + ચાર સ્નિગ્ધ; ત્રણ સ્નિગ્ધ + પાંચ નિશ્વ; , ચાર સ્નિગ્ધ + છ સ્નિગ્ધ.. , બે રૂક્ષ + ચાર રૂક્ષ વગેરે ૨. અસદશ બે સ્નિગ્ધ + ચાર રૂક્ષ વગેરે આ પ્રમાણે સૂત્ર (૩૬) ની ટીકા અનુસાર પુગલિક બધુ થવાની કે ન થવાની સ્થિતિ આ પ્રમાણે છે. ૧. બે ગુણાંશ વધુ (અ) સદશ પરમાણુઓમાં (બ) અસદશ , ૨. અન્ય ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી) (બ) અસદશ ) (નથી) Page #629 -------------------------------------------------------------------------- ________________ કર સૂત્ર (૩૬)ના આ નિયમ દ્વારા સૂત્ર (૩૫)ને કથનનું ખંડન થાય છે. સૂત્ર (૩૫) સર્વથા મહત્ત્વહીન તેમજ બીન જરૂરી છે. પૂજ્યપાદે દિગંબર પરંપરા અનુસાર પુદ્ગલિક બન્ધના નિયમો સ્પષ્ટ કરવા માટે પખંડાગમ ૫. ૬. ૩૬ માંથી નીચેનું પદ્ય ઉદ્યુત કર્યું છે. " णिद्धस्स णिधेण दुराधिएण लुक्खस्स लुक्खेण णिद्धस्स लुक्खेण हबदि बंधे। जहाण्णवज्जे विसमे જે વા ! આ પદ્યમાં નીચેની બાબતને સમાવેશ થયેલ છે. ૧. બે ગુણાંશ વધુ હોય (અ) સદશ પરમાણુઓમાં એને બંધ થાય છે. (બ) અસદશ , ૨. આ નિયમમાં અલ્પ- (સદશ પરમાણુઓમાં તમ ગુણશવાળાનો (વ) અસદશ , સમાવેશ થતો નથી. આ નિયમની, જેમાં દિગંબર પરંપરાને માન્ય ઉપર્યક્ત પુગલિક બન્ધના સ્વરૂપ ને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, સૂત્ર (૩૪) અને (૩૬) સાથે સંવાદિતા છે. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સૂત્ર (૩૫) અનાવશ્યક છે. કેમકે દિગંબર દષ્ટિમાં પુદ્ગલિક બન્ધને માટે સૂત્ર : (૩૫)માં પ્રયુક્ત ગુજ–તા શબ્દ મહત્ત્વહીન છે, એટલે સમૂ શબ્દને સૂત્ર ૫: ૩૬માંથી દૂર કરવો પડે છે. જેનાથી સૂત્ર ૫.૩૬ અને ૫. (૩૭)ના પાઠમાં થોડીક ભિન્નતા આવી જાય છે. આ પ્રમાણે સૂત્ર ૫ : (૩૫)ના સંદરનામ શબ્દનો પ્રસ્તુત નિયમો સાથે Page #630 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને મૂળપાઠે ૧૩૭ કાઈ મેળ નથી. એટલે સર્વાર્થસિદ્ધિમાં આ શબ્દની વ્યાખ્યા આટલી ગૂંચવણભરી છે. સૂત્ર ૫ : (૩૫) તું સ્વરૂપ દેષપૂર્ણ હાવાથી તે દિગંબર સિદ્ધાન્ત અનુસાર પુગલિક બન્ધના સ્વરૂપનું સ્પષ્ટકરણ કરવાને બદલે ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે. જેનાથી એ પ્રમાણિત થાય છે કે સર્વાČસિદ્ધિનું આ સૂત્ર મૌલિક નથી. સૂત્ર (૩૫) કાઈ વિશેષ વિચાર વગર અન્ય સૂત્રેાની સાથે અપનાવવામાં આવ્યુ હાય એમ જણાય છે. એટલે દૂર્વાષાવિ શબ્દના અર્થ દ્રષિકતા' કરવામાં આવ્યા હાય એમ લાગે છે. જોકે તે અપ્રચલિત અને અસંગત છે. જ્યાં દુર્ગાષા' શબ્દ કોઈ સ ંદિગ્ધતા જન્માવતા નથી ત્યાં એને લક્ષ્મ’ડાગમને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. પરીષહુ ૯ : ૧૧ (૧૧) જાવાનિને સૂત્ર ૯ : ૧૧ (૧૧) આ પ્રમાણે છે - વારા_બિને અર્થાત્ જિનના અગિયાર પરિષહા હૈાય છે, કે જે વેદનીય કર્મીના કારણે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છેઃ શ્રુત, પિપાસા, શીત, ઉષ્ણુ, દશ-મશક, ચર્ચા શમ્યા, વધ, રાગ, તૃણસ્પર્શ અને મલ, સપ્તમી એકવચનમાં પ્રયુક્ત ‘નિને’ શબ્દથી એ અભિવ્યક્ત થતું નથી કે તે ફક્ત સયાગ-કેવળી માટે જ પ્રયાજાયેલ છે મથવા સયાગ કેવળી તેમ જ અયેાગ-કેવળી બન્ને માટે. આ સૂત્રની ટીકાઓ અર્થાત્ ભાષ્ય અને સર્વાસિદ્ધિથી આરંભી શ્રુતસાગરની વૃત્તિ સુધીની, આ વિષયમાં મૌન છે. ભગવતીસૂત્ર ૮.૮. ૩૪૨માં એવા સ્પષ્ટ ઉલ્લેખ છે કે અગિયાર Page #631 -------------------------------------------------------------------------- ________________ તરવાથસૂત્ર પરીષહ કેવળીત્વની બન્ને અવસ્થામાં હોય છે. અગકેવળી જેને સમય મુહૂર્તને એક અંશ માત્ર હોય છે તે સર્વથા યોગ મુક્ત હોય છે. માટે પરીષહ એમને હોવાની કઈ શક્યતા નથી. એટલે “જિન” શબ્દ કેવળ સાગ-કેવળી માટે પ્રજવામાં આવ્યો છે એમ સમજવું જોઈએ. સૂત્ર ૯ ૧૧ (૧૧) બને પરંપરામાં સભાનપણે પ્રજાયેલ છે. શ્વેતાંબર પરંપરા અનુસાર સાગ-કેવળીનું વેદનીય કર્મ એટલું પ્રભાવશાળી હોય છે જેટલા કે બાકીના ત્રણ પ્રકારના અધાતિક કર્મ હોય છે, એટલે આ સૂત્રની શ્વેતાંબર માન્યતા સાથે સંપૂર્ણ સંવાદિતા છે. દિગંબર પરંપરામાં આ સૂત્રને એવો જ અર્થ નથી પરંતુ વિપરીત અર્થ છે. અથવા તકના આધારે સિદ્ધાંતરૂપમાં જે આ અર્થ માનવામાં આવે તે પણ તેને “ઉપચાર'ના રૂપમાં જ સ્વીકાર કરી શકાય એમ છે. દિગંબર ટીકાકાર એવી દલીલ પ્રસ્તુત કરે છે કે “જિનને ભૂખ વગેરે પરીષહ નથી હોતા કેમકે એમને મેહનીય કર્મો કે જે અસાતા - વેદનીયના આનુષંગિક કારણે (સહાયક) છે, તેને આમાં અભાવ હોય છે. તેમ છતાં એમનામાં દ્રવ્યરૂપમાં વેદનીય કર્મ વિદ્યમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તે એમનામાં વેદનીય કર્મ દ્રવ્યરૂપમાં રહે છે પરંતુ ભાવરૂપમાં રહેતા નથી. એટલે અસાતા – વેદના થતી નથી. સર્વાર્થસિદ્ધિમાં આ માટે “ઉપચારને આશરો લેવામાં આવ્યો છે. અને એના આધાર પર સૂત્રના તર્કસંગત અર્થને પણ સ્વીકાર કરવામાં આવ્યા છે. નવુ જ મોહનીય-સામાવાનું क्षुदादि-वेदनाभावे परीषह-व्यपदेशो न युक्तः ? सत्यमेतत्वेदनाभावेऽपि द्रव्य-कर्म-सद्-भावापेक्षया परीषहोपचारः क्रियते, પ્રસ્તુત કરી શકાય એમ પરીષહ નથી Page #632 -------------------------------------------------------------------------- ________________ બને છે. આ ઉપસ્થિત થઇ શકાય નહીં તાવાર્થસૂત્રને મૂળપાઠ નિરવોષનિરસ્ત ..જ્ઞાનતર જિન્ના-નિરોધ મતિ –-નિદાળ-પા-ક્ષ સ્થાનોપારવતા અન્ય દિગંબર ટીકાકારે પૂજ્યપાદને જ અનુસરે છે. બન્ને પરંપરામાં સૈદ્ધાતિક ભિન્નતા હોવાને કારણે જ આ સૂત્રના અર્થમાં મતભેદ જોવા મળે છે. આ ભિન્નતા કેવળીને કવલાહાર માનવા અને ન માનવાને લીધે ઉપસ્થિત થઈ છે. દિગંબર મતાનુસાર આ સૂત્ર જેવું મળે છે તેવું સ્વીકારી શકાય નહીં. વસ્તુતઃ આ સૂત્રમાં “ર” શબ્દ અધ્યાહાર રાખી એને અર્થ સર્વાર્થસિદ્ધિમાં કરવામાં આવ્યો છે, તે રીતે કરવો જોઈએ. अथवा-एकादश जिने 'न सन्ति' इति वाक्यशेष कल्पनीयः सोपस्कारत्वाद् सूत्राणाम् । તે પછી આ સંદર્ભમાં “ઉપચારની સાર્થક્તા કેવી રીતે સમજવાની છે? પૂજ્યપાદના કથન પ્રમાણે જિનના પરીષહ પરીષહ હેતા નથી. કેમકે એમનામાં વેદનારૂપ પરીષહને અભાવ હોય છે. મેહનીય કર્મની અનુપસ્થિતિમાં ભાવ-વેદનીયકર્મ (અસાતા–વેદના)ને ઉદય થતો નથી. એમાં દ્રવ્ય–વેદનીય-કર્મનું અસ્તિત્વ હેવાને કારણે એને પરીષહ કહેવામાં આવે છે. ઉદાહરણ અર્થે સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયા એ ધ્યાન નથી. કેમકે ચિત્તનિરોધરૂ૫ ધ્યાનની વ્યાખ્યા એને લાગુ પાડી શકાતી નથી. પરંતુ ઉપચારથી એને ધ્યાન” કહેવામાં આવે છે, કેમકે કર્મ-નિહરણરૂપ ફલ એનાથી પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ ક્રિયા અને સમુચ્છિન્ન જેવા શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદ બને પરંપરામાં માન્ય છે. એટલે જ એને ધ્યાનના અંશરૂપે સ્વીકારવામાં આવે તો એ તર્કના આધાર પર પૂજ્યપાદને અભિપ્રેત દિગંબર મત અનુસાર પરીષહની વિદ્યમાનતા સ્વી Page #633 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તત્વાર્થસૂત્ર કરવી જ પડશે. શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદને એ આધારે ધ્યાનની સંજ્ઞા આપવામાં આવી છે કે એનાથી કર્મોને ક્ષય થાય છે.” એ માન્યતા સર્વથા સંદેહપૂર્ણ છે કેમકે જૈન સંમત ધ્યાનમાં આર્ત અને રદ્ર ધ્યાનને સમાવેશ કરવામાં આવ્યું છે. કે જેનાથી અશુભ કર્મોને આસવ થાય છે. એટલે “ઉપચારની પૂજ્યપાદની માન્યતાને કોઈ અવકાશ નથી. સંભવત: મોક્ષ સાથે સંકળાયેલ હોવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન ક્રિયાને ધ્યાન માની લેવામાં આવ્યા છે. કેમકે મોટા ભાગના ધાર્મિક સંપ્રદાયમાં મોક્ષની પ્રાપ્તિ ધ્યાન અથવા સમાધિ દ્વારા માનવામાં આવી છે. વસ્તુતઃ સૂક્ષ્મ-ક્રિયા ફક્ત સૂક્ષ્મ કાય–ગપૂર્વક હેવાને કારણે સોગ-કેવળી અને ત્રણ પ્રકારના ગથી રહિત હોવાથી અગ કેવળીના ધ્યાન રૂપ બનતી નથી. ગમે તેમ પણ ઉપચારની વાત અસિદ્ધ થઈ જવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયાનું ઉદાહરણ પ્રસ્તુત કરવાનું ટીકાકારનું પ્રયજન સાર્થક બનતું નથી. એટલે દિગંબર ટીકાકારોની પરીષહ અંગેની આ માન્યતા યુક્તિસંગત નથી. ઉપર્યુક્ત કથનથી એમ જણાય છે કે મેહનીય કર્મોને અભાવ હોવાને કારણે જિનમાં ભાવ-વેદનીય કર્મો હતાં નથી. મોહનીય કર્મ અને વેદનીય કર્મ એ બે જુદા જ કર્મભેદો છે અને તેઓની પિતપોતાની આગવી વિશેષતાઓ છે. એટલે એના સ્વરૂપ અને કાર્યને સેળભેળ કરી શકાય નહીં. અન્યથા કાર્મિક ભેદોમાં ગોટાળો થઈ જશે. જે ઉપર્યુક્ત કથનને સ્વીકારી લેવામાં આવે તે આ જ દલીલ અન્ય Page #634 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂથને મૂળપાઠ ૪૩. આતિક પસપ્રયુકત કરી શકા. જેમકે, બિના ભાવાગે-કમને ઉદય થતો નથી કેમકે એમાં તેને અમુમ મેહનીય કર્મોને અાવ હેમ છે. પૂજ્યપvas, જષ્ણવે છે કે જિનમાં ભાવ-વેરતીય કર્મોને અભાર હોય છે, પણ દ્રવ્ય વેદનીય કર્મો વિઘાન હેયા છે તે સર્વથા તર્કવાંગતા જણાતું નથી કેમકે એક જ કર્મને દ્રવ્ય અને ભાલા એમ બે દષ્ટિ બિન્દુએથી વિચાર કરવામાં આવ્યો છે એટલે જ્યાં એક હેયા ત્યાં બીજુ પણ હેય જ અન્ય એક દલી- અન્ય અધાનિકીકર્સન અંગે આપી શકાય. જેમકે જિનમાં દ્રવ્ય ઔદારિ–શરીર–નાસકમ-હેયર છે. પણ એના ભાવ-કર્મને એમાં અાવાય છે અને બધા દૃષ્ટિબિંદુઓ અસમત જણાય છે કેમકે કોઈ પણ પરંપરાની રૂઢિગતે માન્યતા પ્રાય સૈદ્ધાંતિક નિષ્કર્ષ સાથે ચાલી નથીકેમકે તે સામાન્ય રીતે ધાર્મિ ભરવાના અટાઈ જી.હા છે. દિસંબર પરંપરા આરૂઢ માન્યતા થથાવત જળવાઈ રહી છે એ પરંપસ એ તને સ્વીકાર કરી શકતી નથી કે જિમમાં ભાવવાહીકર્મ હોવા છે. વળી એનામાં દ્રવ્ય વેદનીય કર્મ હોયછે એલાઇનકાર પણ કરી શકાતી નથી અકારણે પઠનું સંશે ધનકરનાર ટીકાકારે સૂત્ર ૯ ૧૦ (૪૧) ઈ પણ ફેરફાર કર્યા વગર સ્વીકારી લીધું. પરંતુ પિતાની રૂઢિગત માન્યતા અનુસાર ટીકાઓમાં તેવા અર્થને અનુલક્ષીને સંશોધન કર્યું છે એમણે આ સંશોધન “ઉપચાર પદ્ધતિથી કર્યું છે, જેથી એનો અર્થ જરા પણ વિકૃત થાય નહીં. પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા છે એટલે એનાથી તે ચોકકસપણે પ્રમાણિત પઈ જાય છે કે સૂત્ર ૯ ૧૧(૧) મૂળ રૂપમાં દિગંબર પરંપરાનું હતું નહીં. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કરવાથસૂત્ર છેલ્લાં બે ઉદાહરણે જેમાં બને પરંપરાઓના સૈદ્ધાંતિક મતભેદોને સમાવેશ કરવામાં આવ્યો છે તે ચર્ચાસ્પદ મૂળપાઠની યથાર્થતાની સિદ્ધિને કારણે મહત્વપૂર્ણ છે. કેવળ એ સૂત્રોની છણાવટ કરવાથી આ સમસ્યા હલ કરી શકાય નહી. ટીકાઓમાં એને હલ કરવાની ચાવી છુપાયેલી છે એટલે એને સુસ્પષ્ટ કરવાનું અત્યંત આવશ્યક છે. આ પ્રકારના અન્ય ઉદાહરણે હોવાની પણ સંભાવના છે. તો પણ મતભેદનાં આ ઉદાહરણો તથા શ્વેતાંબર પાઠમાં સૂત્ર ૫ : (૨૯) અર્થાત્ સત્ વ્ય-ઝક્ષમ્ ના વિલેપનથી એ પ્રમાણિત થાય થાય છે કે શ્વેતાંબર પાઠ મૂળ છે. અને દિગંબર પાઠ એમાંથી વ્યુત્પન્ન થયેલ છે. આ ઉપરાંત, સૂત્રકારની ચ મ્ શબદ દ્વારા આગળના ઉપદાત્મક સૂત્ર લખવાની રૂઢિગત શૈલી તથા “સ” સર્વનામ દ્વારા હંમેશાં નવા સૂત્રને પ્રારંભ કરવાની પદ્ધતિ જેવા કેટલાક ગૌણ પ્રમાણે પણ પ્રસ્તુત કથનની પુષ્ટિ કરે છે. ત્યારે તત્ત્વાર્થ સૂત્રના ત્રીજા અધ્યાયના સંશોધન અંગેનો પ્રશ્ન કે “આ સામગ્રી ભાગ્ય અને જબુદીપ સમાસમાંથી દિગંબર સંસ્કરણમાં લેવામાં આવી છે અથવા દિગંબર સંરકરણમાંથી ભાગ્ય અને જબુદીપ સમાસમાં લેવામાં આવી છે તે સ્વયં હલ થઈ જાય છે. –સુજુકે આહિર Page #636 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ [ોંધ –અનુસ્વારે સંસ્કૃત પદ્ધતિ પ્રમાણે અનુનાસિક વ્યંજનના ક્રમમાં મૂકેલા છે.]. અકર્મભૂમિ ૧૫૯ અછવાધિકરણ ર૬૨ અકષાય ૨૫૪ અજ્ઞાતભાવ ૨૫૯ અકામનિર્જરા ૨૬૬, ર૭૧, ૨૭૪ અજ્ઞાન ૬૦-૧ (જુઓ વિપર્ચય અકાલમૃત્યુ ૧૩૪ જ્ઞાન). અક્ષિપ્રગાહી ૨૯ અજ્ઞાન (પરીષહ) ૩૫૬, ૩૬૦ અગારી (વતી) ૩૦૧-૩ અંજના (નરકભૂમિ) ૧૪૩ અગુરુલઘુ (નામકર્મ) ૨૧૫, ૩૩૧, અત્રત ૨૮૩, ૩૦૩ ૩૩૫, ૩૪૩ અંડજ ૧૧૭ અગ્નિકુમાર ૧૭૦ અતિકાચ (64) ૧૬૫ અગ્નિમાણ (%) ૧૬૫ અતિચાર ૩૦૯, ૩૧૯ અગ્નિશિખ ૧૬૫ અતિથિવિભાગ (ત્રત) ૩૦૩, અંગ (શ્રત) ૪૫ ૩૦૬; –ને અતિચાર ૩૧૨ અંગપ્રવિષ્ટ (શ્રત) ૪૫, ૩૭૯ અતિપુરુષ (દેવ) ૧૭ર અંગબાહ્ય ૪૫ અતિભારારોપણ ૩૧૦, ૩૧૩ અંગોપાંગ (નામકર્મ) ૩૩૧, ૩૩૩ અતિરૂપ ૧૭૨ અચક્ષુર્દર્શન ૯૦ અથાખ્યાત ૩૬૩ (જુઓ યથાઅચક્ષુદર્શનાવરણ ૩૩૦, ૩૩૧ ખ્યાત) અચૌક્ષ (દેવ) ૧૭૩ અદત્તાદાન ર૯૭ અચોર્યવ્રત, –ની પાંચ ભાવનાઓ ર૮૪ અદર્શન ૩૫૬, ૩૬૦ અશ્રુત (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૮૮-૯ અધર્મ (અસ્તિકાય) ૧૯૩, ૧૯૪, અમ્યુત (ઇંદ્ર) ૧૬૬ ૧૯૬, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૩, અવ ૧૯૩-૪ ૨૦૪, ૨૧૦-૨, ૨૪૩, ૨૪૯ Page #637 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર અધસ્તારક ૧૭ર અનિત્ય-અવક્તવ્ય ર૩ર અધિકરણ ૧૭, ૨૫૯, ૨૬૦-૧ અનિત્યાનુપ્રેક્ષા ૩૫ર-૩ અભાગ લેક) ૧૪૦ અનિદિત (દેવ) ૧૭૨ અલેકસિદ્ધ ૩૯૮ અનિન્દ્રિય (મન) ૨૬-૭, ૯૯ અધતિમ ૩૧૧, ૩૧૬ અનિવૃત્તિ બાદરપરાય (ગુણઅબ્રુવ ૩૨ સ્થાન) ૩૩૭ અનગાર (વ્રતી) ૩૦૧-૩ અનિશ્ચિત (અવગ્રહ) ૩૧ અનંગસ્ક્રીડા (અતિચાર) ૩૧૧, ૩૧૫ અનિષ્ટસંયોગ (આર્તધ્યાન) ૩૭૫ અનંતાણુક ૨૦૫ અનિઃસૃતાવગ્રહ ૩૧ (જુઓ અનંતાનુબંધિવિયોજક ૩૮૪ અનિશ્રિત) અનંતાનુબંધી (કષાય) ૩૩૦, ૩૩ર અનીક ૧૬૪ અનપવર્તનીય (આયુ) ૧૩૪-૬ અનુકંપા ૯ અનભિગૃહીત (મિથ્યા દર્શન) ૩૨૪ અનુક્તાવગ્રહ ૩૧ અનર્થદંડવિરતિ ૩૦૫, ૩૧૧ અનુજ્ઞાપિતાનભેજન ૨૮૪, ૨૮૬ અર્પણ ૨૩૦ અનુતટ ૨૧૯ અનવકાંક્ષક્રિયા ૨૫૭ અનુત્તર વિમાન ૧૭૭-૧૮૦, ૧૮૯ અનવસ્થિત (અવધિ) ૫૦, ૫ર અનુપ્રેક્ષા ૩૪૬, ૩૫ર-૫, ૩૬૮ અનશન ૩૬૪ અનુભાગ ર૫૩, ૨૭૯, ૩ર૩ (જાઓ અનાચાર ૩૧૯ અનુભાવબંધ) અનાદર ૩૧૨, ૩૧૭ અનુભાવ (દેવોમાં) ૧૮૨ અનાદિ ૨૪૭-૯ અનુભાવબંધ કર૬-૭, ૩૩૮-૯ અનાદેય (નામકર્મ) ૩૩૧, ૩૩૫ અનુમત ૨૬૮-૧ અનાનુગામિક (અવધિ) ૫૦-૧ અનુવાચિ-અવગ્રહયાચન ૨૮૪, અનાભગ ૨૬૩ ૨૮૬ અનાભોગક્રિયા ર૫૭ અનુવાચિભાષણ ૨૮૪, ૨૮૬ અનાહારક (જીવ) ૧૧૨ અમૃત ૨૬ અનિયંત્વરૂપ (સંસ્થાન) ૨૧૮ અમૃતાનુબંધી (દ્ર ધ્યાન) ૩૭૬ અનિત્ય ૨૩૨ અનેકાંત ૨૩૦ Page #638 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકેશ અંતર ૧૬, ૧૯, ૩૯૫ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત આદાનઅંતરાય (કર્મ) ર૬૭, ૩૨૮, ૩૩૧, નિક્ષેપ ઇ૩૧૨, ૩૧૮ ૩૩૬–૭, ૩૪૪, ૩૫૭, ૩૯૦ અપ્રત્યેક્ષિત નિક્ષેપ ૨૬૩ અંતરાલગતિ ૧૦૬ ઇ૦, ૧૨૫ અપ્રત્યાખ્યાન (કષાય) ૩૩૦, ૩૩ર અપ્રત્યાખ્યાન ક્રિયા ૨૫૭ અંતીમ ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯ અપ્રવિચાર ૧૬૬-૭ અંતમુહૂર્ત ૧૯, ૩૭૨ અપ્રાપ્યકારી (નેત્ર તથા મન) ૪૦ અંત્ય દ્રવ્ય (પરમાણુ) ૨૨૦ અબ્રહમ ર૯૮ અન્નપાનનિરોધ ૩૧૦, ૩૧૪ અભવ્યત્વ ૮૧, ૮૬ અન્યત્વાનુપ્રેક્ષા ૩૫૨, ૩૫૪ અભિગૃહીત મિથ્યાદર્શન) ૩૨૪ અન્યદૃષ્ટિપ્રશંસા (અતિચાર) અભિનિબંધ ૨૫-૬ ૩૦૭, ૩૦૯ અભિષવાહાર ૩૧૨, ૩૧૮ અન્યષ્ટિસંસ્તવ ૩૦૭, ૩૦૯ અજીર્ણઅવગ્રહયાચન ૨૮૫ અમનસ્ક ૯૩ અપરત્વ ૨૧૫ અમિતગતિ (ઇદ્ર) ૧૬૫ અપરાજિત (સ્વર્ગ) ૧૭૧, ૧૮૯ અમિતવાહન (ઇદ્ર) ૧૬૫ અપરિગ્રહીતાગમન ૩૧૧, ૩૧૫ અંબ (દેવ) ૧૪૮ અપરિગ્રહવ્રત ( –ની ભાવનાઓ) અંબરીષ (દેવ) ૧૪૮ ૨૮૪ અયશકીર્તિ (નામકર્મ) ૩૩૧, અપરિગ્રહાણુવ્રત ૩૦૫, ૩૧૧, ૩૧૫ અપર્યાપ્ત (નામકર્મ) ૩૩૧, ૩૩૪, અરતિ (મેહનીય) ૩૩૩, -ના ૩૪૪ આસ્રવ ર૭ર અપવર્તનીય (આયુ) ૧૩૪-૫ અરતિ (પરીષહ) ૭૫૭, ૩૫૮ અપાન ૨૧૪ અરિષ્ઠ (લેકાન્તિક) ૧૮૪ અપાચચિય (ધર્મધ્યાન) ૩૭૬ અરુણ ( ) ૧૮૪ અપાઈપુગલપરાવત ૨૦ અરૂપી (દ્રવ્ય) ૧૯૭ અપૂર્વકરણ ૧૦ અર્થાવગ્રહ ૩૬, ૪૧ અપ્રતિરૂ૫ (ઈંદ્ર) ૧૬૫ અર્ધનારાચ (સહનન) ૩૪૪ અપ્રતિષ્ઠાન (નરકાવાસ) ૧૪૫ અમારા ૩૭ર ૩૬૫ Page #639 -------------------------------------------------------------------------- ________________ તાવાર્થસૂત્ર અર્ધવર્ષભનારાચ ૩૪૪, ૩૭૦ અત્રત ૨૫૫ અર્પણા ૨૩૦, ૨૩૧ અશરણાનુપ્રેક્ષા ૩૫ર-૩ અલાભ (પરીષહ) ૩૫૭, ૩૫૯ અશુચિતાનુપ્રેક્ષા ૩૫૪ અલકાકાશ ૨૦૪ અશુભ (નામકર્મ) ૩૩૧, ૩૩૫; અલ્પ (અવગ્રહ) ૩૦ ના બંધહેતુ ર૭૪ અલ્પબદુત્વ ૨૧, ૩૯૫ અશુભ (ગ) ૨૫૧ અવક્તવ્ય ૨૩૨ અશોક (દેવ) ૧૭૩ અવગાહના ૩૯૭ અષ્ટઅષ્ટમિકા (પ્રતિમા) ૩૫૧ અવગ્રહ ર૭, ૩૩, ૩૫ અસત્ ૨૯૬ અવગ્રહયાચન ૨૮૪ અસત્ય ૨૯૬ અવગ્રહાલધારણ ૨૮૪ અસગુણદુભાવન ૨૬૭, ૨૭૬ અવધિ (જ્ઞાન) ૪૭–પર, ૫૪, અસદ (અસાતવેદનીય) ૨૬૩, ૫૭, ૭૯, ૩૯૭ ૩૨૯ અવધિજ્ઞાનાવરણ ૩૩૧ અસમીક્ષ્યાધિકરણ ૩૧૧, ૩૧૭ અવધિદર્શન ૯૨ અસભ્યજ્ઞાન ૨૨ અવધિદરનાવરણ ૩૩૧ અસંજ્ઞી ૧૪૯ અવમૌદર્ય (તપ) ૩૬૪-૫ અસંદિગ્ધ ૩૧ અવયવ ૨૦૧ અસંતત્વ ૮૧, ૮૫ અવર્ણવાદ ૨૬૫ અસાતવેદનીય ર૭૭, ૩૭૨, ૩૪૪; અવસર્પિણી ૩૯૬ –ના બંધહેતુ ર૬૯ અવસ્થિત (અવધિજ્ઞાન) ૫૦, પર અસાધારણ (ગુણ) ૨૪૨ અવસ્થિતત્વ ૧૯૭ અસુર ૧૪૭, ૧૪૮ અવાય (મતિજ્ઞાન) ર૭ અસુરકુમાર ૧૭૦ અવિગ્રહ (ગીત) ૧૦૭ અસુરેન્દ્ર ૧૮૭ અવિચાર ૩૭૮ અસ્તિકાય ૧૯૪ અવિરત (ગુણસ્થાન) ૩૭૪ અસ્તેયાણુવ્રત ૩૦૫, ૩૧૪ અવિરતિ ૩૨૨, ૩૨૫ અસ્થિર નામકર્મ ૩૧, ૩૩૫ અવ્યાબાધ ૧૮૪ અહમિન્દ્ર ૧૭૭ Page #640 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ અહિંસા ૨૮૦, ૨૯૦-૬; આનુગામિક (અવધિજ્ઞાન) પર –ની ભાવનાએ ૨૮૪ આનુપૂર્વી (નામકર્મ) ૩૩૧, ૩૩૪ અહિંસાણત્રત ૩૦૫, ૩૧૩ અભિયોગ્ય ૧૬૪ આત્યંતર તપ ૩૬૪–૫ આકાશ (અસ્તિકાય) ૧૪૧, આલ્ચતરોપધવ્યુત્સર્ગ ૩૬૯ ૧૪૪, ૧૯૩, ૧૯૬, ૧૯૮, આમ્નાય ૩૫૨, ૩૬૮ ૨૦૦, ૨૦૩, ૨૧૦–૨, ૨૪૩, આમ્નાયાર્થવાચક ૩૫૨ ૨૪૯. આયુ ૧૩૪ ઇ. આકાશગ (દેવ) ૧૭૩ આયુષ્યક કર્મ ૩૨૮, ૩૩૦, ૩૩૩ આચિન્ય ૩૫ર આરણ ૧૭૦, ૧૭૭, ૧૮૮ આકંદન ૨૬૫, ૨૬૯ આરંભ ૨૬૦, ૨૬૫ આકેશ (પરીષહ) ૩૫૬, ૩૫૯ આરંભયિા ર૫૭, ૨૬૦ આચામ્સ (તપ) ૩૫૧ આર્જવ (ધર્મ) ૩૪૮ આચારવસ્તુ ૩૮૬ આર્તધ્યાન ૩૭૩–૫ આચાર્ય ૨૬૭, ૨૭૬, ૩૬૮ આર્ય ૧૫ર, ૧૫૯ આજ્ઞાવિચય (ધર્મધ્યાન) ૩૭૬ આર્યદેશ ૧૫૯ આજ્ઞા વ્યાપાદિકી (ક્રિયા) ર૫૭ આલેક્તિપાનભેજન ૨૮૫ આતપ ર૧૬, ૨૧૯, ૩૩૧, ૩૩૫ આલેચન (૫) ૩૬૬ આત્મરક્ષ ૧૬૪ આવશ્યકાપરિહાણ ૨૯૭ આત્મા ૮૧-૪, ૨૦૬-૯, ૨૩૦-૧, આવાસ ૧૭૧ ૨૪૦, ૨૪૨, ૨૪૫, ૨૪૬ આસાદન ૨૬૪ આદાનનિક્ષેપણસમિતિ ૨૮૫, ૩૪૮ આસ્તિક્ય ૯ આદિત્ય (કાન્તિક) ૧૮૪ આદિમાન ૨૪–૯ આસ્રવ ૨૫૦–૧, ૨૬૪ ૦, રજ, આદેય (નામકર્મ) ૩૩૧, ૩૩૫ ૩૪૫ આધકરણિકી (ક્રિયા) ૨૫૬ આસ્ત્રવાનુપ્રેક્ષા ૩પર આનત (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૮૮ આહાર ૧૧૨, ૧૮૧ આનયન પ્રયોગ (અતિચાર) ૩૧૧, આહારક (શરીર) ૧૨૧, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૩૪૩ Page #641 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર આહારકલબ્ધિ ૧૨૬ ઉદ્દધકુમાર ૧૬૫, ૧૭૦, ૧૭૨ આહ્રક (દેવ) ૧૭૩ ઉદ્યોત ૨૧૬, ૨૧૯ ઉદ્યોત (નામકર્મ) ૩૩૧, ૩૩૬, ૩૪૪ ઈચૈત્વરૂપ (સંસ્થાન) ૨૧૮ ઉપકરણબકુશ ૩૮૭ દત્વર૫રિગ્રહીતાગમન ૩૧૧ ઉપકરણસાગાધિકરણ ૨૬૩ ઇન્દ્ર ૧૬૪–૫ ઉપકરણેન્દ્રિય ૩૫, ૯૬ ઈદ્રિય ૨૫, ૯૬ ઇ., ૧૭૯ ઉપક્રમ ૧૩૫ ઈષ્ટવિયોગ (આર્તધ્યાન) ૩૭૫ ઉપઘાત ૨૬૪, ૨૬૮ ઈર્યાપથકર્મ ૨૫૪ ઉપઘાત (નામકર્મ) ૩૩૧, ૩૩૫, ૩૪૪ ઈપથક્રિયા ૨૫૬ ઉપચાર વિનય ૩૬૭ ઈસમિતિ ૨૮૪–૫, ૩૪૭ ઉપધિ ૩૬૯ ઈશાન (64) ૧૬૬ ઉપપાતજન્મ ૧૧૪, ૧૧૭ ઈહા ૨૮ . ઉપભગ ૧૨૮ ઉપગપરિભાગપરિમાણ ૩૦૫, ઉતાવગ્રહ ૩૧ ૩૧૮ ઉચ્ચગેત્ર (કર્મ) ૩૩૧, ૩૩૬, ૩૪૨-૪; ઉપભેગાધિકત્વ ઉ૧૧, ૩૧૭ –ના બંધહેતુ ર૬૭, ૨૭૭ ઉપભોગાન્તરાય ૩૩૬ ઉચ્છવાસ (દેવેને) ૧૮૧; ઉપયોગ ૮૭, ૯૨ નામકર્મ ૩૩૧, ૩૩૫, ૩૪૩ ઉપયેગેન્દ્રિય ૯૮ ઉત્તમપુરુષ ૧૩૬ ઉપશમક ૩૮૩–૪ ઉત્તરકુર ૧૫ર, ૧૫૬, ૧૫૭ ઉપશાંતકષાય ૩૭૬ ઉપશાંતમેહ (ગુણસ્થાન) ૩૬૦, ૩૭૬ ઉત્તરગુણ ૩૦૪, ૩૮૫ ઉત્તરગુણનિવર્તિના ૨૬૨ ઉપશાંતમૂહ (સમ્યગદષ્ટિ) ૩૮૩-૪ ઉત્તરપ્રકૃતિ ૩૨૯, ૩૩૯ ઉપસ્થાપન ૩૬૬ ઉત્તરદ્રત ૩૦૪ ઉપાધ્યાય ૩૬૮ ઉષ્ણપરીષહ ૩૫૬, ૩૫૮ ઉત્પાદ ૨૨૫ ઉત્સસમિતિ ૩૪૭ ઊર્વલોક ૧૪૧ ઉત્સપિણું ૩૯૬ ઊર્ધ્વસિદ્ધ ૩૯૮ Page #642 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શદકેશ ઊર્ધ્વવ્યતિક્રમ ૩૧૧, ૩૧૬ કબક (દેવ) ૧૭૩ કનકાવલી (તપ) ૩૫૧ હજુગતિ ૧૦૮-૧૧૩ કરુણા ૨૮૭, ૨૮૯ *જુમતિ પર કર્મ -ના બંધહેતુઓ ૩૨૨; ઋજુસૂત્ર (નચ) ૬૩, ૭૩ બંધના પ્રકાર ૩ર૬; –ની ઋષિવાદિક (દેવ) ૧૭૨ આઠ મૂલપ્રકૃતિઓ કર૭; –ની પુણ્ય અને પાપ પ્રકૃતિઓ એકત્વવિતર્ક (શુકલધ્યાન) ૩૭૮, ૩૪ર ઈ; –ના આત્યંતિક ૩૮૧ ક્ષયનાં કારણ ૩૯૧ એકત્વવિતર્ક અવિચાર ૩૮૧ કર્મબંધ (–ની વિશેષતા) ૨૫૮ એકવાનુપ્રેક્ષા ૩૫ર, ૩૫૪ કર્મભૂમિ ૧૫ર, ૧૫૮ એકાગ્રચિંતાનિરોધ ૩૬૯ કર્મયોગ (કામયોગ) ૧૦૭ એકેન્દ્રિય (જીવ) ૯૬ કર્મેન્દ્રિય ૯૭ એકેન્દ્રિય (નામકર્મ) ૩૪૪ કલ્પ ૧૭૦–૧૭૬ એવભૂતની ૬૪, ૭૩ કલ્પાતીત ૧૭૬, ૧૭૭ એષણાસમિતિ ૨૮૪, ૩૪૭ કાપપન્ન ૧૭૬, ૧૭૭ કવલાહાર ૩૬૦ ઐરાવતવર્ષ ૧૫ર, ૧૫૫, ૧૫૬ કષાય ર૫૪–૫, ૩ર૪-૩, ૩૨૭, ૩૪૪ ઐશાન (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭ કષાચકુશીલ ૩૮૫ કષાચચારિત્રમેહનીય ૩૩૦ એન્કરિક (અંધવિભાગ) ૨૧૯ કષાયમહનીય ર૭ર ઔદચિકભાવ ૮૧-૩, ૮૬, ૩૯૨ કષાયવેદનીચ ૩૩૦ ઔદારિક (શરીર) ૧૧૯, ૨૦૧૭, કંદર્પ (અતિચાર) ૩૧૧, ૩૧૭ ૨૦૯, ૨૧૩ કાદંબ ૧૭ર ઔદારિક (શરીરનામકર્મ) ૩૩૩ કાપિષ્ટ ૧૬૯ દારિક અપાંગ (નામકર્મ) કામસુખ ૧૬૬ ઔપપાતિક ૧૧૯ કાયકલેશ (તપ) ક૬૪ ઓપશમિકભાવ ૮૧-૬, ૩૨ કાયગુપ્તિ ૩૪૭ 333 Page #643 -------------------------------------------------------------------------- ________________ 8 કાયદુપ્રણિધાન ૩૧૨, ૩૧૭ કાનિસર્ગ ૨૬૩ કાચપ્રવીચાર ૧૬૭ કાયાગ ૨૫૦ કાસ્થિતિ ૧૬૦ કાચસ્વભાવ ૧૮૦ કાચિકી ક્રિયા ૨૫૯ કામણ (શરીર) ૧૨૦, ૨૧૩, ૩૪૩ કામૈયાગ ૧૦૭ કાલ (ઇંદ્ર) ૧૬૫ કાલ (દ્રવ્ય) ૧૭૫, ૧૯૪, ૨૧૫, ૨૪૩, ૩૯૬ કાલાતિક્રમ ૩૧૨, ૩૧૯ કાલેાધિ ૧૫૩ કાંક્ષા (અતિચાર) ૩૦૭ કિન્નર (ઇંદ્ર) ૧૬૫; --દેવ ૧૦૨ કિન્તરાત્તમ ૧૭૨ કિંપુરુષ ૧૬૫, ૧૭૨ કિંપુરુષાત્તમ ૧૬૫ કિષ્મિષિક (દેવ) ૧૬૪ કીલિકા (સંહનન) ૩૪૪ મુખ્યપ્રમાણાતિક્રમ ૩૧૧, ૩૧૬ તત્ત્વાર્થસૂત્ર કુબ્જ ૩૪૪ કુલ ૩૬૮ કુશીલ ૩૮૫ ફૂટલેસ્ચિા ૩૧૧, ૩૧૪ ( અતિચાર ) કૂષ્માણ્ડ (દેવ) ૧૭૩ કેવલ ઉપયોગ ૩૯૦ કેવલજ્ઞાન ૫૫, ૧૮૬૦ કેવલજ્ઞાનાવરણ ૩૩૧ કેવલજ્ઞાની ૨૬૫, ૨૦૧ વલદર્શન ૯૨ વલદર્શનાવરણ ૩૩૧ કેલિસમુદ્ધાત ૨૦૭ કેવલી ૩૭૯ કૈવલ્ય ૩૯૦ કૌત્સુચ્ચ ૩૧૧, ૩૧૭ ક્રિયા ૨૧૫, ૨૫૬ ક્રોષ (કષાય) ૨૫૫ ક્રોધપ્રત્યાખ્યાન ૨૮૪ ક્ષક્ષક ૩૮૪ ક્ષમા ૩૪૯ ક્ષાન્તિ ૩૬૫ ક્ષાચિકચારિત્ર ૩૯૩ ક્ષાચિકજ્ઞાન ૩૯૨ ક્ષાયિકદર્શન ૩૯૨ ક્ષાચિકભાવ ૮૧ ૪૦ ક્ષાચિકવીયૅ ૩૯૩ ક્ષાયિકસમ્યકત્વ કર ક્ષાચિકસુખ ૩૯૩ ક્ષાયેષશમિકભાવ ૮૧ ૪૦, ૩૯૨ ક્ષિપ્રગ્રાહી ૨૯ ક્ષીણકષાય ૩૭૬ Page #644 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ ક્ષીણમેહ ક૬૦, ૩૭૬, ૩૮૪ ગૃહસ્થલિગ ૩૯૬ સુદ્રસર્વતોભદ્ર ૩૫૧ ત્રકર્મ ૩૨૮, ૩૩૬, ૩૩૭ સુધાપરીષહ ૩૫૬, ૩૫૮ ગોમૂત્રિકા (ગતિ) ૧૧૧ ક્ષુલ્લકસિંહવિક્રીડિત ૩૫૧ ગ્રહ ૧૭૩, ૧૭૪ ક્ષેત્ર ૧૬, ૩૯૫ પ્લાન (વૈયાવૃત્ય) ૩૬૮ ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિકમ ૩૧૧, ૩૧૫ રૈવેયક (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૯૦ ક્ષેત્રવૃદ્ધિ ૩૧૧, ૩૧૬ ક્ષેત્રસિદ્ધ ૩૫ ધનવાત ૧૪૧-૪ ઘનાબુ ૧૪૦ ખટવાંગ ૧૭૩ ઘનોદધિ ૧૪૧-૪ ખરકાંડ ૧૪૩ ખંડ ૨૧૯ ઘર્મા (નરક) ૧૪૩ ધાતન ૧૪૪ ગણું ૩૬૮ ઘાતિકને ૩૬૧ ગતિ ૧૦૮, ૧૭૯, ૩૩૧, ૩૩૩, પ્રાણ ૯૬ ૩૯૬ ગદતાય ૧૮૪ ચક્રવત ૧૩૬ ગર્ભજન્મ ૧૧૭ ચક્ષુ ૯૬ ગાંધર્વ ૧૭૦, ૧૭૨ ગીતયશ (ઇદ્ર) ૧૬૫; ચક્ષુદર્શન ૯૦ –દેવ ૧૮૨ ચક્ષુદર્શનાવરણ ૩૩૧ ગીતરતિ (૪૮) ૧૬૫; ચતુરિન્દ્રિય ૯૭, ૧૦૪, ૩૩૩ -દેવ ૧૭૨ ચતુર્દશપૂર્વ ૩૮૬ ગુણ ૨૪૦ ઈ. ચતુર્દશપૂર્વધર ૧૨૦, ૧૩૦ ગુણપ્રત્યય (અવધિજ્ઞાન) ૪૮-પર ચતુર્નિકાય ૧૬ર-૪ ગુણસ્થાન ૩ર૩, ૩૬૦ ગુપ્તિ ૩૪૬, ૩૪૮ ચમર () ૧૬૫, ૧૮૭ ગુરુ (ગ્રહ) ૧૭૪; ચર તિક ૧૭૪ -પાંચ પ્રકારના ૩પર ચરમદેહ ૧૩૬ Page #645 -------------------------------------------------------------------------- ________________ 10 તત્વાર્થસૂત્ર ચપરીષહ ૩૫૬, ૩૫૯ જયંત (સ્વર્ગ) ૧૭૧, ૧૮૯ ચંદ્ર ૧૭૦, ૧૭૩-૪; જરાયુજ ૧૧૭ જલકાન્ત (64) ૧૬૫ ચંપક ૧૭૩ જલપ્રભ (64) ૧૬૫ ચાક્ષુષ સ્કંધ ર૨૩ જલબહુલ (કાંડ) ૧૪૩ ચારિત્ર ૩૧૩,૩૪૬, ૩૬-૩, ૩૯૭; જલરાક્ષસ (દેવ) ૧૭૨ -(વિનય) ૩૬૭ જંબુદ્વીપ ૧૫ર ઇ. ચારિત્રમેહનીય ર૬૫, ર૭૨, જાતિ (નામકર્મ) ૩૩૧, ૩૩૩ ૩૩૨, ૩૫૭ જિન ૩૫૭, ૩૮૩ ચાંદ્રાયણ (તપ) ૩૫૧ જીવ ૬૨, ૮૧, ૮૭, ૧૯૫, ૧૯૮–૯, ચિતા ૨૫ ૨૦૩, ૨૦૯, ૨૧૪, ૨૪૭ ચેતનાશક્તિ ૨૪૧ જીવતત્તવ ૨૦૭, ૨૦૮ ચેરી ર૯૭ જીવત્વ ૮૧ ચોક્ષ ૧૦૩ છવદ્રવ્ય ૨૦૦, ૨૦૭ ચણિક ૨૧૯ જીવરાશિ ૯૨ છદ્મસ્થ ૩૭૧, ૩૭૩ જવાસ્તિકાય ૧૯૬, ૨૪૯ છદ્મસ્થવીતરાગ ૩૫૬ જીવિત ૨૧૪ છવિચ્છેદ (અતિચાર) ૩૧૦, ૩૧૩ જીવિતાશંસા ૩૧૨, ૩૧૯ છાયા ૨૧૯ જુગુપ્સા (મોહનીચ) ૩૩૩ છેદ (પ્રાયશ્ચિત્ત) ૩૭૬ જૈનદર્શન ૮૧, ૧૯૪, ૧૯૮, ૨૦૬, છેદેપસ્થાપન (ચારિત્ર) ૩૬-૩, ૨૧૬, ૨૨૮, ૩૯૬ ૩૮૬, ૩૯૭ જૈનલિગ ૩૯૬ જગત સ્વભાવ ૨૮૭ જેષ (દેવ) ૧૭૩ જગત-સ્વરૂપ ૧૯૫ જ્ઞાતભાવ ૨૫૯ જઘન્ય ૨૩૭ જ્ઞાન ૨૧, ૫૮ ૪૦, ૩૬૭, ૩૭ જયેતર ૨૩૭ જ્ઞાનાવરણીય ર૭૭, ૩૨૮, ૩૩૧, જન્મ (–ના પ્રકાર) ૧૧૪–૫, ૩૩૬–૭, ૩૪૪, ૩૫૭; ૧૧૭ –ના બંધહેતુ ૨૬૪ જન્મસિદ્ધ ૩૯૮ જ્ઞાનેંદ્રિય ૯૭ Page #646 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકેશ 11 જ્ઞાનપયોગ ર૭૫ તુમ્બરુ (દેવ) ૧૭૩ તિષ્ક ૧૬૩, ૧૭૩-૬, ૧૯૨ તુમ્નરવ (દેવ) ૧૭૨ તુતિ (લેકાંતિક) ૧૮૪ હત ૨૧૭ તુણૂક ૧૭૩ તત્ત્વ ૧૧-૩, ૧૫-૬ તૃણસ્પર્શપરીષહ ૩૫૬, ૩૫૯ ત~દેષ ૨૬૮ તૃષાપરીષહ ૩૫૬, ૩૫૮ તથાખ્યાત ૩૬૩ તેજસ (શરીર) ૧૧૯ (જુઓ કામણ) તથાગતિ પરિણામ ૩૯૩ ત્યાગ ૨૬૭, ૨૬, ૩૪૮, ૩પર તદુભાય ૩૬૬ વસ (જીવ) ૯૩-૬; તનુવાત ૧૪૧, ૧૪૩-૪ -નામકર્મ ૩૩૧, ૩૩૩, ૩૪૪ ત૫ ર૭૬, ૩૪૬, ૩૪૮, ૩પ૧, ત્રસનાડી ૧૨૪ ત્રાયચિંશ (દેવ) ૧૬૪-૫ ૩૬૩ ઇ. ત્રક્રિય (જીવ) ૯૭, ૧૦૪; તપસ્વી ૩૬૮ નામકમ ૩૪૪ તમસ ૨૬૯ Oણુક ૨૦૫ તમપ્રભા ૧૪૭, ૧૪૩ તાપ ૨૬૫, ૨૬૯ દેશમશકપરીષહ ૩૫૬-૩૫૮ તારા ૧૭૩-૪, ૧૯ર દક્ષિણાર્ધાધિપતિ ૧૮૬–૭. તાલપિશાચ ૧૭૩ દંભ (શલ્ય) ૩૦૧ તિર્યંગકસિદ્ધ ૩૯૮ દર્શનક્રિયા ૨૫૬ તિચંગવ્યતિક્રમ ૩૧૧, ૩૧૬ દર્શનમેહનીય, –ના બંધહેતુ ૨૬૫, તિર્યંચ ૧૫૩, ૧૫૯-૧૬૧, ૧૮૬, ૨૬૫, ૩૩૦, ૩૩૨, ૩૫૭ ર૭૩, ૩૩૦, ૩૩૩, ૩૪૩-૪ દર્શનમોહક્ષક ૩૮૪ તીર્થ ૩૯૬ દર્શનવિનચ ૩૬૭ તીર્થંકર ૧૩૬, ૧૫૦, ૩૩૧; –નામકર્મ દર્શન વિશુદ્ધિ ર૬૭, ર૭૫ ૩૩૬, ૩૪૪; –ના બંધહેત ર૬૭. દર્શનાવરણીય ૩૩૦, ૩૩૧, ૩૩૬, તીવ્રકામાભિનિવેશ ૩૧૧, ૩૧૫ ૩૪૪, ૩૯૦ Page #647 -------------------------------------------------------------------------- ________________ le તાવાર્થસૂત્ર દશદશમિકા ૩૫૧ દેશવિરત ૩૫ કાઢા ૧૫૬ દેશવિરતિ ૩૦૪-૫, ૩૧૧, ૩૧૬ દાન ૮૧, ૨૬૫, ર૭૦, ૩ર૦-૧ દેહ (દેવ) ૧૭૩ દાનાંતરાય ૩૩૧, ૩૩૬ દ્રવ્ય ૩૩, ૧લ્પ-૬, ૨૦૨-૪, ૨૩૯ ઈ. દાસીદાસપ્રમાણતિક્રમ ૩૧૧, ૩૧૫ દ્રવ્યબંધ ૯૨ દ્રવ્યભાષા ૨૧૩ દિકકુમાર ૧૭૦, ૧૭૨ દ્રવ્યમન ૨૧૪ દિગંબર ૩૫૮ દ્રવ્યહિગ ૩૮૭ દિગાચાર્ય ૩૫ર દ્રવ્યવેદ ૧૩૨ દિગદ્રવ્ય ૨૧૨ દ્રવ્યહસા ર૯૩ દિગ્વિરતિ ૩૦૩, ૩૦૫, ૩૧૧, ૩ર૬ કવ્યાધિકરણ ૨૬૧ દિવાભજન ૨૮૨ દ્રવ્યાકિનય ૬૮ ઈ. દીક્ષાચાર્ય ૩૬૮ દ્રવ્યાસ્તિક ૩૮૦ દુઃખભાવના ૨૮૮ દ્રવ્યેન્દ્રિય ૯૭ દુઃખદનીય ૩૩૦ કિચરમ ૧૮૫ દુઃસ્વર (નામકર્મ) ૩૩૧, ૩૩૫, ૩૪૪ કોન્દ્રિય ૯૭, ૧૦૪, ૩૪૪ દ્વીપકુમાર ૧૭૦, ૧૭૨ દુર્ભગ ૩૩૧, ૩૩૫, ૩૪૪ દ્વિીપ-સમુદ્ર ૧૫૩ ઈ. દુષ્પક્વઆહાર (અતિચાર) ૩૧૨, ૩૧૮ દ્વીપસિદ્ધ ૩૯૮ દુષ્પમાર્જિતનિક્ષેપ ર૬૩ દેવ ૧૬૨ ઇ., ૨૬૫ ધનધાન્ય પ્રમાણતિક્રમ ૩૧૧, ૩૧૫ દેવકુરુ ૧૫૨, ૧૫૬ ધરણ (ઇન્દ્ર) ૧૬૫, ૧૮૭ ધર્મ ૨૬૫, ર૭૨, ૩૪૮ ઈ૦ દેવગતિ ૩૪૩ ધર્મધ્યાન ૩૭૩, ૩૭૬, ઈ દેવર્ષિ ૧૮૪ ધમસ્યાખ્યાતત્ત્વાનુપ્રેક્ષા ૩૫ર, ૩૫૫ દેવાનુપૂર્વી (નામકર્મ) ૩૪૩ ધર્માસ્તિકાય ૩૯૪ (જુએ અધમદેવાયુ ૩૩૩; સ્તિકા). -ના બંધહેતુ ૨૬૬ ધર્મોપદેશ ૩૬૯ દેવી ૧૬૭ ધાતકીખંડ ૧૫ર ઈ૦ Page #648 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકેશ ધારણા ૨૭ ઇ. નિઃશ્રેયસ ૩૪૬ ધૂમપ્રભા ૧૫૦ ૪૦ નિઃસૃતાવગ્રહ ૩૧ ધ્યાન ૩૬૪, ૩૬૯ ઈ. નિકાય ૧૬૨ ધ્યાનાંતરિકા ૩૭૨ નિક્ષેપ (ન્યાસ) ૧૩ ઇ., ર૬૦, ૨૬૩ ધ્રૌવ્ય રર૩ નિગેહશરીર ૨૦૯ નિગ્રહ ૩૪૭ નક્ષત્ર ૧૭૦, ૧૭૩ નગ્નત્વ (પરીષહ) ૩૫૬, ૩૫૮ નિત્ય રર૭ ઈ. નપુંસક લિંગવેદ ૧૩૧૨; નિત્ય-અવક્તવ્ય ૨૩૨ –ના બંધહેતુ ર૭૩, ૩૩૩ નિત્યત્વ ૧૯૬ નિત્યાનિત્ય ૨૩૨ નય ૪, ૧૫-૬, ૬૩-૭૯ નિત્યાનિત્યઅવક્તવ્ય ૨૩૨ નરક ૧૪૦, ૧૪૫ ઈ૦ નરકગતિ (નામકર્મ) ૩૩૩, ૩૪૪ નિદાન (શલ્ય) ૩૦૧ નિદાન (આર્તધ્યાન) ૩૭૫ નરકપાલ ૧૫૦ નરકાયુ (બંધહેતુ) ર૬૫ નિદાનકરણ ૩૧૨, ૩૧૯ નરકાવાસ ૧૪૫ નિદ્રા ૩૩૦ નવનવમિકા (૫) ૩૫૧ નિદ્રાનિદ્રા ૩૩૦ નાગ (દેવ) ૧૭૩ નિકાવેદનીય ૩૩૧ નાગકુમાર ૧૭૦ ઈ૦, ૧૮૭ નિદ્રાનિકાવેદનીય ૩૩૧ નામ ૧૩, ૧૪ ' નિંદા ર૬૭, ર૭૬ નામકમ ૩૩૧, ૩૩૩, ૩૩૭ નિબંધ ૨૫ નારક ૧૧૪, ૧૩૧, ૧૪૧, ૧૪૫ ઈ, નિરંતરસિદ્ધ ૩૯૮ ૧૪૯, ૧૯૦-૧ નિરવચક્ષણિક રર૬ નારકાનુપૂવી (નામકમ) ૩૪૪ નિરન્વયપરિણામપ્રવાહ ૮૨ નારકયુ ૩૩૦, ૩૩૩, ૩૪૪ નિરાકાર ૯૦ નારદ (દેવ) ૧૭૨ નિરોધ ૩૪૫ નારાજ (સંહનન) ૩૪૪, ૩૭૦ નિગ્રંથ ૩૮૪ ઇ., ૩૮૩ નિશલ્ય ૩૦૧ નિર્જરા ૩૩૮ ઈ., ૩૮૩ નિ:શીલત્વ ર૬૬, ૨૭૪ નિજેરાનુપ્રેક્ષા ઉપર ઈ Page #649 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર નિર્દેશ ૧૬ ન્યાસાપહાર ૩૧૧, ૩૧૪ નિર્ભયતા ૨૮૪ નિર્માણ (નામકમ) ૩૩૧, ૩૩૬, ૩૪૪ પક્ષી ૧૪૯ નિર્વતૈના ૨૬૨-૩ પંકપ્રભા ૧૪૦ નિર્વાણ ૧૫૦ પંકબહુલ (કાંડ) ૧૪૩ નિતીન્દ્રિય ૯૭ પંચેન્દ્રિય (જીવ) ૯૭, ૧૦૪ નિર્વેદ ૯, ૩૫૩ પચેન્દ્રિય જાતિ (નામકર્મ) ૩૪૩ નિવ્રતત્વ ૨૬૬, ૨૭૪ પટક (દેવ) ૧૭૩ નિશ્ચિત ૩૧ પટુકમ ૩૭–૮ નિશ્ચિતગ્રાહી ૨૯ પરત્વ ૧૫ નિશ્ચયદૃષ્ટિ ૨૦૩ પરનિંદા (જુઓ નિંદા) નિશ્ચચહિંસા ૯૪ પરપ્રશંસા ૨૬૭ નિષડ્યા પરીષહ ૩૫૬, ૩૫૯ પરમાણુ ૧૯૮, ૨૧ ઇ., ૨૨૦ ઇ. નિષધ પર્વત ૧૫ર, ૧૫૫ પરમાધાર્મિક (દેવ) ૧૪૮, ૧૫૦ નિષ્ક્રિય ૧૯૬ ઇ. પરલિંગ ૩૯૬ નિસર્ગ ૮, ૨૬૦, ૨૬૩ પરવિવાહકરણ ૩૧૧, ૩૧૫ નિસર્ગકિયા ૨૫૭ પરવ્યપદેશ (અતિચાર) ૩૧૨, ૩૧૯ નિદ્ભવ ર૬૪, ૨૬૮ પરાઘાત (નામકમ) ૩૩૧, ૩૩૫,૩૪૩ નીચગોત્ર (ના બંધહેતુ) ૨૬૭, ૩૩૧, પરિગ્રહ ર૭૩, ૨૮૦, ૨૯; ૩૪૪ -દેને ૧૮૦ નીલપર્વત ૧૫૨, ૧૫૫ નૈગમ (ન) ૬૩, ૬૯ પરિણામ ર૧૫, ૨૩૮, ૨૪૫ તૈયાયિક ૮૧ પરિણમી નિત્યતા ૮૨, રર૭ નોકષાય ૩૩૦, ૩૩૩, ૩૪૪ પરિદેવન ર૬૫,ર૬૯ ન્યાધિપરિમંડલ ૩૪૪ પારહાર (પ્રાયશ્ચિત્ત) ૩૬૬ ન્યાયદર્શન ૧૯૪, ૨૧૧ પરિહારવિશુદ્ધિ ૩૬-૩, ૩૮૭, ૩૯૭ ન્યાસ ૧૩ (જુઓ નિક્ષેપ) પરીષહ ૩૫૬ ઈ. Page #650 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકેશ 15 પરીષહજય ૩૪૬ પુરુષવેદ ૧૩ર, ર૭૩, ૩૩૦, ૩૩૬ પરોક્ષ ર૩ ઇ. પુરુષાર્થ ૧ પર્યાપ્ત (નામકર્મ) ૩૩૧, ૩૩૪ પુરુષોત્તમદેવ ૧૭૨ પર્યાય ૩૩, ૨૩૯ ઈ. પુલાક ૩૮૪ ઈ. પર્યાયષ્ટિ ૬૮, ૨૩૧ પુષ્કરવરદ્વીપ, પુષ્કરદ્વીપ પર, ૧૫૩, પર્યાયાર્થિક નય ૬૮ ૮૦, ૮, ૩૮૦ ૧૫૬, ૧૫૭ પલ્યોપમ ૧૫૩ પુષ્કરેદધિ ૧૫૩ પાણિમુક્તા ૧૧૦-૧ પૂર્ણ (ઇદ્ર) ૧૬૫ પાપ ૨૫૧ પૂર્ણભદ્ર (%) ૧૬૫, ૧૭૨ પાપપ્રકૃતિ ૩૪૨, ૩૪૪ પૂર્વધર ૩૭૯ પારિગ્રહિક ક્રિયા ૨૫૭ પૂર્વપ્રયાગ ૩૯૪ પરિણામિક (ભાવ) ૮૧ ઈ૦ પૂર્વરતાનુસ્મરણવર્જન ૨૮૪, ૨૮૬ પારિતાપનિકી ક્રિયા ૨૫૬ પૃથકત્વ ૧૮૧ પારિષદ ૧૬૪ પૃથકવિતર્કસવિચાર ૩૭૮, ૩૮૦ પિંડપ્રકૃતિ ૩૩૩ પિતજ ૧૧૮ પિપાસાપરીષહ ૩૫૬, ૩૫૮ પૌષધોપવાસ-૩૦૩ ૩૦૫; –ના અતિચાર પિશાચ ૧૭૦, ૧૭૩ ૩૧૨, ૩૧૮ પુલિંગ (જુઓ પુરુષવેદ) પ્રકીર્ણક (દેવ) ૧૬૪ પુણ્ય રપ૧ ઈ. પ્રકૃતિબંધ ૩૨૬ ઈ. પુણ્ય-પાપ ૧૧ પ્રકૃતિસંક્રમ ૩૩૯ પુણ્યપ્રકૃતિ ૩૪૨, ૩૪૪ પ્રચલા, પ્રચલાવેદનીય ૩૬૦,૩૩૨ પુદ્ગલ (અસ્તિકાય) ૧૯૨, ૨૦૬, ૨૯, પ્રચલા પ્રચલાવેદનીય ૩૩૦, ૩૩૨ ૨૧૩, ૨૧૬, ૨૦, ૨૪૦, ૨૪૫, પ્રચ્છના ૩૬૮-૯ ૨૪૯, ૩૯૪ પ્રજ્ઞાપરીષહ ૩૫૬, ૩૫૯ પુદ્ગલક્ષેપ (અતિચાર) ૩૧૧, ૩૧૭ પ્રણતરસજનવર્જન ૨૮૪ પુદ્ગલપરાવર્ત ૨૦ પ્રતર ૨૧૯ પુરુષ (દેવ) ૧૭૨ પ્રતિક્રમણ ૩૬૬ પુરુષવૃષભ ૧૭ર પ્રતિરૂપ (%) ૧૬૫; Page #651 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર -દેવ ૧૭૩ પ્રવ્રાજક ઉપર પ્રતિરૂપકવ્યવહાર ૩૧૧, ૩૧૫ પ્રશંસા ૨૭૬ પ્રતિસેવનાકુશીલ ૩૮૫ પ્રશમ ૯ પ્રત્યક્ષ ર૩-૫ પ્રસ્તર ૧૪૫ પ્રત્યવિજ્ઞાન ૨૫, ૨૨૮-૯ પ્રાણ ૨૧૪, ૨૫૬ પ્રત્યાખ્યાનાવરણીય ૩૩૦, ૩૩૩ પ્રાણત (ઇદ્ર) ૧૬૬; પ્રત્યેક (શરીરનામકર્મ) ૩૩૧, ૩૩૪, -(સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૮૮-૧૯૦ ૩૪૪ પ્રાણવધ ર૯૦ ઈ. પ્રત્યેકબુદ્ધાધિત ૩૯૭ પ્રાણાતિપાતિકી ક્રિયા ૨૫૬ પ્રત્યેકબધિત ૩૯૭ પ્રાત્યચિકી ક્રિયા ૨૫૭ પ્રદેશ ૨૦૦, ૨૦૧૨ પ્રાદેષિકી ક્રિયા ર૫૬ –બંધ ૨૭૮૯, ૩૨૩, ૩૨૬-૭, પ્રાકારી (ઈદ્રિય) ૪૦ ૩૪૦-૧ પ્રદેશે (આ સૂચિને અંતે જુઓ) પ્રાયશ્ચિત્ત ૩૬૪, ૩૬૬ પ્રભંજન ૧૬૫ પ્રાચિક (બંધ) ૨૧૮ પ્રમત્તગ ૨૯૦-૫ પ્રખ્યપ્રયોગ (અતિચાર) ૩૧૧, ૩૧૬ પ્રમત્ત સંયત ૩૭૪-૫ બકુશ ૩૮૪ (જુઓ પુલાક) પ્રમાણ ૪, ૨૩ ઈ. પ્રમાણાભાસ ૨૨ બંધ (અમને) ૧૧, ર૭%, ૩૨૫ ઈ. પ્રમાદ ૨૯૨, ૩ર૩, ૩૨૫ બંધ (પગલિક) ૨૧૬, ૧૮, ૨૩૨ પ્રમાદ (ભાવના) ૨૮૭, ૨૮૯ ઈ૦, ૨૩૯ પ્રગક્રિયા ૨૫૬ - બંધ (અતિચાર) ૩૧૦, ૩૧૩ પ્રયોગજ (શબ્દ) ૨૧૭ બંધચ્છેદ ૩૯૩ પ્રવચનભક્તિ ૨૬૭, ૨૭૬ બંધતત્ત્વ ૩૨૨ પ્રવચનમાતા ૩૮૬ બંધન (નામકર્મ) ૩૩૧, ૩૩૪ પ્રવચનવત્સલત્વ ૨૬૭, ૨૭૬ બંધહેતુ ૩૨૨, ૩૯૧ પ્રવીચાર ૧૬૭ બલિ (ઈ૮) ૧૬૫, ૧૮૭ Page #652 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ 17 બહુ (અવગ્રહ) ર૯ ભવપ્રત્યય (અવધિજ્ઞાન) ૪૮ બહુવિધ (અવગ્રહ) ૨૯ ભવનવાસિનિકાય ૧૭૦ (જુઓ ભવન બહુશ્રતભક્તિ ર૬૭, ર૭૬ પતિ) બાદર (નામકર્મ) ૩૧, ૩૩૪ ભવસ્થિતિ ૧૬૦-૧ બાદરસપરાય ૩પ૭, ૩૬૧ ભવ્યત્વ ૮૧, ૮૬, ૩૯૨ બાલાપ ૨૬૬, ર૭૧, ર૭૪. ભાવ ૮૦, ૮૪ બાહ્યતપ ૩૬૪ ભાવબંધ ૯૨ બાહ્યાપધિવ્યુત્સર્ગ ૩૬૯ ભાવભાષા ૨૧૩ બુદ્ધબેધિત ૩૯૭ ભાવમન ૨૧૩ બુદ્ધ (ગ્રહ) ૧૭૪ ભાવલિંગ ૩૯૬ બાધિદુર્લભત્રાનુપ્રેક્ષા ૩૫ર, ૩૫૫ ભાવદ ૧૩૨. બોદ્ધદર્શન ૮૧, ૨૧૬ ભાવહિંસા (નિશ્ચયહિસા) ર૯૪ બ્રહ્મ ૧૯૮૯ ભાવાધિકરણ ૨૬૧ બ્રહ્મચર્ય ર૯૬, ૩૪૮, ૩૫૨ ભાવેન્દ્રિય ૯૭ ભાષા ૨૧૩, ૨૧૭ બ્રહ્મચર્યવ્રત ૩૦૫; ભાષાસમિતિ ૩૪૭, ૩૫૧ –ના અતિચાર ૩૧૧, ૩૧૫ ભાસ્વત્ (દેવ) ૧૭૨ બ્રહ્મરાક્ષસ ૧૭૨ ભિપ્રતિમા ૩૫૧ બ્રહ્મલોક (સ્વર્ગ) ૧૦૦, ૧૭, ૧૮૮-૯ ભીમ (ઈ૮) ૧૬૫; બ્રહ્મોત્તર (સ્વર્ગ) ૧૬૯ -(દેવ) ૧૭ર ભક્ત પાનસંગાધિકરણ ૨૬૩ ભુજ પરિસર્ષ ૧૪૯ ભુજગ (દેવ) ૧૭૨ ભદ્રોત્તર (૫) ૩૫૧ ભૂત (દેવ) ૧૭૦, ૭૩ ભય, ભયમહનીચ ૩૩૦, ૩૩૩; ભૂતવાદિક (દેવ) ૧૭૨ – બંધહેતુ ૨૭૩ ભૂતાનંદ (ઇદ્ર) ૧૬૫, ૧૮૭ ભારતવર્ષ ૧૫ર, ૧૫૪ ભૂતાનુકયા ૨૬૫, ર૭૦ ભવન ૧૭૧ ભૂતત્તમ (દેવ) ૧૭૩ ભવનપતિ ૧૬૨-૭, ૧૭૧, ૧૮૬૭, ૧૯૧ ભેદ ૨૧૯ . . Page #653 -------------------------------------------------------------------------- ________________ 18 તાવાર્થસૂત્ર ભેગભૂમિ ર૬૬ . મને નિસર્ગ ર૬૩ ભગશાલી (દેવ) ૧૭૨ મગ ર૫૧ ભેગાંતરાય ૩૩૬ મનેરમ (દેવ) ૧૭ર ભોગપભેગવ્રત ૩૧૨, ૩૧૮ મનેહરેક્રિયા કવર્જન ર૮૬ મંદાક્રમ ૩૫, ૩૮ મંગલ (ગ્રહ) ૧૭૪ મરણ ૨૧૪ મતિજ્ઞાન ૨૧-૭, ૩૩, ૪૧, ૪૩-૪, મરણશંસા (અતિચાર) ૩૧૨, ૩૧૯ પપ-૬, ૧૦૨, ૩૭ મરુત (દેવ) ૧૭૩ મતિજ્ઞાનાવરણ ૩૩૦–૧ મરુત (લોકાંતિક) ૧૮૪૫ મત્સર ૨૬૪ (જુઓ માત્સર્ય) મરુદેવ (દેવ) ૧૭ર મસ્ય ૧૪૯ મરુદેવી ૩૭૯ મદ ૩૫૦ મલપરીષહ ૩૫૬, ૩૫૯ મધ્યમલોક ૧૪૦, ૧૫૧ ઇ મહાકાદંબ ૧૭૨ મન ર૭, ૯૩, ૧૦૧-૬ મહાકાય (ઈ૮) ૧૬૫; મનઃ૫યજ્ઞાન ૨૧,૨૪, પર, ૫૪,૫૫, -(દેવ) ૧૭૨ ૫૭૬ મહાકાલ (ઈ૮) ૧૬૫; મન:પર્યાચજ્ઞાનાવરણ ૩૩૧ (દેવ) ૧૭૩ મનુષ્ય ૧૪૯ મનુષ્યગતિ (નામકર્મ) ૩૪૩ મહાઘોષ (૮) ૧૬૫ મનુષ્યજાતિ ૧૫૮ મહાતમપ્રભા ૧૪૦ મનુષ્યચક્ષ (દેવ) ૧૭૨ મહાપુરુષ (૮) ૧૬૫; મનુષ્યલોક ૧૫૮ -(દેવ) ૧૭૨ મનુષ્યાનુપૂર્વી (નામકર્મ) ૩૪૩ મહાભીમ (ઈ૮) ૧૬૫; મનુષ્પાયુ (કર્મ) ૩૩૦, ૩૩૩, ૩૪3; -દેવ) ૧૭ર –ના બંધહેતુ ર૬૫, ૨૭૩ મહાવિદેહ દેવ ૧૭૩ મને ગુપ્તિ ર૬૪૫, ૩૪૭ મહાગ દેવ ૧૭ર મને જ્ઞાનેશરસસમભાવ ૨૮૬ મહાવ્રત ૨૮૩, ૩૦૩ મનદુપ્રણિધાન ૩૧૨, ૩૧૭ મહાશુક સ્વર્ગ ૧૭૦, ૧૭૭, ૧૯૮૯-૯ Page #654 -------------------------------------------------------------------------- ________________ મહાસત્રંત ભદ્ર (તપ) ૩૫૧ મહાસિવિક્રીડિત (તમ) ૩૫૧ મહારકંદિક (દેવ) ૧૭૩ મહારકંધ ૧૦૬ મહાહિમવત્ ૧૫૨, ૧૫૫ મહેષ્વક્ષ (દેવ) ૧૭૨ મહેારગ ૧૭૦, ૧૭૨ માધવી ૧૪૩ માધવ્યા ૧૪૩ માણિભદ્ર (ઇંદ્ર) ૧૬૫; (દેવ) ૧૭૨ માત્રા ૩૭૨ માત્સર્ (જીએ મત્સર) ૨૬૮, પાશ્તિાષક શબ્દકોશ ૩૧૨, ૩૧૯ માર્ષ્યાવૃત્તિ ૨૮૭, ૨૮૯ માન (કષાય) ૨૫૫ માનુષ્ઠાત્તર (પર્વત) ૧૫૨, ૧૫૭ માચા (કષાય) ૨૫૫, ૨૬૫, ૨૭૩ માર્યાક્રયા ૨૫૭ મારણાન્તિકી સૈલેખના ૩૦૩, ૩૦૬-૭ માર્ગપ્રભાવના ૨૬૭, ૨૭૬ માર્દવ (ધમ) ૩૪૮, ૩૫૦ માતુષ ૩૯ માહેર (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૮૮ મિત્રાનુરાગ ૩૧૨, ૩૧૯ મિથુન ૨૯૮ મિથ્યાત્વ (મેહનીય) ૩૨૨, ૩૨૪, ૩૩૦, ૩૪૪ મિથ્યાદર્શન ૩૨૨, ૩૨૪ મિથ્યાત્વચા ૨૫૬ મિથ્યાત્વમેાહનીય ૩૩૨ મિથ્યાદર્શન શલ્ય ૩૦૧ મિથ્યાદશ`ન ક્રિયા ૨૫૦ મિથ્યાર્દષ્ટિ ૬૧ મિથ્યાપદેશ (અતિચાર) ૩૧૧, ૩૧૪ મિશ્ર (ક્ષાયેાપશમિકભાવ) ૮૧, ૮૩ મિશ્ર (ચેાનિ) ૧૧૫ મિશ્રમેાહનીય ૩૩૧ મીમાંસકમત ૮૧ મુક્તજીવ ૩૯૩ મુક્તાવલી (ત) ૩૫૧ મુખરિપશાચ (દેવ) ૧૭૩ મૂર્છા ર૯૯ ભુતૅ ૯૯ મૂર્તવ ૧૯૮ મૂર્તિ ૧૯૭ મૂલગુણ ૩૦૬ મૂલગુણનિવૃતૅના ૨૬૨ મૂલાતિ (દ્રવ્ય) ૨૨૮ મૂલદ્રશ્ય ૧૯૫ મૂલપ્રકૃતિ ૩ર૭, ૩૩૯ મૂલપ્રકૃતિબંધ ૩૨૭ મૂલન્નત ૩૦૩ મેરુ (પર્વત) ૧૪૦, ૧૫૨, ૧૫૪ મેરુકાન્ત (દેવ) ૧૭૨ મેરુપ્રભ (દેવ) ૧૭૨ 19 Page #655 -------------------------------------------------------------------------- ________________ 20 મૈત્રીવૃત્તિ ૨૮૭૮ મૈથુન ૨૮ મેાક્ષ ૩-૪, ૭-૮; ૧૧-૨, ૩૮૩, ૩૯૧-૩ માહ ર૯૯ મેહ (કર્મ) મેહનીય ૩૨૮, ૩૩૨, ૩૩૭ મૌખર્ચે (અતિચાર) ૩૧૧, ૩૧૭ મ્લેચ્છ ૧૫૨, ૧૫૯ ચક્ષુ ૧૭૦, ૧૭૨ યક્ષાત્તમ (દેવ) ૧૭૨ રુતિધમ ૩૪૮૯, ૩૫૧ થાખ્યાત (ચારિત્ર) ૩૬૨-૩, ૩૯૭ ચટ્ટઅેપલબ્ધિ ૬૦ ચવમખ્ય (ત) ૩૫૧ ચા, ચા:કીર્તિ ૩૩૧, ૩૪૪ ચરાવત (દેવ) ૧૭૨ ચાચનાપરીષહ ૩૫૬, ૩૫૯ તત્ત્વાર્થસૂત્ર રતિપ્રિય (દેવ) ૧૭ર રતિશ્રેષ્ડ (દેવ) ૧૭૨ રત્નપ્રભા ૧૪૦ ૪૦ યુગ ૧૭૫ યુગલધમ, યુગલિક ૧૫૬ યેાગ ૫,૨૫૦ ૪૦, કર૨-૫, ૩૨૭, ૩૭૮, યોગનિગ્રહ ૩૪૭ ચેાતિરોધ ૩૭૨, ૩૮૨ યોગત્રકતા' ર૪ યાતિ ૧૧૪૫ ઇ રતિ, રતિમાહનીય ૩૩૦, ૩૩૩; -ના અંધઙેતુ ર૭ર રત્નાવલી (ત) ૩૫૧ રમ્યકવર્ષ ૧૫ર રસ (પાંચ) ૨૧૭; -નામકર્મ ૩૩૧, ૩૬૪ રસરિત્યાગ (ત) ૩૬૪-૫ રહસ્યાભ્યાખ્યાન (અતિચાર) ૩૧૧, ૩૬૪ રાક્ષસ ૧૭૦, ૧૭૨ રાક્ષસરાક્ષસ (દેવ) ૧૭૨ રાગ ૨૯૯ રાત્રિભાજનવરમણ ૨૮૧ ૦ રાહુ ૧૭૬ રિા ૧૪૬ રુકમી (પર્વત) ૧૫૨, ૧૫૫ ૨૫ ૧૯૭ રૂપયશ (દેવ) ૧૭૨ રૂપાલી (દેવ) ૧૭૨ રૂપાનુપાત (અતિચાર) ૩૧૧, ૩૧૭ રૂપી ૫૫, ૧૯૬, ૨૪૭ રૈવત (દેવ) ૧૨ રાચતા (આર્તધ્યાન) ૩૭૫ રાગરીષહુ ક૫૬, ૩૫૯ રૌદ્ર (નરકાવાસ) ૧૪૮ રૌદ્ર (ધ્યાન) ૩૭:, ૩૭૫ રૌરવ (નરકવાસ) ૧૪૪ Page #656 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દોશ લક્ષણ ૮૯ \ વર્ષભનારાયસંહનન ૩૪૪, ૩૭૦, લબ્ધિ ૧૩૦ વટ દિવ) ૧૭૩ લબ્ધીન્દ્રિય ૯૮ વધ ર૬૫, ૨૬૯, ૩૧૦, ૩૧૩ લવણસમુદ્ર ૧૫ર-૨, ૧૫૬ વધ (પરીષહ) ૩૫૬, ૫૯ લાંગલિકા (વક્રગતિ) ૧૧૧ ર વનપિશાચ (દેવ) ૧૭૩ લાન્તક (સ્વર્ગ) ૧૭૦,૧૭૭, ૧૮૮-૯ વનાધિપતિ (દેવ) ૧૭૨ લાભાંતરાય કર્મ ૩૩૬ વનાહાર (દેવ) ૧૭૨ લિગ (ચહ્ન) ૩૮૭ વર્ગણા ૩ર૬ લિંગ (વેદ) ૧૩૨, ૩૫-૬ (વર્ણ પાંચ) ૨૧૭; લેશ્યા ૮૧, ૮૬, ૧૪૭, ૧૪૬, ૧૬૩, –નામકર્મ ૩૩૧, ૩૩૪ ૧૬૬, ૧૭૯, ૧૯૨, ૧૮૭ વર્તના ૨૧૫ લેક ૧૪૦ ઇ૦, ૨૦૪ વર્ધમાન (અવધિજ્ઞાન) પર; લેકનાલી ૧૭૯ –તપ ૩૫૧ લોકપાલ (દેવ) ૧૬૪ વર્ષ ૧૫૪ કાકાશ ૨૦૪ ઇ. વર્ષધર ૧૫ર, ૧૫૫ લોકાનુપ્રેક્ષા ૩૫ર, ૩૫૫ વસ્તુ ૨૩, ૨૨૭ લકાન્ત ૩૯૩ વહ્નિ (લોકાંતિક) ૧૦૪ લોકાંતિક (દેવ) ૧૮૪ વાગ ૨૫૧ લભ ૨૫૫ વાચના ૩૬૮ લેભપ્રત્યાખ્યાન ૨૮૪ વાતકુમાર ૧૭૦ વામન (સંસ્થાન) ૩૪૪ વંશ ૧૫૪ વાયુમાર (જુઓ વાતકુમાર) વંશા (નરક) ૧૪૩ વાલુકાપ્રભા ૧૪૦ વક્રગતિ ૧૦૯ છે. વાસિષ્ટ (ઈંદ્ર) ૧૬૫ વચનગુનિ ૩૪૭ વાસુદેવ ૧૩૬ વચનદુપ્રણિધાન (અતિચાર)૩૧૨, ૩૧૭ વાસ્ય ૧૫૪ વચનનિસર્ગ ર૬૩ વિકચગુણ ૨૪ર વજમધ્ય ૩૫૧ વિક્રિયા ૧૪૦ Page #657 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્ર વિગ્રહગતિ ૧૦૭ વિહાયોગતિ (નામકમ) ૩૩૧, વિધ્ર (દેવ) ૧૭૨ ૩૩૪, ૩૪૪ વિચય ૩૭૬ વિતરાગ ૩૯૨ વિચાર ૩૭૯, ૩૮૨ વીર્ય ૨૫૮ વિચિકિત્સા ૩૦૭ વિર્યાન્તરાય ૩૩૬ વિજય (સ્વર્ગ) ૧૭૦, ૧૮૫, ૧૮૮; વૃત્તિપરિસંખ્યાન (તપ) ૩૬૪ --૧૫૬-૭, ૧૫૯ વિતર્ક ૩૭૮, ૩૮૦ વેણદારી (ઈ૮) ૧૬૫ વિતત (શબ્દ) ૨૭ વેણુદેવ (ઇદ્ર) ૧૬૫ વિદારણ યિા ૨૫૭ વેદ (લિંગ) ૧૩૨ વિદેહ વર્ષ ૧૫ર, ૧૫૪-૬, ૧૫૯ વેદના (દેવામાં) ૧૮૧ વેદનીય (કર્મ) ૩૨૮, ૩૩૦, ૩૩૨, વિદ્યકુમાર ૧૭૦ ૩૩૭૯, ૩૫૭, ૩૬૨ વિધાન ૧૬ વેદાંત દર્શન ૮૧, ૧૯૮ વિનય (તપ) ક૬૪, ૩૬૭ વલંબ (ઈંદ્ર) ૧૬૫ વિનાયક (દેવ) ૧૭૨ વિપર્યયજ્ઞાન ૬૦ વૈક્રિય (શરીર) ૧૧૯, ૧૨૧-૨, વિપાક ૩૩૮, ૩૪ર ૧૨૫-૭, ૧૨૯-૧૩૦, ૪૩ વિપાકવિચય ૩૭૬-૭ (જુઓ) વૈયિઅંગોપાંગ ૩૪૩ વિપાકેદય (આ સૂચિને અતિ વૈક્રિય લબ્ધિ ૧૨૭, ૧૩૦ વિપુલમતિ પર વૈજયત (સ્વર્ગ) ૧૭૧, ૧૮૮૯ વિર્ભાગજ્ઞાન ૬૧ વૈમાનિક (દેવ) ૧૬૨ ઇ. વિરત ૩૮૩ વૈયાવૃત્ય ૩૩૭૮ વિરુદ્ધરાજ્યાતિક્રમ ૩૧૧, ૩૧૪ વૈરાગ્ય ર૮૭, ૯૦ વિવિક્તશાસન ૩૬૪-૫ વૈશેષિક દર્શન ૮૧, ૧૯૪, ૧૯૯, વિવેક ૩૬૬ ૨૧૧, ૨૧૬ વિશ્વાવસુ ૧૭૨ [૩૭૫-૬ વૈઋસિક (બંધ) ૨૧૮ વિષયસંરક્ષણાનુબંત્રી (ધ્યાન) વ્યંગન ૩૫, ૩૭૯ વિસંવાદ ૨૬૬, ૨૭૪ વ્યંજનાવગ્રહ ૩૫, ૩૭ વિસદશ (બંધ) ર૩૮-૯ વ્યતિપાતિકભદ્ર દિવ) ૧૭૨ Page #658 -------------------------------------------------------------------------- ________________ અંતર ૧૬૨ ઇ વ્યય ૨૨૫ વ્યવહાર નય ૬૩ ૪૦ વ્યવહાર ષ્ઠિ ૨૦૩ વ્યાવહારિક નિગ્રંથ ૩૮૫ વ્યાવહારિક હિંસા ૨૯૩ વ્યુત્સર્ગ ૩૬૩, ૩૬૬, ૩૬૯ ક્યુપરતક્રિયાનિવૃત્તિ ( ધ્યાન ) ૩૦૮ વ્રત ૨૬૬, ૨૭૪, ૨૮૧, ૨૮૩ ૪૦, ૩૧૨ ત્રતાનતિચાર ૨૬૭ વ્રુતિ અનુકંપા ૨૬૫ વ્રતી ૩૦૦૧ રાકૅ (ઇંદ્ર) ૧૬૬ શંકા (અતિચાર) ૩૦૭–૮ શતાર (સ્વગૅ) ૧૬૯ શનૈશ્વર (ગ્રહ) ૧૭૪ પારિભાષિક શબ્દો શબ્દ ૨૧૭ શબ્દ (નય) ૬૩, ૬૪, ૭૩.૬, ૩૯૯, ૪૦૦ શબ્દાનુપતિ ( અતિચાર) ૩૧૧, ૩૧૬ શબ્દાલ્લેખ ૪૪ શાયરીષહું ૩૫૬, ૩૫૯ શરીર ૧૧૮ ૪૦, ૧૮૦, ૨૧૭ –નામકર્મ ૬૩૧, ૩૩૩ રારીરમકુરા ૩૮૭ શર્કરાપ્રભા ૧૪૦ શલ્ય ૩૦૧ શિક્ષાવ્રત ૩૦૪ શિખરી ( પવંત) ૧૫૨, ૧૫૫, ૧૫૬ શીતપરીષહ ૩૫૬, ૩૫૮ શીલ ૨૬૭, ૨૭૪ શીલવ્રતાનતિચાર ૨૬૭, ૨૭૫ શુક્ર (સ્વર્ગ) ૧૬૯; —ગ્રહ ૧૭૪ શુકલધ્યાન ૩૭૪, ૩૭૭ ૪ ૦ શુભ, શુભનામ ૩૩૧, ૩૩૫, ૩૪૪; —ના બંધહેતુ ૨૬૬ શુભ્રયે!ગ ૨૫૧ ઈ શૈક્ષ ૩૫૮ શૈલેશી ૫, ૩૭૧ શાકમેાહનીય ૨૬૯, ૨૭૨, ૩૩૦, ૩૩૩ રોાચન (નરક) ૧૪૪ શૌચ ૨૬૦, ૨૦૧, ૩૪૮, ૩૫૧ શ્રાવક ૩૦૩, ૩૧૨, ૩૬૮ શ્રાવિકા ૩૬૮ 23 શ્રત ૨૧, ૨૪, ૪૩૭, ૧૬, ૬૧, ૬૬, ૨૬૫, ૨૦૧ શ્રુતજ્ઞાનાવરણ ૩૩૧ શ્રુતસમુદૃઢા ઉપર શ્રુતા ઉપર શ્રોત્ર ૯૬ શ્લેષ (બંધ) ૨૩૩ શ્વેતભદ્ર (દેવ) ૧૭૨ શ્વેતાંબર ૩૫૮ Page #659 -------------------------------------------------------------------------- ________________ 24 તવાર્થ સૂત્ર સંક્રમણ ૩૩૯ સંસારી જીવ ૯૨ સંક્રાતિ ૩૭૯ સંસ્તારપક્રમણ ૩૧૨, ૩૧૮ સકિલષ્ટ ૧૪૦ સંસ્થાન ૨૧૬; સંખ્યા ૧૬, ૩૯૫, ૩૯૮ –નામકર્મ ૩૩૧ સંગ્રહ ૬૩, ૬૯ ઈ૦ સંસ્થાનવિચય (ધ્યાન) ૩૭૬-૭ સંધ ૨૬૫, ૨૬૮ સંહનન ૩૬૯ સંઘર્ષ ૨૧૮ નામકર્મ ૩૩૧ સંધસાધુસમાધિકરણ ૨૬૭, ૨૭૬ સંહરસિદ્ધ ૩૯૮ સંઘાત (સ્કંધ) ૨૨૧; સકષાય ૨૫૪ --નામકર્મ ૩૩૧ સચિત્ત ૧૧૪ સંજ્ઞા ર૫, ૧૦૫ સચિત્ત આહાર ૩૧૨ સંજ્ઞી ૧૦૩ સચિત્ત નિક્ષેપ ૩૧૨ સંજવલન (કેધાદિ) ૩૩૦ સચિત્તપિધાન ૩૧૨ સંપરાય ૩૬૧-૨ સચિત્તસંબદ્ધઆહાર ૩૧૨ સંપ્રધારણસંજ્ઞા ૧૦૫ સચિત્તસંમિશ્રઆહાર ૩૧૨ - સંમર્થન ૧૧૪, ૧૧૭ સત્ ૧૬, ર૩૫ ઈ. સંભૂમિ ૧૩૧ સત્કારપુરસ્કાર૫રીષહ ૩૫૬ સંયમ ૩૪૮, ૩૮૮ સપુરુષ (૮) ૧૬૫; સંયમસંયમ ૨૬૬ -દેવ ૧૭૨ સંયોગ ૨૬૦ સત્ય ૩૪૮ સંરંભ ૨૬૦ સત્યવ્રત, –ની ભાવના ૨૮૪ સંખના ૩૦૩ સત્યાવ્રત ૩૦૫, ૩૧૧ સંદેશ (બંધ) ૨૩૩ સંવર ૧૧, ૨૫૮, ૩૪૫ ઇવ સગુણાચ્છાદન ર૬૭. સંવરાનુપ્રેક્ષા ૩૫ર સંવૃત (નિ) ૧૧૪ સનકુમાર (ઈ) ૧૬૬ સંવેગ ૯, ૨૬૭, ૨૮૭ સપ્તભંગી ૨૩૨ સંસાર ૯૨ સપ્તસપ્તમિકા ૩૫૧ સંસારાનુપ્રેક્ષા ૩૫ર સમ (બંધ) ૨૩૮ Page #660 -------------------------------------------------------------------------- ________________ 25 પારિભાષિક શબ્દ કોશ સમચતુરઅસંસ્થાન ૩૪૩ સહજચેતના ૩૯૦ સમનરક ૧૦૬ સહસાનિક્ષેપ ૨૬૩ સમજ્ઞ ૩૬૮ સહસ્ત્રાર ૧૭૦, ૧૭૭, ૧૮૮-૯ સમતાનુપાતનક્રિયા ૨૫૭ સાંખ્યદર્શન ૮૧, ૧૯૪, ૧૯, ૨૧૧ સમભિરૂટ (નય) ૭૩, ૪૦૦ સાંપરાચિક કર્મ ૨૫૪ સમય ૧૦૭, ૨૪૪ સાંપ્રતનય ૬૪, ૩૯૯, ૪૦૮ સમાદાનક્રિયા ર૫૬ સાકાર ઉપયોગ ૯૦ સમાધિ ૨૭૬ સાકારમંત્રભેદ ૩૧૧ સમારંભ ર૬૦ સાગરેપમ ૧૮૭ સમિતિ ૩૪૬ ઇ. સાતવેદનીચ ૨૬૫, ૩૪૨, ૩૪૩ સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ ૩૭૧ સાદિસંસ્થાન ૩૪૪ સમુદ્રસિદ્ધ ૩૯૮ સાધારણ (નામકર્મ) ૩૩૧, ૩૫૫ સમ્યકચારિત્ર ૪ સાધારણશરીરી ૨૦૯ સમ્યકત્વ ૯, ૩૦૮. સાધુ ૨૬૭, ૩૬૮ સમ્યકત્વક્રિયા ૨૫૬ સાધવી ૩૬૮ સમ્યકત્વમિથ્યાત્વ ૩૩૦ સાનકુમાર (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૧૮૮ સમ્યકત્વમેહનીય ૩૩૦ સાન્તરસિદ્ધ ૩૯૮ સમ્યગજ્ઞાન ૪, ૨૧-૩ સામાનિક (દેવ) ૧૬૪ સમ્યગદર્શન ૪, ૧૬ ઇ., ૩૦૭ સામાયિક ૩૦૩, ૩૬૨, ૩૮૬, ૩૯૭૬ સમ્યગ્દષ્ટિ ૬૧, ૩૭૭, ૩૮૩ -વ્રતના અતિચાર ૩૨ સરાગસંયમ ૨૬૫-૬ સારસ્વત લોકાંતિક) ૧૮૪ સર્વજ્ઞ ૩૧૨, ૭૧-૩ સિંહ ૧૪૯ સર્વત્વ ૩૯૧ સિદ્ધત્વ ૩૯૩ સર્વતોભદ્ર (દેવ) ૧૭૨ સિદ્ધશિલા ૧૮૨ સર્વદર્શિત્વ ૩૯૧ સિધ્યમાનગતિ ૩૯૩ સર્વપરિક્ષેપનીય ૬૪, ૩૯૯ સીમંતક (નરક) ૧૪૫ સર્વાર્થસિદ્ધ ૧૭૧, ૧૮૮ સુખ ૩, ૭, ૧૭૮, ૨૧૪ સવિતર્ક ૩૭૮ સુખદનીય ૩૩૦ (જુઓ સાતવેદનીય) Page #661 -------------------------------------------------------------------------- ________________ 26 સુધાષ (ઇંદ્ર) ૧૬૫ સુપર્ણ કુમાર ૧૭૦–૧ સુભગ (નામકર્મ) ૩૩૧, ૩૪૪ સુભદ્રે ૧૭૨ સુમનાભદ્ર (દેવ) ૧૦૨ સુમેરુ ૧૭૧ (જીએ મેરુ) સુરૂપ (દેવ) ૧૭૩ સુલસ (દેવ) ૧૭૩ સુષિર ૨૧૭ સુસ્વર (નામકર્મ) ૩૩૧, ૩૪૪ સૂક્ષ્મ (શરીર) ૧૨૧; નામકર્મ ૩૩૧, ૩૪૪ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ૩૭૧ સમત્વ ૨૧૮ સૂક્ષ્મસંપરાય (ગુણસ્થાન) ૩૩૭, ૩૬૦; –ચારિત્ર ૩૬૨, ૩૮૬, ૩૯૭ સૂર્ય (ઈંદ્ર) ૧૬૬; -ગ્રહ ૧૭૩, ૧૯૨ સેવક (નામસ્થાપનાદિ) ૧૩ ૪૦ * સેવાર્ત (સંસ્થાન) ૩૪૪ સૌધ ૧૭૦, ૧૭૬, ૧૮૮ સ્કંદિક (દેવ) ૧૭૩ સ્કંધ ૨૦૫, ૨૨૦ ′૦ કંધશાલી (દેવ) ૧૭૨ સ્તનિતકુમાર ૧૭૦–૧ તેનઆહુતાદાન (અતિચાર) ૩૧૧ સ્તનપ્રયાગ ૩૧૧ તત્ત્વાર્થસૂત્ર સ્તેય ૨૭ સ્તેયાનુધી (ધ્યાન) ૩૭૬ ચાનવૃદ્ધિ ૩૩ર સ્ત્રી ૧૪૯ સ્ત્રીથાવર્જન ૨૮૪ સ્ત્રી પરીષહ ૩૫૬ સ્રીપશુપંડકસેવિતાયનાસનવર્જન ૨૮૪ શ્રીલિંગ ૧૩૨ સ્ત્રીવેદ ૧૩૨, ૨૭૩, ૩૩૦ સ્થાપના ૧૩ સ્થાવર ૯૩, ૩૩૧, ૩૪૪ સ્થાવરદશક ૩૩૪ સ્થિતિ ૧૬ સ્થિતિ (આયુષ્ય)૧૫૩, ૧૬૦ સ્થિતિ (બંધ) ૩૨૩, ૩૨૬, ૩૩ સ્થિતિ (ધ્રૌવ્ય) ૩૮૦ સ્થિર (નામકર્મ) ૩૩૧, ૩૪૪ સ્થિરજ્યાતિષ્ક ૧૭૬ સ્થૂલ (શરીર) ૧૨૧ સ્થૂલત્વ ૨૧૮ સ્નાતક ૩૮૪ ૪૦ સ્પર્શ (આઠ) ૨૧૬ સ્પર્શન (દ્વાર) ૧૬; -ઇટ્રિચ ૯૯; —ક્રિયા ૨૫૭ સ્મૃતિ પ મૃત્યનુપસ્થાપન (અતિચાર) ૩૧૨ મૃત્યંતર્ધ્યાન ૩૧૧ Page #662 -------------------------------------------------------------------------- ________________ - પારિભાષિક શબ્દકોશ સ્વગુણાદન ૨૭૭ હિંસા ર૮૦ ર૯૬ સ્વયંભૂરમણ ૧૫૩ હિંસાનુબંધી (ધ્યાન) ૩૭૫ સ્વહસ્તકિયા ૨૫૭ હિમવત , હિમાવાન ૧૫ર, ૧૫૫ સ્વાધ્યાય (તપ) ૩૬૪, ૩૬૮ હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ સ્વામિત્વ ૧૬-૭ (અતિચાર) ૩૧૧ હરિ (64) ૧૬૫ હીનાધિકમાત્માન ૩૧૧ હરિવર્ષ ૧૫ર, ૧૫૪૫ હીયમાન (અવધિ) ૫૧ હરિસહ (6) ૧૬૫ હુંડ (સંસ્થાન) ૩૪૪ હાસ્યપ્રત્યાખ્યાન ૨૮૪ હૂહૂ (દેવ) ૧૭ર હાસ્યમેહનીય ૩૩૦, ૩૩૩; હૃદયંગમ (દેવ) ૧૭૨ -ના બંધહેતુ ૨૭૨ હૈમવતવર્ષ ૧૫ર, ૧૫૪૫ હાહા (દેવ) ૧૭૨ હૈરણ્યવતવર્ષ ૧૫૨, ૧૫૫ સૂચિની શુદ્ધિ-વૃદ્ધિ અગુરુલઘુ ૨૧૫ અકર્મભૂમિ ૧૫૯ અણુ ૨૦૦,૨૨૦-૧ અપરિસ્પદ ૨૧૫ આર્ય ૧૫ર, ૧૫૯ દેશપરિક્ષેપીનય ૬૪ પુસ્તકમાં સુધારો વધારો પાન ૮૩ લીટી ૧૩. ઉદયમાં નહિ આવેલ... થાય છે એ વાકયને બદલે— એક અંશને ઉદય સર્વથા રોકાઈ જતાં અને બીજા અંશનો પ્રદેશદય Page #663 -------------------------------------------------------------------------- ________________ તરવાર્થસૂત્ર દ્વારા ક્ષય થતો રહેતાં પ્રગટ થાય છે.”—એમ કરે. પ્રદેશોદય” એટલે નીરસ કરેલાં કલિકાનું વેદન. [રસવિશિષ્ટ દલિનું વિપાકવેદન વિપાકેદ કહેવાય પાન ૧૫ર લીટી ૧૯ માનુત્તર છે, તેને બદલે “માનુષેત્તર કરે. પાન ૩૫૬ લીટી ૩. “pffzવ્યા છે તેને બદલે “રલોઢાર કરે. તથા જુઓ આ પુસ્તકની શરૂઆતમાં આપેલાં સૂત્રોના મૂળ પાઠમાં તે સૂત્ર ઉપરની નેધ. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા [અત્યારે મળી શક્તા મણકાઓ.] ૧. સુત્તનિપાતઃ એ સુપ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથનો અનુવાદ. ૧-૦૦ ૪. ભગવાન મહાવીરના દશઉપાસકેઃ ઉવાસગદસાસુ ૭. નિનામથાસંગ્રહ : સરળ પ્રાકૃત વ્યાકરણ, ટિપ્પણ, કેશ સાથે. ૮૯. શ્રી રાજચંદ્રઃ શ્રીમદ્ રાજચંદ્રની જીવનયાત્રા તથા શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો”ની ભેગી નવી આવૃત્તિ ૩-૫૦ ૧૦. મહાવીર સ્વામીને સંયમધમે શ્રી સૂત્રકૃતાંગસૂત્ર ને છાયાનુવાદ (સુધારેલી-વધારેલી નવી આવૃત્તિ ૧-૭૫ ૧૧. મહાવીરસ્વામીને આચારધામ શ્રી આચારાંગ સૂત્રને છાયાનુવાદ (સુધારેલી વધારેલી નવી આવૃત્તિ ૧૩. મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશઃ શ્રી ઉત્તરા ધ્યયનસૂત્રને છાયાનુવાદ (સુધારેલી વધારેલી નવી આવૃત્તિ ૧૪. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નઃ પ્રવચનસાર સમયસાર” અને “પંચાસ્તિકાયસારસંગ્રહનો છાયાનુવાદ ૧૦. શ્રી ભગવતી-સાર [પંચમ અંગને છાયાનુવાદ] ૨-૦૦ ૧૭. જગતને આવતી કાલને પુરુષઃ સર સર્વપલ્લી રાધાકૃષ્ણનના સુપ્રસિદ્ધ વ્યાખ્યાન The World's Unborn Soul નો અનુવાદ, તેમના ટૂંક જીવન ચરિત્ર સાથે [નવી આવૃત્તિ] ૧૭૫ -૦૦ 29 Page #665 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર ૧૮. સમીસાંજને ઉપદેશઃ શ્રી દશવૈકાલિક સૂત્રને અનુવાદ. ૧૯. તત્વાર્થસૂત્રઃ આ ગ્રંથ પિતે જ. ચિથી આવૃત્તિ ૨૨. સર્વોદયની જીવનકળા આચાર્ય ઍલ.પી. જેક્સ કૃત“Constructive Citizenshipને અનુવાદ. સાચી અહિંસક અને સર્વોદયસાધક જીવનવ્યવસ્થાનાં ઘટકતોનું નિરૂપણ કરતો ગ્રંથ. Page #666 -------------------------------------------------------------------------- ________________