SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ અધ્યાય ૪- સૂત્ર ૩૩-૩૬ શેષ ઈન્દ્રીની સ્થિતિ પિણે બે પલ્યોપમની છે. બે અસુરે કોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમની છે. અહીયાં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમ કે જઘન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સૂત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દશ ભેદો પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાર્ધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈંદ્ર છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધું છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે: દક્ષિણાર્ધના અધિપતિ અમર નામના અસુરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધના અધિપતિ બલિ નામના અસુરેંદ્રની સ્થિતિ સાગરેપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઇદ્ર છે, એમની સ્થિતિ દોઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઇંદ્ર છે, એમની સ્થિતિ પણ બે પલ્યોપમની છે. [૩૦-૩૨] હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે ? सौधर्मादिषु यथाक्रमम् । ३३ । સાવા છે રૂ૪ . અપિ =ા રૂ. રાત તાનસુમારે રૂદા ' ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org : "! ", "
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy