SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર ૧૭ મનું સ્વરૂપ : ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ “ઔપશમિક” કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરો નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મને ઉદય તર્જ રોકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મના ક્ષયથી પેદા થાય તે “ક્ષાયિક” ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પેદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ, ધોવાને લીધે માદકશકિત કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કંદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક' ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પિતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે અર્થાત કેઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પારિણમિક ભાવ કહેવાય. એ જ પાંચ ભાવો આત્માનું સ્વરૂપ છે; અર્થાત સંસારી અથવા મુક્ત કઈ પણ આત્મા હોય એના સર્વ પર્યા. ઉક્ત પાંચ ભામાંથી કોઈ ને કઈ ભાવવાળા અવશ્ય હોવાના. અછવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાયને સંભવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy