SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ તરવાથસૂત્ર બધી ક્રિયાઓને કષાય પ્રેરિત હેવાના કારણે સાંપરાયિક કર્માસ્ત્ર કહ્યો છે, તે બાહુલ્યની દૃષ્ટિએ સમજવું. જો કે અવ્રત, ઇંદ્રિયની પ્રવૃત્તિ અને ઉક્ત ક્રિયાઓનું બંધમાં કારણ થવાપણું રાગદ્વેષ ઉપર જ અવલંબિત છે. અને એથી વસ્તુતઃ રાગદ્વેષ (કષાય) જ સાંપરાયિક કર્મનું બંધકારણ છે; તથાપિ કષાયથી અલગ અવ્રત આદિનું બંધકારણરૂપે સૂત્રમાં જે કથન કર્યું છે, તે કષાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્યપણે દેખાય છે, અને સંવરના અભિલાષીએ કઈ કઈ પ્રવૃત્તિને રોકવી જોઈએ અને કોના ઉપર ધ્યાન આપવું જોઈએ એ સમજાવવાને માટે છે. [૬] હવે બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામભેદથી કર્મબંધમાં આવતી વિશેષતા જણાવે છે: तीव्रमन्दज्ञाताशातभाववीाधिकरणविशेषेभ्यस्तद्विशेषः । ७। તીવભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય અને અધિકરણના ભેદથી એની એટલે કે કર્મબંધની વિશેષતા થાય છે. પ્રાણાતિપાત, ઇદ્રિયવ્યાપાર અને સન્મુત્રક્રિયા આદિ ઉપરના આસ્રવ (બંધકારણ) સમાન હોવા છતાં પણ તજજન્ય કર્મબંધમાં કયા કયા કારણથી વિશેષતા આવે છે, તે આ સૂત્રમાં બતાવ્યું છે. બાહ્ય બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ ભિન્નભિન્ન થાય છે. જેમકે એક જ દશ્યને જોતી બે વ્યકિતઓમાં મંદ આસક્તિપૂર્વક જેનાર કરતાં તીવ્ર આસક્તિપૂર્વક જેનાર વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy