SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ અધ્યાય -સૂત્ર ૨-૩ ભાવનાઓની સમજ ૧. સ્વપરને કલેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી, તે ઈસમિતિ.” મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાને લગાવવું, તે “મને ગુપ્તિ'. વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે પ્રકારની એષણમાં દોષ ન આવે માટે ઉપયોગ (સાવચેતી) રાખવે, તે “એષણા સમિતિ.” વસ્તુને લેવામૂકવામાં અવલોકન અને પ્રમાર્જિન આદિ દ્વારા યતના (કાળજી) રાખવી તે “આદાન નિક્ષેપણ સમિતિ.” ખાવાપીવાની વસ્તુ બરોબર જોઈતપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી, તે “આલેકિતપનભોજન.” ૨. વિચારપૂર્વક બોલવું તે “અનુવચિભાષણ.” ક્રોધ, લોભ, ભય અને હાસ્યનો ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે. ૩. બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અર્થાત્ સ્થાનની માગણી કરવી, તે “અનુવાચિઅવગ્રહયાચન.” રાજા, કુટુંબપતિ, શયાતર (જેની જગ્યા માગી લીધી હોય તે), સાધર્મિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સંભવે છે, તેમાંથી જે જે સ્વામી પાસેથી જે જે સ્થાન માગવામાં વિશેષ ઔચિત્ય હોય, તે તે પાસેથી તે તે સ્થાન માગવું તથા એક વાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રેગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માગી લેવાં, તે “અભણાવગ્રહયાચન. માલિક પાસેથી માગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે “અવગ્રહાવધારણ” કહેવાય છે. પિતાની પહેલાં બીજા સમાનધર્મવાળાએ કઈ ‘અભીમાણ નક્કી કરીને સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy