SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૩-૪ ૫૧ ભાષા પરિણામ તરફ અભિમુખ આત્માને જે પ્રદેશપરિસ્પદ થાય છે, તે “ વાગ' છે. ઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મને લબ્ધિ થતાં મવર્ગણાના આલંબનથી મનઃપરિણામ તરફ આત્માનું જે પ્રદેશકંપન થાય છે, તે “મને ગછે. ઉક્ત ત્રણ પ્રકારના યંગ જ ના કહેવાય છે. યોગને આસવ કહેવાનું કારણ એ છે કે, કેગ દ્વારા જ આત્મામાં કર્મવર્ગણાનું “આસ્રવ – કર્મરૂપે સંબંધ – થાય છે. જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળાં આદિનાં મુખ અથવા દ્વાર આશ્રવ – વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે, તે જ રીતે કર્માસ્ત્રવનું નિમિત્ત થવાથી યોગને આસવ કહે છે. [૧-૨] હવે યોગના ભેદ અને એમના કાર્યભેદ કહે છે: મઃ પુષ્ય . રૂ! अशुभः पापस्य । ४। ૧. ત્રીજા અને ચોથા સૂત્રના સ્થાનમાં “ગુમઃ પુણાગુમ પએવું એક જ સૂત્ર ત્રીજા સૂત્ર તરીકે દિગંબરીય ગ્રંથમાં છપાયેલું છે, પરંતુ રાજવાર્તિકમાં “તતઃ સૂત્રદયનર્નવમ્ એ ઉલ્લેખ પ્રસ્તુતસૂત્રોની ચર્ચામાં મળે છે. (જુઓ પૃ. ૨૪૮; વાર્તિક ૭ ની ટીકા). આ ઉલ્લેખથી સમજાય છે કે વ્યાખ્યાકારાએ બન્ને સૂત્રને સાથે લખી એના ઉપર એકી સાથે જ વ્યાખ્યા કરી હશે, અને લખનારાઓ તથા છાપનારાઓએ સૂત્રપાઠને તથા તેની ટીકાને પણ એક સાથે જ જોઈને, બંને સૂત્રોને અલગ અલગ ન માનતા એક જ સૂત્ર સમજ્યા હશે અને એના ઉપર એક જ સંખ્યા લખી હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy