SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તત્ત્વાર્થસૂત્ર હેતુઓના કથનની પરંપરા કાઈ પણ એક જ કર્મોંમાં સંભવતા ચાર અશાના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પાંચ અંધહેતુઓની પરંપરાના આશય । ચારની પરંપરા કરતાં જુદો નથી જ, અને જો હાય તો તે એટલેા જ છે કે, જિજ્ઞાસુ શિષ્યાને બહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું. અંધહેતુઓની વ્યાખ્યા મિથ્યાત્વ : મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન, અર્થાત્ સભ્યગ્દર્શનથી ઊલટુ હાય તે. સમ્યગ્દર્શન એ વસ્તુનું તાત્ત્વિક શ્રદ્ધાન હાવાથી, વિપરીત દૃન એ પ્રકારનું ફલિત થાય છે. પહેલુ, વસ્તુના યથા શ્રદ્દાનના અભાવ, અને ખીજી વસ્તુનુ અયથા શ્રદ્ધાન. પહેલા અને બીજામાં ફેર એ છે કે, પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હેાય, જ્યારે બીજું તે વિચારદશામાં જ હાય. વિચારશક્તિને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કાઈ એક જ દૃષ્ટિને વળગી રહેવામાં આવે છે, ત્યારે વિચારદશા હૈાવા છતાં અતત્ત્વના પક્ષપાતને લીધે એ દૃષ્ટિ મિથ્યાદર્શોન કહેવાય છે. એ ઉપદેશજન્ય હોવાથી અભિગૃહીત કહેવાય છે. જ્યારે વિચારદશા જાગી ન હેાય, ત્યારે અનાદિ કાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હેાય છે. તે વખતે જેમ તત્ત્વનું શ્રદ્ધાન નથી, તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી; એ વખતે ફકત મૂઢતા હાઈ તત્ત્વનું અશ્રદ્ઘાન હેાય છે. તે નૈસગિક-ઉપદેશનિરપેક્ષ હાવાથી અનભિગ્રહીત' કહેવાય છે. દૃષ્ટિ કે પ’થના ઐકાંતિક બધા જ દાગ્રહો અભિગૃહીત મિથ્યાદર્શન છે; તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હાઈ શકે. અને બીજુ અનભિગ્રહીત મિથ્યાદર્શીન કીટ, પત ંગ આદિ જેવી મૂર્છિત ચૈતન્યવાળી જાતિમાં સંભવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy