SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ - સૂત્ર ૭-૧૧ આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂપ માનતું નથી અને સાંખ્ય વૈશેષિક આદિ બધાં વૈદિક દર્શનેની માફક એને નિષ્ક્રિય. પણ માનતું નથી, - પ્રવ—જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યમાં પર્યાયપરિણમન –ઉત્પાદવ્યય માનવામાં આવે છે. આ પરિણમન ક્રિયાશીલ દ્રવ્યોમાં જ થઈ શકે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યને જે નિષ્ક્રિય માનવામાં આવે, તો તેઓમાં પર્યાય પરિણમન. કેવી રીતે ઘટી શકે ? ઉ–અહીંયાં નિષ્ક્રિયત્નથી ગતિક્રિયાને નિષેધ કરવામાં આવ્યો છે, ક્રિયામાત્રને નહિ. જૈન મત પ્રમાણે નિયિ. દ્રવ્યને અર્થ ગતિશૂન્ય વ્ય એટલે જ છે. ગતિશૂન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ સદશ પરિણમનરૂપ ક્રિયા જેનદર્શન માટે જ છે. [૫-૬] હવે પ્રદેશની સંખ્યાને વિચાર કરે છે ? असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः । ७। जीवस्य च ।८। आकाशस्यानन्ताः ।९। सङ्ख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् । १०। ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. એક જીવના પ્રદેશ અસ યાત છે. આકાશના પ્રદેશ અનંત છે. પુદ્ગલદ્રવ્યના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy