SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ તત્વાર્થસૂત્ર કારણે ગૌણ છે; પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યદષ્ટિસિદ્ધ નિયત્વ મુખ્ય હેતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બન્ને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એ વાચક શબ્દ ન હોવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાએના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્યરચનાઓ બને છે; જેમ કે: નિત્યાનિત્ય, નિત્યઅવક્તવ્ય, અનિત્યઅવક્તવ્ય અને નિત્યઅનિત્યઅવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સમજી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને તેમાં પણ બે વાક્યો મૂળ છે જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે; તેમ બીજા પણ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સર્વ અસત્વ, એકત્વ-અનેકત્વ, વાચ્યત્વ-અવાચ્ચત્વ આદિ ધર્મયુગ્મને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેકધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારને વિષય મનાય છે. [૩૧] હવે પૌગલિક બંધના હેતુનું કથન કહે છે? fજાપત્યા રેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy