SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર અભયદાન, શાનદાન વગેરે દાને વિવેકપૂર્વક કરવાં, તે યથાશક્તિ ત્યાગ.” છે. જરાયે શક્તિ છુપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી, તે યથાશક્તિ તપ.' ૮. ચતુર્વિધ સંઘ અને વિશેષે કરી સાધુને સમાધિ પહોંચાડવી અર્થાત તે સ્વસ્થ રહે તેમ કરવું, એ “સંઘસાધુસમાધિકરણ.” ૯. કઈ પણ ગુણ મુશ્કેલીમાં આવી પડે, ત્યારે યોગ્ય રીતે તેમની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવો, તે “વૈયાવૃત્યકરણ.” ૧૦, ૧૧, ૧૨, ૧૩. અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને શાસ્ત્ર એ ચારેમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે, “અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચન-ભક્તિ.” ૧૪. સામાયિક આદિ છ આવશ્યકેનું અનુષ્ઠાન ભાવથી ન છોડવું, તે આવશ્યકાપરિહાણી. ૧૫. અભિમાન છોડી, જ્ઞાનાદિ મેક્ષમાર્ગને જીવનમાં ઉતારી, અને બીજાને તેને ઉપદેશ આપી તેનો પ્રભાવ વધાર, તે “માર્ગ પ્રભાવના.” ૧૬. વાછરડા ઉપર ગાય રાખે છે તેમ સાધર્મિક ઉપર નિષ્કામ સનેહ રાખો, તે “પ્રવચન વાત્સલ્ય.” [૨૩] નીર જોત્રના સત્સવોનું સ્વા: ૧. બીજાની નિંદા કરવી, તે “પરનિંદા.” (નિંદા એટલે સાચા કે ખોટા દોષોને દુબુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ). ૨. પિતાની બડાઈ હાંકવી તે “આત્મપ્રશંસા.” (સાચા કે ખોટા ગુણોને પ્રકટ કરવાની વૃત્તિ તે “પ્રશંસા). ૩. બીજામાં ગુણ હેય તેમને ઢાંકવા. અને તેમને કહેવાને પ્રસંગ આવતાં છતાં કષથી તેમને ન કહેવા, તે પરના “સદ્દગુણનું આચ્છાદન અને ૪. પિતામાં ગુણ ન હોય છતાં તેમનું પ્રદર્શન કરવું, તે પોતાનાં “અસદ્ગુણોનું ઉદ્દભાવન.” [૨૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy