SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ વસ્તુત: પૂજ્યપાદની આસપાસના સમયમાં અચેલ અને સચેલ પક્ષમાં એટલી ખેંચતાણુ અને પક્ષાપક્ષી વધી ગઈ હતી કે, તેના ક્લસ્વરૂપ સર્વાર્થસિદ્ધિ' રચાયા બાદ તથા તેની અતિ પ્રતિષ્ઠા જામી ગયા બાદ, અચેલ પક્ષમાંથી તત્ત્વા ભાષ્યનુ રહ્યુંસધુ સ્થાન પણ નીકળી ગયું. ઘણા ધણા વિચાર કરવા છતાં એ પ્રશ્નને હજુ સુધી કેાઈ ઉત્તર જડતો નથી કે, જેમ તેમ કરીને પણ સચેલપક્ષે અગતને અત્યાર સુધી કોઈ ને ઢાઈ રૂપમાં સાચવી રાખ્યું, તો પછી ત્રુદ્ધિમાં, શ્રુતભક્તિમાં, અને અપ્રમાદમાં સચેલ પક્ષથી કઈ રીતે ઊતરતા નહિ એવા અચેલપક્ષે અગ‰તને સમૂલ નષ્ટ પ્રેમ થવા દીધું ? જો અચેલ પક્ષના અગ્રગાની કુંદકુંદ, પૂજ્યપાદ, સમતભદ્ર આદિના આટલા અધે। શ્રુતવિસ્તાર્ અચેલપક્ષે સાચવી રાખ્યા, તે આજ સુધી અંગશ્રુતના કાંઈક મૂલ ભાગ પણ સાચવી ન રાખવાનું કાંઈ જ કારણુ ન હતું. અંગશ્રુતની વાત છેડી અગબાહ્ય તરફ નજર કરીએ, તે પણ પ્રશ્ન જ થાય છે કે, પૂજ્યપાદ દ્વારા નિર્દિષ્ટ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા નાનાસરખા ગ્રંથ અચેલપક્ષીય શ્રતમાંથી લુપ્ત કેવી રીતે થયા ? કારણકે તેમનાથી પણ મોટા ગ્રંથ તે પક્ષમાં બરાબર સચવાઈ રહ્યા છે. બધી વાત ઉપર વિચાર કરવાથી હું અત્યાર સુધીમાં એ જ નિશ્ચિત નિય ઉપર આવ્યો છું કે, મૂલ અ ંગશ્રતના પ્રવાહુ અનેક અવશ્યંભાવી પરિવનાની ચાટ સહન કરવા છતાં આજ સુધી ચાલ્યા આવ્યા છે; જોકે તેને દિગંબર ફિરકા બિલકુલ માન્ય રાખતા નથી, : શ્રુત વિષયક ચર્ચાને આ પ્રસંગે એક પ્રશ્ન તરફ ઐતિહાસિક વિદ્વાનનું ધ્યાન ખેંચવું આવશ્યક છે. તે પ્રશ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy