SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર શીત પ્રકાશનું નિયામક કર્મ તે “ ઉદ્યોતનામ'. ૭. શરીરમાં અંગપ્રત્યંગોને યાચિત સ્થાને ગોઠવનાર કર્મ તે “નિર્માણનામ'. ૮. ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિ અર્પનાર કર્મ તે તીર્થંકરનામ'. [૧૨] નોત્રમની જે પ્રકૃતિયોઃ પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર કર્મ તે “ઉચ્ચગોત્ર', અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મ તે નીચગેત્ર'. [૧૩] સન્તરાય જર્મની જ પ્રતિમોઃ જે કર્મ કાંઈ પણ દેવામાં, લેવામાં, એકવાર કે વારંવાર ભોગવવામાં અને સામર્થ ફોરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે “દાનાંતરાય', “લાભાંતરાય”, “ભોગાંતરાય”, “ઉપભોગાંતરાય અને વીર્યા રાય કર્મ કહેવાય છે. [૧૪]. - હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે? __ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमપાટી સ્થિતિઃ ૨૬ सप्ततिमहिनीयस्य । १६ । नामगोत्रयोविंशतिः ।१७। त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १८ । अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य । १९ । નામનોત્રાષ્ટી ૨૦ शेषाणामन्तमुहूर्तम् । २१ । પહેલી ત્રણ પ્રકૃતિએ અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય તથા અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરેપમ પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy