SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ - સૂત્ર પર પરિણામ તીવ્ર હાય, તે। આયુષને બંધ ગાઢ થાય છે; તેથી નિમિત્ત મળવા છતાં પણ બધકાળની કાળમર્યાદા ઘટતી નથી અને આયુષ પણ એકી સાથે ભાગવાતું નથી. જેમ કે, અત્યંત દૃઢ બની ઊભેલા પુરુષાની હાર અભેદ્ય – ભેદાય નહિ એવી, અને શિથિલ બની ઊભેલા પુરુષાની હાર ભેદ્ય હૈાય છે, અથવા જેમ સધન વાવેલાં ખીજોના છોડ પશુઓને માટે દુષ્પ્રવેશ – પ્રવેશ ન થાય એવા, અને છૂટાં છૂઢાં વાવેલાં બીજોના છેાડ એમને માટે સુપ્રવેશ થાય છે; તેવી જ રીતે તીવ્રપરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બંધવાળુ આયુષ શસ્ત્રવિષ આદિના પ્રયોગ થયા છતાં પણ પેાતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતું નથી; અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બધવાળુ આયુષ ઉપર કહેલા પ્રયાગા થતાં જ પેાતાની નિયત કાળમર્યાદા સમાપ્ત થયા પહેલાં જ તદૂત માત્રમાં ભોગવાઈ જાય છે. આયુષના આ શીધ ભાગને જ ‘પવના', અથવા અકાળ મૃત્યુ કહે છે; અને નિયતસ્થિતિવાળા ભાગને ‘ અનપવના' અથવા કાળમૃત્યુ કહે છે. પવનીય આયુષ સાક્રમ-ષક્રમસહિત જ હોય છે. તીવ્ર શસ્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિત્તોથી અકાળ મૃત્યુ થાય છે, તે નિમિત્તોનુ પ્રાપ્ત થવું તે ઉપક્રમ' છે; આવે! ઉપક્રમ અપવર્તનીય આયુષને અવશ્ય હોય છે, કેમ કે તે આયુષ નિયમથી કાળમર્યાદા પૂરી થયા પહેલાં જ ભેગવવાને યોગ્ય હોય છે. પરંતુ અનપવનીય આયુષ સાપક્રમ અને નિશ્પક્રમ એ પ્રકારનુ હાય છે; અર્થાત્ એ આયુષને અકાળ મૃત્યુ કરે એવાં ઉક્ત નિમિત્તો પ્રાપ્ત થાય પણ ખરાં અને ન પણ થાય; મને ઉક્ત નિમિત્તોનું સનિષાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy