SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૪૦-૪૬ ૩૮૧ અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાને ભેદ અર્થાત પૃથકૃત્વ વિવિધ દૃષ્ટિએ ચિંતવાય છે અને શ્રુતજ્ઞાનને જ અવલંબી એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર; અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક યોગ ઉપરથી બીજા યોગ ઉપર “સંક્રમ” અર્થાત સંચાર કરવાનો હોય છે. તેથી ઊલટું જ્યારે કેઈ ધ્યાન કરનાર પિતામાં સંભવિત શ્રતને આધારે કોઈ પણ એક જ પર્યાયરૂ૫ અર્થને લઈ તેમાં એકત્વઅભેદપ્રધાન ચિંતન કરે, અને મન આદિ ત્રણ વેગમાંથી કેઈપણ એક જ વેગ ઉપર અટળ રહી શબ્દ અને અર્થના ચિંતનનું તેમજ ભિન્ન ભિન્ન યોગમાં સંચરવાનું પરિવર્તન ન કરે, ત્યારે તે ધ્યાન “એકત્રવિતર્ક અવિચાર” કહેવાય છે. કારણ કે તેમાં વિતર્ક” અર્થાત્ શ્રુતજ્ઞાનનું અવલંબન હોવા તાં “એકત્વ” અર્થાત્ અભેદ પ્રધાનપણે ચિંતવાય છે અને અર્થ, શબ્દ કે યોગનું પરિવર્તન નથી હોતું. ઉક્ત બેમાંથી પહેલા ભેદપ્રધાનનો અભ્યાસ દઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્પ આદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડંખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમજ આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દૃઢ થતાં જેમ ઘણાં ઈધણ કાઢી લેવાથી અને બચેલાં થોડાં ઈધણો સળગાવી દેવાથી અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy