SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય સૂગ ૨-૩ ૨૮૩ કુશળ બુદ્ધિ દિવસભોજન તરફ જ વલણ લે, એમ આજ સુધીના મહાન સંતને જીવનઇતિહાસ કહે છે. ૧] હવે વ્રતના ભેદે કહે છે? देशसर्वतोऽणुमहती ।२। અલ્પ અંશે વિરતિ તે “આશુવ્રત અને સશે વિરતિ તે “મહાવ્રત.” • દરેક ત્યાગેછુ દોષથી નિવૃત્ત થાય છે; પણ એ બધાનો ત્યાગ એક સરખો નથી હોતો અને તેમ હોવું એ વિકાસક્રમ પ્રમાણે સ્વાભાવિક પણ છે. તેથી અહીં હિંસા આદિ દેની થેડી અને ઘણી એ બધી નિવૃત્તિઓને વ્રત માની તેમના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવ્યા છે? - ૧. હિંસા આદિ દોષોથી મન, વચન, કાયા વડે દરેક પ્રકારે છૂટવું, તે હિંસાવિરમણ મહાવ્રત. અને ૨. ગમે તેટલું હેય, છતાં કોઈ પણ અંશે ઓછું છુટાય, એ હિસાવિરમણ અણુવ્રત કહેવાય છે. [૨] હવે વ્રતની ભાવનાએ કહે છે : तत्यर्यार्थ भावनाः पञ्च 'पञ्च ।३। - તે વ્રતને સ્થિર કરવા માટે તે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. ૧. આ સૂત્રમાં જે ભાવનાઓનો નિર્દેશ છે, તે ભાવનાઓ શ્વેતાંબરીય પરંપરા પ્રમાણે ભાષ્યમાં જ મળે છે, તે માટે જુદાં સૂત્રો નથી. દિગંબરીય પરંપરામાં એ ભાવનાઓ માટે પાંચ સૂત્રો ૪-૮ નંબર સુધી વધારે છે. જુઓ પરિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy