SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૧૪-૨૬ ૨૭૩ અને બીજાને ડરાવવા, એ ભયમેહનીયના આસ્રવ છે. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણું કરવી વગેરે જુગુપ્સાહનીયના આસ્રવ છે. ૮–૧૦. ઠગવાની ટેવ, પરદોષદર્શન વગેરે, સ્ત્રીવેદના આસવ છે. સ્ત્રી જાતિને યોગ્ય, પુરુષજાતિને ગ્ય અને નપુંસક જાતિને યોગ્ય સંસ્કાર કેળવવા, તે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના આસવ છે. [૧] નાદ ગાયુષના વંધતુમૌનું સ્વા: ૧. પ્રાણીઓને દુઃખ થાય તેવી કષાયપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “આરંભ. ૨. આ વસ્તુ મારી છે અને હું આનો માલિક છું એવો સંકલ્પ રાખવે, તે “પરિગ્રહ. જ્યારે આરંભ અને પરિગ્રહવૃત્તિ બહુ જ તીવ્ર હેય અને હિંસાદિ દૂર કામોમાં સતત પ્રવૃત્તિ થાય, બીજાના ધનનું અપહરણ કરવામાં આવે, તથા ભોગમાં અત્યંત આસક્તિ રહે, ત્યારે તે નારકઆયુષના આસવ થાય છે. [૧] ઉતર ગાયુકર્મના વંધતુગોનું સ્વા: છળપ્રપંચ કરે કે કુટિલ ભાવ રાખે તે “માયા'. જેમકે, ધર્મતત્વના ઉપદેશમાં ધર્મને નામે બેસું તત્ત્વ મેળવી તેને સ્વાર્થ બુદ્ધિથી પ્રચાર કરવો અને જીવનને શીલથી દૂર રાખવું વગેરે માયા છે. તે તિર્યચઆયુષને આસવ છે. [૧] મનુષ્ય સાયુજર્મના વધામોનું : આરંભવૃત્તિ અને પરિગ્રહબુદ્ધિ ઓછી રાખવી, સ્વભાવથી જ અર્થાત વગર કહ્યું મૃદુતા અને સરળતા હોવી, એ મનુષઆયુષના આસ છે. [૧૮] નારક, તિર્યચ, મનુષ્ય એ ત્રણે આયુષના જુદા જુદા બંધહેતુઓ જે પહેલાં કહેવામાં આવ્યા છે, તે ઉપરાંત એ Jain Education International la! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy