Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Catalog link: https://jainqq.org/explore/001112/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ પ્રતિક્રમણ સામો વિવેચના સહિત મનું વાદક - પિપૈયર '(વ.) પં. પ્રભુદાસ બેચરદાસ પારેજીનુ NARARAANRANT nanaMADAN પ્ર€lણક શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા શ્રી જૈન શ્રેચક્કર મંડળ મહેસાણા , ઉત્તર ગુજરાત Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो अरिहंताणं શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો વિવેચન સહિત મૂળ ગાથાઓ, શબ્દાર્થ, અન્વયાર્થનો અનુક્રમ, ગાથાર્થ, અનેક વિધિઓના સામાન્ય હેતુઓ તથા વિશેષ હેતુઓ, પ્રત્યાખ્યાનો, પોસહવિધિ, તેના હેતુઓ, સૂત્રોમાં આવતા વિચારો સાથે અન્ય વિચારોની તથા હાલના વિચારોની તુલનાઓ, વિશિષ્ટ વિવેચનો, ભરહેસરની કથાઓ, સંક્ષિપ્ત ઇતિહાસો, સાર્થ નવસ્મરણો વગેરે અનેક ઉપયોગી વિષયો સાથે. અનુવાદક – વિવેચક (૧૦) પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા, ઉત્તર ગુજરાત. Page #3 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો વિવેચન સહિત D અનુવાદ - વિવેચક (સ્વ. ) પંશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ | સર્વહક સ્વાધીન 0 ગ્રંથ આયોજન : શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર દર્શન, રાણકપુર સોસાયટી સામે, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. છઠ્ઠી આવૃત્તિ : ૧૦૦૦ શતાબ્દી સમારોહ વર્ષ; સને : ૧૯૯૭ વીર સંવ ૨૫૨૩ વિક્રમ સં. ૨૦૫૩ 0 કિમત : રૂપિયા ૨૦૦=૦૦ ટાઈપ-સેટિંગ : શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૪. T મુદ્રક : પૂજા ઓફસેટ મહેંદીકૂવા, શાહપૂર, અમદાવાદ-૧. ફોનઃ ૫૬૨૨૯૮૦,૫૬૨૦૯૬૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પ્રતિક્રમણની ક્રિયા એટલે આત્મવિશુદ્ધિની ક્રિયા. આ ક્રિયા જૈન ધર્મની પ્રાણસમી ક્રિયા છે. જેના દ્વારા પાપોનું પ્રક્ષાલન અને કર્મોની નિર્જરી થતાં થતાં યાવત્ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે. આવી અનેરી ક્રિયાને જૈન ધર્મમાં આવશ્યક ક્રિયા તરીકેનું સ્થાન મળેલું છે. વિધિ સહિત અર્થનું ચિંતન કરતાં કરતાં સૂત્રોનો પાઠ થાય તો આ ક્રિયા અમોઘ છે. અવશ્ય ફળદાયી આ ક્રિયાનાં રહસ્યોને જાણવા માટે સૂત્રોનું સમ્યકજ્ઞાન તથા અર્થનો સમ્યફબોધ જરૂરી છે. આવો બોધ થાય તેવા કલ્યાણકારી આશયથી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે પ્રતિક્રમણનાં તમામ સૂત્રોના અર્થ અને વિસ્તૃત સૂક્ષ્મ વિવેચન કરી પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ શ્રાવક-શ્રાવિકાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વર્ષો પૂર્વે આ જ સંસ્થા દ્વારા પ્રસ્તુત ગ્રંથની પાંચ પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે પરંતુ હાલ તો ઉપલબ્ધ નથી. અનેક ગ્રંથોનું દોહન કરી, સરળ છતાંય રસભરી શૈલીમાં લખાયેલ અર્થ અને વિવેચન વાંચવા યોગ્ય છે. આ ગ્રંથની ખૂબી તો એ છે કે, શ્રાવક-જીવનમાં આવનારી અનેક સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક વિટંબણાઓનું સચોટ બયાન કરી તેના શાસ્ત્રોકત છતાંય પરંપરાગત ઉકલો રજૂ કર્યા છે, જેનો ઉપયોગ કરવાથી સ્વ-પરનું કલ્યાણ થઈ શકે તેમ છે. આવા અમૂલ્ય ગ્રંથ રત્નનું પુન:પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથ અંગે છેલ્લાં કેટલાય વર્ષોથી જિજ્ઞાસુઓ તરફથી માંગણી આવતી હતી પરંતુ તેમની જિજ્ઞાસાવૃત્તિને અમે સંતોષી શક્યા ન હતા. અમે સાંપ્રત ગ્રંથને પ્રકાશિત કરવાની યોજના ઘડી રહ્યા હતા, ત્યારે જ જૈન સંઘના લાડીલા નેતા શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ આ ગ્રંથના પ્રકાશન માટે પોતાની ભાવના રજૂ કરી. તેમની ભાવના અને ઉત્સાહને કારણે આ કાર્ય સુકર બન્યું. ગ્રંથ પ્રકાશન માટેનો આર્થિક સહ્યોગ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી, અમદાવાદ તરફથી મળ્યો તે બદલ પેઢીનો તથા પેઢીના ટ્રસ્ટી મંડળનો આભાર માનીએ છીએ. વિશેષ આનંદની ઘટના તો એ છે કે, ચાલુ વર્ષે(૧૯૯૭)માં સંસ્થાનો શતાબ્દીવર્ષ સમારોહ ઊજવાઈ રહ્યો છે ત્યારે સંસ્થાના જ અવિભાજ્ય અંગ સમાન પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈના ગ્રંથો પુનઃ પ્રકાશિત થઈ રહ્યા છે. આ ગ્રંથનું પ્રકાશન સુંદર રીતે થાય તે માટે ઉપયોગી સૂચનો અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશી તરફથી પ્રાપ્ત થયાં હતાં. તેમણે મૂળગ્રંથ સાદ્યાન્ત વાંચીને શુદ્ધ કરી આપ્યો, તથા પુસ્તક પ્રકાશન સંબંધી તમામ કાર્ય પં. શ્રી જિતેન્દ્ર બાબુલાલ શાહે કરી આપ્યું તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ફ-સંશોધનનું વિકટકાર્ય શ્રી નારણભાઈ પટેલ તથા ટાઈપસેટિંગનું જટિલ કાર્ય શ્રી રમેશભાઈ પટેલે કર્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. છેલ્લે પ્રસ્તુત ગ્રંથનું સુંદર પ્રકાશન થાય તે માટે શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિચર્સ સેન્ટર, અમદાવાદ તથા તેના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા લી. સંઘસેવક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. શ્રી બાબુભાઈ જેસીંગભાઈ મહેતા વિ. સં. ૨૦૧૩; સને ૧૯૯૭ ડૉ. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ ખાસ વિજ્ઞપ્તિ પરમાત્મા શ્રી વીતરાગદેવની આજ્ઞાને શિરસાવત્થ માનનાર હે પુણ્યવાન આત્મા ! આ ગ્રંથમાં – પરમપૂજ્ય વિશ્વકલ્યાણકર પવિત્ર અને જૈન ધર્મના સર્વોત્કૃષ્ટ મહત્ત્વનાં સૂત્રો આવેલાં છે. જેના ઉપર સમગ્ર જૈન ધર્મની ઈમારત ચણાયેલી છે. માટે પણ – ૧. તેનું જેટલું બને તેટલું બહુમાન કરજો. ૨. આશાતના, અપમાન, અવિનય જરા પણ ન થવા દેજો. ૩. પૂરેપૂરા બહુમાન અને ભક્તિથી વાંચજો અને ભણજો. ૪. અપવિત્ર વાતાવરણ તથા સ્પર્ધાદિથી દૂર રાખજો. જગતમાં આના કરતાં કોઈ પણ સાહિત્ય ઊંચું નથી” એ સત્ય હકીકત કદી ભૂલશો નહીં. Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકનું વિનમ્ર નિવેદન સંવત ૧૯૯૧માં શરૂ કરેલું આ પુસ્તક આટલા લાંબા વખતે વાચકોના કરકમળમાં મૂકતાં પહેલાં આટલી બધી ઢીલ કરી વાચકોની ધીરજને છેલ્લી હદ સુધીની કસોટીએ ચડાવી રાખવાની જવાબદારીમાંથી લેખક છટકી શકે તેમ નથી. વાચકોની સૃષ્ટિની એકંદર સમતોલ બુદ્ધિરૂપી ન્યાયની કચેરીમાં તેણે ઢીલનાં કારણોનું ન્યાયીપણું પુરવાર કરવાનું રહે છે. લેખક માને છે કે, પંચપ્રતિક્રમણમાં વપરાયેલાં મુખ્ય સૂત્રો જૈનધર્મના મૂળ પાયા રૂપ છે, તેના ઉપર કાંઈ પણ લખવું, એ નાના બાળકના ખેલ નથી. પરંતુ જગતભરનાં ભગીરથમાં ભગીરથ કાર્યો કરતાં પણ ગહન અને વધારેમાં વધારે મુશ્કેલીભરેલું એ કાર્ય છે. એટલે એ કાર્ય તો આપણી આજના માનવીની શકિત બહારનું હોવાથી તે કરવાનો તો આપણે વિચાર સરખો પણ કરી શકીએ તેમ નથી. પરંતુ પૂર્વના મહાપુરુષોએ બતાવેલા રસ્તે તેમાં ચાલ્યા જઈ યથાશક્તિ તેનો અભ્યાસ મેળવવા માત્ર કદાચ આપણે ભાગ્યશાળી થઈ શકીએ. તેથી વિશેષ આપણી શકિતથી બહારનું કામ છે. કેમ કે, એ સૂત્રોની ખૂબી જ એવી છે કે વિધિ બદલાય, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાંનું કાંઈપણ બદલાય, કે તુરત જ સૂત્રોના અર્થોનું સ્વરૂપ જ બદલાઈ જાય. જેમ કે, નમુત્થાર્ગ પછીના અરિહંત ચેઇયાણનો અર્થ જુદો થાય. અને લોગસ્સ પછીના અરિહંત ચેઇઆણંનો જુદો થાય. અને પુફખરવરદી પછીના એ જ સૂત્રનો અર્થ વળી તેથીયે જુદો જ થાય. ચૈત્યવંદનમાં તેથીયે જુદો થાય. આમ એક જ સૂત્ર અને તેનાં પદોના ભાવાર્થો ક્યા કરે. ત્યારે એ બધો ભાવ એક જ પ્રકારના અર્થમાંથી શી રીતે લાવી શકાય ? અનેક નય અને નિક્ષેપાઓ આ સૂત્રોના અર્થ કરવામાં સાક્ષાત્ અને પરંપરાએ લાગુ થઈ જાય છે. કયા નિક્ષેપા, કયા નય, અને કયા અનુયોગથી વ્યાખ્યાન કરવું ? એ મોટી ગૂંચવણ ઊભી થાય છે. છતાં વિવિધ અભ્યાસીઓને ઉદ્દેશીને પ્રાચીન કાળથી પૂર્વાચાર્યોએ વિવિધ પ્રકારનાં વ્યાખ્યાનો, વિવેચનો આ સૂત્રો ઉપર રચ્યાં છે. ૧. તીર્થંકર પરમાત્માઓએ કરેલી અર્થવ્યાખ્યા જ ગણધર ભગવંતોએ દ્વાદશાંગી અને ચૌદ પૂર્વમાં સૂત્રો રૂપે ગૂંથી છે. ૨. સ્થવિર ભગવંતોએ ઉપાંગો, નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ, વૃત્તિઓ અને ટીકાઓ વગેરેના રૂપમાં તેવાં તેવાં પાત્રોને ઉદ્દેશીને સંક્ષેપથી અને વિસ્તારથી નાની-મોટી અને વિવિધ શૈલીવાળી અનેક વ્યાખ્યાઓ આ જ સૂત્રો ઉપર લખી છે. ૩. કોઈ કોઈ એક એક સૂત્ર ઉપરની વ્યાખ્યાના સ્વતંત્ર ગ્રંથોના ગ્રંથો પણ છે. ૪. કોઈ કોઈ સંક્ષેપમાં ટીકાઓ છે. કોઈ કોઈ અવચૂરિ રૂપે ટીકાઓ છે અને ભાષામાં ટબા રૂપ ટીકાઓ પણ છે. ૫. ત્યાંથી માંડીને ઠેઠ તદ્દન બાળજીવો અને સ્ત્રીવર્ગ પણ સમજી શકે તેવી ગાથાઓના ઉપરના ભાગમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ અને પદોના અર્થવાળી પણ હસ્તલિખિત સેંકડો પ્રતો મળે છે. ૬. છાપખાનાની શરૂઆત થયા પછી પણ અનેક શૈલીથી લખાયેલા અર્થોવાળા પંચપ્રતિકમણનાં પુસ્તકો જોવામાં આવે છે. ૭. હાલ છપાયેલા તે સર્વમાં કંઈક વિશેષ વિવેચનવાળું છતાં સંક્ષેપમાં આ સંસ્થા (જૈન શ્રેયકર મંડળ - મહેસાણા) તરફથી બહાર પડેલું પુસ્તક વધારે પ્રમાણભૂત ગણાય છે અને લોકપ્રિય છે. તેની ચતુથી આવૃત્તિ ખલાસ થયા પછી પાંચમી આવૃત્તિ બહાર પાડવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં જ કાર્યવાહકોમાં એ પ્રશ્ન થયો હતો કે – “પુસ્તક છે તેમ જ છપાવવું કે તેમાં કોઈ ફેરફાર કરવો ?” સંસ્થાના કાર્યવાહકો એક વખત એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે, “છે તેમજ છપાવવું. કેમ કે, નવું લખવાનો પરિશ્રમ તથા ફરી ખર્ચ કરવો પડે, તથા તેની પ્રામાણિકતા-અપ્રમાણિકતા વિષે પ્રશ્ન ઊભો રહે. કેટલા વખતે પૂરું થાય ? અને કેટલો ખર્ચ આવે?” એ બધા પ્રશ્નોના સંતોષકારક સમાધાન ન થાય, ત્યાં સુધી - છે તે પ્રમાણે જ છપાવવાના વિચાર ઉપર કાર્યવાહકો રહે, એ સ્વાભાવિક છે. અને લગભગ તેવા નિર્ણયથી કામ શરૂ કરવાનો નિશ્ચય પણ થઈ ગયો. છતાં એવો પણ વિચાર ચાલતો રહ્યો હતો કે– પંચપ્રતિક્રમણ જેવી મહત્ત્વની વસ્તુ ઘેર ઘેર વંચાય છે. પૂર્વના મહાન આચાયોએ તેની પર જનસમાજનો જે અસાધારણ આદર ઉત્પન્ન કર્યો છે, અને તેમાં પ્રાણીમાત્રનું હિત સાંકળ્યું છે, અને હજુ તે ઘણે અંશે ટકી રહેલ છે. પરંતુ તેના વિધિઓના વિશેષ હેતુઓ અને રહસ્યો લખાય, તો વધારે આકર્ષક થાય, અને અનેક જિજ્ઞાસુઓ અનેક પ્રશ્નો કરે છે. તેનાં સમાધાનો બરાબર થાય. સમાધાનો બરાબર ન મળવાથી ઘણા ગૂંચવાય છે. કેટલાક તો એ સૂત્રોને જૂના જમાનાની રચના” કહીને હસી કાઢે છે અથવા તો ઉપેક્ષા કરે છે, તેમજ હાલના જમાનાના રંગે રંગાયેલાઓને તો તે એક અવ્યવસ્થિત રચનાવાળા ને હવેના જમાનામાં લોકકલ્યાણના વિરોધી તરીકે પણ લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે તેમ તો નથી જ. આમ લાગવાનું કારણ એક જ છે કે, તેઓને તેનાં રહસ્યોની દિશાની પણ માહિતી નથી હોતી. “તેથી એવી માહિતી પણ આ ગ્રંથમાં ઉમેરાય તો ઠીક, એટલે કે આ સૂત્રો મહાન છે. અને તેની સાથે જેનોનું આખા માનવસમાજનું જ નહીં, પણ દુનિયા આખીના પ્રાણીસમાજનું પણ હિત સંકળાયેલું છે, અને આજે પણ હિત કરી રહેલ છે, તથા ભવિષ્યમાં પણ કરશે.” એવો સામાન્ય પણ ભાસ થાય, તેવુ લખાણ જનસમાજને પહોંચાડવામાં આવે, તો ઘણો ઉપકાર અને લાભ મળવા સંભવ છે. સાચી વસ્તુ ઉપરનો ખોટો ખ્યાલ દૂર થાય, અને સાચા ખ્યાલનો ભાસ પણ થાય, કે તે તરફનું વિરુદ્ધ વલણ દૂર થઈને સમભાવમાં અવાય; તો પણ જેવો તેવો લાભ નથી. એ પણ એક અસાધારણ પરોપકાર છે.” એમ સમજીને કંઈક વિવેચનથી લખવાની કાર્યવાહકોએ સંમતિ આપી. Page #8 -------------------------------------------------------------------------- ________________ લેખકનું વિનમ્ર નિવેદન માત્ર ઉપરનો ઉદ્દેશ જ કાર્યવાહકોના અને લેખકના ધ્યાનમાં રહ્યા કર્યો છે. પરંતુ “શું લખાશે? અને કેવું લખાશે ? શું લખવું? અને શું ન લખવું ? કેમ ? અને કેવું લખવું ?” તેનો તો બન્નેયમાંથી કોઈએ વિચાર કર્યો નહોતો. જે લખાયું છે, તે આજે સૌની સામે છે. પરંતુ “તે જરૂર પૂરતું જ લખાયું છે કે તેમાં લખવા જેવું ઘણું રહી ગયું છે ? આથી ઉપરનો ઉદ્દેશ સિદ્ધ થશે કે નહીં ? અને થયો હોય તો તે કેટલે અંશે ?” તે કાંઈ નકકી કહી શકાતું નથી. એ નિર્ણય તો સુજ્ઞ વાચકોને જ કરવાનો રહે છે. અમો તો એટલું જ કહી શકીએ કે “અમારો પ્રયાસ માત્ર એ દિશામાં હતો.” ઉદ્દેશની સિદ્ધિ થઈ કે ન થઈ? કે વિપરીત થયું કે પીછેહઠ થઈ ?” તેમાંનું કંઈપણ આજે અમારાથી કહી શકાય તેમ નથી. તદ્દન સંક્ષેપ રચિવાળા જીવોને તો કદાચ બીજા પુસ્તકથી સંતોષ મેળવવો પડવાનો સંભવ છે. સસ્તામાં જ પુસ્તક ખરીદ કરવાની ઈચ્છાવાળાને આ પુસ્તક કિંમતમાં વધુ પડવાનો સંભવ છે. પરંતુ ખાસ વિશિષ્ટ પ્રકારના જિજ્ઞાસુ વર્ગની જિજ્ઞાસા શાન્ત કરે તેવું એક પણ સાધન નહોતું, તેની ખામી હતી, તે ખામી કેટલે અંશે આ પુસ્તક દૂર કરી શકશે, તથા નવી જિજ્ઞાસાઓ જાગ્રત કરશે અને અમારા ઉપરના ઉદ્દેશની ભૂમિકા માત્ર ઘડશે, તો પણ આ પ્રયાસ સાર્થક થતાં લેખકના કે સંસ્થાના પ્રયાસની સફળતા જ છે. હવે ઢીલના મુદ્દાની વાસ્તવિક કારણો જણાવી આ નિવેદન પૂરું કરીશ : આખો ગ્રંથ તદ્દન નવેસરથી લખવો. અને જે કદમાં વાચક મહાશયોના હાથમાં ગ્રંથ પહોંચાડવામાં આવ્યો છે, તે પ્રમાણ જોતાં સ્વાભાવિક રીતે જ આખો ગ્રંથ તૈયાર કરવામાં વધારે વખત લાગે, એ સ્વાભાવિક છે. કેમ કે આજકાલ પ્રસિદ્ધ કરનારી સંસ્થાઓમાં આવાં મોટાં કામો અનેક હાથમાંથી પસાર થાય છે. પુસ્તક-પ્રસિદ્ધિના કાર્યના અંગભૂત જુદા જુદા વિભાગોમાં જુદા જુદા મદદ કરનારા સહાયકો હોય છે. ત્યારે આ ગ્રંથ તૈયાર કરવામાં, પૂફો તપાસવામાં તથા સુધારા વધારા અને એકંદર નાનાથી મોટું દરેક કામ કરવામાં એકલે જ હાથે પાર પાડવાનું હોવા સાથે, લેખકને સંસ્થાના તમામ સંચાલનમાં સક્રિય ભાગ લેવાનો રહે છે. સંસ્થાની તમામ વ્યવસ્થા સંભાળવી એ મુખ્ય કામની સાથે ગૌણ રીતે આ કામ કરવાનું હતું. એટલે પણ વખત લંબાય એ સ્વાભાવિક છે. તે ઉપરાંત, વચ્ચે વચ્ચે નાનાં મોટાં ૨૦ થી ૨૫ પુસ્તકો પ્રસિદ્ધ થયાં, તેનું સ્વતંત્ર લખાણ-પ્રકો જોવાં અને પ્રેસ વગેરેની સાથેના તમામ વહીવટો પણ ચલાવવાના હતા. સંસ્થાના આગળ પડતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં રોજનો કેટલોક વખત રોકાવું પડતું હતું. તથા સંસ્થાની જે તે વખતે કાર્યવાહકોએ હાથ ધરેલી યોજનાઓને સક્રિય બનાવવાના વ્યવહાર અને નિત્ય-નિયમિત કાર્યોને પહોંચી વળવા ઉપરાંત, શારીરિક અગવડો, તથા કૌટુંબિક અગવડો તો અનિવાર્ય હોય છે. પ્રેસો પણ કામ શરૂ કરીને બીજા કામમાં પડી જાય તો, વચ્ચે વચ્ચે કેટલાય મહિના સુધી કામને થંભાવી રાખે. અથવા સગવડતાએ અને ધીમે ધીમે ચલાવે. આ બધા વિલંબનાં સંગીન કારણો છતાં, અનેક રીતે મગજ વહેંચાયેલું હોવા છતાં, છેવટે આટલે વખતે પણ આ સ્વરૂપમાં આ ગ્રંથ વાચકોના હાથમાં નિર્વિને Page #9 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો મૂકી શકાય છે, તે બાબત લેખક તો પોતાનું અહોભાગ્ય માને છે. વધારે પડતી ઢીલ થવા ઉપરાંત, જુદે જુદે વખતે લખવાથી કયાંક કયાંક સંગતિ પણ જળવાઈ નહીં હોય, તથા અસંગતિય થઈ ગઈ હશે. કયાંક કયાંક પુનરુક્તિ થઈ હશે, તો કયાંક કયાંક અસ્પષ્ટતા અને અપૂર્ણતા પણ રહી ગઈ હશે. - આજ સુધીનાં વાચન, મનન અને અનુભવ, તથા મોટા પુરુષો પાસેથી સાંભળવા ઉપરથી આ ગ્રંથની આખી ઈમારત ચણાઈ છે, એટલે કે, પ્રાચીન શાસ્ત્રો-ટીકાઓ વગેરે જોઈએ તે પ્રમાણમાં જોઈ શકાયાં નથી જ. કેમ કે, તેટલો અવકાશ મળવો સંભવિત જ નહોતો, અને તેમ કરવા જતાં કેટલો બધો વિલંબ થઈ જાય ? એ પણ ભય સામે જ ઊભો હતો. એટલે આ ગ્રંથમાં કરવામાં આવેલાં દરેકે દરેક વિધાનો વિષે સ્થળે સ્થળે પ્રમાણો આપીને સાબિત કરવામાં આવેલ નથી. છતાં જિજ્ઞાસુઓ ખાસ અભ્યાસક્રમની દષ્ટિથી પ્રશ્નો પૂછશે, તો તેવા જિજ્ઞાસુઓને લેખક, વિશેષ માહિતી અવકાશ પૂરી પાડીને ઊંડા અભ્યાસમાં મદદ કરવાની આશા રાખે છે. તથા કોઈ ઠેકાણે વાચકોને ઘણી જ સૂક્ષ્મ દલીલોમાં ઉતારવામાં આવ્યા હશે, કે જે સમજવામાં સામાન્ય સમજના વાચકોને મુશ્કેલી પડશે, તો કોઈ ઠેકાણે મુખ્ય મુખ્ય દલીલો અને હકીકતો જ માત્ર આપી દીધી હશે, કે જેમાંથી ગમે તેવા અનુભવી વાચકોને પણ સાંગોપાંગ હકીકત તારવી લઈ સાર સમજવાનું મુશ્કેલ પડી જાય તેમ હશે. પરંતુ તેથી નિરાશ ન થતાં, વાચક મહાશયો તેનો રીતસર અભ્યાસ કરશે, અને લેખકની મદદ લેશે, તો તેમને તે બધું સંગત અને વ્યવસ્થિત જણાશે. તથા કેટલેક સ્થળે માત્ર સંક્ષેપ ખાતર જ સંક્ષેપમાં દિશાસૂચન કરવાની ફરજ બજાવી આગળ વધવા માટે લેખકને દરગુજર કરવાનું રહેશે. સારાંશ કે, આવી અનેક ત્રુટીઓ જેમ બને તેમ સંક્ષેપમાં ગ્રંથ લખવાની ઈચ્છાથી રહી જવા પામી હોય, તથા ભાષાદોષ, નિરૂપણદોષ, વાકયદોષ વગેરે – તે સર્વ ઉદાર વાચકો દરગુજર કરશે. આ ગ્રંથમાં રહેવા પામેલી ખામી કે તેમાં કરવામાં આવેલા નિર્દેશોની સર્વ જવાબદારી ખુદ લેખક સિવાય બીજા કોઈની નથી. પ્રેસની અશુદ્ધિઓ માટે જો કે પ્રેસો પણ કેટલેક અંશે જવાબદાર ગણાય છે. છતાં દરેક પ્રેસવાળાઓએ પોતાનાથી બનતી સહાનુભૂતિ બતાવી છે. આવો વિસ્તૃત ગ્રંથ લખવાની તક આપવા બાબત લેખક આ સંસ્થાનો આભાર માને છે. જૈન શાસ્ત્ર વિરુદ્ધ અને જનસમાજના વાસ્તવિક હિતવિરુદ્ધ જે કાંઈપણ લખાયું હોય, તો તે વિષે પણ મિચ્છામિ દુકકડ જાહેર કરે છે. જેને તત્ત્વજ્ઞાનના દષ્ટિબિંદુથી લખવા જતાં, અને તેને વળગી રહેવાની અનન્ય ફરજ બજાવવા જતાં, લેખકની તદ્દન અનિચ્છા હોવા છતાં અને તદ્દન શુદ્ધ હિતબુદ્ધિ હોવા છતાં પણ કોઈ સંસ્થા, સમાજ, કે વ્યકિતને કાંઈપણ પોતાના દષ્ટિબિંદુથી યોગ્ય ન લાગે, તો તે દરગુજર કરી સાર ગ્રહણ કરશે, એટલી વિજ્ઞપ્તિ કરી વિરમે છે. સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા પંચ પ્રતિક્રમણ એટલે શું ? ૧. આપણે સામાયિક લેતી વખતે - કરેમિ ભત્તે ! - સૂત્ર ઉચ્ચારીએ છીએ, એટલું જ નહિ પરંતુ સૂત્રનો ઉચ્ચાર જાતે ન કરતાં ગુરુ મહારાજ કે વડીલ મારફત ઉચ્ચાર કરાવવા - ‘ઇચ્છાકારી ભગવત્ પસાય કરી-સામાયિક દંડક ઉચ્ચરાવોજી !'' એમ કહીને આપણે વિજ્ઞપ્તિ કરીએ છીએ. એટલે કે આપણે જાતે ન ઉચ્ચરતાં ગુરુ મહારાજ પાસે ઉચ્ચરાવીએ છીએ. તેનું કારણ મહાસૂત્રનું બહુમાન સૂચવવા માટે છે. તથા એ સૂત્ર સામાયિક અને પચ્ચક્ખાણ, એ બન્નેયની પ્રતિજ્ઞા રૂપ હોવાથી, જેમ આપણે પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે કે વડીલ પાસે લઈએ છીએ, તેમ આ સામાયિક દંડક પાઠ પણ ઉચ્ચરીએ છીએ. એ ૨. એ સૂત્રનું આટલું બહુમાન કરવાનું મુખ્યમાં મુખ્ય કારણ એ છે કે, એ સૂત્ર જૈન દર્શનનું મૂળ છે. ચૌદ પૂર્વ કહો કે દ્વાદશાંગી કહો, એ સર્વ એ સૂત્રના વિસ્તારથી અર્થ રૂપ છે. છ આવશ્યક કહો કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ રત્ન કહો. દેશ વિરતિ, સર્વ-વિરતિ, સમ્યક્ત્વ અને શ્રુત - એ ચાર સામાયિક કહો, નમુક્કારશીના પચ્ચક્ખાણથી માંડીને શ્રાવકના બાર વ્રત અને મુનિરાજના મહાવ્રત સુધીનાં પ્રત્યાખ્યાનો કહો કે મહાશ્રાવકના ઉત્કૃષ્ટ આચાર કહો તથા બાળ સાધુથી માંડીને તીર્થંકર પરમાત્મા સુધીનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર જીવન કહો. તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચેય આચારો કહો, એ સર્વ તે સૂત્રમાં સમાય છે. એવું એવું એ ભવ્ય, ગંભીર, સર્વનય, નિક્ષેપો અને પ્રણામ સિદ્ધ અર્થોના સંબંધવાળું સૂત્ર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચારિત્રાનુયોગ અને કથાનુયોગ, આ ચારેય અનુયોગો પણ તેની સાથે જોડાયેલા છે. ૩. એ સૂત્ર ઉપર સીધા આજે પણ નિર્યુક્તિ, ભાષ્યો, ચૂર્ણિ અને જુદી જુદી ટીકાઓ મળે છે. તેનો સંગ્રહ કરીએ તો - લાખ - દોઢ લાખ શ્લોક પ્રમાણ અત્યારે પણ ગ્રંથો મળે છે. ૪. એ સૂત્રનાં વ્યાખ્યાનોની શૈલીના જ્ઞાન માટે અનુયોગદ્દાર સૂત્ર નામનું ખાસ આગમ છે. ૫. પૂર્વના આચાર્યોએ આ સૂત્રને દ્વાદશાંગીના ઉપનિષદ્ તરીકે વર્ણવેલ છે. આ સૂત્રનો ઉચ્ચાર અર્થથી નહીં, પરંતુ ખુદ સૂત્રથી દરેક તીર્થંકર પરમાત્માઓ ઘેરથી નીકળી દીક્ષા સમયે કરે છે. સર્વ ગણધર ભગવંતો, સર્વ આચાર્ય ભગવંતો, પૂજ્યશ્રી ઉપાધ્યાય વાચક પ્રવરો, સર્વ મુનિ મહાત્માઓ પણ પોતપોતાની દીક્ષા વખતે, અને દરરોજની ક્રિયાની વિધિઓમાં પણ તેનો વારંવાર ઉચ્ચાર કરે છે, જે વાત સર્વે વર્ગના જૈન બન્ધુઓ સારી રીતે જાણે છે. ૬. એટલું જ નહીં, પરંતુ શ્રાવકની દરેક ક્રિયાઓમાં પણ તે જ સૂત્રનો મુખ્યપણે ઉચ્ચાર હોય છે, સામાયિક ગ્રહણ કરતી વખતે, તથા પોસહ લેતી વખતે પણ કેટલાક ફેરફાર સાથે આ સૂત્ર જ બોલાય છે. તેમજ બાર વ્રતોના ઉચ્ચારોમાં, પ્રતિમાધારી શ્રાવકોને તે તે પ્રતિમાના પ્રત્યાખ્યાનમાં, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬ પણ આ જ સૂત્રનો ફેરફાર સાથે ઉચ્ચાર કરવાનો હોય છે. ૭. એટલે જૈન સાહિત્યમાં સહેજ ઊંડાણથી નિરીક્ષણ કરવાની રચનાત્મક મનોવૃત્તિથી સહેજ ડોકિયું કરતાં આ સૂત્રની વ્યાપકતા ઠામ ઠામ નજરે આવશે. પંચ પ્રતિક્રમણસૂત્રો ૮. એટલું જ નહીં, પરંતુ ત્રણેય કાળના ચતુર્વિધ સંઘના બાળ, મધ્યમ અને બુધ પાત્રો માટેના જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ કોટીના જ્ઞાનાચારાદિ પાંચેય આચારોના જાહેર, સામુદાયિક, હમ્મેશના, પર્વ દિવસના, ખાસ પ્રસંગના અને વ્યકિતગત કોઈ પણ આચાર, ક્રિયા, અનુષ્ઠાન આજે પ્રચલિત છે, એકંદર કોઈ પણ રિવાજ રૂપે જણાતી શ્રી સંઘની પ્રવૃત્તિ, જૈન ઘરમાં પ્રચલિત જૈનધાર્મિક રૂઢિ વગેરેમાં આ સૂત્રની છાપ લાગેલી હોય છે, એટલે કે તે તે પ્રવૃત્તિનો સમાવેશ આ સૂત્રની મર્યાદામાં હોય જ છે. સારાંશ કે- મેરુ તેરશને દિવસે પાંચ મેરુ ઉપાડવા અને જાહેરમાં ફરવું, નાની બાળાઓ નાનાં નાનાં વ્રતો કરે, સંઘ કાઢવા, ઉજમણાં કરવાથી માંડીને સંઘના કાર્ય માટે લડાઈ કરવી પડે, કે ઉત્તમ પ્રકારે વહીવટ કરવો જોઈએ, અને તે પણ દેશી ચોપડાની પદ્ધતિથી કરવો જોઈએ, તેમાં પણ આ સૂત્રની મર્યાદાની અસર પહોંચે છે. ૯. એટલું જ નહીં, પણ આજનું ધે મૂ જૈન સંઘમાં પરંપરાથી પ્રામાણિક અને માન્ય ગણવામાં આવેલું અને તેને વફાદાર રહીને નવું તૈયાર થયેલું – ટિપ્પણો, રાસો, ટબાઓ, કથાઓ, ચરિત્રો, ઉપદેશગ્રંથો, ચર્ચાગ્રંથો, જૈન તર્કગ્રંથો, સામાચારીઓ, પટ્ટાવલીઓ, થોયો, ચૈત્યવંદનો, શાંતિસ્તોત્રો, સજ્ઝાયો, સ્તવનો, હાથનોંધો અને ટીકા, ટિપ્પણીઓથી માંડીને પંચાંગ અગિયાર અંગ, બાર ઉપાંગ, પયપન્ના, છ ભેદ, મૂળ સૂત્રો તથા તત્ત્વાર્થ, સમ્મતિ વગેરે દર્શન શુદ્ધિકર ગ્રંથો, મંત્ર, તંત્ર, વિદ્યા, વિધાન, નિમિત્તના ગ્રંથો વગેરે તમામ જૈન સાહિત્ય સીધું કે આડકતરું કરેમિ ભંતે – સૂત્રના વ્યાખ્યાન રૂપ સમજવાનું છે. ૧૦. જે વ્યકિત આ દૃષ્ટિબિંદુથી જૈન શાસ્ત્રો અને જૈન દર્શનનું અવલોકન સૂક્ષ્મ નિરીક્ષણ બુદ્ધિથી કરશે, તેને સેંકડો બલ્કે લાખો પુરાવા આ બાબતને લગતા મળી શકે તેમ છે. એટલે તે વાતને સાબિત કરવા કાંઈ પણ વિશેષ લખવાની જરૂર રહેતી નથી. પરંતુ એ દરેકની સાંકળ અને તેના અંકોડા એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે ? તેની વિગતવાર સમજ આપવી, એ જે કે જિજ્ઞાસુઓ માટે બહુ જરૂરી છે. પરંતુ એ એટલો બધો બહોળો વિષય છે કે, આ ગ્રંથની પ્રસ્તાવનામાં તે સારી રીતે સમજાવી શકાય તેટલો અવકાશ ન ગણાય. તેને માટે સ્વતંત્ર ગ્રંથો જ લખવા જોઈએ. છતાં આ ગ્રંથના વિશેષાર્થમાં અમોએ ઠામ ઠામ જરૂરી નિર્દેશ સંક્ષેપમાં કર્યો છે. તે પરથી વાચક મહાશયોને કેટલોક ખ્યાલ આવી શકશે. હાલમાં તેટલાથી સંતોષ માનવા અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. ૧૧. છતાં પ્રસ્તુત પ્રશ્નને ઉપયોગી થાય તેવો કંઈક નિર્દેશ કરીને, પંચ પ્રતિક્રમણ એ શું છે ? તેની કંઇક સમજૂતી આપીએ છીએ. કરેમિ ભંતે ! સૂત્રમાં જ નીચે પ્રમાણે છ આવશ્યકો સમાયેલાં છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧. કરેમિ સામાઇઅં = સામાયિક કરું છું. એ ૧. સામાયિક આવશ્યક. ૨. સાવજે જોગં પચ્ચકખામિ = સાવધ યોગોનું પચ્ચકખાણ કરું છું. એ ર. પ્રત્યાખ્યાન આવશ્યક. ૩. પડિકમામિ નિંદામિ ગરિહામિ = તે સાવધ યોગોનું પચ્ચકખાણ કરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું. એ ૩. પ્રતિક્રમણ આવશ્યક. ૪. અધ્ધાણં વોસિરામિ = બહિરાત્મ ભાવનો ત્યાગ કરું છું. એ ૪. કાયોત્સર્ગાવશ્યક. હવે બે આવશ્યક – ચતુર્વિશતિસ્તવશ્યક અને ગુરુવંદનાવશ્યક બાકી રહ્યા, તે પણ આ સૂત્રમાં જ ગોઠવવામાં આવેલા છે. આ સૂત્રમાં દષ્ટિ કરતાં - બે ભજો! શબ્દો આપણી નજરે પડે છે. તેમાંનું - ૫. પહેલું ને! પદ ચતુર્વિશતિ તીર્થકરના સંબોધન પરક છે. અથવા “ભને સામાઈયં એટલે તીર્થકરો સંબંધીનું સામાયિક” એવો અર્થ પણ વિશેષાવશ્યક ભાષ્યમાં જોવામાં આવેલો છે એટલે ચતુર્વિશતિ આવશ્યક. વળી સંબોધન પદ પણ ભક્તિસૂચક રીતે મુકાયેલું છે, એટલે સ્તવનો નિર્દેશ જણાય છે. એ ૫. ચતુર્વિશતિ સ્તવાવશ્યક. ૬. બીજું ભજો ! ગુરુવંદનાવશ્યક પરક છે. કેમ કે, તે ગુરનું સંબોધન છે. દોષોનું પ્રતિક્રમણ ગુરુ સમક્ષ કરાય છે. તેમજ તેનો એક મહત્ત્વનો પુરાવો એ પણ છે કે વાંદરામાં તસ્સ-ખમાસમણો-પડિકામામિ નિંદામિ-ગરિહામિ એ વગેરે ભાગ આ કરમિ ભંતે ! નો છે. તેમાં તસ્ય ભંતે ! ને બદલે તસ્સ ખમાસમણ ! સ્પષ્ટ શબ્દ મૂકવામાં આવેલો છે. એટલે બીજું ભંતે ! પદ ગુરુવંદન માટેનું માનવામાં હરકત આવે તેમ નથી. એ ૬. વંદનાવશ્યક ૧૨. છયેય આવશ્યકનાં જુદાં જુદાં મુખ્ય સૂત્રો પણ તે સૂત્રના જ અંગભૂત છે. અને તેના જ અર્થ વિસ્તાર રૂપ જ જોવામાં આવે છે. “ તત્વાષા” અર્થ :- બાકીનાં આવશ્યક સૂત્રો પણ તેનાં સામાયિકનાં અંગો છે. હારિભદ્દી આવશ્યકવૃત્તિ ૧. લોગસ્સ- ચતુર્વિશતિ સ્તવાવશ્યક સૂત્ર. ૨. ઇચ્છામિખમાસમણો તથા દ્વાદશાવર્ત વાંદણાં – ગુરુવંદન સૂત્રો.-વંદનાવશ્યકઃ ૩. મુનિઓ માટે પગામ સઝાય અને શ્રાવકો માટે વંદિત્ત-સૂત્ર વગેરે પ્રતિક્રમણાવશ્યકનાં સૂત્ર છે. ગુરુભકિતમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણનું સૂત્ર અભુઠિઓ. વ્રતમાં લાગેલા અતિચારોને પ્રતિક્રમણનું સૂત્ર-ઈચ્છામિ ઠામિ. ઈરિયાપથિકાના પ્રતિક્રમણનું સૂત્ર ઇરિયાવહિયં વગેરે તેના અંગભૂત જ છે. ૪. અરિહંત ચેઇઆણં, પુખરવરદી, સિદ્ધાણં, તસ્સ ઉત્તરી, અન્નત્ય વગેરે કાયોત્સર્ગ સૂત્રો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૫. નમુક્કાર સહિયં વગેરે પ્રત્યાખ્યાનનાં સૂત્રો, વિસ્તારથી પ્રત્યાખ્યાન સૂત્રો છે. ૬. પક્ષી સૂત્ર, પોસહ સૂત્ર વગેરે તથા કરેમિ ભંતે ! સૂત્ર છે. ખુદ સામાયિક સૂત્ર સ્વરૂપે છે. ૧૩. આ ઉપરાંત તે ધ્યેય આવશ્યકના વિધિઓનાં જુદાં જુદાં બીજાં પણ તેની સાથે સંબંધ રાખતાં સૂત્રો છે. તે આ ગ્રંથનું વિવેચન વાંચવાથી લગભગ સમજાશે. ૧૪. આમ વિસ્તાર કરતાં કરતાં દ્વાદશાંગીનાં તમામ સૂત્રો આ મુખ્ય સૂત્ર સાથે સંબંધ રાખે છે. ૧. દાખલા તરીકે - લોગસ્સમાં ચોવીસ તીર્થંકરોનાં જીવનચરિત્રો આવી જાય. ૨. ગુરુવંદનમાં - આખી ગુરુ સંસ્થા - ગુરુકુલવાસની વ્યવસ્થા આવી જાય. ૩. સામાયિકમાં - પાંચ આચાર અને તમામ આત્મવિકાસના - ચોથા ગુણઠાણાથી માંડીને ઠેઠ ચૌદમા ગુણ સ્થાનક સુધીની વિચારણા આવી જાય. ૪-૫. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનમાં અવિધિ અને તમામ સાંસારિક ઘટનાઓ અથવા બંધ અને આશ્રવતત્ત્વો આવી જાય. ૬. કાયોત્સર્ગમાં - વીર્યાચાર તથા આત્મવિકાસની ધ્યાન, ધ્યેય, આસન, મુદ્રા, શરીરાદિ ઉપર નિર્મમત્વ-ધર્મમાં મકકમતા ભોગ આપવાની તત્પરતા વગેરે સર્વ આંતર તૈયારીના વિચારોનો સમાવેશ થઈ જાય છે. તે તે દરેક વિષયની વિચારણા આગમસૂત્રોમાં વિસ્તારથી કરતાં કરેમિ ભંતે ! સૂત્રના જ વિસ્તારરૂપ બારેય અંગો થઈ જાય, એ સ્વાભાવિક છે. ૧૫. કયા સૂત્રમાં, કયા શ્રુતસ્કંધમાં, કયા અધ્યયનમાં, કયા ઉદ્દેશામાં કયો વિષય છે ? અને તે કેમિ ભંતે સૂત્ર સાથે પરંપરાએ કે સીધો કયો સંબંધ ધરાવે છે ? તે પણ બરાબર વિગતવાર વિચાર કરીએ, તો આપણને મળી શકે તેમ છે. અર્થાત્ દરેક અંગના દરેકે દરેક ઉદ્દેશાના નાનામાં નાનાં સૂત્રોના પણ સંબંધ આ સૂત્ર સાથે મળી શકે તેમ છે. પરંતુ તે ઘણો બહોળો વિષય થઈ જાય છે. આગમોના કયા ઉદ્દેશાદિ એક એક વિભાગનો કોની સાથે કઈ જાતનો સંબંધ છે ? તે સૂચક મથાળા કરવા મુશ્કેલ હોવાથી, તેમ ન કરતાં સૂત્રના પ્રથમ શબ્દ ઉપરથી ઘણા ઉદ્દેશા અને અધ્યયનોનાં નામ આગમોમાં જોવામાં આવે. [જો કે ઘણે ઠેકાણે અંદરનાં વિષયસૂચક પણ નામો હોય છે તેમજ ઘણે ઠેકાણે આગળ આવનારા વિષયો સાથેનો સંબંધ સમજાય, તેવાં પણ નામો હોય છે.] એમ નામકરણ ઘણું જ વિવિધ હોવાથી, કયા ઉદ્દેશામાં કયો ખાસ વિષય છે અને તે કોની સાથે સંબંધ ધરાવીને કયા આવશ્યકનું અંગ બનીને કરેમિ ભંતે ! સાથે કેવો સંબંધ ધરાવે છે તે આપણે એકાએક સમજી શકતા નથી. છતાં સૂક્ષ્મ અભ્યાસથી સમજી શકાય તેમ છે ખરું. ૧૬. કારણ એ પણ હોય છે કે, એક મુખ્ય વિષય સમજાવવા માટે તેને લગતા બીજા પેટા વિષયો પ્રથમ સમજાવવા પ્રકરણો આપ્યાં હોય છે. એટલે એ વિષય અભ્યાસી વાંચી જાય, કે તેનો અભ્યાસ કરી જાય, એટલે તેમના પછીનો વિષય બરાબર સારી રીતે તેનાથી સમજી શકાય Page #14 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા તેમ હોય છે. અને તે વિષય પણ સમજાયા પછી, તેની આગળનો મુખ્ય વિષય પણ બરાબર સમજાવા માંડે છે. એવી શૈલીથી પેટા વિષયોનાં આગળ પ્રકરણો આપ્યાં હોય, અને તેનાં નામ માત્ર પ્રાથમિક શબ્દોથી કરવામાં આવ્યા હોય છે. કેમ કે, દરેકમાં હેતુસૂચક નામ કરવા જતાં બહુ ગૂંચવાડો ઊભો થવાનો સંભવ છે. કારણ કે, એક જ પ્રકરણ ઘણી વખત બીજા અનેક મુખ્ય વિષયના પ્રાથમિક વિભાગ તરીકે બની શકે તેમ હોય છે. વળી તે જ પ્રસ્તુત પ્રકરણનો વિષય કોઈના કારણ તરીકે હોય છે, તે જ રીતે અને બીજા પ્રકરણના કાર્ય તરીકે પણ હોય. એટલે કે, એક મુખ્ય પ્રકરણ હોય, અને બીજાં પ્રકરણો તેના પેટા વિષયના મુખ્ય વિષય તરીકે એ જ ઉદ્દશા કે અધ્યયનો હોય, ત્યારે કોની સાથેના સંબંધ રૂપે તેનું એક નામ કારણ થઈ શકે ? માટે જ સૂત્રના આદિ શબ્દો લઈને પણ ઉદેશા તથા અધ્યયનોનાં નામો રાખવામાં આવેલાં હોય છે. ૧૭. આ શૈલી આપણને ચરક નામના વૈદ્યક ગ્રંથમાં સરળતાથી સમજાય તેમ છે. ૧૨00 શ્લોક પ્રમાણ આઠ સ્થાનમાં-અંગમાં તે ગ્રંથનો સમગ્ર વિષય વિભકત છે. તેમાં વૈદ્યક વિદ્યા સાથે સંબંધ ધરાવતા તમામે તમામ નાના મોટા વિષયોનાં પ્રકરણો એવી ખૂબીથી ગોઠવવામાં આવ્યાં છે કે, એક પ્રકરણ દરેક અંગોનાં – સ્થાનોનાં દરેક પ્રકરણો અને વિષયો સાથે સંબંધ ધરાવતા હોય છે. અને મુખ્ય પ્રકરણના વિવેચન તરીકે-પ્રથમના કેટલાંક પેટા પ્રકરણો હોય છે. માટે તેમાં પણ નામકરણ અધ્યાયના પ્રથમ શબ્દ ઉપરથી ઘણાં પ્રકરણોના કરવામાં આવેલા જોવામાં આવે છે. તેનું કારણ ઉપર પ્રમાણે જણાય છે. ૧૮. કેટલાક ગ્રંથોની એવી શૈલી મુખ્ય હોય છે કે, પ્રથમ ગ્રંથનો મુખ્ય વિષય આપીને તેનાં પેટા પ્રકરણો ક્રમસર સમજાવતા હોય છે, ત્યારે કેટલાક ગ્રંથોની એવી શૈલી હોય છે કે, પ્રથમ પેટા વિષયો સમજાવતાં સમજાવતાં છેવટે મુખ્ય વિષયો સમજાવે છે. અને એમ આખા સળંગ ગ્રંથનો વિષય સમજાવે છે. એક બીજા પ્રકરણમાં આવતા જુદા જુદા વિષયો પોતાના મુખ્ય પ્રકરણ કરતાં પણ બીજાં અનેક મુખ્ય પ્રકરણો સાથે સંબંધ ધરાવતા હોય છે. તેની આગળ પાછળ સૂચના કરીને, તે તે પેટા પ્રકરણોના હવાલો આપીને, તે તે સ્થળે તેની જરૂરિયાત અને સંબંધ સૂચવે છે. આ શૈલી આપણા સૂત્રગ્રંથોમાં હોય છે. તેની અચૂક અને બંધબેસતી વિશાળ ધોરણે સંગતિઓ ગોઠવાયેલી હોય છે, પરંતુ બાળ જીવોને તે બરાબર ન સમજાય, માટે પણ ટીકાકારોએ બંધબેસતી સામાન્ય સંગતિઓ જોડી બતાવી હોય છે. ૧૯. આમ અનેક રીતે ઉપયોગી હકીકતોને પ્રકરણબદ્ધ કરે છે, અને કેટલીક હકીકતો તો, આખા ગ્રંથના પૂર્વાપરના અધ્યયન, મનન અને પરસ્પરના અનુસંધાનના ઊંડા ચિંતનથી ગ્રંથમાં સાક્ષાત્ શબ્દોથી કહ્યા વિના પણ સમજાય છે. આવી વિલક્ષણ પ્રાચીન ગ્રંથકારોની શૈલી હોય છે. પ્રકરણ ઉપર પ્રકરણનું વિષયસૂચક નામ નથી હોતું. અધિકાર સૂત્ર પણ ન હોય છતાં, પ્રકરણો અને અધિકારો તે તે શબ્દોથી અથવા વિષયના સળંગ નિરૂપણના સ્વીકાર અને પરિવારથી પણ સૂચિત થતા હોય છે. આમ સૂત્ર શૈલી ઘણી જ વિલક્ષણ હોય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં, તેમજ આવશ્યક Page #15 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો સૂત્રમાં એવું જોવામાં આવે છે. ૨૦. આ જ પ્રમાણે આગમો કે જેમાં એક જ વિષય છતાં તેની સાથે અનેક વિષયો સંબંધ ધરાવે છે. પણ જગતુના તમામ છૂટાં છૂટાં વિજ્ઞાન અને વિશ્વનું સળંગ તત્ત્વજ્ઞાન જેમાં ગૂંથવામાં આવ્યું છે, તે દષ્ટિથી આવા સામાયિક રૂપ મૂળ વિષયનાં જેટલાં સૂત્રો થઈ શકે, તેની બાર અંગોમાં - મુખ્ય ગ્રંથોમાં વહેંચણી કરી છે. બાર અંગ શબ્દ જ કહે છે કે, એક જ વસ્તુના = અંગીનાં બાર અંગ હોઈ શકે. એ ઉપરથી આપણે સમજી શકીએ તેમ છીએ કે, દ્વાદશાંગી એ મુખ્યપણે-સામાયિક સૂત્રનું વ્યાખ્યાન કરવાના એક જ ગ્રંથના બાર ભાગ છે. તેમાં આખા જગતનાં અનેક વિજ્ઞાન અને સમગ્ર તત્ત્વજ્ઞાન હોવાથી એટલા બધા બીજા પણ મુખ્ય અને પેટા પ્રકરણો છે, કે જેની સંખ્યા ગણવી મુશ્કેલ થઈ પડે તેમ છે. એટલો બહોળો વિષય તેમાં સમાયેલ છે, માટે જ તે જગતમાં અજોડ સાહિત્ય છે. આજે સાયન્સ-વિજ્ઞાનના જુદા જુદા મોટા ગ્રંથો લખાય છે, ને તેમાં દર વર્ષે સુધારો વધારો ઉમેરો થયા કરે છે અને હજુ થયા જ કરશે, ત્યારે જૈન આગમોમાં એવા સંપૂર્ણ વિજ્ઞાનથી ભરેલા વિષયોને સૂત્રબંધ કરવામાં આવેલા છે. અને તે દ્વાદશાંગમાં યથાસ્થાને મુકાયેલા છે. માટે સાંગોપાંગ સિદ્ધ અને સંપૂર્ણ સાહિત્ય છે. માટે તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. ૨૧. બીજી રીતે વિચાર કરતાં સામાયિક એ આત્મા છે. કર્મ પુગલો તેનું આવરણ કરીને તેમાં વિભાવ ઉત્પન્ન કરે છે. આથી દ્રવ્યાનુયોગનો વિચાર કરવો પડે છે. તેમજ સામાયિકથી આત્મવિકાસ થતાં થતાં કેવળજ્ઞાન થાય છે, તેથી તે કેવળી ભગવંત જગતને કે કેવે સ્વરૂપે જુએ ? વગેરે વિચારણામાંયે દ્રવ્યાનુયોગ આવી જાય. જગતના દરેકે દરેક પદાર્થ ગણતરીના ચોકકસ હિસાબે સમજાવતાં ગણિતાનુયોગ વિના ચાલે જ નહિ, સામાયિક અને તેને લગતી આત્મપ્રગતિનાં સાધક કાર્યો કોણે કર્યા ? ને શા શા ફાયદા મેળવ્યા? અને કોણે કોણે કેટલે અંશે તેથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી તેને તેટલે અંશે શા શા ગેરફાયદા થયા ? તે સઘળું કથાનુયોગમાં આપવું જ પડે. અને સામાયિક પોતે ખુદ ચારિત્રરૂપ તો છે જ. એટલે ચારિત્રાનુયોગનો સંબંધ કરેમિ ભંતે ! સાથે છે. આમ અનેક જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના બાલ, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા બીજા અનેક સંજોગોને લીધે અનેક પ્રકારના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા શાંત કરવા અનેક વિચારોનો સંગ્રહ કરવો જ પડે. એટલે એ ચારેય અનુયોગનાં સૂત્રોનો વિચાર આ મુખ્ય સૂત્ર સાથે સંબંધ ધરાવે જ છે. ૨૨. આ વાત ઉપરથી વાચક મહાશયો વિશાલ = ગણું મોટું ચિત્ર = વિચિત્ર અને બહુવર્થ = ઘણા અર્થવાળું દ્વાદશાંગ = આ દ્વાદશાંગોપષદ્ રૂપ કરેમિ ભંતે ! સૂત્રનો અર્થ જ છે, એમ ચોકકસ સમજી શકાશે. કરેમિ ભજો ! સૂત્રમાં કેવળ છ આવશ્યકોની જ સૂચના જ નથી. પરંતુ પ્રત્યેક આવશ્યક પણ છ છ આવશ્યકમય હોય છે. તે અને તેના જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ ભેદો પણ સૂચિત છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા એટલું જ નહીં પરંતુ તે દરેકના બાલ, મધ્યમ અને બુધને આશ્રયીને, સમ્યકત્વ - શ્રુત - દેશવિરતિ, અને સર્વ વિરતિને આશ્રયીને, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાને આશ્રયીને, જિનકાળ, પછીનો કાળ, તીર્થકાળ, અતીર્થકાળ, ચાર ગતિ, ગુણસ્થાનકો વગેરેને આશ્રયીને એટલા બધા ભેદ પડી જાય છે કે તેની કલ્પના પણ આપણને કરવી મુશ્કેલ પડી જાય છે. દાખલા તરીકે - બેઘડીનું સામાયિક શ્રાવકો લે છે. તેમાં પણ છે આવશ્યકો જોવામાં આવે છે. (૧) ખમાસમાણ - ગુરુવંદન-૧, (૨) ઈરિયાવહિયં - પ્રતિક્રમણ-૨, (૩) તસ્ય-અન્નત્થ અને કાઉસ્સગ્ન કાયોત્સર્ગ-૩ (૪) લોગસ્સ - ચતુર્વિશતિ સ્તવ. (૫) (૬) સામાયિક અને પ્રત્યાખ્યાન ખુદ કરેમિ ભંતે ! સૂત્ર. એ જ પ્રમાણે કોઈ પણ પ્રતિક્રમણ છયેય આવશ્યક મય છે. એ જ પ્રમાણે કોઈ પણ ગુરુવંદન છયેય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ ચતુર્વિશતિ સ્તવ છયેય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ કાયોત્સર્ગ પણ છયે ય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ પ્રત્યાખ્યાન પણ છયેય આવશ્યક મય હોય છે. આ પ્રમાણે છે આવશ્યકમય સંખ્યાબંધ વિધિઓ શાસ્ત્રમાં અને પ્રચારમાં પણ જોવામાં આવે છે. દરેક આવશ્યકોનાં પ્રયોજનો અને તે કયાં ક્યાં કરવાં જોઈએ? તેના સંગ્રહની નિયુક્તિની ગાથાઓ ખાસ આના પુરાવા છે. દા. ત. જિનેશ્વર ભગવંતોએ ફરમાવેલાં કૃત્ય ન કર્યા હોય તો તેનું પ્રતિક્રમણ કરવું, એટલે તેનાથી પાછું ફરવું, એટલે આજ્ઞાભૂત કૃત્યો કરવા માંડવાં, તે પણ પ્રતિક્રમણ ગણાય. ૨૩. આ પ્રમાણે દરેક જૈન વિધિઓમાં-જે સૂત્રોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે તે મુખ્ય સૂત્રોના સમૂહાત્મક સૂત્ર ગ્રંથને આવશ્યક સૂત્ર કહેવામાં આવે છે. મૂળ આવશ્યક પર જ બારેય અંગનો મદાર છતાં સર્વને આત્મહિતમાં ઉપયોગી હોવાથી આવશ્યકનું મૂળ સૂત્ર અંગપ્રવિષ્ટ છતાં છયેય અધ્યયનમય, આવશ્યક સૂત્ર અંગ બાહ્ય શ્રુતમાં ગણવામાં આવેલું છે. અર્થાત આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલા કરેમિ ભંતે ! સૂત્ર સાથે સંબંધ ધરાવતા મૂળ સૂત્રો જ મુખ્યપણે કોઈ પણ જૈન અનુષ્ઠાન વિધિમાં હોય છે. જે કે કોઈ વિધિમાં કોઈ સૂત્રની મુખ્યતા હોય છે. અને કોઈ વિધિમાં કોઈ બીજા સૂત્રની મુખ્યતા હોય છે. અમુક એકની મુખ્યતા વખતે બાકીનાં સૂત્રો ગૌણ હોય છે. દાખલા તરીકે - ચૈત્યવંદન કરતી વખતે અન્નત્થ અને કાઉસ્સગ્ન જઘન્ય ચતુર્વિશતિ સ્તવાવશ્યકનાં અંગો હોય છે. અને દેવવંદનમાંના મુખ્ય લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં વગેરે આયરિય ઉવજઝાય પછીના કાયોત્સર્ગાવશ્યકના મુખ્ય અંગ બને છે. એ જ લોગસ્સ રૂપ ચતુર્વિશતિ સ્તવ સામાયિકમાં સામાયિકનું અંગ બને છે. અને એ જ કરેમિ ભજો ! સામાયિક સૂત્ર છતાં વંદિતુ સૂત્રની પહેલાં પ્રતિકમાણાવશ્યકનું અંગ બને છે. ઈરિયાવહિયા પડિકકમવા રૂપ પ્રતિક્રમણનું અંગ લોગસ્સ બને છે. પરંતુ એ જ ઈરિયાવહિયા મુનિઓને અને પોસાતીને દેરાસરમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો જઈને ચૈત્યવંદન કરતાં પહેલાં ચતુર્વિશતિ સ્તવ આવશ્યકનું અંગ બને છે. આવા સેંકડો બબ્બે હજારો દાખલો મળવાનો સંભવ છે. કરેમિ ભંતે ! માનું તસ્ય પદેય આવી અનેક રીતે વપરાયેલ હોવાના પુરાવા મળે છે. ચતુર્વિશતિ સ્તવની મુખ્યતાના વિધિમાં–તેમાં રહેવા પામેલી સાધકની ખામીના પ્રતિક્રમણના સંબંધમાં એ જ તસ્ય પદ આવે છે. એ જ તસ્સ પદ સાવદ્ય યોગના સંબંધમાં આવે છે. એ જ તસ્ય પદ પ્રતિક્રમણમાં આવે છે. એ જ તસ્સ પદ સામાયિકને સ્થાને પણ આવે છે. એ જ તસ્સ પદ કાયોત્સર્ગને સ્થાને પણ આવે છે. તસ્સ પદ સામાન્ય અને મુખ્ય કે વિશેષ અને પેટા આવશ્યકને ઠેકાણે પણ આવે છે. દાખલા તરીકે- ઇરિયાવહિયાને અંતે તસ્સ પદ ઈરિયા પથિકારૂપ સાવદ્ય યોગનું પ્રતિપાદન કરે છે અને એ જ તસ્સ પદ પ્રતિક્રમણ રૂપ બનીને તેના પછીના ઉત્તરપ્રાયશ્ચિત્ત રૂપ કાયોત્સર્ગને માટે તસ્સ ઉત્તરીય સૂત્ર શરૂ થાય છે. ઈચ્છામિ ઠામિમાં એ જ તસ્સ પદ વ્રતો, આચારો, સામાયિક અને શ્રુત વગેરે શ્રાવક ધર્મ અને સાધુ ધર્મના અતિચારના પ્રતિક્રમણનું સૂચક બને છે. અભુઠિઓમાં ગુરુભકિતની ખામી રૂપ સાવદ્ય યોગનું સૂચક બને છે. અને વંદિતુમાં-તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નતસ્સ-માં સામાયિક-ધર્મ સ્વરૂપ બને છે. એ જ તસ્સ પચ્ચખાણ પારતાં પચ્ચકખાણના સ્પર્શના વગેરેમાં ખામી વગેરે તથા વિરાધનાનું સૂચક બને છે. અને સાત લાખ અઢાર પાપસ્થાનક ગમણાગમાણે અને પક્ષિકાદિ અતિચાર પાઠમાં આલોચનાનું અંગ બને છે. આમ થવાનું કારણ એ પણ હોય છે કે કોઈ પણ ક્રિયા તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરવાની નથી. તેમજ તેઓને પોતાની સામે આદર્શ તરીકે રાખ્યા વિના કરવાની નથી હોતી. તથા દરેક ક્રિયા ગુરુ મહારાજની સાંનિધ્યમાં કરવાની હોય છે. એટલે તે બે તો દરેક ક્રિયામાં અવશ્ય હોય જ. કોઈ પણ ક્રિયા – આત્મબળ પોષક સામાયિકમય હોવી જોઈએ. અને તેમાં સંપૂર્ણ બળ વાપરીને જાગ્રત ભાવે મન વચન કાયા વાપરીને એટલે કાયોત્સર્ગપૂર્વક કરવાની હોય છે. તન્મયતા વિના તે સફળ થતી નથી. માટે તન્મયતાની પૂરી જરૂર હોય છે, જેથી સામાયિક અને કાયોત્સર્ગ પણ દરેકમાં આવી જ જાય. અને તેમાં ભૂલો થવાનો સંભવ હોય છે. તેમાં આવતાં વિઘ્નો દૂર કરવાનાં હોય છે જ. એટલે પ્રત્યાખ્યાન પણ કરવું જોઈએ. અને તેમાં થતી ભૂલોથી ચેતતા રહેવું જોઈએ. ફરી ભૂલો ન થવા સાવચેત થવું જોઈએ. ભૂલને ભૂલ રૂપે સમજવી વગેરે પ્રતિક્રમણ કરવું જ પડે. “રોજ ત્રણ કાળ ચૈત્યવંદન કરીશ” એવું પ્રત્યાખ્યાન તે ચતુર્વિશતિ સ્તવનું પ્રત્યાખ્યાન ગણાય. પ્રત્યાખ્યાન પણ સાવદ્યયોગના ત્યાગ રૂપ અને નિરવદ્યયોગના સેવન રૂપ એમ બે પ્રકારે હોય છે. ગુરુવંદન, ચતુર્વિશતિ સ્તવ-સામાયિક પાલન વગેરે નિરવદના સેવનમાં ખામીઓ હોય, તેનું પણ પ્રતિક્રમણ થાય છે. અને તેમાં સતત જાગૃતિ રૂપ કાયોત્સર્ગ પણ થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા એવી જ રીતે નિરવઘના પાલનના પ્રત્યાખ્યાનમાં આવતી ભૂલોનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેમજ સાવધના ત્યાગના પ્રત્યાખ્યાનમાં આવતી ભૂલોનું પણ પ્રતિક્રમણ કરવું પડે. જે વખતે જેનું પ્રતિક્રમણ કરવું હોય, તેમાં એકાગ્રતા રાખવાનેય કાયોત્સર્ગ હોવો જોઈએ અથવા બરાબર પ્રતિક્રમણ કરવું પડે જ. એ જ પ્રમાણે ગુરુવંદનમાં પણ થયેલ ખામીનું પ્રતિક્રમણ કરવાના નિયમરૂપ પ્રત્યાખ્યાન, આશાતના - ત્યાગમાં સતત જાગૃતિરૂપ કાયોત્સર્ગ-ચોવીશ તીર્થકરને માનનાર ગુરુની જ ભક્તિ કરવામાં ચતુર્વિશતિ સ્તવ અને ભક્તિમાં લીનતા રૂપ સામાયિક હોવું જ જોઈએ. ચતુર્વિશતિ સ્તવનમાં ૧ નવકારનો કાઉસ્સગ્ગ, ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૪ કે આઠ થયનો કાઉસ્સગ્ન હોય છે. જાવંત કેવિ રૂપ ગુરુવંદન પણ હોય છે. પચ્ચખાણ લેતાં કે પારતાં ગુરુવંદન, ઈરિયાવહિ, ચૈત્યવંદન અને સઝાય ધ્યાન રૂપ સામાયિક કરવાનાં હોય છે. તેમાં વિરાધનાનું - મિચ્છામિ દુકકડું દેવાનું હોય છે. અને સ્પર્શના, પાલના, તીરના, કીર્તનામાં જાગ્રત રહેવા રૂપ સામાયિક પણ હોય છે. સારાંશ કે, કોઈ પણ આવશ્યકમાં બીજાં પાંચ આવશ્યકો પેટામાં સમાયેલાં જ હોય છે. કરેમિ ભજો!ના વિસ્તારથી વ્યાખ્યાન રૂપ આવશ્યક સૂત્રનાં અનેક સૂત્રો છે, અને તેના વિસ્તાર રૂપ દ્વાદશાંગી છે, તે હવે સરળતાથી સમજાશે. ૨૪. સંઘ કાઢવા, ઉજમણાં કરવા, વરઘોડા, જાહેર ઉત્સવો, ગુરુના તથા સંઘવીના સામૈયા વગેરે પણ જાહેર છ આવશ્યકમય અમુક અમુક પ્રધાન આવશ્યક હોય છે. એટલે જે મૂછ જૈન સંઘમાં પૂર્વાપરથી ચાલી આવતી કોઈ પણ પ્રામાણિક ક્રિયા છે આવશ્યકની મર્યાદામાંની જ હોય છે. માટે ગુરુગમથી જાણ્યા વિના કોઈ પણ પ્રવૃત્તિ ઉપર ટીકા કરવામાં વિરાધક ભાવ થવાનો ખાસ સંભવ છે. વિરાધક ભાવ એટલે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવું. તે પણ “આ પ્રવૃત્તિઓ જતિએ ચલાવી છે, અમુક વૈષ્ણવોના અનુકરણરૂપ છે, બૌદ્ધોના અનુકરણરૂપ છે. વૈદિક લોકોના અનુકરણ રૂપ છે. સ્વાર્થી આચાર્યોએ ચલાવી છે” એવું એવું બોલતાં પહેલાં સંપૂર્ણ વિચાર કરવો જોઈએ. નહીં તો પગલે પગલે ખલના અને મહાન આશાતના થવાનો સંભવ છે. માટે ડાહ્યા, સમજુ અને જૈન ધર્મની મહત્તા સમજનારા વિવેકીઓએ એવો વિચાર પણ લાવતાં પહેલાં બહુ સાવચેત રહેવું. ૨૫. આટલી હકીકત ઉપરથી આપણે એ તો સ્પષ્ટ સમજી શક્યા કે, “આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલાં મુખ્ય સૂત્રો જ અનેક વિધિઓમાં ગોઠવાયાં છે. અને તેટલાં સૂત્રોથી જ સેંકડો બલ્ક હજારો વિધિ, વિધાનો અને અનુષ્ઠાનો ગોઠવાયાં છે. આ પરથી જુદા જુદા પાત્ર જીવોનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ જૈન ધર્મની કેટલી વ્યાપકતા છે અને વ્યાપક થવાની તેની કેટલી તાકાત છે તે બરાબર સમજાશે. પરંતુ દરેક વિધિઓમાં માત્ર – ૧. ચૈત્યવંદનો, ૨. સ્તવનો, ૩. સઝાયો, ૪. આલોચના Page #19 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પાઠો, ૫. શાંતિ સ્તોત્રો. ૬. સ્તુતિઓ. આ છ ઐચ્છિક હોય છે. આ છ સિવાયનો કોઈ પણ વિધિનો લગભગ તમામ ભાગ આવશ્યક સૂત્રમાંનાં મુખ્ય સૂત્રોથી જ ગૂંથાયેલો હોય છે. ૨૬. એટલે વિધિઓમાં “અશાસ્ત્રીય તત્વો ઘૂસી ગયાં છે.” એમ બોલવાનો કોઈને માટે અવકાશ પણ નથી. ઉપરના છ માટે વ્યકિતને છૂટ છે. જે એટલી છૂટ ન હોય, તો કોઈ પણ વિધિ તે તે વ્યકિતગત ન બની શકતાં, માત્ર યાંત્રિક બની જાય. વ્યક્તિનું સ્વારસ્ય તેમાં ન ઉમેરાત, તેથી તે માત્ર જડ રટણ બની જાત. ચૈત્યવંદન કરવાની દશ જણાની ઈચ્છા થઈ, પરંતુ મારી ઇચ્છા મહાવીર સ્વામી પ્રભુનું ચૈત્યવંદન કરવાની હોય અને મને તેમના નિર્વાણ પ્રસંગના વર્ણનનું સ્તવન સુંદર આવડતું હોય, અને તેથી મારા ભાવમાં વૃદ્ધિ થતી હોય, તો હું તે પ્રમાણે કરી શકું. એટલે એ સ્તવન સાથે મેં કરેલું ચૈત્યવંદન વિધિ મારો જ ગણાય. અને બીજાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચૈત્યવંદન, સ્તવન, થોય કહી હોય, તો તે તેનો ગણાય. આ રીતે સર્વ સામાન્ય વિધિને-વ્યકિતગત બનાવવાની પણ સગવડ થઈ શકે છે, અને દરેક વ્યક્તિ ઉલ્લાસપૂર્વક પોતાના સંજોગો અનુસાર પોતપોતાની ક્રિયા કરી શકે છે. આથી જ જિનમંદિરમાં ઘોંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલ્લાસને રોકવા નહિ જોઈએ. દરેકને છૂટથી બોલવા દેવાની છૂટ છે. શાંતિ રાખવાની સૂચના આપનારાં પાટિયાં વિપરીત જણાય છે. સામાયિક પ્રતિક્રમણાદિક સાથે ભણાવાય, તે ઈષ્ટ છે. ૨૭. પરંતુ દરેક બાળજીવો એ પ્રમાણે ચૈત્યવંદનાદિક એ છયેય રીતસર જૈન શૈલી અનુસાર બનાવી શકે અને ઉપયોગ કરી શકે, તેમ સંભવિત ન હોવાથી, તે તે વિશિષ્ટ વ્યકિતઓએ બનાવેલાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ રહે છે. માત્ર રચનાર તે વિશિષ્ટ વ્યક્તિ પ્રામાણિક હોવી જોઈએ. તેમાંના કોઈ પણની બનાવટનો મન ફાવતી રીતે કોઈ પણ ઉપયોગ કરી શકે છે. માટે સ્તવનો, ચૈત્યવંદનો વગેરે અનેક અને અનેક વિરચિત પ્રસિદ્ધ છે. એટલા જ માટે કોઈ કોઈ વિધિઓમાં, અન્ય ગચ્છાચાર્યકૃત હોય, તો પણ તે બોલવામાં વાંધો લેવામાં આવતો નથી. ત્યારે અમુક વિધિઓમાં સ્વગચ્છાચાર્યકૃત હોવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે બન્નેય સહેતુક હોય છે. ૨૮. આ પ્રમાણે સેંકડો બબ્બે હજારો અનુષ્ઠાનોના વિધિઓ હોય છે, તે દરેકની, દિવસના, રાતના, પાક્ષિકના, ચોમાસાના અને વર્ષના[તથા જિંદગીના એમ કોઈ પણ પ્રકારના મુખ્ય છ આવશ્યકોમાં સમાવેશ થાય છે. સામાયિકવંત એટલે કે, સમ્યત્વવંત, શ્રુત સામાયિકવંત, દેશ વિરતિ શ્રાવકશ્રાવિકા અને સર્વવિરતિ સાધુ-સાધ્વીઓને દિવસમાં અને રાત્રિમાં પક્ષમાં, ચોમાસામાં અને વર્ષમાં [તથા જિંદગીમાં] ઓછામાં ઓછા છ આવશ્યકો કરવાનાં હોય છે. દાખલા તરીકે – શ્રાવકની વાત લઈએ, તેમણે ૧. તીર્થંકર પરમાત્માના અનુકરણરૂપ દરરોજ એક, કે તેથી વધારે અનુકૂળતા પ્રમાણે સામાયિક કરવાં જોઈએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૨. પ્રભુને સાત ચૈત્યવંદન કરવાં જોઈએ, છતાં ન બને તો એક પણ ચૈત્યવંદન, પૂજા કે ચૈત્યપરિપાટી રૂપ ચતુર્વિશતિ સ્તવ દિવસમાં ઓછામાં ઓછું કે વધુમાં વધુ કરવું જોઈએ. ૩. દુવિહાર, તિવિહાર, ચોવિહાર, ગંઠસી, વેઢમી, એકાસણું, ઉપવાસ કે એવું કાંઈ પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ૪. સવાર, સાંજ, બપોરે એમ ત્રણ વખત ગુરુવંદન કરવું જોઈએ. ગુરુની સેવા વૈયાવચ્ચ પણ ગુરુવંદન છે. ૫. આખા દિવસમાં કરવાના છ આવશ્યકમાં આવેલી ખામીઓના પ્રતિક્રમણ રૂપ પ્રતિક્રમણ સાંજે દેવસિઅ પ્રતિકમણ હાઉ? થી અઢાઇજજેસુ સુધી કરવું જોઈએ. ૬. અને દિવસના પ્રાયશ્ચિત્ત-દોષો નિવારવા તથા સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ માટે દિવસમાં અવકાશે કાયોત્સર્ગ કરવો જોઈએ. અતિચારમાં આવે છે કે, “કર્મક્ષય નિમિત્તે દશ વશ લોગસ્સનો કાઉસગ્ન ન કર્યો” તે ઉપરથી રોજ કાઉસ્સગ્ન કરવાનું વિધાન જણાય છે. વળી ઉપધાન, નવપદ આરાધના, અક્ષયનિધિ તપ, ચૌદ પૂર્વતપ વગેરે તપોમાં – નોકારવાલી, ખમાસમણાં, દેવવંદન તથા કાયોત્સર્ગ તે તે દિવસના આરાધ્યને ઉદ્દેશીને કરવાના છે તે વિધિઓમાં હોય છે. માટે દિવસમાં શ્રાવકે યથાશકિત કાઉસ્સગ્ન કરવા જોઈએ. આમ છ આવશ્યકો આખા દિવસમાં સાચવવાની આશા છે. પછી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટમાંથી યથાશક્તિ ગમે તેનું આચરણ કરે અને તે શ્રાદ્ધ, બાલ શ્રાવક, મધ્યમ શ્રાવક, ઋદ્ધિવંત શ્રાવક કે મહાથાવકને ઉચિત હોય તે કરે. પણ આખા દિવસમાં જુદે જુદે વખતે ખાસ છ આવશ્યક સાચવવાના હોય છે. સંઘ કાઢવો એ મહાશ્રાવકનું વિસ્તૃત ચતુર્વિશતિસ્તવ છે. તે જ પ્રમાણે સંઘ સાથે ગુરુવંદન કરવા બહારગામ જવું, એ વિસ્તૃત ગુરુવંદન છે. એ જ પ્રમાણે શ્રાવિકાને માટે. એ જ પ્રમાણે મુનિવર્ગ માટે, સર્વ વિરતિ સ્વરૂપ છ આવશ્યક સાચવવાનાં હોય છે. ૨૯. તેમાંનાં છ આવશ્યકો જ શ્રાવક શ્રાવિકા આખા દિવસમાં ન સાચવી શક્યા હોય, તેમણે તે છયેય-આવશ્યકો સાંજે પ્રતિક્રમણ વખતે પણ સાચવવાં. ૧. પ્રથમ સામાયિક લેવું તે સામાયિક આવશ્યક સાચવવું. ૨. પછી એ દિવસનું ગુરુવંદન સાંજે બે વાંદણાથી કરવું. ૩. પછી દિવસ ચરિમનું પ્રત્યાખ્યાન લેવાય છે. ૪. ચાર થોયોથી દેવ વાંદી ચતુર્વિશતિ સ્તવ કરવું. ૫. દેવસિઅ પડિટ કાઉ? થી અઢાઇજેસુ સુધી છ આવશ્યકમય દેવસિય પ્રતિક્રમણ કરવું. જે કર્યાનો “સામાયિક, ચઉવિસત્થો વગેરે કર્યું છે.” એમ બોલીએ છીએ. એ ઉચ્ચાર નમોસ્તુ પહેલાં કરવામાં આવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬. પછી દેવસિઅ પ્રાયશ્ચિત્ત તરીકે અને દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે ચાર ચાર લોગસ્સના દેવસિય કાઉસ્સગ્ન કરવા. શ્રી સંઘમાં શાંતિ, સલાહ, સંપ, સુવ્યવસ્થા, ઉજળામણ વગેરે રાખવા આખો દિવસ ને રાત પ્રયાસો કરવા જોઈએ. તેના પ્રતીક તરીકે દુખક્ષય કમ્મખયના કાઉસ્સગ્ન અને શાંતિપાઠ છે. એ મધ્યમાં આવેલા સાંજના દેવસિય પ્રતિક્રમણનું અંગ નથી છતાં તેનો વિધિ પણ સાથે થાય છે. એ કાયોત્સર્ગ કરવાથી સંઘ તરફની વફાદારીભરી દર્શનશુદ્ધિ જળવાય છે. દિવસમાં જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય તેવા સ્વાધ્યાય, ઉપદેશ, શ્રવણ વગેરે પ્રયાસો કરવા જોઈએ, તે ન થયા હોય, તો પણ તેના પ્રતીક તરીકે સઝાય બોલવામાં આવે છે. ચઉકસાય ચૈત્યવંદન વગેરે તો આખા દિવસમાં કરવાના સાતમનું અંતિમ ચૈત્યવંદન ઘેર કરવાનું કદાચ ભૂલી જવાય, માટે પ્રતિક્રમણ સાથે શ્રાવકો કરી લે છે. મુનિઓ સંથારાપોરિસી વખતે કરે છે. ૩૦. એમ દિવસમાં કરવાનાં છ આવશ્યક સાંજે સાચવી લેવાય છે. માટે જ તેનું નામ સંધ્યા પ્રતિક્રમણ ન રાખતાં દેવસિક પ્રતિક્રમણ રાખવામાં આવેલું છે. ૩૧. એટલે કે સાંજે તો પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, છતાં દિવસે દિવસના બાકીનાં પાંચ આવશ્યકો ન સાચવ્યાં હોય, તે સાચવી લેવાય છે, એમ એ પ્રતિક્રમણની આજુબાજુના પણ બાકીનાં પાંચ આવશ્યકો પ્રતિક્રમણના સહકારથી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. ૩૨. ત્યારે અહીં પ્રશ્ન થશે કે, જેણે દિવસમાં પાંચ આવશ્યક સાચવ્યાં હોય, તે દેવસિસ પડિક ઠાઉં? થી અઢાઇજેસુ સુધીનું જ પ્રતિક્રમણ કરે, તો ચાલી શકે કે ? ન ચાલી શકે, અને ચાલી પણ શકે. એમ કેમ ? પોસહમાં હોય, તેને કે મુનિ મહારાજાઓને સામાયિક લેવું નથી પડતું. કેમ કે, તે દિવસમાં અને અત્યારે પણ ચાલુ હોય છે. ઠાઉ ? પછી કરેમિ ભંતે બોલી સામાયિકમાં ચાલુ હોવાનું નકકી કરી લે છે. પડિલેહણ વખતે ઉપવાસ વગરનાએ કરેલું ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ફરીથી પ્રતિક્રમણ વખતે તેઓને નથી લેવું પડતું. માત્ર દેવવંદન અને દેવસિઅ પ્રાયશ્ચિત્તાદિના બન્નેય કાયોત્સર્ગ જે સ્થળે કરાય છે, તે સિવાય આગળ પાછળના બીજે સ્થળે કરવાથી ચાલી શકે, તેવા પ્રસંગો જોવામાં આવે છે. જેમ કે, પ્રતિક્રમણ કરવા મોડા આવેલા ચાર થોયના દેવવંદન તે સ્થળે ન કરતાં વચ્ચે કે છ આવશ્યકના હર્ષ પછી પણ કરી શકે છે. અઢાઇજેસુ સુધી તો છ આવશ્યક પૂરા કર્યા વિના ઉઠાય નહીં. પરંતુ પછી માત્રાદિક કોઈ પણ કારણે ઊઠીને ફરી આવી થોડો વિલંબ કરી દેવસિય પ્રાયશ્ચિત્તાદિ અને સક્ઝાય બન્નેય કાઉસ્સગ્ગ કારણે કરી શકે છે. માટે ચાલે, અને બીજાને બધું કરવું પડે, તેને ન પણ ચાલે. ૩૩. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, સાંજે કરવાનાં ચારેય પ્રતિક્રમણો સકળ સંઘના સમુદાયમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા કરવાની આજ્ઞા છે, અને તેથી દિવસમાં કોઈએ બાકીનાં પાંચ આવશ્યકો કર્યાં હોય અને કોઈએ ન પણ કર્યાં હોય. એટલે સામુદાયિક વિધિમાં દરેકે સાથે જ રહેવું જોઈએ અને કરવાં જોઈએ. એટલે સર્વ સામાન્યને ઉદ્દેશીને દિવસનાં બાકીનાં પાંચ આવશ્યકો સંઘે સામુદાયિક રીતે કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. માટે કોઈએ દિવસમાં કર્યા હોય, તો પણ વધારે ચોકકસપણું લાવવા સકળ સંઘ સાથે કરવાં જ જોઈએ. આથી સકળ સંઘને એકઠા મળવાનું થવાથી દર્શનશુદ્ધિ પણ તેમાં ગોઠવવામાં આવી છે. ૧૭ સારાંશ કે, થતી સ્ખલનાઓના વારંવાર મિચ્છામિ દુક્કડં દઈને કે ગુરુ મહારાજ પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લઈને પણ વારંવાર દિવસમાં પ્રતિક્રમણ કરી શકાય છે, ને આત્મશુદ્ધિ કરી શકાય છે. છતાં આખા દિવસમાં વ્યકિત કોઈ પણ આરાધના ન કરી શકી હોય માટે, તેમજ દેખાદેખીથી બાળજીવો શીખે માટે તથા વ્યકિતગત પ્રમાદ પરિહાર માટે, તેમજ સામુદાયિક વાતાવરણ ચાલુ રહે માટે, સકળ સંઘે મળીને સાંજે ચારેય પ્રતિક્રમણો કરવાં જોઈએ. એવી ખાસ પ્રભુની આજ્ઞાના પાલન માટે સાંજના સામુદાયિક પ્રતિક્રમણ કરવાનાં છે. સામુદાયિક વાતાવરણનો જે દરરોજ લાભ મળે, સૌને રોજ એકઠા થવાનું બને, અને તેથી સંઘનાં બીજાં કાર્યોને પણ ટેકો મળે છે. આમ અનેક દૃષ્ટિબિંદુઓથી સકળ સંઘને દિવસમાં એક વાર અવશ્ય મળવું જોઈએ. તે મળવાની અભિસંધિ પણ આ પ્રતિક્રમણથી ગોઠવાયેલી છે. ૩૪. માટે છેલ્લા અને પહેલા તીર્થંકર ભગવંતના વખતમાં અતિચાર લાગે કે ન લાગે છતાં એકંદર વક્ર અને જડ સ્વભાવની જીવ પ્રકૃતિને લીધે દરરોજ સામુદાયિક પ્રતિક્રમણ કરવું જોઈએ. અને તે ખાતર સકળસંઘે બે વિભાગમાં-પુરુષવર્ગ અને સ્રીજાતિવર્ષે એકત્ર મળવું જોઈએ. એટલે એ પ્રતિક્રમણો (૧) દોષ ન લાગ્યા હોય તો પણ અને (૨) સામુદાયિક વાતાવરણ ખાતર પણ જાહેરમાં કરવાનાં જ છે. એક રીતે પ્રતિક્રમણો તો સંખ્યાબંધ થઈ શકે છે, પરંતુ શ્રી સકળસંઘના સામુદાયિક પાંચ પ્રતિક્રમણો જુદા તારવ્યાં છે. એટલે પાંચ પ્રતિક્રમણો જાહેર સામુદાયિક છે, અને બીજાં સંખ્યાબંધ પ્રતિક્રમણો વ્યકિતગત બને છે. પરંતુ પાંચ પ્રતિક્રમણો સામુદાયિક હોય છે, એટલે કે, પાંચ પ્રતિક્રમણો જ વ્યકિતગત છતાં સામુદાયિક છે. જિંદગીના, ભવ આલોચના અને મિચ્છામિ દુકકડં વ્યકિતગત હોવાથી તેમજ સામુદાયિક ન બની શકે, માટે તેની ગણતરી કરવામાં આવી નથી. માટે પાંચ જ પ્રતિક્રમણ શ્રી સંઘમાં જાહેર છે. તે બરાબર છે. એથી જ ન્યૂનાધિક સંખ્યા શાસ્ત્રવિહિત નથી. આ પ્રમાણે પાક્ષિકાદિમાં કરવાનાં છ આવશ્યકો ન થયાં હોય, તેણે પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે કરી-કરાવી લેવી પડે છે, અને તે પણ સર્વ સમુદાયમાં. સવારનું રાઈએ પ્રતિક્રમણ ગુરુ મહારાજ સાથે ન થયું હોય, તો છ આવશ્યક મય રાઇઅ Page #23 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો મુહપત્તિ પડિલેહીને પણ ગુરુ મહારાજને વંદન, આલોચન, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન તેમની પાસે જ કરવું પડે છે. માટે પાંચેય પ્રતિક્રમણો ગુરુ મહારાજની પાસે અને જાહેરમાં કરવાની ક્રિયા છે. આ પ્રમાણે પાંચેયના સંબંધમાં વિગતવાર સમજી લેવું. ૧ ઉપવાસ, ૨ ઉપવાસ, અઠ્ઠમનો તપાચાર, ૧૨ લોગસ્સ, ર૦ લોગસ્સ, ૪૦ લોગસ્સ વગેરે કાઉસ્સગ્ન વગેરે પક્ષમાં, ચોમાસામાં, વર્ષમાં કરી આપવાને બદલે તે તે છેલ્લા દિવસે પણ કરી શકાય છે. તે પ્રમાણે બીજાં આવશ્યકો વિષે પણ સમજી લેવું. ત્રણ ગામની વ્યવસ્થા પણ પાંચેય પ્રતિક્રમણમાં હોય છે. કરેમિ ભંતે! સૂત્ર ત્રણેય ગમની શરૂઆતમાં આવે છે. પ્રથમ ગમ અતિચારોની ગાથાઓના કાઉસ્સગ્ગ માટે છે. બીજો પ્રતિક્રમણ માટે છે, અને ત્રીજે પ્રતિક્રમણ થયા પછી પણ વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવા માટે છે. આ પરથી એ પણ સમજવાનું છે કે, જેમ પહેલા ગમમાં અતિચારની આઠ ગાથાઓનું ચિંતન કાઉસગ્ન કરીને કરવાનું છે, તે જ પ્રમાણે પાક્ષિકના પહેલા ગામમાં પાક્ષિક સૂત્રનું શ્રવણ કાઉસ્સગ્ગ કરીને કરવાનું છે. પછી બીજા ગામમાં પાક્ષિક વંદિતુ કે પગામ સઝાયથી પ્રતિક્રમણ કરાય છે. ને પછી ત્રીજા ગમમાં ૧૨ લોગસ્સ વગેરેનો વિશેષ શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કરવામાં આવે ૩૫. આથી પંચ પ્રતિકમણ એટલે શું ? એ પ્રશ્નનો જવાબ હવે વાચક મહાશયો બરાબર સમજી શકયા હશો કે - ૧. છ આવશ્યકમાં સેંકડો વિધિઓમાંના૨. સંઘમાં – ખાસ સામુદાયિક જાહેર રીતે કરવાના છ આવશ્યકમય પ્રતિક્રમણાત્મક પાંચ વિધિઓ, તે પાંચ પ્રતિક્રમણ. ૩. એટલે પ્રતિક્રમણ વિધિમાં આવતાં સૂત્રો તે આવશ્યક સૂત્રો નથી, તેમજ છ આવશ્યક સૂત્રનું રૂઢ નામ પ્રતિક્રમણ સૂત્ર નથી. પરંતુ ૪. આવશ્યક સૂત્રમાંનાં સૂત્રોની જુદી જુદી ગોઠવણોવાળા સેંકડો વિધિઓ જૈનશાસનમાં પ્રચલિત છે. તે જ સૂત્રોની-ક્રિયાત્મક પાંચ જાહેર વિધિઓમાં-ગોઠવણપૂર્વકની રચના, તે જ પાંચ પ્રતિક્રમણ વિધિઓ. ૫. એટલે આ પાંચ પ્રતિક્રમણ વિધિઓ પણ શ્રાવક અને શ્રાવિકા માટે અને સાધુ-સાધ્વી માટે જુદા જુદા પણ થાય છે. ૬. ત્યારે આ પુસ્તકમાં શ્રાવક અને શ્રાવિકામાં પ્રચલિત પાંચ પ્રતિક્રમણ વિધિઓ અને તેમાં આવતાં આવશ્યક સૂત્રમાંનાં સૂત્રો અર્થ સહિત આપવામાં આવેલા છે. છે. ત્યારે સાધુ-સાધ્વી માટે પાંચ પ્રતિક્રમણમાં આવતાં કેટલાંક વિશેષ સૂત્રો સાધુ-સાધ્વી ક્રિયાની વિધિના જુદા ગ્રંથોમાં આપવામાં આવેલ હોય છે. ૮. અર્થાત્ શ્રાવકના આ પંચપ્રતિક્રમણ વિધિઓ બરાબર શીખ્યા પછી થોડાં વધુ સૂત્રો ભણી લેવાથી સાધુ-સાધ્વીના પંચ પ્રતિક્રમણ વિધિઓમાંનાં સૂત્રો પૂરાં આવડી શકે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૯. એટલે કેટલીક સમાનતાથી બન્નેયનાં પ્રતિક્રમણો એક જ છે. અને કેટલાંક જુદાપણાથી જુદાં પણ છે, પરંતુ - ૧૦. તેથી દશ પ્રતિક્રમણ થઈ શકતા નથી. કેમ કે, પ્રતિક્રમણ વિધિઓ તો કાળભેદે પાંચ જ છે, તેમાં અધિકારી ભેદે અમુક અમુક સૂત્ર વધતાં ઓછા બોલવાનાં હોય છે. ૧૧. આથી સાત કે તેથી વધારે પણ પ્રતિક્રમણ થઈ શકતા નથી. કેમ કે, વ્યક્તિવાર પ્રસંગે પ્રસંગના મિચ્છામિ દુકક પ્રતિક્રમણ હોય છે. તે ઇવરકથિકગણીએ તો સંખ્યાતીત પ્રતિક્રમણો થાય. આખા ભવનું અને ભવોભવનું ભાવથિક પ્રતિક્રમણ સામુદાયિક નિયત બની શકે નહિ, જો કે તે પણ માત્ર વ્યકિતગત જ રહી શકે. માટે “સામુદાયિક કરવાના પાંચ જ પ્રતિક્રમણ” એમ જાહેર છ આવશ્યકમય ક્રિયાઓ તરીકે જાહેર છે. માટે આ જાતનાં પાંચ જ પ્રતિક્રમણ જૈન શાસનમાં સંભવે છે અને પાંચ જ પ્રસિદ્ધ છે. પાંચ જ શાસ્ત્ર વિહિત છે. તે આ અપેક્ષાએ બરાબર છે. ૩૬. આ ઉપરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે પંચ પ્રતિક્રમણમાં વપરાતાં સૂત્રો જૈન શાસ્ત્રના સાર રૂપ છે. અને તે ક્રિયા જૈન શાસનના આધારસ્તંભ રૂપ છે. દિગંબર-વિભાગમાં જૈનશાસ્ત્ર શૈલી અનુસાર આવશ્યકમય સામાયિક-પ્રતિક્રમણ અને તેની જાહેર પ્રવૃત્તિ ઉપર બહુ ભાર નથી આપેલો જોવામાં આવતો. તે આશ્ચર્ય લાગે છે. કેમ કે, જૈન દર્શનના આધાર સ્તંભભૂત આ ક્રિયાઓ ઉપર આટલું બધું દુર્લક્ષ્ય કેમ હશે ? શું તેઓના આચાર્યોના ધ્યાનમાં આ વસ્તુ નહીં આવી હોય ? અને એટલા જ માટે કાંઈક વેદાંતના અનુકરણ રૂપ કેટલીક વસ્તુઓ આધ્યાત્મિકપણા નીચે તેઓમાં પ્રવેશવા પામી હોય, તેમ સંભવિત લાગે છે [2] અને આટલા જ માટે – શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેઓની આધ્યાત્મિકતાની જૈન બાહ્યતાનું ખંડન કરવાની જરૂર પડી જણાય છે. વટવેર સ્વામીના મૂળાચાર (કરેમિ ભંતે !) સૂત્ર ઉપરનું નિર્યુક્તિની ગાથાઓવાળું વિવેચન છે. પણ જે, તે આચાર્ય માપનીય સંઘના સાબિત થાય, તો મૂળ દિગંબરો ખરી પરંપરાથી ઘણા દૂર ચાલ્યા જાય, કેમ કે,યાપનીય સંઘને માન્ય તો પ્રાય: શ્વેતામ્બરોને માન્ય જૈન આગમો જણાય છે. સ્થાનક વાસીઓમાં, જો કે તેઓ શ્વેતામ્બરોની એક શાખા રૂપે જુદા પડેલા હોવાથી, પાંચ પ્રતિક્રમણો તો ટકી રહ્યાં છે. પરંતુ તેના વિધિઓના હેતુઓમાં ઊંડા ઊતરતાં તેમાં વ્યવસ્થિત રચના-કૌશલ વધુ જોવામાં આવશે નહીં. કેમ કે, મૂળ ચોકઠાં તો શ્વેતામ્બરોના જ સ્વીકારેલાં છે. તેમાં પોતાની માન્યતાને મદદગાર અમુક અમુક ફેરફાર કરી લીધો છે. પરંતુ તે જૈન વિધિ વિજ્ઞાનની કસોટી ઉપર ચડી શકે તેમ નથી. તેમજ તેના પર એવું તેઓનું સ્વતંત્ર સાહિત્ય પણ લખાયું નથી અને લખાવા સંભવે ય નથી. કદાચ લખાશે તો પણ તે શ્વેતામ્બર ગ્રંથોના ફેરફાર સાથે અનુકરણ રૂપ જ હશે. કેમ કે એટલો સૂક્ષ્મ વિચાર તેઓમાંના કોઈએ કર્યો નથી, શકયેય નથી અને ભવિષ્યમાં કદાચ કરશે, તો આધાર તો શ્વેતામ્બર ગ્રંથોનો જ અવશ્ય લેવો Page #25 -------------------------------------------------------------------------- ________________ २० પંચ પ્રતિક્રમણસૂત્રો પડશે. એટલે મૌલિકતા શ્વેતાંબર મૂર્તિપૂજકની જ રહેશે. અથવા એ વર્ગ પાસે કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત છે જ નહીં. કોઈ વાત કે દલીલ મુદ્દાસરની નથી. ૩૭. આ ઉપરથી તે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પરંપરા એ ખરી જૈન પરંપરાની જણાય છે. કેમ કે, જૈન સંઘની આ જાહેર પ્રવૃત્તિ ઉપર મૂળથી જ શ્વેતામ્બર આચાર્યો ભાર દેતા આવ્યા છે. યોગબિંદુ યોગદષ્ટિ સમુચ્ચય અને યોગશાસ્ત્ર જેવા યોગના ગ્રંથોમાં પણ તેનું પ્રાધાન્ય હોય છે તેમ જ પ્રાચીન આચાર્યોના પણ તે ઉપર ભાર દેનારાં અનેક વિધાનો, અનેક વિવેચનો, અનેક ગ્રંથો મળે છે. અને ઠેઠ પરંપરાથી તેઓ રોજ તે પ્રમાણે ક્રિયા કરતા આવે છે. તીર્થંકર પદ પામવા માટેનું તીર્થંકર નામ કર્મ બંધાવામાં પણ છ આવશ્યકો આદરપૂર્વક સાચવવાને કારણભૂત ગણેલા છે. આવશ્યઽરિજ્ઞા: તત્ત્વાર્થાધિગમસૂત્ર ૬. ૨૩] ૩૮. “અહીં એક પ્રશ્ન એ થાય છે કે, છ આવશ્યકની આવી ફૂલગૂંથણી છે, પરંતુ તેના માટે શાસ્ત્રનો આધાર જોઈએ. તે સિવાય તમારી વાત માની શકાશે નહીં''. આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. બુદ્ધિ, અનુભવ, કલ્પના, શાસ્ત્રવાકયના પુરાવા તથા યુકિત અને મોટા પુરુષોની સમ્મતિ મળે ત્યારે જ વાત માનવા લાયક ગણાય છે. ગમે તે માણસ ગમે તે વાત કરે તે ખરી માની લેવી તે પણ એક જાતની નબળાઈ છે. માટે શાસ્ત્રના પુરાવા માગવા એ પણ ખાસ જરૂરી છે. પરંતુ શાસ્ત્રના પુરાવાથી સાબિત કરવા જતાં પ્રસ્તાવના જ એક ગ્રંથ થઈ જાય છે. છતાં સુજ્ઞ વાચકોને એટલી વિજ્ઞપ્તિ આ સ્થળે કરવાની રહે છે કે, બનતાં સુધી કોઈ પણ વાત પુરાવા ધ્યાનમાં લીધા સિવાય લખવામાં નથી આવી અને ઉપપત્તિ આપવામાં પણ દુર્લક્ષ્ય રાખેલ નથી. પરંતુ તે દરેક આપવા જતાં બહુ જ વિસ્તાર થઈ જાય. છતાં કેટલીક ઉપપત્તિઓ અને પ્રમાણોની સૂચનાઓ કયાંક કયાંક તો આપી જ છે. વળી આપણાં શાસ્ત્રોમાં કોઈ પણ વાત એક ઠેકાણેથી મળી શકશે નહીં. જુદા જુદા પ્રસંગે જુદી જુદી વાત કરી હોય છે, કોઈ હકીકત કયાંથી મળે, અને કોઈ કયાંથી મળે છે, પરંતુ આ દૃષ્ટિબિંદુથી શાસ્ત્રો વાંચવામાં આવેલાં હશે, તેને ઘણા પુરાવા મળી શકે તેમ છે. ૧) ઘણા પુરાવા તો વિધિઓમાં જ અને સૂત્રોમાં જ મળી શકે તેમ છે. તેઓનાં પદો અને તેની ગોઠવણીનો સહેજ વિચાર કરીએ કે તુરત જ તે બધું આપોઆપ સમજાવા માંડે છે. ૨) બીજું છયે આવશ્યક કયારે કયારે કરવાં ? તેને લગતી આવશ્યક નિર્યુક્તિમાં છયેય આવશ્યકોનું વિસ્તારથી વ્યાખ્યાન કરવામાં આવેલું છે. તે તે આવશ્યકોનાં જુદાં જુદાં નામો, જુદે જુદે વખતે કરવાના પ્રસંગો તથા અધિકારભેદ વગેરેની એટલી સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે કે, આ ગ્રંથમાં સૂચવવામાં આવેલી દિશા ઘણી રીતે તેમાં મળશે. કદાચ આમાં સ્ખલના પણ જોવામાં આવશે. છતાં આ દિશાએ વિચારણા કરવાની પહેલ કરવામાં આવેલ હોવાથી નિર્યુક્તિ સાથે બંધબેસતી વિચારણા કરવાનો પ્રસંગ આવશે. નિર્યુકિત આ બાબતમાં વધારે Page #26 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા પ્રમાણભૂત અને આધારભૂત છે. ૩) આ નીચે શ્રી શ્રીપાળ મહારાજના રાસના ચોથા ખંડની ગાથાઓ વિવેચન સહિત આપેલ છે. તેમાં આવશ્યકના સંબંધમાં થોડું લખેલું છે. તે પ્રમાણે પૂજાની ઢાળો, રાસાઓ, કથાઓ, ચર્ચાગ્રંથો, ચરણાનુયોગના ગ્રંથો, વિવિધ ક્રિયાઓના વિધિઓ, નવતત્ત્વ પ્રશ્નોત્તર ગ્રંથ વગેરેનું બારીક અવલોકન કરવાથી ઘણા પુરાવા મળી શકે છે. માત્ર નિર્દેશ તરીકે શ્રી શ્રીપાળના રાસના ચોથા ખંડની ઢાળની ગાથાઓ અર્થસહિત આપી છે. તે ઉપરથી વાચક મહાશયો પુરાવા અને પ્રમાણો મેળવવાની દિશા જાણી શકશે. અને ખાસ અભ્યાસીઓ વિશેષ પ્રયાસ કરી અનુભવીઓ અને ગુરુ મહારાજાઓ પાસેથી દરેક પ્રકારની ચોકકસ માહિતીઓ મેળવી શકશે. ‘પાંચ ભેદ ખંતિના, ઉવયાર, અવયાર, વિવાગ રે; વચન, ધર્મ, તિહાં તીન છે, લૌકિક દોઈ અધિક સોભાગ રે. ૪-૨૫ અર્થ :- આ દશ યતિધર્મમાં પહેલાં ક્ષમા-ધર્મના પાંચ ભેદ છે. તે એ કે - ૧) કોઈ પણ મનુષ્યે આપણો ઉપકાર કર્યો હોય, તો તે મનુષ્યનાં કડવાં–કઠિન વચન સહન કરવાં, તે ઉપકાર ક્ષમા કહેવાય છે. ૨૧ ૨) જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન સત્તાવાન હોય, તેથી આપણે તેને કંઈ કરી શકીએ તેમ નથી; વાસ્તે ‘‘તેના બોલ સાંખી રહેવામાં જ ભૂષણ છે; નહીં તો અપમાનને પ્રાપ્ત થવાશે.’' એમ સમજીને સામો જવાબ ન દેતાં ક્ષમાશીલ બને, તે અપકાર ક્ષમા કહેવાય છે. ૩) ‘‘ક્રોધનાં ફ્ળ નઠારાં છે, અને તેના વડે અનેક દુશ્મન ઊભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય, માટે દુર્વાકય ખમી રહેવામાં જ ફાયદો છે'' – એમ કર્મવિપાકનો ભય રાખવામાં આવે, તે વિપાક ક્ષમા કહેવાય છે. ૪) કઠિન વચન કહી કોઈનું દિલ દુભાવે નહીં, તેમ પોતે પણ બીજાનાં કઠિન વચનોથી પોતાના દિલને દુભાવે નહીં, એટલે કે, વચન પરિસહનો ઉપસર્ગ સહન કરે, સાવદ્ય વચન ન બોલે, તે વચન ક્ષમા કહેવાય છે. - ૫) કોઈ છેદન – ભેદન કરે, તો પણ ચંદનને કાપતાં, વહેરતાં, બાળતાં પણ પોતાની સુગંધ છોડે નહીં, તેની પેઠે ‘‘આત્માનો ધર્મ ક્ષમા જ છે, માટે ક્ષમા જ રાખવી’’ એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મમાં સ્થિર રહે, તેરમા, ચૌદમા, ગુણસ્થાનકની ઇચ્છા કરે, તે ધર્મક્ષમા કહેવાય છે. આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમાઓ લૌકિક સુખ દેનારી છે, અને પછીની બે ક્ષમાઓ મોક્ષ સુખ આપનારી છે. અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ, ભક્તિ ને વચન, અસંગ રે; ત્રણ ક્ષમા છે દોયમાં, અગ્રિમ દોયમાં દોય ચંગ રે, સંવે ૪-૨૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ २२ પંચ પ્રતિક્રમણસૂત્રો વલ્લભ-સ્ત્રી, જનની તથા તેહના કૃત્યમાં જુઓ રાગ રે; પડિક્કમણાદિ કૃત્યમાં, એમ પ્રીતિ, ભક્તિનો લાગ રે, સંવે૦ ૪-૨૭ વચન તે આગમ આશરી, સહેજે થાય રે અસંગ રે; ચક્રભ્રમણ જિમ દંડથી, ઉત્તર તદભાવે ચંગ રે, સંવે૦ ૪-૨૮ અર્થ :- ક્ષમાનાં ચાર અનુષ્ઠાન એટલે ક્રિયાઓ છે, ને તેનાં છ આવશ્યક છે. એટલે શ્રાવકનું પ્રતિક્રમણ અને યતિ-પગામ સજ્ઝાય, અતિચાર, આલોચના વગેરે તે પડિક્કમગાવશ્યક કહેવાય. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી કાઉસ્સગ્ગ કરવા, તે કાઉસ્સગ્ગ આવશ્યક કહેવાય. શકિત મુજબ પચ્ચક્ખાણ કરવું, તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય. આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું. અને સામાયિક, ચઉવિસત્થો જિનવંદનાવશ્યક એ બેઉ તથા વાંદણાં દેવાં એ ગુરુવંદનાવશ્યક એ ત્રણેય આવશ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે. આગમાનુસારે પ્રવર્તવું તે વચનઅનુષ્ઠાન. અને સહેજે બની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ ચારેય અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચેય પ્રકારની ક્ષમાઓ, પૈકી પહેલી ત્રણેય ક્ષમાઓમાં પ્રીતિ અને ભકિત, એ બન્નેય અનુષ્ઠાનનો સમાવેશ છે. રેય પાછળનાં બે અનુષ્ઠાન સુંદર માનીને અંગીકાર કરવાં. અનુષ્ઠાનનાં લક્ષણ શું હોય ? તે હવે કહેવામાં આવે છે. પોતાની સ્ત્રી અને પોતાની માતા એ બન્નેય સ્ત્રીન્નતિ છે, અને બન્નેય ઉપર વહાલ પણ હોય છે, તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જુદા જુદા પ્રકારનો રાગ હોય છે. મતલબ કે સ્ત્રી ઉપર પ્રીતિરાગ, અને માતા ઉપર ભકિતરાગ હોય છે. તે જ મુજબ પડિકકમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ એ ત્રણ આવશ્યકમાં પ્રીતિ અનુષ્ઠાન છે, કેમ કે તેઓના સંગથી આગળ વિશેષ ગુણ વધે, એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર, ચઉવિસત્થા રૂપ પ્રભુવંદન, અને વાંદણાં રૂપ ગુરુવંદન એ ત્રણ આવશ્યકમાં ક્રિયા ભક્તિપૂર્ણ છે. એમ પ્રીતિ આ લોકના આશ્રયી અને ભકિત પરલોકની આશ્રયી હોવાથી અનુષ્ઠાનના લાગ હોય. વચન અને અસંગ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે કે, જેમ કુંભારનો ચાકડો પ્રથમ દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પોતાની મેળે સહેજે ફરી શકે છે, તેમ શ્રીવીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાનક્રિયાનાં આલંબન કથેલ છે, તેના અનુસારે આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્તન કરે, તે વચનાનુષ્ઠાન સમજવું, અને પાછળથી ઉત્તર કાળે તેના અભાવ વડે કોઈના આધાર વગર પણ સહેજે આદત પડી રહેતાં પાંચ ક્રિયા થાય, તે અસંગાનુષ્ઠાન સમજવું.'' વગેરે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૨૩ ૩૯. આધ્યાત્મિક જીવનમાં કાયમ જાગૃતિ ટકાવી રાખવા માટે પ્રતિક્રમણની જાહેર યોજના પણ એવી જ ભવ્ય અને કલ્યાણકાર જણાય છે. ૪૦. સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિ:સ્વાર્થપણું, તપ-ઐચ્છિક કષ્ટ સહન, અલ્પ જરૂરિયાતવાળું જીવન, સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અલ્પ પરિગ્રહપણું, બ્રહ્મચર્ય, શુભ વિચારણા, શુભ કર્તવ્યો, શુભ મનન-ધ્યાન, વિશાળ હૃદય, મોટું મન રાખવું, તીર્થંકરાદિક સર્વોચ્ચ જગતના મહાપુરુષોની સતત ભક્તિ, ગુણ સ્મરણ, તત્ત્વ મેળવવા ગુરુની ઉપાસના વગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડાવશ્યકની યોજના અને તેનું કરેમિ ભંતે'માં કેન્દ્રપણું કરવામાં એટલી બધી અસાધારણ વ્યવહારુતા અને યોજનાશકિત જણાય છે, કે આવી વ્યવસ્થિત, સર્વદેશીય, સંક્ષિપ્ત, સર્વગ્રાહી, સાદામાં સાદી અને ગંભીરમાં ગંભીર તથા સર્વ પ્રકારનાં પાત્રોને ગ્રાહ્ય થાય તેવી, કમ્રવિકાસની દૃષ્ટિથી, શિક્ષણની દૃષ્ટિથી, જગતુમાં કોઈ પણ યોજના મળી શકશે નહીં. ઉપરના ગુણોનાં વિવેચનો અને ઉપદેશો આપવામાં આવે, તેનો અમલ કરાવવા પ્રજાને અનેક સાધનો પૂરાં પાડવામાં આવે, છતાં પણ સામાયિક અને કરેમિ ભંતે મારફત જેટલી સરળતાથી આધ્યાત્મિક જીવન શરૂ કરાવી શકાય, જીવનમાં ઉતારી શકાય, વ્યાપક કરી શકાય, અને છેવટે જીવનની ઊંચામાં ઊંચી કક્ષા સુધી લઈ જઈ શકાય તેવી કોઈ પણ વ્યવહારુ યોજના જગતમાં મળી શકશે નહીં. તીર્થંકરાદિ મહાદષ્ટાન્તભૂત આધ્યાત્મિક જીવનના અગ્રેસરોએ પણ આ જ વ્યવહારુ ક્રમથી પોતાના જીવનમાં અમલ કરવાના એ જાતના દાખલા પૂરા પાડેલા અહીંની પ્રજાની સામે છે. માટે તે રીતે આધ્યાત્મિક જીવન સહેલાઈથી જીવનમાં ઉતારી શકાય છે, માટે તે ખરી વ્યવહારુ યોજના છે. આધ્યાત્મિક તત્ત્વોના ઉપદેશો ઘણાઓએ આપ્યા છે, પરંતુ તેનું આવું વ્યવહારુ સ્વરૂપ કોઈએ ઘડી આપ્યું નથી. આ જ જૈન ધર્મની મોટામાં મોટી, ત્રિકાળમાં અજોડ વિશિષ્ટતા છે. આ જ તેની મહત્તા છે. ૪૧. આધ્યાત્મિક જીવન ન હોત તો કદાચ જગતમાં પરસ્પરના વ્યવહારનું સમતોલપણું હોત, એમ માની લઈએ. પરંતુ કુદરતી અકસ્માતો અને કૃત્રિમ આતોમાં બચાવ રૂપ પરોપકારી મહાત્માઓ અને મહાન પુરુષોનું અસ્તિત્વ હોત જ નહીં. આજે તેઓએ પોતાના આત્મભોગથી ઉત્પન્ન કરેલી ઘણી સામગ્રી જનસમાજ અને પ્રાણીસમાજ ભોગવી રહ્યો છે. “લોકોમાં સ્વાભાવિક પરોપકારની ઊર્મિ જગત અને પરોપકાર ચાલુ રહેત.” એમ કોઈ કહે, પરંતુ એ ઊર્મિનું મૂળ જ આધ્યાત્મિક તત્ત્વ છે. આધ્યાત્મિક તત્વ જ ન હોય, તો એ ઊર્મિ ઊઠે જ કયાંથી ? પરોપકાર પ્રવર્તે શાનો ? પ્રાણીઓને નિરાધાર દિશામાં આધ્યાત્મિક તત્વમાંથી અનેક જાતનો આધાર મળે છે, તે મળત જ નહીં. બીજી રીતે વિચારીએ તો આજે પણ નિરાધારીમાં જે આધાર મળે છે, તે પણ આધ્યાત્મિક તત્વનું જગતમાં અસ્તિત્વ સાબિત કરે છે. આજનો જડવાદી પણ અંતરમાં તો તે કબૂલ કરે Page #29 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો જ છે. પરંતુ જડવાદના પ્રચારમાં પ્રજાકીય સ્વાર્થ કહો કે એક જાતનું અજ્ઞાન કહો, તેથી બહારથી તેનો સ્વીકાર કરતો નથી, અને “આધ્યાત્મિક જીવન ન જ હોય, તેની જરૂર પણ ન જ હોય, અને તેથી જગતને નુકસાન થાય છે.” એમ માનીને આજે પોતાની પ્રવૃત્તિ ચલાવી રહેલ છે, તથા તે ખોટી વાતને ય જાહેર અને સર્વમાન્ય પ્રતિષ્ઠા અપાવવા તનતોડ મહેનત કરી રહેલ છે, અને જગતની આંખમાં એક વખત ધૂળ નાંખવાને અનેક યુકિતપ્રયુક્તિથી ભરેલો પ્રયત્ન કરી રહેલ છે. પરંતુ તેથી કદાચ જગતને કાંઈક નુકસાન કરી જશે, કાળદોષનો કંઈક પ્રભાવ પડશે, એમ કબૂલ કરી લઈએ. પરંતુ જે વસ્તુ જગતમાં સાક્ષાત્ અસ્તિત્વ ધરાવે છે, તેને છુપાવવાનું છેવટ સુધી બની શકશે જ નહિ. નીતિમય જીવન કરતાં આધ્યાત્મિક જીવન ઉચ્ચ છે. નીતિનો પણ આધાર તેના જ ઉપર છે. કેમ કે, નીતિ પણ આધ્યાત્મિક તત્ત્વમાંથી જન્મે છે. નીતિ ખાતર આધ્યાત્મિક જીવનનો ભોગ ન અપાય, પરંતુ આધ્યાત્મિક જીવન ખાતર નીતિનો ભોગ આપવાને હરકત નથી હોતી. ત્યારે આજે નીતિને આગળ લાવવા આધ્યાત્મિક જીવનની નિંદા કરવાની ભૂલ કરવામાં આવે છે. ખરેખર નીતિને લાવવા અનીતિ અને અન્યાયી જીવનની નિંદા કરવી જોઈએ. ૪૨. જ્યારે એક તરફ જૈનસંઘના સભ્યો કાયમ પ્રતિક્રમણ કરે છે. તેને માટે શાસ્ત્રની મજબૂત આજ્ઞાઓ છે. મુનિ મહારાજાઓ સતત ઉપદેશ આપે છે, અને પોતે રોજ કરે છે. હજારો આચાર્યો કરતા આવ્યા છે. આકર્ષક રીતે તે ભણાવવા પ્રયાસો થાય છે. સત્ર બોલવાનો આદેશ મળે. તેમાં આદેશ લઈ સૂત્ર બોલનાર પોતપોતાને ભાગ્યશાળી માને છે, અને તેનો ખાસ ચડાવો બોલીને પણ તે લેવા તૈયાર રહે છે. પ્રતિક્રમણ કરનારની ભકિત માટે પ્રભાવના તરીકે તેઓના આકર્ષણ માટે કંઈ ને કંઈ ચીજને વહેંચવાની રાખે છે, અને કેટલાક ભાવુક આત્માઓ તો પ્રતિક્રમણ કરનારાઓને ખાસ ભોજનનું પોતાને ઘેર આમંત્રણ આપી, ભકિત કરી કૃતકૃત્યતા માને છે, અને કેટલાક સદ્ગુહસ્થો જ્યારે પોતાના તરફની અમુક રકમો સ્થાયી મૂકી પ્રતિક્રમણ કરનારાઓને કાયમ જમાડી ભક્તિ કરવાનો પ્રબંધ કરતા જાય છે. આટલું મહત્ત્વનું વિશિષ્ટ સ્થાન પ્રતિક્રમણ કરનાર તરફની ભકિતનું છે. ૪૩. તેને બદલે તેનો વિરોધ, તેની ઉદ્દાહ, તેની હિલના, તેમાં અંતરાય પાડવો, તેની ઉત્તેજના માટે બોલાતી બોલીને હરરાજી જેવું હલકું નામ આપવું, વગેરે સંખ્યાબંધ પંચેન્દ્રિય જીવોની હિંસા કરતાં પણ તીવ્ર મિથ્યાત્વ રૂપ હોવાથી અધમતમ કાર્ય કેમ ન ગણાય ? તેનો વાચકો સ્વયં વિચાર કરી લેશે. ૪૪. “લાંબી વિધિ છે, કંટાળો આવે છે, વિધિમાં પ્રક્ષેપ સૂત્રો છે, અનેક મતમતાન્તરો છે. નકામો વખત જાય છે, રસ નથી પડતો, મજા નથી આવતી, સમજાતું નથી, લાયકાત આવ્યે કરીશું, બાર વ્રત ધારીને કરવાની એ ક્રિયા છે, તેના મૂળ ઉત્પાદક તીર્થંકર પરમાત્મા કે ગણધર ભગવંતો છે ? કે કોઈ બીજા ? એ નિશ્ચિત્ત નથી. આ જમાનામાં આવો વખત ગાળવો એ નકામું છે.” આવાં આવાં બહાનાં કાઢીને પ્રતિક્રમણો જાતે તો ન કરે, પરંતુ બીજા કરનારને રોકે, એટલું Page #30 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા જ નહીં, પરંતુ આવી મહાન્ ભવ્ય અને સર્વ કલ્યાણકર જૈન ધર્મની મૂળભૂત વસ્તુ તરફ કાદવ ઉડાડે, તેની અપ્રતિષ્ઠા કરે, તેને ઉતારી પાડવા પ્રયાસ કરે, તે આરાધનાઓની અવજ્ઞા-આશાતના કરે, યેનકેન પ્રકારે તેમાં અંતરાય પડે તેવા પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવા આડકતરા કાર્યક્રમો ગોઠવી જૈનસંઘના બાળબુદ્ધિના સભ્યોને પ્રતિક્રમણ, કલ્પસૂત્ર શ્રવણાદિ કરવા જતાં રોકવા યુકિત કરે, આમ નજીવા અને નકામા લાગણી ઉશ્કરનારા પ્રસંગો યોજી તેઓને પ્રતિક્રમણ કરતાં ચૂકવી દેવા જેવું આ જગમાં ઊતરતી કોટીનું (અધમતમ) બીજું કયું કાર્ય હોઈ શકે ? ૪૫. પરદેશીઓને આ દેશમાં પોતાનું સ્થાન જમાવવા માટે આ દેશની મૂળ પ્રજાને પોતાના મૂળ દરજ્જાથી ઉતારવી જ જોઈએ. અને સર્વ જીવનના કેન્દ્રભૂત આધ્યાત્મિક જીવન પ્રજાના જીવનમાં સહજ રીતે વણાયેલ છે. તેથી દરેક જીવનમાંથી પ્રજાને નીચે ઉતારતાં પહેલાં જીવનના કેન્દ્રભૂત આધ્યાત્મિક જીવનમાંથી તેને પહેલી નીચે ઉતારવામાં આવે તો જ જીવનના બીજા અંશોમાંથી એકંદર પ્રજા નીચે ઊતરે, અને જેમ જેમ પરદેશીઓએ ફેલાવેલી જડવાદની સંસ્કૃતિમાં પ્રજાજીવન પ્રવેશ કરે, તેમ તેમ તેને પ્રગતિ, ઉન્નતિ ગણાવી પ્રતિષ્ઠા આપવામાં આવે. સામે જ આધ્યાત્મિક જીવન જીવનારાઓને આજના જમાનાના વાતાવરણમાં પ્રતિષ્ઠિત તો બનાવવાના તો નથી. પરંતુ બની શકે ત્યાં સુધી અપ્રતિષ્ઠિત કરવા પ્રયાસ કરવાનો સંભવ જણાય જ. અને તે તે ધર્મના વર્ગમાંથી જ તેવા માણસો પરદેશીઓને મળી જાય, તો તો પછી સોનું અને સુગંધ મળ્યાં બરાબર ગણાય. એટલે એવા માણસો આ જડવાદના જમાનામાં પ્રતિષ્ઠિત અને લાયક તથા દેશનેતા ગણાય, તેમાં આ રીતે નવીનતાયે નથી. ૨૫ તે જ પ્રમાણે આધ્યાત્મિક જીવનના રક્ષણ માટે વિચારો ધરાવનારા કે પ્રયાસ કરનાર અપ્રતિષ્ઠિત - ઓર્થોડોકસ, અનસિવિલાઈઝ, બિન કેળવાયેલા, યુગનું વહેણ ન સમજનાર વગેરે ગણાય. તેમાંયે એટલું જ આશ્ચર્ય પામવા જેવું નથી. એટલે કોઈ પણ ધર્મની ધાર્મિક ક્રિયાઓનો વિરોધ કરનાર એક એક વર્ગ દરેક ધર્મ પાળનારાઓમાં આજે અસ્તિત્વ ધરાવતો થયો છે, અને તેઓના હાથમાં હાલના બંધારણની સંસ્થાઓ હોય છે. તે મારફત જેટલું પદ્ધિતિસર પોતાનું કાર્ય આગળ ચલાવે તેટલો પદ્ધતિસર ધર્મની ક્રિયાનો વિરોધ આગળ ધપે છે. જો કે તેવા વિચારો અને તેવી સંસ્થાની ગોઠવણો તે પોતાના સ્વયં વિચારથી નથી ધરાવતો, પરંતુ બહારની અસરનું એ પરિણામ છે એમ સમજવું. તેઓ નાની મોટી જે દલીલ વિરોધમાં કરે છે, તેનું કારણ પ્રતિક્રમણની જરૂરિયાતની ખરી દલીલો તેઓના ધ્યાનમાં નથી હોતી. અને તેઓના જે શ્રોતાઓનાય ધ્યાનમાં નથી હોતી, તેઓ જ સાંભળીને તે ખરી માને છે. પરંતુ બીજા તો એવી વિનાશક વાત સાંભળતાયે નથી. ૪૬. આજનો જમાનાવાદી અજ્ઞાનતાથી પશુબળનો આશ્રય લઈને, આ મહાન્ વસ્તુને દબાવવા, તેના ઉપર પડદો પાડવા, જે પ્રયાસો કરે છે, તે પ્રયાસોનું સ્મરણ થતાં જ હૃદયમાં ચીસ પડી જાય છે, અને હરિણ બાળકને વાઘની ત્રાડ સાંભળી જે લાગણી થાય, તેવી લાગણી થઈ આવે છે કે, “અરે ! કમળની પાંખડીની ગમે તેટલી શોભા છતાં તેને ચીમળી નાંખનાર હાથીની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પંચ પ્રતિક્રમણસૂત્રો સૂંઢની ક્રૂરતા કેટલી ભયંકર છે ? હજારોની કિંમતના કળામય જડતરનાં એરિંગનો ચૂરો કરતાં એરણ અને હથોડાને કેટલી વાર લાગે ? તેથી એરણ અને હથોડાની કિંમત વધતી નથી. વિદ્વાન પુરુષ રણસંગ્રામમાં રેંસાઈ જાય, તેથી તેની વિદ્વત્તાની ખામી ન ગણાય. પરંતુ રણસંગ્રામની ક્રૂરતા જ ગણાય. ચતુર પોપટ બિલાડીથી પરાભવ પામે તેમાં પોપટની ચતુરાઈની ખામી ન ગણાય. અને બિલાડીની હોશિયારી ન ગણાય, પરંતુ ઊલટી જડતા ગણાય. ૢ અગ્નિથી બળી જાય, તેમાં રૂની રૂ તરીકેની નબળાઈ ન ગણાય પરંતુ અગ્નિની જ ક્રૂરતા ગણાય. આજનું પશુબળ ભારતના આધ્યાત્મિક પ્રતીકોને ગૂંગળાવી મારે, તો તેમાં તેની જડતા-ક્રૂરતા અને અજ્ઞાનતા અને ભયંકર રાક્ષસીપણું જ ગણાય. સુકોમળ નારી લતા-રત્નની છાતીમાં ખંજર ભોંકી દેવામાં સેતાનની જરા પણ બહાદુરી નથી જ. તેટલા ઉપરથી સુકોમળ સુંદર નારી લતા થવામાં તેનો દોષ નથી, પણ ગુણ જ છે. પરંતુ ખંજર ભોંકનારનું હિચકારાપણું જ જગત્ ગણે છે. અહા ! આવો પવિત્ર આધ્યાત્મિક જગત્ કલ્યાણકર ગંગાનો પ્રવાહ ડોળનારાઓના હાથમાં શું આવવાનું હશે ? શું તેઓને સત્બુદ્ધિ નહીં થાય ? ઇચ્છીએ છીએ કે, ગંગાપ્રવાહને ડોળતાં ડોળતાં ઉડેલા તેના છાંટા તેઓને ય પવિત્ર કરે ને કરશે. આપણે સૌ અંત:કરણનો તેઓ ઉપર શુભ આશીર્વાદ વહેવડાવીએ, તેઓની પણ સબુદ્ધિ થાય. આધ્યાત્મિક જીવનનો પ્રભાવ જ આખર સૌનો રક્ષક નીવડશે જ. એ જ આ સ્વાર્થમય જગત્માં નિ:સ્વાર્થપણે સૌથી સબળ રક્ષક છે. એ જ પરમાત્મા અને એ જ સાચો પ્રભુ, અશરણ જગત્નો બેલી છે. એ સિવાય જગનેે બીજી કઈ ચીજનું શરણ છે ? ચારેય તરફ સ્વાર્થબાજીના જ પટ્ટા ખેલાઈ રહ્યા છે. માટે એટલા જ આશાવાદ સાથે આવા ભવ્ય માર્ગના પ્રચાર માટે પૂર્વના તીર્થંકરાદિ મહાન્ વિભૂતિઓને ચરણે આપણે સમર્પિત થઈને તેમની આજ્ઞાનુસાર આપણાં સર્વ કર્તવ્યો કરવાં. એ જ આપણે માટે અંતિમ આશ્વાસન અને રચનાત્મક ઉપાય છે. અસ્તુ. ૪૭. જેમ આ પંચપ્રતિક્રમણના વિધિઓના હેતુઓનો નિર્દેશ આ ગ્રંથમાં કરવામાં આવેલો છે તે જ પ્રમાણે જૈનસંઘમાં પ્રચલિત તમામ વિધિઓના હેતુઓના ગ્રંથો લખી શકાય તેમ છે, કે જેની તરફ બાળ જીવો દુર્લક્ષ્ય કરતા થયા છે, તેને સારી સમજ મળે, માટે એવું સાહિત્ય અસરકારક થાય, તે આજના સંજોગોમાં ઇષ્ટ પણ છે. ૪૮. પ્રતિક્રમણ બાબત, વિવિધ શંકાઓનાં માર્ગસૂચક સંક્ષિપ્ત સમાધાનો કરી લઈએ : ૧. પ્રતિક્રમણ સૂત્રોનાં ભાષાન્તરો કરી ઉપયોગ કરવાની જરૂર નથી. કેમ કે, તેથી આખા દેશના તમામ સ્થળના પ્રતિક્રમણ કરનારાઓની એકતા સચવાય નહીં. ૨. સૂત્રોની ખૂબી એવી છે કે, ભાષાન્તરમાં તેના રહસ્યનો એક દેશ - અમુક અંશ જ ઊતરી શકે છે. સર્વ પ્રકારની છાયા ઊતરી શકે તેમ નથી. સંબંધિત અને સૂચિત અનેક અર્થો બાકી રહી જાય છે અને ભવિષ્યમાં આવાં મહત્ત્વનાં સૂત્રો અને તેનું મહત્ત્વ પ્રજાના પરિચયમાંથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા અદશ્ય થાય, એ જગતને મોટું નુકસાન છે. ૩. મહાન પુરુષોના મુખે ઉચ્ચરિત ભાષામાં રચાયેલાં સૂત્રોનો ઉપયોગ કરવાથી, તેઓના જીવન અને આત્મા સાથે સીધો સંબંધ બંધાય છે, અને અનાયાસે આપણા ઉપર તેઓના પવિત્ર જીવનની છાયા પાડે છે અને આપણી પવિત્રતામાં વધારો કરે છે. ૪. સૂત્રોમાં આજુબાજુની છાયા ઉપરથી ઘણા ગર્ભિત અર્થો ઊઠે છે, તે ભાષાન્તરમાં ઊતરી શકે જ નહીં. ૫. વળી એવું જૈન શાસનમાન્ય ભાષાન્તર કરવું, એ પણ આજના માનવીની શકિતની બહારનું કામ છે. જ્યાં સુધી તેવી મહાન વ્યક્તિ ન પાકે ત્યાં સુધી બીજાના ઉપર એ કામોનો વિશ્વાસ રાખી શકાય નહીં. એવા મહાપુરુષ તીર્થંકર ગણધરાદિની વાણીના પરિચયમાં જનસમાજને અંતરાય ન પાડે. ભાષાંતર ન કરે. છતાં અર્થ સમજવા તેવું વિવિધ સાહિત્ય લખાય તે ઈષ્ટ છે. પરંતુ રોજની ક્રિયામાં તો મૂળ પ્રાચીન સૂત્રો જ બોલાતાં રહેવા જોઈએ. તેમાં ફેરફાર ન કરવો, ન થવા દેવો, એ સંઘની અનન્ય ફરજ છે. અન્યથા મહાવિરાધના છે. બાલજીવોને તે મોઢે કરાવવાં. ગોખવાની પદ્ધતિનો વિરોધ કરી તેને મોઢે કરતાં અટકાવવા નહીં. કેમ કે, એ સૂત્રોનો તો મુખપાઠ રૂપે જ રોજ ઉપયોગ છે. તેથી વચ્ચે બીજા જે તે વિષયો ન ગોઠવતાં જેમ બને તેમ વેળાસર ગોખાઈ જાય. અને વચ્ચે કોઈ વિદન આવીને પાંચેય પ્રતિક્રમણ મોઢે કરવાનું જીવનમાં અધૂરું રહે તેમ ન થવું જોઈએ. પછી અર્થ સમજવાનો ખપ કરવો વધારે યોગ્ય છે. ૬. વિધિનો ખપ કરીને સર્વ ક્રિયા કરવી. અવિધિ ટાળવા પૂરા જાગ્રત રહેવું, પણ અવિધિથી ડરીને ન કરવું, એ વધારે દોષપાત્ર થવા બરાબર છે. ન કરનાર કરતાં, અવિધિ અને આશાતનાથી ઘેરાયા છતાં તેની નજીક આવનારનો આત્મવિકાસ વધારે પડતો છે. અવિધિ અને આશાતના ટાળવા પ્રયાસ કરનાર વધારે આગળ છે. આશાતના ટાળનાર વધારે આગળ છે. સાવચેત રહેનાર-અવિધિ આશાતના થઈ જાય તો શુદ્ધ થનાર તેથી વધારે આગળ છે, અને અવિધિ આશાતના થવા જ ન દેનાર તેથી એ વિશેષ આગળ છે. પરંતુ ક્રિયા ન કરનાર તો સૌથી ઊતરતો છે. માટે કરનાર બાળજીવ અવિધિ આશાતના ટાળી ન શકે, તો પણ તેની ધાર્મિક ક્રિયા છોડાવવી નહીં, અવધિ દૂર કરાવવા પ્રયાસ કરવો જોઈએ. માત્ર દંભ કે કપટ રૂપ અવિધિ આશાતના થાય, અને તે પણ માત્ર સાંસારિક કે કોઈ એવા હેતુથી કરનાર બહુ જ દોષપાત્ર છે. અને તેથી સાવચેત રહેવું જોઈએ. યેન કેન પ્રકારે ક્રિયાની નજીકતા શુકલ પાક્ષિકપણું ભવ્યનું ગણવું જોઈએ. ૭. “જે લોકો આખી જિંદગી ક્રિયા કરે છે છતાં તેના જીવનમાં કશો ફેર પડતો નથી. માટે તેવા લોકો ક્રિયા કરે તે નુકસાનકારક છે.” આ વાતેય બિલકુલ માનવા જેવી નથી. કેમ કે, તેઓને ક્રિયા ઉપર ઓછામાં ઓછો પણ જે પ્રેમ હોય, તેનો તો તે કરનાર લાભ ઉઠાવે જ છે. અને ક્રિયાની પરંપરા ટકાવી રાખીને ઉત્તરોત્તર ભાવી પ્રજાને તેનું પ્રયોગાત્મક જ્ઞાન Page #33 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો વારસામાં આપીને પોતાની જૈન શાસન તરફની વફાદારી તે બજાવે જ છે. જેમ વેદપાઠી બ્રાહ્મણો, જેમ દીવાનો બજારમાં ઊભો કરેલો થાંભલો, અનાજની ગુણ ઉપાડી જનારો પોઠિયો, તેમ પોતાને લાભ ન મળવા છતાં બીજાના લાભના અંગભૂત બનીને ક્રિયા કરનારા શાસનની ભક્તિનો લાભ પરંપરા ટકાવીને ઉઠાવે જ છે. માટે તેને રોકી ન શકાય. આ તો ક્રિયા કરનારને માટે છેલ્લામાં છેલ્લી હદના ફળની અને સેવાની વાત થઈ. ૮. પરંતુ દરેક જીવો તેવા નથી હોતા. દરેકને કોઈને કોઈ લાભ જીવોની તરતમતાએ અને સાધનોની તરતમતાએ થાય જ છે. ૯. આધ્યાત્મિક વિકાસ એ જગતમાં એટલું બધું ગહન કામ છે કે, કેટલાંયે ભવાંતરો થાય, ત્યારે થોડોક જ આધ્યાત્મિક વિકાસ થાય છે. એટલે સ્વભાવ, રહેણી-કરણી વગેરે બધા જીવોના એક જ ભવેમાં એટલા બધા બદલી ન જ જાય. પરંતુ ભવાન્તરમાં ક્રમે ક્રમે તેનું પરિણામ જણાય, અને ક્રમે ક્રમે ઉત્તરોત્તર પરિણામ ૧૦. છતાં આજે નિંદા કરવામાં આવે છે કે, “ગમે તેટલી ક્રિયા કરવા છતાં ઘણાના સ્વભાવો ઘણા વિચિત્ર હોય છે.” એ વાતમાં કંઈક સમજ-ફેર પણ છે. સ્વભાવની વિચિત્રતા તો દુન્યવી અને વ્યાવહારિક કર્તવ્યોની જવાબદારીને આભારી પણ હોય છે. જવાબદારી ઉપાડવામાં ન આવે, અને શાંતિ રાખવામાં આવે, તો તે શાંતિની કિંમત શી ? - નોકરી, આજની વકીલાત કે ડૉકટરી કરનારમાં શાંતિ વધારે દેખાય, તેમાં નવાઈ શી ? કેમ કે, જવાબદારી જ ઓછી હોય છે, મહિનો થાય કે બાંધેલો પગાર અને કરેલા ચાર્જ લઈ લેવાના હોય છે. પરંતુ વેપારની જવાબદારી ઉપાડનારને શાંતિ રહેવી મુશ્કેલ હોય છે. કેમકે તેના માથે જવાબદારીનો ભાર પહાડ જેટલો હોય છે. છતાં તે શાંતિ રાખે, તેમાં ઘણી બહાદુરી ગણાય છે. માટે ક્રિયા કરનાર અને જવાબદારીવાળી વ્યકિતના સ્વભાવની વિચિત્રતાના દાખલા તદ્દન ખોટા છે. આવા અણઘટતા એકદેશી દાખલા આપીને ઘણા ક્રિયાની વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. પરંતુ તે ઉપેક્ષા કરવા લાયક છે, તેવી અર્ધદગ્ધ વાત સાંભળવી ન જોઈએ. ૧૧. આજે “સમજીને કરવાની વાતો પણ ક્રિયાથી વંચિત રાખવા માટે જ થાય છે. આપણે શાસનના સભ્યોએ ક્રિયા કરવી અને સાથે સમજવું. દવા ખાવી ને સાથે સમજાય તેટલું સમજવું, પણ દવાના પ્રયોગથી રોગ મટાડવો. સમજીને દવા ખાવા જઈએ, તો સમજતાં જ આયુષ્ય પૂરું થાય. દવા આપનાર વૈદ્ય, ડૉકટર વિશ્વાસપાત્ર જોઈએ. આ ક્રિયાઓ રૂપ દવાઓની ગોળીઓ બનાવીને લેવાની ભલામણ કરનાર આપણા પૂર્વપુરુષો નિઃસ્પૃહી અને નિ:સ્વાર્થી મહાપુરુષો હતા. તેમાં સંશયને અવકાશ નથી. માટે તેમની આપેલી ગોળીઓ વગર સમયે પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૨૯ લેવામાં નિરપાય છે. “ભૂતકાળ વર્તમાનમાં અને ભવિષ્યમાં બંધબેસતો ન થાય.” આવી વાતો પણ કાને ધરવા જેવી નથી, કેમ કે, કેટલાક કલ્યાણ માર્ગો ત્રણેય કાળ માટે લાભકારક સંભવે છે. ૧૨. કેટલાક સામાયિકને બદલે ધ્યાન કરે છે, કેટલાક પ્રતિક્રમણને બદલે વાંચવું પસંદ કરે છે. તેમાં દોષ છે. સામાયિકની સાથે આજના ધ્યાન ઘટાવી શકાય નહીં તેમજ પ્રતિક્રમણ સાથે વાચનને ઘટાડી શકાય નહિ. ધ્યાનનો અભ્યાસ કરવો હોય, તો ભલે કરો. વાંચવું હોય તો ભલે વાંચો, પણ આ બેને બદલે તે કરવાની વાત પણ ન કરો. આચાર ખાતર, કુટુંબમાં ઉત્તરોત્તર વારસો ચાલુ રાખવા ખાતર પણ અનિચ્છાએ પણ ડાહ્યા માણસોએ ક્રિયા ચાલુ રાખવી. તો જ શાસન અને જૈન ધર્મ તરફની વફાદારી જળવાય છે. ન થાય તો કરનારની અનુમોદના કરવી. તે ક્રિયા થતી હોય તેવાં સ્થળોનો પરિચય રાખવો, તેમાં આરાધના છે. કેમ કે, તેથી કોઈક વખત ઈચ્છા થાય. તેમાં અંતરાય પાડનારી પ્રવૃત્તિ તરફ પગલું ભરવામાં પણ મહા વિરાધના છે. હિંસા કરતાં પણ મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. સન્માર્ગરોધક-ઉન્માર્ગને પોષણ એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. ૧૩. પણ ચાલુ વિધિઓનો સંક્ષેપ આ સમુદાય માટે કરી શકાય નહિ. ચાલુ છે, તે જ બરાબર ઘટતા જ વિધિઓ છે. ૧૪. હંમશ મુજબ પ્રતિક્રમણ કરનારને કોઈ એવા સંજોગ વિશેષમાં વ્યક્તિગત સંક્ષેપમાં કરવું હોય, તો ગુરુગમથી તેવો વિધિ કદાચ જાણી શકાય. ૧૫. આવશ્યક ક્રિયા કરવા બાબત શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ નીચેના શબ્દોમાં ભાર મૂકે છે. તે ખાસ જાણવા જેવા શબ્દો હોવાથી અને અર્થ સાથે આપવામાં આવે છે. પદ રાગ - બિહાગડો સબલ યા છાક મોહ – મદિરાકી, ટેક. મિથ્યા મતિ કે જેરે ગુરુકી વચન શક્તિ જિહાં થાકી. સ. ૧ નિકટ દશા છાંડ, જડ ઉચી દષ્ટિ દેત હે તાકી; ન કરે કિરિયા, જનકું ભાખે,–“નહિ ભવ થિતિ પાકી.” સ૨ ભાજન ગત ભોજન કોઉ છાંડી, દસતર જિઉ દોરે; ગ્રહત જ્ઞાન હું કિરિયા ત્યાગી, હોત ઓરકી ઓરે. સ. ૩ જ્ઞાન બાત નિસુની સિર ધૂને, લાગે નિજ મતિ મીઠી; જે કોઉ બોલ કહે કિરિયા કો, તો “માને નૃપ ચીઠી.” સ. ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ન્યું કોઉ તારૂ જલમેં પેસી, હાથ પાઉ ન હિલાવે; જ્ઞાન સેંતી કિરિયા બસ લાગી,” મેં અપનો મત ગાવે. સ. ૫ જિસે પાગ કોઉ સિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદગુરુ પાસ ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી. સ૬ જૈસે ગજ અપને સિર ઉપર, છાર આપહી ડારે; જ્ઞાન ગ્રહત, ક્રિયા તુચ્છકારત, અલ્પબુદ્ધિ ફલ હારે. સ૭ જ્ઞાન ક્રિયા દોઉ શુદ્ધ ધરેંગે, શુદ્ધ કહે નિરધારી; જસ પ્રતાપ ગુન નિધિ કો ગાઉ, ઉનકી મે બલિહારી. સ૮ અર્થ :- મોહ રૂપી દારૂથી ઉત્પન્ન થયેલું છાકટાપણું ઘણું જ જોરદાર હોય છે. મિથ્થાબુદ્ધિનું એટલું બધું જોર હોય છે, કે જ્યાં ગુરુના વચનની શકિતયે થાકી જાય છે. ૧. નજીકમાં જ સમજવા જેવું હોય, તે પણ છોડી દઈ ને તે ઊંચે ઊંચે નજર તાકે છે અને ક્રિયા કરતો નથી પણ લોકોને સમજાવતો ફરે છે કે, “હજ ક્રિયા કરવા લાયક મારી ભાવસ્થિતિ પાકી નથી.” ૨. તે વાસણમાં રહેલું ભોજન છોડી દઈને જેમ સદસ્તર દોરવા (?) માંડી પડે છે - ક્રિયા છોડીને માન પકડે છે. તેથી બધા કરતાં જુદો જ દેખાવા પ્રયત્ન કરે છે. ૩. જ્ઞાનની વાત સાંભળતાં માથું હલાવે છે ને કેમ જાણે એ બહુ જ મીઠું લાગતું હોય, તેમ બતાવે છે. પરંતુ કોઈ ક્રિયાનું રહસ્ય સમજાવે, તો તે કેમ જાણે “રાજાનું પકડ વોરંટ આવ્યું હોય” તેમ માની બેસે છે. ૪. જો કોઈ તારૂ જલમાં પેસીને હાથપગ ન હલાવે તો શું થાય? “જ્ઞાનમાં ક્રિયા આવી જાય છે.” તેમ પોતાનો અભિપ્રાય ઠોકી બેસાડે છે. ૫. પણ લંગોટી યે પહેરવા ન હોય, ને માથે પાઘડી બાંધે, તેવું એ છે. સદ્દગુરુ પાસે ક્રિયાની આમ્નાયો શીખ્યા વિના આગમની બડી બડી વાતો કરવાની રીત ખોટી સમજવી. ૬. જેમ હાથી પોતાના માથા ઉપર પોતે જ રાખ સૂંઢથી ઉડાડે છે, તેમ જ્ઞાન ગ્રહણ કરે, અને ક્રિયાનો તિરસ્કાર કરે, તે અલ્પ બુદ્ધિવાળો છે, અને તે ફળ હારી જાય છે. ૭. ત્યારે જ્ઞાન તથા ક્રિયા બનેય નયને શુદ્ધ ધારણ કરે અને શુદ્ધ નિર્ણાયાત્મક પ્રરૂપણા કરે, જશવિજ્યજી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ગુણનિધિના પ્રતાપની સ્તુતિ કરું છું, અને તેની બલિહારી ગાઉ છું. ૮. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ જ્ઞાની પુરુષ પણ ક્રિયા ઉપર આટલો બધો ભાર મૂકે છે. ત્યારે ફકત જ્ઞાનના પ્રચારને બહાને જૈન એજ્યુકેશન બોર્ડ પોતાની શિક્ષણ નીતિ - દ્રવ્યાનુયોગ જેટલી જ વિજ્ઞાન સિદ્ધ-જૈન ધાર્મિક ક્રિયા છતાં, તે છોડાવવાનો ઉદ્દેશ ગુપ્ત અને ગર્ભિત ખ્યાલમાં રાખીને ચલાવે છે. તેમાં સંચાલકોની એટલી બધી દુબુદ્ધિ ન માનીએ, તો પણ તેઓને જૈનદર્શનની વ્યવસ્થાનું ગાઢ અજ્ઞાન તો કહેવું જ પડશે. અને જ્ઞાન પણ આધુનિક કેળવણીના હેતુઓ ધ્યાનમાં રાખીને આધુનિક સંસ્કૃતિને વધુ પ્રમાણમાં સંઘમાં ફેલાવવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને ફેલાવે છે. માત્ર લોકપ્રિય થવા પૂરતાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા જ હાલમાં પૂર્વાચાર્યોનાં કેટલાંક ધાર્મિક પુસ્તકો પાઠ્યપુસ્તકોમાં રાખીને પોતાનું પ્રચારકાર્ય આગળ વધારે છે. એટલું જ નહીં, પણ બનતાં સુધી આધુનિક જૈન કે જૈનેતર લેખકોનાં લખેલાં પાઠ્યપુસ્તકો પણ એવા જ પસંદ કરવા કોશિશ કરે છે, કે જૈન દષ્ટિ પોષાવાને બદલે તેને હલકી પાડે, અને આજના જડવાદના જમાનાની દષ્ટિ વધુ સારા પ્રમાણમાં ખીલવે તેવા હોય છે. આમ હોય, તો દુર્બુદ્ધિનોયે બચાવ કરવો મુશ્કેલ પડશે. પરંતુ હજુ એટલું સારું છે કે તે અને તેની “પૃષ્ટપોષક જૈન કૉન્ફરન્સ નામની સંસ્થા જૈન સંસ્થા છે કે કેમ ?” એવી જાતની પણ શંકા પણ જનસમાજને થતી જાય છે. અને તેની પાછળ રહેલ નુકસાનકારક તત્ત્વો જણાતાં તેની નામની પણ જે લોકપ્રિયતા હતી, તે તૂટી પડી છે અને તૂટતી જાય છે. છતાં ઘણા સરળ અને અજ્ઞાનભાઈઓ - તે સંસ્થાએ પોતાના કાર્યક્રમોમાં જોડેલા ધાર્મિક શબ્દો અને કામચલાઉ કેટલાંક કાર્યો ઉપરથી - ભુલાવામાં પડે છે. પરંતુ તેનો ઉપાય તેવા ભાઈઓની તે પ્રકારના અજ્ઞાનની નિવૃત્તિ વાત્સલ્યભાવે સુજ્ઞ પુરુષોએ કરવી જોઈએ, તે છે. તે સિવાય બીજો ઉપાય નથી. દંભનો શિકાર ભોળપણ કાયમ થયા જ કરે, એ જગતનો સામાન્ય નિયમ છે. ૧૬. અહીં એમ કહેવામાં આવશે કે, “અરેભાઈ ! અમો ક્રિયાથી લેશમાત્ર વિરુદ્ધ નથી. પરંતુ ગચ્છેગચ્છની મારામારી વગર સમયે કેવળ રટણ કરવું, જીવનમાં તેનો કશો ભાસ ન પડે, આજે જગતમાં ઈતર પ્રજાઓ જોરથી આગળ વધી રહેલ છે, તેવા સમયમાં તેઓની સાથે હરીફાઈમાં ઊભા રહેવું જોઈએ. તેને બદલે આવી શુષ્ક ક્રિયાઓની પાછળ એક મિનિટ પણ કેમ કાઢી શકાય ? અને જ્ઞાન હશે તો ક્રિયાની યથાર્થતા સમજાતાં જરૂર સારામાં સારી ક્રિયા કરનારો એક વર્ગ ઉત્પન્ન થશે, કે જે ક્રિયાની ઉત્તમ પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી, સારી રીતે ક્રિયાને ટકાવશે.” આ બધી દલીલો કેવળ શાબ્દિક છે ને અર્થશૂન્ય છે. પરંતુ સારી ક્રિયા લાવવાને બદલે છે, તેનો પણ ઉચ્છેદ કરવામાં પરિણમે તે જાતની વિચિત્ર છે. ગચ્છ ગચ્છની મારામારીને મોટું સ્વરૂપ આપવામાં આવેલું છે, પરંતુ જે ગચ્છને જે ક્રિયા કરવી હોય, તે ભલે કરે, દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની, સમાજની, અને ધંધાની ચાલતી આવતી ક્રિયામાં ચાલુ રહે, તો જ પરદેશીઓની ગુલામી આપણામાંથી દૂર રહેવાની છે. અને જેટલી ક્રિયા, તે તે ધર્મોમાં આજે ચાલુ છે તેટલી ગુલામી દૂર રહી છે. જેટલી અને જેણે જે જે ક્રિયા છોડી છે, તેટલી જ ગુલામી તેટલા લોકો પર જ ચડી બેઠી છે. અને જેટલાઓ તે સંસ્કૃતિમાં પલોટાયા છે, તેટલાઓ તેના જ વિચારો કરતા હોવાથી માનસિક ગુલામો છે. તે ભાષા બોલતાં અને વાંચતાં હોવાથી વાચિક ગુલામો છે. અને તેમાંના ધંધા અને રહેણીકરણી રાખતા હોવાથી કાયિક ગુલામો છે. પછી તે દેશનેતા હોય, પટાવાળો હોય કે મોટો બૅરિસ્ટર હોય કે મોટો દીવાન હોય, આ નગ્ન સત્ય છે. જે દરેક ધર્મવાળા અને વર્ગો પોતપોતાની ક્રિયાઓમાં મકકમ રહે, તો પરદેશીઓ કાંઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર પંચ પ્રતિક્રમણ સૂત્રો પણ કરી શકે તેમ નથી. એ જ ખરું સ્વરાજ્ય છે, સ્વાતંત્ર્ય છે. “બાપના કૂવામાં ડૂબી મરવું? માટે આગળ વધો. સુધારો કરો.” વગેરે ઉપદેશો મૂળ ભૂમિકામાંથી પ્રજાને ચલિત કરવા માટે હતા. આપણા જીવનની સર્વ ક્રિયાઓ છોડાવવી અને તેને ઠેકાણે પરદેશીઓની ક્રિયા શીખવવી એ જ પરદેશીઓનું સ્વાર્થી ધ્યેય તેમાં જણાય છે. તેમાં જ મદદ કરનારા આ દેશના લોકો તેના અનુયાયીઓ ગણાય છે. અને તેઓના વર્ગમાં માનપાત્ર તે જ ગણાય છે. બીજા શબ્દોમાં દેશીઓ તેને “કુહાડાના હાથા” ગણે છે. વળી, પરદેશીઓની હરીફાઈમાં ઊભા રહેવું એટલે તેમને ચીલે ચડવું, અને આપણા માર્ગો છોડી દેવા. ગુલામીની જંજીર પોતાને હાથે પોતાના ગળામાં પહેરીને પછી સ્વાતંત્ર્ય માટે લડવા નીકળવું. એ રાંડયાં પછીના ડહાપણ” જેવું છે. જો કે પરદેશીઓના પ્રચારકાર્યની એ સફળતા છે, તેઓની એ બહાદુરી છે. પરંતુ હરીફાઈમાં ઊભા રહેવાની ભ્રમણામાં ગુલામીનો વધુ સ્વીકાર કરવાની યોજના ગોઠવાયેલી છે, તે આપણા દેશભાઈઓના ખ્યાલમાં નથી. ગચ્છની ચર્ચાઓ તો વકીલોના પક્ષવાદિત્વ જેવી છે, તેથી દેશને કે પ્રજાજીવનને કશું નુકસાન નથી થયું. પરંતુ કેટલાક અર્થમાં કયાંક પ્રજાની જાગૃતિ ટકાવવા રૂપ ફાયદો પણ થયો છે શુષ્કતા કે હૃદયની રસિકતા અંદરના રસનો વિષય છે. આડે રસ્તે દોરવવામાં આવેલું માનસ જ્યાં સુધી સમજદાર ન બને, ત્યાં સુધી તેને સન્માર્ગમાં પણ શુષ્કતા લાગે અને ઉન્માર્ગમાં રસિકતા લાગે. દારૂડિયાનો દાખલો આને માટે બસ થશે. આજનું શિક્ષણ અને પ્રચારકાર્ય, કલ્પના શકિતવાળા લોકોને મોટા બનાવી, જુદે જ માર્ગે દોરવી જવાની ખૂબીભરેલી મોટા પાયા ઉપર ચાલતી યોજનાઓથી નવી નવી ક્ષદ્ર રસોત્પાદક પ્રવૃત્તિઓમાં પ્રજાનું માનસ રોકી રાખે છે. એટલે ગંભીર અને સુરસભરી વસ્તુઓમાં શુદ્ધ રુચિ ને કંટાળો આવે, એ સ્વાભાવિક છે. પરંતુ તેટલા ઉપરથી કિંમતી વસ્તુની કિંમત ઘટતી નથી. સિનેમાના ઉશ્કેરનારા દેખાવોની કિંમત વિદ્વાનના ભાષણ જેટલી નથી હોતી. અને વિદ્વાનના લાંબા ભાષણ કરતાં મહાત્માના ટૂંક ઉપદેશની અનેક ગણી કિંમત હોય છે. જ્ઞાનની સામે કોઈનેય વાંધો ન હોય. પરંતુ અનેક મહાત્માઓએ ઉગ્ર તપશ્ચર્યાથી ક્રિયાને રસ્તે ચડાવેલી પ્રજાને, જ્ઞાનને બહાને તે માર્ગ છોડાવી દીધા પછી ફરીથી તેને તે રસ્તે ચડાવવી અશકય જ છે. જ્ઞાન થવા છતાં વારસાથી ક્રિયા છૂટ્યા પછી કોઈ અપવાદ સિવાય કોઈ પણ ક્રિયા કરી શકતા નથી. શિક્ષણ સંસ્થાઓમાં પણ કેટલાક વિષયોની ક્રિયાઓના જ્ઞાનમાત્રથી ચાલતું નથી. તેવા વિષયોની ક્રિયાત્મક તાલીમ દેવી જ પડે છે. વ્યાયામ કે સંગીત, માત્ર શાસ્ત્રમાં વાંચવા કે તેનાં ઊંડાં તત્ત્વો સમજવા માત્રથી કસરતબાજ કે ઉસ્તાદ ગવૈયા થવાતું નથી. જ્ઞાનનું પરિણામ ક્રિયા છે, ક્રિયા કરતી પ્રજામાં માનગર્ભિત રીતે સમાય છે પણ ક્રિયા છોડાવીને જ્ઞાન તરફ લક્ષ્ય કેન્દ્ર કરવામાં પ્રજાને એક પગલું ઉતારવા બરાબર છે. જૈન ધર્મ ક્રિયાત્મક પ્રધાનતાવાળો ધર્મ છે. તેનાં શાસ્ત્રોની અને તત્વજ્ઞાનની રચના જ તન્મય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ક્રિયાઓ ધર્મોનો અને એકંદર પ્રજાના જીવનનો પ્રાણ છે. તેનો પ્રવાહ જેવા સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં ચાલવા દેવો જોઈએ, અને સાથે તેમાં જ્ઞાનનો ઉમેરો જરૂર કરવો જોઈએ. એટલે આપણે સંઘના સભ્યોએ ક્રિયા સાથે જ્ઞાન જોડવું જોઈએ. નહીં કે જ્ઞાન કર્યા પછી ક્રિયા કરવી. અલબત્ત, ધર્મમાં નવા દાખલ થનાર માટે પ્રથમ અધિગમરૂપ જ્ઞાન અને પછી ક્રિયા. અને તેની સાથે સમ્યજ્ઞાન રૂપ જ્ઞાન હોવું જોઈએ. તે અધિગમ રૂપ જ્ઞાનની અપેક્ષાએ – પઢમં નાણું તઓ દયા. એ દશવૈકાલિક સૂત્રનું લક્ષ્ય છે. ક્રિયાકાંડની નિંદા કરીને જ્ઞાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પરંતુ ક્રિયાકાંડ શબ્દનો ખરો ચરિતાર્થ વૈદિક યજ્ઞાદિ હિંસા ક્રિયાકાંડને લાગુ છે. તેને બદલે તેની ટીકાના શબ્દો આપણી નિરપાય અને કલ્યાણકર ક્રિયા સાથે જોડીને નિંદવામાં આવે છે. કેટલું વિચિત્ર છે ? 33 આજે જ્ઞાન આપવામાં પણ ખરું જ્ઞાન આપવાની વૃત્તિ નથી. પરંતુ જ્ઞાનની વાત આગળ કરીને લોકોને ક્રિયા છોડાવવાની ગર્ભિત કાતિલ ગોઠવણ છે. માટે તે જ્ઞાન પણ વિનાશક છે. પ્રજાને ઊતરતે પગથિયે ઉતારે છે. ઓછામાં પૂરું, જ્ઞાન શબ્દ નીચે બીજું જ ગુલામીની તાલીમનું જ્ઞાન અપાય છે, જેથી પ્રજાની સાચી સમજણ અને યોગ્યમાર્ગ ભુલાઈ જઈ, પ્રજા જુદું જ અધ:પાતને રસ્તે ચડતી જાય છે. આજની સીવીલાઈઝ પ્રજાઓ આપણા દેશના તમામ ધર્મવાળાની, ધંધાવાળાની, સમજવાળાની પ્રથમની તમામ ક્રિયાઓ છોડાવવા પ્રયાસો કરે, કરાવે છે. પરંતુ તેઓ પોતે તો ખૂબ ક્રિયા કરે છે. હવે તો તેઓ તેઓના પાદરીઓનાં હાડકાં ખોદાવીને તેને આમથી તેમ લઈ જઈને પ્રજા પાસે માન અપાવવાની ક્રિયા કરે છે. હિંદમાં પણ કોઈ એક પર્વત પર ખ્રિસ્તી તીર્થસ્થાનોના પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આપણાં પવિત્ર તીર્થોની પવિત્રતાને જોખમ લાગે તેવા પ્રયાસો આડકતરા ચાલે છે. તેમાંના એક અંકુરા તરીકે શત્રુંજયની તળેટીમાં મકાનોના વધારાની અને ઉપર સડક બાંધવાની હવા છે. આજની વાતોનું પરિણામ ભાવિમાં કાંઈ ને કાંઈ અચૂક આવે છે. એટલે હવે, આ કલમમાં પ્રથમ જણાવવામાં આવેલા વિચારો ગમે તેના હોય, તે કોઈના વિચારોની આડે આવવા અમો માગતા નથી. પરંતુ ‘‘પોતાના ક્રિયા વિરુદ્ધના વિચારો જૈન દૃષ્ટિબિંદુથી કસાયેલા છે, અને જૈનોના ભલા માટે છે.” આ જાતનું સદંતર જૂઠાણું ચલાવવું તે પાપ છે. એ સમજાશે. ,, સામાન્ય જનસમાજની સારી ક્રિયા કરાવવાને બહાને ચાલુ ક્રિયા છોડાવી દેવાથી નવી સારી આવે તેમ નથી, અને જૂની કાયમ રહે તેમ નથી. એમ બન્નેય રીતે ભ્રષ્ટ થવાનું છે. જો તેઓને નવી ક્રિયા સારી રીતે કરાવવાનો પ્રચાર ઇષ્ટ હોત, તો ક્રિયાની સામે વિરોધના પ્રચારકો સારામાં સારી ધાર્મિક ક્રિયા કરતા થઈ ગયા હોત. પરંતુ ક્રિયાની વાત નીકળતાં જ કાને હાથ દેનારા હોય, તે આજે વધારે સારા સુધારક આગેવાન ગણાય છે. કેટલાક ભોળા શ્રીમંતો મીઠી વાતથી ભોળવાઈને તેઓના મંડળમાં અટવાય છે. પરંતુ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેમાં ચારેય તરફ અંધારું જુએ છે, ત્યારે મૂંઝાય છે. પણ તે જાળમાંથી નીકળવાનો માર્ગ મળતો નથી, ને વધુ ગૂંચવાય છે. શ્રી સંઘના સમજુ આગેવાનોએ કાં તો આ વસ્તુસ્થિતિ સમજાવીને તેઓને ઠેકાણે લાવવા જોઈએ, અથવા તો આવી દંભી પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. નહીંતર, તે વલણ જૈન ધર્મને, સંઘને અને ઊછરતી પ્રજાના હિતને અને ભારતની સમસ્ત આર્ય પ્રજાને ઘણું નુકસાન પહોંચાડશે. આ જમાનો એક ઘાએ બે પક્ષી પાડે છે. ક્રિયા અને ધાર્મિક પ્રવૃત્તિઓની નિંદા કરાવી, તે છોડાવે છે. તેમાં થતા ખર્ચ અટકાવે છે. અંતે તે જ મહેનત અને પૈસા જમાનાને અનુસરતી પોતાના લાભમાં ક્રિયા અને પ્રવૃત્તિ કરાવી પ્રજાનો સહકાર મેળવી પ્રજાને નબળી પાડે છે, અને પોતે ભવિષ્યને માટે અહીંના લોકોમાં વધુ ગુલામી પ્રવેશાવવા વધારે સજ્જ થઈ શકે છે. ક્રિયાઓ છોડીને દોડધામ કરી રહેલા આજે જોઈ શકે છે કે, પરિણામમાં પ્રજામાં નબળાઈ અને બેકારીનું પરિણામ મેળવી રહ્યા છે. તે જોઈ શકયા છે છતાં ચેતતા નથી. અને હજુ તેની વિરુદ્ધના પ્રચારકાર્યમાં મદદગાર થાય છે. આ દેશમાં રોકાયેલી પરદેશી મૂડી અને ગોઠવાયેલી યોજનાઓ અહીંના લોકો પાસે શારીરિક અને માનસિક વધુમાં વધુ કામ લઈને જોરમાં આવે છે. ને જ્યારે એ યોજનાઓ થોડો વખત બંધ પાડે છે, અને મૂડી પાછી ખેંચી લે છે, ત્યારે ચારેય તરફ બેકારી અને નિરાશાનું વાતાવરણ ફેલાઈ જાય છે. સારાંશ કે, અમારા સુધારક ભાઈઓ દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવે છે. આંધળું દળે ને કૂતરાં ચાટે એવી સ્થિતિ થાય છે. માટે આર્ય જીવનની ક્રિયામાં મશગૂલ રહેવું, તેને ઉત્તેજના આપવી. તેનાં ઈનામો તેની સ્કૉલરશિપો કાઢવી, તેના ઉત્સવો કરવા. એ ધન ખર્ચવાનો ઉચ્ચ માર્ગ છે. અને આજની જાળથી બચવાનો મોટામાં મોટો માર્ગ છે. અમને લાગે છે કે, જૈન ધાર્મિક ક્રિયાની વિરુદ્ધમાં પ્રચારવામાં આવેલી અયોગ્ય દલીલોના સચોટ જવાબો અમારી આ ભૂમિકાના આટલા પેઈજેમાં સમાઈ જાય છે. બીજી નાની મોટી અનેક દલીલો છે. પરંતુ તે દરેકનો આમાં સમાવેશ થઈ જાય છે. પરંતુ જેને માનવું નથી, આ બધાનો વિચાર કરવાનો નથી, તેની સામે તો એક પણ દલીલ નકામી છે તેમજ લાખો દલીલો પણ નકામી છે. હા તે નર રતિ ૪૯. અહીં કેટલાક પક્ષપાતી લોકો તરફથી થોડીક દલીલો એ કરવામાં આવે છે કે, ૧. “આપણી આજની અવનતિનું કારણ આપણે બરાબર ક્રિયા કરતા નથી, તે છે. માટે બરાબર હેતુ સમજીને યથાર્થ વિધિપૂર્વક તે કરવી જોઈએ.” ૨. આજે કેટલાક શાસ્ત્રીય ઊંડાણ પ્રમાણે ક્રિયા કરાવવા માગે છે, જેમ બને તેમ વધારે સંગીન રૂપમાં ક્રિયા કરાવવી જોઈએ એમ માને છે. તે બન્નેયમાં અર્ધસત્ય છે. કેમ કે, Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા (૧) પહેલી દલીલમાં માર્મિક રીતે આજની અવનત સ્થિતિનો ક્રિયા ઉપર જ દોષ ઢોળાય છે. “પોતપોતાની શક્તિ પ્રમાણે ઓછી વધતી ક્રિયા કરનારા જ આજની અવનતિનું મૂળ છે.” એવો ગર્ભિત આક્ષેપ તેમાં પડેલો છે. અને સારામાં સારી રીતે ક્રિયા કરવાના આકર્ષક વાકયથી દલીલ તરફ જનસમાજનું લક્ષ્ય ખેંચવાની યુકિત છે. એટલે સારામાં સારી થાય નહીં, ને જન સમાજ ક્રિયા કરી શકે નહીં. યથાશકિત જે થતી હોય, તેય બંધ પડે. એટલે એ દલીલ પણ ગોળે વટલી વિષની ગોળી જેવી કોઈ મુત્સદીએ જ પ્રચારમાં મૂકેલી છે, જે અગ્રાહ્ય છે. - (૨) બીજી દલીલ પણ એવી જ હાનિકારક છે. “ઊંચામાં ઊંચા દરજે ક્રિયા કરવી જોઈએ.” એ સારી વાત છે. પરંતુ કાળક્રમે કુદરતી રીતે જનસમાજ જે દરજજા ઉપર ઊભો હોય તે જાતની શકિત પ્રમાણે ક્રિયા તે કરી શકે. તેને ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરવાથી તે મૂળ ભૂમિકા ઉપરથી ચુત થાય. અને ઉચ્ચ કાર્યક્રમ તો કોઈ અપવાદ સિવાય સર્વને માટે શકય ન બને. એટલે પણ મૂળ ભૂમિકા ઉપરથી પાડી નાંખવાના કામમાં એ દલીલનો ઉપયોગ થાય છે. ૩. વળી આપણા પૂર્વજોએ તીર્થંકર, ગણધરાદિ આચાર્યોના પરિચયમાં આવીને સમજપૂર્વક ધર્મનો સ્વીકાર કર્યા બાદ, જીવનમાં અને વારસાથી કુટુંબમાં તેની ક્રિયા ઉતાર્યા બાદ, ફરીથી તેને બાજુએ રાખીને જ્ઞાન તરફ વળવું, એ સમ્યગું ચારિત્રના પગથિયાથી ઊતરવા બરાબર છે, જે ચડેલાને હાનિકારક ગણાય. સમજીને સ્વીકાર્યા બાદ સંશય થવાથી ફરીથી સમજવાને પ્રયત્ન કરાવવો, એ સિદ્ધ સાધન દોષ છે. છતાં આવા આવા વિચારો વાતાવરણમાં વહેતા મૂકીને અને અવળું સમજાવીને અને કૃત્રિમ પુરાતત્ત્વની મદદથી “તમો સમજો છો, તે કરતાં ભૂતકાળમાં જુદું હતું, અને તમારા બાપદાદાઓએ જુદું સ્વીકાર્યું હતું. એટલે હાલ તો ભૂલમાં છો” એમ ભુલાવીને પરદેશીઓ અહીંની પ્રજાની શ્રદ્ધા ચલિત કરી શકેલ છે. અને આવું આવું સમજાવવા જ જુદાં જુદાં બહાનાં નીચે છતાં પોતાના હિતની સિદ્ધિ માટેની કેળવણીની સંસ્થાઓ સ્થાપવામાં તો – પહેલાં “લોકો ભણશે, તો પોતાના ધર્મની ક્રિયાઓ સમજીને સારી રીતે કરી શકશે. માટે કેળવણીની આવશ્યકતા છે” એવી દલીલોથી પ્રજાનો સહકાર મેળવી શકે છે. પરંતુ તેને રસ્તે બુદ્ધિ ચડાવી દેવામાં આપણને લાભ નથી થયો. લાભ છે પણ નહીં જ. પુરાતત્ત્વની શોધો પણ આવી જ રીતે ચાલુ બુદ્ધિમાં ભેદ કરવાના કામમાં આવે તેવી રીતે ચલાવેલ છે. પ્રાચીનતાપ્રિય આ દેશની પ્રજાની સામે પ્રાચીન વસ્તુઓ મુકાય, તે તેના દિલને આકર્ષણ કરનારી જરૂર થાય છે. એ પ્રમાણે દિલ આકર્ષાયા પછી ભળતી જ વાતો તેમની સામે મૂકીને શ્રદ્ધા ચલિત કરવામાં તેનો ઘણી સારી રીતે ઉપયોગ થયો છે, ને થાય છે. પુરાતત્ત્વ અહીંની ઐતિહાસિક ગવેષણાઓમાં ભારે ખોટી ભ્રમણાઓ મોટા મોટા માણસોના દિલમાં અને કેટલાક જુવાનોના દિલમાં ખાસ ઉત્પન્ન કરી છે. સારાંશ કે, ઉપાશ્રયોમાં અને મંદિરોમાં ચાલુ સંજોગો પ્રમાણે જે ક્રિયા ચાલે છે, તેથી જ આપણે સંતોષ માનવો જોઈએ. તે ખરા દ્રવ્ય, કાળ, ભાવ, ક્ષેત્ર છે. અને ઊછરતી પ્રજામાંથી Page #41 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ક્રિયા ઓછી થાય, તેવા પ્રયાસો આધુનિક કેળવણીમાં અને જુદી જુદી આપણી ગણાતી નવીન પ્રકારની સંસ્થાઓમાં ગોઠવાયેલ છે, તેમાંથી અને દેશમાંથી તે તત્ત્વો નીકળી જાય કે ઓછાં થાય, તેવા પ્રયાસો કરવા જોઈએ. અને ક્રિયાની ખૂબી તથા તેની સાથે સંકળાયેલું પ્રજાકીય, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, આત્મિક હિત પ્રજાને સમજાવવું જોઈએ. કેળવાયેલા કે નવી સંસ્થાના મેમ્બરો ચાલુ જમાનાના કાર્યક્ષેત્રમાં ઉપયોગી થાય કે ન થાય, પરંતુ હિંદના પૂર્વાપરના જીવનમાંથી દૂર રહે, અને બીજાને રાખે તો પણ સારું.” એ આજની કેળવણી અને નવી સંસ્થાઓનું મુખ્ય ધ્યેય હોય છે, આર્ય જીવનને આ જેવો તેવો ફટકો નથી. મહાસભા સ્વરાજ્ય મેળવેકેન મેળવે. પણ દેશી રાજાઓ, ધર્મગુરુઓ, શેઠ-શાહુકારો, સંઘો, મહાજનો, જ્ઞાતિઓ અને તેવા વિચારના પ્રજાજનો સાથે મેળવીને તૈયાર કરેલા લોકો ભળી શકે નહીં, માટે તેવા લોકો એકઠા થઈને કામ કરવા માટે મહાસભા ઊભી કરી આપીને, તેનું વાતાવરણ કાયમ ઉગ્ર રાખવામાં આવે છે. આ મોટામાં મોટી પ્રજા વચ્ચે ચિરાડ છે. જે પ્રજામાં કુસંપ ઊભો રાખે છે, કેળવે છે, જે પરદેશીઓને બન્નેય વર્ગને પોતાના હાથમાં નચાવવાને ઉપયોગી થાય છે. ૪. કેટલાક “એકાંતમાં શાંતિ રહે છે.” એમ કહીને ઉપાશ્રયની મંડળીમાં ક્રિયાનો ગર્ભિત રીતે વિરોધ કરે છે, તેમ કરવાથી તે શાંતિની વાત પણ ઉત્તેજનાપાત્ર નથી. જાહેર ક્રિયા ઉપાશ્રયમાં માંડલીમાં જ થવી જોઈએ, મુનિ મહારાજાઓએ પણ માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ, અને માંડલીમાં ક્રિયા કરનારા કેમ વધે ? તેવા પ્રયાસો કરવા જોઈએ. કાર્યપ્રસંગને લીધે માંડલીમાં ન પહોંચી શકાય, તો છેવટે એકાંતમાં પણ કરી લેવું પડે, એ વાત જુદી છે. કેમકે પ્રતિક્રમણ જાહેર સંઘમાં કરવાની ક્રિયા છે, એ ભુલાવું ન જોઈએ. ૫૦. આવી આધ્યાત્મિક પવિત્ર જાહેર ક્રિયા ઉત્પન્ન કરીને જૈન ધર્મે જગત ઉપર મહાન ઉપકાર કરેલો છે. જગતને તે આપણે સમજાવવું જોઈએ. છેલ્લાં પચાસ વર્ષમાં કેટલાક ભણેલા તો આવા મહાન ધર્મનાં છિદ્રો ખોળવા અને તેના અછતા દોષોનું ઉદ્દભાવન કરી તેને હલકો પાડવાનો જ કેમ જાણે ધંધો લઈ બેઠેલા હોય, અને તે મારફત ધીકતી આજીવિકા ચલાવતા હોય, તેમ પણ જોવામાં આવે છે. પરંતુ આવી મહાન કલ્યાણકારી વસ્તુઓમાં છિદ્રો શોધવાને બદલે, તે બાજુમાં રાખીને, તેની જે કાંઈ રચનાત્મકતા, કલ્યાણકારિતા, ભવ્યતા છે, તે જગતને સમજાવવી જોઈએ. એ કર્તવ્ય હતું. તેને બદલે બીજું છિદ્ર ન મળે તો ઐતિહાસિક અનૈતિહાસિકને નામે સંશય એક વાર તો ઊભો કરે, પછી ભલે તે ન ટકે. પણ એક વાર પ્રજાને ભ્રમણામાં પાડવા પ્રયાસ કરી જુએ છે. જો કે આ ગ્રંથમાં રચનાત્મક દષ્ટિબિંદુ મુખ્ય રાખીને તમામ વિવેચન કરવામાં આવેલું છે. એક વિશાળ અને સુંદર મકાનમાં પડેલા ડાઘા બતાવી ભડકાવી તેની શીતળ છાયાથી લોકોને વંચિત રાખવાનો એક પ્રયાસ એક અધમ પ્રયાસ છે. તેની મરામતની બુદ્ધિથી એ ડાઘા બતાવવા જે કે હિતકારક છે. પરંતુ તે બુદ્ધિ નથી. માત્ર નિંદકોનું અંધ અનુસરણ જ છે. તેના Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૩૭ ૩૭ લાભથી તત્કાલ ચૂકવવાના પ્રયાસરૂપ હોવાથી, તે પ્રયાસ નિંદાપાત્ર અને ત્યાજ્ય છે. ૫૧. કોઈ પણ વ્યકિત, સંસ્થા કે સમુદાય તરફ અમારે વ્યકિતગત કશા પણ મનદુ:ખનું કારણ નથી. માત્ર સર્વના હિતની દષ્ટિથી અમોએ જૈન ધર્મ અને શાસનનું દષ્ટિબિંદુ સમજાવવા આ ગ્રંથમાં પ્રયાસ કરેલ છે. તે તરફ ખ્યાલ રાખીને હિતસ્વી ઉપદેશ સ્વીકારશે, તો સ્વપરનું કલ્યાણ થશે. પર, એક વાત તરફ જૈન બંધુઓનું ધ્યાન ખેંચીએ છીએ કે, આજનું વિજ્ઞાન પોતાની પ્રતિષ્ઠાનો પ્રચાર ભારે ફટાટોપથી મોટા પાયા પર કરે છે. અને તે એવો દાવો કરીને કે, “લોકો શ્રદ્ધાથી ધર્મને ભલે માને, પરંતુ વિજ્ઞાન વિના જગતનું સ્વરૂપ જ્ઞાનપૂર્વક સમજાશે નહીં. માટે તે ખીલવવું જોઈએ. વિજ્ઞાન ધર્મની આડે આવવા માગતું નથી, પરંતુ વિજ્ઞાનની શુદ્ધ ખિલવણીમાં ધર્મો આડે આવશે, તો કચડાઈ જશે. વિજ્ઞાન પ્રજાકીય કે રાજદ્વારી સ્વાર્થોથી અલિપ્ત છે તે પોતાના શુદ્ધ અને સ્વતંત્ર માર્ગે જ ચાલ્યું જાય છે.” પરંતુ આ પણ એક દંભી અને ભેદી વાળ છે. વિજ્ઞાન પ્રજાકીય અને રાજકીય સ્વાર્થમાંથી જ ઉત્પન્ન થયું છે અને તે માટે જ વિકસે છે, વિકસાવવામાં આવે છે. તેથી અલિપ્ત હોવાનો કેવળ ડોળ કરવામાં આવ્યો છે અને આવે છે. બહુ જ ઊંડા ઊતરીને જોઈશું તો ગોરી સિવાયની બીજી પ્રજાઓના ધંધારોજગારો અને વિચારો અને ભાવનાઓને પલટાવવા ઈરાદાપૂર્વક અમુક વિજ્ઞાનો ખીલે છે અને પ્રસરે છે, તેમજ ગોરી પ્રજાની દરેક બાબતમાં સરસાઈ વધારે તેવા ઈરાદાપૂર્વક રાષ્ટ્રીય હેતુઓ ધ્યાનમાં રાખીને તે પ્રજાઓ અને રાજકીય સંસ્થાઓ મારફત તેને ખીલવવામાં આવેલ છે. તેમજ લાગવગથી તેના વકરાનાં ક્ષેત્રો દેશદેશ ઉઘાડવામાં આવ્યા છે. તે વખતે કોઈનાયે હિતની પરવા કરવામાં આવી નથી. રાજ્યદ્વારી સંધિઓમાં પણ તેના વકરાને લગતી એટલે કે, પ્રથમની વસ્તુઓનો વકરો દુનિયામાં ઘટે અને આજના વિજ્ઞાનની મદદથી તૈયાર થયેલી વસ્તુઓનો વકરો વધે, તેવી કલમો જોવામાં આવે છે. તેનો નફો વહેંચવા માટે ભલે તેઓ અંદરોઅંદર લડે પણ વિજ્ઞાનની ચીજોના વકરા માટે દેશોદેશનાં બજારો હાથ કરવા દરેક ગોરાં રાષ્ટ્રો અંદરોઅંદર મળેલાં જણાય છે. વળી વિજ્ઞાન કદી સંપૂર્ણ શોધી શકાય તેમ છે જ નહીં. કુદરતનો ખજાનો એટલો બધો અગાધ છે, કે તેની સંપૂર્ણ શોધ છદ્મસ્થ કરોડો માણસોની બુદ્ધિથીયે પર છે. વિજ્ઞાનની શોધ પૂરી થયા વિના પણ, માત્ર આજે લોકોનો બુદ્ધિભેદ કરીને અમુક વખત સુધી જગતની શાંતિ ડોળે, અને પોતાનો લાભ ઉઠાવી લે- “બગલાને ડહોળ્ય લાભ.” એટલું જ તેનું પરિણામ છે. આખર તો મહાત્માઓના માર્ગે જગતને આવવું જ પડશે. તો જેઓ આજે વિજ્ઞાન સિદ્ધ કરતાંયે ઊંચા તત્ત્વજ્ઞાન રૂપ સાધનથી સિદ્ધ મહાપુરુષોના માર્ગમાં છે, તેઓએ શા માટે તે માર્ગ છોડી વિજ્ઞાનનો વિશ્વાસ કરવો ? તેવા વિજ્ઞાનના અવ્યવસ્થિત ઘડેલા માર્ગ ઉપર મદાર બાંધી નિ:સ્વાર્થી સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા રત્નત્રયાત્મક માર્ગથી ચલિત થવું, તેના જેવી મૂર્ખાઈ કઈ હોઈ શકે ? તે દૂધને બદલે ઘાસલેટ પીવા જેવું ગણાય. પરંતુ વિજ્ઞાનના પ્રચારને માટે પ્રજાને જેટલી રીતે આકર્ષી શકાય, જેટલી રીતે લલચાવી શકાય, જેટલી રીતે ભોળવી શકાય, તેવા વિદ્વાનો અને મજબૂત માણસો મારફત કરોડોના ખર્ચથી પ્રચારકાર્ય ચાલી રહ્યું છે. તેથી તેમાં ઘણા મગજ અને માણસો સંડોવાયા છે, માટે તે હિતકારક હશે, એમ માનવાને પણ કારણ નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ત્યાંના વૈજ્ઞાનિકોને બોલાવીને પરદેશી મુત્સદ્દીઓ એવી વાત કહે છે કે, “જગતની બીજી પ્રજાઓ આજના વિજ્ઞાનથી કચડાઈને કકળાટ કરી ઊઠી છે કે, આ વિજ્ઞાને અમારી સંપત્તિ હરી લઈને અમને બેકાર બનાવી મૂક્યા છે. અમારું સત્ત્વ હણી રહેલ છે. માટે તમે હવે તે બંધ કરાવો.” ત્યારે વૈજ્ઞાનિકો જવાબ આપે છે કે, “વિજ્ઞાનની શોધો કુદરતી શરૂ થઈ ચૂકી છે. તે બંધ થઈ શકે તેવો કોઈ સંજોગ નથી. તેનું ધ્યેય જગત(ગૌરી પ્રજા)નું કલ્યાણ છે, અને તેને અનુસરીને તે પોતાને માર્ગે કોઈ પણ સ્વાર્થોથી અલિપ્ત રહીને ચાલ્યું જશે. ભલે તેમાં એક વખત કોઈ પ્રજા કે તેના ઉપાંગો કચડાઈ જાય, પણ આખરે તેમાંથી કલ્યાણ જ જન્મશે.” દુનિયાને કહી શકાય કે, “કહો, હવે આમાં અમે શું કરી શકીએ ? કુદરત આગળ કોઈનું શું ચાલે ?” એમ સમજાવવા માટે જ આ સવાલ-જવાબ છે. અને કદાચ બહારથી રાષ્ટ્ર અને વૈજ્ઞાનિકો પરસ્પરનો સંબંધ તોડી નાંખવાના પ્રયાસ પણ કરે, પરંતુ આજ સુધી એવા સંબંધથી તેને એવું પગભર કરી મૂક્યું છે, કે તેને હવે રાષ્ટ્રિય સત્તાની મદદની જરૂર નથી. એટલે તે બંનેય ખાતાં અમુક વખતને માટે બહારથી જુદાં પડી જાય, તો તેમાં નવાઈ પામવા જેવું નથી, પરંતુ વિજ્ઞાનનો ઉપયોગ જગતની કાળી પ્રજાઓને કચડવામાં થઈ રહ્યો છે અને થશે તેમાં સંશયને અવકાશ નથી. અને તે કચડાયા પછી ગોરી પ્રજા અંદરોઅંદર ન કચડાઈ મરે, તેવો પ્રસંગ આવતાં વિજ્ઞાનની શોધો એકાએક બંધ પડશે એટલે જ વિજ્ઞાન પાછળ આ કામચલાઉ અને કૃત્રિમ પ્રયાસ છે. આજની લડાઈઓ વિજ્ઞાનનો ઉપયોગ, જાહેરાત અને બળ બતાવવા માટે જગતની દરેક ગોરી પ્રજાનાં રાષ્ટ્રોને હાલમાં ઈષ્ટ જણાય છે. આવી વૈજ્ઞાનિક લડાઈઓથી વિજ્ઞાનને ટેકો મળે છે, વધારે વિકસવા માટે તે પગભર થઈ શકે છે. એટલે જેમ જેમ વિજ્ઞાન પગભર થતું જાય, તેમ તેમ નબળી પ્રજાઓ ઉપર ભય વધુ જ જામતો જાય, એ સ્વાભાવિક છે. રાજ્ય સંસ્થા તરફની આપણી પૂર્વાપરથી વફાદારી ટકાવી રાખવી, રાખવાનું વલણ એ જુદી વસ્તુ છે, અને આજની પ્રજાઓની અંદર અંદરની અથડામણીનાં કારણો ધ્યાનમાં લેવાં, એ જુદી વાત છે. કાળી પ્રજામાં પણ વિજ્ઞાનની કેળવણી આપવાના સામાન્ય પ્રયાસો થાય છે. તે તો તેની ખિલવણીમાં મદદગાર માણસો વધુ મેળવવા અને કાળી પ્રજામાં અંદરો અંદરના માણસો ભારત વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરાવવાની જાહેરાતમાં ઉપયોગી થાય, તેવા મોટા પગારો આપીને માણસો મેળવી લેવા માટે હોય તેમ જણાય છે. ૫૩. હમણાં વળી તત્ત્વજ્ઞાનની વાતો કરનાર વિદ્વાનો નીકળી પડ્યા છે. તે પણ ધર્મમાંની ચુસ્તતા ઢીલી કરાવવા માટે જ છે. તેવા માણસોને હજુ તત્ત્વજ્ઞાનની ગંધ પણ હાથ લાગી નથી. પણ તેવા મોટા નામથી થોડી અજાણી વાતો ગંભીર ચહેરે મીઠી મીઠી ભાષામાં કરે. એટલે તે તરફ આકર્ષાઈને અજ્ઞાન લોકો પોતપોતાના ધર્મોમાં શિથિલ થાય, એ સિવાય તેનો બીજો હેતુ કે પરિણામ વિશેષ જણાતું નથી. અમદાવાદમાં થોડા જ વખત પહેલાં મારી યાદ પ્રમાણે રાધાકાન્ત કે એવા નામના કોઈ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા તત્વજ્ઞાની પોતાની જાહેરાત કરી ગયા, અને મારા ખ્યાલ પ્રમાણે તેઓશ્રી કોઈ સરકારી સંસ્થામાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા, કે કરવા રોકાયા છે. ખરી રીતે આ દેશમાં જન્મેલા અને તૈયાર થયેલા છતાં નવી સંસ્કૃતિના પગારદાર પ્રચારકો જ લાગે છે. આપણા કેટલાક પત્રોને પણ-ઘણાં વર્ષોથી આવી રચનાઓની તરફેણ કરીને આપણી રચનાના ખંડનમાં અજ્ઞાનપણે ભાગ ભજવતા જોઈએ છીએ, જે ઈષ્ટ અને યોગ્ય નથી. પરંતુ બંધુઓ ! તમારે ભારતના પ્રાચીન સાહિત્યમાંથી જે વિજ્ઞાન જાણવું હશે, તે અને તત્ત્વજ્ઞાન જાણવું હશે, તો તે, સંપૂર્ણ સંતોષકારક રીતે જાણવાનું મળે તેમ છે. જન્મથી જ પરદેશી વલણનાં પાઠ્યપુસ્તકો ભણવામાં જિંદગીનો મોટો ભાગ ગાળવાથી તમને તમારું સાહિત્ય તમારી મૂળ રીતે વાંચવા ભણવા - વિચારવા - મનન કરવાનો વખત જ મળતો નથી. તો પરસ્પર સમન્વય કરવાની તો વાત જ શી ? અને તમારી દષ્ટિ પણ એવી જ ઘડાય છે કે, તેમાંથી દોષ જ જોવાની મળે છે. પણ સાર મળતો નથી, ને સાર દોષરૂપમાં જ ભાસે છે. ઘણું જ આશ્ચર્ય છે. જે સાર તમને બીજે કયાંયે મળે તેમ નથી છતાં આજની શિક્ષણ સંસ્થાઓમાં ખર્ચાતા અબજો રૂપિયા, ઈરાદાપૂર્વક તેના તરફ ઊછરતી પ્રજાનું ધ્યાન ન જાય તેની સંપૂર્ણ ખબરદારી રાખે છે, અને ભળતું જ શીખવવા અનેક આકર્ષક પ્રયોગો કરે છે, માટે જ મહાખજાનો તેમના ભાગ્યથી તમારાથી દૂર જતો જાય છે, અગમ્ય થતો જાય છે. ૫૪. તે ખજાનો મેળવવાનું સાધન ધાર્મિક ક્રિયાઓ છે. જેમ બને તેમ તેની નિકટ રહેશો, તેમ તેમ તમને કોઈક દિવસે પણ તે જાણવાનો પ્રસંગ મળશે, ઘાર્મિક ક્રિયાઓ કરવા તમારો ધર્મસ્થાનમાં પ્રવેશ થશે, તે રીતે તમારો પરિચય વધશે, તો સદ્ગુઓ મારક્ત કોઈ દિવસે પણ તમને તે ખજાનો જાણવાનો સુયોગ મળશે. છેવટે તમને તેમાંથી તમારે માટેનો સન્માર્ગ તો મળ્યા જ કરશે. તેમાં ક્રિયાના રાગી હશો, તો ધર્મસ્થાનોને ઉત્તેજન મળશે, તો તે ટકશે, તેમાં ખજાનો સચવાશે, અને તેને જાણકાર વિદ્વાનો તૈયાર થવાનો પ્રસંગ પણ બન્યો રહેશે, ને ભવિષ્યમાં તેની પરંપરા ટકશે. એટલે તમારાં સંતાનોને પણ તેનો લાભ મળવાનો સંયોગ ટકી રહેશે. માટે સર્વ શુભનું મુખ્ય દ્વાર જૈન ક્રિયા રુચિ, ક્રિયા રાગ અને ક્રિયા કરવી એ છે. ધર્મના ટકાવના અને પ્રજાના ટકાવના નાના મોટા સર્વ ઉપાયોનું એ મુખ્ય પ્રતીક છે. જે કે બહારથી પણ એ ખજાના તરફ લલચામણાં આહવાનો થશે. તેમ કરનારી અને આપણને ભુલાવો ખવડાવે તેવા આપણા જ મોટા પુરુષોનાં નામ નીચે અનેક સંસ્થાઓ શરૂ થઈ ચૂકી છે, ને હજુ થયા કરશે. પરંતુ તેમાંથી રહસ્ય મળશે નહિ, સાચું રહસ્ય મળવાનું સદ્દગુરુઓ જ ખરું દ્વાર છે. માટે તેને છોડીને તેવી સંસ્થાઓ તરફ લલચાવવું નહીં. મંદિર અને ઉપાશ્રય જ આપણી અજોડ સંગીન અને મહત્ત્વની સંસ્થાઓ છે. ૫૫. એક બીજો સૌથી મોટો ભય વિશ્વ ધર્મપરિષદનો ઉત્પન્ન થયો છે. તેનું ધ્યેય જગતમાં એક Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પંચ પ્રતિક્રમણસૂત્રો ધર્મ કરવાનું છે. બીજા ધર્મો નાબૂદ થાય, ત્યારે જ એક ધર્મ થાય. એ તો દેખીતું જ છે ને ? વળી એક ધર્મ કરવાનો ઉપાય જનસંખ્યાની બહુમતી ગણવામાં આવેલ છે, પણ ઉપાય તરીકે સત્ય તત્ત્વોને ગણેલ નથી. બહુમતી આજે ખ્રિસ્તીઓની વધારાતી જવાય છે. એટલે બીજા ધર્મોવાળા પોતાના અનુયાયીઓ ગમે તેટલા વધારે, પણ આખરે, તેને એ – બહુમતીને આધીન થવું જ પડે. તે પરિષના ઉદ્દેશની સિદ્ધિ માટે - પહેલાં ધાર્મિક ક્રિયાને ‘‘શુષ્ક’’ કહી સુધારકો ટીકા કરતા હતા, તેને બદલે હવે તો પેટા સંપ્રદાયોના છેદ ઉડાવી દેવાના પ્રયાસ તરીકેના દરેક પ્રયાસો ચાલે છે. સંપ્રદાયોને એક કર્યા પછી દરેક ધર્મોનું એકીકરણ કરવા ભારતમાં સર્વ ધર્મ પરિષદો ભરાવવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્તને આખી દુનિયાના મહાપુરુષ કબૂલ કરાવવા પ્રથમ શ્રી મહાવીર જયંતી આખા હિંદમાં ઊજવાવી દેવાની હિલચાલ ચાલે છે. પછી બુદ્ધની આખા એશિયામાં અને છેવટે ઈસુ ખ્રિસ્તની આખી દુનિયામાં ઊજવવાના ધ્યેયની પહેલ તરીકે મહાવીર જયંતી માટે પરદેશીઓના આડકતરા પણ દરેક લાગવગનો ઉપયોગ કરીને સબળ પ્રયત્નો ચાલે છે. માટે આ બધી ગોઠવણો આપણા ધર્મ, શાસન, સંઘ અને પ્રજાના હિતને નુકસાન કરનાર હોવાથી તેમાં પણ સાવચેત રહેવામાં ગાફેલ ન રહેવું જોઇએ. ધર્માધિકારીઓની નિમણૂકો કરીને અહીંની ધાર્મિક મિલકતો અને તે મારફત ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરના અંકુશોના કાયદાઓનું મુખ્ય ધ્યેય જગતમાં એક ધર્મ, અને તે પણ ખ્રિસ્તી કરવાનું ધ્યેય હોવાનું સ્પષ્ટ લાગતું જાય છે. બહુમતીવાદ [ડેમોક્રસી)ના પ્રચારનું તેઓનું આ ધ્યેય છે. ૫૬. એક જૈન સાધુ એક ખૂણામાં બેસીને જે ધાર્મિક ક્રિયા કરે, તેની અસર આખા જગત ઉપર કલ્યાણની થાય છે. તેની એ ક્રિયાથી તેના આત્મામાં પવિત્રતા વધે છે. લાયક માણસો તેને ટેકો આપે છે અને તેની અસર સામાન્ય જનસમાજ ઉપર પડે છે જેથી પાપી માણસો પાપ કરતાં સંકોચાય છે, પાપ દૂર રહે છે, જુલ્મ દૂર રહે છે. એ સર્વ એ ક્રિયાનો પ્રતાપ હોય છે. પ્રત્યક્ષ સેવા કરતાં માનસિક અને તે કરતાં આધ્યાત્મિક સેવા તીવ્ર હોય છે. આ દેશની પ્રજા હજુ પોતાનું વ્યકિતત્વ જાળવી રહેલ છે. તેનું પણ મુખ્ય કેન્દ્રભૂત કારણ આ જ છે. નહીંતર અમેરિકાની મૂળ પ્રજાના મોટા ભાગનો નાશ કરીને ગોરી પ્રજા એ પ્રદેશમાં સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવે છે. તે પ્રમાણે અહીં પણ કયારની સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવતી હોત. પરંતુ હજી તે સ્થિતિ દૂર છે. જો કે તે સ્થિતિ લાવવા માટે કૉંગ્રેસ ઊભી કરીને તે મારફત ગોરી પ્રજાના તમામ મુત્સદ્દીઓ તે સાંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપના કરવાની ક્રિયાઓ કરી, કરાવી રહ્યા છે. ‘મોતને વળગે એટલે તાવ આવે.'' કૉંગ્રેસ મારફત સંપૂર્ણ સ્વરાજ્ય માટે હિલચાલ ઉપડાવે અને અહિંસક [પરિણામે મહાહિંસક લડાયક બળ-માનસિક વિચારોમાં પરિવર્તન-અજમાવે, એટલે પરિણામે વચલે માર્ગે સાંસ્થાનિક સ્વરાજ્ય પ્રજાને ગળે વળગાડી શકાય. તે કાર્યમાં તેઓને અહીં ચાલતી-દરેક ધર્મોવાળાઓની ક્રિયાઓની અસર મારફત ટકી રહેતી અહીંની સંસ્કૃતિ નડે છે, તે હઠાવવા આ દેશમાંના લોકોની કેટલીક સંખ્યા કેળવીને દેશનેતા બનાવી, તેઓ મારફત ‘“સર્વ ધર્મ સમભાવ રાખો, સંપ્રદાયોની સંકુચિતતાનો નાશ કરો, ધર્મ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા કરતાં રાષ્ટ્રધર્મ મુખ્ય છે. વર્ક ઈઝ વશપ [પ્રાર્થનામાં વખત ગાળવાને બદલે કામ ધંધા કરો.] ધર્મગુરુઓ નવરા બેસી રહે છે, સેવાનું કામ કરે.” વગેરે હિલચાલોમાં ધાર્મિક ક્રિયાઓનો ગર્ભિત વિરોધ છે. | આજના દેશનેતાયે કોઈપણ ધર્મની રૂઢ ક્રિયા નથી કરતા હોતા, કેમ કે તેમનો કોઈ પણ ધર્મ નથી. અર્થાતું એકેય ધર્મમાં તેઓ નથી. કોઈ વાર ચાંદલા કરાવે છે અને ચોખા ચોડાવે છે, તે તો પોતાના કાર્યની જાહેરાત માટે અને લોકપ્રિયતા મેળવવા માટે હોય છે.] એવી એવી વાતો કરાવીને અહીંની પ્રજાને પોતાને ખરે માર્ગેથી ચલિત કરવા જ પ્રયાસો થઈ રહ્યા છે. “રૂઢિચુસ્ત લોકો પ્રણાલિકાના પથ્થરને જળો માફક ચોંટી રહેલા છે, તેમાંથી પ્રજાને છોડાવવા યુવકોએ યા હોમ કરીને ક્રાંતિ કરવી જોઈએ.' ક્રિાંતિનો ઉપદેશ, પ્રણાલિકાવાદનું નામ આપીને અહીંની સંસ્કૃતિ સામે જ ક્રાંતિના ઉપયોગ માટે છે. કેટલાક યુવકો બિચારા અજ્ઞાન હોવાથી આમ હથિયાર બની જાય છે.] વગેરે આકરા અને નિંદાના શબ્દો કહીને તથા દેશસેવા માટે પ્રાણ આપવાની તૈયારીના લલચામણા શબ્દો કહીને મૂળ રસ્તેથી પ્રજાને ભ્રષ્ટ કરવાના અનેક પ્રયાસો ચાલે છે. છતાં પ્રજાનો મોટો ભાગ હજુ પોતાનું હિત સમજીને પોતાના હિતસ્વી પૂર્વ પુરુષોના ઉપદેશને વળગી રહ્યો છે. વળી, દેશમાંથી ઉત્પન્ન થતા વાર્ષિક આર્થિક ઉત્પન્નનો મોટો ભાગ પરદેશીઓ વહેંચી લે છે. અને આ દેશમાં પણ જેમ બને તેમ નવી સંસ્કૃતિને મદદ કરનારાઓમાં વધુ વહેંચાય છે. જૂની સંસ્કૃતિને મદદ કરનારમાં માંડ માંડ જેવો તેવો ધનનો પ્રવાહ જાય, અથવા જેટલા ધંધાનાં મથકો તેઓના હાથ નથી ગયા, તેમાંથી જૂના ધંધાર્થીઓ કમાઈ ખાય છે, તે સિવાય તેઓમાં બેકારી ફેલાય તેવા સંજોગો દિવસે ને દિવસે ઉત્પન્ન થયે જાય છે કેમ કે, બેકાર થયા વિના જૂનો ચીલો છોડીને નવે ચીલે પ્રજા ચડે જ નહીં. અને નવે ચીલે ચડ્યા પછી તેને માટે અનેક સગવડો આપવામાં હરકત પણ નહીં. આમ છતાં ઘણો મોટો ભાગ પોતપોતાના ધર્મોમાં મકકમ છે, તે સદ્ભાગ્યની વસ્તુ છે. ૫૭. અહીં એમ કહેવામાં આવે છે કે, “આજે હિંદમાં આ દેશની પ્રજાના માણસો મારફત ચાલતી સંસ્થાઓ મારફત ચાલતાં રચનાત્મક કાર્યોનું તમે ખંડન કરો છો અને તેની સામે તમો કાંઈ પણ રચનાત્મક માર્ગ તો બતાવતા જ નથી. તમારી પાસે માત્ર ખંડનાત્મક માર્ગ જ છે. રચનાત્મક તો કાંઈ પણ માર્ગ છે જ નહીં”. આવી ઘણા ભાઈઓને ભ્રમણા થાય છે, તે દૂર કરવા જેવી છે. કેમ કે, અમે જેનું ખંડન કરીએ છીએ, તે આપણી પ્રજાકીય મૂળ રચનાનું ખંડન કરનારી રચના છે. એટલે તેનું ખંડન એ મૂળ રચનાનું મંડન છે અને મૂળ રચના જ આપણું રચનાત્મક કાર્ય છે. એમાં જ હવે પછી પણ આપણું હિત છે. કૉંગ્રેસ અને કોમી કૉન્ફરન્સો વગેરે સંસ્થાઓ જે નવી રચનાઓ કરે છે, તે આ જમાનાની રચનાઓના અંગ છે. એટલે વાસ્તવિક રીતે તેઓ અહીંની મૂળ રચનાનું જ ખંડન કરે છે. કેમ કે, ચાલુ જીવનમાં કંઈક નવું ઉત્પન્ન કરવાના પ્રયાસો જૂનાના ખંડન રૂપ જ છે. અને એવી છૂટી છૂટી રચનાઓ છેવટે ગોરી પ્રજાએ કરેલી આજના યુગની મહાન ક્રાંતિમાં સમાય છે. એટલે એ બધા પ્રયાસો મોટા ખંડનાત્મક જ છે. મોટી ક્રાંતિ એકીસાથે એકદમ ન થઈ શકે. પરંતુ આવાં નાનાં નાનાં સાધનો દ્વારા કરાવીને, પછી તેનો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પંચ પ્રતિક્રમણસૂત્રો એક સમૂહ થાય છે. અને અમુક પ્રમાણમાં હિંદુની મૂળ રચના તોડ્યે જ જાય છે. જેટલા પ્રમાણમાં મૂળ રચના તૂટે તેટલા પ્રમાણમાં ડેમોક્રસીના નામ નીચે ચલાવેલી નવી રચના સ્થાન પામી શકે છે. પછી ડેમોક્રસીના અંગ તરીકે અને તે ધોરણે રચાયેલ કોઈ પણ સંસ્થા હોય, તે અહીંની સર્વના મતોને સમતોલપણે વજન આપનારી સર્વાનુમતવાદની સંસ્થાઓની બનેલી સંસ્કૃતિને તોડે જ. સારાંશ કે, હિંદની સંસ્કૃતિની હજારો વર્ષની રચનાત્મકતા જે કંઈ રહી છે, તે જ અમારી રચનાત્મકતા છે. તેનું ખંડન કરનારાં તત્ત્વો જાહેર કરી, તેમાં અહિત બતાવવું, એટલે જ ખરી રચનાનો બચાવ કરવો, અને પ્રજાને તેને વળગી રહેવાની ભલામણ કરવી તેમાં જ અમારી સર્વ રચનાત્મકતા આવી જાય છે કેમ કે, બીજા જંગલી દેશોની પ્રજા અને આ દેશની પ્રજામાં એ મોટો તફાવત છે કે, આ દેશ પાસે જીવનનાં દરેક અંગો વિકસાવવાની દરેક પ્રકારની જબ્બર રચના છે જ. તેનું ખંડન ન થવા દઈએ, એટલે પ્રજા પાસે રચના ઊભી જ રહે છે. પછી નવી રચના કરવાની રહે છે કયાં ? અને પૂર્ણ નવી રચના કરવાની તાકાત કોની છે ? લાખો કરોડો વર્ષોથી થયેલી રચનાને ટાળીને નવી રચના કરવી શકય જ કઈ રીતે છે ? માત્ર તેના ખંડન માટે આજે કેળવાયેલો વર્ગ નવી રચનામાં અજ્ઞાનતાથી જે ભાગ લઈ રહ્યો છે, તે સજ્ઞાન થઈ જાય, તો તે ખંડન અટકે અને પછી જે કાંઈ ગાબડાં મૂળ રચનામાં પડ્યાં હોય, તે પૂરવા પ્રયત્ન કરે, એટલે આપણી રચના પૂરી થાય છે. અને આપણે આપણી રચનાને વળગ્યા, એટલે હાલની નવી રચનાને ઉત્તેજન મળતું અટકે, એટલે તેનો વેગ પણ ઓછો થાય. એટલે તે પણ ઠરીને ઠામ બેસે અને જગત્માં શાંતિ થાય, સમતોલપણું સ્થપાય, પ્રજાઓની હરીફાઈ મટે. કાં તો હિંદની સંસ્કૃતિનો નાશ અને કાં તો હિંદની સંસ્કૃતિનો મજબૂત ટકાવ, એ બે જ માર્ગ જગતમાં શાંતિ સ્થાપવાના આજે નવી રચના એ આપણી રચના જ નથી. તે તો બીજાઓની છે, તેને આપણી નવી કહીને આપણે તેને પોષણ આપીએ છીએ. અને પગમાં કુહાડો મારીએ છીએ. ‘એક માણસે પોતાની ભેંસને બદલે ભૂલથી બીજાની ભેંસને ખીલે બાંધીને કપાસિયા સારી રીતે ખવડાવ્યા. આ બધું તે ભેંસના ખરા માલિકે દૂરથી મૂંગાં મૂંગાં જોયા કર્યું. પરંતુ જ્યારે તે માણસ દોહવાનું વાસણ લઈ ભેંસ દોહવા બેઠો, ત્યારે તરત જ પેલા માલિકે આવી ને બૂમ મારી કે-“અરે ! ભલા માણસ ! તું કોની ભેંસ દોહવા બેઠો ?” તેને ખાતરી થઈ કે “આ ભેંસ પોતાની નથી.’' પેલો માણસ ભેંસ છોડીને ચાલતો થયો. એટલે બધી મહેનત અને ખર્ચ નકામા ગયાનો પસ્તાવો કરતો એમ ને એમ જોતો ઊભો રહ્યો.' આજની પ્રગતિની દોડધામ બધી આવી પારકા ખાતર છે. સારાંશ કે, અમારાં વિધાનોમાં ભારોભાર રચના ભરેલી પડી છે, તેમજ હજુ બસો વર્ષ પછી આજની સંસ્કૃતિ ોરમાં રહ્યા કરે, તો આપણી સંસ્કૃતિને કેટલું નુકસાન કરે ? અને દેશનો ઉદય થવા છતાં આર્ય પ્રજાનો કેટલો બધો વિનાશ થાય ? તેનો અંદાજ બાંધીને જ આજના નવયુગના દેખાતા ગમે તેટલા લાભોમાં ન લલચાતાં ભાવિ ભયંકર નુકસાનમાંથી બચવા Page #48 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા માટેની અમારી આ ભલામણ તદ્દન નવયુગના વિચારની હોવાને લીધે, તેને સમજદાર લોકો ૧૪ મી કે ૧૮મી સદીની હોવાનો અમારો અભિપ્રાય સમજ્યા પછી કહી શકે તેમ નથી. પરંતુ કદાચ બાવીસમી સદીની વિચારણા કહેવા લલચાય. આજના યુવકોને જેટલી આજની સંસ્કૃતિની રચનાત્મકતા મોટા પાયા પર સમજાય છે, તેટલી જ અહીંની ખામીઓ મોટા પાયા ઉપર સમજાવાય છે. એટલે બેવડું તેવડું અજ્ઞાન તેઓમાં અહીંની સંસ્કૃતિ વિષે ફેલાય છે. આજના દેશનેતાઓ જેઓ શબ્દથી અહીંની સંસ્કૃતિનાં વખાણ કરે છે, પરંતુ વાસ્તવિક રીતે નવી રચનાની રચનાત્મકતાના અને અહીંની ખંડાત્મકતાના તેઓ જ આગેવાનો છે. ૪૩ વળી કાશીમાં હિંદુ મહાસભામાં નામદાર ગાયકવાડ સરકાર તરફ્થી વંચાયેલા એક ભાષણમાં નવી-જૂની સંસ્કૃતિના મિશ્રણમાં આપણને લાભ શા આશયથી સમજાવવામાં આવ્યો હશે તે સમજી શકાતું નથી. આજે આપણે મિશ્રણ સ્વીકારીએ, ને પછી ઓટલો આપ્યા પછી આપણને ધકેલી ન દે, તેની શી ખાતરી ? આ બાબતનો વિચાર તેઓ નામદારે કર્યો હશે કે નહીં ? જો કે હિંદુ મહાસભા પણ આપણને પાશ્ચાત્ય સંસ્કૃતિનો અત્યારે અર્ધ સ્વીકાર કરાવવા માટે જ છે, એટલે તેના ઉપર પણ વિશ્વાસ કરવા જેવું નથી. ભલે તેણે શ્રી મહાવીર પરમાત્માની જયંતી વિષે ઠરાવ કર્યો હોય. અથવા આવા ઠરાવો જ તેની અવિશ્વાસ્થતા સાબિત કરે છે તે ખરી હિંદુ મહાસભા નથી. આજની હિંદુ મહાસભા બ્રિટિશ પાર્લમેન્ટના કે જગત્ની ગોરી પ્રજાની પ્રગતિની સાધનાનાં અનેક અંગોમાંનું એક અંગ જણાય છે. એ જ પરિણામ વર્ણાશ્રમસંઘનું છે. એ બન્નેય હિંદના બંધારણથી ચાલતી સંસ્થાથી વિરોધી ડેમોક્રસીના તત્ત્વ ઉપર મૂકવામાં આવી છે, તેની પાછળ યુરોપીય મુત્સદ્દીઓનો મજબૂત ટેકો છે. જો કે આ ગહન કોયડો છે. એકાએક ન સમજાય તેવો છે. [વિશેષ રચના સમજવા સેનપ્રશ્નનો ઉપોદ્ઘાત વાંચો.] ૫૮. પરંતુ આખર તો આધ્યાત્મિક સંસ્કૃતિનો સદા વિજય છે. આજે નહિ તો કાલે, આ લખતી વખતે એવા એક વૃદ્ધ તપસ્વી મહાત્માને જોયા કે, જેઓએ આખી જિંદગી તપશ્ચર્યામાં જ ગાળી છે. લગભગ ૩૦ વર્ષમાં ૫૦૦૦) જેટલા ઉપવાસો થયા હશે. એક ઉપવાસથી, બે ઉપવાસથી, ત્રણ ઉપવાસથી પૂરી કરી હવે એકીસાથે આઠ ઉપવાસ [અઠ્ઠાઈ]થી વીશસ્થાનક તપની આરાધના કરે છે. ૨૦ x ૨૦ x ૮ = ૩ર૦૦ ઉપવાસે એટલે ૪૦૦ અઠ્ઠાઈઓએ આરાધના પૂરી થાય. તેમાંનાં ૪ પદોની આરાધના ૮૦ અઠ્ઠાઈથી = ૬૪૦ ઉપવાસોથી પૂરી થયેલ છે. સિવાય ચાલુ પર્વતિથિઓની તપશ્ચર્યાઓ ચાલુ જ હોય છે. વ્યાખ્યાન હૃદયસ્પર્શી ખુલ્લા હૃદયથી સારી રીતે વાંચી શકે છે. ચશ્માની મદદથી વાંચી શકે છે. ધાર્મિક દરેક ક્રિયાઓ અપ્રમત્ત ભાવે ઊભા ઊભા કરે છે. પગે વિહાર કરે છે. શાંત અને સ્પષ્ટ વાતચીત કરે છે. ગુરુભકત ખાતર ગુરુની સેવા પણ તપશ્ચર્યા ચાલુ છતાં એવા જ સતત પ્રયાસથી કરી હતી. તપશ્ચર્યાનું અજીર્ણ ક્રોધ છે, પણ આ મહાત્માની શાંતિ અને ધીરજ પણ એવી જ અજબ છે. ૭૦ વર્ષની ઉમ્મરે પણ દાંત સારા છે. મોટે ભાગે કોઈ પણ તપને પારણે આયંબિલ [ઘી, દૂધ, તેલ, ગોળ, ખાંડ, દહીં, છાશ, તળેલી ચીજ, મરચાં, ખટાઈ, લીલાં કે સુકવણીનાં શાક વગેરે વગરનો ખોરાક] હોય છે. અને આયંબિલ ન Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પંચ પ્રતિક્રમણસૂત્રો હોય ત્યારે એકાસણામાં પણ ઘી સિવાય દૂધ, દહીં, તેલ, ગોળ, ખાંડ અને કઢાઈમાં બનાવેલી કોઈ પણ ઘીની પણ મીઠાઇઓ વગેરે પાંચ વિગઇઓ અને તેની કોઈ પણ બનાવટોનો મૂળથી ત્યાગ હોય છે. ફકત શાક દાળમાં - તેલ ગોળ કોકમ આવે તેટલી જ છૂટી. ખરેખર, આવાં કલ્પવૃક્ષો વિદ્યમાન છે, ત્યાં સુધી આપણી સંસ્કૃતિ નિર્ભય છે.* ૫૯. માટે આત્મકલ્યાણની ભાવનાથી, સંસ્કૃતિના સંરક્ષણની ભાવાથી, ભાવિ પ્રજામાં વારસો લંબાવવાની ભાવનાથી, યથા યોગ્યકાલે યથાયોગ્ય વિધિથી, જેવી રીતે બાળક જન્મ્યો હોય, તેવી રીતે યથાજાત મુદ્રાથી, માત્ર ગુપ્તાંગ ઢાંકવા મુનિઓએ ચોલપટ્ટક અને શ્રાવકે માત્ર શુદ્ધ પંચિયું પહેરીને, ખુલ્લા શરીરે તથા સાધ્વી અને શ્રાવિકાએ શાસ્ર નિર્દિષ્ટ ઉપગરણો પહેરીને, જૈન મુનિર્લિંગની મદદથી યથાયોગ્ય વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ જૈન ધાર્મિક આસનો અને મુદ્રાઓ સાચવીને ક્રિયાઓ ચાલુ રાખવી. એ ક્રિયાઓ ચાલતી હોય, ત્યારનું કેવળ કલ્યાણમય ભાવના પોષનારું વાતાવરણ જોઈને કોને ખુશી ન ઊપજે ? [વાંદણામાં બે ઢીંચણ વચ્ચે હાથ રાખીને વંદન કરાય છે, તેનું કારણ ગર્ભમાં બાળકના ઢીંચણ વચ્ચે બે હાથ હોય છે. યથાાત મુદ્રાનું એ પણ અંગ છે.] અને જ્યારે આ જગત્માં સન્માર્ગના આદિપ્રવર્તક જિનેશ્વર પરમાત્માની ભકિતનો પ્રસંગ આવે ત્યારે ત્યારે યોગમુદ્રા કરી સભ્યતાદર્શક ઉત્તરાસંગ [ખેસ] રાખી ભાવભકિતથી જ્યારે સ્તુતિમય દેવવંદના થતી હોય ત્યારે પણ તેનો રસ સમજનારાઓને જરૂર આહ્લાદ થાય જ. .. [જો કે ચૈત્યવંદનાદિક યોગમુદ્રાએ કરવાનું છે. છતાં ડાબો પગ ઊંચો રાખવાનો રિવાજ જોવામાં આવે છે. પરંતુ એક સ્થળે વાંચવા પ્રમાણે- “ડાબો પગ જરા અઘ્ધર રાખવાનો અધિકાર માત્ર ઋદ્ધિમંત હોવાથી ઇંદ્રને જ છે, બીજાને નથી. બીજાઓએ તો યોગમુદ્રા જ કરવી જોઈએ એમ સમજાય છે. પરંતુ શરીરમાં સ્થૂલતાદિ કારણે યોગમુદ્રા ન કરી શકાય, તો એમને એમ બેસી રહેવું તેના કરતાં કૃતાનુકારમ્ માનીને ડાબો પગ ઊંચો કરવાને પૂર્વાચાર્યોએ કદાચ અનિષિદ્ધ માન્યું હોય, તેવો સંભવ લાગે છે. માળવા વગેરે પ્રદેશમાં તો જ્યારે જ્યારે નમુત્ક્ષણં આવે ત્યારે ત્યારે દરેક વખતે ડાબો પગ ઊંચો કરવાની વડીલ સાધર્મિક તરફ્થી સૂચના મળ્યા કરે છે. (ગુજરાતમાં એ પ્રવૃત્તિ પ્રતિક્રમણમાં કાંઈક ઓછી જણાય, પરંતુ ખરી રીતે જોઈએ.) આસન, મુદ્રા અને ઊભા ઊભા ક્રિયા કરવામાં વ્યાયામનાં તત્ત્વો તો બહુ જ સારી રીતે જળવાય છે. ૬૦. આ બધાનો સાર એ છે કે, આપણા નિ:સ્વાર્થી મહાપુરુષોના માર્ગમાં જેમ બને તેમ સ્થિર ટકી રહેવામાં જ સર્વ મંગલ માંગલ્યું છે. એ સુજ્ઞપુરુષોને સમજાવવું પડે તેમ નથી, મહાપુરુષોનો * આ મહાન તપસ્વી મહાત્મા તે પૂ આ શ્રી વિજયકર્પૂરસૂરીશ્વરજી મહારાજા છે. તેઓશ્રીના પટ્ટધર હાલાર દેશોદ્ધારક પૂ આ શ્રી વિજય અમૃતસૂરીશ્વજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર પૂ આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વર મ૰ એ હાલ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. પ્રકાશક Page #50 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૫ મહાકલ્યાણ માર્ગ તેમની બતાવેલી ક્રિયાઓ મારફત જગતમાં વહે જ છે. તેમાં આપણે કંઈ નવું કરવું પડે તેમ નથી. માત્ર તે “જગતમાં વિદ્યમાન છે. અને આપણે માટે તો ખાસ એ જ હિતકારક છે.” એવું આપણને જ્ઞાન મળવું જોઈએ, અને તેને વળગી રહેવાનું આપણામાં બળ હોવું જોઈએ. બસ, એ જ અમારો રચનાત્મક કલ્યાણ માર્ગ છે. તેમાં પાંચ પ્રતિક્રમણ કેન્દ્રરૂપ છે, અને સર્વ ધાર્મિક ક્રિયાઓના અને સર્વ સુપ્રયાસોના મુખ્ય પ્રતીક રૂપ છે. આ વાત બરાબર સમજાવવામાં આ ગ્રંથ સફળ થયો હોય, તો જરૂર સુજ્ઞ વાચકો તેની કદર કરશે, અને હાર્દિક રીતે તેને અપનાવશે. એટલી આશા સાથે ભૂલો વગેરેનું મિચ્છામિ દુકક દઈ વિરમીએ છીએ. जागर्तु कोऽपि वसुधा-वलयेऽनसूयः सन्मार्मिकः, प्रयतनं हि यदर्थमेतत् । ચૈિત્યવંદનનો વિધિ ૧. પ્રથમ ત્રણ વાર ભૂમિ પ્રમાઈ ત્રણ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ ચૈત્યવંદન કરું?" ગુરુ :- હિાજર હોય તો કહે] “કરેહ” શિષ્ય :- “ઇચ્છે'' બે હાથ ડોડાને આકારે જોડી, પ્રભુજીની સામે એકાગ્ર દૃષ્ટિ રાખી, બે ઢીંચણ ભોંય ઉપર સ્થાપી, અર્થના ચિંતનપૂર્વક ખુલ્લા અવાજથી ભક્તિ ભાવના હાવભાવ અને આનંદના આંસુ સાથે નીચેનાં સૂત્ર બોલવાં. ૨. સકલ-કુશલ-વલ્લી. પછી કોઈ પણ ચેત્યવંદન, કેચિ, નમુત્થાણું કહેવું. ૩. પછી-બે હાથ કપાળ સુધી જરા ઊંચે લઈ જઈ જાવંતિ કહી, એક ખમાસમણ ! દઈ સર્વ ચૈત્યોને અહીં બેઠા વંદન કરવું. એ જ પ્રમાણે બે હાથ કપાળ સુધી લઈ જઈ જાવંત કવિ સૂત્ર કહી સર્વ પણ મુનિઓને વંદન કરવું. ૪. પછી - નમોહત કહી પ્રભુજીના ગુણોના વર્ણનથી ભરપૂર, ગંભીર અર્થવાળું, મધુર સ્વરથી સ્તવન કહેવું. સ્તવન ન આવડતું હોય તો ઉવસગ્ગહર સ્તોત્ર કહેવું. ૫. પછી - બે હાથ લલાટ સુધી ઊંચે લઈ જઈ વીયરાય કહી હૃદયથી પ્રાર્થના કરવી. આભવમખેડા પછી હાથ જરા નીચે ઉતારવા. ૬. પછી-ઊભા થઈ-અરિહંત-ચેઈઆણં, અન્નત્ય કહી; જિનમુદ્રાએ એક નવકારના કાઉસ્સગ્ગથી પ્રભુજીને ભાવ વન્દન કરવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭. પછી - નમો અરિહંતાણં કહી કાઉસ્સગ્ન પારી નમોડર્તત કહી એક થાય કહી પ્રભુજીના ગુણોની સ્તુતિ કહેવી. સૂચના :- જે ભગવાનના પ્રતિમાજી મહારાજ હોય, તેમનું જ ચૈત્યવંદન સ્તવન અને થાય બનતા સુધી કહેવા. (૧) ચૈત્યવંદન કરતાં પહેલાં બોલવાનું - સકલકુશલવલ્લી, પુષ્પરાવર્નમેઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન:, ભવજલનિધિપોતાનું સર્વ સંપત્તિ હેતુ; સ ભવતુ સતત વ:, શ્રેયસે શાન્તિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ (૨) શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન - શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરૂણાવંત કરુણા કરી, અમને વંદાવો. ૧ સકલ ભકત તમે ધણી, જે હવે હમ નાથ; ભવોભવ હું છું તારો, નહિ મેલું હવે સાથ. ૨ સંયેલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવ રમણી વરીશું. ૩ એ અળજો મુજને ઘણોએ, પૂરો સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિ દાન. ૫ (૩) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન - શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણો, જિનવર કરું પ્રણામ. ૩ શ્રી સિદ્ધાચલ નિત્ય નમું, પીંગમતે સૂર; ભાવ ધરીને વંદતાં, દુઃખ જાય સવિ દૂર. ૪ (૪) શ્રી સીમંધર સ્વામીનું સ્તવન - સુણો ચંદાજી સીમંધર પરમાતમ પાસે જા. મુજ વિનતડી પ્રેમ ધરીને, એણીપરે તમે સંભળાવજો - ટેક. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈંદ્ર પાયક છે. નાણ દરિસણ જેહને ખાયક છે, સુણો ચંદાજી. ૧ જેની કંચન વરણી કાયા છે, જસ ઘોરી લંછન પાયા છે; પુંડરિગિણિ નગરીનો રાયા છે. સુણો ચંદાજી. ર બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. સુણો ચંદાજી ૩ ભવિજનને જે પડિબોલે છે, તુમ અધિક શીતલગુણ સોહે છે, રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો ચંદાજી. ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દૂરે વસિઓ છું; મહા મોહરાય કર ફસિયો છું. સુણો ચંદાજી. ૫ પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણા ખડગ કરગ્રહિઓ છે; તો કાંઈક મુજથી ડરિઓ છે. સુણો ચંદાજી. ૬ જિન ઉત્તમ પુંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉ શુરો; તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો ચંદાજી. ૭ (૫) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન – વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મનો, શિવતર ફળ લેવા. વિ. I૧ ઉજ્વલંજિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિ. રાા કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલે. વિ. Ila જે સઘળાં તીરથ કર્યા: યાત્રા ફળ કહીએ; તેહથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૪૭ એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિ. ૪ જન્મ સફળ હોય તેહનો, જે એ ગિરિ વિદે; સુજનવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. વિ. પા. (૬) શ્રી સીમંધર સ્વામીની થાય - શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ; અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ. સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી; જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. ૧. (૭) શ્રી સિદ્ધાચલજીની થાય - શ્રી શત્રુંજય મંડણ, ઋષભ નિણંદ દયાલ, મારૂદેવા નંદન, વંદન કરું ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ (૮) ઋષભદેવ સ્વામીની થાય - આદિ જિનવર રાયા, જાણે સોવન કાયા, મરૂદેવી માયા, ધોરી લંછન પાયા; જગત સ્થિતિ નિમાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મોક્ષનગરે સિધાયા. ૧. સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુરગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણિ ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નરનારી, જે વિશ્વોપકારી. ૨. સમવસરણ બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણ૫ પઈઠા, ઈન્દ્ર ચન્દ્રાદિ દીઠા; દ્વાદશાંગી વરીઠા, ગુંથતાં ટાલે રીટ્ટા, ભવિજન હોય હીઠા, દેખી પુણ્ય ગરીઠા. ૩. સુર સમકિતવંતા, જેહ રિદ્ધ મહેતા, જેહ સજ્જન સંતા, ટાળીએ મુજ ચિંતા; જિનવર સેવંતા, વિપ્ન વારે દુરંતા, જિન ઉત્તમ ગુણતા, પદ્મને સુખ દિંતા. ૪. કોધની સક્ઝાય - કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રસતણો રસ જાણીએ, હલાહલ તોલે - કડવાં. ૧. ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય - કડવાં. ૨. સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ - કડવાં. ૩. આગ ઊઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જે નવિ મળે, તો પાસેનું પરજાળે - કડવાં૪. ક્રોધતણી ગતિ એહવી, કહે કેવલ નાણી; હાલ કરે જે હેતની, જાળવો એમ જાણી કડવાં. ૫. ઉદયરત્ન કહે, ક્રોધને કાઢજે ગળે સાહી; કાયા કરજે નિર્મળી, ઉપશમ રસે નાહી - કડવાં ૬. માનની સજઝાય - રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે-રે જીવ. સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુકિત રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહિએ જુક્તિ રે-રે જીવ૨ વિનય વડો સંસારમાં, ગુણમાંહે અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે-રે જીવ. ૩ માન કર્યું જે રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાય રે-રે જીવ૦ ૪ સૂકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે, ઉદયરત્ન કહે માનને, દેજે દેશવટો રે રે જીવ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ સાર્થ પશ પ્રતિક્રમણ સૂત્ર મુખ્ય અનુક્રમણિકા ક્રમ વિષય ૧. લેખકનું વિનમ્ર નિવેદન ૨. ભૂમિકા ૩. અનુકમણિકા ૧. શ્રી પશપરમેષ્ઠી નમસ્કાર મંત્ર ..... ૧. મહામંગલ પંચ નમસ્કાર પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનો વિશેષાર્થ ૨. પંચિંદિય-શ્રી આચાર્ય સ્થાપના સૂત્ર .... ૨. પંચિંદિય સૂત્ર-૧ – વિશેષાર્થ આચાર્યની સ્થાપના સ્થાપવાનો તથા ઉત્થાપવાનો વિધિ ૩. લઘુ-ગુરુવંદનનાં સૂત્રો .. ૩. ઈચ્છામિ ખમાસમણો-પ્રણિપાત સૂત્ર ૧. ૪. ઈચ્છકાર-સુગુરુ સાતા-પૃચ્છા-સૂત્ર ૨. ૫. અભુઠિઓ-ગુરુ ક્ષમાપના સૂત્ર ૩. શ્રી લઘુ-ગુરુ વંદન સૂત્રોનો વિશેષાર્થ લઘુ ગુરુવંદન વિધિ ૪. ઐર્યાપથિકી ક્રિયાના પ્રતિક્રમણના વિધિનાં સૂત્રો ....... ૬. શ્રી ઈરિયાવહિયા સૂત્ર ૫. કાઉસ્સગ્નના વિધિનાં સૂત્રો .................. છે. તસ્સ ઉત્તરી કરણેણં – કાઉસગ્ગના હેતુનું સૂત્ર ૮. અન્નત્થ- કાયોત્સર્ગના આગારોનું સૂત્ર ચતુર્વિશતિનામસ્તવ સૂત્ર ......... ૯. લોગસ્સ નામસ્તવ સૂત્ર ૧-૩-૪ ઐર્યાપથિકી ક્રિયા અને તેના પ્રતિક્રમણની સમજ Page #54 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૭. .. ૯. ઇરિયાવહિયં સૂત્રનો વિશેષાર્થ તસ્સ ઉત્તરી સૂત્રનો વિશેષાર્થ અન્નત્થ સૂત્રનો વિશેષાર્થ કાઉસ્સગનો વિશેષાર્થ ચતુર્વિશતિ સ્તવ સૂત્રનો વિશેષાર્થ શ્રી ચોવીસ અર્હત્-તીર્થંકર ભગવંતોનાં નામ અને તેના હેતુઓ ઇરિયાવહિયા પડિકકમવાનો વિધિ કાઉસ્સગ્ગ કરવાનો વિધિ સામાયિક વિધિનાં સૂત્રો મુહપત્તિપડિલેહણનો વિધિ અને તેના શરીરની પડિલેહણના ૨૫ બોલ ૧૦. સામાયિક દુર્ણાક સૂત્ર કરેમિ ભંતે સૂત્રનો વિશેષાર્થ સામાયિકમાં પ્રવેશ કરવાનો વિધિ સામાયિકના વિધિનો વિશેષાર્થ સામાયિકમાં શું કરવું ? સામાયિકમાં વર્જવાના ૩૨ દોષો એકથી વધારે સામાયિક કરવા વિષે સામાયિક પારવાના વિધિનાં સૂત્રો . ૧૧. સામાઇય-વય-જુત્તો સૂત્ર ૧. સામાઇય-વય-જુત્તો સૂત્રનો વિશેષાર્થ સામાયિક પાળવાનો વિધિ સામાયિક પાળવાના વિધિનો વિશેષાર્થ શ્રી લઘુ ચૈત્યવંદન વિધિનાં સૂત્રો....... ૧૨. શ્રી જગચિન્તામણિ ચૈત્ય વંદનસૂત્ર-૧ ૧૩. જંકિંચિ સૂત્ર-૨ ૧૪. નમ્રુત્યુર્ણ-શક્રસ્તવ સૂત્ર-૩ ૧૫. જાવંતિ-સર્વ ચૈત્યોને વંદન સૂત્ર-૪ ૧૬. જાવંતિ કેવિ-સર્વ સાધુ વંદન સૂત્ર-૫ ૧૭. નમોડ-સંક્ષિપ્ત પન્ચ પરમેષ્ઠી નમસ્કાર-૬ ૧૮. ઉવસગ્ગ હર–કષ્ટો નાશ કરનાર સ્તોત્ર-૭ ૧૯. જયવીયરાય-પ્રાર્થના સૂત્ર-૮ ૪૯ * * * > > * * * $ & & & & ♠ ♠ ♠ ♠ * * * * * * * * 8& ૩૭ ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૦. અરિહંત ચેઇઆણં-ચૈત્ય સ્તવ સૂત્ર-૯ શ્રી અહ, ચૈત્યોને કાયોત્સર્ગથી વંદનના હેતુઓ ૨૧. કલ્યાણ-કંદ-ની સ્તુતિ-૧૦ ૨૨. સંસાર દાવાનલ સ્તુતિ-૧૧ ચૈત્યવંદનાનો વિશેષાર્થ ચૈત્યવંદનનો વિધિ (ભૂમિકા પેજ) ચૈત્યવંદનના વિધિના મુખ્ય અધિકારો ચૈત્યવંદનના વિધિના મુખ્ય વિભાગો ચૈત્યવંદનનાં સૂત્રોનો વિશેષાર્થ દહેરામાં દર્શન-પૂજા અને ચૈત્ય વંદન વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક વિશેષ વિધિઓ ૧૦. શ્રી દેવવંદન વિધિનાં સૂત્રો... ૨૩. પુફખરવર શ્રુતસ્તવ સૂત્ર-૧ ૨૪. શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સિદ્ધસ્તવ સૂત્ર-૨ ૨૫. વેયાવચ્ચગરાણ સૂત્ર-૩ ૨૬. ભગવાનહ-સૂત્ર-૪ દેવવંદન સૂત્રોનો વિશેષાર્થ ચત્તારી અઠ દસ ગાથાનો વિશેષાર્થ દેવવંદનની કેટલીક વિધિઓ પાંચ દંડક-નમુત્થણંથી દેવવંદન વિધિ જુદી જુદી જાતનાં દેવવંદનોની વિધિઓ દેવવંદન વિધિનો વિશેષાર્થ દેવસિઅ પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો... ર૭. સવ્વસ્સવિ-જઘન્ય પ્રતિક્રમણ સૂત્ર-૧ સવ્વસ્યવિનો વિશેષાર્થ દેવસિઅ પ્રતિક્રમણ વિધિમાં છ આવશ્યકોની ગોઠવણો સામાયિક આવશ્યકનાં સૂત્રો ૨૮. ઈચ્છામિ કામિ – પ્રતિક્રમણ ગર્ભિત કાયોત્સર્ગ સૂત્ર-૧ ૨૯. નાણગ્નિ – પંચાચાર-અતિચારનું સૂત્ર-૨ સામાયિક આવશ્યકનાં સૂત્રોની ગોઠવણ પંચાચાર સૂત્રોનો વિશેષાર્થ ૧. જ્ઞાનાચાર www.jainelibrary org Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૦૨ ૧/૧ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૪ . - ૧૦૪ ૧૦૪ ૨. દર્શનાચાર ૩. ચારિત્રાચાર ૪. તપાચાર ૫. વીર્યાચાર ત્રીજું ગુરુવંદના આવશ્યક ૩૦. ઈચ્છામિ - દ્વાદશાવર્ત-ગુરુવંદના સૂત્ર-૧-૩ ગુરુવંદન સૂત્રનો વિશેષાર્થ ચોથું પ્રતિક્રમણ આવશ્યક ૧. આલોચના વિભાગ :૩૧. સાત લાખ : જીવ હિંસાની આલોચના ૧-૪ ૩૨. ૧૮ પાપસ્થાનકોની આલોચના ૨-૫ ૨. પ્રતિકમણ વિભાગ ૩૩. સવ્વસ્સવિ - સંક્ષિપ્ત મધ્ય પ્રતિક્રમણ સૂત્ર-૧-૬ વિસ્તારપૂર્વક મધ્ય પ્રતિક્રમણાવશ્યક :વંદિત્ત સૂત્રના અર્થદષ્ટિથી મુખ્ય મુખ્ય વિભાગો મંગલાચરણ અને વિષય ૧. સામાન્ય પ્રતિક્રમણો ૨. ચારિત્રાચારના અતિચારોના પ્રતિક્રમણની શરૂઆત ૩. બાર વ્રતો અને સંલેષણા વગેરેના અતિચારોનું પ્રતિક્રમણ ૪. પ્રતિક્રમણથી ફાયદા અને અંતિમ ફળ ૫. પ્રતિક્રમણની મહત્તા ૬. છેવટની આરાધના ૭. પ્રતિક્રમણને અંતે પરમ ભાવનાઓ ૮. પ્રતિક્રમણ કરવાના ખાસ હેતુઓ ૩૪. વંદિત્ત-શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર ૨-૭ ૧. મંગળાચરણ અને વિષય નિર્દેશ ૨. વ્રતો તથા જ્ઞાનાદિ આચારોમાં લાગેલા અતિચારોનું સામાન્યથી પ્રતિક્રમણ ૩. ગૃહસ્થને સર્વ પાપના મૂળરૂપ પરિગ્રહ અને બહુ સાવદ્ય આરંભનું પ્રતિક્રમણ અને વિશેષાર્થ ૪. જ્ઞાનાચારના અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૫. દર્શનાચારના અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ વિગતવાર ચારિત્ર-આચારના અતિચારોના પ્રતિક્રમણોની શરૂઆત : ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૬ ૧૦૪ ૧૦૬ ૧૮ ૧૦૯ ૧૧૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ પર પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૨૬ ૧૩૪ ૧૩૫ ૧. સમ્યક્ત્વ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૧૧૦ ૨. આરંભ સમારંભોની નિંદા તથા વિશેષાર્થ ૧૧૨ ૩. સામાન્યથી ૧૨ વ્રતોનું પ્રતિક્રમણ ૧૧૩ ૧. ૯-૧૦ (વ્રત) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ ૧૧૬ તથા વિશેષાર્થ ૨. ૧૧-૧૨ સ્કૂલ-મૃષાવાદ વિરમણવ્રત, અને તેના અતિચારોનું પ્રતિક્રમણ તથા ૧૧૮ વિશેષાર્થ ૩. ૧૩-૧૪ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ તથા ૧૨૦ વિશેષાર્થ ૪. ૧૫-૧૬ ચોથા અણુવ્રતનું સ્વરૂપ અને તેના અતિચારોના પ્રતિક્રમણની સમજ શ્રાવકનું ચોથું અણુવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ : વિશેષાર્થ ૧૩૦ આર્ય જૈન મર્યાદા પ્રમાણે સ્ત્રી-પુરુષના સ્વાતંત્ર્યનો વિચાર અતિચારોની સમજ અતિચારોની વિશેષ સમજ ૧૩૯ ૫. ૧૭-૧૮ પાંચમા સ્થૂલ પરિગ્રહ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ : વિશેષાર્થ ૧૪૨ અતિચારોની સમજ ૧૪૬ ત્રણ ગુણવ્રતો અને તેના અતિચારોનું પ્રતિક્રમણ ૬. ૧૯ દિગુપરિમાણ ૧ લું ગુણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ : વિશેષાર્થ ૭. ૨૦ ભોગોપભોગપરિમાણ. ૨ જે ગુણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ ૧૪૯ વિશેષાર્થ શ્રાવક માટે પસંદગીના ધંધા અને શાસ્ત્રકારોના ઉપદેશની દિશા ગાથાનાં પદો વિષે વિશેષાર્થ ચાર મહા વિગઈ ૨૨ અભક્ષ્ય ૧૬૨ ૩૨ અનંતકાય ૧૬૪ ૧૪ નિયમોનું સ્વરૂપ ૧૬૫ ૨૧ સાતમા વ્રતના અતિચાર અને તેનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ આદર્શપફવ-આહાર ત્યાગ કરવા યોગ્ય પંદર કર્માદાનના ધંધાઓ રૂપ અતિચારોનું વર્જન તથા વિશેષાર્થ ૨૨ પાંચ કર્માદાની કામો પાંચ કમદાની વેપાર ૧૪૭ ૧૪૭ ૧૫૪ ૧૫૯ ૧૫૯ ૧૬૭ ૧૦ ૧૭ર ૧૭૩ ૧૭૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ3 ૧૭૫ ૧૮૧ ૧૯૧ ૧૯૮ ૨૦૧ ૨૦૫ ૨૦૭ ૨૧૦ ૨૧૩ ૨૧૪ ૨૧૬ ૨૩ પાંચ કર્માદાની ખર(કૂર) કર્મો ૮. ૨૪-૨૫ અનર્થ દંડ વિરમણ વ્રત નામનું ૩ જા ગુણ વ્રતનું સ્વરૂપ ૨૬ અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ ચાર શિક્ષા વ્રતો ૯-૧. ૨૭ સામાયિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૯-૨. ૨૮ દેશાવકાશિક શિક્ષાવ્રતનું સ્વરૂપ અને અતિચારોનું પ્રતિક્રમણ : વિશેષાર્થ ૯-૩. ત્રીજા પૌષધોપવાસ શિક્ષાવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ : પૌષધોપવાસનું સ્વરૂપ પર્વતિથિની આજે વધુ મહત્તાનો વિચાર ર૯ પૌષધોપવાસના વ્રતના અતિચારોની ગાથા વિશેષાર્થ ૯-૪. અતિથિ સંવિભાગ શિક્ષા વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ : અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ ૩૦. અતિથિસંવિભાગ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૩૧. અતિથિ સંવિભાગ વિષે વિશેષ અને વિશેષાર્થ ૩૨. અતિથિ સંવિભાગ વિષે વિશેષ તથા વિશેષાર્થ અત્યસંલેખના વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ સંખના એટલે ? ૩૩. સંલેખનાના અતિચારોનું પ્રતિક્રમણ અને વિશેષાર્થ બાર વ્રતોના કુલ અતિચારો ૩૪. બાર વ્રતો પાળતાં ત્રણ યોગોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૩૫. શ્રાવકને લાયક ધર્મકરણીઓમાં લાગેલા બીજા પણ અતિચારોનું પ્રતિક્રમણ તથા વિશેષાર્થ ૩૬-૩૭-૩૮-૩૯-૪૦. ફરીથી અતિચારો લગાડે તો પછી પ્રતિક્રમણનું ફળ શું?: વિશેષાર્થ ૪૧. પ્રતિક્રમણનું માહાભ્ય : વિશેષાર્થ ૪૨. ભુલાઈ ગયેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ ૪૩-૪૪-૪૫. ધર્મ આરાધનામાં તત્પરતા તથા વિશેષાર્થ ૧ લી ભાવના ૪૬. જિનેશ્વર પ્રભુનું સ્તવન ધ્યાન : વિશેષાર્થ ૨ જી ભાવના ૪૭. ચાર મંગળો વિશેષાર્થ ૨૧૭ ૨૧૭ ૨૨૩ ૨૨૩ ૨૨૫ ૨૨૭ ૨૨૭ ર૨૭ ૨૨૮ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩ર ૨૩૩ ૨૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૩૩ ૨૩૪ ર૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૮. ૩ જી પ્રતિક્રમણ કરવાના હેતુથી ગર્ભિત ભાવના : વિશેષાર્થ ૪૯. ૪ થી ક્ષમાપના ભાવના : વિશેષાર્થ ૫૦. શ્રાવક પ્રતિક્રમણ અધ્યયનનો ઉપસંહાર અને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિ માટે અંત્ય મંગલાચરણ “વંદિતા” શ્રાવક પ્રતિક્રમણ સૂત્રનો વિશેષાર્થ વંદનથી આયરિય-ઉવઝાએ સુધી શેષ પ્રતિકમણરૂપ ચૂલિકા ૩૫. આયરિય-ઉવઝાએ સૂત્ર ૩-૮: વિશેષાર્થ ૫ મું મધ્યમ પ્રતિક્રમણનું પાંચમું કાયોત્સર્ગાવશ્યક ૩૬. મૃતદેવતાની સ્તુતિ ૧-૯ ૩૭. ક્ષેત્ર દેવતાની સ્તુતિ ૨-૧૦ ૩૮. કમલદલ સ્તુતિ ૩-૧૧ છઠું મધ્યમ પ્રત્યાખ્યાન આવશ્યક ૩૯. નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર ૧-૧૨ ૪૦. શ્રી વરકનક સપ્તતિશતજિનસ્તુતિ ૨-૧૩ ૪૧. અઢાઇજેસુ-સર્વમુનિવંદન સૂત્ર ૩-૧૪ અઢાર હજાર શીલાંગ રથની સમજ ૪૨. લઘુશાંતિ સ્તોત્ર ૧-૧૫ ૧. સ્તોત્રનું આદિમંગલ ૨. શાતિ નામ ધારણ કરનાર શાંતિનાથ પ્રભુનું માહાભ્ય ૩. સ્તુતિથી પ્રસન્ન કરેલાં જયાદેવીને ખાસ ભલામણ ૪. શાન્તિ મંત્રના અક્ષરો સહિત યાદેવીને પાકી ફરજિયાત ભલામણ ૫. દેવીની સ્તુતિનો ઉપસંહાર ૬. સ્તોત્રનો ઉપસંહાર છે. આ સ્તોત્રના પાઠનું ફળ અને કર્તાનું નામ ૮. સ્તોત્રાદિ વડે પણ પૂજાનું ફળ ૯. અંતિમ મંગળ અને આશા વિશેષાર્થ ૧૨ સાતમા ચૈત્યવંદન માટેનું સૂત્ર................ ૪૩. ચઉકકસાય-પાર્શ્વનાથ ચૈત્યવંદન સૂત્ર ૧-૧ ૧૩ દિવસ ચરિમ પ્રત્યાખ્યાનો......... ૪૪. ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ. ૧. ૪૫. પાણહાર-પાનીયાહારનું પચ્ચખાણ. ૨. ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૮ ૨૪૯ ૨૪૯ ર૪૯ ૨૫૦ ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૪ ૨૫૪ * * * * * * * * * * * * * ૨૫૫ ૨૫૫ ૨પ૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૫ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૬૧ ૨૬૭ ૨૭૦ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭ २७८ ૨૭૯ ૪૬. ચઉવિહારનું-ચતુર્વિધાહારનું પચ્ચકખાણ. ૩. ૪૭. તિવિહાર-ત્રિવિધાહારનું પચ્ચખાણ. ૪. ૪૮. દુવિહાર-દ્વિવિધાહારનું પચ્ચખાણ. ૫. ૪૯. દેશાવકાશિકનું પચ્ચખાણ. ૬. દેવસિઅ પ્રતિકમણનો વિધિ શ્રી દેવસિઅ પ્રતિક્રમણનો હેતુગર્ભિત વિધિ દેવસિઅ પ્રતિક્રમણ વિધિના વિશેષ હેતુઓ પ્રતિક્રમણ માંડલી આવશ્યકોડપરિહાણિ ચરણ-કરણાનુયોગ જૈન ધર્મ અને છ આવશ્યકો શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયજી મહારાજે પોતાના કાગળમાં જણાવેલાં છ આવશ્યકનાં સ્વરૂપોનો ભાવાર્થ રાઇઅ-પ્રતિકમણ વિધિનાં સૂત્રો. ૫૦. ભરફેસરની સજઝાય ૧ વિશેષાર્થ ભરફેસર ચરિત્રો ૧. ભરતેશ્વર ૨. બાહુબલી ૩. અભયકુમાર ૪. ઢંઢણકુમાર ૫. શ્રીયક ૬. અર્ણિકાપુત્ર ૭. અતિમુક્તક મુનિ ૮. નાગદત્ત પહેલા ૯. નાગદત્ત બીજા ૧૦. મેતાર્યમુનિ ૧૧. સ્થૂલભદ્ર મુનિ ૧૨. વજસ્વામી ૧૩. નંદિષેણ મુનિ પહેલા ૧૪. નંદિષેણ મુનિ બીજા ૧૫. શ્રી સિંહગિરિ આચાર્ય ૨૮૨ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૯૧ ૨૯૩ ૨૯૭ ૨૯૮ ૩૦૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૦ ૩૦૧ ૩૦૨ ૩૩ ૩૦૩. ૩૦૪ ૩૦૬ ઉOS ૩/૩ ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૧૬. કૃતપુણ્ય શેઠ (યવના શેઠ) ૧૭. સુકોશલ મુનિ ૧૮. પુંડરીક-કંડરીક ૧૯. કેશિગણધર ૨૦. કરકંડૂ સંસ્કાર ચિંતન ૨૧-૨૨. હલ્લ-વિહલ્લ ૨૩. સુદર્શન શેઠ ૨૪-૨૫. શાલ-મહાશાલ મુનિ ર૬. શાલિભદ્ર ૨૭. ભદ્રબાહુ સ્વામી ૨૮. દશાર્ણ ભદ્ર રાજા ર૯. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૩૦. શ્રી યશોભદ્રસૂરિ ૩૧. જંબુસ્વામી ૩૨. વંકચૂલ કુમાર ૩૩. ગજસુકુમાર ૩૪. અવંતીકુમાર ૩૫. ધન્યકુમાર ૩૬. ઈલાચીપુત્ર ૩૭. ચિલાતીપુત્ર ૩૮. યુગબાહુ ૩૯-૪૦. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ આચાર્ય ૪૧. આર્યરક્ષિતસૂરિ ૪૨. ઉદયન રાજર્ષિ ૪૩. મનકુમાર ૪૪. કાલિકાચાર્ય (૧ લા) ૪૫. કાલિકાચાર્ય (૨ જા) ૪૬. કાલિકાચાર્ય (૩ જા) ૪૭-૪૮. સાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૪૯. મૂળદેવ રાજા ૫૦. પ્રભવસ્વામી ૩૧૧ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૬ ૩૧૯ ૩૨૦ ૩ર૧ ૩૨૩ ૩ર૬ ૩૩) ૩૩૨ ૩૩૩ ૩૩૩ ૩૩૫ ૩૩૬ ૩૩૯ ૩૫૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૩૫૯ ૩૬૦ ૩૬ર ૩૬૩ ૩૬૩ ૩૬૪ १४ છે ? જી ? જી ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૮ ૩૬૯ ૫૧. વિષ્ણુકુમાર પર. આદ્રકુમાર ૫૩. દઢપ્રહારી ૫૪. શ્રેયાંસકુમાર ૫૫. કુરઘટમુનિ ૫૬. શય્યભવસૂરિ ૫૭. મેઘકુમાર એમાઈથી વિશેષ ચરિત્રો ૫૮. સ્કન્દકુમાર ૫૯. સ્કન્ટાચાર્ય ૬૦. હરિકેશિબળ મુનિ ૬૧-૬૨. ધનદેવ અને ધનમિત્ર ૬૩. ઉત્તમચરિત્રકુમાર ૬૪. ક્ષેમંકર મુનિ ૬૫. બે ક્ષુલ્લક મુનિ ૬૬. ક્ષુલ્લક મુનિ અને સુલોચના ૬૭. કૃપણ. ૬૮. આષાઢભૂતિ મહાસતીઓ ૧. સુલસા ૨. ચંદનબાળા ૩. મનોરમાં ૪. મદનરેખા ૫. દમયંતી ૬. નર્મદા સુંદરી ૭. સીતા ૮. નંદા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. રાજીમતી ૧૨. ઋષિદત્તા ૧૩. પદ્માવતી ૩૭૦ ૩૭૪ ૩૭૬ ૩૮૨ ૩૮ર ૩૮૪ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૫ ૩૯૬ ૩૯૬ ૩૯૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૧૪. અંજનાસુંદરી ૧૫. શ્રીદેવી ૧૬. જ્યેષ્ઠા ૧૭. સુજ્યેષ્ઠા ૧૮. મૃગાવતી ૧૯. પ્રભાવતી ૨૦. ચિલ્લણા ૨૧-૨૨. બ્રાહ્મી અને સુંદરી ૨૩. રુકિમણી ૨૪. રેવતી ૨૫. કુંતી ૨૬. શિવા ૨૭. જયંતી ૨૮. દેવકી ૨૯. દ્રૌપદી ૩૦. ધારિણી ૩૧. કલાવતી ૩૨. પુષ્પચૂલા ૩૩. પદ્માવતી ૩૪. ગૌરી ૩૫. ગાંધારી ૩૬. લક્ષ્મણા ૩૭. સુસીમા ૩૮. જંબૂવતી ૩૯. સત્યભામા ૪૦. રુકિમણી ૪૧-૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭. યક્ષા, યક્ષદિન્તા, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા, રેણા ઇચ્ચાઇપદથી પાંચ બીજી સતીઓ ૪૮. શીલવતી ૪૯. નંદયંતી ૫૦. રોહિણી પંચ પ્રતિક્રમણસૂત્રો ૩૯૦ ૩૯૮ ૩૯૮ ૩૯૯ ૩૯૯ ४०० ૪૦૦ ૪૦૧ ૪૦૧ ૪૦૧ ૪૦૧ ४०२ ૪૦૨ ४०२ ૪૦૩ ૪૦૪ ૪૦૪ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૬ ૪૦૬ ४०७ ૪૦૭ ૪૦૭ ૪૧૦ ૪૧૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૧૧ ૪૧૧ ૪૧૨ ૪૧૫ ૪૧૭ ૪૧૯ ૪૨૦ ૪૨૩ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૬ ૫૧. રતિસુંદરી પર. શ્રીમતી જૈન શાસ્ત્રોકત કથાઓ વિષે ૫૧. સકલતીર્થ વંદના દિવસનાં પચ્ચખાણો પચ્ચકખાણ સ્વરૂપ જૈન ધર્મ આ પચ્ચખાણોમાં આવતા આગારોની સમજ પચ્ચકખાણ ધારવા વિષે અથ પ્રભાતનાં પચ્ચખાણો પર. નમુકકારસહિઅં-મુકિસહિઅંનું. ૧ ૫૩. પોરિસી સાદ્રપોરિસીનું. ૨ ૫૪. પુરિમઢ અવઢનું. ૩ ૫૫. બેઆસણા એકાસણાનું. ૪ પ૬. આયંબિલનું. ૫ ૫૭. તિવિહાર ઉપવાસનું. ૬ પચ્ચખાણોના સળંગ અર્થે પચ્ચકખાણ વિશે વધુ સમજ ૫૮. વિશાલ-લોચન શ્રી વીરપ્રભુની પ્રાત:સ્તુતિ શ્રી રાઇઅ પ્રતિક્રમણ વિધિ રાઈએ પ્રતિક્રમણ વિધિના હેતુઓ રાઈએ પ્રતિક્રમણના છ આવશ્યકો રાઈઅ પ્રતિક્રમણના વિશેષ હેતુઓ ૧૫. પોષહ વ્રતવિધિનાં સૂત્રો........ ૫૯. પોસહ-પચ્ચકખાણ સૂત્ર ૬૦. ગમણા-ગમણે સૂત્ર ૬૧. મહ-જિણાણ-શ્રાવક કૃત્યોની સજઝાય-૩ શ્રાવકનાં ૩૬ કર્તવ્યો ૧. જિનેશ્વરની આજ્ઞા માનવી ૨-૩. મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યકત્વનો આદર ૪. છ આવશ્યકોમાં રોજ લીન રહેવું ૫. પર્વોમાં પૌષધ વ્રત ૬-૭-૮-૯. દાન, શિયળ, તપ અને ભાવ ૪૨૭ ૪૩૦ ૪૩૩ ૪૩૫ ૪૩૭ ४४० ૪૪૧ ૪૧ ૪૨ ૪૪૫ ૪૪૫ ૪૪૫ ૪૪૫ ૪૪૫ ૪૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્ર ૪૪૬ ४४७ ४४८ ૪૫૦ ૪૫O ૪૫) ૪૫૯ ૪૬૦ ૪૬૧ ૪૬૧ ૪૬૧ ૪૬ર ૧૦. સ્વાધ્યાય ૧૧. નમસ્કાર મંત્રનો જાપ ૧૨. પરોપકાર ૧૩. જયણા-યતના ૧૪-૧૫-૧૬. જિનપૂજા જિન સ્તુતિ અને ગુરુ ગુણ સ્તુતિ ૧૭. સાધર્મિક વાત્સલ્ય ૧૮. વ્યવહારશુદ્ધિ ૧૯-૨૦. રથયાત્રા-તીર્થયાત્રા ૨૧-૨૨-૨૩. ઉપશમ-વિવેક-સંવર ૨૪. ભાષાસમિતિ ૨૫. છ કાયના જીવો ઉપર દયા ૨૬. ધર્મિજન સંસર્ગ ૨૭-૨૮. ઈંદ્રિયો ઉપર કાબૂ રાખવો; અને દીક્ષા લેવાનું પરિણામ ૨૯. સંઘ ઉપર બહુમાન ૩૦. પુસ્તકો લખવા-લખાવવાં ૩૧. તીર્થમાં પ્રભાવન: ૬૨. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ પારવાનું સૂત્ર-૪ ૬૩. એકાસણ-આયંબિલનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર-૫; વિશેષાર્થ ૬૪. ૨૪ માંડલા-૬ ૬૫. પોસહ પારવાની ભાવના : ગાથા-૭ ૬૬. સંથારા પોરિસી-૮ વિશેષાર્થ પોસહ વિધિ પોસહમાં ઉપયોગી બીજી પરચૂરણ હકીકતો શ્રાવિકાઓ માટે વિશેષતા પોસહ વ્રત પાલન પોસહમાં આવશ્યકનાં કર્તવ્યો ૧૬. પાક્ષિકાદિ પ્રતિકમાણ વિધિનાં સૂત્રો.. ૬૭. સકલાઈ-ચૈત્યવંદન-૧ ૬૮. સ્નાતસ્યાની સ્તુતિ-૨ ૬૯. શ્રી પાક્ષિકાદિ અતિચાર-૩ અતિચારોના કેટલાક શબ્દાર્થો ૪૬૩ ૪૬૩ ૪૬૪ ४६४ ૪૬૫ ૪૬૫ ४७० ४७९ ૪૮૦ ૪૯૦ ૪૯૩ ૪૯૪ ૪૯૭ ૪૯૮ ૪૯૮ ૫૧૧ ૫૧૪ ૫૧૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૫૨૮ ૫૨૮ ૫૩૧ ૫૩૧ પ૩ર ૫૩૭ ૫૪૨ ૫૪૮ ૫૪૯ १४८ ૬૪૯ ૬૫ર ૬૫૬ ૬૫૭ ૬૫૭ ૬૫૮ વિશેષાર્થ અતિચારોની વ્યવસ્થા જ્ઞાનાચારના અતિચારો અન્યથા યોજનામાં જ્ઞાનના અતિચારો ઐતિહાસિક સમ્યગૃષ્ટિ આગમોની પરમ કલ્યાણકતા અને આજનાં લોકોપયોગી કાર્યોની કૃત્રિમતા છાપખાનાંઓ યે જડવાદનું પ્રધાન અંગ છે હાલની કેળવણીનો ઉન્માર્ગ આધુનિક કેળવણીની ટૂંકમાં અસર અને પરિણામો પાક્ષિક અતિચારની આલોચના પછી ૭૦. ચાર પાક્ષિક ખામણાં-૪ વિશેષાર્થ ૭૧. ભુવન દેવતાની સ્તુતિ-૫ ૭૨. ક્ષેત્ર દેવતાની સ્તુતિ-૬ છ આવશ્યક પછી અન્ય મંગળ ૭૩. અજિત-શાંતિ-સ્તવન સ્તુતિ-૭ મંગળાચરણ સ્તોત્રનો વિષય બન્નેયની સાથે સ્તુતિઓની શરૂઆત સ્તુતિનું માહાભ્ય બન્નેયની નમસ્કારની યોગ્યતાનાં કારણો આ બન્નેયની સ્તુતિ કરવાની ખાસ ભલામણ શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ શ્રી અજિતનાથ પ્રભુની દેવોએ કરેલી સ્તુતિ શ્રી શાંતિનાથ પ્રભુની દેવોએ કરેલી સ્તુતિ શ્રી અજિતનાથ પ્રભુની દેવાંગનાઓ કરેલી સ્તુતિ શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ બન્નેયની સ્તુતિ ઉપસંહાર ૬૫૮ ૬૫૮ ૬૫૯ ૬૫૯ ૬૫૯ ६६० ૬૬૦ ૬૬૨ ૬૬૩ ૬૭૦ ૬૭ર ૬૫ ६७६ FUC Page #67 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો १७८ ९७८ ૬૮૦ ૬૮૦ ૬૮૨ ૬૮૬ ૬૮૭ ૬૮૭ ૬૮૯ ૬૮૯ ૬૮૯ સ્તુતિ કરવાનું ફળ અંતિમ આશીર્વાદ આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો રોજ બન્નેય વખત સ્મરણ કરવાથી લાભ અંતિમ ઉપદેશ વિશેષાર્થ છંદો વિષે પાક્ષિકાદિ. પ્રતિક્રમણમાં દેવસિક કાયોત્સર્ગ આવશ્યકની શરૂઆત ૭૪. શ્રી બૃહચ્છાન્તિ-૮ ૧. આહતોમાં શાંતિ હો ૨. શાંતિની ઉઘોષણા સાંભળો ૩. શાંતિની ઉદ્દઘોષણાનો પ્રારંભ ૪. જગતની વ્યવસ્થા અને પવિત્રતાનો આધાર શ્રી તીર્થંકર પરમાત્માઓ ઉપર છે. ૫. શાંતિના ભંડાર ૨૪ તીર્થંકર પરમાત્માઓ ૬. ભાવના બળથી સદાના રક્ષક મુનિ મહાત્માઓ ૭. શ્રી જિનેશ્વર પરમાત્માઓનાં નામ માત્રથી જ વિવિધ કાર્યોમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે ૮. સોળ વિદ્યાદેવીઓ તરફનું રક્ષણ ૯. શ્રીસંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ હો. ૧૦. વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા ૧૧. કુટુંબોમાં આનંદ અને પ્રમોદ ૧૨. એકંદર સહિ, વૃદ્ધિ વધો, અને કષ્ટો, પાપો અને શત્રુઓ ન હો ૧૩. શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ ૧૪. શાંતિનો જુદાં જુદાં નામો લઈને ઉચ્ચાર કરવો ૧૫. નામો લઈને શાંતિનો ઉચ્ચાર ૧૬. શાંતિની ઉદઘોષણા કયારે અને કોને કરવી ? ૧૭. અભિષેક વખતે જિનેશ્વરના ભક્તોની ભક્તિના પ્રકારો ૧૮. ઉપસંહાર વિશેષાર્થ ૭૫. સંતિક સ્તવન-૯ વિશેષાર્થ ૬૯૦ ૬૯૧ ૬૯૧ ૬૯૨ ૬૯૨ ૬૯૩ ૬૯૩ ૬૯૪ ૬૯૪ ૬૯૫ ૬૯૬ ૬૯૬ ૬૯૭ ૬૯૯ ૭૦૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા 10 શ્રી પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ શ્રી ચઉમાસી પ્રતિક્રમણનો વિધિ શ્રી સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ ૭૦૭ છીંક આવે તોછીંકના કાઉસ્સગ્નની વિધિ પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણના વિધિના હેતુઓ દેવસિય, રાઈએ, પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિકના આચારો અને તેનાં દોષોનાં પ્રતિક્રમણો પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયો ७२० દ્રવ્ય અને ભાવ આવશ્યક ૭૨૨ ૧. દ્રવ્ય આવશ્યક ૭૨૨ ૨. ભાવ આવશ્યક ૭૨૫ આવશ્યકનાં ૧૦ અન્વર્થ નામો ૭૨૫ નવા સ્મરણો ૭૨૭ સૂત્રાનુક્રમ ૭૬. તિજયપહત્તસ્મરણ. ૪ ૭૨૮ વિશેષાર્થ ૭૩૨ ૧૭૦નો સર્વતોભદ્ર – ૭૭. નમિણસ્તોત્ર. ૫ ૭૩૪ ૭૮. ભક્તામર સ્તોત્રમ્. ૭ ૪૧ ૭૯. કલ્યાણ મંદિર સ્તોત્રમ્. ૮ ૧૭ પૂ. મહામહો. શ્રી યશોવિજયજી ગણિ વિરચિત શ્રી પ્રતિકમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય ૭૯૨ ૭૩૩ વિધિઓની અનુક્રમણિકા આચાર્યની સ્થાપના સ્થાપવાનો તથા ઉત્થાપવાનો વિધિ લઘુ, ગુરુવંદન વિધિ ઇરિયાવહિયા પડિકકમવાનો વિધિ કાઉસ્સગ્ન કરવાનો વિધિ સામાયિકમાં પ્રવેશ કરવાનો વિધિ સામાયિક પાળવાનો વિધિ ચૈત્યવંદનનો વિધિ (ભૂમિકા પાન) WWW.jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૬૧ ૪૩૩ ૪૮૦ ૪૦ ૪૮૨ ૪૮ર ૪૮૨ ૪૮૩ ૪૮૩ ૪૮૩ ૪૮૪ ४८४ ૪૮૫ ४८६ દેવવંદનની કેટલીક વિધિઓ જુદી જુદી જાતનાં દેવવંદનની વિધિઓ દેવસિઅ પ્રતિક્રમણનો હેતુગર્ભિત વિધિ રાઈએ પ્રતિક્રમણનો વિધિ પોસહ વિધિ પોસહ લેવાનો વિધિ ૮. પડિલેહણનો વિધિ ૯. કાજો લેવાનો વિધિ ૧૦. દેવ વાંદવાનો વિધિ ૧૧. સઝાય કરવાનો વિધિ ૧૫. પૌરૂષી ભણાવવાનો વિધિ ૧૭. રાઈઅ મુહપત્તિ ભણાવવાનો વિધિ ૨૩. પચ્ચકખાણ પારવાની વિધિ ૨૬. આહાર વિધિ ૩૦. માતરું-સ્થડિલ જવાનો વિધિ ૩૧. ત્રીજા પહોર પછી સૂચના ૩૫. માંડલ-સ્પંડિલ પડિલેહવાનો વિધિ ૮. રાત્રિ પોસહવાળાઓ માટે આગળ વિધિ સંથારા પોરિસી ભણાવવાનો વિધિ ૩૯. સંથારો પાથરવાનો વિધિ પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ - ચોમાસી પ્રતિક્રમણનો વિધિ સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ છીંકના કાઉસ્સગ્નની વિધિ પચ્ચકખાણોની અનુક્રમણિકા દિવસના ચરિમનાં પ્રત્યાખ્યાનો ૪૪. ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ ૪૫. પાણહારનું પચ્ચકખાણ ૪૬. ચોવિહારનું પચ્ચખાણ ૪૭. તિવિહારનું પચ્ચકખાણ ૪૮. દુવિહારનું પચ્ચકખાણ ૪૯. દેશાવકાશિકનું પચ્ચખાણ ૪૮૭ ४८८ ૪૮૮ ૪૮૯ ૫ ૨૫૫ ૨૫૫ ૨૫૭ ૨૫૮ ર૫૮ ૨૫૮ ૨૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૬ પ્રભાતનાં પચ્ચકખાણો પર. નમુકકાર સહિયંનું ૫૩. પોરિસી-સાડૂઢપોરિસીનું ૫૪. પુરિમઢ-અવઢનું ૫૫. બેસણા એકાસણાનું પચ્ચખાણ ૫૬. આયંબિલનું પચ્ચકખાણ ૫૭. તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ નવસ્મરણોની અનુક્રમણિકા ૧. નવકાર મંત્ર ૨. ઉવસગ્ગહર ૩. સંતિકર ૪. તિજયપહુર ૫. નમિઊણ ૬. અજિતશાંતિ ૭. ભકતામર ૮, કલ્યાણમંદિર ૯. મોટી શાંતિ ૬૯૯ ૭૨૮ ૭૩૪ ૬૫૮ ૭૪૧ ७६६ ૯૧ ਰ પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈ બહેચરદાસ પારેખની જ્ઞાનસાધના (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) ૧. પંચ પ્રતિક્રમણ સાથે ૧૦. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૨. બે પ્રતિક્રમણ સાથે ૧૧. સિદ્ધહેમ રહસ્ય વૃત્તિ ૩. સામાયિક સૂત્ર સાથે ૧૨. પંચ પ્રતિક્રમણ મૂળ ૪. જીવવિચાર સાથે ૧૩. બે પ્રતિક્રમણ મૂળ ૫. નવતત્ત્વ સાથે ૧૪. સમકિતના અડસઠ બોલની સઝાય ૬. દંડક-લઘુસંગ્રહણી સાથે ૧૫. અભક્ષ્ય-અનંતકાય (ગુજરાતી-હિન્દી) છે. પ્રથમ-દ્વિતીય કર્મગ્રંથ સાર્થ ૧૬. રત્નાકર પચ્ચીસી ૮. ત્રીજો-ચોથો કર્મગ્રંથ સાર્થ ૧૭. જિનગુણ પદાવલી ૯, ભાગ્ય પ્રથમ સાથે ૧૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સભાષ્ય – પ્રથમ અધ્યાય Page #71 -------------------------------------------------------------------------- ________________ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો વિવેચન સહિત Page #73 -------------------------------------------------------------------------- ________________ Page #74 -------------------------------------------------------------------------- ________________ १. परम पूभ्य जने परम पवित्र શ્રી પશ્ચ-પરમેષ્ટિ-નમસ્કાર-મન્ત્ર-મહા-મઙ્ગલ-સૂત્ર. (દરેક ક્ષણે સ્મરણ કરવા યોગ્ય) શબ્દાર્થ :- નમો=નમસ્કાર. અરિહંતાણં અર્હત્ ભગવંતોને. સિદ્ધાણં=સિદ્ધ ભગવંતોને. આયરિયાણં આચાર્ય ભગવંતોને. ઉવજ્ઝાયાણં=ઉપાધ્યાય ભગવંતોને. લોએ-જગતમાંના. સવ્વસાહૂણં=સર્વ મુનિમહારાજાઓને. એસો=આ. પંચ-પાંચ. નમુક્કારો=નમસ્કાર. સવ્વ=સર્વ. પાવ=પાપ. પણાસણો=નાશ કરનાર. મંગલાણં=મંગળોમાં. ચ-અને. સન્થેસિં=સર્વ. પઢમં=પહેલું. હવઈ છે. મંગલમ્=મંગલ. નમો અરિહંતાણં. નમો 'સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો ઉવજઝાયાણં. નમો `લોએ ‘સવ્વ-સાહૂણં. 'એસો પંચ-નમુક્કારો સવ્ય-પાવ-પણાસણો, 'મંગલાણં દેંચ સન્થેસિં પઢમં હવઈ મંગલ. ॥૧॥ પદ ૯, સંપદા ૮, ગુરુ અક્ષર ૭, લઘુ અક્ષર ૬૧, સર્વ અક્ષર ૬૮. પચ્ચે નવકાર-નમસ્કાર સૂત્ર. ગાથાર્થ :- [બાર ગુણે યુક્ત શ્રી] `અર્હત્ [ભગવંતો]ને “નમસ્કાર. [આઠ ગુણે યુક્ત શ્રી] ‘સિદ્ધ [ભગવંતો]ને ‘નમસ્કાર. [છત્રીસ ગુણે યુક્ત શ્રી] ‘આચાર્ય [ભગવંતો]ને નમસ્કાર. [પચીસ ગુણે યુક્ત શ્રી] ઉપાધ્યાય [ભગવંતો]ને ‘નમસ્કાર. 'જગત્માંના [સત્તાવીસ ગુણે યુક્ત] સર્વ સાધુ-મુનિરાજોને જૈનમસ્કાર. Page #75 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો આ પાંચ-નમસ્કારો સર્વ-પાપોનો નાશ કરનાર છે. અને જગતના સઘળાંયે મંગળકારી સાધનોમાં ઉત્તમમાં ઉત્તમ [મુખ્ય] “મંગળ છે. ૧ પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનો વિશેષાર્થ ૧. આ સૂત્રમાં બે ભાગ છે. પહેલાં પાંચ પદોમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર છે અને બીજાં પદો ચૂલિકા [પરિશિષ્ટ] રૂપે છે. અને તેમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાનું ફળ તથા તેનું માહાત્મ સૂચવ્યું છે. ૨. નમસ્કાર શબ્દનો પ્રાકૃત ભાષામાં નમક્કાર-નમુકકાર તથા મ ન વ કરવાથી નવકાર, નવકાર પણ થાય છે. ૩. આ પાંચ આત્માઓ સિવાય જગમાં કોઈ પણ વસ્તુ વધારે પવિત્ર કે વધારે ઉત્તમ પ્રકારની નથી જ. તેથી તેનું નામ “પરમેષ્ઠી” એટલે ઊંચામાં ઊંચી પદવી ઉપર રહેલા એવો અર્થ થાય છે. ૪. આ સૂત્ર સકલ જૈન આરાધનાનું કેન્દ્ર છે, તેથી જૈન શાસ્ત્રનો સાર છે. આમાંનો દરેક નમસ્કાર દરેક અધ્યયન છે. અને આખું સૂત્ર શ્રુતસ્કંધ છે, છતાં નંદી સૂત્ર વગેરેમાં બીજાં સૂત્રોની માફક જુદું સૂત્ર ન ગણાવતાં સર્વ સૂત્રોની આદિમાં હોવાથી સ્વતંત્ર અને સર્વ સૂત્રમય હોવાથી, તેઓની સાથે ગણાયેલા છે. પ્રવાહથી નવકાર અનાદિ છે, અને તીર્થની અપેક્ષાએ શ્રી ગણધરકૃત છે. ૫. આ સૂત્ર ઉપર પૂર્વે અનેક નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વગેરે ઘણા જ વિસ્તારથી વિદ્યમાન હતાં, અને આજે પણ આવશ્યક સૂત્રમાં સંક્ષેપથી છે. શ્રી વજસ્વામી મહારાજે સર્વ સૂત્રોની આદિમાં મંગળ તરીકે તેને સ્થાપિત કરેલ છે જેથી સર્વ આગમ સૂત્રોની શરૂઆતમાં તે મંગળ તરીકે આવે છે. ૬. તે જ પ્રમાણે શ્રી આવશ્યક મૂલ સૂત્રમાં અને અહીં પણ મંગળ તરીકે તેને પ્રથમ મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત, ધાર્મિક ક્રિયાઓમાં પણ મંગળ તરીકે ઘણી વખતે આ સૂત્ર બોલાય છે, તે, તે વિધિઓમાં આગળ સમજાશે. કોઈ પણ સૂત્ર તથા ક્રિયા કોઈ અજ્ઞ જીવને ન આવડતાં હોય, તો તે સૂત્ર અને તે ક્રિયાઓમાં લોગસ્સ, અતિચારની આઠ ગાથાઓ વગેરે ઠેકાણે પણ આ સૂત્ર વપરાય છે. છે. આ સૂત્ર સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ રૂપ હોવાથી સર્વ વિદનો અને પાપોનો નાશ કરનાર છે. તેથી પવિત્રતા જાળવીને શ્રદ્ધાપૂર્વક જ્યારે અવકાશ મળે ત્યારે નિરંતર સ્મરણ કરનારનાં સર્વ ઉપદ્રવો નાશ કરવા તે સમર્થ છે. માટે ઉત્તમોત્તમ આરાધના છે. નવ લાખ નવકાર ગણનાર અવશ્ય નજીક મોક્ષગામી થાય છે. પંચ પરમેષ્ઠીના મુખ્ય ૧૦૮ ગુણો :- (૧) અરિહંત ભગવંતોના બાર ગુણ : ૧. અશોક વૃક્ષ, ૨. દેવોએ કરેલી પુષ્પની વૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામરો, ૫. આસન, ૬. ભામંડળ, ૭. દુંદુભિનાદ, ૮. છત્ર, ૯. અપાયાપગમાતિશય, ૧૦. જ્ઞાનાતિશય, ૧૧. પૂજાતિશય, ૧૨, વચનાતિશય. Page #76 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો (૨) સિદ્ધ ભગવંતોના આઠ ગુણો : ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત અવ્યાબાધ સુખ, ૪. અનંત ચારિત્ર, ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુપર્યાય, ૮. અનંતવીર્ય. (૩) આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણ : ૫ ઈન્દ્રિયોને વિકાર તરફ જવા ન દેતાં તેને દબાવી રાખવી. બ્રહ્મચર્યવ્રતની નવ ગુપ્તિઓ. ૪ કષાયનો ત્યાગ. પાંચ મહાવ્રતોનું પાલન. ૫ સમિતિ અને ૩ ગુપ્તિનું પાલન. પ+૯+૪+૫+૧+૫+૩=૩૬ એ છત્રીશ ગુણો. (૪) ઉપાધ્યાય ભગવંતોના પચીસ ગુણો : ૧. આયારાંગ (આચારાંગ), ૨. સૂયગડાંગ [સૂત્રકૃતા], ૩. ઠાણાંગ [સ્થાના], ૪. સમવાયાંગ [સમવાયા], ૫. ભગવતી, ૬. નાય ધમ્મકહા [જ્ઞાતાધર્મકથા], ૭. ઉવાસગદશાંગ [ઉપાસકદશા], ૮. અંતગડદશાંગ [અન્તકૃદશાન], ૯. અનુત્તરોવવાઈ [અનુત્તરપપાતિક], ૧૦. પન્ડ વાગરણ [પ્રશ્ન-વ્યાકરણ), ૧૧. વિવાગ [વિપાક-સૂત્ર એ અગિયાર અંગ ભણાવવા તથા ૧. ઉવવાઈ સૂત્ર [ઔપપાતિક સૂત્ર] ૨. રાય-પસણીય સૂત્ર [રાજ-પ્રશ્નીય સૂત્ર] ૩. જીવાભિગમ ૪. પન્નવણા [પ્રજ્ઞાપના] ૫. જંબુદ્દીવપન્નતિ [જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ] ૬. ચંદપન્નતિ [ચન્દ્રપ્રજ્ઞપ્તિ] ૭. સૂરપન્નતિ [સૂર્યપ્રજ્ઞપ્તિ) ૮. કપિયા [કલ્પિકા) ૯. કપૂવડંસિયા [કલ્પાવતંસિકા] ૧૦. પુષ્ક્રિયા [પુષ્પિકા) ૧૧. પુષ્ફ-ચૂલિયા [પુષ્પ-ચૂલિકા] ૧૨. વન્તિ દશા [વૃષ્ણિ દશા]: એ બાર ઉપાંગો ભણાવવા, (૧૧+૧૨=૨૩) તથા ૨૪. કરણસિત્તરિ અને ૨૫. ચરણસિત્તરીનું પાલન અને શિક્ષા. (૫) સાધુ-મુનિરાજોના સત્તાવીસ ગણો : ૫ મહાવ્રત. ૧ રાત્રિ ભોજન વિરમણ. ૬ કાયના જીવોની વિરાધનાનો ત્યાગ. ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ. ૧ લોભનો ત્યાગ. ૧ ક્ષમા. ૧ ચિત્તની નિર્મળતા. ૧ પ્રમાર્જના અને પ્રતિલેખના. ૧ સંયમ. ૩ સાવધ મન-વચન કાયાનો રોધ. ૧ પરિષહ સહવા. ૧ ઉપસર્ગ સહવા. એ ર૭ સત્તાવીસ. ૧૨+૮+૩૬+૨૫+૨૭=૧૮. કુલ એકસો આઠ ગુણો પંચ પરમેષ્ઠીના છે. [ઇતિ શ્રી પશ્વમંગલ સૂત્ર ૨. શ્રી આચાર્ય-સ્થાપના-સૂત્ર ૧. શ્રી પંચિંદિય-સૂત્ર-૧ શબ્દાર્થ:- પંચિંદિઅપાંચ ઈન્દ્રિયોને. સંવરણો રોકનાર. તહ તથા. નવવિહ નવ પ્રકારની. બંભચેરબ્રહ્મચર્યવ્રતની. ગુત્તિધરો રક્ષા વાડને ધારણ કરનાર. ચઉવિહ=ચાર પ્રકારના કસાય કષાયથી. મુકકો મુકાયેલા. ઈચ=એ. અઢારસગુગેહિં અઢાર ગુણો વડે. સંજુત્તાયુકત સહિત. પંચમહવ્યય= પાંચ મહાવ્રતોએ. જુવોયુકત સહિત. પંચવિહાયાર=પાંચ પ્રકારના આચારને. પાલણસમો પાળવામાં સમર્થ. પંચસમિઓ પાંચ પ્રકારની સમિતિએ યુકત તિગુનો ત્રણ ગુપ્તિએ Page #77 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો સહિત. ગુરૂ ગુરુ. છત્તીસગુણો છત્રીશ ગુણોએ યુકત. મઝ=મારા. "પંચિંદિય-સંવરણો, તહ, નવ-વિહ-બંભર-ગુત્તિ-ધરો *ચાઉ-વિહ-કસાય મુક્કો, ઈઅમે અઠારસ-ગુણહિં સંજુત્તો; પણ પંચ-મહ-વ્યય-જુરો, *પંચ-વિહાયાર-પાલણ-સમત્યો, પંચ-સમિઓ, તિ-ગુત્તો, “છત્તીસ-ગુણો ગુરૂ મજઝ. રા ૨. શ્રી આચાર્ય મહારાજની સ્થાપના કરવા માટેનું સૂત્ર-૧ ગાથાર્થ:- પાંચ ઇંદ્રિયોને (વિકારો તરફ જતાં) રોકી લેનારા, તેમજ નવ પ્રકારની - બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિઓને ધારણ કરનાર, (અને) ચાર પ્રકારના કષાયો વગરના, “આ અઢાર ગણોએ સહિત-૧ (તથા) પાંચ મહાવ્રતોએ સહિત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિવાળા, (અ) *ત્રણ ગુપ્તિવાળા, (એમ) "છત્રીશ ગુણોવાળા મારા ગુરુ મહારાજ) છે. આચાર્યની સ્થાપના કરવાના સૂત્રનો વિશેષાર્થ ૧. આ સૂત્રમાં આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણો બતાવ્યા છે. ૨. કોઈ પણ ધાર્મિક ક્રિયા ગુરુ મહારાજની સામે, તેમની સાક્ષીએ અને તેમની આજ્ઞાપૂર્વક - તેમનો વિનય જાળવીને – તેમની સેવા – ઉપાસના કરતાં કરતાં કરવાની હોય છે. ૩. તેથી આચાર્ય મહારાજ – ગુરુ મહારાજ હાજર ન હોય તો – સ્થાપના આચાર્યની સામે તેમની પ્રમાણે જ વર્તન રાખીને ધાર્મિક ક્રિયા કરી શકાય છે. અને તેઓ પણ ન હોય તો, પુસ્તક, નવકારવાળી અથવા સમ્યફ-દર્શન, જ્ઞાન, ચારિત્રના કોઈ પણ ઉપકરણને પાટલી, સાપડા વગેરે ઊંચા સ્થાન ઉપર મૂકીને સ્થાપના આચાર્ય સ્થાપી લેવામાં આવે છે. તેની સામે પણ ક્રિયા કરવાથી ક્રિયા શુદ્ધ થઈ શકે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪. છત્રીશ ગુણોની વિશેષ સમજ : (૧) સ્પર્શનેન્દ્રિયના વિષયો - ૧. હલકું, ૨. ભારે, ૩. ખરબચડું, ૪. લીસું, ૫. ઊનું, ૬. ઠંડું, ૭. ચીકણું, ૮. લૂખું, એ આઠ સ્પર્શ. (૨) રસનેન્દ્રિયના વિષય - ૧. કડવો, ૨. તીખો, ૩. ગળ્યો, ૪. ખારો, ૫. ખાટો. એ પાંચ રસ. (૩) ઘાણેન્દ્રિયના વિષય - ૧. સુગંધ અને ૨. દુર્ગધ. એ બે ગંધ. (૪) નેત્રેન્દ્રિયના વિષયો - ૧. લાલ, ૨. પીળો, ૩. કાળો, ૪. ધોળો, ૫. લીલો. એ પાંચ વર્ણ-રંગો. (૪) શ્રોત્રેન્દ્રિયના વિષયો - ૧. સચિત્ત શબ્દ, ૨. અચિત્ત શબ્દ, ૩. મિશ્ર શબ્દ. એ ત્રણ શબ્દો. એ ત્રેવીસ વિષયોમાં રાગદ્વેષથી આચાર્ય મહારાજ દોરાય નહીં. પણ પાંચેય ઈન્દ્રિયો ઉપર કાબૂ રાખે. તે પાંચ ગુણો. ૫. નવ ગુપ્તિઓ : (૧) સ્ત્રી, પશુ, નપુંસક હોય ત્યાં રહેવું નહીં. (૨) સ્ત્રી સાથે રાગથી વાતચીત કરવી નહીં. (૩) જે આસન ઉપર સ્ત્રી બેઠેલ હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહીં. (પણ પુરુષ બેઠેલ હોય ત્યાં એક પહોર સુધી સ્ત્રીએ બેસવું નહીં.) (૪) રાગથી સ્ત્રીનાં અંગોપાંગ જેવા નહીં. (૫) સ્ત્રીપુરુષના કામભોગની વાત સંભળાઈ જાય, તેવા સંસર્ગ વગેરેથી દૂર રહેવું. (૬) પૂર્વે ભોગવેલા વિષયોપભોગોને સ્મરણમાં ન આવવા દેવા. (૭) વિષયવિકાર ઉત્પન્ન થાય તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. (૮) આહાર નીરસ હોય તો તે પણ અલ્પ જ કરવો. (૯) શરીરની શોભા ટાપટીપ ન કરવી. બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટેની આ નવગુપ્તિઓ – રક્ષણ કરવાની વાડો – કહેવાય છે. સ્ત્રીએ પુરુષના પ્રસંગે યથાયોગ્ય રીતે પાળવાની હોય છે. બ્રહ્મચર્યનો ભંગ થવા તો ન જ દેવો જોઈએ. પરંતુ તેને સામાન્ય પ્રસંગો પણ દૂરથી તજવાથી બ્રહ્મચર્યવ્રતનું સારી રીતે રક્ષણ થઈ શકે છે. આચાર્ય મહારાજ આ ગુપ્તિઓને બરાબર ધારણ કરે છે માટે તે નવ ગુણો. ૬. ક્રોધ-માન-માયા-લોભ : એ ચાર કષાયોને આચાર્ય મહારાજ સારી રીતે કાબૂમાં રાખે છે, એ ચાર ગુણો. ૭. પંચમહાવ્રતો : (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત - છયેય કાયની હિંસાનો ત્યાગ (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત - સર્વથા અસત્ય ત્યાગ (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત - કોઈ પણ ચીજ વણમાગે ન જ લેવી. (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત - સર્વથા બ્રહ્મચર્યનું પાલન. (૫) સર્વથા પરિગ્રહ વિરમાણ મહાવ્રત-મૂચ્છ-મમતાનો ત્યાગ. આ પાંચ મહાવ્રતોમાં આચાર્ય મહારાજ ખૂબ દઢ હોય છે. ૮. પાંચ આચારો : (૧) જ્ઞાનાચાર - વિનયાદિ આઠ આચાર સાચવીને જ્ઞાન ભણવું-ભણાવવું વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય. (૨) દર્શનાચાર - નિ:શંકાદિક આચાર સાચવી જૈન દર્શનની શ્રદ્ધા ધારણ કરી શાસનની પ્રભાવના કરવી વગેરે. (૩) ચારિત્રાચાર - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ, તેમજ સર્વ સાધુ આચાર સમાચારી સારી રીતે પાળવી. (૪) તપાચાર - બાહ્ય-આત્યંતર તપશ્ચર્યા કરવી. (૫) વીર્યાચાર - દરેક ધર્મકાર્યોમાં બળ-વીર્ય દાખવવું. આ પાંચ ગુણો આચાર્ય મહારાજ પોતે પાળે જ, તેમજ બીજાને પળાવે તથા અનુમોદના કરે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૯. પાંચ સમિતિ : (૧) ઈર્ષા સમિતિ- શરીરની કોઈ પણ યોગ્ય ચેષ્ટા, સારી રીતે દયા અને સંયમ જાળવીને કરવી. (૨) ભાષા સમિતિ - દયા અને સંયમ ધ્યાનમાં રાખી લાભાલાભ વિચારીને આજ્ઞા મુજબ યોગ્ય બોલવું. (૩) એષાણાસમિતિ - જરૂરની ચીજો શાસ્ત્રોકત રીતે શોધીને દયા અને સંયમ જાળવીને પૂરતી કાળજીથી માંગી લાવવાનો યોગ્ય પ્રયત્ન કરવો. (૪) આદાન-ભંડ-મત્ત-નિફખેવાણા સમિતિ - સાધુધર્મમાં ઉપયોગ આવતી કોઈ પણ પાત્ર-માત્રક વગેરે ચીજો લેવામાં તથા મૂકવામાં પ્રતિલેખના અને પ્રમાર્જનાપૂર્વક યોગ્ય જ રીતભાત રાખવી. (૫) પારિકાપનિકાસમિતિ - નકામી ચીજો તજી દેવામાં પણ યોગ્ય રીતભાત. સમિતિ=સમ્યફ ચેષ્ટા. સારી પ્રવૃત્તિ. ૧૦. ત્રણ ગુપ્તિ: (૧) મનોગુપ્તિ - વચન ઉપર સંપૂર્ણ કાબૂ અથવા શુભ ધ્યાન અને સંકલ્પ. (૨) વચનગુપ્તિ - વચન ઉપર સંપૂર્ણ કાબૂ - અથવા જરૂર જણાયે માત્ર નિરવદ્ય વચન બોલવું. (૩) કાયપ્તિ- શરીરની ચેષ્ટા ઉપર સંપૂર્ણ કાબૂ અથવા પ્રતિલેખના પ્રમાર્જના વિના શરીરને હલાવવું નહીં. સામાન્ય રીતે મુનિરાજોને આ ત્રણ યોગો ઉપર સંપૂર્ણ કાબૂ રાખવાનો હોય છે. પરંતુ જ્યારે તેનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ઉપર પ્રમાણે પાંચ સમિતિની રીતે તદ્દન સારી પ્રવૃત્તિ માટે જ ઉપયોગ કરી શકાય છે જેથી દયા, સંયમ, અને તપની વૃદ્ધિ થાય, હાનિ અટકે અને અનુમોદના વધે. આ આઠના પાલનથી ચારિત્રધર્મમાં જાગૃતિ વધે છે, સાધુ જીવનમાં ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે, માટે આને અષ્ટપ્રવચન માતા તરીકે શાસ્ત્રમાં વર્ણવેલ છે અને સકલ આગમોનું મુખ્ય ધ્યેય આમાં સમાવેલું છે. આ પ્રમાણે આચાર્ય મહારાજના છત્રીસ ગુણો છે. આચાર્યની સ્થાપના સ્થાપવાનો તથા ઉત્થાપવાનો વિધિ કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવાને પ્રસંગે આચાર્ય ભગવંતની સ્થાપના કરવાની જરૂર હોય ત્યારે, પાટલી કે સાપડા વગેરે ઊંચા આસન પર પુસ્તક, નવકારવાળી કે છેવટે કોઈ પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું ઉપકરણ મૂકી, તેની સામે જમણો હાથ રાખી [સંસ્થાપની મુદ્રા કરી], એક નવકાર ગણી પંચિંદિય સૂત્ર કહેવું. અને જ્યારે ક્રિયા પૂરી થાય, ત્યારે જમણો હાથ પોતાના મુખ સામે રાખી [ઉત્થાપની મુદ્રા કરી], એક નવકાર ગણવો. ૩. શ્રી લઘુ-ગુરુ-વદન-સૂત્રો : ૩. ઈચ્છામિ ખમાસમણો-પ્રણિપાત સૂત્ર-૧ શબ્દાર્થ:- ઇચ્છામિ હું ઇચ્છું છું. ખમાસમણો !=હે ક્ષમા [ના ભંડાર] શ્રમણ [મુનિરાજ]. Page #80 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વંદિ=વંદન કરવાને. જાવણિજ્જાએ-યાપનિકા વડે મન-વચન-કાયાની સર્વ શક્તિ વંદન ક્રિયામાં જોડીને. નિસીહિઆએ-નૈષેધિકી વડે [મન-વચન-કાયાને અન્ય પ્રવૃત્તિઓમાંથી રોકી લઇને.] છંદણ-ઇચ્છાપૂર્વક. મથએણ=મસ્તક વડે. વંદામિ-વંદન કરું છું. [શિષ્ય:-] `ઇચ્છામિ ખમા -સમણો ! વંદિTM - જાવણિજાએ, નિસીહિઆએ. [ગુરુ:-] (છંદેણ.) [શિષ્ય:-] 'મર્ત્યએણ વંદામિ. ૩. પંચાંગ-પ્રણિપાત-સૂત્ર ૧ ગાથાર્થ :- [શિષ્ય :-] હે` ક્ષમા [ના ભંડાર] શ્રમણ [મુનિરાજ] ! [હિંસાદિક પાપો તરફ જતી મારાં મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિઓને] “રોકી લઈ, [આપને વંદન કરવામાં જ તે] સર્વ શક્તિઓનો ઉપયોગ કરી, હું [આપને] વંદન કરવા "ઇચ્છું છું. [ગુરુ:-] ([તમારી] ઇચ્છા પ્રમાણે [કરો.]) શિષ્ય :- `મસ્તક નમાવી ‘હું [આપને] વંદન કરું છું. ૪. ઇચ્છકાર-સુગુરુ-સાતા-પૃચ્છા-સૂત્ર-૨ [શિષ્ય:-] ઇચ્છ'-કાર-સુહૌં રાઈ ? `સુહ `દેવવિસ સુખ તપ` ? શરીર “નિરાબાધ ? `*સુખ ``સંજમ-જાત્રા ``નિર્વહો છો જી ? સ્વામિ ! ``સાતા છે જી ? [ગુરુ:-] (દેવ-ગુરુ-પસાય.) [શિષ્ય :-] ભાત-પાણીનો લાભ દેજો જી. [ગુરુ:-] (વર્તમાન જોગ) ૪. પૂજ્યગુરુને સુખ સાતા પૂછવા માટેનું સૂત્ર-૨ ગાથાર્થ :- [શિષ્ય :−] [હ ગુરુમહારાજ][આપની] ‘ઇચ્છા હોય તો જવાબ દેશો કે-[પૂછું]-આપની ‘રાત્રિ ‘સુખે [વીતી છે] ? [આપનો] *દિવસ “સુખે [વીત્યો છે] ? [આપની] ‘તપશ્ચર્યા સુખે-[થાય Page #81 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે ? [આપના “શરીર “પીડા નથી ને? ચારિત્ર [ધર્મ-રૂપી] યાત્રાનો 'નિર્વાહ સુખે થાય છે ને ? હે સ્વામિ ! એિકંદર આપને શાંતિ છે ને? ગિર -] (શ્રી દેવ-ગુરુની કૃપાથી[શાન્તિ છે.) શિષ્ય :-] આહાર-પાણી દ્વારા ધર્મનો લાભ આપશોજી. ગિર -] (તે વખતે જેવા સંજોગો.) ૫. અદ્ભુઠિઓ-ગુરુ-ક્ષમાપના સૂત્ર-૩ શબ્દાર્થ:- ઇચ્છાકારેણ ઈચ્છાપૂર્વક. સંદિસહ આજ્ઞા આપશોજી. ભગવન =હે ભગવન્! હે પૂજ્ય ! અભુઠિઓ=ઊભો થયો છું. [ખડે પગે હાજર થયો છું.] મિહું. અભિંતર=અંદર અંદરના. દેવસિએ=દિવસ સંબંધી, રાઇએ=રાત્રિ સંબંધી. ખામેઉ ?ઃખમાવવાને ? ખામેહઃખમાવો. ઇચ્છે હું (પણ) ઈચ્છું છું. ખામેમિઃખમાવું છું. જં=જે. કિંચિત્રકાંઈ પણ. અપત્તિયં અપ્રીતિ ઉત્પન્ન કરનાર [અથવા આત્મ પ્રત્યયિક પોતાના નિમિત્તે પરપત્તિયં અત્યંત અપ્રીતિ ઉત્પન્ન કરનારું. [બીજાને નિમિત્તે] ભરૂઆહાર વિષે. પાણે પાણી વગેરે પીવાને વિષે. વિયે વિનય. [ભક્તિ-બહુમાન] વિષે. વૈયાવચ્ચે સેવા-ચાકરી વિષે. આલાવે=આલાપમાં-સાધારણ વાતચીતમાં. સંતાપે સંલાપમાં-વિશેષ વાતચીતમાં. ઉચ્ચાસણ=ઊંચે આસન રાખવાથી. સમાસાણ સરખું આસન રાખવાથી. અંતર-ભાસાએ વચ્ચે બોલવાથી-ડહાપણ ડોળવાથી, ઉવરિભાસાએ ઉપરાંત બોલવાથી. વિણય-પરિહરં વિનય રહિત. સુહુમ=સૂક્ષ્મ-અલ્પ. બાય બાદર-મોટું. વા અથવા-કે. તુર્ભતમે. જાણહ જાણતા હો. અહંકહું. નન. જાણામિ હું જાણતો હોઉં. તસ્સ તેનું-તે સંબંધીનું. તે (ગુરુ સંબંધી) સાવધ યોગોનું. મિચ્છામિથ્યા. મિ=મારું. દુક્કડં દુષ્કૃત-પાપ-દોષ. [શિષ્ય:-]ઇચ્છાકારેણ સંદિસહભગવન્“અભુઠિઓ મિ-અભિંતર દેવસિઅં [રાઈ] ખામેઉ [ગુર -] (ખામહ.) (શિષ્ય:-) ઇચ્છે. ખામેમિ દેવસિએ [રાઈએ]. જે કિ ચિ - ૧અપત્તિએ, પર-પત્તિઅં-'ભરે, પાણે; વિણએ, "વિયાવચ્ચે“આલાવે, સંલાવે; ઉચ્ચાસણે, “સમાસણે; અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, જે “કિંચિ-મઝ વિણય-પરિણીર્ણ-સુહુર્મ અવા “બાય વા 'તુમે જાણહ, અહં ન જાણામિ. તસ્સ - મિચ્છામિ દુક્કડં. Page #82 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો [ગુરુ-] (મિચ્છા મિ દુકક) ૫. શ્રી ગુરુની ક્ષમા માગવા માટેનું-સૂત્ર. ૩ ગાથાર્થ:- શિ:-] હે ભગવન! આપ આજ્ઞા આપવાને ઇચ્છો છો? હું આપની સાથેના] અંદરો અંદરના પ્રસંગોના દિવસના કિ રાત્રિની અંદર થયેલ] અપરાધોની ક્ષમા માગવાને [આપની સામે ખડે પગે હાજર થયો છું. ગિર -] ('ખમાવો [ક્ષમા માગો]) શિષ્ય :-] હુંપણ ઇચ્છું છું. હું દિવસ કિ રાત્રિ સંબંધી અપરાધો ખમાવું છું, જે કાંઈ-અપ્રીતિ ઉત્પન્ન કરનારું કિ મારે પોતાને નિમિત્તે, અત્યન્ત અપ્રીતિ ઉત્પન્ન કરનારું કિ બીજા કોઈને નિમિત્તે, આહારની બાબતમાં, કિ] પાણીની બાબતમાં; વિનય [ભક્તિ યુક્ત બહુ-માનમાં, કિ] વિયાવચ્ચ સિવા-ચાકરીમાં; “સાધારણ વાતચીતમાં, કિ લાંબી વાતચીતમાં; આપ કરતાં ઊંચું આસન રાખવાથી, કિ] સરખું આસન રાખવાથી “વચ્ચે ડહાપણ ડહોળવાથી, કિ] [આપ ઉપરાંત પિતાની હોશિયારી બતાવવાથી; બીજું પણ] જે કાંઈ નાનું, અથવા “મોટું, મારું વિનય-રહિત આચરણ હોય,] આપતિ જાણતા હો યા નહીં, અને હું પણ તે ન જાણતો [યા જાણતો હોઉં, તે સંબંધીનું મારું સઘળું કૃત્ય મિથ્યા થાઓ. ગુરુ-] (અમારું દુષ્કૃત્ય [પણ] મિથ્યા થાઓ) श्री लघु गुरु वंटन सूत्रोनो विशेषार्थ ૧. આ ત્રણેય સૂત્રો સામાન્ય રીતે ગુરુવંદન વખતે બોલાય છે, જે કે સામાયિક કે ચૈત્યવંદનની વિધિમાં ઇચ્છકાર નથી, છતાં ઇચ્છામિ પછી દરેક ચોપડીઓમાં ઇચ્છકાર મૂકેલ છે. તે ગુરુવંદન વિધિ માટે જ છે, અને અભુકિઓ વિના ગુરુવંદના વિધિ અપૂર્ણ રહે. એટલે અમોએ અશુદ્ધિઓ સૂત્ર અહીં મૂકેલ છે. ૨. સવારમાં ગુરુવંદન કર્યા વિના મોઢામાં કાંઈ પણ ન નાંખવું જોઈએ. ૩. ઈચ્છામિ સૂત્ર તીર્થકર ભગવંતો તથા ગુરુ મહારાજને ટૂંકામાં વંદન કરવા માટે દરેક વિધિઓમાં આવે છે. ૪. ઇચ્છામિ અને ઇચ્છકાર એ બન્ને ય સૂત્રો વિસ્તારથી આગળ ઉપર આવતા દ્વાદશાવર્ત વંદન સૂત્રના આગલા ભાગમાંથી લેવાયેલા જણાય છે. ૫. પહેલા સૂત્રમાં બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગો ભોંય સાથે અડકાડી વંદના કરાય છે. માટે તેનું નામ પંચાંગ પ્રણિપાત સૂત્ર છે. બીજામાં ગુરુ મહારાજની સાર સંભાળ લેવાની Page #83 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે. ત્રીજામાં ગુરુ મહારાજ સંબંધી અપરાધોની ક્ષમાપના થાય છે. ૬. આ જગતમાં ગર મહારાજ વિના તીર્થકર ભગવંતોને, તેમજ તેમના ધર્મને તથા શાસ્ત્રોને ઓળખાવનાર બીજું કાંઈ પણ સાધન નથી જ. માટે તે ઉપકારના બદલામાં તન, મન, ધન અર્પણ કરવાથી પણ તેનો બદલો વળી શકતો નથી, તો પછી સાર સંભાળ અને બહુમાનના પ્રશ્નો પૂછી અગવડો દૂર કરવા પ્રયત્નો પણ કરવા જ જોઈએ. છે. (૧) ગુરુ તરફ વિનય બહુમાનપૂર્વક હૃદયની ભકિત રાખવી. (૨) ગુરુની સેવા-ચાકરી કરવી. (૩) ગુરુ સાથે સભ્યતા અને શાંતિથી વર્તવું. (૪) આહાર-પાણીમાં તેમની અનુકૂળતા જાળવવી. તેમના આસનથી નીચે આસન રાખવું. (૬) વાતચીતમાં વચ્ચે ન બોલવું. (૭) પોતાની વિશેષ હોશિયારી ન બતાવવી. (૮) પોતાના કે બીજાના નિમિત્તે તેમને નારાજ ન કરતાં હંમેશા રાજી રાખવા. (૯) નાની મોટી ભૂલ જણાય તો પશ્ચાત્તાપપૂર્વક તેની ક્ષમા માંગવી. એકંદર તેત્રીસ આશાતનાઓનો ત્યાગ કરવો. ૮. ૧૭ સંડાસા- પંચાંગ પ્રણિપાત વખતે પાંચ અંગોને ભૂમિ ઉપર સ્પર્શ કરાવતાં શરીરનાં જે જે અંગો સાણસીની માફક વળે છે, તે તે ઠેકાણે જીવોની વિરાધના અટકાવવા ૧૭ ઠેકાણે પ્રમાર્જના કરવી જોઈએ. તેથી તેનું પૂરું નામ ૧૭ સંડાસા પ્રમાર્જના છે. (સંદશંક-સાણસી) ૩ વખત પાછળ -જમણે પગે-વચ્ચે અને ડાબે પગે. ૩ વખત આગળ જમણે પગે વચ્ચે અને ડાબે પગે. ૩ અવરહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર ૧ જમણા કપાળેથી ડાબા હાથ ઉપર થઈ તેની કોણી સુધી. ૧ ડાબે કપાળેથી જમણા હાથ ઉપરથી તેની કોણી સુધી. ૩ ચરવળા ઉપર - મસ્તક નમાવવાને સ્થાને. અને ૩. ઊભા થતાં પહેલાં પગ મૂકવાના સ્થાને. પહેલાં નવ ચરવળાથી, પછીના પાંચ મુહપત્તિથી, અને છેલ્લા ત્રણ ચરવળાથી કરવાના છે. સંડાસાપમાર્જના એટલે સાણસી માફક વળતા શરીરના અવયવોની પ્રમાર્જના એવો અર્થ થાય છે. લઘુ ગુરુ વંદન વિધિ પ્રાત:કાળે શ્રી જિનેશ્વર પ્રભુના દર્શન કરી ઉત્તરીય વ તે ખેસ વિધિપૂર્વક ધારણ કરી, વંદનના ૩ર દોષ ટાળી સંડાસાની સત્તર પ્રમાર્જના સાચવી, પ્રથમ બે ખમાસમણ દેવા, પછી હાથ જોડી ઊભા રહી, ઈચ્છકાર કહી સુખસાતા પૂછવી. પછી (પદસ્થ હોય તો ખમાસમણ દઈ) સંડાસા પ્રમાઈ જમણો હાથ નીચે સ્થાપી, મુહપત્તિ અગર ખેસના છેડા સાથે ડાબો હાથ જયણા માટે મોં પાસે રાખી માથું નમાવી અભુઠિઓ સૂત્ર કહેવું. પછી ઊભા થઈ ખમાસમણ દઈ યથાશક્તિ પચ્ચકખાણ દેવા વિનંતિ કરવી, ને બે હાથ જોડી ઈચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશો? કહી પછી પચ્ચકખાણ લેવું. પછી ખમાસમણ દેવું. અહીં બપોર પહેલાં વંદન કરતાં “સુહરાઈ ?” બોલવું, અને બપોર પછી “સુહદેવસિ?" Page #84 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો બોલવું. તે જ પ્રમાણે અભુઠિઓમાં પણ રાઇએ અને દેવસિ વિષે સમજવું. પચ્ચકખાણ લેતી વખતે ગુરુ મહારાજ પચ્ચકખાઈ બોલે ત્યારે પચ્ચકખામિ અને વોસિરે બોલે ત્યારે વોસિરામિ બોલવું. ૪. ઐર્યાપfથકી ક્રિયાના પ્રતિક્રમણના વિધિનાં સૂત્રો ૬. શ્રી ઈરિયાવહિયા-સૂત્ર ૧ શબ્દાર્થ:- ઈરિયાવહિયંત્રઐર્યાપથિક-રસ્તામાં જવા આવવાની ક્રિયાથી થયેલી હિંસાના પાપનું. પડિકમામિ પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. સાધ્વાચાર-કરેહ કરો. પડિક્કમિઉ= પ્રતિક્રમણ કરવાને. ઇરિયાવહિયાએ=ઐયંપથિકની. વિરહાણાએ વિરાધનામાં. ગમણાગમાણે=જવા આવવામાં. પાણકકમાણે પ્રાણો-જીવો-ઉપર થઈ ચાંપીને ચાલતા. બીયરબી જ. હરિય=લીલી વનસ્પતિ. ઓસાકઝાકળ. ઉસિંગ કીડીનાં નગરાં. પાણગપાંચવર્ણી નીલગ. દર પાણી. મટ્ટી-માટી. મકડા કરોળિયાનાં જાળાં. સંકમાણે ઉપર થઈ ચાંપીને ચાલતાં. જેજે. મેમેં. જીવા જીવો. વિરાહિઆ વિરાધ્યા-હણ્યા, દુહવ્યા, માર્યા, હેરાન કર્યા. એનિંદિયાએક ઈન્દ્રિયવાળા. બેઈદિયાબે ઈદ્રિયોવાળા. તેઈદિયા ત્રણ ઈદ્રિયોવાળા. ચઉરિદિયા ચાર ઈદ્રિયોવાળા. પંચિંદિયા પાંચ ઈન્દ્રિયોવાળા. અહિયા=અભિહતા-ઠોકરે માર્યા, અથડાવ્યા. વરિયાવર્તિતા-ધૂળથી ઢાંકયા. લેસિયા=શ્લેષિત કર્યા-ભસ્યા. સંઘાઈયા=સંઘાતિત કર્યા-એકઠા કર્યા. સંઘક્રિયાસંઘટિત-સંઘર્ષિત કર્યા - પરસ્પર અથડાવ્યા. પરિયાવિયા પરિતાપિત કર્યા, હેરાન કર્યા. કિલામિયા કલાનિત કર્યા-અધમૂઆ કર્યા, કરમાવ્યા. ઉદ્દવિયા=ઉપદ્રવિત-બીકથી મરણતોલ કર્યા-બીકથી થથરાવ્યા. ઠાણાઓ એક સ્થાનકથી. ઠાશંકસ્થાનકે. સંકામિયા=સંક્રમિત કર્યા-ફેરવ્યા. જીવિઆઓ જીવિતથી. વવરોવિયા=વ્યપરોપિત કર્યા-મુકાવ્યા. તસ્મતે સંબંધી [ઐર્યાપથિકી ક્રિયા સંબંધી સાવઘયોગનું. [શિષ્ય :-] ઇચ્છા કારેણ - સંદિસહ 'ભગવદ્ ! ઈરિયાવહિય પડિકકમામિ ? [ગુર -] ('પડિકકમેહ.) [શિષ્ય -] ઈચ્છ. ઇચ્છામિ પડિકમિઉ='ઈરિયાવહિઆએ *વિરાણાએ=' ગમણાગમણે પાણકકમણે બીયમણે, 'હરિયઠ્ઠમણે, “ઓસા-ઉસિંગ-પણગ-દગ-મટ્ટી-મકક્કાસંતાણા-સંમણે; જે મે જીવા- વિરાહિઆરએચિંદિયા, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પંચ પ્રતિક્રમણસૂત્રો બેઈંદિયા, ॰તેઈંદિયા, ``ચઉરિંદિયા, ``પંચિંદિયા, “અભિયા, વત્તિયા, 'લેસિયા, સંઘાઈયા, 'સંઘટ્ટિયા, “પરિયાવિયા, 'ક્લિામિયા, ઉવિયા, ઠાણોઓ ઠાણું સંકામિયા, ૨૪વિયાઓ વવરોવિયા. =`તસ્સ-’મિચ્છા `મિ દુક્કડં. ૬. ઐર્યાપથિકી ક્રિયાના પ્રતિક્રમણનું સૂત્ર-૧ ગાથાર્થ :-[શિષ્ય :-] [આપની] ‘ઇચ્છા હોય તો 'ભગવન્ ! આપ આજ્ઞા આપશોજી, કે - હું `ઐર્યોપથિકનું [=રસ્તામાં જવા આવવા વગેરે પ્રવૃત્તિથી થયેલી હિંસાના પાપનું] “પ્રતિક્રમણ [=તે પાપને-મિથ્યા-દૂર-તે પાપથી મારા આત્માને છૂટો-તેમાંથી-મારા-આત્માને પાછો ખેંચી લેવાનો પ્રયત્ન] કરું ? [ગુરુ:-] [ઐર્યાપથિકી ક્રિયાનું] ‘પ્રતિક્રમણ કરો. [શિષ્ય:-] [આપ એ આજ્ઞા આપો, એમ હું] `ઇચ્છું છું. હું `ઐર્યાપથિકી વિરાધનાનું ‘પ્રતિક્રમણ કરવા ’ઇચ્છું છું, એટલે કે- [ઐર્યાપથિક એટલે] `જવા આવવા [વગેરે]ની [કોઈ પણ] ક્રિયા કરતાં[જેમ કે :-] ૧૧ ‘પ્રાણો[જીવો]ને ચાંપીને ઉપર થઈ ચાલતાં, બીજોને ચાંપીને ઉપર થઈ ચાલતાં, ’લીલી વનસ્પતિને ચાંપીને ઉપર થઈ ચાલતાં, "ઝાકળ, કીડીનાં નગરાં [ક ગધેયા], [પાંચવર્ણી] નીલગ, [સચિત્ત] પાણી અને માટી, તથા કરોળિયાનાં જાળાંઓને ચાંપીને ઉપર થઈ ચાલતાં ‘મેં °જે-‘એક ઇન્દ્રિયવાળા, “બે ઇંદ્રિયવાળા, `ત્રણ ઇંદ્રિયવાળા, ``ચાર ઇંદ્રિયવાળા [અને] પાંચ ઇંદ્રિયવાળા ૧૩જીવો *વિરાધ્યા એટલે કે- “ઠોકરે માર્યા, ધૂળે ઢાંકયા, ૧૭ભીંસ્યા, `[અંદરોઅંદર] સંકડાવ્યા, ‘[પરસ્પર] અથડાવ્યા - કુટાવ્યા, હેરાન હેરાન કર્યા. 'મુડદાલ જેવા ઢીલા કર્યા, ‘‘ગભરાવ્યા, [āપોતાના] રહેઠાણથી વિખૂટા પાડી નાંખ્યા. [અને તદ્દન] મારી નાખ્યા [હોય] `તે [ઐર્યાપથિકી ક્રિયાથી થયેલી ઉપર જણાવ્યા પ્રમાણેની વિરાધના] સંબંધી [મન, વચન અને કાયાના સાવદ્યયોગ]નું “મારું વૈદુષ્કૃત (પાપ) *મિથ્યા [થાઓ, એમ હું ઇચ્છું છું.] ૫. કાઉસ્સગ્ગના હેતુ : પ્રયોજન : અને વિધિનાં સૂત્રો ૭. શ્રી તસ ઉત્તરીકરણેણં-કાઉસ્સગ્ગના હેતુનું સૂત્ર ૧-૨ શબ્દાર્થ :- તમ્સ-તે [ઐર્યાપથિકી ક્રિયાનું ઐર્યાપથિકી વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૩ બાકી રહેલાં ત્રણ શલ્ય અને પાપ કર્મોરૂપી સાવધ યોગો]નું. ઉત્તરીકરણ [કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્તરૂ૫] ઉત્તર ક્રિયા કરવા માટે-કરવાથી. પાયચ્છિત્તકરણેણં પ્રાયશ્ચિત્ત તપ કરવા દ્વારા. વિસહીકરણેણં વિશેષ શુદ્ધિ કરવા દ્વારા. વિસલ્લીકરણગં=શલ્ય રહિતપણું કરવા દ્વારા. પાવાગં=પાપ. કમ્માણ કર્મોના. નિઘાયણઠાએતદ્દન નાશ કરવા માટે. કામિ સ્થિર થાઉ છું. (સ્થિરતાથી કરું છું-કાયા, મન, વચનની નિશ્ચળતાથી કરું છું). કાઉસ્સગ્ગ કાયોત્સર્ગ (કાયાનો ત્યાગ કાયારૂપ બાહ્ય આત્માનો ત્યાગ). છે. 6. 'તસ્સ ઉત્તરી કરણે-પાયચ્છિત્તકરણે-“વિસોહીકરણેણં-વિસલ્લીકરણેણં-પાવાણું કમ્માણં ‘નિશ્થાયણએ-“કામિ કાઉસગ્ગ= છે. ઉત્તર ક્રિયારૂપે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્તના પ્રયોજનનું સૂત્ર ૧-૨ ગાથાર્થ:- તે ઐિર્યાપથિકી ક્રિયાનું વિરાધનાનું આલોચન અને પ્રતિકમણપ્રાયશ્ચિત્ત કરવા છતાં બાકી રહેલાં ત્રણ શલ્ય અને પાપકર્મો રૂપ સાવદ્ય યોગો)ના [વિશેષ પ્રાયશ્ચિત્ત રૂ૫] ઉત્તર ક્રિયા તરીકે, (કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત કરવા, (તેમ કરીને આત્માને શલ્ય રહિત, અને “વિશેષ શુદ્ધ કરવા, અને એકંદર મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ સર્વ પાપ [અથવા ઘાતી] કર્મોનો[‘તદ્દનો નાશ કરવા હુિં ઊંચો શ્વાસ-વગેરે આગારોના પ્રસંગ સિવાય કાયોત્સર્ગ [કાયાના ત્યાગ)માં [સ્થાન, બાન અને મૌન વડે, કાયા, મન અને વચનથી] સ્થિર થાઉં છું. ૮. કાયોત્સર્ગના આગાર : મર્યાદા : અને વિધિનું સૂત્ર ૨-૩ શબ્દાર્થ - અન્નત્થ સિવાય. ઊસિઅશ્વાસ લેવો. નીસિસિએ=શ્વાસ મૂકવો. ખાસિઅ ઉધરસ-ખાંસી, છીઅ છીંક. જંભાઈઅકબગાસું. ઉડુઅઓડકાર. વાય-નિસગ્ન પવનનું છૂટવું. ભમલી=ચકરી. પિત-મુચ્છા=પિત્તની મૂચ્છ-પિત્તનો ઉછાળો. મૂછ પિત્તના ઉછાળાથી શૂન્યતા. સુહુમ=સૂક્ષ્મ. અંગ-સંચાલ=અંગનું ફરકવું. ખેલ=કફ-શ્લેષ્મા. દિઠિ=આંખ-નજર. એવભાઈ એ અને બીજા. આગાર છૂટો. અભગ્ગો ભાંગ્યા વગરનો. અવિરાહિઓ=વિરાધાયા વગરના. હુજ=ો. નમુક્કારેણં નમસ્કાર કરવા પડે. પારેમિ=પૂરો કરું, જાવ=જ્યાં સુધી. તાવ=ત્યાં સુધી. કાય કાયાને-શરીરને. ઠાણગં=સ્થાન વડે. મોણેણં મૌન વડે. ઝાણ ધ્યાન વડે. અખાણં આત્માને [અથવા પોતાને]. વોસિરામિકતજું છુ - ત્યાગ કરું છું. અન્નત્ય-‘ઉસસિએણે, નીસિએણં; 'ખાસિએણં, “છીએણે, જંભાઈએણ; ઉડ્ડએણે "વાય-નિસગેણં, "ભમલીએ, પિત્ત-મુચ્છાએ; Page #87 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો સુમેહિં-અંગ-સંચાલેહિં, સુહુમહિ ખેલ સંચાલેહિં સુહમેહિં દિદ્ધિ સંચાલેહિં; “એવભાઈએહિં આગારેહિં અભગો અવિરાહિઓ હુજ્જ એકાઉસ્સગ્યો. જાવ-અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં *ન પારેમિ, તાવ, કાય- "ઠાણેણં, મોણેણં, ઝાણેણં, "અખાણ વોસિરામિ. ૮. કાયોત્સર્ગનાં આગાર, સ્વરૂપ અને મર્યાદા તથા વિધિનું સૂત્ર ૨-૩ ગાથાર્થ:-“શ્વાસ લેવાં “શ્વાસ મૂકવાં, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, "ઓડકાર આવવો, પવન છૂટવો, "કરી આવવી. પિત્તનો ઉછાળો આવવો, “અંગોનું સૂક્ષ્મ સ્કુરણ થવું, કફનું સૂક્ષ્મ સ્કુરણ થવું, આંખનું સૂક્ષ્મ કુરણ થવું, "એ વગેરે આગાર રાખવાથી, [‘સિવાય, હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું “મારો કાયોત્સર્ગ, "ભાંગ્યા વગરનો, [અને] વિરાધાયા વગરનો, સિંપૂર્ણ થાઓ. “અરિહંત “ભગવંતોને “નમસ્કાર કરવા પડે અને કાઉસગ્નનું પ્રમાણ પૂરું થવા વડે જ્યાં સુધી મુકાયોત્સર્ગ) “પૂરો ન કરૂં યાં સુધી સ્થાન [કાયાની સ્થિરતા વડે] મૌન [વચનના નિરોધ વડે] [અને] બાન [મનના સંયમ] વડે કાયા [અને મન વચનની પ્રવૃત્તિ) રૂપ-[બાહ્ય] “આત્માન અથવા પોતાની કાયાનો ત્યાગ કરું છું. ६. यतुर्विंशति नाभस्तव-सूत्र ૯. લોગસ્સ-નાસ્તવ સૂત્ર ૧-૩-૪ શબ્દાર્થ:- લોગસ્સ લોકમાં-જગતમાં. ઉજજઅ-ગરે ઉદ્યોત કરનાર, પ્રકાશ કરનાર, ઉજજવળ કરનાર. ધમ-તિત્ય-યર=ધર્મ સંબંધી તીર્થ [તીર્થરૂપ સંસ્થા અથવા તારનાર સંસ્થા] સ્થાપનાર. અરિહંત અહમ્ પૂજ્યો. જિગે મોહ જીતનારાઓને. કિન્નઈ સં=નામ લઈ સ્તુતિ કરીશ. ચઉવી સંપિચોવીસેય. કેવલી કેવળજ્ઞાની, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા. ૧ ઉસભં ઋષભદેવને. અજિ-અજિતનાથને. વદે વંદન કરું છું. સંભવંસંભવનાથને. અભિગંદગં=અભિનંદનને. સુમઈ સુમતિનાથને. પઉમપહે= પદ્મપ્રભને. સુપાસ સુપાર્શ્વનાથને. જિગંજિનેશ્વર પ્રભુને. ચંદ-પ્પણં ચંદ્રપ્રભને. વિદે વંદન કરું છું. ૨ | સુવિહિન સુવિધિનાથને. પુષ્પદંત જેમનું બીજું નામ પુષ્પદંત છે તે પુષ્પદંત સ્વામીને. સિઅલનશીતળનાથને. સિર્જસ શ્રેયાંસનાથને. વાસુપૂજ઼ વાસુપૂજ્યને. વિમલ વિમલનાથને. આણંત અનંતનાથને. ધર્મ-ધર્મનાથને. સંતિ શાંતિનાથને. વંદામિ વંદન કરું છું. ૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કુંથુ=કુંથુનાથને. અર=અરનાથને. મલ્લિ મલ્લિનાથને. મુણિસુવ્વયં મુનિસુવ્રત સ્વામીને. નમિ-જિનનેમિનાથ-જિનેશ્વરને. અરિટ્સનેમિ-અરિષ્ટ નેમિ પ્રભુને. પાસં પાર્શ્વનાથને. તહ“તથા. વદ્ધમાણં=વર્ધમાન સ્વામીને. ૪ એવં=એમ. મએ=મેં. અભિથુઆ સ્તુતિ કરાયેલા. વિહુય રય-મલા-રજ અને મેલ વગરના. જિણવરા=જિનેશ્વર ભગવંતો. તિત્થ-યરા-તીર્થંકરો તીર્થ-તારનારી સંસ્થા-સ્થાપનારા. મેમારા ઉપર. પસીયંતુ=પ્રસન્ન થાઓ. ૫ કિત્તિય-વંદિય-મહિયા=કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા. જેજેઓ. એએઓ. લોગસ્સ=લોકમાં. ઉત્તમા–ઉત્તમ. સિદ્ધા-સિદ્ધ થયા [સાબિત થયા-કર્મક્ષય કરીને સિદ્ધ થયેલા છે.] આરુન્ગબોહિ-લાભં=આરોગ્ય મોક્ષ માટે સમકીતનો લાભ. સમાહિ-વ-શ્રેષ્ઠ સમાધિ. (સમ્યક્ દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ શ્રેષ્ઠ-સમાધિ). ઉત્તમં-ઉત્તમ. દિંતુઆપો. ૬ ચંદેસુચંદ્રોથી. નિમ્મલયરા=અત્યંત નિર્મળ આઈસ્ચેસુ સૂર્યોથી. અહિયં ખૂબ. પયાસયરા=પ્રકાશ કરનારા. સાગરવર ગંભીરા-સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર. સિદ્ધા-મોક્ષમાં ગયેલા. સિદ્ધિ=મોક્ષ. દિસંતુ=આપો. ૭. પલોગસ્સ ‘ઉજજોઅ-ગરે, ’ધમ્મ-તિત્થ-યરે, `જિણે; અરિહંત, વૃત્તિઈસ્સું ચઉવ્વીસંપિ વલી ॥૧॥ `ઉસભમ જિઅં `ચ વન્દે, સંભવમભિ TMણંદણ `ચ ‘સુમઈં ચ; પઉમ-પહું “સુપાસ, `‘જિર્ણ `°ચ ``ચંદ-પ ં 'વંદે।૨।। 'સુવિહિં ચ પુખ્-દંત, `સિઅલ-'સિöસ-વાસુ-પુછ્યું ”ચ; ‘વિમલમણંત'॰ ઉંચ ``જિણ, ધમ્મ ``સંતિ `, ``વંદામિ ।।૩।। `શું અરું `ચ 'મલ્લિ, વંદે મુણિ-સુવ્વયંનમિ-જિણું ‘ચ; વંદામિ રિદ્ઘિ-નેમિં, ``પાસ `°તહ `કૈવન્દ્વમાણં ચ ।।૪। 'એવું મએ જૈઅભિક્ષુઆ, અેવિહુય-ય-મલા- "પહીણ-જર-મરણા; ‘ચઉવીસ પિ જિણ-વરા, તિત્થ-ચરા '°મે ''પસીચંતુ IIII ૐકિત્તિય-વંદિય-મહિયા, 'જે એ `લોગસ્સ ઉત્તમા ‘સિદ્ધા; આરુગ્ગ-બોહિ-લાભં, “સમાહિ-વરમુત્તમં કિંતુ ॥૬॥ ૯ ૧૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો 'ચંદે નિમ્મલયરા, આઈઍસુઅહિય પયાસ-યરા; 'સાગર-વર-ગંભીરા, સિદ્ધા “સિદ્ધિ મમ°દિસંતુપાળા ગાથાર્થ:-મોહ જીતનાર, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનાર, એક, બે નહીં, પરંતુ નીચે જણાવેલા]. ચોવીસેય[આભરત ક્ષેત્રમાં ધર્મ-તીર્થસંસ્થા=જૈનશાસનરૂપતારનારી ધાર્મિક સંસ્થાના સ્થાપનારા, જગતને ઉજાળનારા, ત્રિલોક પૂજ્ય-] અહંત ભગવંતોનાં નામ લઈને [અને બીજા પણ અનંત તીર્થકરોની ગર્ભિત રીતે, દરેકના ઉપર એકસરખા ભક્તિભાવથી] “સ્તુતિ કરીશ. ૧. [] ષભ દિવ), અજિતનાથ)સંભવનાથ), અભિનંદન [સ્વામી] “અને સુમતિ [નાથ)ને વજું છું. પહાપ્રભ”, “સુપાર્શ્વ નાથ અને ચન્દ્રપ્રભ “જિનેશ્વર પ્રિભુને વજન કરું છું. ૨. સુવિધિનાથી અથવા બીજું નામ પુષ્પદંત સ્વિામી), 'અને “શીતળ, ‘શ્રેયાંસ [નાથ અને વાસુપૂજ્ય સ્વામી, તથા “વિમલનાથ “અને અનન્ત નાથ"જિનેશ્વર, ધર્મ (નાથ) અને શાન્તિનાથ પ્રભુને "વન્દન કરું છું. ૩. "કુન્યનાથ અને અર નાથ, મદ્ધિ [નાથ પ્રભુ, "મુનિસુવ્રત સ્વામી અને નેમિ [નાથી જિનેશ્વરને ‘વન્દન કરું છું. “અરિષ્ટનેમિ [પ્રભુ તથા 'પાર્થ નાથ અને મહાવીર) વર્ધમાન [સ્વામીને "વન્દન કરું છું. ૪. (એ ચોવીસેય નાથ છે, દેવ છે, પ્રભુ છે તથા સ્વામી છે. પરંતુ જે રીતે જ્યાં જે શબ્દ શોભે તેવી રીતે તેનાં વિશેષણો લગાવેલાં છે. આ પ્રકારે [મન, વચન અને કાયાની એકાગ્રતાથી મારા વડે સ્તુતિ કરાયેલા, તાજાં કર્મરૂપી *રજ અને જૂિનાં કર્મ રૂપી મેલ વગરના, તથા સર્વથા] વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત થયેલા . “ચોવીસેય જિનેશ્વર તીર્થકર [ભગવંતો મારા ઉપર પ્રસન્ન [સમકિત મળવામાં નિમિત્તરૂપ થાઓ. ૫. : જે' એઓ જિગતમાં] [વચનથી કીર્તન કરાયેલા, કાયાથી) વન્દન કરાયેલા, પુિષ્પાદિથી] પૂજા કરાયેલા, અને *જગતમાં ઉત્તમ સિદ્ધ [સાબિત થયેલા છે, તેઓ આરોગ્ય મિોક્ષ) માટે બોધિ સિમકિતનો પૂરો લાભ અને ઊંચામાં ઊંચી સારી સિમજ્ઞાન અને દર્શન અને ચારિત્રરૂપી ભાવ સમાધિ [માં નિમિત્તભૂત થાઓ આપો. ૬. "ચન્દ્રો કરતાય “અત્યન્ત નિર્મળ, સૂર્યો કરતાં યે અધિક “પ્રકાશ ફેલાવનારા, મોટામાં મોટા [સ્વયંભૂરમણ સમુદ્રથી યે ખૂિબ ગંભીર, તિઓ જાતે સિદ્ધ થયેલા મોક્ષમાં ગયેલા છે, તે] “મને [પણ] “સિદ્ધિ [મોક્ષ આપો, સિદ્ધિ આપો, મોક્ષ મળવામાં નિમિત્ત ભૂત થાઓ.). ૭. Page #90 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૭ ઐયપથિકી ક્રિયા ઐયપથિકી વિરાધના અને તેના પ્રતિક્રમણની સમજ પથિકી વિરાધના- આ વિરાધના શરીરની જવા આવવા વગેરે ચેષ્ટાથી લાગે તેથી કર્મ બંધાય છે, આ વિરાધના પહેલા ગુણસ્થાનકની છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે, તેથી તે વિરાધના શ્રમણ ભગવંતોને પણ લાગે છે. અને તે ક્રિયાને લીધે તેઓને પણ કર્મ બંધાય છે. આ ઈર્યાપથિકીથી લાગેલું કર્મ દૂર કરવા શ્રમણ ભગવંતોને પણ તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેઓ શલ્ય રહિત, પાપરહિત અને સારા સહનવાળા હોવા છતાં તેઓને કાયોત્સર્ગના હેતુઓ અને આગારના સૂત્રની જરૂર પડે, એ સ્વાભાવિક છે, તથા સ્વયં બુદ્ધ તીર્થંકર ભગવંતોને ચતુર્વિશતિ સ્તવ અને ગુરુવંદન સૂત્રના ઉચ્ચારની જરૂર ન પડે એ પણ સ્વાભાવિક છે, પરંતુ તે સિવાયના-કર્મસહિત છદ્મસ્થ જીવોને ઈરિયાવહીયં સૂત્ર કાઉસ્સગ્નના હેતુઓનું, તથા અલ્પસત્ત્વવંત હોવાથી આગારોનું સૂત્ર અને ચતુર્વિશતિસ્તવ સૂત્ર બોલવાની જરૂર પડે છે. તે સમગ્ર વિધિનું નામ ઈરિયાવહિયા પડિકમાણનો વિધિ કહેવાય છે. ૪. આ ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ ઘણે ભાગે તમામે તમામ ધાર્મિક જૈન વિધિઓનું મુખ્ય અંગ છે, કેમકે અનેક વિધિઓમાં તે આવે છે. કોઈ પણ વિધિની શરૂઆતમાં, તથા વખતે તેના અંતમાં પણ આ વિધિ આવે છે. તેમજ કોઈ પણ મુખ્ય વિધિમાં પ્રવેશ કરતાં પહેલાં, અથવા પ્રવેશ કર્યા પછી પણ જ્યારે વચ્ચે દોષના સંભવ જણાય ત્યાં ત્યાં પણ ઈરિયાવહિયા પડિકકમવાના હોય છે. સામાયિક કે પ્રતિક્રમણ શરૂ કરતાં, સામાયિક કે પ્રતિક્રમણ પારતાં, તે ચૈત્યવંદન દેવવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્ન વગેરેના નિવારણ માટે, અવજ્ઞા-આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે પણ આવે છે, કાજે લેતાં, પરઠવતાં, ચરવળો પડી જાય કે આડ પડી જાય, કે ચાલુ ક્રિયામાંથી ઊઠીને જવું આવવું પડ્યું હોય, તો તુરત જ ઈરિયાવહિયા પડિકકમીને ચાલુ ક્રિયામાં ભળી શકાય છે. આ દાખલાઓ ઉપરથી આ વિધિનો ઉપયોગ અનેક ઠેકાણે થાય છે, તે સમજાશે. ૫. ઈરિયાવહિયા પડિકમવાનો આ વિધિ, આલોચના-પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, અને સામાન્ય નિમિત્તોથી થયેલા દોષોના પ્રતિક્રમણરૂપ છે. વિશેષ દોષોની શુદ્ધિ માટે બીજા અનેક આલોચન-પ્રતિક્રમણોની વિધિઓ છે. ૬. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ - તરતનાં-તાજાં લાગેલાં કર્મોને દૂર કરી ખંખેરી નાંખવાનો છે. કર્યો છે કે અનેક કારણોથી લાગે છે, પરંતુ કર્મ લાગવાનાં સર્વ કારણોમાં હિંસા સર્વથી મુખ્ય કારણ છે. અને સાધારણ રીતે-જવું-આવવું, લેવું-મૂકવું વગેરે પ્રવૃત્તિ કરવી પડે છે, ત્યારે ઈચ્છા ન હોય તો પણ ગમે તેવા યોગોથી પણ હિંસા થઈ જવાનો સંભવ છે. એમ અનિચ્છાએ થઈ ગયેલી હિંસા, તથા ઈચ્છાપૂર્વક જાણતાં પણ થઈ ગઈ હોય, તેના પણ પ્રતિક્રમણનો આમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત-મન અને વચનથી પણ જે જે તાજો કર્મો બંધાયાં હોય, તેના પ્રતિક્રમણના પણ આમાં સમાવેશ છે. મિચ્છામિ દુક્કડ. એ પદો એ સર્વ પ્રકારના દોષોને મિથ્યા કરવા માટે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો છે. તેથી પણ આગળ વધીને, તાજાં અને નવાં કર્મોનું પ્રતિક્રમણ થવા છતાં, તસ્સ ઉત્તરીથી આત્માને વિશેષ શુદ્ધ કરવાનું કામ અને દોષો તોડવાનું કામ આગળ વધે છે. એટલે કે, ત્રણ શલ્યો દૂર કરવા તથા જૂનાને તોડવા ઘાતી કર્મોનું જોર નરમ પાડી નાશ કરવા અથવા દરેક કર્મોનો નાશ કરવા કાયોત્સર્ગ જેવા આકરા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એમ કાયોત્સર્ગથી શુદ્ધિ થયા પછી તાજો અને જૂનાં કર્મોથી હલકો થયેલો, તથા માયા, મિથ્યાત્વ, તથા નિદાન : એ ત્રણ શલ્યથી રહિત થયેલો આત્મા સમ્યકત્વવંત થઈને નિષ્કપટ ભાવ અને નિ:સ્વાર્થપણે, કોઈ પણ જાતની સાંસારિક સ્વાર્થની લાલચ વિનાનો, પવિત્ર અને નિર્મળ થયેલો આત્મા ખુલ્લા મનથી ચોવીસ તીર્થંકર પ્રભુઓને ઓળખી શકે છે, તેમના ઉપર ભકિત જાગ્રત કરી શકે છે, તેમના ગુણો યાદ કરી શકે છે, તેમનું કીર્તન કરી શકે છે, તેમના પર પોતાના પારમાર્થિક લાભનો પણ દઢ વિશ્વાસ રાખીને કેવળ મોક્ષમાર્ગમાં તેઓની સહાયથી આગળ વધવા ઉત્સાહી થઈ શકે છે. અને એ રીતે પરમપ્રમોદમાં આવેલો આત્મા એ ચોવીસ તીર્થંકર ભગવંતોની નામસ્તવથી સ્તુતિ કરે છે. આ રીતે આ ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ યાવતું મોક્ષ અપાવી શકે તેવા સામર્થ્યવાળો છે, એ સહેજે સમજાશે. ૮. મોક્ષ અપાવવાના સામર્થ્યવાળો એ વિધિ બરાબર કરવામાં આવે તો અવશ્ય મોક્ષ આપે જ. તેમાં જરા પણ સંશય નથી. પરંતુ દરેક આત્માઓની તેવી ભૂમિકા પૂર્વ ભવોથી બંધાયેલી ન હોય તો તે એવાઓને મોક્ષને માટે ઘણા ભવો સુધી બીજા અનેક મોક્ષની સાધક ધાર્મિક વિધિઓનું આચરણ કરવાનું રહે છે. તેથી ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ કદાચ દરેક જીવને તરત મોક્ષ ન અપાવી શકે, તો પણ કોઈ પણ ક્રિયામાં પ્રવેશવા માટેની પ્રાથમિક શુદ્ધિ તો કરી જ આપે છે. માટે તેનું આચરણ નિષ્ફળ તો નથી જ. ધારો કે કોઈ બાળ જીવો તેટલી શુદ્ધિ પૂરતો પણ લાભ ન મેળવી શકતા હોય, તો પણ તે વિધિનું આચરણ તેઓને પ્રાથમિક શિક્ષા-તાલીમ-અભ્યાસરૂપ બને જ છે. તેથી ઉત્તરોત્તર કોઈ ને કોઈ ભવમાં પરમ વિશુદ્ધિનું નિમિત્ત અને છેવટે મોક્ષનું નિમિત્ત થાય છે. આમ વિચારતાં પણ આ વિધિના અત્યારના આચરણની કોઈ પણ કાળે અવશ્ય સફળતા સિદ્ધ થાય છે. ૯. ઈરિયાવહિયા પડિકકમવાના વિધિમાં-ઈચ્છામિ ખમાસમણ, ઈરિયા વહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અને લગ્નસ્સ સુધીનાં સૂત્રો આવે છે. તેમાં પણ ખમાસમાગ એ માત્ર વંદન સૂત્ર છે. ઈરિયાવહિયં એ આ વિધિનું મુખ્ય સૂત્ર છે. અહીં કાઉસગ્ગ પણ તેનું અંગ છે, તેથી તસ્સ ઉત્તરી સૂત્ર ઇયાવહિયંનું પેટા સૂત્ર છે. અને અન્નત્થ પણ તેની સાથે સંબંધ ધરાવે છે, કાઉસ્સગ્ન એક લોગસ્સ ન આવડે તો ચાર નવકારનો કરવાનો હોય છે. તેથી લોગસ્સ કાઉસ્સગ્નમાં ધ્યેય અને સ્મરણ તરીકે છે અને છેવટે ચતુર્વિશતિસ્તવ તરીકે પણ છે. વળી તસ્સઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ એ ત્રણેય સૂત્રો કાઉસ્સગ્ન વિધિમાં પણ છે. તથા લોગસ્સ ચતુર્વિશતિસ્તવ તરીકે સ્વતંત્ર સૂત્ર પણ છે, તેથી તસ્સ ઉત્તરીથી લોગસ્સનો કાઉસ્સગ્ન અંગ તરીકે ૧ થી ૩ આંકડા આપ્યા છે, અને ઈરિયાવહિયા પડિક્કમવાના વિધિના અંગ તરીકે ર-૩-૪ આંકડા છે. ચતુર્વિશતિસ્તવ સૂત્ર તરીકે લોગસ્સ ૧ નો આંકડો પણ અમોએ આપ્યો છે. અને ૯નો આંકડો સળંગ અનુક્રમનો આંકડો છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ઈરિયાવહિયં સૂત્રનો વિશેષાર્થ (૧) ઈચ્છકાર, ઈચ્છાકારેણ, ઈચ્છ, ઈચ્છામિ વગેરે શબ્દો ઘણી વાર વિધિઓમાં અને સૂત્રોમાં આવે છે, તેનો આશય એ છે કે જૈન આચાર માટે (૧) ઈચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસિડિઆ, (૫) છંદણા, (૬) તહરિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા-એ દશ પ્રકારની સામાચારી શાસ્ત્રમાં બતાવેલ છે. તેમાં ઈચ્છા સામાચારીનો ટૂંકામાં એ આશય છે કે, ગુરુ જે કાંઈ પણ આજ્ઞા કરે છે, પરંતુ તે શિષ્યની ઈચ્છા હોય તો શિષ્ય ગુરુની પાસે આજ્ઞા માગે છે, પણ તે આજ્ઞા આપવાની તેઓની ઈચ્છા હોય તો. દાખલા તરીકે:- ગુરુ કહે કે, “હે ! શિષ્ય ! તમો સ્વાધ્યાય કરો. ઈચ્છે : ઈચ્છા હોય તો.” શિષ્ય કહે, “હે ગુરુ મહારાજ ! મારી ઈચ્છા આપનું વેયાવચ્ચ કરવાની છે, તો તે બાબતની આજ્ઞા આપશો. પરંતુ તે આજ્ઞા આપવાની પણ આપની ઈચ્છા હોય તો” ઈત્યાદિ શિષ્ય અને ગુરએ તથા બીજા મુનિઓએ પરસ્પર કયાં કયાં ઈચ્છા સામાચારી સાચવવાની છે, તેવા ઘણા બારીક નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે, તેને અનુસરીને ઉપરના શબ્દો આવે છે. દાખલા તરીકે:-ખમા-સમણ સૂત્રમાં-ઈચ્છામિ, તેમાં શિષ્ય પોતાની વંદન કરવાની ઈચ્છા બતાવે છે. ગુરુ-ઈચ્છ, ન કહેતાં વંદિઉ?-નો છંદેણથી જવાબ આપે છે. ગુરુ પોતાનું અભિમાન ન ગણાય માટે વંદન કરવાની અનુમતિ આપતા નથી અને શિષ્યને ભકિતભાવમાં અંતરાય ન પડે માટે નિષેધ પણ નથી કરતા. એટલે તેના જવાબમાં શિષ્ય ઈચ્છે કહેવાની જરૂર રહેતી નથી. અને પોતાની ઈચ્છાથી વંદન કરે છે. તેવી જ રીતે ઈચ્છકારમાં શિષ્ય ગુરુને સુખશાતા પૂછે છે. તેમાં પણ ગુરુની ઈચ્છા હોય તો જ ગુરુ આજ્ઞા આપે, તેમાં આગ્રહ કે બલાત્કાર નથી. અભુઠિઓમાં તથા ઈરિયાવહિયા સૂત્રમાં અપરાધ ખમાવા તથા પ્રતિક્રમવાની પોતાની ઈચ્છા શિષ્ય જણાવે છે અને તે માટે ગુરુ પાસે આદેશ માગે છે. પરંતુ એ આદેશ માગવાનું વાક્ય સાંભળવું, તથા આદેશ આપવો, તેમાં પણ ઈચ્છાકારેણ-એટલે આપની ઈચ્છા હોય તો જ આદેશ આપવો. ગુરુ ખામહ તથા પડિકકમેહ વગેરે આદેશ આપે છે. શિષ્ય-ઈચ્છે કહી આદેશ સાંભળવાની પોતાની ઈચ્છા છે, એમ વ્યકત કરી ગુરુનું વાક્ય માથે ચડાવે છે. પછી ઈચ્છામિ પડિકકમિઉ કહી પોતાની પ્રતિક્રમવાની ઈચ્છા બતાવે છે. આ જ પ્રમાણે કરેમિ, પડિકનમામિ વગેરે ક્રિયાપદોમાં પણ ઈચ્છા સામાચારી ઉઘાડી રીતે કે ગર્ભિત રીતે ગોઠવાયેલી હોય જ છે. એમ દરેક ઠેકાણે સમજવું. (૨) ઈચ્છામિ પડિકકમિઉથી ઈરિયાવહિય સૂત્રમાં મુખ્ય ચાર ભાગ પડે છે. અને તે દરેકના પેટા ભાગો પણ છે. તે સર્વે મળીને આ સૂત્રની જુદી જુદી સંપદાઓ ઉત્પન્ન થાય છે. (૩) ૧. ઈચ્છામિ, ૨. પડિકકમિઉ, ૩. ઈરિયાવહિયાએ, ૪. વિરાણાએ આ ચાર મુખ્ય ભાગો છે. ૧. ઇરિયાવહિયા, ૨. વિરાણા, તેનું ૩. પ્રતિક્રમણ અને ૪. તે કરવાની પોતાની જાતની જ ' Page #93 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો કોઈના બળાત્કાર વિનાની ઈચ્છા. હવે આ આખું સૂત્ર એ ચાર પદોના વિસ્તારરૂપે જ છે, એમ કહીએ તો ચાલે. ૧. ઈરિયાવહિયા એટલે જવા આવવાની ક્રિયામાં થયેલી, તે બતાવવા ગમણાગમણે શબ્દોથી ઈરિયાવહિયાનો અર્થ બતાવ્યો છે. જવા આવવાથી હિંસા થવાનો સંભવ કઈ રીતે છે ? તે બતાવવા પાણકકમસેથી સંકમણે સુધીનાં પદો સામાન્ય રીતે કયા કયા જીવોની હિંસાનો વિશેષ સંભવ હોય ? તે સૂચવનારા છે. ત્યાર પછી, એચિંદિયા વગેરે પદોથી હિંસા જે જીવોની થવાનો સંભવ છે તે સર્વ જીવોના સંગ્રહરૂપ એકેંદ્રિયાદિક પાંચ જાતિ કે જેમાં સર્વ જીવ રાશિનો સમાવેશ થાય છે-તે દરેકનો ટૂંકામાં સંગ્રહ કરી લીધો છે, એટલે કે મુખ્ય રીતે-જતાં આવતાં, પણ સામાન્ય રીતે જે કોઈ પણ જીવની હિંસા થઈ હોય તે સૂચવેલ છે. પછી– ૨. વિરાણા શબ્દની વ્યાખ્યારૂપે અભિયા વગેરે દશ પદો આપવામાં આવ્યાં છે. એ પદોથી વિરાધના=હિંસા થવાના સંભવના અનેક પ્રકારોનો વિગતવાર ઉલ્લેખ થાય છે. ૩. પડિકકમિઉ અને ૪. ઈચ્છામિના સારાંશ તરીકે તરસ મિચ્છામિ દુકકડે એ પદો છે. આમ મુખ્ય ચાર ભાગમાં આખું સૂત્ર વહેંચાયેલું છે. ૪. વળી તેના મુખ્ય બે ભાગ પણ છે, આલોચના અને પ્રતિક્રમણ, શાસ્ત્રમાં દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો બતાવેલાં છે (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ (૩) મિશ્ર, (૪) વિવેક (૫) કાયોત્સર્ગ (૬) ત૫ (૩) છેદ (૮) મૂલ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત. તેમાં આલોચના = એટલે ગુરુ સમક્ષ વિગતવાર અપરાધ જણાવવો. પ્રતિક્રમણ = તેની માફી માંગવી, મિચ્છામિ દુકકડું દેવું. એ રીતે જોતાં આ સૂત્રમાં જીવિઆઓથી વિવારોવિયા સુધી આલોચના પ્રાયશ્ચિત્ત છે, અને તસ્સ મિચ્છામિ દુકકડંથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સૂચવ્યું છે. ૫. વળી આ સૂત્ર છ આવશ્યકમાંનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ આવશ્યક પણ છે. ૬. તસ્સ મિચ્છામિ દુકકમાં જેમ હિંસા રૂપ વિરાધનાનું પ્રતિક્રમણ છે, તેમ જ ગૌણપણે મન-વચન-કાયાથી થયેલા બીજા દોષોનું પણ ગર્ભિત રીતે પ્રતિક્રમણ છે, એ સૂચવવા માટે શાસ્ત્રકારોએ તેના નીચે પ્રમાણે ભાંગા આપ્યા છે. જીવભેદ – પ૬૩, અભિયાદિ-૧૦, રાગ-દ્વેષ-૨, ત્રણયોગ-૩, કૃત-કારિત-અનુમોદિત-૩, ત્રણ કાળ-૩, અરિહંત-સિદ્ધ-સાધુ-દેવ-ગુરુ-આત્મ ૬ સાક્ષીથી અનુક્રમે પ૬૩૮૧૨૮૩૪૩૪૩૪૬ = ૧૮૨૪૧૨૦. છે. આ વિભાગો ઉપરથી દેવનંદન ભાષ્ય વગેરેમાં આપવામાં આવેલી ઈરિયાવહિયા સૂત્રની સંપદાઓનું સ્વરૂપ પણ સ્પષ્ટ સમજાશે. તસ્સ ઉત્તરી સૂત્રનો વિશેષાર્થ ૧. આ સૂત્ર સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અમુક ભાગ છે તે વિચારવા જેવું છે. આ સૂત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સ્વતંત્ર સૂત્ર પણ છે, અને કોઈ સૂત્રના અમુક ભાગ તરીકે પણ હોય છે. તેવી જ રીતે અન્નત્થ સૂત્ર પણ સ્વતંત્ર અને કોઈ સૂત્રના ભાગ તરીકે પણ જોવામાં આવે છે. ૨. તસ્સ ઉત્તરી અને અન્નત્થ એ બન્નેય સૂત્ર મળીને અહીં, કાઉસ્સગ્ગ આવશ્યક અને કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્તના કાઉસ્સગ્ગ સૂત્ર બને છે. છતાં ઘણા કાઉસ્સગ્ગોની પૂર્વે અન્નત્ય એકલું પણ જોવામાં આવે છે. તસ્સ ઉત્તરી સાથે અન્નત્ય પણ આવે છે તેમ જ બીજાં સૂત્રો સાથે પણ આવે છે. એ તો ચોકકસ છે કે, કોઈ પણ કાઉસ્સગ્ગ કરતાં પહેલાં આગારો માટે અન્નત્ય તો આવે જ છે. અને કાઉસ્સગ્ગ કરવાનો હેતુ બીજી કોઈ રીતે વંદણત્તિઆએ વગેરે કે બીજી કોઈ જુદી જુદી રીતે સૂચવાયેલ ન હોય, ત્યાં અવશ્ય તસ્સ ઉત્તરી સૂત્ર આવે છે. મોટે ભાગે કોઈ પણ જાતના પ્રતિક્રમણ સ્વરૂપના સૂત્ર પછી અવશ્ય તસ્સ ઉત્તરી સૂત્ર આવે છે. માટે તેને વિશેષ પ્રતિક્રમણ સંપદા તરીકે ગણી ઇરિયાવહિયંના એક ભાગ તરીકે પણ ગણાવેલ છે. ૨૧ ૩. આ સૂત્રના મુખ્ય ત્રણ ભાગ જણાય છે. ૧. તસ્સ ૨. ઉત્તરીકરણથી-ટ્ઠાએ સુધીનો ૩. ઠામિ કાઉસ્સગ્ગ-અન્નત્ય વગેરે. ૪. ૧ તસ્સ=એટલે તેનો, આ શબ્દનો અર્થ સામાન્ય રીતે દરેક ઠેકાણે સાવદ્યયોગ અથવા સામાયિક રૂપ આત્મગુણ, એ બન્નેય લેવાય છે. સાવદ્યયોગરૂપ પાપ વ્યાપારના સેવનનું પ્રતિક્રમણ કરવું પડે છે. તેમ જ નિરવદ્ય યોગના અસેવનનું પણ પ્રતિક્રમણ કરવું પડે છે. દેવ-ગુરુ વંદન, અને પોતાના આત્માનો વિકાસ કરવાને માટેના સામાયિક જેવા પ્રયત્નમાં જેટલી વાર અવજ્ઞા, આશાતના, વિરાધના, અવિધિ, અસાવધાનતા વગેરે જે જે ખામીઓ રહી હોય, તેનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તથા હિંસા, અસત્ય, ચોરી, વિષયવાસના, કુધ્યાન, કુવચન, અયોગ્ય શરીર વ્યાપાર વગેરે સાવધ પ્રવૃત્તિઓનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં સાવદ્ય યોગનો ત્યાગ એ સામાયિક છે અને સામાયિક સાવદ્ય યોગનો ત્યાગ છે. પ્રતિક્રમણ એ સામાયિક છે, અને સામાયિક એ પ્રતિક્રમણ છે. તેમજ કાઉસગ્ગ પણ સામાયિક છે, પચ્ચક્ખાણ છે, પ્રતિક્રમણ છે, દેવ વંદન છે, ગુરુ વંદન છે. અને દેવ-ગુરુ વંદન પણ પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ, કાઉસ્સગ્ગ અને સામાયિક છે. આ સૂક્ષ્મતત્ત્વ આગળ ઉપર સમાશે. [કરમિભંતે સૂત્રમાં તસ્ય ભત્તે ! એ પદોમાં તસ્સ શબ્દ છે, તે અહીં, અભ્રુટ્ઠિઓમાં અને ઇરિયાવહિયંમાં વપરાયેલ છે. માટે તે મોટા અથવા વાંકા અક્ષરોમાં જણાવેલ છે. એ જ રીતે બીજા પણ જે જે કરેમિ સૂત્રનાં પદો જ્યાં જ્યાં વપરાયેલ માલૂમ પડશે, તે તે ઠેકાણે મોટા અથવા વાંકા અક્ષરોથી બતાવીશું.] ૫. હવે ઇરિયાવહિયં સૂત્રથી આલોચન અને પ્રતિક્રમણ અથવા બન્ને સાથે હોવાથી મિશ્ર પ્રાયશ્ચિત્ત થયું ગણાય. વિવેક પ્રાયશ્ચિત્ત તો આહાર પાણીની વસ્તુ મેળવવાની ખામીને લગતું છે, અને તેના પછી કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછીનાં પ્રાયશ્ચિત્તો મોટાં છે. એટલે અહીં સામાન્ય રીતે અને ઇરિયાવહિયા ડિક્કમવા કે સામાયિક જેવા વિધિમાં તેની જરૂર નહીં. માટે તસ્સ=એટલે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પંચ પ્રતિકમાણસૂત્રો અહીં મિચ્છામિ દુક્કડં દેવા છતાં, બાકી રહેલા દોષોની શુદ્ધિ કરવા કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ત કરવા માટે તસ્સ શબ્દ આ સૂત્રની શરૂઆતમાં છે. અથવા તસ્સ=એટલે આત્માની વિશેષ શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની ઉત્તર ક્રિયારૂપ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત કરવાનો અર્થ પણ સમજવો. ૬. ઈરિયાવહિયમાં તસ્સ છે અને અહીં પણ તસ્સ છે. એ બન્નેયનો અર્થ સામાન્ય રીતે સાવઘયોગ લઈએ ત્યારે, ઇરિયાવહિયમાં તત્કાળના પણ મુખ્ય હિંસા અને બીજા સાવઘયોગ પૂરતો અર્થ લેવાનો છે, જે મિચ્છામિ દુકકડ દેવાથી દૂર થઈ શકે તેવો હોય. અહીંના તસ્સનો અર્થ જૂનાં કર્મો અને ત્રણ શલ્યરૂપ સાવદ્યયોગ લઈ શકાશે. છે. એ ત્રણ શલ્યો અને જૂનાં કર્મો દૂર કરી આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે કાયોત્સર્ગ કરવાનો છે. કાયોત્સર્ગ એ વિશેષ શુદ્ધિ કરવાનું પ્રબળ સાધન છે, અને તે પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર પણ છે. ૮. વળી, આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી તે ઉત્તરમાં છે–પછી છે. અથવા તેના કરતાં ચડિયાતા કમનું છે. માટે પ્રતિક્રમણ કરતાં તે ઉત્તર પ્રયત્નરૂપ છે. એમ પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તર પ્રયત્ન કરવા કાઉસ્સગ્ન કરવાનો છે. અથવા કરેમિ સૂત્રમાં પણ પ્રતિક્રમણ સૂચક પડિકમામિ પદો પછી કાઉસ્સગ્ગ સૂચક વોસિરામિ પદ ઉત્તરમાં એટલે પછી છે, એ રીતે પણ ઉત્તરક્રિયા છે. ૯. આત્માને (1) ત્રણ શલ્ય રહિત કરી (૨) પાપ-કર્મોનો નાશ કરી (૩) વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી ઉત્તર ક્રિયારૂપ અને (૫) પ્રાયશ્ચિત્તરૂપ આ સૂત્ર છે; આમ પરસ્પર મુખ્ય ગૌણ ભાવે રહેલા કાઉસ્સગ્ગના પાંચ હેતુઓ આ સૂત્રથી જણાવી દીધા છે. અને ઈરિયાવહિયા સૂત્રમાં આવેલા આલોચન તથા પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તરૂપ પૂર્વ ક્રિયા પછી ઉત્તર ક્રિયા તરીકે કાઉસ્સગ હોવાથી આ સૂત્ર ઈરિયાવહિયા સૂત્રનું વિશેષ પ્રતિકમણ સંપદારૂપે અંગ પણ બની શકે છે. ૧૦. ઠામિ કાઉસ્સગ્યું કે જે એ, આ સૂત્રનો એક મુખ્ય ભાગ છે. અને અન્નત્થ સૂત્ર આપ્યું એ બે પદોનો જ વિસ્તાર છે, એમ કહીએ તો ચાલે. તે નીચે અન્નત્થના વિશેષ અર્થમાં સમજાશે. ૧૧. આ સૂત્રમાં ભરેલા બીજા પણ ઘણા સૂક્ષ્મ હેતુઓ વિષે ઘણો વિસ્તાર કરવો અહીં ઉચિત નથી. सन्नत्थ सूत्रनो विशेषार्थ ૧. કામિ કાઉસગ્ગ અન્નત્ય-ઊસસિએણે થી આગારેહિ સુધી સંબંધ છે. તેનો વાકયાર્થ એ થાય છે કે, “શ્વાસ લેવો, વગેરે- આગારો સિવાય કાઉસ્સગ્નમાં સ્થિર થાઉ છું.” દાખલા તરીકે “હું રોજ રાત દિવસ તમારું કામ કરીશ, સિવાય કે ઊંઘવાનો વખત.” સંસ્કૃતમાં આ વાકય આ રીતે લખાય છે "अहं प्रतिदिनं तव कार्यमहोरात्रं करिष्ये अन्यत्र निद्रासमयात्' Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પંચ પ્રતિકમાણસૂત્રો એટલે કે એકસામટી વાતમાંથી કોઈ વસ્તુને જુદી પાડવી હોય, ત્યારે ગુજરાતી ભાષામાં સિવાય મૂકીએ છીએ, તેને બદલે સંસ્કૃતમાં અન્યત્ર અને પ્રાકૃત ભાષામાં અન્નત્ય મુકાય છે. અને જે વસ્તુ જુદી પાડવી હોય તેને ગુજરાતીમાં છઠ્ઠી અને સંસ્કૃતમાં પાંચમી તથા પ્રાકૃતમાં પાંચમીના અર્થમાં ત્રીજી વિભકિત મુકાય છે. એ રીતે ઊસસિએશં-આગારેહિં સંચાલેહિં વગેરે ઠેકાણે અન્નત્થના સંબંધથી પાંચમીના અર્થમાં ત્રીજી વિભકિત છે. આ ઉપરથી એમ સમજાશે કે કામિ કાઉસ્સગ્ગ એ પદોનો સંબંધ ઠેઠ આગારેહિં-અન્નત્ય સાથે તો છે જ. ૨. હવે અન્નત્ય સૂત્રનો આગરેહિં પછીનો ભાગ પણ કામિ કાઉસ્સગ્ગ એ બે શબ્દોના વિવેચનરૂપે જ છે. તેમાં પણ બે ભાગ પડે છે. કામિને લગતા ત્રણ ભાગ છે અને કાઉસ્સગ્નને લગતો એક ભાગ છે. તેમાં પણ કાય અને કાઉસ્સગ્નની વ્યાખ્યા રૂપે ત્રણ શબ્દો છે. તે આ રીતે-૧. અભખ્ખોથી કાઉસ્સગ્નમાં દઢ રહેવાની પોતાની ભાવના વ્યકત કરનારો ભાગ, ૨. જાવથી કાઉસગ્ગના વખતની મર્યાદા. ૩. ઠાણેણં કાઉસ્સગ્નમાં સ્થિર રહેવાનો પ્રકાર. અને ૪. કાયું, અપ્પાણે વોસિવ એ ત્રણ પદ કાઉસ્સગ્ન પદનો અર્થ. આ બધું કરેમિ કાઉસ્સગ્ગ પદો હોત તો કદાચ ન બતાવી શકાત. પણ કરેમિને બદલે કામિ પદ વાપરીને કાંઈક વિશેષતા અને સંક્ષેપ સૂત્રકાર ભગવાન બતાવે છે. ૩. ૧. અભગ્ન અને અવિરાધિત કાઉસ્સગ્ગ હોવાની પોતાની ભાવના પણ કામિ પદના જ બળમાંથી પ્રગટ થાય છે. ૨. જાવઅરિહંતાણં થી પારેમિ સુધીનાં પદો વખતની મર્યાદા બતાવે છે. ૩. અને ત્યાં સુધી શું કરવું ? તેના જવાબમાં કામિ. હામિ એટલે સ્થિર થાઉ છું. સ્થિરતા કોની ? શરીર, વચન અને મનની પણ. કાયાની સ્થિરતા ઠાણેણં કાયોત્સર્ગ મુદ્રાથી વચનની મૌનથી મનની સદ્દધ્યાનથી કરવી. તે જ સ્થિર થવું. ૪. હવે કાયોત્સર્ગ શબ્દમાં કાય. અને ઉત્સર્ગ એ બે પદો છે. કાય એટલે કાયા=શરીર. અને ઉપલક્ષણથી મન અને વચન પણ લેવાં એમ મોગેણં, ઝાણાં પદોથી સૂચવાય છે જ. ઉત્સર્ગ એટલે ત્યાગ, એ અર્થસૂચક વોસિરામિ પદ છે. ઉત્સર્ગમાં અને વોસિરામિ એટલે વ્યુત્સુના એ બન્ને પદોમાં જુદી જુદી રીતે પણ ૩-ઉપસર્ગ અને વૃન ધાતુ વપરાયેલ છે, કાયોત્સર્ગ-કાઉસ્સગ્ન એટલેકાયાનો ત્યાગ, એ અર્થ થયો. તે કેવી રીતે કરવો ? તે પણ ઠાણાં પદોથી બતાવેલ છે. કાર્ય વોસિરામિ એમ સંબંધ જોડાય છે. પરંતુ અખાણ પદ વધારે છે. તેનો શો આશય છે ? તે હાથે સમજવો જોઈએ. ૫. અખાણ એટલે પોતાનો. અથવા પોતાને અથવા આત્માને આવા અથ થઈ શકશે. તેથી અપાણે કાર્ય=એટલે પોતાની કાયાનો-કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરું છું, પોતાને તજું છું, એવા અર્થો થશે. પોતાની કાયાને તજવાનો અર્થ તો સમજાશે. પરંતુ, આત્માને કેમ જાય છે ત્યારે ત્યાં આત્માનો અર્થ બહિરાત્મા લેવાનો છે, બહિરાત્મા એટલે મન-વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિઓ, કે જેને આત્માએ મોહથી પોતાની માનેલી હોય છે. તેના મમત્વનો ત્યાગ કરવાનો છે. ૬. આ પદોના અર્થો વિષે આટલો વિચાર કેમ કરવો પડે છે ? એ શંકા થશે. તેનું સમાધાન Page #97 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો એ છે કે-કરેમિ સૂત્રમાં અપાણે વોસિરામિ પદો છે. તે જ પદો અહીં પણ છે, અહીં તેની સાથે કાયં પદ વધારે જોડેલ છે. અને ત્યાં કાર્ય પદ મૂકેલ નથી. એ ઉપરથી અહીં કાયારૂપ આત્મા લેવો. અથવા પોતાની કાયા એવો અર્થ લેવાથી અહીં બંધબેસતો અર્થ થશે, કારણ કે અહીં કાઉસ્સગ્નનો પ્રસંગ છે. તેથી તેના કાય-ઉત્સર્ગ શબ્દમાં જ કાયાનો ત્યાગ મુખ્ય છે. સ્પષ્ટ કરવા કાર્ય પદ ઉમેર્યું છે, તે વાજબી જ છે. છે. આ સૂત્રો કેટલાં ગંભીર છે ? અને તેના જેવા મહત્વપૂર્ણ અને ગંભીર અર્થેવાળા વિચિત્ર અન્વયો છે ? તે આ ઉપરથી કંઈક સમજાશે. કાઉસ્સગનો વિશેષાર્થ ૧. કાઉસ્સગ્ગ ઉત્તર ક્રિયા રૂપ છે, કેમકે કપડું ધોયા પછી તેના ઉપર ગરમ ઈસ્ત્રી ફેરવવારૂપ ઉત્તર ક્રિયા કરવાથી જેમ તે વધારે ઊજળું થાય છે, તેની ઘડી ભાંગી જાય છે, અને અકકડ તથા ચકચકિત થાય છે. તેમ પ્રતિક્રમણથી શુદ્ધિ થવા છતાં કાઉસ્સગ્ગથી વિશેષ શુદ્ધ-શલ્યરહિત અને પાપરહિત આત્મા થાય છે. કાઉસ્સગ્ગને શાસ્ત્રમાં વણશોધન પણ કહેલ છે. એટલે કે શરીરમાં પહેલું શલ્ય-સાલ-ફાંસ જેમ શસ્ત્રક્રિયા [ઑપરેશનથી વાઢકાપ કરીને કાઢી નાંખવામાં આવે છે. અને પછી તેના ઉપર મલમપટ્ટા લગાડવા રૂપ ઉત્તરક્રિયા કરાય છે, તેમ કાઉસ્સગ્ગ પણ ત્રણ શલ્ય કાઢીને મલમ પટ્ટારૂપ છે. ૨. કાઉસ્સગ્ગ- એ આભ્યન્તર છ પ્રકારના તપમાંના પ્રાયશ્ચિત્ત નામના પહેલા ભેદનો પાંચમો ભેદ છે, છ આવશ્યકમાંનું એક આવશ્યક છે, બાહ્ય તપમાંના કાયફલેશ તપનો પણ એક જાતનો પ્રકાર છે. એટલે કે તે એક જાતનું તપ પણ છે. વળી તેની રચના ધ્યાનને મળતી છે. જેમ કે, કાઉસગ્ગ મનપણે કરવાનો હોય છે. તેનું આસન-મુદ્રા વગેરે ધ્યાનને લગતા છે. એટલે તે એક પ્રકારનું ધ્યાન પણ છે. પરંતુ ધ્યાનમાં અને કાઉસ્સગ્નમાં મોટો ફરક છે. ધ્યાન એ યોગવિદ્યાનો એક મુખ્ય પ્રકાર છે. અને કાઉસગ્ગ એ આધ્યાત્મિક વિદ્યાનો એક પ્રકાર છે. યોગવિદ્યા એક પ્રકારની વિદ્યા છે. પરંતુ સર્વ વિદ્યામાં આધ્યાત્મિક વિદ્યા શ્રેષ્ઠ છે. એટલે યોગવિદ્યા પણ જ્યાં સુધી અધ્યાત્મવિદ્યામાં સહાયક તરીકે ઉપયોગમાં આવે, ત્યાં સુધી તે સમ્યફ વિદ્યા છે. પણ જો તે આધ્યાત્મિક જીવનના લક્ષ્ય વગરની હોય, તો તે પણ મિથ્યા વિદ્યારૂપ છે. એટલે ધ્યાન-કાઉસ્સગ્નનું અંગ બની શકે છે. ધ્યાનમાં માત્ર મનની એકાગ્રતા કરવાની હોય છે, જે ઝાણોણપદથી સૂત્રમાં સૂચવાયેલ છે. પરંતુ કાયોત્સર્ગમાં કાયાના મમત્વના ત્યાગપૂર્વક-કેવળ મોક્ષના ઉદ્દેશથી મૌનપણે રહી ધ્યાન કરવાનો સાવદ્યયોગનો ત્યાગ, ત્રણ શલ્ય રહિત થવું, હિંસા ન કરવી. અને એકંદર કર્મોનો નાશ કરી મોક્ષ મેળવવાનો ઉદ્દેશ ન હોય, તો તે ધ્યાન આધ્યાત્મિક જીવનનું અંગ બની શકતું નથી. પરંતુ ધ્યાન સાથે ઉપરના ઉદ્દેશો રાખવાથી જ કાઉસ્સગ્ગ નામની મહાન જૈન ક્રિયા થઈ સમજવી. ૩. આ ઉપરથી એમ સમજી રાખવું કે, દરરોજ સામાયિક વગેરે તીર્થકર ભગવંતોએ બતાવેલી Page #98 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્ર ૨૫ ધર્મકરણી કરનાર શ્રાવક જરૂર આરાધક છે. અને માત્ર ધ્યાનની ટેવ કેળવવા જ ધ્યાનનો અભ્યાસ કરે, તો તેની આરાધતાને હરકત નથી. પરંતુ એ મહાન, આધ્યાત્મિક ક્રિયાઓને છોડીને તેને બદલે એકલા ધ્યાનની જ પાછળ પડે, અને તેને જ મોક્ષનો મુખ્ય હેતુ માને, તો તે આરાધક ભાવે ન ગણાય. કારણ કે, કોઈ ખાસ જીવોને બાદ કરીને સામાન્ય રીતે ધ્યાનથી ત્રણ શલ્ય રહિત થવું મુશ્કેલ છે. અને આધ્યાત્મિક કાયોત્સર્ગ સાથે ધ્યાન હોય, તો સોનું ને સુગંધ સમજવું. પરંતુ ધારો કે, ધ્યાન ન આવડતું હોય, તો પણ જેટલે અંશે આધ્યાત્મિક માર્ગમાં પ્રયાણ તેટલો તો લાભ મળી જ ચૂકે છે. અને કાઉસગ્ગ સિવાય એકલા ધ્યાનથી એવો આધ્યાત્મિક લાભ મળતો નથી. તે લાભને બદલે આ જમાનામાં તો દંભ, અભિમાન, ધર્મ અને ધર્મનાં સાધનો તરફ ગર્ભિત અણગમો કેળવાય છે તથા સાંસારિક સુખ સગવડો મેળવવાના અને શરીર-મમત્વના ઊંડા સંસ્કારો પડે છે. ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કર્યાની ખોટી માન્યતા મનમાં ઘર ઘાલે છે. જીવન સંયમી થતું નથી. કાયોત્સર્ગ યુકત ધ્યાન, સમાધિ વગેરે યોગનાં અંગોની પરાકાષ્ઠા છે અને અતિ વિશુદ્ધ આલંબન છે. ધ્યાનાવસ્થા સાંગોપાંગ ન હોય તો પણ કાઉસ્સગ્નમાં કરવાનાં સ્મરણો જ એક ઉત્તમ ભાવનાઓ તરીકેનો લાભ આપે જ છે. માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગની શ્રેષ્ઠતા અનેકગણી વિશેષ છે, એ કદી જૈન બાળકે વીસરવાનું નથી. यतुर्विंशति स्तव सूत्रनो विशेषार्थ (૧) આ એક સ્વતંત્ર ચતુર્વિશતિ સ્તવનામે આવશ્યક તરીકે છે, અને કાઉસ્સગ્નમાં ધ્યેય તરીકે પણ આ સૂત્રને ઉપયોગી ઠરાવ્યું છે. એક નવકારના કાઉસ્સગ્ગ સિવાયના તમામ કાઉસ્સગ્ગોમાં મોટે ભાગે આ સૂત્રનો સ્મરણ તરીકે ઉપયોગ છે. માત્ર લોગસ્સ ન આવડતો હોય ત્યારે તેને બદલે ચાર નવકાર ગણવાના હોય છે. એ ઉપરથી આ સૂત્ર કાઉસ્સગ્નમાં ધ્યેય-સ્મરણ તરીકે મુખ્ય છે. (૨) આ સૂત્રમાં મુખ્ય ત્રણ ભાગ છે. ૧. ચોવીસ તીર્થંકરોની એવી શી મહત્તા છે ? કે-જેથી તેઓના નામનું સ્મરણ આટલું બધું મહત્ત્વનું ગયું છે? તે મહત્ત્વનાં કારણો ૧લી ગાથામાં આપ્યાં છે. તેઓએ મોહને જીત્યો છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અહ-પોતે કૃતકૃત્ય હોવા છતાં ધર્મતીર્થ-નામની ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાલી સંસ્થા-શાસન સ્થાપેલ છે. અને આમ કરીને તેઓએ જગતના લોકોનાં જીવન ઊજળાં બનાવ્યાં છે. અથવા ત્રણ લોકમાં જે કાંઈ ઉત્તમતા-સારાપણું-ઊજળાપણું, ઊજળી બાજુ છે તે આ મહાપુરુષોને આભારી છે. માટે તેઓ જ સર્વોત્કૃષ્ટ સ્તુતિને લાયક છે - એમ સૂચવે છે. (૩) વળી આ ગાથામાં એક મહત્ત્વનો શબ્દ એ છે કે, આ ચોવીસેય તીર્થકરો જેને શ્રદ્ધાવંતને સંપૂર્ણપણે-એકસરખી રીતે માન્ય, આરાધ્ય અને પૂજ્ય છે તેમાં જરાપણ ચૂનાધિકતા રાખે તેટલી તેના જૈનપણામાં ખામી ગણાય. તેથી સર્વ તીર્થકરોનું અસ્તિત્વ અને સંપૂર્ણ પૂજ્યત્વ સ્વામિત્વ જૈન શાસનને માન્ય છે. તેથી તેના સર્વે અનુયાયીઓને પણ માન્ય હોવું જ જોઈએ. તેમ હોય તો જ Page #99 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો તે જૈન ધર્મના અનુયાયી ગણાય, અને તો જ તે લોગસ્સ સૂવથી સ્તુતિ કરવાને લાયક ગણાય. આ એક ઘણો જ મહત્ત્વનો શબ્દ છે. (૪) ૨. ભાગમાં શ્રી ઋષભદેવ પ્રભુથી માંડીને શ્રી વર્ધમાન સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર ભગવંતોનાં નામ આપ્યાં છે. અમોએ તે નામો સાથે તેઓના જન્મની નગરી, માતાપિતા અને લાંછન પાછળ આપ્યાં છે તથા નામોનાં કારણો આપ્યાં છે. આ ભાગમાં મુખ્યપણે માત્ર નામો જ આપ્યાં છે. અને પછીની સર્વ સામાન્ય સ્તુતિ સૌને લાગુ કરવામાં આવી છે. (૫) ૩ જા ભાગમાં પણ ત્રણ ભાગ છે. તેમાંની પહેલી ગાથામાં એ તીર્થંકરોના વિશેષ ગુણો બતાવ્યા છે. અને ભકત તેઓનો પ્રસાદ માગે છે. એટલે કે વિશ્નો દૂર થઈ પ્રથમ તેઓની સાથે પોતાનો સંબંધ થાય એમ ઈચ્છે છે. બીજા ગાથામાં મોક્ષ માટે બોધિ-સમ્યગુદર્શન-અને ઉત્તમ સમાધિથી સમ્યગૂ જ્ઞાન અને સમ્યફ ચારિત્રની પ્રાર્થના છે. ત્રીજી ગાથામાં મોક્ષની પ્રાર્થના છે. આ મુખ્ય વિષયો છતાં સાથે સાથે ત્રણેયમાં તીર્થકરોના વિશેષ ગુણો બતાવ્યા છે. રજ અને મેલ વગરનાં, જરા અને મરણ વગરના મોહ જીતનારાઓમાં શ્રેષ્ઠ, તીર્થ સ્થાપનારા, કીર્તિત, વંદિત અને પૂજિત, જગતમાં ઉત્તમ તરીકે સાબિત થઈ ચૂકેલા, મોક્ષના સાધનરૂપ સમ્યગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્ર આપનારા, ચંદ્ર કરતાં નિર્મલ, સૂર્ય કરતાં વધારે પ્રકાશક, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર અને મોક્ષમાં જતે ગયેલા – સિદ્ધ થયેલા છે, માટે તેની પાસે મોક્ષની છેવટની માગણી પણ ઉચિત છે. આમ અદ્ભુત ગુણો ઘણી જ ખૂબીથી વર્ણવ્યા છે. અહીં આપવાનું કે પ્રસન્ન થવાનું તીર્થકર ભગવંતોને હોતું જ નથી, પણ ભકત તેઓને નિમિત્ત બનાવી જેટલો લાભ તેઓથી લઈ શકાય, તેટલો લેવો અને એ લાભ તેઓએ આપ્યો, એમ ઉપચારથી માની, માત્ર પ્રાર્થના કરવામાં આવે છે. તેથી જૈન શૈલી પ્રમાણે પણ બરાબર સંગત છે, એમ સ્પષ્ટ જણાશે. શ્રી ચોવીસ અહંતુ તીર્થંકર ભગવંતોનાં નામાદિ = નગરી લંછન ૧ ૨ નામ ઋષભદેવપ્રભુ અજિતનાથ સંભવનાથ અભિનંદન સુમતિનાથ પદ્મપ્રભુસ્વામી સુપાર્શ્વનાથ વિનીતા અયોધ્યા શ્રાવર્તિ અયોધ્યા અયોધ્યા કૌશાંબી વણારસી પિતા માતા નાભિ રાજા જિતશત્રુ રાજા વિજયા” જિતારિ રાજા સેના ” સંવર રાજા સિદ્ધાર્થી " મંગલા ” શ્રીધર રાજા સુશીલા ” પ્રતિષ્ઠિત રાજા પૃથ્વી” વૃષભ હાથી ઘોડો વાંદરો કૌંચ રાતું કમળ સાથીઓ » ૫ મેઘ રાજા ખ = Page #100 -------------------------------------------------------------------------- ________________ ८ t ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ છુ છું ન જ ૨૩ ૨૪ પંચ પ્રતિક્રમણસૂત્રો ચંદ્રપ્રભસ્વામી સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજ્યસ્વામી વિમળનાથ અનંતનાથ ધર્મનાથ શાન્તિનાથ કુન્ટુનાથ અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રતસ્વામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ વર્ધમાનસ્વામી ચંદ્રપુરી કાકંદી ભદ્દિલપુર સિંહપુર ચંપા કાંપિલ્યપુર અયોધ્યા રત્નપુર ગજપુર હસ્તિનાગપુર ગજપુર મિથિલા રાજગૃહ મિથિલા સૌરપુરી વણારસી ક્ષત્રિયકુંડ મહસેન રાજા સુગ્રીવ રાજા દૃઢરથ રાજા વિષ્ણુ રાજા વસુપૂજ્ય રાજા કૃતવર્મા રાજા સિંહસેન રાજા ભાનુ રાજા વિશ્વસેન રાજા સુર રાજા સુદર્શન રાજા કુમ્ભ રાજા સુમિત્ર રાજા વિજય રાજા લક્ષ્મણા રામા નન્દા * વિષ્ણુ જયા શ્યામા સુયશા સુવ્રતા અચિરા શ્રી ’ 33 "" 35 "" 21 દેવી ’ પ્રભાવતી પદ્મા ’ વા ’ "" સમુદ્રવિજય રાજા શિવાદેવી ’ અશ્વસેન રાજા સિદ્ધાર્થ રાજા "" 33 વામા ,, ત્રિશલા ' ચંદ્ર મગર શ્રીવત્સ ખડ્ગી [ગેંડો] પાડો સૂકર સિંચાણો વજ્ર હરણ બકરો નન્દાવર્ત કળશ કાચબો લીલું કમળ ૨૭ === ૨૪ તીર્થંકરોનાં નામોના હેતુઓ ૧. ઋષભદેવ - તીર્થંકરોની માતાઓને આવતાં ચૌદ સ્વપ્નમાંહેના પહેલા સિંહ સ્વપ્નને બદલે મરુદેવા માતાએ ઋષભનું સ્વપ્ન પહેલું જોયું હતું, તેથી તેઓનું નામ ઋષભ રાખવામાં આવ્યું હતું. ચોવીસેયમાં પહેલા તીર્થંકર હોવાથી બીજું નામ આદીશ્વર-આદિનાથ પણ છે. તેમને ભરત અને બીજા નવાણું પુત્રો હતા. ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે. અને તેમને આરીસાભવનમાં કેવળજ્ઞાન થયું હતું. બાકીનાઓએ પ્રભુ પાસે દીક્ષા લઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ૨. અજિતનાથ - પાસાની રમતમાં પ્રથમ પ્રભુનાં માતા હારી જતાં હતાં, પરંતુ પ્રભુ ગર્ભે જીતવા લાગ્યાં જેથી તે મહિમાથી તેઓનું નામ અજિત પાડવામાં આવ્યું હતું. આવ્યા પછી ૩. સંભવનાથ - પ્રભુનો ગર્ભમાં અવતાર થયા પછી દુષ્કાળમાં પણ ધાન્યો અચાનક સંભવ થવાથી એ મહિમાએ સંભવ નામ રાખવામાં આવ્યું હતું. ૪. અભિનંદન - પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ઇંદ્રાદિક દેવો તેમની માતાને અભિનંદન આપવા વારંવાર આવતા હતા. તે મહિમાએ અભિનંદન નામ રાખ્યું હતું. ૫. સુમતિનાથ - એક છોકરા વિષે બે માતાઓની તકરારનો જગપ્રસિદ્ધ ન્યાય, પ્રભુ ગર્ભમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો હોવાથી માતાએ બરાબર કર્યો હતો, તેથી તે સુમતિ-સારી બુદ્ધિ ઉત્પન્ન થવાના મહિમાથી પ્રભુનું નામ સુમતિ રાખવામાં આવ્યું હતું. ૨૮ ૬. પદ્મપ્રભસ્વામી - માતાને પદ્માની શય્યામાં સૂવાનો દોહદ ઉત્પન્ન થયો હતો, તેથી પદ્મ એવું નામ પ્રભુનું રાખવામાં આવ્યું હતું. ૭. સુપાર્શ્વનાથ - પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાના બન્ને પડખાં સુંદર થયાં, અથવા બીજી પ્રત પ્રમાણે પિતાના કુષ્ટરોગ યુકત બન્નેય પડખાં પ્રભુની માતાએ હાથ ફેરવ્યાથી સાજાં થઈ ગયાં તેથી સુપાર્શ્વ નામ રાખ્યું હતું. ૮. ચંદ્રપ્રભસ્વામી - ચંદ્ર પીવાનો દોહદ માતાને ઉત્પન્ન થયો હતો. તે પ્રધાને યુકિતથી પૂર્યો હતો. તે ઉપરથી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું હતું. ૯. સુવિધિનાથ ગર્ભમાં આવ્યા પછી માતાપિતા સારી રીતે વિધિપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગ્યા હતા. તેથી સુવિધિ, અને મચકુંદના ફૂલ જેવા પ્રભુના દાંત હોવાથી પુષ્પદંત એ બે નામ રાખવામાં આવ્યાં હતાં. - ૧૦. શીતળનાથ - પ્રભુના પિતાના શરીરે દાહજ્વર હતો. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેઓની માતાએ હાથ ફેરવ્યાથી શીતળ થયો હતો. તે પરથી શીતળ નામ રાખવામાં આવ્યું હતું. ૧૧. શ્રેયાંસનાથ - દહેરાસરમાં પૂજાતી દેવતા વડે અધિષ્ઠિત શય્યા ઉપર બેસવાથી બીજાને ઉપદ્રવ થતો હતો, છતાં ભગવંતની માતાને ગર્ભના પ્રભાવથી તેમાં બેસવા છતાં ઉપદ્રવ થયો નહીં અને અધિષ્ઠાયક દેવ ચાલ્યો ગયો. તેથી શ્રેયસ્ થવાથી તેમનું નામ શ્રેયાંસ (સિાંસ) રાખ્યું હતું. (અથવા સિજ્જસ સિજ્જાશય્યા-અંસ] - ૧૨. વાસુપૂજ્ય - ઇંદ્રમહારાજ વસુ રત્નો વડે ગર્ભના મહિમાથી માતા-પિતાની પૂજા કરતા હતા એટલે વાસુપૂજ્ય નામ રાખવામાં આવ્યું હતું. ૧૩. વિમળનાથ - શહેરમાં દહેરા પાસે ઊતરેલાં સ્ત્રીપુરુષ સૂતાં હતાં, તેનાંના પુરુષ રૂપ ઉપર મોહ પામેલી હોઈ ત્યાં રહેલી વ્યંતરી સ્ત્રીનું રૂપ કરી તે પુરુષની સ્ત્રી તરીકે ગોઠવાઈ ગઈ. સવારે બન્ને વચ્ચે ઝઘડો થતાં રાજા-પ્રધાન કાંઈ પણ નિર્ણય ન આપી શકયા ત્યારે પ્રભુની માતાએ ગર્ભના પ્રભાવથી બન્ને સ્ત્રીઓને દૂર રાખી એવો ઠરાવ કર્યો કે “જે સ્ત્રી પોતાના પતિવ્રતપણાથી દૂર ઊભી ઊભી પણ પોતાના પતિને સ્પર્શ કરી શકે, તેનો તે પતિ છે. તે ઉપરથી પેલી વ્યંતરીએ દેવપ્રભાવથી હાથ લાંબો કર્યો કે તુરત તેને વ્યંતરી સમજી લઈ ગુનેગાર ગણી, કાઢી મૂકી. આવો ન્યાય કરવાની વિમળ બુદ્ઘિ ઉત્પન્ન થવાથી વિમળ નામ રાખવામાં આવ્યું હતું. ૧૪. અનંતનાથ - માતાએ ગર્ભના પ્રભાવથી અનંતમાં-આકાશમાં અંત વગરનું મોટું ચક્ર ભમતું દીઠું, અનંત રત્નોની માળા દીઠી. અને અનંત ગાંઠોવાળા દોરાઓથી લોકોના તાવ મટાડ્યા. તેથી અનંત નામ રાખવામાં આવ્યું હતું. Page #102 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૧૫. ધર્મનાથ - ગર્ભના પ્રભાવથી માતા પિતાને પ્રથમ કરતાં ધર્મ ઉપર અત્યંત રાગ થવાથી એ નામ પાડવામાં આવ્યું હતું. ૧૬. શાંતિનાથ - શહેરમાં ચાલતા મરકીના રોગની માતાએ અમી છાંટવાથી ગર્ભના પ્રભાવથી શાંતિ થઈ, તેથી એ નામ રાખ્યું હતું. ૧૭. કુંથુનાથ - માતાએ ગર્ભના પ્રભાવથી સ્વપ્નમાં પૃથ્વીમાં મોટો રત્નમય સ્તુભ દીઠો હતો. શત્રુઓ કુંથુ જેવા નાના થઈ ગયા હતા, અને કુંથુ જેવા નાના મોટા દરેક જીવોની જયણા પ્રવત હતી. તેથી પ્રભુનું નામ કુંથુ રાખ્યું હતું. ૧૮. અરનાથ - ગર્ભના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રત્નમય આરો અને શૂભ દીઠા હતા. તેથી એ નામ રાખ્યું હતું. ૧૯. મલ્લિનાથ - માતાને એક રાત્રીએ છયે ઋતુનાં ફૂલોની શય્યામાં સૂવાનો દોહદ થયો હતો. ગર્ભના પ્રભાવથી દેવતાએ પૂર્ણ કર્યો હતો. તે પરથી મલ્લિકુમાર નામ રાખવામાં આવ્યું હતું. ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી - ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાપિતા મુનિની પેઠે શ્રાવકનાં બારેય ઉત્તમ વ્રતો સારી રીતે પાળવા લાગ્યા. તે ઉપરથી એ નામ રાખવામાં આવ્યું હતું. ૨૧. નમિનાથ - આજુબાજુની સરહદ ઉપર રહેલા શત્રુ રાજાઓ ચડી આવી કિલ્લાને ઘેરો નાંખી પડ્યા હતા. તે વખતે રાજા નિરુપાય થવાથી પ્રભુની માતાએ કિલ્લા ઉપર ચડી શત્રુ રાજાઓ સામે કરડી નજર કરી જેથી તેઓ ગર્ભના પ્રભાવથી નમી ગયા અને પછી માતાએ સૌના ઉપર મીઠી નજર કરી અને માથે હાથ ફેરવ્યો જેથી તેઓ પોતપોતાને સ્થાનકે ગયા. આ ઉપરથી આ નામ પાડવામાં આવ્યું હતું. ૨૨. અરિષ્ટનેમિ-માતાએ ગર્ભના પ્રભાવથી સ્વપ્નમાં-કાળાં અરિષ્ટ રત્નોની રેલ તથા આકાશમાં ઊછળતું ચક્ર દીઠાં હતાં. તેથી અરિષ્ટનેમિ નામ રાખવામાં આવ્યું હતું. ૨૩. પાર્શ્વનાથ - અંધારી રાતે માતાએ ગર્ભના પ્રભાવથી પોતાના પડખામાં–પાસામાં સર્પ જતો દીઠો હતો અને તેના જવાના માર્ગમાં રાજાનો હાથ હતો તે તેમણે ઊંચો કર્યો. રાજા જાગ્યા અને કારણ પૂછયું, પછી દીવો મંગાવી ખાતરી કરી જોઈ, તો સર્પ હતો. અંધારી રાતે પડખે જતો સર્પ માતા ગર્ભના પ્રભાવથી જોઈ શક્યા હતા. તે ઉપરથી પાર્શ્વ એવું નામ રાખવામાં આવ્યું હતું. ૨૪. વર્ધમાન - પિતાના ઘરમાં ઋદ્ધિસિદ્ધિની વૃદ્ધિ થવા લાગી હતી તથા શત્રુઓ આજ્ઞામાં વર્તવા લાગ્યા. તે ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ રાખ્યું હતું તથા બાલ્ય અવસ્થામાં અંગૂઠાથી મે કંપાવ્યો હતો, અને બાલ્ય અવસ્થામાં જ આમલકી ક્રીડામાં દેવને હંફાવ્યો હતો, તેથી ઈદ્રમહારાજાએ બીજું નામ મહાવીર એવું પણ રાખ્યું હતું. તે ઉપરાંત જ્ઞાતપુત્ર, દેવાર્યક વગેરે નામો પણ ભગવંતનાં પ્રસિદ્ધ છે. [તીર્થકરોનાં નામોના પ્રાકૃત શબ્દોના નિર્યુકિતના ધોરણે શ્રી નિયુકિતકારો જુદા જુદા અર્થો Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો કાઢી, તે વખતે બનેલા બનાવો સાથે સંગત કર્યા છે, એમ જણાય છે. નિયંતિની એ શૈલી છે, તેથી તેમ કરી શકાય છે.] ભગવંતોનાં શરીરના વર્ગો-૨. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય સ્વામીનો લાલવર્ણ ૨, ચંદ્રપ્રભ સ્વામીનો અને સુવિધિનાથ પ્રભુનો શ્વેતવર્ણ ૨. મહિનાથ અને પાર્શ્વનાથનો લીલો વર્ણ, ૨. મુનિ સુવ્રત સ્વામી અને અરિષ્ટ નેમિનાથનો શ્યામવર્ણ, તથા બાકીના ૧૬ તીર્થકર ભગવંતોનો સુવર્ણ જેવો વર્ણ સમજવો. આ ઉપરાંત, દરેક તીર્થંકર ભગવંતની ઊંચાઈ, આયુષ્ય વગેરે તથા બીજી ઘણી હકીકતો આવશ્યકવૃત્તિ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે મોટા ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી જાણવા જેવી છે. ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ ૧. સ્થાપનાચાર્ય કે સાક્ષાત્ આચાર્ય મહારાજ ન હોય તો વિધિપૂર્વક સ્થાપનાચાર્યની સ્થાપના કરવી. ૨. પછી-ઈચ્છામિ ખમાસમણો ! સૂત્રથી ગુરુ વંદન કરી, ઈરિયાવહિય, તસ્ય ઉત્તરી અને અન્નત્થ સૂત્ર કહી, એક લોગસ્સનો ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી નમો અરિહંતાણં” કહી, કાઉસ્સગ્ન પારી-પ્રગટપણે ચતુર્વિશતિ નામસ્તવલોગસ્સ સૂત્ર કહેવું. કાઉસ્સગ્ન કરવાનો વિધિ ૧. ઊભા રહી કાઉસ્સગ્ન કરવો હોય તો- બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ, અને પાછળથી કાંઈક ઓછી જગ્યા રાખી, આજુબાજુ કે ઉપર ટેકા વગર, સ્થિર અને શરીરે સીધા ઊભા રહેવું. બે હાથ છૂટા નીચે નમાવવા, ડાબા હાથમાં ચરવલો અને જમણા હાથમાં મુહપત્તિ રાખવી. ડોક સીધી રાખી નજર નાસિકાના અગ્રભાગ ઉપર રાખી, પ્રસન્ન મુખથી તદ્દન મનમાં નવકાર મંત્ર કે લોગસ્સનો ઉચ્ચાર કરવો. તે વખતે નીચેના તથા ઉપરના દાંત પરસ્પર અડકવા ન જોઈએ. શ્રાવિકાએ તથા સાધ્વીજી મહારાજે માથું ઢાંકેલું હોવું જોઈએ, અને નીચે નમાવેલું હોવું જોઈએ. ૨. બેઠા બેઠા કાઉસ્સગ્ન કરવો હોય તો - પલાંઠી વાળી ઢીંચણ ઉપર બન્ને હાથ ખુલ્લા રાખવા, પરંતુ જમણા હાથમાં મુહપત્તિ રાખવી અને ડાબો હાથ ખાલી રાખવો, બાકી ઉપર પ્રમાણે. ચરવળો હોય તો તેની દાંડી ખોળામાં રાખવી. ૭. સામાયિક વિધિનાં સૂત્રો મુહપત્તિ પડિલેહણનો વિધિ અને તેના ૨૫ બોલ. [કોઈપણ ક્રિયા કરતી વખતે, દરેક ઉપયોગી ઉપકરણો તથા મકાન વગેરેનું પડિલેહણ કરવું Page #104 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૧ જ જોઈએ અને પ્રમાર્જના પણ કરવી જોઈએ. પરંતુ એમ ન કરી શકે તેણે ટૂંકામાં પડિલેહણ તરીકે મુહપત્તિનું પડિલેહણ તથા શરીરની પ્રમાર્જના કરવાથી ચાલી શકે. તેમ જ કોઈપણ ક્રિયાની શરૂઆત સૂચવનાર ક્રિયા તરીકે, પણ મુહપત્તિ પડિલેહણા કરવાનું હોય છે. કોઈપણ જૈન ક્રિયામાં-અહિંસા, સંજમ અને તપ-હોય જ છે. મુહપત્તિ પડિલેહણમાં પણ તે જ તત્વો છે.]. ૧. ઉભડક બેસો. ૩. મુહપત્તિ ઉકેલો. ૨. બે હાથ બે પગની વચ્ચે રાખો. ૪. બન્ને હાથથી બને છેડા પકડો. ૫. મુહપત્તિ સામે દષ્ટિ રાખો, ને બોલો સૂત્ર ૬. પછી તેને ડાબા હાથ ઉપર મૂકી ડાબે હાથે પકડેલો છેડો જમણે હાથે પકડો, અને જમણે હાથે પકડેલો છેડો ડાબે હાથે પકડી સામે જોઈ. અર્થ, તત્ત્વ કરી સહું. ૭. પછી ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેર, તે વખતે સમ્યત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું. ૮. વળી ડાબા હાથ ઉપર મુહપત્તિ મૂકી, પાકું ફેરવી જમણા હાથ તરફ્લો ભાગ ત્રણ વાર ખંખેરતાં નીચેના અનુક્રમે ત્રણ બોલો કામ રાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું. ૯. મુહપત્તિનો મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાંખી, વચલી ઘડી પકડી બેવડી કરો. ૧૦. જમણા હાથના આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તિ ભરાવો. ૧૧. પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટપે કાંડા સુધી લાવો અને દરેક વખતે બોલો સુદેવ, સુગુરુ સુધર્મ આદરું. ૧૨. પછી હાથને અડે તેવી રીતે કાંડેથી હથેલી સુધી ત્રણ ટપે લઈ, કાંઈક કાઢી નાંખતા હો, તેમ ત્રણ ટપે કરો ને બોલો કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. ૧૩. વળી ત્રણ પે હથેલીથી કાંડા સુધી મુહપત્તિ અધ્ધર રાખી અંદર લો, અને બોલો જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૪. વળી ત્રણ ટપે બહાર કાઢો અને બોલો Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના પરિછું. ૧૫. વળી એ જ રીતે ત્રણ ટપે અંદર લો અને બોલો-મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ૧૬. વળી એમ જ ત્રણ ટપે બહાર કાઢો મનદંડ, વચનદંડ, કાયદંડ પરિ. શરીરની પડિલેહણનો વિધિ અને તેના ૨૫ બોલ. ૧. એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે, અને બન્ને બાજુ, એમ પ્રમાર્જો ને બોલો. હાસ્ય, રતિ, અરતિ પરિહતું. ૨. એવી જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણા હાથે, એ પ્રમાણે વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો ભય, શોક, દુગંચ્છા પરિહતું. પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ, બેવડીને બેવડી મુહપત્તિના બન્ને છેડા બન્ને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલોકૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, પરિહતું. ૪. વચ્ચે અને બે બાજુએ ત્રણ વાર મોં પર પ્રમાર્જના કરો અને અનુક્રમે બોલોરસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહતું. ૫. એમ જ વચ્ચે અને બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરો, અને બોલોમાયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહતું. ૬. હવે મુહપત્તિ બે હાથમાં પહોળી પકડી જમણા ખંભા પર પ્રમાTM, અને બોલોક્રોધ, માન પરિહતું. ૭. એમને એમ ડાબા ખંભા ઉપર પ્રમાર્જના કરો, અને બોલો માયા લોભ પરિ ંદું. ૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળા વતી ત્રણ વખત પ્રમાર્જતી Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો વખતે બોલો પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું. ૯. એ જ પ્રમાણે ડાબે પગે, વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો કે વાઉકાય વનસ્પતિ કાય, ત્રસ કાયની રક્ષા કરું. સકલ જૈનશાસ્ત્રોનું મુખ્ય બીજ શ્રીમદ્ અવશ્યક-સૂત્ર. ૧૦. સામાયિક દણ્ડક-સૂત્ર કરેમિ[૨] 'ભને [૧] સામાઇ, [૩]"સાવજેજોગ પચ્ચખામિક જવનિયમ“પજજુવાસામિ. = દુવિહં = 'તિવિહેણ -મણેણં, વાયાએ, કાએણ; ન કરેમિ, અને કારમિ. “તસ્સ-[૪] ભ :-[૫] પડિકમામિ, નિંદામિ ગરિહામિ [૬] અખાણ વોસિરામિ. ગાથાર્થ:- હે (તીર્થકર ભગવંત! [આપના ઉપદેશ પ્રમાણે, અને તે ગુરુ મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે) હું યથાશક્તિ સામાયિક [અનાદિકાળની વિષમ સ્થિતિ અટકાવી મારા આત્માની સમ સ્થિતિ) કરું છું. કરવા ઇચ્છું છું.]. *ત્રણ પ્રકારે એિટલે મન, વચન અને કાયાએ કરી, તથા બે પ્રકારે : એિટલે ન કરવું અને ન કરાવવું; [એમ ૬ પ્રકારે, હવે પછી મારા મનના બે ઘડીના] નિયમ "સુધી હું "સાવદ્ય "યોગોનો ત્યાગ કરું છું, [અને ત્યાં સુધી બે ઘડી સુધી આપની] “સેવા કરું છું. - હે ભગવન્ત ગિર મહારાજ તે સિાવઘ યોગો કદાચ થઈ જાય, તથા જૂના થયેલા છે, તેનું પ્રતિક્રમણ કરું છું, હું પોતે તેની નિંદા કરું છું, આપ સમક્ષ પણ તેની ગહ કરું છું, [ગમે તે ભોગે સામાયિકમાં સ્થિર રહેવા ખાતર મારા બાહ્ય- આત્માને ત્યાગ કરું છું. रेभि संते सूत्रनो विशेषार्थ સ્વયંબુદ્ર એટલે પોતાની મેળે બોધ પામેલા શ્રી તીર્થકર ભગવંતો જ્યારે દીક્ષા લે છે, ત્યારે નમો સિદ્ધાણં કહી શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી “કરેમિ સામાઈયં સવ્વસાવજંજોગં પચ્ચખામિ જાવ જીવાએ તિવિહં તિવિહેણું મોણ, વાયાએ, કાગ, ન કરેમિ, ન કારવેમિ, કરંતૃપિ અન્ને ન સમાણામિનરલ્સ-પડિકનમામિ, નિંદામિ ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. એ પ્રમાણે સૂત્રનો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો ઉચ્ચાર કરે છે. ભંતે શબ્દ બોલતા નથી. સાધુ મહારાજ અને સાધ્વીજીઓ દીક્ષા લેતી વખતે અને બધી ક્રિયાઓમાં કરેમિ અને ત શબ્દો પછી ભજો ! પદ વધારે બોલે છે. શ્રાવક-શ્રાવિકાઓ સામાયિક પ્રતિક્રમણમાં ઉપર આપેલો સૂત્રપાઠ બોલે છે. તેમાં પૌષધ ઉચ્ચરવાનો હોય, તો સામાઈયને બદલે પોસહં બોલે છે, અને તેના વિસ્તાર તરીકે – આહાર પોસહં, શરીર સકકાર પોસહં, અવાવાર પોસહં, બંભચેર પોસહં-સબઓ દેસઓ; અને જાવનિયમને બદલે જાવ દિવસ કે જાવ અહોરનું શબ્દો ઉચ્ચારે છે, તથા બાર વ્રતના ઉચ્ચારમાં કે પાંચ જ મહાવ્રતના ઉચ્ચારમાં એ પચ્ચક્ખાણ સ્વરૂપ હોવાથી પાણાઈવાયં પચ્ચખામિ વગેરે બોલાય છે. આ સૂત્ર જેન-શાસનનું અને ધર્મનું મૂળ છે. જૈન ધર્મનાં તમામ શાસ્ત્રો આ સૂત્રના વિવેચન રૂપે જ છે. જૈન ધર્મની સર્વ આજ્ઞાઓ ગર્ભિત રીતે આમાં ગૂંથાયેલી છે. આમાંદ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, અને કથાનુયોગ પણ સમાયેલા છે. આ સૂત્રનાં જુદાં જુદાં પદો પ્રતિક્રમણ વગેરે અનેક વિધિઓનાં સૂત્રોમાં ગૂંથાયેલાં છે. છ આવશ્યકતાની સૂચના આ સૂત્રમાં ગૂંથાયેલી દાખલા તરીકે :- બન્નેય ભજો ! પદમાં-૧ લું, ચતુર્વિશતિસ્તવ આવશ્યક સૂચક છે, અને બીજું, ગુરુવંદન આવશ્યક સૂચક છે. સામાઈય, પચ્ચકખામિ, પડિકમામિ, અપ્પાણ વોસિરામિ એ ચારે પદો સામાયિક, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને કાઉસ્સગ્ન આવશ્યકની સૂચનાઓ સ્પષ્ટ રીતે કરે જ છે. આ સૂત્રનું નામ જો કે સામાયિકસૂત્ર કહેવાય છે. તે ઉપરાંત તેનું નામ આવશ્યક સૂત્ર પણ કહેવાય છે. વળી બાકીનાં પાંચ આવશ્યક સૂત્રો આમાંથી જ નીકળ્યાં છે. માટે તે સામાયિકનાં અંગો પણ કહેવાય છે. અને એમ છયે આવશ્યકનાં સૂત્રોનો વિસ્તાર કરીએ તો દ્વાદશાંગી પૂરી થાય. આ સૂત્રમાં-તિવિહં તિવિહોણું એ પદો સવ્વ સાવજ્જ જોગ પચ્ચકખામિના વિસ્તાર રૂપે છે. અને માણોણે વગેરે તથા ન કરેમિ વગેરે પદો તિવિહં તિવિહેણંના વિવેચન રૂપે છે. પડિકમાણના વધારા રૂપે નિંદામિ, ગરિયામિ પદો છે. જૈન ધર્મની જેટલી ધાર્મિક વિધિઓ છે, તે દરેકમાં આ કરેમિ સૂત્ર કે તેનો કોઈ પણ ભાગ અને તેમાંના છ આવશ્યકો ગર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે ગોઠવાયેલા જોવામાં આવે છે. • સામાયિકમાં આ સૂત્ર મુખ્ય હોવાથી તેનું નામ સામાયિક દંડક પણ કહેવાય છે. દંડક એટલે મહાપાઠ આ સૂત્ર નાનું છતાં મહાપાઠ એટલા માટે કહેવાય છે કે આ સૂત્ર ઉપર સર્વ આગમો રચાયેલા છે. માટે આ પવિત્ર અને મહત્ત્વના પાઠનો ઉચ્ચાર બનતાં સુધી જાતે ન કરતાં ગુરુ કે વડીલ પાસે કરાવાય છે. માટે આ સૂત્ર અત્યન્ત પૂજ્ય છે. સામાયિક વિચારનાં નવાર - ૪. નિક્ષેપા, ૭. નય, ૫. કારણ, ૩. યાદિક ૪. પ્રમાણ, ૩. ત્રિપદી, ૭. ભંગ, ૬. દ્રવ્ય, ૯. નવતત્ત્વ. Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સામાયિકમાં પ્રવેશ કરવાનો વિધિ ૧. વિધિ પ્રમાણે ઇરિયાવહિયા પડિકમવા. ૨. પછી સત્તર સંડાસાની પ્રમાર્જના સાચવી. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં ? જાવણિજ્જાએ, નિસીહિઆએ ? ગુરુ કહે - છૂંદણું, શિષ્ય કહે - મત્થએણ વંદામિ, ઇચ્છાકારણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે - પડિલેવેહ. શિષ્ય કહે – ઇચ્છું, – પછી વિધિ પ્રમાણે બેસી વિધિ પ્રમાણે મુહપત્તિ તથા શરીરની પડિલેહણા કરવી. ૩. પછી એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ગુરુ કહે – સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. ૩૫ પછી તે જ પ્રમાણે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? ગુરુ કહે – ઠાએહ. શિષ્ય કહે – ઇચ્છું. - - ૪. પછી એક નવકાર ગણી - ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી ! પછી ગુરુ-કરેમિભંતે ! સૂત્રનો ઉચ્ચાર કરે. શિષ્ય બે હાથ જોડી મસ્તકે ચઢાવી મનમાં બોલી સૂત્ર ગ્રહણ કરે. ગુરુ ન હોય તો વકીલ, અને તે પણ ન હોય, તો પોતે જાતે ઉચ્ચાર કરી લે. - ૫. પછી એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ – ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહુ ? સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ગુરુ કહે – ઠાએહ. શિષ્ય કહે- ઇચ્છું. ગુરુ કહે ' ૬. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ગુરુ કહે – સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ગુરુ ? કહે- કરહ. શિષ્ય- ઇચ્છું. પછી હાથ જોડી ત્રણ નવકાર ગણીને કટાસન ઉપર બેસવું. सामायिना विधिनो विशेषार्थ આ વિધિમાં કેરેમિ- સૂત્ર કે જેનું નામ સામાયિક દંડક સૂત્ર છે, તે મુખ્ય છે. તેના ઉચ્ચારથી સામાયિકની પ્રતિજ્ઞા લેવાય છે. અને સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. તે પણ ગુરુની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોવાથી ‘સામાયિક સંદિસાહું ?’ અને ‘સામાયિક ઠા ?’ના આદેશો માગવામાં આવે છે. સામાયિક જેવી નિરવદ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવેશવા પહેલાં શરીર, મકાન, વસ્ત્ર, ઉપકરણો વગેરેના પ્રતિલેખન અને પ્રમાર્જનાના ઉપલક્ષણ તરીકે મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે, જેથી બાહ્ય તેમજ આંતર શુદ્ધિ બરાબર થાય છે. અને ઇરિયાવહિયા પડિક્કમવાનું કારણ તો કોઈ પણ જૈન ક્રિયા કરવાની હોય તેના પહેલાં હિંસાદિ દોષરહિત થવું, ત્રણ શલ્યરહિત થવું, તથા બીજાં પણ પાપકર્મોનો નાશ કરવો અને ચોવીસેય Page #109 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તીર્થંકરો અને પોતાના પૂજ્યનું અવલંબન લેવું વગેરે તૈયારી કર્યા પછી જ સામાયિકમાં પ્રવેશ કરી શકાય છે. તેમાં જરૂર પડે તો શરૂઆતમાં સ્થાપનાચાર્ય સ્થાપવા માટે નવકાર અને પંચિંદિય સૂત્ર બોલી સ્થાપનાચાર્ય સ્થાપવાના હોય છે. આ વિષે આગળ આવી ગયેલ છે. ૩૬ હવે સામાયિકની પ્રતિજ્ઞા લીધા પછી તેમાં લીન થવા માટે સ્વાધ્યાય ધ્યાન કરવાની ઇચ્છાવાળો સાધક તે માટે આજ્ઞા માગે છે અને તેના સૂચક તરીકે ટૂંકામાં ત્રણ નવકાર ગણે છે. પરંતુ સ્વાધ્યાય ધ્યાન ઊભા ઊભા કરી શકવાને અશકત બેસવાના આદેશો માગે છે. આ પરથી સામાયિક બની શકે ત્યાં સુધી ઊભા ઊભા જ લેવાનું હોય છે. સામાયિકમાં શું કરવું ? ત્રણ નવકાર ગણી નીચે બેસી-સામાયિકમાં લીન થવું એટલે શું ? ૧. પોતાના આત્માની શુદ્ધિ જે પ્રમાણમાં હોય, તે બરાબર ધ્યાનમાં લઇ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં આગળ વધવું. અને સાવદ્ય પ્રવૃત્તિઓમાંથી તદ્દન મન, વચન, કાયાને ખેંચી લેવાં, પોતાનાં પાપો અને અપરાધોનો પસ્તાવો કરવો, મોક્ષની અભિલાષા જાગ્રત કરવી અને એકાગ્ર થઈ જવું. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થયું. અનંત ભવોની પરંપરા પછી પ્રાપ્ત કરેલા સંયમ સ્થાનકોથી આગળના સંયમ-સ્થાનક ઉપર ચડવા પ્રયત્ન કરવો એટલે સામાયિક કરવું. ૨. મહાપુરુષોનાં ચરિત્રો અને તીર્થંકર ભગવંતોનાં ચરિત્રો ભાવવાં. ૩. કાંઈ પણ ધાર્મિક વિચારોને પોષણ આપે તેવાં પુસ્તકોનો સ્વાધ્યાય કરવો અથવા ગાથાઓ વગેરે કંઠે કરવી. ૪. નવકારવાળી કે આનુપૂર્વી ગણવી. પાછલી ગાથાઓનું પુનરાવર્તન કરવું. ગુરુ સાથે ધર્મચર્ચા કરવી. બીજાને સ્વાધ્યાય કરાવવો વગેરે. ૫. ૩ર દોષો અવશ્ય ટાળવા. એ સામાયિક કરવાની સીધી, સરળ અને વ્યવહારુ યોજના છે. ૩૨ દોષ ટાળે એટલે લગભગ સામાયિક થઈ જાય. સામાયિકમાં વર્જવાના ૩૨ દોષો ૧૦ મનના - ૧. શત્રુ ઉપર ક્રોધ કરવો, ૨. અવિવેક ચિંતવવો, ૩. સૂત્રાર્થ ન વિચારવો. ૪. મનમાં કંટાળવું, પ. યશની ઇચ્છા રાખવી, ૬. અવિનય કરવો. ૭. ભય રાખવો. ૮. સાંસારિક કામના વિચારો કરવા, ૯. સામાયિકનું ફળ મળશે કે નહીં ? તેવો વહેમ રાખવો. ૧૦. નિયાણું કરવું. [નિયાણું એટલે કોઈ પણ સાંસારિક ફળની ઇચ્છા.] ૧૦ વચનના - ૧. કુવચન બોલવું, ૨. હુંકાર-ગર્વ કરવો, ૩. પાપનું કામ કરવા કહેવું, ૪. Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો લવારો કરવો, ૫. કજિયો-કલહ કરવો, ૬. “આવો’, ‘વ’, ‘બેસો' વગેરે હુકમો, સત્કારનાં વાકયો બોલવાં, ૭. ગાળો દેવી, શાપ દેવા, ૮. બાળકને રમાડવું, ૯. કૂથલી, નિંદા, વિકથા કરવી, ૧૦. ઠઠ્ઠામશ્કરી કરવી. ૧૨ કાયાના. - ૧. આસન સ્થિર ન રાખવું, ૨. ચારે ય તરફ જોયા કરવું, ૩. સાવદ્ય કામ કરવું, ૪. આળસ મરડવી, ૫. અવિનયીપણે વર્તવું, ૬. ઓઠું લઈને બેસવું, ૭. મેલ ઉતારવો, ૮. ખરજ ખણવી, ૯. એક પગ ઉપર પગ ચડાવી બેસવું. ૧૦. ઢાંકવા લાયક અંગ ઉઘાડું મૂકવું, ૧૧. ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું, ૧૨. ઊંઘવું. એકથી વધારે સામાયિક કરવા વિષે એ પ્રમાણે બે ઘડી બરાબર થાય સામાયિક પારવું. બે ઘડી એટલે ૪૮ મિનિટ. ખરી રીતે સામાયિક કરનાર સાધક એટલો બધો સાવધાન હોવો જોઈએ કે બે ઘડીનો ઉપયોગ રહેવો જોઈએ. પરંતુ જે બીજું કે ત્રીજું સામાયિક લેવું હોય તો પાર્યા વિના ફરીથી ઉપરના વિધિ પ્રમાણે સામાયિક લેવું. તે વખતે સક્ઝાય કરું ને બદલે “સજઝાયમાં છું.” એમ બોલવું. પરંતુ જે ચોથું સામાયિક લેવું હોય તો વિધિ પ્રમાણે પારી ફરીથી ઉપરની વિધિ પ્રમાણે સામાયિક લેવું. ८. साभाथि पारवाना विधिनां सूत्रो ૧૧. સામાઈય-વય જૂત્તો-સૂત્ર ૧. શબ્દાર્થ:- સામાઈય-વ-યજુનો સામાયિક વ્રત લીધું હોય તે. જાવ=જ્યાં સુધી, માણે મનમાં. હોઈ=હોય. નિયમ-સંજુરો નિયમ ધારી. છિન્નઈ છેદી નાંખે, નાશ કરે. અસુહ અશુભ. કમં કર્મ. સામાઈયં=સામાયિક. જત્તિયા-વારા=જેટલી વાર. સામાઈયમિ=સામાયિક. ઉ=અને. કએ કરે ત્યારે. સમણો-સાધુ. ઇવ=જેવો. સાવ થાવક. હવઈ=હોય. જમહા=જેથી. એણં=એ. કારણેણં કારણથી. બહુસો ઘણી વાર કુજા કરવું જોઈએ. “સામાઈય-વયજુત્તો, 'જાવ મણે હોઈ નિયમસંજુરો ''છિન્નઈ “અસુઈ કમ્મ, સામાઈયં જત્તિઓ દ્વારા સામાઈયમ્મિ 'ઉ'કએ, સમણો ઇવસાવ હવઈ જમ્યા એએણકારણેણં "બહુસ્સો, સામાઈયં કુજા તારા, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું; વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કો દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષ માંથી જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકન્ડ. ગાથાર્થ:- જ્યાં સુધી મનમાં નિયમ ધારી હોય, ત્યાં સુધી સામાયિક વ્રતવાળો[ગણાય [અને] “જેટલી વાર સામાયિક હોય તેિટલીવાર] અશુભ કર્મને છેદે છે. અને જ્યારે શ્રાવક સામાયિક કરે યિારે શ્રમણમુનિ જેવો તિ] જે કારણે “થાય છે, “એ કારણે ઘણી વાર" સામાયિક કરવાં જોઈએ. સામાઈય-વય-જીત્તો સૂત્રનો-વિશેષાર્થ સામાયિકનું મહત્ત્વ સૂચવનારી અને વારંવાર સામાયિક કરવાની ભલામણ કરનારી આ બન્નેય ગાથાઓ શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજાએ રચેલ થી આવશ્યક નિર્યુક્તિની છે. આ ગાથાઓ સામાયિક કરવાની ભાવના ટકાવવા માટે છે. સામાયિકમાં મન, વચન અને કાયા બરાબર પરોવવાથી સામાયિકનું ફળ બરાબર મળે છે. સામાયિક પાળવાનો વિધિ ૧. ખમાસણમ દઈ, ઇરિયાવહિયા પડિકમવા. ૨. પછી એ જ પ્રમાણે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે - પડિલેહ. શિષ્ય કહે – ઇચ્છે. એમ કહી વિધિપૂર્વક મુહપત્તિ તથા શરીરની પડિલેહણ કરવી. ૩. પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંસિહ ભગવદ્ ! સામાયિક પારું? ગુરુ કહે – પુણોવિ કાયવ્યું. શિષ્ય કહે- યથાશક્તિ, પછી ખમાસમણ ! દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાયું ગુરુ કહે - આયારો ન મુનવ્યો. શિષ્ય કહે - તહત્તિ. ૪. પછી-ચરવળા કે કટાસણા પર જમણો હાથ સ્થાપી. એક નવકાર કહી–સામાઈય-વ-જુનો સૂત્ર કહેવું. ૫. જે સ્થાપનાચાર્ય સ્થાપ્યા હોય, તો જમણો હાથ મુખ સામે રાખી [ઉસ્થાપની મુદ્રા કરી એક નવકાર ગણવો. સામાયિક પાળવાના વિધિનો વિશેષાર્થ ૧. સામાયિક પારતી વખતે પણ ફરીથી ઇરિયાવહિયા પડિકમવાની જરૂર એટલા માટે જણાય Page #112 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૯ છે કે-સામાયિક દરમ્યાન કાંઈ પણ મન, વચન કાયાથી સાવધ યોગ સેવાઈ ગયા હોય, તેની શુદ્ધિ થઈ જાય. એટલે સામાયિક સાંગોપાંગ શુદ્ધ જ થાય. મુહપત્તિના પડિલેહણની જરૂર પણ એ પ્રમાણે પ્રમાર્જના પડિલેહણની ફરીથી ચોકકસાઈ માટે છે. ૨. ગુર ફરીથી સામાયિક કરવા કહે છે. ત્યારે પાળનાર પોતાની શક્તિ ન હોવાનું જણાવી પાળે છે ત્યારે ગુરુ છેવટે આચાર ન છોડવાનું કહે છે. પાળનાર સાધક તહત્તિ કઈ આજ્ઞા માથે ચડાવે છે. પછી સામાયિક વારંવાર કરવાની ભાવના ભાવતાં પહેલાં મંગલાચરણ તરીકે નવકાર ગણે છે. અને વિધિઅવિધિ તથા ૩ર દોષનું મિચ્છામિ દુકકડ દઈ સાંગોપાંગ શુદ્ધ સામાયિકનું ફળ મેળવવા ઇચ્છે છે. ૩. ઉત્થાપની મુદ્રા એટલે મુખ સામે જમણા હાથની હથેળી રાખવી. જેમ સ્થાપનાચાર્ય સ્થાપતી વખતે સ્થાપની મુદ્રા કરી હતી તેમ ઉત્થાપન કરતી વખતે ઉત્થાપની મુદ્રા કરવી જ જોઈએ. અને તે પ્રસંગે નવકાર મંત્ર માત્ર ઉત્થાપની મુદ્રાને પણ સૂત્રપાઠવાળી બનાવવાનું જણાય છે. ८. श्री लघुथैत्यवंधन विधिनां सूत्रो. ૧૨. શ્રી જગ-ચિન્તા-મણિ-ચૈત્યવંદન-સૂત્ર-૧ શબ્દાર્થ :- સૈયદહેરાસર કે પ્રતિમા. જગ જગતમાં. ચિંતામણિ ચિંતામણિ રત્ન સમાન. નાહકનાથ. રફખાણ =રક્ષણ કરનાર. સત્યવાહ= સાર્થવાહ, આગેવાન. ભાવ=પદાર્થ. વિઅખણવિચક્ષણ-જાણનાર. અઠ્ઠા-વ-અષ્ટાપદ પર્વત. સંકવિએ સ્થાપેલ. રૂવરૂપ પ્રતિમા. કમ્મઠ-આઠ કર્મ. વિણાસણ નાશ કરનાર. જયંતુ= જયવંતા વર્તો. અપડિહય સાસણ=પ્રતિહત શાસનવાળા, કયાંય પણ જેઓની આજ્ઞા ન રોકાય તેવા. ૧ કમ્મ-ભૂમિહિં કર્મ ભૂમિમાં. પઢમ સંઘયણિ=પ્રથમ સંઘયણવાળા. ઉકાસય ઉત્કૃષ્ટ સત્તરિય એકસો ને સિત્તેર જિણવરણ જિનવરોનું. વિહરત વિચરતું. લબ્બઈમળે છે. નવકોડિહિં નવોડ. કેવલણ કેવલીઓનું. કોડિ-સહસ્સ હજાર કોડ. નવ=નવ. સાહૂ સાધુઓ. ગમ્મઈ જણાય છે. સંપઈકહાલમાં. મુણિ=મુનિરાજ. બિહું બે, કોડિહિં ક્રોડ, વરનાણ-કેવલજ્ઞાની. સમગહ શ્રવણ. કોડિ-સહસ-દુઅ બે ક્રોડ હજાર. ગુણિજજઈ સ્તુતિ કરવી. નિચ્ચ નિત્ય-હમેશ. વિહારિવહાણામાં. ૨ જયઉ= જયવંતા વર્તો. સામિય=હે સ્વામી ! રિસહsષભદેવ પ્રભુ! સન્તજિં=શત્રુંજય ઉપર. ઉર્જાતિ ગિરનાર ઉપર. પહુ નેમિ-જિગનેમિનાથ જિનેશ્વર પ્રભુ. વીર મહાવીર સ્વામી. સચ્ચ-ઉરિ-મંડણસાચોર નગરના શણગારરૂપ. ભરૂઅચ્છહિં ભરૂચમાં. મુણિસુવ્ય મુનિસુવ્રત સ્વામી. મુહરિ-પાસ મુહરિ નગરમાં બિરાજમાન પાર્શ્વનાથ સ્વામી. દુહ-દુરિઅ-ખંડણ દુ:ખ અને પાપનો નાશ કરનાર. અવર-વિદેહિ મહાવિદેહ ક્ષેત્રમાં. ચિહું ચારેય. દિસિ દિશાઓમાં. Page #113 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિદિસિ= ખૂણાઓમાં. જિં=જે. કેવિનકોઈ પણ. તીઆણાગય-સંપઈ અતીત, અનાગત અને વર્તમાન-ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં. વંદૂ વંદન કરું છું. જિણ સલૅવિ સર્વ જિનેશ્વરોને. ૩ સત્તાણવઈ સત્તાણું. સહસ્સા હજાર. લકખા=લાખ. છપ્પન્ન છપ્પન. અઠકોડિઓ આઠ કોડ. બત્તીસય બત્રીશ-સો. બાસિયાઈ ખ્યાશી, તિલોએ ત્રિલોકમાં. ચેઈએ ચૈત્યોને. વંદે વંદન કરું છું. ૪ પનરસકોડી સયાઈ=પન્નર કોડ-સો. બાયોલ બેતાળીસ. અડવન્ના અઠ્ઠાવન. છત્તીસ-સહસ છત્રીસ હજાર. અસિઈ એંશી. સાસય-બિંબાઈ શાશ્વત પ્રતિમાઓ. પગમામિ નમું છું, પ્રણામ કરું છું. ૫ [શિષ્ય-] ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય-વન્દન કરું ? [ગુરુ-](કરેહ') [શિષ્ય-] ઇચ્છ' જગ-ચિન્તા-મણિ ! જગન્નાહ ! જગ-ગુરુ ! જગરખણ ! જગ-બન્ધવ ! જગ-સત્ય-વાહ ! જગ-ભાવ- વિઅખણ ! અઠા-વય-સંકવિઅ-રૂવ ! કમઠ-વિણાસણ ! ચઉવી સંપિ જિણ'-વર ! “જયંતુ “અપડિહયસાસણ ! ૧. કમ્મ-ભૂમિહિં કમ્મ-ભૂમિહિં પઢમ-સંઘયણિ-; ઉોસય સત્તરિ-સય, જિણ-વાણ વિહરંત લભઈ “નવ-કોડિહિં કેવલિણ", કોડિ સહસ્સ "નવ સાહુ ગમ્મઈ / સંપઈ જિણવર વીસ મુણિ, “બિહું કોડિહિં વરનાણ*, સમણહ જોડિ-સહસ-દુઆ, યુણિજ્જઈ** નિચ્ચ અવિહાણિ રા “જયઉ સામિય જયઉ સામિય, રિસહ 'સત્તેજિ, ઉર્જિતિ" પહુ-નેમિ-જિણ, જાઉ વીર ! “સચ્ચ-ઉરિ-મંડણ ! ભરુ-અચ્છહિં મુણિ-સુવ્યય ! મુહરિ-પાસ ! દુખ-દુરિઅ- ખંડણ ! અવર-વિદેહિં પતિત્ય-ચરા “ચિહું દિસિ વિદિસિ જિં કવિતીઆણાગય-સંપઈ અ, વંદુ “જિણ અસલૅવિ શા સત્તા-હવઈ સહસ્સા, લા છપ્પન “અકોડિઓ | બત્તિ-સર્ય બાસિયાઈ, તિઅ-લોએ ચેઈએ વંદે Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૪૧ 'પનરસ-કોડિ-સયાઈ, કોડિ બાયાલ અલખ અડવના ! છત્તિસ-સહસ અસિઈ “સાસય-બિંબાઈ “પણમામિ પા ગાથાર્થ - શિષ્ય :- હે ભગવન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપશો ? કિ હું ચેત્યોને વંદન કરું? ગુરુ :- (કરો ) શિષ્ય :- હુંએ જ ઈચ્છું છું [અષ્ટાપદ પર્વત ઉપરના ચોવીસ તીર્થંકર પ્રભુને વંદન હે જગતનાં ચિન્તામણિ રત્નો ! હે જગતના નાયકો ! હે જગદ્ગુરુઓ ! હે જગતના રક્ષકો ! હે જગતના બંધુઓ! હે જગતના મોક્ષમાર્ગમાં] સાર્થવાહો! હે જગતનું સ્વરૂપ જાણવાને વિચક્ષણો ! હે અષ્ટાપદ પર્વત ઉપર ભરતચક્રવર્તીએ સ્થાપેલી પ્રતિમાઓવાળા! હે આઠ કર્મને નાશ કરવાવાળા ! હે અપ્રતિહત કિયાંય પણ ન રોકાય એવા શાસનોના સ્થાપનારાઓ! હે ચોવીસેય તીર્થંકર ભગવંતો ! [આપ સર્વે વિજયે પામો ! [વિજય પામો !] ૧. વિચરતા ઉત્કૃષ્ટ અને જઘન્ય તીર્થક વગેરેને વંદન. દરેકે દરેક કર્મભૂમિમાં થઈને વધારેમાં વધારે વિચરતા પહેલા સંઘયણવાળા એકસોને સિત્તેર “તીર્થકર ભગવંતો મળી શકે છે. નવ કોડ કેવળજ્ઞાનીઓ, અને "નવ હજાર કોડ [૯૦૦૦૦૦૦૦૦૦૦] સાધુઓ "મળે છે. હાલમાં વિશ" તીર્થકર ભગવંતો, “બે કોડ કેવળજ્ઞાની"મુનિઓ અને બહાર કોડ[૨૦૦૦૦૦૦૦૦૦૦] શ્રમણમુનિઓ[છે; એ સર્વની] “હમેશ “વહાણામાં સ્તુતિ કરવી જોઈએ. ૨ [ભરતક્ષેત્રના પ્રસિદ્ધ તીર્થોનાં ચેત્યોમાંના તીર્થકરોને વંદન] જય પામો યે પામો!– સ્વામી ત્રિી અષભદેવ ત્રિી શત્રુંજય ઉપર અને અગિરનાર ઉપર ત્રિી નેમિનાથ જિન પ્રભુ; “સત્યપુર સાચોર) નગરના શણગાર રૂપ [શ્રી] “મહાવીર સ્વામી! જયવંતા વર્તો. ભરૂચમાં[શ્રી મુનિસુવ્રત સ્વિામી], અને દુઃખતથા [પાપના ચૂરેચૂરા કરનારા શ્રી મુહરિ "પાર્શ્વનાથ પ્રભુ.એિ સર્વવિજય પામ!વિજય પામો.]"મહાવિદેહ ક્ષેત્રમાંના તીર્થંકરભગવન્ત, તથા “ચારે દિશાઓ તથા વિદિશાઓમાં જે કોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થયેલા, થવાના અને વિચરતા હોય, તે સર્વે જિનેશ્વરોને હું વંદન કરું છું. ૩ ત્રિણેય લોકનાં સર્વ ચેયોને વંદન સત્તાણું હજાર છપ્પન લાખ આઠ કોડ, બત્રીશને બાશી [૮,૫૬,૯૭,૨૮૨] “ત્રણ લોકનાં “જિનમંદિરોને નમસ્કાર કરું છું. ૪ "પંદરસો કોડ, બેતાળીસ કોડ, અઠવન “લાખ, છત્રીસ હજાર ને એંશી [૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦] ‘શાશ્વત "પ્રતિમાઓને “પ્રણામ કરું છું. Page #115 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩. અંકિચિ સૂત્ર-૨ શબ્દાર્થ:- સચ્ચે સ્વર્ગમાં. પાયાલ-પાતાળમાં. માણસેલએ મનુષ્યલોકમાં. જે ચિ=જે કોઈ. નામતિયંત્રનામરૂપતીર્થ. જાઈ જેટલા. જિબિંબાઈ જિનબિંબો-જિનેશ્વરોની પ્રતિમાઓ. તાંઈ તેટલા. સવાઈ સર્વને વંદામિ વંદન કરું છું. “જેકિંચિ'નામતિë 'સગે પાયાલિ માણસે *લોએ જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈવંદામિ છે ૧૩. સામાન્ય રીતે સર્વ તીર્થો અને પ્રતિમાઓને વંદન-૨. ગાથાર્થ :- "સ્વર્ગ પાતાળ [અને] મનુષ્ય "લોકમાં “જે કોઈ નામ માત્રથી [પણ] તીર્થ હિય], [અને ત્યાં જેટલી “જિનેશ્વર (ભગવંતોની પ્રતિમાઓ હિોય તે સર્વને હું વંદન કરું છું. ૧૪. નમુથુણં-શસ્તવ-સૂત્ર-૩ શબ્દાર્થ:- અરિહંતાણં અરિહંતોને. ભગવંતાણં ભગવંતોને. આઈગરાણં આદિ કરનારાઓને. સયંસંબુદ્ધાણં પોતાની મેળે બોધ પામેલાઓને. ૧ પુરિસરમાણં પુરુષોમાં ઉત્તમોને. પુરિસસીહાણં પુરુષોમાં સિંહ સમાનોને. પુરિસ-વર-પુંડરીઆણં= પુરુષોમાં ઉત્તમ પ્રકારના પુંડરીક કમળ જેવાઓને. પુરિવર-ગંધ-હસ્થીર્ણ પુરુષોમાં ઉત્તમ પ્રકારના ગંધ હસ્તિ જેવાઓને. ૨ લોત્તમાર્ગન[ભવ્ય લોકમાં ઉત્તમોને. લોગ-નાહાણં=[ભવ્ય] લોકોના નાથોને. લોગ-હિઆનં-સર્વ જીવો રૂપી] લોકોનું હિત કરનારાઓને. લોગઈવાણ [સંજ્ઞી જીવો રૂપી] લોકમાં પ્રકાશ કરનારાઓને. ૩. અભય-દયાણં અભય-નિર્ભયતા આપનારાઓને. ચકખુ દયાણ [7] ચહ્ન આપનારાઓને. મગ્ન-દયાણ [મોક્ષ] માર્ગ બતાવનારાઓને. સરગ-દયા [સંસારથી ભય પામેલાઓને] શરણ આપનારાઓને. બોહિ-દયાણં અને તેમાંથી બચવાના સાધન તરીકે સમકિત [7] આપનારાઓને.૪ ધમ્મ-દયાનં=[બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મ આપનારાઓને ધમ-સાણં [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મનો ઉપદેશ કરનારાઓને. ધમ્મ-નાયગાણું [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મના નેતાઓને. ધમ-સારહીણ [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મમાં [દોરવાને] સારથી જેવાઓને. ધમ-વર Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૩ ચાઉ-ચક-વટ્ટીગં [બનેય પ્રકારના ચારિત્ર] [ધર્મના ઉત્પન્ન કરનારા, રક્ષક અને વ્યવસ્થાપક હોવાથી] ચારેય દિશાઓ જીતનાર મહાન ચક્રવર્તી [જેવા]ઓને. ૫ અપ્પડિહય-વર-નાણ-દંસણ-ધરાણં અપ્રતિહત [કયાંય ન અટકે એવા] ઉત્તમ પ્રકારના [કેવળ] જ્ઞાન અને દર્શનને ધારણ કરનારાઓને. વિઅટ્ટ-છઉમાશં-[તદ્દન] અજ્ઞાન વગરનાઓને. ૬. જિગાણું-મોહ] જીતનારાઓને. આવયાણં [બીજાઓને] મોહ જિતાડી આપનારાઓને. તિજ્ઞાણું [સંસાર-સમુદ્રથી] તરી જનારાઓને. તારયાણં [તેથી બીજાઓને] તારનારાઓને. બુદ્ધાણં બોધ પામેલાઓને. બોહયાણં [બીજાઓને] બોધ પમાડનારાઓને. મુત્તા [કમથી] મુકાયેલાઓને. મોઅગાણ [બીજાઓને કમથી] મુકાવનારાઓને. ૭ સવ્યજ્ઞાણં સર્વજ્ઞોને. સવ્ય-દિરિસીણં=સર્વદર્શીઓને. સિવ કલ્યાણકારક, અલં સ્થિર. અરૂએ રોગ વગરનું. આગંત અંત વગરનું. અખિયં=ખામી વગરનું. અવ્યાબાઈ=પીડા વગરનું. અપુણરાવિત્તિ જેમાંથી પાછું ફરવાનું થતું જ નથી તે. સિદ્ધિગઈ-નામ-છે-“સિદ્ધગતિ" નામવાળું. ઠાણં સ્થાનકે [મોક્ષે]. સંપત્તાણં પહોંચેલાઓને. નમોહ્યું નમસ્કાર હો. નં-પ્રાકૃત-વાકયોની શોભા માટે વપરાયેલ છે. નમો નમસ્કાર હો. જિગારંજિનેશ્વરોને. જિઅ-ભયાણ [સંસારમાં ફરીથી આવવાના] ભયને [સર્વથા] જીતી લેનારાઓને.૮ અ અને. જે=જે. અઇયા ભૂતકાળમાં. સિદ્ધા-મોક્ષમાં ગયેલા. [અ]માગએ ભવિષ્ય. કાલે કાલમાં. ભવિસ્મૃતિ થશે. સંપઈ વર્તમાનમાં. વડ્ડમાણાવર્તમાન હોય. સવેસર્વને. તિવિહેણ ત્રણ પ્રકારે. ૯ નમુત્યુ “હંઅરિહંતાણી, ભગવંતાણ, આઈગરાણ, 'હિત્ય-પરાણે, “સયં-સંબુદ્ધાણં ૧ 'પુરિસરમાણે, પુરિસ-સહાણે, “પુરિસ-વરપુંડરિયાણં, પુરિસ-વરગંધ-હન્જીણ૨ "લોગરમાણે, લોગ- "નાહાણ, લોગ- અહિઆણ, લોગ-ઈવાણ. "લોગ-પ -અગરાણ ૩ 'અભય-દયાણું, “ચમ્મુ-દયાશં, મગ-દયાશં, “સરણ-દયાણં, બોહિયાણ. ૪ ધમ-દયાણ, ધમ-દસયાણ, ધમ-નાયગાણ ધમ-સારહીણ, Page #117 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો અધમ્મ-વર-ચાઉરંત-ચક-વટ્ટીબં; ૫ "અપડિહય-વર-નાણ-દંસણ-ધરાણ, વિયટ્ટછઉમાશં; ૬ જણાણ, જાવયાણ; ઉતિનાણે, “તારયાણ; બુદ્ધાણં, બોક્યા મુત્તાણે, અમોઅગાણ; ૭ સબ્જૂ, સવ્વ-દરિસી, સિવ મયલ "મરુએ મહંત "મખય જમવ્યાબાહમપુણરાવિત્તિ "સિદ્ધિગઈ-નામધેયં "ઠાણ સંપત્તાણં નમો જિણાણે 'જિય-ભયાણ. ૮ "જેઅ અઈઆ 'સિદ્ધા, “જે અ “ભવિસંતિ જણાગએ કાલે સંપઈએ"વટ્ટમાણા, સવ્વ તિવિહેણ જવંદામિાલા ૧૪. તીર્થંકર પ્રભુની અદ્ભુત ગુણોમય છેટું કરેલી સ્તુતિ-૩ ગાથાર્થ :- "અરિહંતોને, ભગવંતોને ધિર્મની આદિ કરનારાઓને, ધિર્મનો લાભ આપવા, *તીર્થ સ્થાપનારાઓને, પોતાની મેળે બોધ પામેલાઓને; ૧ પુરુષોમાં ઉત્તમ ગણાયેલાઓને, પુરુષમાં સિંહ જેવાઓને, પુરુષોમાં ઉત્તમ પ્રકારના પુંડરીક કમળ જેવાઓને “પુરુષોમાં ઉત્તમ પ્રકારના ગંધહસ્તિ જેવાઓને, ૨ ભિવ્ય લોકોમાં ઉત્તમોને, ભિવ્ય લોકોના નાથોને, સર્વ જીવોરૂપી લોકનું હિત કરનારાઓને, સિંક્ષી જીવો રૂપી લોકમાં પ્રકાશ કરનારાઓને લિોક અને અલોક રૂપી "લોકમાં ઉદ્યોત કરનારાઓને, ૩ "અભય નિર્ભયતા આપનારાઓને, તિત્વ "ચક્ષુ આપનારાઓને, મોક્ષ માર્ગ બતાવનારાઓને, સિંસારથી ભય પામેલા જીવોને] “શરણ આપનારને, અને તેમાંથી બચવાના સાધન તરીકે સમકિત [7] આપનારાઓને. ૪ [બન્ને પ્રકારના ચારિત્ર) ધર્મ આપનારાઓને, બિન્ને ય પ્રકારના ચારિત્ર] ધર્મનો ઉપદેશ કરનારાઓને, બિન્નેય પ્રકારના ચારિત્ર ધર્મના નેતાઓને, બિન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મમાં દિોરવાને] સારથિ જેવાઓને, બિન્ને ય પ્રકારના ચારિત્ર ધર્મના [ઉત્પાદક, રક્ષક અને વ્યવસ્થાપક હોવાથી ચારેય દિશાઓ જીતનાર મહાન ચક્રવર્તી જેવાઓને. ૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો “અપ્રતિહત [કયાંય ન અટકે એવા] ઉત્તમ પ્રકારના કિવળ] જ્ઞાન અને દર્શન ધારણ કરનારાઓને, [અને તેથી જ તદ્દન] “અજ્ઞાન વગરનાઓને; ૬ ૩૦ ૩૨ [મોહ] “જીતનારાઓને, બીજાઓને, મોહ જિતાડી આપનારાઓને, [સંસાર સમુદ્રથી] ‘“તરી જનારાઓને, [તેનાથી બીજાઓને] તારનારાઓને,[પોતે] બોધ પામેલાઓને[બીજાઓને] બોધ પમાડનારાઓને, [પોતે કર્મોથી] મુકાયેલાઓને [બીજાઓને કર્મોથી] *મુકાવનારાઓને, ૭ “સર્વજ્ઞોને, સર્વ ‘દર્દીઓને અને-કલ્યાણકારી, સ્થિર, “રોગ વગરનું, અન્ન ‘વગરનું, ૪૧ખામી વગરનું, ་પીડા વગરનું, [અને] જેમાંથી પાછું ફરવાનું કદી થતું જ નથી તે ૐ સિદ્ધિગતિ નામના ૪“સ્થાને [મોક્ષમાં] ગયેલા ઓને ૪૭, નમસ્કાર ૪૮હો. [સંસારમાં ફરીથી આવવાના] ભયને [સર્વથા] જીતી `લેનારા, “જિનેશ્વર ભગવંતોને નમસ્કાર હો. ૮ ૧૨ અને `જેઓ ‘ભૂતકાળમાં “મોક્ષમાં ગયેલા છે, "જેઓ ‘ભવિષ્ય કાળમાં [મોક્ષગામી] ‘થશે અને વર્તમાન કાળમાં ``વિદ્યમાન છે, [તે] સર્વે [જિનેશ્વરોને] ` ંત્રણ પ્રકારે [મન, વચન, કાયા વડે,] ૧’વંદન કરું છું. ૯ ॥૧॥ ૧૫. જાવંતિ-સર્વ ચૈત્યોને વન્દન-સૂત્ર-૪ શબ્દાર્થ :- જાવંતિ=જેટલા. ચેઈઆઈ=ચૈત્યો. ઉઢે=ઊર્ધ્વ-ઉપરના લોકમાં. અહે અધો-નીચેના લોકમાં. તિરિઅ-લોએ=તિતિ લોકમાં. તાઈં=તે. ઇહુ=અહીં. સંતો=રહેલો. તત્વ=ત્યાં. સંતાઈ=રહેલાઓને. જાવંતિ ચેઈ‘આઈ, `ઉડ્યું, અ અહે અ તિરિઅે લોએ અ । સવ્વા ઈં તાઈ વંદે,૧૭ ઇહુ સંતો તત્વ ‘સંતાઈ ।।૧।। ૪૫ ૧૫. સર્વ ચૈત્યોને વંદન-સૂત્ર-૪ ગાથાર્થ :- `ઊર્ધ્વ [લોક], “અધો [લોક] અને ‘તિર્દા લોકમાં “જેટલા ‘જિન ચૈત્યો [હોય], ત્યાં રહેલા તે 'સર્વેને 'અહીં રહેલો [હું] ‘વંદન કરું છું. શબ્દાર્થ : ૧૬. જાવંત કે વિ-સર્વ-સાધુ-વન્દન-સૂત્ર-પ જાવંત=જેટલા. કેવિ=કોઈ પણ. સાહ્=સાધુઓ. ભરહેરવય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો મહા-વિદેહે= ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્ર [રૂપ પંદર કર્મભૂમિઓ)માં. સવૅસિંસર્વને. તેસિંગતેઓને. પાણઓ નમેલો છું, પ્રમાણ કર્યા છે. તિવિહેણ-ત્રણ પ્રકારે. તિદંડ-વિરયાણં ત્રણ દંડ વગરના. જાવંત કેવિ સાહુભરપેરવય-મહા-વિદેહે અ! “સબેસિસેસિં પણઓ, તિ*-વિહેણ તિ-દંડવિયાણ ૧ ૧૬. સર્વ સાધુ મુનિરાજોને વન્દન સૂત્ર-૫ ગાથાર્થ:- "[અને] ભરત, ઐરાવત અને મહા વિદેહ રૂપ ૧૫ કર્મ ભૂમિઓમાં જેટલા 'કોઈ પણ “સાધુ/મુનિરાજો હોય], [મન-વચન-કાયાના ત્રણ દંડ વગરના તે ‘સર્વેને ત્રણે “પ્રકારે [મન-વચન-કાયાથી) મેં પ્રણામ કર્યા છે. ૧૭. સંક્ષિપ્ત-પંચ-પરમેષ્ઠી-નમસ્કાર-૬. શબ્દાર્થ:- અહંત અરિહંત ભગવંતો. સિદ્ધ=સિદ્ધ ભગવંતો. આચાર્ય આચાર્ય ભગવંતો. ઉપાધ્યાય-ઉપાધ્યાય ભગવંતો. સર્વ-સાધુભ્ય:સર્વ સાધુ ભગવંતોને. નમો નમસ્કાર હો. નમોહંત સિદ્ધાચાયપાધ્યાય-સર્વસાધુભ્ય: ૧૭. ટૂંકમાં પંચ પરમેષ્ઠી નમસ્કાર-સૂત્ર ગાથાર્થ:- અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને “સર્વ સાધુઓને નમસ્કાર હો. ૧૮. ઉસ્સગ-હાં-સ્તોત્ર-૭. શબ્દાર્થ - ઉવસગ્ન-હરં કષ્ટ હરનારા નાશ કરનાર. પાસે પાર્ધયક્ષ સહિત. પાસે પાર્શ્વનાથ સ્વામીને. વંદામિ વંદન કરું છું. કમ્મુ-ઘણ-મુદ્ધ કર્મોના બોજ વગરના. વિસ-હર-વિસનિન્નાઝેરી પ્રાણીયોના ઝેરનો નાશ કરનારા. મંગલ-કલ્યાણ-આવાસં મંગળ અને કલ્યાણના નિવાસરૂપ. ૧ વિસહર-કુલિંગ-મંતઝેરનો નાશ કરનાર સ્ફલિંગ નામનો મંત્ર. કંઠે ગળામાં. ધોઈ ધારણ કરે. જે=જે. સયા=હમેશાં. મણુઓમાણસ. તસ્મeતેને. ગત રોગ-મારી-દુટક-જરા દુષ્ટ ગ્રહો, મરકી અને વૃદ્ધાવસ્થા. જનિ=પામે છે. ઉવસામં=શાંતિ. ૨ ચિઠઉ રહો. દુરે દૂર. મંતોમંત્ર. તુઝ=તમને, આપને. પણામો પ્રણામ. વિપણ. Page #120 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો બહફલો ઘણું ફળ આપનાર. હોઈ છે. નર-તિરિએસ-મનુષ્ય અને તિર્યંચ ગતિમાં. જીવાજીવો. પાવંતિ પામે છે. દુફખ દોગચં દુ:ખ અને દુર્ગતિ. ૩ તુ તમારા તરફથી. સમ્મસમ્યક્ત્વ. લધે મળે છે તે મેળવ્યા પછી. ચિંતામણિકમ્પપાયવભૂહિએ ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક. અવિણં નિર્વિદને. અયરામ અજરામર, અજર અને અમર, એટલે વૃદ્ધાવસ્થા અને મરણ વગરનું. ઠાણં સ્થાન [મોક્ષ]. ૪ ઇઅ એ પ્રમાણે. સંથઓ સ્તુતિ કરી. મહાસ =મહાયશસ્વી, ઘણા જશવાળા !. ભક્તિભર-નિર્ભરણ ભકિતથી ભરેલા. હિઅણ=હૃદય વડે તાન્તો. દેવ! હે દેવી!. દિwઆપો. બોલિંબોધિ સમ્યફ7]. ભવે ભવે દરેક ભવોમાં. જિગ-ચંદ! જિનચંદ્ર ! ૫ ઉવસગ્ગ'-હરં પાસ, પાસે વંદામિ કમ્મ ઘણ-મુકા વિસ”-હર-વિસ-નિમ્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં ૧૫ વિસ-હર-કુલિંગ-મંત, કે ધાઈ જો સયામણુઓ તસ્સ “ગહ-રોગ- "મારી જરા અજંતિ ઉવસામ સારા “ચિઠઉ દૂર મતો, તુઝપણામો વિ* બહુ-ફ્લો હોઈ . નર-તિરિએ સુ વિ° છવા", "પાવંતિ "નદુખ-દોગચ્ચે ૩ તુહસમલબ્ધ, ચિંતામણિ-કમ્પ-પાયવક્મણિએT. ‘પાવંતિ અવિષેણ, જીવાઅયરામર ઠાણારા ઈઅસંયુઓ મહા-ચસ! ભત્તિ-ભર-નિર્ભરેણ હિઅએણ. તાવ ! દિબોહિં, “ભવે "ભવે પાસ! જિણ -ચંદ ! પા ૧૮. કષ્ટોનો નાશ કરનાર-ઉપસર્ગહર-સ્તોત્ર-૭. ગાથાર્થ:- "કો હરનાર, પાર્શયલ સહિત, કર્મોના બોજા વગરના, ઝેરી પ્રાણીઓ[સર્પો વગેરે)ના ઝેરને નાશ કરનાર અને મંગળ અને કલ્યાણના નિવાસરૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીજીને વંદન કરું છું. ૧ જે માણસ ઝેરનો નાશ કરનાર સ્ફલિંગ નામનો મંત્ર હમેશાં કંઠમાંધારર્ણ કરે [બોલે છે, તેના “દુષ્ટ-ગ્રહ", રોગ, મરકી," અને વૃદ્ધાવસ્થારૂપ કરો] શાંત થાય છે." Page #121 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો [અરે ! એ મંત્ર [તો] દૂર રહો [પરંતુ આપને [કરવામાં આવેલો] પ્રણામ[માત્ર] પણ "ઘણું ફળ આપનાર થાય છે. [કે જેથી] મનુષ્યો તથા તિર્યંચોમાંના કોઈ પણ જીવો દુઃખ અને દુર્ગતિ પામતા" "નથી. ૩. ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ ચડિયાતું સમ્યકત્વ [રૂપી રત્ન અને કલ્પવૃક્ષ] આપના તરફથી મેળવ્યા પછી જીવો" નિર્વિદને અજરામર સ્થાન [મોક્ષ પામે છે. ૪. હે મહા યશસ્વી પ્રભો ! [] ઘણી જ ભકિતથી ભરેલા હદયે, એ પ્રકારે [આપની] સ્તુતિ "કરી છે, તો [] જિન-ચંદ્રા! પાર્થ [નાથ] દેવ! દરેકે દરેક ભવમાં [મને "બોધિ [સમ્યકત્વ આપજે. ૫. ૧૯. જય વીય-રય (પ્રાર્થના) સૂત્ર. શબ્દાર્થ:- જય જય પામો. વિયરાય વીતરાગ-રાગદ્વેષ વગરના. જગ-ગુરુ જગના ગુરુ. હોઉl= હો. મમ મને. તુહ તમારા. પભાવ=પ્રભાવથી. ભયવંaહે ભગવંત !. ભવ નિવેઓ સંસારથી કંટાળો. મગ્ગાપુસારિયા માર્ગને અનુસરવાપણું. ઇઠ-ફલ-સિદ્ધિ મનધાર્યા ફળની પ્રાપ્તિ. ૧. લોગ-વિરુદ્ધ-ચાઓ શિષ્ટ-ઉત્તમ લોકોથી વિરુદ્ધ વર્તનનો ત્યાગ. ગુરુ-જણ-પૂઆ ગુરુઓની પૂજા. સુહ ગુરુ એ શુભ સરુનો જોગ. તવયાગસેવા આપનાં વચનની સેવા. આભવં=સંસારમાં રહું ત્યાં સુધી. અખંડા=અખંડ. ૨. વારિજઈનવાર્યું છે, ના પાડી છે. જઈવિ=જે કે. નિયાણ-બંધાણં નિયાણું બાંધવાની. તુહતમારા. સમયે શાસ્ત્રમાં. તહવિ=તો પણ. મમ=મારે. હુજ હો. સેવા સેવા. તુમ્હતમારા. ચલણણચરણોની. ૩. દુફખખ-દુઃખનો ક્ષય. કમ્પકખ કર્મનો ક્ષય. સાહિ મર=સમાધિ મરણ. બહિલાભોસમ્યક્ત્વનો લાભ. સંપજજઉ=હો, થાઓ. મહમને. એ=એ. તુહ તમારા. નાહ!=નાથ. પાણામ-કરણેણં પ્રણામ કરવા વડે. ૪. સર્વ-મંગલ-માંગલ્ય સર્વ મંગળોમાંનું મંગળપણું. સર્વ કલ્યાણકારણં સર્વ કલ્યાણનું કારણ. પ્રધાન મુખ્ય. સર્વધર્માણાં સર્વ ધર્મોમાં. જૈન જિનેશ્વર ભગવંતોનું. જયતિ જયવંતુ વર્તે છે. શાસનં શાસન. ૫. જય વીય-'રાય! જગ-ગુરુ, “હોઉમમં તુહે પભાવ ભર્યવં! ભવ-નિબૅઓ-મગા- મુસારિઆ ઇ8° - ફલ-સિદ્ધી I/૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૯ લોગ-'વિરુદ્ધ-સ્થાઓ ગુરુ-જણ-પૂઓ પરત્ય-કરણં ચ સુહ-ગુરુ-જોગો તવયણ-સેવણા આભમખંડા" iારા વારિજઈ જઈવિ નિયાણ"-બંધણું વય-રાય ! તુહ સમયે. તહવિ મમ"હુજસેવા"ભવે"ભવે તુમ્હ“ચલણાણાશા દુખ-ફખઓ કમ્મખો સમાહિ-મરણં ચ બોહિ-લાભો અા સંપર્જાઉ' મહ" એએ, તુહ નાહ! પણામ - કરણેણં તાજા "સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણમ્ | *પ્રધાન સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસન પર ૧૯. વીતરાગ પ્રભુની મહાપ્રાર્થના-સૂત્ર ગાથાર્થ - હે વીતરાગ ! હે જગદર!જ્ય પામો [જય પામો હે ભગવાન! "આપનાં પ્રભાવથી મને સંસારથી“ કંટાળો, [આપના ત્રણ રત્નમય ધર્મ માર્ગને અનુસરવાપણું, મનધાર્યાફળમોક્ષની પ્રાપ્તિ, શિષ્ટ " [ઉત્તમ] લોથી વિરુદ્ધવર્તનનો ત્યાગ ગુરુઓ[તીર્થંકરાદિક વડીલોની પૂજા, પર-ઉપકાર શુભમુસદ્દગુરુનો સારો જોગ, અને જ્યાં સુધી હું સંસારમાં રહું ત્યાં સુધીઠેઠ આપનાં વચનોની અખંડજસેવા “હોજો. ૧-૨ હે વીતરાગ ! [પ્રભો!] આપનાં શાસ્ત્રોમાં જો કે "નિયાણું બાંધવાની(ખાસ] ના પાડવામાં આવી છે. તો પણ હું તો માંગી લઉ છું કે-] “આપના ચરણકમળની તો મારે "ભવોભવ સેવા હોજો'. ૩. હે નાથ ! આપને પ્રણામ કર્યા છે. તો હવે દુ:ખનો “ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિ મરણ, અને “સમ્યકત્વ લાભ “એ મને મળવાં જ જોઈએ. ૪. સર્વ મંગળોમાંનું મંગળપણું, સર્વ કલ્યાણોનું કારણ, અને સર્વ ધર્મોમાં મુખ્ય અને ઉત્તમ શ્રી જૈન શાસન જિગતમાં વિજ્યવંતુ વર્તે છે. ૫. ૨૦. અરિહંત-ચેઈઆ-ચટ્ય-સ્તવ સૂત્ર. અરિહંત-એઇઆણં= - કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ-વરિઆએ, પૂણ-વરિઆએ, સફકાર વરિઆએ, સમ્માણ-વત્તિઓએ, Page #123 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો બોહિ-લાભ-વરિઆએ, નિર્વસગ્ન-વત્તિઓએ સદ્ધાએ, મેહાએ, ધિઈએ, અંધારણાએ અણુ-પેહાએ, વકમાણીએ“કામિ કાઉસ્સગ્ગ-=અન્નત્થ૬-૦ ૨૦. શ્રી અત્ ચૈત્યોને કાયોત્સર્ગથી વંદનના હેતુઓ. ગાથાર્થ:- શ્રી અહતો [અહંત ભગવનોનાં ચૈત્યોને મન વચન કાયાથી] વંદન કરવા [ના લાભ] નિમિત્તે, =દ્રિવ્યોપકરણથી પૂજા કરવા ના લાભ નિમિત્તે, = વસ્ત્ર, આભરણાદિથી] *સત્કાર કરવાના લાભ] નિમિતે, = સ્તુતિ વગેરેથી સન્માન કરવાના લાભ] નિમિત્તે, એમ કરીને મને] ['સમત્વમળવાના લાભ નિમિત્તે, ઉપદ્રવ રહિત થવાના લાભ નિમિત્તે, હું ‘કાયોત્સર્ગ વધતી જતી = શ્રદ્ધા" [બળાત્કાર વિના, મનની રુચિ)થી, તિથી-] =[વધતી જતી] મેધા દિખાદેખી વિના, જ્ઞાન અને મર્યાદા થી, તિથી-] [વધતી જતી] નિ] ધીરજ રાગાદિથી દોરાયા વિના, શાંતિથી, તિથી-] [વધતી જતી] ધારણા" [મનની શૂન્યતા વિના, અહંતના ગુણોના સ્મરણJથી, તિથી-] [વધતી જતી] અનુપેક્ષા" તાત્વિક વિચારણા)થી; હિવે “ઊંચો શ્વાસ" વગેરે) સિવાય હિંકાયોત્સર્ગ કાયાનાસાગ)માં સ્થાન, મૌન, અને ધ્યાન વડે સ્થિર થાઉં છું. ૨૧. કલ્લા કંદં-ની સ્તુતિ. શબ્દાર્થ:- કલ્લાકંદં કલ્યાણના મૂળ રૂપ. પઢમં પહેલા. જિણિંદ જિનેશ્વર, ઋષભદેવ સ્વામી. સંતિ શાંતિનાથ પ્રભુ. તો પછી. નેમિજિગં=નેમિનાથ જિનેશ્વર. મુસિંદૂ-મુનિઓના સ્વામી. પારં પાર્શ્વનાથ પ્રભુ. પયાસં પ્રકાશ કરનારા અથવા પ્રગટ. સુ-ગુણિફક ઠાણું ઉત્તમ ગુણોને એક સ્થાન રૂપ. ભાઈ-ભક્તિ વડે. વદે વંદન કરું છું. સિરિ વદ્ધમાણ શ્રી વર્ધમાન સ્વામીને. ૧. અપાર-સંસાર-સમુદ્ર-પાર=પાર વગરના સંસારરૂપી સમુદ્રનો પાર. પત્તા=પામી ગયેલા. સિવં મોક્ષ. દિંતુ આપો. સુ-ફિક-સારં ઉત્તમ એક સાર રૂપ. સુર-વિંદ-વંદા દેવોના સમૂહો વડે વંદન કરાયેલા. કલ્લાણ વધીણ કલ્યાણરૂપી વેલડીના. વિસાલ કંદામોટા મૂળ રૂપ. ૨. નિવ્વાણ-મગ્ગ મોક્ષ માર્ગમાં. વર-જાણકષ્પ ઉત્તમ વાહન જેવો. પાસિયાસ-કુવાઈદÍ=જેણે સઘળા કુવાદીઓના અહંકારને ગાળી નાખેલ છે. મયંકસિદ્ધાન્ત. જિગારંજિનેશ્વરોનો. સરગં=શરણ રૂપ. બુહાણં તત્ત્વજ્ઞાનીઓને. નમામિ=નમસ્કાર કરું છું. નિર્ચા હમેશ. તિ-જગ-૫હાણંeત્રણ જગતમાં શ્રેષ્ઠ. ૩. કુંદિંદુ-ગોખીર-તુસાર-વન્નામચકુંદડોલર)નું ફૂલ, ગાયનું દૂધ, અને હિમના જેવા રંગવાળા. સરોજ-હત્યા=હાથમાં કમળવાળા. કમલે-કમળ ઉપર. નિસન્ના=બેઠેલા. વાએસિરી વાગીશ્વરી દેવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પુત્થય-વર્ગી-હત્યા=હાથમાં પુસ્તકના સમૂહવાળા. સુહાય-સુખને માટે. અહુ=અમોને. સયા=હંમેશાં. સા≠તે. પસત્થા ઉત્તમ. ૪. ૫૧ ૧૨ ૩ કલ્લાણ`-કંદું પઢમં` જિણિં, સંતિ' તઓ` નેમિ જિર્ણ” મુર્ણિĒ;‘ પાસ” પચાસ સુગુણિ-ઠાણું,`° ભત્તીઇ વંદે'' સિરિવન્દ્વમાણં'' ।।।। અપાર-સંસાર-સમુદ્દપાર;' પત્તા` સિવં `°રિંતુ સુઈસારું; સર્વ્ય' જિજિંદા° સુરવિંદનંદા, કલ્લાણ-TMવલ્લીણ વિસાલચંદા` ।।૨। 'નિવ્વાણ-મન્ગે વર-જાણ- કü; વૈપણાસિયા-સેસ-કુવાઈ-૬ખં; “મયં જિણાણું `સરણં બુહાણું, `°નમામિ “નિચ્ચે તિજગ‘પહાણ ॥૩॥ કુંહિંદુ-ગો-ખીર-તુસાર-વન્ના,' સરોજ-હત્યા કમલે` નિસન્ના;પ વાએસિરી પુત્થય –વર્ગ-હત્યા, સુહાય``સા'અમ્હ`°સયા પસત્થા ॥૪॥ ૩ ગાથાર્થ :- કલ્યાણના` - મૂળરૂપ શ્રી પહેલા જિનેશ્વર પ્રભુ ઋષભદેવ સ્વામી, શ્રી શાંતિનાથ ’પ્રભુ, પ્રભુ પછી “મુનિઓના નાયકશ્રીનેમિનાથ પ્રભુ, પ્રસિદ્ધ પાર્શ્વનાથ પ્રભુ, [અને] ઉત્તમ ગુણોના એક સ્થાનકરૂપ શ્રી વર્ધમાન સ્વામીને ભક્તિથી વંદન કરું છું. ૧ પાર વગરના` સંસારરૂપી સમુદ્રનો પાર પામી ગયેલા, દેવોના સમૂહો વડે વંદન કરાયેલા, કલ્યાણ ́ રૂપી વેલડીના મોટા મૂળ સમાન [એવા] સર્વે જિનેશ્વર પ્રભુઓ, ઉત્તમ′ અને અપૂર્વ સ્થાનરૂપ મોક્ષ આપો. ૧૦ ૨ મોક્ષના` માર્ગમાં [પ્રયાણ કરવાને] ઉત્તમ પ્રકારના વાહન જેવો, સઘળાયે કુવાદીઓના અહંકારને ગાળી નાંખનારો, તત્ત્વજ્ઞાનીઓને' શરણરૂપ" અને ત્રણ જગમાં ‘શ્રેષ્ઠ [એવા શ્રી] જિનેશ્વરોના સિદ્ધાંતને‘ [હું] હંમેશાં” નમું છું. ૩, ડોલરનું` ફૂલ-ચંદ્રમા-ગાયનું દૂધ-અને હિમના જેવા રંગવાળા, [એક] હાથમાં કમળ અને [બીજા] હાથમાં પુસ્તકોનો સમૂહ રાખી કમળમાં બેઠેલા`તે ઉત્તમ વાગીશ્વરી‘[દેવી] આપણને॰સુખને`` માટે [થાઓ.] ૪. ૨૨. સંસાર-દાવાનલ-સ્તુતિ શબ્દાર્થ:- સંસાર-દાવાનલ-દાહ-નીર-સંસારરૂપી દાવાનળ-અગ્નિની-બળતરા [ઠારવાને] Page #125 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પાણી સમાન. સમ્મોહ-ધૂલી-હરણે-સમીર-અજ્ઞાનરૂપી ધૂળ-ઉડાડી દેવામાં-પવન સમાન. માયારસા-દારણ-સાર- સીર=માયા-રૂપી-જમીન-ફાડવાને-ઉત્તમ પ્રકારના હળ સમાન. નમામિ= નમું છું. વીરૅમહાવીર સ્વામીને. ગિરિ-સાર-ધીર=પર્વતોમાં-સારરૂપ [મેરુ પર્વત] જેવીધીરજવાળા. ૧ ૫૨ ભાવાવનામ-સુર-દાનવ-માનવેન-ચુલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ=ભાવ વડે નમેલાદેવો, દાનવો અને મનુષ્યના રાજાઓના-મુગટોમાં [ચપળ કલગી રૂપે] રહેલા કમળોની હારથી ઢંકાઈ ગયેલા. સંપૂરિતા-ભિનત-લોક-સમીહિતાનિ-નમેલા-લોકોના-મનોરથો-પૂરનારા. કામં=ખૂબ. જિનરાજ-પદાનિ-શ્રી જિનરાજનાં-ચરણકમલોને, તાનિ-તે. ૨ બોધાગાÜ=બોધ વડે અગાધ-ગંભીર, બોધથી ઊંડો ભરેલો, સુપદ-પદવીનીર-પૂરાભિરામં=ઉત્તમ પદોથી રચના રૂપી-પાણીના પૂરથી-શોભી ઉઠેલો. જીવાહિંસા-વિરલલહરી-સંગમાગાહ-દેહં=જીવોની અહિંસારૂપી છૂટી છૂટી લહરીઓના-સંગમથી- અગાધ-શરીરવાળો. ચુલાવેલુંચૂલિકાઓ રૂપી વેળો [કિનારા] વાળો. ગુરૂ-ગમ-મણી-સંકુલ- મોટા-ગમો-સરખા પાઠો રૂપી-રત્નોથી-ભરેલા. દૂર-પારં=દૂર કિનારાવાળો. સારં-સારરૂપ. વીરા-ગમ-જલ- નિશ્ચિં=મહાવીર પ્રભુના આગમ રૂપી-સમુદ્રને. સાદર-આદરપૂર્વક. સાધુ=સારી રીતે. સેવે-સેવું છું. ૩ આમૂલા-લોલઽફૂલી-બહુલ-પરિમલા-ફ્લીઢ-લોલા-લિ-માલા ઝંકારા-ડઽરાવ-સારા-મલદલ-કમલાડઽગાર-ભૂમિ-નિવાસે != મૂળ સુધી-કાંઇક ડોલતા, (ફૂલની) ધૂળના બહુ-સુગંધમાં ચોંટી રહેલા-ચપળ ભમરાઓની હારોની હારોના-ઝંકાર શબ્દવાળા, એવા સારા-નિર્મળ-પાંદડાવાળા કમળના ઘરની ભૂમિમાં રહેલા ! છાયા-સંભાર-સારે !=શરીરની કાંતિના સમૂહથી શોભાયમાન ! વર-કમલ-કરે !=હાથમાં ઉત્તમ કમળવાળા ! તાર-હારાભિ-રામે-ચકચકિત હારોથી શોભિતા ! વાણી-સંદોહ દેહે=[જિનેશ્વર પ્રભુની] વાણીના સમૂહ રૂપ-શરીર ધારણ કરનાર ! ભવ-વિરહ-વરં=સંસારનો સારો [તદ્દન] વિરહ. દેહિ=આપ. મે=મને. દેવિ != હે દેવ !. સારં=સારો. ૪ (ઇન્દ્રવજા-છંદ:) સંસાર'-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલીહરણે સમીર । ૩ માયા –રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં` ગિરિ -સાર-ધીરમ્ ॥૧॥ (વસંત-તિલકા વૃત્તમ) ભાવાવનામ-સુર-દાનવ-માનવેન- ચૂલા-વિલોલ કમલાવલિ-માલિતા`નિ। *સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ, Page #126 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કામં નમામિ' જિન-રાજ-પદાનિ તાનિ ॥૨॥ । મન્દાકાના વૃત્તમ્ ॥ બોધાગાધ' સુ-પદ-પદવી -નીર-પૂરાભિરામ, જીવાહિંસા વિરલ-લહરી-સંગમાગાહ-દેહમ્ । ચુલાવેલ” ગુરુગમ-મણી સંકુલ દૂર-પારં, સાર વીરાગમ-જલ નિધિં સાદર સાધુ`° સેવે``ાગા ॥ સુગ્ધરા વૃત્તમ્ ॥ 'આમૂલાલોલ-ધૂલી-બહુલ-પરિમલા-ડડલીઢ-લોલાલિમાલા-, ઝંકારારાવ-સારા-મલદલ-મલા-ગારભૂમી નિવાસે ! II રછાયા-સંભાર-સારે ! વર-કમલ કરે ! 'તાર-હારાભિરામે !, વાણી-સંદોહ-દેહે ! ભવવિરહ-વાં, દૈહિ॰મે દેવિ !* સારમ્ ॥૪॥ ગાથાર્થ :- સંસારરૂપી` દાવાનળ અગ્નિની બળતરા [ઠારવાને] પાણી સમાન, અજ્ઞાન રૂપી-ધૂળ ઉડાડી દેવાને-પવન સમાન, કપટ રૂપી જમીન-ચીરવાને ઉત્તમ-હળ સમાન [અને] ‘મેરુ પર્વતના જેવા ધીરજવાળા, મહાવીર" પ્રભુને ‘નમસ્કાર કરું છું. ૧. ૫૩ ર ભાવ' વડે નમેલા, દેવો દાનવો અને મનુષ્યોના રાજાઓના મુગટોમાં [ચપળ કલગી રૂપે રહેલાં કમળોની હારોથી ઢંકાઈ ગયેલા, નમસ્કાર કરનારા લોકોના મનોરથોને પૂરવાવાળા શ્રી જિનરાજનાં તે” ચરણકમળોને [હું] ખૂબ" નમું† છું. ૨. બોધથી` અગાધ, ઉત્તમ પદોની રચના રૂપી પાણીના પૂરથી શોભી ઊઠતા, જીવોની અહિંસા રૂપી છૂટી છૂટી લહેરીઓના સંગમથી અગાધ શરીરવાળા, ચૂલિકાઓ રૂપી કિનારાવાળા, મોટા મોટા "ગમ-સરખા પાઠો રૂપી મણિઓથી ભરેલા દૂર* કિનારાવાળા, ઉત્તમ, શ્રી મહાવીર પરમાત્માના આગમ રૂપી સમુદ્રને [હું] આદરપૂર્વક સારી'॰ રીતે સેવું છું'. ૩. હે ! ઠેઠ મૂળ સુધી ડોલતા-[લની] ધૂળમાં ઘણી સુગંધને લીધે ચોટી ગયેલા ભમરાઓના હારોની હારોના શબ્દોવાળા, સારા અને નિર્મળ પાદડાંવાળા કમળના ઘરની ભૂમિમાં નિવાસ કરી રહેલા ! કાંતિના સમૂહથી સરસ દેખાતા ! ’હાથમાં ઉત્તમ કમળવાળા ! 'ચકચકતા હારોથી શોભિત! અને [જિનેશ્વરોની] “વાણીના સમૂહરૂપ શરીરવાળાં હે દેવ ! સાર રૂપ એવો ઉત્તમ° સંસારનો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પંચ પ્રતિકમાણસૂત્રો વિરહ [“મોક્ષ મને આપો. ૪. ચૈત્યવંદનાનો વિશેષાર્થ ચૈત્ય શબ્દનો દહેરાસર અને પ્રતિમા પણ અર્થ થાય છે. પરંતુ દહેરાસર અને પ્રતિમાને વંદન કરવા મારફત ખરી રીતે શ્રી તીર્થકર ભગવંતોને જ વંદન કરવાનું હોય છે. (સં. દેવ-દેa, To રોસા-ઢોસા-દેરાસર ૦માં વન તુ, પૃદનો દર રૂશ્વરનો સર=દેવ મંદિરોમાં ઉત્તમ-દેવમંદિર. તીર્થકર ભગવંતોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જગતુને ધર્મનો અપૂર્વ ઉપદેશ આપ્યો છે, અને પ્રાણી માત્ર ઉપર અનહદ ઉપકાર કર્યો છે. પ્રાણી માત્ર જે કાંઈ સુખ ભોગવે છે, અને જગતમાં જેટલો દયાભાવ પ્રવર્તે છે, તથા એક બીજાના સુખમાં એક બીજા વિદન જેટલું ઓછું નાંખે છે ને સહિષ્ણુતા રાખે છે, તે સર્વ પ્રભાવ અને ઉપકાર મુખ્યપણે શ્રી તીર્થકર ભગવંતોનો જ દેખાઈ રહ્યો છે. ઉત્તમ જીવો પોતાના જીવનમાં આગળ વધે છે, નીતિ અને ધર્મનો માર્ગ ગ્રહણ કરે છે. તે બધા ઉપકારો પણ શ્રી તીર્થકર ભગવંતોના જ છે, કારણ કે એ માર્ગ બતાવનાર તીર્થકર ભગવંતો જ છે. એટલે જગમાં ઉપકારી તો ઘણા હોઈ શકે, પરંતુ તેઓ કરતાં વિશેષ ઉપકારી આ દુનિયામાં બીજું કોઈ પણ નથી. તીર્થકર ભગવંતો વિચરતા હોય, ત્યારે તેમને વંદન-નમસ્કાર ભવ્ય જીવો કરતા હતા, તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમનો લાભ લેવાય તેટલો લેતા હતા. પરંતુ જ્યારે તીર્થંકર ભગવંતો બીજા દેશમાં વિચરતા હોય, ત્યારે પણ તેઓને, અને પૂર્વના તીર્થંકર ભગવંતોને તેઓની પ્રતિમાઓ મારફત જ વંદન નમસ્કાર કરતા હતા અને તેઓનું પૂજન કરતા હતા તથા કોઈ જ્ઞાની મહાપુરુષો ભાવિ કાળમાં થવાના ઉપકારી તીર્થકર ભગવંતોની પણ, પ્રતિમાઓ અગાઉથી ભરાવીને તેની પૂજા કરતા હતા. તેઓ ખુદ વિદ્યમાન તીર્થંકર ભગવંતોની જ ભક્તિ કરતા હતા, એટલું જ નહીં, પરંતુ પૂર્વના, પછીના અને વર્તમાન તીર્થકર ભગવંતોની પ્રતિમાઓ મારફત પણ તે સર્વેની ભકિત તેઓ તે વખતે પણ જ્યારે કરતા હતા, તો પછી, પછીના વખતમાં તો પ્રભુની પ્રતિમા જ વિશેષ અવલંબન રહ્યું; આગમ શાસ્ત્રો તીર્થંકર પ્રભુની ઓળખાણ કરાવે, તેની ભકિત કરવાનું શીખવે, પરંતુ અવલંબન પ્રતિમા સિવાય દરરોજ ભક્તિ શી રીતે કરી શકાય ? ભગવાને કહેલો ધર્મ સાધુ કે શ્રાવક થઈને પાળી શકાય, પરંતુ તે પાળતાં પાળતાં ઉપકારી પ્રભુની ભકિત સેવા રોજ શી રીતે કરવી ? રોજ તેમના તરફ સ્પષ્ટ કૃતજ્ઞતા શી રીતે બતાવવી? સારાંશ કે એ બધું પ્રતિમાજી મારફત જ થઈ શકે. સ્મરણ, ધ્યાન, આજ્ઞાપાલન વગેરે બીજા પણ ભક્તિ બતાવવાના અનેક પ્રકારો છે. પરંતુ સાક્ષાત્ તીર્થંકર ભગવંતો વિચરતા હોય, ત્યારે પણ ભક્ત જીવો સ્મરણ, ધ્યાન અને આજ્ઞાનું પાલન કરીને બેસી રહેતા નહોતા, પરંતુ તેઓને ખુદને નમસ્કાર કરતા હતા, વંદન કરતા હતા. દેવો તથા Page #128 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો બીજા ભવ્યો અનેક રીતે ભકિત કરતા હતા, પંચકલ્યાણકના પ્રસંગોમાં અનેક રીતે ભકિત કરતા હતા. તેવી ભકિત કરવાને માટે તો પ્રતિમા વિના રસ્તો જ બંધ થઈ જાય છે. માટે તીર્થંકરોના જે જે ઉપકારોનો લાભ અત્યારે જૈનસમાજ અને પ્રાણી માત્ર લે છે, તેની કૃતજ્ઞતા તરીકે તીર્થંકર ભગવંતો તરફ પોતાની લાગણી પ્રગટ કરવાને મોટામાં મોટું કોઈ પણ સાધન નથી જ. મુનિરાજ થઈને ભલે આજ્ઞાપાલન કરે, પરંતુ એ કૃતજ્ઞતાથી જ્યારે જ્યારે તેના દિલમાં તીર્થંકર ભગવંતો ઉપર ભકિત ઊભરાય, ત્યારે ત્યારે એ શી રીતે પ્રગટ કરી શકાય ? એક જ જવાબ છે કે - ત્યારે પ્રતિમાજીને વંદન કરે, નમસ્કાર કરે, એ વગેરે પ્રકારો પણ તીર્થંકર પ્રભુ પ્રત્યે પોતાની લાગણી પ્રગટ કરવાનાં સાધનો છે. ૧. નમુકકારશીનું પચ્ચક્ખાણ ત્યાગધર્મનું પ્રાથમિક પગથિયું છે. ૨. બે ઘડીનું સામાયિક, તીર્થંકરોના મહાસામાયિકમય જીવનનું અનુકરણ કરવાનું પ્રાથમિક પગથિયું છે. ૩. અને તીર્થંકરોએ જગત્ પર કરેલા મહાન્ ઉપકારોની કૃતજ્ઞતા બતાવવાને તેમની ભકિત કરવાને, તેમના પ્રત્યે પોતાની વફાદારી બતાવવાને બીજાં સર્વ સાધનોમાં ત્રિકાળ પૂજા પ્રાથમિક સાધન છે. ૪. તપનું પ્રાથમિક પગથિયું બિઆસણું છે. ૫. સ્વાધ્યાયનું પ્રાથમિક પગથિયું નવકાર-સ્મરણ છે. ૬. યોગ અને ધ્યાનનું પ્રાથમિક પગથિયું નવકારવાલી ગણવાનું છે. ૭. કાઉસ્સગ્ગોનું પ્રાથમિક પગથિયું એક નવકારનો કાઉસ્સગ્ગ છે. ૮. દેવ, ગુરુ અને ધર્મ : એ ત્રણ તત્ત્વમાં પણ ધર્મતત્ત્વ આચારણાથી આરાધી શકાય છે. અને દેવ ગુરુ તત્ત્વ પ્રતિપત્તિ-ભકિત સેવાથી આરાધી શકાય છે. ૫૫ માટે તીર્થંકર ભગવંતોની ભકિત કરવાનું દ્વાર પ્રતિમાજી છે. તેથી તેને સાક્ષાત્ તીર્થંકર જેવા માનીને, તેની સેવા ભકિત ખુદ તીર્થંકર ભગવંતોની સેવા ભકિત જ છે, એમ સમજવું ન્યાયસર જ છે. પ્રશ્ન :- તો પછી પ્રતિમા ચંદનને બદલે ચૈત્યવંદન નામ કેમ રાખ્યું હશે ? ઉત્તર :- બસ, એ જ ખૂબી છે. જૈન દર્શનકારોની અગાધ વ્યવહારુ બુદ્ધિનો એ જીવતો જાગતો પુરાવો છે. એ વળી શી રીતે ? “ભવ્ય જીવો ધર્મ કરવાનાં અસંખ્ય સાધનોમાંથી પોતાની નિર્બળતાને લીધે બીજાં કોઈ પણ સાધનોને ન આરાધી શકે, તો પણ તીર્થંકર ભગવંતોને તો ન જ ભૂલે, અને છેવટે માત્ર તેમને વંદન નમસ્કાર કરે, તો પણ ઠીક. એટલું પણ આલંબન હશે. તો યે એ જીવાત્મા આગળ વધી શકશે.’’ કદાચ બીજું કાંઈ ન કરે. ન કરી શકે, તો પણ તીર્થંકર પ્રભુને તો ન જ ભૂલે તો ઠીક, પરંતુ તીર્થંકર ભગવંતો તો વિદ્યમાન છે જ નહીં, કદાચ વિદ્યમાન હોય, ત્યારે પણ દરેક ક્ષેત્રમાં દરેક વખતે તો ન જ હોય, માટે તેમની પ્રતિમાઓ હોય તો જ તેમનું સ્મરણ તાજું રાખવાનો એ ઉદ્દેશ સાધી શકાય. તીર્થંકરોની યાદ તાજી રાખવાની ફરજ બાળ, મધ્યમ, અને વૃદ્ધ સૌની સરખી જ છે. સૌના Page #129 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો આત્મવિકાસમાં ઉપકારનું એ મૂળ બીજ સૌને લગભગ સરખું છે. પ્રતિમાઓ પણ જુદા જુદા તીર્થકરોની જુદી જુદી હોય, તે કદાચ કેટલાક બાળ જીવોના ધ્યાનમાં ન રહે. વળી પ્રતિમાઓ માટે એક વ્યવસ્થિત ચોકકસ સ્થળ પણ જોઈએ. બાળ જીવોને બીજું કાંઈ પણ યાદ ન આવે-બીજી કોઈ પણ સૂક્ષ્મ વસ્તુઓ તરફ તેઓનું ધ્યાન ન ખેંચાય, પરંતુ ગામની શેરીમાં ધ્યાન ખેંચે તેવી વિચિત્ર બાંધણીવાળું, ભવ્ય વાતાવરણવાળું મંદિર હોય, તેના તરફ અનેક વાર ધ્યાન ખેંચાય, એ સ્વાભાવિક છે. સંસારી જીવોને રહેવા માટે ઘર તો હોય જ, તેમજ રાજ-દરબાર, નિશાળ, ચોકી, કચેરી, પંચને એકઠા થવાનો ચોરો, જકાતી-દાણની મંડી વગેરે મકાનો હોય, કે જેમાં સાંસારિક સામુદાયિકનાં કામો થતાં હોય. નિશાળમાં જે કે વિદ્યા મેળવવાની હોય છે, પરંતુ “નિશાળે જઈએ છીએ” એમ બોલાય છે. રાજનું દાણ ચૂકવવાનું હોય છે, પરંતુ “મંડીમાં જઈએ છીએ.” એમ બોલાય છે. અર્થાત્ કામનો ઉદ્દેશ અને કામનાં સાધનો જુદાં હોય છે, છતાં તેને માટેનું મકાન જ સૌનું ધ્યાન ખેંચતું હોય છે. તે ઉપરથી કામ સમજાય છે. સર્વ સામાન્ય સાધારણ જનસમાજનાં વ્યવહારમાં તે તે કામ માટેનાં મકાનો પ્રતીક તરીકે ઉપચારથી વિશેષ પ્રચલિત હોય છે. તે જ પ્રમાણે ધર્મ કરવાનું, ધર્મની શરૂઆત કરવાનું સૌથી પહેલું અને મુખ્ય સાધન ચય છે. અને તેમના તરફ જનસમાજનું ધ્યાન ખેંચાઈ શકે. માટે જ મૈત્યને વંદન કરવા તરફ ચિત્ત દોરવી તે મારત તીર્થકરોની પ્રતિમાને વંદન, અને તે મારફત તીર્થકર ભગવંતોને વંદન થાય, અને તે મારફત પરંપરાએ સમ્યગુદર્શનપ્રાપ્તિ દ્વારા, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય. એવી વ્યવહારુ ગોઠવણ, વ્યવહારુ શબ્દ ગોઠવીને સાધી દીધી. આ ખૂબીથી બાળ, મધ્યમ અને બુધજન એ સૌનું ધ્યાન ખેંચે, માટે ચૈત્યવંદન શબ્દ પ્રચલિત કર્યો છે. ધર્મ એ જીવનનું ધ્યેય છે. તે ધ્યેયને સિદ્ધ કરવા-પ્રચાર કરવા, કોઈ પણ સંસ્થા, ખાતું કે સાધન જોઈએ, અને તે પ્રસિદ્ધ, સુલભ, પ્રાથમિક, સરળ, ગમે તેવા બાલ જીવોને જલદી દોરવનાર, આકર્ષક, અને સહસા ધ્યાન ખેંચનાર, સંસ્થા, ખાતું કે સાધન હોવું જોઈએ, અને તેવું સાધન શ્રી જિન-ચૈત્ય જ છે. બાળથી માંડીને બુધજન માટે યથાયોગ્ય ઉપયોગી હોવાથી પરમ જ્ઞાની મહાત્માઓને પણ તે સમ્મત છે. પરંતુ ચૈત્યવંદન એટલે આખર તો “તીર્થકર ભગવંતોને જ વંદન" એ છેવટનો અર્થ સમજવાનો છે. ચૈત્યવંદનના વિધિના મુખ્ય અધિકારો કોઈ પણ જૈન વિધિ અનેક ગર્ભિત હેતુઓથી ગૂંથાયેલો હોય છે. બીજા ગર્ભિત અનેક હેતુઓ હોવા છતાં મુખ્યપણે છ આવશ્યકો તો લગભગ ગૂંથાયેલા જોવામાં આવે છે. ચૈત્યવંદન એ ચતુર્વિશતિ સ્તવનામનું આવશ્યક છે, યાત્રા, સંઘ યાત્રા, ત્રિકાળ દર્શન, નાનાં મોટાં દેવવંદન, પૂજા વગેરે ચતુર્વિશતિ સ્તવ સ્વરૂપનાં છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭ સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પચ્ચકખાણ એ છે આવશ્યકોમાં ચૈત્યવંદન વિધિમાં-ત્યવંદન-નમુત્થાણું-કિંચિ-જાવંતિ ચેઈઆઈ' વગેરેમાં ચતુર્વિશતિ સ્તવ તો સાક્ષાત છે જ. “જાવંત કેવિ સાહુમાં ગુરુવંદન ખુલ્લું જ છે. એક નવકારના કાઉસ્સગ્નમાં કાઉસ્સગ્ગ પણ સ્પષ્ટ જ છે. જયવીયરાયમાં સમાધિ મરણ, બોધિલાભ વગેરે આત્મગુણ પોષક ભાવના છે. અને સળંગ વિધિમાં એકંદર ચતુર્વિશતિ જિવંદન રૂપ-આત્મગુણમાં લીનતામય-સામાયિક પણ ગર્ભિત રીતે સ્પષ્ટ છે. દુ:ખખઓ, કમ્મખઓ, ભવનિવેઓ વગેરે પદોમાં આત્મગુણ રોધક તત્ત્વોના ત્યાગની બુદ્ધિ રૂપ પ્રત્યાખ્યાન, અને અનાયાસે તે સેવાઈ ગયા હોય છતાં તેમાંથી મનને પાછું ફેરવવું, અથવા તેમાં અનાસકિત, તેને ખરાબ માનવા વગેરે રૂપ પ્રતિક્રમણ પણ ગર્ભિત રીતે દેખાય જ છે. અર્થાત્ જિવંદન રૂપ મુખ્ય ક્રિયામાં લીનતા રૂપ સામાયિક, અને તેમાં એકાગ્રતાથી લીન થવાથી બીજી બધી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ સ્વાભાવિક રીતે જ થાય છે. છતાં તેમાં મન વચન કાયા દોરાઈ જાય તો તેને પાછા ખેંચી લે, તો જ એકાગ્ર લીનતા ટકી શકે. એટલે સામાયિક, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ ત્રણ આવશ્યકો ગર્ભિત રીતે તો ગોઠવાયેલા છે. છતાં પ્રણિધાન સૂત્રમાં તેને માટેના સાક્ષાત્ શબ્દો પણ મળી શકે છે. જાવંતિ, જાવંત અને જયવીયરાય ત્રણ પ્રણિધાન સૂત્રો કહેવાય છે. પ્રણિધાન એટલે મન-વચન-કાયાની એકાગ્રતા. અહીં કાયોત્સર્ગ, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ દરેક આવશ્યકો ચૈત્યવંદનનાં અંગો છે. ચૈત્યવંદન એટલે ચતુર્વિશતિ સ્તવ પ્રધાન ક્રિયા એ અર્થ થયો. જેમ સામાયિક વિધિમાં-સામાયિક પ્રધાનપણે હતું અને બીજા આવશ્યક તેનાં અંગો હતાં. તેમજ ઈર્યાપથિકા પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ આવશ્યક મુખ્ય, અને બીજાં તેનાં અંગો છે. એમ દરેક ઠેકાણે સમજવું. તેથી અહીં “અરિહંત ચેઈઆગ” જો કે કાઉસ્સગ્ગના હેતુઓ બતાવનાર સૂત્ર છે. છતાં તે વંદન જ છે. કાયોત્સર્ગ પણ વંદન જ છે. એમ બીજો દરેક આવશ્યકો અહીં ચૈત્યવંદનનાં અંગો હોવાથી વંદન જ છે. માટે આખી ક્રિયા ચૈત્યવંદન છે. છતાં તેમાં ગર્ભિત રીતે બીજાં આવશ્યકો નથી એમ ન સમજવું. ચૈત્યવંદનના વિધિના મુખ્ય વિભાગો ૧. ચૈત્યવંદન કરવા માટે ગુરુની આજ્ઞા માગવી. ૨. કોઈપણ એક કે વધારે તીર્થંકર ભગવંતો, તેની પ્રતિમાઓ કે ચૈત્યોને ઉદ્દેશીને પ્રધાનપણે સ્વરૂપ વર્ણનાત્મક સ્તુતિ થાય છે. તેને ચૈત્યવંદન સ્તુતિ કહેવામાં આવે છે. અને એવાં ચૈત્યવંદનો, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી વગેરે જુદી જુદી ભાષાઓમાં હોય છે. ઉપરની ગમે તે ભાષાનું ચૈત્યવંદન બોલ્યા પછી ચૈત્યની વંદનાને સંપૂર્ણ અને સશાસ્ત્ર કરવા, તેના અંગ તરીકે જેકચિ સૂત્ર પાઠ બોલાય છે, ૨. નમુલ્યાણં સૂત્રથી દરેકે દરેક તીર્થકરોના તીર્થંકરપણા સામે સંકળાયેલા અભુત ગુણોની કીર્તના કરવા સાથે તીર્થકરોને વંદના કરવામાં આવે છે. સાક્ષાત્ ઉદિષ્ટ ચત્ય, પ્રતિમા, અને તીર્થંકર આદિની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો સામાન્ય સ્વરૂપ વર્ણના પછી તેની વિશેષ વર્ણના-(તીર્થકર તરીકેના અદ્દભુત ગુણો ઘટાવીને-તીર્થકરો કેવા ગુણોને લીધે ઉત્કૃષ્ટ વંદનીય છે ? તે સાબિત કરીને) કરવામાં આવે છે. અને પછી જે આ અઈઆ સિદ્ધા. એ ગાથાથી એવા ગુણોવાળા ત્રણ કાળના તીર્થંકરોને વંદના કરવામાં આવે છે. ૩. એ જ વિશેષ ગુણોના ગાનપૂર્વકની વંદનામાં વર્તમાનકાળે પણ જે કોઈ ત્રણેય લોકમાં એવા વિશેષ ગુણો યુક્ત તીર્થકર ભગવંતોનાં ચૈત્યો અને પ્રતિમાઓ હોય તે મારફત તે સર્વ તીર્થંકર પ્રભુઓને વિશેષ પ્રકારે વંદન કરવા-જાવંતિ, સૂત્ર બોલે છે. ત્રણેય કાળમાં થયેલા, સાક્ષાત્ તીર્થંકર પ્રભુના અદ્ભુત ગુણોની વિશેષ પ્રકારે સ્તવના યોગ્યતા સાબિત કર્યા પછી તેઓનાં નામ સાથે જોડાયેલાં ત્રણેય કાળનાં ચૈત્યો, અને પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે. જે ચિનો જાવંતિનો વિષય આથી કાંઈક જુદો સમજાય છે. પહેલામાં સ્વરૂપ વર્ણનાની દૃષ્ટિથી સર્વ તીર્થો અને પ્રતિમાઓને સામાન્ય રીતે વંદન છે ત્યારે આમાં વિશેષ ગુણ વર્ણના કરીને વંદ્ય તરીકે સાબિત થયેલાનાં સર્વ ચૈત્યો અને પ્રતિમાઓને વંદનનો ઉપક્રમ છે. એટલે જ જવંતિ. પછી ખમાસમણ દેવામાં આવે છે, તેથી આ વિશેષ વર્ણનાની દૃષ્ટિથી ત્રિકરણ યોગે પંચાંગ પ્રણિપાતપૂર્વક સર્વનું એકાગ્રતાપૂર્વક મનમાં પ્રણિધાન કરીને સાક્ષાત્ વંદન કરવામાં આવે છે. અને સાથે સાથે એ જ ભાવનાની વહેતી ધારાના પ્રવાહમાં જ સ્થિર રહીને તીર્થંકરોનો ભકત, તેઓના જ સર્વ મુનિઓને પણ જાવંત કહી વંદન કરે છે. ૪. ૨ જા અને ૩ જા ભાગમાં બાળજીવો પૂર્વાચાર્યની ગોઠવણ પ્રમાણે વંદના કરે છે. પરંતુ હવે પોતાની જાતે પ્રભુના ગુણો પોતાના સ્વયં ઉલ્લાસથી વર્ણવે છે. અને તે પણ સર્વાગ સુંદર, સર્વોપરી-ભાવના ઉચ્ચારકળા, છટા, ગુણ વર્ણના, કવિતા વગેરેના સમન્વયપૂર્વક મકૃત્વોવન આંખમાં આનંદના આંસુ સાથે ઉમળકાથી વર્ણવે છે. અને જેમ બને તેમ તેને પણ ઉત્તમ કવિતા-કાવ્યકળા, સુંદર સંગીત અને મધુર ધ્વનિમાં મૂકે તો તો ઓર જ ખૂબી દેખાય. આવી સ્વયં ઉલ્લાસની કડીઓ બાળજીવો કદાચ રચી ન શકે, તો પોતાને સમજાય તેવી ભાષામાં બીજા જ્ઞાનીઓએ ગોઠવી આપેલાં સ્તવન-સ્તોત્રોનો ઉપયોગ કરીને પણ એ પ્રમાણે સ્તુતિ કરી શકાય છે. આવા મહાન સ્વયંસ્તોત્રોચ્ચારના મંગળાચરણ તરીકે, અથવા સ્વયંસ્કૃર્તિથી સ્તવનની અપૂર્ણતાનું સ્વરૂપ આપવા નમોહંત તેના એક અંગ તરીકે અને મંગલાચરણ તરીકે બોલવામાં આવે છે, સ્વયંસ્કૂર્તિના મંગલ તરીકે પૂજાઓ, સ્તુતિઓ, સ્તવનો વગેરેની શરૂઆતમાં નમોહંત બોલવામાં વાંધો નથી પણ શાસ્ત્રીય વિધિઓમાં નવકાર જ બોલાય છે. ૫. ત્યાર પછી જૈન દર્શનના ભકતને છાજે તેવી, પ્રણિધાનમય બનીને, કરવાની અપૂર્વ પ્રાર્થના-જે પૂર્વાચાર્ય વિરચિત છે તે જયવીયરાય સૂત્ર બોલીને કરવામાં આવે છે. સ્વયંસ્કૃર્તિથી તીર્થંકર પ્રભુના ગુણવર્ણન કર્યા પછી ગુણવર્ણનો પણ શા માટે કરવા ? તેના જવાબ રૂપે પોતાની અભિલાષાઓની પ્રાર્થના કરવી જ જોઈએ. અને તે પ્રાર્થના પણ જૈન દર્શનની શૈલી પ્રમાણે હોવી જોઈએ. જે જયવીરાય સૂત્રમાં બરાબર ગોઠવવામાં આવી છે. ઈતરદર્શનોમાં માણસ ઈષ્ટદેવની સ્તુતિભકિત કરીને – પૈસા, રાજ, ઋદ્ધિ, માન, કીર્તિ, લડાઈમાં વિજય, પુત્ર-પુત્રાદિ, ધન-ધાન્યાદિની કે પરભવમાં સુખ વગેરેની Page #132 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો માગણી કરે છે. ત્યારે જૈન શાસનમાં તો નિદાન કરવાની-એટલે એવી સાંસારિક સુખોની માગણી કરવાની ચોખ્ખી મનાઈ છે. તો પણ એવી જાતની માગણી કરવાની હોય એવો દેખાવ ધારણ કરીને છેવટે પ્રભુનાં ચરણકમળોની ભવોભવમાં સેવા કરવાની જ માગણી કરે છે, જે જૈન શૈલી અનુસાર સંગત જ છે. ભકતને ઘણું માગવાનું મન થાય છે. પણ ભકિતના ફળ રૂપે નિયાણું કરીને પણ કાંઈક માગવાનું મન થાય છે. પણ ભકિતના પ્રવાહમાં નિયાણું કરવાનું જોખમ વહોરીને માત્ર ભવોભવમાં જિનેશ્વરોની ચરણસેવા જ માગે છે. વાસ્તવિક રીતે તે નિયાણું નથી જ, કેમકે છેવટે પણ જિનેશ્વરોના ભકત તેઓના ઉપદેશથી વિરુદ્ધ તો જાય જ નહીં. અને એ પ્રમાણ પણ આખર તો દુ:ખ ને કર્મોના ક્ષય રૂપ મોક્ષને ઉદ્દેશીને જ છે. તેથી મોક્ષને ઉદ્દેશીને કરવામાં આવેલ ક્રિયા કે તેની સફળતા માટે રાખેલી આશાઓ નિયાણું ગણાતું નથી. નિયાણાનો અર્થ એ છે કે : ધાર્મિક ક્રિયાઓમાં મોક્ષ સિવાયના ફળની અભિલાષા, એટલે પછી ધાર્મિક ક્રિયાને પરિણામે મોક્ષની ઇચ્છા કરવી એ તો જરૂરની છે, જે દુક્ષ્ક્ષઓ કમ્મક્ખઓ ગાથામાં સ્પષ્ટ થાય છે. ૫૯ આ સ્થિતિ પોતાને પ્રાપ્ત થવામાં જૈનશાસન નામની મોટી ધાર્મિક સંસ્થાની જ મદદ હોવાથી તેની પણ સાથે સાથે સ્તુતિ કરી લે છે. ધર્મનું આચરણ શાસનની મદદ વિના થઈ શકતું નથી. શાસન-આજ્ઞા-નિરપેક્ષ ધર્મારાધન પ્રમાણભૂત ગણાતું નથી. માટે તીર્થંકરોનો ભકત તેમના શાસનની વફાદારી કેમ ભૂલે ? શાસનના વહીવટના ચાલુ ધોરણને અનુસરીને કોઈ વખત કર્તવ્ય પણ અ-કર્તવ્ય ઠરે છે અને અકર્તવ્ય પણ કર્તવ્ય ઠરે છે. આટલી તેની મહત્તા હોવાથી તેના તરફ્ની વફાદારી જાહેર કરી છે. ધર્મના સિદ્ધાંતો માનનાર છતાં જો શાસનને વફાદાર ન હોય તો તે તીર્થંકરોનો ભકત નથી. પરંતુ ધર્મના સિદ્ધાંતો કબૂલ રાખવા સાથે શાસનના હુકમ પ્રમાણે અમલ કરનાર તીર્થંકરોનો ભકત છે. ૬. કાયોત્સર્ગ વિભાગ આવે છે. તેના ત્રણ ભાગ જણાય છે. ૧. કાયોત્સર્ગનો હેતુ અહીં અરિહંત ચૈત્યોને વંદન વગેરે માટે છે. તે સૂચવવા અરિહંતચેઈઆણં સૂત્ર છે. એ કાયોત્સર્ગ રૂપ વંદના પણ ધીરજ વગેરે માનસિક ગુણોમાં બરાબર સ્થિર થઈને કરવાની ભલામણ છે. પછી અન્નત્થ સૂત્ર કાયોત્સર્ગના આગારો, વિધિ, મર્યાદા અને સ્વરૂપવર્ણન માટે છે, જે દરેક કાઉસગ્ગની પૂર્વે આવે છે. તે પ્રમાણે અહીં પણ મૂકવામાં આવેલ છે. બીજા ભાગમાં એક નવકારનો આઠ શ્વાસોચ્છ્વાસનો જઘન્ય કાઉસગ્ગ આવે છે. અને ત્રીજા ભાગમાં કાઉસ્સગ્ગમાં જ સ્વયં કરવાની સ્તુતિ-થોય આવે છે. એ થોય જો કે સંક્ષિપ્તમાં સ્તુતિ રૂપ જ છે, છતાં તે કાઉસ્સગ્ગનું અંગ છે, માટે જ બોલનાર એક નમોર્હત્ કહી સ્તુતિ બોલે, અને બીજા મન, વચન કાયાને તેમાં પરોવીને કાઉસ્સગ્ગમાં જ સ્થિર રહીને સાંભળે. નમોઽર્હત્ તે વખતે સ્તુતિનું મંગળાચરણ છે, અથવા અપૂર્ણતાની પૂર્તિ છે, કાઉસ્સગ્ગમાં નવકાર–કાઉસ્સગની ધ્યાનસ્વરૂપતા સાચવવા માટે ધ્યેયરૂપ છે, અથવા સ્તુતિને સ્થાને પણ છે. આમ અનેક ગર્ભિત હેતુઓથી ભરેલો આ ચૈત્યવંદનાનો સંક્ષિપ્ત વિધિ ગોઠવવામાં આવ્યો છે. येत्यवंननां सूत्रोनो विशेषार्थ ૧. નમ્રુત્યુર્ણ, જયવીયરાય અને અરિહંત ચેઇઆણં : આ ત્રણ મોટાં અને વધારે ધ્યાન ખેંચે Page #133 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેવાં સૂત્રો છે. તેમાં પણ નમુત્થણું અદ્ભુત સૂત્ર છે. ૩૩ વિશેષણોથી અને જુદી જુદી સંપદાઓથી તીર્થંકર પ્રભુના અદ્ભુત ગુણોનું વર્ણન છે. તે સૂત્ર ઈંદ્ર-શક બોલે છે. માટે તેનું નામ શાસ્તવ પણ છે. અને આગમોમાં ઠામ ઠામ આ સૂત્ર આવે છે. આ સૂત્ર ઉપર શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલી, અદ્ભુત દલીલોથી ભરપૂર અને અર્થગંભીર લલિતવિસ્તરા નામની વૃત્તિ ટીકા છે, જેમાં બીજા દર્શનકારોના દેવો અને તેના ગુણ સાથે તીર્થકરોના ગુણોની તુલના કરી ખરેખરી શ્રેષ્ઠતા બરાબર સાબિત કરી બતાવી છે. ઉસ્સગ્ગહર સ્તોત્ર- આ સ્તોત્ર - વ્યંતર રૂપે થયેલા પોતાના ભાઈ મિથ્યાદષ્ટિ વરાહમિહિરના ઉપદ્રવથી બચાવવા ચઉદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલ છે, અને તેનો કોઈ શ્રાવિકાએ દુરુપયોગ કરવાથી તેમાંથી શાસનદેવીને હાજર કરનારી ખાસ મંત્રમય ગાથાઓ સંહરી લેવામાં આવી છે વગેરે કથા પ્રસિદ્ધ છે. તે બીજા ગ્રંથોથી જાણી શકાય તેમ છે. તેમાં મુખ્યપણે પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે. જગચિંતામણિ સૂત્ર - આ સૂત્ર સામાન્ય રીતે અપભ્રંશ ભાષામાં છે. અને તે ગૌતમસ્વામી મહારાજે રચેલું કહેવાય છે. તેની પહેલી ગાથાનો રાગ સવઈયા જેવો જણાય છે. અને પછીની બે ગાથાઓ વસ્તુ છન્દ્રમાં છે. જયવીયરાય સૂત્ર - આ સૂત્રમાં પહેલી ત્રણ ગાથાઓ પ્રાચીન છે. અને બાકીની પણ પ્રાચીન તો છે, જુદી જુદી હોઈને સાથે જોડેલ છે. અરિહંત ચેઈઆણં-સૂત્રમાં અરિહંત ચેઈઆણં વંદણવરિઆએથી નિર્વસગ્નવરિઆએ સુધી, પછી કરેમિ કાઉસ્સગ્ગ એમ સંબંધ છે. અને વધતી એવી શબ્દનો સંબંધ સદ્ધાએથી માંડીને આશુપેહાએ સાથે જોડીને કાઉસ્સગ્ગ કામિ સાથે સંબંધ જોડવો. નમોહંત સૂત્ર - તમામ સૂત્રોને સંસ્કૃતમાં બનાવી નાંખવાની ઈચ્છાથી શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે શ્રી નમસ્કાર સૂત્રનું આ પ્રમાણે સંસ્કૃત ભાષામાં સૂત્ર બનાવ્યું. ગુરુ મહારાજને ખબર પડવાથી એ કામ અટકાવ્યું અને તીર્થંકર-ગણધર ભગવંતોની આશાતના કરવાથી બાર વર્ષ ગચ્છ બહાર રહી શાસનની મોટી પ્રભાવના કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, તે શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજની કથા પ્રસિદ્ધ છે. તેઓ જેવા આરાધક મહાપુરુષોનું બનાવેલું અન્યથા ન જાય એમ સમજીને-નવકારને સ્થાને તો તેને ગોઠવી શકાય નહીં પરંતુ સામાન્ય સ્વયંકૃત-સ્વયંસ્ફરિત પ્રભુ આજ્ઞાને અનુસરતાં સ્તુતિસ્તોત્રોને તો શાસનમાં સ્થાન મળી શકે છે. એ દષ્ટિથી શ્રી શ્રમણ સંઘે તે તરીકે ઘણાંખરાં સ્તુતિ, સ્તોત્રો, પૂજાની ઢાળો વગેરેની શરૂઆતમાં તેને સ્થાન આપ્યું હોય તેમ જણાય છે. ચિ, જાવંત, જાવંત કવિ-સૂત્ર - આ ત્રણેય એક એક ગાથાનાં સૂત્રો શા હેતુથી મૂકવામાં આવેલાં છે, તે વિધિના સામાન્ય હેતુમાં આગળ જણાવેલ છે, તે ગાથાઓ કયાંની છે તે જાણવામાં નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો કલ્લાકંદ અને સંસાર દાવાનલ સ્તુતિ આ બે સ્તુતિઓમાં પહેલી કોઈ પૂર્વાચાર્ય વિરચિત છે અને બીજી શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. ત્યારે ૧૪૪૦ ગ્રન્થો પૂરા કર્યા તેવામાં કાળધર્મ નજીક આવવાથી ચાર સ્તુતિરૂપ ચાર ગ્રન્થો બનાવી પ્રાયશ્ચિત્ત પૂરું કરવાના ઈરાદાથી ૪ સ્તુતિઓ બનાવતાં ચોથી સ્તુતિનું એક પદ બોલાયું તેવામાં બોલવાની શક્તિ બંધ થતાં, સંઘે અથવા શાસનદેવીએ તેમના હૃદયનો અભિપ્રાય જાણીને ચોથી સ્તુતિ પૂરી કરી, ત્યારથી જ ઝંકારાથી માંડીને પફખી વગેરે ત્રણ પ્રતિક્રમણમાં સ્વાધ્યાય વખતે ઉચ્ચ સ્વરથી બોલાય છે. કલાકંદમાં પાંચ જિનેશ્વરોની સ્તુતિ છે. અને સંસારદાવામાં મહાવીર પ્રભુની સ્તુતિ છે. છેલ્લી સ્તુતિ બન્નેયમાં શ્રુતની અધિષ્ઠાયક શ્રુતદેવીની છે. સંસારદાવા એ સમ સંસ્કૃત પ્રાકૃત સ્તુતિ છે. દહેરામાં દર્શન પૂજા અને ચૈત્યવંદન વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક વિશેષ વિધિઓ (૧) નિશીહિ: દહેરાસરના દરવાજામાં પેસતાં ૧ લી નિસહિ, ૨જી નિશીહિ પૂજા માટે ગભારામાં પેસતાં ૩ જી નિસીહિ ચૈત્યવંદન કરવાની શરૂઆત કરતાં પહેલાં કહેવી. (૨) ૩ પ્રદક્ષિણા : પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી. (૩) ૩ પ્રણામ : ૧. પ્રભુને દેખતાં જ બે હાથ જોડી પ્રણામ કરવો. ૨. દહેરાસરની વચ્ચે જઈ નમો જિગાણ કરી માથું નમાવી પ્રણામ કરવો. ૩. ખમાસમણ દઈ પ્રણામ કરવો. અથવા ત્રણ ખમાસમણ. (૪) ૩ પૂજા : ૧. ભગવાનને અંગે પૂજા. ૨. ભગવાનની આગળ અગ્ર પૂજા. ૩. ભગવાનની સામે ભાવનાપૂર્વક પૂજા. અથવા ૧. પંચપ્રકારી પૂજા. ૨. અષ્ટપ્રકારી પૂજા. ૩. સર્વ પ્રકારની પૂજા. (૫) ૩ અવસ્થા : ૧લી છદ્મસ્થાવસ્થા : ૧. જન્માવસ્થા ૨. રાજ્યવસ્થા. ૩. મુનિ અવસ્થા ભાવવી. ૨જી કેવળીઅવસ્થા: પ્રતિમાજીની બાજુમાં આઠ પ્રાતિહાર્ય હોય છે, તે ઉપરથી કેવળી અવસ્થા ભાવવી. ૩જી સિદ્ધાવસ્થા : આસન અને ધ્યાનમાં રહેલા પ્રતિમાજીને જોઈ મોક્ષની અવસ્થા ભાવવી. (૬) ૩ દષ્ટિવર્જન : દર્શન, પૂજા કે ચૈત્યવંદન કરતી વખતે ભગવાનની સામે જ દષ્ટિ રાખવી. બાકીની ત્રણ બાજુ તરફ દષ્ટિ ન રાખવી. (૭) ૩ પ્રમાર્જન : ચૈત્યવંદન કરવા બેસતી વખતે ત્રણ વાર જમીનનું પ્રમાર્જન કરવું. (૮) ૩ આલંબન : ચૈત્યવંદન કરતી વખતે ૧. તેના ઉચ્ચાર શુદ્ધ બોલવા. ૨. અર્થ ચિંતવવો. ૩. પ્રભુ પ્રતિમા તરફ એકાગ્ર ધ્યાન રાખવું. (૯) ૩ મુદ્રા : ૧. નમુત્થણું બોલતાં બે હાથના આંગળાં જોડીને ડોડાને આકારે ગોઠવી, પેટ ઉપર કોણી રાખી યોગમુદ્રા કરવી. ૨. કાઉસ્સગ્ગ કરતી વખતે બે પગ વચ્ચે આગળ ચાર આંગળ, અને પાછળ કાંઈક ઓછું અંતર રાખીને ઊભા રહી જિનમુદ્રા કરવી. ૩. જાવંતિ જાવંત જયવીયરાય Page #135 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો કહેતી વખતે બે હાથ જોડી લલાટની ઉપર જરા દૂર, કે લલાટને લગાડીને મુક્તાશક્તિ મુદ્રા કરવી. (૧૦) ૩. પ્રણિધાન-મન, વચન, અને કાયાની એકાગ્રતા રાખવી. અથવા – જાવંતિ-જાવંત અને જયવીરાય. એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. આ દશ ત્રિક કહેવાય છે. ૫. અભિગમ - તીર્થંકર પ્રભુને સામે ભેટવા જતાં ખાસ સાચવવા જોઈએ. ૧. સચિત્ત દ્રવ્યનો ત્યાગ, ૨. અચિત્ત વસ્ત્ર-આભૂષણાદિનો ત્યાગ ન કરવો. ૩. મનની એકાગ્રતા. ૪. એક સાટક ઉત્તરાસંગ. ૫. જિનેશ્વર પ્રભુનું દર્શન થતાં અંજલિ જોડવી. અથવા રાજાએ-૧. ખગ્ન, ૨. છત્ર, ૩. ઉપાન, (પગમાં પહેરવાના જોડા વગેરે) ૪. મુકુટ, અને ૫. ચામર, એ પાંચ વસ્તુઓનો ત્યાગ કરવો. ૨. દિશિ- પ્રભુની જમણી બાજુએ પુરુષ અને ડાબી બાજુએ સ્ત્રીએ ઊભા રહી વંદન, સ્તુતિ વગેરે કરવાં. ૩. અવરહ- જઘન્ય અવગ્રહ [] નવ હાથ અને ઉત્કૃષ્ટ ૬૦ હાથ રાખવો. બાકીનો મધ્યમ ગણાય. અથવા દહેરાસર નાનું હોય, તો વા થી માંડીને ૬૦ હાથ સુધી પ્રતિમાજીથી છેટે બેસી શકાય. ૩. ચૈત્યવંદન- જઘન્ય, મધ્ય અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ચૈત્ય વંદન થાય છે. તે દરેકના ત્રણ ત્રણ ભેદ છે. તે સમજી લઈને તેનો આદર કરવો. ૧. પ્રણિપાત- પાંચ અંગે પ્રણિપાત એટલે ખમાસમણ દેવા. નમસ્કાર- ૧ શ્લોકથી માંડીને આ શ્લોક સુધી સ્તુતિના શ્લોકો-ગાથાઓ-કવિતાઓ બોલી નમસ્કાર-વંદન કરી શકાય. ૧૦. આશાતનાનો ત્યાગ - ૧. પાન ચાવવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. પગરખાં પહેરવાં, ૫. મૈથુન સેવવું, ૬. સૂવું, ૭. ઘૂંકવું કે નાક છીંકવું, ૮. પેશાબ કરવો, ૯. મળ-ઝાડો કરવો, ૧૦. જુગાર રમવું. આ દશ ઓછામાં ઓછી આશાતના દહેરાસરના ગઢમાં તજવી. ૧. ચૈત્યવંદનાનું આસન- સામાન્ય રીતે યોગમુદ્રાએ [બે ઘૂંટણ જમીન પર સ્થાપીને કમળના ડોડાને આકારે બન્નેય હાથ કોણી ઉપર સ્થાપી] ચૈત્યવંદન કરવા બેસવાનું છે, પરંતુ ઈંદ્ર વગેરે ઋદ્ધિમાન ડાબો પગ જરા ઊંચો રાખીને પ્રભુને વંદન કરે છે. તે પ્રમાણે સામાન્ય રીતે બીજા પણ ડાબો ઢીંચણ જરા ઊંચો રાખીને ચૈત્યવંદન કરે છે. તે અપવાદ માર્ગ જણાય છે. વિશેષ ખુલાસો ગુરુમહારાજ પાસેથી જાણવો. ૧. છંદો-જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથા-સંવૈયા જેવી જણાય છે. પછીની બે ગાથામાં વસ્તુ છંદ છે. કલ્યાણકંદ-ઉપજાતિ છંદમાં છે. બાકીના આર્યા છંદો છે. ૧૦. શ્રી દેવવન્દન-વિધિનાં સૂત્રો. ૨૩. પુફખરવર દીવ-(શ્રુતસ્તવ)-સૂત્ર-૧. શબ્દાર્થ:- પુખર-વર-દીવ પુષ્કર નામના-સુંદર-અદ્વીપમાં. ધાયઈ-સંડે ધાતકી-ખંડમાં. Page #136 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૩ જંબૂદીને જંબૂ-દ્વીપમાં. ભરપેરવય-વિદેહે=ભરત-ઐરવત-અને મહા વિદેહમાં. ધમ્માઈગરે ધર્મના આદિને કરનારાને. નમામિ નમસ્કાર કરું છું. ૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ્સ અજ્ઞાનરૂપી અંધારાના-સમૂહનો નાશ કરનાર. સુર-ગણ-નરિદ-મહિઅસ્સ= દેવોના સમૂહો અને રાજાઓથી પૂજાયેલા. સીમા-ધરસ્સ=મર્યાદા સ્થાપન કરનાર. પપ્પોડિઅ-મોહ-જાલસ મોહની જાળને ફોડી નાંખનારને. વિદેહું વંદન કરું છું. ૨ જાઈ- જરા-મરણ-સોગ-પાણાસાગસ્ટ=જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકનો નાશ કરનાર. કલ્લાણ-પુકુખલ-વિસાલ-સુહાવહસ-પુષ્કળ-કલ્યાણ અને મોટામાં મોટું (મોક્ષ) સુખ આપનાર. કો કોણ. દેવ-દાણવ-નરિદ-ગણચ્ચિઅસ્સ દેવો, દાનવો અને મનુષ્યોના રાજાઓના સમૂહોથી પૂજાયેલા. ધમ્મસ્સધર્મનો. સારં=સાર. ઉવલભ=જાણીને. કરે કરે. પમાયંત્રપ્રમાદ. ૩ સિદ્ધ-સિદ્ધ. ભો!=. પય પ્રયત્નપૂર્વક, આદરપૂર્વક, ખાસ કરીને. ણમો નમસ્કાર હો. જિગ-મએ જિનમતને-જૈન સિદ્ધાન્તને. નંદી મંગળમય. સયા=હમેશાં-સદા. સંજમે=સંયમમાર્ગમાં. દેવ-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂઅ-ભાવચ્ચિએ દેવો, નાગકુમારો, સુવર્ણકુમાર અને કિન્નરોના સમૂહોએ- સદ્ભાવ-ખરેખરા ભાવથી પૂજેલું. લોગો લોક. જO=જેમાં. પઈટિઠઓ=પ્રતિષ્ઠિત છે. જગં=જગતુ. ઇર્ણ આ. તેલુક-મચ્ચા-સુરં ત્રણ લોક-મત્સ્ય લોક અને અસુર લોકવાળું. વઢઉ વધો. સાસઓનશાશ્વત. વિજય વિજયપૂર્વક. ધમુત્તરંધર્મોત્તરને-બીજા ધર્મને દેશ વિરતિ અને સર્વ વિરતિ રૂપ ધર્મને. વઢઉ=વધારો. ૪ પુખર-વર-દીવ, ધાયઈસંડે અને જબુ-દીવે અ! *ભરફેરવય-વિદેહે. ધમ્માઈ–ગરે નમામિ ના. "તમ તિમિર-પડલ-વિદ્ધ-સણસ્સ-સુર-ગણ-નરિંદ-મહિ-અસ્સા સીમા ધરલ્સ વદે પોડિઅ-મોહ-જાલક્સ મારા "જાઈ-જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલ્યાણ પુખલ-વિસાલ-સુહાવહસ્સા કો દેવ-દાણવ-નરિંદ ગણશ્ચિઅસ, ધમ્મસ “સારમુવલમ્ભ કરે પમાયંna છે શાર્દૂલવિક્રીડિત વૃત્તમ છે. *સિદ્ધ 'ભો!'પયઓ અણમો જિણ-મએ, નંદીસયા સંજમે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પંચ પ્રતિકમાણસૂત્રો દવં-નાગ- સુવન્ન-કિન્નર-ગણ સભૂઅ-ભાવચ્ચિએ. લોગો જત્ય પઈટિઓ જગમિણું,તે-લુકક-મચ્ચાસુર 'ધમ્મો વડઢઉ સાસઓ' વિજયઓ ધમ્મુત્તર વઢઉ જા સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ. ગાથાર્થ:- "પુષ્કર નામના સુંદર અર્ધાદ્વીપમાં, ધાતકી નામના ખંડમાં, અને જંબૂદ્વીપમાં, [આવેલા સર્વ “ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રિત ધર્મની શરૂઆત કરનારાઓને નમસ્કાર અજ્ઞાન રૂપી અંધકારનાં પડોનો નાશ કરનાર, મર્યાદાઓ સ્થાપનાર અને મોહની જાળને ફોડી નાંખનાર, દેવતાઓના સમૂહો અને રાજાઓથી પૂજાયેલા િશ્રુત જ્ઞાનરૂપી ધર્મને “વંદન કરું જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકનો નાશ કરનાર, પુષ્કળ [ઘ] કલ્યાણ અને વિશાળ મિોટામાં મોટું સુખ (મોક્ષ) આપનાર, દેવ, દાનવો અને રાજાઓના સમૂહોથી પૂજાયેલ [એવા એ શ્રુત જ્ઞાનરૂપી] ધર્મનો “સાર જાણ્યા પછી કયો માણસ તેની આરાધના કરવામાં ‘પ્રમાદ કરે?૩. "અહો ! સુજ્ઞ લોકો ! જગતમાં શ્રેષ્ઠ તરીકે અથવા પૂર્ણજ્ઞાન તરીકે સિદ્ધ સાબિત થઈ ચૂકેલા શ્રી] જૈન સિદ્ધાંતને ખૂબ આદરપૂર્વક નમસ્કાર કરો-જેિ સંયમ માર્ગમાં હમેશાં “નંદી [મય=મંગળમય છે. દેવ, નાગકુમારો, સુવર્ણકુમારો અને કિન્નર દેવોના સમૂહોએ સખરેખર ભાવથી (જેને પૂજેલું છે, જેમાં [સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મય આલોક [અને] *ત્રણ લોકમાં રહેલા-માણસો અને અસુરો વિગેરે મય આ જગત ના સર્વ શિષ્ટ માન્ય વ્યવહારો]. "પ્રતિષ્ઠિત [વર્ણન રૂપે પ્રતિબિંબિત છે; તિ શ્રુત સામાયિકમ શાશ્વત ધર્મ ‘વિજયપૂર્વક વૃદ્ધિ પામો. અને ઉત્તર શ્રિત સામાયિક પછીના ચડિયાતા કમના દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ, સામાયિકરૂપ ધર્મને [પણ] વધારો. ૪ પૂજ્ય શ્રુત જ્ઞાનરૂપ ધર્મને વંદન વગેરે 'નિમિતે *કાઉસ્સગ્ન “કરું છું. ૨૪. શ્રી સિદ્ધાણં બુદ્ધાણાં (સિદ્ધસ્તવ)-સૂત્ર-૨, શબ્દાર્થ:- સિદ્ધાણં સિદ્ધોને. બુદ્ધાણં બુદ્ધોને, બોધ પામેલાઓને. પાર-ગાયાણં પાર પહોંચેલાને, સંસારસમુદ્રના કિનારે પહોંચી ગયેલાઓને. પરંપર-ગાયાણં પરંપરાના ક્રમે-ઉત્તરોત્તર Page #138 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૬૫ ગુણવૃદ્ધિના ક્રમે-મોક્ષ પામેલાને. લોઅર્ગો-લોકના અગ્રભાગે. ઉવગયાં પહોંચી ગયેલાઓને. ૧. દેવાણકદેવોનો. વિ=પણ. જં=જેને. પંજલી= હાથ જોડીને. નમસંતિ નમસ્કાર કરે છે. દેવદેવમહિઅંકદેવોના પણ દેવોએ પૂજેલાને. સિરસા મસ્તક વડે. ૨. ઈફકોવિકએક પણ. નમુકકાર=નમસ્કાર. જિગ-વર-વસહસ્સ જિનવરોમાં ઋષભસમાન. સંસાર-સાગરાઓ=સંસારરૂપી સમુદ્રથી. તારેઈ=તારે છે. નરિ=પુરુષને. નારિ=સ્ત્રીને. વ=કે. વા=કે. ૩. ઉર્જિત સેલ-સિહરેકગિરિનાર-પર્વતના શિખર ઉપર. દિકખાદીક્ષા. નાણું=જ્ઞાન-કેવળજ્ઞાન. નિશીહિઆ નિષઘા-મોક્ષ પામતી વખતે ધ્યાનમાં બેસવાનું આસન. જસ્સ=જેના. ધમ્મ-ચકક-વર્દ્રિ=ધર્મના ચક્રવર્તી. અરિઠ-નેમિઅરિષ્ટનેમિનાથ પ્રભુને નમસામિ નમસ્કાર કરું છું. ૪. ચારિકચાર. અઠ=આઠ દશ દશ. દોકબે. પરમઠ-નિષ્ઠ અઠા પરમાર્થ વડે નિષ્ઠિત અર્થવાળા પરમાર્થને સંપૂર્ણ મેળવી ચૂકેલા. સિદ્ધા=મોક્ષમાં ગયેલા. સિદ્ધિ=મોક્ષ. મમ મને. દિસંતુ=આપો. ૫. 'સિદ્ધાણં બુદ્ધાણં પાર-ગયાણં પરંપર-ગયાણા લોઅગ-અવગયાણું, “નમો “સયા સવ્યસિદ્ધાણા જો દેવાણવિ દેવો,*જેવા પંજલી નમસંતિ તં દેવ-દેવ-મહિઅં, સિરસા વંદે મહાવીર પરા ઈફકોવિનમુક્કારો: 'જિણ-વર-વસહસ્સવદ્ધમાણસા સંસાર-સાગરા, “તારેઈ° નરવ નારિવાવા ઉર્જિત-સેલ-સિહરે," દિફખાનાણે નિશીહિ જસ્સા તં ધમ્મ-ચક-વદ્ધિ, “અરિઠનેમિં નમામિત્તા "ચત્તારિઅઠદસ દો, વંદિયા જિણ-વરાચઉવ્વીસ પરમ ઠ-નિટિઠ અઠ, સિદ્ધા સિદ્ધિ'મમ દિસંતુપા ગાથાર્થ:- સર્વસિદ્ધોની સ્તુતિ: [સંપૂર્ણ આત્મવિકાસ કરી] "સિદ્ધ થઈ ચૂકેલા, કિવળ જ્ઞાન વડે ત્રણ કાળના સર્વ પદાર્થો *જાણી ચૂકેલા “સર્વજ્ઞ, સંસારસમુદ્રના કિનારે પહોંચી ગયેલા, અનુક્રમે ઉત્તરોત્તર આત્મવિકાસ કરીને આગળ વધેલા, ચિૌદ રજજુ પ્રમાણ “લોકની ટોચે ગયેલા સર્વ સિદ્ધ ભગવંતોને ‘હમેશાં Page #139 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો નમસ્કાર હો. ૧ મહાવીર પ્રભુની સ્તુતિ – "જે દેવોના પણ દેવ છે. જેને દેવો હાથ જોડીને “નમસ્કાર કરે છે. દવાના પણ દેવ દ્ધિો]એ પૂજેલા તે ''મહાવીર પ્રભુને “મસ્તક નમાવી વંદન કરું છું. ૨. જિનેશ્વરોમાં વૃષભ સમાન દિરેક તીર્થકરો કરતાં અદ્ભુત જીવન ચરિત્રવાળા મહાવીર પ્રભુને કરેલો એક પણ "નમસ્કાર પુરુષ કે “સ્ત્રીને “સંસારસમુદ્રથી ઉતારે છે. ૩. નેમિનાથ પ્રભુની સ્તુતિ જેના-દીક્ષા, કેવળજ્ઞાન, અને 'નિષદ્યા મોક્ષમાં જતી વખતનું ધ્યાનસ્થ આસન] ગિરિનાર પર્વત ઉપર થયા છે, તે ધર્મ ચક્રવર્તી “અરિષ્ટનેમિનાથ પ્રભુને નમસ્કાર કરું છું. ૪. અષ્ટાપદાદિ તીર્થને વંદન દ્વારા સિદ્ધોની સ્તુતિ – ચાર, આઠ, દશ અને “બે એમ વંદન કરાયેલા, પરમાર્થને સંપૂર્ણ મેળવી ચૂકેલા અને સિદ્ધ થયેલા ચોવીસેય તીર્થકરો "મને મોક્ષની] “સિદ્ધિ[અથવા સિદ્ધિગતિ આપે. ૫. ૨૫. વેયાવચ્ચ ગરાણ સૂત્ર-૩. શબ્દાર્થ:- વેયાવચ્ચ-ગરાણં વૈયાવૃત્ય-સેવા કરનારાઓ. સંતિ-ગરાણં શાંતિ કરનારાઓ. સમ્મદિઠિ-સમાહિ-ગરાણં=સમ્યગદષ્ટિ જીવોને સમાધિ-સુખ શાંતિ કરનારાઓને. વેયાવચ્ચ-ગરાણ સંતિગરાણું સમ્મરિદ્ધિ-સમાહિ-ગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અનન્ય. ગાથાર્થ :- સેવા કરનારા, શાંતિ કરનારા અને સમગ્દષ્ટિ જીવોને સુખ કરનારાઓના સ્મરણ નિમિત્તે [ઊંચો શ્વાસ વગેરે) સિવાય કાઉસ્સગ કરું છું. ૨૬. ભગવાનહ-સૂત્ર-૪. શબ્દાર્થ:- ભગવાનાં ભગવંતોને-ભગવાનાદિને. = છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. ભગવાનાં, આચાર્યહ, ઉપાધ્યાયાં, સર્વસાધુ, ભિગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, અને સર્વ સાધુઓને વંદન કરું છું.] Page #140 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો देववंटन सूत्रोनो विशेषार्थ ૧. દેવવંદન અને ચૈત્યવંદન - ચૈત્યવંદનમાં શ્રી તીર્થંકર પ્રભુને મુખ્યપણે વંદન થાય છે અને દેવવંદનમાં પણ એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. ત્યવંદન પણ એક જાતનું દેવવંદન જ છે. પરંતુ બાર અધિકાર સહિત વંદનને દેવવંદન કહેવાનો પ્રચાર છે. દેવવંદન ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એમ ત્રણ પ્રકારના છે. અને દરેકમાં પણ ત્રણ ત્રણ પ્રકાર હોય છે. તે સિવાય પણ દેવવંદનના અનેક પ્રકારો. ચૈત્યવંદનમાં એક જ શકસ્તવ [નમુત્થણ], એક નવકારનો કાઉસ્સગ્ન અને એક થાય આવે છે. રાઈપ્રતિકમાણમાં તથા પચ્ચકખાણ પારતાં, એકાસણું વગેરે કર્યા પછી, દેવસિઅ પ્રતિકમણમાં ચઉકસાય પછી, અને સ્નાત્રપૂજામાં જયવીયરાય સુધી પણ ચૈત્યવંદન થાય છે. દેવસિઅ પ્રતિકમણમાં શરૂઆતમાં અને રાઈએ પ્રતિક્રમણમાં વિશાલલોચન પછી ચાર થોયના દેવવંદન આપે છે. પોસહ વગેરેમાં પાંચ શકસ્તવ અને આઠ થોયના દેવવંદન આવે છે. ચોમાસી ચૌદશે ચોવીસેય તીર્થંકર પ્રભુના, જ્ઞાન પંચમીને દિવસે પાંચજ્ઞાનની પ્રધાનતાએ. મૌન એકાદશીને દિવસે અરનાથ, મલ્લિનાથ, નમિનાથ વગેરે તીર્થકરોના દોઢસો કલ્યાણકના દેવવંદન થાય છે. તથા સાધુ સાધ્વીના કાળ વખતે અવળા અને સવળા દેવવંદન થાય છે. ક્રિયા-વિધિ સહિત કરાતી આયંબિલની ઓળી તથા બીજી તપશ્ચર્યાઓમાં પણ દેવવંદન કરવામાં આવે છે. તીર્થયાત્રા, સંઘયાત્રા, રથયાત્રા, જળજાત્રા, ચૈત્યપરિપાટી, પ્રતિષ્ઠા વિધિઓ વગેરે પણ એક જાતના દેવવંદન જ છે. ચૈત્યવંદનમાં પરંપરાએ દેવવંદન છે. અને દેવવંદનમાં જો કે ચૈત્યવંદનો આવે છે, છતાં તેમાં સાક્ષાત્ દેવવંદન થાય છે. આ ફરક જણાય છે. નમોસ્તુ વર્ધમાનાય પછી એક શકસ્તવ અને સ્તવનથી વંદન થાય છે. ૨. શ્રુતસ્તવનો વિશેષાર્થ – શ્રુતસ્તવમાં જૈન શાસ્ત્રોની સાંગોપાંગ, સ્વરૂપ વર્ણનાત્મક અને અદ્ભુત સ્તુતિ કરવામાં આવી છે. આથી ઊંચા પ્રકારની જૈન દષ્ટિથી શ્રુતજ્ઞાનની સ્તુતિ ભાગ્યે જ મળી શકે. પહેલી ગાથામાં શ્રુત રૂપ સામાયિક ધર્મના ઉત્પાદકો કેવા વિશિષ્ટ પુરુષો છે ? જુદાં જુદાં ક્ષેત્રોમાં હોવા છતાં દરેક સર્વશો હોવાથી શ્રુતમાં દરેકની એકવાકયતા જ રહે છે. જરા પણ પરસ્પર વિસંવાદ જોવામાં આવતો નથી. તેથી પ્રથમ તે શ્રુત ધર્મના ઉત્પાદકોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી અને ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની મોહ અને અજ્ઞાન નાશ કરવાની શક્તિ વર્ણવી છે. જ્ઞાન માત્ર સામાન્ય રીતે તે તે અજ્ઞાન અંશોનો નાશ કરે છે. પણ મોહનો નાશ કરનારા નથી હોતા. પ્રાણી ઘણી વખત વસ્તુસ્થિતિ અને ગેરલાભ સમજવા છતાં મોહને વશ પડીને જાયે કરીને અનિષ્ટમાં પ્રવૃત્તિ કરે છે. ત્યારે આ શ્રુતજ્ઞાન અજ્ઞાનના પડેપડ ભેદી નાંખે છે, અને સાથે મોહનો પણ નાશ કરે છે. જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા અને તેનાં પ્રેરક સર્વકર્મોનો નાશ કરે છે. એટલું જ નહીં પણ આનંદ અને પુષ્કળ કલ્યાણમય મોક્ષ સુખ પ્રાપ્ત કરાવીને જ જંપે છે. આ કૃત ખૂણેખાંચરે ખાનગીમાં ફેલાયેલું નથી પણ પ્રસિદ્ધ જ્ઞાની પુરુષોએ પ્રમાણભૂત તરીકે સ્વીકારીને તેને પૂજ્ય ગયું છે. લોક-લોકોત્તર Page #141 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સર્વવ્યવહારો અને ધર્મમાર્ગોની સીમાઓ એટલે કે મર્યાદાઓ એ શ્રુતજ્ઞાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. અતિશયોકિતવાળાં વર્ણનો કે અસંબદ્ધ પ્રલાપો નથી પણ સમાધર છે, એટલે દરેકે દરેક મર્યાદાઓને ધારણ કરનાર છે અથવા દરેક રીતે મર્યાદિત છે. તેથી જ શ્રોતાને પોતાના કર્તવ્ય માટે તત્કાળ જાગ્રત કરી દે છે અને તેના પ્રમાદને સહસા ઉડાડી મૂકે છે, પરંપરાએ ઝપાટાબંધ કલ્યાણમાર્ગમાં દોર્યે જાય છે. ચોથી ગાથામાં વધારે સ્પષ્ટીકરણથી સ્તુતિ કરવામાં આવી છે. જેમ શ્રુતજ્ઞાનમાં વર્ણવવામાં આવેલા દરેકે દરેક વિજ્ઞાન સિદ્ધ જ છે, શોધવાના બાકી કે અપૂર્ણ નથી પણ સંપૂર્ણ, સાચા અને સાંગોપાંગ જ છે જેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જીવનમાં ઉતારવાને જરાય સંકોચ રાખવાનું કારણ નથી. એક વાર એક વાત કહેવામાં આવી હોય, તે જ વાત પછીના વખતમાં ખોટી ઠરે ને તેને ઠેકાણે બીજી શોધ આવે, એવું નથી. સંયમ સર્વસુખનો ઉપાય છે. સંતોષ વિના સંયમ અશક્ય છે. અને દુનિયામાં પણ સુખનું મૂળ સંતોષ ગણાય છે. એવા સર્વ સુખના મૂળભૂત સંયમમાર્ગમાં આ શ્રુત નંદી મંગળરૂપ આશીર્વાદ સમાન સાધક છે. આ શ્રુતની મદદ વિના સંયમમાર્ગ અશક્ય, અપ્રાપ્ત અને ભારે થઈ પડે છે. ત્યારે આ શ્રુતની મદદથી તે શકય, સહસા પ્રાપ્ત અને સહજ સરળ થઈ પડે છે. આ શ્રુતને દેવો અને માનવોએ સર્વમાન્ય ગણીને તેની આગળ પોતાનું માથું નમાવ્યું છે. આ થુતમાં કેવળ જૈન ક્રિયાઓ કે કથાઓ જ નથી, પણ આખા જગતના દરેકે દરેક પદાર્થો, તેનાં વિજ્ઞાન અને એકંદર આખા વિશ્વનું તત્વજ્ઞાન તેમાં સમજાવ્યું છે. લોક, મર્યાસુર, અને આ જગત તેમાં પ્રતિષ્ઠિત છે. એટલે કે પ્રતિબિંબિત છે. માટે તેમાં ત્રણ કાળના સર્વ દ્રવ્ય ક્ષેત્ર ભાવનું પ્રતિબિંબ પડેલું છે. એ શ્રુતજ્ઞાનની હરીફાઈ કોઈ પણ કાળે કોઈ પણ કરી શકતું નથી. તે સદા સર્વોપરી અને વિજયી જ રહે છે. આજે પણ આ કાળમાં પણ તે કેવી રીતે સર્વોપરી તરીકે વિજયવંત છે, તે નીચેની હકીકત પરથી સમજાશે. અને પોતે વિજયી હોવાથી જ તેની પછીના ચડિયાતા કમના દેશવિરતિ સામાયિકધર્મ અને સર્વવિરતિ સામાયિકધર્મ પણ જગતમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે અને વિજયી રીતે જગતનું કલ્યાણ કરી રહ્યા છે. આ શ્રુત સિદ્ધ છે. એવી માન્યતા અને અચળ શ્રદ્ધાવાળાને સમ્યગુદર્શન-સામાયિકધર્મની પ્રાપ્તિ થાય છે, અને એવા અચળ શ્રદ્ધાળુ જ શ્રુતનો અભ્યાસ કરી શ્રુતસામાયિક ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. શ્રુતસામાયિક ધર્મની પ્રાપ્તિ કરી હોય તે જ દેશવિરતિ સામાયિકધર્મની કે સર્વવિરતિ સામાયિકધર્મની પ્રાપ્તિ કરી શકે છે. માટે આ શ્રુત સિદ્ધ, સર્વમાન્ય અને પૂજ્ય છે. અને તેમાં સર્વ જિજ્ઞાસુઓને સંતોષ થાય એવી રીતે ત્રિકાળના વિશ્વનું પ્રતિબિંબ પડેલું છે. સંયમમાર્ગમાં અસાધારણ મદદ કરનાર છે. આવો અદ્ભુત વાસ્તવિક મહિમા આ સૂત્રમાં શ્રુતજ્ઞાનનો ગાવામાં આવ્યો છે, જે યથાર્થ અને સુશ્રદ્ધેય છે, જે પ્રેરક અને આનંદદાયક છે. આજના કાળમાં પણ આ શ્રુતજ્ઞાન સર્વોપરી અને સકળ જગત જંતુનું કલ્યાણકર કેવી રીતે છે ? તે અતિસંક્ષેપમાં વિચારી લઈએ :કોઈ પણ એક સમર્થ ધનવાન ગૃહસ્થ-આ જગતમાં વિદ્યમાન જગતનું તમામ સાહિત્ય પુસ્તકો Page #142 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો અને રોજ રોજ નવું લખાતું અને છપાતું સાહિત્ય એકઠું કરીને એક મોટો ઢગલો કરે, તો તે ઢગલો એવડો મોટો થાય, કે તે જોઈને આપણને કદાચ મેરુપર્વતનું સ્મરણ થઈ આવે. એ સાહિત્યના મુખ્ય બે ભાગ પડી શકશે. એક તો છેલ્લાં બસો વર્ષની આસપાસનું આધુનિક સાહિત્ય, અને બીજું તે પહેલાનું પ્રાચીન સાહિત્ય, તે પ્રાચીનને અનુસરીને હમણાં લખાયેલા સાહિત્યને પણ પ્રાચીન સાહિત્યમાં જ ગણીશું. કોઈ પણ સાહિત્યનું પ્રમાણ ઘણું વિશાળ છે કે અલ્પ છે, તે ઉપરથી તેની કિંમત અંકાતી નથી. પણ તેમાં જેમ વિશેષ સંગીનતા, વ્યવસ્થા, કળા, ઊંચ ઉદ્દેશ, તાત્વિકતા અને જેમ બને તેમ પરોપકારનું તત્ત્વ વિશેષ હોય, તેમ તેમ તેનું મહત્વ વધારે અંકાય છે. [હમણાં જ એક યુરોપના વિદ્વાનના ત્રણ પાનિયાના પુસ્તકનું વિવેચન કરનારાં ત્રણથી ચાર હજાર પુસ્તકો રચાઈ ગયાં છે. ત્યારે આપણે કહેવું પડશે કે રોજ ને રોજ બહાર પડતા છાપાઓનાં પાનિયાઓને પાનિયાઓ કરતાં એ ત્રણ પાનાના પુસ્તકનું મહત્ત્વ સહજ રીતે વધારે ગણવું જોઈએ. એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એ ત્રણ પાનાનો પણ ભાવાર્થ એ વિદ્વાને દોઢ ઈંચની જગ્યામાં ગણિતના ૧૮ અક્ષરોથી બતાવીને પોતાની સમજ પ્રમાણેના આખા જગતનાં તમામ તો સમજાવવા પ્રયત્ન કર્યો છે.] અર્થાત સંગીનતા, તાત્વિકતા, પરોપકારિતા, સ્પષ્ટતા, વ્યવસ્થા, કળા, જીવન માર્ગદર્શિતા, પ્રમાણસિદ્ધતા અને ઉચ્ચ ઉદ્દેશ એ વગેરે કોઈ પણ સાહિત્યની શ્રેષ્ઠતાની પરીક્ષા માટેની ખાસ કસોટીઓ છે. આજના જમાનાની ગોરી પ્રજાએ, જગતની સંસ્કૃતિવાળી ઈતર પ્રજાઓ અને ખાસ કરીને ભારતીય આર્યપ્રજા સાથેની હરીફાઈ ખાતર વિજ્ઞાનની અનેક શોધો પાછળ પોતાનો સર્વસ્વ ભોગ આપવા પ્રયત્ન ચલાવ્યો છે. ત્યારથી તેને લગતું જે મુખ્ય સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે તેને અર્વાચીન સાહિત્ય કહીશું, તેને અનુસરીને અનેક પ્રકારનું લખાણ કાગળો ઉપર થઈ રહ્યું છે, અને હજુ થયે જાય છે. આધુનિક વૈજ્ઞાનિક શોધોની મદદમાં બે સામગ્રી લેવામાં આવે છે. ૧. પ્રાચીન સાહિત્ય, અને ૨. બીજી તે પ્રાચીન સાધનો ઉપર મંડાણ માંડીને નવા સ્વતંત્ર સાધનોથી વિગતવાર હજારો બલ્ક લાખો દિશામાં સંશોધનો ચાલી રહ્યાં છે. સંશોધનોના પ્રયત્નનું અંતિમ પરિણામ તો એ છે કે, જગતનાં સત્યો જાણવાં. પણ જાણવા શા માટે ? તે જાણી તેના ઉપરથી યોગ્ય જીવનમાર્ગ નકકી કરી યોગ્ય માર્ગે જીવન જીવવું, એ મુખ્ય ઉદેશ છે. અર્થાત્ જગતનાં સત્યોના સંશોધનનો અંતિમ ઉદ્દેશ અનેકવિધ જિજ્ઞાસાઓની તૃપ્તિ નથી, પણ યોગ્ય માર્ગે જીવન જીવવું અને કોઈ અપૂર્વ એવો જીવનનો આનંદ લેવો, એ તેનો અંતિમ ઉદ્દેશ છે, તે જ હોઈ શકે, અને તે જ હોવો જોઈએ. વૈજ્ઞાનિક શોધો જાણીને લોકો બેસી રહેતા નથી. પણ તેના પેટંટ લઈને લોકોને તે સામગ્રી પૂરી પાડવામાં આવે છે. અને એ શોધ જનસમાજના Page #143 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો જીવનમાં ઉપયોગી બનાવવા પ્રયત્નો કરવામાં આવે છે. શોધનો ઉપર જણાવેલો ઉદ્દેશ પુરવાર કરવાને એક જ દલીલ બસ છે. પણ આજની શોધો દરેક અપૂર્ણ જ છે. એક નવી શોધ થાય છે કે જૂની ખોટી ઠરે છે. અલબત્ત, જે વખતે જે શોધ થાય તેના વકરાનાં અને વ્યાપારનાં ક્ષેત્રો ઊઘડે છે, ઉઘાડવામાં આવે છે. લાગવગ તથા સત્તાના ઉપયોગથી તેનો પ્રચાર કરવામાં આવે છે. અને “અમે જનસમાજને લાભ આપીએ છીએ.” એવો દાવો સંશોધકો કરે છે. પણ તેવામાં બીજી શોધ થઈ શકે તે નવી વસ્તુઓનો વકરો. શરૂ થાય છે. આથી નુકસાન એ થાય છે કે, જેઓ તાત્વિક અને સંપૂર્ણ શોધોને પરિણામે જગતના ત્રિકાળ સિદ્ધ સાધનો અને માર્ગોનો ઉપયોગ કરતા હોય છે, તેના ઉપર લાગવગ અને સત્તાની અસર પાડવાથી તેઓ તેથી વંચિત રહે છે એ નુકસાન થાય છે. આધુનિક વિજ્ઞાનની શોધોના ઈતિહાસના લેખકો કહે છે કે : “હજુ તો આટલી બધી મહેનતને અંતે પણ પાશેરામાં પહેલી પૂણી કંતાઈ છે.” અર્થાત્ હજુ તો જગતનાં તત્ત્વો આધુનિક શોધખોળથી શોધાયાં છે, તેના કરતાં અનંત ગુણા શોધવા બાકી છે. માટે આધુનિક વિજ્ઞાન સાધ્યમાન છે. તેથી તેનું સાહિત્ય પણ સાધ્યમાન છે, સિદ્ધ નથી. | સર્વ વિજ્ઞાન શોધાઈ રહે, અને સર્વ વિજ્ઞાનોના તારણ રૂપ તત્વજ્ઞાન વ્યવસ્થિત થાય, તે પછી નિશ્ચિત જીવનમાર્ગ શોધાય, પછી જગત તે માર્ગે ચાલે અને શાશ્વત કે સર્વોત્તમ-વૈજ્ઞાનિકોએ છેવટનો જે ઠરાવ્યો હોય-તે આનંદ મેળવી શકે. શું આ અનંતકાળે પણ પામરોથી શકય છે ? નથી જ. માટે આધુનિક વિજ્ઞાન અને તેને લગતું સાહિત્ય વિશ્વાસ કરવા લાયક જ નથી તેમજ તે ઉત્તેજનપાત્ર પણ નથી. માત્ર નવી નવી ફોસલામણી વાતો અને દેખાવો કરીને અત્યારની ગોરી પ્રજા પોતાના સ્વાર્થી સિદ્ધ કરવા મથે છે, તે સિવાય કાંઈ પણ તાત્પર્ય દેખાતું જ નથી. અમુકને પાડે છે, અને અમુકને ચડાવે છે. અમુકને મોટા બનાવે છે, અમુકને આશ્રિત બનાવે છે, આજે અમુક સિદ્ધાંતો મૂકે છે, કાલે અમુક નવા સિદ્ધાંતો મૂકે છે. પરમ દિવસે તેને રદ કરે છે. આમાં જગતના કલ્યાણનું કાંઈપણ સ્થાયી તત્ત્વ નથી. તેથી અત્યારનું સાહિત્ય એ સાહિત્ય જ નથી, ખાલી ઇંદ્રજાળ છે. પ્રાચીન સાહિત્યમાં-દરેક ધર્મગ્રંથો જેવા કે-વેદો, ઉપનિષદો, અવેસ્તા, બાઇબલ, કુરાન, ગણિપટકો વગેરેનો અને તેને અનુસરતા ધર્મગ્રંથોનો અને દાર્શનિક ગ્રંથો તથા જુદાં જુદાં વિજ્ઞાનો, કળાઓ, નોંધો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ તે દરેક પણ જુદાં જુદાં વિજ્ઞાનો પૂરાં પાડે છે. બાઇબલ માત્ર નીતિનો ઉપદેશ આપીને ચૂપ રહે છે. કુરાન મોઘમ નીતિ અને ધર્મ સમજાવીને બાજુએ રહે છે. તેમજ અવેસ્તા અને વેદોમાં પણ લગભગ એવા મોઘમ વિષયો જ છે. વેદાંત, વૈશેષિક વગેરે દર્શનો જગતનું એકીકરણ કે પૃથકકરણ વગેરે જુદાં જુદાં વિજ્ઞાનો જ સમજાવે છે. યોગશાસ્ત્ર, અર્થશાસ્ત્રો, વૈદક, ધનુર્વેદ, પુરાણ વગેરે તો સ્પષ્ટ જ જુદાં જુદાં વિજ્ઞાન છે. બૌદ્ધો કેવળ વૈરાગ્યનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે જૈન શાસ્ત્રો લાખો બબ્બે કરોડો વિજ્ઞાન સમજાવી દે છે અને ઉપરાંત આાવાદમય તત્વજ્ઞાન Page #144 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો સમાવે છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય જીવનમાર્ગ નકકી કરી આપે છે. જો કે એ માર્ગથી વિરુદ્ધ તો જગતમાં કોઈથી જઈ શકાતું જ નથી. પણ એ માર્ગની સાબિતી અને જીવનસિદ્ધિમાં સાંગોપાંગ ઉપયોગીતા જૈન સિવાય કોઈથી સાબિત કરી શકાઈ નથી. આ દૃષ્ટિથી આ જગતમાં આજે પણ એકલું જૈન દર્શન જ સંપૂર્ણ તત્ત્વદર્શન છે, અને યોગ્ય જીવનમાર્ગનું તેણે જ સંશોધન કર્યું છે, તે માટે જ તે સિદ્ધ છે, પણ સાધ્યમાન નથી. ૭૧ જૈન ગ્રંથોની ભલે સંખ્યા ઓછી હોય, પણ તે અમુક માનવોના જ હિત માટે નથી, પણ સમસ્ત પ્રાણી માત્રના કલ્યાણની મહા અહિંસા તેમાં ઉપદેશાયેલી છે. તેનો ઉદ્દેશ ઘણો ઊંચો છે. તેમાં અનેક વિજ્ઞાનો અને તાત્ત્વિક વસ્તુઓ છે. એટલું જ નહીં પણ તેના ઉપદેષ્ટા મહાન્ પરોપકારી પુરુષો છે. અને તેને પ્રચારમાં લાવનારા પણ એવા જ સર્વોત્તમ જીવન જીવનારા છે. તે નીચેના ટૂંક ઇતિહાસ ઉપરથી સમજી શકાશે. હાલના જૈન આગમો પ્રભુ મહાવીર સ્વામી પ્રભુએ આપેલા ઉપદેશને અનુસરીને ગણધર ભગવંતોએ રચેલા, તે જ કાળક્રમે જે બચ્યા છે, તે અત્યારે આપણને વારસામાં મળ્યા છે. ગણધર ભગવંત સુધર્મા સ્વામીના ગણના આગમો પરંપરાએ પૂર્વાચાર્યોએ પોતાના શિષ્યોને સંભળાવ્યા તે પ્રમાણે તેઓએ મોઢે રાખ્યા. જેમ જેમ મોઢે રાખવાની શકિત ઘટતી ગઈ, તેમ તેમ કેટલોક ભાગ તૂટક પડતો ગયો. અને ભયંકર દુષ્કાળ જેવા પ્રસંગમાં જ્યારે જ્યારે વધારે છિન્નભિન્નતા થઈ ત્યારે ત્યારે દરેક મોટા આચાર્યો મળીને જે કંઈ બચ્યું હોય તેનો સંગ્રહ કરી લેતા હતા. એવા સંગ્રહ ત્રણ વખત થયા છે. પહેલી વાર પાટલીપુત્ર(પટણા)માં, બીજી વાર મથુરામાં અને ત્રીજી વાર વલ્લભીપુરમાં પુસ્તકારૂઢ થયા છે. જે પુસ્તક રૂપે લખાયા હતા તે ઉત્તરોત્તર લખાતા લખાતા આવીને આજે પણ વિદ્યમાન છે. આગમોનો મૂળવિષય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સામાયિક ધર્મ છે. અને તે સામાયિક ધર્મનું આરાધન જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને ઉદ્દેશીને થઈ શકે છે, તે સમજાવતાં-આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન સમજાવતાં સ્યાદ્વાદ સિદ્ધાંતના આશ્રયથી જગતનાં જુદાં જુદાં લાખો કરોડો વિજ્ઞાનો અને સમગ્ર વિજ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે. અર્થાત્ તેનો મુખ્ય વિષય એક જ છે પણ તે એટલો બધો વિગતવાર ટૂંકામાં સમજાવવામાં આવેલ છે કે-તે આખા શાસ્ત્રના બાર ભાગો પાડવામાં આવ્યા છે, જે બાર અંગોને નામે કહેવાય છે. તેનું પૂરું નામ દ્વાદશાંગી છે. હાલ અગિયાર અંગો મોટે ભાગે વિદ્યમાન છે. પણ બારમું અંગ નાશ પામ્યું છે. જેમાં ચૌદપૂર્વી, પ્રથમાનુયોગ વગેરે વિસ્તૃત ભાગો હતા, લાખો કરોડો વિજ્ઞાનો સમાવતાં અને સૂત્રરૂપે ગૂંથતા પણ હજારો હાથી પ્રમાણ શાહીથી લખાય તેટલું દ્વાદશાંગીનું પ્રમાણ થવા જાય એ સ્વાભાવિક છે. જો કે બારમું અંગ નાશ પામેલ છે, છતાં તેમાંથી ઉદ્ધૃત ઘણા ગ્રંથો વિદ્યમાન છે. જેમ કે - દશાશ્રુતસ્કંધ કે જેમાં કલ્પસૂત્ર આવે છે, ને પચ્ચક્ખાણ પ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ભુત છે. છઠ્ઠો કર્મગ્રંથ બીજા આગ્રાયણીયપૂર્વમાંથી ઉદ્ભુત છે. કમ્મપયડી પંચસંગ્રહ વગેરે કર્મપ્રવાદપૂર્વમાંથી ઉદ્ભુત સંભવિત છે. તે સિવાય આવશ્યક નિર્યુક્તિ, Page #145 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભાગ વગેરેમાં જુદી જુદી પૂર્વાન્તર્ગત ગાથાઓ છે. વળી-યોનિપ્રાભૃત. સિદ્ધપ્રાભૃત, નિમિત્તપ્રાભૃત શબ્દપ્રાભૃત, ગણિત પ્રાભૃત, વિદ્યાપ્રાભૃત, ચિકિત્સાપ્રાભૃત વગેરે પ્રાભૂતો પૂર્વમાંથી ઉદ્દત હોવાનો સંભવ છે જ, કેમ કે પૂર્વોમાંનાં અમુક પ્રકરણો પ્રાભૃત કહેવાય છે. હાલના આગમો તૂટક છે. છતાં જે ભાગ છે તે અસલનો છે, પણ નવી રચના નથી તેમજ સંપૂર્ણ જેટલા હતા તેટલા પ્રમાણમાં નથી. તદ્દન નવા જ છે એમ પણ નથી. માટે તે માન્ય છે. ત્યાગી પ્રભુએ જગતું શ્રેષ્ઠ રીતે ચારિત્ર પાળી મહાન ઉચ્ચ જીવન જીવી સર્વજ્ઞ થઈ કેવળ જગતના કલ્યાણ માટે નિ:સ્વાર્થ ભાવે ઉપદેશ આપ્યો છે, અને તેમના શિષ્યોએ પણ એવું જ જીવન ગાળી તેની રચના કરી છે. તેમજ પાછળના આચાર્યોએ પણ એવી જ રીતે સંપૂર્ણ ભોગો આપીને તેને કેવળ જગતના હિતને માટે ભયંકર કષ્ટો સહન કરીને ટકાવી રાખેલ છે. તેમાંના ઘણા ઋદ્ધિવંત કુટુંબના પુત્ર-પુત્રીઓ હતાં. અને જગતમાં ભોગવી શકાય તેવા ભોગો ભોગવવાની સગવડવાળા હતા તેમજ પોતે નવો ધર્મ ચલાવી શકે તેવા સમર્થ હતા. છતાં તેમાંનું કાંઈ ન કરતાં કેવળ આ આગમોને જ વળગી રહ્યા અને નિ:સ્વાર્થ ભાવે તેનું મનન કરતા રહ્યા અને ટકાવના ઉપાયો લેતા રહ્યા. તથા તેનો આશય સમજાવનારા અનેક ગ્રંથો જુદાં જુદાં પાત્રોને ઉદ્દેશીને રચ્યા. નિયુકિતઓ, ભાગ્યો, ચૂર્ણિ, ટીકાઓ, વૃત્તિઓ, અવચૂરિકાઓ, ટિપ્પણો, અવતરણો, નોંધો, ઉતારાઓ, ટબાઓ, વિવેચનો, સ્વતંત્ર ગ્રંથ, રાસાઓ વગેરે અનેક ગ્રંથો રચીને એક યા બીજી રીતે આગમો સમજાવવા, પાત્રોને તેનો રસ ચખાડવા જીવનનો મોટો ભાગ રોકયો છે. માણસને બીજો સ્વાર્થ ન હોય, પણ માન તો હોય જ, તે માન પણ મૂકીને પોતાની બુદ્ધિ કે વિચારણાને દૂર મૂકીને કેવળ પ્રભુના વચનઆજ્ઞાને અનુસરવામાં જ પોતાનું કર્તવ્ય માન્યું છે. એટલે સુવિહિત આચાર્યોની રચનાઓ પણ માન્ય અને વિશ્વાસપાત્ર ગણવા લાયક ઠરે છે. આગમોની ભાષાના શબ્દો જગના કોઈપણ સાહિત્યની ભાષાના શબ્દો કરતાં જુદો જ ધ્વનિ ઉત્પન્ન કરનારા છે. તેની પરિભાષાઓ ઘણી જ ગૂઢ છે. સ્યાદવાદને લીધે એક એક શબ્દ અનેક પ્રતિબિંબો ઊભાં કરે છે. રચના શૈલી કળામય અને અદ્ભુત છે જેની તુલના જગતના કોઈ પણ સાહિત્ય સાથે થઈ શકે તેમ નથી. આ તેની રચનાશલીનું જ્ઞાન સ્વતંત્ર અભ્યાસ સિવાય થઈ શકે તેમ નથી. તેનાં ટીકા વગેરે વિવેચનો પણ અમુક ભાગ જ સમજાવતાં હોય છે, છતાં ઘણી બાજુઓ બાકી રહી જાય છે. અનેક અનુયોગો અને અનેકનયનિક્ષેપો, અનુપૂર્વી અને અનાનુપૂર્વી વગેરે દષ્ટિબિંદુથી એક જ સૂત્રપાઠ અનેક સ્વરૂપ ધારણ કરી શકે છે. એક જ સૂત્ર કથાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની દષ્ટિથી વિવેચી શકાય છે. આવાં સૂત્રોનાં ભાષાંતર કરવામાં તેની ભયંકર આશાતના અને ભયંકર અપમાન છે. આજ આગમો છપાય તો અન્યથા યોજનાથી જડવાદની સંસ્કૃતિની અસર થવાથી યથાકથંચિત્ મિથ્યાત્વ વાસિત થઈ જાય છે. તે વાંચવા, ભણવા, ભણાવવાની સરણિ પણ આગમમાં બતાવી છે તે પ્રમાણે Page #146 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૩ રાખવાથી જ સમ્યગદર્શન રૂપે રહે છે. આજના જડવાદ અને વૈજ્ઞાનિક સાહિત્યના ઉત્કર્ષ માટેના પ્રયત્નમાં આગમસાહિત્યની જગતમાં વિદ્યમાનતા વિદનરૂપ છે. તેથી તે પોતાના વિજય માટે વિશ્વાસમાં લઈને તેનો નાશ કરવાના ઉપાયો રચે છે. જ્યાં સુધી આગમો જગતમાં જાગ્રત ભાવે હોય, ત્યાં સુધી માનવોના જીવન પર તેની અસર રહે જ. તેવા સંજોગોમાં હાલનું વૈજ્ઞાનિક જમાનાનું જીવન શી રીતે વિજય મેળવી શકે ? હમણાં જ અમદાવાદમાં યુરોપના એક વિદ્વાન પરદેશી ગૃહસ્થ ભાષણ આપ્યું હતું. તેનો વિષય એ હતો કે “વિજ્ઞાન અને ધર્મ” તેનો આશય એ હતો કે : “ધર્મ વહેમ વધારે છે અને વિજ્ઞાન સત્ય સમજાવે છે. માટે વિજ્ઞાનની ખિલવણીમાં ધર્મો આડે આવે છે. લોકો ધર્મો છોડે, તો વિજ્ઞાનની શોધોનો વધારે ભાવ પુછાય, અને તેની ચીજોના વધારે વકરાથી વિજ્ઞાનને ખીલવવામાં નાણાંની મદદ પણ મળે. માટે ધર્મોની જરૂર નથી” એવો આશય હતો : વિષયનું નામ પણ એવું હતું કે, “હિંદને ધર્મોની જરૂર છે કે વિજ્ઞાનની ?” આ ઉપરથી હાલનો જમાનો ધર્મ અને તેને લગતા સાહિત્યને યુકિતપૂર્વક ધીમે ધીમે અદશ્ય કરવા માંગે છે, એમ સમજાય છે. ચાલુ જીવનપ્રવાહમાંથી તેને ખસેડીને માત્ર પ્રાચીન શોધખોળની વસ્તુ ગણીને તેનો સંગ્રહ પણ સત્તાની માલિકીમાં લાવીને કેટલોક કાળ ગયા પછી “હવે આ વસ્તુઓ જીવનમાં ઉપયોગી નથી, માટે તેને સાચવવાનો બોજો શા માટે ઉપાડવો ? શા માટે મકાનો અને ખર્ચ રાખવાં. જે જોઈએ તે વિજ્ઞાન આપણને આપે છે. આવી મનોદશા થયા પછી જેમ ભારતના ઘણા પ્રાચીન અવશેષોનો ઈંડિયા ઑફિસ તરફથી ઈંગ્લેંડમાં નાશ કરવામાં આવ્યો તથા હમણાં બે વખત મનુસ્મૃતિ બાળવામાં આવી. આ વગેરે ભણકારા ભાવિ અનિષ્ટના જરૂર સૂચક છે. એક તરફથી તેનાં વખાણ થાય છે. તેમ કરીને પ્રાચીન મિલકતો સાચવવાને બહાને કબજો કરવા માટે પ્રયત્નો જણાય છે. માટે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. આ જગતકલ્યાણની પ્રભુમહાવીરની વાણી માટે ઉત્તરોત્તર વધારે ભય ભરેલો જમાનો આવતો જતો હોય તેવું અનુમાન કરી શકાય છે. આ આગમ જ્ઞાનની મજબૂત રક્ષા માટે પૂર્વાચાર્યોએ સાત ક્ષેત્રોમાં જ્ઞાનખાતું રાખ્યું છે. પણ આજે તો તે જુદાં જુદાં પુસ્તકો છપાવવામાં અને પંડિતોના પગારમાં ખર્ચાય છે. અને કદાચ સરકારી અધિકારી નીચે આવ્યા પછી તો તે નાણાં છપાવવામાં વિશેષ ખર્ચાય એ સ્વાભાવિક છે. ત્યારે આપણે એ નાણાં આ જમાનો ચાલ્યો જાય કે તે પછી ગમે તેવા જમાના ચાલ્યા જાય, તો પણ તે વખતે પણ જે વિજ્ઞ માનવો હોય તે વખતે અત્યારના આગમો અને તેના વિવેચનરૂપ રાસ વગેરે પણ લીંટીએ લીટી જેમ બને તેમ બચી રહે, અને તેના હાથમાં મળી શકે, તેવી મહા દીર્ધદષ્ટિવાળી યોજના આજથી કરવી જોઈએ. નહીંતર છપાયેલા ગ્રંથોનું આયુષ્ય લાંબું નથી. તથા નવી આવૃત્તિઓ હવે પછીના વધતા જતા વિજ્ઞાનના જમાનામાં લગભગ અલ્પસંભવિત બનશે. અને સો વર્ષ સુધીમાં તો તે ઘણું કબજે પડી ગયું હશે. પઠનપાઠન પણ ઘણે ભાગે તેનું બંધ જેવું હશે. કૉલેજોમાં મોટે ખર્ચે કોઈક જ ભણશે. અને તે વખતે કહેવાતું વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂકયું હશે. જૈન સંઘ કે જૈન સાધુને તેને જેને શૈલી અનુસાર વાંચવું વિચારવું કે ઉદ્વરવું હશે, તો તે તેને મળી શકશે કે કેમ એ પણ સંશય છે. કારણ કે તેની માલિકી કોઈ જુદી જ સત્તાની હશે. દેશનાયકો ભંડારોમાંથી Page #147 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચોરી જવાની વાત કરે છે અને કેટલાક જાહેર ભંડારમાં મૂકવાની વાત કરે છે, એ બધા ઉપરથી આપણે ઘણો ધડો લેવા જેવો છે. આજે કૉલેજોમાં ચાલતા અર્ધ માગધી કોર્સ ૩૦-૩૫ વર્ષથી વધારે વખત ટકી શકશે નહીં. અમુક સંખ્યામાં વિદ્વાનો તૈયાર થયા પછી તેની જરૂર નહીં રહે. અલબત્ત ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ જૈન સંઘ ધારે તો પોતાના પૂજ્ય આગમોને માટે ઘણી જ-અત્યન્ત દીર્ધદષ્ટિથી પોતાની ઘણે દૂરની ભાવિ પ્રજા માટે પણ જગતમાં વારસો મૂકી જઈ શકે તેમ છે. મુદ્રણ, ભાષાંતરો વગેરે તરફ શક્તિ ખર્ચવાને બદલે, જો જૈન સંઘ આગમો આ વિશ્વમાં લાંબો કાળ કેમ ટકી રહે તેને માટે પ્રયાસ કરે, તો તે જ પ્રયાસ વધારે યોગ્ય છે. બીજી પ્રજાઓ ભણશે, જાણશે ને બચાવશે એ વિચાર યોગ્ય નથી. તેમાં આપણી અશકિતની અને બીજા ઉપર આધારની કબૂલાત છે. બીજી પ્રજાઓ વાંચે ભણે છે, તે માત્ર વ્યાપારી બુદ્ધિથી અને પોતાના રાષ્ટ્રની સ્વાર્થદષ્ટિથી તેઓ વાંચે ભણે છે, નહીં કે આધ્યાત્મિક હેતુથી, કારણ કે તે પ્રજામાં આર્ય લોહી નથી. ધમમાં પ્રવેશ પણ રાષ્ટ્રીય દષ્ટિ જ હોય છે. મોટા વિદ્વાનો પ્રવેશ કરે છે. તેઓએ યુનિવર્સિટીની પદવી લીધી હોય છે. અને આત્મા તથા પુનર્જન્મ વિષે તો સર્વથા સંદિગ્ધ જ હોય છે. માત્ર જાણવા તથા અનેક રાષ્ટ્રીય હેતુઓથી અભ્યાસ કરે છે તથા ધર્મ પાળવા દોરાય છે, અને એક જર્મન બાઈના એક લેખ પરથી તો ધર્મગુરુઓને બદલે ઉપદેશક અને અધ્યાપક બનવા માટે પણ તેઓનો પ્રયાસ છે. છતાં કોઈ હાર્દિક રીતે જૈન વગેરે આર્ય ધર્મોનો અભ્યાસ ન જ કરે તેમ નથી. પણ હાલ એવાં ચિહ્ન દેખાતાં નથી, કારણ કે તેઓનાં હૃદયોમાં આજે રાષ્ટ્રીય સ્વાર્થ છલોછલ ભર્યો છે. વિજ્ઞાન જ્યાં સુધી આત્મા અને પુનર્જન્મ ન શોધે ત્યાં સુધી તેઓ હૃદયથી કબૂલવા તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ ઉપર વિશ્વાસ મૂકવો અસ્થાને છે. જો કે સાચા વિજ્ઞાનને અને સાચા ધર્મને પરસ્પર વિરોધ નથી જ, પણ સંબંધ છે જ. વિજ્ઞાન વિના ધર્મ નથી અને ધર્મ વિના વિજ્ઞાન નથી. પણ આ બાબત આજે કોઈ વિચારે તેમ નથી. માટે ટૂંકામાં સિદ્ધ આગમોને આજે પણ પરમપૂજ્ય માનીને-સુશ્રદ્ધેય માનીને, સર્વકલ્યાણપ્રદ માનીને તેને જ અનુસરવું એ આજના જમાનામાં પણ જૈનોનો પરમધર્મ છે. આર્ય સંસ્કૃતિ ટકાવવાનો માર્ગ છે. વૈદિક દર્શનો, ઈસ્લામ, અવેસ્તા, બૌદ્ધ, બાઈબલ એ પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છતાં આર્યસંસ્કૃતિના વિરોધી નથી. પણ આજનો જમાનો સીવીલાઈઝ અને તેને અનુસરતાં દર્શનો – આર્યસમાજ, અસહકાર, થીઓસોફીસ્ટ, બ્રાતૃભાવની ભાવના, કોમ્યુનિસ્ટ પક્ષ, સર્વ ધર્મ પરિષદુ, વિજ્ઞાનવાદી – વગેરે આર્યસંસ્કૃતિના વિરોધી છે. ઊંચામાં ઊંચા જૈન કુટુંબમાં જન્મેલી વ્યકિત પણ જેટલે અંશે આજની સીવીલાઈઝ સંસ્કૃતિને હાર્દિક જાણતાં અજાણતાં ટેકો આપે, તેટલે અંશે એક મુસલમાન કે એક ખ્રિસ્તી કરતાં પણ વધારે આર્યસંસ્કૃતિને ધકકો પહોંચાડે છે. કારણ કે ઈસ્લામ કે બાઈબલનો ચુસ્તભક્ત આર્યસંસ્કૃતિને ટેકો આપનાર નહીં હોય, પણ તેટલો વિરોધી તો નથી. ત્યારે આજ સીવિલાઈઝ સંસ્કૃતિ સર્વ સંસ્કૃતિને અને સર્વની શિરોમણિ આર્ય સંસ્કૃતિને બદલે પોતાનું સ્થાન જમાવવા માંગે છે. માટે ખાસ વિરોધી છે. આર્ય સંસ્કૃતિનું કેન્દ્ર જૈન આગમો છે. માટે આ જમાનામાં જૈન આગમોનો Page #148 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૭૫ બચાવ અને તેની પ્રતિષ્ઠાનો વાસ્તવિક બચાવની મોટામાં મોટી જવાબદારી જૈન સંઘ ઉપર આવી પડી છે. પરંતુ જ્યાં સુધી જૈન સંઘનાં સર્વ અંગોના હૃદયમાં એ આગમો તરફ અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હશે, અને આગેવાનો ચેતતા હશે ત્યાં સુધી બહુ ભયને અવકાશ નથી. પણ ચેતતા નર સદા સુખી. હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુવૈજ્ઞાનિક સાધનોથી લખાવવા અને હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુરક્ષિત રાખવા યોજના કરવી તથા પઠન પાઠન ચાલુ રાખવું. જ્ઞાન પંચમી વગેરે આગમભક્તિના દિવસોને ઊજવવા. દીક્ષિત થઈ સારા માણસો સાંસારિક સુખોનો ભોગ આપી આગમોનું જ્ઞાન લોકપ્રિય કરવા જિંદગી આપે વગેરે ઉપાયો જણાય છે. રોજની આવશ્યક ક્રિયામાં આ દૃષ્ટિથી આગમોની સ્તુતિ, કાઉસ્સગ્ગ ખાસ પૂર્વાચાર્યોએ ગોઠવ્યા છે. તે દરરોજ સંઘને જાગ્રત રાખવા માટે છે, તે હવે સહેજે સમજાશે. અને પ્રતિક્રમણાદિ વખતે પુખરવર સૂત્ર કેવા ભાવથી ઉચ્ચારવાનું છે ? તે પણ સમજાશે. આજનો સંઘ જે બેદરકાર રહેશે, તો ભવિષ્યકાળમાં આગમ જ્ઞાનને જબ્બર ફટકો પડશે, આજે થતી ગ્રંથપ્રસિદ્ધિ ભૂલ ખવડાવનારી છે. ૩. સિદ્ધસ્તવ સૂત્રનો વિશેષાર્થ :- જે તીર્થંકર ભગવંતોએ તીર્થ પ્રવર્તાવી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, તેની આરાધના નિમિતે ચૈત્યવંદન, શક્રસ્તવ, સ્તવન વગેરે સૂત્રો બોલી, સાક્ષાત્ તીર્થકરો, તેનાં ચૈત્યો, પ્રતિમાઓ, નામો અને ભાવતીર્થકરોના જીવો એ સર્વની સ્તવના કરી. પણ તે જ તીર્થંકરો આજે સિદ્ધ-સ્વરૂપે તો વિદ્યમાન જ છે. તો તેની અને તેના જેવા પવિત્ર બીજા સિદ્ધ પરમાત્માઓની સાક્ષાત્ શબ્દોમાં સ્તુતિ કરવાની ખાસ જરૂરિયાત રહે જ છે. જે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રથી પૂરી કરવામાં આવે છે. પહેલી ગાથામાં સર્વ સિદ્ધોની સ્તુતિ છે, અને છેલ્લી ગાથામાં ચોવીસ સિદ્ધ ભગવંતોની સ્તુતિ છે. અથવા એ ગાથાની વ્યાખ્યાના અભિપ્રાય પ્રમાણે અનેક રીતે તીર્થંકર ભગવંતોની સ્તુતિ છે. બીજી અને ત્રીજી ગાથામાં સિદ્ધ તરીકે થયેલા આસનોપકારી મહાવીર પરમાત્માની સ્તુતિ છે. ચોથી ગાથામાં બાળબ્રહ્મચારી નેમિનાથ પ્રભુની સ્તુતિ છે. સાંભળવા પ્રમાણે આ ગાથા અમુક આચાર્ય મહારાજે કોઈ શાસનના હિતને ઉદ્દેશીને ઉમેરી છે. પણ એ ગાથામાં પણ નિષદ્યા શબ્દથી પ્રભુના મોક્ષનું વર્ણન તો છે જ. એટલે એક રીતે સિદ્ધ સ્તુતિ કહી શકાય. ચત્તાર અઠે દશ ગાથાના જુદા જુદા અર્થોચારિઅઠદસદોયવંદિયા જિણવરાચઉવ્વીસં; પરમઠનિઠિઅઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૧ ૧. અષ્ટાપદ ઉપર વંદન : [દક્ષિણ દિશામાં] ચાર, [પશ્ચિમ દિશામાં] આઠ, [ઉત્તર દિશામાં] દશ, અને [પૂર્વ દિશામાં] બે એ પ્રકારે અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને પરમાર્થ સમાપ્ત કરીને મોક્ષમાં ગયેલા ચોવીસ Page #149 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો તીર્થકરો મને સિદ્ધિ આપો. વ અથવા-[ઉપરની મેખલામાં] ચાર, [વચ્ચેની મેખલામાં આઠ, [નીચેની મેખલામાં] દશ અને બે. એ પ્રમાણે પણ અષ્ટાપદ ઉપર વંદન થાય છે. ૨. સમેત શિખર ઉપર વંદન : ચત્ત (ત્યાગ કર્યો છે) અરિ [શત્રુઓનો જેણે એવા] ૮, ૧૦, અને બે એમ વીસ (એટલે) ૨૦ પરમઠનિઅિઠા (ખરેખરી રીતે કૃતકૃત્ય થઈને મોક્ષમાં) સિદ્ધા [ગયા છે તે સમેત શિખર ઉપર વંદન કરાયેલા મને સિદ્ધિ આપો. ચઉમાંથી ચ અને ઉ અવ્યય તરીકે ગણવા. ૩. શ્રી શત્રુંજય ઉપર વંદન : અઠદસ (અઢાર) + [ચ અને ઉ ઉપર પ્રમાણે અવ્યય સમજવા] વીસ (વીસ ભાગ્યા) ચત્તારિ (ચાર બરાબર)પાંચ (બરાબર) દોય વંદિય [ઇન્દોથી વંદન કરાયેલા] ૨૩ તીર્થકરો. પર-મ-ટ્ટ [પરાઉત્કૃષ્ટ, મા લક્ષ્મીમાં રહેલા સમવસરેલા નિઅિઠા (કેવળજ્ઞાન રૂપી સંપત્તિ પામેલા] સિદ્ધા [શાસન સ્થાપનાર અને મંગળભૂત], મને સિદ્ધિ આપો-મિ વિના ત્રેવીસ તીર્થંકર-ગિરિ ચડિઆ આણંદાજી.] ૪. નંદીશ્વર દીપ ઉપરનાં ચેત્યોને વંદન. ૪ ૪૮ = ૩૨. ૧૦ x ૨=૨૦, ૩૨+૨૦=પર નંદીશ્વર દ્વીપ ઉપર ચૈત્યોને વંદન થાય છે. ચ અને ઉ શબ્દથી–અને એટલે મતાંતરે વ્હીસં ૨૦. નંદીશ્વર દ્વીપ ઉપર વંદાય છે. ૫. સૌધર્મેશાનદેવલોકના ઈન્દ્રની અ-મહિપીઓની રાજધાનીમાં વંદન. ૪+૪+૧૦+૨=૨૪-૪=૨૦ મતાંતરે ૨૪+૪=૩૨. કથા અને પમા અર્થમાં પરમઠ (પરમાર્થથી) નિકઆ [નિષ્ઠા પ્રાપ્ત], અઠા [આસ્થાન-રચના જેઓની] સિદ્ધા [નિત્ય શાશ્વતા] મને સિદ્ધિ આપો. ૬. વિહરમાન અથવા એકી સાથે ઉત્કૃષ્ટપદે જન્મ પામતાં ૨૦ ને વંદન. [જંબૂદ્વીપમાં] ૪ + [ધાતકી ખંડમાં] ૮ + [પુષ્કર દ્વીપમાં] ૧૦-૨૨૮ વ્હીસં ૨૦ [ચ અને ઉ અવ્યય લેવા જઘન્ય પદે વિહરમાન તીર્થંકર પ્રભુ અથવા એકીસાથે ઉત્કૃષ્ટ પદે જન્મ પામતા તીર્થંકર પ્રભુઓને વંદન થાય છે. ત્યાં પરમઠ નિષ્ઠિાઠનો અર્થ પરમાર્થને પ્રાપ્ત કરી ચૂકેલા એટલે ભાવિમાં ભૂતકાળનો ઉપચાર કરવો. અને સિદ્ધા એટલે પ્રખ્યાત થયેલા એવો અર્થ લેવો. ૭. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના જન્મથી અને વિહરતા એવા તીર્થકરોને બે પ્રકારે વંદના. ચારિ-આઠ [ત્યાગ કર્યો છે આઠ ક રૂપી શત્રુઓનો જેણે એવા] દશ, બે (પ્રકારે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના એકીસાથે જન્મ પામતા અને વિહરમાન તીર્થકરોની અપેક્ષાએ). ચ પાદ પુરણે ઉવ્વીસંગઉવશ=રાજાઓ. Page #150 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૮. પાંચ મહાવિદેહોમાં ઉત્કૃષ્ટ વિચરતાને વંદન. ૮ x ૧૦૮૦ x ૨=૧૬૦. ઉત્કૃષ્ટ પદે મહાવિદેહમાં વિચરતા સર્વે વિહરમાન જિનેશ્વરને વંદના થાય છે. ૯. ઉત્કૃષ્ટ વિચરતા ૧૭૦ ને વંદન. ૮૪૮=૧૪, ૧૦x૧૦=૧૦, ૬૪+૧૦૦+૪+૨=૧૭૦. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પદે વિચરતા ૧૭૦ ને વંદન. ૧૦. ભરત કે ઐરાવતની ત્રણ કાળની ત્રણ ચોવીસીને વંદન ૮+૧૩=૧૮ x ૪=૭૨. ભરતની ત્રણ કાળની ત્રણ ચોવીસીઓને વંદના થાય છે. એ જ પ્રમાણે ઐરાવતની પણ ત્રણ ચોવીસીને જુદી વંદના થાય છે. ૧૧. પાંચ ભરતની પાંચ વર્તમાન ચોવીસીને વંદન ૪+૪=૧૨ x ૧૦=૧૨૦. ૧૨. પાંચ ભરતની ત્રણ કાળની કુલ પંદર ચોવીસીઓને વંદન ૮૪ ૧૦=૯૦+૧૦=૯૦ x ૪-૩૬૦. તેમાં ત્રણ કાળનાઓને વંદન છે. ૧૩. ભરત ઐરાવતની ત્રણ કાળની, વર્તમાન, અને પાંચેયના ત્રણ કાળની ચોવીસીઓને વંદન - ૭૨, ત્રણ કાળની ચોવીસીઓ, ૧૨૦, પાંચ ભરતની વર્તમાન ચોવીસીઓ, ૩૬૦ પાંચેય ભરતની ત્રણ કાળની ચોવીસીઓ, [અને ૨૪મા વર્તમાન ચોવીસી એક જ ભરતની તો આવી જાય છે.] હવે ૭૨ x ૨=૧૪૩. ૧૨૦ x ૨=૨૪૦. ૩૬૪=૭૨૦ – ૨૪ ચોવીસીઓએ ભાગતાં અનુક્રમે ૬, ૧૦, ૩૦ ચોવીસીઓ થશે. એ ચોવીસીઓને પણ ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં એક સાથે વંદન કરી શકાય. એટલે ૬-બનેયની ત્રણ કાળની, ૧૦ પાંચ પાંચની વર્તમાન કાળની, અને ૩૦, પાંચ પાંચ ભરત ઐરવતની ત્રણ કાળની સમજવી. ૧૪. ઊર્ધ્વ, અધો અને તિર્થીલોકમાં વંદન. [અનુત્તરોમાં ૧. રૈવેયકમાં ૨. બાર કલ્પોમાં ૩. અને જ્યોતિષીઓમાં ૪. એ એમ ઊર્ધ્વલોકમાં]. ચાર, [અધોલોકમાં-આઠ વ્યંતરોમાં આઠ [ભવનપતિઓમાં] દશ, [અને પૃથ્વી ઉપર શાશ્વત-અશાશ્વત ભેદથી] ૨, એમ ત્રણ લોકનાં સ્થાનોમાં ૨૪ તીર્થકરોને વંદન થાય છે. ૧૫. પાંચ ભરત અને પાંચ ઐરાવતની એકીસાથે વર્તમાન ચોવીસીઓને વંદના. ૪૫૮=૧૨ x ૧૦=૧૨૦ x ૨=૨૪૦. ૧૬. તિર્થીલોકમાં સર્વ સિદ્ધાયતનોમાં વંદના. જંબૂદ્વીપમાં ૬૩૫ ધાતકીખંડમાં ૧૨૭૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૭. પંચ પ્રતિકમાણસૂત્રો પુષ્કરાર્ધ દ્વીપમાં મનુષ્યલોક બાહિર ૧૨૭૬ ૯ર ૩ર૭૫ કુલ તિષ્ણુ લોકમાં ચૈત્યો છે, તેને વંદન થાય છે. ૧૭. આ ઉપરાંત પણ આ ગાળામાં અનેક રીતે વંદના થઈ શકે છે. ૪ વેયાવચ્ચ-ગરાણમાં-શાસનના હિત નિમિત્તે સમગ્ર દૃષ્ટિ દેવોની સ્તુતિ, કાઉસ્સગ્ગ જૈન શૈલીથી અવિરુદ્ધ છે. તે કરવાના હેતુઓ વેયાવચ્ચ-ગરાણં સૂત્રમાં સાક્ષાત્ છે. તેથી અરિહંત ચેઇઆણં એ સૂત્ર ત્યાં બોલાતું નથી, કારણ કે તેવા હેતુથી આ કાઉસ્સગ-સ્તુતિ કરવામાં આવતી નથી. ૫ દેવવંદન પછી ભગવાનë આદિથી તીર્થકરો આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિરાજેને વંદન થાય છે, અને શ્રાવકો પરસ્પર ઈચ્છકારિ સમસ્ત શ્રાવક વંદું એમ કહે છે. આમ વંદનક્રિયા સંપૂર્ણ થાય છે. દેવવંદનની કેટલીક વિધિઓ. પાંચ દંડકનમુત્થણ]થી દેવવંદન વિધિ. ૧. ઈરિયાવહિયં પડિકકમી; ઉત્તરસંગ કરી યોગમુદ્રાથી ચૈત્યવંદન, જેકચિ, નમુત્થણ, અને મુકતાશુકિત મુદ્રાથી આભવમખેડા સુધી જ વીયરાય કહેવા. ૨. ફરી ચાવંદન, કેચિ, નમુત્યુાં ઊભા થઈ જિનમુદ્રાથી અરિહંત ચેઇઆણં, અન્નત્ય, એક નવકારનો કાઉસગ્ગ, નમોહતત્વ, એક થાય. લોગસ્સ, સવ્વલોએ, અરિહંત ચેઇઆણં, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, બીજી થય પુફખરવર, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ન,ત્રીજી થાય. સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, નમોડહંત ચોથી થાય. ૩. પછી, યોગમુદ્રાએ નમુત્થાણું જિનમુદ્રાએ અરિહંતચેઇન અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, નમોહંત, પહેલી થાય. લોગસ્સ, સવ્વલોએ અરિ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, બીજી થાય. પુખરવર, સુઅસ્સે ભગવઓ, અન્નત્થ, એક નવકારનો કાઉસગ્ગ, ત્રીજી થાય, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણે અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ન, નમોહંત, ચોથી થાય. ૪. યોગમુદ્રાએ નમુલ્યાણ, મુકતાશુકિત મુદ્રાએ જાવંતિ, પંચાંગ પ્રણિપાતથી ખમાસમણ, મુકતાશુકિત મુદ્રાથી જાવંત યોગમુદ્રાથી નમોહેં૦, સ્તવન મુકતાશુતિ મુદ્રાથી આભવમખેડા સુધી જય વિયરાય. ૫. ચૈત્યવંદન, કેચિ, નમુત્યુઘં, મુકતાશક્તિ મુદ્રાથી પૂરા જય વીયરાય. Page #152 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૬. જમણો હાથ ઉપધિ-ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી વિધિ કરતાં જે કોઈ અવિધિ હુવા હોય, તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. જુદી જુદી જાતનાં દેવવંદનોની તિથિઓ. દેવસિઅ-રાઈએ પ્રતિક્રમણમાં દેવવંદનની વિધિઓ ૧. દેવસિઅ પ્રતિક્રમણમાં - ચૈત્યવંદન, કિંચિ, નમુત્થામાં, અરિહંત ચેઇઆણંથી ઉપર બીજી કલમ પ્રમાણે ચાર થાય પૂરી. નમુત્યુાં. ચાર ખમાસમણા ને ભગવાન હું આદિ ચાર વંદન. ઈચ્છકારિ સમસ્ત શ્રાવક વંદું. ૨. રાઇઅ પ્રતિક્રમણમાં: વિશાલલોચન પછી, નમુત્થામાં, અરિહંત ચેઇઆણં, અન્નત્થથી ઉપર બીજી કલમમાં જણાવ્યા પ્રમાણે ચાર થાય પૂરી. પરંતુ વિશેષતા એટલી જ કે તેમાં જેકચિ સૂત્ર નથી આવતું. અને થોયો કલ્લાકંદની જ કહેવાય છે. પછી નમુત્થાં, ભગવાનાં આદિ ચાર થોભવંદન પછી અઢાઈજજે. ૩. પકખિ, ઉમાસી, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં : દેવસિઅ પ્રતિક્રમણની પેઠે જ શરૂઆતમાં દેવવંદન થાય છે. પણ ચૈત્યવંદનમાં સકલાર્વત અને સ્તુતિમાં સ્નાતસા બોલાય છે. . हेववंधन विधिनो विशेषार्थ ખાસ પૂર્વાચાર્ય વિરચિત પ્રાચીન ચૈત્યવંદન પછી કિચિ બોલવામાં આવતું જોવામાં આવતું નથી. પરંતુ તે સિવાયને, ચૈત્યવંદનનો પાઠ બોલ્યા પછી તો જકંચિ બોલાય છે. નમોડસ્તુ વર્ધમાનાથ, વિશાલલોચન, કે ચઉક્કસાય પછી જેકચિ સૂત્ર આવતું નથી. આ ઉપરથી સમજાય છે કે કિંચિ સૂત્ર પૂર્વાચાર્ય વિરચિત ટૂંકામાં ખાસ ચૈત્યવંદન છે. કેટલીક વખત અરધા કે પૂરા જ વિયરાય સુધીમાં જ ચૈત્યવંદન પૂરું થાય છે. ઉપરના પ્રથમ દેવવંદન વિધિમાં નમુલ્યાણ પછી અરધા જયવીયરાય આવે છે. રાઈઅ પ્રતિક્રમણમાં શરૂઆતમાં ચૈત્યવંદન આવે છે. તથા દેવસિઅ પ્રતિક્રમણમાં ચઉકસાય પછી, સ્નાત્ર પૂજામાં, પચ્ચકખાણ પારતાં, એકાસણું કર્યા પછી પોસહમાં જયવીયરાય પૂરા સુધી જ ચૈત્યવંદન થાય છે. ચોમાસી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરેના દેવવંદનમાં પણ કાંઈક વિવિધતાઓ છે. આઠ થોઈના દેવવંદનમાં બે વાર ચાર ચાર થીઈઓ આવે છે, તેનું કારણ વિશેષ બહુમાન સૂચવવા બે વાર બાર અધિકારથી દેવવંદન કરવામાં આવે છે. બાર અધિકારોમાં મુખ્ય વિષય તો પરંપરાએ તીર્થંકર ભગવંતોની સ્તુતિ, સ્તવના સ્વરૂપ વર્ણના, Page #153 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ગુણ વર્ણન, કીર્તન, સંક્ષેપથી, મધ્યમતાથી, કે વિસ્તારથી અને વધારે વિસ્તારથી હોય છે. તીર્થંકર પ્રભુના ચાર નિક્ષેપા પ્રભુની વાણી સિદ્ધાવસ્થા પ્રભુના મુનિઓ, પ્રભુના શાસનના સેવક દેવો વગેરેની સ્તુતિઓ પણ સાથે સાથે ગર્ભિત રીતે આવે છે. પરંપરાએ તેમાં પણ પ્રભુની જ સ્તુતિ હોય છે. [અને પ્રભુની સ્તુતિ પણ નિશ્ચય નથી તો સ્વાભ સ્તુતિ છે. આમ આ રચનામાં પણ આધ્યાત્મિકતા ગોઠવી છે.] ૧. ભાવજિનની સ્તુતિ-નમુOાણંથી જિયભાયાણં સુધી. ૨. જિનની સ્તુતિ-જેઅાઈઆસિદ્ધ ગાથા. ૩. એક ચેત્યના સ્થાપના જિનસ્તુતિ-અરિહંતથી. ૧લી થાય. ૪. નામ જિનની સ્તુતિ-લોગસ્સ. ૫. ત્રણ લોકના સ્થાપના જિનની સ્તુતિ-સવ્ય લોએથી બીજી થોય. ૬. વિહરમાન જિનની સ્તુતિ-મુફખરવરની પહેલી ગાથા. શ્રિત ધર્મના ઉત્પાદકોની] ૭. શ્રુતસ્તવની સ્તુતિ-બીજી ગાથાથી ત્રીજી થાય. ૮. સર્વસિદ્ધ સ્તુતિ-સિદ્ધાણં પહેલી ગાથા. ૯. પ્રભુ મહાવીરની સ્તુતિ- પછીની બે ગાથા. ૧૦. નેમનાથ પ્રભુની સ્તુતિ-ઉર્જિત સેલ. ૧૧. સર્વ તીર્થોની સ્તુતિ-ચત્તારિ અઠ. ૧૨. સમગ દષ્ટિ દેવોની સ્તુતિ-વેયાવચ્ચ-ગરાગ. એક તીર્થકરની પહેલી, સર્વની બીજી, જ્ઞાનની ત્રીજી અને દેવોની ચોથી થાય આવે છે. જે ૩ જા, ૫ મા, ૭ મા, અને ૧૨ મા અધિકારને અંતે આવે છે. વિશેષ વિચાર દેવવંદન ભાષ્ય વગેરે ખાસ ગ્રંથોમાં તથા આગળ આપેલ ચિત્યવંદન વિધિના રહસ્ય ઉપરથી સમજાશે. ૧૧. દેવસિઅ પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો ૨૭. સવ્વસવિ-જઘન્ય પ્રતિક્રમણ સૂત્ર-૧ શબ્દાર્થ:- દેવસિઅ દિવસ સંબંધી. દુઐિતિએ ચિંતિત ખરાબ (સાવધ) વિચારો. દુમ્ભાસિઅ દુભાષિત-ભાષા સમિતિ વિનાનું બોલવું. દુચિકિઅ દુયેષ્ટિત. ઈસમિતિન્વગેરે સમિતિઓ વિના કાયાની પ્રવૃત્તિ. શિષ્ય-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! Page #154 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો દેવસિઅ-પડિકમણે ઠાઉં ? ગુરુ-[ઠાએહ.] શિષ્ય-'સવ્વસ્તવિ મિચ્છા મિ દુક્કડં ।। દેવસિષ્મ “દુચિંતિ’-દુખ્માસિઅ‘-દુચ્ચિòિઅ ગાથાર્થ :- સર્વે ૫ દિવસ સંબંધીના સાવઘ” વિચારો, સાવઘ ભાષા", અને સાવાકાયચેષ્ટા,* એ સંબંધીનું મારું દુષ્કૃત્ય′ મિથ્યા” થાઓ. ૮૧ सव्वरसविनो विशेषार्थ દુર્ચિંતિઅ શબ્દને કોઈ પણ વિભકિત લાગી જણાતી નથી. તે ઉપરથી આ સૂત્રની પાઠરચનાનો સંબંધ આ પ્રમાણે લાગે છે. સવ્વ દિવસિઅ દુચિંતિઅ-દુમ્ભાસિઅ દુચ્ચિટ્ઠિ] સવિ મિચ્છામિ દુષ્કડં. આવી રચનાને ઉપર સૂત્રમાં બતાવ્યા પ્રમાણે મૂકવાનો રિવાજ જૈન સૂત્ર શૈલીમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે, ઈરિયાવહિયં, તસ્સઉત્તરી વગેરેની જેમ કરેમિભંતેમાં આવતા તસ્સને ઠેકાણે અહીં સવ્વસ્સ શબ્દ છે. આ સૂત્ર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત દેવસિઅ પ્રતિક્રમણ રૂપે છે. દિવસના સાવદ્ય વ્યાપારોનું માનસિક ચિંતન કરીને (બાવીસ તીર્થંકર પ્રભુના વખતના) મહાત્મા પુરુષો તસ્સ મિચ્છામિ દુક્કડં બોલીને દેવસિઅ વગેરે જઘન્ય પ્રતિક્રમણો કારણે કરે. ત્યારે અહીં તસ્સનો અર્થ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે, અને વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાવદ્ય પાપો-ઉપર ઉપરથી ધ્યાનમાં લઈને નહીં, પણ સર્વેય લેવા. હવે એ સર્વ પાપો-મન, વચન, કાયાનાં જ હોય. સર્વનો અર્થ એકલા કાયાનાં નહીં પણ ત્રણેયનાં. અને સૂક્ષ્મ કે સ્થૂલ નહીં, પણ બન્નેય પ્રકારના તથા તેના બીજા પણ જેટલા ભેદો પડી શકતા હોય, કે જેનો વિસ્તાર આગળ આવવાનો છે, તે દરેકે દરેક ભેદોવાળા સાવદ્ય યોગોનું મિચ્છામિ દુક્કડં દેવાય છે. છતાં આ મિચ્છામિ દુક્કડં મારફત થતું જઘન્ય પ્રતિક્રમણ માત્ર દિવસનું જ છે, રાત્રિ વગેરેનું નથી. તેમજ દિવસના અમુક ભાગનું નથી, પણ આખા દિવસનું છે. માટે દેવસિઅ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. वसिज प्रतिभाविधिमा छ जावश्योनी गोठव છ આવશ્યકોની ગોઠવણ આખા વિધિમાં જુદી જુદી રીતે નીચે પ્રમાણે જણાય છે : ૬ દિવસમાં પણ નાના મોટા અનેક સાવદ્ય યોગો સેવાયા હોય, તે દરેકનું મિચ્છામિ દુકકરું તો તે વખતે દેવાઈને પ્રતિક્રમણ થતું જાય. છતાં એવા મિચ્છામિ દુકકડં દેવાયા વગરના બાકી રહી ગયા હોય, કે બધા બાકી રહી ગયા હોય, તેનું અને તે બધાનું મિચ્છામિ દુક્કડં દેવાયું હોય પણ બરાબર ન દેવાયું હોય તો પણ તે સર્વનું આ એકસામટું આખા દિવસ સંબંધી મિચ્છામિ દુક્કડં છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧. સામાયિક લેવાથી માંડીને સામાયિક પારવા સુધી આખું દેવસિઅ પ્રતિક્રમણ ગણાય છે. કેમકે આખા દિવસના દેવવંદન-ગુરુવંદન વગેરે છ આવશ્યકોમાંનું સાંજે કરવામાં આવતું પ્રતિક્રમણ એ એક આખું દિવસનું પ્રતિકમણ નામનું આવશ્યક છે. તેમાં નીચે પ્રમાણે છ પેટા આવશ્યક છે. ૧. પ્રથમ સામાયિક લેવું, તે સામાયિક આવશ્યક ૨-૩. વાંદણા દઈ પચ્ચકખાણ લઈએ. એટલે વંદન અને પ્રત્યાખ્યાન આવશ્યક. ૪. પછી ૪ થોયો વડે ભગવાનહ સુધી ચતુર્વિશતિસ્તવાવશ્યક. ૫. સવ્યસ્તવિથી માંડીને અઢાઈજજેસુ સુધી મધ્ય પ્રતિક્રમણ આવશ્યક ૬. ૧૬ નવકારના બે કાઉસ્સગ્ગો: એ કાયોત્સર્ગ આવશ્યક. આખા દિવસમાં આ છમાંનું કાંઈ પણ જેણે ન કર્યું હોય, તેને આ રીતે એકીસાથે છએ ય આવશ્યક સચવાઈ જાય. પરંતુ જેણે દિવસમાં છએ ય આવશ્યકો જુદે જુદે પ્રસંગે કર્યા હોય તેને મુખ્ય પ્રતિક્રમણ સબસ્સવિથી અઢાઈ જજેસુ સુધીમાં મધ્ય પ્રતિક્રમણ થાય. પરંતુ આખા સંઘને માટે વિધિની અખંડતા જાળવવા માટે દરેક વિધિ તો અખંડ જ આચરવો જોઈએ. ૨. હવે, જે સવ્યસ્તવિથી અઢાઈજજેસુ સુધી મધ્ય પ્રતિક્રમણ આવશ્યક બતાવ્યું તેમાં સવ્યસ્તવિએ જઘન્ય દેવસિઅ પ્રતિક્રમણ છે. પછી મધ્યના ૬ આવશ્યકો શરૂ થઈ નમોસ્તુ પહેલાં પૂરા થાય છે. તે નીચે પ્રમાણે છ આવશ્યકો અને વિભાગો છે. ૧. સવ્યસ્તવિ પછી કરેમિ ભંતે! થી આઠ ગાથાના કાઉસગ્ગ સુધી સામાયિક આવશ્યક: ૨. પછી લોગસ્સ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક છે. ૩. પછી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં-ગુરુવંદના આવશ્યક છે. ૪. પછી પ્રતિક્રમણ આવશ્યક શરૂ થઈ આયરિઅ ઉવઝાએ સુધીમાં પૂરું થાય છે. પછી કાઉસ્સગ્ગ આવશ્યક શરૂ થઈ, એક નવકાર ગણીને બેસતા સુધીમાં તે પૂરું થાય છે. ૬. બે વાંદણા દઈ છેવટમાં પચ્ચખાણ લેવા સુધીમાં પચ્ચકખાણ આવશ્યક પૂરું થાય છે. પછી તો આનંદ, ઉલ્લાસ ભાવનારૂપે નમોસ્તુ સૂત્રથી મહાવીર પ્રભુની સ્તુતિ રૂપે ચેત્યવંદન, નમુત્થણ, સ્તવન વગેરે અંતિમ મંગળ થાય છે. તથા અઢાઈજજેસુમાં સર્વ મુનિરાજેને વંદન કરી મધ્ય પ્રતિક્રમણ પૂરું થાય છે. ૩. ઉપર પ્રમાણે મધ્ય પ્રતિક્રમણ આવશ્યકમાં જે જે પેટા આવશ્યકો બતાવ્યાં છે તેમાં જુદાં જુદાં સૂત્રો આવે છે. તે ઘણે ભાગે તેના પણ પેટા છે આવશ્યકો પૂરા કરવા માટે હોય છે. તે પ્રસંગે પ્રસંગે બતાવીશું. ૪. તે તે સૂત્રોમાં પણ છ છ પેટા આવશ્યકો ગૂંથાયેલા હોય છે. તે ગુરુગમથી સમજવા, કેમ કે તેનો વિસ્તાર આ ગ્રંથમાં કરી શકાશે નહીં. છતાં કવચિત્ કવચિત્ તે સૂચવવામાં આવેલ છે અને આવશે. મધ્ય પ્રતિક્રમણની દૃષ્ટિથી તેમાં આવતાં જ આવશ્યકોનાં સૂત્રોનો ક્રમ નીચે પ્રમાણે રહેશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨ જા ચતુર્વિશતિ સ્તવ આવશ્યકનું સૂત્ર લોગસ્સ પ્રથમ આવી ગયેલ હોવાથી તે અહીં આપવામાં આવશે નહીં. ૧. સામાયિક આવશ્યકનાં સૂત્રો. ૨૮. ઈચ્છામિ ઠામિ-પ્રતિક્રમણ ગર્ભિત કાયોત્સર્ગ સૂત્ર-૧ શબ્દાર્થ :- દેવસિઓદેવસિક - દિવસ સંબંધી. અઇઆરો=અતિચાર - ભૂલથી સેવેલો મોટો દોષ. કઓ કર્યો. - કાઈઓ કાયિક-કાયા સંબંધી. વાઈઓ વાચા સંબંધી. માણસિઓમન સંબંધી. ઉલ્સનો ઉત્સવ રૂપ-આગમ વિરુદ્ધ બોલવા રૂપ દોષ. ઉમ્મગ્ગો ઉન્માર્ગરૂપ-જિન આજ્ઞા-માર્ગ વિરુદ્ધ ઉપદેશવા રૂપ દોષ (એ બે વાચિક દોષો). અકમ્પો=અકલ્પ-શ્રાવકને ન કલ્પે તેવા આચરણરૂપ દોષ. અકરણિજ્જો અકરણીય-શ્રાવકને અણછાજતી આચરણા રૂપ દોષ (એ બે કાયિક દોષ). દુ-જઝાઓ દુ-ધ્ધન રૂપ દોષ. દુધ્વિચિતિઓ દુચિંતિત રૂપ દોષ [એ બે માનસિક દોષ]. આગાયારો અનાચાર [પણ]. અણિચ્છિઅવ્યો ન ઈચ્છવા યોગ્ય. અસાવગ-પાઉગો-શ્રાવકને અયોગ્ય. નાણેજ્ઞાનાચાર સંબંધી દંસાને દર્શનાચાર સંબંધી. ચરિત્તાચરિતે [દેશવિરતિ ચારિત્રાચાર સંબંધી. સુએ શ્રુત જ્ઞાન સંબંધી. સામાઈએ સામાયિક સંબંધી. - તિહું ગુત્તીર્ણ-ત્રણ ગુપ્તિ સંબંધી. ચઉpહં ચાર. કસાયાણં=કષાય સંબંધી. પંચPહું પાંચ. અણુવ્રયાણ અણુવ્રતો સંબંધી. ગુણવયાણં ગુણવ્રતો સંબંધી. બારસ-વિહસ્સ=બાર પ્રકારના. સાવગ-ધમ્મસ્મશ્રાવક ધર્મ સંબંધી. ખંડીઅં=ખંડિત કર્યું. વિરાહિઅંકવિરાધ્યું. 'ઇચ્છામિ-કામિકાઉસ્સગ્ગ, જો કે દેવસિઓ અઈયારો ઓ°= 'કાઈઓ, વાઇઓ, માણસિઓ; ઉસ્સો, ઉમ્મગ્ગો, અ-કપ્પો', અ-કરણિજઝો, દુ-ઝાઓ, દુ-વ્યિચિંતિઓ, "અણીયાર, "અણિઅિવ્યો, અ-સાવગ-પાઉગી; અમાણે, દંસણ, ચરિત્તાચરિત્તે;-સુએજ; સામાઇએતિહ*-ગુણિ, -ચઉહ કસાયાણ*, પંચહમણુવ્રયાણું, *તિહ ગુણ-વ્યયાણ ચઉહેજ ઉ૫સિખા-વયાણ બારસ”-વિહરસ Page #157 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સાવગ-ધમ્મસ-જુંખંડિઅં, -જ વિરાહિઅં-તસ્સ મિચ્છા મિજ ૮૪ ૩૭. દુક્કડં?પ ગાથાર્થ:- હું `ઇચ્છું છું કેહું “કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં :-[કારણ કે-] ”મેં “દિવસ સંબંધી ‘કાયિક, વાચિક, માનસિક; ‘ઉત્સૂત્રરૂપ [અને] “ઉન્માર્ગે રૂપ; અકલ્પ્ય, [અને] ન ``કરવા યોગ્ય ``આચરણરૂપ; ૧૩દુર્ધ્યાન અને દુષ્ટ ૧૪ચિંતનરૂપ; ૧-અનાચારરૂપ, `‘અનિચ્છનીય આચરણરૂપ અને શ્રાવકને ``અણછાજતા આચરણરૂપ- `જે “અતિચાર કર્યો [હોય]= [તથા ૨૧ ૨૬ “જ્ઞાનમાં, દર્શનમાં, [અને] [દેશવિરતિ] ‘ચારિત્રમાં; ་શ્રુત જ્ઞાન[ની આરાધના]માં[અને] “સામાયિક ધર્મીની આરાધના]માં;- [તથા] “ત્રણ ગુપ્તિ-[પાલન કરવા]માં[અને] “ચાર “કષાય [ત્યાગ] સંબંધી પાંચ "અણુવ્રત-ચૈત્રણ ``ગુણવ્રત અને ”ચાર “શિક્ષાવ્રત [એ] ૐ‘બાર પ્રકારના ૐશ્રાવક ધર્મ સંબંધી ૪૨ જે‰ખંડિત કર્યું હોય, [અને]-જે‘વિરાધ્યું હોય, = * ંતે [અતિચાર અને ખંડના-વિરાધના] સંબંધી ‘મારું ૪૪દુષ્કૃત મિથ્યા પથાઓ. ૨૯. નાણમ્મિ-પંચાચાર સ્વરૂપ-સૂત્ર-૨ શબ્દાર્થ :- નાણમ્મિ=જ્ઞાનનિમિત્તે. દંસણમ્મિ=દર્શન નિમિત્તે. ચરણસ્મિચારિત્ર નિમિત્તે. તવમ્મિ=તપ વિષે. વીરિયમ્મિ-વીર્ય સ્ફુરણપૂર્વક ૧. કાલેયોગ્ય વખતે. વિણયે=વિનય. બહુમાન= અંદરનો ભાવ. ઉવહાણ= ઉપધાન-જ્ઞાન-આરાધના માટેનું તપ. અનિવણે-છુપાવવું નહીં. અનેિનવભાવ. વંજણ-અત્ય-તદુભય=વર્ણ-અર્થ અને તે બન્નેય. અવિહો=આઠ પ્રકારનો. નાણમાઆયારો=જ્ઞાનાચાર. ૨. નિસ્યંકિઅ=નિ:શંકિત-નિ:શંકપણું, ખુલ્લા દિલથી સ્વીકાર. નિષ્કંખિઅ=નિષ્કાંક્ષિત-અન્ય દર્શનની લેશમાત્ર ઇચ્છા જ નહીં. નિવ્યિતિગિચ્છા=જૈન દર્શન ઉપર જરા પણ અણગમો નહીં. અમૂઢદિટ્ટી-અજ્ઞાનથી બીજા દર્શન તરફ લલચાઈ ન જવું. ઉવવ્યૂહ=પ્રશંસાપૂર્વક ગુણ વૃદ્ધિ. થિરી કરણ=ધર્મમાં સ્થિર કરવા. વચ્છલ-શાસન તરફ વાત્સલ્ય રાખવું. પભાવગે-શાસનની પ્રભાવના કરવી. ૩. પણિહાણ-જોગ-જુત્તો=એકાગ્ર મન-વચન અને કાયા યુકત. ચરિત્તાયારો ચારિત્રાચાર. નાયવ્યો જાણવો. ૪. સભિંતર-બાહિરે=આવ્યંતર અને બાહ્ય સહિત. કુસલ-દિò=કુશળ પુરુષોએ ઉપદેશેલ. વિનાનો. અણાજીવી=આજીવિકાની આકાંક્ષા વગરનો. અગિલાઈ=અગ્લાનિ-ખેદ Page #158 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો તવાયારો તપાચાર. ૫. આણાં અનશન. ઊણોદરિઆ ઉનૌરિકા. વિત્તી-સંખેવારં-વૃત્તિ સંક્ષેપન. રસ-ચાકરસનો ત્યાગ. કાયકિલેસ=કાયાકુલેશ. સંલીયા=સલીનતા. બજઝબાહ્ય. ૬. પાયચ્છિ7=પ્રાયશ્ચિત્ત. વિશઓ વિનય. વૈયાવચ્ચે વૈયાવૃત્ય વેયાવચ્ચ-સેવા. સઝાએ= સ્વાધ્યાય. ઝાણું ધ્યાન. ઉસ્સો કાયોત્સર્ગ. અભિંતરઓ આત્યંતર. ૭. અ-ણિહિઅ-બલ વીરઓ બળ અને વીર્યને છુપાવ્યા વગરનો. પરકમઈ=પક્ષમતે પરાકમ કરે. જદુનં=શાસ્ત્રજ્ઞા પ્રમાણે. આઉત્તે=આયુકત-સાવધાન-મચી પડેલો. જુજઈ=જોડાઈ જાય, પ્રવર્તે. હાથામં યથાશકિત. વીરિયાયારો વીર્યાચાર. ૮. નાણમિ દંસણમિ અy, ચરણમેિ તવમિ તહય વીરિયશ્મિ' ! “આયરણે આયારો, ઇઅ એસો પંચા'ભણિઓનો 'કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ"અનિહવર્ણ "વંજણ-અત્ય-તદુભએ, ‘અઠ-વિહો નાણમાયારો મારા 'નિસંકિઅ નિખિસ, નિબ્રિતિનિચ્છા અમૂઢ દિઠી આ "ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અઠવા પણિહાણ-જોગ-જુરો, 'પંચહિં સમિઈહિતી હિંગુહિં. એસ ચરિત્તાયારો, અઠ-વિહોહોઈનાયબ્બો રાજા બારસ-વિહમિ વિ હવે, સર્ભિતર-બાહિરે કુસલ-દિઠે અગિલાઈ અણાજવી, નાયબ્યો સો તવાયારો “પા અણસણમૂણોઅરિઆ, વિત્તી-સંખેવë 'રસચ્ચાઓ કાય-કિલેસોસંલી-ણયા ય બજઝો‘‘તવો હોઈ દા પાયશ્મિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સઝાઓ "ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અભિંતર તવો હોઈ માળા Page #159 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો અણિમૂહિઅર્બલ-વરિઓ, પરમઈ જોર જહત્તમાઉરો' “જ્જઈ અજહાથામં”, “નાયબ્યો વરિયાયારોટલા ગાથાર્થ:- "જ્ઞાન પ્રદર્શન ચારિત્ર તપ તથા “વીર્ય સંબંધી આચરણ ]િ “આચાર- “એમ દિરેકનાં એ નામોથી એ પાંચ પ્રકારે કહ્યા છે. ૧. "કાલ, વિનય, બહુમાન, *ઉપધાન, “અનિહનવપણું, તથા વ્યંજન અર્થ અને તે બન્નેય. એિ ‘આઠ પ્રકારે “જ્ઞાનાચાર છે. ૨. "નિ:શંકા, નિષ્ણાંક્ષા, નિર્વિચિકિત્સા, “અમૂઢદષ્ટિ, Nઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, “અને પ્રભાવના આઠ. ૩. પાંચ સમિતિ અને ત્રણ *ગુપ્તિ વડે કરીને મન વચન કાયાના પ્રણિધાન યુક્ત આ જાણવા જેવો ચારિત્રા‘ચાર “આઠ પ્રકારે છે. ૪. આત્યંતર અને બાહ્ય સહિત બાર પ્રકારનો છે ગ્લાનિ વગર અને આજીવિકાની ઇચ્છા વગરનો કુશળ પુરુષોએ ઉપદેશેલો તપ છે. તે તપાચાર જાણવો. ૫. અનશન, ઊનીદરિકા વૃત્તિ સંક્ષેપ 'સત્યાગ, કાયા કલેશ અને સંલીનતા “બાહ્ય તપ છે. ૬. "પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, *સ્વાધ્યાય, ધ્યાન, અને કાઉસ્સગ્ગ, “આત્યંતર તપ છે. ૭. બળ અને વીર્યને છુપાવ્યા વિના જશાસ્ત્રોક્ત રીતે 'તત્પર થઈને પરાક્રમ કરે, અને યથાશક્તિ ધર્મકાર્યમાં જોડવામાં આવે, તે “વીર્યાચાર જાણવો. ૮. सामायि आवश्यछनां सूत्रोनी गोठवा. મધ્ય પ્રતિક્રમણના સામાયિક આવશ્યકમાં આ સૂત્ર આવેલું છે. પ્રતિકમાણ- પાંચ આચારમાં-લાગેલા અતિચારોનું કરવાનું છે. અને જે હવે પછી આ મધ્ય પ્રતિક્રમણના પેટામાં પ્રતિક્રમણ આવશ્યક આવશે. તેમાં પાંચ આચારોમાં લાગેલા અતિચારોની આલોચના તથા પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત વિગતવાર કરવામાં આવશે. તે પૂર્વ પાંચ આચારો તરફ સાધકનું લક્ષ્ય દોરવા આઠ ગાથાઓમાં આત્માના સામાયિક ચારિત્રગુણ રૂપ પાંચ આચારોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. સામાયિક આવશ્યક આત્મ-વિકાસ રૂપ છે અને પચ્ચકખાણ આવશ્યક ત્યાગ રૂપ છે. માટે પાંચ આચારો એ પણ આત્મ-વિકાસ રૂપ ગુણ છે. માટે સાક્ષાત્ સામાયિક સ્વરૂપ છે. જો કે અનેક આત્મગુણો જુદા જુદા વખતે સામાયિક સ્વરૂપે બને છે. પરંતુ અહીં પાંચ આચાર રૂપ સામાયિક છે. તે પાંચ આચારનું સ્વરૂપ ચિંતન હૃદયમાં દઢપણે ઠસાવવા અથવા તે સંબંધી મજબૂતપણે આત્મભાવ જાગ્રત કરવા, Page #160 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્ર મન વચન કાયાની એકાગ્રતા કરીને કાઉસ્સગ કરવામાં આવે છે. કાઉસગ્ગ હોય, એટલી તેની પૂર્વે અન્નત્થસૂત્ર તો આવે જ. અને અન્નત્ય પૂર્વે, કાઉસ્સગ્નના હેતુસૂચક સૂત્ર પણ આવે છે. એટલે તસ્સ ઉત્તરી કે અરિહંત ચેઈઆણે કે એવું કોઈક હેતુસૂચક સૂત્ર આવે જ છે. અહીં તસ્સ ઉત્તરી કરણે સૂત્રની પૂર્વે પૂર્વી-કરણ સૂચક સૂત્ર આવવું જોઈએ. અને એ પૂર્વીકરણ એટલે આલોચન અને મિચ્છામિ દુક્કડં રૂપ પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત માટેનું સૂત્ર આવવું જોઈએ. તેવાં અનેક પ્રતિક્રમણ સૂત્રો મૂળ આવશ્યક સૂત્રમાં છે. છતાં ઇરિયાવહીયે અને ઇચ્છામિ કામિ પ્રચલિત છે. એટલે તેમાંથી એક આવે છે. અહીં ઈર્યાપથમાં થયેલી જીવ વિરાધનાની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનો નથી. પરંતુ પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં મિચ્છામિ દુકકડ દઈ વિશેષ શુદ્ધિ રૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે. તેથી પાંચ આચારોનું સામાન્ય અને વ્યવહારુ ટૂંકામાં પ્રતિક્રમણ સૂચવનારું આ સૂત્ર છે. અને સામાન્ય ખ્યાલથી મિચ્છામિ દુકક દેવાય છે. માટે આ સૂત્રની અહીં યોગ્ય સ્થાને ગોઠવણ છે એમ સ્પષ્ટ જણાશે. ત્રણ ગમ - પાંચેય પ્રતિક્રમણોમાં ત્રણ ગમ હોય છે. દરેક ગામની શરૂઆતમાં કરેમિ સૂત્ર આવે છે. વંદિત્તા પૂર્વે કરેમિથી બીજો ગમ, અને આયરિય ઉવજઝાય પછી કાયોત્સર્ગ આવશ્યક પહેલાં કરેમિ આવે છે. તે ત્રીજા ગામની શરૂઆત. તેથી આ સૂત્રની પૂર્વે પહેલા ગામમાં કરેમિ ભંતે સાક્ષાત્ સામાયિક મહાદંડક સૂત્રને સ્થાપિત કરેલ છે. એટલે અહીંથી માંડીને કાયોત્સર્ગ પૂરો થાય ત્યાં સુધી સામાયિક આવશ્યક સ્પષ્ટ દેખાઈ આવે છે. કરેમિ ભંતે સૂત્ર સામાયિક આવશ્યકની સામાન્ય રીતે સૂચના કરે છે, પરંતુ અતિચારોના સામાન્ય મિચ્છામિ દુક્કડ દ્વારા સામાન્ય શુદ્ધિ કરી, વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ, અને તેમાં બીજા કોઈ ચિંતનને બદલે પાંચ આચારોનું જ ચિંતન : એ બધી રચના સામાયિક આવશ્યકનું વિશેષ વાતાવરણ જમાવવાને બસ છે. કાયોત્સર્ગના હેતુઓ, સામાન્ય અને વિશેષ શુદ્ધિ વગેરે દષ્ટિથી ઇચ્છામિ ઠામિ અને તસ્સ ઉત્તરી. બે સૂત્ર પણ બરાબર ગોઠવાય છે. . ઈચ્છામિ કામિ સૂત્રનો વિશેષાર્થ- આ સૂત્રમાં ઠાઇ૯ પાઠાન્તરને બદલે કામિ પ્રચલિત છે. તસ્સ ઉત્તરીમાં પણ એમ જ છે. અથવા અહીં તસ્સ ઉત્તરી આવે છે. તેમાં કાઉસ્સગ્નમાં સ્થિર થાઉ છું એમ આવવાનું છે. અને અહીં કાઉસ્સગ્નમાં સ્થિર થવાને મિચ્છામિ દુક્કડું દેવું છે, એ દષ્ટિથી ઠાઈઉ પાઠ પણ સંગત તો લાગે છે. ઈચ્છામિ કામિ સૂત્ર મુખ્ય તો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સ્વરૂપનું સૂત્ર છે. પરંતુ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવું હોય, ત્યારે તેની પૂર્વે ઉદ્દેશ સૂચક ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ પદ આવે છે, અને કાઉસ્સગ્ન કરવાનો ન હોય તો ઈચ્છામિ પડિક્ષકમિઉ એ ઉદ્દેશસૂચક પદ આવે છે. આલોઉ વગેરે પદ પણ આવે છે. ઈચ્છામિ શબ્દ ઇચ્છા સામાચારીની દષ્ટિથી છે. જેમ અઈયારો કઓ અને જે ખડિએ, જે Page #161 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વિરાહીઅં સાથે તસ્સ મિચ્છામિ દુક્કડં પદનો સંબંધ છે. પણ કઈ કઈ જાતના અતિચારોનો સામાન્ય રીતે સંભવ છે ? અને કઈ કઈ રીતે ખંડના વિરાધનાનો સામાન્ય રીતે સંભવ છે ? તે સૂચવવા કાઇઓ વગેરે, નાણે દંસણે, તથા તિસ્તું વગેરે પદો છે. ८८ તિ ં ગુત્તીણં પાસેનું ચઉહું કસાયણં પદ ઊલટું છે. એક પાલનસ્વરૂપ છે અને એક ત્યાગસ્વરૂપ છે. અને એ ત્યાગ ક્ષયરૂપે, ક્ષયોપશમરૂપે કે ઉપશમ સ્વરૂપે હોઈ શકે, અને ત્રણેય રીતે ઇષ્ટ છે. અહીં આવતું તસ્ય પદ કરેમિભંતે માંનું જ છે. આ સૂત્ર મૂળ આવશ્યક સૂત્રમાં પ્રાચીન શ્રમણ પ્રતિક્રમણ સૂત્રના એક ભાગ તરીકે છે. અધ્યાત્મ શાસ્ત્રને કેવી રીતે પલ્લવિત કરી તેને વ્યવહારુ સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યું છે ? તે સૂત્રની રચના ઉપરથી પણ સમજાશે, અને સૂત્ર પદોનીછૂટી – અસમસ્ત છતાં જુસ્સાવાળી રચના સમજાશે, અને પરસ્પર વિચિત્ર વિચિત્ર સંબંધથી પદોના અર્થો જોડાયેલા માલૂમ પડે છે, જેનું વિવેચન ઘણું જ ગહન થાય. આ જ પદો બીજાં સૂત્રોમાં વળી જુદા જ ક્રમથી ગોઠવાયાં હોય છે. દાખલા તરીકે:- સવ્વસ્સવિમાં મન, વચન, કાયાની ક્રિયાનો ક્રમ છે. ત્યારે અહીં કાઈઓ, વાઇઓ, માણસીઓ એમ ક્રમ છે. કોઈ કોઈ ઠેકાણે સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચરિત્ર ક્રમ છે. ત્યારે અહીં જ્ઞાન દર્શન ચરિત્ર એ ક્રમ છે. આ બધો ક્રમ આનુપૂર્વી, અનાનુપૂર્વી વગેરે જૈન શાસ્ત્રોમાં બતાવેલી પદ્ધતિના નિયમો પ્રમાણે અને સહેતુક વ્યવસ્થિત જ હોય છે. पंयायार सूत्रोनो विशेषार्थ : ॥ ૧ ॥ જ્ઞાનાચાર । ૧. કાલ : યોગ્ય વખતે ભણવું, અયોગ્ય વખતે ન ભણવું. શાસ્ત્રમાં બતાવેલા અસ્વાધ્યાયના વખત ગુરુગમથી સમજી તે પ્રમાણે ટાળીને સ્વાધ્યાયના યોગ્ય વખતે શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ૨. વિનય : જેની પાસે ભણતાં હોઈએ, તેના બીજા દોષો ન જોતાં તેમના તરફ હૃદયની ભકિત રાખવી, અને બાહ્ય ઉપચારથી પ્રતિપત્તિ પણ કરવી. ૩. બહુમાન : વિનય રાખવો એટલું જ નહીં, પરંતુ બહુમાન પણ સારી રીતે રાખવું. ૪. ઉવહાણ - ઉપધાન : જ્ઞાન ભણવા માટે કસોટી ખાતર અને આત્મગુણ ખીલવવા માટે શાસ્ત્રોકત રીતે તપશ્ચર્યા કરવી. ૫. અનિહ્નવ : જેની પાસે, અને જે અભ્યાસ કર્યો હોય તે છુપાવવું નહીં. અધ્યાપકમાં બીજા અલ્પ ગુણો હોય, તેથી લજ્જાદિક કારણે તેને પોતાના ભણાવનાર તરીકે જાહેર ન કરવા, એ દોષ છે. ૬. વંજણ : શુદ્ધ શબ્દોચ્ચારથી અભ્યાસ કરવો. Page #162 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્ર ૭. અત્ય: શુદ્ધ અર્થ સમજવા પ્રયત્ન કરી શુદ્ધ જ અર્થ ધારણ કરવો. ૮. તદુભય : તે બન્નેયની યથાર્થતા-શુદ્ધતા માટે સાવચેત રહેવું. અને તે પ્રમાણે જ ગમે તેટલી મુશ્કેલીઓ અભ્યાસ કરવો. આ છેલ્લા ત્રણ આચારને લીધે, પરંપરાથી આવતા આગમો વગેરેમાં કાળદોષ સિવાય કાંઈપણ ફેરફાર થયો નથી. અને તેથી જ પાઠભેદો પાઠાન્તરો પણ જાળવી રાખ્યા છે, અને જ્યાં સમજાયું નથી ત્યાં, તથા જ્યાં પાઠમાં વિસંવાદ જણાયો છે, ત્યાં તત્ત્વકેવળિગમ કહીને પૂર્વાચાર્યોએ આગમોની પ્રમાણિકતાને અખંડ જાળવી રાખેલ છે. તેમાં સંશય રાખવાને કારણ નથી. આ આઠ આચાર પાળનાર અભ્યાસી સારી રીતે જ્ઞાન મેળવી શકે છે અને જ્ઞાન આપનાર પણ બધી જાતની વ્યવસ્થા રાખી શકે છે. હાલની શિક્ષણ સંસ્થાઓમાં ભણાવીને પોતાના કામના માણસો તૈયાર કરવાનો પરદેશીઓનો સ્વાર્થ છે, અને ભણનારાઓનો સ્વાર્થ ધંધો મેળવવાનો છે. બન્નેયનો જ્ઞાન લેવામાં અને આપવામાં શુદ્ધ ઉદ્દેશ નથી, એટલે વચ્ચે વ્યવસ્થા માટે મોટો ખર્ચ, અનેક સાધનો અને મોહક યોજનાઓ ગોઠવવી પડે છે. જ્ઞાન મેળવવાના આદર્શ સાધક અને આદર્શજ્ઞાનદાતા ઉપરનાં આઠ તત્ત્વોથી કામ લે, એટલે શિક્ષણ સંસ્થાને લગતી સંપૂર્ણ વ્યવસ્થા થઈ જાય છે. | ૨ | દર્શનાચાર છે ૧. નિ:શંકતા : જૈન દર્શન અને તેના સ્થલ-સૂક્ષ્મ, મુખ્ય-ગૌણ એવાં દરેક અંગો તરફ અને એકંદર જિનેશ્વર પ્રભુનાં સર્વ વચનો નિ:સંદેહપણે સ્વીકારવાં. ૨. નિકાંક્ષતા : પ્રભુના શાસન તરફના અનન્ય રાગને લીધે બીજા મત તરફ મન દોરાય જ નહીં, તો પછી તેની ઈચ્છાની તો વાત જ શી ? ૩. નિર્વિચિકિત્સા: સાધુ-સાધ્વીનાં મળ-મલિન વસ્ત્રો, અવયવો તથા સંઘના યોગ્ય કાર્યવાહકો, આગેવાનો, વહીવટ વગેરે તરફ કંટાળો-અણગમો ન હોવો જોઈએ. એકંદર શાસનના કોઈ બાહ્ય દષ્ટિથી અણગમાના કારણ તરીકે જણાતા તત્ત્વ તરફ લેશ માત્ર અણગમો ન હોવો જોઈએ. અણગમો કરવા જેવી બાબત હોય, તો પણ તેના તરફ અણગમો ન રાખતાં તે માટે ઘટતું કરવાની પોતાની પણ સંપૂર્ણ ફરજ સમજીને તે બજાવવા તત્પર રહેવું પણ તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. પવિત્ર શાસનમાં ખામી હોય જ નહીં, છતાં કાળદોષથી ખામી આવી ગઈ હોય, તો પણ તે ખામી તરફ અણગમો બતાવવાથી પરિણામે શાસન તરફ અણગમો થઈ જાય, તો બધું હારી બેસાય, માટે તે સુધારવા વીયલ્લાસ ઉત્પન્ન કરવો. પણ અણગમો કરવો એ નિર્બળતા છે. તે ન હોવી એ આ આચારનો અર્થ છે. ૪. અમૂઢ-દષ્ટિતા : જૈન દર્શન એટલું બધું સાંગોપાંગ છે કે-“જે તેમાં છે, તે બીજે નથી. બીજે છે, તે તેમાં પણ છે. તેમાં નથી તે બીજે પણ નથી” આ વસ્તુસ્થિતિ છે. છતાં બીજાંનાં Page #163 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્ર કષ્ટ, ચમત્કાર, આકર્ષક વ્યવસ્થા, સુંદર અને સગવડવાળાં ધર્મસાધનો, વિચિત્ર વિચિત્ર દલીલો, આડંબર, ફટાટોપ વગેરે જોઈને, તે તરફ મન લલચાઈ જવું, તે મૂઢપણું કહેવાય છે. તે ગૂઢ, ચોકકસ, મજબૂત, દીર્ધદષ્ટિવાળી, પરિણામે એકાંત હિતકર, સર્વસ્વ અને મહાતપસ્વી પરોપકારી પુરુષોએ ગોઠવેલી જૈન દર્શનની રચના તરફ અજ્ઞાનપણાથી ખામી દેખાય, અને બીજા તરફ મન લલચાય, એ મૂઢતા છે, દષ્ટિનો વ્યામોહ છે. એ વ્યામોહમાંથી છૂટવું ભલભલા માટે મુશ્કેલ છે. એવા વ્યામોહમાંથી દૂર રહેવું. અને એક જૈન દર્શને જ ત્રણેય કાળમાં બીજા બધા કરતાં વધારે સાંગોપાંગ વ્યવસ્થિત છે, એવો સત્ય અને દઢ વિશ્વાસ કેળવવો. જૈન ધર્મની ઉન્નતિને નામે કેટલીક ભળતી યોજનાઓમાં ભળી જવું, એ પણ મૂઢદષ્ટિપણું છે. ૫. ઉપબૃહણ : જૈન દર્શનની એકેએક સ્કૂલ કે સૂક્ષ્મ, મુખ્ય કે ગૌણ એવી સર્વ રચનાઓ, સર્વતત્ત્વો અને નાનામાં નાના જૈન જીવનની ખૂબી સમજવી, અને તેની શુદ્ધ રીતે મનમાં ઘણી જ પ્રશંસા કરવી. તેનું માન વધારવું, પ્રતિષ્ઠા વધારવી વગેરે ઉપબૃહણ કહેવાય છે. ૬. સ્થિરી-કરણ : ઉપર જણાવેલા ભવ્ય જૈન દર્શનથી કોઈ આત્મા પૂર્વ કર્મના યોગે ચલિત થઈ જાય, તો તેને તેમાં દઢ કરવા – સ્થિર કરવા પ્રયત્નો કરવા. ૭. વાત્સલ્ય : શાસનનાં દરેક અંગો-મંદિરો, ઉપાશ્રયો, ચતુર્વિધ સંઘ, સાધર્મિકો, જ્ઞાન ભંડારો, તીર્થો વગેરે ઉપર અનન્ય પ્રેમ ધારણ કરવો. દરેકનાં વિઘ્નો દૂર કરવાં. તેની ખાતર પોતાના સર્વસ્વનો ભોગ આપવો. સુશીલ અને સગુણી માતા પોતાના વહાલામાં વહાલા બાળક ખાતર જે જાતનું હૃદય ધરાવે, અને તેની ભયંકર માંદગી કે કષ્ટના વખતે જે લાગણી અનુભવે, જે યાતનાઓ સહન કરે, જે તનતોડ પ્રયત્નો કરે, પોતાની જાતને ભૂલી જાય, પ્રસંગે પ્રાણ પણ આપી દેવા તૈયાર થાય; તેના કરતાં પણ અધિક વાત્સલ્યભાવ શાસન અને તેનાં સર્વતત્ત્વો તરફ રાખવાનો છે. ૮. પ્રભાવના: શાસનની બહારનાં પ્રાણીઓ શાસન તરફ આકર્ષાય, શાસનમાં રહેલાં પ્રાણીઓ તેમાં દઢ થાય, એટલું જ નહીં, પણ વિશેષ ચાહતા થાય, અને શાસન ઉપર આવી પડેલાં વિનો એવી ખૂબીથી દૂર કરવામાં આવે, કે જેથી “જય જયકાર થઈ રહે. તથા શાસનનાં તત્ત્વોની રચના, પ્રતિપાદન વગેરે એવી ખૂબીથી કરવામાં આવે કે જેથી શાસન જગતમાં સર્વોપરી જણાય. શાસનનાં તત્ત્વો સૌને સર્વોપરી જણાય. તેની સામે આંખ ઊંચી કરવાનું મન ન થાય. તેની ભવ્યતાથી સૌ વાસ્તવિક રીતે અંજાઈ જાય, અને તેની પૂજ્યતાનો મઘમઘાટ વિશ્વમાં વિસ્તરી રહે, તેવા સર્વ કાંઈ પ્રયત્નો કરવા, તે પ્રભાવના કહેવાય છે. તેવી પ્રભાવના કરનારા મહાપુરુષો અનેક પ્રકારના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ થાય છે. તેના આઠ પ્રકાર છે. જૈન શાસનની જાહોજલાલી જગમાં ટકાવવા ઉપર પ્રમાણેના આઠ ગુણો કેળવવાથી અચૂક જાહોજલાલી ફેલાય જ. આ આઠેય આચારો ઉપર જૈન શાસ્ત્રમાં વિગતવાર વિચાર કરવામાં આવ્યો છે. અને કેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રસંગમાં કેમ વર્તવું? તે પણ વિગતવાર બતાવ્યું છે. તે પ્રમાણે બરાબર વર્તવામાં આવે, તો જૈન શાસનને કાંઈપણ ધકકો ન લાગતાં અવશ્ય તેની Page #164 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ઉન્નતિ થાય જ. તેમાં જેટલી ખામી રહે તેટલું શાસનનું માલિન્ય થાય. આ રીતે આઠ આચાર પ્રમાણે શાસન પ્રત્યે વર્તવાથી દર્શનાચારનું પાલન થઈ શકે છે. I ૩. ચારિત્રાચાર | પાંચ સમિતિ-૩. ગુપ્તિ- આ આઠ પ્રવચન માતાનું પાલન મન, વચન, કાયાની એકાગ્રતાથી કરવામાં આવે, તો જગતુમાં ઊંચામાં ઊંચું ચારિત્ર પાળી શકાય. પાંચ સમિતિમાં રોજનો આદર્શ જીવનક્રમ બતાવ્યો છે. અને ત્રણ ગુપ્તિમાં સર્વોપરી સંયમ બતાવ્યો છે. ત્રણ ગુપ્તિ તે સર્વથા સંયમનો જ લગભગ ઉપદેશ આપે છે. છતાં તેને બરાબર અમલમાં મૂકવા સમિતિઓ ઉચ્ચ જીવન જીવતાં શીખવે છે. કેમ ચાલવું? કેમ બોલવું જરૂરની વસ્તુ કેમ મેળવવી ? વપરાશની વસ્તુઓનો વપરાશ કેવી ખૂબીથી અને કેવી યાતનાથી કેવી કરકસરથી કરવો ? તથા નિરુપયોગી થયેલી વસ્તુઓનો ત્યાગ પણ કેવી ખૂબીથી કરવો ? જેમ વસ્તુ મેળવતાં આવડવી જોઈએ, તેમ તેને સાચવી તેનો યથાયોગ્ય સદુપયોગ કરતાં પણ આવડવો જોઈએ, અને તે જ રીતે તેનો ત્યાગ કરતાં, તેને ફેંકી દેતાં પણ બરાબર આવડવું જોઈએ. એ પાંચ સમિતિ યોગ્ય ચેષ્ટાઓ યોગ્ય પ્રવૃત્તિઓ, અને ત્રણ ગુપ્તિ પાળવામાં આવે, તેનું જગતમાં સર્વોત્તમ સંયમી જીવન હોય. એ આઠ પ્રવચનમાતાના પાલનની પરાકાષ્ઠા એ ચારિત્રાચારની પરાકાષ્ઠા છે. બીજા બધા ચારિત્રના ભેદો અને ગુણો તેમાં સમાય છે. બાળજીવો પણ સમજી શકે તે રીતે આ આચારો બતાવવામાં આવ્યા છે. ૪. તપાચાર છે બે પ્રકારે - છ બાહ્ય. છ આત્યંતર. છ બાહ્ય ત૫ - અનશન-ઊનૌરિક, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય-કલેશ, સંસીનતા. ૧ એકાસણું, બેસણું, ઉપવાસ, આયંબિલ વગેરે. ૨. ભૂખ કરતાં પાંચ સાત કોળિયા ઊણા ખાવા. ૩. જરૂરિયાત ઓછી રાખવી. સંતોષ. ૪. ઘી, દૂધ વગેરે વિગઈઓનો ત્યાગ કરવો. ૫. લોચ આદિક કષ્ટ સહન કરવાં. ૬. જેમ બને તેમ સંલીનતા રાખવી. કષાયો ઉદિરવા નહીં. અંગોપાંગોનો ઉપયોગ, પ્રસારણ વગેરે સંયમપૂર્વક કરવું. બહાર પડવા-આગળ આવવા ધાંધલ ન કરવું. છ આત્યંતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. ૧. અતિચારનું ગુરુ પાસે આલોચન કરી તેની શુદ્ધિ માટે જે તપશ્ચર્યા કરવી. તે ૧૦ પ્રકારનું પ્રાયશ્ચિત્ત. ૨. જ્ઞાન દર્શન ચારિત્ર-તથા શાસનનાં બીજાં દરેક અંગો તરફ હદયની ભક્તિ બહુમાન રાખવું, તે અનેક પ્રકારનો વિનય. ૩. અરિહંત પ્રભુ તથા આચાર્યાદિકની સેવાભક્તિ, સગવડ પૂરી પાડવી વગેરે, દશ પ્રકારનું વેયાવચ્ચ. ૪. ભણવું, ભણાવવું, પાછલું સંભાળવું, પ્રશ્નો પૂછવા; જવાબ આપવા ખુલાસા કરવા વગેરે ધર્મોપદેશ દેવો; તે પાંચ પ્રકારનો સ્વાધ્યાય વગેરે. ૫. ચાર પ્રકારના ધર્મધ્યાન અને ચાર પ્રકારના શુકલ ધ્યાન બાવા. ૬. કર્મો, શરીર અને સર્વ વૈભાવિક સામગ્રીનો નિશ્ચયથી હાર્દિક ત્યાગ. આ છ બાહ્ય અને છ આત્યંતર તપનો તીર્થંકર પ્રભુ વગેરે કુશળ પુરુષોએ ઉપદેશ કરેલો છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પંચ પ્રતિકમાણસૂત્રો વિશેષ વિસ્તાર બીજા ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી છે, તે ત્યાંથી સમજી લેવો. આ બન્ને પ્રકારનો તપ કેવળ મોક્ષના ઉદ્દેશથી જ આચરવો અને તે અગ્લાન ભાવે-શૂરવીરતાથી આચરવો, નહીં કે આજીવિકા ચાલે, લોકો વાહ વાહ કરે, વગેરેથી. મનના મેલાપણાથી ન આચરવો. | ૫ | વીર્યાચાર | કોઈ પણ ધર્મકાર્યમાં-એકંદર ઉપર બતાવેલા ચારેય આચારોના કોઈપણ આચારની આચરણા વખતે- મન વચન અને કાયાની સંપૂર્ણ શકિત વાપરીને તેની આચરણા કરવી, તેમાં જરાપણ શક્તિ છુપાવવી નહીં. તે વીર્યાચારનું પાલન ગણાય છે, અને તેના-મન-વચન-કાયાનું વીર્ય, એ ત્રણ ભેદો છે. આ પાંચ આચારના પાલનમાં-ત્રણ-રત્ન-સામાયિક-દાન-શિયળ-તપ-ભાવ વગેરે જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચ આચારોનું પાલન એ સમ્યગુચારિત્ર પણ છે. આમાં ધર્મ પાળવાની બહુ જ વ્યવહારુ સગવડો ગોઠવી આપી છે. બાળક પણ આખા ધર્મનું રહસ્ય સાદી રીતે સમજી શકે. જૈન ધર્મનું સમગ્ર ઘાર્મિક રહસ્ય ટૂંકામાં અને સાદી રીતે આ પાંચ આચારમાં સમજાવ્યું છે. સામાન્ય શ્રાવકના બાળકથી માંડીને કેવળજ્ઞાની ભગવંતો સુધી આચરી શકે તેવી ધાર્મિક સર્વ આચરણાનો આ પાંચ આચારમાં વ્યવહારુ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. ૩. ગુરુવંદના આવશ્યક આઠ ગાથાના કાઉસ્સગ્ગ અને લોગસ્સ પછી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવાય છે. આ મુહપત્તિનું પ્રતિલેખન-પ્રમાર્જન:-વિગતવાર. દેવસિક આલોચન અને પ્રતિક્રમણ કરતાં પહેલાં ગુરુવંદન કરીને તે ગુરુ સાક્ષીએ કરી શકાય, એ ભવ્ય ક્રિયાઓમાં પ્રવેશતાં પહેલાં સામાયિક ચતુર્વિશતિ સ્તવ પછી જેમ સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવ પછી-તદ્દન શુદ્ધિ પછી પ્રતિલેખન પ્રમાર્જન રૂપ મુહપત્તિનું પ્રતિલેખન થાય છે, તેમ અહીં પણ જણાય છે. અર્થાત્ આલોચન પ્રતિક્રમણ રૂપ ક્રિયામાં પ્રવેશતાં પહેલાં ગુરુવંદન પહેલાં તેનાં પ્રવેશસૂચક અને પ્રતિક્રમણ ક્રિયાનું સ્વતંત્ર પ્રમાર્જન અને પ્રતિલેખન સૂચક જણાય છે. આને “ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી." કહેવાય છે, કેમ કે ત્રીજા આવશ્યકની પૂર્વે તે આવે છે. ૩૦. ઇચ્છામિ-દ્વાદશાવર્ત-ગુરુવંદના-સૂત્ર-૧-૩ શબ્દાર્થ:- આણુજાણહ અનુજ્ઞા આપો – આજ્ઞા આપો. મે મને મિઉગ્નહે મીતાવગ્રહ-સાડા ત્રણ હાથના આપના ક્ષેત્રમાં પ્રવેશ કરવા. નિશીહિ નિષેધ કરું છું. અ-હોકાયં [આપના] શરીરના નીચેના ભાગને. કાચ ફાસ=[મારી] કાયાનો સ્પર્શ. ખમણિજો સહન કરશો-ચલાવી લેશો-નભાવી લેશો. બે હે પ્રભો. કિલામોકિલામણા-અડચણ, અપ્પ-કિલતાણ-અલ્પ કલાન્ત થોડી અડચણવાળા. Page #166 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૯૩ બહુ-સુભગ ઘણા શુભ વડે; અથવા ઘણા સુખે. ભે=આપનો. વઈકતો ? વ્યતિક્રાન્ત થયો ? પસાર થયો ? જાયાત્રા-સંયમ યાત્રા. જ-વ-ણિ-જંયાપનીય સામર્થ્યશીલ, ફુર્તિવાળું, ખામેમિખમાવું છું. દેવસિઅ-વઈકકમ=દિવસ સંબંધી વ્યતિક્રમ-ભૂલ-અપરાધ. આવસ્લિઆએ આવશ્યક. ખમા-સમાણાસં=ક્ષમા શ્રમણોની. દેસિઆએ દિવસ સંબંધની. આસાયાણાએ=આશાતનાઓ. તિત્તીસગ્નયરાએ તેત્રીશ. મિચ્છાએ=મિથ્યાત્વ. મગદુકડાએ=માનસિક દુષ્કૃત રૂપ. વયદુકકડાએ વચન સંબંધી દુષ્કૃત રૂપ. કાય-દુકકડાએ કાયા સંબંધી દુષ્કૃત રૂપ. કોહાએ ક્રોધથી કરેલી. માણાએ માનથી કરેલી. માયાએ માયાથી કરેલી. લોભાએ લોભથી કરેલી. સવ્ય-કાલિઆએ=સર્વકાલ સંબંધથી. સવ્યમિચ્છોયારાએ સર્વ પ્રકારના મિથ્યા ઉપચાર સંબંધની. વધુમ્માઈકમાણાએ ધર્મના સર્વ પ્રકારનાં અતિક્રમણ-ઉલ્લંઘનો સંબંધીની. આસાયણાએ આશાતના સંબંધી. | શિષ્ય : મુહપત્તિના પ્રતિલેખન પછી પરમ વિનય ધારણ કરી મન, વચન, કાયાની શુદ્ધિ અને એકાગ્રતા પૂર્વક-ગુરુ મહારાજના શરીર પ્રમાણે તેમની ચારે બાજુએ રાખવામાં આવેલા [૩હાથ] અવગ્રહની બહાર ઊભા રહી, બન્ને હાથમાં યથાવત મુદ્રાએ મુનિ રજોહરણ અને મુહપત્તિ તથા શ્રાવક ચરવળો ને મુહપત્તિ રાખી, અધો વસ્ત્ર સિવાય ખુલ્લા શરીરે, અર્ધાવનત થઈ [શરીર અરધું નમાવી] નીચે પ્રમાણે બોલે [ ૧. ઇચ્છા નિવેદન સ્થાન.] “ઈચ્છામિ ખમાસમણો!*વંદિઉં જાવણિક્તાએ નિસાહિઆએ ? (ગુરુ : દેશું.) [કામમાં હોય તો-પ્રતિક્ષસ્વ. અથવા ત્રિવિધેન કહે.] શિષ્ય : (૨. અનુપજ્ઞાપન સ્થાન.) અણુજાણહ મે 'મિઉગ્ગહ (ગુરુ : અણુજાણામિ.) શિષ્ય : પ્રવેશ કરવાની ભૂમિની પ્રાર્થના કરતાં કરતાં નિશીહિ બોલતાં બોલતાં-અવગ્રહમાં પ્રવેશ કરે છે. અને પાછળના ત્રણ, આગળના ત્રણ અને ભૂમિના ત્રણ સંડાસા પ્રમા-ગોદોહિક-આસને [ઉભડક બેસી, મુનિ-રજોહરણ ગુરુચરણ આગળ સામે મૂકી તેમાં ગુરચરણની સ્થાપના કરી બે હાથના બે સંડાસા પ્રમા-ડાબા ઘૂંટણ ઉપર ત્રાણ સંડાસા પ્રમાઈ તે પર મુહપત્તિ મૂકે છે. અને Page #167 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો શ્રાવક બે હાથના બે સંડાસા પ્રમાઈ ચરવળા કે કટાસણા ઉપર ત્રણ સંડાસા પ્રમાઈ, તેના ઉપર ગુરુ ચરણની સ્થાપના તરીકે મુહપત્તિ સ્થાપન કરી બે હાથ બન્નેય ઘૂંટણ વચ્ચે રાખી પહેલી વખતના વંદનના છ આવર્ત કરે છે. અ - ગુરુચરણસ્થાપનાને દશ આંગળા અડકાડે છે. હો - દશ આંગળા લલાટે અડકાડે છે. કા - ફરી ગુરુ ચરણસ્થાપનાને અડકાડે છે. - ફરી લલાટે અડકાડે છે. કા - ગુરુચરણ સ્થાપનાને દશ આંગળા અડકાડે છે. થ - દશ આંગળા લલાટે લગાડે છે. - સંફાસ ગુરુચરણ ઉપર સ્થાપના ઉપર બે હાથ સવળા રાખી તેમાં મસ્તક નમાવી પહેલો નમસ્કાર કરે છે. બે હાથ મસ્તક ઉપર જોડી લલાટ ઉપર રાખી : ખમણિmોભે કિલામો. (૩. શરીરયાત્રા પૃચ્છા સ્થાન.) એ જ પ્રમાણે ગુરુમહારાજના મુખ તરફ દષ્ટિ રાખી વિનવણીના અવાજથી અપ્પ-લિંતાણ બહુ-સુભેણ ભે* દિવસો વઈતો ?' એ જ રીતે હાથ જોડી રાખી ગુરુ સન્મુખ વિનય નમ્ર દષ્ટિ રાખી નીચેનો જવાબ સાંભળે. ગુરુ : તહત્તિ શિષ્ય : (૪. સંચમયાત્રા પૃચ્છા સ્થાન.) વ્રત, નિયમ, તપ, વગેરે ચારિત્ર સંબંધી સુખ વાર્તા નીચે પ્રમાણે ગુરુ સન્મુખ દષ્ટિ રાખી જે - ઉદાત્ત સ્વરથી બોલતાં દશ આંગળા લલાટે અડકાડે. ના - સ્વરિત સ્વરથી બોલતાં વચ્ચે બે હાથ ચત્તા રાખવા. ભે? - અનુદાત્ત સ્વરથી લલાટે અડકાડવા. Page #168 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પછી ગુરુ સન્મુખ દષ્ટિ રાખી સાંભળે :ગુરુ તુર્ભપિ વટ્ટએ? શિષ્ય : (પ. સંયમ મfમાં પાયનીયતા-મન, વચન-કાયાની साभर्थ्यनी पृथ्छानुं स्थान.) જ - અનુદાત્ત સ્વરોચ્ચારથી ચરણસ્થાપના સ્પર્શ. વ - સ્વરિત ઉચ્ચારથી વચ્ચે હાથ સવળા રાખવા. ણિ - ઉદાત્ત સ્વરથી આંગળાનો લલાટે સ્પર્શ. જજે - અનુદાત્તસ્વરથી ચરણસ્થાપનાને સ્પર્શ. ચ - સ્વરિત સ્વરથી વચ્ચે હાથ ચત્તા રાખવા. "ભે? - ઉદાત્ત સ્વરથી લલાટે સ્પર્શ. જવાબ સાંભળવા ગુરુ સન્મુખ દષ્ટિ રાખી બેસી રહે છે. ગુરુ: એવું શિષ્ય : (૬. અપરાધ્ય ક્ષમાપન સ્થાન.) ગુરુ ચરણ સ્થાપના ઉપર મૂકેલા સવળા હાથમાં મસ્તક મૂકતાં મૂકતાં બીજો નમસ્કાર કરી - ખામેમિ ખમાસમણો દેવસિએ વઈકકમં. ગુરુ: અહમવિ ખામેમિ તુમ્ભ. શિષ્ય : પાછળના ત્રણ સંડાસા પ્રમાઈને ઊભા થઈ – આવર્સિઆએ. એમ બોલતાં બોલતાં અવગ્રહની બહાર નીકળે. અને અર્ધ નમેલું [અર્ધાવનત] શરીર રાખી નીચે પ્રમાણે પ્રતિક્રમણ કરે: પડિકકમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિરિસન્નયરાએ, જંકિંચિ-મિચ્છાએ મણ-દુકડાએ વય-દુકડાએ કાય-દુન્ડાએ કોહાએ માણાએ માયાએ લોભાએ સવ્ય કાલિઆએ સવ્ય-મિચ્છોડયારાએ સવ્ય-ધમ્માઈકમણાએ આસાયણાએ જો મે દેવસિઓ અઈઆરો કર Page #169 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો તસ્ય ખમા-સમણો! પડિકકમામિ, નિંદામિ, ગરિણામિ; અપાણે વોસિરામિ. રાત્રિ, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં દેવસિઅને બદલે રાઇએ, પખિી , ચાઉમાસિઅ, અને સંવર્ચ્યુરિઅ એમ અનુક્રમે બોલવું. બીજી વખતનાં વાંદણા વખતે આવર્સિઆએ પદ ન બોલવું. શિષ્ય : મુહપત્તિના પ્રતિલેખન પછી પરમ વિનય ધારણ કરી મન, વચન, કાયાની શુદ્ધિ અને એકાગ્રતાપૂર્વક-ગુરુ મહારાજના શરીર પ્રમાણ (૩ હાથ) તેમની ચારે બાજુએ રાખવામાં આવેલા અવગ્રહની બહાર ઊભા રહી, યથાજાત મુદ્રાએ બન્ને હાથમાં મુનિ રજોહરણ અને મુહસ્પત્તિ રાખી-અધો ભાગના વસ્ત્ર સિવાય ખુલ્લું શરીર અરધું નમાવી [અર્ધાવનત કરી] નીચે પ્રમાણે બોલે : ગાથાર્થ : ૧, ઇચ્છા નિવેદન સ્થાન. છે 'ક્ષમા યુિક્ત] કમાણ [પ્રભો ! [સાવદ્ય વ્યાપારોનો ત્યાગ કરી સર્વ નિર્વદ્ય વ્યાપાર યુક્ત મન-વચન-કાયાના સામર્થ્યવાળા શરીર વડે મારી ઈચ્છાથી, નહીં કે આપના કે કોઈના બળાત્કારથી, આપને "વંદન કરવા ઈચ્છું છું. ગુર : ઇચ્છાપૂર્વક કરો.] [કામમાં હોય તો રાહ જુઓ, અથવા ત્રિવિધે, એમ કહે.] શિષ્ય : ૨. અનુજ્ઞાપન સ્થાન. અવગ્રહમાં પ્રવેશવા આજ્ઞા માગે છે :"મને માપસરના અવગહમાં પ્રવેશવાની આજ્ઞા આપવા કૃપા કરશો. ગુર: આજ્ઞા આપું છું. શિષ્ય : પ્રવેશ કરવાની ભૂમિની પ્રમાર્જના કરતાં કરતાં અન્ય [સર્વ વ્યાપારોને ત્યાગ કરું છું. એમ બોલતાં બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરે છે. અને પાછળના ત્રાણ, આગળના ત્રણ અને ભૂમિના ત્રણ સંડાસા પ્રમાઈ ગોદોહિકા આસને [ઉભડક] બેસી, મુનિ રજોહરણ ગુરુચરણ આગળ સામે મૂકી, તેમાં ગુરુચરણની સ્થાપના કરી બે હાથના બે સંડાસા પ્રમાઈ-ડાબા ઘૂંટણ પર ત્રણ સંડાસા પ્રમાર્જ-તે પર મુહપત્તિ મૂકે છે. અને શ્રાવક બે હાથના બે સંડાસા પ્રમાઈ ચરવાળા કે કટાસણા ઉપર ત્રણ સંડાસા પ્રમાઈ તેના ઉપર ગુરુચરણની સ્થાપના તરીકે મુક્ષત્તિ સ્થાપન કરી બે હાથ બન્નેય ઘૂંટણ વચ્ચે રાખી પહેલી વખતના વંદનના છ આવર્ત નીચે પ્રમાણે કરે છે. [આપની] નીચેની કાયાને મારી કાયાનો સ્પર્શ કરું છું અને દિશા આંગળા ગુરુચરણની સ્થાપનાને અડકાડે છે.] હો- [દશ આંગળા લલાટે લગાડે છે.] Page #170 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો કા- [દશેય આંગળા ગુરુચરણની સ્થાપનાને અડકાડે છે.] યં- [દશેય આંગળા લલાટે લગાડે છે.] કા- [દશેય આંગળા ગુરુચરણ સ્થાપનાને લગાડે છે.] - [લલાટે લગાડે છે.] સંફાસ - [ગુરુચરણ સ્થાપના ઉપર સવળી હથેળીઓમાં મસ્તક નમાવે છે.] પછી, બે હાથ મસ્તક પર જોડી : હિ ગુરુ મહારાજ !] 'આપ કિલામણ સહન કરશો.] એ જ પ્રમાણે ગુરુમહારાજના મુખ તરફ દષ્ટિ રાખી વિનવણીના અવાજથી ૩. શરીરયાત્રા પૃચ્છા સ્થાન. થોડી "હરકતવાળા આપનો દિવસ 'ઘણા શુભ સુિખો)થી પસાર થયો છે ને ? શારીરિક સ્થિતિના એ પ્રશ્નનો જવાબ એ જ રીતે હાથ જોડી રાખી ગુરુ સન્મુખ વિનયથી નમ દષ્ટિ રાખી નીચે પ્રમાણે ઇચ્છે અને સાંભળે ગુર : તે પ્રકારે છે. શિષ્ય : ૪. સંયમયાત્રા પૃચ્છા સ્થાન. હવે, વ્રત, નિયમ, તપ વગેરે ચારિત્ર સંબંધી સુખ વાર્તા નીચે પ્રમાણે પૂછે આપની સંયમયાત્રા બરાબર છે ને? જ-[ઉદાત્ત સ્વરથી બોલતાં દશ આંગળા ચરણ સ્થાપનાને અડકાડે.] ના- સ્વિરિત સ્વરથી બોલતાં મધ્યમાં હાથ ચત્તા કરે.] ભે?- [અનુદાત્ત સ્વરથી બોલતાં ગુરુ મુખ સામે દષ્ટિ રાખી લલાટે આંગળા અડકાડે.] ગુરુ : તમને પણ [સંયમયાત્રા] વર્તે છે ને? શિષ્ય : પ.મું સંયમમાર્ગમાં યાપનીયતા-મન-વચન-કાયાના સામર્થની] પૃચ્છાનું સ્થાન. આપના ત્રિકરણ યોગ સંયમની આરાધના માટે સમર્થ છે ને? *જ- [અનુદાત્ત સ્વરોચ્ચારથી ચરણ સ્થાપનાને સ્પર્શ.] - સ્વિરિત ઉચ્ચારથી વચ્ચે હાથ ચત્તા રાખવા.] ણિ- [ઉદાત્ત સ્વરથી બોલીને લલાટે સ્પર્શ.] જજં- [અનુદાત્તસ્વરથી ચરણ સ્થાપનાને સ્પર્શ.] ચ- [સ્વરિત સ્વરથી વચ્ચે હાથ ચત્તા-રાખવા,] ભે? [ઉદાત્ત સ્વરથી લલાટે સ્પર્શ.]. જવાબ સાંભળવા તે જ પ્રમાણે બેસી રહે છે. ગુરુ : એમ જ છે. ૬. અપરાધ ક્ષમાપના સ્થાન. ગુરુ ચરણ સ્થાપના ઉપર મૂકેલી હથેળીમાં મસ્તક મૂકી. છે 'ક્ષમા યુિક્ત] શ્રમણ [પ્રભો ! દિવસ સંબંધી, મારો આ૫ પ્ર] વ્યતિક્રમ-અપરાધ 'ખમાવું છું ગુરુ હું પણ દિવસ સંબંધી પ્રમાદાદિ અપરાધ ખમાવું છું. શિષ્ય :- પ્રણામપૂર્વક ખમાવીને, પાછળના ત્રણ સંડાસા પ્રમાઈને ઊભા થઈઆવશ્યક કાર્ય માટે-[અવગ્રહની બહાર જાઉ છું.] Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૮ . પંચ પ્રતિક્રમણ સૂત્રો એમ બોલી અવગ્રહની બહાર નીકળે, અને અર્ધ નમેલું [અર્ધવનત] શરીર રાખી નીચે પ્રમાણે પ્રતિક્રમણ કરે. આપ] ક્ષમા-શ્રમણ ભગવંતની દિવસ સંબંધી તેત્રીસ *આશાતનાઓનું પ્રતિક્રમણ કરું છું -[એટલે. જે-કોઈ મિથ્યાત્વને લીધે કરેલી), માનસિક દુષ્કૃત્યને લીધે કેરેલી), વાચિક દુષ્કૃત્યને લીધેકરેલી), કાયિક દુકાને લીધે કિરેલી), કોધને લીધે કરેલી), માનને લીધે કિરેલી], માયાને લીધે કિરવી, લોભને લીધે કિરેલી), તથા સર્વ-[ત્રિ] કાળ સંબંધવાળી, સર્વ-મિથ્થોપચારવાળી, સર્વ-[અષ્ટ પ્રવચન માતારૂપ) ધર્મોનું ઉલ્લંઘન કરનારી, આશાતના કિરેલી હોય, તે રૂપ મેં જે અતિચાર ગુરુવંદન આવશ્યકમાં કર્યો હોય= =તે દિવસિક વ્યતિક્રમ અને અતિચાર સંબંધી- હે મા-શ્રમણ [પ્રભો ! હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું અને ગુરુ વંદના ખાતર મારા બહિરાત્મભાવ રૂ૫] આત્માનો ત્યાગ કરું છું. वंटन सूत्रनो विशेषार्थ આવી રીતે ગંભીર, ભાવપૂર્ણ અને ગુરને સંપૂર્ણ સમર્પણતામય ગુરુવંદન જગતમાં અન્યત્ર સંભવિત જણાતું નથી. ચોકકસ અને વ્યવસ્થિત, તથા ગુરુ અને શિષ્યની લાયકાતનો આબેહૂબ ચિતાર ખડો કરતો વંદનવિધિ જૈન દર્શન સિવાય બીજો કોઈ સ્થળે મળશે નહીં. વંદન માટેનાં દરેક સૂત્રોમાં આ સૂત્ર મુખ્ય છે. અલ્પેઠિઓ પ્રતિક્રમણગર્ભિત વંદન સૂત્ર છે. અઢાઈજે સામાન્યથી મુનિગુણગ્રહણપ્રધાન સર્વમુનિવંદન સૂત્ર છે. ઈચ્છામિ ખમાસમણો અને ઇચ્છકાર તો લગભગ આ વંદન સૂત્રની જ ટૂંકામાં છાયાઓ જણાય છે. ૧. આ વંદનસૂત્રમાં છ આવશ્યકો - આ વંદનસૂત્રમાં પણ સામાન્ય રીતે છ આવશ્યકોનો નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવે છે. ૧. સામાયિક આવશ્યક - અહીં યાપનિકા સહિત ગુરુ વંદન કરવામાં ગુરુ વંદન રૂપ સામાયિક આવશ્યક. ૨. નિસાહિઆએથી પ્રત્યાખ્યાનાવશ્યક જણાય છે. ૩. પ્રભુ આજ્ઞામાં સ્થિત ગુરુને જ પ્રભુ આજ્ઞામાં સ્થિત શિષ્ય પ્રભુ આજ્ઞા પ્રમાણેના વિધિ પ્રમાણે ગુરુવંદન કરવાનું છે, એટલે ચતુર્વિશતિ તીર્થંકર પ્રભુ અનાયાસે જ ગર્ભિત રીતે ગુરુ સાથે વંદિત થઈ જાય છે. કેમ કે તેઓ પણ ગુરુઓ તો છે જ. એમ ચતુર્વિશતિસ્તવ આવશ્યક ગર્ભિત રીતે આવી જતું સમજાય છે, સાક્ષાત્ શબ્દોથી નથી. ૪. ગુરુવંદન આવશ્યક તો આ વંદનસૂત્ર સાક્ષાત્ છે જ. ૫. પ્રતિકમણ આવશ્યક તો પડિકનમામિ શબ્દથી તથા જે મે અઇઆરો કઓ વગેરે શબ્દોથી તેત્રીસ આશાતનાઓનું પ્રતિક્રમણ તો છે જ. તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ વગેરે પદો પ્રતિક્રમણના સ્પષ્ટ સૂચક જ છે. સારાંશ કે ગુરુ વંદન સંબંધી આશાતનાઓ કે બીજા દોષોનું Page #172 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૯૯ પ્રતિક્રમણ સામાન્ય શબ્દોમાં અને વિગતવારના શબ્દોમાં આપવામાં આવ્યું છે. ૬. અખાણ વોસિરામિ પદ કાયોત્સર્ગનું સૂચક છે. એ દેખીતું જ છે ને ? તસ્સથી બધો ભાગ કરેમિ ભંતે ! સૂત્રમાંનો જ છે, અંતે પદનો અર્થ ક્ષમા-શ્રમણ-ગુરુ લેવો, એમ સ્પષ્ટ શબ્દથી જણાવેલ છે. અપ્પાણે વોસિરામિ પદ પણ એ સૂત્રમાંનું જ છે. ૨. ત્રણ પ્રકારે ગુરુવંદન - અભુદ્ધિઓ ખામવો, તે થોભવંદન. ચતુર્વિધ સંઘને પરસ્પર હાથ જોડી પ્રમાણ કરવો, તે ફીટ્ટાવંદન. અને આ વાંદણાસૂત્રથી બે વખત વાંદણા દેવા, તે દ્વાદશાવર્તવંદન કહેવાય છે. કેમકે તેમાં બાર આવત આવે છે. ૩. ૨૫ આવશ્યક-૨ અવનત - બન્નેય વખતના વંદનમાં બે વાર થાય છે. ૪. યથાજાત મુદ્રા - જન્મ વખતે અને દીક્ષા વખતે થાય છે. તેમાં અહીં દીક્ષા વખતની યથાકાત મુદ્રા કરવાની છે. યથાવત એટલે ચરવળો અને મુપત્તિ હાથમાં રાખી બે હાથ જોડી અધોભાગ સિવાયના ખુલ્લા શરીરે નમીને ઊભા રહેવું, દીક્ષારૂપ નવા જન્મ વખતે એ રીતે ઊભા રહેવાનું હોય છે. બાર આવર્ત-અહો કાય કાય શબ્દો બોલતાં ગુરુ ચરણ સ્થાપનાને સ્પર્શ અને લલાટ સ્પર્શ એમ છ થાય છે. બે વખતના બાર આવર્ત. શિરોનમન-સંફાસ વખતે મસ્તક નમાવાય છે. અને ખામેમિ ખમાસમણ દેવસિય વઈક્રમ બોલતી વખતે મસ્તક નમાવાય છે. એમ બન્નેય વખત થઈને ચાર. ૩ ગુપ્તિ મન, વચન, કાયાની ગુપ્તિ. ૨ બે પ્રવેશ ૧. નિષ્ક્રમણ - નીકળવાનું ૧ વખત જ થાય છે. પહેલી વાર પ્રવેશ કરીને નીકળે છે, ને ફરી વાર અવગ્રહમાં પ્રવેશ કરે છે, પણ તે વખતે નીકળવાનું ન હોવાથી આવસિયાએ પદ બોલાતું નથી. ૫. શિષ્યના ૬ પૃચ્છા સ્થાન - ઈચ્છા, અનુજ્ઞા, શરીર અવ્યાબાધ, સંયમયાત્રા, ગુરુની યાપનિકા, અને અપરાધ ક્ષમાપના. ૬. ગુરુના ૬ જવાબો - છંદેણં, અણુજાણામિ, તહત્તિ, તુબ્સપિ વટ્ટએ? એવું, અહમવિ ખામેમિ તુમ. ૭. વંદનના ગુણો - વિનયોપચાર, ગર્વનો ત્યાગ, ગુર-પૂજા, તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન, યુત ધર્મની આરાધના, અક્રિયા, સાવદ્ય ક્રિયા ત્યાગ. ૮. વંદન કરવા યોગ્ય પૂજ્યો - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્નાધિક, અને ગણાવચ્છક પણ. ૯. ખાસ કારણ વિના ન વંદન કરવા લાયક - પાસન્થો, અવસગ્ન, કુશીલ, સંસકત, યથાછંદ. ૧૦. ૨ અવગ્રહ - સાડા ત્રણ હાથ પ્રમાણનો. ૧૧. વંદનનાં નામો - વંદન, કૃતિકર્મ, ચિતિકર્મ, પૂજા કર્મ, વિનય કર્મ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૨. વંદન કયારે ન કરવું?- ગુરુનું મન વ્યાક્ષિપ્ત-ડહોળાયેલું હોય, પરાડમુખ-વંદન તરફ ખ્યાલ ન હોય, પ્રમાદમાં હોય, અને આહારદિક કરતાં પણ વંદન ન કરવું. ૧૩. વંદન કરવાના ૩૨ દોષ - આદર વિના, ૨. અકકડાઈથી. ૩. ઉતાવળથી, એકી સાથે બધાયને વંદન અથવા શરીરને જેમ તેમ વાળીને. ૪. અવ્યકત સૂત્રનો ઉચ્ચાર કરવો. કૂદકા મારતા મારતા વંદન. ૬. રજોહરણ-ચરવળો-હાથીના અંકુશની માફક પકડવો અથવા પરાણે વંદન કરવું. ૭. આગળ પાછળ હલન ચલન કરવું. ૮. પાણીમાં માછલાની માફક વંદન કરતી વખતે ફર્યા કરે. ૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરે. ૧૦. બે હાથ ઘૂંટણની બહાર રાખવા. ૧૧. ભયથી. ૧૨. ભજન. ૧૩. મૈત્રીની ઇચ્છાથી. ૧૪. હોશિયારી બતાવવા. ૧૫. સ્વાર્થબુદ્ધિથી. ૧૬. ચોરી છૂપીથી વંદન. ૧૭. અયોગ્ય વખતે વંદન. ૧૮. ક્રોધથી વંદન. ૨૦. રાજી રાખવા વંદન. ૨૧. નિંદા કરતાં કરતાં વંદન. ૨૨. વંદન કર્યું ન કર્યું ને બીજી વાતો કરવા મંડવું. ર૩. કોઈ દેખી જાય તો વંદન કરે. અંધારું કે આંતરી હોય તો એમને એમ ઊભો રહે. ૨૪. અહોકાયંના આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડકાડે. આજુબાજુ શિંગડાને સ્થાને અડકાડે. ૨૫. વેઠ ચૂકવવી પડશે એમ ધારી વંદન કરે. ૨૬. વંદન કરીને મન્ત્રણ વંદામિ ખૂબ ઊંચેથી બોલે. ર૭. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં મનમાં વંદન કરે. ૨૮. ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે. ર૯. ચૂડલી વંદન હાથ ભમાવીને એકી સાથે બધાને વંદન કરે. અથવા રજોહરણાદિકને એવી વિચિત્ર રીતે પકડે. આ બત્રીસ દોષ વજીને વંદન કરવાથી ફાયદો થાય છે, તે વિના મહેનત લગભગ નકામી જાય છે. ૧૪. વંદનના ખાસ આઠ પ્રસંગો - પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, અપરાધની ક્ષમાપના, પ્રાપૂર્ણક મહેમાન તરીકે કોઈ મુનિ આવ્યા હોય ત્યારે તેને, આલોચના પ્રસંગે ગુરુને, દિવસ ચરિમ પચ્ચકખાણ વખતે અને આરાધના પ્રસંગે. ૧૫. વંદન સંખ્યા - પ્રતિક્રમણમાં ૪. સ્વાધ્યાયમાં ૩, એમ છ દિવસના પૂર્વ ભાગમાં અને દિવસના પાછળના ભાગના ૭. ૧૬. વંદન ન કરવાથી છ દોષ - ૧. અભિમાન, ૨. અવિનય, ૩. નિંદા, ૪. નીચ ગોત્રનું બાંધવું, ૫. અબોધિ, ૬. સંસારની વૃદ્ધિ. ૧૭. ૩૩ આશાતનાઓ - ૧. કારણ વિના ગુરની આગળ ચાલવું. ૨. ગુરની બાજુમાં ચાલવું. ૩. પાછળ પણ નજીકમાં ચાલવું. ૪-૫-૬. એમ જ આગળ, બાજુમાં અને પાછળ ઊભા રહેવું. ૭-૮-૯. એ જ પ્રમાણે બેસવું. ૧૦. ગુરુની પહેલાં સ્પંડિલ ભૂમિથી પાછા ફરી આવવું. ૧૧. ગુરુ કરતાં પહેલી વાતચીત કરવી. ૧૨. સાથે બહારથી આવ્યા છતાં પહેલાં ગમાણા-ગમાણેની આલોચના કરવી. ૧૩. ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. ૧૪. બીજાને બતાવીને ગુરુને બતાવવી. ૧૫. ગુરુની રજા વિના વધારે ગોચરી કોઈને આપી દેવી. ૧૬. બીજાની પછી ગુરને નિમંત્રણ દેવું. ૧૭. ગુરુને જે તે આપી દઈ, સારું સારું પોતે લઈ લેવું. ૧૮. ગુરુ રાતમાં જાગવા કે ઊંઘવાનો પ્રશ્ન પૂછે પણ તેનો જવાબ ન દેવો. ૧૯. રાત્રિ સિવાયના વખતમાં પણ જવાબ ન આપવો. ર૦. Page #174 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૦૧ ગુરુ મહારાજ બોલાવે તો આસન ઉપર બેઠા બેઠા કે શયનમાં સૂતા સૂતા જવાબ આપવો. તે ખરી રીતે-આસનાદિનો ત્યાગ કરી મથણ વંદામિ કહી સામે આવી હાથ જોડી ગુરુ વચન સાંભળવું જોઈએ. ૨૧. ગુરુ બોલાવે તો “શું છે ? શું છે ?” એમ બોલવું, તે. ૨૨. ગુરુને તુંકારાથી બોલાવવા. ૨૩. “તમેય આળસુ છો” એમ કહી તેમણે કહેલું કામ પોતે ન કરવું. ૨૪. ઘણા ઊંચા અને કર્કશ શબ્દથી વંદન કરવું. ૨૫. ગુરુ વાતચીત કરતા હોય, કે ઉપદેશ આપતા હોય ત્યારે વચ્ચે ડહાપણ ડહોળે કે “હા, એમ છે.” ૨૬. તમને પાપ લાગતું નથી કે ? એ વાત એમ નથી.” વગેરે બોલવું. ર૭. ગુરુવાકયની પ્રશંસા ન કરવી. ૨૮. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે “હવે મૂકો એ વાત, ભિક્ષા વેળા, સૂત્ર પૌરુષી વેળા કે ભોજન વેળા થઈ છે” વગેરે બોલવું. ૨૯. વચ્ચે પોતે બોલે કે “આ વાત હું તમને કહીશ” એમ કહી ગુરુ અને શ્રોતાની વાત તોડી નાંખવી. ૩૦. ગુરુ સામે સમાસન કે ઉચ્ચ આસન ઉપર બેસવું. ૩૧. પોતે વિશેષ ધર્મ કથા કહેવી. ૩૨. ગુરુ આસનને પગ લગાડવો. અથવા ભૂલથી લાગી જાય તો ખમાવવું નહીં. ૩૩. ગુરુની શય્યા કે આસન ઉપર સૂવું કે બેસવું. જૈન દર્શનમાં ગુરુવંદનની મહત્તા કેટલી છે ? ગુરુની ભક્તિ કેવી રાખવાની છે ? શિષ્યધર્મ કેવો છે ? તેનું અદ્ભુત સ્વરૂપ આ ગુરુવંદન વિધિ વાંચતાં આપણા ખ્યાલમાં આવે છે. ગુરુ ઉપર શાસનનો કેટલો મદાર છે ? તે આ વંદન સૂત્ર દુન્યવી સ્વાર્થથી કરાતા નમસ્કાર, પ્રણામ, વંદન, ખુશામત વગેરે કરતાં તદ્દન જુદા જ પ્રકારનું છે. કેમકે આ વંદનનો ઉદ્દેશ દુન્યવી સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને કેવળ મોક્ષને ઉદ્દેશીને સાધક ભાવે મોક્ષનો માર્ગ બતાવનારા ગુરુને અનન્ય ભાવે કરવાનું છે. તેથી આ વંદનની બીજા વંદન નમસ્કારાદિક કરતાં અસંખ્યાત ગુણી મહત્તા વધારે છે. તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ૪. પ્રતિક્રમણ અવશ્યક. આલોચના વિભાગ. વંદન કરવાના હેતુઓમાં-“પ્રતિક્રમણ કરવાની ઈચ્છા હોય, ત્યારે પણ વંદન કરવું જોઈએ” એમ ગણાવેલ છે. એટલે હવે દેવસિક પ્રતિક્રમાણ માટે કરવામાં આવેલા વંદન પછી અવગ્રહમાં જ ઊભા રહીને દેવસિક પ્રતિકમાણના અંગ તરીકે તેની પૂર્વે દેવસિક આલોચના કરવાનો ક્રમ આવે છે. આલોચનામાં જો મે દેવસિઓ એ આલોચનાનું શાસ્ત્રીય સૂત્ર બોલ્યા પછી બાળ જીવોને વિગતવાર સમજણ પડે માટે લોક ભાષામાં આપેલા સાત લાખમાં જીવહિંસા વિષેની વિગતવાર મુખ્ય આલોચના થાય છે. અને અઢાર પાપ સ્થાનકના સૂત્રમાં તમામ પ્રકારના મન-વચન-કાયાના સંભવિત ઘણા દોષોની આલોચના થાય છે. હમેશના વ્યવહારમાં પ્રસિદ્ધ અને સામાન્ય બાળજીવો સમજી શકે તેવા, પ્રસિદ્ધ દોષોના સૂત્ર પાઠ એ રીતે ગોઠવવામાં આવ્યો છે. આલોચના હમેશાં પોતાની જાણમાં હોય, તેવા દોષોની વિગતવાર જાતે બોલીને કરવાની હોય છે. તેથી આલોચના પોતાની ભાષામાં જ બોલવી પડે. પરંતુ દરેક જીવો વ્યવસ્થિત બોલી ન શકે—કેટલું બોલવું, કેટલું ન બોલવું, કેટલા દોષોની આલોચના કરવી, એ વગેરે ન સમજી શકે : માટે બાળજીવોની સગવડ માટે સાત લાખ અને પહેલે પ્રાણાતિપાતએ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પંચ પ્રતિકમણ સૂત્રો બન્નેય પાઠો ભાષામાં મૂકી આપ્યા છે. છતાં શાસ્ત્રીય આલોચના સૂત્ર તરીકે તો જે મે દેવસિઓ અઈયાર સૂત્ર આવે જ છે. મુનિ મહારાજ સાથે પ્રતિક્રમણ કરતા હોઈએ, તો પંચહમાશુવયાણંથી પાઠ આપણે બોલવો, કેમકે, મુનિ મહારાજાઓને એ ભાગ પાંચ મહાવત વગેરે હકીકતોવાળો હોય છે. આ સૂત્રો બોલતાં દિવસમાં પોતાની જે જે ભૂલો થઈ હોય, તે તે શબ્દો બોલતાં યાદ કરવી. અને તેનો પશ્ચાત્તાપ થતો હોય, તેવાં મન વચન કાયા પરિણમાવવાં. કેટલાક ખપી જીવો પ્રતિક્રમણ કરવા બેસતાં પહેલાં આખા દિવસમાં સમાયેલા દોષો વિચારી જઈ, નકકી કરી લઈ આ આલોચના વખતે ગુરુ મહારાજ સન્મુખ ભાવપૂર્વક આલોચી નાંખી શકે, અથવા પ્રતિક્રમણ પહેલાં પણ ખાસ ખાસ ભૂલોની આલોચના ગુરુ મહારાજ પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઈ પ્રતિક્રમણ વખતે ફરીથી યાદ લાવી આલોચી શકે છે. આ ઘણા જ પાપભીરુ આત્માર્થી જીવોનો સદાનો વ્યવસાય હોવો સંભવિત છે. ૩૧. સાત લાખ:- જીવહિંસાની આલોચના-૧-૪. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અ કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય; દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય. બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય. એવંકારે ચોરાશી લાખ છવાયોનિ માંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. યોનિ ઉત્પત્તિ સ્થાનક. સર્વ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય હોય છે. પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિથી જેટલાં ઉત્પત્તિ સ્થાનો સરખાં હોય, તેટલાનું એક સ્થાનક ગણાય. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ [૧] ૪૫, [વર્ણ] x ૨, [ગંધ]x [રસ] ૪૮, [સ્પર્શ]x ૫, [સંસ્થાન - આકૃતિ = 9,0,00. આ દિશાથી બીજઓ વિષે પણ સમજી લેવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩૨. પહેલે પ્રાણાતિપાત - પાપ સ્થાનકોની આલોચના-૨-૫ શબ્દાર્થ :- પ્રાણાતિપાત=હિંસા. મૃષાવાદ=જૂઠું બોલવું. અદત્તાદાન=ચોરી, આપ્યા વિના લેવું. મૈથુન=કામ વિષય સેવન. પરિગ્રહ=ધન ધાન્યાદિ ઉપર મમતા. ક્રોધ=તપી જવું. માન=અહંકાર. માયા=કપટ. લોભ=સંગ્રહ વૃત્તિ-મમતા. રાગ=પ્રીતિ. દ્વેષ-ખાર. કલહ-કજિયો. અભ્યાખ્યાન=કોઈ ઉપર આળ ચડાવવું. પૅશુન્ય-ચાડી. રતિ=આનંદ. અરતિ=અણગમો. પરપરિવાદ=પારકીનિંદા. માયા-મૃષાવાદ-કપટપૂર્વક જૂઠું બોલવું. મિથ્યાત્વ-શલ્ય-જૂઠી શ્રદ્ધા-ખોટો આગ્રહ-દેવગુરુ ધર્મ ઉપર અશ્રદ્ધા રૂપી સાલ-ડખલ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ; દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે લહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશન, પંદરમે રતિ-અતિ; સોળમે પર-પરિવાદ, સત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ-શલ્ય. એ અઢાર પાપસ્થાનક માંહી-મારે જીવે જે કોઈ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડં. ૧૦૩ ૨. પ્રતિક્રમણ-વિભાગ શરીર નમાવી [અર્ધ્યવનત કરી] પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરવા નીચેનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. આ સૂત્ર-મધ્ય પ્રતિક્રમણની પૂર્વે સંક્ષિપ્ત પ્રતિક્રમણ રૂપ સૂત્ર છે. ૩૩. સવ્વસ્સવિ-સંક્ષિપ્ત મધ્ય પ્રતિક્રમણ સૂત્ર ૧-૬. શિષ્ય સવ્વસવિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગુરુ- [પડિમેહ] શિષ્ય-ઇચ્છે. તસ્સ મિચ્છા મિ દુક્કડં. દેવસિઅ-ચિંતિઅ-દુખ્માસિઅ-દુચ્ચિòિઅ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિસ્તારપૂર્વક મધ્ય પ્રતિક્રમવશયક. ૧. વીરાસન કરી, અથવા જમણો પગ પ્રમાઈ, ઊભો રાખી મંગળ નિમિત્તે એક નવકાર ગણવો. ૨. બીજા ગામની શરૂઆત તરીકેનું સામયિક સૂત્ર-કરેમિ ભંતે સૂત્ર બોલવું. ૩. સંક્ષિપ્ત વિગતવાર પ્રતિક્રમણ રૂપ શાસ્ત્રીય-ઇચ્છામિ પડિકકમિઉં, જો મે દેવસિઓ અઇઆરો કઓ, કાઇઓ- સૂત્ર કહેવું પછી શ્રાવક પ્રતિક્રમણ વંદિત્તા સૂત્ર કહેવું. વંદિતા સૂત્રના અર્થ દૃષ્ટિથી મુખ્ય મુખ્ય વિભાગો નીચે પ્રમાણે છે :ગાથા ૧. મંગળાચરણ અને વિષય : ૧. સામાન્ય પ્રતિક્રમણ ગાથા ૨. વ્રતો તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રના-અતિચારોનું સામાન્ય પ્રતિક્રમણ. ગાથા ૩. ગૃહસ્થાવસ્થામાં ધર્મ આચરનારાઓને સર્વદોષોના વિશેષ પ્રકારનાં ખાસ કારણો પરિગ્રહ અને સાવદ્ય બહુ આરંભ હોય છે. તેનું પ્રતિક્રમણ. ગાથા ૪-૫. જ્ઞાનાચાર અને દર્શનાચારના અતિચારોનું જરા વિગતવાર પ્રતિક્રમણ. [સર્વ પ્રકારનાં કર્મબંધનોના આભ્યન્તર કારણરૂપ અપ્રશસ્ત ઇંદ્રિયો, કષાયો, [યોગો], અને રાગ-દ્વેષ સમ્યગ્રદર્શનનીને ન છાજતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓનું પ્રતિક્રમણ.]. ૨. ચારિત્રાચારના અતિચારોના પ્રતિકમાણની શરૂઆત ગાથા ૬. વ્રત તરીકે ગણાયેલા સમ્યકત્વવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. . ગાથા છે. સામાન્ય રીતે પણ જૈન ગૃહસ્થે ખાસ પાળવાના જીવદયાના આચારના અતિચારનું પ્રતિક્રમણ. આ સમ્યકત્વ અને જીવદયા : બન્નેય ગુણો સામાન્ય રીતે અલ્પમાં અલ્પ ચારિત્ર તરીકે- જૈન આચાર તરીકે-શ્રાવક માત્રને હોવા જ જોઈએ. કોઈએ બાર વ્રત ન ઉચ્ચ હોય, પણ સમ્યક્ત્વ અને જીવદયા ઓછામાં ઓછા આચારમાં જોઈએ. તો જ જૈન ગણાય. તેને જૈન ગણવામાં વાંધો નહીં. એટલું તો ચારિત્ર સામાન્ય રીતે દરેકમાં હોવું જોઈએ જ. ૩. બાર વ્રતો અને સંલેષણા વગેરેના અતિચારોનું પ્રતિક્રમણ ગાથા ૮. હવે બાર વ્રતોના અતિચારોનું સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ. ગાથા ૯ થી ૩૦. સુધી બારેય વ્રતોના આચાર વિગતવાર અતિચારોનું પ્રતિક્રમણ આવે છે. ગાથા ૯-૧૦. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિકમણ. ગાથા ૧૧-૧૨. સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૧૩-૧૪. સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૧૫-૧૬. સ્થૂલ મૈથુન વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. Page #178 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૫ ગાથા ૧૭-૧૮. સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત અને તેના અતિચારોનું પ્રતિકમણ. ગાથા ૧૯. દિ૫રિમાણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૦ થી ૨૩. ભોગપભોગ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૪ થી ૨૬. અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ર૭. સામાયિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૮. દેશાવકાશિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ર૯. પૌષધવ્રતના અતિચારોનું પ્રતિકમાણ. ગાથા ૩૦ થી ૩૨. અતિથિ વિભાગ વ્રતના અતિચારોનું પ્રતિકમાણ. ગાથા ૩૩. સંલેષણા વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. બાર વ્રતો સિવાયના પરચૂરણ આચારોના અતિચારોનું પ્રતિક્રમણ ગાથા ૩૪. સર્વવ્રતોમાં ત્રણ યોગથી થયેલા સર્વ અતિચારોનું સામાન્ય પ્રતિકમણ. ગાથા ૩૫. વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, સંજ્ઞા, કષાય, ત્રણ દંડ, ગુપ્તિ, સમિતિ, વગેરે આચરણ અને ત્યાગરૂપ આચારોના સામાન્ય અતિચારોનું ટૂંકામાં પ્રતિક્રમણ. . ૪. પ્રતિક્રમણથી કાયદો અને અંતિમ ફળ. ગાથા ૩૬ થી ૪૦. સમ્યત્વવંતને સામાન્યથી કર્મબંધ ઓછો થાય છે. અને તે પ્રતિક્રમણ કરે, એટલે મંત્રના મૂળને જાણનારા જેમ જલદી ઝેર ઉતારે છે, તેમ તેના આઠેય પ્રકારનાં કર્મ જલદી નાશ પામે છે. આમ બને છે, માટે ગુરુ પાસે આલોચના તથા નિંદા અને પ્રતિક્રમણ કરવાથી, ભાર બાજુએ મૂકીને જેમ મજૂર હલકો થાય છે, તેમ સમ્યત્વવંત જીવ પણ સંજોગવશાત્ કર્મો બાંધવા છતાં પ્રતિક્રમણ કરીને હળવો થઈ જાય છે. ૫. પ્રતિકમણની મહત્તા ગાથા ૪૧. આ પ્રતિક્રમણ આવશ્યક આચરવાની મહત્તા. ગાથા ૪૨. પ્રતિક્રમણ વખતે યાદ આવેલા દોષોની પણ સાથે સાથે આલોચના તથા પ્રતિક્રમણ, અને ઉપસંહાર. ૬. છેવટની આરાધના. ગાથા ૪૩. ઊભા થઈ [પ્રથમ વિરાસન કર્યું, તે પ્રતિક્રમણ કરવામાં લીનતામય ૧. કાયોત્સર્ગ આવશ્યક] પ્રતિક્રમણ કર્યાનો આનંદ અને ત્રિવિધે પ્રતિક્રમણ [૨. પ્રતિકમણાવશ્યક] કરી, વિરાધનાથી દૂર થઈ [૩. પ્રત્યાખ્યાનાવશ્યક], આરાધના માટે તત્પર થઈ [૪. સામાયિક આવશ્યક]; ગાથા ૪૪-૪૫. ૧. પ્રથમ ચોવીસ તીર્થકરોને અને ૨. સર્વ ચૈત્યોને વંદન કરે છે. [૫. ચતુર્વિશતિસ્તવાવશ્યક] ૧ અને સર્વ મુનિરાજેને વંદન કરે છે. [૬. ગુરુવંદનાવશ્યક] વંદિત્તાસૂત્રમાં સમાવેલા છ આવશ્યકો ઉપર પ્રમાણે સમજાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પંચ પ્રતિકમાણસૂત્રો ૭. પ્રતિકમણને અને પરમ ભાવનાઓ. ગાથા ૪૬, ૧. પ્રભુના ગુણ ગાનમાં મારા દિવસો વ્યતીત થાઓ. ગાથા ૪૭. ૨. અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ એ ચાર મને મંગળરૂપ હો. ૩. સમ્યગ્દષ્ટિ દેવ સમાધિ અને સમકિત આપો. ૮. પ્રતિક્રમણ કરવાના ખાસ હેતુઓ. ગાથા ૪૮. ૧. નિષિદ્ધનું આચરણ ૨. વિહિતનું અનાચરણ ૩. અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા: આ ચાર મુખ્ય દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવામાં આવે છે. ગાથા ૪૯. સર્વ જીવોની ક્ષમાપના અને મૈત્રી ભાવના. ગાથા ૫૦. છેવટનો ઉપસંહાર અને અંત્ય મંગળ. ૩૪. વંદિત્ત-શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર-૨-૭. ૧. મંગળાચરણ અને વિષય નિર્દેશ. શબ્દાર્થ :- વંદિત્ત-વંદન કરીને. સવ્ય- સિસર્વ સિદ્ધ ભગવંતોને, ધમ્માયરિએ ધર્માચાર્યોને. સબ-સાહૂ સર્વ સાધુ મુનિરાજોને. સાવગ-ધમ્માઈયારસ્સ-શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોનું. *વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ આ સવ્વસાહૂ આ ઇચ્છામિ પડિકકમિઉં, “સાવગ-ધમ્માઈયારસ્સાના સર્વ સિદ્ધો, ધર્માચાર્યો અને સર્વ મુનિરાજને વંદન કરી, શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. ૧ વિશેષાર્થ :- આથી ઉપાધ્યાય પણ લેવા. સવ્ય એટલે સાર્વ. સાવ એટલે સર્વને હિત કરનારા ઋષભદેવ પ્રભુ વગેરે તીર્થકરો પણ સમજવા. પ્રતિક્રમણ એટલે આત્માએ અતિચારો રૂપ પર સ્થાનથી પાછા ફરવું, અને વ્રતરૂપ સ્વસ્થાનમાં આવવું. પ્રતિક્રમણ, પ્રતિચરણ, પ્રતિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, મહી, શુદ્ધિ. આ પાઠ પ્રતિક્રમણનાં સાર્થક નામો પણ છે. ૨. વ્રતો તથા જ્ઞાનાદિ આચારોમાં લાગેલા અતિચારોનું સામાન્યથી પ્રતિક્રમણ : શબ્દાર્થ :- વયાઇયાર વ્રતમાં અતિચાર. Page #180 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૦૭. ‘જો "મે 'વયાઈચારો,નાણે તહસણે ચરિતે અા સુહુમોય બાયરો વા, તનિકેત ચ "ગરિહામિારા વતોમાં તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ન સમજાય તેવો, અથવા સમજી શકાય તેવો જે અતિચાર મને લાગ્યો હોય, તેને આત્મસાક્ષીએ નિંદુ છું, અને તેને ગુરુ સાક્ષીએ) "ગણું . ૨ વિશેષાર્થ:-ચકારથી સંલેખનાના અતિચારો તથા તપ આચાર અને વીર્યાચારના પણ અતિચારોનું તથા બીજા પણ શ્રાવકોના આચારોને અતિચારોનું પ્રતિક્રમણ સમજવું. ૩. ગૃહસ્થને સર્વ પાપના મૂળરૂપ પરિગ્રહ અને બહુસાવદ્ય આરંભનું પ્રતિક્રમણ : શબ્દાર્થ:- પરિગ્રહમિ=પરિગ્રહમાં. સાવજે સાવધ પાપથી ભરેલા. બહુ-વિહે બહુ પ્રકારના. આરંભે આરંભમાં. કારાવણે કરાવવા. કરણે કરવા. પડિકકમે પ્રતિક્રમણ કરું છું. દેસિએ=દિવસ સંબંધી. 'દુવિહે પરિગ્નેહમિ, “સાવજે બહુ-વિહેઅ આરંભે કારાવણે “અકરણે, “પડિકમે દેસિ સળંગ બે પ્રકારના પરિગ્રહ અને અનેક પ્રકારના સાવદ્ય આરંભો કરવા, “કરાવવા અને [અનુમોદવાથી દિવસમાં લાગેલા સર્વ [અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ૩. વિશેષાર્થ :- સચિત્ત-નોકર, રસોઈયા, ગાય, ઘોડા વગેરે; અચિત્ત-સોનું, રૂપું વગેરે; એ બે પ્રકારનો પરિગ્રહ. અથવા એ સચિન અને અચિત્ત એ બાહ્ય પરિગ્રહ; અને મિથ્યાત્વ, આવિરતિ, કષાય વગેરે આવ્યેતર પરિગ્રહ. કેટલાક પરિગ્રહો-મિલકતો તથા ખેતી, કારખાનાં વગેરે ધંધાઓ, વારસાથી ચાલ્યા આવતા હોય છે. અથવા - ધનસંચયની બુદ્ધિ કે સ્પર્ધા ખાતર ગૃહસ્થ સ્વયં ઉત્પન્ન કરે છે. તથા બનેય પ્રકારના પરિગ્રહ અને સાવધ આરંભો જ એવા છે કે, તેમાં કેટલુંક જાતે કરવું પડે, કેટલુંક બીજા પાસે કરાવવું પડે; અને બીજાએ કર્યું હોય, તેનાં વખાણ કરવા પડે, અથવા તો મનમાં પણ ઠીક, અઠીક સમજવું પડે. આવું કાંઈ ને કાંઈ અવશ્ય થાય છે. તેથી અનિચ્છાએ પણ ગૃહસ્થને દોષના પાત્ર થવું પડે છે. અર્થાત્ તેને લીધે જ ગૃહસ્થજીવનમાં અને ત્યાગી મુનિના જીવનમાં મોટો ફેર પડે છે. સાદું અને પવિત્ર જીવન ગાળવા ઈચ્છતા વ્રતધારી ગૃહસ્થને પોતાની સામાન્ય જરૂરિયાતને અંગે થતી પ્રવૃત્તિઓ કરતાં આ પરિગ્રહેચ્છા અને બહુસાવદ્ય આરંભો તેને વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરાવે છે, અને તેથી તેને દોષો લાગે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પંચ પ્રતિકમાગસૂત્રો ધર્મની સાધનાના મુખ્ય સાધન રૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં શ્રાવકને લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ બીજી ગાથામાં બતાવ્યું. અને તેથી વિરોધી ધર્મની વિરાધનાનાં મુખ્ય મથકો પરિગ્રહ અને સાવદ્ય આરંભ : આ ત્રીજી ગાથામાં બતાવ્યાં છે. તે ઈરાદાપૂર્વક કર્યા હોય, વગર જરૂરિયાત કર્યા હોય તો અનાચાર રૂપ છે. પણ કરવો, કરાવવો અને અનુમોદવો પડ્યો હોય, તો તે અતિચાર રૂપ છે. ગૃહસ્થને ધર્મની આરાધનામાં ખલેલ પાડનાર અને વિશેષ વિરાધના કરાવનાર એ બે મુખ્ય તત્ત્વો છે. ઉપરની ગાથામાં-મુખ્ય આદર્શ તરફ લક્ષ્ય ખેંચ્યું છે. તેવી જ રીતે આ ગાથામાં મુખ્ય પતનના સાધન તરફ પણ લક્ષ્ય ખેંચ્યું છે. ગૃહસ્થપણામાં રહીને ધર્મ પાળવાની ઈચ્છાવાળાને માટે ટૂંકામાં બનેય પ્રકારનાં મૂળ તત્ત્વો આ બે ગાથાથી બતાવ્યાં છે. એકમાં સર્વ આરાધનાના પ્રકારો અને બીજીમાં લગભગ સર્વ વિરાધનાના પ્રકારોનો સમાવેશ થાય છે. જિનમંદિર વગેરે કરાવવામાં અતિચાર નથી, પણ આરાધના છે. એટલે તે જુદા પાડવા સાવદ્ય શબ્દ મૂકેલો છે. તેની જ રીતે કેટલાક આરંભો કુટુંબપાલન ખાતર કરવા પડે, નછૂટકે કરવા પડે, તેને કંઈક જુદા પાડવા બહુવિધ શબ્દ આપ્યો છે. તેનો ભાવાર્થ એ છે કે બિનજરૂરિયાતથી નિ:શુક-નિ:સંકોચપણે બેધડક થઈ કરવામાં આવ્યા હોય, તો દોષ લાગે જ છે. ૪. જ્ઞાનાચારના અતિચારોનું-અથવા આરંભ પરિગ્રહ રૂપ કર્મબંધનનાં મુખ્ય બાહ્ય કારણો હોય યા ન હોય, તો પણ સર્વ દોષોના મૂળરૂપ કર્મબંધનોનાં ખાસ આવ્યંતર કારણો ઇંદ્રિયો અને કષાયો વગેરે હોય છે, તેનું પ્રતિક્રમણ શબ્દાર્થ :- અપ્પસત્યેહિ અપ્રશસ્ત, અયોગ્ય ભાવથી પ્રવર્તેલા. જંબુદ્ધમિંદિએહિં, ચઉહિં કસાએહિ 'અપ્પસચૅહિં “રાગણ વદોએણવં', તે નિંદે તે ગરિણામિજા “અપ્રશસ્ત ભાવથી પ્રવર્તેલા ઇદ્રિય વ્યાપાર), ચાર કષાયો ત્રણ યોગો અને “રાગ ‘તથા ષથી મેિં ‘જે [જ્ઞાનાચારના અતિચાર રૂપ, કે કોઈ પણ કર્મ બાંધ્યું હોય, તેની નિંદા કરું અને તેની ગહ કરું છું. ૪. વિશેષાર્થ :- પ્રશસ્ત, અપ્રશસ્ત ઈન્દ્રિયો વગેરે નીચે પ્રમાણે સંભવે છે, પ્રશસ્ત ઇંદ્રિયો-જિનેશ્વરાદિકના ગુણગાનથી જિહા, ગુણશ્રવણથી શ્રોત, દર્શનાદિકથી ચક્ષુ, “પાદિક પૂજા સામગ્રીની પરીક્ષા કરવાથી નાક, અને સ્નાત્ર-પખાળ વગેરેથી સ્પર્શનેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ થાય છે. કષાયો-શિષ્યાદિકને વિનય શીખવવા કોધ પડે. તે પ્રશસ્ત ક્રોધ, “સુદેવ વગેરેને નમવું, Page #182 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૦૯ અન્યને ન નમવું” વગેરે પ્રતિજ્ઞાના નિર્વાહ માટે કડક થવું પડે, તે પ્રશસ્તમાન. દીક્ષા લેવા કે હિંસા થતી અટકાવવા જે માયા પ્રપંચ કરવો પડે તે પ્રશસ્ત માયા. જ્ઞાનાદિક સાધનોનો સંગ્રહ કરવો પડે તે પ્રશસ્ત લાભ. યોગ-ધર્મ તથા શુકલ ધ્યાનમાં પ્રશસ્ત મનોયોગ. દેવ ગુર્નાદિકના ગુણ વર્ણન ધર્મ સૂત્ર-વ્યાખ્યાન-પઠન પાઠન વગેરે સ્વપર હિતકર વાણી વ્યાપાર પ્રશસ્ત વચન યોગ. સામાયિક, પ્રતિક્રમણ, શાસન માલિન્ય નિરાકરણ વગેરે પ્રસંગે કરતો શરીર વ્યાપાર પ્રશસ્ત કાય યોગ છે. રાગ-દ્વેષ = પણ ઉપર પ્રમાણે સમજી લેવા. - રત્નત્રયી, દેવ, ગુરુ, ધર્મ કે મંદિરો, ગુરુઓ કે પ્રવચન ખાતર સમ્યગ્દર્શનીની પ્રવૃત્તિ પ્રશસ્ત પ્રવૃત્તિ છે. ઈતર સર્વ અપ્રશસ્ત પ્રવૃત્તિ છે. પ્રશસ્ત પ્રવૃત્તિ આચાર છે. અપ્રશસ્ત પ્રવૃત્તિ જાયે કરીને કરી હોય, તો અનાચાર છે. કરવી પડી હોય, તો અતિચાર છે. ઇંદ્રિયો, કષાયો, યોગો અને રાગદ્વેષો સર્વ કર્મના બંધનના ખાસ આત્યંતર કારણ રૂપ છે. બાહ્ય કારણો પણ તેઓને આધીન છે. એટલે તેનું પ્રતિક્રમણ ખાસ શરૂઆતના ભાગમાં મૂકવામાં આવ્યું છે. બાર વ્રતધારીઓનું પણ આ બધી મુખ્ય બાબતો તરફ સામાન્ય રીતે પહેલું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. “સાધુઓ માત્ર વ્રતોની બાધાઓ આપે છે. પણ જૂઠ, ત્યાગ, ક્ષમા વગેરે ગુણો શીખવતા નથી” એ ગેરસમજ આથી દૂર થાય છે. બીજી ગાથામાં જ્ઞાન-દર્શન-ચરિત્ર એ ત્રણ મુખ્ય ગુણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ કમની દષ્ટિથી આ ગાથામાં બતાવેલા દોષો જ્ઞાનાચારના અતિચારો છે. એમ પણ ટીકાકાર આચાર્ય મહારાજાએ પણ જણાવ્યું છે. ૫. દર્શનાચારના અતિચારોનું અથવા સમ્ય દર્શનવંત ગૃહસ્થની સર્વ પ્રવૃત્તિઓ સવિવેક અને યોગ્ય સંયમપૂર્વક હોવી જોઈએ, તેમાં થયેલી ખામીઓનું પ્રતિક્રમણ : શબ્દાર્થ :- આગમાણે=આગમન-આવવું. નિગ્નમણે નિર્ગમન-નીકળવું. ઠાણેકસ્થાન-ઊભા રહેવું. ચંકમાણેકચંક્રમણ, હરવું, ફરવું, ચાલવું. આણાભોગે બેધ્યાનથી-ભાવ વિના થતી ક્રિયા-ઉપયોગ વિના થયેલી ક્રિયા. અભિયોગે=રાજાદિકના બળાત્કારના પ્રસંગો. નિઓગે અધિકાર, ફરજનો ઉપયોગ. "આગમણે 'નિષ્ણમણે, ઠાણે “ચંકમણે અણાભોગે ! “અભિયોગે અનિયોગે, પડિકકમે દલિએ સવ્વાપા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો "આણઉપયોગ, રિાજાદિક] અભિયોગ, અને અધિકારને લીધે [મિથ્યાદષ્ટિઓના સ્થાનમાં-] “આવવાથી, યિાં જવા પોતાને ઘેરથી નીકળવાથી, ઊભા રહેવાથી કે “ફરવાથી અને સૂવા બેસવાથી] જે કર્મ (દર્શનના અતિચાર રૂ૫] બાંધ્યું હોય, “દિવસ સંબંધી તિ] સર્વનું પ્રતિક્રમણ કરું છું. અિથવા અણઉપયોગે જવા, આવવા, ઊભા રહેવા તથા ફરવાથી અને રાજાદિકનાઅભિયોગથી કે અધિકારને લીધે જે કર્મ બાંધ્યું હોય, દિવસ સંબંધી ]િ સર્વનું પ્રતિક્રમણ કરું છું. ૫. વિશેષાર્થ :- આ ગાથા દર્શનાચારના અતિચારોના પ્રતિક્રમણ રૂપ છે. એટલે સામાન્ય રીતે જવું, આવવું, ઊભા રહેવું, ચાલવું, કામ કરવું, તથા મુશ્કેલી પ્રસંગે કેટલીક છૂટો લઈ માર્ગ કાઢવો. તથા નોકરી કરતાં કે જવાબદારી ઉપાડતાં કયાંય વિવેકથી ચકાઈ ન જવાય કે જેથી કરીને અન્યને તેમાં હાંસીનું કારણ ન થાય, પણ ઊલટું અનુકરણ કરવાનું મન થાય, તેમ જ હિંસાદિક દોષો ન થાય, વગેરે જાળવીને વર્તવામાં એક રીતે દર્શનાચારની શુદ્ધિ છે. તથા મિથ્યાષ્ટિના-મંદિર વગેરેમાં જવું પડ્યું હોય, ઊભા રહેવું પડ્યું હોય, ત્યાં આજુબાજુ ફરવું પડ્યું હોય, નોકરીને અંગે જવું આવવું પડ્યું હોય, રાજા વગેરેના બળાત્કારને લીધે તેને લગતું કાંઈ પણ કરવું પડ્યું હોય, અજાણતાં કાંઈ થઈ ગયું હોય વગેરે અતિચારોનું પ્રતિક્રમણ આ ગાથામાં છે. પાંચ અભિયોગ-રાજા ગણસ્વજન-પરજન લોકોનો સમૂહ. બળ=લશ્કર કે બળવાન. ગુરૂવડીલો, વિદ્યાગુરુ-માતા-પિતા વગેરે. વૃત્તિકાંતાર આજીવિકા અને ખરેખરી મુશ્કેલીનો પ્રસંગ. આ પાંચ કારણોથી નિરુપાયે સમજવા છતાં ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું પડ્યું હોય, તો પણ અનાચાર લાગી વ્રતભંગ ન થતાં અતિચાર લાગે છે. અથવા બીજા અર્થ પ્રમાણે આ પાંચમી ગાથા અનુક્રમ પ્રમાણે દર્શનાચારના અતિચારોના સામાન્ય પ્રતિક્રમણરૂપે છે. અથવા ગૃહસ્થનું જવું, આવવું, પણ નકામી કાયચેષ્ટા રૂપ ન હોય, અને પ્રયોજનને ઉદ્દેશીને જવું, આવવું પડે, તે પણ યતનાપૂર્વક જ હોય, આ બન્નેય વ્યાખ્યા આ ગાથાની કરેલી છે. ૬. વિગતવાર ચારિત્ર-આચારના અતિચારોનાં પ્રતિક્રમણોની શરૂઆત. હવે ગાથા ૬ થી ૩૫ ગાથા સુધી ચારિત્રાચારના અતિચારોનું પ્રતિક્રમણ છે. ૧. સમ્યત્વવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- સંકા શંકા, અવિશ્વાસ. કંખાકાંક્ષા, ઈચ્છા. વિગિચ્છા વિચિકિત્સા, કંટાળો. પ્રશંસા=પ્રશંસા, વખાણ. સંથવો સંસ્તવ સ્તુતિ. કુલિંગી સુરકુલિંગીઆઓ સાથે. સમસ્સઈઆરે સમ્યકત્વના અતિચારો. 'સંકા કંખ વિગિચ્છા, પસંસતહ સંથવોકુલિંગીસ સમ્મતસઇઆરે, પડિફમે દેસિસÖ'), Page #184 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૧૧ અવિશ્વાસ, અન્યની] ઇચ્છા, કંટાળો,” [અન્ય]" કુદર્શનીઓનાં વખાણ અને પરિચય એિ પાંચ સમકત્વ વ્રતના અતિચારોથી જે કર્મ બાંધ્યું હોય દિવસ સંબંધી°તિ સર્વનું પ્રતિક્રમણ વિશેષાર્થ :- જો કે દર્શનાચારમાં સમ્યકત્વ આવી જાય છે. છતાં દર્શનાચારની એટલી બધી બહોળી વ્યાખ્યા છે, અને તેનું યથાયોગ્ય આચરણ ગીતાર્થ મહામુનિઓ કે તેની નિશ્રામાં રહેલા મહામુનિઓથી જ થઈ શકે છે. તો પછી શ્રાવકનું ગજું શું ? તેથી શ્રાવક માટે તેમાંથી જેટલું પાળી શકાય તેટલું જુદું પાડી આપીને તેનું એક વ્રત નકકી કરવામાં આવ્યું છે. બાર વ્રત લેતાં પહેલાં આ સમ્યકત્વનું પણ વ્રત ખાસ લેવું જોઈએ. એટલે સમ્યકત્વ વ્રત મૂળમાં છે, અને તે ઉપર બાર વ્રતોનો આધાર છે. આમ વ્રતરૂપે ઉચ્ચારાતું હોવાથી આ વ્રતનો તથા બાર વ્રતોનો સમાવેશ શ્રાવકના ચારિત્રાચારમાં થાય છે. તેથી કરીને શ્રાવકને જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર-વિમર્યાચાર-વગેરે પાળવાના નથી, એમ ઠરતું નથી. પરંતુ તે પણ યથાશક્તિ પાળવાના જ છે. એ દૃષ્ટિથી તીર્થભક્તિ, સંઘભકિત, શાસનની ઉડ્ડાહના દૂર કરવી વગેરે કામો શ્રાવકો કરી શકે છે. તેમજ ગીતાર્થ ગુરુઓની નિશ્રામાં શાસન પ્રભાવનાનાં પણ કામો મહાશ્રાવકો કરી શકે છે. અથવા મહાન ગુરૂઓનાં તેવાં કાર્યોમાં શ્રાવકો ભાગ લઈ શકે છે. એ દર્શનાચારની, દષ્ટિથી જ છે. મહાયાત્રા, મહામંદિરો, મહોત્સવો વગેરે દર્શનાચારની દષ્ટિથી જ પ્રવર્તતા આવ્યા છે અને પ્રવર્તે છે. શંકા- અરિહંત ભગવાનની આજ્ઞાઓમાં અશ્રદ્ધાપૂર્વક અવિશ્વાસ, મનમાં સંશયો તે બે પ્રકારે છે. દેશાંકા અને સર્વશંકા : ધર્મ છે કે નહીં ? અથવા જૈન ધર્મ સારો હશે કે ખોટો ? તે સર્વ શંકા. જીવ સર્વવ્યાપી હશે ? કે અસર્વવ્યાપી ? પૃથ્વીકાય વગેરે સજીવ કેમ સંભવે ? નિગોદનું સ્વરૂપ ખરું હશે? અથવા હાલમાં કોઈ શુદ્ધ ચારિત્ર પાળનારા હશે કે કેમ ? એવા એવા અશ્રદ્ધારૂપ વહેમો તે દેશ શંકા. તે શંકા અતિચાર. આકાંક્ષા - બીજા દર્શન-ધર્મવાળામાં કોઈ વ્યક્તિના ક્ષમાદિગુણો તથા બીજા ચમત્કારો વગેરે જોઈને તે ધર્મ પાળવાની ઈચ્છા થવી, તે આકાંક્ષા. દરેક ઈતર ધર્મો તરફ મનનું લલચાવું, તે સર્વ આકાંક્ષા. અને અમુક કોઈપણ એકાદ ધર્મ તરફ મનનું લલચાવું, તે દેશ આકાંક્ષા. વિચિકિત્સા ધર્મના ફળનો અવિશ્વાસ. શંકા-દ્રવ્યાનુયોગને લગતી હોય છે, અને વિચિકિત્સા ધાર્મિક ક્રિયા અને તેના ફળને લગતી છે. પૂર્વકર્મના દોષથી કાંઈ દુ:ખ આવી પડે, તો તે ધર્મક્રિયાથી છે, એમ માનવામાં તો અનાચાર જ છે. સાધુસાધ્વીના મળમલિન અવયવો જોઈને મનમાં કંટાળો લાવવો, તે પણ વિચિકિત્સા અતિચારમાં આવે છે. કુલિંગીની પ્રશંસા- મિથ્યાદર્શનીઓનાં વખાણ કરવાથી પણ સમ્યકૃત્વમાં અતિચાર લાગે છે. કુલિંગીને સંસ્તવ- તેવાઓની સાથે પરિચય કરવાથી શ્રદ્ધા ઢીલી થાય છે અને સમ્યકત્વને ન છાજે તેવાં કૃત્યો કરવાનું મન થાય છે. માટે તેવા પરિચયથી દૂર રહેવું. નિનવના પ્રશંસા અને પરિચય પણ આ બે અતિચારમાં સમાય છે. સંસ્તવ એટલે પરિચય સમજવો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો એટલા માટે શ્રાવકોએ એવા ગામમાં, એવા મહોલ્લામાં અને એવા પાડોશમાં રહેવું જોઈએ કે જેથી કરીને-ધર્મના સંસકાર ઢીલા ન પડતાં દઢ થાય. જિનમંદિર તથા સાધુ મુનિરાજનો જોગ વારંવાર થતો હોય, પરિચય પણ શ્રાવકોનો હોય, અને એકંદર સમ્યત્વ નિર્મળ રહે અને ધર્મ ભાવના દઢ થાય તેવા સંજોગોમાં રહેવું. મિથ્યાત્વી પર્વો ન કરવાં પણ જૈન પર્વો અવશ્ય આરાધવાં, રોગાદિક કષ્ટ વખતે જેમ ઔષધાદિક કરવામાં આવે છે, તેમ સાંસારિક સુખ માટે કે વિશ્નનાશાદિ માટે પણ શ્રાવકે યક્ષાદિકનું આરાધન કરવું કે તેવી બાધાઓ, માનતાઓ કરવી ઉચિત નથી. પોતાનો હેતુ તેઓથી મોક્ષ મળે એવો ન હોય, તો પણ તે જોઈને બીજા ભોળા જીવો “આની પૂજાથી પણ ધર્મ થાય” એમ સમજી જાય, અને ઊલટો અધર્મ પામે. એ પણ સમ્યફ7ીને તો દોષરૂપ જ છે. સમ્યકત્વ ગુણ બારેય વ્રતનું મૂળ છે. માટે ૧૩,૮૪,૧૨,૨૭,૨૦ બાર વ્રતના ભાંગાઓ છે. અને સમ્યકત્વનો તો એક જ ભાંગો છે. છતાં જે તે એક ભાંગો ન હોય, તો શ્રાવકના વ્રતનો એક પણ ભાગો સંભવતો નથી. અને જો સમ્યકત્વ હોય તો યથાશકિત વ્રતના જેટલા ભાંગા પાળવામાં આવતા હોય, તે બધા ભાંગા વ્રતારાધન તરીકે સંભવે છે. ૨. આરંભ-સમારંભોની નિંદા. શબ્દાર્થ :- છકકાય સમારંભે છએ ય કાયની હિંસા થાય તેવી પાપકારી મોટી પ્રવૃત્તિ ઉપાડવી. પયારે રાંધવું. પયાવાગે રંધાવવું. દોસા દોષો. અત્ત પોતાને માટે ઉભયહા=બન્નેયને માટે ચેવ અને, વળી એટલે નિરર્થક. ‘છકડાયસમારંભે, પયણે અપયાવણે જે દોસા, અરઠા ય પઠા, ઉભયઠા ચેવ તં' નિદે ળા પોતાને માટે, બીજાને માટે, બન્નેને માટે અને નિરર્થક કે પાદિકથી] રાંધવા અને રંધાવવા તથા તેની અનુમોદના વગેરે પ્રવૃત્તિઓમાં “છકાયના [જીવોની હિંસા થાય તેવા સમારંભ કરવામાં જે દોષ લાગ્યા હોય] તેની નિંદા કરું છું. ૭. વિશેષાર્થ:- આ ગાથા-શ્રાવકના દિલમાં જીવદયાની ભૂમિકા બરાબર જમાવવા માટે છે. અર્થાત્ સમ્યકત્વ અને જીવદયાની ભાવના : આ બે મુખ્ય ગુણો છે જેના ઉપર વ્રતોનો મદાર છે. પહેલા અણુવ્રતમાં સવા વસાની દયા પાળવાની છે. તેમાંથી પણ સાતમા વ્રતમાં કર્માદાનોના ધંધાઓનો ત્યાગ કરે, અને ચૌદ નિયમ ધારે, છતાં કર્માદાન સિવાયના ધંધામાં પણ લોભથી કદાચ મોટા આરંભો કરે. તેનો પણ દુવિહે પરિગ્રહ- ગાથાથી અટકાવ થાય છે. તો પણ કેટલાક ઘરના, ધંધાના, જીવનના, સાદા કામકાજમાં પણ અયતનાથી કોઈ પણ જીવની હિંસા ન થઈ જાય, માટે પાણીના ગળણા, પાણી ગળવા, લાકડાં વગેરે વાપરવા, ચૂલા વગેરે વાપરવા, વગેરેમાં પણ કોઈ પણ જીવની હિંસા Page #186 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૧૩ ન થવા પામે, તેવી રીતે યતનાપૂર્વક વર્તવું જોઈએ. જો કે શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે, છયે ય કાયની હિંસાનો ત્યાગ નથી. તો પણ તેની યતના માટે પણ હૃદયમાં ભાવના તો હોવી જ જોઈએ. એ ભાવના હોય, તો જ બીજાં વ્રતોમાં પણ અતિચારો ઓછા લાગવાનો સંભવ ગણાય, માટે આ ગાથા મૂકીને શ્રાવકને લગભગ મુનિની દયા સુધી લાવી મૂકવાનો શાસ્ત્રકારોનો પ્રયાસ ઘણો જ સ્તુત્ય છે. કટકે કટકે ધર્મ પળાવવાની યોજના પણ આશ્ચર્યજનક છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે શ્રાવકને સવા વસાની જ દયા પાળવાની છે. જેટલી પળાય તેટલી પાળવાની છે. આ ગાથામાં સમારંભ શબ્દ છે. પણ સંરંભ અને આરંભ પણ સાથે સમજવાના છે. પ્રાણીવધનો સંકલ્પ સંરંભ, પીડા વગેરે સમારંભ, અને પ્રાણીનું મરણ થવું તે આરંભ. શ્રાવકે પોતાના જીવનના નિર્વાહ માટે પણ નિરૂપાયે કામકાજ-પ્રવૃત્તિ એવી સંભાળથી કરવી જોઈએ, કે જેથી ઓછામાં ઓછી જીવહિંસા થાય, છતાં તે બાબત પણ પશ્ચાત્તાપ તો હોવો જ જોઈએ. ઉપેક્ષાબુદ્ધિ કે નિર્ધ્વસ પરિણામ ન હોવાં જોઈએ. અહીં વ્રતભંગ ન હોવાથી પ્રતિક્રમણ નથી, માત્ર દોષની નિંદા છે. એટલે બનતાં સુધી શ્રાવકે તેવી હિંસાથી પણ દૂર રહેવું જોઈએ. "પંચહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈઆરે સિફખાણ “ચ અહિં પડિકકમે દેસિ સā° iટા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોના અતિચારોથી જે કર્મ બાંધ્યું હોય, દિવસ સંબંધી તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. ૮. વિશેષાર્થ :- આ બાર વ્રતો રૂપ ચારિત્રની રચનાનું સ્વરૂપ સમજવા જેવું છે. બાર વ્રતની ભૂમિકામાં સમ્યકત્વ વ્રત ગોઠવાયેલું છે. એટલે સમ્યત્વ મૂળની ઉપર વ્રતોના બે ફાંટા પડશે : એક અનુવ્રતો અને બીજા શિક્ષાવ્રતો. અને અણુવ્રતોમાંથી ગુણવ્રતોનો પેટા વિભાગ પડશે. ગુણવ્રતો અણુવ્રતોનું વિશેષ પ્રકારે પાલન છે. અથવા અણુવ્રતથી રહેતી છૂટો ઉપર અંકુશ મૂકવા રૂપ છે. શિક્ષાવતો :- મહાસામાયિકની શિક્ષા-માટે-ટેવ કેળવવા-તાલીમ લેવા-શીખવા માટે છે. સામાયિક, પૌષધ, દેશાવકાશિક, અતિથિ સંવિભાગ આ ચાર શિક્ષાવ્રતો છે. પ્રથમના બે એક જાતના સામાયિકની ટેવ રૂપ તો સ્પષ્ટ જ છે; દેશાવળાશિક છઠ્ઠા અથવા સર્વવ્રતના વિશેષ સંયમ રૂપ છે, તથા એક જ સ્થાનમાં બેસવું એ સંયમ-સામાયિક કેળવવાનું સાધન પણ છે. અતિથિ સંવિભાગ અતિથિ-પાત્રોનો પોતાનાં સાધનોમાંથી ભાગ કાઢવો, એ ત્યાગ= દાનની શિક્ષા તાલીમ આપે છે. અહીં સંવિભાગ શબ્દ ઉપરથી એમ સમજાય છે કે- “સંવિભાગ=એટલે ‘ગૃહસ્થ પોતાની જરૂરિયાતની દરેક વસ્તુમાં દેવગુરુ વગેરે ઉત્તમ પાત્ર રૂપ મોક્ષમાર્ગનાં મદદગાર સાધનોનો ભાગ છે' એમ સમજવું જોઈએ.” એટલે પાત્રદાન પણ એક જાતની ત્યાગની શિક્ષા તાલીમ છે. માટે તેને શિક્ષાવ્રત ગણવામાં વાંધો નથી. ! Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૪ શ્રી પંચ પ્રતિકમાણસૂત્રો ત્રણ ગુણ વ્રતો :- દિ૫રિમાણ, ભોગપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમાણ :- એ ત્રણેય વ્રતો, અણુવ્રતો એટલે મહાવ્રતોથી નાનાં વ્રતો, મહાવ્રતોમાં સ્કૂલ અને સૂક્ષ્મ હિંસાદિકનો ત્યાગ થાય છે, માટે તે વ્રતો મહાન કહેવાય છે. ત્યારે અણુવ્રતોમાં માત્ર હિંસાદિકના અમુક ભાગનો જ ત્યાગ થાય છે. તેથી તે વ્રતોનું નામ પૂલવતો કહેવાય છે. ગૃહસ્થ પોતાની જોઈએ તેટલી સગવડો જાળવીને વ્રતથી હિંસાદિકનો જે ત્યાગ કરે છે, તે ઉપરચોટિયો – સ્કૂલ જ ત્યાગ કરે છે. ઘણો અત્યાગ બાકી રહી જાય છે, પણ આ ગુણવ્રતોથી યુકિતપૂર્વક તેને કાબૂમાં લેવાનો માર્ગ બતાવ્યો છે. “આપણે આજીવિકા માટે પ્રયત્નો કરવાની છૂટ છે. છતાં દેશાવરમાં બહુ દૂર જઈ જઈને કેટલેક જઈ શકીશું ? માટે અમુક સો કે હજાર યોજનથી દૂર ન જવું. એટલું દિશાઓનું પ્રમાણ કરી લેવામાં શો વાંધો છે ?” એમ વિચારી તેમાં પણ સંયમ કરી દિગુ વ્રત લે, એટલે અણુવ્રતો કંઈક વિશેષ કડક બને છે, અને સંયમ વધે છે. એ જ રીતે ધંધાઓ અને ખાનપાનમાં પણ. કેવા ધંધા ન કરવા? તથા કઈ ચીજ ખાવી કે ન ખાવી ? વગેરેનાં પરિણામો કરવાથી સંયમ વધારે આગળ વધે છે. તે જ રીતે અનર્થ દંડ-નકામી પ્રવૃત્તિઓ-વધારે પડતી પ્રવૃત્તિઓનું વિરમણ-રૂકાવટ કરવાથી પણ સંયમ ઘણો જ આગળ વધે છે. પછી તો માત્ર ખાસ જરૂરિયાત પૂરતી જ છૂટો રહે છે. અને ગૃહસ્થનું આઠ વ્રતોથી જ લગભગ સ્વાશ્રયી, સંયમી, નિયમિત, સભ્ય, શાંત અને લાયક જીવન થઈ જાય છે. તેટલેથી ન અટકાવતાં ગુરુઓ-વિશેષ સંયમની તાલીમ આપવા–પરમ પુરુષોએ સેવેલા પરમ ત્યાગની તાલીમ આપવા-સામાયિક વગેરે શિક્ષાવ્રતોમાં સંયમી ગૃહસ્થને દોરે છે. અને અગિયાર પ્રતિમાઓના વહન સુધી લઈ જઈને પરમ ત્યાગની ભૂમિકાની ઝાંખી કરાવે છે. આમ, આ બાર વ્રતોમાં-પ્રથમનાં આઠ વ્રતો-ત્યાગ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. અને પાછળનાં ચાર વ્રતો આરાધના-સામાયિક સ્વરૂપ છે. દરેકનું મૂળ સમ્યત્વવ્રત તે દેવગુરુની આરાધના સ્વરૂપ છે. એટલે ચતુર્વિશતિ તવરૂપ છે. અને એકંદર ધર્મની આરાધના કાયોત્સર્ગ સ્વરૂપ છે. કારણ કે-મન, વચન, કાયાના ભોગો આપ્યા વિના એ શક્ય નથી. વ્રતો પાળતાં અતિચારોથી ડગલે ને પગલે સાવચેતી રાખી તેનાથી દૂર રહેવાથી-પ્રતિક્રમણ કરવાથી વ્રતો પાળી શકાય છે. આ દષ્ટિથી આ સમ્યકત્વ સહિત બાર વ્રતો ગૃહસ્થની આખી જિંદગીનાં છ આવશ્યક છે, સમ્યકત્વ વ્રત સહિત બાર વ્રતો મુખ્યપણે પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. કેમકે-તેમાં જેમ બને તેમ સાવદ્યયોગોની જુદા જુદા દરજજાની વિરતિઓ છે અને વ્રતરૂપે લેવાય છે. માટે જિંદગીના કે વધારે વખતના પ્રત્યાખ્યાન સ્વરૂપે છતાં તેમાં ગર્ભિત રીતે ઉપર પ્રમાણે છ આવશ્યકો પણ સમાયેલા છે. મૂળ આવશ્યક સૂત્રોમાં બાર વ્રતનાં સૂત્રો પ્રત્યાખ્યાન આવશ્યકમાં છે. - પાંચ આચાર એ મુનિ તથા ગૃહસ્થના ધર્માચરણની જૈનદૃષ્ટિથી બનેયની સામાન્ય ભૂમિકા છે. પરંતુ ગૃહસ્થની સ્પષ્ટ સમજ માટે દર્શનાચારને સમ્યકત્વવ્રત તરીકે રચીને જુદું જ સ્વતંત્ર વ્રત લેવડાવાય છે જેથી તે પોતાના ધર્મમાં મકકમ રહી શકે. દર્શનાચારની વ્યાખ્યા ઘણી જ બહોળી છે. તેના ઉત્સર્ગ અપવાદો ઘણા છે. તે ગૃહસ્થના ધ્યાનમાં ન રહે ને કટોકટીને વખતે કોનું આચરણ કરવું, કોનું ન કરવું ? એ બધું રીતસરની ગીતાર્થતા વિના સમજાય નહીં. એટલે પછી દર્શનાચારથી Page #188 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૧૫ ગૃહસ્થ પૂરતું અમુક બંધારણનું વ્રત બનાવી, અને ઉપર પ્રમાણે ચારિત્રાચારનાં બાર વ્રતો બનાવી બધાંય વ્રતો ગૃહસ્થ પાસે લેવરાવાય છે. એટલે વ્રત રૂપ ચારિત્રમાં દરેકનો સમાવેશ કર્યો. છતાં સમ્યકત્વ સહિત બાર વ્રતમાં જ ગૃહસ્થનું ધાર્મિક જીવન સમાઈ જાય છે, એમ સમજવાનું નથી. પણ સાધુઓ પાંચ આચાર પાળે છે. તેમાંથી પણ ગૃહસ્થ યથાયોગ આચરી શકે છે. અર્થાત્ શ્રાવકોએ પણ પાંચેય આચારો પાળવાના હોય છે. તેમાં માત્ર ચારિત્રાચારમાં ઉપર પ્રમાણે વ્યવસ્થા કરી છે, છતાં તેમાં પણ વિશેષ પાળે, તેનો નિષેધ આથી થતો નથી. અને તેથી જ અગિયાર પ્રતિમાઓ, બીજાં તપ વગેરેનાં વ્રતો ગૃહસ્થો માટે પણ છે. શાસનની પવિત્રતા, વાત્સલ્ય, સ્થિરીકરણ વગેરે ગૃહસ્થો પણ કરી શકે છે. જ્ઞાનાચાર પણ આચરી શકે છે. આ રીતે વિચારતાં જૈન ગૃહસ્થનું ધાર્મિક જીવન કેટલું ભવ્ય, ઉત્કૃષ્ટ અને સુંદર હોય છે, તે સમજાશે. બાર વ્રતમાં ન આવતા કેટલાક રિવાજે જૈન સંઘમાં પરંપરાથી પ્રચલિત જોવામાં આવે છે. તે ઉપર જણાવેલા પંચાચારની દષ્ટિથી હોય છે. શ્રાવક સમકિતના પાંચ અતિચારો જાળવીને બાર વ્રત સાચવે, તેમાં જૈન ધર્મના પાલનની ઈતિકર્તવ્યતા સમાતી હોય, તો શાસનનાં મહાન મહાન કામો કરે છે, મોટાં મોટાં ઉત્સવો, સમારંભો, તીર્થો, પ્રભાવનાઓ વગેરે પ્રવર્તે છે, તે કયા આધારથી ? એ પ્રશ્ન થશે. પણ એ પંચાચારની વિશાળ વ્યવસ્થાની દષ્ટિથી છે. શાસનનો વહીવટ ચક્રવર્તીના રાજ્ય વહીવટ કરતાંયે વિશાળ, અને સૂક્ષ્મ વ્યવસ્થાથી બંધાયેલો પ્રવર્તે છે. તે પાંચ આચારની દૃષ્ટિથી, અને તેમાં ત્યાગી અને ગૃહસ્થ પોતપોતાની મર્યાદાઓ પ્રમાણે યથાશક્તિ એટલે સંપૂર્ણ શક્તિ ફોરવીને ભાગ લઈ શકે છે અને ભાગ લેવો પણ જોઈએ, એ પ્રત્યેક જૈને નામ ધારણ કરનારની ફરજ છે. પહેલેથી આઠમી ગાથા સુધીમાં વિષયનો અનુક્રમ નીચે પ્રમાણે છે. ૧. પ્રકાર - પહેલી ગાથામાં મંગળાચરણ અને માત્ર અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. એ બે મુખ્ય વિષયો છે. બીજી ગાથામાં વ્રતો અને આચારોનું સામાન્ય પ્રતિક્રમણ, નિંદા, ગહ છે. ત્રીજી ગાથામાં સર્વ પાપોના મૂળરૂપ પરિગ્રહ અને સાવદ્ય આરંભનું પ્રતિક્રમણ છે. પછી અનુક્રમે જ્ઞાનાચારનું પ્રતિક્રમણ આવે છે. પછી ચારિત્રાચારના પ્રતિક્રમણમાં છઠી ગાથામાં સમ્યકત્વવ્રતનું પ્રતિક્રમણ અને સાતમીમાં જીવદયાની ખામીની નિંદા આવે છે. અને આઠમીમાં સામાન્ય બાર વ્રતનું પરિક્રમણ આવે છે. પછી વિગતવાર પ્રતિક્રમણ આવે છે. ઠેઠ ૩૫ ગાથા સુધી ચાલે છે. ૨. પ્રકાર - બીજી ગાથામાં વ્રતો અને આચારોનું સામાન્યથી પ્રતિક્રમણ બતાવ્યું છે. ત્રીજી ગાથામાં દોષોનાં બાહ્ય મોટાં કારણ બતાવ્યાં છે. ગૃહસ્થના પંચાચારનો સામાન્યક્રમ અને તેના દોષો લાગવાનાં કારણો બરાબર સમજી ન શકે તેમને પણ સામાન્ય રીતે પરિગ્રહ અને સાવદ્ય આરંભમાં દોષ બતાવ્યા છે. ચોથી ગાથામાં અપ્રશસ્ત ઇંદ્રિયો, કષાયો વગેરેથી કર્મ બંધાય છે. એમ સમજાવી તેવા દોષોની નિંદા સમજાવી છે. હવે ગૃહસ્થ ઓછો પરિગ્રહ કર્યો, બહુ સાવદ્ય આરંભ ન કર્યો, ઈદ્રિયો કષાયો વગેરે ઉપર પણ યથાશક્તિ સંયમ રાખ્યો, છતાં ખાસ કામકાજે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે, તે પ્રવૃત્તિઓ પણ બરાબર વિવેકથી થવી જોઈએ, એમ પાંચમી ગાથામાં સમજાવ્યું. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર આ પ્રમાણે શ્રાવકના સામાન્ય જીવન ઉપરાંત તેનામાં સમ્યકત્વ હોવું જ જોઈએ, સમ્યક્ત્વ વિના દરેક વ્રતોનું કશું મહત્ત્વ નથી. તેથી સમ્યકત્વ વ્રતના અતિચારનું પ્રતિક્રમણ અને સાતમી ગાથામાં-સામાન્ય રીતે શ્રાવકના પહેલા વ્રતમાં માત્ર ત્રસ જીવોની દયા પાળવાનું તો વ્રત છે, છતાં છયેય કાયના જીવ બચાવવાની ફરજ ન ચૂકવા માટે હિંસાની નિંદાગર્ભ સૂચના થાય છે. એટલે ખાસ કારણ વિના કોઈ પણ જીવની હિંસા ન કરવાની ભલામણ સાથે એકંદર જીવદયાના પરિણામની ભૂમિકા દઢ કરવામાં આવે છે. પછી સામાન્યથી બાર વ્રતનું આ ગાથામાં અને વિસ્તારથી હવે પછીની ગાથાઓમાં પ્રતિક્રમણો થાય છે. અણુવ્રતો અને ગુણ વ્રતો લાંબા વખત માટે (યાવત્ કથિક) અને શિક્ષાવ્રતોનો ટૂંકા વખત માટે [ઈત્વરકથિક) હોય છે. અણુવ્રતોનું સ્વરૂપ હવે પછી સમજાવીશું. ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. ૧. પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત એટલે-નિરપેક્ષપણે, સંકલ્પથી, નિરપરાધી, ત્રાસ, જીવની હિંસા નહીં કરવાનું ઓછું વ્રત લેવાય છે, અને તેથી વિશેષ પણ વ્રત શ્રાવક લઈ શકે. પરંતુ તેથી ઓછું ન લઈ શકે. મુનિરાજને ત્રસ અને સ્થાવર જીવની હિંસાનો [૨૦ વસા દયા) સર્વથા ત્યાગ હોય છે. ૨. ગૃહસ્થ -એકલા ત્રસ જીવોને ન મારે પરંતુ તેનો ધંધો, ઘર કામ વગેરે પ્રવૃત્તિમાં ત્રણ કે સ્થાવર જીવની હિંસાથી બચવું મુશ્કેલ પડે છે. (૧૦ વસા) ૩. ત્રસ જીવમાં પણ-અપરાધી-ગુનેગાર-નુકસાન કરનારની હિંસાથી બચવું મુશ્કેલ પડે છે. (૫ વસા) ૪. નિરપરાધીમાં પણ સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે હિંસા થાય છે. તેમાં ધંધાની પ્રવૃત્તિમાં આરંભથી થતી હિંસા ન રોકી શકાય. પરંતુ સંકલ્પથી ઈરાદાપૂર્વકની હિંસા કરે નહીં. (રા) વસા) ૫. સંકલ્પથી પળાતી અહિંસામાં પણ સાપેક્ષ-નિરપેક્ષ રીતે હિંસાનો સંભવ હોય છે. એટલે પુત્ર. નોકર, ઘોડા વગેરેને શીખવવા માટે ઈરાદાપૂર્વક ઠપકો, તાડના તર્જન કરવાં પડે, ત્યારે સંકલ્પથી પણ સાપેક્ષ-કારણ પ્રસંગે હિંસા કરવી પડે, એટલે માત્ર “નિરપેક્ષ-વિના કારણ, સંકલ્પથી, નિરપરાધી ત્રસજીવની હિંસા ન કરવી” એવું ગૃહસ્થને માટે વ્રત ૧ વસો બાકી રહે છે. એટલે પરમ ત્યાગની દષ્ટિથી આ ઘણો જ સ્થૂલ ત્યાગ છે. આ તદ્દન ઉપર ઉપરની હિંસાના ત્યાગનું વ્રત રહે છે. સાપેક્ષપણે કરવી પડતી હિંસામાં પણ વધારે પડતી કરવામાં આવે, ત્યારે અતિચાર લાગે છે. વ્રત અને તેના અતિચારની તારતમ્યતા નીચે પ્રમાણે સમજવી : વ્રતપાલન - ક્રોધાદિક આવેશ પણ નહીં અને જીવની હિંસા પણ ન થઈ હોય, તેને બચાવવાની તત્પરતા અને વ્રતમાં જાગૃતિ. એ આદર્શવ્રત પાલન છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૧૧૭, અનાચાર - કોધાદિક આવેશ હોય, જીવની હિંસા થાય, વ્રત તરફ દુર્લક્ષ્ય હોય, એ સ્પષ્ટ વ્રતભંગ જ છે, અને તે અનાચાર કહેવાય છે. અતિચાર - વ્રતમાં વધારે પડતી ખામી તે અતિચાર કહેવાય છે. અને ઓછી ખામી હોય, તો તે અતિક્રમ, વ્યતિક્રમ કહેવાય છે. અતિક્રમ - વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિની ઈચ્છા. વ્યતિક્રમ - વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરવાની લગભગ શરૂઆત. બાહ્ય અને આત્યંતર વ્રત અને અતિચાર - બહારથી વ્રતનો ભંગ દેખાતો હોય, છતાં આત્યંતરથી વ્રત પાલનની ઈચ્છા હોય, તો વ્રતનો તદ્દન ભંગ ન ગણાતાં અતિચાર લાગ્યો ગણાય છે. એ જ પ્રમાણે બહારથી વ્રતભંગ ન દેખાતો હોય, છતાં આત્યંતરથી વ્રત તરફ નિરપેક્ષ થવાયું હોય, તો પણ અતિચાર લાગ્યો ગણાય છે. અથવા અજાણતાં, બળાત્કાર વગેરેથી નછૂટકે વ્રતભંગ થયો હોય, તો પણ અનાચાર ન ગણાતાં અતિચાર ગણાય છે. આ પ્રમાણે દરેક વ્રતો વિષે સમજીને ઘટાવી લેવું. શબ્દાર્થ :- પઢમે પ્રથમ-પહેલા. અણુવ્યયમ્મી=અણુવ્રતમાં. શૂલગ-પાણાઈ-વાયવિરઇઓ સ્કૂલ-ટસ આથયીને. પ્રાણોનો જીવોનો. અતિપાત નાશ, તેથી. વિરતિ અટકવું, અથવા. પૂલ ઉપર ઉપરની. સ્થૂલ વિરતિ ઉપર ઉપરની વિરતિ. આયરિયં આચરણ. અપ્પસત્યે અપ્રશસ્તભાવ થવાથી. ઇન્ચ=અહીં, આમાં. પમાયપૂસંબં= પ્રમાદના પ્રસંગને લીધે. વહ વધ, મારવું. બંધ બાંધવું. છવિચ્છેએ=ચામડીનો છેદ. અઈ-ભારે ઘણો ભાર. ભરપાણ-વચ્છેએ=ખાનપાનનો વિચ્છેદ, ભૂખ્યા તરસ્યા રાખવા. પઢમ વયસ્મ=પહેલા વ્રતના. 'પઢમે અણુવ્રયમ્મી, પૂલગ-પાણાઈ-વાય-વિરઇઓ *આયરિયમપૂસલ્ય,ઇત્ય પમાયપ્રસંગેણંગલા વહ-બંધ-વિચ્છેએ, "અઇભારે “ભપાણ-વચ્છેએ પઢમ-જવયસ્સઈયારે, પડિકમે પદસિ સવૅ ૧છે. "પહેલા અણુવ્રતમાં સ્થૂલ ત્રિસ] પ્રાણ [જીવોના અતિપાતથી વિનાશથી વિરતિ [અટકવાને આશ્રયીને 'આચરણ [થાય છે.]. આમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રશસ્ત ભાવ થવાથી વધ, બંધ, ચામડીનો છેદ, "ઘણો ભાર, [અને] ખાનપાનમાં હરકત કરવી [] પહેલા વ્રતના અતિચારો થવાથી જે કર્મ બાંધ્યું હોય,] "દિવસ સંબંધી ]િ સર્વનું પ્રતિક્રમણ WWW.jainelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કરું છું. ૯-૧૦ ન વિશેષાર્થ :- ૧. મૃષાવાદ, અદત્તાદાન વગેરે ઇતર કારણોથી પણ પરિણામે હિંસા ન કરવાનો સમાવેશ આ વ્રતમાં થાય છે. માટે ઇત્ય શબ્દ વાપર્યો છે. શ્રી પંચ પ્રતિક્રમણસૂત્રો ૨. ભૂતાદિકના આવેશ પ્રસંગે કે રાગાદિ કારણે શરીરના અમુક ભાગનો છેદ કે બંધનાદિક કરવું પડે; અથવા દેશવિરતિને ઓળંગીને સર્વ વિરતિમાં પ્રશસ્તભાવમાં પ્રવેશવાનો વિચાર થાય, તો અતિચાર લાગતો નથી. આ ખુલાસો એટલા માટે કરવો પડે છે કે, વ્રતના સ્વરૂપ કરતાં ઓળંગવાનું થાય છે. પણ તે ઓળંગવાનું અપ્રશસ્ત ભાવ થવાથી થયું હોય તો અતિચારરૂપ બને છે. ચામડીના છેદમાં નાક-કાન-કાપવા ખસી કરવા વગેરેનો સમાવેશ થાય છે. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ-વ્રત, અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. આ વ્રત મહાવ્રત રૂપે હોય, તો કોઈ પણ પ્રકારે જૂઠું ન બોલવું, એટલે કોઈ પણ શબ્દોચ્ચાર કરવો પડે તેમ હોય, ત્યારે પણ હિતકારી, પથ્ય, મિત અને સત્ય વચન જ બોલવું. પરંતુ ગૃહસ્થો તે પ્રમાણે પાળી શકતા નથી. તેથી ખાસ પ્રસિદ્ધ કે જેથી કોઈને મોટું નુકસાન થાય તેમ હોય, તેવા જૂઠાણાનો માત્ર ત્યાગ કરી શકે છે. તેવા જૂઠાણા વ્યવહારમાં ખાસ પાંચ ગણાય છે, પરંતુ તે સિવાય એવી જાતના બીજા મોટા જૂઠાણાનો પણ ઉપલક્ષણથી ત્યાગ કરવા યોગ્ય છે. ૧. કન્યાલીક- સુરૂપને કુરૂપ કે કુરૂપને સુરૂપ કહેવી. સુશીલને કુશીલ, કુશીલને સુશીલ, વિષકન્યાને અવિષકન્યા કે અવિષકન્યાને વિષકન્યા કહેવી વગેરે મનુષ્યોના-દ્વિપદ સંબંધી વ્યવહાર વિષે જૂઠું બોલવું, તે મોટું જૂઠું છે. કેમકે, એક વાર થયેલી ભૂલ પછી સુધરતી નથી. તેનું પરિણામ દીર્ઘકાળ માટે કાયમ રહે છે, અને દુ:ખરૂપ થઈ પડે છે. ૨. ગવાલિક- આમાં પણ ઢોરઢાંખર, ગાયો, ઘોડા વગેરે ચોપગાં પશુઓની ખરીદી કે વેચાણના પ્રસંગમાં ઇરાદાપૂર્વક જૂઠું બોલવું - એ એવું જ મોટું જૂઠું કહેવાય છે. આ કોઈ પ્રાણીના વેચાણ કે ખરીદીને લગતા જૂઠાણાનો પ્રકાર છે. ૩. ભૂભ્યલીક- આમાં જમીન-મકાનો વગેરેને લગતાં અનેક પ્રકારનાં જૂઠાણાંનો સમાવેશ થાય છે. પોતાની હોય તે બીજાની કહેવી, અને બીજાની હોય તે પોતાની કહેવી. ખરાબને સારી અને સારીને ખરાબ કહેવી વગેરે. બીજી મિલકતો, વસ્તુઓ સંબંધી જૂઠું બોલવાનો આમાં સમાવેશ થાય છે. ૪. ન્યાસાપહાર- કોઈની થાપણ તથા મિલકત દબાવવા બાબત જૂઠું બોલવા વગેરેનો આમાં સમાવેશ થાય છે. ૫. ફૂટ સાક્ષી- ખોટી સાક્ષી પૂરવી. શબ્દાર્થ :- પરિશુલગ-અલિઅ-વયણ-વિરઇઓ=મોટાં જૂઠાણાંથી વિરતિને આશ્રયીને. Page #192 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સહસા=સહસા, સહસાત્કારે, કોઈના પર એકાએક આળ દેવું. રહસ્≠રહસ્ય-રહસ્યાભ્યાખ્યાન-ખાનગી વાત બહાર પાડવી. સદારે=સ્વદારા, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત બહાર પાડવી. મોંસુવએસે-મૃષાઉપદેશ, ખોટો લેખ. `બીએ ‘અણુ-વ્વયમ્મી, વૈપરિશૂલગ-અલિઅ-વયણ-વિરઈઓ । ૪આયરિઅમર્પસત્યે, “ઇત્ય પમાય-પસંગેણં ॥૧૧॥ “સહસા- રહસ્સદારે,૧૦ ૧'મોસુવએસે 'અ ફૂડ-લેહે `આ ૧૪બીય-વયસઈ આરેપ, પડિમે દેસિઅં સર્વાં॰ ।૧૨। ‘બીજા ૐઅણુવ્રતમાં- મોટા જૂઠાણાથી વિરતિને આશ્રયીને ‘આચરણ [થાય છે]. “આમાં પ્રમાદના પ્રસંગે કરીને અપ્રશસ્ત ભાવ થવાથી ૧૧૯ ‘કોઈના પર એકાએક આળ દેવું, “કોઈની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, ``ખોટો ઉપદેશ આપવો ‘“અને ` ંખોટા લેખ કામ કરવા [એ] બીજા řવ્રતના ૧૫અતિચારોથી [જે કર્મ બાંધ્યું હોય] ૧‘દિવસ સંબંધી [ત] `સર્વનું ‘‘પ્રતિક્રમણ કરું છું. ૧૧-૧૨. વિશેષાર્થ :- ૧. સહસાત્કારાભ્યાખ્યાન - “ચોર, વ્યભિચારી” ઇત્યાદિ રીતે કોઈના ઉપર ઉતાવળથી આળ દેવું. ૨. રહસ્યાભ્યાખ્યાન - કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી : અથવા ગુપચુપ મંત્રણાઓ કરી કોઈની વચ્ચે લડાઈ કરાવવી, ચાડિયાપણું કરવું. ૩. સ્વદાર મંત્ર ભેદ - પોતાની સ્ત્રીનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવું કે કોઈ પણ સ્ત્રીનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવું. એકંદર કોઈનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવાથી, સત્ય છતાં તેને આઘાત કરનાર થઈ પડે છે. અને મરણ નિપાવવા સુધી પરિણામ લાવે છે. માટે તે સત્ય છતાં પણ જૂઠું છે. ૪. મૃષોપદેશ - હિંસાકારી ઉપદેશ દેવો, કોઈને ખોટે રસ્તે ચડાવી દેવો. ખોટી સલાહ દેવી. માયાવી શાસ્ત્રોનો ઉપદેશ આપવો વગેરેનો સમાવેશ આમાં થાય છે. ૫. ફૂટલેખ - ખોટા લેખ, ખોટા દસ્તાવેજ, ખોટા કાગળ, ખોટા ખત વગેરે કરવા વગેરેનો આમાં સમાવેશ થાય છે. જો કે આ રીતસર ગુનો છે. એટલે અનાચાર ગણાય. અનાચારને કાયદામાં ગુનો કહેલો છે અને અતિચારને લગભગ અપકૃત્ય કહેલ છે. એ દૃષ્ટિથી ખોટા લેખ વગેરે ગુનો જ છે, એટલે અનાચાર છે. તેમ છતાં કોઈ ભોળો માણસ એમ માનતો હોય કે “મેં જૂઠું બોલવાની બાધા લીધી છે, પણ ખોટું લખવાની કયાં બાધા લીધી છે ?'' આવા ભોળા ભાવથી તે વ્રતમાં સાપેક્ષ હોય, તે તેને વ્રતની દૃષ્ટિથી અતિચાર લાગ્યો ગણી શકાય. એ દૃષ્ટિથી તેને અહીં અતિચાર તરીકે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો ગણાવેલ છે. જેનું પરિણામ મહાજીવહિંસા અટકાવવામાં કે ધર્મનો લોપ થતો રોકવામાં આવવાનું હોય, તેવા શુભ હેતુથી અનિવાર્ય સંજોગોમાં કરવામાં આવતા ઉપરના આચરણોમાં અતિચાર ન લાગે. પરંતુ આ દીર્ઘ દૃષ્ટિવાળા પુરુષો લાભાલાભ સમજીને આચરી શકે. ગાથામાં- સહસા રહસ્સેદારે વગેરે શબ્દો સંક્ષેપ ખાતર ટૂંકામાં બતાવ્યા છે. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. અદત્તકન આપેલું, આદાન લેવું. વિરમગ અટકવું. ન અપાયેલું લેવાથી અટકવું. દરેક નાની મોટી ચીજ ન અપાયેલીના ગ્રહણથી તદ્દન અટકવું. એ મુનિ મહારાજાઓનું ત્રીજું મહાવ્રત. અને નાની નાની ચીને આપ્યા વિના ન લેવાનું શ્રાવકથી બની શકતું નથી. એટલે મોટી મોટી બાબતોમાં એ નિયમ જાળવી શકે છે. એટલે તે સ્કૂલ-અદત વસ્તુના ગ્રહણથી અટકવાનું કહેવાય, અથવા અદત્ત વસ્તુના ગ્રહણથી પૂલ-ઉપર ઉપરની અટકાયત ગણાય. માટે આ વ્રતનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ અણુવ્રત કહેવાય છે. અદત્ત એટલે ન અપાયેલ, ન અપાયેલ ચીજ ન લેવી. ત્યારે આપનાર કોણ ? આપનાર એટલે ચીજ આપનાર-અથવા વાપરવાને-ઉપયોગ કરવાને સ્વાધીન કરવાને સ્વેચ્છાથી પરવાનગી આપે, તે આપનાર ગણાય, અને તેમની અપાયેલી વસ્તુ લેવાથી વ્રત પાલન થાય. આ વ્રત પાળનારને ઉદ્દેશીને આ જગતમાં આપનારાઓનું પૃથકકરણ કરીને તેના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. સ્વામી અદત્ત. ૨. જીવ-અદત્ત. ૩. તીર્થંકર-અદત્ત. ૪. ગુરુ-અદત્ત. ૧. સ્વામિઅદત્ત - સ્વામી એટલે વસ્તુનો માલિક. વ્યવહારના ધોરણ અનુસાર જે વસ્તુ જેના કબજામાં હોય; અથવા જેની માલિકી ગણાતી હોય, અથવા વાસ્તવિક રીતે તેને જે માલિક હોય, તેની પરવાનગી વિના કોઈ પણ વસ્તુ લેવી, તે સ્વામી અદત્તાદાન કહેવાય છે. ૨. જીવાદ - ફળ વગેરે સચિત્ત વસ્તુઓના માલિક તે પદાર્થમાં રહેલા છવો હોય છે, કેમકે તે તેમનું શરીર છે. એ ફળ આપણે ખાઈએ છીએ, પણ તેમાં રહેલા તે જીવની પરવાનગી-રજા પોતાને ખાવા દેવાની હોતી નથી, અને પોતાના શરીરનો તે પોતે માલિક તો છે જ. એટલે આ જીવાદત્તાદાન કહેવાય છે. ૩. તીર્થકરાદન - તીર્થંકર પ્રભુની આજ્ઞા વિરુદ્ધ વસ્તુનો સ્વીકાર કરવો. જેમકે- સાધુને ૪૨ દોષરહિત આહાર લેવાની આજ્ઞા છે, શ્રાવકે અભક્ષ્ય અનંતકાય ખાવા ન જોઈએ, એવી આજ્ઞા છે. તેથી વિરુદ્ધ વર્તવું એ તીર્થકરાદત્તાદાન ગણાય છે. ૪. ગુરુઅદત્ત - નિર્દોષ વસ્તુઓ છતાં ગુરુની આજ્ઞા વિના, ગુરુને નિમંત્ર્યા વિના તેનો ઉપયોગ Page #194 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૧૨૧ કરવામાં આવે, તો તે ગુરુઅદત્તાદાન છે. શ્રી મુનિરાજને ઉપરના ચારેય અદત્તનો ત્યાગ હોય છે. [ગૃહસ્થ ફળ વગેરેના શાક વગેરે પોતાના ઉપયોગ માટે જ કર્યા હોય છે, તેમાંથી મુનિરાજ માધુકરીવૃત્તિથી વહોરી જાય, તો તેમાં જીવ-અદત્તાદાનનો દોષ લાગતો નથી. પરંતુ તેમને ઉદ્દેશીને કરવામાં આવેલ હોય, વગેરે દોષો યુકત આહાર હોય, તો જીવ અદત્તનો પણ દોષ લાગે. નહીંતર તે ગૃહસ્થ જે રીતે ઉપયોગ કર્યો હોય, તેનો જે દોષ લાગવાનો હોય, તે ગૃહસ્થને લાગે, પણ મુનિ મહારાજશ્રીને ન લાગે.] પણ શ્રાવક ધર્મ પાળનાર ગૃહસ્થને માત્ર સ્વામિઅદત્તનો ત્યાગ થઈ શકે છે. અને તે પણ સ્કૂલથી થઈ શકે છે, સૂક્ષ્મતાથી થઈ શકતો નથી. સામાન્ય તણખલું કે કલમ, સહેજસાજ ઉપયોગ માટે કે શુદ્ધ વસ્તુઓ માટે ગૃહસ્થને માલિકની પરવાનગી લેવાનું બનતું નથી. પણ ખાસ ચીજ પરવાનગી વિના ન લઈ શકે, કે-જે વસ્તુ જે રીતે લેવાથી દુનિયામાં ચોરી ગણાતી હોય. તેથી તેઓનું વ્રત મહાવ્રત કરતાં ઘણું જ સ્થૂલ હોય છે. અથવા સ્થૂલ અદત્તના આદાનનું વિરમણ થતું હોવાથી પણ સ્થૂલ કહેવાય છે. ત્યારે મુનિ મહારાજ માલિક પાસેથી યાચના કર્યા વિના તણખલાનો પણ ઉપયોગ કરી શકતા નથી. રસ્તામાં ચાલવું, કે કંઈ પરવડવા માટે જમીનનો ઉપયોગ કરવો પડે તેમ હોય, ત્યારે પણ “અણુજાણહ જસુગ” [જેની જમીન હોય તે અનુજ્ઞા આપો] એવો ઉચ્ચાર કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. એટલે નાની કે મોટી કોઈ પણ સ્વામી અદત વસ્તુનો તેઓ ઉપયોગ કરી શકતા નથી. માટે તેઓનું મહાવ્રત ગણાય છે. જીવ અદત્ત, તીર્થકર અદત્ત તથા ગુરુઅદામાં પણ ગૃહસ્થ યતના રાખવાની છે. પ્રાય: જીવ અદત્તના ત્યાગનો સમાવેશ થાવકના પહેલા વ્રતમાં થાય છે. અને પછીના બે અદત્તના ગ્રહણના ત્યાગનો સમાવેશ સમ્યકત્વ વ્રત કે દર્શનાચારમાં થાય છે. એટલે આ વ્રતમાં માત્ર સ્થૂલ સ્વામી અદત્તના ગ્રહણનો ત્યાગ થાય છે એમ સમજાય છે. આ સ્થળે શ્રાવકના સ્વામી અદત્તના આદાનના ત્યાગ રૂ૫ વ્રતનો અધિકાર છે. શબ્દાર્થ:- ગૂલગ-પર-દવ-હરાણ-વિરઇઓ સ્કૂલ-બીજા માલિકનું-દ્રવ્ય[મોટી વસ્તુ]-લેવાથી વિરમણને આશ્રયીને. તેનાહડપ્પઓગે=જોનાક્ત-પ્રયોગ =જોન=ચોર સંબંધી. આત=લીધેલું, (લેવું). પ્રયોગ-પ્રેરણા, એટલે ચોરે ચોરેલું લેવું, અને ચોરને ચોરી માટે પ્રેરણા કરવી. તપડિરૂતત્પતિરૂપ જે વસ્તુ દેવાની હોય, તેના જેવું જ બીજું ભળતું જ દેવું, એટલે માલમાં સેળભેળ કે અસલને બદલે નકલી માલ આપી છેતરવું. વિરુદ્ધ-ગમાણે=વિરુદ્ધ ગમન કરવું. રાજ્યાદિના ધોરણથી વિરુદ્ધ ચાલવું. ફૂડતુલ-કૂડમાણે-ખોટાં તોલ અને ખોટાં માપ. 'તઈએ અણુવ્યયમ્મી, પૂલગ-પર-દવ્ય-હરણ-વિરઇઓ *આયરિયમપસલ્વે, ઈત્ય પમાયપૂસંગેણં ૧૩મા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પંચ પ્રતિકમાગસૂત્રો તેનાઇMઓગે,તપડિરૂવે "વિરુદ્ધ-ગમણે અા ફૂડ-તુલ-કૂડ-માણે, પડિકકમેદસિએ સવ્વ ૧૪ ત્રીજી આણવતમાં-બીજા માલિકના પૂલ દ્રવ્ય-મોટી ખાસ ચીજ હરી લેવાથી અટકવાને આશ્રયીને આચરણ [થાય છે. એમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રસ્ત ભાવ થવાથી-૧૩. રે રેલું લીધું, ચોરને “પ્રરણા કરી, મૂળ કરાવેલા માલને બદલે ભળતો જ માલ આપ્યો, [રાજ્યાદિકના ધોરણથી વિરુદ્ધ" વર્યા અને ખોટાં તોલ માપથી વ્યવહાર કર્યો. તિથી લાગેલા દિવસ" સંબંધી સર્વ" [અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ૧૪. વિશેષાર્થ:- આ વ્રતના પાંચ અતિચારોની સમજ ૧. ચોરીને આણેલ કોઈ પણ વસ્તુ ખરીદવાથી કે લેવા કે સંઘરવાથી આ સેનાહિત નામનો અતિચાર લાગે છે. ૨. ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, મદદ કરવી, ચોરી કરવાનાં સાધનો આપવાં. ખાનપાનની સામગ્રી પૂરી પાડવી વગેરેથી સ્તનપયોગ અતિચાર લાગે છે. ચોર, ચોરી કરનાર, ચોરી કરવાની સલાહ આપનાર, ચોરીની બાતમી જાણનાર, ચોરીની વસ્તુ ખરીદનાર, ચોરને ખાનપાન આપનાર અને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર ગણાય છે. ૩. વેચવાની કિંમતી વસ્તુમાં હલકીને સેળભેળ કરવી, ખરી વસ્તુને બદલે નકલી વસ્તુ આપી દેવી, પહેલાં બતાવવી જુદી અને પછીથી આપવી જુદી, ચોરીને આણેલાં ઢોર વગેરેનાં શિંગડાં વગેરે પ્રયોગોથી ફેરવી નાંખી, ન ઓળખાય તેવા કરી નાંખવાં વગેરે તત્પતિરૂપ વ્યવહાર નામનો અતિચાર લાગે છે. ૪. શત્રુના રાજ્યમાં, અથવા પોતાના રાજાની આજ્ઞા ન હોય તેવા સ્થલમાં, વેપાર માટે જવું, તે વિરુદ્ધગમન અતિચાર કહેવાય છે. ઉપલક્ષણથી રાજ્ય તરફથી મનાઈ કરાયેલી વસ્તુઓ લેવી કે વેચવી પણ વિરુદ્ધ રાજ્યાતિક્રમ-અતિચારમાં સમાય છે. આ અતિચારમાં સામાન્ય રીતે સમજાય છે કે, આર્ય પ્રજાની વ્યવસ્થા માટે આર્ય રાજ્ય સંસ્થા તંત્રે અને બીજી પ્રજાકીય વગેરે સંસ્થાઓએ પ્રજાના ધારણપાલન માટે કરેલા મુખ્ય નિયમો-પેટા કાયદાઓ-રીતરિવાજો-ધોરણો વગેરેને દરેક પ્રજાજને માન આપવું જ જોઈએ. તે પ્રમાણે વ્રતધારી શ્રાવક પણ વ્યાવહારિક કાર્યોમાં માન આપવાને બંધાયેલ હોય છે. અને તેનો ભંગ કરવામાં આવે, તો તેને આ અતિચાર લાગે. એમ ઊંડા ઊતરીને સમજવાથી સમજાય છે. કારણ કે – તેને એક જાતનું અદત્ત ગણવામાં હરકત જણાતી નથી. એવા ધોરણ સિદ્ધ આર્ય પ્રજાના શિષ્ટ પુરુષોએ બાંધેલા તે તે નિયમોથી વિરુદ્ધ વર્તવામાં આવે, તો જરૂર વિરુદ્ધગમન અતિચાર લાગે, તેમાં સંશય જણાતો નથી. પરંતુ, રાજ્ય સંસ્થાને નામે કે Page #196 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૧૨૩ પ્રજાકીય સંસ્થાને નામે અન્યાય ભરેલા, સ્વાર્થમિશ્રિત, કે આર્ય મર્યાદાને તથા ધર્મ વ્યવસ્થાને હાનિકારક કાયદાઓ, નિયમો વગેરે હોય, તો તેનાથી વિરુદ્ધ વર્તવાથી આ વિરુદ્ધગમન અતિચાર લાગે છે કે નહીં ? એ એક પ્રશ્ન છે. તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે- “રીતસર રીતે એવા કાયદાને માન આપવું તો જોઈએ, પણ સાથે જ એવા ફાયદા ફેરવવા પ્રયત્નો કરવા. એ પણ ન્યાયનિષ્ઠ શ્રાવકની ફરજ ખરી. તે ફરજ ન બજાવે, અને અન્યાય ચાલુ રહે, એ પણ શ્રાવકની ખામી ખરી. જ્યાં સુધી એમ ન કરે, ત્યાં સુધી જે નિયમો ચાલતા હોય તેથી વિરુદ્ધ વર્તવામાં વિરુદ્ધગમન દોષ લાગે.” એમ કહેવામાં આવે તેના જવાબમાં એમ કહી શકાય કે-“કાયદાઓ એવી ખૂબીથી, ભોળા માણસોના ટેકાથી કરવામાં આવેલ હોય; અને ફેરવવાનો પ્રયત્ન ઠેઠ સુધી પહોંચી શકે તેમ ન હોય, તો શ્રાવક મૌન સેવી અન્યાયી નિયમોને માન ન આપે, તો વિરુદ્ધગમન અતિચાર લાગે કે નહીં? આવા સંજોગોમાં એ અતિચાર ન લાગે, એમ સમજાય છે. “જો અતિચાર ન લાગે, તો એવા નિયમોના ભંગથી દંડ વગેરે શિક્ષાઓ થાય, તેનું કેમ? અને એ રીતે પણ બહારથી શ્રાવકના સદ્વર્તનની ખામી ગણાય. તે પણ ઠીક નહીં. એવા સંજોગોમાં સૌની સાથે માન આપવામાં શ્રાવકને વાંધો શો ?” એ દષ્ટિથી કદાચ શ્રાવકને અન્યાયી કાયદાને માન આપીને વર્તવું પડે, તો તેને રાજભિયોગમાં ગણીએ, તો વિરુદ્ધગમન દોષ ન લાગે. એમ સમજાય છે. વળી આર્ય પ્રજાના પૂર્વ પરંપરાના કેટલાક નિયમો એમને એમ ચાલ્યા આવતા હોય, તેમાં સંજોગો અનુસાર પેટા ફેરફાર કરવા પડે તેમ હોય, અને તે પ્રમાણે ફેરફાર કરીને જે નિયમો કર્યા હોય, તેથી વિરુદ્ધગમન કરવાથી પણ વિરુદ્ધગમન અતિચાર લાગે એમ સમજાય છે. જો કે આ ફેરફારો આર્ય-મર્યાદાઓની સાધકદષ્ટિથી થયેલા હોવા જોઈએ. છતાં આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાનીઓના નિર્ણયો વધારે પ્રમાણભૂત માનવા.. ૫. કૂડકૂલ-કૂડ માન- ખોટાં તલ ખોટાં માપ. એટલે માલ લેવાના વધતાં અને માલ આપવાના ઓછા તોલ કે માપ રાખી વેપાર કરવો, એ એક જાતની ચોરી છે, અને તે અનાચાર જ છે. છતાં-સાક્ષાત ચોરીને ચોરી સમજનાર અને આને ચોરી ન સમજનાર ભોળા એ વ્રતધારીને આ અતિચાર રૂપ બને છે. અથવા અજાણતાં એવો વ્યવહાર થઈ જાય, તો અતિચાર સંભવ છે, અન્યથા તો અનાચાર છે. દેશ-કાળ વિશેષમાં અમુક ચીજ વધતી ઓછી લેવા દેવાનો રિવાજ હોય, તે પ્રમાણે લેતાદિતાં દોષ નથી. જેમકે :- શાક વગેરે નમતું લેવાય, ગોળ વગેરેનો બેંતાળો તોલ ગણાય. ખળામાં અનાજ અમુક પ્રમાણમાં નમતું જોખાય. છાણા વગેરે સો ઉપર પાંચ વધારે લેવાય. આવા રિવાજ પ્રમાણે વર્તતાં અતિચાર ન લાગે. અથવા કોઈપણ ચીજનો ભાવ કોઈ કારણસર દોઢો બમણો થઈ જાય ત્યારે દુષ્ટ આશય વિના તે લેવામાં દોષ નથી. પણ “સારું થયું કે અમુક ચીજનો નાશ થયો, કે ઓછી આવક થઈ, જેથી કરીને મને ભાવ સારો મળ્યો” આવો દુષ્ટ આશય અતિચાર રૂપ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેમજ પારકી પડેલી, પડી ગયેલી, કે ભૂલી જવાયેલી ચીજ ઉપાડીને રાખી લેવી, એ એક જાતની ચોરી છે, અથવા હિસાબમાં ભૂલ થાપ ખવરાવવી એ પણ એક જાતની ચોરી છે. તે તે જાતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંજોગો પ્રમાણે કરેલા વ્યાજના દરથી વધારે વ્યાજ લેવું, એ પણ એવી જ રીતે આ અતિચારમાં સમાય છે. દાખલા તરીકે :- સામાન્ય શરાફી વ્યાજ શહેરમાં ૮-આઠ આના હોય, પણ ગામડામાં-સામાન્ય રીતે ૧૨-બાર આના ગણાય, તે પણ સધ્ધર માટે. પણ નબળી આસામી માટે રૂપિયો લેવો ગેરવાજબી ન ગણાય. તેમજ નાણાંની ઉઘરાણી કરવી પડે તેમ હોય, મિલકત ન હોય, માત્ર છૂટક મજૂરી ઉપર આધાર હોય, અને ખેતી કે ધંધા વગેરે સિવાયના અનુત્પાદક કામ માટે નાણાં આપવાનાં હોય, તો તેથી પણ વધારે વ્યાજ અન્યાય ન ગણાય. કારણ કે, તેની પાછળ જોખમ જેમ વિશેષ તેમ વ્યાજનો દર ચડે, તેમાં અન્યાય ન ગણાય. તેમજ શહેર નજીક ન હોય, તેવા રોકડની દુર્લભતાવાળા પ્રદેશમાં તેથી પણ વ્યાજ વિશેષ હોય તો તે અન્યાય નથી જણાતો. વળી મોસમમાં નાણાભીડ વખતે દરેક ઠેકાણે વ્યાજ વધારે રહે. અને ચોમાસા વગેરે નિરુદ્યમી વખતમાં વ્યાજનો દર ઓછો રહે એ સ્વાભાવિક છે. તેથી એવા વ્યવહારો અન્યાયી નથી પણ ન્યાયસરના છે. દેશી વ્યાપારીઓના વ્યાજના આવા અનેક પ્રકારના દર સહેતુક હોય છે. અને તે નાણાપ્રકરણી પરિસ્થિતિને બંધબેસતા અને વાજબી હોય છે, છતાં હવે “દેશી વ્યાપારીઓ મોટા વ્યાજ રાખે છે, અને ખેડૂતોને ચૂસે છે. માટે તેઓના કેસો તરફ બહુ ધ્યાન ન આપતાં ખેડૂતોની તરફેણ કરવી તેમજ ખેડૂતોને સસ્તા વ્યાજના દરથી નાણાં ધીરવાં. દેશી વેપારીઓ જુલમી છે, અને તેમાંના જૈનો તો નાના જીવોને મારતા નથી પણ આમ મોટા જીવોને દબાવી મારીને હિંસા કરે છે, માટે જૈનોની અહિંસા અવ્યવહારુ છે.” આવા આક્ષેપો પરદેશીઓની સ્વાર્થી વૃત્તિમાંથી ફેલાયેલા છે. કારણ કે, તેઓની ઈચ્છા ખેતી હાથ કરવાની હોવાથી ખેડૂતોને હાથ કરવા ઉપરના વિચારો ફેલાવી દેશી વેપારીઓ તરફ અણગમો ઉત્પન્ન કરવામાં આવ્યો છે જેથી જાહેર વાતાવરણમાં તેમની નિંદા કરવાથી ખેડૂતો સાથેનો તેઓનો સંબંધ તૂટે તો નાણાંની સહકારી મંડળીઓ દ્વારા ધીરધાર કરી શકાય. પણ દેશી વેપારીઓ ઉપર આ મોટો અન્યાય છે. વ્યાજના દરોના અનેક જુદા જુદા દરો હોવાનાં સ્વાભાવિક કારણો ઉપર જણાવ્યાં છે. અને તે જ શેરોના ભાવોમાં, હૂંડિયામણોમાં, વગેરેમાં ફેરફાર આપણને બીજી રીતે દેખાય છે અને જે સહજ હોય છે. તેમ આ પણ વેપારી અને નાણાં પ્રકરણી ધોરણે હોય છે, તેમાં દેશી વેપારીઓનો દોષ કાઢવો, એ એક ખોટું આળ છે. એવા પણ દાખલા મળી શકે, કે-કોઈ કોઈ દેશી વેપારીએ ખોટાં તોલમાપ રાખ્યાં હોય, દેશકાલના ધોરણ ઉપરાંત વ્યાજ લીધાં હોય, ખોટા દસ્તાવેજ લખાવી દીધા હોય, થાપણ રાખી પાડી હોય. આવા આવા દાખલા બન્યા હોય. પરંતુ શું કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે આવા દાખલા બને જ નહીં ? અને આવા કવચિત્ દાખલાઓ ઉપરથી તેવા ધંધામાં પડેલા લાખો માણસોને એવા જ ગણી લેવાય ? આ દેશમાં વ્યાપારીઓની શાખ પ્રથમ દરજ્જાની હતી. તેઓના વચનની કિંમત ટંકશાળના સિકકા જેવી હતી. અને પ્રમાણિકતા તથા ખાતર જાનની પણ પરવા તેઓ નહોતા કરતા, Page #198 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્ર ૧૨૫ આજે પણ તેવા ઘણા છે. છતાં તેની પરવા વિના છડેચોક તેઓ લૂંટારા છે” એવો આરોપ, સાથે ધર્મના સિદ્ધાંતની નિંદા પણ ખરી કે “તેઓની અહિંસા અવ્યવહારુ છે.” મુશ્કેલી તો ત્યાં છે કે-આ બધી વાત પરિસ્થિતિથી અજ્ઞાત અને કેળવાયેલા ગણાતા આપણા જ ભાઈઓ સાચી માની ઉપાડી લે છે, એ આશ્ચર્ય છે. પરદેશીઓની હરીફાઈમાં, કાયદાની મદદ, કોર્ટો અને બેંકોની મદદ વગેરે કારણોથી દેશી વેપારીઓ ટકી શકે જ નહીં, છતાં તે ટકી શકે છે, તેઓનું આ જમાનામાં અસાધારણ બુદ્ધિબળ સમજવું અને એમ ટકી રહેવા તેઓને નાના મોટા દોષો સેવવા પડે, તો તે હાલના કટોકટીના દેશકાળની દષ્ટિથી ક્ષમ્ય ગણાવા જોઈએ, અને તે દોષ રૂપે ન ગણાવા જોઈએ. એવાઓની બહાદુરી વખાણપાત્ર ગણાય. તેવી સ્થિતિમાં પણ રોટલો રળે, બાપદાદાની આબરૂ જાળવે, સાદાઈ અને સંયમમાં રહે, ધાર્મિક બાબતોના ખર્ચમાં થોડા-ઘણા ઊભા રહે, તો પણ તે ઉતારી પાડવા લાયક ગણાય જ નહીં. જે કે આવાં થોડાં જ કુટુંબો ટકવા પામ્યાં છે. આવા વિચિત્ર દેશકાળમાં તેમને આંટીઘૂંટી કરવી પડે, થોડી અપ્રમાણિકતા કેળવવી પડે, તેમ કરીને પણ શાખ ટકાવે, તો તે ક્ષમ્ય ગણાય. પ્રામાણિકતા કરતાં શાખની કિંમત મોટી છે. સતી સ્ત્રી જૂઠું બોલીને, છેતરીને, છટકી જાય, ને શિયળ બચાવે, તો તે જૂઠાણું કે છેતરપિંડી દોષ રૂપ નથી. પ્રામાણિકતા કરતાં શાખની કિંમતે મોટી છે. શાખ ખાતર થોડી ઘણી નછૂટકે અપ્રામાણિકતા દોષ રૂપ નથી. કહ્યું છે કે પ્રત્યપિ પ્રત્યય રક્ષિતવ્ય: તે “પ્રાણ જાય પણ પ્રત્યય-વિશ્વાસ, નોક, શાખ ટકાવવાં.” અને હાલના વિષમ દેશકાળમાં ભીખ માંગવાનો કે કોઈના આશ્રિત થવાનો વખત આવે, કે હલકો ધંધો કરવો પડે તેવો પ્રસંગ આવે તેમ હોય, તો મૂળ વસ્તુ ટકાવવા નછૂટકે બુદ્ધિબળ વાપરીને આંટીઘૂંટીમાંથી છટકી જઈ પોતાની સ્થિતિનો ટકાવ કરવો. એ હાલના દેશકાળમાં વાસ્તવિક રીતે દોષરૂપ જણાતું નથી. કારણ કે, પરદેશીઓ બહારથી પ્રામાણિક દેખાય છે. પણ કાયદેથી, લાગવગથી વેપારી હકો મેળવીને બેઠા હોય છે. એટલે તેમાં છૂપો મોટો અન્યાય હોય છે ત્યારે દેશીઓની અપ્રામાણિકતા ઉઘાડી દેખાય છે, અને નિંદાના સૂક્ષ્મદર્શક યંત્રમાં તે મોટી દેખાય છે. માટે આ વિચારણીય છે. શાખને માટે તો પ્રાણ આપવા સુધી દેશીઓની લાગણી પહોંચવાના પ્રાચીન કાળમાં સેંકડો દાખલા છે. તેમજ આજે પણ કાયદા બહાર ગયેલા અને નાદાર થાય તો કાંઈ પણ આપવાની ફરજ ન પડે તેમ હોય, છતાં પણ સંપૂર્ણ દેવું આપી દેવા સુધી પહોંચેલાઓ દેશીઓમાં મળી શકે છે. આ પૂર્વના સંસ્કારને આભારી છે. પરંતુ, નાદારી લેવાના કાયદાની સગવડને અંગે જો કે આ બાબતની નબળાઈ પ્રજામાં પેસતી જાય છે. પણ તે ઈષ્ટ નથી. ન્યાય, નીતિ અને વ્યવહારના ધોરણ સમજદારે એવા કાયદાના આશ્રય નીચે હજારો વર્ષથી ચાલતી આવતી શાખ ગુમાવવી ન જોઈએ. તમારા કુટુંબનો ઇતિહાસ તપાસશો, તો પ્રાય: કરીને કોઈ પણ વ્યક્તિએ આજ સુધીમાં શાખ ગુમાવી નહીં હોય, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો આપણી પ્રજામાં શાખ પણ વારસે ઊતરે છે, અને તે પણ એક મોટામાં મોટી મિલકત છે. દશ્યમાન ધન કરતાં એ એક ગુપ્ત અજબ ધન છે, મૂડી છે. આ વ્રત પાળવાથી-સર્વને વિશ્વાસ યોગ્ય થવાય છે, શાહુકારી ગણાય છે, સમૃદ્ધિ વધે છે, ટકે છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, અને સ્વર્ગાદિ મળે છે. - ૪. ચોથા અણુવ્રતનું સ્વરૂપ અને તેના અતિચારોનું પ્રતિક્રમણ બ્રહ્મચર્ય શબ્દના સામાન્ય રીતે વ્યુત્પત્યર્થ પ્રમાણે અને પ્રવૃત્તિનિમિત્ત પ્રમાણે શાસ્ત્રમાં કેટલાક અર્થ કરેલા છે. તો પણ બ્રહ્મચર્યના અમૈથુન અને ગુરુકુળ વાસ એ બે પ્રવૃત્તિનિમિત્તક અર્થ જૈન શાસ્ત્રમાં વિશેષ પ્રચલિત જોવામાં આવે છે. અમૈથુન અર્થ વિષે વિચાર સમજવાનો છે. તે ઉપરાંત, આત્મલીનતા, સર્વથા સર્વ ઇન્દ્રિયોનો સંયમ વગેરે પણ તેના અર્થો થાય છે. પણ તે દરેક એક બીજા સાથે ઘણો જ સંબંધ રાખે છે એટલે મુખ્ય અર્થમાં લગભગ બધાનો સમાવેશ થાય છે. વળી અમૈથુન રૂપ સ્થિતિ પણ ગુરુકુળ વાસમાં ટકાવી શકાય છે. માટે તેના એક સાધન તરીકે ગણીને બ્રહ્મચર્ય એટલે ગુરુકુળ વાસ એવો અર્થ કરવામાં આવ્યો છે. તે પણ યોગ્ય જણાય છે. અમૈથુનભાવ રૂપ આદર્શ બ્રહ્મચર્ય તો એ કહેવાય કે-દરરોજ ગ્રહણ કરવામાં આવતો આહાર એવી રીતે પરિણત થાય કે જેમાંથી સાતેય ધાતુઓ સમતોલપણે ઉત્પન્ન થાય, અને વ્યવસ્થિત ગોઠવાય. સાત ધાતુઓ-રસ, લોહી, માંસ, મેદ, હાડ, મજજા, શુક્ર, આહારમાંથી ઉત્પન્ન થયેલા રસ વગેરેમાંથી ઠેઠ શુક્ર સુધીની તમામ ધાતુઓ પ્રમાણસર બન્યું જાય અને પોતપોતાના આશયોમાં યોગ્ય રીતે ગોઠવાયે જાય. પણ જે યોગ્ય રીતે ન ગોઠવાય, તો કાં તો રસ વધી જાય, કાં તો લોહી વધીને માણસ લાલ થઈ જાય, મેદ કે માંસ વધીને માણસ જાડો થઈ જાય, વગેરે. અથવા તેમાં વિકારો ઉત્પન્ન થઈ જુદા જુદા રોગો ઉત્પન્ન થાય, પરંતુ શુદ્ધ શુક્ર સંપૂર્ણ ઉત્પન્ન ન થાય. શુક સંપૂર્ણ ઉત્પન્ન થયા પછી પણ આખા શરીરમાં તે ચડી જવું જોઈએ, અને તે પણ પાકીને તેના કસરૂપે આખા શરીરમાં એક જાતનું ઓજસ - તેજ પથરાઈ જાય છે. આવી વ્યક્તિનું બ્રહ્મચર્ય આદર્શ કહેવાય. આવા ઓજસ્વી સ્ત્રીપુરુષનું મન ચંચળ હોતું નથી. તેનાં આહાર, વિહાર, નિદ્રા, શ્રમ, આરામ વગેરે સમ પ્રમાણમાં હોવાથી તેને રોગો થતા નથી. તેના શરીરમાં એક જાતની તરાવટ, શાંતિ, ઠંડક હોય છે, તેનું મગજ શાંત, તીવ્ર વેગવાન, સુંદર વિચાર કરવા સમર્થ રહે છે. સ્વભાવ શાંત, કાર્યદક્ષ, અગ્લાન, ઉદ્યમી, પરિશ્રમ સહ હોય છે. દરેક ઋતુઓની સમ-વિષમ દશાઓ તેના શરીર ઉપર અસર કરી શકતી નથી. વિષય-વાસના, આહાર-લોલુપતા વગેરે દોષો આવા બ્રહમચારીઓને અસર કરી શકતા નથી. તેનાં મન, વચન, કાયા સંયમી અને સહજ પવિત્ર હોય છે. હવે, ઉપર પ્રમાણે જેઓના શરીરના બંધારણ પૂર્વભવના તથાવિધ સુકર્મને અભાવે તથાવિધ નથી હોતાં એટલે કે જેઓ અલ્પ ઓજસ્વી છે. તેઓનાં આહાર, નિદ્રા અને બ્રહ્મચર્યમાં વિષમતા Page #200 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૨૭ પ્રવેશે છે. આવી વિષમતાઓ વારસામાં પણ મળે છે. તથાવિધ બીજી વિષમતાઓના સેવનથી પણ બ્રહ્મચર્યમાં હાનિ પહોંચે છે. બ્રહ્મચર્યનો ભંગ આહારાદિ અને પાચનક્રિયામાં વિષમતા ઉત્પન્ન કરે છે. અને આહારાદિ તથા પાચનક્રિયાની વિષમતા બ્રહ્મચર્યમાં પણ વિષમતા ઉત્પન્ન કરે છે. અધિક વિષયીનાં શરીરો ખળભળી ઊઠે છે. અને મન, વચન પણ ક્ષુબ્ધ જ હોય છે. ધારો કે કદાચ કોઈ વ્યકિત અતિ અતિવિષયી ન હોય, પણ આહારમાં વિષમતા રાખનારને પણ બ્રહ્મચર્ય ભંગના બધા દોષો બ્રહ્મચર્યનો ભંગ કર્યો વિના પણ પ્રાપ્ત થાય છે. આ જાતની શારીરિક, માનસિક, વાચિક વિષમાવસ્થા – નિર્બળતાઓ પ્રાણીઓને મૈથુનેચ્છા તરફ દોરે છે જેથી સંસારમાં શુદ્ધ બ્રહ્મચારીની સંખ્યા ઘણી ઓછી હોય છે. પરંતુ બ્રહ્મચર્ય વ્રત એવું છે કે, તે દરેકને લાભ જ આપે છે. શુદ્ધ બ્રહ્મચારીને પણ તેનાથી લાભ થાય છે, અને ઊતરતા દરજ્જાના બ્રહ્મચારીને પણ જેટલું પાળે તેટલો તેથી લાભ જ થાય છે. વિવાહિત સ્ત્રી પુરુષો પણ જેમ બને તેમ બ્રહ્મચર્ય પાળે તેમ તેમ તેમને પણ લાભ જ થાય છે. કેટલીક વખત કેટલાક લોકો એવી બૂમ મારે છે કે, યથાયોગ્ય ત્રણ યોગના સામર્થ્ય વગરના લોકો બ્રહ્મચર્ય પાલનથી ઊલટા રોગના ભોગ બને છે. પણ તે વાસ્તવિક જણાતું નથી. કારણ કે-રોગો આહારાદિકની વિષમતાથી પણ એવી જ રીતે સંભવિત છે, જે આટલું પણ બ્રહ્મચર્ય ન હોય, અને સાથે આહારાદિકની એટલી જ વિષમતા ચાલુ હોય, તો પછી શી દશા થાય ? માટે આહારાદિકની આટલી વિષમતા છતાં રોગની વધુ તીવ્રતા થવાને બદલે જે અમુક ઓછા પ્રમાણમાં હોય છે, તે બ્રહ્મચર્યને લીધે હોય છે. નહીંતર તેના કરતાં વધારે મોટો રોગ કેમ ન થાત ? બ્રહ્મચર્યના પાલનથી રોગી થવાના દાખલા કરતાં અબ્રહ્મચર્યથી રોગી હોવાના લાખો ગણા દાખલા છે. ગમે તેવો રોગી પણ બ્રહ્મચર્ય રાખીને આહારાદિકની વિષમતા અટકાવે. અને જીવનને પરિશ્રમ વગેરેથી સમતોલ બનાવે, તો વગર દવાએ ગમે તેવા ભયંકર રોગો મટી જાય છે. આટલો બ્રહ્મચર્યનો શારીરિક લાભ છે. આધ્યાત્મિક લાભ તો અનેકગણો છે. તેમાં તો પૂછવું જ શું? આ પ્રમાણે જગત્ આદર્શ બ્રહ્મચર્ય પાળે, તો તેથી જગતને કાંઈ પણ નુકસાન થાય, એ માનવાને કારણ નથી. પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે-દરેકની એવી પરિસ્થિતિ હોતી નથી, જેથી જગતનો મોટો ભાગ મૈથુન તરફ દોરવાય છે. પણ તેમાંયે કેટલાક મર્યાદા પણ રાખતા નથી. એટલે આ બાબતમાં છેલ્લામાં છેલ્લી અધમ અવસ્થા સુધી પહોંચેલા જીવો પણ હોય છે. અને ઉપરની આદર્શ સ્થિતિ સુધી પણ પહોંચેલા હોય છે. મુનિરાજે સર્વથા મૈથુનનું વર્જન કરીને આદર્શ બ્રહ્મચર્ય પાળવા મકકમતા રાખે છે. તેથી તે મહાવ્રત ગણાય છે. અને તેથી ઊતરતી શક્તિવાળા ગૃહસ્થો-આર્ય મર્યાદાને અનુસરીને લગ્ન સંસ્કારથી જોડાય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે, ને પોતાની સ્ત્રીથી જ સંતોષ માને છે, પરસ્ત્રીનું તદ્દન વર્જન કરે છે. આનું નામ સ્વદાર સંતોષ - પરદાર સ્ત્રી વિરમણ વ્રત કહેવાય છે. તેથી ઊતરતો અવ્રતી વર્ગ પણ હોય છે. તેમજ, તેથી પણ ઊતરતો વર્ગ હોય છે. બ્રહ્મચર્યનો ખરો આધાર પોતાનાં મન વચન કાયાના સ્કૂલ કે સૂક્ષ્મ સારાં તત્ત્વોને જરા પણ ધકકો ન લાગે તેવો સમ પ્રકારનો આહાર, તેવી ચર્યા, તેવા સહવાસ અને તેવા સંજોગો વગેરે સર્વ પ્રકારો ઉપર છે. આ જ વસ્તુ શાસ્ત્રકારોએ નવ વાડોમાં સમજાવેલ છે. તેમજ ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓમાં પણ આ જ બાબતો આદર્શ સ્વરૂપે બતાવી છે. - મૈથુન સૂક્ષ્મ અને સ્કૂલ બે પ્રકારનું છે. સહજસાજ ઇંદ્રિયોનો વિકાર સૂક્ષ્મ મૈથુન છે, અને ઈદ્રિયોની ચંચળતાજન્ય સવિશેષ કામવાસનામાં પ્રવૃત્ત થઈ મન, વચન, કાયા પ્રવર્તાવવાં તે સ્કૂલ મૈથુન છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. સર્વથા બ્રહ્મચર્ય એટલે-મન, વચન, કાયાથી સર્વ કામવાસના અન્ય સંગોનો ત્યાગ. અને દેશથી એટલે માત્ર સ્વસ્ત્રીમાં સંતોષ રાખવાથી માંડીને પરસ્ત્રી વિરમણવ્રત સુધીનું ગૃહસ્થ પાળી શકે છે તે. તેથી ઊતરતી સ્થિતિ બ્રહ્મચર્યમાં ગણવા લાયક ન ગણાય. બ્રહ્મચર્યવ્રત જગતમાં દીવો છે. બ્રહ્મચર્ય શબ્દનો બહોળો અર્થ સુવ્યવસ્થિત જીવન. સુવ્યવસ્થિત જીવન હોય તો જ બ્રહ્મચર્ય પળાય, અને જેમ બ્રહ્મચર્ય પળાતું જાય તેમ ઉત્તરોત્તર જીવન સુવ્યવસ્થિત થતું જાય, જેથી શુક્રાદિ સર્વ ધાતુઓ સુયોગ્ય પ્રમાણમાં સારી રીતે વ્યવસ્થિત હોય છે, જેથી શરીરનાં તમામ તત્ત્વોમાં પણ શુક્ર ધાતુ સારી રીતે વ્યાપક થવાથી તેનું શરીર પાતળું, સુડોળ, ઘેરા લાલ રંગનું, મોટું શ્યામ, શરીર ઠંડું, સર્વ ઋતુઓના આઘાત સહન કરવાને સમર્થ, પરિશ્રમી, ફુટબોલ જેવું હલકું હોય છે. જે તે માંસાહારી જાતનો ન હોય, તો તેનો મગજ શાંત, ઉચ્ચ વિચારો અને જીવન સંસ્કાર ઝીલવાને સમર્થ, શુભચિંતક, અને સુમનનશીલ હોય છે. આવા પુરુષો બ્રહ્મચર્યથી મહાત્માઓ પણ થઈ શકે છે, અપફવ કે દુષ્પફવા નહીં, પણ સુપફવ ગાયના દૂધ, ફળોના રસો અન્ન વગેરે સાત્વિક ખોરાકો છે. તેલ મરચાં કંદમૂળ વગેરે રાજસી ખોરાકો છે અને માંસમદિરાદિક તામસી ખોરાકો છે. સાત્વિક ખોરાક પ્રમાણસર ખાવા એ બ્રહ્મચર્યની નવવાડમાંની એક વાડ છે. જે સ્ત્રીઓને પણ બ્રહ્મચર્યનો લાભ મળ્યો હોય છે તે પૂતળી જેવી પાતળી, આનંદી અને લવિંગ જેવી મનોહર લાગે છે. તે આત્યંતરમાં હૃદયથી પણ એકંદર બ્રહ્મચર્યપ્રિય હોય છે, અને પતિવ્રતા તો અવશ્ય હોય છે. શરીર જાડાં, પીળાં, ઊજળાં ફીકાં વગેરે હોય છે, તે આહારાદિક કે બ્રહ્મચર્યાદિકના દોષથી દૂષિત થયેલ શુક્રાદિ ધાતુઓની વિકૃતિઓનું પરિણામ સમજવાનું છે. બ્રહ્મચારીનું મગજ શાંત હોય છે. જીર્ણ જ્વરાદિ સૂક્ષ્મ તાવો તેને અસર કરતા નથી. તેથી તેની આંખોનું તેજ, શ્રવણશક્તિ, સ્પર્શશકિત, રસ અને ગંધ ગ્રહણ શકિત ઘણી તીવ્ર હોય છે. આમ ઈદ્રિયોના સૌષ્ઠવને શાસ્ત્રમાં રૂપ કહેલ છે. શ્રાવકના ૨૧ ગુણોનાં “રૂપવાનું” એ ગુણ ગણાવ્યો છે, તેનો આ અર્થ છે : વારસાથી મળેલ રૂપને ટકાવી રાખી શ્રાવક રૂપવાન રહે છે : રૂપવાન એટલે Page #202 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૨૯ ધોળો, રૂપાળા મોઢાવાળો, ગોરો એમ ન સમજવું. આ રીતે બ્રહ્મચર્યથી મન, વચન, કાયામાં આત્મામાં ઉત્સાહમાં કાર્યશકિતમાં શરીરમાં ઇંદ્રિયોમાં જગતમાં, કામમાં, ચારેય તરફથી ચૈતન્ય સ્કૂરતું જણાય છે. દીવો પ્રગટે છે. દિવ્યતા દેખાય છે. માટે આ વ્રત “જગતમાં દીવો” છે. ઓજસ્વી જગવંદ્ય થાય છે. જગત ઓજસ્વીનું દયાપાત્ર થાય છે. ઓજસૂનો આધાર શુક્ર ધાતુ ઉપર છે. શુક્ર ધાતુનો આધાર બ્રહ્મચર્ય ઉપર છે, બ્રહ્મચર્યનો આધાર ખાનપાન વગેરે યોગ્ય જીવનચર્યા ઉપર છે. | મુનિ મહારાજાઓ સર્વથા બ્રહ્મચર્યવ્રત પાળવા વ્રત લે છે, તે મહાવ્રત કહેવાય છે. અને શ્રાવકો તે પ્રમાણે કરી શકવાને અસમર્થ પોતાને સમજે છે. તેઓ સ્વદાર સંતોષવ્રત કે પરસ્ત્રી વિરમણ વ્રત રાખે છે. પરમ મહાત્માઓનું બ્રહ્મચર્યવ્રત કેવું હોય ? તે તો ઉપર જણાવ્યું છે, પરંતુ ઓછામાં ઓછી કેટલી મર્યાદા પાળે ત્યાં સુધી આ ચોથું મહાવ્રત જાળવ્યું ગણાય ? તે મર્યાદા સુધી જાળવનાર જઘન્ય ચતુર્થ મહાવ્રતધારી ગણાય, ત્યાં સુધી તેને મુનિ માનવામાં હરકત ન હોય, તેથી આગળ વધે, તો ચતુર્થ વ્રતનો ભંગ જ ગણાય અને તેથી તે મુનિ ગણાય નહીં. કાયાથી શુક્રધાતુ નાશક કારણો સ્ત્રી વગેરેથી દૂર રહી, બ્રહ્મચર્યની રક્ષા માટે સ્વયં જાગ્રભાવે સંપૂર્ણ પ્રયત્નશીલ રહી બ્રહ્મચર્યવ્રતની નવવાડ બરાબર જાળવવાના ખપી હોય, તો તે ત્યાં સુધી જઘન્ય પણ ચતુર્થ મહાવ્રત ધારી છે અને વન્ય છે. તેથી ઉપરાંત ઉત્કૃષ્ટ પાળનાર સુધીની વચ્ચેના સર્વ મધ્યમ જાણવા. વ્રતી શ્રાવક જઘન્ય મુનિ કરતાં પણ ઊતરતા છે, અને અવ્રતી તેના કરતાં પણ ઊતરતા છે. બ્રહ્મચર્ય પાળવા છતાં જેઓએ સમ્યકત્વ સહિત બ્રહ્મચર્ય વ્રત નથી લીધું તેઓ વતી કરતાં ઊતરતા છે. એ અને અવ્રતી સમ્યત્વી કરતાં ઊતરતાઓના ઘણા દરજ્જા પડે છે. આર્ય પ્રજાના ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી જાતિનું જીવન હજારો વર્ષથી એવા સંજોગો વચ્ચે પસાર થતું આવ્યું છે કે કુદરતી રીતે જ તેમની મનોવૃત્તિઓ ઘણી અક્ષુબ્ધ - સંયમી ચાલી આવે છે. અને તે બાબતમાં તે ઘણી રીતે સ્વતંત્ર હોવાથી પોતાનું શીલ બરાબર સહજ રીતે જ રક્ષી શકે છે. આમ સર્વ સાધારણ પ્રકાર ઉચ્ચ કુટુંબની સ્ત્રીઓમાં છે. સ્ત્રીઓની આ પવિત્ર મનોવૃત્તિ ઉપર ઉત્તમ સંસ્કારવાળી સંતતિનો આધાર છે. તેથી તેવા સંજોગોમાં આર્ય સ્ત્રી જાતિના ઉછેરને બંધન, પરતંત્રતા, જુલ્મ વગેરે શબ્દોથી સંબોધીને તેઓની આજુબાજુના ઉત્તમ સંજોગોની મોટા સ્વરૂપમાં નિંદા કરવામાં આવે છે, તે અયોગ્ય છે. એક તરફથી વિલાસી અને અમર્યાદિત જીવનના સંજોગો ઉત્પન્ન થતા જાય છે, તેને જીવનના ઉલ્લાસનાં સાધનો ગણાવી બીજી તરફથી સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાનતાનો શંખ ફૂંકવામાં આવે છે; આમ થવાથી સ્વતંત્ર થઈને તો કોઈ કાંઈ સ્વર્ગ નીચે ઉતારી શકે તેમ નથી, પરંતુ મનુષ્ય તો હંમેશ મનુષ્ય જ રહેવાનો છે. પુરુષ કરતાં સ્ત્રી આગળ વધી જવાની નથી, અને સ્ત્રી કરતાં પુરુષ આગળ વધી જવાનો નથી. કેમ કે કુદરતી રીતે બન્ને એકબીજાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે સ્વાતંત્ર્યનું આખર પરિણામ શિયળની બાબતમાં સ્વાતંત્ર્ય. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પંચ પ્રતિકમાણસૂત્રો એ અર્થમાં આર્ય પ્રજાએ ઘણું જ શોષવું પડશે. સ્નેહલગ્ન, સમાનતા વગેરે વાતોનું પરિણામ આખર તો આવું જ છે. શબ્દો ઊંચા વપરાય છે, પણ તેને યોગ્ય પરિસ્થિતિ નથી હોતી. પરિસ્થિતિ જે અત્યારે છે, તે એ શબ્દો નીચે વધારે બગડે છે. તેથી એવા મોટા શબ્દોથી ભોળા લોકો ભોળવાઈને આવી વાતોને ઉત્તેજન આપે છે. જે એવા શબ્દો પ્રમાણે વાસ્તવિક બની શકે તેમ હોય, તો તે વધાવી લેવા જેવું છે. પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. આનું આખર પરિણામ એ છે કે-આખા જગમાં આર્યપ્રજા ચારિત્રની જે પવિત્રતા લાખો કરોડો પેઢીઓથી યથાશકય. જાળવી રહેલ છે, તેના જે કાંઈ અંશો લાખો કુટુંબોમાં વંશ વારસાથી ટકયા છે. અને ઘણાં કુટુંબો એવા છે કે જેઓમાં હજુ કદી સ્ત્રી કે પુરુષ વ્યભિચારી પાકયા નથી. પરંતુ આવી હિલચાલોથી મન ડોળાઈને કેટલાકના ચારિત્ર ઉપર ફટકો પડી જાય; આ ભયંકર પરિણામ તરફ આર્ય પ્રજાને ચળવળ કરનારા લઈ જાય છે. છતાં તેઓ આજે હિતેચ્છુઓ ગણાય છે. સારાંશ કે-સ્નેહલગ્ન, વિધવાવિવાહ, સ્ત્રીસ્વાતંત્ર્ય, સ્ત્રી સમાનતા, આદર્શલગ્ન વગેરે શબ્દો નીચે ભ્રમણામાં ન પડતાં આર્યમર્યાદાને વળગવામાં આ વ્રતનું પાલન છે, અને ઉત્તરોત્તરની શ્રાવક સંતતિને ફાયદો રહે તેમ છે. શ્રાવકનું ચોથું અણુવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- નિચ્ચે હમેશ. પરદાર-ગમણ-વિરઇઓ પરસ્ત્રી ગમનથી અટકવાને આશ્રયીને. અપરિગ્દહિઆ અપરિગૃહીતા, ગ્રહણ ન કરેલી - ન સ્વીકારાયેલી. ઈત્તરાઈવર થોડા કાળ માટે ગ્રહણ કરાયેલી. આણંગ=અનંગ ક્રીડા. વીવાહ પરવિવાહ કરવા, કરાવવા. તિવ્ય-આશુરાગે તીવ્ર અનુરાગ તીવ્ર વિષયાભિલાષ, વિષય લોલુપતા. ચઉત્યે અણુવ્રયમ્મિર, નિચ્ચ પદાર-ગમણ-વિરઈઓ “આયરિઅમપ્રસન્થ", ઇત્ય પમાયપ્રસંગેણં ૧પા 'અપરિગ્દહિઆઈત્તર, અસંગવિવાહ” તિવ્રઅણુરાગે, ચઉત્થ-વસઈયારે,પડિકમે દેસિયં “સā૧૬ ચોથા અણુવ્રતમાં હમેશાં પરસ્ત્રી ગમનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે.), એમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રશસ્તભાવ થવાથી અપરિગૃહીતા [ગમન), ઈવર -[પરિગૃહીતા ગમન, અનંગ [ચેષ્ટા], [પર વિવાહ'[કરવા કરાવવા, તીવ્રકામ લોલુપતા એ ચોથા વ્રતના અતિચારો ]િ દિવસ “સંબંધી તે “સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૫-૧૬. Page #204 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકભગસૂત્રો ૧૩૧ વિશેષાર્થ:- આત્મા નિત્ય છે. તેને અનાદિ અનંતકાળનું મહા જીવન છે. મોક્ષ તેની સ્વાભાવિક પ્રગટ સ્થિતિ છે. એ ધ્યેયની સિદ્ધિનું બીજાં વ્રતોની માફક બ્રહ્મચર્ય વ્રત પણ એક સાધન છે. તેથી બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે. આત્માનું જીવન છે. મોક્ષનો એક ઉપાય છે. છતાં દરેક જીવોની મન વચન કાયાની પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી, તેમજ ભૂતકાળની પરિસ્થિતિનો વિકાસ પણ એકસરખો નથી હોતો. જેઓ ઘણા ભવોથી ઘડાતા ઘડાતા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે તેવી પરિસ્થિતિ સુધી આ ભવમાં આવી પહોંચ્યા હોય છે, તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. પરંતુ જેઓ તેવી પરિસ્થિતિ સુધી ન પહોંચ્યા હોય, અને તેને અંગે તેઓનાં મન, વચન અને કાયાની અમુક પરિસ્થિતિ હોય, તેથી સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે, તો તેઓ માત્ર બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળવાની ભાવના રાખી, તે આદર્શને પોતાની સામે રાખી, તેના તરફ અનન્ય પૂજ્યભાવ રાખી, માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે જગતની અન્ય સર્વ સ્ત્રી જાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રીમાં જ સંતોષ માને, તો પણ તે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાને ઘણે અંશે લાયક ગણાય છે. સ્વસ્ત્રીમાં પણ જેમ બને તેમ સંયમ તો રાખે છે. તીવ્ર વેદોદયની અસહ્ય સ્થિતિના પ્રસંગ સિવાય, ખાસ સંયમ જ રાખવો ગૃહસ્થને પણ આવશ્યક છે. પરંતુ, એવા ખાસ પ્રસંગમાં પણ તીર્થંકર પરમાત્માના કલ્યાણકના દિવસો, આમ, ચૌદશ વગેરે મોટી તિથિઓ-પર્યુષણા, અઠાઈ વગેરે પર્વ દિવસો, તથા બીજા એવા ઉત્તમ દિવસો, વડીલોના જન્મ મરણની તિથિઓ, પોતાના જન્મ દિવસ, સ્ત્રીની ગર્ભાવસ્થા, દિવસ-મૈથુન, વગેરેનો ત્યાગ જ હોવો જોઈએ. ગુજરાતના પ્રદેશમાં પર્વદિવસ પાળવાનો રિવાજ એક ઘરગથ્થુ તરીકે ઘણા વખતના સંસ્કારથી પ્રચલિત ચાલ્યો આવે છે. હાલ મુંબઈ વગેરેના પરિચયથી આ રિવાજમાં કાંઈક શૈથિલ્ય જણાય છે. આ રીતે જ શ્રાવિકાને પણ વ્રતપાલન સમજવું બ્રહ્મચર્યના આદર્શ તરફ ભાવના રાખનાર સ્વદાર સંતોષીને પરસ્ત્રીની સામે જોયું કે તેનો વિચાર પણ શાનો કરવાનો હોય? શ્રાવકની પત્ની શ્રાવિકા પણ એવી જ રીતે એવી જ ભાવનાથી લગ્ન સંસ્કાર સ્વીકારે છે. પરંતુ જે બ્રહ્મચર્ય પાળી શકે, તો તેમણે લગ્ન કરવું જ જોઈએ, એવી ફરજ કોઈના ઉપર છે જ નહીં. આ દૃષ્ટિથી શ્રાવક, શ્રાવિકા બન્નેય સ્વતંત્ર છે. અને બન્ને ય સમાન છે. એક શ્રાવક છે અને એક શ્રાવિકા છે. એટલે બન્નેય સાધર્મિક છે. તેથી એકબીજા તરફ જે આદર હોવો જોઈએ, તે રહેવો જ જોઈએ. એમ પણ બન્નેય સમાન છે અને સ્વતંત્ર છે. માત્ર બીજાં સ્વયોગ્ય કાર્યક્ષેત્રોમાં અને કુદરતી રીતે બળ, શરીર, સ્વભાવ વગેરેના બંધારણની દષ્ટિથી કુદરતી રીતે પુરુષ આગળ આવે છે, અને સ્ત્રી એવી બાબતોમાં પાછળ રહે છે. એટલે સ્ત્રીત્વ પુરુષત્વને કાંઈક વિશેષ માન આપે છે. તેટલા પૂરતું પુરુષનું સન્માન જાળવે એટલો જ ભેદ રહે, કે જે અનિવાર્ય છે. હજુ આર્ય સ્ત્રીઓનો અક્ષતસંયમ પ્રજાનું મહારક્ષક તત્ત્વ છે. પત્ની પોતાની ખાનપાનની બીજી જરૂરિયાતો પુરુષ પાસેથી મેળવે કે પોતાની જાતે મેળવે, Page #205 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પણ બંનેયમાં એક રીતે નહીં તો બીજી રીતે મહેનત તો કરવી જ પડે. જ્યારે પુરુષ કમાવાની મહેનત કરે, ત્યારે સ્ત્રી ઘરમાં મહેનત કરી ઘરના આર્થિક પ્રશ્નના ઉકેલમાં સહાયક થાય, તેથી તે ગુલામી કરે છે એમ માનવું ભૂલ છે. તે જ પ્રકારે પુરુષ બહાર નોકરી, કે ધંધો કરે, કે થોડો ભાર ઉપાડી લાવી, મજૂરના ચાર પૈસા બચાવે, તેથી તે મજૂર બની જાય છે, એ પણ ખોટું છે. એ તો આર્થિક અને સામાજિક વ્યવસ્થાની વહેંચણીની દૃષ્ટિથી એકનું કાર્યક્ષેત્ર ઘરની બહાર રહે છે, અને એકનું ઘરની અંદર રહે છે, તેથી કાંઈ અસમાનતા થાય છે, એવું નથી. ૧૩૨ હવે, સ્ત્રી પણ જો પોતાના માટે બહાર કમાવા જાય ને રાંધીને ખાય, તેમ પુરુષ પણ કમાવા જાય અને રાંધીને ખાય, તો એક રીતે કદાચ નભે એમ માની લઈએ પણ તેમાં બીજો વાંધો આવે. સ્ત્રીની સગર્ભાવસ્થામાં પ્રસૂતિ વખતમાં બાળઉછેરના વખતમાં શું કરવું ? એ કુદરતી સંોગો જ સ્ત્રીને ઘરમાં રહેવાની ફરજ પાડે છે, અને પુરુષને બહારનો વિશેષ બોજો ઉપાડીને સ્ત્રી અને સંતાનના સ્વાસ્થ્યની રક્ષા માટે વધારે મેળવવાની ફરજ પાડે છે. સ્ત્રી-પુરુષો સ્વતંત્રપણે કમાય, અને સ્વતંત્રપણે ખર્ચ કરે, તો સંતાનો ઉમરલાયક ન થાય ત્યાં સુધી તેનો ખર્ચ કોણ પૂરો કરે ? તેની સારસંભાળ કોણ રાખે ? આ પ્રશ્નો થાય. વળી તેમાં સંતાનો માટેના ખર્ચ અને પાલનપોષણની મહેનતના ભાગ વહેંચવા પડે, તેને બદલે એકરસ થયેલા સ્ત્રી-પુરુષ પોતાના બહારના તથા અંદરના કામની વહેંચણી કરી લે, તેમાં વધારે ઉત્તમ વ્યવસ્થા છે. બુદ્ધિશાળી આર્યોની આ વ્યવસ્થા ત્રણેય કાળમાં શિષ્ટમાન્ય અને વધારે સગવડ ભરેલી છે. હોટેલોમાં ખાવું, અને મ્યુનિસિપાલિટી બાળકો ઉછેરે વગેરે હાલના સમાજવાદની યોજના કૃત્રિમ અને અમુક વખત પૂરતી જ છે. તેમ કરવાથી વાત્સલ્ય, પ્રેમ, યોગ્ય સંસ્કાર, વગેરે સુતત્ત્વોનો બાળકોને લાભ મળતો નથી. અલબત્ત, કારખાનાવાળા વધારે મજૂરી મેળવીને કમાઈ શકે, તેથી મજૂરને પગાર વધારે આપી શકે. પણ પ્રજા કેવળ લાગણી રહિત, માત્ર યાંત્રિક પૂતળા જેવી થાય. આ બધી દૃષ્ટિથી ભારતીય આર્યોની ગૃહસંસારની વ્યવસ્થા યોગ્ય, શિષ્ટમાન્ય, વધારે અનુકૂળ તથા પ્રગતિકારક છે, તેમાં સંશય નથી. એટલે મુખ્યપણે સ્ત્રી ઘરમાં કામ કરે અને પુરુષ મુખ્યપણે બહાર કામ કરે. તેમાં અસમાનતા છે જ નહીં. આ દેશમાં નાતજાતના જમણમાં, નાતજાતના મેળામાં, સ્ત્રી, પુરુષ, કુટુંબી સૌ એકસરખા હકક તરીકે ભાગ લે છે. ઘરના પ્રતિનિધિ તરીકે મુખ્ય કુટુંબી સ્ત્રી પણ જે કહે તેમાં સૌની સમ્મતિ હોય છે, હિંદુ પુરુષ પોતાની સ્ત્રી કે સંતાનોનું બૂરું ન ઇચ્છે, અને તેઓને ગૃહ મુખ્યમાં અવિશ્વાસનું કારણ નહીં. આ દૃષ્ટિથી એવા કાયદાના પ્રસંગોમાં સ્ત્રી કે સંતાનો ભાગ લેતાં જણાતાં ન હોય, એટલા ઉપરથી તેઓનો હકક જે હોવો જોઈએ, તે કબૂલ કરવામાં આવ્યો નથી, એમ નથી. છતાં કોઈ કોઈ મુદ્દામાં સ્ત્રી કે સંતાનોનો ખાસ વાંધો હોય, તો તેનું હિત પણ જોવામાં આવે છે. આપણા જીવનમાં ચાલતા રિવાજોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી બરાબર પૃથક્કરણ કરવામાં આવ્યું હોત, તો યુરોપના દેશના અભિપ્રાયને અનુસરીને આપણી પ્રજાને બંધ બેસતા ન થાય, અને આખર નુકસાન કરનારા કાયદાઓ સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાન હકક વગેરેના બાના નીચે કરાય છે, તે કરવા ન પડત. તે સર્વે યોગ્ય તત્ત્વોનો એક યા બીજી રીતે આપણા જીવનમાં સમાવેશ હોય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૧૩૩ સારાંશ કે :- શ્રાવક શ્રાવિકા બન્નેય સ્વતંત્ર અને સમાન છે. પરંતુ પુરુષત્વ અને સ્ત્રીત્વનો જે કુદરતી ભેદ છે, તે તો તેમાં રહેવાનો જ. અને એટલા પૂરતો જ એક બીજા પ્રત્યેના વર્તનમાં ભેદ જણાય, તે કુદરતી તેમજ કૌટુંબિક-સામાજિક-આર્થિક વગેરે બીજા સંજોગીની વહેંચણીની દૃષ્ટિથી. એક બહારકામ કરે છે, અને એક ઘરકામ કરે છે, તેથી એકબીજાના સ્વાતંત્ર્યનો ભંગ થતો જ નથી. આ દષ્ટિથી પત્નીએ એક પતિવ્રત રાખવું વગેરે તત્ત્વોમાં પણ સ્વાતંત્ર્યની ક્ષતિ નથી. કારણ કે, સંતાનોના ભલાની દૃષ્ટિથી સ્ત્રીને અન્યત્ર જવું પાલવે નહીં તથા વારસાના તત્ત્વની દષ્ટિથી પુરુષને સંતાન માટે અન્ય પત્ની કરવી પડે, તેમાં પણ સામાજિક વ્યવસ્થાને ક્ષતિ નથી. સ્ત્રીને સાસરે આવવું, એ પણ શિષ્ટમાન્ય અને વૈજ્ઞાનિક રિવાજ છે. સિવાયના તેથી વિરુદ્ધના જે રિવાજ છે, તે પદ્ધતિસર અને શિષ્ટમાન્ય થાય તેવા નથી. પુરુષ સાસરે જાય, એવા કોઈ દેશના દાખલા સુવિચારિત યોજનાના સુપરિણામ રૂપ જણાતા નથી. જ્યારે સ્ત્રી સાસરે આવે છે, ત્યારે પૂર્વાપરનો વારસો પુરુષની પરંપરામાં જાય છે, એ યુકત-સંગત લાગે છે અને તે ખાતર સંતાન માટે પુરુષ બીજી વાર પરણે છે, તથા કુટુંબની વ્યવસ્થા ખાતર ફરીથી પરણે છે, તેમાં વ્યવસ્થાને ક્ષતિ નથી લાગતી. એક પત્ની ઉપર બીજી પત્નીનો સામાન્ય રીતે નિષેધ છે. જ્ઞાતિઓ પણ અમુક સંજોગો સિવાય સમ્મતિ નથી આપતી ને ગુનો ગણે છે. ભારતમાં પણ પ્રાચીનકાળમાંયે એકને અનેક પત્નીઓના દાખલા મળે છે, તેમાંની વિકૃતિનો ભાગ બાદ કરતાં સામાજિક વ્યવસ્થાની દૃષ્ટિથી તપાસીએ તો પુરુષસંખ્યા કરતાં સ્ત્રીસંખ્યા વધારે હોવી જોઈએ, અને જે તેમ હોય, તો પુરુષો વધારે સ્ત્રીઓનો સ્વીકાર કરીને સ્ત્રી જાતિ ઉપર ઉપકાર કરતા હતા. એમ માનીએ તો સ્ત્રીને અન્યાય કરતા હતા, એમ કહી શકાય નહીં. જૈનદર્શનનો તો બ્રહ્મચર્ય જ મુખ્ય આદર્શ છે. બીજી તરફ બીજી પ્રજાઓ કરતાં ભારતીય પ્રજાનું પુરુષત્વ ઉત્કૃષ્ટ હતું. શરીર મોટું, જાડું, ભારે, બળવાળું દેખાતું, રૂપાળું હોય તેટલા ઉપરથી તેમાં યોગ્ય પુરુષત્વ છે, એમ માનવાને કારણ નથી. કારણ કે કોઈ કાબુલી વગેરેનાં હાડ, લોહી, માંસ કે મેદ વધી ગયાં હોય, તેટલા ઉપરથી તે યોગ્ય પુરુષો છે એમ માનવાની ભૂલ ન કરવી. માટે યોગ્ય પુરુષો યોગ્ય સંયમમાં રહી બીજારોપણની દૃષ્ટિથી અનેક પતિવ્રતા સ્ત્રીઓનો સંગ્રહ કરે, તેથી સંતાનોની સંખ્યાની ઉત્પત્તિ રાજાઓ વગેરેને લશ્કરમાં ખાસ ઉપયોગી રહેતી હતી. પગારદાર ભાડૂતી લશ્કરી કરતાં એકલોહીના લશ્કરની વધારે કિંમત હોય, એ સ્વાભાવિક છે. અલબત્ત તેમાં ખટપટ અને કજિયા કંકાસ થતાં, પણ તે તો ખામી માત્ર ગણાય, પણ તે વ્યવસ્થાની રચનાત્મકતાને ક્ષતિ ન ગણાય. કોઈ ન્યાયાધીશ લાંચ લઈ અન્યાય કરે, તેટલા ઉપરથી ન્યાયખાતું અયોગ્ય અને બિનજરૂરી નથી કરતું. છતાં શ્રાવક શ્રાવિકાના આદર્શ જીવન કેવાં હોય ? તેનો શાસ્ત્રકારોએ યોગ્ય ઉલ્લેખ કર્યો છે. તે આદર્શ કાયમ સામે રહે, તેને માટે ઉપદેશ, આચાર વગેરેથી વાતાવરણમાં પ્રજાની સામે ને સામે મહાત્માઓ રાખે ગયા છે, ને રાખે જાય છે. છતાં બીજા સંજોગોને લીધે પ્રજાના એકપત્નીત્વમાં ખામી જણાય છે, તેને ભારતીય મહાત્માઓએ આદર્શ ગણેલ નથી. પણ પ્રજાના સામાજિક વગેરે બીજા સંજોગોથી સંતવ્ય ગણ્યા છે. કેમકે-એ સંજોગોમાં બીજી રીત કરતાં આ રીતે ઓછા દોષવાળી તેઓને જણાયાથી તેનો સખત વિરોધ કરવામાં Page #207 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩૪ આવ્યો નથી. આ સિવાય દ્રૌપદીના પાંચ પતિ વગેરેના અપવાદભૂત અને બીજા એવા દાખલાઓ આર્યોની મૂળ સમાજરચનાનાં મૂળ તત્ત્વોને બાધક થાય છે, તેમ સમજવાનું નથી. પુરુષમાં એક પત્નીત્વ સામાન્ય ભૂમિકા રૂપે છે, છતાં એકી સાથે અનેક પત્નીત્વના દાખલા ઘણા છે, એકના અભાવમાં અન્ય પત્નીત્વના દાખલા જેમ છે, તેમજ સ્ત્રીઓમાં પણ એક પછી એક એમ અનેક પત્નીત્વના દાખલા ઘણા બીજી બધી કોમોમાં છે. માત્ર આર્ય પ્રજાનો અમુક જ શુદ્ર ભાગ એવો છે કે જેમની પત્નીઓ બીજો પતિનો સ્વીકાર કરતી જ નથી. આ વ્યવસ્થા કે ત્યાં સુધી ટકાવવામાં પ્રજાને હાનિ નથી, તેને તોડવામાં પ્રજાને હાનિ છે. ઉચ્ચ કુટુંબની પત્ની અન્ય પતિ ન કરે, તેમાં કોઈને વ્યક્તિગત નુકસાન થવાના દાખલા મળે, પરંતુ એ રિવાજ ચાલુ કરવામાં પ્રજાનાં શુદ્ધ તત્ત્વોને ધકકો લાગતાં આખી પ્રજાને જ મોટો ધકકો લાગે. માટે અમુક અંશે સ્વતંત્ર અને અમુક અંશે પરતંત્ર, અમુક અંશે સમાન અને અમુક અંશે અસમાન શ્રાવક અને શ્રાવિકાનું તત્ત્વ બરાબર વ્યવસ્થિત છે. “સ્ત્રી-જાતિ ઉપર પુરુષ જુલમ કરતો આવ્યો છે. તેના ઉપર સત્તા ચલાવતો આવ્યો છે.' એ વગેરે ખોટા આક્ષેપો છે, કારણ કે, જો તેમ હોય, તો પ્રજા જીવી શકે જ નહીં. આર્ય જૈન મર્યાદા પ્રમાણે સ્ત્રી-પુરુષના સ્વાતંત્ર્યનો વિચાર વ્યકિત-સ્વાતંત્ર્યની દૃષ્ટિથી સ્ત્રી કે પુરુષ બ્રહ્મચર્ય પાળવાને સ્વતંત્ર છે, પરંતુ કોઈ પણ ધોરણને અનુસરીને પતિ-પત્ની તરીકે જોડાય, એટલે સ્વાર્થ ઉત્પન્ન થયો ગણાય. અને સ્વાર્થ હોય ત્યાં વ્યવહારનું ધોરણ દાલ થાય છે. એટલે એક બીજાનો સ્વાર્થ જાળવવાને પરસ્પર બંધાયેલા રહે છે. એ સ્થિતિમાં સ્ત્રીની રજા સિવાય પતિ બીજી પત્ની ન કરી શકે. તેમજ પત્ની પણ અન્ય પતિ કરવાની છૂટવાળી જ્ઞાતિમાં હોય તો પણ અન્ય પતિ ન કરી શકે. પરંતુ બ્રહ્મચર્ય પાળવામાં કોઈ પણ કોઈને રોકી શકે નહીં. લગ્નના કાયદાનો અર્થ એ છે કે-એકબીજાની ઈચ્છા વિરુદ્ધ અન્ય પતિ કે અન્ય પત્ની કરી શકાય નહીં. એકબીજાની સલાહ, સમ્મતિ લે, એકબીજાની સગવડ અગવડનો વિચાર કરે, એ બધું વ્યક્તિઓની ઈચ્છાને આધીન છે, પરંતુ તેથી સ્ત્રી કે પુરુષના સ્વાતંત્ર્યને વાંધો આવતો નથી, અને લગ્નના કરારની જવાબદારી રહેતી નથી. બ્રહ્મચારી કે સર્વ ત્યાગી ન હોય ત્યારે તો પુરુષ સામાજિક કે કૌટુંબિક કાયદાઓને પરતંત્ર છે, તેમજ સ્ત્રી પણ વિશેષમાં સ્ત્રી સ્થિતિ-વિશેષમાં પિતા, પતિ અને પુત્રને પરતંત્ર છે, તેમજ પુરુષ પણ માતા, પિતા, પત્ની, વડીલો, પુત્રને પરતંત્ર છે. હાલના કાયદાના કરારથી માંડીને અનેક જાતના પ્રજામાં પ્રચલિત અનેક પ્રકારના લગ્નના કરારોની પદ્ધતિઓ કરતાં આર્યલગ્ન-વ્યવસ્થાના કાયદાઓ વધારે આદર્શ, સચોટ, વ્યવસ્થિત પ્રજાપોષક અને સુતત્ત્વરક્ષક છે. માટે જેમ બને તેમ આ પદ્ધતિ ટકાવવી. તેમાં ખર્ચ થાય છે, તે જીવનના ઉલ્લાસ માટે છે. તો પણ પરાણે ખર્ચ કરવાનું કોઈ કહેતું નથી. છતાં પ્રજા ખર્ચ કરે તેમાં પ્રજાની શકિતનું માપ છે. દેવું કરીને કરવું તેટલું સારું નથી, પણ કરજે ધીરનાર મળે તેમાં પણ પ્રજાની શકિતનું માપ તો છે જ. શક્તિ ઘટશે, તેમ ખર્ચ ઘટશે. Page #208 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩૫ વ્રત સ્વરૂપ : સ્વદારા ગૃહસ્થને પોતાની કાયદેસરની પત્ની સિવાય બીજી સર્વનો ત્યાગ થાય છે. અને પરદાર-ગમન વિરમણ વ્રતવાળાને પોતાના સિવાયના બીજા પુરુષો, દેવો અને તિર્યંચોને ભોગવવા યોગ્ય સર્વ સ્ત્રીઓ, જે પરની સ્ત્રી કહેવાય છે, તેનો ત્યાગ થાય છે. પણ વેશ્યા વગેરે સર્વસાધારણ સ્ત્રીઓની છૂટી રહી જાય છે. સ્વદારા સંતોષીને તેવી છૂટ રહેતી નથી. તેને જે બે પત્ની હોય, તો જે દિવસે જેનો વારો નકકી હોય, તે દિવસે તેમાં જ સંતોષ જોઈએ, એટલે સુધી સમજી શકાય છે. જો કે પુરુષનું વેશ્યાગમન વગેરે સામાજિક બંધનની ત્રુટી જણાવે છે. છતાં કુદરતી રીતે જ પુરુષોના ક્ષણિક કામવાસનાની દષ્ટિથી આટલે સુધી મર્યાદા સમાજવિધાયકોને રાખવી પડી હોય, તેમ સંભવિત જણાય છે. પરંતુ જ્યાં સુધી સ્ત્રીઓમાં એવું તત્ત્વ સમાજને કબૂલ રાખવું નથી પડેલું, એવા સંજોગો નથી ઉત્પન્ન થયા, ત્યાં સુધી સમાજ બંધારણ એટલું સુસંગઠિત અને શુદ્ધ છે, એ પણ સમજાય તેવું છે. તેથી સ્ત્રીઓને સ્વપતિમાં જ સંતોષ રાખવો, એવું વ્રત આવી જાય છે. સ્ત્રી જાતિની પવિત્રતા પર પ્રજાના સુસંસ્કાર પવિત્રતા અને પ્રગતિનો ખાસ આધાર છે. છતાં જે કોમોમાં પુનર્વિવાહનો ચાલ છે, તેઓ પણ જે જૈન ધર્મ પાળતા હોય તો તેમાંની સ્ત્રીઓ અને દરેક પ્રકારના હિંદુ પુરુષો પુનર્વિવાહ કેટલી વાર કરવો કે ન કરવો ? તેની પણ મર્યાદા નકકી કરી વ્રત લઈ શકે છે. જો કે શ્રાવક સમુદાય બે જાતનો ગણાય છે : બદ્ધ અને અબદ્ધ. બીજા લોકો જૈન ધર્મ પાળે પણ તે અબદ્ધ કહેવાય છે. જેઓનું જીવન વિશેષ આયમર્યાદાને અનુસરીને છે, તેઓ બદ્ધ કહેવાય છે. અર્થાત તેઓ સંઘના બંધારણના મુખ્ય ભાગમાં છે અને ટ્રસ્ટી તરીકે હોવાથી જૈન ધર્મનો વહીવટ મુખ્યપણે તેઓના જ હાથમાં છે અને તેઓના જ હાથમાં રહેવો જોઈએ. અબદ્ધ શ્રાવકો વધે-ઘટે, માટે પણ સંઘની સત્તા તો બદ્ધના હાથમાં જ રહેવી જોઈએ. કારણ કે-વારસાના સંસ્કાર, અનુભવ, આર્ય મર્યાદાનું પાલન વગેરે તત્ત્વો તેમાં કુદરતી રીતે જ વધારે હોય, તેથી તેવા કુળવાન શ્રાવકો મુનિઓની જેમ કેટલેક અંશે સંઘના કેન્દ્રરૂપ છે. તેથી તેઓમાં પુનર્વિવાહના ચાલના સંજોગો ન હોય, એ સ્વાભાવિક અને ઈચ્છવા યોગ્ય છે, તેવા સંજોગો ન પેસે તેવી સાવચેતી રાખવી એ પણ ઈચ્છવા યોગ્ય છે. તેથી તે વર્ગની શ્રાવિકાઓ માત્ર સ્વપતિ સંતોષનું જ વ્રત લે તે બરાબર છે. અતિચારોની સમજ. ૧. અપરિગૃહીતા ગમન, ૨. ઈન્દર પરિગૃહીતાગમન, ૩. અનંગક્રીડા, ૮. વિવાહકરણ, ૫. તીવ્ર અનુરાગ : આ પાંચ અતિચારો છે. ૧. અપરિગૃહીતા ગમન : કોઈએ ગ્રહણ ન કરેલી સ્ત્રી-જાતિ સાથે ગમન કરવું, તે અપરિગૃહીતા ગમન અતિચાર છે. ગ્રહણ ન કરેલી સ્ત્રીઓ-કુમારી કન્યા વિધવા (પુનર્લગ્ન કરનારી જ્ઞાતિઓની કે દરેક7) વગેરે. ૨. ઇન્દર પરિગૃહીતા ગમન : ભાડું વગેરે ઠરાવીને થોડા વખત માટે રાખેલી વેશ્યા, તે છત્વર પરિગૃહીતા સ્ત્રી, સર્વસામાન્ય છે. એટલે પરની પારકાની કોઈએ ગ્રહણ કરેલી નથી, એમ સમજીને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પંચ પ્રતિકમાણસૂત્રો ગમન કરવાથી ઇત્વર પરિગૃહીતા ગમન અતિચાર લાગે છે. ૩. અનંગફીડા : અનંગ એટલે કામ, તેને લગતી ચેષ્ટાઓ અથવા મૈથુન સેવવાનાં પ્રધાન અંગો સિવાયનાં દાંત, મુખ, ઓષ્ઠ, સ્તન વગેરે સ્વ સ્ત્રી કે પરસ્ત્રીનાં અંગો વિષે ચેષ્ટા તે પણ અનંગક્રીડા કહેવાય છે. શ્રાવકને પરસ્ત્રી તરફ કે તેના કોઈ પણ અંગ તરફ વિકારપૂર્વક જોવાનું પણ ન હોય તો પછી તેને લગતી કામચેષ્ટા વિષે તો પૂછવું જ શું? સ્ત્રીનાં રાગોત્પાદક ઢાકેલાં અંગોને ખાસ ઈરાદાપૂર્વક જોવાં પણ નહીં, તેમજ તેના સ્પર્શથી પણ સર્વથા દૂર રહેવું. અને તેના જેવાના કે સ્પર્શવાના જેટલા જેટલા પરિચય પ્રસંગો હોય, તે સર્વનો સર્વથા ત્યાગ કરવો, કદાચ અજાણતાં, કાંઈ એવા સંજોગોમાં દર્શન કે સ્પર્શ થઈ જાય, તો રાગ ઉત્પન્ન ન થાય, તેમ વર્તવું, અને શુદ્ધ ભાવના જળથી તેને ધોઈ નાંખવો. કારણ કે, કેટલીક વખત અજાણતાં દર્શન કે સ્પર્શ થઈ જાય છે, પરંતુ વિવેકી પુરુષોએ તે વખતે રાગ ન થવા દેવો, તે તો પોતાને આધીન જ છે. માટે તે ઉત્પન્ન ન થવા દેવાથી તેથી ઉત્પન્ન થતા દોષો લાગી શકતા નથી. કારણે–ગોમૂત્ર ગ્રહણ કરવાની જરૂર પડે, તેને પ્રસંગે પણ સહજ રીતે જ મૂત્ર ગ્રહણ કરવું, પરંતુ યોનિમર્દનાદિ ક્રિયા ન જ કરવી. કામચેષ્ટાના સ્વપ્ન વગેરે પ્રસંગે વિષયસુખો કેવાં ક્ષણિક છે? તેની ભાવના ભાવવી. નવકાર મંત્રના જાપપૂર્વક જ સૂવું કે જેથી કરીને એવાં ખરાબ સ્વપ્નાં આવે જ નહીં. છતાં કદાચ એવાં સ્વપ્ન આવી જાય, તો ઊઠીને ઈરિયાવહીય પડિકકમી એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. જેમ સ્ત્રીનાં અંગોપાંગોનાં દર્શન, સ્પર્શ વર્જવાનાં છે, તેમજ ખાસ પ્રસંગે જ બોલવામાં પણ સંયમ રાખવાની શાસ્ત્રકારોની ખાસ ભલામણ છે. અને એ જ દષ્ટિથી ગૃહસ્થોએ પણ બ્રહ્મચર્ય વ્રતની નવગુપ્તિ પાળવામાં આદરવાળા થવાની જરૂર છે. તે જ પ્રકારે સ્ત્રીઓએ પણ પુરુષોને લગતી નવવાડો પાળવાની છે. હાલમાં સ્ત્રીપુરુષના અંગસ્પશને પ્રસંગો શહેરમાં એક રિવાજ-રૂઢિ રૂપે વધતા જાય છે, તે કુરૂઢિ છે. તેથી પ્રજાનું ચારિત્ર ઘણું શિથિલ બનશે અને સંતતિ ઉત્તરોત્તર હીન સત્ત્વશીલ પાકશે તેમજ પ્રજાનો અધ:પાત થશે. એમ હાલના અન્ય વિદ્વાનો પણ ચોકકસ માને છે. શાસ્ત્રમાં સ્ત્રી દેખીને તેનો શબ્દ સાંભળીને કે તેનો સ્પર્શ થવાથી જે પુરુષ, કે પુરુષના રૂપ વગેરે દેખીને જે સ્ત્રીઓ તરત જ ચંચળ બની જાય છે, અથવા તેઓનાં મન નબળાં પડી જાય છે, એકદમ વિકારવશ થઈ જાય છે, તેઓને જુદી જુદી જાતના નપુંસકોમાં ગણાવ્યા છે. યોગ્ય સ્ત્રીપુરુષો અને તેની ઇંદ્રિયો એકાએક ક્ષુબ્ધ થતાં નથી. તેઓ ધીર, વીર અને ગંભીર હોય છે. ખરી ધીરતા, વીરતા અને ગંભીરતા આ પણ છે. કાળા રંગના નહીં, પરંતુ લાલ, પાતળીયા અને મોઢે શામળા પુરુષો અને તેવી જ સ્ત્રીઓથી ઉત્પન્ન થયેલાં સંતાનો જ આ દેશમાં યોગ્ય સંતાનો હોય છે. યોગ્ય સંતાન પ્રાપ્તિની દૃષ્ટિથી જે Page #210 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩૭ ગૃહસ્થો કામનું સેવન કરતા હોય, તેઓએ પણ પોતાનું આરોગ્ય સાચવવું જોઈએ. લાલ અને પાતળું શરીર તથા મોટું શામળું ત્યારે જ હોય છે, વીશય ઉપરાંત શરીરમાં સર્વ ધાતુઓમાં અને અવયવોમાં વીર્ય તથા ઓજ વ્યાપક હોય, જેમ જેમ વીર્ય ઘટતું જાય છે, કે અલ્પ હોય, તેમ તેમ સ્ત્રી-પુરુષો વધારે ફિકકા, ધોળા, જાડા હોય છે, અને તેઓની કામચેષ્ટાઓ રમત રૂપ, ક્ષણિક, વારંવાર અને નીરસ હોય છે. માટે આ દષ્ટિથી પણ શ્રાવક શ્રાવિકાએ બ્રહ્મચર્ય જેમ બને તેમ વધારે પાળવું, અને આરોગ્યનું રક્ષણ કરવું, જેથી કરીને શરીરમાંથી ઓજસ ઘટે નહીં. ઓજસ્વી સ્ત્રી-પુરુષો દીર્ધાયુષી હોય છે, સંતોષી ને સુખી હોય છે, શાંત અને સંયમી હોય છે, ચપળ અને આનંદી હોય છે, દીર્ધદષ્ટિવાળા અને પરિશ્રમી હોય છે, નીરોગી અને રૂપાળાં હોય છે. ઓજસ્વી સ્ત્રી-પુરુષોનાં જ સંતાનો લાયક પ્રજા તરીકે થઈ શકે છે. લાયક પ્રજા ઉત્પન્ન કરવા પણ ઓજસુ ટકાવવું જોઈએ. ઓજસ્વી સ્ત્રી-પુરુષોને જ વિષયભોગ પણ સહજ હોય છે, અને નીરસ હોતા નથી. આ બધા લાભો ખાતર પણ બ્રહ્મચર્ય જેમ બને તેમ પાળવું, એ શ્રાવક, શ્રાવિકાઓને તેમજ સર્વ સ્ત્રી-પુરુષોને માટે, એકંદર પ્રજાને માટે, દેશને માટે, માનવ વંશને માટે અને જગતના હિતને માટે ખાસ ઉપકારક છે. ઓજસનો આધાર શુદ્ધ વીર્ય ઉપર છે. શુદ્ધ વિર્યનો આધાર યોગ્ય આહાર, બ્રહ્મચર્ય અને યોગ્ય આરામ ઉપર છે. આર્ય પ્રજાનું આ ખાસ ભૂષણ છે, પ્રજાકીય સભ્યતા છે. વારસામાં પણ આવા ગુણો ઊતરતાં ભવિષ્યનાં સંતાનો પણ સંયમી અને લાયક થાય છે, વંશવારસો સારો ચાલે છે. પુત્રી વગેરે પર ઘર જઈને કુટુંબને ઉજાળે છે, અને પર ઘરથી આવેલી પુત્રવધૂઓ વગેરે સાસરાના કુટુંબની યોગ્ય રીતભાત જોઈને યોગ્ય બને છે. તેનાં પણ પુત્ર, પુત્યાદિક સંતાનો લાયક થાય છે. આમ ઉત્તરોત્તર યોગ્ય વારસાની દૃષ્ટિથી પણ ઓજસ્વી થવાને કે રહેવાને સ્ત્રી-પુરુષોએ ઘણો જ સંયમ રાખવાનો છે. આ રીતે પણ અનંગક્રીડા શાસ્ત્રકારોએ શ્રાવકને અતિચાર રૂપે ગણાવેલ છે, તેમાં ઘણી જ દીર્ધદષ્ટિ અને ઉપકાર ભરેલો છે. અનંગક્રીડાથી વારંવાર ઈદ્રિયો ઉશ્કેરાઈ ખરી રીતે નબળાઈમાં વધારો કરે છે, ખોટી રીતે ધાતુઓ ગળે છે ને નપુંસકતા વધે છે. અનંગક્રીડા એટલે પોતાની પત્ની વિષે પણ કામશાસ્ત્રમાં બતાવેલાં આલિંગન, ચુંબન, દંતક્ષત, નખક્ષત, આસનો, પુરુષોપમૃપ્તક, સીત્કાર વગેરે ચતુઃષષ્ઠી-ચોસઠ પ્રકારની કામોદ્દીપક-બાહ્ય ચેષ્ટાઓ, તથા સ્ત્રી તથા પુરુષાકારના નપુંસકોનું સેવન, હસ્તાદિ કર્મ, કૃત્રિમ સાધન વગેરે, કામોદ્દીપક ઔષધો, આસનો, મંત્રો, તંત્રો, યોગો, વશીકરણો વગેરેથી કામસેવા કરવી તે અનંગક્રીડા છે. તેનો આશ્રય સહજ યોગ્ય સ્ત્રી-પુરુષો કરતા જ નથી, કરવાની જરૂર પણ હોતી નથી. પરંતુ, નબળા અને અસંયમીને માટે એ સાધનોનો આશ્રય સૂચવ્યો છે-એ જ સાબિત કરે છે કે કામ-શાસ્ત્રકારોને પણ એ સાધનોનો ઉપયોગ આદર્શ સ્થિતિમાં સમ્મત નથી જ. હાલના જમાનામાં જાતીય વિજ્ઞાનના નામ નીચે આવાં અનેક પુસ્તકો ફેલાય છે. તેમજ સંતતિ નિયમનના કાયદા તથા ઔષધો વિશે પ્રચાર ચાલે છે, તેમજ કૉલેજોમાં તેને લગતા શિક્ષણની વ્યવસ્થાની વાતો ચાલે છે, એ ખરેખર આર્ય પ્રજાનો ઉત્તરોત્તર નાશનો એક માર્ગ છે. પ્રાણી માત્ર કુદરતી રીતે જ કામવાસના તરફ દોરવાયેલ છે. પ્રજા સામે સંયમનો Page #211 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો આદર્શ રાખવાથી, અસંયમથી થતાં નુકસાનોમાંથી પ્રજા બચતી રહે છે. પશુઓને કોઈ કાંઈ શીખવતું નથી, પ્રજાનું આરોગ્ય સારું થાય તો બધું સુવ્યવસ્થિત જ થાય. તેને બદલે આ વિષે જાહેર સંસ્થાઓમાં જ્ઞાન આપવાથી સંયમી થવાને બદલે મોટો ભાગ અસંયમી અને હલકી મનોવૃત્તિ તરફ દોરવાઈ જશે જ. આ મોટી કમનસીબી છે. પછી બાજી હાથમાં નહીં રહે. જ્યારે પરદેશીઓ પોતાના દેશમાં કાયદા કરી સંયમ પોષે છે. ૧૩૮ પોતાની સ્ત્રીમાં પણ આ જાતની અનંગક્રીડાને શાસ્ત્રકારોએ શ્રાવકને અતિચાર તરીકે ગણેલ છે. તેમાં પણ ખાસ હેતુઓ છે. એક તો શ્રાવકની સભ્યતાને એ ચેષ્ટાઓ કોઈ પણ રીતે ઉચિત નથી. તેમાંની કેટલીક બુદ્ધિ ભ્રષ્ટ કરનારી છે, કેટલીક પાપમય છે, કેટલીક બીભત્સ છે, કેટલીક અનાર્ય જાતિની છે, કેટલીક રોગ કરી ઉદ્વેગ કરનારી છે. તેથી તેનું સેવન સર્વથા વર્જવા યોગ્ય તો છે જ. પરંતુ ખરી રીતે આવા કામોદ્દીપક પ્રયોગોનું સેવન એ નબળાં સ્ત્રી-પુરુષની નિશાની છે. અને તેથી પરિણામે ભયંકર રોગો તથા અત્યન્ત અશકિત વૈદ્યક તથા કામશાસ્ત્રકારોએ જણાવેલ છે. અશકત અને સહજ કામવાસનાની જાગૃતિ વગરનાં સ્ત્રીપુરુષો કૃત્રિમ કામોદ્દીપન કે સંતોષ માટે ઉપરના પ્રયોગોનો આશ્રય કરે છે. અર્થાત્ આવા પ્રયોગોનો આશ્રય એ નપુંસકતાનું સૂચક ચિહ્ન છે, એમ પૂર્વ પુરુષોએ કહ્યું છે. કુળવાન શ્રાવક સંયમી હોય છે, યથાયોગ્ય શરીરના આરોગ્યવાળો હોય છે. જે પુરુષ કે સ્ત્રી યથાયોગ્ય આરોગ્યવાળાં હોય છે, તેમની કામવાસના ક્ષણે ક્ષણે ઉશ્કેરાઈ જનારી નથી હોતી. અને સાધારણ કામવાસનાની ઉત્પત્તિમાં પણ તે સંયમી રહે છે. ગમે તેવા સંજોગોમાં પણ તેઓ પોતાની વાસનાને કાબૂમાં રાખે છે. તેમની ઇચ્છા સહજ રીતે જ બ્રહ્મચર્ય પાળવા તરફ હોય છે. તેઓનું ઉત્તમ આરોગ્ય બ્રહ્મચર્યમાં મદદગાર હોય છે. ‘“કમજોર ગુસ્સા બહોત’’ આવા નબળા મનના માણસોની વિષયવાસનાઓ જ ક્ષણિક અને ક્ષણમાં ઉશ્કેરાય તેવી હોય છે. સુંદર આરોગ્યવાળાં સ્ત્રીપુરુષો કુદરતી રીતે જ સંયમ ન પાળી શકે તેવી સ્થિતિમાં આવી પડે ત્યારે જ વ્રતને સાપેક્ષપણે રહી સહજ વાસનાજન્ય વિષયવાસના તૃપ્ત કરે છે. સહજ વિષયવાસનાના તૃપ્તિજન્ય સાંસારિક ક્ષણિકસુખમાં પોતાની પ્રવૃત્તિ માટે માનસિક પશ્ચાત્તાપ પણ કરે છે. પરંતુ તેવા સહજ વિષયી સ્ત્રીપુરુષોને ઉપર જણાવેલા ચાતુ:ષષ્ઠીના પ્રયોગોની જરૂર જ નથી, પરંતુ તે સિવાયના નબળાને માટે જ કામશાસ્ત્રકારોએ પણ એ પ્રયોગો બતાવ્યા છે. અર્થાત્ એ પ્રયોગોનું સેવન એ ઊતરતો નંબર છે. નબળાની અને ખાસ કરીને નપુંસકની નિશાની છે. માટે પણ ઉત્તમ શ્રાવકને સ્વદારાને વિષે પણ અનંગક્રીડા એ અતિચાર રૂપ જણાવેલ છે. છતાં સહજ રીતે પ્રવર્તે તો તે અનાચાર રૂપ નથી. જે પુરુષ અનંગક્રીડાના પ્રયોગો વિના સ્ત્રીને, અને સ્ત્રી પુરુષને, સહજ ઉત્પન્ન વિષયવાસનાની તૃપ્તિ ઉત્પન્ન કરી શકે, તે જ સ્ત્રી અને પુરુષો ખરાં સ્રી-પુરુષો છે. તેમાં બ્રહ્મચર્યનું પાલન મુખ્ય આવશ્યક છે. હાલના વખતમાં જે ધોળાં, ફિકકાં, રૂપાળાં મોંવાળાં, જાડાં, ખોટાં ટાટોપવાળાં, નકામી કુચેષ્ટાઓ કરનાર, સુકાઈ ગયેલાં સ્ત્રી-પુરુષો હોય, તે રીતસર સ્ત્રી-પુરુષો નથી. કાબુલી, અંગ્રેજો, બંગાળી વગેરેમાં પણ કેટલાક જાડા, મોટા, ઊંચા છતાં અલ્પ વીર્યવાળા હોવાથી તેઓ પણ યોગ્ય પુરુષો ગણાતા નથી. કારણ કે લોહી, માંસ, મેદ કે હાડકાં વધી ગયેલા હોય અને ખાનપાનના રસનો પ્રવાહ એ Page #212 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩૯ ધાતુઓમાં રોકાઈ રહેલો હોવાથી શુક્ર ધાતુ અલ્પ ઉત્પન્ન થાય તો નપુંસકતાના અનેક પ્રકારો બતાવ્યા છે, તેમાં પણ કેટલાકનો સમાવેશ થાય છે. ૪. વિવાહકરણ: પારકા છોકરા છોકરીઓના “કન્યાદાનનું ફળ મળશે” એવી ઈચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી સગપણ સંબંધ, કે લગ્નમાં ભાગ લેવો એ પણ શ્રાવકને માટે મોહને ઉત્તેજન આપવાની દષ્ટિથી દોષરૂપ તો છે જ. એટલા જ માટે સ્વદારા સંતોષવ્રતી પુરુષને પોતાની સ્ત્રી સિવાય, અને પરસ્ત્રી વિરમણ વ્રતવાળાએ પોતાની સ્ત્રી કે દેશાચાર પ્રમાણે વેશ્યા સિવાય અન્ય સ્ત્રી સાથે મન, વચન, કાયાથી મૈથુનનો ત્યાગ હોય છે, એટલે કે કરવું, કરાવવું, અને અનુમોદવું નહીં, એવું વ્રતનું સ્વરૂપ હોય છે. તેથી પર વિવાહમાં ભાગ લેવો, એ કરાવવા અને અનુમોદવા રૂપ હોવાથી દોષરૂપ છે જ. જેને એવી રીતે વિવિધ વ્રત હોય તેને વિવાહ કરાવવામાં વ્રત ભંગ થાય છે. પણ “આ તો હું વિવાહ કરાવું છું, મૈથુન કરાવતો નથી.” એવી સાપેક્ષ ભાવના હોય, તેથી અભંગ થાય છે. માટે ભંગ અભંગરૂપ અતિચાર ગણાય છે. પોતાનાં સંતાનોની બાબતમાં પણ જો બીજા ચિંતા કરનારા ન હોય, તો તેમાં પણ યતના રાખીને સંખ્યાનો નિયમ કરીને વ્રતાતિચાર ટાળી શકાય છે. અથવા પોતાને એક સ્ત્રી હોય, છતાં કારણે બીજી સ્ત્રી કરવી પડે, તો પણ બીજી સ્ત્રીનો પોતાની સાથે વિવાહ કરવો, તે પણ સ્વદારા સંતોષી શ્રાવકને પર વિવાહરૂપ અતિચાર લાગે છે, એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. અર્થાત કુલીન પુરુષને બીજી સ્ત્રી કરવી એ આર્ય મર્યાદાની દષ્ટિથી અતિચાર છે. અને કુલીને સ્ત્રીને પુનર્વિવાહ કરવો એ અનાચાર છે. વિવાહકરણ અતિચાર, તો પુનર્વિવાહ અનાચાર સ્પષ્ટ જ છે. ૫. તીવ્ર અનુરાગ : પાંચ ઇંદ્રિયોના ૨૩ વિષયોમાં આસક્તિ, ટાપટીપ, મોજશોખ, વિલાસ, રંગરાગ, ખાનપાનની વિવિધતામાં આસકિત, વિવિધ ઔષધોપચાર વગેરેમાં રાતદિવસ આસક્તિ રહે, સ્ત્રીઓના વિવિધ વિલાસોમાં મગ્ન રહે, વારંવાર વિષયોપભોગોનું સેવન, તન્મય બની જવું, બીજાં બધાં કૃત્યો ભૂલી જવાં, કે તેને ગૌણ બનાવી દેવા, વગેરે તીવ્ર અનુરાગનું પરિણામ છે. અનંગક્રીડાઓના વારંવાર વિવિધ પ્રયોગોનો ઉપયોગ કરવો, તે માટે અનેક ઘટનાઓ કરવી, એ તીવ્ર અનુરાગની નિશાની છે. વિધિપૂર્વક કામસેવનથી કૃતકૃત્ય છતાં અસંતોષપણે સ્ત્રીઓનાં જુદાં જુદાં અંગો ઘણો વખત સુધી સેવવાં, પોતાની તીવ્ર કામવાસના બતાવવી, તેથી કાંઈ પણ ફાયદો નથી. સ્ત્રીઓને પણ તેવા પુરુષો પર માનસિક કંટાળો આવે છે, રોગી અને નબળાની એ નિશાની ગણાય છે. આમ કરવાથી ઊલટો બળનો નાશ થાય છે, અને ક્ષય વગેરે ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. માટે પાપભીરુ શ્રાવક બ્રહ્મચર્યનો જ આકાંક્ષી હોય છે. તેને બદલે આવા નકામાં તીવ્ર અનુરાગો શ્રાવકને અતિચારરૂપ હોવાથી વર્જવા યોગ્ય છે. અતિચારોની વિશેષ સમજ સ્વદારા સંતોષી વ્રતવાળાને પ્રથમના બે અનાચાર છે અને પછીના ત્રણ અતિચારો છે. પણ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો પરદાર વિરમણ વ્રતવાળાને પાંચેય અતિચારો છે. સ્ત્રીઓને પણ સ્વપુરુષ સંતોષ જ વ્રત હોવાથી પછીના ત્રણ અતિચારો છે. અને પહેલા બે અનાચારો છે. અથવા અનાભોગાદિથી પરપુરુષ, અથવા પોતાના બ્રહ્મચારી પતિ તરફ અભિચાર કરે, તો પહેલો અતિચાર સંભવે છે. અને પોતાની શોકના વારાના દિવસે પોતે પોતાના પતિને ભોગવે તો બીજે અતિચાર પણ સ્ત્રીને સંભવે છે. એક સ્ત્રીને પણ પાંચ અતિચારો સંભવે છે. એ જ પ્રમાણે સ્વદારા સંતોષીને પણ ભાડું વગેરે ઠરાવેલી વેશ્યા વગેરેને તેટલા વખત પૂરતી પોતાની સ્વત્રી ગણીને ગમન કરે, તો બીજા અતિચાર સંભવે છે અને અનાભોગાદિકથી અજાણતાં કન્યા, વિધવા વગેરે ગમન થઈ જાય, તો પહેલો અતિચાર પણ સ્વદારા સંતોષીને સંભવે છે. સામાન્ય રીતે શ્રાવકને વેશ્યાગમનનો સંભવ જ ન હોવો જોઈએ. છતાં દેશકાળને આશ્રયીને રાજા, અમાત્ય વગેરેની દષ્ટિથી તેને અનાચાર રૂપ ન ગણાવતાં, અતિચાર રૂપ ગણાવેલ છે. પરંતુ ખરી રીતે સ્વદારા સંતોષી રહેવું, એ વધારે યોગ્ય છે. તેમાં પણ એકપત્નીત્વ વધારે ઉત્તમ છે. છતાં પુરુષને આશ્રયીને આયમર્યાદામાં એકથી વધારે સ્ત્રી એક પછી બીજી સ્ત્રી, વેશ્યાગમન એ વિકલ્પો લેવામાં આવે છે. તે પુરુષ જાતિની ચંચળતાને ઉદ્દેશીને રાખવા પડ્યા જણાય છે. છતાં તેમાં પણ તેની અપરિમિત ચંચળતાને સંયમમાં રખાવવાનો ઉદ્દેશ છે. વેશ્યાગમનની છૂટ રાખનાર બીજી પરસ્ત્રીઓથી તો વિરમે છે, એટલો સંયમ પાળે છે તથા સ્વટ્વી સિવાયની કન્યા, વિધવાથી અટકે છે, અથવા નિયમમાં આવે છે. પરંતુ જે દેશમાં આ જાતનો વ્રતનો વિચાર કે ઉપદેશ નથી, એવી પ્રજાઓ માટે સંયમની આશા શી ? તે અપેક્ષાએ ભારતના પુરુષો વધારે સંયમી કરે છે. તે મહાન પુરુષોના આવા વ્રતાદિના ઉપદેશનું પરિણામ છે. કુલીન સ્ત્રીઓને માટે એક પતિત્વ, અપુનર્વિવાહ, પર પુરુષોનો સર્વથા ત્યાગ વગેરે જે મર્યાદા રાખવામાં આવી છે, તે સ્ત્રી-જાતિના વિશિષ્ટ સંયમ, સંતતિ, પ્રજાની નીતિરીતિ, આર્ય ગૃહવ્યવસ્થા, ગૃહિણી– વગેરે તરફ ખ્યાલ રાખીને રાખવામાં આવી છે. આર્યપ્રજાનાં ઉચ્ચ કુટુંબોમાં તે સહજ રીતે બરાબર પળાય છે. તેની આજુબાજુ વાતાવરણ પણ તેવું ગોઠવાયેલ, છે. છતાં દેશ વિશેષોમાં, માનવજાતિ વિશેષોમાં, વાતાવરણ, માનસ બંધારણ વગેરે દષ્ટિથી પુનર્વિવાહ, અનેકપતિત્વ, પરપુરુષ અત્યાગ વગેરે પ્રકારે જોવામાં આવે છે. પણ જ્યાં તે ચાલતાં હોય ત્યાં સ્ત્રી જાતિના માનસિક વિકાસના પ્રતિપાદક પુરાવા નથી. ભારતવર્ષમાં એક પત્નીવાળા પુરુષો નથી એમ નથી, ફરીથી ન પરણનારા પુરુષો નથી હોતા એમ પણ નથી. જિંદગીભર બ્રહ્મચર્ય પાળનાર સાધુ અને સાધ્વીના રૂપમાં તથા ગૃહસ્થ સ્ત્રી-પુરુષોમાં પણ ઘણા મળી આવે છે. એટલે બ્રહ્મચર્ય માટેના આદર્શોથી માંડીને પ્રજાના બંધારણપૂર્વકના નિયમોને અનુસરનારા સ્ત્રી-પુરુષોની સારી સંખ્યા મળી શકે છે. એ બીજા દેશો કરતાં નવીનતા છે. ખાનદાન વિધુરો યાજજીવ સંયમ રાખનારા મળી આવે છે. મૂળથી જ અપરિણીત છતાં એવા જ ખાનદાન સંયમી પણ ઘણા મળી આવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૪૧ સાધુ સાધ્વી રૂપે સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારો વર્ગ દેશમાં સારા પ્રમાણમાં મળી રહેલ હોવાથી વિધુર કે વિધવાના માનસિક દુઃખનાં અતિશયોકિતવાળાં ભાષણો પ્રજાના માનસને સ્પર્શી શકતાં નથી. પરંતુ જે દેશમાં બ્રહ્મચારી સ્ત્રી-પુરુષોની સંસ્થાઓ નથી ત્યાં એ ભાષણો અસરકારક લાગે છે. બ્રહ્મચારીઓની આવશ્યક સંસ્થા છે એ સહેજે સમજાય તેમ છે. રાજ્યાદિ દરેક સંસ્થામાં કોઈ કોઈ વ્યક્તિ લાંચ લેનાર હોય, તેથી આખી સંસ્થા ખોટી ઠરતી નથી. તે પ્રમાણે બ્રહ્મચર્ય પાળનારાઓની સંસ્થા વ્યક્તિના દોષથી સંસ્થાની જરૂરિયાત ઊડી જતી નથી. શ્રાવક શ્રાવિકાઓ સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે તેઓએ પર્વ તિથિઓ, અરિહંત પ્રભુના કલ્યાણકના દિવસો, અઠ્ઠાઈઓ, મોટા પર્વ દિવસો ચૌદસ વગેરે દિવસોમાં ખાસ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ગુજરાતના પ્રદેશમાં નાનપણથી યુવક-યુવતીઓમાં આ રિવાજ રૂઢ રૂપે જોવામાં આવે છે, જે ઈચ્છવા યોગ્ય છે. દિવસે તો મૈથુનનું વર્જન જ આદેશ્ય છે અને રાત્રે પણ સંયમપૂર્વક નિયમ કરવો જોઈએ. સ્વદારા સંતોષીએ પણ વર્ષમાં દિવસોના ખાસ નિયમો કરી લેવા જોઈએ. ખરી રીતે કેટલેક અંશે શ્રાવક શ્રમણ તુલ્ય હોવાથી જેમ બને તેમ અલ્પ કર્મબંધન થાય તેમ વર્તવાનો શાસ્ત્રકારોનો ઉપદેશ છે. જ્યાં સુધી ભારતમાં સાધુ-સાધ્વીની બ્રહ્મચર્ય પાળનારી સંસ્થાઓ પોતાની વેગવંતી કારકિર્દી ધરાવશે, વ્રતો, નિયમો, બ્રહ્મચર્ય અને સંયમના જાહેર ઉપદેશો આપશે, તે પાળનારાઓની સંખ્યા કાયમ રહ્યા કરશે, ત્યાં સુધી પ્રજાનું ચારિત્રબળ નૈતિકબળ ઢીલું થવાનો સંભવ નથી. પરંતુ આર્ય ભાવનાઓ અને તેના જીવનની ફૂલગૂંથણીને ન સમજનાર પરદેશના વિચારકોના વિચારોને ઉછીના લઈ પરદેશીઓના વિચારોના અનુયાયી આ દેશના આપણા જ ભાઈઓ આપણા સમાજમાં અનેક પ્રકારના સાહિત્ય દ્વારા ફેલાવે છે. અમારી સમજ પ્રમાણે એવાં ચિત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો, એવી ચર્ચાઓ ખાનદાન કુટુંબના લોકોએ પોતાના ઘરમાં ઘાલવી નહીં જોઈએ. તેમજ તેવી હવા પણ પોતાના ઘરમાં પેસવા ન દેવી, કેટલાક દવા વેચવાવાળા એવાં ચિત્રો, વર્ણનોવાળાં પુસ્તકો ફેલાવે છે, તેને હાથ પણ ન અડકાવો અને બની શકે તો જ્ઞાનની આશાતના ન થાય તેવી રીતે તેવાં સાધનો અદશ્ય કરી પ્રજામાં ફેલાતો અયોગ્ય ચેપ રોકવો જોઈએ. કેટલીક ચર્ચાઓ ઘરને ઓટલે પણ ન થવા દેવી. નાટક સિનેમાના ચેપથી જેમ બને તેમ ઊછરતી પ્રજાને બચાવવી. છતાં આ તત્ત્વો આ જમાનામાં પોતાનું કામ કરી રહ્યા છે એટલી પ્રજાની નીતિ અને આરોગ્ય બગડ્યાં છે. આ વ્રત પર પ્રજાની નીતિનો આધાર હોવાથી તે વિષે કંઈક વિગતવાર વિચાર કરીને જૈન દષ્ટિથી પ્રજાને યોગ્ય માર્ગ બતાવવા પ્રયત્ન કરેલ છે. તેમાં હકીકતથી કે શાસ્ત્રોથી વિરુદ્ધ કાંઈ પણ લખાયા વિષે મિચ્છામિ દુકક દઈએ છીએ. આ વિષય ઘણો ગંભીર અને કોમળ છે. તેની ચર્ચા બહુ જ મર્યાદામાં રહીને કરવી પડે છે. સહેજ ચૂકે તો કંઈકની જિંદગી ખરાબ થઈ જાય ને કુટુંબો પાયમાલ થાય તથા પ્રતિષ્ઠા ધૂળધાણી થાય, અર્થમાંથી અનર્થ ન થવો જોઈએ. અમે ચેતવીએ છીએ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો કે-આજકાલનું વિલાસી વાતાવરણ અનેક રીતે આપણી પ્રજાનું નૈતિક બળ શિથિલ કરી રહેલ છે. તેથી પૂરેપૂરા સાવચેત રહેવાની જરૂર છે. બીજા દેશોની અપેક્ષાએ આપણા દેશની પ્રજાની નીતિરીતિ વધારે દઢ છે. એટલી જ આ પ્રજાની હજ શોભા છે. તેથી જ હજ ભારતની પ્રજા બીજી કરતાં આગળ છે. પરંતુ હવે તે દેશો આગળ વધી પોતાની નીતિરીતિ સુધારવાની શરૂઆત કરવા લાગ્યા છે. પરંતુ ભલે કરે, ત્યાંના પ્રથમના રીતરિવાજનો ચેપ અહીં લાગતો જાય છે અને આપણી પ્રજા યોગ્ય માર્ગેથી ખસતી જાય છે. ત્યાંના રીતરિવાજ અહીં દાખલ થતા જાય છે અને અહીંના ત્યાં દાખલ થતા જાય છે, એ ખોટું છે. અહીંના ત્યાં દાખલ થાય, તેમજ તેમના સારા અહીં દાખલ થાય તેની સામે વાંધો ન લઈએ. પણ તેમના ખરાબ રિવાજે દાખલ થાય તે કોઈ રીતે યોગ્ય નથી. ૫ પાંચમા સ્થૂલ પરિગ્રહવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ :- ઈત્તો એ પછી. આણુવ્રએ અણુવ્રતમાં. અખસયંમિ અપ્રશસ્ત ભાવ છતાં. પરિમાણ પરિચ્છેએ=પરિમાણ(પ્રમાણ)નો પરિચ્છેદભંગ થવાથી. ધાણધન્ન ધનધાન્ય. ખિત્ત-વત્થ ક્ષેત્ર, વાસ્તુ, મકાન. રૂપૂસુવન્ને રૂપું અને સોનું. કુવિચ-પરિમાણે કુખ્ય પરિમાણ. કુખએટલે સોના રૂપા સિવાયની ધાતુઓ રાચરચીલાં (ફર્નિચર) વગેરેનું પ્રમાણ. દુપએ દ્વિપદ-નોકર ચાકર. ચઉમ્પયમ્મિચતુષ્પાદ, ગાય, હાથી, ઘોડા, વગેરે પશુઓ. ઇત્તો અણુવ્રએ પંચમર્મોિ આયરિયમપ-સત્યમ્મિા પરિમાણપરિચ્છેએ-ઇત્ય પમાયખ-સંગેણં ૧ળા ઘણ-ધન°°ખિત્ત-વત્યુ, "રૂપ્પ-સુવને અકુરિઅપરિમાણે' ! દુપએ ચઉપૂમિ -પડિકમે દેસિ સબંKI૧૮ એ પછી પાંચમા અણુવ્રત વિષયક આચરણા થાય છે. એમાં પ્રમાદના પ્રસંગે અપ્રશસ્ત ભાવ થવાથી પરિમાણપ્રમાણ)નો પરિચ્છેદ‘ભંગ થવાથી ધન-ધાન્ય, ક્ષેત્ર-ઘર°, રૂપું-સોનું', રાચરચીલું, અને બે પગા" તથા ચોપગાંપના પરિમાણમાં"[જે અતિચાર લાગ્યો હોય] દિવસ સંબંધી તિ“સર્વનું પ્રતિકમણ કરું છું. ૧૭-૧૮. વિશેષાર્થ:- પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય - ધન્ય ધાન્યાદિ. આભત્તરરાગદ્વેષાદિ. અથવા સચિત્ત અને અચિત્ત એ બે પ્રકાર પણ છે. સચિત્ત - દાસ-દાસી, ગાય, ભેંસ, હાથી, ઘોડો વગેરે. અચિત્ત - સોનું, રૂપું, મકાન વગેરે. [અથવા બીજી રીતે પણ બે પ્રકારનો પરિગ્રહ છે. વારસાથી પ્રાપ્ત અને સ્વોપાર્જિત.] મુનિરાજો ધાર્મિક ઉપકરણો સિવાય કશો પરિગ્રહ રાખતા નથી. તેથી તેઓને પરિગ્રહના સર્વથા Page #216 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ત્યાગનું મહાવ્રત હોય છે. પરિગ્રહ એટલે મૂર્છા મમત્વબુદ્ધિ, જો કે કોઈ મુનિમહારાજાઓનાં પુસ્તકો, ઉપકરણો વગેરે ઉપર મમત્વ બુદ્ધિ જોવામાં આવતી હોય, તેટલા ઉપરથી તેઓના મહાવ્રતને વાંધો આવતો નથી. દુનિયામાં જેમ મિલકત અને તેની માલિકી હોય છે, તેવી કોઇ પણ ચીજ કે મિલકતને તેમની માલિકી નથી હોતી, એટલે તેઓનું મહાવ્રત બરાબર સચવાય જ છે. પુસ્તકો વગેરે ઉપર મમત્વ જોવામાં આવે, તો તેમાં પણ વિચારવાનું છે કે, પુસ્તકો એ મુનિરાજોને ચારિત્ર-આરાધનામાં મોટામાં મોટી સહાયક વસ્તુ છે, તેથી તેઓ તેનો સંગ્રહ કરે, પણ તે મમત્વબુદ્ધિ ન ગણાય. એ ગણાય છે સંઘની વસ્તુ પોતે જ વાંચે, બીજાને ન આપે, શિષ્યાદિકને માત્ર આપે, એ વગેરે સંઘની વસ્તુનો ઉપયોગ કોને કરવા આપવો કે ન આપવો ? તે લાભાલાભની દૃષ્ટિથી વિચારવાનું તેઓને છે. બરાબર સાચવવા, આશાતના થવા ન દેવી, અયોગ્યના હાથમાં ન જાય, પોતે કરેલું ટિપ્પણ સુધારાવધારા વગેરેની પોતાને જરૂર પડે ત્યારે પોતે ઉપયોગ કરી શકે, બરાબર સારસંભાળ રાખી શકે, વગેરે. જ્ઞાનની અનાશાતના, પોતાની સગવડ, અને અયોગ્યના હાથમાં જઈ બનતા સુધી દુરુપયોગ ન થાય, માટે તેઓ જે કેટલીક કાળજી ધરાવે છે, તેમાં મમત્વ ન ગણાય. તે પુસ્તકો વગેરે પોતાના શિષ્યોને જ આપે વગેરેમાં પણ મમત્વ નથી. પરંતુ જો રીતસર તેના ઉપર પોતાની માલિકી ઠરાવે, અને સાંસારિક માલિકી હકકના નિયમો લાગુ કરી અંગત જરૂરિયાત માટે વેચે, તો પરિગ્રહ–વ્રતનો ભંગ થાય છે. ૧૪૩ તેવી જ રીતે ઉપકરણો ગૃહસ્થો પાસેથી મેળવ્યાં છે, માટે તેની પૂરી સાર-સંભાળ રાખે, ઘટતો અને સંયમથી ઉપયોગ કરે, વગેરે સાધુજીવનની દૃષ્ટિથી યોગ્ય છે. જોકે મુનિરાજો પણ હજુ સાધક દશામાં છે, સિદ્ધ દશામાં નથી એ ચોકકસ છે. છતાં કંઈક મમત્વ વ્યક્તિવિશેષમાં જણાય, તો તેટલા પરથી તેઓના મહાવ્રતને વાંધો આવતો નથી. મહાવ્રતો મૂળ ગુણો છે, અને તે સિવાયના બીજા ગુણો ઉત્તર ગુણો છે. તેઓએ દુન્યવી તમામ સંબંધો, સુખ સગવડો, આરામો, મોજશોખ, સ્ત્રીપરિવાર, ઘર, મિલકત, સોનું, રૂપું, માન, વગેરે છોડેલ છે. તેથી મૂળ ગુણ બરાબર સચવાય છે. ઉપકરણાદિ ઉપર સામાન્ય મમત્વ એ ઉત્તર ગુણમાં ખામી ગણાય, પણ ગુણ અખંડ રહે છે. માત્ર પાસે પૈસા, મિલકત કે નાણાના વ્યવહારનાં સાધનો રાખે, તો મૂળ ગુણમાં ખામી ગણાય. પરંતુ ધાર્મિક હેતુઓસર મુનિરાજોના ઉપદેશથી ફંડ એકત્ર થાય, કે કોઈ રકમ આપી ખાતું કાઢી તેની સાથે તેઓનું નામ જોડાય, તેથી તેઓના વ્રતને બાધ આવતો નથી, છતાં કેટલાક એવા પ્રસંગો પણ હોય છે કે-દહેરાસર વગેરેની મિલકત સચવાતી ન હોય તેને ઉપઘાત લાગે તેમ હોય, તેનો હિસાબ બરાબર રહેતો ન હોય, તેવા સંજોગોમાં તે પૈસા હાથ કરી લેવાની જરૂર હોય, વગેરે કટોકટીના પ્રસંગોમાં મુનિમહારાજને પૈસાને અડવું પડે, તો તેમાં તેના મહાવ્રતને જરાપણ બાધ આવતો નથી. મૂળ ગુણ, અને ઉત્તર ગુણ જાળવવાની અપેક્ષા સાથે મમત્વભાવ એટલે કે મૂર્છાની પરિણતિ ન હોય, તો મહાવ્રતને હાનિ પહોંચતી જ નથી. શ્રાવકો આ રીતે સર્વથા પરિગ્રહના ત્યાગનું મહાવ્રત લઈ શકતા નથી, પરંતુ પરિગ્રહની મમતાને મર્યાદા નથી, તેની મર્યાદા કરવાથી દેશથી પણ પરિગ્રહના ત્યાગનું વ્રત સાચવી શકે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ગૃહસ્થોને બે પ્રકારની મિલકત હોય છે, એક કુટુંબની વારસાથી ચાલી આવતી મિલકત અને બીજી સ્વોપાર્જિત મિલક્ત. વારસાની મિલકત એ કુટુંબની મિલકત છે. ગૃહસ્થ ખરી રીતે વારસાની મિલકતનો વહીવટકર્તા છે. તેમણે પોતાનો ખર્ચ સ્વોપાર્જિત મિલકતમાંથી કરવો જોઈએ. પુરુષાર્થી ગૃહસ્થ માટે શાસ્ત્રકારોની આવી ભલામણ છે. છતાં અ૯૫પુરુષાર્થી, રોગી, અપંગ, વગેરે પ્રકારનો વારસદાર વારસાની મિલકતમાંથી ખર્ચ કરે તો તે ખોટું નથી. કેમ કે-વારસાની મિલકતની રક્ષાનું મુખ્ય પ્રયોજન એ પણ છે. ઉપરાંત, કુટુંબની આબરૂ, શાખ, સમજમાં મોભો વગેરે એકસરખા પેઢી દર પેઢી જળવાઈ રહે, સ્થાવર મિલકતો અખંડ જળવાઈ રહે, અને આર્ય કુટુંબ તૂટે નહીં, તેના સંસ્કારની પરંપરા અખંડ ચાલે, માટે પણ વારસાની મિલકતોની બરાબર રક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. તે કુટુંબમાંથી ભવિષ્યમાં પણ કોઈ યોગ્ય પુરુષો પાકે, તેથી ધર્મ-મર્યાદાને સારો ટેકો મળે પરંતુ કોઈ બ્રહ્મચારી પુરુષ પાકે, અથવા ત્યાગી થઈ જાય, તો તે વારસની મિલકત પણ ધર્મક્ષેત્રોમાં યોજી શકે. પરંતુ વારસાની મિલકત સાચવવા ખાતર બ્રહ્મચારી કે ત્યાગી ન થઈ શકે – એમ સમજવાનું નથી. જે તે બ્રહ્મચારી કે ત્યાગી ન થાય તો જ પછી તેણે વારસાની મિલકત ભવિષ્યની પ્રજા માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે બચાવી રાખવાની ફરજ બજાવવી જ જોઈએ, એ આશય છે. અને એ જ આશયમાં “ગપુરણ વિનતિ,'' વગેરે લૌકિક વાકયો સમજવાનાં છે. એટલે કે ત્યાગી કે બ્રહ્મચારી ન થાય તો, આર્ય કુટુંબનો ઉત્તમ વારસો આગળ લંબાવવા ગૃહસ્થને સંતાનની આવશ્યકતા છે. અનાર્ય સંતાનો જગતમાં વધે, તો પણ આર્યમર્યાદાને નુકસાન છે. અને જે આર્ય ગૃહસ્થ ત્યાગી કે બ્રહ્મચારી થાય, તો તેથી જ આર્ય મર્યાદાને ઘણો જ વેગ મળે છે. એટલે પછી તેને સંતાનોત્પત્તિની આવશ્યકતા રહેતી નથી. વળી તેનું વારસાનું ધન ધર્મક્ષેત્રોમાં વિનિયોજિત થતું હોવાથી પણ ધર્મમાર્ગને ઘણો જ વેગ મળે છે. બીજી એક એવી પણ દષ્ટિ છે કે-આર્ય ગૃહસ્થની તમામ મિલકત અને ધનસંચય કેવળ આયમર્યાદાના રક્ષણપૂર્વક ધર્મ ખાતર જ છે. એટલે કે એ બધું ધર્મનું જ છે. એટલે કે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ મૂળ તત્ત્વોની જ એ મિલકત છે. પોતે તેમાંથી નવું ઉત્પન્ન કરીને નિર્વાહ ચલાવે અને બાકીનું તેની ખાતર જ રહ્યું, એટલે કે પોતે ધર્મધનનો ટ્રસ્ટી જ છે. તેમાંથી એક પાઈ પણ આરોગ્ય રસ્તે, વધારે પડતી, વાપરવાની તેને છૂટ નથી. વારસદારોને પણ ધર્મમાર્ગના પ્રવર્તન, રક્ષા, પ્રચાર માટે જ સોંપી જવાની છે. વારસદાર બીજા જીવો પણ એ ધનના સંપર્કમાંથી ધર્મ આરાધે એવો તેમાં આશય છે. એવી જ રીતે ધંધા, ધંધાનાં સાધનો ધંધાની જાહેરાત, ધંધાનું જ્ઞાન પણ વારસે આવે છે. અને તે સ્થાયિતત્વ પણ ઉત્તરોત્તર વારસામાં લંબાવવું જોઈએ. ધંધો પણ કુટુંબની મિલકત છે જેથી આર્યસંતાનોની ઘણી હાડમારી ઓછી થાય છે. આજકાલ આર્યપ્રજાના કેટલાક સ્થાયી ધંધા તૂટી ગયા છે. તેથી લોકો બીજે ધંધે ચડતા જાય છે. તેમાં પૈસા સારા મળે છે. પરંતુ આખર મોટું નુકસાન છે. નવા ધંધા પેઢી દરપેઢી ઊતરતા નથી. એટલે ઘણાખરા ધંધાઓ પરદેશીઓના હાથમાં ગયા પછી ભવિષ્યના વારસદારોના હાથમાં એક પણ ધંધો આવી શકશે કે કેમ ? એ સંશય છે. દર વખતે નવી મહેનત, નવાં સાધનો, નવી તૈયારી, નવું જ્ઞાન સંપાદન કરવું, વગેરે મુશ્કેલીઓ Page #218 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૪૫ ભાવિ પ્રજાને વધતી જવાની. માટે-હાલ મળતું વધારે ધન ભવિષ્યમાં નુકસાનકારક નીવડશે. ઘણાં આર્યસંતાનો ભવિષ્યમાં તદ્દન ધંધારહિત થઈ જશે. આ દષ્ટિથી ઓછી આવકવાળો છતાં જે વંશવારસાનો ધંધો ટકાવી રહેલ હશે, તે પરિણામે આગળ છે, એમ સમજવાનું છે. ગૃહસ્થ વારસાની મિલકતનું પણ પ્રમાણ નકકી કરી લઈ સ્વોપાર્જિત મિલકતનું પણ પ્રમાણ કરી ગુરુમહારાજ પાસે વ્રત લેવું જોઈએ જેથી આકાશ જેવડી અપરિમિત ઈચ્છાશકિત પર સંયમ આવવાથી આરાધક થવાય છે. વારસાની મિલકત ન હોય, તો પણ પરિમાણ કરી લેવું. જેમ જેમ લાભ મળતો જાય, તેમ તેમ લોભ વધતો જાય છે. આવો લોભનો સ્વભાવ છે. માટે તેને મર્યાદિત કરી લેવો એ આ વ્રતનું મુખ્ય પરિણામ છે. લોભ સર્વ દોષોનું મૂળ છે, અને તે આ રીતે મર્યાદામાં આવતાં બીજા દોષો પણ મર્યાદામાં આવે છે. શ્રી ભદ્રબાહુ સ્વામિકૃત દશવૈકાલિક નિર્યુક્તિમાં સામાન્યથી ૬ પ્રકારનો અને તેના ભેદોની અપેક્ષાએ ચોસઠ પ્રકારનો પરિગ્રહ બતાવ્યો છે. તેનું યથાશક્તિ પ્રમાણ કરી લેવું જોઈએ. છ પ્રકાર : ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ, કુ. ધાન્ય : ૨૪ પ્રકારના. રત્ન - ૨૪ પ્રકારના. સ્થાવર - ૩ પ્રકારનું. દ્વિપદ : બે પ્રકારનું. ચતુષ્પદ - ૧૦ પ્રકારનું. આ ૬૪ પ્રકારનો પરિગ્રહ ગાથામાં બતાવેલા નવ પ્રકારમાં સમાવેશ પામે છે. તે નવ પ્રકાર વિસ્તારથી સમજાવીશું. ધન : ૧. ગણિમ. ૨. ધરિમ. ૩. મેય, અને ૪. પારિછેદ્ય, નાળિયેર વગેરે ગણતરીથી ગોળ વગેરે તોલથી, ઘી-તેલ વગેરે માપાથી અને કપડાં, લાકડાં વગેરે ગજ વગેરેથી ભરીને, લેવાય દેવાય છે. ધાન્ય : ૨૪ પ્રકારનાં. ૧૭ પ્રકારનાં, તથા તે તે દેશમાં પ્રસિદ્ધ બીજાં ઘણાં પ્રકારનાં છે. ઘઉં, ચોખા, જુવાર, મજુર, મગ, વાલ, કોદ્રવા, બંટી, કાંગ, ચણા, અડદ, જવ, તુવેર, કળથી, અળસી, સીણો, ચાવલ, સાઠી, ચોળા, અણુક, કાળા ચણા, મઠ, ગોળ ચણા, વટાણા, તલ, બાજરી વગેરે વગેરે. ક્ષેત્ર : ખેતરો. ૧. કૂવાના પાણીથી જેમાં પકવાય, તે સેતુ ખેતર. ૨. વરસાદથી જેમાં પાકે તે કેતુ ખેતર. અને ૩. બન્નેથી પાકે તે ઉભય ખેતર. વાસ્તુ : ઘર, ગામ વગેરે ૧. ભોયરું, ૨. મેડીવાળું, ૩. ભોંયરા ઉપર ઘર. એમ ત્રણ પ્રકારનું ઘર હોય છે. રૂખ - સુવર્ણ: રૂપું અને સોનું, પ્રસિદ્ધ જ છે. કુખ્ય : સોના રૂપા સિવાયની ધાતુઓનાં વાસણો વગેરે, તથા માટી અને લાકડાં વગેરેના ઘરમાં વપરાતાં રાચરચીલાં. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો દ્વિપદ - સ્ત્રી, નોકર-ચાકર, ચાકરડી, દાસ-દાસી, વગેરે મનુષ્યો. હંસ, મોર, વગેરે પક્ષીઓ. ચતુષ્પદ - હાથી ઘોડા, ગાય, બળદ, ઊંટ વગેરે પશુઓ. અતિચારોની સમજ ૧. ધન-ધાન્યપ્રાણાતિકમાણ અતિચાર : પોતાને ધનધાન્ય કેટલું રાખવાની ઈચ્છા છે ? એ નિર્ણય કરી તેનું જે પ્રમાણ કર્યું હોય, તેમાં વખત જતાં તેના કરતાં વધારો થવાથી પ્રમાણ કરતાં વધારે રાખે તો અતિચાર લાગે. પોતાના પ્રમાણ પૂરતું ધનધાન્ય ઘરમાં હોય, અને લેણદાર પાસેથી આવે તો વધી જાય તેમ હોય, તો લેણદાર પાસેથી ન લેતાં તેના ઘેર જ રાખી મૂકે, સારો ભાવ આવે, એટલે પરબારું વેચી નાંખે. અથવા કોઠી ધાન્ય રાખવું, કે અમુક કોથળી રૂપિયા રાખવા એવું પરિમાણ કર્યું હોય, ને તે કોઠીઓ મોટી કરાવે, કોથળીઓ મોટી કરાવે, કે નાણાંનો ભંડાર મોટો કરાવે વગેરે રીતે અતિચાર લાગે છે. ૨. ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણતિક્રમ અતિચાર : જુદાં જુદાં ખેતરની વાડો કાઢી નાંખીને એક કરાવી નાંખી સંખ્યા ઓછી કરી નાંખે, તેમજ ઘણાં ઘર ભેળવીને એક ઘર કરી નાંખે અને એમ કરીને વ્રત પાળે, પણ તેમાં અતિચાર તો ગણાય જ. ૩. સુવર્ણ-રૂખ પ્રમાણતિક્રમ અતિચાર : પ્રમાણ કરતાં વધારે હોય, તે સ્ત્રી કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રી કે પુત્રને આપી દે, તેથી અતિચાર લાગે. ૪. કુખ્ય-પ્રમાણાસિકમ અતિચાર - કુખ્ય : એટલે ઘરનો સામાન. નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાંખે, વગેરે રીતે આ અતિચાર લાગે છે. ૫. દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ અતિચાર : ગર્ભમાં રહેલાઓની ગણતરી ન કરીને સંખ્યાનો નિયમ જાળવે, અથવા ધનધાન્ય, ક્ષેત્ર વાસ્તુ, દ્વિપદ, વગેરે માટે પણ અમુક વખતની મર્યાદા પૂરતો નિયમ હોય, કે “અમુક વખત પછી પ્રમાણ વધારવાનું છે, તો તે વખતે હું ખરીદીશ, તમે બીજાને આપશો નહીં.” એમ પોતાની નિશ્રાનું કરીને રખાવી મૂકવાથી પણ અતિચાર લાગે છે. વિવેકીએ જેમ બને તેમ સંક્ષેપમાં પરિગ્રહ પરિમાણ કરવું, એવો શાસ્ત્રકારોનો આદેશ છે. છતાં એટલું મનોબળ ન હોય, તો પોતાની ઈચ્છા પ્રમાણે પણ પરિમાણ તો કરવું જ. કેમકે- પોતાની ઈચ્છાથી જેટલું વ્રત લીધું હોય, તે પાળવું પણ પોતાને સુલભ થાય છે. - ઘરમાં પાંચ રૂપિયાના પણ સાંસા હોય, અને લાખોના પરિગ્રહ પરિમાણના વ્રત લઈ બેસે, તેમાં વ્રતનું શું ? ને તેથી ફાયદો શો ? ફાયદો એ થાય છે કે – દરેકનું ભાગ્ય એકસરખું નથી હોતું. જેના ઘરમાં આજે પાંચ રૂપિયા પણ નથી, પણ ભાગ્ય ખીલે છે, ત્યારે તે મહાન સમૃદ્ધિશાળી બને છે. તે વખતે જો પહેલાથી વ્રત Page #220 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૪૭ લીધું હોય, તો પછી નિયમમાં રહેવું જ પડે છે. વળી માણસની ઈચ્છા આકાશની જેમ અપરિમિત છે, તેથી તેનું પ્રમાણ કરવાથી તેને લગતા દોષો લાગતા નથી. ઈચ્છા પર સંયમ આવવાથી સંતોષ ઉત્પન્ન થાય છે. અને સંતોષ એકંદર સર્વ સુખનું મૂળ છે. કહ્યું છે કે-કૈલાસ પર્વત જેવડા મોટા સોના રૂપાના અસંખ્ય પર્વતો કોઈની પાસે હોય, તો પણ લોભિયા માણસને સંતોષ થતો જ નથી. કેમકે આશા તૃષ્ણા ઈચ્છા આકાશ જેવડી અનંત હોય છે. માટે ઈચ્છા પરિમાણ ન કરનારને કાંઈ મર્યાદા રહેતી નથી. ત્યારે પરિમાણ વ્રત કરનારને મર્યાદા થાય છે. સંતોષ વિના નિર્વાહ પૂરતું ધન હોય છતાં ઘણા લોભિયાઓ અનેક કલેશો સહન કરે છે. ઈચ્છિત ધન મળે, ત્યાં સુધી દુઃખી થાય છે. ઈચ્છિત મળ્યા પછી ઈચ્છા વધે છે, વળી દુઃખી થાય છે. મળ્યા પછી રક્ષા, ખર્ચ કરી મોજશોખનાં સાધનો મેળવવાં, પુત્રપુત્રાદિ માટે રાખવાની ચિંતા, સાચવવાની ચિંતા વગેરે કારણોથી અધિક ધની અધિક દુ:ખી હોય છે. પોતે તો પોતાના પૂરતું જ ભોગવે છે, બાકીનું બીજા માટે બચાવે છે. ને રાજા કે ચોર ન લઈ જાય, માટે સાવચેત રહે છે. પણ બધી મહેનત બીજાની ખાતર જ કરે છે. માટે સંતોષ રાખી આ વ્રત લેવું, તે બરાબર પાળવું, વ્રત બરાબર યાદ રાખવું, તેમજ અવસરે અવસરે તેમાં સંક્ષેપ કરવો. નિયમ કરતાં વધી જાય તો, ધર્મકાર્યમાં ખર્ચવું, પણ ધંધા કે ઘરખર્ચમાં ન વાપરવું, એમ કરવાથી અતિચાર લાગતો નથી. આ વ્રતથી આ ભવમાં સંતોષ, સુખ, શોભા, પ્રતિષ્ઠા, સ્થિરતા, ઉદાર મનોવૃત્તિ વગેસ્નો લાભ થાય છે, પરભવમાં સમૃદ્ધિ મળે છે. લોભથી, અથવા વ્રતની વિરાધનાથી દારિદ્રય, દૌર્ભાગ્ય અને દુર્ગતિ મળે છે. ૬. ત્રણ ગુણવ્રતો અને તેના અતિચારોનું પ્રતિક્રમણ ૧. દિમ્ પરિમાણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ:- ગમણસ્સગમનનું. દિસાસુદિશાઓમાં. ઉઢ ઊંચે. અહે નીચે. તિરિએ તિરછું. વહીવૃદ્ધિ. સઈઅંતરદ્ધા સ્મૃત્યરૂંધાન, ભૂલી જવું, વિસ્મરણ હોવું. પઢમમ્મિ પહેલા. ગુણવએ ગુણવત્તા. નિંદે નિંદા કરું છું. 'ગમણસ્સ ય પરિમાણે, “દિસાસુ-ઉડઢ અહેઅ ‘તિરિએ આ "વડઢી"સઈ અન્તરદ્ધા, પઢમમ્મિ ગુણવ્યએ નિદો/૧લા ગમનના પરિણામરૂપ પહેલા ગુણવતમાં ઊર્ધ્વ, અધો અને તિરછી દિશાઓમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિધારે ગમનની એક તરફી વધારાની,°[અને વ્રતના પ્રમાણની શરતચૂકની નિંદા કરું છું. ૧૯. વિશેષાર્થ :- પાંચ અણુવ્રતો લેવા છતાં ધંધા વગેરે કામને અંગે માણસ કયાં કયાં નથી જતો ? જ્યાં ત્યાં ફરીને કષ્ટો વેઠે છે; અને અનેક સારા નરસા સંજોગોમાં આવે છે, તેથી તેમાં પણ સંયમ લાવવાને શાસ્ત્રકારોએ ગુણવ્રતો બતાવ્યાં છે. તેમાં ક્ષેત્રનું પરિમાણ બાંધવાથી હિંસાદિક ઘણા સંજોગોમાંથી માણસે બચી જાય છે. તેથી ચાર દિશાઓ, તથા નીચે અને ઉપર એમ છ દિશામાં કેટલા કેટલા ગાઉ સુધી જવું ? તેનો નિયમ ગૃહસ્થ કરી લેવાથી પણ સંયમ કેળવાય છે, અને પાંચ અણુવ્રતો પાળવામાં એક જાતની મદદ ઉમેરાય છે. તથા નિયમિત કરેલા ક્ષેત્ર સિવાયના ચૌદરાજ લોકમાં જવા આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્રણ-સ્થાવર જીવોને અભયદાન અપાય છે, લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે, મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. ગૃહસ્થ પરદેશ ખેડવો જોઈએ, એ વિચારો સામાન્ય છે. સંયમ અને વ્રતધારીને એવી જરૂર નથી. કારણ સંજોગો વિના રખડવું વાજબી નથી. લાયક શ્રાવકને લગભગ દેશવિદેશનો અનુભવ અને જ્ઞાન હોય છે, શાસ્ત્રાદિકની મદદથી જ્ઞાન કરી શકે છે. આજીવિકા વગેરેની મુશ્કેલી ન હોય, તો આદેશ છોડીને જવું એ વાજબી નથી. જવાથી ધર્મ અને ધર્મનાં સાધનોથી દૂર જઈ પડાય છે. એ મોટો ગેરલાભ થાય છે. દેશવિદેશનું જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ તેમાં વિના કારણ જવું વ્રતધારીને ઉચિત નથી. આ વ્રતના આચારોની સમજ. ૧. ઊર્ધ્વ દિક્પરિમાણાતિક્રમ અતિચાર : પર્વતના શિખર કે ઝાડ ઉપર કે વિમાન વગેરેમાં બેસીને ઊંચે ઊડવા વગેરેનો જેટલા ગાઉ કે યોજનોનો જે નિયમ કર્યો હોય, તેથી અનાભોગ વગેરેથી વધારે ઊંચે જવામાં અતિચાર લાગે છે. વાંદરો વગેરે વસ્ત્ર વગેરે લઈ ગયેલ હોય, તો તે લેવા પ્રમાણથી વધારે ન જવાય, પરંતુ કરેલા પ્રમાણની મર્યાદામાં નાંખી દે, પડી જાય કે બીજું કોઈ લાવે, તો લેવામાં વાંધો નહીં. ૨. અધો દિકપરિમાણીકમ અતિચાર : એ જ પ્રમાણે જમીનની અંદર, કૂવામાં ભોંયરામાં, નીચે જવામાં જે નિયમ કર્યો હોય, તેના કરતાં અનાભોગ વગેરેથી વધારે જવાયું હોય, તો અતિચાર લાગે છે. ૩. તિર્થક દિફ પરિમાણાતિક્રમ અતિચાર : તે જ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચારેય દિશામાં તથા ઉપલક્ષણથી ઈશાન, આગ્નેયી, નૈઋત્ય, વાયવ્ય, એ ચારેય ખૂણામાં પણ કરેલા નિયમ કરતાં અનાભોગાદિકથી અધિક જવાયું હોય, તો આ અતિચાર લાગે છે. પોતે જવામાં તેમજ બીજાને મોકલવા તથા લાવવામાં “ન કરું, ન કરાવું.” વગેરે નિયમ વાળાને અતિચાર લાગે છે. પણ “પ્રમાણથી અધિક ગમન ન કરું.” એવા વ્રત વાળાને બીજાને મોકલવા તથા બોલાવવામાં અતિચાર ન લાગે. પરંતુ વ્રતની અલ્પતાને લીધે ત્યાગનો લાભ ઓછો મળે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૪૯ ૪. વૃદ્ધિ અતિચાર: એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય, ત્યારે, એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ વધારી નાંખે. તે આ એક તરફની વૃદ્ધિનો અતિચાર લાગે છે. ૫. ઋત્યન્તર્ધાન અતિચાર : પ્રમાદ, ગભરાટ કે કોઈ એવા કારણથી ભૂલી જાય કે “મેં સો યોજનનું પ્રમાણ કર્યું છે કે પચાસ યોજનનું ?” તે યાદ ન રહેવાથી સો યોજનનું પ્રમાણ કરવાવાળો પણ પચાસ યોજન ઉપર જાય, તો અતિચાર લાગે. અને સો ઉપરાંત જાય તો તો ભંગ જ થાય. પરંતુ સો યોજનનો નિયમ કર્યો હોય, અને બસો યાદ હોય, તો પણ સો ઉપરાંત જતાં અનાભોગજન્ય અતિચાર લાગે. કરેલા પ્રમાણથી અધિક અનાભોગથી જવાયું હોય, તેથી જે લાભ મળ્યો હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. તેમજ બરાબર સમજાય ત્યારે ત્યાંથી પાછા ફરવું જોઈએ, તો વ્રત સચવાય. અતિચાર લાગે. પણ ભંગ ન ગણાય. બીજો માણસ પણ આપણા મોકલવાથી લાભ મેળવી લાવેલ હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ. પરંતુ તીર્થયાત્રાદિ ધર્મ કાર્ય નિમિત્તે પ્રમાણ કરતાં વધારે જવામાં વ્રત ભંગ થતો નથી. કારણ કે વ્રત માત્ર ઐહિક અને સાંસારિક કાર્ય નિમિત્તે જવા આવવાનો નિયમ કરવા માટે છે. જો કે આ અતિચાર સામાન્ય રીતે દરેક વ્રતમાં સંભવી શકે છે. દરેક વ્રત યાદ રાખવા જોઈએ, ને ઉપયોગ જાગ્રત રાખવો જોઈએ, તે જ પ્રમાણે આ વ્રત વિષે પણ છે. પરંતુ પાંચ અતિચારોની સંખ્યા પૂરવા આ અતિચાર આ વ્રતમાં જુદો ગણાવ્યો છે. અથવા દિવ્યામોહ વગેરે કારણથી, ઘણે ભાગે સ્મૃતિભ્રંશ થવાનો સંભવ આ વ્રતમાં ગણાય, તેથી આ વ્રતના અતિચાર તરીકે ખાસ ગણાવવામાં આવેલ હોય, તો પણ યુકત જણાય છે. મુનિ મહારાજાઓને આ વ્રત નથી હોતું, તેનું કારણ એ છે કે તેઓને પંચ મહાવ્રતમાં સર્વ સંયમ હોય છે. છતાં કાંઈ પણ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી પડે છે, તે કેવળ સંયમ ખાતર કે સમિતિ ગુપ્તિ જાળવવા પૂર્વક જ થાય છે. અને ગૃહસ્થ તો તપેલા લોઢાના ગોળા જેવો હોય છે, એટલે જ્યાં જાય ત્યાં કાંઈને કાંઈ આરંભ સમારંભ વગેરે તેનાથી થઈ જાય, એટલે તેને નિયમની ખાસ જરૂર છે. ७. लोगोपभोग परिभाश ૨. ગુણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- મજ્જમ્પિ મા. મસમ્પિકમાંસ. પુરૂં પુષ્પ, ફલેગફળ. ગંધગદ્ધગંધ અને માળા. વિભોગ-પરિભોગે ઉપભોગ પરિભોગમાં. મજ્જમ્મિ ય મંસમ્મિ ય, પુણે અ ફલે અ ગંધ-મલ્લે અને વિભોગ-પરીભોગે, બીઅમ્મિ ગુણવએ નિંદે પાર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પંચ પ્રતિકમણસૂત્રો મધ, માંસ, ફૂલ, ફળ અને ગંધ-માળા વગેરે ઉપભોગ-પરિભોગના પ્રમાણપૂર્વક પ્રત્યાખ્યાન રૂ૫] બીજ ગુણવતમાં દિોષ લાગ્યો હોય, તેની નિંદા કરું છું. ૨૦. વિશેષાર્થ :- આ વ્રતના ભોગોપભોગ, અને ઉપભોગ-પરિભોગ એ બે નામો શાસ્ત્રમાં જોવામાં આવે છે. ૧. ભોગ - અન્ન, ફૂલની માળા વગેરે એક વાર કે ટૂંક વખત સુધી જ ભોગવી શકાય, તે. ૨. ઉપભોગ - વસ્ત્ર, સ્ત્રી, ઘર, ઘરેણાં વગેરે વારંવાર ભોગવાય તે. ૧. ઉપભોગ: એટલે એક વાર ભોગવાય, તે. ઉપ શબ્દ એક વાર અર્થમાં છે. અથવા અંતર અંતર શરીરમાં ભોગવાય તે ઉપભોગ-આહારદિક. ૨. પરિભોગ : વારંવાર ભોગવાય તે પરિભોગ. પરિ એટલે વારંવાર અથવા પરિ એટલે બાહ્ય ભોગ. આ રીતે પણ બન્નેય નામોનું તાત્પર્ય એક જ છે. આ વ્રતની મર્યાદા :- એ તો સમજી જ રાખવાનું છે કે જૈન ધર્મની દરેક ક્રિયાઓમાં ત્રણ રત્ન, છ આવશ્યક, કે અહિંસા, સંયમ અને તપ એ વગેરે મૂળ ધર્મતત્ત્વોના બંધારણપૂર્વક રચના ગોઠવવામાં આવી હોય છે. અને સમ્મચારિત્ર અંશમાં અહિંસા, સંયમ અને તપનું પ્રાધાન્ય ખાસ જોવામાં આવે છે. આ દષ્ટિથી ધર્મની અનેક વ્યાખ્યાઓને ગૌણ રાખીને શ્રી દશવૈકાલિક સૂત્રમાં ધર્મની વ્યાખ્યામાં અકિંસા, સંયમ અને તપ જણાવ્યાં છે. તેથી શ્રાવકના બાર વ્રત રૂપ ચારિત્ર ધર્મમાં પણ એ જ તત્ત્વ ગૂંથાયેલું હોય, એ સ્વાભાવિક છે. તેથી આ સાતમું વ્રત પણ એ તત્ત્વો ઉપર જ હોય એ સ્વાભાવિક છે, છતાં આમાં અહિંસા તત્ત્વનું પ્રાધાન્ય જણાય છે, એટલે પહેલા પ્રતને વિશેષ પાળવા માટે આ વ્રતની યોજના ખાસ કરીને જણાય છે. અનુપયોગી કે બિનજરૂરી ભોગોપભોગો વગેરેનો નિષેધ તો અનર્થ દંડ વ્રતથી થઈ જાય છે. પરંતુ જરૂરી ભોગપભોગમાં પણ જેમ બને તેમ અહિંસા સંયમ, અને તપ સચવાય માટે આ વ્રત છે. એટલે સામાન્ય રીતે જૈન ગૃહસ્થનાં ખાનપાન અને જીવન-વ્યવહારનાં સાધનો પ્રાસુક, એષણીય અને નિર્દોષ હોવાં જોઈએ. આ વ્રતની દૃષ્ટિથી જીવન :- છતાં, સર્વથા એમ ન બની શકે તો-અભક્ષ્ય અને સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, તેમ પણ ન બની શકે તેમ હોય, તો બહુ સાવદ્ય-મધ, માંસ, વગેરે મહાવિગય અને અનંતકાય તથા અભણ્યોનું તો વર્જન હોવું જોઈએ. તેમજ દરેક ચીજો, અચિત્ત અને ભક્ષ્યનું પણ-કે જે ખાસ વાપરવાની જરૂર પડતી હોય, તેનું પણ પ્રમાણ કરવું જોઈએ. વિશેષમાં કૂમતાં છોગાં, કસબ વગેરેથી ભરેલાં કપડાં, તથા તેવા પ્રકારના દાગીના, વગેરે ઉત્સાદિક કારણ વિના પહેરવાં નહિ જોઈએ, કે જેથી અત્યન્ત ગૃદ્ધિ, વિલાસિતા, છેલબટાઉપણું, અવિવેક વગેરે જણાય. Page #224 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૫૧ તેવો ઉદ્ભટ વેશ પણ શ્રાવક શ્રાવિકાએ ધારણ કરવો ન જોઈએ. તે જ પ્રમાણે ફાટેલાં, તૂટેલાં, મેલાં, બેડોળ વેશ પણ ધારણ કરવો ન જોઈએ; પરંતુ પોતાનું કુળ, વૈભવ, ઉમ્મર, નિવાસસ્થાન, વગેરેને અનુસરીને ઉચિત વેષમાં પણ યોગ્ય પ્રમાણ કરી સંયમ રાખવા સુધીની શ્રી શાસ્ત્રકારોની શ્રાવક શ્રાવિકાને ભલામણ છે. તથા દાતણ, શરીરને ચોપડવાના તેલ વગેરે દ્રવ્યો, સ્નાન, વસ્ત્ર, વિલેપન, દાગીના, ફળ, ફૂલ, અત્તર, આસન, પથારી, મકાન વગેરે; તથા ખાવાના પદાર્થો-ભાત, દાળ, રોટલી, રોટલા, શાક, ખાંડ, વગેરે આહાર, પાણી, સ્વાદિમ, અને ખાદિમ ચીજોમાંની જેનો ત્યાગ ન કરી શકાય, તેનું તેનું વિગતવાર પ્રમાણ કરવું જોઈએ, અને પ્રમાણ સિવાયની વસ્તુઓનો તો ત્યાગ જ જોઈએ. આજીવિકા માટે ધંધો તો કરવો પડે, પરંતુ ધંધાઓમાં પણ જેમ બને તેમ અલ્પ પાપારંભવાળો ધંધો કરવો જોઈએ. પોતાના કુટુંબના ભરણપોષણ તથા કુટુંબની આબરૂને અનુસરીને યોગ્ય કરકસરથી યોગ્ય ખર્ચ નભી શકે તેટલું જ ઉત્પન્ન થાય, તો પણ બનતા સુધી અલ્પ આરંભવાળો ઉત્તમ ધંધો શોધવો જોઈએ. એવો ધંધો ન મળે તો પણ વિવેકી લોકો નિંદા કરે તેવા તથા દારૂ વેચવો વગેરે પ્રકારનો હલકો ધંધો તો ન કરવો. અને જે ધંધા કરવાનો પોતાને માટે સંભવ ન હોય, તેનું પણ પ્રમાણ તો કરી લેવું. તેમ જ ઘરના રોજનાં સ્ત્રીઓનાં કામો જેવું કે-દળવું, ખાંડવું, ધોળવું, લીંપવું વગેરે પણ પર્વ તિથિઓમાં સ્ત્રીઓએ બંધ કરવાં જોઈએ; એકંદરે તેનું પણ પ્રમાણ કરવું જોઈએ, તથા ખાનપાનની ચીજો કેવી રીતે મૂકવી ? કયાં મૂકવી તેનું રક્ષણ કેમ કરવું? તે બગડે નહીં, તેનાથી જીવજંતુ મરે નહીં, તેમાં જીવજંતુ પડે નહીં, તેને કાઢવામાં, નાંખવામાં, વાપરવામાં જીવજંતુ મરે નહીં. કાઢતાં ઘી ઢોળાય, ગોળની કણીઓ પડે, ખાંડ વેરાય, તો કીડીઓ થાય. ઘી તેલનાં વાસણ ઉઘાડાં રહે તો તેમાં ઉદર ગરોળી વગેરે પડે. થેંક, લીંટ ઉપર માખી બેસે, ઘરમાં મંકોડા થાય, કપડાં રખડતાં રહેવાથી મેલા થાય, તેને ધોવાનો ખર્ચ તથા વખત લાગે અને ક્રિયા લાગે. અનાજ, કરિયાણાં કયારે ખરીદવાં ? કેમ સાચવવાં ? વગેરે આ વ્રતમાં જીવનવ્યવહારને લગતું ઘણું ધ્યાન આપવાનું છે. કેટલીક ચીજો વિના ચલાવવું, નકામી જરૂરિયાત વધારી ન દેવી, જેમ બને તેમ સાદા જીવનથી ચલાવવું. ખાવાપીવામાં ઘણાં દ્રવ્યો ન વાપરવાં જોઈએ, ઓછાથી સારી રીતે ચાલી શકે, તેથી આરોગ્ય સારું રહે છે. ખરીદી, સાચવણ, વપરાશ, લેવડદેવડ, વગેરેમાં ઘણી જ સંભાળ રાખવાની હોય છે. સામાન્ય રીતે શ્રાવકે કદી ન વાપરવાની અનેક ચીજોનો તો ત્યાગ જ કરવો જોઈએ. અને છૂટી રાખેલી હોય, તેનો પણ ઋતુ વિશેષમાં ત્યાગ કરવો જોઈએ. તેમ છતાં હમેશની વાપરવાની બાકી રહે, તેને માટે પણ ચૌદ નિયમ ધારીને રોજનો હિસાબ રોજ નકકી કરી લેવો જોઈએ. આટલી હદ સુધી આ વ્રતની મર્યાદા છે. ચૌદ નિયમો પાછળ સમજાવ્યા છે. જેમ ખાનપાન અને ઘરના વ્યવહારમાં આ વ્રતને લીધે ઘણી જ સાવચેતી રાખવાની છે, તેમજ વેપાર-ધંધામાં પણ યતના, દીર્ધદષ્ટિ, સાવચેતી, સારસંભાળ વગેરે પણ રાખવાનાં છે. તે સિવાય, મુસાફરી, ઊઠવું, બેસવું, આહાર, નિહાર, જવું, આપવું, વાતચીત વગેરેમાં પણ અમુક Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ્રકારનો વિવેક આ વ્રતની મર્યાદામાં આવી જાય છે. ઘરમાં, ઘરકામમાં, ધંધામાં અને અન્યત્ર પણ જે અનેક પ્રકારનો વિવેક શ્રાવકોએ અને શ્રાવિકાઓએ રાખવાની જરૂરી છે, તે સઘળું આ વ્રતની મર્યાદામાં આવે છે. ધંધાઓની મર્યાદા :- શ્રાવકે નિરવદ્ય ધંધો કરવો જોઈએ. આજીવિકાદિ માટે ધન ઉપાર્જન કરવા જે પ્રયત્ન કરવા, તે ધંધો કહેવાય છે. ધંધાના અનેક પ્રકાર છે, અને દરેક પ્રકારમાં પણ અનેક પેટા ભેદો હોય છે. ધંધામાં જવાબદારી હોય છે, થોડી ઘણી સાવધતા રાખવાની હોય છે, પરંતુ પરાશય કે ભીખ માંગવા વગેરેમાં જવાબદારી તથા સાવધતા ઓછા ગણાય, છતાં તે શ્રાવકને સર્વથા વર્યું છે. “અનુકંપા કરવી, પણ પોતે અનુકંપ્ય ન થવું જોઈએ.” નોકરીમાં જવાબદારી સ્વતંત્ર ધંધા કરતાં ઓછી જ હોય છે, લાભ-હાનિની જવાબદારી સ્વતંત્ર ધંધાદારીને જ હોય છે. તેથી મોટી નોકરી કરતાં પણ નાના ધંધામાં પુરુષાર્થ વધારે જોઈએ છીએ. અને શ્રાવક પુરુષાર્થ કરીને રોટલો ખાનાર હોવો જોઈએ. તેથી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી શ્રાવકે કોઈ પણ ધંધો પસંદ કરવો જોઈએ. અને તેમાં પણ જેમ બને તેમ ઉત્તમ ધંધો હાથ કરવો જોઈએ. કેટલાંક વર્ષો પૂર્વે એવા પણ શ્રાવકો હતા કે અમુક એક ધંધો પસંદ કરીને તેમાં જ યથાયોગ્ય મહેનત કરી પોતાનું વાર્ષિક ખર્ચ મેળવી લેતા હતા, અને તેમાં સંતોષ રાખતા હતા. પોતે જે ધંધો પસંદ કર્યો હોય, તેના ગ્રાહકોની વાર્ષિક સંખ્યા નકકી કરી રાખી હોય, પોતાનો નફ અમુક પ્રમાણમાં નકકી કરી રાખ્યો હોય, તેવા પ્રમાણમાં લગભગ પોતાને જરૂરી ખર્ચ મળી રહે, અને નિયત નફો હોવાથી લોકોને પણ છેતરવા વગેરેનો ભય નહીં. આવા પણ વ્રતધારી શ્રાવકો નજીકના ભૂતકાળમાં હતા, અને આજે પણ કોઈ કોઈ છે. અમુક પ્રમાણમાં મિલકત થયા પછી, તેમજ પુત્રાદિક કમાવા લાગ્યા પછી ધંધો બંધ કરીને નિવૃત્તિ લઈ ધર્મારાધન કરનારા હતા અને આજે પણ છે. આ વ્રતધારી શ્રાવક ઘણું ધન પેદા ન કરતાં નિવૃત્તિ રાખી પરોપકાર કે ધર્મ-ધ્યાનમાં રહે, તેથી લોક લોકોત્તર બન્નેય દષ્ટિથી ઈચ્છવા યોગ્ય છે. પરંતુ, જેઓ એવા ત્યાગી નથી, તેઓએ પણ યથાશક્તિ પરિગ્રહ પરિમાણ સાથે આરંભ પરિગ્રહમાં સંયમ તો રાખવો જ જોઈએ. એમ પણ જે નથી રાખી શકતા, તેવા શ્રાવકોએ ધંધાની હરીફાઈમાં બીજાથી પાછળ તો ન જ પડવું જોઈએ. વ્રતધારી ત્યાગી શ્રાવકને લગભગ હરીફાઈ જેવું હોય નહીં, તેનો તેને સ્વેચ્છાથી ત્યાગ હોવાથી હરીફાઈમાં ન પડે, તેમાં પુરુષાર્થની ખામી પણ ન ગણાય. પરંતુ વ્રતધારી ન હોય, તેવા શ્રાવકો હરીફોની હરીફાઈમાં પાછળ પડે, તો પુરુષાર્થની ખામી ગણાય, અને તેમાં પરિણામે અંશત: સમ્યગુદર્શનશુદ્ધિમાં ક્ષતિ પડવા સંભવ ગણાય. શ્રાવક યાચક વૃત્તિના ધંધાની મનથી સ્વપ્નેય કલ્પના ન કરે. તેમજ બીજાના આશ્રય નીચે રહી ઓશિયાળા રોટલા ખાવાનું પણ પસંદ ન કરે, પોતાના સગાભાઈને ત્યાં સ્વમાનપૂર્વક રોજ જમવા જાય, પરંતુ સ્વમાન વિના “હશે આપણો નાનો ભાઈ છે, ભલે બિચારો જમી જાય.” બિચારા તરીકે સગા ભાઈને ત્યાં પાણી પીવું પણ હીણપત લગાડનારું છે, માટે વર્ષ છે. છતાં અપંગ, અશકત Page #226 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૫૩ સ્થિતિમાં આંધળા, લૂલા, લંગડા તરફ કુટુંબીજનો ખ્યાલ આપે એ તેઓની ફરજ છે. પરંતુ જેમ બને તેમ આશ્રય ન લેવાની વ્યકિતની તો ફરજ છે. છાપરું પડી જવા છતાં એક વૃદ્ધ અને અશકત શ્રાવકનો કોઈની પણ અંત સુધી સેવા ન લેવાનો દાખલો અમદાવાદમાં નજરોનજર જોયો છે. ધાર્મિક ખાતાંઓ ચલાવવામાં પણ આશ્રિતતાનું તત્ત્વ સ્વીકારીને કામ કરવા કરતાં સ્વાશ્રયીનું થોડું પણ કામ ઘણું કિંમતી ગણાય છે. આ પુસ્તક છપાવનાર સંસ્થાના ઉત્પાદક શેઠ ણીચંદ સુરચંદ અનેક ધાર્મિક કાર્યોમાં જિંદગીનો લગભગ બધો ભાગ આપતા હતા. અને ઘણા લાગણીવાળા સદગૃહસ્થોએ તેમના નામે રકમ જમા કરાવવાની ઈચ્છા દર્શાવેલી, ત્યારે તેઓએ ચોખ્ખી ના પાડી અને વધારામાં કહ્યું કે, “મહેરબાની કરીને હવે પછી મારે માટે આપ આવો વિચાર પણ કરશો નહીં. કારણ કે, તેથી હું કામ કરતો અટકી જઈશ અને મારા કામમાં કશું તત્ત્વ નહીં રહે.” એટલે અનુકંપ્ય બનવું કે આશ્રિત થવું, શ્રાવક માટે કોઈ રીતે ઉચિત નથી. તેમજ નોકરી કરવી તે પણ ઊતરતો જ દરજજો છે. નાના પણ ધંધાથી તેનો ક્રમ ઘણો જ ઊતરતો અને કનિષ્ઠ છે. હવે ધંધા અને નોકરી વચ્ચે તથા સટ્ટો ધંધા તરીકે હાલમાં પ્રચલિત છે, તેને નોકરીની ઉપર સ્થાન આપવું કે નોકરીની નીચે આપવું ? આ વિચારણીય પ્રશ્ન છે. સમજ પ્રમાણે સટ્ટાનું સ્થાન નોકરી કરતાં ઉપરનું યોગ્ય લાગે છે. તે નીચે પ્રમાણે : માલનું સાટું એ તો આપણા દેશમાંયે પ્રચલિત છે. પણ હાલ જે સટ્ટાનું સ્વરૂપ છે તે પરદેશની આયાત છે. તેણે આપણા દેશમાં કેવી રીતે જમાવટ કરી ? તેનો વિચાર કરતાં એમ સમજાયું છે કે દેશના વેપારીઓ અને મોટે ભાગે જૈનોના હાથમાં આપણા દેશના નાના મોટા અનેક ધંધાઓ હતા. ભાગ્યે જ કોઈક ધંધા વગરનું હશે. નોકરી તથા ગુમાસ્તી કરનાર તો બહુ જ કવચિત્ સંખ્યા હતી, એ ગુમાસ્તી પણ લગભગ શીખવા પૂરતી પ્રાય: હતી. પરંતુ, પરદેશી કંપનીઓએ આખા દેશમાં અનેક જાતની લાગવગથી ઘણા વેપારી અને ધંધા હાથ કર્યા, એટલે અનેકના હાથમાંથી ધંધા છૂટી ગયા. તેમાંના જે ગરીબ હતા તે નિશાળોમાં ભણી નોકરીએ લાગ્યા. પણ જેમની પાસે મૂડી હતી, વેપારની આવડત હતી, ધંધો તેઓની પાસે ન હતો. તેની સામે આ સટ્ટો, તેના હાથમાંથી ધંધો ગયા પહેલાં બાજુમાં આવીને બેઠો હતો. અને જાયે શેઠને વિનંતિ કરતો હોય કે “શેઠ મારો આશ્રય લો, હું ન્યાલ કરીશ.” બસ, દેશમાં વ્યાપકપણે સટ્ટો શરૂ થઈ ગયો. દેશીઓના હાથમાંથી ધંધાઓ છૂટી જવાથી હાલની નોકરી અને સટ્ટો, એ બન્નેય જુદા જુદા સ્વરૂપના તેનાં જ પરિણામો છે. પૈસાદાર સટ્ટામાં દોરાયા, અને ગરીબ નોકરીમાં દોરાયા. અલબત્ત, હજુ દેશનો કેટલોક ભાગ મૂળ ધંધા ઉપર છે. કેટલાક મૂડીદારો એ પરદેશી ધંધાઓની સ્કીમમાં ભાગ લે છે, અને કેટલાક મૂડીદારો સટ્ટામાં દોરાયા છે. ભણેલાઓમાં પણ કેટલાક દેશોત્તેજક ધંધાઓમાં અને લગભગ તેની નોકરીમાં ગોઠવાયા છે. આ દષ્ટિથી નવા ધંધામાં ગોઠવાયેલ છે, તેમાં પણ દેશની Page #227 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રજાની કેટલીક શકિતનો પુરાવો તો છે. સટ્ટામાં તેના કરતાં ઊતરતી શકિતનો પુરાવો છે. અને નોકરીમાં તેથી ઊતરતી દેશની પ્રજાની શકિત છે. સંસ્થાઓના અલ્પ મૂલ્યે કે મફ્ત સાધનો મેળવનારની તેથી ઊતરતી શક્તિ છે. તેથી ઊતરતી અનાથાશ્રમો, અને માંગણ વૃત્તિમાં છે. પરંતુ નાના પણ ચાલુ ધંધા ટકાવી રહેનારાઓ સૌથી આગળ છે, અને તેમાં પણ ઉત્તમોત્તમ ધંધો ટકાવી રહેલા આ દેશના મહાપ્રજાજનો સૌથી આગળ છે, એટલું જ નહીં, પણ આ જગના ધંધાઓમાં ઉત્કૃષ્ટ પુરુષાથી અને શ્રેષ્ઠ પ્રજાજનો છે. તેઓની થોડી મૂડી કે નાના ધંધાની પણ આ જમાનાના યાંત્રિક ધંધાઓથી થયેલા અબજોપતિઓ કરતાં તેની મહત્તા સવિશેષ છે. ૧૫૪ આ દષ્ટિથી સટ્ટાનું સ્થાન નોકરીની ઉપરના ક્રમમાં નકકી કરવું ઉચિત છે. પછી ભલેને તે મોટા રાજ્યના દીવાન હોય કે મોટા વકીલ બૅરિસ્ટર કે ડૉકટર હોય, પણ ભારતના ચાલુ નાના ધંધામાં પણ ટકી રહેનારની પ્રજાકીય શકિત વધારે ગણાવી જોઈએ. પછી સટ્ટો અને નોકરીને સ્થાન છે. શ્રાવક માટે પસંદગીના ધંધા અને શાસ્ત્રકારોના ઉપદેશની દિશા. ન શ્રાવકે કેવા ધંધા પસંદ કરવા ? તે વિચાર પણ શાસ્ત્રકારોએ કરેલો છે, તેને અનુસરીને અમે પણ હાલની પરિસ્થિતિથી થયેલા ફેરફારને ઉદ્દેશીને તે બાબત કંઈક વિચાર લખીએ છીએ. ગાં ધંધા કેટલા અને કયા કયા છે ? અને તેનો ચડતો ઊતરતો દરજ્જો કોનો ? કેવો છે ? તેનું લિસ્ટ અહીં બહુ લંબાણ થાય માટે નથી આપતા. ત્યાગપ્રધાન ઉપદેશ આપનાા શાસ્ત્રકાર ભગવંતોનો ઉદ્દેશ શ્રાવકોને ધંધા બતાવવાનો નથી. પણ ત્યાગમાં ન આવી શકનારા જેમ બને તેમ અલ્પ પાપવાળા ધંધામાં પુરુષાર્થ કરી સ્વાશ્રયી આજીવિકા મેળવે, ઊતરતા પ્રકારના સાવદ્ય ધંધાનો જેમ બને તેમ ત્યાગ સૂચવી ધર્મસાધનામાં દોરવવાનો જ ઉદ્દેશ છે. શ્રાવક સર્વવિરતિ ધારી થાય, એ જૈન શાસ્ત્રકારોનું સૌથી પહેલું લક્ષ્ય હોય છે, તેની પ્રધાનતામાં બીજું સર્વે ગૌણ કે ઉપેક્ષ્ય જ હોય છે. પરંતુ સર્વ ત્યાગના અભાવમાં દેશથી ત્યાગ રાખે. અને દેશથી ત્યાગને પણ હાનિ ન પહોંચે, પરંતુ તેમાં વિશેષ ને વિશેષ પ્રગતિ થાય, તેવી રીતે માર્ગાનુસારી-વ્યાવહારિક જીવનવ્યવહાર રાખે. પરંતુ વ્યાવહારિક જીવન વ્યવહાર ખાતર દેશથી ત્યાગને જરા પણ આંચ આવવા ન દે. દેશથી ત્યાગ ખાતર અનિવાર્ય સંજોગોમાં વ્યાવહારિક જીવન-વ્યવહારને આંચ આવતી હોય તો પોતાના બળના પ્રમાણમાં તેની પરવા ન કરે. પરંતુ દેશથી ત્યાગી ન હોય, ને સમ્યક્ત્વ ધારી હોય, તેણે દેશથી ત્યાગી થવા પ્રયત્ન સેવવો; પણ તેની અશકિતમાં સમ્યક્ત્વથી તો ચલિત ન જ થાય. ત્યારે પણ વ્યાવહારિક જીવન સમ્યક્ત્વ પોષક માર્ગાનુસારી તો રાખે જ. તે જ પ્રમાણે વંશવારસાથી જૈન ધર્મ પાળનાર વ્યાવહારિક સમ્યક્ત્વી પણ માર્ગાનુસારિતાથી તો ન જ ચૂકે. માર્ગાનુસારીપણુંય જાળવવાને અશત, સભ્ય અને પ્રતિષ્ઠિત દુન્યવી સગૃહસ્થપણું તો ન જ ચૂકે. તે જાતનીયે વાસ્તવિક અશકિતમાં આર્યપણું તો ન જ ચૂકે. એટલે માર્ગાનુસારી જૈન શ્રાવકે, સમ્યક્ત્વધારી જૈન શ્રાવકે, તેમજ દેશથી ત્યાગી જૈન શ્રાવકે પોતપોતાની ભૂમિકાને અનુસરીને માર્ગાનુસારીપણું તો રાખવાનું જ. Page #228 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો એટલે જૈન ગૃહસ્થે આર્યમર્યાદાને અને માર્ગાનુસારિતાને અનુસરીને પોતાના વ્યાવહારિક જીવન-વ્યવહાર રાખવાનો શ્રી જૈન શાસ્ત્રકારોને સમ્મત છે. તેથી કૌટુંબિક વ્યવહાર વેશ, લગ્નપદ્ધતિ, ધંધામાં આગળ પડતાપણું, ઊંચા પ્રકારની પ્રતિષ્ઠા, આબરૂદારપણું, આર્ય મર્યાદાના નાના પણ ધંધાને વળગી રહેવું, કુટુંબનો મોભો, પૂર્વજોની પ્રતિષ્ઠા, આર્યપ્રજાનાં સમાજબંધારણો વગેરેમાં, તેમજ દુનિયાદારીના બીજા વ્યાવહારિક જીવનમાં શ્રાવકકુલોત્પન્નનું ધોરણ હમ્મેશ ઊંચું અને આગળ પડતું રહેવું જોઈએ અને તે સર્વ આર્યત્વ, માર્ગાનુસારિતા, સમ્યક્ત્વ, દેશથી ત્યાગ, સર્વત્યાગ વગેરે ભૂમિકાઓને પોષક રીતે, તેઓની વિશેષ શોભા માટે, તેમાં આગળ વધવાની ભાવનાથી, શાસન અને ધર્મ વગેરેની શોભા માટે, જગત્ અને ભવિષ્યની સંતતિમાં એ ગુણો આગળ વધે માટે, તેમજ બીજા બાળ જીવોને યોગ્ય આદર્શ મળે વગેરે કારણો ખાતર પણ. આથી અહીં એક ચર્ચાનો ઘણો જ સ્પષ્ટ ખુલાસો થઈ જાય છે કે ૧. મુનિમહારાજાઓ ત્યાગનો જ ઉપદેશ આપી શકે, પણ સાંસારિક ઉપદેશ ન આપી શકે, ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપે, તે પણ સર્વ ત્યાગની અશકિતવાળાને દેશત્યાગ રૂપ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપી શકે. એમ એક વર્ગની દલીલ છે. ૧૫૫ ૨. બીજો વર્ગ એમ કહે છે કે- ભગવાને સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બે ધર્મ ઉપદેશ્યા છે. માટે સાધુ મહારાજ ગૃહસ્થ ધર્મનો પણ ઉપદેશ આપી શકે છે. ગૃહસ્થપણું એ પહેલી ભૂમિકા છે. તેમજ ગૃહસ્થ-ધર્મ બરાબર નહીં પાળી શકનાર સાધુ ધર્મ બરાબર શી રીતે પાળી શકશે ? માટે પહેલી નિશાળ તરીકે તેનો ઉપદેશ આપવો જોઈએ. આ પ્રશ્નો છે :- તેના ખુલાસા આમ થઈ શકે છે ૧. જૈન મુનિમહારાજ મુખ્યપણે સર્વત્યાગનો જ ઉપદેશ આપે. તેમાં અશકત હોય તેને દેશત્યાગનો ઉપદેશ આપે, તેમાં અંશકતને સમત્વનો ઉપદેશ આપે, તેમાં અશકતને માર્ગાનુસારિતા, પ્રતિષ્ઠિત દુન્યવી સગૃહસ્થપણું આર્યપણું, સભ્ય માનવપણું, એ ક્રમે એક એકની અશકિતમાં ઉપદેશી શકે. એટલે બીજી તરફથી પશુતા, જંગલી માનવપણું, અનાર્યમાનવપણું, અપ્રતિષ્ઠિત પ્રજાજનપણું, માર્ગવિમુખતા, મિથ્યાત્વ, અત્યાગાવસ્થા, અને અલ્પ ત્યાગાવસ્થાના ત્યાગનો ઉપદેશ પ્રધાનપણે હોવાથી ત્યાગના ઉપદેશકપણાને વાંધો આવતો નથી. સારાંશ કે શ્રાવક દીક્ષા ન લઇ શકે, કે બ્રહ્મચર્ય ન પાળી શકે, તો લગ્ન કરે પણ આર્યમર્યાદાને અનુસરીને, નહીં કે સિવિલ મેરેજને ધોરણે. શ્રાવક આરંભનો ત્યાગી ન થઈ શકે, જો ઉત્તમ ધંધો ન મળે, તો ઊતરતો ધંધો પણ નછૂટકે કરે. પણ આર્યમર્યાદાને અનુસરતો તે ધંધો હોવો જ જોઈએ, પછી કદાચ તેમાં નછૂટકે કર્માદાનના અંશો પણ આવતા હોય. જેમ કે અનાજનો કે ખેતીનો ધંધો નછૂટકે કરવો. પરંતુ, કર્માદાન રહિત હોય તો પણ આર્યમર્યાદાથી વિરુદ્ધનો ધંધો ન કરવો વાજબી છે. કેમ કે- પરિણામે તેમાં વિશેષ કર્માદાન અને માર્ગ લોપનો સંભવ છે. દાખલા તરીકે-બેંક મૅનેજર કે મિલસ્ટોર મૅનેજર થવા કરતાં પેઢીની Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો મુનીમગીરી કે દુકાનની ગુમાસ્તી સારી. છેવટે ફેરી પણ સારી. કારખાનાંઓમાંથી આવેલા એકબંધ બાટલા વેચવા કરતાં ઘેર દવા બનાવી વૈદ્યનો ધંધો સારો. જે કે-તેમાં સીધી રીતે કર્માદાન તો છે. - ૨. બીજી તરજ્ઞા પ્રશ્નની દૃષ્ટિથી – ભગવાને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો છે, તેનો અર્થ એ છે કે-ત્યાગના જ દેશ અને સર્વ એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. દેશત્યાગમાં બાર વ્રતો વગેરેનો સમાવેશ થાય છે, અને સર્વ ત્યાગમાં મહાવ્રતોનો સમાવેશ થાય છે. દેશયાગને એટલે ગૃહસ્થાવસ્થામાં રહીને પળાતા ત્યાગધર્મને ગૃહસ્થ ધર્મ કહ્યો છે. પરંતુ ગૃહસ્થને કરવાનાં તમામ કૃત્યોને ગૃહસ્થ ધર્મ તરીકે કહેલ નથી. એ જાતના સાંસારિક જીવનનો સમાવેશ ભગવાને આપેલા બે પ્રકારના ધર્મમાં થતો નથી. પરંતુ, દેશત્યાગધર્મ પાળવા સિવાયના દુન્યવી રીતે ગૃહસ્થને રહેવું પડે છે, એ ગૃહસ્થાવસ્થામાં પણ જેમ બને તેમ ઉચ્ચ સંસ્કારી રહેવું, એવો ખાસ ઉપદેશ હોવાથી, દેશયાગ ન પાળી શકે તો મહાપુરુષોએ માન્ય કરેલી શિષ્ટતા તો જૈન શ્રાવક ન છોડે. એ જાતનો ઉપદેશ જૈન શાસનમાં અંતર્ગત છે. પરંતુ પ્રધાન ઉપદેશ તો ત્યાગનો જ છે જેનાથી ઊંચામાં ઊંચા ક્રમનો ત્યાગ ન થઈ શકે તે ક્રમનો ત્યાગ તો યથાશકિત કરે જ, એ આશય છે. છતાં ઊંચા ક્રમના આદર્શોને ચૂકીને, આર્યમર્યાદાને ચૂકીને, જેથી ગમે તેવી પ્રતિષ્ઠા, કે દુન્યવી લાભો મળે, તેનો સમાવેશ આર્યત્વ કે માર્ગાનુસારિતા વગેરેમાં નથી થતો. કારણ કે, એ સર્વ આખરે મૂળ આદર્શોને નુકસાન કરનાર હોય છે અને પરિણામે ત્યાગધર્મને ક્ષતિ કરે છે. અર્થાત, આજની સુધારેલી ગણાતી દુનિયાના રસ્તાની કોઈ પણ નાની બાબતમાં પણ એક ડગલું આગળ વધવું ઉન્માર્ગ તો છે જ. દાખલા તરીકે :- હાલનો છાપાનો ધંધો કરવા કરતાં ભાટનો ધંધો સારો, કેળવણી ખાતાના ઈસ્પેક્ટર થવા કરતાં ગામઠી નિશાળના મહેતાજીનો ધંધો સારો, વકીલ થવા કરતાં પ્રવાસનો ધંધો સારો. સિનેમા કરતાં ભવાઈ સારી, છાપખાનું ચલાવવા કરતાં લહિયાનો ધંધો ઉત્તમ. રેલવે ટિકિટ વેચવાની નોકરી કરતાં ગાડાખેડું થવું સારું, વગેરે વગેરે. આ જરા વધારે સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવું છે. કોને શું કરવું? ક્યો ધંધો કરવો ? એ પોતપોતાની ઈચ્છા અને સંજોગોને આધીન છે. પણ આપણે માટે સારાખોટાનો વિવેક વિચારતાં, જે સત્ય ભાસ્યું તે અમે સૂચવ્યું છે. કયું જીવન શ્રાવકપણાની નજીક રહી શકે? અને જીવન ત્યાગની નજીક રહી શકે ? એ દષ્ટિથી આજે સટ્ટો કરી લાખો કમાઈ દાન કરનાર કરતાં ગામડામાં ફેરી કરી આઠ આના પેદા કરી એક પૈસો જ દહેરાસરમાં મૂકનાર ધર્મની વધારે નિકટ છે. અલબત્ત, એ જ રીતે આયમર્યાદા પ્રમાણેના ગોઠવાયેલા ધંધામાં રહી ઝવેરાતનો ધંધો કરી લાખ પેદા કરનાર ધર્મમાં હજારો ખર્ચ, તે પેલા ફેરીવાળાના પૈસા કરતાં આગળ આવે, પણ સટ્ટો કરી લાખો કમાઈ ખર્ચનાર કરતાં આયમર્યાદાના ફેરીના ધંધાવાળો આગળ સમજવો. પરંતુ આયમર્યાદાના ધંધા તૂટતા જતા હોય, તેમાંથી નીકળવું પડતું હોય, ત્યારે છેવટે નવામાંથી સટ્ટો, અકર્માદાનના અને અલ્પ આરંભના ધંધા પસંદ કરવા, અને નોકરી તથા આશ્રિતતાનો નંબર Page #230 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૫૭ ઘણો જ ઊતરતો છે. સંસ્થાઓનાં અને અનાથાશ્રમોનાં ફંડો ઉઘરાવવાની નોકરી એ નવી પદ્ધતિથી ભીખ માંગવાની રીત છે, રેલવે ડબ્બામાં ગાવું, કે સ્વદેશની હિલચાલની ગઝલો ગાઈ પૈસો પૈસો લેવો એ નવા પ્રકારની ભીખ માંગવાની રીત છે. અનાથાશ્રમો, બાલાશ્રમો, મત કે અલ્પ ખર્ચે સાધનો પૂરાં પાડનારી બીજી છાત્રાલય વગેરે સંસ્થાઓ વગેરે નવા પ્રકારનાં આશ્રિત ખાતાંઓ છે. કંપનીની કે બીજી અનેક પ્રકારની સર્વિસો ગમે તેટલા પગારની હોય, તે સર્વ નવા પ્રકારની ગુમાસ્તીઓ છે. વકીલાત, વર્તમાનપત્રકારિત્વ વગેરે નવા પ્રકારના ધંધા ખવાસ, ભાટ વગેરેના ધંધા જેવા છે. મિલમાલિક, ટીંમર મરચન્ટપણું, કોલસાની ખાણોવાળાપણું વગેરે નવા પ્રકારના કર્માદાનો છે. બેંકો વગેરે નવા પ્રકારની શરાફી છે. સિનેમા વગેરે નવા પ્રકારની ભવાઈ છે. માટે આ જમાનામાં પણ જૈન મુનિનો ઉપદેશ ઉત્તરોત્તર નીચે નીચેની ભૂમિકાના ત્યાગનો જ સૂચક હોવો જોઈએ, અને ઉચ્ચ ભૂમિકાની અશક્તિમાં નીચે નીચેની ભૂમિકાઓમાંથી પણ જેમ બને તેમ ઉચ્ચ ઉચ્ચ ભૂમિકામાં રહેવાય, તેને માટે મકકમતા સૂચક હોવો જોઈએ. એ જ બરાબર શૈલી સંગત છે. બન્નેય પ્રશ્નોનો જવાબ આ રીતે મળી રહે છે. આયમર્યાદા પ્રમાણેની પદ્ધતિનો ગાંધીવાનો ધંધો કરનાર વ્રતધારી શ્રાવક કરતાં ગાડું હાંકનાર વ્રતધારી શ્રાવક પાછળ પડે છે, અને ગાડું હાંકનાર વ્રતધારી શ્રાવક કરતાં હાલનો સ્ટેશનરી વેચનાર વ્રતધારી શ્રાવક પાછળ છે. આવા તારતમ્યના જ્ઞાનને જૈન શાસ્ત્રોના ઉપદેશમાં સ્થાન છે. પરંતુ ગૃહસ્થપણાના દુન્યવી જીવનના ઉપદેશને જૈનધર્મના ઉપદેશમાં સ્થાન નથી એ સ્પષ્ટ થાય છે, તેમજ “ઉપર જણાવેલા તારતમ્યને સ્થાન નથી. માત્ર, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના ઉપદેશને જ સ્થાન છે. બાકીની તરતમતા ઉપેક્ષા કરવા લાયક છે" એમ પણ નથી. એટલે ગાંધીનો ધંધો કરનાર વ્રતધારીને કે ગાડું હાંકનાર વ્રતધારીને, ગાંધી કે ખેડૂત તરીકેનો ધંધો, છોડાવી, ઉપરથી દેખાતા માત્ર અલ્પ આરંભની દષ્ટિથી સ્ટેશનરી વેચનાર તરીકે દોરવવામાં આયમર્યાદાની બહારનો ધંધો તથા મિથ્યાજ્ઞાનની પુષ્ટિ વગેરે અનેક દોષો તેમાં વધારે સમાયેલા છે. આજે આ પ્રશ્નો ઘણા ગૂંચવણ ભરેલા થઈ પડ્યા છે. ધંધાઓમાં તારતમ્ય દષ્ટિથી કોને આગળ અને કોને પાછળની ભૂમિકામાં ગણવા ? એ બાબત બહુ ગૂંચવણ થઈ છે. તેથી ઉપર જણાવેલી દિશાથી તેનો ઉકેલ સમજી શકાશે. સારાંશ કે-સર્વત્યાગ અને પછી દેશયાગનો ઉપદેશ સર્વને માટે એક સરખો આપવો. પરંતુ દેશયાગીમાં પણ-ઉપરથી અલ્પ ત્યાગ દેખાતો હોય, છતાં જેમાં આર્ય મર્યાદા, માર્ગાનુસારિતા, સમ્યકત્વ વગેરેનાં તત્વો વિશેષ હોય, તેના કરતાં જેમાં દેશ ત્યાગ વધારે પ્રમાણમાં દેખાતો હોય, પણ આયમર્યાદાથી, માર્ગાનુસારિતા અને તેને અંગે પણ સમ્યકત્વ વગેરેથી વાસ્તવિક રીતે ઘણે અંશે ખસી ગયેલ હોય, તેનો નંબર ઊતરતો ગણવો જોઈએ. અઠવાડિયામાં ૧૨ કલાક નોકરી કરી બાકીનો વખત ધર્મધ્યાનમાં ગાળતા પ્રોફેસર કરતાં ૧૨ કલાક રોજની નોકરી કરી એક કલાક ધર્મ ધ્યાનમાં લગાડતા ગુમાસ્તાને આગળ ગણવો જોઈએ. Page #231 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો અને અઠવાડિયામાં ૧૨ કલાક જ નોકરી કરી બાકીનો વખત ધર્મધ્યાનમાં ગાળનાર આર્યમર્યાદા પ્રમાણેના બાહોશ ગુમાસ્તાને તો એ સૌથીયે આગળ ગણવો. મહિનામાં એકાદ દિવસ કોર્ટમાં જઈ ૨૯ દિવસ ધર્મધ્યાન કરનાર બૅરિસ્ટર કરતાં ૧૪ કલાક દુકાન સંભાળી એક કલાક પણ માંડમાંડ ધર્મધ્યાનમાં રહેનાર આર્યમર્યાદા પ્રમાણેના કણિયાને આગળ સમજવો. અને મહિનામાં એક દિવસ દુકાન સંભાળી ૨૯ દિવસ ધર્મધ્યાનમાં ગાળનાર આર્યમર્યાદાના કણિયાને એ ત્રણેયમાં સૌથી આગળ ગણવો. આ તારતમ્ય દરેક વ્યવહારમાં બરાબર સમજવા માટે આટલું સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું. માટે શ્રાવકે જેમ બને તેમ શ્રાવકપણાનાં તત્ત્વો પોતાનામાં વધારે ટકી રહે તેવા ધંધા પસંદ કરવા, તે આ ઉપરથી ખાસ સમજવાનું છે. ૧૫૮ “આર્યત્વ વગેરે ક્રમસર ખીલે છે, તો પૂર્વની ભૂમિકા ખીલ્યા વિના પ્રથમથી જ સર્વથા ત્યાગનો ઉપદેશ આપવામાં આવે; તો પણ તદ્યોગ્ય પૂર્વ ભૂમિકામાંથી પસાર થયા વિના ઉપરની ઉચ્ચ ભૂમિકા જીવનમાં બંધબેસતી કેવી રીતે થઈ શકે ? માટે પ્રાથમિક ભૂમિકાને યોગ્ય ઉપદેશ પ્રથમ આપી, તેની તૈયારી કરાવી અનુક્રમે આગળ વધે, પછી તેને સર્વવિરતિ વગેરેનો ઉપદેશ આપી તદ્યોગ્ય જીવનની તાલીમ આપવી, એ ન્યાયસર જણાય છે. બાળકને પહેલેથી ઊંચામાં ઊંચા શાસ્ત્રના વિષયો સમજાવવાથી તેનો કાળક્ષેપ કરવા જેવું અને ઊલટો કંટાળો આપવા જેવું થાય. તેથી બાળકોને પ્રથમથી યોગ્ય પાઠ્યપુસ્તકો દ્વારા શિક્ષણ આપી, ક્રમે ક્રમે ઠેઠ સુધી લઈ જવામાં આવે છે, તે જ પ્રમાણે જીવનઘડતરની આ બાબતમાં પણ આર્યત્વ, માર્ગાનુસારિતા, વગેરેથી આરંભીને સર્વવિરતિના જીવન સુધી પહોંચાડવામાં આવે, તો તે યોગ્ય છે. માટે પહેલેથી જ સર્વવિરતિનો ઉપદેશ આપવો, એ કુદરતી ક્રમ પ્રમાણે જણાતો નથી.’’ આ પ્રશ્નના જવાબમાં સત્ય ખુલાસો એ છે કે, આપણે જેનો પૂર્વજન્મ અને તેમાં થયેલી પૂર્વ તૈયારીઓને માનીએ છીએ. એટલે કેટલાક જીવો ઉચ્ચ ભૂમિકાને યોગ્ય, અને કેટલાક તેથી ઊતરતી ઊતરતી ભૂમિકાને યોગ્ય તૈયારીઓ કરી ચૂક્યા હોય છે. એટલે જૈન મુનિઓનો વ્યાપક અને પ્રથમ દરજ્જાનો જાહેર ઉપદેશ સર્વત્યાગનો હોવો જોઈએ. એ ઉપદેશ વખતે સર્વવિરતિને યોગ્ય ભૂમિકાની પૂર્વભવની તૈયારીવાળા જીવો તરી આવી પ્રથમ ખેંચાઈ આવે છે. જેટલા ખેંચાઈ ન આવે, તેટલાની ભૂમિકા સર્વવિરતિને યોગ્ય નથી, એમ નકકી થાય. છતાં તેમાંના કેટલાક એ ઉપદેશથી સર્વવિરતિ સુધી ન પહોંચતાં વચલી કોઈપણ ભૂમિકા સુધી જરૂર ખેંચાઈ આવે છે. સર્વને સર્વવિરતિ તરફ ખેંચવામાં આવે, પરંતુ કેટલાક માત્ર ખેંચાઈને મનુષ્યપણા સુધી જ આવે, કેટલાક સભ્ય માનવપણું, આર્યપણું વગેરેથી માંડી દેશવિરતિ સુધીની કોઈ ને કોઈ ભૂમિકા તરફ ખેંચાઈ આવે. એમ દરેક પોતપોતાની પૂર્વ ભૂમિકા પ્રમાણે ગોઠવાઈ જાય અને આગળના ભવો માટે ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓની તૈયારીઓ કરે. સર્વવિરતિ ન પામી શકનારાઓને પણ ઉપદેશનાં ત્રણ પરિણામ થાય છે. એક તો પોતાની તે ભૂમિકાથી કંઈક ઉચ્ચ ભૂમિકા ઉપર ખેંચાણ, બીજું ચડી ન શકે, તો જ્યાં હોય ત્યાં સ્થિરતા, અને ત્રીજું ઊતરતી ભૂમિકા ઉપર ઊતરી તો ન જ પડાય, તેની સાવચેતી. માટે પ્રધાનપણે સર્વથા ત્યાગના ઉપદેશમાં–સર્વત્યાગની ખાતર જ ઉપર ઉપરની ભૂમિકાઓ ઉપર જીવાનો ખેંચવાના ઉદ્દેશની Page #232 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૫૯ ગૌણતામાં બીજા ઉપદેશોનો સમાવેશ થાય છે. પણ તે ગૌણ ઉપદેશ સર્વથા ત્યાગની નિરપેક્ષતાવાળો તો લેશ માત્ર પણ મુનિરાજોથી આપી શકાય જ નહીં. ઉપર બતાવેલી વ્યવસ્થાથી ધર્મ અને તતુપોષક વ્યવહારમાર્ગ, એ બન્નેયની યથાર્થ રીતે વ્યવસ્થા સચવાય છે. તેથી જેને ઉપદેશમાં કોઈ પણ અવ્યવસ્થાનો સંભવ રહેતો જ નથી. માત્ર ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક દરેક વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. આ પ્રમાણે ભોગપભોગવ્રતની મુખ્ય ભૂમિકા અને આજીવિકા માટે ધંધાઓને લગતી મુખ્ય ભૂમિકાનો આ વ્રતને અંગે આપણે અહીં વિચાર કર્યો. હવે ગાથામાં સૂચિત પદાર્થોના વિશેષ ભાવાર્થ સમજી લેવાની જરૂર છે. ગાથાનાં પદો વિષે વિશેષાર્થ ભોગપભોગ યોગ્ય અનેક વસ્તુ હોય છે, તે દરેક ગણાવી શકાય નહીં, પરંતુ ખાવામાં તદ્દન તજવા યોગ્ય અને બહારથી વાપરવામાં તજવા તથા પરિમાણ કરવા યોગ્ય અનેક ચીજોના ઉપલક્ષણ રૂ૫ અમુક અમુક ચીજે ગાથામાં ગણાવી છે. મધ, માંસ, ફળ, કેટલાંક ફૂલ, પત્ર વગેરે અંદર પેટમાં ખાવાપીવાની ચીજોના ઉપલક્ષણ રૂપ છે, અને ગંધ, માળા વગેરે બહારના ઉપભોગની ચીજોના ઉપલક્ષણ રૂપ છે. તો હવે ખાનપાનમાં શ્રાવકને તજવા યોગ્ય અને પ્રમાણ કરવા યોગ્ય વસ્તુઓ કઈ કઈ છે ? તેની સંક્ષિપ્ત ટીપ અહીં નીચે આપીએ છીએ. ચાર મહાવિગઈ ૧. દારૂ: કાષ્ટ અને પિષ્ટ [આટા]માંથી બનાવેલો, [તે ઉપરાંત દેશી-વિલાયતી, ગોળ, તાડી, દ્રાક્ષ, મહુડાં વગેરેના ઘણી જાતના દારૂઓ બને છે.] તે દરેક ત્યાગ કરવા યોગ્ય છે. દવા તરીકે પણ તેનો ઉપયોગ કરવા યોગ્ય તો નથી. પરિણામે નુકસાન કરે છે. દ્રાક્ષાસવ વગેરે આસવો, બોળ અથાણાં, પડતર રખાતા મુરબ્બા, અવલેહ વગેરેમાં પણ દારૂનાં તત્ત્વો હોય છે. ૨. માંસ : જલચર, સ્થલચર અને ખેચર : એમ ત્રણ પ્રકારનાં તિર્યંચોનું પ્રસિદ્ધ છે. જોકે મનુષ્યમાંસ ખાનારા અને નાના જીવડાં ખાનારા જંગલી માણસો દુનિયામાં છે. અથવા ચામડું, લોહી, અને માંસ એ ત્રણ પ્રકારથી પણ માંસ ત્રણ પ્રકારનું છે. દારૂ-માંસ શ્રાવકને હમેશ વયે જ હોય છે. તેનું પરિમાણ જ ન હોય, પરંતુ પ્રથમ અવસ્થામાં મિથ્યાદષ્ટિ રાજા વગેરે પાછળથી જૈનધર્મ પાળે, પણ હમેશના અભ્યાસથી એકદમ છોડી ન શકે, તો ધીરે ધીરે પ્રમાણ ઘટાડીને તદ્દને છોડી ન દે ત્યાં સુધી તેને માટે પ્રમાણ કરવાની છૂટી રહે. સામાન્ય રીતે શ્રાવકસંઘના બંધારણ તરીકે સંઘમાં દાખલ કોઈને પણ દારૂ-માંસ તથા બીજા વધારે હલકા પ્રકારના અભક્ષ્ય ભક્ષણ તથા અનંતકાયોનો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પંચ પ્રતિકમાણસૂત્રો ત્યાગ જ હોવો જોઈએ. આ જાતની ચાલી આવતી પૂર્વ પરિપાટીથી વિરુદ્ધ કોઈ જાય પણ નહીં. અનિવાર્ય કારણ સંજોગોમાં ઔષધોપચાર માટે અમુક પદાર્થો સેવવા પડે તે પણ નબળાઈ ગણાય છે અને તે પ્રાયશ્ચિત્ત લાયક ગણાય છે. પ્રથમની ટેવવાળા સિવાયને માટે દારૂ માંસ વગેરે ઔષધો માટે પણ તાજ્ય જ હોય છે. ઘણા જૈનો એવી અભક્ષ્ય રૂપ દવાથી સારા થવાને બદલે દુઃખ અને મરણ વહોરી લે છે, પણ પોતાના ધર્મને ચૂકતા નથી. એ જ પ્રમાણે– ૩. મધ : માખી, કુંત, ભમરાનું ૪. માખણ : ગામ, ભેંસ, બકરી, ઘેટી વગેરેનું તે અભક્ષ્ય છે. કારણ કે-આ ચારેય મહાવિગઈઓ કહેવાય છે. કેમ કે તેમાં તે જ રંગના જંતુઓ હોય છે, તેના ભક્ષણથી તેની હિંસા થાય છે. ઉપરાંત માખણ સિવાયની ત્રણેય વસ્તુઓ દુર્ગચ્છનીય પણ છે, અને પ્રથમની બે તો લૌકિક દૃષ્ટિથી પણ અતિર્લિંઘ છે. મધ ઔષધાદિક કારણે કોઈ કોઈ વાપરે છે, પરંતુ પાપભીરુઓએ ન વાપરવું યોગ્ય છે, માંખીઓનું ઉચ્છિષ્ટ છે. બીજું, વિલાયતી દવાઓમાં મોટો ભાગ દારૂ અને માંસનાં તત્ત્વોવાળી દવાઓ હોય છે. તેમ જ સૂકી દવાઓમાં પણ પ્રાણીજન્ય ઘણી દવાઓ સંભવિત છે. તેથી સેનેટોરિયમો તથા દવાખાનાઓમાં ઉચ્ચ કુટુંબના દેશી ડૉકટરો પણ એ દવાઓ વાપરતા હોય છે, અને “આમાં એવું કાંઈ નથી” એમ કહીને દવાઓ આપ્યું જાય છે. કારણ કે, તેમનો અભ્યાસ એ દવાઓનો હોય છે, દરદીનો રોગ મટાડવાનો ધંધો કરાવે છે, વિલાયતી દવાઓ મોટે ભાગે પ્રાણીજન્ય હોય છે, તો કેટલીકને બાતલ ગણે? ઈજેક્ષનો પણ ઘણાં એવાં હોય છે. સેનેટોરિયમોમાં ક્ષય વગેરેના દર્દીઓને કોડલિવર ઓઈલ દવામાં, અને ઈંડાનો રસ વગેરે ખોરાકમાં આપે છે તથા ઉચ્ચ કુટુંબના માણસોને દવામાં ભેળવીને અજાણતા આપે છે. દારૂ અને સ્પીરીટનાં તત્ત્વો તો લગભગ દવાઓના મોટા ભાગમાં હોય છે. આ સ્થિતિમાં ધાર્મિક લોકોએ બહુ જ ખાતરીપૂર્વક વર્તવાનું છે. જોકે ઘણા ભાગે આપણા દેશના ઔષધોપચાર એવાં તત્ત્વો વિનાના હોય છે, તો પણ બહારના શાસ્ત્ર ભણેલા ડૉક્ટરોને લગભગ તેની માહિતી જોઈએ તેવી નથી હોતી, એટલે તેઓ તેનો રીતસર ઉપયોગ કરાવી શકે નહીં. અભક્ષ્ય દવાઓ વાપર્યા વિના મરી જવાય છે. એમ માનવાને કારણ નથી. શરીરનાં તત્ત્વો ખવાયાં ન હોય ત્યાં સુધી દવાઓ અસર કરે છે, અને ખવાયા પછી ગમે તેવી કિંમતી દવા નકામી પડે છે. શરીરનાં તત્ત્વો ખવાયાં નહીં હોય તો ધીરજ રાખવાથી અને યોગ્ય ખાનપાન રાખવાથી આપોઆપ વખત જતાં રોગો મટી જાય છે. તેમ જ ક્ષય જેવા ભયંકર રોગોમાં પદ્ધતિસર ગાયના કે બકરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે તો બચનાર અવશ્ય બચી જઈ સારા થાય છે, અને કોડલીવર વગેરે કરતાં ઉત્તમ અસર કરે છે. નુકસાન તો તેમાં છે જ નહીં. સારાંશ કે-ઔષધોપચાર ખાતર પણ નિંદ્ય અભક્ષ્ય વસ્તુઓ પેટમાં ન જાય તેની ખાસ સાવચેતી ધર્મ પાળવાના ખપીઓએ રાખવાની છે. એટલી સૂચના બસ છે. આ પ્રસંગે જણાવવાનું કે, પૂજ્ય મુનિવરોને તો માંદા પડવાનો સંભવ જ ઓછો છે. કેમ કે, બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર - આ ત્રણ તત્ત્વો ભયંકરમાં ભયંકર રોગોના મહાન શત્રુઓ છે. નખમાંથી Page #234 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૬૧ યે રોગ કાઢી નાંખે તેવા છે, શરીરની કાંતિ વધારે તેવાં અદ્ભુત એ સાધનો છે. તો પછી રોગ થવાની તો વાત જ શી ? પરંતુ, ત્યાગી મુનિઓને સાધનિયમ પ્રમાણે ગોચરી લેવાની હોવાથી વિવિધ પ્રકારના તીખા, તેલવાળા, ખાટા, લૂખા, ટાઢા, નરમ, કઠણ, સૂકા એમ અનેક જાતના આહાર મળે, તેથી આહારપ્રક્રિયા બરાબર સચવાય નહીં અને અજીર્ણ થવાથી રોગનો સંભવ રહે છે. અથવા અનુભવી પુરુષોનું કહેવું છે કે એવા માપસર ખાધેલા ખોરાકો પણ બરાબર પાચન ન થાય ત્યાં સુધી વખત જવા દઈ પચી ગયા પછી ખરી ભૂખ વખતે પછીનો ખોરાક ખાવામાં આવે. તો હજમ થઈ જઈ પરિણત થઈ ગયા પછી કશું નુકસાન કરી ન શકે. છતાં કાંઈ રહી જાય, તો તપશ્ચર્યા અને વિહાર તેને સાફ કરી નાંખે છે. એટલે રોગોનો સંભવ ન ગણાય. દાંત, આંખો વગેરે સાફ અને તેજસ્વી રહે. શરીર પણ ચમકદાર રહે, છતાં જે સાધુમુનિરાજોના હાલમાં શરીર રોગી જોવામાં આવે તો તેનું કારણ-પૂર્વનું પૂરતું પાચન થયા પહેલાં તેની ઉપર બીજી વખત પડે છે. અને એમને એમ વધારો થતાં પિત્ત વધી શરીર પીળાં પડતાં અજીર્ણ થવાથી જુદા જુદા રોગો થાય છે. કબજિયાત થઈ રોગોની શરૂઆત થાય છે, બપોરની ગોચરી પછી સાંજની ગોચરી વખતનું જે અંતર રહે છે તેટલા વખતમાં પૂર્વનો આહાર પચાવી શકે તેવી જઠરાગ્નિ બહુ થોડાની હોય છે. બધાની નથી હોતી, તેથી સાંજે પ્રવાહી, હલકો ખોરાક સામાન્ય માત્રાથી લે તો બીજા દિવસની ગોચરી પહેલાં બધું યોગ્ય ઠેકાણે પહોંચી જાય. એ રીતે દરરોજ ફાજલ ન રહે, તો થોડો થોડો કચરો ભેગો થવા ન પામે તો કદી રોગ થાય જ નહીં. ગુપ્ત અજીર્ણ અનેક જાતના હોય છે, તેથી બચી જવાય છે. કોઈ પણ મોટો રોગ નાના મોટા ઘણા રોગોના લાંબા વખતના સરવાળામાંથી જ ઉત્પન્ન થયેલો હોય છે. આ રીતે નીરોગી શરીરને દવાની જરૂર જ નથી પડતી. છતાં શરીરને શાસ્ત્રકારોએ રોગાયતને કહ્યું છે. ઋતુઓ વગેરેની વિષમતાથી, દેશકાળની વિષમતાથી, ચેપના ઊડવાના રોગો થવાનો સંભવ થઈ જાય છે, પણ જેના શરીરમાં જૂના રોગોનો સંગ્રહ નથી હોતો તેને વખત જતાં સહેજે જ એ સર્વ મટી જાય છે. પાણીની ખાડીઓ પાસે પડ્યા રહેનારા ખલાસીઓને પણ મલેરિયા કાંઈ અસર કરતા નથી, કારણ કે, તેના પોતાના શરીરમાં જીવનતત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે. રોગના ચેપ ફેલાવનારા જંતુઓને મારી નાંખવા કરતાં પ્રજાના શરીરમાં જીવનતત્ત્વો વધારે સારા પ્રમાણમાં ટકાવવા એ પ્રજાના આરોગ્યનો ઉકેલ છે. પણ એક તરફ પ્રજાનું આરોગ્ય બગડતું જાય તેવા આહાર, વિહાર, ખાનપાન, દવાઓ અને બીજી તરફ રોગનો ફેલાવો કરનારા જંતુઓના ઉપર આરોપ દઈને તેમને મારી નાંખવા, એ બન્નેય ક્રિયા દોષમાત્ર છે. જેને રોગોત્પાદક માનવામાં આવે છે તેઓ પણ કુદરતી રીતે રોગોત્પાદક બીજાં તત્ત્વોનું ભક્ષણ કરનારાં હોય છે, તેઓના નાશથી એ તત્ત્વો વધારે પ્રમાણમાં ફેલાય છે. માટે રોગોત્પાદક તત્ત્વો ઉત્પન્ન ન થાય, તેમજ શરીરમાં અખૂટ જીવનશક્તિ ઉમેરાય એ જ પ્રજાના આરોગ્યનો યોગ્ય ઉપાય છે, જેથી સાધુજીવનની પાંચ સમિતિઓ અને બીજી જીવનચર્યાઓ એ સુંદર તત્ત્વોથી પણ ગૂંથાયેલી છે, પારિઝાપનિકા સમિતિ, એષણા સમિતિ વગેરેનો વિચાર કરવાથી આ વાત બરાબર સમજાશે. બીજી બાજુ બહારની પ્રજાઓના આજના રાષ્ટ્ર વિધાતાઓ પોતાની પ્રજામાં મુખ્યપણે જીવતત્ત્વો વધારવા પ્રયત્ન કરે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૨૨ અભક્ષ્ય ૧-૫. પાંચ ઉદુંબર : વડ, પીંપળો, ઉબરો, પીપર અને કાકોદુંબર એ પાંચના ફ્ળ, જેમાં મચ્છર આકારના ઘણા સૂક્ષ્મ જીવો હોય છે. પંચ પ્રતિક્રમણસૂત્રો ૬-૯. ચાર મહાવિગઈ : જે ઉપર ગણાવી છે. તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે, એમ અન્ય દર્શનવાળા પણ માને છે. ૧૦. હિમ-બરફ : માટી વગેરેના મિશ્રણ વિના શુદ્ધ અકાયરૂપ હોવાથી અકાયના જીવોની તેમાં બીજા પાણી કરતાં વધારે વિરાધનાનો સંભવ છે. એમ ટીકાકાર આચાર્ય મહારાજ લખે છે. ૧૧. વિષ-ઝેર : મંત્ર કે ઔષધાદિકથી તેનો વેગ ઓછો કરી નાંખ્યો હોય, તો પણ તે ખાવાથી પેટમાં રહેલા કૃમિ વગેરે જીવોની હિંસા થાય છે. અને અકાળે મરણ લાવનાર હોવાથી મરણ સમયે મહામોહ ઉત્પન્ન થાય છે અને ઘણાં કર્મ બંધાય, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. તથા મંત્ર કે ઔષધનો પ્રભાવ ગયા પછી પાછું ઝેર તે ઝેર જ બને છે. ૧૨. કરા : માટે પણ બરફ પ્રમાણે સમજવું. જો કે પાણીમાં પણ અસંખ્ય અકાય જીવો હોય છે, પણ પાણી વિના નિર્વાહનો સંભવ નથી, છતાં નિર્વાહ કરી શકાય તો ન વાપરવું. પણ પાણીને ઉકાળીને અચિત્ત પણ કરી શકાય, કરા-બરફને તેમ કરી ન શકાય, તથા કરા વગેરે વિના નિર્વાહ ન ચાલે એમ નથી. જો કે શ્રાવકને તો પ્રાસુક-ઉકાળેલું અચિત્ત પાણી વાપરવું ઉચિત છે. ૧૩. સર્વ પ્રકારની માટી : પેટમાં દેડકીઓ વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ છે અને રોગ તથા મરણાદિના હેતુભૂત છે. ખડી વગેરેનો પણ ત્યાગ કરવો. ચૂનો વગેરે પણ ન ખાવો જોઈએ. વધારે ખાવાથી આંતરડાં ખવાઈ જાય છે. માટી ખાનારા ભયંકર રોગોથી પીડાતા ઘણા જોવામાં આવે છે, છેવટે મરી પણ જતા જોવામાં આવે છે, જો માટી સચિત્ત હોય, તો અસંખ્ય પૃથ્વીકાયની તેમાં વિરાધના થાય છે. મીઠું તજવાથી નિર્વાહ થતો નથી. છતાં તેને પ્રબળ અગ્નિના યોગથી પાકું એટલે અચિત્ત કરીને વાપરી શકાય છે. ૧૪. રાત્રિભોજન : રાત્રિભોજનમાં સ્વ અને પર બન્નેય પ્રકારના જીવોના ઘાતનો સંભવ છે. અજાણતાં ઝેર કે ઝેરી જંતુ ખવાઈ જાય તો પોતાનું મરણ થાય, અને ઊડતા જંતુઓ પડે તેથી રાંધવા વગેરેમાં બીજા જીવોનો ઘાત થાય. બીજના શાસ્ત્રકારોએ પણ રાત્રિભોજનમાં અન્નને માંસ અને પાણીને લોહીની ઉપમા આપી છે, એટલે ત્યાગ જ સૂચવ્યો છે. રાત્રે ખરી રીતે સૂર્યાસ્ત પહેલાં બે ઘડી પહેલાંથી ચોવિહારનું અને ન બને તો ત્રિવિહાર, દુવિહારનું પચ્ચક્ખાણ કરવું. દુવિહારનું પચ્ચફખાણ કરવું. દુવિહાર વાળાને સોપારી વગેરે ખાવાની હોય, તે પણ દિવસે તપાસ રાખવી જોઈએ. તેમજ પાણી પણ જયણાપૂર્વક જ વાપરવું. રાતમાં તો કાંઈ વાપરવું નહીં, તથા સૂર્યોદય થયા પછી બે ઘડી સુધી પણ કાંઈ વાપરવું ન જોઈએ. પણ સૂર્યાસ્ત પછી અને પહેલાં તો પચ્ચક્ખાણ કરી Page #236 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૬૩ લેવું જ જોઈએ, અંધારું થઈ જાય છતાં શરમથી દીવો કર્યા વિના ઝટપટ ખાઈ લેવામાં આવે છે, તેથી ત્રસાદિની હિંસા થવાનો સંભવ છે, અને ન થાય તો પણ નિયમ ભંગ થાય, માયા મૃષાવાદ સેવાય એ વધારાનો દોષ સારા આરોગ્યવાળાને રાત્રે તૃષા પણ ન લાગે, વિના કારણ તૃષા લાગે તે રોગની નિશાની છે. શુદ્ધ જઠરવાળાને અન્નના પાચનથી છૂટા પડતા રસો પાણીની ગરજ સારે છે. ૧૫. બહુ બીજ : જે પ્રત્યેક વનસ્પતિકાય ફળોમાં પણ ઘણાં બીજ હોય, તેમાં દરેક બીજના દરેક જીવ હોવાથી ઘણી હિંસા થાય, માટે અભક્ષ્ય ગણાય છે. આમાં આવ્યંતર પડ વગરના બીજે હોય, તેને અભક્ષ્ય ગણેલ છે, પણ દાડમ, ટીંડોરા વગેરેના ફળમાં બીજા આત્યંતર પડો હોય છે, માટે તેને અભક્ષ્ય ગણવાનો વ્યવહાર નથી. ૧૬. અનંતકાય : તેના ભક્ષણથી અનંત જીવોની હિંસા થતી હોવાથી તે અભક્ષ્ય ગણાવેલ છે. તે આગળ ઉપર વિગતવાર ગણાવીશું. ૧૭. બોળ અથાણાં : જલેબી વગેરેના વાશી આથા વગેરે, જેમાં ખટાશ ઉત્પન્ન થાય. તેમાં એક જાતના જંતુઓ ઉત્પન્ન થાય છે. લીંબુ, બીલા, કેરી, ગુંદા વગેરેના તમામ પ્રકારના અથાણા ત્રણ દિવસ ઉપરના અભક્ષ્ય ગણાય છે. તેને ત્રણ દિવસ ખરેખરો તડકો આપીને વાપરવાનો રિવાજ છે. ૧૮. ઘોલવડાં: કાચા દહીંથી મેળવેલાં વડાં, અને કાચા દહીંથી મિશ્ર કરેલી દ્વિદળ પણ અભક્ષ્ય છે, તેમાં કેવળી ગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે. “જે પીલવાથી તેલ ન નીકળે, તે દ્વિદળ, અને જેમાં બે ફાડ હોય છતાં જે તેમાંથી તેલ નીકળે તો તે દ્વિદળ ન ગણાય.” ૧૯. વૃતાક : કામવૃત્તિ પોષક અને બહુ નિદ્રા લાવનાર હોવાથી દોષ રૂપ હોવાથી અભક્ષ્ય છે. (તથા બહુ બીજ પણ છે.) ૨૦. અજાણ્યાં ફૂલ ફળ : જેનું નામ કે સ્વરૂપ ન જાણતાં હોઈએ તેવાં ફળ ખાવાથી વ્રત ભંગ થાય, અને જો ઝેરી ફળફૂલ હોય તો તેથી મરણ પણ નીપજે છે. આથી કાંઈ પણ અજાણી ચીજ ખાવામાં કે શરીરની બહાર ઉપયોગ કરવા માટે પણ સાવચેત રહેવું. ખાજવણી (કપિ કચ્છ-કચ) જેવી ચીજને અડવાથી આખા શરીરે ચળ આવે છે. એક વખત અજાણી વનસ્પતિની સોટીનું દાતણ કરવાથી એક માણસનું મોટું સૂજી ગયું અને ઘણું દરદ થયું હતું. દાંત બધા પડી ગયા તેમ પણ બન્યું છે. ૨૧. તુચ્છ ફળ : તુચ્છ ફળ ઉપરથી ફૂલ, પાંદડાં વગેરે દરેક તુચ્છ અભક્ષ્ય સમજવા. તુચ્છ ફળ એટલે જેમાંથી ખવાય ઓછું અને વધારે કાઢી નાંખવું પડે. મહુડા, જાંબુ, બીલાં વગેરે ફળો, કેરડા, અરણિ, સરગવો વગેરેનાં ફૂલો, ચોમાસાંમાં તાંદળજે વગેરે પાંદડાં, અથવા ચોળા, મગ વગેરેની કાચી કૂણી શીંગોમાંથી ખાવું પડે વધારે, તૃપ્તિ ઓછી થાય, અને વિરાધના વધારે થાય. ૨૨. ચલિત રસ : જે ચીજના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરી ગયા હોય, તેવી વાસી, પડતર, બગડેલી, બાસ મારતી, ચીજ અભક્ષ્ય છે. તે ખાવાથી રોગાદિકનો ખાસ સંભવ છે. વાસી ભાત, * લાંબા વખતની મીઠાઈ, બે દિવસ ઉપરનું દહીં વગેરે, કઈ ચીજનો કયારે અને કેવા સંજોગોમાં રસ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચલિત થાય અને કેવા સંજોગોમાં અને ક્યારે ન થાય, તે માટે ચીજ વાર જૈન શાસ્ત્રોમાં અને જૈન કુટુંબોમાં રિવાજથી રૂઢ થયેલ ધોરણો પૂર્વાપરથી ચાલ્યા આવતા હોય છે. તે વિગતવાર સમજી લેવા જોઈએ. અહીં ચલિતરસ શબ્દ એટલા માટે મૂકયો છે કે ખાવાની વસ્તુમાં પ રસનું પ્રાધાન્ય હોવાથી તેની મુખ્યતાએ નામ આપ્યું છે, પરંતુ વર્ણ, ગંધ, સ્પર્શ પણ મલિન હોય, તો તેની ભસ્યાભશ્યતા પણ વિચારવી જોઈએ. બે દિવસ પછીના દહીંમાં મસાના કૃમિની આકૃતિનાં સૂક્ષ્મ જંતુઓ થાય છે, એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રી દશવૈકાલિકસૂત્રની ટીકામાં કહ્યું છે, તેમ જ અનેક પ્રાચીન આચાર્યોએ પણ એ વાત કહી છે, તેમ જ શોભન મુનિએ પોતાના ભાઈ ધનપાળ પંડિતને અળતાના પૂમડાથી બે દિવસના દહીંમાં જંતુઓ બતાવી પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા. માટે ચલિત રસ વિષે વિગતવાર સમજીને તે અભક્ષ્ય ગણી તેનો ત્યાગ કરવો. ભાત છાશમાં બોળેલ હોય તો બીજે દિવસે કામ આવે, છાશમાં કરેલાં વડાં બીજે દિવસે કામ લાગે, કીટી કરેલો માવો બીજા દિવસોમાં પણ કામ લાગે. રોટલા, રોટલી, પૂરી, ભાખરી, બીજે દિવસે વાશી, પણ બરાબર કડક કરવામાં આવેલ હોય, તો વાશી ગણાય નહીં, ખાખરા ઘરા દિવસ સુધી અપર્યાષિત ગણાય છે, વગેરે, રિવાજથી પણ સમજવું. અભણ્યના ભક્ષણનો નિષેધ દરેક ધર્મવાળાઓને કરવો પડે છે. આરોગ્ય દષ્ટિથી, ધર્મદષ્ટિથી, સંયમની દૃષ્ટિથી એમ અનેક રીતે જૈનશાસ્ત્રકારોએ નિષેધ બતાવ્યા છે. ભક્ષણ કરવાને અયોગ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું એ તો લૌકિક લોકોત્તર ઉભય શિષ્ટ સમ્મત છે, અને સર્વમાન્ય છે. અલબત્ત, કોઈને મતે કોઈ ચીજ ભણ્ય અને કોઈને મતે કોઈ ચીજ અશક્ય, એમ મતભેદો હશે, પરંતુ ઉપર જણાવેલા બાવીસ અભક્ષ્યો એક સંપૂર્ણ વ્યવસ્થિત સંગ્રહ છે. બત્રીશ અનંતકાય નીચે ગણાવેલા ૩ર અનંતકાય આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે ગણાવ્યા છે. અનાર્ય દેશ પ્રસિદ્ધ તથા અજાણ્યા પણ ઘણા છે, પરંતુ તે દરેક અહીં ભક્ષ્ય, અભક્ષ્યના વિચારમાં નામથી ન ગણાવી શકાય, તેનું વિશેષ સ્વરૂપ જીવ વિચાર જીવાભિગમ સૂત્ર તથા શ્રીમત્પન્નવાણાજી સૂત્ર વગેરે સૂત્રોથી જાણી શકાય છે. ૧. સર્વ પ્રકારનાં કંદો સૂરણ વગેરે, ૨. વજકંદ, ૩. લીલી હળદર, ૪. લીલું આદું, ૫. લીલો કચૂરો, ૬, શતાવરી, ૭. બિરાલિકા, (ભોં કોળું), ૮. કુંવાર, ૯, થોર, ૧૦. ગળો, ૧૧. લસણ, ૧૨. વાંસ કારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણી, ૧૫. પતિની કંદ, ૧૬. ગરમર, ૧૭. કુંપળો, ૧૮. ખરિશુકા (ખરસઈઓ), ૧૯. થેગ, ૨૦. લીલી મોથ, ૨૧. ભમરછાલ, ૨૨. ખિલુડો, ૨૩. અમૃતવેલ, ૨૪. મૂળા, ૨૫. બિલાડીના ટોપ, ૨૬. અંકુરા કઠોળ વગેરેના કોંટા, ૨૭. ટાંકો-વથુલાની ભાજી. (વત્થલા પ્રથમ વારનો અનંતકાય છે. પણ વાઢયા પછી ફરી ઉગેલ હોય તો નહીં) ૨૮. પલંકશાક, ૨૮. શુકરવાલ (જંગલી વેલો છે.), ૨૯. કુણી આંબલી (કચકો ન બંધાયો હોય ત્યાં સુધી), ૩૦. Page #238 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૬૫ આલું (એટલે રતાળું, ગાજર, બટાટા.), ૩૧. પિંડાલ (ડુંગળી વગેરે), ૩૨. કુણા ફળ. આ સિવાય પણ ઘણા અનંતકાયો છે. અભણ્યો અને અનંતકાયની વિગતવાર સમજ માટે યશોવિ. ગ્રંથમાળા તરફથી પ્રસિદ્ધ થયેલ અભક્ષ્ય અનંતકાય વિચારની ચોપડી અવશ્ય વાંચી જવી. તેમાં આ વિષય બહુ જ સારી રીતે સ્પષ્ટીકરણથી સમજાવવામાં આવેલો છે. મધ, માંસ, ફળ, ફૂલ વગેરે ઉપર વિચાર કરવામાં આવેલ છે. ગંધ-માલ્ય : એટલે અત્તર, કસ્તુરી, અગરૂધૂપ, ફૂલની માળા, અલંકારો, વસ્ત્ર, વગેરે બહારથી ભોગ્ય અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. ભોગોપભોગ વ્રતધારી શ્રાવક સામાન્ય રીતે આખી જિંદગીમાં ભોગપભોગના ઉપયોગમાં લેવા લાયક વસ્તુઓનું સામાન્ય રીતે પ્રમાણ કરી શકે છે. તેમાંની દરેક ચીજ રોજ ને રોજ ઉપયોગમાં આવી શકતી ન હોય, કોઈ જ દિવસે ઉપયોગમાં આવતી હોય, એટલે તેને છૂટી રાખી હોય છે. એ રીતે ઘણી ચીજોની છૂટી રાખવી પડે છે, તેમાં પણ સંયમ લાવવા માટે ચૌદ નિયમ રોજ સાંજે અને સવારે ધારવાની ભલામણ શાસ્ત્રકારોએ કરી છે. એટલે કે-જિંદગીભરને માટે છૂટી રાખેલી ચીજોમાંથી પણ આજે કેટલી વાપરવી ? અને કેટલી ન વાપરવી ? તેનો દિવસ માટે સવારે નિર્ણય કરી લેવામાં આવે છે, અને રાત્રિમાં વાપરવા માટેની ચીજોનો સાંજે નિર્ણય કરી લેવામાં આવે છે. તે દિવસ અને તે રાત પૂરતી પરિસ્થિતિ ધ્યાનમાં રહી શકે છે, કે આજે કઈ કઈ ચીજની જરૂર પડશે, તેમજ કઈ કઈ ચીજ વિના ચાલશે ? તે સમજીને ખાસ જરૂર પડે તેમ હોય, તેવી ચીજોનું પરિમાણ કરી લઈને બાકીની ચીજોનો તે દિવસ કે તે રાત્રિ પૂરતો ત્યાગ થઈ શકે છે. એટલે કે જિંદગીભર માટે છૂટી રાખેલી ચીજોની અવિરતિજ દોષ ચૌદ નિયમ ધારનારને તે દિવસ કે તે રાત્રિ માટે છૂટી રાખેલી વસ્તુ સિવાયની વસ્તુઓ સંબંધી લાગતો નથી. કેમ કે જેનો ત્યાગ થાય તેની ક્રિયા લાગતી નથી, એટલે તનિમિત્તક કર્મબંધન પણ થતું નથી. સંયમના ઈષ્ણુ જીવો માટે શાસ્ત્રકારોએ ચડતા ઊતરતા ક્રમની કેવી સુંદર યોજનાઓ કરી છે ? તે આ ઉપરથી બરાબર સમજાશે. ભોગપભોગમાં ઉપયોગી થતી સર્વ વસ્તુઓનો નીચે જણાવેલ ચૌદ પ્રકારમાં લગભગ સમાવેશ થઈ જાય છે. રોજ સાંજ સવાર ચૌદ નિયમ ઘારનારાઓએ દેશાવનાશિકનું પચ્ચકખાણ લેવાનું છે. એટલે તે દેશસંબંધી સંયમ પાળવાની પ્રતિજ્ઞા તેમાં આવે છે, અને તેના સ્વરૂપના પ્રકાર તરીકે ચૌદ નિયમો છે. ચૌદ નિયમોનું સ્વરૂપ. સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ વાહણ-સાયણ-વિલવણ-ભંભ-દિસિ-હાણ-ભત્તેસુ /૧/ Page #239 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧. સચિન: સજીવ વસ્તુ, શાક, ફળો વગેરે સજીવ હોય છે. તેને તે જ વખતે કે તે જ દિવસે અચિત્ત કરીને વાપરવાની વસ્તુઓનું સંખ્યા કે તોલથી પ્રમાણ કરી લેવું. જો કે શ્રાવક સચિત્ત ચીજ વાપરે નહીં. પરંતુ સચિત્ત હોય, તેને તે જ વખતે કે તે દિવસે વાપરે, તો તેની સંખ્યા સચિત્તમાં ગણાય. ૨. દિવ્ય - દ્રવ્ય : સચિત્ત કે અચિત કુલ વાપરવા યોગ્ય કેટલી વસ્તુઓ વાપરવી ? તેની સંખ્યા કે તલનો નિયમ નકકી કરવો. આમાં મોઢામાં નાંખીને વાપરવાનાં કુલ દ્રવ્યોની તમામ સંખ્યાનો સમાવેશ થાય છે. ૩. વિગઈ - વિકૃતિ : મહાવિગઈનો શ્રાવકને ત્યાગ હોય છે. પરંતુ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કટાહ વિગઈ એટલે કડાઈમાં તળીને બનાવેલી ચીજો, એ છમાંથી પણ કેટલાકનો તદન ત્યાગ અને કેટલાકનું પ્રમાણ કરવાનું હોય છે. રોજ એકાદ વિગઈનો તો ત્યાગ કરવો જ જોઈએ. ૪. વાણહ - ઉપામહ: પગમાં પહેરવાનાં જોડાં, ચંપલ, સપાટ, મોજ, બૂટ, ચાખડી વગેરેની સંખ્યાનું પ્રમાણ કરવાનું હોય છે. અજાણતાં કોઈના જોડામાં પગ ઘસાઈ જાય, તો તે બાબત સાવચેત રહેવું જોઈએ. યતના રાખવી જોઈએ. ૫. તંબોલ : પાન, સોપારી વગેરે મુખવાસ તરીકે વપરાતી તમામ ચીજોના પ્રમાણનો આમાં સમાવેશ થાય છે. - ૬. વલ્ય - વસ્ત્ર : પહેરવા ઓઢવા વગેરે તમામ પ્રકારના વાપરવાના વસ્ત્રની સંખ્યાનું પ્રમાણ કરવામાં આવે છે. ૭. કુસુમ : ફૂલ, અત્તર, સેંટ, વગેરે સુગંધી દ્રવ્યોની વપરાશની સંખ્યા તથા તોલનું પરિમાણ કરી લેવાનું હોય છે. પોતે જાતે કેટલું વાપરવું? પણ બીજા પાસે હોય, તે તેની સુગંધ આવે, તેની યતના રાખી શકાય, પરંતુ ત્યાગ થઈ શકે નહીં. ૮. વાહણ - વાહન : વાહન, હાથી, ઘોડા, ગાડી, ગાડાં, ઊંટ, ખચ્ચર, રેલવે, મોટર, ટ્રામ, એરોપ્લેન વગેરે મુસાફરીનાં સાધનોની સંખ્યાનો નિયમ, ભૂલથી સંખ્યા ઉપરાંતમાં પગ મુકાઈ જાય વગેરેની યતના રાખવી. ૮. સયણ - શયન : પથારી, ગાદી, તકિયા, ઓસીકો, બેઠકો, ખુરશી, બાંક, કોચ વગેરેનો સમાવેશ થાય છે. તેની સંખ્યાનો નિયમ કરવો. ૧૦. વિલેપન : તેલ, ઉદ્ધવર્તન, પીઠી, ચંદન વગેરે વિલેપન યોગ્ય દ્રવ્યનો સંખ્યા તથા તોલથી પરિમાણ કરી લેવું. ૧૧. બંભ બ્રહ્મચર્ય : પાળવાની બાબતને લગતો નિયમ આમાં કરવાનો હોય છે. જો નિયમ સવારે ધારવામાં આવતો હોય તો આય મર્યાદાને અનુસરીને દિવામૈથુનનો ત્યાગ હોવાથી “બ્રહ્મચર્ય પાળવું” એવો નિયમ કરી લેવાય, અને જે સાંજે ધારવાના હોય તો-ખાસ તિથિ, પર્વ તિથિ કે . Page #240 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૧૬૭ કલ્યાણક દિવસ કે એવો કોઈ મોટો દિવસ હોય કે જેમાં બ્રહ્મચર્ય પાળવાનો પોતાને નિયમ હોય, તો “બ્રહ્મચર્ય પાળવું” એવો નિર્ણય કરવો. તે સિવાયના દિવસોમાં યથાશક્તિ મર્યાદા કરી તે નિયમ ધારી લેવો. ૧૨. દિસિ : કઈ દિશામાં કેટલું જવું ? તે નકકી કરી લે. જો કે છઠ્ઠા વ્રતથી જિંદગીભરમાં કઈ દિશામાં તથા ઊંચે તથા નીચે કેટલું જવું ? તેનો નિયમ હોય છે. પણ અહીં તો તેમાંથી પણ આજને દિવસે અમુક સુધી જવું અને બાકીનો ત્યાગ કરવાનો હોય છે. પ્રમાણ ઉપરાંત તીર્થયાત્રા કે ધર્મના મહત્વના કાર્યાદિને માટે છૂટ રહે છે. ૧૩. વ્હાણ - સ્નાન : કેટલી વખત નાહવું, તથા કેટલા પાણી વગેરેથી નાહવું ? વગેરે પ્રકારનો નિયમ કરવો. જે જિનેશ્વર પ્રભુની પૂજા સ્નાત્રાદિ પ્રતિષ્ઠાદિ કાર્યો નિમિત્તે નાહવું હોય, તો તેની આમાં છૂટી રહે છે. ૧૪. ભત્ત - ભક્ત : ખોરાક – આખા દિવસમાં ખાનપાન કેટલા પ્રમાણમાં લેવું? તેનું તોલથી પ્રમાણ કરવામાં આવે છે. તે ઉપરાંત-નીચેના નિયમો પણ વધારે ધારવામાં આવે છે. ૧. પૃથ્વીકાય -માટી કેટલી વાપરવી? ૨. અપકાય - પીવા, નાહવા, ધોવા વગેરેમાં પાણી કુલ કેટલું વાપરવું? ૩. તેઉકાય - ચૂલા, દિવા, ભઠ્ઠીઓ, સગડીઓ વગેરે કેટલા વાપરવા ? ૪. વાયુકાય - પંખા, વીંજણાં, વગેરે કેટલાનો ઉપયોગ કરવો ? ૫. વનસ્પતિકાય - વનસ્પતિની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો? ૧. અસિ - તલવાર, છરી, ચપ્પાં વગેરે હથિયાર કેટલાં વાપરવાં? ૨. મલી - શાહીના ખડિયા, કલમ, પીંછી, હોલ્ડર, પેન્સિલ વગેરે કેટલાં વાપરવાં? ૩. કૃષિ - હળ, દંતાળ, વગેરે ખેતી વગેરેનાં ઓજારો કેટલાં વાપરવાં? આ દરેક ચીજોનો સવારે નિયમ ધાર્યો હોય, તે સાંજે વિચારી જવો. તેમાંનું જે નિયમ ઉપરાંત વપરાયું હોય, તો ગુરુ મહારાજ પાસે આલોચના કરી યોગ્ય આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું, નિયમ પ્રમાણે વપરાઈ હોય, તો તે વિચારી લેવી. અને થોડી વપરાઈ હોય, તો બાકીની ન વપરાયેલીની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાય છે, માટે તેટલો લાભ ગણવો. એ પ્રમાણે નિયમો વિચારી જવાને નિયમો સંક્ષેખા કહેવામાં આવે છે. એ પ્રમાણે નિયમો સંક્ષેપી, પછીના ફરીથી ધારવા. સાતમા વ્રતના અતિચાર અને તેનું પ્રતિક્રમણ સાતમા વ્રતના અતિચાર બે પ્રકારના છે. ભોગપભોગને આશ્રયીને પાંચ અને ધંધાને આશ્રયીને Page #241 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પંદર-એમ કુલ ૨૦ અતિચાર છે. તેમાંના ભોગોપભોગના પાંચ અતિચારો આ ગાથામાં બતાવ્યા છે – શબ્દાર્થ :- સચિત્ત-સજીવ. પડિબદ્ધે=સચિત્ત સાથે પ્રતિબદ્ધ-જોડાયેલ. અપ્પોલિ=અપવ. દુષ્પોલિ“દુષ્પવ. તુચ્છોસહિભણયા-તુચ્છઔષધિભક્ષણતા. ૧૬૮ 'સચિત્તે પડિબઢે, અપ્પોલ- દુષ્પોલિએં ફ્રેંચ ‘આહારે। તુચ્છોસહિ-ભખણયા, '°પડિકમે દૈસિઍ સવ્વ ॥૨૧॥ ‘સચિત્ત, [સચિત્ત] પ્રતિબદ્ધ, ‘અપક્ષ ’અને “દુષ્પ ‘આહાર, [તથા] તુચ્છ ઔષધિની ભક્ષણતાથી [જે અતિચારો લાગ્યા હોય તે] ‘સર્વ દિવસ સંબંધીનું પ્રતિક્રમણ કરું છું. ૨૧. વિશેષાર્થ :- ૧. સચિત્ત આહાર-અતિચાર - સચિત્ત ત્યાગીને કે સચિત્ત પરિમાણીને, સચિત્ત કે પરિમાણથી વધારે સચિત્ત અનાભોગાદિક કારણથી વપરાઈ જતાં પહેલો સચિત્ત આહાર અતિચાર લાગે છે. ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર - તાજો ઉતારેલો ગુંદર, રાયણ વગેરે પાકાં હોય, પણ બીજ સહિત મોઢામાં નાંખે તો સચિત્ત ત્યાગીને કે પરિમાણીને સચિત્ત પ્રતિબદ્ધ અતિચાર લાગે છે. જેમ કે-‘પાકી રાયણનો અચિત્તગર્ભ ખાઈશ અને સચિત્ત ઠળિયો કાઢી નાંખીશ.” એટલે ભંગાભંગ રૂપ અતિચાર લાગે છે. પાકી રાયણ અચિત્ત છે, અને ઠળિયો સચિત્ત છે પણ તે કાઢી નાંખે છે, છતાં મોઢામાં તો નાંખે જ છે, એટલે અતિચાર લાગે છે. પણ જો તે ઠળિયો ખવાઈ જાય, તો તેનો વ્રતભંગ પણ સ્પષ્ટ છે જ. - ૩. અપાહાર અતિચાર ૧. અગ્નિથી પાકયા વગરનું, ૨. અથવા પાકેલી વસ્તુ જે રીતે ખાવાના ઉપયોગમાં લેવાતી હોય, તે પડ્વ ગણાય. અને તે સિવાયની અપક્વ ગણાય. કાચો લોટ વગેરે અચિત્ત હોય છે. છતાં પણ તે અપક્વ આહાર હોવાથી, તે ખાવાથી, અતિચાર લાગે છે. તે જ પ્રમાણે ફળ, શાકાદિક પણ કાચાં હોય, તો અચિત્ત થયે ખાવાથી પણ અતિચાર લાગે છે. આટાની સચિત્ત-અચિત્તતા આપણે સમજી રાખવી ૧. ચાળેલો આટો - અંતર્મુહૂર્ત પછી અચિત્ત. ૨. ન ચાળેલો - મિશ્ર ગણાય છે, કેમ કે ધાન્યની નખલીઓ વગેરે સચિત્તનો તેમાં રહેવાનો સંભવ છે. શ્રાવણ ભાદરવામાં આસો કાર્તિકમાં માગશર પોષમાં માઘ ફાગણમાં ન ચાળેલો ન ચાળેલો ન ચાળેલો ન ચાળેલો પાંચ દિવસ મિશ્ર. ચાર દિવસ મિશ્ર. ત્રણ દિવસ મિશ્ર. પાંચ પહોર મિશ્ર. Page #242 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૬૯ ચૈત્ર વૈશાખમાં ન ચાળેલો ચાર પહોર મિશ્ર. જેઢ અષાઢમાં ન ચાળેલો ત્રણ પહોર મિથ. કાયમ ચાળેલો અંતર્મુહૂર્ત સુધી મિશ્ર. સચિત્તતલ મેળવેલા જવ, ધાણા, વગેરે આહારનો સમાવેશ આમાં થાય છે. ૪. દુષ્પકવઆહાર અતિચાર - અર્ધ પાકેલ આહાર-પૌંવા, ચણા, કાચા મમરા, ધાણી, તાંદળા, જવ, ઘઉં, જાડાંમાંડાં, ફળ, વગેરે કદાચ અચિત્ત વસ્તુ હોવા છતાં બરાબર પકાવ્યા વિના અતિચાર લાગે છે. આ દુષ્પફર્વ આહાર અજીર્ણાદિ રોગનું કારણ થાય છે, અને બરાબર ન પાકવાથી તેમાં સચિત્ત ભાગ રહી ગયો હોય, તો વ્રતમાં પણ દોષ લાગે છે. શ્રાવકે આરોગ્યદષ્ટિથી કેવો આહાર લેવો જોઈએ ? તેનું તત્ત્વ કંઈક સમજવા જેવું છે, તેથી વિગતવાર અહીં સમજાવીએ છીએ. રોજના ખોરાકમાંથી ઉત્પન્ન થતા રસાદિક સાતેય ધાતુઓની પરિણતિ રોજ રોજ બરાબર માપસર જેમાં થયા કરે, તે સારા આરોગ્યવાળું શરીર ગણાય છે અને એ પરિણતિ જઠરાગ્નિ ઉપર આધાર રાખે છે. જેમ મજબૂત અને તીવ્ર જઠરાગ્નિ તે જ પ્રમાણે બીજા આશયો પણ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરતા હોય છે અને જેમ જેમ બધા આશયો વ્યવસ્થિત રીતે કામ કરતા હોય છે, . ' તેમ શરીરમાં ઓજસ્વિતા વધતી જાય છે. કરાગ્નિ તીવ્ર અને વ્યવસ્થિત છે, તેની નિશાની એ છે કે જેમ બને તેમ કઠણ ખોરાક થોડા કલાકોમાં ય પરિણતિપૂર્વક પચાવી નાંખે અને નવો ખોરાક માંગે, તે જઠરાગ્નિ સારી ગણાય. કઠણ ખોરાકમ-ટલાં-રોટલી એકલા હોય ને સાથે વ્યંજન દ્રવ્ય શાકાદિક નામનું જ હોય, તે પચાવી શકનારની જઠરાગ્નિ સારી ગણાય. સહેજ શાક સાથે સંખ્યાબંધ રોટલીઓ ખાઈ જનારા મહેનતુ લોકોને આપણે જોઈએ છીએ. એવી ચીજો વિના આજે આપણે ભાત, દાળ, ખીચડી, શાકો, ખટાશ, અથાણાં, દૂધ, ઘી, છાશ, દહીં, મુરબ્બા, છુંદા, પાપડ, મરચાં, ગળપણ, ફરસાણ વગેરે વિવિધ વસ્તુઓ ખાઈએ છીએ, તે નબળી જઠરાગ્નિનો પુરાવો છે. જેની સારી જઠરાગ્નિ હોય, તેને એવા સહકારી પદાર્થોની ખાસ જરૂર પડતી નથી. સ્વાદ કે વિવિધતા ખાતર ખાય છે. ઉપર જણાવેલ પદાર્થો ખાવાની ખરી રીતે જરૂર નથી, તે ચીજો આજે નબળા આરોગ્યને લીધે આપણે ખાઈએ છીએ, એ ખાવાનું મન થાય છે, તેના વિના ખાવું ભાવતું નથી, એટલે મોઢાના રસો ફીકા છે, તે જઠરાગ્નિ મંદ હોવાનો પુરાવો છે. ખરી જઠરાગ્નિવાળાને ગમે તે ચીજ ઘણી જ મીઠી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. મધુર લાગે છે. જે ચીજો બિનજરૂરી છે, છતાં તે ખાઈએ છીએ, એ તો ખરું, પરંતુ તે પણ કાચી, અપકવ કે દુષ્પફવ ખાઈએ છીએ. ઉપરાંત, કેટલાક તો અભક્ષ્ય અને અનંતકાય ચીજો ખાય છે. વળી કેફી, ઝેરી, માદક, પારો તથા ગંધક વગેરે રસાયણવાળી દવાઓ Page #243 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો લે છે. પ્રાણીઓના શરીરમાંથી કાઢેલાં રસો અને તત્ત્વોની તથા કેફથી ભરેલી વિલાયતી ઉગ્ર દવાઓ લે છે. એ સર્વ વસ્તુઓ સરવાળે આદર્શ આરોગ્યથી આપણને કેટલા નીચે ઉતારી પાડે, એ સ્પષ્ટ સમજાય તેમ છે. ૧૭૦ જેમ બને તેમ કઠણ અને થોડી સંખ્યામાં દ્રવ્યો પ્રમાણસર અને વખતસર ખાવામાં આવે, તો તે આરોગ્યને ફાયદાકારક થાય છે. આ નિયમ આરોગ્યશાસ્ત્રને સમ્મત છે. વૈદ્યકશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બન્નેય એક બાબતમાં એકસરખી રીતે સમ્મત જણાય છે કે, ખાવા લાયક પદાર્થો અપક્ષ કે દુષ્પ તો ખાવા ન જોઈએ. વૈદ્યક શાસ્ત્રની દૃષ્ટિથી અર્જીણ કરે છે, અને તે પણ પરંપરાએ ધર્મમાં વ્યાઘાતક થાય છે, એટલે ધર્મશાસ્ત્રની દૃષ્ટિથી પણ અજીર્ણ થવા ન દેવું જોઇએ, અને સચિત્ત તથા મિશ્ર ખવાયાથી વ્રતભંગ તથા હિંસાદિ દોષ તો લાગે જ છે, માટે અપક્ષ કે દુષ્પવ ચીજો ખાવી ન જોઈએ. નીŌ મોખનમ્ એ માર્ગાનુસારીનો એક નિયમ છે. કઈ ચીજ કેમ પકવવી ? કયારે સુપવ ગણાય ? કોને દુષ્પવ ગણાવી ? તેને માટે વસ્તુઓવાર ઘણું વિવેચન થાય તેમ છે, અને તેનો એક ગ્રંથ થાય, પરંતુ અહીં તો માત્ર દિશાસૂચન કરીને તે વિષય સમાપ્ત કરીશું. હાલના સમયમાં વિટામીનની ચર્ચાથી શકિત અને આરોગ્યપ્રદ આહારની ચર્ચા થઇ રહી છે. તેથી જુદાં જુદાં માણસો જનસમાજને આહારની બાબતમાં જુદાં જુદાં લિસ્ટો બતાવીને ભલામણો કરી રહેલ છે. હમણાં જ અમદાવાદની લોકલ બોર્ડ તરફ્થી એક પત્રક બહાર પડ્યું છે. તેમાં કયા આહારમાં કેટલું અને કઈ જાતનું વિટામીન (જીવનતત્ત્વ) છે ? તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. અને દરેક ઘેર એ પત્રક ચોડવાની ભલામણ કરી છે, તેમાંથી દારૂ વગેરે માદક પદાર્થો તથા માંસાહારને જો કે બાદ કરેલ છે, પરંતુ વખત જતાં ભક્ષ્યાભક્ષ્યનો ધાર્મિક વિવેક ભૂલેલી હોય તેવી પ્રજા, આ લિસ્ટમાં અમુક કોઈ માંસનાં તત્ત્વોને ખૂબ જીવનતત્ત્વ પોષક તરીકે ભવિષ્યમાં દાખલ કરી દે, તો તે તરફ દોરવાઈ જાય એવો સંભવ માની શકાય. એ પત્રક ઉપર ઉપરથી પ્રજાના આરોગ્યની ચિંતામાંથી ઉત્પન્ન થયું હોય, તેમ દેખાય છે, પણ પ્રજાના આહારની જે રીતે ખરાબી થઈ છે તેનાં કારણો તો ચાલુ જ છે, અને તેમાં વધારો થતો જાય છે, તેના તરફ લોકલ બોર્ડે ધ્યાન ન આપતાં પ્રજાને અવળે રસ્તે દોરવવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે આદર્શ-પક્વ આહાર - છાણાના માપસરના અગ્નિ ઉપર માટીનાં વાસણોમાં યુક્તિ યુકત ગરમીથી પકવેલા આહાર આદર્શ સુપક્વ આહાર થાય છે. તેમાં એક જાતની સુગંધ આવે છે. નવીન જાતની મીઠાશ ઉત્પન્ન થાય છે, રુચિપૂર્વક ખાવાનું મન થાય છે. યોગ્ય પ્રમાણમાં ખાઈ શકાય છે, અને તે ખોરાકની રસ રુધિરાદિપણે પરિણતિ ઝપાટાબંધ ને ઘણી સારી રીતે થાય છે. શરીરમાં આહ્લાદ, શાંતિ તથા તૃપ્તિ તરત જણાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૭૧ આ બાબતનો પ્રયોગ જેમણે કરી જોયો હોય, તેઓએ કોલસા ઉપર લોઢીમાં કરેલા રોટલારોટલી ખાઈ જોવા અને બીજે દિવસે ઉપર જણાવેલી વિધિ પ્રમાણે કરીને ખાઈ જોવું. આકાશ અને પાતાળ જેટલું અંતર જણાશે. ખીચડી અરધી ચૂલા ઉપર ચડવા દઈ, અરધી ભાઠા ઉપર ચડવા દઈ, અને પછી કેવળ ગરમ રાખ ઉપર રહેવા દઈ કુલ બે કલાક સુધી રીતસર પાક થવા દેવાથી તેનો સ્વાદ, સુગંધ, વગેરે ફેરવાઈ જશે. એ જ પ્રમાણે શાકોને અરધા પાકયા પછી ધીમી ગરમી ઉપર મૂકવાથી આખું રસોડું તેની સુગંધથી મઘમઘાટ થઈ રહેશે. એ રીતે કરેલા બાજરીના રોટલા કોઈ જુદી જ મીઠાશ આપશે. આ આપણો નિત્યના ખોરાકનો પાક-વિધિ થોડાં વર્ષો પૂર્વેનો જ હતો. તેને બદલે સગડી, કોલસા-ઘાસલેટ, ઇલેક્ટ્રિક, લોઢી, પીત્તળકે એલ્યુમિનિયમનાં વાસણો, સંચેથી દળાવેલા આટા વગેરેનો ઉપયોગ, તેમજ યોગ્ય પાક વિધિ નવો સ્ત્રી વર્ગ ભૂલતો જાય છે, હોટેલો વગેરેમાંના ખોરાકો, એ વગેરે ઉપરથી હાલની આપણી ખોરાક વિધિ કેટલી નીચી પાયરીએ જઈ પહોંચી છે, તે વિચારી જેવા જેવું છે કે-આથી આરોગ્ય કેમ ન બગડે? રોગો અને રોગીઓની સંખ્યા કેમ ને વધે? હાલમાં-મકાનધણી છાણા કે લાકડા બાળવા ન આપે, શહેરી જીવન, ઝટ રાંધીને નવરા થવાની વૃતિ, સ્ત્રી વર્ગમાં લગભગ આવતો જતો કંટાળો : આ બધી સ્થિતિમાં લગભગ આપણે કાચો જ આહાર લઈએ છીએ. ઢોકળાં, ઢોકળી, પાપડ, પૂરી, ઢેબરાં વગેરે વરાળથી પાકતાં કે શેકાતાં સામાન્ય રીતે અર્ધ કાચાં જ ગણાય છે. મકાનધણી કદાચ છાણાં લાકડાં વાપરવાની છૂટ આપે, તો પણ “છાણ ખાતર માટે ઉપયોગી હોવાથી તેને લોકો બાળી નાંખે છે, માટે તે કાયદો કરીને અટકાવવું. એટલે લોકો કોલસા-ઘાસલેટ કે ઇલેકિટ્રક વાપરે” એવો આદર્શ થતો જાય છે. આ સ્થિતિમાં યોગ્ય વિટામિન જળવાઈ રહે તેવો ખોરાક પ્રજાને સસ્તામાં મળી જ શી રીતે શકે? વળી પ્રવૃત્તિપ્રધાન પ્રજાને તે રીતે પકાવવાનો વખત જ કયાં રહેવાનો ? હોટલો અને વીશીઓની સંખ્યામાં વધારો થયે જાય છે, ત્યાં સસ્તા અને યોગ્ય ખાનપાનની આશા શી રાખવી ? તેવી સ્થિતિમાં લોકલ બોર્ડના ઉપર જણાવેલાં પત્રકો શરૂઆતમાં લોકોને આકર્ષક લાગશે. પણ પરિણામે ચાલુ ખોરાકમાંથી જીવનતત્વ પોષક તત્વો ન મળવાથી આખરે લોકલબોર્ડ ફેરફાર કરશે, તે તરફ પ્રજા દોરવાઈ જશે, અને પરદેશથી બિસ્કિટ વગેરે તથા તૈયાર થઈને આવતા બીજા ખોરાકોના ડબ્બાઓ વપરાશમાં કેમ નહીં આવી જાય ? તેમજ ડૉકટરો વગેરે જુદા જુદા ખોરાકોની રોગીઓને ભલામણો કરીને ટેવ પાડશે તે જુદી. દેશી કે પરદેશી બિસ્કિટ સાથે સંબંધ નથી પણ ખોરાકની ખરી સ્થિતિ ફેરવાઈ આ દેશના લોકોને નુકસાનકારક ખોટી દાખલ થાય, તે સામે વાંધો છે. માટે આપણી પ્રાચીન આહારપાક વિધિ સર્વોત્તમ અને જીવનતત્ત્વ પોષક છે. તેમાં સંશયને અવકાશ નથી. જેમ બને તેમ તે ટકાવી રાખવામાં આપણું શ્રેય છે. કેટલાક મગફળી, પલાળેલાં ઘઉં તથા ચણાની દાળ, કાચાં શાક વગેરે ખાય છે. તે પણ ઠીક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો નથી. આપણા જઠરાગ્નિને તે માફક નથી, અને તેથી ઘણા રોગના ભોગ બન્યાના દાખલા બહાર આવ્યા છે. તે અપકવ ખોરાક છે. આ જ રીતે દુણાઈ ગયેલી દાળ-ખીચડી, ઓસાવેલો ભાત, કાચા રોટલા-રોટલી, તથા દાઝેલા – બળેલા રોટલા - રોટલી, ખરા – કડક થઈ ગયેલા રોટલા – રોટલી વગેરે દુષ્પક્વ આહાર ગણાય છે. કાચો રોટલો જેમ પચવામાં ભારે છે, તેમ ખરા થયેલા રોટલાના ટુકડા તોડતાં જઠરાગ્નિને મહેનત પડે છે, તેથી તે પચવામાં ભારે થાય છે. તેથી અપફવ, અતિપફવ, કે અયોગ્ય રીતે પફવ ખોરાક દોષકર છે, પણ સુપફવા ખોરાકગુણકર છે. આપણા શાસ્ત્રકારોએ પણ-અપકવાહાર અને દુષ્પકવઆહારને અતિચારમાં ગણાવીને આરોગ્ય તરફ પણ શ્રાવકનું ધ્યાન ખેંચ્યું છે. વિના કારણે આરોગ્ય બગડવા દેવું ન જોઈએ. તેમજ આરોગ્ય આરોગ્ય કરીને તપશ્ચર્યા વગેરે છતી શક્તિએ કરવાનું છોડવું પણ ન જોઈએ; કારણ કે, તપશ્ચર્યાદિ દોષોનો નાશ કરે છે, અને યોગ્ય વિધિથી કરવામાં આવે, તો આરોગ્યમાં પણ પોષક થાય છે. ઘી, દૂધ વગેરે સ્નિગ્ધ આહારનો અતિયોગ થાય છે, તો તે રોગોત્પાદક થાય છે, મેદ વધારે છે. તેવા સંજોગોમાં આયંબિલ કોઢ, મેદ, વગેરે રોગોને ખાસ મટાડી દે છે. તપશ્ચર્યા જેમ આત્માને ગુણ કરે છે, તેમ શરીરને પણ ફાયદાકારક થાય છે. પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ તપશ્ચર્યા આત્માને પોષણ રૂપ ન થતાં બાળતા રૂપ ગણાય છે, તેમજ આરોગ્ય સાધક આજ્ઞાસિદ્ધ તપશ્ચર્યા આત્મા અને શરીર બન્નેને ફાયદો કરે છે. ગુરુગમથી તેના પ્રકારે સમજી શકાય છે. તપના અનેક પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. તે આ પ્રમાણે જીવ વિશેષના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને બીજા સંજોગોને ઉદ્દેશીને અનેક પ્રકારો સૂચવ્યા છે. તેમાંના કોઈ ને કોઈ પ્રકારે તપશ્ચય કરવાથી સમકિતવંત જીવને આરાધના ગણાય છે. માર્ગાનુસારિતાના ગુણમાં ““મોનનY ની પોઝન' રૂપ ખાસ ગુણ બતાવ્યો છે. માટે આહારવિધિમાં ઉપયોગવંત રહેવામાં દોષ નથી. પરંતુ આસકિત, લોલુપતા અને અવિરતિ પરિણામજનક રીતે આહારવિધિની ખટપટ અને વિચારણા ત્યાગ કરવા યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય પંદર કર્માદાનના ધંધાઓ રૂપ અતિચારોનું વર્જન. શબ્દાર્થ :- ઈંગાલી=અંગારા. વણવન. સાડી શકટ-ગાડાં. ભાડી ભાઠાં. ફોડીક સ્ફોટક-ફાડવું-ફોડવું. સુવજજએ સારી રીતે વર્જન કરવું-ત્યાગ કરવો. કમ્મ કર્મ-ધંધો. વાણિજ્જ વાણિજ્ય-વેપાર. દંત-લખ-રસ-કેસ-વિસ-વિસયં દાંત, લાખ, રસ, વાળ, અને ઝેર સંબંધી. એવં એ પ્રમાણે. ખખલુ-જ. જંત-પિત્રણ-કર્મ યંત્ર પોષણકર્મ, યંત્રોથી પીલવા, ભરડવાનું કામ. નિબંછાણ નિલઇન, લાંછન લાગે તેવા ક્રૂરતાભર્યા કામો. દવદાણંદનદાન, જંગલ સળગાવવા. સર-દહ-તલા-સોસં=સર, કહ, તલાવ શોષ, સરોવર-કુંડો-તળાવો સૂકવવાં. અસઈ-પોસં અસતી પોષ, અસતીનું પોષણ, અયોગ્યનું પોષણ. Page #246 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્ષણસૂત્ર ૧૭૩ 'અંગાલી વણસાડી, 'ભાડી ફોડી "સુવર્જએ કર્મો વાણિજ્જચવ “દંત, લફખ-રસ-કેસ-વિસ-વિસયારા "એવું ખજંત-પિલ્લણ-કર્મો 'નિત્યંછાણં ચ દવ-દાણા સર-દહ-તલાય-સોસ, અસઈ-પોસંધ ‘વજિજા તારા "અંગારા, વન, ગાડાં, 'ભાઠાં અને "ફોડવા-ફાડવાનાં કર્મોનો અને “દાંત, લાખ, રસ, વાળ, ઝેર સંબંધી “વપારનો તદ્દન ત્યાગ કરવો. ૨૨ "એમ જ યંત્ર, પિલ્લણકર્મ, 'નિર્લંછન [કર્મ), 'દવ દેવા, સરોવર, કુંડો, તળાવો સૂકવવા અને અસતી પાળવા-પોષવાનો ત્યાગ કરવો. ૨૩ વિશેષાર્થ:- આ પંદર કર્માદાનના ધંધાઓ ઉપલક્ષણથી ગણાવ્યા છે. તેના પેટામાં તેવી જાતના અનેક ધંધાઓનો સમાવેશ થાય છે : પાંચ કામો ૧. અંગાર કર્મ : લાકડાં સળગાવરાવી કોલસા પાડવા-પડાવવા, નળિયાં તેમજ ઈંટો પકવવી, નિભાડા સળગાવવા, સોની, લુહાર, વગેરેના ભઠ્ઠીના ધંધાઓનો આમાં સમાવેશ થાય છે. એન્જિનમાં કોલસા પૂરવા, એન્જિનો ચલાવવા, કોલસાના કૌંટ્રાકટર રાખવા, મિલોના બોયલરો ચલાવવા, વગેરેનો આમાં સમાવેશ થાય છે. ઘાસલેટ, પેટ્રોલ, ઇલેકિટ્રક, છાણાં, બાળવાના લાકડાની લાટીઓ વગેરે વગેરે ઉત્પન્ન કરવા વેચવા અથવા તેનો વપરાશ કરીને આજીવિકા ચલાવવાની હોય, તે દરેકનો આ કર્માદાનમાં સમાવેશ થાય છે. ૨. વન કર્મ : જંગલો કપાવવાં, જંગલને લગતી ચીજો, ઝાડ, લાકડાં, ફળો, ફૂલો, કાંદા, મૂળિયાં, દાતણ, વગેરેની સોટીઓ-કાપી કપાવી વેચવા, તેના કાઁટ્રાકટ રાખવા. જંગલો ઉત્પન્ન કરવાં કરાવવા, બગીચા વાડીઓ કરી આજીવિકા ચલાવવાના ધંધાઓનો આમાં સમાવેશ થાય છે. અનાજ દળવા દળાવવાના ધંધાને પણ યોગ શાસ્ત્રમાં વનકર્મ ગણેલ છે. ૩. શકટ કર્મ : ગાડી, ગાડીઓ, ઘોડાગાડી, સીગરામ, ટ્રામ, મોટર, રેલવે, વિમાન વગેરે વાહનો તથા યંત્રો અને તેનાં અંગો વગેરે બનાવવાં બનાવરાવવાં વેચવા વગેરેથી આજીવિકા ચલાવવી, યાંત્રિક વાહનોનો ઉપયોગ કરવાથી પશુવાહનો કતલખાને જવા સંભવ છે. એટલે યાંત્રિક વાહનોમાં અત્યંત હિંસા છે. ૪. ભાડાકર્મ : ગાડાં ગાડી, મોટર, સાઈકલ, ઘોડા, ઊંટ, મોટર, મોટરલોરીઓ, બત્તીઓ, રિક્ષા, પાડા, ખચ્ચર, પોઠિયા, બળદ, એરોપ્લેન, વહાણ, સ્ટીમર, વિમાન વગેરે મારફત ભાડાં ઉત્પન્ન Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો કરવાના કામ સાથે સંબંધ રાખતા ધંધા કરી આજીવિકા ચલાવવી. મકાનો, શાલીઓ બનાવરાવી ભાડાં ઉત્પન્ન કરવાં. ૫. સ્ફોટકર્મ: ધાન્ય દળાવવાં, દાળો બનાવરાવવી, મેંદો, સોજી, વગેરે તૈયાર કરાવવા. દળવાની ઘંટીથી આજીવિકા ચલાવવી. ચોખા ખંડાવવા, સોના, રૂપા, હીરા, કોલસા, પથ્થર, માટી, ક્ષાર, વગેરેની ખાણો ખોદવી ખોદાવવી, જમીનો ખોદવી, હળ ખેડવા, પથ્થર ઘડવા, વગેરે સ્ફોટક કર્મ કહેવાય છે. કેરોસીનના કૂવા કરાવવા, પાણીના કૂવા ગળાવવા, સરોવર, તળાવ, વાવો ખોદાવવાં, બંદરો, નહેરો, સડકો, ખાઈઓ, બોરીંગો વગેરે કરવા કરાવવાનો આમાં સમાવેશ થાય છે. પાંચ વેપાર ૧. દાંતનો વેપાર : હાથીદાંત, ઘુવડના નખ, કોશેટાના રેશમ, હંસાદિ પક્ષીઓનાં પીંછાં, ચામડાં, ચમરીના પૂંછડાના વાળ, શીંગડાં, શંખ, છીપ, કોડીઓ, મોતી, કસ્તુરી, ગોરોચંદન, અંબર, શાબરશિંગ, હરણશિંગ, વગેરે જીવોનાં અંગોના વેપારનો આમાં સમાવેશ થાય છે. ૨. લાખનો વેપાર : લાખ, ધાવડી, ગળી, મણસીળ, હડતાલ, ગુંદર, વજલેપ, અત્તર, ભાંગ, ગાંજો, ચડસ, ચા, તમાકુ, બીડી, સિગારેટ, અફીણ, કૉફી, સાબુ, ટંકણખાર, ફોડવાના દારૂ, પોટાશ, બૉબ ગોળા વગેરેનો આમાં સમાવેશ થાય છે. ૩. રસનો વેપાર : મધ, માંસ, માખણ, દારૂ, આસવો, દૂધ, ઘી, તેલ, દહીં, સ્પીરીટ, ખારો, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈલ વગેરેનો આમાં સમાવેશ થાય છે. ૪, કેશવાણિજ્ય : વાળનો વેપાર, ઘેટાની ઊન, બકરાના વાળ, ચમરીના વાળ, ઊંટના વાળ, બીજાં એવાં પશુઓના રૂંવાટા વગેરે જેમાંથી દોરડાં, કપડાં વગેરે થાય, તેવાઓ સંબંધી ધંધો. અથવા દાસ દાસી વગેરે મનુષ્યો અને ગાય ઘોડા વગેરે પશુઓનો વેપાર. ૫. ઝેરનો વેપાર : ઝેર-સોમલ વગેરે ખનિજ, વિષ, સર્પ વગેરેના પ્રાણીજન્ય વિષ, વચ્છનાગ વગેરે વનસ્પતિ વિષ. સોમલ, ઝેરી દવાઓ, કલોરોફોર્મ, ઝેરી ગ્યાસો તથા ઓછીવધતી અસર ઉત્પન્ન કરનારથી માંડીને કાતિલ ઝેર સુધીના અનેક જાતના હળાહળ વગેરે દુનિયામાં ઝેરો થાય છે. ઈંજેક્ષનો વગેરે પણ ઝેરોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. હડકાયા કૂતરાની લાળમાંથી હડકાયા કૂતરાનું ઇંજેક્ષન થાય છે. કૉલેરાની ઊલટીમાંથી, પ્લેગની રસીમાંથી સર્પના ઝેરમાંથી તે તે ઇંજેક્ષનો બનાવવામાં આવે છે. ત્યારે ઘણા જીવો રિબાય છે. દાખલા તરીકે, એ ઝેરી લાળ વગેરે ખોરાક સાથે વાંદરા વગેરેને ખવડાવે છે. પછી તેઓનું લોહી યંત્રથી ખેંચી લે છે, ને તેમાંથી પૃથકકરણ કરીને દવા બનાવે છે. પછી તેઓને હષ્ટપુષ્ટ કરીને ખવડાવે છે, ને લોહી ખેંચી તેમાંથી દવા બનાવે છે. આમ તેની બનાવટમાં પણ ઘણા જીવો રિબાય છે, વસ્તુત: એ એક જાતના ઝેરો જ છે. કાચાં ઈંજેક્ષનો હોય છે, તો ઊલટી અસર કરીને ઝેર ચડી જાય છે, અને માણસો મરવાના પણ દાખલા બને છે. તેથી Page #248 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૧૭૫ રોગો મટે છે, પણ વિષ આખરે વિષ તરીકેનું કામ કરે જ છે, ને પરિણામે લાંબે વખતે હૃદય (હાર્ટ), મગજ (બ્રેઈન) તથા જ્ઞાનતંતુઓ નબળા પાડી નવા રોગના કારણભૂત બને છે. ઝેર સાથે કોશ, કોદાળા, હળ વગેરે લોઢાનાં હિંસક સાધનોના વેપારનો પણ આમાં સમાવેશ થાય છે. કુહાડા, કરવતો, બંદૂકો, તોપો, મશીનગનો, પિસ્તોલો, તલવારો, બરછી, ભાલાં વગેરેના વેપારનો આમાં સમાવેશ થાય છે. પાંચ ખર[ફૂર] કમ ૧. યંત્ર પીડન કર્મ: શિલા-પથ્થર, ખારણીયા, સાંબેલા, ઘંટી, ઘંટા, અરઘટ્ટ, ટાંકણા, ઘાણા ઘાણી, શેરડી પીલવાના ચચોડા, તથા બીજા પણ હાલનાં અનેક જાતનાં વરાળયંત્રો, ઘાસલેટ યંત્રો, પેટ્રોલયંત્રો, વીજળીકયંત્રો યુક્તિબળયંત્રો, મિલો, જીનો, તથા બીજા-કારખાનાને લગતાં, ખેતીનાં, કારીગરો માટેનાં, એકંદર તમામ પ્રકારનાં યંત્રો ચલાવવા-વેચવા-બનાવરાવવા વગેરેનો સમાવેશ આ કર્મમાં થાય છે. યોગશાસ્ત્રમાં ઘંટી વગેરેના વેપારને વિષવાણિજ્યમાં બતાવેલ છે. ૨. નિલંછન કર્મ : ગાય બળદોની ગોદડીઓ કાપવી, શિંગડાં, પૂંછડા કાપવા-કપાવવા, નાક કાન વીંધવા-વિધાવવા, આખલા આંકવા, બળદ ઘોડા માણસ વગેરેને ખસી કરવા, સ્ત્રીઓના ગર્ભાશય * કાપવા; કૂતરાઓને ઝેરના લાડવા ખવડાવવા, કસાઈખાનાં ચલાવવા, માંદા ઘોડાઓને વીંધી નાખવા, માંદા ઢોરો વગેરેને ઝેરી દવાઓથી વહેલા મારી નાંખવા; ઊંટોની પીઠો ગાળવી, બકરા વગેરેનાં વૃષણ કાપી પૌષ્ટિક દવાઓ બનાવવી, જંતુઓનાં આંતરડાં-કાળજાં કાઢીને દવા બનાવવી; તાજા જન્મેલા વછેરાના લોહી વગેરેથી દવાઓ બનાવવી; માછલીનાં તેલોનાં કારખાનાં; મડદાંઓમાંથી તેલ કાઢવાં, ડેથરે [મારક કિરણો]થી જંતુઓનો સંહાર કરવો, સંતાન રોધક પ્રસંગો કરવા, મરણનો સામાન [નિહાર] વેચવો. મૃતક ઉપરની વસ્તુઓ લેવી, ઉદરો, વાંદરા વગેરેને મારી નાંખવા, હાથીદાંતો, અંબર, કસ્તૂરી વગેરે માટે હિંસા કરી તે ચીજો મેળવવી, શિકાર કરવા, કૂટણખાના ચલાવવા વગેરે ધંધા ઘણા જ ખરાબ છે. શ્રાવકને આવા ધંધા કરવાનો સંભવ નથી, પરંતુ તેમાં આડકતરી મદદ અપાઈ જાય તો પણ મહાદોષને માટે થાય છે. ફાંસી દેવી, શૂળીએ ચડાવવા, ચોરોને કાતિલ માર મારવા, ખૂન, મારા, ગળકટ્ટા, ફાંસીયા, વગેરે ધંધાનો આમાં સમાવેશ થાય છે. ૩. દવદાહ : જંગલો સળગાવવા, ઘાસના સાલા બાળી દેવા, ઘાસના બીડ સળગાવી દેવા, ગામડાં સળગાવી દેવાં અથવા ભિલ્લ વગેરે કોમમાં મરતી વખતે કહેવામાં આવે છે કે-“આટલા જંગલ સળગાવવાના પુણ્યદાન તમને કરવામાં આવે છે.” એમ સાંભળવામાં આવે છે. અથવા "ઘાસ વગેરે બાળવાથી ખેતી સારી થાય” વગેરે આશયથી અથવા કુતૂહલ બુદ્ધિથી આવા દાહ લગાડવા. એ મહાભયંકર ક્રૂર કામ છે. ૪. જળાશય શોષ : તળાવ, સરોવર, કંડો વગેરે સૂકવવા માટે નીકો કરીને પાણી બીજે લઈ · Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો જવું. સુકાયા પછી ત્યાં ખેતી સારી થાય, તથા મચ્છી માટેનો ધંધો સારો ચાલે, તેમજ સમુદ્રકિનારેથી માછલાં પકડાવી તેની સુકવણી વગેરે કરી પરદેશે વેચવા સ્ટીમરો ભરી મોકલવી. મીઠાના અગર પકવવા માટે તેવા સરોવરો સૂકવવા વગેરેનો આમાં સમાવેશ થાય છે. ૫. અસતી પોષણ : ધંધા ખાતર-દાસીઓ, નપુંસકો, વેશ્યાઓને પાળવા; પોપટ, મેના, તેતર, વાંદરા, રીંછ, બકરા, ઘેટાં, ઊંટ, ઘોડા, બિલાડા, કૂતરા, કૂકડા, સુવર, આખલા, વગેરે પાળી તેમને લડાવી, થતા મૈથુન કર્મથી પ્રજા ઉત્પન્ન કરી વેચી ધંધો ચલાવવો, સરકસો માટે પશુઓ કેળવવાં, પશુઓથી સરકસો, મદારીના ખેલો ચલાવવા; આ સર્વ અસતીપોષ છે. ગૌડદેશ વગેરેમાં છોકરીઓ વેચાતી રાખી તેમની પાસે વેશ્યાનો ધંધો કરાવી આજીવિકા ચલાવે છે. વગેરે અસતીપોષણ છે. આ પંદર કર્માદાનો નિંદ્ય તેમજ અધિક પાપકારી હોવાથી આચરવા યોગ્ય નથી. અંગારકર્મથી છએય કાયના જીવોનો વધ થાય છે. વનકર્મથી વનસ્પતિકાય તથા તેને આશ્રયે રહેલા ત્રસ જીવોની હિંસા થાય છે. શકટ અને ભાટક કર્મથી પણ માર્ગ વગેરેમાં તેમજ પશુઓને દુઃખનું કારણ હોવાથી હિંસા થાય છે. સ્ફોટ કર્મમાં પણ ત્રસાદિ છવોની મોટી હિંસાઓ છે. હાથીદાંત વગેરેના વેપાર કરનારાઓને ઘણા દોષ લાગે છે, કારણ કે તેમાં વિશેષ લાભ જોઈને ભિલ્લો વગેરે હાથી વગેરેને ખાસ મારીને લોભને વશ થઈને માલ વધારે ઉત્પન્ન કરે છે. લાખમાં ઘણા ત્રસ જીવો હોય છે. ધાવડી વગેરેના ફળફૂલ દારૂમાં ઉપયોગી છે, અને તેના ચૂર્ણમાંથી કરમિયા ઉત્પન્ન થાય છે. મણશીલ તથા હડતાળ વગેરે ઝેરી હોવાથી બાહ્ય જંતુઓનો ઘાત કરનાર છે. પટવાસ (અત્તર) વગેરેમાં ત્રસ જીવો હણાય છે. ટંકણખાર, સાબુ, બાહ્ય જીવોના વિનાશના નિમિત્તભૂત થાય છે. હાલના ઘણા સાબુ ચરબીમાંથી બને છે. તેમજ તેની મોટી મોટી ભઠ્ઠીઓ થાય છે. રસવાણિજ્યમાં તો મધ-માંસ વગેરે જંતુઘાતથી ઉત્પન્ન થાય છે અને તેમાં પણ જંતુઓ ઉત્પન્ન થાય છે. દૂધ-ઘી વગેરેમાં સંપાતિમ જીવોની વિરાધના થાય છે. બે દિવસ ઉપરાંતનાં દહીં વગેરે અભક્ષ્ય થાય છે. શરીરના સડેલા ભાગ ઔષધોથી સુધરી શકે છે, તેનાથી સુધારી લેવું જોઈએ. કાપ્યા પછી તો એ ભાગ સદાને માટે નાશ પામે છે. સ્ત્રીઓના ગર્ભાશય કાપવા-ઑપરેશનો કરવાં એ પણ વાજબી નથી. કોઈ પણ રોગ શરીરમાં ઉત્પન્ન થયેલી વિક્રિયાથી ઉત્પન્ન થાય છે. તે વિક્રિયા મટાડવાથી એ રોગ મટી જાય છે. પરંતુ તે જ્ઞાનને અભાવે તુરત તે ભાગ કાપી નાંખવામાં આવે છે, એ યોગ્ય નથી. રોગનાં કારણો શરીરમાં રહેવાથી ફરી એક કે બીજા સ્વરૂપમાં બીજો રોગ થાય છે. એક માણસના પોતાના બન્ને હાથ પણ સરખા નથી. એનાટોમીમાં આપેલાં વર્ણનો અપૂર્ણ અને પૂલ છે. લોહી કે માંસ બગડે તો તેનું ઑપરેશન કેમ થાય? માટે તેને સુધારતાં આવડવું જોઈએ. હાડવૈદ્યોનો ધંધો કરનારાઓએ હાલના વિજ્ઞાનની મદદથી આ શાખા ખીલવીને ધંધા માટે પ્રતિષ્ઠા ખાતર મોટું સ્વરૂપ આપ્યું છે. કુદરતે ઉત્પન્ન કરેલાં અંગો ઉત્પન્ન કરવાની માણસની શક્તિ નથી. એટલે વગર વિચાર્યું તરત જ કાપી નાંખવામાં ડહાપણ નથી. સારા વૈદ્ય ડૉકટરો તેમ કરતા નથી. અલબત્ત, કોઈ અનિવાર્ય સંજોગોમાં જે કે વાઢકાપ વૈદ્યકશાસ્ત્રનું અંગ છે. પણ તેનો વ્યાપક પ્રચાર ભયંકર છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૭૭ કેશ વાણિજ્યમાં દ્વિપદ, ચતુષ્પદ વગેરેને પરવશ રાખવા, બાંધી રાખવા, માર મારવો ભૂખ્યા તરસ્યા રાખવા, તથા બીજી પીડા થાય તેના નિમિત્તભૂત થવાય છે. વિષવાણિજ્યથી-વિષ જીવનો ઘાત કરનાર સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ જ છે. પલાળેલી હરતાળ ઉપર માખી તરત જ મરી જાય છે. સોમલ વગેરેથી તરત મરણ નીપજે છે. અને વખતે રાજ્યાદિકથી દંડ થવાનો સંભવ છે. ભૂલથી પોતાના કે પોતાના કુટુંબીના ખાવામાં આવી જાય તો પરઘાત તો દૂર રહ્યો, પણ સ્વઘાત પણ થઈ જાય છે. યંત્રપીડન કર્મ કરવાથી સ્પષ્ટ જંતુ ઘાત છે જ. નિલાંછનકર્મમાં પંચેન્દ્રિય જીવોને પીડા છે. દવદાહમાં અનેક કરોડો ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવોની હિંસા સ્પષ્ટ છે જ. ડેથ (મારક કિરણો)થી અનેક જંતુઓનો સંહાર કરવામાં આવે છે. તે પણ એક જાતના દવદાહ જેવું જ છે. સરોવર વગેરે સૂકવવામાં પણ છયે કાયના જીવોની ઘણી જ હિંસા થાય છે. અસતીપોષણમાં-તેઓનાં દુષ્ટ કાર્યોમાં પ્રેરણા-અનુમોદના વગેરેથી પાપની વૃદ્ધિ જ થાય છે. આ ઉપરાંત ક્રૂરતાભર્યા બીજાં પણ કામોનો આમાં સમાવેશ થાય છે. જેમ કે-કોટવાલ, ફોજદાર, લશ્કરી કે મુલ્કી સિપાઈ, સીમાપાલક, સેનાપતિપણું, હિંસક સંશોધનો, હાલના યંત્રવાદના આગ્રહમાંથી ઉત્પન્ન થયેલાં નાનાં મોટાં તમામ યંત્રો ઉત્પન્ન કરવા વેચવા, પ્રચારવા, તેનો ધંધા માટે ઉપયોગ કરવો, એ સર્વ મહાકર્માદાન છે. વાસ્તવિક રીતે તેની માનવ સમાજને ખાસ જરૂર નથી. તેના માનવસમાજનો તમામ જીવન-વ્યવહાર ચાલી શકે તેમ છે. યંત્રોનો એક પ્રજા બીજી પ્રજાનો સંહાર કરવા માટે ઉપયોગ કરે છે. ટૉલ્સ્ટોય વગેરે યુરોપના વિદ્વાનોએ પણ એમ સ્પષ્ટ કહ્યું છે કે, “આપણાં અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, યંત્રવાદ વગેરે આપણા સ્વાર્થ માટે અને બીજી પ્રજાઓના સંહાર માટે યોજાયા છે.” એરોપ્લેન, રેડિયો, સિનેમા, વગેરેથી સામાન્ય પ્રજાને આંજી નાંખીને હાલના વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી શકાય છે. તેવાં સાધનો માત્ર વિજ્ઞાન તરફ પ્રજાને આકર્ષવા માટે જ છે. પરંતુ વિજ્ઞાનનું એકંદર ધ્યેય બીજી પ્રજાઓ ઉપર સરસાઈ મેળવવી અને તેમના વસવાટો પડાવી લેવાનાં સાધનો મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરવા તરફ દોરાયેલું છે. વિજ્ઞાનના સંશોધકો ગમે તેવા સાદા ભોળા હોય, તેઓના મનમાં ગમે તે આશય હોય, પરંતુ શોધને ઉત્તેજન આપનાર સંસ્થાઓ, રાષ્ટ્રો, વિદ્યાપીઠો વગેરે તે તે રાજ્યો પોતપોતાના હેતુઓની સિદ્ધિ માટે ચલાવે છે. અને રોયલ સોસાયટી વગેરે વિજ્ઞાનને ઉત્તેજન આપનારી સંસ્થાઓ પણ પોતાના રાજ્ય અને પ્રજાના જ કેવળ હિતને ઉદ્દેશીને સ્થાપવામાં આવી હોય છે, તેમજ ચલાવવામાં આવે છે. એટલે સંશોધકની શુદ્ધ બુદ્ધિ હોવી પણ શંકિત જ છે. તેથી હાલનું વિજ્ઞાન મહાકર્માદાન ઉપર નિર્ભર છે. તેને જરા પણ ટેકો આપવામાં મહામહા સંહારોને ટેકો છે. તેથી સમ્યગુ દષ્ટિ વ્રતધારી શ્રાવક તેની ભભકથી મૂંઝાય નહીં, તેથી લલચાય નહીં, તેમજ તેને સારું માને નહીં, ઉત્તેજે નહીં, અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ પડે, તો પણ તેની અનુમોદના ન કરતાં, ઊલટો તે બાબત હૃદયમાં પસ્તાવો હોવો જોઈએ. હાલનું આ કૃત્રિમ વિજ્ઞાન પરિણામે એટલું બધું સંહારક છે કે-તેને જે છેવટે બંધ પાડવામાં આવશે નહીં, તો દુનિયાની પીઠ ઉપર માણસ જાતને રહેવા દેશે જ નહીં, પણ તેને બંધ પાડવું પડશે જ. યુરોપના લોકોની હાલની કૃત્રિમ ધૂન એટલી બધી વ્યાપક થઈ પડી છે કે, સામાન્ય બુદ્ધિના લોકોને તે કુદરતી જેવી લાગે છે. અને તેને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો કુદરતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ માનીને તે તરફ દોરાવા ભલામણ કરે છે. પરંતુ એ અમુક વર્ષો પછી એકાએક બંધ પડી જશે, તેના માટે યુરોપમાં પણ વિચારો પ્રચારમાં આવવા લાગ્યા છે. તેમ બન્ય જેઓ તે રસ્તે ગયા હશે, તેઓ પસ્તાશે અને નહીં ગયેલા આશ્વાસન પામશે, તેમાં સંશય રાખવાને લેશમાત્ર અવકાશ નથી. માટે પૂર્વ પુરુષોએ બતાવેલા આ વ્રતનિયમોથી સંયમમાં રહેવું એ વ્યક્તિને, કુટુંબને, ભાવિપ્રજાને, સમાજને, ધર્મને, દેશને, પ્રજાને, રાષ્ટ્રને, સમગ્ર માનવોને, અને જંતુઓ માત્રને સર્વને પરિણામે લાભકારક જ છે. પ્રશ્ન : તમે કર્માદાનનો વેપાર કરવાની ના પાડો છો. પણ તેવી ચીજો વાપરતા સંકોચાતા નથી, મંદિરો, દેવપૂજા તેમજ અંગત ઉપયોગમાં એવી ઘણી ચીજો વાપરો છો, તેનું કેમ ? જેમ કે – કસ્તૂરી, અંબર, ગોરોચંદન, ચામર, ચામડાનાં ઢોલનગારાં, તંતુવાદ્યમાં, મંત્રીઓના તાર, હાથી દાંત, વાઘનખ, રેશમી વસ્ત્રો વગેરે અનેક ચીજો વાપરો છો. જવાબ : એ પ્રશ્નને બે બાજુ છે. ૧. એક, પ્રશ્ન અંદરની બાજુથી થતી પ્રશ્ન પૃચ્છા. ૨. બીજી, બહારની બાજુથી થતી પ્રશ્ન પૃચ્છા. જેઓ આર્ય મર્યાદાને સમજે છે, સ્વીકારે છે, તે પ્રમાણે આચરણ કરે છે, કરવાના વિચારના છે તેને એક તરફથી મંદિરની જણાતી પવિત્રતા અને બીજી તરફથી અપવિત્ર દેખાતી બીજી ચીજોનો વપરાશ : એમ પરસ્પર વિરોધી પ્રવૃત્તિ જોઈને જાણવાની સહજ જિજ્ઞાસાથી જે પ્રશ્ન થાય છે, તે પ્રથમ પ્રકારની પ્રશ્નપછા છે. અને હાલની ભઠ્યાભઢ્ય ખાનપાનની તથા બીજી એવી વપરાશની ચીજો, દવાઓ, વગેરેના વ્યાપાર ચલાવવા ઈચ્છતા બહારના વેપારીઓ વગેરે તરફથી આ દેશના ગ્રાહકોના મનની સૂગ ઉડાડવા માટે એ પ્રકારના પ્રશ્નો ધીમે ધીમે પ્રચારમાં આવી ગયેલા હોય છે. એ રીતે જેમ જેમ પ્રજાના મનનો આગ્રહ ઢીલો પડતો જાય, તેમ તેમ પ્રજા તેવી ચીજો કે તેને મળતી ચીજો વાપરવા સહેજે સહેજે દોરાતી જાય છે. તેઓનો ઉદ્દેશ એવી ચીજો બંધ કરાવવાનો નથી હોતો, પણ “જ્યારે તમે અમુક અમુક ચીજો વાપરો છો, તો પછી પરદેશથી આવતી કે અહીં બનતી એવી ચીજો વાપરવામાં ધર્મને આડે કેમ લાવી શકો છો ?" એવો પ્રશ્ન કરીને અત્રેના લોકોને ચૂપ કરવાનો ઉદ્દેશ હોય છે. અને અણસમજુઓ તો તેવી ખરીદીમાં દોરવાઈ જઈને તેઓના ગ્રાહકો બને છે. એ બે પ્રકારના પ્રશ્નોમાં બીજા પ્રકારે થતા પ્રશ્નો અને તે પ્રશ્નકારો તરફ ખાસ ધ્યાન દોરવા જેવું નથી, કારણ કે-તેને મૂળમાં સહેતુ નથી, તે આપણે જોયું. પરંતુ, પ્રથમ પ્રકારના જિજ્ઞાસુ પ્રશ્નકારને ખુલાસો આપવો ખાસ આવશ્યક છે. ૧. ખરેખરી રીતે-આપણે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો, એ મુખ્ય જૈન આદર્શ છે. ૨. છતાં જીવનને માટે ખાસ નિર્દોષ અને અલ્પતમ હિંસાજન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો, એ તેથી ઊતરતો આદર્શ છે. આ આદર્શની દષ્ટિથી આપણા ખાનપાન વગેરે ખાસ જરૂરની ચીજોના પ્રકારો ગોઠવાયા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. એ ચીજોમાં પણ ઉત્તમ, મધ્યમ, અને કનિષ્ઠ પ્રકારની ચીજો હોય છે. ૪. તેમાંની જેમ બને તેમ ઉત્તમ ચીજો વપરાય, તે સ્વાભાવિક રીતે જ યોગ્ય ગણાય છે. ૫. ઉત્તમમાં પણ વિશેષ ઉત્તમ-રત્ન ગણાય છે. એટલે રત્નભૂત વસ્તુઓનો વપરાશ એ સર્વોત્તમ માર્ગ છે, એટલે કે ત્યાગ કરતાં તો ઊતરતો છે. છતાં પ્રજાની યથાયોગ્ય શકિતના પુરાવા રૂપ પણ છે. ૧૭૯ ગાતી ગાતી યલુત્ફીનું તદ્ધિ રત્નમુખ્યતે “તે તે જાતિમાં જે ઉત્કૃષ્ટ ચીજ હોય, તે રત્ન ગણાય છે.’' ખનિજોમાં-હીરા વગેરે ઉત્તમ પ્રકારના ખનિજો છે. માટે તે રત્ન ગણાય, પશુઓમાં હાથી વગેરે, પક્ષીઓમાં ગરુડ વગેરે, ફૂલમાં કમળ વગેરે, ફૂલના તાંતણામાં કેસર વગેરે, દાંતમાં હાથીના દાંત, વાળમાં ચમરીના વાળ, શરીરના મેલમાં કસ્તૂરી, અનાજમાં ચોખા, રસોમાં દૂધ, ઘી, તાંતણામાં રેશમ, ધાતુઓમાં સોનું વગેરે, રત્ન ગણી શકાય છે. આ પ્રકારે બીજી ઘણી વસ્તુઓના સંબંધમાં સમજી લેવું. ૬. પ્રજા જેમ રત્નભૂત વસ્તુઓ સ્વાભાવિક રીતે વાપરી શકે, તેમ તેની સુરુચિ, શકિત વગેરેનો વિકાસ ગણાય છે. આ બધી વસ્તુઓ કેવળ હિંસાથી જ ઉત્પન્ન થાય એમ માનવાને ખાસ કારણ નથી. કારણ કે વિશ્વમાં તેની ઉત્પત્તિ ચાલુ જ હોય છે. નવી નવી ઉત્પત્તિ વધતી જતી હોય છે. અને સ્વાભાવિક રીતે બિન હિંસાથી મળી શકે તેવી રીતે ફાજલ પડતી પણ હોય છે. તેનો ઉપયોગ અને વ્યાપાર એ અનિવાર્ય તથા દેશની આર્થિક દૃષ્ટિથી પણ સ્વાભાવિક થઈ પડે છે. જ્યારે તેમાં કોઈ વિકાર પ્રવેશે છે, ત્યારે તેમાં હિંસા પ્રવેશે છે. ધંધાની હરીફાઈ, કોઈ વધારે પડતી શોખીન પ્રજાની વધારે પડતી આવેશ કે તરંગજન્ય માંગણી વગેરે કારણો ઊભાં થાય, ત્યારે તેવી ચીજોની માંગ વધીને હિંસા થાય છે. પણ તેવાં કારણો ન હોય, સ્વાભાવિક રીતે થતી ઉત્પત્તિનો ઉપયોગ થાય, તો બહુ હિંસાદોષ જણાતો નથી, પરંતુ વ્યવહારદષ્ટિથી વ્યવસ્થાસર જણાય છે. ૭. જ્યારે પ્રજા રત્નભૂત વસ્તુઓ પોતાના જીવનમાં વાપરે, ત્યારે તેના શુચિ અશુચિ ઉત્પત્તિ સ્થાનની વિચારણા ગૌણ ગણવામાં આવે છે. જો કે કઈ વસ્તુનું શુચિ-અશુચિત્વ કેટલી હદ સુધી ગણવું, તેનું પણ એક આખું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનની પદ્ધતિસરની દૃષ્ટિથી જ રત્નભૂત વસ્તુઓને પવિત્ર માનવામાં આવી છે. એમને એમ ‘“મનમાં આવી તે વસ્તુને શાસ્ત્રકારોએ પવિત્ર ઠરાવી દીધી'' એમ નથી. એ બાબત તે વિષયના વધારે સૂક્ષ્મ જ્ઞાનીઓ પાસેથી કે પ્રયોગોથી ચોકકસ સમજી શકાય તેમ છે. ૮. જિનેશ્વરોનું પરોપકારિત્વ અને પવિત્રતા સર્વોત્કૃષ્ટ છે. તેનાં પૂજા, સત્કાર વગેરે પ્રગતિનાં પ્રધાનમાં પ્રધાન અંગો અને મહાન્ કર્તવ્યો છે. તેમાં પણ રત્નભૂત વસ્તુઓનો વપરાશ માનસશાસ્ત્રની દૃષ્ટિથી મંગળભૂત, અને ભાવની વૃદ્ધિ કરનાર છે, એટલે તેના વપરાશમાં વિરોધ નથી. ૯. સારંગી, ઢોલ, નગારાં વગેરે વાજિંત્રોના ચામડા-કે-તંતુવાદ્યની તંત્રીઓ વગેરે જો કે રત્નમાં ગણી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પંચ પ્રતિક્રમણસૂત્રો શકાય નહીં. પરંતુ સંગીત પણ પ્રભુપૂજાનું પ્રધાન અંગ છે. અને સંગીતને જ્યારે પ્રવેશ મળ્યો એટલે તેના પરિવારને પણ પ્રવેશ આપવો પડે છે. કેમકે, તેઓને રોકીએ, તો તે સર્વના મૂળ નાયક સંગીત પણ મંદિરમાં પ્રવેશ પામી શકે નહીં. એટલે વાજિંત્રો વગેરે અનિવાર્ય જરૂરિયાતની ચીજો થઈ પડી. તેથી જે કાંઈ દોષ થતો હોય, તે ભકિતમય સંગીતના બહુ ગુણોમાં ઢંકાઈ જાય છે. ૧૦. પરંતુ, આ દલીલનો લાભ લઈને બીજા પ્રકારના પ્રશ્નકારો બીજા લાભ બતાવીને પોતાની વ્યાપારી દૃષ્ટિથી એ પ્રમાણે બીજી વસ્તુઓનો પ્રવેશ કરાવવા માંગે, તો તે યોગ્ય નથી. કારણ કે, તેમાં સ્વાર્થ પ્રધાનપણે છે. એટલે આખરે તેમાં લાભને બદલે નુકસાન જ હોય. ૧૧. સારાંશ કે, સ્વાભાવિક મળતી હોય, અને વિચારશીલ મહાપુરુષોએ જેને રત્ન તરીકે ઠરાવી આપેલ હોય, એવી વસ્તુઓનો ઉપયોગ નિર્દોષ છે. પરંતુ તેના વ્યાપાર કે કારખાના શ્રાવકને અહિંસાની દૃષ્ટિથી યોગ્ય નથી. ન ૧૨. શ્રાવક સોનું વાપરે છે, માટે તેણે તેની ખાણો ખોદાવવી જોઈએ. એ દલીલ યોગ્ય નથી. કારણ કે, સોનું ઉત્પન્ન થાય છે, તેથી ખાણો ખોદાય છે, લોકો વાપરે છે, ચીજ સારી છે, માટે શ્રાવક વાપરે છે. જો ન મળતી હોત તો શ્રાવક વાપરત નહીં. અને કોઈ શ્રાવક ઇચ્છાપૂર્વક ત્યાગ કરીને ન વાપરે, તો તેને કોઈ આગ્રહપૂર્વક વાપરશે નહીં કારણ કે, શાસ્ત્રકારો તો તેનો પણ ત્યાગ જ સૂચવે છે. એટલે શ્રાવક ત્યાગ કરે, તે પ્રથમપદે ઇષ્ટ છે. આને વાપરવું હોય તો વાપરે, પણ વાપરવા માટે તેની ખાણો ખોદાવે, કે સ્ફોટક કર્મ કરાવે, તે ત્યાગધર્મની દૃષ્ટિથી ઇષ્ટ નથી. એટલે શ્રાવક કર્માદાન તો ન જ કરે. જો કે પોતે વાપરે છે એટલે કર્માદાનની અનુમોદના તો છે જ. અને તેથી ઉત્પન્ન થતાં જે કર્મ લાગે છે, તેનો બચાવ જૈન શાસ્ત્રો કરતા નથી. સ્વોપભોગમાં વપરાશ એ ત્યાગની અશકિત છે. અને ઔષધાદિ આવશ્યક જરૂરિયાતને અંગે વપરાશ કવૃચિત માન્ય ગણાય છે. પરંતુ તેની ઉત્પત્તિને જ્યારે આજીવિકાનું અંગ બનાવવામાં આવે છે, ત્યારે તો તેમાં જ મન વચન કાયા નિરંતર પરોવાય છે. અને દંત, કેશ વગેરેના વેપારમાં બીજા ક્રૂર સ્વભાવના ધંધાર્થીઓનો એ ધંધા સાથે સંબંધ હોવાથી ઇરાદાપૂર્વક હિંસાનો પણ ઘણો સંભવ થઈ જાય છે. માટે એ ત્યાજ્ય હોય તે બરાબર છે. ૧૩. અહીં પ્રશ્ન તો એ છે કે, આ સાતમું વ્રત ધારણ કરનારા ત્યાગી શ્રાવકો પણ જિનેશ્વર પ્રભુની પૂજા વગેરેમાં એવાં દ્રવ્યો અવશ્ય વિધિ તરીકે ખાસ આગ્રહપૂર્વક વાપરે છે. તે વાપરવા જોઇએ, પોતે વાપરે ને બીજાને વાપરવાને ભલામણ કરે, તે યોગ્ય છે ? જવાબમાં કહી શકાય કે, શ્રાવકો તો શું પરંતુ મુનિરાજો પણ વિધિમાં તે વસ્તુઓના ઉપયોગનો ઉપદેશ આપી શકે છે, કેમકે તે વસ્તુઓ શિષ્ટ પુરુષોએ માન્ય કરેલી છે. બીજું ખાસ કારણ એ છે કે, જિનેશ્વર પ્રભુની સેવા, ભકિત, પૂજા : એ વિશ્વમાં સર્વોત્કૃટ કર્તવ્ય છે. તેમાં ઉત્તમ વસ્તુઓ વાપરવી, એ આધ્યાત્મિક વિકાસનું અંગ બને છે. કેમકે રત્નભૂત વસ્તુઓનો ઉપયોગ ભાવવૃદ્ધિનાં સાધનોની વિચારણામાંથી જન્મ્યો હોય છે, માટે ભાવવૃદ્ધિનું અંગ બને છે. માટે તે પણ ભકિતનું એક આવશ્યક અંગ Page #254 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૮૧ બની જાય છે. તેનો વિવેકી શ્રાવકો નિષેધ ન કરતાં વિશેષ પ્રકારે વાપરવા ભલામણ કરે, તે યોગ્ય જ છે. જિનેશ્વરપ્રભુની પૂજા : એ એક એવી વસ્તુ છે કે તેને માટે સમસ્ત વિશ્વ ન્યોચ્છાવર થાય તો પણ ઓછું છે. એટલે કાગળનો ટુકડો સંસ્કારથી લાખ રૂપિયાનો ચેક બની જાય છે. તેમ સંસ્કારથી પથ્થર પ્રતિમા રૂપે બની જિનેશ્વર બની જાય છે. અને તેમને ચડેલી વસ્તુઓ પણ પરમ કલ્યાણનું કારણ બની જાય છે. આ તત્ત્વ આધ્યાત્મિક અને માનસ શાસ્ત્રની સૂક્ષ્મતા સમજનાર બરાબર સમજી શકશે. છતાં એવી ચીજોની ઉત્પત્તિ, નિકાસ વગેરેમાં હિંસા ન થાય, હિંસા ન થતી હોય, હિંસા થવા ન પામે તેવો વિવેક તો શ્રાવકોએ રાખવાનો છે જ. આપણા ઉત્તેજનથી હિંસા વધવા ન પામે, વગેરે તરફ પણ ખાસ વિવેક રાખવાનો હોય છે. દુનિયામાં શું બને છે ? તેનો શ્રાવક મહાન દ્રષ્ટા હોય છે, અને તેની વિવેકશકિત સર્વત્ર પહોંચી વળતી હોય છે, હોવી જોઈએ; એટલે વિવેકથી બધું સુસ્થિત ચાલવાનો ખાસ સંભવ છે. કર્માદાનના ધંધાનો શ્રાવકે મુખ્ય વૃત્તિથી ત્યાગ કરવો જોઈએ. અને તેથી ઉત્પન્ન થતી ચીજોનો સંપૂર્ણ વિવેકપૂર્વકનો ખાસ જરૂરી ઉપયોગ કરવો જોઈએ એટલે એટલું દોષપાત્ર નથી, પરંતુ ખાસ સંજોગોમાં ગુણપાત્ર બને છે. પવિત્રતા, અહિંસા-પરોપકાર એ આપણો આદર્શ તેની જાળવણી એ મુખ્ય વસ્તુ છે. હાલમાં ઘણા ધંધાઓ કર્માદાનના નવા પણ નીકળ્યા છે. તેઓનો તો સીધી રીતે કર્માદાન હોવાથી ત્યાગ કરવો જોઈએ એ સ્પષ્ટ છે. પણ બેંકો, શેરો, વીમાઓ, એજન્સીઓ વગેરેમાં આડકતરા પણ કર્માદાનો અને મહાહિંસા છે. અથવા, આર્ય પ્રજાના ખાસ ધંધાઓ તોડતા હોવાથી મહાકર્માદાન રૂપ પણ પરંપરાએ થઈ જાય છે. એ રીતે પણ તે ત્યાજ્ય જણાય છે : પરંતુ નછૂટકે આજીવિકાનો બીજો ઉપાય ન હોય, તો જ તે તરફ દષ્ટિ પણ કરવી પડે, તો તે ક્ષેતવ્ય છે. આ ન્યાયે તેથી દૂર રહેવામાં પરિણામે અલ્પ હિંસા છે. જૂના તથા નવા ધંધાઓનાં કર્માદાનો, અનંતર-પરંપરાની હિંસા, કોને ? કેટલું વજન આપવું, કેટલું ન આપવું ? વગેરે વિચારણીય તત્ત્વો વિસ્તારભયથી અત્રે છોડી દઈએ છીએ. ૮. અનર્થ દંડ વિરમણ વ્રત નામનું ત્રીજું ગુણવ્રત અને તેના અતિચારનું પ્રતિક્રમણ અનર્થ દંડ વિરમણ વ્રતનું સ્વરૂપ : અર્થથી વિપરીત અનર્થ = અનર્થથી થતો દંડ = બાહ્ય કે આત્યંતર , દ્રવ્ય કે ભાવ , સાક્ષાત કે પરંપરાઓ , સ્વને કે પરને , ઈહલૌકિક કે પારલૌકિક , થતું નુકસાન. વ્રત લઈ તે નુકસાનથી બચવું, તે અનર્થ દંડ વિરમણ નામનું વ્રત કહેવાય છે આ વ્રત પણ ગુણવ્રત કહેવાય છે અને તે ત્રીજું ગુણવ્રત છે. પાંચ અણુવ્રત છે. પાંચ અણુવ્રત પાળવાથી જે આધ્યાત્મિક લાભ થાય છે, તેમાં આ ત્રણેય વ્રતો પાળવાથી વિશેષ લાભ ઉમેરાય છે. અણુવ્રતોને ગુણ કરે છે, માટે ગુણવ્રત કહેવાય છે. અથવા માણસના જીવનમાં પણ ગુણ ઉમેરે છે. શ્રાવકના ગૃહસ્થ જીવનમાં ગુણરૂપ થઈ પડે છે, માટે પણ ગુણવ્રતો કહેવામાં હરકત નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પંચ પ્રતિકમણસૂત્રો અર્થ એટલે સ્વ, કુટુંબ, કુટુંબની પ્રતિષ્ઠા, આજીવિકા, સ્થાવર જંગમ મિલકત, શાખ, પોષ્ય વર્ગ, જ્ઞાતિ, વગેરે તરફની વ્યાપક ફરજો-કર્તવ્યો વગેરેને લગતા પ્રયોજનને ઉદ્દેશીને ગૃહસ્થને નછૂટકે જે કંઈ આચરણ કરવું પડે, તે અર્થ : પરંતુ એવા પ્રયોજન વિના જે નકામું આચરણ કરવું, તેને માટે મન, વચન, કાયાની અમર્યાદિત પ્રવૃત્તિ કરવી તે વગેરે; અથવા ભોગપભોગ ગૃહસ્થના અર્થ છે, તે સિવાયના સર્વ અનર્થ છે માટે જ દંડરૂપ છે, એટલે જ અનર્થદંડ અથવા ધર્મ, અર્થ, અને કામ એ ત્રણ અર્થ ગણાય છે. ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ, અર્થશાસ્ત્રથી વિરુદ્ધ, કામશાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ તે અધર્મ, અનર્થ, અને અકામ કહેવાય છે. માટે અધર્મ, અર્થ, અને અકામ, એ ત્રણેય અનર્થ છે. [ધર્મ ખાતર અર્થ, કે કામનો વિરોધ, અર્થ ખાતર કામનો વિરોધ, અનર્થ, અકામ નથી. કેમ કે પર કરતાં પૂર્વ પૂર્વ પુરુષાર્થ શ્રેષ્ઠ છે.] અનર્થથી ઉત્પન્ન થતા નુકસાન વેઠવા તે અનર્થ દંડ છે. ત્રણેયનાં શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે યુક્તિયુક્ત રીતે વર્તવાથી અને તેમાં જ ઠરાવેલા ધોરણ પ્રમાણે ધર્મને પ્રધાન સ્થાન, અર્થને બીજું સ્થાન અને કામને ત્રીજું સ્થાન આપવાથી એ ત્રણેય અર્થ બરાબર સચવાય છે. તે તે શાસ્ત્ર પ્રમાણે ન વર્તવાથી તેમજ વિષમ સ્થાન આપવાથી :- કામને પહેલું કે અર્થને પહેલું સ્થાન આપવાથી, કામને કે ધર્મને બીજું સ્થાન આપવાથી, ધર્મ કે અર્થને ત્રીજું સ્થાન આપવાથી, અનર્થ થાય છે. અને તેથી શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, પ્રજાકીય, આધ્યાત્મિક, રાષ્ટ્રીય એમ અનેક બાજુનાં નુકસાનો અવશ્ય થાય છે, પુણ્યનો-અનુકૂળ સામગ્રીનો અને તેનાં કારણોનો ઘટાડો થાય છે. પાપનો-પ્રતિકૂળ સામગ્રીનો–સંજોગોનો અને તેનાં કારણોનો સંચય થાય છે, અને આ ભવ તથા પરભવ બનેય બગડે છે. માટે અનર્થ દંડ કર્મબંધનું કારણ છે. અનર્થથી કર્મબંધ રૂપ દંડ થાય છે, માટે અનર્થદંડથી વિરમવાનું વ્રત આવશ્યક છે. મહાવ્રત ધારી મુનિઓ સર્વ સંયમમાં રહીને સંપૂર્ણ અહિંસા જાળવીને તથા તપ કરીને આત્મસાધન કરી શકે છે, અને સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ આનંદી મન સાથે પૂરું કરે છે. તેઓ ધર્મમાં જ હોય છે એટલે અર્થમાં જ હોય છે. પરંતુ ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો અણુવ્રત સ્વીકારી અમુક હદ સુધીના સંયમમાં આવે છે, તેથી પણ વિશેષ સંયમ માટે ગુણવ્રત સ્વીકારે છે, ત્યારે તેમાંનું ભોગોપભોગ વ્રત સ્વીકારવાથી બિનજરૂરી ચીજો માટે ઘણો સંયમ તો આવી જાય છે, માત્ર જરૂર પૂરતી જ ચીજો છૂટી રહે છે. છતાં અમુક ઉપયોગને માટે તૈયાર કરેલી ચીજો બીજા ઉપયોગમાં અથવા પોતાને માટેની ચીજો બીજાના ઉપયોગમાં આપવાનું સહજ રીતે બને છે. માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ પણ-બિનજરૂરી હાવું, લાંબા લાંબા તરંગી વિચાર કરવા, મશ્કરી કરવી વગેરે ચાલે છે. તેનાં સંયમ કોઈ વ્રતમાં સ્પષ્ટ આવતો નથી. તે સંયમ આ વ્રતથી રખાય છે. અહીં કોઈ એમ કહી શકશે કે-“આ પ્રમાણે વ્રતોમાં બહુ સૂક્ષ્મતા કરી નાંખવાથી ગૃહસ્થનું જીવન ચારેય તરફતી બીકણ, વહેમી, પાપની શંકાવાળું અને સંકુચિત થઈ જાય છે. આના કરતાં તો કેદખાનું સારું. આવાં વ્રતોથી ગૃહસ્થની આજુબાજુ માનસિક કેદખાનું ઊભું કરવામાં આવે છે, કે જે સ્કૂલ કેદખાના કરતાં સૂક્ષ્મ હોવાથી વધારે જકડનારું છે. તેથી તેનો માનસિક, વાચિક અને શારીરિક વિકાસ અટકી જાય છે. તેની અસર આયુષ્ય અને જીવનના બીજા વિભાગો ઉપર થતાં માણસો હતાશ અને ગુલામ જેવા બની જવા સંભવ છે.” ખ્રિસ્તીઓ આ પ્રકારે જૈન ધર્મની નિંદા Page #256 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૮૩ તમારી આ વાત ઉપરથી વિચાર કરનારને કેટલેક અંશે જરૂર સાચી લાગે. પરંતુ જીવન-તત્વોના વાસ્તવિક વિચાર કરનારને સાચી લાગે તેમ નથી. આ વ્રતો યુદ્ધતા તથા નકામી વેડફાતી શક્તિઓમાંથી બચાવી માણસને તાલીમ આપવા પૂર્વક ઉચ્ચ જીવનની દિશા તરફ લઈ જાય છે, અને મન, વચન, કાયાની શક્તિનો મહાન સદુપયોગ શીખવે છે, ઉચ્ચ જીવન પર જવાની અશકિતવાળાઓને સહેલી અને ભળતી વસ્તુઓ એકદમ રુચે છે, અને તેમાં તેમને જીવનનો આનંદ આવે છે, તેઓ તથા ઉચ્ચ જીવનવાળાઓની કે જેઓ શુદ્ધ આનંદ લૂંટતા નથી હોતા, તેઓની દયા ખાય છે. અને ઉચ્ચ જીવનવાળા શુદ્ર જીવનવાળાઓની દયા ખાય છે. દુનિયામાં ઉચ્ચ જીવનને અપ્રાપ્ત પુરુષો અને પ્રાપ્ત પુરુષો વચ્ચે આ જાતનો વિવાદ કાયમ રહેવાનો જ. કારણ કે, અપ્રાપ્ત પુરષોને ઉચ્ચ જીવનના આનંદથી માહિતી જ નથી હોતી. ઉચ્ચ જીવવાળાને યુદ્ધ જીવન ગમવાનું જ નહીં, તેથી તે બન્નેય સહજ મતભેદ કામ રહેવાનો જ. સભ્ય ગણાતા માણસો પણ બીજી ઘણી બાબતોમાં વિના કારણ અસંયમી હોય છે. મુદ્ર માણસો વાતવાતમાં હસ્યા કરતા હોય છે, વારંવાર રાગડા તાણીને ગાયન ગાતા હોય છે; વગર કારણે શારીરિક ચેષ્ટાઓ કર્યા કરતા હોય છે. મનમાં તરંગો અને શેખચલ્લીના વિચારો કાયમ કરતા હોય છે. હસવું એ નવ રસમાંનો એક રસ છે. નવેય રસની જીવનોલ્લાસમાં કોઈ ને કોઈ અપેક્ષાએ આંશિક જરૂરિયાત હોય છે. તેમજ તેનો દુરુપયોગ થાય તો જીવનને રદ પણ એટલા જ જોરથી નવ રસો કરે છે. માણસ હસે, ગાય, પરંતુ વારંવાર તેમ કરવાથી મન, વચન તથા શરીરમાં રહેલા તે તે રસને લાયકની સામગ્રીનાં તત્ત્વોનો ક્ષય થઈ જાય છે, તે તત્ત્વોનો પરમ આનંદ લૂંટાઈ જાય છે. પરંતુ બરાબર ખરેખરી રસવૃત્તિ જ્યારે જાગે ત્યારે તે પ્રમાણે કરવાથી તેનો પરમ આનંદ પ્રાપ્ત કરી શકાય છે. ભૂખ વિના ખા ખા કરવાથી જેમ આહારનો સ્વાદ કાયમ માટે ઘણા માણસો ગુમાવી બેસે છે, તેમ મુદ્ર જીવોને જેમાં તેમાં ક્ષણિક આનંદ પડતો હોવાથી તુરત તુરત હસી નાંખે છે, ગાયન ગાયા કરે છે. પણ તે તે રસના ખાસ આનંદથી અજ્ઞાત રહે છે. ત્યારે ગંભીર માણસો તેવી રીતે તે શકિતઓને વેડફી ન નાંખતાં કોઈ પરમ મહોત્સવ પ્રસંગે, કોઈ મહાન કાર્યની સિદ્ધિ પ્રસંગે, પોતાનો હર્ષ વ્યકત કરે છે, અને તેના આનંદથી પરિચિત થાય છે. મહાપુરુષોના ગુણોથી હૃદય આવર્જિત થઈને જ્યારે મુખમાંથી સંગીત રૂપે ગુણગાન, ઉલ્લસિત મનોભાવ અને અંગેઅંગ હર્ષ નૃત્યતી નાચી ઊઠે છે, ત્યારે અપૂર્વ આહલાદ રેલાય છે. સંગીત તથા નૃત્ય-કલાનો આ પરમ સદુપયોગ છે. અનર્થ દંડના વિરમણનું વ્રત આપીને શાસ્ત્રકારો હર્ષ કરવાનો, સંગીતનો, નૃત્યનો નિષેધ કરતા નથી. પણ ઉચ્ચ જીવનવાળા માટે શુદ્ધ હાસ્ય, આજીવિકા માટે કે માત્ર ક્ષઢ આનંદ માટે કે વારંવાર સંગીતના તથા નૃત્યોનો નિષેધ કરે છે. કેમકે, તેમાં કળાનો વિકાસ નથી, સદુપયોગ પણ નથી. સારાંશ કે, અનર્થ દંડથી વિરમવું એ જીવનની સ્વાભાવિકતા છે. અનર્થ દંડમાં પ્રવૃત્તિ એ જીવનની વિકૃતિ છે. મુનિરાજને મોક્ષને અનુલક્ષીને સર્વ પ્રકારે ધર્મ સાધવાનો હોય છે. ગૃહસ્થોને પણ મોક્ષને અનુલક્ષીને દેશથી ધર્મ સાધવાનો હોય છે. દિશથી એટલે અલ્પમાં અલ્પ ત્યાગથી માંડીને કંઈક ન્યૂન સર્વ ત્યાગ સુધીની તમામ ભૂમિકાઓ દેશથી ધર્મસાધના Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પંચ પ્રતિકમાગસૂત્રો ગણાય છે. એટલે કે તેની ઉત્કૃષ્ટ દેશવિરતિ પણ લગભગ સર્વ વિરતિ સુધીની ઠેઠ ભૂમિકા સુધી સંભવી શકે છે.] અર્થની સાધના દેશ વિરતિ ધર્મને અનુલક્ષીને સાધવાની હોય છે, અને કામ[છ ઈદ્રિયોના વિષયોપભોગની સાધના પણ એ જાતના ધર્મ-અર્થને અનુલક્ષીને હોય છે. અર્થાત, એ ત્રણેયની સાધના જે રીતે નકકી કરવામાં આવી છે, તે રીતે અનર્થ દંડ નથી ગણાતો. પણ તેથી વિપરીત વર્તવાથી અનર્થ દંડ લાગે છે, તે શારીરિક, માનસિક, વાચિક, નુકસાન અવશ્ય કરે છે, અને તેની અસર જીવનના સર્વ ભાગો ઉપર થાય છે. અયોગ્ય રીતે કામની સેવા પણ યોગ્ય રીતે સાધવાના અર્થમાં વિઘ્ન કરે છે. અયોગ્ય રીતે સાધેલો અર્થ પણ અનર્થ દંડ રૂપ થાય છે, અને જીવનની અવ્યવસ્થા વધારે છે. તે જ પ્રમાણે વિષમ કામ અને વિષમ અર્થ, ધર્મસાધનામાં વિષમતા ઉત્પન્ન કરે છે, એટલે તેથી મોક્ષ પુરુષાર્થ હણાય છે. માટે એ બધા અનર્થ દંડ છે. હાલમાં પૂર્વના પુરુષો કરતાં આપણું જીવન વધારે અવ્યવસ્થિત થતું ગયું છે. અર્થાત્ પૂર્વકાળ કરતાં પ્રજાજીવનમાં એકંદર અનર્થ દંડની માત્રા વધારે હતી અને છે, છતાં પ્રજાના મોટા ભાગનું અને પ્રજાના જાહેર જીવનનું એકંદર ધોરણ અનર્થદંડ ઉપર અંકુશ રાખનારું હતું. ત્યારે હાલમાં છેલ્લા કેટલાએક દશકાઓથી પરદેશીઓના સ્વાર્થની બાજીમાં ફસેલા આ દેશના ઘણા લોકો તરફથી આ દેશમાં અનર્થ દંડનો પ્રચાર કરવામાં આવે છે. પ્રજામાં એ તત્ત્વ વધતું જાય છે. અનિવાર્ય સંજોગોમાં વધે તો તેના ઉપર શિષ્ટ પુરુષોનો અંકુશ રહેતો આવવો જોઈએ, તેને બદલે શિષ્ટ તરીકે માત્ર ગણાતા એ વર્ગ તરફથી તેના ઉપર અંકુશ રાખવાને બદલે તેમાં જીવનનો ઉલ્લાસ, આનંદ, પ્રજાની પ્રગતિ વગેરે લાલચો બતાવીને પ્રજાને તે તરફ વિશેષ ઉત્તેજવામાં આવે છે. પછી અંકુશની તો વાત શી ? પરંતુ અનર્થ દંડો પરિણામે અનર્થ પરંપરા વધારે તેમાં આશ્ચર્ય શું? નાટકો, સિનેમા, હોટેલોની સંખ્યાની વૃદ્ધિ તેનો ખાસ પુરાવો છે. પ્રજા આવા પ્રસંગોમાં ફસી વિલાસી બને છે. ધંધા, વ્યાપાર, કળા, કૌશલ્ય, સાહસ, ઉચ્ચ જીવન, વગેરે આર્યતાને છાજે તેવાં પ્રજાકીય કર્તવ્યોની જવાબદારીમાંથી ખસતી જાય છે, પછી પરદેશીઓ એ કર્તવ્યો બજાવી આપે છે, અને તેના આશ્રિત થવું પડે છે, પરિણામે ગુલામી વધે છે. સારાંશ કે : અનર્થ દંડ વિરમણમાં પ્રજાને નુકસાન નથી, પણ ફાયદો જ થાય છે. અનર્થ દંડથી વિરતિ, એ જીવનની સ્વાભાવિક સ્થિતિ છે. અસ્વાભાવિક રીતે વેડફાતા જીવનમાંથી ભાવિ માટે શક્તિઓનો બચાવ કરનાર છે, સામાન્ય સભ્યતાની દષ્ટિથી પણ અનર્થ દંડથી વિરમણ શ્રાવકોને જ ઉપયોગી છે, એમ નહીં, પણ પ્રજા સમસ્તને ઉપયોગી છે. એમ સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે. અપધ્યાન : ખરાબ વિચારો આર્ત-રૌદ્ર ધ્યાન, પાપોપદેશ-મિથ્થોપદેશ, હિંસપ્રદાન, પ્રમાદાચરણ, એ ચાર પ્રકાર અનર્થ દંડનાં પ્રયોજક કારણો હોય છે. આર્તધ્યાન ચાર પ્રકારે છે : ૧. અનિષ્ટના વિયોગની અત્યન્ત ચિંતા. ૨. રોગાદિક વેદના દૂર થવાની ચિંતા. ૩. ઈષ્ટ સંયોગની ચિંતા. ૪. દિવ્ય ભોગાદિક અપ્રાપ્ય વસ્તુઓ મેળવવા માટેના નિયાણાના Page #258 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૮૫ રદાર છે જ. વિચારો. રૌદ્ર ધ્યાન પણ ચાર પ્રકારે છે : ૧. મારી નાંખવાના ભયંકર ક્રૂર વિચારો, મારફાડ, બળવા, દંગા, ગામ કે શહેર ભાંગવા-બાળવા. ૨. જૂઠું બોલવું, દંભ સેવવો, સત્યોપદેખા દેખાવા મિચ્યોપદેશ આપવા દંભમય રચના કરવી. ૩. ચોરી કરવી, પડાવી લેવું, લૂંટી લેવું, ઉઠાવગીરી, વગેરેના વિચારો કરવા. ૪. વિષયસેવનને લગતા અત્યંત હલકા વિચારો તીવ્રપણે કરવા. આ બધાની ખટપટમાં પડવું: કદાચ પ્રયત્નોમાં સફળતા મળે તો આનંદ માનવો, નિષ્ફળતા મળે તો બમણા જોરથી આવેશપૂર્વક વધારે તેમાં આગળ વધવું. આ ભયંકર પરિણામો અવશ્ય મહાહાનિકારક છે જ. પાપોપદેશ : પોતાને જે કામ સાથે લેવા દેવા ન હોય, છતાં બીજાને નકામી ભલામણ કરે કે-“ખેતર ખેડો, બળદને પલોટો, ઘોડાઓને ખસી કરાવો, શત્રુઓને હેરાન કરો, યંત્ર ચલાવો, શસ્ત્રો સજાવો, વર્ષાઋતુ નજીક છે-વેલાઓમાં અગ્નિ સળગાવો, હળની કોશો તૈયાર કરાવો, વર્ષાઋતુ ચાલી જાય છે માટે જલદી અનાજ વાવો, કયારા પાણીથી ભરી દો; તેમાં પેસીને સાડાત્રણ દિવસમાં વાવી દો, ઉમ્મરલાયક કન્યા પરણાવી દો, વહાણ ભેરવાના દિવસો વીતી જાય છે, માટે વેળાસર તે તૈયાર કરાવો.” આ સર્વ પ્રકારનો પાપોપદેશ સમ્યગ્દષ્ટિને પણ કદાચ સહેજે સેવાઈ જવાનો સંભવ છે. માટે તેના ઉપર સંયમ રાખવો જોઈએ. હિંસ પ્રદાન અને પ્રમાદાચરણ બહુસાવદ્ય સ્પષ્ટ રીતે હોવાથી નીચેની ગાથાઓમાં જ સમજાવેલ છે. | શબ્દાર્થ :- સસ્થગ્નિ-મુસલ-જંતગ-તણ-કઠેકશસ્ત્ર, અગ્નિ, સાંબેલા, યંત્રક, ઘાસ, લાકડાં. મંત-મૂલ-ભેસજે મંત્ર, મૂલ, અને ઔષધો. દિદેવાયેલાં. દવાવિએ દેવરાવાયેલા. હાણવટ્ટણ-વત્રંગ-વિલેણે સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન. સ્નિાન નાહવું. ઉદ્વર્તન=પીઠી વગેરે શરીરે ચોળવાની ચીજો, વર્ણમેંદી, કસ્તૂરી વગેરેથી શરીર શોભા કરવાની વસ્તુઓ. વિલેપન ચંદન, કેસર, અત્તર વગેરે). સદ્-વ-રસ-ગંધ=શબ્દ, રૂપ, રસ, ગંધ. વસ્થાસણ-આભરણે વસ્ત્ર, આસન અને આભરણ-ઘરેણાં દાગીના. સસ્થગિ-મુસલ-જંતગ-તણ-કઠે મંત-મૂલ-ભેસજ્જા દિને દવાવિએ વા પડિકકમે દેસિઅં સવૅ ૨૪. રહાણુવ્રુટ્ટણ-વનગ-વિલેણે સદ્-વ-રસ-ગંધે . વFાસણ-આભરણે પડિકામે દેસિ સવૅ પા ભાવાર્થ :- શસ્ત્ર, અગ્નિ, સાંબેલા, યંત્રો, ઘાસ, લાકડાં, મંત્ર, મૂલ, અને ઔષધ આપ્યાં - અપાવ્યાં, દિવસ સંબંધી તિ] સર્વના દોષોનું પ્રતિક્રમણ કરું છું. ૨૪. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો નાહવું, ઉદ્વર્તન ચળવું, વાર્થક કરવા, વિલેપન કરવું, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન, દાગીના [વગેરેને લગતી આસક્તિ તથા આરંભાદિકJથી લાગેલા દિવસ સંબંધી સર્વ દોષોનું પ્રતિક્રમણ કરું છું. ૨૫. વિશેષાર્થ:- મુસલ વગેરેના ઉપલક્ષણથી ખાંડણિયા, વાટવાના પથ્થર, હળ વગેરે સમજવાના છે. યંત્રથી ગાડાં, ઘંટી વગેરે સમજવાના છે. તૃણથી દોરડાદિ બનાવવાના મૂંજ, દાભડો વગેરે સમજવા, અથવા ગૂમડાંના કરમિયાને મારી નાંખે એવી જાતનાં ઘાસો વગેરે સમજવા. કાક એટલે લાકડાં અથવા અરઘટ્ટ, લાકડીઓ વગેરે કાષ્ટની બનાવેલી ચીજો સમજવી. આવી વસ્તુઓ ગૃહસ્થને પોતાના ધંધા તથા ઘરકામના ઉપયોગ માટે રાખવી તો પડે, એ અનિવાર્ય છે, પણ બીજાને વાપરવા આપવાથી તેને લગતી ક્રિયા-હિંસા વધારાની પોતાને લાગે છે. અને તે ભાંગી તૂટી જાય, તો ફરીથી કરાવવા પડે છે, તેમાં પણ ક્રિયા લાગે છે. - “આ રીતે-શ્રાવકની ચીજ બીજાના કામમાં ન આવે, એમાં તો ઘણી જ અનુદારતા દેખાય છે. એક બીજાની ચીજ એક બીજાને કામમાં ન આવે, તો પાડોશી ધર્મ કે સંબંધો કેમ જળવાય? અને પોતાને જરૂર પડે ત્યારે બીજા પણ કેમ આપે? આમાં જૈનો સ્વાર્થી અને એકલપેટા ગણાય.” આ શંકા ઘણાને થાય છે, અને અન્ય દર્શનીઓને તો ખાસ થાય છે. પરંતુ આનો આશય એ છે કે, દરેકે પોતપોતાને ઉપયોગી વસ્તુઓ માટે સ્વાશ્રયી રહેવું જોઈએ. બીજા પાસે માંગવા જવું એ ગૃહસ્થને અણછાજતું છે, હલકાઈ છે, અસાવધતા છે. વળી માંગેલી વસ્તુથી કાયમ કામ શી રીતે નભી શકે ? પ્રજાની આર્થિક નિયમિતતાની દૃષ્ટિથી પણ સૌને પોતપોતાની ચીજ હોવી જોઈએ. નહીંતર વિષમતા અને અવ્યવસ્થા પ્રવર્તે. માત્ર ધર્મકાર્યના પ્રસંગમાં પણ અનિવાર્ય સંજોગોમાં જ ચીજ માંગવી જોઈએ. તે પણ, કાર્યનો લાભાલાભ જોઈને આપવામાં વાંધો નહિ. સાંસારિક કાર્યમાં ચીજ ન આપવાથી-“ખોટું લાગે કે તે કામ બગડે” એવી ચિંતાનું વ્રતધારીને કારણ નહિ. કેમકે, માંગનારને પોતાને માટે ચીજો વસાવવાની ફરજ પડે, નહીંતર બેદરકારી વધે. વિવેકી પુરુષો તો ધાર્મિક કાર્યની પણ ચીજો યાત્રાએ જવાના તંબુ વગેરે પોતાના થકી ઘરમાં વસાવી રાખે છે, અને અવસરે ઉપયોગ કરે છે. આમાં ખર્ચના પ્રશ્ન કરતાં વિવેકનો ખાસ હેતુ સમાયેલો છે. ધનવાન છતાં વિવેક ન હોય તો ચીજો વસાવી શકે નહીં, ને અવિવેક ગણાય. અનિવાર્ય સંજોગોમાં કોઈ પાડોશીને કોઈ પણ વખતે અનિવાર્ય પ્રસંગમાં કોઈ ચીજ આપવી પડે, તેમાં પણ “યતના' તો હોવી જ જોઈએ. કેટલાક ગૃહસ્થો તો આટો, દાળ કે એવી ચીજો વગેરે પણ બીજાને આપતા નથી, તેમજ ઊછીના લેવા દેવાનો રિવાજ રાખતા નથી. કારણ કે, પાડોશીઓને વારંવાર આપવા લેવાથી કાર્યમાં વ્યાઘાત થાય, આપણા ઘરવાળાને પણ ચીજો મંગાવવામાં બેદરકારી થાય. વારંવાર ચીજો લેવા દેવા માટે જવા આવવાનું થાય, તેથી જે યોગ્ય માણસો ન હોય તો, ઘરની કેટલીક વાતો બહાર ફૂટ, ઘરના માણસોને પરિચય વધવાથી એ સંસર્ગજન્ય કોઈ કોઈ દુર્ગુણ આવી જાય, તેમજ ચીજો શુદ્ધ, અશુદ્ધ હોય તો સ્વચ્છતાની દષ્ટિથી પણ શંકા રહ્યા કરે. તેથી એવો પરિચય ન કરવામાં ગૃહસ્થાઈ સમજે Page #260 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૮૭ છે. કદાચ કોઈ વસ્તુ આપવી પડે તો પાછી લેતા નથી, એમને એમ વાપરવા દે છે. આ જેમ ગુણ છે, તે પ્રમાણે લાયક સાધર્મિક પાડોશી સાથે સ્નેહસંબંધ ખાતર પ્રસંગે બહારથી આવેલી કે ઘેર કરેલી વિશિષ્ટ વસ્તુઓની આપલે ગૃહસ્થનું ભૂષણ પણ છે. માટે પ્રસંગ જોઈને દરેક સંજોગોમાં વિવેકથી વર્તવું. ખાસ અનુકંપાના પ્રસંગમાં કોઈ ચીજ આપવી પડે, તો યોગ્ય વિચારપૂર્વક આપી શકાય. પરંતુ વ્યાવહારિક જીવનની જવાબદારી સમજનારને ન આપવામાં વ્યવહારથી પણ સામાન્ય રીતે વાંધો નથી. મંત્રો : વશીકરણાદિક. મૂળ તે નાગદમની, તથા તાવ વગેરેને શમાવનાર મૂળ, અથવા ગર્ભ શાસન-પાતન કર્મ. ઔષધ : ઉચ્ચાટનાદિ માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય. આ દરેકમાં હિંસાદિક્નો સંભવ છે. માટે તેમાં જૈન ગૃહસ્થ ન પડવું જોઈએ. સ્નાન : તેલ ચોળીને નાહવું તથા સામાન્ય રીતે નાહવું. ત્રસ જીવોથી આકુલ ભૂમિ ન હોય તેના ઉપર, સંપાતિમ જીવોની હિંસા ન થાય તેવી રીતે, યોગ્ય કાળે, સારી રીતે ગળેલા પાણીથી, જિન પૂજાદિક ઉત્તમ ઉદ્દેશથી, યતનાપૂર્વક સ્નાન કરવું જોઈએ. ભોજન પછી કે રાત્રે કે એવા કોઈ પ્રસંગે કરવામાં આવેલું સ્નાન અજીર્ણ તથા બીજા રોગાદિકનું પણ કારણ થાય છે. ઉદ્વર્તન : પીઠી, ઈત્યાદિ શરીરે ચોળવાની વસ્તુમાં ત્રસ જીવો મિશ્રિત ચૂર્ણ નાંખવામાં આવ્યું હોય, તથા તેનો ઉપયોગ થઈ રહ્યું રાખમાં તેને ભેળવી ન દીધેલ હોય, તો કીડીઓ ચડી ગયેલ હોય ને કૂતરા વગેરે તે ખાય, અથવા પગથી ચંપાય, તેથી જીવ વિરાધના થાય. તથા આવી અતિ ટાપટીપો અયોગ્ય શોખને લાયક હોવાને લીધે પણ નિરર્થક હોવાથી અનર્થદંડ રૂપ છે. વર્ણક : કસ્તૂરી વગેરેથી ચિત્ર-વિચિત્ર વેલડીઓ કે બીજાં ચિત્રો કાઢીને સ્ત્રીઓના ગાલ વગેરે રંગવાનો આગળના વખતમાં રિવાજ હતો, તેમજ દાંત રંગવાનો રિવાજ તો હાલ પણ જોવામાં આવે છે, તે જ રીતે મેંદી, અળતો મૂકીને હાથ, પગ, તથા તેના નખ રંગવામાં આવે છે, તથા વાળ રંગવાના કલપ વગેરે, તે બધું એકંદર વધારે પડતી નકામી ટાપટીપ છે, ને તે ચાલુ જીવનમાં ખાસ અનિવાર્ય ઉપયોગી વસ્તુઓ નથી. વળી સ્નો વગેરેથી મોજશોખ અને રૂપાળા દેખાવાની ટાપટીપ મોહરૂપ છે અને તેથી તે પણ અનર્થદંડ રૂપ છે. વિલેપન : ચંદન, કેસર વગેરે વગેરે શરીર વિલેપન કરવાનાં દ્રવ્યો વિલેપન કહેવાય છે. તે ઉઘાડા રહી જાય, કે તેમાં સંપાતિમ છવો પડી તેની હિંસા થાય વગેરે કારણે અનર્થદંડ લાગે છે. તેમજ રોગાદિ કારણ વિના માત્ર મોજશોખની દષ્ટિથી મોહ રૂપ હોવાથી પણ અનર્થદંડ છે. શબ્દ : વીણા, વાંસળી વગેરેના શબ્દો કુતૂહલ બુદ્ધિથી સાંભળવામાં લીન થવું, મધુરભાષી ત્યાદિકના શબ્દો સાંભળવામાં ઉત્સુકતા ધારણ કરવી, રાત્રે ઉચ્ચ અવાજે બોલવું, ગાવું, અપ્રિય શબ્દો બોલવા, ગાળો બોલવી, મશ્કરી ઠઠાના શબ્દો બોલવા, દ્વિઅર્થી શૃંગારિક શબ્દો બોલવા, માર્મિક શબ્દો બોલવા, નકામી ચીસો પાડવી, વિના કારણ કોલાહલ કરવો. એ સર્વ શબ્દ સંબંધી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પંચ પ્રતિક્રમણસૂત્રો અનર્થ દંડ છે. તથા “સવારમાં કે રાતમાં કે વહેલા ઊઠીને ખડખડાટ ભડભડાટ કરવો, ઊંચે અવાજે બોલવું, ગાવું, વગેરેથી ગરોળીઓ વગેરે દુષ્ટ છવો જાગીને જંતુઓ મારવાનું કામ શરૂ કરી દે છે, તથા પાણી ભરનારીઓ, વેપારીઓ, ખેડૂતો, દળનાર, ચાકડો ફેરવનાર, ધોબી, લુહાર, સુતાર, મચ્છીમાર, જાળ નાંખનારા, વાઘરી, ખૂની, ચોર, પરસ્ત્રી લંપટ, ધાડપાડુ, બૉઇલર સળગાવનારા, કોલસા પાડનારા, નિંભાડા સળગાવનારા, વગેરે લોકો પરંપરાએ કે સીધી રીતે હિંસક અને સાવદ્ય આરંભ સમારંભાદિમાં પ્રવૃત્ત થાય છે. અને તેને આપણે નિમિત્ત થતા હોવાથી, અનર્થ દંડ લાગે છે. “ધાર્મિક પુરુષો જાગતા સારા અને અધાર્મિક ઊંઘતા સારા” આવા ભાવાર્થના પ્રશ્નોત્તરો શ્રી ભગવતી સૂત્રમાં છે. રૂ૫ : સ્ત્રી, નાટક જેવાં, બીજાની પાસે વર્ણવવાં, પોતાના રૂપનો ફાંકો રાખવો, રૂપ વધે તેવા મમત્વ બુદ્ધિથી પ્રયત્નો કરવા તે સર્વ અનર્થ દંડ રૂપ છે. રસ : છ પ્રકારના રસમાં વૃદ્ધિ રાખવી, બીજાને આસક્તિ થાય તેવું જમણ બાબત મીઠું મરચું ભભરાવીને વર્ણન કરવું વગેરે રસ નિમિત્તક અનર્થદંડ છે. તે જ પ્રમાણે ગંધ, સ્પર્શ, વસ્ત્ર, આસન, દાગીના, ઘર, ઢોર, વગેરે સંબંધી અધિક વર્ણન કરવું, તે બાબત પોરસાવું વગેરે અનર્થ દંડ છે. એ પ્રકારે પાંચ વિષયોને લગતા અનર્થ દંડથી અટકવું અને તે જ પ્રમાણે કામશાસ્ત્રમાં આસકિતથી વૃષ્ય, વાજીકરણ અને કૃત્રિમ દ્રવ્યોના પ્રયોગો, જુગટું, મદિરાપાનોત્સવ, જળક્રીડા, જંગલમાં હીંડોળા ઉત્સવ, પાડા-સાંઢ-બોકડા-ઘેટા-મલ્લો વગેરેને લડાવવાના ખેલ કરવા, કરાવવા, જોવા. શત્રુના પુત્રાદિક સાથે વેર રાખવું. ભક્ત એટલે ખાવાપીવાની બાબતની વાતચીત-ચર્ચા તે ભકતકથા, સ્ત્રીને લગતી ચર્ચા-કથા તે સ્ત્રીકથા. દેશકથા, રાજસ્થા કરવી, ઊંધ્યા કરવું, આળસું થઈને બેસી રહેવું, વિલાસમાં રચ્યાપચ્યા રહેવું, ઠઠ્ઠામશ્કરીમાં વખત ગાળવો, ઘૂંકવું, ઘણું ઊંઘવું, કજિયા કરવા, વાતવાતમાં લડી ઊઠવું, ખરાબ ખરાબ વાતો કરવી, અપશબ્દો બોલવા, જિનેશ્વર પ્રભુના મંદિરમાં ચાર પ્રકારના આહાર કરવા, દહેરા કે ઉપાશ્રયની આશાતનાઓ થાય તેમ વર્તન રાખવું, આળસથી ઘી-તેલ-ગોળ-દૂધ વગેરેનાં વાસણો ઢાંકવા નહીં, તે ઉઘાડા રાખવાં. [એક જૈન ગૃહસ્થને ઘેર તમામ ચીજ ઢાંકેલી જોવામાં આવી હતી. જમતી વખતે પાણીના લોટા, પીરસવાની ચીજો જેવી કે-અથાણાં વગેરેની વાટકીઓ, ઘીની નાની કળશી વગેરે તો ઢાંકેલા હોય જ. પરંતુ-દિશા-જંગલ જવાના પાણીના વાસણ ઉપર પણ એવી રીતે ઢાંકણાં કરાવેલાં જોવામાં આવ્યાં હતાં, કે જેનાં ઢાંકણાં સાથે જ જોડાયેલા રહે અને અનાયાસે ઢંકાય.] ચાલવાનો રસ્તો હોવા છતાં લીલી વનસ્પતિ ઉપર ચાલવું કે નાહવું, જોયા તપાસ્યા વિના કોઈ સ્થાનમાં હાથ કે પગ ઘાલવા, બીજું સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવું, ઊભા રહેવું, તેનાં પર વસ્ત્ર વગેરે વસ્તુઓ મૂકવી, લીલ , કુંથુવા વગેરે જીવોથી વ્યાપ્ત જમીન ઉપર પેસાબ કે મળનો ત્યાગ કરવો, યતના વિના કમાડ તથા આગળિયા વાસવા, ઉઘાડવા, ધમધમ ચાલવું ને દાદર ચડવો, નાક-કાન-મોઢામાં આંગળા વિના કારણ ઘાલવા, મોં મરડવું, અંગૂઠા ધાવવા, પાંદડા-ફલ-ફૂલ વગેરે નકામા તોડવા. માટી-ખડી-રમચી વગેરેને નકામી ચૂંથવી, અગ્નિ સળગાવવા, જ્યાં ત્યાં ભડકા કરવા, બળદ વગેરેને ઘા મારવા, શસ્ત્રોનો વેપાર કરવો, નિપુર તથા મર્મવાક્ય બોલવું, નિંદા કરવી, રાત્રે અને દિવસે-અયતનાથી-નાહવું, વાળ ઓળવા, માથું ગૂંથવું, રાંધવું, ખાંડવું, દળવું, Page #262 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ખોદવું, માટી ખૂંદવી, ગાર નાંખવી, વાસી ગાર રાખવી, લીંપણ કરવું, કપડાં ધોવાં, મકાન વાળવું, પાણી ગળવું વગેરે, પ્રમાદાચરણ છે, અને તે અનર્થ દંડ રૃપ છે, જીવન વ્યવસ્થાની ખામીઓ છે. પ્રમાદો-ભૂલો-બેકાળજી, અસાવચેતી-આળસ વગેરે તત્ત્વો હોય તો જ ઉપરની ભૂલો થવા સંભવ છે. તેનું પરિણામ દંડ રૂપે ભોગવવું પડે છે. [જે જે ગુના કરાય તેનો રાજ્યસત્તાથી દંડ ભોગવવો પડે છે. પરંતુ કેટલીક ભૂલો એવી હોય છે કે જેમાં રાજ્યસત્તાના દંડથી બચી જવાય છે. તેમજ લોકોની જાણ બહાર પણ માણસો ઘણા છૂપા ગુના કરતા હોય છે. તેનો દંડ તેને એક યા બીજા રૂપે આ જન્મમાં ભોગવવો પડે છે, અને છતાં બાકી રહે, તો તે ભોગવ્યા વિના છૂટકો નથી થતો, જન્માન્તરમાં ભોગવવો પડે છે. આ રીતે પણ જન્માન્તર સાબિત થાય છે.] નાકનું લીંટ બળખો વગેરે નાંખ્યા પછી તેના પર ધૂળ ન નાંખવાથી મુહૂર્ત પછી તેમાં સમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે. તેની તથા તેમાં માંખીઓ વગેરે ત્રસ જીવો બેસે, તે ચોંટીને મરી જાય, તેની વિરાધના થાય છે. ગર્ભજ મનુષ્યોનાં મળ, મૂત્ર, શ્લેષ્મ, નાકની લીંટ, ઊલટી, પિત્ત, વીર્ય, લોહી, વીર્ય, પુદ્ગલોના પરિસાટ-સડો, મડદાં, સ્ત્રી-પુરુષના મૈથુન સંયોગ, શહેરની ગટરો, ગામની ગટરો, અને તેવા બીજા મનુષ્યો સાથે સંબંધ ધરાવતા સર્વ અશુચિ સ્થાનોમાં અપર્યાપ્તા અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરવાળા સમૂર્છિત પંચેદ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. માટે જેમ બને તેમ તે જીવોની વિરાધના ન થાય એવો ખ્યાલ ખાસ રાખવો જોઈએ. આવી વિરાધના પણ અનર્થ દંડ રૂપ સ્પષ્ટ છે. ૧૮૯ અધિકરણ રૂપ : શસ્ત્રાદિનો તથા મળ મૂત્રાદિનો, ત્યાગકાળે ત્યાગ ન કરવો, તે પણ પ્રમાદાચરણ છે. જે વાંસ વગેરે વનસ્પતિકાય જીવોના શરીરમાંથી ધનુષ્ય વગેરે બન્યા હોય છે, તે જીવોને પણ એ શસ્ત્રોથીયે અહિંસા દોષ લાગે છે. જે ગૃહસ્થે પોતાને નિમિત્તે એ શસ્ત્રો બનાવરાવ્યાં હોય કે કોઈની પાસેથી મેળવ્યાં હોય છે, તેને પણ તે શસ્રો જ્યાં સુધી ન વોસિરાવે-તજે ત્યાં સુધી તેની ક્રિયા-હિંસા લાગે છે. અર્થાત્ ધનુષ્ય આદિના જીવોને વિરતિ પરિણામનો અભાવ હોવાથી તેના શરીરના બનેલા ધનુષ્ય આદિની પણ ક્રિયા તે જીવો જ્યાં હોય ત્યાં ભવાન્તરમાં પણ તેને તેને લાગે છે અને ધનુષ્યનો ઉપયોગ કરનાર પુરુષને પણ લાગે છે. સિદ્ધના જીવોને તજેલા શરીરાદિકની ક્રિયાથી પાપ નથી લાગતું, કારણ કે તેઓને અવિરતિ પરિણામ નથી પણ મહાવિરતિ પરિણામ હોય છે, એટલે કર્મબંધનનો જ અભાવ છે. પરંતુ જે જીવોના શરીરમાંથી માત્ર મુહપત્તિ વગેરે ધર્મોપકરણ બનાવવામાં આવે છે, તેનું પુણ્ય જો કે તે જીવોને મળતું નથી. કેમકે, તે જીવોના તેવા વિરતિના પરિણામ નથી હોતા. માટે તેનાં પુણ્યનો લાભ તેને મળતો નથી. છતાં બીજાં તેવા પ્રકારનાં જંતુઓ કરતાં તે માત્ર મુહપત્તિ વગેરે ધર્મોપકરણ તરીકે વપરાતા શરીરના માલિક જીવોનું સહજ અલ્પ પાપ હોય છે કે સહજ વધારે પુણ્ય તો હોય છે જેથી કરીને તેઓનાં શરીરો ધર્મોપકરણ તરીકે, પ્રભુના પ્રતિમા તરીકે, બનવા પામે છે. છતાં અવિરતિ પરિણામ હોવાથી તેના ઉપયોગથી તેઓને નવો પુણ્યબંધ થતો નથી. માટે પૂર્વભવનાં અનંત શરીરોથી બનેલા અધિકરણોથી-તેઓનો ત્યાગ ન કર્યો હોય, તો ભવાન્તરમાં પણ કર્મ બંધાય છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો પોતાના માટે લાકડાં સળગાવ્યાં હોય કે દીવા કર્યા હોય કે સગડી સળગાવી હોય, પણ ઉપયોગ થઈ રહ્યું યતનાપૂર્વક તેને ઠારી નાંખવામાં ન આવે, તો તે પણ પ્રમાદાચરણ છે. જો કે અગ્નિ ઠારવામાં અગ્નિકાય જીવોની વિરાધના છે, પણ ન ઠારવામાં છયે કાયની વિરાધના છે. માટે યતનાપૂર્વક ઠારવામાં અલ્પ દોષ છે. યતનાપૂર્વક ઠારવાના પ્રકારો પણ શ્રાવક કુળના રીતરિવાજથી જાણી લેવા. ચૂલા, દીવા, સગડી વગેરે ઢાંકવા નહિ, પ્રમાજવા નહિ, ચૂલા વગેરે ઉપર દશ ચંદ્રવા બાંધવાને ઠેકાણે ચંદરવા ન બાંધવા, તે પણ પ્રમાદાચરણ છે. ચંદરવા બાંધવાનાં ૧૦ સ્થળો નીચે પ્રમાણે છે. ચૂલા ઉપર, ઘંટી ઉપર, પાણિયારા ઉપર, સૂવાના સ્થળ ઉપર, જમવાના સ્થળ ઉપર, છાશ કરવાને ઠેકાણે, દેરાસરમાં, ખાંડવાના સ્થાન ઉપર, (ધર્મક્રિયા કરવાના સ્થાન ઉપર) તથા એક છૂટો વધારાનો. ચૂલા પર ચંદરવા ન બાંધવાથી, ધુમાડાથી ગૂંગળાઈને સર્પ અજાણતાં ખોરાકમાં રંધાઈ જવાથી ઘણા માણસોનું મરણ થયાનું જાણવા જેવું દષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. ધાન્ય, કઠોળ, છાણાં, લાકડાં, કોલસા, પાણી, વાસણો વગેરે શોધ્યા વિના, જોયા તપાસ્યા વિના, યતના વિના વાપરવામાં પ્રમાદાચરણ છે. માટે અનર્થદંડ રૂપ છે. અત્રે ગણાવેલા અનર્થ દંડોના પ્રકારો કેટલા શ્રાવિકાઓને, કેટલાક શ્રાવકોને અને કેટલાક ઉભયને લગતા સમજવા. ચારેય પ્રકારના અનર્થ દંડથી અનર્થ થાય છે, અનર્થ દંડ સેવ્યા વિના જીવનનિર્વાહ ન નભે તેવું નથી હોતું. બુદ્ધિમાંદ્ય, કુતૂહલો, અસાવધતા વગેરે કારણોથી અનર્થ દંડ સેવાય છે, જે સેવવાની ખાસ જરૂર નથી હોતી તથા ખાસ જરૂરને પ્રસંગે તે અનર્થ દંડ ગણાતો નથી. આર્ત તથા રૌદ્ર ધ્યાનથી ઉદ્વેગ, શરીરની ક્ષીણતા, દુર્ગતિ, ઘોર પાપનું બંધન વગેરે અનર્થો થાય છે. કદાચ અપધ્યાન થઈ જાય, તો પણ મનોવિગ્રહ કરીને તે દૂર કરવું, ધર્મધ્યાન અને શુફલ ધ્યાન ધ્યાવાની સ્થિતિનો અભાવ એ પણ અનર્થ દંડ છે. ભાઈ, પુત્ર, સ્ત્રી, મિત્ર વગેરેને, બીજી રીતે નિર્વાહ થાય તેમ ન હોય તો, કાંઈક સલાહ દેવી પડે, કે જેમાં હિંસાદિકનો કંઈક સંભવ હોય, પણ તે અશકય પરિહારે જ એવી સલાહ દેવી પડે તો જ દેવી પરંતુ, અન્યને અતિખાસ કારણ વિના તે પણ ન આપવી જોઈએ. તેવી સલાહ દેવામાં તો વિના કારણે પાપ જ છે. એકંદર યતના, અપ્રમત્તભાવ, સદાશય વગેરે પૂર્વક શ્રાવકોએ જીવનનિર્વાહ કરવો જોઈએ. મશ્કરી, વાચાળપણું, મેણાં, ટોણાં, ફટાણાં, ઠપકા, ઉપાલંભ, તિરસ્કાર વગેરે પણ અનર્થદંડ રૂપ જ છે. ભાંડ, ભાટ, ભવાયા, ચેટક, વિટક-છાકટાના-ચાળા જેવા કે તેના જેવા ચાળા જાતે કરવા, તે પણ અનર્થદંડ જ છે. અવ્યવસ્થિત-અનિયમિત, ઉડાઉ, લોભી, પ્રમાદી, અસાવધ, ભયભીત, નિરર્થક, પાપકારી, અકડાઈભર્યું, ઉચિત મર્યાદા બહારનું જીવન અનર્થ દંડ રૂપ છે. હિંસા, અસંયમ, અસહિષ્ણુતા, અસત્યતા, વગેરે અનર્થદંડનાં મૂળ કારણો છે. ખાસ પ્રયોજનને ઉદ્દેશીને કોઈ પ્રસંગે દોષ સેવવો પડ્યો હોય, તેના કરતાં નિપ્રયોજન સેવેલા દોષો વધારે ભયંકર છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૯૧ અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ -કંદખે અશ્લીલ શબ્દો. ફાઈએ કીકુચ્ચ. મહરિ-મૌખર્ય-વાચાળપણું. અહિગરણઅધિકરણ. ભોગ-અઈરિને ભોગતિરિકત, ભોગોમાં અત્યન્ત આસક્તિ. દંડમિદંડમાં. અગઠ્ઠાએ અનર્થ. કંદખે કુકુઈએ મોહિર અહિગરણ ભોગઆઈરિસ્તે દંડમ્પિ અણઠાએ તઇઅમિ ગુણ-ધ્વએ નિંદે રજા ત્રીજા ગુણવતમાં કંદર્પ, કીકુ, મૌર્ય, અધિકરણ અને ભોગાતિરેક,[ઓ] અનર્થદંડોને નિંદું છું. વિશેષાર્થ:- ૧. કંદર્પ: કામવાસના જન્ય વાકય પ્રયોગ પણ કંદર્પ ગણી શકાય છે. અર્થાત-રાગાદિ વિકાર ઉત્પન્ન કરનાર મશ્કરી, અશ્લીલ શબ્દો, ગાળાગાળી, મશ્કરી વગેરે કંદર્પમાં સમાય છે.. ૨. કીકુ : ભૃકુટી, નેત્ર, હોઠ, નાસિકા, હાથ, પગ, મોટું વગેરે અવયવોના વિકારગર્ભિત એવી ચેષ્ટા-ચાળા કરવા સાથે ઠઠ્ઠામશ્કરી કરી વાંઢાના ચાળા કરવા જેથી કરીને પોતાને કે બીજાને હસવું આવે, મોહોત્પત્તિ થાય. બીજા આગળ હલકાઈ થાય એવું શ્રાવકને બોલવું કે ચેષ્ટા કરવી બિલકુલ ઉચિત છે જ નહીં. પ્રમાદથી તેવું આચરણ થતાં તે અતિચારરૂપ બને છે. પ્રમાદાચરણ રૂપ અનર્થ દંડના ત્યાગીને ઉપરના બન્નેય અતિચારો છે. ૩. મૌખર્ય : અસંબદ્ધ અને અસભ્ય ઘણું બોલવું. મૌખર્યની ટેવવાળાને પાપોપદેશનો વધારે સંભવ છે. તથા ઘણાઓને અનિષ્ટ થવાનું હોય, તેમાં વાચાળ પહેલો કુટાઈ જાય છે. પ્રસંગ જાણ્યા વિના ઉચિતતા-અનુચિતતાનો વિવેક કર્યા વિના બોલનાર મુખર માણસ અપ્રીતિનો ભોગ પહેલો બને છે. પાપોપદેશ-ત્યાગવ્રતનો આ અતિચાર છે. ૪. અધિકરણ : એટલે “સંયુકત અધિકરણ” એવો અર્થ લેવાનો છે. એટલે કે ખાંડણિયા, સાંબેલા, તલવાર વગેરેની સાથે સંબંધ રાખવાથી, આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી થાય, તે સંયુકતાધિકરણતા. અથવા–“સંયુકત એવાં અધિકરણો' એવો અર્થ કરવો. જેમકે-ખાંડણિયો અને સાંબેલું, હળ અને કોશ, ધનુષ્ય અને બાણ, ગાડું અને ધોંસરું, છીપરડી અને ઉપરવટો, કુહાડો ને હાથો, ઘંટી અને તેનું ઉપરનું પડ, એ પણ સંયુક્ત અધિકરણો કહેવાય. વિવેકીએ ઉપરનાં હથિયાર તૈયાર-સજજ કરેલા રાખવાં જ નહીં, સજજ હોય તો બીજો માંગી શકે, તેને ના પાડી શકાય નહિ, અને સજજ ન હોય તો બનતા સુધી માંગે જ નહીં. એ જ પ્રમાણે અગ્નિ પણ બીજાએ સળગાવ્યા પછી પોતાને ઘેર સળગાવવો. ચરવા માટે ગાયો Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પંચ પ્રતિwણસૂત્રો બીજાની છૂટ્યા પછી પોતાની છોડવી. હળ, ગાડાં જોડવાં, ઘર-હાટ બાંધવાની શરૂઆત, ગાયાંતરે જવું વગેરે પહેલાં ન કરવું. આ અતિચાર હિંમ્ર પ્રદાન ત્યાગનો છે. ૫. ભોગાતિરિક્ત : ઉપભોગ અને પરિભોગમાં અતિરેકતા જો કે ભોગપભોગ પરિમાણ વ્રતમાં આવી જાય છે, છતાં-પરિમાણ કરવા છતાં બિન જરૂરી છૂટ રાખી હોય, અથવા છૂટનો વધારે પડતો દુરપયોગ થતો હોય, ચૌદ નિયમો ધારીને તેનો સંક્ષેપ કરવામાં ન આવતો હોય, અથવા એ બધું કરવા છતાં જે ઓછામાં ઓછી છૂટ રાખી હોય, તેનો પણ આસકિતથી ઉપયોગ કરવામાં આવતો હોય, તો તે વખતે અનર્થદંડનો સંભવ ઉત્પન્ન થાય છે. અને પ્રમાદાચરણ ત્યાગનો આ અતિચાર બને છે. વિરાધના થાય તેવા જવાકુળ ફળ, પુષ્પાદિનો ત્યાગ કરવો, તેમજ દરેક બાબતમાં અલ્પ જરૂરિયાતવાળા થવું, સ્નાન, ભોજન, તાંબૂલ, ફળ, પત્ર, પુષ્પ વગેરે ઓછાથી ચલાવવું ગુણ રૂપ છે. શ્રાદ્ધ, શ્રાવક અને દેશ વિરતિ ગૃહસ્થનું જીવન મુનિરાજની માફક સંપૂર્ણ ત્યાગી નથી હોતું, પરંતુ દેશત: ત્યાગી હોય છે. એટલે કે, મુનિરાજના જીવનમાં જ્યારે કેવલધર્મ હોય છે, ત્યારે ગૃહસ્થ શ્રાવકના જીવનમાં ધર્મ મુખ્ય હોય છે, ને સાથે સાથે ગૌણતામાં અર્થ અને કામ પણ હોય છે. કેમકે-ગૃહસ્થના ધાર્મિક જીવનનો પ્રયોજક મુખ્ય ધર્મ છે, અને સાંસારિક ગૃહસ્થ જીવનના મુખ્ય પ્રયોજક અર્થ અને કામ છે. એટલે કેટલેક અંશે કામની પૂર્તિ માટે તથા ધર્મ માટે ગૃહસ્થને અર્થની જરૂર પડે છે. એટલે અર્થ પણ સાંસારિક ગૃહસ્થ જીવનનું અંગ બને છે. આ રીતે ધર્મ, અર્થ અને કામને યથાયોગ્ય રીતે ત્યાગને પોષક થાય તેમ સાચવી જાણે તે ગૃહસ્થ અર્થમાં ગણાય છે, પરંતુ એ ત્રણ બરાબર ન સચવાય, તેમાં ખામી પડે, પરસ્પરને નુકસાન કરે, તો તે અનેક પ્રકારે અનર્થ થાય છે. અને તેથી લૌકિક અને ઈહલૌકિક, તથા લોકોત્તર અને પારલૌકિક ઘણાં નુકસાન રૂપ અનર્થ દંડ થાય છે. હાલની કૃત્રિમ ધનિક્તા મુખ્યપણે અનર્થ દંડ રૂપ છે. શ્રાદ્ધ, શ્રાવક અને દેશવિરતિ, બુદ્ધિશાળી, દીર્ધદષ્ટિ, કર્તવ્યનિષ્ઠ, ઉચિતજ્ઞ, અપ્રમાદી, વજનદાર, પ્રતિષ્ઠિત, સ્વ-પર ઉપકારમાં આસકત, લોકસંગ્રહી, લોકપ્રિય, અગ્રેસર, નેતા, હિત-મિત-પરિમિતભાષી, દક્ષ-ચતુર, ઉદાર, નિર્લોભી ઉચિત વ્યયી, શુભહેતુ પ્રયુકત અનેક પ્રકારે લાભદાયી કાર્ય પ્રણાલીના યોજક-પ્રચારક, શિષ્ટ માન્ય વ્યવહાર કુશળ, ન્યાય માર્ગથી ધનોપાર્જક ધનોપાર્જનના ભાગમાં કુશલ, ધીર, વીર, નિર્ભય, ધર્મજ્ઞ, ધર્માચરણ શીલ, ઈદ્રિયાર્થી સંપન્ન, શરીર સૌષ્ઠવવાનું. અલ્પનિદ્રી, અલ્પભોઇ, દેશકાલજ્ઞ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિભાગજ્ઞ, અનતિકામભોગાસકત, ઉચિત પ્રકારે ઈઢિયાર્થ વિષયોપભોગી; આદર્શ જીવન જીવી, સદા અપ્રમાદી ઉદ્યમવંત, ઉત્તમ ધંધો ચલાવનાર, સંધિવિગ્રહ, કુશળ, શિષ્ટઆર્યરાજ્ય પદ્ધતિને સન્માન્ય, નિ:સ્વાર્થપણે હિત બુદ્ધિથી ધાર્મિક-સામાજિક-કૌટુંબિક-પ્રજાકીય અને દેશ સંબંધી હિતકર સંસ્થાઓ સંચાલન-કુશલ, દેશ-વિદેશની બાહ્ય અને આભ્યન્તરપ્રવૃત્તિમર્મજ્ઞ, અક્ષુબ્ધ, સ્થિરબુદ્ધિ, સમ્યગ્દષ્ટિ, સદા Page #266 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૯૩ શુદ્ધશાથવણોદ્યત, તત્વજ્ઞ, તત્ત્વચિંતક, સારગ્રાહી, દેવ ગુરુ ધર્મારાધક, સંયમી, ગુરુ શુશ્રુષા તત્પર, ધર્મમાર્ગપ્રભાવક, દાંત સ્વામીની, નિરભિમાની દયાળુ, દમામદાર સાદાઈયુકત અનુભટ પણ સ્વવૈભવનુરૂપ ઉદાર વેશધારી, અનુદ્ધત, સદાનમ્ર, કેળવાયેલ-વિનયી, વિવેકી, ખાનદાન, અભંગદ્વારી, અપ્રાર્થી, અપ્રાર્થનાભંજક, મકકમ, અકદાગ્રહી, સમતોલબુદ્ધિધારક, ધાર્મિક પરિણતિવાળા સાધર્મિક પાડોશીઓની વચ્ચે સ્વકુળ પરંપરાનુરૂપ વૈભવાતુસારિગૃહોમસ્કરયુકત, શ્રાવકકુલાનુરૂપ સર્વવ્યવહારી, સ્વવૈભવકુલ- ગુણ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ-આબરૂ વગેરેને અનુરૂપ તેવા જ સ્વપરપક્ષનાં સગાં સ્નેહીઓ વડે યુકત, જવાબદારી સમજનાર, સમજીને ઉપાડનાર, ઉપાડીને પાર મૂકનાર, સત્કાર્યોની અને સત્કાર્યોમાં આવતાં વિદ્ગોની ઉપેક્ષા ન કરનાર, ઉત્તમ કાર્યોમાં સચોટ લાગણી અને બેહદ કાળજી ધરાવનાર, ન્યાયી; અનુગ્રહ-નિગ્રહ સમર્થ, જનસ્વભાવગુણદોષપરીક્ષક, અવચ્ચક, અવંચનીય, નિદંભી, પરદંભશ, સભ્ય, સત્કારશીળ, ઉત્તમાર્થલક્ષી, સુરુચિવાન, કળાદક્ષ, કળાશ, કલાપ્રિય, ધર્મનિષ્ઠ, ઉત્તમ કુળ જાતિ સંપન્ન આપ્ન સેવી, આપ્ત શ્રદ્ધાળુ, વ્યવહારમાં સદા અવિશ્વાસુ, ઉપધાશુદ્ધ, લાયક-વિશ્વાસુ અને યોગ્ય-પરિવારયુકત, કુલપરંપરાગત-ગુણલક્ષ્મી-વૈભવ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ રક્ષક તથા સ્વયં ઉપાર્જક અને સંવર્ધક, કુટુંબપાલક, કુટુંબ સંસ્કાર, કુટુંબ વત્સલ, સર્વની પ્રીતિને પાત્ર, અને સૂક્ષ્મજ્ઞ હોવા જોઈએ. ગૃહસ્થના ભૂષણરૂપ આ ગુણોમાં જેટલી ખામી રહે તેટલા, આ જીવનમાં અને પરજીવનમાં પણ અનર્થ દંડ ભોગવવા પડે, એ સ્વાભાવિક છે. માટે ગૃહસ્થ ધર્મ, અર્થ, અને કામનું એટલે-અર્થનું એવી રીતે આચરણ કરવું જોઈએ, કે જેથી કરીને અધર્મ, અનર્થ અને દ્વેષરૂપ અનર્થ ઉત્પન્ન ન થાય. કેટલાક ધર્માચરણ એવા હોય છે કે જેથી ધર્મ જ થાય. ત્યારે કેટલાક એવા પણ હોય છે કે, એકલા ધર્મના આચરણ માત્રથી અર્થ અને કામ પણ સાથે સાથે સિદ્ધ થાય. એવી જ રીતે અર્થ અને કામની આચરણાથી શુદ્ધ અર્થ અને શુદ્ધ કામ થાય, અથવા અર્થના આચરણથી ધર્મ અને કામ પણ ખેંચાઈ આવે, અથવા કામના આચરણથી ધર્મ અને અર્થ પણ ખેંચાઈ આવે. અથવા ઉપર ઉપરથી ધર્મ કરતાં જણાઈએ, પણ અધર્મ કે અનર્થ કે દ્વેષ પણ ઉત્પન્ન થઈ જાય, તે વખતે ત્રણેય અનર્થો થઈ જાય. એવી જ રીતે કામ સેવતા જણાતા હોઈએ, ને એકેક બબ્બે કે ત્રણેય અનર્થ ખેંચાઈ આવે. અથવા એવો ધર્મ કરતાં હોઈએ, કે જેથી અર્થ કામ સંદિગ્ધ થઈ જાય, એ જ પ્રમાણે અર્થ અને કામ આચરતાં પણ ત્રણેય અર્થ સંદિગ્ધ થઈ જાય, અથવા ધર્મ આચરતાં એક તરફ ધર્મ અને બીજી તરફ અધર્મ થાય, અથવા એક તરફ અર્થ અને બીજી તરફ અનર્થ થાય, અથવા તથા એક તરફ કામ અને બીજી તરફ ઠેષ ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે અર્થ કે કામ આચરતા હોઈએ, ને એક તરફ ધર્મ અને બીજી તરફ અધર્મ, તેમ જ એક તરફ અર્થ અને બીજી તરફ અનર્થ તથા એક તરફ કામ અને બીજી તરફ દ્વેષ થાય. આવી અનેક પ્રકારની જગના વ્યવહારમાં આંટીઘૂંટી છે. તેના આઠસો લગભગ ભેદો થાય છે. તેમાંથી જૈન ગૃહસ્થ એવી રીતે દક્ષતાથી પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ કે જેથી કરીને ધર્મનું સેવન અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. અર્થનું સેવન Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. કામનું સેવન અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. ભવિષ્યમાં પણ અધર્મ અનર્થ કે દ્વેષના સહેજ પણ કારણભૂત ન જ બનવા જોઈએ, એટલું જ નહિ પરંતુ તેઓનો ભવિષ્યમાંયે સંભવ પણ ઉત્પન્ન થવા ન પામે, તેવી સાવચેતી-દીર્ઘ દૃષ્ટિ અને કુશલતાથી કામ કરવું જોઈએ. અર્થ ત્રિવર્ગના આચરણથી આ પ્રમાણે લાભો થાય છે - અર્થ ત્રિવર્ગની અર્થ પરંપરા વધે, તેવી આચરણા બુદ્ધિશાળી અને અપ્રમાદી ધર્મનિષ્ઠ શ્રાવક શુભ ઉદ્દેશથી કરી શકે છે. તેથી અનેક સુખની પરંપરા વધે છે, ભવિષ્યમાં ઘણી ઉન્નતિ થાય છે, યશ તથા ધર્મની વૃદ્ધિ થાય છે, અનેક કષ્ટ પરંપરામાંથી બચી જવાય છે, અનેકને બચાવી શકાય છે; આ લોકમાં તેમજ પરલોકમાં સુખ મળે છે. અનર્થ પરંપરા અને અનર્થના સંભવો-૧. બુદ્ધિની દુર્બળતા, ૨. અતિરાગ, ૩. અતિ અભિમાન, ૪. અતિદંભ, ૫. અતિ સરળતા, ૬, અતિ વિશ્વાસ, ૭. ક્રોધ, ૮, પ્રમાદ, ૯. સાહસ અને ૧૦. દૈવયોગ નસીબ-પૂર્વ કર્મ વગેરેથી ઉત્પન્ન થવા માંડે છે. અનર્થની પરંપરા વધે કે અનર્થની પરંપરાનો સંભવ વધે, તેમ વર્તવાથી:- ૧. કરેલો ખર્ચ નકામો જાય છે, ૨. ભવિષ્યમાં પણ લાભનો સંભવ રહેતો નથી, ૩. ઊલટાં નુકસાન-ઉપર નુકસાનો આવે છે, ૪. ભવિષ્યમાં કંઈક લાભ થવાના હોય-તે અટકી જાય છે, ૫. ને તે ઊલટાં નુકસાનમાં પરિણમે છે. ૬. મળેલા લાભો પાછા ચાલ્યા જાય છે, 9. પરસ્પર વિરોધ અને મુશ્કેલીઓ ઊભી થાય છે, ૮. શરમિંદા થવું પડે છે, ૯. શરીરને નુકસાન થાય છે, ૧૦. દંડ વગેરે શિક્ષા થાય છે, ૧૧. બીજી પરચૂરણ નાની મોટી પીડાઓ અને હેરાનગતિઓ થાય છે, ૧૨. કદાચ પરંપરાએ, અંગોપાંગ છેદાય છે, દાવા-ફરિયાદોનો પ્રસંગ આવે છે, ૧૩. બેઆબરૂ અને રખડતા રઝળતા થવાનોયે પ્રસંગ આવી જાય છે. તેથી અનર્થોને બરાબર સમજવા અને પ્રથમથી જ તેના સંજોગોનો ત્યાગ કરવાનો પૂરતો ખ્યાલ રાખવો. ભલે તત્કાલ ઘણા લાભો જણાતા હોય, તેવા અર્થનો પણ ત્યાગ કરવો, એ બુદ્ધિશાળીનું કામ છે. નુકસાન વેઠીને પણ ભવિષ્યમાં થવાનાં અનર્થોને ટાળવા જોઈએ. આ વિષય સુજ્ઞ શ્રાવક ગૃહસ્થોને ઘણો ઉપયોગી હોવાથી ગ્રંથાન્તરથી અત્રે મૂકવામાં આવ્યો છે, જોકે ઘણા દક્ષ શ્રાવકોના જીવનમાં સ્વાભાવિક રીતે જ આવી ચતુરાઈ અને કાર્યકુશળતા જોવામાં આવે છે. પરંતુ તે જાતની શકિત અને તેનું સ્વાભાવિક વારસાગત જ્ઞાન હવે ઘટતું જાય છે. એક તરફ કેળવણી વગેરે એકદેશીય હાલના સંજોગોથી ઊછરતી જૈન પ્રજાની ચતુરાઈ ઘટતી જાય છે. માટે કેટલાક અજાણ હોય તેઓના બોધને માટે આ વિષયમાં ઉદાહરણો આપી આ પ્રકરણ પૂરું કરીશું. ૧. એક વ્યાપાર કરવાથી પ્રત્યક્ષ ધન મળે, લોકો પ્રશંસા કરે, ભવિષ્યમાં નવા વેપારની અનેક સગવડો મળે, પ્રભાવ વધે, ઉત્તરોત્તર ધન આવ્યું જ જાય, બીજાને અનુકરણ કરવા લાયક થવાય, તે અર્થ અર્થાનુબંધ વાળો એટલે બીજા અર્થને એ રીતે ખેંચી લાવનાર કહેવાય છે. અર્થાત્ એક અર્થ Page #268 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૯૫ કે જે અનેક અર્થ પરંપરાનું કારણ બને છે. ૨. માત્ર પ્રયત્ન પૂરતો જ ધન લાભ મળી જાય છે, તે માત્ર અર્થલાભ. ૩. હવે-એવી રીતે વ્યાપાર કરવામાં આવે કે જેથી-તત્કાળ ધન તો મળે, પણ માલ ખરીદનાર વ્યાપારીએ, બીજાનો ચોરીને લાવેલો માલ ખરીદ્યો હોય, તો માલ જે કે સસ્તામાં મળી જાય, એટલે નફો વધારે મળે, પણ તેવા ધનથી બેઆબરૂ થવાય, દંડ થાય, પ્રતિષ્ઠા જાય, ભવિષ્યમાં વિશ્વાસ ઊઠી જાય, ઘરનું ધન આપીને કોઈ વાર એવા કેસમાં મન મનાવી લેવું પડે, બીજાં પણ અનેક નુકસાન થવાના સંજોગો ઊભા થાય, તેવો અર્થ. તે અનર્થ પરંપરાનું કારણ બને છે, તેથી કે અર્થ-અનર્થાનું-બંધિ કહેવાય છે. ૪. પોતાની ગાંઠના મોટા ખર્ચે શૂરવીર મોટા સરદારને હાથમાં રાખવાથી ધનવ્યય નકામો થાય છે. અને વારંવાર મોટો ખર્ચ કરવો પડે છે. આમ અનર્થની પરંપરા ચાલે છે, છતાં કોઈ મોટી મુશ્કેલી વખતે તે એવી રીતે મદદગાર થઈ પડે છે કે તેની લાગવગથી મહાન ધનહાનિમાંથી બચી જવાય છે, તથા બીજા પણ ઘણાં મોટાં નુકસાનોમાંથી ભવિષ્યમાં બચી જવાય છે. આવા પ્રસંગે તેવી પ્રાથમિક અર્થહાનિ આદરણીય થઈ પડે છે. માટે તેવો અનર્થ-અર્થાનુબંધી થાય છે. ૫. એ જ પ્રમાણે કોઈ પણ શઠ અને આપણું ધન ખેંચી જવાની છેતરપિંડી કરનાર માણસને પોતાના ગમે તેટલા ધનથી આરાધીએ, તો પણ તેમાં પરિણામ કાંઈ પણ નથી આવતું, તે અનર્થ છે, અને તે નિષ્ફળ ગણાય છે. એવા જ કોઈ રાજ્ય માન્ય આકરા સ્વભાવના પુરુષનું આરાધન કર્યું હોય, તો ફળ કંઈ મળતું નથી. અને “ઓળખીતો સિપાઈ બે દંડા વધારે મારે” એ હિસાબે રાજદંડ વધારે થાય કે બીજા દોષો ઉત્પન્ન થાય. આવો અનર્થ પ્રસંગ : અનર્થપરંપરાને વધારનારો ગણાય છે, માટે તે અનર્થ અનર્થાનુબંધી કહેવાય છે. એ પ્રમાણે :- ધર્મારાધન કરવાથી અમુક પ્રમાણમાં જ આરાધન પૂરતું જ ફળ થાય, તે ધર્મ ગણાય, પરંતુ કોઈ વખત એવી રીતે ધર્મારાધન કરવામાં આવે કે જેથી યશ, ધન, વિશેષ ધર્મારાધનની સામગ્રી પ્રાપ્ત થાય, તેવું ધર્મારાધન વિશેષ ધર્મ પરંપરાનું નિમિત્ત થાય છે, તે ધર્મ ધર્માનુબંધી કહેવાય છે. આ પ્રમાણે કોઈ વખતે બેવડો લાભ મળી જાય છે, કોઈ વખતે બેવડા નુકસાન થાય છે, કોઈ વખતે લાભ કરવા જતાં હાનિનો પ્રસંગે ઉપસ્થિત થાય છે, કોઈ વખતે હાનિ કરવા જતાં લાભ થઈ જાય છે. આ બધા સંજોગોમાં બહુ જ હોશિયારીથી વર્તવાનું હોય છે. આના લગભગ સાતસો આઠસો વિકલ્પો થાય છે, અને તે દરેકનાં અનેક ઉદાહરણો મળી શકે છે. પરંતુ તે લખવા જતાં ઘણો વિસ્તાર થાય તેમ છે, માટે તે અહીં છોડી દેવામાં આવે છે. પરંતુ, ધર્મ, અર્થ અને ઈષ્ટ વિષયોની પરંપરા વધે તેવા ધર્મ, અર્થ અને કામ મુખ્ય પ્રધાન છે, ઉપરથી દેખાતા અનર્થ ત્રિવર્ગ આચરતાં અર્થ સંશયો પણ સારા નહિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પંચ પ્રતિક્ષ્મણ સૂત્રો કેટલીક વખત એક બાજુથી અર્થ અને બીજી સર્વ બાજુએથી અનર્થ થાય છે, એમ જ, એક બાજુથી અર્થ અને બીજી સર્વ બાજુથી અર્થ, અથવા સર્વ તરફથી અર્થ અને એક તરફથી અનર્થ. માટે ધર્માર્થી ગૃહસ્થોને ઘણો વિચાર કરીને પોતાના જીવનવ્યવહારો ચલાવવાના હોય છે. આ સૂક્ષ્મ વિચાર આપણને વારસાથી મળ્યો હોય છે. આપણા પૂર્વપુરુષો આ બાબતો બરાબર યુક્તિયુક્ત જાણતા હતા અને તે વિચારો આપણને વારસામાં મળેલા હતા. એમ કહેવાય છે કે-“વીશા શ્રીમાળીઓએ વિચાર કરતાં મણ ઘી બળવા દીધું” “પાઈનો મેળ મેળવવાને માટે પાંચ શેર તેલ બાળીએ.” વગેરે વાકયો, યોગ્ય વિચારશક્તિનાં સૂચક વાકયો છે. પરંતુ હાલમાં આપણી પ્રજાને પરંપરાનું શિક્ષણ મળતું અટકયું છે, તેને બદલે કેવળ પુસ્તકિયા શિક્ષણ પરદેશીઓના ચરણ આગળ બેસીને લેવું પડે છે, તેથી વારસામાં મળતી ઉપરની મહાન દીર્ઘ દષ્ટિવાળી પ્રેરક શકિતઓનો નાશ થતો જાય છે, ત્યારે એ શકિત યુરોપ પોતાનામાં વધારતું જાય છે. ઉપર જણાવેલા અર્થ અને અનર્થ વર્ગનો વિચાર રાજ્યના મુત્સદ્દીઓને ખાસ કરવાનો તો હોય છે, પરંતુ ધર્મગુરુઓને તો સૌથી સવિશેષ કરવાનો હોય છે, તે જ પ્રમાણે ગૃહસ્થ પણ પોતાના ગૃહરાજ્યનો વ્યવસ્થાપક છે, સમાજ અને પ્રજાકીય સંસ્થાનો સભ્ય છે, તથા ધર્મમાં પોતાનું સમગ્ર હિત સમાયેલું છે, માટે તેણે પણ તે વિચારો ઘણા જ હોશિયારીથી, ધરાવતા અને અમલ કરતાં શીખવું જરૂરનું છે. તેમાં વ્યક્તિના લાભ અને સામુદાયિક હિત, સામુદાયિક અને વ્યકિતનું નુકસાન વગેરે પણ ઘણું વિચારવાનું હોય છે. સર્વના સમુ ત્યત્તિ ઉત:' એ વગેરે આ અર્થના સૂચક છે. ઈંગ્લેંડના મુત્સદ્દીઓ આવા પ્રયોગો ઘણી વાર અજમાવીને આગળ આવી રહ્યા છે, તેવો જ એક પ્રયોગ હમણાં જ ત્યાંના પ્રધાન મંડળે અજમાવ્યો છે. શહેનશાહ આઠમા એડવર્ડના ગાદીત્યાગનું રહસ્ય વિચારવાથી એ વસ્તુ બરાબર સમજાશે. શહેનશાહ આઠમા એડવર્ડના ગાદીત્યાગથી ઈંગ્લેંડ અને ગોરી પ્રજામાં અમુક અસર થશે, અને ભારતમાં જુદી અસર થશે. આ આખી અસરનું માપ કાઢીને રાજાને ગાદી-ત્યાગ પ્રધાનોએ કરાવ્યો છે અને રાજાએ કર્યો છે. આ ગાદીત્યાગ જે નિમિત્તથી કરવામાં આવ્યો છે, તે પ્રસંગથી “સ્ત્રીઓની પવિત્રતા ઉપર ખાસ ભાર મૂકવો જોઈએ.” આ વાતની ઈંગ્લેંડ અને જગતની ગોરી પ્રજામાં વધારે મકકમતા ફેલાશે. આથી લાંબે કાળે ભારતની ઊંચ કોમની સ્ત્રીઓ માફક ત્યાં પણ કેળવણી વગેરે સાધનોની મદદથી સ્ત્રીઓમાં પવિત્રતા, સંયમી જીવન અને મર્યાદા વધશે. હમણાં જ ઈંગ્લેંડે એવો કાયદો કર્યો છે કે લગ્ન પછી પાંચ વર્ષ સુધીમાં છૂટાછેડા હવે ન આપવા, તથા જર્મનીમાં હિટલરે સ્ત્રીઓના ખાસ કાયદા કર્યા છે. ગોરી પ્રજાના હિતચિંતકો ત્યાંના સ્ત્રી-વર્ગને તાલીમ, વાતાવરણ, તથા કાયદાથી ભારતની ઉચ્ચ કોમની સ્ત્રીઓની કોટીમાં મૂકવા જે ઈચ્છાઓ રાખે છે, તેને આ પ્રસંગથી વેગ મળશે, અને ઈગ્લેંડની પ્રજા કે જે આર્ય ભાવનાઓથી પૂર્વકાળે રહિત હતી, તેને હવે તેનો લાભ પ્રજાના જીવનમાં સાક્ષાત મળવા લાગશે. એટલે સંસ્કારી થવાથી ત્યાંની પ્રજા આગળ વધશે. આ આદર્શ ઉત્પન્ન કરવામાં ત્યાંની પ્રજાનું હિત જોઈને રાજા ગાદીત્યાગ કરે, અને કહી શકે કે “મારી પ્રજાના ભલા માટે મેં ગાદીનો ત્યાગ કર્યો છે”- બધું બરાબર છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૯૭ આ તરફ હિંદમાંના ઉપરના વિચારવાળા વર્ગને ટેકો મળે કે-“જુઓ, સ્ત્રીઓની પવિત્રતા માટે ઈંગ્લેંડ પણ કેવું લક્ષ્ય આપે છે ?'' પરંતુ બીજી બાજુ સુધારક વર્ગ સ્ત્રીઓની પવિત્રતા તરફ ધ્યાન ન આપતાં, એકપક્ષી પ્રેમને જ વધારે મહત્ત્વ આપવાનો તેને એવો જ ભાસ થશે કે,–“પ્રેમ ખાતર આખા સામ્રાજ્યનો ત્યાગ કર્યો. માટે રાજાનો પ્રેમ આદર્શ છે. પ્રેમ આગળ રાજ્યનો શો હિસાબ ?” તેથી આવા મહત્ત્વના બનાવથી તે વર્ગમાં વેગ આવે, ને છૂટાછેડા વગેરે તત્ત્વો ફેલાવી સ્ત્રીઓને ગમે તેવી છૂટ આપવા દોરવાઈ સ્ત્રીસ્વાતંત્ર્યને નામે પ્રજાને ઉશ્કેરીને સ્ત્રીવર્ગને ભવિષ્યમાં શિથિલ ચારિત્ર્યવાળો કરી શકે, કોઈ કોઈ રાજામહારાજાઓના કુમારો કે પૈસાદારોનાં સંતાનો વગેરે દેશપરદેશના હલકા કુળનાઓ સાથે પરણે, ને પોતાના વારસાની પરવા ન કરતાં તેને જતાં કરે, એટલે તેવી સત્તા અને મિલકતો પરથી તેઓનો કાબૂ ઘટે અને બીજી સત્તાનો વધે. જો કે ઉચ્ચ કોમોમાં પણ અમુક વર્ગ મકકમ થાય, પોતાના વર્ગમાં મજબૂતી કરે. ત્યારે આવા ગાદીત્યાગ જેવા પ્રસંગથી વધારે બળમાં આવેલા સુધારક વર્ગો પોતપોતાની જ્ઞાતિમાં વિધવાવિવાહ, છૂટાછેડા વગેરે વાતોનો ખૂબ જોરથી પ્રચાર કરે. રાજ્યના કાયદા, કૉંગ્રેસના તેવા નેતાઓ, વર્તમાનપત્રો વગેરેથી પણ ઘણો પ્રચાર થાય, લાંબે વખતે અહીંનો સંસ્કારી છતાં સ્ત્રી-વર્ગ, પ્રથમ ધીમે ધીમે અને પછી એકદમ બગડે, એ સહજ છે. અને જે ન બગડે તે નિંદાય –“રૂઢિચુસ્ત, પરતંત્ર, ગુલામડીઓ, પામર, ધર્મઘેલીઓ” વગેરે નિંદાના શબ્દો તેને માટે પ્રચલિત છે જ. આમ થતાં સેંકડો વર્ષે સારો સ્ત્રીવર્ગ કદાચ અહીં જૂજ રહે, અને તે દેશોમાં અપુનર્લગ્ન કરનારો વર્ગ વધી જાય, ત્યારે તે વખતે સમગ્ર સ્ત્રીમંડળમાં યુરોપનો સ્ત્રીવર્ગ આગળ આવી જાય. જો કે, પવિત્ર આર્ય કુટુંબોમાં આજે પણ એવું છે કે, લાખો પેઢીમાં પણ કોઈ પણ સ્ત્રી માટે કંઈ પણ કહેવાનો પ્રસંગ બન્યો જ ન હોય. ત્યારે યુરોપમાં એવું શુદ્ધ તત્ત્વ મળવું મુશ્કેલ છે. પણ વખત જતાં અહીંનો સ્ત્રીવર્ગ સંયમમાં નબળો, પડતો જાય, ત્યારે એક વખત એ પ્રશ્ન બન્ને માટે સરખો થઈ જાય, ને પછી સંસ્કાર લાગવગ, શિક્ષણ, અયોગ્ય તત્ત્વોના નાશથી યુરોપનો સ્ત્રીવર્ગ અહીંના સ્ત્રીવર્ગથી અત્રે વધતા જતા વિરુદ્ધ સંજોગોને લીધે ભવિષ્યમાં સરસાઈ ભોગવી શકે. આજે જગના સ્ત્રીમંડળમાં સ્ત્રીઓની યોગ્યતામાં ભારતની સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ પવિત્ર હોવાથી આગળ છે. અને યુરોપની કોઈ પવિત્ર સ્ત્રી હરીફાઈ કરવા આવે, તો તે કદાચ પોતે પવિત્ર હોય, પરંતુ તેની પેઢીમાં મા-માશી કે ફઈમાં કંઈક છૂટાછેડા ને ઘણીઓએ પુનર્લગ્ન કર્યા હોય, ત્યારે અહીં જ ઉચ્ચ કોમની સ્ત્રીવર્ગમાં લાખો પેઢીથી પવિત્રતા જ ચાલી આવી હોય એવાં ઘણાં ઉચ્ચ કુટુંબો આજે પણ વિદ્યમાન છે. એટલે ભારતની સ્ત્રી જાતિ પોતાનું સ્વમાન ટકાવી શકે તેમ છે. પણ ભવિષ્યમાં સો વર્ષો પછી હાલમાં ચાલેલા સ્ત્રીસ્વાતંત્ર્યના નામ નીચે સ્ત્રીઓને બગાડવાના પ્રયોગો અને યુરોપમાં સુધારવાના પ્રયોગોથી-એ સ્વમાન ભારતની આર્ય સ્ત્રીઓને ભારે પડે, લાખો પેઢીમાં પવિત્રતા ઊતરી આવવા છતાં તે વખતે પોતાના સમયની સ્ત્રીઓને જોઈને તેને નીચું જેવું પડે, અને ગોરી પ્રજાની સ્ત્રીઓ સામી છાતીએ ચાલી શકે. આમ પોતાની પ્રજાને જ ફાયદો. આવા ફાયદા ખાતર રાજા એડવર્ડ પ્રજાના ભલા માટે ગમે તે પગલું ભરવાને કેમ તૈયાર ન થાય ? વળી આવા બનાવો સાધારણ માણસના પ્રસંગથી બને તો તેની અસર જાહેરમાં બરાબર ન થાય, પરંતુ આવા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પંચ પ્રતિક્ષ્મણસૂત્રો મોટા માણસોના પ્રસંગમાં જ આવી ઘટના કરવામાં આવે, તો જ પોતાને પ્રજાને જે ફાયદો અપાવવાનો હોય તે પ્રધાન મંડળ-સચોટ, જલદી ને ચોકકસ મજબૂત રૂપમાં અપાવી શકે તેથી આવા ભાવિ લાભની દષ્ટિથી, આ બનાવને લીધે વાસ્તવિક રીતે પ્રધાનમંડળને કે રાજાને દુઃખની લાગણીનો સંભવ ન જણાય, અને સ્વાભાવિક બનાવ રૂપે બની જતો દેખાય, એ સ્વાભાવિક છે. વાસ્તવિક રીતે પોતાની પ્રજાના લાભની દૃષ્ટિથી આ પ્રસંગ વધાવી લેવા જેવો કદાચ તેઓને બન્નેને હૃદયમાં લાગ્યો હોય, તો તેમાં પણ આશ્ચર્ય જેવું નથી. આ પ્રયોગ તત્કાલ-અનર્થ જેવો લાગે છે, પણ પરંપરાએ ઈંગ્લેંડને અર્થપરંપરાનો ઉત્પાદક હોવાથી બ્રિટિશ મુત્સદ્દીઓની હોશિયારીનો આ સબળ દાખલો છે. વળી તેઓ જ આ દેશમાં વાઈસરૉય તરીકે આવવાની વાતો થાય છે, હવે પછી શ્રીમતી એલિઝાબેથ ગાદીનશીન થાય. અહીં સ્ત્રી-સ્વાતંત્ર્યનો પવન, સંતતિનિયમન માટે કાયદા, છૂટાછેડા, વિધવા-વિવાહ વગેરે વિચારોની ધૂન, ભવિષ્યમાં ભારતના સ્ત્રીવર્ગને કયાં લઈ જશે ? તે ઘણું વિચારવા જેવું છે. બ્રિટિશ મુત્સદ્દીઓ કરતાં પણ શ્રાવકોની જવાબદારી બુદ્ધિ-શકિત, કર્તવ્યનિષ્ઠા વિશિષ્ટ પ્રકારની છે અને હોવી જોઈએ, કારણ કે મહાથાવકના પ્રયત્નો એકતરફી લાભને માટે નથી હોતા, પણ સર્વનાં હિત તરફ હોય છે. માટે દરેક પ્રવૃત્તિમાં સૌને માટે એકંદર અર્થ ત્રિવર્ગની પરંપરા વધે. તેવી જ રીતે અર્થ ત્રિવર્ગ વગેરે તે આચરે છે. પશ્ચિમમાં પવિત્રતા ભલે વધે, પણ તેમાં અહીંનો ભોગ લેવામાં અન્યાય છે. પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય. પાપાનુબંધી-પાપ. પુણ્યાનુબંધી-પાપ; આ ચાર ભાંગાઓને અનુસરીને જેઓની પૂર્વ ભવની સામગ્રી જેવી હોય, તેને અનુસરીને ઉપર જણાવેલી અર્થપરંપરા, તથા અનર્થપરંપરા-અને તેના ઊલટસૂલટા પ્રસંગોને લાયક બુદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે તેનાં ફળો મેળવી શકાય છે. ચાર શિક્ષા વ્રતો મહાવતો ધારણ કરવાને અશકત ગૃહસ્થ ધારણ કરેલાં પાંચ અણુવ્રતોના ગુણમાં વધારો કરનારાં ત્રણ ગુણ વ્રતોનું સ્વરૂપ, અને તેના અતિચારોની આલોચના તથા પ્રતિક્રમણ-પૂરાં થયાં. હવે શિક્ષા વ્રત અને તેના અતિચારોની આલોચના તથા પ્રતિક્રમણ શરૂ થાય છે. શિક્ષાવ્રત એટલે મહાપુરુષોએ આચરેલા મહાન ધર્માનુષ્ઠાનની તાલીમ મેળવવા માટેનાં વ્રતો : શિક્ષા શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. શિક્ષા શિખામણ. શિક્ષાષ્ઠપકો. શિક્ષા સજા, દંડ. શિક્ષા અનુભવ આપવો, અભ્યાસ કરાવવો, શીખવવું, ઉપદેશ વગેરે. શિક્ષા ગ્રહણ અને આસેવન : એ બે પ્રકારની જૈનશાસ્ત્રમાં બતાવેલી છે. ચહણશિક્ષા અને સામાયિક સૂત્ર વગેરે સૂત્રો અને તેના અર્થોનો ગુરુ પાસે પૂર્વ પરંપરાની આમ્નાય પ્રમાણે અભ્યાસ કરવો, મોઢે કરવા, અર્થ સમજવો, ચિંતવવો, પુનરાવર્તન કરવું, તેનાં રહસ્ય સમજવાં, વગેરે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૧૯૯ અને આસેવન શિક્ષા એટલે સામાયિક, પ્રતિક્રમણ, દેવ પૂજા, પૌષધ, તપ, જપ, ઉપધાન, કાઉસ્સગ, દેવવંદન, ગુરુવંદન, સ્વાધ્યાય, પચ્ચક્ખાણ, મહોત્સવો, મહાપૂજાઓ, તીર્થયાત્રાઓ વગેરે ધર્માનુષ્ઠાન કરવાની ટેવ પાડવી, અને ઉત્તરોત્તર તે ટેવ દઢ કરવી, તથા આ પ્રમાણે શિષ્યને બાળકોને ટેવ પાડવી, તે આસેવનશિક્ષા કહેવાય છે. આ સ્થળે શિક્ષા વ્રત એટલે મુખ્યપણે આસેવન શિક્ષા વ્રતના પ્રાધાન્યથી ૪ શિક્ષાવ્રત એવો અર્થ સમજાય છે. તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોએ સર્વસાવદ્ય ત્યાગરૂપયાવજીવનુંનવકોટિથી સામાયિક ધર્મનું આચરણ કર્યું હોય છે, મહામુનિ રાજાઓએ પણ એ આચર્યું હોય છે, અને અત્યારે પણ આચરે છે. એ સામાયિક ધર્મ જૈન ધર્મનું મુખ્યમાં મુખ્ય અનુષ્ઠાન છે : સર્વ જૈન ધર્મીઓએ આચરવાનું છે, તે જ સકલ જૈન ધાર્મિક ક્રિયાઓનું મુખ્ય મથક છે. માટે ગૃહસ્થોએ પણ એ આચરવું જોઈએ. પરંતુ, દરેક ગૃહસ્થ સર્વથા નવોટિથી આચરી ન શકે, પણ દેશથી-અંશથી સામાયિક કરી શકે. દેશથી સામાયિક ધર્મના જઘન્યથી માંડીને અનુત્કૃષ્ટ સુધી અનેક પ્રકારો સંભવી શકે છે, તો જ્યારે દેશથી સામાયિક ધર્મનો પ્રકાર ગૃહસ્થો માટે બતાવવાનો હોય. તો પ્રથમ જઘન્ય પ્રકાર બતાવવો જોઈએ. આ દષ્ટિથી તીર્થકર ભગવંતોએ જે સામાયિક ધર્મનું આચરણ કર્યું છે, તેના સાક્ષાત નાના નમૂના રૂપ, ઓછામાં ઓછા છ કોટિક બે ઘડીના સામાયિકનો પ્રયોગ મહા પુરુષોએ ગૃહસ્થોના માટે યોજી આપ્યો છે. તે મહાસામાયિકની ઓછામાં ઓછી વાનગી છે. પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો તથા બીજાં અનુષ્ઠાનો તેની પૂર્તિરૂપ છે. અર્થાત્ તે પણ દેશ સામાયિકનાં અંગો જ છે. એ આઠ વ્રતો પાળવા છતાં આ નમૂનાનો પણ હમેશ નિયમિત અનુભવ કરવો જ જોઈએ, એવું ભાર દઈને ગૃહસ્થને કહેવામાં આવે છે. માટે રોજ કેટલા સામાયિક કરવા ? તે પ્રમાણે પોતાની શક્તિને અનુસરીને ગૃહસ્થને આ નવમું વ્રત આપવામાં આવે છે. મુનિઓ તો સામાયિકમાં જ છે. એટલે તેમને એ વ્રતની જરૂર રહેતી નથી. ગૃહસ્થ તો વ્રત સિવાયની બાબતમાં સાંસારિક છે એટલે તેને આ નિયમ વ્રત તરીકે સ્વીકારવો પડે છે. માટે બે ઘડીના સામાયિકને પ્રથમ શિક્ષા વ્રત ગણવામાં આવ્યું છે. તેથી વધીને આખો દિવસ કે રાત કે રાતદિવસ એક જ જગ્યામાં સ્થિર રહી સામાયિકમય ધર્મધ્યાનમાં ગાળે, તે દેશાવકાશિક વ્રત ગણાય છે. એટલે સામાયિક ધર્મની વિશેષ તાલીમ માટે એ વ્રત છે. અને તેથી વિશેષ તાલીમ માટે આહારત્યાગ, બ્રહ્મચર્ય પાલન વ્યાપાર ત્યાગ, શરીર ભૂષાત્યાગ સાથે અષ્ટ પ્રવચન માતાના પાલનપૂર્વક સામાયિકમય પૌષધોપવાસ વ્રત છે. તથા તીર્થંકર ભગવંતોએ વાર્ષિક દાન આપીને અને મહાવ્રતો ધારણ કરીને મહત્યાગ આચર્યો છે. તેની તાલીમ પાત્રને-દાનને યોગ્ય વ્યકિતઓને-દાન દેવા રૂપ દેશથી ત્યાગની તાલીમ અતિથિસંવિભાગવતથી ગૃહસ્થ મેળવે છે. આ રીતે હવે પછીના ચારેય વ્રતો શિક્ષા વ્રતો કહેવાય છે, તેનું કારણ હવે બરાબર સમજાયું હશે. આથી આગળ વધીને શ્રાવકની અગિયાર પડિયા, ઉપધાન તપોવહન; ઘણા દિવસના પૌષધ, પ્રતિક્રમણો વગેરે પણ સામાયિક ધર્મની જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કોટિની કોઈને કોઈ શિક્ષા-આસેવન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પંચ પ્રતિમાણસૂત્રો શિક્ષા-તાલીમ છે. અને તે સર્વે-સામાયિક ધર્મની-દેશ આરાધના છે. આ વ્રત મુખ્ય છતાં નવમું મૂકવાનું કારણ એ જણાય છે કે પ્રથમનાં વ્રતો સહજ રીતે આચારરૂપ બની શકે છે. પરંતુ બત્રીસ દોષ રહિત સામાયિકનો પ્રયોગ જરા કઠિન છે, માટે સંયમી જીવનની ભૂમિકા પછી તેમાં આ વ્રતાચરણરૂપ બીજ રોપવાની પૂર્વ-પુરુષોની-યોજના-યુકિત યુકત જણાય છે. અને સામાયિકમાં સ્થિર હોય, તે દેશાવકાશિક પૌષધ વગેરેમાં આગળ વધી શકે છે. અથવા શિક્ષાવ્રતોનો ક્રમ સર્વનો એકી સાથે રાખવાની દષ્ટિથી ત્યાં નવમા ક્રમાંકમાં મૂકવામાં આવેલું જણાય છે. અન્યથા ઉપકારી તીર્થંકર પરમાત્માના સત્કારરૂપ જેમ શ્રીજિન પૂજા દરેક જૈન બાળકે સામાન્ય રીતે-જૈન તરીકેની-વ્યવહાર સમ્યકત્વી તરીકેની- પણ નિશાની તરીકે-અવશ્ય કરવાની છે તે જ પ્રમાણે તીર્થંકર પ્રભુના જીવનના અનુકરણરૂપ બે ઘડીનું જઘન્ય સામાયિક દરરોજના સામાન્ય કૃત્ય રૂપે અવશ્ય કરવાનું છે. આચાર રૂપે-ટેવ પાડવા રૂપે- પણ જૈન બાળકોએ સામાયિક કરવું જોઈએ અને કરે છે. તે ઉપરાંત, જે ધાર્મિક અનુષ્ઠાન કરે, તે તેની પુષ્ટિ રૂપે જેટલાં બની શકે તેટલાં કરવાં જ જોઈએ. પણ ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ. સામાન્ય રીતે ગૃહસ્થને સામાયિક છ કોટિનું થાય છે. એટલે મન, વચન, કાયાથી સાવદ્ય યોગ કરવો નહિ, તેમજ કરાવવો નહીં. પરંતુ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્ય ભક્ષણની અનુમોદના વગેરે સ્થૂલ સાવઘયોગની અનુમોદનાના ત્યાગરૂપ પણ સામાયિકનો સંભવ હોવાથી આગમમાં ગૃહસ્થોને કવચિત્ નવોટિક સામાયિક પણ સંભવતું રહ્યું છે. સામાયિકમાં છ આવશ્યકમયતા કેવી રીતે છે ? તે આગળ ઉપર બતાવેલ છે. તે સામાન્ય રીતે પૂર્વાચાર્યોએ નિયત કરેલી પરંપરા મુજબ બેઘડી-એક મુહૂર્ત સુધી કરવામાં આવે છે. ૧. સમભાવ, ૨. ચોવીસ તીર્થંકર પ્રભુની ભકિત-ગુણગાન, ૩. ગુરુની ભકિત-વંદન, વૈયાવૃત્ય-વિનય સેવા, ૪. યોગોનો મન-વચન-કાયાના સાવદ્ય યોગોનો ત્યાગ. ૫. છતાં ભૂલથી સેવાઈ ગયા હોય તો, તેની નિંદા, ગહ, પ્રતિક્રમણ, ૬. એ સર્વ આવશ્યકો માટેની એકાગ્રતારૂપ લીનતા, અડગતા, સ્થિર આસન વગેરે : એ સર્વ સામાયિકના વખતમાં તો અવશ્ય કરવાનાં કર્તવ્યો છે. એ બરાબર ન બની શકે, તો તે વખતમાં પઠન-પાઠન, ધર્મચર્ચા, ધર્મશ્રવણ વગેરે રૂપ સ્વાધ્યાય અને છેવટ નવકાર મંત્રનો જાપ વગેરેથી પણ સામાયિકની આરાધના કરી શકાય છે. એકંદર, જેમ બને તેમ સામાયિક લઈ બત્રીસ દોષોનો ત્યાગ કરવાથી પણ સામાયિકની સિદ્ધિ થઈ શકે છે, અને સામાયિક કરવાને લીધેલું વ્રત પાળી શકાય છે. સામાયિક ઉપર આખા જૈન શાસ્ત્રનો આધાર છે. એટલે તેને માટે જેટલું લખીએ તેટલું ઓછું છે. અથવા ધર્મના જે કોઈ અંગ વિષે લખાય છે, તે સર્વ સામાયિક જ છે. જૈન શાસ્ત્રની જે વાત લખીએ, તે સર્વ સામાયિક વિષેની જ હોય છે. પરંતુ તે સર્વ, શાસ્ત્રોથી અને ગુરુ પાસેથી શીખવું. જૈન ધર્મનાં સર્વ અનુષ્ઠાનો જુદાં જુદાં પ્રકારના સામાયિક જ છે, તેથી સંખ્યાતીત પ્રકારના સામાયિકને યોગ્ય સંયમસ્થાનકો તે પણ સામાયિક છે. તે બધા પ્રકારનાં સામાયિકોનું જ્ઞાન અને અનુભવ આ Page #274 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૨૦૧ પ્રાથમિક સામાયિકમાં પ્રવેશ કરવાથી આગળ આગળ મળી શકે છે. ઋદ્ધિમાન અને અદ્ધિમાન ગૃહસ્થના સામાયિક કરવાની વિધિઓ વગેરે વિશેષ હકીક્ત શાસ્ત્રોમાંથી જાણવી. ૧. સામાયિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ:- દુપ્પણિહાણે દુપ્પણિધાન-મન, વચન કાયાની એકાગ્રતા ન હોવી, અથવા તેઓનો કુવ્યાપાર. અણવટ્ટાણે અનવસ્થાન-સામાયિક કરવાનો અનાદર. સઈવિહૂાણે સ્મૃતિ-વિહીન, ભૂલી જવું. વિતકએ વિતથ કૃતે, સારી રીતે ન કર્યું, પણ નિષ્ફળ કર્યું. સિફખાવએ શિક્ષાવ્રતમાં. તિવિહેબ દુપ્પણિહાણે અણવઠાણે તહાસઈ-વિહૂણે સામાઈય-વિતહકએ પઢમે સિફખાવએ નિંદ" રબા પહેલા શિક્ષાવ્રતમાં સામાયિકને નિષ્ફળ કરનારા-ત્રણ પ્રકારના દુપ્રણિધાન અનવસ્થાનો અને સ્મૃતિભ્રંશની નિંદા કરું છું. ૨૭ વિશેષાર્થ :- ૧-૨-૩. : મનથી ઘર, દુકાન, કારખાનું વગેરે સંબંધી વિચાર કરવો કે બીજા કોઈ સાવઘ વિચારો કરવા, તે મનોદુપ્રણિધાન પહેલો અતિચાર. કઠોર શબ્દો બોલવા, અને એકંદર ભાષા સમિતિ ન જાળવવાથી વાળુ દુપ્રણિધાન નામનો બીજો અતિચાર. તે જ પ્રમાણે પ્રતિલેખન અને પ્રમાર્જના વિના ખાસ પ્રયોજન વખતે પણ શરીર કે તેના કોઈ પણ અંગો હલાવવાથી કાય દુપ્રણિધાન અતિચાર લાગે છે. ૪. અનવસ્થાન : મુહૂર્તનો વખત પૂરો થવા દીધા વિના, અથવા-જેમ તેમ- સામાયિક કરવું. અથવા સામાયિક કરવાનો વખત હોય તો પણ અનાદર બુદ્ધિથી સામાયિક ન કરવું, જ્યારે વખત મળે ત્યારે સામાયિક કરવાનો શાસ્ત્રકાર ભગવંતોનો આદેશ છે. માટે આદરપૂર્વક તે ઘણી વાર કરવું જોઈએ, તે પ્રમાણે ન કરવામાં આવે, તો પણ અનવસ્થાન અતિચાર લાગે છે. ૫. સ્મૃતિ વિહીન : નિદ્રા તથા પ્રમાદને લીધે, કે ઘરની ચિંતા વગેરેને લીધે “મેં સામાયિક કર્યું છે કે નહિ ? લીધું છે કે નહીં ? પૂરું થયું છે કે નહીં ? એમાંનું કાંઈ પણ, માત્ર ભૂલી જવામાં આવે, ત્યારે સ્મૃતિવિહીનત્વ નામનો પાંચમો અતિચાર લાગે છે. કારણ કે ઉપયોગ જાગ્રત રાખવો એ તો સર્વ મોક્ષનાં અનુષ્ઠાનોમાં મુખ્ય જ છે. - આ પાંચેય પ્રમાદને લીધે અનાભોગજન્ય આચરણ થાય, ત્યારે અતિચાર છે, અન્યથા અનાચાર થાય છે. “મન-વચન-કાયાથી કરવા કરાવવાનું પચ્ચકખાણ કરવા છતાં મનનું દુપ્રણિધાન રોકવું મુશ્કેલ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પંચ પ્રતિક્તાણસૂત્રો છે. અને મનમાં દુપ્રણિધાન થઈ આવે, તો પછી વ્રતભંગ જ થયો ગણાય, અને વ્રતભંગ થવાથી સામાયિક જ કયાં રહે ? માટે સામાયિક ન લેવું જ સારું છે.” આમ બોલવું ઉચિત નથી, કેમકે, છ કોટિમાંથી એકાદ બે ભાંગાનો ભંગ થાય, તેથી આખા વ્રતનો ભંગ થતો નથી, કેમકે બાકીનો ભાગ અખંડ હોય છે, એટલા પૂરતું વ્રત સચવાય છે. અને જેટલા ભાગનો ભંગ થયો હોય, તેટલા ભાગની શુદ્ધિ પશ્ચાત્તાપપૂર્વક મિચ્છામિ દુકાં દેવાથી થઈ શકે છે. અને જે આ રીતે વ્રતના સામાન્ય ભંગની બીકથી સામાયિક જ ન લેવું” એવા વિચાર ઉપર આવવામાં આવે, તો પછી તે જ ન્યાયથી સર્વવિરતિ પણ ન ઉચ્ચારી શકાય. પરંતુ એ દલીલ જ ખોટી છે. “ઉત્તમ કાર્ય કરવું, અને તેમાં થતી સ્કૂલનાઓ સુધારવી” એ જ ન્યાય માર્ગ છે. નહીંતર કોઈ કામ કરી શકાય નહીં. કામ સારું છે કે નહીં ? તે પ્રથમ નકકી કરવું જોઈએ. વળી, “અવધિએ કરવા કરતાં ન કરવું સારું' આ દલીલ પણ નકામી છે. કેમ કે આમ બોલવાની પ્રવૃત્તિ ધાર્મિક ક્રિયા તરફ અણગમાની વૃત્તિમાંથી થાય છે. ન કરવાથી ન કરવાનું મોટું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને કરવા છતાં અવિધિ થાય, તો અવિધિ પૂરતું જ પ્રાયશ્ચિત્ત લાગે છે, કેમ કે અતિચાર સાથેના અનુષ્ઠાનના આચરણથી અનુક્રમે નિરતિચાર આચરણ પ્રાપ્ત થાય છે. દરેક કામમાં પ્રથમ ભૂલો રહે જ, તેટલા માત્રથી કાર્યોનો આરંભ ન કરવો એ વાજબી નથી જ. સુકાર્યનો આરંભ કરવો જ જોઈએ. કોઈ પણ એવું કામ નથી કે કોઈ પણ એવો જીવ નથી કે જે પ્રથમથી જ ભૂલ વિનાનું થાય કે કરી શકે. બોલવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ભૂલ થવાના ભયથી કામ ન જ કરવું એ “ભિક્ષુકો માંગવા આવશે એવા ભયથી રાંધવું જ નહીં.” તેના જેવી વાત છે. માટે સર્વ સામાયિક કરવાની ઈચ્છા હોય તેણે દેશ સામાયિક પણ ઘણા અને ઘણી વાર કરવા. અભ્યાસથી વધતાં વધતાં પરિણામે સર્વ સામાયિક સુધી પહોંચાય છે. અમારું બીજું એમ કહેવું પણ છે કે – “ભૂલ કરતાં કરતાં ભવિષ્યમાં સુધરે, તે તો ઠીક, પરંતુ આખી જિંદગી કરવા છતાં પણ એમને એમ રહે છે. જરાયે ફેરફાર નથી થતો. તેવાઓને કંઈ ફાયદો જેવામાં આવતો નથી. તેના કરતાં ન કરે તો શું ખોટું ? નકામો વખત જાય છે.” આ વાત પણ ખોટી છે, હજારો લાખો માણસો ધાર્મિક ક્રિયા કરવાથી જે સ્થિતિમાં રહ્યા હોય છે, તેના કરતાં, તેઓ ધાર્મિક ક્રિયા ન કરતા હોત, તો તેને અમુક રસ્તાથી ઊતરી પડવાનો સંભવ હોય છે, તેથી બચી જાય છે, એ તેમને લાભ થાય છે. બીજું, ધાર્મિક ક્રિયા કરનારાના સોએ સો ટકા કાંઈ પણ લાભ નથી જ ઉઠાવતાં, એવું એકાંત નકકી કરી શકાશે જ નહીં, કેમકે – કેવળ એવી વસ્તુસ્થિતિ નથી હોતી. કોઈને પણ તદ્દન લાભ ન જ થયો હોય, એવા દાખલા મળે જ નહીં. ધાર્મિક ક્રિયાઓની રોજની ટેવથી ધર્મસ્થાનોનો કાયમ પરિચય રહે છે, તેથી કોઈને કોઈ વખત અવશ્ય સંગીન લાભનો સંભવ રહે છે. જ્યારે કેટલાકને લાભ થાય છે, એવું જોવામાં આવે છે. તો બીજાઓ પણ એ કેટલાકમાં કેમ નહીં આવે ? તેની શી ખાતરી ? આજે લાભ ન મળતો હોય, પણ ભવિષ્યમાં લાભ નહીં મળે? તેની પણ શી ખાતરી ? માટે ભવિષ્યમાં લાભ મળવાની આશાએ Page #276 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પણ ધાર્મિક અનુષ્ઠાનો કરવાં આવશ્યક છે. વળી, આ ભવમાં ખાસ લાભ ન જોવામાં આવે-અનાદિભવોથી અસત્ અભ્યાસને અંગે, સદ્નભ્યાસનું પરિણામ [નજરે ચડે તેવું] એકદમ જોવામાં આવતું નથી. કેટલાયે ભવો સુધી ક્રિયાઓની અભિમુખ રહેવાથી, અને અભ્યાસ ક્રિયાઓ કરવાથી તેમાં લાંબે કાળે સંગીન વધારો થવાથી દૃશ્ય પરિણામ પણ આવે છે. પર્વતમાં ફાટો એક જ વખતના વરસાદથી પડતી નથી. વર્ષોનાં વર્ષો સુધી ઉપર વરસાદ વર્ષે છે, ત્યારે તેમાં ચીરા પડે છે, તે પછી મોટી ખીણો પડે છે. તે જ પ્રમાણે કર્મ પર્વતોને ભેદવાને ભવોના ભવો સુધીનું ધાર્મિક આચરણ તેના કાંકરા જ પ્રથમ તો ખેરવે છે. એટલે જે જીવો ધર્મમાર્ગમાં રીતસર ન આવ્યા હોય, તેઓમાં એકાએક બેપાંચ ભવોમાં ફેર માલૂમ ન પડે, એ સ્વાભાવિક છે. જો કે જેટલીની જરૂર હોય છે, તેને હિસાબે એટલી ક્રિયા પણ તદ્દન નજીવી જ છે. એ નજીવી છતાં પણ ભવિષ્યની મહાન્ ક્રિયાઓના પ્રાથમિક કારણરૂપ છે જ. તેટલું પણ કારણ ન યોજવામાં આવે, તો ભવિષ્યમાં મહાન્ ફળ ઉત્પન્ન કરનારી ક્રિયાઓનો પાયો જ ન નંખાય. અગ્નિની સહેજ પણ ચિનગારી મોટા ભડકાનું કારણ બને છે. પણ જો એટલી ચિનગારી ન હોય, તો તો અગ્નિનો સંભવ જ ન થાય. માટે એટલી અલ્પ પણ ક્રિયા કર્મ વન-દહનમાં ચિનગારીનું કામ અવશ્ય કરે છે. માટે અવિધિએ પણ ધાર્મિક ક્રિયા ચાલુ રાખવી, અને તેમાં વિધિ લાવવા પૂરા જાગ્રત રહેવું. કદાચ આ ભવમાં પરિણામ ઓછું આવે, તો ભવાન્તરમાં અવશ્ય વધારે આવશે જ. માટે તેને છોડવી નહીં. વિધિમાં લાવવાના પ્રયત્નોના ઉપદેશો આવશ્યક છે. વિધિમાં લાવવાની ભાવના વિના માત્ર અવિધિની પુષ્ટિ દોષરૂપ છે. ૨૦૩ વળી આપણી ધાર્મિક ક્રિયાઓથી આધ્યાત્મિક સૂક્ષ્મ લાભો થાય છે. જે સામાન્ય માણસથી જોઈ શકાતા નથી. પીપરને ઘૂંટતાં ઘૂંટતાં તેમાં વધતી શકિત વૈદ્ય જાણે, આપણને તે અગમ્ય હોય છે. તે જ પ્રમાણે સતત ધર્મક્રિયાને પરિણામે સરવાળો ઘણો જ બળવાન્ થાય છે. માટે પ્રાથમિક પાયારૂપ અભ્યાસક્રિયા પણ છોડવી નહીં. ભવાન્તરમાં પણ તેનું દૃશ્ય પરિણામ અવશ્ય આવે જ છે. જ વળી જગમાં જૈન દર્શનના ટકાવની દૃષ્ટિથી પણ ધાર્મિક ક્રિયાઓ ચાલુ રહેવી જ જોઈએ. તેમાં પણ પરમદર્શનશુદ્ઘિ છે. ઉત્તરોત્તર વારસો આગળ જાય, તથા બાળ જીવોને અનાયાસે જ તાલીમ મળે, માટે પણ એ ચાલુ રાખવી જોઈએ. જૈનદર્શન માનનારાઓની સંખ્યા જગમાં ઓછી છે, છતાં તેની નીતિરીતિની જગત્ પર આજે પણ મોટી અસર છે. બીજી પ્રજાઓ પણ તેની નીતિરીતિથી મર્યાદામાં રહે છે. તેની નીતિરીતિથી અન્યાય-જુલમ ઘણા અટકે છે. જો જૈનધર્મ જગમાં ન હોત, તો દુનિયામાં આજે છે, તેના કરતાં પણ ઘણો જ વધારે મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તતો હોત. તે એટલા પ્રમાણમાં નથી પ્રવર્તતો. તેનું કારણ-જગત્માં જૈનદર્શનનું અસ્તિત્વ છે. તેનાં તત્ત્વજ્ઞાન અને જીવન-આચરણ અજોડ સાબિત થઈ ચૂકયાં છે. એટલે જ્યાં સુધી જૈન મુનિઓ પોતાની ધાર્મિક ક્રિયાઓમાં આસકત છે, અને તેનાં ઉદ્યાપનો, જાહેરાતો, જાહેર ઉત્સવો વગેરે થાય છે, તેની અસર Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પંચ પ્રતિક્ષ્મણસૂત્રો જનસમાજ ઉપર અને આડકતરી વિશ્વ ઉપર અને સર્વ પ્રાણીઓ ઉપર થઈ રહી છે. આ દષ્ટિથી પણ-જગતના કલ્યાણની દૃષ્ટિથી પણ ત્રીજા વૈદ્યના ઔષધ તુલ્ય આ ક્રિયાઓ સમયે- અણસમયે, ભાવે કભાવે, પણ ચાલુ રહેવી જ જોઈએ. ભાવ અને સમજણપૂર્વકથી તો એકાંત લાભ છે જ. સ્વાર્થી, અણસમજ, લોકો તરફ્ટી જ આપણા ધાર્મિક આચાર ઉપર ટીકા કરવામાં આવે છે, તે સર્વથા ઉપેક્ષ્ય જ છે. સમજ્યા વિના કરવાથી શો લાભ ? વગેરે પ્રશ્નો પણ એવી જ જાતના ઉપેક્ષ્ય છે. ધર્મનું આચરણ એ જ ધર્મોને જગતમાં જીવતા રહેવા માટેનું જીવન છે. પ્રજામાં “અમુક ધર્મ જીવતો છે.” તેનો પુરાવો એ જ છે કે-પ્રજા તેને પોતાના જીવનમાં આચરે છે. તેનું આચરણ પ્રજાના જીવનમાંથી નીકળી ગયા પછી ધર્મ જીવંત મટી ગયો સમજવો. કોઈ પણ ધર્મને જગતમાંથી નાબૂદ કરવો હોય, તો તેનું આચરણ કરનારા જનસમુદાયમાંથી તે આચરણ બાદ કરી દેવું. અને તેને તે ધર્મના જ્ઞાનનો ઉપદેશ મુખ્ય આપવો. એટલે આચરણ નીકળી જાય, અને તે ધર્મ જગતમાંથી નાબૂદ થાય. ખ્રિસ્તી પાદરીઓએ પોતાનો ધર્મ ફેલાવવા માટે અહીંની પ્રજામાંથી પોતપોતાનો ધર્મ કાઢી નાંખવા અને પોતાનો દાખલ કરવા. “શુષ્ક ક્રિયાઓ કરવાથી શું? સમજીને કરવું. તુલનાત્મક અભ્યાસ દરેક ધર્મોનો કરવો જોઈએ, વિશ્વધર્મની જરૂર છે.” વગેરે વાતો ફેલાવી છે, અને આપણા ભોળા માણસોએ તે ઉપાડી લીધી છે, અને તેનો પોતપોતાના વર્ગોમાં પ્રચાર કરી બહારના પરદેશીઓથી આડકતરું માન પામે છે. આ બધી સ્વાર્થી બાજી છે. જૈનદર્શન-યોગશાસ્ત્ર અને વ્યાયામ શાસ્ત્રની જેમ આચરણ પ્રધાનધર્મ છે. સમ્યગ્દર્શન પ્રાપ્તિક્રમમાં જે કે પહેલું છે, પણ આદર્શક્રમમાં સમ્યચ્ચારિત્રનું મુખ્ય અને પહેલું મહત્ત્વ છે. “યથાશકિત આચરણ કરતાં કરતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ મેળવવું એ તેનો મુખ્ય ધ્વનિ છે. હવે જો સમ્યચ્ચારિત્રનો આદર્શ ઢીલો કરીને સમ્યજ્ઞાનનો જ આદર્શ પ્રધાન કરવામાં આવે, એટલે સમ્યચ્ચારિત્રનો આદર્શ ઢીલો પડી જાય. અને એમ થતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ સમ્યગુ નથી રહેતાં. એટલે સામાજિક, પ્રજાકીય, આર્થિક, દૈશિક, સાંસ્કૃતિક પારભવિક, ઈહભવિક, એમ કોઈ પણ દષ્ટિબિંદુથી ધાર્મિક ક્રિયાઓ અને તેના ઉત્સવો ચાલુ રાખવા જ જોઈએ. તેમાં ખર્ચાયેલું ધન-સર્વોપરિ ઉપયોગમાં ખર્ચાય છે, એમ માનવું. અને તેના કરતાં ત્રિકાળમાં બીજે કોઈ શ્રેષ્ઠ ઉપયોગ છે નહીં ને મળશે પણ નહીં. એ બાબત સાચી સમજપૂર્વક દઢ વિશ્વાસ રાખવો જોઈએ. જો કે હાલના જ્ઞાનને માટે જોરથી કહેવામાં આવે છે, તે પણ સમ્યજ્ઞાનની વાત કરીને હાલના મિથ્યાજ્ઞાન તરફ દોરી જવા માટે જ છે. તેથી તેમાં પણ વિશ્વાસ રાખવા જેવું નથી. ધાર્મિક ઉત્સવો, વરઘોડા વગેરેથી પણ બાળજીવોને લાભ થાય છે. છેવટે-સુફલ પાક્ષિક જીવો આવા પ્રસંગોથી ધર્માભિમુખ થાય છે. અને કેટલાક શુક્લ પાક્ષિક થવાની તૈયારીવાળા જીવો તે ભૂમિકા ઉપર ખેંચાઈ આવે છે, ને પરિણામે માર્ગ પ્રાપ્ત કરે છે. એ જીવોના ઉપકાર માટે પણ એવા ઉત્સવો ચાલુ રાખવા જરૂરી છે, કર્તવ્ય છે, યોગ્ય યોજનાપૂર્વક છે, શાસ્ત્રસંમત છે, પરહિત અને કલ્યાણના સાધન રૂપ છે, શિષ્ટ સમ્મત છે, ધાર્મિક શિક્ષણના સબળ સાધનરૂપ છે, જાહેરમાં પ્રજા હકક સાબિત કરવાના પુરાવા રૂપ છે, પ્રજાની સત્તા ટકાવવાના સાધનરૂપ છે, જૈન પ્રજા અને બીજી હિંદુ પ્રજા Page #278 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિમાગસૂત્રો ૨૦૫ પણ જે કાંઈ ટકી રહી છે, તેના કારણભૂત છે. આ સૂક્ષ્મ તત્ત્વો જે કે સહેજે સમજાય તેમ નથી, પરંતુ યોગ્ય વિચારણાથી સહજમાં સમજી શકાય તેવા છે. વૈષ્ણવોનું અનુકરણ છે, આવા મોટા ખર્ચ ખોટા છે, દેશ ગરીબ છે, તેને પ્રસંગે આવા ખર્ચ નકામા છે, અજ્ઞાનીઓ આ પ્રમાણે ધામધૂમ ખર્ચ કરે છે.” વગેરે દલીલો આ દેશમાં ખ્રિસ્તીઓએ ચલાવેલા પ્રચારનું પરિણામ છે, એ હવે સાબિત થઈ ચૂકયું અને કોઈને સમજવું હશે, તો સાબિત કરવું જરા પણ મુશ્કેલ નથી. શાસ્ત્રકારોનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી ઉચ્ચારેલાં જુદાં જુદાં વાકયો અને પ્રમાણો ઉપરની પોતાની દલીલો સાથે જોડીને શાસ્ત્રકારોને નામે પણ તેઓએ પોતાની કેટલીક વાતો ફેલાવી દીધી છે. કેળવણીનો પ્રચાર કરતી વખતે, જ્ઞાનના વિકાસ માટે જેટલાં શાસ્ત્રનાં વાક્યો હતો, તે બધાંનો ભાષણોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના દાખલા સેંકડો છે, પરંતુ વિષયાન્તર થવાથી અહીં ટાંકતા નથી. માટે આવી વાતો સાંભળી ધાર્મિક ક્રિયા છોડવી નહિ. અને પોતાનાં સંતાનો તેમાં કેમ દઢ થાય તેવો પ્રયાસ અવશ્ય કરવો જરૂરનો છે. ધાર્મિક અનુષ્ઠાન માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ સદા અનુકૂળ જ માનવાના છે. જ્યારે વખત મળે ત્યારે જે અનુષ્ઠાન શકય હોય, તે અવશ્ય કરવું. નવરા પડ્યા કે છેવટે નકારવાળી ગણવી, વખત હોય તો સામાયિક કરવું. તથા બીજાં અનેક અનુષ્ઠાનો છે, તે કરવાને અવશ્ય તત્પર રહેવું જ. जत्थ वा वीसमइ, अच्छइ वा निव्वावारो, सव्वत्थ सामाइयं करेइ. [જ્યારે વિસામો મળે [કે બેઠા હોઈએ,] કે નિર્વ્યાપારમાં હોઈએ, ત્યારે ત્યારે સામાયિક કરવું.] આવશ્યક ચૂર્ણિનું આ વાકય ખાસ વિચારવા જેવું છે. ૨. બીજા દેશાવકાશિક શિક્ષા વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ. આ વ્રત છઠ્ઠી વ્રતના સંક્ષેપ રૂપ અથવા સર્વ વ્રત નિયમોનો સંગ્રહ કરીને પાળવા રૂપ છે. છઠ્ઠા વ્રતથી દિશાઓનું પરિમાણ જે કર્યું હોય છે, તે વર્ષ કે જીવનભરને ઉદ્દેશીને કરેલ હોય છે કે, મારે દરેક દિશામાં વધારેમાં વધારે સો યોજનથી વધારે ન જવું.” પરંતુ “આજ તો અમુક આ મકાન છોડીને કયાંયે નહીં જાઉ.” એટલે એ છઠ્ઠી વ્રતને અમુક દિવસે વિશેષ પાળવાના ઉપાય તરીકે – આ દશમું વ્રત થાય. આ વ્રત એક મુહૂર્તથી માંડીને-દિવસ રાત, રાત દિવસ, બે પાંચ દિવસ કે તેથી વધારે પણ શક્તિ અનુસાર અંગીકાર કરીને, એક-શા, આસન, મકાન, મહોલ્લો વગેરેનો નિયમ કરીને પાળી શકાય છે. તથા બીજાં વ્રતોમાં જે છૂટો રાખેલી હોય, તેમાં પણ ચૌદ નિયમો ધારીને સંયમ પાળી શકાય છે. સવારે ને સાંજે ચૌદ નિયમો સંક્ષેપીને ધારવાથી પણ આ વ્રત પળાય છે, અને તે નિયમો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પંચ પ્રતિષ્પસૂત્રો ધારનાર દેશાવકાશિક પચ્ચકખાણ સવાર સાંજ લે છે. આ વ્રત સર્વ વ્રતોના અને છઠ્ઠા વ્રતના ખાસ સંગ્રહરૂપ છે, માટે આ વ્રત વખતે પણ સામાયિકમાં જ શા માટે ન રહેવું? જ્યારે એકાંતમાં એક જ જગ્યાએ અમુક વખત ધર્મધ્યાનમાં ગાળવાનો નિશ્ચય કર્યો હોય, તો પછી તે વખત સામાયિક લઈને ગાળવો, એ જ વધારે ઉચિત છે. આ દષ્ટિથી તેનું શિક્ષાવ્રતપણું પણ બરાબર છે. સામાયિક બે ઘડી સુધીનું હોય છે, ત્યારે દેશાવકાશિકમાં વધારે વખતના સામાયિકની ટેવ કેળવી શકાય છે, અને એમ કેળવેલી ટેવથી પૌષધ વ્રત પણ સુલભ થાય છે અને તે પણ મોટા સામાયિકરૂપ હોવાથી શિક્ષાવ્રત રૂપ છે. આ ત્રણેય અને ચોથું અતિથિ સંવિભાગ પણ મહાપુરુષોના જીવનના અનુકરણની તાલીમ રૂપ હોવાથી શિક્ષા રૂપ હોવાથી શિક્ષાવ્રત છે. શબ્દાર્થ :- આણવણે આનયન પ્રયોગ, અણાવવું. પેસવણે પ્રખ્ય પ્રયોગ, મોકલવું. સદ્દેશબ્દાનુપાત, અવાજ કરવો. રૂવે રૂપાનુપાત, રૂપ બતાવવું. પુગ્ગલફખેવે પુદ્ગલ, પ્રક્ષેપ-કાંકરાદિક ફેંકવા. દેસાવગાસિઅમી દેશાવકાશિક. *આણવણે પેસવણે સરવે “અપગલખેવા દેસાવગાસિઅમ્મી બીએ સિખાવએ નિંદારા બીજા દેશાવકાશિક શિક્ષાવ્રતમાં-આનયન [પ્રયોગ, પ્રે"[પ્રયોગ, શબ્દ [શબ્દાનુપાત], રૂપરૂિપાનુપાત] અને પુલ પ્રક્ષેપને નિંદુ છું. વિશેષાર્થ:- આ પાંચ અતિચારોની સમજ. ૧. આનયન પ્રયોગ : પોતે વ્રત લઈને જે ઘરમાં બેઠેલ હોય, તે ઘરની બહારથી કોઈ વસ્તુ લેવરાવવી, તે નયન પ્રયોગ અતિચાર છે. પોતાને જોઈતી વસ્તુઓ પોતે પ્રથમથી જ પ્રતિલેખન પ્રમાર્જનપૂર્વક સાથે રાખીને વ્રતમાં પ્રવેશવું જોઈએ. તેમ ન કરતાં પાછળથી મંગાવવાથી આ અતિચાર લાગે છે. ૨. પ્રખ્યપ્રયોગ : પોતે જે મકાનમાં હોય, ત્યાંથી કોઈ પણ પ્રયોજનને ઉદ્દેશીને નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવા હુકમ કરવો, તેથી પ્રખ્ય પ્રયોગ અતિચાર લાગે છે. ૩. શબ્દાનુપાત : વ્રત ભંગ થવાની બીકથી બહારથી કોઈને બોલાવી ન શકાય, ત્યારે ખોંખારો કે ઊંચેથી વાતચીત કરીને “પોતે અહીં છે, કે કાંઈક કામ છે.” એવા ઉદ્દેશથી બીજાને જણાવે. તો આ શબ્દાનુપાત અતિચાર લાગે છે. ૪. રૂપાનપાત : એ જ રીતે બીજાને કે પોતાનું કામ હોય, તો પોતે પોતાને બતાવે, પોતાની હાજરી જણાવે, અથવા કોઈ ઊંચી વસ્તુ ઉપર ઊભા રહીને બહારનું કાંઈ પણ દશ્ય જોવાનો પ્રયત્ન Page #280 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કરે, તો રૂપાનુપાત અતિચાર લાગે છે. ૫. પુદ્ગલ પ્રક્ષેપ : બહારના માણસને બોલાવવા, પોતાનું અસ્તિત્વ જણાવવા કંઈ પણ કાંકરો વગેરે વસ્તુ ફેંકે, તેથી પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર લાગે છે. આ પાંચ ક્રિયાઓ કરતી વખતે ‘વ્રત ભંગ ન થાય' તેવી અપેક્ષા છે, છતાં જાતે પ્રવૃત્તિ કર્યા કે બોલ્યા વિના પણ બીજી રીતે પોતાનું કાર્ય સાધે છે, તેથી વ્રતનો કિંચિત્ ભંગ થાય છે. માટે ભંગાભંગરૂપ અતિચાર થાય છે. સંયમ માટે આ વ્રત લીધું છે, તેને બદલે પોતે ન જતાં બીજને મોકલે તો પણ અંશથી સંયમનો ભંગ થાય છે. [ઊલટું પોતે જાય કે લાવે, તો ઇર્યાપથિકાસમિતિ વગેરે જાળવવાથી વિરાધના-હિંસા ઓછી થાય. નોકરો કદાચ હોશિયાર ન પણ હોય, અથવા હિંસાદિકની સૂગ વગરના હોય, એટલે તેઓ ઇર્યાસમિતિ જાળવીને કામ કરી ન શકે.] જો પોતે જાય, તો નિયમભંગ થાય. માટે આ અતિચાર લાગે છે. જેમ કોઈ માંત્રિક આખા શરીરમાં ફેલાયેલું વીંછીનું ઝેર ડંખમાં લાવી મૂકે છે, તેમ સર્વ સાવદ્ય વ્યાપાર અને આરંભોને એમ અમુક દેશ-કાળમાં જ માત્ર સંગ્રહી નાંખવાથી સંવરની સાધના થાય છે, અને તે ધર્મરૂપ બને છે. તેથી તે પરંપરાએ મોક્ષનું અંગ થાય છે. ૨૦૭ કાર્યમાં વ્યાકુળ સ્થિતિમાં પણ વચ્ચે વચ્ચે ધર્મ કરવો જોઈએ. બાંધેલો બળદ પણ મોઢું પહોંચી શકે ત્યાં સુધી ઘાસ ચર્યા વિના નથી રહેતો. આ દૃષ્ટાંતથી ગમે તેવી સ્થિતિમાં પણ ધર્માચરણ ચાલુ રાખવું. બહુ પ્રવૃત્તિવાળાને માટે પણ સર્વ વ્રતોના સંગ્રહરૂપ તથા મુહૂર્તાદિ વખતના નિયમરૂપ દેશાવકાશિક વ્રત સુલભ છે. માટે છેવટે તે પણ આચરીને આરાધના કરવી. આ બાર વ્રતોની પરસ્પરના સંક્ષેપ તથા વિસ્તારરૂપથી કેવી ખૂબી છે ? તે આ ઉપરથી સમજાશે. એક બીજા વ્રતના સંક્ષેપ તથા વિસ્તારરૂપ એક બીજાં વ્રતો છે. તેમ ગોઠવી જેમ બને તેમ સાવદ્ય વ્યાપાર ઓછો કરાવી ધર્માભિમુખ કરવાની સુયુક્તિયુકત યોજના આ વ્રતોમાં જોવામાં આવે છે. પરમકારુણિક જિનેશ્વર પ્રભુઓના ધર્મની ખૂબી જ કોઈ જુદી જ છે. તેનો વિચાર સ્થૂલબુદ્ધિથી સમજી શકાય તેમ છે જ નહીં. સ્થૂલ બુદ્ધિવાળાઓ માટે જે અમુક યોજનાઓ હોય છે, તે સૂક્ષ્મ બુદ્ધિવાળા માટે પણ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય વિચારોથી ભરપૂર હોવાથી આનંદદાયક અને ગ્રાહ્ય બને છે, તે તેની મહાન્ ખૂબી છે. “અહો જિનેશ્વર પ્રભુનો અપૂર્વ ધર્મ ખરેખર વિશ્વને સુખાવહ છે.'' ૩. ત્રીજા પૌષધોપવાસ શિક્ષાવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ પૌષધોપવાસ વ્રતનું સ્વરૂપ અણુવ્રત, ગુણવ્રત અને પ્રથમના બે શિક્ષાવ્રતનું પાલન કરતો ભાવિક શ્રાવક વિશેષ ત્યાગની શિક્ષા પ્રાપ્ત કરવા માટે-આહાર, અબ્રહ્મચર્ય, શરીરશણગાર અને સાંસારિક જીવનને લગતાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો - 8 વ્યાપારો-પ્રવૃત્તિઓનો દેશથી કે સર્વથી દિવસ કે રાત્રિને માટે કે દિવસો કે રાત્રિઓને માટે ત્યાગ કરીને ત્યાગમાર્ગમાં અનુક્રમે આગળ વધે છે. આ ચાર વસ્તુઓના ત્યાગમાં પૌષધોપવાસ વ્રત શબ્દ રૂઢ છે. શ્રાવકને આ વ્રતથી સાધુ જીવનનો કંઈક વધારે અનુભવ મળી શકે છે. પૌષધોપવાસ : પોષધોપવાસ : એ શબ્દોના વ્યુત્પત્તિ અર્થો નીચે પ્રમાણે છે. ૧. ધર્મના પોષને-પુષ્ટિને ઘ એટલે ધારણ કરે તે પોષ-ધ. પોષધ વડે ઉપવસન અવસ્થાન. એટલે તે વ્રત વડે આઠમ ચૌદશ વગેરે પર્વતિથિએ અવસ્થાન કરવું એ વ્રતમાં રહેવું, તે પોષધોપવાસ વ્રત. અથવા ૨. પૌષધમાં અષ્ટમ્યાદિ પર્વતિથિમાં, ઉપવાસ કરવો. તે પૌષધોપવાસ. અન્ય દર્શનીયોમાં ઉપોસથ નામથી આવા વ્રતનો પ્રચાર હતો. ઉનો પ્રાકૃતથી લોપ થાય અને થ નો હ થાય છે, એટલે પોસહ શબ્દ બને છે, એકાંતમાં ઉપવાસ કરીને ધર્મધ્યાનમાં લીન રહેવું, એવો સામાન્ય રીતે તેનો અર્થ છે. પોષધોપવાસ વ્રતના ઉપર જણાવેલા ૪ ભેદોનો-દેશથી અને સર્વથી-એવા દરેકના બબ્બે ભેદ પડે છે. એટલે કુલ ૮ ભેદ થાય છે. તેના એક સંયોગી ૮ ભાંગાના પેટા ભાંગા દ્વિક સંયોગી ભાંગાના પેટા ભાંગા ૨૪ ત્રિક સંયોગી ૪ ભાંગાના પેટા ભાંગા ચતુષ્ક સંયોગી ૧ ભાંગાના પેટા ભાંગા કુલ ૮૦ ભાંગા થાય છે તેની સંક્ષિપ્ત સમજ :૧. આહાર-૧ દેશ-૨ બ્રહ્મચર્ય-૩ દેશ-૪ સર્વ શરીર-૫ દેશ-૬ સર્વ અવ્યાપાર-છ દેશ-૮ સર્વ ૨. આ. કે. બ્ર.-દે, આ.-૨ દે બ્રહ-સ, આo-૩ સ બ્રો-દે, આ કસ બ્રો-સ. ૧ એ જ પ્રમાણે. આ શ૦ ને યોગે-૪, આ વ્યા, યોગે ૪., એ જ પ્રમાણે-બ્રશ, યોગે-૪, બ્ર વ્યા યોગે ૪-તેમજ શ. વ્યા, યોગે. ૪ કુલ ૨૪ ૩. એ જ પ્રમાણે ત્રિકોણે અને ચતુષ્ક યોગના ૩ર અને સોળ સમજી લેવા. કુલ એંશી થઈ રહેશે. આ એંશી ભાંગાથી પૌષધ થઈ શકે એમ બતાવેલ છે. પરંતુ સામાયિક સાથે આ એંશીયેય ભાંગા સંભવી શકતા નથી. કેટલાક સામાયિક ઉચ્ચર્યા વિના સંભવી શકે છે. માત્ર દેશથી પણ આહાર પૌષધનો પ્રચાર છે, બીજા તો સર્વથી જ ઉચ્ચારાય છે. કેમ કે દેશથી ઉચ્ચારવામાં સામાયિક વ્રત સાથે વિરોધ આવે. સામાયિકમાં આહારનો સર્વથા વિરોધ નથી, ઉપધાન વહન કરનાર શ્રાવકો સામાયિક સાથે પૌષધમાં છતાં આહારાદિક કરી શકે છે. જો કે ઉપધાનમાં ઘણા દિવસોનો તપ હોવાથી એકાંતરા. ભોજન-કે આયંબિલો કરવાની છૂટ રાખવામાં આવી છે. ઉત્સર્ગથી તો તેમાં પણ ઉપવાસ અને આયંબિલો કરવાના છે. પરંતુ દરેક તે પ્રમાણે ન કરી શકે, માટે એકાંતરા નીવી કરવાની યોજના IS Page #282 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ગોઠવવામાં આવી છે. એટલે પૌષધમાં પણ ઉત્સર્ગથી તો ઉપવાસ કરવાનો છે. જે જીવો ઉપવાસ ન કરી શકતા હોય, તે-આયંબિલ કે એકાસણું કરીને પણ પૌષધો કરી શકે. તે પણ માત્ર ધર્મધ્યાનમાં મદદ મળે માટે એટલી છૂટ રાખવામાં આવી છે. બ્રહ્મચર્ય પાલન અને સાવદ્ય વ્યાપાર ત્યાગની બાબતમાં તો સર્વથી જ પૌષધ વ્રત લેવાનું હોય છે. શરીર સત્કાર ત્યાગમાં દાગીના વગેરે પહેરવાના નહીં; વિલેપન, શણગાર વગેરેનો ત્યાગ પણ સર્વથા જ કરવાનો છે. પરંતુ રાજા મંત્રી વગેરેને હાથે વીંટી વગેરે હોય તો તેટલા પૂરતો દેશથી એ ત્યાગ રહી શકે. ૨૦૯ પૂર્વનાં દશ વ્રતો કરતાં પૌષધ વ્રતથી ત્યાગમાં વધારે આગળ વધાય છે. આહાર અબ્રહ્મ, વ્યાપાર, શરીરભૂષા : એ અંગત-શરીર સાથે નજીકનો બાહ્ય સંબંધ ધરાવતી વસ્તુઓના ત્યાગની પણ તાલીમ આપવામાં આવે છે. પછી રાત્રે પૌષધોપવાસી, જ્યારે સૂતાં પહેલાં સંથારા પૌરુષી ભણાવે ત્યારે સંગોમૂત્ના નીવેળ પત્તા ટુલ-પરંપરા વગેરે ગાથાઓથી શરીર, પાપ સ્થાનકો અને આખર કર્મ અને આત્માના સંજોગના ત્યાગ સુધીની ભાવના આવે છે, ને છેવટે જગતના જેને જેને પોતાનો આશ્રય-આધાર માનવામાં આવેલ હોય, તે દરેકને બદલે-‘“કેવળ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ જ આશ્રય રૂપ છે.'' એમ તેને વાસ્તવિક આશ્રય દાતાઓનો ખ્યાલ મળે છે. એકંદર શાસ્ત્રકારો તરફથી કર્મ અને આત્માના સર્વ સંગ ત્યાગ સુધી પહોંચવાના મુખ્ય ધ્યેય સુધી લઈ જવામાં આવે છે. તમામ ધાર્મિક પ્રવૃત્તિઓનું અંતિમ સાધ્ય એ જ છે. પૌષધોપવાસમાં મુખ્યપણે ઉપરના ચાર પ્રકારના ત્યાગ કરવાના છે. પરંતુ પૌષધોપવાસ પણ ચારના પ્રત્યાખ્યાનની બાબતમાં સાવદ્ય પ્રત્યાખ્યાન રૂપ સામાયિક છે. બાકીનાં આવશ્યકો સામાયિક પ્રમાણે છે. તેનું સામાયિક, પ્રતિક્રમણ તથા કાયોત્સર્ગ આવશ્યક- એ આહારાદિ ચારના ત્યાગમાં-એકાગ્રતા, સ્ખલનાના ગમાગમણે-ઇરિયાવહિયા વગેરે પ્રતિક્રમણો, અને તેમાં જ યોગ્ય આસન, સ્થિરતા, અપ્રમાદ, અપ્રમત ભાવે યથાયોગ્ય આસનો, મુદ્રાઓ રાખીને ધર્મધ્યાન વગેરે રીતે કાયોત્સર્ગ કરાય છે. દેવ-ગુરુવંદન:-વિસ્તારથી ત્રણ વખતનાં દેવવંદન, તથા રાઈ મુહપત્તિ વગેરેમાં ગુરુવંદન થાય છે. તથા શ્રાવકને હમ્મેશ કરવાનાં સાત ચૈત્યવંદનો વગેરે, દિવસનાં છ આવશ્યકો, બાર વ્રતને લગતી ક્રિયા, તથા પૌષધ સાથે સામાયિક વ્રત લેવાનું હોવાથી, સામાયિકના બત્રીસ દોષ ત્યાગરૂપ ધર્મની આરાધના રૂપ સામાયિક અને પ્રતિલેખન-પ્રમાર્જના વગેરે. તે દરેક જૈન ધાર્મિક ક્રિયાના અંગ હોય છે. એટલે પૌષધ વ્રતનો સમગ્ર રીતે એક વિસ્તૃત વિધિ બને છે, જે અનેક વિધિઓના સંગ્રહરૂપ છે. પૌષધ વ્રત ન હોય, ત્યારે પણ આહારાદિક ચારના ત્યાગ વિના પણ વ્રતધારી ત્યાગી શ્રાવકનું જીવન લગભગ કેવું હોય ? તે પણ એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. પૌષધ વ્રત પણ એક જાતનું સામાયિક વ્રત હોવાથી તેના પચ્ચક્ખાણમાં થોડા ફેરફાર સાથે કરેમિભંતે સૂત્રનો જ ઉચ્ચાર થાય છે. આ ઉપરથી પણ કરેમિભંતે સૂત્ર દરેક વિધિઓમાં કેવી રીતે વ્યાપક છે ? તે સમજાશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પંચ પ્રતિકમાણસૂત્રો પૌષધ વ્રતનો વિધિ અને તેના હેતુઓ લંબાણ થાય માટે આ ગ્રંથમાં આપવામાં આવશે નહિ. પૌષધ વ્રત અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વ તિથિઓમાં અવશ્ય કરવું જ જોઈએ. તે સિવાય બીજી તિથિઓએ થાય, તો પણ ઘણું સારું. જેમ બને તેમ આવાં વ્રતોમાં જીવન જાય તે તો ઈષ્ટ જ છે. सामाइअ-पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो। सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ । “સામાયિક પોસમાં સ્થિર જીવનો જે કાળ જાય, તે સર્વ સફળ છે, બાકીનો બધો સંસારફળરૂપ છે.” પર્વ-વિચાર જૈન શાસ્ત્રમાં પર્વ દિવસોની સામાન્ય રચના નીચે પ્રમાણે જોવામાં આવે છે. બન્ને બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ તથા એક એક પૂર્ણિમા અને અમાવાસ્યા. એ બાર પર્વો ગણાય છે. તે ઉપરાંત ત્રણ ચોમાસી અઠ્ઠાઈઓ, બે-ચૈત્રી અને આસો માસની નવપદારાધનાની અઠ્ઠાઈઓ તથા શ્રી પર્યુષણ પર્વ અઠ્ઠાઈ : એ છ અઠ્ઠાઈઓ. તીર્થંકર પ્રભુના કલ્યાણક દિવસો, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, મેરુ ત્રયોદશી વગેરે પર્વ દિવસો ગણાય છે. પર્વ દિવસો ગણવાનું કારણ-વિશેષ ધર્મારાધન કરવા માટે છે. હમેશ કરતાં પર્વ દિવસોમાં ખાસ પ્રકારના વિશેષ ધર્મની આરાધના કરવી જોઈએ એવી ફરજ પડે છે. એવી ફરજ પ્રમાદ ઉડાડી વિશેષ સાવચેત કરવા માટે હોય છે. બીજ, પાંચમ વગેરે પર્વો પછી બે દિવસો અપર્વ તરીકે અને વળી ત્રીજો દિવસ પર્વ તરીકે સ્વાભાવિક રીતે ગોઠવાયેલ જણાય છે. તેનું કારણ શાસ્ત્રકારોએ એ આપ્યું છે કે કોઈ પણ જીવ આગામી ભવનું આયુષ્ય પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા, નવમા, સત્તાવીસમા ભાગમાં અને છેવટે છેલ્લા અંતર્મુહુર્તમાં બાંધે છે. એટલે ત્રીજા ભાગમાં કોઈ જીવનો આયુષ્ય બાંધવાનો પ્રસંગ આવે, ત્યારે જે તે ધર્મારાધનમાં આસકત હોય, તો તેનું પરભવનું આયુષ્ય પણ સારું બંધાય, પુણ્યપ્રકોપ વધતો રહેવાથી ભૂવિષ્યમાં પણ પુણ્યસામગ્રી મળે. એમ ઉત્તરોત્તર તેનો આત્મવિકાસ સહેજે વધતો જાય. આ દષ્ટિથી આ પર્વ દિવસોમાં ઘણા જીવોએ પુણ્ય પ્રકર્ષ પૂર્વે પણ પ્રાપ્ત કર્યો હોય, એટલે સહજ રીતે જ આ દિવસો પવિત્ર વાતાવરણવાળા દ્રવ્યનિક્ષેપના કાલિક સંબંધથી હોય જ એટલે બીજા જીવો પણ એ દિવસોમાં આરાધના કરે. તેથી તેઓને પણ તેની પવિત્રતાની અનાયાસે છાયા મળે જ. પૂર્ણિમા કલ્યાણક દિવસોની બહુલતાવાળી છે. અમાવાસ્યાને પણ એવી જ રીતે ઉદ્દિષ્ટ તિથિ તરીકે પર્વ તિથિ ગણવામાં આવેલ છે. ત્રણ અઠ્ઠાઈઓ-ત્રણ ચોમાસી અઠ્ઠાઈઓ છે. અને પર્યુષણા-કલ્પની પર્યુષણા અઠ્ઠાઈ છે. છ માસિક-નવપદની ચૈત્ર અને આસોની અઠ્ઠાઈઓ શાશ્વત છે. તેનો સંબંધ પ્રાચીન કાળમાં અયનો સાથે હશે કે કેમ? તે હજુ અમારા બરાબર સમજવામાં આવ્યું નથી. Page #284 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૧૧ જ્ઞાનપંચમીની આરાધના મહાનિશીથ વગેરે સૂત્રમાં જ્ઞાનારાધન ઉત્સવ નિમિત્તે સૂચવેલી છે. જ્ઞાનનું આરાધન હંમેશ કરવાનું હોય છે. પરંતુ વિશેષ ભાવવૃદ્ધિ માટે, બાળ જીવોને જ્ઞાન તરફ ખેંચવા માટે, ઉત્સવમય જાહેર પર્વ તરીકે જ્ઞાન પંચમી-સૌભાગ્ય પંચમી નિયત છે. “જ્ઞાન ભણતા નથી, ને ચંદરવા પૂઠિયાને ધૂપ દીવા કરવાથી શું જ્ઞાન મળી જવાનું છે? દીવો કર્યા વિના સોનાના ફાનસથી થોડું અંધારું મટવાનું છે ?” આ દલીલો વસ્તુસ્થિતિને તદ્દન ન સમજનાર માણસની જ છે. કોઈ પણ યોગ્ય કામને જાહેરમાં ઊજવવું પડે છે, તેથી તે કામ કરનારાઓનો ઉત્સાહ વધે છે, અને નવાં પાત્રો તે તરફ ખેંચાઈ આવે છે. હાલની શિક્ષણ સંસ્થાઓ પણ જાહેર મેળાવડો કરીને થયેલા કામની જાહેરાત કરે છે, અને એ આકર્ષક મેળાવડાથી બીજા ખેંચાઈ આવે છે, નવા જીવો જોડાય છે, નવી મદદ મળે છે વગેરે તે પ્રમાણે આ જ્ઞાનપંચમીનો ઉત્સવ જ્ઞાનારાધકોને ઉત્સાહજનક છે, અને બીજા બાળ જીવોને અનેક રીતે વ્યાખ્યાનમાં ઉપદેશ વગેરેથી આકર્ષે છે. જ્ઞાન પંચમી ઊજવવાની ભલામણ કરનારાઓનો એ ઉદ્દેશ નથી કે માત્ર જ્ઞાનપંચમીનો દિવસ જ ઊજવો. બાકીના દિવસોમાં કાંઈ ભણવાની જરૂર નથી. પણ તેઓનો એ ઉદ્દેશ છે કે-“રોજ ભણો, જ્ઞાન મેળવો. છેવટ એક પદ પણ શીખો. રોજ પંચવિધ સ્વાધ્યાય ન થાય તો પ્રાયશ્ચિત્ત લાગે છે. પણ તેમ ન બને તો જ્ઞાનપંચમીની આરાધના અવશ્ય કરો. જ્ઞાનને ઉદ્દેશીને કરવામાં આવતા તપથી જ્ઞાનનાં પ્રતિબંધક કર્યો દૂર થાય છે, તેથી ભવિષ્યમાં પણ તમને જ્ઞાન ભણાવવાની સામગ્રી મળશે. “તેઓનો આ ઉદેશ છે. એટલે જ લોકો જ્ઞાનપંચમીની આરાધના કરે છે, તેઓને તે છોડાવવા ન જોઈએ-તેમને અભ્યાસમાં પ્રેરવા જોઈએ, અને પર્વની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત કરવા જોઈએ. હાલમાં વળી કોઈ કોઈ સ્થળે જ્ઞાન પંચમીને સાહિત્યના પ્રદર્શનના રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે અને અન્ય દર્શનાર્થોનો તેમાં સહકાર લેવામાં આવે છે. અન્ય દર્શનીયો બીચારા આપણા મહાન હેતુઓ સમજ્યા ન હોય, અને ઈતર વિષયના વિદ્વાનો છતાં આમાં સહકાર આપે અને આ પ્રવૃત્તિને વખાણે, પરંતુ એ ધાર્મિક ઉત્સવ પ્રદર્શનના રૂપમાં ભવિષ્યમાં ફેરવાઈ જાય તો-સમ્યગ જ્ઞાનવૃદ્ધિ રક્ષાનો જૈન સંઘનો હેતુ માય જ જાય. તેથી શાસનને મોટું નુકસાન થાય. માટે આ દિવસને પુસ્તકોનું પ્રદર્શન ભરવાના રૂપમાં ફેરવાઈ જતો અટકાવવાની જૈન સંઘની ફરજ છે. હાલનું યુનિવર્સિટીનું જ્ઞાન તો આપણા શાસ્ત્રમાં કહેલા સમ્યગૃજ્ઞાનની દૃષ્ટિથી મિથ્યા જ્ઞાન રૂપ છે. અને તેથી આપણી પ્રજાને ક્ષણિક લાભોને બદલે સ્થાયી નુકસાનો છે. માટે જ્ઞાન પંચમીનું આરાધન સમ્યગૃજ્ઞાનની વૃદ્ધિ માટે છે. તે થોડું પણ ઘણા ફાયદા રૂપ થવાનું. તેથી જ્ઞાનપંચમીની આરાધના અટકાવીને ભણાવવા તરફ પ્રજાને દોરવનારાઓની નેમ સમ્ય જ્ઞાનવૃદ્ધિ માટે નથી. પણ હાલનું શિક્ષણ વધારવા માટેની છે. જો કે તેઓ તેને સમ્ય જ્ઞાન માને છે. પરંતુ તે તો માન્યતા માત્ર જ છે. તેમાં હિતાહિતનો વિચાર નથી, અને જૈન સંઘ તથા શાસ્ત્રોને એ વાત સમ્મત નથી. માટે જ્ઞાન પંચમીનું આરાધન શાસ્ત્રોક્ત રીતે જે પરીપાટીથી થાય છે, તે જ રીતે યોગ્ય છે. તેમાં જેમ બને તેમ વિશેષ શોભા આવે, અને લોકો એકાંત હિતકારક સમ્યગ જ્ઞાન તરફ વળે તેમ કરવું યોગ્ય છે. મૌન એકાદશીને દિવસે તીર્થંકર પ્રભુના ૧૫૦ કલ્યાણક થયા છે, તથા બીજી કલ્યાણક તિથિઓ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫ કલ્યાણક દિવસો રૂપ હોવાથી આરાધ્ય છે. કેટલાક એમ કહે છે કે-“તિથિઓ તો રોજ આવે છે, તેમાં વિશેષતા શી?” આ પણ અજ્ઞાનમૂલક વાકયપ્રયોગ છે. વસ્તુસ્થિતિ સમજનાર આમ બોલે નહીં. જૈન તિથિઓ ધર્મારાધન નિમિત્તે જ છે. કારણ કે જૈન ધર્મ દરેક ધર્મો કરતાં ખાસ આધ્યાત્મિક છે. એટલે તેની તિથિઓ પણ આધ્યાત્મિક જ છે. વૈદિક તિથિઓ અને તેની જાહેર ઉજવણીના પ્રકાર ઉપરથી જ તેની આધ્યાત્મિકતા કેટલી છે ? તે સમજી શકાય છે. ધર્મનું મુખ્ય તત્વ આધ્યાત્મિક હોવું જોઈએ. એ જે નકકી હોય, તો જગતમાં ધર્મ તરીકેની યોગ્યતા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. એમ અતિશયોક્તિ વિના કહી શકાશે, અને એ વાતની સાબિતી તેનાં પર્વોની જાહેર ઉજવણીઓ જ કરી આપે છે. જે લોકો “તિથિ દરરોજ આવે છે” એવું બોલે છે તેઓ રાષ્ટ્રીય સપ્તાહ વગેરેમાં બરાબર ભાગ લે છે. દેશનાયકોની જયંતીના દિવસોમાં બરાબર ભાગ લે છે. તે વખતે તે તિથિઓ દરરોજ નથી આવતી, પણ કોઈક વખત જ આવે છે, એમ તેઓ પણ કબૂલ કરે છે. આ રીતે-રાષ્ટ્રીય સપ્તાહો-રેંટિયાબારસ-ક્રિસમસ-નાતાલ વગેરે નવા તથા પરદેશીઓનાં પર્વો ધીમે ધીમે મોટું રૂપ લેતાં જાય છે અને તેમાં સંખ્યાનો ઉમેરો થતો જાય છે. તેના ઉત્સવો વધતા જાય છે, તેનાં જાહેર સરઘસો આ દેશમાં નીકળતાં જાય છે. તેની સામે વાંધો ન લઈએ, સૌ સૌને ઈષ્ટ હોય તે પ્રમાણે કરવામાં વાંધો લેવાની શક્યતા કદાચ હાલમાં ન હોય, પરંતુ આ પવિત્ર જૈન પર્વો ઢંકાઈ જાય, ઊછરતી પ્રજા તેના તરફ વિશેષ ન આકર્ષાય, એ મોટું નુકસાન છે. માટે જૈન પર્વો સર્વોત્કૃષ્ટ રીતે ઊજવવાં જોઈએ, જેથી કરીને આ જગતનાં આ ધર્મમય મહાપર્વો ઉજજવળ રીતે સર્વ જીવોના ધ્યાનમાં આવે, તેમાં તેઓનું કલ્યાણ છે, અને આ પર્વોની આરાધનાની પરંપરા વધે. માટે ખાસ આગ્રહપૂર્વક ધાર્મિક જીવોએ તેમાં વિશેષ ભાગ લઈને આરાધના કરવી. હમણાં હમણાં ચૈત્ર સુદ-૧૩ને વધારે પડતું મહત્ત્વ જૈનશૈલીથી વિરુદ્ધ રીતો દાખલ કરીને આપવામાં આવે છે. તે પણ બીજાં પ્રાચીન પર્વોની આરાધના ઢાંકનાર ન થાય, તેની ખાસ સંભાળ રાખવાની છે. પર્વો અને તેના જાહેર ઉત્સવો સવતિશાયી રીતે ટકાવવાની જૈન સંઘની ફરજ છે. માટે દરેક જેને તેનું મહત્ત્વ સમજીને તે દિવસોમાં કોઈ ને કોઈ વિશેષ આરાધના કરવી. અને તેનો વારસો ઉત્તરોત્તર ઊછરતી પ્રજાને એવી ભાવભક્તિથી આપવાથી જ એ તિથિઓ સદા સારી રીતે આરાધાતી રહેશે. જેનોએ આવી તિથિઓ માટે ઘણો જ આગ્રહ રાખવાનો છે. જગત આગળ જાહેરમાં જૈન ધર્મના વ્યકિતત્વને ટકી રહેવાનો આધાર તેના ઉપર જ છે. જેને શૈલી, વિરુદ્ધ ઊજવાતી શ્રી વીરની જયંતી પર્યુષણાને ધક્કો પહોંચાડશે અને તેથી જૈન ધર્મને ઘણો જ ધકકો લાગશે. માટે તેનાથી દૂર રહેવું. જૈનેતરો તેમાં વિશેષ ભાગ લેશે. તેમ તેમ છૂપું નુકસાન વધતું જશે. પૌષધ દરેક દિવસે કરી શકાય છે, પરંતુ પર્વ દિવસે ખાસ કરવો જોઈએ, અને આઠમ, ચૌદશ તો ખાસ કરવો જોઈએ. શબ્દાર્થ :- સંથારુચ્ચારવિહી=સંસ્તારક અને ઉચ્ચાર વિધિ. પમાય પ્રમાદ. Page #286 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૧૩ ભોયણામોએ ભોજનાભોગ-ભોજનમાં ઉપયોગ, અથવા. ભોઈણાભોએ ભોઈ એટલે હોઈ. આણાભોગે અજાણતાં. પોસહ-વિહિ વિવરીએ પૌષધવ્રત-વિધિથી વિપરીતપણું. તઈએ ત્રીજા. સંથારુચ્ચાર-વિહી પમાય તહ “ચેવ ભોયણાભોએ પોસહ-વિહિ-વિવરીએ 'તઈએ સિફખાવએ નિંદે રહેલા ત્રીજા ‘શિક્ષાવ્રતમાં-સંથારા વિધિ અને ઉચ્ચારવિધિમાં થયેલો પ્રમાદ તેમજ ભોજનની ચિંતા અને પૌષધની વિપરીત વિધિની નિંદા કરું છું ૨૯ વિશેષાર્થ :-સંથારો શબ્દથી પોષાતીને સૂવા માટેનું દર્ભનું સૂકું ઘાસ, કે કાંબળી તથા પાટલો કે પાટિયું. ઉચ્ચાર શબ્દથી મળ-મૂત્ર, ઘૂંક, શ્લેષ્મ, પરસેવો વગેરે સમજવાં. ઉચ્ચાર માટેની શુદ્ધ ભૂમિઓને માટે સ્થડિલ ભૂમિના બાર માંડલા કરવાના હોય છે. તેમાંના છ પૌષધશાળાની અંદર અને છ પૌષધશાળાની બહાર કરાય છે. ૧. સંસ્થારાનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રતિલેખન કે દુપ્રતિલેખન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે ૧ લો અતિચાર. ૨. સંસ્થારાના ઉપકરણ કે ભૂમિનું અપ્રમાર્જન કે દુષ્ટમાર્જન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે ૨ જે અતિચાર. ૩. ઉચ્ચારનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રતિલેખન કે દુષ્પતિલેખન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે ૩ જો અતિચાર. ૪. ઉચ્ચારનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રમાર્જન કે દુષ્પમાર્જન રૂપ, પ્રમાદ અનાભોગથી કરવો, તે ૪ થો અતિચાર. ૫. તથા ચારે પ્રકારના ત્યાગરૂપ પૌષધવ્રતનું સારી રીતે પાલન ન કરવા રૂપ અને વિપરીત રીતે કરવા રૂપ પાંચમો અતિચાર સમજવો. સુધાને લીધે “પારણા માટે અમુક અમુક ચીજો કરાવીશ” એવા વિચારો પૌષધમાં કરવા, તે વગેરે વિપરીત વિધિ ગણાય. અથવા “ભોયાણાભીએ” એવા પાઠમાં ભોજનાભોગ. ભોજનનો આભોગ એટલે વિચાર-ચિંતા. એટલે “કયારે પૌષધ પૂરો થશે ? જેથી જમવાનું મળે.” વગેરે વિચારો કરવા, પણ પાંચમો અતિચાર ગણાવેલ છે. પષધોવાસમાં તો ખાસ કરીને નિર્જળ એટલે ચઉવિહારો ઉપવાસ કરવાનો હોય છે. તે કરવાની અશક્તિ હોય, તો તિવિહાર ઉપવાસ કે આયંબિલ કરીને પણ પર્વ દિવસે પૌષધ અવશ્ય કરવો. સાવદ્ય વ્યાપારના ત્યાગનું ઘણું જ સારું ફળ મળે છે. પૌષધવિધિ અને તેના હેતુઓ બીજા મોટા ગ્રંથોમાંથી ગુરુગમથી જાણવા. છેવટે પુરિમઢ એકાસણું કરીને અને બાળજીવો સાઝપીરસી કરી શકે, તો તેમ કરીને પણ પોસહ કરવાનો અભ્યાસ પાડવો જોઈએ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪. ચોથું અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. સગાંસંબંધી વગેરે મહેમાનો અમુક તિથિ વિશેષ કે ખાસ દિવસે આવે છે. પરંતુ તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારનો જેમણે ભોજન માટે કોઈને ત્યાં જવાની બાબતમાં ત્યાગ કરેલો છે, તે અતિથિ. શ્રાવકના ખાસ અતિથિ, તે સાધુઓ અતિથિ સંવિભાગ તિથિ વગરના તે અતિથિ, તેનો સં એટલે સંગત વિભાગ એટલે વિશિષ્ટ ભાગ. અતિથિ સંવિભાગ. વિશિષ્ઠભાગ એટલે પશ્ચાત્ કર્મ વગેરે દોષોનો ત્યાગ કરીને પોતાનાં ખાનપાનમાંથી અંશ-ભાગ આપવો. ન્યાયથી પ્રાપ્ત કરેલા પાસુક અને એષણીય એવા સાધુને કલ્પે તેવાં ખાન-પાન-વસ્ત્રાદિ, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર-દીક્ષા પર્યાય-પાત્ર વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભક્તિ વડે કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી મુનિરાજોને જે દાન આપવામાં આવે, તે અતિથિ સંવિભાગ કહેવાય છે, અને વર્ષમાં કે મહિનામાં તેવા અતિથિ સંવિભાગ કરવાનો જે નિયમ ગ્રહણ કરવો, તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. દેશ : ધાન્યાદિ સારાં પાકતાં હોય, તે દેશ-શુદ્ધિ. કાલ: સુકાળ વગેરે સુસ્થિતિ, શ્રદ્ધા : ચિત્તનું વિશુદ્ધ પરિણામ. સત્કાર : ગુરુ મહારાજ પધારે ત્યારે ઊભા થવું, આસન આપવું, વંદન કરવું, પાછળ પાછળ થોડે સુધી અનુસરવું. કમ : રાંધેલી ચીજોમાં-પેય, ચોષ, લેહ્ય, ભોય, ભક્ષ્ય વગેરે ક્રમથી અર્પણ કરવા. પાત્ર : તપસ્વી, ગ્લાન, વૃદ્ધ, જ્ઞાની, દક્ષા પર્યાય વૃદ્ધ, શાસનપ્રભાવક, લોચ કરાવેલ હોય તે, વગેરે અર્થાત દેશકાળ વગેરેની ઉચિતતાને અનુસરીને દાન આપવું જોઈએ. આવશ્યકચૂર્ણિ વગેરેમાં બતાવેલો વિધિ આ પ્રમાણે છે-“શ્રાવકે પૌષધના પારણાને દિવસે અતિથિ સંવિભાગ વ્રત કરવું જોઈએ. જ્યારે ભોજનનો વખત થાય, ત્યારે ઉચિત વેષભૂષણ ધારણ કરીને મુનિ મહારાજના વસતિ સ્થાને જઈ મુનિરાજોને પોતાને ત્યાં પગલાં કરવા નિમંત્રણ આપવું. અંતરાય દોષો કે સ્થાપના દોષ ન થાય, માટે જુદા જુદા સાધુઓ પડલાં, મુહપત્તિ, અને યાત્રાદિકનું પ્રમાર્જન કરે. પહેલી પૌરૂષીમાં નિમંત્રણ થયું હોય તો નમુકકારશીનું પચ્ચકખાણ હોય, તે વહોરવા માટે જાય. જે નમુકકારશીનું પચ્ચકખાણ ન હોય, તો ન જવું. કેમકે લાવીને રાખી મૂકવું પડે, પરંતુ બહુ આગ્રહ કરે તો લાવવું અને રાખી મૂકવું. અને જેને પૌરૂષીનું પચ્ચકખાણ હોય, અથવા જેને પારણું કરવું હોય, તેને વાપરવા આપવું. Page #288 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૧૫ નિમંત્રણ પછી શ્રાવક સાથે સંઘાડાએ વહોરવા એકલા જવું યોગ્ય નથી. ઓછામાં ઓછા બેએ જવું જોઈએ. સાધુઓ આગળ ચાલે, અને શ્રાવક પાછળ ચાલે. શ્રાવકે ઘેર જઈને આસન ઉપર બેસવા વિજ્ઞપ્તિ કરવી, જો મુનિરાજ બેસે તો ઠીક છે, અને ન બેસે તો પણ વિનય બતાવ્યો ગણાય. પછી શ્રાવક ભક્ત પાન પોતાની જાતે જ નોકર ચાકર પાસે તો પોતાની ગેરહાજરીના ખાસ પ્રસંગે જ) વહોરાવે. પોતે પાત્ર હાથમાં રાખીને ઊભો રહે, અથવા જ્યાં સુધી વહોરે ત્યાં સુધી શ્રાવક ઊભો રહે. સાધુઓએ પણ વધુ ન વહોરી લેવું, કેમકે, એમ કરવાથી શ્રાવકને ફરીથી રાંધવું પડે, તે પશ્ચાત કર્મ દોષ લાગે. એ વગેરે દોષોનો પરિહાર કરીને સાધુ વહોરે. મુનિરાજે દોષમાંથી બચવા પ્રયત્નો કરે. અને શ્રાવક દોષાદિનો વિચાર ગૌણમાં રાખીને ભાવભક્તિની અખંડ ધારથી છૂટથી વહોરાવે. પછી વંદન કરીને વિસર્જન કરે, પોતે થોડાં ડગલાં અમુક હદ સુધી પાછળ પાછળ જાય. પછી આવીને જાતે જમી લે. સાધુ મુનિરાજે જે ન લીધું હોય, તે શ્રાવકે ન જમવું. હવે જો સાધુ મુનિરાજનો જોગ ન હોય, તો પણ તપાસ તો કરવી. પોતાના મકાનની બહાર નીકળીને રાહ તો જોવી જ. અને ભાવના ભાવવી કે-“જે પૂજ્ય મુનિરાજ પધાર્યા હોત, કે પધારે, તો મને ઘણો લાભ મળે.” આ પ્રમાણે પૌષધના પારણે અતિથિ સંવિભાગ કરવાનો વિધિ છે. તે સિવાયના દિવસોમાં પણ દાન આપીને જ પોતે જમે અથવા કોઈ પ્રસંગે જમ્યા પછી પણ દાન તો આપે. વસ્ત્રાદિ વહોરાવવાને માટે પણ તેના વિધિ પ્રમાણે વર્તવું. ચારિત્ર પાત્ર મુનિરાજના ચારિત્રની અનુમોદના ખાતર પણ અતિથિ સંવિભાગ કરવાથી ચારિત્ર ધર્મની આરાધના થાય છે ને પોતાને ચારિત્રનો લાભ તેમના સહવાસથી તત્કાળ થાય છે અને પરભવમાં પણ અવશ્ય લાભ થાય છે. જ્ઞાન મુનિરાજની ભક્તિથી જ્ઞાનની આરાધના થાય છે, અને પોતાને પણ જ્ઞાન મળવાનો અવશ્ય સંભવ થાય છે. શાસન પ્રભાવક મુનિ મહારાજાઓની ભક્તિથી દર્શનશુદ્ધિ થાય છે અને ભવિષ્યમાં પણ આરાધના વધે છે. શ્રાવક જે ધન વગેરે ઉપાર્જન કરે છે, તે માત્ર સર્વત્યાગની અશક્તિમાં પોતાના ભોગપભોગ માટે કરે છે, પરંતુ તે સર્વ દેવ-ગુરુનું છે. વ્રત લેનાર શ્રાવક જે કાંઈ ભોગવે છે, તે વ્રતરૂપ ધર્મના પાલન માટે તેઓની અનુજ્ઞાથી ભોગવે છે. એટલે પોતાના ખાનપાનમાં દેવગુરુનો ભાગ ફરજિયાત છે. પોતાની ગમે તેવી સ્થિતિ હોય, તે વખતે પણ તેમાંથી અમુક અંશ તેમને માટે આપવાને શ્રાવક સમ્યકત્વવ્રત સાથે જ બંધાયેલો રહે છે. અતિથિ સંવિભાગ એ જેમ એક જાતની ધર્મક્રિયા છે તે જ પ્રમાણે દેવગુરુ તરક્કી વ્યવહારુ ફરજ પણ છે. એ દષ્ટિથી દેવગુરુ ધર્મને ચરણે ધરીને જ શેષનો પોતે ઉપભોગ કરી શકે છે ત્યારે આવિષયક સમ્યકત્વ નિર્મળ થાય છે. अर्हद्भ्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गाय च प्राप्ताय प्रविभागत: शुचिधिया दत्त्वा यथाशक्तितः । Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો देशायातसधर्मचारिभिरलं सार्द्ध च काले स्वयं भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनैर्भाषितम् ॥१॥ અર્થ - પ્રથમ બધું અરિહંત ભગવંતને નિવેદન કરીને પધારેલા ઉત્તમ સાધુ મહારાજાઓને યથાશક્તિ શુદ્ધ બુદ્ધિથી તેમાંથી ભાગ આપીને બીજા બહાર દેશથી આવેલા સાધર્મિકો સાથે યોગ્ય વખતે સ્વયં શ્રાવક જમે, આવા પ્રકારની ગૃહસ્થોની ભોજનક્રિયા પણ પુણ્યરૂપ છે – એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલ છે. ૧. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે જેવા શ્રાવક હોય તેવા જ સત્પાત્ર મુનિરાજે પણ હોય. એટલે તે તે દેશકાળને યોગ્ય સત્પાત્ર મુનિરાજોને અવશ્ય દાન આપવું જોઈએ. અસત્પાત્રોનો વ્યકિતવાર વિભાગ કર્યા વિના માત્ર સર્વસામાન્ય જૈન મુનિરાજોના દાનનો જરા પણ નિષેધ, એ બાબતમાં જરા પણ ઘસતું બોલવું, કે તેની ચર્ચા કરવી વગેરેથી મહા અંતરાયના અને ધર્મલોપના ભાગીદાર થવાય છે, એમ ટૂંકમાં સમજવું. વિસ્તાર થવાથી અહીં વધારે લખતા નથી. અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ:- સચ્ચિત્તે સચિત્તમાં. નિકિખવાણે નાંખવું. પિહિણે=ઢાંકવું. વચએસ=વ્યપદેશ, નામ દેવું. મચ્છરે મત્સર-અદેખાઈ. કાલાઈફકમાણે કાલાતિક્રમદાન-વખત વીતી ગયે દાન દેવું. સચિત્તે નિકિખવણે “પિહિણે વવએસ મચ્છરે એવા “કાલાઈકમાણે ચઉલ્થ સિફખાવએ નિંદે ૩૦/. ચોથા શિક્ષાવ્રતમાં સચિત્તમાં નાખવું, (સચિત્ત) “ઢાંકવું, (૬) નામ દેવું, અદેખાઈ “અને “દાનમાં વખત ન જાળવવાને નિંદુ છું. ૩૦ વિશેષાર્થ :- ૧. દાન દેવા લાયક વસ્તુ બીજી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી, કે સચિત્તમાં નાખી દેવાથી તેવું દાન શ્રી મુનિરાજથી લઈ શકાય નહીં : અજાણતાં કે ઉતાવળથી એમ થાય, તો તે અતિચાર. જાણે કરીને એમ કરવામાં આવે તો અનાચાર. ૨. દેવા લાયક વસ્તુ ઉપર, ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ સચિત્ત વસ્તુ ઢાંકી દેવાય, તો બીજે અતિચાર લાગે છે. ૩. દેવાની બુદ્ધિથી પારકું હોય છતાં પોતાની ચીજ કહેવી. અથવા ન દેવાની બુદ્ધિથી પોતાની હોય તેને પારકી કહેવી. અથવા મુનિમહારાજ કમ્યાકથ્યની એષણામાં જે ખુલાસા પૂછે, તેના ખરા જવાબ આપવામાં ખામી રાખવી, તે પણ આ વ્યપદેશ અતિચારમાં સમાઈ શકે છે. ૪. મત્સર એટલે ક્રોધ કરવો. મુનિરાજ કાંઈ પણ પોતાના ખપની ચીજ માંગે, તો તેના ઉપર Page #290 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૧૭ ક્રોધ કરે, વસ્તુ હોય, તો પણ આપે નહીં, અથવા બીજાની અદેખાઈમાં પોતે પણ દાન આપે. “શું હું કાંઈ તેનાથી ઊતરું તેમ છું?” વગેરે રીતે કોઈની અદેખાઈ કરવી ચોથો અતિચાર. ૫. કાલાતિક્રમદાન : વખત વીતી ગયા પછી નિમંત્રણ આપવા જાય, પરંતુ પછી મુનિરાજ શી રીતે આવી શકે? એ એક જાતનું દુર્લક્ષ્ય છે. એવું દાન ઉચિત ન ગણાય, બહારથી વ્રતનું સાપેક્ષપણું જણાય છે. અંદરથી દાનાંતરાય કર્મથી કપટ પણ હોય. તેથી એ અતિચાર ગણી શકાય. દાન લાયક પ્રાસુક વસ્તુ હોય, દાનનું અતુલ ફળ પોતે જાણતો હોય, બ્રહ્મચર્યાદિયુક્ત યોગ્ય પાત્ર પણ હોય, છતાં જે જીવ દાન ન આપી શકે, તો સમજવું કે તેને દાનાંતરાય કર્મનો જ ઉદય છે. જો કે વસ્તુતઃ તેને એક જાતનો અનાચાર કહેવામાં હરકત નથી. દરેક વ્રતોના પાંચ પાંચ અતિચારો કહ્યા છે. તે માત્ર દિશાસૂચન છે. તેથી સ્મૃતિનું અંતર્ધાન વગેરે અતિચાર દરેકમાં સંભવી શકે છે. તેમ આ વ્રતમાં પણ અતિક્રમ, વ્યતિક્રમ વગેરે દોષો પણ સમજી લેવા. અતિથિ સંવિભાગ વ્રત પાળવાથી દિવ્ય ભોગો, સામ્રાજ્ય, તીર્થંકર પદવી વગેરે મળે છે, અને વિરાધવાથી દાસપણું, દુર્ગતિ વગેરે મળે છે. આ વ્રતને લગતી જે કાંઈ વિશેષતા સમજવાની છે તેમાંની નીચેની ગાથાઓમાં વર્ણવવામાં આવેલ છે. શબ્દાર્થ :- સુહિએસ-૧. સહિતો ઉપર-જ્ઞાનાદિ ઉત્તમ હિતાવાળા-૨. સુખીઓ ઉપર. દુહિએસ-૧. ગ્લાન વગેરે ઉપર. ૨. દુ:ખીઓ ઉપર. અસંજએસ-૧. અસ્વયંયત-ગુરુપરતંત્ર, ૨. અસંયતો ઉપર. અમુકમ્પા=૧. ભકિત, ૨. અનુકંપા-દયા. રાગેણ=પ્રેમથી. દોણ ષથી, નિંદાદષ્ટિથી. 'સુહિએસુઅ દુહિએસુ આ જા “મે *અસંજએસુ અમુકમ્પા રાગણ વદોએણવ "નિદેખતે અગરિહામિ ૩૫ જ્ઞાનાદિ ઉત્તમ હિતવાળા, ગ્યાન થયેલા અને ગુરુ નિશ્રાએ વિહરતા મુિનિઓ ઉપર પ્રથમનાં પ્રેમને લીધે કેનિંદાટિયુક્ત “મારી ભક્તિ, "તેને નિંદું છું અને તેને ગઈ છું. અથવા સુખી કે દુ:ખી *અસંયમી પર “રાગ કે જે કરીને મેં જે “અનુકંપા કરી હોય તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિશેષાર્થ :- ટીકામાં આ ગાથાના જે બે અર્થ કરવામાં આવ્યા છે, તે અહીં ટૂંકામાં આપવામાં આવ્યા છે. તેના ભાવાર્થો નીચે પ્રમાણે જુદા જુદા સમજાવવામાં આવે છે. આ ગાથા અને પછીની ગાથા અતિથિ સંવિભાગ વ્રત સાથે સંબંધ રાખતી હોવાથી સાધુઓને ઉદ્દેશીને આ ગાથા છે, એમ સમજવાનું છે. સુહિત :- એટલે જ્ઞાનદર્શન વગેરે ઉત્તમ હિતમાર્ગને આચરનારા એવો અર્થ સમજવો. અને દુખિત એટલે રોગ કે તપશ્ચર્યાને અંગે ઢીલા પડી ગયેલા, ગ્લાન થયેલા, કે ઉપાધિ રહિત હોય, અસ્વયંયત એટલે પોતાની મેળે સ્વતંત્રપણે ન વિચરતાં ગુરુની પરતંત્રતાએ વિચરતા હોય, આવા પવિત્ર મુનિઓ પર ભક્તિ કરવી જોઈએ, તે ખાસ ગુણ છે. પરંતુ તે ભક્તિ કેવળ ગુણાનુરાગથી મોક્ષના ઉદ્દેશથી કરવી જોઈએ, નહીં કે પોતાના પ્રથમનાં સગાંસંબંધી છે, મિત્ર છે, એક ગામના છે, કે પૂર્વે કંઈક પોતાની ઉપર ઉપકાર કર્યો હતો, એવા કોઈ ઉદેશથી. રાગપૂર્વક ભક્તિ કરવી દોષપાત્ર છે. તેવી જ રીતે દ્વેષપૂર્વક એટલે કે સાધુવર્ગ ઉપર ભાવ ન હોય, પરંતુ “આ બિચારા ગરીબ, રાંકડા, નિરાધાર, ભૂખે ટળવળતા, નાતજાત વગરના છે, માટે આપવું પડશે, નહીં ચાલે.” આવી સાધુનિન્દા દષ્ટિથી ભકિત દાખવે. તે પણ દોષપાત્ર છે. અહીં રાગ અને દ્વેષની નિંદા કરી છે. અનુકંપા શબ્દનો અર્થ અહીં ભકિત કરવાનો છે. હવે બીજા અર્થમાં - સુખી કે દુ:ખી અસંયમી પાસત્થા વગેરેની રાગદ્વેષથી એટલે બીજાની અદેખાઈથી ભક્તિ કરી હોય, તેની નિંદા અને ગહ છે. સુખી કે દુઃખી અસંયમીની ભકિત મોક્ષના ઉદ્દેશથી કે ગુણાનુરાગથી ન કરી શકાય. એ સ્પષ્ટ છે. અહીં અસંયતનો અર્થ છકાયનો વધ કરનારા, સર્વથા અવિરતિ અને કુલિંગી પણ લઈ શકાય છે. પોતાના ગામના કે કુટુંબના હોય તો રાગથી, અને જિન પ્રવચનના શત્રુ હોય, છતાં કોઈ પણ પ્રકારના ભય કે રાજ્યાદિના હુકમથી મનમાં અણગમો છતાં ભક્તિ કરી હોય, તો તે પણ અતિચાર રૂપ છે. અનાથ, કષ્ટમાં પડેલ, દીન, ગરીબ, તથા સમર્થ શરીરી છતાં માંગણ વગેરેને ઉચિતતા પ્રમાણે જે દયાબુદ્ધિથી દાન આપવામાં આવે છે તે અનુકંપાદાને કહેવાય છે. તે નિંદા યોગ્ય નથી. કારણ કે પાત્રાપાત્રની વિચારણા મોક્ષફળ રૂપ દાનમાં કરવાની છે. પરંતુ દયાદાન તો જૈન શાસ્ત્રમાં નિષિદ્ધ છે જ નહીં, કેમ કે, ખુદ જિનેશ્વર પરમાત્માઓએ વાર્ષિકદાન બહોળા પ્રમાણમાં આપેલું છે. - નિ:સ્પૃહ મુનિમહાત્માઓ જેમ સર્વ સંગના ત્યાગી હોવાથી પોતાની પાસેની વસ્તુઓ માત્ર તેવા જ નિઃસ્પૃહ સર્વસંગ ત્યાગી મુનિઓને જ આપી શકે છે, અન્યને આપી શકતા નથી. જીવદયાના મોટા મોટા પ્રસંગોમાં પણ ઉપદેશ આપવા સિવાય જાતે પ્રવૃત્તિ કરી સાક્ષાત્ જીવોને બચાવતા નથી. માત્ર દર્શન ધ્વસ પ્રસંગોમાં પણ નછૂટકે જાતે પ્રવૃત્તિમાં ઊતરે છે. તે જ પ્રમાણે સમ્યકત્વ સહિત બાર વ્રતધારી શ્રાવક અસંયત એવા જીવ બચાવવામાં પ્રવૃત્તિ કેમ કરી શકે ? તે પણ મુનિરાજની માફક એક બાજુએ ત્યાગી છે. સાધુમુનિરાજના તપ-સંયમની અસરથી તથા ઉપદેશથી ઘણા જીવો Page #292 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૧૯ બચતા હોય, દયા પ્રવર્તતી હોય, તે જ પ્રમાણે શ્રાવકના વ્રત નિયમવાળા જીવનની અસરથી દયા પ્રવર્તે તેની સામે વાંધો નથી, પરંતુ જાતે બચાવવાની પ્રવૃત્તિ શી રીતે કરી શકે ? એક તો પોતે વ્રતનિયમોથી બદ્ધ છે અને બીજી તરફ અસંયમી જીવોને બચાવવામાં ઉત્તર કાળે પણ ક્રિયા લાવવાનો સંભવ છે. વળી આ ગાથા રાગ કે દ્વેષથી અસંયત ઉપર અનુકંપા કરવાની ના પાડે છે. તેના જવાબમાં એમ કહેવામાં આવી શકે કે-બારવ્રતધારી શ્રાવક જેમ દેશવિરત છે, તેમ દેશવિરત સિવાયના જીવનમાં અવિરત છે. માટે જ તેનું બીજું નામ સંયમસંયમ તત્વાર્થસૂત્ર વગેરેમાં આવે છે. અસંયમ અંશમાં છવદયારૂપ પ્રવૃત્તિ નિષિદ્ધ ન ગણાતાં આદરણીય ગણાશે. સમ્યગ્દષ્ટિ શ્રાવક પણ અવિરતિ હોય, અને જીવદયા રૂપ વિરતિ આચરે તો દોષપાત્ર ગણાશે નહીં. આ જવાબ બરાબર નથી. કારણ કે, એ જવાબનો અર્થ થાય છે કે, સંયમ અંશમાં અસંયત ઉપર રાગદ્વેષ વિના પણ અનુકંપા ગુણ રૂપ નથી, પણ દોષ રૂપ છે. પરંતુ અસંયમ અંશમાં અસંયમી પર પણ રાગદ્વેષ વિનાની અનુકંપા ગુણ રૂપ છે, તેનો સાર એ નીકળે છે કે, સંયમીને અસંયત ઉપરની રાગદ્વેષ વગરની પણ અનુકંપા ત્યાજ્ય કરે છે, મુનિઓની જેમ. ભલે ઠરે. પરંતુ શ્રાવકો માટે દરેક રીતે સર્વથા નિષેધ કરી શકાશે જ નહીં, એ આશય છે. કેમકે શ્રાવકોનું જીવન સંયમસંયમથી મિશ્રિત જ રહેવાનું જ. જ્યારે શ્રાવક સંયમી જીવનમાં નહીં હોય, ત્યારે તો નિષ્ફરતા કરતાં અનુકંપા સારી જ છે. સમકીતના લક્ષણમાં પણ શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપા સમાયેલ જ છે. રાગદ્વેષ જન્ય અનુકંપા તો સંયમીને કે અસંયમીને દરેક શ્રાવકને માટે આ ગાથામાં જ નિષિદ્ધ જણાવેલ જ છે. આ ગાથા રાગદ્વેષપૂર્વકની સંયમી ઉપર કે અસંયમી ઉપરની અનુકંપાને દોષો રૂપ જણાવે જ છે. પરંતુ સંયમી મહાત્માઓ પણ સંયમી મહાત્માઓ તરફ રાગદ્વેષ વિના અનુકંપા કરી શકે છે. માટે જ અહીં અનુકંપાનો અર્થ ભક્તિ રાખવામાં આવ્યો છે. આ ઉપરથી તેરાપંથી વર્ગ આ ગાથાનો દુરુપયોગ કરે છે, તે વિચારપૂર્વક નથી. એમ સ્પષ્ટ સમજાશે. ગાડર ભરેલો વાડલો, માંહે લાગે જો લ્હાય, તેમાંથી ગાડર મતી કાઢો, એ તો કાચાં કુંપળ ખાય. તેઓમાં પ્રચલિત આ દુહો કેટલી અવળી સમજણથી ભરેલો છે ? તે સ્પષ્ટ રીતે સમજાય છે. શ્રાવકને માટે એવી અનુકંપા નિષિદ્ધ છે, એમ શાસ્ત્રથી કોઈ પણ રીતે સિદ્ધ થાય તેમ છે જ નહીં. પોતાની સામે મહાહિંસા પ્રવર્તી રહેલી હોય, અને પોતાની તે રોકવાની શક્તિ હોય તો સામાયિક કે પૌષધમાં રહેલ શ્રાવક તે રોકવા પ્રયત્ન કરે કે નહીં? પોતે અમુક વખત સુધી સાવધ યોગોના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે. છતાં તે હિંસા જો સંયમોની થતી હોય, તો તે રોકવા સાક્ષાત પ્રયત્ન કરી શકે છે. અસંયમીની હોય, તો તેની હિંસા બીજા રોકે તે દયાની અનુમોદના કરી શકે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પંચ પ્રતિકમાણસૂત્રો જાતે ત્યાં જઈને એ ગાડરને અગ્નિમાંથી કાઢે કે નહીં ? એ અમારો પ્રશ્ન છે. પોતે પ્રતિજ્ઞા બદ્ધ હોવાથી પોતાના વહાલામાં વહાલા પુત્ર માટે પણ પ્રવૃત્તિ ન કરી શકે તો બીજાની તો વાત જ શી ? પરંતુ બીજાઓને નિષેધ ન કરે. તેમજ “તેઓ બચાવે તો સારું” એમ ઈચ્છે. પ્રમાણિક ન્યાયાધીશ જેવી શ્રાવકની સ્થિતિ છે. ન્યાયાસન ઉપર બેઠા પછી વહાલામાં વહાલા ખૂની પુત્રને પણ દેહાન્ત દંડની શિક્ષા ફરમાવવી પડે છે. છતાં તેને કોઈ નિર્દોષ સાબિત કરનારા પુરાવાથી નિર્દોષ સાબિત કરી છોડાવે, કે ઉપરી અમલદાર કોઈ બારીકી કાઢીને કે બીજા સંજોગો ઉપરથી તેને દેહાંત દંડને બદલે બીજી સજા કરે, તો જેમ તે વાત્સલ્યવાળો પિતા એ રીતે પુત્રનું જીવવું ઇચ્છે, તેમ પ્રતિજ્ઞાબદ્ધ શ્રાવક માટે પણ સમજવું. સારાંશ કે, શાસ્ત્રમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ઉદ્દેશીને અપવાદ મૂકવામાં આવ્યા હોય, તો તે સિવાયના પ્રસંગમાં પ્રતિજ્ઞાબદ્ધ શ્રાવક પોતાની તટસ્થતા જાળવી રાખે. તેમાં નિર્દયતાનો આરોપ નથી આવી શકતો. પરંતુ તમારો ઉપદેશ તો-ઉપરના દોહામાં છૂટા શ્રાવકને માટે પણ અનુકંપાનો નિષેધ થતો જણાય છે, તે બરાબર નથી. તેમાં ઈચ્છાજન્ય નહીં, પણ અજ્ઞાનજન્ય નિર્દયતાનો આરોપ આવતો તમારાથી રોકી શકાય તેમ નથી. જોકે, અહીં એક દષ્ટાંત એ આપી શકાય તેમ છે કે, પરમાત્મા મહાવીર પ્રભુએ શીત લેશ્યા મૂકીને ગોશાળાને તેજલેશ્યાથી બચાવ્યો હતો. ત્યારે પરમાત્મા ઋષભદેવ પ્રભુએ ભૂખના દુઃખથી સંયમ છોડી છોડીને તાપસ થઈ ગયેલા પોતાની સાથેના સાધુઓને આહારવિધિ બતાવ્યો નહોતો. તે વખતે તેઓને સંયમ પામ્યા નહીં માન્યા હોય, માટે નહીં બતાવ્યો હોય. એમ કહી શકાય અને શીતલેશ્યા મૂકી એ અપવાદ માર્ગનું અવલંબન ગણાય ? કે વિહિત માર્ગ ગણાય ? એ પ્રશ્નો થાય તેવા છે. સામાન્ય સમજથી સર્વ વિરતિ માટે તે અપવાદ માર્ગ ગણાય. અથવા તીર્થંકર પરમાત્માના કલ્પો જુદા હોય છે. એ દષ્ટિથી કદાચ વિહિત પણ હોય. શ્રાવકને અનુકંપાનો સર્વથા નિષેધ કરવો એ અવિચારિત જણાય છે. આ ગાથામાં અસંયત ઉપર રાગદ્વેષથી અનુકંપા કરી હોય, તેનું પ્રતિક્રમણ જણાવ્યું. ત્યારે નીચેની ગાથામાં સવિધિ મુનિરાજોની દાન ધર્મ વગેરેથી ભક્તિ ન કરી હોય, તે પણ અતિચાર હોવાથી તેનું પ્રતિક્રમણ થાય છે. શબ્દાર્થ :- સંવિભાગોત્રદાન. તવ-ચરણ-કરણ જુસુ તપ, ચારિત્ર, કરણ સિત્તરી મુકત. સંતે વિદ્યમાન હોય, તો પણ. કાસુ-દાગે પ્રાસુક દાન, દેવા લાયક નિર્દોષ વસ્તુઓ. *સાસુ સંવિભાગો નક તવ-ચરણ-કરણ-જુસુ Page #294 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સંતે` 'ફાસુઅ-દાણે તે નિંદે ''તેં 'ચે ``ગરિહામિ ।।૩૨।। દેવાલાયક નિર્દોષ વસ્તુઓ હોવા ‘છતાં દ્વૈતપ, ચરણ અને કરણ વડે યુક્ત મુનિરાજો વિષે પસંવિભાગ ‘ન °કર્યો હોય, તો તેની નિંદા કરું છું, અને ``તેની `ગર્હો કરું છું. ૨૩ વિશેષાર્થ :- છ બાહ્ય, છ આવ્યંતરરૂપ બાર પ્રકારનો તપ, જેનું વર્ણન પ્રથમ આવી ગયેલું છે. ચરણ - ચરણ સિત્તરિ-એટલે ચારિત્રના ૭૦ ભેદો છે. ૫ મહાવ્રત ૧૦ શ્રમણ ધર્મ ૧૭ સંયમ ૧૦ વૈયાવૃત્ત્વ ૯ બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિ ૩ જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મ ૭૦ કરણ - કરણસિત્તરિ એટલે કરણના પણ છ ભેદો છે. ૪ પિંડ વિશુદ્ધિ. ૫ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા ૧૨ તપ ૪ ક્રોધાદિક ૪ નો નિગ્રહ. ૫ ઈંદ્રિયોનો નિગ્રહ ૨૫ પ્રતિલેખના ૩ ગુપ્તિઓ ૪ અભિગ્રહો ૨૨૧ ७० ચરણ સિત્તરી મૂળ ગુણરૂપ છે, અને કરણ સિત્તરી ઉત્તર ગુણરૂપ છે. સમજવા માટે ચરણસિત્તરી અને કરણ સિત્તરિના પેટા ભેદોનાં નામો અત્રે ટૂંકામાં ગણાવીએ છીએ. પાંચ મહાવ્રતો : ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત. ૨. સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત. ૪. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત. ૫. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત. દશ યતિધર્મ : ૧. ક્ષમા, ૨. સરળતા, ૩. કોમળતા, ૪. અમમત્વ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનતા, ૧૦. બ્રહ્મચર્ય. સત્તર સંયમ : ૫ ઈંદ્રિયો, કષાય, અવિરતિ, યોગ, એ પાંચ આથવોનો રોધ, ૫. પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ૪ કષાયનો જય, અને ત્રણ દંડથી વિરતિ. અથવા ૧. પૃથ્વી કાય, ૨. અકાય, ૩. વાયુકાય, ૪. તેઉકાય, ૫. વનસ્પતિકાય, ૬. બે ઇંદ્રિય, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પંચ પ્રતિકમાણસૂત્રો છે. તે ઇંદ્રિય, ૮. ચઉરિંદ્રિય, ૯. પંચિંદ્રિય, ૧૦. અજીવ, ૧૧. પ્રેક્ષા સંયમ, ૧૨. ઉપેક્ષા સંયમ, ૧૩. પ્રમાર્જના સંયમ, ૧૪. પરિઝાપના સંયમ, ૧૫. મન: સંયમ, ૧૬. વચન સંયમ, ૧૭. કાયાનો સંયમ. હિંસાનું પ્રયોજક અજીવ વસ્તુ ગ્રહણ ન કરવાનો પણ સંયમ હોવો જોઈએ. અથવા શિખ્યાદિ માટે ખાસ ઉપયોગી અજીવ પણ યતનાપૂર્વક લેવાનો સંયમ જોઈએ. પ્રેક્ષા સંયમ-એટલે કોઈ પણ વસ્તુ જોઈને તપાસીને પ્રમાઈને જ વાપરવી જોઈએ. તે સિવાય તેનો સંયમ જોઈએ. ઉપેક્ષા સંયમ-એટલે સીદાતા સંયમીઓની ચિંતા. અન્ય માટે ઉપેક્ષા ભાવના. પ્રમાર્જના સંયમ-સાગારિક હોય તો રજોહરણથી બેગાનું પ્રમાર્જન કરવાની જરૂર નહીં, અન્યથા પ્રમાર્જન કરવું જોઈએ. પરિઝાપન સંયમ-એટલે ત્યાગ કરવા લાયક વસ્તુ વિધિપૂર્વક પરઠવવી. દશ પ્રકારના વૈયાવૃત્ય: ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. ગ્લાન, ૬. શૈક્ષ, ૭. સાધર્મિક, ૮. કુળ, ૯. ગણ, ૧૦. સંઘ. ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ આગળ કહેલી છે. ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ : ૧. પિંડ વિશુદ્ધિ, ૨. શય્યા વિશુદ્ધિ, ૩. વસ્ત્ર વિશુદ્ધિ, ૪. પાત્ર વિશુદ્ધિ, આ ચાર કપ્ય ગ્રહણ કરવા, અકથ્ય ને ગ્રહણ કરવા. બાર ભાવના : ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. એકતા, ૪ અન્યત્વ, ૫ સંસાર, ૬ અશુચિત્વ, ૭. લોકસ્વભાવ, ૮. આથવ, ૯. સંવર, ૧૦. નિર્જરા, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મના સાધક અરિહંત પ્રભુની દુર્લભતા. બાર ભિક્ષુ પ્રતિમા : છ મહિના સુધી મહિનાની, ૮મી બે માસની, ૯મી ત્રણ માસની, ૧૦ મી ૧૭ રાત્રિ દિવસની, ૧૧મી અહોરાત્રની, ૧રમી એક રાત્રિની. પચીસ પ્રતિલેખના : તે આગળ ઉપર આવી ગયેલ છે. ચાર અભિગ્રહો : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર અભિગ્રહો થાય છે. કે ચરણ સિત્તરીમાં તપનો સમાવેશ થાય છે. છતાં જુદું ગણાવવાનું કારણ તેના ઉપર બાળ જીવોનું ખાસ લક્ષ્ય ખેંચવા માટે અને તપ નિકાચિત કર્મ પણ તોડવામાં સમર્થ છે. તેમજ તપસ્વી મુનિઓ ખાસ કરીને દાનને માટેના ઉત્કૃષ્ટ પાત્ર છે. એક વિશેષ પ્રકારે સૂચવવા માટે પણ છે. “પૂર્વે કરેલાં મહા નિકાચિત કર્મો વેદ્યા વિના અથવા તપથી નિર્જર્યા વિના મોક્ષ થઈ શકતો નથી.” આવા મહામુનિઓને દાન દેવાથી ભાવની વૃદ્ધિ થાય છે, તેઓનાં તે તે અનુષ્ઠાનોમાં સહાયક થવાય છે, તે તે અનુષ્ઠાનોની અનુમોદના થાય છે, અને તે તે અનુષ્ઠાનોની પોતાના આત્મા માટે પણ આરાધના થાય છે, એટલે તે તે અનુષ્ઠાનો વહેલા પ્રાપ્ત થઈ પોતાના આત્મામાં મોક્ષોપયોગી ગુણોનો સંગ્રહ વધતો જાય છે. માટે મુનિઓ-કેવળ ભકિત, સત્કાર કે વ્યવહારની દષ્ટિથી નહીં, પણ Page #296 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૨૨૩ પોતાના વિસ્તાર અર્થે પણ અતિથિ સંવિભાગ આવશ્યક છે. અન્ય સંલેખના વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ સંખના એટલે ? સંલેખન એટલે શું? તે લગભગ હાલ આપણા સમજવામાં બરાબર નથી. શાસ્ત્રમાં તેનું સ્વરૂપ ઘણું જ વિસ્તારથી બતાવેલું છે, પરંતુ અહીં તો માત્ર ટૂંકામાં તેનો ખ્યાલ આપી શકીશું. શ્રાવકને સંલેષણા ઝોષિતા કહેલ છે. તેનો અર્થ એવો થાય છે કે-સંલેષણામાં ઝોષિતા-પ્રીતિવાળો, અથવા સંલેષણાને સેવનારો, ઝુષ ધાતુનો અર્થ પ્રીતિ અને સેવા થાય છે. ઝોષિતા=પ્રીતિવાળો તથા સેવનારો, ત્યારે સંલેખના એટલે શું? સંલેહણા : સંલેખના : સંલેષણા : એમ ત્રણ શબ્દો વપરાયેલા જોવામાં આવે છે. પ નો ખ અને ખ નો હ એમ માત્ર ભાષા અને ઉચ્ચારદષ્ટિથી શબ્દભેદો છે, વાસ્તવિક ભેદ નથી. શરીર અને કષાયો શોષવા તે લેખણા. તે એક જાતનું અંતિમ જીવન વખતે કરવાનું તપ છે. આગમોમાં તેનો વિસ્તારથી વિધિ બતાવેલ છે જેથી કરીને જીવનના અંતભાગમાં અનશન કરી ઘણાં કર્મો ખપાવવા પ્રયત્ન કરવામાં આવે છે તે સંલેખના તપ કહેવાય છે. સંલેખન વિધિ મુનિમહારાજાઓ માટે ખાસ બતાવેલ છે. તે જ પ્રમાણે ભાવિક શ્રાવક પણ તેનું આચરણ કરે છે. તેણે પણ સંલેખના કરવી જોઈએ. મરણ નજીક હોય ત્યારે આ તપ ક્રિયા કરવાની છે. જેમ જેમ મરણ નજીક આવતું જાય, શરીર અવ્યવસ્થિત થતું જાય, વૃદ્ધાવસ્થા નજીક આવતી જાય, તેમ પાચનશક્તિ ઢીલી પડે, સાથે મનોબળ ઢીલું પડે, તેથી મરણકાળે યોગ્ય સમાધિ, સ્થિરતા, આરાધનામાં લીનતા ન રહે. તેથી જો પ્રથમથી ધર્મભાવનાની શરૂઆત થયેલી હોવાથી, તેમાં ચિત્ત પરોવાયેલું હોવાથી, મરણકાળે પણ તેની અસર પહોંચે, કુંભારનો ચાકડો જેમ એક વાર ફેરવ્યા પછી તેનો વેગ પાછળથી પણ પહોંચે છે. તે જ પ્રમાણે મનનું પણ છે. એક વાર વેગ આવ્યા પછી અમુક રસ્તે વળ્યા પછી ત્યાંથી એકાએક પાછું ફરતું નથી, ને જે રસ્તે ચડ્યું હોય, તે રસ્તે ધસ્ય જાય છે. આ ધોરણે મરણકાળે સમાધિ રહી શકે, માટે મુનિરાજ તથા શ્રાવકો માટે સંલેખના કરવાનો વિધિ બતાવ્યો છે. સંલેખનાવિધિ એવો યુક્તિયુક્ત અને વિચારપૂર્વક મહાજ્ઞાનીઓએ ગોઠવેલ છે કે, તેનું તત્ત્વ સમજવા જેવું છે. ઉપર ઉપરથી એમ લાગે કે, “સંલેખના તપ કરવો-અણશણ કરવું એટલે ખાવાપીવાનું બંધ કરીને મરવાની વહેલી તૈયારી કરવી.” પરંતુ ખરી રીતે વિચાર કરતાં એમ નથી. અચાનક રોગાદિક કારણોથી મરી જનાર માણસને તો આરાધનાનો વખત ઓછો રહે છે. પરંતુ ઉમ્મર પૂરી થવાથી જે મરણાભિમુખ થાય, તેને આખર મરવાનું તો હોય છે. મરણાભિમુખ થયેલ માણસ આયુષ પૂર્ણ થતાં સુધી જીવે છે. તે પૂરું થતાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો જ મરણ નીપજે છે. હવે મરનાર નિકાચિત આયુષવાળા હોય, તો તે ગમે તેટલું તપ કરે, તો પણ તેનું મરણ સંપૂર્ણ આયુ પૂર્ણ થતાં જ થાય છે, વચ્ચે થતું નથી. અને અનિકાચિત આયુષવાળાઓ પૂર્વ ભવે બાંધેલ આયુષને પૂરું ભોગવ્યા વિના પણ મરણ પામે છે. જો કે તેમાંના પાકટ ઉમ્મરે પણ મરે છે. છતાં આખી જિંદગીના રોગો, ભૂલો, પ્રજ્ઞાપરાધો, સ્કૂલનાઓ અને બીજા શારીરિક માનસિક વાચિક દોષોના સરવાળા રૂપ દોષોનો એકીસાથેનો સંગ્રહ આયુષ ઓછું કરી મરણ ઉત્પન્ન કરે છે. આવા મરણ વખતે ધીમે ધીમે શરીરનાં તમામ યંત્રોને ઘસારો લાગ્યો હોય છે. અને દરેક ધીમે ધીમે પોતાનું કામ કરવાનું મંદ પાડતા જતા હોય છે. આ સ્થિતિમાં માણસ ખોરાક વગેરે ચાલુ રાખે છે-તેથી તે યંત્રો બરાબર કામ આપી શકતા નથી. એક જાતનો કચરો શરીરમાં વધતો જાય છે. તે આયુષ ઉપર વધારે વધારે દબાણ કરે છે, તેમજ લોહી વગેરે ધાતુઓ ઉપર પણ અયોગ્ય દબાણ કરે છે. હાર્ટમાં લોહીના પ્રેશરથી ઘણા પીડાતા અને મરતા અત્યારે પણ આપણે સાંભળીએ છીએ. એનું કારણ એ હોય છે કે ખોરાકમાંથી હૃદયની શક્તિ ઉપરાંત લોહી વહે તથા બીજા કારણોથી પણ એકદમ હુમલો ચડી આવે, અને જો તદ્દન ખોરાક ન લે, તો નવું લોહી ઉત્પન્ન થાય નહીં. એટલે પણ હૃદય નબળું પડે. આવી સ્થિતિમાં કેમ વર્તવું? એ જાતની મોટી મુશ્કેલી ઉત્પન્ન થાય છે તથા મેદ વગેરે વધેલા હોય છે. તે પણ શરીરની શકિત ધીમી પાડે છે. આ બધી સ્થિતિમાં સંલેખનાના વિધિમાં બતાવેલી તપશ્ચર્યા દરેક ધાતુને સમતોલ રાખે છે. આચાર્મ્સ, એકાસણા-ઉપવાસ વગેરે શરીરમાં દોષોના સંચયને બાળીને ભસ્મ કરે છે અને પારણામાં ઉચિત ખોરાક સારું પોષણ આપે છે. આમ કરવાથી સરવાળે માણસ કાંઈક સ્વાભાવિક મરણથી મરે છે. ઉપવાસોના આરોગ્યના સાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. - જો દવે ઘાહૂ તે 7 વઘુ વૃદ્ધ માણસ કફ અને વાયુપ્રધાન હોય છે. તેમાં પણ કફપ્રધાન માણસ લંઘન ખાસ સહન કરી શકે છે. વાયુવાળા લંઘન સહન ન કરી શકે એ ખરું છે. તેથી જ સંલેખના વિધિનાં તપોમાં પણ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર હોય છે. વાયુવાળાને પણ સાથે કફ પિત્ત તો હોય જ, એટલે તેવા વાયુની પ્રધાનતાવાળાને જઘન્ય તપશ્ચર્યા ઉપયોગી થાય. અને તે તપશ્ચર્યામાં જેટલું લંઘન સહી શકે, તેટલી દોષોની શકિત સમજવી. ન થા હિષ્ણુતા, સા રોપા #િ: “માણસ લંઘન જેટલું સહી શકે, તેટલી દોષોની શક્તિ સમજવી.” જે દોષો-રોગો ન હોય તો (યોગીઓ સિવાય) વધારે લંઘન ન સહી શકાય. આ દૃષ્ટિથી સંલેખનાનો તપવિધિ ઘણો જ ઉપકારક થાય છે, અને આમ થવાથી મરણકાળે ઊલટી શાંતિ અને ઘણી સમાધિ રહેવાનો સંભવ છે, જો કે સંલેખનાવિધિ કરનારને બરાબર બંધબેસતો આવે એવી રીતનો ગોઠવવો જોઈએ. સંલેખનાનો વિધિ બરાબર ગોઠવાયો હોય, અને ભાવના, આરાધનાના પ્રકારે પણ સારી રીતે ચાલતા હોય, તો પરિણામે આરાધનામાં મરણ થાય છે. તેને માટે સંશયને અવકાશ નથી. મુનિ કે વ્રતધારી શ્રાવક કે જેઓએ જિંદગીનો મોટો ભાગ ધર્મધ્યાનમાં પસાર કરેલ હોય, અને મરણ વખતે પણ તેની સારામાં સારી આરાધના રહે, તેને માટે સંલેખના એટલે મરણ સમયની અન્ય આરાધનાની તપોવિધિ શાસ્ત્રકારોએ બતાવેલી છે. અગાઉના વખતમાં મહામુનિઓ આ સંલેખના WWW.jainelibrary.org Page #298 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૨૫ કરીને ગુફાઓ વગેરેમાં જઈને પાદોપગમન-લાકડાની માફક પડી રહી-અણગણ વગેરે કરતા હતા. પરંતુ હાલ તે બની શકતું નથી. આવી સંલેખના વખતે પણ માનસિક વિચારદોષથી આસુરી, કબીપી વગેરે દુર્ભાવનાઓ થવાનો સંભવ છે, તે પણ ન થાય તેવી પૂરી સાવચેતી રાખી પર્યતઆરાધના કરવી, અને નીચે જણાવેલા અતિચારો પણ ટાળવાથી શુદ્ધ આરાધના થાય છે. મરણ એ એવું ભયંકર તત્વ જગતમાં છે કે, તે વખતે ભલભલા માણસની સાનબુદ્ધિ રહેવી ઘણી જ મુશ્કેલ છે, ગાંડું થઈ જવાય, બેભાન થઈ જવાય, ક્રોધી થઈ જવાય, બકવાદ થાય, ઈત્યાદિ અનેક સંજોગો આવી પડે. તે વખતે તેવી કોઈ સ્થિતિ ન થાય, તેટલા ખાતર પણ જિંદગી આખી ભાવનાપૂર્વક, અને ભાવના ન હોય, તો ટેવ કેળવવા ખાતર પણ ધર્મની આરાધના કરવી જોઈએ જેથી કરીને મરણ વખતે એ ટેવ રૂપે પણ મન વચન કાયા સીધું કામ કરે, ઊલટા સ્વરૂપમાં ન ઊતરી જાય. એ પણ મોટામાં મોટો લાભ ગણાય. ધર્મધ્યાન ન થાય, પણ આર્ત તથા રૌદ્ર ધ્યાન ન થાય, એ પણ ઘણું જ મહત્ત્વનું છે. અને જો આરાધનામાં મરણ થાય તો તો ઘણું જ ઉત્તમ. માટે સંલેખનાથી બીવા કે ભડકવાનું નથી, પણ તે બહુ જ ઉપયોગી વિધિ છે. મરનારને બરાબર બંધબેસતી આવે, તેવી રીતે ગોઠવનાર આજુબાજુ વ્યક્તિ હોય તો વધારે સારું, જે કે જેમણે સારી રીતે શરીરાદિ ઉપર નિરપેક્ષતા કેળવી હોય છે, તેને માટે તો ખાસ ચિંતા જેવું નહિ, પરંતુ બીજાઓ માટે ઉત્તર સાધકો ઘણા જ બાહોશ અને ઉચિતજ્ઞ હોય તો સારું. “અન્ય દર્શનીયો વગેરે સંલેખનાનો અર્થ ભૂખ્યા રહી આપઘાત કરીને મરી જવું.” એવો કરતા હોય તો તેને બરાબર સમજાવવું. સંલેખનાના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- ઈહલોએ આ લોકમાં. પર-લોએ પરલોકમાં. જવિા-માણે જીવિત અને મરણ. આસંસા- પગે આશંસા-પ્રયોગ. માન. મજઝ=મને. હુજ હો. મરણં અંતમરણે. ઈહ-લોએ પર-લોએ જીવિઅ-મરણે આ “આસંસ-પયોગે ! પંચ-વિહો અઈયારો “મા મજઝ હુ મરણતે ૩૩ આ લોકનો, પરલોકનો, જીવવાને, મરવાનો, અને બીજા વિષયોપભોગોને આશંસાપ્રયોગ" એ પાંચ પ્રકારના અતિચારો મરણના અંત સુધી પણ મને ન પહો. ૩૩ विशे षार्थ પાંચ અતિચારોની સમજ : ૧. સંલેખના-અનશન કરનારનો આ લોક તે મનુષ્યલોક, એટલે કે-“મરણ પામીને આ તપના Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો બળથી હું પાછો મનુષ્ય થાઉ, કે રાજા, મંત્રી કે શેઠ થાઉ” એવી મનમાં ઈચ્છા રાખવી, તે-ઈહલોકઆશંસાપ્રયોગ: આશંસાપ્રયોગ એટલે આશાનો માનસિક પ્રયત્ન. ૨. “દેવલોકમાં જાઉ, દેવ થાઉ, ઈંદ્ર થાઉં.” એવી ઈચ્છા તે પરલોક આશંસા પ્રયોગ. ૩. કોઈ અણશણ કરનાર પોતાની અનેક પ્રકારની ભાવભક્તિ થતી જોઈને જીવવાની ઈચ્છા કરે, તો તે જીવિતઆશંસાપ્રયોગ. અણસણ કરનાર પાસે જુદાં જુદાં ગામો અને શહેરોના સંઘો આવી આવીને મોટા અનેક મહોત્સવોની પરંપરા ચલાવે, અનેક નાગરિક લોકો તેની પાસે આવીને ઉત્તમ પ્રકારનાં નૃત્યો અને બીજી કળાઓ ભાવભક્તિથી વ્યકત કરે. મનોહર વીણા, મૃદંગ પટ વગેરે સુખકર વાજિંત્રો વાગી રહ્યાં હોય, હોંશે હોંશે અહપૂર્વિકાઓ વડે અનેક વિવેકીજનો વસ્ત્ર વગેરે બીજી અનેક ભેટોથી અનેક પ્રકારનાં સત્કાર-સન્માનં, વંદન ગુણસ્તુતિ કરી રહ્યાં હોય, ગીતાર્થ પદવીધર મહા આચાર્ય મહારાજ વગેરે તેની આગળ સિદ્ધાંત શ્રવણ કરાવતા હોય, અનેક ગુણવાન અને ધાર્મિક સાધર્મિક પુરુષોથી ગુણોની વારંવાર અનુમોદના કરાતી હોય. આ બધું જોઈને મનમાં એમ થઈ આવે કે “ઠીક છે, આ લાભ સારો છે. ઠીક પડે છે. થોડો વખત વધારે જિવાય તો સારું.” આવી ઈચ્છા થઈ આવે. તે જીવિત આશંસા પ્રયોગ ગણાય છે. ૪. એ જ પ્રમાણે ઊલટી રીતે એવા જ કોઈ ક્ષેત્રમાં અણશણ કરેલું હોય, અને કોઈ સત્કાર વગેરે ન કરતા હોય, ત્યારે મનમાં વિચાર આવે કે “હવે કયારે મરણ આવે. આ તપ નથી થઈ શકતું.” તે મરણ આશંસા પ્રયોગ. ૫. શબ્દ અને રૂપ કામ પણ કહેવાય છે, અને ગંધ, રસ અને સ્પર્શ ભોગ પણ કહેવાય છે. તેની “આ તપથી કરીને મને રૂપ સૌભાગ્ય વગેરે મળે તો સારું એવી ઈચ્છા રાખવી તે કામભોગ આશંસા પ્રયોગ કહેવાય છે. જોકે– આવી આશંસાઓ સર્વ વ્રતોમાં વર્જવાની છે. એટલે અહીં સંલેખના વ્રતમાં એ ગણાવેલ છે, તે ઉપલક્ષણ રૂપ સમજવું, આશંસા કરવાથી ઉત્કૃષ્ટ ઘર્મનો આરાધક પણ હીન-ઓછું ફળ પામે છે. આશંસારૂપ છે મૂલ્ય ધર્મરૂપ ચિંતામણિ રત્ન વેચી નાંખે છે. માટે જ નિયાણાનો શાસ્ત્રકારોએ સર્વથા નિષેધ કરેલો છે. નવનિયાણા, અહીં પ્રસંગે સમજવા જેવા હોવાથી જણાવીએ છીએ. રાજાપણું, શેઠપણું, સ્ત્રીપણું, પુરુષપણું, પરસ્પર પ્રવિચારી દેવો કે દેવીપણું, અપ્રવિચારી દેવપણું, દરિદ્રપણું, શ્રાવકપણું, એ નવની આશંસા રાખવી. તે નવ પ્રકારના નિયાણા છે. ઘણા તપને પરિણામે પણ તેટલાં જ ફળો મળે છે, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ફળ મળતાં અટકી જાય છે. અને ઘણે ભાગે નરકાદિ દુઃખના ભાગી થવાય છે. તપસ્વી મુનિ વગેરેને શ્રાવકપણાની સ્પષ્ટ નિયાણા રૂપ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૨૭ બાર વ્રતના કુલ અતિચારો 2 તપ આચાર અને વીર્યાચારના અતિચારો “જે વયાઈઆરો” એ બીજી ગાથામાં ચ શબ્દથી સૂચવાઈ ગયેલા સમજવાના છે. એટલે પાંચ આચારના ૧૨૪ અતિચારો નીચે પ્રમાણે થાય છે. જ્ઞાનાચાર ૪ થા વ્રતના ૧૧ મા વ્રતના ૫ દર્શનાચારના ૫ મા વ્રતના ૧૨ મા વ્રતના ૫ ચારિત્રાચારના ૮ ૬ 8ા વ્રતના સંલેખના વ્રતના સમ્યકત્વવ્રતના ૫ ૭ મા વ્રતના તપ આચારના ૧૨ ૧ લા વ્રતના ૫ ૮ મા વ્રતના ૫ વીર્યાચારના ૨ જા વ્રતના ૫ ૯ મા વ્રતના ૫ ૩ જા વ્રતના ૫ ૧૦ મા વ્રતના ૫ ૧૨૪ આથવાનું, કર્મબંધનું, સંસારનું, પુણ્ય-પાપ અને અતિચારોનું મૂળ કારણ ત્રણ યોગો છે. માટે ત્રણ યોગોનું સામાન્યથી પ્રતિક્રમણ કરવું જોઈએ : બાર વ્રતો પાળતાં ત્રણ યોગોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ : કાણકાઈઅસ્સ પડિકમે વાઈઅસ્સ વાયાએ માણસા માણસિઅસ્મ સવ્યસ્સ “વયાઈઆરસ્સ ૩૪ કાયયોગ વડે કરાયેલા કાયિક, વચન વડે કરાયેલા વાચિક અને મન વડે કરાયેલા માનસિક સર્વવતોના અતિચારોનું પ્રતિકમણ કરું છું. ૩૪ વિશેષાર્થ:- સર્વ આથવાના મુખ્ય કારણ જે ત્રણ યોગ, એ જ સર્વ વ્રતના અતિચારોનું મુખ્ય કારણ હોય છે. એટલે તેનું પ્રતિક્રમણ કરવાથી સામાન્ય રીતે સર્વ વ્રતોના અતિચારોનું પ્રતિક્રમણ થાય છે. શ્રાવકને લાયક ધર્મ કરણીઓમાં લાગેલા બીજા પણ અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ:- વંદાણચૈત્યાદિ વંદન. વય બાર વ્રતો. સિફખા શાસ્ત્રાભ્યાસ અને આચારાભ્યાસ. ગારવગૌરવ, આઠ-મદ અથવા ત્રણ ગૌરવ. સન્નાસંજ્ઞા. કસાય ચાર કષાય. ડિસુમન વચન કાયાના ત્રણ દંડ અથવા ત્રણ શબ્દ. ગુત્તીસુત્રણ ગુપ્તિને વિષે. સમિઈસુ પાંચ સમિતિઓને વિષે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો વંદણ-વય-સિફખા-ગારવેસુ સન્ના-કસાય-ડેસુ ગુત્તીસુ અ “સમિઈસુઅ જો આઈઆરોગ્ય તંનિંદે ૩પ "વંદન-વ્રત-શિક્ષા-ગારવ, સંજ્ઞા-કપાય-દંડ,ગુપ્તિ અને “સમિતિઓ વિષે જે “અતિચાર લાગ્યા હોય, તેની નિંદા કરું છું. ૩૫. વિશેષાર્થ :- વંદન : દેવવંદન, ચૈત્યવંદન, ગુરુવંદન, વ્રતો-સમ્યકત્વમૂળ અણુવ્રતાદિક બાર વ્રતો, અથવા નમુકકારસી પૌરુષી વગેરે દશ પ્રકારના પચ્ચખાણો શિક્ષા સામાયિકાદિના સૂત્ર અર્થ અને તદુભયનો અભ્યાસ, તે ગ્રહણ-શિક્ષા. અને સવારમાં ત્રણ નવકાર ગણીને જાગવા માંડીને આખા દિવસના, પર્વના, દિવસના, રાત્રિના, તેમજ પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, તથા બીજા ખાસ શ્રાવકના આચારોના પાલનથી ટેવ કેળવવી તે આસેવનશિક્ષા. ગૌરવ : જાતિ મદ વગેરે આઠ મદો કરવા તે. અથવા ધન, ધાન્ય, કુટુંબ વગેરે વધારે હોય તેથી ગર્વ કરવો તે ઋદ્ધિગારવ. ખાવા પીવામાં લોલુપતા તે-રસગારવ. સુખશીનીયાપણું તે શાતાગારવ. સંજ્ઞા-૪-૧૦ અથવા ૧૬ શાસ્ત્રમાં કહી છે. ૧૬ સંજ્ઞા નીચે પ્રમાણે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સુખ, દુઃખ, મોહ, વિચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, શોક, ધર્મ, ઓઘ, લોક. કષાય: ક્રોધ, માન, માયા, લોભ. તે ચારેય-અનંતાનુબંધીય, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, અને સંજવલન જેવા. એમ દરેકમાં ગણાતાં ૬૪ થાય. દંડ: મન વચન કાયાના દંડ. અથવા માયા, મિથ્યાત્વ, અને નિદાન-નિયાણાં-એ ત્રણ શલ્યને પણ દંડ તરીકે કહ્યા છે. ગુપ્તિઓ અને સમિતિઓનું સ્વરૂપ આવી ગયું છે. અકારથી સમ્યકત્વ વગેરે અગિયાર શ્રમણોપાસક પ્રતિમાઓ વગેરે સઘળાં ધર્મકૃત્યો સમજવાં. ૩૫. સામાન્ય પ્રકારે અને વિશેષ પ્રકારે એમ અનેક રીતે અતિચારોનું પ્રતિક્રમણ કરવા છતાં ગૃહસ્થ ફરીથી એના એ અતિચારો લગાડે તો પછી તેનું ફળ શું? શબ્દાર્થ :- સમ્મદિઠી=સમ્યગ્દષ્ટિ. જઇવિ યદ્યપિ-જે કે. હું ખરેખર પાર્વપાપ. સમાઈયરઈ સમાચરે, આચરે. કિંચિ=કંઈ પણ. અપ્પો અલ્પ. સિ=એને. બંધોગકર્મબંધ. જણ=જેથી. નિબંદ્ધસંનિધ્વંસ નિ:સંકોચ, સૂગ નફટાઈ-બેપરવાઈ વગર. કુણઈ=કરે. તપિત્રુતે પણ. હું જ. સપડિકમાણ=પ્રતિક્રમણ સહિત. સપૂરિઆવ=પરિતાપ સહિત. સઉત્તરગુણં ઉત્તર ગુણો સહિત. ખિપ્પ જલદી. વિસામેઈ=ઉપશમાવે છે-શાંત કરે છે. વહિવ-વ્યાધિ-રોગની પેઠે. સુસિફખઓ સારી રીતે શીખેલો. વિજો વૈદ્ય. Page #302 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૨૯ જહા=જેમ. વિસં ઝેર. કુટ્ટ-ગર્યકોષ્ટગત-પેટમાં ગયેલું. મંત-મૂલ-વિસારયા મંત્રો અને મૂળોમાં હોશિયાર. વિજા-વૈદ્યો. હાસંતિ નાશ કરે છે. અંતેહિંમંત્રો વડે. તો તેથી. વિવ્યિસં વિષ વગરનું-ઝેર વગરનું. એવં એ પ્રકારે. અવિહે=આઠ પ્રકારનું. કર્મ કર્મ. રાગ-દોસ-સમજિઅંગરાગ દ્વેષથી એકઠું કરેલું. આલોઅંતો આલોચના કરતો. અ=અને નિંદતો નિંદા કરતો. ખિપ્પ=ક્ષિપ્ર, જલદી. હગઈ હણે છે. સુસાવ સારો શ્રાવક. ક્ય-પાવો પાપ કરનારો. મજુસ્સો મનુષ્ય. આલોઇએ=આલોચીને. નિંદિઅનિંદીને. ગુરુસગાસે ગુરુ પાસે. અઈરગ-વહુઓ અત્યંત હલકો. ઓહેરિઅ-ભરૂધ્વ=ભાર ઉતારેલાની પેઠે. ભાર-વહોભાર ઉપાડનાર. 'સમ-દિઠા જીવો, જઈ વિ 'હુપાવંસમાયરઈ કિ 'ચિા અખોસિ"હોઈ "બંધો, જેણ ન નિબંધસં"કુણઈ શા "તે"પિ હુસપડિક્કમણું, ‘સપરિવં સઉત્તર-ગુણં ચા "ખિપ્પ ઉવસામેઈ, વાહિલ્વે સુશિકિઓ વિજજો વળી જહા વીસ કુઠ-ગયું, મંત-મૂલ-વિસાયા *વિજાણંતિ મતહિં, તો હવઈ"નિશ્વિસાવા 'એવું અઠવિહં કમ્મ, રાગ-દોસ-સમન્જિ “આલોખંતો અ નિંદતો, “ખિખં "હણઈ સુસાવ ૩૯ll ક્ય-પાવોવિ‘મણસ્સો, “આલોઈઅ નિદિ ગુરુ-સગાસી "હોઈ અઈરેગ-લહુઓ, હરિ-ભરુવ્ર ભાર-વહો ૪ "સમદષ્ટિ જીવ જે કાંઈપણ “પાપ જ કરે, તો પણ તેને થોડો જ કર્મબંધ થાય છે. કેમકે-તે બેપરવાઈથી - નિદ્ધસપણાથી નથી કરતો હોતો. રૂદા “વિદ્વાન વૈદ્ય જેમ વ્યાધિને “જલદી શાંત કરે છે, તેમ પ્રતિક્રમણ, ‘પશ્ચાત્તાપ અને ઉત્તરગુણ સહિત (સમ્યગ્દષ્ટિ જીવ) અલ્પ પાપને પણ ખરેખર એકદમ શાંત કરી નાંખે છે. ૩ાા "મંત્રના મૂળ બીજના જાણકાર ‘વૈદ્યો જેમ મંત્રો વડે કરીને પેટમાં ગયેલું ઝેર નાશ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પંચ પ્રતિકમાણસૂત્રો કરે છે, તેથી તે ઝેર વગરનું "થાય છે. ૩૮ એ જ પ્રકારે આલોચના અને નિંદા કરતો “સુત્રાવક રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલા આઠ પ્રકારનાં “કનોતરત નાશ કરે છે. ૩૯ 'ભાર ઉતારવાથી જેમ મજૂર [હલકો થાય છે તેમ પાપ કરનારો પણ મનુષ્ય ગુર પાસે “આલોચીને, “નિંદીને અત્યન્ત હલકો" થાય છે. જવા વિશેષાર્થ :- એક જ કામ નિર્દય ચિત્તથી અને દયાવાળા ચિત્તથી કરવામાં કેટલો ફરક પડે છે? તેને માટે છે વેશ્યાઓ જંબુ વૃક્ષના દષ્ટાંતથી સમજી લેવાથી સમ્યગુ દષ્ટિ અને મિથ્યા દષ્ટિનાં કામોની પાછળની ભાવનાનો ફરક સમજાશે. પ્રતિક્રમણનું માહાભ્ય શબ્દાર્થ :- આવાસણઆવશ્યક વડે. એણઆ. સાવઓશ્રાવક. બહુરઓ બહુરજબહુકર્મવાળો, અથવા બહુરત-ઘણા આરંભ સમારંભવાળો. દુફખાણંદુ:ખોની. અંતકિરિયં અંત ક્રિયાને. કાહી કરે છે. અચિરણ થોડા. કાલેણ વખતમાં. આવસ્સએણએએણ', સાવ જઇ વિ બહુર હોઈ ‘દુખાણમંતકિરિઅંદ, કહી "અચિરણ કાલેણ ૪૧ જો કે શ્રાવક બહું [સાવદ્ય આરંભાદિકમાં આસક્ત હોય, છતાં પણ આ આવશ્યકે” કરીને દુ:ખોનો અંત થોડા વખતમાં કરે છે. ૪૧ વિશેષાર્થ :- આ રીતે જ આવશ્યક ગર્ભિત આ પ્રતિક્રમણ આવશ્યક પણ મોક્ષ આપી શકે છે. જૈન શાસનમાં ઉપદેશેલા એક એક યોગે કરીને અનંતા અનંત મોક્ષમાં ગયા છે. આ પ્રતિક્રમણ આવશ્યક પણ એક ધર્મ યોગ છે, માટે મોક્ષનું અંગ છે, માટે પ્રભુની આજ્ઞા ધારકોએ હંમેશ બન્નેય વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. ભુલાઈ ગયેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ શબ્દાર્થ :- આલોયણા આલોચના. બહુ-વિહા=બહુ પ્રકારની. સંભરિયાળ્યાદ આવી. પડિકણ-કાલે પ્રતિક્રમણ વખતે. મૂલ-ગુણ પાંચ અણુવ્રત અને સમ્યફત્વ રૂપ મૂળગુણ. ઉત્તરગુણે બાકીના વ્રતો તે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૩૧ *આલોઅણા બહુ-વિહા, ન ય સંભરિઆ પડિકકમણ-કાલા મૂલ-ગુણ-ઉત્તર-ગુણે, “તે નિંદે "તં ચ ગરિહામિ જરા મૂલ ગુણ અને ઉત્તર ગુગ વિષેની ઘણા પ્રકારની આલોચના "પ્રતિક્રમણ વખતે ન યાદ આવી હોય, તો તેને નિંદું છું, અને તેને “ગણું છું. જરા, શબ્દાર્થ :- કેવલિ પન્નતસ કેવલી ભગવંતોએ પ્રજ્ઞપ્ત કરેલ-જણાવેલ-ઉપદેશેલ. અભુઠિઓ ઊભો થાઉ છું. મિતું. આરાણાએ આરાધના માટે. વિરઓમિવિરમું છું. વિરાણાએ વિરાધનાથી. *તસ્સ-ધમ્મસ'કેવલિ-પન્નતસ્સ-અભુદ્ધિઓ-મિ' આરાણાએ ‘વિરોમિ° વિરાહણાએ "તિવિહેણ "પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસંગાથા કેવળી ભગવંતોએ ઉપદેશેલા તે એટલે ધર્મની આરાધના માટે હું ઊભો" તિત્પર થાઉ છું. તિની] વિરાધનાથી વિરમું છું[અને] ત્રિવિધે પ્રતિક્રમણ કરતો ચોવીસેય જિનેશ્વરોને વંદન કરું છું. I૪૩ | વિશેષાર્થ:- વિગતવાર કરવામાં આવેલા પ્રતિક્રમણના ઉપસંહારરૂપે આ ગાથા છે. તેમજ-વિનય, આનંદ, અંત્ય મંગળાચરણ, ધર્મ આરાધનાનો ઉત્સાહ વગેરે સૂચવે છે. તેમજ આ વંદિત્તા સૂત્રમાં સમાયેલા છે એય આવશ્યકોમાંના સ્પષ્ટ શબ્દોમાં સૂચવાય છે. આરાધના [સામાયિક], વિરાધનાથી વિરતિ [પ્રત્યાખ્યાન]. ત્રિવિધે પ્રતિક્રમણ (પ્રતિક્રમણ). ચોવીસ જિનોને વંદન [ચતુર્વિશતિ]. તેમજ નીચેની જાવંતિ ચેઇઆણં ગાથામાં સ્થાપના જિનોને વંદન. જાવંત કવિમાં-મુનિચંદન (વંદનાવશ્યક) અને વિરાસન (કાયોત્સર્ગ). જુદાં જુદાં આસનોથી ધર્મધ્યાન પણ કાયોત્સર્ગ તપ કહેવાય છે. ધર્મધ્યાનમાં છએય આવશ્યકો આવે છે. તે પણ એક જાતનો પરમ યોગ છે. તપદ કરેમિ ભંતે સૂત્રનું જ છે. તેનો અહીં ધર્મ અર્થ લેવાનો છે. અને કેવલિપન્નત્તસ્સ એ ધર્મનું વિશેષણ છે. આ ત્રણેય પ્રથમનાં પદો અને ગાથા, શ્રમણ, પ્રતિક્રમણમાં આ પ્રમાણે જ છે, અને તેમાંથી અહીં લીધેલ છે. પણ ત્યાં પણ તસ્સાદ કરેમિનું જ છે, એમ સમજવાનું છે. આ તસ્ય પદ છએય આવશ્યકને બદલે જુદે જુદે પ્રસંગે વપરાય છે. અને તેના બીજા પણ અનેક પેટા પ્રકારો છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પંચ પ્રતિકમાણસૂત્રો જાવંતિ ૦ ૪૪ જાવંતિ ૦ ૪૫ વિશેષાર્થ:- ત્રણ ભુવનની ૧૫૪૨૫૮૩૬૮૦ અને જ્યોતિષ તથા વ્યંતરનાં દરેક ભવનોમાં ચૈત્ય અને પ્રતિમાઓ હોવાથી અસંખ્ય પ્રતિમાઓને વંદન જાવંતિગાથાથી થાય છે. અને કેવલી મન:પર્યવજ્ઞાની સર્વવિરતિ, પરમાવધિ સજુમતિ, વિપુલમતિ, ચૌદ કે દશ પૂર્વી, બાર કે અગિયાર અંગધારક, જિના કલ્પક, સ્થવિરકલ્પી યથાલદક, પરિહાર વિશુદ્ધક, ક્ષીરાસવાદિ લબ્ધિવાળા, વિદ્યાચારણ, જંઘાચારણ, પદાનુસારી, વૈક્રિય લબ્ધિ, કફાદિઔષધિ લબ્ધિવાળા, મુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્થાનક, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણિ, પન્યાસ, ઋષભ વગેરે અનેક પ્રકારના પંદર કર્મભૂમિમાં વિચરતા અથવા સંહરણાદિકથી અકર્મ ભૂમિમાં વિચરતા સર્વ મુનિરાજને વંદન કરવામાં આવેલ છે. ૧. ભાવના : શબ્દાર્થ :- ચિર-સંચિા-પાવ-પણાસણીઈ ચિર-સંચિત-પાપ. પ્રણાશિની લાંબા વખતથી એકઠા કરેલાં પાપોનો નાશ કરનારી. ભવ-સય-સહસ્સ-મહણીએ લાખો ભવોનો નાશ કરનારી. ચઉવીસ-જિસ-વિશિષ્ણ કહાઈ-ચોવીસ જિનેશ્વરોની આજુબાજુ ફેલાયેલી કથાઓ વડે. વલંતુ વીતો, પસાર થાઓ. મે મારા. દીહઆ દિવસો. ચિર-સંચિય-'પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સ-મહણીએ. ચઉવીસ-જિણ-વિણિય-કહાઈ, વાજંતુમે"દિઅહા સદા લાંબા વખતથી એકઠા કરેલાં પાપોનો નાશ કરનારી, અને લાખો [અનંતા ભવોનો નાશ કરનારી, ચોવીસ તીર્થંકર પ્રભુની આજુબાજુ વિસ્તાર પામેલી કથાઓ વડે 'મારા “દિવસો રિાતા દિવસ વીતો પિસાર થાઓ. ૪૬. વિશેષાર્થ:- જુદા જુદા ઉત્સવો, જુદી જુદી યાત્રાઓ, મહાપૂજાઓ, રાત્રિજા વગેરે પ્રવૃત્તિઓનું બીજ આ ગાથામાં છે. જૈન ધર્મમાં મહાન તીર્થંકરો કેન્દ્ર તરીકે છે. ધર્મના તથા શ્રુતના ઉત્પાદક, ઉપદેશક વગેરે તેઓ જ છે. ત્યાગી ગુરુઓની ઉત્પત્તિનું મૂળ અને એકંદર શ્રેષ્ઠ જીવનના આધારભૂત પણ તે પરમાત્માઓ જ છે. એટલે તેઓનું ધ્યાન, નામ, રટણ, સ્મરણ, પૂજા, વિશેષ પૂજા, સતત સ્મરણ વગેરે માટે પ્રતિમા મહત્ત્વનું આલંબન છે. અને તેથી જ પ્રતિમાને કેન્દ્રમાં રાખીને અનેક ઉત્સવ પ્રવૃત્તિઓ ગોઠવાયેલ છે, તે આ દૃષ્ટિથી છે. શ્રાવકની ને મુનિરાજોની આ પરમ ભાવના બહુ જ આકર્ષક છે. આ પ્રાર્થના પણ બોધિબીજની પ્રાર્થના માફક નિયાણા રૂપ નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૩૩ ૨. ભાવના : મમ મંગલમરિહંતા, *સિદ્ધા સાહૂ સુએ “ચ ધો' અને “સમ્મદિઠી “દેવા, "દિત "સમાહિચ “બોહિ ચાળી અરિહંત (ભિગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ મિનિરાજો], શ્રુતજ્ઞાન અને દિશા વિરતિ સર્વવિરતિ રૂ૫] ધર્મ અને મંગળ [ભૂતો], [અને] સમ્યગ્દષ્ટિદેવ દિવીઓ] મને સમાધિ અને બોધિ" આપો".૪૭ વિશેષાર્થ :- સમાધિ શાંતિ, બોધિ સમ્યકત્વ. એ બન્નેય આ ભવમાં અને પરભવમાં પણ આપવી, એટલે નવી ઉત્પત્તિમાં સહાય કરાવવી, અથવા હોય તેના ટકાવમાં પણ સહાય કરાવવી. સમ્યગ્દષ્ટિ દેવોની ધમરાધનામાં અનુકૂલતાની આવી સહાય માંગવામાં સમ્યકત્વને હાનિ પહોંચતી ૩. પ્રતિક્રમણ કરવાના હેતુથી ગર્ભિત ભાવના : શબ્દાર્થ - પડિસિદ્ધાણં જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલાઓનું. કરણે આચરણ કરવાથી. કિસ્સાણં જિનેશ્વર ભગવંતોએ કૃત્યો તરીકે ઉપદેશેલાઓનું. અકરણે આચરણ ન કરવાથી. અસહાણે અશ્રદ્ધા રાખવાથી. વિવરીઅ-પરૂવાણાએ વિપરીત પ્રરૂપણા કરવાથી. 'પડિસિદ્ધાણં કરણે, "કિચ્ચાણમકરણે અ પડિકમા *અસહણે અતહા, ‘વિવરીઅ-પરૂવણાએ અi૪૮ જિનેશ્વર ભગવંતોએ) નિષેધ કરેલાઓનું આચરણ કરવાથી, અને જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલાં કૃત્યોનું આચરણ ન કરવાથી, જિનેશ્વર પ્રભુનાં વચનો ઉપર અશ્રદ્ધા રાખવાથી અને જિનેશ્વર પ્રભુના ઉપદેશથી ‘વિપરીત "પ્રરૂપણ કરવાથી પ્રતિક્રમણ કરવું જોઈએ. ૪૮ વિશેષાર્થ:- આ ગાથા પરથી આજ્ઞા પ્રધાન ધર્મની સૂચના મળે છે. માત્ર “વ્રત લીધું હોય અને અતિચારો લાગ્યા હોય, તો જ પ્રતિક્રમણ કરવું” એમ ઠરતું નથી. વ્રત ન લીધાં હોય તો પણ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો અશ્રદ્ધા કે વિપરીત પ્રરૂપણાથી સમ્યત્વમાં અતિચાર લાગવાનો તો સંભવ છે જ. તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે સાધુ, શ્રાવક, શ્રુતવંત કે સમ્યકત્વવંત એમ ચારેયે પ્રતિક્રમણ કરવું જોઈએ. શ્રાવક કુળોત્પન્ન સ્ત્રી પુરષોય સામાન્ય રીતે વ્યવહાર સમ્યકત્વવાળા ગણાય છે, માટે તેઓએ પ્રભુના શાસનમાં રોજ પ્રતિક્રમણ કરવાની પ્રભુની આજ્ઞાને અંગે પણ રોજ કરવું જોઈએ. રોજના મુખ્ય આચારોના સંગ્રહ તરીકે પણ કરવું જોઈએ. એકંદરે પાંચેય પ્રતિક્રમણો કરવા જોઈએ. ઘરમાંથી જેમ રોજ કચરો કાઢવા છતાં મહિને, પંદર દિવસે, ખાસ સાફસૂફી કરીએ છીએ, અને ઋતુનું પરિવર્તન થવાથી કે વર્ષને અંતે આખા મકાનનું સમારકામ કરીએ છીએ, તેમ રહ્યા સહ્યા અને લાંબે વખતે વૃદ્ધિ પામેલા અતિચારોના પ્રતિક્રમણ માટે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોની આવશ્યકતા છે. જૈન સંઘની ચૈત્યવંદન વગેરે જેમ વ્યકિતગત નિત્યપ્રવૃત્તિઓ છે તેમજ પ્રતિક્રમણ એ સકલ સંઘની જાહેર નિત્ય પ્રવૃત્તિ છે. તેમાં શ્રાવિકાઓ સાધ્વીજીની આજ્ઞામાં પ્રતિક્રમણ કરે અને શ્રાવકો મુનિરાજની આજ્ઞામાં પ્રતિક્રમણ કરે. આમ પ્રતિક્રમણ નામની ધર્મક્રિયા નિમિત્તે રોજ ચતુર્વિધ સંઘને એકત્ર મળવાનું થાય, તેમાંથી અનેક તરેહના રત્નત્રયીને લગતા લાભો નીકળી આવે છે. ધર્મદેશના અને પ્રતિક્રમણ એ ઉપાશ્રયનાં મુખ્ય ભૂષણો છે. એ બે પ્રવૃત્તિઓ પરથી ધર્મરુચિ અને ક્રિયારૂચિપણાની પરીક્ષા થઈ શકે છે. માટે આબાલ વૃદ્ધોએ શ્રી સંઘને જાહેર પ્રવૃત્તિ તરીકે પ્રભુની આજ્ઞાને માન આપવાની દષ્ટિથી પણ અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રભુના રથયાત્રાના વરઘોડા કે એવી સંઘની જાહેર પ્રવૃત્તિમાં સાથે ચાલીને પણ જેમ તેમાં સમ્મતિ, અનુમોદના, ભકિત, સહભાવ, સહકાર, સંઘની એક વ્યક્તિ તરીકેની ફરજ વગેરે તત્ત્વો પૂરા પાડી આરાધક ભાવ પ્રાપ્ત કરાય છે, તે જ પ્રમાણે આ ક્રિયામાં ઓધે પણ ભાગ લેવાથી અંશત: પણ આરાધકપણું છે. માટે જૈન નામ ધરાવનાર તરીકે પણ ઓઘથી પણ કંઈ ન બને તો પ્રતિક્રમણ તો રોજ કરવું જોઈએ. એમ પ્રભુના શાસનની પરમ આજ્ઞા છે. આવશ્યક નિર્યુક્તિની ઘણી જ મહત્વની પ્રતિક્રમણના હેતુઓનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ કરનારી આ ગાથા છે. સમ્યકત્વ સામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિ સામાયિક, અને સર્વ વિરતિ સામાયિક. એ દરેકને માટે પ્રતિક્રમણ અવશ્ય કરવાનું સૂચવ્યું છે. ૪. ક્ષમાપના, ભાવના : શબ્દાર્થ :- ખામેમિeખમાવું છું. ખમંતુ ખમાવો-ક્ષમાં આપો. મિત્તી મૈત્રી. સવભૂએસુસવ પ્રાણીઓ ઉપર. વેરં વેર. મw=મને. કેઈનકોઈ પણ સાથે. *ખામેમિ સવ્યજીવે, સવ્વ જીવા ખમંતુ મે “મિત્તી એ સવ-ભૂસુ, વેરં મજઝનજકણઈ" nલા સર્વ જીવોને' [મારા તરફથી] હું ક્ષમા આપું છું, સર્વ જીવો મારા ઉપર ક્ષમા રાખો, સર્વ પ્રાણીઓ ઉપર મારો મિત્રભાવ છે, કોઈપણની સાથે મને વૈર નથી". ૪૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વિશેષાર્થ :- શત્રુની પણ નિંદા ન કરવી અને દ્વેષ ન ચિંતવવો, પરંતુ મૈત્રી ભાવનાનો આશ્રય લઈને, સર્વ પ્રાણીઓને ધર્મ પમાડવાના સવિવેક વિચારણા અને પ્રયત્નો કરવા, એ પરમ કર્તવ્ય છે. શ્રાવક પ્રતિક્રમણ અધ્યયનનો ઉપસંહાર અને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિ માટે અંત્ય મંગલાચરણ શબ્દાર્થ :- દુર્ગંચ્છિઉ-દુર્ગંચ્છિને, તેના તરફ કંટાળો બતાવીને, સમ્મ=સારી રીતે. 'એવમ ં આલોઈઅ, ‘નિંદિમ `ગરહિઅ ‘દુર્ગંચ્છિઅં સમ્મ । “તિવિહેણ પડિતો ``વંદામિ ``જિણે `°ચઉવીસં ।।૫૦ના ૨૩૫ એ પ્રકારે' સારી રીતે` આળોવી, નિંદી', ગહીં અને‘ દુગંછી ને ત્રણ પ્રકાર પ્રતિક્રમણ કરતો છતો “હું ચોવીસ॰ જિનેશ્વરોને'' વંદન કરું છું. પગા ‘“વંદિત્તા” શ્રાવક પ્રતિક્રમણસૂત્રનો વિશેષાર્થ : આ વંદિત્તા- પ્રતિક્રમણ સૂત્રના કર્તા કોણ ? આ પ્રશ્નના જવાબમાં કુંભાર શ્રાવકે રચ્યું છે, એવો પ્રવાદ ચાલે છે. પરંતુ તે બરાબર નથી, કારણ કે-રચના ઉપરથી કોઈ મહાજ્ઞાની પૂર્વાચાર્યનું કરેલું જણાય છે. કદાચ તે શ્રાવકની પ્રાર્થના તેમાં નિમિત્તભૂત થયેલ હોય; તો તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. મૂળ આવશ્યક સૂત્રમાં જો કે પ્રત્યાખ્યાન આવશ્યકમાં શ્રાવકનાં વ્રતો અને તેના અતિચારોના આલાવાઓ આવે છે, અગાઉના વખતમાં વંદિત્તા સૂત્રને બદલે તે આલાવા બોલાતા હશે. તે આલાવા તથા પ્રતિક્રમણ કરવા જેવાં બીજાં શ્રાવક કૃત્યો અને અતિચારોને ખ્યાલમાં રાખીને આ સૂત્રની રચના કરી જણાય છે. રચના ઉપરથી આ સૂત્ર શ્રુતધર સ્થવિર ભગવંતોની રચના જણાય છે. કારણ કે, રચના જ આર્યં રચના જેવી દેખાય છે. પડિકમે દેસિઅં સર્વાં જેવા પાઠો, અતિચારોના સંક્ષેપ સૂચન શબ્દો, વ્રતો ઉપરાંત બીજાં શ્રાવક કૃત્યોની સૂચનાઓ, શ્રમણ પ્રતિક્રમણ અને આવશ્યક નિર્યુક્તિની ગાથાઓનો સંગ્રહ, છ આવશ્યકોની ગર્ભિત રીતે ગૂંથણી, વગેરે ઋષિ પ્રણીતપણું સાબિત કરે છે. કેટલીક ગાથાઓના અન્વયો કરવાની ઘણી મુશ્કેલી પડે છે. પ્રાકૃત ભાષામાં વિભકિતઓનાં વિપરિણામ જો કે હોય છે, તો પણ આમાં એ રીત વધારે જોવામાં આવે છે. તથા અન્વય કરતી વખતે ઘણે ઠેકાણે નવા શબ્દો ઉમેરવા પડે છે. તે પણ આર્ષે રચનાની સાબિતી છે. પ્રશ્ન એ થાય કે “પૂર્વના ઋષિઓની નબળાઈ ઢાંકવાની આ ઠીક યુકિત છે. ગમે તેવી રચનાને આર્ષ રચના કહીને બચાવ કરવાનો આ ઠીક રસ્તો શોધી કાઢ્યો છે.’’ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ શંકા યોગ્ય નથી. કેમકે, પૂર્વના મહર્ષિઓના ધ્યાનમાં જે વિષય ચર્ચવો હોય છે, તેના સંબંધમાં બહુ બહોળો ખ્યાલ હોય છે, તેઓના મનમાં ઘણું વકતવ્ય ભર્યું હોય છે. અને બીજી તરફ તદન બાળજીવોને સરળતાપૂર્વક અને સહજમાં દોરવવાના હોય છે. વળી બાળજીવોની સગવડ જાળવવા સંક્ષેપ કરવો પણ આવશ્યક હોય છે. સંક્ષેપમાં બહોળા વિષયોને સમજાય તેવી રીતે ટૂંકામાં સરળતાથી ગૂંથવામાં કોઈ કોઈ છૂટોનો ઉપયોગ કરવો પડે છે, અને તે સહેતુક જ હોય છે. એટલા સંક્ષેપમાં એટલો બહોળો વિષય મહાપુરુષો સિવાય બીજા સમાવી ન શકે. માટે આર્ષ રચના એ નબળાઈ નથી, પણ અદ્ભુત શકિત છે. કોઈ સામાન્ય વ્યકિતની રચના હોત તો બાર વ્રતો અને તેના અતિચારો વગેરે પૂરતું જ સૂત્ર હોત. પરંતુ આમાં શરૂઆતનો ઉપક્રમ તથા ઉપસંહાર વિચિત્ર છે, તથા બીજા ઘણા વિષયો સમાવેલા છે, એ વિશાળતા પણ આર્ષ રચના સાબિત કરે છે. વીરાસન : આ આસન, ડાબા પગની ઘૂંટણ ભોંય તરફ નમાવી જમણા પગનો ઘૂંટણ ભોંયથી અધ્ધર રાખી મુહપત્તિ અને રજોહરણ કે ચરવલો મુખ આગળ રાખી, હાથ જોડવાથી થાય છે. આસનોનું અવલંબન લઈને ધર્મ ધ્યાન કરવું, તે પણ કાયોત્સર્ગ આત્યંતર તપ ગણાય છે. તસ્ય ધમ્મસ્ય પદ બોલી અભુઠિઓમિ બોલતાં વીરાસન છોડી ઊભા થઈ જવાનું છે. બાકીની ગાથાઓ ઊભા ઊભા જ બોલવાની છે. વંદનથી આયરિય-ઉવઝાએ સુધી શેષપ્રતિક્રમણ રૂપ ચૂલિકા શરૂ થાય છે. ૩પ. આયરિચ-ઉવઝાએ સૂત્ર-૩-૮ શબ્દાર્થ :- સીસે શિષ્યોને. સાહમિએ સાધર્મિકોને. કુલ-ગણે કુલ અને ગણોને. કેઈનકોઈ પણ. કસાયા કષાયિતા-કષાય-યુક્ત કર્યા. સમણ-સંઘસ્ય શ્રમણ સંઘને. અંજલિ અંજલિ. કરિય કરીને. સીસે મસ્તક ઉપર. ખમાવઈના ખમાવીને. અહયં હું. જીવરાસિસ જીવરાશિની સાથે. ભાવ-ભાવથી. ધમ્મ-નિહિ-નિઅ-ચિત્તો ધર્મમાં-સ્થિર ચિત્તવાળો. 'આયરિય ઉવજઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે આ જે એકઈ કસાયા, “સબ્ધ તિવિહેણ ખામેમિ indi સવ્યસ્ત સમણ-સંઘરૂ, 'ભગવઓ અંજલિ કરીયસીસે સળં “ખમાવઈત્તા, ખમામિ સવ્યસ અયં પિરા સવ્યસ્ત જીવ-રાસિમ્સ, “ભાવો ધમ-નિદિય-નિય-ચિત્તો *સળંખમાવઈત્તા,ખમામિ સવ્યસ્સ અહયં “પિતા Page #310 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૩૭ આચાર્યો, ઉપાધ્યાયો, શિષ્યો, 'સાધર્મિકો, "કુળો, અને ગણો કિ] “જે કોઈને મેં કષાય" ઉત્પન્ન કરાવ્યો હોય તિ] સર્વને ત્રિવિધે "ખમાવું છું. ૧ પૂજ્ય સર્વશ્રમણ સંઘને મસ્તકે “અંજલિ કરીને બધું ખમાવરાવીને હું પણ "સર્વને *ખમું છું. પરા ધર્મમાં દઢ ચિત્તવાળો થઈને સર્વ જીવરાશિ સાથે બધું “ભાવથી ખમાવીને હું પણ “સર્વને ખમું છું. મારૂ વિશેષાર્થ :- પહેલી ગાથામાં-કસાયા શબ્દ છે, તેને બદલે કસાઈયા એવો પણ પાઠ છે. તેનો અર્થ :- શક્કવિતા: એટલે કષાય યુક્ત કર્યા હોય. એ પાઠ વધારે ઠીક લાગે છે. શિષ્યો અને સર્વ સાધર્મિકોમાં પણ કોઈની સાથે કષાય થયો હોય, કે પોતે તેઓના કષાયમાં નિમિત્તભૂત થયેલ હોય તે સર્વને ખમાવવામાં આવે છે. બીજી ગાથામાં એકંદર સમસ્ત શ્રીશ્રમણ સંઘને ખમાવવામાં આવે છે, અને છેલ્લી ગાથામાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે. મધ્યમ પ્રતિક્રમણાવશ્યકનું આલોચન તથા પ્રતિક્રમણાત્મક પ્રતિક્રમણ આવશ્યક વિસ્તારપૂર્વક અહીં પૂરું થાય છે. અને તે સાથે ગમ પણ અહીં પૂરો થાય છે. શ્રાવકો વંદિત્તાસૂત્ર અને મુનિરાજો નમાણસૂત્ર બોલીને વિસ્તારપૂર્વક આચારો વ્રતોના અતિચારોનું પ્રતિક્રમણ કરીને ઊભા થઈ અભુઠિઓ ખામી ગુરુઓ સાથેના દૈવાસિકાદિના અપરાધોનું પણ ખાસ વિશેષ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, અને તે નિમિત્તે પોતાના ગુરને સાક્ષાતુ ખમાવતાં પહેલાં પ્રથમ-દ્વાદશાવર્ત વંદન કરે છે. ખમાવ્યા પછી પણ વંદન કરીને, સર્વ આચાર્યો ઉપાધ્યાયો પોતાના કે બીજાના શિષ્યો, કુળો, ગણો એકંદર સમસ્ત પૂજ્ય શ્રમણ સંઘને નમ્રતાપૂર્વક મસ્તકે હાથ જોડી ખમાવી લે છે, ને છેવટે પોતાના હૃદયથી અને ધર્મભાવનાથી પ્રેરાઈને સર્વ જીવ રાશિને ખમાવે છે. અને પોતે પણ પોતાના તરફથી સર્વને ક્ષમા આપે છે. સર્વ રીતે સર્વ પ્રકારનું વિગતવાર પ્રતિક્રમણ અહીં પૂરું થાય છે. અને મધ્યમ પ્રતિક્રમણવિધિનું આલોચન પછી શરૂ થયેલું મુખ્ય મધ્યમ પ્રતિક્રમણાવશ્યક પણ ચૂલિકા સાથે અહીં પૂરું થાય છે. પણું મધ્યમ પ્રતિક્રમણનું-પાંચમું કાયોત્સવશ્યક કાયોત્સર્ગાવશ્યકની શરૂઆતથી ત્રીજો ગમ શરૂ થાય છે. પડાવશ્યકમય વિસ્તૃત કાયોત્સર્ગ આવશ્યક શરૂ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેમજ ભૃતદેવતા અને ક્ષેત્ર દેવતાનો આત્મકલ્યાણમાં અભિમુખતા માટે એમ પાંચ કાયોત્સર્ગ થાય છે. સાથે સાથે દેવવંદનના લગભગ ૧૨ અધિકારોમાંના પણ કેટલાક આમાં સમાવેશ પામી અહીં કાયોત્સર્ગાવશ્યકનું અંગ બને છે. ૧. કરેમિ ભંતે સૂત્રથી સામાયિકાવશ્યક થાય છે. ૨. ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ – સૂત્રથી પ્રતિક્રમણાવશ્યક થાય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પંચ પ્રતિકમણસૂત્રો ૩. તસ્સ ઉત્તરી, અન્નત્ય વગેરેથી વિસ્તૃત કાયોત્સર્ગાવશ્યક તો છે જ. પછી (કાયોત્સર્ગ મુદ્રા) ૪. લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં – માં ર૪ જિનેશ્વર ભગવંતો, તેનાં ચૈત્યો અને પ્રતિમાઓ, શ્રુતજ્ઞાન, સિદ્ધભગવંતો, મહાવીરસ્વામી, શ્રી નેમિનાથ પ્રભુ, તથા ચારિ અઠ દસ દોય વગેરેમાં ચતુર્વિશતિસ્તવ છે. ૫. ગુરુમહારાજની સામે તેમની આજ્ઞાથી, તેમની નિશ્રામાં-આ વિધિ થાય છે, એટલે ગુરુવંદન વ્યાપક રીતે ગર્ભિત આવી જ જાય છે. ૬. કાયોત્સર્ગ – મન-વચન કાયાની એકાગ્રતાપૂર્વક થાય છે. મૌન ધ્યાન, અને સ્થિરતા તેનાં ખાસ અંગો છે, એટલે તે મન-વચન કાયાના યોગોને કાયોત્સર્ગમાં જોડતાં સાવધ પ્રવૃત્તિમાંથી સ્વાભાવિક રીતે જ નિવૃત્ત થવું પડે છે. એટલે સાવધયોગોનું પ્રત્યાખ્યાનાવશ્યક પણ આવી જાય છે. કરેમિ ભંતે સૂત્રમાં સાવજે જોગે પચ્ચકખામિ એ શબ્દો સાક્ષાત્ ઉચ્ચારાયેલા પણ છે. અને કરેમિ ભંતે સૂત્ર આ ઠેકાણે કાયોત્સર્ગ આવશ્યકનું અંગ તો બનેલું જ છે, એ રીતે પણ પચ્ચકખાણાવશ્યક, એમ છ આવશ્યક છે. ૧. પહેલો કાયોત્સર્ગ સમ્યગું ચારિત્ર ગુણની શુદ્ધિ નિમિત્તે છે. ૨. લોગસ્સ પછીનો કાઉસ્સગ્ન સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિ માટે છે. ૩. પુખરવરદીવ– સમ્યજ્ઞાન ગુણની શુદ્ધિ નિમિત્તે છે. ૪. પછી એત્રણેયની વિશેષ શુદ્ધિ માટે સિદ્ધિ ભગવંતો વગેરેની વિશેષ આલંબન માટે સ્તુતિઓ છે. ૫. છેવટે શ્રુત દેવતા અને ક્ષેત્ર દેવતા આરાધવા માટે સ્તુતિપૂર્વક કાયોત્સર્ગ નામના આરાધનાના પ્રકાર માટે એક એક નવકારનો કાયોત્સર્ગ કરવાનો હોય છે. કાયોત્સર્ગ આવશ્યકમાં આવતાં કેટલાંક સૂત્રો પ્રથમ આવી ગયેલાં છે, માત્ર કૃત દેવતાની અને ક્ષેત્ર દેવતાની બે સ્તુતિઓ નીચે પ્રમાણે છે : સુએ દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ ૧ - અન્નત્ય ३६. श्रुत वितानी स्तुति १-८ શબ્દાર્થ :- સુચ-દેવયા ભૃત દેવતા. ભગવઈ ભગવતી પૂજ્યા. નાણાવરણીય-કમ્મુસંઘાય જ્ઞાનાવરણીય કર્મનો સમૂહ. તેસિંગતેઓના. ખવેઉ ખપાવે. સયાં સતત, નિરંતર. જેસિં જેઓની. સુઅ-સાયરે શ્રુત-શ્રુતજ્ઞાન રૂપી સમુદ્ર ઉપર. ભરી-ભક્તિ, આદર. Page #312 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૩૯ સુખ-દેવયા ભગવઈ,"નાણાવરણીય-કમ્પ-સંઘાય તસિં “ખવેઉ સયય, જેસિં સુઅ-સાયરે ભરી જેઓની ચુતજ્ઞાન રૂપી સમુદ્ર ઉપર ભક્તિ છે, તેઓનાં “જ્ઞાનાવરણીય કર્મોના સમૂહનો “ભગવતી શ્રુતદેવતા નાશ કરો. ૩૭. ક્ષેત્ર દેવતાની સ્તુતિ ૨-૧૦ શબ્દાર્થ - જશે જેના. ખિન્ને ક્ષેત્રમાં. સાહુ સાધુ. દંસણનાણેહિ દર્શન અને શાન વડે કરીને. ચરણ સહિએહિં ચારિત્ર સહિત. સાહતિ સાથે છે. મુખ-મગ્ગ મોક્ષમાર્ગ. હરઉ=હરો. દુરિઆઈ દુરિતો, કષ્ટો. “જિસે ખિતે સાહુ, દંસણ-નાણહિંચરણ-સહિઅહિં "સાહતિ મુખ-મર્ગ, સાદવી "હર દુરિયાઈ/૧ "સાધુ મુનિરાશે જેના ક્ષેત્રમાં ચારિત્ર 'યુક્ત "જ્ઞાન દર્શન વડે મોક્ષમાર્ગની સાધના કરે છે-તે દિવી કો દૂર કરો. સુઅદેવયાની ગાથાને બદલે સ્ત્રીઓએ નીચે પ્રમાણે થુત દેવતાની સ્તુતિ કરવાની છે. ૩૮. કમલદલ-સ્તુતિ. ૩-૧૧ શબ્દાર્થ :- કમલ-દલ-વિપુલ-નયના કમળના પાંદડાની પેઠે મોટાં નયનોવાળાં. કમલ-મુખી-કમલના જેવા મુખવાળાં. કમલ-ગર્ભ-સમ-ગૌરી કમળના ગર્ભ જેવાં ઉજજવલ. કમલે કમલમાં. સ્થિત રહેલાં. ભગવતી પૂજ્યા. દદાતુ આપો. શ્રુત-દેવતાથુત દેવી. સિદ્ધિ-સિદ્ધિ. 'કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલ-ગર્ભ-સમ-ગૌરી, 'કમલે સ્થિતા"ભગવતી', દદાતુશ્રુત-દેવતા”સિદ્ધિમ્ | કમળના પાંદડાની પેઠે મોટાં નયનોવાળાં, કમળના જેવા મુખવાળાં, કમળના ગર્ભ જેવાં ઉજ્જવળ અને 'કમળમાં બેઠેલા ભગવતી મૃતદેવતા ‘સિદ્ધિ આપે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પંચ પ્રતિક્રમણ સૂત્ર વિશેષાર્થ:- સુચ-દેવયા સ્તુતિ પ્રાય: પૂર્વાન્તર્ગત ગાથા હોવાથી સ્ત્રીઓને બોલવાની ન હોવાથી તેને બદલે સંસ્કૃત છતાં સરળ હોવાથી આ સ્તુતિ સ્ત્રીઓને બોલવાની છે. મધ્ય પ્રતિક્રમણમાં આવતું કાયોત્સર્ગ આવશ્યક અહીં પૂરું થાય છે. છઠું મધ્યમ પ્રત્યાખ્યાન આવશ્યક અહીં છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ દિવસને અંતે દિવસ ચરિમ પ્રત્યાખ્યાન ન લીધું હોય, તો આ વખતે પ્રત્યાખ્યાન લેવું. પ્રતિક્રમણ કરતાં પહેલાં સામાયિક લઈ મુહપત્તિ પડિલેહી બે વાંદણા દઈ દિવસ ચરિમ પચ્ચકખાણ લેવામાં આવે છે. તે વંદન દિવસના છ આવશ્યકોમાંના અંતિમ આવશ્યક માટે છે. એટલે દિવસ ચરિમ=દિવસ પૂરો થતાં-લેવાનું પ્રત્યાખ્યાન-ગુરુ પાસે લેવા આવતાં દ્વાદશાવર્ત વંદનથી વંદન કરે છે. પોસાતીઓએ કે જેઓએ આ પ્રત્યાખ્યાન-પ્રતિલેખન વખતે પહેલાં લીધેલ હોય છે, તેમણે તે વખતે ત્યાં-ખાધું હોય તો બે વંદન દીધેલાં હોય છે, એટલે તેઓને પ્રતિક્રમણની શરૂઆતમાં વંદન, પ્રત્યાખ્યાન વગેરે નથી હોતું. એટલે દિવસ સંબંધી છ આવશ્યકમાંનું એ છઠું આવશ્યક એ રીતે પૂરું થયું હોય છે. તેવી જ રીતે મધ્યમ પ્રતિક્રમણના ચરિમ-અંતિમ ભાગમાં છઠ્ઠા આવશ્યક તરીકે પ્રત્યાખ્યાન આવશ્યક-અહીં આવે છે. અને તેની શરૂઆત માટે મુહપત્તિ પ્રતિલેખન અને બે વંદન આવે છે. એટલે દિવસ-ચરિમ વખતે પ્રત્યાખ્યાન ન લેવાયું હોય, તો અહીં લેવું. પ્રત્યાખ્યાન સૂત્રોમાં ૬ આવશ્યકો કેવી રીતે સમાયેલાં છે, તે પ્રત્યાખ્યાનોને પ્રસંગે સમજાવીશું. મધ્યમ છ આવશ્યકોમાંનું પ્રત્યાખ્યાન આવશ્યક અહીં પૂરું થાય છે. ત્યાર પછી એક નવકાર મંગળ તરીકે ગણી, નીચે પ્રમાણે ઉચ્ચ અવાજથી આનંદપૂર્વક છ આવશ્યકોનું સ્મરણ કરવું: સામાયિક ચઉવિસત્યો, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન પચ્ચખાણ કર્યું છે : ઇચ્છામો અણુસદ્ધિ કહી, બેસીને – નમો ખમાસમણાપં. નમોડર્ણત-સિદ્ધાચા પાધ્યાય-સર્વ-સાધુલ્ય: કહી, ત્યાર પછી આ રીતે છ આવશ્યકો પૂરા થવાનો આનંદ થાય છે, તેથી શિષ્ય એકદમ આનંદમાં આવીને છ આવશ્યક પૂરા થવાનું જાહેર Page #314 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કરે છે, અને વિશેષમાં ગુરુમહારાજને વિશેષ અનુશાસ્તિ માટે વિજ્ઞપ્તિ કરે છે. અને ગુરુમહારાજની મદદથી છ આવશ્યકો નિર્વિઘ્ને પૂરા થયા માટે બેસતાં તેમને નમસ્કાર કરી, મધ્યમ છ આવશ્યકની ચૂલિકા રૂપે-દેવગુરુ વંદન વિધિ-શરૂ કરતાં પ્રથમ પ્રભુ શ્રી મહાવીરસ્વામી આદિની સ્તુતિ કરે છે. તે કરતાં પહેલાં તેના મંગળ તરીકે-નમોર્હત્ સિદ્ધાચાર્યોનો ઉચ્ચાર કરી શ્રી સંઘ સાથે પ્રભુસ્તુતિ કરે છે. ૩૯. નમોસ્તુ વર્ધમાનાય-સૂત્ર-૧-૧૨ શબ્દાર્થ :- નમ:=નમસ્કાર. અસ્તુ=હો. વર્ધમાનાયવર્ધમાન સ્વામીને. સ્પર્ધમાનાય=સ્પર્ધા કરતા. કર્મણા-કર્મની સાથે. તયાવાપ્તમોક્ષાય=તેઓને હરાવીને મોક્ષે પહોંચી ગયેલા. પરોક્ષાય=પરોક્ષ-ન સમજી શકાય તેવા. કુતીર્થિના-કુતીર્થિઓને. યેષાં=જેઓનાં. વિકચારવિન્દરાજ્યા=ખીલેલા કમળની શ્રેણી વડે. જ્યાય:-ક્રમ-કમલાવલિં=મોટાં-શ્રેષ્ઠ ચરણો રૂપી કમળોની શ્રેણી. દધત્યા=ધારણ કરતી. સદÂ=સરખાઓની સાથે. ઇતિ=એ પ્રકારે. સંગતં=સંગમ, મેળાપ. પ્રશસ્યં=વખાણવા લાયક. કથિતં કહેલ છે. સંતુ હો. શિવાય=મોક્ષને માટે. તે-તેઓ. જિનેન્દ્રા:-જિનેશ્વર પ્રભુઓ. કષાય-તાપાર્દિત-જંતુ-નિવૃત્તિ-કષાયો રૂપી તાપથી પીડાતા પ્રાણીઓને શાન્તિ. કરોતિ=કરે છે. જૈન-મુખામ્બુદોદ્ગત:=જિનેશ્વર પ્રભુના મુખ રૂપી વાદળાંઓમાંથી વર્ષતો. શુક્ર-માસોદ્ભવ-વૃષ્ટિ-સન્નિભો- શુક્ર માસ-જેઠ મહિનામાં વરસતા પહેલા વરસાદ જેવો. દધાતુ=ધારણ કરો. તુષ્ટિ=સંતોષ. મયિ≠મારા ઉપર. વિસ્તરો-વિસ્તાર. ગિરામ્-વાણીનો. [અનુષ્ટુપ] “નમોસ્તુ વર્ધમાનાય†, સ્પર્ધમાનાય કર્મણા' તજયા-વાપ્ત -મોક્ષાય, પરોક્ષાય કુંતીર્થિનાસ્’Ill [આર્યા] મેષાં ‘વિચારવિન્દરાયા, 'જ્યાય:-ક્રમ મલાવલિં ધત્યા। 'સદૌરિતિ –સંગતં પ્રશસ્ય, કથિત `ઐસન્તુ `શિવાય `°à ``જિનેન્દ્રા: ॥૨॥ ૨૪૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પંચ પ્રતિકમાણસૂત્રો [વંશસ્થ છન્દ:] કષાયતાપાર્દિત-જન્ત-નિવૃતિ, કરોતિ યોજૈન-મુખાબુદોશૈત: સ શુક્ર-માસો-ભવ-વૃષ્ટિ-સનિભો, 'દધાતુ તુષ્ટિ મયિ “વિસ્તરો ગિરામ્ III કની સાથે યુદ્ધ કરી તેઓને જીતીને મોક્ષમાં પહોંચી ગયેલા અને અન્ય દર્શનીઓને ન સમજાય તેવા સ્વરૂપવાળા ભગવાન્ વર્ધમાન સ્વામીને નમસ્કાર હો‘. ૧ “સરખે સરખાન મેળ સારો બેસે છે એમ જેઓના, શ્રેષ્ઠ ચરણોરૂપી કમળોને ધારણ કરતી ‘ખીલેલાં કમળોની શ્રેણી એ (જગતમાં જાહેર કર્યું છે, તે જિનેશ્વરે પ્રભુએ “મોક્ષને માટે હો. ૨ - જેઠ મહિનામાં ચડી આવેલા (પહેલ વહેલા જેસબંધ વરસતા) વરસાદ જેવો શ્રી જિનેશ્વર પ્રભુનાં મુખોરૂપી વાદળાંઓમાંથી વરસતો વાણીનો જે વિસ્તાર કષાયોરૂપી તાપથી બળી રહેલાં પ્રાણીઓને શાન્તિ આપે છે, તે મારા ઉપર (ખૂબ ખૂબ) પ્રસન્નતા ધારણ કરો. ૩ વિશેષાર્થ :- આ સ્તુતિ પૂર્વોમાંથી ઉદ્દધૃત છે. એટલે કે પૂર્વોમાંથી ઉદ્ધરીને સ્તુતિ પ્રચારમાં લવાયેલી છે, સંસ્કૃતમાં છે, અને તે પૂર્વમાંથી ઉદ્ભૂત છે, એટલે સ્ત્રીઓને આ સ્તુતિ બોલવાનો અધિકાર ગણવામાં આવેલો નથી. તેને બદલે સંસાર દાવાની સ્તુતિ સ્ત્રીઓ બોલે છે. આ ત્રણેય સ્તુતિઓની ગાથાઓના અર્થમાં કંઈક કિલષ્ટતા છે, કેમકે પદોનો અન્વય કંઈક દૂર દૂર છે જેથી બરાબર કાળજી રાખીને અર્થ શીખવો તથા શીખવવો. આ સ્તુતિમાં-અધિકૃત તીર્થકર શ્રી મહાવીર પ્રભુ, ચોવીસ તીર્થંકર પ્રભુ અને શ્રુતજ્ઞાન, એમ ક્રમથી ત્રણની સ્તુતિઓ છે. આ સ્તુતિ કેવળ જ આવશ્યકોની નિર્વિને પૂર્ણતા થવાથી હર્ષ-આનંદ રૂપે બોલાય છે, છતાં તે ચૈત્યવંદન-દેવવંદન સ્વરૂપે બની જાય છે. એટલે તેના પછી તુરત જ નમુત્થાર્ગ દંડકથી દેવવંદન કરવામાં આવે છે અને સ્તવન પણ બોલવામાં આવે છે, અને સર્વ તીર્થંકર પરમાત્માઓના સંક્ષિપ્ત-સ્તવન-સ્તુતિ રૂપ વરકનક-સૂત્ર બોલ્યા પછી આચાર્યાદિક ચારને ખમાસમણથી વંદન કરી સ્પષ્ટ રૂપે સર્વ મુનિચંદન માટે અઢાઇજેસુથી વંદન કરાય છે, ને મધ્યના છ આવશ્યકોમય મધ્યપ્રતિક્રમણાવશ્યક વિધિ સંપૂર્ણ થાય છે. અર્થાત્ ઈચ્છામો અણુસદ્ધિથી અઢાઈજેસુ સુધી મધ્યમ છ આવશ્યકની અંત્ય મંગળરૂપ ચૂલિકા છે, અથવા કળશ રૂપ ભાગ છે. પરંપરા પ્રમાણે એવો વિધિ જાણવામાં આવેલો છે કે-અઢાઈન્વેસુ સુધીમાં વચ્ચેથી કોઈ ઊઠે, કે જેમને આડ પડેલી હોય, તે આદેશ લઈને સૂવ બોલે, તે કલ્પે નહીં. કવચિત્ એ પ્રવૃત્તિ જેવામાં પણ આવે છે. કારણ સ્પષ્ટ છે કે-મધ્યમ છ આવશ્યક રીતસર સાંગોપાંગ અઢાઇજેસના Page #316 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૪૩ અંતે જ સંપૂર્ણ થાય છે. સારાંશ કે, છ આવશ્યક પછીથી હર્ષ નિમિત્તે થતી આ સંપૂર્ણવંદન વિધિના એક અંગ તરીકે નમોસ્તુ વર્ધમાનાય સ્તુતિ છે એમ સમજાય છે. ૪૦. શ્રી વર-કનક-સપ્તતિશત જિન-સ્તુતિ-૨-૧૩ શબ્દાર્થ - વર-કનક-શંખ-વિદ્રુમ-મરકત-ઘન-સત્રિભં ઉત્તમ-સોનું-શંખ-પરવાળા-પન્ના કાળાં વાદળાં-જેવું. વિગત-મોહમ=મોહ વગરનું. સપ્તતિ-શત એકસોને સિત્તેર. જિનાનામ=જિનેશ્વરોનું. સર્વામર-પૂજિતં=સર્વ દેવતાઓ વડે પૂજાયેલ. વન્દ વંદન કરું છું. વર-કનક-શખ-વિદ્રુમ-, મરકત-ઘન-સનિભે વિગત -મોહમ્ *સપ્તતિશત "જિનાનાં, સર્વામર-પૂજિતં વન્દના સારી જાતના સોના-શંખ-પરવાળા-નીલમ અને કાળાં વાદળાંના રંગ જેવા, મોહ વગરના અને સર્વ દેવોથી પૂજાયેલા 'એકસો સિત્તેર "જિનેશ્વર પ્રભુઓને વંદન કરું છું. ૧ વિશેષાર્થ :- અઢી દ્વીપમાં એકીસાથે મળીને વધારેમાં વધારે ૧૭૦, જિનેશ્વર પ્રભુઓ હોય છે. (જંબૂઢીપમાં મહાવિદેહની ૩૨ વિજય, ભરત અને ઐરાવતની બે વિજય, મળીને કુલ ૩૪ વિજય થાય, તે ધાતકી અને પુષ્કરાર્ધદ્વીપમાં બમણી બમણી, એટલે ૬૮, ૧૮, એમ કુલ ૧૭૦) વિજયોમાં વધારેમાં વધારે એકીસાથે ૧૭૦ પરમાત્માઓ જુદા જુદા રંગના વિદ્યમાન હોઈ શકે. તેમાંના કેટલાક-સોના જેવા પીળા, કેટલાક શંખ જેવા ધોળા, કેટલાક પરવાળા જેવા લાલ, કેટલાક નીલમ જેવા લીલા, અને કેટલાક કાળાં વાદળાં જેવા શ્યામ હોય છે. ૪૧. અsaઈજ્જસુ-સર્વ મુનિ વંદન-સૂત્ર ૩-૧૪ શબ્દાર્થ :- અઢાઈજેસ-અઢી. દીવ-સમુદેસ દ્વીપો અને સમુદ્રોમાં. પનરસસુ-પંદર. કમ્મભૂમિસુ કર્મભૂમિમાં. રય-હરણ-ગુચ્છ-પડિગ્નેહધારા રજોહરણ, ગુચ્છા અને પતઘ્રહ-પાત્રને ધારણ કરનારા. ગુચ્છ=પાત્રાની ઝોળી. પંચ-મહવ્યય-ધારા પાંચ મહાવ્રતને ધારણ કરનાર. અઠારસ-સહસ્સ-સીલંગધારા અઢાર હજાર શીલાંગ રથને ધારણ કરનારા. અખિયાયારચરિત્તા=અક્ષુબ્ધયા અક્ષતાચાર ચારિત્ર્યા=અખંડ આચાર અને ચારિત્રવાળા. “અઢાઈ જેસુ દીવ-સમુસુ, પનરસસુકમ્મ-ભુમીસુ, જાવંત કેવિ સાહૂ"-"-હરણ-ગુચ્છ-પડિગ્રહ-ધારા, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પંચ પ્રતિકમાગસુત્રો પંચ-મહવય-ધારા, અઠારસ-સહસ્સ-સીતંગધારા, અ-ફખયાયાર-ચરિત્તા, 'તે સવૅસિરસા મણસા મત્યએણ જવંદામિ. બિ] સમુદ્રો યુક્ત અઢી કલીપોમાં, પંદર 'કર્મભૂમિઓમાં :- “રજોહરણ (ઓઘો), ગુચ્છો (પાત્રોની ઝોળી) અને પાત્રો ધારણ કરનાર, પાંચ મહાવ્રતોને ધારણ કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા, અખંડ આચાર અને ચારિત્રને ધારણ કરનારા, “જેટલા કોઈ મુનિરાજે હોય, તે સર્વને "મસ્તક અને “મને કરીને વંદન કરું છું. વિશેષાર્થ:- અઢાર હજાર શીલાંગરથની સમજ નીચે પ્રમાણે છે. ૧૦ યતિ ધર્મ પાંચ ન કરે ન કરાવેતિ અનુx ૧૦ સ્થાવર, ૩ વિકેંદ્રિય દ% જળ મોટે પંચેદ્રિય, અજીવ. આ રચનાની આકૃતિ રથ જેવી થાય છે, ૧૦ મન | વચન કાયાથી માટે તેને શીલાંગરથ કહેવામાં આવે છે, x ૫ પાંચ ઇંદ્રિયોનો | ર00 ર0| રબ્ધ નિગ્રહ આહાર ભય |પરિગ્રહ x ૪ આહાર, મૈથુન, ભય, સંજ્ઞા | સંજ્ઞા પરિગ્રહ: એ ચાર | વિના સંજ્ઞાનો વિજય | પ0 | પ0 | પળ પળ ૨જી | શ્રોત્રે- ચક્ષુરિં-'ઘાણે- | જિહર્વે સ્પર્શે x ૩ મન, વચન, કાયાનો પ્રિય | દ્રિય | દ્રિય | દ્રિય | દ્રિય આરંભનો ત્યાગ ! નિગ્રહ | ૧૦ | ૧૦ | ૧૦ ૬૦૦ વનવુ | બે છે. તે છે. ચ. છે. ૫. જી. અજીવ x ૩ કરવા, કરાવવા, અને ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ અનુમોદવાનો ત્યાગ ૧૮% કુલ અઢાર હજાર | ક્ષમા | માદેવ આર્જવ મુક્તિ | તપ | સંયમ સત્ય | શૌચ | અર્કિ- બ્રહ્મચી ચનત્વ ૧૦ અફખુમારને બદલે અખિયાયાર એવો પણ પાઠ છે. તે વખતે અક્ષુબાચાર એવો અર્થ કરવાથી પણ ભાવાર્થમાં ફેર પડતો નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૪૫ ૪૨. લઘુ શાન્તિ સ્તોત્ર ૧-૧૫ ૧. સ્તોત્રનું આદિમંગલ : શબ્દાર્થ:- શાન્તિ-શ્રી શાન્તિનાથ પ્રભુને. શાન્તિ નિશાન્ત શાન્તિના સ્થાનકરૂપ. શાન્ત શાંત. શાન્તાડશિવં=અકલ્યાણને જેણે શાંત કરેલ છે. નમસ્કૃત્ય નમસ્કાર કરીને. સ્તોતુ: સ્તુતિ કરનારની. શાન્નિનિમિત્તે શાંતિ-નિમિત્તે. મન્ત્રપદે: મંત્રયુકત પદો વડે. શાન્તયે શાંતિ માટે. સ્તૌમિસ્તુતિ 'શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાન્તાડશિવં "નમસ્કૃત્યા સ્તોત: શાન્તિ-નિમિત્ત, “મન્નપદે: ‘શાન્તયે સ્તૌમિ°.૧૫ “જેમણે સર્વ ઉપદ્રવોને શાંત કરેલા છે (એવા) શાંતિના સ્થાનક રૂપ અને શાંત શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરીને, સ્તુતિ કરનારની શાંતિ માટે, તે જ શ્રી “શાન્તિનાથ પ્રભુની મત્ર-“ગર્ભિત પદો વડે સ્તુતિ કરું છું. ૧. ૨. શાન્તિ નામ ધારણ કરનાર શાંતિનાથ પ્રભુનું માહાત્મ: શબ્દાર્થ :- ઓમિતિ-નિશ્ચત-વચ='હા' અર્થવાળા ૩૦ યુકત [શાન્તિનાથ પ્રભુના નમસ્કાર ગર્ભિત શાંતિ મં–]. શાનિજિનાથ શાન્તિનાથ જિનેશ્વરને. જયવતે વિજયવંત. યશસ્વિને યશવાળા. સ્વામિને સ્વામી. દમિનામુનિઓના. ઓમિતિ-નિશ્ચિત-વચસે, “નમોનમો ભગવતે હતિ પૂજામ્ “શાન્તિ-જિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનારા પૂજાને લાયક, યશસ્વી, 'મુનિઓના સ્વામી, વિજયવંત અને “હા: અર્થવાળા “ યુક્ત શાન્તિનાથ ભગવંતને નમસ્કાર હો, નમસ્કાર હોરા [શક્તિનાથાય નમ:] શબ્દાર્થ :- સકલાતિશેષકમહા-સમ્પત્તિ-સમન્વિતાય સર્વ કરતાં શ્રેષ્ઠ તરીકે સાબિત કરનારી મહાસમ્પત્તિ યુકત. શસ્યાય વખાણવા લાયક. વૈલોકય-પૂજિતાય-ત્રણ લોકને પૂજ્ય. સકલાતિશેષ-મહા-સમ્પત્તિ-સમન્વિતાય શસ્યાય, રૈલોક્ય-પૂજિતાય ચ, 'નમો નમ:"શાન્તિદેવાય શા સર્વ કરતાં શ્રેષ્ઠ તરીકે સાબિત કરનારી મહા સંપત્તિવાળા, ઉત્તમ અને ત્રણેય લોકને Page #319 -------------------------------------------------------------------------- ________________ • ૨૪૬ પૂજ્ય શ્રી "શાન્તિનાથ પ્રભુને ‘નમસ્કાર હો નમસ્કાર હો. ૩ શબ્દાર્થ :- સર્વાઽમર-સુસમૂહ-સ્વામિક-સંપૂજિતાય દેવોના માટા સમૂહોના ઇંદ્રો વડે પૂજાયેલ. નજિતાય-કોઈથી નહિ જિતાયેલા. ભુવન-જનપાલનોઘત-તમાય-જગનાં તમામ પ્રાણીઓનું રક્ષણ કરવા ખૂબ તત્પર. સતતં=હંમેશાં. `સર્વાઽમર-સમૂહ-સ્વામિક-સંપૂજિતાય નજિતાય । ૐભુવન-જન-પાલનોદ્યત – -તમાય સતતં` ‘નમસ્તસ્મૈ ॥૪॥ દેવોના ‘મોટા મોટા સમૂહોના ઇંદ્રો વડે પૂજાયેલા, કોઈથી ન જિતાયેલા અને જૈતમામ જગતનાં પ્રાણીઓનું રક્ષણ કરવા ખૂબ 'તત્પર ને “નિરંતર ‘નમસ્કાર હો ॥૪॥ પંચ પ્રતિક્રમણસૂત્રો શબ્દાર્થ :- સર્વ-દુરિતૌઘ-નાશન-કરાય≠સર્વ દુ:ખ સમૂહોનો નાશ કરનાર. સર્વાશિવપ્રથમનાય=સર્વ અપમંગલને શાંત કરનાર. દુષ્ટગ્રહ-ભૂત-પિશાચ-શાકિનીનાં=ખરાબ ગ્રહો-ભૂતોપિશાચો અને શાકિનીઓને. પ્રમથનાય-નિગ્રહ(શિક્ષા) કરનાર. સર્વ દુરિતૌથ`નાશન-કરાય સર્વાઽશિવ-પ્રશમનાય । દુષ્ટ-ગ્રહ-જૈભૂત-પિશાચ-શાકિનીનાં પ્રમથનાય ।। તથા-સર્વ ‘દુ:ખ સમૂહોનો નાશ કરનાર, સર્વ અપમંગલને શાંત કરનાર અને દુષ્ટ-ગ્રહો ભૂતો-પિશાઓ અને શાકિનીઓના નિગ્રહ કરનારને [નમસ્કાર હો] પા વિજયાદેવીની સ્તુતિ. શબ્દાર્થ :- યસ્ય-જેનું. ઇતિ-નામ-મન્ત્ર-પ્રધાન-વાકયોપયોગકૃત-તોષા=‘શાંતિ’” એ પ્રમાણે જે નામ, તે રૂપી મન્ત્રનો ઉપયોગ જે વાકયમાં મુખ્યપણે થયો હોય, તે વાકયથી પ્રસન્ન થયેલા. વિજયા-વિજયાદેવી. કુરુતે કરે છે. જનહિતમ્=માણસોનું હિત. ઇતિ=એ પ્રકારે. ચ-અને. નુતા-સ્તુતિ કરાયેલા છે. 'ચસ્યેતિ-નામ-મન્ત્ર-પ્રધાન-વાક્યોપયોગ-કૃત-તોષા । વિજયા કુરુતે ' જનહિત’–મિતિચ'નુતા નમત``ત શાન્તિમ્'°॥૬॥ જે ‘પ્રભુના “શાંતિ' એવા નામરૂપી મંત્રનો ઉપયોગ જે વાકયમાં મુખ્યપણે થયો હોય, તે વાકયો વડે "પ્રસન્ન થયેલાં શ્રી વિજયાદેવી લોકોનું હિત ‘કરે છે, અને તેથી જ [તેની પણ આ] ‘સ્તુતિ કરાયેલી છે, માટે તે શાન્તિનાથ પ્રભુને નમસ્કાર`` કરો ॥૬॥ શબ્દાર્થ :- ભવતુ=હો. તે-તમને. ભગવતિ=પૂજ્યા ! વિજયે !=વિજયા ! સુજ્યું !=સુજ્યા ! Page #320 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૨૪૭ પરાપ =બીજા દેવોથી. અજિતે!=નહિ જિતાયેલ!. અપરાજિતે!= નહિ હારેલા ! અથવા અપરાજિત નામના!. જગત્યામજગતમાં. જયતિ વિજય પામે છે. જયાહવે !=વિજય વહન કરનાર !. ભવતિ! આપ પૂજ્ય ! ભવતુ નમસ્તે ભગવતિ!, વિજયે સુજાપરા પરેરજિતે અપરાજિત ! જગત્યાં, જયતીતિ ભયાવહ ભવતિ હે ભવતિ! ભગવતિ! વિજ્યાદેવી! તમારો સર્વત્ર સારો જય થાય છે માટે છે 'સુજયે ! નાના મોટા તે તે “દેવોથી તમે જિતાતાં નથી, ‘માટે હે “અજિત ! જગતમાં વિનોથી હારતાં નથી, માટે હે “અપરાજિતે! એકંદર વિષે જ પામો છો માટે છે જ્યાવહે! તમને નમસ્કાર હો. ઘણા શબ્દાર્થ :- સર્વચ=સર્વ. સડઘસ્ય =સંઘને. અપિ =અને. ચ=વળી. ભદ્ર-કલ્યાણ-મલ-પ્રદે!= નિરુપદ્રવપણું, આનંદ અને મંગળ આપનારી! સાધૂનાં સાધુઓને. સદા=હમેશ. શિવસુતુષ્ટિ-પુષ્ટિપ્રદે!=શાંતિ અને સારો સંતોષ ધર્મમાં પોષણ આપનારી ! જીયા=વિજય પામો. સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદે!ા. સાધૂનાં ચ સદા શિવ-“સુતષ્ટિ-પુષ્ટિ-પ્રદે! જયા: ટા “અને વળી, સર્વ સંઘને "નિરુપદ્રવીપણ, આનંદ અને મંગળ આપનારી! અને હે સાધુઓને શાંતિ, સારો ‘સંતોષ અને ધર્મમાં પોષણ આપનારી હિ દેવી ! તમે ! “સદા વિજય પામોટા શબ્દાર્થ :- ભવ્યાના ભવ્ય જીવોની. કૃત-સિદ્ધ !=કરી છે સિદ્ધિ જેણે. નિવૃત્તિ-નિર્વાણજનનિ ચિત્તની પરમ શાંતિ અને પરંપરાએ મોક્ષ આપનારું. સત્તાનામ જીવોને. અભય-પ્રદાનનિર!=અભયદાન આપવામાં તત્પર! સ્વસ્તિ પ્રદે! કલ્યાણ આપનારાં! તુ મ તમને. 'ભવ્યાનાં કૃત-સિદ્ધ ,નિવૃત્તિ-નિર્વાણ-જનનિ ! સત્તાનામ્ અભય-પ્રદાન-નિરતે, “નમોડસ્તુ. સ્વસ્તિ-પ્રદે ! તુલ્ય લા. ભવ્ય જીવોને હે ઇટસિદ્ધિ આપનારાં ! હે શાંતિ અને મોક્ષ આપનારાં! હે પ્રાણીઓને “અભયદાન આપવામાં તત્પર રહેનારાં! અને હે એકાન્ત કલ્યાણ કરનારાં હિદેવી!] તમને નમસ્કાર હો લા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ :- ભક્તાનાં ભકતોને. શુભાવો !=શુભ કરનારી ! ઉદતે તૈયાર. સમણીનાં સમ્યગ્દષ્ટિઓને. ધૃતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય ધીરજ-આનંદ-મતિ-અને-બુદ્ધિ આપવા માટે. ૧૦ *ભતાનાં જનૂનાં શુભાવો! નિત્યમુદ્યતે' દેવિ! 'સમ્યગ્દર્ટીનાં વૃતિ- રતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય ૧ળા. સમ્યગ્દષ્ટિ “ભક્ત જીવોને ધીરજ-આનંદ-મતિ-અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તૈયાર રહેલાં એવા હે શુભ કરનારાં ! હે દેવી ૧૦ [આગળ સંબંધ છે.] શબ્દાર્થ :- જિન-શાસન-નિરતાનાં જિન-શાસનમાં આસકત. શાન્તિનતાનામ-શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારા. જનતાના લોકોને. શ્રી-સંપત્કીર્તિ-યશોવર્ધનિ કહે લક્ષ્મી સંપત્તિ-કીર્તિ અને યશ વધારનારાં ! જયદેવિ=જયા નામની દેવી અથવા. જયે=જય પામો. દેવી!= હે દેવી ! વિજયસ્વ=તું વિજય પામ. જિન-શાસન-નિરતાનાં શાન્તિને તાનાં ચ જગતિ જનતાનામ શ્રી-સંપત્કીર્તિ-યશોવર્ધનિ ! જયદેવિ ! “વિજયસ્વI૧૧ જગતમાં જૈન શાસનમાં આસક્ત અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારા લોકોના શ્રી-સંપત્તિ-કીર્તિ અને યશ વધારનારાં ! હે દેવી! તમે વિજય પામો. અથવા] હે દેવિ ! જય પામો, “વિજય પામો..૧૧ ૩. સ્તુતિથી પ્રસન્ન કરેલાં દેવીને ખાસ ભલામણ : શબ્દાર્થ:- સલિલાનલ-વિષ-વિષધર-દુષ્ટ-ગ્રહ-રાજરોગ-રણ-ભયત:-પાણી, અગ્નિ, ઝેર, ઝેરીપ્રાણીઓ, દુષ્ટ ગ્રહો, ક્ષયાદિ ગ્રહો અને રણસંગ્રામના ભયમાંથી. રાક્ષસ-રિપુગણ-મારીએંતિ-થાપદાદિલ્મ: રાક્ષસો, શત્રુઓના સમૂહો, મરકી, ચોરી, ઈતિઓ અને શિકારી પશુઓથી. સલિલાનલ-વિષ-વિષ-ધર, દુષ્ટ-ગ્રહ-રાજરોગ-રણ-ભયત: રાક્ષસ-રિપુ-ગણ-મારી- ચૌરેતિ-ધાપદાદિલ્મ: ૧૨ા પાણી, અગ્નિ, ઝેર, ઝેરી પ્રાણીઓ, દુષ્ટ રહો, ક્ષયાદિ રોગો, અને રણસંગ્રામના ભયથી અને રાક્ષસો, શત્રુઓના સમૂહો, મરકી, ચોરી, ઇતિઓ અને શિકારી પશુઓથી.. ૧૨. શબ્દાર્થ :- અથ=હવે. રક્ષ= રક્ષણ કર. સુશિવં સારી રીતનું કલ્યાણ. કુરુ કર. સદા હંમેશાં. તુષ્ટિ સંતોષ. Page #322 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૪૯ અથ રક્ષરલ, સુશિવ, કુરુ કુરુ, શાન્તિ"ચ કુરુકુરુ સમેતિ તુષ્ટિ" કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, સ્વસ્તિ ચકુરુ કુરુ – ૧૩ હવે તું રક્ષણ કર, રક્ષણ કરવું સારું કલ્યાણ કર, સારું કલ્યાણ કર, “અને હંમેશાં એ પ્રમાણે શાંતિ કર, “શાંતિ કર, તુષ્ટિ કર, તુષ્ટિ કર, પુષ્ટિ “કર, પુષ્ટિ કરી અને સ્વસ્તિકર, સ્વસ્તિ કરા૧૩ ૪. શાન્તિ મન્ચના અક્ષરો સહિત યાદેવીને પાકી ફરજિયાત ભલામણ : ભગવતિ ગુણવતિ શિવ-શાન્તિ' “તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્બીહ કુરુ કુરુ જનાનામ્ ઓમિતિ નમો નમો હીં-હીં હું-હું: ય: ક્ષ: હ કુટુ કુરુ સ્વાહા /૧૪ હે ગણવાળી ! પૂજ્ય દિવી ! અહીં લોકોનું મંગલ-શાંતિ-આનંદ પોષણ-અને કલ્યાણ કરો. “કરો. “નમો નમો હોં હૃદુય: ક્ષ: Öફુટ કુરુ સ્વાહા૧૪ ૫. દેવીની સ્તુતિનો ઉપસંહાર :| શબ્દાર્થ :- એવં એ પ્રકારે. યજ્ઞામાક્ષર-પુરસ્સર જેના નામના અક્ષરો સાથે. સંસ્તુતા સ્તુતિ કરેલી છે. જયાદેવી=જયા નામના દેવી. નમતાં=નમસ્કાર કરનારાઓને. "એવું નામાક્ષર, પુરસ્મરં સંસ્તુતા જયા દેવી કુરુતે શાન્તિ નમતાં, “નમો નમ: ‘શાન્ચે ‘તમૈ ૧પા એ પ્રકારે જેના નામના અક્ષરો સાથે સ્તુતિ કરાયેલાં શ્રી "યાદેવી "નમસ્કાર કરનારાઓને શાંતિ કરે છે, તે શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો..૧૫ ૬. સ્તોત્રનો ઉપસંહાર : શબ્દાર્થ :- ઈતિએ પ્રકારે. પૂર્વ-સૂરિ-દર્શિત-અન્નપદ-વિદર્ભિત: પૂર્વાચાર્યોએ બતાવેલા મન્ના પદો વડે ગૂંથાયેલું. સ્તવ સ્તવન, શાન્ત: શાન્તિનાથ પ્રભુનું. સલિલાદિ-ભય-વિનાશી-પાણી વગેરેના ભયોને નાશ કરનારું. શાન્તાદિકર શાન્તિ વગેરેને કરનારું. ભક્તિમતામભકિતવાળાઓને. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો 'ઇતિ પૂર્વ-સૂરિ-દર્શિત-મત્ર-પદ-વિદર્ભિત: સ્તવ:'શાન્ત: સલિલાદિ-ભય-વિનાશી, શાત્યા દિકરથભક્તિમતામ્n૧૬ એ પ્રકારે પૂર્વાચાર્યોએ બતાવેલાં મન્નપદો વડે ગૂંથાયેલું શ્રી શાન્તિનાથ ભગવાનનું સ્તોત્ર ભક્તોના પાણી વગેરેથી થતા ભયોનો નાશ કરે છે, અને ‘શાન્તિ વગેરે કરે છે. ૧૬ ૭. આ સ્તોત્રના પાઠનું ફળ અને કર્તાનું નામ : શબ્દાર્થ :- એન=આને. પઠતિ=ભણે છે. શાણોતિ=સાંભળે. ભાવતિ વિચારે. યથાયોગ= બરાબર. શાન્તિ-પદં=મોક્ષપદ. યાયાત પામે. સૂરિ આચાર્ય. શ્રીમાનદેવશ્રી શ્રી માનદેવસૂરિ. યૌન પઠતિ સદા, કૃણોતિ “ભાવયતિ “વા યથાયોગમ્ “સહિ"શાન્તિપદીપ ઉપાયાત, "સૂરિ શ્રીમાનદેવી*૧ણી “અને જે આ (સ્તોત્ર) હમેશાં "બરાબર ભણે, સાંભળે “અથવા “મનમાં ઉતારે, ખરેખર " અને શ્રી માનદેવસૂરિ "મોમાં "જય.૧૭ ૮. સ્તોત્રાદિ વડે પણ પૂજાનું ફળ : | શબ્દાર્થ :- ઉપસર્ગા કષ્ટો. ક્ષયનાશ. યાનિ પામે છે. ચ્છિઘને છેદાય છે. વિજ્ઞવલ્લય:=વિગ્નના વેલાઓ. મન: મન પ્રસન્નતામ=પ્રસન્નપણાને. એતિ પામે છે. પૂજ્યમાને પૂજા કરવાથી. જિનેશ્વરેજિનેશ્વર ભગવંતોની. ઉપસર્ગો: "ક્ષય યાન્તિ, ચ્છિદ્યન્ત વિન-વલ્લય: મન: પ્રસન્નતામેતિ', પૂજ્યમાને જિનેશ્વરે ૧૮ શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરવાથી કટ નાશ “પામે છે, 'વિનના વેલા છેદાય છે અને મન પ્રસન્ન થાય છે. ૧૮ ૯. અંતિમ મંગળ અને આશા : સર્વ-મંલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણમ્ પ્રધાન સર્વ-ધમણાં, જૈન જયતિ શાસનમ્ /૧૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો विशे षार्थ ૧. આગળ ઉપર બૃહચ્છાન્તિ સ્તોત્ર આપવામાં આવશે, તેની અપેક્ષાએ નાનું હોવાથી આ સ્તવ લઘુશાન્તિ સ્તવ કહેવાય છે. ૨૫૧ ૨. આ સ્તોત્ર બૃહદ્ગચ્છના શ્રીમાનદેવસૂરિ મહારાજાએ રચેલું છે અને સ્તોત્રની ૧૭મી ગાથામાં જ તેઓશ્રીનું નામ આપેલ છે. ૩. ૧૬મી ગાથામાં જ કહ્યું છે કે, પૂર્વાચાર્યોએ બતાવેલાં મંત્રપદોથી આ સ્તોત્ર ગૂંથેલું છે. આ સ્તોત્રનું આ પહેલાંનું મૂળ આપણને નિર્વાણ કલિકા ગ્રંથમાં મળે છે. એ ગ્રંથમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠાવિધિને લગતી વિધિઓ આપેલ છે. તેમાં શાંતિ કરવા માટે આ સ્તોત્રનો ૧૫ ગાથા સુધીમાં આવેલો ભાગ ગદ્યમાં આપવામાં આવેલ છે. તે ગદ્ય ભાગને જ આ આચાર્ય મહારાજાએ પદ્યમાં બનાવી આપેલ છે. ૪. આ સ્તોત્રમાં શાંતિ શબ્દને ઘણી જ ખૂબી સાથે વર્ણવેલો છે. જગતમાં પીડાયેલ પ્રાણી, શાંતિની ઝંખના રાખે એ સહજ છે. ૧. શાંતિની ઝંખના. શાંતિની ઝંખના રાખનારને એમ કહેવામાં આવે કે-‘“તેને શાંતિ થશે.’’ આ આશ્વાસનથી પણ તેને સંતોષ થાય છે. ૨. શાંતિનું આશ્વાસન. આ જાતના શાંતિના આશ્વાસનથી તેને થોડી ઘણી શાંતિ પણ થાય છે. ૩. શાંતિનો અનુભવ. આ પ્રકારે શાંતિ શબ્દમાં રહેલો ચમત્કાર જાણ્યા પછી કોઈ વ્યકિતનું નામ શાંતિ હોય, તો તે પણ કોઈ ને કોઈ પ્રાણીને કોઈ ને કોઈ રીતે શાંતિ માટે થઈ શકે છે. તો પછી ચક્રવર્તી તરીકે બાહ્યવિઘ્નો અને શત્રુઓના ઉપદ્રવો શાંત કરનારા, અને ત્યાગી મુનિ તરીકે અંદરના કામક્રોધાદિ શત્રુઓની પીડાઓને શાંત કરી દેનારા, અને વીતરાગ પ્રભુ તરીકે થયેલા કે જેને જગમાં કોઈ પણ મિત્ર કે શત્રુ નહોતા. જગત્ની કોઈ પણ વિટંબણા જેને અસર કરી શકે તેમ નહોતી. પરંતુ જેના પ્રભાવથી વિટંબણાઓનો નાશ થાય તેમ હોય છે. વળી ત્રણ જગ પૂજય બનીને સર્વ જગત્ ઉપર જેનું ધર્મરાજ્ય પ્રવૃત્તિ શકે છે, એવા તીર્થંકર પરમાત્મા તરીકેના સહજ ગુણ અને સહજ પ્રભાવથી સર્વ ઉપદ્રવો શાંત થઈ જાય છે, એવા પરમાત્માનું પાછું શાંતિ એવું નામ છે. જેને મોટામાં મોટા દેવો, મોટામાં મોટા મનુષ્યો-યોગીઓ અને રાજાઓ પૂજે છે. તેના ભકતોને થતા ક્ષુદ્ર દેવોના ઉપદ્રવો મોટા દેવભકતો શાંત કરી દે. માનવી કે પાશવી ઉપદ્રવો મોટા પદવીધર સામર્થ્યશીલ માનવો શાંત કરી દે. તથા કુદરતી ઉપદ્રવો વીતરાગ પરમાત્માની ત્રણ લોક ઉપરની સહજ અસરથી નાબૂદ થઈ જાય. એટલે તીર્થંકર ભગવંતોના ભકતોને એક પણ ઉપદ્રવ નડી શકે નહીં. આવું સામર્થ્ય સર્વ તીર્થંકર ભગવંતોમાં સહજ જ હોય છે. અને આ શાંતિનાથ પ્રભુનું શાંતિ એવું નામ છે. તો શાંતિ શબ્દમાં પણ આ બધો પ્રભાવ ભરેલો છે.'' એમ સ્તોત્રકારનો આશય જણાય છે. હવે શ્રી વિજયાદેવી જાણે શાંતિ શબ્દનાં અધિષ્ઠાત્રી હોય નહિ ? તેમ શાંતિ શબ્દથી જ શાંતિ કરે છે. એટલે જે કોઈ વાકયમાં શાંતિ શબ્દનો મુખ્યપણે (શાંતિના ઉદ્દેશથી ?) પ્રયોગ Page #325 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો થયો હોય, અને તે પ્રયોગ કરનાર અને જેને માટે થયો હોય, તે બન્નેયને એ વિજયાદેવી શાંતિ જ કરે છે. એટલો બધો એ નામનો પ્રભાવ છે. ૨૫૨ શ્રી વિજયાદેવી પણ, સુજ્યા છે, અજિતા છે, અપરાજિતા છે, વિજયવંત છે, જય આપનારી છે. માટે સ્તોત્રકાર એ વિજયાદેવીની પણ આશીર્વાદાત્મક સ્તુતિ એવા શબ્દોથી કરે છે કે ખુદ્દ શ્રી વિજયાદેવી પણ તુષ્ટ તુષ્ટ થઈ જાય. સહજ રીતે જ જ્યારે વિજયાદેવી શાંતિ સાંભળીને શાંતિ ફેલાવી દે છે, તો પછી તેઓને પણ જ્યારે અનેક મિષ્ટ શબ્દોથી સંતોષ્યાં હોય, તો પછી અજબ શાંતિ કરે, તેમાં તો આશ્ચર્ય જ શું ? આ રીતે તુષ્ટમાન થયેલાં, શાંતિ નામને આધીન શ્રી વિજયાદેવીને શાંતિમંત્રોપૂર્વક આકર્ષીને, કષ્ટો-ઉપદ્રવોનો નાશ કરવા અને શાંતિ તુષ્ટિપુષ્ટિ તથા કલ્યાણ સ્થાપવા સ્તોત્રકાર આમંત્રે છે. મંત્રાક્ષરોથી દેવીને કર્તવ્યમાં વધારે મજબૂત કરે છે. આટલા પ્રયત્નો પછી શાંતિ થયા વિના રહે કે ? પરંતુ આચાર્ય મહારાજ વિશેષમાં કહે છે કે-‘‘યથાયોગ ભણનાર, સ્મરણ કરનાર, સાંભળનાર, કે ચિંતન કરનારને મોક્ષમાં લઈ જવાને પણ આ સ્તોત્ર સંપૂર્ણ સમર્થ છે.’’ ૫. ભારતના તત્ત્વજ્ઞ શિરોમણિ જૈનાચાર્યોએ એક જ શબ્દને કેટલો ખીલવ્યો છે ? તે આ ઉપરથી આપણને બહુ જ સરસ રીતે જાણવા મળે છે. અને તેઓ ઉપર આપણને અનહદ માન ઉત્પન્ન થાય છે. હાલના જમાનામાં પ્લેગ-મરકી વગેરે ઉપદ્રવો વખતે કોરંટાઈન ઉદરો વગેરેને મારી નાંખવા દવા માટે ડૉકટરની સ્પેશ્યલ યોજના વગેરે પ્રયત્નો ચાલે છે ત્યારે ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો આ રીતે મંત્રાક્ષરોથી જ અનેક ઉપદ્રવો શાંત કરી દેતા હતા અને તે હમણા સુધી એ પ્રકાર ચાલુ હતો. આમાં વહેમ, અંધશ્રદ્ધા કે ગતાનુગતિકતા નથી. પણ શુદ્ધ વૈજ્ઞાનિક તત્ત્વો છે. આ વસ્તુઓને ઉત્તેજન ન હોવાથી એ સાયન્સ મંદ પડતું જાય છે. પરંતુ જો તેને રીતસર ઉત્તેજન મળે તો જરૂર ખીલે, અને આ સાયન્સ ઘણું જ ઓછું ખર્ચાળ અને વધારે શકિતશાળી અને સરળતાવાળું છે. ૬. આ સ્તોત્રને પદ્યબંધ રચનાર ઉકત આચાર્ય મહારાજ નાડોલમાં ચોમાસું રહ્યા હતા. તે વખતે શાકંભરી નગરમાં શાકિનીએ પ્રવર્તાવેલ મરકીનો રોગ વધી પડવાથી ત્યાંના શ્રી સંઘે શ્રીમાનદેવસૂરી મહારાજને ઉપદ્રવ નિવારણ કરવા માટે વિજ્ઞપ્તિ મોકલી. તે ઉપરથી તેઓએ આ સ્તોત્ર બનાવીને મોકલ્યું. સ્તોત્રનો પાઠ કરવાથી સાંભળવાથી અને તેનાથી મંત્રેલું પાણી છાંટવાથી ઉપદ્રવની શાંતિ થઈ ગઈ. શ્રીમાનદેવસૂરિ તપાગચ્છની પટ્ટ પરંપરામાં પ્રસિદ્ધ આચાર્ય છે. તેથી તેમનો ઇતિહાસ પટ્ટાવળીઓ વગેરેમાંથી સવિસ્તર મળી રહેશે જેથી અત્રે આપવામાં આવેલ નથી. આ આચાર્ય મહારાજને પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ સિદ્ધ Page #326 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિમાસૂત્રો ૨૫૩ હતાં. આમાંનાં નામો આ સ્તોત્રમાં પણ છ મા શ્લોકમાં ગૂંથેલાં આપણે જોઈ શકીએ છીએ. છે. આ સ્તોત્રનું મૂળ તો પ્રાચીન છે. અને તે નિર્વાણ કલિકામાં પ્રતિષ્ઠા વિધિમાં આવે છે. પ્રતિષ્ઠા વિધિઓનાં મૂળો આગમોકત છે, અને તે પૂર્વગત હતાં. તેમાંથી ઉદ્ધત છે. એ રીતે આ સ્તોત્રનું મૂળ વિદ્યાપ્રવાદ પૂર્વ હોય, એમ સંભવિત લાગે છે. ૮. આ શાંતિકર સ્તોત્ર જાહેર થયા પછી અશાંતિના પ્રસંગે આચાર્ય મહારાજાઓ પાસે સાંભળવા માટે સંઘો અને શાંતિના ઈચ્છુકો ઘણા વખત સુધી આવવા લાગ્યા હતા, અને આવે એ સ્વાભાવિક છે. તેથી આ સ્તોત્રના ટીકાના આધારે લખીએ છીએ કે-“વૃદ્વવાદ એવો છે કે-પાંચસો વર્ષ પૂર્વે ઉદેપુરમાં યતિથી ચોમાસું હતા, તેની પાસે વારંવાર લોકો શાંતિ સાંભળવા આવતા હતા તેથી કંટાળીને તેઓએ દેવસિય પ્રતિક્રમણમાં દફખખિય કમ્પક ખયના કાઉસ્સગ્નને અંતે શાંતિ કહેવી, જેથી રોજ સૌના સાંભળવામાં આવે” એવી વ્યવસ્થા કરી. ૯. ઉદેપુરમાં યતિથીનું ચોમાસાનું લખ્યું છે, તેમાં વિચારવાનું એ છે કે-યતિ-નહિ પણ તપાગચ્છના ગાદીપતિ શ્રીપૂજ્ય આચાર્ય મહારાજ હોવા જોઈએ. અને તે શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પહેલાના હોવા જોઈએ. કારણ કે-ઉદેપુર એ તપાગચ્છના શ્રી પૂજ્યોને અનેક રીતે મથક હતું ને છે. શ્રીજગઔંદ્રસૂરીશ્વરજી મ. વગેરેનાં પગલાંઓ ત્યાં આઘાટ ગામમાં આજે પણ છે, તથા રાણા ઉદયસિંહ વગેરેથી માંડીને એ રાજ્યના રાજ્યકર્તાઓ, એ ગચ્છના ભકત રહેતા આવ્યા છે. અને રાજ્યના ઘણા કાયદા જૈનધર્મની અસરવાળા છે. પશુને અમર કરી શકાય છે. આચાર્ય પદવી વખતે પહેલો કપડો ઓઢાડાય છે. તથા પહેલું ચોમાસું ઉદેપુરમાં થાય છે. આચાર્યની સામે રાજચિહનો સહિત ખુદ ગાદીપતિને સામે જવાનો રિવાજ છે. તથા જૈન મંદિરો અને તીર્થોની રક્ષા તથા કેશરીયા તીર્થને ભકિતનિમિત્તે રાજ્ય તરફની અનેક ભેટો વગેરેએ રાજ્યમાં જૈન ધર્મના સામ્રાજ્યના ઘણા પુરાવા મળે છે. આશાશાહ, ભામાશાહ તથા ધનાપોરવાડ જેવા શ્રાવકોની બાહોશી અને અનેક પૂર્વાચાર્યોના પ્રભાવના પરિણામના સબળ અવશેષો આજે પણ આપણને એ રાજ્યમાં મળે છે. આ ઉપરથી અમારો આશય એ છે કે પ્રતિક્રમણને અંતે આ શાંતિને દાખલ કરનાર કોઈ સામાન્ય વ્યકિત નહીં હોય, પરંતુ મૂળ ગાદીપતિ આચાર્ય મહારાજની આજ્ઞાથી જ રિવાજ દાખલ થયેલો. અને પછી તે સર્વમાન્ય થાય જ, એ સ્વાભાવિક છે. એ મુખ્ય ગાદીપતિ આચાર્યની આજ્ઞા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બરાબર નિર્ણય કરીને અન્ય ગીતાર્યોની સમ્મતિ મેળવીને જ બહાર પાડવાનો રિવાજ હતો, એટલે આવા ફેરફારો સંઘના કાયદેસર ફેરફારો ગણાય છે, યદચ્છા પ્રવૃત્તિ નથી હોતી. ૧૦. હવે આ શાંતિ દાખલ થયા પહેલાં પ્રતિક્રમણને અંતે શું બોલાતું હતું ? કાંઈ બોલાતું કે નહિ ? અથવા એમને એમ કાઉસ્સગ પારવામાં આવતો હતો ? કે બીજું કાંઈ બોલાતું હતું ? એ બાબતની શોધ કરવા જેવી છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પંચ પ્રતિકમાણસૂત્રો સાતમું ચૈત્યવંદન દેવસિક પ્રતિક્રમણમાં આવતા વિસ્તૃત છ આવશ્યકનાં સૂત્રો અહીં પૂરાં થાય છે. અને સામાયિક પારવાનો વિધિ અહીંથી શરૂ કરવામાં આવે છે, તે પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવા માટે ખમાસમણ ઈરિયાવહિયા તસ. અન્નત્ય, એક લોગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહેવા સુધી કહેવું હવે મુનિમહારાજાઓને તેમજ શ્રાવકોને સમ્યક્ત્વની નિર્મળતા માટે તીર્થંકર પરમાત્માના નિરંતર સાનિધ્ય માટે, ભક્તિ માટે, દિવસના ચતુર્વિશતિસ્તવાવશ્યક નિમિતે સાત ચૈત્યવંદન કરવાનાં હોય છે. મુનિ મહારાજાઓ એ ચૈત્યવંદન સંસ્થારાપૌરૂષી ભણાવે તે વખતે કરે છે, અને તેમને સદા સામાયિકમાં રહેવાનું હોવાથી સામાયિક પારવાનું હોતું નથી. એટલે લઘુ શાંતિ પછી લોગસ્સ કહી મુનિરાજો પ્રતિક્રમણ પૂરું થયેલું માની ઊઠી જાય છે. પરંતુ “શ્રાવકો અંતિમ-સાતમું ચૈત્યવંદન ભૂલી ન જાય, માટે સૌ સાથે જ સાતમું ચૈત્યવંદન કરી લે” માટે સામાયિક પારવા તથા ચૈત્યવંદન એ બન્નેયની ક્રિયાની શરૂઆત માટે પ્રથમ એક વાર ઇરિયાવહીયા પ્રતિક્રમ્યા. હવે ચૈત્યવંદનની શરૂઆત કરતાં પહેલાં પાર્શ્વનાથ પ્રભુનું ચઉકસાય ચૈત્યવંદન કરી નમુત્થણંથી જયવીયરાય પૂરા સુધી ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કરવું પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે મુહપત્તિ પડિલેહણાથી માંડીને સંપૂર્ણ વિધિ કરવો. ૪૩. ચઉકકસાય ચૈત્યવંદન-સૂત્ર-૧-૧. શબ્દાર્થ :- ચઉકકસાય-પડિમલ્લુસ્કુરણચાર કપાયો રૂપી પ્રતિ મલ્લોને ખેડી નાંખનાર. દુજયમયગ-બાણ-મુસુમુરણૂકન જીતી શકાય એવા કામદેવનાં બાણોને તોડી નાંખનાર. સરસપિયંગુ-વઘુ ઉત્તમ પ્રકારના પ્રિયંગુના વૃક્ષ જેવા રંગવાળા. ગય-ગામિઉ-ગજ હાથી જેવી ગતિવાળા. જયઉ=વિજય પામો. પાસુ પાર્શ્વનાથ ભગવાન. ભુવણ-ય-સામિ ત્રણ ભુવનના સ્વામી. - જસુ જેના. તાણ-કંતિ-કડમ્પ-સિણિદ્ધઉ ચળકતા શરીરની કાંતિનો સમૂહ. સોહઈકશોભે છે. ફણિ-મણિ કિરણાલિસ્ટઉફણાઓ ઉપરની મણીઓનાં કિરણોથી ઘેરાયેલાં. નં=જાણે કે. નવ-જલ-હર-ડિલય-વંછિઉ વીજળીથી અંકિત થયેલો નવીન મેઘ. સોનતે. જિણુ જિનેશ્વર. પાસુ પાર્શ્વનાથ. પયચ્છઉ આપો. વંછિઉ=વાંચ્છિત. ચકાસાય-પહિમજૂરણુ, દુર્જય-મયણ-બાણ-મુસુમુરજૂ I સરસ-પિઅંગુ-વનું ગાય-ગામિલ, જયઉ પાસું ભુવણ-ત્તયે-સામિઉ in૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૫૫ જસુરતણુ-કંતિ-કડબ્ધ-સિદ્ધિઉ સોહઈ ફણિ-મણિ.-કિરણાલિદ્ધજા 'નવ-જેલહર-ડિલ્લય-લંછિઉસો જિષ્ણુ પાસુ પયછેઉ" વંછિઉ" પરા ચાર કષાયો રૂપી શત્રુ મલ્લોને ઉખેડી નાંખનાર, ન જીતી શકાય એવા કામદેવનાં બાણોને નાશ કરનાર, પ્રિયંગુ વૃક્ષના જેવા કાળા રંગવાળા, ત્રણ ભુવનના સ્વામી “અને ગગામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામો. ફાગાઓની મણિનાં કિરણોથી ઘેરાયેલા જેના ચમકતા શરીરની કાંતિનો સમૂહ જાણે કે વીજળીથી અંકિત થયેલ નવીન મેઘ હોયનીતિમ શોભે છે તેથી પાર્શ્વનાથ જિનેશ્વર વાંછિત "આપ પારા દિવસ ચરિમ પ્રત્યાખ્યાનો દિવસના છેલ્લા ભાગમાં લેવાનાં પચ્ચખાણો દેવસિક પ્રતિક્રમણના વિધિની પૂર્વે આવે છે. આ પચ્ચકખાણોમાં– ૧. ચોવિહાર ઉપવાસ વાળાને લેવાનું, ૨. દુવિહાર, ૩. તિવિહાર, અને ૪. ચઉવિહારનું તથા પ. તિવિહાર ઉપવાસનું, છઠ વગેરેનું એકાસણાં, બેસણાં, આબેલ, નીવિ વગેરે જેણે કરેલ હોય, તેને લેવાનું પાણહારનું અને ૬. જે ચૌદ નિયમ ધારતા હોય, તેને લેવાનું દેશાવગાસિકનું- એ છ પચ્ચકખાણનો સંભવ હોય છે. | શબ્દાર્થ :- સૂર-સૂર્ય. ઉગ્ગએ=ઊગ્યો હોય ત્યારે. અબ્બર અભકતાર્થ-તદ્દન ભોજન ન લેવા માટેનું. પચ્ચખાણ=પ્રત્યાખ્યાન કરવું. ચઉવિપિન્ચારેય પ્રકારના. આહાર આહાર. અસણં ખોરાક. પારંપાણી. ખાઈમ ખાદિમ. સાઈમં સ્વાદિમ. અન્નત્ય સિવાય. આણાભોગેણં અનાભોગાત-બેખબરીથી. સહસાગરેણં-હસાકારાત એકાએક. પારિઠાવણિયાગારેણં-પારિકાપનિકાકારાત પરઠવી દેવું પડે તેમ હોય. મહત્તરાગારેણં-મહત્તરાકારા-મોટાઓના આદેશ રૂપ આગાર. સબ-સમાહિ-વત્તિયાગારેણં- સર્વસમાધિ-પ્રત્યયાકાર સર્વ પ્રકારની. સમાધિનિમિત્તક આકાર. આગાર-આકાર મુશ્કેલી પ્રસંગની છૂટ. જ-ગુરુ- 'સૂરે ઉગ્ગએ-અબ્બતઠું પચ્ચખાઈ= * શિષ્ય.- “પચ્ચખામિ. ગુરુ = ચઉવ્વિહ° પિ આહાર -અસણં પાણે “ખાઈમ ‘સાઈમ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો અન્નત્થ-ડણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ. શિષ્ય.- વોસિરામિક. ગુરુ - "સૂર્ય ઊગ્યાથી માંડીને અભક્તાર્થ માટે પચ્ચકખાણ કરી ખોરાક, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. શિષ્ય - એ ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણત્યાગ કરું છું. તો-અશન.પાન. ખાદિમ', સ્વાદિમ. ગર- એ ચારેય પ્રકારનો આહાર ત્યાગ તમારે૧.બેખબરી, ૨. એકાએક મોમાં આવી પડે, ૩. અપરવી દેવા પડે તેમ હોય, ૪. મોટેરાઓની આજ્ઞા થાય, ૫. સર્વ પ્રકારની અશાંત સ્થિતિ હોય. એિ પ્રસંગો સિવાય :- કિરવાનો છે.] [અને એ પચ્ચકખાણના સ્પર્શન-પાલન-શોભા-પૂર્તિ-કીર્તન-આરાધના તથા વિરાધનામાં સાવચેતી માટે (મન વચન કાયાની સર્વ અનુકૂળતાઓનો) “યાગ કરવાનો છે. શિષ્ય - એિઓનો “ત્યાગ કરું છું. વિશેષાર્થ:- ચઉવિહાર ઉપવાસવાળાએ ભોજન તદ્દન ન કરવું. એટલે કે-ચારેય પ્રકારના આહારનો તેણે ત્યાગ કરેલો હોય છે, એ જ પચ્ચકખાણ સાંજે તેમને યાદ કરીને ફરીથી દઢ કરી લેવાનું હોય છે. આ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવા છતાં અજાણતાં મોઢામાં મુકાઈ જાય, એકાએક મોઢામાં પડી જાય, ગોચરી વધી પડી હોય અને ગુરુને પરઠવી યોગ્ય ન લાગતી હોય, અને ગુરુ કહે તો એ વાપરવું પડે. સંઘના કોઈ મહત્વના કામ અંગે કંઈ વાપરવું પડે અને પોતાની શારીરિક કે માનસિક અસ્વસ્થતા વખતે વપરાઈ જાય એ પ્રસંગો સિવાય પ્રત્યાખ્યાન સમજવાનું છે. “આવી રીતે વપરાઈ જાય છતાં ચોવિહાર ઉપવાસનું પચ્ચફખાણ ભાંગે નહીં.” એ આ આગારો-છૂટોનો અર્થ સમજવાનો છે. પરંતુ આ છૂટોનો ઉપયોગ નબળાઈથી કરવામાં કે કરાવવામાં આવે, તો પચ્ચખાણનો ભંગ જ થાય છે. કેમકે પાછળથી વોસિરઈપદથી પચ્ચકખાણમાં દઢ રહવાને ગુરુમહારાજ ભલામણ કરે છે, અને શિષ્ય તે વાત સ્વીકારે છે. પ્રત્યાખ્યાનોમાં-૬ આવશ્યક નીચે પ્રમાણે સમજાય છે :૧. પ્રત્યાખ્યાન-ત્યાગ ભાવનાત્મક સામાયિક, ૨. પ્રત્યાખ્યાન-ત્યાગ-પચ્ચકખાણ સ્પષ્ટ છે. પચ્ચકખાઈ પચ્ચકખામિ પદો. Page #330 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૫૭ ૩. આ પ્રત્યાખ્યાનો તીર્થંકર પરમાત્માની આજ્ઞા પ્રમાણે તેમના વંદન સ્તુતિ વગેરે કર્યા બાદ દહેરામાં ઉપાશ્રયમાં પ્રત્યાખ્યાન લેવાય છે. ૪. ગુરુ મહારાજની સાક્ષીમાં પ્રત્યાખ્યાન લેવાનું છે. ગુરુમહારાજ શાંતિથી પ્રત્યાખ્યાન સમજપૂર્વક વિગતવાર આગાર સાથે આપે છે, શિષ્ય તે સ્વીકારે છે, એટલે ગુરુ પરતંત્રતા તો તેમાં ચોકકસ છે જ. પ્રત્યાખ્યાન પહેલાં સવારે: રાયમુહપત્તિ પ્રસંગે, દ્વાદશાવર્ત. અથવા ઈચ્છકાર પૂર્વક વંદન થાય છે. સાંજે પણ દ્વાદશાવર્ત વંદન કર્યા પછી જે પ્રત્યાખ્યાન લેવાય છે એટલે પચ્ચકખાણની પૂર્વે ગુરુવંદન અવશ્ય હોય છે. ૫. પ્રત્યાખ્યાનમાં થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત્તો લેવાનાં હોય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્તો લઈને આલોચના, પ્રતિક્રમણ કરવાનાં હોય છે. પ્રત્યાખ્યાન વિષયક આલોચના-પ્રતિક્રમણના અનેક વિધિઓ શાસ્ત્રકારોએ બતાવેલ છે. ૬. કાયોત્સર્ગ - કાયાનો એટલે મન વચન કાયાનો ઉત્સર્ગ-ત્યાગ પ્રત્યાખ્યાન ખાતર કરવો પડે છે. અર્થાત્ તે ત્રણેય યોગની પ્રવૃત્તિ પચ્ચકખાણને અનુકૂળ રાખવી પડે છે. પ્રતિકૂળ પ્રવૃત્તિ રોકવી પડે છે. આ વસ્તુસ્થિતિ વોસિરઈ અને વોસિરામિ એ બે પદો સાક્ષાત્ સૂચવે છે. વોસિરામિ-એ અપાણે વોસિરામિનો સંક્ષેપ છે. અહીં પ્રત્યાખ્યય બહિરાત્મ ભાવના પેટા પ્રકાર-આહારાદિકનો ત્યાગ અને બીજી અનુકૂળતાઓનો પણ ત્યાગ અભિપ્રેત જણાય છે. નહીંતર, પ્રત્યાખ્યાન તો પચ્ચખામિ એ શબ્દથી પૂર્ણ થાય છે. છતાં વોસિરઈ પદ વિશેષ ઉમેરવાનું કારણ પચ્ચખાણની પણ કાયોત્સર્ગતા સૂચવવા માટે છે. કરેમિ ભજો માં પચ્ચકખાઈ વસરાઈ એ બે પદો કેટલાક ફેરફાર સાથે સાક્ષાત છે જ. બાકીના આવશ્યકો ગર્ભિત છે. ૪૫. પાણlહાર-પાનીયાહારનું પચ્ચક્ખાણા-૨ ગુરુ - પાણહાર-દિવસચરિમં પચ્ચખાઈ, શિષ્ય.- પચ્ચખામિ. ગુરુ - અન્નત્ય-sણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય.- વોસિરામિ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પંચ પ્રતિક્રમાગસુત્રો ૪૬. ચઉવિહારનું-ચતુર્વિદ્યાહારનું પચ્ચફખાણ-૩ ગુરુ-દિવસ-ચરિમં પચ્ચખાઈ, શિષ્ય.- પચ્ચખામિ. ગુર- ચઉદ્વિલંપિ આહાર, અસણં પાણું ખાઈમ સાઇમં અન્નત્થ-ડણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં. વોસિરઈ શિષ્ય.- વોસિરામિ. ૪૭. તિવિહાર-ત્રિવિદ્યાહારનું પચ્ચકખાણ-૪ ગુરુ - દિવસચરિમં પચ્ચખાઈ, શિષ્ય.- પચ્ચખામિ. ગુરુ - તિવિહં પિ આહાર, અસણં ખાઈમ સાઈમ, અન્નત્થ-ડણાભોગેણં, સહસાગારેણ, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય.- વોસિરામિ. ૪૮. દુવિહાર-દ્વિવિઘાહારનું પચ્ચકખાણ-૫ ગુરુ - દિવસમરિમં પચ્ચખાઈ, શિષ્ય.- પચ્ચખામિ. ગુરુ- દુવિહંપિ આહાર અસણં, ખાઈએ, અન્નત્ય-sણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય - વોસિરામિ. ૪૯. દશાવકાશકનું પચ્ચકખાણ-૬ ગુરુ - દેસાવગાસિય, ઉપભોગ, પરિભોગં, પચ્ચકખાઈ, શિષ્ય.- પચ્ચખમિ. ગુરુ-અન્નત્ય-sણાભોગેણં સહસાગારેણં, મહત્તરાગારેણં, Page #332 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૫૯ સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય.- વોસિરામિ. અર્થ લગભગ સરખા જેવા છે. પાણાહારના પચ્ચખાણમાં કેવળ પાણીનો આહાર છૂટો હતો એટલે તેનું જ પચ્ચકખાણ આવે છે. ચોવિહારમાં ચારેયનો ત્યાગ હોય છે, તિવિહારમાં પાણી છૂટું રહે છે, ને ત્રણેયનો ત્યાગ થાય છે. દુવિહારમાં ખોરાક અને મેવા વગેરે ખાદિમનો ત્યાગ રહે છે. પરંતુ પાણી, અને પાનસોપારી વગેરે સ્વાદિમની છૂટી રહે છે. દેશાવગાશિક પ્રત્યાખ્યાનમાં-માત્ર થોડા થોડા છૂટા રાખેલા સિવાયના ઘણા ઉપભોગ અને પરિભોગનો ત્યાગ થાય છે. ઉપભોગ એટલે ફળ, અત્તર વગેરે એકાદ વાર ભોગવાતી વસ્તુઓ અને પરિભોગ એટલે શય્યાદિક વારંવાર ભોગવાતી વસ્તુઓ પરંતુ, અહીં ખાસ કરીને ૧૪ નિયમમાં આવતી ચીજોનું ઉપલક્ષણ ઉપભોગ પરિભોગ શબ્દથી સમજવાનું છે. દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ ૧. પ્રથમ સામાયિક લેવું. ૨. પછી-પાણી વાપર્યું હોય તો મુહપત્તિ પડિલેહવી. ૩. આહાર વાપર્યો હોય તો “વાંદાણા” બે દેવાં. તેમાં બીજા “વાંદણામાં”- આસિયાએ" એ પદ ન કહેવું. ૪. યથાશકિત દિવસ ચરિમ પચ્ચકખાણ કરવું. પછી૫. “ખમાસમણ” દઈ, “ઈચ્છાકારીગર શૈત્યવંદન કરું?” ગુરુ કહે-“કહ” “ઇચ્છે", કહી, વડેરા અથવા પોતે યોગમુદ્રાએ “શ્ચયવંદન” કહીને “ર્જકચિ કહેવું પછી૬. “નકલ્યાણ” કહી, ઊભા થઈને “અરિહંત ચેઈઆગ” કહી, એક “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારી, નમોહતક” કહીને પ્રથમ “હાય” કહેવી પછીછે. “લોગસ્સ" કહેવો. સવ્વલોએ અરિહંત-ચેઈઆણ” કહીને, એક “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારીને બીજી “થોય” કહેવી. પછી૮. “પુખરવરદી" કહી સુઅસ્સે ભગવઓ કરેમિકાઉસ્સગ્ગ વંદણ” કહી એક “નવકારનો” કાઉસગ્ગ કરી, પારીને ત્રીજી “થય" કહેવી. પછી૯. “સિદ્ધાણં બુદ્ધાણં' કહી “વૈયાવચ્ચગરાણં કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ.” કહી, એક નવકારનો" કાઉસ્સગ કરી, પારીને “નમોડર્ષત” કહી ચોથી “થય” કહેવી. પછી૧૦. યોગમુદ્રાએ બેસીને “નમુત્યુગ કહેવું. પછી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૧. ચાર “ખમાસમણ દેવા પૂર્વક “ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, અને સર્વ સાધુ” પ્રતિ થોભવંદન કરવું. પછી “ઇચ્છાકારી સમસ્ત શ્રાવકને વંદું,” એમ કહેવું ૧૨. “ઇચ્છાકારેણ દેવસિઅ પડિકમાણે કાઉ?” ગુરુ કહે-“ડાહ” “ઇચ્છે” કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને “સબૂસ્સવિ દેવસિઅ-” કહેવું. પછી - ૧૩. ઊભા થઈ, “કરેમિ ભંતે “ “ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ” “તસ્સ ઉત્તરી.” અન્નત્થ.” કહી, ૧૪. “નાણશ્મિ” વગેરે “પંચાચારની” આઠ ગાથાનો કાઉસગ્ગ કરવો. એ આઠ ગાથા ન આવડે તો આઠ “નવકાર' ગણવા તે પાણીને પ્રગટ લોગસ્સ કહેવો. ૧૫. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણાં" બે દેવાં. ૧૬. પછી ઊભા થઈને “ઇચ્છાકાર દેવસિએ આલોઉ ?” “ઇચ્છે આલોએમિ, જો મે દેવસિઓ” કહીને ૧૭. “સાત લાખ” કહેવા પછી “અઢાર પાપસ્થાનક' આળોવીને, ૧૮. “સબસ્સવિ દેવસિઅ.” કહી.૧૯, બેસીને જમણો ઢીંચણ ઊભો રાખી એક “નવકાર” “કરેમિ ભંતે.” “ઇચ્છામિ પડિકમિઉ.” ' કહીને ૨૦. “વૈદિg” કહી “તસ્ય ધમ્મસ” કહેતાં ઊભા થઈ “વંદિત્ત” સૂત્ર પૂરું કરી બે “વાંદણાં” દેવા. પછી૨૧. “અળ્યુક્રિઓઈ અભિંતર દેવસિએ” ખામીને “વાંદાણા” બે દેવાં. પછી ઊભા થઈ “આયરિઅ-ઉવજઝાએ” કહેવા. ૨૨. પછી “કરેમિ ભંતે.” “ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જે મે દેવસિઓડ' કહી, “તસ્સ ઉત્તરી.” “અન્નત્થ.” કહી બે “લોગસ્સનો” અથવા આઠ “નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “લોગસ્સ” કહેવો. ૨૩. પછી “સબૂલોએ અરિહંત ચેઈઆણ” કહી, એક “લોગસ્સ” અથવા ચાર “નવકારનો” કાઉસ્સગ્ગ કરી, પારીને. ૨૪. “પુખરવરદી.” “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉ. વંદણ” કહી, “એક લોગસ્સ" અથવા ચાર “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારીને. ૨૫. “સિદ્ધાણં બુદ્ધા.” કહી, “સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ.” કહી, એક “નવકારનો કાઉસગ્ગ કરી, પારીને “નમોડત” કહી પુરુષે “સુઅદેવયાની અને સ્ત્રીએ “કમલદલની” થોય કહેવી. Page #334 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૨૬૧ ૨૬. “ખિદેવયાએ કરેમિકાઉસ્સગ્ગ” કહી, એક“નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “નમોડર્ણત” કહી, “ક્ષેત્રદેવતાની થાય” સ્ત્રીએ તથા પુરુષે કહેવી. પછી૨૭. પ્રગટ એક “નવકાર” ગણી, બેસીને છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે “વાંદણા” દેવાં. ૨૮. “સામાયિક, ચઉવ્યિસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જ,” એમ કહી છે આવશ્યક સંભારવા. ૨૯. “ઇચ્છા અણસદ્ધિ, નમો ખમાસમણાણ” કહી બેસી પુરુષોએ “નમોસ્તુ વર્ધમાનાય” કહેવું, અને સ્ત્રીઓએ “સંસારદાવા”ની ગાથા ત્રણ કહેવી. પછી૩૦. “નમુત્યુ” કહી, સ્તવન કહીને “વરકનક” કહી, “ભગવાન” આદિને ચાર થોભ વંદનથી વંદન કરવું. ૩૧. જમણો હાથ કટાસણ પર સ્થાપી “અઢાઈજેસુ” કહેવું. પછી૩૨. “ઇચ્છાકારેણ દેવસિઅપાયચ્છિન્ન-વિસાહત્યકાઉસ્સગ્નકરું?” “ઇચ્છે” દેવસિઅ પાયચ્છિત્ત- વિસોહાણથં કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ” કહી ચાર “લોગસ્સન” અથવા સોળ “નવકારનો કાઉસ્સગ કરવો, તે મારી પ્રગટ “લોગસ્સ” કહેવો. ૩૩. પછી-બેસીને “ખમાસમણ” બે દઈ, સજઝાયના આદેશો માગી, એક “નવકાર” ગણી સઝાય કહેવી. પછી એક “નવકાર” ગણીને૩૪. “ઇચ્છાકારેણ દુખફખય-કમ્મખિય-નિમિત્તે કાઉસ્સગ્ન કરું ?” “ઇચ્છે” “દફખખિય કમ્પકખય- નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ' “અન્નત્થ” કહી સંપૂર્ણ ચાર “લોગસ્સ" અથવા સોળ “નવકારનો” કાઉસ્સગ્ન કરવો. પછી એક જણે અથવા પોતે પારી “નમોહં” “લઘુશાન્તિ” કહી, પ્રગટ “લોગસ્સ” કહેવો. ૩૫. પછી “ખમા” દઈ “ઇરિયાવહિયા,” “તસ્સ ઉત્તરી.” “અન્નત્થ” કહી. એક “લોગસ્સ” અથવા ચાર “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારી “લોગસ્સ” કહેવો. ૩૬. પછી "ચઉકસાયં,” “નમુલ્યાણ” કહી, “જાવંતિ” બે કહી, “ઉવસગ્ગહરે,” જયવીયરાય” કહી મુહપત્તિ પડિલેહી, સામાયિક પરવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. વિશેષ અંતરવિધિ ગુરુ પાસેથી સમજવો. ઈતિ શ્રી દેવસિઅ પ્રતિક્રમણ વિધિ. श्री देवसिम-प्रतिभाशनो हेतुगर्मित विधि ૧. સામાયિક લેવાના વિધિ પ્રમાણે ઊભા ઊભા સામાયિક લેવું. Page #335 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨. ૨૫ બોલ સાચવી મુહપત્તિની, અને ર૫ બોલ સાચવી શરીરની પડિલેહણા કરી. બે વંદનથી દિવસ ચરિમનું ગુરુવંદન, ૨પ આવશ્યક સાચવી કરવું. પછી૩. દિવસ ચરિમ વગેરેનું પચ્ચખાણ લેવું. ૪. પછી નીચે પ્રમાણે વિધિપૂર્વક આદેશ માગી, યોગમુદ્રાએ બાર અધિકાર મય, દેવવંદનરૂપ મંગળમય ચતુર્વિશતિ સ્તવાવશ્યક કરવું બાર અધિકાર – ૧ થી ૩. અધિકારમાં - ચેત્યવંદન “ચિ, નમુલ્યાણ, ઊભા થઈ અરિહંત ચેઈઆણં અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોડહતુ કહી અમુક એક તીર્થંકર વગેરેની સ્તુતિરૂપ પહેલી થોય કહેવી. ૪. પછી લોગસ્સ કહેવો. ૫. સવ્વલોએ અરિહંત ચેઇઆણંઅન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, સર્વ તીર્થંકર ભગવંતોની સ્તુતિરૂપ બીજી થોય કહેવી. ૬-૭. પુખરવરદી, સુઅસ્સે ભગવઓ, વંદાગરિઆએ, અન્નત્ય કહી, જ્ઞાન આરાધનાનો એક નવકારને કાઉસ્સગ કરી, પારી, જ્ઞાનની સ્તુતિમય ત્રીજી થોય કહેવી. ૮. સિદ્ધાણં બુદ્ધાગંની પહેલી ગાથા કહી સર્વ ભગવંતોની સ્તુતિ કરવી. ૯. આસન્નોપકારી શ્રી મહાવીર શાસનની સ્તુતિમય બીજી અને ત્રીજી ગાથા કહેવી. ૧૦. આપણા નજીકના શ્રી ગિરનાર તીર્થ ઉપર જે તીર્થકર ભગવંતના જ વધારેમાં વધારે કલ્યાણકો થયેલા છે, તે શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ રૂ૫ ચોથી ગાથા કહેવી. ૧૧. વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી સંખ્યામાં આવી રહેલા શાશ્વત-અશાશ્વત, સ્થાવર-જંગમ તીર્થોની સ્તુતિમય છેલ્લી ગાથા કહી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર પૂરું કરવું. ૧૨. શાસન ભકત દેવોની આરાધના માટે વેપાવચ્ચગરાણ, અન્નત્યં કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી નમોહે કહી શાસન કે શ્રુત દેવ કે દેવીની ચોથી થાય કહેવી. પછી યોગ મુદ્રાએ બેસી ફરીથી નમુત્થાણું કહી તીર્થકર ભગવંતને અંતિમ વંદન કરવું. પછી ચાર ખમાસમણ દઈ વચ્ચે વચ્ચે અનુક્રમે ભગવાન આચાર્યઉં, ઉપાધ્યાયાં, સર્વસાધુઈ, કહી વિદ્યમાન શ્રમણ સંઘને વંદન કરી ઇચ્છકારી સમસ્ત શ્રાવક વંદું કહી સર્વ શ્રાવક સાધર્મિકોને શ્રાવક - શ્રાવિકાઓએ હાથ જોડી પ્રણામ કરવો. ૫. પડાવશ્યકમય મહત્વના મધ્યમ પ્રતિકમાણાવશ્યકની શરૂઆત કરવી. ૧. સંક્ષેપમાં દેવસિઅ પ્રતિક્રમણમાં મન વચન કાયાની એકાગ્રતાની સ્થિર થવા, ઈચ્છાકારણ સંદિસહ ભગવન, દેવસિય પડિક્કમણે ઠાઉ? એમ કહી ગુરુની આજ્ઞા માગવી. ગુરુમહારાજ હાજર હોય, તો ડાહ કહે, ઈચ્છે કહી આજ્ઞા શિર ચઢાવવી. યોગમુદ્રાએ બેસી જમણો હાથ ચરવાલા Page #336 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો પર અગર તો ટાસણા કે જમીન ઉપર સ્થાપી પ્રતિક્રમણના બીજકરૂપ સવ્યસ્તવિ સૂત્ર કહેવું. ૨. વિસ્તારથી છ આવશ્યકમય મધ્યમ પ્રતિકમણાવશ્યક (૧) અહીં–પંચાચારમય સામાયિકાવશ્યકમાં પ્રવેશ કરવા પંચાચારની આઠ ગાથાઓનો નીચેની વિધિથી પ્રથમ કાઉસગ્ગ કરવો. ઊભા થઈ-૧. કરેમિભંતે સૂત્ર કહી, પ્રથમ ગમની શરૂઆત કરવી. ૨. પછી પ્રતિક્રમણ, કાઉસ્સગનું પ્રયોજન, હેતુ, આગાર વગેરે માટે ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ન જે મે દેવસિઓ, તસ્ય ઉત્તરી, અન્નત્ય કહી પંચાચારની આઠ ગાથાનો, ન આવડે તો આઠ નવકારનો, કાઉસ્સગ્ન કરીને નમો અરિહંતાણં કહી કાઉસ્સગ્ગ પારવો. (૨) પછી હાથ જોડી લોગસ્સ કહી ચઉવિસો આવશ્યક સાચવવું. (૩) પછી–દેવસિક આલોચના કરી પ્રતિક્રમણમાં પ્રવેશ કરતાં પહેલાં, ૨૫ બોલથી મુહપત્તિ અને ૨૫ બોલથી શરીરનું પડિલેહણ કરી, ઊભા થઈ ર૫ આવશ્યક સાચવી બે વાંદણાથી કાઉસ્સગમાં વિચારેલા અતિચારોની આલોચના કરવા માટે ગુરુવંદન કરવું. (૪) અહીંથી વિશેષ શુદ્ધિરૂપ પ્રતિક્રમણાવશ્યકની શરૂઆત થાય છે. પરંતુ તે કરતાં પહેલાં દિવસ સંબંધી સામાન્ય તાત્કાલિક દોષોની શુદ્ધિ માટે શરીર નમાવી અવગ્રહમાં રહીને જ આલોચના નીચે પ્રમાણે કરવી. દેવસિસ આલોચના-ઇચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઅં આલોઉં? ગુરુ મહારાજ હોય, તો-આલએહ કહે. ઈચ્છે કહી, આ શિર ચડાવવી, પ્રાર્થના કરી જોમે દેવસિઓ અઇઆરો. એ શાસ્ત્રીય આલોચનસૂત્ર કહી, સાત લાખ અને પહેલે પ્રાણાતિપાત કહી, બરાબર સ્મરણ અને સમજપૂર્વક આલોચના કરવી. દેવસિય પ્રતિકમાણ- વ્રતોના દિવસ સંબંધી અતિચારોના વિગતવાર પ્રતિક્રમણની શરૂઆત કરતાં પહેલાં – સંક્ષેપમાં નીચે પ્રમાણે પ્રતિક્રમણમાં પ્રવેશ કરવો. સબસવિ દેવસિઅ દુઐિતિએ દુક્લાસિએ દુશ્ચિઢિઓ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન કહી મન-વચન-કાયાના આલોચિત સકળ દોષો રૂપ અતિચારોનું ભાવપૂર્વક પ્રાયશ્ચિત્ત માગવું. ગુરુ મહારાજ હોય તો પડિક્કમેહ કહી પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે. પછી ટૂંકામાં - તસ્સ મિચ્છામિ દુક્કડે કહી સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવું. વીરાસને બેસી અથવા જમણો ઢીંચણ ઊભો રાખી હાથ જોડી નીચે પ્રમાણે વિગતવાર દેવસિઆ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવો. ૧. પ્રથમ-મંગળ નિમિત્તે એક નવકાર ગણવો, ૨. પછી-કરેમિ ભંતે સૂત્ર કહી બીજા ગામની શરૂઆત કરી પ્રતિક્રમણ આવશ્યક સામાયિકમય બનાવવું. અથવા સામાયિક આ ઠેકાણે પ્રતિક્રમણનું અંગ આ રીતે થાય છે. ૩. પછી ઇચ્છામિ કામિ પડિકમિઉ જો મે કહી સામાન્ય સંક્ષેપમાં પ્રતિક્રમણ કરવું. પછી-૪. (૧) વિસ્તારથી વ્રતવાર અતિચારોના આલોચના તથા પ્રતિક્રમણ કરવા માટે શ્રી Page #337 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો હિંદીનું સૂત્ર શુદ્ધ ઉચ્ચારથી અતિચારોના સ્મરણપૂર્વક બોલવું. આ સ્થળે એટલો ખ્યાલ રાખવો કે શ્રી વંદિતુ સૂત્રની શરૂઆત વખતે અર્ધઅસ્ત સ્થિતિમાં સૂર્ય હોવો જોઈએ. તસ્ય ધમ્મસ્સ બોલતાં આ વંદિનુ પ્રતિક્રમણ સૂત્રની અંતર્ગત છ આવશ્યકો ઉપર પણ ખાસ ધ્યાન આપવું, અને- (૨) ભાવનાઓ પૂર્વક આ સૂત્ર પૂરું કરી ચોવીસ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરવો. ૫. પછી-(૧) એ જ પ્રતિક્રમણના અનુસંધાનમાં પોતાના ગુરુ મહારાજ પ્રત્યેના દિવસ સંબંધી અપરાધોની આલોચના કરી પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મહારાજને ખાસ બે વાંદામાં દેવા. (૨) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન અભુઢિઓમિ અભિંતર દેવસિ પામેઉ ? ગુરુ મહારાજ હોય તો-ખામહ કહે. પછી ઇશ્કે કહી આજ્ઞા શિર ચડાવવી. જેકચિ અપત્તિયંથી તસ્સ મિચ્છામિ દુકાં સુધી કહી ગુરુ પ્રત્યેના આજના દિવસના અપરાધોનું પ્રતિક્રમણ કરવું. ગુરુ હોય તો-મિચ્છામિ દુકક કહે. પછી- ત્રીજા આવશ્યકની મુહપત્તિ પછી પ્રતિક્રમણની શરૂઆતમાં જેમ દીધા હતા તેમ પ્રતિક્રમણ સમાપ્તિના બે વાંદણા દઈ, સર્વ આચાર્યો, સર્વ ઉપાધ્યાય, સર્વ મુનિઓ, અને સમસ્ત શ્રમણ સંઘ અને એકંદર સર્વ જીવરાશિ સાથેના પણ અપરાધો ખમાવવા રૂપ આયારિયા વિઝાય સૂત્ર કહી-પ્રતિક્રમણ કરી મધ્યમ પ્રતિક્રમણાવશ્યકમાંનું મુખ્ય પ્રતિક્રમણાવશ્યક પૂરું કરવું. શ્રીમદુપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજાએ-આયરિય ઉવજઝાયેટ એ સૂત્રને હવે પછીના કાઉસ્સગ્ન આવશ્યકના અંગ તરીકે એક ઠેકાણે જણાવ્યું છે. અને તેની પહેલાંના વાંદાણા પણ કાયોત્સર્ગ આવશ્યકના અંગ તરીકે જણાવ્યા લાગે છે. [પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયમાં (૫) અવગ્રહમાંથી બહાર નીકળી પાંચમું કાયોત્સર્ગ આવશ્યક શરૂ કરતાં કરેમિ ભંતે સૂત્ર કહી ત્રીજો ગમ શરૂ કરવો. અને કાયોત્સર્ગ આવશ્યકને સામાયિકમય બનાવવું. કાયોત્સર્ગમાં પ્રવેશ કરતાં પહેલાં તેનું પ્રતિક્રમણ આવશ્યક સાચવવા ઇચ્છામિ કામિ કાઉસ્સગ જો મે દેવસિઓ કહી કાયોત્સર્ગના હેતુ સૂત્ર તસ્સ ઉત્તરી અને આગારો સૂચક અન્નત્ય કહી, બે લોગસ્સનો અથવા આઠ નવકારનો સમ્યક ચારિત્ર રત્નની આરાધના માટે કાઉસ્સગ્ન કરવો, પારી પછી લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઈઆણં અન્નત્ય કહી એક લોગસ્સનો અથવા ચાર નવકારનો કાઉસગ્ગ સમ્યગ્દર્શન રત્નની આરાધના માટે કરવો. પછી પુખરવરદીવઢે સુઅસ્મભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ અન્નત્ય કહી સમ્યજ્ઞાન રત્નની આરાધના માટે અને વિરાધનાની શુદ્ધિ માટે એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી ૧. શ્રી સિદ્ધ ભગવંતોની, ૨. આસન્નોપકારી પરમાત્મા મહાવીર પ્રભુની, ૩. શ્રી ગિરનાર પર્વત ઉપર જેના વધુમાં વધુ કલ્યાણક થયેલા છે, તે નેમિનાથ પ્રભુની. ૪. સર્વ ક્ષેત્રોમાં આવેલ શાશ્વતા, અશાશ્વતા, સ્થાવર, જંગમ, વિહરમાન, ભૂત, ભાવી, તીર્થકરોની અને દ્રવ્ય તીર્થકરોની એમ સર્વની આરાધના માટે અને વિરાધનાની શુદ્ધિ માટે, સ્તુતિ રૂપ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર Page #338 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૨૬૫ કહેવું. તથા શ્રત દેવતા તથા ક્ષેત્ર દેવતાની આરાધના માટે કાયોત્સર્ગપૂર્વક નીચે પ્રમાણે બન્નેયની સ્તુતિ કરવી. સુઅદેવઆએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી નમોહન ૧. કહી સુઅદેવઆભગવઈ એ સ્તુતિ કહેવી. અને સ્ત્રીઓએ કમલદલ એ સ્તુતિ કહેવી. ૨. ખિદેવતાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય કહી ક્ષેત્રાવગ્રહ યાચવા માટે એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોડર્તત કહી જિગ્ને ખિને સા. એ સ્તુતિ કહેવી. (૬) ૧. પછી-મંગળ નિમિત્તે હવે ઊભા ઊભા એક નવકાર ગણવો. ૨. ૨૫ બોલથી મુહપત્તિનું અને ૨૫ બોલથી શરીરનું પડિલેહણ કરવું. ૩. ર૫ આવશ્યકો સાચવી પ્રથમ બે વાંદણાથી ગુરુવંદન કરવું. ૪. પચ્ચકખાણ ન લીધું હોય તો લેવું, ને લીધું હોય તો સ્મરણ કરવું. આમ છ આવશ્યકો પૂરાં ન કરવાં. અને અવગ્રહમાં ઊભા રહી આનંદપૂર્વક નીચે પ્રમાણે તે જાહેર કરવા. ૧. સામાયિક, ૨. ચઉવિસત્યો, ૩. વંદણ, ૪. પડિકમાણ, ૫. કાઉસ્સગ્ગ, ૬. પચ્ચખાણ કર્યું છે જી. મહત્ત્વનું એ પવિત્ર કાર્ય પૂરું કર્યા પછી ગુરુ મહારાજ પાસે ઉત્તમ ભાવનામાં આગળ વધવા નીચે પ્રમાણે વિશેષ વિજ્ઞપ્તિ કરવી ઇચ્છામો અણુસદ્ધિ - “હે ગુરુ મહારાજ ! હું ઈચ્છું કે-અનુશાસ્તિ-વિશેષ કર્તવ્યોપદેશ આપો.” ગુરુ મહારાજ હોય તો-“નિત્યાર પારગાહોહ (આમ સાધના કરતાં કરતાં તમો નિસ્તાર-સંસાર સમુદ્રની પાર-પહોંચો મોક્ષ પ્રાપ્ત કરો)” એ ભાવાર્થનો આશીર્વાદ આપે. એ પરમ આશીર્વાદ પ્રાપ્ત કરીને આનંદથી ઊછળતા હૃદયે નમો ખમાસમણાણું કહી ગુરુને પ્રમાણ કરવો. પછી-નમોર્ષત કહી ૧. શ્રી વર્ધમાન સ્વામી : સર્વ તીર્થકર ભગવંતો અને જિનવાણીની સ્તુતિ રૂપ નમોડસ્તુ વર્ધમાનાયની સ્તુતિ કહેવી, અને સ્ત્રીઓએ તે સ્થાને સંસારદાવાની ત્રણ સ્તુતિ કહેવી. પરંતુ તેમાં એટલો ખ્યાલ રાખવો કે, જે ગુરુ મહારાજ હાજર હોય, તો તેઓનું બહુમાન સાચવવા પહેલી ગાથા તેમને પ્રથમ બોલવા દઈ, પછી પોતે પહેલી ગાથાથી શરૂઆત કરવી. મધ્યમ પ્રતિક્રમણ આવશ્યકના છ આવશ્યક આનંદ મંગળથી પૂરા થયા. પરંતુ હજુ મધ્યમ પ્રતિક્રમણ આવશ્યક ચાલુ છે, કેમકે હજુ હવે તેની દેવ, ગુરુ, વંદન-સ્તુતિ રૂપ અંતિમ ચૂલિકા નીચે પ્રમાણે શરૂ થાય છે. ૧. નમોસ્તુ વર્ધમાનાયને ચૈત્યવંદન સ્વરૂપ સ્તુતિ ગણીને તીર્થંકર પરમાત્માઓને સ્વષ્ટ વંદનની શરૂઆત કરતાં નમુત્થણ કહી, નમોડર્ષત કહી, કોઈ પણ અમુક તીર્થંકર ભગવાનના ગુણોના વર્ણન રૂપ મધુર સ્વરથી અર્થ ચિંતનાનુગત ભાવનાથી ઉલ્લાસપૂર્વક ઈટાસ્તવન કહેવું. પછી એક સાથે વધારેમાં વધારે સર્વ ૧૭૦ તીર્થંકર ભગવંતોની સ્તુતિ રૂપ વરકનક શંખ, સ્તુતિ આનંદ અને ઉલ્લાસથી સૌ સાથે બોલાવી. પછી ચાર ખમાસમણ દઈ અનુક્રમે વચ્ચે વચ્ચે ભગવાનાં આચાર્યોં ઉપાધ્યાહં સર્વ સાધુ, એમ કહી એ ચારને વંદન કરવું. પછી જમણો હાથ ચરવલા ઉપર કે કટાસણા ઉપર અથવા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પંચ પ્રતિકમાણસૂત્રો જમીન ઉપર સ્થાપી અઢીદ્વીપમાં સંભવતા સર્વમુનિ મહારાજાઓને અઢાઈજેસુ કહી વંદન કરવું. દેવસિઅ પડિકમાણે ઠાઉથી શરૂ કરેલું મધ્યમ પ્રતિક્રમણાવશ્યક અહીં પૂરું થયું. [૬] સામાયિક લેવાથી માંડીને શરૂ કરેલ દેવસિસ પ્રતિક્રમણ હજુ ચાલે છે. તેના છઠ્ઠા કાયોત્સર્ગ આવશ્યકની હવે નીચે પ્રમાણે શરૂઆત કરવી. ઉપર પ્રમાણે પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા દોષોની શુદ્ધિ માટે કાયોત્સર્ગ સબળ ઉપાય હોવાથી પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ દરેક વિધિમાં લગભગ હોય છે. એટલે હવે કાયોત્સર્ગ આવશ્યકનો વિધિ ઊભા થઈ ખમાસમણ દઈ નીચે પ્રમાણે કરવો. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઅપાયચ્છિર વિસોહણ€ કાઉસ્સગું કરું? ગુરુ મહારાજ હોય તો કહે કે-કરહ ઈચ્છે. કહી આજ્ઞા શિર ચડાવવી. પછી દેવસિઅ પાયચ્છિા વિસોહાગટ્ય કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય, કહી ચાર લોગસ્સ પૂરા અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી, ચતુર્વિશતિ સ્તવરૂપ લોગસ્સ કહેવો. પછી – અશુભ ભાવનાનુગત યોગોમાંથી ધ્યાન ખેંચી લઈ, શુભ ભાવનામાં જોડવા રૂપ સામાયિકમય સ્વાધ્યાય ધ્યાનમાં એકાગ્ર થવા સ્વભાષામાં ઈષ્ટ સઝાય નીચે પ્રમાણેના વિધિથી બે ખમાસમાણ દઈ કહેવી. ઇચ્છાકોરગ સંદિસહ ભગવદ્ સજઝાય સંદિસાહ. ગુરુમહારાજ હોય તો કહે-સંદિસાહમિ. પછી-ઇચ્છે, કહી આજ્ઞા શિર ચડાવવી. પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું? ગુરુ મહારાજ હોય, તો કહે કે-કહિ ઇચ્છે. કહી આજ્ઞા શિર ચડાવવી. અને સઝાયની શરૂઆત કરવી. પ્રથમ એક નવકાર કહીં મધુર ધ્વનિથી વૈરાગ્ય પોષક સઝાય કહેવી. પછી સઝાયની સૂત્રાત્મકતા માટે સક્ઝાય રૂપ એક નવકાર કહેવો. પ્રતિક્રમણ કર્યા પછી-રાત્રિના પ્રથમ ભાગમાં-આ ભાગ દિવસના છે આવશ્યકમાંનો ધ્યાન તથા કાયોત્સર્ગ વિભાગ જણાય છે. એટલે અહીં મુનિરાજે-સ્વાધ્યાય ધ્યાનમાં લીન થાય. એટલે જ્યાં સુધી સંથારા પૌરુષી ન ભણાવે ત્યાં સુધી સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહે. સ્વાધ્યાયમાં નવકાર સાથે સામાન્ય રીતે પાંચ ગાથાઓનો સઝાયનો સંપ્રદાય ચાલે છે. અથવા યાવતું ઉત્કૃષ્ટ દ્વાદશાંગી સુધી સ્વાધ્યાય કરવાનો મૂળ વિધિ છે. ત્યાર પછી દુફખખય કમખિયનો કાઉસગ્ગ કરતા હશે. પછી ચૈત્યવંદન કરી સંથારા પૌરુષી ભણાવી શયન કરતા હશે, જે વિધિ હાલમાં પ્રતિક્રમણમાં બધા સાથે કરવામાં આવે છે. દુફખફખય કમ્મફખય નિમિતે મહામાંગલિક કાઉસ્સગ્ગ નીચે પ્રમાણે કરવો ૧. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન દુખિફખય કફખય નિમિત્ત કાઉસ્સગ્ગ કરું? ગુરુ મહારાજ હોય તો કહે કે- કરેહ, ઇચ્છે, કહી આજ્ઞા શિર ચડાવવી. દુખફખય કમ્મખિય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી સંપૂર્ણ ચાર લોગસ્સ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી પારી એક જણાએ નમોહંત કહી મંગલનિમિત્તે લઘુશાંતિ સ્તોત્ર કહેવું. બીજાઓએ મંગલભાવનામય Page #340 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો કાયોત્સર્ગમાં જ રહી એ સાંભળવું, પછી કાયોત્સર્ગ આવશ્યકની સમાપ્તિના તથા પ્રતિક્રમણ સંપૂર્ણ થવાના આનંદસૂચક લોગસ્સ કહી ચતુવિંશતિ જિનેશ્વર ભગવંતોની સ્તુતિ કરવી. વિસ્તૃત-છ આવશ્યકમય વિસ્તૃત-દેવસિઅ પ્રતિક્રમણ અહીં પૂરું થાય છે. સામાયિક પારતાં પહેલાં-શ્રાવકને પણ દિવસમાં કરવાના સાત ચૈત્યવંદન પૈકીનું છેલ્લું ચૈત્યવંદન અહીં સાથે જ કરી લેવાનું હોવાથી ચૈત્યવંદન વિધિ માટે તથા સામાયિકને પારવાના વિધિ માટે પ્રથમ ઇરિયાવહિયા પડિકમવા, અને પછી મંગલમય શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચઉક્કસાય ચૈત્યવંદન કહી ઠેઠ પૂરા જયવીયરાય સુધી ચૈત્યવંદન વિધિ પ્રમાણે કરવું. પછી મુહપત્તિ પડિલેહણાથી માંડીને સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું-પછી આદીશ્વર ભગવાનની જય બોલવી. ગુરુમહારાજની ચરણસેવા કરી, ગુરુ મહારાજને ત્રિકાળવંદના કરી, ધર્મધ્યાનમાં લીન રહી, નિદ્રાકાળે નિદ્રા લેવી. દેવસિઅ પ્રતિક્રમણ વિધિના વિશેષ હેતુઓ શ્રાવક અથવા સાધુઓએ દિવસમાં જ આવશ્યકો કરવાનાં હોય છે. તેમનું પ્રતિકમણ આવશ્યક એ મુખ્યપણે સાંજનું દેવસિઅ પ્રતિક્રમણ છે. દિવસના છ આવશ્યક નીચે પ્રમાણે થાય છે - ૧. સામાયિક - દિવસમાં એકાદ કે બે કે તેથી વધુ, અવકાશ પ્રમાણે કરવા. ૨. ચઉવિસત્યો - દિવસમાં સાત ચૈત્યવંદનો, ચૈત્યપરિપાટી, જિનપૂજા, મહોત્સવ, સ્નાત્રપૂજા વગેરે ચતુર્વિશતિ સ્તવાવશ્યક છે. ૩. વંદન - ગુરુમહારાજને પ્રાત: કલમાં પ્રત્યાખ્યાન લેતાં પહેલાં વંદન કરવામાં આવે છે, મધ્યાહન કાળે પણ સામાયિક કરવા. અથવા સ્વાધ્યાય કરવા અથવા સ્વાધ્યાય રૂપ વ્યાખ્યાન શ્રવણ કરવા જતાં વંદન કરવાનું હોય છે. બપોરે સામાયિક કરવા જતાં, તથા સાંજે દિવસ ચરિમ પચ્ચકખાણ લેતાં પહેલાં, એમ ત્રિકાલ વંદન કરવાના હોય છે. એમ જેમણે ત્રિકાલ વંદન કરેલું ન હોય, તે રાત્રે છેવટ ત્રિકાલ વંદના કહી ગુરુ મહારાજને સંક્ષેપમાં વંદન કરે છે. ૪. પ્રતિક્રમણ - દોષોના વારંવાર મિચ્છામિ દુક્કડ, ઈરિયાવહિયા પડિકકમવા, પોસહમાં ગમણાગમણે વગેરે તથા સાંજે દેવસિઅ પ્રતિક્રમણ, તે પ્રતિક્રમણાવશ્યક છે. ૫. કાઉસ્સગ્ન - દિવસમાં દશ-વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાની વાત અતિચારમાં આવે છે. તેથી જણાવે છે કે-અગાઉ જ્યારે વખત મળે ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના માટે કાઉસ્સગ્ગ કરવાનો વિધિ પ્રચલિત હતો. ૬. પચ્ચકખાણ- સવારે નમુકકારશી વગેરે, દિવસના બીજા ભાગમાં ગંઠસી, મુસી, દેશાવળાશિક Page #341 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વગેરે તથા સાંજે દિવસચરિમ પચ્ચફખાણ કરવાનું હોય છે. તથા મિથ્યાત્વ હિંસા વગેરે સાવધ યોગોનાં ત્યાગમય સમ્યક્ત્વ મૂલ બાર વ્રતો પ્રત્યાખ્યાન રૂપ, અને વ્રતસ્વરૂપે સામાયિક રૂપ તથા ત્રણ શિક્ષાવ્રત અને ચાર ગુણવ્રત પણ ગુણસ્વીકાર સામાયિક રૂપ, અને દોષ ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન રૂપે છે. અર્થાત્ બાર વ્રતનું પાલન આખા જીવનનું પ્રત્યાખ્યાનાવશ્યક છે. તેનું આજના દિવસે પણ પ્રત્યાખ્યાન રૂપ હોવાથી તે આજના દિવસનું પણ પ્રત્યાખ્યાન આવશ્યક ગણી શકાય. ૨૬૮ આમ દિવસમાં કરવાના છ આવશ્યકો હોય છે. પરંતુ કોઈ જીવો એ પ્રમાણે ન કરી શકેલ હોય, તેને પણ આરાધના થાય, અને કરી શકેલ હોય તેને વિશેષ આરાધના થાય, માટે દિવસના એ છ આવશ્યકો વિસ્તૃત દેવસિઞ પ્રતિક્રમણના વિધિમાં ગોઠવી આપ્યા છે, તે આ રીતે: ૧. સામાયિક - સામાયિક ન કર્યું હોય, તો પ્રથમ સામાયિક લીધું, ત્યાંથી માંડીને સામાયિક પારે ત્યાં સુધી સામાયિક થાય. ૨. વંદન - પછી બે વાંદણાં-જો કે દિવસચરિમ પચ્ચક્ખાણ લેવા માટે આપે છે, પરંતુ વંદન તો છેવટ ગુરુ મહારાજને થાય છે. ૩. પછી પચ્ચફખાણ લે જ છે. ૪. પછી ચૈત્યવંદન શરૂ કરી દેવવંદન કરી ચતુર્વિશતિ સ્તવ પણ થાય છે. ૫. દેવસિઅ પડિકકમણે ઠાઉથી છ આવશ્યકમય પ્રતિક્રમણાવશ્યકની શરૂઆત થાય છે. ૬. અને કાઉસ્સગ્ગ ન કર્યો હોય તો-દેવસિઅ પાયચ્છિત્તથી માંડીને લઘુ શાન્તિ સુધી કાઉસ્સગ્ગ થાય છે. અને ચઉકાયથી તો છેલ્લું સાતમું ચૈત્યવંદન ગોઠવેલું છે. ન આમ આ વિધિમાં દિવસના છએય આવશ્યકોનો સમાવેશ કર્યો છે. અને દેવસિઅ પડિકમણે ઠાઉ, ત્યાંથી માંડીને અડ્વાઇત્ઝેસુ સુધી છ આવશ્યકોમય પ્રતિક્રમણાવશ્યક આનંદ મંગલમય દેવગુરુની વંદના સાથે પૂરું થાય છે. તેની સાથે દિવસનાં બીજા પાંચ આવશ્યકો જોડવાથી વિસ્તૃત દેવસિઅ પ્રતિક્રમણ વિધિ થાય છે. હવે એ દેવસિઅ પ્રતિક્રમણ જેમ વિસ્તૃત છ આવશ્યકમય છે. તેમજ તે દરેક છ આવશ્યકો પણ છ આવશ્યકમય છે. તેના પેટા છ આવશ્યકો પણ આવશ્યકમય છે. અને તે દરેકમાં આવતાં વિધિઓ અને સૂત્રો પણ છ છ આવશ્યકમય છે. આ વિષય વિગતવાર સમજાવતાં ઘણું લંબાણ થવાથી અહીં છોડી દઈએ છીએ. પરંતુ અહીં સુધીનો આ ગ્રંથ વાંચતાં એ બાબત વાંચકોના ખ્યાલમાં બરાબર આવ્યા વિના રહેશે નહિ. આ ઉપરથી શ્રી કરેમિભંતે સૂત્ર કેટલું વ્યાપક છે ? તે પણ સમજવામાં આવશે. ઘણાં ખરાં સૂત્રોમાં તેનાં પદો છૂટાં છૂટાં વેરાયેલાં નીચે પ્રમાણે મળે છે. કેરેમિ શબ્દ ઘણી વખત જુદાં જુદાં આવશ્યકોમાં વપરાયેલ જોવામાં આવશે. કરેમિ કાઉસ્સગ્ગ, ઇચ્છામિ ઠામિ વગેરે તેનાં અંગો છે. ભંતે ! પણ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ના રૂપમાં વારંવાર દેખાય છે. પચ્ચક્ખામિ પચ્ચક્ખાણોમાં-પચ્ચક્ખામિ શબ્દ જોવામાં આવે છે. તેમજ મન વચન કાયાના Page #342 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૬૯ સાવધયોગોનો ત્યાગ દુચિંતિમ દુક્લાસિસ વગેરે શબ્દોમાં જણાય છે. તસ્ય ભંતે ! પફિકમામિ વગેરે-વાંદણામાં તસ્સ ખમાસમણ પડિફિકમામિથી વોસિરામિ સુધી આવે છે. વગેરે. શ્રી આવશ્યક સૂત્ર છ આવશ્યકોનાં સૂત્રો મય છે. એટલે કે-જૈન શાસનગત તમામ વિધિઓ છ આવશ્યકમય હોય છે. તેમાં એ આવશ્યક સૂત્રમાં જણાવેલાં છ આવશ્યક સૂત્રો જુદી જુદી રીતે ગૌણ કે મુખ્ય ભાવે ગૂંથાયેલાં હોય છે, એવી સેંકડો, હજારો, ભિન્ન ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્રવ્યક્તિ વગેરેને ઉદ્દેશીને વિધિઓ હોય છે. તેમાંના પાંચ પ્રતિક્રમણના વિધિઓ વધુ પ્રચલિત અને પ્રસિદ્ધ છે, તે દરેક પણ પડાવશ્યકમય છે. અને તેમાં પણ એ આવશ્યક સૂત્રમાંનાં છ આવશ્યકોનાં જુદાં જુદાં સૂત્રો તે વિધિના ઉદ્દેશ અનુસાર ગોઠવાયેલાં હોય છે. માટે તેનું નામ પડાવશ્યકમય પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો એમ સમજવું જોઈએ. પ્રતિક્રમણ વિધિનાં સૂત્રોને ષડાવશ્યકમય આવશ્યક સૂત્ર સમજવાનું નથી. કેમકે-પડાવશ્યક મય આવશ્યક સૂત્ર તો સેંકડો ગમે વિધિઓમાં વપરાયેલું હોય છે. જો કે મૂળ છએય આવશ્યકોના સામાન્ય હેતુઓ તો દરેક વિધિઓમાં વ્યાપક હોય જ છે. તે ઉપરાંત તે તે વિધિના વિશેષ હેતુઓ પણ હોય છે. છ આવશ્યકોના સામાન્ય હેતુઓ આ પ્રમાણે છે. (૧) સામાયિક - સાવઘયોગથી વિરમવું. (૨) ચઉવિસત્યો - જિનેશ્વર પ્રભુના ગુણોનું કીર્તન. (૩) વંદન - ગુણવંતની પ્રતિપત્તિ-ભકિત-સત્કાર. (૪) પ્રતિકમણ - અતિક્રમ; વ્યતિક્રમ, અતિચારની નિંદા, ગહ, ભૂલ સુધારવી, ભૂલ જોવી. (૫) કાઉસ્સગ્ન - વ્રણ ચિકિત્સા, એટલે ગૂમડું થયું હોય, તેને બળજબરીથી કાપવામાં આવે છે અને દવા લગાડવામાં આવે છે. તેમ દોષોને બળજબરીથી કાઢી નાંખવા મન વચન કાયાનું બળ કરવું તે. (૬) પ્રત્યાખ્યાન - ત્યાગ રૂપ ગુણ ખીલવવો. સાવદ્ય યોગનો ત્યાગ. પાંચ આચારમય છે આવશ્યકો આવી રીતે છે. સામાયિકમાં-ચારિત્રાચારની શુદ્ધિ. ચઉવિસોમાં-દર્શનાચારની શુદ્ધિ. વંદનમાં-જ્ઞાનાદિકની શુદ્ધિ. પ્રતિક્રમણમાં-સર્વ આચારોની અતિચારોથી શુદ્ધિ. કાઉસ્સગ્નમાં-વર્યાચારની શુદ્ધિ. પ્રત્યાખ્યાન-તપાચારની શુદ્ધિ. પ્રતિક્રમણને બરાબર ભાવ સમજવાને તેનાં ૮ નામ આપવામાં આવેલ છે. (૧) પ્રતિક્રમણ : સામાયિકમય આત્મા સાવદ્ય યોગમાં પ્રવર્યો હોય, ત્યાંથી પાછો ફરી પ્રતિક્રમી-પાછો સામાયિકમય બને-તેમ કરવા પ્રયત્ન કરે. તેમ કરવાનો પ્રયત્ન તે પ્રતિક્રમણ. ખરી રીતે-પાપ ન કરવું, તે પ્રતિક્રમણ. પરંતુ અપવાદે-પાપ થઈ ગયું હોય, તો તે દૂર કરવું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો (૨) પ્રતિકમણ: પ્રભુની આજ્ઞામાં જે જે ભંગ કર્યો હોય, તે અજ્ઞાનથી થયેલો સમજીને તેમાંથી પાછા ફરવું તે. જેમ-મનાઈ કરેલી હદમાં પ્રવેશ કરતાં સામેથી સિપાઈઓ પકડવા આવે, તો તેમાંથી પાછે પગે નીકળી જઈ બચી જવાય છે, તેમ દોષોમાંથી નીકળી જવું. (૩) પડિહરાણા : દોષો ન નડે, એવી પ્રથમથી જ ખબરદારી રાખી સંયમ-વ્રત પાળવા તે પડિહરણા. (૪) વારણા : પહેલેથી જ પ્રમાદનો ત્યાગ, સાવચેતી રાખવી, જાગૃતિ રાખવી અને દોષો થતા જ અટકાવવા. (૫) નિવૃત્તિ : ભૂલથી કે કોઈની સોબતથી કે આજુબાજુના સંજોગોથી દોષોમાં કદાચ દોરાઈ જવાય તો તુરત જ ભાનમાં આવી જઈ ઠેકાણે આવી જવું તે. (૬) નિંદા : દોષો પોતાનાથી થઈ જાય છે, તે વિષે બેદરકારી ન રાખતાં પોતાની નબળાઈ માટે પોતાની જાતને ઠપકો આપવો. મન સાક્ષીએ આત્મનિંદા કરવી જિંલાનિ દોષો સેવવામાં બહાદુરી ન માનતાં પોતાની ભૂલને ઠપકાપાત્ર ગણવી. (૭) ગહ : ગુરુ પાસે પણ પોતાની જાહેર નિંદા કરવી. પોતાના દોષો ઉઘાડા કરવા. અને આત્મશુદ્ધિ માટે સંકોચ ન રાખવો. તે ગહ હfજ. (૮) શોધન શુદ્ધિ : મેલું કપડું જેમ સાબુ કે ખારથી ધોઈ સાફ કરી નાંખવામાં આવે છે તેમ દોષોથી મેલો થયેલો આત્મા પ્રતિક્રમણરૂપી ખારથી ધોઈ સાફ કરી શકાય છે. અથવા થોડી માત્રામાં લેવાતા ઔષધથી પણ જેમ મોટા મોટા રોગ જાય, તેમ પ્રતિક્રમણથી મોટાં મોટાં પાપ નાશ થાય છે. પ્રતિક્રમણ માંડલી વળી આ દેવસિઅ પ્રતિક્રમણ સાંજે ચતુર્વિધ સંઘે સાથે મળીને પોતપોતાની પર્ષદામાં કરવાનું છે. એટલે કે-(૧) મુનિઓ અને શ્રાવકોની પર્ષદાએ-તથા (૨) સાધ્વીઓની અને શ્રાવિકાઓની પર્ષદાએ મળીને કરવાનું છે. તેવો જોગ ન હોય તો જુદાં જુદાં કરે છે. પરંતુ જોગ હોય તો જેમ બને તેમ બનતાં સુધી સાથે જ કરવું. આથી સંઘની રોજ સભા મળવા જેવો પ્રસંગ ઊભો થાય છે અને દરેકને કાંઈને કાંઈ ફાયદો થાય છે, ધાર્મિક વાતાવરણ કાયમ ઊભું રહે છે. મુનિઓને પોતાના આચારમાં સાવચેત રહેવું પડે છે. સારા ત્યાગી વૈરાગી મુનિરાજેનો અને ગુણી શ્રાવકનો મેળાપ થાય છે. તેઓનો આદર્શ બીજા જીવોને આકર્ષક થઈ શકે છે. કાચાપોચા જીવો ધર્મમાં સ્થિર થાય છે. સંઘમાં અખંડ સંપ જાળવવાનું સાધન છે. કુસંપ થયો હોય તો પણ એક મંડળમાં પ્રતિક્રમણ કરવાની પ્રભુ આજ્ઞા પાળવા સંપ Page #344 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૭૧ કરવાનો પ્રસંગ ઊભો થાય છે, સૂત્રોચ્ચાર શુદ્ધ થાય છે. બાળકો આ રીતે જ જાહેર સભામાં આદેશ. લઈ આગળ આવવા હરીફાઈમાં આવી સારી રીતે સૂત્રો, સ્તવનો, સઝાયો વગેરે મુખપાઠ કરવા લલચાય છે. દેશ-પરદેશના ધાર્મિક સમાચારો સૌના જાણવામાં આવે છે. આ રીતે આ સંઘની રોજ જાહેર સભા મેળવવાની ભારે ઉત્તમ સંધિ છે. પ્રતિક્રમણ તો ખાસ જાહેરમાં સકળ સંઘ સાથે કરવાની ભગવાનની આજ્ઞા છે. તેને ઘણા અજબ હેતુઓ સમજાય છે. તેમાં અત્યન્ત લાભ સમાયેલા છે. પ્રતિક્રમણ કરનારાઓની ભક્તિ પ્રતિક્રમણ કરવા આવનારાઓનો ઉત્સાહ વધારવો, એ તો કદાચ ગૌણ હેતુ ગણીએ, પણ પ્રભુની આવી પ્રધાન આજ્ઞાને રોજ આવી રીતે અમલમાં મૂકનાર આવા ઉત્તમ સાધર્મિકોની પરમ ઉલ્લાસપૂર્વકની પોતાના તરફથી યથાશકિત નિમિત્તે પ્રભાવનાના અર્થમાં જે કાંઈ વહેંચવાનો રિવાજ જેવામાં આવે છે, તે કેટલા બધા ઉચ્ચ હેતુસર છે ? તે ખાસ સમજવા જેવું છે. પ્રતિક્રમણ શોભારૂપ છે. મંદિર અને ઉપાશ્રય એ બન્નેય ધર્મ-પ્રવૃત્તિના કેન્દ્રભૂત મહાન સંસ્થાઓ છે. મંદિરના ભૂષણ-ધર્મમાં ઉત્સાહ અને પ્રેમ ઉત્પન્ન કરનાર પૂજા અને ઉત્સવો છે. અને ઉપાશ્રયના ભૂષણ રૂપ-વ્યાખ્યાન અને સાંજનું પ્રતિક્રમણ ખાસ છે. આ હેતુથી પણ પ્રતિક્રમણ મંડળમાં કરવું જોઈએ-માટે જ પ્રતિક્રમણ માંડલી શાસ્ત્રમાં બતાવેલ છે, મુનિઓ માટે ખાસ. એકાંતમાં કદાચ કોઈક દિવસે કોઈકને શાંતિ અને ભાવ સારો રહે, છતાં સમુદાયની મજા ઓર હોય છે. તેમાં ઉતાવળ થાય, વખતે મોડાવેલું થાય, વખતે ઘોંઘાટ હોય, વખતે બરાબર સૂત્રો સંભળાય ન સંભળાય, છતાં એકંદર તેમાં વધુ લાભ છે. સત્સંગ અને પરસ્પરના સંસર્ગનો કોઈ દિવસે જે મહાન લાભ થાય છે, તે એકાંતમાં નથી થતો. દિવસમાં અવશ્ય કરવાની ધર્મ કરણી ન કરી હોય તે થઈ જાય, તથા ન કરી તેનું પ્રાયશ્ચિત્ત પણ થઈ જાય છે. પ્રતિકમણ કોણે કરવું? જૈન નામધારી દરેકે કરવું-અભ્યાસીએ કરવું, વ્રતધારીએ શ્રાવક-શ્રાવિકાએ કરવું. સાધુ-સાધ્વીજીએ કરવું. બાળકોએ, વૃદ્ધોએ પણ કરવું. જૈન તરીકેની જે ખામી લાગી હોય, જૈન ધર્મના કોઈપણ એકાદ પણ સિદ્ધાંત તરફ અશ્રદ્ધા થઈ હોય, જેવી જોઈએ તેવી શ્રદ્ધા ન ઉત્પન્ન થઈ હોય, તેની શુદ્ધિ માટે દરેકે કરવું. જ્ઞાનના અભ્યાસીઓએ પણ કરવું. કેમકે ખોટી રીતે ભણાયું હોય, ભણાવ્યું હોય, ખોટો ઉપદેશ અપાયો હોય, ઉસૂત્ર ભાષણ થયું હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય, તેની શુદ્ધિ માટે પણ પ્રતિક્રમણ કરવું. વ્રતધારી શ્રાવકે પણ વ્રતાતિચાર આલોવવા પણ કરવું. મહાવ્રતધારી મુનિરાજાઓએ પણ વ્રતાતિચાર આલોવવા પણ કરવું. શાસનના નિયમ તરીકે કરવું. ભગવાનની આજ્ઞાપાલન માટે કરવું. Page #345 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો રૂઢ રિવાજ રૂપે પણ કરવું. રોજના આચાર તરીકે પણ કરવું. દેખાદેખીથી પણ કરવું. ક્રિયાની પરંપરા ચાલુ રાખવા પણ કરવું. સમજુએ કરવું. અણસમજુએ પણ કરવું. બીજું કાંઈ ન બનતું હોય તેણે પણ જરૂર કરવું. પોતાના કુટુંબમાં ક્રિયાનો વારસો ઉત્તરોત્તર ટકાવવા પણ રોજ પ્રતિક્રમણ કરવું, સમજાય તો સારું અને ન સમજાય તો પણ કરવું, ગતાનુગતિકતાથી પણ કરવું. જૈન શબ્દને ચરિતાર્થ કરવા પણ કરવું, હર હાલતમાં હર કોઈ જૈને અવશ્ય સાંજે તો પ્રતિક્રમણ કરવું, કરવું ને કરવું જ. ખાસ વિશિષ્ટ ઉદ્દેશ વિના પણ કરવું કરવું, ને કરવું જ. વખત ન મળે તો વહેલા મોડું પણ કરવું, કરવું ને કરવું જ. ગામ ગામાંતરે પણ કરવું જ. મુસાફરીમાં પણ કરવું. ગમે ત્યાં હોઈએ, ત્યાં પણ કરવું જ. માંદા હોઈએ તો પણ બનતા સુધી કરવું. આટલો બધો ભાર શાસ્ત્રકારોએ દીધેલો જોવામાં આવે છે. માટે જ તેને આવશ્યક ગણવામાં આવે છે. ૨૭૨ આવશ્યકાઽપરિહાણિ એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રમાં-આવશ્યક ન ચૂકવાને-તીર્થંકર નામ કર્મ બાંધવાનું કારણ ગણાવેલ છે. દરેક દિવસે સરખો ભાવ ન હોય, છતાં તે ન ચૂકવાની ખાસ ભલામણ કરે છે. બેસનારા હોય કે ન હોય, પણ રેલવે સર્વિસ નિયમિત વખતે જા-આવ કરે છે તે જ પ્રમાણે દોષ લાગ્યો હોય, યા નહીં, તો પણ પહેલા-છેલ્લા તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ કરવાની ખાસ ભલામણ છે. જેમ રોજ બે વખત ઘર વાળીએ છીએ, છતાં પંદર દિવસે કેમ તેને ખૂણે ખાંચરેથી વાળીએ છીએ ? અને વરસમાં અમુક વખતે આખું મકાન ચારેય તરફથી સાફસૂફ઼ કરીએ છીએ. તે જ પ્રમાણે રોજ-સવાર, સાંજ, પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની જરૂર છે. પ્રતિક્રમણ માટે આટલો બધો શાસ્ત્રમાં ભાર આપેલો હોવા છતાં અને તે પણ ખરો હોવા છતાં, જેઓ તે પ્રમાણે ન વર્તતાં તેની સામે વિરુદ્ધ પ્રચાર કાર્ય કરે છે, તે ખરેખર કાળદોષને લીધે જૈનપણાથી ચ્યુત થાય છે. વિધિ અવિધિને બહાને સમજવા ન સમજવાને બહાને રોજની એકની એક ટેવને બહાને ‘‘કાંઈ પણ પ્રકૃતિમાં સુધારો વધારો થતો નથી’’ તેવી દલીલોથી ‘“પ્રતિક્રમણ કરનારાના સ્વભાવો ખરાબ હોય છે, અથવા ઉગ્ર હોય છે, અથવા વ્યવહારમાં અપ્રામાણિક હોય છે,’’ વગેરે સત્યાસત્ય દલીલોથી પ્રતિક્રમણ વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. તે જૈન ધર્મની મોટી આશાતના કરે છે. પ્રતિક્રમણ કરવું, કરવા દેવું, કરવાની પ્રેરણા કરવી, ઉત્સાહ વધારવો, તેનું બહુમાન જાળવવું. એ કર્તવ્ય તરીકે તો કરવું જ, છતાં કોઈમાં દોષો હોય તે સુધારવા જુદા પ્રયત્નો કરવા, પણ તેટલા ઉપરથી તેને પ્રતિક્રમણ કરતો અટકાવવો નહીં. જો કે પ્રતિક્રમણ કરનારાના જે દોષો બતાવવામાં આવે છે, તેનો મોટો ભાગ કલ્પિત અને ભારતીય જીવનના ઊલટસૂલટ સંજોગો અને જવાબદારીઓને સમજ્યા વિના માત્ર છિદ્રાન્વેષી તરીકે જ દોષ કાઢવામાં આવે છે. તેઓને દોષનો વિરોધ નથી હોતો, પણ મુખ્યતયા ક્રિયાનો વિરોધ હોય છે, તે બાલજીવોની Page #346 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૭૩ આગળ આ સ્વરૂપે મૂકવામાં આવે છે. એટલે ખરી રીતે ક્રિયાનો વિરોધ હોય છે. પરંતુ ખરી રીતે એવો ક્રિયાનો વિરોધી વર્ગ ઉપેક્ષ્ય છે. અને તે જૈન તરીકેનું સામાન્ય કર્તવ્ય ચૂકે છે, અને વિરાધક થાય છે. ચરણ-કરણાનુયોગ કેટલાક લોકો એમ કહેતા ફરે છે કે – “જૈન ધર્મમાં માત્ર દ્રવ્યાનુયોગ, સ્વાદુવાદ, નય, નિક્ષેપ જ સમજવા લાયક છે. તે જ તેનું વિશિષ્ટ સ્વરૂપ છે, અને તે જ તત્ત્વજ્ઞાન છે. ક્રિયા મહત્ત્વનું અંગ નથી.” એમ બોલનારા ગંભીર ભૂલમાં છે, જૈન ધર્મના સ્વરૂપની મોટામાં મોટી ગેરસમજ છે. અને આમ કહેવામાં જૈન ધર્મને મહાનું અન્યાય કરે છે. તેથી તેના એક મહત્ત્વના અંગની ઉપેક્ષા કરવાથી તેને તોડી પાડવા બરાબર થાય છે. ક્રિયાઅંગ પણ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના દઢ પાયા ઉપર જ વ્યવસ્થિત છે. જેમ નવતત્ત્વ અને છ દ્રવ્યોનું સ્વરૂપ પદ્ધતિસર પદાર્થ વિજ્ઞાન ઉપર છે, તે જ પ્રમાણે ક્રિયાનું સ્વરૂપ પણ પદ્ધતિસર અને જગતુના એક મહાન વિજ્ઞાન તરીકે સમજાવેલ છે. સંવર અને નિર્જરા તત્વમય જૈન ક્રિયાને માટે “જેમ તેમ કલ્પના છે.” એમ બોલી કેમ શકાય જ ? જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ: એથી જ તે બન્નેના મેળથી જ તત્ત્વજ્ઞાનમય જૈન દર્શન ગણાય છે. ત્યારે જ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. કોઈ પણ શુભ હેતુ, ભાવના, કલ્પના, કે વિચાર, કર્તવ્યમાં મૂકવા માટે તેને વ્યવહારુ બનાવવાનું, સાધન જ ક્રિયા છે. તેના વિના ધર્મનું સકળ અંગ વિકળ રહે છે, ક્રિયાત્મકતા વિના કોઈ પણ વસ્તુ અમલમાં આવી શકતી નથી, જીવંત બની શકતી નથી. કોઈ પણ ધર્મની ક્રિયા જ તે ધર્મને માનવ જીવનમાં ટકાવી શકે છે. જગતમાં ધર્મને જીવવાનો પ્રાણ ક્રિયા છે. ક્રિયા વિના ધર્મ કે નહીં. વ્યવહારમાં જીવે નહીં, દેખાય નહીં. આ તો માત્ર સામાન્ય વસ્તુ સર્વ ધર્મો માટે છે. ત્યારે મહા તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અંગમય જૈન ધર્મની ક્રિયા વિષે તો પૂછવું જ શું? તેની ઉપેક્ષા એટલે જૈન ધર્મની ઉપેક્ષા. જેમ ગણિત, દ્રવ્યાનુયોગ અને કથાનુયોગ એક વ્યવસ્થિત વિજ્ઞાનમય પ્રવચનનાં અંગો છે, તેમજ ચરણ કરણાનુયોગ પણ એવું જ પ્રવચનાંગ છે. તેની ઉપેક્ષા કરવી, તેના ઉપર કટાક્ષ કરવો, તેની નિંદા કરવી, ટીકા કરવી, તેનાં સાધનો તોડી પાડવાં, તેને આડે આવવું, તેમાં અંતરાય કરવી, તે વિષે ખોટા ખ્યાલો ઊભા કરવા, તે વિરુદ્ધ મોટો પ્રચાર કરવો, એ ખરેખર મહાપ્રવચન વિટંબણા છે, મહાઆશાતના છે, મહા ઘોર પાપ છે, તીવ્ર મિથ્યાત્વ છે, વિનાશનો મહા રાજમાર્ગ છે, સમ્યકત્વથી ભ્રષ્ટતાનો મોટો પુરાવો છે. “ક્રિયાભેદો છે.” “ક્રિયાના ઝઘડા છે. “શુષ્ક ક્રિયામાં જડતા છે.” વગેરે શબ્દો કહી, “તેના ભેદો ઉપેક્ષ્ય છે. તે જૈન ધર્મનું અંગ નથી.” એવું વલણ રાખવું એ ભારે કમપણાની નિશાની છે. સુજ્ઞ જનોએ એવું કદી ન કરવું જોઈએ. અલબત્ત-આચરનારાઓની ખાસ ભૂલો સુધારવા વાત્સલ્ય ભાવનાથી પ્રયત્નો કરવા જોઈએ, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પંચ પ્રતિકમાણસૂત્રો પરંતુ તેના ચાલુ પ્રવાહને જરા પણ અટકાવવો નહીં જોઈએ. ક્રિયાઓમાં મતમતાન્તર હોય, તો દ્રવ્યાનુયોગના અભ્યાસીઓની માફક તેના અભ્યાસીઓ ઉત્પન્ન કરવા જોઈએ, કેમ કે-તે પણ વિશાળ રસમય વિષય છે, તેના વિશાળ અધ્યયનથી તેના સામાન્ય-વિશેષ સિદ્ધાંતો સ્થિર કરી, વૈજ્ઞાનિક પાયા પર શાસ્ત્રમાં છે તે પ્રમાણે વસ્તુસ્થિતિ બહાર લાવવાથી આપોઆપ ગેરસમજથી ઉત્પન્ન થયેલા ભેદો ઊડી જાય, એ સ્વાભાવિક છે. આ વિષય ઘણો જ છણવા જેવો અને અભ્યાસવા જેવો છે. તે હાલમાં ન વિચારી શકાય તેની હરકત નહીં, પણ જનસમાજને તેના પર ઉપેક્ષા કરતો કરવો, તેના જેવું બીજું પાપ કયું હોઈ શકે? જૈન ધર્મના ધર્માચારની ફૂલગૂંથણી ઘણી જ વિચિત્ર છે. તે એટલી બધી અટપટી-ન સમજી શકાય તેવી રીતે દૂર દૂરના સંબંધોથી ચિત્ર-વિચિત્ર રીતે ગૂંથાયેલી છે. છતાં તે અવિમિશ્રિત અને ગૌણપ્રધાન ભાવથી વ્યવસ્થિત છે. ધર્મના આચારો પણ વ્યવસ્થિત નિયમબદ્ધ છે. શાસ્ત્રીય પદ્ધતિ પર સ્થિત અને પાત્ર પ્રમાણે ઉપયોગની સગવડોથી ભરપૂર છે. જેમ જેમ ઊંડો અભ્યાસ વધતો જાય તેમ તેમ એક સાદામાં સાદી બાબતમાં એટલું બધું ઊંડાણમાં જોવામાં આવે છે, કે-તેના અંતિમ તાત્પર્યનો પત્તો જ લાગતો નથી. ત્રણેય બાજુ કાચના ઓરડામાં વચ્ચે દીવો મૂકીને બેસીએ, પછી તેમાં દીવાઓના ઊલટાંસૂલટાં જે પ્રતિબિંબો પડે છે, તેના અંતનો પત્તો લગાડવાને કોણ સમર્થ થઈ શકે છે ? તેવી જ રીતે આ આચારો વિષે જણાય છે. તે છતાં તે અનવસ્થિત નથી. એક બીજા આચારોની એક બીજા ઉપર એવી ઊલટસૂલટી ગૌણમુખ્ય ભાવે અસરો પડે છે કે જેનું વિગતવાર સંપૂર્ણ પૃથકકરણ આ જમાનાનો કોઈપણ માણસ કરી શકે, એવો અમને સંભવ જ જણાતો નથી. એ પૃથકકરણ મહાન પૂર્વજ્ઞ ધૃતધરોએ જ ઘણું જ વ્યવસ્થિત રીતે કર્યું છે. જ્યારે તે જોઈએ છીએ, ત્યારે આચારોનાં અગાધ રહસ્યોની ઝાંખી થાય છે, તેની પાછળ પણ અનેક સ્વતંત્ર વિજ્ઞાનો જોડાયેલાં છે. અધ્યાત્મશાસ્ત્ર તથા માનસશાસ્ત્રનો સારો વિદ્વાન જ આ વિષયનો વિદ્યાર્થી બની શકે છે. તેને જ “તે શાસ્ત્રોની કેટલી વ્યાપકતા હોઈ શકે ?” તેની સંપૂર્ણ ઝાંખી એ વિશાળ પ્રયોગસંગ્રહનો ખ્યાલ લેવાથી આવી શકે તેમ છે. પૂર્વાચાર્યોએ કેટલાંક વર્ષોથી એટલે કે લગભગ પૂજ્ય આર્ય રક્ષિત સૂરિજીના વખતથી દરેક સૂત્રોના દરેક અનુયોગનું મુખ્યતાએ વ્યાખ્યાન કરવાનું અને નયો ઉતારવાનું લગભગ બંધ કરવામાં આવ્યું છે. એ, આ આધ્યાત્મિક પ્રયોગોના ચકકરમાં ઊતરવાની ત્યાર પછીના માનવોની અશક્તિનો ખ્યાલ કરીને જ જણાય છે, અને જેને આચારોની વિચિત્ર ગૂંથણી જોતાં તે વાજબી પણ લાગે છે. કેટલાક કહે છે કે “જૈનધર્મે જગતને દયા શીખવી છે. જૈન ધર્મમાં સામાયિક, પ્રતિક્રમણ એવી કેટલીક ક્રિયાઓ છે તે ઉપાશ્રયમાં જઈને કરી જવાની છે, એટલું જ એ ધર્મમાં છે' પરંતુ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે-“જૈન ધર્મની જેટલી ક્રિયાઓ, જેટલાં વિધિવિધાનો અને જેટલા Page #348 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૭૫ આચાર છે, તે બધા અહિંસાને જીવનમાં ઉતારવાને માટેના જુદા જુદા પ્રયોગો છે.” જૈન ધર્મ : આજ્ઞામય ધર્મ છે, વિનયમૂળ ધર્મ છે, સત્યમય ધર્મ છે, સામાયિકમય ધર્મ છે, ચાર સામાયિકમય ધર્મ છે, આવશ્યકમય ધર્મ છે, પંચ પરમેષ્ટિમય ધર્મ છે, ચાર શરણ રૂપ ધર્મ છે, પાંચ જ્ઞાનમય ધર્મ છે. ત્રણ રત્નમય ધર્મ છે, ત્યાગમય ધર્મ છે, સત્તર સંયમમય ધર્મ છે, બાર પ્રકારના તપોમય ધર્મ છે, આશ્રદ્વાર નિરોધ-સંવર પ્રવર્તનમય ધર્મ છે, પંચાચારમય ધર્મ છે, સર્વ કષાય ત્યાગમય ધર્મ છે, પંચ મહાવ્રત રૂપ ધર્મ છે, બ્રહ્મચર્ય-ગુરુકુળવાસરૂપ ધર્મ છે, ચતુર્વિધ સંઘામ્નાયમય ધર્મ છે, શાસનસેવામય ધર્મ છે, જ્ઞાન ક્રિયામય ધર્મ છે, અષ્ટપ્રવચન માતારૂપ ધર્મ છે, ચરણસિત્તરી કરણ સિત્તરીમય ધર્મ છે, હેય ઉપાદેય જોયપણે વિભકિત નવ તત્ત્વમય ધર્મ છે. ઉપશમ રૂપ ધર્મ છે, વૈરાગ્ય ધર્મ છે, વિવેક-સ્વ-પર તથા સાચા-ખોટાની વહેંચણ રૂપ ધર્મ છે. દર્શન વિશુદ્ધિમય ધર્મ છે, તીર્થ સંસ્થારૂપ ધર્મ છે, પ્રવચનથુતધર્મમય ધર્મ છે, સ્યાદવાદ જ્ઞાનમય ધર્મ છે, વૈયાવૃત્ય-સેવામય ધર્મ છે, આચારમય ધર્મ છે, સમ્યકત્વમૂલક ધર્મ છે, શિક્ષા-આસેવન રૂપ ધર્મ છે, નવપદની આરાધના મય ધર્મ છે, સાત નયજ્ઞાનાત્મક ધર્મ છે, ચાર નિક્ષેપાત્મક ધર્મ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમય ધર્મ છે, થામણ્ય પ્રધાન ધર્મ છે, અધ્યાત્મમય ધર્મ છે, ઉચ્ચનીતિમય ધર્મ છે, દાન-શીળ-તપ ભાવનામય ધર્મ છે. વીશસ્થાનકારાધનામય ધર્મ છે, દેવ, ગુરુ, ધર્મમય ધર્મ છે. ઉપર જણાવેલામાંનો કોઈ પણ એક પ્રકાર લઈ ઘટાવશો, તો પ્રાય: સમગ્ર જૈન ધર્મ એટલે તેના આચારો અને વિચારો, તેમાં સ્વતંત્રપણે ઘટી શકશે. કોઈ પણ એક વસ્તુને ધ્યાનમાં રાખીને જૈન ધર્મ તરફ જોશો તો તે તન્મય જ દેખાશે. વળી બીજી વસ્તુ ધ્યાનમાં રાખીને ઘડાવશો, તો ત્યારે વળી તન્મય જણાશે જ. છ આવશ્યકને દૃષ્ટિમાં રાખીને વિચારશો, તો જૈનધર્મની કોઈ પણ ક્રિયા તેના ક્ષેત્ર બહાર નહીં રહે. પંચ પરમેષ્ઠીમાં ઘટાવશો, તો તેમાં ઘટી શકશે. લાદી પાથરનાર કારીગર લાદીના અનેક આકારના ટુકડા પરથી નાના નાના જુદા જુદા આકારો બનાવે છે. તે આકારો બીજા મોટા આકારોમાં કારણભૂત થાય છે. તે બધા આકારો એવી ખૂબીથી ગોઠવ્યા હોય છે કે એક રીતે જોઈએ તો તે ગોઠવણ ચોરસ દેખાય, બીજી રીતે ગોળ દેખાય, ત્રીજી રીતે આઠ ખૂણિયા દેખાય, ચોથી રીતે ફૂલને આકારે દેખાય. તેની પેઠે અનેક આચારમાં વ્યવસ્થિત, સમગ્ર અધ્યાત્મશાસ્ત્ર જુદા જુદા આકારના પ્રયોગોમાં વહેંચી નાંખી પાત્રો પ્રમાણે સગવડ કરી આપી છે. લંબાણના ભયથી દરેક દાખલા અમો અત્રે ટાંકી બતાવી શકતા નથી. મુનિ, શ્રાવક, સમકિતી, થતાભ્યાસી પાત્રોને ઉદ્દેશીને રોજના, પાક્ષિક, માસિક, વાર્ષિક, જિંદગીના, જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જુદા જુદા તીર્થંકરના તીર્થ કલ્પ અનુસાર, જુદી જુદી શકિત અનુસાર, એમ અનેક વિકલ્પોથી પડાવશ્યકો બતાવેલાં છે. તેમાં નય, નિક્ષેપની વિચારણાઓ સમાયેલી છે. સામાયિક આવશ્યક પણ ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પ્રત્યાખ્યાનમય હોય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચતુર્વિશતિસ્તવાવશ્યક પણ સામાયિક, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પ્રત્યાખ્યાનમય હોય છે. વંદનાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. પ્રતિક્રમણાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, કાઉસ્સગ્ય અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. કાયોત્સર્ગાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. પ્રત્યાખ્યાનાવશ્યક-પણ સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણ, કાયોત્સર્ગાવશ્યકમય હોય છે. અર્થાત્ : સા૦ સા. વં૦ | પ્રતિ કાઉ૦ પ્રત્યા ૨ Tચ૦ સો૦ વં૦ | પ્રતિ૦] કાઉo. પ્રત્યા વં૦. સા. ચ0. પ્રતિ કાઉ૦ પ્રત્યા | પ્રતિ સાવ ચ૦ પ્રતિoT કાઉ૦ પ્રત્યા૦ ૫ | કા૦ સા૦ ચ૦. પ્રતિ૭T કાઉ૦] uo સા૦. ચ૦ ૬ વં૦ | પ્રતિ | કાઉ૦ પ્રત્યા૦ ૬ ૬ | ૬ | ૬ | ૬ | ૩૬ I ૬ | | આ દરેક-જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સાંજના, સવારના, દિવસના, ખાસ પ્રસંગના, જિંદગીના, વરસના, પક્ષના, શ્રાવક-મહાશાવકના, મુનિના, મહા મુનિના વગેરે પ્રમાણે અનેક વિકલ્પો પ્રાપ્ત કરે છે. તે દરેક પાછા પંચાચાર મય હોય છે. ત્રણ રત્નમય હોય છે. અમે અનેક પ્રકારની વિવિધતા ધારણ કરે છે. આ ધોરણથી વિચાર કરતાં જૈન ક્રિયા વિધાનોની અસાધારણ વૈજ્ઞાનિક ખૂબી જણાયા વિના રહેશે નહીં. અને તેને માટે એક પણ તુચ્છ શબ્દ ઉચ્ચારવો કેટલો મુશ્કેલ છે ? તે ત્યારે જ સમજાય તેમ છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે કાગળમાં જણાવેલાં છ આવશ્યકનાં સ્વરૂપોનો ભાવાર્થ :[શ્રી ય ઉ. ગૂ. સા. સં. ભા. ૨ જાની પાછળના પેઈજ ૧૧૦ ઉપર] પડિકકમણનાં છ આવશ્યક કર્મનાં નામ લખીએ છીએ:૧. દોષ સંગ્રહ ૩. પ્રતિક્રમણ ૫. વાણચિકિત્સા ૨. આલોચના ૪. ક્ષામાણવિધિ ' ૬. ગુગધારણ તેનો અર્થ :૧. ભાવ આલોચના ૪. આચાર્યાદિકની આશાતનાની શુદ્ધિ ૨. દ્રવ્ય આલોચના ૫. ચારિત્રાદિકના લઘુદોષની શુદ્ધિ ૩. દોષની નિંદાથી શુદ્ધિ ૬. ઉત્તર ગુણની શુદ્ધિ આવશ્યક અધ્યયનથી ઓળખાતાં કમ તે આવશ્યક કર્યો. તેથી-પહેલા આવશ્યક કર્મમાં ૧. આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા વડે “દોષો કયા ક્યા થયા છે ?” તેનો મનમાં સંગ્રહ કરવો. તેનો વિધિ, કરેમિ ભંતે!, ઇચ્છામિ કામિ, કાયોત્સર્ગ તેમાં પણ-મુનિઓએ સયUT/HTo એ ગાથાથી દોષસંગ્રહ કરવો. અને શ્રાવકોએ પંચાચારની આઠ ગાથા વડે દોષસંગ્રહ કરવો. આમ તે પ્રતિક્રમણની પીઠિકા બતાવી. અને એ પીઠિકાની દઢતા માટે ચતુર્વિશતિ સ્તવ-લોગર્સ સૂત્ર કહેવું. ૨. તે વાર પછી - મનમાં સંગ્રહેલા દોષોનો ગુરુ આગળ પ્રકાશ કરવો. તેનો વિધિ :- મુહપત્તિ પડિલેહી, બે વાંદણા દઈ ઇચ્છાકારણ દેવસિહ આલોઉ ? જોમે કાણે (મુનિઓ માટે) (શ્રાવકોને માટે-સાત લાખ. પહેલે પ્રાણાતિપાત ) ૩. તે વાર પછી - ફરીથી ન કરવાની ભાવના વડે દોષોથી પાછા ફરવું, તે પ્રતિક્રમણ. તેને વિધિ પહેલાં :- સબસ્સવિ. ઈત્યાદિ કહીને પ્રાયશ્ચિત્ત માંગવું. પછી ગુર પડિક્કમેહ કહી પ્રાયશ્ચિત્ત આપે, તે ઈ કહી સ્વીકારીને બેસીને વિધિપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર કહેવું. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય – એ પાંચેય આચારોની શુદ્ધિ થાય છે, એ સ્પષ્ટ જ છે. ૪. તે પછી - તે જ પ્રમાણે ક્ષમાપનાથી આશાતનાની શુદ્ધિ કરવી, તે – વંદનથી માંડીને આયરિય. ઉ સુધીનો વિધિ અહીં સમજવો. ૫. તે વાર પછી :- ગૂમડાના વાઢમાપ પછી ઔષધોપચારની માફક ચારિત્રાદિક ૩ રત્નની શુદ્ધિ કરવી. તેનો વિધિ-ઈચ્છામિ કામિ, કરેમિ ભંતે, તસ્સ ઉત્તરી, અન્નત્ય, કાઉસ્સગ્ન, લોગસ્સ, કાયોત્સર્ગ, પુફખરવર, કાયોત્સર્ગ, સિદ્ધાણં, કાયોત્સર્ગો ૬. તે વાર પછી - ઉત્તર ગુણોની શુદ્ધિ કરવાની છે, ઉત્તર ગુણ તપ વગેરે સમજવા. અને Page #351 -------------------------------------------------------------------------- ________________ २७८ પંચ પ્રતિકમાણસૂત્રો નવકાર બોલીને એ વસ્તુનો અનુવાદ કરવામાં આવે છે. તે વાર પછી [છ આવશ્યક ક્રિયાની પ્રભાવના નિમોસ્તુથી અઢાઇજેસુસુધી તે વાર પછી સામાન્ય રીતે ગુણોદઢ કરવા[ચારલોગસ્સના] કાઉસ્સગ્ન. એ પ્રમાણે દેવસિઅ પ્રતિકમાણનો વિધિ પૂરો થાય છે. એ પ્રકારે-સર્વ પાંચેય પ્રતિકમાણમાં સમજવું. આ ઉપરથી એમ સમજાય છે કે-છ આવશ્યક કરવા છતાં કાંઈ પણ દોષો રહી ગયા હોય તો તેની છેવટની વિશેષ શુદ્ધિ માટે દેવસિય પાયચ્છિા વિસોહાણથંકાઉસ્સગ્ન કરી લોગસ્સથી ચતુર્વિશતિ સ્તવરૂપ અંતિમ મંગળ કર્યા પછી પ્રતિક્રમણ સમાપ્ત થાય છે. ત્યાર પછી મુનિઓ, સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહેતા હશે. કેમકે, અર્ધ સૂર્યાસ્ત વેળાએ પ્રતિક્રમણ સૂત્ર-કહેવાય તો પછી સૂર્યાસ્ત પછી લગભગ એકાદ ઘડીમાં જ પ્રતિક્રમણ પૂરું થાય. પછી સંથારા પૌરુષી ભણાવીને સૂવે ત્યાં સુધીનો ખાલી વખત રહે. તેમાં નવરા તો બેસી ન જ રહે, એટલે સ્વાધ્યાય ધ્યાન કરે. ચૌદ પૂર્વી હોય, તે દ્વાદશાંગીનું પરાવર્તન કરે. બીજા યથાશક્તિ પરાવર્તન કરે. અથવા પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંથી કોઈ પણ એકાદ બે પ્રકારે સ્વાધ્યાય કરે. સ્વાધ્યાયનો વખત પૂરો થવા આવે અને સંથારા પૌરુષીનો વખત નજીક આવે ત્યારે દુ:ખક્ષય કર્મક્ષયનો કાયોત્સર્ગ કરી શાંતિ તુષ્ટિપુષ્ટિનું વાતાવરણ ઉત્પન્ન કરી, છેલ્લું પાર્શ્વનાથ પ્રભુનું ચઉક્કસાયથી સાતમું ચૈત્યવંદન કરી સંથારા પૌરૂષી ભણાવી શયન કરતા હશે. તે સઘળો વિધિ ચાલુ સળંગ પ્રતિક્રમણમાં ભળેલો જણાય છે. આ રીતે પ્રતિક્રમણમાં આવેલાં સૂત્રોના હેતુઓ અનેક દૃષ્ટિબિંદુઓથી વિચારવાના હોય છે. અનેક દષ્ટિથી વિચારીએ ત્યારે જ તેના હેતુઓ આપણને કંઈક સમજાય. હજુ પણ-અહિંસા, વિનય, ધર્મનું આજ્ઞાપ્રાધાન્ય, સાત નો, ચાર નિક્ષેપ, સતુ પદ વગેરે અનુયોગ દ્વારા તથા બીજા અનેક અનુયોગ દ્વાર, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, શારીરિક, આર્થિક, ચાર અનુયોગ વગેરે અનેક પ્રકારના વિચારમાગોને ધ્યાનમાં લઈને વિચાર કરી શકાય તેમ છે. પરંતુ એટલું લંબાણ કરવું અહીં જરૂરી ન હોવાથી છોડી દઈએ છીએ. આ વિષયમાં અમારાથી પણ જે કાંઈ પ્રવચનાર્થ વિરુદ્ધ લખાયું હોય, તેની ક્ષમા યાચી ગુરુગમથી સમજી લેવા સર્વ વાચકોને ભલામણ કરીએ છીએ. તથા ગ્રંથ ઘણો મોટો થવાનો સંભવ લાગવાથી હવે પછી વિશેષાર્થ વગેરે બધું સંક્ષેપમાં જ આપીશું. ૧૪. રાઈઅ-પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો રાઇઅ [રાત્રિક] પ્રતિક્રમણ-રાઈએ પ્રતિકમાણ, અર્ધરાત્રિથી માંડીને મધ્યાહન સુધી અપવાદ થઈ શકે છે. પરંતુ ઉત્સર્ગ નિયમ એવો છે કે-રાત્રિ પ્રતિક્રમણ કર્યા પછી દશ પડિલેહણ કરતાં સૂર્યોદય Page #352 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૭૯ થાય, એ રીતે તે કરવું જોઈએ. બીજું, રાત્રિ પ્રતિક્રમણમાં ભલે સૌ સાથે મળી મંડપમાં રાઈઅ પ્રતિક્રમણ કરે. પરંતુ તદ્દન ધીમા ઉચ્ચારથી કરવું જોઈએ, અને તેથી જુદા જુદા કરે, તોયે પણ હરકત નથી, તદ્દન દાંત વગરની નિર્બળમાં નિર્બળ વૃદ્ધ ડોશીનો જેટલો ધીમામાં ધીમો અવાજ હોય, તેથીયે ધીમા અવાજથી કરવાનું છે. કેમકે-ઉચ્ચ અવાજે કરવાથી આરંભ સમારંભો પાપકારી જીવન જીવનારા જંતુઓ જાગી ઊઠે તો તેના અનર્થનું પોતે પણ નિમિત્ત બને, એ દષ્ટિથી આ પ્રતિક્રમણ એ રીતે કરવાનું છે. રાઈએ પ્રતિક્રમણની મુખ્ય શરૂઆત રાઇઅ પડિકકમાણે કાઉથી શરૂઆત થાય છે. તે પૂર્વ રાત્રિમાં ઊઠ્યા પછી કરવાની કેટલીક ક્રિયા તથા ચૈત્યવંદન તથા સ્વાધ્યાય વગેરે પ્રાત:કાળમાં કરવાની ક્રિયા સાથે જોડાયેલી છે. જ્યારે પ્રતિક્રમણ કરવા માટે સામાયિક લેવાની જરૂર પડે છે, એટલે તે બધી સામાયિક લીધા પછી સાથે થાય છે. એટલે – ૧. સામાયિક લેવાય છે. ૨. પછી કુસુમિણ દુ-સુમિણનો કાઉસ્સગ્ન થાય છે. ૩. ત્યાર પછી પ્રથમ મંગલ નિમિત્તે પ્રાત:કાળનું સાતમાનું પ્રથમ ચૈત્યવંદન અને આચાર્યાદિને વંદન કરવામાં આવે છે. ૪. પછી સ્વાધ્યાય કરવામાં આવે છે. અને તે સ્વાધ્યાયમાં ભરેહસર બાહુબલીની પ્રાચીન મહાપુરુષો અને મહા સતીઓના નામ સ્મરણથી ગૂંથાયેલ સઝાય કરવામાં આવે છે. ૫. પછી ઈચ્છકાર કહી ગુરુ મહારાજને સુખશાતા પૂછવામાં આવે છે. ૫૦. ભરફેસરની સઝાય-૧ [[સરલ હોવાથી શબ્દાર્થ આપેલા નથી] ભરફેસર બાહુબલી, અભયકુમારો આ ઢંઢણકુમારો ! સિરિઓ અણિયા-ઉત્તો, અઈમુત્તો નાગદત્તો આ ના ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, દેઢણકુમાર, "શ્રીયક, અર્ણિકાપુત્ર, અતિમુક્તક, નાગદત્ત,* -૧ મેમજ યુલિભદો, વયરરિસિ નંદિષેણ સીહગિરી કયવનો આ સુકોસલ, પુંડરીઓ કેસિકરકંડૂ ારા મેતા, “સ્થૂલભદ્ર, 'વજષિ, મંદિણ, સિંહગિરિ, કૃપુષ્ય, "સુકોથલ, "પંડરીક, કેશી, “કરકંડુ-૨ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પંચ પ્રતિકમાણસૂત્રો હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અને ભદ્દો દસન્નભદો, પસન્નચંદો અ જસદ્દો 3 હલ, ઋવિહલ, 'સુદર્શન, શાલ, મહાશાલ, શાલિભદ્ર, ભદ્ર, અદશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર, યશોભદ્ર-૩ જંબુહૂ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમાલો ધન્નો ઈલાઈ પુરો, ચિલાઈપુત્તો અ બાહુમુણી જંબુસ્વામી, વંકચૂલ, ગજસુકુમાર, “અવંતીસુકુમાર, ધન, ઈલાચિપુત્ર, ૩૫ચિલાતીપુત્ર, બાહુમુનિ -૪ અજ્જગિરિ અજરખિા , અજ્જસુહત્તી ઉદાયગો મણગો કાલયસૂરિ સંબો, પજુનો મૂલદેવો અ ાપા આર્યગિરિ,“આર્યરક્ષિત, આર્યસુહસ્તિ, ઉદાયક, "કનકકુમાર, “કાલકસૂરિ, શાંબ, "પ્રદ્યુમ્ન, મૂળદેવ-૫ પભવો વિહુકુમારો, અદ્રકુમારો દઢપ્પહારી અને સિર્જસ દૂરગડૂ અ, સિર્જભવ મેહકુમારો આ દો. "પ્રભવ, વિષ્ણુ કુમાર, “આકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કુરગડુ, મેઘકુમાર. -૬ શયંભવ, શબ્દાર્થ :- એમાઈએ વગેરે. મહાસત્તા=મહા સાત્વિકો. ગુગગગેહિં ગુણના સમૂહ વડે. નામગહાણેકનામ લેવાથી. પાવપૂબંધા=પાપની પરંપરા. વિલયં=નાશ. તિજાય છે. એમાઈ મહાસત્તા, "દિત સુહગુણગણહિં સંજુત્તામાં 'જેસિં*નામગહણે, પાવપૂબંધા 'વિલય “જંતિ Iળા જેઓનું નામ લેવાથી પાપની પરંપરા નાશ પામે છે, એવા ગુણના સમૂહથી યુક્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૮૧ એ “વગેરે “મહાસાત્વિકો સુખ આપ. -૭ સુલસા ચંદનબાલા, મણીરમાં મયણરેહા દમયંતી ! નમયા સુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્રા ય પાટા. "સુલસા, ‘ચંદનબાળા, મનોરમા, મદરેખા, દમયંતી, નર્મદા, સુંદરી, સીતા, ‘નંદા, ભદ્રા, સુભદ્રા -૮ રાઈમઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી ! જિઠ સુજિઠ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી કલા "રાજીમતી, અદિરા, પદ્માવતી, અંજના, "દિવી, જેકા, સુજ્યકા, “મૃગાવતી, "પ્રભાવતી, “ચિલ્લણાદેવી -૯ બંભી સુંદરિપ્પિણી, રેવઈ કુંતી સિવો જયંતી ચા દેવઈ દોવઈ ધારણી, કલાઈ પુષ્કયુલા ય /૧ના "બ્રાહ્મી, “સુંદરી, “રુક્મિણી, અરવતી, "કુંતી, "શિવા, જયંતી, “દવકી, “પદી, ધારિણી,કલાવતી, “પુષ્પચૂલા -૧૦ પઉમાવઈ ય ગોરી, ગંધારી લખમણા સુસીમા યો જંબુવઈ સચ્ચ-ભામા, રુપિણી કહઠ મહિસીઓ ૧૫ પદ્માવતી, ગૌરી, પગંધારી, લક્ષ્મણા, સસીમા, “જંબુવતી, “સત્યભામા, રુક્મિણી, આ આઠ કૃષણની પટરાણીઓ. -૧૧ જખા ય જખદિના, ભૂઆ તહ, ચેવ ભૂઅદિના યT સેણા વેણા રેણા, ભઈણીઓ યુલિભદ્રસ્સ /૧રા "યા, “યક્ષદરા, ભૂતા, "ભૂતદત્તા“સણા, "ણા, રણા, એ સ્થૂલભદ્રની બહેનો. -૧૨. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ :- ઈચ્ચાઈ ઈત્યાદિ. મહાસઈ મહાસતીઓ. અકલંક-સીલ-કલિઆઓ નિર્મળ શિયળથી શોભતી. અજ્જ વિ=આજે પણ. વજઈ= વાગે છે. જસિં=જેઓનો. જસપડહો યશરૂપી પડતો. તિહુઆણે ત્રિભુવનમાં. સયલેસઘળે. "ઈચાઈ મહાસઈઓ, 'જયંતિ અકલંક-સીલ-કલિઆઓ. અજ'વિવજ્જઈ 'જાસિં, જસ-પડહો તિહુએણે સયલે ૧૩ એ વગેરે નિર્મલ શિયળ વડે શોભતી મહાસતીઓ 'વંતી છે જેથી આજે પણ સકળ ‘ત્રિભુવનમાં જેઓના જશનો પડઘો વાગી રહ્યો છે. -૧૩ विशे षार्थ ૧. ભરતેશ્વર : એ ઋષભદેવ પ્રભુના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તી રાજા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્ર ધર્મની આરાધના કરી હતી જેને લીધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદગિરિ પર ચોવીસે તીર્થંકર પ્રભુની આબેહૂબ પ્રતિમાઓ સ્થાપીને જિનમંદિર બંધાવ્યું. તથા શ્રાવક ધર્મ સમજાવનાર આવિદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની ભકિત ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની બીજી ઘણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વટી પડી ગઈ, તેથી શોભારહિત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?” તે જેવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલિંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી દશ હજાર રાજાઓને દીક્ષા આપી, અણશણ કરીને મોક્ષે ગયા. ૨. બાહુબલી: આ મહાત્મા ભરત ચક્રવર્તીના નાના ભાઈ હતા, પ્રભુએ વહેંચી આપેલાં રાજ્યોમાં તક્ષશિલાનું રાજ્ય તેમના ભાગમાં આવેલું હતું, તેમાં તે રાજ્ય કરતા હતા. ચક્રવર્તીની મર્યાદાને અનુસરીને “દરેક રાજાને પોતાને તાબે લાવવા જોઈએ, ન આવે તો યુદ્ધ કરીને પણ તાબે લાવવા જોઈએ.” તે અનુસાર બન્ને ભાઈઓનું યુદ્ધ થયું. દ્વ યુદ્ધમાં ચક્રવતીએ મુઠીનો માર મારીને તેને કેડ સુધી જમીનમાં ખોસી દીધા. ત્યારે ક્રોધમાં આવીને બાહુબલીએ મુઠી ઉપાડી, પરંતુ ચક્રવર્તી હંમેશાં અજિત જ રહે, એ મર્યાદાને અનુસરીને દેવવાણીથી બાહુબળી અટકી ગયા. અને એ જ મુઠ્ઠીથી પોતાના માથાના વાળનો લોચ કરી નાંખ્યો, અને ત્યાંને ત્યાં જ ધ્યાનમાં ઊભા રહ્યા. તેમણે પૂર્વભવે સાધુ મુનિરાકની એવી અસાધારણ સેવાભક્તિ-વેયાવચ્ચ કર્યું હતું કે, જેથી કરીને ચક્રવર્તીને મુઠ્ઠી મારે તો તેનો ભુકકો જ થઈ જાય, એવું એને બાહુનું બળ મળેલું હતું, તે મુઠ્ઠી દેવવાણીથી ચક્રવર્તીને મારી શકાય તેમ નહોતી. છેવટે ઉપાડેલી મુઠી ફોગટ જવા ન દેતાં જાતે જ આમ દીક્ષિત થઈ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. કેમ કે પ્રભુ પાસે જવામાં પ્રથમ દીક્ષિત થયેલા ૮ નાના ભાઈઓને Page #356 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૮૩ વંદન કરવું પડે, માટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જવું.” એવા એક નિશ્ચયથી એક વર્ષ ત્યાં જ ઊભા રહ્યા, અને અપૂર્વ ધ્યાનના બળથી કેવલજ્ઞાનની નજીક આવી પહોંચ્યા હતા. પરંતુ “નાના ભાઈઓને વંદન કેમ કરું ?” એ અભિમાનને અંગે કેવળજ્ઞાન અટકેલું હતું. પ્રભુના આદેશથી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બહેનો જે સાધ્વી થયાં હતાં, તે પ્રતિબોધ કરવા આવ્યાં. અને એટલા જ શબ્દો કહ્યા કે “હે વીરા, ગજથી ઊતરો” અભિમાનરૂપી હાથી ઉપરથી ઊતરો. આટલું કહેતાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ, ને જેવો પગ ઉપાડ્યો, તેવું જ કેવલજ્ઞાન થયું. પછી પ્રભુ પાસે આવીને શ્રી કેવલી ભગવંતોની પર્ષદામાં દાખલ થયા અને મોક્ષમાં ગયા. ૩. અભયકુમાર : આ મહાત્મા શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં થયા છે. બહુ જ બુદ્ધિશાળી પુરુષ હતા. શાસનના અનન્ય રાગી હતા. શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા અને બુદ્ધિનિધાન હોવાથી સર્વ પ્રધાનમંડલના આગેવાન હતા. પરમાત્માના અનન્ય ભકત હતા. આદ્રકુમારને પ્રતિબોધ આપનાર એ હતા. તેમજ બીજી પણ શાસનની અનેક પ્રભાવના કરી છે. પોતાની બુદ્ધિના અનેક ચમત્કારોનાં દષ્ટાંતો આ દેશમાં મૂકતા ગયા છે. આજે પણ ચોપડામાં શારદાપૂજન વખતે લખાય છે કે “શ્રી અભયકુમારની બુદ્ધિ હોજો'. પિતાના અનન્ય ભક્ત છતાં હૃદયમાં વિરકત પણ હતા. પરંતુ પિતાના આગ્રહથી વચને કરીને બંધાયા હોવાથી સંસારમાં પડી રહ્યા હતા. ચારિત્રાવરણીય કર્મનો ક્ષય થતાં જ શબ્દછળથી વચનના બંધનમાંથી છૂટીને પ્રભુ પાસે તુરત દીક્ષા લઈ તપસ્યા કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી છેવટે મોક્ષે જશે. ૪. ઢઢણકુમાર : શ્રી કૃષણ વાસુદેવની ઢંઢણા નામની રાણીથી ઉત્પન્ન થયેલા ઢઢણકુમારે શ્રી નેમિનાથ તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી દીક્ષા લીધી હતી. પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મને લીધે ભિક્ષા મેળવી શકતા ન હતા. જ્યાં જાય ત્યાંથી તેમને નિદોંષ આહાર મળતો ન હતો. તેથી તેઓએ અભિગ્રહ કર્યો કે “મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો લેવો.” એક દિવસ તે મુનિ ભિક્ષા માટે વારિકામાં ફરતા હતા, તે વખતે તેમને શ્રી કૃષણ વાસુદેવે વાહનમાંથી ઊતરીને ભાવભકિતથી વંદના કરી, એ જોઈ કોઈક ધાર્મિક શ્રેષ્ઠીએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા. ઋષિ પ્રભુ પાસે આવ્યા ને પૂછયું. હે પ્રભો! શું મારું અંતરાયકર્મ ક્ષય પામ્યું?” પ્રભુએ કહ્યું “ના. પરંતુ તમને જે ભિક્ષા મળી છે તે કૃષણ વાસુદેવની લબ્ધિથી મળી છે.” તે સાંભળી મોદકને પરઠવવા કુંભારની શાળામાં ગયા. પરઠવતાં પહેલાં મોદકનું ચૂર્ણ કરવા લાગ્યા, તેના ચૂર્ણની સાથે કમનું પણ ચૂર્ણ થઈ ગયું, ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૫. શ્રીયક : નંદ રાજાના શકડાલ મંત્રી અને તેમનાં પત્ની લક્ષ્મીવતીના સ્થૂલભદ્ર કરતાં નાના પુત્ર શ્રીયક નામે હતા. પિતાના મરણ બાદ તેમને મંત્રીપદ પ્રાપ્ત થયું હતું. નંદરાજાના એ મહામંત્રીએ સો જિન મંદિરો અને ત્રણસો ધર્મશાળાઓ બંધાવી હતી, અને જિન પૂજા, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ રોજ કરતા હતા. જિનભવન, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પંચ પ્રતિક્રમણસૂત્રો સાત ક્ષેત્રોમાં ધન વાપરી જૈન શાસનની પ્રભાવના કરી હતી. છેવટે તેમણે પોતાના પુત્રને નંદરાજાનું પ્રધાનપદ સોંપી દીક્ષા લીધી. એક વખત શ્રી પર્યુષાણા મહાપર્વમાં તેમના મોટા બહેન યક્ષા સાધ્વીજીએ શ્રીયક મુનિને કહ્યું કે, આ પર્યુષણ પર્વમાં કરેલા તપથી ઘણું જ પુણ્ય થાય છે.” એમ સમજાવી નવકારશીનું પ્રત્યાખ્યાન કરાવ્યું. પછી વળી યુકિતથી સમજાવી, પોરસીનું, એમ અનુક્રમે-સાઢ પોરસી, પુરિમહ એમ કરતાં છેવટે સાંજે ઉપવાસનું પચ્ચખાણ કરાવ્યું. કદી ભૂખ સહન કરેલી નહિ, તેથી તે જ રાત્રિમાં તે શ્રીયક મુનિ કાળ કરી સ્વર્ગમાં ગયા. આથી યક્ષા સાધ્વીને ઘણો જ પશ્ચાત્તાપ થયો કે, મારે હાથે મુનિને ઘાત થયો. “આ પાપથી કેમ છુટાય ?” એમ પશ્ચાત્તાપ કરતાં સંઘ સહિત કાઉસ્સગગ્ન ધ્યાને રહ્યાં. એટલે શાસન દેવી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગયાં. શ્રી સીમંધર સ્વામીએ કહ્યું કે-“શ્રીયક મુનિનું મરણ ઉપવાસને લીધે થયું નથી. માત્ર તેમનું આયુષ્ય જ એટલું જ હતું. ઉપવાસ તો માત્ર નિમિત્ત થવાથી શુભ ધ્યાનથી તે સ્વર્ગમાં દેવ થયેલ છે. અને ત્યાંથી અવી મનુષ્ય ભવમાં મોક્ષમાં જશે.” પછી પ્રભુએ ચાર ચૂલિકા સંભળાવી. તે યાદ રાખીને યક્ષા સાધ્વીને શાસનદેવી પાછા અહીં લાવ્યાં. તે બધી વાત તેમણે ગુરુ મહારાજને કહી, ને પેલી ચાર ચૂલિકાઓ સોંપી. એટલે ગુરુ મહારાજાએ બે ચૂલિકા દશ વૈકાલિકસૂત્રને છેડે અને બે ચૂલિકા આચારાંગ સૂત્રને અંતે મૂકી. ૬. અર્ણિકા પુત્ર : દેવદત્તવણિકના અગ્નિકા-અર્ણિકા નામના પત્નીના પુત્ર અર્ણિકા પુત્ર શ્રી જયસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા લઈ શાસ્ત્રના પારગામી થયા, અને છેવટે આચાર્ય પદવી પામ્યા. એવામાં પુષ્પચૂલ રાજાની રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં દેવપણું પામેલી તેની માતા પુષ્પવતીએ નારકો બતાવી. રાણીએ ઘણાઓને પૂછયું, પરંતુ કોઈએ તેનો ખુલાસો કર્યો નહિ. છેવટ અત્રિકા પુત્ર આચાર્યું તેનો ખુલાસો કર્યો, પછી તેને સ્વર્ગ દેખાડ્યું. ત્યારે પણ તે જ આચાર્ય મહારાજાએ સ્વર્ગનું સ્વરૂપ સમજાવ્યું. આ સર્વ સંજોગોથી પુષ્પચૂલાને વૈરાગ્ય થયો અને તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. કાળાંતરે દુષ્કાળ પડ્યો એટલે બીજા મુનિઓને દેશાંતર મોકલ્યા. અને પોતે અતિ દુર્બલ હોવાથી પુષ્પચૂલ રાજાના આગ્રહથી આચાર્ય ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી તેમની વેયાવચ્ચ કરતા હતા. તેને આહારાદિક લાવી આપતાં સાધ્વીને શુદ્ધ ભક્તિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, છતાં તેણે તે જ રીતે ભકિત ચાલુ રાખી. કાલાંતરે આચાર્યને ખબર પડી, ત્યારે કેવલીને ખમાવીને આશાતનાનું મિથ્યા દુષ્કત દીધું અને પૂછ્યું કે –“હું કયારે મોક્ષ પામીશ ?” પુષચૂલા કેવલી ભગવંતે કહ્યું કે “તમે ગંગા નદી ઊતરતાં કેવલ જ્ઞાન પામશો.” પછી આચાર્ય ઘણા લોકો સાથે નાવમાં બેસીને ગંગા નદી ઊતરતા હતા. પરંતુ જ્યાં બેસે તે તરફ નાવ નમી પડે, અને લોકો ડૂબવા માંડ્યા, એટલે લોકોએ તેમને પાણીમાં ફેંકયા. તેમના પાછલા ભવની વ્રત ભંગ કરી વિરાધક ભાવ પામેલી દુર્ભગા નામની સ્ત્રી વ્યંતરી થઈ હતી, તે જ વખતે તેણે દ્વેષથી પાણીમાં પડતા પહેલાં મુનિને શૂળીમાં પરોવી લીધા. શૂળમાં પરોવાયા છતાં આચાર્ય તદ્દન સમભાવમાં રહ્યા. ને ઊલટું ચિંતવવા લાગ્યા કે “અરેરે ! મારા લોહીથી ખરેખર અપૂકાય જીવોને દુઃખ થશે.” એમ ભાવના ભાવવા લાગ્યા. અને અંતે કેવલ જ્ઞાન થયું ને ત્યાં શૂળી ઉપરને ઉપર આયુષ્ય પૂર્ણ થવાથી અંતકૃત કેવલી થઈ મોક્ષે ગયા. અને દેવોએ Page #358 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૨૮૫ ત્યાં કેવલી મહોત્સવ કર્યો. પાણીમાં ફેંકી દીધેલું તેમનું હાડપિંજર તરતું તરતું નદી કિનારે કયાંક ભરાઈ ગયું. તેમાંથી ખોપરીમાં કયાંકથી પાટલ વૃક્ષનું બીજ પેસી ગયું. તેમાંથી પાટલનું ઝાડ થયું. એ વૃક્ષ પર બેઠેલા ચાસ પક્ષીના મોઢામાં આવી આવીને જીવડા પડતા હતા, તે નિમિત્ત પરથી “અહીં સમૃદ્ધિ સારી વધશે માટે અહીં નગર વસાવવું ઠીક પડશે.” એમ વિલક્ષણ નૈમિત્તિકના કહેવાથી કોણિક પિતાના મરણથી પિતાની ચંપાનગરીમાં ઉદાસપણે રહેલા શ્રેણિક રાજાના પૌત્ર ઉદાયિ રાજાએ તેની બાજુમાં નગર વસાવ્યું. તેનું નામ પાટલીપુત્ર પાડ્યું. તે પાટલ વૃક્ષને ફૂલ ઘણાં આવેલ હતાં, તેથી તેનું બીજું નામ કુસુમપુર પણ રાખ્યું હતું. એ શહેર વસાવતાં ત્યાં એક મોટું શ્રી જિન મંદિર કરાવ્યું, અને તેમાં રિઝ રત્નમય પ્રભુની પ્રતિમાની સ્થાપના કરી ને રીતસર શહેર વસાવ્યું, જ્યાં એ પાટલ વૃક્ષ હતું, આચાર્ય શૂળે પરોવાયા હતા, કેવલજ્ઞાન પામ્યા, દેવોએ મહિમા કર્યો વગેરે જોઈ સાધારણ સમાજના લોકો ત્યાં આવી કરવત મુકાવા લાગ્યા. એ પાટલ વૃક્ષનો જીવ એકાવતાર છે અને ભૂલનો જીવ છે. એમ પણ જ્ઞાની પુરુષોએ એક નિમિત્તજ્ઞને કહેલું, તે તેણે ઉદાયિ રાજાને કહ્યું હતું. છેવટે ઉદાયિ રાજાએ ત્યાં સુખથી રાજ્ય કર્યું અને છેવટે શત્રુંજય-ગિરનારનો સંઘ કાઢી મહાયાત્રા કરી ઘણી ધર્મ આરાધના કરી છેવટે વૃદ્ધાવસ્થામાં પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી દેવલોક ગયા અને ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. પાટલીપુત્ર શહેર વસાવવાનો ઈતિહાસ આ પ્રમાણે શાસનમાં આપેલો છે. ૭. અતિમુકતક મુનિ : પેઢાલપુરના રાજા વિજયની શ્રીમતી રાણીનો અતિમુક્તક નામે કુમાર હતો. આઠ વર્ષની ઉમરે એક વખત કુમારે રમતાં રમતાં ભિક્ષા માટે પધારતા ભગવાન શ્રી ગૌતમસ્વામીને જોયા. અતિમુક્ત બાળક તેઓશ્રીને જોઈ બહુ જ આનંદમાં આવી ગયા ને ગણધર પ્રભુને પ્રમાણ કર્યા ને પોતાની કાલી ભાષામાં બોલવા લાગ્યા “પ્રભુ ! મારે આપના જેવું થવું છે.” ગણધર મહારાજ બોલ્યા “બાલક ! તું હજુ બાલક છે, અને ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે.” બાળક બોલ્યો “ભગવન, હું આપના જેવો થઈશ.” ગણધર ભગવાન તો આહારાદિ વહોરીને પધાર્યા, અને બાળકે માતાપિતાને દીક્ષા માટે રજા આપવા સમજાવવા માંડ્યા. આખરે માબાપ પીગળ્યાં અને દીક્ષા લેવામાં સમ્મતિ આપી. એટલે તેમણે શ્રી ગૌતમસ્વામી ભગવનું પાસે દીક્ષા લીધી, અને ભાવપૂર્વક ચારિત્ર પાળવા લાગ્યા. બાળક મુનિને સવારમાં ભૂખ બહુ લાગી એટલે વહેલા વહેલા એક શેઠને ઘેર વહોરવા ઊપડ્યા. ત્યાં તો શેઠના દીકરાની વહુએ કહ્યું કે “કેમ અત્યારમાં ? બહુ મોડું થઈ ગયું છે ?' આ વાકયનો બીજો મર્મ એ હતો કે “આટલી નાની ઉમ્મરમાં દીક્ષા લઈ બેઠા, તેના કરતાં કંઈક ઉમ્મર થવા દીધી હોત તો શું ખોટું હતું ?” બાલમુનિ એ મર્મ સમજી ગયા અને તરત જ તેમણે જવાબ દીધો - “હું જે જાણું છું, તે નથી જાણતો.” Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પંચ પ્રતિકમાણસૂત્રો શેઠની પુત્રવધૂ વિચારમાં પડી ગઈ. “મુનિરાજ ! આપના કહેવાનો આશય હું સમજી શકતી નથી. માટે કૃપા કરી સમજાવો.” મુનિ બોલ્યા- “મરણ આવશે. એ હું ચોકકસ જાણું છું. પણ તે કયારે આવશે તે ચોકકસ જાણી શકતો નથી.” આવા જવાબથી શેઠની પુત્રવધૂના હૃદયમાં પણ એ જવાબથી ચમત્કાર થયો. તે વિચારવા લાગી કે-“ખરેખર મરણ કયારે આવશે તે કોઈથી કહી શકાતું નથી. એટલે મરણ આવતા પહેલાં ચેતીને જીવનનું સાર્થકય કરી લેવું જોઈએ, એટલે બાલ્યાવસ્થામાં મરણ નહીં જ આવે, તેની કાંઈ પણ ખાતરી છે જ નહિ. તેથી બાલ્યાવસ્થામાં દીક્ષા લેવામાં કાંઈ ઉતાવળ થઈ નથી. પરંતુ ખરો વિવેક જળવાયો છે.” આ જવાબ સમજીને બાઈને પણ મુનિ પર ઘણી જ ભકિત ઉત્પન્ન થઈ. ત્યાં જ સમ્યક્ત્વ સહિત બાર વ્રત ઉચ્ચરી પોતાનું જીવન યથાશક્તિ સાર્થક કરવા તે પણ પ્રયત્નશીલ થઈ. મુનિરાજ વહોરીને મુનિઓની વસતિમાં પાછા પધાર્યા. એક દિવસ વરસાદ થયો ત્યારે વરસાદ બંધ રહ્યા પછી તુરતમાં શેરીમાંથી નાના વહેળા વહી રહ્યા હતા, અને વચ્ચે એક નાનકડું ખાબોચિયું હતું. તેને નાની તળાવડી માનીને નાનાં બાળકો સાથે મુનિ ત્યાં રમવા લાગ્યા. પોતાના નાના લાકડાનાં પાત્રાઓને પાણીમાં મૂકીને નાવડીની માફક તરાવવા લાગ્યા, ને ખુશી ખુશી થઈ રમવા લાગ્યા હતા. તેવામાં જ શ્રી ગૌતમસ્વામી મહારાજ ત્યાંથી નીકળ્યા. બાલક મુનિ આ જોઈ એકદમ શરમાઈ ગયા, અને શ્રી મહાવીર પરમાત્મા પાસે સમવસરણમાં જઈ ઈરિયાવહિયા પડિકામવા લાગ્યા. ઇરિયાવહિયાનો પાઠ બોલતાં, “પાણગદગ-મટ્ટી-મકકડા” એ પાઠ બોલતાં, માટી અને પાણીના જીવોની વિરાધના કરી હતી, તે બરાબર તેઓના ધ્યાનમાં હતું, તેથી મુનિના પશ્ચાત્તાપનો પાર નહોતો, “અરે ? મેં માટી અને પાણીના જીવોને વિના કારણ દૂભવ્યા.” આ પશ્ચાત્તાપમાં પાણી અને માટીના જીવોને વારંવાર ખમાવવા દગ મટ્ટી એ પાઠ વારંવાર બોલવા લાગ્યા અને તેમાં તેની એકાગ્રતા વધી પડતાં ત્યાં જ તેમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી એ અતિમુક્ત કેવલી ભગવંતે સૂર્યપુરીના રાજા જિતશત્રને તથા બીજા અનેક ભવ્ય જીવોને આયુષ્યની ચંચળતા વગેરે સમજાવતાં ગર્ભિત વિવિધ ઉપદેશ આપી બાર વ્રત ધારી તેમજ ચારિત્રધારી બનાવ્યા. અંતે પોતે પણ મોક્ષમાં ગયા. “મરણ કયારે આવે ?” એ જેમ નકકી નથી. તે પ્રમાણે તેના પ્રતિકાર રૂપ સંયમારાધના કયારે શરૂ કરી શકાય ? એ પણ નકકી નથી. એટલે કે તેને બાધક કોઈ કાળ કે ઉમ્મરનો નિયમ નથી. ગમે તે ઉમ્મરમાં ગમે તે વખતે ગમે તેવાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં સર્ગિક રીતે દીક્ષા લઈ શકાય છે. આ આ ઉપદેશ આ અતિમુકન કેવલી ભગવંતના દષ્ટાંતથી સચોટ સમજાય તેમ છે. ૮. નાગદત્ત : વારાણસી (કાશી) નગરીમાં યજ્ઞદન અને ધનશ્રીના પુત્ર નાગદને પોતાના પિતાના મરણ પછી દેશાવર જઈ ધન કમાવા વહાણરતે બેટની મુસાફરી શરૂ કરી. ત્યાંથી ધન કમાઈને પાછા ફરતાં રસ્તામાં વહાણો ભમરીમાં અટવાઈ ગયાં. નાવિકે ઘણી મહેનત કરી, પણ વહાણ ભમરીમાંથી નીકળ્યાં નહીં, એટલે નાગદત્તે આવીને કહ્યું કે, “અહીં બાજુમાં પર્વત છે, તેને પર મોટા ભારંડ પક્ષીઓ છે. તેને કોઈ ઉડાડે, તો તેની પાંખોના પવનથી વહાણ ચાલતાં થઈ શકશે.” પરંતુ ત્યાં જાય કોણ ? એ પ્રશ્ન હતો. તે પ્રશ્નનો નિકાલ પણ નાગદને પોતે જ કર્યો અને પોતે Page #360 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૨૮૭ ત્યાં ગયા. ભાખંડ પક્ષીને ઉડાડવા તેના પવનથી સમુદ્રમાંનાં મોજાં ઊછળ્યાં, વહાણો પાછા તરવા લાગ્યાં. પરંતુ નાગદત્ત તો એ પહાડ ઉપર જ રહી ગયા. ઘણા દિવસ ત્યાં રહેવાથી તેનાથી ભૂખ સહન થઈ શકી નહીં. એટલે તે સમુદ્રમાં પડ્યા. તરત જ કોઈ મચ્છ તેને ગળી ગયો. મચ્છ કિનારા ઉપર આવીને પડ્યો હતો અને તેણે મોટું પહોળું કર્યું કે આયુષ્યને બળે બચી ગયેલા નાગદત્ત તરત જ તેમાંથી બહાર નીકળી આવ્યા. ચોખ્ખું પાણી મેળવી ભૂખ મટાડી અને ફરતા ફરતા પોતાને શહેર પહોંચ્યા. ત્યાં ધનદત્ત શેઠ પાસે ભાખંડ પક્ષીને ઉડાડવા જવાને ઠરાવેલી સો દિનાર માંગી, ત્યારે શેઠે કહ્યું “જા ! જા !! સો દિનાર કેવી ? તને ઓળખે છે કોણ ?' એવામાં પ્રિય મિત્ર સાર્થવાહની પુત્રી નાગવસનું પોતાને માટે તે ગામના કોટવાલ વસુદેવે માંગણી કરેલી, પરંતુ પ્રિય મિત્રે તેને બદલે નાગદત્ત સાથે પોતાની પુત્રી પરણાવી. આથી વસુદેવ નાગદત્તનો પાકો છૂપો શત્રુ થયો હતો, ને તેનાં છિદ્રો શોધતો હતો. નાગદત્ત બહાર કાયોત્સર્ગ ધ્યાને રહેવા જતાં એક વખત તે શહેરના જિતશત્રુ રાજા ઘોડા ખેલાવતા ખેલાવતા જતા હતા. તેવામાં તેનું કુંડલ રસ્તામાં પડી ગયું. નાગદ તે જોયું, પરંતુ તેને અદત્તાદાનની વસ્તુ લેવાની પ્રતિજ્ઞા હતી. તેથી માર્ગ છોડીને બીજે રસ્તેથી એ આગળ જઈને કાયોત્સર્ગ ધ્યાને રહેલ. કેમ કે તે દિવસે અષ્ટમીપર્વનો દિવસ હતો. એવામાં વસુદેવ તે કુંડલ પાડી કાયોત્સર્ગ ધ્યાને રહેલા નાગદત્તના વસ્ત્રમાં આવી છુપાવી દીધું. રાજાને કુંડલ ખોવાયાની ખબર પડી. તેવામાં વસુદેવે સમાચાર આપ્યા કે, એ રસ્તેથી નાગદને જતાં નીચા વળીને કાંઈક લીધું તો હતું ? “શું” તેની ખબર નથી. એટલે રાજાના હુકમથી વાસુદેવ સાથે રાજપુરુષોએ ત્યાં જઈ તેના વસ્ત્ર નીચેથી કુંડલ કાઢી રાજાને હકીકત કહી. આવા કપટીને રાજાએ શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. નાગદત્તને ગધેડા પર બેસાડી વાગતે વાજે શૂળી પાસે લાવ્યા. શૂળી પર ચડાવતાં જ શૂળી સિંહાસન સમાન થઈ ગઈ. બે ત્રણ વાર એમ કરી જોયું, છતાં નાગદત્તની શોભા ઓર વધતી ગઈ. રાજા ત્યાં હાજર થયા, એટલે શાસન દેવીએ નાગદત્તની ઉત્તમતા સાથે બધી વાત કહી સંભળાવી, ને શાસનદેવી ચાલ્યાં ગયાં. રાજાએ પણ “અદત્તાદાનના ત્યાગી” એવું જાણી ઘણું સન્માન આપ્યું. શહેરમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કરાવ્યો અને ગણું ધન આપ્યું. સો સોનામહોર અપાવી. વસુદેવનો દેશનિકાલ કર્યો. છેવટે નાગદત્તજૈન મુનિ થયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષમાં ગયા. ૯. રજા નાગદત્ત : ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન્ન થયેલા બે દેવમિત્રોએ માંહોમાંહે શરત કરી હતી કે : જે મનુષ્યલોકમાં પહેલો જાય તેણે દેવલોકમાં રહેલાને પ્રતિબોધ આપી ધર્મ પમાડવો”. કાળાંતરે તેમાંથી એક વીને લક્ષ્મીપુરના દત્તશ્રેષ્ઠિની દેવદત્તા સ્ત્રીનો નાગદેવની આરાધનાથી નાગદત્ત નામે પુત્ર થયો, તેને સંગીતનો ઘણો શોખ હતો અને સંગીતથી સપ વશ કરીને ખેલવવાની કળામાં પણ કુશળ થયો. એક વખત બગીચામાં મિત્રો સાથે સર્પોને તે રમાડતો હતો, તેવામાં એક બીજે ગારુડી ત્યાં આવ્યો. નાગદત્તની ઈચ્છાથી બન્નેએ એવી શરત કરી કે-“આપણે બનેય એક બીજાના સર્પને રમાડી જોઈએ તો ખરા, કોણ જીતે છે ?” આવનાર ગારુડીએ તથા નાગદત્તે સર્ષે રમાડ્યા. તે વખતે Page #361 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સર્પીએ તે ગારુડીને ડંખ માર્યો. પણ તેને કંઈ અસર થઈ નહિ. પછી નાગદત્ત તે ગારુડીના સર્પોને રમાડવા માંડ્યો. ગારુડીએ કૂંડાળું કરી સર્પોને તેમાં મૂકી સૌના સાંભળતાં- “એ પોતાના ચાર સૌં ઘણા ભયંકર છે. ડસ્યા વિના રહેશે નહીં. માટે તેને રમાડવાની વાત જવા દો.” એમ કહી અને તેનાં ક્રોધ, માન, માયા, લોભ એવાં નામ પણ રૂપકથી સાથે સાથે જણાવ્યાં, તેની ભયંકર અસર જણાવી. છતાં નાગદત્ત તેને ખેલાવવા લાગ્યો. ને તેને સર્પ કરડ્યો, તેથી તે મૂર્છિત થયો. નાગદત્તના સ્નેહીઓના કાલાવાલાથી તેણે બચવા ઉપાય તરીકે ચર્ચા વિગતવાર સમજાવી. એ સૌએ કબૂલી પણ તેનાં માતપિતા કહેવા લાગ્યાં કે ‘‘એ તો એની મેળે ઊઠ્યો છે.’ ત્યારે ફરી મૂર્છા આવીને મરણતોલ થઈ ગયો. ત્યારે તેઓની આજીજીથી એ ચર્ચા કબૂલી ત્યારે ઉઠાડ્યો. પછી ગારુડીએ પૂર્વ ભવ કહી સંભળાવ્યો. એટલે નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને ગારુડીને મિત્ર તરીકે ઓળખ્યો, એટલે તેણે બતાવેલા પંચ મહાવ્રત અને બીજો મુનિમાર્ગ તેણે અંગીકાર કરી ક્રોધાદિ સર્પોની અસરથી રહિત થઈ મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. ૨૮: ૧૦. મેતાર્ય : શાંતપુર પાટણમાં ચંદ્રવતંસ રાજાની સુદર્શન રાણીની સાગરચંદ્ર અને મુનિચંદ્ર બે પુત્રો થયા હતા. બીજી રાણી પ્રિયદર્શનાથી ગુણચંદ્ર અને બાળચંદ્ર એ પુત્રો થયા હતા. સાગરચંદ્રને યુવરાજ્યપદવી અને મુનિચંદ્રને ઉજ્જયની નગરી આપી હતી. રાજા પોતે ધર્મધ્યાનમાં લીન રહેતા હતા. એક દિવસે-દીવો બળે ત્યાં સુધી અભિગ્રહ ધારણ કરીને પ્રતિક્રમણ કરી રાજા કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં ‘“રાજાનો કાઉસ્સગ્ગ ભંગ ન થાય,'' એમ સમજીને દાસીએ દીવામાં તેલ પૂર્યા કર્યું, એટલે રાજાને આખી રાત કાઉસ્સગ્ગમાં રહેવાનું થયું. સવારે દીવો ઠર્યો, ત્યારે કાઉસ્સગ્ગ પાર્યો. પરંતુ આયુષ્ય પૂર્ણ થવાથી તેનો તુરત સ્વર્ગવાસ થયો, ને મોટા પુત્ર સાગરચંદ્રને રાજ્ય મળ્યું. પોતાના નાના ભાઈ ગુણચંદ્રને રાજ્ય આપીને પોતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા બતાવી, પરંતુ માતા પ્રિયદર્શનાના આગ્રહથી અનિચ્છાએ પણ રાજ્યનું પાલન ચાલુ રાખ્યું. પરંતુ વખત જતાં રાજ્યની સમૃદ્ધિ વધતી જોઈ તેની એ સાવકી માતાને પુત્ર ઉપર ઈર્ષ્યા થઈ. એટલે એક વખતે ત્રણેય કુમારો બહાર રમ્મત ગમ્મત માટે ગયા હતા, તેવામાં પાછા આવ્યા ત્યારે તેઓ માટે સુદર્શના રાણીએ બનાવીને મોકલેલા લાડુ વિષમિશ્રિત કરી નાંખીને દાસી દ્વારા થાળમાં મોકલ્યા, લાડુ આવ્યા તેવા જ નાના ભાઈઓ ખાવા લાગ્યા, તેવામાં તે મૂર્છિત થઇ ગયા. રાજને તપાસ કરતાં વિષની અસર માલૂમ પડી એટલે સુવર્ણીષધિનું પાણી તૈયાર કરાવી પાયું, કે-ઝેરની અસર ઊતરી ગઈ. પરંતુ પોતાની માતાના આ વર્તાવથી ચેતીને ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી, ને અગિયાર અંગના જ્ઞાતા થયા. એક દિવસે ઉજ્જયનીથી આવેલા મુનિ સમુદાય દ્વારા તેમણે સાંભળ્યું કે– ‘ત્યાંના રાજા મુનિચંદ્રના અને પુરોહિતના અનુક્રમે સૌવસ્તિક અને સુતયુગ નામના પુત્રો સાધુઓને ઘણા હેરાન કરે છે.’’ પોતાના ભત્રીજાને પ્રતિબોધ આપવા તેઓ ત્યાં ગયા. ઉપાશ્રયમાં ઊતરી લોકોની મનાઈ છતાં Page #362 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૨૮૯ રાજમહેલમાં ગયા. પેલા બન્નેય કુમારોએ મુનિને પોતાની સાથે રમવા ઈચ્છા બતાવી. મુનિએ હા પાડી. ત્રણેય રમવા લાગ્યા. તેવામાં બન્નેય ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યા અને ધર્મની નિંદા કરવા લાગ્યા. મુનિએ રમતમાં ને રમતમાં લડાઈના પ્રસંગે મર્મમાં આઘાત કર્યો, અને તેઓના શરીરના સાંધા ઉતારી નાંખી, ને ઉદ્યાનમાં જઈ કાઉસ્સગે રહ્યા. રાજાને ખબર પડી, મુનિ પાસે જઈ આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે-“રાજનું તમારા કુમારો મુનિઓને હેરાન કરે, એ તમારાથી કેમ સહન થઈ શકે છે ?” રાજાએ કમારોની છોકરવાદી સામે ન જોતાં તેમને સાજા કરવા વિજ્ઞપ્તિ કરી. મુનિએ દીક્ષા લેવાની શરતે સાજા કર્યા. તેઓએ એ શરત પ્રમાણે પોતાના કાકા પાસે દીક્ષા લીધી અને રાજા સવિશેષ ધર્મપાલનમાં સાવધ થયો. બ્રાહ્મણ પુરોહિત કુમારને બાહ્ય શૌચ વગરના મુનિ જીવન ઉપર કંઈક અભાવ થયો હતો. છેવટે બન્ને કુમારો પણ દીક્ષા પાળી સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં રહ્યા રહ્યા બન્નેયે એવો સંકેત કર્યો કે-“આપણા બેમાંથી જે પહેલો મનુષ્યપણે ઉત્પન્ન થાય, તેણે બીજાને પ્રતિબોધ પમાડી ધર્મ પમાડવો.” મુનિ જીવન ઉપરની દુર્ગચ્છાને અંગે રાજગૃહી નગરીમાં ચંડાલિનીને પેટે પુરોહિતનો પુત્ર ગર્ભપણે ઉત્પન્ન થયો. તે ચંડાલિની જે શેઠને ત્યાં કામ કરતી હતી, તેની પત્ની પણ સગર્ભા હતી. તેને માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયેલો, તે ગુપ્તપણે આ ચાંડાલણીએ પૂરો કરાવ્યો. વળી શેઠાણી મૃતવત્સા હોવાથી તેનું એકેય બાળક જીવતું નહોતું, તે વાતથી શેઠાણીને દુઃખી થતી જાણી ચંડાલણીએ પોતાનો પુત્ર શેઠાણીને આપવા વચન આપ્યા પ્રમાણે બન્નેયે પોતપોતાનાં બાળકો બદલાવી લીધાં. પુત્રનું નામ મેતાર્ય પાડ્યું. દેવે આવીને સોળ વર્ષના કલાપ્રવીણ મેતાર્યને પ્રતિબોધ આપ્યો, પણ તેની તેને અસર ન થઈ. પિતાએ આઠ કન્યાઓ સાથે તેનો સંબંધ કર્યો, એટલે તે પરણવા ચાલ્યો. ત્યાં તેને પ્રતિબોધ આપવા દેવે વિચિત્ર પ્રકારની ઘટના કરી. મેતાર્યના ચંડાળ પિતાના શરીરમાં પ્રવેશ કરીને ચંડાલણી સ્ત્રી સાથે માર્ગમાં જ આવીને તેઓએ તેના જન્મનો ભેદ જાહેરમાં ખુલ્લો કરી દીધો, ને આ કન્યાઓ તજીને પોતાની કુળની કન્યાઓને પરણાવવાનું કહીને પોતાને ઘેર લઈ ગયો. પ્રગટ થઈદેવે ફરીથી પૂર્વની વાત કહી પ્રતિબોધ આપ્યો. મેતાર્યે કહ્યું- “હે મિત્ર ! મને વિષયસેવનથી અટકાવ્યો તે તો તે સારું કર્યું. પરંતુ મને જાહેરમાં હલકો પાડ્યો છે, તે મને ખટકયા કરે છે, માટે મારું કલંક ઉતારી, બાર વર્ષ મને સાંસારિક સુખ ભોગવવા દેવાની દયા કર. પછી હું અવશ્ય દીક્ષા લઈશ.” દેવ રત્ન આપે એવો બકરો અને વિદ્યા આપીને સ્વર્ગમાં ગયો. બકરા તરફથી મળતા રત્નનો થાળ ભરીને મેતાર્યનો પિતા રોજ રાજાને ભેટ ધરી સુંદર રાજ્ય કન્યાની માંગણી કરે, પરંતુ કોઈએ તે વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. રત્નોની સુંદરતા જોઈ સૌ છક થઈ જાય, પરંતુ કન્યા આપવાની બાબતમાં સૌ દૂર રહેવા લાગ્યા. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો અભયકુમારે ચંડાલ પાસેથી આ રત્નનો ભેદ જાણી લીધો. અને સાથે એ પણ સમજી લીધું કે-“દેવાધિષ્ઠિત આ બકરો હોવાથી આ મેતાર્ય પણ કોઈ પુણ્યશાળી જીવ છે.” બકરો પોતાને ત્યાં મંગાવ્યો, તો ત્યાં દુર્ગંધમય વિષ્ટા કરવા લાગ્યો, એટલે પાછો મોકલ્યો. અને રાજાને કન્યા આપવા વિજ્ઞપ્તિ કરી. અને તેની પરીક્ષા માટે તેને કહ્યું કે-“વૈભારગિરિ સુધીનો માર્ગ ત્યાં પધારેલા મહાવીર સ્વામીને વાંદવા જવા માટે સરળ અને સડક જેવો બનાવી દે. શહેરનો કિલ્લો સુવર્ણમય કાંગરાનો બનાવી દે.” બન્નેય કામો તેણે દેવસાંનિધ્યથી તુરત જ સાધી આપ્યાં. છેવટે એ શરત કરી કે “તું ઊંચા કિલ્લા સુધી પાણીથી ભરેલા સમુદ્રમાં તારા પુત્રને જાહેરમાં સ્નાન કરાવી શુદ્ધ કરે, તો જરૂર રાજા તેને પોતાની જ પુત્રી આપશે.” ચંડાલે તેમ કર્યું. છતાં રાજાની ઈચ્છા પોતાની પુત્રી આપવાની થઈ નહીં. પરંતુ અભયકુમારને હવે કન્યા આપવામાં બાદ જણાતો નહોતો. કેમ કે-“એક તો પુણ્યવાન આત્માઓ અપવાદભૂત હોય છે. બીજું, પ્રભુ ઋષભદેવથી બંધાયેલી લોકવ્યવસ્થા પહેલાં ઉચ્ચ નીચ વણ નહોતા, એટલે વિશિષ્ટ સંજોગોમાં એ વાતને એકાન્તથી વળગી રહી શકાય નહીં. ત્રીજું, લોહીશુદ્ધિની ગવેષણાપૂર્વકના લગ્નસંબંધના વ્યવહારને ચમત્કારિક રીતે સમુદ્ર સ્નાનથી સંસ્કારશુદ્ધિ કરાવવાથી બાધ આવતો જણાતો નથી, સાચો પુણ્યપ્રભાવ બીજા કેટલાક અનિચ્છનીય સંજોગોને ઢાંકી દે છે વગેરે”. તેથી છેવટે રાજાએ પોતાની પુત્રી આપી અને પ્રથમના સંબંધવાળી આઠ કન્યાઓ સાથે પણ લગ્ન કરવા દીધું. રાજાએ મકાન પણ આપ્યું અને ત્યાં બાર વર્ષ પૂરાં કર્યા. દેવે પ્રતિબોધ કર્યો, એટલે પુત્રને ઘર સોંપી વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા લઈ મેતાર્થે જિનકલ્પ આદર્યો. શ્રેણિક મહારાજા ત્રિકાળ શ્રી જિનપૂજા માટે સોનાના જવ જે સોની પાસે રોજ ઘડાવતા હતા, તેને જ ત્યાં મુનિ ગોચરી માટે જઈ ચડ્યા. જવ ઘડતા પડતા મૂકીને મુનિને વહોરાવવા ગયો, એટલે પાછળથી એક ક્રૌંચ પછી તે ચણી ગયું. સોનીને મુનિ ઉપર વહેમ પડ્યો. અને રાજાની બીકથી જવ કઢાવવા મુનિને માથે સખત ચામડાની લીલી વાધરી બાંધી રાખી. મુનિ જાણવા છતાં “કૌંચ પક્ષીને જવ ખાતર મારી નાંખશે” એમ સમજીને મૌન રહ્યા અને પોતે દુઃખ વેઠ્યું. તેની આંખો નીકળી પડી, તેમને ભાવનાથી કેવળજ્ઞાન થયું અને મૃત્યુ પામી મોક્ષમાં ગયા. પરંતુ શરીર ધબ દઈને નીચે પડ્યું કે ફફડાટને લીધે ક્રૌંચ પક્ષીના પેટમાંથી જવ વાઈ ગયા. લોકોમાં મુનિના નકામા મારવા માટે હાહાકાર થઈ ગયો, અને સોનીએ રાજાથી ડરીને સહ કુટુંબ મુનિવેષ ધારણ કરી લીધો. રાજાએ જમાઈ મારી નાંખ્યાની વાત સાંભળી, તેઓને પકડવા રાજસુભટો મોકલ્યા, પણ મુનિવેષમાં હોવાથી તેઓ તેને પકડી શક્યા નહીં. રાજાને તે સમાચાર મળતાં તેમણે હુકમ છોડ્યો કે-“ખબરદાર ! જે કોઈ પણ નિવેષ છોડશે તો મારી નાખીશ.” તેઓએ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી અને સૌ મોક્ષમાં ગયા. લજ્જાથી, ભયથી, વિતર્કથી, અહંકારથી, સ્નેહથી, લોભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારાસક્તિથી, કીર્તિની ઇચ્છાથી, દુ:ખથી, કૌતુકથી, કુળાચારથી, કે વૈરાગ્યથી, એમ ગમે તે પ્રકારે Page #364 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૯૧ જે માણસ નિર્મળ એવા ધર્મનું આચરણ કરે છે, તે અવશ્ય મહાફળ મેળવે છે. કેમ કે-ધર્મથી એકાંત લાભ જ છે. પછી તે ગમે તે રીતે થયેલો હોય, પણ પરંપરાએ પણ તે ભવ્યને અવશ્ય અને અભવ્યને કિંચિત્ સફળ થાય જ છે. ૧૧. સ્થૂલભદ્ર મુનિ : પાટલીપુત્રમાં પ્રસિદ્ધ નંદવંશના નવમા નંદના કલ્પક મહામંત્રીના વંશ જ શકપાળ મહામંત્રીના લક્ષ્મીવતી પત્નીના પુત્ર સ્થૂલભદ્ર હતા, તેને શ્રીયક નામે એક નાના ભાઈ હતા, અને સાત બહેનો હતી. શ્રીયકની વાત આગળ આપી છે. અને સાત બહેનોની વાત આગળ ઉપર આપીશું. અહીં તો માત્ર સ્થૂલભદ્ર સ્વામીનું જ ચરિત્ર ટૂંકામાં કહીશું. . રાજ્ય ખટપટને અંગે નંદ રાજાના અંગરક્ષક શ્રીયક પુત્રને હાથે જ મહામંત્રી શકટાળે પોતાનું મૃત્યુ થવા દીધા પછી મંત્રી પદ લેવા નંદે શ્રીયકને આગ્રહ કર્યો. શ્રીયકે કોશ્યા વેશ્યાને ત્યાં બાર વર્ષથી કળા શીખવા રહેલા પોતાના મોટા ભાઈ થૂલભદ્રને તે પદ આપવા ભલામણ કરી. નંદે સ્થૂલભદ્રને બોલાવી, પોતાની ઈચ્છા જણાવી. સ્થૂલભદ્ર “વિચાર કરી જોયા પછી તે પદ સ્વીકારવાનું” કહી વિચાર કરવા અશોકવનમાં ગયા ને ખૂબ વિચારને અંતે તેણે નિર્ણય કર્યો કે-“મારે રાજખટપટમાં મારું જીવન વિતાડવું, તેના કરતાં વધુ ભવ્ય કર્તવ્યમાં શા માટેન વિતાડવું?” ઈત્યાદિ વિચારપરંપરામાંથી તેમણે “કેવળ ત્યાગી જીવન સ્વીકારી સ્વપરને કલ્યાણના અનન્ય માર્ગે જીવનની કિંમતી ક્ષણોનો ઉપયોગ કરવો એ જ સૌથી વધારે યોગ્ય છે.” એમ વિચારીને મુખવત્રિકા તથા રજોહરણ સાથે નંદ પાસે જવાનો નિર્ણય કર્યો અને ગયા. નંદે પૂછયું “કિમાલોચિતમ્ ?-શો વિચાર કર્યો ?” શ્રી સ્થૂલભદ્ર જવાબ આપ્યો-“લોચિત-લોચ કર્યો. એટલે વિચારને અંતે “દીક્ષા લેવી” એ વિચાર કર્યો.” એ પ્રમાણે પ્રધાનપદની મુદ્રાનો ત્યાગ કરી ધર્મલાભ આપી શ્રી સંભૂતિવિજય આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીયકે પ્રધાનપદની મુદ્રા સ્વીકારી, અને શ્રી સ્થૂલભદ્રના વિયોગથી શોકમગ્ન કોશ્યા વેશ્યાનો પણ શોક ઓછો કરાવ્યો. નિરંતર સંયમ અને શાસ્ત્રાભ્યાસમાં લીન શ્રી સ્થૂલભદ્રસ્વામીના ગુરુ ભાઈઓએ ચોમાસું કરવા-એકે સર્પના બિલ પાસે, એકે સિંહની ગુફા પાસે, એકે કૂવાના ભારવટિયા ઉપર, આજ્ઞા માગી. ત્યારે સ્થૂલભદ્ર સ્વામીએ કોશ્યા વેશ્યાની ચિત્રશાળામાં-દીવાનખાનામાં ચોમાસું કરવાની આજ્ઞા માંગી. ગુરુ મહારાજાએ ધર્મમાં તત્પર રહેવાની શીખામણ આપી, દરેકને પોતપોતાની ઈચ્છા પ્રમાણે ચોમાસું કરવા જવાની આજ્ઞા આપી. ને સૌ પોતપોતાના ઈચ્છિત સ્થાનકે ચોમાસું કરવા ગયા. તે સમયની વેશ્યા જાતિમાં અગ્રગણ્ય અને લૌકિક બાહ્ય સભ્યતાની મૂર્તિ કોશ્યાએ પોતાના પૂર્વપરિચિત પ્રિય સ્થૂલભદ્ર કુમારને મુનિ વેષમાં પણ આવેલા જોઈ, સહર્ષ પુલકિત ચિત્તે તેમનો અપૂર્વ આદરસત્કાર કર્યો અને આદેશ ફરમાવવા વિજ્ઞપ્તિ કરી. સ્થૂલભદ્ર સ્વામીએ “ધર્મલાભ” આપ્યો ને ચોમાસું રહેવા માટે ચિત્રશાળાની યાચના કરી તે મળવાથી મુનિ તેમાં ચાતુર્માસ રહ્યા. કોશ્યાની ધારણા એવી હતી કે-“ચારિત્ર પળી ન શકવાથી મુનિ મારી પાસે પાછા આવ્યા છે, પરંતુ હાલમાં કાંઈ બોલશે નહીં, છતાં ધીરે ધીરે તે મારા તરફ આકર્ષાશે અને ધન પણ આપશે.” Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો એમ રાહ જોઈ રહી. જ્યારે તેની ધારણા ખોટી પડી, ત્યારે તેણે મુનિને ચલિત કરવા, તે વખતના ઉચ્ચ વિચાર પર રહેલા ભારતના આબાદ અને ચતુર જનસમાજમાં પણ લૌકિક ચતુરાઈની બાબતમાં પારંગત વેશ્યાસમાજમાં અગ્રગણ્ય ગણાતી કોશ્યા જેવી ઉત્કૃષ્ટ વ્યક્તિએ પોતાની જેટલી કળા, હોશિયારી અને ચાલાકી હતા, તે સર્વ ખલાસ કર્યા. કાલાવાલા કર્યા, પગે પડી લલચાવવા મહેનત કરી, પણ મુનિ અક્ષોભ્ય રહ્યા. મુનિએ ઉપદેશ આપી કોશ્યાને દુરાચાર છોડાવી શ્રાવિકા ધર્મમાં સ્થિર કરી. કોડ્યાએ વિશેષમાં એ પણ નિયમ કરી લીધો કે-“માત્ર રાજા મારા તરફ જે પુરુષ મોકલે, તે સિવાય સર્વ પુરુષ માત્ર મારે ત્યાજ્ય છે.' ચોમાસું પૂરું થયે ચારેય શિષ્યો ગુરુ મહારાજના ચરણકમળમાં હાજર થયા. ગુરુમહારાજાએ ત્રણને માટે “દુષ્કર' કહી વિશેષ પ્રશંસા કરી, ત્યારે શ્રી સ્થૂલભદ્ર મુનિ માટે “દુષ્કર દુષ્કર' કહી વિશેષ પ્રશંસા કરી. એ સાંભળી પેલા ત્રણ મુનિઓ ચોંકી ઊઠ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે-“વાહ! ગુરુમહારાજને ધનવાનના છોકરા તરફ કેવો પક્ષપાત છે ?' એમ વિચાર કરી શ્રી સ્થૂલભદ્ર કરતાં ચડિયાતા થવાની ઈચ્છા મનમાં ગોઠવીને આવતા ચોમાસાની રાહ જોતાં સંયમ આરાધવા લાગ્યા. સિંહ ગુફામાં ચોમાસું કરી આવેલા મુનિએ કોશ્યાને ત્યાં ચોમાસું કરવા આજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે-“મહાનુભાવ! તમારાથી એ કામ બનવું મુશ્કેલ છે. સૂર્ય સિવાય બીજે તેજસ્વી પદાર્થ નથી. માટે એ કામ તો સ્થૂલભદ્ર મુનિનું જ છે. તમારું ગજું નથી. તમને નુકસાન થશે.” મુનિ અડગ રહ્યા. છેવટે કોશ્યાને ત્યાં ચોમાસું રહેવા ગયા. ચતુર કોચ્છા મુનિનો અભિપ્રાય પામી ગઈ. તેની પરીક્ષા કરવા પોતાની સ્ત્રીપણાની ખૂબી મુનિ આગળ ખુલ્લી કરવા લાગી. મુનિ ચંચળ થયા. ત્યારે તેની સાનબુદ્ધિ ઠેકાણે લાવવા-“નેપાળનો રાજે સાધુઓને રત્ન કમ્બલ આપે છે, તો ત્યાંથી તે લાવી મને આપો, તો જ ભોગની આશા રાખવી.” મુનિ ગયા. રત્ન કમ્બલ મેળવી. પણ રસ્તામાં ચોરોએ પડાવી લીધી. ફરી વેશ બદલી લાવ્યા, ને ચોરોથી બચીને આવી પહોંચ્યા. કોશ્યાને આપી, કોશ્યાએ તે પહેરી નાહીને ખાળે કાઢી નાંખી. સાધુ ધ્રૂજી ઊઠ્યા ને કરગરી પડ્યા-“અરે ! કોશ્યા ! આ તે શું કર્યું ? હું કેટલી મહેનતે આ કમ્બલ લાવ્યો હતો, અને તે આમ તેને રગદોળી નાંખી ? તને જરાયે ક્ષોભ નથી થતો ?” ચટ દઈને કોશ્યાએ જવાબ આપ્યો-“મહામૂલ્યવાન મનુષ્યજન્મમાં રત્ન પામી, તેને આમ ભોગના કાદવમાં રગદોળી દેવાને તૈયાર થતા આપને જરા પણ ક્ષોભ કેમ નથી થતો ? આશ્ચર્ય છે !!” બસ-મુનિની મનોવૃત્તિ ઉપરથી કામવાસનાનો રંગ ઊડી ગયો, ને કોશ્યાનો ઉપકાર માની ત્યાં જ સ્થૂલભદ્રમુનિની “દુષ્કર-દુષ્કર'ની સ્તુતિ કરી, ધર્મલાભ આપી પ્રાયશ્ચિત્તની ઈચ્છાથી ચોમાસાને અંતે ગુરુમહારાજ પાસે જવા લાગ્યા. પ્રતિબોધવા માટે કરેલી કદર્થના માટે કોશ્યાએ ક્ષમા માંગી. આ તરફ નંદ રાજાએ એક કળા કુશળ સુતારને કોશ્યા પાસે મોકલ્યો. કોશ્યાએ પોતાના નિયમ પ્રમાણે તેનો સ્વીકાર કર્યો, પણ તેને ય બોધ પમાડવાનો પ્રયત્ન શરૂ કર્યો. સુતારે ચોગાનમાં ખાટલા ઉપર બેઠા બેઠા બાગમાં ઉગેલા સામેના આંબા ઉપરથી ધનુષ્યબાણની કળાથી પાકી કેરી તોડી કોશ્યાને Page #366 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૯૩ આપી. કોશ્યાએ સરસવના ઢગલા ઉપર સોય અને તેના ઉપર ફૂલ ખોસીને તેના ઉપર અધ્ધર રહી નૃત્યકળામાં પોતાની પારંગતતા બતાવી આપી, ને સુતારને કળામાં મહાત કર્યો. સુતાર કોશ્યાથી લેવાઈ ગયો, અને તેની ઘણી પ્રશંસા કરી. કોશ્યાએ કહ્યું-“સુતાર ! મારામાં કે તારામાં કાંઈ નથી, પણ મારા પૂર્વપરિચિત શકડાળ મંત્રીના પુત્ર સ્થૂલભદ્ર મુનિએ મારી ચિત્રશાળામાં ચોમાસું કરી ભોગોને ભડકાવીને નસાડી મૂકયા, એ ખરેખર પ્રશંસાપાત્ર છે.” આ સાંભળી એ સુતારે પણ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. - બાર વર્ષનો દુષ્કાળ પડવાથી સૂત્રસિદ્ધાંતો ભુલાઈ ગયેલા, તેથી પાટલીપુત્રમાં સંઘે એકઠા મળી અગિયાર અંગ પૂરાં કર્યું, અને બારમું અંગ ભદ્રબાહુ સ્વામી પાસે થી સ્થૂલભદ્ર મુનિને ભણાવરાવી પૂરું કરાવ્યું. પણ તેમની બહેનોને તેમણે સિંહનું રૂપ બતાવવાથી બદ્રબાહુ સ્વામીએ તેમને સૂત્રપાઠથી ૧૪ પૂર્વ ભણાવ્યા અને અર્થથી ૧૦ પૂર્વ ભણાવ્યા. બાકીની કથા શ્રીયક તથા યક્ષા સાધ્વીના પ્રસંગે આવતી હોવાથી અહીં વિસ્તાર કરવામાં આવેલ નથી. છેલ્લા ચૌદ પૂર્વધર શ્રી સ્થૂલભદ્ર સ્વામી આચાર્ય કાળધર્મ પામી પહેલે દેવલોકે ગયા. ૧૨. વજ સ્વામી : દીક્ષા, અભ્યાસ, શાસન પ્રભાવના, રુકિમણી પ્રતિબોધ, આર્યરક્ષિતસૂરિને અભ્યાસ કરાવવો, અને અંતિમ જીવન, એ એમના જીવનના ખાસ પ્રસંગો છે. અવંતી (માળવા) દેશમાં આવેલા તુંગવન નામના કસબામાં વસતા તે ગામના ધન કુબેર ધનગિરિ જેવા નામના વ્યાપારી યુવાનને દીક્ષા લેવાની ઇચ્છાવાળા જાણવા છતાં, સ્વેચ્છાથી પરાણે પરણેલા ધનપાળ શેઠના પુત્રી સુનંદાના ગર્ભમાં, જેણે અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમ સ્વામી પાસે પુંડરીક અધ્યયન સાંભળ્યું હતું, તે જંભકદેવ વજ સ્વામીપણે ઉત્પન્ન થયા. ધનગિરિ સ્ત્રીને સગર્ભા સમજીને દીક્ષા લેવા નીકળી પડ્યા, અને “તારાભાઈ આર્યસમિતે જેમની પાસે દીક્ષા લીધી છે, તે સિંહગિરિ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવા જાઉં .” એમ કહી દીક્ષા લઈ શાસ્ત્રમાં નિષ્ણાત થયા અને તપશ્ચર્યા કરી સંયમ આરાધવા લાગ્યા. આ તરફ શુભ લગ્ને વજ કુમારનો જન્મ થયો. સુનંદાની સખીઓ તેને જે હર્ષ અનુભવવા લાગી ને કહેતી હતી કે “વહાલા ! તારા પિતાએ જે દીક્ષા ન લીધી હોત, તો તારો જન્મ મહોત્સવ કેવો રૂડો ઊજવાત ?” વગેરે વાકયોમાં દીક્ષા શબ્દ સાંભળી ઊહાપોહ કરતાં વજકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, ને તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પણ બાળકની ઈચ્છા શી રીતે પાર પડે ? તેણે તો ત્યારથી જ રહેવાનું જ શરૂ કર્યું. માતા તથા તેની સખીઓના તેને છાના રાખવાના સર્વ પ્રકાર નિષ્ફળ ગયા. એમ કરતાં છ મહિના થયા. સુનંદા પણ રડીને જ સમય વિતાવતાં હતાં, અને બોલતાં હતાં કે-“હું માતા આ પ્રિય બાળકને શી રીતે છોડી શકું ? પરંતુ તેના પિતા આવે, તો તેને સોંપી દઈ આ હેરાનગતિમાંથી છૂટું.” કંટાળીને તેમજ સ્ત્રીસહજ સ્વભાવથી એમ બોલ્યા કરતાં હતાં, ને ઘણી વાર મૂર્ણિત થઈ જતાં હતાં. એવામાં શ્રી સિંહગિરિ ગુરુમહારાજ સપરિવાર તે જ કસબામાં વિહાર કરતા કરતા પધાર્યા. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો શ્રી સંઘે પૂર્ણ સન્માન કર્યું. મધ્યાહને શ્રી આર્યસમિત સાથે શ્રી ધનગિરિ મુનિ ગોચરચર્યાએ વિચરવા ગુરુ મહારાજ પાસે આજ્ઞા માગી-જ્ઞાની ગુરુ જ્ઞાન બળથી બોલ્યા, “આજે તમને મહાન લાભ થશે. સચિત્ત અચિત્તનો આજે વિચાર ન કરતાં જે મળે, તે લાવવું.” - સાધુઓ ફરતા ફરતા સુનંદા શ્રાવિકાને ત્યાં જઈ પહોંચ્યા. સુનંદા દુઃખના ભારથી બોલવા લાગ્યાં કે- “લો આ તમારો છોકરો. મને હેરાન હેરાન કરી નાંખી. મારાથી આ દુ:ખ સહન થતું નથી. આ છોકરો હવે મને કાળ જેવો લાગે છે, માટે કૃપા કરીને લઈ જાઓ તમે તમારે.” ભલે, જેવી તમારી ઈચ્છા. પાછળથી પસ્તાવો કરશો નહીં. અમને આપ્યા પછી પાછો મળી શકશે નહીં." એમ શ્રી ધનગિરિ મુનિએ જવાબ આપ્યો. સુનંદાથી કહેવાઈ ગયું- “આ મારી સખીઓ સાક્ષી છે. ફરીથી નહીં માગું, કૃપા કરીને લઈ જાઓ.” શ્રી ધનગિરિ મુનિએ તુરત જ પસારેલી કપડાંની જેળીમાં તેને લઈ લીધા. ભારથી નમી પડતા શ્રી ધનગિરિ મુનિને દૂરથી આવતા જોઈ, ગુરુએ વજ જેવા ભારવાળા બાળકને જાણીને વજ એવું તેનું નામ પાડ્યું, ગુરુએ તેને ખોળામાં લઈ તેની સામે જોયું, કે બાળક આનંદથી હસવા લાગ્યું. રુદન કયાંય ચાલ્યું ગયું. તેનું પાલન કરવા સાધ્વીઓ મારફત શય્યાતરીઓ[સાધ્વીઓને ઉપાશ્રય આવનારી શ્રાવિકાઓ ને સોંપ્યા. ત્યાં ધાવમાતાઓ રાખીને પાલન કરવામાં આવ્યું, સાધ્વીઓ અગિયાર અંગો ભણે છે, તે સાંભળીને વજકુમાર પણ પારણામાં જ અગિયાર અંગના મુખપાઠી થઈ ગયા. ત્રણ વર્ષના થયા એટલે ધર્મોપકરણોને રમકડાં બનાવીને સરખી ઉમરનાં બાળકો સાથે રમવા લાગ્યા. તે પહેલાં, પ્રસંગે પ્રસંગે સુનંદા પણ ત્યાં વખતોવખત જુદા જુદા બહાને આવી જઈને પોતાના બાળકને ધવરાવી જતા હતા. આ પ્રસંગે જૈન શાસનમાં વજસ્વામીના સંસારી મામા શ્રી આર્ય સમિત આચાર્યના પ્રભાવથી બ્રહ્મદીપના તાપસી જૈન ધર્મની દીક્ષા લે છે. ત્યારથી બહાદ્વીપ શાખા જૈન શાસનમાં પ્રસિદ્ધ થાય છે. વગેરે હકીકત બીજા ગ્રંથોથી જાણવી. ત્રણ વર્ષના વજસ્વામીને લઈ પાછા શ્રી ધનગિરિમુનિ વિહાર કરતા ફરીથી એ જ ગામમાં આવ્યા. સુનંદા પણ તેમની પાસે આવ્યા, અને પુત્ર પાછો આપવાની માંગણી કરી. મુનિએ ના પાડી. સુનંદાએ આગ્રહથી માંગણી ચાલુ રાખી. છેવટે સંઘ વચ્ચે પડ્યો. પણ સુનંદા એક ના બે ન થયા. રાજચેરી સુધી વાત પહોંચી. રાજાએ તોડ કાઢ્યો કે-“એ બાળક જેને ચાહે, તેને સોંપવામાં આવશે.” આ પ્રમાણેની શરત બન્નેએ કબૂલ કરી. માતાએ વિવિધ જાતનાં મનોહર રમકડાં અને ખાવાના પદાર્થો આગળ ધર્યા અને વહાલભર્યા અનેક વાકયોથી તેનું પોતાની તરફ આકર્ષણ કરવા માતૃ શકિતનો સંપૂર્ણ પ્રયોગ કરી જોયો, પણ તે નિષ્ફળ ગયો. ત્યારે શ્રી ધનગિરિ મુનિએ માત્ર ઓઘો આગળ ધર્યો, તરત જ તેને લઈ બાળક વજ નાચવા લાગ્યા ને રજોહરણ લઈ પિતાના ખોળામાં જઈ બેઠા. રાજાનો ન્યાય પૂરો થયો. આથી સુનંદાના દિલમાં પણ વૈરાગ્ય વાસનાએ અસર કરી ને તેમણે છેવટ સિંહગિરિ ગુરુ મહારાજ હસ્તક દીક્ષા લીધી.ગુરુ Page #368 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્ર ૨૯૫ મહારાજે જન્મના વૈરાગી છ વર્ષના વજમીને પણ દીક્ષા આપી. અવંતીનગરી તરફ વિહાર કરતાં રસ્તામાં વજસ્વામીજીના પૂર્વ ભવના મિત્ર જૈભક દેવે વારંવાર પરીક્ષા કરી. તેના સંયમાનુરાગ અને સાત્વિકતા જોઈ ખુશી થઈ, વૈક્રિય લબ્ધિ અને આકાશ ગામિની વિદ્યા આપી. બધા મુનિઓ બહાર ગયા પછી સામે ઉપધિઓ મૂકીને વજ મુનિ વાચના આપવા લાગ્યા. તેવામાં ગુરુ મહારાજને બહાર આવ્યા જાણી વિનયથી બહાર આવી ચરણ ધોવા વગેરેથી ગુરુનો વિનય કર્યો. ગુરુ વજી સ્વામીની શક્તિ જાણીને મુનિઓ તેમની પાસે વાચના લેવાનું કહી, ચાર દિવસ ગામડે વિચર્યા, મુનિઓને તેમની વાચનાથી ઘણો આનંદ થયો. આ ઉપરથી ગુરુએ વજ મુનિની તેજસ્વિતા તરફ ખ્યાલ આપીને તે કાળના દશ પૂર્વધર શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસે દશપુરથી અવંતિનગરમાં દશપૂર્વનું માન કરવા મોકલ્યા. ત્યાં તેમની પાસેથી દશપૂર્વનો અભ્યાસ કર્યો, ને વજસ્વામી દશપુર પાછા આવ્યા, એટલે પૂર્વ ભવના મિત્ર દેવે મહોત્સવ કર્યો, ગુરુ મહારાજે આચાર્યપદ આપ્યું ને સ્વર્ગે ગયા. પાંચસો મુનિઓ સાથે વજ જેવા અંગવાળા દશપૂર્વધર યુવાન વજસ્વામી આચાર્ય દેશેદેશ વિચરવા લાગ્યા. વૈરાગી પિતાના ઉત્તમ બીજથી, સાંગોપાંગ સ્ત્રીત્વસંપન્ન માતાને ઉદરે જન્મ પામેલા, પૂર્વ ભવે દેવ અને જન્મ કાળથી જ વૈરાગ્ય વાસિત થઈ સહજ બ્રહ્મચારી વજરવામીના શરીરનું સૌષ્ઠવ તે વખતના સર્વ યુવકો કરતાં કોઈ અનેરી ભભકથી જ ખીલી ઊઠ્યું. આવા યોગનિષ્ઠ યુવાનની ખ્યાતિ તેમનાં જ્ઞાન, વૈરાગ્ય, પ્રભાવ વગેરે અતિશયોની સાથે જ દેશદેશ વિસ્તરી ગઈ. ખરેખર વજસ્વામી પોતાની યુવાવસ્થામાં તે કાળના ભારત વર્ષની શરીરની ઉત્તમ સ્થિતિમાં પણ એક અદ્વિતીય યુવાન હતા. અન્ય રાજકુમારો કરતાં પણ આ યોગી રાજકુમારની યુવાવસ્થા કોઈ અનેરી જ હોવી જોઈએ. શુદ્ધ બ્રહ્મચર્યની પણ યુવાવસ્થા ઉપર કોઈ ચમત્કારિક અસર હોય છે. આ યૌવન સૌરભના સમાચાર પણ દેશદેશ પ્રસરેલા હતા. તે વખતમાં તેવીજ યુવતી પાટલીપુત્રના ધનશેઠની લાડકવાયી પુત્રી રુકિમાણી હતી. વગર જોયે સાંભળવા માત્રથી જ તે અનન્ય યુવતી વજસ્વામીને પતિ તરીકે સ્વીકારી ચૂકી. સાધ્વીજીઓએ વારવા છતાં રુકિમણીનું ચિત્ત વજસ્વામી ઉપર ચોંટ્યું. તેણે પોતાનો નિશ્ચય જાહેર કર્યો કે-“તેમના સિવાય અન્ય પુરુષ મારું હૃદય આકર્ષી શકે તેમ નથી. છતાં તેઓની પાસે હું મારો સ્વીકાર નહીં કરાવી શકું, તો મારે પણ સંયમ એ જ આધાર છે.” શ્રી વજસ્વામી પણ વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં જ આવી પહોંચ્યા. પ્રવેશ મહોત્સવ થયો. સરખા રૂપવાળા સાધુઓને જોઈ ત્યાંના રાજાને “વજ સ્વામી કયા ” એ શંકા થઈ. છેવટે ઓળખાવવાથી ઓળખીને વંદના કરી. ધર્મોપદેશ સાંભળ્યો. રૂપ-સૌભાગ્યવાળા યુવાન સ્વામીને જોવા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પંચ પ્રતિકમાગસૂત્રો આવીને રાજરાણીઓ પણ દર્શન કરી ગઈ, રુક્મિણીએ પોતે પ્રિય માનેલા વૈરાગી ઋષિરાજને આવેલા સાંભળી દિવ્ય આભરણો ધારણ કરી લીધા. તેના સાડા ત્રણ ક્રોડ રોમકૂપો હર્ષથી રોમાંચિત થઈ ગયા. વિનયથી પિતાને વિજ્ઞપ્તિ કરી. “પૂજ્ય પિતાશ્રી ! હું જેને મનથી વરી ચૂકી છે, તે મહાપુરુષ અને પધાર્યા છે, તેમના વિના મારે મરણ જ શરણ છે.” લોકોને મોઢેથી આચાર્યશ્રીના રૂપ સૌભાગ્યની પ્રશંસા સાંભળી એવા પુરુષને પસંદ કરવા માટે ધન શેઠ પોતાની પુત્રીને અને તેની પસંદગી શક્તિને પણ ધન્યવાદ આપવા લાગ્યા. શેઠ રુકિમણીને લઈ યોગીપુંગવ પાસે હાજર થયાને વિજ્ઞપ્તિ કરી, “હે કૃપાનિધાન! અશરણશરણ મારી પુત્રી આપને વરી ચૂકી છે, તેનો અને સાથે એક ક્રોડ રત્નોનો સ્વીકાર કરી કૃતાર્થ કરો. નહીંતર મરણ એ જ તેનું શરણ છે.” ભલભલાં ઓગળી જાય એવા બરફના પહાડની ઠંડક જેવી ઠંડકથી ભરેલા છતાં કઠોરમાં કઠોર ઘણની અસર વજી સ્વામીના વજમય હૃદય ઉપર લેશ માત્ર પણ થઈ જ નહીં. તેમ તો વધુ કઠોર બન્યું. છતાં પણ કરુણાર્દ્ર બની મધુર વાણી મારફત એવા અનન્ય ઉપદેશના રૂપમાં બહાર વહી નીકળ્યું, કે જેમાં રુકિમણીને જ પીંગળી જવું પડ્યું. તેણીનો મોહજવર ચાલ્યો ગયો, શાંત અને વૈરાગિણી બની ગઈ. દીક્ષા સ્વીકારી. એ વખતે બીજા અનેક જીવો પ્રતિબોધ પામી ધર્મની વાસનાવાળા થયા તથા વ્રત-સંયમનો સ્વીકાર કર્યો. - ત્યાર પછી મહાપરિજ્ઞા અધ્યયનમાંથી પદાનુસારિણી લબ્ધિ વડે આકાશ ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. પણ ભાવિકાળના જીવોને અલ્પ સાત્વિક સમજી એ વિદ્યા તેમણે કોઈને આપી નહોતી. ત્યાર પછી ઉત્તર દિશામાં વિચરતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. ત્યાંથી સંઘને ચર્મરત્નમય મહાપટમાં બેસારીને મહાપુર નગરે લાવ્યા. ત્યાંનો રાજા બૌદ્ધ હતો. શ્રી પર્યુષણામાં તેમણે જૈનોને પુષ્પો ન મળી શકે, તેવો બૌદ્ધ પ્રજાજનોની ઈચ્છાને માન આપીને પ્રતિબંધ કર્યો. સંઘે આ વાત ગુરુ મહારાજને જણાવી. તેઓ આકાશગામિની વિદ્યાથી માહેશ્વરીના ઉપવનમાંથી શ્રી ધનગિરિના મિત્ર તડિત માળી પાસેથી એકવીસ કરોડ પુષ્પો લીધાં. ત્યાંથી ચૂલહિમવંત ઉપર શાશ્વત જિન પ્રતિમાઓના દર્શન કરી ત્યાંની દેવી પાસેથી ફ્લો લીધાં. ત્યાંથી હુતાશન યક્ષના વનમાંથી ફૂલો લીધાં. આવ્યા, ને ખૂબ ધામધૂમથી જિનમંદિરમાં ઉત્સવ થયા. બૌદ્ધો નમી પડયા, અને રાજા જૈન થયો. ત્યાર પછી શ્રી આર્યરક્ષિતજીને તેઓએ કંઈક ન્યૂન દશપૂર્વોનો અભ્યાસ કરાવ્યો. વગેરે હકીકત તેમના ચરિત્રમાં આપીશું. શ્રી વજ સ્વામી એક વખત દક્ષિણ દેશમાં વિચરતા હતા. ત્યાં તેમને શ્લેષ્મની પીડા થઈ, તેથી મુનિઓના આગ્રહથી એક સૂંઠનો ગાંગડો લઈને કાન પર રાખી મૂખ્યો, તે સ્વાધ્યાય કરતાં Page #370 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૯૭ ભૂલી ગયા. પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ પડિલેહતાં ગાંગડો આગળ પડ્યો. તે જોઈ વિચાર કરવા લાગ્યા, “અહા મારો કેટલો પ્રમાદ ? મારું આયુષ્ય હવે અલ્પ છે. માટે અનશન કરું.” બાર વર્ષનો દુકાળ પડવાથી શિષ્યોને બીજે વિહાર કરવા મોકલ્યા. તેમના મુખ્ય શિષ્ય વજસેન મુનિએ વિહાર કર્યો, અને પાંચસો મુનિઓના અગ્રેસર હતા. દુકાળને લીધે ભિક્ષા ન મળવાથી-વિદ્યાની મદદથી અન્ન ઉત્પન્ન કરી સૌને આહાર આપવા શ્રી વજસેન મુનિએ વિચાર દર્શાવ્યો.” પરંતુ મુનિઓ તે વિચાર નાપસંદ કરી શ્રી વજસ્વામી પાસે પાછા આવ્યા. શ્રી વજ સ્વામી આચાર્ય મહારાજ પણ એક યુવક શિષ્યને મૂકી પર્વત ઉપર અનશન કરવા ગયા, ક્ષુલ્લક શિષ્યને માલૂમ પડ્યું. એટલે પાછળ આવી ગુરુને અવિનય ન લાગે, માટે પર ન ચડતાં નીચે તળેટીએ શિલા ઉપર અનશન કર્યું ને કાળધર્મ પામી સ્વર્ગે ગયા ને પેલા મુનિઓ પણ સ્વર્ગે ગયા. મુલક મુનિની પૂજા માટે દેવો ત્યાં આવ્યા, જ્ઞાની ગુરુએ ઉપયોગ મૂકી તે કારણ જાણ્યું. તે પર્વત ઉપર કોઈ મિથ્યાત્વીદેવ શ્રી વજસ્વામીને ચલિત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ચલિત ન થયા. ત્યાંના ક્ષેત્ર દેવની અપ્રીતિનું કારણ જાણીને ગુરુ અન્યત્ર વિચર્યા ને ત્યાં ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કર્યો. પછી અનશન કર્યું ને સ્વર્ગે ગયા. છે આવી વંદન કર્યું ને તીર્થ સ્થાપ્યું. ૧૩. નંદિણમુનિ પહેલા : શ્રીપુરમાં યજ્ઞપ્રિય બ્રાહ્મણ ભીમ નામના દાસને યજ્ઞમાંથી શેષ આપીને કામ કરાવતો હતો. ભીમ તેમાંથી સાધુઓને વહોરાવતો હતો. આ પુણ્ય ભાવનાથી તે મરીને સ્વર્ગમાં જઈને ત્યાંથી આવીને રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાનો નંદિણ નામે પુત્ર થયો. મખપ્રિય ઘણા ભવો કરીને હાથણીના ગર્ભમાં અવતર્યો. આ ટોળાનો અધિપતિ હાથી “બીજે કોઈ હાથી ટોળાનો નાયક ન થાય,” માટે જે બચ્ચાં જન્મ, તેને મારી નાંખતો હતો, આ ગર્ભિણી હાથણીએ પોતાનું બચ્ચું બચાવવા કપટથી લંગડી થઈ રોજ પાછળ રહેવાનો ઢોંગ કરવા લાગી. હાથી પણ તેના ઉપર દેખરેખ રાખવા લાગ્યો. પણ પાછળથી આવીને પણ સાથે થઈ જાય, એટલે હાથીને વહેમનું કારણ ન રહ્યું. એક દિવસે માથા પર ઘાસના પૂળા મૂકી તાપસોને શરણે જઈ, ત્યાં તેઓના આશ્રમમાં બચ્ચાને જન્મ આપ્યો અને તાપસીને તેની રક્ષા સોંપી. જુઓ, માતાનો સ્નેહ કેવો હોય છે ! આ જ રીતે પાછળ પડીને તે તેને રોજ ધવરાવી પણ જતી હતી. કંઈક ઉમ્મરમાં આવેલું બચ્ચું તાપસનાં બાળકો સાથે સૂંઢમાં પાણી લઈ વૃક્ષોનું સિંચન કરતું હતું, તે ઉપરથી તેનું નામ સેચનક પાડ્યું. યુવાવસ્થામાં આવતાં “માતાને છેતરીને પોતાને પકડી લાવ્યા હશે,” એમ ધારીને તે પોતાના પાલક તાપસી ઉપરની શંકાથી તેઓને હેરાન કરવા લાગ્યો. તેઓએ શ્રેણિક રાજાને વાત જણાવી. રાજાએ પકડવા લકર મોકલ્યું પણ મહેનત નકામી ગઈ. ત્યારે નંદિણ કુમાર પકડવા આવ્યા. તેને જોઈ જતિ સ્મરણ થવાથી હાથી તેને વશ થયો. તેણે રાજાને સોંપ્યો. રાજાએ નંદિણ કુમારને વિશેષ ગામો આપી તેની કદર કરી. તેવામાં પ્રભુ મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ધમપદેશના બાદ નંદિણ કુમારે પોતાની ઉપરના Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો હાથીના પ્રેમ વિષે ખુલાસો પૂછયો. પ્રભુએ પૂર્વ ભવ સંભળાવીને ખુલાસો કર્યો. નંદિણ કુમારે બોધ પામી પ્રભુ પાસે દીક્ષા લેવા ઉત્સુકતા બતાવી. પ્રભુએ કહ્યું “હજુ તમારે ભોગાવળી કમ બાકી છે. માટે હાલ વિલંબ કરો.” તથા નિષેધની આકાશવાણી થવા છતાં પણ આગ્રહને વશ થઈ દીક્ષા લીધી, ને ખૂબ તપશ્ચર્યા કરવા માંડી. ભોગની ઈચ્છાઓ તેને ગભરાવા લાગી, તેમ તેમ તેને દબાવવા અનેક પ્રકારની ભાવના, પરિસહ, તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, ઉગ્ર આતપના વગેરે કરવા લાગ્યા. પરંતુ ભોગેચ્છા તેમને છોડે નહીં. જંપાપાત કરીને મરવાનો વિચાર કર્યો. તો દેવે તેને ત્યાંથી ઉપાડીને બીજે મૂકીને કહ્યું કે-“ભોગ અનુભવ્યા પહેલાં તમારું મૃત્યુ થશે નહીં.” પછી નંદિશ એકલા તપ કરવા લાગ્યા. એક દિવસે કોઈ વેશ્યાને ત્યાં આહાર લેવા જઈ ચડ્યા ને “ધર્મલાભ” કહ્યો. વેશ્યા બોલી-“ધર્મલાભને હું શું કરું? અહીં તો મારે અર્થલાભની જરૂર છે.” મુનિએ તરણું ખેંચ્યું કે તપના પ્રભાવથી આકાશમાંથી બાર કરોડ રત્નોની વૃષ્ટિ થઈ ને “લે અર્થલાભ.” કહી મુનિ જવા લાગ્યા, કે વેશ્યા વળગી પડી, “પ્રભો ! તમો મુનિ થઈને સ્ત્રી ઉપરની મૃદુતા ભૂલી ગયા કે શું ? આપ જશો તો હું મરણને શરણ થઈશ.” મુનિ ખચકાયા ને ભોગમાં ફસાયા. છતાં “રોજ દશ વિટોને ઉપદેશ આપી દીક્ષા લેવા પ્રભુ પાસે મોકલ્યા પછી અન્ન લેવું.” એવો અભિગ્રહ ધારણ કર્યો, ને તે પ્રમાણે પાલન કરવા લાગ્યા. બાર વર્ષે એક દિવસ એવો આવ્યો કે-નવને તો બોધ આપીને દીક્ષા લેવા મોકલ્યા. પરંતુ દશમો વિટ ઉપદેશ પામે જ નહીં. જમવા વખત થઈ ગયો. નંદિગ ઉપદેશ આપ્ટે જતા હતા. પણ પેલો બોધ પામતો જ નહીં. ત્યારે વેશ્યાએ મશ્કરીમાં કહ્યું કે “સ્વામિન્ ! દશમા તમે.” બસ, તરત જ તે નીકળી પડ્યા. દીક્ષા લીધી ને અંતે સંયમધર્મની આરાધના કરી મોક્ષમાં ગયા. ૧૪. રાજા નંદિણ બીજા : આ મંદિરની સાધુ મુનિરાજની આદર્શ વૈયાવચ્ચ સેવા હતી અને તેના પુણ્ય પ્રભાવથી કૃષ્ણ વાસુદેવના જગવલ્લભપિતા વસુદેવ તરીકે ઉત્પન્ન થયા હતા. મગધ દેશમાં નંદી ગામમાં સોમલ પત્નીથી નંદિણ નામે પુત્ર થયો. માતાપિતા મરી ગયાં. નશિખ કુરૂપ આ બાળકની સામે પણ તેનાં સગાંવહાલાં જેવા ન લાગ્યાં. તેથી તે મોસાળમાં ગયો ને ઘાસ પાણી લાવવાનું કામ કરવા લાગ્યો. તેના મામાએ પોતાની સાત પુત્રીમાંની એક તેની સાથે પરણાવવાનું કહ્યું. તેથી તે ખૂબ કામ કરવા લાગ્યો. જેમ જેમ તે સાતેયને ખબર પડતી ગઈ, તેમ તેમ તે સાતેય તેને પરણવાને નાખુશી બતાવતી ગઈ. છેવટે બીજા કોઈએ પણ તેને પોતાની કન્યા ન આપી. એટલે તે પોતાના દુર્ભાગ્યને લીધે મનમાં ઘણો જ દુ:ખી થયો ને મરવાનો વિચાર કરવા લાગ્યો. ત્યાંથી નીકળી રત્નપુર શહેરમાં ગયો. ત્યાં વિલાસી લોકોને ભોગભોગવતાં જોઈને વધુ દુઃખી થયો, અને ઝપાપાત કરી મરવા માટે જંગલમાં ગયો. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા મુનિએ તેને વાર્યો. ખરેખર મુનિઓ દુ:ખીઓના મિત્ર અને અશરણશરણ છે. મુનિએ જ્ઞાનથી તેના વિચારો જાણીને ઉપદેશ આપ્યો કે “મહાનુભાવ ! ખોટી રીતે મૃત્યુથી સુખ નથી. કરેલાં કર્મ ભોગવવા પડે છે. ધર્મ કર જેથી પૂર્વના પાપ તૂટે અને ઉત્તરોત્તર સુખ મળે.” Page #372 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૯૯ નંદિકોણને સાચો વૈરાગ્ય થયો ને તેણે દીક્ષા લીધી. પછી શાસ્ત્રાભ્યાસ કરી તે ગીતાર્થ થયા અને મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે-“રોગી, ગ્લાન, વૃદ્ધ, બાળ, એવા સાધુઓની ખરા ભાવથી ખૂબ વૈયાવચ્ચ-સેવા ચાકરી કરવી” અને તે કરવાની તેણે શરૂઆત પણ કરી દીધી. આ વાત છેટે અવધિજ્ઞાનથી જાણીને સભામાં તેની ખૂબ પ્રશંસા કરી. એક દેવને આ વાત ઉપર વિશ્વાસ ન બેઠો. પરીક્ષા કરવા રત્નપુરમાં આવી એક સાધુનું રૂપ લીધું અને અતિસારના રોગવાળું પોતાનું શરીર કરી દીધું. બીજા સાધુનું રૂપ લઈ ઉપાશ્રયે જઈ નંદિવેણને રોગી સાધુની દુર્દશાની ખબર આપવા માંડી, કે “તમે સાધુની વૈયાવચ્ચનો નિયમ લઈને તે કર્યા વિના આહાર વાપરવા કેમ બેસી જાઓ છો ?” તે જ વખતે પચ્ચકખાણ પારી નંદિષેણ મુનિ આહાર વાપરવા બરાબર બેસતા હતા. “ઊઠો, બહાર એક રોગી સાધુને શુદ્ધ જળનો ખપ છે, તે તો પહોંચાડો”. તે સાંભળી નંદિણ શુદ્ધ જળ લેવા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં પેલો દેવ તેને દોષવાળું કરી નાંખે. મુનિ બહુ ભટકયા ત્યારે છેવટે થોડું શુદ્ધ જળ તેને લેવા દીધું. પછી પેલા દેવ સાધુ સાથે વેયાવચ્ચ કરવાના આનંદ સાથે મંદિર મુનિ રોગી મુનિ પાસે આવ્યા, ને તેમને ધોવા લાગ્યા, જેમ જેમ ધુવે, તેમ તેમ દુર્ગધ વધુ ને વધુ ફેલાતી જાય, તેમ તેમ મંદિર મુનિ ભાવના ભાવતા હતા કે અહો ! ભાગ્યવાન છતાં આ મુનિરાજ રોગથી કેવા પીડાય છે ? આ જગતમાં રાજા કે રંક, ત્યાગી કે ભોગી, કોઈ કર્મથી છૂટી શકતું જ નથી. સૌને કયાં કર્મ આમ ભોગવવાં જ પડે છે.” પછી તે મુનિને ખભા પર બેસાડીને સેવા ચાકરી કરવા પોતાને સ્થાને મંદિર મુનિ લઈ જવા લાગ્યા. તેના ઉપર દુગંધમય ઝાડા કરી મૂકે. જરા ઉતાવળે ચાલે “તો મને પીડા થાય છે. કેવો નિર્દય છે ?” ધીમે ચાલે તો “મને કયારે પહોંચાડીશ ? માર્ગમાં જ મારું મૃત્યુ થશે, તો આરાધના નહીં થાય.” વગેરે પુષ્કળ આકરા શબ્દો સંભળાવે, છતાં તેના ઉપર જરા પણ દુગંછા કે કંટાળો લાવ્યા વિના મહામુશ્કેલીએ ઉપાશ્રયે તો લાવ્યા, ને વિચારવા લાગ્યા કે-“હવે આ મુનિરાજને કેવી રીતે નીરોગી કરું ? કઈ રીતે તેની સારવારની શરૂઆત કરવી ?” વગેરે વિચાર કરવા લાગ્યા. દેવોએ જાણ્યું કે-“ખરેખર આ પોતાના નિશ્ચયમાં અડગ-દઢ છે.” એટલે પ્રગટ થઈ ત્યાંનું વાતાવરણ પવિત્ર બનાવી દીધું અને પુષ્પવૃષ્ટિ કરી તથા નંદિણ મુનિને ધન્યવાદ આપ્યા તથા પોતાનો અપરાધ ખમાવી “પૈદ્રની પ્રશંસા સાચી હતી” એમ કબૂલી દેવ પોતાને સ્થાને ગયો. ત્યાર પછી બાર હજાર વર્ષ ઉગ્ર તપ કર્યું, તપને અંતે અનશન કર્યું. તેમને વંદન કરવા ચક્રવર્તી રાજા સપરિવાર આવેલ તેની સ્ત્રીના સુકુમાર વાળ જોઈને તેમણે નિયાણું કર્યું કે “હું પણ આવી સ્ત્રીઓને પ્રિય થાઉં.” ત્યાંથી ચ્યવી મહાશક દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી રખડીને શૌરપુરીના અંધકવૃષિણના દશમા વસુદેવ નામે પુત્ર થયા. ત્યાં તે બોતેર હજાર સ્ત્રીઓને વલ્લભ થયા. તે ચરિત્ર શ્રી વસુદેવ હિંડી, તથા શ્રી નેમિનાથ ચરિત્રમાં જાણી લેવું. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૧૫. શ્રી સિંહગિરિ આચાર્ય : આ મહાપુરુષ શ્રી વજસ્વામીના ગુરુ હતા અને મહાન શાસન પ્રભાવક પુરુષ હતા. તે વાત આપણે શ્રી શ્રી વજસ્વામીના ચરિત્રમાં વાંચી ગયા છીએ. ૧૬. કૃતપુશ્ય શેઠ [hવન્ના શેઠ] : રાજગૃહમાં ધનેશ્વર સાર્થવાહની સુભદ્રા પત્નીથી કૃતપુણ્ય કુમારનો જન્મ થયો. તેને તેના પિતાએ શ્રીદ શેઠની ધન્યા પુત્રી સાથે પરણાવ્યા. કુમારને સાધુઓનો સંગ હોવાથી વિષયમાં આસક્તિ નહોતી. તે જાણી તેની માતાના કહેવાથી તેના પિતાએ જુગારીની સોબત કરાવી. ત્યાંથી અનુક્રમે અનંગસેના વેશ્યાની સોબત થઈ અને ત્યાં જ રહ્યો. માબાપ તેને ધન મોકલતાં હતાં. પરંતુ તે મરણ પામ્યાં. તેની ધન્યા સ્ત્રી એકલી કાંતીને ગુજરાન ચલાવતી હતી, કારણ કે ધન બધું ખલાસ થયું હતું. વેશ્યાની દાસી ધન લેવા આવી એટલે પત્નીએ છેવટ પોતાના દાગીના જે રહ્યા સહ્યા હતા તે પણ પોતાના પતિના સુખ ખાતર આપી દીધા. દાસી દાગીના લઈ ગઈ, વેશ્યાની માને શેઠના ઘરની સ્થિતિ કહી. અનંગસેનાની નામરજી છતાં પોતાના કુલાચારને અનુસરીને તેની વેશ્યા ડોશીએ ધૂળ ઉડાડી શેઠને પોતાના ઘેરથી કાઢી મૂકયા. શેઠ ઘેર આવ્યા. બધું ફરી ગયેલું જોઈ શેઠ બહુ જ આશ્ચર્ય પામ્યા, તેવામાં તેમની પત્ની સામે આવી માનપૂર્વક ઘરમાં તેડી ગયાં. તેની ઘણી સેવાભક્તિ, સ્નાન ભોજન કરાવ્યું. શેઠના ખેદનો પાર ન રહ્યો. પોતાની આવી સ્થિતિ માટે તેના દિલમાં ઘણું જ દુઃખ થવા લાગ્યું. પરંતુ પવિત્ર આર્યપત્નીના સુમધુર શબ્દોથી તેમને ઘણું આશ્વાસન મળ્યું, અને “પોતાની પાસે હજુ એક હજાર સોનામહોર છે. તે લઈ પરદેશ જઈ આપ સુખેથી વેપાર ચલાવો.” એમ કહ્યું. - તે વિચાર ચાલતો હતો તેવામાં એક પરદેશી વેપારીઓનો કાફ્લો ત્યાં આવી રહ્યો. તેની સાથે જવા માટે શેઠને રાત્રે પ્રસ્થાન કરાવ્યું, ને એક યક્ષમંદિરમાં શેઠને પલંગ ઉપર સુવાડી તેમની સગર્ભા પત્ની પાછી આવી. આ તરફ એક ધના નામના વેપારીની રૂપવતી નામની સ્ત્રીને જિનદત્ત નામના પુત્રને ચાર સ્ત્રીઓ હતી. પરંતુ તે અપુત્ર મરણ પામવાથી તેનું ધન રાજા ન લઈ જાય, માટે રૂપવતીએ ચાર વહુઓને એવું સમજાવ્યું કે “આપણે કોઈએ રોવું નહીં, અને તમારા પતિને ગુપ્ત રીતે દાટી દેવા. અને બીજા કોઈ પુરુષને લાવી તમારે તેને પુત્ર થાય ત્યાં સુધી પતિ તરીકે રાખવો જેથી આપણું ધન રાજા લઈ જઈ શકશે નહીં.” પુત્રવધૂઓએ એ વાત કબૂલ કરી, તેના પતિને ગુપ્ત દાટી આવી. જોગાનુજોગ પરદેશી કાફલામાંથી અજાણ્યા પુરુષોને લેવા જતાં એ ચારેય સ્ત્રીઓ કતપુય શેઠને પલંગ સહિત પોતાને ઘેર ઉપડાવી લાવી. રૂપવતી તેને “પુત્ર, તું જન્મથી કયાં ગયો હતો ? તારા વિના હું તો મરવા જેવી થઈ ગઈ હતી. તું આવ્યો, ઠીક થયું. તારી આ ચાર ભાભીઓ તારી વહુઓ જ છે, એમ તું સમજ.” તેવામાં પેલી ચાર સ્ત્રીઓ પણ તેને સ્વામી તરીકે સ્વીકારીને પતિભક્તિ કરવા લાગી. કુતપુpય શેઠ આ બધું જોઈ આશ્ચર્ય પામ્યા, પરંતુ વખત વિચારીને ત્યાં રહ્યા. તેમનાથી ૧૨ વર્ષમાં ચારેયને એક એક પુત્ર થયો. એટલે રૂપવતીના કહેવાથી અનિચ્છાએ પણ પેલી પુત્રવધૂઓ Page #374 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૦૧ પ્રથમ પ્રમાણે જ પલંગમાં સૂતેલા શેઠને ચાર રત્ન ગર્ભિત ચાર ભાતાના લાડુ સાથે તે જ યક્ષ મંદિરમાં મૂકી ગઈ. તે જ દિવસે પેલા વેપારીઓનો કાફલો ત્યાં આવી ચડ્યો હતો. પોતાના પતિને પાછા આવેલા જાણી તેમની પૂર્વની પત્ની તેમને લેવા સામે આવી. યક્ષના મંદિરમાં જઈ પલંગમાં સૂતેલા શેઠને પોતે જ ઉઠાડ્યા, ને ઘેર તેડી ગઈ ને પૂછયું, કે-“શું કમાઈને લાવ્યા ?” શેઠે કહ્યું કે-“કાંઈ પણ નહિ.” પેલા ચાર લાડુ મૂકી રાખ્યા. તેમાંનો એક નિશાળે જતા છોકરાને આપ્યો. છોકરાએ ખાવા જતાં તેમાંથી નીકળેલું રત્ન કંદોઈને આપી ખાવાનું માંગ્યું. લેવડદેવડમાં પાણીની કુંડીમાં પડતાં પાણીના બે ભાગ થઈ જવાથી કંદોઈએ તેને “જલકાંત મણિ” માની તે લઈ લાડુ આપ્યા. એવામાં એક દિવસે રાજાના સેચનક હાથીને કોઈ જળજંતુએ પકડ્યો. પાણીમાં માર્ગ કરવાથી તે બચી શકે તેમ હતું, માટે જળકાંત મણિ જોઈએ. રાજાના ભંડારમાં તે ન મળવાથી મનોરમાં પુત્રી અને રાજ્ય આપવાની જાહેર ઘોષણા કરાવી. તે વાત કંદોઈને કાને જતાં તેણે જળકાંત મણિ આપ્યો ને હાથી બચ્યો. રાજાએ વિચાર કર્યો કે “આ કંદોઈને પુત્રી શી રીતે આપવી ?" અભયકુમારે તેને બોલાવી તેને માર મરાવી તેની પાસેથી રત્નના ખરા માલિકનો પત્તો લગાડ્યો, ને કુતપુય શેઠને બોલાવી તેને પુત્રી તથા રાજ્યાધું આપ્યું. કંદોઈને એક ગામ અને બીજા કંદોઈની પુત્રી પરણાવી. આ પ્રસંગ પછી શેઠને અને અભયકુમારને મૈત્રી થઈ. શેઠે પોતાની ચાર સ્ત્રીઓ અને પુત્રોની વાત કરી “પણ તે કયું મકાન ? હું ઓળખી શકતો નથી. કેમકે મને લઈ જતી અને મૂકી જતી વખતે હું ઊંઘમાં હતો. મને સાત માળથી નીચે ઊતરવા દીધો નહોતો. એટલે હું શી રીતે ઓળખી શકું?” અભયકુમારે એક યુકિત કરી. શેઠના જેવી મૂર્તિ ઘડાવી એક યક્ષમંદિર બંધાવ્યું. તેમાંથી એક બારણેથી બીજા બારણે યક્ષની પૂજા કરી બાળકોવાળી સ્ત્રીઓ નહીં નીકળી જાય, તેનું મૃત્યુ થશે.” એવી ઘોષણા કરાવી. અનેક સ્ત્રીઓ બાળકો સહિત નીકળી ગઈ, તેવામાં રૂપવતી ડોશી વહુઓ અને બાળકો સાથે આવી, પૂજા કરવા લાગી, એટલે છોકરાઓ પોતાના બાપા ધારીને તે મૂર્તિને અડવા લાગ્યા, તેની પાસે જવા લાગ્યા. તેનાં વસ્ત્ર ખેંચવા લાગ્યા. અભયકુમારે તરત જ તે બધું ક્યવન્ના શેઠને બતાવ્યું, ને તેણે તેઓને ઓળખ્યા, એટલે તેમની પાછળ માણસો મોકલી ઘરનું ઠામઠેકાણું જાણી લીધું, ને તે ચાર સ્ત્રીઓ, પુત્રો તથા તે સંપત્તિ બધી શેઠને અપાવી. હવે પરમાત્મા મહાવીર પ્રભુ ત્યાં સમોસય. દેશના સંપૂર્ણ થઈ ગયા પછી શેઠે પૂછયું કે “હે સ્વામી ! મારી આવી વિચિત્ર સ્થિતિ કેમ થઈ ?" પ્રભુએ પૂર્વભવમાં મુનિને ત્રણ વખત છૂટે છૂટે વખતે ખીર વહોરાવવાથી સુખ મળ્યું, પણ તે ત્રણ કટકે મળ્યું.” વગેરે. આ ઉપરથી વૈરાગ્ય પામી મોટા પુત્રને ઘરનો કારભાર સોંપી સાતેય ક્ષેત્રમાં ધન વાપરી શેઠે દીક્ષા લીધી અને દેવલોક ગયા. ત્યાંથી ચ્યવી મોક્ષે જશે. ૧૭. સુકોશલ મુનિ: અયોધ્યા નગરીમાં ઇક્વાકુ વંશી કીર્તિધર રાજાના સહદેવી માતાની કુક્ષિએ જન્મેલા સુકોશલ નામે રાજપુત્ર હતા. રાજાએ ધર્મઘોષ સૂરિવરની દેશના સાંભળી દીક્ષા લીધી. સુકોશલ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કુમાર રાજા થયા, તેની માતાએ તેના દાંત સોનાથી મઢાવ્યા હતા. સુકોશલ કુમાર જેમ જેમ પિતાના વખાણ કરે, તેમ તેમ ‘“પુત્ર દીક્ષા ન લઈ લે’’ એ ભયથી તેની માતા તેના પિતાના દોષ કાઢે. પંચ પ્રતિક્રમણસૂત્રો એક વખત કીર્તિધર મુનિને શહેરમાં ભિક્ષા માટે આવ્યા જાણી નોકરો દ્વારા સુકોશલ ન જાણે તેમ તેને બહાર કઢાવી મૂકયા. પરંતુ ધાત્રી માતા મારફત તે સમાચાર રાજાને મળ્યા. રાજાએ મુનિને બોલાવ્યા, પરંતુ ઉપસર્ગનો સંભવ ધારીને તેઓ આવ્યા નહીં. માતાની આ વર્તણૂકથી પુત્રને પણ વૈરાગ્ય થયો, અને પિતા પાસે જ દીક્ષા લીધી. બન્નેય તપશ્ચર્યા કરવા લાગ્યા. સહદેવી રાણી પુત્ર તથા પતિના વિયોગથી આત ધ્યાનમાં મરણ પામી, વાઘણ થઈ. એક વખતે તે વાઘણ બન્નેય મુનિઓની સામે આવતી હતી. તે જોઈ કીર્તિધર મુનિએ ‘ઉપસર્ગ થશે'' એમ ધારી બીજે જવા સૂચના કરી. પરંતુ સુકોશલ મુનિ તો ત્યાં જ રહ્યા. વાઘણ આવી. મુનિને ઉપસર્ગ કર્યો. પરંતુ શુભધ્યાને કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. સુવર્ણ મંડિત દાંત પંકિત જોઈને તેણીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પુત્રને ઓળખી પશ્ચાત્તાપ કર્યો અને શુભ ધ્યાનથી મરી આઠમે દેવલોકે ઉત્પન્ન થઈ. કીર્તિધર મુનિ પણ કર્મ ક્ષય કરી મોક્ષમાં ગયા. ૧૮. પુંડરીક-કંડરીક : એ બન્નેય ભાઈઓ હતા. સંયમની આરાધના અને વિરાધનાને લીધે જ્યારે એક સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જાય છે-ત્યારે બીજા સાતમી નરકમાં જાય છે. એ વિષેનું પુંડરીક અધ્યયન શ્રી ગૌતમ સ્વામી જ્યારે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા, ત્યારે વજસ્વામીના પૂર્વ ભવમાં વૈશ્રવણ નામના તિર્યક્ જ઼ભક દેવને તે સંભળાવ્યું હતું, જેના ઉપરથી બોધ પામીને તે જ જીવે વજસ્વામી પણે ઉત્પન્ન થઈ શાસનની મહાપ્રભાવના તથા મહાઆરાધના કરી હતી. તે પુંડરીક અને કંડરીકની કથા આ પ્રમાણે છે : - મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં આવેલી પુંડરીકિણી નગરીના મહાપદ્ય રાજાની શીળવતી નામની રાણીને પુંડરીક અને કંડરીક નામે બે પુત્ર હતા. નલિની વનમાં પધારેલા મુનિરાજની ધર્મદેશના સાંભળી પુંડરીક કુમારને રાજ્ય સોંપી રાજાએ દીક્ષા લીધી. પછી પુંડરીકની પણ દીક્ષા લેવાની ઇચ્છા થઈ, પરંતુ કંડરીકે આગ્રહ કરી મોટા ભાઈને દીક્ષા લેવા ન દેતાં પોતે જ દીક્ષા લીધી. પરંતુ એક દિવસે કોઈક રાજાની રાજ્ય સંપત્તિ જોઈ પોતાને દીક્ષા લેવા વિષે પસ્તાવો થવા લાગ્યો અને રાજ્યસુખ ભોગવવાની ઇચ્છા થઈ આવી. પિતાનું રાજ્ય લેવા રાજ્યધાનીની નજીકમાં આવી ઉપકરણો ઝાડ સાથે બાંધીને બેસી ગયા, ઉદ્યાનપાલકે ખબર આપ્યાથી રાજા વંદન કરવા Page #376 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૦૩ આવ્યા. રાજાને મુનિની આ દશા માટે ઘણું લાગી આવ્યું. છેવટે કંડરીક રાજ્યની માંગણી કરી, એટલે તેને તે આપી દઈ પુંડરીકે તે જ મુનિવેષ ધારણ કરી વિશેષ આરાધના માટે ગુરુ મહારાજ તરફ જવા વિહાર કર્યો. આ તરફ કંડરીકને અતિ આહારથી વિસૂચિંકાનો રોગ થવાથી દુર્ગાનમાં મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થવું પડ્યું. ત્યારે પુંડરીક મુનિ રસ્તામાં ટાઢથી પીડા પામી, શુભ ધ્યાનમાં મૃત્યુ પામી સવાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ૧૯. કેશિ ગણધર : શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના તે ગણધર ભગવંતે શ્રેતામ્બિનગરીના પ્રદેશી નામના નાસ્તિક રાજાને પ્રતિબોધ આપી, સમ્યક્ત્વ ધારી બનાવેલ હતા. તથા શ્રી ગૌતમ સ્વામી સાથે બાવીસ તીર્થંકર પરમાત્માનાં ચાર મહાવ્રત ધર્મ અને પરમાત્મા મહાવીર દેવના પાંચ મહાવ્રતાત્મક ધર્મ વિષે ચર્ચા કરી, શાસનમાં ભેદ ન પડે, માટે પોતે મોટા છતાં શ્રી ગૌતમ સ્વામીના શિષ્ય થઈ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનમાં દાખલ થયા હતા, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અનુક્રમે તેઓ પણ મોક્ષમાં ગયા હતા. પ્રદેશ રાજાએ એક વખત પૌષધ કરેલો હતો, તેને તેની સૂર્યકાન્તા નામે પરપુરુષાસકત રાણી વિષ આપ્યું હતું. પરંતુ શુભ ધ્યાને મરીને રાજા પહેલા દેવલોકમાં સૂર્યાભ નામના વિમાનમાં સૂર્યાભ નામે દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થઈને તુરત જ પરમાત્મા મહાવીર સ્વામી આમલકલ્પા નગરીમાં બિરાજમાન હતા, ત્યાં આવીને દિવ્ય નાટક અને નૃત્યો વગેરેથી પ્રભુની ભકિત કરી હતી. ત્યાંથી ઍવી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, મોક્ષ પામશે. ૨૦. કરકંડૂ: શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિન મંદિરથી શોભતી ચંપાપુરી નામે નગરીના દધિવાહન રાજાને ચેડા રાજાની પુત્રી પદ્માવતી નામે રાણી હતી. એક વખત સગર્ભા રાણીને “પોતે હાથી ઉપર બેસી રાજા છત્ર ધરી રાખે ને પોતે વન વિહાર કરે.” એવો દોહદ ઉત્પન્ન થયો. તે પૂરવા રાજાએ તેવી ગોઠવણ કરી; પરંતુ હાથીને વિંધ્યાટવી યાદ આવવાથી તે બન્નેને લઈને વનમાં દૂર નીકળી ગયો. રસ્તામાં વડની ડાળી પકડી રાજા ઊતરી ગયો. પરંતુ રાણી ઊતરી શકી નહીં. હાથી એક તળાવે પાણી પીવા ઊભો રહ્યો કે રાણી યુકિતથી ધીમે ધીમે નીચે ઊતરી પડી. ત્યાંથી તાપસોના આશ્રમમાં ગઈ, ત્યાંથી દંતપુર નગરના દંતચક રાજાને શરણે જવા નીકળી. ત્યાં તેને કોઈ સાધ્વીજી મહારાજનો યોગ થયો. તેનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ગર્ભની વાત “દીક્ષા ન આપે” એ ભયથી કોઈને કરેલી નહીં. પરંતુ પાછળથી સાધ્વીજીએ જ્યારે વાત જાણી ત્યારે અગાઉથી વાત ન કરવા ઠપકો આપ્યો. છેવટે બાળકનો જન્મ થયો, ત્યારે ગુપ્ત રીતે તેના પિતાના નામની વીંટી સાથે રત્ન કંબળમાં વીંટાળી તેને સ્મશાનમાં મુકાવી દીધો. તેને એક અપુત્ર ચંડાળ લઈ ગયો, ને ઉછેર્યો. તેને ખરજ ઘણી આવતી હતી, તેથી તે બીજું બાળકો પાસે ખણાવતો હતો, તેથી તેનું નામ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો કરકં પ્રસિદ્ધ થયું હતું. એક જ્ઞાની મુનિરાજના વાંસના નિમિત્ત ઉપરથી તે કંચનપુર નગરનો રાજા થયો. પરંતુ એ વાંસ લેનાર એક બ્રાહ્મણને રાજ્ય મળે ત્યારે એક ગામ આપવાનું વચન આપેલું હતું. પાંચ દિવ્યોએ તેને રાજા ઠરાવવાથી પ્રધાનોએ પણ તેને રાજા તરીકે કબૂલ કરી ઘોડા પર બેસાડી શહેરમાં પ્રવેશ કરાવ્યો. પરંતુ તેને ચંડાળ સમજીને રાજ્યને અપાત્ર ગણી બ્રાહ્મણાદિક પ્રજાજનો તેની સામે થયા. ત્યારે આકાશમાંથી અગ્નિનો વરસાદ થયો. આ દિવ્ય પ્રભાવથી બ્રાહ્મણોએ તેને પુણ્યશાળી માની તેને પવિત્ર માન્યો. અને તેને રાજા તરીકે કબૂલ રાખ્યો, પછી તો તેજસ્વી તેણે બ્રાહ્મણો ઉપરના ક્રોધથી “આ સર્વ ચંડાળોને સંસ્કાર કરી બ્રાહ્મણ બનાવો.” એવો હુકમ કર્યો. બ્રાહ્મણોએ રાજહુકમ પામીને તે વાહધાનક ગામના વાસી ચંડાળોને “જનંગમદ્વિજ” નામે એક નવી જાતિ તરીકે બ્રાહ્મણ બનાવ્યા. [સંસ્કાર કરી શુદ્ધ કરવાનો બ્રાહ્મણનો અધિકાર અહીં કરકંદૂ રાજા કબૂલ રાખે છે. કરકંદૂ રાજા મૂળમાં ચંડાળ નથી, પણ વિશુદ્ધ આર્યબીજ છે. તદ્ભવ મોક્ષગામી છે. તેથી પૂર્વપુણ્યના સંચયથી ભરપૂર છે. તેના સંસર્ગથી બીજા ચંડાળોને તેના પુણ્યનો લાભ મળે છે. બ્રાહ્મણો તેઓને પોતાનામાં ભેળવતા નથી, પરંતુ એક જુદી જ જાત તરીકે જાહેર કરવાનો રસ્તો કાઢે છે, તેથી તે પ્રમાણે તેઓને બ્રાહ્મણ તરીકે ઠરાવે છે. પણ જાતિ જુદી પાડે છે. વળી આકાશમાંથી દિવ્ય અગ્નિકણો રાજાના પુણ્ય પ્રભાવથી વર્ષે છે. એટલે પુણ્યપ્રભાવ સાબિત થતાં બ્રાહ્મણોને વાંધો લેવાનું કારણ રહેતું નથી. વળી સંસ્કારશુદ્ધિથી બ્રાહ્મણ કરવાના હોવાથી, સંસ્કારશુદ્ધિ ન થાય ત્યાં સુધી ચંડાળ તરીકે તેઓ રહે જ છે અને તે વાત રાજાને પણ સમ્મત છે. સારાંશ કે, આ આખા પ્રસંગથી આર્યોની વર્ણકર્મ વ્યવસ્થાને હરકત આવતી નથી. પરંતુ ઊલટી રીતે એ વ્યવસ્થાની મજબૂતી સાબિત થાય છે તેમ જ તે કાળે પણ ચંડાળજાતિ વિદ્યમાન હતી એવો ઐતિહાસિક પુરાવો મળે છે. આર્ય સંસ્કૃતિ-સંસ્કારથી શુદ્ધ થવા સામે વાંધો લેતી જ નથી. સંસ્કારોથી શુદ્ધિનું ધોરણ આર્ય સંસ્કૃતિના વિધાયક ગ્રંથોમાં બતાવેલ હોય છે. તેના કોઈ પણ ઘટના પ્રકારે સંસ્કારથી શુદ્ધિ કરી શકાય છે. વળી જ્યારે જ્યારે અંત્યજાદિ હલકી જાતિની કોઈપણ વ્યક્તિ, આગળ આવવા જાય કે તરત તેને બ્રાહ્મણો આગળ આવતી રોકે છે. કારણ કે પ્રજા વ્યવસ્થાના ધોરણ પ્રમાણે તેઓની તેમ કરવાની ફરજ છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ દિવ્ય પુરુષ તરીકે, પુણ્યવાન તરીકે મહાન આધ્યાત્મિક પવિત્ર પુરુષ તરીકે સાબિત થઈ ચૂકે છે, કસોટીમાંથી પસાર થઈ ચૂકે છે, ત્યારે પછી તેની સામે વાંધો ઊભો ન રાખતાં, આર્ય મર્યાદાને અડચણ ન પડે, તેટલી જ મર્યાદામાં રહીને તેને કબૂલ રાખે છે. અને તેને પવિત્ર વ્યકિત માનવા સામે વાંધો લેતા નથી. અર્થાત પરીક્ષામાંથી પસાર કરે છે. હા, પ્રથમ તો સામનો કરે જ છે. જો તેમ ન કરે, તો વ્યવસ્થા ન રહે. દરેક ખોટી રીતે વ્યવસ્થા બગાડી મૂકે. પરીક્ષાઓમાંથી અને આકરી કસોટીમાંથી પાસ થયા પછી તેને મહાન પુરુષ તરીકે, પવિત્ર પુરુષ તરીકે સ્વીકારવામાં બ્રાહ્મણોએ ક્યાંય વાંધો લીધો નથી. આખી સંસ્કૃતિનો ઇતિહાસ તપાસી કાઢો. આજે તો તેવા કોઈપણ દિવ્ય પ્રસંગ વિના, સંસ્કાર શુદ્ધિના પ્રકાર વિના, અંત્યજ-સ્પર્શાદિક ધોરણ વગરના છે. પરંતુ રાજ્યસત્તાના દબાણને લીધે પ્રજાને તે ચલાવી લેવું પડે છે. કારણ કે, પ્રથમ તો માત્ર સ્પર્શની જ વાત ગાંધીજી વગેરે દેશનાયકો કરતા હતા. હવે તો મંદિરમાં પેસવા દેવાનું કાયદાથી દબાણ કરવામાં આવ્યું છે. અને હવે પછી–હોટલોમાં સાથે ખાવા વગેરેની ફરજ પાડતા કાયદા અમલમાં લાવવા રાજ્યસત્તા તૈયાર થયેલ Page #378 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૦૫ છે. પ્રજાની મોટી સંખ્યા વિરુદ્ધમાં છતાં આ બહુમતવાદના જમાનામાં પણ તદન થોડી સંખ્યાના ટેકાથી કાયદો પસાર કરવામાં કાયદેસરપણું કયાંય જણાતું નથી. માટે તેને એકતરફી જુલમ ગણવામાં હરકત નથી, અને એમ જુલમથી આર્યપ્રજાને અગાઉના વખતમાં પણ ઘણું સોંસવું પડ્યું છે, સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે, પરંતુ રાજાભિયોગ આગારથી સમકિતવંત જીવોને દૂષણ કરતા થઈ પડતું નથી. વળી નામદાર બ્રિટિશ સરકારે - જે જે હિંદમંદિરનાં ટસ્ટો રજિસ્ટર કરેલાં હોય. તેના , ટસ્ટીઓ સમત થાય. તો મંદિરમાં અંત્યજથી પ્રવેશ કરી શકાય, તેવી છૂટ આપે છે તે ઉપરથી તો નામદાર બ્રિટિશ સરકારના ટ્રસ્ટ એકટ વિષે ઘણો વિચાર થઈ પડે છે, કેમ કે, કોઈ પણ મૈયત ચુસ્ત હિંદુએ ટ્રસ્ટ કર્યું હોય, તેના વિશ્વાસનો ભંગ તો થયો જ ગણાય. ટ્રસ્ટીઓની ફેરબદલીમાં પાછળથી “ટ્રસ્ટી કોને નીમવા ?” તે સત્તા તો નામદાર સરકારની રહે. એટલે બનતાં સુધી અંત્યજ પ્રવેશ માનનારા ટ્રસ્ટીઓ સહેજે ગોઠવાય, એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં / ટ્રસ્ટીઓનો મત મળી રહેતાં મંદિરમાં અંત્યજ પ્રવેશ થઈ શકે. આ ઉપરથી તો બીજાં અનેક પ્રકારનાં ટ્રસ્ટોને માટે પણ વિચારણીય થઈ પડે. કોઈ પણ વ્યક્તિએ અમુક તત્ત્વોથી બચવા પોતાની લાખોની મિલક્ત સરકારના ટ્રસ્ટ ઉપર આપી હોય, તેમાં આમ કાયદાનો ફેરફાર કરીને ગાબડું પાડવામાં આવે, તો ટ્રસ્ટ કરનારની ધારણા ધૂળમાં મળે જ. સરકારે એ રીતે એ બિલને ટેકો આપીને પોતાની તરફના ટ્રસ્ટપણામાં જરૂર ખામી લગાડી છે, એમ કહેવાને કારણ મળે છે. પ્રજામતનું દબાણ એ બચાવ નથી. કેમકે, કેળવણીમાં પ્રથમથી જ એવા વિચારો મૂકીને, તેમજ તે વિચારોને ઉત્તેજન આપીને સરકારે પોતે જ એ જાતનો પ્રજાનો એક ભાગ વર્ષોથી ઉત્પન્ન કર્યાના દાખલા છે. સારાંશ કે, સરકારની ઘણા વખતથી હિંદુ પ્રજાને અમુક સ્વરૂપમાં લાવી મૂકવાની ધારણા છે. તેના અનેક કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ છે, તે દેશના કેટલાક હિંદુ લોકોને તે મતના કરી તેને આડે રાખી પોતાની ઉદ્દેશસિદ્ધિ કરી “આર્યોની વર્ણવ્યવસ્થા જૈનો માનતા નથી.” એમ યુરોપવાસીઓએ જૂઠાણું ફેલાયેલું છે. એ વ્યવસ્થા તીર્થંકર ગણધરાદિ ભગવંતોને સમ્મત હોવાના ઘણા પુરાવા છે. અલબત્ત, અમુક સંજોગોમાં તેને મહત્ત્વનું સ્થાન નથી. તે પ્રમાણે અમુક સંજોગોમાં બ્રાહ્મણો પણ તેને મહત્ત્વનું સ્થાન નથી આપતા. એવા ઘણા પુરાવા છે. છતાં લોકવ્યવહારની અમુક મર્યાદામાં તેને અચૂક સ્થાન છે. સ્પર્શત્વ, અસ્પૃશ્યત્વ, એ એક જાતનું વિજ્ઞાન છે. અને તે વિજ્ઞાનની રૂએ, અંત્યજો અસ્પર્ય છે. નહિ કે તેના પર કોઈને અણગમો થયો માટે અસ્પૃશ્ય માન્યા છે. વિજ્ઞાનસિદ્ધ બાબતો સર્વમાન્ય હોઈ શકે છે. પરંતુ રાજ્ય-સત્તાની એ જાતની ગૂઢ ઇચ્છા હોવાથી કોઈ તે સાંભળવા બેસતું જ નથી. સૌ એકીસાથે હી હો મચાવ્યે રાખે છે. પ્લેગનો રોગી કેમ અસ્પૃશ્ય ? રજસ્વલા માતા કે પ્રિય પત્ની કેમ અસ્પૃશ્ય ? સુવરની ચરબી કેમ અસ્પૃશ્ય ? ઝેરી તાવના રોગીને સ્પર્શ કરીને ડૉકટરો વારંવાર સાબુ લગાડીને કેમ હાથ ધૂએ છે ? કહેવું જ પડશે કે “કોઈ કોઈ પદાર્થમાં ઓછાવતું અસ્પૃશ્યપણું હોય, તો તેનું શુદ્ધીકરણ કરવું જોઈએ. જેમ અનેક પ્રકારનું અસ્પૃશ્યત્વ જગમાં હોઈ શકે છે તેમ તેના શુદ્ધીકરણના પણ અનેક પ્રકાર હોય છે. અન્યૂનાધિક પ્રકારો વડે તેનું શુદ્ધીકરણ કરવું જ પડે. પગે વિષ્ટા લાગી હોય તો પાણીથી ધોઈ નંખાય. પણ પૂરી રીતે ધોવા જેટલું પાણી હોય, તો તેનું શુદ્ધીકરણ થાય, નહિતર ન થાય. સહેજ પેશાબનો છાંટો ઊડી ગયો હોય, તો થોડા પાણીથી ધોઈ નાંખી શકાય. પરંતુ ગાડાના પૈડાનો કીલ લાગ્યો હોય, કે એવું કાંઈ ચોંટી ગયું હોય, તો ટરપેન્ટાઈન પેટ્રોલ કે એથી ઉગ્ર વસ્તુ સાફ કરવા લગાવવી પડે. ત્યાં સાબુ કામમાં ન આવે. કોઈ વખતે મકાનની અશુદ્ધિ ધૂપથી દૂર થાય, પણ કોઈ વખતે પાણીથી ધોવું પડે, એ જ રીતે કેટલીક વસ્તુની અશુદ્ધિ અગ્નિથી જાય. ઈત્યાદિ ઘણું વિશાળ સાયન્સ આ વિષે વિચારવાનું છે. અને જે વિજ્ઞાન કુદરતી રીતે જ જગતમાં સિદ્ધ છે તે સૌને માન્ય હોય છે ને અમલમાં મૂકે છે. તે જ પ્રમાણે અંત્યજો વગેરે જન્મથી અસ્પૃશ્ય ગણેલી જાતિના શારીરિક તત્ત્વોને વારસાથી અસ્પૃશ્ય ગણેલા Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે. તે કોઈ અસ્પૃશ્યત્વના વૈજ્ઞાનિક સંશોધકની માનવજાતની સેવા છે. તેને જુલમ ગણાવી પ્રજાને કાયદાથી દબાવી તે તોડવામાં આવે છે. તેમજ તેની સંસ્કારથી શુદ્ધિ કરવાના પ્રસંગમાં શુદ્ધ કરવાના સંસ્કારો પણ એ પ્રકારના વૈજ્ઞાનિકોએ બતાવ્યા જ છે. તે પર કોઈ ધ્યાન ન આપતાં-રા, મુનશી જેવા જવાબદાર -“જે શાસ્ત્રોમાં અસ્પૃશ્યત્વને ટેકો આપવામાં આવ્યો હોય, તેને બાળી નાંખવા જોઈએ.” એમ બોલતાં સંકોચનો અનુભવ કરતા નથી. જો કે અધિકાર એ વસ્તુ જ કેટલાક માણસને કેટલીક વાર વિવેકાન્ધ બનાવે છે. તેવા પ્રસંગે આવું ત્ય સંતવ્ય ગણવા સિવાય આપણો બીજો ઉપાય નથી. સારાંશ કે, એક ધૂન સિવાય અસ્પૃશ્યત્વના નાશની વાતનો વાસ્તવિક કશો અર્થનથી. ખુદ ગાંધીજીએ એક સંન્યાસી સાથે ચર્ચા કરી સંસ્કારશુદ્ધિની આવશ્યકતા સ્વીકાયનું છાપાઓમાં પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ એ તો શબ્દમાત્ર જ રહ્યું છે. ગાંધીજીએ માત્ર હિંદુઓ આગળ સ્પર્શ પૂરતી દરખાસ્ત મૂકેલી પરંતુ આજે તો મર્યાદા ઓળંગાઈને લગ્ન, મંદિર પ્રવેશ અને સાથે ખાનપાનની હદ સુધી પહોંચ્યું છે, છતાં તેઓને મર્યાદામાં રાખવા ગાંધીજી કશો વિરોધ કરતા નથી. તેનું કારણ તો એ જ છે કે, તેઓ મૂળથી જ એ બધી વસ્તુ થાય, તેને ઇષ્ટ ગણનારા હતા જ. માત્ર લોકોને પ્રથમ વિશ્વાસમાં લેવા માટે જ એટલી પ્રાથમિક વાત કરતા હતા. તેથી તેનાં વચનો ઉપર પણ કેટલો વિશ્વાસ કરવો ? તે વિચાણીય છે. “૧૩ થી ૧૬ વર્ષની ઉમર સુધીની બાળ વિધવા માટે તો કાયદો કરવો જોઈએ” એમ મર્યાદા બાંધીને માત્ર વિધવા વિવાહના વિરોધીઓને વિશ્વાસમાં લેવા પૂરતું જ હતું. કેમકે, આજે તો છૂટાછેડાની વાત સુધી પરણેલી હયાત પતિવાળી ઉચ્ચ કોમની હિંદુ સ્ત્રીઓ માટે કાયદો કરવાની વાતો થઈ રહી છે, ત્યારે ગાંધીજી ચૂપ છે. સારાંશ કે લાખો વર્ષોથી વિશુદ્ધિ જાળવી રહેલી પ્રજા ઉપર અનાર્ય ગણાતી યુરોપની પ્રજાને કેમ જાણે ઈષ્યભાવ હોય, તેમ તેના શુદ્ધ સંસ્કારોને તોડ્યું જાય છે અને તેમાં મદદ કરનારા આ દેશના લોકોને દેશનાયકો તરીકે પ્રસિદ્ધિમાં આવવા દે છે. આથી કરીને આ કરકં રાજાનું દષ્ટાંત અંત્યજ સ્પર્શની આધુનિક હિલચાલમાં દલીલ તરીકે ટાંકી શકાય તેમ નથી.]. રાજાને બ્રાહ્મણોએ મંત્રપૂર્વક અભિષેક કર્યો. પેલો બ્રાહ્મણ ગામ માગવા આવ્યો. તેને દધિવાહન રાજા પાસે ગામ લેવા મોકલ્યો. રાજાને ક્રોધ ચડ્યો ને કહ્યું કે, “એ ઉદ્ધત ચંડલ રાજા પાસેથી જીતીને તને ગામ અપાવીશ.” રાજાએ યુદ્ધની તૈયારી કરી. ત્યાં તો કરકંડૂએ આવીને ઘેરો ઘાલવાની તૈયારી કરી. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. વીંટીના અભિજ્ઞાનથી કરકંડૂને પોતાનો અને દધિવાહન રાજાનો પુત્ર હોવાની જાણ કરી. તે જ પ્રમાણે રાજાને પણ સમજ પાડી. બન્નેને સાથે મેળવ્યા. રાજાએ રાજ્ય કરકંડૂને સોંપી દીક્ષા લીધી. કરકંડૂને ગોકુળો પાળવાનો શોખ હતો. તે પ્રમાણે ગોકુળો પાળતાં એક રૂપાળા અને બળવાનું સાંઢ પર તેને ઘણી પ્રીતિ હતી. પરંતુ તે વૃદ્ધાવસ્થા પામી મરી જવાથી તેને જોઈને તેને વૈરાગ્ય થયો. અને પ્રત્યેક બુદ્ધ થઈ દીક્ષા લીધી ને ઉત્તમ ચારિત્ર પાળી મોક્ષમાં ગયા. ૨૧-૨૨. હલ-વિહલ: આ બન્નેય શ્રેણિક રાજાના નાના પુત્રો હતા. રાજાએ તેઓને પોતાનો સેચનક હાથી ભેટ આપ્યો હતો. શ્રેણિકના ગાદીપતિ પુત્ર કોણિકે પોતાની પદ્માવતી નામની પત્નીના આગ્રહથી તે હાથી માંગ્યો. પરંતુ બન્નેય ભાઈઓએ તે આપ્યો નહીં, અને નાસીને પોતાના મોસાળમાં ચેડા રાજાને ત્યાં ચાલ્યા ગયા. કોગિકે-ચેડા રાજાની વિશાળા નગરીને ઘેરો ઘાલ્યો. રાજાએ દરવાજા બંધ કરાવ્યા. સેચનક પર બેસીને રાત્રે બન્નેય ભાઈઓ કોણિકના સૈન્યનો ઘાણ કાઢી નાંખતા હતા. Page #380 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૦૭ તેથી ગભરાઈને કોણિકે પોતાના લશ્કરની આજુબાજુ એક ખાઈ કરાવી. તેમાં અંગારા ભરાવ્યા. રાત્રે હાથી સહિત ભાઈઓ આવ્યા, પણ સેચનક વિભંગજ્ઞાનને લીધે તેમાં ન ઊતર્યો. ત્યારે તેઓએ તેનો તિરસ્કાર કર્યો. એટલે હાથીએ બન્ને ભાઈઓને નીચે ઉતારી નાખ્યા ને પોતે ખાઈમાં પડી મરણ પામ્યો. બન્ને ભાઈઓને વૈરાગ્ય થયો. શાસન દેવતાએ પ્રભુ મહાવીર દેવ પાસે તેમને મૂક્યા. ત્યાં વ્રત પાળી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ૨૩. સુદર્શન શેઠ : ચંપા પુરીમાં રાણસિંહરાજાના પુત્ર દધિવાહનના રાજ્યકાળમાં અહિંદાસના ધર્મપત્ની અર્હદાસીની કુક્ષીથી સુદર્શન શેઠનો શુભ સ્વપ્નથી સૂચિત જન્મ થયો હતો. તેને મનોરમાં નામે શ્રાવક ધર્મ નિષ્ણાત પત્ની હતી. શેઠ પિતા કરતાંયે ધર્મની દઢતામાં આગળ વધી ગયા હતા. તેના કપિલ નામના મિત્રની સ્ત્રી કપિલાએ કપટથી એકાંતમાં બોલાવીને પોતાની સાથે વિષયભોગ ભોગવવા શેઠની પાસે માંગણી કરી. ઘણી ચેષ્ટાઓ કરી, પણ શેઠ ચલિત ન થયા અને કહ્યું કે, “તું છેતરાણી છે. હું તો નપુંસક છું. કોઈને આ વાત કહીશ નહીં.” ત્યારે કપિલાએ કહ્યું કે, “હું નહીં કહું, પણ તમે ય આ મારી વાત કોઈને ન કહેશો.” એક વખત બહાર ઉજાણીને વખતે શેઠના છ પુત્રો જોઈ કપિલાએ રાજાની અભયા રાણીને તે વિષે પૂછયું. રાણીએ “શેઠના પુત્રો છે,” એમ ખાતરીપૂર્વક કહ્યું. કપિલાએ કહ્યું કે, “તે તો નપુંસક હોવાનો ડોળ કરે છે. માટે જો તમે તેને વશ કરો, તો તમે ખરા.” રાણીએ કહ્યું કે, “જોજે, હું એને અવશ્ય વશ કરીશ.” વળી એક દિવસે શહેર આખું ઉજાણી કરવા બહાર ગયું. રાણી માથું દુ:ખવાનો ઢોંગ કરી મહેલમાં રહી. શેઠ તો પોતાને ઘેર કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. પંડિતા દાસી યક્ષની મૂર્તિને રથમાં બેસાડીને રાજમહેલમાંથી દેવમંદિરે લઈ ગઈ, તેને બદલે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા શેઠને ઉપાડીને રથમાં લાવી. રાણીએ ઘણી ઘણી ચેષ્ટાઓ કરી તથા ધમકીઓ આપી. પણ શેઠ ધ્યાનમાં જ રહ્યા. છેવટે-તેણે પોતાની આબરૂ લેવા આવનારને પકડવા બૂમાબૂમ કરી મૂકી. શેઠને રાજસુભટોએ પકડ્યા. રાજા પાસે ન્યાય થયો. શેઠ કાઉસ્સગ્નમાં જ રહ્યા, ને તેને શૂળીએ ચઢાવવા લઈ જવામાં આવ્યા. અહીં પતિનું મંગળ થાય ત્યાં સુધી મનોરમા શ્રાવિકા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠને શૂળી ઉપર ચડાવ્યા, ને શૂળીને સિંહાસનના રૂપમાં શાસનદેવે ફેરવી નાંખી. રાજા ચમત્કાર પામ્યો. ક્ષમા માંગી- શેઠના શિયળનો મહિમા ગવાયો. બન્નેયે વ્રત લીધું અને દંપતી મોક્ષમાં ગયાં. ૨૪-૨૫. શાલ-મહાશાલ મુનિ : પૃષ્ઠ ચંપા નગરીમાં શાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના નાના ભાઈ મહાશાલ યુવરાજ હતા. કાંપિલ્યપુરના પીઠ રાજા વેરે પોતાની યશોમતી બહેનને પરણાવેલ હતી. તેને ગાંગિલ નામે પુત્ર હતો. પ્રભુ મહાવીર દેવની ધર્મ દેશનાથી બન્ને ભાઈઓએ બોધ પામી દીક્ષા લીધી અને ગાંગિલને રાજ્ય આપ્યું. એક વખત તેને પ્રતિબોધવા શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ પૃષ્ઠ ચંપાએ આવ્યા. પ્રતિબોધ આપવાથી ગાંગિલ-પીઠ તથા યશોમતી બોધ પામ્યા, અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતાં તેઓને કેવળજ્ઞાન થયું. પ્રભુવીર પરમાત્માની પાસે આવી પ્રદક્ષિણા દઈ કેવળીની પર્ષદામાં બેસવા Page #381 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો જતાં શ્રી ગૌતમ સ્વામીએ તેમને રોકયા, પ્રભુએ તેમ કરતાં કેવળીની આશાતના જણાવી. શ્રીગૌતમસ્વામી સ્થિર થઈ ગયા. પ્રભુએ કહ્યું -“તમને પણ કેવળજ્ઞાન થશે. શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરો.’ ગૌતમસ્વામીએ તેમ કર્યું. ને ત્યાં પન્નરસે ને ત્રણ તાપસોને પ્રતિબોધ આપ્યો. તેઓ પણ કેવળજ્ઞાન પામી કેવળીની પર્ષદામાં ગયા. અનુક્રમે શાલ-મહાશાલ વગેરે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા. ૩૦૮ ૨૬. શાલિભદ્ર : રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠના ભદ્રા નામે પત્નીથી જન્મ પામેલા શાલિભદ્ર કુમાર ૩૨ પત્નીઓના સ્વામી હતા. ગોભદ્ર શેઠે પ્રભુ મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ઉત્તમ સંયમ પાળી મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ થયા. તે પુત્ર ઉપરના પ્રેમના લીધે દરરોજ દિવ્ય આભૂષણો વગેરે મોકલીને દેવ જેવું સુખ આપતા હતા. રત્નકંબલના વેપારી પાસેથી શ્રેણિક રાજા બહુમૂલ્ય સમજીને જે ન ખરીદી શકયા તેવી ૧૬ રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી, ને તેના બબ્બે કકડા કરી દરેક વહુને વાપરવા આપી દીધેલા. તેઓએ નાહીને તે હાથપગ લૂછી કાઢી નાંખેલા. જ્યારે ચેક્ષણા રાણીના આગ્રહથી રાજાએ વેપારી પાસે રત્નકંબલો માગી, ત્યારે તેણે વેચી દીધાનું જણાવ્યું. રાજાએ ભદ્રા પાસે માંગણી કરાવી, ત્યારે તેણે ઉપરની સ્થિતિ જણાવી. “છતાં જરૂર હોય તો એ કકડા મોકલી આપું.'' રાજાને આશ્ચર્ય થયું અને ભદ્રાને બોલાવીને શાલિભદ્રને મળવાની ઇચ્છા બતાવી. “શાલિભદ્ર આપની પાસે આવી શકશે નહીં, પણ આપ પધારો.’’ રાજાએ આવવાની ઇચ્છા બતાવી. ત્યારે ગોભદ્રના જીવ દેવ મારફત આખો રસ્તો વિવિધ પ્રકારે શણગારાવ્યો. રાજાને ચોથે માળે સિંહાસન પર બેસાર્યા: ને શાલિભદ્રને તેડવા માતા ગયા, ને કહ્યું “બેટા ! નીચે આવો. શ્રેણિક પધાર્યા છે.” ત્યારે શાલિભદ્રે કહ્યું કે ‘“માતા ! તેમાં મારું શું કામ છે ? તેને વખારે નંખાવો.' માતાએ કહ્યું કે, “બેટા ! એ કરિયાણું નથી. પણ આપણા શહેરના રાજા આપણે ઘેર પધાર્યાં છે, તેને મળવા ચાલો.' શાલિભદ્ર નીચે ઊતર્યા. પણ તેમને આશ્ચર્ય થયું કે, “વળી મારે માથે પણ સ્વામી છે કે ?’’ રાજાએ તેને ખોળામાં બેસાર્યા. પણ સુકુમારતાને લીધે તેને પરસેવો થઈ આવ્યો. ત્યારે ભદ્રાના કહેવાથી તેને છૂટા કરી પર જવા દીધા. શ્રેણિકે ત્યાં સ્નાન કર્યું. સ્નાન કરતાં વીંટી ખાળમાંથી ખાળકૂવામાં જઈ પડી. દાસીઓએ ખાળકૂવામાંથી અનેક વીંટીઓ કાઢીને બતાવી. તેની આગળ ઢીંકરા જેવી લાગતી પોતાની રત્ન જડિત વીંટી તેમણે શોધી લીધી. બીજી વીંટીઓ વિષે પૂછતાં ખુલાસો કરવામાં આવ્યો કે, “આવી વીંટીઓ દેવલોકમાંથી રોજ આવે છે. અને શાલિભદ્ર શેઠની પત્ની રોજ કાઢી નાંખે છે, ને નવી આવેલી પહેરે છે. રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી દિવ્ય ભોજન સપરિવાર જમી ભદ્રા શેઠાણીનો સત્કાર પામી રાજા સ્વસ્થાને ગયા. આ તરફ સ્વાતંત્ર્ય ઈચ્છતા શાલિભદ્ર શ્રી ધર્મઘોષ સૂરીશ્વર પાસે જઈ ધર્મદેશના સાંભળી. વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઇચ્છાથી રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરવા લાગ્યા. તે જ શહેરમાં ધન્ય શેઠને આઠ સ્ત્રીઓ હતી. તેમાંની એક શાલિભદ્રનાં બહેન હતાં. પતિના Page #382 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૦૯ માથામાં તેલ નાખતી વખતે તેની આંખમાંથી પડેલું આંસુ ધન્ય શેઠના ખભા પર પડ્યું. તે ઉપરથી શેઠે રુદનનું કારણ પૂછયું, ત્યારે દીક્ષા લેવાની ઈચ્છાવાળા તેના ભાઈની રોજ એક એક સ્ત્રી તજવાની વાત કહી. શેઠે કહ્યું કે, “તે કાયર છે. રોજ એક એક તજવાની શી જરૂર છે ?” ત્યારે તેની પત્નીએ કહ્યું કે “કહેવું સહેલું છે, કરવું દોહ્યલું છે.” શેઠે કહ્યું કે અત્યારે આ કરી બતાવ્યું” કહી દીક્ષા લેવા નીકળ્યા. આઠે સ્ત્રીઓએ ઘણું સમજાવ્યા, છતાં પાછા ન વળ્યા. અને સ્ત્રીઓએ પણ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. શાલિભદ્ર પાસે આવી કહ્યું કે, “આમ કાયરની માફક એક એક સ્ત્રીનો શું ત્યાગ કરે છે ? મેં તો એકી સાથે આઠેય તજી દીધી છે.” તેવામાં પરમાત્મા મહાવીરદેવ તે નગરમાં સમોસર્યા. ત્યાં જઈ બન્નેએ દીક્ષા લીધી. આગમાભ્યાસ કર્યો, અને બહુશ્રુત થયા. અન્ય વિહાર કરતાં કરતાં ફરીથી બન્ને પ્રભુની સાથે જ રાજગૃહમાંઆવ્યા. પ્રભુને પૂછી ભિક્ષા માટે નીકળ્યા. પ્રભુએ કહ્યું કે, “આજે શાલિભદ્રની માતાને હાથે પારણું થશે.” ફરતાં ફરતાં ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા. પણ ભદ્રા તો વ્યગ્ર હોવાથી ઓળખી શકયાં નહીં. તેથી મુનિઓ પાછા ફર્યા પણ રસ્તામાં એક વૃદ્ધ ડોશીએ દહીં વહોરાવ્યું. તે લઈ બન્નેય આવ્યા, અને પ્રભુને સંશય પૂછયો. પ્રભુએ કહ્યું -“એ તારી પૂર્વભવની માતા જ છે. સાંભળ-શાલિગ્રામમાં ધન્ય ગામની વિધવા સ્ત્રીનો સંગમ નામે તે પુત્ર હતો. તને ખીર ખાવાનું મન થયું, તેથી ચાર પાડોશણોએ દૂધ, ચોખા, સાકર, ઘી આપ્યાં, તેમાંથી તને ખીર કરી આપી, ને પોતે પાડોશીને ઘેર જઈ બેઠી, તેવામાં માસખમણના તપસ્વી મુનિ આવ્યા. પોતે ખાવા માટે લીધેલી ખીર તેમને વહોરાવી દીધી, ને ઘણો હર્ષ પામ્યો. મુનિ ગયા, તારી માતાએ પાછા આવીને બાકીની ખીર તને ભૂખ્યો જાણીને આપી. તું તે ધરાઈને ખાઈ ગયો. તેથી અજીર્ણ થવાથી તું મૃત્યુ પામ્યો અને મુનિદાનના મહિમાથી શાલિભદ્ર થયો. તે તારી માતા હજુ જીવતી હતી, જેણે તને દહીં વહોરાવ્યું.” પ્રભુનાં આવા વચનો સાંભળી આનંદથી પારણું કર્યું. પછી ત્યાંથી આજ્ઞા લઈ વૈભારગિરિ ઉપર અનશન લઈ કાઉસ્સગ્નધ્યાને ઊભા રહ્યા. ભદ્રાએ આવી ઘણી વિનંતિ કરી. શ્રેણિકે સમજાવ્યા, પણ તેઓ ધ્યાનમાં જ મગ્ન રહ્યા, ને સામું પણ ન જોયું, બને મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્રાએ પણ દીક્ષા લીધી, ને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. ૨૭. ભદ્રબાહુસ્વામી : મૂળ ભદ્ર શબ્દ છે. તેનો અર્થ ભદ્રબાહુ સ્વામી છે. ભદ્રબાહુ સ્વામીનો કેટલોક સંબંધ સ્થૂલભદ્ર સ્વામીના ચરિત્રમાં આવી ગયેલ છે, ત્યાં પૂર્વ અને ઉત્તર દેશના વિહારના પ્રસંગો છે. ત્યારે અહીં મોટે ભાગે વરાહમિહિર સાથેનો સંબંધ વધુ વર્ણવાયો છે, અને દક્ષિણ દેશના વિહારના પ્રસંગો છે. બન્નેય કથાના પ્રસ્થાન જુદા પડી જતા જણાય છે. દક્ષિણમાં આવેલા પ્રતિકાન (પંઢ) નગરમાં ભદ્રબાહુ અને વરાહ નામના બે ગરીબ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. શ્રી યશોભદ્રાચાર્ય વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. તેમની દેશના સાંભળી બન્નેય ભાઈઓએ દીક્ષા લીધી, ભદ્રબાહુ અનુક્રમે ચૌદપૂર્વધર થયા અને આચાર્ય થઈ દઉનિર્યુક્તિઓ રચી Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો તથા ભદ્રબાહવી સંહિતા નામે ગ્રંથ રચ્યો. શ્રી યશોભદ્રસૂરિ સ્વર્ગે ગયા. તે વખતે દશપૂર્વધર સંભૂતિવિજય આચાર્ય મહારાજ પણ વિચરતા હતા. તેઓ બન્નેય સાથે સ્નેહથી વિચરતા હતા. વરાહ મુનિએ આચાર્યપદની માંગણી કરી પરંતુ અહંકારી ધારીને યોગ્યતા વિના તે પદ આપવા ભદ્રબાહુ સ્વામીએ ના કહી. જે તેને ન ગમતાં દીક્ષા છોડી, તેણે બ્રાહ્મણનો વેષ પાછો ધારણ કર્યો. ને વારાહીસંહિતા વગેરે નવા ગ્રંથો લખ્યા. જ્યોતિષમાં વરાહમિહિરનું કથન ઘણી વાર ખોટું પાડી, ભદ્રબાહુ સ્વામીએ સાચું કહેવાથી પ્રતિષ્ઠાનના રાજા જિનશત્રુ જૈન ધર્મનો રાગી થયો હતો. અને વરાહમિહિરનું માન ઘટી ગયું હતું. આ દ્વેષથી તાપસ થઈ મરીને વ્યંતર થઈ તેણે સંઘને કષ્ટ દેવા માંડ્યું. આ બાબત ગુરુ સમજતા હતા. તેથી સંઘને આશ્વાસન આપ્યું અને ઉવસગ્ગહર સ્તોત્ર બનાવીને કષ્ટ પ્રસંગે પાઠ કરવાથી વ્યંતરના ઉપસર્ગો શ્રી સંઘને અસર કરી શકયા નહીં. “સૂર્ય અને આખું જ્યોતિષ ચક્ર પ્રત્યક્ષ બતાવ્યું છે. મિહિર એટલે સૂર્ય મારા ઉપર પ્રસન્ન છે.” એ રીતે વરાહે પોતાની ખ્યાતિ કરેલી હોવાથી તેનું નામ વરાહમિહિર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. ૨૮. દશાર્ણ ભદ્ર રાજા : દશાર્ણપુરના જેને ધમ દશાર્ણ ભદ્ર નામે ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. એક વખત શ્રી વીર પરમાત્મા ત્યાં સમોસર્યાના ખબર ઉધાનપાલકે આપ્યા. એટલે સાત આઠ પગલાં આગળ ચાલી, તેણે પ્રભુની સ્તુતિ કરી. ને પછી પ્રભુને વંદન કરવા જતાં અનેક પ્રકારની અદ્ધિ સાથે નગરમાંથી નીકળી પ્રભુને વંદન કર્યું. અઢાર હજાર હાથી, ચાળીસ લાખ ઘોડા, એકવીસ હજાર રથ, એકાણું કોટિ પાયદળ, સોળ હજાર ધ્વજા, પાંચસો મેઘાડંબર છત્ર, સુખાસને બેઠેલી પાંચસો રૂપવતી રાણીઓ, આભૂષણોથી સજજ સામંતો, મંત્રીઓ વગેરે સાથે લીધા. આ ઋદ્ધિ પરથી મનમાં ચિંતવ્યું કે, “મને ધન્ય છે. કોઈ ન વાંદે તેવી રીતે હું આટલી બધી અદ્ધિથી પ્રભુને વાંદીશ.” આ પ્રમાણેનો ગર્વ અવધિજ્ઞાનથી સૌધર્મ ઈંદ્ર જાણી તે તોડવા, નીચે પ્રમાણેનો ઠાઠ ગોઠવીને પ્રભુને વાંદવા આવ્યા. ચોસઠ હજાર હાથી વિકુવ્ય. એક એક હાથીને પાંચસો ને બાર બાર મુખ કર્યા. એક એક મુખે આઠ આઠ દંતશૂળ કર્યા. એક એક દંતશૂળે આઠ આઠ વાવ્યો ગોઠવી, વાગ્યે વાગ્યે આઠ આઠ કમળ, દરેક કમળે એક એક કર્ણિકા, એક એક કર્ણિકા પર સિંહાસન ગોઠવી તેના પર પોતે આઠ આઠ અગ્ર મહિણીઓ સાથે બેઠો. એક એક કમળને લાખ લાખ પાંદડાં વિકવ્યાં, દરેક પત્ર ઉપર બત્રીસ દેવદેવીઓ બત્રીસ પ્રકારના નાટ્ય રંગ કરવા લાગ્યા. આ જોઈ દશાર્ણભદ્ર રાજા તો દંગ થઈ ગયા, ને પોતાનો ગર્વ ઊતરી ગયો. છતાં ઇંદ્રથી ચડિયાતા થવા પોતે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇંદ્ર હાર્યા. વંદન-સ્તુતિ કરી પોતાને સ્થાનકે ગયા. દશાર્ણ મુનિ કર્મક્ષય કરી મોક્ષમાં ગયા. ઈંદ્ર જે વખતે આકાશમાંથી હાથી સાથે ઊતર્યા, ત્યારે હાથીએ આગલા બે પગ વાળ્યા, અને જમીનમાં ખૂંચ્યા. તે સ્થળ ગજપદ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૩૧૧ ૨૯. પ્રસન્નચંદ્ર રાજર્ષિ : પોતનપુરના સોમચંદ્ર અને ધારિણી રાણી પ્રસન્નચંદ્ર પુત્રને રાજય સોંપી વૃદ્ધાવસ્થામાં તાપસાથમની દીક્ષા લઈ તપોવનમાં રહ્યા. ધારિણી સગર્ભા હોવાથી, તેને ત્યાં બાળક જન્મ્યો. તે વલ્કલોનો ચીવર (વસ્ત્રોમાં વીંટાઈને ઊછર્યો હોવાથી તેનું નામ વલ્કલચીરી પાડ્યું. ધારિણી પ્રસૂતિની વેદનાથી મરણ પામી. વલ્કલચીરી મોટો થયો, પણ લોકવ્યવહારથી તદ્દન અજાણ હતો. આ તરફ રાજાને પોતાના ભાઈને મળવાની ઈચ્છા થઈ. વેશ્યાઓ મારફત તેને લાવવાની ગોઠવણ કરી. વેશ્યાઓ સિંહ કેસરીયા લાડુ, પકવાન વગેરે મીઠાઈઓ લઈ વનમાં ગઈ. વહલચીરીને સામો આવતો જોઈ તેઓ તેની સામે ચાલી. એટલે “હે તાપસો ! હું આપને અભિવાદન કરું છું.” કહી પ્રણામ કર્યા, ને પૂછયું, “આપ કયા તપોવનના વાસી છો? લો. આ વનફળો આરોગો. અતિથિ-સત્કાર આશ્રમવાસીઓનો ધર્મ છે.” વેશ્યાઓએ કહ્યું, “અમો પોતનપુર આશ્રમના વાસી છીએ. અમને તમારાં ફળ ભાવતાં નથી, જુઓ આ તમારાં ફળો.” કહી પેલા લાડુ બતાવ્યા ને તે તેને ખવડાવ્યા. તે તેને મીઠા લાગ્યા. પછી વેશ્યાઓએ તેને પોતાનાં અંગોનો સ્પર્શ કરાવ્યો. સ્તનસ્પર્શ કરતાં તેણે પૂછયું “આ બે ઉપસેલા તમારા શરીરમાં નવીન ભાગો શાના છે?” વેશ્યાઓએ કહ્યું કે, “પોતનાશ્રમમાં આવાં મીઠાં ફળો ખાવાથી આવા બે ભાગો ઊપસી આવે છે. તમારી ઈચ્છા હોય તો ચાલો ત્યાં.” ત્યારે વલ્કલચીરી પોતાની પાસેની તાપસાશ્રમ યોગ્ય ચીજો કયાંક મૂકી, સાથે આવવાની તૈયારી બતાવી. તેવામાં સોમચંદ્ર તાપસને આવતા જોઈ શ્રાપના ભયથી વેશ્યાઓ નાસીને પોતાનપુરમાં આવી રાજાને ખબર આપી કે “અમો તો ભયથી નાસી આવી, પણ તમારા ભાઈ અમારી લાલચથી ખેંચાઈને આવશે ખરા.” રાજા વિશેષ ઉદ્વિગ્ન રહેવા લાગ્યા. આ વલ્કલચીરી બધી વસ્તુઓ છુપાવીને પોતનપુર તરફના રસ્તા તરફ ચાલ્યો. રસ્તામાં એક ગાડાવાળો મળ્યો. તેણે તેને ગાડામાં બેસવા દીધો. તેમાં તેની સ્ત્રી બેઠી હતી. તેને તાપસ સમજીને તેણે પ્રણામ કર્યો. ત્યારે તે દંપતી વિચારમાં પડ્યા કે, “આ મુનિ કુમાર સ્ત્રી-પુરુષના ભેદથી તદ્દન અજાણ લાગે છે. રસ્તામાં એક ચોરને મારીને ગાડાવાળો તેનું ધન લઈ ગાડામાં ભર્યું. છેવટે બધા પોતનપુર આવ્યા. તેને ગાડેથી ઉતારી ગાડાવાળો પોતાને ઘેર ગયો. વલ્કલચીરી દરેક ઠેકાણે તાપસના નિયમ પ્રમાણે જે જે મળે તેને અભિવાદન કરતો ફર્યા કરે છે. તેમ કરતાં તે વેશ્યાવાડે જઈ ચડ્યો. વેશ્યાએ તેની હજામત વગેરે કરાવી, નિમિત્ત જ્ઞાનીની સૂચના પ્રમાણે મળી આવેલા પુરુષ સાથે પોતાની પુત્રી પરણાવી દીધી, ને વાજિંત્રો વગડાવ્યાં. આ સાંભળી રાજાને ક્રોધ ચડ્યો કે, “હું ઉદ્વિગ્ન હોવાથી જ્યારે મેં વાજિંત્રો બંધ કરાવ્યાં છે, છતાં રાજાજ્ઞાનો અનાદર કરીને કોણ આ વાજિંત્રો વગડાવે છે?” તપાસ કરતાં વેશ્યાં પકડાઈ. તેને ત્યાં જેનાં લગ્ન થયાં. તે પોતાનો ભાઈ જાણીને વેશ્યાને ઠપકો આપ્યો, ને નીચ કુળની કન્યા સાથે પોતાના ભાઈને પરણાવ્યો તે જાણી રાજા વિચારમાં પડી ગયો. “પરંતુ, નિમિત્તજ્ઞના કહેવાથી સહજ રીતે જ આમ બન્યું છે. વળી આ કન્યા પણ કોઈ પુણ્યવતી Page #385 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો હોવી જોઇએ. તથા ઊતરતા કુળમાંથી કન્યા રત્ન લેવામાં ખાસ વાંધો નથી.'' વગેરે મંત્રીના સમજાવવાથી રાજાના મનનું સમાધાન થયું અને મહોત્સવપૂર્વક તે દંપતીને રાજમહેલે લાવ્યા. ચતુર પુરુષની સોબતથી તેને લોકવ્યવહારનું સારી રીતે જ્ઞાન કરાવ્યું તથા બીજી પણ ઘણી કન્યાઓ પરણાવી અને યૌવરાજ પદ આપ્યું. ૩૧૨ એમ સુખ ભોગવતાં બાર વર્ષ વીતી ગયાં. ત્યારે તેને પિતૃભકિત યાદ આવી, અને મોટા ભાઈ પાસે રજા માગી. બન્ને ભાઈઓ પિતાને મળવા આવ્યા. સોમચંદ્ર રાજર્ષિ પુત્રવિયોગથી દુ:ખી થયા હતા. તેની આંખે પડળ આવ્યા હતા. પરંતુ પ્રસન્નચંદ્રના કહેવરાવવાથી પાછળથી સંતોષમાં દિવસો ગાળતા હતા. આ વખતે પુત્ર મળવાના હર્ષાશ્રુથી તેની આંખનાં પડળ ખૂલી ગયાં અને પુત્રોને જોઈ હર્ષ પામ્યા. વલ્કલચીરી જઈ પોતાનાં મૂકેલાં વાસણો વગેરે પરથી ખેસથી ધૂળ ખંખેરવા લાગ્યા. એમ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વ ભવે આરાધેલ સંયમ યાદ આવ્યો. એમ ઊહાપોહ કરતાં છેવટે તેને કેવળજ્ઞાન થયું. દેવો આવ્યા. વેશ આપ્યો. સુવર્ણકમલ નિપજાવ્યું, એટલે સ્વયંબુદ્ધ કેવળી ભગવંતે દેશના આપી. રાજા તથા સોમચંદ્ર તાપસને વીતરાગ ધર્મનો બોધ થયો, ને સોમચંદ્ર તાપસે દીક્ષા લીધી. તેવામાં શ્રી વીરપરમાત્મા ત્યાં પોતનપુરના મનોહર ઉદ્યાનમાં સમોસર્યા. વલ્કલચીરી કેવળી ભગવંત વગેરે પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં પ્રભુને પ્રદક્ષિણા દઈ કેવળી ભગવંતોને વંદન કરી કેવળીની પર્ષદામાં દાખલ થયા. સોમચંદ્રમુનિને ક્રિયા વ્યવહાર શીખવવા બીજા સ્થવિરો પાસે મૂકયા. પ્રભુની દેશનાથી પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો, તેથી નાના બાળકને રાજ્ય સોંપી તેમણે દીક્ષા લીધી. દશપૂર્વી થયા. કર્મ ક્ષય નિમિત્તે પર્વત ગુફાઓ વગેરેમાં એકલા કાઉસ્સગ્ગ ધ્યાને રહી કર્મ નિર્જરા કરતા હતા. એક વખત તેઓ રાજગૃહી નગરીની પાસેના વનમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે, અને તે દિવસે પ્રભુ મહાવીર પરમાત્મા વૈભારગિરિ ઉપર સમવસર્યાં. તેને વાંદવા શ્રેણિક રાજા સપરિવાર ગયા, રસ્તામાં તેણે પ્રસન્નચંદ્ર મુનિને વંદના કરી. પ્રભુ પાસે જઈને પૂછ્યું કે, “ધ્યાનમાં લીન પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાળ કરે, તો-કઈ ગતિમાં જાય ?'' પ્રભુએ કહ્યું “સાતમી નરકે જાય.’’ થોડી વારે પૂછ્યું. તો કહે ‘‘છઠ્ઠીએ જાય.’’ ફરીથી પૂછતાં ‘‘પાંચમીએ જાય.’’ એક કરતાં ફરી ફરી પૂછતાં ‘‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય.” એવો જવાબ મળ્યો. આ વિવિધ જવાબથી શ્રેણિકને ઘણો જ વિસ્મય થયો. આ વિવિધ જવાબોનું કારણ પૂછવા જતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું, દેવદુંદુભિ વાગ્યાં. અને દેવો કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા લાગ્યા. પ્રભુએ શ્રેણિકના પ્રશ્નનો ખુલાસો કર્યો કે, ‘‘એ વિવિધ જવાબમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં હતા, છતાં તેના અધ્યવસાયની પડતી અને ચડતી શ્રેણિ જ ખાસ કારણભૂત છે. તારા સૈનિકોની વાતચીત ઉપરથી ‘પોતાના બાળ પુત્ર ઉપર શત્રુઓ ચડી આવ્યા છે.’’ એ સાંભળી તેમને ક્રોધ ચડેલો, એટલે ધ્યાનમાં ને ધ્યાનમાં શત્રુઓ સાથે લડવા લાગ્યા. લડાઈનાં બધાં સાધનો ખૂટી ગયાં ધારી માથેથી લોખંડી ટોપ ઉપાડી શત્રુઓ પર ફેંકવાના વિચારથી માથા ઉપર Page #386 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૧૩ હાથે મૂકતાં માથું મુંડ થયેલું જાણી “પોતે મુનિ છે' એમ ખ્યાલ આવતાં તુરત જ પાછા શુભ ધ્યાનમાં એવા ચડી ગયા કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.” આ વાત સાંભળી શ્રેણિકે જઈ ફરીથી વંદન કર્યું. શ્રી પ્રસન્નચન્દ્ર કેવળી બોધ દેતા વિચરવા લાગ્યા. પ્રાંતે આયુષ્ય ક્ષયે મોક્ષમાં ગયા. ૩૦. શ્રી યશોભદ્રસૂરિ : શ્રી શર્થંભવસૂરિજી મહારાજ પાસે પાટલી પુત્રના યશોભદ્ર નામના બ્રાહ્મણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અને વિનયપૂર્વક ચારિત્ર પાળતાં તેઓ ચૌદપૂર્વના જ્ઞાતા થયા. તેમણે એક વખત દક્ષિણ દેશમાં વિહાર કર્યો. ત્યાં ઉપદેશ આપી, ભદ્રબાહુ અને વરાહ નામના બે બ્રાહ્મણ ભાઈઓને દીક્ષા આપી. ભદ્રબાહુ ચૌદપૂર્વધર થયા. તેમને આચાર્યપદ તથા સંઘનો ભાર સોંપી શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી ગુરુ મૃત્યુ પામી સ્વર્ગે ગયા. ૩૧. જંબૂસ્વામી : (૧) મગધ દેશના સુગ્રામ નામના નગરમાં રાષ્ટ્રકૂટ અને રેવતીના પુત્ર તરીકે ભવદન અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. ભવદત્તે દીક્ષા લીધેલી. તેણે નાગિલાને પરણેલા ભવદેવને દીક્ષા આપી. અને ભવદેવે ભાઈની શરમથી દીક્ષા લીધી. ભવદત્ત સ્વર્ગમાં ગયા, એટલે ભવદેવ નાગિલાને મળવા આવ્યા. નાગિલાએ પ્રતિબોધ આપવાથી મુનિ પાછા ગુરુ પાસે ગયા, અને પછી નિરતિચાર ચારિત્ર પાળી સૌધર્મ દેવલોકે ગયા. (૨) સ્વર્ગમાંથી ભવદત્ત મહાવિદેહમાં પુષ્કલાવતીવિજયમાં પુંડરીકિગી નગરીમાં વજદન ચક્રવર્તીની યશોમતી રાણીના સાગરદન પુત્ર થયા. હજાર કન્યાઓ સાથે ભોગ સુખ ભોગવતાં વાદળાં જોઈ વૈરાગ્ય પામવાથી તેમણે દીક્ષા લીધી. ભદેવને જીવ પણ સ્વર્ગથી અવીને તેજ વિજયમાં વીતશોકા નગરીમાં પદ્મરથ રાજાની વનમાળા પટ્ટરાણીના શિવકુમાર પુત્ર તરીકે ઉત્પન્ન થયા. એક વખત પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં બેઠા બેઠા દૂરથી કામ-સમૃદ્ધ સાર્થવાહને ત્યાં સાગરદન મુનિને વહોરતા દેખી તેને સાધુ પર ભાવ થયો, અને તેનો ઉપદેશ સાંભળવા ગયો. ત્યાં તેને વૈરાગ્ય થયો. પરંતુ ઘેર આવી માતાપિતાએ સમ્મતિ ન આપવાથી તે છ8 છઠ્ઠનો તપ અને પારણે આયંબિલ કરી ધર્મની આરાધના કરતા હતા. દઢધર્મ શ્રાવકની સોબતમાં બાર વર્ષ આ રીતે ધર્મ પાળી બ્રહ્મદેવ લોકમાં વિધુમ્માલી નામે દેવ થયા. એક વખત તે દેવ પોતાની ચાર દેવીઓ સાથે પ્રભુને વંદન કરવા આવેલ ત્યારે અન્ય દેવો કરતાં તેને તેજસ્વી જોઈ શ્રેણિકે પ્રભુને તેનું કારણ પૂછયું. પ્રભુએ તેના પૂર્વ જન્મની આરાધના અને હવે પછી “જંબૂકુમાર તરીકે છેલ્લા કેવળી થશે.” વગેરે વાત કહી. અને વધુમાં ઉમેર્યું કે-“તેમના પછી-મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, પુલાક લબ્ધિ, આહારકલબ્ધિ, મોક્ષ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરય, યથાખ્યાત ચારિત્ર અને કેવલ જ્ઞાન એ દશ પદાર્થનો વિચ્છેદ થશે, એક વખત રાજગૃહી નગરીના ઋષભદત્ત શેઠ પોતાની ધારિણી પત્ની સાથે શ્રી સુધર્મા સ્વામીને વંદન કરવા વૈભારગિરિ ઉપર ગયા. ત્યાં તેણીએ ગણધર ભગવંતને પોતાને પુત્ર થવા વિષે પૂછયું. ગણધર ભગવંતે કહ્યું “જે કે અમો આવા સાવદ્ય પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. તો પણ મહાપુણ્યનો Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પંચ પ્રતિકમાણસૂત્રો લાભ થવાથી પરિણામે નિરવદ્ય હોવાથી કહીએ છીએ કે-એકસો આઠ આયંબિલ કરવાથી જંબૂવૃદ્ધના સ્વપ્નથી સૂચિત પુત્ર થશે.” ત્યાર પછી આયંબિલ કર્યા પછી વિદ્યુનમાલી દેવ ચ્યવીને ગર્ભપણે ઉત્પન્ન થયો. અને જન્મ પછી તેનું નામ બૂકુમાર પાડ્યું. યુવાવસ્થામાં શ્રી સુધર્માસ્વામીનો ઉપદેશ સાંભળી મનથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. અને ત્યાંથી પાછા વળતા શહેરમાં આવતા શત્રુ સામે વાપરવાનાં મોટાં મોટાં યંત્રો દરવાજામાં ગોઠવાતાં હતાં. તે જોઈ આયુષ્યનું ક્ષણભંગુરપણું વિચારી પાછા વળી ગણધર ભગવંત પાસે સ્પષ્ટ બ્રહ્મચર્ય ઉચ્ચાયું, ને ઘેર આવી માતપિતાની દીક્ષા માટે સમ્મતિ માગી. | માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યું. રાત્રે તેઓને બોધ આપ્યો. અને વિધ્યાચળમાં આવેલા જયપુરના પાટવી કુંવર પ્રભવ તે જ વખતે તે ઘરમાં પ૦) ચોર સાથે ચોરી કરવા આવેલ, તે સઘળાને પ્રતિબોધ આપીને સસરા-સાસુ, સસરા, સ્ત્રીઓ માતાપિતા સાથે કુલ પર૭ પાંચસો સત્તાવીસ જણાએ શ્રી સુધર્મા ગણધર ભગવંત પાસે દીક્ષા લીધી. શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ દશમે વર્ષે જંબૂસ્વામીને આચાર્ય પદ આપ્યું, ને વીસમે વર્ષે મોક્ષમાં ગયા. સુધર્મા સ્વામી ગણધર ભગવંતના સર્વ આગમો બૂસ્વામીને ઉદ્દેશીને રચાયા છે. છેવટે તેઓ છેલ્લા કેવળી થઈ પ્રભવસ્વામીને પોતાની પાટ સોંપીને પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૬૪ મે વર્ષે મોક્ષમાં ગયા. ૩૨. વંકચૂલ કુમાર : વિરાટ દેશના પેઢાલપુર નગરમાં શ્રીચૂળ રાજાને પુષ્પચૂલ અને પૂષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલ જુગારી, ચોર તથા મારફાડ કરનાર હોવાથી તેનું નામ વંકચૂલ જાહેર થયું. છેવટે તેના પિતાએ તેને પોતાની રાજધાનીમાંથી કાઢી મૂકયો. તે બહેન અને પત્નીની સાથે કોઈ પલ્લીમાં જઈને રહ્યો, અને ત્યાંનો નાયક મરણ પામવાથી તે પલ્લીનો નાયક થયો, ને ચોરની જેમ ધાડ પાડી પોતાનું જીવન ગુજારતો હતો. હવે એક વખત જ્ઞાનતુંગસૂરિ તે પલ્લીમાં ચોમાસું રહેવા આવ્યા. કોઈને કાંઈ પણ ઉપદેશ ન આપવાની શરતે મુનિને વસતિ આપી. જ્ઞાન ધ્યાનમાં ચોમાસું પૂરું કર્યા બાદ વિહાર કરતાં વંકચૂલની હદ ઓળંગીને વોળાવવા આવેલ વંકચૂલની ઈચ્છાથી તેને ચાર નિયમ આપ્યા ૧. અજાણ્યાં ફળ ન ખાવાં. ૨. કોઈને વધ કરતાં પહેલાં સાત ડગલાં પાછું કરવું. ૩. રાજાની રાણી સાથે ભોગનો ત્યાગ કરવો. ૪. અને કાગડાનું માંસ ખાવું નહીં. - આ ચારેય નિયમો પાળવાથી તેને ઘણા ફાયદા થવાથી વ્રતોની પ્રશંસા કરતાં નિયમોમાં દઢ રહી, જિનદાસ શ્રાવકની આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ચાર વ્રતનાં ફળો તેને નીચે પ્રમાણે મળ્યાં હતાં :( ૧ ) એક વખત રસ્તામાં ભૂખને લીધે તેની સાથેના ભિલ્લ લોકોએ એક જાતનાં ફળ ખાધાં, તેથી તેઓ મરી ગયા. પણ વંકચૂલે તે અજાણ્યાં ફળો ન ખાવાથી જીવતો રહ્યો. Page #388 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૧૫ ( ૨ ) વંકચૂલ એક વખત બહાર ગામ ગયેલો, તે વખતે શત્રુના દેશના નટોએ આવીને પોતાનો ખેલ જોવા વંકચૂલને આમંત્રણ આપ્યું. “વંકચૂલ ઘેર નથી” તેની શત્રુઓને જાણ ન થવા દેવા માટે તેની બહેન પુષ્પચૂલાએ પુરુષવેશ પહેરી નટો જોઈ તેઓને ઈનામથી રાજી કર્યા. મોડી રાતે આવી એમને એમ પુરુષ વેશમાં જ ભાભી સાથે તે સૂઈ ગઈ. તેવામાં વંકચૂલે આવી પોતાની સ્ત્રીને પુરુષ સાથે સૂતેલી જોઈ, તેને મારી નાંખવા તલવાર ઉગામી. પરંતુ નિયમ પ્રમાણે સાત ડગલાં પાછા ફરતા ફરતા તલવાર અથડાવાથી બહેન પોતાના ભાઈને ખમા દેતી જાગી ઊઠી. પુરુષના વેશનો ખુલાસો કરવાથી ભાઈ ઘણો ખુશી થયો. ( ૩ ) એક વાર રાત્રે તે વાણિયાને ત્યાં ચોરી કરવા ગયો, ત્યાં બાપદીકરો હિસાબની તકરારમાં પડ્યા હતા. ત્યાંથી વેશ્યાને ત્યાં ગયો, તો તે કોઢિયા સાથે ભોગ ભોગવતી હતી. ત્યાંથી રાજ્ય મહેલમાં ગયો. રાણીને હાથ અડી જવાથી તે જાગી, અને વંકચૂલ પાસે ભોગની માંગણી કરી, વંકચૂલે તેને પોતાની માતા સમાન કહી. એટલે રાણીએ બૂમ પાડી. પણ રાજા એ બધું ગુપ્તપણે સાંભળતો હતો. તેથી રાજાએ તેને પોતાનો વિશ્વાસુ સામંત બનાવ્યો, અને ચોરીનો ધંધો છોડાવી દીધો. (૪) લડાઈમાં ઘવાયાથી વૈદ્યોએ કાગડાનું માંસ ઔષધ તરીકે લેવા ભલામણ કરી. પણ વંકચૂલ અડગ રહ્યો. રાજાએ તેના મિત્ર જિનદાસને બોલાવી સમજાવવા કહ્યું. જિનદાસે માત્ર પરીક્ષા જેવા ભલામણ કરી, પણ વંકચૂલે મિત્રને ઠપકો આપ્યો અને નિયમમાં અડગ રહ્યો. ૩૩. ગજસુકુમાર : ભદિલપુરમાં નાગ નામના શેઠને સુલસા નામે પત્ની હતી. વસુદેવના સાતમાંના છ પુત્રો કંસે માંગ્યા, તે વસુદેવે આપ્યા. પણ દેવે ત્યાંથી ઉપાડીને નાગ શેઠને ઘેર મૂક્યા. દેવકીના એ છએય પુત્રોને સુલસાએ ૩૨, ૩ર સ્ત્રીઓ પરણાવી. છેવટે તેઓએ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. ચરમ શરીરી તેઓ દ્વાદશાંગીના ધારક થયા. શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીએ સમોસર્યા. છ ભાઈઓ બબ્બે થઈને દેવકીજીને ત્યાં જ વહોરવા જવા લાગ્યા. ત્યાં તેમણે સરખા આકારના જાણીને તેઓને ખુલાસો પૂછયો, અને તે બાબત શ્રી નેમિનાથ ભગવંતને વિશેષ ખુલાસો પૂછયો; પ્રભુએ “ગયા ભવની, શોક્યનાં સાત રત્નો ચોરેલાં, તેણીને ઘણી રોવરાવ્યા બાદ માત્ર એક જ રત્ન પાછું આપ્યું હતું. તેને લીધે તમારા સાત પુત્રો તમારાથી અદષ્ટ થયા. અને એક કૃષણ માત્ર તમારા સન્મુખ છેવટે આવ્યા.” આ પ્રમાણે પોતાના પૂર્વકર્મની નિંદા કરતાં દેવકીજીએ કૃષણને બોલાવીને “જાતે પુત્ર પાલન કરવાની ઈચ્છા જણાવી.” કૃષ્ણ હરિણગમેથી દેવને આરાધી પોતાને ભાઈ થવા વિષે પૂછયું. દેવે કહ્યું. “તમારે એક પુણ્યવાન ભાઈ થશે. પરંતુ તે યુવાવસ્થામાં જ દીક્ષા લેશે.” અનુક્રમે મહર્તિક કોઈ દેવ ત્યાંથી શુભ સ્વપ્ન સૂચિત દેવકીજીની કુક્ષિમાં અવતર્યો, તેના જન્મબાદ તેનું નામ ગજસુકુમાર પાડયું. માતા પિતા ભાઈઓ તથા અનેક કુટુંબીજનો આ નાના ભાઈ ઉપર ઘણું જ વાત્સલ્ય રાખવા લાગ્યા. તેને હૃમ રાજાની પ્રભાવતી કન્યા સાથે પરણાવ્યા, તેમજ સોમશર્મા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ નામના બ્રાહ્મણની સોમા નામની પુત્રી સાથે પણ જગસુકુમારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યું. શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી તેણે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરવા લાગ્યા. એક દિવસે સાંજે સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પેલો બ્રાહ્મણ સસરો આવી ચડ્યો તેને મુનિને જોઈને ‘“પોતાની પુત્રીને પરણીને તરત છોડી દેવા' બાબતનો ક્રોધ ચડ્યો ને ઘડાનો કાંઠો તેના મસ્તક ઉપર મૂકી, તેમાં ખેરના અંગારા ભર્યા. મુનિ ધ્યાનમાં ચડ્યા, કેવળ જ્ઞાન થયું, અને મરણ પામી મોક્ષમાં ગયા. પંચ પ્રતિક્રમણસૂત્રો શ્રી કૃષ્ણે શ્રી નેમિનાથ પ્રભુને કુમારના સમાચાર પૂછયા. પ્રભુએ બ્રાહ્મણની મદદથી નિર્વાણ પામ્યાની વાત કરી ‘તે બ્રાહ્મણ કોણ ?’” તે પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું કે ‘“તે તમને દરવાજામાં સામે મળશે ને તેનું પેટ ફાટી જશે. પણ તેના ઉપર ક્રોધ કરશો નહીં.’’ શ્રી કૃષ્ણે મુનિનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાંથી પ્રભુ પાસે આવ્યા. દેવકીજીનો શોક ઉપદેશથી ઓછો કરાવ્યો. ત્યાંથી રસ્તામાં આવતાં દરવાજામાં જ બ્રાહ્મણને આવતો જોયો અને ભયથી તેનું પેટ ફાટી ગયું. એટલે શ્રી કૃષ્ણે તેને આખા ગામમાં ઘસડાવ્યો અને જાહેર કર્યું કે-‘મુનિનો ઘાત કરનારના આવા હાલ થશે.’’ ૩૪. અવંતીકુમાર : એક વખત શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજ શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં ભદ્ર શેઠની ભદ્રા પત્ન!થી શુભ સ્વપ્ને સૂચિત જન્મ પામેલ અવંતીસુકુમાર નામે ૩૨ પત્નીઓના પતિ એવા તેના પુત્ર હતા. ભન્ન શેઠની અનુમતિથી ભદ્રા શેઠાણીએ આપેલ પોતાના ઘર પાસેની વસતિમાં પૂજ્ય આચાર્ય મહારાજ આવીને ઊતર્યા. સાંજે પૂજ્ય આચાર્ય મહારાજ નલિનીગુલ્મ વિમાનનું અધ્યયન ગણતા હતા. તે સાંભળી તેને ઊહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતે પૂર્વે એ વિમાનમાં દેવ હતો. “કયાં ત્યાંના સુખ ? અને કયાં અહીંના સુખ ?'' તેમાં મોટું અંતર જાણીને તે સુખ મેળવવાનો ઉપાય બતાવતા ગુરુ મહારાજને વિજ્ઞપ્તિ કરી. ગુરુએ તેનો ઉપાય સંયમ બતાવ્યો. તે લેવાને તે ઉત્સુક થયો. પણ કુટુંબીઓની સમ્મતિ વિના દીક્ષા આપવાની ના પાડી. તો પોતે પોતાની મેળે દીક્ષા લીધી ને સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. તેની કોઈ પાછલા ભવની સ્ત્રી મરીને શિયાળ થઈ હતી તે ત્યાં આવી, મુનિ પર ક્રોધ કરીને બચકાં ભરવા લાગી ને છેવટે તેને પુષ્કળ બચકાં ભરી તેના કકડે કકડા કરી નાંખ્યા. મુનિ મરીને નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. સવારે માતાપિતા તથા સ્ત્રીઓએ આ અવસ્થા જાણી બહુ શોક કર્યો. ગુરુને પૂછવાથી બધો વૃત્તાન્ત જાણવામાં આવ્યો, તે ઉપરથી તેનાં માતાપિતાએ એક નલિનીગુલ્મવિમાનના આકારનું મહાકાળનું મંદિર બંધાવ્યું અને તેમાં શ્રી અવંતીસુકુમાર પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી. (તેની ગર્ભિણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલ તેના પુત્રે આ મંદિર અને પ્રભુ પ્રતિમા પધરાવ્યાં. અન્યત્ર એમ વાંચવામાં આવ્યાનું યાદ છે.) તેની સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી સંયમ ધર્મની આરાધના કરી. ૩૫. ધન્ય કુમાર-શાલિભદ્ર શેઠના બનેવી, અને આઠ સ્ત્રીઓને એકી સાથે છોડી શાલિભદ્રની Page #390 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સાથે દીક્ષા લઇ વૈભારગિરિ પર તપશ્ચર્યા કરી અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થનાર મહા પુણ્યશાળી. ધન્ના-શાલિભદ્ર’” એ બે પ્રસિદ્ધ નામોમાં પ્રસિદ્ધ ધન્ય નામના શેઠ, તે આ. તેનો જન્મ પ્રતિષ્ઠાન પુરના ધનસાર શેઠની શિયળવતી પત્નીની કુક્ષિથી થયો હતો. તેના જન્મસમયે નાળ દાટવા જતાં જમીનમાંથી ધન નીકળ્યું હતું. ૩૧૭ પૂર્વ ભવમાં આજ નગરમાં નિર્વાહ માટે આવેલા એક ગરીબ કુટુંબનો તે બાળક હતો. ગામનાં લોકોના ઢોરો ચારીને તે ગુજરાન ચલાવતો હતો. તેને એક વાર ખીર ખાવાનું મન થયું, એટલે જુદી જુદી ચાર પાડોશણોએ ઘી, દૂધ, ચોખા, સાકર આપ્યા. એટલે તેની ખીર રાંધી આપી. માતા પીરસીને બહાર ગઈ. આ તરફ માસક્ષમણને પારણે કોઈ મુનિ વહોરવા નીકળેલા અહીં આવી ચડ્યા. તેને ઊભા થઈ બાળકે વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી મુનિ ખીર વહોરી, ગયા. તેવામાં માતા પાછી આવી અને તેણે પુત્રની થાળી ખાલી જોઈ બીજી ખીર પીરસી, તે તેણે ખાધી ને વાછરડા ચારવા ચાલ્યો ગયો. ત્યાં તે જ મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તેથી બાળક ઘણો આનંદ પામ્યો. પરંતુ ઘેર આવ્યા બાદ પેટમાં પીડા થવાથી મરણ પામી તે ધન્ય કુમારપણે જન્મ્યા. તેને બીજા ત્રણ મોટા ભાઇઓ હતા. પરંતુ તેઓ હીન પુણ્યવાળા હોવાથી ધન્ય કુમારની ચતુરાઈ ઉપરથી માબાપ તેના વખાણ કરે, તે ઈર્ષાથી તેઓ સહન કરી શકયા નહીં. પિતાએ ૩૨-૩૨ રૂપિયા આપી દરેકને હોશિયારીની પરીક્ષામાં પસાર થવાની તક આપી. ત્યારે ભાઈઓ થોડું કમાયા અને ધન્યકુમારે એક બળવાન્ ઘેટો ખરીદી બીજાના ઘેટા સાથે લડાવીને શરતમાં એક હજાર સોના મહોર મેળવી. પછી ૬૦-૬૦ માસા સોનું આપ્યું. ભાઈઓ તેમાંથી થોડો લાભ મેળવીને પાછા આવ્યા. પરંતુ ધન્ય ચાંડાલ પાસેથી એક પલંગ વેચાતો લીધો. તે એક કૃપણ શેઠનો હતો. તેમાં તેણે રત્નો છુપાવ્યાં હતાં. તે રત્નો કાઢીને ધન્યકુમારે પિતાને આપ્યાં. પિતાએ ઘણી પ્રશંસા કરી. ભાઈઓ આથી મારી નાંખવા સુધીના વિચાર ઉપર આવ્યા. એ વાત ભાભીઓએ ધન્યને કરી, તેથી તે છાનામાના દેશાવર ચાલ્યા ગયા. બહુ ફરતાં એક ખેતરમાં હળ ખેડતાં તેના માલિકે તેને જમવાનું નોતરું આપ્યું, તેવામાં તેની સ્ત્રી ભાત લઈને આવી, તેવામાં હળ ખેડતાં સુવર્ણનો ચરુ નીકળી પડ્યો. તે ખેતરના માલિકે ધન્યકુમારના ભાગ્યથી નીકળ્યો જાણીને તેને આપવા માંડ્યો. પરંતુ તે ન લેતાં ખીરનું ભોજન જમીને તે આગળ ચાલ્યા, ને છેવટે રાજગૃહીમાં આવ્યા. ત્યાં એક બગીચામાં પેસતાં તે સૂકોખંખ બગીચો નવપલ્લવ થઈ ગયો. તેથી પુણ્યવાન્ માનીને તેનો માલિક તેને પોતાને ઘેર જમવા તેડી ગયો. માળીના શેઠ કુસુમપાળની પુત્રી પુષ્પવતી, ક્ષેણિકરાજાના પુત્રી સોમશ્રી અને શાલિભદ્ર શેઠની બહેન સુભદ્રા એ ત્રણેય એક દિવસે જન્મેલી બાળ સખીઓ સાથે તેનાં લગ્ન થયાં. રાજાએ ઘણાં ગામોનો ગરાસ આપ્યો ને ધન્યકુમાર ત્યાં સુખે રહેવા લાગ્યા. માતાપિતા વગેરે દુ:ખી હાલતમાં ફરતાં ફરતાં ત્યાં આવ્યાં. તે સર્વને ઓળખી પોતાને ત્યાં ભકિતથી આનંદમાં રાખ્યા. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ત્યાં પણ ભાઈઓને ઈષ્ય થઈ અને તેના પિતાને કહેવા લાગ્યા કે-“પિતાજી ! ધન્ય આપણે રત્નો લઈને આવેલો, તેથી સમૃદ્ધિમાન થયો છે, માટે અમને આ ધનનો ભાગ પાડી આપો. અમારે હવે જુદા રહેવું છે. ભાગ પાડ્યા વિના અમો જમીશું નહિ.” ભાઈઓની રીતભાત જાણીને ધન્ય ત્યાંથી પણ દેશાવર ચાલ્યા ગયા. કૌશામ્બિમાં જઈને શતાનિક રાજાના ન પરીક્ષા કરી શકાયેલા એક કિંમતી રત્નની પરીક્ષા કરીને તેમની પાસેથી તેની સૌભાગ્યમંજરી પુત્રી, સો હાથી, પાંચસો ઘોડાઓ અને પાંચસો ગાયો મેળવ્યાં. ત્યાં તેમણે એક તળાવ ખોદાવવું શરૂ કર્યું. ધન ખૂટી જવાથી તેનાં માતાપિતા વગેરે ત્યાં મજૂરી કરવા આવ્યા, તેને તેણે ઓળખ્યા, ને તેઓને અને તેમની સાથે મજૂરી કરનારા દરેકને ખોરાકમાં ઘી આપવાનો હુકમ કર્યો. બે પત્નીઓને પિયર મોકલી હતી. પરંતુ “દુ:ખમાં તો સાસુ સસરાને ન છોડવાનો નિશ્ચય ઉપરથી નાના વહુ સુભદ્રાને સાથે લાવવા પડ્યા હતા, તેમજ ત્રણ મોટી વહુઓ પણ સાથે હતી. છાશ ન મળવાથી રાત્રે અંધ થતાં માબાપને માટે છાશ લેવા આવવા માટે વહુઓને મોકલવા ભલામણ કરી. અને જ્યારે સુભદ્રા આવે ત્યારે તેને સારી છાશ સાથે ભાત વગેરે પણ આપવા તેમજ તેની આગતાસ્વાગતા કરવા સૌભાગ્યમંજરીને ખાસ ભલામણ કરી, એક દિવસે સુભદ્રા આગળ પોતાની રત્નજડિત વીંટી આપ્યાની તથા પૂર્વની વાત કરી બધો ભેદ ખોલી નાંખ્યો, અને તેને દિવ્ય વસ્ત્રોથી શણગારી પોતાને ઘેર રાખી. ઈર્ષ્યાથી જેઠાણી આવીને એ બધું જોઈ ગઈ, અને સસરાને કહેવા લાગી કે “અમે આપને નહોતા કહેતાં કે-“નાની વહુને બહુ ના વખાણશો.” તે તો શેઠને ત્યાં તેની પત્ની થઈને રહી ગઈ છે. બન્નેય કુળનું નાક કપાવ્યું. હવે અહીં પરદેશમાં શું કરશો ?” આ સાંભળી ધનસાર શેઠે મહાજનને વાત કરી. પણ ધન્યકુમારના ગુણથી પરિચિત મહાજને વાત ખાસ સાંભળી નહીં, અને મહાજનની વાત ધન્યકુમારે પણ સાંભળી નહીં. ધનસાર શેઠે ધન્યકુમાર પાસે આવીને કહ્યું કે “શેઠ ! મારો વાંક ગુનો હોય તો શિક્ષા કરો. પણ અમારા દીકરાની વહુને પાછી આપો.” એટલે શેઠે તેને પકડવાનો હુકમ આપ્યો અને એક ઓરડામાં પુરાવ્યા. ત્યાં જઈ એકાંતમાં તેણે બધી વાતનો ભેદ ઉઘાડો કર્યો. આ પ્રમાણે તેની માતા તથા ત્રણ ભાઈઓને પણ પુરાવ્યા. ભાભીઓ ત્રણ આવી, ને બપોર સુધી ખોટી થઈ પણ કોઈએ દાદ ન દીધી, છેવટે રાજા શતાનિક પાસે જઈ ફરિયાદ કરી. શતાનિકના મોકલેલા માણસોની, તેમણે મોકલેલા લકરની દરકાર ન કરતાં તે રાજા સાથે લડવા તૈયાર થઈ ગયા. મંત્રીઓએ કહેવાથી રાજાએ ભાભીઓને બોલાવી ને પૂછયું કે, “તમારે જેઠ કે દિયર કોઈ છે ?” ત્યારે તેણીઓએ કહ્યું કે-“એક ધન્યકુમાર નામે દિયર હતા, પણ કુટુંબકલેશને લીધે દેશાવર ચાલ્યા ગયા છે ને તે જીવે છે કે નહીં ? તે અમારા જાણવામાં નથી. પરંતુ તેના પગમાં પદ્મનું ચિહન છે, એ તેની નિશાની છે.” Page #392 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૧૯ ત્યારે મંત્રીઓના કહેવાથી તેઓ તેનાં ચરણ ધોવા ગઈ, પણ ધન્યકુમારે દરકાર ન કરતાં ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. છેવટે મંત્રીઓની આજીજીથી ભાભીઓને પોતાના ઘરમાં આવવા દઈ, ભકિત કરી ને સૌને સારી રીતે જમાડ્યા. શતાનિક રાજાએ આ બાબત ખુલાસો પૂછયો, એટલે તેણે જણાવ્યું કે-“અમારા ભાઈઓની વચ્ચે ભાભીઓ વિક્ષેપ નાંખે છે, એટલે તેમને શિખામણ આપવા આ પ્રમાણે કરવું પડ્યું.” પછી પરિવાર સાથે ધન્યકુમાર રાજગૃહીમાં આવ્યા, અને રાજાના માનપાન સાથે ત્યાં રહ્યા તથા બીજી ચાર શ્રીમંત કુટુંબની કન્યાઓને પરણ્યા. ભાઈઓ પોતાને સોંપાયેલાં ગામડાઓમાં રહેતા હતા. પરંતુ દુષ્કાળ પડવાથી તેઓ ત્યાંથી માળવામાં મોટા વેપારી થવા ગયા, પણ કાંઈ વળ્યું નહીં. એટલે ત્યાંથી ઘઉ ભરીને રાજગૃહીમાં આવ્યા. બજારમાં સાટું કરતાં ધનકુમારને મળ્યા અને પ્રણામ કર્યા. ભાઈઓને પોતાને ઘેર લાવી પોતાની મિલકતનો ભાગ વહેંચી આપ્યો. અને પોતે ચોથા ભાગમાં ચૌદ કરોડ સોનૈયા લીધા. ધનસંપત્તિ લઈ ભાઈઓ જવા લાગ્યા. એટલે દ્રવ્યની અધિષ્ઠાયક દેવીએ તેઓને રોકયા. એટલે નિરુપાયે ધન્યકુમાર પરની ઈર્ષ્યા છોડીને ત્યાં જ રહ્યા. એક વખત ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજની દેશના સાંભળી પોતાના ભાઈઓની દુર્દશાનું કારણ પૂછયું ત્યારે ગુરુ મહારાજે જણાવ્યું કે, “લક્ષ્મીપુરમાં એ ત્રણેય કઠિયારા ભાઈઓ હતા. જંગલમાં લાકડાં કાપવા જતાં મુનિરાજ મળ્યા, તેઓશ્રીને દરેક પોતપોતાનું ભાતું સારી રીતે વહોરાવ્યું. પણ પાછળથી તે બાબત ખૂબ પસ્તાવો કર્યો. ત્યાંથી ચ્યવીને તેઓ વ્યંતર થયા. અને ત્યાંથી તારા ભાઈઓ થયા. તેઓને દાનથી લક્ષ્મી મળી, પણ પસ્તાવો કરવાથી ભોગવી શકતા નથી.” સુભદ્રાએ ખીર બનાવવા પાડોશણ તરીકે ભાગ આપેલો, પરંતુ દાસીને તું સદાય ભાર વહેતી રહે.” એવો શાપ કોઈ વખતે આપેલો, એટલે તેને ઘણું ખોટું લાગ્યું. તેથી તેણીને પણ થોડો વખત તળાવમાં મજૂરી ટોપલા ઉપાડવા પડ્યા.” આ સાંભળી ધન્યકુમાર જૈન ધર્મમાં આસકત થયા, ને છેવટે પોતાના સાળા શાલિભદ્ર શેઠની સાથે દીક્ષા લઈ અનુત્તર વિમાનમાં ગયા, તે વાત શાલિભદ્ર શેઠની કથામાં આપી છે. ૩૬. ઈલાચી પુત્ર-ઇલાવર્ધન નગરમાં જીતશત્રુ રાજાના રાજ્યકાળે ઈભ્ય શેઠના ધારિણી પત્નીથી ઇલાદેવીની પ્રસન્નતાથી જન્મેલા પુત્રનું નામ ઇલાચી પુત્ર પાડ્યું. કળાઓ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી યૌવન પામવા છતાં તેનું મન સ્ત્રીથી વિરકત હતું. તે જોઈ તેના મૂર્ખ પિતાએ અર્થ અને કામમાં કુશળ કરવા હલકા મિત્રોની સોબત કરાવી. એક વખત વસંતઋતુ વનરાજી ઉપર રાજ્ય ચલાવતો હતો. ત્યારે મિત્રો સાથે વનમાં ફરવા ગયો. ત્યાં લેખીકાર નટની પુત્રીને નાચતી જોઈ, તેના ઉપર તેને મોહ ઉત્પન્ન થયો, તે તેણીનું રૂપ જોઈને સ્થિર થઈ ગયો, તેનું મન તેણીમાં ચોંટી ગયું. ત્યાંથી કોઈ રીતે ખસે જ નહીં. નોકરો મુશ્કેલીથી Page #393 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તેને ઘેર લઈ ગયા. તેની આ દશા જોઈ તેના પિતાએ ઘણું પૂછ્યું, ત્યારે તેણે નટપુત્રી ઉપરની પોતાની આસકિત જણાવી. પિતા વિચારમાં પડ્યા- ‘ખરેખર, મેં હલકા લોકોની સોબત કરાવી, તેનું આ ફળ મળ્યું.” પુત્રને ઘણું સમજાવ્યો, પણ તેનું મન ફર્યું નહીં. છેવટે લંખીકાર પાસે જઈ વાત કરી. ત્યારે તેણે કુમારને પોતાની પાસે મોકલવા કહ્યું. ૩૨૦ ઇલાચી પુત્ર લંખીકાર પાસે ગયા. એટલે લંખીકારે કહ્યું કે, “પુત્રી તો ખુશીથી પરણાવું, પરંતુ અમારા ધંધામાં પ્રવીણતા મેળવી રાજા રીઝવી પરીક્ષામાં પાસ થાઓ, તો.’” તેણે એ વાત કબૂલ કરી. તેના પિતાને પણ પુત્રમરણના ભયથી તેને તેઓ સાથે જવા દેવાની ફરજ પડી. ઇલાચીકુમારે બુદ્ધિમાન હોવાથી કળામાં જલદી પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. ફરતાં ફરતાં બેનાતટ નગરમાં મહીપાળ રાજાને પોતાની કળા બતાવવાની ગોઠવણ કરી. ઇલાચીકુમારે અદ્ભુત નટકળા બતાવી, પરંતુ રાજા રીઝે નહીં, ને દાન આપે નહીં, કેમ કે તેનું મન નટપુત્રીમાં ચોંટ્યું હતું. ‘ઇલાચી પુત્ર મરે તો નટપુત્રી પોતે લઇ શકે” એ ધારણાથી તેની પાસે ફરી નવા નવા જોખમી ખેલ વારંવાર કરાવે. તે ઉપરથી ઇલાચી પુત્રે રાજાની મનોદશા જાણી લીધી. તેને પરસ્ત્રી લંપટતા પર કંટાળો આવ્યો અને વિચાર કરતાં આખર વિષયવાસના ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવા લાગ્યો. તેવામાં તેણે દોરડા ઉપરથી નીચી નજરે એક શેઠના ઘરમાં અપ્સરા જેવી ગૃહિણી પાસેથી એક મુનિને વહોરતા જોયા. મુનિરાજની આવી અવિકારી અવસ્થા જોઈ તેને ઘણો જ ભકિતભાવ જાગ્યો અને ભાવના ઉપર ચડતાં કેવળ જ્ઞાન થયું, દેવોએ મહિમા કર્યો અને કેવળી ભગવંતે દેશના આપી. રાજાના પ્રશ્ન ઉપરથી નટ પુત્રી ઉપર પોતાને મોહ થવાનું કારણ સમજાવ્યું કે, “વસંતપુરમાં મદન અને મોહિની નામે એક બ્રાહ્મણ દંપતી રહેતાં હતાં. તેઓએ સદ્ગુરુના ઉપદેશથી શ્રાવક વ્રતો અંગીકાર કર્યાં. તે પાળતાં બન્નેય પરસ્પર એકાકારપણે પ્રેમથી રહેતાં હતાં. ત્યાંથી મરીને દેવલોકમાં ઉત્પન્ન થયાં. મોહિનીએ અજ્ઞાનતાને લીધે કોઈ વખત જાતિ મદ કરેલો હતો. તેથી તે લંખીકાર નટની પુત્રી થઈ અને હું ઈભ્ય શેઠનો પુત્ર થયો. પૂર્વભવના પ્રેમના લીધે મને તેના ઉપર આસિકત થઈ. પરંતુ ધર્મનું આરાધન કરેલું તેથી આખરે ધર્મની પ્રાપ્તિ થઈ. આ સાંભળી રાજા, રાણી, નટપુત્રી વગેરે ધર્મ પામ્યા અને સૌ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. ૩૭. ચિલાતીપુત્ર-ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રહેવાસી યજ્ઞદેવ બ્રાહ્મણ પોતાને પંડિત માની જૈન ધર્મની નિંદા કરતો હતો. તેને એક ક્ષુલ્લક (નાના)સાધુ પોતાના ગુરુ પાસે લઈ ગયા, ત્યાં તે હારી ગયો, ને જૈન ધર્મની દીક્ષા લીધી. શાસનદેવીની સૂચનાથી તે સાધુ ધર્મની ક્રિયા પણ સૌની સાથે સારી રીતે પાળવા લાગ્યા. પરંતુ તેની સ્ત્રીએ વશ કરવા તેના ઉપર કરેલા કામણ પ્રયોગોની અસરથી શરીર દુર્બળ થવાથી મરીને તે સ્વર્ગમાં ગયા. અને તેની સ્ત્રીએ પણ દુ:ખથી દીક્ષા લીધી છતાં કામણ કર્મની આલોચના કર્યા વિના મરીને સ્વર્ગે ગઈ. Page #394 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૨૧ રાજગૃહીમાં ધનસાર્થવાહની ચિલાતીદાસીના પુત્રપણે યાદેવ બ્રાહ્મણ ઉત્પન્ન થયો, તેનું નામ ચિલાતીપુત્ર રાખ્યું. અને તે જ શેઠની સુભદ્રા સ્ત્રીની પુત્રીપણે તેની સ્ત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ સુસીમાં રાખવામાં આવ્યું. સુસીમાને સાચવવા માટે પેલા દાસીપુત્રને નોકર રાખ્યો. જ્યારે જ્યારે એ છોકરી રડે, ત્યારે ત્યારે પેલો નોકર તેનાં સ્ત્રી ચિહન ઉપર હાથ મૂકે, એટલે તે છાની રહી જાય. આ દશ્ય જોઈ શેઠે તેને પોતાને ત્યાંથી કાઢી મૂક્યો. ત્યાંથી છૂટીને તે અનુક્રમે સિંહગુહા નામની ભિલ્લ પલ્લીનો નાયક થયો. ત્યાં તેને સુસીમા યાદ આવવા લાગી. એટલે પોતાના ચાર નોકરોને સાથે લઈ પોતાના જ શેઠને ત્યાં ખાતર પાડવા ગયો. ઠરાવ એવો હતો કે, “જેને જે માલ હાથમાં આવે, તે તેનો. માત્ર સુસીમા ચિલાતીની.” ચોરો ઘરમાં પેઠા, ને શેઠ ભયના માર્યા પાંચ પુત્રો લઈને સંતાઈ ગયા. ચોરો હાથમાં આવ્યું તે લઈને નાઠા, ને ચિલાતીપુત્ર સુસીમાને લઈને ભાગ્યો. શેઠે બહાર નીકળી બુમરાણ મચાવ્યું, એટલે ચોકિયાતો આવી પહોંચ્યા ને સૌ તેની પાછળ પડ્યા. ચોરો ઘન મૂકીને નાસી ગયા અને ચિલાતીપુત્રે પણ સુસીમાનું માથું કાપી હાથમાં રાખી ધડ મૂકીને નાસવા માંડ્યું. - શેઠે ધન તથા સુશીમાનું ધડ જોઈ ઘણા દુઃખી થઈ ઘેર આવી પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી વૈરાગ્યવાસી થઈ દીક્ષા લીધી ને સ્વર્ગમાં ગયો. આ તરફ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા એક મુનિરાજને ચિલાતીપુત્રે “ધર્મ કહો, નહીંતર આ પ્રમાણે તમારું માથું કાપી નાંખીશ” એ ધમકી આપી એટલે મુનિરાજ “ઉપશમ, વિવેક, સંવર” ત્રણ પદો કહીને આકાશમાં ચાલ્યા ગયા. અહીં તે જ સ્થાને ઊભા રહીને તેણે એ ત્રણ પદનો વિચાર કરી અર્થ બેસાડ્યો. એટલે તેનો અર્થ સમજાયો, અને ત્યાં જ તેનો અમલ કર્યો. લોહીથી ખરડાયેલા શરીર ઉપર કીડીઓ ચડી અને શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. અઢી દિવસમાં મૃત્યુ પામીને ચિલાતીપુત્ર સ્વર્ગમાં ગયા. એવા ચિલાતીપુત્રને વંદન હો. ૩૮. યુગબાહુ-પાટલીપુત્રમાં વિક્રમબાહુ રાજાને મદરેખા રાણી હતી અને અતિસાગર મંત્રી હતો. રાણીને સંતાન વિના દુઃખી જાણી રાજાએ કુળદેવીની આરાધના કરી, છેવટે રાણીને યુગબાહુ નામે પુત્ર થયો, પૂર્વભવમાં તેને જ્ઞાનપંચમીની આરાધના કરી હતી. તેના પ્રભાવથી તે શાસ્ત્ર અને શાસ્ત્રકળામાં કુશળ થયો હતો. ભણાવનાર ઉપાધ્યાય અને તેને ત્યાં આવેલ મહેમાનની શાસ્ત્રકુશળ અને વ્રતકુશળની ઉત્તમતા વિષેની ચર્ચા પરથી મુનિરાજની પાસે ખુલાસો પૂછી-પોતે શાસ્ત્ર કુશળ તો હતો, ઉપરાંત વ્રતકુશલ થવા જ્ઞાનપંચમીની આરાધના છ માસ સુધી કરી. એક વખતે ઘણો વરસાદ આવવાથી ગંગાનું પૂર શહેરને ડુબાવી દે, એવો ભય ઉત્પન્ન થયો. તેનું નિવારણ કરવા પિતાની આજ્ઞાથી કુમાર નદીને કિનારે ગયો, ને ત્યાં પિતાની આજ્ઞા પ્રમાણે પૂર રોકવાના ઉપાય તરીકે સોનાનું પૂતળું પૂજીને તેમાં નાંખ્યું. તેવામાં એક સ્ત્રીના રુદનનો અવાજ સાંભળવામાં આવ્યો. તેને બચાવવાનો જ્યાં કુમાર વિચાર કરે છે, તેવામાં તે રોતી જાય અને જળચર Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પંચ પ્રતિકમાણસૂત્રો પ્રાણીઓને હણતી જાય, ને બોલતી જાય કે, “જગતમાં નારી રક્ષક કોઈ ક્ષત્રિય બચ્ચો છે જ નહીં. હે પૃથ્વી ! તું વંધ્યા જેવી જ છો.” આ સાંભળી કુમાર તેને બચાવવા પાછળ પાછળ તણાતો ગયો, તેમ તે સ્ત્રી દૂર દૂર નીકળી જાય. છેવટે તે દૂર-નજરથી બહાર નીકળી ગયો. સમાચાર સાંભળી રાજાને શોક થયો અને મૂછ આવી ગઈ. મંત્રીએ આવી રાજાને શાંત કરવાના શબ્દો કહ્યા, તેથી તેને ઊલટું ખોટું લાગ્યું. પરંતુ સંતોષકારક યોગ્ય શબ્દોમાં આશ્વાસન આપવા જતાં મંગળ વાજિંત્રો વાગવા લાગ્યાં, અને કુમાર આવી પહોંચ્યાના સમાચાર રાજાને મળ્યા. કુમારે આવીને પિતાને પ્રણામ કર્યો. અને નદીમાં પડેલી સ્ત્રી પાછળ ખેંચાવાથી માંડીને બધી વાત નીચે પ્રમાણે કરી : “તણાતાં તણાતાં મને મૂછ આવી ગઈ, ને જાગીને જોઉ છું તો ગંગાના કિનારા ઉપર મને મેં બેઠેલો દીઠો. ત્યાંથી ઊઠીને કલ્પવૃક્ષની પાસેના બગીચામાં સાત માળના મહેલમાં ગયો. ત્યાં છઠે માળે શબ્દવિદ્યા નામે શારદાદેવીની પ્રતિહારી મને મળ્યા અને કહ્યું કે “શારદાદેવી પાસે લાવવા માટે હું જ તમને અહીં સુધી ખેંચી લાવેલી છું.” એમ કહીને મને શારદાદેવી પાસે લઈ જવામાં આવ્યો. દેવી ભગવતીની બન્નેય બાજુએ તર્કવિદ્યા અને સાહિત્ય વિદ્યાઓ ચામર ઢાળતી હતી. દેવીશ્રીએ મને ખોળામાં બેસાર્યો. મેં તેમનો વિનય કર્યો. તેમણે કહ્યું, “કુમાર ! તારા તપથી સંતોષ પામી છું. મારું ક્રીડાવન બતાવવા તને અહીં લાવવા મારી પ્રતિહારીને મેં મોકલી હતી. કુમાર! પૂર્વે પુષ્પપુરમાં એક ગરીબ માણસ ભિક્ષા ન મળવાથી ઝંપાપાત કરવા જતાં એક તપસ્વી ત્રણ જ્ઞાનવાળા મુનિરાજને જોયા. તેમની પાસે જઈ વંદન કરી પૂછવાથી પોતાની દશા કહી સંભળાવી. મુનિરાજે ઉપદેશ આપ્યો કે, “ભલા માણસ ! આ મૂર્ખતા શા સારુ કરે છે ? મુશ્કેલીથી મળેલો મનુષ્યભવ શા માટે નકામો વેડફી નાંખે છે ? પૂર્વભવના પુણ્યને લીધે પ્રાપ્ત થયેલી દરિદ્રતાથી મનુષ્યભવ જેવો ભવ જતો કરે છે ? દરિદ્રતા નિભાવી લે અને એવી કાંઈ સાધના કરે કે જેથી કર્મ તૂટી જાય, અને ભવિષ્યમાં પુણ્ય ઉપાર્જન થઈ અનેક સુખ મળે. અને એના ઉપાય તરીકે જ્ઞાન પંચમીનું આરાધન કર. તપ એ કર્મ તોડવાને માટે તો મજબૂતમાં મજબૂત કુહાડો છે. તારા અંતરાય કર્મનો ક્ષય થવાનો સમય આવી ગયો છે. માટે પંચમીનો જ તપ કરવાથી તારો આત્મા નિર્મળ થવાની તૈયારીમાં છે.” મુનિના આ ઉપદેશથી તે પુરુષે સારી રીતે તપ કર્યો, ને ત્યાંથી મરીને યુગબાહુપણે તું ઉત્પન્ન થયો છે. ખરેખર તું શસ્ત્ર અને શાસ્ત્ર એ બન્નેય કળામાં પ્રવીણ છો.” એમ કહીને મને શત્રુ પરાજય અને ઈષ્ટ પ્રાપ્તિ એ બે મંત્ર આપ્યા. તેવામાં મને આપણા શહેર પાસે ગંગાનદી નદીને કિનારે જોયો, ને ત્યાંથી આપને પ્રમાણ કરવા આવી પહોંચ્યો છું.” પછી કુમાર, માતાપિતા, જૈન ધર્મની ભકિત અને પંચમ્યાદિ તપમાં વધુ આસકત થયો. એક દિવસે એક સ્ત્રીને તેણે રોતી સાંભળી. તરત જ તલવાર લઈ રુદનના સ્વરને અનુસાર વનમાં ગયો. ત્યાં ઝાડ આડે ઊભા રહી તે સ્ત્રીના શબ્દો સાંભળવા લાગ્યો. તેવામાં એક પુરુષે તે Page #396 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૨૩ સ્ત્રીને કહ્યું કે, “હું તારો દાસાનુદાસ થવા તૈયાર છું, છતાં તું મારી સામું પણ નથી જોતી ?” સ્ત્રીએ કહ્યું, “યુગબાહ સિવાય હું કોઈને ચાહતી નથી. આ ભવમાં નહીં મળે, તો ભવાન્તરમાં પણ તે જ મારો પ્રાણનાથ થાય. એમ હું મનથી નિશ્ચય ધરાવું છું.” કુમાર એકદમ વચ્ચે પડ્યો. બન્નેયને યુદ્ધ થયું. પેલાને નાગપાશથી કુમારે બાંધ્યો, ત્યારે શારદાના આપેલા મંત્રથી તે તેણે તોડી નાંખ્યો અને કુમારને ખંભિની વિદ્યાથી બાંધી લીધો. આ બધું જોઈ પેલી સ્ત્રી વિસ્મય પામી. અને “આ યુગબાહ કુમાર હોવો જોઈએ.” એવી રૂપ અને તેજસ્વિતા ઉપરથી સંભાવના કરી. “ખરેખર યુગબાહ કુમારનો ભેટો કરાવનાર આ પુરુષ મારો ઉપકારી ગણવો જોઈએ.” કુમારે પેલાને બંધનથી મુકત કર્યો. એટલે તેણે વિનયથી કુમારને પ્રણામ કર્યા. તેવામાં અચાનક દિવ્યાલંકાર ધારી એક વિદ્યાધર વિમાનમાંથી નીચે ઊતરી આવી કુમારની પાસે આવી કહેવા લાગ્યો : “કુમાર ! વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં આવેલા ગગન વલ્લભના મણિચૂડની મદનવાળી પત્નીથી ઉત્પન્ન થયેલ અનંગ સુંદરી નામે પુત્રી પોતાના ચાર પ્રશ્નોના જવાબ આપે, તેને પરણવાને પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. તેના પ્રશ્નોના ઉત્તર કોઈ પણ આપી શક્યું નહીં. નિમિત્તના જાણકારને પૂછવાથી-“આ ઉત્તરો યુગબાહુ કુમાર આપી શકશે.” તેથી યુગબાહુ કુમાર ઉપર પ્રીતિ ધારણ કરીને અનંગસુંદરી રહી હતી. તેવામાં પરમ દિવસે શંખપુરના રાજા મારા જમાઈ પવનવેગે તેની માંગણી કરી, તેને જવાબો તો ન આવડ્યા, એટલે અનંગસુંદરીને ઉપાડીને નાસી ગયો. તે આ પવનવેગ અને હું આ અનંગસુંદરીનો મામો છું. તેવામાં મણિચંડ પણ આવી પહોંચ્યા તથા રાજા વિકમબાહુ પણ આવી પહોંચ્યા. આ સ્નેહ-મેળાપથી સૌ આનંદ પામ્યા. પવનવેગે ક્ષમા માગી અને યુગબાહનો સેવક થયો. મણિચૂડ સૌને પોતાને ત્યાં લઈ ગયો. ત્યાં યુગબાહ કુમારે ચાર પ્રશ્નોના જવાબ આપ્યા. એટલે બન્નેયનાં લગ્ન કરવામાં આવ્યાં. ૧. પ્રકળાવાન કોણ ઉઠ પુણ્યમાં રુચિધારક. ૨. પ્ર. સદ્દબુદ્ધિશાળી કોણ ? ઉ. દયાળુ. ૩. પ્રભાગ્યશાળી કોણ? ઉ. પ્રિયવાદી. ૪. પ્રવિશ્વ જીતનાર કોણ ઉક્રોધને જીતનાર. પછી વિકમબાહુએ અને મણિચૂડે દીક્ષા લીધી. બન્નેયનું રાજ્ય યુગબાહુ કુમારને મળ્યું. અનંગસુંદરીને રત્નબાહુ નામે પુત્ર થયો. વિકમબાહુઆચાર્ય વિચરતા વિચરતા પાટલિપુત્રનગરે આવ્યા. ધર્મોપદેશ સાંભળી રત્નબાહુને રાજ્ય સોંપી દીક્ષા લઈ તપ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભવ્ય જીવોને બોધ આપી મોક્ષમાં ગયા. ૩૯-૪૦. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ આચાર્ય: આ બન્ને સ્થૂલભદ્ર આચાર્ય મહારાજના મુખ્ય શિષ્ય હતા. આર્યમહાગિરિ આચાર્ય મહારાજ તો મહાન તપસ્વી હતા. પોતાનો શિષ્ય પરિવાર બધો આર્ય સુહસ્તિ મહારાજને સોંપીને પોતે શિષ્યોને વાચના આપતા હતા. અને જિન કલ્પનો Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિચ્છેદ જવાથી તે કલ્પતો નહીં પણ લગભગ તેના જેવી આખી જીવનચર્યા રાખીને તપશ્ચર્યા કરતા વિચરતા હતા. આ આચાર્ય મહારાજાઓના વખતમાં સંપ્રતિરાજાએ જૈન ધર્મ પ્રાપ્ત કરીને જૈન ધર્મની મહાન પ્રભાવનાઓ કરી છે. આચાર્ય મહારાજ શ્રી આર્યસુહસ્તિ સૂરીશ્વરજી મહારાજ આર્ય મહાગિરિ મહારાજની આજ્ઞાના પરમધારક અને મહાવિનયી હતા. પોતાની ભૂલ જલદી કબૂલ કરતા હતા અને તેનો સુધારો કરવામાં જરા પણ આગ્રહ રાખતા નહીં. તે જ રીતે પૂજ્ય આર્ય મહાગિરિ મહારાજ પણ જરા પણ દાક્ષિણ્ય રાખ્યા વિના કડકમાં કડક રીતે શાસ્ત્રનિયમો સમજાવીને શાસનની રીતભાત અને શૈલીનું રક્ષણ કરનાર મહાપુરુષ હતા. એક વખત પાટલિપુત્રના વસુભૂતિ થાવકે પ્રતિબોધ પામી પોતાના કુટુંબને પ્રતિબોધ પમાડવા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સુહસ્તિ મહારાજને વિજ્ઞપ્તિ કરી. તેઓના ઉપદેશથી કુટુંબ પ્રતિબોધ પામ્યું. અને તેઓએ એવો રિવાજ રાખ્યો કે, “આ મુનિ મહારાજાઓ આપણને મોક્ષ માર્ગ દેખાડનારા છે, માટે તેઓની ખૂબ ભક્તિ કરવી.” એ જ કુટુંબમાં એક વખત આર્ય મહાગિરિ મહારાજ પધાર્યા ને ઉપયોગ દઈ વિચારતાં તેમને ગોચરી સદોષ લાગી. ત્યારે ત્યાંથી ન વહોરતાં વસતિમાં જઈ આર્ય સુહસ્તિ મહારાજને શિખામણ આપી કે, “તમારા ઉપદેશથી થયેલા શ્રાવકો અશુદ્ધ ગોચરી વહોરવા તૈયાર થાય છે.” ત્યારે આચાર્ય મહારાજે ક્ષમા માંગી અને કહ્યું કે, “હવેથી ફરીથી એમ નહીં કરું.” એક વખત જીવંત સ્વામીની પ્રતિમાની રથયાત્રા જેવા બન્નેય આચાર્ય મહારાજાઓ અવંતી નગરીમાં આવ્યા. રથયાત્રા જેવાને ઝરૂખામાં બેઠેલા ત્યાંના સંપ્રતિ રાજાને આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજને દેખીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તુરત જ આવીને ત્રણ પ્રદક્ષિણા દઈ આચાર્ય મહારાજને વંદન કર્યું, અને પૂછયું કે, “પ્રભો ! જૈન ધર્મનું ફળ શું?” “સુપફવા ફળ અમૃત. બાકી અપફવ તો કલ્પનામાંયે ન આવે તેટલાં હોય છે.” “અસ્કૃષ્ટ સામાયિકનું ફળ શું?” “સામાયિકના ફળની સંખ્યા થઈ શકતી નથી. પરંતુ અસ્પૃષ્ટ સામાયિકથી રાજ્ય પ્રાપ્ત થાય છે.” આપે મને ઓળખ્યો?” ગુરુ મહારાજાએ ઉપયોગ મૂકીને કહ્યું કે, “હા. ઓળખાણ પડે છે, એક વખત અમો પૂજ્ય આર્ય મહાગિરિ મહારાજ સાથે કૌશાંબીમાં ગયા હતા. ત્યાં સાધુઓને ઉત્તમ ભિક્ષા મળતી જોઈ, એક રેકે તેમાંથી અન્નની માંગણી કરી હતી. પરંતુ સાધુએ “ગુરુની આજ્ઞા વિના તે આપી શકાય નહીં.” એમ કહ્યું. રેકે ગુરુ પાસે આવીને માંગણી કરી. ગુરુએ કહ્યું-“તું દીક્ષા લઈ અમારા જેવો થાય, તો તને જરૂર આ ખાવાનું મળે.” તે રકે દીક્ષા લીધી. પછી તેને સાધ્વી પાસે મોકલતાં સાધ્વીજીઓએ Page #398 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૨૫ તથા શેઠાણીઓએ અને તેની પુત્રીઓએ તેને વંદન કર્યું. આ બધું જોઈ તે રંકને મનમાં ઘણી ખુશી ઉત્પન્ન થઈ. પરંતુ તેવા પ્રકારના આહારને યોગે અજીર્ણ થવાથી તેને ઘણી પીડા તઈ. ગુરુએ તેને આરાધના કરાવી. તેમજ સગૃહસ્થ થાવક-શ્રાવિકાઓએ પણ તેની ઘણી ભક્તિ કરી. તેથી તેની અનુમોદના કરતાં તે મરણ પામ્યો. રાજન! તે રંકનો જીવ તે તમે, અને તેને દીક્ષા આપનારા અમે.” આ સાંભળી રાજાએ આ ભવમાં પણ તેમને જ પોતાના ગુરુ તરીકે નકકી કર્યા. અને તેમના ઉપદેશથી જૈનધર્મ પ્રાપ્ત કરી તેનું સારી રીતે આરાધન કર્યું. તેની રાજ્યસમૃદ્ધિ ઘણી વધી. પચાસ હજાર હાથી, એક કોડ ઘોડા, સાત ક્રોડ સૈનિકો, નવક્રોડ રથ, તેના લશ્કરમાં હતા. અને આઠ હજાર રાજાઓ તેની સેવા કરતા હતા, કેમ કે ત્રણ ખંડમાં તેણે પોતાનું રાજ્ય ફેલાવ્યું હતું. તે ઘણી વખત સંઘ સાથે ચૈત્યયાત્રા કરતા હતા. ફરીથી શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજા અવંતિમાં આવ્યા, તે વખતે પણ રાજાની મદદથી શ્રી સંઘે મોટી રથયાત્રા કાઢી, ત્યારે રથ શ્રાવકો જાતે ખેંચતા હતા. રથયાત્રામાં બોલાવાયેલા પોતાના ઉપર ખરી ભક્તિ રાખનારા એ તમામ રાજાઓને સાધુઓના ઉપાસકો થવાની ભલામણ કરી. તેમના આ કથનથી આયે દેશના રાજાઓ તો જૈનધર્મના ઉપાસક થયા. ત્યારે તેણે અનાર્ય દેશ તરફ પોતાની નજર દોડાવી, ને સાધુઓનો વેષ પહેરાવી શ્રાવકોને તે પ્રદેશમાં સાધુઓ અને તેના આચારવિચારનો પરિચય આપવા મોકલ્યા, ને કહ્યું કે, “બરાબર સાધુઓના આચાર પ્રમાણે વર્તશે, તેને બમણો ગરાસ આપીશ, ને બરાબર નહીં વર્તે તેનો ગરાસ જશે.” નિર્વાહ પૂરતા પૈસા પાસે રાખીને અનાર્ય દેશમાં તેઓ ગયા. સંપ્રતિ રાજાના ગુરુઓ માનીને લોકોએ તેમનો ઉપદેશ સાંભળ્યો. તેમજ શુદ્ધ અન્નપાનાદિથી ભક્તિ કરી. અને તેઓએ પૂછયું કે “તમારા ગુરુ કોણ ?' ત્યારે શ્રાવકોએ કહ્યું કે, “આચાર્ય સુહસ્તિ મહારાજ”. આ ઉપરથી રાજાને આનંદ થયો. આચાર્ય મહારાજના શિષ્યોએ પણ એ દેશોમાં વિહાર કર્યો કૃત્રિમ સાધુ થયેલા શ્રાવકો પણ દીક્ષા લઈ ખરા સાધુઓ થયા, પણ વેષ છોડ્યો નહીં. મહારાજના ઉપદેશથી રાજાએ દાનશાળા મંડાવી. જિનભવન, જિનબિંબ, આગમ અને ચતુર્વિધ સંઘ એ સાતેય ક્ષેત્રોમાં હરિષણે ચક્રવર્તીની જેમ ધન વાપર્યું ને ઠેર ઠેર જિનમંદિરો બંધાવ્યાં. દાનશાળામાં વધતો ખોરાક રસોઈયા પોતાને ઘેર લઈ જતા હતા. તેને રાજાએ કહ્યું કે, “તમો જે ખોરાક લઈ જાઓ છો, તે શુદ્ધ આહાર છે. માટે સાધુઓને વહોરાવો, તો તમને પણ લાભ થશે. તમારા નિર્વાહ માટે હું તમને જોઈએ તેટલું આપીશ.” દાનશાળાના નોકરો આ પ્રમાણે પોતાને ઘેર લઈ જઈ આ ખોરાક શુદ્ધ જાણીને સાધુઓને વહોરાવવા લાગ્યા. “આ આહાર અશુદ્ધ છે.” એમ આચાર્ય મહારાજ સુહસ્તિગિરિ જાણતા હતા છતાં, સાધુઓ ઉપરના રાગને લીધે આ ટાળી શકતા નથી.” એવી આર્યમહાગિરિ મહારાજને ખબર પડી. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ પંચ પ્રતિકમાણસૂત્રો “આ દાનશાળાનો આહાર દોષિત છે, અને સાધુનેન કલ્પે, એમ જાણતાં છતાં તે લેતાં સાધુઓને તમો કેમ અટકાવતા નથી ? તેમાં આધાકર્મ, દેશિક, પૂર્વ કર્મ, મિથ જાતિ, સ્થાપના, પ્રાભૃતદોષ વગેરે દોષો લાગે છે.” એમ ઠપકો આપ્યો. આર્ય સુહસ્તિ મહારાજ બોલ્યા-“ભકિતથી લોકો વહોરાવે છે, અમે આપવા કહેલ નથી, વળી બીજા માટે થાય છે, તેમાંથી વધેલું સાધુઓ વહોરે છે. નથી તેમાં મુનિની પ્રેરણા, નથી તેમાં મુનિનો ઉદ્દેશ નથી તેમાં મુનિની અનુમોદના. ગૃહસ્થ કરેલો ત્રિકરણ શુદ્ધ લાગે છે, પછી દોષ શો ?” ગુર બોલ્યા- “શાંત પાપ” એમાં દોષ શો ?” એમ બોલતાં તો અધોગતિ થાય. જળ પણ જુદું વાપરનાર સાધુઓને સમાચાર પ્રમાણે જ વર્તવાનું કહ્યું છે. તેથી વિરુદ્ધ વર્તવામાં અધોગતિ થાય !” આ સાંભળી આર્ય સુહસ્તિગિરિ નમ્રપણે ગુરુનાં ચરણમાં નમ્યા અને ક્ષમા માગી તથા હવે તે પ્રમાણે ન વર્તવા જણાવ્યું. ગુરુએ કહ્યું- “આમાં તમારો દોષ નથી, પરંતુ દુઃષમ કાળનો પ્રભાવ છે.” એમ કહીને સારી રીતે બોધ આપ્યો. પછી તે બન્નેય અવંતિ નગરીમાં શ્રી જીવંત સ્વામીની પ્રતિમાને વંન્ન કરવા ગયા. ત્યાંથી ગજપદ તીર્થે ગયા. ત્યાં અનશન કરી શ્રી મહાગિરિ આચાર્ય મહારાજ સ્વર્ગમાં ગયા, ત્યાંથી મોક્ષમાં જશે. શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજ પણ પ્રતિબોધ આપતા કેટલોક વખત વિચર્યા અને પછી સ્વર્ગમાં ગયા, ત્યાંથી મોક્ષમાં જશે. ૪૧. આરક્ષિત સૂરિ-આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ મહાન શાસન પ્રભાવક થયા છે અને તેમણે પોતાના કુટુંબને પણ તાર્યું છે. ચાર અનુયોગે તેમણે જુદા કર્યા અને દરેક નયો ઉતારવાનું સામાન્ય રીતે દરેકને માટે બંધ કર્યું. તેઓશ્રીની સામાન્ય હકીકત શ્રી વજસ્વામી મહારાજના ચરિત્ર પ્રસંગે આપેલી છે, છતાં અહીં કંઈક વિસ્તારથી આપીએ છીએ. તેમનું જન્મ સ્થાન - દશપુર નગર ભાઈ – ફલ્યુ રક્ષિત માતા - રુસોમાં દીક્ષા ગુરુ - તોસલિપુત્ર આચાર્ય પિતા - સોમદેવ બ્રાહ્મણ પૂર્વોની વિદ્યાના ગુરુ - શ્રી વજસ્વામી જનોઈ દીધી ત્યાં સુધી પિતા પાસે અભ્યાસ કર્યો. પછી પાટલિપુરમાં જઈ વિશેષ અભ્યાસ કર્યો, ને પાછા આવતાં દશપુરના રાજાએ હાથી ઉપર બેસારી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો ને ધન આપ્યું. એક દિવસે તેને વિચાર આવ્યો કે, “અરે ! હું ભણીને તો આવ્યો. પરંતુ માતાના ચરણમાં નમસ્કાર પણ ન કર્યો. કેટલી ભૂલ થઈ ?” એમ વિચારી, જઈને માતાનાં ચરણમાં નમસ્કાર કર્યો. Page #400 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૨૭ માતાએ “દીઘયુ થાઓ,” એવો આશીર્વાદ આપ્યો. પરંતુ તેથી કાંઈ પુત્રને સંતોષ ન થયો, માતાનું ચિત્ત તેને જોઈએ તેવું પ્રસન્ન ન લાગ્યું. ફરીથી જઈને પૂછયું “માતાજી ! હું આવો વિદ્વાન્ થઈને આવ્યો અને રાજ્યમાન્ય થયો છતાં આપની પ્રસન્નતા કેમ જણાતી નથી ?” માતાએ કહ્યું – “પુત્ર, તારી આ વિદ્યા કુવિદ્યા છે. આ વિદ્યાથી હેય, ઉપાદેય, ય, તત્વનો બોધ યથાર્થ થતો નથી, પરોપકાર થતો નથી. બીજાનું દુઃખ હરાતું નથી. માટે આવી ભારભૂત વિદ્યા શા કામની ?” “માતાજી! હું કયા શાસ્ત્રનો અભ્યાસ કરું, તો આપને હર્ષ થાય?” પુત્ર! તું જૈન મુનિઓનો શિષ્ય થા. અને દષ્ટિવાદ સૂત્રનો અભ્યાસ કર. તો તું ખરો ભક્તિવંત પુત્ર છો, એમ માનું.” સવારમાં વહેલા ઊઠીને આર્યરક્ષિત જેવા ઘરની બહાર [પાઠા-નગરની બહાર] નીકળ્યા કે, તેના પિતાના મિત્ર પરામાં રહેતા મહાદ્ધિજે સાડા નવ શેરડીના સાંઠા તેને ભેટ આપવા માંડ્યા, તે તેણે લીધા અને તે માતાને ઘરમાં સોંપવાની તે જ બ્રાહ્મણને ભલામણ કરીને આગળ ચાલ્યા. માતાએ એ નિમિત્ત ઉપરથી માની લીધું કે, “શુકન પ્રમાણે પુત્ર આર્યરક્ષિત સાડા નવ પૂર્વ ભણશે.” હવે આ તરફ આર્યરક્ષિત ઈશ્વ વનમાં આચાર્ય મહારાજની વસતિ પાસે આવી પહોંચ્યા. તેઓને શિષ્યોને માલવકી પ્રમુખ શીખવતા સાંભળ્યા. પરંતુ પોતે જૈન મુનિ પાસે જવાનો વિધિ ન જાણતા હોવાથી કોઈ આવનારની થોડીવાર રાહ જોઈ રહ્યા. તેવામાં ઢઢર નામે શ્રાવક આવ્યા, તેમણે નિશીહિ કહી, ગુરુને અને મે સૌ સાધુ મુનિરાજને વંદન કર્યું, અને પછી પ્રમાર્જના કરી ગુરુ સન્મુખ બેઠા. આર્ય રક્ષિતે પણ બધું તે પ્રમાણે કર્યું. પરંતુ “ગુરુવંદન બાદ નાના શ્રાવકે મોટા શ્રાવકને પ્રણામ કરવા જોઈએ.” એ વિધિ તેમના ધ્યાનમાં ન હોવાથી, તેમણે તે પ્રમાણે કર્યું નહીં. ગુરુ સમજી ગયા કે “આ યુવાન નવા આગંતુક છે” એટલે તેમનો પરિચય મેળવવા પ્રશ્ન કર્યો. “શ્રાવક! તારો ગુરુ કોણ ?” હે પ્રભો ! આ શ્રાવક મારા ગુરુ છે.” કયાંથી આવો છો.” “દશપુરમાંથી. માતાની ઈચ્છાને માન આપી, આપની પાસે દષ્ટિવાદ ભણવા આવ્યો છું.” Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો વગેરે હકીકત સવિસ્તાર કહી. “દીક્ષા લીધા વિના દષ્ટિવાદ ભણી શકાતું નથી.” “તો આપો દીક્ષા.” ગુરુએ દીક્ષા આપી. દીક્ષા લઈ ગુરુ મહારાજ સાથે વિચરતાં અગિયાર અંગોનો તો અભ્યાસ તેણે કરી લીધો. ત્યારે ગુરુ મહારાજાએ દષ્ટિવાદ ભણવા શ્રી વજસ્વામી પાસે જવા કહ્યું. ત્યાંથી નીકળી મહાપુર નગર થઈ ઉજજ્યની નગરીમાં રહેલા ભદ્રગુપ્તાચાર્ય મહારાજને મળ્યા. ગુરુમહારાજ તેને ઓળખીને બહુ ખુશી થયા ને કહ્યું- “તું બ્રાહ્મણપણું છોડી સાધુ થયો, તે સારું કર્યું. હું તો વૃદ્ધ થયો છું. અને અનશન કરવાની ઈચ્છા રાખું છું. માટે મને નિર્ધામણા (અંતિમ આરાધના) કરાવ. ને પછી દષ્ટિવાદ શીખવા શ્રી વજસ્વામી પાસે જજે. ત્યાં તેમની પાસે દષ્ટિવાદ ભણજે. પરંતુ જુદી વસતિમાં ઊતરી જુદી જ ગોચરી કરજે, કેમ કે શ્રી વજસ્વામી સાથે જેટલા આહાર કરશે. તે દરેક તેમની સાથે અનશન વ્રત આદરશે. તેથી શાસનમાં કોઈ સમૃદ્ધ પુરુષ રહેવા ન પામે.” આ તરફ શ્રી વજસ્વામી ભગવંતને સ્વપ્ન આવ્યું કે, “કોઈક માણસ આવીને મારી પાસેથી બધું દૂધ પી ગયો. ને થોડું બાકી રહ્યું.” તે સ્વપ્ન અને તેનો શાસ્ત્રાનુસારી અર્થ ગુરુ મહારાજે સવારમાં શિષ્યોને કહ્યો હતો કે, “આજે કોઈક આવીને મારી પાસેથી દશપૂર્વમાં કાંઈક ન્યૂન શીખી જશે.” તેવામાં જ આર્યરક્ષિત આવ્યા અને નિસીહિ કહી અંદર આવી આચાર્ય ભગવંતને વંદન કર્યું. આગમન પ્રયોજન પૂછતાં જણાવ્યું કે, “શ્રી ભદ્રગુપ્ત ગુરુમહારાજે આપની પાસે દષ્ટિવાદ શીખવા મોકલ્યો છે.” શ્રી આચાર્ય ભગવંતે તેમને પૂર્વોની વિદ્યા શીખવવા માંડી. આર્યરક્ષિત મુનિ જુદા ઉપાશ્રયમાં ઊતરેલા હતા અને રોજ શીખી જતા હતા. નવપૂર્વ પૂરા થયા. અને દશમા પૂર્વનો કઠિન યમક શીખતા હતા, ત્યાં પિતાનો સંદેશો આવ્યો કે “અમો તમારા વિના દુઃખી છીએ, માટે આવીને અમને સંતોષ પમાડો.” એટલે તેમણે જલદી જલદી દશમું પૂર્વ શીખવવાની શરૂઆત કરી. તેવામાં નાનો ભાઈ કુલ્લુરક્ષિત તેડવા આવ્યો, અને કહ્યું કે, “હવે જલદી ચાલો. માતાપિતા તમને જેવાને ઉત્સુક છે, અને તમારી પાસે દીક્ષા લેવાની ઈચ્છા બીજા પણ ઘણા સંબંધીઓની છે.” આ ઉપરથી તેણે પોતાના નાના ભાઈને તો ત્યાં જ દીક્ષા આપી અને જવાની ઉતાવળને લીધે આચાર્ય ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભો ! હવે કેટલું બાકી છે ?'' ગુરુ મહારાજે કહ્યું કે, “વત્સ ! દશમું પૂર્વ તો સમુદ્ર સમાન છે. તેનું બિંદુ માત્ર તું શીખ્યો છે. હજુ તો ઘણું બાકી છે.” આ ઉપરથી આર્ય રક્ષિત મુનિએ વિચાર્યું કે, “સાડા નવ પૂર્વથી વધારે ભણવાનું મારા નસીબમાં નથી. કેમકે, સાડા નવ શેરડીના સાંઠાના નિમિત્તે પ્રથમથી જ એ સૂચના આપેલી છે.” શ્રી વજસ્વામી મહારાજે તેમને આચાર્યપદ આપ્યું. અને ત્યાંથી નીકળી દશપુર આવ્યા. રાજાએ મહોત્સવ કર્યો. અમૃતમય ઉપદેશ સાંભળી, સૌ આનંદમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે, “અહો ! Page #402 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૨૯ આવો ઉપદેશ આગળ કદી સાંભળ્યો નથી.” રાજા જૈન થયો. માતા અને બહેને પણ દીક્ષા લીધી. સોમદેવ પિતાએ વૈરાગ્ય પામી, ચારિત્ર લીધું પણ શરત એ કરી કે, “મારા પરિચિત પ્રદેશમાં મારાથી તમારી જેમ રહી શકાશે નહીં. મને બે વસ્ત્ર, કુંડી, છત્રી, જેડા અને જનોઈ રાખવાની છૂટ આપો, તો દીક્ષા લઉં.” ગુરુએ દીર્ઘ વિચાર કરી છૂટ આપી પણ ખરી. એકવખત પોતે જિનેશ્વર પ્રભુનાં દર્શન કરવા ગયા, તે વખતે શ્રાવકોનાં નાનાં બાળકોને શિખવાડ્યા પ્રમાણે તે બાળકોએ નીચે પ્રમાણે કર્યું : બાળકો વસતિમાં જઈ દરેક મુનિને વંદન કરી અંદર અંદર વાતચીત કરવા લાગ્યા કે, “આવા સાધુને આપણાથી ન વંદાય.” બીજે કહે, “કેમ ?” સાધુને લાયક તેનો વેષ કયાં છે?” આ સાંભળી સોમદેવ મુનિ બોલી ઊઠ્યા કે – “શું હું સાધુ નથી ?” “તમો ગૃહસ્થને લાયકનાં ઉપકરણો રાખો, ને સાધુ શી રીતે કહેવાઓ ?” તેથી ધોતિયા સિવાયની બધી વસ્તુઓ છોડી દીધી. એક તપસ્વી સાધુ અનશન કરી મૃત્યુ પામ્યા. ત્યારે તેનું કલેવર વોસિરાવવા માટે આચાર્ય મહારાજે ધર્મોપદેશ આપ્યો કે, “મૃત સાધુનું કલેવર ઉપાડીને વોસિરાવે, તેને ઘણું પુણ્ય થાય, અને મુકિત પામવા યોગ્ય ગણાય.” એ સાંભળી સોમદેવ મુનિ બોલ્યા કે, “એ કામ હું કરીશ.” ત્યારે ગુરુએ કહ્યું કે, “મૃત કલેવરને ઉપાડનારને વિનો આવે છે, તેથી ડગવાનું નહીં.” ત્યારે તેમણે કહ્યું કે, “બિલકુલ નહીં ડગું.” મૃત કલેવર ઉપાડી મુનિ ચાલ્યા. ત્યારે શીખવી રાખેલા શ્રાવકનાં બાળકોએ ધોતિયું ખેંચી લીધું. એટલે ગુરુએ કહ્યું કે “અરે સાધુઓ ! એને એક વસ્ત્ર પહેરાવો.” ત્યારે સોમદેવ મુનિએ કહ્યું કે, “હવે પહેરાવો તોયે શું ? જે અંગ ખુલ્લું થવાનું હતું તે થઈ ચૂકયું. હવે હું ચોલપટ્ટો પહેરીશ.” આ બધું છતાં તેઓ શરમને લીધે ભિક્ષા લેવા જતા નહીં. ત્યારે ગુરુ મહારાજે ફરી યુક્તિ કરી. પોતે બહારગામ જિન પ્રભુનાં દર્શન કરવા નિમિત્તે ગયા અને સાધુઓને સૂચના કરી કે, “તમારે તેમને ગોચરી ન લાવી આપવી.” બે ત્રણ દિવસના કડાકા થયા. ગુરુ આવ્યા અને સાધુઓને ઠપકો આપ્યો કે, કેમ ગોચરી ન આપી ?' મુનિઓએ કહ્યું કે, “તે પોતાની મેળે કેમ લાવતા નથી ?” Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો ત્યારે સમજાવીને ગુરુએ પાસેનાં ઘરોમાંથી ગોચરી લેવા મોકલ્યા. શરમ છતાં ભૂખ અને ગુરુની શરમથી ગયા અને પાછલી જ બારીએથી પેઠા. સાથેના મુનિઓના સમજાવવાથી આશ્ચર્ય પામેલા ગૃહસ્થ સમજ્યા કે, “લક્ષ્મી પાછલે બારણેથી આવે, તો પણ સારી.” હર્ષ પામી મોદક વહોરાવ્યા. તે ગુરુને બતાવ્યા, ગુરુએ સમજાવીને બીજા સાધુઓને વહેંચી દેવરાવ્યા. ફરીથી તેમને તેઓને મોકલ્યા ત્યારે ખીર વહોરી લાવી પારણું કર્યું. પછી તો રોજ ગોચરી જવા લાગ્યા. અહીં વિશેષ એ પણ હકીકત છે કે, તે મોદક ૩ર હતા. તે નિમિત્ત ઉપરથી “સોમદેવ મુનિને ૩૨ શિષ્યો થશે અને તેનો પરિવાર ખૂબ ફાલશે ફૂલશે.” ત્યાર પછી આચાર્ય મહારાજ પાટલિપુત્ર ગયા અને ત્યાંના ચંદ્ર રાજાને પ્રતિબોધ આપ્યો. તે જૈન ધર્મ થયો. અનુક્રમે આચાર્ય મહારાજ સ્વર્ગે ગયા. [પાટલિપુત્રનો આ ચંદ્ર રાજા કોણ?] ૪૨. ઉદયન રાજર્ષિ: એક વખત પ્રભુ મહાવીર દેવ રાજગૃહી નગરીએ સમવસર્યા ત્યાં દેશના સાંભળવા આવેલા અભય કુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈ તેમને વિષે પ્રભુને પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે, “એ છેલ્લા રાજર્ષિ છે. તેઓ સિંધુ સૌવીરદેશના વીતભય નગરના ઉદયન રાજા છે. તેમના પટ્ટરાણી ચેટક રાજાની પુત્રી, પ્રભાવતી હતાં. એ શહેરમાં એક કુમાર નંદી નામની સ્ત્રીલોલુપ સોની રહેતો હતો. તે ઘણી સ્ત્રીઓ પરણ્યો હતો. છતાં બે દેવાંગનાઓને જોઈ તેઓને પરણવાનું મન કર્યું. ત્યારે તેઓએ કહ્યું કે, “અમો તો પંચ શેલ દ્વિીપમાં રહેનારી હાસા અને પ્રહાસા નામની દેવીઓ છીએ, તમારે અમારી જરૂર હોય તો ત્યાં આવીને અમારા પતિ થવું.” પછી એક ઘરડા અનુભવી નાવિકે પોતાનાં બાળકો માટે ઈચ્છિત ધન મેળવીને તેને પંચ શૈલની પાસે લઈ ગયો અને કહ્યું કે, “કિનારે એક વડનું ઝાડ આવશે તેની નીચે આપણું વહાણ જાય કે તરત તેની વડવાઈ પકડી લેવી. અને તે વહાણ જરા આગળ જઈને ભમરીમાં પડીને નાશ પામશે. પછી વૃક્ષ ઉપર રાત્રે રહેલા ભારંડ પક્ષીઓના પગ પકડીને પંચ શૈલ દીપે જવાશે.” તેણે તે પ્રમાણે કર્યું. તેને હાસા પ્રહાસા મળી પણ ખરી. પણ કહ્યું કે, “આ શરીરે નહીં, તું અગ્નિમાં પડીને દેવ થઈ અમારો પતિ થા.” એમ કહી તેને પોતાને ઘેર મૂકયો. પેલો અગ્નિમાં પડી મર્યો, અને દેવ થઈ તેનો પતિ થયો. હવે નાગિલ નામનો તેનો સોબતી વહાણ ભાંગવાથી તરીને બહાર આવી દીક્ષા લઈ ઘર્મ પાળી બારમા દેવલોકે દેવ થયો. બારમા દેવલોકના ઈંદ્ર નંદીશ્વર દ્વીપની યાત્રા માટે નીકળ્યા. ત્યારે હાસા-પ્રહાસાના પતિને ગળે ઢોલ વળગવા લાગ્યો તેણે ઘણી વાર દૂર ધકેલ્યો; પણ તે છૂટ્યો નહીં. કેમકે, તે એ જાતિનો કિબીપિક દેવ થયો હતો. એ દેવો દેવ જાતિમાં અંત્યજ દેવો ગણાય છે. તેને વાદ્ય વગાડતો જોઈ પેલા નાગિલના જીવ દેવે તેને ઓળખ્યો, અને તેની સ્થિતિ પૂછી, ત્યારે તેણે “બહુ દુઃખી છું” એમ જણાવ્યું. Page #404 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૩૧ નાગિલના જીવ દેવે કહ્યું-“શ્રી દેવાધિદેવ મહાવીર પરમાત્મા અત્યારે જે સ્થળે હોય, તેની દેહ પ્રમાણ પ્રતિમા કરાવી, તેની પૂજા કરે, અને ચાલુ પૂજા કરાવે તો આ તારા કર્મથી તારો નિતાર થાય” તેણે તે પ્રમાણે કરીને પ્રતિમાને પેટીમાં પેક કરી કોઈ વહાણવટી સાથે વીતભય નગરે મોકલી. ત્યાં તે પેટીને પ્રભાવતી રાણી સિવાય કોઈ ઉઘાડી શક્યું નહીં. રાણી એ પ્રતિમાને મંદિરમાં પધરાવી રોજ પૂજા કરતી હતી અને રાજા વાજિંત્ર વગાડતો હતો. જે રંગનાં વસ્ત્ર મંગાવ્યાં હતાં તે દાસી લાવી છતાં પોતાને તે જુદા રંગનાં લાગવાથી મૃત્યુ નજીક જાણી રાણીએ પ્રભુ મહાવીર દેવ પાસે દીક્ષા લીધી. અને કુબડી દાસીને પૂજા ભણાવી, દીક્ષા પાળી, રાણી દેવલોકમાં ગયાં. પણ રાજાને પ્રતિબોધ આપવા આવવાનું વચન આપ્યું હતું. તે પ્રમાણે તેણે પ્રયત્ન કર્યો. તાપસનું રૂપ લઈ તાપસાથોમાં રાજાને લઈ જઈ મારની બીક દેખાડી જૈન મુનિઓને શરણે લઈ જઈ જૈન ધર્મ પમાડ્યો. ત્યારથી રાજા પણ જૈન ધર્મી થઈ દેવાધિદેવની પૂજા કરતા હતા. ગંધાર નામના શ્રાવક યાત્રા કરવા નીકળેલા, તે માંદા પડવાથી કુબડી દાસીએ તેની સારી સેવાચાકરી કરી, એટલે તેમણે પોતાની પાસેની ચમત્કારિક ગોળીઓ ખુશી થઈને આપી. તેમાંની એક ગોળી ખાવાથી કુબડી રૂપવતી થઈ ગઈ. કોઈના કહેવાથી તેને ખાતરી થઈ કે “મારા રૂપને યોગ્ય ઉજજયનીનો ચંડપ્રદ્યોત રાજા છે.” તેથી તે સમાચાર ત્યાં પહોંચાડ્યા. અનલગિરિ હાથી પર બેસીને રાતોરાત આવી રાજા બીજી પ્રતિમાને મૂકીને મૂળ પ્રતિમા સહિત દાસીને પોતાને ત્યાં લઈ ગયો. અનલગિરિ જેવો મહાહાથી આવી જવાથી રાજાના હાથીના મદ ઊડી ગયેલા હોવાથી ચંપ્રદ્યોતના આવવાનું અનુમાન કરી તેના પર ચડાઈ કરી. હરાવીને બાંધીને વીતભય તરફ ચાલ્યા. દાસી નાસી ગઈ અને પ્રતિમાજી ત્યાંથી ખસ્યાં નહીં, ત્યારે પ્રભાવતી દેવે કહ્યું કે, “રાજન્ ! તમારા મૃત્યુ બાદ વીતભય ધૂળથી દટાશે. માટે આ પ્રતિમાજીને અહીં જ રહેવા દો.” [જેના દર્શન માટે આર્ય મહાગિરિ અને આર્યસુહસ્તિ મહારાજ આવ્યા હતા ત્યાં સુધી જીવંત સ્વામીના પ્રતિમા ઉજ્જયનીમાં હતા એમ સમજાય છે.] તે પરથી રાજાએ તે પ્રતિમાજી ત્યાં જ રહેવા દીધા. અને પ્રદ્યોતના કપાળમાં “દાસીનો પતિ" એવા અક્ષરો ડામથી પડાવ્યા. માર્ગમાં ચોમાસામાં દશ રાજાઓ સહિત માળવાના પ્રદેશમાં પડાવ નાંખ્યો. ત્યાં દશપુર નગર વસ્યું. પજુસણમાં રાજાને ઉપવાસ હોવાથી પ્રદ્યોતને પૂછવા રસોઈયો ગયો. ત્યારે તેણે પણ ઉપવાસ હોવાનું જણાવ્યું. આ વાતની રાજાને ખબર પડી, એટલે સાધર્મિક સમજીને તેણે તેને છોડી મૂક્યો. ખમત ખામણાં કરી રાજ્ય પાછું આપ્યું અને સોનાનો પાટો બાંધી પેલા અક્ષરો દબાવી માનપૂર્વક વિદાય આપી. એક વખત મનોરથ કરતાં કે, “જે પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉ” તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા. (ઘણે ભાગે રાજાના મનોરથ જ્ઞાનથી જાણીને લાભાલાભને કારણે લાંબો વિહાર કરીને Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો પધારેલા હતા.) ને દેશના સાંભળી દીક્ષા લીધી.” એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. “રાજ્યને નરકનું કારણ સમજી પોતાના પુત્રને રાજ્ય ન આપતાં તેઓએ ભાણેજને આપ્યું હતું. તેઓ-રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા, ભાણેજે ભક્તિ કરી પણ “પાછું રાજ્ય લેવાની ઈચ્છાથી આવ્યા છે,” એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીંમાં વિષ આપ્યું. દેવે બે વાર તે સંહરી લીધું અને દહીં ખાવાની ના પાડી. છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શકયા નહીં. એક વખત દેવની ગફલતથી ભાવિ ભાવને લીધે વિષ શરીરે ચડ્યું. વિષ તો ખાસ અસર ન કરી શકયું. પરંતુ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પામી આયુ સમાપ્ત થયે, મોક્ષમાં ગયા. પ્રભાવતી દેવ પણ મોક્ષમાં જશે. ૪૩. મનકકુમાર : એક વખત દશવૈકાલિક સૂત્રના કર્તા આચાર્ય શવ્યંભવ સૂરીશ્વરજી મહારાજા બહાર થંડિલ જતા હતા. સામે એક બાળકે આવીને પૂછયું કે, “શગંભવ આચાર્ય મને ક્યાં મળશે ?” આચાર્યું તેને પોતાની ગર્ભિત ઓળખાણ આપી અને આવવાનું કારણ જાણી લીધું. પરંતુ પોતાનો સંબંધ જાહેર ન કરવા તેને સમજાવી ઉપાશ્રયે લાવી દીક્ષા આપી. સૂરિજીએ જ્ઞાનથી જાણ્યું કે, “મનનું આયુષ્ય અલ્પ છે અને તેટલા વખતમાં તે ભણે શું ? તેને બોધ શી રીતે થાય ? અને ચારિત્રમાં રસ શી રીતે જામે ?” આ વિચારથી તેઓએ પૂર્વમાંથી ઉદ્ધરીને સાંજને સમયે વિકાળે પણ ભણી શકાય તેવું દશ અધ્યયનવાળું દશ વૈકાલિક સૂત્ર રચ્યું અને સારરૂપે તે મનફને ભણવા આપ્યું. મનનો વૈરાગ્ય સ્થિર થયો, અને દરેક સાધુઓની ભક્તિ કરતાં તેને આરાધના થઈ છ માસમાં મૃત્યુ પામી સ્વર્ગમાં ગયો. તેના અગ્નિસંસ્કાર બાદ સંઘને ઉપદેશ આપતાં આચાર્યની આંખમાં સહેજ આંસુ આવ્યાં સંઘે આંસુ પાડવાનું કારણ પૂછયું. આચાર્ય મહારાજે જણાવ્યું કે, “મનફ અમારો સંસારી પુત્ર હતો. તે તેવી રીતે ?” તે બધો સંબંધ પોતાનો કહ્યો : “રાજમાન્ય બ્રાહ્મણ હતો. મોટો યજ્ઞ કરતો હતો. સંઘમાં બીજા કોઈને પટ્ટધર યોગ્ય ન સમજીને પૂજ્ય શ્રી પ્રભવસ્વામીની કૃપાદષ્ટિ મારા પર વર્ષ. બે શિષ્યોને મને પ્રતિબોધવા માટે મોકલ્યા હતા. તેઓ આવીને એમ બોલ્યા કે, “અહો કષ્ટમ્ ! તત્ત્વ ન શાયતે પરમ-કષ્ટ ઘણું છે પણ તત્ત્વ તો જણાતું નથી.” મેં પૂછયું. ત્યારે તત્ત્વ શું છે?” તેઓએ કહ્યું કે, આ યજ્ઞના સ્તંભની નીચે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તે તત્ત્વ છે.” તપાસ કરતાં અને યજ્ઞના ગોરને પૂછતાં ત્યાંથી શ્રી શાંતિનાથ પ્રભુના પ્રતિમાજી નીકળ્યા. તેથી વૈરાગ્ય પામી ગુરુ મહારાજ પાસે આવી મેં દીક્ષા લીધી. તે વખતે ઘેર છોડેલાં પત્ની સગર્ભા હતાં. લોકો તેને પૂછતા કે, “તમારા પતિએ દીક્ષા લીધી છે, પરંતુ તમને ગર્ભ છે કે નહીં?” ત્યારે તે સૌને શરમને લીધે જવાબ આપે કે, “કંઈક મનાફ છે.” આ મનાફ શબ્દ પ્રસિદ્ધ થઈ ગયો અને બાળકના જન્મ પછી પણ તેનું નામ મનાફ પાડવામાં આવ્યું, તે રૂઢ થઈ મનકુમાર તરીકે પ્રસિદ્ધ થયું. જ્યારે સમાન વયનાં બાળકો તેને “નબાપો' કહી પજવવા લાગ્યાં, ત્યારે તેણે પોતાની માતાને પિતા વિષે પૂછયું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, Page #406 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો “તેઓએ જૈન ધર્મની દીક્ષા લીધી છે અને હાલમાં પાટલીપુત્રમાં ધર્મોપદેશ આપે છે.’’ એ ઉપરથી બાળક અમને સ્થંડિલ ભૂમિ જતાં રસ્તામાં મળ્યો અને તેને દીક્ષા આપી. ટૂંકું આયુષ્ય વિચારી આ દશ વૈકાલિક સૂત્ર રચવામાં આવ્યું. આ સાંભળી શ્રી યશોભદ્રસૂરિ વગેરે મુનિરાજાઓએ વિજ્ઞપ્તિ કરી કે, ‘“હે પ્રભો ! અમને પહેલાં આ વાત કેમ ન કરી ?’’ "" આચાર્ય મહારાજે ખુલાસો કર્યો કે, “જો તેમ કરવામાં આવ્યું હોત, તો મુનિઓની વેયાવચ્ચ તે કરી શકત નહીં જ, કેમ કે, મુનિઓ તેને તેમ કરવા દેત નહીં. અને ટૂંકા વખતમાં તેને સંયમની આરાધના થાત નહીં.'' 333 મનક્ માટે રચેલા ‘‘દશ વૈકાલિક સૂત્રની હવે જરૂર નથી.'' એમ ધારી તે સૂત્રને આગમોમાં પ્રક્ષેપાવી અંતર્ગત કરવા લાગ્યા. ત્યારે શ્રી યશોભદ્ર સૂરિ વગેરે મુનિઓએ તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરી એટલે ભાવિકાળના અલ્પ બુદ્ધિવાળા મુનિઓ માટે તે એમને એમ રહેવા દીધું. ૪૪. કાલિકાચાર્ય (૧ લા) - તુરમણ નગરીમાં જીતશત્રુ રાજા હતા. ત્યાં કાલિક નામે બ્રાહ્મણે ધર્મ પામી દીક્ષા લીધી. ભદ્રા નામની તેની બેનનો પુત્ર દત્ત નામે હતો. તે ઘણો સ્વચ્છંદી હતો. પરંતુ તેની ચાલાકીથી તેને રાજમાં નોકરી મળી. ત્યાંથી પ્રધાન થયો. અને પછી રાજાને કાઢી મૂકી પોતે જ રાજા થઈ બેઠો અને મોટા યજ્ઞો કરવા લાગ્યો. કાલિકાચાર્ય વિહાર કરતાં તે નગરીમાં પધાર્યા. દત્તે જઈને યજ્ઞનું ફળ પૂછ્યું. આચાર્ય મહારાજે-નરક ગતિ-રૂપ ફળ જણાવ્યું. અને “તેની ખાતરી એ કે આજથી ૭મે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે. અને તું સાતમી નરકે જઈશ કેમકે યજ્ઞ હિંસામય છે, અને તેથી નરક જ મળે.’” દત્ત ક્રોધે ભરાયો અને મારવા તૈયાર થયો. આચાર્ય અડગ રહ્યા. મકકમપણે પોતાનો અભિપ્રાય જણાવતા રહ્યા. દત્તે વિચાર કર્યો કે, ‘‘અત્યારે આચાર્યને કબજે રાખું અને આઠમે દિવસે તેની વાત છે.” એમ વિચારી પોતે સાત દિવસ મહેલમાં જ ભરાઈ રહ્યો. બહાર નીકળ્યો જ નહીં. સાતમો અને આઠમો દિવસ જાણી, તે ફુલાતો ફુલાતો બહાર નીકળ્યો, પરંતુ ખરી રીતે તે સાતમો દિવસ હોવાથી રાજ્યના અધિકારીઓ અશુચિ દૂર ફેંકાવી રસ્તાઓ સાફ કરાવતા હતા અને રસ્તામાં ફૂલ પથરાવતા હતા. તેવામાં ફૂલનો કંડીઓ લાવનાર એક માળીને મળોત્સર્ગની હાજત થઈ આવી, તેથી ભીડમાંથી બહાર ન નીકળતાં યુકિતપૂર્વક રસ્તામાં જ મળોત્સર્ગ કરી, તે પર પોતાના જ કરંડિયાનાં ફૂલોનો ઢગલો કરી વાળ્યો. દત્ત ઘોડા પર બેસીને ઠાઠમાઠથી ફરવા નીકળ્યો, તેવામાં ઘોડાનો પગ પેલી વિષ્ટા ઉપર પડવાથી તેનો છાંટો દત્તના મોંમાં પડ્યો; ને આચાર્યના વચનની ખાતરી થઈ દત્ત મહેલે પાછો ફર્યો. પણ જિતશત્રુ રાજાના ભકત પ્રજાજનોએ ગુપ્ત વેષે ત્યાં હાજર રાખેલા તે રાજાએ પોતાના માણસો પાસે દત્તને પકડાવ્યો, કે એક રાજસેવકે તેના ઉપર શસ્ત્રનો ઘા કર્યો. તે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અને જિતશત્રુ રાજાએ આચાર્ય મહારાજની સેવા કરી જૈન ધર્મ અંગીકાર કર્યો. ૪૫. કાલિકાચાર્ય (બીજા)-શ્રીપુરના પ્રજાપાળ રાજાને કાલિક નામે પુત્ર થયો અને તેણે યોગ્ય વયે દીક્ષા લીધી. તેને ભાનુમતી નામે બહેન હતી. તેને ભરૂચના રાજા જિતારિ સાથે પરણાવી હતી. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો તેના બલમિત્ર અને ભાનુમિત્ર નામના બે પુત્રો હતો. તેને બળભાનુ નામનો એક ભાણેજ હતો. તેણે ત્યાં પધારેલા કાલિકસૂરિનો ધમપદેશ સાંભળી દીક્ષા લીધી. અને ગંગાધર નામના બ્રાહ્મણને તે બાળ સાધુએ જ હરાવ્યો, તેથી તે ઈષ્ય રાખતો હતો. ફરીથી કાલિકસૂરિ ભરૂચમાં પધાર્યા, ત્યારે પેલા ગંગાધર પુરોહિતે-રાજાને સમજાવ્યું કે, “ગુરુ જે રસ્તે ચાલે તે રસ્તા પર ચાલવાથી લોકોને પાપ લાગે અને તેનો દોષ રાજાને માથે આવે.” રાજાએ કહ્યું કે, “શાંતિથી રહે તો ગુરુને જવાનું કેમ કહી શકાય ?” પુરોહિતે કહ્યું કે, “તેમને માટે શહેરમાં ઠામ ઠામ રસોઈ કરાવો અને તમારા માટે આ રસોઈ છે, એમ કહેવું. એટલે અનૈયાગીય આહાર મળતો ધારીને તેઓ પોતાની મેળે જ વિહાર કરી જશે.” રાજાએ આ યુતિ અજમાવી. આચાર્ય મહારાજ ભરૂચથી વિહાર કરી પૈમાં ચોમાસું રહ્યા. ત્યાંના શાલિવાહન રાજાના પૂછવાથી અને પાંચમને દિવસે ઈંદ્રમહોત્સવ હોવાથી ચોથની સંવત્સરી પ્રવર્તાવી, જે ગીતાર્થની આચરણા હોવાથી સકળ સંઘે તે પ્રમાણે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. એક વખતે આચાર્ય ઉજજયિનીમાં હતા. શિષ્યોનો પ્રમાદ છોડાવવા વહેલા ઊઠીને બીજે ગામ જ્યાં પોતાના સાગરચંદ્ર નામના આચાર્ય શિષ્ય હતા ત્યાં ગયા. સાધુઓને ગુરુના જવાથી ફાળ પડી, અને શય્યાતરના ઠપકાથી પ્રમાદ છોડી ચારિત્ર પાળવા લાગ્યા. આ તરફ ગુરને ઓળખ્યા વિના પણ વૃદ્ધ સાધુ જાણી સાગરચંદ્રસૂરિએ વિનય કર્યો. સાગરચંદ્રસૂરિએ પોતાના વ્યાખ્યાનની છટા વિષે અભિપ્રાય પૂછયો- ગુરુએ કહ્યું, “શ્રેષ્ઠ.” તેથી સાગરચંદ્ર આચાર્ય બહુ હર્ષ પામ્યા. ત્યાં ધર્મની જરૂરિયાતો ઉપર બનેયે વાદવિવાદ કર્યો. કાલિકાચાર્ય મહારાજે યુક્તિથી આત્માનું નિત્યત્વ અને ધર્મની જરૂરિયાત સાબિત કરી. થોડા દિવસે આચાર્ય પાછા આવ્યા. એક વખતે શિષ્યોને બોધ આપવા રેતીની કોથળી ભરી, તે ઠલવીને બીજી ભરી, ત્રીજ, એમ કરતાં રેતી બહુ થોડી રહી. તે ઉપરથી બોધ આપ્યો કે “શ્રી ગણધર ભગવંતો પાસેથી ઊતરતું શ્રુતજ્ઞાન આ રીતે ઓછું ઓછું આપણને મળ્યું છે. માટે જે મળ્યું છે, તેને સાવચેતીથી સાચવી રાખવાની જરૂર છે.” એક વખત આચાર્ય મહારાજ પેઠમાં ચોમાસું રહ્યા હતા. અને પહેલાં દેવલોકના ઈન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને નિગોદનું સ્વરૂપ પૂછયું, જિનેશ્વરદેવે તે સમજાવ્યું, ત્યારે ઇન્ને પૂછયું કે “ભારતમાં આવું સમજાવી શકે તેવા કોઈ અતિશય જ્ઞાની છે ?” પ્રભુએ કાલિકાચાર્યનું નામ આપ્યું તેમજ શત્રુંજય તીર્થનો મહિમા કહ્યો અને ભારતની પવિત્રતા વર્ણવી. ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આચાર્ય મહારાજ એકલા હતા ત્યારે પાસે આવ્યા, અને નિગોદનું સ્વરૂપ પૂછયું. આચાર્ય મહારાજાએ કહેલું સ્વરૂપ સાંભળી ઇન્દ્ર ચક્તિ થયા. ફરી ઇન્દ્ર કહ્યું કે –“હું વૃદ્ધ છું. મારી ઈચ્છા અનશન ગ્રહણ કરવાની છે. તો મારું આયુષ્ય કેટલું બાકી હશે ?” ગુરુ મહારાજે કહ્યું કે –“તમારું બે સાગરોપમ આયુષ્ય છે.” એટલે કે તેને પહેલા દેવલોકના ઈન્દ્ર તરીકે ઓળખી કાઢ્યા. એટલે ઇન્દ્ર પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે, “આપના મુનિઓ બહાર ગયા છે. તે આવ્યા બાદ હું જઈશ જેથી તેઓ Page #408 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૩૫ મારું રૂપ આ કાળમાં પણ જોઈ શકે.” ગુરુ મહારાજે કહ્યું કે, “તમારું રૂપ જોઈને કોઈ મુનિઓ તપના અને ચારિત્રના પ્રભાવથી તેવું રૂપ મળવાનું નિયાણું કરી બેસે ને વિરાધક થાય.” ત્યારે ઇન્દ્ર પોતે ત્યાં આવ્યાની પ્રતીતિ માટે ચોરાશી સ્તંભવાળા ઉપાશ્રયનું મૂળ બારણું જે દિશામાં હતું, ત્યાંથી ફેરવીને બીજી દિશામાં કરી દીધું ને પોતે ગયા. મુનિઓ આવ્યા અને ઇન્દ્રના આગમની વાત કરી. તેની ખાતરી માટે ફેરવાયેલું બારણું બતાવ્યું. તેથી સૌ હર્ષ પામ્યા. ૪૬. કાલિકાચાર્ય (૩)-મગધ દેશમાં આવેલા ધારાવાસનગરના વજસિંહનામે રાજાના સુરસુંદરી નામે પત્નીને કાલક અને સરસ્વતી નામે બે બાળકો હતાં. કાલક કુમાર એક વાર ઘોડા પર બેસીને રાજકુમારો સાથે વનમાં આનંદ કરવા નીકળી પડેલા. તેવામાં ગણધર નામના સૂરિની દેશના સાંભળી તેમને સંયમ લેવાની ઈચ્છા થઈ. માતાપિતાની સંમતિ મેળવી બહેન સાથે દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્યપદ પામ્યા. એક વખત ગુરુ મહારાજ ઉજજયિનીની બહાર રહ્યા હતા. ત્યાં પ્રવર્તિની પદ વિભૂષિત સરસ્વતી સાધ્વીજી ગુરુને વંદન કરી શહેરમાં જતા હતા. તેવામાં તે શહેરનો રાજા ગર્દભિલ તે વખતે ફરવા નીકળેલો, તેણે રાજકુમારી સાધ્વીનું અદ્ભુત રૂપ જોઈ તેને પોતાના અંતઃપુરમાં મોકલાવી દીધા. ગુરુએ રાજાને સમજાવવા સંઘને તેની પાસે મોકલ્યો. સંઘે રાજાની ફરજ સમજાવી, સાધ્વીજીને છોડી દેવા કહ્યું. રાજાએ માન્યું નહીં. ગુરુએ જાતે આવીને રાજાને સમજાવ્યું કે, “એ સાધ્વી મારા સંસારીપણાનાં બહેન છે અને રાજાની તપસ્વીઓને મદદ કરવાની ફરજ છે.” પણ ગર્દભિલ એકનો બે ન થયો. આચાર્યશ્રીએ સંઘ સાથે વિચાર્યું કે, “સમર્થ વ્યક્તિ હર ભોગે શાસન ઉપરનું વિઘ્ન દૂર ન કરે તો તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત લાગે છે. મહામુનિ પુલાક લબિના બળથી દેવ, ગુરુ અને ધર્મ ખાતર ચક્રવર્તીના મોટા લશ્કરનો પણ ભૂકો ઉડાવી દે છે.” એમ કહી વેશ સાધુઓને સોંપી, સંઘને કેટલીક મહત્ત્વની ભલામણ કરી, શક રાજાઓના મલેચ્છ દેશમાં ગયા. ત્યાંના રાજાને પ્રસન્ન કરી તેની પાસેથી અવસરે મદદ કરવાનું વચન લીધું. એક દિવસે સાધનસિંહ નામના શકોમાંના એક રાજાએ કચોળું અને છરી સાથે મોકલ્યા. તે જોઈ રાજાનું મોં પડી ગયું. આચાર્યશ્રીએ તેનું કારણ પૂછયું. રાજાએ કહ્યું કે, “અમારા છ— રાજામાંનો એક એ છે. અમારે રાજ્ય યોગ્ય પુત્ર થાય એટલે તે આ પ્રમાણે કચોળું અને છરી મોકલે. એટલે અમારું માથું કાપી દેવું પડે.” આચાર્યશ્રીએ કહ્યું કે, “ઉજયિની નગરીમાં ધળું ગામ છે, મારી સાથે આવો તો તમને ત્યાંનું રાજ્ય અપાવું. એટલે તમો આ કષ્ટમાંથી બચો.” રાજાએ સ્વીકાર્યું. અને આચાર્ય સાથે ચાલ્યા, રસ્તામાં વર્ષા ઋતુને લીધે સોરઠ દેશમાં ઉદૂક પર્વત પાસે પડાવ કર્યો. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો પરંતુ ખોરાકી ખચ ખૂટી. આચાર્યશ્રીને વાત કરી. તેમણે બધાને શાંત કર્યા. અને સરસ્વતી સાધ્વીજીએ આયંબિલની તપશ્ચર્યા શરૂ કરેલી હતી. તે વાત શાસન દેવીએ આચાર્યને ત્યાં કહી. પછી આચાર્ય મહારાજે ચૂર્ણના યોગથી સોનાના લાટ્ટા બનાવી રાજાઓને આપ્યા. છેવટે બધાએ ગુજરાતમાંથી પસાર થઈ ઉજયિનીને ઘેરો ઘાલ્યો. ગભિલ ગભરાયો. આચાર્યે કહ્યું-“સાધ્વીજીને હજી પણ છોડી દે, તો સારું છે. નહિતર તારો નાશ છે.” એમ કહેવરાવ્યું. ગભિલ્લ ગર્દભીવિદ્યા સાધવા બેઠો. આચાર્ય મહારાજને ખબર પડી. દરેક રાજાઓને કહી દીધું કે “ગદંભી સિદ્ધ થયા પછી, એ ગર્દભી કિલ્લા ઉપર ચડીને શબ્દ કરશે. તે શબ્દ જે સાંભળશે તે મરણ પામશે. માટે શબ્દવેધી બાણ ફેંકનારા ૧૦૭ માણસ મારી સાથે મૂકો. અમે ૧૮ માણસો તે મુખ ઉઘાડશે કે તે બાણોથી ભરી દઈશું અને તે બોલી શકશે નહીં. અને બીજાઓએ ચાર ગાઉ દૂર જઈને પડાવ નાંખવો. ગર્દભીનું મોટું ભરાઈ જવાથી તે ચિડાઈને રાજાને પાટુ મારી તેના મુખમાં મૂત્ર કરીને ચાલી જશે અને ગર્દભિદલ મરણ પામશે.” આચાર્યશ્રીની યોજના આબાદ પાર પડી, ગર્દભિલ મરણ પામ્યો. સાધ્વીજીને અંત:પુરમાંથી બહાર લાવ્યા. તે શક રાજાઓને જુદા જુદા દેશો વહેંચી આપ્યા. આચાર્ય પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા અને નિર્મળ શિયળ રાખી સરસ્વતી સાધ્વીજી મહારાજ પણ શુદ્ધ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયાં. ૪૭-૪૮. સાંબ અને પ્રદ્યુમ્ન કુમાર : આ બે કૃષણના પુત્રો હતા. રુક્મિણીથી પ્રદ્યુમ્ન કુમારનો જન્મ થયો હતો અને જંબૂવતીથી સાંબકુમારનો જન્મ થયો હતો. પ્રદ્યુમ્ન કુમારના જન્મને બીજે દિવસે જન્મેલા સત્યભામાના પુત્રનું નામ ભાનુકુમાર હતું. રુક્મિાણી અને સત્યભામાને ઘણી હરીફાઈ ચાલતી હતી. એક વખત વાદવિવાદમાં બન્નેયે એવું ઠરાવ્યું કે, “જેનો દીકરો પહેલો પરણે, તેણીને બીજીએ પોતાનો ચોટલો મૂંડાવીને હાથમાં આપવો.” ધૂમકેતુ નામનો પૂર્વભવનો વૈરિદેવ જન્મતાં જ પ્રદ્યુમ્ન કુમારને લઈ વૈતાઢય પર્વત ઉપર ટેકશિલા ઉપર મૂકીને ચાલ્યો ગયો. કાલસંવર નામના વિદ્યાધરે લઈ પોતાની કનકમાળા પત્નીને સોંપ્યો અને તે પુત્રવતી જાહેર થઈ. - કૃષણ તથા રુકિમણીને પુત્ર મરણથી દુ:ખ થયું. પરંતુ નારદે શ્રી સીમંધર સ્વામી પાસેથી હકીકત જાણીને બન્નેને શાંત કર્યો. અને તે મેળવી આપવાનો (યોગ કરવાનું વચન આપ્યું. પુત્રવિયોગનું કારણ એ જણાવ્યું કે, “તે પૂર્વ ભવે મોરલીના ઈંડાને કંકુવાળું કરી સોળ પહોર સુધી રાખી મૂકયું. મોરલી ઓળખી શકી નહીં અને વિયોગથી તરફડી. તેથી તેમને સોળ વર્ષ સુધી પુત્રવિયોગ રહેશે. એમ શ્રી સીમંધર પ્રભુએ કહ્યું છે.” પ્રદ્યુમ્ન કુમારની જુવાની ખીલવા લાગી. ત્યારે તેની માતા કનકમાળા જ તેના ઉપર આસકત થઈને “તું અમારો પુત્ર નથી, પણ શિલા ઉપરથી મળેલો છો.” જણાવી પ્રજ્ઞપ્તિ તથા ગૌરી નામની બે વિદ્યાઓ આપવાનું વચન આપ્યું. પ્રદ્યુમ કુમારે વિદ્યાઓ લઈ માતા સાથે ભોગની ચોખ્ખી ના Page #410 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૩૩૭ પાડી. એટલે તેણે બૂમ પાડી. તેના બીજા પુત્રો દોડી આવ્યા. પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પ્રદ્યુમ્ન જ વિદ્યાના બળે જીત્યા. કાળસંવર લડવા આવ્યો, તેને પણ બાંધી લીધો. કાળસંવરને વિનવણીથી તેણે છોડ્યો. અને પ્રદ્યુને પ્રણામ કર્યો. તેવામાં નારદે આવી સત્યભામા અને રુક્મિણીના ઠરાવની વાત કહી. “ભાનુ હવે પરણવાની તૈયારીમાં છે. તારી માતાએ વેણી કાપી આપવી પડશે ને તારી માતા મરણ પામશે. તું ગ રુક્મિાણીનો પુત્ર છે.” વગેરે વાત સીમંધર સ્વામીના કહેવા પ્રમાણે કહી. તરત જ પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી વિમાન વિકમ દ્વારિકાના ઉદ્યાનમાં આવી પહોંચ્યો. પહેલે ધડાકે ભાનુને પરણવાની દુર્યોધનની પુત્રી કન્યાને ગુપ્તપણે નારદ પાસે રાખી દીધી. બાગ ઉજજડ કર્યો, જળાશય સૂકવ્યા. વિવાહ સામગ્રીનાં સાધનો વેરી નાંખ્યાં. કોઈ શેઠની દુકાને બ્રાહ્મણ રૂપે જઈ બેઠો. ત્યાં આવેલી કુબડી દાસીને મુઠી મારી સરખી કરી દીધી. દાસી સત્યભામા પાસે પહોંચી, સત્યભામાએ બ્રાહ્મણ વેષ ધારીને બોલાવ્યો ને કહ્યું, “હે વિપ્ર ! મને રુક્મિણીથી વિશેષ રૂપવતી બનાવ. “માથું મુંડાવી જૂનાં કપડાં પહેરી કુળદેવી પાસે માં વિરH વાદ.'' એવો જાપ જપો." સત્યભામાએ તેમ કર્યું. દાસી પણ તેની પાસે ગઈ. એટલે અહીં ઓરડામાં પણ વિવાહ-સામગ્રી ચૂંથી નાંખી. ત્યાંથી રુક્મિણી પાસે ગયો. રાજી થઈ તે આસન લેવા ગઈ, એટલે ભાઈ સાહેબ કૃષણના સિંહાસન ઉપર બેસી ગયો. રુકિમણીએ આવીને જોયું તો તેને આશ્ચર્ય થયું ને કહ્યું કે “કૃષણ કે તેના સંતાન સિવાય આ સિંહાસન ઉપર કોઈને અધિષ્ઠાયક બેસવા દે જ નહીં. માટે ઊઠી જાઓ. પ્રદ્યુને કહ્યું કે, “મારું તપ વધારે છે. હું સોળ વર્ષે પારણું કરવા આવ્યો છું. માટે મને પારણું કરાવો. નહીંતર સત્યભામાને ત્યાં જઈશ. “રુકિમણીએ કહ્યું કે, “હું કયાં ના પાડું છું ? મને પુત્રવિયોગ બહુ જ સાલે છે.” તમારો પુત્ર કયાં ગયો છે ?” રુક્મિણીએ બધી વાત કહી “સોળ વર્ષ થવા આવ્યા પણ હજુ પુત્રસંયોગ થયો નહીં. બાળ મુનિ તારા શાસ્ત્ર તો જો, મને કયારે પુત્રસંયોગ થશે ?” ત્યારે પ્રધુને કહ્યું કે, “મને તમો પૂછો છો. પણ ખાલી હાથે પુછાય ?” ત્યારે તેણીએ તેને ખીરનું ભોજન કરાવ્યું ત્યાર પછી તેણે કૃષણ માટે કરેલા લાડુ માગ્યા, તે નહીં પચી શકવાનું કહ્યું. પણ આગ્રહથી એક, બે એમ વધારે માગ્યા, તેમ તેમ તે આપતી ગઈ. ને આશ્ચર્ય પામી કે, “અહો ! મુનિ ! તું પણ ઘણો જ બળવાનું છે. આટલા લાડુથી પણ તારી ભૂખ ભાંગી નથી ?' આ તરફ સત્યભામાં મંત્ર જાપ કરતી હતી, ત્યાં આવીને કોઈએ બાગ અને જળાશય તથા વિવાહ સામગ્રીના નાશના ખબર આપ્યા. બીજાએ આવીને કન્યા ગુમ થયાના સમાચાર આપ્યા. પુત્ર પરણતો હોવાથી આ તરફ રુક્મિણીના વાળ મૂંડવા હજામને મોકલ્યો. હજામને પ્રધુને કહ્યું, “એય ! કેમ આવ્યો ?” તેણે કહ્યું કે, “રાણીનું માથું મૂંડવા.” “અલ્યા ! તું બોર મૂંડી જાણે છે કે નહીં ?” પેલાએ કહ્યું કે, “બોર મૂંડાતું હશે ?” પ્રધુને કહ્યું-“જો મૂંડી બતાવું” એમ કહીને તેના માથાની ચામડી અવળી કરી સત્યભામા પાસે મોકલ્યો. (વસુદેવ હીંડીમાં આ પ્રમાણે છે. ભરતેશ્વર વૃત્તિમાં દાસી આવેલી, તેને જ વાળથી પાત્ર ભરીને પાછી મોકલી. જેની તેને ખબર નથી. પણ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પંચ પ્રતિકમાણસૂત્રો દાસીને મૂડેલી જોઈ) સત્યભામાનો ગભરાટ વધ્યો. કૃષણને બોલાવ્યા ને કહ્યું કે “પેલી શરત પ્રમાણે રુકિમણીના કેશ અપાવો.” ત્યારે કૃષ્ણ કહ્યું કે, “તારા કેશ કયાં ગયા ? એ તો કહે.” સત્યભામાએ કહ્યું “મશ્કરી જવા દો.” ત્યારે કૃષણે બળભદ્રને રુક્મિણી પાસે મોકલ્યા. ત્યાં તો પ્રદ્યુમ્ન કૃષ્ણનું રૂપ કરીને સિંહાસન ઉપર બેઠો હતો. બળભદ્ર પાછા ફર્યા, ને કૃષગને બે રૂપ કરી પોતાને બનાવવા માટે ઠપકો આપ્યો. કૃષ્ણને આશ્ચર્ય થયું ને રુકિમણી પાસે આવ્યા. ત્યાં નારદ પણ આવ્યા. બન્નેયને પુત્રનું ઓળખાણ કરાવ્યું. પુત્ર માતાપિતાના ચરણમાં નમ્યો. તો પણ પ્રદ્યુને પરાક્રમ કર્યા વિના જાહેર થવાની ના પાડી. રુકિમણીને ઉપાડીને નાઠો. યાદવી સેના પાછળ પડી. સૌને હરાવ્યા. કૃષગાદિ મોટેરાઓને પણ હંફાવ્યા. પછી જાહેર થયો ને સૌની માફી માંગી ને પટ્ટહતિ ઉપર શ્રી કૃષણે તેનો નગર પ્રવેશ કરાવ્યો. દુર્યોધને આવીને કન્યાના હરણની વાત કરી. કૃષગ શોધ કરવા લાગ્યા ત્યારે પ્રદ્યુને લાવી આપી. દુર્યોધને તે પરાક્રમી પ્રદ્યુમ્નને તે કન્યા પરણવા કહ્યું. પ્રદ્યુને કહ્યું કે, “એ મારા નાના ભાઈની વહુ ગણાઈ ચૂકી છે. મારાથી ન પરણાય. ખુશીથી તેને પરણાવો.” ભાનુના લગ્ન તે કન્યા સાથે થયા. અને બીજા વિદ્યાધરોએ એ સાહસિક પ્રદ્યુમ્નને અનેક કન્યાઓ પરણાવી. એક વખતે સત્યભામાએ પ્રદ્યુમ્ન જેવો પરાક્રમી પુત્ર થાય તેવું કરવા કૃષણ પાસે હઠ લીધી. કૃષણે વચન આપ્યું. હરિણગમેથી દેવની આરાધના કરી. દેવે હાર આપ્યો. પ્રદ્યુમ્નને ખબર પડી. એટલે બૂવતીને સત્યભામાના રૂપમાં કૃષ્ણ પાસે મોકલી. કૃષણે તે હાર તેણીને પહેરાવ્યો, તે ગઈ. થોડીવારે સત્યભામાં આવી. સત્યભામાને ફરી આવેલ જોઈ શ્રી કૃષ્ણને સ્ત્રી જાતિની વિષયવાસના ઉપર તિરસ્કાર થયો. છતાં કૃષણે તેની સાથે વિલાસસુખ ભોગવ્યું. તેવામાં પ્રદ્યુમ્ન ભંભા વગાડી. એટલે કૃષ્ણ ચમકયા. અને સત્યભામાને “તારે પુત્ર થશે.” એવું વચન આપ્યું. સત્યભામા ખુશી થઈ ગઈ. આ તરફ બૂવતીની કુક્ષિમાં મહર્તિક દેવ આવીને ઉત્પન્ન થયો. સવારમાં તેના કંઠમાં હાર જોઈને કૃષણે પ્રદ્યુમ્નના બધા ખેલનું અનુમાન કરી લીધું. વખત પૂરો થયે પુત્રનો જન્મ થયો. તેનું નામ સાંબ કુમાર પાડવામાં આવ્યું. સત્યભામાના પુત્રનું નામ ભિક પાડ્યું. ત્યાર પછી ભિરૂકની પજવણી તથા બીજા અનેક પ્રકારના તોફાનથી શ્રી કૃષણે સાંબને, અને સત્યભામાએ પ્રદ્યુમ્નને બહાર કાઢી મૂકયા. પણ “અમે પાછા કયારે આવીએ?” એમ જ્યારે પ્રદ્યુને પૂછયું, ત્યારે સત્યભામાએ કહ્યું કે, “હું સાંબને મારે હાથેથી પકડીને લાવું ત્યારે તમારે બન્નેયે આવવું.” ભિરૂકને નવાણું કન્યા પરણાવતી વખતે એ બન્નેયે એવો ખેલ મચાવ્યો કે, સત્યભામા સાંબને કન્યા સમજીને હાથે પકડીને લાવી. અને તેની સાથે નવ્વાણું કન્યા પરણાવાઈ ગઈ. આ વાતની સત્યભામાને ખબર પડતાં રોષનો પાર ન રહ્યો. સાંબ વસુદેવ દાદાને પ્રણામ કરવા ગયો. ત્યાં પણ બોલ્યા વિના સખણો ન રહ્યો. “દાદાજી ! તમો તો ઘણાં વર્ષે ઘણી કન્યાઓ પરણ્યા. પણ તમારો આ બહાદુર પૌત્ર એકી સાથે ઘણી કન્યાઓ પરણી બેઠો. કોણ હોશિયાર ?” Page #412 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૩૯ વસુદેવ ચિડાયા. “જા, જા, બહુ વાદ ન કર, તું તો કૂવાના દેડકા જેવો છે.” સાંબે ઊભા થઈ માફી માંગી. આમ એ બન્નેય કુમારનાં અનેક અટકચાળાં, તોફાનો અને પરાક્રમો છે. એક વખત કોઈ રાજાએ શ્રી કૃષ્ણને એક ઘોડો ભેટ આપ્યો. સાંબ અને પાલક નામના બન્નેય કુમારોએ તેની માંગણી કરી. કૃષ્ણ જાહેર કર્યું કે, “સવારમાં વહેલા ઊઠીને જે જે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને પહેલાં વંદન કરશે, તેને એ ઘોડો આપીશ.” સાંબે ભાવવંદન કર્યું અને પાલકે ધમાધમ કરી સેવકોને ઉઠાડી વહેલા જઈ ભાવ વિના માત્ર ઘોડાની લાલચે વંદન કર્યું. પ્રભુને પૂછતાં દ્રવ્યવંદન પાલકનું પહેલું છે, પણ ભાવ વંદન સાંબનું પહેલું છે." એમ ખુલાસો કરતાં સાંબને ઘોડો ભેટ આપ્યો. છેવટે શાંબકુમાર અને પ્રદ્યુમ્નકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અને કમનો નાશ કરી ગિરિનાર પર્વત ઉપર (બીજા ગ્રંથને આધારે શત્રુંજયગિરિ ઉપર) મોક્ષ પામ્યા. ૪૯. મૂળદેવ રાજા: દેવદત્તા - અલી માધવી, જેઈ આવ, તો. અંગેઅંગમાં અમૃત સિંચન કરતું આ સંગીત કોણ ગાઈ રહ્યું છે? માધવી:- હા, બાઈ તપાસ કરી આવું છું. [જઈને પાછી આવી,] બાઈ ! ઓ બાઈ ! દેવદત્તા - હંઅ ! કેમ તપાસ કરી લાવી ? માધવી :- હા. કયારની બોલાવું છું તોયે બોલતા નથી, ગાન સાંભળવામાં બહુ તલ્લીન થયા છો ? દેવદત્તા - એ અદ્ભુત ગાનનાં સંગીત-તત્ત્વોની મિલાવટનો વિચાર કરતી હતી. માધવી :- ઠીક. આવો, હું એ એ ગાનાર બતાવું. [ઝરોખા પાસે લઈ જઈ, આંગળીથી બતાવી-] જુઓ પેલા ઓટલા ઉપર બેઠેલો પેલો ઢિંગુજી. દેવદત્તા :- જા, તેને તેડી લાવ. માધવી :- બહુ સારું. [ગઈ] દેવદના:- [મનમાં આવું સંગીત જિંદગીમાંયે સાંભળ્યું નથી. [લયમાં ને લયમાં ડોલવા માંડી.] માધવીઃ- [પાછી આવી] બાઈ ! તે કહે છે કે, “મારે નથી આવવું.” દેવદત્તા - તે શું કહ્યું? માધવી -મેં કહ્યું-“પધારો મહાશય ! સકળ કળાકુશળ મારી સ્વામિનીનો પરિચય આપને આનંદરૂપ નીવડશે.” દેવદત્તા :- તેણે શું કહ્યું? Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પંચ પ્રતિકમાણસૂત્રો માધવી :- તેણે કહ્યું કે, “હું મારા આનંદમાં સદા મસ્ત છું.' દેવદત્તા :- પછી ? માધવી :- હું તો પછી કંટાળીને પાછી વળી, એટલે ઊભા થઈ તેને જોરથી મારી પીઠમાં એક ધબ્બો લગાવ્યો. દેવદત્તા :- હે તને ધબ્બો માર્યો ? માધવી :- પરંતુ તેથી મને ઘણો આનંદ થયો છે. કેમ કે મારી ખૂંધ બેસી ગઈ, અને હું સરખી સોટા જેવી થઈ ગઈ, જુઓ ને! દેવદત્તા - હા અલી ! બરાબર. તારો સદાનો રોગ ગયો. જા, બીજી વાર જા. અને ગમે તેમ કરીને ચોકકસ તેડી લાવ. એ કોઈ ગુણી ચતુર પુરુષ જણાય છે. માધવી :- તમે કહો છો, તો જાઉ છે. પરંતુ તે આવશે નહીં. [જાય છે.] [પાછી આવીને.] લો. આ એ તમારા ગુણી પુરુષ પધાર્યા. દેવદત્તા - પધારો, મહાશય ! બિરાજો. આ આસન પર. ઢિંગુજી :- [બેસીને] મહાશયે ! મને કયા પ્રયોજને બોલાવ્યો છે ? દેવદત્તા - ગુણીનો ગુણાનુરાગ એ જ પ્રયોજન, બીજું શું હોઈ શકે ? કિંગુજી :- અનુરાગ માનસિક ભાવ છે, તેમાં અહીં બોલાવવાનું પ્રયોજન શું? [રસ્તા પરથી વીણાનો મધુર અવાજ આવે છે.] દેવદત્તા :- [મનમાં] અહો વાફચાતુર્ય પણ અપૂર્વ છે. [પ્રગટ] માધવી ! જોઈ આવ તો. વળી આ મધુર વીણાવાદન કોણ કરી રહ્યું છે? માધવી :- આ ચાલી. [મનમાં] એવા તો કંઈક આવ્યા કરશે. કર્મીની જીભ ને અકર્મીના ટાંટિયા. [જાય છે.] દેવદત્તા :- મહાશય ! કૃતિ, ગ્રામ, મૂછનાની જમાવટથી કેવું દિલ ડોલાવે તેવું માધુર્ય ઝરે છે ? હિંગજી :- [ખડખડાટ હસીને] માધુર્યનું તો પૂછવું જ શું? દેવદત્તા :- શું આપને તેમાં કંઈ ખામી જણાય છે ? ગિજી :- ના, ના, કાંઈ નહીં. દેવદત્તા :- ના ના, કહો કહો, જે હોય, તે કહો. ઢિંગુજી - હું જાણતો હતો કે “ઉજ્જયનીના લોકો પૂરા ચતુર હશે” પરંતુ મારો એ ભ્રમ આજે બરાબર ભાંગી ગયો. દેવદત્તા :- આપને શી ખામી જણાય છે ? Page #414 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૪૧ ગિજી:- તમને કાંઈ જણાય છે કે નહીં ? દેવદત્તા :- ના કાંઈ પણ જણાતી નથી. આપ બતાવો શી ખામી છે ? હિંગુજી :- આવવા દો તેને જ. માધવી :- [આવીને] આ પધાર્યા, વીણાવાદક શિરોમણિ. દેવદત્તા - પધારે, ખરેખર આપ વીણાવાદક શિરોમણિ જ છો. વીણાવાદક :- તમારા જેવા કલારસિકો અમારી કિંમત સમજે છે, એ ઘણું ખુશ થવા જેવું છે. દેવદત્તા :- આપની એ વીણા આ મહાશયને વગાડવા આપશો? વીણાવાદક:- ઘણી જ ખુશીથી. [આપે છે.] ઢિંગુજી :- [હાથમાં લઈ] જુઓ, મહાશય ! તમારી વીણામાં આ કાંકરી ભરાઈ ગઈ છે.અને તારમાં વાળ ગોઠવાઈ ગયો છે. આ બે દોષ આ ઉત્તમ વીણાને તેના ખરા સ્વરૂપમાં ખીલવા દેતા નહોતા. [તે બન્નેય કાઢી નાંખી વીણા વગાડે છે.] વીણાવાદક :- વાહ ! ચારેય તરફ બસ અમૃત જ વર્ષી રહ્યું છે ! દેવદત્તા :- ખરેખર, આપ સરસ્વતીના અવતાર જણાઓ છો ? વીણાવાદક :- [હાથ જોડી, પગે પડી] મને શીખવશો ? ઢિંગુજી - મહાશય ! હું તો હજુ શિખાઉ છું. ખરા જાણકાર તો મારા ગુરુજી છે. દેવદત્તા :- કોણ આપના ગુરુજી ? કિંગુજી :-પાટલિપુત્રમાં બિરાજતાં વિક્રમસેનાચાર્ય : તેનો હું મૂળદેવ નામે શિષ્ય છું. દેવદત્તા :- શું, આપ એ મહાનગરના નાગરિક છો ? પછી શી ખામી હોય ? માધવી :- [પ્રવેશ કરી -] બાઈ ! આ વિશ્વભૂતિ કળાચાર્ય પધાર્યા. દેવદત્તા - [ઊભી થઈ પ્રણામ કરી] પધારો, પુરુષ ભારતી ! ગુરુમહારાજ આ આસને. વિશ્વભૂતિ :- [આસન પર બેસતાં] રૂપસૌંદર્ય-કળાદિ સર્વગુણોએ આ યુગમાં સતિશાયિની તરીકે તું જ કાયમ હો. દેવદત્તા :- [પ્રણામ કરી] અનુગ્રહ આપનો. [મૂળદેવને] મહાશય ! એઓછી ખરેખર ભારતદેવીનો અવતાર જ છે. મૂળદેવ :- તમારા જેવા કળાવંતના ઉસ્તાદમાં શી ખામી હોય ? [વિશ્વભૂતિ તરફ જોઈ] ભરત નાય સૂત્રના પારંગત આપની પાસેથી પરસ્પર વિરોધી-સ્થળના કેટલાક ખુલાસા જાણવાની ઇચ્છા છે. વિશ્વભૂતિ :- એવી માથાકૂટ કરવા અમો અત્રે આવ્યા નથી. કોઈ ઠેકાણે એવો વિરોધ છે જ નહીં. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો મૂળદેવ :- જુઓ, હું બતાવું. [વિરોધવાળું સ્થળ બતાવે છે.] વિશ્વભૂતિ :- તમે કોની પાસે ભણ્યા છો ? તમારો ગુરુ કોણ છે ? મૂળદેવ :- એ પ્રશ્નો નકામા છે. આ૫ આનો ખુલાસો કરી શકો છો કે નહીં ? વિશ્વભૂતિ :- [ક્રોધાવેશમાં યદ્રા તદ્દા બોલે છે અત્યારે અમારે નાટ્યપ્રયોગનો વખત થયો છે. મૂળદેવ :- જિજ્ઞાસુને પ્રશ્નોત્તર ન આપતાં, નાટ્યાચાર્યની સ્ત્રી નટી ચાલતે નાટકે રોષ ભજવી બતાવે, તે સિવાય નાટ્યાસ્નાયમાં રોષનો અવકાશ કદી જોયો નથી, છતાં આપ રોષ કરો છો ? [વિશ્વભૂતિ મેણું સાંભળી ગભરાટમાં ચારે તરફ જોઈ રહે છે.] દેવદત્તા :- ગુરુજી ! અત્યારે આપને ઉતાવળ છે, પધારો. પછી વિચારીને ખુલાસો કરજો. વિશ્વભૂતિ :- હું જઈને બધું તૈયાર કરું છું. તું જલદી આવજે. [જાય છે.] દેવદત્તા - હા, અમે પણ સ્નાનાદિક કરી તૈયાર થઈ આવીએ છીએ. [માધવીને] અલી ! આજે સ્નાન પહેલાં મારે અંગમર્દનની જરૂર પડશે. મૂળદેવ:- નહીં મળે તો આપણું કામ અટકશે નહીં. દેવદત્તા:- શું આપ એ કળા પણ જાણો છો ? મૂળદેવ :- મને તો સહેજ સાજ આવડે છે. અને અત્યંગજ્ઞાન તમે પણ ધરાવતા હશો ? જેથી આપણું કામ અટકશે નહીં એમ મારું કહેવું છે. દેવદત્તા :- માધવી! જા તૈયારી કર. માધવી :- [જઈને પાછી આવી] બધું તૈયાર છે, પધારો સ્નાનાગારમાં. દેવદત્તા :- ચાલો સ્નાનાગારમાં. મૂળદેવ :- હા. ચાલો! [બન્ને જાય છે.] દેવદત્તા :- આપની અંગમર્દન કળા પ્રથમ બતાવો. મૂળદેવ :- પ્રથમ તમે બતાવો. દેવદત્તા :- આપની આગળ અમારી કળા કશા હિસાબમાં નથી. મૂળદેવ:- [કળાવિધાન યુકત મર્દન કરે છે.] દેવદત્તા :- ખરેખર અંગેઅંગમાં સુખ અને આહલાદનો સંચાર થઈ રહ્યો છે. ખરેખર સર્વ કળામાં નિષ્ણાત આપ કોઈ મહાપુરુષ જણાઓ છો. મૂળદેવ :- એ તો સહજ મહાવરાથી આવડે છે, તેથી આપણું કામ નભાવી લીધું છે. દેવદત્તા - આવું અદ્ભુત કામ સહજ મહાવરાનું પરિણામ ન હોય. કળજ્ઞાન તરફની આપની નમ્રતા Page #416 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પણ અદ્ભુત છે ! આપ કોણ છો ? હું આપને પગે લાગું છું. કૃપા કરીને આપનું ખરું સ્વરૂપ હવે તો જણાવો. [એમ કહી તેને પગે પડી વીનવવા લાગી.] ૩૪૩ મૂળદેવ :- [મોંમાંથી વામની ગુટિકા કાઢીને મૂળ સ્વરૂપમાં ઊભો રહી.] તમારો બહુ આગ્રહ છે, તો મારે તેને વશ થયા વિના ચાલતું નથી. દેવદત્તા :- દેવને પણ ભુલાવે તેવું લાવણ્યસાગરની છોળો ઉછાળતું આવું અદ્ભુત રૂપ આપ શા માટે છુપાવો છો ? ખરેખર, મારા અહોભાગ્ય ! સુંદર પુરુષની સુંદરતાની અવધિ હું જોવા પામી. દેવ ! મારા પર કૃપા કરો. હવે હું આપને સ્નાન કરાવું ! મૂળદેવ :- મારી પણ તમારી કળા જાણવાની ઇચ્છા તો છે જ. દેવદત્તા :- [વિવિધ પ્રકારે સ્નાન કરાવે છે.] મૂળદેવ :- તમારીયે પ્રતિભાશકિત અદ્ભુત છે, નવનવા પ્રકારથી સ્નાન તો ઘણી વખત કર્યું છે. પરંતુ તમારા હસ્તકૌશળથી તેમાં જે રસસંચારનો અનુભવ થાય છે, તે તો અદ્ભુત જ છે. દેવદત્તા :- [દેવદુષ્ય વસ્ત્રો લાવી] લો. હવે શરીર લૂછી, આપ આ વસ્ત્રો પહેરી વિલેપનાદિથી સજ્જ થઇ ભોજનશાળામાં પધારો. હું ત્યાં સજ્જ છું. [જાય છે.] મૂળદેવ :- આ આવ્યો સમજે. [તૈયાર થઈને જાય છે.] માધવી :- પધારો આ રસ્તે. [બન્નેય જાય છે.] દેવદત્તા :- પધારો: બિરાજે આ આસને. આ સર્વ અલ્પ રસસામગ્રીમાંથી આપને જે રુચિકર હોય, તેનો ઉપયોગ કરી કૃતાર્થ કરશો. મૂળરાજ :- મારે તમારા આગ્રહને વશ થવું પડ્યું છે. મને સ્વસ્થાને જવાને ઘણું મોડું થયું છે. દેવદત્તા :- આપને હવે કયાંય પણ જવાનું નથી. જવા દઈશ પણ નહીં. આપના વિના મારી એક ક્ષણ પણ વીતે તેમ નથી. માટે જવાનું તો નામ જ ન લેશો. મૂળદેવ :- પરદેશી અને વળી મારા જેવા નિર્ધન સાથે આપે આટલી બધી માયા બાંધવી ન જોઈએ. દેવદત્તા :- ગુણી પુરુષોના સૌ સ્વદેશ જ છે. સર્વગુણધનસમૃદ્ધ આપને નિર્ધન કોણ કહે ? અહીંથી ન જવાનું વચન આપો. આપના પરિચયથી હું કૃતાર્થ થઈ છું. મૂળદેવ :- તમારો પરિચય પણ મને એટલો જ સુખકર નીવડ્યો છે. પરંતુ ભાગ્ય-ચક્ર કેમ ફરે, તે તો આપણા હાથની વાત નથી. દેવદત્તા :- એ બધું ઠીક. પરંતુ, અહીંથી ન જવાનું વચન આપો. મૂળરાજ :- ભલે, એમ કરીશું. માધવી :- [ઉતાવળથી આવીને] નાટ્યપ્રયોગના આરંભનો સમય સૂચવવા રાજભવનમાંથી રાજદૂત Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આવેલ છે, શો જવાબ આપું ? દેવદત્તા :- તુરતમાં જ તૈયાર થઈને આવી પહોંચવાનો. માધવી :- ઠીક. [જાય છે.] ( ૨ ) રાજા :- દેવદત્તા ! હિંગુજી તબલચી નવા રાખ્યા કે શું ? દેવદત્તા :- જી ! મહારાજ, આપને પોતાની કળા બતાવવાની ભાવનાથી એઓ મારી સાથે આપની હજૂરમાં હાજર થયા છે. રાજા :- વાહ ! બહુ સારું, અમને પણ તે પ્રિય છે. તમારો પ્રયોગ શરૂ કરો. દેવદત્તા :- હાજી ! સર્વ સામગ્રી તૈયાર જ છે. [નૃત્યારંભ કરે છે.] મૂળદેવ :- [તબલચીનું કામ ઉપાડી લે છે.] [નૃત્ય આગળ વધે છે.] રાજા :- વાહ ! પરસ્પરની કળાને પરસ્પરનો કેવો ઓપ ચડી રહ્યો છે. મંત્રી :- દેવદત્તાનું આજનું નૃત્ય કોઈ અપૂર્વ છટાભર્યું જણાય છે. દેવદત્તા :- [નૃત્ય પૂર્ણ કરી] જય જય મહારાજ ! [કહી પ્રણામ કરે છે] રાજા :- દેવદત્તા ! માંગ, ખુશીથી માંગ. તારે શું જોઈએ ? દેવદત્તા :- આપનો એ પ્રસાદ હાલમાં આપની પાસે જ થાપણ તરીકે રાખી મૂકવા વિજ્ઞપ્તિ કરું છું. રાજા :- જેવી તારી ઇચ્છા. શું તું બીજો પ્રયોગ આરંભવાની તૈયારી કરે છે ? દેવદત્તા :- આપ શ્રીમન્ત રાજાધિરાજની આજ્ઞા હોય, તો અવશ્ય. રાજા :- તારા પ્રયોગોએ અમારા ચિત્તને ખરેખર આજે તો વશ કરી લીધું છે. દેવદત્તા :- [બીજો પ્રયોગ કરે છે.] પંચ પ્રતિક્રમણસૂત્રો મૂળદેવ :- [વીણા વગાડી, સભાને ડોલાવી રહે છે.] દેવદત્તા :- [નૃત્યને અંતે] જય જય મહારાજાધિરાજ ! ઉજ્જયની પતિનો સદાયે જય થાઓ. [કહી પ્રણામ શરૂ કરે છે.] રાજા :- [પ્રતિહારીને] લે, આ. અમારા અંગનાં સર્વ ઉત્તમ આભૂષણો બન્નેય કળાનિષ્ણાતોને વહેંચી આપો. પ્રતિહારી :- જેવી રાજાધિરાજાની આજ્ઞા. [લઈ બન્નેયને આભૂષણો આપે છે] એક સભ્ય :- [સભામાં આગળ આવી, રાજાને પ્રણામ કરી] શ્રીમાન્ અવંતી ભૂપાળ ! આ સેવકની આ પ્રસંગે એક વિજ્ઞપ્તિ કરવાની ઇચ્છા છે. રાજા :- આપ કોણ છો ? ને શી વિજ્ઞપ્તિ કરવાની છે ? Page #418 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૪૫ એક સભ્ય :- હું પાટલીપુત્રનો રાજ સેવક વિમણસિંહ નામે દ્વારપાળ છું. કાર્યવશાત અત્રે આવી ચડ્યો છું. મારી વિજ્ઞપ્તિ એ છે કે, આ વીણા વગાડનાર મહાશય અમારા શહેરના ભૂષણ રૂપ નરપુંગવ સર્વ કળા વિશારદ ધૂર્ત શિરોમણિ જગપ્રસિદ્ધ રાજકુમાર મૂળદેવ હોવાનું મારું અનુમાન છે જેની આજે બીજી જેડી નથી. રાજા :- શું એઓ પ્રસિદ્ધ મૂળદેવ કુમાર છે? જે તેમ હોય, તો અમારી પણ લાંબા વખતથી તેમને મળવાની ઉત્કંઠા છે. [મૂળદેવ તરફ] મહાશય ! જે આપ તે પુરુષશ્રેષ્ઠ હો, તો આશા રાખીએ છીએ કે, આપ આપનું મૂળ સ્વરૂપે પ્રગટ કરશો. મૂળદેવ :- આપ શ્રીમાના આગ્રહને વશ થવું પડશે. [કહી, મુખમાંથી વામની ગુટિકા કાઢી નાંખી વાદળામાંથી ચંદ્રમાં બહાર નીકળી આવે તેમ તેનું મૂળ સ્વરૂપ ખુલ્લું થયું.] સભા :- [સર્વાગ સંપૂર્ણ દેદીપ્યમાન કાન્તિનું સરોવર અને લાવણ્યનો ઊછળતો સાગર જોઈ ચકિત થઈ ગઈ] વાહ ! આવા પણ પુરુષો જગતમાં પાકે છે ? રાજા :- કુમારચેઝ તમારે આમ છૂપા રહેવાનું શું કારણ છે ? આ રાજ્ય તમારે તમારું જ સમજવાનું છે. [કહી તાંબૂલવાહિની પાસેથી તાંબૂલ લઈ મૂળદેવને આપવા હાથ લંબાવ્યો.] મૂળદેવ :- આપની છત્રછાયામાં સર્વ રીતે સુખી છું. [કહી તાંબૂલ લેવા હાથ લાંબો કરી લીધું, ને પ્રણામ કરી, સ્વોચિત આસને બેઠો.] રાજા :- દેવદત્તા ! તું પણ આવા સુભગ પુરુષના સંયોગથી તારી કળા-ચાતુરીને કૃતાર્થ કરજે. દેવદત્તા :- આપના જેવા મહાન પુરુષોની અમી નજરનું એ સુફળ છે. ૧ લો વૈતાલિક :- થાન્ત રવિ સ્વગૃહે પધારે. ૨ જો વૈતાલિક :- જોઈ પ્રસન્ન મુખ ચન્દ્ર, પ્રફુલ હાસ્ય નિશા મુખે ઝરે. પ્રતિહારી :- જાણી સમય સંધ્યા તણો નૃપ અવંતી સભા સમાપ્ત કરે. [સૌ જાય છે.] (૩) દેવદત્તા - રાજકુમાર ! તમારા સહવાસનો આનંદ કોઈ અપૂર્વ છે. મૂળદેવ :- તારા જેવી કળાનિપુણ નારીનો યોગ પણ દુર્લભ જ છે તો ? દેવદત્તા - એવું કાંઈ નથી. પરંતુ એક વિજ્ઞપ્તિ માટે અનુજ્ઞા માંગું છું. મૂળદેવ :- અનુજ્ઞા માગવાની કશી જરૂર નથી. ખુશીથી જણાવો. દેવદત્તા :- સર્વકળા સંપન્ન પૂર્ણિમાના ચંદ્ર સમાન આપને ઘુતરાહુ ગ્રહણ કરે છે, ત્યારે મારા હૃદય આકાશમાં અનેરી ઘેરી શ્યામ છાયા છવાય છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો મૂળદેવ - દેવદત્તા! કર્મની ગતિ જ ન્યારી છે. તારા જેવી કળા-નિધાન નારીના નસીબમાં કુળવતીના કુળને બદલે વૈશિકકુળ જડાયું છે. શું એ અમારી હદયભૂમિને ધરતીકંપ સમાન નથી? દેવદત્તા :- મહારાજ ! હું સર્વથા નિરુપાય છું. મારા સર્વ પ્રયત્નો કુલવતીને ઉચિત જીવન-સૌભાગ્ય પ્રાપ્ત કરવાના છે, પણ તે તો આજે મનોરથ રૂપે જ છે. પરંતુ આપ જે ધારો તો અમારા હૃદયને આનંદપ્રકાશમાં ઝીલતાં કરી શકો તેમ છો. માધવી :- [જલદી આવીને] બા! મા આવે છે. મૂળદેવ :- [મનમાં] આ શાકિનીનું આ વખતે અત્રે શું કામ હતું? વિદત્તાને હવે હું મારા નિવાસ તરફ જાઉં છું. દેવદત્તા :- ભલે સિધાવો. પરંતુ વહેલા દર્શન થાય તેવો પ્રયાસ કરશો. મૂળદેવ :- હા, અવકાશે તેમ કરીશું. [જાય છે.] દેવદત્તા :- માધવીને મા કયાં છે ? માધવી :- આ આવ્યાં. [અકકા આવે છે.] દેવદના :- પ્રણામ માજી ! અકા :- આનંદમાં છોને દીકરી ! દેવદત્તા :- આપના જેવા હિતચિંતક હોય ત્યાં આનંદની અવધિ શી હોય? અકકા :- કયાં ગયો પેલો નિર્ધન શિરોમણિ પરદેશી રખડતો રામ? દેવદત્તા :- માજી ! આપ કોને વિષે આમ રોષાગાર વર્ષાવો છો? અકા :- પેલા તારા મૂળિયા વિપે. બીજા કોના વિષે ? પાઈ આપવી નહીં, ને ઊલટું ઘર ખોદવું. દીકરી ! મીઠા મોણ અચળ શેઠને બદલે આ ઝાંઝવાના જળથી ભરેલા રણમાં તું કયાં અથડાવા લાગી ? છોડી દે એને, છોડી દે. સમુદ્રમાં પથ્થરના વહાણ સરખા એને છોડી દે. દેવદત્તા - માજી ! આપની ધન-લોલુપતા આપને એમ બોલવા દે, એ સ્વાભાવિક છે. અને મારી ગુણલબ્ધતા એ ઝાંઝવાના જળ(2)ની પાછળ મને દોડાવે, એ પણ સ્વાભાવિક છે. અક્કા :- બહુ દોઢડાહી થઈ ગઈ જણાય છે. કર, ત્યારે બન્નેયની પરીક્ષા. દેવદત્તા - પરીક્ષા કરો કે ન કરે. મારા અભિપ્રાયમાં જરાયે ફેર પડવાનો નથી. માધવીને) માધવી ! જા, બન્નેયને કહે કે, “દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થઈ છે, માટે મોકલો.” માધવી :- આ ચાલી (જઈને પાછી આવી) માજી ! અચળ શેઠે મોકલેલું શેરડીનું આ ગાડું કયાં ઉતરાવવું છે ? દેવદત્તા :- અરે ! પણ ગાડું શેરડીને શું કરવાની હતી ? શું હું હાથણી-બાથણી છું? કેવો મૂર્ણ ? [ખૂબ હસે છે.] Page #420 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૪૭ અકા :- [માં ચડાવી] તું તો તેના દોષ જ જોવાની. તેની ઉદારતા કેટલી બધી છે ? તેનો તો જરા વિચાર કર. માધવી ! જા, એ શેરડી પરસાળમાં ઉતરાવી નાંખ. તમારે પરિજનને પણ ખાવા થશે. દેવદત્તા - હા, હા, ઘણા દિવસ ચાલશે. [ખૂબ હસે છે.] માધવી :- લો, બા ! મૂળદેવ કુમાર તરફથી આ દાસી શેરડી લઈ આવેલ છે. દેવદત્તા :- ઉપર આવવા દે. દાસી :- [ઉપર આવીને, કપૂર છાટલા, ગાંઠા વિનાના, રસભર્યા, માપસર કાપેલા શેરડીના માંદળિયાથી ભરેલી ચિત્રવિચિત્ર ભરત ભરેલા રૂમાલથી ઢાકેલી ચાંદીની થાળી આપે છે.] લો, આ મૂળદેવકુમારે આપને માટે અલ્પ ભેટ મોકલી છે. દેવદત્તા :- [સહર્ષ] કુમારનો મહાન ઉપકાર. [કહી સ્વીકારે છે. દાસી જાય છે. માજી! લો, ચાખો, આ પ્રસાદી. જોયું તેનું ઔચિત્ય જ્ઞાન ? અક્કા :- મને એવું ન ભાવે. તું તારે ખાજે. [ઊઠીને ચાલવા માંડે છે.] દેવદત્તા :- મા! બેસો, શા માટે જાઓ છો ? અકકા :- હું તારા જેવી નવરી નથી. પરંતુ તને કહી દઉં છું કે, તું એને છોડી દે, નહીંતર, હું તો છોડાવીશ જ. દેવદત્તા :- પણ મા !.. અક્કા:- પણ બણ કાંઈ નહિ [ચાલી જાય છે.] માધવી :- બા ! મૂળદેવકુમાર પધાર્યા. દેવદત્તા :- સારું થયું. મૂળદેવ :- [આવીને પલંગ ઉપર બેસે છે. કેમ દેવદત્તા! દેવદત્તા :- [પ્રણામ કરી] આપને જોઈને આનંદ. માધવી:- [આવીને] બા, અચળ શેઠ સાથે માજી આવે છે. દેવદના :- શું કામ હશે ? [મૂળદેવને આપ આ પલંગ નીચે સંતાઈ જાઓ. ખીચડીમાં આવેલો કાંકરો કાઢ્યા પછી આપણે કલાવિનોદ અનુભવીશું. મૂળદેવ :- મારી પણ એ જ ઈચ્છા છે. જોઉ તો ખરો. શું થાય છે? [પલંગ નીચે સંતાય છે.] [અક્કો અચળશેઠ સાથે આવે છે.] દેવદત્તા :- પધારો, માજી ! પધારો, શેઠ ! Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અચલશેઠ :- [પલંગ પર બેસી] કેમ દેવદત્તા ! આનંદમાં છો ને ? દેવદત્તા :- આપ આનંદમાં છો, અમે પણ આનંદમાં છીએ. અચલશેઠ :- દેવદત્તા ! આજે મારી કુળદેવીએ સ્વપ્ન આપ્યું છે કે, ‘“વત્સ અચલ ! જો તું દેવદત્તાનું દીર્ઘ આયુષ્ય ઇચ્છતો હો, તો તારે તેના પલંગ પર બેસી વિધિપૂર્વક સ્નાન કરવું. માટે તારા દીર્ઘ આયુષ્યની ઇચ્છા રાખતા મને તું વિધિપૂર્વક નવરાવ. દેવદત્તા :- અરે ! પલંગ પર બેસીને નવાતું હશે ? આ અમૂલ્ય વસ્ત્રોનું શું થાય ? અચળશેઠ :- તું આટલી કૃપણ કયારની થઈ ? કોનો સંગ લાગ્યો ? તારા આયુષ્ય આગળ વસ્રોની શી કિંમત છે ? અક્કા :- હા, હા, શેઠ ! આપનું કહેવું બરાબર છે. મારી દીકરીના સર્વ અપમંગળ નાશ પામો. આપ સુખેથી સ્નાન કરો. અલિ ! માધવી ! જા, લઈ આવ બધાં સ્નાન યોગ્ય સાધનો. માધવી :- લઈ આવું છું. [ગઈ, ને પાછી આવી.] લો, આ સર્વ સ્નાન-સામગ્રી. અચલશેઠ :- હાં લાવો. [નાહવા માંડે છે. નીચે સળવળાટ સાંભળી] અરે ! પલંગ નીચે શું ભરાયું છે ? [ઊભા થઈ લટકતો ઓછાડ ઊંચો કરી મૂળદેવકુમારને બહાર ખેંચી કાઢે છે.] વાહ રે ! કળાનિધાન ! અહીં શી કળા શીખવા પેઠા હતા ? વાહ ! તમારા દીદાર ! [હસે છે.] પંચ પ્રતિક્રમણસૂત્રો મૂળદેવ :- [પીઠી, આંબળાનું ચૂર્ણ અને મેલા પાણીથી ખરડાયેલા શરીરે ચાલવા માંડે છે.] અકા :- અરે ! એય ! અહીં શી થાપણ હતી ? ચાલ્યો જા. ફરી મુખ બતાવતો ના. અચળ :- ઉતાવળ મા કર. સુવર્ણ-રૂપમય તેના મુખનું તો દર્શન કરી લે. - દેવદત્તા :- [અપમાન સહન ન થતાં] તમારી દુષ્ટતાની હદ થઈ. બસ કરો, દુષ્ટો ! મહાપુરુષનું અપમાન ! [મૂળદેવને] પ્રિય કુમાર ! ક્ષમા કરો. એ દુષ્ટોને તેનું ફળ મળશે. આપ હાલમાં અહીંથી ચાલ્યા જાઓ. મૂળદેવ :- હાલમાં અહીં આવવાની આશા ન રાખશો. આ અપમાન મારે માટે અસહ્ય છે. [એમ કહી તળાવને રસ્તે જાય છે.] દેવદત્તા :- [ખિન્ન ચહેરે જોઈ રહે છે.] [અક્કા અને અચળ હસતાં હસતાં ચાલ્યા જાય છે.] ( ૪ ) ૧ લો રાજપુરુષ :- અરે ! પણ આ મંગળ હાથણી આમ બગીચામાં કયાં ચાલી ? Page #422 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૨ જો રાજપુરુષ :- જવા દો. એ મંત્રેલી હાથણીનો ત્યાં જવામાં જરૂર કાંઈ પણ અર્થ હશે જ. ચાલો, આપણે પણ પાછળ પાછળ જઈએ. [મંત્રીને શણગારેલી હાથણી બગીચામાં ચંપકના ઝાડ તરફ ચાલી જાય છે. રાજ્યના પ્રધાનપુરુષો અને શહેરના આગેવાનો તથા અન્ય શહેરીઓ તેની પાછળ પાછળ વાજિંત્રો સાથે ચાલ્યા જાય છે.] હાથણી :- [ચંપક વૃક્ષ નીચે સૂતેલા પુરુષ તરફ જોઈ આનંદ બૃહિત કર્યું. સૂંઢમાં રહેલો મંગળ કળશ ઊંચો કર્યો અને તેના ઉપર ઢોળ્યો.] ૩૪૯ સૂતેલો પુરુષ :- [ચમકી ઊઠી] અરે ! આ શું ? મારા પર પાણી કયાંથી ? રાજમંત્રી :- [પાસે જઈ પ્રમાણ કરી] ભાગ્યનિધાન ! આ બેનાતટ નગરના અપુત્ર રાજાના પંચત્વથી આપ દિવ્ય પ્રયોગથી રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા છો. પધારો સર્વ અભિષેક-સામગ્રી તૈયાર છે. પુરુષ :- [ઊઠીને] અહો ! સઘળી સામગ્રી અહીં હાજર જ છે ? મંત્રી :- હાજી. [દરેક સામગ્રી આપે છે. પુરુષ રાજ્યને ઉચિત સર્વ વિભૂષણ સામગ્રીથી સજ્જ થઈ હાથણી ઉપર આરૂઢ થાય છે. માથે છત્ર ધરાય છે. બાજુએ ચામર ઢોળાય છે, હાથણી આગળ ચાલે છે.] બંદીલોકો :- જય ! જય ! મહારાજાધિરાજનો જય ! [સૌ રાજધાનીમાં આવ્યા ને પુરુષને સિંહાસનાધિષ્ઠિત કરી સૌએ પ્રણામ કર્યાં. પુરુષે રાજવહીવટ તપાસી લીધો અને મંત્રી સામે જોઈ.] પુરુષ :- એક ચતુર દૂતને હાજર કરો. જે ઉજ્જયિનીના રાજમંદિરમાં જલદી જઈ પહોંચે અને ઇષ્ટકાર્ય સિદ્ધ કરી લાવે. મંત્રી :- મહારાજ ! તે હાજર જ છે. [દૂતને હાજર કરે છે.] પુરુષ :- [દૂતને] તું જા જલદી ઉજ્જયિની. ત્યાંના રાજરાજેશ્વર જિતશત્રુ મહારાજાને કહેજે કે, ‘‘બેનાતટનગરના હાલ તુરતમાં જ રાજા થયેલા આપના પ્રીતિપાત્ર મૂળદેવ મહારાજા વિજ્ઞપ્તિ કરે છે કે, “દેવદત્તાને તુરત જ અમારા તરફ મોકલો.’’ દૂત :- જેવી આજ્ઞા. [કહીને જાય છે.] આકાશવાણી :- “મૂળદેવકુમાર વિક્રમરાજ જેવા સર્વ કળાનિધાન છે, માટે હવેથી તેને વિક્રમરાજ તરીકે દરેકે સંબોધવા. અને જે કોઈ તેની આજ્ઞા માનશે નહીં તેનો વિનાશ થશે.’’ મંત્રી વગેરે :- દિવ્યવાણી અમારે સર્વથા પ્રમાણ છે. પ્રતિહારી :- હવે રાજ્યાભિષેકની સભા સમાપ્ત કરવામાં આવે છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પંચ પ્રતિકમણસૂત્રો વિકમરાજ :- દેવદત્તા ! મારા ત્યાંથી ચાલ્યા ગયા પછી શું થયું ? દેવદત્તા :- બસ, ત્યારથી મેં અચળીયાનું મોટું પણ જોવાનું બંધ કર્યું. અને મહારાજા પાસે તમારું અપમાન કર્યાની ફરિયાદ કરી. વિકમરાજ :- પછી ? દેવદત્તા :- પછી શું ? તેને પકડાવી મંગાવ્યો, ને પોતાના રાજ્યનાં રત્નોનું અપમાન કરવા બદલ મહારાજાએ ભૃકુટી ચડાવી દેહાન્ત દંડની શિક્ષા ફરમાવી. વિકમરાજ :- અહો ! આટલો બધો રાજ્યકોપ બિચારા પર ઊતર્યો ? દેવદત્તા :- પછી તો હું વચ્ચે પડી. તેની દેહાન્ત દંડની શિક્ષા માફ કરાવી. પછી હુકમ કર્યો કે, “જા દેશવિદેશ બધેય ફરી વળ અને એ રત્ન પુરુષને માનપૂર્વક લાવીને મારી પાસે હાજર કર." વિકમરાજ:- પછી ? દેવદત્તા :- પછી તે બિચારો રાજાજ્ઞા માથે ચડાવી આપની શોધમાં દેશાવર ખેડવા નીકળી પડ્યો છે, પછી તેનો પત્તો લાગ્યો જ નથી. આપના સંદેશાથી અને ઉજ્જયિની પતિની આજ્ઞાથી મારે આપની સેવામાં અહીં હાજર થવું પડ્યું. વિક્રમરાજ :- એ બિચારો ક્યાં ભટકતો હશે ? દેવદત્તા - એ તો એના કર્યા ભોગવતો હશે. પરંતુ એ તો કહો-“આપ તે વખતે મારે ઘેરથી નીકળી કયાં ગયા? શું કર્યું? વગેરે.” વિકમરાજ :- સાંભળ, ત્યારે એ વીતક વાત. હું તારે ઘેરથી નીકળી તળાવે જઈ સ્નાનશુદ્ધિ કરી, દેશાવર ચાલ્યા જવાની ઈચ્છાથી નીકળી પડ્યો. રસ્તે ચાલતાં એક કાપડી વેશમાં બ્રાહ્મણ મળ્યો. અમે બન્ને સાથે સાથે જંગલમાં ચાલ્યા. રસ્તામાં એક જળાશય પાસે તેણે સ્નાન સંધ્યા કરી પોતાનું ભાતું વાપર્યું. દેવદત્તા :- શું તેણે એકલાએ ખાધું? વિક્રમરાજ :- એ બિચારો બ્રાહ્મણ શું કરે? પાસેનું ભાતું ખૂટી જાય, તો પછી જંગલમાં શું કરે ? પછી એમ કરતાં જંગલનો અંત આવ્યો ને તે છૂટો પડ્યો. મેં પૂછયું “મહાશય ! આપનું નામ, ઠામ, ગામ, કુટુંબની હકીકત હરકત ન હોય તો જણાવશો. બ્રાહ્મણ - મારું નામ સબડ. બાપનું નામ નિર્વાણશર્મા. અહીંથી મારો રસ્તો જુદો પડે છે, તેથી હું તો હવે આપનાથી જુદો પાડીશ.” મેં કહ્યું “મારું નામ મૂળદેવ કુમાર છે. બેનાતટનગર જઉ છું. કાંઈ પણ કામ પડે તો સુખેથી મારી પાસે આવજે.” ઉપકાર માની તે પોતાને રસ્તે પડ્યો. Page #424 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૩૫૧ દેવદત્તા :- પછી ? વિક્રમરાજ:- પછી હું આગળ ચાલ્યો. ઉજ્જયિનીથી નિરાહાર સ્થિતિમાં ભૂખે મારા ઉપર આક્રમણ કરવાની પ્રબળ શરૂઆત કરી હતી. દેવદત્તા :- આપને ઠેકાણે બીજાના તો રામ જ બોલી જાય. હું પછી ? વિકમરાજ:- એક ગામમાં ખાવાનું શોધવા ગયો. તેવામાં એક ગૃહસ્થ બાકળા કોઈને આપવા પોતાના ઘરની બહાર નીકળ્યા. ને મને કહ્યું. “અરે ! એ ભાઈ ! તારે ખાવું હોય, તો તે આ ખા.” મેં તરત જ તે વસ્ત્રમાં લઈ લીધા. અને ખાવા માટે બહાર ઝાડ તળે ચાલ્યો ગયો. જ્યાં ખાવા બેઠો તેવામાં. દેવદના :- વળી ત્યાં શું વિઘ્ન આવ્યું? વિક્રમરાજ :- ના, ના, વિન કાંઈ પણ નહીં, પરંતુ ઊલટું મહામંગળકારી કામ થયું. દેવદત્તા :- શું થયું? વિકમરાજ :- ધીરજ રાખ. એ તો હું કહું જ છું. મા ખમણનું પારણું કરવા ગયેષણા કરતા એક તપસ્વી મુનિરાજ આવી પહોંચ્યા. મારા હૃદયમાં ઉમળકો માય નહીં. મેં વિનયપૂર્વક નિમંત્રણ આપી ભરપૂર ભાવભકિતથી પેલા બાકળા વહોરાવી દીધા. અને મનમાં વિચારવા લાગ્યો કે, “મને ધન્ય છે ! આ પળને ધન્ય છે ! આ સ્થળને ધન્ય છે. અને અડદના બાકળાના ધણીને પણ ધન્ય છે.” એમ અનુમોદના કરતો ઊભો છું. તેવામાં આકાશવાણી થઈ ! દેવદના :- હે, શું કહો છો ? શી વાણી થઈ ? વિક્રમરાજ:- “હે ભદ્ર, હું તને શું આપું? અર્ધા શ્લોકમાં માંગી લે.” દેવદત્તા :- આપે શું માગ્યું? વિકમરાજ :- દેવદત્તા સાથે હજાર ગામનું રાજ્ય.” દેવદત્તા :- મારા ઉપર આટલો બધો આપનો અનુરાગ ? વિકમરાજ :- પછી તો મને એમ થયું કે, “અહો આવા મુનિરાજોને ધન્ય છે. ખરેખર આવા મહાપુરુષો જગતના ધારક છે. આપણા જેવાની હજારો કળાનો તેમની આગળ શો હિસાબ ? કળાઓ બતાવી બતાવીને કંઈક રાજાઓની ખુશામત કરત તો પણ એક ગામડુંયે મળત કે કેમ ? એ સંશય, દુનિયા ભલે આપણને હોશિયાર અને ચાલાક માનતી. પણ આવા સંતો આગળ આપણે તો નાનાં બાળકો કરતાંય ઊતરતા છીએ. ખરેખર એ જગવન્ય ગુરુષાની કૃપાકટાક્ષથી જ આ જગતુ નભી રહ્યું છે.” એમ વિચાર કરી મુનિરાજને વંદન કરી ગામમાં જઈ બીજું ખાવાનું મેળવી મેં ભોજન કર્યું. તે દિવસથી મારા હૃદયમાં એક જાતનો પલટો જ આવી ગયો. Page #425 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો દેવદત્તા :- ખરેખર આ મંગલમય વાત સાંભળીને મારા હૃદયમાં એક જાતની પવિત્ર ભાવનાનો સંચાર થાય છે કે, આપણે પવિત્ર અમૃત રસથી સ્નાન કરતા કોઈ એવો ભાસ થાય છે. આપ ખરેખર મહાભાગ્યવાન્ પુરુષ છો, તે નિ:શંક છે. આપણા પૂર્વ કર્મના સંજોગોને લીધે આપણે આ જન્મમાં ગમે તે દશા ભોગવવી પડી હોય, પરંતુ આ મહાન્ દાન પ્રસંગે આપણો ઘણો જ ઉદ્ધાર કર્યો છે. એમાં જરા પણ શંકા નથી. હું પછી ? ૩૫૨ વિક્રમરાજ :- પછી હું આગળ ચાલ્યો ને બેનાતટે આવી પહોંચ્યો. રાત્રે ધર્મશાળામાં અમે ત્રણ જણ સૂતા હતા, તેમાંના એક કાપડીને મારા જેવું જ સ્વપ્ન આવ્યું, તેની તેણે બીજા કાપડીને વાત કરી. ત્યારે પેલાએ કહ્યું કે, “તને ઘી ગોળ સાથે રોટલો ખાવા મળશે.’’ તેને સવારે તે ફળ મળ્યું પણ મેં મારા સ્વપ્નની કોઈને વાત ન કરી. દેવદત્તા :- કેમ ? વિક્રમરાજ :- પાત્ર વિના જેની તેની પાસે વાત કરવાની મારી ઇચ્છા નહોતી, તેથી હું વનપાળને ખુશી કરી તેની પાસેથી ફળફૂલ લઈ પવિત્ર સ્વપ્નશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને ત્યાં ગયો. તેને પ્રણામ કરી સ્વપ્ન જણાવ્યું. ત્યારે તેણે મારો સત્કાર કરી મને જમાડ્યો અને પછી કહ્યું કે, “તમે ઉત્તમ પુરુષ છો. માટે પ્રથમ મારી કન્યાને પરણો.' મારે તેમ કરવું પડ્યું. પછી મને કહ્યું કે, ‘તમને સાત દિવસમાં નગરનું રાજ્ય મળશે.'' દેવદત્તા :- બસ, એટલી જ વારમાં દિવ્ય વાણી સફળ થઈ ? પછી ? વિક્રમરાજ :- પછી શું ? પછી શું, તે તો તું જાણે જ છે. પ્રતિહારી :- [પ્રવેશ કરીને] [નીચે નમી પ્રણામ કરી] મહારાજ ! એક શાહ-સોદાગર મોટા વેપારી આપના ચરણકમળના દર્શન ઇચ્છે છે. વિક્રમરાજ :- ભલે, સુખેથી આવવા દે. પ્રતિહારી :- જેવી આજ્ઞા [જઈને વેપારી સાથે પાછી આવી.] આ રસ્તે, આપ પધારો, શેઠ ! સામે બિરાજે તે જ રાજાધિરાજ વિક્રમદેવ. વેપારી :- (નીચા નમી) પ્રમાણ, સકળ વિજય ગુણાલંકારાકૃત રાજરાજેશ્વરને, [પ્રવાળ ભરેલો થાળ ધરે છે.] વિક્રમરાજ :- [આસન તરફ આંગળી ચીંધી] આપનું નામ ? [ઓળખીને] આપ કયા પ્રદેશમાં પધારોથી છો ? શેઠ :- હું પારસી લોકોના [ઈરાન] દેશમાંથી આવું છું. મારું નામ અચળશેઠ છે. હું ઉજ્જયનીનો વતની છું. મારા વહાણોનો જકાતી માલ જોવા કૃપા કરવા વિજ્ઞપ્તિ કરવા આવેલો છું. વિક્રમરાજ :- હા, જાઓ હું પાંડવિયા વગેરે પંચને લઈન આવું છું. શેઠ :- જેવો હુકમ ! [જાય છે.] Page #426 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૫૩ દેવદત્તા :- મહારાજ ! આપે આને ઓળખ્યો કે ? વિકમરાજ :- એ જ અચળશેઠ આવી પહોંચ્યો છે. [જાય છે.] અચળશેઠ :- [કરિયાણા બતાવતો] જુઓ મહારાજ ! આ મજીઠના કોથળા. આ સૂંઠ. આ ધાણા. આ ખારેક. વિક્રમરાજ :- શેઠ ! આમ જૂઠાણું ન ચલાવો. તમારી પાસે જે જે કિંમતી ચીજ હોય, તે પણ બતાવી દો. તમે ન જાણતા હો તો જાણી લેજો કે “આ રાજ્યમાં દાણચોરીની શિક્ષા શિરચ્છેદ છે.” માટે જે હોય, તે સાચેસાચું બોલી જાઓ, અને બતાવી દો. અચળશેઠ :- મહારાજ ! હું અસત્ય બોલતો નથી. જે છે, તે બધું આપની સેવામાં હાજર કર્યું છે. વિક્રમરાજ:- બસ, તમે જૂઠું બોલો છો. કયાં ગયા રાજસુભટો ? સુભટો :- હાજર, મહારાજ ! વિક્રમરાજ :- આ શેઠને મેથીપાક ચખાડો. તે વિના સાચું બોલશે નહીં. સુભટો :-શેઠ આમ આવો. [કહી શેઠને મારવા પકડીને બાજુએ લઈ ગયા.] વિક્રમરાજ :- [કાનમાં] એમ કરજે. [પ્રગટ] જાઓ. ચખાડો બરાબર મેથીપાક. સુભટો - [પાછા આવી] મહારાજ ! ખૂબ ખોખરો કર્યો, પણ એકનો બે થતો નથી. અચળશેઠ :- મહારાજ ! મારી પાસે બીજું કાંઈ નથી— વિક્રમરાજ :- શેઠ. મને ઓળખો છો ? અચળશેઠ :-મહારાજઆપ મહારાજાધિરાજને કોણ ન ઓળખે? દિવદત્તા આવે છે] દેવદત્તા :- કેમ શેઠ ! મને ઓળખો છો કે ? અચળશેઠ-[નીચે જોઈ રહે છે.] દેવદત્તા :- આ મૂળદેવ કુમારને તો ઓળખ્યા કે નહીં ? અચળશેઠ :- [સામે જોઈ, ફરીથી નીચે જોઈ જાય છે.] દેવદત્તા :- શેઠ ! નીચે શું જુઓ છો ? તમારા જેવા એ નથી. આ જગતુમાં હજુ સુધી તમો જીવતા છો, તે તેઓશ્રીની ઉદારતાનો જ પ્રભાવ સમજો. અચળશેઠ :- [રાજાના પગમાં પડી] હું આપનો દાસાનુદાસ છું. મારા અપરાધ ક્ષમા કરો. ઉજયિની પતિએ મને કાઢી મૂકયો છે, આપ હવે દવા કરશે. વિક્રમરાજ :- શેઠ ! જાઓ. મારા ભલામણ પત્રથી તમને ઉજ્જયિનીમાં પણ પ્રવેશ મળશે. અચળશેઠ :- આપનો મહાન ઉપકાર. [પ્રણામ કરીને જાય છે.] [પ્રતિહારી સાથે શહેરના આગેવાન Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પંચ પ્રતિકમાગસૂત્રો ગૃહસ્થો પ્રવેશ કરે છે.] સર્વે:- [પ્રણામ કરી] જય થાઓ મહારાજનો ! વિકમરાજ :- આજે શા કાજે પ્રજાજનો અત્રે પધાર્યા છે ? સર્વે:- હિાથ જોડી] મહારાજ મરી ગયા. અમારા દુ:ખનો પાર નથી. વિકમરાજ :- હું શું કહો છો. મારા રાજ્યમાં પ્રજાજનોને દુ:ખ ? બોલો, જલદી બોલો. શું દુઃખ છે? સર્વે :- હાથ જોડી] મહારાજ ! એક જબ્બર ચોર અમારી ગુપ્તમાં ગુપ્ત રાખેલી સારી વસ્તુઓ ચોરી જાય છે ! તે સમજાતું નથી. વિક્રમરાજ :- [મંત્રીને પ્રજાજનોને આશ્વાસન આપો. મંત્રી :- [પ્રજાજનો મહારાજાધિરાજની ઈચ્છા છે કે-“એ મુશ્કેલીનો ટૂક વખતમાં જ રાજ્ય અંત લાવશે.' સર્વે:- જય પામી મહારાજ ! [સર્વે જાય છે.] મંત્રી :- મહારાજ ! એ ચોરને પકડવામાં ચાલાકમાં ચાલક દુર્ગપાળો અને બીજા અનેક પ્રયત્નો નિષફળ નીવડ્યા છે. વિક્રમરાજ :- એમ જ કહો ને કે-“આપણે સર્વે પ્રજા ઉપર ભારંભૂત થઈ રહ્યા છીએ.” મંત્રી :- ના, મહરાજ, આપ મહાનુભાવ રાજાધિરાજને કશું અશકય નથી. વિક્રમરાજ:- ઠીક છે, તમે તમારાં કાયોમાં સાવધાન રહો. હવે પછીની એ બાબતની આગળ તજવીજ અમો જાતે જ કરીશું. [સ જાય છે.] ૧લ પુર:- બિહારથી મંદિરનું બારણું ખખડાવી.) એય ! અંદર કોણ છે ? ઉઘાડો. ૨ જો પુરુષ :- (અંદરથી એ તો હું ગરીબ કાપડિક મુસાફર છું. ૧ લો પુરુષ :- [બહારથી જોરથી ખખડાવી] ઉઘાડ, ઉઘાડ, જલદી ઉધાડ. કાપડિક:- (અંદરથી] થાકયો પાક્યો સૂવા દો ને બાપુ! માંડ સૂતો છે ને ? ૧ લો પુરુષ :- ઊઠ, ઊઠ, તું કાપડી છો કે કોણ ? જોઉ તો ખરો. કાપડિક :- [ઉઘાડી] શા માટે હેરાન કરો છો ? મહેરબાન ! ૧ લો પરપ :- અલ્યા ! તું યે લાગે છે તો મારા જેવી. તારે પૈસાદાર થવું છે ને ? ચાલ મારી સાથે. કાપડિક :- તે ખાતર તો દેશ-પરદેશ રખડી રહ્યો છું. તોયે નસીબ તો બે ડગલાં આગળનું આગળ જ છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૫૫ ૧ લો પુરુષ :- કેમ મારી સાથે આવવું છે કે નહીં ? કાપડિક :- તૈયાર છું, સરદાર! [બન્નેય જાય છે.] ૧ લે પુરુષ :- [કાપડિક સાથે શેઠના ઘરમાં ઘૂસી, સારવસ્તુઓનો ગાંસડો બાંધી] એય ! ઉપાડ, ને ચાલ, આગળ. કાપડિક :- જેવો હુકમ, નામદાર ! [ઉપાડીને આગળ ચાલે છે.] ૧ લો પુરુષ :- [જુદા બગીચામાં ગુફાની અંદર જઈ) ઉતાર, અહીં. કાપડિક :- ઉતારું, મહેરબાન ! [ઉતારીને મૂકે છે.] ૧ લો પુરુષ :- [પોતાની બહેનને] રૂપસુંદરી ! જે, મારા સાથીદારના હાથપગ ધોઈ સત્કાર કરી સારી રીતે જમાડજે. હું કામે બહાર જઈને હમણાં આવું છું. [જાય છે.] રૂપસુંદરી :- [આવીને કાપડિકને] પધારો મહાશય, કૂવા પર જ, ત્યાં જ ઠીક પડશે. કાપડિક :- વારુ! [જઈને કૂવા ઉપર બેસે છે.] રૂપસુંદરી :- [પાણી લઈ પગ ધોતાં શુભ ચિહનો જોઈ] મહાભાગ ! કૂવામાં નાંખી દેવાનો મારા ભાઈ ચોર શિરોમણિનો આ સંકેત છે. એમાં કંઈક ડૂબી મૂા છે. પરંતુ તમને મહાપુરુષ જાણી છોડી દઉ છું. મારા પર કૃપા કરશો. કાપડિક :- તું ચિંતા ન કરીશ. હું તારું પ્રિય કરીશ. [ઊઠીને નાસી જાય છે.] રૂપસુંદરી :- ઓ ભાઈ! દોડો દોડો પેલો મજૂર મારા હાથમાંથી છટકી ગયો. ચોર :- આવીને] કયાં ગયો ? રૂપસુંદરી:-[બતાવીને] ઓ નાસે પકડો. ચોર:- [તલવાર લઈ પાછળ દોડી] ઊભો રહે, બદમાસ ! કાપડિક :- (દોડતાં દોડતાં મનમાં પેલા થાંભલા પાછળ ગોઠવાઈ ઘા ચુકાવી તેને થાપ આપી દઉં. તેમ કરે છે.] ચાર :- [માણસ સમજી થાંભલા પર ઘા કરી] બસ ! મૂઓ પામર. [પાછો ચાલ્યો જાય છે.] . કાપડિક :- (મનમાં] ગયો મૂર્ખ ! પરંતુ તેને બરાબર ઓળખી લેવો જોઈએ. [ઓળખી લઈ બીજી તરફ જાય છે.] રાહક :- (દુકાન ઉપર બેસીને | શેઠ મને ઉત્તમ વસ્ત્રો આપો. મારે ગ્રામાન્તરે જવું છે. માટે જલદી આપો. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પંચ પ્રતિકમાણસૂત્રો વેપારી :- ભાઈ ઉતાવળો ન થા. હમણાં દરરોજ મહારાજા પોતે બજારની મુલાકાત લેવા પધારે છે. તેથી તેના સત્કારાદિ માટે અમારે પ્રબંધ કરવો જોઈએ. તો પણ બેસો, હમણાં જ તમને આપું છું. [રાજા આવે છે. ગ્રાહકને જોઈ.] વિક્રમરાજ:- અહો ! ભાઈ ! આપ તો પરદેશી જણાઓ છો. ગ્રાહક :- [પ્રણામ કરી] હા, મહારાજ ! પરદેશી છું. વિક્રમરાજ :- અમારા વેપારીઓ પરદેશીઓને છેતરાતા નથી ને ? રાહક :- ના, મહારાજ ! આપના રાજ્યમાં ન્યાય, નીતિ, પ્રમાણિકતાનું પાલન બરાબર થતું જોવામાં આવે છે. વિક્રમરાજ :- આપ જેવા અતિથિસત્કાર આજે રાજ્ય તરફથી કરવાની અમારી ઇચ્છા છે. આવો લાભ કદી ન મળે. માટે આપ જરૂર પધારો. [સેવકોને એ મહાનુભાવને માનસત્કાર સાથે રાજમહેલે તેડી જજે. સેવકો :- જેવો હુકમ આપ રાજાધિરાજનો. વિક્રમરાજ :- આપ પછી અવકાશે ખરીદ કરશો તો પણ ઠીક રહેશે. [જાય છે.] સેવકો:- [અતિથિને તેડી જઈ રાજમહેલમાં રાજા પાસે જઈ] [પ્રણામ કરી] મહારાજ ! રાજ મહેમાન આવી પહોંચ્યા છે. વિક્રમરાજ:- પધારો, પધારો. અતિથિદેવ ! આ આસન. બિરાજે. અતિથિ :- [આસન ઉપર બેસી] ખરેખર ! આપ જેવા રાજરાજેશ્વરનો પણ વિનય આશ્ચર્યકારક છે. વિકમરાજ :- કયાં અમે ? અને કયાં પૂર્વના સર્વગુણસંપન્ન રાજર્ષિઓ ! આપ કયાંના વતની ? આપનું પવિત્ર નામ શું? શા કાર્ય પ્રસંગે આપ શ્રીમાને પ્રવાસ પ્રયત્ન સેવ્યો છે ? અતિથિ :- મહારાજ ! હું દેવદત્ત નામે શ્રીપુરનો વતની મારી બહેન કમળાના વેવિશાળ માટે બાજુના શહેરમાં જવા ધારું છું. વિક્રમરાજ :- બહુ સારું ! બહુ સારું ! પરંતુ મહાશય ! આપ આપના શ્રીમતી બહેનને માટે આ નગરીમાં કોઈ વર પસંદ કરી શકો તેમ નથી ? અતિથિ :- પરંતુ! અમે આ શહેરના અજાણ્યા શી રીતે તે સમજી શકીએ ? વિક્રમરાજ :- તમારી પોતાની અને આપના શ્રીમતી બહેનની ઈચ્છા હોય, તો એ સંબંધ માટે ખુદ રાજકુટુંબની પણ તમને હું ભલામણ કરી શકું. અતિથિ :- એ તો “સોનું ને સુગંધ.” Page #430 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૫૭ સેવક :- [આવીને પ્રણામ કરી.] દેવ ! સર્વ ભોજનસામગ્રી તૈયાર છે, પધારો. વિકમરાજ :- [અતિથિને] હા, પધારો [બન્નેય જાય છે.] અતિથિ :- [ જમતાં જમતાં] આશા છે કે આપ મને જલદી છૂટો કરશો. જેથી મારાં બહેનને અહીં તેડી લાવી આપની સાથેનાં લગ્નની તૈયારી વેળાસર કરી શકું. વિકમરાજ :- આપ શ્રીમાને કશી ઉતાવળ કરવાની જરૂર નથી. આપની લાયકી જોઈ પ્રથમ મારી ઈચ્છા રાજ્યમાં લાયક મંત્રીની ખામી આપથી જ પૂરી લેવાની છે. પછી નિરાંતે બધો ઘટતો બંદોબસ્ત કરી શકશો. અતિથિ :- આપની કૃપા અપરંપાર છે. [જમવા માંડે છે.] (૮) કમળા:- [પ્રણામ કરી] મહારાજ ! હવે તો ત્યાં ફૂટી કોડીએ નથી રહી. વિક્રમરાજ:- બસ ખલાસ ? પરંતુ તે આટલો બધો બેદરકાર કેમ બન્યો છે ? કમળા :- આપ તરફની રોજ નવી નવી નવાજેશથી તે તૃપ્ત થઈ ગયો છે. વિકમરાજ :- મારી ઇચ્છા આજે પણ તેને મોટું ઈનામ આપવાની છે. [સેવકોને જા, જલદી નવા મંત્રીશ્વરને તેડી લાવ. સેવક :- જી ! હજૂર [કહી જઈને તેડી લાવી] મહારાજ ! મંત્રીરાજ આ પધાર્યા. વિક્રમરાજ :- પધારો, મંત્રીરાજ ! [આંગળીથી બતાવી] બિરાજો આ આસને. આપના મંત્રીશ્વર પદની પ્રાપ્તિ પછી રાજ્યમાં સુલેહ શાંતિ જોઈ મારી ઘણી ચિંતાનો ભાર ઓછો થઈ ગયો છે. ખરેખર, તમારાથી રાજ્ય મગરૂર છે. મંત્રીરાજ:- એ આપની મહાકૃપાનું પરિણામ છે. વિક્રમરાજ :- આપના એ કામથી ખુશ થઈ આજે મારી ઈચ્છા દરરોજ કરતાં મોટામાં મોટું ઇનામ આપવાની છે. [સેવકોને] જાઓ પેલા અલંકારો અને ઉત્તમ વસ્તુઓના થાળ હાજર કરો. સેવકો :- જી મહારાજ ! [કહી દોડી જઈ બધા થાળો હાજર કરે છે.] મંત્રીશ્વર :- [જોઈ રહે છે, ને વિચારમાં પડી જાય છે.] વિક્રમરાજ :- કેમ મંત્રીશ્વરજી ! આપ વિચારમાં પડી ગયા ? આ વસ્તુઓ કયાંય જોઈ છે ? તે પરથી કાંઈ પ્રિય સ્વજન યાદ આવે છે ? મંત્રીશ્વર :- ના, મહારાજ, એવું કશું નથી. આપની મારા ઉપરની દયાને કાંઈ મર્યાદા હશે કે નહીં ? Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પંચ પ્રતિકમાગસૂત્રો તેનો વિચાર કરું છું. આ ચીજો મેં મારા જન્મમાંયે દીઠી નથી. વિકમરાજ :-કમળા સામે જોઈ રૂપસુંદરી ! તારા માનવંતા ભાઈ, તે આ જ કે? રૂપસુંદરી :- હા, મહારાજ ! તેઓ શ્રીમાન પોતે જ મારા ભાઈ થાય છે. વિક્રમરાજ :- [મંત્રીશ્વર સામે જોઈ ભ્રકુટી ચડાવી| પેલા કૂવામાં ફેંકાવી દઈ કેટલાક બીચારા નિર્દોષોના પ્રાણ લીધા છે ? બોલ સાચું. ચોર :- [થરથર ધ્રૂજતાં મહારાજ ! ક્ષમા કરો. વિકમરાજ :- હવે ક્ષમા ? સેવકોને] જાઓ, લઈ જાઓ એને કારાગૃહમાં- પછી તેનો ન્યાય વિચારીશું. આ ચીજો જે જેની હોય તે ઓળખીને લઈ જવાની પ્રજાજનોને ખબર આપો. સેવકો :- જી, મહરાજ ! [પકડીને લઈ જાય છે.] એક સેવક :- પ્રજાજનોને ખબર આપવા જાય છે. (૯). મૂળદેવ :- પુત્ર રણસિંહ ! રણસિંહ:- શો આદેશ છે પૂજ્યશ્રીનો ? મૂળદેવ:- મુનિદાનના પ્રભાવથી મળેલી સર્વ સંપત્તિનો સાત ક્ષેત્રમય ધર્મમાર્ગમાં વ્યય કર્યો. યથાશકિત શ્રાવકધર્મની આરાધના કરી. શ્રી શત્રુંજયાદિ મહાતીર્થોની શ્રી સંઘ સાથે મહાયાત્રાઓ કરી. તો પણ તેટલાથી તૃપ્તિ ન થતાં વિશેષ આત્મકલ્યાણ માટે ઉજજવળ થયેલો અમારો આત્મા ગુરુ મહારાજના ચરણકમળમાં પ્રવ્રજ્યા માટે તૈયાર થઈ ગયો છે. ગુરુ મહારાજ અને આપણા ભાગ્યયોગની સાથે જ પધાર્યા છે. રાણસિંહ :- મારી ઈચ્છા આ જીવન આપના ચરણની અનન્ય સેવા કરવાની છે. મૂળદેવ :- ન્યાયનીતિથી પ્રજાપાલનમાં, યથાયોગ્ય શ્રાવકધર્મને પાલનમાં, સાત ક્ષેત્ર પોષણ અને મહાતીર્થ યાત્રાદિ ઉત્તમ કાર્યો કરી યશભાગી થવામાં, અમારી સેવા જ છે. પુત્ર ! મારા કરતાં સવાયો થઈ પોતે મહાઆત્મકલ્યાણકારી જીવન જીવી કલ્યાણભાગી થજે. [જવા માડે છે.] રાગસિંહ:- [પાછળ પાછળ જાય છે.] રાજદૂત :- [પ્રણામ કરી] જય પામી મહારાજાધિરાજ ! રણસિંહ :- ભદ્રમુખ ! પૂજ્યશ્રી તાતપાદના શા સમાચાર છે? રાજદૂત :- મહારાજ ! તેઓશ્રીના તપશ્ચર્યા તથા સંયમપાલનની ઉચ્ચકોટિની પ્રશંસા ખુદ આચાર્ય Page #432 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો મહારાજના મુખેથી જ સાંભળીને આવું છું. રાગસિંહ :- પૂજ્ય આચાર્ય ભગવંતનો શો આદેશ છે ? ભદ્રમુખ :- તેઓશ્રીનો આદેશ છે કે-‘રાજનું રસિંહ ! જેવી મૂળદેવ મુનિ મુનિદાનના પ્રભાવથી અનેક પુણ્યસામગ્રી પામી તેમજ ઉચ્ચ પ્રકારની સંયમારાધના પ્રાપ્ત કરી સ્વર્ગ પામ્યા છે, અને ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. તે જ પ્રમાણે તમારે પણ તમારા પિતાનો માર્ગ અનુસરવો, જેથી સર્વ કલ્યાણના ભાગી થશો.’’ રણસિંહ :- [મંત્રીશ્વરને મંત્રીશ્વરજી ! તાતપાદના સ્વર્ગારોહણના સમાચારથી એક રીતે અમારા હૃદય શોકથી ઘેરાય છે, ને બીજી તરફથી તેઓની કલ્યાણપ્રાપ્તિની અનુમોદના નિમિત્તે મહા ધર્મોત્સવ કરવાની ઇચ્છા થાય છે. ખરેખર આ પ્રસંગે શું કરવા યોગ્ય છે. તેમાં મન સંશયમાં પડે છે. મંત્રી :- મહા ધર્મમહોત્સવનો આપનો સંકલ્પ સર્વથા ઉચિત છે. રણસિંહ :- તો તે આપણા રાજ્યમાં પ્રવર્તાવો. મંત્રી :- જેવી રાજરાજેશ્વરની આજ્ઞા. [સર્વ જાય છે. ૩૫૯ ૫૦. પ્રભવ સ્વામી : આ કથા જંબુસ્વામીની કથામાં લગભગ આવી જાય છે. ૫૧. વિષ્ણુકુમાર : ગજપુર નગરમાં પદ્મોત્તર રાજાની જ્વાળાદેવી રાણીને વિષ્ણુકુમાર અને મહાપા નામના બે પુત્રો હતા. રાજાએ વિષ્ણુકુમાર સાથે મુનિ સુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. મહાપા રાજા થઈ ચક્રવર્તી થયા. તેને નમુચિ નામે એક મિથ્યા દષ્ટિ અને જૈનાચાર્યો ઉપર દ્વેષી પ્રધાન હતો. વાત એ છે કે તે નમુચિ અવંતીના શ્રીધર્મ નામના જૈનધર્મના દ્વેષી રાજાનો પ્રધાન હતો. મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુસ્થિતાચાર્ય ત્યાં એક વખત આવ્યા. તેમના એક શિષ્યે નમુચિને વાદમાં હરાવ્યો. તે રાતમાં આચાર્યને મારવા ગયો. શાસનદેવે તેને એમને એમ થંભાવીને સવારે લોકોની આગળ ઉઘાડો પાડ્યો. તે ઘણું શરમાયો. લોકોના કહેવાથી દેવે તેને છોડી દીધો. પણ તેના મનમાંથી સાધુ પરનો દ્વેષ ન ગયો. તે ત્યાંથી ગજપુર ગયો. ત્યાં સામંતસિંહ રાજાને જીતી આપવાથી રાજાએ ઇષ્ટ વચન આપેલું. તે તેણે માગ્યા વિના એમને એમ રાખી મૂકેલું હતું. ન --- ત્યાર બાદ મહાપદ્યોત્તર રાજાએ ચક્રવર્તી થયા પહેલાં પોતાના પિતાની હયાતીમાં તેની માતાએ શ્રી જિનેશ્વરની રથયાત્રા કઢાવવા માંગણી કરી અને બીજી માતાએ બ્રહ્માની રથયાત્રાની માંગણી કરી. તે તો રાજાએ પૂરી કરી. પણ પહેલો રથ કોનો ચાલે ? તે બાબત વિવાદ થયો, ને યાત્રા બંધ રહી. પરંતુ મહાપદ્યોત્તરે ચક્રવર્તી થયા બાદ પોતાની માતાની એ ઇચ્છા પૂરી કરી. ? આ તરફ સુસ્થિતાચાર્ય સપરિવાર વિહાર કરતાં ગજપુર ચોમાસું રહ્યા. નમુચિને પૂર્વનો દ્વેષ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પંચ પ્રતિકમાણસૂત્રો યાદ આવ્યો. રાજા પાસે પ્રથમનું રાખી મૂકેલ વચન પૂરું કરવા માંગણી કરી કે - “મને સાત દિવસ રાજ્ય ચલાવવા દો.” રાજાને વચન પ્રમાણે તે આપવું પડ્યું. દરેક દર્શનવાળા નવા રાજાને મળવા આવ્યા. માત્ર સુસ્થિતાચાર્ય ન આવ્યા. નમુચિએ હુકમ ફરમાવ્યો કે “તમારે મારા રાજ્યમાંથી ચાલ્યા જવું.” ગુરુએ સાધુઓના મંડળમાં વિચારણા કરી. “હવે શું કરવું?” એક સાધુ બોલ્યા કે “ચક્રવતના ભાઈ વિષ્ણુકુમારને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, અને અષ્ટાપદ ઉપર કાયોત્સર્ગમાં રહ્યા છે. હું ત્યાં જવા સમર્થ છું. પરંતુ પાછો આવવા સમર્થ નથી. તો પણ તેમની લબ્ધિથી આવી શકીશ.” મુનિ ગયા. વિષ્ણકુમાર આવ્યા. નમુચિને સમજાવ્યો. તે એકનો બે ન થયો. ત્યારે વિષગુમારે પોતાને માટે રહેવાની જમીનની માંગણી કરી. તે આપવાને તૈયાર થયો. પૂછયું કે - “આપને કેટલી જોઈએ ?” વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે-“ત્રણ ડગલાં” નમુચિએ કબૂલાત આપી. મુનિનું શરીર ક્રોધથી તપ્યું કે-લાખ જોજનનું વૈક્રિય શરીર કરી એક ડગલાથી પૂર્વ સમુદ્ર, બીજાથી પશ્ચિમ સમુદ્ર અને ત્રીજાથી જમીન માપવા નમુચિના માથા પર પગ મૂકી તેને દબાવી મારી નાંખ્યો. (પાઠાંતરે-તે લાખ યોજનનું શરીર જોઈ ભય પામ્યો. વિષ્ણુકુમારને દેવોએ સંગીતથી તથા મહાપદ્યોત્તર રાજા અને આચાર્ય તથા પ્રજાજનોએ શાંત કર્યા. ત્યારથી સંગીત પ્રસિદ્ધ થયું. રાજાને ઠપકો આપ્યો અને નમુચિને દેશનિકાલ કર્યો.) વિષગુકુમારે શાંત પડી ગુરુ પાસે ઈરિયાવહી કરી વંદન કર્યા. લોકોએ ખળભળાટથી પડી ગયેલાં ઘરો સારાં કરાવ્યાં. ત્યારથી દિવાળીએ લોકો ઘર સાફ કરાવે છે. રાજાએ સાત ક્ષેત્રમાં ધન વાપર્યું. વિષ્ણુકુમાર મોક્ષમાં ગયા. ૫૨. આર્દ્રકુમાર : અનાર્ય ભૂમિમાં આદ્રક દેશના આર્કક રાજાની આર્ટિકા રાણીથી આર્દિક નામે એક કુમારનો જન્મ થયો હતો. મગધ દેશના રાજાને અને આર્તક રાજાને કુળક્રમાગતી હતી. તેથી તેઓ એક બીજાને પરસ્પર ભટણાં મોકલતા હતા. આ પ્રમાણે એક વખત શ્રેણિક રાજાએ ભેટમાં સાથે પોતાના મંત્રીને આર્તક રાજા પાસે મોકલ્યો. આ વાતની આáક કુમારને ખબર પડી. કુમારને શ્રેણિકના કુમારને ભેટયું મોકલવાની ઈચ્છા થઈ. જ્યારે પેલો મંત્રી પાછો ફર્યો, ત્યારે આર્કક રાજાએ ભેટણા સાથે પોતાનો મંત્રી મોકલ્યો. તેની સાથે કુમારે અભયકુમારને પણ ગુપ્તપણે ભેટયું મોકલ્યું. પ્રધાનો દરિયામાર્ગે ભારતમાં આવી મગધ દેશમાં ગયા. દરેકને ભેટની ચીજો પહોંચાડી. આદ્રક કુમારે પોતાની સાથે મૈત્રી સાંધવા ભેટછું મોકલી ઈચ્છા વ્યકત કરી. તેથી અભયકુમારે તે કુમારની ઊંચી લાયકાત વિચારી કે-“જરૂર આ કુમારે પૂર્વ ભવમાં સંયમની આરાધના કરેલી હોવી જોઈએ. કંઈક વિરાધના કરવાથી તેને અનાર્ય દેશમાં ઉત્પન્ન થવું પડેલું હોવું જોઈએ. માટે તેને પ્રતિબોધ કરવા કંઈક ઉપાય કરવો જોઈએ.” એમ વિચારી આર્દિક દેશનો મંત્રી જ્યારે પોતાના દેશમાં પાછો ફર્યો ત્યારે તેની સાથે આર્કિકકુમારને ગુપ્તપણે આપવી ભેટની એક પેટી સ્નેહપત્ર સાથે આપી. તે લઈ મંત્રી દેશમાં ગયો. શ્રેણિક રાજાએ મોકલેલાં ભટણાં રાજાને આપ્યાં અને પછી પેલી પેટી ગુપ્તપણે રાજકુમારને આપી. Page #434 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૬૧ રાજકુમારે તે ખોલી, તો તેમાંથી શ્રી આદીશ્વર પ્રભુના પ્રતિમાજી સર્વ પૂજા સામગ્રી સાથે તેના જોવામાં આવ્યાં. તેના આનંદનો પાર ન રહ્યો. તે જોઈ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ થયું, ને તેનો પોતાનો પૂર્વભવ જાણવામાં આવ્યો કે –“હું આજથી ત્રીજે ભવે મગધ દેશના વસંતપુરમાં સામાયિક નામનો કણબી હતો, મારી સ્ત્રીનું નામ બધુમતી હતું. અમે શ્રી સુસ્થિતાચાર્ય પાસે ધર્મ સાંભળી શ્રાવક વ્રતની આરાધનામાં તત્પર થયાં. સ્ત્રી અનશન કરી મૃત્યુ પામી, ત્યારે હું પણ અનશન કરી સ્વર્ગમાં ગયો. વ્રતની કંઈક ખંડના કરવાથી હું ત્યાંથી આ અનાર્ય દેશમાં જન્મ્યો છું. છતાં ધર્મરહિત છું. ખરેખર મારા પર ઉપકાર કરવા અભયકુમારે પ્રતિમાજી મોકલી મારો ઉદ્ધાર કર્યો છે, તે ખરેખર મારા ગુરુ રૂપ છે.” એમ વિચારી અભયકુમાર પાસે જવા પિતાની આજ્ઞા માગી. પિતાએ આજ્ઞા આપી નહીં. પરંતુ પાંચસો માણસો તેની સેવામાં ગુપ્તપણે ચોકી રાખવાના ઇરાદાથી મૂકયા. કુમાર ફસાઈ ગયો, છતાં જે મળે, તેને અભયકુમારના જ સમાચાર પૂછે. પછી તેણે એક યુકિત શોધી કાઢી કે- ઘોડા ઉપર ફરવા જવાને બહાને દૂર દૂર જાય ને પાછો આવી જાય. એક દિવસે સમુદ્રકિનારે વહાણ તૈયાર રખાવી પ્રતિમાજી તથા રત્નાદિક મુસાફરીની સામગ્રી સાથે હંમેશની જેમ ઘોડા ઉપર ફરવા જઈ પાંચસો સેવકોને થાપ આપી આ તરફ પ્રવાસ લંબાવ્યો. વહાણમાંથી ઊતરી લક્ષ્મીપુર જઈ શ્રી પુણ્યનંદજી સૂરીશ્વરજી મહારાજ પાસે ધમપદેશ સાંભળી પોતાની પાસેનું ધન સાત ક્ષેત્રમાં વાપરી દીક્ષા લીધી. ત્યારે આકાશવાણી થઈ કે –“આર્દ્રકુમાર ! તારે ભોગકર્મ ભોગવવાનું બાકી છે. માટે દીક્ષા લેવાની ઉતાવળ ન કર.” છતાં તેણે પ્રત્યેકબુદ્ધ મુનિ તરીકે વિચરવું શરૂ કર્યું. ત્યાંથી વિહાર કરી વસંતપુર પાટણમાં જઈ બહાર દેવમંદિરમાં રાત્રે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. પૂર્વભવની બંધુમતી સ્ત્રીનો જીવ આ જ શહેરમાં ધનદ શેઠની શ્રીમતી નામે પુત્રીપણે જન્મેલ છે. તે સખીઓ સાથે આ જ મંદિરમાં ફરવા આવેલી ત્યારે દરેક સખીઓ એક એક થાંભલાને પતિ તરીકે ઠરાવીને રમવા લાગી. ત્યારે શ્રીમતી માટે થાંભલો બાકી રહેલો ન હોવાથી તેણે પેલા મુનિને પોતાના પતિ ઠરાવ્યા. તેવામાં આકાશવાણી થઈ કે-“બરાબર છે બરાબર છે'' ને ગર્જના સહિત રત્નવૃષ્ટિ થઈ. શ્રીમતી પણ પગે પડી નિર્ણયાત્મક ભાવથી બોલી કે-“આ ભવમાં તો તમે જ મારા પતિ છો.” પરંતુ મુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ધન લેવા આવ્યા, ત્યારે ફરીથી આકાશવાણી, થઈ કે-“આ શ્રીમતીનો જે પતિ થશે, તેનું એ ધન.” તેથી રાજા પોતાને સ્થાનકે ગયા અને કન્યા ધન લઈ ગઈ. કન્યાએ કોઈ પણ વર સાથે લગ્ન ન કરતાં બાર વર્ષ કાઢી નાંખ્યાં. દરેક સાધુ આવે, તેનાં ચરણોમાં પ્રણામ કરી પછી અન્ન લેવાનો નિયમ રાખ્યો હતો. તે અનુસાર બાર વર્ષે ફરતાં ફરતાં આદ્રક મુનિ આવ્યા, તેને પ્રથમ વખતે કરેલા પ્રણામ વખતે જોયેલાં ચરણચિહ્નો ઉપરથી ઓળખી કાઢી આગ્રહપૂર્વક તેને પરણવા વિજ્ઞપ્તિ કરી. મુનિએ જાણ્યું કે “ભોગાવલી કર્મનો ઉદય આવી પહોંચ્યો છે. છૂટકો નહીં થાય.” એમ વિચારી તેની સાથે લગ્ન કર્યું. ત્યાં તેને એક પુત્ર થયો. ત્યારે ફરીથી દીક્ષા લેવા તેણે સ્ત્રીની સમ્મતિ માંગી. પરંતુ સ્ત્રીએ કાંઈ ખુલાસો ન આપતાં રૂની પૂણીઓ લાવી રેટિયો લઈ કાંતવા બેઠી. આ જોઈ પુત્રે પૂછયું કે, “બા ! આ શું આદર્યું ? આપણે આવી મજૂરી Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પંચ પ્રતિમાગસૂત્રો કરવાની હોય કે ?” શ્રીમતીએ કહ્યું કે, “બેટા તારા પિતા દીક્ષા લેવાના છે, પછી તો આપણે આપણા દિવસો આમ જ વિતાવવા પડશે.” આ સાંભળી બાળકે કહ્યું કે “હું દીક્ષા લેવા નહીં દઉં.” એમ કહી ત્રાક ઉપરથી સૂતરનો દોરો લઈ આદ્રકુમાર સૂતા હતા, તેના પગ ઉપર વીંટી દીધા ને કૂદકા મારી મારી બોલવા લાગ્યો કે “બસ! બાંધી દીધા, હવે શી રીતે જશે બા ?” આ પ્રેમાળ વાણીથી આર્દ્રકુમારનું હૃદય પીગળ્યું અને તેણે તાંતણા ગણીને નિર્ણય કર્યો કે-“તાંતણા બાર છે. તો હજુ હું બાર વર્ષ સુધી દીક્ષા લઈ શકીશ નહીં.” બાર વર્ષ પસાર થઈ ગયા બાદ એક દિવસે રાત્રે તેને ચિંતા થઈ કે “પૂર્વ ભવે વ્રતભંગ કરવાથી અનાર્ય થયો. આ ભવમાં પણ વ્રતખંડન કર્યું છે. મારી શી દશા થશે ?” વગેરે વિચારી સ્ત્રી તથા પુત્રને સમજાવી ફરીથી દીક્ષા લીધી. રાજગૃહી તરફ જતાં પેલા પાંચસો નોકરો ચોરીનો ધંધો કરીને ગુજરાન ચલાવતાં સામે મળ્યા. તેને પ્રતિબોધીને શિષ્યો કર્યા. પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા માટે રાજગૃહી નજીક વચમાં એક ઉદ્યાનમાં તાપસ આશ્રમમાં હાથીને મારીને તેનું માંસ ખાઈ પોતાને જીવદયા પ્રેમી ગણાવતા. તે તાપસોએ દલીલ કરી કે “અન્નના ઘણા દાણા ખાવામાં ઘણા જીવોની હિંસા છે. તો અમો તો ઘણા વચ્ચે એક જ જીવની હિંસા કરીએ છીએ. માટે અમે દયાળુ કે તમે ?” આ વાત ચાલતી હતી, તેવામાં તેઓએ ઝાડ સાથે તાણી બાંધેલો એક હાથી તોડાવીને આદ્રકુમાર મુનિને વંદન કરવા દોડતો આવ્યો. વંદન કર્યું, મુનિએ તેને મિષ્ટ વચનથી અનશન કરાવ્યું, તે તેણે કર્યું. તાપસી પણ દયા મૂળ જૈન ધર્મની ખૂબી જોઈ બોધ પામી જૈન થયા. (આ બૌદ્ધ વિહાર હોવો જોઈએ.) આ વાતની રાજા શ્રેણિને ખબર પડી એટલે અભયકુમાર સાથે ત્યાં આવ્યા, અને વંદન કર્યું. ધર્મ દેશના પછી રાજાએ પૂછયું કે, “આપને જોઈ આ હાથીએ લોહમય બેડીઓ શી રીતે તોડી નાંખી ?” આદ્રકુમાર મુનિએ કહ્યું કે-“મહાનુભાવ ! એ બેડીઓ તોડવામાં કશી મુશ્કેલી નથી. પરંતુ સૂતરના તાંતણા તોડવા ઘણા મુશ્કેલ હતા. “રાજાએ તે હકીકત પૂછી ત્યારે તેમણે પોતાનો બધો વૃત્તાન્ત કહી સંભળાવ્યો. આ સાંભળી બન્નેયે તેમને ઓળખ્યા અને અભયકુમારે પણ દીક્ષા લેવા રજા માગી, પરંતુ શ્રેણિકે ના પાડી કે, “તારા વિના અમારા પ્રાણ ટકશે નહિ. માટે હું જ્યારે તેને જવાનું કહ્યું ત્યારે તારે દીક્ષા લેવી.” પછી ત્રણેય પ્રભુના સમસરણમાં સપરિવાર ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી સારી રીતે સંયમની આરાધનામાં તત્પર થયા અને અંતે મોક્ષમાં ગયા. ૫૩. દઢપહારી : જીર્ણદત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્ત નામનો ઉદ્ધત પુત્ર મામાના મરણ પછી શિકારમાં હોશિયાર થયો, અને ચોર લોકોના સહવાસમાં રહી પલ્લીના અપુત્ર ભીમ પલ્લીપતિના પુત્ર તરીકે રહ્યો. તેના ઘા ઘણા જોરદાર હોવાથી, તેનું નામ દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધ થયું. એક દિવસે કુશસ્થળ ગામમાં તેણે ધાડ પાડી. ત્યાં બનાવ એવો બનેલ કે-દેવશર્મા બ્રાહ્મણે દૂધને તાંબૂલ માંગી લાવી, પોતાની સ્ત્રીને આપી જંગલ ગયો. તેવામાં તેના જ ઘરમાં તેઓએ લૂંટ ચલાવી, વાત તેના બાળકે બ્રાહ્મણને કહી. બ્રાહ્મણ લાકડી લઈને સામે આવ્યો. તેને દઢપ્રહારીએ Page #436 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૬૩ મારી નાંખ્યો. તેવામાં એક ગાય શીંગડું મારવા આવી તેને પણ ત્યાંને ત્યાં જ પૂરી કરી. પેલા બ્રાહ્મણની સ્ત્રી દોડતી આવી. તે સગર્ભાને પણ ત્યાંને ત્યાં જ ચીરી નાંખી. ને તેનો ગર્ભ પણ તરફડીને મરી ગયો. આ ચાર હત્યા જોઈ દઢપ્રહારીનું મન ડગમગવા લાગ્યું. “અરે ! આ બિચારાનાં બાળકોનો આધાર શો ? મારું શું ? આ ઘોર પાપથી મારો નિસ્તાર શી રીતે થશે ?” તેના સંસ્કાર જાગ્રત થવા લાગ્યા. ત્યાંથી દોડીને જંગલમાં જતાં એક શાંત મુનિ મળ્યા, તેને પ્રણામ કરી પોતાની દશા ગદ્ગદ કંઠે કહી સંભળાવી, ને દીક્ષા આપવા માંગણી કરી. મુનિરાજે તેને યોગ્ય જાણી દીક્ષા આપી. તેણે અભિગ્રહ કર્યો કે-જે દિવસે મને મારું આ પાપ યાદ આવશે, તે દિવસે હું ઉપવાસ કરીશ.” ત્યાંથી કુશસ્થલ તરફ જ તેણે વિહાર કર્યો. ભિક્ષા માટે જતા લોકો પેલી વાત યાદ કરી તેને તિરસ્કારે ને મારવા આવે. ત્યારે આ કેવળ પોતાના આત્માની જ નિંદા કરે. ચારેય દરવાજે કાઉસ્સગ્ગ ધ્યાન ધર્યું ને કર્મનિર્જરા કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અંતે મોક્ષમાં ગયા. ૫૪. શ્રેયાંસકુમાર : હસ્તિનાગપુરમાં બાહુબલીના પુત્ર સોમયશાના પુત્ર શ્રેયાંસકુમારને એવું સ્વપ્ન આવ્યું કે-“મેલા મેરુને અમૃતથી ધોઈ ઉજ્જવળ કર્યો.” સોમયશા રાજાને પણ સ્વપ્ન આવ્યું કે-“શત્રથી હાર પામતા સુભટને શ્રેયાંસ કુમારની મદદથી જય મળ્યો.” તે નગરના શેઠને પણ સ્વપ્ન આવ્યું કે-“સૂર્ય મંડળમાંથી કિરણો વર્ષ્યા, તે શ્રેયાંસ કુમારે ત્યાં જ પાછા સ્થિર કર્યા. પ્રભાતે મળીને સર્વેએ એમ વિચાર્યું કે-“શ્રેયાંસ કુમારને આજે કંઈક લાભ થશે,” તેવામાં વરસીતપનું પારણું કરવા તે નગરમાં યુગાદિ દેવ આદીશ્વર પ્રભુ પધાર્યા. કોઈ કન્યા, કોઈ સોનું, મણિ, મોતી, માણેક વગેરે લઈ આપવા માંડ્યા. પ્રભુ કાંઈ લે નહીં. શ્રેયાંસકુમાર પ્રભુ સામે જોઈ રહ્યા. તેને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયો. સંયમની આરાધના સૌ સાથે કરેલી તે સર્વ તેને યાદ આવ્યું. નીચે ઊતરી પ્રભુને વંદન કર્યું. તેવામાં કોઈએ આવીને શ્રેયાંસ કુમારને શેરડીના રસના ઘડા ભેટમાં આપ્યા. તે વહોરાવી પ્રભુને પારણું કરાવ્યું. દેવતાઓએ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી શ્રેયાંસ કુમાર મોક્ષ યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરી, અંતે મોક્ષમાં ગયા. ૫૫. દૂરઘટમુનિ : ધર્મઘોષ નામના આચાર્ય મહારાજ લક્ષ્મીપુરમાં પધાર્યા ત્યારે તેમણે ધર્મદેશના આપી. તે સાંભળીને ધનદ શેઠના નાના પુત્ર ક્રૂર ઘટે દીક્ષા લીધી. ક્ષમા એ તેનો મુખ્ય ગુણ હતો. આચાર્ય મહારાજ શ્રીપુર નગરે ગયા. સાધુઓ ચોમાસામાં તપશ્ચર્યા કરે, તેની દૂરઘટ મુનિ ગોચરી લાવીને વેયાવચ્ચ કરે. પોતે તપશ્ચર્યા કરી શકે નહીં, એટલે તેને ભિક્ષા લાવી વાપરવું પડે. એક દિવસે વેયાવચ્ચ કર્યા વિના જ ગોચરી લાવીને સવારમાં જ તે વાપરવા બેઠા. તેવામાં માસના ઉપવાસી સાધુ આવીને કહેવા લાગ્યા, “મેં તારી પાસે થંકવાનું વાસણ માંગ્યું, તે આપ્યા વિના ખાવા બેસી ગયો ? તું ક્ષમાવંત શાનો ? તારા ભોજનમાં આ બળખો નાખું છું. ખા, પછી કેવોક ખાય છે ?” એમ કહી સાચેસાચ ભોજનમાં બળખો નાંખ્યો. મુનિ બોલ્યા, “મહાત્મન્ હું બાળક છું, હું ભૂલી ગયો ! પરંતુ મારા ધનભાગ્ય કે-આપના જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં પડ્યો.” એમ કહી તે પોતાના દોષોનો વિચાર કરતાં બળખા સહિત તે ભોજન વાપરતાં કેવળજ્ઞાન પામ્યા અને દેવોએ આવીને તેના કેવળ જ્ઞાનનો મહિમા કર્યો. * Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પંચ પ્રતિકમણસૂત્રો ૫૬. શયંભવ સૂરિ : મનફ કુમારના ચારિત્રમાં ટૂંક હકીક્ત આવી ગઈ છે, ત્યાંથી જોઈ લેવી. ૫૭. મેઘકુમાર: રાજગૃહીના શ્રેણિકની ધારિણી રાણીના મેઘકુમાર નામે પુત્ર આઠ રાજાઓની કન્યાઓને પરણ્યા હતા. એક દિવસે પ્રભુ મહાવીર દેવને વંદન કરવા ગયેલા, ત્યાં કુમાર ઉપદેશ સાંભળી ત્યાં જ દીક્ષા લીધી. દીક્ષા આપ્યા પછી વહાણ-આસેવન શિક્ષા શીખવવા તેને પ્રભુએ સ્થવિર મુનિઓને સોંપ્યા. સ્થવિરો બીજે ગામ જઈ રાત રહ્યા. મેઘકુમારનો સંથારો છેલ્લે બારણા પાસે આવ્યો. રાતમાં માતરું કરવા જતાં આવતાં સાધુઓના પગ પડવાથી ને સંથારામાં ધૂળ પડવાથી, તેને ઊંઘ આવી નહીં. રાજકુમાર કંટાળી ગયા ને વિચાર કર્યો કે, “આપણે તો સવારે પ્રભુને આ બધું સોંપીને ઘેર જ જઈશું.” સ્થવિર ભગવંતો સવારમાં ગામડેથી પ્રભુને વાંદવા આવ્યા. સાથે મેઘકુમાર હતા. પ્રભુ આ વાત જાણતા તો હતા જ. તેથી તેને કહ્યું “મેઘમુનિ ! તને જે દુઃખ થયું, તે તો તારા પૂર્વ ભવના દુઃખ આગળ કાંઈ હિસાબમાં જ નથી. સાંભળ-આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢય પર્વતમાં છ દંતશૂળવાળો અને હજાર હાથણીના પરિવારવાળો સુમેરૂપ્રભ નામનો ધોળો હાથી હતો. તું તરસને લીધે તળાવમાં પાણી પીવા ગયો, ત્યાં તું ખેંચી ગયો, એટલે તારા શત્રુ હાથીઓએ તને ઘણી પીડા કરી. ત્યાંથી મરીને વિધ્યાટવીમાં તું મેરૂપ્રભ નામનો ચાર દંતશૂળવાળો સાતસો હાથણીનો સ્વામી ધોળો હાથી થયો. ત્યાં દાવાનળ જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે તે તારા પરિવારને માટે વેલા ઘાસ વગેરે સૂંઢથી ચૂંટી કાઢી એક યોજન પ્રમાણ ચોખ્ખી જમીનનું માંડલું કર્યું. પાછો દાવાનળ સળગ્યો ત્યારે તે પરિવાર છોડીને તું પેલા માંડલામાં જઈ ભરાયો. તેવામાં અનેક વન પશુઓ તેને આશ્રયે ભરાઈ ગયા. તે પણ સાંકડમાં ઊભો રહ્યો. ખરજ ખણવા તે પગ ઊંચો કર્યો, તે એક સસલું તારા પગને ઠેકાણે સાંકડથી ગભરાઈને બેસી ગયું. જેવો તું ખરજ ખણી પગ મૂકવા જતો હતો, તેવામાં તે પેલું સસલું દેખ્યું. તારો પગ આવે, તો સસલું તો ચગદાઈ મરે જ ને ? પણ દયાથી તે પગ અધ્ધર જ રાખી લીધો. બે દિવસ પછી દાવાનળ શાંત થયો. જનાવર ચાલ્યા ગયાં. સસલું ચાલ્યું ગયું. એટલે જેવો તું પગ નીચે મૂકવા ગયો, તેવો જ અકડાઈ જવાથી તું કડડભૂસ કરતો પડ્યો, ને દયાની ભાવનામાં ને ભાવનામાં તું મરણ પામ્યો. ત્યાંથી મેઘકુમારપણે ઉત્પન્ન થયો. મેઘકુમાર ! આ પવિત્ર મુનિઓના પગની રજમાં તને વધારે દુ:ખ લાગ્યું કે તે પૂર્વભવે દુઃખ સહન કર્યા, તેમાં વધારે દુઃખ હતુ?” આ સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુ સાક્ષીએ ખમાવીને પોતાના આત્માની નિંદા કરતાં નેત્રો-સિવાય શરીર વોસિરાવીને સંયમમાં દઢ થયા. લાંબો વખત દીક્ષા પાળી વિજય વિમાનમાં સ્વર્ગે ગયા. ત્યાંથી મોક્ષમાં જો. મહાસાત્વિક પુરુષોની કથાઓ અહીં પૂરી થાય છે, છતાં મૂળ ગાથામાં એમાઈ શબ્દથી બીજાઓનો પણ સંગ્રહ કરેલો હોવાથી ટીકાકાર આચાર્ય મહારાજશ્રીએ બીજી પણ કેટલીક કથાઓ સ્કન્દકુમાર, Page #438 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૬૫ સ્કન્દકાચાર્ય, હરિકેશિબળ મુનિ, ધનદેવ અને ધનમિત્ર, ઉત્તમકુમાર, મંકર મુનિ, ૧લા યુવક મુનિ, ૨ જા ક્ષુલ્લક મુનિ અને સુલોચના, કૃપણ, આષાઢભૂતિની લખી છે. તે પણ ટૂંકામાં નીચે આપી છે. ૫૮. સ્કન્દકુમાર : તે નામના શ્રાવસ્તીના રાજકુમારે દીક્ષા લીધેલી, ત્યારે તેના પિતાના કહેવા છતાં પણ તેના માથા ઉપર છત્ર ધરાવતા હતા. વિહાર કરતાં કંચનપુરીમાં તેની બહેન સુનંદાના જેવામાં આવ્યા. તે પોતાના ભાઈ જેવા જાણીને તેને ધારી ધારી જેવા લાગી. તેના પતિ પુરણસિંહ રાજાને વહેમ પડ્યો. એટલે રાત્રે બહાર મુનિ કાઉસ્સગ્નમાં હતા ત્યાં તેને મરાવી નાંખ્યા. તેની લોહીથી ખરડાયેલી મુહપત્તિ પક્ષીએ લાવીને રાજમહેલમાં નાંખી, તે ઉપરથી રાણીને ઘણો શોક થયો. તપાસ કરતાં “પોતાના ભાઈ જ હતા” એમ નકકી થયું. તેના પતિને પણ પછી ઘણો પસ્તાવો થયો ને દીક્ષા લીધી. જ્ઞાની મુનિને પૂછતાં “સ્કન્દ્રકુમાર ચોથે દેવલોકે ગયા છે. ત્યાંથી મોક્ષમાં જશે.” મુનિના મરણથી બહેને ઉત્સવ કરાવ્યો. હજુ પણ એ દેશમાં ભાઈના મરણથી બહેને ઉત્સવ કરાવવાનો રિવાજ પ્રચલિત છે. ૫૯. સ્કન્ટાચાર્ય : આ પણ શ્રાવસ્તિના જિતશત્રુ રાજાની ધારિણીના પુત્ર હતા. તેની પુરંદરયશા બહેનને દંડકારણ્યના કુંભકાર રાજા સાથે પરણાવી હતી. કુંભકારનો પાલક મંત્રી નાસ્તિક હતો. તે એક વાર શ્રાવસ્તીમાં આવ્યો, ત્યાં સ્કન્દકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો હતો. શ્રી મુનિસુવ્રત સ્વામીની દેશના સાંભળી પાંચસો રાજકુમારો સાથે સ્કન્દકુમારે દીક્ષા લીધી, ને મહાઆચાર્ય થયા. એક વખત તેઓએ દંડકારણ્ય તરફ વિહાર કર્યો. પ્રભુએ “ત્યાં ઉપસર્ગ થશે ને તમારા સિવાય બધા આરાધક થશે.” એમ કહ્યું. આચાર્ય ગયા. પાલકને ખબર પડી. તે જગ્યાએ છૂપાં શસ્ત્રો છુપાવરાવી રાજાને ખોટું સમજાવ્યું કે, “આ બધા સુભટો તમારું રાજ્ય સેવા કપટથી આવેલા છે” ને શસ્ત્ર બતાવ્યાં. રાજાએ હુકમ આપ્યો કે, “તેઓને, તને ફાવે તે, શિક્ષા કર.” તે ઉપરથી તેણે ગુપ્તપણે ઘાણી રખાવીને દરેકને પીત્યા. આરાધન કરી તેઓ તે જ વખતે મોક્ષમાં ગયા. છેલ્લે નાના શિષ્યને પકડીને ઘાણીમાં નાંખતાં આચાર્યે ના પાડી કે, “ભાઈ ! પહેલાં મને પીલ, મારાથી એ બાળકનું દુઃખ જોઈ શકાશે નહીં.” તો પણ પાલકે તેમ ન કર્યું. આચાર્યે આરાધના કરાવી, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવો આચાર્યનો વારો આવ્યો. તેને પીલ્યા. પણ તેમણે નિયાણું કર્યું કે “આ દુષ્ટ રાજાને સપરિવાર શિક્ષા કરું' મરીને અગ્નિકુમાર નિકાયમાં દેવ થયા. તરત જ ઉપયોગ મૂકયો, ને વેર લેવા તૈયાર થયા. હવે, આ તરફ-લોહીવાળો રજોહરણ ઉપાડીને ઊડતી સમડીની ચાંચમાંથી રાજમહેલમાં પડ્યો. તેની બહેને ઓળખ્યો. રાજાને ઠપકો આપ્યો. રાજા પસ્તાયો. તેવામાં તો અગ્નિકુમારદેવે પુરંદરયશાને ઉપાડીને પ્રભુ પાસે મૂકી અને આખું વન બાળી નાંખ્યું. ત્યારથી દંડકારણય કહેવાય છે. પ્રભુએ બહેનનો શોક શાંત કર્યો ને દીક્ષા આપી. તે સ્વર્ગે ગઈ. અગ્નિકુમારદેવને પણ ઉપદેશ આપી શાંત કર્યો. ૬૦. હરિકેશિબળ મુનિ : મથુરાના શંખરાજાએ દીક્ષા લીધી. તેણે ગજપુરમાં ગોચરી જતાં ગોખમાં બેઠેલા સોમદેવ પુરોહિતને માર્ગ પૂછયો. તેણે કૌતુકથી અગ્નિમય માર્ગ બતાવ્યો. પણ તપના પ્રભાવથી મુનિને તે શીતળ થયો. તેથી આશ્ચર્ય પામી પશ્ચાત્તાપ કરી, મુનિ પાસે ક્ષમા માંગી દીક્ષા લીધી ને સંયમની આરાધના કરી દેવલોકમાં તેજસ્વી દેવ થયો. ત્યાંથી ચ્યવી ગંગા કિનારે રહેલા Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પંચ પ્રતિકમણસૂત્રો બળકોટ ચંડાલની ગૌરી સ્ત્રીને પેટે જન્મ્યો. મુનિપણામાં આરાધના કરેલી છતાં પ્રથમ જે કુળમદ કરેલો, તેનો વિપાક ભોગવવા તેમને ચંડાલ જાતિમાં ઉત્પન્ન થવું પડ્યું. [પશુપક્ષીમાં જેમ જાતિભેદ સ્વયં સિદ્ધ છે. તે જ પ્રમાણે મનુષ્યોમાં પણ જાતિભેદ સ્વયં સિદ્ધ જ છે. અને દરેક પ્રજાઓમાં તે પ્રમાણે ભેદ છે. રાજા, રંક, ઊંચો ધંધો કરનારા, હલકો ધંધો કરનારા, વગેરે જાતિભેદ કુદરતી છે. માત્ર તેનો મદ દોષ રૂપ છે. અને તેવો મદ કરી કર્મ ઉપાર્જન કરનારાઓને ઉત્પન્ન થવા માટે ચંડાળાદિ હલકી જાતિઓ પણ સ્વયં સિદ્ધ છે. તે કોઈએ કૃત્રિમ રીતે ચલાવેલ નથી, પરંતુ કુદરતના ધોરણે વ્યવસ્થિત કરી છે. ચાંડાળ જાતિ ન હોત તો હરિકેશિબળ મુનિ મનુષ્યપણામાં એ કર્મ કયાં વેદત ?] તેનું નામ હરિકેશિબળ રાખ્યું. લોકોએ સર્પને મારી નાંખ્યો અને અળશિયું બચાવ્યું. એ ઉપરથી બોધ પામી પોતાનાં તોફાનો છોડી મુનિરાજ પાસે સુ-ધર્મ સાંભળી દીક્ષા લીધી. તપશ્ચર્યાથી શરીર દુર્બળ થયું. વિહાર કરતાં વારાણસીના હિંદુક વનમાં ધ્યાનમાં રહ્યા. ત્યાંના બે યક્ષો તાપસોથી અસંતોષ પામી તેના ભકતો થયા. એક વખત રાજકન્યા ભદ્રા તે વનમાં રમવા આવી. યક્ષની પૂજા કરી. તેવામાં ધ્યાનમાં રહેલા સાધુને જોઈ તેના પર ધૃણા કરવા લાગી. એટલે યક્ષે તેને ગાંડી કરી મૂકી અને તે જ સાધુને પરણવા ફરજ પાડી. રાજાએ છેવટે પુત્રીનો જીવ બચાવવા ધ્યાનમાં રહેલા મુનિ સાથે પરણાવી, ત્યાં મૂકીને ગયો. રાત્રે યક્ષે તેને બહુ જ હેરાન કરી અને ઠપકો આપ્યો કે, “હવેથી કદી મુનિનું અપમાન કરીશ, તો મારી નાંખીશ.” ભદ્રા ભય પામી અને મુનિને પતિ તરીકે સ્વીકારી, તેની સેવા કરવા લાગી. મુનિ ધ્યાન પૂર્ણ કરીને બોલ્યા “બાળા ! અમારે સ્ત્રી સાથે વાતચીત પણ ન હોય. આ બધી ઘટના યક્ષની છે. માટે તેમાં અમારે કાંઈ લેવા દેવા નથી.” કહી અન્યત્ર ચાલ્યા ગયા. ભદ્રા રાજા પાસે આવી. રાજાએ મંત્રીઓને “કષિપત્નીનું શું કરવું?” એમ પૂછી સલાહ લઈ રુદ્રદેવ બ્રાહ્મણને પરણાવી. બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો. ફરતા ફરતા એ જ મુનિ ત્યાં ભિક્ષા લેવા આવ્યા. બ્રાહ્મણોએ ત્યાંથી કાઢી મૂકવા માંડ્યા. અને “અમારો યજ્ઞ અભડાવ્યો” કહી મારવા દોડ્યા. “બ્રાહ્મણો માટેનું બીજાને આપી ન શકાય.” એમ કહી કંઈપણ વહોરાવ્યું પણ નહિ. ભદ્રાએ આવીને સમજાવ્યા પણ બ્રાહ્મણો માન્યા નહીં. પછી યક્ષે બધાને જાતિ મદ ન કરવા સમજાવ્યા. છતાં જ્યારે તે ન સમજ્યા અને જ્યારે પૂરા હેરાન કર્યા ત્યારે મુનિને શરણે ગયા. મુનિએ જાતિ મદ ન કરવા સમજાવ્યું. બ્રાહ્મણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. પોતે સમભાવમાં રહેલા હતા, તે જોઈ બ્રાહ્મણો તેના સેવક થયા. તેમને આહાર વહોરાવ્યો. યજ્ઞ છોડ્યો, છેવટે મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. ૬૧-૬૨. ધનદેવ અને ધનમિત્ર : ધનપુરમાં ધનંજય શેઠની ધનવતી પત્નીથી ધનદેવ અને ધનમિત્ર નામના બે પુત્રો થયા. ધનદેવે ગ્રીષ્મ ઋતુમાં મુનિરાજને સાકરવાળું દૂધ વહોરાવેલું, તેના પ્રતાપથી તે સિંહલદ્વીપમાં સિંહલેશ્વર રાજાની સિંહલા રાણીથી સિંહલસિંહ નામનો પુત્ર થયો. ધન શેઠની ધનવતી કન્યાને કુમારે હાથીથી બચાવી, તેથી તેના પિતાએ તેની સાથે તેને પરણાવી, રાજકુમારનું રૂપ જોઈ નગરની નારીઓ મોહ પામતી હોવાથી પ્રજાજનોની માંગણીથી તેને રાજાએ બહાર ન જવા આદેશ કર્યો. એટલે તે ધનવતીને લઈ દેશાવર ચાલ્યો ગયો. રસ્તામાં વહાણ ભાંગવાથી બન્નેય જુદા • Page #440 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૬૭ પડ્યા. પાટિયાની મદદથી ધનવતી પ્રિયમલેક તીર્થમાં મૌન રાખીને રાહ જોતી રહી અને કુમાર રત્નપુર જઈ પહોંચ્યો. ત્યાંના રત્નપ્રભ રાજાની રત્નાવતી કન્યાના સર્પદંશનું નિવારણ કરી તેને પરણ્યો. પરંતુ ધનવતીના વિયોગથી કેટલાંક કષ્ટો સહન કરી, રાજાની પ્રીતિ સંપાદન કરી રુદ્ર મંત્રી સાથે સ્વવતન તરફ તે પાછો ફર્યો. જે રત્નતી મેળવવા તેને સમુદ્રમાં નાંખી દીધો. ત્યાં પણ વહાણ ભાંગ્યું. રત્નાવતી પ્રિયમેલક તીર્થમાં પાટિયાની મદદથી પહોંચી. કુમારને સમુદ્રમાંથી ઉપાડીને કોઈએ તાપસાશ્રમમાં મૂકયો. ત્યાં તાપસોએ રૂપવતીકન્યા પરણાવીને કન્યાદાનમાં સો સોનૈયા આપનારી કંથા અને આકાશગામી ખાટલી આપી. ખાટલીમાં બેસી ધનવતીની શોધમાં રૂપવતી સાથે ચાલ્યો. રસ્તામાં કુસુમપુરે ખાટલી ઉતારી કૂવામાં પાણી લેવા જતાં સર્પ કરડ્યો ને કુમારનું રૂપ કૂબડું થઈ ગયું. કૂબડાના હાથે રૂપવતીએ પાણી ન પીધું અને પોતાના પતિને શોધવા લાગી. તે પણ પ્રિયમેલક તીર્થે ગઈ. ત્રણેય મૌનપણે ધાર્મિક જીવન ગાળે છે. ત્યાંના રાજાએ પડહ વગડાવ્યો કે “આ ત્રણેયને બોલાવે, તેને કુસુમવતી પરણાવીશ.” કૂબડાએ પુસ્તકનાં કોરાં પાનાં લઈ પોતાનો વૃત્તાંત મોટેથી બોલીને વાંચવાનો ઢોંગ કરી તેમની હકીકત કહેતો ગયો, તેમ તેમ સ્ત્રીઓ આગળ આગળ માટે “પછી શું થયું ?” એમ પૂછીને બોલતી ગઈ. સર્પદંશ પછી શું થયું ? તેનો જવાબ ન આપતાં પુસ્તક વીંટાળી રાજાને કન્યા આપવા ફરજ પાડી. વચનના બંધાણા રાજાને કન્યા પરણાવવી પડી. હસ્તમિલન વખતે રાજાએ માગવા કહ્યું ત્યારે માગ્યું કે, “પોકાર કરતો સર્પ આપો.” રાજાએ કહ્યું કે “સર્પ આવો.” તરત જ સર્પ આવ્યો અને કુમારને કરડ્યો. તે મૂછ ખાઈ ઢળી પડ્યો. પેલી ત્રણેય સ્ત્રીઓ તે કૂબડાને બચાવવા પ્રયત્ન કરવા લાગી, તેવામાં તે કુમાર પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. સર્ષે ખુલાસો કર્યો કે “સિંહલકુમાર ! મુનિરાજને વહોરાવતાં તમારા ભાવ ત્રણ વખત તૂટ્યા તેથી તમારે આમ ત્રણ વખત વિટંબના ભોગવવી પડી છે. બાકી તો પુણ્યોદયથી દરેક ઠેકાણે તમારો આદર થયો છે, ને પ્રભાવ પડ્યો છે, પરંતુ દરેક વખતે મારે તમારો બચાવ કરવો પડ્યો છે. સર્પ રૂપે આવી તમારું રૂપ કૂબડું કરવાની મારે જરૂર એ હતી કે, તમારો વૈરી રૂદ્ર નગરમાં હતો, તે તમને ઓળખીને તમારું અનિષ્ટ ન કરે માટે. આ સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. રાજાએ રૂદ્રને દેશપાર કર્યો. કુમાર ચારેય સ્ત્રીઓ સાથે ખાટલી પર બેસી સ્વવતન ગયો. કંથાના પ્રભાવથી પ્રજાને ઋદ્ધિવાળી કરી. અનુક્રમે દીક્ષા લઈ છેકે દેવોંકે ગયો. ૬૩. ઉત્તમ ચરિત્ર-કુમાર : આ કુમારનું ચરિત્ર ઘણું મોટું અને અદ્ભુત રસથી ભરેલું છે. અહીં તો માત્ર તદ્દન ટૂંકામાં જ આપીશું. સુદત્ત ગામમાં ધનદત્ત કણબીને ચાર સ્ત્રીઓ હતી. સુખી છતાં પાછળથી ગરીબ થયો હતો. છતાં માર્ગમાં ચોરોએ વસ્ત્રો લૂંટી લેવાથી ટાઢે ઠરતા ચાર મુનિઓને ચાર ગરમ વસ્ત્રો પોતે તંગી ભોગવીને આપ્યાં હતાં. તેના પ્રભાવથી મરીને કાશીના મકરધ્વજ રાજાની લક્ષ્મીવતી પત્નીથી ઉત્તમ ચરિત્ર કુમારના નામનો અનેક ગુણો અને કળાવિભૂષિત પુત્ર થયો. તે દેશાન્તરમાં ખૂબ ફર્યો છે, ફરતાં ફરતાં જુદા જુદા પ્રસંગમાં તેની પૂર્વ ભવની ચાર સ્ત્રીઓ મળી છે, ને તેણે તેની સાથે લગ્ન કર્યું છે. તેનાં નામ મદાલસા, ત્રિલોચના, અનંગસેના, સહસકળા, પાંચ દિવ્ય રત્નો, મણિ, કનક, શીરોક, રત્નકંબળ Page #441 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વગેરે દિવ્ય સંપત્તિઓ પણ મળી હતી. પરંતુ પૂર્વભવમાં એક વખતના મલિન વસ્ત્રવાળા મુનિની દુર્ગંચ્છા કરવાથી મત્સ્યના પેટમાં દાખલ થવું પડ્યું હતું. વળી એક પોપટને પાંજરામાં પૂર્યો હતો, તેથી પોપટ થવું પડ્યું હતું. અનંગસેનાએ પૂર્વભવમાં પોતાનાં દાગીના, ઘરેણાં, નવાં કપડાં પહેરીને આવેલી દાસીને ‘‘આહા ! ગણિકા આવી.' એમ મશ્કરીમાં કહેલું તેથી તેને વેશ્યા કુળમાં જન્મ લેવો પડ્યો હતો. આ વગેરે હકીકત ઉત્તમ ચરિત્ર કુમારે પોતાના જીવનના પાછલા ભાગમાં પિતાનું અને ભરતખંડના મોટા ભાગનું રાજ્ય મળ્યા બાદ કેવળી ભગવન્તને પૂછવાથી જાણ્યું. અને વૈરાગ્ય પામી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. ત્યાંથી સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષ પામશે. ૩૬૮ ૬૪. ક્ષેમંકર મુનિ : વસંતપુરના નિલયશેઠના સુદર્શના પત્નીથી ક્ષેમંકર અને દેવદત્ત પુત્રો તથા લક્ષ્મી નામે પુત્રી થયાં હતાં. એ જ શહેરમાં તિલક શેઠની સુંદરી નામે પત્નીથી ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી હતી. ક્ષેમંકરે દીક્ષા લીધી. દેવદત્તના બંધુમતી સાથે અને ધનદત્તના લક્ષ્મી સાથે લગ્ન થયાં. ધનદત્ત દરિદ્ર થઇ ગયો હતો અને દેવદત્ત સુખી હતો. એક વખત ક્ષેમંકર મુનિ બહેનને ત્યાં જ વહોરવા ગયા. પરંતુ લક્ષ્મીએ ભાઈને ત્યાંથી તાંદળા આપી ભાત લાવીને વહોરાવ્યા. મુનિ ગયા. બન્ને પુરુષો ઘેર જમવા આવ્યા. ત્યારે એકને તાંદળા અને બીજાને વધેલા ભાત પીરસાયા. આ ફેરફાર થવાથી બન્નેએ પોતાની પત્નીઓને ઠપકો આપી માર માર્યો ત્યારે બન્નેયે ખુલાસા કર્યા અને ધનદત્તે કહ્યું કે, “પારકે ઘેરથી લાવીને વહોરાવવાનું શું પ્રયોજન ?'' આ ગૃહકલહોની મુનિને રાત્રે ખબર પડી. બન્નેયને બોલાવીને ઉપદેશ આપ્યો અને કહ્યું કે, “જેમાંથી કજિયો થાય, તેવા આહારાદિ લેવાની અમને ભગવંતની જ મનાઈ છે. છતાં અમોએ અજાણતાં એ આહાર લીધો છે. બન્નેય શાંત થાઓ.' ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને કાળક્રમે મોક્ષમાં જશે. ૬૫. બે ક્ષુલ્લક મુનિ : પાટલિપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યનો ચાણકય નામે પ્રસિદ્ધ પ્રધાન હતો. તે શહેરમાં વૃદ્ધ સુસ્થિતાચાર્ય હતા. પરંતુ તે દેશમાં દુકાળ પડ્યો એટલે આચાર્યે સમૃદ્ધ નામના શિષ્યને આચાર્ય પદવી સાથે અંજનયોગ આપી સર્વ સમુદાય સાથે સુકાળવાળા પ્રદેશમાં મોકલ્યા સિદ્ધઅંજન યોગ આપતાં બે બાળ સાધુઓ તે સાંભળી ગયેલા. સમૃદ્ધસૂરિ પરિવાર સાથે ગયા. તેમાંના પેલા બે બાળ સાધુઓ પાછા આવી આચાર્ય સાથે રહેવા લાગ્યા. ગોચરીમાં ત્રણેય વહેંચીને નિર્વાહ કરે. આચાર્યને પૂરી ગોચરી ન મળવાથી તે દુર્બળ થવા લાગ્યા. શિષ્યોએ વિચાર કર્યો કે, “આમ આપણે પૂજ્ય આચાર્ય મહારાજને હરકતકર્તા થઈએ છીએ.’’ એમ વિચાર કરી પેલા અંજન યોગથી અદશ્યપણે ચંદ્રગુપ્તની થાળીમાંથી રોજ આહાર કરી જાય; ચંદ્રગુપ્તને દુર્બળ થતો જોઈ ચાણકયે પૂછ્યું. તેણે કહ્યું કે, “મને ખોરાક પૂરતો મળતો નથી.' ચાણકયે બુદ્ધિ ચલાવી ‘ખોરાક પૂરતો પીરસવામાં આવે છે. માટે આમાં જરૂર કાંઈક ભેદ હોવો જોઈએ.’’ તેણે ભોજનશાળામાં ઈંટનો બારીક ભૂકો પથરાવ્યો. આવનારનાં પગલાં પડ્યાં. બીજે દિવસે ખૂબ ધુમાડો કરાવ્યો. અંજન આંખમાંથી નીકળી પડવાથી બાળ મુનિઓ ઉઘાડા પડી ગયા. ચંદ્રગુપ્તનો ક્રોધ ભભૂકયો કે, ‘‘અરે, આ સાધુઓએ મને અભડાવ્યો છે.’’ ચાણકયે કહ્યું, ‘“હું હું રાજન્ ! એ તમારો પુણ્યોદય માનો કે એ બ્રહ્મચારીઓથી તમારો દેહ Page #442 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૬૯ પવિત્ર થયો.” એમ કહી ધન્યવાદ આપ્યો. પરંતુ રાત્રે આચાર્ય મહારાજ પાસે જઈ શિષ્યોનું વર્તન કહી બતાવ્યું અને “આપની અને શાસનની હેલના થાય.” આચાર્યભગવંતે શિષ્યોને ઠપકો આપ્યો. પરંતુ ચાણક્યને કહ્યું કે, “તમે એટલું સમજી શકતા નથી કે, સાધુઓ આહાર પાણી વિના કેટલા દુઃખી થયા હશે ? ત્યારે તેઓને આમ કરવું પડ્યું હશે ને ? તમારા જેવા જ્યારે સંઘના આગેવાનો બેદરકાર રહો, ત્યારે તેમ બને ને ?' વગેરે. ચાણકયે પોતાની ભૂલ કબૂલ કરી અને મુનિઓ તથા સંઘના ખોરાક માટે વિશેષ કાળજી લેવાની શરૂઆત કરી. પેલા બે મુનિઓએ પ્રાયશ્ચિત્ત લઈ તપશ્ચર્યા કરી, અને સ્વર્ગે ગયા, ત્યાંથી મોક્ષમાં જશે. ૬૬. યુવક મુનિ અને સુલોચના : ગિરિપુષ્પનગરમાં સિંહાચાર્ય પરિવાર સાથે પધાર્યા. તે વખતે સેવ કરી ખાવાનો વખત હતો. પૌરૂષી પછી મુનિઓ વાત કરતા હતા. તેવામાં ગુણચંદ્ર નામના બાળ સાધુએ કહ્યું કે, “આજે તમને ઘી અને ગોળ સાથે પૂરતી સેવ લાવી આપીશ.” મુનિઓ તેને ખીલવવા માંડ્યા. પરંતુ બાળ સાધુ તો પાત્રા લઈ વહોરવા નીકળી પડ્યા. એક કણબીના ઘરમાં પેઠા. ઘી ગોળ ભેળવેલી સેવ તૈયાર હતી. પણ સાધુએ કહેવા છતાં તેણીએ તે વહોરાવી નહીં, મુનિ કહે “હું તારી પાસેથી લઈશ જ.” પટલાણી સુલોચના બોલી, “જો તમે લઈ શકો, તો મારે મારું નાક કાપવું.” મુનિએ ઘરથી બહાર નીકળી કોઈને પૂછયું કે, “આ કોનું ઘર છે?” “એ તો વિષ્ણુમિત્ર પટેલનું.” પોતે કયાં હશે ? “તે તો ચોરે ડાયરામાં બેઠા હશે.” મુનિ પહોંચ્યા ચોરામાં. “અહીં વિશુમિત્ર કોણ છે ?” લોકોએ પૂછયું-“શું કામ છે ?” “મારે તેની પાસે એક ચીજની માંગણી કરવી છે.” લોકો હસીને બોલવા લાગ્યા કે, “એ તો પોતાની બહેનને રાખી બેઠો છે ને મહાકૃપણ છે. શું આપવાનો હતો ? કદાચ અમે કાંઈક આપીશું.” વિષ્ણમિત્રે પોતાની આબરૂ ન જવા દેવા એક બાજુએ જઈ મુનિને સમજાવવા માંડ્યા ને કહ્યું કે, “આપ માગો. શું જોઈએ ?” શુલ્લક મુનિએ કહ્યું કે, “સ્ત્રીને આધીન છ પુરુષોમાંનો એક ન હો, તો માગું.” લોકો આ સાંભળીને પૂછવા લાગ્યા-“એ છ સ્ત્રી આધીન પુરુષો કયા?” મુનિએ વાત માંડી : ૧. શ્વેતાંગુલિ - એક સ્ત્રીવશ પુરુષ સ્ત્રી પાસે ખાવાનું માંગ્યું. ત્યારે તેણીએ કહ્યું કે, “ચૂલમાંથી રાખ કાઢી પડોશીને ઘેરથી દેવતા લાવી રસોઈ કરી નાંખો. પછી હું પીરસીશ.” તે બિચારો રોજ તેમ કરે, એટલે રાખથી તેની આંગળીઓ ધોળી થઈ ગઈ, તેથી લોકોએ તેનું નામ શ્વેતાંગુલિ પાડ્યું. ૨. બકોડાયી - રોજ પાણી ભરવા જવું પડે. એટલે રાતમાં પાણી ભરવા જાય તેથી બગલા ઊડે. આ વાતની લોકોને ખબર પડી. એટલે તેઓએ તેનું નામ બકોરાથી પાડ્યું. ૩. તીર્થ સ્નાયી - એક સ્ત્રીવશ પુરુષ સ્ત્રી પાસે નાહવાની સામગ્રી માગી. સ્ત્રીએ કહ્યું કે, “હા. પેલો પથ્થર લઈ આંબળા વાટી નાંખો. શરીરે તેલ ચોપડી ઘડો લઈ નદી કાંઠે જઈ નાહી આવો, ને ઘડો ભરતા આવજે. એક પંથને દો કાજ.” આ પ્રમાણે રોજ બીચારો કરે. એટલે લોકોએ તેનું નામ તીર્થ સ્નાયી પાડ્યું. ૪. કિંકર - સવારે ઊઠે ત્યારથી સ્ત્રીના ભોગની લાલચમાં રહ્યો રહ્યો તેને રાજી રાખવા વારંવાર Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પંચ પ્રતિકમાણસૂત્રો પૂછે. “મહાશયે ! લ્યો. આ કામ મેં પૂરું કર્યું. હવે શું કરું.” આમ પૂછે. લોકોએ જાણ્યું ત્યારે તેનું નામ કિંકર પાડ્યું. ૫. ધરિખ - થાળી લઈને સ્ત્રી પાસે રસોડામાં આવે, ત્યારે સ્ત્રી પીરસે. તે લઈને જમવાના ઠેકાણે જઈને ખાય, વળી પાછો જે કાંઈ જોઈએ, તે લેવા થાળી લઈને આવે, અને પાછો ઠેકાણે જઈ ખાય. આમ વારંવાર સ્ત્રીના કહેવાથી ગીધની પેઠે રખતો હોવાથી લોકોએ તેનું નામ ગૃધરિખ નામ પાડ્યું. . હદન-જ્ઞ - બાળકનાં મળમૂત્ર સ્ત્રીના કહેવાથી સાફ કરી નાંખતો હોવાથી હદનશ એવું લોકોએ નામ પાડ્યું. આ છ દષ્ટાંતો સાંભળીને લોકો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા કે “મહારાજ ! આ ભાઈ સાહેબમાં તો એ તમે કહ્યા, તે છયે ગુણો સારા પ્રમાણમાં છે.” વિષમિત્ર બોલ્યો. “મહારાજ ! આ લોકો મશ્કરી કરે છે. હું એવો નથી. તમારે જોઈએ તે માગો.” મુનિએ કહ્યું. “મારે બીજું કાંઈ ન જોઈએ. મને તો ઘી ગોળ સાથે પાવું ભરાય તેટલી સેવ તારે ઘેરથી આપ.” બન્નેય ઘર તરફ ગયા. મુનિને બહાર રાખી પેલે ઘરમાં જઈ સ્ત્રીને રસોઈ વિષે પૂછયું. ત્યારે બધું તૈયાર જાણી તેને વધારે ગોળ લેવા મેડા ઉપર ચડાવી, નિસરણી લઈ લીધી ને સાધુને બોલાવી સેવ વહોરાવી દીધી. પિલી જ્યાં ગોળ લઈ ઊતરવા આવે, તેવામાં ત્યાં નિસરણી ન મળે, ને ઊભી ઊભી “ના ના” બોલે કે “અરે ! એને ન આપો, ન આપો.” મુનિ વહોરતા જાય, ને નાક ઉપર આંગળી મૂકતા જય, ને આહાર લઈને ચાલતા થયા. સ્ત્રી પાસેથી નાક કાપવાની હકીકત જાણી વિષમિત્ર ગર પાસે આવ્યો. ગુરુએ ઉપદેશ આપ્યો ને તે સંયમ આરાધી સ્વર્ગમાં ગયો, પછી તે મોક્ષમાં જશે. મુલકમુનિ પણ ઉમ્મરમાં આવતાં માન તજી સારી રીતે આચાર પાળવા લાગ્યા. સદ્દગતિ મેળવીને મુક્તિ પામશે. ૬૭. કૃપણ : ગધ સમૃદ્ધ નગરમાં ધનદેવ નામનો ભિક્ષુઓનો ઉપાસક પણ માણસ રહેતો હતો. તે સાધુઓને પણ કાંઈ આપે નહીં ! ત્યારે મુનિઓએ માહે માંહે વાત કરી કે, “કોઈ એવો સમર્થ સાધુ છે, કે જે તેની પાસેથી મેળવી શકે ?” એક મુનિએ કહ્યું -“જુઓ, હું તેની પાસેથી ઈષ્ટ લઈ શકું છું.” એમ કહી, ત્યાં જઈ તેના ઘરને મંત્રથી મંચું, ધનદેવે આવેલ સાધુને પૂછયું કે શાનો ખપ છે ?' મુનિએ ગોળ, ઘી, વસ્ત્ર વગેરે જેનો ખપ હતો તે જણાવ્યું. તેણે તે આપ્યું, વિદ્યા સંહરી કે, તે ઘરમાં જોવા લાગ્યો. તો પોતાની તે ચીજો ઓછી થયેલી જોઈ કલ્પાંત કરવા લાગ્યો. ત્યારે લોકોએ તેને પોતાને હાથે જ મુનિને આપ્યાનું જણાવ્યું. ત્યારે તે મૌન થયો. પછી ગુરુ પાસે જઈ ઉપદેશ સાંભળી દીક્ષા લીધી ને તપશ્ચર્યા કરી, પ્રાંતે મોક્ષમાં જશે. ૬૮. આષાઢભૂતિ : મુનિ :- ઘર્મલાભ. Page #444 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ગૃહિણી :- પધારો. મહાત્મન્ ! [પ્રણામ કર્યા.] મુનિ :- ભિક્ષા માટે પાત્ર ઘર્યું. ગૃહિણી :- પાત્રમાં એક લાડુ વહોરાવ્યો. મુનિ :- ધર્મલાભ [કહી ચાલ્યા. બહાર નીકળી મનમાં] આ એક લાડુ તો આચાર્ય મહારાજને માટે કામ આવશે. લાવ બીજે લાવું. [રૂપ ફેરવી નાંખી] ધર્મલાભ [કહી પાત્ર ધર્યું.] ગૃહિણી :- [બીજા મુનિ આવેલા જોઈ પ્રણામ કરી] પાત્રમાં લાડુ વહોરાવ્યો. મુનિ :- ધર્મલાભ [કહી બહાર નીકળી] આ તો ઉપાધ્યાયને આપશે. માટે બીજો માંગી લાવું. [રૂપ બદલી અંદર આવી] ધર્મલાભ [કહી પાત્ર આગળ કર્યું.] ગૃહિણી :- પધારો મહારાજ ! [પ્રણામ કરી લાડુ વહોરાવ્યો.] મુનિ :- ધર્મલાભ ! [બહાર નીકળી] આ તો બીજા સાધુઓને અપાશે. [બાળકનું રૂપ લઈ ફરીથી અંદર આવી] ધર્મલાભ [કરી પાત્ર આગળ ધર્યું.] ગૃહિણી :- પધારો મહારાજ ! [પ્રણામ કરી પાત્રમાં લાડુ મૂકયો.] મુનિ :- ધર્મલાભ ! કહી ચાલવા લાગ્યા. વિશ્વકર્મા નટ :- [મનમાં] અહો ! આ તો મહાકળાકુશળ પુરુષ છે. મારી બે દીકરીઓ આને પરણે તો મારું ઘર ધનથી ભરાઈ જ જાય. ઠીક છે એમ જ કરું. [પુત્રીઓ પાસે જઇ] પેલા મુનિ ગયા, તેને બોલાવીને મોદક વહોરાવો અને રોજ ભિક્ષા માંગવા આવવા નિમંત્રણ આપો. ૩૭૧ પુત્રીઓ :- બહુ સારું ! [કહી મુનિની પાછળ દોડી પાછા તેડી લાવી] પધારો મહારાજ ! મુનિ :- ધર્મલાભ ! [કહી વળી પાત્ર ધર્યું.] પુત્રીઓ :- [લાડુ લઈ પાકું ભરી દઈ] મહારાજ ! આપ તપસ્વીની ભકિતનો લાભ રોજ આપજો. પધારો મહારાજ ! અવશ્ય પધારો મહારાજ ! ન ચૂકતા મહારાજ ! ખાસ પધારજો હો ! મુનિ :- વર્તમાન જોગ [કહીને ગયા.] વિશ્વકર્મા :- [છોકરીઓને] એને વશ કરી તમારો પતિ બનાવી લો. મહાકળા કુશળ વિચક્ષણ પુરુષ છે. મેડા ઉપર બેઠા બેઠા તેણે કરેલાં રૂપપરિવર્તનોથી હું તો ચિકત જ થઈ ગયો છું. ( ૨ ) આષાઢભૂતિ :- ગુરુ મહારાજ ! મને હવે રજા આપો. મારે ગયા વિના ચાલે તેમ નથી. ધર્મચિ આચાર્ય :- મહાનુભાવ ! તારા જેવો કુળવાન્, શ્રુતવાન, કળાવાન્, બુદ્ધિમાન્, ને આ દશા ? Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પંચ પ્રતિકમાણસૂત્રો વત્સ ! સંયમ માર્ગમાં સ્થિર થા. આષાઢભૂતિ :- હે કૃપાળુ ! આપની વાણી સત્ય છે. પણ મારા કોઈ પાપનો ઉદય મને ત્યાં ખેંચી ગયા વિના રહેશે નહીં. ધર્મચિ આચાર્ય - તારા જેવા સમજુને બીજું વિશેષ શું કહી શકાય ? [એમ કહી મૌન રહ્યા.] આષાઢભૂતિ :- [રજોહરણાદિ મૂકી પાછે પાછે પગે બહાર નીકળી ગયો.] (૩) વિશ્વકર્મા :- [પુત્રીઓને એ વિચક્ષણ પુરુષ તમારો પતિ થઈ ચૂકયો છે. પરંતુ તે હજુ વારંવાર ગુરુને યાદ કરે છે. લાગે છે કુળવાન, માટે તમે કદી અભક્ષ્ય ભક્ષણ કે મદ્યાદિ અપેય પીઈને તેને કંટાળો આપશો નહીં. નહીંતર એ ક્ષણવારમાં ચાલ્યો જશે. છોકરીઓ :- બહુ સારું પિતાજી ! નવા નવા ખેલ કરી પ્રજા રિઝાવી આપણા ઘરમાં ધનના ભંડાર ભરી દીધા હો. તમારું કહેવું સાચું પડ્યું. વિશ્વકર્મા :- આપણી રાજગૃહી નગરીના ખુદ સિહરથ મહારાજાએ અર્થ નિર્મેહલ નાટક ભજવવાનો ખાસ આદેશ આપ્યો છે. તે ભજવાતાં તો આપણા ઉપર રાજાની કૃપાદષ્ટિ કેટલી ઊતરશે ? તે તો હવે તમે જોશો. આપણી સંપત્તિની મોટા શેઠિયાઓને પણ ઈર્ષ્યા થશે. હા, પણ તમે તમારે હું કહું તેમ વર્તે આવો ને દીકરીઓ ! છોકરીઓ :- હા, બાપા ! અમો તમારા કહેવાથી જ રજ માત્ર આડી ચાલીશું નહીં, બસ. રાજા :- હે નટો ! તમારી કળા જોઈ અમે બહુ જ ખુશ થયા છીએ. અને હજુ નટરાજ આષાઢભૂતિની કળા તો બાકી જ છે. પરંતુ ખેદની વાત છે, કે અમારે એવું કામ આવી પડ્યું છે જેથી બાકીનું નાટક હવે કોઈ પ્રસંગે જોઈશું, બાકીનું ઈનામ પણ તે વખતે આપીશું. પ્રતિહારી:- સભા બરખાસ્ત. આષાઢભૂતિ :- અરે ! કેમ કોઈ દેખાતું નથી ? મારી બન્નેય પત્નીઓ કયાં ગઈ હશે ? ઠીક, મેડા પર જોઉં. [ઉપર ચડી મનમાં સૂગ અને ચિંતા સાથે પાછો ફરી, મનમાં] અરે ! મેં ગુરુ મહારાજને છોડી આ પાપ કયાં વહો. નીચે ઊતરી ચાલવા માંડે છે.]. વિશ્વકર્મા :- [એકદમ મેડા પર ચડી]- અરે એય ! દુરાત્મિકાઓ ! આમ શું નિર્લજજ થઈ નવસ્ત્રી Page #446 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૭૩ થઈને ઘેનમાં પડી છો ? તમારો પેલો કંટાળીને ચાલ્યો જાય છે. જાઓ દોડો દોડો, તેને પાછો લાવો. ન માને તો છેવટે ભરણપોષણ તો માગો જ. છોકરીઓ :- [વસ્ત્રો સરખાં પહેરી દોડતી દોડતી.] હૈ! શું ચાલ્યા ગયા ? વિશ્વકર્મા:- હા. [આંગળીથી બતાવી] એ જાય. તમારી [ક્રોધથી પગ પછાડી] મૂર્ખામીનું એ પરિણામ છે, મૂર્ખામીનું. છોકરીઓ :- આ અમે તેને પાછા લાવીએ છીએ. [દોડીને] પ્રાણનાથ ! અમને છોડીને કયાં જાઓ છો ? એક ભૂલ માફ કરો. આષાઢભૂતિ :- મારે આવવું નથી. બસ બહુ થયું. [જાય છે.] છોકરીઓ :- [પગે પડી] પરંતુ નાથ ! જવું હોય તો સુખેથી જાઓ. પણ અમારા નિર્વાહ માટે કાંઈ ? આષાઢભૂતિ :- ઠીક છે. તેનો પ્રબંધ કરી આપું છું. [કહી પાછો વળી વિશ્વકર્માને.] આર્ય! મહારાજને જણાવો કે, “આષાઢભૂતિ રાષ્ટ્રપાળ નામે મહાનાટક ભજવી બતાવવાની ઈચ્છા રાખે છે.” અને તેમાં પાંચસો રાજકુમાર જોઈશે, તેની પણ માગણી કરી રાખજે. વિશ્વકર્મા :- બરાબર છે, એ પ્રમાણે ગોઠવણ કરાવું છું. [જઈને પાછો આવી] મહારાજાએ તે પ્રમાણે હા પાડી છે. આષાઢભૂતિ :- ચાલો [બન્ને સ્ત્રીઓને] મારા દાગીના ઘરેણાં જે ઊતરે, તે તમારે આજીવિકા માટે લઈ લેવાનાં છે. સ્ત્રીઓ :- બહુ સારું, અમે પણ આપની સાથે જ આવીશું. રાજા :- વાહ! આષાઢભૂતિ ! ભરત ચક્રવર્તીનું નાટક અઙ્ગ ભજવ્યું. આષાઢભૂતિ :- જુઓ મહારાજ ! છ ખંડ સધાઈ ગયા-ચૌદ રત્ન, નવ મહાનિધાન મળી ચૂકયા. હવે અરીસા ભવનનો પ્રવેશ ભજવવાનો બાકી છે. કયાં ગયા પાંચસો રાજપુત્રો ? રાજપુત્રો :- આ રહ્યા. હાજર જ છીએ. આષાઢભૂતિ :- જુઓ, હું કરું, તેમ તમારે કરવાનું છે. રાજપુત્રો :- એમ જ કરીશું. આષાઢભૂતિ :- [અરીસા સામે ઊભા રહી વીંટી પાડી નાખી, એક પછી એક દાગીના કાઢી નાંખ્યા ને ભાવના ભાવવા લાગ્યા.] Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો રાજકુમારો:- [તે પ્રમાણે કરવા લાગ્યા] આષાઢભૂતિ:- (કેવળજ્ઞાન થયુંને ચાલવા લાગ્યા.] રાજકુમારો કિવળી થઈ ચાલવા લાગ્યા.] રાજા :- અરે ! તમે બધા ચાલ્યા કયાં ! આષાઢભૂતિ :- ભરત ચક્રવર્તી પણ વેષ પહેરીને ચાલ્યા જ ગયા હતા ને? પાછા કયાં વળ્યા હતા ? નાટક તો ખરેખરું જ ભજવવું જોઈએને?[પાંચસો કેવળી રાજકુમારો સાથે આષાઢભૂતિ કેવળી ચાલ્યા જાય છે.] વિશ્વકર્મા - ખરેખર! આ મહાત્મા પુરુષના સંબંધથી અમારા મનનો પણ મેલ ચાલ્યો ગયો. મહારાજ ! મારી ઈચ્છા આ નાટક કુસુમપુરમાં ભજવવાની છે ? રાજા :- ભલે, ભજવો. વિશ્વકર્મા - જેવી આજ્ઞા. [જાય છે.] દૂત :- [આવીને પ્રણામ કરી.] મહારાજ કુસુમપુરમાંથી પાંચસો ક્ષત્રિય કુમાર સાથે વિશ્વકર્મા નટ પણ અરીસા ભવનમાં કેવળજ્ઞાન પામી ચાલી નીકળ્યા છે. રાજા :- બસ, આમ ને આમ પૃથ્વી ક્ષત્રિયો વિનાની થઈ જશે. જાઓ, સુભટો ! તેનું નાટ્ય પુસ્તક લાવીને અગ્નિમાં હોમી દો જેથી તેની પરંપરા જ ન ચાલે. સુભટો:- જેવો હુકમ [જાય છે.] "જેઓના નામ લેવાથી પાપની પરંપરા નાશ પામી જાય છે, એવા સર્વ ગુણોથી ભરેલા એ “વગેરે મહા “સાત્વિક મહાત્માઓ સુખ આપો. ૭ મહાસતીઓ 6. ૧. સુલસા: પ્રભુ મહાવીરના સમયના રાજગૃહીના નાગ રથિકના ધર્મપત્ની આ મહાથાવિકાના દઢ સમ્યકત્વની હકીકત પ્રસિદ્ધ છે. નાગ રથિકે ગુરુ મહારાજ પાસે એવો નિયમ ગ્રહણ કર્યો હતો કે, “મારે બીજી સ્ત્રી કરવી નહીં.” અર્થાત્ બન્નેય પરસ્પર અનુરાગી હતાં. નાગ રથિક રાજા શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પણ તેને સંતાન નહોતું. બીજાનાં બાળકો રમતાં જોઈ તેને સંતાન માટે બહુ ઈચ્છા થયા કરતી હતી. શાસ્ત્રકારો કહે છે કે, “પ્રાણીનો સ્વભાવ જ એવો છે કે તેને અપ્રાપ્તની ઈચ્છા બહુ જ રહ્યા કરે, પછી ભલે તેનું પરિણામ ગમે તે આવે. પરંતુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી Page #448 -------------------------------------------------------------------------- ________________ પચ પ્રતિક્રમણ સૂત્રો ૩૭૫ પ્રાણીનું મન ઠરી ઠામ થતું નથી.” નાગને ચિંતાતુર જોઈ સુલસાએ કારણ પૂછયું. ત્યારે તેણે ચિંતાનું કારણ જણાવ્યું. સતીએ કહ્યું, “સ્વામિન્ ! આપના જેવા સુજ્ઞ આવી ચિંતા કરો, તે વાજબી છે ? પ્રભુનાં વચન પામીને આવો વિચાર કરવો ઉચિત નથી. બ્રહ્મદત્ત, કૃષણ, ધૃતરાષ્ટ્ર, રાવણ, સગર વગેરેની પુત્રો છતાં શી દશા થઈ છે ? તે તો વિચારો. ઠીક છે, ગુણવાન પુત્રો થાય, તો ઠીક છે. ન થાય તો સમભાવમાં રહેવું જોઈએ.” નાગે કહ્યું, “સુલસા ! તારી વાત સાચી છે, પરંતુ ગૃહસ્થનું મન સંતતિ ઈચ્છે એ સ્વાભાવિક છે. સુલસાએ કહ્યું, “મને સંતતિ થવાનો સંભવ નથી. તો આપ બીજી સ્ત્રીથી પુત્ર મેળવી પુત્રવાનું બનો.” નાગએ કહ્યું, “એ તો આ જીવનમાં કદી બનનાર છે જ નહીં. પુત્રવાનું થયું તો તારાથી જ. બીજીની વાત કરવી નહીં.” આ સાંભળી સતીએ વિચાર્યું કે, “અહો ! જગતમાં ધર્મ જ સર્વનું મૂળ છે. અજ્ઞાન જીવો એવા ચિંતામણિ રત્નને તજીને બીજી ચીજોમાં આસકત થાય છે. ધર્મ વિના કાંઈ પણ મળતું નથી. માટે ધર્મમાં વિશેષ ઉદ્યમ કરવો.” એમ વિચાર કરી તેણે વ્રત પાલન-બ્રહ્મચર્યપાલન-સત્પાત્રદાન વગેરે વિશેષ પ્રકારે કરવાની શરૂઆત કરી દીધી. આ તરફ ઈંદ્રના કહેલા સુલસાનાં વખાણ સાંભળી હરિણગમેલી દેવે પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. બે સાધુઓને પોતાને ત્યાં આવેલા જોઈ સુલસાએ ઊભા થઈ તેઓની પ્રતિપત્તિ કરી અને વિનયથી વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! આપને શાનો ખપ છે ?” મુનિઓએ કહ્યું કે, “સુલસા ! તારા ઘરમાં લક્ષપાક તેલ હોવાનું સાંભળ્યું છે. અમારા સમુદાયમાં સાધુઓ હાલમાં ઘણા રોગી છે.” સુલતા-“અહો ઘણી જ ખુશીથી.” કહી જેવો શીશો બહાર લાવે છે, તેવો તે ફૂટી જાય છે. એમ એક પછી એક ચારેય શીશા ફૂટી ગયા. છતાં સુલતાના મનમાં રજ માત્ર પણ ગ્લાનિ આવતી નથી તે જોઈ દેવ પ્રગટ થઈ ધન્યવાદ આપ્યો. અને “ઇ તારાં કરેલાં વખાણ સાચાં હતાં. સુલસા ! હું હરિણગમેલી દેવ તારા પર પ્રસન્ન છું. તારે જોઈએ તે માગ.” સુલતા- “દવ ! તમે ઈંદ્રના સેનાપતિ છો, મારો મનોરથ સમજી શકો તેમ છો.” દેવે કહ્યું-“આ બત્રીસ ગોળી આપું છું, તું અનુક્રમે ખાજે, તને બત્રીસ પુત્રો થશે, અને જ્યારે કોઈ પ્રસંગે કામ પડે ત્યારે મને યાદ કરવો. હું તારા અભીષ્ટ કરીશ.” સુલાસાએ “બત્રીસ પુત્રોની કયાં હું સાર સંભાળ કરીશ ? મને ધર્મકાર્યમાં અંતરાય થશે, માટે બત્રીસ લક્ષણો એક જ ઉત્તમ પુત્ર થાય તો પણ ઠીક.” એમ વિચારી ભાવિ ભાવને લીધે તેણે એકી સાથે ઋતુકાળે બત્રીસેય ગોળીઓ ખાધી. ગર્ભ રહ્યો. પણ પેટમાં પીડા ઊપડી. દેવને યાદ કર્યા. દેવે આવી ઠપકો આપ્યો, “આ શું કર્યું? હવે એકના મરણથી બત્રીસેયનું મરણ થશે.”સુલાસાએ કહ્યું. “જે થવાનું હતું તે થયું. મારી પીડા તમારાથી શાંત કરી શકાતી હોય, તો કરો. નહીંતર હું મારું દુ:ખ ભોગવીશ” દેવે પીડા શાંત કરી. કાળક્રમે બત્રીસ પુત્રો જન્મ્યા. નાગે તેનો જન્મોત્સવ કરાવ્યો, ભણાવ્યા, પરણાવ્યા, અને ક્ષેણિક રાજાના અંગરક્ષકો તરીકે નોકરીમાં રખાવ્યા. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પંચ પ્રતિક્રમાગસૂત્રો ચેડા રાજાની સુજ્યકાની છબી રાજગૃહીમાં આવેલી તાપવી પાસે જોઈ તેને પરણવાની શ્રેણિકને ઈચ્છા થઈ. અભયકુમારે વેપારીને વિષે વિશાળામાં જઈ દાસી મારફત સુપેઢાને શ્રેણિકની છબી બતાવી. બન્નેયને પરસ્પર અનુરાગી કર્યા. પછી સુરંગ મારફત શ્રેણિક સુજ્યકાને લેવા. બત્રીસ અંગરક્ષકો સાથે આવ્યા. ચિલાણા નાની બહેને પણ સાથે આવવા ઈચ્છા બતાવી. સુજ્યુકા ચિલાણાને ત્યાં ઊભી રાખી પોતાનો ભુલાઈ ગયેલ રત્નાભરણનો દાબડો લેવા પાછી ગઈ. તેવામાં શ્રેણિકે આવી રથમાં બેસાડી ચાલવા માંડ્યું. ચિદલાગા ચૂપ રહી, પણ સુજયેષ્ઠા આવી નિરાશ થઈ, ને ચિલ્લાવાના હરણ થયા વિષે બૂમ પાડી ઊઠી. વૈરસિંહ વગેરે ચેટકના સુભટો ચડ્યા. નાગના એક પુત્રને માય. દરેક મરી ગયા. પણ ક્ષણિક તો ચેલાણા સાથે રાજગૃહી પહોંચી ગયા. તેને સુકા સમજી બોલાવી, ત્યારે તેણે ભેદ ભાંગ્યો. પછી રાજાએ પણ સંતોષ માની તેની સાથે લગ્ન કર્યું. આ તરફ સુલસા અને નાગ રથિકે પુત્રનો શોક કર્યો. પરંતુ અભયકુમારે તે શોક સમાવ્યો. પ્રથમ શ્રાવક થયેલો અંબડ ત્રિદંડી પરિવ્રાજક શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી ચંપામાં પ્રભુ મહાવીર પરમાત્માને વંદન કરીને રાજગૃહી આવતાં નીકળતી વખતે કાંઈ આજ્ઞાની વિનંતી કરતાં પ્રભુએ સુલસા શ્રાવિકાને "ધર્મ લાભ” કહેવરાવ્યો. અંબડને વિચાર થયો. આવા પ્રભુ આવા શહેરમાં એક સ્ત્રીને ધર્મ લાલ કહેવરાવે, તે સ્ત્રી કેવી હશે ? આ કુતૂહલથી તેણે પોતાની એંદ્રજાલિક શક્તિથી શહેરની ચારેય દિશાના ચારેય દરવાજે રોજ જુદું જુદું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને પ્રભુ મહાવીરનું રૂપ વિકુવને લોકોને આકર્ષ્યા. પરંતુ સુલતા કયાંય પણ તેના જોવામાં ન આવ્યાં. અંબડને ખાતરી થઈ કે “ખરેખર દઢ સમ્યકત્વવંત શ્રાવિકા છે.” પછી એ બધો પ્રપંચ મૂકીને પાંચમે દિવસે શ્રાવકના રૂપમાં અંબ સુલસાને ઘેર જઈને પ્રભુએ કહેવરાવેલો “ધર્મ લાભ' કહ્યો. સુલસાએ ઘણો જ આદર આપ્યો અને ભકિત કરી. પ્રભુના તરફનો “ધર્મ લાભ” સાંભળીને તો તેના રોમરોમ ખડા થઈ ગયા. પ્રભુની દિશામાં માનપૂર્વક બેસી ચૈત્યવંદન કરી પ્રભુના ગુણગ્રામથી ભરપૂર અનહદ ભાવપૂર્ણ સ્તુતિ કરી. અંબડની એક પરમ સાધર્મિક બંધુ તરીકે ઘણી ભક્તિ કરી. ત્યાંનાં ચૈત્યોને પ્રણામ કરીને અંબડ ગયો. સુલસાએ ધર્મમાં આસકત રહીને શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી. તેના પતિ નાગ રથિક પણ જૈન ધર્મમાં આસકત થયા. અંત સમયે આરાધના કરીને સુલસા સ્વર્ગમાં ગઈ, અને ત્યાંથી ચ્યવીને આવતી ચોવીસીમાં નિર્મમ નામે તીર્થંકર થઈ મોક્ષમાં જશે. એ નિર્મમ તીર્થંકર પરમાત્માને નમસ્કાર હો. - ૨. ચંદનબાળા: (૧) સુભટ :- ધારિણી! તું શા માટે ખેદ કરે છે ? હું તને મારી પત્ની તરીકે સંપૂર્ણ સુખી કરીશ. ધારિણી :- દુખ ! તારા શબ્દો તારા પેટમાં રાખ ! શીળભમ માતાના પરસ્ત્રી લંપટ પુત્ર ! ચૂપ થા. સુભટ :- શાંતિથી સમજાવું છું, સમજતી નથી, પણ જોઈ લે. [બળાત્કાર કરવા તૈયાર થાય છે.] ધારિણી :- દુષ્ટ ! ચંપાપતિ દધિવાહનની પત્ની હું ધારિણી, તારા જેવાથી ડરીને શિયળ વેચીશ ? Page #450 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૩૭૭ એમ કે ? મૂર્ણ થા મા, મૂર્ખ. [જીભ કરડી મૃત્યુ પામે છે.] વસુમતી :- [ગળે વળગી પડી.] અરે ! માતા ! મને તજીને કયાં ગઈ? મારું હવે કોણ ? હું શી રીતે જીવીશ ! મારું હૃદય કેમ ફાટી જતું નથી ? હું કેવી કઠોર ? પાણી વિના કાદવ જેવી વસ્તુ પણ સુકાઈ જાય છે, ને તેમાં ચીરા પડે છે. સ્નેહી વિના મારા દિલમાં કેમ ચીરા પડતા નથી? હા ! દેવ ! શું કર્યું ? આંસુને બદલે મારી આંખમાંથી લોહીની ધાર કેમ થતી નથી ? ખરેખર, સ્નેહ શી રીતે બતાવું ? માતા ! તારા વિના મારી શી ગતિ ? [મૂછ પામે છે.] સુભટ :- [ગળગળો થઈ] બાળા ! શા માટે ખેદ કરે છે ? તારું રુદન હવે મારાથી સહન થતું નથી. શાંત થા. ભાવિભાવ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. બહેન ! તું હવે શાંત રહે. હું તને હેરાન નહીં કરું. મારી બહેન અને પુત્રી તુલ્ય માનીશ. મારી બીક રાખીશ મા. [આંખો લૂછે છે.] વસુમતી :- [માતાને વળગીને] ઓ વહાલી માતા ! [ડૂસકે ડૂસકે રડે છે.] સુભટ :- હવે તું ખસી જા. [મડદું રથમાંથી ઉતારી, દાગીના ઘરેણાં લઈ રથ હંકારી જાય છે.] સુભટ :- જો, આ બાલિકાની સરભરા બરાબર રાખજે. સ્ત્રી :- મને ટાઢ ચડી છે. એને હું ઘરમાં પેસવા નહીં દઉં. ગમે ત્યાં લઈ જાઓ. નહીંતર ચંપા લૂંટીને પરસ્ત્રી લાવ્યા છો, એ રાજાને કહી દઈશ. [કકળાટ કરી મૂકયો.] સુભટ :- [ધ્રૂજતો ધ્રૂજતો] પરંતુ, તું શાંત તો થા. એ તને હરકત નહીં કરે. સ્ત્રી:- ના, મારે એ કાંઈ સાંભળવું જ નથી. સુભટ :- [વસુમતીને] બહેન ! ચાલ બજારમાં. વસુમતી :- [રોતી રોતી] ચાલો. સુભટ :- [ધીમેથી] કોઈને આ કન્યારત્ન લેવું છે? હું વેચું છું. લોકો:- [છક થઈને કન્યા સામે જોઈ રહે છે ને અંદર અંદર વાતો કરે છે.] ૧લી વેશ્યા :- અમારી હાજરીમાં એને ખરીદવાની તાકાત કોની છે ? ગમે તેટલા પૈસા થાય તોયે શું? આવી રૂપવતી કન્યાના કરોડો પણ કુરબાન છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પંચ પ્રતિકમાણસૂત્રો રજી વેશ્યા:- હા, મા ! તમારું કહેવું ખરું છે. પૂછો ને કિંમત ? ૧લી વેશ્યા :- અલ્યા એય ! શું લેવું છે ? સુભટ :- [ધીમેથી] પાંચસો સોનામહોરો. રજી વેશ્યા :- મા! આપો, ને જલદી ચાલો. ૧લી વેશ્યા :- લે, આ પાંચસો સોનામહોરો. છોકરી અમારે હવાલે કરી દે. સુભટ :- [ગણી લઈ] બહેન આમની સાથે જા. વસુમતી :- અરે ! તમે કોણ છો ? તમારી નાત-જાત શી છે? ૧લી વેશ્યા :- અમારી નાતજાતનું તારે કામ શું છે ? રાજરાણી કરતાં અમારે ત્યાં અર્બળ સુખ છે. ચાલ થા આગળ. વસુમતી:- હે, ઓળખી, તમારી જાત ઓળખી. હું એક ડગલું પણ અહીંથી નહીં ખરું. ૧લી વેશ્યા :- ચાલ, ચાલ, ડાહી થઈને ચાલ, હવે વેચાણ થયા પછી શેખી નકામી છે. [હાથ પકડે છે, ને ખેંચે છે.] વસુમતી :- [રડતાં રડતાં] ઓ ! દેવ મારે માથે આ વીજળીનો ઘા ? વેશ્યા :- [ખેંચતી ખેંચતી] ચાલ, નહીંતર મારવી પડશે. [તેનું નાક તૂટી પડે છે.] હાય રે બાપ ! મારું નાક કપાયું. [નાસી જાય છે.] રજી વેશ્યા :- ઓય ! બાપરે ! ભાગો. માનું નાક કપાયું ને કાળા મેશ થઈ ગયા. મારુંયે કપાશે. [નાસી જાય છે.] લોકો :- [ખડખડાટ હસે છે.] સુભટ :- અહીં હવે વાત ઉઘાડી પડશે. [બીજી બજારમાં જાય છે.] ધનાવહઃ- [ટોળામાંથી બહાર આવી] કેમ ભાઈ ! તેનું શું મૂલ્ય લેવું છે ? સુભટ :- પાંચસો સોનામહોર જ આપજોને શેઠ! વસુમતી :- ઊભા રહો, એ બધી વાત પછી. [શેઠ સામે જોઈ બોલો ભાઈ ! તમે કોણ છો ? તમારો કુળાચાર શો છે? મારે શાં શાં કામ કરવાં પડશે ? એ જાણ્યા વિના કાંઈ બનશે નહીં. ધનાવહ :- જિનદેવની પૂજા, સાધુસેવા, ધર્મશ્રદ્ધા, જીવદયા પાલન, મહામંત્ર નવકાર સ્મરણ, ત્રણ વખત પાણી ગળવું, શિયળ સાચવવું, તપશ્ચર્યા કરવી, ભાવના ભાવવી, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, પરોપકાર કરવો, સતશાસ્ત્રનો અભ્યાસ કરવો, કઠોળ સાથે દહીં ખવાશે નહીં, મધ, માખણ, માંસ, મધનો ઉપયોગ થશે નહીં, વગેરે પાળવું પડશે.” Page #452 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૭૯ વસુમતી :- બસ, ત્યારે હું ત્યાં આવવા તૈયાર છું. [સુભટને ખુશીથી મને અહીં વેચો. સુભટ :- શેઠ લાવો, સોનામહોરો. શેઠ :-લે ભાઈ લે. [ગણી આપે છે.] શેઠ :- મૂળા ! આ બાળાનું સારી રીતે પાલન કરજે. જો કેવી ચંદન જેવી શીતળ બાળિકા છે ? એને જરાયે દુભવીશ મા હો. આપણે એને ચંદનબાળા કહી બોલાવીશું. મૂળા :- બનતું કરીશ. [મનમાં] આ દુષ્ટ શેઠ હાલમાં દીકરી દીકરી કરે છે, પણ મને વૃદ્ધા થઈ જાણીને પોતાની દુષ્ટ ભાવના પૂરી કરવા આ સસ્તામાં રાજવંશી છોકરીને બૈરી બનાવવા પાડી લાવ્યા છે. ચંપા લૂંટી શતાનિક રાજાએ અને આ છોકરી મને લૂંટવા આવી છે. પણ ઠીક છે. હમણાં તો શેઠને રાજી રાખું. પછી રાંડનું માથું ભાંગી નાંખીશ, ને મારી નાંખીશ. [શેઠને] આપ કશી વાતે ચિંતા ન રાખશો. શેઠ:- મૂળા! પાણી લાવો, મારા પગ ધોવા છે. ચંદનબાળા:- બાપુજી ! મારી માતા બહાર ગયાં છે. લો, હું ધોવરાવું. [પાણી લાવી પગ ધૂવે છે.] શેઠ:- અરે! બેટા!ચંદના!તારી વેણી નીચે પાણીમાં પડશે. [કહી વેણી લઈ પોતાના ખોળામાં રાખે છે.] મૂળા :- [બહારથી આવી મનમાં] બસ ! શેઠની દુષ્ટતા હવે પ્રત્યક્ષ થવા લાગી. વેણી ખોળામાં લીધી. કાંઈ શરમ છે ? ઘડપણ ધૂળમાં મેળવ્યું, સાઠે બુદ્ધિ નાઠી. શોકય કરતાં શૂળી સારી. શૂળીથી તો એક વાર જ મોત પણ શોકયનું દુ:ખ તો જન્મથી મરણ સુધી. શોકય બેન કહેવાય. પણ શત્રુથીયે ભૂંડી. બસ ! આ રાંડનો કુટયડો કાત્યે જ છૂટકો. [શેઠને] જરા બહાર ગઈ, તેમાં આટલી ઉતાવળ શી આવી ગઈ? શેઠ :- મારે ઉતાવળનું કામ હતું. પરંતુ ચંદના બહેન હતાં, તેથી હરકત ન આવી. શેઠ:- ચંદના! ઓ ચંદના! કયાં ગઈ? કેમ દેખાતી નથી ? શેઠ :- એ તો શેરીમાં રખડ્યા કરે છે. છોકરીઓ ભેગી રમતી હશે. ઘરમાં ઘડીકેય ક્યાં ટકે છે ? હું તો કેટલીક સંભાળ રાખું? હમણાં આવશે. આટલા બધા એના વિના ઘા ઘાં થઈને આટલું ધાંધલ શું મચાવો છો ? શેઠ :- બહાર તો જાય નહીં. તપાસ તો કરો, કયાં છે ? મૂળા :- તપાસ નહીં કરું, ને કયાં જઈશ ? મારે તો ધન દેવું પડ્યું છે, એટલું વ્યાજે મૂકયું હોત Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પંચ પ્રતિકમાગસૂત્રો તો આજે બમણું થઈ ગયું હોત? [જાય છે.] શેઠ :- [ચારે તરફ તપાસ કરે છે.] ધરડી દાસી :- શેઠ ! ઓ શેઠ ! આમ શું ગમારની જેમ ફાંફાં મારો છો ? તમારી ચંદના તો પરલોક પહોંચી ગઈ હશે. આજ ત્રણ દિવસ થયા. પગમાં બેડીઓ ઘાલી માથું મૂંડાવી પેલા ઓરડાના ભોંયરામાં શેઠાણીએ ઘાલી છે. શાની જીવતી હોય હવે ? ભાઈ સાહેબ ! મારું નામ દેશો મા હો. હું ગરીબ માણસ. મેં છેટેથી એ બધો તાલ જોયો છે. શેઠાણીથી તો ત્રાસ પામી ગયા બા ! શેઠ :- તારું ભલું થશે બહેન ! [દોડીને ઓરડો ઉઘાડી ભોંયરામાં ઊતરી, દીવો કરતાં કરતાં] ચંદના ! ઓ ચંદના ! બેટા ! ઓ ચંદન ! બેટા ! કયાં છો ? બેટા ! ઓ ચંદના ! બોલ તું કયાં છો ? [દૂર ખૂણામાં કાંઈ પડેલું જોઈ] અહો બેટા ! તું અહીં બેઠી છો ! શી આ તારી દિશા? ચંદના :- પિતાજી ! મને કશું દુઃખ નથી. મારાથી અહીં એકાંતમાં સારી રીતે પ્રભુનું ધ્યાન ધરી શકાયું. રાજપુત્રી, સુભટના હાથે વેચાણ, અને મંડેલે માથે ભોંયરામાં એ બધા પૂર્વકર્મના વિપાકનો ખૂબ સારી રીતે વિચાર કરી આત્માને પવિત્ર કરવાની મને મારી માતાએ બહુ જ સારી સગવડ આપી છે, તેનો આભાર માનું છું. શેઠ :- ધન્ય બેટા ! તારા આત્માની પવિત્રતાને ! તું ખરેખર કોઈ મહાપુણ્યવતી દેવી છો. પરંતુ બેટા ! ચાલ. તું ત્રણ દિવસની ભૂખી છો. કાંઈ ખાઈ લે. હું લુહારને બોલાવી લાવી બેડીઓ ભંગાવું. ચંદના :- પિતાજી ! મેં તો અમનું પચ્ચખાણ કર્યું હતું. આજે પારણું છે, સુખેથી પારણું કરીશ. [ઊભી થઈને ચાલવા પ્રયત્ન કરે છે પણ બેડીને લીધે પડી જાય છે.] શેઠ :- Tધીમેથી બેડીઓ સહિત ઉપાડીને બારણામાં મૂકે છે.] દીકરી ! બેસ. હું કંઈ ખાવાનું લાવું. [ઘરમાં જાય છે. દરેક ઠેકાણે તાળાં જોઈ] અરે મૂળા તાળાં મારીને કયાં ગઈ હશે ? ઘરડી દાસી :- શેઠ ! મારા ઘરમાં આ બાકળા છે. કામ આવે, તો લો. શેઠ :- લાવ, લાવ. બાકળા તો બાકળા. [સૂપડામાં નાંખીને બેટા ! ચંદના ! આ ખાતી થા. ત્યાં હું લુહારને તેડી લાવું. [એકદમ દોડી જાય છે.] ચંદના :- [ખૂણામાં બાકળા મૂકેલું સૂપડું લઈને ઉબરામાં પગ મૂકી બેઠા બેઠા મનમાં વિચાર કરે છે.] અહો ! કોઈ તપસ્વી મહાત્મા આવી ચડે, તો તેઓને વહોરાવીને પારણું થાય, તો કરેલો મારો તપ સફળ થાય !! એવાં ભાગ્ય કયાંથી ? ખરેખરાં ભાગ્ય હોય તો જ એવો જોગ મળી શકે છે. તપસ્વી:- [આવીને ચંદનબાળા સામે જોઈ, મૌનપણે જ પાછા જ ચાલ્યા જાય છે.] Page #454 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ચંદનબાળા :- [તેજ તેજના ભંડારશા તપસ્વીને કાંઈ પણ લીધા વિના પાછા જતા જોઈ, રડી પડે છે.] ઓ ! મહાત્મન્ ! પધારો ! પાછા વળો ! મારા ભાગ્યે અવસરે આવેલા પાછા ન જાઓ. હાય ! મારું કેવું કમભાગ્ય ! ચિંતામણિ રત્નનો લાભ ન લઈ શકી ! [ચોધાર આંસુથી રડે છે.] ઓ મહાત્મન્ ! તપસ્વી મહાત્મા :- [પાછા વળી પાસે આવી હાથ પસારે છે.] ૩૮૧ ચંદના :- [પેલા બાકળા વહોરાવે છે.] [દેવદુંદુભિનો નાદ થયો, આકાશમાંથી પાંચ દિવ્યની સાડાબાર કરોડ સોનૈયા સાથે વૃષ્ટિ થઈ. ચંદનાની બેડીઓ ઘડાઘડ તૂટી ગઈ હતી તેવી માથા ઉપર વેણી પથરાઈ ગઈ.] તપસ્વી :- [તપશ્ચર્યાનું પારણું કરી ચાલ્યા જાય છે.] રાજા શતાનિક :- [સપરિવાર આવીને] શું બહેન ! પરમાત્મા મહાવીર વર્ધમાન સ્વામીને પારણું તમે કરાવ્યું ? ધન્ય બહેન ! ધન્ય ! [મંત્રીને] આ ધન આ બહેનનું જ સમજવાનું છે. તેમાંથી કોઈને એક કોડી પણ લેવા દેવાની નથી. મૃગાવતી :- બહેન નંદા !! મેં, તમે તથા શહેરના તમામ સંભવિત નાગરિકોએ વહોરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પ્રભુએ આજ સુધી કાંઈ પણ વહોર્યું નહીં. આજે છ માસમાં પાંચ દિવસ જ ઓછા છે. પ્રભુનું શરીર કૃશ થયું હતું. પરંતુ બહેન ચંદના ! તું ખરેખરી મહાભાગ્યવતી ! નંદા :- હા ! મહારાણી. રાજમંત્રી સુમિત્ર જેવા બુદ્ધિશાળી પણ પ્રભુનો અભિગ્રહ સમજી શકયા જ નહોતા. પ્રભુના પારણાની અમો રોજ ચિંતા કરતા હતા. મૃગાવતી :- બહેન ચંદના ! તારાં માતાપિતાનાં નામ તો કહે. ચંદના :- ચંપાના દધિવાહન પિતા અને ચેટક રાજપુત્રી ધારિણી મારી માતા થાય. મૃગાવતી :- અહો ! બહેન ! તું તો મારી ભાણેજ થાય. ધારિણી મારી સગી બહેન ! તારી આ દશા કેમ થઈ ? બહેન ! ચંદના :- માશીબા ! એ વાત ન પૂછો. જે થયું તે થયું. શેઠ :- [આવીને આ બધું જોઈ આભા બનીને આંસુ સાથે] બેટા ! ચંદના ! તારી માતાએ તને બહુ દુ:ખ આપ્યું. ચંદના :- પિતાજી ! આમ ખેદ ન કરો. મારી માતા મૂળાના પ્રતાપે જ મારે સૌ સારા વાના થયા. ખરેખર, તે મારા મહાન્ ઉપકારી છે. મારા મનોરથોની જે સફ્ળતા કોઈથી નથી કરી શકાઈ, તે મારી માતા મૂળાથી થઈ છે. આપ તેને કાંઈ પણ ન કહેશો. મૂળા :- [આવીને] બેટા ! ચંદના ! માફ કર, મેં તારો બહુ અપરાધ કર્યો ! Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ચંદના :- માતાજી ! માતાજી એમ ન બોલો. તમારો ઉપકાર ભવોભવ નહીં ભૂલું. મૂળા :- બહેન ! મને માફી આપો. આજથી હવે હું આપની પાસે પરમ શ્રાવિકોનો આચાર શીખીશ, ને મારા આત્માને કૃતાર્થ કરીશ. ( ૬ ) મૃગાવતી :- સ્વામિની ! હવે હું કદી એવું નહીં કરું. મારો પ્રમાદ ક્ષમા કરો. કેવળ જ્ઞાનભાસ્કર પ્રભુને વંદન કરવા મૂળ વિમાનમાંથી આવેલા ભાસ્કર નિશાકરના વ્યાપેલા તેજથી સંધ્યા સમયને અજ્ઞાનથી હું જાણી શકી. [ચરણ ચાંપવા લાગ્યા.] ક્ષમા કરો પ્રવર્તની ! એ અપરાધ ક્ષમા કરો. પંચ પ્રતિક્રમણસૂત્રો ચંદનબાળા :- સંયમિની ! આપણે સંયમીઓને પ્રમાદનો લેશ પણ ન હોવો જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં અપ્રમત્ત ભાવે સ્વાચારની રક્ષા કરવા સાવધાન રહેવું જોઈએ. [ઊંઘી જાય છે.] મૃગાવતી :- [મનમાં] અહો ! પ્રમાદને લીધે જ આ આત્મા અનાદિકાળથી જન્મ જરા મૃત્યુનાં અનંત દુ:ખો વેઠે છે, આમને આમ પ્રમાદ કરીશ, તો તારા આત્માનો કયારે નિસ્તાર થશે ? મારાં સર્વ પાપોનું, પ્રમાદોનું, અજ્ઞાનોનું મિથ્યા દુષ્કૃત હો. [એકદમ લોકાલોક જુએ છે, ને આર્યા ચંદનબાળા મહા પ્રવર્તનીના સંથારા પાસેથી કાળો સર્પ પસાર થાય છે. તે જોઈ પોતાના પૂજ્ય એ ગુરુણીજીનો હાથ જે સંથારાની બહાર હતો તે લઈને સંથારામાં મૂકે છે.] ચંદનબાળા :- [જાગૃત થઇ] કેમ ભદ્રે ? મૃગાવતી :- સ્વામિની ! કાળો સાપ જતો હતો. ચંદનબાળા :- આ ગાઢ અંધકારમાં શાથી જાણી શકાયો ? મૃગાવતી :- આપની કૃપાથી. ચંદનબાળા :- શું કેવળ જ્ઞાન ? અહો ! મેં કેવળી ભગવંતની મહાઆશાતના કરી ! [ઊઠીને મિથ્યા દુષ્કૃત દે છે.] આ દારુણ વિપાકથી કયારે છૂટીશ ? [ધ્યાનમાં લીન થાય છે. એકદમ લોકાલોકના સર્વભાવ જુએ છે.] ૩. સતી મનોરમા : સુદર્શન શેઠની કથામાંથી એ કથા જોઈ લેવી. ૪. મદનરેખા : મિથિલા નગરીના નમિરાજર્ષિનાં માતા, તે આ મદનરેખા સતી. નમિરાજર્ષિના આત્મ- જ્ઞાન અને સંયમની દઢતા વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજર્ષિ અને ઇંદ્રનો સંવાદ આવે છે. મદનરેખા સતી સુદર્શન નગરના મણિરથ રાજાના નાના ભાઈ યુગબાહુના પત્ની હતા. મણિરથની Page #456 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૮૩ દાનત મહાસતી ઉપર બગડેલી હોવાથી નાના ભાઈને મારી નાંખવા વિચાર કર્યો હતો. શુભ સ્વપ્ન સૂચિત ગર્ભવતી મદનરેખાનો દોહદ પૂર્ણ કરવા યુગબાહ કુમાર વસંત ઋતુમાં લતામંડપમાં સૂતો હતો. ત્યાં જઈ મણિરથે તેને તલવારના ઝટકાથી માર્યા. મદરેખાની ચીસથી રક્ષકો દોડી આવ્યા. તેનો ચંદ્રયશા પુત્ર પણ દોડી આવ્યો. પરંતુ યુગબાહુની મનાઈથી કોઈએ કાંઈપણ તેને કર્યું નહીં. પરંતુ મહેલમાં જતાં તેને સર્પ કરડ્યો, પરસ્ત્રીની તથા ભાઈના ઘાતની બુદ્ધિથી મરીને તે ચોથી નરકમાં ઉત્પન્ન થયો. આ તરફ રાણી મદનરેખાએ પોતાના પતિને મિત્ર-શત્રુ દરેક ઉપર સમભાવ રાખવાનું કહી અપૂર્વ આરાધના કરાવી. તે મરણ પામ્યો. મદનરેખા મણિરથથી શિયળ બચાવવા ત્યાંથી નાસી છૂટીને એક જંગલમાં કદલી મંડપમાં સૂતી, ત્યાં સાત દિવસ રહી, ને પુત્રનો જન્મ થયો. તેને હાથે યુગબાહના નામની વીંટી પહેરાવી રત્નકંબલમાં વીંટી ઝાડના થડ પાસે મૂકી તળાવે કપડાં ધોવા ગઈ, તો ત્યાં એક જળહસ્તિએ સૂંઢમાં પકડી આકાશમાં ઉછાળી કે, નંદીશ્વરદ્વીપ તરફ જતા વિદ્યાધરે પોતાના વિમાનમાં તેને નીચે પડતા ઝીલી લીધી, ને તે વિદ્યાધર તેને વૈતાઢય ઉપર લઈ ગયો. સતી રોવા લાગી. કારણ પૂછતાં પુત્રને મળવાની ઈચ્છા બતાવી. વિદ્યાધરે કહ્યું કે “પ્રજ્ઞપ્તિ વિદ્યાની મદદથી તારા પુત્રને મિથિલાનો રાજા પારથ ઘોડાથી ખેંચાઈ આવીને લઈ ગયો છે, અને પોતાની પુષ્પમાલા રાણીને સોંપ્યો છે. તે ત્યાં સુખી છે. તું મારી સાથે લગ્ન કર. મારા પિતાએ દીક્ષા લીધી છે, તેને વંદન કરવા નંદીશ્વર દીપે જતો હતો. વચમાં તું મળી. વૈતાઢયની ઉત્તર શ્રેણિમાં રત્નાવહ નગરનો મણિર્ડ વિદ્વાધરનો હું મણિપ્રભ નામે પુત્ર છું. તું દરેક વિદ્યાધરોની સ્વામિની થા.” રાણીએ શિયળ રક્ષા કરવા બહાના કાઢવાના ઈરાદાથી કહ્યું કે, “હમણાં તો મને શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરાવો. પછી વાત.” આ ઉપરથી વિદ્યાધરે તેમ કર્યું, રાણીએ મજેથી નંદીશ્વર દ્વીપની દુર્લભ યાત્રા કરી. અને પછી બન્નેય મણિચંડ મુનીશ્વર પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા. મુનિરાજે પુત્રનો ભાવ જાણીને એવો ઉપદેશ આપ્યો કે, મણિપ્રભે ઊભા થઈને પોતાની ભૂલ કબૂલ કરી અને મદરેખાને બહેન ગણીને તેની ક્ષમા માગી. તેવામાં આકાશમાંથી દેદીપ્યમાન વિમાન સાથે ઊતરીને દેવે મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ મુનિરાજને વંદન કર્યું. મણિપ્રભ વગેરે દેવની આ વિપરીત ક્રિયા જોઈને વિચારમાં પડી ગયા. મુનિરાજે ખુલાસો કર્યો કે, આ દેવ યુગબાહુ કુમારનો જીવ છે. પોતાની પત્ની મદનરેખાએ તેને અંતકાળે મહાઆરાધના કરાવી, તેથી તે તેને ધર્માચાર્ય માને છે, તેથી પોતાના ઉપકારીને તેણે પહેલા પ્રણામ કર્યા, તે ઉચિત છે.” હવે વિદ્યાધરે મદનરેખાને પૂછયું-“હે બહેન ! કહો, હવે તમારે શી ઈચ્છા છે ?” મદરેખાએ પુત્રમુખ જોવાની ઈચ્છા બતાવી. વિદ્યાધર તેને મિથિલા લઈ ગયો. પણ પ્રથમ તો તેણે શહેરનાં ચૈત્યોને વંદન કરી સાધ્વીજીને વંદન કર્યું. સાધ્વીજીએ તેને અસાર સંસારનો ઉપદેશ આપ્યો. સતીને પુત્રમોહ ન રહ્યો ને ત્યાં જ દીક્ષા લીધી. પદારથ રાજાને પુત્રના પ્રભાવથી અનેક સંપત્તિઓ મળી, તેથી તેણે નમિકુમારને રાજ્ય આપી દીક્ષા લીધી. નમિરાજનો પ્રધાન-હાથી થંભ ભાંગીને નાઠો તેને ચંદ્રયશાએ પોતાના રાજ્યમાં રાખ્યો. બન્નેયને યુદ્ધ થયું. સાધ્વીજીએ આવીને બન્નેને ભાઈઓ તરીકે ઓળખાવી યુદ્ધ શાંત કર્યું અને પ્રેમથી મેળવ્યા. પછી તો ચંદ્રયશાએ પણ નાના ભાઈને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. પરંતુ છ માસ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો થયા તેવામાં નિમિરાજને શરીરે દાહજ્વર ઉત્પન્ન થયો. તેની રાણીઓ ચંદન ઘસી ઘસીને તેને શરીરે લેપ કરતી હતી. તેથી ચંદન ઘણું ઘસવું પડતું હતું. એકીસાથે દરેક રાણીઓ ચંદન ઘસે, એટલે હાથે પહેરેલાં કંકણોનો અવાજ થાય, ને રાજાથી ખમાય નહીં. ત્યારે તેણે કંકણો એક પછી એક કઢાવી નાંખ્યા, ત્યારે અવાજ શાંત થયો, ને રાજાને શાંતિ વળી. રાજાએ મંત્રીઓને પૂછયું -“હવે કેમ અવાજ આવતો નથી ?” પ્રધાનોએ કહ્યું કે, “હવે તો માત્ર એક જ કંકણ દરેકને હાથે છે, એટલે અવાજ શાનો થાય?” નમિરાજ વિચારે ચડ્યા કે, “વાહ! એકમાં કેવી મજા છે? એમ કરતાં એકવભાવના ભાવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પદારથ રાજાને પોતાના પૂર્વ ભવના ભાઈ તરીકે ઓળખ્યા, ને વૈરાગ્ય થવાથી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. દેવે વેશ આપ્યો. તે લઈ પ્રત્યેક બુદ્ધ થઈ વિચરવા લાગ્યા. ત્યાં છે બ્રાહ્મણનું રૂપ લઈ તેની પરીક્ષા કરવા માંડી :બ્રાહ્મણ - મહારાજ ! આપ દયાળુ આ સ્ત્રીઓને રોતી કેમ છોડી જાઓ છો ? નમિરાજર્ષિ :- મારું વ્રત દુઃખનું કારણ નથી. પરંતુ તેઓને દુઃખ થાય છે, તે તેમના કર્મને લીધે થાય છે. બ્રાહ્મણ :- આપનો મહેલ સળગે છે તેને ઓલવાવતા જાઓ. નમિરાજર્ષિ:- મારો આત્મ મહેલ સળગતો હતો તે સંયમ જળથી ઓલવાઈ ગયો જ છે. બ્રાહ્મણ :- આ કિલ્લા પર યંત્રો ગોઠવાવો. લોકોને મહેલો બંધાવી આપો. ચોરોને દબાવો. ઉદ્ધતા રાજાઓ તમારા પુત્રને હેરાન કરશે. માટે બધા ઉપર વિજય મેળવીને સુખેથી દીક્ષા લો. નમિરાજર્ષિ :- મારા સંયમ નગરને સમતાનો કોટ છે, અને તે સુરક્ષિત છે. મારે તો દેહ એ જ મંદિર છે, અને રાગાદિ ચોરેને તો મેં કયારનાયે હણી નાંખ્યા છે. શત્ર-મિત્ર સમાનતાવાળા મારે પુત્ર શું ને પુત્રી શું? મારા આત્માને જીતવાને કયારનોએ મેં સંગ્રામ શરૂ કરી દીધો છે, હવે મારે બીજા સંગ્રામની જરૂર નથી. એમ કહીને આગળ ચાલે છે, ત્યાં તો ઇંકે પ્રત્યક્ષ થઈ તેમની અડગતાની સ્તુતિ કરી વંદન કરી સ્વર્ગમાં ગયા. અમિરાજર્ષિ અનુક્રમે મોક્ષમાં ગયા, અને સાધ્વી મદનરેખા પણ મોક્ષ પામ્યાં. ૫. દમયંતી : [આ કથા બે રીતે અદ્ભુત રસવાળી છે. દમયંતી અને નળની વાત છે કે લોકપ્રસિદ્ધ છે. છતાં જૈન કથામાં ઘણી વિશેષતાઓ છે. અને દમયંતી પછીના ભવમાં કનકવતી અને કૃષ્ણના પિતા જગતવલ્લભ બિરુદધારક વસુદેવદશાહનો સંબંધ એવો જ રસિક પ્રસંગ છે. છેવટે કનકાવતી ગૃહસ્થાશ્રમમાં જ કેવળ જ્ઞાન પામી, નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ એકાંતમાં એક માસનું અનશન ગ્રહણ કરી મોક્ષમાં જાય છે. આ અભુત કથા ઘણી મોટી છે. છતાં અતિ ટૂંકામાં અહીં આપવામાં આવી છે. તે બન્નેયના ધર્મપ્રાપ્તિના ભાવો આ પ્રમાણે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૮૫ (૧) અષ્ટાપદગિરિ પાસેના સંગર ગામમાં મમ્માણ રાજા અને તેની વીરમતી સ્ત્રી. (૨) સ્વર્ગમાં દેવદેવી. (૩) બહલી દેશના પોતાનપુરમાં ધન્ય કુમાર ને ધમ્મિલ આહેરની રેણુકાથી ઉત્પન્ન થયેલી. ધૂસરા તેની સ્ત્રી. (૪) હિમવંત ક્ષેત્રમાં યુગલપણે પુરુષ-પત્ની. (૫) સ્વર્ગમાં ક્ષીરડિડિર-ક્ષીરડિડિરા. (૬) કોશલ દેશમાં કોશલા નગરીમાં નિષેધ અને સુંદરાના પુત્ર નળ અને વિદર્ભ દેશના ભીમરથની પુષ્પવતી રાણીની પુત્રી દવદંતી અથવા દમયંતી. (૭) સ્વર્ગમાં કુબેરદેવ અને તેની દેવી. (૮) ભરત ક્ષેત્રમાં પેઢાળપુરના હરિશ્ચંદ્ર રાજાની લક્ષ્મીવતી રાણીથી કનકવતી પુત્રી, જે વસુદેવ દશાઈની પત્ની થઈ દીક્ષા લઈ મોક્ષમાં ગયેલ. (૮) કુબેરદેવે ચ્યવીને મનુષ્યપણું પામી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે બન્નેય આઠમે ભવે મોક્ષમાં જાય છે. સાત ભવનો સંબંધ આમ આઠમે ભવે છૂટો પડી જાય છે. તેનું કારણ એમ લાગે છે, કે, દમયંતીનો પુણ્ય પ્રકર્ષ નળ કરતાં વધારે હોવાથી, તેમજ તેને ધર્મપ્રાપ્તિ વહેલી અને અધિક હોવાથી, તથા પ્રકારની પુણ્યશાળી સ્ત્રીને લાયક કુબેર ન હોવાથી અને તે દેવ છતાં વસુદેવ વધારે પુણ્યશાળી હોવાથી તેની સાથે સંયોગ થાય છે. નળના જીવ તથા વસુદેવના જીવ કરતાં પણ કનવતીનો મોક્ષ વહેલો થાય છે. છતાં તત્ત્વ તો બહુ થુતગમ્ય સમજવું. મમ્માણ અને વીરમતીના ભવમાં તેણે એક મુનિરાજને બાર ઘડી સુધી દુઃખ આપ્યું હતું. તેથી બાર વર્ષ સુધી નળ અને દમયંતીને વિયોગ રહ્યો હતો. પરંતુ પાછળથી એ જ મુનિરાજની ચરણસેવાથી ધર્મપ્રાપ્તિ થઈ. ત્યારથી તેઓનો આત્મવિકાસ થતો ગયો છે. વીરમતિએ તો શ્રી અષ્ટાપદગિરિની યાત્રા કરી દરેક તીર્થંકરની ભકિત નિમિત્તે વીસ વીસ આયંબિલનો તપ કર્યો હતો. અને દરેક તીર્થકર પ્રભુની પ્રતિમાને સુવર્ણમય તિલક કરાવીને ચોડાવ્યા હતા. તેથી દમયંતીના ભવમાં તેના કપાળમાં સૂર્ય જેવું પ્રકાશમાન કુદરતી તિલક હતું. ધન્યના ભવમાં તેણે ચોમાસામાં વરસાદથી પીડાતા મુનિની સેવા કરી દૂધ વહોરાવી પુણ્ય ઉપાર્જિત કર્યું હતું. તથા બન્નેયે ચારિત્ર પાળ્યું હતું. તેથી નળના ભવમાં પણ તેનો યશ ખૂબ ફેલાયો હતો. નળના ભાવમાં પણ તેના પિતા નિષધદેવના ઉપદેશથી બનેયે ચારિત્ર પાળ્યું હતું. પાછળથી નળ મુનિને દમયંતી યાદ આવવાથી તેની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ હતી. આચાર્ય મહારાજે ગચ્છ બહાર કર્યા. પરંતુ પિતા નિષધદેવના પ્રતિબોધથી મન વાળીને અણશણ કર્યું હતું. દમયંતીએ પણ એ સાંભળીને અણશણ કર્યું. એ પુણ્યથી બન્ને કુબેરદેવ-દેવી થયા. પરંતુ દમયંતી શુદ્ધ સાધ્વી હોવાથી તેનો પુણ્ય પ્રભાવ વધી ગયેલો અને મોક્ષ નજીક હોવાથી કનકવતીના ભાવમાં વસુદેવની પત્ની તરીકે બાકીના ભોગકર્મ ભોગવી મોક્ષમાં ગઈ. નળના જીવનો મોક્ષ પછી થયો. જો કે કનકવતીના ભાવમાં પણ વસુદેવ સાથે કનકવતીને પરણાવવામાં કુબેરદેવે ઘણી જ સહાય કરી હતી. પ્રથમ તો કનકવતીને પોતાની સાથે પરણાવવા માટે માંગણી કરવા દૂત તરીકે વસુદેવને જ મોકલ્યા હતા. અને વસુદેવે પણ પોતાનો પરસ્પરનો અનુરાગ પ્રથમથી બંધાયા છતાં દૂત તરીકે તટસ્થતાથી કુબેરને પરણવા કનકવતીને સમજાવી. પરંતુ “હું માનુષી દેવને ન પરણી શકું. જો કે મારા પૂર્વભવનો પ્રેમ છે, છતાં” એ સંદેશાથી કુર્બરે પણ પોતાનું મન દઢ કરી વસુદેવ સાથે પરણાવવામાં સહાય કરી. કનકવતીનો આ ભવમાં મોક્ષ થવાની વગેરે વાત તો ઇંદ્ર સાથે મહાવિદેહમાં વિમળનાથ પ્રભુને વંદન કરવા ગયેલ ત્યાંથી કુબેર જાણી હતી. છતાં પૂર્વના પ્રેમને લીધે પરીક્ષા માટે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વસુદેવને દૂત તરીકે મોકલ્યા હતા.] વિદ્યાભ્યાસ પછી દમયંતીના પુણ્યથી આકર્ષાઈને નિવૃત્તિ દેવીએ સુવર્ણની શાંતિનાથ પ્રભુની પ્રતિમા પૂજા કરવા માટે આપી હતી. અને કહ્યું હતું કે, “આથી તારા ભવનો છેડો આવશે.'' ઘર દેરાસરમાં તેની સ્થાપના કરી. નિષેધ રાજ સાથે નલ અને કુબર કુમારે આવીને સ્વયંવર મંડપમાં દમયંતીને નલ પરણ્યા, ને રાજાઓ સામા થયા તેને પરાક્રમ બતાવી નળે પોતાનો પ્રભાવ સિદ્ધ કર્યો. ત્યાંથી નીકળીને પોતાના દેશ તરફ જતાં રસ્તામાં અટવીમાં રાત પડવાથી ઊંઘી ગયેલી દમયંતીને જગાડી નળ તેના તિલકના તેજથી રસ્તો કાપી આગળ ચાલ્યા. રસ્તામાં પ્રકાશથી કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા મુનિરાજને બન્નેયે દીઠા. તેના અંગ સાથે હાથી અંગની ખૂજલી મટાડવા પોતાનાં અંગ ઘસતો હતો. તેને વંદન કરીને સૌ આગળ ચાલ્યા અને પોતાના કોશલ દેશમાં કોશલા નગરીએ આવી પહોંચ્યા. પંચ પ્રતિક્રમણસૂત્રો દમયંતીએ પ્રથમ તો તે શહેરનાં દરેક ચૈત્યોને વંદન કર્યું. પછી બન્નેય સુખે રહેવા લાગ્યા. નિષધ રાજાએ દીક્ષા લીધી. નલ રાજા થયા, ને રાજ્ય વધાર્યું. કુબર યુવરાજ થયા. તક્ષશિલાના કદંબરાજાને યુદ્ધમાં હરાવ્યો, પરંતુ તેણે તુરત જ દીક્ષા લીધી. એટલે તેના પુત્ર જયશક્તિને પિતાની ગાદીએ બેસાડ્યો. રાજધાનીમાં આવ્યા બાદ બન્નેય ભાઈઓ જૂગટું રમ્યા. તેમાં દમયંતી તથા મંત્રીઓ દરેકની ના છતાં નળરાજા ચડસમાં ને ચડસમાં રમતા ગયા. તેમ તેમ સર્વસ્વ હારી બેઠા. કુબર રાજ્યનો અધિપતિ થયો. બન્ને પતિ-પત્ની વનમાં નીકળી પડ્યાં. પ્રજાએ આંસુ સાર્યાં. મંત્રીઓ અને કર્મચારીઓ ગળગળા થયા. શહેરની સ્ત્રીઓ આંસુથી નાહી રહી. મંત્રીઓના આગ્રહથી શહેરોમાંથી નીકળતા એક રથમાં બેસીને નીકળ્યા. દમયંતી આંસુથી રથને ભીંજવે છે. બજારમાંથી જતાં પાંચસો હાથ ઊંચો થાંભલો જોઈને નળે તેને ખેંચી કાઢી પાછો બેસાડી દીધો. આ જોઈ લોકો વિચારવા લાગ્યા કે, “નળ નાના હતા ત્યારે એક મુનિએ કહ્યું હતું કે, “નલ ભરતાર્ધનો રાજા થશે પાંચસો હાથનો થાંભલો ઉખેડશે અને તેના જીવતા કોશલાનો બીજો રાજા થશે નહીં.” પરંતુ આ ત્રણ વાતમાં બે તો મળતી આવી. કદાચ ત્રીજી પણ મળતી આવશે. મુનિનાં વાકય ખોટાં હોય નહીં. વનમાં જઈ દમયંતીના આગ્રહથી રથ વિદર્ભ તરફ હંકરાવ્યો. પરંતુ વનમાં ભીલો સામા થયા. તેને શિક્ષા આપવા નળે તલવાર ખેંચી. તેમ કરતાં દમયંતીએ અટકાવ્યા. પણ દમયંતીના હુંકારાથી તેઓ ભાગ્યા, એટલે આ બન્નેય તેઓની પાછળ પડ્યા. એટલામાં ભીલો રથ લઈ ગયા. પછી પગે રખડતા રખડતા એક ઝાડ નીચે બેઠા. પગમાં કાંટા વાગેલા તેને પટકૂળ ફાડી પાટા બાંધ્યા, ત્યાં દમયંતી પરમેષ્ઠીનું સ્મરણ કરી સૂઈ ગઈ, પાંદડાની પથારી કરી આપી, તેના ઉપર પોતાનું અરધું વસ્ત્ર પાથર્યું હતું. તે અરધું એમને એમ રહેવા દઈ અરધું કાપીને છેડે કંઈક લખીને નળરાજા તેને છોડીને ચાલતા થયા. છોડીને જતાં તેનો જીવ ચાલતો નથી. વારંવાર આવીને તેનું મુખ જોઈ જાય છે. સવાર પડતા સુધી દૂર જતાં પણ જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી તેણે દમયંતી સામે જોયા જ કર્યું. સસરાના ઘેર જવું તેમને પસંદ નહોતું. દમયંતી આગ્રહ કરીને લઈ જાત. દમયંતી સતી હોવાથી તેની રક્ષા માટે તેને ખાસ ચિંતા નહોતી. માત્ર સ્નેહથી તેને છોડી શકતા નહીં. પરંતુ તેમ કર્યા વિના તેનો ઉપાય નહોતો. એટલે છોડીને ચાલતા થયા. Page #460 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૮૭ સવાર પડતાં દમયંતીએ નળને જોયા નહીં. ઘણી શોધ કરી. અનેક તર્ક-વિતર્ક કર્યા. આખરે પોતાને આવેલું સ્વપ્ન યાદ આવ્યું અને તેમાં “પોતે ઝાડેથી પડી ગઈ,” તેનો ભાવાર્થ એમ સમજી કે, “ખરેખર ! હું નળ રાજાથી વિખૂટી પડી, તેથી હવે મને તેનું દર્શન થશે નહીં.” એમ કરતાં વિયોગથી અસહ્ય વેદનાએ વિલાપ કરવા લાગી પણ ત્યાં કોણ સાંભળે ? વસ્ત્રથી મોં લૂછતાં લોહીથી લખેલું પેલું લખાણ તેના વાંચવામાં આવ્યું-“વિવેકી નારી ! વડની બાજુનો માર્ગ એક તરફ વિદર્ભ તરફ જાય છે. બીજી તરફ કોશલા જાય છે. તને ઠીક પડે ત્યાં જજે. મારે માટે બેમાંથી એકેય માર્ગ ઈષ્ટ નથી.” એ વાંચી તેને પતિનો પોતાની તરશ્નો અનુરાગ પૂરતો જણાયો, અને ગુરુની આજ્ઞા હોય, તે પ્રમાણે વર્તવાનો નિર્ણય કરી નળ રાજાના અક્ષર જોતી જોતી આગળ ચાલી. વન પશુઓ તેનાથી દૂરને દૂર રહેતાં હતાં. આગળ ચાલતાં એક સાથેનો પડાવ હતો. તેના પર ચોરોએ ધાડ પાડી. પણ દમયંતીના હુંકારાથી ડરીને નાસી ગયા. સાર્થપતિએ તેને પોતાના તંબુમાં લાવી બધી વાત પૂછી, નળ પત્નીને પૂજ્ય માનીને તેની સેવા કરી. ચોથ ભક્ત વગેરે તપશ્ચર્યા શરૂ કરી. વરસાદ ઘટ્ય સાથ છોડી તે એકલી આગળ ચાલી. રસ્તામાં એક ભયંકર રાક્ષસ મળ્યો. “તું ઠીક મને ભૂખ્યાનું ભોજન મળી.” દમયંતીએ કહ્યું-“આહત ધર્મનિષ મને તારી બીક નથી. પણ નળ પત્નીને તું અટકીશ તો મારા તેજથી તારી શી દશા તેનો વિચાર કરી લેજે.” દમયંતીની ધીરજથી તે પ્રસન્ન થયો અને બોલ્યો. “હું તમારા પર પ્રસન્ન થયો છું. માંગો શું જોઈએ ? હું તમને તમારા પિતાને ઘેર હમણાં જ પહોંચાડી દઉં?” “મારે બીજા પુરુષની મદદથી પિતાને ઘેર પહોંચવું નથી. પણ કહે કે, મારા પતિનો યોગ અને કયારે થશે ?” “પ્રવાસના દિવસથી બાર વર્ષે તમારા પિતાને ત્યાં આવીને જ તમને નળ રાજા મળશે. એમ હું મારા અવધિજ્ઞાનથી કહું છું.” આ સાંભળી “પતિ સંયોગના સમાચાર આપનાર તારું કલ્યાણ થાઓ.” કહી તે આગળ ચાલી ને મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી નળ રાજા નહીં મળે, ત્યાં સુધી રંગીન વસ્ત્રો, તાંબૂલ, આભૂષણો, વિલેપન, અને છ વિગયનો ત્યાગ રાખીશ.” આગળ ચાલતાં વળી વરસાદ શરૂ થયો એટલે એક પર્વતની ગુફામાં શાંતિનાથ પ્રભુની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવામાં સમય વિતાવતી હતી. અને તપશ્ચર્યાને પારણે પ્રાસુક ફળાદિથી પારણું કરતી હતી. આ તરફ સાર્થમાં દમયંતીને તેના આગેવાને ન જોઈ, ત્યારે પગલે પગલે આ ગુફામાં આવ્યો. ત્યાં દમયંતીને પ્રતિમા સામે પ્રભુધ્યાનમાં લીન જોઈ આનંદ પામી ત્યાં બેઠો. દમયંતીએ પૂજા પૂરી કરી. તેની સાથે આનંદથી વાતચીત શરૂ કરી, તે સાંભળી બાજુમાંથી કેટલાક તાપસો ત્યાં આવ્યા. તેવામાં મૂસળધાર વરસાદ શરૂ થયો. પરંતુ દમયંતીએ પોતાના પ્રભાવથી કુંડાળામાં વરસાદ વિના કોરી જમીન રાખી. વસંત સાર્થવાહને જૈન ધર્મનો બોધ આપ્યો. તાપસી પણ બોધ પામ્યા. સાર્થવાહ દમયંતીના ઉપકારમાં જ એક શહેર વસાવ્યું તેનું નામ તાપસપુર પાડ્યું. તેમાં શાંતિનાથ પ્રભુનું દહેરાસર કરાવ્યું. એક વખત દમયંતીએ પોતાની ગુફાવાળા પર્વત ઉપરથી રાત્રે દૂર પ્રકાશ જોયો. વસંત સાર્થવાહ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો તથા તાપસો સાથે પ્રકાશવાળા પર્વત પર ચઢી તો ત્યાં સિંહકેસરી મુનિને થયેલા કેવળજ્ઞાનનો મહિમા દેવો કરતા હતા. મુનિ પાસે સર્વે બેઠા, તેવામાં તે મુનિના ગુરુ યશોભદ્ર સૂરિ પણ આવ્યા અને કેવળી મુનિને વંદન કર્યું. કેવલી ભગવંતે દેશના આપી. તેવામાં એક મહર્બિક દેવે આવી ભગવંતને વંદના કરી. દમયંતીને કહ્યું-“ભદ્રે આ તપોવનના કુલપતિનો કર્પર નામે તાપસ હું શિષ્ય હતો. હું મારા ધર્મમાં નિષ્ઠ હતો, છતાં આ તાપસો મને ગણકારતા નહીં. તેથી હું તપોવનમાંથી નીકળી જઈ ભટકતો હતો, તેવામાં રાત્રિ પડવાથી એક પર્વતની ખાઈમાં પડવાથી મારા દાંત પડી ગયા, ને તેની પીડામાં સાત રાત હું ત્યાં જ પડ્યો રહ્યો, મારી કોઈએ સંભાળ લીધી નહીં. મને ક્રોધ થયો ને હું એ તાપસાશ્રમમાં જ સર્પ થયો. એક વખત હું તમને કરડવા દોડ્યો, તેવામાં તમે નવકાર મંત્રીથી મને થંભાવ્યો. એટલે પાછો વળી મારા બિલમાં ઉદર દેડકાનો આહાર કરતો ભરાઈ બેઠો. એક દિવસ વરસાદ વરસતો હતો ત્યારે આ તાપસોને તમે જીવદયાનો બોધ આપ્યો તે સાંભળી મને થયું કે, “અરે! મારી શી ગતિ થશે ?” તેથી વિચાર કરતાં મને જાતિસ્મરણ થયું. પછી મેં અનશન વ્રત મનથી લીધું. ત્યાંથી મરીને પ્રથમ દેવલોકના કુસુમસમૃદ્ધ વિમાનમાં કુસુમપ્રભ દેવ થયો છું. અવધિ જ્ઞાનથી તમને અહીં જાણીને તમારો આભાર માનવા હું આવ્યો છું, તાપસો! તમારા પર જે ક્રોધ કરેલો, તેની માફી માંગું છું.” એમ કહી ક્રોધનું ફળ બતાવવા પેલા સર્પનું મડદું લઈને ઝાડે લટકાવ્યું. તુરત જ ઊઠીને વિમલમતિ નામના તાપસના કુળપતિએ દીક્ષાની માંગણી કરી. ભગવંતે પોતાના ગુરુ પાસે દીક્ષા લેવા આજ્ઞા કરી. ત્યારે કુલપતિએ ભગવંતને તેમની દીક્ષાનું કારણ પૂછયું. ત્યારે સિંહકેસરી કેવળી ભગવંત બોલ્યા- “હું કોશલાના કુબર રાજાનો પુત્ર છું, મારી સ્ત્રીનું નામ બંધુમતી છે. તે સંગા નગરીના કેસરીની પુત્રી છે. તેને પરણીને આવતાં રસ્તામાં મારા ગુરુને મેં જોયા. તેમને વંદન કરી ઉપદેશ સાંભળ્યો. મારું આયુષ્ય પૂછયું, ત્યારે તેમણે પાંચ દિવસનું આયુષ્ય જણાવ્યું. તેથી હું ભય પામી ગભરાટમાં પડ્યો. પરંતુ ગુરુ મહારાજે આશ્વાસન આપ્યું કે, “એક દિવસમાં પણ માણસ આત્મકલ્યાણ સાધી શકે છે.” તેથી તુરત મેં દીક્ષા લીધી ને મને કેવલજ્ઞાન થયું.” એમ કહી તે યોગ નિરોધના ધ્યાનમાં ચઢયા અને મોક્ષમાં ગયા. દેવોએ તેમનો પવિત્ર ક્ષેત્રમાં અગ્નિસંસ્કાર કર્યો. વિમળપતિએ દીક્ષા દીધી, દમયંતીએ પણ દીક્ષા માટે પ્રાર્થના કરી. સૂરિ મહારાજે “હાલમાં નહીં, કેમ કે તમારે ભોગકર્મ બાકી છે.” સૂરિ તાપસપૂરમાં ગયા. ત્યાં જઈને લોકોને ધર્મમાં દઢ કર્યા. દમયંતી પણ તે પર્વતની ગુફામાં ગરીબી અવસ્થામાં સાત વર્ષ રહી. એક વખત કોઈ મુસાફરે બૂમ મારી કે, “દમયંતી ! મેં તારા પતિને જોયો છે.” એ સાંભળી દમયંતી તેને શોધવા નીકળી પડી. તેવામાં એક રાક્ષસી મળી. તેણે તેને મારવા કહ્યું, ત્યારે દમયંતીએ કહ્યું કે, “હું નળ વિના બીજાને ન ચાહતી હોઉ, આહત ધર્મ મારા હૃદયમાં વજ લેપ જડાયો હોય, ત્યાગી ગુરુ મેં પૂજ્યા હોય, તો તે હતાશ થઈ જા.” રાક્ષસી શાંત થઈને ચાલી ગઈ. આગળ ચાલતાં સૂકી નદી જોઈ પગ પછાડી પાણીથી વહેતી કરી દીધી, અને તરસ છિપાવી. તાપસપુરનો માર્ગ Page #462 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૮૯ પૂછવા એક ઝાડ નીચે બેઠી, તેવામાં સાર્થના લોકો આવી તેને ધનદેવના સાર્થમાં માનપૂર્વક લઈ ગયા, ને પૂછવાથી પતિ વિયોગની વણિક પુત્રી હોવાનું જણાવ્યું. આગળ ચાલતાં એક ગિરિકુંજમાં પડાવ પડ્યો. ત્યાં રાત્રે સૂવા જતાં નવકાર મંત્ર ગણવાનો અવાજ આવ્યો. તુરત ચમકી ધનદેવને સાથે લઈ પોતાના સાધર્મિકને મળવા આવી, જે તંબુમાંથી અવાજ આવતો હતો, ત્યાં જઈને જોતાં કપડાં ઉપર તીર્થંકર પરમાત્માની મૂર્તિ ચીતરીને એક ગૃહસ્થ ચૈત્યવંદન કરતા હતા, ને દમયંતી આંખમાં અથુ લાવી ઊભી ઊભી અનુમોદના કરતી હતી. ચૈત્યવંદન પૂરું થયે પૂછયું-“ભાઈ ! આ ક્યા અહંતુ પરમાત્માનું બિંબ છે ?” “એ મલ્લિનાથ પ્રભુનું બિંબ છે. કાંચીના રતિવલ્લભ ઉદ્યાનમાં ધર્મગુપ્ત જ્ઞાનિ મુનિ સમોસર્યા હતા, તેમણે મને દેવલોકમાંથી આવીને મિથિલાનો પ્રસન્નચંદ્ર રાજા થઈ મલ્લિનાથના તીર્થમાં તું મોક્ષ પામીશ” એમ સાંભળી પરમાત્માની હું દરરોજ ભકિત કરું છું.” આમ કહી તે શ્રાવકે પૂછયું “બહેન ! તમે કોણ છો ?” ત્યારે સાર્થવાહે પતિવિયોગનો બધો વૃત્તાંત કહ્યો. શ્રાવક ગળગળા થઈ ગયા ને આશ્વાસન આપ્યું કે, “બહેન ! ચિંતા કરશો નહીં. આ ધનદેવ શેઠને પિતા તુલ્ય ગણશો અને મને ભાઈ ગણશો. તમે અહીં સુખેથી રહો. આગળ ચાલતાં અચલપુરમાં તેને મૂકીને સાથે આગળ ચાલ્યો. પાણી પીવાદમયંતી જળદેવતાની માફક એક વાવમાં ઊતરી ત્યાં તેનો પગ એક ચંદન ઘોએ પકડ્યો. પરંતુ નવકાર મંત્રના સ્મરણથી તે પગ છોડીને નાસી ગઈ. બહાર આવી બેઠી. તે નગરમાં ઋતુપર્ણ રાજાને ચંદ્રયશા રાણી હતી, તે દમયંતીની માશી થતી હતી. તેની દાસીઓ પાણી ભરવા આવેલી તેણે રાણીને વાત કરી, એટલે તેણે દમયંતીને પોતાની પાસે તેડી મંગાવી. અને સાર્થવાહને કહેલી પોતાની વાત કહી એટલે રાણી ચંદ્રાવતી કુમારીની જેમ રાખવાની તેને ખાતરી આપી. ચંદ્રાવતીને કહ્યું, “બેટા ચંદ્રા! મારી બહેનની દીકરી દમયંતી નળરાજાને ત્યાં પરણાવી છે. તેના જેવી જ આ બહેન દેખાય છે. પણ તે તો એકસો ચૂંવાળીસ કોશ છેટે છે. એટલે અહીં કયાંથી હોય? તું અને તારી મોટી બહેન જેવું જ માન આપજે.” ચંદ્રયશા રોજ બહાર દાનશાળામાં દાન આપતી હતી તે કામ દમયંતીએ હાથમાં લીધું. આવનારાઓને પૂછતી કે, “આવો આવો પુરુષ તમે કયાંય જોયો છે ?” એક વખત દમયંતી દાનશાળામાં દાન આપતી હતી, તેવામાં એક ચોરને વધસ્થાને લઈ જતા હતા અને મરણના ભયથી તે રોતો હતો. તેને દમયંતીએ છોડાવ્યો. તેની હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે “હું તાપસનગરના વસંત સાર્થવાહનો પિંગળ સેવક છું. ત્યાંથી ચોરી કરીને નાઠો. તેવામાં રસ્તામાં મનેયે ચોરોએ લૂંટી લીધો. અહીં આવી રાજસેવક તરીકે રહી ચંદ્રાવતી કુમારીના રત્નના દાગીનાનો દાબડો ચોર્યો. તે અપરાધે પકડી મને શિક્ષા કરવા લઈ જતા તમે મને છોડાવ્યો. બહેન ! તાપસનગરેથી તમારા ગયા પછી વસંત સાર્થવાહે સાત દિવસ સુધી અન્ન ન લીધું. શ્રી યશોભદ્રસૂરિ વગેરેને સમજાવવાથી આઠમે દિવસે ભોજન લીધું. વસંત શેઠ કુબરરાજને ભેટણા સાથે કોશલા નગરીમાં મળ્યા, તેણે તેને તાપસનગરનું રાજ્ય રાજચિહનો સાથે આપ્યું. અને વસંત શ્રીશેખરની પદવી આપી, શેઠે વાઘ સાથે નગરમાં પ્રવેશ કર્યો અને રાજ્ય કરે છે.” દમયંતીએ કહ્યું કે, તારા પાપકર્મથી છૂટવા દીક્ષા લે, ત્યારે તેણે કહ્યું કે મને યોગ્ય જાણીને ગુરુમહારાજ આપે, તો હું તે લેવા તૈયાર છું. તેવામાં Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦. પંચ પ્રતિક્રમણ સૂત્રો બે મુનિરાજને ભિક્ષા માટે આવ્યા અને તેને દમયંતીએ કહ્યું કે, “મહાત્મન્ ! યોગ્ય જણાય, તો આને દીક્ષા આપો.” મુનિરાજોએ દીક્ષા આપી. વિદર્ભ દેશમાં ભીમરથ રાજાને નળ-દમયંતીના સમાચાર મળ્યા. તેની ચિંતા કરવા લાગ્યા અને હરિમિત્રનામના બ્રાહ્મણને તપાસ કરવા મોકલ્યો. ફરતાં ફરતાં આ નગરની દાનશાળામાં તેણે દમયંતીને ઓળખી કાઢી. ચંદ્રયશા માશીને પણ ઓળખાણ પાડી. ઋતુપાર્થ રાજાને પણ ઓળખાણ પાડી. તેનું તિલક સાફ કરવામાં આવ્યું અને અંધારામાં પ્રકાશ ફેલાઈ રહ્યો. દમયંતીને બધો વૃત્તાત પૂછયો ત્યારે તેણે રોતાં રોતાં કહ્યો. પછી રાજાએ ઊચિત આસન આપ્યું. તેવામાં એક દેવ આકાશમાં ઊતરી આવ્યો અને દમયંતીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો. “બહેન ! હું પિંગલક તમારા પ્રતાપથી દેવ થયો છું. તાપસપુરના સ્મશાનમાં ધ્યાનમાં ઊભો હતો. તેવામાં દાવાનળ સળગ્યો તેથી શુભધ્યાને બળી મરીને દેવ થયો છું. ત્યાંથી તમને મારા ઉપકારી સમજીને તમારો ઉપકાર માનવા આવ્યો છું.” એમ કહી સાત કરોડ સોનૈયાનો વરસાદ વરસાવીને ચાલ્યો ગયો. આથી ઋતુપર્ણ રાજા જૈનધર્મ પામી તેમાં દઢ થયા. હરિમિત્ર આગ્રહ કરી દમયંતીને પિતાને ત્યાં તેડી ગયો ને તેના પિતાએ નળની શોધ શરૂ રાખી. તે કામ માટે હરિમિત્ર પણ બહાર નીકળી પડ્યો. આ તરફ નળ રાજાએ અરણ્યમાં ભમતાં એક ઠેકાણે ધુમાડો જોયો અને પાસેના કૂવામાંથી રુદન સંભળાયું. નળ રાજા પાસે ગયા, કે તેને કોઈએ બહાર કાઢવા વિનંતિ કરી. નળે પૂછયું. “તું મારું નામ કયાંથી જાણે ?” “હું મનુષ્ય હતો તે અભ્યાસથી માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે. અને અવધિજ્ઞાનથી તમારું નામ જાણું છું. મને બહાર કાઢો. જેવો નળ કાંઠે બેસીને વસ્ત્ર વીંટાળીને જાય કે, તે બળતો સર્પ તેને કરડ્યો : તરત જ તેને પછાડીને જમીન પર ફેંકી દીધો. “અરે ! તે આ શું કર્યું !” તેવામાં તો ઝેર ચડીને શરીર તદન કૂબડું થઈ ગયું. વાળ પીળા-હોઠ લાંબા, હાથ પગ દોરડી, પેટ મોટું, વગેરે થઈ ગયું. “અરે ! આ શું? આ રીતે જિવાય શી રીતે ?” એમ વિચાર કરે છે. તેવામાં પેલો સર્પ દિવ્ય રૂપ ધારણ કરી તેને કહે છે. “હું તારો પિતા નિષધ છું. દીક્ષાના પ્રતાપે હું દેવ થયો છું. તારું દુઃખ જોઈ તારું ભલું કરવા મેં આ તારું રૂપ ફેરવ્યું છે. તે જીતેલા રાજાઓ મનથી તારા શત્રુઓ છે, તારી આ દશામાં તને હેરાન કરે. પરંતુ આ રૂપ કરવાથી તેને કોઈ પણ હરકત કરી શકશે નહીં. તારે હાલમાં દીક્ષા પણ લેવાની નથી. કેમકે તારે હજુ ફરીથી તારું રાજ્ય ભોગવવાનું છે. દીક્ષાનો વખત આવ્યે હું તને સૂચના કરીશ. આ શ્રીફળ અને આભરણનો કરંડિયો લે. જ્યારે તારે તારું રૂપ પાછું પ્રાપ્ત કરવું હોય, ત્યારે શ્રીફળમાંથી બે વસ્ત્રો અને આ આભરણ પહેરીશ, એટલે તારું મૂળ રૂપ પ્રાપ્ત થશે.” દમયંતીના સમાચાર મળે પૂછયા, એટલે તે પણ તેના સતીત્વના પ્રભાવ સાથે કહી બતાવ્યા. અને નળને સુસુમારનગરની નજીક મૂકી દીધો. નળે ત્યાંના વનમાં સિદ્ધાયતનમાં જઈ શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરી. શહેરમાં જઈ રાજાના હાથીને વશ કર્યો. રાજા Page #464 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો દધિપર્ણ પ્રસન્ન થયો ને પાસે બેસાડ્યો. પાંચસો ગામો તથા વસ્ત્રાલંકારો આપ્યાં. ગામો વિના તેણે બધું લીધું. રાજાએ તેની ગજ શિક્ષાની પ્રશંસા કરી, “આ સિવાય બીજી કોઈ કળા જાણે છે ?” ‘‘હા, હું સૂર્યપાક રસોઈ જાણું છું. નળ રાજાનો હું હુંડિક રસોઇયો છું. તેની પાસેથી શીખ્યો છું. નળ રાજા જુગારમાં હારી જવાથી સ્ત્રી સાથે રખડતા રખડતા મરી ગયા ને હું નોકરી શોધતો અહીં આવ્યો, ‘પરંતુ નળ સિવાય બીજો કોઈ સૂર્યપાક જાણતો નથી, તો તું નળ છો ? ના, ના, તું નળ કયાંથી હો. કેમકે તેનું રૂપ તો દેવ અને વિદ્યાધરોના રૂપને પણ હરાવે તેવું છે. ઠીક, તારે બીજું કાંઈ જોઈએ છે.'' ''હા, તમારા રાજ્યમાં શિકાર અને મદિરાપાન બંધ કરાવો.” રાજાએ તેમ કરાવ્યું. અને નળ રાજાના મરણના સમાચારથી શોક પામીને તેની મરણક્રિયા ઊજવી, તે કૂબડે મનમાં હસતાં હસતાં જોયા કરી. કોઈ કામ પ્રસંગે ભીમરથ રાજા પાસે દધિપર્ણનો દૂત ગયેલો, તેની પાસેથી તેના સૂર્યપાક રસોઈ કરનાર કૂબડાની વાત સાંભળવામાં આવતાં દમયંતીના આગ્રહથી કુશલ બ્રાહ્મણને તેની તપાસ કરવા મોકલ્યો. તેણે સુસુમારનગરમાં આવ્યા પછી બધી બાતમી મેળવી. કૂબડાને મળતાં તે નિરાશ થયો. અને નળની નિંદાના દમયંતી હેરાન કરવા સંબંધના બે શ્લોક બોલ્યો. નળની આંખમાંથી આંસુની ધાર ચાલી. તેના કારણના જવાબમાં “પોતાના ભૂતપૂર્વ માલિકની દશા યાદ આવી’’ જણાવી કુશલના મનનું સમાધાન કરી તેનો સત્કાર કર્યો. ને ઇનામમાં મળેલા દાગીના સોનૈયા વગેરે દમયંતીના સમાચાર લાવનાર તે કુશલને આપી વિદાય કર્યો, તેણે દમયંતીને વાત કરી. દમયંતીએ પિતાને કહ્યું કે, ‘‘પિતાજી ! કહો કે ન કહો. પણ તે નળ રાજા જ છે. તેના વિના આટલી કળાઓ કોઈ જાણતું નથી. જ્ઞાની મહાત્માનું વચન છે કે, સૂર્યપાક તો તેના વિના કોઈ જાણતું જ નથી. તેનું રૂપ બેડોળ થવામાં કોઈ ગૂઢ કારણ હશે.’’ ભીમરથ રાજાએ નળના મરણથી દમયંતીનો સ્વયંવર મંડપ ફરી રચવાની તાત્કાલિક કંકોત્રી કાઢી. દધિપર્ણને તે મળી. તે દમયંતીને પહેલાથી જ ઇચ્છતો હતો, પણ નળને વરી એટલે તેનું કાંઈ ચાલેલું નહીં. હવે તેને મેળવવાની સુલભતાથી તે દમયંતીને મેળવવા અધીરો થયો; પણ છ પહોરમાં પહોંચાય શી રીતે ? આ વાતની જાણ કૂબડાને થતાં તેણે હિંમત આપી ને રથ જોડી ચાલ્યા. રસ્તામાં રાજાનું ઉત્તરીય વસ્ત્ર પડ્યું, તે લેવાની માંગણી કરી, પરંતુ કૂબડે જણાવ્યું કે “ત્યાંથી તો આપણે ૨૫ કોશ દૂર આવી ગયા છીએ, તેવામાં એક બહેડાના ઝાડનાં ફળ અઢાર હજાર હોવાનું રાજાએ જણાવ્યું, કહ્યું કે, “વળતાં હું તને ગણીને ખાતરી કરી આપીશ,” કૂબડે કહ્યું-‘“એમ શા માટે ? હું બધાં ફળ મૂઠીથી પાડી દઉં. ગણીને આગળ ચાલીએ. વખતસર પહોંચવાની બાબતમાં ચિંતા કરશો નહીં. આ સેવક જ્યાં સુધી છે, ત્યાં સુધી તમને કશી વાતે હરકત આવવા દઈશ નહીં.’’ તેમ કરતાં બરાબર અઢાર હજાર ફળ થયાં. રસ્તે ચાલતા કૂબડે એ સંખ્યાવિદ્યા તેની પાસેથી લીધી અને તેને અશ્વવિદ્યા આપી. સવારે કુંડિનપુર પહોંચી ગયા. ૩૯૧ ભીમરથ સામા આવ્યા અને પહેલાં માંગણી સૂર્યપાકની કરી. કૂબડે સૂર્યપાક બનાવી સૌને જમાડ્યા. દમયંતી પણ થાળી મંગાવી જમી ને સંતોષ પામી, પછી પોતાના પિતાને કહ્યું કે, “પિતાજી ! એ જરૃર નળ રાજા જ છે. તેની બીજી એક પરીક્ષા છે કે, તે તિલક કરવાના બહાનાથી મને સ્પર્શ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો કરશે, તો જે નળ હશે, તો મને રોમાંચ થશે.” ભીમરથ રાજાએ કહ્યું કે, “બેટા ! એ કૂબડો કયાં અને દેવરૂપધારી નળ કયાં ? તો પણ તારા કહેવા પ્રમાણે કરી જોઈએ.” તેમ કરવામાં આવ્યું. આંગળીનો સહેજ સ્પર્શ થતાં જ દમયંતીને અદ્વૈત આનંદ થયો ને રોમાંચ ખડા થયા કે, તેનો હાથ પકડીને-“પ્રાણેશ ! તે વખતે મૂકીને ચાલ્યા ગયા, પણ હવે નહીં જવા દઉ.” કહી એકાંતમાં લઈ ગઈ. કૂબડે ઝોળીમાં બાંધી રાખેલા શ્રીફળમાંથી વસ્ત્રો અને કરંડિયામાંથી આભરણો કાઢીને પહેર્યા કે સાક્ષાત્ નળ રાજાને દમયંતી સર્વાગ આલિંગનથી ભેટી પડી. ભીમરથ રાજાને ખબર પડી ત્યારે પોતાના સિંહાસન ઉપર બેસાડી તેને પોતાના સર્વસ્વના માલિક તરીકે જાહેર કર્યા. હવે પેલા ધનદેવ સાર્થવાહ આવ્યા. તેનો સત્કાર કર્યો પછી તો ઋતુપર્ણ, ચંદ્રયશા, ચંદ્રાવતી, વસંત શ્રીશેખર બધાને તેડાવી એક મહિનો રાખ્યા ને આનંદ કર્યો. તેવામાં એક દિવસે એક દેવે આકાશમાંથી ઊતરી દમયંતીને હાથ જોડી કહ્યું-“હે પવિત્ર ! હું વિમળમતિ તાપસ તમારા પ્રતાપથી જૈન ધર્મ પામી, દીક્ષા લઈ, તેની આરાધના કરી, પહેલા દેવલોકમાં શ્રી કેસર નામના વિમાનમાં શ્રી કેસર દેવ થયો છું.” એમ કહી સાત કરોડ સોના મહોર વરસાવીને ગયો. દરેક રાજાઓએ મળીને નળનો અભિષેક કર્યો. પછી સૌ અયોધ્યા-કૌશળા તરફ ચાલ્યા. કુબર ગભરાયો. પરંતુ નળરાજાએ લડાઈ ન કરતા ઘુતમાં તેને જીતી લીધો. તે દુષ્ટ છતાં તેના પર રોષ ન રાખતા નાનો ભાઈ જાણી તેને યુવરાજ બનાવ્યો, રાજાઓ સૌ સૌને સ્થાને ગયા. લાંબો વખત રાજ્ય કર્યા પછી નિષધ દેવે આવીને તેને દીક્ષા લેવાની ચેતવણી આપી. બન્નેય દંપતીએ દીક્ષા લીધી. પરંતુ નળનું મન એક વાર પાછું દમયંતીમાં ચોંટ્યું. નિષધદેવના સમજાવવાથી સંયમમાં સ્થિર થઈ વ્રતમાં અશકત નળે એક માસનું અનશન કર્યું. તે સાંભળી દમયંતીએ પણ તેમ કર્યું. ત્યાંથી બન્નેય કુબેરદેવદેવી થયાં ને દમયંતી કનકવતીને ભવમાં વસુદેવને પરણી. કુબેરદેવે તેમાં ઘણી મદદ કરી. તેનો વિસ્તાર વસુદેવના ચારિત્રથી જાણવો. ૬. નર્મદા સુંદરી: વર્ધમાન નગરના સંપ્રતિ રાજાના રાજ્યકાળે ઋષભસેન શેઠને વીરમતી પત્નીથી સહદેવ અને વીરદાસ નામે પુત્રો અને ઋષિદના નામે પુત્રી હતી. શેઠની ઇચ્છા પુત્રીને જૈન ધર્મ પાળનારને જ આપવાની હતી છતાં કુબેરદત્તા મિત્રને ત્યાં ઋષિદત્તા મેળવવા કપટ શ્રાવક થઈ રહેલા ચંદ્ર નગરના રુદ્રદત્ત યુવાન વેપારીને પરણાવી. બન્નેય પોતાને ઘેર ગયા. ત્યાં ઋષિદના પણ પિતાનો ધર્મ ભૂલી ગઈ. શેઠે બન્નેયની સાથે વ્યવહાર બંધ કર્યો. ઋષિદરાના મહેશ્વરદત્ત પુત્રે મોસાળમાં આવી જૈન ધર્મ ખરી રીતે અંગીકાર કરી સહદેવની નર્મદા સુંદરી પુત્રીને પરણ્યો. નર્મદા સુંદરીના પરિચયથી સાસુ સસરા વગેરે ફરીથી જૈન ધર્મમાં દઢ થયા. એક દિવસે ગોખમાં બેઠા બેઠા પાન ચાવીને ઘૂંકવા જતાં થંક એક મુનિરાજ પર પડ્યું. મુનિરાજે ઊંચે જોઈ કહ્યું કે, “સાધુની આશાતના પતિ સાથેનો તારો વિયોગ બતાવે છે. નર્મદા સુંદરીએ નીચે ઊતરી પગે પડી માફી માંગે. મુનિરાજે કહ્યું- “અમારે રાગદ્વેષ કરવાનો હોય નહીં, અને શાપ પણ આપવાનો હોય જ નહીં. માત્ર અમે તો ભાવિ બનાવની સૂચના કરી છે. અને એ બનાવને Page #466 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૦૩ અનુસરીને તેના બીજ રૂપ તારા જેવી ધાર્મિક શ્રાવિકાથી પણ આવું કૃત્ય થઈ ગયું છે. કર્મની ગતિ વિચિત્ર છે.” વહાણો ભરી વેપાર માટે વિદેશ જતા પતિ સાથે નર્મદા સુંદરી પણ ગઈ. રસ્તામાં એક સુંદર સંગીત સાંભળવામાં આવ્યું, તે ઉપરથી નર્મદા સુંદરીએ પતિને કહ્યું કે, “આ ગાનારનું શરીર શ્યામ, હાથ-પગ અને વાળ જાડા, ચક્ષુ સ્નેહવાળા, તેના ગુહ્ય સ્થાન ઉપર મસા, પહોળી છાતી ઉપર લંછન, અને ઉમરે બત્રીસ વર્ષનો સાત્વિક પુરુષ છે.” આ સાંભળી મહેશ્વરદત્તને અનાચારની શંકા થઈ, ને તેને મારી નાખવાનો તેણે વિચાર કર્યો. તેવામાં રાક્ષસદ્વીપમાં આવતાં વહાણ થોભાવી માલમની સૂચનાથી પાણી વગેરે ભરી લેવા ઉતારુઓ ઊતરી પડ્યા. તેમાં ત્યાં આ દંપતી પણ ઊતરી એક બાજુએ ઠંડકમાં બેઠા, તેવામાં નર્મદા સુંદરીને નિદ્રા આવી. એટલે “તેને વાઘ ઉપાડી ગયો” કહી વહાણ હંકારીને તે આગળ ચાલ્યો ગયો. નર્મદા સુંદરીએ રુદન કરી કરીને પાંચ દિવસ ત્યાં કાઢ્યા. તેવામાં તેના કાકા વીરદાસ તે બંદરેથી બર્બર દેશ તરફ તેને લઈ ગયા. બર્બર દેશની વેશ્યાએ વરદાસને પોતાની પાસે બોલાવી તેની વીંટી યુક્તિથી કાઢી લઈ નર્મદા સુંદરીને બતાવી દાસી મારફત પોતાની પાસે બોલાવી, ને અડગ શ્રાવક વીરદાસને જતો કર્યો. નર્મદસુંદરીને ભોંયરામાં પૂરી દીધી. વીરદાસની શોધથી તે મળી નહીં. ત્યારે જિનદાસ નામના અંગત માણસને મૂકીને ભૃગુપુર ગયા. આ તરફ નર્મદા સુંદરીને મારીને મનાવવા મહેનત કરતાં અચાનક તે વેશ્યા જ મરી ગઈ. મંત્રીઓએ વેશ્યાનું પદ લેવા કહ્યું, ત્યારે તે પાલખીમાં બેસી રાજા પાસે ચાલી. તેવામાં એક ગટરની મોટી ખાઈમાં પડી. વિષ્ટા અને દુર્ગધથી ખરડાઈ ગાંડી થઈ ડાકણની જેમ ધૂણતી ધૂણતી ગામમાં ફરવા લાગી. લોકોને એટલી હદ સુધી કંટાળો આપ્યો કે રાજાએ તેને શહેર બહાર રહેવા કહ્યું. એટલે જિનદાસ સાથે પોતાની માતાનો દોહદ પૂરો કરવા નર્મદા નદીને કાંઠે પોતાના પિતાએ નર્મદાનગર વસાવ્યું હતું, ત્યાં પિયરમાં આવી, અને જિનદાસ ભૃગુપુર ગયો. આર્ય સુહસ્તિ નામના આચાર્ય મહારાજને પૂછવાથી “નર્મદા નદીની અધિષ્ઠાયક નર્મદા દેવીએ એક કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા મુનિને ઘણા ઉપસર્ગ કરેલા. તે દેવી તે તું નર્મદા સુંદરી. તું ગર્ભમાં આવ્યાથી પૂર્વના પરિચયને લીધે તારી માતાને નર્મદામાં નાહવાની ઈચ્છા થયેલી.” નર્મદાસુંદરીએ દીક્ષા લીધી અને અવધિજ્ઞાન પામી પ્રવર્તિની પદ પ્રાપ્ત કર્યું. વિહાર કરતાં ચંદ્રનગર જઈ પોતાના ગૃહસ્થાવસ્થાના પતિ વગેરેને ઓળખાણ આપી, બોધ આપી ધર્મ બેસાડ્યો. મહેશ્વરદત્તે ગુરુ પાસે અને ઋષિદનાએ પ્રવર્તિની પાસે દીક્ષા લીધી. અંતે મોક્ષમાં ગયા. ૭. સીતા : આ કથા પ્રસિદ્ધ છે, છતાં જૈન દષ્ટિએ જે ખાસ ફરક છે, તે અહીં બતાવ્યો છે. મિથિલા નગરીમાં હરિવંશના વાસુકિ રાજાની વિપુલા રાણીથી જન્મેલા જનક રાજાની વિદેહા નામની પત્નીએ ભામંડળ પુત્ર અને સીતા પુત્રીને જન્મ આપ્યો હતો. પિંગળ નામનો દેવ ભામંડળને પાડી જઈ દયા આવવાથી આભૂષણાદિ પહેરાવવી, વૈતાઢય પર્વત પર મૂકી ચાલ્યો ગયો. રથનપુર Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પંચ પ્રતિકમાણસૂત્રો નગરના અપુત્ર ચંદ્રગતિ વિદ્યાધરને હાથ આવવાથી પુષ્પવતી રાણીને સોંપ્યો. આ તરફ સીતાએ નારદમુનિનું અપમાન કરેલ હોવાથી તેણે તેનું ચિત્ર ભામંડળને બતાવ્યું. તે સીતાને પરણવા તૈયાર થયો. પરંતુ ધનુષ્ય ભંગ કરવાથી સીતાનું લગ્ન રામ સાથે થયું. આકાશવાણીથી સીતાને પોતાની બહેન જાણી ભામંડળનું મન શાંત થયું, ને બહેનની માફી માંગી. આ તરફ રામ વનવાસ, રાવણ વધ, અયોધ્યામાં રાજશાસન ચલાવવું વગેરે હકીકતો લગભગ પ્રસિદ્ધ હોવાથી જાણી શકાશે. લોકોની શંકાથી રથમાં બેસાડી સીતાને રામે સેનાપતિ ભારત વનમાં મોકલાવી દીધા. પુંડરીકપુરનો વજકંધ રાજા તેને બહેન સમાન ગણી. પોતાને ત્યાં લઈ ગયો. સેનાપતિએ રામને સીતાના વિલાપની વાત કરી. રામ ગભરાયા અને ફરી શોધ કરવા આવ્યા પણ સીતા મળ્યાં નહીં. સીતાના પુત્રોનાં નામ લવ અને કુશ પાડ્યાં. વજજ લવને પોતાની શશિકલા અને બત્રીસ રાજાની કુમારીઓ પરણાવી. કુશ પણ પરાક્રમ બતાવી પૃથુરાજાની પુત્રીને પરણ્યો. બન્નેયનાં પરાક્રમોથી આશ્ચર્ય પામેલા પૃથુરાજાને લવ-કુશના માતાપિતાની વાત કહી. પછી લવ-કુશે વજઅંધ સાથે આવીને રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કર્યું. લક્ષમણે ચક્ર મૂક્યું, તે પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું, તે ઉપરથી કુટુંબી તરીકે ઓળખીને નારદ પાસેથી વિશેષ ખુલાસો મેળવી સૌ મળ્યા. સુગ્રીવ-બિભીયાણ તથા રામે સીતાને નગરમાં આવવા કહ્યું. સીતાએ પાંચદિવ્ય કરી આવવા જણાવ્યું. અગ્નિથી ભરેલી ખાઈ પાણીથી ભરાઈ ગઈ, તે તરીને સીતા સામે કાંઠે ગયાં. અગ્નિ પીધો, ઠંડો થઈ ગયો. તપાવેલા તેલમાંથી કોડી લીધી. તોલ થયો અને જીભથી ફળ લીધું. તેવામાં શ્રીશીલચંદ્ર આચાર્ય ચાર જ્ઞાન ધારક આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી સીતાએ પોતાની ઉપરના કલંકનું કારણ પૂછ્યું. “પૂર્વ ભવે ભરતક્ષેત્રમાં મૃણાલિની નગરીના શ્રીભૂતિ પુરોહિતની સરસ્વતી સ્ત્રીની પુત્રી વેગવતીના ભાવમાં તમે તપસ્વી મુનિને હલકા પાડવા કલંક દીધું હતું. શાસનદેવીએ વેગવતીને શિક્ષા કરી. વેગવતીએ માફી માંગી દીક્ષા લઈ તીવ્ર તપશ્ચર્યા કરી સ્વર્ગે ગઈ, ત્યાંથી વી તમે સીતા થયાં.” આ સાંભળી સીતા વગેરે ધર્મકાર્યમાં વિશેષ સાવધાન થયાં. પછી સંયમ આરાધી બારમા દેવલોકમાં ઈદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મને પ્રતિબોધ આપ્યો. રામે દીક્ષા લઈ મોક્ષ મેળવ્યો. સીતા પણ અનુક્રમે મોક્ષ પામશે. ૮. નંદા : રાજગૃહીના પ્રસેનજિત રાજાના પ્રસિદ્ધ ભંભાસાર અથવા શ્રેણિક નામના પુત્ર માતાપિતાથી રિસાઈ બેનાતટ નગરે ચાલ્યા ગયા હતા. ત્યાંના ધનપતિની સુનંદા નામની પુત્રીને તે પરણ્યા હતા. તેનાથી મહાબુદ્વિનિધાન અભયકુમારનો જન્મ થયો હતો. શ્રેણિક તેને સગર્ભા મૂકીને રાજગૃહ ગોપાલ, ધવળ ભીંત ઘર.” એટલા અક્ષર ભારોટીએ લખીને ગયા. જન્મ પછી ઉમ્મરમાં આવ્યું, તે અક્ષરો પરથી પુત્રે પોતાના પિતાની ઓળખાણ કરી લીધી. માતાને લઈને રાગૃહ ગયો. કૂવામાં નાંખેલી વીંટી તેણે કાંઠે ઊભા ઊભા પહેરી અને રાજાના સર્વ મંત્રીઓનો મુખ્ય મંત્રી થયો. રાજાએ માતા-પુત્રને પટ્ટ હસ્તી ઉપર બેસાડીને સન્માનથી પ્રવેશ કરાવ્યો. આવા બુદ્વિનિધાન પુત્રની માતા પરમ સતી અને ભાગ્યવતી હતી. સુનંદા તે જ આ નંદા. Page #468 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૫ ૯. ભદ્રા : શાલિભદ્રાની કથામાં આ કથા છે. ૧૦. સુભદ્રા: વસંતપુરના જિતશત્રુ રાજાના રાજ્યમાં જિનદાસ પ્રધાનની તસ્વમાલિની પત્નીની સુભદ્રા નામની પુત્રીને ચંપા નગરીનો બૌદ્ધ ધમ બુદ્ધદાસ કપટ શ્રાવક થઈ પરણી સ્વવતન ગયો. સવારમાં ઊઠી સુભદ્રા જિનમંદિરે જઈ દર્શન કરી આવી, કે સાસુએ કહ્યું કે, “વહુ ! તમારે ત્યાં ન જવું. આપણો ધર્મ બદ્ધ છે. માટે બુદ્ધદેવને દહેરે જવું.” સુભદ્રાને પોતાના પતિના કપટની જાણ થઈ અને ચેતીને દરેક કુટુંબીઓનો અણગમો વહોરીને પણ તે પોતાના ધાર્મિક આચાર પાળવા લાગી. તેને જુદી રાખી. એક દિવસે માસ ખમણના ઉપવાસી મુનિરાજ પારણા માટે વહોરવા આવ્યા. તેની આંખમાં કાંઈક પડેલું, તે કાઢવામાં ન આવે, તો આંખ જાય તેમ લાગવાથી જીભ ફેરવીને સુભદ્રાએ કહ્યું કાઢી લીધું. પરંતુ જીભથી આંખનું કયું કાઢતાં કપાળના ચાંદલાની છાપ મુનિના કપાળમાં ઊઠી આવી. સાસુએ તથા સંબંધીઓએ આ જોયું. બુદ્ધદાસને બોલાવી, તેની સ્ત્રીની રીતભાતથી સાવચેત રહેવા કહ્યું. બુદ્ધદાસે પણ તેના પરથી ભાવ ઉતારી નાંખ્યો. સુભદ્રાએ કાઉસ્સગ્ગ કરી શાસનદેવીની આરાધના કરી અને કલંક દૂર ન થાય ત્યાં સુધી કાઉસ્સગ્ગ ન પારવા પ્રતિજ્ઞા કરી. શાસન દેવીએ કહ્યું : “તું કાઉસ્સગ્ન પાર. તારું કલંક સવારે દૂર થશે. હું કહે તેમ કરવું.” સુભદ્રાએ કાઉસ્સગ્ન પાળ્યો. . સવારમાં શહેરના દરવાજા બંધ. આકાશવાણી થઈ કે, “જે સતી કાચા સુતરના તાંતણાથી ચાળણી વતી સીંચીને કૂવામાંથી પાણી કાઢી છાંટશે, તે દરવાજા ઉધાડી શકશે.” કંઈક સ્ત્રીઓ મથી, પણ કોઈનું કાંઈ ન વળ્યું. રાજા ગભરાયો. લોકો અકળાયા. શહેરમાં પડહ વગડાવ્યો. આ તરફ સુભદ્રાએ પોતાનાં સાસુને વિજ્ઞપ્તિ કરી, “માતાજી ! જો આપની આજ્ઞા હોય, તો હું દરવાજા ઉઘાડું ?” સાસુએ કહ્યું કે, “તે કુળને કલંક તો ચડાવ્યું છે, હવે બધાની નજરે ચડીને તારે ઢોલ પીટવો છે, એમને ? બસ, ઉઘાડ્યા દરવાજા.” સુભદ્રાએ કહ્યું-“માતાજી ! આપનું કહેવું સાચું હશે. પરંતુ હું આકાશને પૂછું, અને તે “હા” કહે, તો જવા દેશો કે?” સાસુએ કહ્યું કે, “પૂછ, આકાશને. આકાશ તેને બરાબર જવાબ દેશે.” સુભદ્રાએ હાથ જોડી આકાશ સામે જોઈ પૂછયું. તો “ઉઘાડો” એવો અવાજ આવ્યો, કે તુરત સુભદ્રાએ જઈ પડહને સ્પર્શ કર્યો. પછી તો હજારો માણસો અને સ્ત્રીઓ સાથે શિયળ ગુણની અનેરી પ્રભાથી ઓપતાં શ્રીમતી સુભદ્રા સતીએ આવીને ત્રણ બારણાં ઉઘાડ્યાં. તુરત શાસનદેવીએ કહ્યું કે, “કોઈ સતી હોય, તો ચોથું બારણું ઉઘાડે.” ત્યાર પછી કોઈએ એ બારણું ઉઘાડ્યું નથી. આ દેશમાં દરેક શહેરનું એક બારણું કાયમ બંધ રહે છે, અને આ રિવાજ હજુ ચાલ્યો આવતો જોવામાં આવે છે. શાસનદેવીએ ઘોષણા કરી કે, "જે કોઈ આ મહાસતીથી વિરુદ્ધ ચિંતવશે, તેને શિક્ષા થશે.” રાજા વગેરે આશ્ચર્ય Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પંચ પ્રતિકમાણસૂત્રો પામ્યા. તેના કુટુંબીઓ જૈન ધન થયા અને અનુક્રમે દીક્ષા લઈ મોક્ષમાં ગયા. ૧૧. રાજીમતી : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ વાસુદેવની રાણીઓએ લગ્ન કરવાને લલચાવ્યા બાદ, તેમણે નિષેધ ન કરવાથી કૃષગે મથુરાના ઉગ્રસેન રાજાની પુત્રી સત્યભામાની બહેન રાજુમતી સાથે સગપણ કર્યું. અને શ્રાવણ સુદ છઠને દિવસે લગ્ન કરવા જન મથુરા ગઈ. પરંતુ જાનૈયાઓને જમાડવા માટે માંસની સામગ્રી મેળવવા રસ્તામાં પશુઓને એક વાડામાં પૂરેલા હતા. તે જોઈ પ્રભુનું મન કરૂણાવાળું થવાથી ત્યાંથી પાછા ફરી આવ્યા. એક વર્ષ રહી વર્ષીદાન આપી દીક્ષા લીધી. આ તરફ રાજીમતીએ પ્રભુને ઘણી વિનવણી કરી. જ્યારે પાછા ન વળ્યા, ત્યારે તેની સખીઓએ તેને બદલે બીજા વર સાથે પરણાવવાની સૂચના કરી, ત્યારે રાજમતીએ કાને હાથ દઈ “એ સિવાય બીજાને વરવાની વાત પણ સાંભળવા હું માગતી નથી. મારા હાથ પર તેનો હાથ મેળાપ [હથેવાળો] ન થયો, તો દીક્ષા પ્રસંગે હું મારા મસ્તક ઉપર તેમનો હાથ મુકાવીશ.” એમ કહી પ્રભુના ધ્યાનમાં મગ્ન રહી. પ્રભુને કેવળ જ્ઞાન થયા બાદ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. અને ચારિત્રની આરાધના શરૂ કરી. એક વખત શ્રી ગિરિનગર પર્વત ઉપર પ્રભુને વાંદવા જતાં રસ્તામાં વરસાદ થવાથી એક ગુફામાં જઈ વસ્ત્રો સૂકવવા જતાં તેના દિયર રથનેમિ મુનિનો મેળાપ થયો. ત્યાં વસ્ત્રરહિત રાજીમતીને જોઈ પોતાની સાથે પરણવાની તેણે માંગણી કરી. રાજીમતીએ તેને બોધ આપ્યો. રામતીને પગે પડી, પ્રભુ પાસે જઈ આલોયણા લઈ ચારિત્રની આરાધના કરી. આ તરફ રાજીમતી પણ ઉપાશ્રયે ગયાં. આરાધના કરી કર્મોનો ક્ષય કરી પ્રભુજી પહેલાં જ મોક્ષમાં ગયા. ૧૨. શષિદના : ભરત ક્ષેત્રના મધ્યપ્રદેશમાં રથમર્દન નગરમાં હેમરથ રાજાની સુદશા રાણીથી જન્મેલો કનકરથ નામે પુત્ર હતો. કાવેરી નગરીમાં સુંદરપાણિની વાસુલા પત્નીથી ઉત્પન્ન થયેલી રુક્મિણી નામની પુત્રી હતી. કનકરથ ને રુકિમણીનો સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેને પરણવા જતાં રસ્તામાં તદ્દભવ મોક્ષગામી અરિમર્દન રાજાને જીતી રાજ્ય પાછું આપી તેની દીક્ષા લેવાની ભાવનામાં કારણભૂત થયો. આગળ જતાં એક જંગલમાં સરોવર પાસેના શ્રી આદીશ્વર પ્રભુના મંદિરમાં - મિત્રાવતી નગરીના, તાપસ થયેલા હરિગ રાજાની, પૂર્વના તાપસ પાસેથી મેળવેલા વિલાપહાર મંત્રથી જિવાડેલી સ્વસ્તિમતી નગરીના પ્રિયદર્શન રાજાની વિદ્યુwભા રાણીથી જન્મેલી પ્રીતિમતી પત્નીથી, બન્નેય તાપસ થયા પછી જન્મેલી, ઋષિદના નામની, અદશ્ય અંજનથી કોઈકોઈ વાર અદશ્ય થઈ રહેતી પુત્રીને તેના પિતાની ઈચ્છાથી પરણ્યો, તાપસ અગ્નિ પ્રવેશ કરી મૃત્યુ પામ્યો. રાજકુમાર ઋષિદના સાથે પાછો સ્વવતન આવ્યો. મિાગીએ, કુમારને પાછો ગયેલો સાંભળી તેનું મન ઋષિદના ઉપરથી પોતાની તરફ આકર્ષવા એક સુલસા નામની યોગિનીને મોકલી. ઋષિદનાને “શહેરના માણસો મારી નાંખી માંસભક્ષણ કરતી રાક્ષસી ઠરાવી. કનકરથની ઈચ્છા વિરુદ્ધ રાજાએ હુકમ કરી બહાર કઢાવી મૂકી. પછી સુંદરપાણિ રાજા મારફત રુક્મિણીને પરણવા આવવા થયેલી માંગણીને વશ થઈ કનકરથ કુમાર પાછો કાવેરી નગરી Page #470 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૯૭ તરફ ગયો. રસ્તામાં જ્યાં પ્રથમ ઋષિદનાનો સમાગમ થયો હતો, ત્યાં આવી ત્રષિદનાને સંભારી કુમાર બહુ શોકાતુર થયો. તેવામાં એક મુનિ કુમાર તાપસ તેને મળ્યો. તેના પર તેને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું. ત્યાં ગયા બાદ લગ્ન થયાં. રાત્રે કુમારના ઋષિદના ઉપરના પ્રેમની પ્રશંસા કરી. સુલસા યોગિનીને મોકલી કુમારને પોતે કેવી રીતે પરણી શકી ? તે બધી વાત કરી. કુમારને એકદમ ક્રોધ ચડ્યો, અને અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. રાજાની ભલામણથી ઋષિકુમારે ઋષિદત્તાને લાવી આપવાનું વચન આપી કુમારને બચાવ્યો. તે પોતે પડદામાં જઈ ઔષધિથી થયેલું પુરુષ રૂપ ફેરવી, ઋષિદત્તાના રૂપમાં હાજર થયો. પેલી સુલસાને રાજ તરફથી ભયંકર શિક્ષા કરવામાં આવી. ઋષિદનાને જોઈ કુમાર તેમાં તન્મય બની ગયો. છેવટે ઋષિદનાના આગ્રહથી રુકિમણીનો પણ કુમારે સ્વીકાર કર્યો. અનુક્રમે સ્વનગરમાં આવી પિતાએ આપેલું રાજ્ય પાળ્યું. અને હેમરથ રાજા દીક્ષા લઈ કર્મો કપાવી મોક્ષ પામ્યા. સંધ્યાનાં વાદળાં વેરાતાં જોઈ એક વખત રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરંતુ ઋષિદના સાથે જૈન ધર્મની વાતોથી તે રાત્રિ પસાર કરી. સવારમાં શ્રી ભદ્રસૂરિ પધાર્યા. તેમની દેશના સાંભળી દીક્ષા લેવા તત્પર થયા. ઋષિદનાએ પોતાના ઉપર રાક્ષસીનું કલંક આવવાનું કારણ પૂછવાથી જ્ઞાની ગુરુમહારાજાએ જણાવ્યું કે-“ભરત ક્ષેત્રના ગંગાપુરના ગંગદત્ત રાજાની ગંગા નામની રાણીની ગંગાસેના નામની પુત્રીએ ચંદ્રયશા સાથ્વી પાસે દીક્ષા લીધી હતી. તેણે જિનસ્તુતિ-વંદન તથા તપશ્ચર્યામાં લીન નિઃસંગા નામના સાધ્વીની પ્રવર્તિની પાસે થતી સ્તુતિ ન સાંભળી શકવાથી, એવી ખોટી નિંદા કરી કે-“એ તો દિવસે તપ કરે છે, પરંતુ રાત્રે તો રાક્ષસીની પેઠે માંસ ખાય છે, એમાં છે શું ?” આ કલંક તે સાધ્વીએ સહન કર્યું. પરંતુ આલોચ્યા વિના મરીને તારે ઘણા ભવ ભમવું પડ્યું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લઈ વ્રત પાળી તે ગંગસેનાનો જીવ ઈશાન ઈંદ્રની ઈંદ્રાણી થઈ. ત્યાંથી ચ્યવીને તું ઋષિદના થઈ છો.” આ વાત સાંભળતાં ઋવિદત્તાને જાતિસ્મરણ થયું. અને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવાની ભાવનાથી બંનેયે સિંહરથ પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી અને શ્રી શિતળનાથ પ્રભુની જન્મ નગરીમાં તેઓએ તપશ્ચર્યા કરી. અંતે કર્મ ખપાવી મોક્ષ પામ્યા. ૧૩. પદ્માવતી : આ કથા કરકંડૂ રાજાની કથામાં જોવી. ૧૪. અંજના સુંદરી : આદિત્ય નગરના પ્રહલાદ વિદ્યાધરની કેતુમતી પત્નીથી ઉત્પન્ન થયેલો પવનજય નામનો બહુ વિદ્યાસિદ્ધ પુત્ર, માહેન્દ્રરાજાની હૃદય સુંદરી રાણીથી ઉત્પન્ન થયેલી અંજનાસુંદરી નામની કન્યાને પરણ્યો હતો. પરંતુ તે ગર્વને લીધે તેને ચાહતો નહોતો. વરુણની સાથે યુદ્ધ કરવા માટે રાવણે તે વિદ્યાધરની મદદ માંગી. પિતાની આજ્ઞા થવાથી કુમાર આકાશ માર્ગે ગયો. પરંતુ પત્ની યાદ આવવાથી એક સરોવર પાસે પડાવ નંખાવી ત્યાંથી રાત્રે પાછો આવ્યો. પતિ આવ્યાની નિશાની માંગવાથી પોતાના નામની વીંટી આપી પાછો ચાલ્યો ગયો. અહીં ગર્ભ વૃદ્ધિ પામવાથી વીંટી જેવા છતાં સાસુ સસરાએ તેને પિયર મોકલી દીધી. ત્યાંથી પણ પુત્રીને પતિત સમજી દાસી સાથે વનમાં મોકલી, પિતાએ પોતાને ઘેર રાખી નહીં. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પંચ પ્રતિકમાણસૂત્રો વનમાં એક તપસ્વી મહાત્માએ ધર્મોપદેશ આપી પૂર્વભવ કહ્યો કે કનકરથ નામના રાજાની લક્ષ્મીવતી અને કનકોદરી નામની બે પત્નીઓ હતી. લક્ષ્મીવતી આહંત પ્રતિમાની પૂજા કરતી હતી, તે કનકોદરીએ સંતાડી દીધી. “તે સંતાડવાથી દોષ લાગે” એવી વાત સાધ્વીજી પાસેથી સાંભળીને તેણે પાછી મૂકી દીધી. પછી દીક્ષા લઈ વ્રત પાળી દેવલોકમાં ગઈ, ત્યાંથી ચ્યવીને તું અંજનાસુંદરી થઈ છો. તારાથી દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયેલો થોડા વખતમાં આ ભવમાં મોક્ષગામી પુત્ર જન્મશે.” આ સાંભળી અંજનાસુંદરીનું મન સ્વસ્થ થયું. અને ધર્મમાં વધારે ચિત્ત પરોવવા લાગી. ત્યાં વનમાં પર્વતની એક ગુફામાં તેને પુત્ર જન્મ્યો. તે વખતે અંજનાસુંદરીનું રુદન સાંભળી પ્રતિસૂર્ય નામનો વિદ્યાધર તેને બહેન ગણી વિમાનમાં બેસાડી પોતાના હનુરૂહ નગરે લઈ ગયો. રસ્તામાં વજ જેવો તે બાળક ખોળામાંથી પડ્યો, તે જે પર્વત ઉપર પડ્યો. જ્યાં પડયો, તે ભાગમાં પર્વતનું ચૂર્ણ કરી નાંખ્યું. અનુક્રમે હનુરુહનગરે પહોંચી તેનું હનુમાન એવું નામ પાડયું. આ તરફ પવનજય આવી અંજના સુંદરીને મળવા ગયો. પરંતુ તેનો ક્યાંય પત્તો ન લાગવાથી અગ્નિમાં પડીને મરવાની તૈયારી કરી, તેના પિતાએ શોધ કરી, પણ પત્તો ન લાગવાથી જોવામાં તે અગ્નિમાં પડવા તૈયાર થયો, તેવામાં પ્રતિસૂર્ય વિદ્યાધર માતા પુત્રને લઈને હાજર થયો. સૌને હર્ષ થયો. ત્યાંથી સર્વ હનુરૂહ નગરે ગયા. ફરીથી વરુણ સાથેની લડાઈમાં પવનનું પરાક્રમ જોઈ રાવણ તેના પર પ્રસન્ન થયો હતો. પછી સૌ સ્વનગરે આવ્યા. તે વખતે સીતાનું હરણ થવાથી રામને તે મેળવી આપવા હનુમાન કુમારે ઘણી મદદ કરેલી છે, જે વિસ્તારથી જૈન રામાયણમાંથી વાંચી લેવી. છેવટે હનુમાનને રાજ્ય સોંપી પવનજય દીક્ષા લઈ કર્મ ખપાવી મોક્ષમાં ગયાં. અંજના સુંદરી પણ શ્રી ચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મોક્ષમાં ગયાં. અને હનુમાન પણ પોતાના પુત્રને રાજ્ય આપી શ્રી દેવસૂરિ પાસે દીક્ષા લઈ શ્રી શત્રુંજયગિરિ ઉપર કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ૧૫. શ્રદિવી : શ્રીપુરના શ્રીધરરાજાની શ્રદવી રાણીને પોતાના પતિ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતાં કમળકેત વિદ્યાધર ઉપાડી ગયો. વિદ્યારે પોતાની સ્ત્રી થવા તેને ઘણી વીનવી, પરંતુ શ્રીદેવીએ પ્રતિબોધ પમાડી, તેને શાંત કર્યો. એટલે તે ઉપકાર માની શ્રીપુર મૂકી ગયો. વળી બીજે દેવ એવી રીતે ઉપાડી ગયો, ત્યાં પણ શ્રદિવીએ પોતાનું શિયળ ત્રિકરણ શુદ્ધ પાળ્યું. દેવ પ્રસન્ન થઈ “મહાસતી" તરીકે જાહેર કરી સ્વસ્થાનકે મૂકી ગયા. ત્યાંથી મૃત્યુ પામી રાણી પાંચમે દેવલોકે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવી વીરપુર નગરમાં ભદ્રેશ્વર શેઠનો મદન નામે પુત્ર થઈ ધર્મ સાંભળી દીક્ષા લઈ યોગ્ય રીતે પાળી કર્મક્ષીણ થવાથી મોક્ષ પામ્યો. ૧૯. જયેષ્ઠા : પરમાત્મા મહાવીર દેવના મોટા ભાઈ નંદિવર્ધન રાજાની ચેટક રાજાની પુત્રી જયેષ્ઠા પત્નીએ પ્રભુ પાસે બાર વ્રત લીધા હતાં. તેના અડગ શિયળની શકેન્દ્ર સ્તુતિ કરવાથી એક દેવે તેની ઘણી રીતે કદર્થના કરી પરીક્ષા કરી. પરંતુ જ્યારે તે અણિશુદ્ધ પાર ઊતરી ત્યારે દેવ પ્રસન્ન થઈ “મહાસતી જાહેર કરી રાજાને ત્યાં મૂકી ગયો. જયેષ્ઠાએ પ્રભુ પાસે દીક્ષા લઈ કર્મ કપાવી મોક્ષ Page #472 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૯૯ પ્રાપ્ત કર્યો. ૧૭. સુજવેકા : ચેટક રાજાની આ પુત્રીને પરણવા આવેલ શ્રેણિક રાજા તેની બહેન શેલણાને લઈ ગયો અને પરણ્યો તે વાત સુલસા સતીની કથામાં આવી છે. આથી સુઝાએ વૈરાગ્યથી શ્રી ચંદનબાળા પ્રવર્તિની પાસે દીક્ષા લીધી. સુજ્યુઝા સાધ્વી અગાસીમાં આતાપના લઈ તપશ્ચર્યા કરતા હતા. તેવામાં વિદ્યાસિદ્ધ પેઢાળ નામના વિદ્યાધરે તેને જોઈ મોહ પામી ભમરાનું રૂપ કરી યોનિ પ્રવેશ કરી પોતાનું શુક્ર તેમાં તેના અજાણતાં જ મૂકવાથી ગર્ભ રહ્યો. લોકોમાં “હા..હા..કાર” વર્તાઈ ગયો. પરંતુ જ્ઞાની મહાત્માએ બધી હકીકત કહેવાથી સુજયેષ્ઠા ઉપરની શંકા દૂર થઈ. તેના પુત્રનું નામ સત્યકિ પાડ્યું. તેણે કાળસંદીપન નામના વિદ્યાધરને માર્યો હતો. તેમજ પૂર્વભવથી સિદ્ધિ થવી અધૂરી રહેલી રોહિણીવિદ્યાની આ ભવમાં સિદ્ધિ કરી હતી. રોહિણીએ તેના કપાળમાંથી તેના શરીરમાં પ્રવેશ કરેલો તેથી તેને કપાળમાં તેજસ્વી ત્રીજું નેત્ર થયું. તેથી તે ત્રિનેત્રી કહેવાયો. કાળસંદીપને પોતાનાં ત્રણ શહેરોની વચમાં રક્ષણ મેળવીને રહેલો હતો. તે નગરોનો નાશ કર્યો. ત્યાંથી સમુદ્રમાં નાઠો તો ત્યાંથી પકડીને માર્યો, તેથી તેનું બીજું નામ ત્રિપુરારિ પણ પડ્યું. - સત્યકિ એટલો બધો વિષયલોલુપ થયો કે, તાપસોની પત્નીઓ અને રાજરાણીઓને પણ છોડતો નહીં. આકાશમાર્ગે નંદી નંદીશ્વર વિદ્યાધર મિત્રની મદદથી તે ઘણો જ દુન્ત થયો. જે તેની સામે થાય, તેને બાળીને ભસ્મ કરી નાંખે. શિવા દેવી સિવાય ઉજ્જયિનીના ચંપ્રદ્યોત રાજાની દરેક રાણીઓને તેણે શિયળથી ભ્રષ્ટ કરી મૂકી. આથી ક્રોધમાં આવીને રાજાએ તેને મારી નાંખનારની શોધ કરવા માંડી, પરંતુ તે કામ ઉમા નામની વેશ્યાએ ઉપાડ્યું. બારીએ ઊભેલી ઉમાને જોઈ સત્યકિ પોતાના પુષ્પકેતન વિમાનમાં બેસારીને લઈ ગયો. અને તેની સાથે વિષયસુખ ભોગવ્યું, ને ઉમાપતિ તરીકે જાહેર થયો. ઉમાએ વિશ્વાસમાં લઈ તેના મરણનું કારણ-“વિષય ભોગવતાં વિદ્યાને બાજુમાં તલવારમાં સ્થાપન કરું છું. તે વખતે હું તદ્દન વિદ્યાના બળ વગરનો હોઉ છું.” એ જાણી લીધું. રાજાને કહેવાથી રાજાએ પત્રછેદ કુશળ નોકરને તેને મારવા મૂકયો. સત્યકિએ વિદ્યાને ખગમાં મૂકી ઉમા સાથે કામક્રીડા શરૂ કરી, કે પેલાએ ઉમા ન મરે તેમ સત્યકિને ખેંચીને મારી નાંખ્યો. નંદીશ્વરે રાજાને ધમકી આપી કે, “મારા મિત્રને મરાવી નાંખનાર તારું શહેર શિલાથી ચૂર્ણ કરી નાંખીશ.” રાજાએ કહ્યું કે, “તું શી રીતે પ્રસન્ન થાય ?' ત્યારે તેણે કહ્યું કે, “મારા મિત્રને જે સ્થિતિમાં મારવામાં આવ્યો છે, તે જ સ્થિતિમાં ગામે ગામ તેની પૂજા કરાવો.” આ ઉપરથી ઉજ્જયિનીને બ્રાહ્મણ ચંડપ્રદ્યોત રાજાએ ગામે ગામ મંદિરો બંધાવી તેમાં તેની પૂજા શરૂ કરાવી, જે આજે પણ ચાલુ છે. સત્યકિ અગિયાર રુદ્રમાંનો છેલ્લો રુદ્ર ગણાય છે. સુકા તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોક્ષ પામ્યાં. ૧૮. મૃગાવતી : ચેટક રાજાની આ પુત્રી કૌશામ્બીના શતાનિક રાજાની પત્ની હતી અને ઉજ્જયિનીના ચંડપ્રદ્યોતની વાસવદત્તાને પરણનાર પ્રસિદ્ધ ઉદયનની માતા હતી. એક અંગ ઉપરથી સર્વાગ સુંદર ચિત્ર ચીતરી શકવાની શક્તિનું યક્ષ પાસેથી વરદાન પામેલા પરદેશી ચિતારાએ રાજાની Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પંચ પ્રતિકમાણસૂત્રો ચિત્ર શાળામાં, રાણીનો અંગૂઠો બારીમાંથી જોયેલો તે પરથી સર્વાગ રાણીને ચિત્રી કાઢતાં, તેના સાથળ પર તલ ચીતરવાથી રાજાને તે ચિતારા અને રાણી પર શંકા ગઈ અને ક્રોધ ઉત્પન્ન થયો, તેને મારી નાંખવાની તૈયારી કરી, બધા ચિતારાઓના કહેવાથી યક્ષનું વરદાન જાણવા છતાં કુબ્બા દાસીનું મોં બતાવી આખું ચિત્ર ચીતરી આપ્યું, તે જેવા છતાં, તેના પરથી રાજાનો ક્રોધ ન ગયો. ચિતારાએ મનમાં ક્રોધ રાખીને હેરાન કરવા મૃગાવતીનું ચિત્ર ચંડપ્રદ્યોતને બતાવ્યું. ચંડપ્રદ્યોતે રાણીની માંગણી કરી. શતાનિકે નકારી. પ્રદ્યોત લશ્કર લઈ કૌશામ્બી પર ચડી આવ્યો. મોટું લશ્કર જોઈ શતાનિક અપસ્મારના રોગથી મરી ગયો. રાણીએ કહેવરાવ્યું કે-“હાલમાં પાછા જાઓ. રાજકુમાર બાળક છે, તે મોટો થયે, તમારી ઈચ્છા પાર પાડીશ. અને મારા ત્યાં આવ્યા પછી બાળક કુમારને શત્રુઓ હેરાન ન કરે, માટે તેને એક મજબૂત કિલ્લો બંધાવી દેવાની જરૂર છે. તો જે આપ ઉજ્જયિનીથી ઈંટો પૂરી પાડે, તો તે કામ પાર પડે, અને પછી આપનો મનોરથ પણ પાર પડે. ચંડuદ્યોત આ સમાચારથી અત્યન્ત ખુશ થયો. અને લશ્કર ઉપાડી પોતાને નગરે ગયો. માણસોની એવી ગોઠવણ કરી કે ઉજજયિનીની ઈંટો હાથોહાથ ઠેઠ કૌશામ્બી પહોંચાડી દીધી. રાણીએ શાંતિથી શહેરને મજબૂત કિલ્લાથી સુરક્ષિત બનાવી દીધું. તેવામાં દૂતે આવીને રાણીને ઉજજયિની આવવા માંગણી કરી. રાણીએ કહ્યું કે, “તારા રાજાને કહેજે કે હું મનથી પણ તને ચાહતી નથી, તો કાયાની વાત જ શી ? માત્ર યુક્તિ કરીને અવસર ટાળવા પૂરતી જ મારી ગોઠવણ હતી. હવે મૂર્ખ થાઓ મા. મારી આશા રાખવી નહીં.” આ સાંભળી કાળજાળ પ્રદ્યોત ચડી આવ્યો. પણ કૌશામ્બી નગરીને કિલ્લાથી સુરક્ષિત જોઈ તેનું કાંઈ વળ્યું નહીં તેવામાં પ્રભુ ત્યાં સમોસર્યા. રાણી દરવાજા ઉઘાડી નાંખી પ્રભુની દેશના સાંભળવા ગઈ. પ્રદ્યોત પણ ત્યાં આવ્યો. પ્રભુની દેશના સાંભળી તથા “જે તે-તે તે” ની હકીકત સાંભળી રાણીને વૈરાગ્ય થવાથી ચંડuદ્યોતનો વિરોધ શમી જવાથી દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતે ઉદયનને રાજ્ય પર બેસાડી કાયમ કર્યો. પોતાના મૂળ વિમાને પ્રભુને વંદન કરવા બીજી પૌરૂષીએ સૂર્ય-ચંદ્ર આવેલા. તેથી પ્રકાશને લીધે રાત્રિ થયેલી ન જાણવાથી સૂર્ય-ચંદ્રગયા પછી વસતીમાં જતાં આર્યાચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાત્તાપ કરતાં મૃગાવતીને કેવળ જ્ઞાન થયાની વાત શ્રી ચંદનબાળાની કથામાં આવી ગયેલ છે. અનુક્રમે મૃગાવતી સાધ્વી પણ સર્વ કર્મ ખપાવી મોક્ષ પામ્યા. ૧૯. પ્રભાવતી : ચેટક મહારાજાના પુત્રી અને સિંધુ સૌવીરના ઉદયનરાજર્ષિની રાણી હતી. તેની કથા ઉદયન રાજર્ષિની કથાથી જાણવી. ૨૦. ચિદાણા : ચેટક રાજાની પુત્રી, અને શ્રેણિક રાજાની પટ્ટરાણી હતી. તે શ્રેણિક રાજાની પટ્ટરાણી કેવી રીતે થઈ તે સુલતાના ચરિત્રમાંથી જાણવું. અભયકુમારના પ્રયાસથી બંધાવેલા એક સ્તંભના રાજમહેલમાં રહેતી હતી. એક વખત ઊંઘમાં તેનાથી બોલાઈ જવાયું કે-“તેને કેમ હશે ?” તે પરથી શ્રેણિને તેના ચારિત્ર વિષે શંકા જવાથી અભયકુમારને અંત:પુર સળગાવી દેવાનો હુકમ Page #474 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૦૧ આપી મહાવીર પ્રભુ પાસે જઈને પોતાના અંત:પુરના સતીત્વ વિષે ખુલાસો પૂછયો. પ્રભુએ કહ્યું-“તારી દરેક સ્ત્રી પવિત્ર છે. ચિલ્લણા માટે તને વહેમ પડ્યો છે. તેનું કારણ-ગઈ કાલે તેણે એક સાધુને નદી કાંઠે કાયોત્સર્ગમાં ઊભા રહેલા જોયેલા. રાતમાં પોતાનો હાથ બહાર રહેવાથી ઠંડીમાં ઠરી ગયો. તે પરથી પેલા મુનિ તેને યાદ આવ્યા. તેની તેને ચિંતા થઈ.” આ ઉપરથી “તે ધર્માનુરાગી અને સતી છે.” એમ ખાતરી થતાં શંકા દૂર થવાથી અભયકુમારે યુક્તિ કરી શહેરની અંદર હસ્તિશાળાના ઘાસ વગેરે સળગાવેલા, અંત:પુર સળગાવ્યું માની તેના પર ક્રોધ કરી “મોં ન બતાવવા.” કહ્યું. અભયકુમારે સીધા જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. ચિલણાએ પણ અનુક્રમે પ્રભુ પાસે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો. ૨૧-૨૨. બ્રાહ્મી અને સુંદરી : ઋષભદેવ પ્રભુની આ બન્નેય પુત્રીઓ હતી. બ્રાહ્મીને પ્રભુએ અઢાર લિપિ શીખવી હતી. સુંદરીને ગણિત શીખવ્યું હતું. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી અનુક્રમે ભારતના પાંચસો પુત્રોએ અને પૌત્રોએ દીક્ષા લીધી. તે વખતે બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. પરંતુ ભારતના આગ્રહથી સુંદરીએ દીક્ષા ન લીધી. છતાં સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરી ઘણાં કર્મો ખપાવી નાંખ્યાં. તેવામાં પ્રભુ તે તરફ પધાર્યા. ભરતે સુંદરીની ક્ષમા માંગી તેને દીક્ષા લેવાની સમ્મતિ આપી. એ બન્નેય બેનો બાહુબળીજીને પ્રતિબોધ આપવા ગયા હતા. અનુક્રમે કેવળજ્ઞાન પામી બન્ને બહેનો અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષમાં ગયાં. ૨૩. રુકિમણી : આ મિાગી કૃષણના પટરાણી ન હોવા જોઈએ. કેમ કે તેનું નામ આગળ ૧૧ મી ગાથામાં આવે છે. તેથી આ રુકિમણી કોઈ બીજ હોવાં જોઈએ. પરંતુ ભરતેશ્વર બાહુબળી વૃત્તિમાં તે વિષે જુદી કથા ન હોવાથી અમે આપી શક્યા નથી. ૨૪. રેવતી : પ્રભુ મહાવીર પ્રભુ પર શ્રાવસ્તીમાં ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાને લીધે, પ્રભુ લોહીના અતિસારથી છ માસ સુધી પીડાયા બાદ મુનિઓની વિજ્ઞપ્તિથી અને એક વૈદ્યની સૂચનાથી સિંહ મુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી નિર્દોષ કોળાપાક લાવી પ્રભુને વપરાવ્યો, અને રોગ શાંત થયો. રેવતીનું એ ઔષધ પ્રભુના ઉપયોગમાં આવવાનું હોવાથી તેણે એટલા બધા ભાવપૂર્વક વહોરાવ્યું કે તેણે તીર્થકર નામ કર્મ બાંધ્યું, તેથી આવની ચોવીસીમાં સત્તરમાં સમાધિ નામના તીર્થંકર થઈ મોક્ષમાં જશે. ૨૫. કુંતી : આ શૌરીપુરના અંધકવૃષ્ણિ રાજાના દશ દશાહે પુત્રોની બહેન હતી. તેને પાંડવોના પિતા પાંડુરાજા પરણ્યા હતા. અનિલગતિ વિદ્યાધરને મદદ કરવાથી તેને પાસેથી મેળવેલી મુદ્રિકા અને કામુક ઔષધિ વડે, પાંડુરાજાના ચિત્રથી મોહ પામેલી પાંડુરાજા ન મળવાથી ગળે ફાંસો ખાતી કુંતીને બચાવી, સખીઓના આગ્રહથી ગાંધર્વ વિવાહથી રાજા પરણ્યા ને ગર્ભ રહ્યો. પુત્રનો જન્મ થયો, તેને છૂપી રીતે પેટીમાં મૂકીને ગંગામાં વહેવડાવ્યો. તે પેટી હસ્તિનાપુરે ગઈ. ત્યાં સુત નામના સારથિએ લઈ ઘેર લઈ જઈ, કાન પાસે હાથ રાખીને સૂતેલા બાળકને બહાર કાઢી તેની પત્નીને આપ્યું, અને તેનું નામ કર્ણ પાડ્યું. પછી અંધકવૃષ્ણિએ પુત્રીની હકીકત જાણીને પાંડુ સાથે પરણાવી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પંચ પ્રતિકમાણસૂત્રો અને મદ્રક રાજાએ માદ્રી પુત્રી પણ તેની સાથે પરણાવી. સુબલ રાજાએ ગાંધારી વગેરે આઠ કન્યાઓ ધૃતરાને પરણાવી. કુંતીને-યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ ત્રણ પુત્રો થયા. માદ્રીને નકુલ અને સહદેવ એ બે પુત્રો થયા. ગાંધારીને દુર્યોધન વગેરે સો પુત્રો થયા. કુંતીએ યુધિષ્ઠિર પાસે નાસિક પાસે ચંદ્રપ્રભ સ્વામીનું ચંદ્રરત્નમય દહેરાસર કરાવ્યું. પાંડુ રાજા, યુધિષ્ઠિરને રાજ્ય આપી દીક્ષા લઈ સ્વર્ગે ગયા. યુધિષ્ઠિરે માતા સહિત શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી અને આ તીર્થનો ઉદ્ધાર કર્યો. કુંતીએ શ્રીને મીશ્વર પ્રભુ પાસે ધર્મ શ્રવણ કરી ધર્મમાં દઢ થયા. પછી પાંડવોનો વનવાસ, કૌરવો સાથે યુદ્ધ વગેરે પ્રસિદ્ધ હોવાથી લખતા નથી. છેવટે પાંડવોએ પુત્રોને રાજ્ય સોંપી માતા તથા પત્નીઓ સહિત દીક્ષા લીધી ને મોક્ષે ગયા. દ્રૌપદી પાંચમે દેવલોક ગઈ. ૨૬. શિવા : વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી શિવાનું લગ્ન ઉજજયિનીના ચંડપ્રદ્યોત સાથે થયું હતું. દેવે આપેલા કષ્ટથી તે પોતાના સતીત્વથી લેશ માત્ર ચલિત થઈ ન હતી. ઉજ્જયિની ઘણી વખત આગ લાગતી હતી. તે શાંત કરવા અભયકુમારની સલાહથી શિવાદેવી સતીના હાથે દરેક ઘેર પાણી છંટાવ્યું, ને અગ્નિ લાગવો બંધ થયો. છેવટે શ્રીવીર પરમાત્મા પાસે દીક્ષા લઈ તપશ્ચર્યા કરી શિવાદેવીએ મોક્ષ પ્રાપ્ત કર્યો. ૨૭. જયંતી : સહસ્ત્રાનીક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન, મૃગાવતી રાણીની નણંદ અને ઉદયન રાજાની ફઈ, જયંતી શ્રાવિકા ઘણી વિદુષી અને પ્રભુ મહાવીર દેવની પરમ શ્રાવિકા હતી. તેણે પ્રભુને ઘણા પ્રશ્નો પૂછીને ખુલાસા મેળવ્યા છે. અને છેવટે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આ પ્રશ્નો શ્રી ભગવતી સૂત્રમાં વિસ્તારથી આવે છે. ૨૮. દેવકી : વિદેશમાં ફરતા કૃતિકાવતી નગરીમાં જઈ ચડેલા વસુદેવ સાથે કંસના પિતરાઈ દેવક રાજાએ પોતાની દેવકી પુત્રી પરણાવી. અને નંદ નામને એક ક્રોડ ગાય સહિત દશ ગોકુળનો નાયક ગોવાળ ભેટ આપ્યો. ચાલતે વિવાહ ઉત્સવે કંસના ભાઈ અતિમુક્તક મુનિ પારણા માટે આવ્યા. ત્યારે કંસની પત્ની અને જરાસંઘની પુત્રી જીવયશા દારૂ પીને મદોન્મત્ત થઈ મુનિને પોતાની સાથે નાચવા આમંત્રણ આપવા લાગી. મુનિએ કહ્યું કે “આ દેવકીનો છોકરો તારા ધણી અને તારા બાપને મારશે.” એ સાંભળતાં જ તેનો મદ ઊતરી ગયો કે કંસને વાત કરી. કંસે વસુદેવ સાથે મૈત્રી કરી, “ગુપ્તપણે બાળકો ઉછેરવામાં આવે, તો પોતે બચે, એમ દેવે સ્વપ્નમાં કહ્યું છે, માટે મને તમારાં બાળકો આપતા રહેજો.” વસુદેવ અને દેવકીએ કબૂલ કર્યું, પરંતુ હરિણગમેલી દેવે વચ્ચેથી જ છે બાળકો ઉપાડીને ભદિલપુરના નાગ શેઠને ત્યાં મૂક્યાં અને તેની પત્ની સુલસીના છ મૃત પુત્રો કંસના હાથમાં મૂક્યા. તે તેઓને પથ્થર પર પછાડીને મારી નાંખે, દેવકીના છ પુત્રોનાં નામ અનીયશ, નભ, સેન, વર્જિતસેન, નિહારિ, દેવયશા, શત્રુસેન. સાતમો ગર્ભ ન આપતાં તેને નંદને ત્યાં મૂકો અને નંદની પત્ની યશોદાથી થયેલો કંસને આપ્યો. વારંવાર બહાનાં કાઢીને નંદને ત્યાં જઈ દેવકીપુત્રને મળી આવે. અનુક્રમે દેવકીએ પ્રભુ નેમિનાથ Page #476 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૦૩ પાસે બાર વ્રત લીધાં અને શુદ્ધ શિયળ પાળી સ્વર્ગમાં ગઈ. ત્યાંથી મનુષ્ય ભવ પામી મોક્ષમાં જશે. ૨૯. દ્રોપદી : પાંચાળ દેશમાં કાંપિલ્યપુરના દ્રુપદરાજાની પુત્રી દ્રોપદીએ રાધાવેધ કરી ચૂકેલા અર્જુનના કંઠમાં વરમાળા પહેરાવી કે બાકીના ચારેય ભાઈઓના ગળામાં વરમાળાઓ જોવામાં આવી. તેવામાં ત્યાં ચારણ શ્રમણ મહાત્મા આવ્યા. દરેક રાજાઓએ પ્રણામ કર્યા અને દ્રુપદે આમ થવાનું કારણ પૂછયું. મહાત્માએ કહ્યું “ચંપામાં સોમદત્ત, સોમૂભતિ, સોમદેવ નામના ત્રણ બ્રાહ્મણ ભાઈઓને નાગશ્રી, રતિભૂતિ અને યજ્ઞથી નામે સ્ત્રી હતી. તેઓ વારા પ્રમાણે રસોઈ કરીને જમાડતી હતી. એક વખત નાગશ્રીએ કડવી તુંબડીનું શાક કુટુંબીઓને ન ખવડાવતાં ધર્મઘોષ મુનિના શિષ્ય માસ ઉપવાસી ધર્મરુચિ મુનિને મુનિ ઉપરના દ્વેષથી વહોરાવ્યું. મુનિએ પરાઠવા જતાં એક બિંદુ નીચે પડવાથી ઘણી કીડીઓનો નાશ સમજી પોતે તે વાપરી ગયા અને શુભ ધ્યાને મરીને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. નાગશ્રી છઠી નરકે-મસ્ય. સાતમી નરકે-મસ્ય, નરકમાં, એમ સાત સાત વાર નરક ગગન અને મત્સ્યના ભવ થયા. પછી ચંપામાં સાગરદન શેઠની સુભદ્રાની કુક્ષિએ સુકુમારિકા તરીકે ઉત્પન્ન થઈ. જિનદત્તના સાગર પુત્ર સાથે પરણાવી. પણ તેનો સ્પર્શ અંગારા જેવો લાગવાથી છોડીને ચાલ્યો ગયો. પુત્રી માટે બીજા પણ ગરીબ માણસોની ગોઠવણી કરી. પણ કોઈ પણ તેનો સ્પર્શ સહન ન કરવાથી ચાલ્યા ગયા. આખરે દીક્ષા લીધી. ગુરણીની ઈચ્છા વિરુદ્ધ વનમાં જળ તપશ્ચર્યા કરવા લાગી. તેવામાં એક વેશ્યાને પાંચ પુરુષોથી સેવાતી જોઈ પોતે પાંચ પુરુષોથી સેવાવાનું નિયાણું કર્યું, જેથી તે ત્યાંથી ચ્યવી પહેલા દેવલોકમાંથી આવીને અહીં દ્રપદીપણે ઉત્પન્ન થઈ છે. નિયાણાના બળે તેને પાંચ પુરુષોને પતિ તરીકે સ્વીકારવા પડ્યા છે.” આ સાંભળી અનેક રાજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યો. પાંડવો વારા પ્રમાણે દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારી રહેવા લાગ્યા. એક દિવસ દ્રોપદી શરીર પ્રમાણ અરીસામાં પોતાનું અંગ જોતી હતી. નારદ આવ્યા તેની તેને ખબર ન રહેવાથી તેમનો સત્કાર ન કરી શકી, એટલે નારદ ધાતકીખંડની અમરકંકા નગરીમાં પડ્યોત્તર રાજાને દ્રોપદીના સૌન્દર્યની વાત કરી. તે તેને હરી લાવ્યો, ને દ્રૌપદીને પોતાની પત્ની થવા આગ્રહ કર્યો. દ્રૌપદી અડગ રહી નવકાર મંત્રનો જાપ કરતી છ8 અઠ્ઠમની તપશ્ચર્યા કરવા લાગી. પાંડવો કૃષણની મદદથી નારદ પાસેથી સમાચાર સાંભળી સુસ્થિત દેવની આરાધના કરી ધાતકીખંડમાં ગયા ને પાંડવોએ યુદ્ધ કર્યું. તેમાં હાર્યા એટલે કૃષણે પોત્તરને હરાવ્યો. તે કિલ્લામાં પેસી ગયો. કિલ્લા ઉપર ચડી નરસિંહનું રૂપ ધારણ કરી પૃથ્વીને કંપાવી. રાજા ગભરાઈ શરણે આવ્યો, અને દ્રૌપદીને સોંપી દીધી, ને સૌનો સત્કાર કર્યો. પાછા વળે, જિનેશ્વર પ્રભુ પાસેથી ત્યાંનો કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવનું આવવું સાંભળીને મળવા આવ્યો. પરંતુ કૃષ્ણ રવાના થઈ ચૂકયા હતા. એટલે બન્ને માત્ર સામસામા શંખ ફૂંકયા. જો કે બે વાસુદેવ કદી મળે નહિ, છતાં આ રીતે મળવા જેવું થયું, તે એક આશ્ચર્યકારક ઘટના ગણાય છે. પાંડવો વગેરે નાવમાં બેસી ગંગા ઊતર્યા, અને કૃષણનું બળ જેવા નાવ ન મોકલી. એટલે તે તરીને આવ્યા. પરંતુ પાંડવોને ઠપકો આપ્યો અને દક્ષિણ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પંચ પ્રતિકમાગસૂત્રો મથુરા સિવાયનું બધું રાજ્ય લઈ લીધું. કૃષ્ણ દ્વારિકામાં આવ્યા. એક વખત શ્રી નેમિનાથ પ્રભુને મથુરામાં કુંતી સપરિવાર વંદન કરવા ગઈ. ત્યાં પાંચ પાંડવો અને સાસુ-વહુએ બાર વ્રત લીધા. છેવટે પાંડવો પુત્રોને રાજ્ય સોંપી દીક્ષા લઈ મોક્ષમાં ગયા. દ્રૌપદી અને કુંતીએ પણ દીક્ષા લીધી. દ્રોપદી બહુ તપ કરી શ્રી શત્રુંજય જઈ આયુ:ક્ષયે પાંચમે દેવલોકે ગઈ. ત્યાંથી મોક્ષ પામશે. ૩૦. ધારિણી : ચંદનબાલાની કથામાં આ કથા આવી ગઈ છે. બીજી ધારિણી : ઉજજયિનીના ચંડપ્રદ્યોતના ગોપાળ અને પાલક એ બે ભાઈ હતા. ગોપાળે ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી. પાલકને દંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામે બે પુત્ર હતા. પાલકે પણ દંતિવર્ધનને રાજ્ય અને રાષ્ટ્રવર્ધનને યૌવરાજ્ય આપી દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની સ્ત્રીનું નામ ધારિણી હતું. તેને અવંતીસેન નામનો પુત્ર થયો હતો. તેના પર આસકત મોટા ભાઈએ નાના ભાઈને મારી નાખ્યો. સગર્ભા ધારિરી નાસીને કૌશાંબી ગઈ અને ત્યાં દીક્ષા લીધી. ગર્ભ વધ્યો. ગુરુણીએ હાક મારીને કારણ પૂછ્યું. ત્યારે ધારિણીએ “દીક્ષા આપો નહીં, માટે જ ગર્ભ છપાવ્યો હતો.” પુત્રનો જન્મ થયો, તેને રાજ્યના આંગણામાં મૂકી આવી. ત્યાંના અવંતીસેન રાજાએ પુત્ર તરીકે ઉછેર્યો ને નામ મણિપ્રભ પાડ્યું. રાજાના મરણ પછી તે રાજા થયો. આ તરફ ભાઈના ઘાતથી દંતવર્ધિનને પસ્તાવો થયો. અવંતીસેનને ગાદી આપી દીક્ષા લીધી. અવંતીસેને દંડ લેવા કૌશામ્બીને ઘેરો ઘાલ્યો. પણ સાધ્વીએ આવી બન્નેય ભાઈઓને ઓળખાવ્યા. બન્નેય ઉજ્જયિની આવ્યા અને ઉપદેશથી બાર વ્રત લીધા. ધારિણી ચારિત્ર પાળી મોક્ષમાં ગયા. ૩૧. કલાવતી: દેવશાળ નગરના રાજા વિજયસેનની શ્રીમતી પત્નીથી ઉત્પન્ન થયેલ જયસેનની આ બહેન, ગજ શેઠના પુત્ર દત્તે બતાવેલા ચિત્ર ઉપરથી મંગલદેશના શંખપૂરના શંબરાને “દેવ કોણ ? ગુરુ કોણ ? તત્ત્વ શું ? સત્વ શું ?” એ ચાર પ્રશ્નના સરસ્વતીના પ્રભાવથી રાજાએ પૂતળી ઉપર હાથ મૂકવાથી જવાબ મેળવી પરણી હતી. એક વખત સ્વપ્નમાં કલાવતીએ અમૃતકુંભ જોયો. તે ઉપરથી તેને ઉત્તમ પુત્ર થવાની રાજાએ આગાહી કરી. આઠ માસ ને વીસ દિવસ થયે તેનો ભાઈ તેડવા આવ્યો, પણ રાજાએ મોકલી નહીં. ત્યારે બે બેરખા અને વસ્ત્ર આપીને સ્વદેશ ગયો. ગોખમાં બેઠા બેઠા સખીઓ સાથે બેરખા મોકલનાર પિતાના પ્રેમની વાત નીચે ચાલ્યા જતા રાજાએ સાંભળી. રાણીના ચારિત્ર ઉપર વહેમ પડવાથી તેના હાથ કાપવાનો ચંડાળોને હુકમ આપ્યો. ચંડાળોએ વનમાં લઈ જઈ હાથ કાપી નાંખ્યા. પતિનો આ હુકમ આનંદથી તેણે માન્ય કર્યો. વનમાં રાણીને પુત્ર પ્રસવ્યો. નદીનું પૂર આવ્યું. શિયળના પ્રભાવથી હાથ નવા ઊગી નીકળ્યા. ત્યાંથી તે તાપસના આશ્રમમાં રહી. આ તરફ કાપેલા હાથ પરના બેરખા ઉપર જયસેન નામ વાંચી સખીઓથી ખુલાસો મેળવી રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ને અગ્નિમાં પડવા તૈયાર થયો. પરંતુ ગજ શેઠ તથા અમીતતેજ મુનિરાજાના ઉપદેશથી વનમાં જઈ જિન પૂજા કરી મન શાંત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. અને કલાવતીને શોધવા દત્તને મોકલ્યો. દત્ત તાપસાશ્રમમાંથી પુત્ર સહિત લાવ્યો અને રાજાને સોંપી. રાજાએ ક્ષમા માગી. Page #478 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૦૫ પછી અવસરે અમીતતેજ મુનિરાજને હાથ કપાવાનું કારણ પૂછયું. મુનિરાજે જણાવ્યું કે, “મહાવિદેહમાં મહેન્દ્રપુરના નરવિક્રમ રાજાની લીલાવતી પત્નીથી સુલોચના પુત્રી જન્મી હતી. તેને કોઈએ આવીને એક વિલક્ષણ પોપટ ભેટ આપ્યો. પોપટ સીમંધર સ્વામીના મંદિરમાં પ્રભુ પ્રતિમા જોઈને જાતિસ્મરણ પામ્યો. “પૂર્વભવમાં સાધુપણામાં જ્ઞાન ખૂબ મેળવેલું. પરંતુ આચારની શિથિલતાથી જ્ઞાન છતાં રાજપોપટ તિર્યંચ થયો છું. માટે હવેથી પ્રભુનાં દર્શન કરીને જ ખોરાક લેવો, એવો નિયમ કર્યો.” સુલોચના સાથે ખોરાક લેતાં પહેલાં તેને આ નિયમ યાદ આવવાથી દર્શન કરવા ઊડી ગયો. ત્યાંથી પાછો આવીને ઝાડ ઉપર આવી બેઠો. રાજસેવકો સુલોચનાની અધીરાઈથી શોધ કરવા નીકળી પડ્યા. પોપટને પકડ્યો ને રાજકુમારીને સોંપ્યો. ફરીથી પોપટનો વિયોગ ન થાય માટે તેની પાંખો કાપી નાંખી પોપટે અનશન કર્યું તે પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયો. સુલોચના પણ તેની દેવી થઈ. ત્યાંથી પોપટ શંખ, અને સુલોચના કલાવતી થઈ. પાંખો કાપવાથી હાથ કપાયા. કર્મવિપાક કોઈને છોડતો નથી.” મુનિરાજની આ વાત ઉપરથી બન્નેય જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પુણ્યકલશ પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી. ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષમાં જશે. ૩૨. પુષ્પચૂલા : અર્ણિકાપુત્રની કથામાં આ કથા જોઈ લેવી. ૩૩. પદ્માવતી : રિટનગરના રૂધિર રાજાની શ્રી પત્નીની પુત્રી પદ્માવતી હતી. તેના સ્વયંવર મંડપ વખતે જઈને કૃષણ તેનું અપહરણ કરી લાવી પરણ્યા હતા. પાછળથી તેના પિતાએ પણ સમ્મતિ આપી. દાસીઓ વગેરે મોકલી આપ્યું હતું. ૩૪. ગૌરી: સિંધના વીતભવ નગરના મેરુ રાજાની ચંદ્રમતી રાણીથી ગૌરી નામની પુત્રી ઉત્પન્ન થઈ હતી. તેના પિતાએ રાજીખુશીથી પ્રધાન પુરુષો મોકલાવી કૃષ્ણ સાથે પરણાવી હતી. ૩૫. ગાંધારી : ગંધર દેશની પુકલાવતી નગરીના નગ્નતિ રાજાની મમતી રાણીને ગાંધારી પુત્રી હતી. વિશ્વસેન પુત્ર હતો. તેના ભાઈની સમ્મતિથી બલભદ્ર સાથે જઈને કૃષણ તેને દ્વારકા લાવીને પરણ્યા હતા. ૩૬. લક્ષ્મણા: સિંહલદ્વીપના હિરણ્યસેન રાજાની સુકુમાલ રાણીથી લક્ષ્મણા કન્યા અને દ્રુમસેન પુત્ર જન્મ્યાં હતાં. કૃષ્ણ દૂત મોકલીને તેની માંગણી કરી, પરંતુ તેનો ભાઈ તેને દક્ષિણ સમુદ્ર તરફ લઈ જઈ રક્ષણ કરતો હતો. બલભદ્ર અને કૃષણે ત્યાં જઈ તેની સાથે યુકિત કરી, લાવીને કૃષણ લક્ષ્માગાને પરણ્યા. ૩૭. સુસીમા : સુરપુરી નગરીના રાષ્ટ્રવર્ધન રાજાની વિનયવતી રાણીથી નમુચિ પુત્ર અને સુસીમા જન્મ્યાં હતાં. તે ભાઈ-બહેન પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા ગયાં. તેની કૃષણને જાણ થતાં નમુચિ સાથે લડાઈ કરી સુસીમાને પરણ્યા. - ૩૮. જંબૂવતી : ગગનનંદન નગરના જંબૂવત વિદ્યાધર રાજાની શ્રીમતી રાણીથી દુuસહ કુમાર અને જંબૂવતી કન્યા જમ્યાં હતાં. ચારણ મુનિએ કહ્યું કે, “આ કન્યા ભરતાર્થના સ્વામીની ગૃહિણી થશે.” એ ઉપરથી તેના પિતા ગંગા કિનારે રહ્યા. જંબૂવતી ગંગામાં સ્નાન કરે છે. તેની કૃષ્ણને Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો જાણ થઈ. અનાબૂટ સાથે આવીને લડાઈ કરી પરંતુ પછી કૃષગની ઓળખાણ આપવાથી તેની સાથે પરણાવી. દુષ્ણસહ પણ બહેન પાસે દ્વારકા આવીને બહેનને મોટો દાય આપી ગયો. ૩૯. સત્યભામા : આ મથુરાના ઉગ્રસેન રાજાની પુત્રી અને રાજુલની મોટી બહેન હતી. અને કૃણ તેને પરણ્યા હતા. ૪૦. રુકિમણી : વિદર્ભ દેશમાં ડિનપુર નગરના ભેવક રાજાની વિદ્યુન્મતી રાણીથી જન્મેલા રુકિમકુમાર અને રુકિમણી કન્યા હતાં. એ વાતની કૃષ્ણને નારદે ખબર આપી, અને એ જ રીતે રુકિમણીને કૃષ્ણના ગુણો સંભળાવ્યા. બન્નેયને પરસ્પર અનુરાગી કર્યા. પરંતુ રુકિમણીનું શિશુપાલના દમઘોષની સાથે સગપણ કર્યું. રુકિમણીની ફઈએ કહ્યું કે, “રુક્મિણી ! બાળપણમાં અતિમુક્તક મુનિએ કહ્યું હતું કે-“રુકિમણી વાસુદેવની મુખ્ય પટ્ટરાણી થશે. તે યાદ છે કે ? તું ડરીશ નહીં. કૃષણ વાસુદેવ શિશુપાલ અને જરાસંધને પણ મારશે. એવી વાત ચાલે છે અને તને પરણશે. કહે તો બોલાવું?” ફઈબા ! તમે મારા હિતસ્વી છો ! તમને ઠીક પડે તેમ કરો.” - કૃષ્ણને કાગળ લખી દ્વારકાથી તેડાવ્યા. અને નાગમંદિરમાં પૂજા નિમિત્તે મળવાનો સંકેત ગોઠવ્યો. કૃષ્ણ આવી નાગમંદિરમાંથી રુક્મિણીનું હરણ કરી ના મંદિરના ગભરાયેલા રક્ષકોને જે રુકિમ કુમારને સમાચાર આપવા મોકલ્યા. રુક્તિ લડવા આવ્યો. રુકિમના પરાક્રમથી ભય પામતી રુક્મિાગીને પોતાના બળની- વજ જેવો હીરો ચપટીમાં ચોળીને અને સાત ઝાડને એક ઝપાટે વીંધી નાંખીને- કૃષ્ણ ખાતરી કરાવી. પોતે રુકિમણી સહિત એક બાજુએ રહી, બળભદ્રને રુક્તિ સામે લડવા ઊભા રાખ્યા. રુકિમાણીની વિજ્ઞપ્તિથી રુકિમને અભય આપી લડતાં તેને હરાવ્યો, અને ડાબા હાથનો અંગૂઠો કાપ્યો. તે લડતો બંધ પડ્યો. પરંતુ બહેનને પાછા લાવ્યા વિના શહેરમાં પ્રવેશ ન કરવાની પ્રતિજ્ઞા કરેલી હોવાથી બીજું ભોજકૃત નામનું નગર વસાવ્યું. રુકિમાણીને આ બાબતની ખબર કરવામાં આવી. આગળ ચાલીને દ્વારકામાં જતાં પહેલાં સારી ભૂમિમાં કૃષણ રહ્યા અને ત્યાં વિવાહ કરવાનો વિચાર રાખ્યો. સિદ્ધાર્થ સારથિને આજ્ઞા આપી. પરંતુ નગરવાસીઓના આવ્યા પહેલાં યક્ષોએ આવીને વિવાહ-મહોત્સવ પૂરો કર્યો. ત્યાં એક મંદિરમાંથી લક્ષ્મીદેવીની મૂર્તિને ઠેકાણે રુકિમણીની મૂર્તિ બેસાડી અને તેને પટરાણી કરવાનું વચન આપ્યું, મૂર્તિથી સૌ વિસ્મય પામ્યા. છેવટે દ્વારિકામાં જઈ વડીલોની સમ્મતિ મેળવી રુક્મિાણીને પોતાના ભવનથી વાયવ્ય દિશાના મહેલમાં રાખી. એવામાં સત્યભામાએ નવવધૂને જોવા માંગણી કરી. એટલે કૃષ્ણ “લક્ષ્મીના ઉદ્યાનમાં મૂકી આવ્યો છું.” એમ કહ્યું. એટલે પરિવાર સહિત સત્યભામાં ત્યાં ગયા. અને લક્ષ્મીને બદલે ગોઠવેલી રુક્મિણીને લક્ષ્મી સમજીને તેને પ્રણામ કર્યા, ને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે સૌભાગ્ય માગ્યું. રુકિમણીએ "તથાસ્તુ” કહ્યું. તેવામાં કૃષ્ણ બધો ભેદ ભાંગ્યો. અને સત્યભામાને ખોટું લાગ્યું. એમ ચાલ્યા કર્યું. પ્રદ્યુમ્ન ચરિત્રમાં વિશેષ હકીકત જેવી. અનુક્રમે રુક્મિણી વગેરે પટ્ટરાણીઓએ શ્રી નેમીશ્વર પ્રભુ પાસે ધર્મ સાંભળી દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો. Page #480 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૦૭ ૪૧-૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭. યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સણા, વણા, રાણા : સ્થૂલભદ્રની સાત બહેનો હતી. તેઓને અનુક્રમે એક વાર, બે વાર, ત્રણ વાર એમ સાત વાર સાંભળવાથી જે સાંભળે, તે યાદ રહી જતું હતું. પર્યુષણ પર્વમાં પોતાના ભાઈ શ્રીયકમુનિને સમજાવીને ઉપવાસનું પ્રત્યાખ્યાન કરાવવાથી તેનું મૃત્યુ થતાં ખેદ થવાથી કાઉસ્સગ્ન કરી શાસનદેવની આરાધના કરી. શ્રી સીમંધર સ્વામી પાસે જઈ, શ્રીયકના મરણનો ખુલાસો મેળવી આશ્વાસન મેળવ્યું હતું. તે વખતે પરમાત્માએ ચાર ચૂલિકાઓ આપી હતી. તે આવીને શ્રી સંઘને અર્પણ કરી. સંઘના અગ્રણી પુરુષોએ બે દશવૈકાલિકને અંતે અને બે આચારાંગને અંતે સ્થાપી. સ્થૂલભદ્ર મુનિને વંદન કરવા માટે તે સાતેય બહેનોએ આચાર્ય મહારાજની આજ્ઞા માંગી, ત્યાં ગયા. તેવામાં ત્યાં સિંહ જોવાથી પાછા આવ્યા. આચાર્યશ્રીએ ફરીથી મોકલ્યા ત્યારે મૂળ સ્વરૂપમાં સ્થૂલભદ્ર મુનિને વંદન કરી પાછા વળ્યા. વગેરે હકીકત શ્રી સ્થૂલભદ્ર સ્વામીના ચરિત્રમાંથી જોઈ લેવી. અનુક્રમે તપશ્ચર્યા કરી સાતેય બહેનો આરાધક થઈ સ્વર્ગમાં ગઈ. - —* * *અહીં કથાઓ પૂરી થાય છે. પરંતુ ઇચ્ચાઈ- ઈત્યાદિ એ શબ્દથી ટીકાકાર આચાર્ય મહારાજશ્રીએ શીલવતી, નંદન્તી, રોહિણી, રતિસુંદરી અને શ્રીમતી એ પાંચ સતીઓની કથાઓ અધિક આપી છે, તે નીચે પ્રમાણે ટૂંકમાં આપીએ છીએ. ૪૮. શીલવતી : જંબૂદ્વીપના દક્ષિણ ભરતખંડમાં નંદપુર નગરના અમર્દન રાજાના રાજ્યમાં રત્નાકર નામના શેઠની શ્રી નામની પત્નીથી અજિતસેન નામનો પુત્ર અજિતબળા નામની દેવીની આરાધનાથી જન્મ્યો હતો. તે મંગળપુરીના જિનદત્ત શેઠની શીલવતી પુત્રીને પરણ્યો હતો. એક દિવસે રાતમાં ઊઠીને શિયાળનો શબ્દ સાંભળી શીલવતી ઘડો લઈ નદીએ ગઈ ને થોડી વારે પાછી આવી. ઘડો બાજુએ મૂકી સૂઈ ગઈ. સસરો આ જોઈ શંકાશીલ થયો. પોતાની પત્નીને તથા પુત્રને પણ ટૂંકમાં આ વાત સમજાવી. તેના પિતાને ઘેરથી શીલવતીને બોલાવવાના સમાચારનું બહાનું બતાવીને રથમાં બેસાડી આગળ ચાલ્યા. રસ્તામાં નદી આવી ને પગમાંથી પગરક્ષક ઉતારીને ઊતરવાનું કહ્યું. આ શીલવતી તે સહિત ઊતરી. શેઠે વિચાર્યું કે-“કેવી વિવેક વગરની છે ? આવી વહુને શું કરે ?” આગળ ચાલતાં મગનું ક્ષેત્ર આવ્યું. શેઠે કહ્યું “વાહ! ખેતરવાળો ન્યાલ થઈ જશે.” વહુએ કહ્યું - “કોઈ ખાઈ જશે નહીં તો, નહીંતર નહીં.” “અરે ! આ વહુ તો અવળચંડી પણ લાગે છે.” આગળ ચાલતાં સમૃદ્ધ શહેર આવ્યું, ત્યારે સસરાએ કહ્યું-“બહુ સરસ નગર.” વહુએ કહ્યું: “ઉજ્જડ હોત તો વધારે સારું થાત.” સસરે વિચાર્યું કે “આ તો મકરીખોર છે.” આગળ ચાલતાં એક શસ્ત્ર-પ્રહારોથી પડેલા સુભયને જોઈ તેના પરાક્રમના સસરાએ વખાણ કર્યાં. વહુએ કહ્યું “એ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ પંચ પ્રતિકમાણસૂત્રો તો બાયલો ને બીકણ છે.” આગળ એક વડ આવ્યો. શેઠ તેની નીચે બેઠા પણ વહુ તો દૂર જઈને બેઠી. આગળ જતાં વળી સુંદર શહેર આવ્યું, તેના શેઠે વખાણ કર્યા ત્યારે વહુએ કહ્યું કે “એ તો ઉજજડ ગામડું છે.” આગળ ચાલતાં એક ગામડું આવ્યું. શેઠે વિચાર્યું કે હું જે કહીશ તેથી આ વિપરીત બોલશે.” એમ વિચારે છે, તેવામાં શીલવતીને તેના મામા જમવાને નોતરું દઈ તેમને પોતાને ઘેર તેડી ગયા. જમાડ્યા, ને રહેવા આગ્રહ કર્યો, પણ શેઠ ન રહ્યા. એટલે કરંબાનું ભાતું આપ્યું. આગળ ચાલતાં એક ઝાડ નીચે શેઠ સૂતા. વહુ કરંબો ખાવા લાગી એટલે એક કાગડો બોલવા લાગ્યો, ત્યારે વહુએ કહ્યું કે “હું તારી વાત સમજું છું, પણ એકના કહેવાથી મારો પતિ વિયોગ થયો છે, ને વળી બીજાનું કહ્યું કરું તો માતપિતાનો પણ સંયોગ થાય કે કેમ ?' આ સાંભળી આશ્ચર્ય પામી શેઠે પૂછયું, “વહુ! એમ કેમ બોલો છો ?” વહુ : “સાચું કહું તો નુકસાન થાય છે. ફળ ખાતર માણસો વનસ્પતિ ખૂંદે છે. મોરની કલગી ખાતર મોરને મારે છે. હું બાલ્યકાળમાં ભાઈઓના આગ્રહથી પશુની ભાષા શીખી, તેનું મારે આજે ફળ ભોગવવું પડે છે.” સસરાએ ક્ષમા માંગી, ત્યારે શીલવતીએ ખુલાસો કર્યો કે “હું શિયાળનો શબ્દ સાંભળી ઘડો લઈ નદીએ ગઈ, તેનું કારણ એ હતું કે, “શિયાળે એ સૂચના કરી કે, ઘરેણાંથી લદબદતું મડદું તણાય છે.” એ સાંભળી દાગીનાનો ઘડો હું ભરી આવી.” અત્યારે આ કાગડો કરંબો માગે છે, ને કહે છે કે, “અરીઠાના ઝાડ નીચે દશ લાખ સોનૈયા છે.” પણ મેં કહ્યું કે, “એ વાત કરીને હું અનર્થ પામું.” સસરાએ ખાતરી કરવા ખોદી જોયું, સોનૈયા નીકળ્યા. કાગડાને કરંબો આપ્યો. શેઠ તો વહુનાં વખાણ કરવા લાગ્યા ને દ્રવ્ય ભરી પાછા વળતાં વહુને પૂછ્યું “આ શહેરને તમે ઉજજડ કેમ કહ્યું ?” વહુ - “ત્યાં આપણું કોઈ સગું નહીં ! એટલે શા કામનું ?” શેઠ :- “ઉજ્જડ ગામને વસ્તીવાળું કેમ કહ્યું?” વહુ :- “ત્યાં મારા મામાનું ઘર હતું. આપણો સત્કાર થયો, માટે.” શેઠ :- “વડની છાયાથી દૂર કેમ બેઠા હતા ?” વહ :- “વડ ઉપરનો કાગડો સ્ત્રી ઉપર ચરકે તો છ માસમાં પતિને અનર્થ થાય, તેમજ તેના થડ પાસે સર્પાદિકનો સંભવ હોય છે, માટે.” શેઠ :- “પેલા સુભટને કાયર કેમ કહ્યો ?” વહુ :- “તેણે ઘા પીઠ ઉપર ખાધા હતા માટે.” શેઠ :- “મગના ક્ષેત્ર માટે કેમ વિપરીત બોલ્યાં હતાં ?” Page #482 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વહુ :- લેણદારો લઈ ન જાય, તો તે તાલેવાન થાય, નહીંતર ગરીબ જ રહે. દેણું કરી ખેડૂતો પહેલેથી જ ખેતી ખાઈ જાય છે. શેઠ :- “તમે વહેતી નદી મોજડી સહિત કેમ ઊતર્યાં ?'' વહુ :- “નદીમાં કાંટા કાંકરા ભર્યા હોય, તે મારા કોમળ પગમાં વાગી બેસે, તો મારે હેરાન થવું પડે, માટે.’ શેઠે ઘેર આવી, સંતોષ પામી, તેને ઘરની તમામ સત્તા સોંપી. સાસુ-સસરા સ્વર્ગમાં ગયાં, તેવામાં પાંચસોમો મંત્રી રાખવા રાજાએ પરીક્ષા કરવા સભામાં એક પ્રશ્ન પૂછયો કે, ‘“મને પાટુ મારે તેને શું આપવું ?'' દરેકે દંડ કરવાની વાત કરી. પરંતુ શીલવતીના સાંભળવામાં આવતાં ‘“તેને નુપૂર આપવા.” એમ અજિતસેને કહ્યું. એટલે રાજાએ તેને મંત્રી નીમ્યો. રાજા સિંહસેનને જીતવા અજિતસેનને સાથે લઈ જવાના હતા, ત્યારે અજિતસેનને એકલી પત્નીની ચિંતા થવા લાગી. ત્યારે શીલવતીએ એક માળા ગળામાં પહેરાવી ને કહ્યું કે, “આ માળા ન કરમાય ત્યાં સુધી મારું શિયળ અખંડ સમજવું.'' રસ્તામાં પુષ્પનગરની અટવીમાં આ માળા તાજી જોઈ રાજાને આશ્ચર્ય થયું, ખુલાસો જાણી લીધો. ૪૦૯ આ સાંભળી રાજાની અનુમતિ લઈ તેના ચાર મિત્રો અશોક, રતિકેલિ, કામાંકુર, અને લિલતાંગ એ ચારેય શીલવતીની પરીક્ષા કરવા ગયા. પરંતુ તે દરેકને બોલાવી તેનું ધન લઈ મહિના મહિનાને આંતરે આવેલાને એક ખાડામાં પાડી નાંખ્યા. અને તેમને શરાવળામાં અરધું ખાવા પીવાનું મળતું હતું. ત્યાં જ ઝાડો પેશાબ કરતા, તેથી નારકીના જેવું દુ:ખ અનુભવતા તેઓ કરગરવા લાગ્યા. તેવામાં અજિતસેન આવવાથી તેને બધી વાત કહી, રાજાને જમવાનું નોતરું આપ્યું. રાજ જમવા આવ્યા, પણ ગુપ્ત રાખેલી રસોઈ તે જોઈ શકયો નહીં. ત્યારે પૂછ્યું, એટલે અજિતસેને કહ્યું કે, “અમારા ઘરમાં ચાર યક્ષો છે, તે બધું ઝપાટાબંધ પૂરું પાડશે.’’ એમ કહી રાજાને જમાડ્યા. રાજાએ કહ્યું કે, “એ યક્ષો આપણી પાસે હોય, તો પ્રયાણમાં મુશ્કેલી ન પડે.” મંત્રીએ કહ્યુ ‘“મારી સ્ત્રીને પૂછીને તમને અપાવીશ.’' શીલવતીએ ચારેયને કહ્યું કે, “હું કહું તેમ નહીં કરો, તો મરી જશો.'' તેઓ કબૂલ થયા જ હતા. પેટીમાં પૂરી રાાને સોંપ્યા, અને બીજા પ્રયાણ સુધી બોલવું જ નહીં એવી ભલામણ કરી. બીજે પ્રયાણે રાજાએ પેટી ઉઘાડી રસોઈ માંગી. ત્યારે ચારે દુ:ખિયાઓ બોલી ઊઠ્યા કે “અમો જ ભૂખ્યા છીએ, તમોને રસોઈ કયાંથી આપીએ ?'' રાજાએ ઓળખ્યા અને શીલવતીનો મહિમા સાંભળી પાછા આવી તેને બહેન ઠરાવી બહુમાન કર્યું. લક્ષ્મીધર અને ચંદ્રસેન નામના જૈન ધર્મમાં રાગી બે પુત્રો શીલવતીને થયા. એક વખત દમઘોષ આચાર્ય મહારાજને શીલવતીએ પોતાનો પૂર્વ ભવ પૂછયો. આચાર્ય મહારાજે કહ્યું કે, “કુસુમપુરમાં સુલસ શ્રાવકની સુયશા સ્ત્રીની દુર્ગિલા દાસીએ પોતાની શેઠાણીને જ્ઞાનપંચમીની Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦. પંચ પ્રતિકમાણસૂત્રો આરાધના કરતી જોઈ સાધ્વીજી પાસેથી શીળવ્રત પાળવાની તેમજ આઠમ ચૌદશો ખાસ પાળવાનો નિયમ લીધો. તે સાંભળી તેના પતિએ પણ નિયમ રાખ્યો. બન્નેય કરીને તમે અજિતસેન અને શીલવતી થયા છો.” આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું અને વ્રત લઈ પાંચમે દેવલોકે ગયા. ત્યાંથી આવી મનુષ્ય થઈ મોક્ષમાં જશે. ૪૯. નંદયંતી : પોતાનપુરમાં નરવિકમના રાજ્યમાં સાગરપોત શેઠની શ્રી નામની પત્નીથી જન્મેલો સમુદ્રદત્ત નામનો પુત્ર સોપાનપુરના નાગદત્ત શેઠની નંદયંતી પુત્રી સાથે પરણ્યો હતો. પિતાની આજ્ઞાથી રાત્રે ગુપ્ત રીતે પરદેશ જતાં સમુદ્રદત્ત સ્ત્રીની રીતભાત જાણવા ગુપ્ત રહ્યો પરંતુ નંદયંતીએ જાગીને પતિવિયોગથી ફાંસો ખાવાની તૈયારી કરી. તે જોઈ સમુદ્રદત્ત પત્નીને મળ્યો ને રજા લઈ સમુદ્ર માર્ગે વિદેશ ચાલ્યો ગયો. અહીં નંદયંતીનો ગર્ભ ત્રણ માસનો થયો. સાસુ-સસરાએ નિકરણ નામના સેવક સાથે વનમાં મોકલી દીધી. રુદન કરતાં ત્યાં આવી ચડેલો ભૃગુકચ્છ (ભરૂચ)ને પારાજ બહેન કરી પોતાને ત્યાં લઈ ગયો. ત્યાં તેને પુત્ર જન્મ્યો. વખત જતાં સમુદ્રદત્ત ઘેર આવ્યો, માતા-પિતાને પોતાની પત્ની નિર્દોષ હોવાની ખાતરી આપી, ને સેવકો તથા પોતે ભાળ માટે બહાર નીકળી અનુક્રમે ભરૂચમાં પહોંચ્યા. દાનશાળામાં બદલાવેલા વેશવાળી સ્ત્રી તેને નંદયંતી જેવી જણાઈ. તેથી પરીક્ષા કરવા તેની પાસે સમજાવવા બીજી સ્ત્રીને દૂતી તરીકે પોતાની પત્ની થવા મોકલી, અને તે સમજાવવા લાગી. નંદયંતીએ સમુદ્રદત્ત સિવાય અન્યની વાત સાંભળવાની સ્પષ્ટ ના પાડી. તેથી મૂળવેશમાં બન્નેય મળ્યાં અને માતા પિતાને જઈને મળ્યાં. એક વખતે તે નગરે પધારેલા કેવળજ્ઞાની ભગવંતને નંદયંતીએ પોતાના વનવાસનું કારણ પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે, “ચંદ્રપુરના મુકુંદ બ્રાહ્મણને શ્રીમતી નામની સ્ત્રી હતી. પર્વોત્સવમાં વહોરવા પધારેલા મુનિરાજની તેણે મશ્કરી કરેલી અને તેના સાસુ-સસરા પણ તેમાં સામેલ રહેલા. તે મુકુંદનો જીવ સમુદ્રદત્ત, અને શ્રીમતી નો જીવ તું નંદયંતી. મુનિરાજના ઉપહાસથી તને પતિવિયોગ થયો.” પછી નંદયંતી વિશેષ ધર્મારાધન કરવા લાગી. આયુ:ક્ષયે પહેલા દેવલોકમાં ગઈ અને અનુક્રમે ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. ૫૦. રોહિણી : આપણે ત્યાં રોહિણીનો તપ કરવાનો રિવાજ ચાલુ છે. આજે પણ અનેક શ્રાવિકા બહેનો રોહિણી તપ કરે છે. તે તપ સાથે જોડાયેલી રોહિણી સતની કથા જાણવી ખાસ ઉપયોગી છે. તે આ રોહિણી સતીની કથાથી સમજાશે. પાટલીપુત્ર નગરમાં નંદ રાજના રાજ્ય કાળમાં ધનાવહ શેઠને રોહિણી પત્ની હતી. શેઠ પરદેશ ગયા. બહાર જતાં રાજાએ ગોખમાં બેઠેલી રોહિણીને દીઠી. તેને મેળવવા ભટણા સહિત દૂતી મોકલી, Page #484 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો રોહિણીએ શિયળ બચાવવાને નિશ્ચય કરી રાજાને આવવા આમંત્રણ દીધું. તેને રસોઈ તથા ફળો ખવરાવ્યાં. અને જ્યારે તેને ઊંઘ આવવા લાગી અને ઊંઘે, જાગે, એવી સ્થિતિમાં રસોઈની સરસતા અને વિરસતાનો ખુલાસો સતીને પૂછ્યો. એટલે રાજાને સ્ત્રીઓની સરસતા વિરસતા વિષે બોધ આપ્યો. રાજાએ ક્ષમા માગી. શિયળની પ્રશંસા કરી, બહેન કહી સ્વસ્થાને ગયો. શેઠ આવ્યા. દાસી પાસેથી રાજા આવ્યાની વાત સાંભળી. શેઠને શંકા થઈ. પરંતુ સાત દિવસ ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરમાં પાણી આવવાની તૈયારી થઈ, ત્યારે રાજાએ રોહિણીને બોલાવી પાણી રોકવા વિજ્ઞપ્તિ કરી. રોહિણીએ લાખો માણસોની મેદની વચ્ચે દરવાજા ઉપર ચઢી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી હાથમાં અંજલિ લઈ જેવું ‘મારા શિયળનો પ્રભાવ હોય, તો પાણી પાછા વળો.' એવું બોલી કે પાણી આગળ આવતું બંધ થયું. શિયળનો પ્રભાવ ગવાયો. શેઠની શંકા ગઈ. રાજા તથા અંત:પુર અને અનેક લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો. એક વખત ગુરુ પાસે ધર્મકથા શ્રવણ કરવા જતાં ગુરુએ રોહિણી તપનો પ્રભાવ કહ્યો અને રોહિણીના પૂછવાથી તેનો વિધિ પણ કહ્યો, “શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા આગળ રોહિણી નક્ષત્રમાં સાત વર્ષ અને સાત મહિના ઉપવાસ કરવા. એ પછી ઉજમણું કરી મોદક પ્રમુખ વસ્તુઓ એકાણું એકાણું પ્રભુ આગળ ધરવા. તપશ્ચર્યાં સર્વ સંપત્તિનું મૂળ છે.'' આ સાંભળી રોહિણીએ મોક્ષ પ્રાપ્ત કરાવનાર એ તપ કર્યો. અને પહેલે દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. ૪૧૧ ૫૧. રતિસુંદરી : સાંકેતપુરના કેસરી રાજાની કમલસુંદરી રાણીને રતિસુંદરી પુત્રી હતી. પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીના ઉપદેશથી સમ્યક્ત્વ સાથે શિયળવ્રત અંગીકાર કર્યું. નંદન નગરના ચંદ્રરાજા સાથે રતિસુંદરીના લગ્ન કરવામાં આવ્યાં. એક વખત કુરુદેશના રાજા મહેન્દ્રસિંહે ચંદ્રરાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે, “આપણા સંબંધને અંગે તમારી નવપરિણીતા રતિસુંદરીને અમને ભેટ તરીકે મોકલી આપજો.” ચંદ્રરાજાએ જ્યારે પોતાની પત્નીને ન મોકલી એટલે બન્નેય વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ચંદ્રરાજાને કેદ પકડી, રતિસુંદરી લઈ, પછી રાજાને છોડી મૂકી, મહેન્દ્રરાજા સ્વનગરે ગયો. ત્યાં રાજાને શબ્દોથી અનુરાગ બતાવી ચાર માસ સુધી વાતચીત સિવાય કાંઈ પણ સંબંધ ન રાખવાની માંગણી કરી આયંબિલની તપની શરૂઆત કરી. ચાર માસને અંતે પણ શાસનદેવને પ્રાર્થના કરી ગળત કોઢિયા જેવું રૂપ કરાવી. મહેન્દ્રરાજાએ જ કંટાળીને તેને પતિ પાસે મોકલી આપી. એટલે ત્યાં શાસનદેવના પ્રભાવથી તેનું દિવ્ય રૂપ થયું. અને બન્નેય પ્રીતિથી રહેવા લાગ્યા. રતિસુંદરી અનુક્રમે આયુ:ક્ષયને અંતે સ્વર્ગમાં ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. ૫૨. શ્રીમતી : રાજપુરી નગરીના જયરથ રાજાના રાજ્યમાં ધનદત્ત શેઠને ધનશ્રી પત્નીથી સાત પુત્રો પછી શ્રીમતી નામની પુત્રી જન્મી હતી. શત્રુમર્દન પલ્લિ પતિએ ધાડ પાડવાથી તેની ધાવમાતા પારણા સહિત બાળિકાને લઈને વનમાં ગઈ. તરસ લાગવાથી ધાવ માતા પાણી શોધવા જતાં ત્યાં વડના ઝાડે બાંધેલા પારણામાં પક્ષી Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ પંચ પ્રતિક્રમણ સૂત્ર રૂપે વનદેવતાને તેના હાલરડાં ગાતા જોઈ નોકરોના કહેવાથી રત્નપુરના રત્નશેખર રાજાના રાજ્યના જિનદત્ત નામના શેઠે તેને લઈ જઈ પોતાની-નવ પુત્રીની માતા-પત્નીને એ બાળા સોંપી પોતાને નગરે ગયો. એક વખત શ્રીમતીના નુપૂરનો અવાજ સાંભળી રસ્તે જતો તે નગરનો રાજા પાછો વળી શેઠને મળ્યો. અને રણકારનું કારણ પૂછતાં શ્રીમતીની દેવ સાંનિધ્યવાળી હકીકત જાણી “પુત્રી” કહી પોતાના આવાસે ગયો. શ્રીમતીનું લગ્ન સુમતિ શેઠના મદન પુત્ર સાથે કરવામાં આવ્યું. “સુશૃંગારા' એવું શ્રીમતીનું બિરુદ સાંભળી સુમતિશેઠ રાતમાં તેની પેટી ઉધાડી તેમાંના દરેક અલંકારો પાણીના કુંડમાં મૂકી આવ્યા. શ્રીમતીએ પેટી ખાલી જોઈ. પરંતુ મચ્છીમારે રાજાને મત્સ્યના પેટમાંથી નીકળેલા દાગીના સોંપ્યા. રાજાએ જાણ્યું કે, “દેવવાણી ઉપર અશ્રદ્ધા થવાથી સુમતિશેઠે શ્રીમતીની પરીક્ષા માટે આમ કર્યું જણાય છે." શેઠને બોલાવી ઠપકો આપ્યો. શ્રીમતીના પ્રભાવથી મદનનું ખૂન કરવા આવેલા બીજાનું ખૂન કરી ગયા. વિદેશયાત્રામાં વહાણ ભાંગતાં પાટિયું હાથ આવતાં મદન બચી ગયો. શ્રીમતીને ઘણા પુત્રો થયા, અને તે દરેક જીવતા રહ્યા હતા. તેની પેલી ધાવ માતા પણ તેને મળી ગઈ શ્રીમતીએ ચાર જ્ઞાનના ધણી આચાર્ય મહારાજને પોતાના પૂર્વભવનો વૃત્તાન્ત પૂછયો. જ્ઞાની ભગવંતે કહ્યું કે – - “ગર્જના નગરના જ્વલંત બ્રાહ્મણની રેવતી પત્નીને આઠ પુત્રીઓ થઈ. તેને મુશ્કેલીઓ પરણાવી, તેવામાં નવમી અનામિકા પુત્રી થઈ. તેને પણ એક માગવક ભિક્ષુક સાથે પરણાવી. માગવક દેશાંતરમાં ભમીને વહુ સહિત માતા પાસે આવ્યો. માતાના મરણ બાદ મૃતકાર્ય કરવાથી તે પાછો તદ્દન દરિદ્ર થઈ ગયો, ને એક ઘાસની ઝૂંપડીમાં રહેતો હતો. અનામિકા વિમલશ્રી સાધ્વીજીને મળીને તપ વિષે ઉપદેશ સાંભળી અદુ:ખ દર્શન તપ કરવા લાગી. તેનો વિધિ સાધ્વીજીએ આ પ્રમાણે કહ્યો-“ઉદ્યાપનમાં રૂપાનું પાલણું કરાવવું, સોનાની પૂતળી કરાવવી, તેની આગળ સાકર અને મોટા લાડુનો થાળ ધરવો. તે સર્વ આહાર મુનિરાજને વહોરાવવો.” આ સાંભળી અનામિકાએ તપ કરી ઉજમણું કર્યું. ત્યાંથી મારીને અનામિકા શ્રીમતી થઈ છે.” આ વાત સાંભળી શ્રીમતીને જાતિસ્મરણ થયું, ને વિશેષ તપશ્ચર્યા કરવા લાગી. ઉદ્યાપન કર્યું. સંયમ લઈ અંતે આયુક્ષયે દેવલોકમાં ગઈ. ત્યાંથી આવી રાજપુત્રી થઈ મોક્ષમાં ગઈ. જૈન શાસ્ત્રોક્ત કથાઓ વિશે અમોએ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિને આધારે સંક્ષેપીને આ કથાઓ લખી છે. તેમજ નળ દમયંતીની કથા શલાકા પુરુષ ચરિત્રના નવમા પર્વમાં અને શ્રી કૃષગની મહિષીઓની કથાઓ વસુદેવ હિંડીમાંથી Page #486 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર સંક્ષિપ્ત લેવામાં આવેલ છે. આ કથાઓમાં કાલક્રમની અસરથી થયેલ કોઈ કોઈ પાઠભેદ સિવાય લગભગ દરેક કથાઓ પ્રામાણિક જૈન ગ્રંથોક્ત કથાઓ છે. તેમાંની કેટલીક તો સર્વમાન્ય ઐતિહાસિક કથાઓ છે. જૈન શાસ્ત્રોમાં કથાનુયોગનું બીજા ત્રણ યોગ પ્રમાણે મહત્વનું સ્થાન છે. મોક્ષની સિદ્ધિ માટે ચરાણાનુયોગ પ્રધાન યોગ છે. પરંતુ ચરણાનુયોગનું આચરણ કરનારાં પાત્રોની જિજ્ઞાસા-શાંતિ અને વૈરાગ્યમાં સ્થિરતા માટે તત્વજ્ઞાનનો બોધ દ્રવ્યાનુયોગ મારફત કરાવી શકાય છે. દ્રવ્યાનુયોગના વિચારમાં ગણિત વિના ચોકકસાઈ સંભવે જ નહીં. એટલે ગણિતાનુયોગ જૈનશાસ્ત્રોનું પણ પ્રધાન અંગ છે. એટલે જૈનોનો દ્રવ્યાનુયોગ કલ્પિત નથી, પણ ગણિતના હિસાબ પ્રમાણે ગણિતના સિદ્ધાંતોથી ચોકકસ સ્વરૂપમાં આપવામાં આવેલો છે. અને તેવા દ્રવ્યાનુયોગમાંથી ફલિત થતો ચરણાનુયોગ મોક્ષનું પરમ અંગ છે એમ બતાવેલ છે. ચરાગાનુયોગમાં સ્થિર રાખવા માટે-માર્ગમાં ચાલવાથી લાભ દર્શાવનારી, અને તેથી વિપરીત ચાલવાથી નુકસાન દર્શાવનારી કથાઓ ખાસ ઉપયોગી હોવાથી અનેક પ્રકારની કથાઓ જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. એટલે કથાનુયોગ પણ જૈન શાસ્ત્રોનું એક પ્રધાન અંગ છે. ચારેય અનુયોગનું ફળ મોક્ષ છે. મોક્ષ માર્ગમાં જીવોને પ્રવર્તાવવાના ઉદ્દેશથી ચારેય અનુયોગમય જૈન શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. કથાઓ ઘણી ખરી આગમોક્ત છે. વર્તમાન કાળે વિદ્યમાન આગમોમાં જે કથાઓ નથી મળતી, તે કથાઓના આગમિક ભાગો લુપ્ત થયા છે. બીજા કથાગ્રંથોમાં જે કથાઓ મળે છે, તેનું પણ મૂળ તો થી આગમ જ છે. જૈન શાસ્ત્રોનો ઇતિહાસ જોતાં બારમા દષ્ટિવાદમાં અંતર્ગત પઢમાનુયોગમાંથી ઘણી કથાઓ ઉદ્ધત કરવામાં આવી છે. શ્રી હરિભદ્ર સૂરિકૃત આવશ્યક શિષ્યહિતાવૃત્તિ વગેરે ગ્રંથોમાં પઢમાનુયોગના કેટલાક ફકરા ઉદ્ધત કરેલા આપણે જોઈ શકીએ છીએ. પૂર્વ જન્મ વિષે નિ:સંદેહ અભિપ્રાય ધરાવનારાઓને આ કથામાં કશું અસંભવિત જણાતું નથી. આ કથાઓમાં પૂર્વ જન્મની અસરોનું પરિણામ ઘણી સુંદર રીતે જાણી શકાય છે. આપણું આ ચાલુ જીવન એકસ્માતું રૂપ ન હોય, પરંતુ કોઈ પણ કારણનું કાર્ય હોય, તો પુનર્જન્મ સિદ્ધ થઈ જાય છે, અને પુનર્જન્મ સિદ્ધ થઈ જાય, તો કર્મની વિચિત્ર અસર વિષે શંકા રાખવાને કશું કારણ જ રહેતું નથી. આ કથાઓમાં ઘણી ચોકકસાઈ હોય છે. તેમજ પૂર્વાપરના સંબંધો વિષે પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય છે. નળ-દમયંતી, વસુદેવ અને કનકવતીના સંબંધો કેવી ખૂબીથી કાળક્રમના બનાવો સાથે મળી જાય છે ? તે તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે. કેટલાક જૈનેતર લેખકો અન્ય સાહિત્ય સાથે મળતી આવતી આપણી કથાઓ જોઈ જૈન કથાઓને વૈદિક સાહિત્યમાંથી ઉતારેલી કહી, તે કથાઓના જૈનપણામાં સંદેહ ઉત્પન્ન કરે છે. પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. રામાયણ, મહાભારતને મળતી કેટલીક કથાઓ કેટલીક બાબતમાં મળતી આવે છે, તેમ ઘણી રીતે જુદી પણ પડે છે, એટલું જ નહીં પરંતુ વૈદિક સાહિત્યમાં આપેલી હકીકતો કરતાં વિશેષ હકીકતો વિસ્તૃત રૂપમાં આપણને જૈન સાહિત્યમાં મળે છે. દ્રૌપદી હરણ, Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પંચ પ્રતિકમાણસૂત્રો સીતાના ભાઈ ભામંડળ વગેરેના સંબંધમાં જ વિશેષ હકીકતો જૈન કથાઓમાં મળે છે, તે વૈદિક સાહિત્યમાં જોવામાં આવતી નથી. વળી કથાઓ જે કલ્પીને પાછળથી કોઈએ બનાવી હોય, તો જ્ઞાતાધર્મ કથા જેવા આગમોમાં તે આપવામાં આવેલી છે. તેને કલ્પિત કેમ ગણી શકાય? અલબત્ત, કથાઓ કોઈ ઠેકાણે સંક્ષેપમાં, તો કોઈ ઠેકાણે વિસ્તારથી હોય છે, એટલે તેમાંની કેટલીક હકીકત છોડી દેવામાં આવી હોય, કેટલીક ઉપદેશક ભાગ પૂરતી લંબાવવામાં આવી હોય, કેટલોક ભાગ જાણવા જેવી હકીકતના કારણે લંબાયો હોય વગેરે અનેક કારણોથી એકસરખા સ્વરૂપમાં જોવામાં ન આવે, એ સ્વાભાવિક છે. ઉપદેશ માટે કેટલીક કલ્પિત કથાઓ પણ હોય છે. પરંતુ દરેક કથાઓ કલ્પિત હોતી નથી, કલ્પિત કથાનું પણ સ્વરૂપ નકકી કરવામાં આવ્યું હોય છે. તે સ્વરૂપ પ્રમાણે ન હોય, તેવી ઘણી બનેલી કથાઓને પણ કલ્પિત કહેવાની હિંમત કરવી તે અજ્ઞાનતા અથવા એક જાતનો ઘમંડ છે. અને ઊછરતી પ્રજાના માનસને પોતપોતાના ધર્મ ઉપરની શ્રદ્ધામાંથી ચલિત કરવાનો પણ રાષ્ટ્રીય હેતુ હોવાનું જણાઈ આવે છે. એવા લેખકોની વાત તરફ લક્ષ્ય ન આપતાં ઉપેક્ષા જ કરવી જોઈએ. તીર્થકરો જેવાઓની કથાઓને તદ્દન કલ્પિત કહેવામાં એ લોકો એવી દલીલો આગળ કરે છે કે, “તે કથાઓ માટે ઐતિહાસિક પુરાવા મળી જ શકે, એ સંભવિત નથી.” છતાં ઐતિહાસિક પુરાવા વિનાના પણ ઘણા બનાવો સાચા હોવાના માનવા પડે જ છે. ઐતિહાસિક પુરાવા કાળક્રમથી નાબૂદ થયા હોય, એટલા ઉપરથી અમુક બનાવ બન્યો જ નથી, એમ માનવું ભૂલભરેલું છે. વળી પરદેશી લેખકો બુદ્ધિના તેવા પ્રકારના વલણને લીધે અને સ્વાર્થને લીધે એવું વલણ ધરાવે તે ઉપેક્ષ્ય છે. પરંતુ આ દેશના લોકો એવું વલણ ધરાવે, તે કેવળ મૂર્ખાઈ જ છે. દાખલા તરીકે - પાંચ પેઢીથી આ ઘરમાં મારું કુટુંબ રહે છે, તે વાત હું જાણું છું, આજુબાજુના માણસો જાણે છે. તેનો લેખ ખોવાયો છે. બહારનો સત્તાધીશ માણસ એમ કહી શકે કે, “લેખ બતાવો, તો તમારું ઘર માનું, નહિતર ખાલી કરો.” તે વખતે ઘરધણી પણ એમ માને કે, “મારી પાસે લેખ નથી, માટે રખે ને આ ઘર મારું ન હોય.” તો તે તેની ભૂલ જ ગણાય. બહારનો આગંતુક જો સ્વાર્થ હોય, તો આવા બહાનાથી લેખ વગરનાઓની માલિકી છોડાવીને જ્યારે તેનો કોઈ માલિક ન રહે, એટલે પોતે માલિક બની બેસે. પરંતુ એ વાત ઘરધણી કબૂલ કરે, એ તેની કેટલી ભૂલ ગણાય ? આમ ઐતિહાસિક સત્યને બહાને ઘણી ખરી સાચી હકીકતોને પણ કબૂલ કરવામાં આવતી નથી. અને પોતાને જરૂર જણાય તો, ગમે તેવી ઊડતી દંતકથા ટાંકીને પણ હકીકતોના મહેલ ચણવામાં આવે છે. ઐતિહાસિક પુરાવા વિના પણ આપણા જીવન, આપણા જીવનનો ઐતિહાસિક પ્રવાહ, આપણાં શાસ્ત્રોની નોંધો અને આપણી પરંપરાની વાતો એ સર્વ પણ એક જાતના ઐતિહાસિક પુરાવા બરાબર જ હોય છે. સંસ્કારસંપન્ન આ પ્રાચીન કાળની મહાનું પ્રજાનું ઘડતર જ પોતાના મહાપુરુષોનું અસ્તિત્વ કબૂલ કરાવવાને બસ છે. એટલે આપણા હિતની ખરી વાત તો એ છે કે, આપણાં શાસ્ત્રોમાં કહેલી કથાઓના સંબંધમાં શંકાશીલન થતાં, તેમાંથી મેળવવી જોઈતી જીવનવિકાસની પ્રેરણા અવશ્ય મેળવવી. Page #488 -------------------------------------------------------------------------- ________________ પિંગ પ્રતિકમાણસૂત્રો ૪૧૫ ૫૧. સકલ તીર્થ વંદના સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડા પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિન ૧૫ બીજે લાખ અઠ્ઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર મારા છે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાળીસ સહસ પ્રાસાદા આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદું શત ચાર ૩ અગિયાર બારમે વણસેં સાર, નવરૈવેયકે ત્રણસેં અઢારા પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાં વલી જા સહસ સત્તાણું વેવીશ સાર, જિનવર ભવન તણો અધિકાર લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર પર એકસો એંસી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણી સો કોડ બાવન કોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ દી સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું રણ કલા સાત કોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ ગાળા એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચત્યે સંખ્યા જાણો તેરસેં કોડનેવ્યાસી કોડ, સાઠ લાખ વંદું કર જોડાયા બત્રીસેં ને ઓગણસાઠ, તીર્થો લોકમાં ચૈત્યનો પાઠ.. ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર લા વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાયતા જિન વંદું તેહા ષભ ચંદ્રાનન વારિણ, વિદ્ધમાન નામે ગુણસણ ૧છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો સમેતશિખર વંદું જિન વિશ, અષ્ટાપદ વંદું ચોવીશા વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ૧૫ શંખેસર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર અંતરીક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ પાસ /૧રા ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહા વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિન ૧૩ અઢી દ્વિીપમાં જે અણગાર, અઢાર સાહસ શીલાંગના ધારા પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલા નિત નિત ઉઠી કીર્તિ કરું, “જીવ” કહે ભવસાયર તરુ ઉપાય ગાથાર્થ :- સર્વ તીર્થોને હાથ જોડીને વંદન કરું છું. કિમકે] શ્રી જિનેશ્વર પ્રભુના નામ માત્રથી કરોડો મંગળ પ્રવર્તે છે. પહેલે દેવલોકે બત્રીશ લાખ જિન ચેત્યોને હંમેશાં વંદન કરું છું. ૧. બીજે દેવલોક અઠ્ઠાવીશ લાખ, ત્રીજે દેવલોકે બાર લાખ, ચોથે દેવલોકે આઠ લાખ અને પાંચમે ચાર લાખ શાસ્ત્રમાં કહ્યા છે, તે શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારીને તે સર્વને વંદન કરવું. ૨. છેકે સ્વર્ગે પચાસ હજાર, સાતમે દેવલોકે ચાળીસ હજાર, આઠમે સ્વર્ગ છ હજાર અને નવમે તથા દશમે દેવલોકે ચારસો ચારસો જિન ચેત્યોને વંદન કરું છું. ૩. બારમે તથા અગિયારમે દેવલોક ત્રાણસું, નવ પૈવેયકે ત્રાણસે અઢાર, અને પાંચ અનુત્તરમાં ઉત્તમ ચેત્યો છે, તે સર્વ મળી ચોરાશી લાખ સત્તાણું હજાર ત્રેવીશ [૮૪૯૭૦૨૩] જિનેશ્વરોના ચૈત્યોનો ઉત્તમ અધિકાર છે. તે દરેક સો જોજન લાંબા, પચાસ જોજન ઊંચા, અને ૭૨ જોજન પહોળા સમજવા. ૪-૫. એક એક ચૈત્યમાં સભા સહિત ૧૮૦ જિન બિંબોનું પ્રમાણ સમજવું. સર્વ મળીને-સો કરોડ, બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાળીસ હજાર સાતસો અને સાઠ [એટલે કે- ૧૫૨૯૪૪૪૭૬૦]. વિશાળ જિનપ્રતિમાઓને સંભારીને ત્રણેય કાળ પ્રમાણ કરું છું. તથા ભવનપતિમાં સાત કરોડ ને બોતેર લાખ ૭૭૨૦૦૦૦૦ જિન ચેત્યો કહ્યા છે. ૬-૭. તેમાં પણ એકે એક ચેલે બિંબોની સંખ્યાનું પ્રમાણ ૧૮૦ એકસો એંશીનું સમજવું. એટલે તેરસેં નેવ્યાશી કરોડ, સાઠ લાખ[૧૩૮૯૬૦૦૦૦૦૦] જિનપ્રતિમાઓને હાથ જોડીને વંદન કરું છું. ૮. Page #490 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૧૭ તિછ લોકમાં ત્રણ હજાર બસો ઓગણસાઠ. [૩૨૫૯] દૈત્યોનું વર્ણન આવે છે, અને તેમાંના ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વિશ [૩૯૧૩૨૦] જિનપ્રતિમાઓને જુહારું છું. ૯. તે ઉપરાંત, વ્યંતર તથા જ્યોતિષિઓમાં પણ જે જે શાશ્વતા જિનબિંબો છે, તેને વંદન કરું છું. ગુણોથી ભરેલા તેઓનાં શુભ નામ-ઋષભ, ચંદ્રાનન, વારિણી અને વર્ધમાન છે. ૧૦. સમેતશિખર ઉપર વીસ અને અષ્ટાપદ ઉપર ચોવીસ : શત્રુંજય, ગિરનારગઢ, આબુ, શંખેશ્વર, કેશરીયાજી વગેરે તીર્થમાં બિરાજમાન તીર્થકર પરમાત્માઓને તથા તારંગાજીએ અજિતનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, વકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ અને સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને વંદન કરું છું. ૧૧-૧૨. તે ઉપરાંત, દરેક ગામો, નગરો, પુરો, અને પાટણમાં ગુણના મંદિર રૂપ જે જે જિનેશ્વર પ્રભુનાં ચેત્યો છે, તેને નમસ્કાર કરું છું. વિહરમાન વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનંત સિદ્ધ ભગવંતોને દરરોજ વંદન કરું છું. ૧૩. અઢાર હજાર શિલાંગ રથને ધારણ કરે, ઉત્તમ-પાંચ મહાવ્રત સમિતિ, અને પંચાચાર પાળે તથા પળાવે અને બાહ્ય-અત્યંતર તપમાં ઉજમાળ એવા જે મુનિરાજો અઢી દ્વિપમાં છે, ગુણોની માળા સરખા તે સર્વને વંદન કરું છું. ૧૪. અને સ્કુિતિકારી શ્રી જીવવિજયજી મહારાજ પણ કહે છે કે, “દરરોજ સવારમાં ઊઠીને આ પ્રમાણે સ્તુતિ કરવાથી હું પણ ભવસાગરને તરી જઈશ.” ૧૫. દિવસનાં પચ્ચખાણો સવારમાં નમુકકાર સહિઅં-પોરિસી-સાઢ પરિસી-પુરિમઢ-અવઢ-એકાછાણ-બેસણઆયંબિલ-નીવિ-તિવિહાર-ચઉવિહાર-ઉપવાસ [ચોથભક્ત] સટ્ટ-અટ્ટમ વગેરેનાં પ્રત્યાખ્યાનો લેવાનો . સંભવ હોય છે. નમુકકાર સહિઅ : સૂર્યોદય પછી બે ઘડી સુધી મોઢામાં કાંઈ ન નાંખવાનો નિયમ રાખી વખત પૂરો થયે મુઠી વાળી નવકાર ગણીને પચ્ચક્ખાણ પારવામાં આવે છે, તે નમુક્કારસહિઅંનું પચ્ચખાણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક યોગનો જઘન્ય કાળ બે ઘડીનો કુદરતી રીતે ઠરાવેલો છે. સામાયિક, ધ્યાન વગેરેનો એક મુહૂર્ત બે ઘડી વખત ગણવામાં આવ્યો છે. ખરી રીતે એમ છે કે, પચ્ચખાણ પૂરું થવાની સાથે જ બરાબર તે જ ક્ષણે પચ્ચકખાણ પારવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તો અણોપયોગ દોષ ગણાય છે. સહેજ પણ વહેલું પરાય, કે સહેજ પણ મોડું પરાય, તો બન્નેયમાં દોષ લાગે છે. વહેલા પારવામાં પચ્ચખાણ ભંગ અને અનોઉપયોગ દોષ લાગે છે. મોડા પારવામાં અનોઉપયોગને લગતા દોષો લાગે છે. આમ છતાં કદાચ Page #491 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કામકાજમાં વ્યગ્રતાને લીધે પચ્ચક્ખાણ પારવામાં ઢીલ થાય, તો દોષથી બચવા માટે મુøિસહિઅં ઉચ્ચાર કરવામાં આવે છે, તેનો અર્થ એ છે કે-‘‘પચ્ચક્ખાણનો વખત પૂરો થવા છતાં-જ્યાં સુધી મુઠ્ઠી વાળી નવકાર ગણી પચ્ચક્ખાણ ન પાડું ત્યાં સુધી હું પચ્ચક્ખાણમાં છું.’’ એમ દરેક પચ્ચક્ખાણમાં સમજવાનું છે. ૪૧૮ પૌરુષી : પુરુષ પ્રમાણ છાયા થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ રાખવું. કયા કયા માસમાં પુરુષ પ્રમાણ છાયા કયારે હોય ? તે ગુરુગમથી તથા શાસ્ત્રમાંથી સમજી લેવું. પોરસી. તે સાઢ-પોરસી : સૂર્યોદય પછીનો દોઢ પૌરુષી જેટલો વખત, તે સાદ્ધ પોરસી. સાર્ધ પૌરુષી. પુરિમã-પુરિમાર્ક : દિવસનો પૂર્વાર્ધ. એટલે જે વખતે જેવડો દિવસ હોય, તેના સરખા બે ભાગ પાડવા. તેમાંનો પહેલો ભાગ પૂરો થાય, ત્યાં સુધી પુરિમઢનું પચ્ચક્ખાણ રાખવાનું હોય છે. પુરિમ - અર્થ પુરિમાર્ક. અવઢ-અપાર્ક : દિવસના પાછલા અરધા ભાગના અરધા વખત સુધી એટલે કે સૂર્યોદયથી માંડીને પોણા દિવસ સુધીના પચ્ચક્ખાણને અવર્ડ્સનું પચ્ચક્ખાણ કહેવાય છે. ૠતુ અને મહિના પ્રમાણે દિવસ નાના મોટા હોવાથી ઉપર જણાવેલાં પ્રત્યાખ્યાનોના જુદા જુદા વખત હોય છે, તે તેના કોઠામાંથી જાણી લેવા. એક વખત ખાવું તે એકાસણું, બે વખત ખાવું તે બેઆસણું. આયંબિમાં એકાસણું જ કરવાનું હોય છે. પરંતુ તેમાં છવિગઈનો તથા મરચાં વગેરેનો ત્યાગ હોય છે. આયંબિલમાં લેવાના ખોરાક ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે શાસ્ત્રમાં બતાવ્યા છે. અને તે ત્રણમાં પણ અનેક પ્રકારો બતાવ્યા છે. એક ધાન્ય, એક રંગ વગેરે. અમુક એક ખોરાક અમુક પ્રમાણમાં લઈ તેમાં ડૂબડૂબા પાણી નાંખી તે ખાઈ જવો, તે ઉત્કૃષ્ટ આચામ્ય કહેવાય છે. અને ખોરાકનું પાણીની જેમ આચમન કરવાનું હોવાથી તેનું નામ આચામનક-આચામ્લ આયંબિલ રાખવામાં આવેલ છે. આયંબિલનો તપ માંગળિક તરીકે પ્રસિદ્ધ છે. અને વિગઈ જન્ય રોગોની શાંતિમાં તે જલદી અસર કરે છે. - નીવિ ના પણ ગૃહસ્થો અને સાધુઓને માટે કેટલાક પ્રકારો હોય છે. તથા ઉપાધાન, યોગવહન વગેરે ક્રિયાઓને ઉદ્દેશીને નીવિના ખોરાકના જુદા જુદા પ્રકારો હોય છે. નીવિ પણ લગભગ આયંબિલનો પ્રકાર હોય છે, પરંતુ સાદી નીવિમાં સામાન્ય રીતે છાશ, મરચાં વગેરે વપરાય છે. નિર્વિકૃતિ. ચોથ ભક્તાદિ - આગલે દિવસે એકાસણું, પારણાના દિવસે એકાસણું અને વચ્ચે ઉપવાસ. એમ ચાર વખત ખોરાકના ત્યાગને ચોથ ભક્ત પ્રત્યાખ્યાન કહે છે. ઉપવાસ કરવાનો મુખ્ય વિધિ એ છે, પરંતુ પ્રચારમાં બાળ જીવો માટે આગલે દિવસે સાંજે અને પારણાના દિવસે સવારે ખોરાક લે, તેને પણ ઉપવાસ ગણવામાં આવેલ છે, તેનો પ્રચાર હાલમાં વિશેષ છે. નમુક્કારસહિઅંથી અવઢ સુધીનાં પચ્ચક્ખાણોની મર્યાદામાં ચારેય આહારનો ત્યાગ હોય છે. પરંતુ એકાસણ, બેયાસણ, નીવિ, આયંબિલ વગેરેમાં અવિધ પૂરો થાય પછી તે તે વખતે ચારેય Page #492 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રકારના આહારો ઠરાવેલા પ્રકારે લેવાય છે, પરંતુ પછી તિવિહારનું અને પછી પાણાહારનું પચ્ચક્ખાણ કરવાનું હોય છે. અથવા ઠામ ચોવિહાર પણ કરી શકાય છે. ઉપવાસમાં તિવિહારનું ચોવિહારનું એમ બન્નેય પચ્ચક્ખાણ કરી શકાય છે. તિવિહાર વાળાને સાંજે પાણહારનું પચ્ચક્ખાણ લેવાનું હોય છે. અને ચોવિહારવાળાને સાંજે પુન:સ્મરણ કરવાનું હોય છે. પચ્ચક્ખાણ સ્વરૂપ જૈન ધર્મ પચ્ચક્ખાણનો અર્થ ત્યાગ છે, તે પણ સામાયિકનું એક સ્વરૂપ છે, સામાયિક રૂપ પણ તે હોય છે અને સામાયિકનું અંગ પણ છે. છ આવશ્યકમાંનું એક આવશ્યક છે અથવા જૈન ધર્મનું એક પ્રકારનું એ પણ એક સ્વરૂપ છે. વિશેષ હકીકત પચ્ચક્ખાણ ભાષ્ય વગેરે ગ્રંથોમાંથી જાણી લેવા પ્રયત્ન કરવો. ૪૧૯ પચ્ચક્ખાણના વિવેચનની મુખ્યતાએ વિવેચન કરતાં પણ સમગ્ર જૈન ધર્મનું વિવેચન તેમાં આવી જાય છે, અને એ દૃષ્ટિથી પચ્ચક્ખાણનું પદ્ધતિસર વિવેચન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. મૂળ પચ્ચક્ખાણ-ઉત્તર પચ્ચક્ખાણ. મૂળના બે ભેદ-સર્વથી અને દેશથી, સર્વથી મુનિને પંચમહાવ્રત રૂપ અને દેશથી શ્રાવકને પાંચ અણુવ્રત રૂપ. ઉત્તર ગુણ પચ્ચક્ખાણના બે ભેદ – સર્વથી અને દેશથી. સર્વથી-પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, બાર પ્રકારનાં તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ એ મુનિઓને સર્વેથી હોય છે. અને ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રત વગેરે શ્રાવકોને દેશથી ઉત્તર ગુણ પચ્ચક્ખાણ હોય છે. તથા સાધુ તથા શ્રાવકને અનાગતાદિ દશ પ્રકારનું દેશથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ હોય છે. અનાગત, અતિકાન્ત, કોટિસહિત; નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ સાંકેતિક, અબ્રા એ દશ દેશથી ઉત્તર ગુણ પચ્ચક્ખાણ થાય છે. સાંકેતિકના આઠ ભેદ-અંગુઠ્ઠસહિઅ, મુઠ્ઠિસહિઅ, ગંડ સહિઅ, ઘરસહિઅ, પ્રસ્વેદસહિઅ, ઉસ્સાસસહિઅ, ચિબુકસહિઅ, જોઈસસહિઅ. સાંકેતિક પ્રત્યાખ્યાનો નમુક્કાર સહિઅ વગેરેની સાથે પણ લઈ શકાય છે. કેમ કે તેથી વખત પૂરો થવા છતાં પચ્ચક્ખાણ ચાલુ રહી શકે છે. અને અભિગ્રહ પચ્ચક્ખાણ તરીકે છૂટા પણ લઈ શકાય છે જેથી વિરતિનો અભ્યાસ ચાલુ રાખી શકાય છે. સાંકેતિક વિના પણ નમુક્કાર સહિઅ વગેરે લેવાય, ત્યારે મહત્તરા અને સવ્વસમાહિ૦ એ બે આગાર લેતા નથી. અદ્ધા પચ્ચક્ખાણના ૧૦ ભેદ - નમુકકાર સહિઅ, પોરિસી, પુરિમડ્જ, એકાસણ, એકલઠાણ, આયંબિલ-નીવિ, અભકતાર્થ [ઉપવાસ], ચરિમ, અભિગ્રહ, વિગઈ. Page #493 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ પ્રમાણે પચ્ચકખાણની દૃષ્ટિથી પણ જૈન ધર્મનું સમગ્ર સ્વરૂપ વિચારી શકાય તેમ છે. શ્રાવકનાં વ્રતો વગેરે પણ પ્રત્યાખ્યાનનાં અંગો કેવી રીતે છે ? તે આ ઉપર જણાવેલી વિચારસરણિથી બરાબર સમજાય તેમ છે. આવશ્યક સૂત્રમાં પણ પ્રત્યાખ્યાન આવશ્યકમાં વ્રત અને અતિચાર આપ્યાં છે. તેથી સાંજે તથા સવારે લેવાનાં પચ્ચકખાણોનું સ્થાન જૈન આચારમાં કયાં છે ? તે પણ બરાબર સમજાશે. ચૌદ પૂર્વમાં પચ્ચકખાણ પ્રવાદ નામનું પર્વ આવે છે, જેમાંથી – જેનું આઠમું અધ્યયન પર્યુષણા કલ્પસૂત્ર છે, - તે દશાશ્રુત સ્કંધ નામનો છેદગ્રંથ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલો છે. પચ્ચખાણોમાં આવતાં મહાવ્રતો અણુવ્રતો, પિંડ વિશુદ્ધિ, વગેરે આચારો, તેનાં પ્રાયશ્ચિત્તો, સ્વરૂપો તેનું દ્રવ્યાનુયોગ દષ્ટિથી વ્યાખ્યાન, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં બંધ બેસતા કેવી રીતે થાય ? તે સર્વ પ્રકારોનું વિવેચના કરવા જતાં પ્રત્યાખ્યાન પ્રવાદ જેવું મહાન પર્વ રચાય, તેમાં આશ્ચર્ય શું ? અને તેમાંથી ઉઠ્ઠત પિંડ વિશુદ્ધિ વગેરે ગ્રંથો આજે પણ પૂર્વના જ્ઞાનની વાનગી રૂપ હોવાથી તેમના તરફ ભક્તિ બહુમાન રાખી જે બોધ મળે તે લેવા જેવો છે, અને એવા બીજા ઘણા ગ્રંથો છે. તે સર્વનું મૂળ દષ્ટિવાદ ગ્રંથ છે. માટે તે સર્વમાંના વિષયો પ્રમાણભૂત માનવાને હરકત નથી. પચ્ચખાણ-સાવદ્ય યોગના સામાન્ય તથા તે તે વિશેષ સાવઘયોગના ત્યાગ માટે લઈ શકાય છે. માનવ અનેક પ્રકારના બીજા સાવદ્ય યોગોનો ત્યાગ કરીને કદાચ બેસી શકે, પરંતુ શરીર માત્ર ટકાવવા માટે છેવટે ખાનપાનની તો જરૂર પડે જ છે. ગમે તેવા ત્યાગી મુનિને પણ શરીરમાત્ર ટકાવવા વહેલા મોડો આહાર લેવો જ પડે છે. વળી સર્વ પ્રવૃત્તિ અને સમારંભનું મૂળ તો મુખ્ય ભાગે પ્રાણીની આહાર પ્રવૃત્તિ હોય છે. તેના ત્યાગમાં ઘણી પ્રવૃત્તિનો ત્યાગ થઈ જાય છે. ત્યાગના ઈચ્છુક સૌથી પહેલાં તેના ઉપર અંકુશ મૂકે છે. એટલે લગભગ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવી જાય છે. આથી આહારને લગતાં પ્રત્યાખ્યાનોમાં વધારે ભાગ ભજવે છે. પ્રત્યાખ્યાન ગુરુ મહારાજ પાસે ભાવપૂર્વક સ્પષ્ટ પાઠોચ્ચાર અને સમાજ સાથે જાહેરમાં લેવાનું હોય છે. એટલું જ નહીં, પરંતુ તેના પાલનમાં સંપૂર્ણ કાળજી અને તત્પરતા દાખવવાનાં હોય છે. તેને ભારપૂર્વક સંપૂર્ણ કરીને શોભાવવાનું હોય છે. ઉઘાપનાદિકથી તેની કીર્તન કરવાની હોય છે જેથી બીજા જીવો પણ અનુમોદના કરે અને તેની આચરણા કરવા દોરવાય. પ્રત્યાખ્યાન આવશ્યકની આચરણાથી જે કાંઈ આરાધનાનો લાભ મેળવવો જોઈએ, તે મળવો જોઈએ. અને તેમાં ખામી રહી હોય, તો તેનું મિચ્છામિ દુક્કડંથી માંડીને ઘટતું પ્રાયશ્ચિત્ત લઈ પ્રતિક્રમણ કરવું જોઈએ. અર્થાત્ પ્રત્યાખ્યાનની સ્પર્શના, પાલન, શોભના, તીરાણા, કીર્તના, આરાધના કરવાનાં હોય છે. અને જે કાંઈ આરાધનામાં ખામી રહી હોય, તેનું મિચ્છામિ દુક્કડં દેવાનું હોય છે. કયા પ્રત્યાખ્યાનની સ્પર્શના, કીર્તના વગેરે કેમ કરાય ? તેને માટે પણ શાસ્ત્રોમાં અનેક ચોકકસ પ્રકારો બતાવ્યા હોય છે. આ પચ્ચખાણમાં આવતા આગારોની સમજ ૧. આણાભોગ=અનાભોગ : વિસ્મરણ, ભૂલી જવું. Page #494 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૨૧ ૨. સહસાગાર સહસાકાર : અજાણતાં મોંમાં પેસી જવું. ૩. પચ્છન્નકાલ=પ્રચ્છન્નકાલ : વાદળાં વગેરેથી વખતની સમજ ન પડવી. ૪. દિસામોહ-દિગ્યોહ : દિશા જોવાની ભૂલથી ખોટો વખત સમજાય. ૫. સાહવયાગ=સાધુવચન: ‘ઉગ્ધાડા પોરસી” એવો મુનિનો શબ્દ સાંભળી “પોરસીનું પચ્ચખાણ પૂરું થયું' એવો ભાસ થવો. ૬. સવ્વ સમાહિ વત્તિયાગાર:= સર્વસમાધિ-પ્રત્યયાકાર : ચિન્તા કે રોગાદિક કારણે સર્વ પ્રકારની સમાધિ નિમિત્તક પચ્ચખાણમાં જે કંઈ ફેરફાર થાય, તે રૂપ આગાર. એટલે અસમાધિમાં વહેલું મોડું પચ્ચખાણ પરાય, તેનો દોષ ન લાગે. ૭. મહત્તરાગાર=મહત્તરાકાર : સંઘ, આચાર્યાદિ મોટાના હુકમથી પચ્ચકખાણ વહેલું પારવું પડે, કે તેમાં ફેરફાર કરવો પડે. ૮. સાગારિયાગાર-સાગરિકાકાર : ગૃહસ્થ કે એવી કોઈ ઘરબારી વ્યક્તિ આવે, તો ઊઠીને એકાસણું વગેરે બીજે કરવા બેસતાં સાધુને પચ્ચકખાણ ન ભાંગે. ૯. આઉટણપસાર આકુંચનપ્રસાર : શરીરનાં અંગોપાંગ હલાવતાં ચલાવતાં દોષ ન લાગે. ૧૦. ગુરુ-અભુઠ્ઠાણ-ગુરુ-અભુત્થાન: ગુરુ કે વડીલ મુનિ આવે અને ઊભા થવું પડે, તો પણ પચ્ચકખાણ ન ભાંગે. ૧૧. પારિઠાવણિયાગાર પારિકાપનિકાકાર : વિધિપૂર્વક પરષ્ઠવવું પડે. ૧૨. ચોલપટ્ટાગાર-ચોલ-પટ્ટાકાર : કોઈ અધિકારી મુનિ નગ્ન બેસીને આહાર વાપરતા હોય, અને ગૃહસ્થ આવી જાય, અને ઊઠીને ચોળપટ્ટો પહેરવો પડે, તો પણ પચ્ચકખાણ ન ભાંગે. ૧૩. લેવાલેવ=લેપાલેપ : લેપ, અને લુછી નાંખ્યાથી અલેપ. ૧૪. ગિહત્યસંસિદ્ધ-ગૃહસ્થસંચુંટ : ગૃહસ્થથી મિશ્રણ થવા પામેલ હોય. ૧૫. ઉકિખત્તવિવેગ ઊંક્ષિપ્તવિગ: પિંડ વિગઈવગેરે મૂકીને ઉપાડી લીધેલ હોય, તેથી સહેજ વિગઈનો સંસર્ગ થયો હોય, તો પણ મુનિને પચ્ચખાણનો ભંગ ન થાય. ૧૬. પશ્ચમકિખા=પ્રતીક્ષિત : સહેજ ઘી વગેરેથી ચોપડાયેલ. ૧૭. લેવલેપ : ઓસામણ કે ધોવણનું પાણી લેપકૃત કહેવાય છે. ૧૮. અલવ અલેપ : કાંજી-છાશની પરાશ વગેરેનું પાણી-અપકૃત: ૧૯. અચ્છ=અચ્છ : સ્વચ્છ = ત્રણ ઉકાળાનું પાણી. ૨૦. બહુલ બહુલ : તલ કે ચોખા વગેરેનું ધોવાણ બહુલ પાણી કહેવાય છે. ૨૧. સસિF=સસિથ : કાંજી કે ઓસામણ વગેરેમાં કોઈ દાણો રહી ગયો હોય. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ૨૨. અસિત્ય અસિક્સ્થ : ગળવાથી એવો દાણો ન રહી શકયો હોય. સામાન્ય રીતે દરેક પ્રકારના પચ્ચક્ખાણમાં જુદા જુદા આગારો હોય છે. પરંતુ આ દશ અદ્ધા પચ્ચક્ખાણમાં ઉપર જણાવેલા મુખ્ય બાવીસ આગારો હોય છે. આગારો-આકાર એટલે છૂટ એવો અર્થ સમજવાનો છે. પરંતુ છૂટોનો ઉપયોગ ન છૂટકે કરવાનો હોય છે, જાણી જોઈને કરવાથી પચ્ચક્ખાણ ભાંગે છે. જેમ બને તેમ તેનો ઉપયોગ ન કરવો પડે, તેવી કાળજી રાખવી જોઈએ. ઉપર જણાવેલા ૨૨ આગારો ક્યા ક્યા પચ્ચક્ખાણમાં, કોને કોને લેવાના હોય છે ? તેની સમજમહત્તરા૰ સવ્વસમાહિ ૨ = ૪ નમુક્કારસહિઅ=મુઠિસહિઅં સાથે= પોરિસી સાઢપોરસી ――― વિગઈ - નીવિ પારિ મહ૰ સન્ત્ર-૯ ― પુરિમã - અવઢ એકાસણ - બેઆસણ · એકલઠાણું= અણા સહસા *સાગારિ ―――― અણા સહસા ૨ અણા સહસા પચ્છ દિશા સાહુ મહ૰ સવ્વ -૭ ઉપરના ૭ [ઉગ્ગએ સૂરે ને બદલે સૂરે ઉગ્ગએ] · અણા સહ સાગારિ આઉટણ ગુરુ *પારિ મહ॰ સવ્વસમા૰ ૮ *પારિ મહ૰ સવ્વસ-૭ નીવિ - વિગઈ આયંબિલ ઉપવાસ પાણહાર પ્રાવરણ અભિગ્રહ - ચરિમ – ભવચરિમ - + દેસાવગાસિઅ ઉકિખત્થ વિના ઉપર પ્રમાણે-૮ ગુરુઅ પિંડ વિગઈના-અણા સહસા *લેવા. *ગિહત્થ *ઉકિખત્થ *પડુચ્ચ - પડુચ્ચ૰ વિના ઉપર પ્રમાણે-૮ · અણા સહસા *પારિ મહ૰ સવ્વસમા-૫ પંચ પ્રતિક્રમણસૂત્રો *લેવે *અલેવે અચ્છે. *બહુલે *સસિ *અસિ~૬ અણા સહસા *ચોલપટ્ટાગાર *મહ૰ સવ્વસ N અણા સહસા મચ્છુ સવ્વસ ૪ પચ્ચક્ખાણોના અર્થમાં-અન્નત્ય પછી અણાભોગેણં વગેરે આગારના શબ્દો ત્રીજી વિભકિતમાં આપેલા છે. પરંતુ તે પાંચમી વિભકિતના અર્થમાં ત્રીજી વિભકિત વપરાયેલ છે. એટલે અન્નત્ય સાથે અણાભોગેણં -સામટો અર્થ-ભૂલી જવા સિવાય” એવો થાય છે. એટલે કે અન્નત્ય પછી ત્રીજી વિભકિતવાળા આગારોના જેટલા શબ્દો આવે, તે બધાનો અર્થ આપ્યા પછી-સિવાય શબ્દ જોડવો. * આ નિશાનીવાળા આગારો મુનિઓને જ હોય પરંતુ પચ્ચખાણ સૂત્રની અખંડતા માટે દરેક્ને માટે બોલાય છે. • આ નિશાનીવાળા આગાર મુનિઓમાં પણ સાધ્વીજી માટે નથી હોતા. + આ શ્રાવક – શ્રાવિકાઓને જ હોય. Page #496 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૨૩ એટલે કે, તે આગારો સિવાય નમુક્કારસી પોરિસી વગેરે પચ્ચકખાણોની શરતો પ્રમાણે ચાર આહાર પૈકી જેમાં જેટલાનો ત્યાગ કરી પચ્ચકખાણ કરવાનું હોય, તેટલાના ત્યાગની પ્રતિજ્ઞા થાય છે. તથા તે પ્રતિજ્ઞા મન, વચન, કાયાથી પાળવા માટે ખાસ ભાર મૂકવા, તેમાં ખામી ન આવે, શિથિલતા ન આવે, તથા બીજી તરફ મન વચન કાયાને રોકાતાં અટકાવવા, વોસિરે પદ છેડે આપવામાં આવે છે, વોસિરામિ કહી શિષ્ય પચ્ચખાણ માટે પોતાની સંપૂર્ણ તત્પરતા બતાવે છે, એટલે કે તેની સ્પર્શના, પાલન, શોભના, તિરના, કીર્તના, આરાધના અને વિરાધનાનો ત્યાગ વગેરે માટેની કબૂલાત આપે છે. પચ્ચખાણ સૂર્યોદય પહેલાં રાઇઅ પ્રતિકમણ વખતે પ્રત્યાખ્યાન આવશ્યકને પ્રસંગે ધરવાનો અને જાતે લેવાનો વિધિ છે. પછીથી જિનમંદિરે જઈ પ્રભુ સમક્ષ ફરી લેવાનો વિધિ છે, અને પછી ગુરુવંદન વખતે ગુરુ મહારાજ પાસે પ્રત્યાખ્યાન લેવાનો વિધિ છે, તેમાં જે વખતે ગુરુ મહારાજ પચ્ચકખાઈ એટલે પ્રત્યાખ્યાન કરવું = ત્યાગ કરવો, એવો શબ્દ બોલે, ત્યારે પચ્ચક્ખામિ = પ્રત્યાખ્યાન કરું છું - ત્યાગ કરું છું એ પ્રમાણે પ્રત્યાખ્યાન સ્વીકારનું વચન પ્રત્યાખ્યાન લેનારે બોલવું જોઈએ. તે જ પ્રમાણે ગુરુ મહારાજ “ચાર આહારનો મન વચન કાયાના બળપૂર્વક ત્યાગ કરવો, બળપૂર્વક તેમાં મકકમ રહેવું, અને તેમાં ખામી પાડનારી મન વચન કાયાની પ્રવૃત્તિથી બળપૂર્વક પાછા હઠવું, સાવચેત રહેવું.” વગેરે ભલામણ સૂચક વોસિરે - વ્યસૃજે પદ કહે, ત્યારે તે આજ્ઞા સ્વીકારવા અને પ્રત્યાખ્યાનની આરાધનામાં પોતાના તરફની સાવચેતી સૂચક સિરામિ = વ્યસૃજામિ એ પદ કહેવું. આ સામાન્ય વિધિ પચ્ચકખાણ લેતી વખતે ધ્યાનમાં ખાસ રાખવો જોઈએ. પચ્ચકખાણ ધારવા વિષે રાઇઅ પ્રતિક્રમણ ન કર્યું હોય, તો પણ જે કાંઈ પણ પચ્ચકખાણ કરવું હોય, તે સૂર્યોદય પહેલાં જ ધારવું જોઈએ. કેમ કે સૂર્યોદયથી તો પ્રત્યાખ્યાનનું પાલન શરૂ જ થઈ જાય છે. હવે, જે પ્રત્યાખ્યાન ધાર્યું હોય, તેના પારવાના વખત પહેલાં તેથી ઊંચા પ્રકારનું પ્રત્યાખ્યાન કરવું હોય, તો થઈ શકે છે, પરંતુ ઊતરતા પ્રકારનું પ્રત્યાખ્યાન ન થઈ શકે. સૂર્યોદય પહેલાં પચ્ચખાણ ન ધાર્યું હોય તે યોગ્ય ન ગણાય. એકાસણું ધાર્યું હોય, તો આયંબિલ, ઉપવાસ વધારી શકાય. પરંતુ “મારે આજે શું પચ્ચકખાણ કરવું? તેનો વિચાર કરું છું. સવારે એકાસણું ધાર્યું છે. પણ હજુ પચ્ચખાણ લીધું નથી. પણ તે થશે કે કેમ ? તેનો વિચાર કરું છું. જે થશે એમ લાગશે, તો કરીશ. નહીંતર કાંઈ નહીં. અથવા બેસણું કરીશ.” એ રીતે થઈ ન શકે. અમારી સમજ પ્રમાણે એકાસાણાના પ્રત્યાખ્યાનનો ભંગ ગણાય. પરંતુ એકાસણાનો વિચાર હોય, છતાં સવારમાં પહેલેથી પ્રત્યાખ્યાન બેઆસાણાનું લીધું કે ધાર્યું હોય, તો હરકત ન આવે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પંચ પ્રતિકમાણસૂત્રો અથ પ્રભાતનાં પચ્ચક્ખાણ પર, નમુકકારસહિઅં-મુસિહનું-૧ (ગુરુ) ઉગ્ગએ સૂરે-મુકકારસહિએ. મુદ્ધિસહિએ પચ્ચક્ખાઈ (શિષ્ય-પચ્ચખામિ) (ગુ-)ચઉવ્વિલંપિ આહાર- અસણં પાણ ખાઈમ સાઈમ અન્નત્થsણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ. (શિ.- વોસિરામિ) ૫૩. પોરિસી-સાઢપોરિસીનું-૨ (ગુ.-) ઉગ્ગએ સૂરે- નમુક્કારસહિએ પોરિસી, સાઢપોરિસી, મુદ્ધિસહિઅં, પચ્ચખાઈ- (શિ.- પચ્ચખામિ.) (ગુ.-) ઉગ્ગએ સૂરે- ચઉવ્વિલંપિ આહાર- અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થડણાભોગેણં, સહસાગારેણં પચ્છકાલેણ દિસામોહેણું સાવયણેણં મહત્તરાગારેણ સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ, (શિ.- વોસિરામિ.) પ૪. પરિમઢ-અવઢનું-૩ (ગુ.-) સૂરે ઉગ્ગએ- પુરિમઢ, અવઢ, મુઠિસહિએ પચ્ચખાઈ- (શિ. પચ્ચખામિ.) (ગુ.-) ચઉવ્હિહ પિ આહાર-અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થSણાભોગેણં, સહસાગારેણં, પછન્ન-કાલેણં, દિસામોહેણં, સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ, Page #498 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૨૫ (શિ.- વોસિરામિ.) પપ. બેઆસાણા-એકાસણાનું-૪ (ગુ) (૧) ઉગ્ગએ સૂરે- નમુક્કારસહિએ પોરિસી, સાર્ડ્સપોરિસી, મુઠિસહિઅં, પચ્ચખાઈ (શિ.- પચ્ચખામિ.) (ગુ-) (૨) ઉગ્ગએ સૂર-ચઉવ્યિપંપિ આહારં- અસણં, પા, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, (૩) વિગઈઓ પચ્ચખાઈ (શિ.- પચ્ચખામિ.) (ગુ-) અન્નત્થડણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણં, ઉકિપત્તવિવેગેણં, પહુચ્ચમકિખએણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, (૪) બિયાસણ પચ્ચખાઈ- (શિ.- પચ્ચખામિ.) (ગુ-) તિવિહંપિ આહાર- અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થડણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટંણપસારેણં. ગુરુ-અભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સત્વ-સમાહિ-વત્તિયાગારેણં. (૫) પાણસ્સ-લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા બહુલેવેણ વા, સસિત્થણ વા અસિત્થણ વા વોસિરાઈ, (શિ.- વોસિરામિ.). જો એકાસણાનું પચ્ચખાણ કરવું હોય, તો બિયાસણાને ઠેકાણે એગાસાણંનો પાઠ કહેવો, એકલઠાણાનું પચ્ચકખાણ કરવું હોય, તો એગલઠાણું બોલવું, ત્યારે આઉટણપસારેણંએ આગાર ન બોલવો. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ પંચ પ્રતિકમાણસૂત્રો પ૬. આયંબિલનું-૫ (ગુ-) ઉગ્ગએ સૂરે- નમુકકારસહિઅં, પોરિસી, સાઢ-પોરિસ, મુટિસહિએ પચ્ચખાઈ, (શિ- પચ્ચખામિ.) (ગુ-) ઉગ્ગએ સૂરે, ચઉવ્યિહિંપિ આહારં-અસણં, પાણં, ખાઈએ, સાઈમ, અન્નત્થsણાભોગેણં, સહસાગારેણં, પચ્છકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, આયંબિલ પચ્ચખાઈ, (શિ.- પચ્ચખામિ.) (ગુ-) અન્નત્થડણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણં, ઉકિખત્તવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણં, એગાસણ પચ્ચખાઈ- (શિ. પચ્ચકખામિ.). (ગુ-) તિવિપિ આહાર-અસણં, ખાઇમં, સાઈબં, અન્નત્થડણાભોગેણં સહગારેણે સાગારિઆગારેણે આઉટણ-પસારેણં, ગુરૂઅભુઠાણે, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણ સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ- લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા બહુલેવેણ વા, સસિત્થણ વા, અસિત્થણ વા વોસિરઈ, (શિ.- વોસિરામિ.) પ૭. સિવિહાર ઉપવાસનું-૬ સૂરે ઉગ્ગએ-અલ્પત્ત પચ્ચખાઈ, (શિ. પચ્ચખામિ.) (ગુ-) તિવિલંપિ આહારં- અસણં, ખાઈમ, સાઈએ, અન્નત્થડણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, Page #500 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૨૭ સવ્વસમાહિત્તિયાગારેણં પાણહાર- પોરિસી સાઢપોરિસ મુટિસહિઅં પચ્ચખાઈ, (શિ.- પચ્ચખામિ.) (ગુ.) અન્નત્ય- ડણાભોગેણં સહસાગારેણં પચ્છન્ન-કાલેણં, સિદામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સલેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા બહુલેવેણ વા, સસિત્થણ વા અસિત્યેણ વા, વોસિરઈ. (શિ- વોસિરામિ.) પચ્ચખાણોના સળંગ અથ [કયા પચ્ચખાણમાં કયા કયા આગારો હોય છે, તેના સામાન્ય અર્થો પહેલાં આપેલા છે, • તે પ્રમાણે અભ્યાસીઓએ યાદ રાખી નીચે પ્રમાણે અનુક્રમે અર્થો સમજવા. કેટલાંક પચ્ચકખાણોના અર્થ આપવામાં આવેલા છે તે જોવા.] પર. નમુક્કાર સહિઅ પચ્ચફખાણનો અર્થ-૧ ગુર૦ (૧) અજાણતાં-ભૂલથી મોંમાં નંખાઈ જાય કે એકાએક મોંમાં કાંઈપણ આવી પડે, તે પ્રસંગ સિવાય- (૨) સૂર્યોદયથી માંડીને બે ઘડી પછી તુરત જ નવકાર ગણીને પચ્ચકખાણ ન પાર, ત્યાં સુધી- (૩) ખોરાક, પાણી, મેવો વગેરે ખાદિમ તથા પાન, સોપારી વગેરે મુખવાસ રૂપ સ્વાદિમ એ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો. (શિષ્ય - હું એ ચાર પ્રકારના આહારનો તે રીતે ત્યાગ ગુરુવ- (૪) એ ત્યાગના પાલન માટે તમારે સર્વ પ્રકારે તત્પરતા બતાવવી. (શિષ્ય - હું એ પ્રકારે તત્પર કહેવાનો છું.) ૫૩. નમુકકાર સહિઅ મુદ્ધિસહિએના પચ્ચકખાણનો અર્થ-ર ગુરુઃ- (૧) અજાણતાં ભૂલથી મોંમાં નંખાઈ જાય, એકાએક આવીને પડે: સંઘ, ગુરુ, વગેરે વડીલોની આજ્ઞા થાય કે અસમાધિના નિમિત્ત સિવાય:- (૨) સૂર્યોદયથી માંડી બે ઘડી પછી મુઠ્ઠી વાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારે, ત્યાં સુધી- (૩) ઉપર જણાવેલા ચારેય આહારનો સાર કરવો. (શિષ્ય - એ ચારેય આહારનો એ પ્રમાણે ત્યાગ કરું છું.) Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ગુરુ - (૪) એ ત્યાગ ખાતર તમારે તત્પરતા રાખવી. (શિષ્ય - હું એ પ્રકારે તત્પર રહેવાનો ૫૪. પોરસી-સા પોરસી પચ્ચકખાણના અર્થ-૩ ગુરુઃ- (૧) ભૂલથી મોંમાં નંખાઈ જાય, એકદમ મોંમાં આવી પડે, વખતની સમજ ન પડે, દિશા ભુલાઈ જાય, મુનિનું “ઉઘાડા પોરિસી” વચન સંભળાય, સંઘ કે ગુરુની આજ્ઞા થાય અને અસમાધિના નિમિત્ત સિવાય- (૨) સૂર્યોદય પછી એક પૌરૂષી છાયા પ્રમાણ વખત થાય ત્યાર પછી અથવા એ વખતથી દોઢા વખત દોઢ પૌરુષી-પછી. મુઠી વાળી નવકાર ગણી-વગેરે ઉપર પ્રમાણે. ૫૫. પુરિમ-અવના પચ્ચખાણના અર્થ-૪ ગુરુ - બીજા વિભાગમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી કેમકે- ઉગ્ગએ સૂર પાકને બદલે સૂર ઉગ્ગએ પાઠ બોલાય છે. તેનો અર્થ માત્ર અમારી સમજ પ્રમાણે આ પ્રમાણે કર્યો છે. ફેરફાર હોય તો-ગુરુ ગમથી બરાબર ધારી લેવો: “દિવસના પૂર્વાર્ધ પછી પણ પ્રત્યાખ્યાન ચાલુ છે” એટલે કે-ઉતે સૂર્ય અને સૂર્ય ઉગતે શબ્દો એના એ છે, છતાં બપોર પહેલાંના વખતમાં પારવાના પચ્ચકખાણોમાં ઉદ્દગતે સૂર્યે વપરાય છે. અને બપોર પછી પણ જે પચ્ચફખાણ ચાલુ રાખવાના હોય છે, તેમાં સૂર્ય ઉદ્દગતે શબ્દ આવે છે. અહીં ઉન્નત શબ્દના બે અર્થ કરવામાં આવે, ૧. સૂર્યનો ઉદય અને બીજો નમતો સૂર્ય એમ બે પ્રકારના એ પાઠ ભેદનું કારણ સમજાય છે. દિવસના પૂર્વાર્ધ અથવા અપાઈ એટલે દિવસના ઉત્તરાર્ધના અરધા વખત પછી મઢી વાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારો ત્યાં સુધી :- બાકીના ૧-૩-૪ વિભાગ ઉપર પ્રમાણે સમજવા. ૫૬. એકાસણા, બેસણા અને એગલઠાણ, પચ્ચકખાણના અર્થ-૫ તમારે બે વખત અથવા એક જ વખત ખોરાક લેવો - અશન કરવું. તે સિવાય - અશન પહેલાં સૂર્ય ઊગ્યા પછી પૌરૂષી, અથા સાર્ધ પૌરુષી; થયા પછી- મુદ્દીવાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારો, ત્યાં સુધી અને યથાશક્તિ એકાદ વિગઈના ત્યાગ સાથે અને પાણી પ્રાસુક પીવા સાથે બે અશન કે એક અશન કર્યા બાદ ત્રણ આહારનો ત્યાગ કરવાનું પચ્ચકખાણ નીચે પ્રમાણે આરાધવું] ગુરુ - (૧) અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળ, દિશાનો મોહાણાં સાધુવચન, વડીલ-પૂજ્યની આજ્ઞા, સર્વ પ્રકારની અસમાધિના નિમિત્ત સિવાય- (૨) સૂર્યનો ઉદય થયા પછી પૌરુષી, સાર્ધ પૌરુષી પછી મુઠ્ઠીવાળી પ્રત્યાખ્યાન ન પારો ત્યાં સુધી- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારય આહારનું Page #502 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૪૨૯ પ્રત્યાખ્યાન કરવું. (શિષ્ય - હું તે પ્રમાણે પ્રત્યાખ્યાન કરું છું.) ગુ- (૩) અનાભોગ, સહસાકાર, લેપ-અલેપ, ગૃહસ્થ સંસૂટ, ઉસ્લિપ્ત-વિવેક, પ્રતીય પ્રક્ષણ, પરઠવવા યોગ્ય ને પરઠવવું પડે, વડીલ-પૂજ્યોની આજ્ઞા અને સર્વ પ્રકારના અસમાધિ નિમિત્ત સિવાય(૪) વિગઈનો ત્યાગ કરવો જોઈએ. (શિષ્ય - હું તે પ્રમાણે વિગઈનો ત્યાગ કરું છું.) ગુરુ - (૫) બે વખત અશન કે એક વખત અશન કરવાનો નિયમ તમારે એવી રીતે રાખવો જોઈએ, કે-તે સિવાય અનાભોગ, સહસાકાર, સાગરિયાગાર, આકુંચન-પ્રસારણ, ગુરુ-અભ્યથાન, પાઠવવા યોગ્ય પરઠવવું પડે, પૂજ્ય વડીલોની આજ્ઞા અને સર્વ પ્રકારના અસમાધિ નિમિત્તોસિવાય-અશન, ખાદિમ, અને સ્વાદિમ એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. (શિષ્ય - હું તે પ્રમાણે ત્રણ આહારનો ત્યાગ રાખીશ.) ગુરુ- (૬)[પરંતુ પાણીની બાબતમાં-લેપકૃત કે અપકૃત, સ્વચ્છ કે બહુલ, સસિથકે અસિફથ, પાણી સિવાયના પાણીનો ત્યાગ સમજવાનો છે. (૭) આ પ્રત્યાખ્યાન ખાતર તમારે તત્પર કહેવું. (શિષ્ય - હું સર્વ પ્રકારે તત્પર રહેવાનો છું.) સમજ-એકલઠાણાના પચ્ચખાણમાં-અંગોપાંગ સ્થિર હોવાં જોઈએ. એટલે માત્ર આહાર કરતાં જમણો હાથ અને મુખ સિવાય બીજું કોઈ પણ અંગ ચાલવું ન જોઈએ. એટલે આકુંચન-પ્રસરણ એ આગાર તેમાં લેવાનો નથી. ૫૭. આયંબિલના પચ્ચકખાણના અર્થ-૬ આ પચ્ચકખાણના અર્થ ઉપર પ્રમાણે જ છે. માત્ર વિગઈઓને બદલે આયંબિલ એ પાઠ બોલવાનો છે. અને તેમાં બેસણું ન થાય, વિગઈઓ પચ્ચખાઈનો એ અર્થ છે કે-એક કે તેથી વધારે કોઈ પણ વિગઈઓની ઇચ્છા પ્રમાણે ત્યાગ કરવું. અને આયંબિલનો અર્થ એ થાય છે કે-એક પણ વિગઈ ન લેતાં માત્ર પાણીમાં ભેળવેલા જ ખોરાકનું આચમન કરી જવું જોઈએ. અર્થાત આચમન કરવાનું, એટલે તે સિવાયના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન લેવાનું હોય છે. મધ, માંસ, માખણ અને મદિરા એ ચાર મહાવિગઈઓનો શ્રાવકોને ત્યાગ હોય કે હોવો જોઈએ, એટલે ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, કડાઈમાં તળેલી એ છયેય વિગઈનો ત્યાગ આયંબિલમાં વધારાનો હોય છે. ૫૮. તિવિહાર ઉપવાસના પચ્ચકખાણના અર્થ-૭ ગુરુઃ- (૧) અનાભોગ, સહસાત્કાર, પરઠવવું પડે, પૂજ્યવડીલોની આજ્ઞા થાય, સર્વ પ્રકારની અસમાધિનો પ્રસંગ હોય, તે સિવાય સૂર્ય ઉદયથી માંડીને ન ખાવા માટે- (૨) અશન, ખાદિમ અને Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો સ્વાદિમ રૂપ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો. (શિષ્ય - તે પ્રમાણે ત્યાગ કરું છું.) ગુરુ - પરંતુ- (૩) અનાભોગ, સહસાત્કાર, પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુ વચન, પૂજ્યવડીલોની આજ્ઞા અને સર્વ પ્રકારની અસમાધિના પ્રસંગ સિવાય- (૪) પોરસી, આરૂઢ પોરસીના વખત પછી મુઠ્ઠીવાળી નવકાર ગણી પચ્ચકખાણ ને પારો ત્યાં સુધી- (૫) પાણી રૂપ આહારનું પણ પચ્ચકખાણ રાખવું. શિષ્ય - એ પ્રમાણે પચ્ચકખાણ કરું છું. ગુરુઃ- (૬) પાણીની બાબતમાં લેપકૃત કે અપકૃત, સ્વચ્છ કે બહુલ, સિથ કે અસિથ પાણી સિવાય, પાણીનો ત્યાગ સમજવો. (૭) પ્રત્યાખ્યાનના પાલન ખાતર દરેક રીતે તત્પર રહો. (શિષ્ય - હું પ્રત્યાખ્યાનના પાલન ખાતર દરેક રીતે તત્પર રહેવાનો છું.) પચ્ચખાણ વિશે વધુ સમાજ પ્રત્યાખ્યાન બરાબર વખતસર અને વિધિપૂર્વક લેવું જોઈએ, અને બરાબર સંપૂર્ણ વખત સુધી તે પાળવું જોઈએ. વળી ૧ પચ્ચકખાણ લેનાર અને આપનાર બન્નેય વિધિના જાણકાર હોવા જોઈએ. અને એ રીતે લેવાયેલું પ્રત્યાખ્યાન ઉત્તમ પ્રત્યાખ્યાન ગણાય છે. બન્નેય અજાણ હોય, તો તે પચ્ચકખાણ પચ્ચકખાણ ગણાય નહીં. પરંતુ બેમાંથી એક જાણકાર હોય અને એક જાણકાર ન હોય, તો તે બન્નેય પ્રકારો મધ્યમ પણ આદરણીય તો છે જ, પરંતુ બેમાંથી એક અજાણ હોય અને એક જાણકાર હોય, તો પણ પચ્ચફખાણ ન કરવું. એ વિચાર વિરાધક અને પ્રત્યાખ્યાન ધર્મનો લોપ કરવા રૂપ છે. માટે એમ કદી નહીં બોલવું. પચ્ચકખાણ અનેક રીતે થઈ શકે છે. એટલે જગત્માં ત્રણેય કાળના જુદા જુદા જીવોને એક જ પચ્ચખાણ ૧૪૭ પ્રકારે સંભવી શકે છે. ત્રાણ યોગના ૭ વિકલ્પ કરણાદિ ત્રણના ૭ વિકલ્પ ૧. મનથી. ૧. કરવું ૨. વચનથી. ૨. કરાવવું. ૩. કાયાથી ૩. અનુમોદવું. ૪. મનથી વચનથી. ૪. કરવું, કરાવવું. ૫. મનથી કાયાથી. ૫. કરવું, અનુમોદવું. ૬. વચનથી કાયાથી. ૬. કરાટ અનુમોદવું. ૭. મન વચન કાયાથી. ૭. કરવું, કરાવવું, અનુમોદવું. 9 x 9 = ૪૯ ૪૩ ત્રણ કાલથી ગુણતાં = ૧૪૭. કુલ ૧૪૭ ભાગે એક પચ્ચકખાણ સંભવી શકે. વર્તમાનકાલના દોષથી દૂર રહેવું. ભૂતકાળના દોષોની નિંદા કરવી અને ભવિષ્યકાળમાં દોષ Page #504 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૪૩૧ ન થવા દેવાની પ્રતિજ્ઞા કરવી. એમ પ્રત્યાખ્યાનમાં ત્રણ કાળ સમાય છે. એટલે ત્રણ કાળનું પ્રત્યાખ્યાન થાય છે. ૧. જુદા જુદા અધિકારીને ઉદ્દેશીને શાસ્ત્રમાં કહેલાં દરેક પ્રત્યાખ્યાનો મોક્ષમાર્ગનાં સાધનભૂત છે, એવી દઢ શ્રદ્ધા રાખવી. ૨. પચ્ચખાણ વિષેનો ઊંડો અનુભવ મેળવવો. પ્રત્યાખ્યાન કરવા લાયક વસ્તુઓ, પ્રત્યાખ્યાનમાં ત્યાગ કરવા લાયકની વસ્તુઓ તથા વાપરવા લાયક પદાર્થો પચ્ચકખાણ લેવા વાપરવાની વિધિ વગેરેના જાણકાર થવું. ૩. ગુરુવંદન. ગુરુના વિનય વગેરે પૂર્વક પ્રત્યાખ્યાન આરાધવું જોઈએ. ૪. પ્રત્યાખ્યાન લેતી વખતે બરાબર ઉપયોગ રાખી, ગુરુ મહારાજ પચ્ચકખાઈ, વોસિરે વગેરે બોલે ત્યારે પચ્ચકખામિ, સિરામિ વગેરે બોલવું. ૫. ગમે તેવી મુશ્કેલીમાં પણ પચ્ચકખાણનો ભંગ ન કરતાં સંપૂર્ણ ખબરદારીથી પાળવું. ૬. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાનશલ્ય વિના ખરા ભાવથી સકામ નિર્જરા થાય તેવી રીતે પચ્ચકખાણ પાળવા તત્પર રહેવું. એટલે શ્રદ્ધા, જ્ઞાન, વિનય, અનુભાષણ, અનુપાલન અને ભાવ - એ છે શુદ્ધિ પ્રત્યાખ્યાનની જાળવવી. ૫૮. વિશાલ-લોચન-શ્રી વીરપ્રભુની પ્રાતઃસ્તુતિ. શબ્દાર્થ :- વિશાલ-લોચન-કલમ મોટાં ચક્ષુઓ રૂપી પાંદડાવાળું. પ્રઘદત્તાંશુ કેસરમ ફેલાતા દાંતનાં કિરણો રૂપી કેસરના તાંતણાંઓવાળું. પ્રાતર સવારમાં. વીર-જિનેન્દ્રય વીર પરમાત્માનું. મુખ-પા મોં રૂપી કમળ. પુનાતુ પવિત્ર કરો. વ=તમને. વિશાલ-લોચન-દલ પ્રોઘદ્રત્તાંશુ-કેસરમ્ પ્રાત:વર-જિનેન્દ્રસ્ય મુખ-પર્વ પુનાતુવ: ૧ (અનુરુપ) ગાથાર્થ :- વિશાળ આંખો રૂપી પાંદડાવાળું અને ફેલાતા દાંતોનાં કિરણોરૂપી કેસરનાં તાંતણાઓવાળું શ્રી મહાવીર પરમાત્માનું મોં રૂપી પદ્મ-પોયણું પ્રાત:કાળમાં તમને પવિત્ર કરો. વિશેષાર્થ :- રાત્રે ચંદ્રવિકાસી કુમુદ ખીલે છે અને સવારે સૂર્યવિકાસી પબ્રોકમળ ખીલે છે. તેથી પ્રાત:કાલમાં ખીલતા પદ્મની ઉપમાથી શ્રી મહાવીર સ્વામીના મુખદર્શનથી પવિત્રતા પ્રાપ્ત કરવાની સ્તુતિ કરવામાં આવી છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ :- અભિષેક કર્મ જન્માભિષેક-જળસિંચનનું કામ. કૃત્વા કરીને, સમાપ્ત કરીને. મત્તા આનંદ મદમાં આવી ગયેલા. હર્ષ-ભરાતહરખના ભારથી, અત્યન્ત ઊભરાતા ઘણા હરખથી. સુખસુખપૂર્વક. સુરેન્દ્રા: દેવતાઓના ઈદ્રો. ડ્રાણ તણખલા જેવું. ગણયત્તિ=ગણવું, માનવું ગણે છે, માને છે. નાકમ-સ્વર્ગ લોકને. સન્તહો. શિવાય કલ્યાણને માટે તે તેઓ. જિનેન્દ્રા: જિનેશ્વર ભગવંતો. એષામભિષેક-કર્મ કૃત્વા મત્તા હર્ષ” ભરાફુખ સુરેન્દ્રા: તૃણમપિ' | ગણયત્તિ"નેવ નાકં, ‘પ્રાત:*સતુ શિવાયતે" જિનેન્દ્રા: પરા ગાથાર્થ :- 'જેઓના જન્માભિષેકનું કામ કરીને *હર્ષના ઊભરાથી સુખપૂર્વક “આનંદ-મદમાં આવી ગયેલા-હર્ષઘેલા થયેલા ઇન્દ્રો સ્વર્ગને તણખલા જેવું પણ" "ગણતાં જ નથી. તે જિનેશ્વરદેવોજ સવારમાં* કલ્યાણને માટે હો. વિશેષાર્થ :- રજી ગાથામાં બીજા સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ કરવામાં આવી છે. જગતમાં લોકોને મન સ્વર્ગ એ સુખનું મોટું સ્થાન છે. અને તેમાં ઇન્દ્રોને તો સૌથી વધારે સુખ હોય છે. પરંતુ ઈન્દ્રો જેવા પણ બાળક સ્વરૂપે રહેલા તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક કરી લીધા બાદ આવો લહાવો લેવાનો પ્રસંગ મળવાથી પોતે પોતાને એટલા બધા કૃતકૃત્ય માને છે, કે આ કામ કરવા માટે તેમને અત્યન્ત હર્ષ થાય છે. અને તે એટલો બધો કે તેથી તેઓ હર્ષઘેલા થઈ જાય છે. અર્થાત્ ઈન્દ્રના સુખ કરતાં આ હર્ષના આનંદનું સુખ તેઓને એટલું બધું થાય છે કે તેમને ગાંડા બનાવી મૂકે છે, તો પછી બાલ્યાવસ્થા વટાવ્યા પછી દીક્ષા લીધા બાદ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકર તરીકે જનસમાજમાં કલ્યાણકર પવિત્ર ધર્મોપદેશ આપ્યા બાદ તીર્થકરોની પવિત્રતાની અવધિ વધી ચૂકેલી હોય, તેમાં તો પૂછવું જ શું? આવા પવિત્રતરતમ તીર્થંકર પરમાત્માઓ પ્રાત:કાલમાં સુખરૂપ થાઓ ! આવો આશીર્વાદ સર્વોત્કટ જણાય છે. આથી ઊંચો આશીર્વાદ બીજો કોઈ પણ જગતમાં મળશે જ નહીં. ઉત્કૃષ્ટ અતિશયોકિત અલંકાર પ્રધાન છતાં વસ્તુસ્થિતિ સુંદર રીતે રજૂ કરતું કાવ્ય ચમત્કારવાળું આ કાવ્ય છે. ૨ શબ્દાર્થ:- કલશ્ક-નિર્મુક્તમ કલંક વગરનું, નિષ્કલંક અ-મુક્ત-પૂર્ણતમ પૂર્ણતા છોડયા વગરની પૂર્ણતાવાળી, સંપૂર્ણ. કુતર્ક-રાહુ-ગસનમ ખોટા તક રૂપી રાહુઓને ગળી જનારી. સદોદય હંમેશા ઉદયવાળી, ઉદય પામતી, સદા જાગતી. અપૂર્વ-ચન્દ્રમનવીન ચન્દ્રમા જેવું. જિન-ચન્દ્ર-ભાષિતમ=જિનેશ્વર પરમાત્માએ કહેલી. દિના- ગમે દિવસની શરૂઆતમાં, સવારમાં, પ્રાત:કાળે. નૌમિ=સ્તુતિ કરું છું, સ્તવું છું, વખાણું છું. બુધ: વિદ્વાનોએ, સાચા પંડિતોએ. નમસ્કૃતમ નમસ્કાર કરાયેલી. Page #506 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૩૩ કલડક-નિર્મુક્તમ-મુક્ત-પૂર્ણ કુ-ત-રાહુ-ગ્રસને સદોદયમ્ અ-પૂર્વ-ચન્દ્ર જિન-ચન્દ્ર-ભાષિતં૬, દિના-ડડગમે નૌમિ બુધેર્નમસ્કૃતમ્lia ગાથાર્થ:- નિષ્કલંક, 'સંપૂર્ણ, કુતર્ક રૂપી રાહુઓને ગળી જનારી, સદા જાગતી,*નવા ચન્દ્રમાં જેવી અને સાચા પંડિતોએ નમસ્કાર કરાયેલી “શ્રી જિનેશ્વર પ્રભુની વાણીની સવારમાં હું સ્તુતિ કરું છું. વિશેષાર્થ :- રાત્રિના પાછળના ભાગમાં ચંદ્ર ફીકો પડી જાય છે. ચંદ્રમાં. કલંક હોય છે. ચંદ્ર હંમેશાં પૂર્ણ નથી હોતો. ચંદ્ર રાહુથી ગળાય છે. ચંદ્ર સવારે અસ્ત થાય છે, ને સાંજે ફરીથી ઉદય પામે છે. માટે ચંદ્ર કરતાંયે જુદી જ જાતના ચંદ્ર જેવી જિનેશ્વર પરમાત્માની વાણીની પ્રાત:કાળમાં સ્તુતિ બહુ જ ઉચિત શબ્દોમાં કરવામાં આવી છે. જિનાગમ રૂપી ચન્દ્રમાં કલંક-દોષ નથી. તેમાં કયાંયે અપૂર્ણતા નથી. તેને રાહુ ગળી શકતો નથી પણ ઊલટી તે વાણી જ કુતકરૂપી રાહુઓને ગળી જાય છે. સાંજે આથમે અને સવારે ઊગે એમ પણ નથી. પરંતુ કાયમ ઊગેલી જ રહે છે. માટે તે કોઈ જુદો જ ચંદ્રમા છે. ચંદ્રને લોકો નમે છે. પરંતુ આને તો બુધ લોકોતત્ત્વજ્ઞ લોકો પણ નમે છે. આવા પવિત્ર આગમની પ્રાત:કાળની સ્તુતિ કરું છું. આ પણ કાવ્ય ચમત્કારવાળું કાવ્ય છે. પ્રાત:કાળની સ્તુતિ તરીકે તત્સમકાલિક સ્થિતિનું વર્ણન પણ ઘણું જ સરસ કરવામાં આવેલ છે. વિશેષાર્થ :- આ સ્તુતિ પણ પૂર્વાન્તર્ગત હોવાથી સ્ત્રીઓ બોલતી નથી. પ્રાત:કાળને ઉચિત શબ્દોથી વર્ણનવાળામાં ત્રણેય શ્લોકો ખરેખર કાવ્ય ચમત્કારવાળા છે. અથ શ્રી રાઈએ પ્રતિક્રમણ વિધિ ૧. પ્રથમ-પૂર્વની રીતે સામાયિક લેવું. ૨. પછી-ખમાસમણ દઈ ઇચ્છા સંદિ કુસુમિણ દુમિણ ઉડાવણી રાઇઅપાયચ્છિન્ન-વિસાહત્ય કાઉસ્સગ્ન કરું? ઇચ્છ. કુસુમિણ દુસુમિણઉડાવણી રાઈઅપાયચ્છિન્ન-વિસોહાણથંકરેમિકાઉસ્સગ્ગ અન્નત્થ, કહી ચાર લોન્ગસ્સનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. ૩. પછી-ખમાસમણ દઈ ઇચ્છા, ચૈત્યવંદન કરું ? ગિર-કરેહવું ઇચ્છું કહી, જગચિંતામણિનું ચૈત્યવંદન જય વિયરાય સુધી કહેવું. ૪. પછી-ચાર ખમાસમણ દેવા પૂર્વક ભગવાન આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વાંદવા. ૫. પછી-ખમાસમણ બે દઈ, સઝાયના બે આદેશ માગી, એક નવકાર ગણીને ભરખેસરની સજઝાય કહી, ફરી એક નવકાર ગણવો. ૬. પછી-ઇચ્છાકાર સુધરાઈ પાઠ કહેવો. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭. પછી-ઇચ્છાકાર “રાઇઅપડિકમાણે ઠાઉ?” ગિર-ઠાએહ , કહીને જમણો હાથ ઉપાધિ ઉપર સ્થાપીને સબસ્તવિ રાઈઅ દુચિંતિઅ) કહેવું. ૮. પછી નમુલ્યાણ તથા કરેમિ ભંતે ! કહી, ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગત તસ્સ ઉત્તરી. અન્નત્ય કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ન ન આવડે તો ચાર નવકાર ગણવા પારીને પ્રગટ લોગસ્સ કહી, સવ્વલોએ અરિહંત, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ન આવડે તો ચાર નવકાર ગણવા, તે પારી, પુફખરવરદી, સુઅલ્સર અન્નત્ય કહી, અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ અથવા તે ન આવડે, તો આઠ નવકાર ગણવા. તે પારી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર કહેવું. ૯. પછી-ત્રીજી આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણાં બે દેવાં. ૧૦. પછી-ઠેઠ અભુટિઓ ખામી વાંદણાં બે દેવા સુધી દેવસિઅની રીતે જાણવું. પણ જે ઠેકાણે દેવસિ આવે, તે ઠેકાણે રાઈએ કહેવું. ૧૧. પછી-આયરિઅ ઉવજઝાએ કરેમિ ભંતે ઈચ્છામિ કામિ તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી તપચિંતવાણી કાઉસ્સગ્ન કરવો તે કરતાં ન આવડે, તો સોળ નવકાર ગણવા તે પાણીને પ્રગટ લોગસ્સ કહી, છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં બે દેવાં. ૧૨. પછી-સકલ તીર્થવંદન કહેવું, પછી ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી, કહી યથાશક્તિએ પચ્ચખાણ કરવું. ૧૩. પછી-સામાયિક, ચઉવ્યિસન્થો, વંદાણ, પડિકમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે ” એમ કહી છે આવશ્યક સંભારવાં. તેમાં-પચ્ચફખાણ ગુરુ મહારાજ પાસે કર્યું હોય, તો “કર્યું છે ' કહેવું, અને સ્વયં ધાર્યું હોય તો ધાર્યું છે જી' એમ કહેવું ૧૪. પછી-ઇચ્છા અણુસદ્ધિ નો ખમાસમણાણે નમોષ્ઠ કહીને વિશાલલોચન કહેવું. ૧૫. પછી-નમુત્યુઘંટ અરિહંતચેઇયાણં અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહક કહી કલ્લાકંદની પ્રથમ થાય કહેવી, પછી લોગસ્સપુખરવરદીસિદ્ધાણં બુદ્ધાણં કહી અનુક્રમે ચાર થયો કહીએ છીએ, તિહાં સુધી સર્વ કહેવું. ૧૬. પછી- નમુત્થણ કહી ભગવાન આદિ ચારને ચાર ખમાસમણે વાંદવા. પછી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી, અઢાઈજજેસુ કહેવું ૧૮. પછી-ખમાસમણ દઈ, શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન સ્તવન, જય વિયરાય, કાઉસ્સગ્ગ, થાય પર્યન્ત કહીએ છીએ, તિહાં સુધી કહેવું. ૧૯. પછી-ખમાસમણ દેવા પૂર્વક શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન, સ્તવન, જયવીરાય, કાઉસ્સગ્ન અને થાય કહીએ છીએ, ત્યાં સુધી કહેવું. ૨૦. પછી સામાયિક પારવાના વિધિની રીતે સામાયિક પારવા સુધી પ્રથમ પ્રમાણે કહેવું. Page #508 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો રાઇઅ પ્રતિક્રમણ વિધિના હેતુઓ. રાઇઅ પ્રતિક્રમણ ષડ્તવશ્યકની શરૂઆત- રાઇઅ પડિકમણે ઠાઉથી થાય છે. તે પહેલાં૧. સામાયિક લેવાય છે. ૨. કુસુમણ દુમિણ રાઇઅપાયચ્છિત્તનો કાઉસ્સગ્ગ થાય છે. ૩. ચૈત્યવંદન થાય છે. ૪. ભગવા ં- આદિને વંદન થાય છે. ૫. સજ્ઝાય કરવામાં આવે છે. ૬. અને ઇચ્છકારના પાઠથી ગુરુ મહારાજને સુખશાતા પૂછવામાં આવે છે. દિવસ ચરિમનું લીધેલું પચ્ચક્ખાણ ચાલુ છે, તે ગણીએ, તો આ ભાગમાં પણ છ આવશ્યકો આવી જાય છે. ૪૩૫ અહીં એટલું વિશેષ પણ છે કે, ભગવાન્હેં આદિ ચાર ખમાસમણ સજ્ઝાય પછી પણ બોલવાનો સામાચારી ભેદે વિધિ જોવામાં આવે છે. પરંતુ તે સ્થળે ઇચ્છકારનો પાઠ બોલવાનું જણાતું નથી. છતાં પ્રતિક્રમણ ઠાયા પહેલાં એક ખમાસમણ દેવાનો વિધિ છે. સામાન્ય રીતે શ્રાવકને પાછલો પહોર કે છેવટ પાછળની ૪ ઘડી બાકી રહે, ત્યારે ઊઠીને દેહશુદ્ધિ કરીને ધર્મકરણીમાં લાગવાનું છે. પ્રતિક્રમણ તો લગભગ સૂર્યોદય પહેલાં-એટલે પ્રતિક્રમણ કરી દશ પડિલેહણ કરી લેતાં સૂર્યોદય થાય, તેટલું વહેલું પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ઉત્સર્ગ વખત નકકી કરવામાં આવ્યો છે. અને અપવાદ વખત- ત્રીજા પહોરથી અર્ધરાત્રિ સુધી. અથવા મધ્યાહ્નથી અર્ધરાત્રિ સુધી દેવસિઅ અને અર્ધરાત્રિથી દિવસના પહેલા પહોર સુધી અથવા અર્ધરાત્રિથી દિવસના મધ્યાહ્ન સુધી રાઇઅ પ્રતિક્રમણનો વખત બતાવવામાં આવેલો છે. છતાં ઉત્સર્ગ માર્ગને અનુસરીને પ્રતિક્રમણ શરૂ કરવાનો વખત ન થાય ત્ય. સુધી જે જે ધર્મક્રિયાઓ કરવાની છે, તે ઉપરના છ વિભાગમાં બતાવી છે. તે એમ છૂટક કરવામાં પણ હરકત નથી. મુનિ મહારાજાઓ તેમ કરે પણ ખરા. પરંતુ દરેક બાળજીવોને માટે એ દરેક વિધિઓ પ્રતિક્રમણના વિધિ સાથે જ આપવામાં આવેલ હોવાથી દરેકને એ વિધિઓ થઈ જ જાય, બાળજીવો ‘કેવા સંજોગોમાં અમુક વિધિ કરવો ? અને કેવા સંજોગોમાં અમુક વિધિ ન કરવો'' તે જાતના સ્વીકાર-પરિહારના વિકલ્પો ન સમજી શકે. માટે દરેક વિધિઓ એક સળંગ વિધિમાં જ બતાવવામાં આવ્યા છે. આ હેતુથી – ઊઠીને તુરત જ ઇરિયાવહિયં પ્રતિક્રમી કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ગ કરી, ચતુર્વિશતિ સ્તવરૂપ લોગસ્સ કહેવો. સાત ચૈત્ય વંદનમાંનું પહેલું ચૈત્યવંદન તથા-પ્રાત:કાળનું સ્વાધ્યાય ધ્યાન કરવાનું હોય છે. પછી ગુરુની સુખશાતા પૂછી શ્રાવકો વખત થતાં રાઇઅ પ્રતિક્રમણ શરૂ કરે. પરંતુ બાળજીવોને માટે પ્રથમથી જ તે સામાયિક લેવાનો વિધિ બતાવી સર્વ ક્રિયાઓ સામાયિકમાં જ થઈ જાય તો વિશેષ શુદ્ધ થાય, એટલે પછી વારંવાર ઇરિયાવહિયં પ્રતિક્રમવાની પણ જરૂર ન પડે, એટલે સામાયિક, કુસુમિણનો કાઉસ્સગ્ગ, પ્રાત:કાળનું પહેલું ચૈત્યવંદન, સ્વાધ્યાય ધ્યાન અને ગુરુવંદન તથા ગુરુસુખ શાતાપૃચ્છા વગેરે વિધિઓ બતાવેલ છે. અને લગોલગ પ્રતિમણ પણ શરૂ કરવાથી વચ્ચે ઇરિયાવહિયં કે આદેશ માગવાનું ખમાસમણ વગેરે આપવામાં આવેલ નથી. પરંતુ મુનિ મહારાજાઓ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેમ કરે પણ ખરા. પરંતુ દરેક બાળજીવોને માટે એ દરેક વિધિઓ પ્રતિક્રમણના વિધિ સાથે જ આપવામાં આવેલ હોવાથી દરેકને એ વિધિઓ થઈ જ જાય, બાળજીવો “કેવા સંજોગોમાં અમુક વિધિ કરવો ? અને કેવા સંજોગોમાં અમુક વિધિ ન કરવો” તે જાતના સ્વીકાર-પરિહારના વિકલ્પો ન સમજી શકે. માટે દરેક વિધિઓ એક સળંગ વિધિમાં જ બતાવવામાં આવ્યા છે. આ હેતુથી – ઊઠીને તુરત જ ઈરિયાવહિયં પ્રતિક્રમી કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરી, ચતુર્વિશતિ તવરૂપ લોગસ્સ કહેવો. સાત ચૈત્ય વંદનમાંનું પહેલું ચયવંદન તથા પ્રાત:કાળનું સ્વાધ્યાય ધ્યાન કરવાનું હોય છે. પછી ગુરુની સુખશાતા પૂછી શ્રાવકો વખત થતાં રાઈના પ્રતિક્રમણ શરૂ કરે. પરંતુ બાળજીવોને માટે પ્રથમથી જ તે સામાયિક લેવાની વિધિ બતાવી સર્વ ક્રિયાઓ સામાયિકમાં જ થઈ જાય તો વિશેષ શુદ્ધ થાય, એટલે પછી વારંવાર ઈરિયાવહિયં પ્રતિક્રમવાની પણ જરૂર ન પડે, એટલે સામાયિક, કુસુમિણનો કાઉસ્સગ્ન, પ્રાત:કાળનું પહેલું ચૈત્યવંદન, સ્વાધ્યાય ધ્યાન અને ગુરુવંદન તથા ગુરુસુખ શાતાપૃચ્છા વગેરે વિધિઓ બતાવેલ છે. અને લગોલગ પ્રતિક્રમણ પણ શરૂ કરવાથી વચ્ચે ઇરિયાવહિયં કે આદેશ માગવાનું ખમાસમાગ વગેરે આપવામાં આવેલ નથી. પરંતુ મુનિ મહારાજાઓ સ્વાધ્યાય ધ્યાનથી પરવારી વચ્ચે માત્રાદિ માટે ગયા હોય, કે વધારે વખત થયો હોય, કે બીજી ક્રિયાનું અંતર પડ્યું હોય, તો ઇરિયાવહિયં પ્રતિક્રમીને ખમાસમણ દઈ રાઇ પ્રતિક્રમણ ઠાવાની શરૂઆત કરે. પરંતુ શ્રાવક તો પહેલેથી જ સામાયિકમાં સ્થિત હોવાથી વિધિમાં બતાવ્યા પ્રમાણે પ્રતિક્રમણ કરવા આગળ વધે. રાગમય સ્વપ્ન તે કુસ્વપ્ન : તે માટે ૧O), અને દ્વેષમય સ્વપ્ન તે દુ:સ્વપ્ન : તે માટે ૧૮, તથા સ્વપ્નમાં સ્ત્રીને જેવાથી થયેલા દષ્ટિ વિપર્યાસ દોષ માટે ૧૦, અને સ્વપ્નમાં અબ્રહ્મચર્યનું સેવન થયું હોય, તો સ્ત્રી વિપર્યાય દોષ માટે ૧૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે. એકંદર આ કાઉસગ્ન-સાગર-વર-ગંભીરા સુધી ર૭ શ્વાસોચ્છવાસ ગણવાથી ચાર લોગસ્સના ૧૮ શ્વાસોચ્છવાસ થશે. આ કાયોત્સર્ગ રાત્રિમાં બીજા પણ જે કાંઈ દોષ લાગ્યા હોય તેને માટે જે જે પ્રાયશ્ચિત્ત કરવાના હોય, તે સર્વની શુદ્ધિ માટે પણ કરવાનો છે. ચૈત્યવંદન મારફત દેવવંદન કર્યા બાદ, સ્વાધ્યાય ધ્યાનમાં લીન થવા સઝાય કરવાની છે. જો કે પૂર્વના પૂર્વધર મહાત્માઓ આ વખતે દષ્ટિવાદનું પુનરાવર્તન કરે, પરંતુ શ્રાવકોને તથા બીજું કાંઈ પણ સ્વાધ્યાય જેને ન આવડતું હોય, તો તેઓ માટે સર્વ સામાન્ય રીતે પૂર્વના સંતો અને સતીઓના નામસ્મરણમય ભરફેસરની સઝાય બોલાય છે. અને ચૈત્યવંદન પછી શાસનપતિ, ધર્માચાર્ય, ઉપાધ્યાયજી મહારાજ તથા વર્તમાન મુનિ મહારાજાઓને વંદન કરી ગુરુવંદન સાચવી સ્વાધ્યાયમાં લીન થવાનો વિધિ છે. અને સ્વાધ્યાય પછી ગુરુમહારાજની સુખશાતા પૂછી રાઇઅ પ્રતિક્રમણની શરૂઆત કરવાનો વિધિ બતાવ્યો છે. સારાંશ કે, ઉપર જણાવેલા આ વિધિઓ રાઇઅ પ્રતિક્રમણના ખાસ અંગભૂત વિધિઓ નથી. પરંતુ જાગ્યા પછીનાં રાત્રિકૃત્યો છે. બાળજીવોને તે રહી ન જાય, માટે અહીં પૂર્વાચાર્યોએ એ સાથે સાથે સામેલ Page #510 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૩૭ કર્યા છે. રાઈએ પ્રતિક્રમણના છ આવશ્યકો 55 છે રાઈએ પ્રતિક્રમણ ઠાતાં સંક્ષેપમાં બીજક રૂપ સવ્યસ્તવિ પ્રતિક્રમણ સૂત્ર બોલીને સંક્ષેપમાં રાઈએ પ્રતિક્રમણ કરીને વિસ્તારથી રાઇઅ પ્રતિકમણ કરતાં અઢાઇજેસુ સુધીમાં ૬ આવશ્યકો પૂરાં થાય છે. - રાઈઅ પ્રતિક્રમણ વિધિમાંના છ આવશ્યકો નકકી કરવા મુશ્કેલ જણાય છે. છ એય આવશ્યક સ્પષ્ટતાથી નકકી કરીને લખેલા વાંચવામાં આવ્યા નથી. એટલે સામાન્ય રીતે વિચાર કરીને નીચે પ્રમાણે ઠરાવી શકાય: દેવસિઅ પ્રતિકમણના છ આવશ્યકના ક્રમમાં અને રાઇઅ પ્રતિકમણના ક્રમમાં કેટલાક ફેરફાર છે. માત્ર ત્રીજા આવશ્યકની મુહપત્તિથી માંડીને આયરિય ઉવજઝાએ અને તપ ચિંતવાણીનો કાઉસગ્ગ કરવાની પહેલા સુધી સરખું છે. દેવસિઅમાં કાઉસ્સગ્ગ આવશ્યકમાં આવતાં સૂત્રો અને કાઉસ્સગ્ગો, ત્રીજા આવશ્યકની પહેલાં આવી જાય છે. તો કાયોત્સર્ગ આવશ્યક કોને ગણવું? શરૂઆતના- ચારિત્ર, દર્શન અને જ્ઞાનના કાઉસ્સગ્નને કાયોત્સર્ગ આવશ્યક ગણવું ? કે તપ, ચિંતવાણીના કાયોત્સર્ગને આવશ્યક ગણવું ? એ પ્રશ્ન થાય છે. તે જ પ્રમાણે ચતુર્વિશતિ સ્તવાવશ્યક કોને ગણવું ? નમુલ્યાણંને ગણવું ? કે લોગસ્સને ? એ પ્રશ્ન થાય છે. તેવી જ રીતે – સામાયિક આવશ્યક કયા ભાગને ઠરાવવું? તપચિંતવાણીના કાઉસગ્ગને કાયોત્સર્ગ આવશ્યક કહીએ, તો પ્રથમના ત્રણ કાઉસ્સગ્ગના ભાગને ક્યા આવશ્યકમાં ગણવો ? આ પ્રશ્નો સહજ રીતે જ થાય તેમ છે. વિશાળ લોચન પછીના ક્રિયા પ્રભાવનામય ચૂલિકા રૂપ ભાગમાં જેમ દેવસિઅમાં સ્તવન આવે છે, તેમ અહીં ચાર થોયના દેવવંદન આવે છે. એટલે એ તો એક રીતે છ આવશ્યક પછીના આનંદનું અઢાઇજેસ સુધીનો ભાગ અંતિમ દેવગુરુ વંદન છે. દેવસિઅમાં સવ્યસવિથી ડાયા પછી તુરત જ કરેમિ ભંતે! શરૂ થાય છે. ત્યારે રાઈસમાં નમુOણ પછી કરેમિ “તે ! શરૂ થાય છે. મૃતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિઓ રાઈઅમાં આવતી નથી. પરંતુ છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પછી વાંદણા દઈનેય તુરત પચ્ચક્ખાણ લેવામાં આવતું નથી. પરંતુ વચ્ચે સકલતીર્થ વડે પ્રભુનાં સર્વ ચૈત્યો અને પ્રતિમાઓને છ આવશ્યકની અંદર જ વંદન કરવામાં આવે છે. તેમાં એવો ભાવ જણાય છે કે-પ્રત્યાખ્યાન દેવ અને ગુરુ સન્મુખ લેવાનું હોવાથી વાંદણાથી ગુરુવંદન કર્યા બાદ ભાવથી સર્વ તીર્થોની પ્રાત:કાળમાં મનથી યાત્રા કરી જિનેશ્વર પ્રભુનું એ રીતે વિસ્તારથી ચિંતવન કરી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. અર્થાત એ સકલતીર્થની ચૈત્ય અને પ્રતિમાઓની સ્તુતિ પ્રત્યાખ્યાનના અંગ તરીકે હોય એમ લાગે છે. કેમકે – છ આવશ્યકની સંપૂર્ણતાના આનંદની સ્તુતિ વગેરે તો વિશાલ લોચનથી Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૩. અડ્વાઈજેસુ સુધીની, પછી આવનાર છે. રાઇઅ ઠાવ્યા પછીનું પહેલું નમુન્થુણં તો છ આવશ્યકમય પ્રતિક્રમણની શરૂઆતના મંગળાચરણ તરીકે છે. જેમ દેવિસઅમાં નમોસ્તુ વર્ધમાનાય પછી આવે છે. શ્રી આગમોમાં ઠામ ઠામ દેવેન્દ્રાદિક નમુન્થુણં સૂત્રથી પ્રભુની સ્તુતિ કરતા જણાય છે. તીર્થંકર પરમાત્માઓના ભવ્ય ગુણોનું સંકીર્તન નમ્રુત્યુગંમાં સમાય છે. એટલે ચતુર્વિશતિ સ્તવાવશ્યક-દેવવંદન-ચૈત્યવંદન-પ્રભુ દર્શન વખતે વંદનવગેરેમાં નમુન્થુણં મુખ્ય હોય છે. એ શક્રસ્તવ દંડક ચતુર્વિશતિ સ્તવાવશ્યકનું મુખ્ય સૂત્ર છે. અને નામપૂર્વક ચોવીસ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ માટે લોગસ્સુ મુખ્ય સૂત્ર છે. છતાં પણ ચૈત્યવંદન વગેરેમાં નમૃત્યુાણનો પ્રચાર સવિશેષ છે. તેનું કારણ ઉપર પ્રમાણે બરાબર સમજાશે. પંચ પ્રતિક્રમણસૂત્રો ત્યાર પછી કરેમિ ભંતે ! થી સામાયિક આવશ્યકની શરૂઆત થાય છે. એટલે કરેમિભંતે- સૂત્ર સાક્ષાત્ સામાયિક આવશ્યકમય છે, એ તો સ્પષ્ટ જ છે. અને બીજી રીતે અનુક્રમે ચારિત્રાચાર-દર્શનાચાર અને જ્ઞાનાચારની આરાધનાના કાઉસ્સગ્ગો પણ એક પ્રકારે સામાયિક આવશ્યકમાં ગણી શકાય. તેમજ લોગસ્સ દર્શનાચારની આરાધનાના કાઉસ્સગ્ગમાં વિસ્તારથી ચતુર્વિશતિ સ્તવ પણ ગર્ભિત રીતે અંદર આવી જાય છે. તેમજ સાથે સાથે ગર્ભિત રીતે તપ:આચાર અને વીર્યાચાર પણ સમાયેલા જ હોય છે. એમ પંચાચાર રૂપ પણ સામાયિક આવશ્યકની આરાધના થાય છે. અને ત્રીજા કાઉસ્સગ્ગમાં પાંચેય આચારોના અતિચારો ચિંતવીને આચારોની શુદ્ધિ કરી લઈ આચારોમય સામાયિકમાં સ્થિર થવામાં આવે છે. એ રીતે સામાયિક પછી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને પણ ચતુર્વિશતિ સ્તવ કહી શકીએ. જો કે પંચાચારની શુદ્ધિના આનંદ તરીકે તે બોલવામાં આવે છે. વળી પ્રથમના બે કાઉસ્સગ્ગમાં પણ લોગસ્સનું ચિંતવન થાય છે. એ રીતે પ્રથમના બે આવશ્યકો ચત્તારિ અર્ધ સુધીમાં પૂરા થાય છે. અહીં ચારિત્રાચારનો દેવસિઅ પ્રતિમાં બે લોગસ્સનો કાઉસ્સગ્ગ છે, તેને બદલે અહીં એક લોગસ્સના બે કાઉસ્સગ્ગ એટલા માટે છે, કે દિવસ કરતાં રાત્રિમાં અલ્પ વ્યાપારને અંગે અલ્પ અતિચાર લાગવાનો સંભવ ગણીને એક લોગસ્સનો કાઉ રાખવામાં આવેલ છે. અને અતિચારોનું ચિંતન પંચાચાર માટે વિકાસ પામતી દ્રવ્ય-ભાવ જાગૃતિના ક્રમને ઉદ્દેશીને ત્રીજા કાઉસ્સગ્ગમાં રાખવામાં આવેલ છે. પરંતુ અહીં એ પણ વિચારવાનું છે કે-સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ એ રીતે પુખરવરદી પછી આદેશ માંગીને કરાયેલા કાઉસ્સગ્ગમાં પંચાચારના અતિચારની ગાથાઓ ચિંતવવાનું કેમ યોગ્ય ગણાય ? એ પ્રશ્ન થાય. તેના જવાબમાં એટલું જ કહી શકાય, કે કાયોત્સર્ગથી શ્રુતજ્ઞાનની આરાધના પણ થાય છે. અને તેમાં લોગસ્સના ચિંતવનને બદલે અતિચારોના ચિંતવન થાય છે. પાંચ આચારોની એ પણ આરાધના જ છે. બીજું કારણ એ પણ જણાય છે કે, પંચાચારોનાં નામોનાં પ્રતીકોની ગાથાઓ ઉપરથી સયણાસણ-ગાથાની જેમ તેમાં દિવસમાં કે રાતમાં લાગેલા અતિચારો ચિંતવવાના હોય છે, એમ ચિંતવીને પંચાચારની શુદ્ધિ રૂપ સામાયિકમાં સ્થિર થવાનું હોય છે. એ રીતે કરેમિ ભંતેથી શરૂ કરેલી Page #512 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સમગ્ર ક્રિયા એક પ્રકારના સામાયિક અથવા જ્ઞાનાચારના અતિચારો ચિંતવવાની પહેલી ગાથામાં શ્રુતજ્ઞાનની આરાધનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ. અને સિદ્ધાણં બુદ્ધાણં તથા ચત્તારિ અટ્ઠદશદોષ ગાથા પણ ચતુર્વિંશતિ સ્તુતિ રૂપ બનીને બીજા આવશ્યકમાં પૂર્તિ કરે છે. પછી તુરત જ ત્રીજા આવશ્યકની મુહપત્તિ અને વાંદણાથી ગુરુવંદન રૂપ ત્રીજું આવશ્યક પૂર્ણ થાય છે, કે તુરત પ્રાયશ્ચિત્તો શરૂ થાય છે. પ્રાયશ્ચિત્તો દશ છે : આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાઉસ્સગ્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત. આ દશમાંના છેલ્લા ચારનો અમુક ખાસ પ્રસંગે સંભવ હોવાથી બાકીના છ પ્રાયશ્ચિત્તોનું પાલન તપ, ચિંતવણીના કાઉસ્સગ્ગ સુધીમાં થઈ જતું જોવામાં આવે છે. પ્રતિક્રમણ આવશ્યકમાં ગર્ભિત રીતે ૪૩૯ સાત લાખ-પ્રાણાતિપાતના આલોચન સૂત્રોથી આલોચના પ્રાયશ્ચિત્ત પછી સવ્વસ્સવિથી આલોચન સાથે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત શરૂ થાય છે. અને તે કરવાની ગુરુમહારાજ આજ્ઞા આપે છે. સવ્વસૂવિ રાઇઅ દુચિંતિઅ દુમ્ભાસિઅ દુચ્ચિહ્નિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગુરુ મહારાજ કહે કે- પડિક્કમેહ. શિષ્ય કહે- ઇચ્છું. તસ્સ મિચ્છામિ દુક્કડં કહી, તદ્દન ટૂંકામાં પ્રતિક્રમણ કરે છે. પછી નવકાર ગણીને કરેમિ ઇચ્છામિ પડકમિઉ વંદિત્તુ કહેવાથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત શરૂ થાય છે. અને અમારી સમજ પ્રમાણે ગુરુ મહારાજના રાઇઅ અપરાધની ક્ષમાપના રૂપ અભ્રુટ્ઠિઓ સૂત્રમાં મિશ્ર અને વિવેક પ્રાયશ્ચિત્ત સમાતા જણાય છે. પછી તપચિંતનના કાઉસ્સગ્ગમાં કાયોત્સર્ગ આવશ્યક, કાયોત્સર્ગ તપ અને કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત થાય છે. પછી પ્રત્યાખ્યાનમાં તપ પ્રાયશ્ચિત્ત અને પ્રત્યાખ્યાન આવશ્યક થાય છે. છ આવશ્યક પૂરા થયા પછી વિશાળ લોચનથી અડ્વાઇજ઼ેસુ સુધી છ આવશ્યકની પૂર્તિરૂપે ક્રિયાપ્રભાવના થાય છે. તેમાં દેવવંદન ચાર સ્તુતિથી-છ આવશ્યક પછીના દેવિસ દેવવંદન-કરતાં કંઇક વિસ્તારથી થાય છે, દેવસિઅમાં એ ક્રિયા પ્રતિક્રમણ ઠાયા પહેલાં કરાય છે, તેનો અર્થ એમ સમજાય છે કે-‘‘દિવસના અંતિમ દેવવંદન પછી દેવસિઅ પ્રતિક્રમણ શરૂ થાય છે. ત્યારે સવારે રાઇઅ પ્રતિક્રમણ (છ આવશ્યક) પછી શરૂઆતનું પ્રાત: દેવવંદન આ રીતે થાય છે.''- એ રીતે છ આવશ્યક પૂરા થાય છે. પછી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન અને શ્રી શત્રુંજય તીર્થનું ચૈત્યવંદન પ્રાત:સ્મરણ તરીકે અને એ બે તરફ દરેકનું સ્મરણ તાજું રહે, માટે છે. કેમકે, વર્તમાનકાળે વિચરતા તીર્થંકર પરમાત્માઓનો ભરતમાં વિરહ છતાં બીજા ક્ષેત્રમાં વિચરતા વિદ્યમાન તીર્થંકર પરમાત્મા અને આ ભરતમાં આ કાળે પણ તીર્થંકર પરમાત્માની માફ્ક કલ્પવૃક્ષ સમાન શત્રુંજય તીર્થ છે, માટે એઓના મુખ્યપણે સ્મરણ, વંદન, નમસ્કાર, સ્તવન, સ્તુતિ મારફત ભક્તિ બતાવી સ્મૃતિ તાજી રખાવે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ પંચ પ્રતિકમાણસૂત્રો રાઈએ પ્રતિક્રમણના વિશેષ હેતુઓ. મધ્ય રાત્રિ પછી મધ્યાહન સુધી રાત્રિ સંબંધી આચારોનું અનુષ્ઠાન કરી શકાય છે. રાત્રિ સંબંધી આચારોમાં છ આવશ્યકોનો પણ સમાવેશ થાય છે. ૧. ગૃહસ્થોએ તીર્થંકર પરમાત્માના મહાચારિત્રના અનુકરણ રૂપે નમૂનારૂપે બે ઘડીનું પણ સામાયિક ઓછામાં ઓછું એક તો કરવું જ જોઈએ. ૨. તીર્થંકર પરમાત્માનાં પૂજા, ચૈત્યવંદન વગેરે પણ અવશ્ય કરવાં જોઈએ. પ્રાત:કાળે ઊઠીને દર્શન કરવા ગયા પછી વ્યાખ્યાન શ્રવણ બાદ પૂજા કરીને પણ ચૈત્યવંદન કરે વગેરે. ૩. ગુરુવંદન પણ કરવું જોઈએ. ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને વંદન કરી સુખશાતા પૂછી અપરાધ ખમાવી પ્રત્યાખ્યાન લેવું જોઈએ. ૪. આચારોમાં થતી ભૂલો માટે સાવચેત રહી મિચ્છામિ દુકકડું દેવા જોઈએ. તેમજ પ્રતિક્રમણ પણ કરવું જોઈએ. ૫. ખરાબ સ્વપ્ન કે રાત્રિના પ્રાયશ્ચિત્તોની શુદ્ધિ માટે પંચાચારોના અતિચારોની શુદ્ધિ માટે અને તપ પ્રાયશ્ચિત્ત આચરવા માટે પણ કાયોત્સર્ગ કરવો જોઈએ. ૬. અને કંઈપણ યથાશકિત પ્રત્યાખ્યાન પણ થવું જોઈએ. આ છ આવશ્યકો સાચવવાના વખત સિવાય વખત મળે, તો તે સ્વાધ્યાય ધ્યાનમાં ગાળવો જોઈએ. આ છએ ય રાત્રિ સંબંધી આવશ્યકો રાઈએ પ્રતિકમણ વિધિમાં પણ સંક્ષેપથી સાથે જોડાયેલાં છે. ૧. સામાયિક પ્રથમ લેવાય જ છે. ૨. ચૈત્યવંદન પણ કરવામાં આવે છે. શ્રી સીમંધર સ્વામી તથા શત્રુજ્ય ગિરિનું ચૈત્યવંદન થાય છે. ૩. ચાર વંદન અને ઈચ્છકારનો પાઠ બોલાય છે. ૪. રાઈએ કાઉથી અઠ્ઠાઈજેસુ સુધી પ્રતિક્રમણ થાય છે. ૫. અને કુસિમિણ દુમિમિણ રાઈઅ પ્રાયશ્ચિત્તનો સ્વતંત્ર કાઉસ્સગ્ન કરવાનો હોય છે, તે પણ જોડાયેલ છે. ૬. ગુરુ મહારાજ પાસે પચ્ચકખાણ લેવાય છે. તે પૂર્વે જિનમંદિરમાં સ્વયં ઉચ્ચરે છે કે જે પ્રતિક્રમણ વખતે ધારેલું હોય છે. આમ આજુબાજુના છૂટાં છૂટાં છ આવશ્યકો શ્રાવકને કરવાનાં હોય છે. તે પ્રમાદથી રહી ન જાય માટે પ્રતિક્રમણના સામાયિક કાળમાં પણ સાથે કરી શકાય તેવી યોજના કરવામાં આવી છે. વ્યાખ્યાન શ્રવણ રૂપ સ્વાધ્યાય રહી જાય, તો ભરફેસરની સક્ઝાય પણ કરવામાં આવે છે. રાઈએ પ્રતિક્રમણ પહેલાંનો કાળ પણ સ્વાધ્યાય માટેનો કાળ છે. અને પ્રથમ પૌરૂષીની આજુબાજુનો કોઈપણ વખત સ્વાધ્યાય-વ્યાખ્યાન શ્રવણ માટે છે. તે કદાચ ન બની શકે, તો પ્રતિક્રમણમાં રાત્રિક સ્વાધ્યાય એ રીતે સચવાઈ જાય છે. આ રીતે રાત્રિ સંબંધી છૂટાં છૂટાં કરવાનાં છ આવશ્યકો પણ ઉપર જણાવેલા રાઈએ પ્રતિક્રમણ Page #514 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૪૪૧ વિધિમાં સચવાય છે. જેથી કાર્યાન્તરને લીધે, પ્રમાદને લીધે કે તથાવિધ પરિસ્થિતિને લીધે કે તથા પ્રકારના બાલપણાને લીધે, છ આવશ્યક ન સાચવી શકાયા હોય, તો પ્રતિક્રમણ વિધિમાં જોડી દઈ આરાધના ગોઠવી આપી છે. અને રાઇઅ ઠાઉથી અઢાઇજેસુ સુધીના પ્રતિક્રમણ આવશ્યકમાં જ આવશ્યક આવી જાય છે. તે સંભારીને તેની ખુશાલીમાં વિશાળ લોચનથી કંઈક વિસ્તૃત ચૈત્યવંદન-દેવવંદન શરૂ કરી ગુરુવંદન થાય છે. બીજી વિશેષતાઓ દેવસિઅ વિધિમાંથી જોવી. ૧૩. પોસહ વ્રતવિધિનાં સૂત્રો ૫૯. પોસહ-પચ્ચખાણ સૂત્ર-૧ કરેમિ ભને પોસહં. “આહાર-પોસઈ દેસઓ, સવ્વઓ, સરીર-સક્કાર-પોસહં 'સવઓ, બંભર્ચર-પોસહં “સવ્વઓ, અવ્વાવાર-"પોસહંસવ્વઓ.ચઉવિહં *પોસહં કામિ અજાવ દિવસ [અહોરરં] પજુવાસામિ. દુવિહં- "તિવિહેણં='મણેણં, વાયાએ, “કાણું-ન કરેમિ, ન અકારવેમિ; “તસ્સ-ભંતે ૭ ૨૯ ડિકકમામિ °નિંદામિગરિફામિ અપાણે વોસિરામિ. શબ્દાર્થ :- પોસહં પૌષધ આહાર-પોસહં આહાર પૌષધ. દેશદેશથી. સવ્વઓ સર્વથી. સરીર-સકાર-પોસહં=શરીર સત્કાર પૌષધ. બંભર-પોસહં=બ્રહ્મચર્ય પૌષધ. અવ્વાવાર-પોસહં વ્યાપાર પૌષધ. અહોતંત્ર દિવસ અને રાત. ગાથાર્થ :- હે પ્રભો! હું પૌષધ-એટલે-દેશથી કે સર્વથી-આહાર પૌષધ: સર્વથી શરીર સત્કાર પૌષધ: “સર્વથી-બ્રહ્મચર્ય પૌષધ: સર્વથી "અવ્યાપાર પૌષધ: કરું છું : એ ચારેય પ્રકારના પૌષધ' વ્રતમાં-ત્રણ પ્રકારે ૫ મન, વચન, કાયાએ કરી- બે પ્રકારે એટલે ન કરવું અને ન કરાવવું : કરી- આખો દિવસ કે દિવસ અને રાત સુધી-સ્થિર થાઉં છું. અને ત્યાં સુધી આપની ઉપર્હપાસનામાં સેવામાં છું. હે ગુરુ મહારાજ! તેમાંના કોઈપણ પોસહમાં કાંઈ પણ દોષ લાગે, તો તેનું “પ્રતિક્રમણ કરું છું, તેની નિંદા કરું છું. અને તેની "ગહ કરું છું. અને તે [પૌષધ ખાતર-મારા બહિરાત્મ ભાવનો ત્યાગ કરું છું. વિશેષાર્થ :- આ સૂત્ર કરેમિ ભંતે સૂત્ર જ છે. તેમાં અમુક અમુક ફેરફાર કરવાથી તે પોસહ વ્રત-અને પ્રત્યાખ્યાન સૂત્ર બની ગયું છે. એ સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું Page #515 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પાલન છે કે પોસહમાં આહાર, શરીર સત્કાર અને વ્યાપાર, સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ અને બ્રહ્મચર્યનું એ ચાર સાચવવાનાં હોય છે. અને સામાયિકમાં તો મન વચન અને કાયાથી કરવા અને કરાવવાથી સાવદ્ય યોગો માત્રનો ત્યાગ કરવાનો હોય છે. એટલે પોસહ કરતાં સામાયિક સૂક્ષ્મ છે. એટલે સર્વથી-પોસહમાં સામાયિક પણ ઉચ્ચારવામાં આવે છે. પોસહમાં આ સૂત્ર મુખ્ય છે. એટલે પોસહ પણ સામાયિકમય છે. અને તેમાં પણ છ આવશ્યકો આવે છે. ૪૪૨ - ત્રણના ત્યાગમાં પ્રત્યાખ્યાન અને એકના પાલનમાં સામાયિક - એમ ત્યાગ અને પાલન રૂપ સામાયિકમય પોસહ અહીં અખંડ ચાર કે આઠ પહોરનું સામાયિક છે. ત્રણ વખતનું દેવવંદન પોસહનું ખાસ ચતુર્વિશતિ સ્તવ છે. અને ૭ ચૈત્યવંદનો તો શ્રાવકના હંમેશનાં ચતુર્વિંશતિ સ્તવો પણ આમાં સચવાય છે. રાઇઅમુહપત્તિમાં - પોસહનું ખાસ ગુરુવંદન છે. ગમણા-ગમણે અને ઇરિયાવહિય પ્રતિક્રમવા એ પ્રતિક્રમણ છે. અને અપ્રમાદપણે-ટેકો લીધા વિના આસન, મુદ્રાઓ, ઊભા ઊભા ક્રિયા કરવી, પંચાંગ પ્રણિપાતો, ૨૫ ચંદનના આવશ્યકો, સંડાસા વગેરે સાચવીને અપ્રમત્તપણે ધર્મધ્યાન કરવું, નવકારવાળી ગણવી, સ્વાધ્યાય કરવો, વ્યાખ્યાન સાંભળવું, રાત્રે ધર્મ જાગરણ કરવું તથા તમામ તપશ્ચર્યાં સાચવવી તે કાયોત્સર્ગ છે. આમ પોસહમાં છ આવશ્યકો-આ સૂત્રમાં જે સૂચવાયેલા છે-તે સચવાય છે. આ સૂત્ર બીજરૂપે છે. પોસહમાંની બીજી સર્વ વિધિઓ અને પ્રવૃત્તિઓ આ સૂત્રના વિસ્તારરૂપ છે. સંયમ સ્થાનકમાં વૃદ્ધિ તેનું અનંતર ઉત્તમ ફળ છે. ૬૦. ગમણા-ગમણે-સૂત્ર ઈર્યા-સમિતિ ભાષા-સમિતિ એષણા-સમિતિ આદાન-ભંડ-મત્તનિક્ષ્મવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય-ગુપ્તિ, એ-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતા, શ્રાવક્તણે ધર્મ-સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહીં, ખંડણા-વિરાધના હુઈ હોય, તે સવિ હુ-મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં, વિશેષાર્થ :- અર્થ સરળ છે. પરંતુ આ સૂત્ર બહુ ગંભીર અને મહત્ત્વનું છે. ત્યાગભાવના રાખવા છતાં, ખાવું, પીવું, ઊઠવું, બેસવું, બોલવું, ચાલવું, વિચાર કરવો, વાતચીત કરવી, તથા જીવનની શારીરિક વગેરે અનેક પ્રકારની અનિવાર્ય જરૂરિયાતો કર્યાં વિના ચાલે જ નહીં. પરંતુ તે દરેક પ્રવૃત્તિઓ કરવા છતાં આ પ્રવચનમાતા સાચવવાથી ઓછામાં ઓછી અને ખાસ જરૂર પૂરતી જ પ્રવૃત્તિ થાય. એટલે તેટલા જ કર્મ લાગે. સિવાય સંયમમાં જ વખત પસાર થાય. એટલે કે-આ આઠ મુખ્ય મુદ્દાઓ સાચવી લેવાથી સારી રીતે સંયમધર્મનું પાલન થઇ શકે તેમ છે. સંયમી જીવનની વિશાળ યોજનાની સંક્ષેપમાં ગોઠવણ આ આઠ મુદ્દાઓમાં સમાવેલ છે. માટે તેને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવેલ Page #516 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો છે. પ્રવચન એટલે પ્રભુનો ઉપદેશ. અને તેનો મુખ્ય ઉદ્દેશ સામાયિક ધર્મ છે. તેના પાલન માટે આ આઠ મુદ્દાઓ ખાસ સાર રૂપ છે. બાળકનું પાલન જેમ માતા ઘણી જ સંભાળ-હાર્દિક પ્રેમ અને સર્વસ્વને ભોગે કરે છે. તે જ પ્રમાણે સંયમ ધર્મનું-સામાયિક ધર્મનું પાલન કરવામાં આ આઠ બાબતો માતા તરીકે સર્વ પ્રકારે ઉપકારી થાય છે. દરેક ક્ષણે, દરેક પ્રસંગે, દરેક ક્રિયામાં, દરેક શારીરિક માનસિક વાચિક અને જીવનની બીજી જરૂરિયાતોમાં આ આઠ બાબતોને ધ્યાનમાં રાખી તેના અંકુશમાં રહીને વર્તવાથી સારામાં સારી રીતે ધર્મારાધન થઈ શકે તેમ છે. એટલું જ નહીં પણ વ્યાવહારિક દષ્ટિથી પણ જગતના કોઈપણ માણસ યા તો સમગ્ર માનવજાત માત્ર આ પ્રમાણે વર્તે, તો તેનું જીવન પણ ઘણું જ સુખી, આરામી, આનંદી, નીતિમય, સગૃહસ્થના ભૂષણરૂપ બને જ, દીર્ઘાયુષી થાય. અને સંપૂર્ણ સાવચેતીમય, વિવેકમય, વિશાળ દૃષ્ટિમય, તેનું જીવન બન્યા વિના રહે જ નહીં. આખા જગત્ના માનવ સમાજને, સર્વ ધર્મ પાળનારાઓને, સર્વ દેશના લોકોને, માત્ર આ આઠ બાબતોનું જ શિક્ષણ આપવામાં આવે, તો જગત્માં શાંતિ સ્થપાયા વિના ન રહે. સર્વમાન્ય શિક્ષણ તરીકે, સર્વ સામાન્ય વ્યાવહારિક અને પારમાર્થિક ધર્મ તરીકે, આ અષ્ટપ્રવચનમાતાનો ઉપયોગ જગત્ કરી શકે છે. સમિતિ અને ગુપ્તિ એ બે જ શબ્દો જગત્ પકડે, અને તેનો દરેક કાર્યમાં અમલ કરે, તો જગત્ સ્વર્ગ બને. રાજદ્વારી પુરુષો પણ પ્રજાની ઉન્નતિ માટેના રાજદ્વારી તંત્રમાં પણ સમિતિ અને ગુપ્તિનો ખરા હૃદયથી ઉપયોગ કરે, તો કયાંય પણ અરાજકતા રહેવા પામે નહીં. એટલું જ નહીં, પરંતુ જગમાં પરમ શાંતિ સ્થપાય. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ એ ચારેયની વિષમતા મટી જઈ યથાર્થતા સ્થપાય, માનવજીવન સુખી થાય, એટલું જ નહીં, પરંતુ તેની અસર પશુજીવન અને પ્રાણીમાત્ર પર પણ પડ્યા વિના ન રહે. તેઓ પણ કેટલેક અંશે સુખ, ચેન, અને શાંતિનો અનુભવ કરે. ૪૪૩ આ પ્રવચનમાતાનું પાલન અશકય છે એમ માનવાની લેશમાત્ર જરૂર નથી. દરેક પોતપોતાના જીવનના સંજોગો અનુસાર તેનું પાલન કરી શકશે. માત્ર તેનું પાલન કરવાની ઇચ્છાથી માનવ જાગૃતિપૂર્વક વિચાર કરીને પોતાની પરિસ્થિતિ સાથે ઘટાવી આચરણ કરી શકે છે. ૬૧. મહ-જિણાણું-શ્રાવક-કૃત્યોની-સજ્ઝાય-૩ શબ્દાર્થ :- મહ=માને. જિણાણું=જિનેશ્વર ભગવંતોની. આણં=આજ્ઞા. મિચ્છમિથ્યાત્વ. પરિહર છોડી દો. ધરહ ધારણ કરો. સમ્મનું સમ્યક્ત્વ. છબિહ-આવસયંમ્મિ છ પ્રકારના આવશ્યકોમાં. ઉન્નુત્તો ઉદ્યુકત-તૈયાર. હોઈ હોવું, થવું, રહેવું. પઇ-દિવસં-પ્રતિ દિવસ, દરરોજ. પન્થેસુક્ષ્મપર્વ દિવસોમાં. પોસહવયં-પૌષધ વ્રત. દાણું-દાન. સી-શિયળ. તવો-તપ. ભાવો ભાવ, ભાવના. સંજ્ઝાય-સ્વાધ્યાય, જ્ઞાનાભ્યાસ. નમુક્કારો નમસ્કાર મંત્રના સ્મરણ જાપ. પરોવયારો-પરોપકાર. જયણાયતના. જિનપૂજા=જિનપૂજા. જિણ-ઘુગણું જિન સ્તવન. ગુરુથુઅગુરુ સ્તુતિ. સાહમ્પિઆણવ૭i=સાધર્મિકોનું વાત્સલ્ય. વવહારસ્ય-વ્યવહારની. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો સુદ્ધ=શુદ્ધિ. રહજતા રથયાત્રા. તિથજના તીર્થયાત્રા. | ઉવસમ-ઉપશમ, શાંતિ. વિવેગ-વિવેક, સંવર=સંવર, ક રોકનારી ધર્મ ક્રિયાઓ. ભાસાસમિઈ ભાષા સમિતિ. છ જુવકરુણા છ કાયના જીવ ઉપર દયા. ધમ્મિા -જણ-સંસગ્ગો ધમ માણસોનો સંસર્ગ. કરણ-દમો=ઈદ્રિયો ઉપર કાબૂ ચરણ-પરિણામો ચારિત્રની ભાવના. સંઘોવરિ સંઘની ઉપર. બહુ-માણો બહુ માન. પુત્યય-લિહાણું=પુસ્તક લખવું, લખાવવું પભાવાણા-તિર્થે તીર્થમાં-શાસનમાં શાસનની પ્રભાવના. સઢાણ =શ્રાવકોના. કિએં કૃત્ય એએઆ. નિચ્ચે હમેશાં. સુગુરએસણ સુગુરુના ઉપદેશ વડે. મહ 'જિગાણું આપ્યું, 'મિચ્છ પરિહરહધરહ સમ્મત્ત છબ્રિહ-આસ્સયંમિ, ઉજ્જુત્તો હોઈ પઈ-દિવસના પન્વેસુ પોસહ-વયં, દાણું સીલ તવો અભાવો આ સજઝાય નમુક્કારો, “પરોવરાયો અજયણા આ તારા 'જિણ-પૂઆ જિંણ-યુર્ણ, ગુરુ-શુઅ સાહમિઆણ “ વલ્લી 'વવહારસ્સયસુદ્ધી, “રહ-જત્તા ‘હિત્ય-જરા યાડા 'ઉવસમ વિવેગ સંવર, ભાસા-સમિઈ છ-જીવ-કરૂણા ચા “ધમ્પિઅ-જણ-સંસો , કરણ-દમો-ચરણ-પરિણામો જા 'સંઘોવરિ બહુ-માણો, પુત્યય-લિહણે ‘પભાવણા તિત્યા સઢાણ °શ્ચિમેણં, નિચ્ચે ‘સુ-ગુરુવએસેણે પા ગાથાર્થ - જિનેશ્વર પ્રભુની આજ્ઞા માને, 'મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યકત્વ ધારણ કરો, છ પ્રકારનાં આવશ્યકોમાં દરરોજ તૈયાર રહેવું ૧. પર્વ દિવસોમાં પોસહ વત: દાન, શિયળ, તપ", ભાવના, સ્વાધ્યાય, ‘નમસ્કાર મંત્રનો જાપ, પરોપકાર, યતના. ૨. "જિનપૂજા, જિ-સ્તુતિ, ગુરૂસ્તુતિ, સાધર્મિકોનું “વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા. ૩. *ઉપશમ, વિવેક, સંવર, *ભાષા સમિતિ, છકાયના જીવો પર દયા, ધાર્મિક પુરુષોને સંસર્ગ, ઇંદ્રિયો ઉપર કાબુ, ચારિત્ર લેવાની ઇચ્છા. ૪. Page #518 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૪૫ શ્રાવકનાં કર્તવ્યો: શ્રી સંઘ ઉપર બહુમાન, પુસ્તકો લખવાં લખાવવાં, 'શાસનમાં પ્રભાવના પ્રવર્તાવવી, શ્રાવકોના-હમેશાં ‘ગુરુ મહારાજના ઉપદેશ અનુસાર આ કૃત્ય કરવાનાં છે. ૫. ૧. જિનેશ્વરની આજ્ઞા માનવી : બાહ્ય દષ્ટિથી કયાંક પરસ્પર વિરુદ્ધ જણાતી હોય છતાં ઉત્સર્ગ, અપવાદ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા બાળ, મધ્યમ, વૃદ્ધ તથા ત્યાગી અને સંસારી, સાધક વગેરે દષ્ટિબિંદુઓથી સંગત હોય છે. માટે તીર્થંકર પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તવાને શ્રાવકે આગ્રહ રાખવો જ જોઈએ. કારણ કે ધર્મના મૂળ સિદ્ધાંતો અમુક ચોકકસ સ્વરૂપમાં હોય છે. પરંતુ તેનો કઈ વખતે કયા માણસે કયો ઉપયોગ કરવો, તેને માટે અનેક ધોરણો હોય છે. તેથી ધર્મના મૂળ સિદ્ધાંતને વળગીને દરેક જીવો દરેક કાળે આચરણ કરી શકે જ નહીં. તેથી તે સિદ્ધાંતોને અમલમાં મૂકવાના સંજોગો પ્રમાણે અમલમાં મૂકવાના વ્યવહારુ પ્રયોગો એ પ્રભુની આજ્ઞા. તે પ્રમાણે વર્તવાથી જ સાધક ધર્મનું આરાધન કરી શકે. માટે આજ્ઞા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. આજ્ઞા પ્રમાણે જે ન વર્તે, તે જૈન જ ન કહેવાય. જૈનનું સામાન્ય લક્ષણ જ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તે તે જૈન. એટલે આજ્ઞા વિના જૈન જ ન ગણાય. માટે તે કૃત્ય સૌથી પહેલું કર્યું છે. નીચેનાં બે કૃત્યો આ કૃત્યની તરફેણના અને વિરુદ્ધના ત્યાગ રૂપ – એ રીતે બે બાજુઓમાં વહેંચાયેલ છે. આજ્ઞાપાલન કરવાના મૂળભૂત બન્નેય છે. ૨-૩. મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યકત્વનો આદર: આજ્ઞા પાલન તે જ કરી શકે, કે ઉન્માર્ગપોષક માનસિક, વાચિક, કાયિક, સામુદાયિક કે વ્યકિતગત જાહેર કે ખાનગી – કોઈ પણ પ્રવૃત્તિનો ત્યાગ જ કર્યો હોય, અને સન્માર્ગ પોષક માનસિક, વાચિક, કાયિક, સામુદાયિક કે વ્યકિતગત, જાહેર કે ખાનગી – કોઈપણ પ્રવૃત્તિનો પરમ આદર કરવામાં આવતો હોય. ઉન્માર્ગપોષક પ્રવૃત્તિ તે મિથ્યાત્વ, અને સન્માર્ગપોષક પ્રવૃત્તિ તે સમ્યકત્વ. મિથ્યાત્વને પરિવાર અને સમ્યકત્વનો સ્વીકાર, એ આજ્ઞાપાલનના બે ધોરી રસ્તા છે. અને એ બન્નેયના પાલનમાં દઢ આગ્રહી રહેવું જોઈએ. તે ખાતર જે કાંઈ ભોગ આપવા પડે તે આપવા તત્પર રહેવું જોઈએ. ૪. છ આવશ્યકોમાં રોજ લીન રહેવું : છ આવશ્યકોમય કોઈ પણ જૈન શાસનની વિધિમાં દરરોજ તત્પર રહેવાનું ખાસ ભાર મૂકીને જણાવ્યું છે. આજ્ઞાપાલનના વિસ્તાર રૂપ બીજું અને ત્રીજું કૃત્ય ગણાવી ધર્મારાધનાની તરફ વળતાં તરત જ આવશ્યકોમાં તત્પર રહેવાનું સૌથી પહેલું સૂચવ્યું છે. હવે પછીનાં કૃત્યો આ ચોથા કૃત્યના વિસ્તાર રૂપ સમજવાને હરકત નથી, કેમ કે - તેઓ તેના મુખ્ય ભેદોમાં મુખ્ય કૃત્યો તરીકે કે પેટા કૃત્યો તરીકે સમાય છે. દેશથી અને સર્વથી જ આવશ્યકમય શ્રાવક અને મુનિ મહારાજાઓના જીવન હોય છે. પરંતુ વિશેષ ન બની શકે તો શ્રાવકે પાંચ પ્રતિક્રમણ રૂપ પ્રસિદ્ધ છે આવશ્યક તો રાત્રિ, દિવસ, પાક્ષિક, ચોમાસી તથા સાંવત્સરિકમાં અવશ્ય કરવા જ જોઈએ. ૫. પર્વોમાં પૌષધ : ૫૯ દિવસમાં વિશેષ પૌષધ કરવો. ૬-૭-૮-૯. દાન, શિયળ, તપ અને ભાવ : આ પણ ધર્માચરણના વ્યવહારુ અને બાળજીવો Page #519 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો સમજી શકે તેવા ધર્માચરણના સર્વ સામાન્ય પ્રકારો છે. આ ચારની અંદર ધર્માચરણના બીજા દરેક પ્રકારો પણ સમાવી શકાય છે. અને ધર્માચરણના બીજા પ્રકારના સેવનમાં આ ચારનું પણ સેવન થાય છે. સામાન્ય રીતે ગૃહસ્થ જીવનમાં રહેલા સાધકને શિયળ, તપ અને ભાવના કેટલેક અંશે દુર્લભ હોય છે. પરંતુ સાત ક્ષેત્રમાં દાન કરીને તે ધર્મારાધન વધારે સહેલાઈથી કરી શકે છે. તેથી તે ગુણ ૪માં પહેલો મૂકવામાં આવ્યો છે. ધર્મનાં સાધક સાધનો, યોજનાઓ, શાસનના પાયારૂપ ધાર્મિક પ્રતીકોને પોષણ આપવા દાન મારફત ધનનો વ્યય કરનાર શ્રાવકનું સમકિત નિર્મળ થાય છે, કેમ કે- એ ધન મારફત એ દરેક પ્રવૃત્તિઓ, દરેક ધર્મસ્થાનો સારી રીતે આકર્ષણ સ્વરૂપમાં ચાલે, એટલે બીજા ઘણા જીવો તે મારફત ધર્મ પામી આત્મકલ્યાણ કરે. તેના ભાગીદાર દાનેશ્વરી શ્રાવક થાય છે. દાન ગુણ ઉપરાંત શિયળ, તપ, અને ભાવનામાં પણ આગળ વધેલા ઘણા શ્રાવક મહાનુભાવો હોય છે. નાની ઉમરમાં ચતુર્થવ્રત અથવા તે વિષેના અમુક પ્રકારના વિવિધ નિયમો ધારણ કરીને આજીવન બ્રહ્મચર્ય ઉપર કાબૂ રાખનારા ઘણા શ્રાવક બંધુઓ હોય છે તેમજ તપસ્વી પણ હોય છે. અને ઉત્તમ પ્રકારની આત્મ પરિણતિ-ભાવનાવાળા પણ ઘણા જોવામાં આવે છે. આ ચાર ગુણો ઉપર મનોવૃત્તિ કેન્દ્ર કરીને શ્રાવક પોતાનું જીવન જીવે તોય શોભાભર્યું જીવન જીવી શકે છે, અને બીજા ધર્માચરણોમાં પણ ઉજજ્વળતા લાવી શકે છે. દાનને પ્રત્યાખ્યાનમાં મૂકી શકાય. શિયળ અને ભાવનાને સામાયિક ગણી શકાય તથા તપને કાયોત્સર્ગમાં મૂકી શકાય. દેવની આજ્ઞા અને ગુરુના ઉપદેશ અને નિયમન વિના તો એક ડગલું પણ આગળ ચાલી શકાય જ નહીં. અને કંઈપણ સ્કૂલના પણ થયા વિના રહે નહીં. એટલે તે ખલનાનો ઉપાય કરવો જોઈએ તેમજ ભવિષ્યમાં ભૂલ ન થાય, તેને માટે સાવચેત પણ રહેવું જોઈએ. એમ આ ચારમાં છ આવશ્યકો સમાય છે. ૧૦. સ્વાધ્યાય : શ્રાવકે ધર્મમાં સ્થિર રહેવા, આગળ વધવા, તથા શુદ્ધ આત્મ પરિણતિ ટકાવી રાખવા, અવશ્ય સાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ; તેવા પ્રકારના વારંવાર કેટલાક નિત્યપાઠ કરવા જોઈએ, તત્વાર્થીદિક દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિમાં વિકાસ થાય છે, અને વિશ્વસ્વરૂપ સમજાય છે. આવશ્યક, તત્વાર્થસૂત્ર વગેરેના અભ્યાસથી આત્મપરિણતિ વધે છે. પંચસૂત્ર, ચતુદશરણ વગેરેના નિત્યપાઠથી આત્મપરિણતિ આર્ટ અને તાજી ને તાજી ટકી રહે છે. તથા કર્મગ્રંથાદિકની ગાથાઓ ભૂલી ન જવાય, માટે તેનું રોજ પુનરાવર્તન કરવું જોઈએ, કેમ કે તેમાંનો વિષય કઠણ હોવાથી મૂળ ગાથાઓ મારફત સારી રીતે યાદ રાખી શકાય છે. માટે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. તેમજ ભિન્ન ભિન્ન ધાર્મિક આચારોમાં ઉપયોગી, સ્તવન, ચૈત્યવંદનો સઝાયો, થયો વગેરે મુખ પાઠ કરવા, ભાવપૂર્વક બોલવા, તેમજ તેમાંના ભાવાર્થ સમજવા, પદ્ધતિસર ગાવા, તથા કેટલાક તાત્વિક સ્તવનો કે સક્ઝાયો ઉપરથી તત્ત્વજ્ઞાન મેળવી આગમાર્થનો પરમાર્થ સમજવો, હમેશ વ્યાખ્યાન શ્રવણ કરવું. ચિંતવવું, ચર્ચવું, બીજાને સમજાવવું, એ વગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય Page #520 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૪૭ કૃત્ય સાચવી શકાય છે. બીજાના સ્વાધ્યાયમાંથી અંતરાય દૂર કરવા, તેને સાનુકૂળ સાધનો આપી સ્વાધ્યાયમાં મદદ કરવી. તેથી પણ સ્વાધ્યાય કૃત્ય સચવાય છે. પરંતુ હાલમાં યુનિવર્સિટીના શિક્ષણને મદદ કરતી બોર્ડિંગ, સ્કૂલો, બાળાશ્રમો, ભવનો વગેરેમાં સ્વાધ્યાય નથી. પણ ધંધાની દષ્ટિથી તથા આર્ય સંસ્કૃતિ વિરુદ્ધ સંસ્કૃતિને ફેલાવવા માટે લેવાતી અને દેવાતી તાલીમનાં એ સ્થાનો છે. માટે એ શ્રાવકના સ્વાધ્યાય કૃત્યમાં સમાઈ શકશે નહીં. પરંતુ સૂક્ષ્મ રીતે તપાસી જોતાં તે અસ્વાધ્યાય અથવા સ્વાધ્યાય વિરોધી અથવા વિપરીત સ્વાધ્યાય છે. તેને સ્વાધ્યાયનું નામ આપવું જ ઉચિત નથી, તો પછી એક ખેડૂતનો છોકરે પોતાના બાપ પાસે હળ હાંકતાં શીખે, તેને પણ સ્વાધ્યાય ગણવો જોઈએ. પરંતુ તે જેમ સ્વાધ્યાય ગણાતો નથી, તેમ આ પણ સ્વાધ્યાય ગણી શકાય નહીં. ત્યાં અપાતું ધાર્મિક શિક્ષણ પણ ગૌણ અને પ્રજાને ભુલાવામાં નાંખનાર હોવાથી ગૌણ અને દ્રવ્ય ધર્મજ્ઞાન છે. ભાવ ધર્મશાન નથી. ૧૧. નમસ્કાર મંત્રનો જાપ : નમસ્કાર મંત્ર વિષે સમજાવતાં એક પુસ્તક થાય. પરંતુ અહીં સંક્ષિપ્તમાં એટલું તો કહી શકાય કે, નમસ્કાર મંત્ર ધર્મની સર્વ આરાધનાઓના કેન્દ્રરૂપ છે, સર્વ જૈનાગમના કેન્દ્રરૂપ છે. દેવ, ગુરુ, ધર્મરૂપ છે. વિશ્વમાં સારરૂપ છે. માટે બીજું કાંઈ પણ ન આવડતું કે આવડતું હોય, છતાં જ્યારે બીજું ધર્માચરણ ન આચરતા હોઈએ ત્યારે નમસ્કાર મંત્રનો જાપ : સ્મરણ : ચાલુ જ રહેવું જોઈએ, અને તેથી શ્રાવકની એક ક્ષણ પણ ધાર્મિક જીવન વિનાની રહી શકતી નથી. નવ લાખ મંત્રના જાપથી સિદ્ધિ મળે છે. એ વાતમાં જરા પણ અતિશયોક્તિ માનવાને કારણ નથી. એટલા બધા વખત સુધી એક ધારો જાપ કરવાનો આગ્રહ ટકી રહેવા પાછળ કેટલી આત્મપરિણતિ વિકસી હોવાનું અનુમાન કરી શકાય? અને એ જાપ દરમ્યાન બીજી પ્રવૃત્તિમાંથી જેટલા સહજ રીતે મન વચન કાયા રોકાઈ જાય, અને જેટલાં એકાગ્ર ટકી રહે, તેટલાથી આધ્યાત્મિક વિજ્ઞાનની દષ્ટિથી વિચારતાં તે આત્મામાં ઘણી આત્મિક પ્રગતિ થઈ હોવાનું માનવામાં હરકત નથી. અને એવા મજબૂત બીજમાંથી ધીરે ધીરે ભવાન્તરોમાં વધીને અંતિમ પરિણામ ઠેઠ મોક્ષ સુધી લઈ જાય, તેમાં શી નવાઈ ? આધ્યાત્મિક વિકાસ એવી વસ્તુ છે કે, આવા ધાર્મિક આચરણથી તે જીવમાં તે જ ભવમાં કાંઈ પણ બાહ્ય રહેણીકરણીમાં, સ્વભાવમાં ફેરફાર ન જણાય, છતાં તેના આત્મા ઉપર એવી અસર પડી હોય છે કે, ભવાન્તરમાં જરૂર તેની અસર જણાય છે. કેટલીક વખત આ જન્મમાં પ્રાણીના જીવનનું બંધારણ પૂર્વની તથા પ્રકારની સામગ્રીને લીધે બંધાયું હોવાથી લેયા કષાય, પરિણતિ, બાહ્ય વ્યવહાર વગેરેમાં ખાસ ફેરફાર થતો દેખાતો નથી હોતો. એટલા ઉપરથી તેના ધાર્મિક આચારોથી આત્માના ઊંડાણમાં કાંઈ પણ અસર નથી થતી, એમ માનવાને કારણ નથી. અને એ અસર કાળાન્તરે બહાર આવ્યા વિના પણ નથી રહેતી, કોઈને આ જન્મમાં તો કોઈને જન્માન્તરમાં પણ જણાય છે. તેથી નવ લાખ નવકાર મંત્રના જાપથી મોક્ષ જલદી મળે છે. એ ઉપદેશમાં અતિશયોકિત માનવાને લેશ પણ કારણ નથી. જપ વિધિ વગેરે ગુરુમહારાજના ઉપદેશથી જાણવા. Page #521 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૧૨. પરોપકાર : પોતાના કરતાં ન્યૂન વ્યકિત કે સમુદાયના મહાજીવનના વિકાસમાં મદદ થાય તેવી રીતે ચાલુ જીવનમાં મદદ કરવી અને તેમાં અંતરાય હોય, તે દૂર કરવા. તેવી પરોપકારની વ્યાખ્યા સર્વમાન્ય થઈ શકે તેવી છે. જો કે બીજા તરફ્થી મદદની આશા રાખવી એ દુર્ગુણ છે. પરંતુ આશા ન રાખનાર કે આશા રાખનારને મદદ આપવા પોતાના વધારાનાં સાધનોનો ઉપયોગ કરવા દેવો; અથવા પોતાની જરૂરિયાતોમાં સંયમ રાખીને તથાપ્રકારનું બળ અને પુરુષાર્થ વાપરીને પણ મદદ કરવી, એ સદ્ગુણ છે. કેટલાકને મદદની જરૂર હોય છે, તેથી જો જગત્માં પરોપકાર વૃત્તિ ન હોય, તો તેમને મદદ મળી શકે નહીં. તીર્થંકર પરમાત્માઓ અને મહામુનિઓના ભાવ અને પારમાર્થિક પરોપકાર હોય છે. ત્યારે બીજાઓના દ્રવ્ય પરોપકાર હોય છે. તે જ પ્રમાણે કેટલાક પરોપકાર પારમાર્થિક હોય છે, અને કેટલાક દુન્યવી પરોપકાર હોય છે. ૪૪૮ પરોપકાર કરવામાં એક શરત હોવાનું અનિવાર્ય જણાય છે. પરોપકારમાં પોતાનું સર્વસ્વ તજવામાં હરકત નથી. પરંતુ પવિત્રતા તજવી જરૂરની નથી. પરંતુ તે ન તજવી એ ખાસ અનિવાર્ય શરત છે. કારણ કે, પરોપકારનું આચરણ પણ આત્માની પવિત્રતા વધારવા માટે છે. તો પરોપકાર કરવા જતાં જે પવિત્રતા ખોઈ બેસાય, તો પછી મેળવ્યું શું ? સતી સ્ત્રી કામી પુરુષના કામની શાંતિ માટે શિયળ ભંગ કરીને પરોપકાર ન કરી શકે. તે જ પ્રમાણે મુનિ, બ્રાહ્મણ, ઉચ્ચ કુળવાનો, પોતાના વારસાગત કે સંજોગગત સંપાદન કરેલી, નૈતિક ગુણ રૂપ કે જાતિગત જે પવિત્ર હોય, તેને ભોગે પરોપકાર ન કરી શકે. સારાંશ કે પવિત્રતા જાળવીને, જીવન સિદ્ધાંત જાળવીને, જે પરોપકાર કરવામાં આવે, તે જ ખરો પરોપકાર છે. સિવાયના પરોપકારની કિંમત પણ નથી અને તે નામ માત્ર પરોપકાર છે. આની સામે ઘણા પરોપકારી પુરુષોએ ખોટા કલંક પોતાને માથે ઓઢી લીધાના, અપયશના ભાગી થવાના, તથા પરોપકારની લાગણીને વશ થઈને ગમે તેવી હીન સ્થિતિમાં પ્રવેશ્યાના દાખલા રજૂ કરશે. પરંતુ તેમાં એ પરોપકારી પુરુષોએ પોતાની જાતને અપવિત્ર કરી નહીં હોય, અથવા કયાંક અપવિત્રતા સ્વીકારી હશે, તો તેમાં માત્ર પરોપકારનો ભાસ હશે. હાલમાં દારૂનિષેધની પ્રવૃત્તિ પરોપકારાભાસ પ્રવૃત્તિ છે. મદ્યનિષેધ એ સપ્ત વ્યસનમાંના એક વ્યસનને નાબૂદ કરવા રૂપ સારો પરોપકાર છે. પરંતુ હાલનો દારૂનિષેધ કૃત્રિમ છે. કેમ કે, આ દારૂનિષેધનું પરિણામ દેશી દારૂ જે હાથથી ગાળવામાં આવે છે, તેના ધંધા ઉપર જરૂર કાબૂ મૂકનાર છે. પરંતુ તેટલેથી મદ્યપાનનો નિષેધ થશે, એમ માનવાને કારણ નથી. એ સર્વથા જગતમાંથી કદી બંધ થઈ શકે તેમ છે જ નહીં. અલબત્ત શરૂઆતમાં તેના પર ઘણો અંકુશ આવવાનો અને મદ્યપાન ઓછું થયેલું જણાશે; પરંતુ તદ્દન નાબૂદ ન થતાં કેન્દ્રમાં અમુક પ્રમાણમાં તો રહી જ જશે. એટલે કાયદામાં પણ એટલી અપવાદ તરીકે છૂટ મૂકવી પડશે, એ છૂટનો ઉપયોગ ધીરે ધીરે મશીનથી બનતા અને આ દેશમાં રીતસરનાં કારખાનાંઓ મારફત અનેક વિવિધ પ્રકારના મંદ, મંદતર, ઉગ્ર, ઉગ્રતર અસર કરનારા દારૂઓ વિવિધ નામે અને પ્રકારે પ્રસરશે. તે રોકી શકાશે નહીં. નવા પ્રકારને સ્થાન આપવા અને જૂના પ્રકારનો નાશ કરવા આ હિલચાલ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૪૯ સારાંશ કે, સર્વથા મઘનિષેધ નથી. પણ મદ્ય પ્રકાર નિષેધ છે જેથી વાસ્તવિક રીતે મઘનિષેધ નથી જ. બાકી દેખાવ માત્ર જ છે. કેમ કે, માનવ જાતમાં આજે આદર્શ આરોગ્ય નથી. આદર્શ આરોગ્યવાળાને આવા પીણાની જરૂર હોતી જ નથી. આદર્શ આરોગ્ય ન હોય છતાં પ્રજાને આદર્શ આરોગ્યવાળી કરી શકાય તેવા સાત્વિક ખોરાકો અને પ્રયોગો આર્યવૈદ્યક વિજ્ઞાનમાં પુષ્કળ છે. પરંતુ તેની અજમાયશની આમ્નાયનો લગભગ લોપ છે. અને કદાચ તેનો ઉદ્ધાર થાય તો તે ખર્ચાળ છે. જેને હાલની આ દેશની પ્રજા પહોંચી શકે તેમ નથી, અને બીજો પ્રકાર ઉત્તેજક ષધો-ઉપચારોની મદદથી આરોગ્યવાળા દેખાઈને જીવનનિર્વાહ કરવો, એ છે. તેમાં ઉત્તેજક અને માદક દ્રવ્યો પ્રધાન છે. કોઈ દારૂડિયા દારૂ પીવાનું બંધ કરે, તો તે વધારે ઉગ્ર ચા પીવે. શરબતો વગેરેમાં તેવા ઉત્તેજક બીજે નામે થોડાં ટીપાં પીવાનો પ્રચાર થાય, અને એમ કરતાં લાંબે કાળે એક યા બીજા સ્વરૂપે મદ્યપાન વધુ ને વધુ ફેલાવાનું. સર્વથા મઘનિષેધની પરિસ્થિતિ નથી. કેમ કે, તેની સામે ય વિરોધી હિલચાલ છે અને નોન એશિયાટિક માટે છૂટ છે. એટલી કાયદામાં છૂટ રાખી છે, એ ભવિષ્યમાં બીજા સ્વરૂપે વધવાનું બીજ છે. યુરોપ, અમેરિકામાં મઘનિષેધના હેવાલો આવે છે, તે પણ દેખાવ માત્ર છે. અને કેટલીક હાલના મુત્સદ્દીઓની એવી રીત છે કે, અહીં જે પ્રવૃત્તિ કરાવવી હોય, તેની હિલચાલ પ્રથમ યુરોપ અમેરિકામાં ચલાવે છે. અહીં ફરજિયાત લશ્કરી શિક્ષણ કરવાને યુરોપમાં યુદ્ધનું વાતાવરણ કરવામાં આવ્યું છે. બીજી પ્રજાઓને અહીં વસવાટના હકક આપવાને જર્મની ભારત યુરોપે જુદાં જુદાં બહાનાં નીચે યહૂદીઓને ત્યાંથી કાઢી મુકાવ્યા અને પછી દુનિયાની સહાનુભૂતિ મેળવી અહીં ગોઠવવાની શરૂઆત કરી. ભવિષ્યમાં બીજી ગોરી પ્રજાઓને વસાવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. આ રીતે હાલની મઘનિષેધ પ્રવૃત્તિ કૃત્રિમ છે. તે છોડાવવા પિકેટિંગ વખતે દારૂડિયા દારૂ છોડે તો સ્ત્રીઓને પોતાની પવિત્રતા જોખમમાં મૂકવા સુધી લાગણીવશ કરવામાં આ પ્રવૃત્તિને જાહેરમાં વધુ વેગ આપવાની યોજના સિવાય બીજું કાંઈપણ નથી. એવી રીતે સ્ત્રીઓએ પોતાની પવિત્રતાને જોખમમાં મૂકવી એ પરોપકારાભાસ છે. એટલું જ નહીં પણ સ્વપર વિનાશ છે, સ્વપર અપકાર છે. જગતની અંદર લોકો પરોપકાર કરી શકે છે, તેનું કારણ બીજા કરતાં જે લોકો પાસે બુદ્ધિ, સંસ્કાર, ધન તથા બીજી સામગ્રી વધારે હોય છે, તે પરોપકાર કરી શકે છે. જેની પાસે કાંઈ ન હોય કે ન્યૂન હોય તે પરોપકાર શો કરી શકે? બાહ્ય સાધન ન હોય, પણ આંતરિક બળ જેની પાસે વધુ હોય તે પરોપકાર કરી શકે. પણ જેની પાસે બાહ્ય કે આંતર બળ ઓછું હોય, તે શી રીતે પરોપકાર કરી શકે? અને એ આંતર કે બાહ્ય સામગ્રી પ્રજા પાસે હોવાનું મૂળ જીવનની પવિત્રતામાં છે. જીવનની પવિત્રતા ગુમાવ્યાથી પરોપકારની સામગ્રીનો લોપ થાય. માટે તેની રક્ષા રાખવી જોઈએ. એટલે દારૂડિયાના ચાપલ્યને વશ થઈને તેને દારૂ છોડાવવાની લાગણી આર્ય સ્ત્રીઓમાં ઉત્પન્ન કરવી. એ પવિત્રતાનો નાશ કરવા રૂપ હોવાથી પરોપકારને જ ધકકો મારનાર છે. જે તેવા પરોપકારીને કે દારૂડિયાને પણ પરિણામે હિતાવહ નથી. એવા જ હાલના શિક્ષણ, અસ્પૃશ્યનિવારણ, અનાથાશ્રમો, ઉધોગશાળાઓ, જાતિભેદ નિવારણ વગેરે પ્રવૃત્તિઓ પરોપકારભાસ છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩. જયણાવતના : યતના એટલે કંઈપણ કામ કરતાં જાળવણી રાખવી, એ સાદો અર્થ કરીએ તો પણ દરેક માણસના જીવનમાં એ ઉપયોગી ગુણ છે. ઉતાવળથી કે બેફામ રીતે કામ કરતાં ઘણી વખત કામ બગડે છે. અથવા કામ કરનારને નુકસાન થાય છે, વખતે વાગી બેસે છે કે કોઈ એવી હરકત આવી પડે છે. માટે યતના-જાળવણીપૂર્વક કોઈપણ કામ કરવું જોઈએ. લેવું, મૂકવું, ઊઠવું, બેસવું, જવું, આવવું તે દરેકમાં યતના રાખવાની દરેક માણસની સામાન્ય ફરજ છે. કેટલીક ચીજોને યતનાપૂર્વક – સંભાળપૂર્વક – જાળવણીપૂર્વક સાચવી મૂકવાથી તે ટકી શકે છે, સચવાય છે. સાચવીને ઉપયોગમાં લેવાની પણ તેટલી જ જરૂર હોય છે. આ તો સામાન્ય રીત યતના શબ્દનો શબ્દાર્થ થયો, પણ તેનું દીર્ઘતાત્પર્ય અહિંસક ભાવમાં છે. સારાંશ કે, જાળવણીથી બીજા છવો પણ વિના કારણ ન મરતાં બચી જાય છે. એટલું જ નહીં, પણ બીજા જીવોને બચાવવા ખાતર પણ દરેક કામ યતનાપૂર્વક કરવું જોઈએ. યેતના જાળવવાના જૈન જીવનમાં અનેક પ્રકારો પ્રચલિત છે. પ્રમાર્જનો અને પ્રતિલેખનો વગેરેથી જોઈ પ્રમાઈને કોઈપણ ચીજ વાપરવી. અગ્નિનો, પાણીનો ઉપયોગ બીજા જીવોને હરકત ન થાય તેમ કેવી રીતે કરવો ? અગ્નિ તથા પાણીના જીવોને હરકત ન આવે તેમ કઈ રીતે બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો ? અરે યતનાથી ઘણી ચીજોની એવી સંભાળ લેવાય છે કે તે સડતી, બગડતી બચે છે. એટલું જ નહીં પરંતુ તેનાથી કેટલીક ચીજોમાં જંતુ ઉત્પન્ન ન થતાં તે સારી રીતે જળવાઈ રહે છે. યતનાથી જેમ જંતુઓનો બચાવ થાય છે, તેમજ પોતાનો પણ બચાવ થાય છે, અને સ્વચ્છતાને સારી મદદ મળે છે. યતના દષ્ટિથી જૈન ખાનપાન તથા રહેણીકરણીનો ખાસ અભ્યાસ કરવા જેવો છે. બ્રાહ્મણો જેટલું શુદ્ધિ ઉપર ધ્યાન આપે છે તેના કરતાં વિશેષ જૈનો યતના પર ધ્યાન આપે છે. યતનામાં પણ આવશ્યક સ્વચ્છતા અને શુદ્ધિ સમાય જ છે. સવારથી માંડીને બીજા દિવસના સવાર સુધી અને જન્મ પ્રસંગથી માંડીને મરણ પ્રસંગ સુધીના સમગ્ર જીવનના દરેકેદરેક પ્રસંગોમાં યતના કેમ અને કેવી રીતે રાખવી ? તેના સૂક્ષ્મ પ્રકારો ઘણાં જૈન કુટુંબોમાં પ્રચલિત છે. અને ગુજરાતના અગ્રગણ્ય જેન વસ્તીવાળાં શહેરોમાં ખાસ કરીને જાણી શકાય છે. આ શહેરોમાંનાં ખાસ કુટુંબોમાં વપરાતા યતનાના નિયમો વિષે અન્ય પ્રદેશના કેટલાક જૈનો પણ અજ્ઞાત હોય છે. તેથી ઘણી વખત વગર સમયે જૈન આચારવિચાર સંબંધમાં જૈન-જૈનેતર ટીકાકારે કાચું કાપી બેસે છે. ૧૪-૧૫-૧૬ : જિનપૂજા-જિન સ્તુતિ અને ગુરુ ગુણ સ્તુતિ- આ ત્રણ કૃત્યો હમેશ થવાં જોઈએ. તે કૃતજ્ઞની, ઉપકારીનું બહુમાન અને મુકિતમાર્ગની પ્રગતિનું કારણ છે. પ્રજાના સદાચારી, નૈતિક અને ધાર્મિક જીવનનો મુખ્ય આધાર તેના ઉપર જ છે. ૧૭. સાધર્મિક વાત્સલ્ય : આ કૃત્યના સંબંધમાં આ સમયમાં સ્પષ્ટ વિવેચન કરવું ઘણું જ જરૂરી છે. સાધર્મિક વાત્સલ્યની વ્યાખ્યા બાબત હાલમાં ઘણી અરાજકતા અને અવ્યવસ્થા ચાલે છે. સાધર્મિક વાત્સલ્ય કૃત્ય ઘણા મહત્વનું છે, કારણ કે આ વિશ્વમાં પ્રાણી માત્ર પરસ્પર બંધુભાવ Page #524 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૫૧ રાખવો જોઈએ. અને જેટલો જેટલો બંધુભાવ રહે તેટલો તેટલો તે પ્રાણીનો આત્મવિકાસ સમજવો જોઈએ. સાંસારિક જીવોને કષાયો અને રાગ-દ્વેષની પરિણતિ ઘેરી વળેલ હોય છે. છતાં અનંતગણી આત્મા કંઈક ને કંઈક જાગતો હોય છે. અનંતભાવોની પરંપરા પસાર થતાં જેમ જેમ સુદ્ધ જંતુપણાની સ્થિતિમાંથી પ્રાણી આગળ વધે છે, તેમ તેમ ઊંડે ઊંડે આત્મવિકાસ પણ સામાન્ય રીતે આગળ. વધે છે. જંગલી અને હિંસક પશુઓમાં પણ બંધુભાવનાની માત્રા દેખાયા વિના નહીં રહે. જો કે ઘણામાં ઘણી જ અવ્યકત અને ન સમજી શકાય તેવી પણ હોય છે. એટલા ઉપરથી તેઓમાં બંધુભાવની અસર નથી હોતી, એમ માનવાનું કારણ નથી. પરંતુ એ વિકાસ ઘણો જ અલ્પ છે. સમ્યકત્વ વગેરે, માર્ગ પ્રાપ્તિ, એ ઘણી જ ઉચ્ચ કોટિની આત્મપરિણતિ છે, તે તો કોઈકને જ પ્રાપ્ત થાય છે. અનંત પ્રાણી રાશિના બહુ જ નાના ભાગને એ લાભ મળી શકે છે. પરમાત્મા તીર્થંકર દેવની કલ્યાણોની અનન્ત પરંપરામય અમોઘ ધર્મદેશનાની અસરથી જેઓની દષ્ટિ ખૂલી જાય છે તેવાં પ્રાણીઓની સંખ્યા ઘણી જ ઓછી હોય છે. એટલું જ નહીં, પરંતુ તીર્થંકર પરમાત્માના જીવન એટલા બધા ઉચ્ચ હોય છે, કે તેનો પરિચય, તેમનું નામ શ્રવણ, તેમના ચરિત્રનું શ્રવણ, તેમના ગુણોની સમજ, ભાગ્યે જ બહુ જ થોડાં પ્રાણીઓને હોય છે. કારણ કે પ્રાણીઓ પોતાની ખાનપાન અને વિષયી લાગણીની ગડમથલમાં એવા પડ્યાં હોય છે, કે તીર્થંકર પરમાત્માઓ અને તેઓના ઉપદેશ જગજાહેર છતાં ઘણા જ ઓછા જીવો તેમની અસર તળે આવે છે. સારાંશ કે, જેનો આત્મવિકાસ સામાન્ય પ્રાણીઓ કરતાં ઘણી જ ઉચ્ચ હદે પહોંચ્યો હોય, તેને જ કાને તીર્થંકર પરમાત્માના નામનો શબ્દ પણ પડે છે. તો પછી તેમનો, તેમના ધર્મનો, તેમના ઉપદેશનો વિશેષ પરિચય જેમને હોય, તેમની ઉચ્ચતાની તો વાત જ શી કરવી ? પૂર્વદોષથી સાતેય વ્યસનથી ભરપૂર છતાં તીર્થંકર પરમાત્મા તરફ ભકિતભાવ ધરાવનાર, તેમના નામ તરફ પણ આદર રાખનાર વ્યકિતની પણ જેવી તેવી ઉચ્ચ સ્થિતિ સમજવાની નથી. જેઓનો તેવા કુટુંબમાં જન્મ માત્ર થાય છે, તેમના પણ પુણ્યપ્રકર્ષનો પાર નથી હોતો, કેમકે, જૈન કુટુંબમાં જન્મ માત્ર પણ અનન્ત પુણ્ય રાશિનું પરિણામ હોય છે. આવાં પવિત્ર પ્રાણીઓ પરસ્પર જ્યાં મળે તે પ્રસંગ, તે કાળ, અને તે સંજોગો, મહત્વના જ ગણાય એ સ્વાભાવિક છે. આવી વ્યક્તિઓ મળવી જ આ જગતમાં મુશ્કેલ છે. આજે જગતની દોઢથી પોણા બે અબજની વસતિમાં તીર્થંકર પરમાત્માઓના સાદર નામસ્મરણ કે તેમના ઉપદેશ પ્રમાણેના ઓછાવત્તા સંસ્કારી કુટુંબમાં જન્મ બહુ જ થોડા માનવના નસીબમાં છે. દૂર દૂરના ગામડામાં તદ્દન ગરીબ અને હાલની દુનિયાથી અજ્ઞાત હાલતમાં રહેતા જૈન કુટુંબમાં જન્મેલા માણસના બીજા સંસકાર ઓછા હોવાની કલ્પના ન જ કરવી જોઈએ. કેમ કે તેમનામાં કાંઈ ને કાંઈ જૈનત્વની અસર વારસાથી પણ ચાલી આવી હોય છે. ત્યારે બીજા પ્રદેશોમાં જૈન શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા છતાં જૈન જીવનની છાપ જેમના ઉપર પડી નથી હોતી, તેમને જૈન ગણી શકાય નહીં. એટલું જ નહિ પરંતુ સમહત્વની ભૂમિકા ઉપર આવ્યા વિના વ્રતો લઈ બેઠેલ હોય, તો પણ તેમને સાધર્મિક ગણી શકાય નહીં. ઉદાયિ રાજાનું ખૂન કરવા ૧૨ વર્ષ સાધુપણું પાળનારને પણ જેમ જૈન ગણી શકતા નથી, તેમ અહીં પણ કેટલેક અંશે સમજવાનું છે. પરંતુ જૈન કુટુંબમાં જન્મેલા Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પંચ પ્રતિકમાણસૂત્રો હોય, અને તેમણે વિપરીત પ્રરૂપણી ન કરી હોય, ત્યાં સુધી તેને જૈન સાધર્મિક માનવાને હરકત નથી, તો પછી બીજા આચારો, વ્રતો વગેરે આચરનારને પરમ સાધર્મિક, અને સંઘનાં મહાન કામો સાચવનારા, ચલાવનારાઓને વડીલ સાધર્મિક, તથા મુનિઓ, સાધ્વીજીઓ આચાર્યો, ઉપાધ્યાયોને પૂજ્ય સાધર્મિકો માનવા જ જોઈએ. જૈન કુળમાં આવ્યા છતાં વીતરાગની આજ્ઞા વિરુદ્ધ પ્રતિપાદન ન કરે ત્યાં સુધી તેને સાધર્મિક માનવાને હરકત નથી. તેનું આચરણ કેવું છે ? તે ગૌણ બાબત છે. માત્ર વિપરીત પ્રતિપાદન ન જોઈએ, દેવ ગુરુ ધર્મનું પ્રત્યનિકપણું ન જોઈએ. એ મુખ્ય શરત છે. જગતમાં જૈન વસતિવાળો પ્રદેશ ઘણો થોડો છે. છતાં તેની પ્રસિદ્ધિ જગતુમાં પહેલે નંબરે છે. એટલું જ નહીં, પરંતુ તેમના વલણ પ્રમાણે આખી દુનિયાને થોડે ઘણે અંશે ચાલવું પડે છે. છતાં થોડા પ્રદેશમાં પણ કંઈક વધારે પરિચય હોવાને અંગે કેટલીક જે પરસ્પર અથડામણ જોવામાં આવે છે, તેમાં બીજા કેટલાક બાહ્ય સંજોગો ભળ્યા હોય છે. તથા મતભેદો, વિચારભેદો, સિદ્ધાંતભેદો, સહજ રીતે રહે છે, અને તેની ખાતર મકકમતા રાખવાની શક્તિ પણ એક જાતના સામર્થ્યનો પુરાવો તો છે જ. જેને કશો સિદ્ધાંત નથી, સિદ્ધાંત ખાતર મકકમ રહેવાની વૃત્તિ નથી, તેવા માનવોની ખાસ કિંમત ગણાતી નથી. તેવી અથડામણીઓ તો કેટલીક વાર વિકાસની સાધક હોવાથી આદરપાત્ર હોય છે. આજની આપણી અથડામણીઓ મોટે ભાગે હાલની કોટ અને હાલના વર્તમાનપત્રોને આભારી છે. આમ છતાં અન્ય પ્રદેશમાં સાધર્મિક ધણી દુર્લભતા છે. જેટલી બાબતમાં મતભેદ કે સિદ્ધાંતભેદ હોય અને તેને લીધે જે અથડામણ કે ઘર્ષણ જણાતા હોય, તેને બાદ કરતાં જીવનની જેટલી સમાનતા પરસ્પર સાધર્મિકોમાં છે, તેટલી બીજા કોઈ સાથે મળી શકશે નહીં. માટે સાધર્મિકનો સંજોગ દુર્ઘટ છે. માટે જેમ બને તેમ પરસ્પર વાત્સલ્ય રાખવાનો શાસ્ત્રકારોનો ઉપદેશ છે. પ્રેમ નહીં. દયા નહીં પરંતુ વાત્સલ્ય રાખવું. વાત્સલ્ય શબ્દ ખાસ ધ્યાન ખેંચે તેવો છે. હાર્દિક ભક્તિભાવ, સવિવેક હૃદયનો ઉમળકો અને તેમના તરફના મનની પરમ આદ્રતાપૂર્વક ઘટતા બાહ્ય ઉપચારોમાં વાત્સલ્ય શબ્દ પરિસમાપ્ત થાય છે. શુદ્ધદેવ-ગુરુ-અને ધર્મની યત્કિંચિત્ પ્રાપ્તિ પણ સાધર્મિક વાત્સલ્યનું પ્રયોજક તત્ત્વ છે. એ સિવાય બીજુ કોઈપણ પ્રયોજક તત્ત્વ નથી. “અહા ! મહામુશ્કેલી એ મળે તેવી શુદ્ધ દેવ ગુરુ ધર્મ તરફની સહજ પણ હાર્દિક પ્રાપ્તિ આ મહાનુભાવોને પ્રાપ્ત થઈ છે. ધન્ય છે. તેમના જીવનને ધન્ય છે.” આવી સમજમાંથી જે વાત્સલ્ય ભાવ છૂટે, તેને જ અહીં સાધર્મિક વાત્સલ્ય ગણવામાં આવે છે. અને વ્યકતાવ્યકત તે વાત્સલ્ય-ભાવનાના બળથી બાહ્ય ઉપચાર તરીકે જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, તે સર્વ પણ સાધર્મિક વાત્સલ્ય ગણવામાં આવે છે. એ સર્વ પ્રવૃત્તિઓમાં ભોજન એ મુખ્ય અને મહત્ત્વનો સત્કાર પ્રકાર છે. તે પરથી એ સિવાય બીજા સાધર્મિક વાત્સલ્યના પ્રકાર શાસ્ત્રસમ્મત નથી કે શાસ્ત્રસૂચિત નથી એમ માનવાને કારણ નથી. માર્ગ-પ્રાપ્તિ, માર્ગમાં ધૈર્ય તથા ધર્મમાર્ગમાં ઉત્તેજનાના જેટલા પ્રકાર હોય, તે સર્વ પણ સાધર્મિક વાત્સલ્યમાં સમાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૫૩ સાધર્મિક વાત્સલ્યમાં નાના મોટા સાધર્મિક તરીકેનો વિવેક જરૂર હોય, પણ જે સાધર્મિકો જે વર્ગમાં આવે, તેમાં સર્વ પ્રત્યે સમાનતા હોવી જોઈએ. તેમાં ગરીબ કે તવંગર, બુધ કે અલ્પજ્ઞ વગેરે ભેદો જોવાના નથી હોતા. જેમ સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ-જિનમંદિર બંધાવવું-જિનપ્રતિમાજી પધરાવવા ગુરુ ભક્તિ-બ્રહ્મચર્યાદિ વ્રત પાલન - બાર વ્રત પાળવાં – ઉપધાન-ઉદ્યાપન-આયંબિલની ઓળીપર્યુષણાદિ પર્વારાધન-વગેરે ધાર્મિક ક્રિયાઓ છે. તે જ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય પણ ધાર્મિક ક્રિયા છે. તેમાં જે આરંભ સમારંભ થાય છે, તે પણ ધર્મ સાધક હોવાથી સપ્રવૃત્તિપોષક છે. તે ભોજન માત્ર જ સમજવાનું નથી. સર્વ ભોજન માત્રને એક સરખા માનીએ, તો આપણા ઘર પાસેથી ઘેર ઘેર ભીખ માંગતો ભિક્ષુક પસાર થાય, તેને વધેલું મિષ્ટતમ ભોજન આપીએ. અને આપણે ઘેર વહાલામાં વહાલા સગાં આવે કે ઈષ્ટ મિત્ર આવે, તેને જે વખતે જે હાજર હોય તે જમાડીએ. તો તે બેમાં ફરક ખરો કે નહીં ? ઘણો જ ફરક કહેવો પડશે. તે રીતે ભોજન ભોજનમાં પણ ફરક હોય છે. કેટલાક ભોજન વ્યકિતગત, કેટલાક કુટુંબનત. કેટલાક સગાંવહાલાંને લગતા, કેટલાક ઈષ્ટ મિત્રોને લગતા, કેટલાક જાહેર ભોજન, કેટલાક પ્રજાકીય, કેટલાક સામાજિક, કેટલાક મરણ લગ્નાદિના પ્રાસંગિક, કેટલાક ઉત્સવ નિમિત્તક, અને કેટલાક ધાર્મિક ભોજન હોય છે. તે દરેકમાં પણ ઘણા પેટા ભેદો હોય છે. ધાર્મિકમાં પણ સર્વ સામાન્ય સાધર્મિકોને, વ્રતધારીઓને, મુનિઓને, પદવીધરોને, ઘેર આવેલાને વ્યકિતગત-સામુદાયિક, સાધર્મિકોને, ઉત્સવ નિમિત્તક, સંઘ, ઉપધાન, પારણા-અતરવારણા વગેરેનાં ભોજનો જુદાં જુદાં હોય છે, તેથી તે દરેક વિવિધ પ્રકારના સાધર્મિક વાત્સલ્યો હોવા ઉપરાંત ભકિત ફળવાળા પણ હોય છે, તેથી-આ ભોજન વિષે “એ કટકો લાડુ ખાધો તોય શું ? અને ન ખાધો તોય શું?એવા વિચારો જૈનત્વનો અભાવ નહીં તો ન્યૂનતા તો સૂચવે જ છે. એ ખાવા મળે. તે પણ પુણ્ય રાશિનો સંગ સૂચવે છે. અને ખવરાવાય તે પણ પુણ્ય રાશિનો સંજોગ સૂચવે છે. આધ્યાત્મિક શાસ્ત્રની દૃષ્ટિથી તેની જેવી તેવી કિંમત અંકાતી નથી. સાધર્મિક શું જમાડે છે ? તે જોવા કરતાં કેવી ભકિતથી જમાડે છે ? તે જોવું જોઈએ. પછી સૂકી ખાખરો હોય તો પણ દિવ્ય પકવાન સમજવા જોઈએ. જૈન શાસનમાં આટલા કારણે આવું સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ છે. કેમકે, તે બીજી ધાર્મિક ક્રિયાઓ જેવી એક મહત્ત્વની ધાર્મિક ક્રિયા જ છે. બીજી કોઈ ધાર્મિક ક્રિયા ન કરે, અને માત્ર સાધર્મિક વાત્સલ્ય કરે, તો પણ તેને તેટલે અંશે નિર્જરા પણ થાય, ધર્મારાધન થાય, દરેક જીવો દરેક ધાર્મિક ક્રિયા કરી શકે, એવું બનતું નથી. કોઈને માટે કોઈની યોગ્યતા અને કોઈને માટે કોઈની યોગ્યતા હોય છે. માત્ર બીજા તરફ ઉપેક્ષા કે નિષેધ ન હોવો જોઈએ. સાધર્મિક વાત્સલ્ય કરવું કે તેનો સ્વીકાર કરવો, તે પણ એક પ્રકારની મોક્ષની અંગભૂત પ્રક્રિયા છે, એ જરા પણ ભૂલવા જેવું નથી. આજે આપણા સાધર્મિકોની સંખ્યા ઘટતી જાય છે. તેના કરતાં જે સાધર્મિકો છે, તેમાંના પણ માર્ગથી વિપરીત માર્ગે ચડી જતા જાય છે, એ ખાસ ચિંતાનો વિષય છે. હજારો વર્ષથી માર્ગમાં ચાલ્યા આવતા પ્રવાહમાંથી એક પણ સાધર્મિક ઓછો ન થાય કે વિપરીત ન થાય એ ઘણું જ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો સંભાળવા જેવું છે. તેઓને સ્થિર કરવા એ પણ પરમ વાત્સલ્ય જણાય છે. દિવસે દિવસે વિપરીત માર્ગ તરફ દોરાઈ જવાના સંજોગો વધતા જાય છે. પરંતુ સાધર્મિક બંધુ અનુકંપા પાત્ર થાય, કે તેના ઉપર અનુકંપા કરવી પડે, એ સ્થિતિ વિષમ છે. તે વાત્સલ્ય નથી. તે તો નેવાના પાણી મોભે જવા જેવું છે. હાલમાં બોર્ડિંગ, સ્કૂલો, દવાખાનાં, શ્રાવિકાશ્રમો વગેરેમાં સાધર્મિકો વાત્સલ્ય મનાવવામાં આવે છે, તે કેવળ મોટામાં મોટું જૂઠાણું છે. તેને જરા પણ ઉત્તેજન આપવા જેવું નથી. કેમ કે તેમાં તો અરજી લેવાની હોય છે. દયા દાન જેવી સ્થિતિ હોય છે. તેના ઉપર સત્તા અને અધિકારની રચના હોય છે. તેમાં સાધર્મિક વાત્સલ્યનો અંશ માત્ર નથી હોતો. પરીક્ષામાં બેઠેલા સાધર્મિકને દાખલાની ચિઠ્ઠી આપીને પાસ કરાવી સાધર્મિક ભકિત કરવા બરાબર છે. પરદેશી ધંધાની હરીફાઈમાં બેકાર પડેલાઓને કેળવીને ફરીથી નવા ધંધાઓમાં મદદગાર કામ કરનારા તરીકે કોમી સંસ્થાઓની રચના મારફત તૈયાર કરાવી લેવાની યોજના માત્ર છે. જેમાં પરદેશીઓને ખર્ચ ન કરવો પડે અને પોતપોતાની કોમના માણસોની ઉન્નતિ માટેના પ્રયાસો કરવાની ભાવના ઉત્પન્ન કરાવી ખર્ચ અને મહેનત બચાવી જોઈતા માણસો ઉત્પન્ન કરી લેવાની, તેમજ આર્ય સંસ્કૃતિના કે વારસાના સંસ્કારોથી વંચિત રાખી સીવીલાઈઝની સંસ્કૃતિમાં મદદ ન કરે તો આડે તો ન આવે એવી ઘટનાને વેગ આપવાની યુકિત પ્રયુકિત છે. આપણામાં એક બીજાને સાધર્મિક તરીકે મદદ કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ છે, કેટલાકમાં જ્ઞાતિભાવનાથી મદદ કરવાની મનોવૃત્તિ હોય છે, તે મનોવૃત્તિને પ્રચારકાર્યથી યુકિતપૂર્વક આધુનિક કેળવણી વગેરે તરફ ધીમે ધીમે વાળી દીધી છે. ત્યારે સાધર્મિક વાત્સલ્યમાં અરજી લેવાની નથી હોતી, ઉપકાર માનવાનો નથી હોતો. ઊલટી ભકિત કરવાની હોય છે, અને ભકિતની ધાર્મિક ક્રિયા કરનારા તરીકે અનુમોદના કરવાની હોય છે. તેમાં અધિકાર, સત્તા કે એવાં વહીવટી ધોરણોનો સંબંધ હોતો જ નથી. સૌને એક સરખું નિમંત્રણ આમંત્રણ હોય છે અને એક સરખી રીતે ભકિત કરવાની હોય છે. કયાં આ રીતનું વાત્સલ્ય ? અને કયાં વ્યવહારુ સોદાને વાત્સલ્યનું નામ આપવું તે? આકાશ પાતાળનું અંતર છે, ફંડો ઉઘરાવવાના એ એક જમાનાના માર્ગ છે. ખરી રીતે, જૈન જેવી વ્યાપારી કોમ જે ધંધાર્થી કોમ છે અને તેવી જ ખેડૂત કોમ જે ધંધાર્થી કોમ છે, તેમજ ક્ષત્રિય કે જે પ્રજાકીય વ્યવસ્થાપક કોમ છે, તે સ્વપુરુષાર્થથી ઉપાર્જન કર્યા વિના મોઢામાં પણ ન નાંખે. તેવી ખુમારી જો તેનામાં ન હોય, તો પ્રજાકીય અધ:પાત થાય, સ્વાશ્રયના તત્વનો પ્રજામાંથી નાશ થાય, તે કોમો ફંડોથી ભોજન કરે, તે ઉન્નતિ નહીં, પણ પ્રજાકીય અવનતિ છે. અલબત્ત બ્રાહ્મણો વગેરે ભિક્ષુક કોમો કે જેના વ્યવસાય ઉત્પાદક પ્રજાઓના ભલા માટે છે, પણ તેને આશ્રયે ચાલે છે, તેમજ ત્યાગી વર્ગ ભિક્ષાવી છતાં ત્યાગથી જગતની રક્ષા કરે છે. અને વસવાયા કે એવા બીજા વર્ગો પરાશિત અન્ન ખાય, એ અયોગ્ય નથી. પણ આવા પ્રધાન પ્રજાજન તરીકે ગણાઈ ચૂકેલા વર્ગો સ્વકમાણી વિના જેટલો પરાશ્રય શોધે, તેટલી પ્રજાની કે દેશની Page #528 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો અવનતિ સમજવાની છે. પરદેશીઓને તો તેમ કરવા દેવામાં વાંધો નથી. ધંધાની લૂંટથી બેકારી ફેલાવવા અને બેકાર વર્ગને પોતાના ઉપયોગમાં લેવા પોતાનાં ખર્ચ અને મહેનત વિના જેટલો તૈયાર થાય, તેટલો જે રીતે થાય તે રીતે કરવામાં બને તેટલું પ્રચારકાર્ય કર્યા કરે, એ સ્વાભાવિક છે. અને તેને માટે તે કોમોનો અને સમાજોનો અભ્યાસ કરીને જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવે તેમાં નવાઈ શી ? અને તેવા કામમાં જે દેશીઓ મદદ કરે તેને મોટરો દોડાવવા આપવામાં વાંધો શો ? ટાઇટલો આપવામાં વાંધો શો ? લેખક અને વકતા તરીકે, વિચારક અને સમાજસેવક તરીકે પ્રતિષ્ઠા આપવામાં વાંધો શો ? પોતપોતાની કોમમાંથી પ્રતિષ્ઠિત થઈ સાધર્મિક વાત્સલ્યના નામે તેઓમાંથી અનેક ખાતાંઓમાં પૈસા કઢાવીને પરદેશીઓને મદદ કરે તેવા માણસો તૈયાર કરાવી આપે તેના બદલામાં એવું જે કાંઇ પરદેશીઓ આપે, તેથી આપણે અંજાવાનું નથી. સારાંશ કે, એ બિલકુલ સાધર્મિક વાત્સલ્ય નથી, પણ વિનાશના માર્ગમાં ફસાતાને અજાણમાં રાખવાની કળા છે. એટલેથી જ ન અટકતાં આજે તો તેમાં ઘણી રીતે વધારે આગળ વધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ૪૫૫ વેપારીની સ્કીમો પરદેશીઓના હાથમાં ચાલી જવાથી આપણા વર્ગમાં અમુક અંશે બેકારી ફેલાઈ ચૂકી છે, તે તો સર્વસમ્મત વાત છે. પણ હવે વકીલ બૅરિસ્ટર તરીકે પ્રસિદ્ધિ પામેલા, ભાષણોથી પ્રજાજનોને ઉશ્કેરી શકે તેવા કેળવાયેલા ગણાતા કેટલાક દેશી લોકોને દેશનેતા બનાવી તેઓ મારફત ખેડૂતોને ઉશ્કેરી, તાત્કાલીન અનેકવિધ લાલચો આપી, મોટા પાયા ઉપર યાંત્રિક ખેતી ખીલવી હાથ કરવાની હિલચાલ હાલમાં ચાલી રહી છે. એટલે દેશી લોકોના હાથમાંથી ખેતી જતાં મોટા પાયા ઉપર બેકારી આપણામાં પણ ફેલાશે. વેપાર ખીલ્યો પણ વેપારીઓ બેકાર થયા, તેમજ ખેતી ખીલશે પણ અહીંના મૂળ ખેડૂતો વખત જતાં ખેતીરહિત થશે. દેશી વેપારીઓ સામે ખેડૂતોને ઉશ્કેરવા તેમજ ધીરધારના ક્ષેત્રમાં શાહુકારોને કાઢી નાંખી પોતે ધીરધાર કરવા, શાહુકારોની ચૂસણનીતિનો દેશનાયકો મારફત મોટો પ્રચાર કરવામાં આવે છે જેથી ખેડૂતો તેઓના વિશ્વાસથી સહકારી મંડળીઓ મારફત નાણાંનો ઉપાડ કરે, અને અંતે પરદેશીઓની મૂડીની મોટી ધીરધાર થઈ શકે. શહેરોમાં આપણી અમુક સંખ્યા નવા ધંધાઓમાં મદદગાર થશે, ને કદાચ કરોડાધિપતિઓ પણ બનશે. પરંતુ શહેરો સિવાય ઠામઠામ જુદા જુદા ધંધાથી પ્રજા સાથે ગૂંથાયેલા આપણા ભાઈઓના ધંધાને દરેક ઠેકાણે મોટો ફટકો પડશે. જ્યાં સેંકડોની સંખ્યામાં ઘરો હશે, તેમાંથી થોડા સરકારી નોકર કે બહાર ગામ જઈને કે એવા કોઈ કોઈ ધંધા ચલાવીને ગુજરાન ચલાવશે. પરંતુ મોટો ભાગ બેકાર પડશે. ત્યારે એ બેકારીને પહોંચી વળવા માટે તેઓએ નવા નવા ધંધામાં દાખલ થવું જોઈએ. મૂળ ધંધા ન તૂટે તે માટે પ્રજાકીય હિલચાલ મોટા પાયા પર ચલાવવી જોઈએ. પ્રજા સાથે સહકાર સાધીને, વેપારીઓના વેપાર ન તૂટે અને ખેડૂતોની ખેતી ન તૂટે તેવા સક્રિય અને અસરકારક પ્રયત્નો કરવા જોઈએ. તેમાંનું કાંઈ પણ ન કરતાં કેળવણી લેવા દોડશે અને જુદે જ પાટે ચડી જશે. તેને માટે Page #529 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ધનની મદદ પણ બહારથી નહીં મળે. પણ અંદરના પોતપોતાના લોકોમાંથી મેળવવાની હિલચાલ ચાલે છે, તે વધુ પ્રમાણમાં ચાલશે. અને ગૃહસ્થોને પોતપોતાના પૈસા બીજા ધાર્મિક કાર્યોમાં ખર્ચવાને બદલે સાધર્મિક બંધુઓના વાત્સલ્યના બાના નીચે આવાં ખાતાંઓમાં ખેંચી જવા પ્રયત્નો થશે. તેવા પ્રયત્નો તો હાલમાં પણ ચાલી રહ્યા છે. પરંતુ દેવદ્રવ્ય વગેરે ધાર્મિક દ્રવ્યો પણ તેવાં ખાતાંઓમાં ખેંચી જવા પ્રયત્નો થઈ રહ્યા છે. લોકોની સંપત્તિ અને ધન પરદેશીઓએ સ્વાધીન કરી લીધેલ છે. પરંતુ દેવદ્રવ્ય વગેરે ધાર્મિક દ્રવ્યો એકદમ સીધી રીતે સ્વાયત્ત કરી શકાતાં નથી. ૪૫૬ એટલે તે ધન બેકાર લોકોના ઉપયોગમાં લેવરાવવાની લાલચ આપવાથી તે ધન તે લોકોને આધીન થતાં તેમની પાસેથી સ્વાયત્ત કરવામાં કશી હરકત ન આવે. માટે પ્રથમ દેવદ્રવ્યની રક્ષા અને હિસાબ ચોખ્ખા રાખવાની પ્રિય વાત કરીને, પછી તેને એમને એમ પડી રહેવા દેવા કરતાં દેશ કાળ વિચારી સમાજના ભાઇઓને રાહત મળે તેવાં ઉપયોગી કામોમાં ખર્ચવાના પ્રથમ પ્રશ્નો અને પછી ઠરાવો કરી, પોતાની પરિસ્થિતિથી અજાણ ભાવિ બાળ પ્રજાને ઉશ્કેરી તેનો લોકમત મેળવી એ ધનને ખેંચી જવા માટે પ્રથમ કબજો મેળવવા હિસાબ ચોખ્ખા રાખવાની વાતો કરવામાં આવે છે. અને તેના ટેકામાં ધાર્મિક-ધર્માદા ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઍકટ કરી આપવામાં આવેલ છે. જો કે દેવદ્રવ્ય ખાવું પડે તે એ સાબિત કરે છે કે, ‘“પ્રજા પાસે જાત મહેનતથી મેળવેલું નાણું ખૂટ્યું છે. તે મેળવવાના માર્ગ બંધ થતા જાય છે, અને મેળવવાની શિત પણ ઘટતી જાય છે. સાધર્મિકો પણ સહાયતા કરી શકે તેવી શતિરહિત થતા જાય છે, એટલે છેવટે ધાર્મિક ધન તરફ દૃષ્ટિ જાય છે.’' આ પ્રજાકીય પતન તો સ્પષ્ટ છે જ. અને તે ધન પણ લોકો પોતાના ઉપભોગમાં એવી રીતે વાપરે કે જેથી કરીને ધીમે ધીમે તે પણ પરદેશીઓને સ્વાધીન થતું જાય, કારણ કે, પૂર્વનું ધન પરદેશીઓને સ્વાધીન થયું. તેનાં કાણો ચાલુ જ છે, તે બંધ પડ્યાં જ નથી, અને હાલ પડે તેમ પણ નથી. એટલે દેવદ્રવ્ય વગેરે દ્રવ્ય પણ બેકારો પર પસાર થઈને ખેંચાઈ જાય જ. આ દેશની પ્રજા કેવી ભયંકર હાલમાં આવી પડશે ? તેની કલ્પના કરી જોવા જેવી છે. દેશમાં ધનની છોળો ઊછળશે, એ ઉદ્યોગો અને ખેતીની ખિલવણીની હિલચાલથી કલ્પવું મુશ્કેલ નથી. પણ તેનો ઉપભોગ તો હાલની યાહુદી, જર્મનો, અંગ્રેજો, અમેરિકનો વગેરે યુરોપવાસી લઘુમતી ગણાતી કોમો બહુમતી સ્વરૂપ પ્રાપ્ત કરીને કરવાની પણ સાથે જ તૈયારી ચાલી રહી છે. આ સ્થિતિમાં દેવદ્રવ્ય આજીવિકામાં ઉપયોગમાં લેવું એને આદર્શ માનીને તેના ઠરાવ કરવા, એ કેટલું ભયંકર અને સત્ય વિરુદ્ધ છે. કોઈ માણસ ભૂલથી વાપરી બેસે તેને ભૂલ ગણવાને બદલે તેને જાહેરમાં ઠરાવ રૂપે લાવવાથી આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિને બાજુએ રાખીએ તો પણ પ્રજાના હિતની વ્યવહારુ દૃષ્ટિથી પણ કેટલું ભયંકર છે ? અને એમ પ્રજાની બેકારી અને લાચારીને ઉત્તેજન આપવું અને તેને સાધર્મિક વાત્સલ્ય ગણવું. કેટલું અસત્ય, પાપમય, ભયંકર, અને પ્રજાવિનાશક તત્ત્વ છે ? તે શાંત ચિત્તે વિચારી જોવા સહૃદય વાચકોને વિનંતિ કરું છું. જ્યારે કોઈપણ જાતનું ધન માણસ જાત પાસે ન રહે ત્યારે આવા ધન તરફ તેની નજર જાય. Page #530 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૫૭ આવા ધન તરફ નજર જાય એ સાબિત કરે છે કે પ્રજાની શક્તિ હણાતી જાય છે. કાળક્રમે ગમે તે બને, પણ તેને માટે જાહેર ઠરાવ કરીને આપણે પરદેશીઓને ધનનું આકર્ષણ કરવાનો માર્ગ મોકળો કરી આપીએ છીએ. એ પરિણામ સુધી વિચારશ્રેણી પહોંચતાં આ વિચારણાનું તથ્ય સમજાશે. છતાં બૂમો-“પ્રજા આગળ વધે છે” એવી પાડવામાં આવે છે. આપણા લોકોનો ઠરાવ થયો એટલે પછી તેટલા બીજ ઉપર તો તેઓ અનેકગણું મંડાણ માંડી શકે તેમ છે. કાયદાના બળથી હિસાબ ચોખ્ખા રાખવાના બહાના નીચે ધાર્મિક મિલકતો ઉપર છેવટનો અંકુશ દેશી પ્રધાનો મારફત પણ પરદેશી સત્તા પોતાના હાથમાં રાખે. આ તરફ દેવદ્રવ્યનો ઉપયોગ સમાજોપયોગી કામમાં લેવા માટે ઠરાવો ભારત લોકમત કેળવાતો જાય, પરિણામે “સમાજના આગેવાનોની ઈચ્છાથી અને તેમાંના જ ટ્રસ્ટીઓની ઈચ્છાથી ધાર્મિક મિલકતો કેવળ ધાર્મિક કામોમાં જ ન ખર્ચતાં, તેમજ તેની જરૂર ન હોવાથી તેમજ સમાજોપયોગમાં ખર્ચવાની જરૂર હોવાથી, તેમજ જાહેર લોકમત પણ તેવો હોવાથી, તેમજ તેમાં પ્રજાની ઉન્નતિ હોવાથી, ધાર્મિક સંસ્થાઓ ઉપર અંકુશ રાખતું ખાતું હવેથી સમાજોપયોગી કાર્યોમાં ધાર્મિક ધન ખર્ચવા છૂટ આપે છે.” બસ પૂરું થયું. આ તેનું ભાવિ છે. આમ ધન લૂંટાય છે, પ્રજાની ઉત્પાદક શકિત મારી જાય છે, વગેરે અનેક પ્રકારનાં નુકસાન સંકળાયેલાં છે. આ ભયંકર તત્ત્વ તો એ છે કે, પડેલો વર્ગ દુનિયાને ગમે તે ક્ષેત્રમાં પડીને રોટલા કમાવા ન જતાં પોતાના જાત ભાઈઓ ઉપર આધાર રાખતો થઈ જાય. એટલે એ પણ સમાજ પર બો વધી પડે અને બીજા ધંધાના ક્ષેત્રમાંથી જૈન જેવી બુદ્ધિમાન કોમના લોકો બાતલ રહે, એટલો બીજા લોકોને અને પરદેશીઓને તે ધંધાઓ ઉપર આક્રમણ કરવાની છૂટ રહે જ. ધર્મને, સમાજને અને વતનને ભૂલ્યા વિના તેના તરફની ફરજ અને તેમાંથી મળતા લાભના બદલામાં તેમના તરફની વફાદારી જાળવીને ધંધા ખાતર ગમે તે પ્રદેશમાં પરદેશી તરીકે જઈને-નહીં કે ત્યાંના વતની તરીકે, અને ગમે તે ધંધો કરવો પડે તેને માટે છેવટે શાસ્ત્રકારની મનાઈ નથી. અલબત્ત જેમ બને તેમ વતનથી દૂર ન જવું પડે અને ઉત્તમ ધંધા હાથમાં રહે, તે આદર્શ પ્રજાકીય સ્થિતિ ગણાય, છતાં નિરૂપાયે તેમાંથી ખસવું પડે તો તે સામે શાસ્ત્રકારોને વાંધો નથી, પરંતુ તે નિરૂપાય સ્થિતિ ગણાવી જોઈએ. તેને આદર્શ માનીને તેના પ્રતિષ્ઠિત ઠરાવો કે જાહેરાત કે પ્રચાર ન થવો જોઈએ. અને જેમ બને તેમ વારસાના ધંધા ટકી રહે, ત્યાં સુધી પ્રજાનું તેટલું પતન હજુ ઓછું થયું છે, એમ સમજવું જોઈએ. “અરધો મળે ત્યાં સુધી વતન છોડીને આખો લેવા ન દોડવું.” એ કહેવત વિચારવા જેવી છે. કેમકે, વતન છોડીને બહાર જતા લોકો નવો ધંધો હાથ કરી લાવતા નથી, પણ પરદેશીઓએ પાથરેલા ધંધામાં મદદગાર થવા જાય છે, અને જેમ જેમ તે ધંધો વધે છે, તેમ તેમ બીજા ધંધાદારી દેશીઓના હાથમાંથી ધંધા તૂટતા જઈને પરદેશીઓ માટે માર્ગ મોકળા થતા જાય છે. કોઈક કહેશે કે, “હવે કોંગ્રેસના રાજ્યમાં પરદેશીઓ એક પાઈ પણ લઈ જશે નહીં,” એમ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પંચ પ્રતિકમાણસૂત્રો કહે છે. અને પરદેશીઓ કહે છે કે, “અમારી પણ ઈચ્છા હવે એક પાઈ પણ લઈ જવાની નથી. હિંદનું ધન હિંદમાં જ રહે એમ અમે પણ ઈચ્છીએ છીએ. પરંતુ આ શબ્દો પણ એક કોયડારૂપ છે. કેમ કે, લઘુમતી કોમો તરફ સહાનુભૂતિ ઉત્પન્ન કરી પરદેશીઓને અહીંના વતની તરીકેનો હકક કોંગ્રેસ મારફત અપાવી, મૂડી, હાલની કેળવણી, લાગવગ વગેરેથી અહીંના વતની થઈ અહીં જ ધન ભેગું કરી લાંબે કાળે હિંદને પોતાનું વસાહત બનાવી દે. પછી ભલેને અહીંથી ધન ન લઈ જાય, તેથી અહીંના મૂળ વતનીઓનાં સંતાનોનું દળદળ શું ફિટ ? આફ્રિકાના કેન્યા પ્રદેશ વગેરેમાં ઘણા વખતથી ગયેલા આપણા હિંદી ભાઈઓને ત્યાંના વતની તરીકે ન ગણી આડકતરી રીતે તેના ઉપર દબાણ લાવવાનો કાયદો કરે, એટલે સહજ રીતે જ તેઓને સામનો કરવાનું મન થાય, અને ત્યાંનો વતનહકક કબૂલ કરાવે, એટલે તેનો પરિણામે એ અર્થ થાય કે હિંદીઓએ હિંદમાં પણ પરદેશીઓનો વતનહકક અનાયાસે કબૂલ કરેલો ગણાય જ. અને રાજકોટની લડતના તા.૨૬-૧૨-૪ની જાહેરાતમાં કેડલ સાહેબના વખતમાં રાજા પાસે અને પ્રજા પાસે રૈયતની વ્યાખ્યાની ટીપ ઉમેરાવી પરદેશીઓને દેશી રાજ્યોમાં વતન હકક અપાવવાનું બીજ ગોઠવાઈ ગયું છે. આપણા ભાઈઓને આશ્રિત બનાવી દેવાને બદલે દુનિયાના ક્ષેત્રમાં ધંધા હાથ કરવા છૂટા રહેવા દેવા જોઈએ, તેમાં સાધર્મિક વાત્સલ્ય છે. તેમાં પ્રજાકીય બળ છે. હરીફાઈમાં ઊભા રહેવા દેવા જોઈએ-પરંતુ કેળવણીથી પરદેશી ધંધાને લાયક પલટો આપ્યા વિના. પલટો આપ્યા પછી તેના કુંડાળામાં જ આપણા ભાઈઓ એક યા બીજી રીતે આવી જાય છે. કેમ કે, પોતાના ધંધા માટે તૈયાર કરવા માટે જ પ્રજાકીય કે રાજકીય સંસ્થાઓ મારફત કેળવે છે. હવે પછી એ લોકો અહીં મોટાં મોટાં કારખાનાં ઊભાં કરવાનાં છે. તેમાં કેળવાયેલા મજૂરો અને કાર્યકરો મળે માટે જૂની કેળવણીની સ્કીમ રદ કરીને વધ કેળવણી સ્કીમ નામ નીચે નવી સ્કીમ શરૂ કરી છે, અને લોકો તેમાં વિશ્વાસથી દોરવાય, માટે ગાંધીજી જેવા દેશનાયકની સમ્મતિની તેના ઉપર છાપ મારવામાં આવી છે. જે કેળવણીએ આજ સુધી સરકારી અને વિદેશી વેપારી કંપનીઓના કારકુનો ઉત્પન્ન કર્યા. હવે પછીની વધુ સ્કીમ ઔદ્યોગિક કેળવણી તરીકે પ્રતિષ્ઠા પામી કેળવાયેલા મજૂરો ઉત્પન્ન કરી આપશે, અને સ્ત્રીઓના આર્થિક સ્વતંત્રતાનો પ્રશ્ન ઊભો કરી પુરૂષો સાથે સ્ત્રીઓની પણ મજૂરો તરીકે મોટી સંખ્યા તે કારખાનાંઓમાં હવે પછી મળી રહેશે. અને તેના પ્રતીક તરીકે દેશી લોકોને આકર્ષવા માટે રેટિયાને કેન્દ્રમાં રાખવામાં આવ્યો. રેંટિયો પોતાના ખરા અર્થમાં ફાવશે નહીં. પરંતુ તે ઔદ્યોગિક ક્રાંતિની જાહેરાત માટે ઘણો જ સફળ થશે અને થઈ રહ્યો છે. એ આ જમાનામાં રેટિયાનું ભારે મહત્ત્વ છે, સિવાય નથી. એટલે આ ક્રાંતિથી ફેલાતી બેકારી ટાળવાનો બોજો આપણા ઉપર નાંખવામાં પરદેશીઓને બેવડો લાભ છે. એક તો આપણા શ્રીમંતો નબળા પડે, અને બીજું રોટલા માટે દુનિયાના ધંધાના ક્ષેત્રમાં ન પડતાં પોતાના જાત ભાઈઓ અને ફંડો ઉપર આધાર રાખતા થઈ ધંધાનાં ક્ષેત્રો પરદેશીઓ માટે મોકળાં રહે, વગેરે તેમને ઘણા ફાયદા થાય છે. અર્થશાસ્ત્રનાં માર્મિક તત્ત્વો ન સમજનારા અને આર્થિક ક્રાંતિઓ પરદેશીઓ કઈ ખૂબીથી કરે છે ? તે ન સમજવા છતાં કેળવાયેલા ગણાતા ભાઈઓ Page #532 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો અમારી વાતનો વિરોધ કરશે. અને જે વિરોધ કરશે તેનો ઉપયોગ પોતાના હેતુઓને પ્રચારક તરીકે, પ્રજાના આગેવાન તરીકે, દેશનેતા તરીકે કરાવીને પરદેશીઓ કરે છે અને કરશે. અને બહારથી એવું બનાવરાવે છે કે, “અમે તો પરદેશીઓથી વિરુદ્ધ છીએ, તેઓની યુકિત પ્રયુકિત સમજીએ છીએ, અને દેશીઓના ભલા માટે પ્રયત્ન કરીએ છીએ.” અને પરદેશીઓ પણ બહારથી તેવાઓની સાથે વિરોધ બતાવે છે, પરંતુ સ્કીમોમાં એવી ખૂબીથી તેઓનો ઉપયોગ કરી લે છે કે તેઓના કાર્યની જે સિદ્ધિ આબાદ થાય છે. આ આંટીઘૂંટી ન સમજી પ્રજાને ક્રાંતિમાં દોરવે તેને નેતા બનાવવામાં આવે છે. અને તે આજના દેશનાયકો. મુંબઈમાં જૈન યંગ મેન્સ સોસાયટીના સંમેલન વખતે બેકાર જૈન ભાઈઓ માટે શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે ફંડ કરવાનો ઠરાવ ન કરવા વિષે મેં પ્રસંગે સૂચના આપી હતી. કેમ કે એ ક્ષેત્ર એટલું બધું વિશાળ થવાનું છે, કે તેમાં સાતેય ક્ષેત્રોનું ધન રેડી દેવામાં આવશે, તો પણ તે પૂરું થશે નહીં. અર્થાત્ અત્યારે કરવામાં આવતું નાનું ફંડ પણ આગળ ઉપર મોટા ફંડના રૂપમાં ફેરવાઈ જશે, અને તે સાતેય ક્ષેત્રને સંકોચી નાંખશે. આ જાતનો ઠરાવ ધર્મિષ્ઠ ગણાતા વર્ગને હાથે થાય, તેના જેવું પરદેશીઓને મંગળરૂપ બીજું હોઈ શકે ? આજ તો માત્ર “આવા ફંડમાં ચુસ્ત ગણાતાઓની પણ સંમતિ છે.” એટલો દાખલો જ ભવિષ્યમાં બસ છે. તાત્વિક દષ્ટિથી વિશેષ બેકારીને વધુ વેગ આપવાનું ફંડ લાગવાથી, એ ઠરાવ ન થવા દેવામાં મેં સાધર્મિક વાત્સલ્ય જ કર્યું છે, એમ મારો અંતરાત્મા સંતોષ અનુભવે છે. આ ગ્રંથમાં આ વિષય આટલો ટૂંકમાં વિચાર્યો, તો પણ ઘણો જ લંબાઈ ગયો છે. છતાં એક જુદા પુસ્તકમાં વધારે સ્પષ્ટતાથી આ વિષય ચર્ચાય ત્યારે જ દરેકને આની દરેક બાજુની સત્યતા સમજાવી શકાય તેમ છે. અહીં તો માત્ર કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાઓનો જ માત્ર નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રની ગૂંચો અને વધારે સચોટ પુરાવા તથા બીજા હજારો આ વિધાન સામેના વિરોધી પ્રશ્નોના જવાબો બાકી જ રાખવામાં આવ્યા છે. અવકાશને અભાવે હજ એ મહત્વની હિતકારી વાત હું પ્રસિદ્ધિમાં મૂકી શક્યો નથી. એ ઠરાવન કરવાની મારી સૂચના સાથે ઘણી વ્યકિતઓએ એ વખતે અણગમો બતાવ્યો હતો. અને તેનો ખુલાસો વિસ્તારથી કરવાની તે જ વખતે ઈચ્છા છતાં તથા પ્રકારના સમય-સંજોગોને અભાવે કરી શક્યો ન હતો. એટલે અહીં ટૂંકમાં તેનો નિર્દેશ કર્યો છે. તેટલાથી વિચારકો હાલમાં સંતોષ માનશે એટલી આશા સાથે હવે આ બાબતનો ઉપસંહાર કરતાં જણાવું છું કે, દીન-દુઃખી થાવકભાઈઓને સહાય કરવાની મહાશાવકોની ફરજ શાસ્ત્રકારોએ વર્ણવી છે. પરંતુ આજની બેકારીમાંથી બચાવવાના જે જે ઉપાયો સૂચવવામાં આવે છે, તે ઊલટા બેકારીમાં વધારે કરનારા અને પરિણામે અહિત કરનારા છે. માટે શાશ્વસંમત તેમજ આજકાલના દેશકાળમાં પણ સાચું સાધર્મિક વાત્સલ્ય કયું હોઈ શકે? તે વાચકોના ખ્યાલમાં આવશે. આજકાલ સાધર્મિક વાત્સલ્યને નામે જુદાં જુદાં સંડો માંગવાની જે રીતભાત ચાલે છે, તેમાં સાધર્મિક વાત્સલ્ય નથી. પણ પરિણામે સાધર્મિકોને પરિણામે હાનિ પહોંચવાની છે તે સ્પષ્ટ સમજાશે, એમ વિચારકો અવશ્ય વિચારી જેશે. ૧૮. વ્યવહારશુદ્ધિ : આ કૃત્ય સામાન્ય રીતે ધાર્મિક ન ગણી શકાય, પરંતુ સાંસારિક ગણી Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પંચ પ્રતિકમાણસૂત્રો શકાય. છતાં તેની અસર ધાર્મિક જીવન પર અવશ્ય થાય છે. કેમ કે વ્યવહારમાં ગરબડ નૈતિક છાપ બરાબર પડતી નથી. વ્યવહારના ગોટાળા માણસના ધાર્મિક જીવનમાં પણ નડે છે, વહીવટ અને વ્યવહાર જેટલો ચોખ્ખો, તેટલો માણસ અને માણસનું મન છૂટાં રહે છે. દાખલા તરીકે વ્યવસ્થિત ઑફ્રિકામ પૂરું કર્યા પછી તેની દરેક જવાબદારીથી માણસ છૂટો રહે છે અને બીજાં કામોમાં સરળતાથી માથું મારી શકે છે. દરેક જવાબદારીથી છૂટા રહ્યા વિના માથે બોજે રહ્યા કરે, તે માણસને ગૂંચવી નાંખે છે. માટે વ્યવહારોમાં દરેક આવશ્યક ચોખવટો એ કૃત્ય ખાસ માણસના જીવનના વિકાસનું અંગ છે. તથા પ્રકારની શકિત, તાલીમ અને બુદ્ધિના સામર્થ્ય વિના ધંધાના, સમાજના, દેશના, ધર્મના, સગાંસંબંધીના, કુટુંબના, કે એવા કોઈપણ દુન્યવી વ્યવહારોમાં ચોખવટ રાખી શકાતી નથી. એટલે વ્યવહારમાં શુદ્ધિ રાખવાની શક્તિમાં પ્રજાકીય શકિતનો પણ પુરાવો છે. જેમ જેમ પ્રજાકીય બળ ઘટતું જાય, તેમ તેમ વ્યવહારમાં ગોટાળા વધતા જાય, તેમ તેમ વ્યવહારોનું ક્ષેત્ર સંકોચાતું જાય અને બહુ જ ઓછા વ્યવહારોને પહોંચી વળી શકે. એટલે સુરિવાજોને પણ કુરૂઢિ અને કુરિવાજે ગણી લઈ તેના ત્યાગ કરવાની હિલચાલમાં ભળે છે. સમાજના ચકકી, સિતમની ભઠ્ઠી, વગેરે ઉત્તેજક શબ્દો મારફત માનવજીવનમાં ઉપયોગી અનેકવિધ વ્યવહારો સામે દાંતિયાં કરાય છે. પરંતુ એ માનવવિકાસ માટે નુકસાનકારક છે. ૧૮-૨૦. રથયાત્રા-તીર્થયાત્રા : તીર્થંકર પરમાત્માની વિસ્તૃત ભકિત કરવાનો આ પ્રકાર છે. તેમજ બાળ જીવોને તીર્થંકર પરમાત્માની અભિમુખ કરવાનો આ ઉત્તમ ઉપાય છે. અને શુફલ પાક્ષિક જીવોને ધર્મ તરફ અભિમુખ કરવાને ધાર્મિક શિક્ષણની આ જાહેર યોજના છે. ધાર્મિક જીવન જીવનારાં પાત્રો પણ વિવિધ શકિતના હોય છે. કોઈ એકાંતમાં ધાર્મિક જીવન જીવે છે. કોઈ ગુરુ સાથે, કોઈ ધર્મ સ્થાનમાં, કોઈ ઉત્તેજક વાતાવરણથી, કોઈ મોટા પર્વ દિવસોમાં ધાર્મિક જીવન જીવી શકે છે. ત્યારે કોઈ આવા ઉત્સવોથી ધાર્મિક જીવન જીવી શકે છે. ત્યારે કોઈ આવી જાહેર પ્રવૃત્તિઓથી પણ થોડા ઘણા દોરવાય છે. માટે એ દરેક ધાર્મિક જીવન જીવવાના અને લોકોને ધર્મમાં કેળવવાના તથા ધર્મની અભિમુખ કરવાનાં પ્રકારો અને અંગો છે. માટે કોઈનોયે નિષેધ કરી શકાય નહીં. માત્ર આપણા જીવનવિકાસના વ્યવહારોને સંકોચી નાંખવા કુરૂઢિઓ ગણાવી પ્રચાર કરનારાઓના પ્રચારમાં વિશ્વાસ મૂકી જેઓ આવી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે, તે વાજબી નથી, એ વિરોધ તાજ્ય છે. પ્રજાની શક્તિ નહીં હોય, તેને કોઈ પરાણે કરાવતું નથી. જ્યાં સુધી આ કાર્યો ચાલે, તેમાં પ્રજાની શકિત હોવાને પુરાવો છે, માટે તેમાં પ્રજાનું હિત જ સમાયેલું છે. તેમજ ધાર્મિક આચાર તરીકે આત્મ-હિતકર પણ છે. “વૈષ્ણવો વગેરેનું અનુકરણ છે” એવી વાતો વગર વિચારની અને અજ્ઞાનથી જન્મી છે. આવી પ્રવૃત્તિઓ જૈન ધર્મશાસ્ત્રસંમત અને ધાર્મિક વિજ્ઞાનસિદ્ધ છે. અજ્ઞાન જીવો સ્વાર્થથી કે અજ્ઞાનથી ગમે તેમ કહે પરંતુ તે ધ્યાનમાં લઈ શકાય નહીં. રથયાત્રા શહેરમાં કાઢવામાં આવે છે અને તીર્થયાત્રા તીર્થમાં જવા માટે કાઢવામાં આવે છે. તેમાં પ્રજામાં અપૂર્વ સ્વાશ્રય કેળવાય છે. અનેક સ્વદેશી રિવાજો તથા ધંધાને પોષણ મળે છે. ધાર્મિક વાતાવરણ ઊછળે છે અને અનેક જીવો અનેક રીતે લાભ ઉઠાવે છે. ગરીબોને, ગરીબ ધંધાર્થીઓને અને સીદાતા ક્ષેત્રોને પણ ઘણા લાભ મળે છે. માનસશાસ્ત્ર Page #534 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો તથા આધ્યાત્મિક શાસ્ત્રની દૃષ્ટિથી કાઢનારને પણ લાભ થાય છે. તેમજ બીજા સહકારીઓને જે અનંત લાભ થાય છે, તે તો સૂક્ષ્મ વિચારથી જ સમજી શકાય તેમ છે. ૨૧-૨૨-૨૩. ઉપશમ-વિવેક-સંવર : આ ત્રણ ગુણો દાન શીલ તપ, ભાવની માફક આત્મવિકાસનાં સ્વતંત્ર પણ સાધનો છે. કષાયોનો ઉપથમ, પ્રવૃત્તિઓમાં સારાસારની વહેંચણી, સ્વપર-કર્તવ્યની વહેંચણી, આત્મભાવ અને અનાત્મભાવની વહેંચણ વગેરે વિવેક અને આત્માને અહિતકર પ્રવૃત્તિઓથી ભાવિ કાળે વિપરીત પરિણામ આપનાર જે બીજકો તે પ્રવૃત્તિ કાળે રોપાય છે – કર્મ બંધ થાય છે, તે ન થવા દેતાં, આત્મહિતકર પ્રવૃત્તિથી તેવા બીજકોનો સંભવ જ નાબૂદ કરવો, તે સંવર કહેવાય છે. [પ્રથમ ગુણસ્થાનકથી ઉપરનાં ગુણ સ્થાનકોમાં જેમ જેમ સંવર વધતો જાય છે, તેમ તેમ ઓછી ઓછી કર્મપ્રકૃતિઓ બંધાતી જાય છે.] આ ત્રણમાં પણ મોક્ષમાર્ગ રૂપ ધર્મનાં સર્વ અંગો સમાય છે. ઉપશમ=સમ્યકત્વ : વિવેક=સમ્યજ્ઞાન : સંવર=સમ્યફચારિત્ર : તેમજ સર્વ ધર્માચરણમાં આ ત્રણ ખાસ આત્મા રૂપે પરોવાયેલા હોવા જ જોઈએ. તો જ ધર્માચરણો પણ યથાર્થ સફળ થઈ શકે છે. ૨૪. ભાષા સમિતિ : ભાષા સમિતિ. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિ જુદી પાડીને તેના ઉપર ખાસ ભાર મૂકવાનું કારણ એ જણાય છે કે, વ્યવહારમાં તેમજ ધાર્મિક જીવનમાં ઘણીવાર બોલતા આવડવાની ખામીને લીધે બાજી કથળી બેસે છે. જીભનું જોર ઘણી વખત રંગમાં ભંગ પાડી દે છે. હૃદય સાચું છતાં ભાષામાં યથાયોગ્યતા ન હોય તો ઘણી વખત મોટાં નુકસાન થઈ બેસે છે. સારાંશ કે, ભાષા સમિતિ પણ જીવનનું પ્રધાન અંગ છે. ૨૫. છ કાયના જીવો ઉપર દયા : વૈદ્યક શાસ્ત્રમાં પણ વિના પ્રયોજને પાંદડું હલાવવાની પણ મનાઈ હોવાનું સાંભળીએ છીએ, એટલે વિના કારણ કે અલ્પ કારણે કે, નભી શકે ત્યાં સુધી કે થોડું દુઃખ વેઠવા છતાં, બીજા જીવોને દુ:ખી ન કરવા-તેના તરફ દયાભાવ રાખવો. તેની જીવવાની ઇચ્છાની આડે આવવાની બાબતમાં જગતનો દરેક સભ્ય અને વિચારક માનવ સંમત હોવા વિષે બે મત નથી. માણસ જાતના કોઈ વ્યવહારમાં હિંસા તો થઈ જાય છે, પણ તે કરવાની વૃત્તિ ન જોઈએ. તેમજ જેમ બને તેમ તે ઓછી થાય, તેને માટે માણસ પોતાના મનમાં અહિંસા વૃત્તિ, દુઃખ સહન કરવાની ટેવ અને સંયમથી જીવવાની ટેવ કેળવે, તો જગતમાં ઓછામાં ઓછી હિંસાથી તે જીવી શકે. જૈનોની અહિંસાની આ વ્યાખ્યા છે. એટલે અહિંસા, તપ, સંયમ એ જેને અહિંસાને અમલમાં લાવવાની માનસિક તેમજ વ્યવહારુ ભૂમિકા છે, ચાવી છે, ઉપાય છે. છ લશ્યાના દષ્ટાંતની પાછળ સૂક્ષ્મ વિચાર શાસ્ત્રકારોએ એમ મૂકયો છે કે, જગતના જીવો પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. તેના છ પ્રકાર પાડી બતાવ્યા છે. કેટલાક બીજાને રંજાડીને પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. તે કૃષ્ણ લેશ્યાવાળા ગણાય છે. અને કેટલાક-અહિંસા-સંયમ અને તપમાં રહીને ઓછામાં ઓછી જરૂરિયાતથી અને ઓછામાં ઓછી રંજાડથી જીવનવ્યવહાર ચલાવી શકે છે. તે શુફલલેશ્યાવાળા ગણાય છે. બાકીની ચાર લેશ્યા વચ્ચેના મધ્યમ પ્રકારોમાં સમાય છે-કૃષ્ણ-નીલ Page #535 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કાપોત-તેજો-પદ્મ અને શુકલ આ છ લેશ્યાઓનાં નામ છે. પહેલી બે ચડતા ઊતરતા દરજ્જાની હલકી અને હિંસક મનોવૃત્તિની સૂચક છે, છેલ્લી બે ઊતરતા અને ચઢતા દરજ્જાની ઉચ્ચ તથા અહિંસક મનોવૃત્તિની સૂચક છે. અને વચ્ચેની કાંઈક મેલી અને કાંઈક શુદ્ધ એમ મધ્યમ મનોવૃત્તિની નજીકની મનોવૃત્તિની સૂચક બન્નેય છે. અર્થાત્ બાળજીવોની કષાય પરિણતિ સમજી શકાય તેવી સરળ પરિભાષાથી છ લેશ્યાનાં દૃષ્ટાંત અને સ્વરૂપથી પ્રાણીઓના સ્વભાવોના બંધારણનું પૃથકકરણ કરી બતાવ્યું છે. ૪૨ આથી માણસોને ફાડી ખાનારા જંગલી માણસોમાં પણ અમુક અંશે અહિંસક માણસો સંભવી શકે અને સભ્ય માનવ સમાજમાં પણ હિંસક માનવો અપેક્ષાએ સંભવી શકે. માણસખાઉમાં પણ કેટલાક વગર જરૂરિયાતે ઘણાની હિંસાની વૃત્તિવાળા હોય, ત્યારે તેમાંનો કોઈ નિર્વાહ પૂરતી જ હિંસા કરવાની વૃત્તિવાળો હોય, તો તેટલે અંશે તેને અહિંસક માનવાને કારણ નથી ? એમ જૈન અહિંસા શુલ લેશ્યાની નજીકની હોય, અને બીજાની અહિંસા તેથી ઊતરતી હોય, તેટલા પૂરતી જૈન અહિંસા જગતમાં વધારે પ્રશંસનીય બની છે. છમાંની પ્રત્યેક લેશ્યામાં પણ અસંખ્ય તરતમતાઓ હોય છે. આધુનિક અહિંસામાં તો ભયંકર હિંસા જ ભરી છે. તાત્કાલીન અને પરિણામે પણ ખાસ હિંસા જ છે. એટલે જૈન અહિંસા સાથે તેની તુલના કરી ન શકાય. હાલની પાંજરાપોળ સિવાયની કેટલીક જીવદયા પ્રચારક સંસ્થાઓ પણ પરિણામે હિંસામાં પરિણમે તેવો સંભવ જાણવામાં આવતો જાય છે. તેથી અહિંસા શબ્દથી ન ભોળવાતા વિવેકપૂર્વક વહેંચણ કરીને સત્ય સમજીને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી હિતાવહ છે. અહિંસા ધર્મની માતા છે. અહિંસા વિના ધર્મ સંભવે જ નહીં. જેટલે અંશે જેમાં અહિંસા તેટલે અંશે તે ધર્મ ગણવો. છ જીવ કરુણામાં છ સંખ્યા લખવાનો હેતુ એ છે કે, દુનિયાના દરેક વિચારકોએ જીવસૃષ્ટિનું પૃથકકરણ પોતાની શકિત પ્રમાણે કર્યું છે. પણ તેમાં પણ અમુક હદ સુધી જ પહોંચી શકાયું છે. પરંતુ પૃથ્વી અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ પણ જીવો છે. એટલી હદ સુધી બીજા લોકો પહોંચ્યા નહોતા. એટલે તે ચીજોના વપરાશમાં તેઓ હિંસા માનતા નહોતા, અને માનતા નથી. એટલે તે પણ જીવો છે, અને તેના ઉપર પણ દયા રાખવી જોઈએ, એ જૈનોનો વિશિષ્ટ, સ્વતંત્ર અને બધા કરતાં જુદો પડતો ઉપદેશ છે. એટલે પણ જૈનોની અહિંસા ઘણી વ્યાપક જણાય છે. તેમજ અહિંસાના–સંબંધ, ભેદ-પ્રભેદ, અપેક્ષા ભેદો વગેરેથી એટલું બધું સૂક્ષ્મ વિવેચન જેટલું પદ્ધતિસર અને વિસ્તૃત તેમજ વ્યવસ્થિત જૈન શાસ્ત્રોમાં છે, તેટલું અન્યત્ર જોવામાં આવતું નથી. એ કારણે પણ જૈનોની અહિંસાની બાબતમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા છે. તે દરેક પ્રકારે તેનાં સંતાનો જાળવે, તો તેમાં હિત અને ગૌરવ છે. ૨૬. ધર્મિજન સંસર્ગ : આ કૃત્યનો ભાવ તદ્દન સરળતાથી સમાય તેવો છે. સોબત તેવી અસર એ કહેવતનું સ્વરૂપ આ કૃત્યમાં સ્પષ્ટ દેખાય છે. ધાર્મિક પુરુષોની સોબતથી ગમે તેવા પતિત આત્માને પણ શરમ અને દેખાદેખીથી પણ પાપ કરતાં સંકોચાવું પડે છે, અને પાપથી બચી જવાય Page #536 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૪૬૩ છે. માટે ધાર્મિક લોકોનો પાડોશ, તેની સાથે ધંધો, બેઠક, તેની સાથે વાતચીત તેની સાથેના સહવાસથી અનેક ફાયદા થાય એ દેખીતી રીતે જ લાભની વાત છે. આજે સ્વતંત્રતાને નામે તેવા સંસર્ગથી ઊછરતી પ્રજાને છૂટી પાડવામાં આવે છે. અને ધાર્મિકોને દંભી : રૂઢિચુસ્ત-પ્રણાલિકા વાદી વગેરે નિંદાના શબ્દોનો પ્રયોગ કરી તેમજ બીજી રીતે, મશ્કરી કરી ઊછરતી પ્રજાને તેમનાથી ભડકાવી દૂર રખાવવા પ્રયત્ન કરવામાં આવે છે, જે પ્રજાને ભયાવહ છે. ૨૭. ઈંદ્રિયો ઉપર કાબૂ રાખવો અને, ૨૮. દીક્ષા લેવાનું પરિણામ : ઈંદ્રિયો ઉપર કાબૂ રાખવો અને ચરિત્રના પરિણામ રાખવા : એ ધાર્મિક જીવનમાં આગળ વધવાને ખાસ ઉપયોગી હોવા વિષે બે મત હોઈ શકે નહીં. એટલે તેનું વિશેષ વિવેચન અહીં કરવામાં આવતું નથી. પરંતુ આજે વિલાસપ્રિયતાને એટલી બધી વધારી મૂકી છે, અને હજુ સુધી વધી રહી છે ને વધશે. એ જોતાં પ્રજાનું શું થશે ? તે ભારે ચિંતાનો વિષય છે. વિલાસપ્રિયતા, જરૂરિયાતોની ગુલામી, ઈંદ્રિયોનો અસંયમ એ વગેરે પ્રજાના નાશનાં મોટામાં મોટાં હથિયારો છે, કોઈ પણ પ્રજાનો નાશ કરવો હોય, તો તેની ઇંદ્રિયોને જેમ વધુ ને વધુ છૂટમાં દોડાવે તેમ તેમ તે પ્રજાનો વહેલામાં વહેલો નાશ થાય. પરમ સંયમી દેશની પ્રજા આજે ઇંદ્રિયોના કાબૂ વગરની થતી જાય છે. અને યુરોપના લોકોને ત્યાંના આગેવાનો સંયમનું શિક્ષણ આપતા જાય છે. ચારિત્ર લેવાની વાત કરવાને પણ આજે એક વર્ગ હાંસીમાં ઉડાવે છે અને ચારિત્ર લેવા સામે અવરોધો મૂકે છે. એ પ્રજાના નાશનાં કારણોમાં વધારારૂપ છે. ચારિત્રીયાઓની સંસ્થાને વ્યવસ્થિત કરવાની વાત પણ અવરોધ કરવાની તક લેવાની પ્રાથમિક ભૂમિકા રૂપે જ હતી. એટલે વ્યવસ્થાની વાતમાં પણ વિશ્વાસ આવવો મુશ્કેલ છે. સમજદારો સ્વયંવૃત્તિથી વ્યવસ્થા લાવવા મહેનત કરે એ ઇષ્ટ છે. ૨૯. સંઘ ઉપર બહુમાન : આ જગતમાં જૈન સંઘ જેવી બંધારણવાળી અને વ્યવસ્થિત અને સર્વ કલ્યાણકર કોઈ પણ સંસ્થા ભૂતકાળમાં હતી નહીં, વર્તમાનમાં નથી, તેમજ ભવિષ્યકાળમાં પણ સંભવવી મુશ્કેલ છે. હિંદની બીજી બંધારણવાળી સામાજિક, ધાર્મિક, અને પ્રજાકીય સંસ્થાઓ ઉપર પણ તેની જ અસર છે. આજની પાર્લમેન્ટોની વ્યવસ્થા, બંધારણ અને લોકકલ્યાણની ભાવના વ્યાપક થતી જાય છે. પરંતુ તેની પાછળ ભયંકર પ્રજાકીય સ્વાર્થો ગોઠવાયેલા છે. વકીલ-બૅરિસ્ટરો પાર્લમેન્ટની લાગવગને પોષક કાયદાઓ ભણ્યા છે, અને તેઓને હિંદના કાયદા તથા બંધારણની વધારે માહિતી નથી, તેઓ તે બંધારણની પ્રશંસા કરે છે, તેના બદલામાં તેઓને ધન અને પ્રતિષ્ઠા મળે છે. અને પાર્લમેન્ટના સત્તાધીશો પણ સત્તાનો ઉપયોગ કરી તેની સરળતા, તેની લોકપ્રિયતા, તેના ફાયદા એવા બનાવી આપે છે કે, જનસમાજ લાલચથી તેમાં દોરવાતો જાય છે. પણ પરિણામે તે આપણને હિતાવહ નથી. કૉંગ્રેસ, કોમી કૉન્ફરન્સો, લીગ, હાલની સભાઓ-સોસાયટીઓ, ધારાસભાઓ, પ્રજા પ્રતિનિધિ સભાઓ, પ્રજા પરિષદો, વેપારી એસોસિયેશનો, સ્વયંસેવક મંડળો, મ્યુનિસિપાલિટીઓ, લોકલબોર્ડો, Page #537 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ગામ પંચાયતો વગેરે છેલ્લા અમુક દશકાઓમાં થયેલી ખાસ સંસ્થાઓ પાર્લમેન્ટને મદદ કરનારી અને તેની પદ્ધતિ પ્રમાણે રચાયેલી સંસ્થાઓ સ્થપાય છે, તે પ્રાચીન સંસ્થાઓમાંથી લોકોને છૂટા પાડી જુદાં જુદાં નામ નીચે પાર્લમેન્ટની સત્તા નીચે લાવવાની એક જાતની યોજના છે, જે ભારતની મૂળ સંસ્થાઓને નુકસાનકારક હોવાથી પરિણામે પ્રજાને નુકસાનકારક છે. નવી સંસ્થાઓથી કામની સરળતા અને લાભ દેખાય છે, તે ક્ષણિક અને પ્રાથમિક લાભ રૂપ છે. માટે જ તેમાં દીર્ઘદૃષ્ટિવાળા નિપુણ માણસો ભોળવાતા નથી. સંઘ, મહાજન, જ્ઞાતિઓ એ આપણી મુખ્ય સંસ્થાઓ છે, તેને તોડવા નવી નવી સંસ્થાઓનો પ્રચાર વધતો જાય છે. એક વધે તેમ તેમ બીજું ઘટે જ. ૪૬૪ આ દૃષ્ટિથી સંઘ એ કેવી પવિત્ર સંસ્થા છે ? તે સમજાશે, અને તેના ઉપર બહુમાનની ભલામણ કેટલી ઉત્તમ છે ? તે ય સમજાશે. જો કે સંઘના બંધારણમાં પણ આણંદજી કલ્યાણજી જેવી સંસ્થામાં પણ વખત જતાં ધીમે ધીમે પાર્લમેન્ટરી તત્ત્વો ઘૂસી ગયાં છે અને ઘૂસતા જાય છે તેથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે. એમ મારો ખાસ અંગત અભિપ્રાય છે. કૃત્રિમ દ્રવ્ય, ક્ષેત્રકાળ, ભાવને નામે આ બધું આપણામાં ઘુસાડી શકાય છે. ૩૦. પુસ્તકો લખવાં-લખાવવાં : આગમજ્ઞાન ટકાવવા માટે તે, અને તેનાં વિવેચનાત્મક નિર્યુકિતઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, ટીકાઓ, અવસૂરિઓ, ટબાઓ, સારાંશો, ચરિત્રો, ચર્ચા ગ્રંથો, સ્તવનો, સજ્ઝાયો, ચૈત્યવંદનો, થોયો, રાસો, શિલાલેખો વગેરે તમામ લીટીએ લીટી જે કાંઈ જ્યાં વિદ્યમાન હોય ત્યાંથી મેળવીને લખાવવું જોઈએ. કેમ કે કોઈપણ બુદ્ધિશાળીઓએ જે કાંઈ બાજુમાં ટિપ્પણરૂપે પણ લખ્યું હોય, તે આગમાર્થને સમજાવવારૂપ હોવાથી તેનો સંગ્રહ ટકી રહેવો જોઇએ. છપાવવાથી સાચું જ્ઞાન વધ્યું નથી, પરંતુ મિથ્યાજ્ઞાન, અન્યથા જ્ઞાનાભ્યાસ પ્રકાર અને અન્યથા યોજન વગેરે વધ્યાં છે. પ્રેસ અને કાગળોના વકરાથી પરદેશીઓ સમૃદ્ધ થયા છે. અને તેથી તેઓની સત્તા મજબૂત થઈ છે. ખોટા સાહિત્યના કબાટમાં આ સમ્યજ્ઞાનના ગ્રંથો પણ સાહિત્ય તરીકે ગોઠવાઈને અપમાન પામ્યા છે. અનધિકારીઓએ તેના પર ચર્ચા કરીને અનર્થનાં બીજ નાંખ્યાં છે. અને સાચવવાની પદ્ધતિને ધકકો લગાડી હજારો વર્ષના હવે પછીના ટકાવને ધકકો પહોંચાડ્યો છે. માટે હજુ પણ જૈનશાસ્ત્રોને બીજા હજારો વર્ષ ટકાવવા, તેને ઉત્તમ સાધનોથી લખાવવાં અને તેને ઉત્તમ સાધનોથી સુરક્ષિત રાખવાના કર્તવ્યની જવાબદારી જૈનોને માથે વધુ ને વધુ ગંભીર બનતી ગઈ છે. ૩૧. તીર્થમાં પ્રભાવના : તીર્થ એટલે જૈન શાસન, તેની પ્રતિષ્ઠા અને તેજ વધે તેવાં કામો ચાલુ રહેવાં જ જોઈએ. જૈન શાસન પાપરૂપ હરણ સામે સિંહનાદ છે. જેટલી શાસનની પ્રભાવના ફેલાશે તેટલો બીજા ઉપર જુલમ ઓછો થશે. પ્રજાકીય ઘર્ષણો ઓછાં થશે, યુરોપની સ્વાર્થી પ્રજાઓના ગુલ્મ પણ શાસન પ્રભાવનાથી પાછા પડે છે. જગતમાં તેઓ કોઈથીયે દબાતા હોય, તો જૈન શાસનથી દબાય છે. માટે સર્વ સામર્થ્યથી શાસનની પ્રભાવનાનાં ચાલુ રાખવી જ જોઈએ. આ અતિ સૂક્ષ્મ વિચારણાગમ્ય વસ્તુ છે. શાસનપ્રભાવના તોડવા જ શાસન પ્રભાવનાનાં કાર્યોને બદલે બીજાં કાર્યો Page #538 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો કરવાની સલાહ સહાનુભૂતિપૂર્વક આપવામાં આવે છે. તે પરદેશી અર્થશાસ્ત્રીઓનું સ્વાર્થી પ્રચારકાર્ય છે. તેના આપણા ભાઈઓ એજન્ટ તરીકે કામ કરતા થઈ ગયા છે, જેનો તે આપણા ભાઈઓને પણ ખ્યાલ નથી. છ આવશ્યકોને 1 ને બદલે છ ગણવાથી કુલ ૩૬ કૃત્યો આ સઝાયમાં બતાવ્યાં છે. પરંતુ આટલાં જ કૃત્યો છે, એમ સમજવાનું નથી. તેમજ એક બીજામાં એક બીજાનો સમાવેશ થાય છે, ત્યારે કેટલાક મુખ્ય ગણાવ્યા છે, ને ગૌણ ગણાવ્યા નથી. ત્યારે કેટલાક એક બીજાને વિવેચન રૂપ છે. છતાં ઘણા ખરા મુખ્ય મુખ્યનો સંગ્રહ આ સક્ઝાયમાં સારી રીતે કરવામાં આવ્યો છે. આ સજઝાય-પોસહમાં તેમજ પાક્ષિક ચોમાસી અને સાંવત્સરિકના આગલા દિવસે પ્રતિક્રમણમાં શ્રાવકો બોલે છે. જ્યાં એક ખમાસમણથી સઝાયનો આદેશ મંગાય, ત્યાં પહેલાં જ એક નવકાર અને જ્યાં બે ખમાસમણથી આદેશ મંગાય, ત્યાં સઝાય પછી પણ એક નવકાર, એમ બે નવકાર બોલાય છે. ६२. तिविहार उपवासनुं पय्याश पारवानुं सूत्र-४ સૂરે ઉગ્ગએ- ઉપવાસ કર્યો તિવિહાર પરિસી, સાઢ પોરિસી, પુરિમડઢ, મુટિસહિએ પચ્ચખાણ કર્યું. પાણાહાર. પચ્ચખાણ-સિએ, પાલિ, સોહિએ, તિરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જે ચ-ન આરાહિઅં, તસ્મ-મિચ્છા મિ દુકકડ. ૬૩. એકાસણા-આયંબિલનું પચ્ચફખાણ પારવાનું સૂત્ર-પ ઉગ્ગએ સૂરે-નમુક્કાર સહિઅં, પોરિસી, સાડઢપોરિસી-સૂરે ઉગ્ગએપુરિમડઢ, મુટિસહિઅં-પચ્ચખાણ કર્યું-ચોવિહાર. આયંબિલ એકાસણું કર્યું તિવિહાર. પચ્ચખાણ-ફાસિએ. પાલિએ, સોહિએ, તિરિઍ, કિટ્ટિ, આરાહિઅં, જંચ-ન આરાહિએ. તસ્સ- મિચ્છા મિ દુક્કડં. Page #539 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભાવાર્થ:- “મેં માત્ર ત્રણ આહારનો ત્યાગ કરી તિવિહાર ઉપવાસ કર્યો છે. એટલે પાણી પીવાની છૂટ રાખી છે. પરંતુ પોરસી કે સાફ પોરસી પુરિમ સુધી પાણી પણ ન પીવાનું પ્રત્યાખ્યાન રાખ્યું હતું. તે પૂર્ણ થયું છે. તે પારું છું. તે પ્રત્યાખ્યાન મેં જાતે ધાર્યું છે, ઉચ્ચર્યું છે, અને શ્રી ગુરુમહારાજ પાસે પણ વિનયપૂર્વક ઉચ્ચર્યું છે, અને એ રીતે પ્રત્યાખ્યાનને સ્પર્શના કરી છે. નિરતિચારપણે, સાવધાનપણે, ઉપયોગપૂર્વક, સાગારપણે, કે અમુક અતિચાર લાગવા છતાં પણ બનતી રીતે અત્યાર સુધી પાલન કર્યું છે. મેં આવું ઉત્તમ પ્રત્યાખ્યાન લીધું છે, તેની શોભા વધે અને બીજા જીવો તે કરવા આકર્ષાય તેવી રીતે તેને શોભાવ્યું છે. દરેક તપ અને મહાપ્રત્યાખ્યાનોની પછી ઉજમણા-ઉદ્યાપન કરવાનો જે શાસનમાં પ્રચાર છે તે પ્રત્યાખ્યાનની આ શોભના છે. જેવું પ્રત્યાખ્યાન તેવી તેની શોભના-ઉદ્યાપન હોય છે. આ શબ્દ પણ ઉદ્યાપન પ્રવૃત્તિનું બીજ છે. તીરણા પચ્ચકખાણ પૂરું થયા પછી પણ થોડો વખત જવા દઈને પારવાથી સંપૂર્ણતાએ પહોંચાડવું, એટલે પ્રત્યાખ્યાનની પાર પહોંચવું. એટલે શાંતિ અને આદરપૂર્વક તેને અંત સુધી પહોંચાડ્યું છે. અર્થાત્ પ્રત્યાખ્યાનરૂપી સમુદ્રને હું તારી ગયો છું. કીર્તના પ્રત્યાખ્યાન પાલનના વખત દરમ્યાન તેની ઘણી ઘણી અનુમોદના કરતો રહ્યો છું. તેના ગુણ અને ફાયદાની સ્તુતિ કરતો રહ્યો છું તેમજ તેની પ્રશંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યો છું, ને ભોજન કાળે પણ “કયું પ્રત્યાખ્યાન છે?” તે સ્મરણ કરતો રહ્યો છું. અને એકંદર પ્રત્યાખ્યાનની સર્વ પ્રકારની આરાધના કરી છે. છતાં આરાધનામાં કાંઈ પણ ખામી પડી હોય, એટલે કાંઈ પણ વિરાધના થઈ હોય, તો તે દુષ્કૃત મિથ્યા હો એમ ઈચ્છું છું. આ કાસિમં વગેરે ભાવનાઓનો અર્થ વોસિરામિ પદમાંથી સૂચિત થતા જાય છે. વિશેષાર્થ :- પ્રત્યાખ્યાન પારતી વખતે “પ્રત્યાખ્યાન કયું કર્યું છે ?" તેનું સ્મરણ કરવું જ જોઈએ. પોતે કર્યું પ્રત્યાખ્યાન કર્યું છે? તે સામાન્ય રીતે તો યાદ હોય છે. પરંતુ કોઈનેય વિસ્મરણ ન જ થાય, એમ ન બને. કોઈકને પણ વિસ્મરણનો સંભવ માનીને, પારતી વખતે ભાવના જાગ્રત રાખવા, તથા પારતી વખતે “પોતે કયું પચ્ચખાણ પારે છે ?” દરેક જુદા જુદા પચ્ચખાણવાળા હોય, તે દરેક પોતપોતાનું પચ્ચખાણ યાદ કરીને પારે. માટે સ્મરણ ઘણું જ અગત્યનું છે. તે વિભાગ પૂર્વાર્ધમાં પૂર્ણ થાય છે. અને ઉત્તરાર્ધ વિભાગમાં પ્રત્યાખ્યાનનું પાલન કેવી રીતે કરવાનું છે ? તેની ભવ્ય ભાવના ઘણા જ મહત્ત્વના શબ્દોમાં મૂકવામાં આવી છે, તે ઉપરનો ભાવાર્થ વાંચવાથી સમજાશે. અહીં પણ-કરેમિ ભંતે ! સૂત્રગત તસ્સ શબ્દ છે. તેનો ભાવાર્થ એટલો જ સમજવાનો છે કે, પ્રત્યાખ્યાનની સ્પર્શના, પાલના, શોભના, તીરણા, કીર્તન, આરાધના માટે કરવાની છે. તેમાં જે ખામી રહી હોય, તો તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ; અર્થાત્ આ સૂત્રનો અમુક ભાગ પ્રત્યાખ્યાન સ્મરણ રૂપ સામાયિકમાય છે અને અમુક પાછલો ભાગ પ્રત્યાખ્યાનના પ્રતિક્રમણ સ્વરૂપે પણ છે. પ્રત્યાખ્યાન પારતાં ગુરુ મહારાજની આજ્ઞાઓ લેવાની છે. તેથી ગુરુ વંદન કરવું જ પડે છે, Page #540 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો અને તે પહેલાં ચૈત્યવંદન કરાય છે. તેથી ચતુર્વિશતિ સ્તવ પણ થાય છે. પ્રત્યાખ્યાન સ્વયં તો પ્રત્યાખ્યાન રૂપ છે જ. અને કાયોત્સર્ગ તો અપ્રમત્ત ભાવે પ્રત્યાખ્યાનના પાલનમાં છે. તેમજ તેની શોભના, કીર્તના, આરાધના વગેરેમાં મન, વચન, કાયાની તત્પરતા રાખવામાં કાયોત્સર્ગ સમાય છે. આમ પણ પ્રત્યાખ્યાન મારતી વખતે છ આવશ્યક સચવાય છે. આ પારવાનું સૂત્ર પણ પ્રત્યાખ્યાન આવશ્યનું અંગ હોવાથી પ્રત્યાખ્યાન સૂત્ર અને પારવાનું સૂત્ર - એ બન્નેય મળીને છ આવશ્યકમય બની રહે છે. એ સ્વાભાવિક છે. પ્રત્યાખ્યાન પણ છમાંનું એક આવશ્યક હોવાથી કેટલી મહાદિયા છે? એ હવે બરાબર સમજાશે. ૬૪. ચોવીસ માંડલા-૬ સંથારા પાસેની જગ્યાએ કરવાના છ માંડલા આસને ઉચ્ચારે પાસવણે આગાઢ અણહિયાસે મઝે ઉપાશ્રયના બારણાની અંદરના ૬ અહિયાસે ઉપાશ્રયના બારણાની બહારના ૬ આસને ઉચ્ચારે પાસવણે અણાગાઢ અણહિયાસે મઝે - ન - Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પંચ પ્રતિકમાણસૂત્રો ઉપાશ્રયથી ૧૦૦ ડગલાં દૂરના ૬ અહિયાસે મઝે ભાવાર્થ:- આ માંડલાનો અર્થ બરાબર ચોકકસ સમજાતો નથી. પરંતુ તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજાય છે. શરીરની પરિસ્થિતિ અનિવાર્ય રહે છે. ધાર્મિક પુરુષોને પણ કોઈ વખતે કાંઈને કાંઈ શારીરિક વ્યાધિ ઉત્પન્ન ન જ થાય એમ ન જ કહી શકાય, અને તેથી મળ-મૂત્રના અસ્વાભાવિક વેગો પણ ઉશ્કેરાય અને જે તે રોકવામાં આવે તો બીજા કોઈ રોગો થઈ આવે, અને ધર્મારાધનમાં વધારે વિદન આવી પડે. માટે કોઈ પણ જાતના વેગો ન રોકવાની વૈદ્યક શાસ્ત્રમાં ખાસ ભલામણ કરી છે. *વેરાન થાદ્ધીમાનીતાબૂત્ર-પુરીયો ફત્યાદ્રિ. चरकसंहिता. વેગો રોકવાની ઉદાવર્ત જાતના તથા બીજા પણ વિવિધ રોગો થઈ આવે છે. અને વળી નીચેના વેગો રોકવાની યે ત્યાં જ ખાસ ભલામણ કરી છે : “આ જન્મમાં અને પરલોકમાં હિત ઈચ્છનારા પુરુષે આ વેગોને રોકવા જોઈએ. (૧) સાહસ : (૨ થી ૪) મન, વચન, અને કાયાની અયોગ્ય પ્રવૃત્તિ. (૫ થી ૯) લોભ, શોક, ભય, ક્રોધ, અને માનનો આવેશ. (૧૦ થી ૧૩)નિર્લજજતા, ઈષ્ય, અતિરાગ, અને પરપીડાની વિચારણાનો આદેશ. (૧૪ થી ૧૭) અત્યંત કઠોરતા, ચાડિયાપણું, જૂઠ, અને બિનજરૂરી બોલવાનો વેગ. (૧૮) બીજાને હેરાન કરવાને જે શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તે. ૧૯) વિષયસેવનની ઈચ્છા. (૨૦) ચોરીની ઈચ્છા. (૨૧) હિંસાની ઈચ્છા. એટલા વેગો રોકવા જોઈએ.” એટલે અનિવાર્ય સંજોગોમાં ઝાડા પેશાબ માટે જવું પડે, ત્યારે પોસહમાં રહેલ શ્રાવક પ્રમાર્જના-પ્રતિલેખન વિના ન જઈ શકે. એટલે સૂર્યાસ્ત થયા પહેલાં મળ અને મૂત્ર પરઠવવાનાં સ્થાનોનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી લેવું જોઈએ. એટલે તે નિર્જીવ અને સાનુકૂળ છે કે નહીં ? તે તપાસી લેવું. તેમજ આ માંડલાના વિધિથી તેની પ્રમાર્જના કરી લેવી જોઈએ, તેમજ ૧૦૦ ડગલાંથી બહાર ન * બુદ્ધિમાન પુરુષે પેશાબ, ઝાડાનો વેગ ન રોકવો. વીર્ય, વાયુ, ઊલટી, છીંક, ઓડકાર, બગાસું, સુધા, તરસ, આંસુ, નિદ્રા અને મહેનતપૂર્વક શ્વાસ - એટલાના વેગ ન રોકવા, એમ ભલામણ કરી છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો જવાનો અવગ્રહ નકકી કરી લેવામાં આવે છે. પ્રથમ સંથારાની આજુબાજુ નજીક, મધ્યમાં અને દૂર એમ પેશાબ સાથે ઝાડાને માટે ત્રણ પ્રમાર્જના, અને એવી જ કેવળ પેશાબને માટે ત્રણ પ્રમાર્જના થાય છે. એમ ૬. તથા એ જ પ્રમાણે ઉપાશ્રયના બારણા પાસે અંદરના ભાગમાં ૬, અને ૬ બહારના ભાગમાં, અને ૬ ઉપાશ્રયથી ૧૦૦ સો ડગલાં દૂર, એમ ૨૪ માંડલા થાય છે. ભાવાર્થ એમ સમજાય છે કે, કોઈ ઉગ્ર શારીરિક રોગ થઈ આવે, તો સંથારાની બાજુમાં, ઉપાશ્રયના બારણાની અંદર, કે બહાર નજીકમાં જ ઝાડા, પેશાબ થઈ જાય, કે કરવા પડે, અથવા કોઈ બહાર નીકળવાને ભયાદિકારણ હોય, તેવે પ્રસંગે સંથારા વગેરે ત્રણેયની પ્રમાર્જના પ્રતિલેખના થવી જોઈએ. અને કાંઈ પણ એવું કારણ ન હોય, તો પણ સો ડગલાંની અંદર જ જઈ શકાય, તેથી બહાર તો જવાય જ નહીં. માટે છેલ્લામાં છેલ્લું માંડલું ૧૦૦ ડગલાં કરવામાં આવે છે. ૪૬૯ અહીં માંડાલાં-એટલે મંડલો. મંડલ શબ્દ ઉપરથી એમ સમજવાનું છે કે, ચારેય દિશાએ ફરતો ગોળાકાર લેવાથી કોઈ પણ દિશા માટે સમજવાના છે. તેથી માંડલામાં દિશાનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી. આસન્ન - એટલે નજીકમાં, મધ્ય અને દૂર એટલે વચમાં અને છેટે, એ અર્થ તો સ્પષ્ટ છે. ઉચ્ચાર એટલે વડીનીતિ-ઝાડો. અને પાસવણ એટલે પ્રસવણ-લઘુનીતિ-પેશાબ. એ અર્થ પણ સ્પષ્ટ છે. પહેલાં બે માંડલમાં આજે શબ્દો છે. તેનો અર્થ અગાઢ કારણે ખરી મુશ્કેલી વખતે સંથારાની બાજુમાં પણ ઝાડા પેશાબ કરવા પડે, તો પણ પ્રતિલેખના પ્રમાર્જના કરી લઉં છું. માટે ૧૨ માંડલમાં આગાઢ શબ્દ વપરાયો છે. એટલે સંથારાની બાજુમાં કે ઉપાશ્રયના બારણાની અંદર જ ઝાડા પેશાબ કરી લેવા પડે. અને એવું અગાઢ કારણ ન હોય તો, બાકીના બહારના બાર માંડલા સમજવા એ અર્થમાં આણાગાઢ શબ્દ જણાય છે. અહિયાસે અને અણહિયાસે - એ બે શબ્દોનો ભાવાર્થ એ જણાય છે કે, અગાઢ કારણે પણ ઉપાશ્રયની બહાર ન નીકળી શકાય તેમ હોય, ત્યારે-સહન ન થઈ શકે-રુકાવટ ન કરી શકાય, તો સંથારાની બાજુમાં જ ઝાડા પેશાબ કરવા પડે. અને સહન થઈ શકે તો સંથારાથી દૂર જઈ બારણાની અંદર કરવા. એ જ રીતે અગાઢ કારણ ન હોય, અને ઉપાશ્રયની બહાર નીકળવામાં હરકત ન હોય તો બહાર નીકળીને પણ સહન ન થઈ શકે તેમ હોય તો બારણાની બાજુમાં જ ઝાડો પેશાબ કરવો પડે, અને સહન ન થઈ શકે, તો સો ડગલાં દૂર જવું. આ માટે એ બે શબ્દોમાંના અગહિયાસે શબ્દો ૧લા અને ત્રીજા માંડલમાં વપરાયેલ છે. અને બીજા તથા ચોથા માટે અહિયાસે શબ્દ વપરાયેલ છે. અહિયાસેનો શબ્દ અભ્યાસે અથવા અધ્યાસે સંભવે. અને અણહિયાસેનો અનભ્યાસે અથવા અથવા અનઘ્યાસે. મુખ્ય તો અભ્યાસ એટલે નજીક. એ અર્થ બેસતો નથી. અને અધ્યાસ એટલે Page #543 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો સહન થઈ શકે- સહન કરી શકવાને મન મજબૂત કરી શકાય. એવો અર્થ થતો હોવો જોઈએ. કેમ કે, દરેક ઠેકાણે એ પ્રમાણે અર્થ કરવામાં આવેલ છે. આવી રીતે સંથારાની નજીક વગેરે ચાર પ્રકારનાં માંડલાં કરવાની આજ્ઞા આપવામાં શાસ્ત્રકારોની ગણી જ દીર્ઘ દૃષ્ટિ સ્પષ્ટ જોવામાં આવે છે. કારણ કે, મુનિ મહારાજાઓને પણ આ માંડલા કરવાના હોય છે. એટલે તેમને કોઈ વખતે કયાંય ઊતરવું પડ્યું હોય, કોઈ વખતે કયાંય જંગલમાં, ઝાડીવાળા પ્રદેશમાં, પહાડો ઉપર, ખીણોમાં કે એવા ગમે તે પ્રદેશમાં રાતવાસો રહેવું પડ્યું હોય, વૃદ્ધ, જુવાન, રોગી, તપસ્વી, બાળ એમ અનેક પ્રકારના મુનિ મહારાજાઓ હોય. એ સ્થિતિમાં આ ૨૪ માંડલમાંના કોઈ પણ એક પ્રકારનો ઉપયોગ કરી શકાય. અને ઉપયોગ કરવાની જરૂર પડે છે. અને ત્યાગ તથા સંયમધર્મની મર્યાદા પણ સચવાય. એ જ પ્રમાણે શ્રાવક માટે પણ સમજવાનું છે. ૬પ. પોસહ પારવાની ભાવના ગાથા-૭ શબ્દાર્થ:- સાગરચંદો સાગર ચંદ્ર. કામો કામદેવ. ચંદડિસોચંદ્રાવતંસ. સુદંસણોસુદર્શન. ધન્નો ધન્ય. પોસહ-પડિમાપૌષધ-પ્રતિમા-વ્રત. અખંડિઆ અખંડિત. જીવિએતન્મરણાને. ધન્ના ધન્ય. સલાહણિજ્જા=શ્લાઘનીય-વખાણવા લાયક. સુલસાસુલાસા. આણંદ-કામદેવ આનંદ અને કામદેવ. જાસજેઓની. પસંસઈ-પ્રશંસા કરે. દઢ-વ્યયનંદકવ્રતત્વ-દઢવ્રતપણું. મહાવીર=મહાવીર પ્રભુ. સાગરચંદો કામો, ચંદવડિંસો સુદંસણો ધનો. જેસિં પોસહ-પડિમા, અખંડિયા વિઅંતેવિ ૧૫ ધન્ના સલાહણિજજા, સુલસા આણંદ-કામદેવા થી જાસ પસંસઈ ભયવં, દઢવ્યયત્ત મહાવીરો મારા પોસહ વિધિ લીધો. વિધિયે પાય, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુમન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકૉં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ છપા ગાથાર્થ :- સાગર ચંદ્ર, કામદેવ, ચંદ્રાવતેસ, સુદર્શન અને ધન કે જેઓનું પોસહ વ્રત મરણાંતે પણ અખંડિત રહ્યું હતું. ૧ Page #544 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૪૭૧ જેઓના દાવ્રતની પ્રભુ મહાવીર પરમાત્માએ પ્રશંસા કરી હતી, તે સુલસા, આણંદ અને કામદેવ શ્રાવક પણ ધન્ય અને વખાણવાલાયક છે. ૨ વિશેષાર્થ :- આ ગાથાઓમાં ભાવના વૃદ્ધિ માટે અખંડપણે પોસહ વ્રત પાળનારા આદર્શભૂત મહાથાવક-શ્રાવિકાઓના નામનું સ્મરણ કરવામાં આવે છે. પોસહ પારવાની ઈચ્છા છતાં તેમાં ટકી રહેવા તથા ફરીથી કરવાની તત્પરતા માટે આ ગાથાઓનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવાની ગોઠવણ ઘણા જ મહત્ત્વની છે. જે જે મહાત્માઓનાં નામો આપવામાં આવ્યાં છે, તેઓની કથાઓ ગ્રંથાન્તરમાંથી જાણવી. ૬૬. સંથારા પરિસી-૮ શબ્દાર્થ:- ગોયમાઈશં-ગૌતમાદિ. મહામુણણ-મહામુનિઓને. અણુણહ આજ્ઞા આપો. જિ&િા !-મોટા આર્યો, પૂજ્યો. પરમગુરુ-મોટા ગુરુ. ગુર-ગુણ-રાણેહિંમોટા ગુણો રૂપી રત્નો વડે કરીને. મંડિય-સરીરાશોભિતા શરીરવાળા. બહુ-પડિપુન્ના બહુ પ્રકારે પરિપૂર્ણ થઈ. પરિસી પૌરૂષી. રાઈઅ-સંથારએ રાત્રિ સંબંધી સંથારામાં. ઠામિ સ્થિર થાઉં? ૧ સંઘાર-સંથારાની. બહુવહાણેણં હાથના ઓશીકા વડે. વામ-પાણ ડાબા પડખે. કુલહુડી-પાય-પસારાણ-અતરંત કુકડીની પેઠે (ઊંચે) પગ પસારવાને અસમર્થ. પમસ્જિઅ-પ્રમાઈને. ભૂમિભૂમિને. ૨ સંકોઈઅસંકોચીને. સંડાસા સંદંશકો-સાણસીની જેમ ઢીંચણ વગેરે જે અવયવો વળે છે, તે. ઉવો-ઉદ્વર્તાન્ત-પડખું ફેરવતા. કાપડિલેહા શરીર પડિલેહવું. દવાઈ-ઉવઓગંદ્રવ્યાદિનો ઉપયોગ. ઊસાસ-નિરંભાણા શ્વાસ રોકવો. આલોએ પ્રકાશ જણાય તે તરફ (દ્વાર તરફ) ૩. જઈ જે. પમાઓ પ્રમાદ. ઇમસ્યઆ. દેહસ્સ શરીરનો. ઈમાઈ=આ. રાણીએ રાત્રિમાં. આહાર આહાર. ઉવહિ-દેહ ઉપાધિ અને શરીર. સિરિએ વ્યુત્કૃષ્ટ-તર્યું છે. ૪ કેવલિ પન્નનો કેવળિભગવંતોએ ઉપદેશેલો. ૫ લાગુત્તમા લોકમાં ઉત્તમ. ૬ પવામિ=પઘામિ-સ્વીકારું છું. ૭ પાણાઈવાય પ્રાણાતિપાત-હિંસા. અલિઅંઅલીક-જૂઠ. ચોરિક ચૌર્ય, ચોરી. મેહુર્ગ-મૈથુન. દવિણ મુચ્છ દ્રવ્યની મૂછ-પરિગ્રહ. પિજજ પ્રેમ. દોષ. ૮ કલહ-કજિયા-કંકાસ. અભકખાણ અભ્યાખ્યાન-આળ દેવું. પેસન્ન-વૈશુન્ય-ચાડી. રઈઆરઈ-સમાયુત્તરતિ-આનંદ, અને અરતિ શોક વડે યુકત. પર-પરિવાયં પરનો પરિવાદ, પારકી નિંદા. માયા-મોસંભાયા મૃષાવાદ-કપટપૂર્વક જૂઠાણું મિચ્છન-સદાંમિથ્યાત્વશલ્ય. ૯ Page #545 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો વોસિરિસુત્રત્યાગ કરવો, તજવાં. ઇમાઈ=આ. મુખ-મગ્ન-સંસગ્ન-વિડ્ય-ભૂયાઈ મોક્ષમાર્ગના સંજોગોમાં વિદનભૂત. દુગ્ગઈ-નિબંધણઠાણાઇ=દુર્ગતિમાં કારણભૂત સ્થાનો. અઠારસ અઢાર પાવ-ઠાણાઈ=પાપસ્થાનકો. ૧૦ એગો એકલો. હરે હું નત્યિ નથી. મે મારું. કોઈ કોઈ કસ્સઈ કોઈનો. અદણ-માણસો મનની દીનતા વિના. અપ્પાગં આત્માને. અણુસાસઈ અનુશાસન આપવું, શિખામણ આપવી, નિયમમાં રાખવો. ૧૧ સાસઓ શાશ્વત-નિત્ય. અપ્પા આત્મા. નાણ-દંસણ-સંજુઓ જ્ઞાન અને દર્શન યુક્ત. સેસા બાકીના. બાહિરા બાહ્ય. ભાવા=સ્વભાવો, સંબંધો-પદાર્થો-સ્વરૂપો વગેરે. સંજોગ-લખાણ સંયોગ લક્ષણવાળા, સંજોગથી ઉત્પન્ન થયેલા. ૧૨ સંજોગમૂલા-સંજોગના કારણથી ઉત્પન્ન થયેલા. પત્તા પ્રાપ્ત કરેલ છે, પામ્યો છે. દુખ-પરંપરા-દુ:ખ પરંપરા, દુ:ખની પછી દુ:ખ. તલ્હા માટે. સંજોગ-સંબંધ સંયોગ સંબંધનો. ૧૩ જાવજીવંચાવતું જીવ, મરણ સુધી. સુસાહુણસુસાધુ, ઉત્તમ સાધુઓ. જિગ-પન્નતંત્રજિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ. તત્ત તત્ત્વ. સમ્મત્ત=સમ્યકત્વ. મએ=મેં.ગહિઅંગ્રહણ કર્યું છે, સ્વીકાર્યું છે. ૧૪. ખમિઅ ક્ષમા આપીને. ખમાવિયા ક્ષમા માંગીને, મઈક મારા ઉપર. ખમહ ક્ષમા કરો. સવહ=સર્વે. જીવનિકાય= જીવની નિકાયો, જીવના વર્ગો, સમૂહો. સિદ્ધહ સિદ્ધ ભગવંતોની. સાખ સાક્ષીએ. આલીયાણહ=મારા અપરાધો જાહેર કરું છું. મુજહમારે. વઈર-વેર, ભાવ અભિપ્રાય, વિચાર, ભાવના. ૧૫ કમ્પ-વસ=કને વશ, કર્મોને આધીન. ચઉદહરાજ ચૌદ રજજુ લોકમાં. ભમંત ભમે છે. ખમાવિઆખમાવ્યા મુજ=મને. તેહ તેઓ. ખમંતઃખમાવો. ૧૬ બદ્ધ બાંધવું. વાણકવચન વડે. ભાસિએ=બોલવું. પાર્વ=પાપ. ૧૭ નિસહિ, નિશીહિ, નિશીહિ, નમો ખમાસમણાણું ગોયમાઈë મહામુણિયું [આ પાઠ તથા નવકાર કરેમિ ભંતે!નો ત્રણ વાર ઉચ્ચાર] અણજાણહ જિજિજા !, અણજાણહ પરમગુરુ, ગુરુ-ગુણ-ચણહિં મંડિય-સરીરા બહુ-પડિપુના, પોરિસી, રાઈઅ-સંથારએ કામિ /૧ Page #546 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો અણુજાણહ સંઘાર બાહુવહાણેણ વામપાસેણું | કુકુડીપાય-પસારણ-અંતરંત ૫મજજએ ભૂમિ ॥૨॥ સંકોઈઅ-સંડાસા, ઉવદંતે ય કાય-પડિલેહા । દવ્યાઈ-ઉવઓગં, ઊસાસ-નિકુંભણા લોએ ।।ા જઈએ હુજ પમાઓ, ઈમર્સ દેહસ્લિમાઈ રયણીએ આહારમુવહિ–દેહં, સવ્વ તિવિહેણ વોસિરઅં ॥૪॥ ચત્તારિ મંગલ-અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ સાહુ મંગલ કવલિપણત્તો ધમ્મો મંગલ ॥૫॥ ચત્તારિ લોગુત્તમા-અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા । સાહૂ લોગુત્તમા, કેવલિપણત્તો ધમ્મો લોગુત્તમો ॥૬॥ ચત્તારિ સરણે પવજામિ-અરિહંતે સરણ પયજજામિ, સિદ્ધે સરણં પવજજામિ । સાહૂ સરણં પવજજામિ, વલિ-પણાં ધમ્મ સરણૈ પવામિ ।।ણા પાણાઇવાયમલિયં, ચોરિકક મેણં દવિણ-મુચ્છ કોહં માણ માર્યાં, લોભં પિજ્યું તહા દોસં દા લહું અબ્મખાણું, પેસુન્ન રઇ-અરઇ-સમાઉર્જા । પર-પરિવાર્ય માયા-મોર્સ મિચ્છત્ત-સહ્યં ચ ॥૯॥ વોસિરિસુ ઈમાઇ મુક્ષ્મ-મર્ગી-સંસગ્ગ-વિગ્ધ ભૂઆઈ । દુર્ગાઈ-નિબંધણાઈં, અદ્ઘારસ પાવ-ઠાણાઈ ।।૧૦। ૩૭૩ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો એગોહં નત્યિ મે કોઈ, નાહમનસ કસઈ! એવં અદણ-મણસો, અખાણમાણસાસઈ ૧૧૫ એગો મે સાસઓ અપા, નાણ-દંસણ-સંજુઓ સેસા મે બાહિરા ભાવા, સલ્વે સંજોગ-લખણા રા સંજોગ-મૂલા જવેણ, પત્તા દુફખ-પરંપરા તહા સંજોગ-સંબંધ, સવૅ તિવિહેણ વોસિરિયે ૧૩ અરિહંતો મહ દેવો, જાવજીવં સુસાહુણ ગુરુણા જિણ-પન્નત તત્ત, ઈય સમ્મત મએ ગહિયં ૧૪ આ ચૌદમી ગાથા ત્રણ વાર કહેવી, પછી સાત નવકાર ગણવા, પછી નીચેની ત્રણ ગાથા કહેવી. ખમિઆ ખમાવિ, મઈ ખમિ સવ્ય જીવનિકાયા સિદ્ધહ સાખ આલોયણહ, મુજ્જફ વઈર ન ભાવ ૧પણા સવૅ જવા કમ્યવસ, ચઉદહ રાજ ભમતા તે સવ્વ ખમાવિઆ, મુજ વિતેહ ખમંત ૧૬ જે જેમણેણ બદ્ધ, જં જેવાએ ભાસિયં પાવા જે જે કાએણે કર્ય, મિચ્છા મિ દુક્કડં તસ ૧ળા ગાથાર્થ :- નિષેધ, નિષેધ, નિષેધ, ગૌતમાદિ મહા ક્ષમાશ્રમણ મુનિઓને નમસ્કાર હો. હે જ્યેષ્ઠ આય ! અનુજ્ઞા આપો- હે મોટા ગુણો રૂપી રત્નો વડે શોભાયમાન શરીરવાળા! પરમ ગુરુઓ ! અનુજ્ઞા આપો- પૌરુષી બહુ પ્રકારે પૂરી થયેલ છે. રાત્રિ સંબંધી સંથારામાં સ્થિર થાઉ૧ ૧ હાથને ઓશીકે-ડાબે પડખે અને કૂકડીની માફક પગ ઊંચા પસારીને સૂઈ ન શકાય, તો ભૂમિ પ્રમાઈને સંથારો પાથરી સૂવાની અનુજ્ઞા આપો. ૨ સંદેશક સ્થાનો સંકોચવાં, પડખું ફરતાં શરીર પડિલેહવું. [જાગતાં] દ્રવ્યાદિનો વિચાર કરવો, શ્વાસ રોકવો, અને [બારણા સામે] પ્રકાશ તરફ જોવું. ૩ Page #548 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો આ રાતમાં આ દેહ સંબંધી મારો પ્રમાદ થાય. તો આહાર-ઉપધિ અને શરીર એ સર્વનો ત્રણ પ્રકારે ત્યાગ કરું છું. ૪ તથા અરિહંત ભગવન્ મંગળ રૂપ છે. સિદ્ધ ભગવંતો મંગળ રૂપ છે, સાધુ ભગવંતો મંગળ રૂપ છે. અને કેવળી ભગવંતોએ ઉપદેશેલો ધર્મ મંગળ રૂપ છે. આ ચાર મંગળો [સ્વીકારું] છું. ૫ ૪૭૫ અરિહંત ભગવંતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે, સાધુ ભગવંતો લોકમાં ઉત્તમ છે, અને કેવલી ભગવંતોએ ઉપદેશેલો ધર્મ લોકમાં ઉત્તમ છે, એમ ચાર લોકમાં અનન્ય ઉત્તમોને [સ્વીકારું છું.] અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારું છું. સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. સાધુ ભગવંતોનું શરણ સ્વીકારું છું, કેવળી ભગવંતોએ ઉપદેશેલા ધર્મનું શરણ સ્વીકારું છું. એમ ચાર શરણો સ્વીકારું છું. ૭ પ્રાણાતિપાત, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. ૮ કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અને અરતિ સહિત, પરનિંદા, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય. ૯ મોક્ષ માર્ગના સંજોગોમાં વિઘ્નભૂત અને દુર્ગતિના કારણભૂત-આ અઢાર પાપ સ્થાનકોનો ત્યાગ કરું છું. ૧૦ ‘‘હું એક જ છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી.” એ પ્રકારે દીનતા વિના-ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમાવવો. ૧૧ જ જ્ઞાન અને દર્શન યુકત મારો આત્મા શાશ્વત અને એકલો જ છે. તે સિવાયના માત્ર સંજોગથી ઉત્પન્ન થયેલા મારા-ગણાતા સર્વ ભાવો-સંબંધો પદાર્થો વગેરેરે-બાહ્ય છે. ૧૨ સંજોગોમાંથી ઉત્પન્ન થયેલાં ઉપરાઉપરી દુ:ખો જીવ પામ્યો છે. માટે મન, વચન, કાયાથી સર્વ સંજોગ સંબંધનો ત્યાગ કરું છું. ૧૩ અરિહંત ભગવાન મારા દેવ છે, ઉત્તમ સાધુઓ મારા ગુરુઓ છે અને જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલું તત્ત્વ છે. એ પ્રમાણે સમ્યક્ત્વ (મેં યાવત્ જીવ સુધી) સ્વીકાર્યું છે. ૧૪ ક્ષમા આપવી અને ક્ષમા માંગવી. ૧. સર્વ જીવ નિકાયો મારા ઉપર ક્ષમા કરો. ૨. અને સિદ્ધ ભગવંતોની સાક્ષીએ હું મારા અપરાધો જાહેર કરું છું. અને મારે કોઈનીયે સાથે વેર-ભાવ નથી. ૧૫ કર્મને વશ થઈને સર્વ જીવો ચૌદ રજ્જુ લોકમાં રખડે છે. તે સર્વને હું ક્ષમા આપું છું, અને તેઓ પણ મારા ઉપર ક્ષમા કરે. ૧૬ મેં જે જે પાપ-કર્મ મન વડે બાંધ્યું હોય, વચને ઉચ્ચાર્યું હોય, અને કાયાએ કરીને કર્યું હોય, તે સર્વ સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા હો. ૧૭ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ પંચ પ્રતિકમાણસૂત્રો વિશેષાર્થ :- રાત્રે સૂતી વખતે મુનિ મહારાજાઓ રોજ અને શ્રાવકો પોસહમાં - આ સૂત્રનો ઉચ્ચાર કરે છે. અને પોસહમાં ન હોય, તો પણ અવકાશ સંથારા પોરિસી ભણાતી હોય, તે શ્રાવકો સાંભળે છે. આ પૌરુષી સૂત્રમાં જૈન જીવનનું રહસ્ય મૂકવામાં આવેલું જોવામાં આવે છે. કેટલાક કહે છે કે –“જેનો કંદ મૂળ અને અભણ્યોનો ત્યાગ કરાવે છે, પરંતુ રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરાવતા નથી, તેમજ આત્મ-ભાવનાના વિકાસ માટે કશો ઉત્તેજન કાર્યક્રમ બતાવતા નથી. પરંતુ આ ગંભીર ગેરસમજ છે, જેનો અધિકારી જીવોને અસત પ્રવૃત્તિમાંથી સત્ પ્રવૃત્તિમાં લઈ જાય છે, સમાંથી શુદ્ધમાં લઈ જાય છે. શુદ્ધમાં પણ વ્યવહારમાંથી નિશ્ચયમાં લઈ જાય છે. અને તે ખાતર સામાન્ય ત્યાગમાંથી વિશિષ્ટ ત્યાગમાં લઈ જાય છે, અને તેમાંથી યે પણ વિશેષ વિશિષ્ટ ત્યાગમાં લઈ જઈને શુદ્ધ આત્મ-જાગૃતિના દરજજા ઉપર લઈ જાય છે. અલબત્ત, આ બધું અધિકારભેદે, પાત્રભેદે બતાવે છે, સર્વને માટે એક જ માર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય પૂરું નથી કરતા. પણ પાત્રભેદે ક્રમ વિકાસને અનુસરીને જુદા જુદા માર્ગો બતાવે છે. દાખલા તરીકે :- પોસહ કરવા આવનારને આહાર, શરીર-સત્કાર અને વ્યાપારનો ત્યાગ તથા બ્રહ્મચર્યનું પાલન બતાવે છે, એટલે વિષયવાસનાનાં સાધનોનો ત્યાગ, ઘરના તથા કામધંધાની પ્રવૃત્તિનો ત્યાગ, દાગીના-ઘરેણાં, માળા-અત્તર, ફૂલ, તેલ, ટાપટીપ વગેરેનો ત્યાગ કરાવે છે અને યથાશક્તિ આહારનો ત્યાગ કરાવે છે. આહારમાંથી પણ સચિત્ત તથા બીજી વખત લેવાના આહારનો પણ ત્યાગ કરાવી, અમુક મર્યાદામાં જ લેવાનું નિયમન કરે છે. આમ બધો બાહ્ય ત્યાગ કરાવીને પોસાતી પાસે સામાયિક કરાવીને સાવદ્ય યોગને લગતી મન, વચન, કાયાની કરવા, કરાવવા રૂપ સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાવીને ઘણા જ સંયમમાં લાવી મૂકે છે. આટલી રીતે ત્યાગમાં અને આત્મજાગૃતિ તરફ દોરી જવા છતાં વધુ આગળ વધારવાને રાત્રે સંથારા પૌરૂષીમાં છેવટની હદ સુધી લઈ જાય છે. જો કે અત્યાર સુધી શરીર, ઉપધિ-ધાર્મિક ઉપકરણો વગેરે રાખવાને અવકાશ આપ્યો હોય છે, તે અવકાશ પણ રાત્રે બંધ કરાવે છે. સૂતાં પહેલાં છ આવશ્યકમય સંથારા પૌરુષી ભણાવતાં જૈન જીવનની વ્યવસ્થા પૂરી ખીલી ઊઠે છે. સૂવાનો વખત થતાં પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાયમાં વખત ગાળવામાં આવે છે. એમ અનેક રીતે એ સ્વાધ્યાય પૌરુપી પૂરી થયા પછી-સૂવાની ઈચ્છા થાય અને સમય થાય ત્યારે “બહુ પવિપુત્રા પોરિસીઓનો ઉચ્ચાર કરીને શિષ્યો ગુરુમહારાજને વીનવે છે- “અમોએ પૌરુષીનો ઘણો જ વ્યવસ્થિત ઉપયોગ કરીને તેને પૂરી કરી છે.” પછી ઈરિયાવહીયા પ્રતિક્રમીને ગમાણાગમાણે આલોચી તૈયાર થઈ જાય છે. અને સંથારામાં સૂવાની રજા માંગે છે. છેલ્લું સાતમું ચૈત્યવંદન કરી દેવવંદન કરે છે. પોસહ વગરના શ્રાવકોને પ્રતિક્રમણને અંતે સાતમું ચૈત્યવંદન થાય છે. પોસાતી અને મુનિરાજને તે ચૈત્યવંદન અહીં થાય છે. તેમજ સૂતા પહેલાં મંગળ રૂપ છેલ્લું ચતુર્વિશતિ સ્તવ રૂપ ચૈત્યવંદન કરી તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે ભકિત બતાવવા લેવામાં આવે છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પછી ખાસ ક્રિયાની સૂચક મુહપત્તિ પડિલેહી સૂવાની તૈયારીની ક્રિયાની ભૂમિકા નાંખે છે, અને શુદ્ધ ભાવનાની વૃદ્ધિ માટે સંથારા પૌરુષી ભણે છે. પહેલાં તો નિસીહ-નિસીહિ-નિસીહિ ત્રણ વાર બોલીને સ્વાધ્યાયાદિ વગેરે બીજી સમગ્ર પ્રવૃત્તિઓ વેગપૂર્વક બંધ કરી દેવામાં આવે છે અને એકાએક આત્મભાવમાં જ લીન થવા સૌ તૈયાર થઈ જાય છે. ૪૭૭ અને ગૌતમ સ્વામી વગેરે પૂર્વકાળના સર્વ મુનિ મહારાજાઓને નમસ્કાર કરીને સંથારામાં સૂવાની રજા પરમ વિનયપૂર્વક માંગે છે. ત્યારે નવકાર મંત્રના ત્રણ વખત ઉચ્ચારપૂર્વક ત્રણ વાર કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરીને મજબૂતપણે ફરીથી સામાયિકમાં સ્થિર થાય છે. દિવસમાં-વિસ્મરણ-અતિચાર લાગવા, તથા બીજાં અનેક કારણે જાણતાં અજાણતાં સાવદ્ય યોગો સેવાયા હોય, તેના ત્યાગ સાથે-ભવિષ્યમાં મજબૂત રીતે સામાયિકમાં સ્થિર થવા નિસીહિથી માંડીને તમામ પ્રવૃત્તિનો નિષેધ કરી મહામુનિઓને વંદન અને નમસ્કાર સ્મરણ સાથે સામાયિક મહાદંડકનો ઉચ્ચાર ત્રણ વાર કરાવવામાં આવે છે. આ સૂચક છે કે-હવે દુનિયાને તદ્દન ભૂલીને પરમ સામાયિકમાં લીન થવાને તત્પર થવું જોઈએ.” આ પછી ૧. સંથારાની આજ્ઞા, ૨. સંથારામાં કેમ સૂવું ? તે વિધિ, ૩. જાગવું પડે તો કેમ જાગવું ? ૪. રાત્રિમાં મરણ નીપજે, તો તેને માટે તૈયારી, ૫. આત્માનુશાસન, ૬. સર્વ દુ:ખના મૂળભૂત સંબંધોનો ત્યાગ, ૭. સમ્યક્ત્વનો પુન: મજબૂત સ્વીકાર, ૮. મંગળભૂત નમસ્કાર મંત્રનું સ્મરણ, ૯. સર્વ જીવો સાથે ક્ષમાપના, ૧૦. અને એકંદર સર્વ પાપોનું મિથ્યા-દુષ્કૃત આ દશ મુખ્ય વિષયો સંથારા પોરસીમાં વ્યવસ્થાપૂર્વક અને ટૂંકમાં સમાવેલા છે. ૧. આજ્ઞા માગવામાં ઉપર જણાવેલા કેટલાક વિધિની સૂચના છે. તે ઉપરથી જ પ્રથમ તો તે વિધિ સચવાય છે. ૨. હાથનું ઓશીકું કરવું અને ડાબે પડખે સૂવું. કેમકે, ડાબું આંતરડું રોગનું મૂળ હોય છે. તેમજ મળાશય પણ ડાબી તરફ છે. તેમજ લોહીની પ્રસારણાનું કેન્દ્ર હૃદય, અને આહાર પાચનનું આમાશય-હોજરી-જઠર પણ લગભગ ડાબી તરફ જ છે. શરીરનાં રક્ષણ કરવા લાયક મર્મસ્થાનો ડાબી તરફ હોવાથી, તેની રક્ષા માટે ડાબું પડખું દબાવીને સૂવાની સૂચના જણાય છે. તેમજ શરીરનાં જે જે અવયવો સાણસીનાં પાંખડાની જેમ વળે છે, તેમાં જીવજંતુ ભરાઈ રહેવાનો સંભવ હોવાથી વિરાધનાનો સંભવ ગણાય. એટલે પ્રથમ તેની પ્રમાર્જના કરીને સંકોચી રાખવા જેથી કરીને તેમાં જીવ જંતુ ન ભરાય અને તેની વિરાધના થાય નહીં તથા પડખું ફેરવવાની જરૂર પડે, તો રજોહરણ કે ચરવળાથી પ્રમાર્જના કરીને જ પડખું બદલવું જોઈએ. આ ઉપરથી એમ સ્પષ્ટ સમજી શકાશે કે, ‘ઊંઘમાં ઘોરવું નહીં જોઈએ, પણ જાગ્રત જેવી નિદ્રા હોવી જોઈએ. ઊંઘમાં ઘોરે તો પોતે આળોટે છે કે પડખું ફરે છે, તેનું ભાન ન રહે. તો પછી પડખું ફરતાં પ્રમાર્જનાની તો વાત જ શી ? માટે અલ્પ નિદ્રાવાળા, શ્વાન જેવી નિદ્રાવાળા રહેવું જોઈએ. મકાન ઉપર પગે ગાદી જેવી માંસલ પગવાળી બિલાડી ચાલે તો પણ નિદ્રા ઊડી જાય, તેવી નિદ્રા હોવી જોઈએ.' આ રીતે સૂવાની રજા આપે Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ છે, પણ અશકત માટે ઉત્સર્ગ નિયમનથી તો કૂકડીની જેમ પેટ ઉપર અધ્ધર પગ રાખીને સૂવાનો વિધિ છે. પરંતુ તેમ જે ન સૂઈ શકે, તેને જ ભૂમિ પ્રમાઈ સંથારો લાંબો કરી, તે ઉપર પગ લાંબા કરવાની છૂટ આપવામાં આવે છે નહીંતર, ખરી રીતે એ છૂટ ન લેવી જોઈએ. પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. હવે કદાચ માથું વગેરે કરવા માટે, કે પાછલી રાત્રે ધર્મધ્યાન માટે જાગવું પડે, ત્યારે પણ તુરત જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણા કરવા માંડવું જોઈએ જેથી તરત જ નિદ્રા ઉડી જાય. “હું કોણ ? મારી આજુબાજુ કોણ ? અને કયાં દ્રવ્યો છે ? કયાં છું ? કયા મકાનમાં છું ? સંથારામાં કે બહાર ? વ્રતમાં કે વ્રત વિના ? મકાનમાં કે બહાર ? ગામમાં કે બહાર ? વગેરે. કેટલો વખત થયો હશે ? કેટલું ઊંઘ્યો ? ઊઠવા વેળા થઈ છે કે નહીં ? કેટલી રાત બાકી હશે ? વગેરે. હું કઈ પરિસ્થિતિમાં છું ? માત્રા વગેરેની શંકાવાળો છું ? કે જાગ્રત છું કે ઊંઘમાં ? પૂજ્યાદિનો વિનય સચવાય છે કે નહીં ? વગેરે.'' તેમ છતાં નિદ્રા ન ઊડે, તો નાક દબાવીને ઊંઘ ઊડે તેવી રીતે શ્વાસ રુંધવાથી નિદ્રા ઊડશે. બારણું ઊઘડેલું હોય, તો તે તરફ પ્રકાશ તરફ જોવું. તેમજ બારણામાં જતા આવતાને ઓળખવા નજર નાંખવી, અને આંખો ઉઘાડી ચારે તરફ નજર કરવી. આ પ્રમાણે સંથારામાં સૂવા તથા ઊઠવાનો ઉપદેશ ગ્રહણ કરી, આગળ ભાવનામાં ચડે છે. ૪. કાળનો ભરોંસો નથી. મરણ અનિવાર્ય છે. તે કયારે આવે, તે કહી શકાતું નથી. હાર્ટફેઈલ વગેરે કારણોથી ઘણી વાર રાત્રે સૂતા ને સૂતા અને સવારમાં ઊઠતાં જ પંચત્વ પામેલા જાણ્યાના સમાચાર સાંભળીએ છીએ, અરે ! કોઈ ઝેરી જંતુ, આગ, મકાન પડવા વગેરેના ઉપદ્રવ, વીજળી પડવી, ધરતીકંપ વગેરેથી પણ મરણનો સંભવ છે. કઈ વખતે મરણ ઉત્પન્ન કરનાર કો સંજોગ આવી પડશે તે કોઈ ચોકકસ કહી શકતું જ નથી. કેમકે, મરણ એક એવો બનાવ છે કે, કઈ વખતે અને ક્યા નિમિત્તથી અચાનક આવી પડે, તેને માટે કાંઈ પણ ચોકકસ કહી શકાતું જ નથી, એટલે રાત્રિમાં કદાચ મરણ આવી પડે, તો પણ આરાધકને ચિંતા ન રહે, માટે તે ખાતર તત્પર થઈને તૈયાર થઈ જાય છે. અહીં મરણ એટલે દેહનો એક જાતનો પ્રમાદ-મહાપ્રમાદ ગણ્યો છે, અને તેથી આહાર, ઉપધિ તથા શરીરનો પણ ત્યાગ કરી દે છે. શરીરસત્કારના ત્યાગમાં કપડાં, દાગીના, બાહ્ય ઉપભોગોનો ત્યાગ કરાવ્યો હતો. અહીં આગળ વધીને ઉપધિ અને શરીરનો પણ ત્યાગ કરાવે છે. પરંતુ એ સર્વનો આ રાત્રિ પૂરતો જ ત્યાગ કરે છે. મરણ ન આવે, તો ત્યાગ થતો નથી. જો સર્વથા કાયમનો ત્યાગ હોય, તો પછી તે ચીજોનો ઉપયોગ કરી શકાય નહીં; એવો ત્યાગ નથી પરંતુ એ શરતી ત્યાગ છે. ‘‘આ રાત્રિમાં જો મરણ આવે, તો જ ત્યાગ છે.’’ આ યોજનામાં જૈનાચાર્યો કેટલા દીર્ઘદૃષ્ટિવાળા અને વ્યવહારુ છે તે સમજાશે. આ પ્રમાણે આ રાત્રિમાં મરણ આવી જાય તો−૧. આહારાદિનો ત્યાગ, ૨. ચાર મંગળ- ચાર લોકોત્તમોનો સ્વીકાર અને ચાર શરણાનું સ્મરણ-એકરાર, અને શરણ ગ્રહણ કરવામાં આવે છે. ૩. તથા અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે. આથી આત્મા તદ્દન નિર્મળ થઈ જાય છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો મૃત્યુ આવે તો પણ આરાધના થાય છે. ૫. ત્યાર પછી, દેહ તથા બીજા સર્વ સંબંધોમાં-જ્યાં જ્યાં “હું” અને “મારાપણાની બુદ્ધિ હોય છે, તે દરેકમાંથી એ બુદ્ધિ ખેંચી લઈને-કેવળ પોતાનો આત્મા પોતે જ છે, એ જ પોતાનો છે-તેમાં જ પોતે છે, બીજું બધું કાંઈ પણ પોતાનું નથી, તેમજ પોતે પણ કોઈનો નથી” આ વિચાર સંસારાસકત શુદ્ધ પ્રાણીને ક્ષણભર દયામણો, પામર અને ઢીલો બનાવી દે છે. “અરેરે ! મારું કોઈ નથી, હું કોઈનો નથી, મારું અહીં કોઈ નથી, મને કોઈ મદદ કરશે ? કે નહીં ? મારું શું થશે ?” આ વિચારથી ગમે તેવો માણસ, અને તેનું મન રાંક બની જાય છે. પરંતુ અધ્યાત્મીઓને એવું રાંકડાપણું હોવાનો સંભવ નથી. તે અદીન મનથી-ઉત્સાહવાળા મનથી પોતાના આત્માની આ વાસ્તવિક સ્થિતિનું હોશિયારીથી ભાન જાગ્રત કરે છે-અને પોતાના આત્માને પણ આ વાસ્તવિક સ્થિતિમાં જાગ્રત કરે છે, એટલું જ નહીં, પરંતુ પોતાનો આત્મા એકલો છે, અને તેનું કોઈ નથી, કે તે કોઈનો નથી. એટલા ઉપરથી હજુ ઉત્સાહમાં ન્યૂનતા રહે છે. તેની પૂર્તિમાં ઉલ્લાસથી એ બોલી ઊઠે છે કે, “મારો આત્મા જ્ઞાન-દર્શન રૂપ દિવ્ય લક્ષ્મીનો ધણી છે અને શાશ્વત તથા નિત્ય છે, અખંડ, અભેદ્ય અને સદા જાગ્રત છે.” - જ્યારે કેવળ આત્મ ભાવાત પોતાને વિષે તે અનુભવે છે, ત્યારે “હું, અને મારા” એ જાતની લાગણી જેના જેના ઉપર ઉત્પન્ન થયેલી હતી, “તે સઘળા શું છે ?” આ પ્રશ્નનો પણ નિકાલ કરીને તેનો ત્યાગ કરે છે. એટલે કે, “એ લાગણી જેના ઉપર થતી હતી, તેમાંનું કાંઈ પણ મારું નથી, માત્ર તે બધા બાહ્ય પદાર્થો છે, સંજોગોને લીધે મારા ગણાયા છે, પણ વાસ્તવિક રીતે તેમાંનું કંઈ પણ મારું નથી, અને તેમાંના કોઈ રૂપે હું નથી. માતા-પિતા- પુત્ર-સ્ત્રી-ઘર-ધનધાન્ય-આબરૂ-શરીર- કપડાં-સગાં-સંબંધી-દેશ-સમાજ- કુટુંબ-દાગીના-ઘરેણાં, નોકર-ચાકર, ઢોર-ઢાંખર, બાગ-બગીચા, ઘોડા-ગાડી, હાથી, દુકાનો-કારખાના વગેરે કાંઈ પણ મારું નથી, એ બધાં માત્ર સંગથી આવી મળેલાં છે.” ૬. અને એ બધા સંજોગોનું મૂળ પણ-કર્મનો અને આત્માનો સંજોગ કારણભૂત છે માટે એ સંજોગોનો જ મન, વચન, કાયાએ કરીને ત્યાગ કરું છું. સર્વ દુઃખોની પરંપરાઓનું મૂળ પણ એ જ સંજોગ છે. માટે તેનો જ ત્યાગ કરું છું.” ઉપર ઉપધિ અને શરીરનો ત્યાગ કરાવ્યો, પરંતુ તેથી આગળ વધીને સર્વ સંજોગો અને તેના કારણભૂત આત્મા અને કર્મના સંજોગોનો પણ આ રીતે ત્યાગ કરાવ્યો છે. આત્મભાન કરાવીને આ રીતે કેવળ સચિદાનંદમય જળહળતા શાશ્વત અને જ્ઞાનાદિ અનંત ગુણોમય આત્માને જ તેના ધ્યાનમાં ધ્યેય તરીકે, સાધન તરીકે, આદર્શ તરીકે, અને સર્વસ્વ તરીકે સ્થાપન કરે છે. બીજું બધું સજાવી દે છે, ભુલાવી દે છે.” આત્મા ન હોય, તો બધી આરાધના નકામી છે. તેનો વિકાસ ન થતો હોય તોયે સર્વ સાધના નકામી છે. તેથી આત્મા અને તેનો વિકાસ એ સુપ્રસિદ્ધ બાબત છે. માટે તે ખાતર આરાધના-સાધના Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ : પંચ પ્રતિક્રમણ સૂત્રો જરૂરી છે. એમ ઠસાવવા આત્માનું શાશ્વતપણું જ્ઞાન-દર્શન સહિતપણું અને સંજોગ-સંબંધ છૂટી જતાં, દુ:ખની પરંપરા નાશ પામતાં સુખની પરંપરાનું ઉત્તમ પરિણામ – સિદ્ધાવસ્થાનું અનંત સુખ - એટલાં વાનાં આરાધકને આરાધના કરવાની પ્રેરણા માટે પૂરતાં છે. - આ રીતે રાત્રે પરમ ગુરુઓ તમામ ભુલાવીને કેવી રીતે આત્માની અભિમુખ ક્રમસર, પદ્ધતિસર સાધકને ખડો કરે છે અને કેટલો જાગ્રત કરે છે ? તે સમજવાથી આપણા દિલમાં એ પરમ ગુરુઓ પ્રત્યે મહાન પૂજ્ય બુતિ ઉત્પન્ન થાય છે. અને ક્ષણે ક્ષણે તેઓને વંદન કરી, તેમને સમર્પિત થવાનું મન થઈ આવે છે. ૭. ઉપર પ્રમાણે આત્માભિમુખ થઈ, જાગ્રત થઈ, ફરીથી આવો સાચો માર્ગ બતાવનાર દેવ, ગુરુ અને ધર્મ તરફ અનન્ય ભક્તિભાવ ઉત્પન્ન થવાથી એ ત્રણ તત્ત્વોના સ્વીકાર રૂપ સમ્યકત્વનો ફરી ફરીથી સ્વીકાર કરે છે, ને તે સ્વીકારીને અતિ દઢ બનાવવા એ ગાથા ફરી ફરીને ત્રણ વાર બોલે છે. ત્રણ વાર તો ઉપલક્ષણ રૂપ છે, પરંતુ દરેક ક્ષણે હૃદયમાં એ સ્વીકારનો ટંકાર વગાડે છે, તેના પ્રતીક તરીકે ત્રણ વખતની માત્ર મર્યાદા બાંધી છે. સારાંશ કે, અત્યન્ત દઢપણે સમત્વનો સ્વેચ્છાથી સ્વસમજથી સ્વયં સ્વીકાર કરે છે. ૮. ત્યાર પછી મંગળ માટે બીજું કોઈ સૂત્ર અહીં ગણવાનું હશે ? તેના સ્થાન તરીકે સાત નવકાર ગણે છે. ૯. છેવટે, સર્વ જીવોને ક્ષમા આપે છે, અને પોતે ક્ષમા માંગે છે. સર્વ જીવો સાથેનો વૈરભાગનો દાવાનળ શાંત કરી નાંખે છે. વૈરભાવ પણ કર્મવશ થયો હોય છે એટલે સંજોગ સંબંધના ત્યાગ સાથે તેનો પણ પરિત્યાગ કરે છે. પોતે ક્ષમા આપે, પણ બીજા જીવો ક્ષમા એકાએક શી રીતે આપે ? પરંતુ તેને માટે પણ કાકલૂદી ભરી માંગણી કરીને ક્ષમા માગી લે છે. ૧૦. આ રીતે તદ્દન શાંત, શુદ્ધ, જાગ્રત, આત્મા, મન, વચન કાયાનાં સઘળાં કર્મોનો ત્યાગ કરી, પ્રતિક્રમણ, આલોચના કરી, તેને મિથ્યા કરી, પરમ નિર્મળ થઈ, અલ્પનિદ્રાને આધીન થાય છે. પોસહ વિધિ પોસહ લેવાનો વિધિ ૧. પોસહ લેવાનો વિધિ. ૧. સર્વ ઉપકરણ સાથે પોસહ શાળાએ, કે જ્યાં પોસહ કરવાનો જોગ હોય, ત્યાં જઈને ગુર સમીપે, અથવા નવકાર પંચિન્દિયથી સ્થાપનાચાર્ય સ્થાપીને પોસહ લેવાની શરૂઆત કરવી. પોસહ લીધા પહેલાં જિન પૂજા કરી શકાય, તો કરી લેવી. Page #554 -------------------------------------------------------------------------- ________________ ४८१ પંચ પ્રતિકમાણસૂત્ર ૨. પોસહમાં ઉપયોગી ઉપકરણો. ૧. દિવસના પોસહવાળાને : ૧. મુહપત્તિ, ૨. કટાસણું, ૩. ચરવળો, ૪. શુદ્ધ ધોતિયું, ૫. માતરિયું-ધોતિયું, ૬. ખેસ, ૭. કંદોરો, ૮. જરૂર હોય તો ખેળિયું, ૯. પંજણી, ૧૦. માત્રા માટે કુંડી, ૧૧. ઝાડાપેશાબ માટેની સ્પંડિલ શુદ્ધ ભૂમિ, ૧૨. શુદ્ધિ માટે પાણી, ૧૩. કામળી. ૨. રાત્રિ પસહવાળાને વધારે : ૧. ઓઢવા માટે કામગીઓ ઉનાળામાં ૧, શિયાળામાં ૨, ૨. સંથારિયુંઊનનું અઢી હાથ લાંબુ, ૩. ઉત્તરપટો[સૂત્રનો] સૂતરનો, ૪. રૂનાં બે કુંડળ, ૫. ઠંડાસણ, ૬. ચૂનો નાંખેલુ શુદ્ધિ માટે પાણી. ૭. વડી નીતિ-દિશા જંગલ સ્પંડિલ ભૂમિએ જવું પડે, તો લોટો. આથી વિશેષ કોઈ ખાસ ઉપકરણની જરૂર પડે, તો ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે કાચી લઈ ઇરિયાવહિયા પ્રતિક્રમી પ્રતિ લેખી, પ્રમાઈ, વાપરી શકાય. ૩. પ્રથમ ગુર સમક્ષ : સ્થાપનાચાર્ય સમક્ષ ખમાસમણ દઈ ઈરિયાવહિયં પ્રતિક્રમી કાયોત્સર્ગ, પ્રગટ લોગસ્સ સુધી કરી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?” ગુરુ પડિલેહેહ. ઈચ્છે. કહી બેસીને મુહપત્તિ પડિલેહવી. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભ. પોસહ સંદિસાહું ? ગુરુ કહે-સંદિસાવહ. ઇચ્છ. કહી ખમાસમણ દઈ ઇચ્છા સંદિર ભગ, પોસહ ઠાઉ ? ગુરુહ કહે- ઠાએહ. ઇચ્છ. કહી ઊભા ઊભા એક નવકાર ગણી ઈચ્છકારિ-ભગવાન પસાય કરી પસહ દંડક ઉચ્ચરાવજી, કહી ગુરુ મહારાજ પાસે, વડીલ પાસે, અથવા ન હોય, તો જાતે-પોસહ દંડક સૂત્ર ઉચ્ચરવું. પછી, સામાયિક મુહપત્તિ પડિલેહણના આદેશથી માંડીને ત્રણ નવકાર ગણીને સઝાય કરવા સુધી દરેક સામાયિક લેવાની વિધિ કરવો. પોસહમાં પ્રતિક્રમણ ૪. ત્યાર પછી રાઈએ પ્રતિક્રમણ બાકી હોય, તો છેવટે દેવ વાંધા પહેલાં તે કરવું. પરંતુ, [નો સવારમાં ઊઠીને પોસહલીધા પહેલાં પ્રતિક્રમણ કરી લીધું હોય, તો પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં.] પ્રતિક્રમણ કરતાં૫. ખમાર ઇરિયા, ઈચ્છા. કુસુમિણ વગેરેથી શરૂ કરવું. તેમાં સાત લાખ અને અઢાર પાપ સ્થાનકને બદલે ગમણા-ગમણે આલોવવું. જાવ નિયમને બદલે જાવ પોસહં બોલવું અને અઢાઇજેસુ પહેલાં૬. ખમાર ઇચ્છા. બહુવેલ સંદિસાઉ? ગર- સંદિસાહ. ઇચ્છે. કહી, બીજુ ખમાસમણ. ઇચ્છા બહુવેલ કરશું? ગુડ- કરજો. ઈચ્છે. કહે પછી ચાર ખમાસમાણ પૂર્વક ભગવાનાદિને વંદન-પછી અઢાઈજેસુ : પ્રતિક્રમણ પૂરું કર્યા પછી પડિલેહણની શરૂઆત કરવી. રાત્રિ પોસહમાં પણ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો બીજે દિવસે સવારના પ્રતિક્રમણમાં પણ આ પ્રમાણે વિધિ કરવો. ૭. પોસહ લીધા પહેલાં રાઇઅ પ્રતિક્રમણ વહેલું કરેલું હોય તો, સામાયિકમાં સઝાય પછી હવેલ સંદિસાહુના બન્નેય આદેશો પછી, પડિલેહણની શરૂઆત કરવી. ૮. પડિલેહણનો વિધિ- ખમા ઈચ્છા પડિલેહણ કરું? ગુરહ કરેહ. ઈચ્છે કહી મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સૂતરનો કંદોરો ૧૦ બોલથી, અને ધોતિયું ૨૫ બોલથી પડિલેહવા. પછી ધોતિયું પહેરી, કંદોરો બાંધી ઈરિયાવહિયા પડિકકમી ખમા. ઈચ્છા. પડિલેહણા પડિલેવડાવોજી! ગુરુ- પડિલેહ-ઇચ્છે. કહી સ્થાપનાચાર્ય પડિલેહી-સ્થાપેલા હોય, તો-ફરીથી સ્થાપી અથવા વડીલનું ઉત્તરીય પહિલેહી ખમા ઇચ્છા ઉપધિ મુહપત્તિ પહિલેઉ?ગુર-પડિલેહ. ઈચ્છે. મુહપતિ પડિલેહવી અમારી ઇચ્છા ઉપધિ સંદિસાઉ? ગુરુહ- સુંદીસાહ. ઈચ્છે, ખમાત્ર ઈચ્છા, ઉપાધિ પડિલેઉ? ગુરુ- પડિલેહેહ. ઇચ્છે. મુહપત્તિ પડિલેહવી ખમાર ઈચ્છા, ઉપાધિ સંદિસાઉ ? ગુ-સંદિસાહ. ઇ. ખમાર ઇચ્છા ઉપધિ પડિલેઉ ? ગુરુ- પડિલેહેહ. ઈચ્છે. કહી બાકીનાં વસ્ત્રો વગેરે પડિલેહવા. પછી-કાજે લઈ પોસહ શાળાની પ્રાર્થના કરવી. ૯. કાજે લેવાનો વિધિ - વાસણ યાચી, પડિલેહી, ઇરિયાવહિયં પકિમી કાજે લેવો. તેને શુદ્ધ કરી-જીવજંતુ જીવતું કે મારેલ હોય, તે તપાસી-ત્યાં જ સ્થાપનાચાર્ય સન્મુખ ઊભા રહી, ઈરિયાવહિયા પહિકકમી લોગસ્સ સુધી કહી, પ્રમાર્જતાં પ્રમાર્જતાં જઈ આણુજાણહ જલ્સગ્ન કહી કાજે પરઠવવો. ને વોસિરે વોશિરે ત્રણ વાર કહેવું. પછી પાછા આવીને સૌની સાથે દેવ વાંદરા અને સઝાય કરવી. ૧૦. દેવ વાંદવાનો વિધિ - ઈરિયાવહિયં પડિકકમી ઉત્તરાસંગ કરી, ખમાસમણ ઇચ્છાકરણ સંદિસહ ભગવન ત્યવંદન કરું? ગુરુ - કરેહ. ઈચ્છે. ચૈત્યવંદન કરિ નમુત્થા આભવમખેડા સુધી જય વિયરાય. ખમાય ઇચ્છા. ચત્ય કરું? ગુરુ- કરહ. ઇચ્છે. અત્યવંદન નમુગં. ઊભા થઈ, અરિહંત, અન્નત્ય એક નવકારનો કાઉસગ્ગ કરી–પારી નમો અરિહંતાણં, કહી નમોહત.. કહીને-થોય. લોગસ્સ સબલોએ અરિહંત-ચેઈઆણંટ કરેમિ કાઉસ્સગ્ગ, વંદાણ વનિ. અન્નત્ય એક નવકારનો કાઉસગ્ગ ૨ બીજી થાય. પુખરવર - સુઅસ ભગવઓ કરેમિ વંદણવૃત્તિ અન્નત્ય એક નવકારનો કાઉ. ત્રીજી થાય. સિદ્ધાવેયાવચ્ચ. અન્નત્ય એક નવકારનો કાઉ. નમોહંત ૪થી થોય. નમુલ્યાં.-અરિહંત વગેરે ઉપર પ્રમાણે બીજી વખત ચાર થયો કહેવી. પછી યોગમુદ્રાએ Page #556 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૮૩ નમુOણં જાવંતિ, ખમાસમણંદ જાવંત કે વિ. નમોહન સ્તવન. આભવમખેડા સુધી જય વિયરાય, ખમા પૈત્યવંદનનો ગુરુ મહારાજ પાસે આદેશ માગી, મળવાથી ઇશ્કે કહી, ચૈત્યવંદન-કિચિ-નમુત્યાગં. જયવિયરાય પૂરા. ૧૧. સઝાય કરવાનો વિધિ - ખમા ઈચ્છાસઝાય કરું? ગુરુ-કરે. ઇચ્છે. એક નવકાર. મહ જિગાણું૦ ની સજઝાય કરી૧૨. ખમાસમાગ - ચરવળા ઉપર હાથ સ્થાપન કરી, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ મિચ્છામિ દુક્કડ. ૧૩. પ્રતિક્રમણ કર્યા પછી પોસહ લેતાં પહેલાં પણ-ઘેર - ખમા ઈરિયા લોગસ્સ સુધી કહી ખમાસમણ ઇચ્છાકાપડિલેહણ કરું? એમ આદેશ માંગીને મુહપત્તિ તથા દરેક ઉપાધિ અને વસ્ત્રો વગેરે પડિલેહી, કાજે લેવાની વિધિ પ્રમાણે કાજો લઈ, પરઠવી, ઉપર પ્રમાણે દેવવાદી, પછી પોસહશાળાએ પોસહ, સામાયિક લઈ બહુલના બન્નેય આદેશ માત્ર ઉપર જણાવ્યા પ્રમાણે માંગી, તથા માત્ર પડિલેહણના આદેશ જ માંગવા, માત્ર વચ્ચે બે વખત મુહપત્તિ પડિલેહવી. સઝાયના વિધિ પ્રમાણે સઝાય કરવો. ૧૪. પછી-સ્વાધ્યાય ધ્યાનમાં લીન થવું. વ્યાખ્યાન સાંભળવું. અને છ ઘડી દિવસ ચડવા રૂપ પૌરુપી થાય, ત્યારે પૌરૂષી ભણાવવી. ૧૫. પૌરૂષી ભણાવવાની વિધિ - ખમા ઈચ્છાબહુ પડિપુન્ના પોરિસી ? ગુરુ- તહરિ. ઈચ્છે. ખમા, ઇચ્છા, ઈરિયા. પડિકયું? ગુરુ-પક્કિમેહ. ઇચ્છે થી તે કાઉસ્સગ્ન, લોગસ્સ સુધી કહી, ખમાઇચ્છાપડિલેહણ કરું ? ગુડ કરેહ. ઈચ્છ: મુહપત્તિ પડીલેહી, ફરીથી સ્વાધ્યાય-મંડળીમાં લીન થાય. પુસ્તક વાંચે, અથવા આગળ વ્યાખ્યાન સાંભળે વગેરે. ૧૬. પ્રતિક્રમણ જો ગુરુ સાથે ન કર્યું હોય, તો સંક્ષેપમાં પ્રતિક્રમણ કરવા છ આવશ્યકમય રાઇયમુહપત્તિની ક્રિયા શરૂ કરવી. ૧૭. રાઇઅમુહપત્તિનો વિધિ - ખમા ઈરિયાવહિયાત લોગસ્સ સુધી. ખમા ઈચ્છા રાઈઅમુહપત્તિ પડિલેઉ?ગુરુ - પડિલેહેહ. ઇચ્છ. મુહપત્તિ પડિલેહવી. બેવાંદાણાદેવા. ઈચ્છા રાઇસ આલોઉ ? ગુરુ આલોએહ. ઇચ્છ. આલોએમિ. બે મે રાઇઓ અઈઆરો સવ્યસવિ રાઇઅ ઇચ્છા ગુરુ પરિકમેહ. ઈચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડ પછી, પદસ્થ હોય, તો બે વાંદણા, નહીતર એક ખમાસમણ દઈ, ઇચ્છકાર અભુટિઓ. બે વાંદણા-ઈચ્છકારિ ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. પછી ચોવિહાર કે તિવિહાર ઉપવાસ-કે પુરિમ, આયંબિલકે એકાસણાનું પચ્ચકખાણ કરવું જોઈએ. ખાસ કારણ હોય, તેમજ ગુરુ મહારાજની આજ્ઞાથી પુરિમઝથી ઓછું- સાપોરસી, પોરસી પણ પચ્ચકખાણ કરી શકાય. કાળ વખતે દેવ વંદાયા પછી આહાર વાપરવાના ધોરણને Page #557 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્ર અનુસરીને વાપરવા ઈચ્છનારે પોસહમાં પુરિમઝનું પચ્ચકખાણ કરવાનું મુખ્ય વિધિ છે. ૧૮. પછી મુનિ મહારાજાઓને ગુરુવંદન વિધિથી વંદન કરવું. ૧૯. પછી, પોસહ લીધા પછી દહેરે દર્શન કરવા ન ગયા હોઈએ, તો દહેરે દર્શન કરવા જવું. ચોમાસામાં દહેરે દેવ વાંદવા હોય, તો કાંજો લઈને જવું. પોસહ લીધા પછી દહેરે જઈ ઈરિયાવહિયા પ્રતિકમણ પછી સો ડગલાં ઉપરાંત છેટે ગયા હોઈએ, તો ગમણાગમાણે આલોવી, ચૈત્યવંદન કરી, ફરીથી પચ્ચકખાણ ઉચ્ચરવું. અને મધ્યાહનના દેવ વાંદવાને વખતે દહેરે ગયા હોઈએ, અને દહેરામાં દેવ વાંદવા હોય તો ઉપર પ્રમાણે વિધિ કરી, ચૈત્યવંદન કરી, દેવ વાંદી, પછી પચ્ચકખાણ ઉચ્ચરવું. ૨૦. પોસહશાળાએ આવીને દેવ વાંદવા હોય, તો ત્યાં આવીને પણ ઈરિટ ગમાણા ગમણે કરીને દેવ વંદાય, પરંતુ, ચોમાસામાં મધ્યાહનનો પણ કાજો લેવાના વિધિ પ્રમાણે લઈ પરઠવવો, પરંતુ પછી ઈરિયાવહિયં પડિકમવા નહીં. પછી દેવવંદન કરવું. ૨૧. પછી-તિવિહાર ઉપવાસનું કે-આયંબિલકે એકાસણાનું પચ્ચકખાણ કર્યું હોય, તેણે પાણી પીવા કે આહાર લેવા નીચેની વિધિથી પચ્ચખાણ કરવું. ૨૩. પચ્ચકખાણ પારવાનો વિધિ - ખમા દરિયા લોગસ સુધી કહી, જગચિંતામણિનું ચૈત્યવંદન કહી, જયવીયરાય ! સુધી ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કરી, પ્રથમ પ્રમાણે સઝાયનો આદેશ માંગી, નવકાર ગણી, મહ જિગાણંની સઝાય કહેવી. પછી, ખમા ઇચ્છા મુહપત્તિ પડિલેઉ? ગુરુટ પડિલેહેહ. ઇચ્છું કહી મુહ પડિલેહવી. ખમાત્ર ઇચ્છા પચ્ચકખાણ પારૂં? ગુરુ પુણો વિ કાયવૂ શિષ્ય- યથાશક્તિ, ખમાર ઈચ્છા પચ્ચકખાણ પારૂં ? ગુરુ આયારો ન મોતો. શિષ્ય-તહત્તિ: કહી બેસીને મુઠીવાળી ચરવળા ઉપર હાથ સ્થાપીને એક નવકાર ગણી, યથાયોગ્ય પચ્ચકખાણ પારવાનું સૂત્ર બોલવું ને પછી એક નવકાર ગણવો. ૨૪. પછી ગુરુ મહારાજની આજ્ઞા મેળવી, આહાર વાપરવાની તૈયારી કરવી. ૨૫. ઘેરથી મંગાવી રાખેલ હોય, તો પોસહશાળામાં આહાર કરી શકાય અથવા આહાર કરવા ઘેર પણ જઈ શકાય. ૨૬. આહાર વિધિ - ત્રણ વાર આવસહિ કહી પોસહશાળામાંથી નીકળવું, સાથે ક્રિયામાં વાપરવા સિવાયનું બીજું ધોતિયું હોય, તે લઈ ઇરિયાસમિતિ શોધતાં જવું. ઘરમાં પ્રવેશ કરતાં જયાણા મંગળ બોલવું, સ્થાપનાચાર્ય સ્થાપી ઇરિયાવહિયા પડિકકમી સો હાથ ઉપર હોય, તો ગમણાકહી પાટલા-વાસણ ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રાર્થના કરવી, વસ્ત્ર બદલી, કટાસણા ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળી બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણીને આહાર કરવો, પરંતુ જોગ હોય, તો તેમાંથી અતિથિ સંવિભાગ કરવો. • Page #558 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૮૫ આહાર કરતાં મૌન જાળવવું, જરા પણ બાકી મૂકવું નહીં, જમતાં પાણી પીધા વિના બોલવું નહીં, કેમ કે, તેથી જ્ઞાનની આશાતના થાય, જે ચીજો પીરસી હોય, તે માટે વાપરો એમ કહે, પછી વપરાય. કોઈ પણ સચિત્ત કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ જ વાપરવી, બચકારા ન બોલાવાય, સૂરસૂર અવાજ ન કરાય, જમતાં ઉતાવળ ન કરાય, અત્યન્ત વાર પણ ન કરાય. આહારમાંથી કાંઈ પણ ન છોડવું, થાળી વગેરે ધોઈને પી જવું, અને થાલી, વાટકા વગેરે લૂછીને સાફ કરી નાંખવા, જેથી પાછળથી ઊટકવા વગેરેથી ક્રિયા ન લાગે, આ વિધિ છે. ઊઠતાં તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું, ને નવકાર ગણીને ઊઠવું. પછી કાજો લઈ પરઠવી, પોસહ શાળાએ જવું, ને નિશીહિ ત્રણ વાર કહી, પ્રવેશ કરવો. ૨૭. તિવિહાર ઉપવાસવાળાને પાણી પીવું હોય, કે આહાર પછી જ્યારે આયંબિલ એકાસણાવાળાને પાણી પીવું હોય, ત્યારે યાચીને લવાયેલું અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું. અને પીધેલું વાસણ લૂછીને મૂકવું, પાણીનાં વાસણ ઉધાડાં ન રાખવાં, પાણીના કાળનો ખ્યાલ રાખવો. ૨૮. આહાર પછી - આહાર કરીને પોસહ શાળાએ આવ્યા પછી, ઇરિયાવહિયા પ્રતિક્રમી સો ડગલાંથી ઉપર હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિનું જયવિયરાય પૂરા સુધી ચૈત્યવંદન કરવું. ૨૯. સ્વાધ્યાય - ત્યાર પછી પઠન-પાઠન-વાચન, સ્વાધ્યાય, પ્રશ્ન, પ્રતિપ્રશ્ન, ચિંતન, મનન, નમસ્કાર મંત્ર જાપ, ધ્યાન, ઉપદેશ શ્રવણ-ગ્રહણ, પુનરાવર્તન વગેરેમાં લીન થવું. જ્ઞાનપંચમીએ જ્ઞાનના, મૌન એકાદશીએ દોઢસો કલ્યાણકના, અને ચોમાસી ચૌદશે ચોવીસ તીર્થંકર પરમાત્માઓના વિસ્તારથી વિધિપૂર્વક દેવ વાંદવા. પસહમાં સૂવાનો આદેશ નથી. અપ્રમાદને પોસહવ્રત આચરવાનું છે. તેથી ભીંતને કે એવી વસ્તુને ટેકો દઈને બેસવાને બદલે ટટ્ટાર બેસી સાવધાનપણે સ્વાધ્યાયાદિ કરવાના હોય છે. તો પછી ખાસ કારણે ગુરુ મહારાજની આજ્ઞા વિના સૂવાની કે પ્રમાદ કરવાની વાત જ શી ? ૩૦. મારું કરવા તથા સ્પંડિત જવાનો વિધિ - માતરું કરવા જવાનું વસ્ત્ર બદલવું, કાળ વખત હોય, તો માથે કામળી રાખી, પૂંજણી [પ્રમાર્જની]થી કોરી કુંડી જોઈને પ્રમાર્જિવી, તેમાં માનું કરી, ત્રણ વાર આવરૂહી કહી, પરઠવવાની જગ્યાએ જઈ, કુંડી નીચે મૂકી યોગ્ય ભૂમિ જોઈ અણજાણહ જસુગ્રહો કહી માત્ર પરઠવવું. કુંડી નીચે મૂકી, વોસિરે વોસિરે ત્રણ વાર કહી, નિશીહિ ત્રણ વાર કહી, વસતીમાં પ્રવેશી કુંડી મૂળ જગ્યાએ મૂકી, અચિત્ત પાણીથી હાથ ધોઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ ઇરિયાવહિયા પડિક્કમવા. આ પ્રમાણે સ્પંડિત જવાનો વિધિ સમજવો. લોટો વગેરે જળપાત્ર લઈને જવું અને બેસતાં અણજાણહ જસુગહો, ને ઊઠ્યા પછી વોસિરે વોશિરે ત્રણ વાર કહેવું. પછી Page #559 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પોસહશાળાએ હાથપગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી, ગમણાગમણે આળોવવા. ૩૧. ત્રીજી પહોર પછી સૂચના - દિવસનો પોસહ ઉચ્ચરેલા-રાત્રિ અને દિવસનો પોસહ ઉચ્ચરેલા-હવે પછી રાત્રિપોસહ કરવાની ઇચ્છાવાળા, ચોવિહાર ઉપવાસવાળા, તિવિહાર ઉપવાસવાળા, આયંબિલ એકાસણાવાળા અને પડિલેહણ પછી પણ પાણી પીવાની ઈચ્છાવાળા માટે વિધિમાં જે જે ફેરફાર છે, તે સાથે જ બતાવતા જઈશું, તે પ્રમાણે ખાસ ઉપયોગ રાખીને વિધિ બરાબર સમજવો. ૩૨. ગુરુ મહારાજાએ સ્થાપનાચાર્યનું પડિલેહણ કર્યા પછી જ શ્રાવકોએ પડિલેહણની શરૂઆત કરવી. ખમા, ઇચ્છા, બહુ પવિપુત્રા પરિસી?ગુ તહત્તિ ઈચ્છે. ખભાઇચ્છાઈરિયાદ લોગસ સુધી. ખમાર ઇચ્છા ગમણાગમણે આલાઉ ? ગુડ-આલયેહ. ઇચ્છે. ગમણા રાત્રિ પોસહ નવો ઉચ્ચરવો હોય તેણે પોસહ તથા સામાયિક લેવાનો સર્વ વિધિ બહવેલ કરશું સુધી કરીને, અહીંથી સાથે ભળી જવું. પરંતુ સવારે ચાર પહોરનો ઉચ્ચર્યો હોય, તેને રાત્રિપોસહ ઉચ્ચરવો હોય, તો સઝાય કરુંને બદલે સઝાયમાં છું, એમ કહેવું. ખમા ઈચ્છા પડિલેહણ કરું? ગુડ- કરેહ. ઈચ્છે. અમાટે ઇચ્છા પોસહશાળા પ્રમાણું ? ગુરુ-પમmહ. ઈચ્છે. કહી ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું, ચરવો એ ત્રણ, ને આયંબિલ એકાસણાવાળાએ કંદોરો, ધોતિયું એ બે સહિત પાંચ પડિલેહવા. કંદોરો છોડી બાંધનારને ખમા ઈચ્છાકહી ઇરિયાવહિયા પડિકકમવા. પછી ખમા ઈચ્છકારી ભગવાન પસાય કરી પડિલેહણા પડિલેવડાવોજી. એમ કહી વડીલનું ઉત્તરીય-ખેસ [વગેરે) વસ્ત્ર પડિલેહવું, ખમા ઈચ્છાકારેણ ઉપધિ મુહપત્તિ પડિલેઉ ? ગુરુ- પડિલેહેહ. ઈચ્છ. કહી ઉપાધિ મુહપત્તિ પડિલેહવી. પછી ખમા ઈચ્છા સઝાય કરું? ગુરુ- કરે. ઇચ્છ. કહી ઉભડક બેસી એક નવકાર ગણી મહજિગાણંની સઝાય કરવી. પછી-ખાધું હોય, તેણે બે વાંદણા દઈ પાણહારનું પચ્ચકખાણ કરવું. તિવિહાર ઉપવાસવાળાએ ખમાસમણ દઈ પાણહારનું પચ્ચકખાણ કરવું. અને ચોવિહાર ઉપવાસવાળાએ એમને એમ બેસવાનું છે. પરંતુ પુન: સ્મરણ માટે ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરવું. તથા સવારે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય, પરંતુ પાણી પીધું ન હોય, કે પીવું ન હોય, તો ચોવિહારનું પચ્ચખાણ કરવું. અને સકારણ જેની ઈચ્છા હવે પછી પણ પાણી પીવાની હોય, તો ગુરુ મહારાજની આજ્ઞા મેળવી મુકિસહિઅંનું પચ્ચખાણ કરવું ખમાઇચ્છા, ઉપાધિ સંદિસાઉ? ગુ-સંદિસાહ ઈચ્છે. ખમા, ઇચ્છાઉપાધિ પડિલેક? ગુરુદ- પડિલેહેહ. ઈચ્છે પ્રથમ પડિલેહતાં જે કાંઈ બાકી Page #560 -------------------------------------------------------------------------- ________________ પર પ્રતિક્રમણ સૂત્રો ૪૮૭ રહેલ હોય, તે દરેક ઉપકરણો પડિલેહવા. રાત્રિપોસહવાળાએ-પહેલાં કામળી પછી બાકીના પડિલેહવા. ને પડિલેહણ બાદ સર્વ ઉપધિ લઈ ઊભા થઈ જવું. પછી ઠંડાસણ યાચી કાજે લેવાના વિધિ પ્રમાણે કાજે લેવો. ૩૩. રાત્રિપોસહની ઇચ્છાવાળાએ - રાત્રિપોસહ કરવાની ઈચ્છાવાળાએ ઓછામાં ઓછું એકાસણું તો કરેલું હોવું જ જોઈએ. પોસહ લીધા પહેલાં પડિલેહણ દેવવંદન કરેલ હોય, તો પછી પોસહ લેવાના વિધિ પ્રમાણે પોસહ તથા સામાયિક લઈ બધા આદેશો માગવા અને તે વખતે માત્ર મુહપત્તિનું જ પ્રતિલેખન કરવું. પરંતુ પોસહ ઉચ્ચર્યા બાદ પડિલેહણ તથા દેવવંદન કરાય તે વધારે યોગ્ય છે. ૩૪. દેવવંદન પહેલાં - પડિલેહણા પછી કાજો પરઠવ્યા સુધી નીચે બેસવું નહીં. પરંતુ પરાઠવ્યા બાદ દેવ વાંદવાની શરૂઆત કરવી. પરંતુ મુકિસહિઅંના પચ્ચકખાણવાળાએ તે પહેલાં પાણી પી લેવું જોઈએ. અને પ્રતિક્રમણ પહેલાં પાણાહારનું પચ્ચકખાણ કરી લેવું. પરંતુ દેવવંદન બાદ પાણી પી શકાય નહીં. પ્રથમ જણાવ્યા પ્રમાણેના વિધિ પ્રમાણે દેવવંદન કરવું. ૩૫. માંડલ-સ્થડિલની પડિલેહણા - જેણે સવારે આઠ પહોરની પોસહ ઉચ્ચર્યો હોય, અથવા જેમણે સાંજે રાત્રિ પોસહ ઉચ્ચાર્યા હોય, તેમણે-સાંજના દેવ વંદન પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં-“કુંડળ ન લીધા હોય, તો લઈને કાને ભરાવી સાચવી રાખવા, તથા ઠંડાસણ, રાત્રિમાં ઉપયોગમાં આવે માટે ચૂનાવાળું અચિત્ત પાણી, કૂંડી, પૂંજણી, અને જરૂર પડે તેમ હોય તો લોટો, વગેરે યાચી રાખવા. પછી ખમા ઈરિયાવહિયં પહિકમી લોગસ્સ સુધી કહેવું. પછી ખમાર ઈચ્છાચંડિલ પડિલેહઉ ? ગર- પડિલેહેહ. ઇચ્છે. કહી ચોવીશ માંડલા કરવા. માંડલા કરતી વખતે સંથારાની બાજુ મનમાં કલ્પી, તે તરફ ચરવળો કંપાવતાં, પહેલાં જ માંડલા કરવા, ઉપાશ્રયના બારણાની અંદર કલ્પી, બીજા છ માંડલા કરવા. એ જ પ્રમાણે બારણાંની બહાર ત્રીજા અને ચોથા ઉપાશ્રય-પોસહ શાળાથી ૧૦ ડગલાં દૂર કલ્પી, છ છ માંડલા કરવા. પછી પ્રતિક્રમણ. ૩૬. પછી દેવસિસ, પાક્ષિક, ચૌમાસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાંનું યથાયોગ્ય પ્રતિક્રમણ શરૂ કરવું. શરૂઆતમાં ઇરિયાતિય પડિકકમીને મુકિસહિઅને પચ્ચકખાણવાળાઓએ પાણાહારનું પચ્ચકખાણ કરવું. ત્યવંદન શરૂ કરવું. સાત લાખ અને અઢાર પાપ સ્થાનકને બદલે ગમાણાગમાણેનો ઉચ્ચાર કરવો. અને કરેમિ ભંતે! માં જ્યાં જાવ નિયમં આવે, ત્યાં જાવ પોસહં બોલવું. ૩૭. રાત્રિ પોસહવાળાએ શાંતિ પછીના લોગસ્સથી જુદા પડી જવું. અને દિવસના પોસહવાળાઓએ પોસહ પારવાની નીચે પ્રમાણે શરૂઆત કરવી ખમા, ઈરિયાવહિયં-લોગસ્સ સુધી. ચઉકસાય-નમુત્યુ જાવંતિ, ખમા જાવંત. નમોડર્વત Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પંચ પ્રતિકમાણસૂત્રો ઉવસગ્ન જય વિયરાય પૂરા. પછી યાચેલા ડંડાસણ, કૂંડી, પાણી વગેરે સામાયિક વગરના છૂટા ગૃહસ્થને ભળાવી દેવા. - ખમાર ઈચ્છા મુહપત્તિ) ખમા ઈચ્છા. પોસહ પારું? ગુરુ-પુણોવિ કાયવ્યો. યથાશક્તિ. ખમાઈ ઈચ્છા પોસહપાર્યો? ગુરુ- આયારો ન મોરવ્યો, તહનિ, ચરવળા ઉપર હાથ સ્થાપી-એક નવકાર- સાગરચંદો કહી, પોસહ વિધે લીધો, વિધ પાર્યો. વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ પોસહના અઢાર પછી-સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. અને પછી, સ્થાપનાચાર્ય સ્થાયેલા હોય, તો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખી, એક નવકાર ગણવો. ૩૮. રાત્રિ પોસહવાળાઓ માટે આગળ વિધિ - પ્રતિક્રમણ કર્યા પછી, પહોર રાત્રિ સુધી, સ્વાધ્યાય ધ્યાન ર્યા પછી, સૂવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમાર ઈચ્છાબહુ પડિપુન્ના પોરિસી ? ગુરુ - તહરિ-ખમાત્ર ઈરિયાવહિયં પડિક્કમી લોગસ્સ સુધી કહેવું. પછી ખમા, ઇચ્છા, બહુ પડિપુન્ના પોરિસી, રાઇય સંથારએ કાઉ? ગુરુ- ઠાએહ. ઇચ્છે. રાત્રે મંગળ માટે પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન-ચઉકસાય. નમુત્યુઘંટ થી જ વીયરાયપૂરા સુધી કહી, કમાત્ર ઇચ્છા સંથારા પોરિસી ભણવા મુહપત્તિ પડિલેહીં? ગુરુ- પડિલેહેહ. ઇચ્છે. કહી મુહપત્તિ પડિલેહવી. નિસીહિ નિસીહ નિસીહિ નમ ખમાસમણાણ ગોયમાઈણ મહામુણિણ. આ પાઠ નવકાર અને કરેમિ ભંતે ! એ બધું ત્રણ વાર બોલવું, પછી અણજાણહ જિટિઠજ-થી સંથારા પોરિસીનો પાઠ એકાગ્ર ચિત્તથી, શાંત ચિત્તે, સાવધાનપણે, પૂર્ણ ગાંભીર્ય સાથે બોલવો. અરિહંતો મહદેવો- એ ગાથા ત્રણ વાર કહેવી. અને પછી સાત નવકાર ગણી બાકીની ત્રણ ગાથા કહેવી. ધર્મસંગ્રહમાં- આ પ્રમાણે વિધિ છે. “પછી દેવ (ચૈત્ય) વંદન કરી શરીરની ચિંતા શોધીને સર્વ બાહ્ય ઉપધિ જોઈને સંભાળીને) જાનુ ઉપર સંથારો અને ઉત્તર પટ્ટો મૂકીને સંથારાની ભૂમિ પ્રમાઈને ધીમેથી સંથારો પાથરવો. પછી ડાબા પગે સંથારાને સંઘટ્ટીને મુપત્તિ પડિલેહીને નિશીહિ ત્રણ વાર કહી, નમો ખમાસમાગાણંદ થી કહી સંથારામાં બેસીને ત્રણ નવકાર કહી અને ત્રણ વાર કરેમિ ભંતે ! કહીને અજાણહ પરમગુરથી સંથારા પોરિસીનો પાઠ બોલવાની શરૂઆત કરવી. પછી,- નવકારનું સ્મરણ કરી શરીરનો અને સંથારાના ઉપરના ભાગનું પ્રમાર્જન કરી-ડાબે પડખે, હાથને ઓશીકે સૂવું. Page #562 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો જો માથું કરવા વગેરે માટે ઊઠવું પડે, તો સંથારાને બીજા પાસે સંઘટ્ટાવીને આવસહી કહી માથું વગેરે પતાવી પ્રથમ પ્રમાણે વોસિરાવી ઇરિયાવહિયું. ગમણા ગમણે કહી, જઘન્યથી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી, નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં પૂર્વ પ્રમાણે સૂવું.’ ૩૯. સંથારો પાથરવાનો વિધિ - પ્રથમ કામળી વગેરે ઊનનું સંથારિયું પાથરવું. તેના ઉપર સૂતરનો ઉત્તર પટ્ટ પાથરવો, મુહપત્તિ કેડે ભરાવવી. કટાસણું, ચરવળો પડખે મૂકવા. માતરું કરવાનું ધોતિયું-માતરિયું પહેરવું. ૪૦. સાંજના પ્રતિક્રમણ પછી - ચાલવું પડે, તો ડંડાસણ વિના ચાલવું જ નહીં. પરંતુ ધૂળવાળા રસ્તા ઉપર ડંડાસણનો ઉપયોગ કરવો નહીં. સૂતા પછી પડખું ફરવું પડે તો ચરવળાથી પ્રમાર્જીને ફરવું. કાનમાં રૂનાં કુંડળ નાંખવાં, તેથી તેમાં કોઈ પણ જંતુ પેસી વિરાધાય નહીં. ડાબું પડખું દબાવીને હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સૂવું. કુંડળ ખોવાય તો પ્રાયશ્ચિત્ત આવે છે. ૪૧. પ્રાત:ક્રિયા - એક પહોર બાકી રહે, અથવા ચાર ઘડી સૂર્યોદયને વાર હોય, ત્યારે નવકારના સ્મરણ પૂર્વક જાગવું, ભાવના ભાવવી. પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિચારવા, માત્રાની બાધા ટાળવી. પછી ૪૮૯ ઇરિયાવહિયં પડિકકમી, કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ગ કરવો-પછી ચૈત્યવંદન, સજ્ઝાય કરવી. અને ચાર થોભ વંદન કરી, ગુરુ મહારાજને સુખસાતા પૂછવી. ૪૨. પછી રાઇઅ પ્રતિક્રમણનો સમય થાય, અને વચ્ચે આંતરૂં પડ્યું હોય, તો ઇરિયાવહિયં પડિકકમી રાઇઅ પ્રતિક્રમણ કરવું. તેમાં કહ્યાણ કંદની સ્તુતિ બાદ નમુન્થુણં પછી બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશુંના આદેશ માંગી ચાર વંદન કરી અઢ઼ાઈજેસુ કહેવું ને પ્રતિક્રમણ પૂરું કરવું. ૪૩. સ્થાપનાચાર્યનું પડિલેહણ ગુરુ મહારાજે કર્યા પછી, પડિલેહણ શરૂ કરવું. સવારના બહુવેલ કરશું પછીના પડિલેહણના વિધિ પ્રમાણે બધું કરવું. ને વિધિ પ્રમાણે આગળના અને પાછળના ઇરિયાવહિયં પડિકકમી કાો લેવો તથા પરઠવવો. ૪૪. પછી દેવવંદન કરી સજ્ઝાય કરવી. અને ડંડાસણ વગેરે દરેક વસ્તુ ભળાવી દેવી. ૪૫. પછી ખમા૦ ઇચ્છા મુહપત્તિ પડિલેહવાથી માંડીને પોસહ, સામાયિક પારવાના વિધિ સુધી કરવું. પરંતુ પોસહ પારવો ન હોય, તો વસ્તુઓ ભળાવવી નહીં, અને સજ્ઝાય પછી જ્ઞાન ધ્યાનમાં લીન થવું. ૪૬. દરેક પ્રવૃત્તિ તથા ક્રિયા ગુરુ આજ્ઞા મુજબ કરવી. ' પોસહ વિધિ સંપૂર્ણ. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ પંચ પ્રતિકમાણસૂત્રો પોસહમાં ઉપયોગી બીજી પરચૂરણ હકીકતો ૧. ચાર પ્રકારના પોસહના દેશથી અને સર્વથીના એક સંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી વિકલ્પો કરતાં પોસહના ૮૦ ભાંગા થાય છે. ૨. પરંતુ માત્ર ૧ આહાર પોસહ દેશથી અને બાકીના ત્રણ સર્વથી. અથવા આહાર પોસહ પણ સર્વથી અને બાકીના ત્રણ પણ સર્વથી. એ બે વિકલ્પો હાલ પૂર્વાચાર્યની પરંપરાએ પોસહ કરવાની પ્રવૃત્તિ પ્રવર્તમાન છે. ૩. અષ્ટમી, ચૌદશ તથા બીજી પર્વતિથિએ તથા મોટા પર્વ દિવસોમાં તથા જ્યારે ભાવના થાય ત્યારે પોસહ કરી શકાય છે. પરંતુ પર્વ દિવસોમાં ખાસ કરવો જોઈએ. ૪. જિનમંદિરનો જોગ હોય, તો જિનપૂજા કરીને પણ પોસહ લઈ શકાય છે. ૫. દિવસનો પોસહ કરનારે, જાવ દિવસે, રાતનો પોસહ કરનારે જાવ શેષ દિવસ રd, રાતદિવસનો પોસહ કરનારે જાવ અહોરાં, એ પ્રમાણે કરેમિ ભંતે ! પોસહમાં બોલવું. ૬. ચઉવિહાર ઉપવાસ કરનારે આહાર પોસહં સબઓ બોલવું. અને તેથી ઊતરતું તિવિહાર ઉપવાસ આયંબિલ અને એકાસણું કરનારે આહાર પોસઈ દેસઓ બોલવું. છે. ચરવળા વગેરેના પડિલેહણના બોલો મુહપત્તિના શરૂઆતના બોલો જેમાં જેટલા કહ્યા હોય, તેટલા લેવા. ૮. સ્ત્રીઓએ તે મુહપત્તિ પડિલેહણમાં-કપાળના ૩-હૃદયના ૩ અને બે હાથના બળે ૪ એમ ૧૦ બોલ વર્જીને ૪૦ થી મુહપત્તિની પડિલેહણા કરવી. ૯. પોસહમાં કોઈ પણ જાતના દાગીના ઘરેણાં પહેરવાં નહીં જોઈએ. ૧૦. કંદોરો પણ સૂતરનો પહેરવો અને તે બે પડિલેહણામાં છોડીને બાંધ્યા પછી ઈરિયાવહિયં પડિકકમવા. ૧૧. કોઈ પણ વખતે ચરવળો પડી જાય કે ડાંડી ખખડે, કે આડ પડે, કે કયાંય ગયા આવ્યા હોઈએ, કે કોઈ પણ ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં ઇરિયાવહિયનું પ્રતિક્રમણ કરવું. ૧૨. અને સો ડગલાં ઉપરાંત જવું આવવું થયું હોય, ત્યાં ગમણાગમાણે આલોવવા. ૧૩. કયાંય પણ ઉપાશ્રય કે પોસહ શાળાથી બહાર જવું હોય, ત્યારે કે-દહેરાસરમાંથી બહાર નીકળવું હોય ત્યારે ત્રણ વખત આવસ્સહી કહેવું, અને દહેરામાં કે ઉપાશ્રયમાં પ્રવેશતાં નિશીહિ ત્રણ વાર કહેવું. ૧૪. ત્યાગ કરવા લાયક કોઈ પણ વસ્તુ પરઠવતાં આણુજાણહ જસુગ્રહો કહેવું અને તે પાઠવ્યા બાદ વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. ૧૫. પડિલેહણા પડિલેહણાનો આદેશ મુખ્યપણે સ્થાપનાચાર્ય પડિલેહવા બાબતનો છે. ગુરુ મહારાજે Page #564 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૪૯૧ પ્રથમ સ્થાપનાચાર્યનું પડિલેહણ ન કર્યું હોય, તો આ આદેશ વખતે કરી લેવાય, અથવા ગુરુ મહારાજ ન હોય તો શ્રાવક પણ પડિલેહી શકે છે. અને પડિલેહણ થયું હોય, તો વડીલ સાધર્મિક (બ્રહ્મચારી કે વિશેષ વ્રતધારી)નું વસ્ત્ર (ખેસ જેવું) પડિલેહવું. પરંતુ સ્થાપનાચાર્ય અને વડીલનું વસ્ત્ર બનેય પડિલેહવા નહીં. ૧૬. કાજામાં એકેન્દ્રિય જીવ-અનાજ, લીલી વનસ્પતિ વગેરે કાંઈ પણ નીકળે તો આલોયણ લેવી અને ત્રસ જીવ નીકળે તો યતના કરવી. પરંતુ ત્રસ જીવનું મૃત કલેવર નીકળે, તો જેટલાનો કાજે હોય, તે દરેકને આલોયણ સરખે ભાગે વહેંચી લેવી જોઈએ. ૧૭. કોઈ પણ નાની મોટી ક્રિયા ગુરુ મહારાજની આજ્ઞા વિના કરવાની નથી હોતી. કેટલીક જરૂરી બાબતમાં તો આદેશો મંગાય છે. છતાં ઘણી સૂક્ષ્મ બાબતો રહી જતી હોય, તેને માટે બહુવેલના આદેશ માગવાથી આદેશ માગી લેવાય છે. ૧૮. સઝાયની ક્રિયા કેટલાક યોગમુદ્રાએ કરવાની કહે છે. પરંતુ ઉભડક બેસી બે હાથ બે ઢીંચણની વચ્ચે રાખીને સઝાય કરવાનો પ્રચાર છે. અને ધર્મ સંગ્રહમાં એ રીતે બતાવેલ છે. ૧૯. ગુરુ ન હોય ત્યારે કે ગુરુ સાથે રાઈએ પ્રતિક્રમણ કર્યું હોય, તો રાઆ મુહપત્તિ પડિલેહવાની નથી. ૨૦. ચોમાસાની વ્યાખ્યા-અષાડ સુદિ ૧૫ થી કારતક સુદિ ૧૪ સુધી. ૨૧. મધ્યાહનના દેવ વાંધા અગાઉ પચ્ચખાણ પારી શકાય નહીં, છતાં કારણે સાઢપોરસીનું પચ્ચખાણ કર્યું હોય, તો દેવ વાંચીને પચ્ચકખાણ પારવા હરકત નથી. ૨૨. પોતાને ઉદ્દેશીને રાંધ્યું હોય, તે વાપરવાને પોસાતીને હરકત નથી, પરંતુ શ્રાવકે ભિક્ષા માંગવા જવાનું નથી. ૨૩. યાચ્યા સિવાય કે વાપરવા આપીને-“વાપરો” એમ સ્પષ્ટ ન કહે, ત્યાં સુધી ઉપયોગમાં ન લેવાય. ૨૪. કામળીનો કાળ ૨૫. અચિન પાણીનો કાળચોમાસામાં સવારે સાંજે છ છ ઘડી ચોમાસામાં ચૂલેથી ઊતર્યા પછી ત્રણ પહોરનો શિયાળામાં સવારે સાંજે ચાર ચાર ઘડી શિયાળામાં ચૂલેથી ઊતર્યા પછી ચાર પહોરનો ઉનાળામાં સવારે સાંજે બબ્બે ઘડી ઉનાળામાં ચૂલેથી ઊતર્યા પછી પાંચ પહોરનો ૨૬. ચોમાસું એટલે અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી શિયાળો કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી ઉનાળો ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી. ર૭. તેથી ઉપરાંત, અચિત્ત પાણી પાછું સચિત્ત થઈ જાય છે. તેથી ઉકાળેલું પાણી કાળ ઉપરાંત રાખવું નહીં. છતાં જરૂર હોય, તો સચિત્ત થતાં પહેલાં તેમાં કળી ચૂનો નાંખવાથી ૨૪ પહોર Page #565 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો સુધી અચિત્ત રહે છે. પરંતુ ચૂનો નાંખતાં ભૂલી જવાય, તો દશ ઉપવાસની આલોયણા આવે, છે માટે ઉપયોગ રાખવો. ૨૮. પોસહમાં સચિત્ત વસ્તુને અડવું નહીં. તેમજ સ્ત્રી જાત્યાદિકને પુરુષ અને પુરુષ જાત્યાદિકને સ્ત્રીએ અડવું નહીં. ૨૯. ઈરિયાવહિમાં ચદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ન કરવો. ૩૦. મોડું થવાની બીકે પોસહ પોતાની મેળે ઉચ્ચરવો હોય, તો ઉપધિ પડિલેહું? સુધીના આદેશ માગી ફરીથી ગુરુ મહારાજ સમક્ષ રાઈઅમુહપત્તિ પહેલાં પોસહ ઉચ્ચરવો. ૩૧. પડિલેહણા ઉત્તરાસંગ વિના ખુલ્લા શરીરે ઉભડક બેસીને જીવજંતુ તપાસીને કરવું. ૩૨. વસ્ત્રના બન્ને પાસા અનુક્રમે પ્રતિલેખવા. પછી બન્ને બાજુના વચ્ચેથી હાથના કાંડા ઉપર ચડાવવા અને પછી એક ઘડી વાળેલ હોય, તે પ્રમાણે એકંદર મુહપત્તિની જેમ પ્રથમના ૨૫ બોલથી પડિલેહવા. ૩૩. કાજે લેનારને આયંબિલ તપનું ફળ વિશેષ મળે છે. માટે કાજો ઉપયોગપૂર્વક લેવો. બનતાં સુધી ઉપધાન વહન કરી માળ પહેરેલ કાજો લે, તે ઉત્સર્ગ વિધિ જોવામાં આવે છે. ૩૪. પોસહમાં ૧૮ દોષ નીચે પ્રમાણે વર્જવા. (૧) વિરતિ વિનાના (પોસહમાં ન હોય તેણે) એ આણેલા આહાર પાણી વપરાય નહીં. (૨) પોસહ નિમિત્તે સરસ આહારની ગોઠવણ કરવી કે વાપરવો નહીં. (૩) પોસહના આગલે દિવસે પણ વિવિધ સામગ્રીવાળો આહાર કરવા પ્રયત્નો ન કરવા. (૪) પોસહમાં કે આગળને દિવસે પોસહને ઉદ્દેશીને વધારે શરીર શોભા કરવી નહીં. (૫) પોસહ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા નહીં. (૬) પોસહ નિમિત્તે આભૂષણાદિક ઘડાવવા કે તૈયાર કરાવવા નહીં. (૭) પોસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવા નહીં. (૮) પોસહમાં શરીર પરથી મેલ ઉતારવો નહીં. (૯) રાત્રિના બીજા પહોરે સંથારા પોરસી ભણાવ્યા સિવાય નિદ્રા લેવી નહીં. (૧૦) સ્ત્રીને લગતી વાત જ ન કરવી. (૧૧) આહારને સારો કે ખોટો ન કહેવો. (૧૨) રાજ્યદ્વારી કે રાજા સંબંધી કે લડાઈને લગતી વાત ન કરવી. (૧૩) દેશને લગતી વાત ન કરવી. (૧૪) પ્રતિલેખ્યા પ્રમાર્યા વિના વડીનીતિ લઘુનીતિ વગેરે કાંઈ પણ પરઠવવું ન જોઈએ. (૧૫) કોઈની પણ નિંદા ન કરવી. (૧૬) પોસહન લીધેલ હોય તેવાં માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે કોઈ પણ સંબંધી સાથે વાત ન કરવી. (૧૭) ચોર કે ચોરી સંબંધી વાત ન કરવી. (૧૮) સ્ત્રીનાં અંગોપાંગાદિ નીરખીને જોવા નહીં. ૩૫. પોસહમાં વર્જવા યોગ્ય પાંચ અતિચાર : (૧) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-શયા-સંસ્મારક- શય્યા સંથારાની જગ્યાનું બરાબર પ્રતિલેખન ન કરવું - બરાબર ન જોવી જેમ તેમ લેવી. (૨) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિતશયા-સંસ્મારક- શય્યા સંથારાની જગ્યાને બરાબર પ્રમાજે નહીં. જેમ તેમ પ્રમા. (૩) Page #566 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૯૩ અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-ઉચ્ચાર-પ્રસ્ત્રવાણ ભૂમિ- લઘુનીતિ વડી નીતિની ભૂમિ બરાબર પ્રતિ લેખે - જુવે નહીં. પ્રતિ લેખે તો જેમ તેમ પ્રતિ લેખે. (૪) અપમાર્જિન-દુષ્પમાર્જિતઉચ્ચાર-પ્રસવણ ભૂમિ- લઘુનીતિ વડી નીતિની ભૂમિ બરાબર પ્રમાર્જ નહીં, પ્રમાજે તો જેમ તેમ પ્રમાર્ચે. (૫) પૌષધોપવાસવ્રતાનનુકાન- પોસહની દરેક ક્રિયા સંપૂર્ણ વિધિ પ્રમાણે ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈ ઘરના સાવદ્ય કામ કાજની વિચારણા-ગોઠવણો કરે, અને ૧૮ દોષ ટાળે નહીં. ધર્મસંગ્રહમાં નીચે પ્રમાણે અતિચારો બતાવ્યા છે (૧) અપ્રત્યુપેક્ષિત- દુપ્રત્યુપેક્ષિત - અપ્રમાર્જિત- દુષ્પમાર્જિત પ્યા- સંસ્તારક વસત્યાદિક. (૨) અપ્રત્યુપેક્ષિત – દુપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત આદાન-નિક્ષેપ. (૩) અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત-પ્રમાર્જિત-ઉચ્ચારરૂપઅસ્ત્રવણ વિ. ત્યાગ. (૪) પૌષધવ્રતપૌષધવ્રતવિધિ અનાદર. (૫) અસ્મરણ-પોસહ કરવાનાં દિવસનું, વિધિઓનું, તેમાં કરવાનાં વ્રતોનું તેના લેવા-પારવાના વખતનું વિસ્મરણ થવું તે. શ્રાવિકાઓ માટે વિશેષતા ૩૬. શ્રાવિકાઓએ શ્રાવકો પ્રમાણે જ બધું કરવાનું હોય છે. પરંતુ શ્રાવિકાઓએ શ્રાવકો કરતાં જુદી જ પૌષધ શાળામાં કે સાધ્વીજી મહારાજ પાસે બધી ક્રિયા કરવાની હોય છે. ગુરુ મહારાજ પાસે પોસહ ઉચ્ચરવા આવે, તો પડિલેહણ ઘેર કે શ્રાવિકાઓની પોસહ શાળામાં કે સાધ્વીજી મહારાજ પાસે કરેલું હોવું જોઈએ. પોસહ ઉચ્ચરવા, વંદન માટે, વ્યાખ્યાન શ્રવણ કરવા, શ્રાવિકાઓ પુરુષોની વસ્તી ઉપાશ્રયમાં આવી શકે છે. અને ગુરુ મહારાજનો યોગ હોય, તો રાઇઅ મુહપત્તિ પડિલેહવા પણ ગુરુ મહારાજ પાસે અવશ્ય આવવું જોઈએ. મુહપત્તિ પડિલેહણમાં જણાવ્યા પ્રમાણે દશ બોલ સિવાય ચાળીસ બોલથી શ્રાવિકાએ મુહપત્તિ અને શરીરની પડિલેહણા કરવાની હોય છે. શ્રાવિકાઓએ પડિલેહણમાં મુહપત્તિ કટાસણું - સાડી – ઉત્તરીય કંચુક અને સાટક-ચણિયો પડિલેહવાના હોય છે. અને વડીલની સાડી ઉત્તરીય પડિલેહણા પડિલેહવાવોજીના આદેશ વખતે પડિલેહવી અને ઉપધિ પડિલેહઉના આદેશ વખતે બાકીનાં વસ્ત્ર પડિલેહવાનાં હોય છે. શ્રાવિકા સાંજે - મુહપત્તિ, કટાસણું સાડિય, કંચુક ને ઉત્તરીય એ ક્રમથી પડિલેહણા કરે. કટાસણા પછી ચરવળો પડિલેહાય અને શ્રાવિકાને કંદોરો રાખવાનો નથી, કેમ કે ચણિયાનું નાડું તેમને કંદોરા સ્થાને ગણી લેવામાં આવ્યું હશે. અને ઉપવાસવાળા શ્રાવકોને જેમ કંદોરો, ધોતિયું, પ્રથમ પડિલેહણામાં પડિલેહવાના ન હોય તે પ્રમાણે શ્રાવિકાઓને પણ. Page #567 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિમાગસૂત્રો ૩૭. સામાન્ય રીતે પોસહ આઠમ ચૌદશ વગેરે મોટી તિથિએ પર્વદિવસે ખાસ કરવાની શાસ્ત્રમાં ભલામણ છે. પરંતુ પાંચેય મોટી તિથિએ કે બારતિથિએ કે રોજ કોઈ કરે, તો તે માટે શાસ્ત્રમાં નિષેધ નથી. પણ જેટલો કાળ પોસહમાં જાય તેટલો સારો ગણેલ છે. પોસહ વ્રત પાલન તીર્થંકર પરમાત્માઓએ મહાસામાયિકમય જીવન જીવી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. તે રીતે અનેક મુમુક્ષ છવોએ સર્વ સંયમરૂપ મહાસામાયિક સ્વીકારી મોક્ષ, અને તે ન મેળવી શકાયેલ હોય, તો વચ્ચે ઉચ્ચગતિઓ પ્રાપ્ત કરેલ છે. અને વ્યાવહારિક જીવન ન છોડી શકવા છતાં સંયમી જીવનના ખપી શ્રાવક અવસ્થામાં રહેવાની ઈચ્છાવાળા જીવોએ વ્યાવહારિક જીવનમાં રહીને આચરી શકાય, તેવા સામાયિકમય ગૃહસ્થધર્મનો યથાશકિત લાભ લેવા અનેક શ્રાવક-શ્રાવિકાઓએ મહાસામાયિકની લગભગ વાનગી રૂપ મધ્યમ સામાયિક કર્યા છે અને કરે છે. બારવ્રત પણ એક જાતનું સામાયિક છે. ત્રણ ગુણવ્રત પણ એક જાતનું સામાયિક છે. છતાં ચાર શિક્ષા વ્રતો-તે ખાસ મહાસામાયિક શીખવાને માટેના ખાસ સામાયિકો છે. કેમ કે, તેથી મહાસામાયિકની નજીક વધારે પહોંચી જવાય છે. માટે જ મહાસામાયિકનું શિક્ષણ આપતા હોવાથી તેને શિક્ષાવ્રતો કહ્યાં છે. સામાયિકમાં આત્માનું અનુસંધાન અને ત્યાગ મુખ્ય છે. બાલ જીવોને આત્માનુસંધાન એકાએક મુશ્કેલ હોય છે. એટલે આત્માનુસંધાન એ મુખ્ય સામાયિક છતાં બાળ જીવો માટે ત્યાગ અંગને પ્રથમ વધારે પ્રધાનતા આપવી પડે છે. જેમ જેમ ત્યાગ ઉત્કટ થતો જાય, અંધકાર બળાત્કારપૂર્વક દૂર કરાતો જાય, તેમ તેમ આત્મપ્રકાશને વધુ ને વધુ અવકાશ મળતો જાય. અને સંપૂર્ણ ત્યાગ સિદ્ધ થતાં આત્મપ્રકાશનો પણ ખૂબ સારી રીતે દઢ પાયો રોપી શકાય છે. અને પછી આત્મરમંણતામાં જ વધુ ને વધુ આગળ વધવાનું થાય છે. “જૈન ધર્મમાં એકલો ત્યાગ જ છે. પરંતુ, આત્મજ્ઞાન-આત્મવિકાસ માટે કાંઈ સાધન જ નથી.” એમ કોઈ કહે તો તે યોગ્ય નથી. પરંતુ બાળ જીવોને આધ્યાત્મિક પ્રગતિમાં મૂકવા પ્રથમ ત્યાગથી જ તેની શરૂઆત કરી શકાય છે. અને પછી સદવલંબન, સમ્યકત્વ, સંયમસ્થાનો, દેશવિરતિ, પ્રમત્ત સંયમ, અપ્રમત્ત સંયમ, ઉપશમ અને ક્ષાપક શ્રેણિ કૈવલ્ય, શૈલેશી અવસ્થા વગેરે આત્મવિકાસનાં જ પગથિયાં છે. બાળ જીવને શિક્ષણ આપવા માટે ઘેરથી નિશાળે લઈ જવો પડે છે અને તેથી વિશેષ વિદ્વાન બનાવવો હોય તો, ગામ છોડાવીને વિદ્યાના સંગીન વાતાવરણવાળા ક્ષેત્રમાં લઈ જવો પડે છે. ઘરથી, ગામથી કે સગાંવહાલાંથી છૂટો ન પાડીએ, તો ગમે તેટલી મહેનત કરવા છતાં તે વિદ્વાન થઈ શકે જ નહીં, કેમ કે તેની ઈચ્છા છતાં આજુબાજુના સંજોગો તેનો વખત લે. મન ખેંચાઈ જાય તથા બીજા કાર્યમાં રોકી રાખે. અને અભ્યાસ માટે અવકાશ રહેવા દે નહીં. એટલે પહેલાં એ સર્વ વસ્તુને છોડાવવી પડે જ-ત્યાગ કરાવવો પડે જ. Page #568 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૫ તે રીતે સામાયિકના સર્વે અંકોમાં પ્રથમ ત્યાગ આવે છે. અને સાથે જ સંવર અને નિર્જરાત્મક આત્મવિકાસ કરવાનાં સાધનોની યોજના હોય છે. માટે ત્યાગ એ આત્મવિકાસનું દ્વાર છે. પરંતુ જેઓ એકદમ સર્વનો ત્યાગ કરી શકતા નથી તેમને ક્રમસર ત્યાગ કરાવવો જોઈએ. એ દૃષ્ટિથી આત્મવિકાસ માટે ત્યાગ કરાવવાના પણ ચડતા ઊતરતા દરના અનેક પ્રકારો ગોઠવી જૈનશાસકારોએ પોતાની વ્યવહારુ યોજના શક્તિનો જગમાં અપૂર્વ દાખલો પૂરો પાડ્યો છે. પહેલાં પાંચ અણુવ્રતથી બિનજરૂરી સર્વવસ્તુઓનો ત્યાગ થાય છે. અને ત્રણ ગુણ વ્રતથી-જીવનમાં ખાસ જરૂરી લાગતી વસ્તુઓની છૂટ રાખી હોય, તેનો પણ જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંજોગોમાં ત્યાગની યોજના ગોઠવી છે. અને ચાર શિક્ષાવ્રતોમાં તો તેમાંથીએ અમુકની જ માત્ર સકારણ છૂટ રખાવી, લગભગ સર્વસંયમની ભૂમિકા સુધી લઈ જઈને ઘણા ત્યાગ સાથે આત્મસાધનાના ક્ષેત્રમાં કેટલેક અંશે-સંગીન અંશે પ્રવેશ કરાવે છે. આત્મસાધનાના ક્ષેત્રમાં સંગીન રીતે પ્રવેશ કરવાની તાલીમ લેવા માટે ગોઠવાયેલા હોવાથી એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. એટલે સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ તો જ્યારે આચરે ત્યારે તેનું પાલન થાય છે. પરંતુ જિંદગીમાં, વર્ષમાં કે દરરોજ તે ચાર કેવી રીતે અને કેટલા કરવા ? તેનો પોતે નિયમ કરે છે, તે પ્રમાણે ગુરુ મહારાજ આગળ કબૂલાત આપી, પ્રતિજ્ઞા લઈ, તે રીતે તે ચાર વ્રત ઉચ્ચરાય છે. અને તેને બાર વ્રતમાં સ્થાન છે. જેમ કે “બાર મહિનામાં ૫૦ કે મહિનામાં ૧૦ કે દિવસમાં ૫ કે તેથી ઓછા સામાયિક કરીશ.” એવું વ્રત લેવું તે સામાયિક વ્રત. એ જ પ્રમાણે “દિશાવગાશિક, પોસહ અને અતિથિસંવિભાગ આટલા કરીશ.” એટલે વિધિપૂર્વક અતિથિસંવિભાગ કરવાની પ્રતિજ્ઞાનો જ ૧૨ મા વ્રતમાં સમાવેશ થાય છે. પરંતુ હમેશ સુપાત્ર દાન દેવાની ગૃહસ્થની સામાન્ય ફરજ છે. નહીંતર તેને ધન-સંપત્તિ રાખવાનો અધિકાર રહેતો નથી. [હાલમાં જૈનોને કેટલાક પાંચમા પરિગ્રહ વ્રતનું સ્મરણ કરાવી “જૈનોએ પરિગ્રહ ઓછો રાખવો જોઈએ.” એમ જે કહેવાનો ચાલ શરૂ થયો છે, તે પરદેશીઓના સ્વાર્થમાંથી શરૂ થયેલ છે. આ દેશમાં તેઓએ વસવાટ કરી તમામ ધંધા હાથ કરવાના છે, તેમાં જેઓ પાસે પૈસા હોય તેઓ ધંધામાં આડે ન નડે. માટે આ દેશની પ્રજાને હજ વધુ ગરીબ કરવા માટે એ કૃત્રિમ ઉપદેશ છે. આવી કોઈ પણ સ્વાઈની વાત ફેલાવતાં તેઓ લોકોને માન્ય થાય તેવી શાસ્ત્રની વાત શોધી કાઢે છે. કેળવણીના પ્રચાર વખતે પણ શાસ્ત્રોમાં જ્ઞાનાભ્યાસ માટેનાં જેટલાં પ્રેરક વાકયો હતાં તે સર્વનો ઉપયોગ આધુનિક કેળવણીના પ્રચારમાં કર્યો હતો. એમ દરેક પ્રવૃત્તિમાં સમજવાનું છે. વિધવાવિવાહ, છૂટાછેડા, મરીનથી ખેતી, એકપત્નીપણું વગેરે કાયદાઓ માટે પણ પ્રાચીન શાસ્ત્રોમાંથી-જુદા આશયથી હોવા છતાં-વાકયો, લોકો શોધી કાઢ્યાં છે. કેમ કે, તે વિના અહીંની પ્રજા કબૂલ રાખે નહીં. અને સુધારક ગણાતા-એટલે તેઓના હેતુઓના પ્રચાર કરનાર-દેશી લોકો એ વાતો પ્રજામાં આગળ ઘરે. તેથી કેટલાક તો તેમાં ફસાય. એમ અનુક્રમે પ્રચારકાર્ય આગળ વધે છે. એટલે શાસ્ત્રકારો ત્યાગબુદ્ધિ અને આત્મવિકાસની ખીલવટ માટે દરેકને ઉપદેશ આપે છે. જ્યારે હાલનો જડવાદ અને પરદેશી ધંધાર્થીઓ અને સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થમાં તે દરેકનો અર્થ ખેંચી લઈ જઈ પ્રજામાં ફેલાવે છે. સાધર્મિક વાત્સલ્ય, દાન પોતાના સાધર્મિકોના-દેશબાંધવોના ઉદ્ધાર માટે મહાશ્રાવકોને ધન ખર્ચવાનો સચોટ શબ્દોમાં ઉપદેશ શાસકારોએ આપેલ છે. તેનો ઉપયોગ આજે દવાખાનાઓ, બોર્ડિંગો, અનાથાશ્રમો વગેરેમાં ખેંચી જવાનો અને પોતાના Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ પંચ પ્રતિકમાણસૂત્રો સ્વાર્થમાં કરવાને મોટા પ્રમાણમાં પ્રચારકાર્ય ચાલે છે. માટે શાસ્ત્રકારોનાં વાકયોનો કયા ઉદેશથી ઉપદેશ આપવામાં આવે છે, તે વિવેકપૂર્વક સમજીને તેમાં પ્રવૃત્તિ કરવી. સામાન્ય રીતે ન્યાયને ધોરણે મેળવેલી, સંપત્તિ વડે પ્રજા સંપૂર્ણ સમૃદ્ધ હોવી જોઈએ. તે જ સંસ્કૃતિવાળી પ્રજા બની શકે અને તેમાંથી ત્યાગ કરનારા અપરિગ્રહધારી નીકળી આવે. તે વાજબી ગણાય. ત્યારે પ્રજાને વિશેષ ગરીબ કરવાને આજે ગરીબી જીવનની તાલીમ આપવામાં આવે છે, અને ચુસ્ત સુખી જૈનોને પરિગ્રહ પરિમાણનો ઉપદેશ આપવામાં આવે છે. છતાં જેઓ એ ઉપદેશ તરફ લક્ષ્ય ન આપે, તેમના તરફ સામાન્ય પ્રજાને ઉશ્કેરી મૂકી શકાય છે. અને ઉશ્કેરાયેલી પ્રજા વ્યવસ્થિત રીતે પોતાના દેશના જાતભાઈઓ સામે લડી શકે, માટે વ્યવસ્થિત રીતે મજૂર મહાજન વગેરે સંસ્થાઓ ખીલવાતી જાય છે. આ અંદરોઅંદર ભવિષ્યમાં પ્રાએ પ્રજાએ લડી લેવા માટેનાં જયંત્રો ધીમે ધીમે ગોઠવાય છે, જેમાં વચ્ચેથી પરદેશીઓને પોતાનો સ્વાર્થ સાધવાની સુંદર તક ગોઠવાતી જાય છે. પરિણામે નથી દેશી મજૂરોને ફાયદો, નથી દેશી માલિકોને ફાયદો. પરંતુ આ સત્યનું રહસ્ય હજુ થોડા દશકા બાદ જ્યારે તેનાં પ્રત્યક્ષ પરિણામો જોવામાં આવશે, ત્યારે જ સૌ કબૂલ કરશે.] માટે બાર વ્રતોમાં આ શિક્ષાવ્રત ઉપર પ્રમાણે શ્રાવક શ્રાવિકાઓને ઉચ્ચરાવાય છે. તે જ પ્રમાણે દર્શનાચાર નામના બીજા આચારનો શ્રાવકો માટે સંક્ષેપ કરીને ચોકકસ સ્વરૂપમાં સમ્યકત્વ વ્રત રૂપે ઉચ્ચારાવાય છે. સામાયિક - મન વચન કાયાથી ન કરવું ન કરાવવું એમ છ કોટિથી સર્વ સાવધનો ત્યાગ હોય છે. પરંતુ અનુમોદનાની પ્રતિજ્ઞા ન હોવાથી કરેમિ ભંતેમાં સવૅ સાવજે જોગ પચ્ચકખામિ એ ભાગમાં સળં શબ્દ બોલાતો નથી. પોસહમાં - તો માત્ર આહાર, શરીર સત્કાર, સાંસારિક કામકાજ એ ત્રણનો ત્યાગ અને બ્રહ્મચર્યવ્રતનું પાલન – એ ચાર જ કરવાના હોય છે. એટલે પોતહવ્રતમાં સ્થૂલ ત્યાગ છે, અને સામાયિક વ્રતમાં સૂક્ષ્મ-વધારે પડતો ત્યાગ છે. આથી પોસહ કરતાં સામાયિકમાં ત્યાગ વધારે છે. પરંતુ પોસહમાં સ્થૂલ ત્યાગ ચાર કે આઠ પહોર સુધી ટકાવવો પડે, ત્યારે સામાયિકમાં માત્ર બે ઘડી સુધી સૂક્ષ્મ ત્યાગ ટકાવવો પડે છે, અને દેશાવળાશિકમાં પોસહ કરતાં પણ સ્થૂલ છે. કેમ કે, તેમાં તો માત્ર અમુક જગ્યામાં જ રહેવા પ્રતિબંધ હોય છે. વધારે પ્રતિબંધ નથી હોતો. અતિથિસંવિભાગમાં સંપત્તિનું ઓછું-વતું દાન હોવાથી સંપત્તિનો ત્યાગ થાય છે, તેમાં અન્ન-પાનથી માંડીને સર્વસ્વનો ત્રણ રત્નના માર્ગમાં ખર્ચવા સુધીનો ત્યાગ થઈ શકે છે. છતાં સામાયિક અને પોસહ કરતાં તે સ્થૂલ ત્યાગ છે. હાલમાં પોસહ પાર્યા પછી મુનિ મહારાજ જે ચીજ વહોરે તે જ વાપરીને અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરવામાં આવે છે. પરંતુ પોસહમાં પણ અતિથિ સંવિભાગ કરી શકાય છે. તે વાત પોસહ વ્રતની વિધિમાં જણાવેલ છે, એ રીતે પ્રતિમાપારી શ્રાવકો પણ લાંબો વખત પોસહમાં હોય ત્યારે પોતાના આહાર પાણીમાંથી અતિથિ સંવિભાગ કરી શકે છે. અરે મુનિ મહાત્માઓ પણ અતિથિ સંવિભાગ મુનિઓમાં કરી શકે છે. વૃદ્ધ મુનિવર્યો પાસેથી સાંભળ્યું છે કે, “અમદાવાદમાં થોડાં વર્ષો પહેલાં અમુક અમુક મુનિ મહારાજાઓ ગોચરી વહોરી લાવી, ખાસ ખાસ ઉપાશ્રયે ફરીને આહારમાંથી જે મુનિમહારાજાઓને Page #570 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૯૭ જે કથ્ય જરૂરી હોય, તે આપીને પછી પોતે આહાર કરતા હતા.” જેમ છૂટા રહીને અતિથિ સંવિભાગ થઈ શકે છે તેમ પોસહમાં પણ ત્યાગરૂપમાં સામાયિક ઉચ્ચરવા છતાં પણ અતિથિ સંવિભાગ થઈ શકે. માત્ર બે ઘડીના સામાયિકમાં ટૂંકો વખત હોવાથી તેમાં અતિથિ સંવિભાગ કરવાનું બની શકે નહીં. કેમ કે, તે વખતે પોતાને પણ આહારનો ત્યાગ છે. તેથી અતિથિ સંવિભાગ ન બની શકે. પરંતુ પોસહ, ઉપધાન વગેરેમાં સામાયિક સાથે હોય, તો પણ તેમાં અતિથિ સંવિભાગ બની શકે છે. હવે દેશાવ, પોસહ અને અતિથિ સંવિભાગ એ ત્રણેય સામાયિક સાથે જોડાય છે, ત્યારે તેઓ ઉત્કૃષ્ટ હદે પહોંચી જાય છે. સામાન્ય રીતે દરેક ધાર્મિક ક્રિયાની જાહેર પ્રવૃત્તિ તો ઉત્કૃષ્ટ હદે જ શરૂ રહેવી જોઈએ. પછી જીવ વિશેષને ધ્યાનમાં લઈને તેમાં જે ભાગ મધ્યમ હદના દરજજા ઉપર હોય, તેને સંજોગ વિશેષમાં તે પ્રમાણે અમલ કરવા દેવો પડે. એટલે શાસ્ત્રકાર ભગવંતોએ તે દરેકને માટે માર્ગ બતાવવા પડે છે, જે પોસહના ૮૦ ભાગમાંથી સમજાશે. તેથી કોઈપણ પોતાની મેળે ૮૦ ભાંગામાંના કોઈપણ મધ્યમ ભાંગે પણ આચરણ કરી શકે નહીં. એટલે પોસહની પ્રવૃત્તિ તો મૂળથી જ ઉત્કૃષ્ટ ભાંગે સર્વથી જ જાહેરમાં અમલ રૂપે શરૂ જ છે. અને હાલ પણ તે પ્રમાણે સામાયિક સાથે ખાસ કોઈ જીવને ઉદ્દેશીને દેશથી આહાર સિવાય સર્વથી જ પ્રવર્તે છે. સામાન્ય રીતે પોસહ શબ્દ શ્રાવકના આ રીતના અગિયારમાં વ્રત તરીકે રૂઢ છે. પોસહમાં આવશ્યકનાં કર્તવ્યો ૧. પોસહવિધિ અને પોસહનું સ્વરૂપ વાંચતાં-પોસહમાં કેવળ ત્યાગ અને સામાયિક પદથી આત્મવિકાસમાં લીન થવાનું હોય છે. સામાયિક. ૧ , ૨. તમામ પ્રકારે એટલે શ્વાસ લેવા જેવી ક્રિયા સુધીમાં પણ ગુરુ આજ્ઞાને પરતંત્ર રહેવાનું હોય છે. ગુરુવંદન-૨. ૩. તીર્થંકર પરમાત્માનું સાંનિધ્ય-ત્રણ વખતના દેવ વંદન, સાત ચૈત્યવંદન અને પ્રતિક્રમણ આદિમાં આવતાં દેવવંદનો, સ્તુતિઓ, નમુત્થણ વગેરેથી સમજવાનું છે. તેમજ દરેક ઇરિયાવહિયંમાં લોગસ્સથી તો ચતુર્વિશતિ જિનનું સાંનિધ્ય અખંડ જળવાય છે. ચતુર્વિશતિસ્તવ-૩. ૪. છૂટા વખતમાં પાંચ પ્રકારનો સ્વાધ્યાય-આત્મચિંતન-જાપ વગેરે કરવાનું હોય છે. કાયોત્સર્ગ-૪. ૫. જરૂરી કામ વિના બહાર જવાનું બંધ હોય છે. કેમ કે, નિશીહિ કહીને અંદર પ્રવેશ કરાય છે અને જરૂરી કામ માટે નીકળતી વખતે આવસ્સહી કહીને જ નીકળાય છે એટલે દહેરા કે પોસહશાળામાં Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ પંચ પ્રતિકમાણસૂત્રો નિશીહિ કહીને પ્રવેશ્યા પછી કાંઈ પણ સાવદ્ય કામ મન વચન કાયાથી કરી શકાતું નથી. તથા સવાર સાંજનાં પ્રત્યાખ્યાનો ખાસ હોય જ છે. પ્રત્યાખ્યાન. ૫. ૬. લઘુ નીતિ, વડીનીતિ, આહાર, પાણી વગેરે માટે પ્રવૃત્તિ કરવી પડે. તો તે પણ જરૂર પૂરતી જ, અને ઈરિયાવહિયા પ્રતિક્રમણપૂર્વક અને સો હાથથી દૂર ગયા હોય, તો ગમગાગમાણે પૂર્વક દોષની શુદ્ધિ કરી નાંખવી પડે છે. પ્રતિકમાણ-૬. ૭. રાત્રે પણ જવું આવવું પડે, તો ડંડાસણ સિવાય જઈ શકાતું નથી. ૮. ઘણું અને બિનકાળજીથી રાત્રે પણ ઊંઘવાનું નથી હોતું. ૯. રાત્રે તો પરમાત્માનો મહાન ઉપદેશ આત્માને એવો વિશુદ્ધ કરી ને સાવચેત કરે છે કે, કર્મોના પણ સંજોગ સંબંધનો ત્યાગ કરાવી આત્માને નિર્મળ બનાવે છે. ૧૦. શ્રાવકને છાજતાં બાર વ્રતો અને સામાયિક વ્રતો ઉપરાંત સર્વ વિરતિનો આદર્શ સામે રાખીને જેમ બને તેમ તેની ટેવ કેળવવા માટે પોસહમાં તત્પર રહેવાનું હોય છે. ૧૧. પોસહના ૧૮ દોષ, સામાયિકના ૩ર દોષ, સામાયિકના તથા પસહના પાંચ પાંચ અતિચાર, ગુરુવંદનના દોષો, ગુરુ તથા જિન મંદિરની ૩૩ તથા ૮૪ આશાતનાઓ કાઉસ્સગ્નના ૧૮ દોષો, વંદનના ૩ર દોષ વગેરેનો ત્યાગ કરવો. પ્રમાદ અને સુખશેલીયાપણા વગેરેનો પણ ત્યાગ કરવો. ૧૭ સંડાસા, વાંદણાના ૨૫ આવશ્યક, પંચાગ પ્રણિપાત, મુદ્રાઓ, આસનો વગેરે જાળવવાનું સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર કરવો, અને તે પ્રમાણે વંદનાદિ શરીર ચેષ્ટાઓ પણ બરાબર કરવી, ગુરુ આજ્ઞામાં સાવધાનપણે સર્વ પ્રવૃત્તિ કરવી, ચિત્તની પ્રશાંતિ, પ્રસન્નતા, સ્વચ્છતા, ભાવના, બરાબર જાળવવા. આ વિષે વિશેષ-સંથારુચ્ચાર૦ વંદિનુ સૂત્રની ગાથાના વિવેચનમાં આપવામાં આવેલ છે. વિશેષ હકીક્ત હજુ ઘણી બાકી રહે છે. તે ગુરૂગમ તેમજ પૂર્વાચાર્ય વિરચિત બીજાં શાસ્ત્રોથી જાણીને માહિતગાર થવું. ૧૫. પાક્ષિકદિ પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો. ૬૭. સકલાઈ-ચૈત્યવંદન. ૧. ૧. વીતરાગદર્શનના કેન્દભૂત શ્રી આહત્ત્વનું ધ્યાન. શબ્દાર્થ :- સકલાઉત્પતિકાનમસર્વ અરિહંતોમાં પ્રતિષ્ઠિત [રહેલું]. અધિકાનમ-કારણ. શિવ-ત્રિય મોક્ષ લક્ષ્મીનું. ભૂર્ભુવ: સ્વસયીશાન માધોલોક, તિર્યલોક અને ઊર્ધ્વલોક-પાતાળ, મત્સ્યલોક અને સ્વર્ગલોકનું સ્વામી. આઈન્સમ-અરિહંતપણું. પ્રણિદLહે અમે ધ્યાન ધરીએ છીએ. ૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૯ 'સક્લાઈમ્પ્રતિષ્ઠાન-મધિષ્ઠાન શિવ-થિય: *ભૂર્ભુવ:સ્વસ્ત્રયીશાન-માહિત્ય પ્રણિબહેનપા "સર્વ અરિહંત ભગવંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના કારણભૂત, તિથા] પાતાળ, મર્યલોક તથા સ્વર્ગલોકના સ્વામીભૂત એવા “અરિહંતપણા નું અમે ધ્યાન ધરીએ છીએ. ૨. સર્વ અરિહંત ભગવંતોની ઉપાસના શબ્દાર્થ:- નામ-સ્કૃતિ-દ્રવ્ય-ભાવનામ-આકૃતિ-દ્રવ્ય અને ભાવવડે. પુન:-પવિત્ર કરતા. ત્રિ-જગજજનમ-ત્રણ જગન્ના જનોને-એટલે પ્રાણીઓને. અહંત:અરિહંત ભગવંતોની. સમુપાસ્મહે ઉપાસના કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભજીએ છીએ. ૨ 'નામા-ડઝકૃતિ-દ્રવ્ય-ભાવૈ.પુનિતસ્ત્રિ-જગન્જનમ્ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિનહત:સમુપાસ્મહેરા નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ—એ ચારેય નિક્ષેપાએ કરીને ત્રણેય લોકમાં અને ત્રણેય "કાળમાં ત્રણેય જગતનાં પ્રાણીઓને પવિત્ર કરનારા “અરિહંત ભગવંતોની “અમે ઉપાસના કરીએ છીએ. ૩. ચોવીસેય તીર્થંકર પરમાત્માઓની અનુક્રમે સ્તુતિઓ ૧. શ્રી ઋષભદેવ સ્વામી શબ્દાર્થ:- આદિમ પહેલા. પૃથિવી-નાથમપૃથ્વી નાથ, રાજા. નિષ્પરિરહમપરિગ્રહ વગરના, સાધુ, મુનિ. તીર્થ-નાથ તીર્થંકર પ્રભુ. સુમસ્તુતિ કરીએ છીએ. ૩ 'આદિમ પૃથિવી-નાથ-માદિમ નિષ્પરિગ્રહ 'આદિમ તીર્થ-નાથં ચ ‘ઋષભ-સ્વામિનું “તુમ: સૌથી પહેલા રાજા, સૌથી પહેલા મુનિરાજ, અને સૌથી પહેલા તીર્થંકર પરમાત્મા શ્રી “ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીએ છીએ. ૩ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ર. શ્રી અજિતનાથ સ્વામી અર્હન્ત=અરિહંત પ્રભુ. અતિક્=અજિત નાથ. શબ્દાર્થ :વિશ્વ-કમલાડડકરભાસ્કરમ્=વિશ્વરૂપી કમળોના વનને (ખીલવવાને) સૂર્ય સમાન. અમ્લાન-કેવલાઙદર્શસંક્રાન્ત-જગતમ્=સંપૂર્ણ ચમકતા જેના કેવળ જ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિમ્બ પડી રહેલું છે, એવા. સ્તુવે=હું સ્તુતિ કરું છું. ૪ ૪અર્હન્તમજિત 'વિશ્વ-કમલા-ડડકર-ભાસ્કરમ્। ંઅ-મ્લાન-કેવલા-ડઽદર્શ-સંક્રાન્ત-જગત સ્તુવે ।।૪।। 'વિશ્વરૂપી કમળોના વનને ખીલવવાને સૂર્યસમાન અને ‘સંપૂર્ણ ચમકતા જેના કેવળ જ્ઞાન રૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડેલું છે, એવા શ્રી ’અજિતનાથ 'અરિહંત ભગવંતની “સ્તુતિ કરું છું. ૪ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. શ્રી સંભવનાથ સ્વામી શબ્દાર્થ : વિશ્વ-ભવ્ય-જના-ડઽરામ-કુલ્યા-તુલ્યા:-જગતના સઘળા-ભવ્ય-જીવો-રૂપી બગીચામાં-પાણીની નીક-જેવી. જયન્તિ=વિજય પામે છે. તા:=તે. દેશના-સમયે-ધર્મોપદેશ વખતે. વાચ:-વાણી. શ્રી-સંભવ-જગત્પતે:=શ્રી સંભવનાથ પ્રભુની. ૫ વિશ્વ-ભવ્ય-જના-ડડરામ-ફુલ્યા-તુલ્યા જયન્તિ તા:। દેશના-સમયે વાચ: 'શ્રી-સંભવ-જગત્પતે: રૂપા શ્રી `સંભવનાથ પ્રભુની “ધર્મોપદેશ વખતે “જગત્ના સઘળા ભવ્ય જીવો રૂપી બગીચામાં પાણીની નીક જેવી તે વાણી વિજય* પામે છે. ૫ ૪. શ્રી અભિનંદન સ્વામી શબ્દાર્થ :- અનેકાન્ત-મતા-ડમ્ભોધિ-સમુલ્લાસન-ચન્દ્રમા:=અનેકાન્ત વ્યવસ્થા રૂપી સમુદ્રમાં ભરતી લાવવાને ચન્દ્રમા જેવા. દઘા≠આપો. અમન્દ=ઘણો. આનન્દમ્=આનંદ. ભગવાન્=પૂજ્ય. અભિનન્દન:=અભિનન્દન પ્રભુ. ૬ અનેકાન્ત-મતા-ડમ્બોધિ-સમુલ્લાસન-ચન્દ્રમા:। ૫ ૨ હૃદ્યાદ્- મન્દ-માન ભગવાન-ભિનન્દન:॥૬॥ `અનેકાન્ત વ્યવસ્થા રૂપી સમુદ્રમાં ભરતી લાવવાને ચન્દ્રમા સમાન રૈપૂજ્ય શ્રી અભિનન્દન Page #574 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૦૧ પ્રભુ ઘણો આનંદ આપે. ૬ ૫. શ્રી સુમતિ સ્વામી શબ્દાર્થ :- ઘુ-સન કિરીટ-શાણા-ગ્નોત્તેજિતા-ડસ્થિનખા-વલિઃ દેવતાઓના મુકુટ રૂપી સરાણ પર જેના ચરણના નખોની પંકિતઓ ઘસાઈને ચકચકિત થયેલી છે. તનોતુ વિસ્તારો, આપો, પૂરો. અભિમતાનિ=ઈચ્છિત. વ. તમારા. ૭ 'ધુ-સકિરીટ-શાણા-ડગ્રોત્તેજિતા-ડિઘ-નખા-ડશવલિ.. ભગવાન્ સુમતિ-સ્વામી તનોત્વ-અભિમતાનિ વ: Iળા દેવતાઓના મુકુટ રૂપી સરાણ ઉપર જેનાં ચરણોના નખોની પંક્તિઓ ઘસાઈને ચકચકિત થયેલી છે, તિ] સુમતિનાથ ભગવાન તમારા “મનોવાંચ્છિત પૂરો. ૭ ૬. શ્રી પદ્મપ્રભ સ્વામી શબ્દાર્થ :- પદ્મ-પ્રભ-પ્રભો =પમ પ્રભ-પ્રભુના દેહ-ભાસદ=શરીરનું તેજ. પુષગજુ પુષ્ટ કરો. શ્રિયમ લક્ષ્મીને. અન્તરગા-વરિ-મથને અંદરના શત્રુઓનો નાશ કરવામાં. કોપાડ્યોપાતીવ્ર ક્રોધથી. ઈવ કેમ જાણે. અરુણા: લાલ. ૮ પદ્ય-પ્રભ-પ્રભોદેહ-ભાસ:પુષ્ણસ્તુ વ:શ્રિયમ્ 'અન્તરજ્ઞા-ડરિ-મથને કોપા-ડટોપાદિવા-ડરુણા: દા. અંદરના શત્રુઓનો નાશ કરવા માટે તીવ્ર ક્રોધ કરવાથી કેમ જાણે-લાલ થઈ ગયેલું હોય ની ! એવું શ્રી "પદ્મપ્રભ સ્વામીને શરીરનું તેજ તમારી કલ્યાણ રૂપી “લક્ષ્મી વધારી મૂકો. ૮ ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી શબ્દાર્થ :- શ્રી સુપાર્થ-જિનેનાયકશ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુને. મહેન્દ્ર-મહિતા-ઘ-મોટા મોટા ઇન્દ્રોએ પણ જેનાં ચરણોની સેવા કરેલી છે. નમ:=નમસ્કાર હો. ચતુર્વર્ણ-સંઘ-ગગના-ભોગ-ભાસ્વતે ચાર પ્રકારના સંઘ રૂપી આકાશ મંડળમાં સૂર્ય સમાન. ૯ શ્રી-સુ-પાર્થ-જિનેન્દ્રાય મહેન્દ્ર-મહિતા-ડડથ્રયા 'નમથતુર્વર્ણ-સંઘ-ગગના-ડડભોગ-ભાસ્વતે લા મોટા મોટા ઇંકોએ પણ જેનાં ચરણ કમળોની સેવા કરેલી છે તથા ચાર પ્રકારના સંઘ રૂપી આકાશ મંડળમાં સૂર્ય સમાન શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુને નમસ્કાર હો. ૯ • Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ૮. શ્રી ચંદ્રપ્રભ સ્વામી શબ્દાર્થ :- શ્રી ચન્દ્ર-પ્રભ:-પ્રભો ચંદ્ર પ્રભુની. ચન્દ્ર-મરીચિ-નિયોજ્વલા-ચંદ્રના ઢગલાબંધ કિરણ જેવી ઊજળી. મૂર્તિ-શરીરની આકૃતિ. મૂર્ત-સિત-ધ્યાન-નિર્મિત-સાક્ષાત્ શુલ ધ્યાનમાંથી જ બનાવી કાઢી હોય નહિ ! ક્ષિયલક્ષ્મી માટે. ૧૦. પંચ પ્રતિક્રમણસૂત્રો ચન્દ્ર-પ્રભ-પ્રભો ધન્દ્ર-મરીચિ-નિચયોજ્વલા । “મૂર્તિમૂર્ત-સિત-ધ્યાન-નિર્મિતવ `થિયેઽસ્તુ વ: ॥૧૦॥ કેમ જાણે સાક્ષાત્ શુક્લ ધ્યાનમાંથી જ કોરી કાઢી હોય નહિ ! એવી 'ચન્દ્રના ઢગલાબંધ કિરણો જેવી ઊજળી "શ્રી ચંદ્રપ્રભ સ્વામીના “શરીરની આકૃતિ ‘તમારી કલ્યાણ રૂપી “લક્ષ્મી માટે ‘થાઓ. ૧૦. ૯. શ્રી સુવિધિનાથ સ્વામી શબ્દાર્થ :- કરા-ઽમલકવ“હાથમાં રહેલા આમળાની માફક. વિશ્વમ્ જગને. કલયન્=જોઈ રહેલા. કેવલ-શ્રિયા કેવળ જ્ઞાનરૂપી સદ્ધિ વડે. અ-ચિત્ત્વ-માહાત્મ્ય-નિધિ-કલ્પનાનીયે પેલે પાર માહાત્મ્યના ભંડારવાળા. સુ-વિધિ: સુવિધિનાથ. બોધયે બોધિ માટે, સમકિત માટે. ૧૧ *કરા-ઽમલક્વદ્` વિશ્ર્વ ક્લયન્TM વલ-શ્રિયા । અચિન્ત્ય-માહાત્મ્ય -નિધિ: 'સુવિધિ-‘બોંધયેઽસ્તુ વ:° ||૧૧| 'હાથમાં રહેલા આંબળાની માફક જે આખા જગતને કેવળ જ્ઞાન રૂપી ૠદ્ધિ વડે કરીને જોઈ જશકે છે, એવા પ્રકલ્પનાનીયે પેલે પાર માહાત્મ્યના ભંડારવાળા શ્રી ‘સુવિધિનાથ પ્રભુ તમારા સમકિતને માટે હો . ૧૧. ૧૦. શ્રી શીતળનાથ પ્રભુ શબ્દાર્થ :- સત્ત્વાનામ્=પ્રાણીઓને. પરમા-ઙઙનન્દ-કન્દોદ્વેદ-નવા-મ્બુ-દ:=પરમ આનન્દના કન્દને ખીલવવા માટે ધોધમાર વરસાદ જેવા. સ્યાદ્-વાદા-ઽમૃત-નિસ્યન્દી સ્યાદ્વાદ રૂપી અમૃતને વરસાવનારા. પાતુ=રક્ષણ કરો. ૧૨. 'સત્ત્વાનાં પરમા–SSનન્દ-દ્દોભેદ-નવા-ડમ્બ-૬: । કૈસ્યાદ્વાદા-મૃત-નિસ્યન્દી ‘શીતલ: પાતુ ‘વો “જિન: ।।૧૨। `પ્રાણીઓના “પરમ આનંદના કન્દને ખીલવવા માટે ધોધમાર નવા વરસાદ જેવા અને ગૈસ્યાદ્વાદ Page #576 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૦૩ રૂપી અમૃત વરસાવનારા શ્રી શીતલનાથ “જિનેશ્વર તમારું રક્ષણ કરે. ૧૨. ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી શબ્દાર્થ:- ભવ-રોગા-ડડ-જેજૂનામસંસારરૂપી રોગથી પીડાતાં પ્રાણીઓને. અગદરકારદર્શનઃ જેનું દર્શન ઔષધ રૂપ છે. નિયસ-ત્રી-રમણ મોક્ષરૂપી લક્ષ્મીના આનંદ આપનાર પતિ. શ્રેયાંસદ શ્રેયાંસનાથ પ્રભુ. શ્રેયસે-કલ્યાણ માટે. ૧૩ ભવ-રોગા-ડર્ત-જનૂના-મગદકાર-દર્શન: નિ:શ્રેયસ-થી-રમણ: શ્રેયાંસ: શ્રેયસેતુ વ: ૧૩ સંસાર રોગથી પીડાતાં પ્રાણીઓને ઔષધરૂપ દર્શનવાળા અને મોક્ષરૂપી લક્ષ્મીના આનંદદાયક પતિ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ “તમારા કલ્યાણને માટે હો. ૧૩. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી શબ્દાર્થ - વિશ્વોપકારકીભૂત-તીર્થ-કૃત-કર્મ-નિર્મિતિઃ સમગ્ર જગતનું કલ્યાણ કરનાર તીર્થંકર નામ કર્મની રચના મય. સુરા-સુર-નરેડદેવો, ભવનપતિઓ અને મનુષ્યોને. પૂજ્ય-પૂજવા યોગ્ય. પુનાતુ પવિત્ર કરે. ૧૪. 'વિશ્વોપકારકી-ભૂત-તીર્થ-કૃત્કર્મ-નિર્મિતિ: સુરા-સુર-નરેઃપૂજ્યો વાસુપૂજ્ય:''પુનાતુ વ: I૧૪ો સમગ્ર જગતનું કલ્યાણ કરનારા તીર્થંકર નામ કર્મની રચનામય તથા દેવો, ભવનપતિઓ અને મનુષ્યોને પૂજ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. ૧૪. ૧૩. શ્રી વિમલનાથ સ્વામી શબ્દાર્થ :- વિમલ-સ્વામિના=વિમલનાથ પ્રભુની. વાચ: વાણી. કાકક્ષાદ- સોદરા:કતક-નિર્મળીના ચૂર્ણ જેવી. જયત્તિ વિજય પામે છે. ત્રિ-જગત-ચેતો-જલ- મલ્ય-હેતવત્રણ જગતનાં પ્રાણીઓના અંત:કરણ રૂપી જીવને નિર્મળ કરવાના કારણભૂત. ૧૫. વિમલ-સ્વામિનો વાચ: તક-શોદ-સોદરા: જયન્તિ ત્રિ-જગચેતો-જલ-નૈર્મલ્ય-હેતવઃ૧પા ત્રણ જગતનાં પ્રાણીઓના અનઃકરણ રૂપી પાણીની નિર્મળતા કરવાના કારણભૂત Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ નિર્મળીના ચૂર્ણ જેવી વિમલનાથ સ્વામીની વાણી વિજય પામે છે. ૧૫. ૧૪. શ્રી અનંતનાથ સ્વામી શબ્દાર્થ :- સ્વયંભૂ-રમણ-સ્પર્ધ્વિ કરુણા-રસ-વારિણા=સ્વયંભૂ-રમણ સમુદ્રની સાથે હરીફાઈ . કરુણા । રસ રૂપી પાણી વડે. અનન્તામ્=અનંત. ૧:-તમને. પ્રયચ્છતુ આપો. સુખ-શ્રિયમ્=સુખની કરતાં સંપત્તિ. ૧૬. સ્વયંભૂ-રમણ-પ-િકરુણા-રસ-વારિણા | 'અનંત-જિદનન્તાં' વ: પ્રચચ્છતુ' સુખ-શ્રિયમ્ ॥૧૬॥ શ્રી અનન્ત જિત્ પ્રભુ [અનંતનાથ પ્રભુ] સ્વયંભૂ રમણ “સમુદ્ર સાથે સ્પર્ધા કરતાં કરુણારસ રૂપી પાણી વડે ચૈતમને ”અનંત “સંપત્તિ આપો. ૧૬. ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી આપનાર. શબ્દાર્થ :- કલ્પ-દ્રુમ-સધર્માણં=કલ્પવૃક્ષ જેવા. ઇષ્ટ-પ્રાપ્તૌ ઇચ્છિત ફળ મેળવવામાં. શરીરિણાં=પ્રાણીઓને. ચતુર્ધ-ચાર પ્રકારે. ધર્મ-દેશારમ્=ધર્મનો ઉપદેશ ધર્મનાથમ્=ધર્મનાથ સ્વામીની. ઉપાસ્મહે=સેવા કરીએ છીએ. ૧૭. ૫-દ્રુમ- સ-ધર્માણ-મિષ્ટ-પ્રાપ્તૌ શરીરિણામ । řચતુદ્ધાં ધર્મ-દેદાર ધર્મ-‘નાથ-મુપાઝ્મહે ।।૧૭। ૭ પંચ પ્રતિક્રમણસૂત્રો “પ્રાણીઓને “ઇષ્ટ ફળ મેળવી આપવાને કલ્પવૃક્ષ જેવા ચાર પ્રકારના “ધર્મનો ઉપદેશ આપનારા ધર્મનાથ' સ્વામીની અમે સેવા કરીએ છીએ. ૧૭. ૧૬. શ્રી શાન્તિનાથ સ્વામી શબ્દાર્થ :- સુધા-સોદર-વાગ્-જ્યોત્સ્ના-નિર્મલીકૃત-દિમુખ:=અમૃત અને કળીચૂના જેવી મધુર વાણી રૂપી સફેદ ચંદ્રિકા વડે દિશાઓને નિર્મળ કરી દેનારા. મૃગ-લક્ષ્મા=હરણની નિશાનીવાળા, અને ચંદ્ર. તમ:-શાયૈ અજ્ઞાનની અને અંધકારની શાંતિ-નાશ માટે. શાન્તિનાથ-જિન:-શાન્તિનાથ પ્રભુ. ૧૮. 'સુધા-સોદર-વાગ્-યોત્સ્ના-નિર્મલીકૃત-દિ-મુખ: । મૃગ-લક્ષ્મા તમ:-શાન્ત્ય શાન્તિ-નાય -જિનોસ્તુ ’વ: ।।૧૮।। `અમૃત જેવી મધુર વાણી રૂપી કળીચૂના જેવી સફેદ ચન્દ્રિકા વડે દિશાઓનાં મુખોને [ચારેય ૩ Page #578 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ૦૫ તરફ નિર્મળ કરનારા, મૃગના લંછનવાળા શ્રી શાન્તિનાથ જિનેશ્વર રૂપી ચંદ્ર તમારા અજ્ઞાન રૂપી અંધકારના નાશ માટે 'હો. ૧૮. જેમ ચૂના સરખી ધોળી વાણી જેવી ચંદ્રિકા વડે દિશાઓને ઊજળી કરનારા, હરણની નિશાની વાળો ચંદ્ર અંધકારના નાશ માટે થાય છે, તેમ અમૃત જેવી વાણી રૂપી ચંદ્રિકા વડે ચારેય તરફ નિર્મળ કરી મૂકનારા હરણના લાંછનવાળા શ્રી શાંતિનાથ પ્રભુ તમારા અજ્ઞાનના નાશને માટે હો.] ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી શબ્દાર્થ :- ભગવાન=પૂજ્ય. સનાથ સહિત. અતિશયદ્ધિભિ=અતિશય રૂપી અદ્ધિ વડે. સુરા-~સુર-નૃ-નાથાના દેવો ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓના. એકનાથ:- અપૂર્વએકલા-અજોડ સ્વામી. અસ્તુ હો. શ્રિયે સંપત્તિ માટે. ૧૯. *શ્રી-કુંથુનાથો ભગવાસ-નાથોડતિશયત્કિંભિ:// સુરા-ડસુર-નૃ-નાથાના-મેક-નાથોડસ્તુ વ: શ્રિયે ૧લા ૩૪ અતિશય રૂપી ઋદ્ધિ વડે સહિત-અર્થાત શોભતા દેવો ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓના અપૂર્વ સ્વામી શ્રી કુંથુનાથ “ભગવાન તમારી સંપત્તિ માટે “હો. ૧૯. ૧૮. શ્રી અરનાથ ભગવાન શબ્દાર્થ :- ચતુર્થી-૨-ન-રવિ ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન. ચતુર્થપુરુષાર્થ-થી-વિલાસંમોક્ષ પુરુષાર્થની લક્ષ્મીનો વિલાસ. વિતનોતુ=ખૂબ આપો. ૨૦ “અર-નાથસ્તુ ભગવાઁથતુર્થ-ડર-નભો-રવિ: 'ચતુર્થ-પુરુષા-ડર્થ-શ્રી-વિલાસં વિતનોતુ વ: પારગી "અને ચોથા આરા રૂપી આકાશમાં સૂર્ય સમાન અરનાથ ભગવાન તમને મોક્ષ રૂપી લક્ષ્મીનો વિલાસ ખૂબ આપો. ૨૦ ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી શબ્દાર્થ :- સુરા-સુર-નર-ડધીશ-મયૂર-નવ-વારિદમ દેવો, ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓ રૂપી મોરોને આનંદ પમાડવાને નવા મેઘ જેવા. કર્મભૂલને કર્મ રૂપી ઝાડને ઉખેડીને ફેંકી દેવામાં. હસ્તિ-માંહાથી-ઐરાવત હાથી જેવા. અભિટ્ટમ: સ્તુતિ કરીએ છીએ. ૨૧. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પંચ પ્રતિકમાણસૂત્રો 'સુરા-ડસુર-નરા-ડધીશ-મયૂર-નવ વારિ-દા કર્મ-દ્રુમૂલને હસ્તિ-મલ્લુ મલ્લિ-મભિદુ: રપા "દેવ, ભવનપતિઓ અને મનુષ્યોના રાજાઓ રૂપી મોરોને આનંદ પમાડવાને નવા મેઘ જેવા અને કર્મ રૂપી ઝાડોને ઉખેડીને ફેંકી દેવામાં ઐરાવત હાથી જેવા શ્રી મહિનાથ પ્રભુની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧. ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી શબ્દાર્થ:- જગન્મહા-મોહ-નિદ્રા-પ્રત્યુષ-સમયોપમ જગતની મહા મોહરૂપી નિદ્રા ઉડાડવાને પ્રાત:કાળ સમાન. મુનિસુવ્રત-નાથસ્ય શ્રી મુનિસુવ્રત સ્વામીના. દેશના-વચનમ-ઉપદેશ રૂપી વચનની. સુમ: સ્તુતિ કરીએ છીએ. ૨૨ 'જગન્મહા-મોહ-નિદ્રા-પ્રત્યુષ-સમયોપમમ્ ‘મુનિ-સુ-વ્રત-નાથસ્ય દેશના-વચન સ્તુમ: રર "જગતની મહામોહ રૂપી નિદ્રા ઉડાડવાને પ્રાત:કાળ સમાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ઉપદેશ વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨ ૨૧. શ્રી નમિનાથ સ્વામી શબ્દાર્થ :- લુઇન્તો આળોટતાં. નમતાં નમસ્કાર કરનારાઓના. મૂર્તિ મસ્તક ઉપર. નિર્મલીકાર-કારણે નિર્મળ કરવાના કારણભૂત. વારિ-પ્લવાડ પાણીના પ્રવાહ. ઇવ=જેવા. ન =નમિનાથ પ્રભુના. પાનુ રક્ષા કરો. પાદ-ખાંશવ: પગના નખોનાં કિરણો. ૨૩. લુઇન્તો નમતાં મૂર્તિ નિર્મલીકાર-કારણમ્ વારિ-પ્લવા ઇવ' નામે પાત્પાદ-નખાંશવારા નમસ્કાર કરનારાઓનાં મસ્તક ઉપર ફરકતા અને પાણીના પ્રવાહની પેઠે નિર્મળ કરનારા શ્રી નમિનાથ પ્રભુનાં ચરણના નખોનાં કિરણો “રક્ષણ કરો. ૨૩. ૨૨. શ્રી નેમિનાથ સ્વામી | શબ્દાર્થ :- યદુવંશ-સમુદ્ર યાદવ વંશ રૂપી સમુદ્રમાં ચંદ્રમાં સરખા કર્મ-કક્ષ-હુતાશન: કર્મ રૂપી વનને બાળવામાં અગ્નિ જેવા. અરિષ્ટનેમિ: અરિષ્ટ નેમિનાથ પ્રભુ. ભૂયાત હો. વ=તમારા. અરિષ્ટ-નાશન: અપમંગળનો નાશ કરનાર. ૨૪. Page #580 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો 'યદુ-વંશ-સમુદ્રન્દુ: ‘કર્મ-ક્ષ-હુતા-ડક્શન:। અરિષ્ટ-નેમિ-ભંગવાન્ ભૂયા- ક્રોડરિષ્ટ‘-નાશન: ।।૨૪।। * `યાઘ્રવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મ રૂપી વનને બાળી નાંખવાને અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ ‘ભગવાન્ “તમારા સર્વ ‘અપમંગળને દૂર કરનાર હો. ૨૪. ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી શબ્દાર્થ :- કમઠેકમઠ ઉપર. ધરણેન્દ્રે ધરણેન્દ્ર પર. ચ=અને. સ્વોચિત-પોતપોતાની લાયકાત પ્રમાણેનું. કર્મ=કામ. કુર્વતિ-કરવા છતાં. પ્રભુ:=સ્વામી. તુલ્ય-મનોવૃત્તિ:-સરખી મનોવૃત્તિવાળા, સમભાવવાળા. પાર્શ્વ-નાથ:“પાર્શ્વનાથ પ્રભુ. શ્રિય-સંપત્તિ માટે. ૨૫ ૪કમઠે 'ધરણેન્દ્ર ચ`સ્વોચિતં`કર્મ કુર્વતિ “પ્રભુસ્તુલ્ય-મનોવૃત્તિ:” પાર્શ્વ-નાથ: '°થિયેઽસ્તુ``વ:`*॥૨૫॥ ૮ પોતપોતાની લાયકાત પ્રમાણે કામ કરતા કમઠ અને ધરણેન્દ્ર દેવ પર સરખી મનોવૃત્તિવાળા-સમભાવવાળા-શ્રી પાર્શ્વનાથ “પ્રભુ તમારી ``સંપત્તિ માટે હો. ૨૫. ૨૪. શ્રી મહાવીર સ્વામી ૫૦૭ શબ્દાર્થ :- શ્રીમતે=શ્રીમાન્. વીર-નાથાય=વીર પ્રભુને. સ-નાથાય=સહિત. અદ્ભુત-શ્રિયા= અદ્ભુત સંપત્તિ વડે કરીને. મહા-ઙઙનન્દ-સરો-રાજ-મરાલાય=મહા આનંદના તળાવમાં રાજહંસ જેવા. અર્હત=પૂજ્ય. નમ:=નમસ્કાર હો. ૨૬. ૧ ’શ્રીમતે વીર-નાથાય સ-નાથાય-દ્ભુત -શ્રિયા મહા-નન્દ-સરોરાજ-મરાલાયા-હંતે નમ: ।।૨૬।। મ અદ્ભુત `સંપત્તિ વડે કરીને નૈસહિત-અદ્ભુત સંપત્તિના સ્વામી અને મહાઆનંદના સરોવરમાં રાજહંસ જેવા શ્રીમાન્ “પૂજ્ય શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર હો. ૨૬. વીર પ્રભુની કરુણા : શબ્દાર્થ :- કૃતા-પરાધે-અપરાધ કરનાર, ગુનેગાર, અપરાધી. કૃપા-મન્થર-તારયો:=દયા વડે ચંચળ કીકીઓવાળી. ઇષદ્બાષ્પાયો: સહેજ આંસુથી ભીંજાયેલી. ભદ્ર-કલ્યાણ. શ્રી-વીર-જિન નેત્રયો:-શ્રી મહાવીર સ્વામીની આંખોનું. ૨૭. કૃતા-ડપરાધેપિ` જને કૃપા-મન્થર-તારયો: । ઇષદ્બાષ્પા “ડર્નયોર્ભદ્ર' શ્રી-વીર-જિન-નેત્રયો:'।।૨ણા Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ પંચ પ્રતિકમાણસૂત્રો 'અપરાધી જન ઉપર પણ દયાથી ચંચળ કીકીવાળી અને સહેજ' આંસુથી ભીંજાયેલી શ્રી મહાવીર સ્વામીની બન્નેય આંખોનું કલ્યાણ થાઓ. ૨૭. શબ્દાર્થ :- જયતિ વિજય પામે છે. વિજિતાડવતેજાબી તેજેને હરાવનારા. સુરા-સુરા-ડધીશ-સેવિત: દેવો અને ભવનપતિઓના ઈન્ટોએ સેવા કરાયેલા. શ્રીમાન-સંપત્તિશાળી. વિમલ =પવિત્ર. ત્રાસ-વિરહિતીeત્રાસ વગરના. ત્રિભુવન-ચૂડા-મણિ =ત્રણ ભુવનનાં મુગટ સમાન. ૨૮ જયતિ વિજિતા-ડન્ય-તેજા:, સુરા-ડસુરા-ડધીશ-સેવિત: શ્રીમાના *વિમલસ્ત્રાસ-વિરહિત-દ્વિ-ભુવન-ચૂડા-મણિર્ભગવાન”ારા બીજાં તેજેને હરાવનારા દેવો અને ભવનપતિઓના ઈંદ્રોએ પૂજેલા, સંપત્તિશાળી, પવિત્ર, ત્રાસ “વગરના અને ત્રણ ભુવનના મુગટ સમાન પ્રભુ વિજય પામે છે. ૨૮ શબ્દાર્થ:- વીર: =મહાવીર સ્વામી. સર્વ-સુરા-સુરેન્દ્ર-મહિત=સર્વ દેવો અને ભવનપતિઓના ઈન્દ્રોએ પૂજેલા. વીરં મહાવીર સ્વામીને. બુધા =બુદ્ધિમાનો-મહાત્માઓ. સંશ્રિતા =આશ્રયે આવેલા. વરણ મહાવીર સ્વામીએ. અહિત નાશ કર્યો છે. સ્વ-કર્મ-નિચય: પોતાનાં કર્મોનો સમૂહ. વીરાય મહાવીર સ્વામીને. વીરાત-મહાવીર સ્વામીથી. તીર્થશાસન. પ્રવૃત્ત પ્રવત્યું. અતુલામમોટું. વીરસ્ય મહાવીર સ્વામીનું. ઘરમઆકરું. તપ-તપ. વિરથી વીર પ્રભુમાં. શ્રીધૃતિ-કીર્તિકાન્તિ-નિચય: લક્ષ્મી, ધીરજ, કીર્તિ, અને તેજનો સમૂહ. દિશ=બતાવો. ૨૯ 'વીર: સર્વ-સુરા-ડસુરેન્દ્ર-મહિતો, વીર બુધા: સંશ્રિતા*વરેણા-ડભિવત:-કર્મ-નિચયો, વીરાયનિત્ય નમ: “વીરા-અનીર્થમિદે પ્રવૃત્તમતુલ, વીરસ્યઘોર તપો- વીરેશ્રીધૃતિ-કીર્તિ-કાન્તિ-નિચય:, શ્રી-વીર! ભદ્ર દિશ. પારલા [શાર્દૂલ.] વીર પ્રભુ સર્વ દેવો અને ભવનપતિઓથી પૂજાયેલા છે. બુદ્ધિ સંત મહાત્માઓએ વીર "પ્રભુનો આશ્રય લીધો છે. વીર પરમાત્માએ પોતાનાં સર્વકર્મોનો નાશ કર્યો છે. માટે એવા વીર પરમાત્માને હમેશાં "નમસ્કાર હો. “અજોડ અપૂર્વ આ વર્તમાન- 'તીર્થ જૈન શાસન-શ્રી "વીર પ્રભુથી શરૂ થયું છે. વીર પરમાત્માનું તપ ઘણું ઉગ્ર હતું. શ્રી વીર પરમાત્મામાં "સંપત્તિ ધીરજ-કીર્તિ-તેજસ્વિતા ભરપૂર છે. એવા હેવીર પ્રભો!કલ્યાણનો માર્ગ બતાવો. ૨૯ સર્વ દૈત્ય સ્તુતિ :: શબ્દાર્થ :- અવનિ-તલ-ગતાનામ=પૃથ્વીના પડ પર રહેલા. કૃત્રિમાકૃત્રિમાનાં=શાશ્વત અને અશાશ્વત. વર-ભવન-ગતાનામ-ઉત્તમ ભવનોમાં રહેલા. દિવ્ય Page #582 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૫૦૯ વૈમાનિકાના દિવ્ય વિમાનોમાં રહેલા. ઈહ અહીં. મનુજ-કૃતાનામ-મનુષ્યોએ બંધાવેલા. દેવરાજા-કર્ચિતાનામદેવેન્દ્રોએ પૂજેલા. જિન-વર-ભવનાનામ=જિનેશ્વર પ્રભુઓનાં મંદિરો. ભાવત:ભાવપૂર્વક. નમામિ નમસ્કાર કરું છું. ૩૦ અવનિ-તલ-ગતાનાં કૃત્રિમા-ડકૃત્રિમાનાં - વર-ભવન -ગતાનાં દિવ્ય વૈમાનિકાના "અહમનુ-જ-કૃતાનાં દેવ-રાજા-કર્ચિતાનાં જિન-વર-ભવનાનાં ભાવતો ડહં નમામિ ૩ળા માલિની] શાશ્વત તથા અશાશ્વત પૃથ્વીના પડ ઉપર રહેલા, ઉત્તમ ભવનપતિઓનાં ભવનમાં રહેલા, 'દિવ્ય વિમાનમાં રહેલા અહીં ક્ષેત્રોમાં મનુષ્યોએ બંધાવેલા, દેવોએ અને રાજાઓએ અથવાદેવેન્દ્રોએ પૂજેલા શ્રી ‘જિનેશ્વર ભગવંતોનાં ઉત્તમ ભવનોને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. ૩૦ શબ્દાર્થ :- સર્વેસર્વે. વેધસામ જ્ઞાતાઓમાં. આઘમ=પ્રથમ. આદિમમમુખ્ય. પરમેષ્ઠિનામ પાંચ પરમેષ્ઠીઓમાં. દેવા-ડધિદેવ દેવોના પણ દેવ. સર્વજ્ઞમ=સર્વજ્ઞ. પ્રણિદષ્મહેન્મન, વચન અને કાયાની એકાગ્રતાથી ધ્યાન કરીએ છીએ. ૩૧ 'સર્વેષાં વેધસામાઘ-માદિમ પરમેષ્ઠિનામ *દેવા-ડધિદેવ સર્વજ્ઞ “શ્રી-વીરં પ્રસિદધ્ય૩૧૫ "સર્વ જ્ઞાતાઓમાં મુખ, પાંચ પરમેષ્ઠીઓમાં મુખ્ય અને દેવાધિદેવ, સર્વજ્ઞ શ્રી વીર પરમાત્માનું મન, વચન, કાયાની એકાગ્રતાથી અમે ધ્યાન ધરીએ છીએ. ૩૧ શ્રી વીતરાગજિનની સ્તુતિ : શબ્દાર્થ :- દેવડ–દેવ. અનેક-ભવા-ર્જિતોર્જિત-મહા-પાપપ્રદીપા-નલ:=અનેક ભવોથી એકઠાં કરેલાં મહા મોટાં પાપોને સળગાવી મૂકવાને સળગતા દાવાનળ સમાન. સિદ્ધિ-વધૂ-વિશાલ-હૃદયા-ડલકાર-હારોપમ =મુકિતરૂપી વહુના વિશાળ હૃદયને શોભાવનાર હાર સમાન. અષ્ટાદશ-દોષ-સિન્વર-ઘટા-નિર્ભેદ-પન્ના-નન-અઢાર દોષો રૂપી હાથીઓના ટોળાનો નાશ કરવાને સિંહ સમાન. ભવ્યાનામ=ભવ્ય જીવોને. વિદધાતુ આપો. વાચ્છિત-ફલમ ઈષ્ટ ફળ. ૩૨ 'દેવોડનેક-ભવા-ર્જિતોર્જિત-મહા-પાપ-પ્રદીપા-ડબલો, દેવ: સિદ્ધિ-વધૂ-વિશાલ-હૃદયા-ડલંકાર-હારોપમ: Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો દોડા-દશ-દોષ-સિન્દુર-ઘટા-નિર્ભેદ-પચ્ચા-ડડનનો, ભવ્યાનાં "વિદધાતુ વાછિત-ફ્લેશ્રી-વીતરાગો જિન: ૩રા જે દેવ અનેક ભવોથી એકઠાં કરેલાં મોટાં મોટાં પાપોને સળગાવી મૂકવાને દાવાનળ સમાન છે, જે દેવ મુક્તિ રૂપી વહુના “વિશાળ હૃદયને શોભાવનાર હાર સમાન છે, જે દેવ અઢાર દોષો રૂપી હાથીઓના ટોળાનો નાશ કરવાને સિંહ સમાન છે, એવા તે શ્રી વીતરાગ ‘જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોને વાંચ્છિત ફળ આપો. ૩૨ તીર્થ-સ્તુતિ : શબ્દાર્થ:- ખાત:=પ્રસિદ્ધ. અષ્ટાપદ-પર્વત: અષ્ટાપદ પર્વત. ગજપદ = ગજપદ. સમ્મત-શૈલા-ઋભિધા=સમેત શૈલ નામનો. રેવતક: ગિરનાર. પ્રસિદ્ધ-મહિમા પ્રસિદ્ધ મહિમાવાળો. શત્રુજ્ય: શ્રી શત્રુંજય. મહુડપ:માંડવગઢ. વૈભાર: વૈભાર. કનકા-ડશલ:=કનકાચળ પર્વત. અર્બુદગિરિ =આબુગિરિ. શ્રી ચિત્રકૂટા-ડદય: શ્રી ચિત્રકૂટ વગેરે. તત્ર ત્યાં. શ્રી-ઋષભા-દય: શ્રી ઋષભદેવ વગેરે. જિન-વરા:=જિનવરો. કુર્વજુ કરો. વ: તમારું. મગલમમંગળ. ૩૩ 'ખ્યાતોડા-પદ-પર્વતો ગજ-પદ-સમ્મત-શૈલા-ઋભિધા, "શ્રીમાન રૈવતક પ્રસિદ્ધ-મહિમા શત્રુજયો “મન્ડપ: “વૈભાર: "કનકા-ડચલોડબુંદ-“ગિરિ શ્રી-ચિત્ર-છૂટા-ડડદય"તત્ર શ્રી-ઋષભા"-દયો જિન-વરા:કુર્વત્વો “મંગલમ્ ૩૩ "પ્રસિદ્ધ-અષ્ટાપદ પર્વત, ગજપદ તીર્થ, સમેતશિખર” નામનો પર્વત, “શ્રીમાન ગિરનાર, પ્રસિદ્ધ મહિમાવાળો “શ્રી શત્રુંજયગિરિ, “માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુગિરિ અને શ્રી ચિત્રકૂટ ચિતોડ વગેરે તીર્થો છે.] "ત્યાં વિરાજતા શ્રી ઋષભદેવ પ્રભુ વગેરે શ્રી "જિનેશ્વર પ્રભુ તમારું “મંગળ કરો. ૩૩ વિશેષાર્થ :- દેવસિઅ પ્રતિક્રમણમાં સામાન્ય રીતે કોઈપણ તીર્થંકર પરમાત્મા તથા કોઈપણ તીર્થ વગેરેનું ચૈત્યવંદન કરાય છે, અને ૧૨ પર્વતિથિઓ કે મોટી પર્વતિથિઓમાં તે તે તિથિ કે પર્વતિથિને લગતું ચૈત્યવંદન કરાય છે. અને શ્રી તીર્થંકર પરમાત્માના તે તે કલ્યાણક દિવસે તે તે તીર્થંકર પરમાત્માનું ચૈત્યવંદન કરાય છે. અને પાક્ષિક, ચઉમાસી અને સાંવત્સરીએ ચૈત્યપરિપાટી વગેરેથી વિશેષ પ્રકારે સર્વ જિનેશ્વરોની ભક્તિ કરાય. તેમ ચૈત્યવંદન પણ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનું કરવું જોઈએ. તે પ્રમાણે પૂર્વકાળમાં કયું ચૈત્યવંદન કરાતું હતું? તે આપણી જાણમાં નથી. પરંતુ ચૈત્યવંદન વગેરે ઐચ્છિક હોવાથી કોઈ પણ પૂર્વાચાર્યોના બનાવેલા ચોવીસ તીર્થકરોની સ્તુત્યાત્મક કોઈ પણ ચૈત્યવંદન બોલાતું હશે. પરંતુ આચાર્ય મહારાજશ્રી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગ્રન્થના મંગળાચરણ રૂપ સકલાર્વત સ્તુતિ સંક્ષિપ્તમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે, અર્થ ગંભીર Page #584 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૧૧ છે, પ્રસાદ ગુણયુકત છે. માટે તેનો નિયત ઉપયોગ શરૂ થયો છે. મુનિમહારાજાઓ સર્વેમાં પછીના બે શ્લોકો ન બોલતાં, તેને ઠેકાણે કલ્યાણપાદપારામ, વગેરે શ્લોકો તેઓશ્રીની જ કૃતિના બોલે છે. કૃતાપરાધે. તેમના યોગશાસ્ત્રનો શ્લોક છે. સર્વેવાં. ઘણે ભાગે તેમના જ કોઈ પરિશિષ્ટાદિ ગ્રંથના મંગળાચરણ રૂપ છે. બાકી રહેલા દરેક અન્ય આચાર્ય મહારાજાઓની કૃતિ જણાય છે. જયતિવિજિતાન, એશ્લોક શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના અનેકાન્તવાદ જયપતાકા નામના ગ્રંથના મંગળાચરણનો શ્લોક છે. ૬૮. સ્નાતસ્યાની સ્તુતિ-૨ ૧. મહાવીર સ્વામીની સ્તુતિ શબ્દાર્થ :- સ્નાતકનાહેલા. અપ્રતિમસ્ય=અપૂર્વ, અનુપમ. મેરુ-શિખરે મેરુ પર્વતના શિખર ઉપર. શ=ઈન્દ્રાણીએ. વિભો: પ્રભુનું. શૈશવે બાલ્યાવસ્થામાં. રૂપા-ડલોકન-વિસ્મયા-હડતરસ-બ્રાન્સારૂપ જોતાં જ વિસ્મય થવાથી ઊભરાઈ આવેલી રસિકતાથી ઉત્પન્ન થયેલા ભ્રમને લીધે. ભ્રમચ્ચક્ષુષા=ભમતા ચક્ષુવાળી. ઉત્કૃષ્ટ લુચ્છેલું. નયન-પ્રભા-ધવલિત આંખના પ્રકાશથી ધોળું દેખાતું. હીરોદકા-શકયા-ક્ષીર સમુદ્રના પાણીની શંકાથી. વફન્ન=મો. યસ્ય જેનું પુન:પુન: વારંવાર. સકતે. જયતિ વિજયવંત છે. ૧ સ્નાતસ્યા-પ્રતિમસ્ય'મેરુ-શિખરે, શય્યા'વિભો: શૈશવે, રૂપા-ડવલોકન-વિસ્મયા -ડડહત-રસ-ભ્રાન્તા બ્રમચ્ચક્ષુષા "ઉચૂર્ણનયન-પ્રભા-ધવલિત, ક્ષીરોદકા-ડડશક્યા, વä 'યસ્ય પુન:પુનઃસ"જયતિ૬, શ્રી-વર્ધમાનો “જિન:/૧ "બાલ્યાવસ્થામાં “મેરુ પર્વત પર નાખેલ ત્યારે અપ્રતિમ શોભા ધારણ કરતા અને પ્રભુનું, આંખોના પ્રકાશથી ધોળું થયેલું મોં, રૂપ જોતાં જ વિસ્મય થવાથી ઊભરાઈ આવેલી રસિકતાથી ઉત્પન્ન થયેલ “ભ્રાંતિને લીધે ભમતા ચક્ષુવાળી ઇદ્રાણીએ શ્રીર સાગરના પાણીની શંકાથી વારંવાર લૂછયું હતું, તે" શ્રી વર્ધમાન જિનેશ્વર “વિજયવંત છે. ૧ ૨. સર્વ જિન સ્તુતિ શબ્દાર્થ :- હંસાં સા-ડડહત-પા-રેણુ-કપિશ-શ્રીરા-વર્ણવા-ડ-ભૂતિ =હંસોના ખંભાઓ સાથે અથડાયેલા-પર્મના ફૂલના-પરાગથી રંગાઈને કાબરચીતરા થયેલા ક્ષીર સમુદ્રના પાણીથી ભરેલા. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો કુર્ભ: કળશો વડે. અપ્સરસાં અપ્સરાઓના. પયોધર-ભર-પ્રસ્પર્ધિભિ=મોટાં સ્તનો સાથે સ્પર્ધા કરતા. કાશને સોનાના. એવાં જેઓના. મદર-રત્ન-શૈલ-શિખરે પર્વતોમાં રત્નભૂત મેરુ નામના પર્વતના શિખર ઉપર. જન્મા-ભિષેક: જન્મ વખતનો જળાભિષેક. કૃત કરેલો છે. સર્વ-સુરા સુરેશ્વર-ગણે:સર્વ દેવો અને ભવનપતિઓના ઈંદ્રોના સમૂહોએ. તેષાં તેઓના. નતો નમ્યો છું. કમાન ચરણોને. ૨ હંસાં સા-ડડહત-પ-રેણુ-કપિલ-ક્ષીરા-ડર્ણવા-ડો -ભુતૈ:, કુબૈરસરમાં પયોધર-ભર-પ્રસ્પર્ધિભિ: “કાવ્યને: યેષાં મન્દર-રત્ન-શૈલ-શિખરે, જન્મા-ડભિષેક કૃત:, સર્વેઃ સર્વ સુરા-સુરેશ્વર-ગૌતેષાં" "નતોડ કમાનારા "મેર પર્વતના શિખર ઉપર જેઓનો જન્માભિષેક સર્વ દેવો અને દાનવોના ઈકોએ, હંસોને ખંભાઓથી અથડાયેલાં પવપુષ્પોના પરાગથી રંગાઈને કાબરચીતરા થયેલા ક્ષીર સમુદ્રના પાણીથી ભરેલા અને અપ્સરાઓના મોટાં સ્તનો સાથે સ્પર્ધા કરતા ‘સોનાના કળશો વડે કર્યો છે. તે સર્વ જિનેશ્વરોના ચરણકમળને હું નમું છું. ૨ ૩. જ્ઞાનની સ્તુતિ શબ્દાર્થ :- અહંવત્ર-પ્રસૂતઅરિહંત-ભગવંતના મુખથી ઉત્પન્ન થયેલું. ગણ-ધર-રચિતં ગણધર પ્રભુએ બનાવેલું. દ્વાદશા-ડ-બાર અંગવાળું. વિશાલ વિશાળ. ચિત્રં વિચિત્ર. બહુવર્ણયુક્ત ઘણા અર્થોથી ભરેલું. મુનિ-ગણ-વૃષભે: મુનિઓના સમૂહ રૂપી વૃષભોએ. ધારિત ધારણ કરેલું. બુદ્ધિમદ્ધિ: બુદ્ધિમાનોએ. મોક્ષા-ડર-દ્વાર-ભૂત મોક્ષના મુખ્ય દરવાજા રૂપ. વ્રત-ચરણ- ફવ્રતો અને ચારિત્ર-ફળવાળું. શેય-ભાવ-પ્રદીપં=શેય-પદાર્થો જણાવવાને દીવા સમાન. ભકત્સા=ભક્તિ વડે. નિત્ય હંમેશાં. પ્રપદ્ય સ્વીકારું છું. વ્યુતમથુતજ્ઞાન. અહમ હું. અખિલં આખું. સર્વ લોક-સાર આખા વિશ્વના સપૂર્વ સાર-સંગ્રહ રૂપ. ૩. અહેવફ-પ્રસૂતં ગણ-ધર*-રચિત, દ્વાદશા-ડડગંવિશાલ, ચિત્ર "બવર્થ-યુક્ત મુનિ-ગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમદિભ: મોસા-ડગ્ર-દ્વાર-ભૂત વ્રત-ચરણ -ઉં, જોય-ભાવ-પ્રદીપ, ભફત્યા નિત્યં “પ્રપદ્ય “શ્રુતમહમખિલ", "સર્વ-લોક-સારવા "અરિહંત પરમાત્માઓના મુખથી ઉત્પન્ન થયેલું, ‘ગણધર મહાત્માઓએ રચેલું, વિચિત્ર, Page #586 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૧૩ ઘણા” અર્થોથી ભરેલું, “બુદ્ધિશાળી મુનિઓ રૂપી વૃષભોએ ધારણ કરેલું, “મોક્ષના મુખ્ય દરવાજા રૂપ, વ્રત અને ચારિત્ર રૂપ ફળ આપનારું, સિર્વ. “ય પદાર્થો જાણાવવાને દીવા સમાન, આખા વિશ્વના અપૂર્વ સાર સંગ્રહ રૂપ, સમગ્ર અને વિશાળ બાર અંગ રૂપ “શ્રુતનો આશ્રય હું હમેશાં ભક્તિપૂર્વક સ્વીકારું છું. ૩ ૪. સર્વાનુભૂતિયક્ષની સ્તુતિ શબ્દાર્થ - નિષ્પક-વ્યોમ-નીલ-ઘુતિ-મલ-સદશમસ્વચ્છ આકાશના આસમાની રંગની કાંતિના મલ જેવા ઘેરા. બાલ-ચન્દ્રા-ડડભ-દ=બીજના ચંદ્રમા જેવી દાઢવાળા. મત્ત મદોન્મત્ત. ઘટા-ડરગ ઘંટના અવાજથી. પ્રકૃત-મદ-જલેઝરતા મદરૂપી પાણીવાળા. પૂરયન્ત ફેલાવતા. સમન્તાચારેય તરફ. આરૂઢો ચડેલો. દિવ્ય-નાગંત્રદિવ્ય હાથી ઉપર. વિચરતિ ફરે છે. ગગને આકાશમાં. કામદ:=ઈચ્છિત આપનાર. કામ-રૂપી કામદેવ જેવા રૂપવાળા. યક્ષ- યક્ષદેવ. સર્વાનુભૂતિ =સર્વાનુભૂતિ નામના. દિશતુ આપો. મમ=મને. સદા હમેશાં. સર્વ-કાપુ દરેક કામોમાં. સિદ્ધિ...સફળતા. ૪ નિષ્પક્કવ્યોમ-નીલ-ઘુતિ-મલ-સદર્શ બાલ-ચન્દ્રા -5-ભદંષ્ટ્ર, મત્ત ઘણા-ડડરવેણ પ્રસૃત-મદ-જલ, પૂરયન્ત સમન્તાત્ | આરૂઢો દિવ્ય-નાગ "વિચરતિ "ગગને, કામ-દ: "કામ-રૂપી, યક્ષ:સર્વા-ડનુભૂતિર્દિશત્મ મસદા, સર્વ-“કર્યપુસિદ્ધિાજા "સ્વચ્છ આકાશના રંગની કાંતિના મેલ જેવા ઘેરા, બીજના ચન્દ્રમા જેવી દાઢવાળા, ઘેટાના શબ્દોથીમદોન્મત્ત, ઝરતા મદરૂપી પાણીને ચારેય તરફ ફેલાવતા, દિવ્ય હાથી ઉપર ચડેલાઇચ્છિત આપનારા અને કામદેવ જેવા સર્વાનુભૂતિ નામના યક્ષદેવ "આકાશમાં "વિચરે છે. (તે). "હમેશાં મારા દરેક કામમાં સફળતા આપ. ૪ વિશેષાર્થ :- શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના શિષ્ય બાળચંદ્રમુનિની બનાવેલી આ સ્તુતિ, તેમના વ્યંતર થયા બાદ શ્રી સંઘને ઉપદ્રવ કરવાથી, પાક્ષિકાદિકમાં બોલવાનો શ્રી સંઘે સ્વીકાર કરેલો છે. આ એક જ કૃતિ નિર્દોષ જાણીને તેમજ સ્તુત્યાદિક ઐચ્છિક હોઈ શકે છે, માટે શ્રી શ્રમણ સંઘે સંયોગોનો વિચાર કરીને સ્વીકાર્યો હોય એમ જણાય છે. વિશેષ હકીકત તેમના ચરિત્રાદિકથી જાણવી. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ પંચ પ્રતિકમાણસો ૬૯. શ્રી પાક્ષિકદિ અતિચાર-૩ નાણમિ દંસણમ્મિ અ ચરણમિ તવમિ તહ ય વીરિયમિ. આયર આયારો ઇસ એસો પંચહા ભણિઓ ૧૫. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય, તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં ૧ શબ્દાર્થો:- પંચાચાર-અનેરો તેઓમાંનો કોઈ પણ. સૂક્ષ્મ નાનામાં નાનો. બાદરમોટો. તત્ર-જ્ઞાનાચારે આઠ અતિચાર કાલે વિણએ બહુ-માણે ઉવહાણે તહ અ-નિહવર્ષે | વંજણ-અત્ય-તદુભએ અઠ-વિહો નાણમાયારો જ્ઞાન :-કાલ વેલાએ ભયો-ગણ્યો નહીં. અકાલે ભયો, વિનયહીન. બહુમાનહીન, યોગઉપધાનહીને. “અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુર વાંદાણે, પડિકમાણે, સક્ઝાય કરતાં, ભાણતાં-ગણતાં, ફૂડ અક્ષર, કાને, માત્રાએ, અધિકો-ઓછો, ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું. “અર્થ ફૂડો કહ્યો, ‘તભયહાં કહ્યાં. ભાણીને વિચાર્યા. સાધુતણે ધર્મે-કાજો અણઉદ્ધર્યો, દાંડો સગપડિલેહ્યું, વસતિ અણશોથે, અણપવેસે, અસજઝાય, આણોજ્જાય માં શ્રી દશવૈકાલિકપ્રમુખ સિદ્ધાંત ભણ્યો, ગયો, શ્રાવકતણે ધર્મ-વિરાવલિ, પડિકણાં, ઉપદેશમાલા, પ્રમુખ સિદ્ધાંત ભયો-ગયો. કાલવેલા-કાજો અણઉદ્ધર્ષે પઢયો. જ્ઞાનોપગરણ-પાટી, પોથી, વાણી, કવલી, નવકારવાલી સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા, પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો. થુંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માં, ઓશીસે ધર્યો કરે છતાં આહાર-વિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, વિણસતાં ઉવેખ્યો, છતી શક્તિએ સાર Page #588 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સંભાલ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર, ચિંતવ્યો. અવજ્ઞા, આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં-ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદ્દહણા કીધી. કોઈ-તોતડો, બોબડો, હસ્યો, વિતર્યોં. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચારવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૰ ॥૧॥ ૧. જ્ઞાનાચાર :- યોગ-યોગવહન કરવા. ઉપધાન=ઉપધાન વહન કરવા. વસતિ ઉપાશ્રય અને તેની આજુબાજુની જગ્યા. અસજ્ઝાય=ભણવા માટે અયોગ્ય સંજોગો. અણોાય ભણવાને અયોગ્ય દિવસો. કાળવેળા-ત્રણ સંધ્યા. કવળી=વાંસની સળીઓનું પોથીઓ પર વીંટવાનું સાધન. દસ્તરી= ? (દફ્તર, પોથી) (દફ્તર, પણ બંધબેસતો લાગતો નથી). વહી-ચોપડો. ઓળિઆલીટી દોરવાની પટ્ટી. ઓશીસે=ઓશીકે. નિહાર=મળ. પ્રજ્ઞાપરાધે=બુદ્ધિની ભૂલને લીધે. વિણાસ્યો=નાશ કર્યો. ઉવેખ્યો=બેદરકારી રાખી. મત્સર=અદેખાઈ. અસહણા-અશ્રદ્ધા. વિતકર્યો-ખોટા તર્ક કીધા. અન્યથા પ્રરૂપણા કીધી-ખોટી રીતે સમજવ્યું. દર્શનાચારે આઠ અતિચાર નિસ્યંયિ નિકકંખિય, નિવ્વિતિગિચ્છા અ-મૂઢ-દિઠ્ઠી અ । ૫૧૫ ઉવયૂહ-ચિરીકરણે, વચ્છલ્લ-પભાવણે અટ્ઝ IIII દેવ, ગુરુ, ધર્મ તણે વિષે- 'નિ:શંકપણે ન કીધું, તથા- એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફલતણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુર્ગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા પર અભાવ હુઓ. ‘મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું. તથા-પ્રસંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. ‘અસ્થિરી કરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, ‘અભક્તિ, નિપજાવી, અબહુમાન કીધું.તથા-દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે, વિણાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સાર સંભાલ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ, કર્મબંધ, કીધો. અધોતી, અષ્ટપડ-મુખકોશ, પાખે દેવ-પૂજા કીધી. બિંબ પ્રત્યે વાસ-કુંપી, ધૂપ-ધાણું, કલશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડયું. ઊસાસ-નિ:સાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલ, શ્લેષ્માદિક, લોહ્યું. દેહરામાંહે-હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીઆ ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતનાના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીસ આશાતના, કીધી હોય. ગુરુવચન ‘“તત્તિ’" Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પંચ પ્રતિક્રમાગસૂત્રો કરી પવિન્યું નહીં. દર્શનાચારવ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પ8 દિવસ રા. ૨. દર્શનાચાર :- મૂઢદષ્ટિપણું અંજાઈ, ભોળવાઈ જવું. અનુપબૃહણા બહુમાન ન કર્યું. અસ્થિરીકરણ- ધર્મથી પડતાને સ્થિર કરવાનો પ્રયત્ન ન કરવો. અવાત્સલ્યપૂજ્ય તથા સાધર્મિકો તરફ હૃદયનો ઉમળકો ન રાખવો. અધોતી-(૧) ધોતીયા વિના. અષ્ટ-પડકઆઠ પડ વાળેલ. મુખકોશ-પૂજા વખતે મોટું અને નાક બાંધવું. પાખે વિના. વાસકુંપી=સુગંધી દ્રવ્યોની શીશી, કેલિ=૨મત. નિવેદીઆ નિવેદ. ઠવણાયરિયા સ્થાપનાચાર્ય. પડિવન્યું સ્વીકાર્યું. ચારિત્રાચારે આઠ અતિચાર - પણિહાણ-જોગ-જુત્તો, પંચહિં સમિઈહિં ગુત્તીહિં એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈનાયવ્યો છે "ઇર્ષા સમિતિ, તે-આગજોએ હિંડ્યા. ભાષા સમિતિ, તે સાવદ્ય વચન બોલ્યાં. એવાણા સમિતિ, તે-તૃણ, ડગલ, અન્ન-પાણી, અસૂઝતું લીધું. *આદાન-ભંડ-મત્ત-નિકખેવાણા સમિતિ, તે-આસન, શયન, ઉપકરણ, માતરું, આપુંજી જીવા-કુલ ભૂમિકા મૂકયું-લીધું. “પારિઝાપનિકા સમિતિ, તે-મલ, મૂત્ર, શ્લેષ્માદિક, આણપુંજી જવાકુલ-ભૂમિકા પરઠવ્યું. ‘મનોગુપ્તિ :- મનમાં આર્ન, રૌદ્ર, ધ્યાન ધાયાં. વચનગુપ્તિ -સાવદ્ય વચન બોલ્યાં. “કાલગુપ્તિ:- શરીર અણપડિલેહ્યું હલાવ્યું, આણપુંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે-સદેવ, અને શ્રાવકતણે ધર્મે-સામાયિક, પોસહ, લીધે, રડી પેરે પાળ્યા નહીં, ખંડણા-વિરાધના હુઈ. ચારિત્રાચારવ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ રૂા ૩. ચારિત્રાચાર :- ડગલ-માટીનાં ઢેફાં. અસુજતું ન કલ્પે તેવું. આર્તધ્યાનદુ:ખનું ધ્યાન. રૌદ્રધ્યાન=ભયંકર વિચારણા. વિશેષત: શ્રાવતણે ધર્મ-શ્રી સમ્યત્વમૂલ બારવ્રત Page #590 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૧૭ સમ્યકત્વતણા પાંચ અતિચાર - સંકા કંખ વિગિચ્છા. ભશંકા :- શ્રી અરિહંતતાણાં બલ, અતિશય, જ્ઞાન-લક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો. આકાંક્ષા :- બ્રહ્મા, વિષણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરેદેવતા, ગોત્ર-દેવતા, ગ્રહ-પૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક-દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જૂજાઆ દેવ-દેહરાના પ્રભાવ દેખી, રોગ, આતંક, કષ્ટ, આબે ઇહલોક-પરલોકાર્પે પૂજ્યા-માન્યા. સિદ્ધ, વિનાયક, જીરાઉલા, ને માન્યું ઇચ્છયું. બૌદ્ધ-સાંખ્યાદિક-સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયા તણો કષ્ટ, મન્ટચમત્કાર, દેખી પરમાર્થ જાણ્યા વિના ભુલાવ્યા-મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવચ્છરી, હોલિ, બલવ, માહિપૂનમ, અજાપડવો, પ્રેત-બીજ, ગૌરી ત્રીજ, વિનાયક-ચોથ, -નાગપંચમી, ઝીલણાં-છઠી, શીલ-સાતમી, ધુવ-આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છે-બારશી, ધનતેરસી, અનન્સ-ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય, કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં, કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો. પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર, ક્ષેત્ર, ખલે, કૂવે, તલાવે, નદીએ, કહે, વાવિએ, સમુદ્ર, કુંડ, પુયહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, દાન દીધાં, રહણ, શનિશ્ચર, માહભાસે, નવરાત્રિ. હાહ્યાં. અજાણનાં થાપ્યાં-અનેરાઈ વ્રત-વ્રતોલાં કીધાં-કરાવ્યાં. વિતિનિચ્છા-ધર્મસંબંધી ફલાણે વિષે સંદેહ કીધો. જિન, અરિહંત, ધર્મના આગાર, વિશ્વોપકાર-સાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા-ન પૂજ્યા. મહાસતી, મહાત્માની ઈહલોક-પરલોક સંબંધીયા ભોગ-વાંચ્છિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ, આભે ખીણ વચન, ભોગ માન્યા. મહાત્માના ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા પર કુભાવ હુવો. *મિથ્યાત્વતણી પૂજા, પ્રભાવના, દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. “દાક્ષિણ્ય લાગે તેહનો ધર્મ માન્યો, કીધો. શ્રી મફત્વવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ૧ ૩-૧. શ્રાવકાચાર :- સમ્યકત્વ. શંકા વિશ્વાસ-અશ્રદ્ધા. અતિશય સર્વથી ચઢિયાતાપણું. શાશ્વતી કાયમ રહેનાર. આકાંક્ષા અન્ય ધર્મો તરફ વલણ. ગોગો ઘોઘો-નાગદેવતા. આસપાલ (૧) દિશાઓનો દેવ. પાદર-દેવતા ગામના પાદરના દેવ. ગોત્રદેવતા કુલદેવ. વિનાયક ગણપતિ. નાહકનાથ, દેવતા. જુજુઆ જુદા જુદા. આતંક= (૧) મોટો રોગ. જીરાવલા (નામના દેવ. માન્યુ=માનતા માની. જીરાવલા-માન્યુઅથવા જીરાવલા પાર્શ્વનાથની સાંસારિક હેતુએ માનતા માનવી. ભરડા=ભટ્ટ જાતના બ્રાહ્મણો. લિંગીઆવેશધારી. જોગીઆ=જોગટા. યોગી યોગી, દરવેશ=કીર. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભોલાવ્યા=ભોળવાણા. મોહ્યા આસક્ત થયા. શ્રાદ્ધપ્રેતદ્રવ્ય. સંવત્સરી મરણતિથિએ વિધિ કરવી. માહિપુનમ મહામાસની પુનમ. અજા૫ડવો=આસો સુદી ૧. પ્રેતબીજ=મૃતક કાર્ય કરવાની બીજ. ગૌરી ત્રીજ=પાર્વતી ત્રીજ. વિનાયક ચોથ ગણેશ ચોથ. નાગ પંચમી નાગની પૂજા કરાય છે, તે શ્રાવણ વદી ૫. ઝીલણા છઠી નાહવાની છ8. શીલ સાતમ શ્રાવણ વદી સાતમ. ધુવ આઠમી ભાદરવા સુદી આઠમ. નૌલિ નવમી=નકુલા નવમી. અહવા દશમી=અધવા દશમી. વ્રત-અગ્યારસ=વ્રત કરવાની અગિયારસ. વછ-બારશ વાછરડાની બારસ. ધનતેરસ=આસોવદી તેરસ. અનંત ચૌદશીએ વૈષ્ણવોની ચૌદસ. અમાવાસ્યા=અમાસ. આદિત્યવાર રવિવાર. ઉત્તરાયણ મકર સંક્રાંત. નવોદક=નવું પાણી. યાગ યજ્ઞ. ભોગ ભોગ ધરવા. ઉત્તારાણા-કીધાઝોડ-ઝપટ કાઢવા, ઉતાર ઉતારવા. મહા-માસ અધિક માસ. નવરાત્રી નોરતાં. અજાગનાં થાપ્યા અજાણ્યા માણસોએ શરૂ કરેલા. લિતિગિચ્છા=વિચિકિત્સા, જૈન ધર્મ તરફ અપ્રેમ. સદેહ=અવિશ્વાસ. ધર્મના આગર=ધર્મના સ્થાનભૂત. ઈસ્યા=એ. ભણી=માટે. ભોગ-વાંચ્છિત=ભોગની ઈચ્છાથી, ખીણ-દીન. ભોગ માન્યા=ભોગ મળ્યા તેમ બોલવું અથવા ભોગ ધરવાની માનતા કરવી. મળ=મળની. શોભા=શોભાની. પભાવના જાહોજલાલી. દાક્ષિણ્ય લગે શરમથી. પહેલે શૂલપ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર વહ બંધ કવિ-૨છે. - ક્રિપદ, ચતુષ્પદ, પ્રત્યે-રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, ‘અધિક ભાર ઘાલ્યો, નિર્લાછન કર્મ કીધાં, “ચાર-પાણી તાણી વેલાએ સાર-સંભાલ ન કીધી, લેહણે દેહણે કિગતિ પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા, કન્ડે રહી મરાવ્યો, બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દલાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવણ્ય, ઈધણ છાણાં, આણશોધ્યાં બાવ્યાં. તેમાંહિ-સાપ, વિંછી, ખજુરા, સરવડા, માંકડ, જુઆ, શિંગોડા, સાહતા મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી, મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં. લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયા, દેડકાં, અલસીયાં, ઈઅલ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ, પ્રમુખ જીવ વિષ્ણુઠા, માળા હલાવતાં-ચલાવતાં પંખી, ચકલાં, કાગ, તણાં ઈંડાં ફોડ્યાં. અનેરા એકૅક્રિયાદિક જીવ વિચાચા, ચાંખા, દુહવ્યા. કાંઈ હલાવતાં-ચલાવતાં, પાણિ છાંટતાં, અનેરા કાંઈ કામ-કાજ કરતાં. નિર્ધસપણું કીધું, જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગલાણું ન કીધું. આણગળ પાણી વાવર્યું. રૂડી યાગા ન કીધી. અણગળ પાણીએ-ઝીલ્યા લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાંખ્યા. ઝાટક્યા. જીવાકુલભૂમિ લીપી. વાશી ગાર રાખી. દલાગે, ખાંડ, લીંપણે, રૂડી જયાણા ન કીધી. આઠમ, ચઉદશના નિયમ ભાંગ્યા. ધણી કરાવી. Page #592 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૧૯ પહેલે સ્કૂલપ્રાણાતિપાતવિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અત્યાચાર પક્ષ દિવસમાહિ૧ ૩-૧ શ્રાવકાચાર પ્રથમવત :- રીસવશે રસને લીધે. ગાઢો ઘાવ ઘાલ્યોજોરથી ઘા માર્યો. નિલચ્છન-ખસી વગેરે. શોધી જયણાપૂર્વક જોઈ. સરવાળાએક જાતનાં જંતુઓ. સાહતાં પકડતાં (સવા). વિછોહમાં છૂટાં પાડયાં, સ્પર્યા. બળતરા એક જાતનાં જંતુઓ. વિણઠ્ઠાકનાશ કર્યો. નિર્ધસપણું-નિર્દયપણું. ઝીલ્યાનાહ્યા. તાવડે તડકે. ધૂણી કરાવી ધુમાડો કરવા અગ્નિ સળગાવ્યો. બીજે સ્થૂલ મૃષાવાદ-વિરમણવ્રતે પાંચ અતિચાર સહસા રહસ્સ દારે. સહસાકાર-કુણહ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્ર ભેદ કીધો. અનેરા કુણહનો મંત્ર, આલોચ, મર્મ, પ્રકાશ્યો. 'કુણહને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. “ડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણ મોસો કીધો. કન્યા, ગી, ઢોર, ભૂમિ, સંબંધી લહાણે, દેહાણે, વ્યવસાય, વાદ-વઢવાડ કરતાં, મોટકું જૂઠું બોલ્યા. હાથ, પગ, તણી ગાળ દીધી. કડકડા મોડવા. મર્મ વચન બોલ્યા. બીજે સ્થૂલ મૃષાવાદ-વિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ પારા ૩-૨.શ્રાવકાચાર દ્વિતીયવ્રત:- સહસત્કારે ઉતાવળથી. સ્વદારા પોતાની સ્ત્રી મંત્ર-ભેદ ગુપ્ત સંકેત જાહેર કરી દેવો. આલોચગુપ્ત વિચારણા. મર્મ=મૂઢ બનાવ. અનર્થ પાડવા=જોખમમાં ઉતારવા. મોસાળવવાનો પ્રયત્ન. કડકડા મોઢા=તિરસ્કારપૂર્વક ટચાકડા ફોડવા. ત્રીજે સ્થૂલઅદત્તાદાન-વિરમણવ્રતે પાંચ અતિચાર તેનાહડઓગે. ઘર બાહિર, ક્ષેત્ર, ખળે, પરાઈ વસ્તુ આગમોકલી લીધી, વાવડી, ચોરાઈવસુ વહોરી. ચોર, ધાડ, પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલદીધું, તેહની વસ્તુ લીધી, ‘વિરુદ્ધ-રાજ્યાતિમ કીધો. નવા-પુરાણા, સરસ-વિરસ, સજીવ-નિર્જીવ, વસ્તુના ભેલ-સંભેલ કીધા. "હેકાટલે, તોલે, માને, પામે, વહાર્યા. દાણચોરી કીધી. કુણહને લેખે વરસ્યો. સાટે લાંચ લીધી. કહો કરતો કાઢયો. વિશ્વાસઘાત કીધો. પરવચના કીધી. પાસિંગ કુડા કીધા. દાંડી ચઢાવી, લકે-ત્રહકે, કૂડો-કાટલા, માન, માપાં, કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે-પલેખે ભુલાવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ. 3 Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩-૩. તૃતીયવત :- હરી-ખરીદી. સંકેતગુપ્ત ગોઠવણ. સંબલખાનપાનની સામગ્રી. વિરુદ્ધરાજ્યાતિકમ રાજ્યના ધોરણ વિરુદ્ધ ચાલવું. વરસ્યો છેતર્યો. સાટે ખરીદવામાં. કરહો કર. પાસિંગ બન્નેય છાબડાની દોરીઓ. લકે ત્રહકે સહેજસાજ. જુદી ગાંઠ કીધી જુદી મિલકત જમાવી. લેખે-પલેખે હિસાબ-કિતાબમાં. ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગ્રહિયાઇત્તર “અપરિગૃહીતાગમન, ઇતર પરિગૃહીતાગમન, કીધું. વિધવા, વેશ્યા, પરી, કુલાંગના, સ્વદારા-શોક, તાણે વિષે દષ્ટિ વિપર્યાસ કીધો, સરાગ વચન બોલ્યા, આઠમ, ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘર-ઘરણાં કીધાં-કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં, સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, 'પરાયા વિવાહ જોડયા, ઢીંગલા-ઢીંગલી પરણાવ્યા. “કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહાણે-સ્વપ્નાંતરે હુઆ, મસ્વિપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું. ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રત વિષઇઓ અને જે કોઈ અતિચાર પક્ષ ૪ ૩-૪. ચતુર્થવ્રત:- અપરિગૃહીત-ગમન=કોઈએ નહીં સ્વીકારેલ વેશ્યા વગેરે. ઈતરપરિગૃહીતા ગમન બીજાએ થોડા વખત માટે ભાડે રાખેલી વેશ્યા. સ્વદારાશક= પોતાની બીજી સ્ત્રી. દષ્ટિ વિપર્યાસ-વિકારવાળી દષ્ટિ. અનંગ કીડાકામચેષ્ટા. અતિક્રમ વ્રત ભંગનો વિચાર વ્યતિક્રમ વ્રત ભંગની તૈયારી. અતિચાર લગભગ ભંગ તરફ પ્રવૃત્તિ. અનારપાર વ્રત ભંગ. સુહાણે સૂવામાં. સ્વપ્ના જોરે જુદા જુદા સ્વપ્નામાં. લાધ્યા આવ્યા. નટખેલ કરનાર. વિટ=વાંઢા. પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર ધણ-ધન ખિત્ત-વધૂ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રુખ, સુવર્ણ, કુખ, દ્વિપદ, “ચતુષ્પદ, એ નવવિધ પરિવહતાણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી-મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો, માતા, પિતા, પુત્ર; સ્ત્રી, તણે લેખે કીધો. પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, લઈને પઢિઉ નહીં, પઢવું વિચાર્યું, અલીધું મળ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ પા. ૩-૫. પંચમવત :- વાસ્તુ-મકાન વગેરે રહેવાનાં સ્થળો. કુખતાંબા પિત્તળનાં વાસણ તથા રાચરચીલાં. દ્વિપદ દાસ-દાસી. ચતુષ્પદ=ચાર પગવાળા-ગાયો વગેરે. મૂચ્છ લગેમમત્વને લીધે. Page #594 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો લેખે કીધું=નામે ચડાવ્યું. પઢીયું નહીં=સંભાર્યું નહીં. પઢવું વિસાર્યું=સ્મરણ કરવાનું ભૂલી ગયા. અલીધું-મેલ્યું=પરિગ્રહનું પરિમાણ ન લીધું હોય, તે પદાર્થ પરિગ્રહમાં મેળવવો. છ દિગ્પરિમાણવ્રતે પાંચ અતિચાર ગમણસ્સ ઉ પરિમાણે. `ઊર્ધ્વદિશિ, અધોદિશિ, કેંતિયેંગ્દિશિ,એ જાવા-આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. *અનાભોગે, વિસ્તૃત લગે, અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાળે ગામતરું કીધું. “ભૂમિકા એકગમા સંખેપી, બીજી ગમા વધારી. છન્ને દિગ્પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ॥૬॥ ૩-૬ છઠું વ્રત :- અનાભોગ અજાણતાં. વિસ્મૃત લગે=ભૂલથી. પાઠવણી=પસ્તાનું કરવાની વસ્તુ. મોકલવાની વસ્તુ. વહાણ-વ્યવસાય-વહાણવટાનો ધંધો અથવા મુસાફરી. સાતમે ભોગોપભોગ વિરમણ વ્રતે-ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મઠુંતી-પંદર અતિચાર : એવં-વીસ અતિચારસચિત્તે પડિબ ૫૨૧ 'સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. “અપાહાર, દુપાહાર, તુચ્છઔષધિ તણું ભક્ષણ કીધું. ઓળા, ઉબી, પોંક, પાપડી ખાધાં. ૩-૭-૧, સાતમું વ્રત :- લીધે-લેવાથી. અપાહાર-કાચો આહાર. ૬પ-આહાર-ખરાબ રીતે પકવેલ આહાર. તુઔષધિ થોડું વપરાય અને ઘણું કાઢી નાંખવું પડે તેવી ઔષધિ-વનસ્પતિ. । સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ વાહણ-સયણ-વિલેવણ-બંભ-દિસિ-હાણ-ભત્તેસુ ॥૧॥ એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત, લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય :માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ. કચરો, સૂરણ, કુંણી આંબલી, ગલો, વાઘરડાં, ખાધાં. વાશી-કઠોલ, પોલી, રોટલી, ત્રણ દિવસનું ઓદન, લીધું. મધુ, મહુડાં, માંખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડા, અજાણ્યાં ફલ, ટિંબરુ, ગુંદા, મહોર, અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તલ, ખરખસ, કોઠિંબડાં ખાધાં. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શિરાવ્યા. ૩-૭-૨. ચૌદ નિયમ :- વાઘરડાં તદ્દન કૂણાં ચીભડાં. પિંડ-ભાતનો ગોળો. પિંડાલું-ડુંગળી. કુણી કુણી. ઓદન- દહીંથી મિશ્રિત ભાત. પીચ પીચનાં ફળ. પંપોટા-પેપીઓ. કરતા-કરા. ઘોલવડા=દહીંવડા. ટીંબડું- ટીંબરૂ. મહોરઆંબા વગેરેનો મોર. આંબલબોરમોટા બોર. તિલાલ. ખસખસ અફીણનાં બી. કોઠિંબડા નાનાં ચીભડાં. શિરાવ્યા સવારમાં વહેલું ખાધું. તથા કર્મત:, પન્નર કર્માદાન'અંગાલ-કમે, વણ-કમે, સાડી-કમે, 'ભાડી-કમે, ફોડી-કમે, એ પાંચકર્મ 'દંત-વાણિજે, “લખ-વાણિજ્જ, રસ-વાણિજે, કેસ-વાણિજે, વિસ-વાણિજે, એ પાંચ વાણિજ્ય. જંત-પિલ્લણ-કમ્મ, નિલૂંછણ-કમે, દવગિ-દાવણયા, સરદહતલાય-સોસણયા, અસઈ-પોસણયા– એ પાંચ સામાન્ય. એ-પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવ-પન્નર કર્માદાન, બહુ સાવઘ, મહારંભ, રાંગાણ, લીહાલા, કરાવ્યા. ઈંટ-નિંભાડા પચાવ્યા, ધાણી, ચણા, પકવાન, કરી આ. વાશી માખણ તવાવ્યાં. તલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ, પોષા. અનેરાં જે કાંઈ બહુ-સાવદ્ય, ખર, કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી. લીંપણે-ગૂંપણે મહારંભ કીધો. આણશોધ્યા ચૂલા સંધૂકયા. ઘી, તેલ, ગોળ, છાશ, તારાં ભાજન ઉઘાડાં મૂકયાં. તેમાંહિ માંખી, કુંતિ, ઉદર, ગીરોલી, પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગપભોગ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ છા ૩-૭-૩. ૧૫ કર્માદાન:- રાંગણ રંગાટ કામ. લીહાલા કોયલા. નિંભાડા વાસણ વગેરે પકવવા માટે કુંભારે કરેલ ભઠ્ઠી. દલિદો કીધો કુટો કર્યો. અંગીઠાસગડીઓ. સાલહી એક જાતનું પક્ષી. ખરકર્માદિક= ભયંકર હિંસા થાય તેવાં કામો. સમાચર્યા કર્યા. વાસી આખી રાત પડતર. લીંપણે ગુંપણે લીંપવા ગૂંપવાના કામમાં. સંયુકયા સલગાવ્યા. કંદર્પ કામવાસના. લગે લીધે. આઠમે અનર્થદંડ વિરમણવ્રતે પાંચ અતિચાર કંદખે કુકુઈએ. Page #596 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૨૩ કંદર્પ લગે-વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ, કીધાં. પુરુષ-સ્ત્રીના હાવ, ભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ, વખાયાં. રાજકથા, ભકત્તકથા, દશકથા, કથા, કીધી. પરાઈતાંત કીધી, તથા પશુન્યપણું કીધું. આર્ન, રૌદ્ધ, ધ્યાન ધ્યાયાં. 'ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉબલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણય લગે માગ્યા આપ્યા. પાપોપદેશ દીધો. અષ્ટમી; ચતુર્દશીએ ખાંડવા, દલવા તાણા નિયમ ભાંગ્યા. મૂખરપણા લાગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. "અંઘોલે, નાહણે, દાતા, પગધોઆણે, ખેલ, પાણી, તેલ, છાંયા. ઝીલણ ઝીલ્યા. જુગટે રમ્યા. હિંચોલે હિંઆ. નાટક-પેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર, લેવરાવ્યા. કર્કશ વચન બોલ્યા. આકાશ કીધા. અબોલા લીધા. કકડા માંડ્યા. શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, થાનાદિક, ઝુઝાર્યા. ગુઝતા જોયા. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કાણ, કપાશીયા, કાજ વિણ, ચાંપ્યા, તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી, સૂઈ, શાસ્ત્રાદિક, નિપજાવ્યા. ઘણી નિદ્રા કીધી. રાગદ્વેષ લગે-એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી. આઠમે અનર્થ દંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાહિત ઠા ૩૮. આઠમું વ્રત - વિટ-ચેષ્ટા છાગટા માણસના ચાળા. હાવભાવ શૃંગારિક ચેષ્ટા અને લાગણી. ભક્તકથા ખાવાની વાત. પરાઈતાંત=પારકી લાંબી લાંબી પંચાત. પૈશૂન્યપણે ચાડિયાપણું. ખાંડ =તલવાર. ઉખલ ખાંડણીઓ. મુસલ સાંબેલું. નિસાહન્વાટવાની છીપર (શિલાતલ). મેલી એકઠા કરી. દાક્ષિણ્ય લગે શરમથી. મુખરપણું વાચાપણું. પ્રમાદાચરણ આળસ અથવા અયોગ્ય કામકાજ. અંઘોળે નાહવામાં. ખેલ શ્લેષ્મ. ઝીલાણે-ઝીલ્યા જળાશયમાં નાહ્યા. જુગટું જુગાર. પ્રેમણક=તમાસો. કુવસ્તુહલકી વસ્તુ. કર્કશ કઠોર. આક્રોશ-ક્રોધ. અબોલા ન બોલવાની મકકમતા. મત્સર અદેખાઈ. સંભેડા કજિયો કરાવ્યો. હુડુબોકડા. ગુઝાર્યા=લડાવ્યા. ખાદિઈષ્ય. કાજ વિણકામ વિના. આલિ-લીલી. ઋદ્ધિ સંપત્તિ. પરિવાર પુત્રપૌત્રાદિક. હાનિ-ખોટ, નુકસાની. નવમે સામાયિકવ્રતે પાંચ અતિચાર તિવિહે દુપ્પણિહાણે. "સામાયિક લીધે-મને આહટ્ટ, દોહટ્ટ, ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા. શરીર આણપડિલેહ્યું હલાવ્યું. *છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ-ઉઘાડે મુખ બોલ્યા, ઊંઘ આવી, વાત, વિસ્થા, ઘરતણી ચિંતા, કીધી. વીજ, દીવા, તણી ઉmહી હુઈ. કાણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો અરગેડ્રો પાષાણ, પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, કુલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા. સ્ત્રી, તિર્યંચ, - તણા નિરંતર-પરસ્પર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘઠ્ઠી. “સામાયિક-આણપૂગ્યું પાયું. પારવુંવિસાવું. નવમે સામાયિકવૃત વિષયઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ હવા ૩૯. નવમું વ્રત :- આહટ્ટ આર્તધ્યાન. દોહટ્ટ દુ:ખની પીડા. વિકથા=નકામી વાત. વીજ વીજળી. ઉજેણી પ્રકાશ, હરિયાકાય લીલી વનસ્પતિ. બીયકાય બીજ. આભડ્યા=સ્પર્શ કર્યો. સંઘસ્પર્શ. મુહપની સંઘટ્ટી મુહપત્તિઓ ભેળસેળ કરી. આણપુગ્ય વખત થયા પહેલાં. વિચાર્યું ભૂલી ગંયા. દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર આણવણે પેસવણે. આણવણપ્પાઓગે, સિવણપ્પાઓગે, સદાકુવાઈ, રવાણુવાઈ, બહિયાપુગ્ગલ-પખવે. "નિયમિત ભૂમિકામાંહિ બાહિરથી કાઈ આણાવ્યું. આપા કહે થકી બાહર કાંઈ મોકલ્યું, અથવા-રૂપદેખાડી, “કાંકરો નાંખી, સાદ કરી, આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ . ૧૫ ૩-૧૦. દશમું વ્રત:- રૂપ દેખાડી પોતે પોતાનું રૂપ-પોતે હોવાનું-દેખાડી. સાદઅવાજ શબ્દ. અગિયારમેં પૌષધોપવાસવતે પાંચ અતિચાર સંથારુચ્ચાર વિહી. અપડિલેહિય, દુપ્પડિહિય, સિજ્જાસંથાએ, અપડિલેહિય, દુપ્પડિલેહિય, ઉચ્ચાર-પાસવાણ-ભૂમિ. *પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડો, વડ, સ્પંડિલ, દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યા નહીં. માતરું આપુંજ્યું હલાવ્યું, અણપુંજી ભૂમિકાએ પરાવ્યું. પરઠવતાં “અણજાણહ જમ્મુગ્રહો” ન કહ્યો. પરઠવ્યા પેઠે વાર ત્રણ “વોસિરે વોસિરે” ન કહ્યો. પોસહશાલામાંહિ પેસતાં-નિશીહિ' નિસરતાં-આવર્સીહિ', વાર ત્રણ ભાગી નહીં. પુઢવી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ, હુઆ, સંથારાપોરિસતણો વિધિ ભાણવો વિસર્યો. પોરિસીમાં ઊંબા. અવિધ સંથારો પાથર્યો. પારણાદિક તણી ચિંતા કીધી. "કાળવેળાએ દેવ ના વાંઘા. પડિકમણું ન કીધું. પોસહ અસૂરો Page #598 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૨૫ લીધો, સવેરો પાર્યો. પર્વતિથે પોસહ લીધો નહીં. અગ્યારમે પૌષધોપવાસવત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ. ૧૧ ૩-૧૧. અગિયારમું વત : બહિરલાં બહારના. લહુડ સ્પંડિલ-પેશાબ માટેની શુદ્ધ ભૂમિ. વડાં અંડિલકમળ કરવા માટેની શુદ્ધ ભૂમિ. અણજાણહ જસુગહો જેનો અવગ્રહ-જગ્યા પર હવાલો હોય, તે અનુજ્ઞા આપનાર હો, જેના હવાલામાં આ જગ્યા હોય, તે અનુજ્ઞા આપતા રહે. વોસિર ત્યાગ કરું છું. નિશીહિ નિષેધું છું, તજું છું. આવસ્યહિ આવશ્યક માટે. સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ =ઈરિયાવહિયંમાંથી અર્થ જોઈ લેવા. અસૂરોમોડો. સવેરો વહેલાસર. બારમે અતિથિસંવિભાગવતે પાંચ અતિચાર સચ્ચિત્તે નિકિખવશે. સચિત્ત વસ્તુ "હેઠ-ઉપર, છતાં મહાત્મા, મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધ-અસૂઝતું કેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. આણદેવાની બુદ્ધ-સૂઝતું કેડી અસૂઝતું કીધું, આપણું કેડી પરાયુ કીધું. વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મચ્છર ધરી દાન દીધું. ગુણવંત આવ્યું ભક્તિ ન સાચવી. છતી શકતેં સાહસ્મિ વાત્સલ્ય ન કીધું અનેરાં ધર્મ-ક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન, ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગવતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૧રા ૩-૧૨. ચારિત્રાચાર-શ્રાવક બારમું વ્રત:- અસૂઝતું અકથ્ય. કેડી મટાડી. ટળી રહ્યા હાજર ન રહ્યા, બહાર ચાલ્યા ગયા હોઈએ. મચ્છર ઈર્ષા, અદેખાઈ, અભિમાન ખાર. સીદાતાં નબળા પડતાં-બગડતાં. ઉદ્ધર્યાન્સતેજ કર્યા, બગડતા અટકાવ્યાં. દીન-ગરીબ, દુઃખી. ક્ષીણsઘસાઈ ગયેલ, નબળો પડી ગયેલ. અનુકંપા=પાત્રાપાત્રના વિચાર વિના માત્ર દયા ભાવનાથી અપાતું દાન, દયાદાન. સંલેષણાતણા પાંચ અતિચાર ઈહ-લોએ પર-લોએ. "ઈહલોગાસંસપઓગે, પરાલાગાસંસપ્પઓગે, જીવિયાસંસપ્પઓગે, *મરણાસંસપઓગે, "કામભોગાસંસપ્પઓગે. ઇહ લોકે ધર્મના પ્રભાવ લગે-રાજ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર, વાંછયા. પરલોકે દેવ, દેવેંદ્ર, વિદ્યાધર, ચક્રવર્તી, તણી પદવી વાંછી સુખ આવ્ય, જીવિતવ્ય વાંછયું. 'દુ:ખ આવ્ય, મરણ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ પંચ પ્રતિકમાણસૂત્રો વાળ્યું. "કામભોગતાણી વાંછા કીધી. સંલેષણાત્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૧૩ ૪. સંલેખના :- સંલેષાગામરણ વખતની આરાધના. પ્રભાવ લગે પ્રભાવને લીધે. તપાચાર બાર ભેદ : છ બાહ્ય છ અત્યંતર : અણસણમૂણોઅરિઆ. અણસણ ભાણી, ઉપવાસ-વિશેષ પર્વતિથે છતી શક્તિએ કીધો નહીં. *ઊણોદરીવ્રત, તે-કોળીયા પાંચ સાત ઊભા રહ્યા નહીં. વૃત્તિસંપ, તે-દ્રવ્ય ભાણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહીં. "સત્યાગ, તે-વિયત્યાગ ન કીધો. કાયફલેશ લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. "સંલીનતા, અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં. પચ્ચકખાણ ભાંગ્યાં. પાટલે ડગત કેડ્યો નહીં. ગંઠસી, પરિસી, સાઢપોરિસી, પુરિમડુઢ, એકાસણું, બેસણું, નીવિ, અબિલ, પ્રમુખ પચ્ચકખાણ પારવું વિસર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઊઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું. ગંઠસીઉં ભાંગ્યું. નીતિ, આંબિલ, ઉપવાસાદિક, તપ કરી કાચું પાણી પીધું. વમન હુઓ. બાહાત૫ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૧૪ ૪-૧. તષાચાર બાહ્યતપ :-વિશેષ પર્વ તિમોટા પર્વને દિવસે. સંક્ષેપ ઘટાડો. રસ-ત્યાગ વિગઈઓનો અથવા લોલુપતાનો ત્યાગ. લોચન્માથા વગેરેના વાળ ચૂંટી કાઢવા. ડગતો ચાલતો, કંપતો. ગંઠસી ગાંઠવાળી રાખી હોય, ત્યાં સુધી અમુક પ્રકારનું અભિગ્રહ પચ્ચકખાણ. અત્યંતર તપ પાયછિત્ત વિણઓ. "મનશુદ્ધ-ગુરુકડે આલોઅણ લીધી નહીં. ગુરુદત્તપ્રાયશ્ચિત્ત-તપ લેખા-શુદ્ધ પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંઘ, સાહસ્મિય, પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, પંચવિધિ સ્વાધ્યાય ન કીધો. Page #600 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૨૭. ધર્મધ્યાન, ફલધ્યાન, ન ધાયાં. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મયનિમિત્તે લોગસ્સ દશ-વશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિયિઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૧૫ ૪-૨. તપાચાર અત્યંતર તપ :- ગુરુદન ગુરુએ આપેલ. લેખા શુ ખાતરીબંધ પૂરી ગણતરીપૂર્વક. ગ્લાન નરમ પડી ગયેલા. વાચના વાંચવું, સૂત્રપાઠ. પૃચ્છના પૂછવું પરાવર્તના=પાછલું બોલી જવું વિચારી જવું. અનુપ્રેક્ષા ઊંડું મનન. ધર્મ-કથા ધર્મોપદેશ. લક્ષ્મણસ્વરૂપ. સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ-તત્ત્વાભ્યાસ. ધર્મધ્યાન=ચાર પ્રકારનું ધર્મભાવના વધારનારું ધ્યાન. શુકલધ્યાન આત્માને ઉજજવળ કરનારું ચાર પ્રકારનું ધ્યાન. આર્તધ્યાન પીડા થવાથી થતી ચાર પ્રકારની ચિંતા. રીન્દ્રધ્યાન બીજાને કે પોતાના આત્માને પીડા થાય તેવા ચાર પ્રકારના વિચારો કરવા. વિર્યાચારના ત્રણ અતિચાર અણિમૂહિઅ-બલવીરિઓ. પઢવે-ગુણવે, વિનય-વૈયાવચ્ચ, દેવ-પૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક, ધર્મ-કૃત્યને વિષે મન, વચન, કાયા, તણું છતું બલ-વીર્ય ગોપચું રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાં તણા આવર્ત-વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત, નિરાદર,પણે બેઠા. ઉતાવળું-દેવવંદન, પબ્લિકમાણું, કીધું. વિર્યાચાર વિષધિઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ૧દા ૫. વીર્યાચાર :- પઢવભણવામાં. ગુણ-પુનરાવર્તન કરવામાં, ગણવામાં. અન્યચિત્ત બીજી બાબતમાં મન પરોવીને. નિરાદરપણે બેઠા ધર્મ ઉપર તથા તે કરાવનાર વગેરે તરફ આદર વિના તે કરવા બેઠા. નાણાઇઅઠ, પઇવય સમ્મ સંલેહણ પણ, પનર કમ્મસુ, . બારસ તપ, વીરિઅ-તિર્ગ, ચઉવ્વીસ-સયં અઈયારા I/૧ પડિસિદ્ધાણં કરણે. પ્રતિધ: 'અભય, અનંતકાય, બહુબીજ, ભક્ષણ, મહારંભ, પરિવહાદિક, કીધાં. જીવાજીવાદિક Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ પંચ પ્રતિકમણસૂત્રો સૂમ વિચાર સહ્યાં નહીં આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણા કીધી, તથા "પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કૌધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય, એ અઢાર પાપસ્થાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, હોય. ‘દિનકૃત્ય : પ્રતિકમણ, વિનય, વૈયાવચ્ચ, ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા-વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોઘું હોય. એ ચિહું પ્રકારમાં અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાગતાં, અજાણતાં, હુઓ હોય. તે સવિહુ મન, વચન, કાયા એ કરી મિચ્છામિ દુકકડું ૧૭ એવંકારે શ્રાવક તણે ધર્મે સમ્યકત્વ મૂળ-બાર વત, અને એકસો ચોવીસ અતિચાર માંહી જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી. ઉપસંહાર :- નાણાઇ=જ્ઞાનાદિક. અઠ-આઠ. પઇવય દરેક વ્રતે. સમ=સમ્યકત્વ. સંલેહગા=સંલેખના. પાગપાંચ. પન્નર=પંદર. કમ્મસુ કર્માદાનોમાં. બારસ-બાર. તપ તપમાં. વરિઅતીગં વીર્યાચારમાં ત્રણ. ચઉવ્વીસ-સયં એકસો ચોવીસ. આઈઆરા=અતિચારો. પ્રતિષેધ જિનેશ્વર પરમાત્માએ નિષેધ કરેલું. કુમતિ=કુબુદ્ધિ. ઉસૂત્ર-પ્રરૂપણા સૂત્રસિદ્ધાન્ત વિરુદ્ધ પ્રતિપાદન , સમજાવટ , વિરુદ્ધ પ્રચાર. દિનકૃત્ય દિવસનું ધર્મકૃત્ય-કામ. એલંકારે એ પ્રકારે. विशेषार्थ : अतियारोनी व्यवस्था જેમ દેવસિઅ, રાઈએ પ્રતિક્રમણમાં-પ્રતિકમાણ પ્રાયશ્ચિત્ત પહેલાં આલોચન પ્રાયશ્ચિત્ત તરીકે સાત લાખ અને અઢાર પાપ સ્થાનકો બોલાય છે. તે જ પ્રમાણે અતિચારો એ-પાક્ષિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત તરીકે બોલતા પાક્ષિક સૂત્ર પહેલાં આલોચના પ્રાયશ્ચિત્તરૂપે છે. વિધિઓનો કેટલોક ભાગ શાસ્ત્રીય સૂત્રોથી ગૂંથાયેલો હોય છે. ત્યારે ચૈત્યવંદન, સ્તવન, થાય, સઝાય, શાંતિપાઠ વગેરેને વ્યકિતગત ભાવના સાથે ઉચ્ચારવા માટે પણ છૂટ આપેલી હોય છે. અને તેથી તે ભાષામાં પણ સંભવી શકે છે. અને તે વિશિષ્ટ બોલનાર વ્યકિત પોતાની જાતે બનાવીને પણ ઉપયોગ કરી શકે, તેટલે સુધી જો કે છૂટ સંભવે છે. કારણ કે, વ્યક્તિના મનોભાવ તથા ઉલ્લાસને અવકાશ આપવાના હેતુથી એ છૂટ આપેલી છે. છતાં દરેક જીવોની સમાન શકિત હોતી નથી. તેમજ મનમાં ભાવ છતાં તે પ્રમાણે તેઓ ઉચિત શબ્દોમાં ઉતારી શકે નહીં. માટે પૂર્વાચાર્યોએ રચેલા કે રચીને વિધિઓમાં-અમુક અમુક ઉચિત સ્થળે ગોઠવેલાનો ઉપયોગ કરે છે. અને તે સર્વ સામાન્ય બાળ જીવોને માટે ઉચિત પણ છે. એ જ પ્રમાણે સાત લાખ અઢાર પાપ સ્થાનક અને અતિચાર વિષે પણ સમજવાનું છે. શ્રાવકનાં સમ્યકત્વ સહિત બાર વ્રતો અને સંલેષણા સહિત ચારિત્રાચાર ઉપરાંત, બીજા ચાર Page #602 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૨૯ આચારોના મળીને એકસો ચોવીસ અતિચારો તથા તે આલોવવાનું પ્રયોજન વગેરે આગમો અને નિર્યુક્તિઓમાં બતાવેલ છે. એટલે અતિચારોની રચના નિર્મૂળ નથી. પરંતુ તેનું મૂળ ઠેઠ આગમો સુધી પહોંચેલું છે. માટે તેને અનુસરીને ભાષામાં રચાયેલા છતાં અતિચારોને પ્રમાણભૂત માનવાને હરકત નથી. એટલું જ નહીં, પરંતુ પ્રમાણભૂત જ છે. જો કે સામાચારી ભેદથી કે-સંક્ષેપ વિસ્તારની વિવક્ષાએ તેમાં મૂળ શાસ્ત્રોકત અતિચાર ઉપરાંત તેની સાથે સંબંધ ધરાવતી બીજી હકીકતો ઓછી વધતી હોય, કે ભાષાફેર કે કોઈ હકીકત આગળ પાછળ હોય, તેટલું જ જુદી જુદી રચનાઓમાં પરસ્પર જુદાપણું જોવામાં આવે. દરેક વ્રત અને આચારનું વિધિ સાચવીને પાલન ન કરવામાં-આશયદોષ, ગેરસમજ, અશકિત, દ્રવ્ય, કાળ, ભાવના સંજોગોના ફેરફાર, અજ્ઞાન તથા બીજા અનેક સંજોગો વગેરેથી ઘણી-ભૂલો થવાનો સંભવ છે. પરંતુ એ બધી ભૂલો એકી સાથે યાદ આવે નહીં, એટલે અમુક અમુક ભૂલોનો સમાવેશ થઈ જાય તેવી પ્રતીક રૂપ ઉપર મુજબ-ભૂલોના સમૂહોને યાદ કરાવનાર-મુખ્ય મુખ્ય અતિચારો ગોઠવી બાળજીવોની સગવડ માટે દરેક વ્રતોના અતિચારોની સંખ્યા નકકી કરી આપી છે. એ ઉપરથી એમ નથી સમજવાનું કે, “આટલા જ અતિચારો છે.” પરંતુ એકેએકના પેટામાં ઉપલક્ષણથી બીજા અનેકનો સમાવેશ થતો હોય છે. અને બાળજીવોને બરાબર સમજ પડે, માટે કોના પેટામાં બીજા કયા કયા અતિચારો સમાયેલા છે ? તે સ્પષ્ટ કરીને અતિચાર પાઠમાં બતાવેલા હોવાથી અતિચારના લંબાણથી પાઠ પ્રચલિત છે. તથા જે વિસ્તાર થયેલ છે, તે પણ “રચનારે પોતાની મતિ કલ્પનાએ કરેલ છે.” એમ સમજવાનું નથી. કારણ કે, એ વિસ્તાર પણ શાસ્ત્રને અનુસારે છે. આગમ અને તેની ટીકાઓ, નિર્યુક્તિઓ-ચૂર્ણિઓ-આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, ભાખ્યાદિક વગેરેમાં-તથા શ્રી હરિભદ્ર સૂરિકત પંચાશકની શ્રી અભયદેવ સૂરિ વિરચિત વૃત્તિ, ધર્મબિંદુ વૃત્તિ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, વંદિત્તાસૂત્રની વૃત્તિઓ, ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર વગેરેમાં જે હકીકતો વિસ્તારથી આપી હોય, કે સૂચવી હોય, તે જ આ અતિચારમાં જેમ બને તેમ સંક્ષેપમાં અને સમજાય તેવી રીતે તત્કાલીન ભાષામાં આપવામાં આવેલ છે. આ ઉપરથી નવા અતિચાર રચવા, તેમાં સુધારોવધારો કરવો, ઘટાડો કે ઉમેરો કરવો, એ કેટલું દુર્ઘટ અને જોખમી કામ છે તે બરાબર સમજાશે. આગમોથી માંડીને પૂર્વાચાર્યો વિરચિત વિવેચન ગ્રંથોનોયે સારો અભ્યાસ હોય, જૈન શૈલીનો અનુભવ હોય, અને સર્વ સામાન્ય થઈ શકે તેવું રચનાકૌશલ તથા પ્રભાવશાળીપણું હોય, તેવા કોઈ વિશિષ્ટ જૈનાચાર્ય જેવા ત્યાગી જ તે જૈન શૈલી અનુસાર રચી શકે. બીજાની તે રચવાની શકિત ન ગણાય, અને તે માન્ય પણ ન થાય. માટે એવી ખપ વગરની વાત તરફ ધ્યાન પણ આપવું ન જોઈએ. અલબત્ત-ચાલુ અતિચાર પાઠો ઉપર પૂર્વાચાર્યોના ગ્રંથોને અનુસાર વિવેચન, સ્પષ્ટીકરણ, શબ્દાર્થ, ટૂંક કે વિસ્તારથી સમજ લખીને બાળજીવોને તેનું રહસ્ય સમજવામાં મદદગાર થઈ શકાય, તેમ કરવામાં સેવા છે. તેને કોઈ રોકી ન શકે. Page #603 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કેટલીક રચનામાં અમુક બાબતો છોડી દીધી હોય છે, તે પણ સહેતુક હોય છે. અને અમુક બાબતો ખાસ ભાર મૂકીને લેવામાં આવી હોય છે, તે પણ સહેતુક હોય છે, એટલે વિસ્તાર કરવામાં, સંક્ષેપ કરવામાં, તેમજ ઉપેક્ષિત કરવામાં પણ સહેતુકતા જ હોય છે. ૫૩૦ માટે કોઈપણ નવી રચના કરવી, એ ઘણું દુર્ઘટ કાર્ય છે. એ ઉપરથી અમને એટલું તો ચોકકસ જણાય છે કે, “નામનિર્દેશ ન છતાં અતિચારના રચનારા સારા વિદ્વાન્, અનુભવી અને રચનાકૌશલ્ય ધરાવનારા જણાય છે.'' અલબત્ત તેમના ભાષા કેટલેક અંશે આપણને અત્યારે અપરિચિત જેવી લાગે છે. છતાં સંક્ષેપ ભાષામાં સમયની જે સરળતા, સચોટતા, વિષયનિર્દેશ અને શાસ્ત્રીયતા, દેશાચાર, રીતરિવાજ તથા જીવનસ્પર્શિતા પર પૂરતું લક્ષ્ય વગેરે તત્ત્વો જાળવેલાં છે, તે જોતાં રચના અપૂર્વ, મનોહર, જરૂરિયાત પૂરતી સાંગોપાંગ અને પ્રમાણભૂત જણાય છે. પાંચ અતિચારોના અતિચારોની યાદી માટે-અતિચારની આઠ ગાથાઓમાંની ગાથાઓ દરેક આચારોના અતિચારોની શરૂઆતમાં આપેલ છે. અને સમ્યક્ત્વ સહિત બાર વ્રત તથા સંલેષણાના અતિચારોની યાદી, માટે વંદિત્તુ સૂત્રમાંથી તે તે ગાથાઓ મૂકી છે. અને છેલ્લે પડિસિદ્ધાણં કરણે ગાથા મૂકીને પ્રતિક્રમણના મુખ્ય હેતુઓ જાળવવામાં રહેલી ખામીઓનું યે છેવટે આલોચન કરવામાં આવેલ છે. પ્રશ્ન :- જ્યારે પ્રતિક્રમણસૂત્રમાં જે ગાથાઓ છે, તેના જ ભાવાર્થ અતિચાર આલોચનામાં આવે છે, તો પછી આલોચના અને પ્રતિક્રમણમાં ફરક શો છે ? ઉ :- જેમ કેટલોક ફેર છે, તેમ કેટલીક સમાનતા પણ છે. આલોચનામાં પોતાને જે અતિચાર લાગેલા હોય, તે ગુરુ મહારાજની સાક્ષીએ કહી જવા, અને તેનું પ્રાયશ્ચિત્ત માંગવું. તે અને પ્રતિક્રમણ એ ગુરુમહારાજાએ ફરમાવેલું પ્રાયશ્ચિત્ત છે. એટલે પ્રાયશ્ચિત્તમાં આલોચિત દોષોના મિચ્છામિ દુકકડ દેવાના હોય છે, પશ્ચાત્તાપ કરી ફરીથી ન કરવાની સાવચેતી રાખવાની હોય છે તથા દોષના પ્રમાણમાં તપ, ધર્મ-ધ્યાન, આચાર વગેરે કરવાનાં હોય છે. અને એ જ તત્ત્વની યોજના-આલોચના પછી સવ્વસ્સવિ કહીને ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત માંગવામાં આવે છે. ત્યારે ગુરુમહારાજ પડિક્કમેહ કહીને પ્રતિક્રમણ કરવાનો આદેશ આપે છે. ત્યારે શિષ્ય ઇચ્છું કહીને-તસ્સ મિચ્છામિ દુક્કડં કહે છે. તે મિચ્છામિ દુક્કડંનો વિસ્તાર જ-મુનિમહારાજાઓ માટે પિકસૂત્ર પાઠ પછી બીજી વાર પગામસજ્ઝાય સુધી અને શ્રાવકો માટે તેને બદલે વંદિત્તુસૂત્ર પછી ત્રીજા વંદિત્તુસૂત્ર સુધી બોલવાનું હોય છે. અને પ્રાયશ્ચિત્ત તરીકે તપ કરવાની શિષ્ય ઇચ્છા બતાવે છે, તે પાક્ષિકના પ્રાયશ્ચિત્ત રૂપે સામાન્ય રીતે કેટલો કરવો જોઈએ ? વગેરે પૂછે છે. ત્યારે ગુરુમહારાજ-ચઉત્થગં-એક ઉપવાસ વગેરે તપ ફરમાવે છે. પ્રશ્ન :- જો મિચ્છામિ દુક્કડં એ-પ્રતિક્રમણ રૂપ છે, તો પછી દરેક અતિચારને અંતે મિચ્છામિ દુક્કડં દેવાય છે. તો તે શા માટે ? ઉત્તર :- એ સામાન્ય રીતે મિચ્છામિ દુક્કડં દેવાય છે. અને પ્રતિક્રમણમાં ખાસ ભારપૂર્વક Page #604 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૩૧ મિચ્છામિ દુક્કડં દેવાય છે. તે એવી રીતે કે, દોષ દૂર થઈ જાય, તેવી રીતે પૂરા પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ સંબંધી મિચ્છામી દુકક એવી રીતે દેવા જોઈએ, કે જેથી દોષ દૂર થઈ જાય. એટલે-અતિચારોની આલોચનાને અંતે આવતા મિચ્છામિ દુકક આલોચના રૂપ છે. અને વંદિનુ સૂત્રમાં આવતાં પ્રતિક્રમણ, નિંદા, ગહ વગેરે પ્રતિક્રમણ રૂપ છે. જ્ઞાનાચારના અતિચારો ૧. જ્ઞાનાચારના આઠ અતિચારોનો અનુક્રમ નીચે પ્રમાણે સમજાય છે. ભાણીને વિચાર્યા સુધીમાં આઠ અતિચારો સંક્ષેપમાં આવી જાય છે. છતાં ફરીથી અકાળ અતિચાર સાધુતાણે ધર્મેથી શરૂ થાય છે. જ્ઞાનોપગરણ પાટી-પોથીથી-અવિનયાતિચાર શરૂ થાય છે. ઓશીસે ધર્યોથી અબહુમાનાતિચાર બતાવેલ છે. શાનદ્રવ્ય ભક્ષણોપેક્ષા વગેરે અનુપધાનાતિચાર જણાય છે. જ્ઞાનવંત તરફ દ્વેષ, અંતરાય વગેરે નિહનવાતિચાર જણાય છે. એમ જ્ઞાની તરફ અને જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદિત મતિ કૃતાદિ પાંચ જ્ઞાન તરફ અશ્રદ્ધા, અભકિત તથા સત્ય જ્ઞાનની ખામી એ પણ એક જાતનો નિહનવાતિચાર જ જણાય છે. તોતડા બોબડાની મશ્કરી કરવામાં કે અન્યથા પ્રરૂપાણા એટલે સૂત્રથી કે અર્થથી વિરુદ્ધ-સૂત્ર કે અર્થ કરેલા હોય કે તે બન્નેયમાં પણ વિરુદ્ધતા કરેલ હોય એમ સૂત્ર, અર્થ અને તદુભય અતિચાર લાગતા હોય, તેમ જણાવેલ જણાય છે. અન્યથા યોજનામાં જ્ઞાનના અતિચારો ચાર અનુયોગમાં વિભક્ત જૈન આગમ પદ્ધતિસર અને વ્યવસ્થિત છે. નિ:સ્વાર્થપણે વિશ્વકલ્યાણના ઉપાયોની માર્ગદર્શક અપૂર્વ અને સદાકાળ બિનહરીફ નકશો છે. તેમની કલ્યાણકતા આગળ આજના વિજ્ઞાનનો કશો હિસાબ જ નથી, તે તો કેવળ સ્વાર્થની બાજી અને પરિણામે નુકસાનકારક છે. તેની તરફથી નુકસાનને બદલે લેશમાત્ર પણ કલ્યાણની આશા રાખવી નકામી છે. એટલે તેને પણ કેટલીક મુદ્ર અનુકૂળતાઓ ઉપરથી હરીફ તરીકે સિદ્ધ કરી શકાય તેમ નથી. માટે તે બિનહરીફ, વ્યવસ્થિત, કલ્યાણ સાધન હોવાથી તેમાં કાંઈ પણ આડુંઅવળું ચાલી શકતું નથી. કાળક્રમે મોટી ઊથલપાથલને અંગે પાઠભેદો અને કેટલાક પરસ્પર વિરદ્ધ લાગતી બાબતો વિષે પૂર્વાચાર્યોએ સંપૂર્ણ વિચાર કર્યો છે, પાઠાન્તરો નોંધ્યા છે અને વિરોધોની તથા મતાન્તરોની સંગતિ કરી છે. તથા જ્યાં કાંઈપણ ઉપાય નથી ચાલ્યો ત્યાં “તત્વ કેવળીગમ્ય” કહીને વાત છોડી દીધી છે. પરંતુ કોઈએ પોતાનું સ્વતંત્ર ડહાપણ ડહોળ્યું નથી. વિચારણા કરી હશે, પોતાનો અભિપ્રાય બતાવ્યો હશે તથા શું હોવું જોઈએ, તેની કલ્પના પણ કરી હશે. તે દરેક એક અભ્યાસી તરીકે, એક વિચારક તરીકે પરંતુ આગમાર્થને પોતાની બુદ્ધિ પ્રમાણે ઠોકી બેસાડવા પ્રયત્નો કોઈએ કરેલ નથી. અને કદાચ કોઈએ એમ કહેલ હશે, તો તેનું લખાણ પ્રામાણિક માનવામાં આવેલ નથી. એટલે તેનો પ્રવાહ આગળ ન વધતાં લગભગ પ્રમાણભૂત આગમાનુસારી તત્ત્વનો જ પ્રવાહ આગળ વધતો વધતો ચાલ્યો આવ્યો Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે. આથી કરીને જેમ બને તેમ ભેળસેળથી બચાવીને યથાસંગ પ્રમાણે પ્રભુના ઉપદેશ રૂપ આગમો અને તેના અર્થો જાળવી રાખ્યા છે. જગત ઉપર પૂર્વાચાર્યોએ એ મોટામાં મોટો ઉપકાર કર્યો છે. જે તેવી ખબરદારી રાખી ન હોત તો આજે આપણને જેટલા પણ શુદ્ધ સ્વરૂપમાં આગમો અને તદર્થ મળી શકે છે, તે મળી શકત જ નહીં. આજે પણ આપણી એ જ ફરજ છે કે, જેમ બને તેમ શુદ્ધ સ્વરૂપમાં આગમો અને તદર્થ આગળ લંબાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. તેમાં ભેળસેળ થઈ જાય, જમાનાના નામે કૃત્રિમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નામે તેમાં ફેરફારો ઘૂસી જાય, શોધખોળને નામે, પક્ષાપક્ષીને લીધે ઘૂસી જાય, તે કદાચ આપાતત: રમણીય લાગશે પરંતુ પરિણામે ભયાવહ અને અપ્રામાણિક પ્રયત્ન ગણાશે. ઐતિહાસિક સમ્યગૃષ્ટિ ઐતિહાસિક સાચાં વિધાનો સત્યનું એક અંગ અવશ્ય છે. પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. ઐતિહાસિક સત્યો પણ જીવનના એક અંગ બની શકે છે, પરંતુ તે જ જીવનનું સર્વસ્વ નથી. જ્યારે આજે ઐતિહાસિક શોધખોળોને એટલું બધું મોટું સ્વરૂપ આપવામાં આવે છે કે, કેમ જાણે, “તે સંપૂર્ણ સત્ય હોય, જીવનનું સર્વસ્વ હોય. તેની કસોટીમાંથી જે પસાર થયું ન હોય, તે કશા ઉપયોગનું જ નથી. ફેંકી દેવા જેવું-ઉપેક્ષા કરવા જેવું છે.” આ જાતનો હાલમાં એક મોટો ભ્રમ ફેલાયેલો છે જે તદ્દન નકામો, અસત્ય, અપ્રામાણિક, જીવનને હરકત કરનારો, અને ભયાવહ છે, તથા જનસમાજને ઉન્માર્ગે દોરી જનારો છે, એ સ્પષ્ટ જ છે. ઐતિહાસિક ગષણાઓને સત્યના એક અંગ તરીકે સ્વીકારવામાં કોઈ પણ આનાકાની કરી શકે તેમ છે જ નહીં. પરંતુ તે ગવેષણાનો ઉદ્દેશ, તે ગવેષણનાં સાધકબાધક સાધનો અને પદ્ધતિઓ પણ શુદ્ધ ઉદ્દેશને અનુસરીને અને શુદ્ધ સાધનો તથા પદ્ધતિઓના આશ્રયથી થયેલા હોવા જોઈએ. તેમાં દોષ હોય, તો તે દોષ જ પરંપરાએ પણ પ્રજાના જીવન ઉપર અસર કરી તેના જીવનને વેડફી નાંખે છે. બગાડી મૂકે અને માર્ગ ઉપરથી ભ્રષ્ટ કરી દે, એ પણ સ્વાભાવિક જ છે. આજની ઐતિહાસિક ગષણાનો ઉદ્દેશ સ્વાર્થી છે. પરદેશીઓએ પોતાના રાષ્ટ્રીય હેતુઓને ધ્યાનમાં રાખીને આ દેશમાં અને અન્યત્ર સર્વત્ર આ જાતની ગવેષણાઓ ચલાવી છે. આ દેશમાંથીયે તેઓ થોડા ઘણા જે પોતાના અનુયાયીઓ મેળવી શકયા છે, તેઓને તેઓ પોતાનું પૃષ્ઠ પોષણ આપે છે. તેમાં આગળ વધવા તેઓને સર્વ અનુકૂળતાઓ કરી આપવા સર્વ પ્રકારના પ્રયાસો કરે છે. તેના બદલામાં તે અનુયાયીઓ તેનો પ્રચાર કરે છે. પરિણામે પ્રજામાં બુદ્ધિભેદ થાય છે, સંશય ઉત્પન્ન થાય છે, પ્રજા સિદ્ધ સાધન દોષમાં પડે છે, મન ડામાડોળ થાય છે, મહાપુરુષોના કલ્યાણ માર્ગમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને વખતે દુર્ભાવ પામીને અવળે માર્ગે ચડી જઈ માર્ગભ્રષ્ટ થાય છે, ને ઉન્માર્ગગામી થાય છે. તેની પરંપરા પોતાનાં સંતાનો અને વંશ વારસામાં ચાલે, એટલે કેટલાંક કુટુંબો લગભગ સદાને માટે મહામુશ્કેલીમાં મળેલા સન્માર્ગથી અવળે માર્ગે ઊતરી જાય છે. આ એક મહાન અનિષ્ટ પ્રાપ્ત થઈ રહ્યું છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પરદેશીઓએ અહીં આવીને દરેક બાબતનું પ્રમાણ માગ્યું. પ્રમાણો મળ્યાં. પરંતુ તે વખતે જેટલાં પ્રમાણો સ્વીકારવાથી પોતાને લાભ હતો, તેટલાં સ્વીકાર્યાં. અને જેને જેને પોતે પ્રમાણભૂત ન સ્વીકાર્યાં તે સુતત્ત્વોનેય ત્યાજ્ય ગણી પ્રજા પાસે ત્યાગ કરાવ્યો, કરાવવા મહેનત કરી. પાછળથી જેમ જેમ પોતાનું બળ વધતું ગયું, તેમ તેમ બીજા મુદ્દાઓને પ્રમાણભૂત માનતા ગયા, પરંતુ પ્રથમ અપ્રમાણભૂત મનાયેલી બાબતોથી પ્રજાને જે નુકસાન થયું હોય, અને પરદેશીઓને જે ફાયદો થયો હોય, તે તો કાયમ રહી જાય જ. દાખલા તરીકે : ‘‘જૈનધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે.” એમ વાત કરી. એટલે અહીંના દેશવાળા અને કોઈ કોઈ તે મતના જૈનો પણ તેમ માનતા થયા. પછી ‘“જૈનધર્મ સ્વતંત્ર ધર્મ છે. પરંતુ તે મહાવીર સ્વામીથી શરૂ થયો છે.'' એટલે બીજા તીર્થં નથી થયા. એવો કેટલાકના મનમાં ભાસ થયો હોય, અને તેની સેવા મૂકી દીધી હોય, તેનું તેને નુકસાન થાય, પછી “પાર્શ્વનાથ તો થયા છે.’ પણ બાકીના બાવીસ નથી થયા. એવો ભાસ ઊભો કર્યો એટલે ૨૨ની સેવાથી વંચિત ઘણા જીવો રહે. ૫૩૩ કાળાન્તરે દરેક વસ્તુઓ માટે લેખિત અને કસોટીમાંથી પસાર કરી શકાય તેવાં પ્રમાણો મળી શકે નહીં. કેટલાકના પુરાવા નષ્ટ થયા હોય, છતાં હકીકત સાચી હોય, તેને પુરાવાના અભાવમાં ખોટી માની શકાય નહીં. કેટલાક પુરાવા લોકોકિતમાં હોય છે, પરંપરાની જનશ્રુતિમાં પણ ગૂંથાયા હોય છે. લોકોના માનસિક વિશ્વાસ, શ્રદ્ધા તથા ભક્તિમાં સંગ્રહાયા હોય છે, આચારમાં, રિવાજમાં ગૂંથાયા હોય છે, જીવનમાં ગૂંથાયેલી રૂઢિમાં કાયમ થઈ ગયા હોય છે, જીવનવ્યવસ્થામાં પણ ઓતપ્રોત થાય હોય છે, અથવા અમુક પ્રકારનું જીવન જ અમુક પૂર્વ પરંપરાનું પરિણામ હોય છે. અને તે સર્વ પૂર્વપરંપરાની હયાતી હોવાના પુરાવારૂપે હોય છે. માત્ર ‘‘શિલાલેખો, તામ્રપત્રો, સિકકાઓ, પાળિયાઓ, ગ્રંથોનાં લખાણો જ પુરાવા હોઈ શકે, બીજું કોઈ પુરાવારૂપે ન હોઈ શકે.” એમ કહી શકાય જ નહીં. અને ધારો કે, આજના ઐતિહાસિકોમાંના મુખ્ય વિદ્વાનો એ સર્વનો ય આજે ઐતિહાસિક પુરાવાના સાધનો તરીકે સ્વીકાર કરે, તો પણ આજસુધીના અસ્વીકારથી આ દેશની પ્રજાને જે નૈતિક, આર્થિક, શારીરિક, પ્રજાકીય, રાજ્ય, નુકસાન થયું હોય, તેના જવાબદાર કોણ ? અને સાથે આ દેશના તદ્દનુયાયીઓએ પણ પોતાના દેશને, પોતાના બાંધવોને, પોતાની પ્રજાને, નુકસાન કરવામાં ભાગ ભજવ્યો ગણાય ? કે ન ગણાય ? વાસ્તવિક રીતે તો ગણાય જે. દાખલા તરીકે - મારી પાંચ પેઢીથી કુળપરંપરાથી હું એક ઘર વાપરું છે, તેનો દસ્તાવેજ ખોવાઈ ગયો છે અથવા થયો જ નથી. પરદેશીઓએ આવીને કહ્યું કે, “જેનું જે હોય, તે રજિસ્ટર કરાવી પાકું કરાવી લો.' તેનો અર્થ એ થાય કે, “રજિસ્ટર પાકું ન થયું હોય, તેનો આ દેશનો માલિક કોઈ ગણાય નહીં ત્યારે તે કોનું ? તે સત્તાનું. પણ સત્તા પાસેથી તો કોઈ રજિસ્ટર દસ્તાવેજ માંગી શકે નહીં. આ સ્થિતિમાં ખરી રીતે શાશ્વતું મારું ઘર છતાં દસ્તાવેજ રજૂ કરી ન શકવાને લીધે મારે Page #607 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો છોડી દેવું પડે અને આજુબાજુના પાડોશીઓ સગાંસંબંધીઓ હકીકતરૂપે ઘર મારું હોવાનું જાણતા હોય છે, છતાં તેમના કથનને પુરાવામાં ન લેવાથી મારે ઘર છોડી જ દેવું પડે. એ ઉઘાડું જ છે. અલબત્ત, આમાં આપણે પરદેશીઓનો દોષ ન કાઢીએ પરંતુ હું પોતે જ મારા સ્નેહી સંબંધીઓ એમ માનતા થઈએ કે “દસ્તાવેજ વિનાનું ઘર તેના માલિકનું હોઈ જ ન શકે. દસ્તાવેજ સિવાય બીજી કોઈપણ બાબત પુરાવામાં લેવાની જરૂરી નહીં.” એમ માનતા થાય, એ વધુમાં વધુ ભયંકર મને અને મારા બીજા સ્નેહી સંબંધીઓને નુકસાન કરે, એ સ્વાભાવિક છે. અને કાળાન્તરે કદાચ દસ્તાવેજ સિવાયના પુરાવા પણ ગ્રાહ્ય ગણવામાં આવે, તેથી મારું શું વળે ? ઘર છોડી દેવાથી મને, મારા કુટુંબને, પ્રતિષ્ઠાને, મોભાને જે નુકસાન પહોંચ્યું હોય, તે શી રીતે ભરપાઈ થાય ? આ દાખલો છે. પણ આખા દેશમાં એક અપૂર્ણ અને અસત્ય ધોરણ લાગુ પડવાથી કેટલાકને નુકસાન થાય જ, એ સ્વાભાવિક છે. અને એ બધાનો ફાયદો બહારનાઓને મળવાથી તેમનું જોર બળવાન થાય, ને તે બળની અસર પછી ઉત્તરોત્તર પ્રજા ઉપર જીવનનાં બીજાં ક્ષેત્રોમાં પડ્યા કરે, એમ ઉત્તરોત્તર પ્રજાને કેટલું નુકસાન થાય? માટે આજની આખી ઐતિહાસિક શોધખોળની ઈમારત તરત ન સમજી શકાય એવા જૂઠાણા ઉપર ખડી થયેલી હોવાથી તેને મિથ્યાદષ્ટિપોષક કહેવાને શી હરકત છે ? અલબત્ત, ખોટે રસ્તે છતાં આજની ઐતિહાસિક શોધખોળની પદ્ધતિને ટેકો આપનારને પ્રતિષ્ઠા અને આર્થિક લાભો સારા મળે છે. પરંતુ તે સત્યથી દૂર કેટલા છે ? તે આપણે જોઈ શકયા. આ દેશની પ્રજાને પોતાના ધર્મથી, સામાજિક રિવાજો ઉપરથી, કૌટુંબિક વ્યવસ્થા ઉપરથી, બુદ્ધિપૂર્વક ખસેડવાને આ ઐતિહાસિક ગવેષણાઓએ પરદેશીઓને ભારે મદદ કરી છે. “તમારા શાસ્ત્રમાં અમુક વાત છે, પરંતુ ઈતિહાસથી અમુક બીજી રીતે કરે છે. માટે તે કલ્પિત ને ખોટી છે.” આમ શિક્ષણમાં બચપણથી સાંભળવામાં આવતાં તેમાં “બીજી રીતે એ વાત શી રીતે સાચી છે ?” તેનો નિર્ણય કરવાનો અવકાશ ન રહેવાથી બાળકોની શ્રદ્ધા ચલિત થયા વિના રહેતી નથી. કૉલેજમાંથી પસાર થયા પછી પણ તેઓ એવા નોકરી-ધંધામાં ગોઠવાય કે, પેલી અનેક સાંભળેલી વિપરીત વાતોનો નિર્ણય કરવાનો તેને અવકાશ જ મળે નહીં. કદાચ કોઈને અવકાશ મળે, તો તેને માટે સાધનો ન હોય, અને કદાચ કોઈ એવી વાત બહાર પાડે તો પણ તેની કાંઈ અસર ન થાય, કેમ કે, ત્યાં સુધીમાં તો એવા કંઈક વિચારો બહાર પડી ગયા હોય, કે પ્રજાના અનેક મૂળ વિચારો ઉપર અશ્રદ્ધા ઉત્પન્ન કરનારાં વિધાનો ઐતિહાસિક વિધાનોને નામે ફેલાઈ ચૂકયાં હોય. એ જાતની પરંપરા પરદેશી ઐતિહાસિક વિદ્વાનો ઊભી રાખે જ જાય છે. “રામ ઐતિહાસિક નથી,” અને કદાચ જ્યાં તે ઐતિહાસિક સિદ્ધ થાય, તેવામાં “કંગ ઐતિહાસિક નથી.” એવી બૂમ પડી ચૂકી જ હોય છે. એટલે એક વાતથી જેટલા લોકો મૂળ વિચારથી ખસ્યા તેટલા ખરા. પછી બીજા વિચારથી બીજા ચૂકે. એમ દરેક ધર્મો અને દરેક સમજેનાં મંતવ્યો ઉપર ચારેય તરફથી ઘા પડ્યું જાય છે. આમ આ પ્રજાને હાલ જે અયોગ્ય ઉદ્દેશથી ચાલતી અપૂર્ણ ઐતિહાસિક શોધખોળોથી નુકસાન થઈ રહ્યું છે, તેની સૂક્ષ્મ વિચારણા કર્યા બાદ કોઈથી યે ના પાડી શકાય તેમ નથી. Page #608 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૩૫ આ ઉપરથી એમ સમજવાનું નથી કે, “આપણે ઐતિહાસિક શોધખોળની જરૂર નથી.” આપણે ઐતિહાસિક શોધખોળની જરૂર છે જ. આપણા જીવનનું તે પણ એક અંગ છે. તેટલો સત્યને તે એક અંશ જરૂર છે. પરંતુ તે પ્રજા-જીવનના આધ્યાત્મિક વિકાસના ઉદ્દેશથી, ખરેખરુ સત્ય માર્યું ન જાય, તેવી રીતે માર્ગનો લોપ ન થાય, તથા પ્રજા ઉન્માર્ગે ન ચડે, તેવી રીતે અને જેટલાં સાધનો પુરાવામાં લેવા યોગ્ય હોય, તે સંપૂર્ણ સાધનો પુરાવામાં લઈને, સંપૂર્ણ પદ્ધતિસરની ગવેષણાપૂર્વકની ઐતિહાસિક શોધખોળો કરવામાં આવે તો જ તે સમ્યગું ઐતિહાસિક ગષણા ગણાય. એટલે હાલમાં હિંદમાં ઉપર જણાવ્યા પ્રમાણે અપૂર્ણ, લગભગ મિથ્યા દષ્ટિના પાયા ઉપર ચાલતી, ઐતિહાસિક શોધખોળની પરંપરા ચાલુ થયેલી છે, તેને બદલે સમ્યગુ દષ્ટિના પાયા ઉપર ચાલતી આવેલી પરંપરાને ખીલવવી જોઈએ. હાલની પરદેશી પરંપરાનું સાહિત્ય બસો વર્ષમાં આપણી ઈચ્છાએ અનિચ્છાએ એટલું બધું લખાઈ ગયું છે, અને તેમાં અનુમાનોના કેટલાક તો એવા વિચિત્ર ઘોડા દોડાવવામાં આવ્યા છે, કે વાંચતાં જ હસવું આવે. છતાં બધામાંથી સાર કાઢીએ તો ઘણો જ સાર નીકળે છે. ગ્રંથો મોટા માટા, કિંમત ઘણી, રાજા મહારાજાઓ મારફત દેશનાં નાણાં પણ તેમાં ઘણાં ઘસડાઈ ગયાં. સારાંશ કે, સાર થોડો અને તે પણ લગભગ ખોટે રસ્તે. એટલે તેણે પ્રજાના આર્થિક વગેરે ચાલુ જીવન ઉપર ઘણું જ નુકસાન કર્યું છે. જો કે, એતદેશીય તદનુયાયી વિદ્વાનોને કેટલાક બાહ્ય લાભો થયો છે. તે તો દેશની આર્ય પ્રજાને થયેલા મોટા નુકસાનનો અલ્પ બદલો છે. આ દેશની પ્રજાને પ્રથમ, પોતાના સ્વધર્મ ઉપરથી અને જીવન ઉપરથી ચલિત કરવાને ઐતિહાસિક ગવેષણાઓથી બુદ્ધિભેદ કરવા સિવાય, તટસ્થતા બતાવવા સાથે આડકતરું સચોટ સાધન બીજું કોઈ પણ નહોતું. તેમજ આ દેશની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે પણ એ જ સાધન હતું. એટલે સંસ્કૃતિનો અભ્યાસ કર્યા બાદ પ્રજાજીવનમાં નવી સત્તા અને સંસ્કૃતિ ઊંડે લઈ જવાને અવકાશ અને ઉપાયો મળી શકે. માટે મોટે ખર્ચે સંશોધક સંસ્થાઓ અને ખાતાંઓ કાઢવામાં પોતાના રાષ્ટ્રીય હિતનો તે લોકોએ પૂરેપૂરો વિચાર કર્યો છે. કેવળ આ દેશના ઈતિહાસ ઉપર જ ફીદા થયા છે, એમ સમજવાનું નથી. અલબત્ત, આ દેશના લોકોને આકર્ષવા અને તેમની પાસેનાં સાધનો બહાર લાવવા માટે તેની પ્રશંસા જેટલી ઓછી કરાય તેટલો ઓછો લાભ મળે. એટલે જેટલી વધુ પ્રશંસા કરાય, અને આ દેશના લોકોમાં તે પરંપરાની પ્રતિષ્ઠા વધુ જામે તેમ વધુ લાભ. માટે તેવા લલચામણા આકર્ષક પ્રયાસો પણ કર્યા છે, તેમજ થાય છે, એ દેખીતું જ છે. માટે આપણને જેમ સમ્યગૃષ્ટિના યોગ્ય પાયા ઉપર રચાયેલી ઐતિહાસિક શોધખોળ ઉપયોગી છે, તેટલી જ મિથ્યાદષ્ટિના બિંદુવાળા પાયા ઉપર રચાયેલી આપણને નુકસાનકારક છે, તેમજ સમ્યગુદષ્ટિના પાયા પર રચાયેલી છતાં પણ ઐતિહાસિક શોધને જ જીવનનું સંપૂર્ણ સત્ય બની લઈએ તો પણ તે ઘણી રીતે નુકસાનકારક જ છે. કારણ કે, તે તો માત્ર જીવનનું અંગ છે. દાખલા તરીક - પરમાત્મા મહાવીર દેવનું જીવન આપણે શા માટે સાંભળીએ છીએ ? તેમના Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો મહાન જીવનમાંથી યથાશકિત મહાન તત્ત્વોની છાયા આપણા જીવનમાં મેળવવાનો આપણો ઉદ્દેશ હોય છે. શ્રી મહાવીર પરમાત્માનું જીવન આપણા જીવનને જેટલું ઉપયોગી છે, તેટલા તેમના જન્મવાની કે નિર્વાણની તારીખો ઉપયોગી નથી. અલબત્ત, તેમના જન્મ કે નિર્વાણ અને બીજી ઘટનાઓની ઐતિહાસિક સાચી નોંધો તેમના જીવનનું એક અંગ ચોકકસ છે. તે વિના તેમનું જીવનચરિત્ર અપૂર્ણ ગણાય, પરંતુ તેમના જીવનની એ તારીખો અને ચોકકસ તિથિઓ આપણને ન મળે, એટલા ઉપરથી આપણે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા અટકવું, કે તેમના તરફ આદર ન બતાવવો કે તેમની આરાધના તથા સેવાભકિત ન કરવી, એ કેમ બને ? ત્યારે આજે એતદેશીય તદનુયાયી લોકો એ તારીખો નકકી કરવાની ઉપાધિમાં એટલા બધા પડ્યા છે, અને તેના ઉપર એટલું બધું ચર્ચે છે કે, જીવનનાં કિંમતી વર્ષો ગુમાવી મુશ્કેલીથી મળેલ મનુષ્ય જન્મ એ પરમાત્માની સેવાભકિત વિના ગુમાવે છે. એટલું જ નહીં, પણ માનસિક રીતે તેની સન્મુખ પણ રહી શકતા નથી. સાથે સાથે અનેક સંશયોના ભોગ બની આરાધનાથી વંચિત રહે છે. સંશયાત્મા વિનશ્યતિ. થોડા દિવસ આગળ પાછળ તારીખો સાબિત થાય એટલા ઉપરથી શ્રી મહાવીર સ્વામીના જીવનની મહત્તામાં ફેર પડી જતો નથી. તેમના જીવનમાંથી લેવો જોઈતો બોધ અને તેમના તરફ બતાવવી જોઈતી ભકિત મુલતવી રાખવાની જરૂર નથી હોતી, છતાં આમ આડે રસ્તે ચડી ગયેલા જૈન ગણાતા વિદ્વાનો પણ આ ભવમાં પરમાત્માની પૂજા, સેવા, ભક્તિ અને તેમના જીવનમાંથી તેમના આગમોમાંથી લેવા જોઈતા બોધથી વંચિત રહી ભવ હારી જાય છે. પૂર્વાચાર્યો અને હાલના પણ અનુયાયીઓ ઐતિહાસિક ગષણા અને ચિંતન કરતા અને કરે છે. પરંતુ તેમના જીવનમાં પ્રભુ તરફની કૃતજ્ઞતા બતાવવાનાં તત્ત્વો વણાયેલાં હોય છે, ને સાથે સાથે ગષણા ચાલતી હોય છે. ત્યારે એતદેશીય તદનુયાયી જૈન વિદ્વાનો પણ ઐતિહાસિક ગવેષણાના ચૂંથણામાં એટલા બધા અટવાઈ પડ્યા છે કે, પ્રભુના સંસર્ગનો લાભ લઈ શકતા નથી, ને વધુમાં બીજાઓની ટીકા કરે છે. કારણ માત્ર એક જ છે કે, પ્રભુના જીવનના મહત્ત્વ કરતાં તેમની તવારીખોનું વધુ મહત્ત્વ માન્યું છે. આ શું તેઓનો ઉન્માર્ગ નથી ? અને જો તેમ હોય, તો આ ઐતિહાસિક મિથ્યાદષ્ટિ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે આ દષ્ટિના ચકકરમાં પડેલા બીજા અનેક જીવો વિષે સમજી લેવું. આધુનિક ઐતિહાસિક ગવેષણાની પરંપરાના ઉદ્દેશમાં, તેનાં સાધનોમાં, તેની પદ્ધતિમાં, ક્યા ક્યા વાસ્તવિક દોષો છે અને તેથી શું નુકસાન થયું છે ? તે વિસ્તારથી વિચારવાનું આ સ્થળ ન હોવાથી વધુ લંબાણ ન કરતાં કોઈ પ્રસંગ ઉપર રાખી જ્ઞાનાચારના અતિચારના પ્રસંગમાં અન્યથા યોજન દોષ વિષે અમારે જે કહેવું છે, તે મૂળ વિષય ઉપર આગળ વધીએ છીએ. જેમ બને તેમ આગમ પરંપરા પોતાના ખરા સ્વરૂપમાં વધુ વખત ટકી રહે, તેમાં ક્ષતિ ન આવે, તેવા સઘળા પ્રયત્નો કરવા, એ જ્ઞાનાચાર છે. તેમાં પઠન પાઠનના પાંચ પ્રકારના સ્વાધ્યાય, એકંદર આખા ગુરુકુળવાસ અને તેને લગતા મુનિજીવનના આઠ પ્રકારના અતિચારનો ત્યાગ વગેરે Page #610 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૩૭ યોજના સમાય છે. કોઈ સૂત્ર ફેરવી નાંખે, સૂત્ર કાયમ રાખે, ને અર્થ ખોટો કરે, કોઈ અર્થ સાચા કરે અને સૂત્રપાઠ ફેરવી નાંખે, ત્યારે કોઈ બન્નેય ફેરવી નાખે. તે અજાણતાં વગેરેથી થાય, તો અતિચાર. અને જાણીબૂજીને કરેલ હોય તો અનાચાર કહેવામાં હરકત નથી. આ અતિચાર ગોઠવવાથી લાગણીવાળા શાસનના જવાબદાર ભકતો પર જે જવાબદારી નાંખી છે, તેથી અનાભોગ, કાળક્રમ કે લહિયાઓની અસર સિવાય પાઠભેદ પણ થવા પામ્યા નથી. અને એટલે સુધી કે જેમ બને તેમ સૂત્રોના અક્ષરોનું પણ રક્ષણ કરવા અક્ષરોની ચોકકસ ગણતરી કરીને પણ કાળજી લેવાઈ છે. અર્થમાં પણ જેને જેમ ફાવ્યું તેમ લખી શકાય તેમ નથી, કેમ કે, વૈજ્ઞાનિક અને તાત્વિક એવી અર્થસરણિ ગોઠવવામાં આવી છે કે, તેમાં બીજી વાત ઘૂસવા પામે જ નહીં. બધું માપસર અને ચોકકસ આપવામાં આવ્યું છે કેમ કે, જૈનદર્શન કેવળ વાર્તાનો સંગ્રહ નથી, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. કુદરતના ચોકકસ અબાધિત નિયમો ઉપર વ્યવસ્થિત ગૂંથવામાં આવેલ છે. અને તેના અનુસંધાનમાં કથાનુયોગ છે. અલબત્ત, તેમાં અનાભોગ જન્ય, છાઘસ્થિક ભૂલો થાય, કોઈ વાત કોઈ કાળે ન સમજાય, ત્યારે કોઈ બીજે કાળે અમુક જ વાતો સમજાય, અને બીજી વાતો ન પણ સમજાય, તેથી તેમાં ઘણા ફેરફાર થઈ ગયા છે” એમ કહી પણ ન શકાય. આજે ઐતિહાસિક શોધખોળને નામે, વિજ્ઞાનને નામે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નામે, જમાનાને નામે, દેશકાળને નામે દરેક બાબતમાં પરિવર્તનની વાતો કરનારાઓ તેને પલટવાનો માર્ગ કાઢીને પરિણામે ઉત્તરોત્તર તદ્દન નિરુપયોગી અને નાબૂદ કરવાના રસ્તા ઉપર લઈ જવાના પ્રયત્નોને ટેકો આપી રહ્યા છે. પરંતુ તેમાં દીર્ઘ વિચારનો અભાવ દેખાય છે. ઐતિહાસિક સત્ય શોધો તત્ત્વજ્ઞાનરૂપ સત્યનું એક અંગ છે. અને આજના મિથ્યાધ્યેયની શોધો તો સત્યનું અંગ પણ નથી છતાં તત્વજ્ઞાનના ખજાનારૂપ આગમોને આધુનિક ઐતિહાસિક શોધનરૂપ ચક્રવર્તીના કરદ માંડલિક કહેવામાં બાલિશતા સિવાય શું જણાય છે ? પરંતુ અજ્ઞાન અને પામર જીવો ઉપેક્ષ્ય અને દયાપાત્ર હોય છે. તેમને પણ સાચું જ્ઞાન મળે, એવા આપણા પ્રયાસો હોવા જોઈએ. આગમોની પરમ કલ્યાણકતા અને આજનાં લોકોપયોગી કાર્યોની કૃત્રિમતા જૈન આગમનો વિષય અને ધ્યેય સર્વ જીવો માટેની, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વપ્રકારની Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને ઓછામાં ઓછા આધ્યાત્મિક જીવનની સર્વ દિશાઓ બતાવી પ્રાણીમાત્રનું કલ્યાણ કરવું એ છે. ત્યારે ભારતનાં બીજા દર્શનોનો પણ લગભગ એ જ ઉદ્દેશ છે, પરંતુ તેઓની દર્શન-વ્યવસ્થા સર્વદેશીય તથા સાંગોપાંગ જોવામાં આવતી નથી. અને ભારત બહાર પણ લોક-કલ્યાણ કરવાની ઈચ્છાથી જાહેરમાં આવેલા ઉપદેશકોના આદેશોમાં તેમના પ્રયત્નોનો એકંદર ઉદ્દેશ લોક-કલ્યાણની ભાવના સિવાય જોવામાં આવતો નથી. જો કે તે સાંગોપાંગ, શુદ્ધ અને કસોટીએ ચડાવી શકાય તેવો વ્યવસ્થિત અને સંપૂર્ણ નથી છતાં તેમાં ભલું કરવાની ભાવના તો જોવામાં આવે છે. પરંતુ આજની લોક-કલ્યાણની વાતોનો પ્રચાર કેવળ કૃત્રિમ અને યુરોપીય પ્રજાઓના વ્યાપારી અને રાષ્ટ્રીય સ્વાથમાંથી ઉત્પન્ન થયેલ છે. તો પછી, વીતરાગ દશામાંથી ઉત્પન્ન થવાની વાત તો દૂર રહી, પરંતુ તેને નિખાલસ ભાવની લોક-કલ્યાણની ભાવના પણ કેમ જ કહી શકાય? એક વેપારીને ત્યાંથી માલ લેતાં બીજો વેપારી આપણને તેના કરતાં સસ્તો અને ટકાઉ માલ આપીને આપણને મોંઘા અને નબળા માલ લેવાઈ જવાની મુશ્કેલીમાંથી બચાવે છે, પરંતુ તેમ કરવામાં તેનો પરોપકાર નથી હોતો. એમ કરીને તે પોતાના માલના વકરા માટે કાયમી ઘરાક તરીકે આપણને બાંધી લે છે, ને પોતાનો સ્વાર્થ સાધે છે. તેવી જ સ્થિતિ આજની લોક-કલ્યાણની ભાવનાની છે. નળનું સસ્તું પાણી પૂરું પાડવામાં કે મત દવા પૂરી પાડવામાં, ત્યાંનાં કારખાનાઓના નળોનો અને દવાઓનો વકરો તો તેઓ પોતે ઠરાવેલી કિંમતે જ કરે છે. અહીંથી કોઈને કોઈના પૈસા એ લોક-કલ્યાણ પાછળ પરદેશ જાય જ છે. અને ત્યાંના વેપારીઓને વકરો મળે જ છે. તેઓની સરકારો ઓછામાં ઓછી કિંમતે ખરીદીને અહીં મત મોકલત, તો હજુ કદાચ આપણે તેમાં કાંઈક પરોપકાર ગણી શકત. આ દષ્ટાન્ત ઉપરથી આજની સર્વ પ્રવૃત્તિની પાછળ પરદેશીઓના રાષ્ટ્રીય વગેરે સ્વાર્થો સિવાય કાંઈ પણ લેવામાં આવતું નથી. દેશનેતાઓ અને લોકનાયકો આપણને નિ:સ્વાર્થભાવે કામ કરતા જણાય છે, તે પણ ઉપર ઉપરથી જ છે. તેમાં એવી ખૂબીથી ગોઠવણ ગોઠવાયેલી છે કે, લોકો દેશનેતાઓને પરોપકારી અને ત્યાગી સમજે તો તેમના વચન ઉપર જોઈએ તેવો વિશ્વાસ ન કરે. પરંતુ આ સ્થિતિમાં વિશ્વાસ કરી શકે છે, બાકી તેઓના જીવનની કોઈ પણ જરૂરિયાત સામાન્ય શ્રીમંત કરતાં તો ઓછી હોતી જ નથી. અને તે સારી રીતે પૂરી પડ્યા વિના રહેતી નથી. હિંદના ત્યાગીના જીવનના આદર્શની થોડા દિવસ નકલ કરવાનો ફરજિયાત પ્રસંગ પ્રાપ્ત થાય, તો એક પણ દેશનેતા તમને જાહેરમાં હરતો ફરતો દેખાશે નહીં. આજે દેશનેતાઓ તે જ છે કે, જેમનું માનસ કેળવણી વગેરેથી બદલીને ભવિષ્યમાં સાધવા ધારેલા યુરોપીય રાષ્ટ્રીય સ્વાર્થને અનુકૂળ ગોઠવાયેલ રીતે ઘડાયેલા છે. એટલે એવા દેશનેતાઓ મારફત પરદેશીઓ પોતાના હેતુઓનો પ્રજામાં પ્રચાર સારી રીતે કરી શકે છે. પરદેશીઓ તરફનો એકતરફી વિરોધ દેશનેતાઓ સામે પરદેશીઓ બતાવે છે, જેથી પ્રજા નેતાઓના વિશ્વાસમાં પડે છે. એટલે અમુક વિચારો અને વલણમાં પરદેશીઓ અને દેશનેતાઓ સમાન છે, તેથી તેઓનો સારી રીતે લાભ લે છે. પ્રધાનો પણ તેઓને જ બનાવવામાં આવેલ છે કે, જેઓ ભારતીય સંસ્કૃતિને બદલે હાલના જમાનાની સંસ્કૃતિને સીધી કે આડકતરી રીતે પસંદ કરનારા Page #612 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૩૯ છે, અને તેમાં રાચનારા છે, પોતાની આજુબાજુ એ જ વાતાવરણવાળા છે. આ સ્થિતિમાં તે જાતના દેશનેતાઓ પરદેશીઓને આશીર્વાદ સમાન છે. અને એ નેતાઓનો દેશમાં કાંઈને કાંઈ ઘોંઘાટ ચાલતો રાખવામાં આવે છે, એટલે પ્રજાના બીજા ખરા આગેવાનો પોતાનો સૂર કાઢી જ શકે નહિ. પટેલો અને નગરશેઠોથી ગોઠવાયેલી મહાજનની મહાસંસ્થા જે હિંદની સંસ્કૃતિ પ્રમાણે ગોઠવાયેલી હજારો વર્ષથી ચાલી આવતી પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે, અને સરકારે પણ આજ સુધી જેને કબૂલ રાખવી પડી છે. તથા તેમના વલણને અનુસરીને રાજતંત્રને પણ વલણ આપવું પડે છે. તેને એક બાજુએ રાખીને યુરોપીય પ્રજાઓએ પોતાના સ્વાર્થને માટે ઊભા કરેલા, આ જમાનાને અનુસરતા અને પોતે કેળવેલા લોકોનું મંડળ દેશમાં બનાવી, તેને પ્રજાની પ્રતિનિધિ સંસ્થા બનાવી તે મારફત પ્રજાકીય કામ લેવા માટે પરદેશના વિચારો અને આગેવાનોએ કોંગ્રેસ સ્થાપી. અને તેને ધીમે ધીમે દેશમાં લોકપ્રિય થવા દીધી. તે સંસ્થા સાથે ઈરવીન ગાંધી નામની સંધિ કરી લઈ, હિંદમાં નવા મહાજનનો પાયો નાંખ્યો. તેઓ હિંદની હાલની પ્રજાના હિત વધારે સમજે છે, એવું નથી પરંતુ એવો ડોળ થવા દીધો છે. એટલે આ નવું ગણાતું મહાજન, જૂના રીતસરના મહાજનની પરવા કર્યા વિના પોતાના પરિચિત થોડા સભ્યો હોવા છતાં આખા દેશના નામે, આખી પ્રજાના નામે ઠરાવો કરે છે, અને પરદેશમાં પણ અસર પહોંચાડે છે, અને એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવે છે કે, હિંદની આખી પ્રજાનો આ અવાજ છે.” પરદેશી મુત્સદ્દીઓ તેનોયે બહારથી વિરોધ કરી પ્રજાના અમુક ભાગ તરફથી “એ અવાજ આખી પ્રજાનો છે,” એવો વધુ ને વધુ મજબૂત ટેકો પ્રજા પાસેથી જ મેળવાવે છે. જે ટેકો રીતસર અને પ્રજાનું ખરું પ્રતિનિધિ અને હિતસ્વી જૂના મહાજનની સત્તા દબાવવાને પરદેશીઓને ઉપયોગી થાય છે, જેની કોંગ્રેસ નેતાઓને માલૂમ સરખી પણ નથી. દેશમાં અને પ્રજામાં ભેદ પાડીને કુસંપનું બીજ મોટા પાયા ઉપર રોપાયું છે. પરિણામે બીજા લાભહાનિ તો જે થાય તે ખરા, પરંતુ કુસંપનું બીજ રોપાયું છે, તે તો ચોકકસ. એ જ ધોરણે રાજકોટની લડત ઉપડાવીને શ્રી કેડલ જેવા મુત્સદ્દી મારફત દેશી પ્રજાના મહાજનોની આડે કોંગ્રેસનું અનુયાયી પ્રજા પરિષદ નામનું નવું મહાજન ઊભું કરવાનો પાયો બ્રિટિશ પાર્લમેન્ટ ખૂબીથી નાંખી દીધો જણાય છે, જેનો પ્રચાર દરેક દેશી રાજ્યોમાં ફેલાવા સંભવ છે. કેમ કે કેટલાક પત્રકારોએ એ બનાવને ટેસ્ટકેસ તરીકે જણાવ્યો પણ છે. સારાંશ કે, આ સ્વાર્થમય બાજીના અંગ તરીકે છેલ્લા કેટલાક દશકાથી આ દેશમાં ઊભી થયેલી સંસ્થાઓ મારફત જે જે કાર્ય થઈ રહ્યું છે, તેમાં પરમાર્થની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરંતુ દરરોજ તેની આજુબાજુ ઘોંઘાટ એટલો બધો ગોઠવાય છે કે, આ વાતની કોઈને સમજ પડે તેમ નથી. એક ઘોંઘાટ શાંત થાય, કે બીજા નેતા મારફત બીજે ગોઠવાય જ છે, કોઈને શાંતિથી વિચાર કરવાની તક જ રહેતી નથી અને વેગમાં ને વેગમાં હાલની સંસ્કૃતિનાં અંગભૂત કાર્યોનાં બીજ રોપાયે જાય છે. એટલે પુસ્તક પ્રસિદ્ધ કરનારી સંસ્થાઓ, છાપકળાનો બહોળો પ્રચાર, સંશોધન ખાતાંઓ વગેરે Page #613 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો દેશી રાજ્યોના કે સરકારી કે પ્રજાની દેખરેખ નીચે ચાલતા ગણાતા ખાતાંઓ મારફત જે જે આપણા જૈન પુસ્તક-પ્રકાશનો થાય છે, તેમાં નીચે પ્રમાણે અન્યથા યોજના જણાય છે. ૫૪૦ લખવાને બદલે છાપવું, છૂટા પાનાને બદલે પુસ્તક બાંધવું, દેશી કાશ્મીરી કાગળોને બદલે પરદેશી કાગળોનો વપરાશ, કાયસ્થ અને બીજી લખનારી જાતિઓ પાસે ન લખાવવાને બદલે છપાવવા વગેરે અન્યથા યોજનરૂપ મિથ્યાત્વનો અંશ આવે છે કે નહીં ? ભલે તે આપણા ધર્મના માન્ય પુસ્તકો હોય, છતાં પણ તેવાં પુસ્તકોની ખરીદી, વાચન વગેરેથી સમ્યક્ત્વવંતને અતિચાર લાગે કે અનાચાર લાગે ? તેનો નિર્ણય પૂજ્ય આચાર્ય મહારાજાઓ પાસેથી આપણે જાણી લેવો જોઈએ. અલબત્ત, આપણા પ્રાચીન અને આપણને માન્ય પુસ્તકો હોવા છતાં પણ તેનું ઉપર પ્રમાણે અન્યથા યોજન થાય છે. અને તેની પ્રસ્તાવનાઓ તો આધુનિક રંગે જ રંગાયેલી હોય છે, તે ટૂંકી કે લાંબી ગમે તેવી હોય, પરંતુ એ પ્રસ્તાવના એ મૂળ ગ્રંથને પણ આધુનિક ઉપયોગનું સાધન બનાવીને તેનો ઉદ્દેશ અને સ્વરૂપ બદલી નાંખે છે. મેક્ષમુલરે વેદો છપાવ્યા, તે બ્રાહ્મણોની પરંપરા માટેના ઉપયોગ માટે નહીં, પરંતુ તેઓના આધુનિક રાષ્ટ્રીય હિતમાં આ દેશની પ્રજાનો પ્રાથમિક ચાહ અને સહકાર લેવા તથા તે દૃષ્ટિથી સંશોધન ખાતાંઓમાં કામ કરતા વિદ્વાનોને સગવડ આપવા તેમણે પ્રસિદ્ધ કરેલા છે, નહીં કે વૈદિક અનુયાયીઓની માફક વેદો તરફની ઈશ્વરપ્રોફ્તત્વ ભકિતથી પ્રસિદ્ધ કરેલા છે. એટલે ગ્રંથ ગમે તેનો અને ગમે તેવો પ્રાચીન હોય, પણ તેની પ્રસ્તાવનાઓ તેને આધુનિક સંસ્કૃતિના ઉપયોગના બનાવી દે છે. અને તેના ઉપરના સંશોધનનો પણ આધુનિક સંશોધનની દૃષ્ટિથી થાય છે, નહીં કે પરંપરાની દૃષ્ટિથી. હાલનાં સંશોધનોથી ગમે તેટલી ખરાબ અસર પરંપરા ઉપર થાય, તેની પરવા તેઓને હોતી જ નથી પરંતુ, જરા વધારે ઊંડા ઊતરીને કહીએ તો એ પરંપરાના વિચારો, પરંપરાની જીવનસરણિ ઉપર જેમ વધારે ફટકો પડે, તેમ સંશોધન વધારે સચોટ અને માનપાત્ર ગણવામાં આવે છે. આજના એવા સંશોધનની પ્રતિષ્ઠા વધુ મહત્ત્વની ગણાવ છે, એટલે સંશોધનો, સમલોચનાઓ, ટિપ્પણો, ટીકાઓ વગેરે આ દૃષ્ટિબિંદુઓથી થાય છે. તે શાસ્ત્રોમાં આત્મા, પુનર્જન્મ, સર્વજ્ઞ, પરલોક, દેવસૃષ્ટિ વગેરે વિધાનોને પ્રાચીનોની માન્યતારૂપે માત્ર એમ ને એમ બાજુએ રહેવા દઈ, તેના ઉપર કદાચ કાંઈપણ ટીકા કર્યા વિના જ આધુનિક સંસ્કૃતિને બંધબેસતું હોય, તે ઉપર વધારે લખાણ કરીને વાચકોનું ધ્યાન તે ઉપર વધારે કેન્દ્રિત કરે છે, અને પેલી બધી મહત્ત્વની વસ્તુઓને તદ્દન ગૌણ બનાવી દેવામાં આવી હોય છે કે, જેમ જેમ સંશોધક ખાતાંઓ પ્રચારમાં આવતાં જાય છે, તેમ તેમ વધુ ને વધુ એ પરંપરાની વસ્તુઓ પાછળ પડતી જાય છે. ઊછરતી પ્રજા તેનાથી દૂર ને દૂર ખસતી જાય છે. કેમ કે, નિશાળોમાં પણ એને જ અનુસરતાં પાઠ્યપુસ્તકો શીખવવામાં આવતાં હોય છે. પ્રૌઢ માણસો પોતાના શાસ્ત્રગ્રંથનું નામ સાંભળીને તેમાં દોરવાય છે. અંદરની વસ્તુસ્થિતિની તેઓને માલૂમ હોતી નથી. કલકત્તાથી નીકળતી સિંઘી જૈન ગ્રંથમાળામાં જૈન ધર્મના પ્રાણભૂત સર્વજ્ઞત્વ ઉપર જ અશ્રદ્ધાનું Page #614 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૪૧ વિઘન કે જે ગ્રંથમાળાના ચુસ્ત જૈન આશ્રયદાતા ગૃહસ્થોને ઈષ્ટ ન હોય, તેઓ તો “તીર્થકરોની સર્વજ્ઞતાનો દુનિયાને પરિચય થાય તો સારું.” એવી ભક્તિથી જ મોટો ખર્ચ કરતા હોય છે, છતાં બાહ્ય સુંદરતા ભારોભાર હોવાથી અને ઉદારતાની ખુશામતી પ્રશંસાથી કુલાઈને આવા મુખ્ય નુકસાન આમ ને આમ અજ્ઞાનતાથી નભે જાય છે. અને દરેક ધર્મોમાં, સમાજોમાં, સંપ્રદાયોમાં, અમુક યોગ્ય પરંપરાઓ કાળક્રમે રૂઢ થઈ હોય છે, તે તૂટે એટલા અંશે એ ધમ, સમાજ, સંપ્રદાયો પણ પ્રજા જીવનમાંથી તૂટે જ. વળી, નવી પરંપરા તો માત્ર પ્રથમ વિચારરૂપે જ હોય એટલે તે પ્રજાના જીવનમાં તો પ્રથમ હોય નહીં. આગળ જતાં હાલ બહાર પડતાં સંસ્કરણો, આમ આડકતરી રીતે પ્રજાનાં-હજારો વર્ષથી ચાલ્યા આવતા-સ્વતંત્ર ચાલુ જીવનનાં અંગો ઉપર ઘા કરે ત્યારે નવા જીવનમાં તાજગી, સ્વતંત્રતા ઉપર ઉપરથી તો દેખાય, પરંતુ તેની પાછળ પરદેશીઓની બુદ્ધિ વગેરેમાં આ દેશની પ્રજાને પરતંત્ર થવું પડે, તેવી આબાદ ગોઠવણ પડેલી જણાય છે. એ પણ ઠીક છે, પ્રજાજીવનમાં પરંપરાથી ઊતરી આવેલી અને શાસ્ત્રમાં દર્શાવેલી શાસ્ત્ર-માન્યતાઓ ઉપર પડદો પડે અને હાલની માન્યતાઓને પ્રધાનતા મળે તેવી પ્રસ્તાવના, સંશોધનો, ટિપ્પણ વગેરે થાય છે. પરંતુ તેથી આગળ વધીને, તે તે ધર્મના અનુયાયીઓ જ પોતાના શાસ્ત્રકારોની માન્યતાઓનો ઉપહાસ કરતા હોય, શાસ્ત્રકારોનું અજ્ઞાન ગણતા હોય અને આધુનિક શૈલીને સર્વોપરી ગણતા હોય તે રસ્તે ચાલે અને તે રસ્તે ચાલવાથી શાસ્ત્રીય વિધાનોને ગમે તેટલો ધકકો પહોંચે તેવાં વિધાનો સ્વયં કરે. “અને સાંપ્રદાયિકતા, સંકોચિતા” વગેરે કહીને હલકા પાડે તથા પરંપરાને અનુસરી ધર્મશાસ્ત્રોની માન્યતાઓને ટકાવી રાખનારા તથા પ્રજામાં જીવંત રાખનારાઓની અભિમાનથી જેમાં મશ્કરી હોય તેવાં છપાવેલ સંસ્કરણો ગમે તેટલા ઊંચા કાગળો અને ટાઈપોના ભભકામાં હોય, સગૃહસ્થોની ઊંચા પ્રકારની મદદથી બહાર પાડ્યા હોય છતાં તેવા ગ્રંથો ખરીદવામાં, વાંચવામાં, પ્રશંસવામાં મિથ્યાત્વ લાગે કે નહીં ? તેથી અતિચાર લાગે કે અનાચાર લાગે ? અને પવિત્ર જ્ઞાનની આશતના ગણાય કે નહીં? અને ગણાય તો તે કેટલી ગણાય ? તે બાબતનો પૂજ્ય આચાર્ય મહારાજાઓ પાસેથી ખુલાસો મેળવીને યથાયોગ્ય રીતે વર્તવું હિતાવહ જણાય છે. જેમાં પૂર્વાચાર્યોને માટે માનભર્યા શબ્દો લખવાને બદલે સામાન્ય માણસોની જેમ તેઓને સંબોધવામાં લેખકોએ પોતાની તટસ્થતા અને હોશિયારી માની હોય, જેમ બને તેમ તટસ્થતા જાળવવાનો ડોળ કરવા જતાં ગમે તેટલો વાસ્તવિક બાબતને અન્ય પહોંચાડ્યો હોય વગેરે તત્ત્વોવાળા પ્રાચીન આપણા ગ્રંથોનાં આધુનિક સંસ્કરણોના ઉપયોગથી બચવા આપણી જૈન પ્રજાને કઈ જાતની સલાહ આપી શકાય? તેમાં પણ જૈનેતરના હાથનાં સંસ્કરણ માટે કદાચ પ્રજાસ્વયં જ તેનાં વિધાનો તરફ વિશ્વાસ ન રાખી દોરવાય નહીં. પરંતુ જૈન સંશોધકો અને સંસ્કારકોના નામ નીચે પ્રસિદ્ધ થયેલાઓના ભયંકર તત્ત્વથી પ્રજાને બચવાનો ઉપાય જ દુર્ઘટ બને છે. વળી, શ્રીસંઘને કાયદેસર જે જાતના હકક હોય, જેના ઉપર માલિકીહકક હોય વગેરે બાબતમાં Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો સંશોધકો કદાચ એવી સ્થિતિમાં મૂકી દે કે સંઘને મુશ્કેલી પડે. દાખલા તરીકે - કેટલાક સંશોધકો કહે છે, “જેનો ગુજરાતમાં હજાર-પંદરસો વર્ષથી આવ્યા.” ત્યારે એક જૈન ગણાતો સંશોધક જૈનેતરોની સભામાં એવું સાબિત કરે કે, “જૈનો ગુજરાતમાં સત્તરસો વર્ષથી આવ્યા છે.” ત્યારે જરૂર તેણે સમય લંબાવ્યો. એ સંશોધન માટે હાલના સંશોધકો તેને માન આપે તેનું કારણ એ કે તેણે બસો વર્ષ વધાર્યા એ સમજવાનું નથી. પણ ‘પંદરસો વર્ષ પહેલાં આવ્યા.' આ ભ્રમણા ઉત્પન્ન કરનારના મતને ટેકો આપ્યો, તેનું તેમને માન મળે છે. કેમ કે, એક જૈન ગણાતો માણસ “સત્તરસો વર્ષ પહેલાં જેનો આવેલા છે.” એમ કહે, એટલે આડકતરી રીતે જ “તેની પહેલાં ગુજરાતમાં જૈનો નહોતા.” એવી કબૂલાત એક જૈન જ ગણાતો માણસ મહાન સંશોધક તરીકે આપે છે, “એ સંશોધકોની દુનિયામાં મહત્ત્વનું એટલા માટે ગણાય કે, “તે પહેલાં જેનો ગુજરાતમાં આવ્યા નથી.” એમ એક જૈન ગણાતા માણસ પાસે કબૂલ કરાવ્યું.” માટે તે ભાષણની પ્રશંસા કરીને ખૂબ સારો પ્રચાર પણ થવા દે. પરંતુ મુશ્કેલી એ ઊભી થાય કે, “શત્રુંજય, ગિરનાર વગેરે ઘણાં જૈન તીર્થો વાસ્તવિક રીતે જૈનોનાં નથી.” એવા વલણ ઉપર હાલની કોર્ટે સહેજે ચાલી જાય અને શ્રી સંઘને મુશ્કેલી પડે. શ્રી સંઘ શાસ્ત્રોના ગમે તેટલા પુરાવા આપે પણ કોર્ટ તે હાર્દિક રીતે કબૂલ કરે નહીં. માત્ર જૈનોના પ્રજાકીય બળના પ્રમાણમાં છે કે જૈનોનું મન કોચવે નહીં પરંતુ, જેટલું માન પેલા જૈન સંશોધકને અને તેની પ્રસિદ્ધિને આપે તેટલે અંશે શાસ્ત્રીય પુરાવાઓને મનથી કબૂલ ન રાખે. આ દાખલા ઉપરથી હાલના યુરોપિયન સંશોધકોના આ દેશના અનુયાયીઓ આ દેશને, ધર્મને, પ્રજાને કેટલાં ભયંકર નુકસાન કરી રહ્યા છે તે સ્પષ્ટ સમજશે. આવા ઘણા દાખલા છે. સંશોધકોના અનુયાયીઓ આ દેશને, પ્રજાને, ધર્મોને ભયંકર નુકસાનો કરી રહ્યા છે. તેની તેમને ખબર નથી, પ્રજાને ખબર નથી. આવી સેંકડો, હજારો બાબતો છે. આ વાતની પરદેશીઓને ખબર છે માટે પોતાના અનુયાયીઓ અને નેતા ગણાતાઓને એક તરફથી સારું માન આપે છે. પ્રજામાંના પણ કેટલાક લોકો એ રસ્તે દોરાય છે. માટે આજકાલના સંસ્કરણ તરફ શ્રી સંઘની શી નીતિ હોવી જોઈએ ? એ ગુરુગમથી જાણી તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ. આ પુસ્તકમાં દેશ એટલે “ભારત ભૂમિ સાથે આપણો આર્યપ્રજાનો પૂર્વાપરનો સંબંધ” એવો અર્થ કરવો. છાપખાનાંઓ યે જડવાદનું પ્રધાન અંગ છે. છાપવાની કળાની ખિલવણીમાંથી છાપખાનાઓની સગવડ મળવાથી તેનો સહજ રીતે ઉપયોગ કરવામાં અન્યથા-યોજના શી રીતે ? શ્રી વિશેષાવશ્યક-નંદીસૂત્ર વગેરે” જૈન શાસ્ત્રોમાં જે કે “સમ્યફથુત પણ અન્યથા-યોજનાથી મિથ્યાથુત થાય છે.” એમ કહ્યું છે પરંતુ, સ્વાભાવિક ખીલતી આવતી છાપખાનાની કળાથી આજે આપણે સંખ્યાબંધ નકલો મેળવી Page #616 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૫૪૩ શકયા છીએ અને સારી રીતે પઠન-પાઠન, વાચન-મનન વધવાનું આપણે જોઈ શકીએ છીએ. ભંડારોમાંથી પુસ્તકો મળવાની ૫૦ વર્ષ પહેલાં કેટલી મુશ્કેલી હતી ? તેની તો મુશ્કેલી જેણે વેઠી હોય, તે જ જાણે. વળી, લખેલાં પુસ્તકો મળવા મુશ્કેલ હતાં તેમ જ તે વાંચવા પણ એટલા જ મુશ્કેલ હતા. એ સ્થિતિમાં હાલ સહજ રીતે જે જ્ઞાનનાં સાધનો મેળવવાની સગવડ થઈ છે, તેનો ઉપયોગ કરવામાં સમ્યગૃષ્ટિને દોષનો સંભવ શી રીતે ગણી શકાય ?” આ પ્રશ્ન ખાસ વિચારણીય છે. જો કે, સમ્યફદષ્ટિને છાપેલાં પુસ્તકોનો ઉપયોગ કરવામાં કે છપાવવામાં કેટલો દોષ લાગે ? તે તો જ્ઞાનીગમ્ય વાત છે, અથવા ગીતાર્થ પુરુષો કહી શકે. કારણ કે, દોષ લાગવાનો આધાર વ્યકિતની મનોવૃત્તિ, પરિણતિ ઉપર પણ હોય છે, અને સંજોગો ઉપર પણ આધાર રાખે છે. સમ્યકત્વને દૂષણ લગાડીને પણ કોઈ ક્રિયા ખાસ સંજોગવિશેષમાં કરવી પડે, તો રસપૂર્વક કરનાર કરતાં મનની તટસ્થતા જાળવીને કે નીરસપણે “કરવું પડે છે, માટે કરીએ છીએ” એમ સમજીને કરનારને અલ્પ દોષ લાગે છે, એમ આપણે જૈન શાસન શૈલી ઉપરથી સમજી શકીએ છીએ. પરંતુ “આ છાપવાની કળા સહજ રીતે ખીલી છે, અને આશીર્વાદ સમાન આપણને વાસ્તવિક રીતે નીવડી છે.” એ વાત એકંદર રીતે કબૂલ કરવા જેવી નથી. કેમ કે, તેથી લાભને બદલે વધુ નુકસાન થયાં છે, અને હજુ વધુ નુકસાન થશે, એમાં સંશય નથી. તેમાંથી આપણે કેટલા દૂર રહી શકીએ છીએ, કે કેટલા દૂર રહી શકીશું તે પ્રશ્ન જુદો છે. કોઈ વખતે સંજોગમાં ફસાઈ ગયા પછી તેનું અનિષ્ટ જાણવા છતાં પણ તેમાંથી છૂટી શકાતું નથી. પરંતુ તે લાભકારક છે કે હાનિકારક ? લાભ કરશે કે હાનિ કરશે ? તે સમજી વિચારી શકાય છે, એટલું જ નહીં, પણ જેમ બને તેમ તેના નુકસાનથી બચવા પણ પ્રયત્ન કરી શકાય છે. એટલે છાપખાનાંઓએ આપણને, આપણી સંસ્કૃતિને નુકસાન કર્યું છે કે નહીં, તેના વિચાર આપણે કરી શકીએ છીએ. છાપખાનાં નહોતાં એટલે આપણું કામ અટકયું નહોતું અને છાપખાનાં થવા છતાં આપણામાં શાસ્ત્રજ્ઞાનની માત્રા વધી નથી. ભણનારા ઘણા પાકયા દેખાય છે, પરંતુ મોટો ભાગ ફટકીયા મોતી જેવો દેખાય છે. દાખલા તરીકે - શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના જમાનામાં છાપખાનાનું નામ-નિશાન નહોતું. કેવળ લખેલાં પુસ્તકો ઉપરથી જ જ્ઞાન મેળવાતું હતું. તે વખતના વિદ્વાનોની કૃતિઓ જુઓ. નાગેશભટ્ટ જેવા, ગદાધર પંડિત જેવા - અને આ તરફ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવા પ્રખર વિદ્વાનો ઉત્પન્ન થયા છે. એ પ્રસિદ્ધ પુરુષો ઉપરાંત બીજા ઘણા વિદ્વાન મુનિરાજે તે વખતે વિદ્યમાન હોવાના પૂરતાં પ્રમાણ મળી શકે છે. આપણા જૈન સંઘમાં જ વિચાર કરો કે, આજે આટલા પ્રયત્નને પરિણામે પણ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજની તુલનામાં આવે એવી પણ લીટી-એક પણ શ્લોક-એક પણ પ્રકરણ, એક પણ ત્યાગી કે ગૃહસ્થ વિદ્વાન લખી કે તેમ છે કે? ઈધર ઉધરની મિલાવટરૂપ સંગ્રહ કરીને, સંશોધનના નામ નીચે શુદ્ધ નકલ સિવાય કોઈ પણ વ્યકિત કાંઈ પણ જીવંત જેવું કામ કરી શકેલ છે ? ઉપર ગણાવેલ મહાન વિદ્વાનો સિવાય તે વખતે Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પંચ પ્રતિકમાણસૂત્ર બીજા પણ નાના મોટા સંખ્યાબંધ વિદ્વાનોની કતાર ને કતાર હોવાનું જુદા જુદા ગ્રંથો અને પુરાવાઓ ઉપરથી સમજી શકીએ છીએ. રાસ ટબા અને અવસૂરિઓ વગેરે પરચૂરણ અને મધ્યમકોટિનું સાહિત્ય પણ સંગીન અને સ્વતંત્ર અભ્યાસના પરિણામરૂપ જેવું લખનાર વિદ્વાનો જેવા પણ અત્યારે કોઈ દેખાય છે ? કોઈ લખે છે ? પ્રમાણભૂત અને સ્વતંત્ર રચનાનું કેમ જાણે હિંદમાંથી ઝરણું જ બંધ પડી ગયું હોય, એવો ભાસ નથી થતો ? ઈધર ઈધરની પ્રતો અને ગ્રંથો ઉપરથી સંગ્રહ કરીને છપાવી ફલાઈ જનારા કેટલાક પંડિતમન્યો મૂળ ગ્રન્થકારો કરતાં પણ પોતાની બડાઈ હાંકવાની બેશરમાઈ કરતાંયે કવચિત્ લેશમાત્ર સંકોચાતા નથી. એ વળી એથી પણ મહદ્ આશ્ચર્ય નથી શું? એટલે એક તરફ આ સ્થિતિ છે. બીજી તરફ આપણા સંઘમાં ગમે તેટલા મતભેદો, ગચ્છભેદો હતા, છતાં નિહનવો સિવાય ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ કે શાસનના બંધારણ વિરુદ્ધ શાસનના સભ્યોમાંનો કોઈ પણ વર્ગ નહોતો. ત્યારે આજે શાસ્ત્રોવિરુદ્ધ, દેવગુરુ ધર્મવિરુદ્ધ, ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ બોલવું, લખવું કે પ્રતિપાદન કરવું તે તો એક રમત જ એક વર્ગને થતી જાય છે. જે વર્ગ કદી જૈન શાસનમાં નહોતો. આવા વર્ગનું અસ્તિત્વ છાપખાનાને આભારી છે અથવા છાપખાના જેને આભારી છે, તેને આભારી છે. અને હજુ આગમોનાં ભાષાન્તરે બહાર પડી ગયા પછી અને વખત જતાં તેના પણ સારાંશો બહાર પડી ગયા પછી કેવી પરિસ્થિતિ એક તરફ અનુયાયી વર્ગમાં ફેલાશે, તેની કલ્પના ઘણી ભયાવહ છે. અલબત્ત, ટકાવ કરનાર વર્ગ પણ હશે જ છતાં તેમના માર્ગમાં મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. એટલું તો સ્પષ્ટ જ છે. બીજું છાપખાનાથી બહાર પડતું આ દેશનું સાહિત્ય વખત જતાં ગૌણ પડતું જાય છે. પરદેશી વિદ્વાનોએ પ્રસિદ્ધ કરેલું સાહિત્ય આજે દુનિયામાં મુખ્ય સ્થાન ઉપર ગોઠવાતું જાય છે, અને બાકીનું બીજું બધું જાહેરમાં તેના પછીના સ્થાનમાં આવતું જાય છે. જેમ જેમ વખત જતો જાય છે, તેમ તેમ એ સાહિત્ય મુખ્ય ગણાતું જાય છે. આખા જગતની ઊછરતી પ્રજાની સામે તે જ જગતનું વિશિષ્ટ સાહિત્ય ગણાઈ રહ્યું છે. એવી છાયા ઉત્પન્ન થતી જાય છે. જે વાસ્તવિક રીતે અસત્ય છે. તેનાં ઘણાં કારણો છે. ઊછરતી પ્રજાનો મોટો ભાગ પરદેશી વિદ્વાનોની છાયાને અનુસરતું આ દેશમાં લખાતું છપાતું સાહિત્ય આજે મોટા પ્રમાણમાં વાંચે છે. પ્રાચીન માટે તો પ્રમાણમાં બહુ જ ઓછી સંખ્યાને રસ છે. કથાઓ અને વાર્તાઓ પણ નવી સંસ્કૃતિને અનુસરતું જ વંચાય છે અને પ્રાચીનો એ તેનું અનુકરણ કોઈ વખત કરવું પડે છે, છતાં “જમાનાને અનુસરતું નથી” એવું સર્ટિફિકેટ મળે છે. એટલે તે તે ધર્મના અનુયાયીઓમાં જ આદર ઘટવારૂપ નુકસાન ઘણું થયું છે, અને હજુ થવાનાં સ્પષ્ટ ચિહનો જણાઈ રહ્યાં છે. એટલે એ રીતે પણ છાપખાનાઓથી ફાયદો થયો નથી. દેશના લહિયાના ધંધાને અને તે જ સાથે કાગળો, શાહી વગેરે જોડાયેલા બીજા ધંધાઓને Page #618 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૪૫ નુકસાન થયું છે, તથા પરદેશી માલના વકરાથી તે પ્રજાના હાથ મજબૂત થયા છે અને તેનું પરિણામ આપણે કેટલું શોષવું પડશે ? તે બાજુએ રાખીએ, તો પણ કેટલું આર્થિક નુકસાન થયું, ને થાય છે? તે પણ સમજવા જેવું. ભંડારોમાંથી ભંડારોના સંરક્ષકો પાસેથી અભ્યાસીઓને પણ પુસ્તકો મળવાની મુશ્કેલી મોટામાં મોટી હતી. બલ્ક મળતા જ નહીં. એ વાતમાં સત્યાંશ જરૂરી છે. પરંતુ વિચાર કરતાં ય તેમાં વસ્તુસ્થિતિ જુદી જ છે. ભંડારોમાંનાં પુસ્તકો તૈયાર કરનાર મોટે ભાગે અથવા ઘણે ભાગે મુનિમહારાજાઓ હતા, અને તેમને માટે જ હતા. એટલે તેમની મહેનતનું જ એ ફળ હતું. પરંતુ વચલો ઐતિહાસિક કાળ એવો ગયો કે, વિધર્મીઓ તરફથી પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો એટલે સંરક્ષકો વધુ સાવચેત બન્યા અને તેઓનાં મન વધારે ટૂંકા થયાં, ખાસ ખાતરી કર્યા વિના ભંડારના અસ્તિત્વની વાત સરખી પણ કોઈના મોઢે ન કરે, વાત પણ ન જાય તેની કાળજી રાખતા હતા. આ સ્થિતિ હતી. યતિઓની ઉત્તમ સેવા હતી. બીજું એ પણ કારણ હતું કે, પુસ્તકો કોને આપવા અને કોને ન આપવાં ? એ બાબતની જૈન શાસ્ત્રકારોની, બીજા શાસ્ત્રકારોની કે, જગત આખાયેની પાત્રાપાત્ર વ્યવસ્થા તો ચાલુ હતી જ. પાત્રને આપવું, અપાત્રને નહિ. આજે પણ અમુક કલાસના વિદ્યાર્થીઓને જ અમુક ગ્રંથો ભણાવાય છે. તે પણ પાત્રતા પાત્રની એક જાતની વ્યવસ્થા છે. એટલે એ વ્યવસ્થાની દષ્ટિથી પણ “રખેને અપાત્રના હાથમાં પુસ્તક જઈ ચડે, અને અનર્થ થાય.” તેનીયે ખાસ સાવચેતી રાખતા હતા. આ સ્થિતિમાં તેમની સામે બે સંજોગો ગોઠવાયા. એક તો નવી કેળવણી, નવું રાજ્યતંત્ર તેની નવી દિશા. નવી રચના, નવા કાયદા, નવા બંધારણ, નવું જીવન, નવા આદર્શ, નવું વર્તન અને તેથી પલોટાયેલા નવા યુવકો. તેઓમાં આર્ય સંસ્કૃતિની દષ્ટિથી પાત્રતાની ખામી અને વધુમાં અપાત્રતાની શંકા. પછી ત્યાગી હોય, કે તે ગૃહસ્થ હોય. બન્નેયમાં આ જાતનો વર્ગ થોડે ઘણે અંશે પણ અસ્તિત્વમાં આવતો ગયો હતો અને પ્રસંગ મળતાં પરસ્પર અથડામણો પણ એવી વધતી ગઈ કે પરિણામે પરસ્પર શંકા અને વહેમ વધતાં ગયાં. અને બીજું પરદેશી સંશોધકો ચારેય તરફથી પુસ્તકો એકઠા કરવાને ભૂખ્યા વરુની માફક તૂટી પડેલા હતા, પરંતુ તેમને સરળતાથી પુસ્તકો મળી શકતા નહીં. છતાં જ્યાંથી મળ્યું, ત્યાંથી એકઠા કર્યો જ ગયા. પુસ્તકો ન મળ્યાં તો તેના લિસ્ટો મેળવ્યાં, તેમ ન બન્યું, તો સરકારને રિપોર્ટ કરી જ્યાં ત્યાંનાં પુસ્તકોનું અસ્તિત્વ સરકારી દફતરે જાહેર કર્યું. છતાં કેટલેક સ્થળે તેમનાથી જઈ શકાય તેમ નહોતું. કેટલાક રાજદ્વારી કોલકરાર, સંધિ અને પ્રજા તરફ અમુક જાતનું વલણ ટકાવી રાખવાની પૉલિસીથી તેમાં કોઈ પણ વિશેષ હિલચાલ કરી શકાય તેવી નહોતી. તે સંજોગોમાં તેઓ પુસ્તકો તો મેળવી શકયા નહીં, પરંતુ પુસ્તક ભંડારના સંરક્ષકોની નિંદા તે વર્ગમાં જ શરૂ કરી, પુસ્તકોની દુ:ખી દશા વર્ણવી વગેરેથી ધીમું ધીમું પ્રચારકાર્ય એટલી હદે પહોંચ્યું Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો કે, આપણા લોકો પણ આ જ વાત છડે ચોક બોલવા માંડ્યા. આ વાતાવરણ વચ્ચે ભંડારના સંચાલકો પાસે કોઈ લેવા જાય તો, “શાસનને લાભ કરતા રસ્તે ઉપયોગ કરશે ? કે બીજી રીતે ઉપયોગ કરશે ? પરદેશ મોકલી દેશે? કે દુરુપયોગ કરશે? લેવા આવનાર કેવા વિચારની વ્યકિત છે?” વગેરે શંકાઓથી જૈન ભંડારનું પુસ્તક જૈનને અને મુનિને પણ આપવામાં સંકોચ દાખવે. જો કે ઘણાં પુસ્તકો ડિપૉઝિટો આપીને પરદેશીઓ લઈ ગયા છે, ડિપૉઝિટ પાછી લીધી નથી, ને પુસ્તકો ય પાછા આપ્યાં નથી એવા દાખલા સાંભળ્યા છે. પુસ્તક ન છાપવાના આદર્શવાળા કાર્યવાહકોએ આપેલાં પુસ્તકો છપાયાં અને તેમની પ્રસ્તાવનામાં પોતાના ધર્મવિરુદ્ધ, પૂજ્ય પુરુષોવિરુદ્ધ લખાણો સાંભળીને તેઓ વધારે ચમકયા. પરદેશીઓનો સાહિત્ય બહાર પાડવાનો હેતુ લોકપ્રિયતા મેળવવાનો સંસ્કૃતિ અને દેશની પરિસ્થિતિનો અભ્યાસ કરીને નવી સંસ્કૃતિ, નવી સત્તા અને નવા ધંધા માટે બહોળા ક્ષેત્ર વિસ્તારવાના માર્ગો શોધવાનો હતો અને છે. આ કામ માટે તેમને છાપખાનાંઓની જરૂર હતી. એવી વિવિધ જરૂરિયાતોને અંગે ઊભા થયેલા યંત્રવાદનું એક અંગ આજનાં છાપખાનાં છે અને એવા જ હેતુ માટે તે શરૂ કરવામાં આવેલાં હતાં. નહીં કે આ દેશની પ્રજાની કોઈ અનિવાર્ય જરૂરિયાત માટે હતાં. પરંતુ તે વખતના આ દેશના કેટલાક નવ યુવકો કે જેઓ આજે વૃદ્ધ થયા છે તેઓ લલચાયા અને પ્રચારના ભોગ બન્યા. ભંડારોમાંથી પુસ્તકો મેળવવા માટે, સંચાલકો અને તે વખતના આગેવાન મુનિઓ વગેરેની સહાનુભૂતિ પોતાની તરફ ખેંચવાના વાસ્તવિક પ્રયત્નો કરવાને બદલે, બહારના પ્રચારકાર્યની આડકતરી અસરને લીધે, ઊલટી વ્યવસ્થાપકો ઉપર રીસ કરી અને છાપખાનાને ઉત્તેજન આપવા તરફ ક્ષણિક લાભો જોઈ દોરવાઈ ગયા. આજે તો ત્યાં સુધી પરિણામ આવી લાગ્યું છે કે, હવે તો નવો વર્ગ આગળ પડતો થઈ રાજ્યની લાગવગથી કે બીજી રીતે, સીધા યા આડકતરા શ્રી સંઘ કરતાં જુદા જ તંત્ર નીચે પોતાના ભંડારો મૂકવાની ભૂલ કરી રહ્યો છે, અથવા પરદેશી સંશોધકો એ જાતના વર્ગને આગળ કરી પોતાને સરળતાથી પુસ્તકો મળે તેવી, પોતાની સંસ્કૃતિ ખીલવવાના ઉપયોગમાં આવે તેવી, ગોઠવણમાં ભંડારોને લાવવા ગોઠવણ કરી કરાવી રહ્યા છે. પરંતુ તેમના હવાલામાં ધીમે ધીમે આવી જતાં ભંડારોમાંનું તમામ સાહિત્ય બહાર પડી ગયા પછી, જેમ તેમ રસ ચૂસી લેવાયા પછી અને આધુનિક પરદેશી વિદ્વાનોનું સાહિત્ય વધારે મહત્ત્વનું ગણાયા પછી હાલનાં પુસ્તકોને માટે અસાધારણ બેદરકારીભર્યું વલણ નહીં દાખવે, તેની શી ખાતરી છે ? લખેલાં પુસ્તકો વાંચવાની સામાન્ય પ્રજાની અનાવડતમાં તો વધારો થતો જાય છે. એ જાતનો લોકમત પણ લખેલાં પુસ્તકોની ઉપયોગીતાની વિરુદ્ધમાં તેમને દિવસે દિવસે મળતો જાય છે. જે કે હાલમાં હજુ લખેલાં પુસ્તકો ઉપર તેઓનો આદર દેખાય છે, તેનું કારણ એ નથી કે પુસ્તકો ઉપર નિતાન્ત આદર છે, પરંતુ તેનું ખરું કારણ એ છે કે, હજુ તેઓના હાથમાં પુસ્તકોના ભંડારો પાકે પાયે આવ્યા નથી, આવી શકયા નથી ત્યાં સુધીની એ સ્થિતિ છે. છાપખાનાં નહોતાં એટલે આપણા લોકો આપણો ધર્મ નહોતા સમજતા, નહોતા પાળતા એમ નહોતું, પરંતુ આજના કરતાં વધુ સચોટ રીતે પાળતા હતા અને સમજતા હતા. તેને સાચા પુરાવા અનેક છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૪૭ સારાંશ કે, આપણને છાપખાનાથી લાભ થયો નથી, પણ વાસ્તવિક રીતે નુકસાન થયું છે. અહીં કોઈ કહેશે કે, “સંગ પ્રમાણે વર્તવામાં સંઘને દોષ નથી અને અતિચાર કે અનાચારેય નથી પણ શ્રુત ભક્તિ છે. કેમ કે, આગામી મુખે ભણાતા હતા. તેને બદલે પડતો કાળ જોઈ શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ભગવતે આગમોને પુસ્તકારૂઢ કર્યા તેમ કરીને તેઓશ્રીએ શ્રુતભક્તિ કરી છે. જે કે મૂળ આદર્શથી તેઓ ઊતરતા આદર્શમાં આવ્યા છે, છતાં સંજોગો વિશેષમાં એ જ કાર્ય પરમ યુતભકિતનું કારણ બન્યું છે. તે પ્રમાણે, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે, છાપખાનાથી સંખ્યાબંધ પુસ્તકો લોકોને પહોંચાડવાથી એકાએક જ્ઞાનનો પ્રકાશ ફેલાય તેમ હતું.” અલબત્ત, શ્રી ક્ષમાશ્રમણ પ્રભુએ શ્રુતની ભકિત નહીં પરંતુ પરમભક્તિ કરી છે, એ બરાબર છે : કેમ કે, તે વખતે કાળક્રમના કુદરતી સંજોગો જ એવા થયેલા છે, જેમાં તેઓશ્રીને એ પ્રમાણે કરવું અનિવાર્ય હતું ત્યારે છાપખાનાં નહોતાં તો પણ આપણા ભૃતની એવી સ્થિતિ નહોતી થઈ ગઈ કે, આપણી પ્રજા ભૃતથી તદ્દન વંચિત થઈ જાત. માત્ર રાજકીય ઊથલ-પાથલની અશાંતિમાં પણ લખવા લખાવવાનું કામ અટકયું જ નહોતું. લખવાનો ધંધો એ પ્રાચીન કાળથી કરનારા આજે જેટલા બેકાર થયા છે, કે બીજા ધંધામાં પડ્યા છે, તેવું થોડા દશકા પહેલાં નહોતું. સારાંશ કે, લેખનકાર્ય ઓછેવત્તે અંશે અવિરત ચાલુ હતું અને શાંતિના સમયમાં તેમાં વધુ સારો વેગ આવે, એ સ્વાભાવિક હતું. એટલે છાપખાના વિના આપણે નિરાધાર થઈ પડીએ તેવા સંજોગો હતા જ નહીં માટે છાપખાનાની આપણને અનિવાર્ય જરૂરિયાત નહોતી જ, માટે પુસ્તકારૂઢના સંજોગો સાથે છાપખાનાના સંજોગોને ઘટાવી શકાય તેમ નથી. વાસ્તવિક રીતે છાપખાનાની ઉત્પત્તિ જડવાદના અનેક સાધનો અને ફળોમાંનું એક સાધન અને ફળ છે, તેને આપણામાંનાઓએ ભાંતિથી અનિવાર્ય, કુદરતી, ખાસ ઉપયોગી માની લીધેલું હતું અને છે. અને જો છાપખાનાંઓને અનિવાર્ય અને કુદરતી માનીએ તો આપણે આધ્યાત્મિકોએ આજનો આખોયે જડવાદ કુદરતી અને અનિવાર્ય માનવો જોઈએ. અને તેને અનિવાર્ય ગણીને તેનો વિરોધ ન કરતાં તેને અપનાવવો જોઈએ. પણ તેમ આપણે માનતા નથી, અને અપનાવતા પણ નથી. અનિવાર્ય આંશિક ઉપયોગ એ સ્વેચ્છાનો સ્વીકાર ન ગણાય. સાચું બહાર આવવાને બદલે ખોટું મોટા પ્રમાણમાં બહાર આવ્યું છે, તે છાપખાનાઓને આભારી છે. માટે પુત્યય-લિહાણું એ આપણો આદર્શ હજુ ઝાંખો પડવા ન દેવો જોઈએ. છપાયેલા આગમો વગેરે ગમે તેના હાથમાં જવાથી તેને નામે અનેકવિધ અનર્થોની પરંપરાઓનું અસ્તિત્વ આ કાળે સરળ બન્યું છે. આ બધા સંજોગો જોતાં આપણે છાપખાનાના યુગમાં મેળવ્યા કરતાં ગુમાવ્યું છે વધારે. અને ઉત્તરોત્તર ગુમાવ્યું છે તેનાં કરતાં અનેકગણું ગુમાવવાનાં બીજ હજુ રોપાઈ ચૂકયાં છે. એમ સૂક્ષ્મ વિચાર કરતાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે. માટે સુવિહિત પુરુષોની દેખરેખ નીચે ધર્મગ્રંથો લખાય, શાસ્ત્રોકત શૈલીથી ભણાય, સમજાય, સંભળાય અને તે જ રીતે સચવાય, પૂજાય, આદરભકિત કરાય વગેરેથી જેટલા આપણે દૂર ગયા છીએ, છપાવવું – તેને માટે ફંડો, ગમે તેણે ગમે તે રીતે Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પંચ પ્રતિકમણસૂત્ર વિધિ વિના વાંચવું વગેરે જે કાંઈ શૈલી વિરુદ્ધ આચરણ તથા પ્રવૃત્તિઓ વગેરેથી અન્યથાયોજન થઈ રહ્યું છે, તેમાં અતિચાર કે અનાચાર કેવા સંજોગોમાં લાગે છે ? તે ગીતાર્થ ગુરુઓ પાસે ખપી જીવોએ નકકી કરી લેવું જોઈએ. કંઈક અતિચાર કે અનાચાર લાગે છે તો જરૂર. એ પણ સમ્યક્ દષ્ટિજીવોનું કર્તવ્ય છે અને જ્ઞાનના અતિચારોથી બચી જ્ઞાનાચારના પાલનનો એ ય રસ્તો છે. હાલની કેળવણીનો ઉન્માર્ગ આજની કેળવણી જૈનધર્મથી દૂર છે, આર્ય સંસ્કૃતિથી દૂર છે અને એકંદર આખા જગતની પ્રાચીન સંસ્કૃતિથી દૂર છે. માત્ર સીવીલાઈઝેશનની સંસ્કૃતિને અનુકૂળ તે રચવામાં આવેલ છે. એટલે ૧. તે કેળવણી પ્રજાને આધુનિક સંસ્કૃતિની તાલીમ આપે છે, સાથે જ ૨. આધુનિક સિવાયની સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. અને ૩. જ્યાં બન્નેયમાંનું કાંઈ પણ હજુ સુધી કરી શકાતું નથી ત્યાં જેમ હોય તેમ મધ્યસ્થ રીતે નિભાવે છે. આધુનિક કેળવણીની આ ત્રણ ગતિ છે અને તેનું ધ્યેય. જગતની ગૌરાંગ પ્રજાઓના રાષ્ટ્રીય, આર્થિક, નૈતિક વગેરેમાં પ્રગતિ અને ઉન્નતિ છે. અને બીજાનું અધ:પતન અર્થાત્ સ્વાભાવિક રીતે જ સંકળાયેલું જ રહેલ છે. તેની સાથે આજે સીધો યા આડકતરો સંબંધ ધરાવતી કોઈ પણ બૉર્ડિંગો, હોસ્ટેલો, બાળ શિક્ષણ શાળાઓ કે કેવળ સંસ્કૃત શાળાઓ પણ તેમના જ ધ્યેયની સિદ્ધિ કરે છે. એટલે શુદ્ધ સમ્યગ દષ્ટિ જૈન દર્શન કરતાં ફીરકાઓમાં અને તેથી વિશેષ ભારતીય આર્ય દર્શનોમાં અંશતઃ મિથ્યાત્વ આવે છે. તેથી વિશેષ ભારતીયેતર ઈસ્લામ, જરથોસ્તથ, શિંતોતાઓ, કોન્ફયુશસ, ખ્રિસ્તી વગેરે ધર્મો અને દર્શનોમાં કંઈક વિશેષ મિથ્યાત્વનો અંશ વધારે પ્રમાણમાં દેખાય છે. તેથી હાલની જડવાદની સંસ્કૃતિમાં વિશેષ અંશો છે. અથવા મિથ્યાત્મય છે કેમકે, તે કેવળ જડવાદ પ્રધાન છે, સ્વાર્થ પ્રધાન છે અને વિશેષ તો ભયંકર ત્યારે છે કે, જ્યારે તેનો ઉપયોગ આપણે આપણી ઉન્નતિમાં કરવા લલચાઈએ તેવી ખૂબીથી આપણી સામે તે ગોઠવાયેલ છે. રત્નત્રયી સન્માર્ગ છે. તેને અનુસરતું જ્ઞાનસન્માર્ગ પોષક જ્ઞાન અને માર્ગાનુસારી વ્યાવહારિક શિક્ષણ પણ સન્માર્ગ પોષક ગણાય છે. અને માર્ગને બાધાકારી વ્યાવહારિક જ્ઞાન જૈન શૈલીની અપેક્ષાએ ઉન્માર્ગ પોષક ગણાય જ. આર્ય સંસ્કૃતિ અનુસાર જીવન તે માર્ગનુસારિતા. તેથી વિરુદ્ધ જીવન તે ઉન્માર્ગગામિતા એ સ્પષ્ટતા જ છે. આજની કેળવણી તદ્દન આર્ય સંસ્કૃતિથી વિરુદ્ધ જ શિક્ષણ આપવાનું ધ્યેય મૂળથી જ ધરાવે છે, અને ભવિષ્યમાં પણ એ જ ધ્યેય છે એ સ્પષ્ટ જ છે. જુદી જુદી યોજનાઓ તો જુદા જુદા વખતના માત્ર કાર્યક્રમો જ હોય છે. શરૂઆતમાં આ દેશની પ્રજામાં પ્રચાર કરવા માટે આ દેશમાં ચાલતાં જ પાઠ્યપુસ્તકો, ચાલતા અભ્યાસક્રમો અને ભણાવતા પંડ્યા અને તેની ધૂળી નિશાળો ઉપર માત્ર અંકુશ રાખી, પરીક્ષા લેવી અને ઈનામો આપવા વગેરેથી લોકપ્રિય રૂપે શરૂઆત કરી. પંડ્યાઓ માટે “તેઓ એક દેશી જ્ઞાન આપે છે.” વગેરે Page #622 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૪૯ નિંદા કરીને અમુક લોકમતની સહાયથી યુનિવર્સિટીમાં માત્ર ઉપરના ત્રણ હેતુને અનુસરી યુરોપના વિદ્વાનો અને સંસ્કૃતિ તરફ આકર્ષણ થાય, હિંદના ચાલુ જીવનમાં દોષ દેખાય અને બાકી પરચૂરણ જ્ઞાન મળે, એવા ક્રમથી જ્ઞાન આપવા નવી નિશાળો, નવા માસ્તર રાખ્યા અને પાઠ્યપુસ્તકો તૈયાર કરી ચલાવ્યા તથા નોકરીધંધા આપી નવી કેળવણીની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી તેમજ હાલની સંસ્કૃતિના દષ્ટિકોણથી માત્ર સામાન્ય વિચાર કરનાર અને ખરી કર્તવ્યશક્તિ ગુમાવનાર વર્ગ ઊભો કરવામાં આવ્યો. હવે એ ક્રમ પૂરો થતાં, આ દેશમાં મોટાં મોટાં કારખાનાં તેઓને નાંખવાનાં છે, તેમાં કેળવાયેલો મજૂર વર્ગ જોઈએ. તે ઉત્પન્ન કરવા વધુ સ્કીમને નામે હવે પછીનાં ૫૦ વર્ષ માટે પ્રચારમાં લાવવાની ગોઠવણ દેશના અમુક વર્ગની સહાનુભૂતિ મેળવીને ચાલી રહી છે. અને એ નવી ગોઠવણને અમલમાં લાવવા જૂની કેળવણીની પદ્ધતિની ટીકા થવી જ જોઈએ, કરવી જ જોઈએ, કરવા દેવી જોઈએ, કરાવવી જોઈએ જ, તો જ નવી સ્કીમ માટે લોકોની ઉત્સુકતા વધે, તેની તરફ લોકમત વધે અને તો જ તે જલદી અને ઓછી મહેનતે અમલમાં લાવી શકાય. તેને દેશનેતાઓ અને પ્રધાનો મારફત નવી કેળવણીની યોજના તરફ પ્રજાનો ચાહ મેળવવા ગોઠવણ કરવાના પ્રયાસો થયા છે. તેમાં દેશનેતાઓ પ્રથમ આર્યસંસ્કૃતિની ખિલવણીની વાતો કરવાના જ અને કરવા દેવાની પણ ખરી. કારણ કે, એવી વાતો વિના સાચા ખોટા બંધબેસતા અણબંધબેસતાં શાસ્ત્રવાજ્યોના પુરાવા વિના, અહીંની પ્રજા કોઈનેય કબૂલ કરતી નથી. એટલે એવું પણ પ્રચારના અંગ તરીકે રહ્યા કરે છે. અને સાથે સ્ત્રીઓ, ખેડૂતો અને ગરીબોના ભલા માટેની પણ વાતો ગૂંથવાની જ. કેમ કે, તેથી લોકમત ઠીક મેળવી શકાય છે. આ દેશના પ્રાચીન ગ્રંથોને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવાના તો બીજાંયે ઘણાં કારણો છે. લોકમતને તરફેણમાં લઈ શકાય અને એ વિષયોને પણ બને તેટલું આધુનિક સ્વરૂપ આપીને તેનો લાભ લઈ શકાય. એ પાઠ્યપુસ્તકો રાખીને તેમાંનું તત્વ સ્વતંત્ર રીતે પ્રચાર કરવા માટે નથી પણ હાલની કેળવણીના અંગ તરીકે તેનો લાભ લેવાની દૃષ્ટિથી ગોઠવવામાં આવે છે. વાસ્તવિક રીતે તે પ્રાચીન સાહિત્ય ઉપર અને તેના વિધાન ઉપર કટાક્ષો કરવામાં આવે છે અને બીજી દષ્ટિઓથી ભૂલો કાઢવામાં આવે છે. આધુનિક કેળવણીની ટૂંકમાં અસર અને પરિણામો ૧. પ્રજાજીવનમાં સંસ્કૃતિનો પલટો લાવી શકાય. પરિણામે આર્યપ્રજામાંથી આર્યસંસ્કાર ઘટતા જાય. ૨. આજની સંસ્કૃતિના અંગભૂત રાજ્ય સંસ્થા-ધંધા, સમાજજીવન વગેરેના ધીમેધીમે મજબૂત બનતા બંધારણીય ચોકઠાઓમાં ઉપયોગી વર્ગ જેમ જેમ મળતો જાય તેમ તેમ પ્રજાકીય ચાલુ જીવનના બંધારણીય ચોકઠાઓ નબળા પડતા જાય અને સ્વતંત્ર પ્રજા જીવનના દરેક અંગો બીજી પ્રજાની પરતંત્રતામાં ગોઠવાતા જાય. ૩. કોઈ પણ ખાતાઓમાં ઉપયોગી થાય તેવો વર્ગ ન મળે, તો પણ અહીંની સંસ્કૃતિમાં મદદ કરતો Page #623 -------------------------------------------------------------------------- ________________ પપ૦ પંચ પ્રતિક્રમા સૂત્રો મટે એવો અધકચરો વર્ગ તૈયાર થાય તો પણ તેવા વર્ગથી નવી સંસ્કૃતિને મદદ મળે છે. જેથી જેમ વધારે સંખ્યા કેળવણી લેનારી તેમ મૂળ જીવનથી વધારે વ્યુત થાય અને ફરજિયાત કેળવણીનો પણ એ અર્થ છે. અક્ષર શિક્ષણ યોજના અને તેની પાછળ બેઝીક અંગ્રેજીની સરળ પદ્ધતિ મારફત ઇંગ્લિશ ભાષાનો વધુ સંગીન અને વ્યાપક પ્રચારકાર્ય વગેરે ગોઠવાયેલા છે. હિંદીનો દેશમાં મુખ્ય પ્રચાર પ્રાંતિક ભાષાઓ તોડે અને બેઝીક મારક્ત સરળ અંગ્રેજી ફેલાતાં તે એક જ આંતરરાષ્ટ્રીય મુખ્ય ભાષા બનતાં સો વર્ષ પછીનો ગુજરાતી બાળક જેટલી સરળતાથી અંગ્રેજીમાં વ્યવહાર કરી શકશે. તેના પ્રમાણમાં ગુજરાતીના શબ્દોયે તેને યાદ હશે કે કેમ એ પ્રશ્ન છે. ૪. જેમ જેમ નવા ચોકઠાના ધંધા વધતા જાય અને તે ધંધાદારી વર્ગ સત્તામાં આવતો જાય તેમ તેમ જૂના ધંધા તૂટતા જાય અને બેકારી ફેલાતી જાય તેમ તેમ તેનાં સંતાનો ધંધા માટે કેળવણીની-ભણવાની સંસ્થાઓની ખોજમાં નીકળ્યું જ જાય. તે ભણીને તૈયાર થાય અને નવા ધંધામાં કે કોઈ પણ નવા કામમાં ગોઠવાય તેમ તેમ તેને વેગ મળે. તેમ તેમ વધુ ને વધુ જૂના ધંધા તૂટે અને મોટી સંખ્યા કેળવણી લેવા બહાર આવતી જાય. આના ઉપર બોર્ડિંગો, અનાથાશ્રમો, હોસ્ટેલો, નિશાળો, મદરેસાઓ અને પાઠશાળાઓ બાળાશ્રમો વગેરેમાં ગોઠવાયેલા છે. બેકારી ઉત્પન્ન કરનાર અને બેકારીના પાયા પર આધુનિક કેળવણીનો પાયો રચાયેલો છે. ૫. સુખી કુટુંબના માણસોનાં બાળકોના બીજું કાંઈ નહીં તો છેવટે સંસ્કાર બદલાય છે. પોતાના દેશભાઈઓ કરતાં જુદું જ જીવન જીવે છે, અને દરેક બાબતોમાં જુદા પડે છે. ૬. સંસ્કૃતિનાં સાધનોરૂપ પ્રાચીન શાસ્ત્રો, ત્યાગીઓ, મંદિરો, મહાજનો, જ્ઞાતિ, બ્રાહ્મણો, ભિન્ન ભિન્ન ધંધાદારીઓ વગેરે સાધનો, તેની પાછળનાં વિજ્ઞાનો વગેરે ઝાંખા પડતા જાય, તૂટી પડતા જાય તેમ તેમ નવાં સાધનોની જરૂર પ્રજાને ઊભી થાય અને તેટલો પરદેશમાં વકરો વધે તેટલી નવી સંસ્કૃતિ વધુ મજબૂત થાય. ૭. શરીર, ધર્મશ્રદ્ધા, વતનમાં વાસ, સંયુકત કુંટુંબવ્યવસ્થા, આધ્યાત્મિક સંસ્કૃતિપ્રધાન જીવન વગેરે તત્ત્વોથી પ્રજા દૂર દૂર જતી જાય. ૮. વિચાર ભેદ થવાથી જૂના નવા વિચારોની અથડામણોથી પ્રજામાં કાયમ કુસંપ રહે. ૯. પ્રજાજીવનમાં સહજ રીતે જીવન જીવવાથી જ આપણી પ્રજાને જીવનની તમામ દિશાઓની જરૂર પૂરતી અને સંગીને તાલીમ મળતી હતી. અને લાયક પ્રજા તરીકે તૈયાર થતી હતી. તે અટકયું અને માત્ર પુસ્તકીય અને જીવનના એક દેશી જ્ઞાનને લીધે પુરુષાર્થ શકિત પ્રજાની ઘટતી જાય છે. ઘણી બાબતોનું અજ્ઞાન વધારે વધતું જાય છે. પુરુષાર્થ શક્તિ જ હણાઈ જાય છે. પરિણામે પરદેશી મૂડી, પરદેશી બળ, પરદેશી ધંધા, સંસ્કૃતિ અને પરદેશી જીવનના ઘણા ભાગ ઉપર પરદેશી સત્તા વગેરેની પરતંત્રતા સ્વીકારવી પડે છે. ૧૦. આ હિસાબે એક ગ્રેજ્યુએટ કરતાં દૂરના ગામડાનો એક ખેડૂત વધુ સ્વતંત્ર છે અને ઓછામાં ઓછો ગુલામ છે. કેમ કે, ગ્રેજ્યુએટ અને તેમાંથી બનેલા દેશનેતાનું જીવન, રહેણીકરણી, ધંધો Page #624 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૫૧ અને માનસ લગભગ પરદેશી સંસ્કૃતિને ઘણી રીતે આધીન જ હોય છે. ત્યારે ખેડૂતને અમુક કર આપવામાં પરતંત્રતા હોય છે, બાકી બધી બાબતમાં સ્વતંત્ર હોય છે. તે ગ્રેજ્યુએટનાં મન, વચન, કાયા, ગુલામ હોય છે. ૧૧. એટલે જેમ જેમ આ દેશમાં આધુનિક કેળવણીનો આશ્રય શોધનારાઓની સંખ્યા વધતી જાય, તેમ તેમ પ્રજાની પરતંત્રતા વધતી જાય એ આ હિસાબે બરાબર સમજાશે. ૧૨. પ્રજાને જ્ઞાનની, અનુભવની, તાલીમની જરૂર છે પરંતુ, તે આર્ય સંસ્કૃતિને અનુસરતી રીતે કરવાને, પ્રજાજીવન અને ખમીર ટકાવવાને તદ્દન સ્વતંત્ર શિક્ષણની જરૂર છે. એટલે કે, પ્રજાને અનાયાસે જે અનુભવ મળે છે, તેમાં ઉમેરો કરવા પૂરતું શિક્ષણ મળવું જોઈએ. ૧૩. દા. ત. કારીગરના છોકરા કારીગર પિતા કે નાતીલા પાસે કારીગરી શીખી શકે છે, તેમાં ઉમેરો. કરવો જરૂરી હોય તો તે શિક્ષણ સંસ્થા મારફત કરવો. પરંતુ પહેલેથી નિશાળમાં બધું ભણે અને મોટી ઉમરે જે ઈજનેરી લાઈન લે તો કારીગર થાય, નહીંતર કારીગર ગુમાવવો પડે એમ જ ખેડૂત માટે છે. ૧૪. આ દેશમાં વિદ્વાનો ઘણા હતા અને શિક્ષણનાં સાધનો ઘણાં અને વિવિધ હતાં ને છે, પરંતુ ઈતિહાસ ઉપરથી જોતાં તે બંધ થાય તેવી પરિસ્થિતિ થઈ હતી, અને નવાં સાધનો ઉઘાડવામાં આવ્યાં છે. તેને અનુસરીને ભણેલા અને તેને પ્રજાના હિતકારક માનવાની ભ્રમણામાં પડેલા જ લોકોને જ કેળવાયેલા ગણવામાં આવે છે, અને પ્રજામાં આગળ રાખવામાં આવે છે. એટલે ઉત્તરોત્તર એ કેળવણીનો ફેલાવો વધતો જાય છે. તેમાં વધારે રંગાયેલા અને પ્રજાના અમુક ભાગનો ચાહ પણ મેળવી શકેલા હોય, એવી વ્યકિતઓ મોટા અમલદાર તથા કાઉન્સિલોમાં ખાસ ગોઠવવામાં આવેલા હોય છે, અને તેમને પગાર, પદવી વગેરેનો બદલો પણ સારો મળતો હોય છે. એટલા ઉપરથી તેઓ આ કેળવણીની તરફેણ કરતા હોય છે, પરંતુ વિદ્વત્તાથી સંપૂર્ણ વિચાર કરીને, પૂર્વાપરનો લાભાલાભનો વિચાર કરીને કરે છે, એમ માનવાનું નથી. તેઓ બાહ્ય લાભો અને ગતાનુગતિકતાથી તરફેણ કરે છે, તેનો તેને ખાનપાન કે પગારના રૂપમાં બદલો મળતો હોય છે. અહીં ઘણું વિચારવા જેવું છે પરંતુ, જ્ઞાનાચારમાં આધુનિક કેટલાં જ્ઞાનસાધનોનો સમાવેશ કરવો ? અને કોનો તેના અતિચારમાં અને અનાચારમાં સમાવેશ કરવો ? એ વિચારનું સુલભ થાય, માટે અહીં સંક્ષેપમાં દિશાસૂચન કરવામાં આવેલ છે. ૨. દર્શનાચાર : દેવ, ગુરુ, ધર્મ તરફ હાર્દિક પ્રેમ, ભક્તિ, બહુમાન તે સર્વની સેવા, ચાકરી, શોભા, મહત્તા, જાહેર કરવી તે સર્વનો પ્રભાવ ફેલાવો વગેરે દર્શનાચાર કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મમાં દેવ સાથે-દેવનાં મંદિરો તીર્થસ્થાનો, દેવના જીવન સાથે સંબંધ ધરાવતાં સ્થળો, વખત, પદાર્થો અને ભાવનાઓ અને પ્રતિમાઓ, પૂજા, મિલકતો, દ્રવ્યો-મિલકતો, ધન વગેરેનો સમાવેશ થાય છે. ગુરુ સાથે સ્થાપનાચાર્ય, ગુરુની સેવા માટેની મિલકતો, ગુરુની પૂજાનું દ્રવ્ય-ધન, સમ્યફદર્શન જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિમાં સહાયક સાધનો તથા ઉપકરણાદિકનો પણ સમાવેશ થાય છે. ધર્મમાં ધર્મનાં Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો સાધનો, ધર્મના આચાર, ધર્મનાં ફળ, ધર્મનો પ્રભાવ, ધર્મીઓ તરફ આદર, તેમના તરફ ભક્તિ બહુમાન, ધર્મીઓને ધર્મમાં સ્થિર કરવા, દઢ ધર્મીઓ તરફ સંપૂર્ણ માનબુદ્ધિ, ધર્મની જ્ઞાનપૂર્વક સચ્ચાઈ સ્વીકારવી, ધર્મનાં વિઘ્નો દૂર કરવાં, નિંદા થાય તેવા કામથી દૂર રહેવું, નિંદા થાય તેવું કોઈ વ્યકિતનું કાર્ય જાહેર ન થવા દેવું વગેરેનો સમાવેશ થાય છે. સદેવ, ગુરુ, ધર્મ જ શરણરૂપ છે, હિતાવહ છે, સત્ય માર્ગે દોરવનાર છે, રક્ષક છે, વિશ્વનો સાચો શણગાર છે વગેરે પ્રકારનો દઢ વિશ્વાસ અને તેને લગતું આચરણ એ દર્શનાચાર છે. - જ્યારે એ દર્શનાચાર છે, ત્યારે દેવ, ગુરુ, ધર્મથી વિરુદ્ધ વર્તવું તે દર્શન વિરોધ છે. તેમાં પણ તે પ્રવૃત્તિ ખાસ ઈરાદાપૂર્વક જ હોય તો તે દર્શન અનાચાર છે, નહિતર અતિચાર ગણાય છે. અથવા દેવ, ગુરુ, ધર્મ સિવાયનાઓને દેવ, ગુરુ, ધર્મ માનવા, તેમાં આસક્તિ થવી વગેરે એટલે સ્વરસથી હોય તે અનાચાર છે અને ભૂલ કે દર્શનાચાર સાપેક્ષ હોય, તો અતિચાર છે. વળી દર્શનાચાર દર્શનરૂપ, જ્ઞાનરૂપ અને આચારરૂપ પણ હોય છે, તે દરેકમાં ખામી ન રાખવી. તે પણ દર્શનાચાર છે. દાખલા તરીકે – ૧. અરિહંત દેવ, પંચ મહાવ્રતધારી ગુરુ, રત્નાત્રયાત્મક ધર્મ તરફ દઢ વિશ્વાસ, દેવ અને ગુરુની જાહેર પ્રતિષ્ઠા પ્રભાવકપણુ, અરિહંત, ગણધર, આચાર્યાદિકની પ્રાતિહાર્ય ઋદ્ધિ વગેરે દર્શનરૂપ દર્શનાચાર છે. ૨. તત્ત્વાર્થ શ્રદ્ધા, વાદીપણું, ધર્મ કથીપણું વગેરે જ્ઞાનરૂપ દર્શનાચાર છે. ૩. દેવગુરની ભકિત, શાસન સેવા કરવી, શાસનની હેલના દૂર કરવી, ઉત્સવો વગેરે ઊજવવા, વરઘોડા-ઉદ્યાનો વગેરે જાહેરમાં કરવા. મહાપૂજા વગેરેનું આચરણ, સંઘ કાઢવા, ત્રિકાલ પૂજા, દેવગુરુ વંદન, ચૈત્ય પરિપાટી વગેરે આચારરૂપ-ચરિત્રરૂપ દર્શનાચાર છે. તેથી વિપરીત – ૧. ઈતર ધર્મના દેવો, ગુરુઓ, ધર્મના આચરણ કે બીજા મહાત્મા ત્યાગી ગણાતા તરફ આદરભાવ થવો વગેરે વિરુદ્ધ-શ્રદ્ધારૂપ દોષ ગણાય છે. ૨. જૈન તત્ત્વ વ્યવસ્થા ઉપર અવિશ્વાસ અને ઈતર તત્ત્વો તરફ મનનું વલણ, તે જાણવાની જિજ્ઞાસા, તેમાં મનની શાંતિ મેળવવી, તેથી સંતોષ પામવો, તેમાં વિશેષ રસ આપવો વગેરે જ્ઞાનરૂપ દર્શનના દોષ છે અથવા, વિપરીત જ્ઞાનરૂપ દર્શન છે. ૩. એ જ પ્રમાણે અન્ય દર્શનના અથવા સાંસારિક લાભાલાભને ઉદ્દેશીને પ્રવર્તતા વિવિધ જાહેર તહેવારો કે જે ઘણે ભાગે આધ્યાત્મિક સ્વરૂપના નથી તે, તથા આધ્યાત્મિક સ્વરૂપના હોય છતાં જૈન શૈલીને અનુસરતા ન હોય અને જૈન શૈલીને અનુસરતા દેખાતા હોવા છતાં પરંપરાથી ચાલી આવતી શાસન શૈલીને અનુસરતા ન હોય, તેવા (મહાવીર જયંતી વગેરે) તહેવારો પાળવા-માનવા. ઇતર દેવ ગુરુઓની ભક્તિ, જૈન છતાં પર સ્વરૂપમાં ભળેલા, પરના અંગભૂત બનેલા દેવની પ્રતિમા Page #626 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૫૩ વગેરે, ગુરુ કે ધર્માચરણ પણ માનવા તે દર્શનાચારનો દોષ છે. સાંસારિક હેતુઓથી જૈન દેવ, ગુરુ, ધર્મની સેવાભકિત પણ અમુક અંશે વિપરીત આચરણરૂપ દર્શનાચારનો દોષ છે. જૈન ધર્મના અનુયાયી બાળજીવો આડે રસ્તે ન દોરવાય, તેની સંપૂર્ણ કાળજી રાખવી. તે ખાતર પણ જૈન શૈલી વિરુદ્ધના કે જૈન તત્વ જ્ઞાનના વિરુદ્ધનું પ્રતિપાદન કે દેવ, ગુરુ, ધર્મની સીધી યા આડકતરી નિંદા હોય, જૈન ધર્માચરણની નિંદા-ટીકા હોય, સંશય ઉત્પન્ન થાય તેવું લખાણ હોય કે બીજાની પ્રશંસામાં આડકતરી નિંદા છુપાઈ હોય તેવાં પુસ્તકો વાંચવાં, હાથમાં લેવાં, તેવાં વ્યાખ્યાનો સાંભળવાં, તેવા માણસોનો પરિચય કરવો, તેવાં સ્થાનોમાં જવું, તેવા ઉત્સવમાં ભાગ લેવો, તેમાં સહાનુભૂતિ આપવી, ધર્મના પ્રભાવને ઝાંખો થવામાં મદદ કરવી, ધર્મની નિંદા થાય તેવાં જાહેર કાર્યો કરવાં કે એવી કોઈ પ્રવૃત્તિ જાહેરમાં મૂકવી વગેરે આચરણરૂપ દર્શનાચારના દોષો છે. આધુનિક જડવાદની સંસ્કૃતિ કદાચ ભવિષ્યમાં આત્મવાદસ્વીકારે અને પોતાના ઉપરનું જડવાદી તરીકેનું કલંક દૂર કરે, જો કે એ અસંભવિત છે છતાં કદાચ માની લઈએ કે, ભવિષ્યમાં તે સંભવિત થાય અને તેઓ આત્મવાદી થાય, પરંતુ આત્મવાદી થયા પછી, તેઓના આત્મવાદની તેઓને હિસાબે બાલ્યાવસ્થા શરૂ થાય ત્યાં સુધીમાં ભારતમાં કંઈક કાળ જૂના પ્રખર આત્મવાદના રોપાયેલા ઊંડા પાયા ઉપર દઢ થયેલા આત્મવાદ ઉપર રચાયેલા અને ઓતપ્રોત વણાઈને રૂઢ થયેલા જીવનને તોડી નાંખવા માટે આજનો જડવાદ તનતોડ મહેનત કરી રહ્યો છે, અને તેથી પ્રાણી સમાજને નુકસાન થયું છે, થાય છે અને થશે. તે શી રીતે ભરપાઈ થઈ શકશે ? જડવાદનું જીવન જેટલું સહેલું અને જેટલું વિશેષ પ્રચારમાં આવી શકે છે તેટલું સહેલું આત્મવાદનું જીવન નથી. તેને જીવનમાં પ્રચારમાં આવતાં યુગોના યુગો ચાલ્યા જાય, એટલે એ કપરું છે. પરંતુ આજની સીવીલાઈઝની સંસ્કૃતિ જડવાદના પાયા પર જ પડી છે. તે પરભવમાં નથી માનતી, જન્માન્તર નથી માનતી, આત્માને તેનું નિત્યત્વ નથી માનતી, સર્વજ્ઞત્વ નથી માનતી, આધ્યાત્મિક જીવન સર્વથી ઉચ્ચ જીવન હોવાનું નથી માનતી, માત્ર નૈતિક જીવન માને છે, તે પણ માત્ર આ જીવનની સગવડ પૂરતું જ, આ જીવન પૂરતા આનંદ પૂરતું જ જીવવાનું માને છે. ન્યાયને પણ નીતિ પૂરતો જ બંધાયેલો માનવામાં આવે છે. નીતિ, વ્યવસ્થા, પ્રગતિ વગેરે કોઈ પણ ઉજજ્વળ નામ નીચે હાલની સંસ્કૃતિને હાર્દિક ટેકો આપવો એ આત્મવાદની સંસ્કૃતિને હરકત કરવા બરાબર હોવાથી તે દર્શનાચારનો દોષ છે. અને જડવાદની સંસ્કૃતિનાં સાધનોની મદદથી આત્મવાદની સંસ્કૃતિએ નભવું તે પણ દોષ જ છે. જે કે અનિવાર્ય સંજોગોમાં તે અતિચાર બનશે પરંતુ, તેના ઉપરના મમત્વને લીધે તેને સ્થાન આપવામાં તે જ પ્રવૃત્તિ દર્શનાચારને અનાચાર ગણાશે. એ દરેકને સમજાય તેવું જ છે. ન્યાય અને નીતિનું સ્પષ્ટીકરણ કરવું અત્રે જરૂરનું છે. દાખલા તરીકે - એક માણસે બીજા માણસ પાસેથી ૫૦= રૂપિયા કરજે લીધા. લેનાર અને આપનાર બન્નેય એવા સંજોગોમાં આવી ગયા કે, ન એક આપવા પ્રયત્ન કરી શક્યો કે ન એક લેવા પ્રયત્ન કરી શક્યો. પરિણામે કાયદાએ ઠરાવેલી મુદત વીતી ગઈ. ધીરધારનો નાણાં માંગવાનો અધિકાર ગયો. લેનારની આપવાની જવાબદારી Page #627 -------------------------------------------------------------------------- ________________ પપ૪ પંચ પ્રતિકમાણસૂત્રો ન રહી. સારાંશ કે, “નીતિથી દૃષ્ટિથી રૂા. ૫૦/લેવાનો પછી હકક લેણદારનો નથી અને દેણદાર ઉપર આપવાની ફરજ નથી.” વાસ્તવિક રીતે તે લેનારે રૂપિયા લીધા છે, આપનારે આપ્યા છે. એ વાત સાચી છે. ત્યારે ન્યાયની દૃષ્ટિથી ગમે ત્યારે લેણદાર લેવા હકકદાર છે અને દેણદાર દેવા બંધાયેલ છે. ન્યાય અને નીતિના ફરકનું આ એક દષ્ટાન્ત છે. માણસ જાત પોતે જગતમાંથી ખાનપાન, રહેઠાણ વગેરે જીવન ઉપયોગી બીજી સામગ્રી દુનિયામાંથી મેળવે છે, તેના પ્રમાણમાં તેણે પોતાના ધંધામાં મહેનત એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને તેનો બદલો વળી રહે. તે કામ ધંધો એવી રીતે કરવો જોઈએ કે કાયદેસર ઠરેલા નીતિને ધોરણે કરવો જોઈએ અને તે બધાની અસર પોતાના વારસદારમાં એવી રીતે મૂકવાની તેની ફરજ છે કે, તેના વારસદારો એવી જ રીતે નીતિને ધોરણે કાયદેસર કામકાજ કરે, આજીવિકા ચલાવે અને ઉત્તરોત્તર પોતાના વારસદારોમાં એ પરંપરા ચલાવે એમ કાયદેસર વર્તન કરવામાં તેમના જીવનનું કર્તવ્ય પૂરું થાય છે. તેથી આગળ કાંઈ પણ તેને કરવાપણું રહેતું નથી, તેથી કાંઈ પણ વિશેષ કરવાની જરૂર પણ તેને નથી. કાયદેસર ચાલતાં કદાચ પોતાના વર્તનથી બીજાને કોઈ પણ જાતની નાની મોટી હાનિ થાય તેની જવાબદારી તે પોતાને માથે રાખી શકતો નથી, પણ તે જવાબદારી, હાનિ ભોગવવાનારને જ શિરે રહે છે, એમ તે સમજે છે. કેમ કે, હાનિ ભોગવનારને હાનિ ભોગવવી પડે છે, તે કેવળ તેની નબળાઈનું જ પરિણામ છે.” એમ તે માને છે. આ ઉપરાંત, મોટા મોટા સાયન્ટીસ્ટ સાયન્સની અપૂર્વ શોધો કરે ચે, અને તેની પાછળ ભોગ આપે છે ને કેટલાક અખતરા કરતા કરતા મરી પણ જાય છે. આમ તેઓએ શા માટે કરવું? આમ કરવાથી તેમને આજીવનમાં તો ફાયદો મળતો નથી. ઊલટું મરણ જેવું સર્વથી મોટામાં મોટું દુ:ખ ઉત્પન્ન થાય છે. જો તેથી ભવાન્તરમાં કાંઈ પણ લાભ મળવાનો હોય, તો તો અત્યારે મરણાદિક દુ:ખ ભોગવવું વાજબી પણ છે. પરંતુ “આ જીવનમાં દુ:ખ ભોગવવું અને પરભવમાં તેનું સુખ મેળવવા મથવું.” તે બન્નેય સિદ્ધાન્તો આજની સીવીલાઈઝની સંસ્કૃતિના સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. અલબત્ત, તેઓ એમ જવાબ આપશે કે, “માનવજાતની સેવા માટે તેઓ આમ દુ:ખ વેઠે છે.” પરંતુ દુઃખ વેઠીનેય માનવ જાતની સેવા શા માટે કરવી ? [માનવ જાતની સેવાની ભાવના પણ ખરી રીતે તો, નૈતિક જીવન કરતાં પર એવા આધ્યાત્મિક જીવનનું જ અંગ છે. પરંતુ એ વાતને અત્યારે આપણે જવા દઈએ, આજની માનવજાતની સેવા ગોરી પ્રજા પૂરતી જ છે.] અથવા “પોતાના દેશના અભ્યદય માટે તેઓ એ જોખમ ખેડે છે.” એમ કહેવામાં આવે, છતાં તેમાં બીજા દેશોને હાનિ કરવાની ગર્ભિત બુદ્ધિ સમાયેલી છે જ, એટલે એ સમાધાન તે નૈતિક મર્યાદાથી પણ નીચે ઊતરી જાય છે. હવે જરા તેથી આગળ વધીએ. કુટુંબમાં દશ માણસો છે, શાક, દૂધ, મીઠાઈ વગેરે ખોરાકની ચીજો ઘરમાં અમુક પ્રમાણમાં આવે છે. દરેક માનવીને પોતાના ભાગે પડતું આવે તેટલું વાપરવાનો Page #628 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૫૫ અધિકાર છે. છતાં અમુક ચીજ માબાપ બાળકો માટે વધારે રાખી પોતે તે વિના ચલાવે છે. મોટાભાઈઓ નાનાભાઈઓ માટે તેમ કરે છે, માતા નાના બાળક માટે કેટલોક ત્યાગ, કષ્ટ સેવે છે. આ બધું નીતિના કયા ધોરણે ? માતાની ફરજ નીતિના ધોરણે, એમ માની એ કે બાળકનું પાલન કરવાની છે, પરંતુ બાળકનું પાલન કરવાની જરૂરી સગવડો તેને સમાજમાંથી મળવી જોઈએ અને મળ્યા પછી તેનો સદુપયોગ કરવાની નૈતિક ફરજ માતાની છે. પરંતુ પોતાના ભાગનો બાળક માટે ઉપયોગ કરવાની ફરજ નીતિ તેના ઉપર નાંખી શકતી નથી. છતાં માતા ખુશીથી વગર કહ્યું બાળક માટે પોતાનું સર્વસ્વ હોમવા તૈયાર થઈ જાય છે, તે ભાવના નીતિથી પર છે, અને તે માનસિક કે આધ્યાત્મિક બળનું કોઈ અનિવાર્ય પરિણામ છે. એ સ્થિતિ કેવળ માનવોમાં જ હોય છે, તેમ નથી, પરંતુ પશુ, પક્ષીઓમાં પણ તેના ઘણાં સચોટ દષ્ટાંતો સાથે જોવામાં આવે છે. સારાંશ કે, કુદરત જ નીતિ સુધી મર્યાદિત નથી. નીતિથી ઉપરાંત કંઈક છે જ. હવે જરા તેથી વધારે આગળ વધીએ. કેટલાક માણસો જ એવા હોય છે કે તેમને ચાલુ જીવનમાં કશું દુઃખ નથી હોતું. કશું દુ:ખ પડે તેમ પણ નથી હોતું. કોઈ તેના ઉપર ફરજ પાડતું પણ નથી, અને પાડી શકતું પણ નથી. છતાં પરોપકારી જીવન ગાળનારા મળી આવે છે અને તે એટલે સુધી કે, પોતાનો અપકાર કરનારા ઉપર વેર તો લેતા નથી, પણ ઊલટો ઉપકાર કરે છે. એટલું જ નહીં, પરંતુ તેમ કરતાં આખી જિંદગી કષ્ટ વેઠે છે, દુ:ખ સહન કરે છે, સાદી અને ઓછી જરૂરિયાતવાળી જિંદગી ગાળે છે. એ બધું નીતિશાસ્ત્રના કયા ધોરણે ? કહેવું જ પડશે કે, એવું માનસિક વલણ નીતિશાસ્ત્રના નિયમોથી પર છે. આમ કરવાની તેઓને કુદરતી પ્રેરણા થાય છે. તેમાં કાંઈ પણ બાહ્ય કારણ હોતાં નથી પરંતુ, અંદરનાં જ ખાસ તત્ત્વો તેમાં કામ કરી રહ્યાં હોય છે. જ્યારે કેટલાક એવા પણ માણસો હોય છે કે, સહેજ વાત વાતમાં ઘણો વૈરભાવ રાખે છે. અને નીતિનિયમોનું વિનાકારણ ઉલ્લંઘન કરે છે. તેથી આગળ વધીને કેટલાક એવા પણ માણસો હોય છે કે, જેઓ પરમ સંત પુરુષોની કોટીમાં રહીને પ્રાણી ઉપર દયા, સત્ય, સંયમી જીવન વગેરેને ઉદ્દેશીને પોતાનું પરમ વિશુદ્ધ જીવન બનાવે છે, અને તદ્દન નિરાળી રીતે રહે છે. જેનું જીવન દુનિયાદારીની દષ્ટિથી સુખી ગણાવાને બદલે દુઃખી જ ગણાય. આવી પ્રકૃતિના માણસો માત્ર હિંદમાં જ હોય છે, એમ નથી. પરંતુ આખી દુનિયામાં મળી આવવાનો સંભવ છે. આ બધું તેઓ કુદરતના કયા પાયા ઉપર કરે છે ? કહેવું જ પડશે કે, “તેઓ નૈતિક જીવનથી પર કોઈક એવું જીવન જીવે છે, કે જેની સુંદરતા માટે બે મત હોઈ ન શકે.” ઓછામાં ઓછી જરૂરિઆતથી સારી રીતે જીવવું. અને “પોતાની સુખસગવડો બીજાને મળે અને તેઓ તેનો સદુપયોગ કરે તો ઠીક એવી મનોવૃત્તિ પણ નૈતિક નિયમોથી પર છે. બસ, તે જીવનને માનસિક વિશુદ્ધિ ઉપર કે આધ્યાત્મિક વિશુદ્ધિ પર ખડું થયેલું જીવન માનવું જ પડશે. - માનસિક કે આધ્યાત્મિક ઉચ્ચ જીવનને આપણે ત્યાથી જીવન એવી સંજ્ઞાથી બોલાવીશું અને તે સિવાયનું દુનિયાદારીની દષ્ટિથી લાયક ગણાતા જીવને નૈતિક જીવન નામ આપીશું. (ચાય એટલે ધર્મ, એવો પણ અર્થ થાય છે.) Page #629 -------------------------------------------------------------------------- ________________ પપ૬ પંચ પ્રતિકમાણસૂત્રો આ પ્રમાણે આજની સંસ્કૃતિનો પાયો નૈતિક જીવન ઉપર છે, (એમ બહારથી કહેવામાં આવે છે. કેમ કે, અમને તો નીતિમાંયે હાલની સંસ્કૃતિ શિથિલ લાગે છે.) ત્યારે ભારતીય સંસ્કૃતિનો પાયો ન્યાયી જીવન ઉપર છે, જેથી એક બીજાની તુલના અશક્ય છે. છતાં પરસ્પર એકબીજાની નિંદા કરે છે. ન્યાયી જીવનનો આદર્શ પાળતી ભારતીય પ્રજા જ્યાં ન્યાયની રક્ષા કરવાની ફરજ આવી પડે, ત્યાં નીતિનિયમના ભંગની પરવા કરતી નથી. મોટા તત્વની રક્ષા માટે નાના તત્ત્વનો ભોગ આપવો ન્યાયસર છે, ત્યારે આધુનિક સંસ્કૃતિનો હિમાયતી તેવી ભારતીય વલણની પેટ ભરીને નિંદા કરશે. તે જ પ્રમાણે આજની નીતિનિયમ ઉપર નિર્ભર રહેલી સંસ્કૃતિનો હિમાયતી નીતિનું રક્ષણ કરીને બેસી રહેવામાં ન્યાયના કેટલાયે તત્ત્વોનું ખૂન થઈ જતું જશે જ નહીં, તેની પરવા પણ નહીં કરે. ત્યારે ભારતીય સંસ્કૃતિનો હિમાયતી તેની ટીકા અને નિંદા કરશે જ. આમ આ બે સંસ્કૃતિઓ વચ્ચે ભેદ અને અથડામણી છે. ઊંડે ઊતરીને તપાસ કરતાં કહેવું જ પડશે કે, “ન્યાય ઉપર જીવનનો પાયો રચવો એ ઉચ્ચ કોટિ છે.” વળી, સંતજીવન સફળ કે નિષ્ફળ? અને સફળ, તો તેની આ જન્મમાં શી સફળતા ? યશ, માન, પૂજા વગેરે મળે તે સફળતા. પરંતુ જે તે દુ:ખ વેઠીને મળતી હોય તો તેને નાતિમાં સ્થાન નથી. સંતજીવન જીવનારાને કુદરતી રીતે જ મળી આવે છે. તો શું તેઓને બહિષ્કૃત ગણવા? નકામા ગણવા ? રાજાએ સારા થવું જોઈએ, એ બરાબર પરંતુ બહુ જ સારા શા માટે થવું ? કાયદાથી કે નીતિથી પકડી ન શકાય તેવા છૂપા માનસિક કે કાયિક પાપનો બદલો તો આ જીવનમાં ભોગવ્યા વિના પણ માનવ રાક્ષસ છૂટી જઈ શકે કે ? પરંતુ, પરમ સંતોના જીવનનાં અને માનવ રાક્ષસના જીવનનાં કાર્યોની સફળતા જન્માન્તર માનવાથી જ સિદ્ધ થશે. કોટ, કચેરીઓ ન પકડી શકે અથવા કાયદાની મર્યાદા બહાર હોય તેવા માનસિક ન્યાયના નિયમભંગના કે છૂપા નૈતિક ગુનાઓ કરનાર તેવા ગુનેગારોનું સંતો દિલ હલાવીને કબૂલ કરાવે અને તેનાં પ્રાયશ્ચિતો લેવડાવી માનસિક સજાઓ સ્વયં ભોગવવા તૈયાર થઈને શુદ્ધિ કરી લેવા સુધી પ્રયત્નશીલ બનાવી મૂકે છે. એ બધું જીવનમાં કયા નૈતિક ધોરણથી બને છે? આમ કુદરતી રીતે બને છે તેના ઘણા દાખલા છે. સારાંશ કે, આધુનિક સંસ્કૃતિ અપૂર્ણ અને માત્ર કામચલાઉ છે. જીવનના દરેક અંગોનો અને તત્વોનો ઉકેલ તેની પાસે નથી. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રકારનો ઉકેલ છે. આ વાત તેઓના સંચાલકો કેટલેક અંશે જાણે પણ છે, છતાં નૈતિક જીવનની હિમાયત કરે છે, અને તે એટલી હદ સુધી હિમાયત કરે છે કે, ન્યાયની સંસ્કૃતિનો ગમે તેટલો કચ્ચરઘાણ નીકળી જાય, તેની લેશમાત્ર પણ પરવા હાલમાં આ દેશમાં તો કરવામાં આવતી નથી, કેમ જાણે તેનો નાશ કરવાની જ દઢ પ્રતિજ્ઞા ના લીધી હોય ? Page #630 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પપ૭ અલબત્ત, તેમ કરવાનું તેઓને એક કારણ પણ હોય તેમ જણાય છે અને તે એ કે, તેમાં તેઓની હાલમાં ઉન્નતિ છે. ન્યાયની સંસ્કૃતિને વળગવા જાય તો તેઓની સંસ્કૃતિને ભારતીયોને જ આધીન રહેવું પડે પરંતુ, પોતે જુદી જ નૈતિક સંસ્કૃતિ પોતાની શક્તિ પ્રમાણેની ઉત્પન્ન કરીને તેના પાયા પર પ્રચાર કરવાથી ધીમે ધીમે નવી બાલ ઊછરતી પ્રજાને તે રસ્તે ચડાવ્યે જાય અને તેની મદદથી તથા પ્રજાના પોતાના ઉપરના બીજી બાબતના વિશ્વાસની મદદથી જેમ બને તેમ ન્યાયની સંસ્કૃતિનો ભૂકો કર્યે જાય. પરિણામે તેઓ ભૌતિક ઉન્નતિમાં તો આગળ આવ્યે જ જાય છે. પરંતુ, આ દેશની પ્રજાને અને આ દેશની સંસ્કૃતિની અનુયાયી બીજી પ્રજાઓને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે. કેમ કે, પોતાનાં ભાવિ સંતાનો બાલ્યાવસ્થાથી નવા સંજોગોમાં એવા ફસાઈ જાય છે કે, તેમને પોતાની સંસ્કૃતિનો લેશ માત્ર ખ્યાલ નથી હોતો અને તેનો ખ્યાલ આવે તેવાં સાધનો પણ તેની સામે નથી હોતાં. એટલું જ નહીં, પરંતુ તેવાં સાધનો તેની પાસેથી ઈરાદાપૂર્વક અને તેઓને “તે અયોગ્ય છે.” સમજાવીને ખેંચી લેવામાં આવે છે. અને ઊલટામાં જેમ બને તેમ જન્મથી માંડી વિરુદ્ધ સંસ્કૃતિના વાતાવરણમાં કેમ ઊછરે તેને માટે મોટી યોજનાઓ અમલમાં લાવવામાં આવેલી છે, એટલે પછી બાળકોનું ગજું જ શું? કેમ કે, આધુનિક કેળવણીનો એક એ હેતુ મુખ્યપણે જોવામાં આવે છે કે, એક ભારતીય બાળક કેળવણી લીધા બાદ હાલની પરદેશીઓને મદદગાર ખાતાની નોકરીઓ કે સંસ્કૃતિને લગતા ધંધામાં કામમાં આવે કે ન આવે, પરંતુ ભારતીય સંસ્કૃતિથી થોડો ઘણો દૂર થતો જાય, તો પણ આધુનિક સંસ્કૃતિને એવાં અનેક બાળકો દૂર થવાથી ઘણો ફાયદો મળવાનું તેઓ જોઈ શકે છે. કેળવણી આપવાનો તેઓને મોટામાં મોટો ફાયદો આ પણ છે. જ્યારે ભારતની પ્રજાને આધુનિક કેળવણીથી તે મોટામાં મોટા ફટકો છે. તૈયાર થયેલા માણસો તે તંત્રમાં ગોઠવાઈને તેને મદદગાર થાય છે, એ વગેરે નુકસાનો જુદાં જ છે. અલબત્ત, બાળપણથી ખેંચી ગયા સિવાયના પ્રૌઢ ઉમરના પ્રજાજનોને ન્યાયની સંસ્કૃતિ કરતાં નીતિની સંસ્કૃતિની ભવ્યતા તેઓથી સમજાવી શકાતી નથી, તો ગળે ઉતરાવી તો શી રીતે જ શકાય ? એટલે તેમને છોડીને ઊછરતી પ્રજાને ઝડપવાની અનેક ગોઠવણો ગોઠવાઈ ગઈ છે, ગોઠવાય છે, અને ગોઠવાશે. પરંતુ, પ્રૌઢ પ્રજાને પોતાના એ જ વિચારમાં રહેવા દઈને તેમના હકકોનું બહારથી રક્ષણ કરે છે, તેવા કાયદા કાનૂનો અમલમાં લાવે છે, તેમનો વિશ્વાસ સંપાદન કરે છે, ને ધીમે ધીમે ઊછરતી પ્રજામાં મોટાપાયા ઉપર અને મજબૂત હાથે ઉપરના વિચારોનો પ્રચાર કરવામાં આવે છે. આ દેશની પ્રૌઢ વિચારની ચાલુ પ્રજાનો સંપાદન કરેલો વિશ્વાસ, ઊછરતી પ્રજા પાસે બહારથી પોતાની સામે વિરોધ કરાવવામાં અને અંદરથી પોતાના વિચારો પ્રમાણે તૈયાર કરવામાં ઘણો જ મદદગાર થાય છે. માટે જ એ વિશ્વાસ પણ ટકાવી રાખવામાં આવે છે. ઊછરતી પ્રજા જેમ જેમ પ્રૌઢ ઉમરની થતી જાય તેમ તેમ પોતાના દેશના આર્ય સંસ્કૃતિના રક્ષક આગેવાનો કરતાં ધીમે ધીમે જુદા વિચારો ધરાવતી થતી જાય, તેમ તેમ ઊછરતી પ્રજાનો પોતાની સામે વિરોધ કરાવીને, તે વર્ગને વધારે ઉશ્કેરી, “લોકમતને માન આપ્યા વિના હવે નહીં ચાલે” એવો ભાસ ઉત્પન્ન કરી, લોકમતને માન આપવાને બહાને, આ દેશની સંસ્કૃતિથી વિરુદ્ધના, તેને હાનિ કરે તેવા જ નહીં, પરંતુ નાશ કરે તેવાકે કાયદાઓ પસાર કરાવી કાયદાપોથીઓમાં દાખલ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો કર્યું જાય છે. ભલે તેનો અમલ ગમે ત્યારે કરવાનો હોય. આજના કાયદાઓનું વલણ એકંદરે ત્રણધારું કામ બજાવે છે : 1. જૂની સંસ્કૃતિ તોડવાનું, ૨. નવી સંસ્કૃતિને સ્થાન અપાવવાનું, ૩. જ્યાં એ બન્નેયમાંનું એકેય બની શકે એમ ન હોય, તેમાં ચાલતી સ્થિતિ ઉપર કાબૂ મેળવી નભાવ્યે જવાનું પછી તેમાં કેળવણી, દેશનેતાઓ, ધારાસભાઓ મારફત પ્રથમની બે ક્રિયાઓ પ્રસંગ મળે અજમાવવાની હોય છે. આ ક્રિયાને ગતિમાં રાખવા માટે ઊછરતી પ્રજાને “દેશનો ઉદય” “સ્વરાજ્યની તૈયારી” વગેરે મોહક શબ્દોથી ભવિષ્યમાં કરવાના દેશોદય તથા સાંસ્થાનિક સ્વરાજ્ય સ્થાપવાનાં ચિહનો બતાવીને લલચાવી શકેલ છે. આ દેશના સંસ્કૃતિવાહકો કરતાં જુદી જ ભાવનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ તે ઊછરતી પ્રજાના મનમાં દઢ જમાવી, તે જાતના જુદા જ વર્ગો અને સમૂહો રચી જુદી જુદી સંસ્થાઓ, મંડળીઓના નામ નીચે તેઓ મારફત કામ લઈ રહેલ છે. ત્યારે પ્રજાનો, પ્રજાની શક્તિનો નાશ થતો જાય છે. અને પ્રજાનું પૂર્વાપરનું સ્વાતંત્ર્ય ઘવાતું જાય છે, પ્રજા નબળી પડતી જાય છે, બેકાર બનતી જાય છે. જેમ આર્ય સંસ્કૃતિનો વધુ ભકત તેમ વધુ ટીકાપાત્ર બનતો જાય છે. આ રીતે આ દેશમાં સ્વાભાવિક રીતે જ બે દળ બાંધી રૂઢ કરી દીધા છે. જેના નામ; જૂનું દળ અને નવું દળ. નવા દળનો ઉપયોગ જૂનાની સત્તા, સંસ્કૃતિ તોડવાના કામ આવે છે, અને નવા દળનો ઉપયોગ નવી સંસ્કૃતિનો અમલ કરવામાં અને પ્રચાર કરવામાં થાય છે. નવું દળ દેશોદય ચાહે છે, જૂનું દળ પ્રજાનો ઉદય ચાહે છે. અથવા પ્રજાનું સ્વત્વ ટકાવવા મથે છે. આ બે જુદા જુદા આદશોં ગોઠવાયા હોવાથી બન્ને વચ્ચે અથડામણી ચાલુ રહ્યા કરે છે. એક, એકને દેશદ્રોહી કહે છે અને બીજા, બીજાને પ્રજાદ્રોહી, ધર્મદ્રોહી કહે છે. નવા દળના નેતાઓ તે દેશનેતા, દેશનાયક વગેરે ગણાય છે. અને તેમાંનાને પણ પરદેશીઓએ મહાત્માઓ તરીકે જાહેર કરીને મુખ્ય આગેવાનો પૂરા પાડવામાં આવ્યા છે. ત્યારે જૂના દળના આગેવાનો પરંપરાના સ્થાપિત હકકોવાળા અગ્રેસર છે. નવા દળની સંસ્થા-કોંગ્રેસ, કૉન્ફરન્સો, પ્રજામંડળો, સ્વયંસેવક મંડળો, યુવક મંડળો, ઍસોસિયેશનો વગેરે છે. ત્યારે મૂળદળની સંસ્થાઓમાં મહાજન, સંઘ, ન્યાતો, પંચો, ગ્રામ્યપંચાયતો વગેરે છે. તેના અગ્રેસરો પટેલો, નગરશેઠો અને જગત શેઠો છે. અને તેમના આગેવાનોમાં ધર્મગુરુઓ ખાસ અગ્રેસર છે. આજના કેટલાક યુવાનો ધર્મગુરુઓથી વિરુદ્ધ કેમ જણાય છે ? તેનું કારણ સમજાશે. કેમ કે, ખાસ પ્રકારના ધર્મગુરુઓ નવી સંસ્થાઓને મદદ કરતા નથી. નવા ધોરણે ચાલતી ધારાસભાઓ, એસેમ્બલીઓ, સ્ટેટકાઉન્સિલો, મ્યુનિસિપાલિટીઓ, લોકલબોર્ડો વગેરે મારફત નવા દળનું બળ સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. સર્વની પાછળ ટૂંકામાં ટૂંકા થોડાંક જ એવાં સચોટ વાક્યો પ્રજામાં પ્રચલિત કરવામાં આવ્યાં છે કે, સામાન્ય છતાં વ્યાપક થતા જતા શબ્દો પણ ઘણો જ પ્રચાર કરે છે. “કેળવણી લેવી, પરિવર્તન કરવું, જમાના પ્રમાણે ચાલવું, ગરીબને ધંધો આપવો, કચડાયેલાઓને સ્વતંત્ર કરવા, સ્વરાજ્ય, દેશોદય” વગેરે દ્વિઅર્થી શબ્દો ફેલાવવામાં આવેલા છે. આ દરેક શબ્દો કોયડારૂપ છે, પ્રજાનો કેટલોક ભાગ પોતાના લાભના ભળતા અર્થમાં સમજે છે. અને આધુનિક સંસ્કૃતિના મૂળ સંચાલક, વિદેશી વિદ્વાનો તેને જુદા અર્થમાં પ્રચાર Page #632 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો છે. પ્રથમ પ્રજાના માનસ ઉપર તેની સચોટ જરૂરિયાત અનેક રીતનાં પ્રચારક સાધનોથી ઠસાવવામાં આવે છે. જ્યારે પ્રજા તે તરફ લલચાઈને તે લેવા દોડે છે, અને તેને વશ થઈ જાય છે, એટલે એવી ગોઠવણ કરવામાં આવેલી છે કે, ધીમે ધીમે ઘસડાઈને આવીને તે બધું નવી સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગમાં દાખલ થઈ જાય અને જૂનું પાછળ પડ્યે જાય. ‘કાગળ પત્ર વાંચવા પૂરતું પણ બૈરાંઓએ શિક્ષણ લેવું જોઈએ.” ‘“કેળવાયેલી માતા સો શિક્ષક જેવી ગણાય, માટે છોકરીઓને ઊંચી કેળવણી આપવી જોઈએ'' પરંતુ આ વાકયો સાંભળી જ્યારે એ વિચારોની અસર થયા બાદ કેળવણી આપવા મા-બાપો વિચાર કરે અને તેનાં સાધનોની શોધમાં નીકળે એટલે તુરત જ તેની સામે આધુનિક કન્યાશાળા ખડી જ છે. ‘તેમાં બરાબર જ્ઞાન નથી મળતું, માટે ઊંચું શિક્ષણ મળે તેવી સંસ્થાઓ જોઈએ.'' એટલે સ્ત્રીઓની કૉલેજો અને હાઈસ્કૂલો તે જ રીતની ખડી થતી જ જાય. આજે તે સ્ત્રી-કેળવણીનું પરિણામ કયાં પહોંચ્યું છે અને કયાં પહોંચશે તે ચોથા વ્રતના અતિચારના વિવેચનમાં બતાવીશું. ૫૫૯ પ્રજાને કોઈ પણ રસ્તે દોરવતાં પહેલાં નવી યોજના પ્રમાણેનાં સાધનો એવાં ગોઠવી દીધાં હોય છે કે, સામાન્ય શબ્દોથી કરવામાં આવેલા પ્રચારને લીધે પ્રજા જ્યારે તેનો ઉપયોગ કરવા ઇચ્છે ત્યારે તે સાધનોમાં‘જ તેને આવવું પડે. બીજાં નવાં સાધનો પ્રજા તરફ્થી ગોઠવાય, તે પણ તેના ધ્યેયને અનુસરતાં જ હોય છે. દા. ત. ― ‘‘વેપાર ખીલ્યો’’, ‘‘વેપાર સારી રીતે કરવો જોઇએ.’’ ગામડાં છોડી શહેર તરફ દોડેલા વેપારી થયા, પણ કંપનીઓની છાયામાં રહીને. માત્ર કંપનીઓને શરૂઆતમાં આ દેશના માણસોની જરૂર હતી એટલે વેપારની તમામ સત્તા જે આ દેશના લોકોના હાથમાં હતી, તે પરદેશી કંપનીઓના હાથમાં જઇ ચડી અને હવે દેશી વેપારીઓની ખાસ જરૂર નથી અને બધાય હાથ ઘસતા રહી ગયા. એટલે વેપાર ખીલ્યો, પણ કોનો ? ‘પરદેશીઓનો આ દેશમાં ખીલ્યો અને આ દેશના લોકોના હાથમાંથી ગયો, તે ગયો જ.’' છતાં કોઈ કોઈ પોતાના હાથમાં પોતાની હોશિયારીથી કોઇ કોઇ ધંધા રાખી રહ્યા છે, પોતાના દેશના ધંધા પોતાના હાથમાં રાખ્યા, તેમ કરવું તેમને માટે ન્યાયસરનું છે. તેમાં મુશ્કેલીઓ એટલી બધી મૂકવામાં આવી છે કે એક પણ સ્વતંત્ર ધંધો દેશીના હાથમાં રહેવા જ ન પામે, પરંતુ કેટલાક રહ્યા છે, અને ટકી રહેવા માંગે છે પરંતુ, આ મુશ્કેલીમાં નીતિ તરફ જોઈએ તેવો ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. એટલે તેમને ઉતારી પાડવામાં આવે છે કે, ‘દેશી વેપારીઓ અનીતિ કરે છે.’’ ‘‘તેઓ પ્રામાણિક નથી.’’ ‘‘તેઓ શાખ ગુમાવતા જાય છે.’’ ‘‘શાખ વગરના છે.’' આ બૂમ-બરાડાથી પ્રજા પોતાના દેશભાઈઓથી ભડકે છે, અને નવા દળોના આગેવાનોના ટેકાથી મૂળ ધંધાવાળાઓને દબાવવાના કાયદા પણ પસાર કરાવી શકે છે. પરિણામે દેશીઓને ટકી રહેવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે, અને આખરે વેપારના ક્ષેત્રમાંથી ખસી જવું પડે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. ખરો ન્યાય તો એ હતો કે, આ દેશના ધંધા આ દેશના લોકોના હાથમાં રહેવા દેવા જોઈએ, અને તેમાંની મુશ્કેલીઓ Page #633 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ પંચ પ્રતિકમાણસૂત્રો દૂર કરવી જોઈએ. તેને બદલે તેઓના માર્ગમાં મુશ્કેલીઓ મૂકીને તેઓના ધંધા પડાવી લેવા અને તેમને વગોવવા એ અન્યાયની જે કે પરાકાષ્ઠા છે, પરંતુ આ સાંભળે કોણ ? છતાં આમાં કોઈનો દોષ કાઢવાનો નથી. પરદેશીઓ સ્વાર્થને અંગે તેમ કરે, તેમને ઠેકાણે આપણે હોઈએ તો તેમ ન જ કરીએ એમ કહેવું મુશ્કેલ છે. જો કે આપણી પ્રજાનું માનસ એટલી હદ સુધી ઊતરતું નથી. કેમ કે, આપણે જ્યાં જ્યાં ગયા છીએ, તે તે કોઈ પણ ટાપુમાં સ્વતંત્ર રીતે કે આપણા દેશમાં આપણે કોઈને નુકસાન કર્યું જ નથી અને કોઈ કોઈ દાખલા મળે તે તો કવચિત્ જ ગણાય, અથવા તેનું મૂળ સ્વરૂપ જુદું હોવા છતાં તેને ફેરવીને જુદી જ જાતને ગોઠવીને પ્રચારમાં મૂકેલ છે. અનાર્યોને દબાવીને આર્યો આ દેશમાં વસ્યા એ વાત પણ પરદેશીઓએ ફેલાવી છે. તેમાં અસત્યાંશ વધારે છે. સારાંશ કે, પ્રજાને ચાલુ સંજોગોમાં રહેવા દઈને, તેમાં તેમને સારો સંતોષ આપીને નવા સંજોગોમાં ઘસડવાનાં સાધનો ગોઠવાય તેવો પ્રચાર કરવામાં આવે છે અને જૂનામાંથી પ્રજા નીકળતી જાય ને નવામાં દાખલ થવા લલચાય, તેવા કાયદાઓ પણ ખાસ પસાર કરવામાં આવે છે. આ વસ્તુસ્થિતિ છે, તે જ પ્રમાણે આ દેશમાં તેઓને પોતાનો ઉદય કરવાનો છે. એ ક્રિયા માટે પુષ્કળ પ્રયત્નો ચાલે છે. તેમાં ઊછરતી પ્રજાને સહકાર મેળવવા માટે “દેશના ઉદય' માટે દરેક પ્રયત્ન કરવો જોઈએ.” એ ભાવનાને સારી રીતે પોષવામાં આવે છે. તે જ પ્રમાણે, સ્વરાજ્ય શબ્દ પણ એક જાતના કોયડારૂપ છે. પરદેશીઓ આજ સુધી રાજકર્તા તરીકે રાજ્ય કરતા આવ્યા છે, પરંતુ હવે પ્રજાના હાથમાં જ રાજ્યતંત્ર મૂકવા માંગે છે. પરંતુ સંપૂર્ણ સ્વરાજ પ્રજાના હાથમાં આવે, ત્યાં સુધીમાં તો આ દેશમાં આ દેશની વતની કોઈ બીજી જ પ્રજા થઈ ચૂકી હોય, અને તે સ્વરાજ્ય ભોગવે છતાં તેની મહેનત કરે હાલની પ્રજા. એ જ પ્રમાણે સ્વદેશી માલના વપરાશ કરવાની ભાવના. શુદ્ધ સ્વદેશી તે માત્ર શાબ્દિક પ્રચાર પૂરતું જ છે. પરંતુ પરદેશી યંત્રવાદના દેશી કે પરદેશી માલિકોથી ચાલતાં યંત્રોથી બનતા માલના વકરાનાં ક્ષેત્રો તૈયાર કરવા જ તેનો પ્રચાર હતો. કેમ કે, પરદેશી લોકો આ દેશમાં મોટાં મોટાં કારખાનાં ખડાં કરવાનાં છે અને તેમાં જથ્થાબંધ માલ બનશે, તેને સ્વદેશી ગણાવીને સ્વદેશીની હિલચાલ મારફત તેના વકરાનાં ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. આ દેશની સંસ્કૃતિ હસ્તોદ્યોગની છે, અને તેનો લગભગ નાશ થવા આવ્યો છે. છતાં હજુ સેંકડે ૫૦ ટકા આ દેશના લોકો હાથથી કામ કરે છે. તે દરેક ચીજો લોકોને યંત્રોથી બનેલી મળશે. એટલે આપોઆપ તેમના હાથમાંથી એ ધંધા છૂટી પડ્યા છે. ને બાકી હશે તે છૂટી પડશે. જો કે દેશમાં હસ્યોદ્યોગ ખીલવવાની વાત ચાલે છે, તે પણ દ્વિઅર્થી છે. મોટાં યંત્રોને મદદ કરતા થાય અને પ્રથમ સામાન્ય પ્રજાનાં મન યંત્રો તરફ દોરવાય તેવાં નાનાં યંત્રો તૈયાર કરી પ્રચારમાં લાવવામાં આવતા જાય છે. આ વાતની સાબિતી લખનૌનું પ્રદર્શન જોનારાઓ પૂરે છે. હસ્તોદ્યોગ શબ્દ સાદો અને આપણને પરિચિત લાગે છે. પરંતુ તે નાના હાથ-મશીનોના પ્રચાર માટે હાલમાં યોજવામાં આવેલ છે, પછી તે જ મોટાં યંત્રોના રૂપમાં ફેરવાશે. કેમ કે, નાનાં યંત્રો Page #634 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૬૧ આખર મોટાં યંત્રોની હરીફાઈમાં ટકી શકે જ નહીં, એ સ્વાભાવિક છે. પરંતુ લોકોના હાથના શુદ્ધ ધંધા છોડાવવા માટે હાલમાં નવાં યંત્રો ખાસ ઉપયોગી છે, જે યુરોપે સારી સંખ્યામાં તૈયાર કર્યા છે. રેંટિયાની વાત તો માત્ર પુરાણપ્રિય આ પ્રજાના માનસને સંતોષવા અને આધુનિક ઉદ્યોગો માટે પ્રજાને દોરવા માટે, પહેલાં તેમના માનસને ઉદ્યોગેછુ કરવા માટે જ છે. રેંટિયાની વાતનું આટલું જ મહત્ત્વ છે. અલબત્ત, “આર્ય સંસ્કૃતિ યંત્રોથી વિરુદ્ધ છે.” એમ માનવાને કારણ નથી. કેમ કે, ઘણાં કામોમાં સાદા છતાં યાંત્રિક ગોઠવણવાળાં સાધનોથી ભારતીય આર્યો પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે, ગાડું, ચરખો, રેંટિયો, ઘંટી, ઘાણી, સાયડી વગેરે શાસ્ત્રીય સિદ્ધાંત ઉપર રચાયેલાં આબાદ યંત્રો છે. પ્રાચીનકાળમાં આશ્ચર્યકારક યંત્રો પણ બનતાં હતાં. એવા ઘોડા બનાવવામાં આવતા હતા કે, જેઓ અમુક ચાંપ દાબવાથી આકાશમાં ઊડે અને અમુક દબાવવાથી જમીન પર ચાલે, અને અમુક ચાંપ દબાવવાથી પાણીમાં વહાણની માફક તરવા લાગે. લગભગ ઈસ્વીસનના ચોથા સૈકાની આસપાસ રચાયેલા વસુદેવ હિંડી ગ્રંથમાં કોકાસની વાતમાં આવા ઘોડા, યાંત્રિક પારેવા, જે ચોખા ચણી લાવે છે અને યાંત્રિક ઊડતા મહેલની વાત જાણવા મળે છે. પ્રત્યેક બુદ્ધની વાતમાં પણ આકાશમાં ઊડતા લાકડાના ઘોડાની વાત વાંચવામાં આવે છે. આ તો માત્ર વાર્તાઓની હકીકત થઈ. પરંતુ રાજા ભોજના બનાવેલા સમરાંગણ નામના શિલ્પ ગ્રંથમાં દોઢસો શ્લોકનો આખો યંત્ર વિશેનો એક અધ્યાય છે. તેમાં દોડતો હાથી, પાણી ભરતી પૂતળી, પારેવાં, તિજોરીનો રક્ષક, ચોર પકડી લેનાર યાંત્રિક સિપાહી વગેરે યંત્રો બનાવવાની વાત છે. તે ઉપરાંત તેમણે યંત્રો બનાવવામાં પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેનો ઉપયોગ કેવી રીતે અને કેવા માપથી કરવો, તે પણ બતાવેલ છે. તેથી આગળ વધીને તે કહે છે કે, “આ શાસ્ત્રનાં તત્ત્વો જાણનાર બુદ્ધિશાળી કારીગર અનેક યંત્રો બનાવી શકશે. હું પણ ઘણાં યંત્રો જાણું છું. પરંતુ કોઈ કોઈ લોકો તેનો દુરુપયોગ કરી નાંખે, માટે દિશા જ બતાવું છું. યંત્રોની વિગતવાર રચના બતાવતો નથી. બુદ્ધિશાળી મારી દિશાસૂચન પ્રમાણે પ્રયત્ન કરશે, તો યંત્રો બનાવી શકશે, પરંતુ હું નથી જાણતો એમ કોઈ માનશો નહીં.” આપણા પ્રાચીન જૈન શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે, “શ્રી અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ભરત ચકીએ સિંહનિષદ્યા પ્રાસાદ કરાવીને તેમાં ર૪ તીર્થકરોના માપ અને રચના પ્રમાણેની આબેહૂબ પ્રતિમાઓ ભરાવી તેની રક્ષા કરવા તથા આશાતના નિવારવા, લોઢાના યાંત્રિક પુરુષો ગોઠવ્યા.” એટલે યંત્રથી વિરુદ્ધ ભારત સંસ્કૃતિ નથી. પરંતુ તે જરૂર પૂરતાં જ હોવાં જોઈએ. તેનો દુરુપયોગ ન થવો જોઈએ, તેનાથી કોઈને વિના કારણે નુકસાન ન થવું જોઈએ. અને તત્વાર્થાધિગમ સૂત્રમાં “અજીવ-અધિકરણ આથવરૂપ હોવાથી જેમ બને તેમ તેનો ઉપયોગ ઓછો થાય તેમ કાળજી રાખવી”. ત્યારે આજે તો આજની સંસ્કૃતિને ટકાવવા આખો યંત્રવાદ ઊભો થયો છે, યંત્રો સામે નહીં. પરંતુ યંત્રવાદ સામે ભારતની સંસ્કૃતિ છે જ અને યંત્રવાદ સાથે બીજા સેંકડો વાદો તેની આજુબાજુ નવા ઉત્પન્ન થઈ સત્યથી રૂપાન્તર પામીને ગોઠવાયા છે. માટે યંત્રવાદના માલના વકરા માટે સ્વદેશીની Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પંચ પ્રતિકમાણસૂત્રો હિલચાલ છે. કૉંગ્રેસની ખાદી તેની જાહેરાતનું માત્ર સાધન છે. તેથી તે ડબલ વિલાયતી છે. માત્ર જેને હજુ પહેરવામાંથી કદી છોડી નથી અને તેઓ જે ખાદી કાંતીને વણાવીને પહેરે છે, તેટલી જ શુદ્ધ સ્વદેશી ખાદી છે. અને તે ખરી ખાદી છે, બાકી કોંગ્રેસની ખાદી ડબલ વિલાયતી કાપડ છે. અને દેશી મિલનું દોઢ વિલાયતી છે. કેમ કે, તેથી યંત્રવાદ હિંદની છાતી ઉપર ગોઠવાય છે. ત્યારે યુરોપનું કે જાપાનનું એકવડું વિલાયતી છે. કેમ કે, યંત્રવાદ હિંદથી તેટલો દૂર છે. આ સૂક્ષ્મ આર્થિક વિચારણાથી સમજાય તેમ છે. પરંતુ સ્વદેશી હિલચાલ કેટલી નુકસાનકારક છે, તે અને મિથ્યા અને અસત્ય છે તે સમજાશે. હવે સ્વરાજ્ય અને દેશની ઉન્નતિ એ બે શબ્દો કેવી રીતે કોયડારૂપ છે. તે સમજાવી આપણે મૂળ વિષય ઉપર આવીશું. ભારતીય આર્ય મહાન પુરુષોએ દોરી આપેલ જીવનમાર્ગ વ્યાવહારિક અને પારમાર્થિક તથા તત્કાલીન કે પરંપરાએ સાચો અને હિતકારક છે? કે હાલના જમાનાનો – નવયુગનો - નવા જમાનાના અનુસરતો જીવનમાર્ગ વ્યાવહારિક અને પરમાર્થિક તથા તત્કાલીન અને પરંપરાએ સાચો અને હિતકારક છે ? આ પ્રશ્નનો ઉકેલ ઘણો જ ગૂંચવણભરેલી અને જટિલ થઈ પડ્યો છે. આપણા કેટલાક ભારતીય ભાઈઓ જીવનમાર્ગને સાચો ગણે છે, ત્યારે સાચો માર્ગ ગણે છે. બન્નેયમાં ભેદ જરૂર છે. કેમ કે, બન્નેયનાં સાધનો અને પરિણામો તથા ધ્યેયો જુદાં જુદાં છે. જે ભારતીય સંસ્કૃતિને અનુસરતો જીવનમાર્ગ હિતાવહ હોય તો નવયુગની સંસ્કૃતિનો માર્ગ નુકસાનકારક ગણાય જ. પરંતુ સામાન્ય બુદ્ધિથી વિચારતાં પૂર્વાપરના દેશના વતની ભારતવાસીઓનું તો પોતાની સંસ્કૃતિમાં જ એકંદર હિત સમાયેલું હોય, એમ એકદમ જ દરેકને લાગ્યા વિના નહીં રહે. નવયુગમાં તત્કાલ હિત દેખાય છે, પરંતુ પરિણામે તેથી હિત થશે કે અહિત ? તથા વ્યાવહારિક અને તત્કાલીન હિત થાય, પરંતુ પારમાર્થિક હિત થશે કે કેમ એ પ્રશ્નો છે. કેમ કે, આધુનિક નવયુગની આખી ઘટનાના મૂળ ઉત્પાદકો યુરોપના આધુનિક વિદ્વાનો છે. અને તેને ટેકો આપનાર જ તે તે દેશની રાષ્ટ્રીય સત્તાઓ છે એટલું જ નહીં, પરંતુ ભારત વગેરે બીજા દેશોની પ્રજામાં પણ લાગવગ યુક્તિ પ્રયુતિ વગેરેથી તેનો પ્રચાર કરવા સંપૂર્ણ મહેનત થાય છે. આ જમાનાની દરેક પ્રવૃત્તિની છેવટની યોજના ત્યાંથી જ પ્રચારમાં આવે છે. દુન્યવી અનુકૂળતાઓ સિવાય પારમાર્થિક હિતનો હજુ તેઓએ વિચાર જ કર્યો નથી. દુન્યવી હિતમાં પણ તત્કાલીન લાભ કદાચ મળે પરંતુ પરિણામે ભારતીય આર્ય પ્રજાને લાભ રહે કે કેમ એ સંશય છે. કેમ કે, આખો માર્ગ યુરોપવાસીઓએ પોતાના ભલા માટે જ ઉત્પન્ન કરેલો છે. તેમાં બીજાના ભલાની આશા શી રીતે રખાય ? આધુનિક વિજ્ઞાન પણ આ સ્વાર્થની કડીથી જોડાયેલ છે. માટે જ તે તે રાષ્ટ્રો તેને સીધી કે આડકતરી રીતે ખીલવે છે. વિજ્ઞાન સહજ રીતે ખીલ્યું છે, એ કેવળ બનાવટી અને ખોટી વાત છે. યુરોપીય રાષ્ટ્રોએ ખાસ ઇરાદાપૂર્વક ખીલવ્યું છે, ખીલવે છે, અને ખીલવશે. તેના ઘણા Page #636 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૫૬૩ પુરાવા છે. જો કે ભવિષ્યમાં કાળી પ્રજાઓને અમુક હદ સુધી કાબૂમાં લીધા બાદ વિજ્ઞાન અને યંત્રવાદને બંધ કરવો પડશે જ. નહીંતર તે કાળીની માફક ગોરીનો પણ વિનાશ લાવી મૂકે, માટે બંધ કરવો જ પડશે. - ભારતીય આર્ય પ્રજાજનોને ભારતીય આર્ય સંસ્કૃતિને અનુસરતો માર્ગ તત્કાલીન અને પરિણામે પણ એકંદર હિત કરનાર જ છે. તેમજ પરંપરાએ પારમાર્થિક પણ હિત કરનાર છે. ત્યારે નવયુગની સંસ્કૃતિનો જીવનમાર્ગ – કેટલાક અપવાદોમાં તત્કાલીન વ્યાવહારિક હિતો સિવાય પરંપરાએ વ્યાવહારિક અને પારમાર્થિક, એમ બન્ને ય પ્રકારે અહિતકારક જ છે. અલબત્ત, તેથી યુરોપવાસીઓને તત્કાલીન અને પરંપરાએ પણ વ્યાવહારિક લાભ તો છે જ. પારમાર્થિક લાભની તો તેઓને હાલમાં અપેક્ષા જ નથી. છતાં કદાચ ભવિષ્યમાં તેમાંથી તે લાભ ત્યારે જ મળે કે તે પ્રજા આધ્યાત્મિક જીવન તરફ વળે, હાલ તો તે પ્રજાના લોહીનું ખમીર આધ્યાત્મિક જીવનને અનુકૂળ એટલું બધું નથી, કે જેટલું ભારતીય આર્યપ્રજાના લોહી વગેરે તથા માનસિક તત્ત્વો અનુકૂળ છે. આ વસ્તુ આપણે એટલા માટે જ વિચારવી પડે છે કે, સમ્યગ્દષ્ટિએ સત્ય સમજવું જોઈએ અને સત્ય સમજીને તેને વળગી રહેવું જોઈએ. તેમજ બીજા તથા પ્રકારના યોગ્ય જીવોને તે સમજાવવું જોઈએ અને તેઓને એકંદર યોગ્ય માર્ગે દોરવવા જોઈએ. આજના લોકો દરેક ધાર્મિક બાબતોમાંયે જમાનાને અનુસરવાનું કહ્યા કરે છે, જમાનાને અનુસરતાં ધાર્મિક સમાધાનો માંગે છે, ધાર્મિક તથા આપણા જીવનની સામાજિક વગેરે અનેક ઘટનાઓને જમાના સાથે ઘટાવવા માંગે છે, તેમ ઘટાવવાથી જ તેને સંતોષ થાય છે. તો જમાનો અને તેની ઈદ્રજાળ કેવી છે તે વિચારવાની ફરજ પડે છે. પ્રથમ આપણે નવયુગની ઉત્પત્તિ વિષે વિચાર કરી પછી તેનું પરિણામ, તથા તેથી ભારતીય આર્યોને લાભાલાભ વિચારીશું અને આવા સંજોગોમાં ભવિષ્યના સમ્યગ્દષ્ટિ મહાન જૈનનું કર્તવ્ય શું હશે ? અને નવયુગમાં ફસાતા નવયુગના ગણાતા જૈન બંધુઓ તરફ, ઈતર પ્રજાજનો તરફ અને એકંદર માનવ જાતિઓને સમસ્ત પ્રાણી તરફ તેની ફરજ શી હશે ? અને તે, તે ફરજ કેવી રીતે બજાવવા તત્પર રહી શકાશે? એ વગેરે સામટું વિચારીશું. આ આખા નવયુગની ભાવનાની ઉત્પત્તિ યુરોપના આધુનિક આદર્શ અને મહત્ત્વાકાંક્ષામાંથી ઉત્પન્ન થયેલ છે. તેને આપણે ખ્રિસ્તી સંસ્કૃતિ નહીં કહી શકીએ. કેમ કે, ખ્રિસ્તી, યહૂદી, અરબસ્તાની વગેરે ધર્મો પાળનારાઓની સંસ્કૃતિઓ તો ભારતીય સંસ્કૃતિની લગભગ અનુયાયી જેવી જ છે. કેમ કે, તેમાં અંશત: પણ આધ્યાત્મિક આદર્શ છે. પરંતુ હાલની નવી સંસ્કૃતિ તો તદ્દન નવીન જ ઊભી થઈ છે. જે “સાધારો” “સીવીલાઈઝ” વગેરે નામે કહેવાય છે અને તે તદ્દન જુદા જ પ્રકારની છે. કેમ કે, તે જડવાદ ઉપર નિર્ભર છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો નવાં નવાં સંસ્થાનો અને વસાહતો સ્થાપવાના લોભમાંથી યુરોપની પરસ્પર એકસંપી, યંત્રવાદ, આધુનિક વિજ્ઞાન તથા આધુનિક સંસ્કૃતિનો જન્મ થયો છે. જેના બળથી નબળી સંસ્કૃતિવાળી પ્રજાઓના પ્રદેશોમાં વસાહતો, સંસ્થાની સ્થાપી દીધાં છે, અને ત્યાં યુરોપીય વસ્તી વસવા માંડી છે, તે એટલી સત્તાથી ત્યાં રહે છે, કે તેમને સાંસ્થાનિક સ્વરાજ્ય પણ આપવામાં આવેલ છે. યુરોપનાં ઘણાં ખરાં રાષ્ટ્રોએ દુનિયાના ઘણા ભાગોમાં પોતપોતાની શકિત પ્રમાણે જ્યાં જ્યાં અનેક સંસ્થાનો અને વસાહતો સ્થાપેલ છે, ત્યાં ત્યાં પરિણામે તે તે સ્થળોની મૂળ વતની પ્રજાઓ કયાંક સર્વથા, કયાંક ઘણો ખરો અને કયાંક થોડો ઘણો, નાશ થઈ ચૂકેલ છે. જ્યાં સર્વનાશ નથી થયો, ત્યાં ન થવાનાં બે કારણો જોવામાં આવ્યાં છે :૧. સંસ્થાનો અને વસાહતો સ્થાપનારાઓ હજુ તે સ્થળની પ્રજાઓનો સર્વનાશ કરવા જેટલી શકિતમાં આવ્યા ન હોય પણ આવવાની તૈયારી કરી રહ્યા હોય. ૨. અથવા એ સંસ્થાન તરીકેનું સ્વરૂપ આપવાની તૈયારી કરવાના કાર્યક્રમોનો અમલ કરતાં પહેલાં પ્રથમ, દરેકે દરેક બાબતો ઉપર કબજે કરવા માટે તે તે દેશવાસીઓની મદદ લઈને કબજો કરવાનો હોય ત્યાં સુધી તે તે દેશવાસીઓને કામ લાયક મેળવીને નવયુગની સુખ-સંપત્તિનો ભાગ આપે છે. તેથી કેળવાયેલા સિવાયના બીજા દેશવાસીઓને પણ પોતાના મૂળ જીવનથી મુકત કરીને નવયુગના જીવન તરફ લલચાવી શકાય છે. સ્વાર્થ હોય ત્યાં સુધી નવયુગની સર્વ પ્રકારની સામગ્રી, મોટા અધિકારો અને હોદ્દાઓ મારફત તથા ધંધામાં લાગવગ મારફત ભોગવવા દેવામાં આવે છે. પછી તો હરીફાઈમાં પછડાઈને તેઓ પાછળ પડી જાય છે, ને હાથ ઘસતા થાય છે. પછી તેઓ નથી મૂળ વતનીઓ સાથે ભળી શકતા કે નથી નવયુગના અગ્રેસરો સાથે સ્પર્ધામાં ટકી શકતા. આમ તેઓની ઉભયભ્રષ્ટતા થાય છે. અર્થાત વસાહત સ્થાપનારાઓને પોતાની વસાહત સ્થાપવામાં અમુક હદ સુધી મૂળ વતનીઓની મદદની જરૂર હોય ત્યાં સુધી તેને કેટલેક અંશે ટકાવવામાં આવે છે. એટલું જ નહીં પણ તેમને સારી રીતે પંપાળવામાં પણ આવે છે. વસાહતો સ્થાપનારા મૂળ વતનીઓનો નાશ કરવા શું શું કરે છે ? તે અનેક ટાપુઓની પ્રસિદ્ધ હકીકતો ઉપરથી આપણે ઘણું સમજી શકીએ તેમ છીએ. તે, તે સાહિત્ય વાંચવાથી સમજી શકાશે. એટલે તે વિષે વિશેષ લખતા નથી. પ્રશ્ન માત્ર ભારત વર્ષ માટે હતો. અહીં પણ યુરોપવાસીઓનો પગદંડો તો છે જ. તે શા માટે છે ? વેપારને માટે છે ? રાજ્ય કરવા માટે છે કે ભારતવર્ષને વસાહત બનાવવા માટે છે? આ પ્રશ્નો વિચારવા આપણે માટે ગણા જ અગત્યના છે. વસાહતનો અર્થ અને સમજી લેવો જરૂરી છે. વસાહતનો અર્થ હાલમાં એ જ જાણવામાં છે કે, “મૂળ વતનીઓનો શકયતા પ્રમાણે ધીમે ધીમે કે જલદી નાશ કરી યુરોપવાસીઓએ તેમાં વસવાટ કરી, તે દેશ પોતાનો બનાવવો અને પોતાના યુરોપીય મુખ્ય રાષ્ટ્રની છાયામાં રહીને ત્યાં સંપૂર્ણ પ્રજાકીય સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવવું. આનું નામ લોકશાસન : આનું નામ સંપૂર્ણ સ્વતંત્રતા. આ શબ્દોને યુરાપીય મુત્સદ્દીઓ પોતાના પારિભાષિક ઈષ્ટ અર્થ પ્રમાણે વાપરે છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો અને અહીંના દેશનાયકો અને કેળવાયેલ ગણાતો વર્ગ તે શબ્દોને પોતાના લાભમાં શુદ્ધ અર્થમાં સમજે છે. તો હવે ભારતમાં યુરોપવાસીઓનો શો ઉદ્દેશ છે ? ઇતિહાસ અને આધુનિક સંજોગો જોતાં ભારતને પણ યુરોપીય વસાહત બનાવવો અને તેમાં વસી જતી ભવિષ્યની યુરોપીય પ્રજાને સંપૂર્ણ સાંસ્થાનિક સ્વરાજ્ય આપવું, તેવો જણાય છે. તેમાં યુરોપીય પ્રજા શી રીતે વસી શકે તેમ છે એ વિચારીએ. ૫૬૫ રાણી એલીઝાબેથના સમયથી ઇંગ્લેંડની મહત્ત્વાકાંક્ષાને પરિણામે તેઓએ ત્યારથી પોતાની વસાહતો સ્થાપવાની શરૂઆત ઘણા વખતથી કરી દીધી છે. અને લગભગ તેનું અનુકરણ યુરોપિયન બીજાં અનેક રાષ્ટ્રોએ કરેલું છે, એ તો દેખીતી જ વાત છે. પરંતુ ચીન અને ખાસ કરીને ભારતવર્ષ એટલા સંગઠિત અને સંસ્કૃતિવાળી પ્રજાઓથી ખીચોખીચ ભરેલા છે કે તેમાં એકાએક એ વસાહત સ્થાપવાનો ઉદ્દેશ શી રીતે સિદ્ધ થાય ? પરંતુ એટલું ચોકકસ છે કે, તેઓનું મૂળ ધ્યેય વસાહતો સ્થાપવાનું મૂળથી જ છે. વૉરન હૅસ્ટિંગના વખતથી તેની ચર્ચા તેઓ કરતા આવ્યા છે, તેના આપણને ઇતિહાસમાંથી ઘણા મુદ્દાઓ મળે છે. પરંતુ, ભારતમાં વસાહત સ્થાપવાનું કામ અતિ વિકટ અને ઘણું દુર્ઘટ હોવાથી એ ધ્યેયની સિદ્ધિ અનુક્રમે કરવી જોઇએ, અને તેને માટે તેઓએ આ અનુક્રમ ગોઠવ્યો જણાય છે. ( ૧ ) પ્રથમ માહિતી મેળવવાનો-એલચીઓ અને વિદ્વાન મુસાફરોનો સમય. ( ૨ ) વ્યાપારી થાણાં નાંખવાં, ઈસ્ટ ઈંડિયા કંપનીનો સમય. ( ૩ ) રાજ્યો જીતવાં ને રાજ્ય કરવું. ૧૭પ૭ થી ૧૮૫૭. ( ૪ ) રચનાત્મક રીતે લગભગ પ્રજાની રીતે પ્રજાને સંતોષ ઊપજે તેવું રાજ્ય કરવું, ને નવી રચનાની તૈયારી કરવી. ૧૮૫૭ થી ૧૯૧૯. ( ૫ ) વસાહતોને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવું. અને પ્રાથમિક યોજના અમલમાં મૂકવી. ફેડરલ યોજનાનાં અંગો—૧૯૧૯ પછી જે ચાલુ છે. ( ૬ ) સંપૂર્ણ સ્વરાજ્ય આપવું અને વસાહત જાહેર કરવી. હવે પછીના સમયમાં. સ્થૂલ રીતે આ છ પગથિયાં જોવામાં આવ્યાં છે. તેનાં પેટાં પગથિયાં બીજાં ઘણાં છે. પરંતુ અહીં મુખ્ય સિવાય તે બધાંનો વિચાર કરવો અસ્થાને છે. ( ૧ ) આ દેશમાં મોગલ બાદશાહોના રાજ્યમાં ઠેઠ અકબરથી એલચીઓ શરૂ થયા. અને જહાંગીરના વખતમાં ખાસ કરીને સર ટોમસરો પ્રસિદ્ધ એલચી આવ્યો. ત્યારે પણ અનેક મુસાફરો બાદશાહીની લાગવગ મેળવીને આખા દેશમાં ફરતા હતા. અને અનેક જાતની ભૌગોલિક, ધંધાદારી, ઐતિહાસિક વગેરે માહિતીઓ એકઠી કરતા હતા. તે બધું લખી લખીને પોતપોતાના દેશને પૂરું પાડતા હતા. અને પછી તેના વ્યવસ્થિત ઘણાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં, જે આજે પણ મળે છે. [જો કે માહિતી મેળવવાનું કાર્ય આજે પણ એકધારું ધમધોકાર ચાલુ છે. ખૂબી તો એ છે કે, તે Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ પંચ પ્રતિકમાણસૂત્રો તે સાહિત્ય બહાર પાડનારી આધુનિક દેશી સંસ્થાઓ પણ લગભગ તેઓ માટે માહિતી એકત્ર કરવાના અંગ તરીકે જ કામ કરે છે. સરકારી તથા બિનસરકારી શોધખોળનાં પ્રાચીન શોધખોળનાં અનેક ખાતાંઓ ચાલુ છે. તે દરેક માહિતી મેળવવાનાં સાધનો તરીકે જ ગોઠવાયાં છે. કોઈ પણ છપાતું પુસ્તક તેમની પાસે જાય જ છે. જે મારફત આ દેશના દેશ, કાળ, જીવન, ખાસિયત, રહેણીકરણી, ધંધા, સમાજજીવન, ધાર્મિક જીવન, આદર્શ, કળા, સંસ્કૃતિ, કળા, સંસ્કૃતિ, ધર્મો વગેરેનો યુરોપવાસીઓ અભ્યાસ કરે છે અને વસાહત સ્થાપવાના મૂળ હેતુમાં તેનો ઉપયોગ કરે છે, અને પછી તે દરેકનાં સારભૂત પુસ્તકો પણ બહાર પાડીને તે મારફત પોતાની ઊછરતી પ્રજાને દષ્ટિબિન્દુ તથા માહિતી પૂરી પાડીને લાભ ઉઠાવે છે.] ( ૨ ) ત્યાર પછી વ્યાપારી કોઠીઓ નાંખવાના પરવાના મેળવે છે, અને વ્યાપારી કોઠીઓ ચાલે છે તથા જકાત વગેરેમાં તથા જવા આવવાના હકકોમાં છૂટછાટ તથા માફીઓ મેળવીને સારી રીતે વ્યાપાર ખેડે છે. અને જ્યાં લોકોને કામના બદલામાં એક આનો આપવાની જરૂર હોય ત્યાં એક રૂપિયો આપી બેસે છે. અહીંના વતનીઓને ભભકા તથા ઉદારતાથી આંજવાનો પ્રયત્ન કરે છે. ને આટલો બધો વ્યાપાર ખેડાયો કે આખા યુરોપ, અમેરિકા અને ઇંગ્લેંડની આજની સંપત્તિ લગભગ તેનું પરિણામ છે. ત્યાંના સામાન્ય લોકો પર આજે કોઠાધિપતિ અને અબજોપતિઓ થઈ ગયા છે અને સામાન્ય માણસો પણ માતબર થયા છે. [વ્યાપાર પણ આજે ચાલુ જ છે. આજે તો એ દેશના લોકોની કંપનીઓ એટલી બધી થઈ ગઈ છે અને થશે કે, આજ સુધીમાં દેશીઓના હાથમાંથી વેપાર ચાલ્યો ગયો છે, અને હવે રડ્યાખડ્યો છે તે અને ખેતી તથા પશુઉછેર જેવા મસ્ત મોટા ધંધાઓ પણ ડેરી કંપનીઓ અને મશીનરી ખેતીની ખિલવણી શરૂ થતાં જવા જ બેઠા છે અને જશે. પછી બીજા ધંધાની વાત જ શી ? ખેડૂતોમાં જાગૃતિનું વાતાવરણ આ નવીન યોજનાનો પાયો નાંખવા માટે છે. જાગૃતિ થયા વિના ખેતી માટેની નવી યોજના અમલમાં ન લાવી શકાય. યોજનાઓ તૈયાર થઈ ગઈ છે, અમલ શરૂ થયો છે. ખેડૂત પ્રજાને પોતાના ચાલુ ધંધામાંથી ચલિત કરવા માટે જ ખેડૂત જાતના દેશનેતાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. આજની દેશી કંપનીઓની મૂડી પણ પરદેશીઓની જ છે. તેઓ પાસેની પરદેશી મૂડી મારફત નવી કંપનીઓ નીકળીને પણ વ્યક્તિગત દેશી વેપારીઓના ધંધા તૂટે છે. રાજ્યના કાયદાનો ટેકો લિમિટેડ કંપનીઓને હોય છે. વ્યકિતગત વેપારીને નથી હોતો. તેથી દેશી વેપારીઓ તૂટે છે અને દેશી વિદેશી કંપનીના વેપારી જેરમાં આવે છે. એટલે વ્યકિતગત વેપારીઓના હાથમાં વેપાર છોડાવવા દેશી કંપનીઓને પણ શરૂઆતમાં ધનવાન અને લાગવગવાળા બનાવવામાં આવે છે. તે આજનાં વેપારીમંડળો માત્ર લલચામણાં સાધન માત્ર છે. અને લાભ પણ પરિણામે દેશીઓને મળે તેમ નથી.] (૩)પછી વેપાર કરતાં કરતાં દેશો જીતવા અને રાજકાજમાં સંધિવિગ્રહોમાં માથું મારવા માંડે છે અને ધીમે ધીમે જમીનો મેળવી તેનું રાજ્ય કરવાની શરૂઆત કરે છે, અને કલાઇવ રૉબર્ટસન રાજ્યસત્તાનો ઊંડો પાયો નાંખે છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો આ વખતે જગત શેઠ અને બીજા વેપારીઓ મારફત વ્યાપારી તરીકે વેપારી વર્ગનો અને સામાન્ય પ્રજાનો પ્રથમ વિશ્વાસ સારો મેળવેલો હોવાથી આખા દેશમાં સામાન્ય રીતે લાગવગ વધી ગયેલી હોવાથી કેટલીક સહાનુભૂતિ ધીમે ધીમે મળ્યા કરી છે. તે વખતે આ દેશની આગેવાન પ્રજા ખાસ વેપારી પ્રજા હતી. તેનો સહકાર ખૂબ તેમની મદદમાં આવ્યો છે. એટલે પ્રજાનો ચાહ દેશી રાજ્યોની વિરુદ્ધમાં ઉપયોગમાં લેવાના કામમાં આવ્યો હતો. અને પ્રજાની અપ્રીતિ આગળ કરીને દેશી રાજાઓ પાસે પોતાના લાભની સંધિઓ કરાવી શકાઈ છે. અને રાજાઓની પાછળ પોતાની ઉપરી સત્તા ગોઠવી શકાઈ છે. આ અરસામાં નાનામોટી લડાઈઓથી લૉર્ડ કલાઇવે કેટલાક પ્રદેશો હાથ કર્યા પછી તે ઇંગ્લેંડ જાય છે, અને આ દેશની પ્રબળ સત્તા પેશ્વા અને મુસલમાનોની કોમી લડાઈ જેવી ૧૭૫૭ આસપાસ પાણીપતમાં થાય છે, અહમ્મદ દુરાની મુસલમાનોનો આગેવાન છે, તેની જીત થાય છે ને પેશ્વા હારે છે. ૫૬૭ બસ, તુરત જ ફરીથી લોર્ડ કલાઇવ આવીને બ્રિટિશ રાજ્યના વહીવટની લગામ હાથ ધરીને બ્રિટિશ પેરમેંટ પાવર (સર્વોપરી સત્તા) સ્થાપિત થયેલ માનીને પહેલા ગવર્નર જનરલ બનીને આવે છે. અહીં પ્રશ્ન થાય છે કે, પેશ્વા હાર્યા. તો મુસલમાનોની સર્વોપરી સત્તા થવી જોઈએ અને મુસલમાનો જીતવા છતાં ચાલ્યા ગયા તો પેશ્વાઓની સર્વોપરી સત્તા રહેવી જોઈએ. તેને બદલે ત્રીજી સત્તા જે માત્ર શરૂઆતમાં નામની જ હતી. તેની એકાએક સર્વોપરી સત્તા કયાંથી થઈ ગઈ ? તે વખતે કયાં પેશ્વાઓનો કાબૂ, સત્તા, સંપત્તિ અને રાજ્યવિસ્તાર ? અને કયાં કલકત્તા અને મદ્રાસની આજુબાજુનો થોડો થોડો બ્રિટિશ પ્રદેશ ? પરંતુ કેટલાકનું માનવું છે કે, આ પેશ્વા અને મુસલમાનોની લડાઈ બન્નેય સત્તાઓને નબળી પાડવાને યુક્તિપૂર્વક ઊભી કરવામાં આવેલી અને પેશ્વાઓને પટકવા માટે તેની નબળાઈની કેટલીક માહિતી કેટલાક પરદેશીઓને બન્નેય ઠેકાણે વિશ્વાસ આપીને અંદર ભરાઈ જઈને આપેલી હોવી જોઈએ, જેથી પેશ્વાઓની સત્તાને ફટકો પડ્યો હોય. કેમ કે, મુસલમાનોની સત્તા નામની જ હતી. પેશ્વાઓની સત્તા ઘણી વ્યાપક હતી. તે વખતે પરદેશીઓ વિશ્વાસુ તરીકે ગોઠવાઈ જવામાં ઘણા જ કુશળ હતા. અને પોતાના રાષ્ટ્રીય હેતુને સિદ્ધ કરવા માટે જાનની પણ પરવા કર્યાં વિના અહીંના વતનીઓનો અપૂર્વ વિશ્વાસ મેળવી લેતા હતા. જેનો ઉપયોગ તે પોતાના રાષ્ટ્રના હિતમાં વખત આવ્યે અચૂક રીતે કરવાનું ચૂકતા નહીં. તેના ઇતિહાસમાં સંખ્યાબંધ પુરાવા છે. આ ઘટના લૉર્ડ કલાઇવે ઇંગ્લેંડ બેઠા બેઠા કરી હોય કે બીજાઓએ કરી હોય. પરંતુ યુદ્ધ વખતે પરદેશીઓ તદ્દન ચૂપ બેસી રહ્યા હોય, એ સંભવિત લાગતું નથી. કેમ કે, તેઓના અને આપણા ઇતિહાસકારો “૧૭૫૭ થી તેઓના રાજ્યનો મજબૂત પાયો નંખાયો.'' એમ માને જ છે. સને ૧૮૫૭થી રચનાત્મક રાજ્યવ્યવસ્થાનો પાયો નંખાયો અને Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૯૧૯થી સંપૂર્ણ સ્વરાજ્યનું બીજ રોપાયું જે ૧૫૭માં કદાચ અંકુરિત થવાની તૈયારીમાં હોય અને ૨૦૧૭ સુધીમાં કદાચ આ દેશમાં આવીને વસેલા યુરોપીય પ્રજાઓને માટે સંપૂર્ણ સંસ્થાનિક સ્વરાજ્યનો અમલ સફળતાએ પહોંચી પણ જાય. ૧૭૫૭થી ૧૮૫૭ સંધિવિગ્રહો, કોલકરારો, લડાઈઓ અને લશ્કરી દોરથી રાજ્યો જીતવા અને મેળવવાનો કાર્યક્રમ ચાલ્યા કરે છે, જે કેટલેક અંશે આજે લગભગ સરહદોમાં પણ ચાલુ હોવાનું મનાતું. અને તે દરમિયાન સંપૂર્ણ સ્વરાજ્યને અનુકૂળ કેળવણી આપી, રચનાત્મક નવીન જાતની રાજ્યવ્યવસ્થા અમલમાં લાવવાની તૈયારી પણ થાય છે, અને એ આખા લોખંડી ચોકઠામાં મેળવીને તૈયાર કરેલા વર્ગોનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. રચનાત્મક રાજ્યવ્યવસ્થાની શરૂઆત જે કે ૧૮૫૭ પછી મહારાણીથીના ઢઢેરા નામની સ્કીમથી શરૂ થાય છે, પરંતુ તેની તૈયારી ઘણાં વર્ષો પૂર્વેથી થઈ ચૂકેલી હતી. જો કે ૧૮૫૭ સુધી અહીં કંપનીનું રાજ્ય ગણાતું હતું. પરંતુ તેની પાછળ બધી લગામ ઈંગ્લેંડની પાર્લમેન્ટના જ હાથમાં હતી. પરંતુ, પગથિયે પગથિયે ચડવાનું હોવાથી પાર્લમેન્ટ ૧૮૫૮ સુધી કંપનીના કામમાં તટસ્થ જેવો દેખાવ કરીને અંદરખાનેથી રાજ્ય ચલાવવા માટે કેળવણી, કાયદો, રસ્તા, રેલવે, તાર, ટપાલ, મિલો, કોર્ટો વગેરે કેવા ચલાવવા ? તેની તૈયારી કર્યે જતી હતી. એ રચનાત્મક રાજ્યતંત્રમાં પ્રજાને એકદમ પલોટી લેવા માટે જૂની રચના રદ કરવી જોઈએ અને અમુક વર્ગમાં નવીન જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ. તે માટે ૧૮૫૭નો બળવો, એ મુત્સદ્દીઓને મન આવશ્યક અંગ હોય, એ સ્વાભાવિક છે. જે તે તેમને જરૂરી ન હોત તો સંધિઓ કરીને બેદિલ આગેવાનોને સંતોષીને પતાવટ કરી નાંખતાં મુત્સદ્દીઓને વાર ન લાગત. એમ અનુમાન કરવાને કારણ મળે છે. અલબત્ત, ૧. પોતાની ધનસંપત્તિનું બળ, ૨. સંધિઓથી રાજાઓ અને પ્રજાજનોનો પક્ષ. અને ૩. પોતાનું સ્વતંત્ર લશ્કરી બળ, એ ત્રણેય શકિતનું ખરું માપ કાઢ્યા પછી જ બળવાને આગળ વધવા દીધાનું જણાય છે. નહીં તો વધવા દે જ નહીં. તથા શાંત રચનાત્મક રાજ્યવહીવટ ચલાવવાને શાંતિ જોઈએ. અને શાંતિ માટે લડાઈઓ બંધ થવી જોઈએ. લડાઈઓ બંધ હોય ત્યારે લશ્કરી માણસોને કમી કરવા જોઈએ. એકાએક કમી શી રીતે કરાય? માટે કાંઈક હિલચાલ થવાની મુત્સદીઓ સ્વીકારતા હોય, એ સ્વાભાવિક છે. તેથી લશ્કર છૂટું પડી જાય, સામે થાય, તેની મિલકતોને ખાલસા કરી શકાય. વળી લશ્કરમાં મજબૂત અને ચુનંદા માણસોની સંખ્યા હોય, તેના મોટા ભાગનો નાશ થવાથી પ્રજા ઘણી ઘટે તેમજ નવી પ્રજા પણ ઘણી ઓછી જન્મ પામી શકે. તે દરમ્યાન અનેક પ્રદેશો ખાલસા કરવાથી રાજ્યમાં જમીનનો પણ વિસ્તાર વધે તથા “કોણ શત્રુ છે? કોણ મિત્ર છે ? અને એકંદર આપણી સત્તા કેટલી છે ? તે જોવાનું બળવા વિના શું સાધન હતું ? લોકો સમજે કે, “આપણા હકક માટે લડીએ છીએ” અને તેમના મનમાં તેમ ઠસ્યા વિના તેઓ લડે પણ નહીં. માટે તેઓના મનમાં એ હેતુ બેસાડવો જ જોઈએ. પરિણામે એકંદર થોડી મહેનતે શાંતિપૂર્વક રાજ્ય કરવાની સગવડ આવા મોટા દેશમાં ૫૦ વર્ષ સુધી મળી જાય, તેના હિસાબમાં જે નુકસાન ધન, માણસો વગેરેનું પરદેશીઓને થયેલું તે ઘણું જ નજીવું ગણાય. એટલું કરવા માટે ઘણી મોટી લડાઈ લડવી પડે, તેમાંથી Page #642 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૬૯ બચી જવાયું ને બળવાથી જ સર્યું. ૧૮૫૭ના બળવામાં વળી જે કતલ ચાલી છે, તેવી વ્યાપક જેવી કતલ કદાચ દુનિયામાં કદી નહીં થઈ હોય. ૧૮૫૭ના બળવા પછી પણ કંપનીનો પાછલો વહીવટ તો સ્વીકાર્ય ગણાય છે. પછી આગળ વધવા માટે નવા નિયમો, કાયદા થાય છે, તે જુદા. તેમાંથી કોઈ મિત્રને ય છૂટ મળતી નથી અને શત્રુઓનું લઈ લેવાય છે. તેમાં કંપનીના જૂના કોલકરારો પર એવું ધ્યાન આપવામાં આવતું નથી. (૪) બળવા પછી રચનાત્મક રાજ્યવહીવટનો અમલ શરૂ થાય છે. તેથી કેળવણી, કોર્ટો, ધારાસભાઓ, મ્યુનિસિપાલિટીઓ, લોકલ બોડ, વેપારી કંપનીઓ વગેરેને ઘણો જ વેગ મળે છે. સાથે સાથે પ્રજાકીય મંડળો, સોસાયટીઓ અને તેના કેન્દ્ર તરીકે કોંગ્રેસ વગેરે અસ્તિત્વમાં આવે છે. પ્રજામાં ફેશન, નાટકો નવાં નવાં પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે ખૂબ ફેલાય છે. અને શાંતિનો સમય પસાર થાય છે, તે દરમ્યાન લગભગ આખી દુનિયામાં શાંતિ રહી છે. પછી ૧૯૧૪માં લડાઈ શરૂ થાય છે અને ૧૯૧૯માં પૂરી થાય છે. અને મોન્ટ-ચેમ્સફર્ડ યોજનાને બહાને હાલની ફેડરલ સરકારની યોજનાના બીજ રોપાય છે. અને અસહકાર મારફત રાણીથીના ઢંઢેરાની સ્કીમની સરકાર રદ કરવા કરાવવાની હિલચાલ શરૂ થાય છે. અને નવી સરકારની – રાજ્યતંત્રની માગણી શરૂ કરાવાય છે. રચનાત્મક રાજ્યતંત્ર માટે હેગ કૉન્ફરન્સમાં દરેક યુરોપીય રાષ્ટ્રોની એકસંપીની શરતો કાળી પ્રજામાં સ્વામિત્વ જમાવવા શરૂ થઈ હતી, પછી તેના નવા ફણગારૂપે નેશન ઑફ ધી વર્ડ ઊભી થયેલી છે. યુરોપીય સત્તા વધી, તેમ તેઓની એકતાસૂચક સંસ્થા પણ મોટી રચવી જ પડે.] યંત્રવાદ અને વિજ્ઞાન આગળ વધે છે. તથા સરહદના રાજ્યો અને પ્રદેશોમાં વ્યાપાર, મિત્રતા અને સંધિવિગ્રહો તો આજે પણ ચાલ્યા કરે છે. [૧૯૧૪ની લડાઈને હાલની સંસ્કૃતિની દૃષ્ટિએથી મહત્ત્વનું સ્થાન છે. અને તેમાં દરેક ગોરી પ્રજાને લાભ થયો છે. તથા લાભ થાય છે.] આગળ વધેલાં વિજ્ઞાનો જે યુરોપવાસીઓને દેશો જીતવાના ઉપયોગમાં ન આવે તો તે શા કામના ? એટલે વિજ્ઞાનનો મોટો ઉપયોગ તો લશ્કરી શક્તિ વધારવા માટે જ હતો, પણ વિજ્ઞાનની લોકપ્રિયતા માટે તાર, ટેલિફોન, ફોનોગ્રાફ, રેડિયો વગેરેમાં પણ કરવો જરૂરી હોવાથી તેમાં અને બીજી વિવિધ બાબતોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો ખરો ઉપયોગ લડાઈ માટે જ છે. એટલે લડાઈ થયા વિના વિજ્ઞાનની પ્રેકિટકલ પરિસ્થિતિ બરાબર સમજાય નહીં. એટલે ૧૯૧૪ની લડાઈ ઊભી થઈ. હંમેશા લડાઈ, રમત, વેપાર, કોર્ટનો કેસ, બે મજબૂત પક્ષકારો વિના રંગમાં ચગે નહીં. બે પક્ષો સરખેસરખા જોઈએ જ. એટલે ૫૦-૫૫ વર્ષની એકાએક આખા યુરોપની શાંતિ એકદમ ભાંગી પડતી જોવામાં આવી. અને દુનિયામાં પહેલી વૈજ્ઞાનિક લડાઈ મોટા પાયા ઉપર મંડાઈ, જે તે લડાઈ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ પંચ પ્રતિક્રમણ સૂત્ર ન મંડાઈ હોત તો તે વખતની વૈજ્ઞાનિક લડાઈ કરતાં અનેક રીતે ચડિયાતા આજના વૈજ્ઞાનિક સાધનોવાળી ચાલુ લડાઈ થઈ શકત જ નહીં. એટલે જ આ ચાલુ લડાઈ ગોરી પ્રજાઓએ બે પક્ષોમાં વહેંચાઈને વધુ સત્તા જમાવવાને બનાવટી ઊભી કરી હોય એવો ભાસ કેટલેક અંશે થાય છે. કેમ કે, જો આવી રીતે વૈજ્ઞાનિક સાધનોની લડાઈ લડીને જગતને આવાં સાધનો બતાવવામાં ન આવે તો થથરાવી મૂકીને કાળી પ્રજાઓને હતાશ શી રીતે કરી શકાય ? કાળી પ્રજા તો હવે એમ જ સમજી લે કે, “હવે લડાઈમાં કોઈ પણ ગોરા લોકો સામે આપણે માથું ઊંચકવું અશકય જ છે અને લડાઈ કરવી પડે, તો પણ કોઈ પણ ગોરી પ્રજાના રાષ્ટ્રની મદદ વિના ચલાવી શકાય જ નહીં. અને કદાચ વૈજ્ઞાનિક સાધનો વસાવીને લડાઈ લડવાનો વિચાર રાખે તો પણ તેમાંય ગોરી પ્રજાનું શિષ્યત્વ સ્વીકારવું પડે. જે જાપાનને પણ ઈટાલી અને જર્મનીનું પીઠબળ મેળવવું પડ્યું છે અને ચીનને ઈગ્લેંડનું. બીજી પ્રજાઓની તો વાત શી? દુનિયાની કાળી પ્રજાને શાંતિના વખતમાં એવી સુંવાળી બનાવવાની છે, અને ગોરી પ્રજાઓએ પોતાની તૈયારીઓ એવા જબ્બર પાયા ઉપર કરી છે કે, કાળી પ્રજાનું કોઈ પણ રાજ્ય કોઈ પણ ગોરી પ્રજાની મદદ સિવાય આજે લડાઈ લડી શકે જ નહીં. આવી પામર સ્થિતિ થઈ છે ને થતી જાય છે. આવી લડાઈઓ સિવાય જૂના કોલકરારમાં ફેરફાર થઈ શકે નહીં અને નવી શરતો કરાવી સત્તા મજબૂત કરી શકાય નહીં. કોલકરારથી બંધાયેલ એક ભાઈ, પોતાના બીજા ભાઈની ઉદ્ધતાઈથી લાચાર બનવાનો દેખાવ કરીને પોતાના આશ્રિતોની પાસેથી નવા કોલકરારો કરાવી શકે ને પછી મદદ આપે, અથવા ઉદ્ધત ગણાતા પોતાના ભાઈના તાબામાં જાય, તો પણ આખરે તેમની સાથે મેળ થાય ત્યારે પણ પોતાના જ તાબામાં જ આવ્યા ગણાય. પરિણામે પોતાની કે પોતાના ભાઈની સત્તા વધારે જામી ગણાય. ગોરા રાષ્ટ્રો અંદર અંદર આ કામે ભાઈ તરીકે જોડાયેલાં છે. આ કૃત્રિમ લડાઈઓ કે વાદવિવાદ આપણા પ્રાચીન રાજ્યનીતિજ્ઞોએ પણ પ્રજાના ભલા માટે કરેલ હોવાના દાખલા જુદા ગ્રંથોમાંથી મળે છે. ચીન જાપાનની હાલની લડાઈમાં પણ એક તરફ ઈગ્લેંડનો પક્ષ છે અને બીજી તરફ જર્મની, ઈટાલીનો છે. અને બન્ને ય એશિયાવાસીઓ ખોખરા થાય છે. અને જેમ જેમ વખત જતો જશે, તેમ તેમ દરેક ગોરા રાષ્ટ્રો ખળભળશે અને આખરે આજુબાજુની કાળી પ્રજાઓને ખોખરી કરવાના કામમાં લાગશે. અમુક હદનું પરિણામ આવ્યા પછી શાંતિ થશે. વળી ફરી આવો પ્રયોગ શરૂ થશે.] આ તરફ રચનાત્મક કામ માટે તૈયારી કરવાના વખત પછી થોડાં જ વર્ષો બાદ ભારતની મૂળ કેળવણીની સંસ્થાઓ બંધ કરાવીને નવી વસાહતને લાયકના કાર્યક્રમમાં ઉપયોગી થાય તેવા વિચાર વાતાવરણવાળું શિક્ષણ શરૂ કરાવ્યું. એક બંગાળમાં જ ૮૦,૦૦૦ પાઠશાળાઓ હતી. તે ૧૮૫૭ સુધીમાં બંધ થઈને તદ્દન જૂજ રહેલ હતી. પ્રજામાંથી ધંધાઓ ગૂંટાવાને કારણે ગરીબી ફેલાય એટલે ધંધા માટે લોકોને બહાર નીકળવું પડે જ ત્યારે વચ્ચે કેળવણીનું બારણું ગોઠવ્યું, તેમાં તૈયાર થયેલાઓને Page #644 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭૧ પોતાના લાભના ધંધા-નોકરી આપવાની શરૂઆત કરી. અને એ રીતે કેળવાયેલા બંગાળી યુવકોને સ્વતંત્રતાનો ઉપદેશ આપીને મિ. હ્યુમ સાહેબ, નવી કેળવણીથી કેળવાયેલાઓની આગેવાની નીચે તેના અનુયાયીઓને એક જૂથમાં સંગઠિત થવા કૌરેસ નામની સંસ્થા સ્થાપી આપી. અને તેને લોકપ્રિય બનાવવા અંદરથી સંપૂર્ણ મદદ અને બહારથી તેની સામે અનેક રીતે વિરોધ રાખી પ્રતિષ્ઠા મેળવવા દેવામાં આવી છે. જે હિંદના મૂળ પ્રજાકીય સંગઠને બદલે નવું પાર્લમેન્ટના બંધારણને અનુકૂળ બંધારણ (બહુમતીનું) પ્રજામાં વ્યાપક કરે તેનો પ્રચાર કરે અને નવું સંગઠન બળમાં લાવ્યે જવાય. તેને પોતાની સામે ઉશ્કેરણીમાં રાખે જવાથી તે લોકપ્રિય બન્યું જાય અને “સરકારનો કોંગ્રેસ સામે વિરોધ છે માટે સરકાર જ તેને આગળ વધવા દેશે નહીં.” એવા ખ્યાલથી જૂના લોકો પણ સરકાર પાસે કોંગ્રેસની હિલચાલથી થતાં ખરા નુકસાન સામે દાદ માંગવા જઈ શકે નહીં. એટલે બંગાળમાં મુર્શિદાબાદમાં આવેલા જગતશેઠે જે આખી ભારતીય પ્રજાના પ્રમુખ છે. તેની સામે વસાહતોને યોગ્ય પ્રજાકીય દષ્ટિબિંદુઓ વાળી પ્રજા સંગઠિત રીતે ઉત્પન્ન કરવા એ સંસ્થાનો પાયો નાંખ્યો. તેની દર વર્ષે બેઠકો ભરવાની શરૂઆત થઈ. તેને માન આપવાના મોટા પ્રકારો ૫૦ તોપોના માન, પર હાથી રથને જોડવા વગેરેથી જેમ તે લોકપ્રિય થાય, તેમ તેમ નવી પ્રજા મૂળ બંધારણને ભૂલે એમ તટસ્થ રહીને સરકારે જ પ્રતિષ્ઠા વધારી. તે એટલે સુધી કે લાઠીઓ મારીને કેમ જાણે શત્રુ હોય એવો ભાસ કરાવીને પ્રજાનો જેમ બને તેમ તે સંસ્થા ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે જ જાય, તેવી ગોઠવણો કરી. જેમ જેમ મહાસભા જોરમાં આવતી જાય, તેમ પ્રાચીન મહાજનની પ્રજાકીય સંસ્થા ઢીલી પડતી જાય એ સ્વાભાવિક છે. જાહેરમાં “તે સંસ્થામાં કાંઈ નથી રહ્યું.” વગેરે વાતાવરણથી તેના ઉપર અણગમો થતો જાય, જેમાં સૌનું હિત વાસ્તવિક રીતે છુપાયેલું છે. જે પ્રજાશાહી તંત્રની આદર્શ સંસ્થા છે, છતાં નવીન રીતે પ્રજાશાહી તંત્રના આદર્શની વાત તરફ કોંગ્રેસને ઘસડીને દેશી રાજ્યો ઉપર અણગમો ઉત્પન્ન કરી શકાય. સાથે હવે પછી અહીં ગોરી પ્રજાને વસાવીને તેમને માટે પ્રજાશાહી તંત્રની ખિલવણીની તૈયારી કૉંગ્રેસ મારફત શરૂ કરી દીધી. લોકો સમજે છે કે, “દેશનેતાઓ સરકારને ધ્રુજાવે છે. પરંતુ ખરી રીતે દેશનેતાઓ મિ. હ્યુમે દીર્ધદષ્ટિથી દોરેલા વર્તુળના એક આરા તરીકે પોતાની ફરજ બજાવે છે. અને સરકાર પણ તેને જ દરેક કામમાં આગળ રાખે છે.” દા. ત. સમસ્ત ભારતીય પ્રજાના કાયદેસરના પ્રતિનિધિત્વવાળી મહાજન સંસ્થા સાથે નહીં ને પ્રજાકીય સંસ્થા તરીકે કોંગ્રેસને ગણીને તેની સાથે ઈરવીન-ગાંધી સંધિપત્ર થાય છે. કોંગ્રેસ પાસે ત્રિરંગી વાવટા મારફત લઘુમતી કોમોને ધોળા રંગમાં સ્થાન અપાવી તેના હકકો માટે પૂરતી કાળજીભરી ગોઠવણો કરાવી લે છે. સબબકે, કોંગ્રેસ પરદેશીઓને વતન હકક આપવાની જાણ્યે અજાણ્યે તરફેણ કરે છે, જે વિચારથી મૂળ હિંદુઓ અને મુસલમાનો વિરુદ્ધ છે. પરંતુ કોંગ્રેસ આગળ જાહેરમાં કોઈનું કાંઈ ચાલતું નથી અને કોંગ્રેસ બહારથી ગમે તેવી વિરોધી છતાં યુરોપીય રાષ્ટ્રોની ભાવનાઓને અને સ્વાર્થોને આ દેશમાં સિદ્ધ કરી આપે છે. એટલે સરકાર બહારથી વિરોધ દેખાડીને પણ તેનો અંદરથી પક્ષ કરે છે, તેની પ્રતિષ્ઠા વધારે છે, તેમના નેતાઓ સામે કોઈથી ચું કે ચા થઈ શકતું નથી. એવી ખૂબીથી કામ ચાલે છે. અને જ્યારે જ્યારે નવી નવી ગોઠવણો કરવી Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો હોય ત્યારે કોંગ્રેસને એકવાર સંતો બીજીવાર અસંતોષ એમ આંચકા આપીને વાતાવરણ ગરમાગરમ રાખીને મુત્સદ્દીઓ કામ લીધે જાય છે. તેમજ કોંગ્રેસની બેઠક મળવાની હોય તે અગાઉ એકાદ એવો ગરમાગરમ પ્રસંગ મૂકી દે છે કે, આખો દેશ વિચારમાં પડી જાય કે, “હવે દેશનાયકો શું કરે છે ?” એમ બધાનું ધ્યાન કોંગ્રેસની બેઠકમાં કેન્દ્રિત થાય છે. આ રીતે લઘુમતી કોમોના પ્રશ્નમાં યુરોપીય લોકોને આ દેશમાં વસાવવાને અને વતનહકક અપાવવાને કોંગ્રેસ મારફત પ્રજા પાસે અને લડાઈનો પ્રસંગ ઊભો રાખીને દેશી રાજાઓ પાસે કબૂલ કરાવવાની ગોઠવણ ચાલી રહી છે. આ ઘટનામાં અવાન્તર અનેક ક્રિયાઓ ચાલુ છે, પરંતુ વિસ્તાર થવાથી તેનો ઉલ્લેખ કરતા નથી અને જરૂર પણ નથી. યુદ્ધ પછી – જે જ્યાંનો તે ત્યાંનો વતની” એ મહાજનનો કાયદો છે. મુસલમાનોને પણ પરદેશી માનવામાં આવે છે, તેને બદલે યુરોપિયનોને પણ હવે અહીંના વતની ગણવા કોંગ્રેસ તૈયાર થઈ છે. આ બધી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાના બીજ અસહકારની હિલચાલ વખતે જ ગોઠવી દેવામાં આવ્યાં છે. ૧૮૫૭નો બળવો એટલે કંપનીનું મુદ્દલ તંત્ર બંધ કરીને ઢઢેરા નામનું તંત્ર શરૂ કરવા માટેની તૈયારી માટે ગરમ, ખંડનાત્મક અને રચનાત્મક કાર્યક્રમ. તે પ્રમાણે ૧૯૧૯ો અસહકાર એટલે ઢઢેરાની સરકાર બંધ કરાવી ફેડરલ સરકારની સ્વરાજ્ય નામ નીચે માગણી કરાવવા માટેનો ગરમ કાર્યક્રમ. ઈરવીન-ગાંધી સંધિ પછી – દેશી રાજ્યોમાં “તે તે રાજ્યનો તે તે વતની ગણાતો હતો.” બીજા બહારના ગણાતા હતા પરંતુ પાર્લમેન્ટ મિ. કેડલને મોકલીને એવી પ્રવૃત્તિ કરાવી કે જેને પરિણામે એક એવું લખત થયું કે, જેમાં દેશી રાજ્યોમાં પણ પરદેશીઓને વતન હકક મળી શકે, તેવી રમતની વ્યાખ્યા ઉમેરાણી અને મિ. બ્રાઉન સાહેબ પાસે તેની તપાસ ચલાવરાવી એ વાતને સ્થાયી કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવ્યું. તેનું અનુકરણ હવે ધીમે ધીમે બધે ય થશે. જો કે, પરદેશીઓને આ દેશમાં વસાહત સ્થાપવાની ઈચ્છા ઘણા વખતથી છે, પરંતુ પરિસ્થિતિ એકદમ તેને અનુકૂળ નહોતી. તેથી પ્રજાનો વિશ્વાસ મેળવવા એવો કાયદો પણ કરેલો અને એવી વાત પણ પ્રચારમાં એ વખતે મૂકેલી કે, “અમેરિકામાં વતનહકક આપવાથી આપણને શોષવું પડ્યું છે. માટે કોઈ ગોરાઓને હિંદમાં વસવા માટે કાયમી જમીન ન આપવી અને તેનો અહીં હકક કબૂલ ન કરવો.” આ વિચારો ફેલાવીને તે જાતનો કાયદો પણ કરવામાં આવ્યો હતો. એટલે તત્કાલીન સામાન્ય સમાજના હિંદના તે વખતના આગેવાનો અને રાજાઓ સરકારની નિષ્ઠા વિષે ખાતરીબંધ થયા અને હિંદમાં જે કાંઈ કરવામાં આવે છે તે બધું હિંદના વતનીઓને ભલા માટે જ છે, એમ વિશ્વાસપૂર્વક માનવા લાગ્યા. પરંતુ કયા વતનીઓ ? યુરોપીય મુત્સદ્દીઓની ખૂબી એ છે કે, પ્રથમ કોઈ પણ પ્રવૃત્તિ લાભકારક રીતે શરૂ કરીને ખૂબ પ્રચારમાં આવવા દે, પછી તેમાં બીજા પક્ષને એટલે કે દુનિયાની ગોરી પ્રજાના હિતનું એક તત્ત્વ ધીમેથી, શાંતિથી ટૂંકામાં એવું ઉમેરી દે છે અને પછી તેને કાયદેસરનું એવું રીતસરનું મજબૂતરૂપ આપી ખીલવા દે છે કે, તેનો આખરી ફાયદો તે પ્રજાને જ મળવાનો હોય. Page #646 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો આ રીતે હિંદના ઘણા માણસો “હિંદમાં ગોરાઓની વસાહતથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ છે.'' એવી ભ્રમણા સેવ્યા કરે છે પરંતુ, તેવા કેટલાયે તો કામચલાઉ કાયદા હોય છે. સ્થિતિ બદલાતાં તેને ફેરવીને બીજા કાયદાઓ કરી શકાય છે, અને તે રાજદ્વારી રમતમાં એક નાનીસૂની વાત હોય છે. તેવું તો સુધારા-વધારાને નામે કંઈ ચાલતું જ હોય છે. અરે, ખૂબી તો એ છે કે, કાયદો કરવો હોય છતાં બહાર ના પાડવામાં આવે, કાયદાની વાત કરનાને પકડવામાં આવે, તેના ઉપર કડક નિયમનો મૂકવામાં આવે. બીજી તરફ પ્રજામાં તે કાયદાનો કાચો ખરડો કોઈને કોઈ સ્થળે, છેવટે કોઈને કોઈ દેશી રાજ્યમાં લોકમત મેળવવા જાહેર કરવામાં આવે, કાયદો ન કરવાની તરફેણના લોકોના મતને અનુકૂળ ભાષણ પાર્લમેન્ટમાં યે થાય. મોટા અમલદારો તેવાં ભાષણોનો પક્ષ કરે વગેરે અનેક પ્રકારની હિલચાલ ઘણાં વર્ષો સુધી ચાલે. પરંતુ, જેટલામાં કાયદાનો વિરોધ પ્રસરે તેટલાં બધાં લોકો ‘અમુક અમુક કલમોનો ફેરફાર કરાવીને કાયદાનો વિરોધ કરનારા વકીલ વર્ગના આગેવાનો જ્યારે કાયદામાં સંમત થાય ત્યારે જેટલાઓએ વિરોધ કર્યો હોય, તે દરેક આખરે સંમત ગણાય. આમ કાયદો થતાં પહેલાં તેને ખાસી માની વ્યાપક જાહેરાત મળી જાય છે, તેની જાહેરાત કરવીયે ન પડે, અને કાયદો થતાં જ દેશ આખામાં તેના સમાચાર પહેલેથી જ પહોંચી જાય. વિરોધને બહાને લોકો પોતાની સંસ્થાને ખર્ચે જાહેરાત કરે. આ જમાનાનું જાગવું, ઊઠવું તે આ. કેટલાક કાયદાની જરૂર ન હોય છતાં વિરોધ કરાવીને તેને એટલો હળવો અને નામનો જ કરી મૂકવામાં આવે જેથી કાંઈ અર્થ ન સરે, છતાં કાયદાપોથીમાં તે જાહેરાત સાથે દાખલ થવા પૂરતી પણ શરૂઆત તો કરવામાં આવે છે. કાયદાની જરૂરિયાત સ્વીકારવા પૂરતું પણ તેવા ધાર્મિક, સામાજિક અને ખેતીમાં માથું મારનારા ફેડરલ યોજનાને આગળ વધારવા ૩૦૦ ઉપરાંત કાયદાઓ હમણાં જ કૉંગ્રેસી પ્રધાનો મારફત કરાવી લેવામાં આવ્યા છે તેવી જ રીતે ફેડરલ સરકારની યોજના સંપૂર્ણ સ્વરાજ્યને રસ્તે આગળ વધારવા માટે છે. સંપૂર્ણ સ્વરાજનો અર્થ યુરોપીય વસાહતો અને તે યુરોપિયનોને છેવટે સંપૂર્ણ પ્રજાકીય ધોરણે બ્રિટિશ પાર્લમેન્ટની છાયામાં પૂરી સત્તા આપવી તે છે. ફેડરલનો અર્થ અનેક પક્ષોનું સંયુકત તંત્ર એવો થાય છે. એટલે હાલના તંત્રમાં હિંદુઓ, મુસલમાનો, દેશી રાજાઓ, બ્રિટિશ અમલદારો, જૂના વિચારના પ્રજાજનો, કૉંગ્રેસવાદી પ્રજાજનો અને પરદેશી વેપારીઓ તથા હવે પછી પરદેશથી વસવા માટે આવેલા યહૂદીઓ, અમેરિકનો, જર્મનો, દેશી રાજ્યનો પ્રજા-પ્રતિનિધિ વગેરેના સંયુકત મેળવાળું રાજ્યતંત્ર એ દેખીતો જ અર્થ થયો છે. તેથી સૌ ભાગીદાર બન્યા. હિંદુઓ એકલા ન રહ્યા અને જે જે બાબતોમાં હિંદુઓનું જોર છે, તે તોડવા મુસલમાનોને સામે ગોઠવવા કૉંગ્રેસના હિંદુ આગેવાનોને નમતું આપ્યું જ જાય એટલે હિંદુઓ દબાય, અને મુસલમાનો જોરમાં આવે. તેની પાછળ પણ ફાયદો તો ગોરી પ્રજા જ ઉઠાવવાની છે. મુસલમાનોને પણ છેવટે ફાયદો તો મળવાનો નથી જ. હિદુમહાસભા હિંદુઓને જ ટટ્ટાર રાખે, પણ તે પણ હિંદુઓની વાસ્તવિક સંસ્થા નથી. પણ ગોરી પ્રજાઓના જે તે વખતે હિંદુઓને જુદા જુદા વલણ તરફ વાળી જવાની યુકિતઓને અમલમાં મુકાવવા માટે સંસ્થા થવા દીધી છે. એટલે હિંદુઓએ તેના ઉપર પણ વિશ્વાસ મૂકવા જેવો નથી. વર્ણાશ્રમ સંઘ સંસ્થા બીજી રીતે પણ એ જ ચીલે કામ કરી રહી છે. સારાંશ ૫૭૩ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪. પંચ પ્રતિકમાગસૂત્રો કે, નવી કોઈ પણ સંસ્થા વિશ્વાસપાત્ર નથી. જૂની સંસ્થાઓને ફેડરલમાં ઈરાદાપૂર્વક જ નામનું સ્થાન હશે. જેમ જેમ અહીંના પરદેશી વતનીઓ બળમાં આવતા જાય અને સ્થાનિક વતનીઓ નિર્બળ બનતા જાય, તેમ તેમ સંપૂર્ણ સ્વરાજ્ય નજીક આવતું જાય. આ સંપૂર્ણ સ્વરાજ્યના રસ્તા ઉપર જલદી પહોંચાડવા માટેની ફેડરલ યોજના સમાય છે. આ યોજનાની કોઈ પણ શબ્દોમાં માગણી કરાવવી અને બળવા પછીની યોજના રદ કરાવવા માટે અસહકારની હિલચાલ હતી. અનિવાર્ય સંજોગોમાં ટુકડે ટુકડે સંતોષ મનાવવાની પ્રવૃત્તિના અંગ તરીકે હાલ તુરંત સમવાયતંત્ર-સંયુકત યોજના-ફેડરલ વગેરે સ્વીકારી લેવાની એકંદર તરફેણ છતાં વિરોધ કરવામાં આવે છે, તેમાં પણ અમુક અમુક કલમોનો ફેરફાર પછી ગર્ભિત સ્વીકાર જ હોય છે. “કઈ કલમમાં શો ફેરફાર કર્યો ? તેથી યોજનાના સ્વરૂપમાં શો ફેર પડ્યો ?” તે સામાન્ય જનતા સમજતી નથી હોતી એટલે પ્રથમ વિરોધ કરે છે. પછી કલમોનો ફેરફાર કરીને આગેવાનો સ્વીકારી લે છે, એટલે પછી પ્રજા પણ સંમત થઈ જાય છે. “કંઈક ફેરફાર કર્યો, અમારા આગેવાનોની વાત સરકારને કબૂલવી પડી અને કબૂલી એટલે તે યોજના સ્વીકારવા માટે હવે વાંધો નથી” એમ સામાન્ય પ્રજા સમજીને તેને વળગી રહે છે. કાયદો ઘડનાર પણ અમુક અમુક કલમો એવી ગોઠવે છે કે, જેની સામે વિરોધ ઊઠે જ. સાથે બીજી અનુકૂળ પણ કલમો હોય છે, જેને લીધે “કાયદો તો ઠીક છે” એવું મન પણ અમુક પક્ષોને થાય. વિરુદ્ધ કલમો કાઢી નાંખવા છતાં જરૂરી હોય તો ભવિષ્યની ધારાસભાના હાથમાં સુધારા-વધારાના નામે ઘુસાડવાની યોજના ખ્યાલમાં રાખીને યોજના લોકોને ગળે વળગાડી દેવાય છે. આ પરદેશીઓને વતની તરીકે લઘુમતી કોમના હકક રક્ષણ નીચે કોંગ્રેસ ટેકો આપે એટલે વગર કહ્યું પરદેશીઓને વતન હકક મળે અને તે હિંદના લોકોની માગણીથી આપેલ ગણાય, એટલે “ગોરાઓને અહીં વતનહકક ન આપવો” એ કાયદો કયાં રહ્યો? સરકારને નછૂટકે પ્રજાની માગણીથી જ તેને રદ કરવો કે રદ કર્યા જેવો ગણવો પડે. પ્રજા સ્વાતંત્ર્યવાદ જ આ માટે ઊભો કરવામાં આવ્યો છે, પ્રજાની તો ગમે તે દશા થાય પરંતુ શિક્ષિતવર્ગને તાળવે સ્વાતંત્ર્યની વાતોનો ગોળ કૉલેજમાંથી ચોંટાડી રાખ્યો હોય છે, અને તેને લાયકની માગણીઓ તેમની પાસેથી કરાવે, તેનો વિરોધ કરે એટલે તેઓ વધારે મજબૂતીથી માગણી કરે અને સાથે સાથે હિંદુ-મુસલમાનોના હકકો ઉપર, દેશી રાજાઓના અંગત હકક ઉપર અને આ દેશની મૂળ વતની પ્રજાઓ અને તેમના સ્થાપિત હકકો પર તરાપ પક્ષે જાય તેવા કાયદા અને છૂટછાટો નછૂટકે કચવાતે મને તેઓને આપે. સર્વ પ્રજાજનોની માટે આ દેશમાં સમાનતાની ભાવનાના નીચે લઘુમતી કોમોના બહાના નીચે પરદેશીઓ માટે જેટલી સગવડ માંગવામાં આવે તેટલી એ શિક્ષિત વર્ગને આયે જાય. તે વર્ગની દેશનાયકો તરીકે પ્રતિષ્ઠા ઉત્પન્ન કરેલી છે, તેઓને જેલમાં લઈ જઈને લોકપ્રિય બનાવેલ છે. એટલે કોઈ પણ કાંઈ બોલી શકે તેમ છે જ નહીં. આજે પરદેશી મૂડીથી દેશનો એક ભાગ આનંદ ભોગવે છે, ત્યારે મૂળ ધંધા પર નભેલો વર્ગ તૂટતો જાય છે. મોટાં શહેરો વસે છે. બાગબગીચા, બંગલા, કારખાનાં થાય છે. આનંદપ્રમોદનાં સાધનો એક Page #648 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તરફ વધતા જાય છે, એ દેશનો ઉદય. એટલે આ દેશમાં પરદેશીઓનો ઉદય અને તેઓને ભવિષ્યમાં સંપૂર્ણ સ્વરાજ્ય. એ દેશોદય અને સ્વરાજ્યનો અર્થ છે. ‘“ભલો દેશ મારો”, ‘“અયિ માતૃભૂમિ’ વગેરે ગીતોનો મૂળ સારાંશ આ ભાવનાઓને વ્યાપક સ્વરૂપ આપવા લોકમત કેળવવા પૂરતો જ છે. દેશનો ઉદય અને મૂળ વતની પ્રજાનો ઉદય એ બન્નેય અલગ અલગ વસ્તુ છે. ભવિષ્યના સંપૂર્ણ સ્વરાજ્યને આડે ન આવે તથા અહીંના ધાર્મિક સામાજિક રીતરિવાજ તોડવા માટે અને તેને અનુકૂળ કાયદા કરી લેવા માટે ફેડરલ સરકાર દરમ્યાન જરૂર હોવાથી કૉંગ્રેસના આગેવાનોને પ્રધાનપદાં આપીને તેવા કાયદા કરાવી લીધા છે. દેશી રાજ્યમાં રાજકોટી હિલચાલમાં કેડલને પાર્લમેન્ટે કે તેની કોઈ શાખાએ મોકલીને પરદેશીઓને માટે દેશી રાજ્યોમાં રૈયતના હકક અપાવવા તા. ૨૬-૧૧-’૩૮નું નોટિફિકેશન રાજાની સહીથી બહાર પાડી દીધું છે, જેમાં હિંદના મૂળ પ્રાચીન વતન હકકના રિવાજરૂપ કાયદાની વ્યાખ્યા કરતાં રૈયતની જુદી જ વ્યાખ્યા દાખલ કરવામાં આવી છે. હવે એ ધોરણે દરેક રાજ્યોમાં રૈયતની વ્યાખ્યા ય પ્રસરશે, જે દેશી દીવાનો વગેરે અમલદારો તે પ્રસરાવશે તે કદાચ માનચાંદ ભોગવી શકશે. પરદેશીઓને અહીં વતનહકક મળશે એમાં આવેલી વ્યાખ્યામાં જે દેશી નહીં આવી શકે તે પરદેશ ગયેલા દેશીના આ દેશના વતન હકક અહીંથી નાબૂદ થશે. જો કે, તેમને બહાર વતનહકક મળશે પણ અહીંથી જશે, બેકારી વગેરે કારણોથી હિંદના લોકો બહારના પ્રદેશોમાં ધંધા માટે વહેંચાઈ જાય અને આ દેશમાં પરદેશીઓ વસી જ જાય એટલે દેશીઓનું કાળ-જૂનું અને અજોડ એક પ્રજા તરીકેનું સંગઠન ભાંગી પડે એ સ્વાભાવિક જ છે ને ? અને હિંદના ચાર ટુકડા કલ્પી રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમનો ભાગ મુંબઈ ઇલાકાની પ્રજા એકઠી થાય, તો તેમાં મોરિશ્યસ, એડન વગેરેનો સમાવેશ થાય. મદ્રાસ ઇલાકાની પ્રજા ભેગી થાય તો તેમાં મલાયાના ટાપુઓ ભળે. પંજાબ તરફમાં ઇરાક અને બંગાળ તરફમાં બ્રહ્મદેશ વગેરે ભળે અને પ્રાંતિક સ્વતંત્રતા એટલે પ્રાંતોમાં બીજ ભાગ લઈ શકે નહીં. આમ હિંદની હિંદુ પ્રજા તદ્દન અલગ ચાર ભાગોમાં વહેંચાતી જાય. ચાર ભાગના અલગ પ્રતિનિધિઓની કેન્દ્ર સંસ્થા કૉંગ્રેસ અને વડી ધારાસભા રહે. જેમાં હિંદની બહારનાનો પણ સમાવેશ થાય પણ એકલું હિંદ ન હોય, આખી હિંદુ પ્રજાને પ્રજાકીય હકક માટે એકત્ર થવાનો પ્રસંગ આમ દૂર થતો જાય ને સંગઠન તૂટતું જાય. આ વાતના બીજકો મૉન્ટ, ચેમ્સફર્ડ યોજનામાં છે. પરંતુ હવે તે બીજોને ય અંકુરા ફૂટી ચૂકયા છે. ૫૭૫ આ બધું ઘણું જ ટૂંકામાં લખવામાં આવેલ છે. કેમ કે, અહીં લાંબું લખવાથી વિષયાન્તર થાય પરંતુ દરેક બનાવ કડીબંધ બનેલ હોય છે, અને તે પ્રમાણે પ્રમાણો સહિત આપવા જતા મોટું પુસ્તક થાય. એટલે જો કે ફેડરલ યોજના તો અમલમાં ઘણાં વર્ષોથી આવી ગયેલ છે. દેશનાયકો પાસે વિરોધ તો માત્ર જાહેરાત કરાવા પૂરતો જ કરાવવામાં આવે છે. ફેડરલ કોર્ટ પાસે તેનાથી વિરુદ્ધ એવા દેશી રાજાએ અને દેશનેતાએ રાજકોટનો ચુકાદો લીધો એટલે તે જાહેરમાં અમલમાં શરૂ થઈ જવાનો મોટો પુરાવો છે, ત્યારે તેની ગોઠવણ તો તેની પૂર્વે થઈ ચૂકેલી હોવી જ જોઈએ ને? Page #649 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ખેતી અને પશુઉછેર હાથમાં લેવા માટે ખેડૂતોની ઉશ્કેરણી અને પશુસંરક્ષણના કાયદા તથા તેવા લોકો માટે તે ધંધામાંથી ધીમે ધીમે કાઢી નાંખવા ફરજિયાત કેળવણી વગેરે શરૂ થઈ ગયાં છે. ૫૭૬ હવે માત્ર પરદેશીઓને ધીમે ધીમે પણ મકકમપણે વસાવવા માટે પહેલ કરવા માટે લઘુમતીના સંપૂર્ણ હકકો ગોઠવાય અને તેમાં દેશી રાજાઓ તથા પ્રજા સામે સંપૂર્ણ પરદેશી કાયમી વસાવટની સામેના વિરોધ સામે એક પક્ષ રાખી કૉંગ્રેસનો સાથ લેવા અથવા આ દેશમાં પરદેશીઓના વસવાટનો વિરોધ કરનારી શકિત ભાંગી નાંખવા મારી સમજ પ્રમાણે આ હાલની લડાઈ છે, આ હાલની લડાઈ વિના જર્મનો વગેરેના વસાહતી હકકો હિંદમાં ઉઘાડી રીતે સ્વીકારી શકાય નહીં. પરંતુ લડાઈના સંજોગો જ એવા સામે આવીને ઊભા રહે, કે દરેક દેશી રાજાઓને પણ સંમત રહેવું જ પડે. અને ઈંગ્લેંડના મુત્સદ્દીઓ ‘ન છૂટકે વેપારી હકક કે વસાહતના હકક આપવા પડ્યા છે’’ એમ જાહેર કરીને પોતાનો વિરોધ બહાર બતાવે અને લઘુમતીના હકકોનું રક્ષણ કૉંગ્રેસ તથા દેશી રાજાઓ અને તેની પ્રજાઓ મારફત રીતસર ગોઠવવાથી પછી એ વસાહતનો હકક જો કે નછૂટકે આપવાનો દેખાવ કરે, પરન્તુ પોતાના રાષ્ટ્રના પીઠબળથી દેશીઓ કરતાં જર્મનો વગેરે આ દેશમાં વધારે આગળ વધે એ સ્વાભાવિક છે. કેમ કે, સલામતીઓમાં ‘આ દેશમાં પરદેશીઓ લાગવગથી, બુદ્ધિથી, ધનથી આગળ વધે, તેને સત્તા રોકી શકે નહીં’’ એવી ગોઠવણ રાખવામાં આવી છે. સ્કોટલેંડના ફ્રાન્સના અને અમેરિકા વગેરેના બેકારોને યે થોડા થોડા અહીં વસાવે. અહીંના લોકોને બહાર સારા ધંધા આપવામાં આવે, મંદિરો અને મસ્જિદો બહાર બંધાવી આપવામાં આવે એટલે પછી લાંબે વખતે આ દેશમાં યુરોપિયન પ્રજાઓ ઉત્તરોત્તર સંતાનથી પણ વધતી જાય અને ધીમે ધીમે તેઓને અહીંની કુદરત પણ ફાવતી જાય. જો કે, સામાન્ય લોકા સમજી શકે તેવા રૂપમાં વસવાટ થતાં હજી થોડા દસકા જવાનો સંભવ માનવો પડશે. વળી જૂના કોલકરારો પણ નબળા પડવા માટે લડાઈ એક સરસ તક હોય છે. ઇંગ્લેંડ એક તરફ પોતાના સંપૂર્ણ બળની બડાઈ હાંકતું જાય અને બીજી તરફ જર્મનની અસાધારણ શકિત જાહેરમાં બતાવતું જાય. ને રેડિયો વગેરેથી યે લડાઈના સમાચાર ઘરગથ્થુ થવા દે અને બીજી તરફ પોતાની નબળાઈ બતાવતું જાય. એટલે આશ્રિત રાજ્યો અને પ્રજાઓનો ટેકો પાતાની તરફેણમાં વધારે મેળવી શકાય તેમજ તેમનું રક્ષણ કરવાનું પોતાને કેટલું અશકય છે તે બતાવી શકાય. તેમ તેમ તેઓના ગભરાટનો લાભ લઈ મનમાની શરતો કરાવી શકાય. ‘ગોરી પ્રજાઓની વસાહતો અમારે નછૂટકે સ્વીકારવી પડી છે.’” એમ બહાર બતાવી પણ શકાય વગેરે અનેક કારણે હાલની લડાઈ ઈંગ્લેંડ; નેશન ઑફ ધી વર્ડ અને શત્રુ તરીકે બહાર ગણાતાં રાજ્યો પણ નભાવે છે. એમ માનવાને ઘણા સંજોગો જણાય છે, તેમજ ગોરાઓનું દિવ્ય લડાયક બળ જોઈને કાળી પ્રજાઓ તો હવેના સમયમાં લાંબા કાળ માટે પોતાના ઉત્થાનની જ મૂકી દે. તેવી તેના મન ઉપર છાપ પડી જાય. ૧૮૫૭ના બળવા સુધી હજુ લડાયક ખમીર હતું. ત્યાર પછી પણ કંઈક હતું, પરંતુ હવે તો વૈજ્ઞાનિક લડાઈમાં તો નામ લેવું જ ભારે પડી જાય. અને આ દેશ વૈજ્ઞાનિક લડાઈ શીખે. તેને તે સમય લાગે, ત્યાં સુધી ‘ઊંટનો હોઠ પડે નહીં Page #650 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭૭ ને શિયાળની ભૂખ ભાગે નહીં” તે ન્યાયે વખત પસાર થાય, તેમાં તો આજની ગોરી પ્રજાઓ કેટલીયે હદ સુધી આગળ વધી ગઈ હોય. પછી જે ફટકો છેલ્લો મારે તે તો આ પ્રજાને અસહ્ય થઈ પડે. આમ અનેક રીતે આ લડાઈથી આપણને હાનિ જેવામાં આવે છે. અને કદાચ જર્મનો કે બીજા આ દેશ જીતે, તો પણ તેઓ આજ સુધી પરદેશીઓએ લઈ લીધેલું પાછું આપે જ નહીં. નવું કદાચ ધીમે ધીમે તે પણ આખર તો ગોરી પ્રજાના હાથમાં રહેવાનું. ઓલામાંથી ચૂલામાં. વળી તે પ્રજા હિંદની સંસ્કૃતિની અભ્યાસી હોવાથી આપણી પ્રજામાં ભળીને પ્રજા ભોળવવાનું કામ યુરોપને વધારે સહેલાઈથી કરી આપે એટલે એમ પણ આખરે ગોરી પ્રજાઓને અને તેમાં ઈંગ્લેંડને ય લાભ મળે જ. પ્રધાનોનાં રાજીનામાં સ્વીકારનાં બે પરિણામો ઉપજાવી શકાય છે. ૧. કોંગ્રેસના પ્રધાનો વિના પણ રાજ્ય ચલાવવાની સંપૂર્ણ શક્તિ બ્રિટિશ સરકાર ધરાવે છે, તે પ્રજા અને પ્રધાનો પણ જોઈ શકે અને કોંગ્રેસના પ્રધાનો છૂટા થઈને પ્રજામાં હિલચાલ કરવાના જ. અને લઘુમતી કોમોના લાભો કોંગ્રેસ સ્વીકારે છે, અને પ્રધાનો પણ સ્વીકારે છે. એમ જાહેર સભામાં બોલાય અને લોકોમાં એ વાત ફેલાવી લોકોને પણ તેમાં સંમત કરીને જાહેર લોકમત મેળવી શકાય. જાહેર પ્રજા પણ લઘુમતીના હકકોમાં સહાનુભૂતિ ઉમેરે. કોંગ્રેસના લઘુમતી કોમોના હકક રક્ષવાના વલણને પ્રજાનો પણ સંપૂર્ણ ટેકો છે. એમ જાહેર થાય એટલે કે, “લઘુમતી કોમોના હકકનું રક્ષણ કરવાનો સરકારે જે કાયદો કર્યો, તે પ્રજાની ઈચ્છા અને માગણીને માન આપીને કર્યો છે,” એમ દાખલો રાખી શકાય. કાયદો કેવા સ્વરૂપમાં તૈયાર કરવો ? તે તૈયાર જ છે. આ જાતનું વાતાવરણ પ્રધાનોને છૂટા કરવાથી જ ઉત્પન્ન કરી શકાય અને ભવિષ્યમાં વસાવવાના પરદેશીઓને લઘુમતી કોમોના રક્ષણના બહાના નીચે જે હકકો અપાય, અને તેથી અહીંની વતની પ્રજાને નુકસાન કદાચ થાય, પણ તેનો દોષ કાયદા ઘડનાર ઉપર નાંખી શકાય નહીં. પરંતુ “તમારી દરેક પ્રજાઓની માગણીથી અમારે એમ કરવું પડ્યું હતું અને તેમાં અમારા દેશના નેતાઓ પણ સામેલ હતા.” એમ કહી શકાય. આમ છતાં ભારતની મૂળ પ્રજાની સંખ્યા મોટી છે અને નવા વિચારમાં પણ હજુ જૂજ જ સંખ્યા ભળેલી છે. પરંતુ બહારથી જૂની પ્રજાનો પક્ષ કરીને આવનારી માટે પણ નવી કેળવાયેલીને ઉશ્કેરીને તેની પાસે માગણીઓ કરાવી અને તે માગણીઓ નછૂટકે સ્વીકારવાનો ડોળ કરીને ભવિષ્યમાં વસવા આવનારી વિદેશી પ્રજાઓને અનુકૂળ યોજનાઓ પસાર કરાવ્યે જાય છે. ભવિષ્યમાં પણ સંપૂર્ણ સ્વરાજ્ય જાહેર કરતાં પહેલાં એક લડાઈ જોઈશે જ. તેનું વાતાવરણ કોંગ્રેસ સુકાન ફેરવીને બીજી નીતિ ઉપર લઈ જવાની શરૂઆત સુભાષ બોઝના પક્ષ મારફત કરાવવાની થઈ ગઈ છે. તે પક્ષ બળમાં આવી જશે અને અસહકાર પક્ષ ધીમો ધીમો નબળો પડશે, બળમાં આવેલો નવો પક્ષ ધીમે ધીમે લડાઈની તૈયારી કરશે. કેમ કે, સંપૂર્ણ સ્વરાજ્યની યોજના અમલમાં મૂકતા પહેલાં ફેડરલ યોજનાને રદ કરવા વાતાવરણ કેળવવા લડાયક વાતાવરણ જોઈએ જ. તેનાં બીજ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ રીતે નંખાઈ ગયાં છે. વળી, લડાઈ વખતે બન્ને પક્ષોને પોતપોતાનું બળ સંપૂર્ણ અજમાવવાનો હકક રહે છે. એટલે તે વખતે પરદેશીઓ લડાયક વાતાવરણના બહાના નીચે પોતાનું જેટલું બળ અજમાવવું હશે, અજમાવી શકાય તેટલું હશે, તેટલું કુલ અજમાવીને “આ દેશમાં પોતે કેટલા સ્થિર છે તે અહીંના વતનીઓને બતાવી આપશે અને દરેક મુખ્ય સંસ્થાઓમાં લાગવગ, મૂડી, કેળવણી વગેરેથી ચૂંટણીમાં પણ આગેવાનો ય તે થઈ ચૂક્યા હશે. ચૂંટણીથી તેઓ આગેવાનો થઈ શકે.” માટે જ સ્થાપિત હકકવાળા આગેવાનોને ધીમે ધીમે ખસેડવાની યુક્તિ ફેડરલ યોજનામાં ગોઠવાયેલી છે જ. દેશી રાજ્યોમાં મહાજનની પ્રજાકીય વ્યાપક સંસ્થાને બદલે ચૂંટણીના ધોરણે આગેવાનો ચૂંટાયા એ ગોઠવણ રાજકોટના નોટિફિકેશન અને બંધારણમાં ગોઠવાયેલ જોવાય છે. મ્યુનિસિપાલિટીના મેમ્બરોને જ નગરશેઠો બનાવી દેવાય અને ગ્રામપંચાયતોના પ્રમુખોને ગામડાના પટેલો ગોઠવી દેવાય એટલે જૂની રચના આપોઆપ બંધ પડી જાય અને આ બધું કોંગ્રેસ મારફત થાય. એટલે પ્રજા જ પોતાને હાથે પોતાના પગમાં કુહાડો મારે. કોંગ્રેસના પ્રમુખ સમસ્ત પ્રજાના પ્રમુખ એટલે પછી જગત શેઠની પણ સત્તા વગર કહ્યું જ ગઈ ગણાય. (પૂનામાં મ્યુના પ્રમુખને મેયર બનાવવાની યોજનામાં તે પદ જૈનને મળેલ હોવાથી તેની જાહેરાત અને તેને અભિનંદનનો મળે, તે જ્યાં જ્યાં જૈન નગરશેઠો હોય ત્યાં બીજાઓને મેયર બનાવાય, અને તેની કોમવાળા તેની પ્રશંસા કરે. અને જાહેરાત આપે તેનો કોઈથી વિરોધ થાય નહીં. એવા મેમ્બર મારફત નગરશેઠોને ખસેડવાની યુકિત ગોઠવાઈ છે. એટલે પૂનામાં મેમ્બરોને અભિનંદનમાં અન્યત્ર નગરશેઠોની સત્તા તોડવામાં સહાનુભૂતિ ગર્ભિત રીતે ગોઠવાયેલી છે. એ બહુ જ સૂક્ષ્મ વિચારથી સમજાય તેમ છે. દર ત્રણ વર્ષે મેયરો બદલાય. ભવિષ્યમાં ધનવાન અને લાગવગવાળા પરદેશીઓ જ મેમ્બરો થઈ શકે.) આ ઉપરથી દેશોદય અને સ્વરાજ્યનો શો અર્થ છે તે વાંચકોને સમજાયો હશે. આ દેશમાં તે પ્રજાઓનો ઉદય, આ દેશમાં તે પ્રજાઓનું સંસ્થાન, વસાહત સ્થાપવાની શરૂઆત કર્યા બાદ સ્વરાજ્ય આપવું. તેની તૈયારી કોંગ્રેસ અને આધુનિક કેળવાયેલા દેશનેતાઓ મારફત કરવી. તે કરાવવાની લાલચરૂપે એ શબ્દો છે. દેશનેતાઓ યદ્યપિ સરકારનો વિરોધ કરે છે, પરંતુ તેનાં પરિણામ વિચિત્ર વિચિત્ર આવે છે, જે વિરોધ આપણને નુકસાનકારક અને નકામો છે. સરકારનો વિરોધ કરવાની જરૂર નથી. કેમ કે, તે વિરોધ તેની સત્તાને વધુ આગળ વધારે છે. ૧. આ દેશની પ્રજામાં પરદેશી સત્તાને આગળ વધારવા જે કોઈ એક યોજના માત્ર કામચલાઉ કે સાદા સ્વરૂપમાં ગોઠવી હોય તેના કામચલાઉ કે સાદાપણાનો વિરોધ કરીને તેને વધુ મજબૂત બનાવરાવે. એટલે તે ખાતું સારું ચાલતું દેખાય. પરંતુ આ દેશની પ્રજાને નુકસાન થાય, તે દેશનેતા જોઈ શકે નહીં. દા.ત. થર્ડ કલાસના રેલવેના ડબ્બામાં સગવડ નથી માટે તેની સામે ઝુંબેશ ઉઠાવવી એટલે તેમાં ખૂબ સગવડ વધે. સારાંશ કે, રેલવેનું લૂલાપણું મટીને વધુ પગભર થાય તેવી માગણી ગર્ભિત ગણાય. લોકો તેને વિરોધ સમજે પણ વસ્તુત: તે તરફેણની હિલચાલ ગણાય. રેલવે, Page #652 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭૯ મોટરોનો ટ્રાફિક વધે તેમ ગાડાં, ઊંટ, બળદ, ઘોડાનો વપરાશ ઘટે. તે જાય કતલખાને અને તેના ચલાવનારા બેકાર થાય ને એ મિલમાં મજૂરો થવા જાય. દેશનાયક થર્ડ કલાસના ઉતારુઓના આશીર્વાદ લે અને છાપાંઓમાં વિવિધ માન પામે. જો કે તેમ કહેવાય કે, “તેઓને સારો ધંધો મળ્યો અને ઘોડાઓ વગેરેને ચાબુક ખાવા મટ્યા.” પણ મિલની શકિત વધી જાય અને મજૂરોની જરૂર ન હોય ત્યારે શું ? કરોડો વર્ષોનો કાયમી ધંધો ગયો અને ઘોડો બળદનું ચાબુકને બદલે કાયમી મરણ થયું. કેટલાક કહે છે કે, “અજ્ઞાન પ્રજાનો નાશ થયો જોઈએ માટે એમ નાશ ભલે થાય, દેશનો કચરો જાય છે.” તો પછી દેશનેતાઓ શા માટે કરાંજી કરાંજીને ગરીબો માટે ભાષણ કરે છે, અને દોડધામ કરીને દૂબળા બની રહ્યા છે ? એ પ્રશ્ન સહજ ઊભો થાય છે. ૨. અહીંની પ્રજાના જીવનનાં અંગો ધારો કે, ૧૦/- છે. તેમાંના આજ સુધી પરદેશી સત્તાએ ૫૦ કબજે કર્યા હોય, એટલે ૫૦ અંગો માટે પ્રજાને તેમના ઉપર આધાર રાખવો પડતો હોય, બાકીના ૫૦ હાથ કરી શકાયા ન હોય, ત્યારે દેશનાયકો સત્તા હાથમાં લેવાની ઝુંબેશ ચલાવે, પરિણામે જે ૫૦ની સત્તા પરદેશીઓના હાથમાં હતી, તેમાંની ઘણીખરી સંસ્થાઓની સત્તાઓ અમુક શરતો સાથે અને તે સંસ્થાઓ પરદેશીઓના આદર્શ પ્રમાણે કેમ ચલાવવી? તે ચલાવતા આવડે તેવી કેળવણી પામેલા પ્રધાનો અને બીજા દેશસેવકો ગણાતાના હાથમાં મૂકી દે. અને તેમની સાથે શરત કરે કે, “તમારે બીજી બાબતમાં ન પડવું. જેમ જેમ સોંપેલાં ખાતાં બરાબર ચલાવશો તેમ તેમ નવાં ખાતાં સોંપીશું. સરકારી રિઝર્વ ખાતાંઓમાં હાથ નાંખી શકાશે નહીં.” કબૂલાતમાં જે બીજી ૫૦ બાબતોમાં સરકારનો હાથ નહોતો, તેમાં હાથ નાંખવાનો સરકારનો હકક ગર્ભિત રીતે તે દેશનેતાઓએ કબૂલ કર્યો ગણાય છે અને પ્રથમનાં ૫૦ ખાતાં જે સરકાર હસ્તક હતાં, તે વધારે સારી રીતે સરકારને મદદ કરે તેવી રીતે લાગણીપૂર્વક ચલાવવાને આમ ટૂંક પગારે જવાબદારી પાડનારા માણસો તેમને મળી રહે છે. અને પ્રજા રાજી થાય છે તથા દેશની સેવાનો લહાવો લેવાનું માની શકાય છે, માટે જ નામદાર વાઈસરૉય અને નામદાર ગર્વનર સાહેબ પ્રધાનોની પ્રશંસાનાં પુષ્પ વેરતા હતા. એમ છાપામાં વાંચેલા છે અને હવે તેમણે જ તેમને છૂટા કર્યા, એટલે રાજદ્વારી કામોમાં નિંદા પ્રશંસા લાગણીને સ્પર્શતી હોતી નથી પણ કામ પુરતી જ શત્રુતા મિત્રતા હોય છે એમ આર્ય ચાણકયે પણ કહ્યું છે. એટલે દેશનેતાઓનો વાસ્તવિક રીતે વિરોધ પરદેશી સત્તા સામે નથી પરિણમતો, પરંતુ પ્રજા સામે જ પરિણમે છે. આ સૂક્ષ્મ કોયડો છે. ૩. ત્રીજે દાખલ – પ્રજાના જીવનના ધાર્મિક સામાજિક જે રિવાજો પરદેશી સત્તા, વ્યાપાર અને સંસ્કૃતિના ફેલાવાને આડે આવતા હોય તેને કુરિવાજ, કુરૂઢિ, બિનજરૂરી નિંદા વગેરે સાથે પ્રૌઢ ઉમરના થયેલા કેળવાયેલા દેશનેતાઓને જ પ્રજાની સામે ગોઠવીને તે તોડવાનો લાભ લઈ શકાય અને તે જાતના કાયદા કરવામાં તેઓની મદદ પણ લઈ શકાય. આ બધું લખીને અમો અમારા સાધર્મિક બંધુઓને આજની પરિસ્થિતિની આંટીઘૂંટી Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો સમજાવીને તેનો પડદો ભેદીને પાછળ રહેલી શુદ્ધ સમ્યગ્દષ્ટિ ખીલવવાની સરળતા કરી આપીએ છીએ. રાજ્યની વિરુદ્ધ થવાની આપણને જરૂર નથી. કેમ કે, આપણા વડવાઓને જે વચન અપાયેલાં હોય તે વચનો પાળવા રાજ્ય પ્રયત્ન કરતું આવતું હોય, ત્યાં સુધી આપણે કાંઈ બોલવાનું રહેતું નથી. પણ જુદા જુદા ભેજાના જુદા જુદા અમલદારો આપણી બીજી ભોળી આર્ય કોમોને પોતાની રીતે કેળવીને તેમની પાસે પ્રજાના હિતથી વિરોધી માંગણીઓ કરાવીને આ દેશની પ્રજાને નુકસાન પહોંચાડવાના પ્રચારો થતા હોય તો તે આપણે જાણવા જોઈએ. અને કાયદેસરનાં યોગ્ય પગલાં લઈ તેમ ન થાય તેવો પ્રયત્ન કરવાની પ્રજાના આગેવાન મહાજનના કાર્યકર્તા તરીકેની આપણી ફરજ તો છે જ. આવી પ્રજાની ગણાતી વિચિત્ર સંસ્થાઓમાં કે એવી હિલચાલમાં ભાગ લઈને અતીભ્રષ્ટ તતભ્રષ્ટ થવાને બદલે મૂળભૂત પોતાનું પ્રકૃતિ કાર્ય કરવું અને મહાપુરુષોના માર્ગને વળગી રહેવું તેમાં જ પરમ હિત છે. તેથી ઉન્માર્ગે ચડાતું નથી અને પરદેશીઓની યોજનાઓને ટેકો ય મળતો નથી, જેથી આપણી ઉન્નતિ થતી નથી, પરંતુ અવનતિ તો લંબાય છે. જ્યારે કોંગ્રેસ વગેરે અવનતિ તરફ ઘસડી રહેલ છે, તેમાંથી બચાય છે, હિંદની દરેક કોમો આ જ નીતિ અખત્યાર કરે તો તેમાં સૌનું મંગળ છે, શાંતિ શાંતિ છે પણ હિલચાલો ઘણાને ખરે ચીલેથી ખેંચી જઈને પ્રજાના કેટલાક ભાગને ચલિત કરે તેવા પાયા ઉપર ચાલે છે. જગતમાં કયાંય પણ અન્યાયનાં બીજ નંખાય તે જોવા જાણવા અને તેની અસર જગતના કલ્યાણમાર્ગને ન પહોંચે તેવી ખબરદારી રાખવાની આપણી સૌથી વિશેષ ફરજ છે. હજુ પણ આપણું સામર્થ્ય ઘણું છે. આપણા મહાત્મા તીર્થંકર પરમાત્માઓનું પ્રેરક બળ આપણી પાછળ ઘણું છે. માટે હજુ ઘણી આશાને અવકાશ છે. આ પ્રમાણે પરદેશીઓની સત્તા ઉપર જણાવેલા વસાહત સ્થાપવાના ૬ હપતામાંના આજે પાંચમા હપતા ઉપર કામ કરી રહી છે. વસાહતોની વહેંચણી, વાર્ષિક ઉત્પાદનો વગેરે માટે પરદેશીઓ પરસ્પર ગમે તેમ લડતા હોય છતાં ગોરી પ્રજાઓની વસાહતો વધારવાના વિચારના દરેક ગોરા રાષ્ટ્રો છે. ગોરી પ્રજાઓની વસાહતો કયારે વધે ? કાળી પ્રજાઓ તે તે પ્રદેશોમાં ઓછી થાય તો જ તે વધી શકે, એ દેખીતું જ છે. એમ વસાહતો માટેની રચનાત્મક તૈયારી તે જ પ્રજાશાસન, તે જ નવો યુગ, તે જ નવો જમાનો, તે જ સમયાનુસાર તેમાં મદદગાર તે કેળવાયેલા યુવક, તે જ નવયુગને સમજનાર, તે જ ભવિષ્યનો ઉત્તમ શહેરી અને તે વર્ગમાં જૈનધર્મ પાળનારાઓમાંથી રાજચંદ્ર વગેરે જેઓ દોરવાવાની શરૂઆતથી અને ભવિષ્યમાં દોરવાઈ જશે તથા ભૂતકાળમાં દોરવાયા છે, તે જ નવયુગના જૈનો. જે ધર્મશાસ્ત્રોના ભળતા અર્થ કરવા પ્રેરાય છે. સામાજિક, ધાર્મિક બંધનોનાં કુરૂઢિ, ખોટાં બંધનો કહીને તોડવાની તૈયારી કરી રહ્યા છે અને તેમાંનો સ્ત્રીવર્ગ તે જ નવયુગનાં નારીરત્નો. પછી જ્યોતિ, સ્ત્રીશકિત વગેરે ગમે તે નામ નીચે એ વસ્તુ ગોઠવાતી ચાલી છે. Page #654 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૮૧ ભવિષ્યનો સમ્યગ્દષ્ટિજેને વાત્સલ્યભાવે દરેકને સત્ય સમજાવવા મથશે. મંદિરો, તીર્થો, ઉપાશ્રયો, પવિત્ર આગમો, જૈન સાધુ સંસ્થા, સંઘ અને તેનાં બંધારણો, સ્ત્રીઓના અને પુરુષોના ચારિત્રની પવિત્રતા, જૈન ભક્ષ્યાભઢ્ય વિવેક, મહાજનની સત્તા, સંઘની સત્તા, જ્ઞાતિઓની વ્યવસ્થા અને દરેક ધર્મવાળાઓને પોતપોતાના ધર્મમાં ટકવા દેવા માટે વિશ્વમાં એક ધર્મ કરવાના બહાના નીચે બીજા ધર્મોને નાબૂદ કરવાના પ્રયત્નોથી બચાવવાના રક્ષક ઉપાયો લેવા પૂરતું ધ્યાન આપી મંથન કરશે. અલબત્ત, તેમના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ હશે. તેના જ ભાઈઓ, તેના જ પુત્રો, તેનાં જ સગાંસ્નેહીઓ સામી પાટીમાં હશે પણ તે સર્વ તરફ તે વાત્સલ્યભાવ રાખીને પોતાનું કર્તવ્ય બજાવશે. તેમ કરીને બીજા ધર્મોવાળાના ધર્મો, બીજી જ્ઞાતિનાં બંધારણો, બીજી પ્રજાઓ, બીજું પ્રાણીઓની રક્ષાની પણ મોટામાં મોટી યોજના પાર પાડશે. સર્વની રક્ષાનું કેન્દ્ર જૈનધર્મ અને શાસન છે. તેના અનુયાયીઓ ચાલતા આવતા તેના મૂળ પ્રવાહથી જેટલા દૂર જશે તેટલું આખી દુનિયાને નુકસાન થશે. જેટલા તેની નજીક રહેશે તેટલું ઓછું નુકસાન થશે. પરંતુ પૂર્વના મહાત્માઓની તપશ્ચર્યા અગાધ છે. પશ્ચિમના લોકો ગમે તેમ તેટલી યોજનાઓ કરે પણ જ્યાં સુધી જૈન મંદિરોના ઘંટનાદ થોડા ઘણા પણ ભારતીય આર્ય પવિત્ર લોહીનાં બાળકોને હાથે જેટલા પ્રમાણમાં વગડાતા રહેશે, સમવસરણમય રચનાયુકત વ્યાખ્યાન પીઠ ઉપરથી જૈન સાધુ સંતો વીતરાગ દર્શનનો બોધ જેટલા પ્રમાણમાં આપતા હશે, પર્યુષણ પર્વની ઉજવણી પૂર્વાપરથી ચાલ્યા આવતાં ધોરણો જેટલા પ્રમાણમાં શોભી રહેશે અને સંવત્સરી પ્રતિક્રમણ થશે. શત્રુંજય ગિરિરાજની યાત્રા જેટલા પ્રમાણમાં ચાલુ હશે. નવકાર મંત્રનું સ્મરણ જેટલા પ્રમાણમાં થતું હશે અને વીતરાગ પરમાત્માઓ પર જેટલી અનન્ય શ્રદ્ધાનું બળ જગતમાં ટકયું હશે ત્યાં સુધી તેટલા પ્રમાણમાં સર્વ પ્રજાઓ, સર્વ પ્રાણીઓ બચેલાં રહેશે એ નિર્વિવાદ સત્ય છે. કોઈ યુગપ્રધાન મહાત્મા હિંસક રસ્તે ચડેલી પરદેશી પ્રજાઓનું દિલ હલાવશે ત્યારે જ જગતમાં નિરુપાય શાંતિ ફેલાશે. એવા મહાત્માની હજુ અપેક્ષા છે, નહીં કે થિઓસોફિસ્ટોના આવનાર કૃત્રિમ મહાત્માની જરૂર છે. આ બધી કૃત્રિમ મહા ઈન્દ્રજાળ નીચે જગત પોતાના મૂળ સ્વરૂપમાં કેવી રીતે ચાલે છે, તે સમ્યગ્દષ્ટિ જીવોએ સમજવું જોઈએ જ. અલબત્ત, આજની ઈદ્રજાળ એટલી બધી વિશાળ રૂપમાં અને લાંબા કાળથી ચાલી આવે છે, તેમજ લાંબા કાળને માટે ગોઠવાયેલી છે કે, તેની આરપાર દૃષ્ટિ પહોંચવી ઘણી મુશ્કેલ છે. પરંતુ લાગણી, બુદ્ધિ અને કુદરતને કોઈ અસર કરી શકતું નથી. કેમ કે, ગમે તેની પાર પહોંચવાનું બળ તેમાં હોય છે. આ વાંચીને કેટલાક બોલી ઊઠશે કે, તો પછી આ જમાનાનાં સાધનોનો ઉપયોગ કેમ કરો છો ? તેનો જવાબ એ છે કે, અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ કરવો પડે તેથી તે કર્તવ્ય સિદ્ધાંત ઠરતો નથી. આજના નવયુગના વિચારના લોકો આજના નવયુગનાં સાધનોનો ઉપયોગ કર્તવ્ય તરીકે Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પંચ પ્રતિક્રમણ સૂત્ર હિતકર્તા તરીકે સિદ્ધાંત તરીકે કરવાનું કહે છે ત્યારે સમ્યગ્દષ્ટિઓ તેને સિદ્ધાંત તરીકે ત્યાજ્ય કહે છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ કરવો પડે છે, માટે કરે છે. અથવા કેટલાક અજ્ઞાનતાથી પણ કરે છે છતાં બન્નેની સમજમાં આકાશ-પાતાળનું અંતર છે. મોટરમાં બેસવું જોઈએ, તેમાં વધારે અનુકૂળતા છે. તેવી જાહેરાત આજનો નવયુગ સર્જક માનવ કરવાનો જ. તે બેસે કે ન બેસે અને તેની સામેના વિચારનો માનવ સિદ્ધાંત તરીકે તેને નહીં સ્વીકારે, પરંતુ તેમાં બેસશે ખરો, બેસવાનાં બીજાં અનેક કારણો હશે. માટે સમ્યગ્દષ્ટિ અથવા નવા વિચારનાઓની સામેના માનવો અમુક નવા જમાનાની વસ્તુઓનો ઉપયોગ કરે છે, માટે તેનો તેઓએ સ્વીકાર કર્યો છે એમ નથી, કોલેજોમાં વેદો ભણાવાય છે, સરકાર સંસ્કૃત કૉલેજ ચલાવે છે, માટે વૈદો તેમને માન્ય છે અને સંસ્કૃત ભાષાની ઉન્નતિ માટે કોલેજો ચલાવાય છે, એમ છે જ નહીં. એ તો વેદોને ચાહનારાઓને ધીરે ધીરે અંગ્રેજી પદ્ધતિ ઉપર ખેંચવા માટે છે અને “વેદો વગેરે જ્ઞાનના ખજાના છે.” એવી શુદ્ધ માન્યતા ઊછરતી પ્રજામાં હવે આજનું વિજ્ઞાન અને આજનું સાહિત્ય જોઈને વેદોમાં ઈશ્વર જેવી શ્રદ્ધા ટકવા જ શી રીતે પામે ? માટે આવી રીતે એક વસ્તુના સ્વીકારમાં રચનાત્મકતા જ હોય છે. એમ માનવું એ દુનિયાની આજની પરિસ્થિતિનું અજ્ઞાન સૂચવે છે. તેમાં ગર્ભિત રીતે ખંડનાત્મકતા પણ હોય છે, અને ખંડનમાં ગર્ભિત રીતે રચના પણ હોય છે, તે અનુભવીઓ જ કહી શકે છે. અમારું અંત:કરણ ઈચ્છે છે કે, जैनं जयतु शासनम् અને તેથી – शिवमस्तु सर्व जगत: परहित-निरता भवन्तु भूत-गणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोका: ॥१॥ આ શાસન જ જગતમાં અચિજ્ય ચિન્તામણિ છે, કલ્પવૃક્ષ છે, તરણતારણ છે. આધુનિક સંસ્કૃતિના દરેક ઘા જો કે તેના ઉપર છે. માટે જ આધુનિક સંસ્કૃતિના પક્ષપાતી નવયુગના જૈનોની પછવાડે આધુનિક સંસ્કૃતિના સંચાલકોનો ટેકો છે. તેમને મોટા બનાવે છે, તેમને લાગવગ આપે છે, અને દેશમાંના બીજી કોમોના તેવા વર્ગની સાથે સહકાર બંધાવે છે. તે સર્વ ભારત શાસન અને તેના અંગ પર આડકતરા ઘા પડે છે, આપણા એક જૈન ભાઈએ નવયુગનો જૈન લખીને આપણા સંઘમાં આધુનિક સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે ભારે પ્રયાસ કર્યો છે અને નર્મદની લડાયકનીતિ પકડીને બળજબરાઈથી આર્ય સંસ્કૃતિનાં મથકો તોડી પાડી આધુનિક સંસ્કૃતિને કુનેહપૂર્વક સ્થાન અપાવવાને પડકાર કર્યો છે અને તેમાં આપણું હિત માન્યું છે. પરંતુ તે ભાઈ કેવી ભીંત ભૂલ્યા છે ? તે દર્શનાચારનું ખાસ પ્રકરણ વાંચતાં ખરો ખ્યાલ આવશે. આજનું Page #656 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૮૩ વિજ્ઞાન, શોધખોળો, લડાઈઓ વગેરેની મૂળ અસર આ અભેદ્ય કિલ્લો તોડવા માટે છે. નવી અને પ્રાચીન સંસ્કૃતિની લડાઈ છે. નવીનું મુખ્ય કેન્દ્ર બ્રિટિશ પાર્લમેન્ટની બુદ્ધિનો ખજાનો છે અને પ્રાચીનોનું કેન્દ્ર જૈનશાસન છે. આ બે ભાવ પદાર્થોની મુખ્ય અથડામણી છે. આ વાત અતિ સૂક્ષ્મ વિચારણા વિના સમજી શકાશે નહીં જ. માટે જૈનશાસનના સાચા ભકતોએ જેમ બને તેમ મન, વચન, કાયાથી આધુનિક સંસ્કૃતિનાં કોઈ પણ તત્ત્વોથી દૂર રહેવું અને ભારતીય સંસ્કૃતિનાં જે કાંઈ તત્ત્વો બચ્યાં હોય, શકય હોય, તેના અંગેઅંગની રક્ષા કરવી, તેને વળગી રહેવું. આ સિવાય બચવાનો બીજો કોઈ પણ માર્ગ જ નથી. ઉન્નતિ, પ્રગતિ, ઉદય વગેરે માત્ર લલચામણા શબ્દો જ છે. અવનતિ અટકે, નુકસાન અટકે, ટકી રહેવાનું થાય તો પણ બસ છે. છતાં આ આખી વિચારણામાં કયાં ભૂલ થાય છે ? કયાં ઉન્માર્ગાનુસાર વિચાર છે ? તે સમજવા માટે તૈયાર છીએ, સમજાય તો સત્ય સ્વીકારવામાં હરકત નથી. કોઈ વિગત સમજવામાં ભૂલ થઈ હશે પરંતુ એકંદર સમ્યગ્દષ્ટિને દર્શનાચારની રક્ષા માટેની જે વિચારણા અત્રે મૂકવામાં આવી છે તે સંગત અને સત્ય લાગે છે. માટે ન્યાય અને ધર્મનો સદા વિજય છે. કેટલાક લોકો કહે છે કે, પ્રતિક્રમણ કરવા જતાં વચમાં રસ્તામાં એક ગરીબ મરવા પડેલો હોય તો તેને બચાવવા રોકાવાનું કે ઉપેક્ષા કરીને પ્રતિક્રમણ કરવા જવું? આવા પ્રશ્ન તો બાળકોને જ હોય, આ બાબત પરસ્પર વિરોધી નથી હોતી. કેમ કે, ગરીબને બચાવવાની ભાવના પ્રતિક્રમણ-ધાર્મિક વિચારવાળાને જ થાય છે. એટલે બચાવવાની વ્યવસ્થા કરે અને પ્રતિક્રમણ કરી શકે છે, પરંતુ આ પ્રશ્નનું મૂળ દેશનો ઉદય પહેલો કરવો કે ધર્મનો ઉદય કરવો ? આમાંથી છે. દેશના કાર્યમાં ધર્મને હાલમાં બાજુએ રાખો” એ ફલિતાર્થ લાવવા ઉપરનો પ્રશ્ન પુછાય છે. તો વ્યકિતનો ઉદય પહેલાં કે દેશનો ? એ હિસાબે વ્યકિતનો પહેલો આવશે. પરંતુ, દેશના ઉદયમાં વ્યક્તિનો ઉદય સમાયેલો છે અને ધર્મના ઉદયમાં દેશનો, વ્યકિતનો, સમાજનો તો સર્વનો ઉદય સમાયેલા છે. એટલે તે દરેક ઉદયનાં મુખ્ય-ગૌણ અંગો જ છે. અને સૌનો ધર્મ સાચવીને ઉદય કરવા મહેનત કરવી, એ સત્ય જવાબ છે. પરંતુ આજની દેશનો ઉદય કરવાની હિલચાલ, દેશનો એટલે આપણો-આપણી પ્રજાનો ઉદય કરનાર નથી, અવનતિ કરનાર છે. માટે પ્રજાનો મોટો ભાગ તેમાં ભાગ લેતો નથી. તેથી તેમને દેશની કે પ્રજાની લાગણી નથી, એમ માનવાનું નથી પણ તેમાં લાભ જોવામાં આવતો જ નથી માટે તેમાં ભાગ લેતા નથી. દેશના ઉદયની વાત કરીને ધર્મથી દૂર રહેવાનો ઉપદેશ આપનારા પરદેશીઓના એજન્ટ તરીકે દેશના અને ધર્મના અહિત તરફ દોરવવાની યુકિત કરે છે, સિવાય તેમાં બીજો અર્થ જણાતો નથી. ભારતમાં આર્યપ્રજાનું જ્ઞાતિઓ, મહાજન વગેરે સંસ્થાઓ મારફત રીતસર સંગઠન છે, પરંતુ તેમાં મુસલમાન વગેરે બહારની પ્રજાઓનો સમાવેશ થતો નથી. છતાં ખાસ પ્રશ્નોમાં જરૂર પડે તો મહાજનમાં તેમના આગેવાનોને બોલાવવામાં આવે છે. એ સંગઠન તોડીને બહારની પ્રજાઓને પણ અહીંનાં પ્રજાજન તરીકેનો હકક અપાવા મિ. હ્યુમ WWW.jainelibrary.org Page #657 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો મારફત મહાસભા નામની સંસ્થા સ્થાપીને તેને ચડતીપડતી સ્થિતિમાં મૂકીને આગળ લાવવામાં આવી છે. આજ સુધી કરોડો રૂપિયા કેળવણી પાછળ ખચીઁને દેશમાં જે એક વર્ગ ઉત્પન્ન કરેલ છે, તેને તેમાં સાંકળી લીધો છે. અને તેમાંના આગેવાનોને દેશનેતા તરીકે ઊંચામાં ઊંચી પ્રતિષ્ઠા આપવામાં આવી છે. આજના દેશનેતાઓ આ દેશની ખરી પ્રજાના નેતા નથી જ. દેશનેતાઓનું કૃત્ય દેશમાં નવી સંસ્કૃતિને આગળ વધારે છે. એ રીતે દેશ આગળ વધે છે પરંતુ મૂળ પ્રજાનું બળ તૂટતું જાય છે. ૫૮૪ પરદેશી સંસ્કૃતિના ઉત્પાદકો વખતોવખત એવા સંજોગો ઉત્પન્ન કર્યે જાય છે કે, દેશનેતાઓ તેના વર્તુળથી બહાર નીકળી શકતા જ નથી. દેશનેતાઓને પોતાની વિરુદ્ધમાં રાખે છે. પરંતુ ભવિષ્યમાં જે કામ કરવાનું હોય છે, તેના લાભનો પ્રચાર તેઓ દ્વારા કરાવી લે છે, દેશનેતા તેની માંગણી કરે છે, સત્તાનો વિરોધ કરે છે. અમુક પ્રજા દેશનેતાની તરફેણ કરે છે. પ્રજા માને છે કે સરકાર પાકો વિરોધ કરે છે. આખરે દેશનેતાની માંગણીનો સ્વીકાર ઘણી ખેંચતાણ બાદ કરવામાં આવે છે. પ્રજાના મોટા ભાગને એમ લાગે છે કે, ‘સરકાર તો આપણા મૂળ રિવાજો અને હકકોનું રક્ષણ કરવા તત્પર છે, પણ આપણા દેશના લોકો જ ઘણી હિલચાલ કરીને અમુક હકકો માંગે છે. તેથી સરકારને આપવા પડે છે.'' સરકાર બતાવી શકે છે કે, “અમો તો કબૂલાતો, સંધિઓ અને પ્રજાની ઇચ્છાને માન આપીને ચાલીએ છીએ. પરંતુ તમારા દેશના નેતાઓ અમારી પાસે માંગણી કરે, ત્યારે અમો તેના તરફ ધ્યાન આપતા નથી પરંતુ, જ્યારે તેની પાછળ પ્રજાનો ટેકો અમને જોવામાં આવે છે, ત્યારે અમારે હકકો આપ્યા વિના છૂટકો નથી થતો. કેમ કે, પ્રજાની ઇચ્છા અને વલણને માન આપીને ચાલવું એ અમારી રાજ્યપદ્ધતિનો પ્રાણ છે.’’ વાત બરાબર છે. દેશનેતાઓ યુરોપ વગેરે સુધરેલા દેશોમાં આર્થિક વગેરેની વૃદ્ધિના પ્રયત્નો જોઈને તેવી સ્થિતિ અહીં આવવા લલચાય એ પણ સ્વાભાવિક છે. ‘‘યુરોપ વગેરેની પ્રગતિનાં તત્ત્વો પ્રચારથી હિંદમાં પણ પ્રજા માટે પ્રગતિકારક થશે.'' એમ દશકાઓથી દલપતરામ, નર્મદ વગેરે મારફત ઠસાવવામાં આવ્યું છે. થોડા લાભો પણ બતાવવામાં આવે છે અને એ પ્રમાણે દેશનાયકોની માંગણીથી નવી નવી સ્કીમો અમલમાં આવતી જાય છે. માંગણી વધુ પ્રમાણમાં કરાવવામાં આવે અને એ બાબતથી પ્રજા પણ સાથે જોડાય. પરંતુ છેવટે વચલે માર્ગે જ અટકાવવામાં આવે છે, એમ ધીમે ધીમે આગળ વધવામાં આવે છે. એટલે કે આ દેશમાં ગોરી પ્રજાનું સંસ્થાન સ્થાપવાના ભાવિ કાર્યક્રમને માટે જે જાતની તૈયારીની જરૂર છે, તે તૈયારી જુદા જુદા વિભાગો પાડીને તેને લગતા કાયદા સુધારાના નામથી પસાર કરાવીને કર્યે જવાય છે. તેનું જ્ઞાન પહેલેથી જ કૉલેજ, પેપરો વગેરે દ્વારા દેશનેતાને અપાયેલું હોય છે. વળી દેશનેતાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય છે, કોઈની મદદ અમુકમાં તો કોઈની મદદ અમુકમાં. એમ જુદી જુદી રીતે જુદાં જુદાં કાર્યોમાં મદદ લેવાય તેવી ગોઠવણ છે. તેમજ દેશનેતાઓમાં પણ કેટલાક ધારાસભામાં કાયદો રજૂ કરનારા, કેટલાક પ્રજામાં ભાષણો કરનારા, કેટલાક જાહેર પ્રજામાં Page #658 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૮૫ વાતાવરણ ટકાવનારા અને કેટલાક છેવટની ઊંચી હદે બેઠેલા મહાન પુરુષો તરીકે ગણાતા સુધીના ગોઠવાયા હોય છે. કાયદાના ત્રણ સ્વરૂપ છે, જે પ્રથમ પણ બતાવેલ છે. (૧) જૂની પ્રણાલિકાને સંતોષતા અને ટકાવતા કાયદાઓમાં ધીરે ધીરે સુધારા-વધારા કરીને સાંસ્થાનિક સ્વરાજ્યની તૈયારીને અનુકૂળ કરવા. (૨) સાંસ્થાનિક સ્વરાજ્યને માટે જૂનું તોડવું, સુધારાને નામે નવા નવા અનુકૂળ કાયદા અને સ્કીમો અમલમાં લાવવી. (૩) એ બેમાંનું ન બની શકે તેવી સ્થિતિમાં ચાલુ સંજોગોનો શાંત વહીવટ કરી રક્ષાને બહાને હાથમાં રાખવા અને પ્રસંગ આવ્યા સુધી રાહ જોઈ જૂનું તત્ત્વ તોડવા અને નવું દાખલ કરવા ભાવિ ઉપર રાખી હાલ ચાલુ વહીવટ કરવો. ચાલુ કરતાં વધુ સારી વ્યવસ્થા ઉપર મૂકી તેના ઉપર વધુ કાબૂ જમાવવો. આ ત્રણ કામમાં કોંગ્રેસ અને દેશનેતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના જુલ્મોનું સાહિત્ય અમુક વખત જપ્ત કરીને પછી તેને જાહેરમાં આવવા દેવામાં આવે છે. તેમાં પરદેશી પ્રજાના પાછલા જુલ્મો સારી રીતે વર્ણવ્યા હોય છે, એટલું જ નહીં, પણ પરદેશીઓના જ અને તેમાંના મોટા માણસોના શબ્દોના પ્રમાણથી તેને બરાબર સાબિત કરવામાં આવ્યા હોય છે. તેમજ અત્યારે પણ વર્તમાનમાં જે જે અસંતોષ હોય, તેનું પણ સાહિત્ય બહાર પડતું હોય છે. આ બધા ઉપર વાંચનારી પ્રજાના અમુક ભાગના અને દેશનેતાઓના મગજ પરદેશી સત્તા સામે ઉશ્કેરાયેલા રહ્યા જ કરે છે. અને પરદેશીઓને પણ તેમ કરવામાં લાભ એ હોય છે કે, એમ ઉશ્કેરાયેલા દેશનેતા પ્રજાને ઉશ્કેરાટમાં રાખે જાય છે. પ્રજા ઉશ્કેરાયા પછી તેને કયે માર્ગે વાળવી? તે પણ મુત્સદ્દીઓની યુક્તિથી બહાર નથી હોતું. ઉશ્કેરાયા વિના પ્રજાને ભળતે રસ્તે દોરવી ન શકાય. જાગો, ઊઠો, કર્તવ્ય કરો. આ જાતનાં ભાષણો અને ગાયનો પ્રજાને પોતાના મૂળ જીવનથી ચલિત કરવા માટે હોય છે. જાગ્યા પછી જવું કયાં ? તેને માટે માર્ગ ગોઠવી રાખ્યો હોય છે. ત્યાં તેમને દોરવી જવામાં આવે છે. આમ જાગૃતિ અવનતિમાં પરિણમે છે. કેમ કે, એમ ભળતે રસ્તે દોરવવાનું કામ કરી શકે, તે જ આજે રાજ્યના મોટા અમલદારો બની શકે છે. ગુલામીમાંથી છૂટવાના ઉપાય તરીકે દેશનેતાઓએ જે સાહિત્ય વાંચેલું અને યુરોપ વગેરેમાં પ્રયોગરૂપે જોયેલું હોય તે રજૂ કરે છે અને તેમાં પ્રજામત કેળવે છે. પરદેશી યોજના પણ એ જોવામાં આવે છે કે, “અત્યારે તત્કાળ જે કરવાનું હોય છે, તે અને તેના પછી ઉત્તરોત્તર ભવિષ્યમાં જે કરવાનું હોય છે, તે અને તેના ખરા હેતુઓ માત્ર કોઈના ધ્યાનમાં ન આવવા જોઈએ. પાછળના ગમે તેટલા ધ્યાનમાં આવે, તેના ઉપર ગમે તેવી ટીકા કરે, ગમે તેવા Page #659 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો બળાપા લોકો કાઢે, તેનો વાંધો હોતો જ નથી. બલકે ઉશ્કેરવામાં તે ઉપયોગી થાય છે. એટલું જ નહીં પણ પરદેશીઓનો એક પક્ષ જ તેવું ટીકા કરનારું વલણ પહેલેથી જ ધરાવી ચૂકયો હોય છે, એટલે દેશનેતાને પછી ટીકા કરવામાં વાંધો રહેતો નથી. ૫૮૬ ચળવળો, સળસળાટ અને ઉશ્કેરાટ વગર પ્રજાને જુદું વલણ આપી શકાય નહીં. ‘‘એટલે જાગો, ઊઠો, ચેતો, તૈયાર થાઓ, કર્મયુગ આવી પહોંચ્યો છે.'' વગેરે પ્રજાને વાળવાનો પ્રયોગ છે. અને સળવળ્યા બાદ જ તેને ઘટતું વલણ આપી શકાય. ન સળવળતી પ્રજાને ‘“અજ્ઞાન, જડ’’ કહીને હસી કઢાય. ચાલુ રસ્તે ચાલ્યે જનારી પ્રજાને નવું સમજાવી જવું મુશ્કેલ હોય છે. એટલે દેશનેતાઓનો તેના ઉપર કટાક્ષ રહ્યા જ કરે છે. “બાપના કૂવામાં ડૂબી મરવું તે સારું નથી સમજીને આગળ વધો.'' આ બધા શબ્દો પ્રજાને ઉશ્કેરવા માટેના છે, જે સત્તાનો એક જાતનો રાજ્યદ્વારી કાર્યક્રમ છે. સારાંશ કે, અજ્ઞાનથી દેશનેતા અને તેમની સંસ્થા પરદેશીઓ માટે જ ભાવિ તૈયારીનું ઘડતર કરે છે. પરદેશીઓ અંદરોઅંદર લડવાના દેખાવો કરે છે. હકકોની મારામારી કરે છે, એ બધું કેટલુંક દેખાવ પૂરતું હોય છે. અલબત્ત, મોટા પ્રયોજન વિના તેઓ એમ કરતા નથી. અને તેથી થતાં દેખાતાં મોટાં નુકસાનો પણ સહન કરે છે પરંતુ, તેમાં ભાવિ જબરા લાભો છુપાયેલા હોય છે. આ દેશમાં બે વર્ગ ઊભા રાખે છે. પોતાની પાર્લમેન્ટો અને સંસ્થાઓમાં પણ દરેક પક્ષના સંબંધમાં તરફેણ કરનાર અને વિરોધી બે વર્ગ ઊભા રાખે છે. એટલું નહીં પણ યુરોપનાં તમામ રાષ્ટ્રો વચ્ચે પણ બે વર્ગ ઊભા રાખે છે. બન્નેય વર્ગોને પોતપોતાના પક્ષોમાં છેલ્લે પાટલે બેસવા દે છે. એમ કરીને તેના તેના પક્ષનું બળ કેટલું છે તે જોઈ શકાય છે. અને સત્તાઓ તે તે હિલચાલના સૂત્રધારોના વચલા માર્ગેથી પસાર થઈ પોતાની ધારણા પાર પાડ્યે જાય છે. બે વર્ગ વિના તેઓના કાર્યની સફળતા ન થાય. એટલે મૂળ ટકાવી રાખનારને થોડું છોડવું પડે છે, અને નવું કરનારને પણ બધું નવું નથી મળતું. એમ બન્નેય પોતાનો અસંતોષ બહારથી બતાવે છે. પરંતુ અંદરથી બન્નેય પક્ષો પોતપોતાના અનુયાયીઓને સમજાવી શકે છે કે, “આપણું જૂનું બધું તૂટ્યું નથી, હજી ઘણું બચવા પામ્યું છે. હિલચાલ ન ઉપાડી હોત તો બધું જાત.'' નવાવાળા સમજાવી શકે છે કે, ‘‘આપણે પૂરી સફળતા મેળવી શકયા નથી, પણ હાલમાં જેટલું મળ્યું તેટલાથી સંતોષ માની આગળ પ્રયાસ ચાલુ રાખીએ.' આમ બન્નેયની વચ્ચે થઈને સત્તા પોતાની પ્રગતિ કર્યે જાય છે. એટલે જૂના વિચાર જ પ્રજાઓ અને તેમના હકકોની તરફેણ કરનારા પરદેશીઓનો જ એક વર્ગ પહેલેથી જ ગોઠવવામાં આવેલો છે. અને તે જ રીતે નવા પક્ષની તરફેણ કરનારો પણ એક વર્ગ ગોઠવવામાં આવ્યો છે. Page #660 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૮૭ બર્ક જેવા પણ આ નીતિના જ એક અંગભૂત છે. લૉર્ડ હેસ્ટિંગની સામેના કેસો પણ લગભગ આજ નીતિમાં સમાય છે. તેનો એક તાજો દાખલો પણ સમજ્યા જેવો છે – જો કે, હાલના જર્મન, બ્રિટન લડાઈનું તત્કાલીન પરિણામ બન્નયના ઓછા વધતા નુકસાનમાં દેખાય છે. પરંતુ, તેની એકંદર ભાવિ ખરાબ અસર જગતની કાળી પ્રજા ઉપર જ થવાની છે, અને ગોરી પ્રજાના લાભમાં જવાની છે. કાળી પ્રજાની આગેવાન ગણાતી ભારતની આર્યપ્રજા છે. અને તેના પર અસરકારક પરિણામ લાવ્યા વિના આગળ વધી શકાય નહીં. આ માટે અને ગોરી પ્રજાને પોતાના હેતુઓમાં આગળ વધવા જૂનાં સાધનો રદ કરી નવી પ્રગતિની તૈયારી કરવા યુદ્ધની અનિવાર્ય જરૂરિયાત હોય છે. ભારતમાં આજ સુધીની તમામ રચના તોડી નાંખી, નવી રચના કરવા માટે લડાયક વાતાવરણ વિના એકદમ મોટા ફેરફાર કરી શકાય જ નહીં. ૧૮૫૭ના બળવા પછી જે રચના કરવામાં આવી હતી, તેમાં રોકવામાં આવેલા માણસો અને સાધનો પાછા ખેંચી લેવા અને નવાં સાધનો તથા નવા માણસોને નવી સ્કીમ માટે આગળ લાવવા જોઈએ. એમને એમ શાંતિથી જૂના ચીટકી બેઠલા અને સાધનસંપન્ન માણસો એકાએક ખસે નહીં. એટલે ધીમે ધીમે તેઓને ઘણી રીતે ખસેડી દીધા છે, છતાં હજુ મોટો ભાગ તેમાં ગોઠવાયેલો પડ્યો છે. તે દરેકને તેમાંથી કાઢી નાંખી નવી રીતે તૈયાર કરેલા નવા વર્ગને ભવિષ્યના સ્વરાજ્યની તૈયારી કરવા ગોઠવવો જ જોઈએ, એટલે વેપારી નવા, ખેડૂતો નવા, અમલદાર નવા, શેરબજારના વેપારી નવા, કારખાનાં નવાં, શિક્ષણ નવું, શિક્ષકો નવા, મૂડી નવી, બેંક નવી, રિવાજ નવા, રેલવે નવી, ધારાસભા નવી, મ્યુનિસિપાલિટી નવી વગેરે જોઈએ; તેને માટે કેટલી તૈયારી જોઈએ ? અને એ તૈયારી પછી પણ જૂનો વર્ગ હોય ત્યાં સુધી નવાને કેમ ગોઠવાય ? એટલે તે બાબત કાયદા કાનૂનો થાય, ભાવના બદલાય તો પણ વખત લાગે. પરંતુ, લડાઈ જેવા પ્રસંગમાં કોઈનીયે દરકાર રાખવાની ફરજ ન ગણાય. એ મુખ્ય હિલચાલ સૌના મનમાં કેન્દ્ર કર્યા બાદ તેને અનુસરીને ગમે તે ફેરફાર કરવાની સત્તાને છૂટ રહે અને પ્રજાએ પણ એ ફેરફારને અનુકૂળ થવું જ જોઈએ. પરિણામે અમુક વર્ષોમાં ઘટતો ફેરફાર થઈ જાય. ૧૮૫૭ના બળવા પછી મોટાં મોટાં સરકારી દેશી લોકોના લશ્કરની જરૂર નહોતી, એટલે બળવાથી તેઓનો લગભગ મોટા પ્રમાણમાં સંયોગ છૂટી જ ગયો અને તેના આડકતરાં ઘણાં પરિણામો આવ્યાં. તેમ આ વખતે પણ આવી રહ્યાં છે. પરંતુ તે જ વખતે ઢંઢેરાની સ્કીમને લાયકનો નવો વર્ગ તૈયાર કરી રાખેલો હતો, કે જેના હાથમાં ટપોટપ ખાતાંઓ મૂકીને છેલ્લાં ૫૦ વર્ષ રચનાત્મક તંત્ર ચલાવ્યું એટલે કે કોઈ વખતે અને કોઈ ઠેકાણે સશસ્ત્ર કે કોઈ વખતે અને કોઈ ઠેકાણે અશસ્ત્ર લડાઈ હાલની સંસ્કૃતિની પ્રગતિનું અંગ છે. તે વિના દેશી રાજાઓ તથા જૂની મોટી સંખ્યાની પ્રજા પર અમુક ફેરફાર ન મૂકી શકાય. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ લડાઈથી ભારતમાં મોટી ઊથલપાથલ તરતમાં થઈ જશે અને કોંગ્રેસ દ્વારા લઘુમતી કોમોના હકક રક્ષણનો અને પરદેશી ગોરાઓ ભવિષ્યમાં મોટી સંખ્યામાં આવવાના છે, તેઓ માટેની પ્રજા તથા દેશી રાજાઓ પાસે કાયદાઓની છૂટછાટ અને હકકનાં ચાલુ રક્ષણો ગોઠવી શકાય. તેને માટે પ્રજાને સત્તા આપવાની લાલચ ગોઠવી રાખી છે અને દેશનેતાઓના માનસ કેળવી રાખ્યા છે. જે પ્રજાને છૂટછાટ આપવી હોય તો ગમે તે રીતે આપી શકાય છે, પણ પ્રજા સત્તાના નામ નીચે સત્તા આપવાથી શી વિશેષતા ? પરંતુ ભવિષ્યમાં ગોરી પ્રજાની અહીં પ્રજા તરીકે સત્તા સ્થાપવાની છે. તેની તૈયારીઓ આ નામ નીચે જ બરાબર થઈ શકે અને રસ્તે રસ્તે જેમ જેમ હકકો મંગાતા જાય, તેમ તેમ તેમાં વધારો થતો જાય. લઘુમતી કોમોને માટેના સ્પેશ્યલ રક્ષણના કાયદાઓ દેશનેતાઓએ, જૂના અને નવા વિચારની પ્રજાઓએ કબૂલ કર્યા બાદ ધીમે ધીમે તે પ્રજાઓ અહીં દાખલ થતી જાય. અહીંની પ્રજાઓ બેકારી વગેરેથી બહાર જતી જાય. ત્યાં તેમને ધંધા વગેરેની સારી સગવડ મળતી જાય, તેમ તેમ અહીંનું પ્રજાસત્તાક તંત્ર પણ વિકસતું જાય. આ લઘુમતી કોમોમાં હાલ તો અહીં વસતી કેટલીકને આગળ લાવવામાં આવે છે, કેટલાક પરદેશી લોકો અહીં રહેતા થયા છે, તેઓના હકકોનું રક્ષણ કરવાનો પ્રશ્ન સહજ રીતે ઊભો થયેલો ગણાય. યહૂદીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજા અનેકને બેકારીના બહાને અહીં વસાવવાની તૈયારી કરી મૂકી છે. પરંતુ સૌથી પહેલાં જર્મનોને અહીં આગેવાન તરીકે બોલવાનું જણાય છે. કેમ કે, તેઓ વિજ્ઞાનમાં, વિદ્વત્તામાં આગળ છે. ભારતીય સંસ્કૃતિના ખાસ અભ્યાસી, એટલું જ નહીં પરંતુ હવે તો હિન્દના રીતરિવાજ પ્રમાણે તેઓ વર્તી શકે તેવી કેળવણી પણ ઘણે ભાગે લઈ ચૂકયા છે. એટલે અહીંની પ્રજા સાથે અનેક રીતે ભળતાં એને વાર લાગે તેમ નથી. અહીંની આગળ પડતી કોમો સાથે સંબંધમાં આવી શકે, અસર પાડી શકે અને કન્યા લેવડ-દેવડ સુધી સામાજિક સંબંધો પણ બાંધી શકે. અહીંની પ્રજા સાથે મિશ્ર થઈ શકે તેમ છે. જો કે પરદેશીઓ અહીં આવ્યા બાદ પ્રથમ તો અહીંની પ્રજા સાથે ધીમે ધીમે સંબંધમાં આવશે. બંગલાઓને બદલે ગામમાં રહેશે, પછી મિશ્ર થશે. પછી તેઓની સંતતિ, લાગવગ, સંપત્તિ વધતાં અને અહીંની પ્રજાને ફટકો પડતાં તેઓ જ આ દેશના મુખ્ય વતની થાય, ત્યાં સુધીમાં પ્રજાસત્તાક તંત્રને લાયકના આજના બીજરૂપ કાયદાઓ ફળરૂપ ધારણ કરી શકયા હોય, તેનો લાભ તેઓ છૂટથી લઈ શકે, આ ભાવિ છે. તેની જ સિદ્ધિ માટે દેશનેતાઓ મારફત અમુક અમુક માગણીઓ કરાવીને સગવડો ગોઠવે છે, તેવી કલ્પના પણ આજે ન આવી શકે એ સ્વાભાવિક છે. એટલે, આજનો નાઝીપક્ષ સ્ત્રીઓને હિંદની સ્ત્રીઓ પ્રમાણે સંસ્કારી બનાવવા ચાહે છે. સ્વસ્તિકનું ચિહન રાખી બેઠેલ છે. હિંદને સંપૂર્ણ સ્વરાજ આપવાની હિમાયત કરે છે. તા. ૨૩-૧૧-'૩૯ના મુંબઈ સમાચારના અંકમાં બહાર પાડેલી શરતોમાં હિંદનું નામ પહેલું જ છે, એ ઉપરથી ચોકકસ આ લડાઈનું Page #662 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો મુખ્ય પરિણામ હિંદ માટે જ છે. જો કે સંપૂર્ણ સ્વતંત્રતાની શરત મૂકી છે, એટલે માંગણી વધુ પડતી છે. પરંતુ બ્રિટિશ સત્તા થોડી સ્વતંત્રતા આપે અને લડાઈની શરતમાં છેવટે જર્મનોને આ દેશમાં માત્ર વેપારની છૂટ આપે, એ બહુ નાની છૂટ કહેવાય. વસવાટની છૂટને માટે દેખીતો વાંધો ઊભો પણ રાખે, જો કે જર્મની વસાહત માંગે છે. પણ અહીં વેપાર કરવા આવેલા અહીંના વતની ગણાય એ સ્વાભાવિક છે. કેમ કે, અહીં લઘુમતી કોમો માટે જે હકકો અને રક્ષાઓ તેઓના આવતાં પહેલાં ગોઠવાઈ રહેશે. એટલે તો સ્વાભાવિક રીતે જ તેનો લાભ તેઓને મળશે જ. એટલે એ વાત બેયમાંથી એકેય ચર્ચશે નહીં અને બહાર એવું બતાવી શકાશે કે, “જર્મની વસાહતો માંગે છે, પણ એ કાંઈ અત્યારે આપી શકાય નહીં, હાલ તો વેપારી છૂટ આપવામાં આવી છે.” એમ દુનિયા જર્મનીનો વિજય પણ કેટલેક અંશે જોઈ શકે અને બ્રિટિશ પણ વસાહત ન આપવાની પોતાની ધારણામાં મકકમ રહેવાનું બતાવી શકશે, અને અહીંની પ્રજાને ઊંચા નીચા થવા માટેનું દેખીતું કારણ ન મળે, નહિતર આવા આવા જુદા જુદા પરદેશીઓને વસાવીને સરકાર હજુ અમને કેટલા બેકાર કરવા માંગે છે એવી બૂમ ઊઠે. જો કે હિંદુ સાથે જ બીજી વસાહતોમાં પણ વેપારી હકકો કદાચ આપશે. તેમજ જર્મનીના પ્રથમનાં સંસ્થાનો લડાઈના વાતાવરણ નીચે તેને કબજે થતા જશે. યહૂદીઓ માટે પણ પહેલાં તો બીજાં સંસ્થાનોમાં વસાવવાની વાતો જ કરી હતી. હિંદમાં વસાવવા માટે મુદ્દાના આગેવાનો સાથે વાતચીત થઈ ગયા પછી એ પ્રશ્ન જાહેરમાં ચર્ચો હતો. તેમાં હિંદનું નામ પણ લેવામાં નહોતું આવ્યું. પણ એ હિલચાલનું મૂળ લક્ષ્ય હિંદુ જ હતું. તે વખતે અમેરિકાના અગ્રેસર નેતા રુઝવેલ્ટે પણ યહૂદીઓની દયા ચિંતવી હતી અને લાગણી બતાવી હતી. તેઓ ઉપરના આટલા જુલમથી પોતાની અજાણ્યાવસ્થા બતાવી હતી. અહીંના દેશનેતા નહેરુજીને ઇંગ્લેંડ બોલાવવામાં આવ્યા હતા. હિંદી પ્રધાને સત્તાવાદ ઉપરથી તેમની કડકમાં કડક ટીકાઓ શાંત મગજથી સાંભળી લીધી હતી અને જર્મનીના શાહીવાદે યહૂદીઓને કચડી નાખ્યા એ વાત તેમના ધ્યાન ઉપર આવવા દઈને, યહૂદીઓ તરફ સહાનુભૂતિ ઉત્પન્ન કરાવી હિંદમાં આમંત્રણ અપાવરાવી દીધું કે, શ્રી નહેરુજી હિંદમાં વિજય સાથે આવી પહોંચ્યા અને સ્પેનના ગરીબોને અન્નવસ્ત્ર મોકલાવરાવ્યું. તે બહાના નીચે ગોરી પ્રજાઓએ જાહેર દિવસ અમેરિકામાં પણ ઊજવ્યો. ૫૮૯ સારાંશ કે, આજે અહીંનાં ખેતી, ધર્મ, સામાજિક સંગઠન તોડવા યુરોપીય પ્રજાઓને અહીં વસાવવી, અહીંની પ્રજાને બહાર ધંધા માટે લઈ જવી. આ વગેરે હવેના કાર્યક્રમો છે. તેની પ્રાથમિક ભૂમિકા નાંખવા માટે આજની લડાઈ છે. જો કે આ લડાઈ બાદ પણ જર્મન લોકો અને તેના પક્ષકારો, ઇંગ્લેંડ અને તેમના પક્ષકારો સામે વિરોધી વલણ ટકાવી રાખતા માલૂમ પડશે જ. કેમ કે, એવા વલણથી પોતપોતાની તૈયારી કડક રીતે કરી શકાય છે. વિરોધી વાતાવરણ વિના લોહી ગરમ નથી રહેતું અને માણસ ઠંડો પડ્યો રહ્યો છે એટલે વિરોધી વાતાવરણથી આગળ વધ્યે જ જશે. અહીંની સત્તા તેમનો સામનો કર્યે જશે અને પછી ઢીલું મૂકયે જશે. દેખાવ એવો કરશે કે, “બળીયાના બે ભાગ. શું કરીએ ? જર્મનીની Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ પંચ પ્રતિક્રમણસૂત્રો ઉદ્ધતાઈને હાલમાં નભાવી લેવી પડે છે. આગળ ઉપર લાગ આવ્યે જોઈ લઈશું.” એવી સ્થિતિમાં રાખે જાય. તેનું સ્વાભાવિક પરિણામ એ આવે કે, “આ દેશના રાજા ધર્મગુરુઓ અને પ્રજાનો અમુક ભાગ સરકારને પોતાના રક્ષક અને હરેક રીતે હિતસ્વી માને છે. સરકાર પોતે જ જર્મનીના સ્વાર્થ આગળ નમતું આપે એટલે બીજાઓ તો બોલી જ શી રીતે શકે ? એમને એમ વખત જતો જાય, તેમ તેમ જર્મનો વગેરે અહીં વધારે ને વધારે સત્તામાં આવતા જાય. તેની પાછળ બીજા મોરચા પણ પોતાની મજબૂતી કરતા જાય. એમ અહીંની પ્રજા દિવસે દિવસે નિર્બળ પડતી જાય અને જ્યારે “ગોરી પ્રજાના સ્થિર સ્થાયી ટકાવની જડ જામી ગઈ છે,” એમ જણાય ત્યારે કદાચ થોડી અથડામણ પછી સંપૂર્ણ સ્વરાજ્ય સ્થપાયા બાદ સમાધાન કરવામાં આવે, અને યુરોપમાં પણ જર્મની સાથે મૈત્રીભરી શાંતિની સંધિ કરી લેવામાં આવે, અને નેશન ઑફ ધી વર્ડના હેતુઓ અમલમાં પ્રત્યક્ષ આવતા દેખાય પણ ખરા. અને જર્મનમાં ને દુનિયામાં શાંતિનું વાતાવરણ એ વખતે ફેલાય. પરંતુ તેટલા વખતમાં અહીંની પ્રજાને બીજા પ્રદેશોની કાળી પ્રજાઓને નુકસાન થયું હોય, તો તે આપી શકાય નહીં અને ત્યાંની ગોરી પ્રજાઓને સર્વત્ર લાભ થયા હોય તે તો કોઈથી લઈ શકાય નહીં. માટે આજની અશાંતિનું મૂળ હિંદમાં આર્ય પ્રજાની થોડી ઘણી સત્તા અને આર્ય સંસ્કૃતિ અનુસાર અહીંની પ્રજાનું કેટલું જીવન ખાસ કરીને છે. તેમાં પલટો આવ્યે જ જગતમાં શાંતિ થશે. કેટલાક અંગ્રેજ અને પરદેશી ભાષણકારો કહે છે કે, “જગતની શાંતિનું મૂળ હિંદમાં છે. એ વાત ઉપરની રીતે ખરી છે, માત્ર તેઓ રચનાત્મક-ખંડનાત્મક શબ્દોમાં એ હકીકત બોલે છે. આજે છે કે જર્મનના આગેવાનો બ્રિટન વિરુદ્ધ અને હિંદની તરફેણમાં લશ્કરી ભાષામાં બોલે છે, પરંતુ બન્નેયનો અંતિમ હેતુ એકસરખો છે. તેથી તેઓ બહારથી ગમે તેવા લડવા છતાં અંદરખાનેથી તેઓનો હેતુ એક જ છે. તેમાં સંશય રાખવાનું કારણ નથી. બન્ને એક જ સંસ્કૃતિની પ્રગતિ માટે મથનારા છે, એટલે એક જ ઢાલની બે બાજુઓ રૂપ છે. અને તે હેતુઓની સિદ્ધિમાં તેઓએ દેશદેશમાં પોતાના હેતુઓમાં મદદગાર થાય તેવા નવા દેશનેતાઓ ગોઠવી લીધા છે. મૂળ આગેવાનોને બાજુએ રાખી તેઓને પક્ષ બીજી મુદ્દા પર હાથમાં રાખ્યા છે. એટલે નવા દેશનેતાની વલણ જૂનાઓને પોતાના મૂળ સ્થાન અને આદર્શથી ચલિત કરી નીચે ઉતારવાના કામમાં પણ આવે છે, એટલે તેઓને પણ દેશમાં ઉત્પન્ન થયેલા અને જેના ઉપર પોતાનો કાબૂ નથી, તેવા વર્ગને લીધે દેશમાં મતભેદ થતાં નમતું આપવું પડે જ છે. દેશનેતાઓના પક્ષની સંખ્યા વધતી જાય, માંજર સેનાને નામે બાલિકાઓનો સમૂહ અને વાંદર સેનાને નામે નાનાં બાળકોનો સમૂહ પણ આજે યુવાન અને પ્રૌઢ થઈને તેના જ વાતાવરણમાં સામેલ રહે, એમની સંખ્યા વધતી જાય છે, એટલે તેને ભવિષ્યમાં બહુમતી પણ મળતી જાય તેવી ગોઠવણ કરી આપી છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો પ૯૧ આજે કોઈ પણ કામમાં બહુમતી છે જ નહીં. ખોટી રીતે બિનકાયદેસર બહુમતી ગણીને કામ લેવામાં આવ્યું છે. આ રીતે બાળકોથી માંડીને દેશનાયકો સુધી અને પોસ્ટ ઑફિસથી માંડીને ધારાસભા સુધી, પાન બીડીની દુકાનથી માંડીને શેર બજાર સુધી, આધુનિક રેટિયાથી માંડીને તાતાનાં કારખાનાંઓ સુધી, પોલીસથી માંડીને હાઈકોર્ટ સુધી, રાવણીયાથી માંડીને વાઈસરોય સાહેબ સુધી, સ્વયંસેવકથી માંડીને કોંગ્રેસ સુધી, અંત્યજ સ્પર્શની હિલચાલથી માંડીને છૂટાછેડા અને પડદાત્યાગની હિલચાલ સુધી, પત્ર મિત્રથી માંડીને વસાહત સુધી, થિઓસોફિસ્ટથી માંડીને વિશ્વધર્મ પરિષદ્ સુધી, સંસ્કૃત પાઠશાળાથી માંડીને યુનિવર્સિટી સુધી, મજૂરથી માંડીને મહાયોદ્ધા સુધી નવયુગની તૈયારી થતી ચાલી રહી છે. તેમાં સંડોવાયેલા આપણા જે જે કેટલાક ભાઈઓ હોય તેઓ આજે નવયુગના જૈનો ગણાય છે. આ જબરજસ્ત પૈદ્રજાળના તેઓ પણ પાત્ર બની ચૂકયા છે. તેઓ પોતાનું સંગઠન કરીને તૈયારી કરી રહ્યા છે. તેની પાછળ આજની સુધરેલી દુનિયા છે. એ તૈયારી જુનવાણી (આર્ય સંસ્કૃતિ)ને નુકસાન પહોંચાડ્યા વિના થાય નહીં, પરંતુ મિશ્રણ એવું વિચિત્ર છે કે, તેમાંથી પૃથકકરણ કરવું એ ભલભલા માટે પણ ઘણું જ મુશ્કેલ છે. હવે નવયુગ જો સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રને માર્ગે હોય, તો જુનવાણી મિથ્યા છે અને જુનવાણી યોગ્ય માર્ગે હોય તો નવયુગ મિથ્યા છે. આ તો સીધો જ હિસાબ થયો : આ સ્થિતિમાં સમ્યગ્દષ્ટિ જીવને-આ બધું ચાલી રહ્યું છે, તે સમ્યગુ છે ? કે તેની પાછળ કાંઈ અસમ્યગુ છે ? એ નકકી કરવામાં અમારું આ લખાણ મદદ કરે, એ આશયથી અમોએ આ વિચારણા અહીં આ કાળે ખાસ જરૂરી જણાયાથી મૂકી છે. જે ભારતની આર્ય સંસ્કૃતિ અને તેના ફળરૂપ જૈન સંસ્કૃતિ અને તેને અનુસરવાની ભૂમિકા સમ્યગ્દર્શન હોય, તો નવયુગ મિથ્યા છે, એટલું જ નહીં પરંતુ જૈન દષ્ટિ સિવાયની બીજી દષ્ટિઓને શાસ્ત્રકારોએ મિથ્યા દષ્ટિઓ કહી છે. જે વાત બુદ્ધિપૂર્વક સમજાવી શકાય તેમ છે. કેમ કે, તેનાં સ્વરૂપો પરથી જ ઓળખી શકાય તેમ છે. સારાંશ કે, જૈનદષ્ટિ સિવાયની જુદી જુદી બીજી દષ્ટિઓ ઓછેવત્તે અંશે મિથ્યાત્વમાં સમાવેશ પામે છે, છતાં તે સર્વ નવયુગની દષ્ટિથી તદ્દન અલગ છે. વેદાંતથી માંડીને ખ્રિસ્તી ધર્મ કે યહૂદી ધર્મ કે બીજા જંગલીઓની ધાર્મિક માન્યતાઓ પણ એકંદર પોતપોતાના કુંડાળામાં જ સમાઈ રહેલ છે. અને તે પરસ્પરને વધુ બાધક નથી પરંતુ કેટલેક અંશે પરસ્પરને મદદગાર છે અને એકંદર સમ્યગ્દષ્ટિની અભિમુખ થોડે ઘણે અંશે કહી શકાય. ત્યારે નવયુગની દષ્ટિ સમસ્ત જગતને પોતાનામાં જ સમાવીને જુદે જ રસ્તે લઈ જવા માંગે છે. સમ્યગ્દષ્ટિથી તદ્દન જુદે જ માર્ગે જવા માંગે છે. માટે તેને અમુક અપેક્ષાએ મિથ્યાતર કહેવામાં હરકત જણાતી નથી. ધર્મોની સંસ્કૃતિ આત્મવાદની અભિમુખ છે, ત્યારે આજની સંસ્કૃતિ જડવાદની અભિમુખ છે. માટે વિશેષ મિથ્યાતર છે. નવયુગની અસર તળે જેમ કેટલાક જૈન ભાઈઓ આવ્યા છે, તેમ દરેક ધર્મવાળા અને પ્રજાઓમાંના Page #665 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો વર્ગો આવ્યા છે. ખ્રિસ્તીઓમાં પણ તેવો વર્ગ ઉત્પન્ન થયો છે. પરંતુ તે નવયુગને ઘણી મદદ કરે છે. કેમ કે, તેમાં તેનો સ્વાર્થ છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પાદરીઓનાં મરણસ્થાનોને તીથો તરીકે જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં જર્મની અમેરિકનો વગેરે પણ સમ્મત જ છે. ભવિષ્યના સાચા જૈનોને પોતાના બંધુઓ છતાં પોતાને, ધર્મને અને પ્રજાને નુકસાન કરતાં નવયુગના જૈનોને અટકાવવા પડશે, એટલું જ નહીં પણ તેને સાચો માર્ગ બતાવવો પડશે. ઉપરાંત, આખા જગતને નવયુગની અસરમાંથી બચાવવા પ્રયત્નો કરવા પડશે અને નવયુગે જ્યાં જ્યાં વ્યવહારુ રીતે પોતાનું સ્થાન જમાવ્યું હશે ત્યાંથી ત્યાંથી તેની જાળમાંથી બચાવીને રક્ષણાત્મક પ્રયત્નોથી જગતમાં સન્માર્ગનું રક્ષણ કરવા તત્પર બનવું પડશે. જગતમાં વધતું જતું પાપ રોકવા તે પ્રયત્ન કરી રક્ષક બનવા મહેનત કરશે. કેમ કે, આ ફરજ તેમની ખાસ છે. અલબત્ત, તેમના માર્ગનાં વિદનોની તો કલ્પના કરવાથી કે સામાન્ય વ્યકિત ગભરાઈ જાય તેમ છે. છતાં આ બધી આજની સ્વાર્થમય બાજી બહાર પડી જશે અને પૂર્વના તદ્દન નિ:સ્વાર્થી મહાત્માઓની આ પુણ્યભૂમિમાં પથરાયેલા પવિત્ર વાતાવરણ તે સાચા જૈનને મદદગાર થઈ રહેલ છે, અને થશે અને પોતાનું કર્તવ્ય બજાવવાની તક સાંપડશે. અતિચારમાં બતાવેલા પ્રકારોમાં ઓ ઇદ્રજાળના વ્યામોહમાં ફસાવવું એ વ્યામૂઢાતિચાર છે. આ અતિચારમાં બતાવેલ રીતે શ્રી અરિહંત ભગવતો, ગુરુઓ અને જૈન ધર્મ તરફ અતિચાર સુધ્ધાં પણ ન લાગે તેવી કાળજી રાખવી. એ ચારેય તરફ ફેલાયેલા ભુલભુલામણી ભરેલા વ્યામોહનાં સાધનોમાંથી બચવાનું આ પરમ ઔષધ છે. અરે ! નવયુગે દરેક ધર્મોમાંથી ભૂલો કાઢીને તેનો પ્રચાર તે તે ધર્મોવાળાઓમાં ચલાવ્યો છે. તે ભૂલો ભૂલો નથી પણ ખરી હકીકત છે.” એવા ખુલાસાવાર હકીકતો મૂળ ધર્મવાળા તરફથી બહાર પડે તેવામાં તો બીજા નવા પ્રશ્નો ઊભા કરી જ રાખ્યા હોય છે. એમ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે અને કેળવણી વગેરે પ્રચારક સાધનોથી ઊછરતી પ્રજાને ધીમે ધીમે પોતાના ધર્મોમાં અશ્રદ્ધાળુ કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આજે નવા પણ ઘણા પ્રયાસો થઈ રહ્યાનું અમારી ધ્યાનમાં છે. પરંતુ વિસ્તાર ભયથી અહીં તેનો ઉલ્લેખ કરતા નથી. માત્ર એક જ વસ્તુ તરફ ધ્યાન ખેંચીએ છીએ કે – દરેકે પોતપોતાના ધર્મમાં દઢ રહેવું અને તેમાં ભુલાવો ન થાય તેની ખબરદારી રાખવી. ધર્મને નામે ય અનેક સુધારાની યોજનાઓ ફેલાવવામાં આવે છે. તેમાં સહેજે જ ભળી જવાય તેમ હોય છે. આપણા આગેવાનો અને હિતચિંતકો જ તેમાં દોરવવાને આપણને આવે એટલી હદ સુધીની ગોઠવણ જોવામાં આવે છે. માટે શ્રદ્ધા, સમજ અને ક્રિયા આચાર-ચરિત્ર-વર્તન વગેરે દરેક – આર્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને ત્રણ રત્ન અથવા શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને અનુસરતા રાખવાથી ભવિષ્યમાં ફાયદો છે. જગતનું એ જ ખરું રક્ષણ. તેમાં જ અહિંસાનો વિજય છે. તે જ અનાદિકાળની Page #666 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૯૩ હિંસા તરફ કટાક્ષ કરી રહી છે અને અનંતકાળ સુધી કર્યા કરશે. કામ, ક્રોધ, લોભ, મોહ, લડાઈઓ એ સર્વ હિંસાનાં અંગો છે. ત્રણ રત્ન અનુસાર સંવર નિર્જરાની ક્રિયાઓ અહિંસા છે. તે જ્યાં સુધી જેટલે અંશે જગતમાં ગુપ્ત રીતે કે જાહેર રીતે રહેલ હશે, ત્યાં સુધી અહિંસાનો વિજય જ છે. માટે અહિંસાથી કોઈ પણ રીતે કોઈએ નિરાશ થવાનું છે જ નહીં. તેના પ્રતીક તરીકે જિન મંદિરો, ઉપાશ્રયો, મુનિસંસ્થા, જૈન આગમો, જૈન આચારો અને ઈતર ધર્મ સંસ્થાઓ વગેરે તેમાં સાધક છે, માટે તે સર્વને ટેકો આપવો, એ અહિંસાનો જ વિજય છે. મહાવીર જયંતી પર્વ નવા જમાના માટેના સ્વાધીન પર્વ તરીકે ઉપયોગ કરવા માટે છે. બીજા પવિત્ર પર્વો ઢીલા પાડવા માટે છે. આખા હિંદમાં તેની જયંતી ઊજવી તેને હિંદના મહાપુરુષ જાહેર કરવા માટે છે. પછી આખા એશિયામાં બુદ્ધની ઊજવવાની, લાઈટ ઑફ એશિયાની ભાવનાથી સફળ કરવા માટે છે. પછી આખા જગતમાં ઈસુ ખ્રિસ્તની જયંતી ઊજવી આખા જગતના મહાપુરુષ તરીકે આખા જગત પાસે કબૂલ કરાવવાનો પ્રયત્ન ગોઠવાઈ રહ્યો છે. જે મહાવીર પરમાત્મા જગતમાં શ્રેષ્ઠ છે, તેનો આમ ત્રીજો નંબર ગોઠવાઈ જાય. મહાવીર સ્વામીને આખા હિંદના મહાપુરુષ જાહેર કરવામાં જ્યારે બીજી પ્રજાઓ સહકાર આપે એટલે પછી, પછીનાઓને એશિયામાં અને જગતના મહાપુરુષ ઠરાવવામાં જૈનોએ સહકાર આપવો જ પડે ને ? સર આરનોલ્વે લાઇટ ઑફ એશિયામાં બુદ્ધનું ચરિત્ર ગાયું છે અને લાઇટ ઑફ વર્ડમાં ઈશુનું ચરિત્ર ગાયું છે. વિશ્વ ધર્મ પરિષદ જગતમાં એક ધર્મ કરવા માટે છે. એટલે કે બીજા ધર્મો તૂટે તો જ એક ધર્મ થાય. એટલે તે સંસ્થાને ટેકો આપતાં પોતપોતાના ધર્મને આગળ વધારવાની લાલચમાં તેને તોડવામાં જ વાસ્તવિક ટેકો આપ્યો ગણાય અને વિશ્વધર્મની યોજનામાં સહકાર લેવા જ હિંદમાં સર્વધર્મ પરિષદો અને સાંપ્રદાયિક એકતાની વાતો ચાલે છે. પહેલા સંપ્રદાય તૂટે પછી સર્વ ધર્મ તૂટે અને એક ધર્મ થાય. આ સંપ્રદાયો તોડવા એ એક ધર્મ કરવાનું વ્યાવહારિક પ્રાથમિક પગથિયું છે. માટે સુધારકો મારફત આજે સાંપ્રદાયિકતા ઉપર ટીકાઓ થાય છે. પછી જુદા જુદા ધર્મ ઉપર થશે. થિઓસોફિસ્ટ પોંડિચેરીના સંત, મુકિતફોજનો ઉપયોગ, હેર હિટલરનો નવો પંથ અને એવા બીજા પરચૂરણ પ્રયત્નો આ કાર્યના અંગ તરીકે ગોઠવાયેલ છે. કોંગ્રેસ મહાજનની સંસ્થાને તોડી નવા મહાજનની સંસ્થા સ્થાપવા માટે છે. ખેડૂતોની જાગૃતિ, મશીનરી ખેતી માટે અને આ દેશની હાલની પ્રજાના હાથમાંથી જમીન લઈ લેવા માટે છે. દૂધાળા ઢોરની હિલચાલ મોટા પાયા પર કતલખાનાં જન્માવશે અને ઢોર ઉછેરનાર પ્રજાના હાથમાં તે ધંધા રહેશે નહીં. પરદેશીઓ મોટી ડેરીઓ ચલાવશે. સ્વરાજ્યની હિલચાલ પરદેશીઓના લાભ માટે છે, અને સ્વદેશીની હિલચાલ અહીં નાંખવાના વધુ પરદેશી કારખાનાંઓના વકરાના ક્ષેત્ર ઉઘાડવા માટે જ છે. શિક્ષણ સંસ્થાઓ પ્રજાને સ્વરાજ્ય માટે અને નવી સંસ્કૃતિની તૈયારી માટે, તૈયાર કરવા માટે છે, જે જૂની પ્રજાનું સ્વરાજ્ય અને સંસ્કૃતિ તોડે જ વગેરે નવયુગનાં ચક્રો છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ પંચ પ્રતિકમાણસૂત્રો એટલે આપણે અંદર અંદર આપણા ધર્મમાં ચુસ્ત રહેવું જોઈએ. ધર્મપલટો કરવા કે કરાવવા મહેનત કરવાની જરૂર નથી. દરેક પોતપોતાના ધર્મો અને રીતરિવાજોમાં ચુસ્ત રહે તે જ હિતાવહ ઉપાય છે. તેમ થવાથી મૂળ સંસ્કૃતિ તોડવી મુશ્કેલ પડશે. તેને તૂટવામાં મોડું થશે તેવામાં કોઈ યુગપ્રધાન પુરુષ કદાચ તે પ્રજનું હૃદય જીતીને આ સંહારક ક્રિયામાંથી તેને અટકાવવાની તક લઈ શકે, હિંદના કોઈ આવા મહાત્માની આજે જગતમાં આવશ્યકતા છે કે જે ખરે રસ્તે પ્રજાને દોરવે. આજે આપણે તે પ્રજાઓની સામે થવાની જરૂર નથી પરંતુ આપણામાં દઢ રહેવું એ તેમની સામે થવા બરાબર અસરકારક યોજના છે. પરંતુ જેઓ આજે સામે થઈ રહ્યા છે, તે તો બહારનો દેખાય છે પણ તેઓ તો પરદેશીઓને વાસ્તવિક રીતે વધુ મજબૂત બનાવે છે. માટે તે ક્રિયામાં મદદગાર થતાં ખસી જવું જોઈએ. તીર્થકરો તરફ અશ્રદ્ધાની હિલચાલ ચાલુ છે. દેવ અને ધર્મ તત્ત્વ સમજાવનાર ગુરુતત્ત્વ ઉપર ઘા ચાલુ છે. હિંદુએ હિંદુઓમાં અને હિંદુ મુસલમાનોમાં વિરોધના પ્રયત્નો ચાલુ છે. એકતાનો ઉપદેશ પોતપોતાના સિદ્ધાંતોને વળગી રહીને એકસંપી કરવા માટે નથી, પરંતુ પોતપોતાના સિદ્ધાંતોને વળગી રહીને એકસંપી કરવા માટે નથી પરંતુ, પોતપોતાના સિદ્ધાંત જેમ જેમ છોડી દઈને નવી સંસ્કૃતિમાં ભળવામાં આવે, તેમ તેમ એકસપી રાખવાના આશયથી છે. એટલે હિંદુ હિંદુપણું છોડે અને મુસલમાન મુસલમાનપણું છોડે, ને નવી સંસ્કૃતિમાં સંપીને રહે તે અર્થ છે. ત્યારે આપણો અર્થ બન્નેય પોતપોતાનામાં દઢ રહે અને એકસંપ કરે એ છે. ૩. ચારિત્રાચાર–અષ્ટ પ્રવચન માતા મુનિ મહારાજાઓ માટે દરરોજ અને શ્રાવકો માટે સામાયિક તથા પોસહમાં ખાસ પાળવાના હોય છે. છતાં વિગતવાર આલોચન માટે-મુનિ મહારાજાઓ માટે વિશેષત: કહીને અતિચારોનો જુદો ભાગ-સાધુ ક્રિયાઓમાં આપેલ હોય છે અને આ પુસ્તકમાં વિશેષત: શ્રાવકો માટે આપવામાં આવેલ છે. એટલે કે વિશેષત:થી માંડીને સંલેષણાના પાંચ અતિચાર સુધીના તમામ અતિચારો ચારિત્રાચારના જ સમજવાના છે. તેથી આખા અતિચાર પાઠમાં મુનિ મહારાજાઓના અતિચારોનો પણ અમુક રીતે સમાવેશ છે અને તેનું પ્રમાણ-ઉપસંહારમાં-એવંકારે સાતણે એકવીસ સંયમ અને શ્રાવકતણે ધર્મે સમજ્જ મૂળ બાર વ્રત: એકસો ચોવીસ અતિચાર વગેરે, પાછળથી મુનિ મહારાજાઓ બોલે છે, તે છે. એટલે પહેલા બે અને છેલ્લા બે આચારોના અતિચારો લગભગ મુનિ મહારાજાઓ અને શ્રાવકોને સરખા છે. પરંતુ વચલા ચારિત્રાચાર માટે જે ભેદ છે, તે બન્નેયનો વિશેષત: પછી વિસ્તારથી બતાવેલ છે. એટલે તેનો અત્રે વિસ્તાર કરતા નથી. Page #668 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૫૯૫ ૩-૧-૧ સમ્યકત્વ-મૂળ બારવ્રત: મુનિના કે શ્રાવકના પંચ મહાવ્રત કે અણુવ્રતાદિક સમ્યક્ત્વ સહિત હોય, તો જ જૈન દર્શન સમ્મત ગણાય, સિવાય ગમે તેવી અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ વગેરેની ગણના કરી શકાતી નથી. ઊલટું મિથ્યાત્વનું પોષક થાય અને સમ્યકત્વના વિઘાતક થાય તથા સમ્યત્વનો વિરોધ કરે, તો તે અહિંસાદિક પણ ત્યાજ્ય અને ભયંકર હોય છે. તે યથાસ્થાન સંક્ષિપ્તમાં સમજાવીશું. સમ્યકત્વના અતિચારમાં મિથ્યાત્વરૂપ લૌકિક અને લોકોત્તર દેવ, ગુરુ અને ધર્મ તથા પર્વો વિષેના અતિચારો ગણાવ્યા છે. જેમ કે, તીર્થંકર પરમાત્મા ઉપર અશ્રદ્ધા અથવા લૌકિક સુખ ખાતર જ તેમની સેવા પણ મિથ્યાત્વ છે. તેમજ લૌકિક દેવો ઉપર શ્રદ્ધા કે મોક્ષ માટે તેમની સેવા મિથ્યાત્વ છે તેવું જ ગુરુ, ધર્માચરણ, પર્વો વગેરે વિષે સમજવું. હાલના વખતમાં જ્ઞાનાભ્યાસ અને ધાર્મિક અનુષ્ઠાનની સામગ્રી જેટલી સરળ છે, તેના કરતાં સમ્યકત્વ વધારે કઠિન જણાય છે અને સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર અલ્પ હોય તો પણ તેની કિંમત કરોડોગણી છે. આજે આ જમાનાએ ઉત્પન્ન કરેલી છે જાળમાં વ્યામોહ થવાનો ઘણો સંભવ છે. તેના પડદાને ભેદીને કુદરતી ખોટાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ પારખી લઈને ઘટતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દરેક પ્રવૃત્તિને નિર્ણયાત્મક રીતે સફળતા પ્રાપ્ત થાય તેવી રીતે અમલમાં મૂકવાની શકિત તે આ ચાલુ કાળે શુદ્ધ સમ્યક્ત્વ ગણાય છે. એકદમ ઊંચા આચારો અમલમાં મૂકે તે પણ ઠીક નહીં. વ્યામૂઢ બની જવાય તે પણ ઠીક નહીં તેમજ વધારે પડતા નીચા ઊતરી જવું તે પણ ઠીક નહીં. વ્યક્તિ અને સમુદાયને ઘટતા સમતોલપણામાં રાખવામાં જ સમ્યકત્વની ખૂબી છે. શ્રીસંઘની પૂર્વાપરની પૉલિસીને અનુસરીને દરેક મર્યાદાસર ચાલવું જોઈએ તેને બદલે આજે એક ગૃહસ્થ પાસે પૈસા થાય એટલે પોતાની ઈચ્છા પ્રમાણે સખાવતી કે ધાર્મિક ખાતું કે સંસ્થા કાઢે અને બીજાઓએ તેને અનુસરવું પડે. આ એક જાતનો સ્વછંદ છે. પરદેશી કાયદાઓની ધનિકો ઉપર પડેલી માઠી અસરનું આ પરિણામ છે. શ્રી સંઘના નિયમોને અનુસરતા નથી, તેમજ આગેવાનો તથા સંઘની માન્ય વ્યક્તિઓની સલાહ સમ્મતિ કે પરવાનગી પણ લેવામાં નાનમ સમજે છે. વળી એક બીજા નવા ગૃહસ્થ પૈસાદાર થાય એટલે તે પોતાને ફાવે તેમ પૈસા જૈન નામ નીચે ખર્ચે. આમ રસંઘમાં અરાજકતાનાં તત્ત્વો વધી ગયાં છે. પાંચસો સુભટની પેઠે સૌ આગળ આવવાની લાલચમાં ગમે તેમ વર્તે છે. જે મોટામાં મોટું સંઘને નુકસાન પહોંચાડે છે. કેટલાક તો સંઘની સત્તા જ કયાં છે એમ બોલે છે. પરંતુ જ્યારે ધાર્મિક આગેવાનો જેવા ગણાતા ગૃહસ્થો પણ ધાર્મિક સંસ્થાઓમાં સંઘને દૂર રાખવાના વિચારો ધરાવે તેવું સાંભળવામાં આવે, ત્યારે તો આશ્ચર્યનો પાર રહેતો નથી. સંઘના વહીવટમાં ન જાણવામાં આવેલાં ઘણા જ મહત્ત્વનાં ગૂઢ અને સંગીન તત્ત્વો છે, જેની જોડી જગતમાં નથી. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩-૨-૧ શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત-અહિંસાનું પાલન :૧. મુનિ મહારાજાઓને અહિંસા સર્વથા પાળવાની હોય છે અને સંયમ તથા તપ તેના પ્રધાન અંગ હોય છે. ૨. ત્યારે ગૃહસ્થોને એ અહિંસા સ્થૂલથી પાળવાની હોય છે, એટલે ગૃહસ્થના જીવનના બે વિભાગ છે : ૧. માર્ગાનુસારી સાંસારિક જીવન. ૨. મોક્ષાનુસારી ધાર્મિક જીવન. એ પ્રમાણે તેની દયાના પણ બે ભાગ પડે છે. ૧. કેવળ દયા-મોક્ષાનુસારી ધાર્મિક જીવનમાં દયાની પ્રધાનતા હોય છે. ૨. સાપેક્ષ દયા-માર્ગાનુસારી સાંસારિક જીવનમાં યથાશક્તિ દયા હોય છે. એકંદર ૧૫ વસાની દયા થાય છે. આજ પ્રમાણે દરેક વ્રતોના વિષયભૂત ગુણોના સંબંધમાં પણ બબ્બે વિભાગ પાડી શકાય છે. ૧. મોક્ષાનુસારી ધાર્મિક જીવનમાં સમ્યત્વ સહિત બાર વ્રતો તથા પંચાચાર વગેરે સમય છે. તે જૈનશાસ્ત્રોમાં ગૃહસ્થ ધર્મ ગણાય છે. આ જૈન ગૃહસ્થ ધર્મની વ્યાખ્યા છે. ૨. અને માર્ગાનુસારી સાંસારિક જીવનમાં બાકીના સાંસારિક જીવનનો સમાવેશ થાય છે અને તે ગૃહસ્થનું માર્ગાનુસારી સાંસારિક જીવન ગણાય છે. આ જૈને ગૃહસ્થના સાંસારિક જીવનની વ્યાખ્યા છે. (આને કેટલાક જૈન ગૃહસ્થ ધર્મ કહે છે પરંતુ તે ગેરસમજ છે. અન્ય લોકોને હિસાબે બરાબર છે, પરંતુ જૈનધર્મને હિસાબે એ બરાબર નથી.) ૧. ગૃહસ્થના ધાર્મિક જીવનમાં જેમ બને તેમ મુનિ જીવનને લગતી અહિંસા પાળવા સુધી આવક પ્રયત્ન કરી શકે છે અને મુખ્ય મુખ્ય સ્થૂલ અહિંસા તો ખાસ પાળવાની હોય છે. આ જૈન ગૃહસ્થના ધાર્મિક જીવનની અહિંસાની વ્યાખ્યા છે. ૨. ગૃહસ્થની માર્થાનુસારી સાંસારિક જીવનમાં સાંસારિક કામોમાં સાંસારિક લગ્નાદિ વ્યવહારો, સંતતિ તરફની ફરજ, ખાનપાન, આજીવિકા, રહેઠાણ, આરોગ્ય, પ્રતિષ્ઠા, સામાજિક ફરજો, ધાર્મિક ફરજો, દેશ અને પ્રજા તરફની ફરજો વગેરે બનાવવા જતાં અનિવાર્ય સંજોગોમાં થતી હિંસામાંથી જેમ બને તેમ બચવું, જેમ બને તેમ અલ્પ હિંસાથી જીવનનિર્વાહ ચલાવવો એ ફરજ રહે છે. આ જૈન સાંસારિક માર્ગાનુસારી જીવનની અહિંસાની ઈચ્છા છતાં અનિવાર્ય હિંસા અને બાકીની અહિંસાની વ્યાખ્યા છે. જાંબુ ખાનારા છ માણસોના દષ્ટાંતથી અન્યને ઓછામાં ઓછું નુકસાન કરવાની વૃત્તિ રાખીને જે જીવન ચલાવે, તે આ જગતમાં વધુમાં વધુ અહિંસક સાંસારિક ગૃહસ્થ ગણાય. (અને સમ્યફદૃષ્ટિ જીવન હોય તે જૈન સાંસારિક ગૃહસ્થ ગણાય.) આવી અહિંસા સામાન્ય માણસો અને સામાન્ય કૂર પ્રાણી જાતિઓમાં પણ સંભવી શકે અને તેથી કોઈનોયે કોઈ પણ પ્રકારનો જીવનનિર્વાહ ન અટકે. Page #670 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૫૭ જેમ બને તેમ પરને દુઃખ ઓછામાં ઓછું અપાય અને કષ્ટ વેઠીને તથા સંયમ જાળવીને જીવનનો નિર્વાહ કરવો. એ જેની અહિંસાની સામાન્ય વ્યાખ્યા છે. અને આ વ્યવહારુમાં વ્યવહારુ વ્યાખ્યા છે. જેમ બને તેમ વધુમાં વધુ અહિંસા જાળવે અને તે ખાતર તપ તથા આદર્શ સંયમ જાળવે તેમ તેમ તે અહિંસક જૈન મુનિ એટલે સમ્યકૃત્વ સહિત કે ધર્મમાર્ગ પોષક જીવનનાં અને સંસ્કૃતિનાં તત્ત્વોને સાધક થાય તેવી રીતે અહિંસા પાળવી, તે સાચી અહિંસા છે. પરંતુ ધર્મપોષક માર્ગનો લોપ કરે, તેવી અહિંસા ગમે તેવી હોય તો પણ હિંસા જ છે, તે ખોટી અહિંસા છે. માર્ગાનુસારી હિંસા કરતાં ઉન્માર્ગાનુસારી અહિંસા વધુ ભયંકર છે. તે માત્ર સ્વરૂપત: અહિંસા દેખાય છે, પણ વાસ્તવિક રીતે તે હિંસાની પોષક હોય છે અને જગતમાં પરિણામે વધુ અહિંસા ફેલાવે છે. એટલે જૈન અહિંસામાં અને આધુનિક અહિંસામાં આ મોટો ખાસ ભેદ છે. આજની અહિંસા દૂરથી પણ હિંસાના પશુબળ અને અસત્યના પાયા પર રચાયેલી છે, અને પ્રજા વિનાશરૂપ હિંસામાં પરિણામ ઉત્પન્ન કરનાર છે, ત્યારે જગત હિંસા-પ્રધાન જીવન જીવે છે. તેમાં માત્ર જૈનોએ જ શુદ્ધ-નિ:સ્વાથ અહિંસાને ખાસ પગભર રાખી છે. જગતમાં જીવદયાનું જે કાંઈ ઝરણું વહે છે, તેના ખાસ મૂળ ઉત્પાદક અને ટકાવનાર મુખ્યપણે જૈનો જ છે. તેમાં કોઈનોયે બે મત છે જ નહીં. અલબત્ત, સામાન્ય રીતે લાગણીપ્રધાન મનુષ્યોમાં ઓછેવત્તે અંશે સ્વાભાવિક દયા હોય છે અને તેનો પણ જગતમાં ચાલતી દયામાં અમુક અંશે ભાગ ગણી શકાય. છતાં આજે જગતમાં જે દયાની મોટામાં મોટી અસર સંગીન પાયા પર ચાલી આવે છે, તે જૈનોને જ આભારી છે. તેમની દયાની વ્યાખ્યા, પાલન, દયા પાળવાના બારીક નિયમો, દયા પાળવાની મકકમતા જીવનના દરેક અંશમાં તેની વ્યાપક અસર, જૈન મુનિઓની ર૦ વસાની દયા, તેની જેનો ઉપર અને ઈતરજન સમાજે ઉપર અસાધારણ અસર વગેરે ઘણા જ સંગીન છે. ભલે તે પ્રમાણમાં ઓછી દેખાય, છતાં તે સંગીન, સાચી અને વાસ્તવિક છે. “યદ્ અલ્પમતિ તદ્ધહુ' એ ન્યાયથી તે ખરેખરી અહિંસા છે. તેના ઉપર જેટલું દબાણ તેટલી જગતમાં હિંસાની વૃદ્ધિ સમજવી. સાચી અહિંસા ઉપર બીજી રીતે તો દબાણ લાવી શકાય નહીં, ત્યારે અહિંસાને નામે જ જાહેર પ્રજાને આકર્ષીને ખરી અહિંસા ઉપર દબાણ સ્વાર્થી લોકો લાવી શકે છે. આજની અહિંસાનું હિંસામાં વૃદ્ધિ સિવાય બીજું શું પરિણામ આવ્યું ? તે કાંઈ સમજાતું જ નથી. યુરોપીય પ્રજાઓ પોતાના વ્યાપારી અને રાષ્ટ્રીય સ્વાર્થ માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે, તેમાં તેઓને જૈનોની જગત ઉપરની અહિંસાની અસર પણ ઘણી નડે છે તેને દૂર કરવા અહિંસાની જુદી જ વ્યાખ્યા પ્રચારમાં લેવડાવીને ખરી અહિંસા ઉપર દબાણ લાવવાનો લોકમત કેળવાતો જોવાય છે. એ માટે તેઓના પ્રયાસો ઘણાં વર્ષોથી ચાલુ છે, અને જૈનો નાના જીવોને બચાવે છે, અને મોટાઓની દરકાર રાખતા નથી” આ વાત કેટલાંક વર્ષોથી માત્ર પ્રચાર ખાતર જ શરૂ કરી છે. તેનો પડઘો શબ્દથી પાડવામાં આવ્યો હતો. શિકાગોની બીજી સર્વ ધર્મ પરિષદમાં હવે ખુલે ખુલ્લું ખાસ ભાર દઈને બોલવામાં આવ્યું હતું કે, “ભારતવાસીઓને પોતાની અહિંસાનો અર્થ બદલવો પડશે.” “જેનો કસાઈખાનેથી જીવો છોડાવે પરંતુ તે અહિંસાના પ્રચારનો સાચો રસ્તો નથી. પરંતુ લોકોમાં જીવદયાના જ્ઞાનનો પ્રચાર Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો કરીને હિંસા અને માંસાહાર છોડાવી શકાય તો ખરેખરી જીવદયા પાળી શકે.” આ ઉદ્દેશ આગળ કરીને મુંબઈની જીવદયા મંડળી સ્થાપવામાં આવી, જેમાં જીવદયાના નામથી પ્રથમ કોઈ કોઈ અજ્ઞાત જેનો પણ દોરાયા અને તેમાં જૈનેતરોને પણ મેમ્બર તરીકે દાખલ કરીને તે સંસ્થાને અને તેના જીવદયાના ઉદ્દેશને સાર્વજનિક બનાવવામાં આવેલ છે. કેમ કે, તેથી આગળ ઉપર ખરી અહિંસાથી વિરુદ્ધ જતી મંડળીની પ્રવૃત્તિને એકલા જૈનો તો અટકાવી શકે જ નહીં. જેની અસરને લીધે જ પાંજરાપોળો પણ સાર્વજનિક બનાવવાનો કાયદો અમલમાં લાવી શકાયો. હવે આગળ જતાં તે પાંજરાપોળ દૂધાળાં ઢોર ઉછેરતી ડેરીઓ અને માત્ર દૂધાળાં અને પશુઓના દવાખાનારૂપ બની જઈ એક વેપારી સંસ્થાઓ બની જતાં શુદ્ધ જીવદયાના ઉદ્દેશ ઉપરથી ખસી પડવાને રસ્તે ચડી ગઈ છે. જેમ જેમ મંડળીનું જોર વધતું જાય તેમ તેમ અને જેમ જેમ જૈન અહિંસાની નિંદા ફેલાતી જાય, તેમ તેમ તેના ઉપર તે સંસ્થા મારફત જૈનેતર મેમ્બરોના જોરથી જાહેરમાં દબાણ લાવી શકાય. માટે તે સંસ્થાને ખાસ પોષવામાં આવી છે. જો કે, પ્રથમ તો સંસ્થા પણ જૈનોની જેમ જ જીવો છોડાવવાનું કામ કરતી રહી છે. એટલે જેનોની સહાનુભૂતિ શરૂઆતમાં તેના તરફ રહી શકી છે. મુંબઈની જીવદયા મંડળી તથા તેના અનુકરણરૂપ બીજી સંસ્થાઓની જીવદયા આધુનિક અહિંસાના તત્ત્વ ઉપર રચાયેલી છે, જેથી તે સ્વરૂપત: અહિંસારૂપ દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેનું પરિણામ હિંસામાં પરિણમે ગમે તે સંસ્થાની ગોઠવણ છે. સારાંશ કે, તે ઉન્માર્ગનું પ્રજાને નુકસાનકારક તત્ત્વોનું પોષણ કરનાર છે. માટે ખરા સ્વરૂપમાં તેમાં હિંસા સમાયેલી છે. આ બહુ જ સૂક્ષ્મ તત્ત્વ છે. તે સૂક્ષ્મ વિચારણા વિના સમજી શકાય તેમ નથી. શુદ્ધ જૈન અહિંસાને-પોષવાની ઈચ્છાવાળા જૈનો જીવદયા મંડળીને પોષે તો તેમાં તેમની ઈચ્છા વિરુદ્ધ પણ હિંસારૂપ પરિણામ આવવાનું હોવાથી અમુક રીતે હિંસાના તેઓ ભાગીદાર થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પછી રાજદ્વારી અહિંસાનો ક્રમ આવે છે, જેને કોંગ્રેસની અને ગાંધીજીની અહિંસા કહેવામાં–ગણવામાં આવે છે. ખરી રીતે શિકાગો સર્વધર્મ-પરિષદમાં અહિંસાની વ્યાખ્યા બદલાવવાની વાત થઈ અને જે વ્યાખ્યા બદલાવવાની છે, તે વ્યાખ્યા, જીવદયા મંડળીની અહિંસા અને કોંગ્રેસ તથા ગાંધીજીની અહિંસા એ ચારેય એક સીધી લીટીમાં છે. અર્થાત્ એ દરેકનું મૂળ તત્ત્વ એક જ છે. માત્ર એ મૂળ તત્ત્વને અમલમાં લાવવાના તે દરેક જુદાં જુદાં સાધનો છે. પરંતુ તે દરેકમાં વાસ્તવિક કાંઈપણ મૂળતત્વથી જુદાપણું નથી. અને તે મૂળતત્ત્વ એ જ છે કે, “જડવાદની સંસ્કૃતિને અમલમાં લાવવાને જ્યાં જ્યાં આધ્યાત્મિક અહિંસા નડતી હોય, તેને પાછી હઠાવી દેવી અને બની શકે તો તેને જાહેરમાંથી નાબૂદ કરી દેવી અથવા વ્યક્તિગત બનાવી દેવી એટલે જાહેરમાં તો તેનું સ્થાન રહેવા ન પામે. અને જડવાદની વૃદ્ધિમાં જેટલી અહિંસા ઉપયોગી હોય, તેની શરૂઆત કરવી, ને તે મંડળી મારફત પોષવી અને તેમાં વધારો કરવો તે અહિંસાનું અંતિમ ધ્યેય. જગતની ગોરી પ્રજાની સુખસગવડો વધે અને મહત્ત્વાકાંક્ષાઓનું Page #672 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૯૯ પોષણ થાય, સત્તા અને જગત ઉપર આધિપત્ય વધે, તેવું પરિણામ લાવવું તે છે. તે તેઓની અહિંસા. તેમાં આવતી કોઈ પણ ચીજનો નાશ કરવો તે પણ હિંસા. આ નવી અહિંસા ખાતર જ ગણવી. અને તેના પરિણામરૂપ નાનાં મોટાં પ્રાણીઓ કે પશુઓનો નાશ થાય અને મનુષ્યોનો પણ સંહાર થાય, તો પણ હરકત ન ગણાય. અલબત્ત જે મનુષ્યો એ અહિંસામાં તત્કાલીન મદદ કરતા હોય તેમને સુખસગવડ મળે અને તેમાંય બીજાં જંતુઓ કે મનુષ્યોની હિંસા થાય તેની હરકત નહીં.” અને એ રીતે ગોરી પ્રજાના વિકાસની દૃષ્ટિથી અને તેમાં મદદ કરતા બીજા માણસોની દૃષ્ટિથી માનવદયા એ જ તેમની દયાનો મુખ્ય વિષય છે. જે સર્વ સામાન્ય માનવ દયા જ તેમનો વિષય હોત તો એટલે અંશે પણ તેને હિંસા ન કહેત. પરંતુ કેટલેક અંશે આપણે તેમને આર્યસંસ્કૃતિની અને જૈનદષ્ટિની અહિંસા કહેત પરંતુ શુદ્ધ માનવદષ્ટિની પણ અહિંસા તેમની વ્યાખ્યામાં સમાયેલી નથી. પરંતુ તેમની વ્યાખ્યામાં માનવામાં પણ લક્ષ્ય તો ગોરી પ્રજા જ છે. એટલે સ્વાર્થી અહિંસા છે. જેમ એ અહિંસા વધે તે એ પ્રજાની સત્તા સુખસગવડ વધે, તેમ ખરી અહિંસા અને બીજું પ્રાણીઓ તથા બીજા માનવોની હિંસા થાય જ. એ ચોખ્ખો હિસાબ સમજાય તેવો છે અને એ સ્વાર્થી અહિંસાને જગતમાં પ્રતિષ્ઠા અપાવવા જ હાલ તો જીવદયા મંડળી મારફત માનવી અહિંસાનો પ્રચાર કરાવવા, આપઘાત કરતા કે એવી રીતે અકાળે મરણ પામતા માનવોને બચાવવાની શરૂઆત કરવામાં આવેલી છે. પણ તે તો કામચલાઉ અને જેનો વગેરેની આધ્યાત્મિક અહિંસા વિરદ્ધ લોકમત કેળવવા માટે છે. કેમ કે, ગોરી પ્રજાનાં રાષ્ટ્રોએ અંદરખાનેથી એકમત થઈને આખી દુનિયા ઉપર પોતાની સત્તા અને માલિકી સ્થાપવા સાથે, પોતાની સંતતિમાં વધારો કરી આખી દુનિયામાં વસવાટ સ્થાપવા માટે - કાળી પ્રજાઓને ઓછી કરવા - તેનાં વેપાર, સત્તા, ધંધા, ખેતી વગેરે સીધા યા તો આડકતરા હાથ કરવા માંડ્યાં છે, અને તેને પરિણામે પ્રજાનો કેટલો બધો સંહાર ભવિષ્યમાં કલ્પી શકાય છે ? અને કેટલી ભયંકર હિંસા થશે ? હવે તેઓનો આ કાર્યક્રમ શરૂ છે, તેને પરિણામે પ્રજાનો મોટો ભાગ ધીમે ધીમે બેઆબરૂ, બેકાર, રોગી, ગાંડો, મૂર્ણ થતો જાય અને કેટલોક તો જાહેરની જાણ વિના જ નાશ પામી જાય. આ બધી ઘટના ચાલુ છે, ચાલુ રહેવાની છે, રોજ રોજ તેને માટે નવી નવી યોજનાઓ અને સ્કીમો અમલમાં આવતી જાય છે, છતાં તેના ઉપર કૃત્રિમ અહિંસાને નામે પડદો પડ્યો રહે છે. પ્રજાના ધ્યાનમાં એ વસ્તુસ્થિતિ આવે જ નહિ. માટે મફત દવાખાનાં, અનાથાશ્રમો, જીવદયા અને ખાસ કરીને માનવદયા માટેનાં ખાતાં, અનાથ બાળકોની રક્ષાનાં ખાતાં વગેરે ઉઘડાવવામાં આવે છે. આધુનિક જીવદયાના ખાતાંઓનું હવે પછીના કાળમાં આ પ્રકારનું સ્થાન છે. અર્થાત્ હાલની સંસ્કૃતિને આગળ વધારનારી સંસ્થાઓના કામમાં અને વહીવટમાં જ્યાં જ્યાં જેનોની કહો કે ભારતીય આધ્યાત્મિક અહિંસા આડે આવે છે, તેને ગરીબો અને સ્ત્રીઓની દયાને નામે, સીધી કે આડકતરા કાયદાઓથી, મ્યુનિસિપાલિટીઓ મારફત, દેશનેતાઓ મારફત કે આવી મંડળીઓ મારફત ફેરવાયેલા અર્થવાળી અહિંસાનો પ્રચાર કરાવીને તેવા કાયદાઓ અને ઠરાવો કરાવીને નિંદવામાં આવે છે, દખલ કરવામાં આવે છે. એટલે ગાંધીજીની આખી અહિંસાનો અર્થ પણ આ ઉપરથી સમજાશે. વાછરડાને ઝેર દેવાનો Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ્રસંગ, વાંદરાને મારવાનો પ્રસંગ, સર્પને મારવાની વાત, મગરોને મારવાનો પ્રસંગ, હિસારની ગાયોને બચાવવાનો પ્રસંગ, ગંદકી રાખવા માંકડમચ્છર મારવાની વાત પ્રસંગ, શહેરની સ્વચ્છતાને બહાને મ્યુનિસિપાલિટીના હાથ મજબૂત કરવાનો પ્રસંગ વગેરેનો અર્થ બરાબર સમજાશે. એ સર્વ કૃત્રિમ અહિંસાને વેગ આપવા માટેના કાર્યમાં દેશનેતાની સહાનુભૂતિ મેળવી લેવાના કાર્યના અંગ તરીકે છે. જૈનોની વિરુદ્ધના કાયદા કરવા માટે જ્યાં સુધી આ દેશના અહિંસાવાદી માણસો ન મળે ત્યાં સુધી સીધી રીતે સત્તા કાંઈ પણ કરી શકે તેમ નહોતું, એટલે અહિંસાની સામે નામની અહિંસાના વાતાવરણથી જ તેને પાછી પાડી શકાય. સારાંશ કે, આધુનિક અહિંસામાં પ્રાણીઓની તેમજ માનવોની પણ હિંસા સમાયેલી છે. માટે આધુનિક અહિંસાને “પરિણામે હિંસામય” કહેવામાં આવે છે, અથવા મહાહિંસા કહેવામાં આવે છે, તેનું રહસ્ય બરાબર સમજાશે. ગાંધીજીની અહિંસાની જગત ઉપર શી હિંસા થઈ ? તે કોઈ પણ જણાવી શકે તેમ છે ? ઉપર પ્રમાણેની ભાવી મહાહિંસામાં પરિણમવાની અસર સિવાય બીજી કોઈ પણ અસર જોવામાં આવતી નથી. અહિંસાનો સ્વાંગ ધરાવીને સાચી અહિંસાને નુકસાન કરવામાં તેનો ઉપયોગ થયો છે. શું દુનિયામાંથી માંસાહાર ઓછો થયો છે ? ના, ઓછો થયો નથી પણ વધ્યો છે. એટલું જ નહીં પણ અમાંસાહારી પ્રજાઓમાંના કેટલાકનીયે માંસ તરફની ધૃણા ઓછી થવાનો પ્રસંગ આવ્યો છે, એટલું જ નહીં, પરંતુ માંસાહારી લોકો ઉપર બિનમાંસાહારી પ્રજાઓનો જે અંકુશ હતો તે શિથિલ થયો છે અને કેટલીક બાબતોમાં માંસાહારીની ગરીબીના બહાના નીચે સીધી યા આડકતરી માંસાહારની તરફેણ પણ એ જ દેશનેતાઓ તરફથી કરવામાં આવી છે. એ બળ ઉપર જ જૈન વસ્તીવાળા પ્રદેશોમાં પણ જાહેર શિકારના કાર્યક્રમો ગોઠવવાની હિંમત કરી શકાય છે. શું જગતમાંથી સશસ્ત્ર લડાઈની હિંસા કમી થઈ છે ? તે પણ વધી છે. હાલની લડાઈ તેનો પુરાવો છે. શું લોકોનું જીવન સંયમી અને સાદું થયું છે ? તેમાં કાંઈ પણ સુધારો નથી પણ ઊલટો બગાડો થયો છે. કેટલાક ખાદીધારીઓની બીજી જરૂરિયાતો જોતાં તેમાં પણ અસંતોષ જ જોવામાં આવે છે. અરે ! કેટલાકોએ તો જેલમાં બેઠા બેઠાયે લહેર કર્યાના દાખલા છે, અને ‘એ' તથા 'બી' નંબરવાળાઓને તો કશી કમીના ન હોવાનું સાંભળ્યું છે. બીજું નાનાં જીવો અને જંતુઓનો સંહાર અટકયો છે? તેની હિંસાની તો તેઓએ જનસુખાકારીના બહાના નીચે છૂટ આપી છે ? લોકોની હાઈટીલીટી ઘટાડવાના અનેક સંજોગો વધારવાથી લોકોનું આરોગ્ય બગડ્યું, તેનો મારાં બિચારાં બીજાં પ્રાણીઓ ઉપર પડ્યો. તેમ છતાંયે આરોગ્ય સુધરવાનું નથી. કેમ કે, તેને માટેના નિશ્ચિંતતા, યોગ્ય પોષક સાત્વિક ખાનપાન, શાંતજીવન, ધંધા સાથે જાતમહેનત વગેરે બીજું સાધનો નથી. લોકોની ચિંતા વધી છે. ઘી, દૂધ બહુ જ થોડાં ને ચોખ્ખાં ને પૂરતાં મળે છે, ગરીબો તે ખાઈ શકતાં નથી. શ્રીમંતોને ચોખ્ખાં મળતાં નથી, ધમાલિયું જીવન છે. કાં તો બેસી રહેવાના અને કાં તો કાળી મજૂરીના ધંધા છે. પરંતુ, ભવિષ્યમાં પરદેશી વસવાટ માટેનો જંતુ વગરનો દેશ થાય, માટે જંતુઓનો નાશ આવશ્યક ગણવામાં આવ્યો છે. જે એક જાતનો વહેમ છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૬૦૧ ત્યારે આજની અહિંસાનું પરિણામ શું આવ્યું છે ? તે કોઈ સમજાવી શકે તેમ છે ? અથવા શું પરિણામ આવવા વકી છે ? તે પણ મુદ્દાસર ખરેખરા અર્થમાં શાંતિપૂર્વક કોઈ સમજાવી શકે તેમ છે ? “અસહકારની લડાઈમાં સામે થયા વિના લડવાની આવડત અને હિંમત પ્રજામાં ચાલુ અહિંસાથી આવેલ છે.” એમ કોઈ કહે તો તે તો કેવળ હસવા જેવી જ વાત છે. એ બેઠા બળવા જેવી લડાઈ તો ઢઢેરાની સ્કીમને અમલમાંથી કાઢી નાંખીને ફેડરલ સ્કીમનો અમલ કરાવવા વાતાવરણ ગરમ કરવા માટે બ્રિટિશ મુત્સદ્દીઓને જરૂરની હતી. તેમજ જ સુધી કેળવાયેલાઓને પંપાળ્યા હતા તેને બદલે નવા કેળવાયેલાઓને આગળ લાવવા તથા જૂનાઓને કસોટીમાં મૂકવાની તેઓને જરૂર હતી. માટે લડાઈ ચાલવા દેવા માટે એ ચાલવા દીધી હતી. લૉર્ડ ઈરવીન સાહેબના કહેવા પ્રમાણે “આ બુદ્ધિની લડાઈ” હતી, અને આ દેશના બનાવટી આગેવાનો મારફત આ દેશની પ્રજાને બુદ્ધિમાં મહાત કરવાને હતી. આ લડાઈ કાંઈ શસ્ત્રધારી કે શસ્ત્રાસ્ત્ર વાપરી શકે તેવા લોકો સાથે નહોતી. તેવી લડાઈ સરહદોમાં હતી અને ત્યાં શસ્ત્રાસ્ત્રનો ઉપયોગ થયો જ છે. પરંતુ બુદ્ધિજીવી લોકોની સાથે શત્રાસની લડાઈનું કામ જ શું હોય ? કેમ કે તેમને ઉશ્કેરણી પૂરતું કંઈક જોઈએ અને ઉશ્કેરાયા પછી દેશની ઉન્નતિની હિલચાલમાં તેનો ઉપયોગ કરવાનો હતો, જે થઈ રહ્યો છે. એટલે તેમાં પણ શાસ્ત્રની લડાઈની જરૂર જ નહોતી, જેથી તેમાં પણ કાંઈ પરિણામ આવ્યું નથી. કેમ કે, એ હિલચાલને દર વખતે દાબી દેવામાં આવી છે અને તે તે વખતે દરેક દેશનેતાઓ પાણીમાં બેઠા છે. પરંતુ જેટલી ઉશ્કેરણી કરાવીને જુદી જુદી યોજનામાં તેમને રોકવાની જરૂર હતી તેમાં રોકયા છે. પ્રજાનો પ્રેમ તેમને મેળવી આપેલ છે. અને મિ. હ્યુમે દીર્ધદષ્ટિ વાપરીને સ્થાપેલી બ્રિટિશ પાર્લમેન્ટના દૂરના અંગભૂત કોંગ્રેસના વર્તુળમાં તેમને ગોઠવીને તેઓનો જે લાભ લેવાનો હતો તે લીધો છે. નવી નવી ચીમકીઓ ભરીને ઉશ્કેરી અને તેનો લાભ લઈને વળી શાંત થવા દે, વળી ઉશ્કેરે, વળી શાંત થવા દે એમ મુત્સદીઓ પ્રથમથી જ ચલાવ્યે જાય છે. અને આ દેશમાં વસાહતી સંસ્થાનોના સ્વરાજ્યને લાયકના કાર્ય માટેની તૈયારી કર્યે જાય છે. તથા ખાદી મારફત, યાંત્રિક ઉદ્યોગો હિંદમાં ખીલવવા માટે આફ્રિકામાં જ્યારે ગાંધીજી હતા ત્યારથી મિ. એન્ડ્રૂઝ વગેરેએ તેમના મગજમાં આવી વાતોની ગતિ મૂકેલી, જેની અજમાયશ અહીં આવ્યા બાદ કરાવીને તેને પૂરતો લાભ બ્રિટિશ મુત્સદ્દીઓએ લીધો છે, લે છે અને લેશે. એટલે એ બાબતમાં પણ અહિંસાનો વિજય ગણી શકાય તેમ નથી. પરંતુ ઊલટી યુવકોને મા-બાપ, ધર્મ, ધર્મગુરુ, જ્ઞાતિ, જાતિ વગેરેની સામે સ્વતંત્રતાને નામે ઉદ્ધત બનાવ્યા છે, અને અસહકાર અને સત્યાગ્રહને નામે દરેક બાબતમાં ખોટા હઠીલાં થતા કર્યા છે. અલબત્ત, દાંડીની કૂચ વખતે યુરોપીય સમાચાર પત્રોના ખાસ પ્રતિનિધિઓએ તેના મોટા મોટા હેવાલો આપીને રાજ્યદ્વારી દષ્ટિથી તેનો ઉપયોગ કર્યો છે. અને દુનિયામાં માન પ્રતિષ્ઠા અપાવરાવ્યાં છે. તેનું કારણ “કોંગ્રેસની બધી હિલચાલનો લાભ પરિણામે ગોરી પ્રજાને મળવાનો છે. અને તેના મુખ્ય નેતા તરીકે ગાંધીજી હોવાથી પોતાના લાભના એ કાર્યની દષ્ટિથી તેમનાં વખાણ આંતરરાષ્ટ્રીય Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ . પંચ પ્રતિકમાણસૂત્રો પ્રદેશોમાં કરવામાં આવ્યા છે. તેમાં કે સ્વાર્થની બાજી જ છે. સારાંશ કે, તેમાં અહિંસાને કશો વિજય નથી. કેમ કે, તે ખરી અહિંસા જ નથી. સરહદી પ્રાંતોના પ્રદેશના લડાયક લોકોને અહિંસાનો ઉપદેશ આપવા સરકારે તેમને જવા દીધા હોય, તેટલા ઉપરથી અને તેઓને કંઈક અસર થઈ હોય, તેમાં પણ અહિંસાનો વિજય નથી. કેમ કે, લડાયક બળથી તેઓને હતાશ કર્યા બાદ અથવા ગભરાટમાં નાંખ્યા બાદ અહિંસાના ઉપદેશથી તેમના ઘવાયેલા ખમીરને ઠંડું કરવાની એ તરકીબ કેમ ન હોય ? અને તેમાં મુત્સદ્દીઓએ તેઓશ્રીનો ઉપયોગ કેમ કર્યો ન હોય ? ખરી રીતે તેમજ જણાય છે. એટલે કે, ગાંધીજીની અહિંસાનો કઈ બાબતમાં ખરી અહિંસાના રૂપમાં વિજય થયો છે ? તે કોઈ પણ સમજાવી શકે તો સમજવા તૈયાર છીએ. જે અહિંસામાં પરિણામે મહાહિંસા હોય, તે હિંસા જ છે. અને જે હિંસામાં તત્કાલીન હિંસા હોય, અને પરિણામે અહિંસા હોય તે પણ અહિંસા છે. પરંતુ તુરતમાંયે અહિંસા અને પરિણામેય અહિંસા, તે શુદ્ધ અહિંસા છે. જૈન શાસ્ત્રોમાં અહિંસા અટક વગેરેમાં હિંસાના, અહિંસાના અનેક ભેદ વિચારપૂર્વક સમજાવવામાં આવેલા છે. તેનો ખૂબ વિચાર કરી જેવાથી અહિંસાનું વાસ્તવિક તત્ત્વજ્ઞાન સમજી શકાય તેમ છે. અનુકંપા, પરિણામે અહિંસા, હેતુ અહિંસા, દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, તહેતુ અહિંસા વગેરે અનેક પ્રકારો પાડવામાં આવેલા છે. ભાવ અહિંસામાં માનસિક અહિંસા, આત્મિક અહિંસા, માર્ગ અહિંસા વગેરેનો સમાવેશ થાય છે. અર્થાત જૈન દર્શનમાં બતાવેલ પાંચ આચાર, ત્રણ રત્નો, સામાયિક ધર્મ, સંયમના ૧૭ પ્રકાર, તપના ૧૨ પ્રકાર એ પણ સર્વ એક રીતે ખરી અહિંસાના જ પ્રકારો છે. કેટલીક વાર નાની હિંસા મોટી અહિંસાનું કારણ હોય, તો તે હિંસા પણ અહિંસા ગણાય છે. અને માર્ગનો લોપ, ઉન્માર્ગનો ઉપદેશ, આધ્યાત્મિક સંસ્કૃતિનો લોપ, ખરા મહાત્માઓની નિંદા, ખરા મહાત્માઓના ઉપદેશમાં શંકા, વહેમ, અશ્રદ્ધા, બીજી તરફ જડવાદની પ્રતિષ્ઠા, જડવાદને આડકતરી રીતે પણ મદદ, જડવાદની સંસ્કૃતિનાં અંગપ્રત્યંગોને મદદ વગેરે પણ હિંસા જ છે. રાજ્ય સામે થનાર કરતાં રાજ્ય સામે થવાનો ઉપદેશ આપનાર વધારે ગુનેગાર ગણાય છે, ને તેને મોટી સજા થાય છે. ચોરી કરનાર કરતાં “ચોરી કરવામાં કોઈ પણ રીતે પાપ નથી, પણ પુણ્ય જ છે.” એમ જાહેર ઉપદેશ આપનાર અદત્ત વ્રતધારી છતાં પણ વધારે ગુનેગાર ગણાય છે. તે જ પ્રમાણે પ્રાણી હિંસા કરનાર કરતાંયે અહિંસક ધર્મ-માર્ગનો લોપ કરનાર, તેને હરકત કરનાર વધારે હિંસક છે. તે જ પ્રમાણે કોંગ્રેસ અને તેના નેતાઓ તથા જીવદયા મંડળી તથા કેટલાક પરદેશીઓ આધ્યાત્મિક સંસ્કૃતિને ધકકો લગાડે છે અને જડવાદની સંસ્કૃતિને સીધો યા આડકતરો મજબૂત ટેકો આપે છે, માટે તે વધુમાં વધુ હિંસા છે. માટે તે ગમે તેવી હોય તો ય અહિંસા તાજ્ય છે. તેથી અહિંસા અને હિંસાની વ્યાખ્યા હંમેશાં સાપેક્ષ હોય છે. તેની સામાન્ય વ્યાખ્યાઓ જુદી હોય છે. વિશેષ અને સૂક્ષ્મ વ્યાખ્યાઓ જુદી હોય છે અને દરેક સાપેક્ષ હોય છે. હિંસા પણ અહિંસા ગણાય છે અને અહિંસા પણ કોઈ વખતે હિંસા ગણાય છે. માટે આજની અહિંસા હિંસા છે, ત્યારે ભારતની આર્ય સંસ્કૃતિની સાપેક્ષ હિંસા પણ અહિંસા હોઈ શકે છે અને તેમની શુદ્ધ અહિંસા તે શુદ્ધ અહિંસા જ છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૦૩ માટે જીવો છોડાવવા વગેરે અહિંસાના એક અંગ તરીકે છે, માટે તેના ઉપર રા. નાગકુમાર મકાતી જેના જૈન ભાઈ વગર સમયે કટાક્ષ કરે છે. અને ભારતીય આર્યસંસ્કૃતિ અને તેની પવિત્ર પ્રજાના રક્ષણ માટે કોઈ નાની મોટી હિંસા અનિવાર્ય સંજોગોમાં કરવી પડે તો તે પણ એક જાતની અહિંસા છે. કેમ કે, માર્ગરક્ષામાં ત્રણેય કાળ અહિંસા પ્રવર્તી શકે છે. સન્માર્ગે ચાલુ હોય તો સાચી અહિંસાનો ઉપદેશ અને વાતાવરણ કાયમ રહે છે અને તેનો લોપ થાય તો હિંસા જ બાકી રહે છે. અલબત્ત, અહિંસા એ જગતની તરણતારણ વસ્તુ છે, છતાં આધુનિક અહિંસા (દશ નાયકોએ પરદેશી પ્રજાઓએ અને તેના અનુયાયીઓએ સ્વીકારેલ, પ્રચારેલ) ને આગળ લાવવાને પ્રથમ અહિંસાની સામાન્ય રીતે સ્તુતિ કરવામાં આવી છે. એટલે અહિંસા સર્વમાન્ય થઈ પછી “અહિંસા જરૂરી છે.” એમ સૌ કબૂલ કરે. એટલે પછી “જેને અહિંસા અવ્યવહારુ છે. મહાવીર સ્વામીએ અહિંસાનો જે ઉપદેશ આપ્યો છે, તે પ્રમાણે હાલના જૈનો વર્તી શકતા નથી, અહિંસાનો ખોટો અર્થ જતો કરે છે. જૈનોએ અહિંસા બગાડી મૂકી છે. નાનાં જંતુઓને બચાવે છે, અને મોટાંઓને રહેણી નાંખે છે. જેનો બહારથી અહિંસા પાળે છે, પરંતુ માનસિક રીતે હિંસા જ કરે છે. પોતાના લેણદારને ચૂસે છે, ને ભયંકર ગુપ્ત હિંસા કરે છે. કસાઈ કરતાં યે ભૂંડા છે. પાંજળાપોળોમાં પશુઓ એકઠાં કરે છે, પણ બરાબર સાચવી શકતાં નથી, અને પશુઓ રિબાઈને મરી જાય છે. એટલે કસાઈખાના કરતાંયે ખરાબ દશા પાંજરાપોળોમાં થાય છે. ખાવા પીવામાં ઝીણા ઝીણા વિધિનિષેધો પાળે છે, ને પ્રજાને નમાલી બનાવી મૂકી છે, જેથી પ્રજા પરદેશીઓની ગુલામ રહે છે. બિનજરૂરી કૂતરા વગેરેને મારવા દેતા નથી. દુઃખી પ્રાણીઓને રિબાઈ રિબાઈને મરવા દે છે. તેનો તુરત છૂટકો કરી નાંખતા નથી. ખેતીને અને આરોગ્યને નુકસાન કરનારાં જંતુઓ અને પશુઓને પણ મારવામાં આનાકાની કરે છે. નકાયાં ઢોર જે પ્રજાને બોજારૂપ હોય, તેને પણ ખવડાવવાની અને ખર્ચનો બોજો ઉપાડવાની હિમાયત કરે છે. બેકારીના જમાનામાં મનુષ્યોને પણ પૂરું ખાવા નથી મળતું તેવા સંજોગોમાં પશુઓ પાળે છે. ગરીબ મનુષ્યોની દયા જ નથી. પૈસા આપી કસાઈવાડેથી પશુઓને છોડાવે છે અને બીજા વધુની હિંસા માટે સગવડ કરી આપે છે.” વગેરે પ્રકારની દલીલો કરીને જેનોની અહિંસાની તો પેટ ભરીને નિંદા કરવામાં આવે છે. અને જાહેર જનતામાં તેને ઉતારી પાડવાના બનતા પ્રયાસો થાય છે. અને તેને પરિણામે ઘણા માણસો ઉપર પ્રમાણે બોલતા પણ થયા છે. અને તે બાબત સક્રિય પગલાં પણ લેવાય છે કે, જેને તેઓ અહિંસા માને છે. આથી આ બન્નેય અહિંસાનો સ્પષ્ટ ભેદ વાચકો સમજી શકશે. શરૂઆતમાં જૈનોની સહાનુભૂતિ વિના તે મંડળી પગભર થઈ શકે તેમ હતી જ નહીં, એટલે તે વખતે તેને માટે એ પૉલિસી હતી. કાર્યવાહકો પણ જેનોને જ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તે સાર્વજનિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકી છે. એટલે હવે તે મંડળી ધીમે ધીમે આધુનિક અહિંસાને ખુલ્લી રીતે ચડવા માંડી છે. અહિંસાની અસર પ્રજાના દરેક જીવન ઉપર હતી અને રાજ્યો ઉપર પણ તેની, મહાજનની સારામાં સારી અસર હતી એટલું જ નહીં, પણ રાજ્યોથી મહાજન વિરુદ્ધ થઈને કાયદા કરી શકાતા નહીં. એટલું જ નહીં પરંતુ હિંસક કાયદાઓમાં મહાજન પણ કરાવી શકતું હતું. માળવા, મેવાડ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો અને મારવાડમાં આજે પણ રાજ્યો તરફથી પજુસણની આજુબાજુ મહિનો મહિનો અહિંસા પળાતી હોવાના રિવાજો અને કાયદા છે. અને બીજી પણ ઘણી રીતે અહિંસાને ટેકો મળે છે, જેનોની અસર વગરના પ્રદેશોમાં આજની અહિંસાના પડદા પાછળની હિંસા જેટલી ને જેવી હિંસા થતી નથી. ત્યારે આ જીવદયા મંડળીઓ પોતાના ઉદેશમાં જ લગભગ એવા આશયની શરત ગોઠવી છે કે, “રાજ્યના કાયદાને અસર ન પહોંચે તેવી રીતે જીવદયાનું કામ કરવું.” * એટલે એક રીતે હાલનું રાજ્યતંત્ર પોતાના કાયદા માટે ગમે તેવું હિંસક કાર્ય ઉપાડે તો પ્રજાજન તરીકે તેને રોકવાનો હકક ન હોવાનું કબૂલ કર્યું, જે હિંદમાં ન છાજે અને “વિનંતીથી રાજ્ય માને તો ભલે, નહીંતર મૂંગાં રહેવું.” આ જાતની તેમાં ગર્ભિત કબૂલાત થઈ. (આ બધી પરિસ્થિતિને પરિણામે જ અમદાવાદ જેવી જૈનપુરીની બાજુમાં દેશમાં જાહેર શિકારનો કાર્યક્રમ પાર પાડી શકાયો. ગામડાવાળા માંસાહારી લોકો માંસ મેળવવા જીવહિંસા કરે, પણ તે એક જાહેર કાર્યક્રમરૂપે નથી હોતું અને તેના ઉપર પ્રજાનો અમુક અંશ સુધી અંકુશ પણ હોય છે, ત્યારે આ તો જાહેર કાર્યક્રમ હતો તેની સામે વિરોધ હતો. વળી નામદાર ગવર્નર સાહેબને ખોરાક માટે અમદાવાદમાં માંસાહારની ચીજોનો તોટો નહોતો. પરંતુ “માંસાહારી તરીકે શિકાર કરવાની જરૂરિયાત સામે વાંધો ન લેવાવો જોઈએ, તો હવે માંસાહારીઓને જાહેર શિકારની છૂટ સામે મહાજન કેટલા બળથી વાંધો લઈ શકે છે ?” તે જાણવાને આ કાર્યક્રમ ખાસ જણાય છે. કેમ કે, આ દેશમાં ભાવિકાળે મોટા પ્રમાણમાં માંસાહારનો પ્રચાર કરવાનો છે, તેની ભૂમિકા આ રીતે નાંખી શકાય. મંડળી જે લાગવગવાળી હોત તો બંધ કરાવી શકત. અહીં એ દલીલ ચાલી શકે જ નહીં કે, “રાજ્યસત્તા પોતાની બળબજરીથી ગમે તેમ કરે, તેમાં મંડળી શું કરી શકે ?” કેમ કે, રાજ્ય કાયદેસર જ ચાલે છે, માટે જ રાજ્યના કાયદાને માન આપીને અહિંસાની પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ મંડળી રાખી શકે છે. જે રાજ્ય કાયદેસર ચલાવવાને બદલે જોહુકમીથી ચલાવાતું હોય, તો પછી કાયદામાં રહીને અહિંસાની પ્રવૃત્તિ ચલાવવાની શરત રાખવાનો અર્થ પણ શો ? એમ બન્નેય રીતે મંડળી જૂઠી ઠરશે.) જેનો સર્વ પ્રાણીની દયા પાળે છે, તેમાં મનુષ્ય દયા આવી જાય છે. માત્ર મનુષ્યો શક્તિશાળી હોવાથી અને “પ્રજામાં સ્વાશ્રયી ગુણો હોવા જોઈએ.” તથાદેશની એટલી આર્થિક સ્થિતિ ખરાબ ન હોવાને લીધે, બેકારી વગેરેનો સંભવ નહોતો. એટલે મનુષ્યદયા માટે આ દેશમાં પહેલાં આજના જેટલું કાર્યક્ષેત્ર બહોળું નહોતું. તેમજ કુટુંબીઓ લગભગ નબળાઓનું પાલનપોષણ કરી લેતા હતા અને કુટુંબો તેવી શક્તિ ધરાવતાં હતાં. તેમ ન કરે તો કુટુંબની આબરૂ જવાનું ગણાતું હતું. રોગો પણ બહુ નહોતા. અનાથની સંખ્યા પણ આટલી જાહેર જ નહોતી. એટલે એ ક્ષેત્રમાં ઘણું કરવા જેવું નહોતું, પરંતુ “જૈનોના દયાના ક્ષેત્રની બહાર મનુષ્યોની દયા હતી.” એમ હતું જ નહીં. આજે એક હાથ ઉપર મનુષ્યને દુઃખમાં મૂકીને બીજા ઉપર દયાનાં ખાતાં ઉઘાડવામાં આવે છે, તેમાં અહિંસા શી રીતે સંભવી શકે ? ત્યારે મનુષ્યોની દયા માટે જુદો વિભાગ પાડીને અને તેને માટે સરકાર મારફત અમેરિકન * * જા.) Page #678 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૦૫ બાઈની ઈનામ માટેની રકમ મેળવીને “પહેલાં જેનો મનુષ્ય દયા નહોતા પાળતા.” એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો જણાય છે. પરદેશીઓને મશીનરી ખેતી ખીલવવી છે. એટલે તેમાં વાહનનાં અને ખેતીનાં પશુઓનો ઉપયોગ ન રહે એ સ્વાભાવિક છે. એટલે તે તો કતલખાને જાય છે. પછી તેને માટે ઈસ્પિતાલો સ્થાપવામાં શી અહિંસા ? અને માત્ર દૂધ પૂરું પાડનારાં પશુઓ જોઈએ. કેમ કે, તે જરૂરિયાતની પૂરતી હજુ વિજ્ઞાન કરી શકે તેમ નથી તથા બહારથી દૂધ લાવવા કરતાં અહીં જ દૂધ ઉત્પન્ન કરવું વધારે સસ્તું પડે તેમ છે, તેમજ આવડા મોટા દેશનો આવડો મોટો ધંધો હાથ લાગે છે. જે કરોડો વર્ષોથી રબારી, ભરવાડ વગેરે કોમોના હાથમાં છે તે કોમો બીજી રીતે અજ્ઞાન છતાં પોતાના વિષયમાં સંપૂર્ણ અનુભવી અને નિષ્ણાત છે. છતાં માત્ર અજ્ઞાનનું બહાનું આપી તે ગરીબોની ફરજિયાત કેળવણી લેવા દોરવવાથી તેમના હાથમાંથી આ ધંધો કાયમી લુંટાઈ જવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જ્યાં નિષ્ણાતો હસ્તક પણ ડેરીઓ ચાલે છે, ત્યાં કામકાજ કરવા આ વર્ગને જ રોકવો પડે છે. આ લોકોને કેળવણી મત અપાય તો પણ તેમાં અહિંસા કે ભયંકર હિંસા ? આ યોજના પાર પાડવામાં દૂધાળાં ઢોરોને બચાવવાની જાહેર પ્રજા પાસે માંગણી કરાવવી, આબુની પ્રાણી ઈસ્પિતાલ, બેલગામનું-મુંબઈનું ગાય ઉછેર ખાતું, સસ્તા દરથી રેલવે દૂધાળાં પશુઓને લઈ જાય. વળી વાઈસરોય સાહેબ લૉર્ડ વિલિંગ્ટનની ગાયના દૂધનું વૈજ્ઞાનિક સંરક્ષણ શોધવાની પ્રવૃત્તિ વિષે અંતિમ ભાષણમાં સૂચના, સારા આખલા અને ગાયોના ઈનામો, ઓલાદ સુધારની હિલચાલ, ખેડા જિલ્લા વગેરેનાં ડેરી ફાર્મો, રબારી વગેરેને ફરજિયાત કેળવણી આપીને બીજે ઉત્તમ ધંધે ચડાવવાની લાગણીભરી યોજના, પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયશાંતિસૂરિજી મહારાજ શ્રી જેવી વ્યકિતનો તેમાં ઉપયોગ, નામદાર વાઈસરોય સાહેબની પત્નીનું ગાયો પાસેથી કૃત્રિમ રીતે દૂધ દોહવાની ઘાતકી રીતનું વર્ણન કરનારું નિવેદન, પશુધનના (એકતરફી જ) આર્થિક દૃષ્ટિએ વિચારણા કરતા લેખો, કૉલેજોમાં ભણવા વિદ્યાર્થીઓ પાસે અહિંસાના બહાના નીચે આ જાતના ઇનામી લેખો લખાવવા, દેશનેતાઓની આ હિલચાલમાં સહાનુભૂતિ લેવી વગેરે આ કૃત્રિમ અહિંસાના પ્રચારની હિલચાલનાં અંગો છે. અને તેના માટેની હિલચાલોમાં ઉપયોગી હોવાની સંસ્થાએ હથિયાર બની તે અહિંસાનો આડકતરો મોટો પ્રચાર કરે છે. કેમ કે, “બીજાં પશુઓને બચાવવાની એટલી આવશ્યકતા નથી.” એ દૂધાળાં ઢોરોની રક્ષાની હિલચાલનો બીજો અર્થ થાય છે. એટલે તે કતલખાને જવાં જ જોઈએ, એ ફલિતાર્થ જ મંડળીના પ્રયાસનો નીકળે છે. પરદેશી લોકો દૂધાળાં ઢોરોને બચાવે છે, તે કોઈ જીવદયાના હેતુથી નથી બચાવતા. પરંતુ, તેઓને દૂધનો વેપાર આ દેશનો હાથમાં લેવો છે અને તેને માટે મોટી મોટી દેશી-પરદેશી મૂડીદારોની ડેરી કંપનીઓ કાઢવાની છે. એટલે દૂધાળાં ઢોરનો સારો ઉછેર થવો જોઈએ, નકામાનો નાશ કરવો જોઈએ. આ હેતુમાં દૂધાળાની ઓલાદ સુધારવા માટેનું પ્રચારકાર્ય આવી બીજી મંડળીઓએ પણ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ઉપાડી લીધું અને પાંજરાપોળોની ટીકા કરી તેને પણ આ રસ્તે કામ કરતી કરી દેવા માટેની પણ તૈયારીઓ ગોઠવાઈ ગઈ છે. પાંજરાપોળોનું કામ માત્ર દયા પૂરતું છે, ઉપયોગની દૃષ્ટિથી પશુઉછેર તો આખા દેશનું કાર્ય છે. જ્યારે સારી ઓલાદને ટેકો આપવામાં આવે અને જીવદયા મંડળી પણ તે કામમાં જોડાય એટલે નબળી ઓલાદનો નાશ ગર્ભિત રીતે કબૂલ કરેલ ગણાય જ. અને સરકાર પણ જે આ નીતિ અખત્યાર કરે તો પછી જીવદયાની સંસ્થાઓ કેટલાક જીવોને બચાવી શકે ? પરિણામે તેને પણ આંખ આડા કાન કરવા પડે. તેને માટે પ્રથમ સારાં પશુઓ, પાલકોની ગરીબીને લીધે રખડતાં થાય, તેને પણ સાચવી ન શકાય, તેવી પરિસ્થિતિ થાય, એટલે નબળાને તો કોણ સાચવી જ શકે ? પછી બોજારૂપ પશુઓની બૂમ પડવાથી આર્થિક દૃષ્ટિથી તથા દેશનાયક ગણાતા કેટલાક આધુનિક વિદ્વાન ગણાતાની સહાનુભૂતિથી તેને માટે કતલખાને લઈ જવાના ફરજિયાત કાયદા કરી શકાય. ખેડૂતો અને રબારી લોકોનાં બાળકોને કેળવણી :- તેઓને ફરજિયાત જ્ઞાન આપી સુધારવાની જીવદયા કરવાના કામમાં જીવદયા મંડળી ટેકો આપે એટલે તેઓ પણ ભણવા આવે. એટલે ખેતી અને ઢોર ઉછેરનું જ્ઞાન પરંપરાનું ભૂલે, પરિણામે તેઓના હાથમાંથી એ સર્વ જુગ જૂના ધંધા છૂટી જાય ને નવે ધંધે ચડે, તેમ તેમ પશુઓની સંખ્યા છૂટી પડતી જાય, તેથી યાંત્રિક કતલખાનાંઓ યાંત્રિક ચર્માલયો ને નવી ડેરીઓને અનિવાર્ય બન્યું જાય જ. - તથા મ્યુનિસિપાલિટીની સ્વચ્છતા, ખેતી, મ્યુનિસિપાલિટીના સાર્વજનિક દવાખાના શ્રી મહાવીર જયંતીનો દિવસ તે જ દિવસ દયા દિન. વગેરે બીજી ઘણી રીતે નવી અહિંસા વધારવાની યોજનાઓ છે. તેને જીવદયા મંડળી દયા, ખાતર ટેકો આપે એટલે તે યોજનાઓ જોરમાં આવે, તેમ બહારથી અહિંસા વધે અને અહીંની પ્રજા મૂળ ધંધારહિત થાય, પરદેશીઓના હાથમાં ધંધા જાય, પ્રજા વિનાશના મોંમાં પડે, એ જ પરિણામે મોટી હિંસા. દેવ-દેવી પાસે ધરાતા ભોગ અને યજ્ઞોમાં થતી હિંસા આ મંડળી અટકાવે છે. અહિંસાનું તે અંગ દેખાય છે. છતાં ધાર્મિક માન્યતામાં રાજ્યસત્તાને નોતરીને પગમાં કુહાડો મારે છે. આવતી કાલે વરઘોડા, પ્રતિષ્ઠા વગેરેમાં પણ કોઈને ખર્ચ લાગવાથી ગરીબોને નુકસાન થવાની ભ્રમણા થાય, ત્યારે હિંસક અને નિર્દોષ પ્રવૃત્તિમાં પણ રાજ્યસત્તાને પેસવાનો માર્ગ કરી આપે છે, જે દીક્ષા અને ધાર્મિક મિલકતોના રક્ષણમાં બન્યું છે. દીક્ષા અને ધાર્મિક સ્થાનોની વ્યવસ્થા એ ધર્મગુરુઓનું કામ છે. “બધા જ ધર્મગુરુઓ બેપરવા છે,” એમ માનવાને કારણ નથી. છતાં ધર્મગુરુઓ બેપરવા હોય, એમ માની લઈએ તો રાજ્યસત્તાની ફરજ કદાચ રક્ષણ કરવાની માની લઈએ પણ તે ધર્મગુરુઓની વતીની છે કે રાજ્યસત્તાની પોતાની સત્તાની રૂએ છે એ મહત્ત્વનો પ્રશ્ન છે. ધર્મગુરુની વતીની રક્ષા રાજ્ય સંસ્થા કરવા માંગતી હોય તો ધર્મગુરુઓ પોતાનું કામ જ્યારે ઉપાડી લેતા હોય કે લે, ત્યાં અને ત્યારે તેમણે ખસી જવું જોઈએ. પણ કાયદાનો એ અર્થ કબૂલ કરવામાં આવ્યો હોય એમ જણાતું નથી. એટલે આ દેશની પ્રજાના જીવનના તમામ વિભાગોમાં દેશી-વિદેશી રાજ્યસત્તા મારફત આજની Page #680 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૦૭ પરદેશી સત્તાનો યેનકેન પ્રકારે પ્રવેશ કરાવવાનો જ હેતું હોય તેવું જોવામાં આવે છે. પરિણામે ભવિષ્યમાં સત્તાને વધારે પડતો ધર્મક્ષેત્રમાં હાથ ઘાલવાનો પ્રસંગ મળે, તેવો માર્ગ આ મંડળી આ રીતે ઉઘાડો કરી આપે છે. અર્થાત્ આ દેશની પ્રજાના જીવનમાં હસ્તપ્રક્ષેપ કરવા હાલના વખતમાં જુદા જુદા નામ નીચે અનેક સંસ્થાઓ ખોલવામાં આવી છે. પ્રજાકીય, રાજકીય, સામાજિક સુધારા વગેરે નામે તે પ્રમાણે આ જીવદયાને નામે ખોલવામાં આવેલી સંસ્થા છે. જે જુદા જુદા જીવદયાના બહાના નીચે પ્રજાના જીવનમાં રાજ્યની લાગવગથી પણ પ્રવેશ કરે છે અને રાજ્યસત્તાનો પ્રવેશ કરાવે છે. એટલે દેવીની સામેના ભોગના નામે ગમે તેટલી ભયંકર હિંસા ચાલતી હોય, તે અટકાવવાની જરૂર છે, પરંતુ ધર્મ માન્યતામાં સત્તાનો પ્રવેશ કરાવવાની રીતથી અટકાવવાનો ઉપાય તેથી પણ વધુ ભયંકર છે. તેનું પરિણામ ભવિષ્યમાં પ્રજાને વધુ ખમવું પડશે. યજ્ઞાદિ કે ભોગોને બહાને માંસાહાર કરતી પ્રજાને અટકાવવાથી તેનો માંસાહાર તો અટકશે નહીં પરંતુ તે જે કવચિત્ આવે કારણે માંસાહાર કરે છે, તે મ્યુનિસિપાલિટીના કતલખાનાના ગ્રાહકો બને, એ મુખ્ય ધ્યેય અટકાવવાનું છે. કતલખાનાં ખાનગી રીતે ચાલતાં હતાં, તે મ્યુનિસિપાલિટીના બનવાથી તેને એક જાતનું જાહેર સ્થાન અને દરેક મતદારોનો તેમાં જાહેર ટેકો ગર્ભિત રીતે પણ તેને સીધો મળે છે. આ સ્થિતિમાં જૈન મેમ્બરોએ વિચારવા જેવું છે. જે હિંદમાં અશક્ય હતું. શહેરોમાં, કસબાઓમાં અને મોટાં ગામડાંઓમાં એ રીતે મ્યુનિસિપાલિટીઓ થઈ જાય અને તેનાં કતલખાનાં ઊઘડતાં જાય એ એક જાહેર કામ થયું. તે મહાવીર જયંતીના દિવસે કે એવા એકાદ દિવસે બંધ રહે, તેથી આપણે રાજી થઈએ, એ તો સમજી શકાય તેમ છે. પરંતુ તેની ઊલટમાં જાહેર કતલખાનાંઓને આ રીતે જૈન મેમ્બરોનો ગર્ભિત ટેકો બાકીના દિવસો માટે મળી જાય છે. એ ખરી વસ્તુ અંધારામાં રહી જાય છે અને આ મંડળીનું પ્રચારકાર્ય એટલી રીતે થાય છે કે, પ્રજા તેના પરના વિશ્વાસને લીધે આવી બાબતમાં અંધારામાં રહે જ. કેમ કે, એકાદ બે દિવસ મ્યુનિસિપાલિટીનાં કતલખાનાંમાં રજા પળાય તેની જાહેર ખુશાલીમાં જ હિંસાને ગર્ભિત ટેકો છે, તે વાત ઊજવનારાઓને ધ્યાનમાં કયાંથી આવે ? અર્થાત જીવદયામંડળી ભૂલથી કે અજ્ઞાનથી કે પોતાની કાર્યનીતિને અંગે માંસાહારની બીજી દિશાઓ બંધ કરી કરાવીને મ્યુનિ.ની માંસની દુકાનોને નિયમિત વકરાનું ક્ષેત્ર ઉત્પન્ન કરી, કરાવી આપે છે અને તેના રજાના એકાદ બે દિવસની ખુશાલી ઊજવીને તેના કાર્યને ગર્ભિત રીતે જાહેરનો ટેકો મેળવી આપે છે. એ તેમના ધ્યાન બહાર રહી જાય છે, અથવા તેમની પૉલિસીમાં બહુ જ ગર્ભિત રીતે કદાચ તે કાર્યક્રમ સમાતો યે હોય. આ તરફ પ્રજાના હિતને નામે રાજ્યસત્તાઓ, વગડાનાં પશુઓ, ખેતીને નુકસાન કરતાં પશુઓ, જંતુઓ, કૂતરાં, રિબાતાં પશુઓ વગેરેને નવી અહિંસાના અર્થ પ્રમાણે મારી નાંખવાના પ્રયાસો કરે. દેશ નાયકો તેવી વાત કરે, તેને મંડળી પ્રજાના બળથી રોકી શકે નહીં. સિવાય વિનવણી. કેમ કે, રાજ્યના કાયદામાં રહીને જીવદયા ફેલાવવાનો તેણે ઉદ્દેશ રાખેલો છે. એટલે “પ્રજાના વલણને રાજ્ય માન આપવું જોઈએ.” એ ઉદ્દેશ પોતે જ બાજુએ રાખ્યો છે. રાજ્યસત્તા ન માને તેની હરકત નહીં. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો કેમ કે, સત્તા આગળ શાણપણ ન ચાલે પરંતુ ઉદેશમાં એ રાખવાની જરૂર નહોતી. તેમજ રાજ્ય કેટલીક બહારથી અહિંસા દેખાય અને પરિણામે હિંસા હોય તેવા કાર્યમાં મંડળીનો ટેકો લઈ લે છે. તે ખ્યાલમાં રાખીને તેવી વાતમાં સહકાર ન આપવો જોઈએ, એ મંડળી ભૂલી જાય છે અથવા “એ માટે જ મંડળી છે” એમ હોય, તો તેનાથી તે દૂર કેમ રહી જ શકે? આજે મનુષ્યની સુખસગવડ માટે બીજાં જંતુઓને કૂતરાં વગેરે નકામાં પશુઓને મારી નાંખવા વ્યવહારુ ગણાય છે અને મંડળી પણ એવી બાબતમાં બહુ હિંમત બતાવી શકતી નથી. પરંતુ આગળ જતાં જેમ જેમ અહીં બેકારી ફેલાશે અને યાંત્રિક બળની શકિત વધશે, તેમજ પરદેશીઓનો વસવાટ વધશે, તેમ તેમ નકામા થતા આ દેશના માનવા પ્રાણીઓની હિંસા મોટા પાયા ઉપર આપોઆપ ચાલશે. ત્યારે મંડળીએ શરૂ કરેલ માનવ દયાના વિભાગમાં તેઓ કદાચ માનવદયા બતાવી શકશે. પરંતુ મંડળી એ ભૂલી જાય છે કે, “હવે પછી આવી પડવાની આર્થિક અને જીવનની સંકડામણોવાળું જીવન ગોઠવાઈ રહ્યું છે, અને તેમાં પરદેશી સ્વાથ ગૂંથાયેલા છે. એ ગોઠવણને પરિણામે માનવ સંહાર શરૂ થશે. તેના પર ઢાંકપિછોડો કરવા આ માનવદયાની ખાસ સ્પેશ્યલ શરૂઆત કરવામાં આવી છે, કે જેના ગર્ભમાં માનવસંહારની કબૂલાત પડેલી છે, બહારથી માનવદયા પળતી દેખાશે, અને અંદરથી અનેક માનવોનો સંહાર થઈ જશે, જે જોવામાંયે આવશે નહીં.” જે સ્થિતિ આજે આબુની પાંજરાપોળ સ્થાપવા છતાં, પશુ ધન પ્રજાના હવાલામાંથી છૂટું પડતું જાય છે અને દયાની સંસ્થાઓ નિરૂપાય બનતાં અનિવાર્ય રીતે કસાઈખાના તરફ ઘસડાઈ રહેલ છે અને અનિવાર્ય રીતે કસાઈખાનાની જરૂરિયાત વધારી રહેલ છે. કેમ કે, ખેતી અને વાહનોમાંથી નિરુપયોગી પડતાં પશુઓને નાંખવા કયાં ? પાંજરાપોળો વગેરે કેટલાકને સાચવી શકે? તેમજ ગરીબ થતી પ્રજા રાજ્યના ટેકા વિના પશુધન શી રીતે સાચવી શકે ? દૂધવાળાં સારાં ઢોર સસ્તામાં ડેરીવાળા લઈ જાય પણ તે સિવાયનાઓનું શું? તેવી જ રીતે યાંત્રિક ધંધાઓના વધારાથી ધંધા રહિત થઈ બેકાર પડેલા માનવોનો સંહાર જીવદયા મંડળી શી રીતે રોકી શકશે ? કારખાનાં નીકળે, તેમાં મજૂરો ગોઠવાય પણ કેટલાકને ગોઠવવા? વળી યાંત્રિક શકિત વધે, તેમ તેમ વળી મજૂરો છૂટા પડે. તેને કયાં નાંખવા ? આમ બેકારી, તેને અંગે રોગો, તેને અંગે આપઘાત વગેરે માટેના સંભવની મોટા પાયા પર ગોઠવણ થાય, ત્યારે તેના ઉપર પડદો પાડવા આવી સંસ્થાઓ ઉપયોગી થાય છે. પણ તેથી વાસ્તવિક દયા પળાતી નથી, પણ મંડળી યાંત્રિક કારખાના કાઢવાનું અટકાવી આખા જગતના પ્રાણીસમાજનો આશીર્વાદ લઈ શકે તેમ છે ? નહીં જ. કેમ કે, તે બંધાઈ ગયેલ છે, કે તેવી હિલચાલ કે વિચારણા પણ તે ન ફેલાવી શકે. જે કે જ્ઞાન આપીને તેણે જગતમાં જીવહિંસા ઓછી કરવાનું પહેલું બીડું ઝડપ્યું હતું, પરંતુ વાસ્તવિક રીતે તો તે માત્ર જૈની અહિંસાના પ્રચારની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાની પોલિસી માત્ર હતી. ત્યારે જૈનોની અહિંસા, સાદા જીવનને અને ચાલુ ધંધાઓને ટેકો આપનારી હોવાથી તેને “જુદા જમાનાની અને અવ્યવહારુ” કહીને આ મંડળી પણ તેની વિરુદ્ધમાં બહુ જ સૂક્ષ્મ રીતે આડકતરું Page #682 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૦૯ પ્રચારકાર્ય કરે છે, અથવા તેવી હિલચાલોને અવિરુદ્ધ રહીને ટેકો આપે છે, જેની કદાચ તેના કાર્યવાહકોને માલૂમ પણ નહીં હોય. આજ રીતે ખેડૂતો માટેની સસ્તા માલથી યોજનાને ટેકો, આજના કૃત્રિમ દારૂનિષેધને ટેકો, દૂધાળા ઢોરના ઉછેરને ટેકો, વધુ દૂધ ઉત્પન્ન કરનારી સંસ્થાઓને ટકો વગેરે આડકતરી રીતે આ દેશમાં વધુ હિંસા ફેલાવવાના કારણ તરીકે આજે છે. કેમ કે, તે દરેકનાં પરિણામો અને ધ્યેયો જુદાં જ ગોઠવવામાં આવ્યાં છે. જેનો પૈસા આપીને લાગવગથી, શરમથી પશુઓ છોડાવે છે. તેની જાહેર નિંદા કરવામાં આવે છે. જે એ રીત જેનો બંધ કરે, તો જૈનોએ શી રીતે દયા બતાવવી ? યથાશકિત સાચી દયા બતાવવાનો અત્યારે બીજો માર્ગ જ ક્યો? બચે કે ન બચે પણ એટલું પણ લાગણી બતાવવાનું આજે એ જ સાધન છે, તે બંધ કરવાનું ' કહેવામાં આવે છે, તે કેટલું ભયંકર છે ? સમજાવટથી તો કોઈક જ માને તથા દરેકની જાતિ ભોગ આપવાની, વખત આપવાની શક્તિ ન હોય એ સ્વાભાવિક છે. “ખરો દયાપાલક એ ગણાય, કે જાતનો ભોગ આપે.” એ વાત સર્વને માટે વ્યવહાર ન ગણાય, માત્ર એવી વાતો જૈની અહિંસાની વિરુદ્ધમાં વાતાવરણ ઊભું કરવામાં તેઓને ઉપયોગી થાય છે. બાકી તે વાત નિરર્થક જેવી છે. એક સંન્યાસી ઉપવાસો કરતા સંભળાય છે. પરંતુ તે તો માત્ર અજ્ઞાનજન્ય હોવાથી મંડળીના સંદેશાને વેગ આપવામાં પરિણામે છે. આજે એક સમજે, ત્યાં તો દશ નવા માંસાહારી વધતા જાય છે. “જ્ઞાનથી માંસાહાર અટકાવીશું” એ દલીલ તો જેનોની જીવદયાની આડે આવવા પૂરતી જ હતી. આજે જગતમાં માંસાહાર વધ્યો છે, અને વધતો જાય છે. તેમજ તે વધારવાને માટે પૂરતી હિલચાલ ચાલી રહેલી છે. લોકલ બોર્ડ તરફથી વિટામીનના ખોરાકોના લિસ્ટનાં મોટાં મોટાં પોસ્ટરો ઘેર ઘેર રાખવાની ભલામણો થાય છે, વિટામીનના ખોરાકનાં તત્ત્વોની વિચારણા ઉપર પ્રજા વધુ પ્રમાણમાં ચડી ગયા પછી અને ઊછરતી આર્ય પ્રજાનો અમુક ભાગ આર્ય માનવીની ભઠ્યાભઠ્યતા ભૂલી ગયા પછી તે કોઠામાં માંસાહારના ખોરાકો દાખલ થવાનો ભવિષ્યમાં સંભવ છે. જો કે આજે એ પદાર્થો એ કોઠામાં દાખલ કરવામાં આવેલ નથી. પરંતુ તેનું કારણ તો આજે માત્ર જૈનો વગેરે અમાંસાહારી ઉચ્ચ કોમોમાં કોઠાના પ્રાથમિક પ્રચારની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જ છે. ડૉ. મુંજો વગેરે પરદેશી સરકારને લડાઈમાં મોટી સંખ્યામાં કેળવાયેલા સિપાઈઓ મળી રહે તે માટે આડકતરી રીતે લશ્કરી તાલીમ ફરજિયાત કરવાના પ્રાથમિક પ્રયાસ તરીકે “હિંદુઓને લશ્કરી તાલીમની જરૂરત છે.” એવા વાતાવરણની અસર તળે આવીને લશ્કરી ગોઠવણી કરે છે અને પ્રજા અશકત હોવાને બહાને માંસાહારની હિમાયત કરે છે. ગુજરાત ઉપર તેમનો વધુ કટાક્ષ છે. કેમ કે, નામદાર ગાયકવાડ સરકારના દીવાન સાહેબના પ્રમુખપણા નીચે તેમણે એવી જ મતલબનું ભાષણ આપ્યું હતું. બહારના પરદેશી પ્રચારકો પણ એવું જ પ્રચારકાર્ય ફેલાવતા જોવામાં આવે છે. “માંસાહાર Page #683 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ન કરી નિર્બળ રહેલી પ્રજાને આ જગતમાં જીવવાનો અધિકાર નથી અને રહેવાને લાયક પણ નહિ.’’ વગેરે. ૬૧૦ ગ્રામ્ય ઉદ્યોગની ખિલવણીમાં, પ્રદર્શનોમાં, કેટલીક હૉસ્પિટલોમાં પણ આજના પ્રાણીજન્ય ખોરાકના આડકતરા પ્રચાર માટે મોટો ખર્ચ કરવામાં આવે છે. અલબત્ત, એથી લશ્કરમાં કદાચ મજબૂત માણસો મેળવી શકાશે પણ તે મોટો ભાગ જડભરત અને તામસ પ્રકૃતિનો હશે, જે લશ્કરી નોકરીઓ સારી રીતે કદાચ બજાવશે. પરંતુ આર્ય સાત્ત્વિક બુદ્ધિમાન પ્રજાજનો ગુમાવવાનું તો તેમાં પડ્યું જ છે. હિંદુ મહાસભા મારફત ડૉ. મુંજે વગેરે પોતાના કાર્યની સફળતા પાર પડતી માનશે. પણ તેમાં આડકતરો ટેકો સરકારનો પણ રહે છે અને રહેશે જ. હિંદુ મહાસભા વગેરે વાસ્તવિક રીતે લોધીયન સાહેબ વગેરે મુત્સદ્દીઓના હસ્તકના માણસોના હાથ નીચે ચાલવાવાળાં પૂતળાં જ છે. આજની અહિંસાની વૃત્તિમાં આપણી પ્રજાની ગુલામી વિશેષ છે. દૂધાળા ઢોરના બચાવમાં બીજા ઢોરની કતલની છૂટ રહી જાય છે. રિબાઈ મરનારને તુરત મારી નાંખવામાં, મરણોન્મુખ મોટી સંખ્યાને બચાવવાના દયાના પ્રકારમાં ઢોરના દવાખાનાનો ખોટો ખર્ચ ઉપાડવો ના પડે, તે છે. મશીનરી ખેતી અને ડેરી કંપનીઓ થતાં આજના ખેડૂતોની ત્રીજી પેઢીના હાથમાંથી ખેતી અને જમીનો તથા પશુપાલક પ્રજાના હાથમાંથી પશુઓ અને તેનો ધંધો છૂટી જવાના સંભવથી એ કોમોને એકંદર ક્ષયનો રોગ લાગુ પડી જ જાય, એ સ્વાભાવિક છે. દયાની ખરી લાગણી મરી જાય. જૈન અહિંસાની ખરી દયાને ફટકો પડે. તે દયાની અસરથી જેટલો માંસાહાર આ દેશમાં ઓછો થાય છે, તે અટકીને માંસાહાર વધી પડે, તેને માટે મોટાં મોટાં અથવા નાનાં પણ યાંત્રિક કતલખાનાં વધી જવાનાં. મ્યુનિ.નાં જ્યાં નથી ત્યાં પણ તે થઈને કતલખાનાં શરૂ થવાનાં. તેથી દુકાનોમાં માંસના વકરા વધી જવાના. ગળકટ્ટાઓની રિબામણીનાં વર્ણનો, યાંત્રિક કતલખાનાની આવશ્યકતા બુદ્ધિમાં બેસાડશે, જે મોટી સંખ્યામાં કતલ કરશે. પાંજરાપોળ શુદ્ધ દયાની લાગણીના સ્થાનને બદલે ઉપર પ્રમાણેની ઇસ્પિતાલો કે આર્થિક વિચારણા ઉપર ધંધાદારી સંસ્થાઓ બની જવા સંભવ અથવા ધંધાદારી સ્કીમના પ્રચારમાં પ્રાથમિક ઉપયોગી બની જવા સંભવ. આ બધા તંત્રનું સુકાન જીવદયા મંડળીના હાથમાં છે. તે જેમ દોરવે તેમ બધાએ દોરાવું પડશે. પ્રજા ઉપર તેનો કાબૂ વધારવા જીવદયા દિન અને બીજી જાહેર પ્રવૃત્તિઓ છે માટે પરિણામે પશુઓ, જંતુઓ, માનવી વગેરેના મોટા સંહારરૂપ હિંસાની ભાવિમાં આગાહી થાય છે. ‘‘મુસલમાનોએ ગાયની કુરબાની ન કરવી.’” અને ‘‘હિંદુઓએ મસ્જિદ આગળ વાજાં ન વગાડવાં’ આ લગભગ આખા હિંદની પ્રજાકીય મહાજન મારફતની સંધિ ચાલી આવે છે, પરંતુ તેમાં કેટલાક ઝનૂની મુસલમાનો અને આર્યસમાજી વગેરે દેશની સ્થિતિના અજ્ઞાન હિંદુઓએ ઉશ્કેરાઈને જ્યાં જ્યાં એ સંધિનો ભંગ કર્યો ત્યાં ત્યાં મોટાં મોટાં હુલ્લડો થયાં. દિલ્હીમાં પોલીસ પહેરા નીચે ગાયને કતલ કરવા લઈ જવા દેવામાં આવી, તેથી હિંદુઓ ઉશ્કેરાયા અને વઢવાણ વગેરેમાં મસ્જિદ આગળ વાાં વગાડવામાં આવ્યાં તેથી મુસલમાનો ઉશ્કેરાયેલા રહ્યા. બસ. જે કોમી પ્રશ્ન સંધિરૂપે હતો, તે નવો Page #684 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૧૧ ઊભો થયો અને તે મિ. હ્યુમ સાહેબે સ્થાપેલી કોંગ્રેસે હાથમાં લીધો. એટલે સરકારે સીધી રીતે આ પ્રશ્ન પોતાના હાથમાં ન રાખતાં કોંગ્રેસના હાથમાં જવા દીધો. ગાંધીજી વગેરે નેતાઓ સમાધાનની ખાતર નમતું આખે જ જાય અને સાંભળવા પ્રમાણે ત્યાં સુધીની વાતો બહાર આવી કે, “ગાયોની કતલની બાબતમાં હિંદુઓ સહમત નહીં થાય, પરંતુ વિરોધ કરશે નહીં.” હિંદુઓ ગાયની બાબતમાં વિરોધ ન કરવાની જાહેર કબૂલાત આપે, એટલે હિંદુઓની ગાય વિષેની લાગણી લગભગ મવા પડી ગણાય. હિંદુઓ આમ નથી બોલતા પણ તેના કૃત્રિમ બની બેઠેલા આગેવાનો આમ બોલે, એ આ જમાનાના રંગનું પરિણામ છે. કેમ કે, તેઓ અરધા પરદેશી-યુરોપીય વિચારના બની ગયેલા છે અને “વાની બાબતને યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયાસ કરશે.” આમ થાય તો મહાજનની સંધિમાં જે પેશ્વાઈ વગેરેની સત્તા વખતે જે સ્થિતિ ગોઠવાયેલી તેમજ હિંદુઓની લાગણી સચવાયેલી, તે આમાં ન સચવાય તે બનવા જોગ છે. જો કે, કોંગ્રેસના નેતાઓમાં મોટો ભાગ હિંદુઓનો છે. પણ તે વાસ્તવિક રીતે હિંદુઓના રીતસરના નેતાઓ નથી. છતાં નેતાઓ બનીને હિંદુઓની વતી ગમે તેવી સંધિ કરે, તે પ્રજાને કબૂલ રાખવી પડે. કેમ કે, તેમને પરદેશી સત્તાઓએ નેતા-મોટામાં મોટા નેતા બનાવવાથી પ્રજા કાંઈ પણ બોલવા ન પામે, એવા ઘણા હેતુઓ ગર્ભિત રાખ્યા હોય છે. છતાં ઈચ્છાએ અનિચ્છાએ સ્વરાજ્યનો ગોળ તાળ લાગેલ હોવાથી નેતાઓ ગણાતા કબૂલે ને પ્રજાને કબૂલ કરવું પડે. આ હિંદુઓની મુસલમાનો સામેની પહેલી મુશ્કેલી. બીજું, વસાહતોના પ્રશ્નમાં પરદેશીઓને વસાવવા માટે આ દેશની મૂળ પ્રજાને ઓછી કરવી પડે. તેમાં સીધા પરદેશીઓને હિંદુઓની સામે ગોઠવવા કરતાં મુસલમાનોને ગોઠવવા વધારે ઠીક ગણાય. એટલે જુદાં જુદાં કારણો અને બહાના નીચે તેઓને ધંધાઓમાં તથા સર્વત્ર વધુ હકકો આપવામાં આવે અને તેની કબૂલાત તો કોંગ્રેસ નેતાઓ મારફત જ અપાવાની, એટલે આ દેશમાં મોટી સંખ્યાના હિંદુઓની સત્તા, જાગીરો, જમીનો, ધંધા વગેરે મોટા પ્રમાણમાં જે તેના હાથમાં છે, તેમાં મુલસમાનોને ભાગીદાર તરીકે ગોઠવી દેવાથી તેમની પાસેથી કમી થયે જાય. પછી મુસલમાનોના હાથમાંથી લઈ લેતાં કેટલી વાર ? કેમ કે, એક ચાવી દબાવવાથી તે તેમને મળેલ હોય છે, ત્યારે બીજી ચાવી દબાવવાથી લઈ લેતાં શી વાર? કેમ કે મુસલમાન ભાઈઓને મળેલ તે કોઈ સ્વપુરુષાર્થનું પરિણામ નથી, કે જે લેતાં વાર લાગે. આ બીજી મુશ્કેલી. - હવે ત્રીજું, ગાયોની કતલમાં હિંદુઓએ આંખ આડા કાન જેવું રાખવાનું કરે, તો મુસલમાનોએ હિંદુઓની લાગણી જાળવવી ન જાળવવી એ તેમની મરજીની વાત જેવું બની રહે. આ સ્થિતિમાં ઉપર જણાવ્યા પ્રમાણે પશુઓનો સંહાર ચાલે. હિંદુઓ લાચાર મને નભાવ્યે જાય. ગરીબ મુસલમાનોના સસ્તા માંસાહારનો પ્રશ્ન આગળ આવે, અને સંહાર વધુ પ્રમાણમાં ચાલુ રહે, તેનું પરિણામ શું? જે કે આનો લાભ મુસલમાનો પણ ભાગ્યે જ લઈ શકવા સંભવ છે. પરંતુ અહીં પરદેશીઓની લાગવગ થતાં તેઓને કેટલાક દેશી રાજ્યોમાં જ્યાં ગૌવધ બંધ છે, કેટલાક હિંદુઓની અસરવાળાં Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ પંચ પ્રતિકમાણસૂત્રો શહેરો અને દેશોમાં ગૌવધ બંધ છે ત્યાં તેઓ વસે, તે વખતે તેમને એ કાંઈ આડે ન આવે. તેથી મુસલમાનોને આગળ કરીને ભવિષ્યમાં છૂટ માટેનું વાતાવરણ ઘડી લેવામાં આવે છે. કેમ કે, હિંદુ પ્રજામાં હવે એવી કંઈક નબળાઈ તેમણે જોઈ છે. આ બધી ભવિષ્યની યોજનાઓનાં બીજ તરીકે સરધારના અને સાણંદની પાસેના શિકારોની ગોઠવણો માનવાને કારણ મળે છે. આ વસ્તુઓ અભ્યાસી સિવાય સમજી શકાશે નહીં. આ ત્રીજી મુશ્કેલી, ઇત્યાદિ. જીવદયાનો અથવા અહિંસાનો પ્રશ્ન એટલો બધો વ્યાપક છે અને આજે તેના ઉપર સીધા આડકતરા એટલા બધા ઘા આવી રહ્યા છે કે, જેનું વર્ણન કરતાં મોટું પુસ્તક થાય તેમ છે, જે અહીં આપી શકાય નહીં. આ બાબત ૨૦૦-૩૦ પાનાંનો નિબંધ લખી શકાય છે. તેમાંથી સંક્ષિપ્ત સૂચન જ અહીં મૂકવામાં આવેલ છે. અમારે આટલું પણ અહીં એટલા માટે લખવું પડ્યું છે કે, આજે અહિંસા, સત્ય, ઉન્નતિ અને પ્રગતિ વગેરે નામ નીચે એવી રચનાત્મક પ્રવૃત્તિ ચાલે છે કે, જેમાં હિંસા, અસત્ય, અવનતિ છુપાયેલાં છે. એવી ગૂઢ બાબતો જગતમાં ફેલાઈ રહી છે અને તે ઈડિયા ઑફિસ વગેરે ભારત મોટા ખર્ચે ફેલાવાતી હોય, એમ અનુમાન કરવાને કારણ મળે છે. તેથી ભૂલથી પ્રજા ન દોરવાય અને જાણવાનું મળે માટે અમારે આટલું લખવાની જરૂર પડી છે. આજના જમાનામાં એક પ્રવૃત્તિ અનેક દિશાઓથી ચાલુ થાય છે. ટુકડે ટુકડે શરૂ થાય છે, વખત જતાં બધી પ્રવૃત્તિઓ એકીસાથે મળી જાય છે અને છેવટે વ્યાપક કાયદાનું સ્વરૂપ લઈ શકે છે. તેના દાખલા તરીકે નીચેનો એક જ મુદ્દો બસ થશે. તે પ્રમાણે સેંકડો બાબતોમાં સમજવાનું છે. સંતતિનિયમન :૧. દેશના હિતચિંતકોએ અંગ્રેજીમાં અંગ્રેજ લેખકોએ લખ્યું કે, “આ દેશમાં બેકારી ઘણી છે. અને સંતતિનું પ્રમાણ વધતું જાય છે, વગેરે.” દેશી લેખકોએ લખ્યું કે, “ખાદ્ય ખોરાકી ઉત્પન્ન થાય છે, તેના પ્રમાણમાં માનવ સંખ્યા વધતી જાય છે. માટે તેના ઉપર અંકુશ આવવો જોઈએ. રોગો, લડાઈઓ વગેરે કારણો તો છે, પણ તેટલાં પૂરતાં નથી. ૨. ગાંધીજીએ સ્વીકાર્યું કે, સંતતિનિયમન એ તેનો ઉપાય છે, પરંતુ તેનું સાધન બ્રહ્મચર્ય હોવું જોઈએ. ૩. મદ્રાસ ઇલાકામાં તે જાતની સંસ્થાઓમાં મોટા મોટા અમલદારો અને કેળવાયેલા લોકો જોડાયા અને ધારાસભામાં એ વાત ગઈ. ૪. વડી ધારાસભામાં પણ એ વાત ગઈ, પણ વિચારણા માટે પડી છે. ૫. એક બાઈએ યુરોપથી આવીને તેના પ્રચારને ટેકો આપ્યો અને સુવાવડના દુ:ખથી બચવા સ્ત્રીઓની સભામાં ઉપદેશ આપ્યો. તે પહેલાં તેણે થી ગાંધીજીને મળીને એ પરોપકારના કાર્યમાં આશીર્વાદ પહેલો મેળવ્યો અને એટલું જ સૂત્ર તેમાંથી પકડ્યું કે, “મહાત્માજી પણ સંતતિનિયમનમાં માને છે.” બસ એટલી જ વસ્તુ પ્રચાર અને જાહેરાતને માટે પૂરતી હતી. ભલે તેના ઉપાયમાં મતભેદ હોય. Page #686 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૧૩ ૬. બ્રહ્મચર્યના ઉપાયનો અસ્વીકાર તો તેમને કરવાનો છે જ નહીં. કેમ કે, એ રીતે પણ સંતતિનિયમન થાય તો પણ ઠીક છે, પરંતુ સર્વને માટે એ ઉપાય અવ્યવહારુ હોવાથી તેણે વૈજ્ઞાનિક સાધનોની હિમાયત કરી. છે. જેને માટેનાં સાધનો અને સાહિત્યનાં પુસ્તકો યુરોપમાં તૈયાર થયેલાં હતાં, તેનો મોટો વકરો શરૂ થઈ ગયો. ૮. તે પહેલાં કોઈ કોઈ સુધારક વિચારના દેશી રાજાએ અને મોટા માણસોએ સ્ત્રીઓના સ્વાથ્યની રક્ષાના બહાના નીચે ગુપ્ત રીતે તેવાં સાધનોની સ્ત્રીઓને ભલામણ કરવા માટે ડૉકટરોને સૂચનાઓ પણ કરાવેલી. ૯. ડૉકટરોમાં તે જાતનો ધીમે ગુપ્ત પ્રચાર જોતાં છૂટક ધંધો કરનારા વૈદ્યો, ડૉકટરો અને હકીમોએ પણ વિફળ, અફળ, સંતતિનિયમન, બર્થકંટ્રોલ વગેરે નામ નીચે અનેક દવાઓ અને સાધનોની છૂટથી જાહેરાતો આપવા માંડી અને દુકાનો નીકળી છે. ૧૦. બાળલગ્ન અને વૃદ્ધલગ્ન ઉપર અંકુશની હિલચાલ પણ સંતાનોની ઉત્પત્તિની સંખ્યામાં ઘટાડો કરે, એ સ્વાભાવિક છે. ૧૧. જેલમાં મોટી સંખ્યા રહે, લશ્કરમાં મોટી સંખ્યા રહે, ઉમરલાયક છતાં કૉલેજમાં, દેશાવરની નોકરીમાં, ધંધા ખાતર પુરુષો સ્ત્રીઓથી દૂર પરદેશ રહે. આ બધાં સંતતિની ઓછી ઉત્પત્તિમાં મદદ કરનાર કારણો છે, તે કયારના શરૂ થઈ ગયાં છે. ૧૨. બેકારી, રોગો, અનારોગ્યકર શહેરી જીવન વગેરે પણ એટલા જ પ્રમાણમાં કારણોસર છે. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીની સતત લડાઈઓમાં ખમીરવાળા અનેક પુરુષો કામ આવી ગયેલા. ખમીરવાળા મેર, ભૈયા વગેરે જાતિઓમાં બેકારી, આ વગેરે સંતતિનિયમનમાં મદદગાર કારણો તો ઘણાં વર્ષોથી ચાલુ જ છે. ૧૩. ગરીબ બાળકોને રખડતાં મૂકે છે, માટે બાળ રક્ષણના કાયદાનો ફલિતાર્થ એ જ કે, સારાં બાળકો ઉત્પન્ન કરી શકાય. સારાં બાળકો ઉત્પન્ન કરી તેને સારી રીતે ઉછેરી કેળવણી આપી શકે. તેને જ સંતતિ ઉત્પન્ન કરવાનો હકક રહેવો જોઈએ. એ કાયદાને માટે લોકમત કેળવવા બાળસપ્તાહો, બાળકોને રોતા રાખીને ધંધો ચલાવનારાઓનાં કુકૃત્યો ઉઘાડા પાડી બાળ રક્ષણના કાયદા માટે લોકમતની સહાનુભૂતિ મેળવવા જેવી અનેક બાબતમાં ક. મા. મુનશી જેવાએ અગ્રેસર થવું અને તેને તે કામને નામદાર મુંબઈના ગવર્નર સાહેબે અનુમોદન આપી ખુશાલી જાહેર કરવી. ૧૪. મુંબઈ ઇલાકામાં પણ સંતતિનિયમન માટે કાયદો ધારાસભામાં લાવવાની તૈયારી. “કાયદો જરૂરી નથી” તેમ અંગ્રેજ અમલદારોનું કહેવું અને તેથી પ્રધાનોના પગમાં તે કરાવવા વધુ જોર આવવું. ૧૫. આ બધા ઉપરાંત એટલેથી અધૂરા જણાતા દીનબંધુ, કૃપાના અવતાર સમા ગણાતા એવ્ઝ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો સાહેબ નિવેદન કરે છે કે, બ્રહ્મચર્ય, વૈજ્ઞાનિક સાધનો અને બીજા પ્રયાસોથી સંતતિ નિયમન પર પૂરતો અંકુશ લાવી શકાશે નહીં. કેમ કે, તેત્રીસ કરોડનું નોર્મલ પોઈન્ટ સંખ્યાનું તેથી જાળવી શકાશે નહીં. માટે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ તો આપવું પડશે. પરંતુ, તે શિક્ષણમાં એવી પણ ગોઠવણ રાખવી પડશે કે, જેથી તેવી બાળાઓ સમજણપૂર્વક ગર્ભ ધારણ કરવાને તૈયાર જ ન થાય, તો કેટલેક અંશે નોર્મલ પોઈન્ટ જાળવી શકાય.” એવી મતલબનું જાહેર કર્યું હતું. ૧૬. વારસાહકકના કાયદાઓમાં ફેરફાર. ૧૭. આંકડાઓમાં કેટલીક કોમોમાં મરણપ્રમાણ વધુ અને જન્મ પ્રમાણ ઓછું આવે છે. આ બધાનું પરિણામ હિંદુઓની સંતતિ પ્રમાણમાં ૧૦ વર્ષ પછી બહુ જ નામની રહે, એ સમજી શકાય તેમ છે. ૧૮. આમ કરવાનું કારણ પરદેશી લોકો આ દેશમાં વસવા માટે આવે, તો અહીંની પ્રજા ઘટી હોય અને તેમની સંતતિ વધે તો જ તેઓને અહીંના પ્રદેશની દરેક જમીન, ધંધા વગેરે હાથમાં આવી શકે. તેને માટેની તૈયારીની ભૂમિકા આ રીતે ગોઠવાતી હોય તેમ જણાય છે. ૧૯. આ કામને માટે દેશનેતાઓ અને કેળવાયેલાઓના મનમાં ઠસાવ્યું એટલે બસ છે. કેમ કે, દેશનેતાઓનો મોટો ભાગ વકીલ વર્ગમાંનો હોય છે. તે વર્ગ જે પવન ચાલે તેના ઉપર સજજડ એકતરફી દલીલો કરીને લોકોની હા ભણાવી શકે છે. એક પવન બંધ પડ્યો કે બીજે ઊપડે. એટલે તેના ઉપર વાગ્ધારા છોડી મૂકે. ડૉ. વગેરે જે કે દેશનેતા તરીકે કોઈ કોઈ છે પણ તેઓનું વામ્બળ એટલું નથી હોતું, એટલે વકીલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડૉ. વગેરે તેના ટેકામાં કામ આવે છે. વકીલો કાયદો જાણે એ ખરું છે. પણ રાજદ્વારી દાવપેચમાં તો તેઓ બાળક જ હોય છે, એ જુદું જ સાયન્સ છે. જે વકીલોના ધ્યાનમાં પણ આવે તેવું નથી હોતું. તેના હેતુઓ અને પેટા હેતુઓ જુદા જ હોય છે. તે ગર્ભિત રાખીને ભવિષ્યકાળને માટે કેટલોક ભાગ બાકી રાખીને કાયદાઓ કરવામાં આવતા હોય છે, જે તેઓના ધ્યાનમાં જ આવી શકે તેમ નથી હોતું અને એક કાયદો ધારાપોથીમાં વધે એટલે ધંધાથી વકીલો માટે વકરાની દુકાન વધુ ઊઘડતી. હોય છે. તેની લાલચ બીજા વકીલો છોડી શકે નહીં. આમ દેશનેતાઓ વકીલો હોય, અને તેઓ મારફત ખૂબ પ્રચાર થાય છે. અહીં એ પ્રશ્ન થશે કે – જે સંતતિનિયમનનો કાયદો થાય તો તે પરદેશીઓને પણ લાગુ પડે કે નહીં ? અને તેથી તેની પણ સંતતિનું નિયમન થાય જ.” એ સમજવું ભૂલભરેલું છે. કેમ કે, પરદેશીઓ માટે તો સંતતિ વધારવાના કાયદા તેઓનાં રાષ્ટ્રોએ કરેલા છે. ચાર બાળકોની માતાને અમુક ચાંદ, પાંચની માતાને અમુક ચાંદ, એમ આઠ Page #688 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણ સૂત્રો ૬૧૫ બાળકોની માતાને સોનાનો મેડલ અને લશ્કરી સરદાર જેટલું સન્માન. એ બધું સંતતિવૃદ્ધિને ઉઘાડી રીતે ઉત્તેજક છે જ. હવે તેઓ અહીં વસવા આવે તેને ગોરી ચામડીને લીધે ત્યાંના રાજ્યના કેટલાક કાયદા લાગુ પડે, તેમનું રાષ્ટ્ર તેમને એવી મદદો આપે. અને લઘુમતીના હકકોનું રક્ષણને બહાને અહીં પણ એવી છૂટ રાખવામાં આવે, એટલે તેમને હરકત ન આવે. આજે નાની સંખ્યા દેખાવમાં હોવાથી દેશનાયકો પણ એવી છૂટછાટ આપવામાં આનાકાની કરે નહીં. એવી મુદ્દાની છૂટછાટો લઘુમતી કોમોને નામે થોડી પણ રાખી લઈને બાકીના કાયદા દરેકને સમાન તરીકે લાગુ કરે. એટલે દેશનાયકો કહી શકે કે, “ભલે પહેલીઓ અહીં વસવા આવે, પણ તેમણે આપણી રીતે રહેવું પડશે.” પરદેશીઓ પણ હા જ પાડે કે, “હા, અમો તમારી સાથે તમારી રીતે જ રહીશું.” પરંતુ રિઝર્વ રાખેલી સલામતીઓનું લાંબે કાળે જે પરિણામ મુત્સદ્દીઓએ જોયું હોય, તે આવ્યા વિના રહે નહીં. એટલે તેમની સંતતિ વધે અને અહીંવાળાની સંતતિ ઘટે, એટલે નોર્મલ પોઈન્ટ. મિ. એન્ડ્રગ્સ કહે છે, તે જળવાય એ બરાબર છે, માટે નોર્મલ પોઈન્ટ રાખવા દેશીઓનું સંતતિનિયમન થવું જોઈએ. એ તેમનું કહેવું તેમના સાંસ્થાનિક સ્વરાજ્યની દૃષ્ટિથી બરાબર છે, એમ જણાશે. ૨૦. આ બધાં ડાળાડાંખળાં ફેલાઈ ગયા બાદ જ વડીધારાસભા કદાચ સંતતિનિયમનનો વ્યાપક કાયદો હિંદુ-મુસલમાન વગેરેને લાગુ પડતો પસાર કરે, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું લાગતું નથી. આ રીતે એક જ સંતતિ નિયમનનો મુદ્દો ખીલવવાને કેટલી રીતે અને કેટલી બાજુઓથી તેને ટેકા ગોઠવવામાં આવ્યા છે તે સમજાશે. ૨૧. અહીં એ શંકા થશે કે, “અયોગ્ય સંતાનો કરતાં યોગ્ય સંતાનો થાય, તો જ પ્રજા લાયક ગણાય. અયોગ્ય સંતાનોનું નિયમન કરવું જ જોઈએ.” પણ એ શંકા ઘણી ખોટી છે. કેમ કે, “અહીંની આર્ય પ્રજાનું માનસ અને લોહી શુદ્ધ છે. તેની સંખ્યા વધવાને ઉત્તેજન હોવું જોઈએ. અને અનાર્યોને વધવાને ઉત્તેજન ન હોવું જોઈએ.” આ વૈજ્ઞાનિક ન્યાયસરના સિદ્ધાંતને ત્યાંના યુરોપના વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ કબૂલ કરે છે, અને તે વિચારનો પ્રચાર કરીને ઉત્તમ લોહીવાળી અને સંસ્કારવાળી પ્રજાની વૃદ્ધિ કરવા પ્રયાસો કરે છે. જર્મનીમાં કન્યાવ્યવહારનો શુદ્ધ લોહી સાથેનો કાયદો આ તત્વ ઉપરનો છે. અને તેનું તત્કાલીન પરિણામ ભારતના પવિત્ર લોહીવાળા સાથે કન્યાવ્યવહાર બાંધવામાં છે, પણ હિંદુઓને વટલાવાનું નુકસાન છે. પરંતુ યુરોપની પ્રજાનું લોહી શુદ્ધ માની લેવામાં આવે અને અહીંની પ્રજાનું અશુદ્ધ માનવામાં આવે, એટલે વૈજ્ઞાનિકોની એ સર્વ સામાન્ય સાચી શોધ અહીં સંતતિનિયમનને વધારી મૂકે, અને ત્યાં સંતતિને વધારી મૂકી શકે. એટલી જ બાબતમાં અમલના ફરકથી આ મોટું ઊલટું પરિણામ આવવાનો સંભવ ઊભો થાય છે. ૨૨. સારાંશ કે, આપણે સંતતિનિયમનને ટેકો આપવો ન જોઈએ, જેમ બને તેમ ઉત્તમ કુળમાં બાળકોની સંખ્યા વધુ ઉત્પન્ન થવી જોઈએ તેમ ઈચ્છવું માર્ગાનુસારી છે. અહીંના આર્યના માયકાંગલા છોકરાનું પણ લોહી શુદ્ધ છે, તેના આત્મામાં, તેના શરીરનાં તત્ત્વોમાં પવિત્રતાનાં તત્ત્વો વધારે Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે, આધ્યાત્મિક જીવનને લાયક વધુ તત્ત્વો છે. પૂર્વના મહાત્માઓની માનસિક, શારીરિક, વાચિક, પવિત્રતાઓની પણ અસરો કરોડો વર્ષથી તેમાં ઊતરી આવેલી હોય છે. સત્ય આવું છતાં અમારા પાટણના જૈન યુવક સંઘે કે મંડળે સંતતિનિયમનને ટેકો આપનારી પત્રિકા છપાવી હતી. કેટલું અજ્ઞાન? ગાયકવાડ સરકાર વગેરે દેશી રાજ્યો પણ કાયદાનું અનુકરણ કરવા લલચાય એ સ્વાભાવિક છે. કેમ કે, લગભગ ઘણા ખરા કાયદા બ્રિટિશ ધારા ઘડનારાઓએ ઘડેલા ધારાઓનું જ અનુકરણ હોય છે. પ્રજાની પરિસ્થિતિનો અભ્યાસ કરીને કાયદા થતા નથી. આમ ચારેય તરફ ફેલાતા સો વર્ષે હિંદુઓની શી દશા કલ્પી શકાય છે ? શું ખરેખર આમ બને તો ભાવિ કાળમાં હિંદુઓ માટેનું ચિંતાનું કારણ નથી ? સંતતિનિયમન પ્રમાણે દરેક હિલચાલના સંબંધમાં સમજવું. આ રીતે આજની અહિંસામાં સ્વાર્થમય કેવી હિંસા સમાયેલી છે, તેનો કંઈક ખ્યાલ આવશે. અહિંસાને નામે જે કેટલાંક કામો થઈ રહ્યાં છે તેમાં તો પરિણામે મહહિંસાઓ છે. એ આપણે ઉપર કેટલાક દાખલાઓથી બતાવી ગયા. માટે છોડાવવાથી, પાંજરાપોળથી કે એવી જૈન કે આર્ય પરંપરાની આપણી જીવદયાની લાગણીથી, નાણાંથી, લાગવગથી, શરમથી, સંબંધથી જીવોની દયા પાળવાની પ્રવૃત્તિઓ ચાલે છે તેને ચાલુ રાખવી. ૩-૨-૨ સત્યની પણ વ્યાખ્યા વ્યાપક જુદી જ છે. સત્યમાં સાપેક્ષ સત્ય હોય છે. મહાન નુકસાન બચાવવા નાનું જૂઠું સત્ય ગણાય છે. વિના કારણ સહેજ પણ જૂઠું અસત્ય ગણાય છે. આધ્યાત્મિક માર્ગ, ધર્મ પ્રધાન સંસ્કૃતિના રક્ષણ માટેનું જૂઠું પણ સત્ય બને છે. અને તેને તોડનારું સત્ય પણ જૂઠું ગણાય છે. એવી જ રીતે જડવાદનો માર્ગ, તેની સંસ્કૃતિ અને તેવી પ્રજાના બચાવનું સત્ય પણ જૂઠ છે અને જૂઠ પણ જૂઠ જ છે. શાસ્ત્રમાંના અતિચાર પાઠમાંની અતિચારોની નિયમિત સંખ્યા સૂચવનારા આંકડા દરેક ઉપર આપવામાં આવેલા છે. તે ઉપરથી ગાથા સૂચિત અતિચારો અને તેની સાથે જોડાયેલા અતિચારોની સમજ પડી શકશે. એ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવું. ૩-૨-૩ આજે ખેડૂતો અને વેપારીઓમાં ભેદ પાડીને આ દેશની આખી પ્રજાને આર્થિક મુશ્કેલીમાં મૂકીને ખેતી અને વેપાર હાથ કરવામાં પરદેશીઓનું અન્યાય ભરેલું મહા અદત્ત છે. તેમાંથી બચવા અને આર્ય જીવન કે આર્ય સંસ્કૃતિમાં ટકવા જે નાનું મોટું અદત્ત સેવવું પડે, તે શી રીતે અદત્ત ગણાય ? રાજ્ય વિરુદ્ધ આપણે વર્તવાનું નથી જ. પરંતુ બહારની પ્રજાઓનો હેતુ અહીંની પ્રજાઓને ઉખેડી નાંખવાનો હોય તો તેનો વિચાર કરવો. અને તેનો યોગ્ય ઉપાય લેવા પ્રયત્નો કરવા, તેને રાજ્ય Page #690 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિરુદ્ધ શી રીતે કહેવાય તે સમજી લેવું જોઈએ. પરદેશી રાજ્ય કરે, વેપાર કરે, ધંધા કરે, અહીં રહે, તેની સામે થવું પણ જરૂરતું નથી, પરંતુ અહીંની પ્રજાનો ઉચ્છેદ થાય તેવાં પગલાં ભરે તો ચેતવું જોઈએ. દેશનાયકો સરકારનો વિરોધ કરે છે, તે ખોટો છે. કેમ કે, તેઓ તો અહીંની પ્રજાના ઉચ્છેદના માર્ગના પાયા મજબૂત કરી આપે છે. માટે તેને ટેકો આપવો તો નકામો જ છે. આજનાં પ્રજામંડળો, વેપારી સભાઓ, ખેડૂતમંડળો પણ દેશનેતાઓની નીતિનાં જ ચક્રો છે, તેમાંનાં જ છે. ૩-૨-૪ “સ્વ રસ્ત્રીમાં સંતોષ રાખવો.” એવા વ્રતવાળો શ્રાવક શોકય કે બીજાએ ન સ્વીકારેલી કન્યા-વેશ્યા વગેરેનો ઉપભોગ કરે, તો અનાચાર ગણાય. પરંતુ, માત્ર પરસ્ત્રી વિરમણ વ્રતવાળા શ્રાવકને તે અતિચાર ગણાય. કેમ કે, તેમાં એવું સાપેક્ષપણું રાખ્યું હોય કે પરે સ્વીકારેલી, પરની થઈ ચૂકેલી, પરની ગણાયેલી સ્ત્રીનો ત્યાગ. પરંતુ, જે હજુ કોઈની નથી થઈ કે સર્વ સામાન્ય હોય, તે પરની સ્ત્રી ન ગણાય. એટલે તેવી સ્ત્રીના ઉપભોગમાં અનાચાર ન ગણાય. પરંતુ સ્વ સિવાયની સ્ત્રી હોવા છતાં અને નિરપેક્ષપણે ઉપભોગ કરે તો અનાચાર. પરંતુ વ્રત સાપેક્ષપણે ઉપભોગ કરે તો અતિચાર લાગે. સ્વદારા સંતોષીને પણ જ્યારે તીવ્ર કામાસકિત અતિચાર ગણાવેલો છે. તો પરની ગણાઈ ચૂકેલીના ભોગમાં તો અનાચાર જ. સ્વ સિવાયની હોય તે પરની એવો અર્થ વ્રતમાં સાપેક્ષ હોય તે કન્યા, વેશ્યા, વિધવા, પુનર્ભ વગેરેના ભોગમાં પણ અનાચાર લાગે. સ્વદારા સંતોષ એ ગૃહસ્થનું આદર્શ વ્રત છે. જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંજોગવાળા પાત્ર જીવોની અપેક્ષાએ વ્રતો અને તેના અતિચારોની શાસ્ત્રમાં વિવિધ વિચારણાઓ છે. અપરિગૃહીતાગમન - કોઈએ ન સ્વીકારેલી કન્યા વેશ્યા વગેરે પરંતુ કન્યા હજુ પર પરિગૃહીત ઉપચારથી ગણાવી જોઈએ; કેમ કે, તે પરને આપવાની છે. વેશ્યા વગેરે પર પરિગૃહીત નથી પરંતુ કન્યાને ઉપચારથી પર પરિગૃહીત ગણવામાં હરકત જણાતી નથી. પરે ન સ્વીકારેલી હોય તેનું ગમન વ્રત સાપેક્ષપણે અતિચાર ગણાય, અન્યથા અનાચાર. ઈવર પરિગૃહીતા - વારા સિવાય શોકમનો ઉપભોગ પણ ઈવર પરિગૃહીતા અતિચાર ગણાય. તથા બીજાઓએ અમુક વખત ભાડું ઠરાવી રાખેલી વેશ્યા વગેરે પણ ઈત્વર પરિગૃહિતા ગણાય. તેનો ઉપભોગ અતિચાર ગણાય. (અહીં ગ્રન્થાન્તરોથી ઘણું સમજવા જેવું છે.) વિધવા - પરિગૃહીતા છે, તેનું ગમન અનાચારરૂપ છે, પરંતુ અહીં દષ્ટિ વિપર્યાસ અને સરાગ વચન વગેરેને પણ અતિચારરૂપે ગણાવ્યા છે. પણ પુનર્લગ્ન તો અનાચાર સિદ્ધ જ છે અથવા વિધવા સાથે પુનર્લગ્ન એ શિષ્ટ પ્રજાના શીલાચારના ભંગરૂપ છે. ભારતમાં બહુ જ ઉચ્ચકોમના જૂજ લોકોની સ્ત્રીઓ પુનર્વિવાહ કરતી નથી. આ કારણે જગતમાં ઉચ્ચ હિંદુઓની સ્ત્રીઓના સંસ્કાર શ્રેષ્ઠ ગણાય છે, જેની જોડ જગતમાં બીજે નથી. “જગતમાં બીજે નથી માટે તે ખોટું છે.” એમ માનીને જે પુનર્વિવાહ ન કરવો એ હિંદુઓની ભૂલ છે,” એમ ગણવામાં આવે તો જગતની બીજી પ્રજાઓ Page #691 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો કરતાં ઘણી બાબતોમાં અહીંની પ્રજા આગળ વધેલી છે, તેથી ઘણી બાબતમાં જુદી પડે છે. માટે જુદા પડવું દોષ માનવો એ તો નરી અજ્ઞાનતા જ છે. ૬૧૨ આ શ્રેષ્ઠતા પોતે પ્રાપ્ત કરવા યુરોપીય પ્રચારકોએ અહીં દલપતરામ કવિ વગેરેને સારો પગાર આપીને પણ વિધવાવિવાહને ઘણું જોર આપ્યું છે. આ દેશના તેઓના અનુયાયીઓએ એ વિચારને ઉપાડી લીધો છે અને તેનો પ્રચાર કરે છે. તેને પરદેશીઓનો પણ પાછળથી મજબૂત ટેકો છે. કોઈ સગૃહસ્થ, રાજા કે બીજા મોટા માણસો તે વિચારમાં ભળે, તો તેમને મોટી પ્રતિષ્ઠાઓ અને માનચાંદ પણ આપવામાં આવેલા માલૂમ પડ્યા છે. જેમ જેમ આ ઉચ્ચ કોમોની સ્ત્રીઓનું ચારિત્ર શિથિલ થાય, તેમ તેમ પ્રજાનો વહેલો નાશ થાય છે. ત્યારે બીજી તરફ પોતાના દેશમાં સ્ત્રીઓના ચારિત્રને ખીલવવા તેઓએ અનેક પ્રયત્નો શરૂ કર્યા છે. તેની સામે આપણને વાંધો નથી પરંતુ ભવિષ્યમાં પણ ગમે તેટલી પવિત્રતા તેઓ કેળવે તો પણ વારસો મલિન ગણાય, એટલે અહીંની સ્ત્રીઓ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ કરી શકાય નહીં. માટે અહીંના સ્ત્રીવર્ગમાં અપવિત્રતા પ્રવેશાવવી જ જોઈએ. પુનર્વિવાહમાં વ્યકિતની સગવડ થોડાં વર્ષો કદાચ જળવાશે, પરંતુ પ્રજાકીય અધ:પતનનું તે પણ એક મોટું કારણ છે. સ્ત્રીઓને મિલકતમાં સરખી ભાગીદારી કરીને ઉચ્ચ કુટુંબના હિંદુઓની મિલકતોને વહેંચી નાંખવાથી તેની આર્થિક સ્થિતિ ચૂંથાઈ જાય અને વેપાર ધંધામાં હરીફાઈમાં ઊભા રહી શકે નહીં, તેમજ રાજ્યો વગેરેમાં પણ એ નિયમની અસર થાય, તો યુરોપીય લોકો કોઈ તેવા વિચારવંતોની કન્યાઓ પરણે, તેઓને સરખે ભાગે તે મિલકતોના હિસ્સા મળે. સ્ત્રીઓને પિયરમાંથી ભાઈઓની સાથે ભાગ મળે. સાસરામાંથી પણ ભાગ મળે અને પુનર્લગ્ન કરે કે છૂટાછેડા લે તો પણ તે પોતાની મિલકત સાથે લઈ જઈ શકે અને પોતાના ધંધાની કમાઈ હોય, તેના ઉપર પણ પોતા સિવાય બીજાનો હકક નહીં. આમાં સ્ત્રીઓ ઉપર પુષ્કળ ઉદારતા વાપરી ગણાય. પરંતુ ધનોત્પાદક અને પ્રજાના પ્રધાન અંગભૂત પુરુષોનો તો મરો જ. આ પુરુષોનો વિનાશ નોતરીને સ્ત્રીઓ શું સભ્યતા ભરેલું સુખ ભોગવી શકશે ? ખરી રીતે તો સ્ત્રીઓના હકકને નામે અહીંની પ્રજાને દબાવી મારવાના અનેક ઉપાયોમાંનો આ પણ એક ઉપાય જ જણાય છે. જો કે હિંદુ પુરુષ નિરુપાયે જ સ્ત્રીઓને દુ:ખ પડવા દે છે. પ્રજા આખી ગુલામ ગણાતી હોય તેમાં પુરુષો સાથે સ્ત્રીઓનો પણ ગુલામીમાં ભાગ ગણાય. સ્ત્રીઓને કદાચ વધારે સોસવું પડતું દેખાતું હોય, તેમ છતાં ઘણું સમતોલપણું જળવાઇ રહે છે. પરંતુ સ્ત્રીઓને માટે જ્યારે સંપૂર્ણ છૂટ અને મિલકતોમાં પણ સંપૂર્ણ હકકો વગેરેથી જ્યારે તેને છેલ્લી હદ સુધી છૂટ અપાય અને પુરુષો જ્યારે છેલ્લી હદ સુધી કચડાયેલી સ્થિતિમાં આવે, ત્યારે આખી પ્રજાની સ્થિતિ શી ? જ્યારે આખી પ્રજાની સ્થિતિ પાયમાલ થવાનો પ્રસંગ આવે, ત્યારે તેમાં યે સ્ત્રીઓ બચી જશે, એમ શી રીતે માની શકાય ? વળી આજે સ્વતંત્રતાનો ખરો અર્થ તો સ્વચ્છંદતામાં જ છે. જ્યારે સંયમ, મર્યાદા વગેરે તત્ત્વોને તોડીને ગમે તેમ વર્તવાની છૂટ સ્રીઓને આપવામાં આવે તેવી કેળવણી, તેવાં બાહ્ય સાધનો, તેવા Page #692 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૬૧૯ વાતાવરણમાં ઉછેર અને સહવાસ વગેરેથી જે સ્થિતિ થાય, તેમજ પૂર્વાપરની કુટુંબમર્યાદા, તપસ્વી, બ્રહ્મચારીણી અને સદાચારી સાધ્વીઓ વગેરેનો સહવાસ, સંયમના દરરોજના ઉપદેશ, વ્રતો, પ્રત્યાખાનો, સંયમપ્રધાન શાસ્ત્ર અને દષ્ટાન્તોના શ્રવણ વગેરેથી આજની કેળવાયેલી સ્ત્રીઓ દૂર થતી જાય, ત્યારે ધનના પ્રસંગથી તેમની બાહ્ય સ્વતંત્રતા ભલે ગમે તેટલી જોવામાં આવે. પરંતુ, ચારિત્રશિથિલતા કે આજના કરતાં ઊતરતો સંયમ આવે અને માનસિક નબળાઈઓ વધી પડે તો, પછી તે કેટલી અધમ સ્થિતિ ગણાય ? અને તેમાં ઉન્નતિ શી ? એમ તો વિષયવાસનાની અમર્યાદ છૂટ પશુઓમાં પણ વધુ પ્રમાણમાં દેખાય, એટલે શું કોઈ તેને વધુ ઉન્નત કહી શકશે ? માનસિક ઉન્નતિ એ જ પ્રજાની ખરી ઉન્નતિ છે. આર્થિક, રાજકીય, પ્રજાકીય, શારીરિક, સાંસ્કારિક વગેરે કોઈ પણ ઉન્નતિનું કેન્દ્ર માનસિક ઉન્નતિ જ છે. આજે જે કાંઈ માનસિક ઉન્નતિનો દરજજો આપણાં ઉચ્ચ કુટુંબોની સ્ત્રીઓમાં ટકેલો છે, તેના કરતાં જે ઉપર જણાવેલી સ્વતંત્રતાઓને લીધે ઊતરી પડાય તો તેમાં ઉન્નતિ શી ? તે પૂરેપૂરી અવનતિ જ ગણાય. અને પુરૂષોની તો માનસિક આર્થિક તથા બીજી અનેક જાતની અવનતિ ઉપરના કાયદાને લીધે થાય, તો પછી આખીયે પ્રજાનો અંત વહેલો જ આવી જાય, તેમાં આપણી સ્ત્રી-જાતિને શું વધારે મેળવવાનું છે. કોઈ કહેશે કે, સ્ત્રીઓમાં સ્વતંત્રતાને અંગે સંસ્કાર અને શક્તિ ટકેલી હશે તો બીજી સુધરેલી પ્રજાના પુરુષોનો લાભ લઈ શકશે અથવા તે પ્રજાને આ સ્ત્રીઓનો લાભ મળશે અને કોઈ વધુ સુંદર પ્રજા થશે, પરંતુ આ પરિણામ તો અત્યન્ત ભયંકર જ ગણાય. કરોડો વર્ષની સંસ્કારી પ્રજાનું વ્યભિચારમય સંકરજીવન જેવું બીજું અધ:પતન ગણાય જ નહિ. કોઈ કહેશે કે, તમો આટલી બધી છેવટની કલ્પના સુધી કેમ પહોંચો છો ? તેના જવાબમાં કહેવાનું કે, આ કલ્પના નથી. ભવિષ્યમાં સારી પ્રજા ઉત્પન્ન કરવાના બહાના નીચે આજે અન્ય પ્રજાના સશક્ત પુરુષોના સંયોગની વાતોની હવા મજબૂત રીતે ચાલી રહી છે. આજે ઊછરતી બાળાઓની સામે જે જાતનું વાતાવરણ, સંસ્કાર, શિક્ષણ ગોઠવવામાં આવે છે, તેની પાછળ કાયદાઓની જે પીઠ ગોઠવવામાં આવે છે, તેના ભાવિ પરિણામની કલ્પના કરતાં એ પરિણામ અસંભવિત માની શકાતું નથી. અને એક પગલું ચૂકયા પછી, મુદ્દાની બાજી હાથમાંથી છટકી ગયા પછી, કેટલી હદ સુધી પતન થાય ? તે કહી શકાય જ નહીં, કયાં સુધી ગબડી પડાય ? તે કોઈ ચોકકસ કહી શકે નહીં કે, અમુક હદથી આગળ પતન નહિ થાય, એમ મર્યાદા ન બાંધી શકાય. બીજી તરફ અહીંના પુરુષોનો ઉપયોગ પરદેશની સ્ત્રીઓ માટે ખુલ્લો થતો જાય છે. ત્યાં અભ્યાસ વગેરે માટે જતા લોકોની સામે જે જે લાલચો મૂકવામાં આવે છે, તે છાપામાં વાંચતાં આપણને ચારિત્રમાં જે ભાવિ અધ:પતનનો ભાસ થાય છે; તે કમકમાટી ઉપજાવે તેવો જણાય છે. ગમે તેવી પણ આજની હિંદુ કુટુંબોમાં ચાલતી મર્યાદાઓના કિલ્લા તૂટી ગયા પછી શું પરિણામ પ્રજા માટે Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦. પંચ પ્રતિક્રમણ સૂત્ર આવશે તે કહી શકાતું નથી. ઉચ્ચ હિંદુ પ્રજાના સ્ત્રી-પુરુષોના બન્નેય વર્ગનો આ કાયદાઓ અને આજના વાતાવરણથી કયારે કેટલા પ્રમાણમાં અધ:પતન થશે તે કહી શકાતું નથી. આખી આર્ય પ્રજાના અસ્તિત્વ ઉપર મોટા ફટકારૂપ આજની શરૂઆત ભાસે છે. છૂટાછેડા એ તો ઉચ્ચ કોમની હિંદુ સ્ત્રીઓ માટે પતનનો છેલ્લો જ પાટલો ગણાય. પ્રથમ તો માત્ર વિધવાઓના લગ્નની વાત કરી દયામણી લાગણીથી પ્રચાર કરીને વિદ્યમાન પતિવાળી સ્ત્રી માટે પણ છૂટાછેડાની હદ સુધી પ્રચારકાર્ય પહોંચાડી દીધું છે. ૧૫ વર્ષની વિધવા માટે મર્યાદિત ઠરાવની હિમાયત કરનાર દેશનેતા પણ એ કાયદા સામે લગભગ ચૂપ છે. એટલે એ મર્યાદા તો માત્ર મહાત્મા તરીકે પોતાનામાં પ્રજાનો વિશ્વાસ ખેંચવા પૂરતી જ હતી. હદય તો જે હતું, તે હવે ખુલ્લું થયું છે. • કેળવણી, સંસ્કાર અને આજુબાજુના વાતાવરણથી સ્ત્રીઓને કે પુરુષોને શિયળ સંપન તૈયાર કરી શકાય છે. આધ્યાત્મિક અને માનસિક કેળવણીના સંસ્કારથી અવિકારી સ્ત્રી-પુરુષો ઉત્પન્ન કરી શકાય છે. અને તેનો વારસો પણ ચલાવી શકાય છે. આજથી ૫૦ વર્ષ પહેલાંનો સ્ત્રીવર્ગ જેટલો શિયળ માટે કાળજીવાળો જણાય છે, તેટલો આ દેશનો આજકાલનો સ્ત્રીવર્ગ જણાતો નથી. તેનું કારણ તેઓનો સંસ્કારી વારસો હતો, ત્યારે આજે પતનનું વાતાવરણ છે. હાલના સ્ત્રીવર્ગ સામે શિયળની શિથિલતાના અનેક સંજોગો ધરવામાં આવે છે. નાટકો, સિનેમા, તેવા પ્રકારની વાર્તાઓ, માસિકો, વર્તમાનપત્રો, ફોટાઓ, ભાષણો, કાયદાઓ, પ્રચાર કરનારાઓ, સહશિક્ષણ, મર્યાદાનો અભાવ, આછકલા વેશ, પુનર્વિવાહ વગેરેની ચર્ચા, તેવા પ્રકારની કોઈ કોઈ શિક્ષિકાઓ, ધાર્મિક વાતાવરણનો અભાવ, એવા ધાર્મિક વાતાવરણમાંથી જેમ બને તેમ છૂટા પડવાનો પ્રયત્ન, પરદેશોમાં જવું-આવવું, કુટુંબાદિક મર્યાદાઓનો અભાવ, સ્વાતંત્ર્યની ખોટી હવા, પુનર્વિવાહ અને છૂટાછેડાને પ્રગતિ ગણવી, સ્ત્રી-પુરુષોના અતિ સંસર્ગ, કારખાનામાં કામકાજમાં ભેળસેળ, ટ્રામ-બસ-રેલવેમાં અડોઅડ બેસવું વગેરે. અને આ બધા વાતાવરણની અસર પુરુષો ઉપર પણ થઈને પુરુષો પણ શિથિલ ચરિત્રવાળા થયા છે. સ્ત્રીઓમાં પણ માનસિક શૈથિલ્ય પહેલાંના કરતાં પ્રમાણમાં વધતું જાય છે. શિથિલ શિયળવાળી માતાઓનાં સંતાનોને વારસો જ તેવો મળશે, એમ ઉત્તરોત્તર પ્રજા ભ્રષ્ટ ચારિત્રવાળી બનતી જાય એ સ્વાભાવિક છે. જો કે આ દેશના પુરુષો એક ઉપર વધારે સ્ત્રીઓ, સંતાનની અપેક્ષા કરતા હતા, પરંતુ આજના જેટલું શિથિલ ચારિત્ર નહોતું. કેમ કે, તે પુષ્કળ મર્યાદાઓ વચ્ચે થતું હતું. પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સંતાન વિના વિષયવાસના માટે એક કરતાં વધુ સ્ત્રીઓના દાખલા પણ ઘણા મળે તેમ છે. છતાં શિષ્ટ લોકોનો અંકુશ હોવાથી ઘણાં કુટુંબોમાં ચારિત્રમાં કંઈક દઢતા હતી. પુરુષોના વારસાની જવાબદારી માટે પણ બીજી સ્ત્રીને માટે અપાયેલી મૂળ છૂટનો ઘણે અંશે દુરુપયોગ થયેલાના દાખલા છે. છતાં આજના જેટલો પુરુષ વર્ગ ત્યારે શિથિલ નહોતો, આજની શિથિલતા અજબ છે. ખૂબી તો એ છે કે, આને શિથિલતા ગણવામાં આવતી નથી, પણ સહજ Page #694 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૬૨૧ ગણવામાં આવે છે, જે વિનાશક છે. યુરોપમાં એક પત્નીવ્રત તો માત્ર નામનું જ જોવામાં આવેલ છે. કેમ કે, સાંભળવા પ્રમાણે વ્યભિચાર વધારે હતો અને ગમે તેટલી વાર લગ્ન કરવાની છૂટમાં ચારિત્રનો વિચાર શો કરવાનો હોય ? તેમજ તે પ્રજા એટલી સાત્વિક અને વીર્યવાળી પણ જણાઈ નથી. ત્યારે અહીંની પ્રજા સાત્વિક અને વીર્યવાળી માનવામાં આવી છે. વળી પુરુષ એકી દિવસે એક કરતાં વધુ સ્ત્રીઓને ગર્ભ ધારણ કરાવી શકે પરંતુ સ્ત્રી એક દિવસે એકથી વધુ ગર્ભધારણ કરી ન શકે. આ કુદરતી નિયમના સંકેતને ધ્યાનમાં લઈને લશ્કર વગેરેમાં એક જ વંશનાં સંતાનોની દષ્ટિથી પુરુષો અનેક સ્ત્રીઓ પરણતા હતા. તેમ છતાં તે બધું મર્યાદામાં હતું જ. પરણ્યા વિના સ્ત્રીનો ઉપભોગ ન કરી શકાય. વેશ્યાઓના ઉપભોગોમાં પણ અમુક રીતે સ્વીકારાયેલી વગેરે મર્યાદાઓ હતી. ત્યારે આજે તેમાંની મર્યાદાઓનો લોપ થતો જાય છે, અને બીજી રીતે પુરુષોની શારીરિક નબળાઈ છેલ્લાં ૫૦ વર્ષમાં ઘણી વધી ગઈ છે. તેથી એક પત્નીનું પણ પૂરતી રીતે પાલન ન કરી શકે, તે એકપત્નીવ્રત રાખે તેની કિંમત શી ? નબળા પડીને એક પત્નીપણું સ્વીકારવાથી કે બ્રહ્મચારી થવાથી પ્રજાની ઉન્નતિ શી ? તેના કરતાં તો વીર્યવંત પ્રજા તરીકે અનેક પત્ની કરવામાં અલ્પ અવનતિ છે. ત્યારે અત્યારે વ્યભિચાર સૂગની વસ્તુ જ રહી નથી. જો કે હવે કદાચ તેને માટે પણ કાયદા-અંકુશો કરવામાં આવશે, પણ તેનું પરિણામ સંતતિ નિયમન વગેરેથી ઉત્તમ પ્રજાના નાશમાં આવશે. તેમજ સ્ત્રી-પુરુષોના વધુ શિથિલ ચારિત્રની પરંપરા ચાલશે, જે પ્રજાને શોચનીય સ્થિતિમાં મૂકી દેશે. પડી રહેલા વિધવા ક્ષેત્રોમાં સંતાનોત્પત્તિ કરવામાં પ્રજાની ઉન્નતિ માનવાની દલીલ કેટલી હાસ્યાસ્પદ છે ? કેમ કે, આખી પ્રજાના નાશના ઉપાયોના અંગભૂત પ્રયત્નમાંથી આદર્શને સિદ્ધાન્તને તથા નૈતિક તત્ત્વને નુકસાન કરનાર કલ્પિત લાભ મેળવવાનો વિચાર બાલિશતા ગણાય. એટલે કે એકપત્નીત્વનો કાયદો, બાળવિવાહ અને વૃદ્ધ વિવાહનો અટકાવ, સ્ત્રીના સમાન વારસાહકક, છૂટાછેડા, પુનર્વિવાહ, સ્ત્રી-સ્વાતંત્ર્ય, સિવિલ મૅરેજ, લગ્નના મુદતી કરાર, સંતતિનિયમન, જ્ઞાતિ ત્રાસ નિવારણ વગેરે ભારતીય ઉચ્ચ કુટુંબની સ્ત્રીઓને કેવી ભયંકર સ્થિતિમાં મૂકશે એ વિચારવા જેવું છે. તેની કલ્પના ૫૦ વર્ષે શું પરિણામ આવશે તે કરવાથી સમજાશે. પુરુષો દબાશે, પ્રજાનું શિથિલ ચારિત્ર થશે, આંતરજાતિય અને આંતરરાષ્ટ્રીય લગ્નોથી જે એક વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થશે, તેમાં ઉચ્ચ હિંદુઓના વ્યક્તિત્વનો તો લગભગ નાશ જ કલ્પી શકાય છે. ઉચ્ચ હિંદુઓના સંસ્કાર યુરોપવાસીઓ સ્વીકારશે. તેઓ ભલે સ્વીકારે, પણ અહીંના સંસ્કાર તોડવાને જે યુક્તિ પ્રયુક્તિઓ ગોઠવાય તો તે મહાઅન્યાય છે. એમાં કોઈ પણને લાગ્યા વિના રહેશે નહીં. અને આ દેશમાં કેળવીને તૈયાર કરેલ એક સુધારક વર્ગને આડે રાખીને આ બધી હિલચાલ યુરોપવાસીઓ તરફથી ચાલે છે. કેમ કે, સીધી હિલચાલ હજુ કરી શકાય તેમ નથી, એવું હજુ પ્રજામાં બળ છે. પરંતુ એ બળને થોડું તૂટેલું ગણીને તેમજ ટેકો આપનાર વર્ગને અધિકારીઓ તરીકે અને Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો આગેવાનો તરીકે ગોઠવીને પ્રથમ ચર્ચાઓથી વાતાવરણમાં ફેલાયેલા વિચારોને હવે કાયદાનું સ્વરૂપ આપવા માંડ્યું છે. હિંદુ સ્ત્રી-પુરુષોના ચારિત્ર તેમજ તેની પ્રજાના રક્ષણના એક પણ સંસ્કાર બચવા ન પામે, તેવી જાતના કાયદા જુદે જુદે વખતે જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી ધારાસભામાં જુદા જુદા માણસોને હાથે જુદા જુદા બહાના નીચે થયા છે, થાય છે, અને થયા કરશે એમ લાગે છે. એકીસાથે ન કરતાં ધીમે ધીમે અને વહેંચાયેલી રીતે થાય, તેથી પ્રજાને એકદમ ઉશ્કેરાવાનું કારણ ન મળે, હાલમાં તો તે કાયદાઓ ધારાપોથીમાં દાખલ થાય, પછી પ્રસંગે તેનો અમલ થાય. આજના કાયદાઓનો ઇતિહાસ તપાસતાં આ તત્ત્વો આપણને મળી આવશે. વચલા વખતમાં વધારે પડતી છૂટ લેવા દઈને તેનાથી નુકસાન થયા હોય, તે બહાર લાવીને કાયદાની આવશ્યકતાનું વાતાવરણ તૈયાર કરી શકાય છે. આમ છતાં પણ વ્યકિતગત રીતે ઘણાં સ્ત્રી-પુરુષો, કુટુંબો, જાતિઓ પોતાની પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરે છે ને કરશે. અને આવા કટોકટીના સમયમાં પણ ઘણે અંશે જળવાશે તેમાં સંશય નથી. છતાં સુજ્ઞ પુરુષોએ જેમ બને તેમ સાવચેત રહી પ્રજાના, ધર્મના, ભાવિ સંતાનોના ભલા માટે પ્રજાનાં ચારિત્ર્ય શિથિલ કરનારા અને સામર્થ્ય હણનારા સંજોગોથી દૂર રહેવાય તેવા પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ. છતાં અક્ષરજ્ઞાનની યોજના, રેડિયો વગેરેની હાલની જાહેરાતોનાં સાધનો વધતાં પ્રજાના મનમાં સંશયો, દુઃખીપણાના આભાસ ઉત્પન્ન કરી સુખસગવડની લાલચો આપી, પ્રથમની સ્થિતિ અને મર્યાદાઓ તરફ અણગમો ઉત્પન્ન કરી ખેંચવાની ગોઠવણો થઈ રહી છે. અક્ષરજ્ઞાનથી છાપાં અને પેપરોનું વાતાવરણ અસર કરશે અને રેડિયો, સિનેમા, મેન્ટીક સેંટર્નની યોજનાઓ તથા તેવા પ્રચારકો પ્રજાનો અનેક રીતે બુદ્ધિભેદ કરી કઈ સ્થિતિમાં મૂકશે તે કહી શકાતું નથી. અક્ષરજ્ઞાનની યોજનાથી ભણ્યા પછી ઉત્તમ પ્રેરક સાહિત્ય તેના હાથમાં ભાગ્યે જ આવવાનું છે. આજનું હલકટ સાહિત્ય એ સામાન્ય ભણેલા લોકોના હાથમાં આવે એ સ્વાભાવિક છે. એટલે બોધ માટે ધર્મગુરુઓના સહવાસને બદલે એવાં પુસ્તકોથી સંતોષ મનાશે ને ખરા જ્ઞાનમાર્ગનો અંકુશ છટકી જશે. ભણવું જેટલું સારું છે તેટલું જ હલકટ સાહિત્ય વાંચતાં આવડવું ખરાબમાં ખરાબ છે. ખરી રીતે સંસ્કારી અને લાયક પ્રજા વધવી જોઈએ. તેના જ ઉપર ઊલટા અંકુશ મુકાશે અને બહારની પ્રજાઓની ઈનામો દ્વારા સંતતિ વધારાશે. પરિણામે જગતમાં અન્યાય અને અધર્મનું વાતાવરણ વધશે પરંતુ આજ યુરોપની સ્વાર્થ મશગૂલ પ્રજાઓ અને તેના આગેવાનો આ માને તેમ નથી. તેઓની લાગવગ અને સત્તા ઘણાં વધતાં જાય છે અને વધી રહ્યાં છે, કે જેને આજના યુવકો પ્રગતિ કહે છે. સારાંશ કે, આજના પ્રચારકાર્યમાં આપણું હિત જણાતું નથી, તેથી તેના ઉપર વિશ્વાસ કેટલો - રાખવો તે દરેક સદગૃહસ્થોએ વિચારી રાખવા જેવું છે. કુલાંગના - એટલે આપણા હાલના સંજોગ પ્રમાણે કુલવતી ઉમરલાયક કન્યા. એ અર્થ અહીં Page #696 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬ ૨૩ સમજાય છે. કુળવતી પવિત્ર વધૂ એ અર્થ તો પ્રસિદ્ધ છે. દષ્ટિ-વિપર્ધાસ - કામવાસનાથી સામે જોવું. સભ્યતાપૂર્વક સામે જોવામાં હરકત નહીં પણ સભ્યતાને બહાને બીજી રીતે જોવાની સગવડ લેવી, તે દૂષણ છે. ઘર-ઘરણાં - પુનર્વિવાહ કરાવવામાં પણ અતિચાર તો કરવામાં અનાચાર હોય તેમાં પૂછવું જ શું? સ્ત્રી અને પુરુષ બન્નેયને માટે સરગવચન - સામાન્ય વાતચીત પણ કામવાસનાની અસરથી મિશ્રણ ભાવથી કરવામાં અતિચાર. ઢીંગલા-ઢીંગલી પરણાવવા - એ પણ કામવાસના સંબંધી બોળચેષ્ટા છે. (આ ક્રિયાનો સંભવ બાળાઓમાં એટલે સ્ત્રી જાતિમાં છે. તેથી આમાં શ્રાવિકાઓના અતિચારો પણ સાથે જ આવેલા જણાશે. તેથી શ્રાવિકાઓ માટે જે વિચાર જુદા અતિચાર-પાઠની જરૂર નથી. જુદો અતિચાર પાઠ આપવાથી પૂર્વપુરુષોની રચનામાં ન્યૂનતા બતાવવા બરાબર ગણાય છે, જે ધારણા અતિચાર પાઠ રચનાર માટે સંભવિત નથી. જુદો પાઠ રચવાથી સાધ્વીજી અને શ્રાવિકાઓ માટે ઘણા ફેરફાર સામાન્ય ક્રિયાઓમાં પણ કરવા પડે. વંદિત્ત સૂત્રની ગાથાઓમાં પણ ઉમેરા કરવા પડે વગેરે દોષો જણાય છે.) સ્ત્રી કે પુરુષની જનનેન્દ્રિયો યોગ્ય સંતાનો માટે કુદરતે ઉત્પન્ન કરેલી હોવાથી, તે પ્રયોજન વિના, યથાયોગ્ય રીતે ઉશ્કેરવાના નિયમો સિવાય અથવા સ્વત: યથાયોગ્ય રીતે ઉશ્કેરાયા વિના કૃત્રિમ પ્રયત્નો, બાળચેષ્ટાઓ, રમતગમતમાં કે સંયમને અભાવે ઉશ્કેરવાથી, ઉશ્કેરી દેવાથી પણ તેમાં શિથિલતાનો સંચાર થાય છે, અને ક્રમે ક્રમે સ્ત્રીઓને અને પુરુષોને પણ ફલીબના એક જાતની નપુંસકતા પ્રાપ્ત થવાનો સંભવ થાય છે. એ અવયવો ગમે ત્યારે રમવાનાં રમકડાં નથી કે તેનો ગમે તેમ ઉપયોગ કરી શકાય. એ ઘણાં જ મહત્ત્વના અને રક્ષણ કરવા લાયક અવયવો છે, અને મર્મસ્થાનો છે માટે જ તેને ગુપ્ત રાખવામાં આવે છે. બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છાવાળાઓએ પણ જનન અવયવોની શિથિલતા થવા દેવી જોઈએ નહીં. કેમ કે, તેમ થવાથી સ્વપ્નદોષાદિ થવાનો સંભવ થાય છે. તેમજ બીજા અનેક રોગો ઉત્પન્ન થાય છે, કે જેથી કોઈ વખત ભયંકર સ્થિતિમાં મુકાવું પડે છે. જનન અવયવો સૌમ્ય ધાતુઓ પ્રધાન આશયો છે, તેનું કારણ પણ એ છે. તેથી જેમ બને તેમ શુદ્ધ સૌમ્ય ધાતુઓનો ભરાવો ખૂબ થાય તેવા આહારવિહાર, ખાનપાન, સંસર્ગ, મૈત્રી, મનોભાવના વગેરે રાખવાં જોઈએ. તેને માટે બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના અને નવનાડોની ખાસ ભલામણ કરવામાં આવી છે. તે સાચવવાથી ઇંદ્રિયો ઉશ્કેરાય તો નહીં પણ વધુ શાંત થાય એ ચમત્કારિક માનસિક જડીબુટ્ટીઓ છે. મહાત્માઓની કૃપાની પ્રસાદી છે. કોઈ પણ સંજોગોમાં ઈદ્રિયો જરા પણ ન ઉશ્કેરાય, તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે તેમાંથી સર્વ અનર્થ પરંપરા શરૂ થાય છે. તે જ પ્રમાણે સાંસારિક સ્વદાર સંતોષી ગૃહસ્થોએ પણ ખાસ આત્યંતિક કારણ વિના લેશમાત્ર ઈંદ્રિયોને ઉશ્કેરાટ મળે તેવા સંજોગોથી ઈરાદાપૂર્વક દૂર રહેવું. બચપણથી જ આ નિયમ જાળવવો જોઈએ. તેથી સ્ત્રી-પુરુષનો પરસ્પર સ્નેહ અને વફાદારી ટકી રહે છે. દીર્ધાયુષ થાય છે, સંતતિ સારી, દીઘયુષી થાય છે અને ગૃહસ્થાશ્રમ પણ સ્વર્ગમય બને છે. આ જ દૃષ્ટિથી સ્ત્રીઓને મર્યાદામાં રાખવામાં આવે છે. કુલપુત્રોને પણ મર્યાદામાં અને સારી સોબતમાં તથા સારા વાતાવરણમાં રાખવામાં આવતા હતા, ને આવે છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો આજે નાટક, સિનેમા, નૉવેલો, હોટલોનાં ખાણાં, સંસ્થાઓમાં ચારિત્રહીને બાળકોના સંસર્ગ, નિશાળોમાં બાળકો અને બાળાઓના સંસર્ગ, રેલવે, ટ્રામ, મોટરો વગેરેમાં વિચિત્ર સંસર્ગો વગેરે બ્રહ્મચર્યભંગના અનેક સંજોગો ઊભા થઈ ચૂકયા છે, તો પછી ઈદ્રિયોને ઉશ્કેરાટ વિષે તો પૂછવું જ શું? જેમ બને તેમ તેથી બચવામાં કલ્યાણ છે. સુહાણે-સ્વપ્નાન્તરે સ્વપ્નમાં બ્રહ્મચર્ય ભંગની ઈચ્છા તે અતિક્રમ, તે તરફ પ્રયાસ તે વ્યતિક્રમ. ભંગની કેટલીક હદ સુધી જઈ પહોંચવાની સામગ્રી મેળવાય તે અતિચાર, અને ભંગ થઈ જાય તે અનાચાર. માત્ર સ્વપ્નના અનાચાર હોવાથી વાસ્તવિક રીતે અનાચારરૂપ છે. કેટલીક વખત બ્રહ્મચર્યના ભંગને લાયક માનસિક તેમજ તેવા પ્રકારના બાહ્ય સંસર્ગ ન હોય, વ્યકિતની ઈચ્છા સારી રીતે બ્રહ્મચર્ય પાળવાની હોય, વારસામાં શિયળને લાયક મનોબળ તથા સંસ્કાર મળ્યાં હોય, છતાં રાત્રિદોષ-સ્વપ્નદોષ વગેરે ઘણાને થઈ આવે છે ત્યારે તેઓ ગભરાય છે, અને તેના ઉપાયો અનેક અજમાવે છે પણ સફળતા મળતી નથી. ત્યારે કેટલાક વારંવાર થઈ આવતી વાસનાનો નાશ કરવા વીર્યનો નાશ કરનારી અને વીર્ય સૂકવી દેનારી ક્ષારાત્મક દવાઓનો પ્રયોગ કરે છે. પરંતુ બન્નેય ઠીક નથી. કેટલીક આહારની વિષમતા, તપશ્ચર્યાના અવિધિપૂર્વકના આદિના અંતર પારણા અને પછીના ઉત્તર પારણાની વિષમતા કારણભૂત બની ગયેલ હોય છે. તપશ્ચર્યા પોતે બ્રહ્મચર્યમાં મદદગાર છે એટલું જ નહીં પણ શરીરને કાન્તિમાન બનાવી શકે છે. પરંતુ તેની આગળ પાછળની અવિધિઓ તેમાં હરત કરે છે તેમજ રોજના અજીર્ણ, મળની શુષ્કતા, દીર્ઘ અજીર્ણથી શરીરમાં લાગુ થયેલો તપારો વગેરે રાત્રિદોષ વગેરેના પણ કારણ હોય છે. યોગ્ય આહાર, આરામ અને બહાચર્ય, એ ત્રણેય આરોગ્યના મૂળ થાંભલા છે. પરંતુ, તેમાં આહાર પદ પહેલું હોવાથી મુખ્ય આધાર તેના ઉપર જ છે. આહારની વિષમતા મટીને સમતા થાય તો બધું પાછું વ્યવસ્થામાં આવી જાય છે. ખોરાકમાંથી પૂરતું વીર્ય બનીને તેનો ખૂબ સારો ભરાવો થાય છે. ઓછાશ અને અશુદ્ધિ પણ ઉશ્કેરાટનું કારણ બને છે. ખોરાક બરાબર પાચન થઈને જોઈએ તે પ્રમાણમાં વિર્ય ન બને અથવા વિષમ આહારથી ગરમી ઉત્પન્ન થઈ વીર્ય બહાર નીકળી જઈને તેની જરૂરી પ્રમાણમાં ઓછાશ થઈ જાય તથા તીખાં, ગરમ, ઉગ્ર, ઝેરી પદાર્થોના દવા તરીકે કે બીજી રીતે સેવનથી વીર્યમાં પણ ગરમતત્ત્વો દાખલ થાય. આહારમાંથી ઉત્પન્ન થયેલી સાત ધાતુઓ ચોખ્ખી ઉત્પન્ન ન થતાં મલિન થાય, તો તેમાંથી ઉત્પન્ન થયેલું વીર્ય પણ ઉશ્કેરાય છે, માટે તે અશુદ્ધ ગણાય છે. સ્ત્રીઓ અને પુરુષોએ બન્નેયે વીર્યનો પૂરતો ભરાવો અને શુદ્ધિ જાળવવાની જરૂર હોય છે. તો બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકાય છે. વીર્યનાશની કે સુકાવવાની દવાઓ કરતાં વીર્યની શુદ્ધિ અને ભરાવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધિ વિનાનો ભરાવો પણ ટકી શકશે નહીં, માટે શાંત, સ્થિર, ઠંડું, ઘટ્ટ અને નિર્દોષ વીર્યનો ભરાવો રોજ થતો રહે તેવી આહારવિહારમાં સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. એ જ વીર્યરક્ષા અને બ્રહ્મચર્ય Page #698 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૨૫ પાલનનો ઉત્તમ ઉપાય છે. તે માટે પોતાને જરૂરી માત્રા કરતાં વધારે કે ઓછો આહાર ન લેવો. ભૂખ્યા ન રહેવું. એક વખત ખાધેલું પચ્યા વિના ઉપરાઉપર ખાવું નહીં, માટે યોગ્ય અંતર પડવા દેવું. પ્રકૃતિને પ્રતિકૂળ ખોરાક ન લેવો. જેમ બને તેમ સાત્ત્વિક અને સામ્ય ધાતુવર્ધક ખોરાક લેવો. નવાવાડમાં તેમજ બ્રહ્મચર્યની પાંચ ભાવનામાં પણ ખોરાક અને ઉત્તમ સંસર્ગ સેવન ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. અધ્યશન પ્રથમનું પચ્યા વિના, ખાવા ઉપર ખાવું. અત્યશન વધારે ખાવું. અનશન ન ખાવું. વિષમાશન=બિનવખતે, પાચન થયા વિના કે કાચું કોરું, અયોગ્ય ખાવું. અલ્પાશન =જરૂરી કરતાં ઓછું ખાવું. અયોગ્યાશન પોતાની પ્રકૃતિને માફક ન હોય તે અથવા ખોરાકને લાયક ન હોય તેવા પદાર્થો ખાવા. અતિવ્યવાય અતિ મૈથુન પરિશ્રમ. અતિવ્યાયામ ઘણી અને અયોગ્ય કસરત. અતિનિદ્રા અને અલ્પનિદ્રા ખાસ કારણ વિના દિવસે નિદ્રા વગેરે રોગનાં કારણો છે, અને બ્રહ્મચર્યને હરકત કરનારાં છે. સમાશન, સમવ્યાયામ, સમનિદ્રા વિષમ વ્યવાને બદલે સમવાય અને બ્રહ્મચર્ય, એ સર્વ રોગમાંથી બચાવીને આરોગ્ય આપનારા છે. આરોગ્યમય જીવનની આ અપૂર્વ ચાવી છે. અગાઉના વખતની કથાઓમાં સાંભળવામાં આવે છે કે, રાજકુમારોને સાત્વિક, સૌમ્ય ખોરાક આપવામાં આવતા હતા. અને એવા કછોટાઓ પહેરાવવામાં આવતા હતા કે, જેથી કરીને મળસૂત્રના પ્રચારને અડચણ આવતી નહોતી અને બ્રહ્મચર્યભંગને માટે ઈદ્રિયો ઉશ્કેરાવા સુધ્ધાં પ્રસંગ મળતો નહીં. પૂર્વ દેશમાં આજે પણ ગોળ, તેલ જેવી ગરમ ચીજ ખાવાનો રિવાજ નથી. તેનું કારણ પણ આ જ જણાય છે. જો કે, પાછળથી બીજી પ્રજાઓના સંસર્ગને લીધે આ દેશમાં લાલ મરચાં સ્વાદની લોલુપતાથી વધારે ખાવાનો રિવાજ પડી ગયો છે. લાલ મરચાં પાચક છતાં બ્રહ્મચર્યના કટ્ટા શત્રુ છે. કેમ કે, તેની ગરમી ઠેઠ વીર્યમાં પહોંચીને તેને ઉષ્ણ બનાવી દે છે. આપણા પૂર્વપુરુષોની મૂળ યોજના સૌમ્ય તત્ત્વો ખોરાકમાં કાયમ કરવાની જણાય છે, જેથી વિર્ય અશુદ્ધ પણ ન થાય અને શુદ્ધ વીર્યનો પૂરતો ભરાવો હોવાથી જ્ઞાનતંતુઓ (નર્વસ) પણ મજબૂત અને ટકાઉ બને છે. જે શરીરબંધારણનું મહત્ત્વનું તત્ત્વ છે અને જે દીર્ધાયુષમાં કારણભૂત છે. માણસો એમને એમ જીવન પૂરું કરે છે પરંતુ, યોગ્ય આરોગ્યનો આનંદ ભાગ્યે કોઈક જ લઈ શકતા હશે. ખરેખર, પૂર્વના મહાત્માઓએ આવાં વ્રતો ગોઠવી આપીને પ્રજામાં અનેક પ્રકારની ઉચ્ચ તાલીમ અને બોધ સાથે સંસ્કારની વૃદ્ધિ કરી પ્રજાની પવિત્રતાની ખૂબ રક્ષા કરી મહાનમાં મહાન ઉપકારો કરેલા છે. અનેક ઉપદેશો અને ચોપડીઓ કાંઈપણ અસર કરવાને ઊલટી અવનતિ વધારી રહેલ છે તેને બદલે આવાં વ્રતોના પાલન માટે પ્રતિજ્ઞાઓ લેવડાવીને તેઓની અનેક મુશ્કેલીઓ દૂર કરી સુંદર તાલીમ આપવામાં આવતી હતી, જેમાં બધાં કર્તવ્યોનો સમાવેશ થઈ જાય. ચોપડી વાંચવા છતાં અમલ દૂર રહે છે, ત્યારે વ્રતો આપવાથી અમલની શરૂઆત જ થઈ જાય છે. આજે સ્ત્રી-સ્વાતંત્ર્યને નામે આર્યસ્ત્રી વર્ગને સ્થાનભ્રષ્ટ અને નૈતિક અધ:પાતમાં લઈ જવાની Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ પંચ પ્રતિકમાણસૂત્રો પેરવી જણાય છે. આખી પ્રજા જ ગુલામ બનતી જાય છે. સ્વાતંત્ર્ય શબ્દ માત્રથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થતું જ નથી. પ્રજા જ સ્વતંત્ર નથી તો સ્ત્રીઓને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કયાંથી થાય? સ્ત્રીઓને પુરુષોની ગુલામીમાંથી છૂટા કરવાની વાત પણ અંદરોઅંદર લડાવી મારવાની વાત જેવી જણાય છે. સ્વાતંત્ર્યના શબ્દ નીચે સ્ત્રીઓ ઘરમાં પુરુષો જોડે લડવાને તૈયાર રહ્યા કરે, તેવું તેનું આજે માનસ ઘડાય છે. સ્વતંત્ર પ્રજામાં સ્ત્રીઓ અને પુરુષો અને સ્વતંત્ર હોય છે પરંતુ, અધિકાર પ્રમાણે જવાબદારી ઉપાડી સ્વેચ્છાએ અંકુશ સ્વીકારવો, એ સ્વતંત્ર પ્રજાનું ભૂષણ છે. એ દષ્ટિથી આ દેશની સ્ત્રીઓએ અને પુરુષોએ પોતપોતાના અધિકાર પ્રમાણે જે મર્યાદાઓ સ્વીકારેલી હતી તેમાં કાળક્રમે એકંદર પ્રજામાં જે સાત્વિકતાનો નાશ થતો ગયો હોય તેને પરિણામે આખી પ્રજાને કાંઈ સોસવું પડે તેના પ્રમાણમાં સ્ત્રીઓને પણ સોસવું પડે એ સ્વાભાવિક છે અને એ વાસ્તવિક પણ છે કે, સમગ્ર પ્રજાના સુખદુ:ખમાં સ્ત્રીઓએ અને પુરુષોએ ભાગ લેવો જ જોઈએ. તો જ પ્રજાકીય સમતોલપણું જળવાય. છતાં એ સાત્વિકતાનો નાશ અને હાલના આર્થિક શોષણથી થયેલી પ્રજાની આર્થિક નબળાઈને લીધે ઉત્પન્ન થયેલી કેટલીક વધુ નૈતિક વિષમ પરિસ્થિતિ. એ બન્નેયનાં પરિણામોને આગળ કરી, સ્ત્રીવર્ગનાં દુઃખો મોટા સ્વરૂપમાં આગળ કરી, સ્ત્રીસ્વાતંત્ર્યને નામે આર્યપ્રજાના સ્ત્રીવર્ગને ઉશ્કેરી તેની સંયમ અને સહનશકિતને ઉશ્કેરી ઊતરતે રસ્તે વહી જવા દેવાના પ્રયત્નો થતા જણાય છે. જો કે દરેક સ્ત્રીઓ એકાએક એવી રીતે દોરવાઈ ન જાય પરંતુ દરેક સમજું ન હોઈ શકે. થોડો થોડો અજ્ઞાન વર્ગ હોય તેમાં અનુક્રમે અસર થતી જાય, તેમ તેમ ઉત્તરોત્તર ઊછરતી પ્રજા ઉપર એ સંસ્કારોની અસર મોટા પ્રમાણમાં સારા સંસ્કારી ઘરના બાળવર્ગમાં પણ વધતી જાય. અને આજનું પ્રચારકાર્ય સ્વાતંત્ર્યને નામે સ્વચ્છંદતાને ટેકો આપવાનું જાહેર વાતાવરણ તથા તેને પોષનારું રાજ્યના કાયદાનું વલણ. આ બધી પરિસ્થિતિથી પરિણામે આર્ય સ્ત્રી જાતિનું કેટલું અધ:પતન થાય તે કલ્પના કરવાથી કે કંપાવનારું છે. આજે આપણે આપણા ઘરને બદલે ભાવિ પ્રજાના ઘડતરનો આધાર નિશાળો ઉપર મૂકતા જઈએ છીએ. અને નિશાળો એ પરદેશીઓના–સ્વાર્થસિદ્ધિ કરનારી તાલીમનાં–મુખ્ય કેન્દ્રો છે, તેમાંથી આર્યસંસ્કૃતિ અને સંસ્કારને વળગી રહેનારાં બાળકોની આશા શી રીતે રાખી શકાય, તે સમજી શકાતું નથી. એ નિશાળોના તંત્રની ગોઠવણ જ એવી છે કે, તેમાંથી કશી સારી આશા રાખવી નકામી છે. કોદરામાંથી ચોખાની આશા રાખીએ તેના જેવી વાત છે. - સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા એ પણ એક અજબ કોયડો છે. આર્થિક સ્વતંત્રતા કયાંથી આવી પડશે ? દેશમાં દેશી પરદેશી લોકો મોટાં મોટાં કારખાનાં નાંખવાનાં છે. તેમાં પુરુષ-મજૂરો સાથે મોટી સંખ્યામાં સ્ત્રી-મજૂરો પણ સસ્તામાં મળી શકે એ મુખ્ય ધ્યેય સ્ત્રીઓની આર્થિક સ્વાતંત્ર્યની હિલચાલ પાછળ રહેલ છે. અને હાથમાં પૈસા આવ્યા બાદ સ્ત્રી-સ્વાતંત્ર્યની ભાવના સ્ત્રીઓને કઈ કોટી ઉપર લઈ જાય એ વિચારવા જેવું છે. સારાંશ કે, શબ્દો સુંદર અને મીઠા છે. પરંતુ તેની પાછળની યોજનાઓ ભારતીય આર્ય સ્ત્રીઓને આજની નૈતિક સ્થિતિ કરતાં ઊતરતા પગથિયે ઉત્તરોત્તર લઈ જવા માટે પૂરતા છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૨૭ સ્ત્રીઓના કે પુરુષોના યથાધિકારે સ્વાતંત્ર્ય સામે કોઈનોયે વિરોધ હોય નહીં, નથી અને હતો પણ નહીં. આ દેશમાં કારીગરો, ખેડૂતો, મજૂરો વગેરેની સ્ત્રીઓ કારીગર, ખેડૂત અને મજૂરની સાથે કામ કરતી આવી છે. અને કુટુંબની આર્થિક ઉત્પમાં ગૌણપણે ફાળો આપતી આવેલ છે. સ્ત્રીઓ બાળઉછેર, ઘર-કામકાજમાં રોકાવા ઉપરાંત ધંધામાં મદદગાર થતી હતી. એટલે ધંધામાં તેનો ફાળો છે કે કેટલેક અંશે ગૌણ હતો, પરંતુ બાળઉછેર અને ઘર-કામકાજમાં જાતમહેનત, કાળજી, ખંતપૂર્વકનાં સાધનો જાળવી રાખવાં, નવાં ઉત્પન્ન કરવાં, વપરાશની દરેક ચીજે વગર પૈસે જાતમહેનતથી કરવી તથા બાળઉછેર કરીને વગર નિશાળે, વગર અખાડે, વગર દવાખાનાએ, નીરોગી, શરીરે મજબૂત અને નાતમાં સન્માનપાત્ર, સંસ્કારી, કારીગર, ખેડૂત અને મજૂરો પ્રજામાંથી દેશને પૂરા પાડતી હતી. આ બધો ખર્ચ જે બચતો હતો તે પણ એક જાતનો મજબૂત આર્થિક ફાળો જ હતો. જેના સોમા અંશનું યે પરિણામ આજની ખર્ચાળ નિશાળો પણ આપી શકતી જ નથી. અને ઉચ્ચ કોમની સ્ત્રીઓ પણ આ જ રીતે બાળઉછેર તથા ઘરકામકાજમાં કળાપૂર્વક, સ્વચ્છતાપૂર્વક, જરૂરિયાત પૂર્વક પોતાનો શારીરિક અને બૌદ્ધિક શ્રમ ચાલુ રાખતી હતી અને દેશને લાયક, લડાયક યોદ્ધા, રાજ્ય ચલાવનાર, વ્યાપારી, મહાત્માઓ, કળાધર, વિદ્વાન વગેરે પુત્રો પૂરા પાડતી હતી અને જેઓમાંના ઘણા નામાંકિત થઈ ગયા છે, કે જેની જોડી ભવિષ્યમાં પણ આજની દુનિયા જોઈ શકશે નહીં. ઘરકામમાં કરકસર, નવી નવી બનાવટો વગેરેથી ઘણી કરકસર થતી હતી. પાપડ, સેવ, અથાણાં કરવાં, દળવું, ખાંડવું, ધોવું સાફસૂફ કરવું, નવી નવી ખાદ્ય સામગ્રીઓ અને તેની અંગભૂત ચીજો જાતે તૈયાર કરવી વગેરે. આજે તો હીંગ કે હળદર વગેરે પણ બજારમાં ખંડાયેલા જ વપરાય છે. આવી રીતે સ્ત્રીઓ પણ પૈસા બચાવરાવી આર્થિક ફાળો પૂરો પાડતી હતી. ઉપરાંત, શ્રીમંત ઘરની સ્ત્રીઓ કળાને પોષણ આપતી હતી. સીવણ, ભરતગૂંથણ, ચિત્રણ તથા બીજી અનેક જાતની કળાઓ અને તે કળાવાળી ચીજો જાતે ઉત્પન્ન કરીને તેનો ઘરમાં જ વપરાશ કરવામાં બેવડી તેવડી આર્થિક બચતની સગવડ કરતી હતી. ઘણી ખરી કળાઓનો ઉપયોગ તે સાર્વજનિક સંસ્થાઓ રૂપ ધાર્મિક સંસ્થાઓમાં જ કરતી હતી. જૈન શ્રીમંતની સ્ત્રીઓ પ્રાચીનકાળમાં જ્ઞાનભંડારોનાં પુસ્તકો લખ્યાના દાખલા છે. ઉજમણાનો તમામ સામાન, લગ્નની તમામ સામાન, સાધર્મિક વાત્સલ્યનો તમામ સામાન વગેરે ઘરે જ હાથે બનાવવામાં આવતો હતો. ઉપરાંત મુનિ મહારાજાઓ અને સાધ્વીજીઓને ઉપયોગી પુસ્તકનાં પૂંઠાં, ગૂંથેલી દોરીઓ, નોકારવાળી, ઠંડાસણ, ચરવળા વગેરે પરચૂરણ ચીજો પણ હાથે જ બનાવી આપવામાં આવતી હતી અને પૂંઠાઓ વગેરે ઉપર ભરત પણ ભકિતભર હૃદયથી, શાસ્ત્રોકત શૈલી અનુસાર ભરી આપવામાં આવતા હતા. શું આ આર્થિક મદદ નહીં ગણાય કે? કોઈ પણ બેઠા બેઠા ખાતું નહીં, કુટુંબના વૃદ્ધ, અશકત, આંધળા, બોબડા, મૂંગા, ટૂંઠા, લૂલા, બહેરા વગેરેને પણ કયાંય અનાથાશ્રમમાં મોકલવા પડતા નહીં, એવાં સ્થાનોયે હતાં જ નહીં. કેમ કે, આજના જેટલી પ્રજાની આર્થિક સ્થિતિ ખરાબ પણ નહોતી. તેમ કરવામાં નાનમ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ પંચ પ્રતિકમણસૂત્રો ગણવામાં આવતી હતી. “કુટુંબમાં તેનું ભરણપોષણ થવું જ જોઈએ” આ ભાવના હતી. કુટુંબોની સ્થિતિ સધ્ધર હતી. આમ છતાં “સ્ત્રીઓને સામાજિક કે જાહેર જીવન નહોતું” એમ હતું જ નહીં. મેળા, યાત્રા, લગ્નાદિક ઉત્સવો, ધાર્મિક ઉત્સવો, નાતના પંચના ચોખંડા મંત્રણ વગેરેમાં સહધર્મચારિણી સાથે જ હોય, મરણ પ્રસંગના ગામ ખર્ચ, તાલુકા ખર્ચ કે પરગણા કે આખી રાત કે એવા મોટા પ્રસંગોમાં સ્ત્રીઓ સાથે હોય જ. આથી પરસ્પરની ઓળખાણ, સ્થિતિનું માપ, લાયકાત વગેરે દરેકેદરેક પરસ્પર જણી શકતા હતા. ગુરુઓના વ્યાખ્યાનમાં તથા બીજા પ્રસંગોમાં સ્ત્રીઓની સગવડ પૂરેપૂરી જળવાતી હતી. જ્ઞાતિઓ વગેરેમાં સ્ત્રી સન્માન અને તેના હકક માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું હતું. ખાસ ભાર મૂકીને કહીએ તો સ્ત્રીઓ માટે જ વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવતું હતું, અને આજે પણ જ્ઞાતિઓના કામકાજમાં સ્ત્રી પ્રશ્ન-કન્યા વ્યવહાર વગેરેનો પ્રશ્ન મુખ્યપણે હોય છે. અલબત્ત, જ્ઞાતિઓ પોતાના પૂર્વાપરના આદર્શ પ્રમાણે વહીવટ કરે છે, તેની સામે નવા જમાનાવાળા વિરોધ કરે છે. તેનું કારણ આદર્શ-ભિન્નતા અને તેને અંગે ઉત્પન્ન થયેલ મતભેદ છે. જ્ઞાતિઓવાળા અન્યાય જ કરે છે, માટે આ કોલાહલ છે, એમ નથી. પણ તેને હલકી પાડવા જ અન્યાયની બૂમો મારવામાં આવે છે, અને વકીલો એવી બૂમો નીચે જ્ઞાતિઓના વાંધાવાળા કેસોને કોર્ટ ઘસડી જઈ શકે છે. ખરું કારણ ભારતીય સામાજિક સંગઠન તોડવાની મનોવૃત્તિમાંથી એ અણગમાને જન્મ છે અને કેસો વગેરે વિરોધી વાતાવરણને તાજું રાખ્યું જાય છે. ગુજરાત વગેરે પ્રદેશમાં ઘણી વખત જોવામાં આવેલ છે કે, પતિની ગેરહાજરીમાં વિધવા પત્ની સંપૂર્ણ ઘરની માલિકની જેમ તમામ વહીવટ ચલાવે છે, સંઘો કાઢે છે. અને દરેક ધર્મકાર્યમાં સ્વતંત્રપણે વર્તે છે. અને પતિની હાજરીમાં પણ એક ખાનદાન કુટુંબની પવિત્ર સંસ્કારવાળી આર્ય નારીરત્નનું સન્માન અને તેની મનોવૃત્તિ તથા સલાહને તથા વલણને બહુ ઊંચા પ્રકારનું માન આપવામાં આવે છે. કુટુંબની આવકોમાંથી તેમને ધર્મકાર્યમાં ખર્ચ કરવા માટે અમુક સારા પ્રમાણમાં છૂટ રહે છે. અને સ્ત્રીઓ પણ જગતની સભ્ય માનવ વ્યકિત તરીકે પોતાનું વ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવીને પોતાનો સંપૂર્ણ મોભો તેમજ ખાનદાનીપૂર્વક જાહેર જીવન જીવી શકે છે. તેમાં પતિ આડે આવતા નથી બલ્ક તેની તેમાં સહાનુભૂતિ હોય છે. શેઠાણી તરીકે તેનો મોભો અને કડપ શેઠ કરતાં જરાયે ઊતરતો ન હોય તેમ જણાય છે. અને તે નારીરત્નો પણ પુરુષજાતનું રાખવું જોઈતું સન્માન, વિનય, મર્યાદા વગેરે સભ્યતાના સિદ્ધાંતને બરાબર અનુસરીને આશ્ચર્યકારક રીતે જાળવે છે. તે પોતાના અભિપ્રાયને દબાવી ગૂંગળાવીને નહીં જ. છતાં કુટુંબની આબરૂ, મોભો, પ્રતિષ્ઠા વગેરે મોટીની પુરુષ જેટલી જ કાળજી ધરાવે છે, અને જરૂર પડ્યે પુરુષની સાથે આત્મભોગ પણ આપે છે. એટલું જ નહિ પણ વિષમ સ્થિતિમાં સહન કરવા જેટલું સહન કરવામાં પુરુષ જેટલું જ સહન કરે છે. અને તે જરાયે દુ:ખ લગાડ્યા વિના કે ઉદ્ધતાઈ કર્યા વિના, સહજ સમજશકિતથી વગર કહ્યું વગર સૂચનાએ ઈગિતાકાર Page #702 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૨૯ ઉપરથી પરિસ્થિતિ નભાવી લે છે. આની જોડી જગતમાં નહીં જ મળે. આવા આદર્શ સ્ત્રીવર્ગવાળા જ્ઞાતિઓના સમુદાયોના સમુદાયો આ દેશમાં છે. માત્ર કોઈ કોઈ અપવાદિક વ્યકિતઓ સિવાય ત્યારે યુરોપ વગેરેમાં આવી વ્યક્તિઓ માત્ર આપવાદિક હોય છે. પરંતુ આજના જાહેર વાતાવરણનું ધ્યેય ભારતના જીવનમાં દોષો જોવાનું જ છે, એટલે ગુણો જાહેરમાં આવતા નથી. આ બધું પ્રણાલિકાવાદ તોડવાના, નવચેતન પ્રગટાવવાના, જુનવાણીને ભૂકો કરવાના સમાજની સિતમની ભઠ્ઠી તોડી પાડવાના બહાના નીચે આજના અજ્ઞાન નવયુવકો કેટલાક થોડા ઘણા દાખલા ઉપરથી તોડવા પ્રયાસ કરી રહ્યા છે. તે ખરેખર પગમાં જ કુહાડો મારે છે, ભાંગવું સહેલું છે, પણ લાખો મહાત્માઓની મહેનતથી ઉત્પન્ન થયેલું આવું રચનાત્મક પ્રજા પોષક તત્વ ઉત્પન્ન કરવું તદ્દન અશકય જ છે. પરંતુ દેશના ધંધાઓ જ્યારે પરદેશીઓના હસ્તક ચાલ્યા જતા જાય છે, અને પુરુષોને તેમાં માત્ર દલાલી, નોકરી કે સનદી ધંધા કરવા પડે છે, તો પછી સ્ત્રીઓ બાદ કેમ રહી જાય ? આજ સુધી પુરુષોને પરદેશી આર્થિક તંત્રના ગુલામ બનાવી રાખવામાં આવ્યા હતા. પરંતુ એટલેથી ભાવિ કાળમાં નભી શકે તેમ નથી. એટલે વધુ મજૂરોની સંખ્યા મેળવવા પુરુષો અને સ્ત્રીઓ બન્નેયને ભેળવવા માટે આ જાતનો આર્થિક સ્વતંત્રતાનો પ્રચાર કરવામાં આવ્યો છે. સ્ત્રીઓ સ્વતંત્ર હતી, હવે તે પણ ગુલામ બનશે. એટલે કે એક પૈડું જે રીતે ગુલામીમાં ચાલતું હતું, તેની સાથે બીજું પડું નહોતું ચાલતું. એટલે હવે બન્નેય પૈડાં એક જ સાથે ચાલશે, અને કેળવણીની સંસ્થાઓ વર્ધા સ્કીમ મારફત તેમને જોઈએ તેવા માફકસરના ઘડીને તૈયાર કરી લેશે. આજની સ્ત્રી ઉદ્યોગશાળાઓનું પણ ભાવિ આ જ છે. અને તેની સાથે સ્ત્રીઓના જૂના સારા સંસ્કાર તોડીને નવા દાખલ કરવાનાં સાધનો તરીકે પણ તેનો કેટલેક અંશે ઉપયોગ થશે. કેમ કે તે મુખ્ય ધ્યેય છે. આ આર્થિક સ્વતંત્રતાનું આખરી પરિણામ. ધાર્મિક, પવિત્ર, કાયમી લગ્નને બદલે રશિયાના સમાજવાદની જેમ અમુક વખત પૂરતા લગ્નના કરારને રસ્તે સ્ત્રીઓ અને પુરુષો ચડી જશે અને પવિત્ર ભાવનાઓનું ખેદાનમેદાન નીકળી જશે. રશિયાના આજના સમાજવાદ કરતાં ભારતીય વ્યવસ્થામાં સંપત્તિની ઉત્પત્તિ, વહેંચણી અને વિનિમયતા વધારે સમતોલ છે, અને તે વ્યવસ્થાનાં મૂળ તત્ત્વોમાં પ્રવિકાસ અને શરીરનાં સુતત્ત્વો વધારે પ્રમાણમાં છે. આવી એક આગળ વધેલી પ્રજાની સામે એવા ઊતરતા આદર્શો મોહક શબ્દોમાં ધરીને પ્રજાને મૂળ સ્થાન ઉપરથી ઉતારવાથી તે પ્રજા વહેલી અવનતિને રસ્તે ચડી જશે. આ ભાવિ આપણે માટે આજના સમાજવાદનું છે, તે પણ યુરોપીય સ્વાર્થની જાળનો એક અંકોડો છે. તેથી અહીંની પ્રજાને નુકસાન છે. રશિયાની પ્રજાને ફાયદો થયો હોય તે સ્વાભાવિક છે. કેમ કે, તે પ્રજા સુધરેલી નહોતી, હવે સુધરતા સુધરતા આ સમાજવાદને દરજે આવી છે તે આગળ વધીને હિંદની પૂર્વની પૂર્ણવ્યવસ્થાની ટોચે જવા મહેનત કરશે. અને હિંદીઓને કે જેઓ રડીખડી પણ સારા રૂપમાં આદર્શ વ્યવસ્થા ઉપર છે, તેને સમાજવાદની વ્યવસ્થા ઉપર ઉતારવાથી જ તે પ્રજા કંઈક નીચી જ પડે. અલબત્ત, બેકારી પછી નવા ધંધામાં ગોઠવાયેલા નોકરો કે મિલ મજૂરો વગેરે સિવાયની પ્રજા હજુ ભારતીય વ્યવસ્થા ઉપર છે, તે સર્વને મિલ મજૂરોની પ્રગતિને નામે શરૂ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ પંચ પ્રતિકમાણસૂત્રો કરેલ સામ્યવાદના ધોરણને વ્યાપક કરીને તે ભૂમિકા ઉપર લાવવા માટે સામ્યવાદનો પ્રચાર યુરોપવાસીઓ તરફથી ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. આ વાત સૂક્ષ્મ અભ્યાસ અને તુલના વિના તથા ઈતિહાસના જ્ઞાન તથા ભાવિ સ્થિતિની કલ્પના વિના સમજાય તેમ નથી. સારાંશકે, ૧૮૫૭ના બળવાથી, અસહકારથી કે સમાજવાદથી એવા એકેયથી આપણી પ્રજાને લાભ નથી. એ ચોકકસ સાચી સમજથી માનવા જેવી વાત છે, વિચારકો વિચાર કરશે. વળી સ્ત્રી-સ્વાતંત્ર્યથી પરાણે કે ખોટી રીતે સ્ત્રીઓને દરેક કામમાં આગળ પાડવાથી પુરુષોને દરેક કામમાં પાછળ પડવાનું રહે. આ દેશના પુરુષોનાં મગજ હજારો-લાખો વર્ષોથી અનુભવ અને કુશળતાથી ઘડાયેલાં છે. તેથી સામાજિક, તાત્વિક, રાજકીય, પ્રજાકીય, સાંસ્કૃતિક, શારીરિક વગેરે પ્રશ્નોમાં તેમના હાથમાં ઘણી બાબતો છે. એ દરેકમાં સ્ત્રીઓને આગળ રાખવામાં આવે એટલે પુરુષો પાછળ પડતા જાય અને જેમ જેમ પુરુષ પાછળ પડે, સ્ત્રીઓ બિન અનુભવને લીધે, પૂર્વાપરની સ્થિતિની અજ્ઞાત અવસ્થાને લીધે અથવા ખોટા શિક્ષણને લીધે, અવળા ખ્યાલને લીધે, આડે રસ્તે દોરવાઈ જાય એટલે આ દેશની અને સંસ્કારની અનુભવી થયેલી ત્રીજી પ્રજા દરેકમાં પોતાનું સ્થાન મેળવી સારી રીતે સ્વાર્થ સિદ્ધ કરી શકે. એ પરિણામ સિવાય સ્ત્રીઓને આગળ લાવવાનું વાસ્તવિક રીતે બીજું કશું યે પરિણામ જણાતું નથી. વખત ગયા પછી કદાચ અહીનાં સ્ત્રીઓ અને પુરુષોને આ વસ્તુસ્થિતિ સમજાશે ત્યાં સુધીમાં તો ઘણી પરિસ્થિતિ ચૂંથાઈ ચૂકી હશે અને એક વખત ભૂલ શરૂ થયા પછી તેમાંથી પરંપરા વધે છે. એટલે એક વર્ગ ચેતે, ત્યાં સુધીમાં બીજો અજ્ઞાન વર્ગ એવી જ રીતે આગળ આવવા તૈયાર કરી રાખ્યો હોય કે તેને આગળ રાખે જાય અને ધાર્યું પરિણામ લાવ્યે જાય. જે પરિણામ થોડે દૂરના ભવિષ્યમાં અચૂક ઊભું જ છે. આ સ્ત્રી-સ્વાતંત્ર્યની જાળમાં થોડી ઘણી ફસાયેલી અત્યારની કેટલીક સ્ત્રીઓને આગળ રાખીને સિનેમા નટીઓ જેવીઓને પણ) દેવીઓ તરીકે સંબોધવામાં આવે છે અને અમુક સામાન્ય સમજની પ્રજામાં તેમને આગળ કરી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હોય છે. એટલે, તેવા ભાગના મતને જાહેર પ્રજામતનો ટેકો ગણીને તેવી સ્ત્રીઓ મારફત અનેક જાતના કાયદાઓના ખરડા રજૂ કરાવવામાં આવે છે. ભારતની તે સ્ત્રીઓ પણ ઉપર જણાવેલું ભાવિ ન સમજવાને લીધે, તેમાં પ્રજાની ઉન્નતિ સમજીને, અજ્ઞાનભાવે એવા કાયદાઓ પસાર કરવા તેમજ પોતાની આર્ય સંસ્કારથી બદલાયેલા સંસ્કારને અંગે બદલાયેલી મનોવૃત્તિઓના દાખલાથી બીજી આર્ય સ્ત્રીઓ માટે તેવી કલ્પના કરીને સ્ત્રી જાતિની ઉન્નતિ સમજીને, એવા કાયદા પસાર કરાવવાના કામમાં હથિયાર તરીકે ખુશીથી ગોઠવાય છે. એથી સ્ત્રીઓને પણ કાંઈ પણ એકંદર ફાયદો થવાનો સંભવ જણાતો નથી. આ પ્રશ્નો સાથે બીજા પણ ઘણા આજના પ્રશ્નોને સંબંધ છે, પરંતુ તેનો વિચાર વિસ્તારભયથી અત્રે કરતા નથી. પરંતુ મુખ્ય મુખ્ય મુદ્દાઓનો વિચાર કરવામાં આવ્યો છે કે, જે આર્યપ્રજાના નાશમાં મોટો ફાળો આપવાને તીવ્રશકિત ધરાવે છે. આ સ્થળે ગીતાનો એક શ્લોક ખાસ નોંધવા જેવો છે – અધર્મા-ડભિભાવાત્કૃષ્ણ! પ્રદુષત્તિ કુલસિય: સ્ત્રીપુ દુકાસુ વાષર્રીય! જાયતે વર્ણસંકર: ૧-૪૧ Page #704 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૩૧ અર્થ :- અધર્મના હુમલાથી કુળ સ્ત્રીઓમાં દૂષણ પ્રવેશે છે. અને સ્ત્રીઓમાં દૂષણ પેઠા પછી વર્ણસંકરતા ઉત્પન્ન થાય છે. (અર્થાત પ્રજાનો ક્રમે ક્રમે વિનિપાત થાય છે.) કુલ સ્ત્રીઓની પવિત્રતા જેટલે અંશે હોય, તેટલે અંશે તે પ્રજાની ઉન્નતિ તથા અવનતિનું થર્મોમીટર છે. બાહ્ય-નામની દેખાવની ઉન્નતિ પ્રજાની ઉત્પત્તિનું માપ નથી જ, હવે મુદ્દાનો એક જ પ્રશ્ન વિચારીને આ વિષય આપણે પૂરો કરીશું. “નારી નાગાગનો નહીં પરિચય” આ શ્રી ચિદાનંદજી મહારાજના સામાયિક નિષ્ઠ પુરુષની સ્તુતિના પદમાં તેવા પુરુષના બ્રહ્મચર્યની સ્તુતિને લગતું આવું એક કવિતાનું ચરણ છે. અને આવાં વાકયો કે આ અર્થનાં વાકયો ભારતીય આર્યસાહિત્યમાં ઠામઠામ નજરે પડે છે. એ ઉપરથી પરદેશી લોકોએ અણસમજથી કે સ્વાર્થથી અહીંની ઊછરતી પ્રજાને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો જણાય છે કે, “ભારતના આર્ય શાસ્ત્રકારો મોટે ભાગે પુરુષો જ છે. અને પુરુષ પ્રાધાન્યની પોતાની અહંતાના બળે નારી ઉપર એક જાતનો અન્યાય કરીને ઠામઠામ તેની નિંદા કરી છે, અને વેદકાળથી કે તેના પહેલાંથી આવી રીતે પુરુષોથી નારી કચડાતી આવી છે. રામ જેવા એકપત્નીવ્રત પાળનારાએ પણ સીતાજીને કાઢી મૂકીને કેટલાં હેરાન કર્યા હતાં વગેરે દષ્ટાન્તો આપીને એ વાતની પુષ્ટિ કરે છે. પરંતુ એ કેવળ ગેરસમજ છે, જ્યાં જ્યાં સ્ત્રીના નામ નીચે આ રીતે નિંદા કરવામાં આવી છે, ત્યાં ત્યાં વિષયવાસનાની જ નિંદા છે. તે વાસના આધ્યાત્મિક પ્રગતિમાં વિદનરૂપ છે, માટે તે નિંદા કરવામાં આવી છે. અને વિષયવાસનાને નારી વાચક શબ્દોના ઉપચારથી સૂચવવામાં આવેલ છે. એ ઉપચાર પણ ભાષાના બંધારણનું એક અંગ છે. “જે વિષયવાસનાની નિંદા જ કરવી છે, તો તેની સીધી નિંદા ન કરતાં નારી-સ્ત્રી બોધકશબ્દો વાપરીને કેમ કરવામાં આવે છે અને જે વિષયવાસનાની નિંદા મૂળ શબ્દને બદલે બીજા શબ્દોથી કરવાની હોય તો નર-પુરુષો પણ કયાં વિષયવાસનાથી પર છે ? તો પછી તેના શબ્દો મારફત પણ નિંદા કરી હોત તો માની શકાત કે શાસ્ત્રકારો બિનપક્ષપાતી છે.” આ પ્રશ્ન થાય છે. પરંતુ ખરી રીતે વિષયવાસનાનો નારી શબ્દમાં ઉપચારલક્ષણા કરવામાં આવેલ છે, અને લક્ષણા પ્રયોજન વિના થઈ શકતી નથી. “લાલા લજપતરાય પંજાબના સિંહ છે. બધી ખુરશીઓ હસી પડી. કાગડાથી દહીં જાળવજે. ઘી એ દીઘયુષ છે. આ છોકરો તો મોટો બળદિયો છે. આ બાઈ તો ઝેરી નાગણ છે. અમુક અમલદાર કાળો નાગ છે. કાળો પહાડ નામની ઐતિહાસિક નવલકથા” વગેરેમાં લક્ષણા-ઉપચાર થયેલ હોય છે. અને આવાં સેંકડો વાકયો ભાષામાં હોય છે. ગંગામાં (ગંગાને કાઠ) ગાયનો વાડો છે. ગંગામાં-પ્રવાહરૂપ ગંગામાં ગાયનો વાડો સંભવે નહીં, પરંતુ “ગંગાને કાંઠે ગાયનો વાડો છે”, એમ કહેતાં શું જેર પડતું હતું? જોર નહોતું પડતું, પણ તેમ બોલવામાં જે પ્રયોજન જળવાય છે, તે કાંઠો શબ્દ બોલવામાં જોઈએ તેવું જળવાતું નથી. ગંગામાં વાડો કહેવાથી સાંભળનારને ગંગામાં એ શબ્દ ઉપરથી ગંગાની શીતળતા અને પવિત્રતાનો વાડામાં ભાસ થાય છે. કાંઠો કહેવાથી તો Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો માત્ર “કાઠે વાડા છે.” એટલું સ્વરૂપજ્ઞાન થાય. પણ કાંઠો શબ્દ ન બોલતાં ગંગા ઉપર ભાર દેવા માટે જ ગંગા શબ્દ વાપર્યો હોય છે. તેથી શ્રોતાને આ ભાસ ઉપરથી શીતળતા અને પવિત્રતાનો વાડાઓમાં ભાસ થાય છે. એવો ભાસ ઉત્પન્ન કરવાનો વકતાઓનો હેતુ છે. “ભાઈ ! અમારા વાડા તો ગંગાજીમાં છે.” એમ ગંગા તરફની ભક્તિ પણ દર્શાવવાનું પ્રયોજન છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક પુરુષોને વિષયવાસનાની નિંદા કરવાનું ધ્યેય જેટલું નારી શબ્દમાં લક્ષણા કરીને સચવાય છે, તેટલું નરવાચક શબ્દમાં લક્ષણા કરવાથી નથી સચવાતું. પણ ક્રૂરતા, શૂરવીરતા વગેરે અર્થની લક્ષણા પુરુષવાચક શબ્દમાં કરવાથી વધારે સચવાય છે. આ વિષય શબ્દશકિતના અભ્યાસીઓ સારી રીતે સમજી શકશે. તો પછી “નારી વાચક શબ્દોમાં લક્ષણા કરવાનું પ્રયોજન શું છે?” એ પ્રશ્ન થશે. તેનો ખુલાસો એ છે કે, ગૌણ પ્રધાન ન્યાયમાં પ્રધાનની મુખ્ય વિવક્ષા થાય છે. એટલે વિષયવાસનાનું પ્રધાન પ્રતીક નારી છે. અને તેના કુદરતી અથવા વૈજ્ઞાનિક અનેક કારણો છે. અને તે એ કે જનનવિદ્યાની દૃષ્ટિથી જનનક્રિયામાં પુરુષ કરતાં નારીની વધુ જવાબદારી જણાય છે, બીજારોપણ સિવાયની તમામ ઘટના નારી હસ્તક જ હોય છે. બીજ જો કે પુરુષ આધીન છે, પરંતુ તે ગ્રહણ કરવું, તે ગ્રહણ કરવા મૂંગી રીતે બીજાને આકર્ષવું, બીજ પોષવું, પાળવું વગેરેમાં ક્ષેત્ર તરીકેનું નારી પ્રતીક વધુ ભાગ ભજવે છે. પુરુષ કરતાં નારી આ જગતમાં કોમળ છે, શાંત છે, સ્થિર છે છતાં તે પોતાના કાર્યને માટે બહુ જ સારી રીતે કાર્યક્ષેત્ર છે. કેમ કે, તેની પાસે પ્રીતિ, સ્નેહ, હેત વગેરે ગુપ્ત મિલકતનો કુદરતી ખજાનો છે. કારણ કે, આખા જનનકાર્યમાં તે અખૂટ મિલકત વિના ઠેઠ સુધી તેનાથી અડગ રહી પહોંચી વળી શકાય નહિ. માટે કુદરતે તેને એ બક્ષિસ વધુ આપેલ છે. આમ પ્રેમ માત્રા નારીના અધિકારમાં વધારે હોવાથી તે જનન ક્રિયાની અધિષ્ઠાત્રી છે. જનનક્રિયા એટલી બધી કડાકૂટવાળી છે કે, તેમાં આધ્યાત્મિક જીવનને અલ્પ અવકાશ મળે છે અને એકંદર આધ્યાત્મિક જીવનમાં બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં આટલી બધી કટાકૂટવાળી આ આખી પ્રવૃત્તિ કેટલી વિઘાતક ગણાય ? બીજી રીતે વિચારીએ તો જનન સાથે આખા સંસારની, વારસાની, વધુ કમાવાની, લાજ આબરૂ ખાતર લડવાની વગેરે અનેક કડાકૂટો જોડાયેલી છે. બીજારોપણ પછી પુરુષ જેટલો તટસ્થ રહી શકે છે, તેટલી નારી જાતિ તટસ્થ રહી શકતી નથી. તેને તે જનનક્રિયા સાંગોપાંગ પહોંચાડવી પડે છે. એટલા જ માટે કુદરતે પણ ખૂબી તો એ મૂકી છે કે, એક પુરુષ અનેક નારીમાં એક દિવસે બીજાધાન કરી શકે છે, પરંતુ એક નારી એક સાથે અનેક પુરુષો તરફથી બીજેનું આધાન મેળવી શકતી નથી. કેમ કે, જનનનો ભાર અમુક હદમાં જ તેનાથી ઉપાડી શકાય ને ? આટલા જ માટે પુરુષને અનેક સ્ત્રીઓ કરવાની છૂટ રાખવામાં હરકત નથી આવતી. પરંતુ, એક નારીને અનેક પુરુષો એક સાથે રાખી શકાય નહીં. એ રિવાજમાં આ કુદરતી તથ્થાંશ પણ દેખાય છે. સારાંશ કે, પુરુષપણે અને નારીપણે સ્વતંત્રપણે બન્નેને મોક્ષના અધિકારી ગયા છે. બીજી ઘણી શકિતઓ સમાન ઠરાવી છે. છતાં જ્યાં જ્યાં કુદરતી વિષમતા છે, તેમાં ભેદ પણ સ્વીકાર્યો Page #706 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૩૩ છે. જેમાં કોઈ પણ કાળે કોઈનોયે મતભેદ પડે તેમ નથી. જે કૃત્રિમ કારણોથી ભેદ કે અભેદ ગણવામાં આવે તો જનસમાજને કાંઈને કાંઈ નુકસાન થાય તે અનિવાર્ય છે. છતાં જનનક્રિયામાં સ્ત્રીનું પુરુષ કરતાં વિશેષ પ્રાધાન્ય હોય છે.” અહીં કોઈ કહેશે કે, “કેટલીકવાર જનનમાં પ્રેરક પુરુષ પણ વિશેષ રીતે પ્રધાન હોય છે. પરંતુ તેમાં પણ વિચારવા જેવું છે. જનનમાં પુરુષ બાહ્યથી કવચિત્ વિશેષ પ્રેરક ગણાય, કારણ કે, બહારથી તેમ દેખાય છે પરંતુ વાસ્તવિક રીતે નારી વિશેષ પ્રેરક છે. કેમ કે, જનનમાં નારી મૂળ પ્રેરક જણાય છે. પુરુષ કરતાં અવ્યકત રીતે તેની પ્રેરણા વધારે તીવ્ર હોય છે. વૃક્ષોમાં, પક્ષીઓમાં તથા પશુઓમાં પણ માદા શાંત અને અક્રિય જણાય છે. જમીન અક્રિય જણાય છે પરંતુ તેની એટલી બધી તીવ્ર ક્રિયા હોય છે કે, નરને તે જ મુખ્ય ભાગે પ્રેરક બને છે. તે એટલે સુધી કે પોતાના સુધી આકર્ષી લાવીને માદા તેને પોતાની અભિમુખ એટલો બધો બનાવે છે કે, બીજ ગ્રહણ કરાવ્યા બાદ જ તે સંતુષ્ટ થઈ ઉકેક્ષા કરે છે. છતાં નારી તો બીજ ગ્રહણ કર્યા બાદ પણ તે જનનની કાર્યસિદ્ધિમાં એટલી બધી પરોવાય છે કે, નરને તેની કલ્પનાએ ન આવે. શાંત માદા પોતાને બીજ ગ્રહણ કરવાની ઈચ્છાપૂર્તિ માટે નરને પ્રેરણા ન કરે તો બીજ ગ્રહણ લાયકની પૂર્વ ભૂમિકા નરમાં ઉત્પન્ન ન થાય, તો બરાબર બીજ ગ્રહણ થાય પણ નહીં, માટે માદા પ્રધાનપણે પ્રેરક હોય છે. જો કે આ વિષય સૂક્ષ્મ વિચારણાગમ્ય છે, ને વાસ્તવિક છે. માટે આ દૃષ્ટિથી આધ્યાત્મિક જીવનમાં વિષયવાસનાને પ્રધાન વિરોધી ભૂત માનીને તેના પ્રધાન પ્રતીક તરીકે નારીને નાગણી વગેરે શબ્દો લાગુ કરવામાં શાસ્ત્રકારોની યથાર્થતા છે. સ્ત્રી જાતિની નિંદાનો ઉદ્દેશ નથી જ. બીજા દેશોમાં આ દેશ જેટલી આધ્યાત્મિક દશા માટે વિચારણા પણ થઈ નથી એટલે જે પ્રકારનું સાહિત્ય અને તેના ધ્વનિ અહીં જોવામાં આવે તે બીજે જોવામાં ન આવે, એ સ્વાભાવિક છે. હવે આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરવાની બાબતને બાદ કરીએ તો સાંસારિક દષ્ટિથી આ દેશની કવિતાઓમાં નારીને જે સ્થાન છે, તેટલું બીજા કયા દેશના સાહિત્યમાં છે? માત્ર એકદેશીય વિચારણાથી ભારતીય વીતરાગ મહાત્માઓના નિરૂપણમાં પરદેશીઓની દોરવણીથી દોષ કાઢવો, એ ભારતનાં સંતાનોને શોભારૂપ નથી. પરદેશીઓ, નારીઓ અને પાછલી કોમોને આગળ લાવીને. પુરુષોને અને આગલી કોમોને પાછળ કાઢીને, દેશમાં સર્વોપરી પ્રભુત્વ સ્થાપવા માટે એક યુક્તિ કરી રહ્યા છે. કેમ કે, લાખો વર્ષથી આ દેશના આગળ પડતી કોમોના પુરુષોએ કાંઈ પણ સાચવ્યું છે. તેમનામાં અનુભવશકિત વગેરે છે. તેમને અંદરોઅંદર લડાવીને પાછળ પાડીને પછી આગળ પડેલા અશક્તોના હાથમાંથી બધું પડાવી લેવાની એક યુકિત માત્ર જ છે, જે હજુ કોઈ સમજી શકયા નથી. શસ્ત્રની લડાઈ વિના ઘેર ઘેર સ્ત્રી-પુરુષની અને ગામેગામ આગલી અને પાછલી કોમોની આ એક શાંત લડાઈ ગોઠવાઈ ગઈ છે. આ ભેદક વિચારનાં કેટલાંક બીજ તેઓએ ઘણાં વર્ષો પહેલાં – સ્ત્રીકેળવણી, સ્વાતંત્ર્ય વગેરે નામો નીચે આપણા જન્મથીયે પહેલાં – વિચારરૂપે આ દેશમાં ગોઠવ્યો છે અને તેની પાછળ પોતાની લાગવગનો ઉપયોગ કરીને તેને પોષણ આપતા આવ્યા છે, જે બરાબર વિચારવા જેવું છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ પંચ પ્રતિક્રમણ સૂત્ર સારાંશ કે, આવાં વર્ણનોમાં સ્ત્રી જતિની નિંદા નથી જ, પરંતુ સ્ત્રી-સ્વાતંત્ર્યના ઉછીના વિચાર વાતાવરણ પછી આવા શબ્દો ઉપર આજના યુવકોને સૂગ થાય છે, તે જો કે આર્યશાસ્ત્રની પરિભાષા અને આશયો ન સમજવાને લીધે છે. એવું ઘણું ઘણું આજકાલ ચાલી રહ્યું છે. કોને કેટલુંક સમજાવી શકાય? કદાચ પહેલાના વખતમાં ટાઈમ્સ જેવાઓએ કે બીજાએ સ્ત્રી-સ્વાતંત્ર્ય તરફ લક્ષ્ય ખેંચવા એકાદ વખત લેખ લખેલો હોય, અને તેમાં આવાં કોઈ વાક્યો પર ટીકા કરી ભારતીય શાસ્ત્રકારો ઉપર ટીકા કરી હોય અને તેની તે વખતના દેશી છાપામાં, તેની પછી ઉત્તરોત્તર કૉલેજમાં પ્રોફેસરોનાં ભાષણોમાં, સાક્ષરોનાં પુસ્તકોમાં, લાઈબ્રેરીનાં વર્તમાનપત્રોમાં ઉત્તરોત્તર પુનરાવર્તન પામ્યા જ કરે છે. જેમ જેમ એ હિલચાલ વધતી જાય તેમ તેમ તેના ઉપર મદાર બાંધીને સરકારી ખાતાંઓ પછી મજેથી સ્ત્રી-સ્વાતંત્ર્ય માટેના કાયદા કરીને ધારાસભામાં પસાર કરવા મુકાવે, ને છેવટે એવી ભાવના ઉત્પન્ન કરી દે છે કે, "હિંદુઓ સ્ત્રીઓના કટ્ટર વિરોધી છે, માટે કાયદાની જરૂર છે.” એવો ભાસ ઉત્પન્ન કરીને કેટલાક તરફેણ કરનારાઓની મદદથી કાયદા કરી પ્રજાના અંગત જીવનમાં હસ્ત-પ્રક્ષેપ કરવાની તક લઈ લે છે. અને ત્યાં સુધી પેલા ભ્રમ ચાલવા દે છે. તેને દૂર કરવા પ્રયત્ન કરે નહિ, કોઈ કરે તો તેને સાંભળે નહીં. જો કે હિંદુઓએ સ્ત્રીઓને જેટલું સ્થાન હોવું જોઈએ તેટલું માતા તરીકે, બહેન, પત્ની, પુત્રી, શ્રાવિકા, સાધર્મિણી, સાધ્વીજી, ગૃહિણી વગેરે તરીકે સંપૂર્ણ સ્થાન અધિકાર પરત્વે આપ્યું છે. માતા તરીકે ઉચ્ચ અને સાધ્વી તરીકે અસુચ્ચ પૂજાસ્થાન પણ નિયત કર્યું છે. હિંદુઓની સંસ્કૃતિ માતા, બહેન, પુત્રી અને પત્ની તરફ ઉત્કૃષ્ટતાથી વર્તવાની જેટલી ભલામણ કરે છે, તેટલી કોઈ કરતું નથી, કરેલ નથી, અને એ વર્તનનું પરિણામ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં બીજી પ્રજાઓ કરતાં હિંદુઓમાં આજે પણ સુંદર અમલમાં છે. અલબત્ત, સ્ત્રી-સ્વાતંત્ર્યના પવન પછી કૃત્રિમ સ્વાતંત્ર્ય વચ્ચે જાય છે. પરંતુ સ્ત્રી જાતિની ઉન્નત ભાવનાઓ અને જીવનના ઉચ્ચ તત્ત્વથી આ દેશની સ્ત્રી જાતિ ઊતરતી જાય છે અને તેને ઈરાદાપૂર્વક ઉતારી દેવામાં આવે છે. અમુક કન્યાનું અમુકના પુત્ર સાથે સગપણ કરવાનું છે. એવો શાબ્દિક વ્યવહાર બહાર પડતાં “પોતે જનસમાજમાં અમુકની પત્ની કહેવાઈ ચૂકી હોવાથી પત્ની જ છે.” એમ માનીને સંજોગ વિશેષથી તે પુરુષ સાથે લગ્ન ન થાય, તો પણ તેના તરફની વફાદારી જાળવી રાખવાની આજના જમાનામાં પણ આર્ય સ્ત્રીઓની પવિત્રતાના દાખલા કયાં? આવી મનોવૃત્તિના શિક્ષણના વાતાવરણમાં પુનર્વિવાહ પણ અશકય હોય ત્યાં છૂટાછેડાની વાત જ કેમ આગળ આવી શકે? અને બીજી તરફ સ્ત્રીઓનાં બાહ્ય દુઃખો ગાઈને વિધવાવિવાહની તરફેણ કરતાં કરતાં અસહ્ય કામવાસનાની શાંતિ માટે છૂટાછેડાનો કાયદો કરાવરાવી સ્ત્રી-પુરુષોના સંયમ તૂટે તેવા વાતાવરણને વધુ વેગ મળે તેવી મજબૂત સગવડ ઉત્પન્ન કરવી. બન્નેય માનસિક સ્થિતિ વચ્ચે કેટલું અંતર છે ? ઉન્નતિ કઈ સ્થિતિને ગણવી છે તે સ્પષ્ટ વિચારી શકાશે. આવા કાયદાઓ કરવામાં પણ કોઈ કોઈ વખતે આપણા સમાજમાં જેની લેશમાત્ર પ્રતિષ્ઠા ન હોય તેવી સ્ત્રીઓ આગળ થાય છે અને તેને રાજ્યસસા લાયક ગણીને વજન આપે છે. આ એક કળિકાળની ખૂબી જ નથી જણાતી ? આવા Page #708 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૩૫ સંજોગોથી ભારતની આર્યપ્રજાને જેમ બને તેમ બચે, તેવી હાર્દિક ભાવના દરેકે રાખવી જોઈએ અને બનતું કરવા પ્રયાસ કરવા જોઈએ. એક સ્ત્રી કે પુરુષ સંયમ રાખે તેને માનસિક ઉન્નતિ ગણી અહીં પ્રશાંસવામાં આવે છે, ત્યારે માનસિક સંયમ છોડી પુનર્વિવાહ કરે તેને આજે ઉન્નતિનું ચિહન માનવામાં આવે છે. તે શી રીતે હશે? શાસ્ત્રકારોએ સ્ત્રીઓનો મોક્ષનો અધિકાર કબૂલ કર્યો છે. પવિત્ર નારીરત્નોનું નામસ્મરણ મોટા મોટા સંતો પણ કરે છે, પૂજે છે. આપણે જેનો મલ્લિનાથ નામે સ્ત્રીતીર્થકરની સર્વ તીર્થકરોની સાથે જ પરમ ભકિતથી પૂજા કરીએ છીએ. મહાનમાં મહાન નારીરત્નોની અનેક ઠેકાણે સ્તુતિ કરેલી છે. સંઘમાં સાધ્વીજી અને શ્રાવિકાઓને પણ સભ્ય તરીકેનું સ્થાન છે, માટે “નારીજાતિની નિંદા કરવી, શાસ્ત્રકારોને ઈષ્ટ છે,” એવી કલ્પના કરવી તે પણ આપણા સર્વજ્ઞ સર્વદર્શી, સમદર્શી અને એકાંત સર્વ જીવનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓ માટે સર્વથા નકામી છે. તેમનું અપમાન કરવા બરાબર છે. અલબત્ત, પુરુષ અને સ્ત્રીનો કાર્યક્ષેત્ર ભેદ, શરીર રચનાભેદ, ગુણસ્વભાવ તથા બીજા જે જે વાસ્તવિક ભેદો છે, તેનું યથાર્થ નિરૂપણ કરીને જેને જેટલું ઘટે તેટલું સ્થાન આપ્યું છે. તેવા ભેદના વર્ણન ઉપરથી પણ શાસ્ત્રકારો ઉપર પક્ષપાતનો આક્ષેપ કરી શકાય તેમ નથી. આવા ઘણા શબ્દોના તથા આપણી ઘણી માન્યતાઓ અને ભાવનાઓના ખરા અર્થ ન સમજતાં પોતાના વિચારોના પ્રચાર માટે ઊછરતી પ્રજાને ભળતે રસ્તે સમજાવીને દોરવવા માટે ઘણી વસ્તુઓનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. માટે સ્ત્રીઓએ સ્વાતંત્ર્યને નામે આ જાળમાં દોરાવાની જરૂર નથી. આવી વાતો વાંચવી, સાંભળવી કે પોતાને ત્યાં થવા પણ ન દેવી જોઈએ. તેથી પણ ઘણું નુકસાન છે. પુરુષોએ સ્ત્રીઓનું ઘટતું સ્થાન કબૂલ કરવું જોઈએ. અને સાથે જ આવા ગુલબાંગોને સ્થાન આપી આપણી પ્રજાને નુકસાનકારક માર્ગોને ઉત્તેજવાની પણ જરૂર નથી. બાકી સ્ત્રીઓ ટાઈપરાઈટર ચલાવે કે પોસ્ટઑફિસો કે રેલવે વગેરેમાં કામ કરે, વકીલ બેરિસ્ટર કે ધારાસભાની મેમ્બર થાય, તેમાં કાંઈ વિશેષતા કે નવીનતા નથી. તે તો બદલાયેલી સંસ્કૃતિના બદલાયેલા ધંધા છે. અસ્તુ. એટલે નવા જમાનાનો એક પણ વિચાર આપણને હિતકારક જણાયેલ નથી. તત્કાળ હિત જણાતું હશે તો પણ પરિણામે તેની પાછળ બીજી જુદી જ ઘટના નીકળી આવતાં નુકસાનમાં પરિણમવાનો સંભવ છે, માટે કુદરતી ચાલતા આવતા આપણી પ્રજાનાં ખરાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને પૂર્વના મહાપુરુષોના ઉપદેશને વળગીને ચાલવું, એમાં જ પરમધ્યેય છે. એ આ સર્વ લખાણનો સાર છે. નવા વિચાર કે જૂના વિચારમાંથી હિતકારક માર્ગ લેવો જોઈએ, એ ખરો સિદ્ધાંત છે. ૩-૨-૬ છઠું વ્રત લેનારી વ્રતની અમુક મર્યાદા બહાર કાગળ પણ ન લખી શકાય તેથી વ્રત લેતાં તે વાતનો ખ્યાલ રાખી ઘટતી છૂટ રાખવા ન રાખવા વિચારવું. ૩-૨-૭ સાતમા વ્રતમાં મજમ્મિા મસસ્મિઅ ગાથામાંના તે શબ્દો, ભોગ અને ઉપભોગની ચીજેના તે તે વર્ગના ઉપલક્ષણરૂપ છે. ધર્મ સંસ્થામાં-સંઘમાં દરેક પ્રકારના લોકો મહાપુરુષોએ ઠરાવેલી પોતપોતાની મર્યાદા પ્રમાણે દાખલ હોય, તે દરેકને ઉદ્દેશીને હંમેશાં ધર્મનું બંધારણ હોય છે, કેટલીક Page #709 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ચીજો ધર્મમાં તાજ્ય હોય છે, છતાં કોઈએ ભૂલથી કે અજ્ઞાનથી કે ખરાબ સોબતથી તેનો ઉપયોગ કર્યો હોય અથવા જૈન ધર્મ પામ્યા પહેલાં અથવા પાછળના ભવોમાં ઉપયોગ કર્યો હોય અને પાછળથી તેને પસ્તાવો થાય તો તેઓને અતિચારની આલોચનાનો સંભવ છે. એવા સંભવોને લીધે મૂકવામાં આવેલા શબ્દો ઉપરથી એવો અર્થ કાઢવો કે ‘“અગાઉના શ્રાવકો માંસાહાર કરતા હતા અને તેના પ્રમાણ તરીકે અતિચારની આલોચના માટે વંદિત્તુસૂત્રની ગાથામાં આવા શબ્દો મૂકવામાં આવેલા છે.’’ પરંતુ તે વાત કેવળ બાલિશતા અને મૂર્ખતાભરેલી છે. ૬૩૬ કેમ કે, જો વ્રતધારી શ્રાવક આવા છેલ્લી કોટિના નિંદ્ય ખોરાકની છૂટ રાખે, તો તે અનાચાર ગણાય. વ્રતમાં તેવી છૂટ તો હોય જ નહિ પરંતુ અજાણતાં કે ધર્મપ્રાપ્તિની પૂર્વાવસ્થામાં સંભવિત છે, તેનો પસ્તાવો થવાથી અતિચારરૂપ ઠરે છે. વળી આલોચનાઓમાં આ અને પૂર્વભવની પણ ભૂલોનો સમાવેશ થતો હોય છે. એટલે ઉપલક્ષણા માટે તે અંતિમ ચીજો જ રાખવાથી સર્વનો સંગ્રહ થાય. માંસ શબ્દ સર્વ અયોગ્ય ખોરાકનાં ઉપલક્ષણો માટે, મઘ શબ્દ સર્વ અપેયના ઉપલક્ષણ માટે છે. પુષ્પ ફળ અને ગંધમાલ્ય પણ વનસ્પતિની વિવિધ ઉપયોગની વસ્તુઓના ઉપલક્ષણ તરીકે છે. તથા ગંધમાલ્ય અને પુષ્પ શબ્દ કેટલેક અંશે બાહ્ય ઉપભોગની વસ્તુના ઉપલક્ષણ તરીકે ય હોઈ શકે છે. એ શબ્દોને બદલે એ વ્રતનું સ્વરૂપ જોતાં બીજા કોઈ શબ્દો ઉપલક્ષણ માટે બંધબેસતા થતા જ નથી. વાસ્તવિક રીતે ચાર મહાવિગય તો સામાન્ય રીતે વ્રતમાંના જ ત્યાગની વસ્તુ નથી, પણ સમ્યક્ત્વના વ્રતમાં તેનો ત્યાગ શાસ્ત્રોથી સૂચિત થાય છે. એટલે વ્રતધારી ન હોવા છતાં માત્ર જૈન જ હોવાની એ ચાર મહાવિગઇનો ત્યાગ અનિવાર્ય શરતરૂપ છે. અને સંઘના સર્વસામાન્ય ઠરાવોમાંનો ઠરાવ હોવાથી પણ તે મૂળથી જ તાજ્ય હોય છે. ‘“અવિરતિ સમ્યગ્દષ્ટિને કોઈ પણ જાતની વિરતિ ન જ હોય.’’ એવી વ્યાખ્યા કરવાની નથી. કેમ કે, મિથ્યાત્વની અને તત્સહચરિત ઘણી વસ્તુઓની તો તેને વિરતિ હોય જ છે. દેવ, ગુરુ અને ધર્મની સેવા, વૈયાવૃત્યના નિયમોનું પાલન કરવાનું પણ તેને હોય જ છે. તે જ રીતે સમ્યક્ત્વ વ્રત ધારણ કરનાર થાય, ત્યારે કે વ્રત ઉચ્ચર્યા વિના પણ જૈન તરીકેની સામાન્ય ફરજ બજાવવાના નિયમો સમ્યક્ત્વમાં તથા તેના વ્રતગ્રહણમાં જ ગૃહીત થઈ જાય છે. તેમાં સાથે ગર્ભિત રીતે સ્વીકારાય છે કે, “વ્રત સ્વીકારતી વખતે શ્રી સંઘના સર્વ સામાન્ય જે જે નિયમો હોય અને ભવિષ્યમાં કરવામાં આવે પાળવાની પણ કબૂલાત ગર્ભિત રીતે અપાઈ જાય છે.’’ એટલે ચાર મહાવિગઇ અને ખાસ કરીને માંસ-મદ્ય જેવી અતિનિદ્ઘ વસ્તુ શ્રાવક ફુલોત્પન્નને પ્રવેશક શરત તરીકે સર્વથા ત્યાજ્ય જ હોય છે. એવા સંઘના સર્વ સામાન્ય નિયમ દરેકને કબૂલ હોય છે, ને હોવા જ જોઈએ. તો વ્રતધારી માટે તો સંભવ જ શો હોઈ શકે ? અને કોઈ વ્યકિતવિશેષની ભૂલ હોય, તે ધોરણ ઠરતું નથી. આ હકીકત જૈન શાસ્ત્ર સંદર્ભની આજુબાજુની અસરરૂપ શૈલી ઉપરથી પણ સમજી શકાય તેમ છે. છતાં આવો અર્થ કરવો એ ભાવને ન સમજતાં એકતરફી માત્ર શાબ્દિક સમજનું પરિણામ છે. એ જ પ્રમાણે દરેક વ્રતોમાં કોઈ કોઈ અનાચારરૂપ પદાર્થો પણ અતિચારરૂપ ગણાવેલા છે, Page #710 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૩૭ પણ એ વિચાર પ્રમાણે દરેક “શ્રાવકને માટે અત્યંત ત્યાજ્ય નથી” એમ ગણાશે. “પીપળે પાણી રેડવા”, “માનતાઓ માનવી” એ વગેરે અતિચારરૂપ ગણાવ્યા છે ત્યારે શું તે અનાચાર રૂપ ન જ હોઈ શકે કે વ્રત સાપેક્ષપણે અતિચારરૂપ છે, અને વ્રતને નિરપેક્ષપણે એ જ અનાચારરૂપ છે. એ જ પ્રમાણે વ્રત સાપેક્ષ અને કોઈ જીવ વિશેષને મધ, માંસ અતિચારરૂપ થઈ શકે છે. અન્યથા અનાચાર રૂપ પણ હોઈ શકે છે. તેથી તે વિધેય કે અલ્પનિષિદ્ધ સર્વથા ઠરી શકતું નથી પરંતુ, અવિધેય અને સંપૂર્ણ નિષિદ્ધ સાબિત પણ થાય છે. માટે આવા જઆિવારા જેવા પાઠની જેમ ભળતા અર્થની વાત શાસ્ત્રવિરુદ્ધ આગળ કરીને હાલના જમાનાને ટેકો આપનારી કોઈ પણ વાત કોઈ ઠસાવવા માંગે તો વિવેકથી વિચાર કરવો, અને બનતા સુધી તો એવી વાત સાંભળવી પણ નહીં જોઈએ. કેટલાક માણસો આવાં કૃત્રિમ છિદ્રો કાઢીને ધર્મની નિંદા કરાવવામાં તત્પર હોય છે. તથા ધર્મમાં શી સત્યતા, રચનાત્મકતા, કલ્યાણકારિતા અને ખૂબી છે તે ન સમજાવતાં હાલમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી યેનકેન પ્રકારે અછતી ભૂલો કાઢીને ધર્મની નિંદાના-પરદેશીઓના પ્રચારના પરિચયને લીધે કેટલાક ભાઈઓ વ્યામોહને લીધે-હથિયારરૂપ બનેલા જોવામાં આવે છે. કેમ કે, જે બદલાયેલી દૃષ્ટિથી પોતાની યુક્તિ તરફ શાસ્ત્ર વાકયો વગર સમયે ઘસડી જનારા ઘણા છે. માટે બાળ જીવો સહજ રીતે તેવી ઊડતી વાતોમાં ગૂંચવાય નહીં, માટે અમોએ આટલો ખુલાસો કર્યો છે. ૩-૨-૮ આજની આખી જડવાદની સંસ્કૃતિ જૈન શૈલીથી વિચારતાં અનર્થદંડમય છે. પછી તેનાં ન્યાયખાતાં, નિશાળો, મ્યુનિસિપાલિટીઓ, રેડિયો, મિલો, વીજળી, કૉલેજો, ધારાસભાઓ, નાટકો, સિનેમા, તાર-ટેલિફોન, દવાખાનાઓ, અનાથાશ્રમો, બૉર્ડિંગો, હોસ્ટેલો, સંસ્થાઓ, મંડળ, પુરાતત્વ ખાતાંઓ, લોકસેવાનાં ખાતાંઓ, છાપખાનાં, સાહિત્ય પ્રસિદ્ધિની સંસ્થાઓ, લાઈબ્રેરીઓ વગેરે વગેરે ગમે તે હોય. એટલું જ સંક્ષેપમાં અહીં જણાવીએ છીએ. અતિચારોની દરેક વિગત ઉપર ઘણું લખવા જેવું પડે છે પરંતુ, પુસ્તક ઘણું મોટું થવાના ભયથી અમારે તેમાં સંયમ રાખવો પડે છે. ઉપસંહાર : પાંચ આચારના અતિચાર પૂરા થયા બાદ પણ ઉપસંહારમાં પડિસિદ્ધાર કરાણે-ને લગતા ચાર મહત્વના જૈનત્વ સાથે સંબંધ ધરાવતા અતિચારો આપવામાં આવેલા છે. ( ૧ ) જિનેશ્વર પરમાત્માએ મનાઈ કરેલાં કાર્યો ન કરવાં જોઈએ છતાં કોઈ સંજોગોમાં કે નબળાઈથી કરવાં પડે તો સંકોચ સાથે જ કરાય. અને તેનો પૂરો પશ્ચાત્તાપ થવો જોઈએ. તો તે અતિચારરૂપ છે, અન્યથા અનાચારરૂપ છે. ( ૨ ) એ જ પ્રમાણે જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલાં કૃત્યો અવશ્ય કરવાં જ જોઈએ. છતાં Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેમાં ખામી રહી જાય તો તેનો પણ પશ્ચાત્તાપ થાય, તો ન કરી શકનારને અતિચાર લાગે છે. અન્યથા અનાચાર લાગે છે. તથા જિનેશ્વર પરમાત્માઓના ઉપદેશ ઉપર અશ્રદ્ધા જાણતાં અજાણતાં થઈ જાય તો તે અતિચાર છે. અન્યથા જાણીબૂજીને તેમના ઉપદેશની દરકાર વગેરે અનાદરપણે અનાચાર છે. ક્ષાયોપથમિક સમ્યકત્વીને તરતમતાએ શંકા, આકાંક્ષા વગેરે સ્વરૂપમાં દેશથી અશ્રદ્ધા થવાનો સંભવ છે. તે અતિચારરૂપ છે, પરંતુ સર્વથા અશ્રદ્ધા તો અનાચારરૂપ છે. વિપરીત પ્રરૂપણા - જિનેશ્વર પરમાત્માના ઉપદેશની શ્રદ્ધા તો દૂર રહી, પરંતુ તેના ઉપદેશ કરતાં વિપરીત ઉપદેશ આપવો અથવા તેમના નામે વિપરીત ઉપદેશ આપવો એ કેવળ અનાચારરૂપ છે. છતાં અજાણતાં કે ઉતાવળમાં કે કોઈ પરિસ્થિતિ વિશેષને આધીન થવાથી કે ભૂલથી તેમ થઈ જાય તો અતિચાર છે. આ ચારેયનું પ્રતિક્રમણ એ સર્વ પ્રતિક્રમણનો સાર છે, ઉપસંહાર છે. કદાચ સર્વથા – પ્રતિષેધ કૃત્યો આચર્યો હોય, ઉપદેશેલાં કર્તવ્યો ન કર્યા હોય, ઈરાદાપૂર્વક સર્વથા અથદ્ધા કરી હોય કે બેધડક થઈને વિપરીત પ્રરૂપણા કરી હોય છતાં પાછળથી પસ્તાવો થાય તો તેની એ ક્રિયાઓ અતિચારરૂપ બનતી હોવાથી આલોચના, પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તને લાયક બને છે પરંતુ, પસ્તાવોયે ન હોય અને તેવાં અયોગ્ય કાર્યોમાં વધુ રસ આવતો હોય તો તે અનાચાર છે, અને તે પ્રાયશ્ચિત્તની મર્યાદાથી યે બહાર છે અને તેવી વ્યક્તિ જેને પણ ગણાય નહીં. એટલે એકંદર આરાજુનો ધમો એ પણ જૈન ધર્મના પાલન કરનાર માટે મુખ્ય શરતરૂપ મૂલતત્ત્વ આ ઉપરથી સ્પષ્ટ સમજાશે. તીર્થંકર પરમાત્માની ઉત્સર્ગ અને અપવાદમય, ભિન્ન ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરતી આશાઓ રૂપ જૈનધર્મ તેના અનુયાયીના કર્તવ્ય તરીકે ઠરે છે. એટલે હાલના જડવાદના જમાનાની દૃષ્ટિથી રચનાત્મક કે ખંડનાત્મક હોય અને તેથી આત્મવાદરૂપ જૈનધર્મને બહારથી ફાયદા કે નુકસાન માટે દેખાતા હોય છતાં કોઈ પણ કાર્ય આજ્ઞા બહાર છે, અને અનાચારરૂપ છે. જડવાદનું પ્રાધાન્ય જ નિષિદ્ધ અકૃત્ય, અશ્રદ્ધેય અને વિપરીત પ્રરૂપણારૂપ છે. તેને પોષક સંસ્થાઓ મારફત કોઈ પણ જાતનો લાભ ઉઠાવવો અને તેને સારો માનવો તેને પ્રગતિ માનવી એ મિથ્યાત્વ, આજ્ઞાવિરુદ્ધ, અનાચાર સ્વરૂપ કે તીવ્ર અતિચાર સ્વરૂપ કેમ ન ગણાય ? એટલે હાલના જમાનાને અનુસરીને જે જે સગવડો, અનુકૂળતાઓ, સંસ્થાઓ, ભાવનાઓ વગેરે ગોઠવાયા હોય અને લાભ આપતા બહારથી જણાતા હોય, તે પણ વાસ્તવિક રીતે પરિણામે નુકસાનકારક હોય છે એ સ્પષ્ટ જ છે. મરણ પાછળ શોક કે જમણ, કન્યાવિક્રય વગેરે કુરૂઢિઓ અને કુરિવાજો કાઢી નાખવા માટે ગુજરાત વર્નાકયુલર સોસાયટી મારત ફાર્બસ સાહેબે પ્રચારકાર્ય શરૂ કર્યાની હકીકત ઈતિહાસમાંથી આપણે જાણી શકીએ છીએ. Page #712 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૩૯ ૧. મરણ પાછળ રડવા કૂટવાનું યોગ્ય છે કે અયોગ્ય તે વિચારવા જેવું છે. આધ્યાત્મિક દષ્ટિથી અયોગ્ય છે, પરંતુ સાંસારિક દૃષ્ટિથી માર્ગાનુસારી જણાય છે. ૨. સુધારાવાળા રડવા-ફૂટવાનો તથા મરણ પાછળનો નિષેધ કરે છે, તે આધ્યાત્મિક દૃષ્ટિથી કરતા નથી પરંતુ તેઓ તો માત્ર આપણા જીવનમાં પલટો લાવવા માટે આપણા જીવનની તમામ બાજુઓ ફેરવી નાંખવા માગે છે. પરંતુ એકદમ એ બધી બાબતો હાથમાં ન લેતાં શરૂઆતમાં મરણ પાછળની કેટલીક રીતભાતો, કન્યાવિક્રય વગેરે જેવી આગળ તરી આવતી વસ્તુઓ પકડીને “હિંદુઓના સંસારમાં સુધારા વધારા કરવાની જરૂર છે.” એવું વાતાવરણ ઊભું કરી શકયા છે. અને જે થોડા ઘણા તે વખતે પોતે કેળવેલા અને પગાર વગેરેથી કે સરકારી નોકરી ધંધા કે લાગવગથી આશ્રિત વગેરે માણસો મળ્યા તેમનાથી એક સંસ્થા સ્થાપીને કાયમને માટે પ્રચારક ખાતું ખોલ્યું છે. ચોરાનું નખ્ખોદ ન જાય, તેથી કોઈને કોઈ હિલચાલ કરનાર મળ્યા કરે જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ અને જેમ જેમ આર્ય સંસ્કૃતિની તાલીમ મળ્યા વગરની ઊછરતી પ્રજાને એ વિચારોથી કેળવતા જાય, તેમ તેમ કોઈને કોઈ કુરિવાજ જેવું લાગે, અને બીજાઓને બીજું કંઈ કુરિવાજરૂપ લાગે. એટલે હિંદુઓનાં ખાનપાન, લગ્નવ્યવહાર, ઘરસંસાર, ધંધારોજગાર, ધાર્મિક વિધિઓ એમ જીવનના દરેકે દરેક અંગમાં કુરૂઢિ અને કુરિવાજપણું લાગતું જાય, તે દરેક તોડવા જુદા જુદા પ્રયત્નો અંદરોઅંદર ચાલે. હવે તો આજના શિક્ષિતોને તો એટલા બધા કુરિવાજે લાગે છે કે, તેનો છેડો જ નથી રહ્યો. આજે રડવા કૂટવા અને કન્યાવિક્રય પૂરતા જ સુધારા-વધારા કરવાના રહ્યા નથી, પરંતુ એવી સેંકડો બાબતો ઊભી કરી છે અને એ બધા પ્રથમના રિવાજો કાઢી નાંખીને શું કરવું એ પ્રશ્નના જવાબમાં, તે મૂળ બાબતમાં જ સુધારો-વધારો થતો નથી, પરંતુ બીજી બાજુ કેળવાયેલા વર્ગમાં તેને સ્થાને બીજી વસ્તુઓ પ્રચારમાં મૂકી હોય છે, તે આગળ વધારવા આંગળી ચીંધવામાં આવે છે. આજના “આગળ ધસો, આગળ વધો” શબ્દોનો આ અર્થ છે. એટલે જેમ જૂનું ખસે તેમ નવું પથરાતું જાય તેવી ગોઠવણ કરવામાં આવેલી છે. તે વધુ કુરૂઢિરૂપ, વધુ વહેમરૂપ, વધુ ખરાબ છતાં પણ તે બધું યે જમાનાને નામે પોષણ પામે જ જાય છે. દાખલા તરીકે, હોકાની નિંદા કરી પણ તેને ઠેકાણે બીડી સિગારેટ ગોઠવાયા, જમણવારની નિંદા કરી તેને ઠેકાણે ટી-પાર્ટી, ગાર્ડન પાર્ટી વગેરે ગોઠવાયા. છાશને બદલે ચા, અફીણને બદલે દારૂ, ઢોલ-શરણાઈને બદલે બેંડ વગેરે, રાજાઓના હજૂરિયાઓના બદલે વકીલો ગોઠવાયા, ચારણોને બદલે છાપાં, ખેસને બદલે નેકટાઈ, નાતજાતને બદલે સંસ્થાઓ, કલબો અને એસોસિયેશનો ગોઠવાયાં, ઉઠમણાને બદલે શોકસભાઓ વગેરે ગોઠવાયાં છે. એટલે પ્રજાના ચાલુ રીતરિવાજને કુરૂઢિ, વહેમ કે કુરિવાજને નામે નિંદવા સાથે જ, કેળવીને ઘડેલા બીજા વર્ગમાં તે તે પ્રવૃત્તિને સ્થાને બીજી વસ્તુઓ બરાબર ગોઠવી દીધી હોય છે, કે જે એક એક ધીમે ધીમે પ્રચાર પામતી જાય છે અને આપણને નડી રહી છે. અર્થાત, કન્યાવિક્રય કે રડવા કૂટવાના રિવાજ વિરુદ્ધ પ્રચાર કરનારનો હેતુ માત્ર કુરિવાજ દૂર કરવા પૂરતો જ નહોતો પરંતુ, આપણા આખા જીવનમાં પલટો આણવા પૂરતો હતો, એટલે Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો તેમને તો વાસ્તવિક રીતે આપણો અને આપણે સ્વાધીન હોય તેવો કોઈ પણ રિવાજ ઈષ્ટ કે ટકવા દેવા જેવો જ નથી. ભલે આપણો કોઈ રિવાજ ગમે તેટલો સારો હોય, તો પણ તે આપણે તેમની છાયામાં રહીને કે તેમની મારફત કરવો જોઈએ, એટલે કે, પુરોહિતનું કામ કે એવા આપણને સ્વાધીન કાર્યો પણ તેમના સર્ટિફિકેટ વિના ન જ થઈ શકે. તેને માટે વિરુદ્ધ પ્રચારકાર્ય કરવા માટે અજ્ઞાનતા વગેરે ભૂલો કાઢી રાખી હોય છે. ઓછું વધતું અજ્ઞાન તો દરેકમાં હોય છે. આજે દુનિયામાં સંપૂર્ણ જ્ઞાની કે કેળવાયેલ કોણ છે ? છતાં અમુક પ્રજાને કેળવાયેલી ગણી લેવામાં આવે છે, અને અમુક પ્રજાને કેળવણી લેવાની જરૂર છે માટે તે બિનકેળવાયેલી અને અજ્ઞાન છે એમ કરાવી દેવામાં આવેલ છે. - સારાંશ કે, તેઓએ કુરૂઢિ ગણાવી માટે આપણે પણ વગર વિચાર્યું કુરૂઢિ ગણીને તેને છોડવી ન જોઈએ-વિચાર કરવો જોઈએ. અને માનો કે કોઈ કુરૂઢિઓ હોય તો પણ તેમની મારફત કે તેમની સંસ્થા મારફત કે તેમની હિલચાલના પરિણામરૂપ તો તે છોડાવી ન જોઈએ. કેમ કે, તેમ કરવામાં તેમને-આપણું આખું જીવન પલટાવીને પોતાના સ્વાર્થમાં ફેરવી નાંખવાની યોજનાને ટેકો આપવા બરાબર થાય છે. જે આપણને ખાસ હાનિકારક છે અને એવી કોઈ બાબતમાં કદાચ તેને સ્થાન આપીએ, તો પણ તેટલાથી તેનો છેડો આવે તેમ નથી, તેનું ધ્યેય તો ઘણું જ દૂર હોય છે, જેમાં આપણને કેવળ નુકસાન જ હોય છે. અલબત્ત, મરણ પાછળની આપણી બધી વિધિઓનો વિરોધ પરદેશીઓએ પોતાના લાભને માટે સમજીને કરાવેલ છે. અને તેઓ તે વિરોધ ખરા કયા કારણે કરાવતા હતા, તે તેઓ સમજતા પણ હતા. પરંતુ આપણા દેશના તેના અનુયાયીઓ છે, તેઓ આજે પણ તે સમજતા નથી. એટલે કે, આવા રિવાજો વિરુદ્ધ પ્રચારકાર્ય શા માટે કરવામાં આવ્યું છે ? અને આવા રિવાજે કેમ કરવામાં આવ્યા છે ? તે બન્નેયનાં ખરાં કારણો પરદેશીઓના આજના અનુયાયીઓ આ દેશના દેશનેતા વગેરે ગણાતા લોકો પણ સમજી શકતા નથી. તે જ પ્રમાણે આવા રિવાજો હિંદમાં શિષ્ટ કોમોમાં ચાલુ હોવાના પણ ખરાં અને વાજબી કારણો ખાસ હશે તે પણ આજે કોઈ ભાગ્યે જ સમજી શકે છે. એટલે આવા રિવાજો સામે સુધારકો સિવાય ધર્મચુસ્તોમાંનો પણ અમુક વર્ગ ગતાનુગતિકતાથી અણગમો બતાવે છે, તે ઠીક નથી. આધ્યાત્મિક દૃષ્ટિથી શોક કરવો એ તાજ્ય વસ્તુ છે. પરંતુ તે પ્રમાણે તો હર્ષ વગેરે પણ ત્યાજ્ય ઠરે છે. અને તેથી વિવાહ વગેરે પણ ત્યાજ્ય ઠરે છે. તે લોકો આપણા વિવાહની નિંદા ખર્ચાળ તરીકે ગણીને કરે છે. તેમાં તેઓને આપણા ખર્ચની ચિંતા નથી પણ સિવિલ મેરેજના રસ્તે વિવાહને ચડાવી દેવાનો હેતુ છે. નહીંતર આજનું જીવન જ કયાં ઓછું ખર્ચાળ છે. એ વખતે તો માત્ર વિવાહ વગેરે પ્રસંગે જ ખર્ચાળપણું જણાતું હતું. ત્યારે આજે તો આખું જીવન જ ખર્ચાળ બની ગયું છે. ઓછા ખર્ચ કરાવવાની લાલચે પહેલાં અહીંની લગ્નપદ્ધતિનો વિરોધ કરાવીને નવી ઓછા ખર્ચની પદ્ધતિને રસ્તે ચડાવવાથી તેમાં આજે થોડો પણ જે ખર્ચ થાય, Page #714 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૪૧ તે લગભગ વીજળીને દીવા કે એવી બાબતમાં પરદેશી સંસ્કૃતિને ફાયદો થાય, અને પુરોહિતને દક્ષિણા આપવાને બદલે રજિસ્ટર કરાવવાની ફી વગેરે મળે. અને આખી પ્રજા અને મોટા માણસોએ રસ્તે ચડી ગયા પછી ખર્ચનું પ્રમાણ રહેવાનું જ નથી. કોઈ પણ નવી પદ્ધતિ પરિણામે એકંદર ખર્ચાળ જ જોવામાં આવી છે. ગાર્ડન પાર્ટીની એક એક ડીશ ૩૦૦-૩૦૦ રૂપિયાની થાય છે, ત્યારે અમારી નાતના જમણમાં માણસદીઠ ૪ કે ૫ આના ખર્ચ આવે છે. એટલે તેમાં આધ્યાત્મિક દૃષ્ટિથી કે લોકોને મુશ્કેલીમાંથી બચાવવાની દષ્ટિ નથી હોતી, તેવા વિચારોનો માત્ર પ્રચારક કાર્યના અંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાકી કોઈ પણ જૂનું તોડીને તેને બદલે પોતાના આધીન હોય કે આધીન રહે તેવું નવું પ્રચારમાં લાવવું એ મુખ્ય હેતુ હોય છે. સારાંશ કે, તેમાં આધ્યાત્મિક કે પ્રજાના હિતનો હેતુ નથી હોતો ત્યારે એ રિવાજ પાછળ અહીં શા હેતુઓ હતા ? તે સમજી લેવું જોઈએ. ૧. રડવું કૂટવું એ શોકની લાગણી બતાવવાની નિશાની છે. શોક સ્થાયી ભાવવાળો કરુણ રસ એ નવ રસમાંનો એક રસ છે, એટલે તે કુદરતી છે. એટલે શોકમાં કૃત્રિમતા નથી, એ સૌ કબૂલ કરશે. નવરસનાં નામ : શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, બીભત્સ, ભયાનક, અદ્ભુત, રૌદ્ર અને શાંત. આ નવરસ પ્રાણીમાત્રમાં હોય છે. નિમિત્ત મળતાં તે જાગ્રત થાય છે. શોકની તીવ્ર લાગણી ઉત્પન્ન થાય ત્યારે તેને બહાર વહી જવા દેવા માટે રુદન, કૂટન, પડવું વગેરે સાધનો છે. નહીંતર તે લાગણી શરીરમાં રંધાઈ રહેતાં કાંઈને કાંઈ નુકસાન કરી બેસે છે. ઘણીવાર શોક બહાર ન કાઢી નાખવામાં આવે, તો ઘણા રોગ થવાના દાખલા છે. ભયની લાગણી વખતે નાસભાગ, ઘૂજવું, ચીસો વગેરે તેને વહી જવા દેવાનાં સાધનો છે. વીર રસની લાગણીમાં પણ હાથ પછાડવા, પગ પછાડવા, તિરસ્કારના શબ્દો બોલવા, હોઠ પીસવા વગેરેથી તેને વહેવા દેવી પડે છે. તેમ આમાં પણ સમજવું. જો સ્નેહી સંબંધીઓમાં લાગણીનું તત્ત્વ ઓછું હોય તો શોક ઓછો થાય છે, અને તેથી રડવું, કૂટવું ઓછું બને છે. તે પ્રમાણે જ દરેક રસને માટે સમજવું. ૪. આર્ય પ્રજાના જીવનના દરેક અંગો સારી રીતે ખીલેલાં હોવાથી તેનામાં લાગણીપ્રધાનતા પણ સારા પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે. જ્યારે એક કોમનો માણસ ચોરી કરતાં ખચકાતો નથી, પરંતુ ત્યારે બીજી કોમનો માણસ પોતાને માથે ખોટું આળ ન આવે, તેને માટે આકાશ પાતાળ એક કરતાં હોય છે. એક સ્ત્રી બબ્બે ત્રણ-ત્રણ ધણી કરવામાં ન સંકોચાય, ત્યારે એક સ્ત્રીને પતિનું માથું દુ:ખે તો પણ ઘણા દુ:ખનું કારણ થઈ પડે, અને બીજા પુરુષના છાંયાથી પણ દૂર નાસે. આ સ્થિતિને લીધે ઉચ્ચ લાગણીવાળા પણ માણસોનો આ દેશમાં ઘણો સંભવ છે. તેવા લોકોને પ્રિયના વિયોગથી સહજ શોક થાય, અને તેને વહી જવા દેવાનાં સાધનો પણ ગોઠવવાં જોઈએ. આ દેશની પ્રજા બીજી દરેક બાબતમાં આગળ વધેલી હોવાથી તેની શોકની લાગણી પણ તીવ્ર હતી. જંગલી પ્રજામાં લાગણી ખરી, પણ અહીંની સંસ્કારી પ્રજા Page #715 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો જેટલી ન જ હોય એ સ્વાભાવિક છે. અહીંના કુટુંબપ્રેમ જુદી જ જાતના છે. ખાસ અભ્યાસી વિના ન સમજાય તેવા છે. ૫. તે જ પ્રમાણે રડવું કેમ અને રડાવવું કેમ તેની કળા પણ અહીં ખીલી છે. રડાવનારી કોમના ધંધાર્થી માણસો પણ અહીં હોય છે. ૬. તે જ પ્રમાણે વૈરાગ્યના બોધથી શોકને તદ્દન કેમ ઠારી નાંખવો ? તેની કળાના જાણનાર આધ્યાત્મિક ધર્મગુરુઓ પણ અહીં એવા જ હોય છે. આથી આ દેશ તેની પ્રજા અને તેની સંસ્કૃતિ ઘણી જ વિલક્ષણ અને અદ્વિતીય છે. છે. સમાજમાં રહેલ માનવના સુખદુઃખમાં સમાજના બીજા લોકોનો પણ સહકાર હોવો જોઈએ, એ ધોરણે કુટુંબના દરેક જાહેર કામમાં સમાજ, સ્નેહીઓ, સગાંઓ ભાગ લેતાં હોય જ છે. તેથી લગ્નના હર્ષમાં અને મરણના શોકમાંયે ભેગા ભાગ લેવા આવે છે અને તે ગોઠવણ સમાજશાસ્ત્રની દૃષ્ટિથી બરાબર જણાય છે. આર્યકુળમાં જન્મવું તે જેમ આનંદનો વિષય છે, અને તેને સામાજિક જાહેરાત આપીને સાકર વહેંચીને કે જ્ઞાતિને જમાડીને જન્મમાં અને લાયક કુટુંબના જન્મેલા લાયક જીવ માટે સામાજિક સમ્મતિ મેળવી લેવામાં આવે છે. કેમ કે, તેને સમાજમાં કાયદેસર જન્મ તરીકે પણ સ્વીકારાવવાની યોજના તે જન્મનારના જન્મ મહોત્સવમાં કાયદેથી ગૂંથાયેલી પડી છે. તે જ પ્રમાણે સમાજમાંથી સમાજના માન્ય (રજિસ્ટર થયેલ) કુટુંબની મરણ પામેલ સભ્ય વ્યકિતના મરણને સમાજમાં કાયદેસર મરણ તરીકે સ્વીકારાવવું, તેમજ સમાજ તરફનું માન અને સન્માન મરનારને અપાવવું, તથા માન આપનારાઓની સેવા, તેમની ભકિત કરવા, સામાજિક મેળાવડા એ જ મરણ પ્રસંગના જમણવારો છે. સર્વ સંસ્કારોની પેઠે એ મરણસંસ્કારની જાહેર ઉજવણી છે. જાહેર મેળાવડામાં દરેક સગા સંબંધીઓ કે અંગત સ્નેહીઓ જ હોય છે તેમ નથી હોતું. તેમાં તો સમાજના દરેક પ્રકારના માણસો હોય તે દરેકને ભોજન પહોંચી વળે તેવું હોવું જોઈએ. અને આગળ તો મીઠાઈ પણ બહુ સાદાઈથી થતી હતી. ગોળના પકવાન કે ચણા જેવી બે જ ચીજો થતી હતી. ખાંડના પ્રચાર પછી વિવિધ ચીને હાલમાં વધી ગઈ છે. રોટલા રોટલી બધાને પહોંચી શકે જ નહિ છતાં સ્નેહીઓને માટે તો તેવી ગળપણ વગરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આની કોઈ પણ પ્રવૃત્તિમાં ભોજન તો મુખ્ય હોય છે. ત્યારે હાલની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાષણ મોઢે બોલવાનું જ મુખ્ય હોય છે. હવે તેમાં અલ્પાહાર ઉમેરાતો જાય છે. ૧૦. મરનારની જેવી લાયકાત, તેના પ્રમાણમાં જાહેર ઉજવણી થતી હતી. તેના અનેક પ્રકારો-ગામ ખર્ચ, પરગણાખર્ચ, તાલુકાખર્ચ, આખી નાત બોલાવવી વગેરે ઘણા પ્રકાર છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૧. ધનધાન્ય અને સાદા જીવનથી રહેતા પ્રજાના જીવનમાં આવા ખર્ચાઓ કાંઈ હિસાબ વિનાની બાબત હતી. આજે તે ખર્ચાળ ગણાય છે. ૧૨. તેમાંનું કાંઈ પણ ફરજિયાત હતું જ નહિ પરંતુ સમાજમાં મોભાનું ધોરણ તેવા પ્રસંગો ઉપર હોવાથી લોકો પોતપોતાના પૂર્વાપરના મોભા અનુસાર કરતા હતા. એમ તો આજે મ્યુનિસિપાલિટી વગેરેની ચૂંટણીઓમાં હજારોના ખર્ચે રસાકસીમાં કરી નંખાય છે ને શો ફાયદો મળે છે? ૧૩. સામાન્ય સ્થિતિના લોકો ન કરે, તો તેને કોઈ દબાણ કરતું નથી, છતાં અમુક મોભાદાર કુટુંબો પ્રસંગે દેવું કરીને કરે, તેનો અર્થ તો એ થતો હતો કે, કરજે લેનાર પણ શાખવાળું કુટુંબ ગણાય જ. નાણાં ભરપાઈ કરવા શક્તિ વગરનાને ધીરે પણ કોણ ? કરજે નાણાં મળવાં તે પણ પ્રજાશક્તિનો પુરાવો છે. એમાં કુટુંબની પ્રતિષ્ઠા પણ હતી અને હિંદમાં એવો વ્યવહાર જ ચાલતો હતો. કરજે લેવામાં પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠિતને જ કરજે મળતા હતા. ૧૪. અને તેનું ફળ સામાજિક મોભો ટકાવવામાં આવતું હતું અને તેથી સમાજના મળવા જોઈતા લાભો તેને સારી રીતે મળ્યા વિના રહેતા નહિ. સમાજમાં વીંટાયેલાં કુટુંબો ગમે તેવી ઊથલપાથલો છતાં આર્યપ્રજા જગતમાં સંગઠિત રીતે ટકી રહી શકી છે, જે જળવાયેલા મોભાથી સમાજ તરફથી જાણવામાં કે અજાણમાં વ્યકિતને ઘણું રક્ષણ મળે છે. ૧૫ જેમ જેમ લાગણી બૂઠી થશે, જેમ જેમ ગરીબી ફેલાશે, તેમ તેમ રડવું કૂટવું ઓછું થશે અને તેમ તેમ તેમાં ખર્ચ બંધ કે ઓછા પણ કદાચ થશે, તે એ સાબિત પણ કરશે કે પ્રજાની લાગણી એટલી બૂઠી થઈ છે અને આર્થિક સ્થિતિ નિર્બળ થઈ છે. એટલું પ્રજાનું પતન ગણાશે, પરંતુ ઉન્નતિ નહિ ગણાય. સારાંશ કે, આવા રિવાજોની પાછળ ચાલુ કરવાની મૂર્ખતા નથી હોતી પરંતુ, ઊલટા સારા હેતુઓયે હોય છે અને તે શિષ્ટ પુરુષોએ જ સમજપૂર્વક પ્રચલિત કર્યા હતા. અર્થાત્ તેને અનુસરવામાં માર્ગાનુસારિતા છે. તે છોડવામાં આપણા સાંસારિક શિષ્ટ વ્યવહારદષ્ટિથી ઉન્માર્ગગામિતા છે. અને આજે તો પરદેશી પ્રચારકો છોડાવીને આપણી આખી પ્રજાના જીવન જ પલટાવીને એકે એક બાબતમાં પોતાને સ્વાધીન લેવા માગે છે. એટલે તેના પ્રચારકાર્યના એક અંગ તરીકે છોડવામાં તો નુકસાનો છે જ. ૧૬. એક જ મુદ્દો છે કે, શોક વગેરે લાગણીઓ પણ મોહસ્વરૂપ હોવાથી જેમ બને તેમ ઓછા થાય તેમ આધ્યાત્મિક દૃષ્ટિથી સારું ગણાય અને આધ્યાત્મિક દૃષ્ટિથી વ્રતધારીઓ વગેરે તે છોડે તે ઈષ્ટ પણ છે. પરંતુ આજે તો તે દષ્ટિથી છોડવવામાં આવતું જ નથી, માટે આજની દષ્ટિથી ન છોડવું જોઈએ કારણ કે, તે નુકસાનકારક છે. પ્રજામાં ગરીબી આવે, લાગણી સુકાતી જાય, પ્રજા નિર્બળ બનતી જાય ને આધ્યાત્મિક ત્યાગની ભાવના થાય તેથી, તે રિવાજો કે તેવા બીજા કોઈ પણ રિવાજો બંધ થાય, તે જુદી વાત છે, પરંતુ બીજી સંસ્કૃતિના પ્રચારને પરિણામે, અજ્ઞાન ભાવે, કોઈ પણ સહેતુક રિવાજ ન છૂટી જવામાં આપણું શ્રેય છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો છેલ્લા કેટલાક દશકામાં આધ્યાત્મિક ઉપદેશકોએ પણ આ ચાલુ જમાનાની અસરમાં જેટલે અંશે આવીને તેવા રિવાજ ઉપર કટાક્ષો કરીને ઉપદેશ આપ્યા હશે, તેટલું પ્રજાને બીજા હાથ પર નુકસાન થયું છે. આધ્યાત્મિક દષ્ટિ બરાબર હતી, પરંતુ તેની પાછળની સુધારક દષ્ટિ બરાબર ન હતી. એ રીતે પણ સુધારકોને તે વખતે આપણા જીવનમાં ઘૂસવાનો અને તેના ઉપર ટીકા કરવાનો તે વખતે પ્રસંગ મળી ગયો, એટલે જ આજે તેઓ આપણા જીવનના દરેક ભાગમાં અને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓ અને બીજા સારા રિવાજો પર ટીકા કરતા થયા છે. તે એક મોટું નુકસાન થયું છે. તેઓએ એ વખતે જોયું કે, “ભલેને આધ્યાત્મિક દૃષ્ટિથી કે જેને જે રીતે ઠીક પડે, તે દૃષ્ટિથી ઉપદેશ આપે પણ આજે એ રીતે પણ આપણી વાત પ્રજા પાસે ઉપદેશકો સ્વીકરાવરાવે છે. અને તેવા રિવાજોની પ્રતિજ્ઞાઓ આપે છે, માટે આપણું કામ થાય છે.” એમ સમજીને તેઓએ પણ તે વખતે તેમાં સહકાર કરેલો. આ ઉપરથી કેટલાકને એ આશ્ચર્ય થશે કે, આવી રડવા કૂટવા જેવી કુરૂઢિઓ, લોહીના લાડુ જેવી વાતને ટેકો અપાય છે, તે જૈન ધર્મની દૃષ્ટિથી પણ કઈ રીતે સંગત છે ? પરંતુ આ વાત અમોએ જૈન ધર્મના ત્યાગમય સિદ્ધાંતની દષ્ટિથી નથી લખી, પરંતુ માર્ગાનુસારી વ્યવહારદષ્ટિ પર ખ્યાલ રાખીને લખી છે. અને તે બનેયનું આપણા જીવનમાં કેવી રીતે સ્થાન છે તેના સ્પષ્ટીકરણ સાથે લખી છે. એટલે ગેરસમજ થવાનો સંભવ નથી અને હાલના પ્રચારકોની દષ્ટિ તો નથી આધ્યાત્મિક કે નથી માર્ગાનુસારી. માત્ર પરદેશી સ્વાર્થની દૃષ્ટિનું અનુકરણ છે. એટલે તેઓની ગમે તેવી નિંદા કરે તેથી બીવાનું ન હોય, લોહીના કહે કે પરુના કહે તે સર્વ શબ્દો ઉપેક્ષ્ય જ છે. કેમ કે, તેમની વાત ધ્યાન આપવા લાયક જ ન ગણાય. વળી દેશનાયકોએ પરદેશી સંસ્કૃતિ અને પ્રચારના મોટામાં મોટા ગુલામો કે હથિયારો છે, તે તો આગળ અનેક રીતે સાબિત કરવામાં આવેલ છે. કન્યાવિક્રયની નિંદા પણ આવા જ લક્ષ્યથી શરૂ થયેલી છે. યદ્યપિ કન્યાનું શુલ્ક લેવું તે હિંદની શિષ્ટ પ્રજામાં મૂળથી જ નિંદ્ય ગણાતું આવ્યું છે. આવડી મોટી આખી પ્રજામાં બીજી રીતે સામાજિક દરજ્જો ટકાવી રાખવા કોઈ એવી ભૂલ કરી પણ બેસે. એટલે તેને સામાજિક અપ્રતિષ્ઠા આપવા તેવાં નિંદાનાં વાક્યો શાસ્ત્રોમાં મળે પણ ખરાં પરંતુ આજના સુધારકોને નથી પડી કન્યાવિક્રયની, નથી પડી હરવિજ્યની. તેમને તો આવા બહાના મારફત આપણી લગ્નવ્યવસ્થા ફેરવી નાંખવા તેમાં ઘૂસવાનું છિદ્ર જોઈતું હતું, તે આ રીતે મળી ગયું એટલે તેને ઉશ્કેરીને મોટું કરવામાં આવ્યું. તેઓનો હેતુ, આંતરજાતીય, આંતરરાષ્ટ્રીય, વર્ણાન્તર, લગ્નો તરફ પ્રજાને દોરવા, વિધવા વિવાહ કરાવવા, છૂટાછેડા લેવરાવવા એવી એકાદ પ્રાથમિક હિલચાલની જરૂર હતી. હજારો વર્ષના સંજોગોને લીધે અમુક અમુક કુટુંબોમાં એવી પરિસ્થિતિ ગોઠવાઈ હોય, તેથી એકાએક નાતના આગેવાનો કન્યાવિક્રય કરનાર ઉપર વધારે પડતું દબાણ ન લાવી શકે. એ સ્થિતિમાં કન્યાવિક્રય જેવા રિવાજના નામે પણ થોડા ઘણાને ઉશ્કેરી રાખ્યા હોય, તેઓ બળ કરીને પણ કંઈક પણ સ્વરૂપમાં તેવા રિવાજ વિરુદ્ધ ઠરાવ કરાવી શકે, તેમ Page #718 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો આગળ જતાં નવા ઊછરતા યુવાનોમાં બીજા પણ વિચારો પ્રચારમાં મૂકયા હોય, તેની અસરથી પછી બીજા પણ રિવાજોમાં ફેરફાર કરાવી શકાય. એમ ફેરફાર કરાવતા કરાવતા ઉપર જણાવેલાં ધ્યેયો તરફ લઈ જવાને નાતાતમાં લડાઈ કરનારો એક વર્ગ ઊભો રહે. આ મૂળ હેતુને ધ્યાનમાં રાખી, કન્યાવિક્રયના રિવાજને આગળ ધરવામાં તે વખતે આવેલો હતો. આજે પરદેશના પૈસાઓને લીધે તેમાં વધારે ઉછાળો આવે, તેમ તેની નિંદા કરવાને વધારે ઠીક પડે, અને તે મારફત બીજા નાતના તંત્રમાં પણ યુવકો મારફત માથું મારવાની સગવડ રહ્યા કરે, એ હેતુ સિવાય બીજું કાંઈ કારણ જણાતું નથી. બેકારી અને મદદ આજની સંસ્થાઓ પણ પ્રજામાં ફેલાતી બેકારીના પુરાવારૂપ છે. આગળ આવી બેકારી જ ન હોતી કે જેથી આવી સંસ્થાઓની જરૂર પડતી હતી, આગળ ઓછે વ્યાજે નાણાં લેવામાં, વખતસર દેવું ન ચૂકવવામાં નાનમ સમજાતી હતી. વધુ વ્યાજ આપીને નાણાં લેવામાં પણ નાનમ ગણાતી હતી. અરે દેવાળું કાઢવાના પ્રસંગો ભાગ્યે જ બનતા. અને કદાચ કોઈને નછૂટકે કાઢવું પડ્યું હોય તો ૧।। ગણું દેવું ચૂકવ્યા પછી જ નોકારસી વગેરે પ્રસંગો કરી શકે. આટલું દબાણ હોવાથી ભાગ્યે જ તેવા પ્રસંગો આવતા હતા. દરેક ખબરદાર રહેતા હતા. જ્ઞાતિમાંથી કોઈ ભાગ્યે જ બેકાર પડે અને બેકાર પડે તો જ્ઞાતિવાળા તેનું પોષણ કરે, તો તે જ્ઞાતિના સભ્ય તરીકે ન રહે. એટલે તેમને સમાજમાંથી કન્યા ન મળે અર્થાત્ કમાવાની અશકિતને લીધે તેનો સમાજિક મોભો જાય. જો કે આમ કવચિત્ બનતું હતું. ૬૪૫ સારાંશ કે, દરેક પોતાનો સામાજિક મોભો કાયમ ટકાવી રાખવા સંપૂર્ણ પુરુષાર્થ કરતા હતા, અને તેવો અવકાશ પણ રહેતો હતો. એમ પ્રજા ટકી રહે, પ્રજાનું ખમીર ટકી રહે, હજુ આવા પ્રસંગો ખમીરવાળી પ્રજાને મન મરવા બરાબર ગણાય છે. કુટુંબની મિલકતમાંથી ખર્ચ ન કરવામાં લોભ નહોતો પરંતુ, કુટુંબના વારસામાંથી મળેલી સ્થાવર-જંગમ મિલકત ધંધો, ધર્મ, લાજ, આબરૂ, સંસ્કાર, પ્રતિષ્ઠા, મોભો વગેરે ઉત્તરોત્તર વારસામાં જવા જોઈએ. પોતે નવું મેળવે તો ઠીક, નહીંતર વારસામાં મળેલામાંથી ઓછું કરી શકાય જ નહીં. કેમ કે, મળેલું પોતાનું નથી પણ કુટુંબનું છે. માટે તે હજારો વર્ષ સુધી કુટુંબને મળવું જોઈએ. જે તત્ત્વ પ્રજાના ટકાવનું ઘણું જ મહત્ત્વનું છે, ત્યારે આજે છૂટાછેડા લેનારી હોય તેવી સ્ત્રી પણ પોતાનો ભાગ લઈ જાય છે. પ્રજા કેવી રીતે ટકી શકે ? આજે બૉર્ડિંગો, અનાથાશ્રમો તથા બીજી મફત સગવડ આપતી સંસ્થાઓ મારફત પ્રજા જેટલો મત લાભ લે છે. અને તેવો વર્ગ વધતો જાય છે, તેટલું પ્રજાનું ખમીર તૂટતું જાય છે અને પ્રજા નબળી પડતી જાય છે એ સમજવાનું છે. વળી ઘણા દુ:ખી અને ગરીબ હોવા છતાં ખાનદાન લોકો આજના જમાનાની સંસ્થાઓ, તેમાં નોકરીઓનો કે તેવાં ખાતાંઓનો આશ્રય નથી લેતા તે સહેતુક છે અને પ્રજાના વ્યકિતત્વની દૃષ્ટિથી ઉપયોગી પણ છે. “તે જ જડતા, જૂની રૂઢિને વળગી રહેવું, Page #719 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો બાપના કૂવામાં ડૂબવું” વગેરેથી નિંદવામાં આવે છે. પણ તેવી નિંદા પણ આજના પ્રચારનું એક અંગ છે, માટે કોમી વાદ તોડવા કે કુરૂઢિઓ તોડવા કે વહેમો કાઢવા જે જે આ જમાનાની હિલચાલો છે, તે સ્પષ્ટ રીતે આપણને કોઈ ને કાંઈ નુકસાનકારક છે જ. તે આધ્યાત્મિક દૃષ્ટિથી કે નથી અને માર્ગાનુસારી પણ નથી. આમ સમજીને માર્ગાનુસારી અને પ્રભુની આજ્ઞામાં રહેવાથી જ લાભ છે. તેમાંથી ચૂકવાથી નુકસાન છે. ભારતના રીતરિવાજનાં તત્ત્વો અને તેની પાછળના સાયન્સ અને વિજ્ઞાનને સમજીને ત્યાગ કરવા લાયક હોય તો તેનો સમજીને ત્યાગ કરવો જોઈએ. પરંતુ બહારના માણસોની નિંદાથી કે સ્તુતિથી ગભરાઈને કે દેખાદેખીથી તેમ કરવું ન જોઈએ કે ફુલાવું ન જોઈએ. આ બાબત પંચતંત્રમાંની ઘણી કથાઓમાંથી શીખવા જેવું છે. આવી હાલના જમાનાની સાથે તુલના કરીને વિશેષ વિચારણાઓ જુદા જુદા પ્રસંગોએ આ ગ્રંથના લેખકે કરેલ છે. તેમાંથી વિશેષાર્થીઓએ જોઈ લેવું. તેનાં નામો અત્રે લખીએ છીએ. (૧) કરેમિ ભંતે! સૂત્ર અને પ્રભુ મહાવીર સ્વામીની મહાપ્રતિજ્ઞા. (૨) વિશ્વાવલોકન અને જીવનવિકાસ. (૩) પ્રાકૃત પ્રવેશિકાની પ્રસ્તાવના. (૪) આ સંસ્થા તરફથી બહાર પડેલ : ૧. સ્નાત્રપૂજા સંગ્રહની પ્રસ્તાવના. ૨. જીવવિચારની પ્રસ્તાવના. ૩. નવતત્વની પ્રસ્તાવના. ૪. દંડકની પ્રસ્તાવના. ૫. બાળપ્રવેશિકાની પ્રસ્તાવના. ૬. દ્રવ્યગુણ પર્યાયના રાસમાંના અને ૭. શ્રીમદ્દ ઉ. મહારાજના ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ બીજામાંના ત્રણ લેખો અને પ્રસ્તાવના. ૮. શેઠ વેણીચંદ સુરચંદના જીવનચરિત્રની પ્રસ્તાવના. (૫) પાટણ કેશરભાઈ જ્ઞાનમંદિર તરફથી બહાર પડેલ તત્વાર્થ સૂત્રમાંનું રહસ્ય પરિમલ અને પ્રસ્તાવના. (૬) તથા છૂટાં છૂટાં પ્રસિદ્ધ – અપ્રસિદ્ધ લેખો, પત્ર વ્યવહારો વગેરે. જેમાં પ્રસંગે પ્રસંગે હાલના જમાનાની ભાવના સાથે જૈન ધર્મનાં રહસ્યો ઘટાવીને તેની પોકળતા અને જૈન ધર્મનાં રહસ્યોની ખૂબી સમજાવી છે. અને જડવાદના અંતિમ પરિણામ સુધી પહોંચીને તલસ્પર્શી વિચારો કરવામાં આવેલા છે, જેમાંથી ખપી જીવોને સંભવ છે, કે કદાચ આ દિશાના ઉપયોગી ઘણા વિચારો જાણવા મળે. મુદ્દો એક જ છે કે, આજે પ્રાચીન ધર્મનો અભ્યાસ આ જમાનો ખંડનાત્મક દૃષ્ટિથી જ કરે Page #720 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે. તેને બદલે રચનાત્મક અને તેના ઉપરના પ્રેમની દષ્ટિથી કરવો જોઈએ તો જ તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે. પછી ખંડનાત્મક દૃષ્ટિથી પણ અભ્યાસ કરી જોવામાં હરકત નહીં. કેમ કે, તેથી તેની કસોટી કરી શકાય. તે જ પ્રમાણે આજના જમાનાની વસ્તુઓનો રચનાત્મક દષ્ટિથી પ્રચાર કરવામાં આવે છે, અને તે જ દષ્ટિથી દરેકની સામે રજૂ કરવામાં આવે છે. એટલે લોકો તેનો તે જ દૃષ્ટિથી અભ્યાસ કરે છે. પરંતુ તેનો ખંડનાત્મક દષ્ટિથી અભ્યાસ કરી જોવા જોઈએ અને પછી ખંડનાત્મક દૃષ્ટિથી કરવાથી તેની કસોટી થઈ શકશે. એટલે ધર્મોનો વિચાર પ્રથમ ખંડનાત્મક દૃષ્ટિથી અને આજની જડવાદની સંસ્કૃતિનો વિચાર પ્રથમ ખંડનાત્મક દષ્ટિથી કરવો જોઈએ. કેમ કે, પ્રથમનો અભ્યાસ વાસ્તવિક રીતે ઉપાદેય અને નિઃસ્વાર્થ વીતરાગોપદિષ્ટ છે, અને પછીનો વાસ્તવિક રીતે હેય છે. પછી બન્નેની કસોટી કરવા ઉલટાવીને વિચારવા. જેથી સત્ય શું, ઉપાદેય શું, તત્વ શું, આદરણીય શું તે બરાબર ધ્યાનમાં આવશે. આજે પ્રજાનો બુદ્ધિભેદ થયો છે તેથી શ્રદ્ધા તૂટતી જાય છે. તેનું મૂળ કારણ ઉપર પ્રમાણે ખોટી રીતે અને એકદેશી રીતે બન્નેયનો અભ્યાસ થાય છે તે છે. દાખલા તરીકે ઐતિહાસિક સત્ય દષ્ટિ વિષે અમોએ જ્ઞાનાચારમાં લખ્યું છે. તે જ પ્રમાણે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યનીતિ શાસ્ત્ર, ન્યાયશાસ, કાયદા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરે શાસ્ત્રો વિષે પણ છે, ત્યારે ગમે તેના લખેલા આજના તે શાસ્ત્રીય ગ્રંથોને સામાન્ય સમજના વિદ્વાનો ગણાતા માણસો અને સામાન્ય લોકો સાચા અને રીતસરના માની લે છે. પરંતુ તેમાં ઠામ ઠામ અપસિદ્ધાંતો જોવામાં આવે છે. દાખલા તરીકે, ભૂગોળમાં પણ તેમને આવી ભ્રમોત્પાદક રચના દેખાશે. આ દેશનાં સ્થળોમાં આ દેશની પ્રજા માટેના રચનાત્મક અને સંરક્ષક સાધનો ક્યાં કયાં અને કયા કયા દેશમાં કયા કયા શહેરમાં કે ગામમાં છે તેની વાત જ આવતી નથી. માત્ર – કોઈ પણ વાત આવે તો તે કેવળ પ્રાચીન શોધખોળના ખાતાને ઉપયોગી માહિતી જ માત્ર હોય જેથી પ્રજા સંતોષ માને અને બાકીની બસો વર્ષમાં જે નવી રચના થઈ હોય તેની વાત હોય. રેલવે સ્ટેશન, કલેકટરની કે એવી કચેરીનું મથક, નિશાળો, કૉલેજો કે પરદેશ નિકાસ કરવા લાયક માલનાં નામો કે કઈ ચીજે પરદેશથી એ દેશમાં કે પરદેશમાં આયાત કરી શકાય? તેવી વાતો હોય છે. તેમાં પ્રજાની રચનાત્મકતા હોતી જ નથી. દાખલા તરીકે, “અમદાવાદ મિલોનું મથક છે.” એમ હોય, પરંતુ જૈનોનું કેન્દ્ર છે કે જગતભરના બુદ્ધિમાનમાં બુદ્ધિમાન વેપારીઓની બુદ્ધિને આટે તેવા જૈન વેપારીઓ છે અને તેમની અમુક રીતની રચના તેમને ટકાવી રાખે તેવી ગોઠવાયેલી છે. તેમજ કાશી કે અજમેર કે કોઈ પણ દેશની વાત લઈએ, તો પણ તેમાં શહેર કે દેશ પ્રજાની રચનાત્મક તે વાત તમને મળશે જ નહીં. દેર, ઉપાશ્રય Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ પંચ પ્રતિકમાગસૂત્રો કે જ્ઞાનભંડારો કે સાધુઓની અસર અને માન-સન્માન, ભકિતની અનન્યતાની વાત જ નહીં હોય, માત્ર હઠીસિંગનું દેરું કે એવી પ્રાચીન શોધખોળની દૃષ્ટિથી કે રાજી રાખવાની દૃષ્ટિથી એવું એકાદ નામ આપીને સંતોષ માન્યો હોય છે. તે જ પ્રમાણે તે તે દેશોમાં તે યુરોપ વગેરે દેશની ભૂગોળોમાં પ્રજાનું ખમીર ખીલે તેવી વાતો અને સંજોગો વર્ણવ્યા હશે. અહીંની કોઈ બાબત ઉપર ટીકા કરી ખંડન કરવામાં કદાચ નહીં આવ્યું હોય, છતાં ગુણોની ઉપેક્ષાનો પ્રચાર કરવો એ પણ મોટામાં મોટી યોજના હલકા પાડવાની છે, તથા એ પણ મોટામાં મોટું ખંડન જ ગણાય. પ્રજાનાં તત્ત્વો કેવી રીતે તે તે સ્થળે તૂટે છે, અને નવાં તત્ત્વો કેવી રીતે ગોઠવાય છે તે વાત તો તમને હાલની ભૂગોળમાંથી જાણવા જ મળે જ નહીં. વ્યાપારી ભૂગોળ કે ઈતિહાસોમાંથી પણ યુરોપ દેશના લોકોના વ્યાપારની દૃષ્ટિથી જ લખાણ હોય અને અહીંના ભણેલા તેમના સારા કલાર્ક તરીકે કામ આવે, એ સિવાય બીજું સત્ત્વ તેનામાં આવે જ નહીં. અર્થશાસ્ત્રના આજના ધનોત્પાદક સિદ્ધાંતો આપણામાં બેકારી ફેલાવે. આ દાખલા પરથી આજનાં બધાં શાસ્ત્રો માટે સમજી લેવું. પાક્ષિક અતિચારની આલોચના પછી અતિચાર પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તના અંગ તરીકે પ્રાયશ્ચિત્ત તપ ગુરુ સંભળાવે છે, અને પછી વ્રતના રચનાત્મક સ્વરૂપના જ્ઞાન માટે પફખી સૂત્રાદિ અને તેને સ્થાને શ્રાવકો માટે વંદિતુ સૂત્ર આવે છે, પછી તરત જ શુદ્ધ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત રૂપે મુનિઓને પગામ સજઝાય અને શ્રાવકોને વંદિનુ સૂત્ર બોલવાનું હોય છે, પછી બળવાન પ્રાયશ્ચિત્ત ક્રિયા તરીકે ૧૨, ૨૦, ૪૦ વગેરે લોગસ્સના કાયોત્સર્ગ આવે છે. અંતિમ પાક્ષિકાદિ વંદન કરી અભુઠીઓ ગુરુ મહારાજને શિષ્ય ખામી લે છે, અને પાક્ષિક પ્રતિક્રમણની સંપૂર્ણતા સુધી પહોંચી જાય છે. પાક્ષિક તપ ઉપરથી આ પ્રતિક્રમણ ભલે પાખીને દિવસે સાંજે થાય છે. પણ તેનો સંબંધ ૧૫ દિવસો સાથે છે. એ બરાબર સમજાશે. આલોચન પ્રતિક્રમણ-તપ, કાયોત્સર્ગ વગેરે પ્રાયશ્ચિત્તો ૧૦ પ્રાયશ્ચિત્તોમાં આવે છે, તે આ રીતે આ વિધિમાં ઉપર પ્રમાણે સચવાય છે. ૧૨ લોગસ્સના કાઉસ્સગ્ન પછી, પ્રગટ લોગસ્સ કહી પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિસૂચક મુહપત્તિ પડિલેહિ બે વાંદાણા દઈ સમાપ્તિનો અભુકિઓ ખામી ગુરુ-શિષ્યના અંગત સંબંધને લગતા ચાર ખામણાં ખમાસમણ દઈને આદેશ માંગીને ખમાવવાની શરૂઆત કરે છે. આ ખામણાંનો પાઠ જે કે મુખ્ય રીતે મુનિ મહારાજાઓને જ બોલવાનો છે. છતાં વિધિમાં ખામણાંના હેતુઓ શ્રાવકોને પણ બરાબર સમજાય, માટે અમોએ પણ એ અર્થ સાથે આપેલ છે: દરેક ખામણાંની શરૂઆતમાં-ખમાસમણ દઈ, સંડાસા પ્રમાઈ, અવગ્રહમાં પ્રવેશ કરી, પંચાંગ પ્રણિપાત કરી શિષ્ય ગુરૂને ચરણે હાથ સ્થાપે છે, અને ગુરુ વાત્સલ્યભાવથી તે હાથ ઉપર હાથ મૂકી રાખી “પોતે શરણે સ્વીકારેલ છે,” એવો ભાવ બતાવે છે. પછી શિષ્ય નીચે પ્રમાણે અનુક્રમે Page #722 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ચાર ખામણાં બોલે છે. ૭૦. ચાર પાક્ષિક ખામણાં-૪. ( ૧ ) શબ્દાર્થ :- પિયં= ગમે છે. જં કે. ભે=આપના, તમારા. હટ્યાણં=હર્ષમાં રહેલા. તુટ્ઠાણું=સંતોષમાં રહેલા. અપ્પાયકામાંં ઓછામાં ઓછા રોગાદિવાળા અથવા નીરોગી. અભગ્ગજોગાણું અખંડ સંયમ યોગની આરાધના કરતા. સુશીલાણં સારા શીલવાળા. સુવ્વયાણં=નિરતિચાર વ્રતવાળા. સાયરિય-ઉવજ્ઝાયાણં આચાર્યો અને ઉપાધ્યાયોની પર્ષદાસમેત. ભાવેમાણાર્ણવાસિત કરતાં. બહુસુભેŞ=અનેક શુભ કૃત્યો વડે, અથવા તદ્દન સુખે સમાધે. પોસહો પર્વ. પદ્મો પાક્ષિક. કલાણેણં કલ્યાણપૂર્વક. પજુવષ્ઠિઓ=આવી પહોંચ્યો છે. તુજ્મેહિ-તમારી. સમ=સાથે. ૬૪૯ ( ૧ ) શિ- ‘ઇચ્છામિ ખમા-સમણો વંદિ ઉ-” (ગુરુ, ‘‘છંદેણ’” મર્ત્ય-એણ વંદામિ શિઇચ્છામિ 'ખમા-સમણો ! "પિયં ચ મે ‘જં ભે-હટ્ઠાણું “તુક્ષણં અઘ્યાયંકાણું ``અભગ-જોગાણું “સુ-સીલાણં ૧૭સુ-યાણં *સાયરિય-ઉવજ્ઝાયાણં "નાણેણં, ‘દંસણેણં, ચરિત્તેણં, તવસા, “અપ્પાણં ભાવેમાણાણું, “બહુ-સુભેણ ભે *દિવસો, đપોસહો, પક્ષો, વઈક્કતો. અન્નો મ- ભે કલ્યાણેણં ૧૫′વઠ્ઠિઓ. ૩‘સિરસા મણસા "મત્થએણ વંદામિ (ગુરુ- “તુબ્સેહિ ‘સમં”) ૧૮ (૮૩૫ ( ૧ ) ગાથાર્થ : શિ હે ક્ષમા-ક્ષમણ પ્રભો ! નૈષેધિકીએ અને યાપનિકાએ કરીને આપને વંદના કરવા ઇચ્છું છું. (ગુરુ- “જેવી તમારી ઇચ્છા.”) શિ ‘‘વંદન કરું છું. હે ક્ષમા-ક્ષમણ` પ્રભો ! હું ઇચ્છું છું, ંઅને ‘મને ગમે છે- કે‘ હે °ભગવંત ! હર્ષ પામેલા, સંતોષમાં રહેલા, નીરોગી, અખંડ, 'સંયમી, સારા ``શીળવાળા સારા વ્રતવાળા, આચાર્યો અને′ ઉપાધ્યાયો સાથે રહેલા, પજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપે કરીને આત્માને વાસિત કરતા `આપનો-પાક્ષિક૨ પર્વ દિવસ ઘણા સુખે કરીને પસાર થયો છે. અને બીજો પક્ષ પણ “આપને-કલ્યાણપૂર્વક આવી પહોંચ્યો` છે. મસ્તક અને મને કરીને આપને “વંદન કરું છું. (ગુરુ- “તમારી“સાથે જ“ એ બધું બરાબર થયું છે.) ૨૩. ૨૪ ૩૦ ( ૨ ) પુબિં=પ્રથમ. વંદિત્તા-સ્તુતિ વગેરેથી વંદન કરીને. નમંસિત્તા=પ્રણામાદિક વડે નમસ્કાર કરીને. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો તુમ્ભPહું આપના. પાય-મૂલે ચરણકમલમાં. વિહરમાણેણં વિચરતા. બહુ-દેવસિઆઘણા દિવસના-લાંબા દીક્ષા પર્યાયવાળા. સાહુણો સાધુઓ. દિઠા=જોયા. સમાણા વૃદ્ધાવસ્થાદિક કારણે સ્થિર વાસ કરી રહેલા. વસમાણાકમાસ કલ્પાદિકે કરીને રહેલા. ગામાણુગામે ગામેગામ. દૂઈજજમણા=વિહાર કરતા. રાયણિયા=રાત્નિકા, દીક્ષા પર્યાયમાં મોટા, શાસનમાં રત્નભૂત આચાર્યો વગેરે. સંપુષ્કૃતિ પ્રશ્ન કરે છે, સુખસાતા કે સંયમાદિક વિષેના સમાચાર પૂછે છે. ઓમરાણિયા-અવમ રાત્વિકા=લઘુ રત્નો, આપનાથી દીક્ષા પર્યાય વગેરેથી નાના, રત્નભૂત આચાર્યાદિક. અજયા આર્યો, મુનિઓ. અજિઆઓગસાધ્વીઓ. નિસ્સલ્લોકમાયા, નિદાન, મિથ્યાત્વ શલ્ય વિનાનો, એટલે આપની પ્રત્યે કોઈ પણ જાતના મનના મેલ વગરનો છું : એટલે તદ્દન સાફ હૃદયથી બધી વાતચીત કરું છું. નિકાઓ=ક્રોધાદિક કષાય વગરનો, એટલે તદ્દન ક્રોધાદિક વિનાનો નથી, પરંતુ આપની સાથે કોઈ પણ જાતનો મારે કષાય નથી, અને તદ્દન કષાય વગરનો થવા પ્રયાસ કરું છું આપની પ્રત્યે મારું દિલ તદ્દન શાંત અને ભકિતભાવભર્યું છે. વંદામિ વંદન કરવાને કહું છું, એટલે તમે પણ વંદન કરે. તેસિંતે મંદિરો અને પ્રતિમાઓને. (૨) શિ- “ઇચ્છામિ ખમાસમણી” (ગુ-“છંદેહ') શિ-મથએ વંદામિ" ઇચ્છામિ ખમાસમણો ! પુલિંચેઇઆઇ વંદિત્તા “નમંસિત્તા સુબ્બતું અપાય મૂલે “વિહરમાણે જે કઈ બહુ-દેવસિઆ સહુણો દિઠા "સમાણ “વા “વસમાણ થવા ગામણગામ દૂઈક્સમાણા “વા રાઇણિયા સંપુચ્છતિ ઓમરાણિયાવદંતિ “અપાશ્વદંતિ“અજિયાવદંતિસાવયા"વદંતિ સાવિયાઓએવદંતિઅહે "વિ-“નિસ નિકકસાઓ”“ત્તિ “ટ સિરસા "માણસામત્યએગ વંદામિ” (ગર- “અહમવિજ વંદામિ "ઇઆઇ) શિષ્ય - મFણ વંદામિન અહે પિકસિ તિ (૨) ગાથાર્થ:શિ. “હે ક્ષમાથમણ !'- (ગુ, “તમારી ઈચ્છા") શિ, વંદન કરું છું.” હે ક્ષમાથમણ પ્રભો ! હું ઈચ્છું છું કે, પ્રથમ આપના ચરણ કમળમાં રહીને- અરિહંત પ્રભુનાં ચૈત્યોને વંદન કરીને, નમસ્કાર કરીને, આપની આજ્ઞાનુસાર ગામેગામ વિચરતો હતો, ત્યારે મેં જે કોઈ ઘણા દિક્ષા પર્યાયવાળા સાધુ-મહાત્માઓને અથવા વૃદ્ધાવસ્થાએ કરીને સ્થિર રહેલા મુનિઓને અથવા માસિકલ્પાદિકે રહેલા અથવા ગામે ગામ વિચરતા રત્નાધિક પુરુષોને મેં જોયા [તે સર્વેએ મને આપને વિષે સુખ-સાતાદિક-સુખસંયમાદિક] પૂછયું છે, અને [આપને] નાના રત્નાધિક આચાર્યાદિક વંદન કરે છે, આર્ય-મુનિઓ વંદન* કરે છે. આર્યા સાધ્વીજીઓ વંદન કરે છે. શ્રાવકો વંદન કરે છે. શ્રાવિકાઓ” વંદન કરે છે. હું પણ- શલ્ય વગરનો છું, કષાયો વગરનો છું, “એ માટે- મસ્તક અને મને "કરીને વંદન કરું છું.” (ગુરુ “હું પણ" [મેં Page #724 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૫૦ વાંદેલાં] ચૈત્યોને` વંદન' કરવાનું તમને કહું છું.'’) શિ ‘હું પણ તેઓને વંદન કરું છું.” ( ૩ ) તુમ્ભùઆપના. સંતિયં=તાબાનું. અહા-કü=આચાર અનુસાર કલ્પતું. પડિગ્ગહં પાત્ર. પાય-પુંછણં=પાદ પ્રોબ્ઝન-આસન. રયહરણં રજોહરણ-ઓઘો. અક્ષરશાસ્ત્રનો અક્ષર. પદ-ઘણા અક્ષરોનો સમૂહ, વિભકત્યન્ત કે ગાથાનું પાદ અથવા અર્થાધિકાર પૂર્ણ થાય તેટલો આગમનો અમુક ભાગ. ગાઢું-ગાથા. સિલોગં-શ્લોક. સિલોગદ્ધ અરધો શ્લોક. અત્યં=અર્થ. હેતુ હેતુ. પસિણું પ્રશ્ન. વાગરણું-વ્યાકરણ. તુલ્ભહિં આપે. ચિયત્તેણં વાત્સલ્યપૂર્વક. દિન્ન આપ્યું. મએ મેં. અવિણયેણ અવિનયથી. પડિચ્છિö=લીધું, સ્વીકાર્યું. આયરિય-સંતિયં આચાર્ય પરંપરાના તાબાનું છે. (3) ૬૫૧ શિ- ‘ઇચ્છામિ ખમાસમણો.’’ (ગુ- “છંદેણ’”) શિ- “મથએણ વંદામિ ઇચ્છામિ ખમા-સમણો ! અદ્ભુઠ્ઠિઓમિ [ઉવઠ્ઠિઓમિ] “તુમ્ભહું ‘સંતિયં અહાકü વા વત્થ વા પડિગ્ગહું `વા `‘કંબલં વા ‘પાય-પુંછણું ``વા રય-°હરણં ૧૮વા અક્ષરે `લવા ૨૨૫ રવા જંગારૂં વા ‘સિલોગ પવા ૨-સિલોગદ્ધ વા અ ‰વા ચહેઉ “વા ”પિસણું વા ‘વાગરણ `વા તુબ્ભહિં ચિયત્તેણં “દિન્ન,મએ* અવિણએણ``પડિચ્છિયું, “તસ્સ 'મિચ્છા řîમિ “દુક્કડં,’” (ગુરુ- “આયરિય- ૪‘સંતિયં') ૩૭ 36 ૪૨ ( ૩ ) ગાથાર્થ : ૧૮ ૧૯ શિષ્ય :- ‘“હું ક્ષમાશ્રમણ પ્રભો ! નૈષધિકી અને શરીરાદિની સર્વ શકિત વડે તમને વંદન કરવા ઇચ્છું છું.” (ગુરુ - ‘જેવી તમારી ઇચ્છા'’) શિ ‘“હું વંદન કરું છું.’’ ‘હે ક્ષમાશ્રમણ પ્રભો ! હું` ઇચ્છું છું અને હું સાવચેત થયો છું કે, આપે ́ આપના તાબાનું - અથવા ક૨ે તેવું – અથવા વસ્ત્ર અથવા પાત્ર અથવા કાંમલી" અથવા "આસન અથવા" રજોહરણ અથવા અક્ષર॰ અથવા પંદર અથવા ગાથા" અથવા "શ્લોક “ અથવા અરધો શ્લોક અથવા અર્થ અથવા હેતુ અથવા પ્રશ્ન અથવા` જવાબ* વાત્સલ્યપૂર્વક આપેલ છે, તે મેં“ અવિનયથી ગ્રહણ કરેલ હોય, તો તે સંબંધી-મારું દુષ્કૃત્ય” મિથ્યા થાઓ”. (ગુરુ- “એ તો બધું ‘આચાર્ય મહારાજના તાબાનું છે.) ૨૮ ૨૯ ૩૧ ૩૪ ૩૭ ૪૧ ( ૪ ) અપુથ્થાઇ અપૂર્વ, હવે પછી. કયાðકરેલ. કિઈ-કમ્માðકૃતિકર્મી, વંદનાદિક સામાચારી. આયારમંતરે આચાર વિના. વિણયમંતરે વિનય વિના. સેહિઓ-શિખામણ આપી. સેહાવિઓ-શિખામણ અપાવી. સંગહિઓ=સંઘર્યો, સ્વીકાર્યો. ઉવગૃહિઓ=ઉવગ્રહિત કર્યો, વસ્ત્રાદિ આપીને ઉપકારી કર્યો. સારિયો-પ્રેર્યો. વારિયો-રોકયો, નિવાર્યો. ચોઇઓ-પ્રેરણા કરી, પ્રશ્ન કર્યો, ખુલાસા માંગ્યા. પડિચોઇઓ-વારંવાર દબાણ કર્યું. ચિયત્તા ગમી છે. મે=અને. પડિચોયણા વારંવારનું Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો દબાણ-પ્રેરણા. તવ-ય-સિરીએ તપના તેજની લક્ષ્મી વડે. ઈમાઓ આ. ચાઉરંત-સંસારકાનારાઓ ચારે દિશાઓમાં ફેલાયેલા સંસારરૂપી અટવીથી. સાહઢ-સંસાર વાસનાઓથી સંકોચાઈને. નિચરિસ્સામિમોક્ષ પામીશ. નિત્યાર-પારગા=સંસારસમુદ્રને તરીને પાર જનારા-મોક્ષે પહોંચનાર. હોહસ્થાઓ. (૪) શિ. “ઈચ્છામિ ખમા-સમાણો-” (ગરઃ- છંદેણ”) શિખ - “મથએ વંદામિ" ઇચ્છામિ ખમાસમણો ! અહમપુત્રા “ઇ કયાઈ ચતે કિઈ-કમાઈ “આયારમંતરે વિણયમંતરે સેહિઓ ષસેહાવિઓ; "સંગતિઓ, "ઉવગ્રહિ; "સારિઓ, વારિ “ચોઈઓ, પડિ-ચોઇ; જૈચિયત્તા મેડિ -ચોયાણા.અભુદ્ધિઓ “હં“તન્મહું તવ-અ-સિરીએ- ઇમાઓ ચાઉતિ-સંસાર-કતારાઓ-સાહટ 'નિત્યસ્લિામિ”૨૦ સૈનિકટુ, સિરસા જમાણસા મથએ વંદામિ' (ગરેટ "નિત્યાર-પારગ “હોહ") (૪) ગાથાર્થ :શિ, “હે ક્ષમાશ્રમણ પ્રભો! (ગુ“જેવી તમારી ઈચ્છા”) શિષ્ય-“હું વંદન કરું છું.”હે ક્ષમાશ્રમણ 'પ્રભો! હું અપૂર્વ વંદના કરવા ઈચ્છું છું. અને મેં-આચારે વિના કે વિનય વિના-પૂર્વ વંદનાદિ [ગુરુપ્રતિપ્રત્તિ] કયાં "હોય, [અને મને] [આપે] શિખામણ આપી હોય, બીજા પાસે અપાવી હોય, મારો સ્વીકાર કર્યો હોય, મારા ઉપર મહેરબાની કરી હોય, મને યોગ્ય પ્રવૃત્તિમાં દોર્યો હોય, અયોગ્ય પ્રવૃત્તિથી રોકયો હોય, મને ટોકીને યોગ્ય પ્રવૃત્તિઓમાં પ્રેર્યો હોય, તે પ્રમાણે યોગ્ય પ્રવૃત્તિમાં વારંવાર પ્રય હોય, એ બધી પ્રેરણા મને બહુ ગમે છે. કેમકે, “આ ચાર છેડાવાળી સંસાર” રૂપી અટવીથી આ સંસારને સંકેલીને હું પાર ઊતરીશ” એમ સમજીને “આપની આ તપ રૂપી તેજસ્વી લક્ષ્મી વડે ખેંચાઈને આપની પાસે હું આવેલો છું. માટે આપને મસ્તકે અને મનોભાવથી વંદન કરું છું.” (ગુ- “તમે સંસારસમુદ્રને” તરીને પાર પહોંચી જશો.”) વિશેષાર્થ : આ ખામણાં જાણે ગુરુ અને શિષ્યની, પાક્ષિક પ્રતિક્રમણથી સંપૂર્ણ શુદ્ધિ કર્યા બાદ, સાફ અંત:કરણની પાક્ષિક મિલન રૂપ મુદ્દાની વાતચીતના સ્વરૂપમાં હોય તેમ લાગે છે. શિષ્ય સર્વથા મન વચન કાયાથી ગુરુને સમર્પિત થઈને આગળ વિશેષ સંયમમાર્ગ આરાધવા માટે ગુરના શુભાશીર્વાદ મેળવે છે, ગુરુનું વિશેષ સાંનિધ્ય મેળવે છે, ગુરુના અંત:કરણમાં પ્રવેશે છે, ગુરુ તરફ ખૂબ ભકિતભાવ બતાવે છે, સંયમ માટે પોતાની અનન્ય તત્પરતા બતાવે છે, પોતાની ભૂલો સુધારવા માટે ગુરુ મહારાજના પ્રયાસોને અનુમોદે છે, સંયમથી કંટાળતો નથી પરંતુ કહે છે કે, “એ તો મને પ્રિય છે.” વગેરે અત્યન્ત Page #726 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૫૩ ભાવવાહી શબ્દોમાં ખામણાથી ગુરુ-શિષ્ય ભાવનું અસાધારણ ઉચ્ચ વાતાવરણ જામે છે. ગુરુ મહારાજની ગંભીરતા પણ સાગરથીયે ચડી જાય છે. શિષ્ય વિનય-નમ્રતાથી ઓછો ઓછો થઈ જઈને ગુરુમાં લીન થઈ જવા પ્રયાસ કરે છે, ત્યારે ગુરુ તદ્દન તટસ્થ ભાવ બતાવે છે ને પોતાની યે નમ્રતા ટકાવી રાખે છે, અને શિષ્ય ઉપર થોડા શબ્દોથી પણ પરમ વાત્સલ્ય વહેવડાવતા હોય તેવો ભાસ ઉત્પન્ન કરે છે. ગુરુની નિરભિમાન સ્થિતિ સંપૂર્ણ જળવાઈ રહે છે, ગુરુ જરા પણ અભિમાન જણાવતા નથી. ટૂંકા પણ સચોટ અને બંધબેસતા જવાબ ગુરુની પરમ મહત્તા સ્થાપિત કરવાને બસ થઈ પડે છે. આટલી અને આવી અંતરની વાતચીત બહુ ઉચ્ચ કોટિના સાધકો વચ્ચે જ સંભવે છે. ખરેખર, મહાવીર દેવ જેવા ગુરુ અને ગૌતમ સ્વામીની કોટિના શિષ્ય તથા સુધર્માસ્વામી જેવા ગુરુ અને બૂસ્વામી જેવા શિષ્યો આ ખામણાં બોલતા હશે, ત્યારે સાક્ષાત્ આત્માની પવિત્રતાની જાહેર ગંગા વહેતી હશે !! ગીતામાં-શિષ્યૉડ શાઈ માં ત્યાં પ્ર. ગણો મોદઃ તિર્તવ્ય - વગેરેમાં કાંઈક આવો રણકાર સંભળાય છે. પરંતુ આ ખામણાંમાં તો શિષ્યના ચિત્તની આર્દ્રતા પરાકાષ્ઠાએ પહોંચાડેલી જણાય છે. બાપ-બેટા વચ્ચે, મા-દીકરા વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, દરદી ને વૈદ્ય વચ્ચે, અસીલ ને વકીલ વચ્ચે, ગુનેગાર ને સાચા ન્યાયાધીશ વચ્ચે જે ઐકયનું વાતાવરણ જામે છે, તેના કરતાં કંઈક ઘણી ચડિયાતી કોટિએ જામતું વાતાવરણ આ ખામણામાં જોવામાં આવે છે. કેમ કે, પરમ વૈરાગ્યવાનું આધ્યાત્મિક જીવનની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમ ત્યાગી ગીતાર્થી જ્ઞાની ગુરુ અને તેવા થવા મથતા આધ્યાત્મિક માર્ગમાં પ્રયાણ કરવાના ઈષ્ણુ શિષ્ય છે. જ્યાં દુનિયાદારીના જીવનના ઉચ્ચ દરજ્જા પૂરા થાય છે, ત્યાંથી જૈન મુનિ-જીવનની શરૂઆત થાય છે. એટલે તેમની વચ્ચેની થોડી પણ વાતચીત અત્યન્ત ભવ્ય હોય, તેમાં નવાઈ શી ? ખરેખર, જગતમાં જૈન શાસન પરમાર્થ રૂપ અને સારરૂપ છે. તેના આવી જાતના સંખ્યાબંધ પુરાવા આપણને ડગલે ને પગલે મળ્યા કરે છે. પહેલા ખામાનામાં: પાક્ષિક પર્વ દિવસ ગુરુ મહારાજનો સુખે સમાધિએ પસાર થયો. તેથી શિષ્ય બહુ જ ખુશી થાય છે, અને બીજો પક્ષ શરૂ થવાની તૈયારી સૂચવી “તે પણ આવી જ રીતે પસાર થશે.” એમ ખુશાલી જાહેર કરી ઈચ્છા પૂર્વક વંદન કરે છે. અહીં ગુરુ જવાબ આપે છે કે, “અમારે જેમ ધર્મ-ધ્યાનમાં નિમગ્ન રહીને આનંદપૂર્વક પાક્ષિક પર્વ દિવસ વીતેલ છે, તેમ તમારો પણ વીત્યો છે અથવા તમારા સહકારથી વીત્યો છે.” એમ કહીને શિષ્યને ઉત્સાહિત કરે છે અને ગંભીર રીતે તેની લાયકાત કબૂલે છે. એવી જ રીતે શિષ્યને એ પ્રમાણે સુખપૂર્વક પાક્ષિક પર્વ દિવસ વ્યતીત થયેલ છે. તે પોતાને ય પ્રિય છે. ગુરુ પણ તેમ થાય તેમ ઈચ્છે પણ છે. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો શિષ્યને પણ હકાણંથી-ભામાણેણં સુધીનાં વિશેષણો લાગુ થાય એમ પણ ઈચ્છે છે. અને તે ગુરુને પ્રિય પણ છે.' એ સર્વ સમં શબ્દમાં ગુંજતું સાંભળી શકીએ છીએ. બીજા ખામણામાં: “ચૈત્યોને વંદન કરીને ગુરુની આજ્ઞાથી બીજ ચૈત્યોને વંદન કરવા માટે ગામેગામ કલ્પ પ્રમાણે વિહાર કરતા બીજા મોટા વૃદ્ધ મુનિઓ અથવા કલ્પ-આચારમર્યાદા પ્રમાણે વાસ કરી રહેલા મુનિઓએ અને જ્ઞાન તથા બીજી રીતે આત્મિક ગુણોથી સમૃદ્ધિવાળા આચાર્યો વગેરેએ આપના સુખ સાતાના સમાચાર પૂછયા છે. અને આપનાથી નાનાઓએ આપને ત્યાં રહ્યા રહ્યા ભાવથી વાંદ્યા છે. અને હું પણ શુદ્ધ અંત:કરણથી આપને વાંદું છું” જુઓ, મુનિ-સંસ્થામાં પ્રાચીનકાળમાં પરસ્પર કેવા સંબંધો હતા ? નાના અને મોટાઓ એકબીજાની પ્રત્યે કેવું ભાવભીનું વર્તન રાખતા હતા ? કેવું મજાનું વાતાવરણ ! ક્ષણભર આપણને સાંભળતાં જ મુગ્ધ બનાવી દે છે. એક બીજા પ્રત્યે ઉચિત જાળવવામાં કોઈપણ જરા પણ ભૂલ કરતા જ નથી કે ગલતમાં રહેતા નથી. એ લોકોના મનોરાજ્ય કેટલા બધા નિર્મળ હશે? આ બધું સાંભળીને ગુરૂમાત્ર પોતે વિહારમાં વાંદેલાં ચૈત્યોને વંદન કરવાની ભલામણ કરે છે, અને ગર્ભિત રીતે શિષ્ય કહેલી બધી ઉચિત વાત સાંભળી લે છે, ને સ્વીકારી લે છે. સાતા પૂછનારા મોટાઓ તરફ વડીલો તરીકેની ભક્તિ રાખે છે અને પોતાને વંદન કરનાર પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે. પરંતુ તે બધી વાત ગૌણપણે સમાવીને, માત્ર પોતે વાંદેલાં ચૈત્યોને વંદન કરવાનું જ શિષ્યને કહે છે. પોતાના શિષ્યને માટે, ગુરુને સુખસાતા પૂછનારા મળ્યા હોય, કે તેનાથી નાનાઓએ તેને વંદના કરી હોય, તે શિષ્યને કહેવું ઉચિત નથી. શિષ્યની પ્રતિષ્ઠા, કીર્તિ ગૌરવ, ગુરુ માટે જાણવાનું હોય, તે કહેવાની શિષ્યને જરૂર નહીં. એટલે તે બધું ગૌણ રાખીને માત્ર ચૈત્યોને વંદન કરવાનું જ કહે છે. અને શિષ્ય પણ ગુરુ આજ્ઞા પ્રમાણે તે સર્વ ચૈત્યોને તરત જ ત્યાં રહ્યા રહ્યા વંદન કરે છે. સંદર્ભ ઉપરથી છેલ્લાં બે વાકયોના અનુક્રમે ગુના અને શિષ્યના સમજીને અમોએ આ અર્થ કરેલ છે, છતાં તેમાં ખલના થઈ હોય, તો ગુરુગમથી સમજી લેવું ત્રીજા ખામણામાં: ગુરૂએ વાત્સલ્યથી જે કાંઈ આપ્યું હોય, તે લેવામાંય શિષ્ય અવિનય બતાવ્યો હોય, તેનું શિષ્ય પ્રતિક્રમણ કરે છે, મિચ્છામિ દુકકઈ દે છે. સંભવ છે કે, જોઈએ તે કરતાં ઓછું મળવાથી ખોટું લાગે છે. ન જોઈએ તે કરતાં ગુરુ બળાત્કારે વધારે આપે અને બોજારૂપ કે કંટાળારૂપ થાય, Page #728 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૫૫ બીજાને વધારે આપે, કે પોતાને ન આપતાં બીજાને આપે, તો ઈષ્ય પણ થાય, ગુરુ પાસે ન હોય, અને ન આપે, તો પણ પોતાને માટે ગુરુની બેદરકારીથી ખોટું લાગે વગેરે અનેક પ્રકારનો અવિનય થવાનો સંભવ છે. રોજ સાથે રહેવું, સાથે વિચરવું, અને પરમ સંયમી જીવન પાળવું, એ ઘણા જ સાંકડા માર્ગમાંથી પસાર થવાનું હોવાથી સામાન્ય માણસોને મનના ક્ષોભો થવાનો અનેક વખત અવકાશ રહે છે. પરિણત આત્માઓ વિના શાંતિ અને સમતોલપણું રાખવું ઘણું જ કઠણ છે. એટલે એ સ્થિતિમાં ક્ષમા માંગવી આવશ્યક છે. શિષ્ય તત્પર થઈને, જાગ્રત થઈને, સ્વેચ્છાથી ક્ષમા માંગે છે. એ ખૂબી છે. ગુરના કહેવાથી નહિ, આચાર માત્રથી નહિ, દેખાદેખીથી નહિ પણ તેને માટે જાતે પોતે ખડો થાય છે, અભુઠિઓછું કહીને જાગ્રત થાય છે, અને કર્તવ્ય બજાવવાની દૃષ્ટિથી ક્ષમા માગે છે. શરમ, લાલચ, દબાણ, દેખાદેખી કે આચાર તરીકે નહીં, પણ કર્તવ્ય સમજીને ક્ષમા માગે છે. “પોતાનો જ તેમાં સ્વાર્થ છે, પોતાની જ તેમાં આત્મપ્રગતિ છે.” એમ સમજીને અવિનય થયો હોય, તેની ક્ષમા માગે છે. પરંતુ આચાર્ય જવાબ આપીને ગજબ કરે છે, “મહાનુભાવ ! અમે જે કાંઈ તમને આપીએ છીએ, તેમાં અમારું શું છે? અમને આચાર્ય પરંપરાએ શાસનાધિપતિ ભટ્ટાર્ક આચાર્ય મહારાજ તરફથી મળેલું છે. એ આપીએ છીએ. અમે અમારું કાંઈ આપી શકતા નથી. અમો તો માત્ર દલાલ છીએ. અને આચાર્ય તરફથી અમને મળેલું છે, તે તમને આપવાની અમારી ફરજ છે, તે જ બજાવીએ છીએ. ન આપીએ તો અમો અમારી ફરજમાંથી ચૂકીએ છીએ. તમારે કેવી રીતે લેવું, તે તમારી સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે અમારે જોવાનું નથી, પરંતુ પાત્ર સમજીને અમારે આપવું જોઈએ. તે અમારી ફરજ છે. તે ફરજ બજાવવાથી વિશેષ અમોએ કાંઈ કર્યું નથી.” વાહ! નિરભિમાનતા ! કેવો ઉચિત જવાબ છે ? એક તો પ્રજામાં આવી ભાવના ઉત્પન્ન થતાં યુગના યુગો જાય. અને યુગના યુગો ગયા પછી આવી ભાવનાથી વાસિત વ્યકિતઓ પાકે. અને પછી જ આ ભાવો શબ્દોમાં ગોઠવાય. આજે ગોઠવાયેલા આ શબ્દો આપણી પાસે છે. તેથી આપણને તેનું આશ્ચર્ય લાગતું નથી. પરંતુ જેણે પ્રથમ ગોઠવ્યા હશે તેની મનોદશાની ઉચ્ચતા કલ્પતાં આવાં વાક્યોનું જગતમાં અસ્તિત્વ એ સામાન્ય વસ્તુ નથી, પણ અમારી સમજ પ્રમાણે અદ્ભુત વસ્તુ છે. ચોથા ખામણામાં : આચાર અને વિનયની ભૂલો કરી હોય, જે જે પ્રસંગે ગુરુ આજ્ઞા અને વંદન કરવાં જોઈએ તેમાં સ્કૂલનાઓ કરી હોય, ગુરુએ ઠપકો આપ્યો હોય, શિખામણ આપી હોય, ટોંકણી કરી હોય, દબાણ કર્યું હોય, વારંવાર ટોંકણી કરી હોય, તેમાં દરેક વખતે મનનું સમતોલપણું રહેવું કઠણ છે. અને મનનું સમતોલપણું શિષ્ય ગુમાવે તેમ જણાય, તો ગુરુ કહેતા, શિખામણ આપતા અટકી પણ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો જાય. શિષ્ય મનનું સમતોલપણું ગુમાવતા નથી. ગુરુને પોતાને ટોકવા માટે રોકતા નથી, રોકવા માટે હળવી પણ સૂચના કરતા નથી, ગુરુ મનથી સમજીને ટોકતા અટકી જાય તેવી ચેષ્ટા કરતા નથી, અથવા ગુરુ શિષ્યનું વલણ જોઈને અટકી જાય, તે પણ ઈચ્છતા નથી, અને ઊલટું વધારામાં કહે છે કે “હે ગુરુદેવ ! એ બધું મને પ્રિય છે, મને હિતકર છે, આપ મારા ઉપકારી છો. તેમાં જરા પણ સંકોચ રાખશો નહિ. કેમ કે, મારું આપને શરણે આવવાનું પ્રયોજન પણ એ છે અને મને મનમાં થયા કરે કે, આપના તપોબળના પ્રતાપથી હું જેમ બને તેમ આ ભયંકર સંસાર અટવીને પારને વહેલો પહોંચી જાઉ. આપના ઉપરની એ શ્રદ્ધાને લીધે જ હું આપના ચરણકમળમાં હાજર થયો છું. મને પાકી શ્રદ્ધા છે કે, આપથી મારો વિસ્તાર થશે, માટે આપને અનન્ય ભાવે મારા ઉપકારી માનીને મન વચન કાયાથી આપના ચરણમાં મારું મસ્તક મૂકું છું. એટલે સર્વસ્વપણે સમર્પિત થાઉં છું.” બસ. હવે કાંઈ બાકી ન જ રહ્યું. આથી વિશેષ શિષ્ય શું કરી શકે ? અને જગમાં કરવા જેવું બાકી રહે છે પણ શું ? ગુરુના ઊભરાતા વાત્સલ્યથી ભરેલી હૃદયની ગુફામાંથી એકાએક ઉદ્દગાર નીકળી જ પડે છે. ગુરથી યે આ સ્થિતિમાં પોતાની ભાવના શી રીતે દબાવી શકાય ? અને કહે છે કે, નિસ્તારક પારગ થાઓ. સંસારસાગર તરી જઈને મોક્ષ મેળવો !” એમ ઇચ્છું છું. બસ, અંતિમ આશિષ શિરે ચઢાવીને જ શિષ્ય શાંત થાય છે. ગુરુ સહજ રીતે જ એ ઉદ્ગાર કાઢે છે, એવી પ્રબળ શિષ્યની આજીજીઓ ઉપર આજીજીઓ રજૂ થાય છે. પછી બાકી શું રહે ? ગુરુને પછી શો ઉપાય ચાલે? હૃદય દ્રવે જ. આમ આ અંતરની વાતચીતમાં ચાર ખામણાં પૂરાં થાય છે, અને ભાવિ જીવન માટે બન્નેય ઘણા જ નિકટમાં આવીને હૈયેહૈયું મેળવીને આગળ વધે છે. આર્ય સંસ્કૃતિનાં આવાં ભવ્ય સંસ્મરણો તેની ઉજવળતા પુરવાર કરવાને બસ છે. ૭૧. ભુવનદેવતાની સ્તુતિ-પ. શબ્દાર્થ :- ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ ભુવનદેવતાની શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ-ગુગ-યુતાના જ્ઞાન વગેરે ગુણોવાળા. નિત્યં હમેશાં. સ્વાધ્યાય-સંયમ-રતાનામ-જ્ઞાનાભ્યાસ અને સંયમમાં લીન રહેલા. વિદધાતુ કરો. ભુવન-દેવી ભુવનની દેવી. શિવ શાંતિ, કલ્યાણ. Page #730 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સર્વ-સાધૂનામ્=સર્વ સાધુ મહાત્માઓનું. ભુવણ દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ `જ્ઞાનાદિ-ગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્ । “વિધાતુ “ભુવન-દેવી, શિવં ‘સદા સર્વ-સાધૂનામ્ ||૧|| `જ્ઞાનાદિગુણોવાળા અને ‘હમ્મેશાં ‘સ્વાધ્યાય તથા સંયમમાં લીન રહેલા *સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી ‘હંમેશાં શાંતિ આપો ।।૧।। ૭૨. ક્ષેત્રદેવતાની સ્તુતિ-૬. શબ્દાર્થ :- યસ્યા:≠જેના. ક્ષેત્ર-ક્ષેત્રનો. સમાશ્રિત્ય-આશરો લઈને. સાધુભિ: સાધુઓ વડે. સાધ્યતે=સધાય છે. ક્રિયા:-ધાર્મિક આચાર-અનુષ્ઠાન. ભૂયા=હો. ન:-અમને. સુખ-દાયિનીસુખ આપનારી. ૬૫૭ ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય-ક્ષેત્રદેવતાની શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. અન્નત્ય સૂત્ર બોલવું. `યસ્યા: ‘ક્ષેત્ર đસમાશ્રિત્ય, ‘સાધુભિ: ‘સાધ્યતે ક્રિયા: । જૈસા ક્ષેત્ર- દેવતા “નિત્યું, ``ભૂયાન્ન:'' સુખ-``દાયિની ।।૧।। 'જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુમહાત્માઓ ધાર્મિક આચાર-અનુષ્ઠાન ‘સાધતા હોય, તે “ક્ષેત્ર દેવતા “હંમેશાં 'આપણને ``સુખ ``આપનારા હો. ૧ છ આવશ્યક પછી અન્ય મઙળ છ આવશ્યકમય-પાક્ષિક અને દેવસિય એ બન્નેય મધ્ય પ્રતિક્રમણ પૂરા થયા બાદ છ આવશ્યકો યાદ કરી, ગુરુ મહારાજને જણાવે છે, અને આગળ શું કરવું ? તે માટે અનુશાસનની-હુકમની ઇચ્છામો અણુસહિઁ કહીને ઇચ્છા બતાવે છે ને ગુરુ મહારાજને નમો ખમાસમણાણું કહી વંદન કરે છે. ગુરુ મહારાજ નિત્થાર-પારગ થવાની આશિષ આપે છે. પછી હર્ષાવેશમાં પ્રભુ મહાવીર સ્વામીની જ સ્તુતિ રૂપ ચૈત્યંવદન કરી નમુન્થુણં અને સ્તવનથી અંતિમ મંગળ કરીને શ્રાવકો અઢ઼ાઇજ઼ેસુ સૂત્રથી Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ પંચ પ્રતિક્ષણસૂત્રો સર્વ મુનિઓને વંદન કરીને મધ્ય પ્રતિક્રમણ પૂરું કરે છે. સ્તવન ઉપરાંત વરકનક અને ચાર થોભવંદનથી સર્વ ૧૭૦ તીર્થકરો અને સંઘના અગ્રેસરમુનિઓ વગેરેને વંદન કરાય છે. તે પ્રસંગમાં-પાક્ષિકાદિમાં અજિતશાંતિ જેવું વિશિષ્ટ સ્તોત્ર સ્તવન તરીકે બોલાય છે. ૭૩. અજિત-શાન્તિ-સ્તવન-૭. મંગળા-ડડચરણ. અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની સ્તુતિ. અજિ-અજિતનાથ પ્રભુને. જિઅ-સબ-ભય-સર્વ ભયોને જીતી ગયેલા. સંતિ શાંતિનાથ પ્રભુને. પરંત-સવ-ગ-પાર્વસર્વ રોગો અને પાપોને શાંત કરનાર. જ્ય-ગુઅજગદગુરુ. સંતિગુણકરે શાંતિ રૂપ ગુણના કરનારા. દો બને. વિય. જિન-વરેજિનેશ્વરોને. પશિવયામિ પ્રણામ કરું છું. ૧ ગાહાગાથા. અજિઆં જિઅ-સવ્ય-ભય, સંકિંચ પસંત-સવ્ય-ગ-પાવો જય-ગુરુ સંતિ-ગુણ-કરે, દોવિ ઉજિણ-વરે "પરિવયામિ. ગાહા સર્વ ભયોને જીતી ગયેલા, સર્વ રોગો અને પાપોનો નાશ કરનાર,જગતના ગુરુ અને શાંતિ રૂપ” ગુણના કરનારા શ્રી “અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ એ બન્નેય જિનેશ્વરોને પ્રણામ કરું છું. ૧. ગાથા. સ્તોત્રનો વિષય વવગય-મંગલ-ભાવે અપમંગળની સ્થિતિ વગરના. તે તે બન્નેય. હું હું.. વિઉલ-તવ-નિમ્પલ સહામોટા તપે કરીને નિર્મળ સ્વભાવવાળા. નિરુવમ-મહ-૫ભાવે અપૂર્વ મહાપ્રભાવવાળી. થોસામિસ્તુતિ કરીશ. સુ-દિઠ-સન્માવે વિદ્યમાન પદાર્થોને સારી રીતે જાણનાર. આવવય-મંગુલ-ભાવે, “તે હું વિઉલ-તવ-નિમ્મલ-સહાવેશ નિરુવમ-મહમ્પભાવે, "થોસામિ સુ-દિ-સન્માવેરા ગાહા "અપમંગળની સ્થિતિ વગરના, મહાતપોએ કરીને નિર્મળ સ્વભાવવાળા, અપૂર્વ મહા-પ્રભાવવાળા અને વિદ્યમાન પદાર્થોને સારી રીતે જાણનારા તે બન્નેયની "સ્તુતિ કરું છું. ૨. ગાથા. Page #732 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૫૯ બન્નેયની સાથે સ્તુતિઓની શરૂઆત સવ-દુફખ-પૂસંતીબંસર્વ દુઃખોને શાંત કરનાર સળ-પાવ-મ્પસંતિબંસર્વ પાપો શાંતિ કરનાર. સયા=હમેશાં. અ-જિઅ-સંતીબં=ન જિતાયેલા અને શાંત થયેલા. નમો નમસ્કાર હો. અજિઅ-સંક્ષિણ અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુને. ૩. સિલોગો બ્લોક. 'સવ્ય-દુફખ-uસંતીબં, સવ્ય-પાવ-મ્પસંતિબં સયા અજિય-સંતીબં, નમો અજિઅ-સંતિરંગા સિલોગો સર્વ દુઃખો શાંત કરનારા, સર્વ પાપોની શાંતિ કરનારા, હમેશાં નહીં જિતાયેલા અને શાંત થયેલ શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર હો. ૩. શ્લોક સ્તુતિનું માહાભ્ય અજિઅ- જિન્હ અજિતનાથ જિનેશ્વર પ્રભુ ! સુહ-પ્પવર્ણ સુખ આપનાર. તવ=તમારા. પુરિસુત્તમ = પુરુષોત્તમ ! નામ-કિનણં=નામની સ્તુતિ. તહ તથા. યજ્વળી. ધિઈ-મઈપવરણં ધીરજ અને બુદ્ધિ આપનાર. તવ=તમારું. અને. જિગુત્તમ ! હે જિનેશ્વર ! સંતિ != શાંતિનાથ ! કિનણં સ્તુતિ. ૪. માહિઆમાગધિકા. અજિય-જિણ સુહ-પ્રવત્તાં, તવ પુરિસુત્તમ! નામ-કિરણ 'તહચધિઈ-મઈપવત્તાં, તવ"યજિમુત્તમ! સંતિ કિરણ જા માગહિની હે પુરુષોત્તમ ! અજિતનાથ પ્રભુ! તમારા નામની સ્તુતિ સુખ આપનાર છે, અને તે "જિનેશ્વર ‘શાંતિનાથ પ્રભુ!“તમારી સ્તુતિ પણ "ધીરજ અને બુદ્ધિ આપનાર છે. ૪. માગધિકા છંદ. બનેયની નમસ્કારની યોગ્યતાનાં કારણો કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્પ-કિલેસ-વિમુખ =૨૫ ક્રિયાઓના-આચરણ કરવાથી-એકઠા થયેલા - કર્મ ફલેશોથી-તદ્દન રહિત. અજિઅં=અજિતનાથ. નિશિઅંકભરેલા. અને. ગુગેહિંગ ગુણોએ. મહા-મુણિ-સિદ્ધિ-ગમં મહામુનિઓની સિદ્ધિને પામેલા. અજિઅસ્સન જિતાયેલા. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો યર અને. સંત-મહા-મુણિણો શાંતિનાથ મહામુનિને. સંતિ-કરં=શાંતિ કરનાર. સયંમેશાં. મમ=મારું. નિલૂઈ-કારણેયં મોક્ષના કારણભૂત. નમસણય નમસ્કાર કરવા યોગ્ય છે. ૫. આલિંગાયે=આલિંગનક છંદ: 'કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્મ-કિલેસ-વિમુખયર, *અજિએ “નિચિએ ચગુણહિં મહા-મુણિ-સિદ્ધિ-ગયા અજિસ ચ સંતિ-મહા મુણિણો વિસંતિ-કર, '"સમય"મમ નિÖઈ-કારણથં ચ નમં સણયuપા આલિંગણયો [૨૫] ક્રિયાવિધિઓથી એકઠાં થયેલાં તદ્દન કર્મોના ફલેશો વિનાનો, અજેય અને ગુણોથી *ભરપૂર તથા મહામુનિઓની અણિમાદિક સિદ્ધિઓને લગતો, શાંતિ કરનારો અને મોક્ષના કારણભૂત એવો- અજિતનાથ ભગવંત "અને શાંતિનાથ મહામુનિને પણ "મારે "હમેશાં-"નમસ્કાર કરવો યોગ્ય છે. ૫ આલિંગનક છંદ. એ બન્નેયની સ્તુતિ કરવાની ખાસ ભલામણ પુરિસાઈ હે પુરુષો ! જઇ=જે. દુફખ-વારાણું દુઃખનું નિવારણ. જઈ=ો. અને. વિગ્રહ શોધતા હો. સુખ-કારણું=સુખનું કારણ. ભાવઓ ભાવથી. અ-ભય-કરે નિર્ભય કરનારા. સરગં=શરણું. પવનજહા=પ્રાપ્ત કરો, સ્વીકારો, જાઓ. ૬. માહિઆ માગધિકા છંદ. 'પુરિસા ! “જઈ દુખ-વારણું, “જઈ અવિમગ્ગહ સુખ-કારણ અજિસંતિ “ચ અભાવ, અભય-કરે "સરણ પવજહા દા માહિત્ય હે 'પુરુષ ! દુ:ખનું નિવારણ અને સુખનું કારણ જો તમે શોધતા હો, તો નિર્ભય કરનારા શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુનું ભાવથી" શરણ સ્વીકારો. ૬. માગધિકા છંદ. અજિતનાથ ભગવાનની સ્તુતિ અરઈ-રઈ-તિમિરવિરહિઅં=નાખુશી અને ખુશી રૂપ અંધકાર વગરના. ઉવરય-જરમરણં વૃદ્ધાવસ્થા અને મરણ વગરના. સુર-અસુર-ગરુલ-ભયગ-વ-પચય-પણિવઇયં દેવો, Page #734 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભવનપતિઓ, ગરુલ-જ્યોતિષ્ક અને ભુજંગ-વ્યંતરોને ઇન્દ્રોએ પ્રયત્નપૂર્વક નમસ્કાર કરાયેલા. અજિઅમ-શ્રી અજિતનાથ સ્વામીને. અહમવિ હું પણ. અ=અને. સુનય-નય-નિગમ-સુ-નયોનાં જ્ઞાનમાં નિપુણ. અ-ભય-કર અભયદાન આપનારા. સરગં=શરણે. ઉવસરિઅ=જઈને. ભુવિ-દિવિ-જ-મહિયં પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ મનુષ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયેલ-દેવો વડે પૂજાયેલા. સયાં હંમેશાં. ઉવણમે= પ્રણામ કરું છું. ૭. સંગર્ય સંગતક છંદ. અરઈ-'રઈ-તિમિર-વિરહિઅમુવય-જર-મરણ, સુર-અસુર-ગર્લ-ભુયગ-વ-પચય-પણિવઈએT અજિઅમ°હમવિ"અસુ-નય-નય-નિઉણમ-ભય-કરંજ, સરણમુવ સરિએ ભવિ-દિવિ-જ-મહિએ સમયમુવણમે IIળા સંગયયા નાખુશી અને ખુશી રૂ૫ માનસિક અંધકાર વગરના, વૃદ્ધાવસ્થા અને મરણ વગરના, દેવો, ભવનપતિઓ, ગરુલ-જ્યોતિષ્ક અને ભુજગ-વ્યંતરોના ઈદ્રોએ પ્રયત્નપૂર્વક નમસ્કાર કરાયેલા, સુનયોનાં જ્ઞાનમાં નિપુણ, અભયદાન આપનારા, પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવો વડે પૂજાયેલા શ્રી અજિતનાથ સ્વામીને “શરણે જઈને હું પણ [તેઓને] “હમેશાં પ્રણામ કરું છું. ૭. સંગતક છંદ.. શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ તંતે. ચ=અને. જિગુત્તમં જિનોમાં ઉત્તમ. ઉત્તમ-નિત્તમ-સત્ત-ધરં ઉત્તમ અને અજ્ઞાન રહિત, નિર્મળ સત્ત્વને ધારણ કરનારા. અજવ-મદ્દવ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં=સરળતા, કોમળતા, ક્ષમા, નિર્મમત્વ અને શુદ્ધ ચારિત્રના ભંડારરૂપ. સંતિ-કરં=શાંતિ કરનારા. પણમામિ નમસ્કાર કરું છું. દમુત્તમ-તિથિ-યર ઈન્દ્રિયોનું દમન કરવામાં ઉત્તમ સાધન રૂપ. ધર્મતીર્થ સ્થાપનાર. સંતિ-મુણી શાંતિનાથ મુનિ. મમ મને. સંતિ-સમાહિ-વ-ઉત્તમ શાંતિ અને સમાધિ. દિસઉ આપો. ૮. સવાણમં સોપાનક છંદ. તે 'ચ'જિષ્ણુત્તમમુત્તમ-નિત્તમ-સત્ત-ધરે, અજવ-મ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં Page #735 -------------------------------------------------------------------------- ________________ ६६२ પંચ પ્રતિક્રમણ સૂત્રો *સંતિ-કર પણમામિ દમુત્તમ-હિત્ય-ચાં, સંતિ-મુણી “મમ "સંતિ-સમાહિ-વરં દિસફાટા સોવાણયા અને ઉત્તમ અને અજ્ઞાન રહિત, નિર્મળ સત્ત્વને ધારણ કરનાર, સરળતા, કોમળતા, ક્ષમા, નિર્મમત્વ અને શુદ્ધચારિત્રના ભંડાર રૂપ, ‘શાંતિ કરનારા, ઇંદ્રિયોનું દમન કરવામાં ઉત્તમ સાધન રૂપ ધર્મ તીર્થ સ્થાપનારા, જિનોમાં ઉત્તમ તે પ્રભુને નમસ્કાર કરું છું. તે શાંતિનાથ મુનિમને ઉત્તમ શાંતિ અને સમાધિ આપો". ૮. સોપાનક છંદ: શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ [નિવાસની નગરી તથા શરીરની રચનાનું વર્ણન:] સાવત્યિ-પુત્ર-પસ્થિવ=પહેલાં. શ્રાવસ્તી નગરીના રાજા. ચ=અને. વર-હત્યિ-અત્યયપસન્થ-વિચ્છિન્ન-સંથિઅં=સુંદર હાથીના માથા જેવા ઉત્તમ અને વિસ્તારવાળા શરીરની રચનાવાળા. થિર-સરિચ્છ-વચ્છ સ્થિર અને સરખા શ્રીવત્સવાળા, અથવા સ્થિર અને સપાટ છાતીવાળા. મય-ગલ-લીલાયમાગ-વર-ગંધ-હત્યિ-પથાણ-પસ્થિય મદ ઝરતા અને રમતિયાળ સુંદર ગંધહસ્તિની ચાલ જેવી ચાલવાળા. સંથવારિહં=સ્તુતિ કરવા લાયક હત્યિ-હત્ય-બાહું =હાથીની સૂંઢ જેવા હાથવાળા. ધંત-કણગ-રૂઅગ-નિર્વહય-પિંજર ધમેલા સોનાના રુચક જેવા મેલ વગરના દેહ પિંજરવાળા, એટલે પીળા રંગના. પવર-લખાણોચિય-સોમ-ચારુરૂવં ઉત્તમ લક્ષણોથી એકત્ર થયેલા શાંત અને સુંદર રૂપવાળા. સુઈ-સુહ-માગાડભિરામ-પર-રમણિજ-વર-દેવ-દુંદુહિ-નિનાય-મહુરયર-સુહ-ગિર= કાનને પ્રિય લાગે તેવી, મનને ગમે તેવી, બહુ જ સુંદર ઊંચા પ્રકારના દેવદૂદૂમિના શબ્દ જેવી, મીઠામાં મીઠી, શુભ કરનારી વાણીવાળા. ૯. વેઢઓવેષ્ટક છંદ. 'સાવસ્થિ-પુત્ર-પત્યિવં ચ વર-હત્યિ-મ ત્યય-પસત્ય-વિચ્છિન્ન-સંથિએ, થિર-સરિચ્છ-વચ્છમય-ગલ-લીલાયમાણ વર-ગંધ-હત્યિ-પત્થાણ-પસ્થિય “સંથારિહા 'હત્યિ-હત્ય-બાહું ધંત-કણગ-અગ-નિરુવહય પિંજર “પવર-લખણોવચિઅ-સોમ-ચારુ-રવ, Page #736 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો “સુઈ-સુહ-મણા-ઽભિરામ-પરમ-રમણિજ્ય-વર-દેવદુંદુભિ-નિનાય-મહુચર-સુહ-ગિરું ।।૯।। વેઢઓ પહેલા` શ્રાવસ્તી નગરીના રાજા, સુંદર હાથીના માથા જેવા ઉત્તમ અને વિસ્તારવાળા શરીરની રચનાવાળા, સ્થિર અને સરખા શ્રીવત્સવાળા [અથવા સ્થિર અને સપાટ છાતીવાળા] ‘મદભરેલા અને રમતિયાળ સુંદર ગંધ હાથીની ચાલ જેવી ચાલવાળા, સ્તુતિ કરવા લાયક, ‘હાથીની સૂંઢ જેવા બાહુવાળા, ધમેલા સોનાના રુચક-તેજ જેવા, મેલ વગરના દેહ-પિંજરવાળા [અથવા પીળા રંગના], ઉત્તમ† લક્ષણોથી એકત્ર થયેલા શાંત અને સુંદર રૂપવાળા, કાનને પ્રિય લાગે તેવી, મનને ગમે તેવી, બહુ જ સુંદર, ઊંચા પ્રકારના દેવદુંદુભિના શબ્દ જેવી, મીઠામાં મીઠી, શુભ કરનારી વાણીવાળા.-૯ વેજીક છંદ. ૬૬૩ અજિઅં=અજિતનાથ પ્રભુને. જિઆરિગણું-શત્રુઓના સમૂહને જીતી ચૂકેલા. જિઅ-સવ્ય-ભયં=સર્વ ભયને જીતી ચૂકેલા. ભવોહ-રિઉ સંસાર સમૂહના શત્રુ. પણમામિ=નમસ્કાર કરું છું. અહં હું. પયઓ=ખાસ પ્રયત્નપૂર્વક. પાર્વ=પાપને. પસમેઉ=શાંત કરો. મે મારા. ભયવં=ભગવાન. ૧૦ રાસાલુદ્ધઓ-રાસાલુબ્ધક છંદ. `āઅજિઅં ``જિઆઽરિ-ગણં, ``જિઅ-સવ્વ-ભયં ``ભવોહ-રિ: 'કપણમામિ ''અહં ``પચઓ, પાવું °પસમેઉ ''મે 'ભચવું |૧૦|| રાસાલુદ્ધઓ.।। ૧૬ શત્રુઓના સમૂહને જીતી ચૂકેલા, ``સર્વ ભયને જીતી ચૂકેલા, ``સંસારસમૂહના શત્રુ એવા `અજિતનાથ પ્રભુને હું* ખાસ ``પ્રયત્નપૂર્વક 'નમસ્કાર કરું છું. અને તે ''ભગવાન મારાં પાપ શાંત કરો. ૧૦. રાસાલુબ્ધક છંદ. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ (નિવાસસ્થાન, નગરી, પરિવાર, ઋદ્ધિ વગેરેનું વર્ણન) કુરુ-જણ-વય-હત્થિણા-ઉર-નરીસરો કુરુદેશમાં આવેલા. હસ્તિનાપુર નગરની રાજધાનીવાળા દેશના રાજા. પઢમં=પહેલાં; અગાઉ. તઓ=ત્યાર પછી. મહા-ચક-વટ્ટિ-ભોએ મહા ચક્રવર્તીના ભોગોમાં. મહ-પભાવો=મહાપ્રભાવવાળા (હતા). જો=જે. બાવ-ત્તરિ-પુર-વર-સહસ્ય-વરનગર-નિગમ-જણ-વય-વઈ=બોતેર હજાર મોટાં શહેરો-નગરો-વેપારીનાં ગામો-અને દેશના રાજા. બત્તીસા-રાય-વર-સહસ્સા-છુયાય-મગ્ગો≠બત્રીસ હજાર મોટા રાજાઓ માર્ગમાં જેની પાછળ પાછળ Page #737 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ચાલતા હતા. ચઉદસ-વર-રયાગ-નવ-મહાનિહિ-ચસિદ્ધિ-સહસ્સ-૫વર-જુવઈણ ચૌદ ઉત્તમ રત્ન, નવ મહાનિધિ, ચોસઠ હજાર સુંદર યુવતીઓના. સુંદર-વધુ સુંદર પતિ. ચુલસી-હયગય-રહ-સય-સહસ્સ-સામી ચોરાસી લાખ ઘોડા, હાથી અને રથોના સ્વામી. છત્રવઈ-ગામ-કોડિસામી છ— ક્રોડ ગામોના સ્વામી. આસી હતા. જો=જે. ભારહસ્મિ=ભારત વર્ષમાં. ભયવ ભગવાન ૧૧. વેઢઓ વેષ્ટક છંદ. કુર-જણવય-હત્થિણા-ઉર-નરીસરો, પઢમં તઓ ‘મહા-ચકક-વનિભોએ મહમ્પભાવો, "જો બાવત્તરિ-પુર-વર-સહસ્સ-વર-નગર-નિ ગમ-જણવય-વઈ-બત્તીસા-રાય વર-સહસાણુયાય-મગ્ગો. ચઉદસ-વર-રયણ-નવ-મહા-નિહિ-ચસિદ્ધિ સહસ્સ-વર-જવUણ સુંદર-વઈ", "ચુલસી-હય-ગ-રહ-સય-સહસ્સ-સામી, "છન્નઈ-ગામ કોડિ-સામી આસી જો ભારહમિ ભયનં ૧૫ વેઢા પહેલાં કુરુ દેશમાં આવેલા હસ્તિનાપુર નગરની રાજધાનીવાળા દેશના રાજા, ત્યાર પછી *મોટા ચક્રવર્તીના ભોગોમાં મહાપ્રભાવવાળા હતા. જે બોતેર હજાર મોટાં શહેરો, નગરો, વેપારી-ગામો અને દેશના રાજા-બત્રીસ હજાર મોટા મોટા રાજાઓ માર્ગમાં જેની પાછળ પાછળ ચાલતા હતા. “ચૌદ ઉત્તમ રત્ન, નવ મહાનિધિ, ચોસઠ હજાર સુંદર યુવતીઓના સુંદર પતિ, "ચોરાશી લાખ ઘોડા, હાથી અને રથોના સ્વામી અને જે ભગવાન “ભારત વર્ષમાં છ– કરોડ ગામોના સ્વામી *હતા. ૧૧. વેષ્ટક છંદ. તંતે. સંતિ શાન્તિ રૂ૫. સંતિ-કરં=શાન્તિના કરનારા. સંતિણશંકતરી ગયેલા. સવ-ભયા=સર્વ ભયને. સંતિ શાંતિનાથ ભગવાનની. થરામિ=સ્તુતિ કરું છું. જિર્ણ જિનેશ્વરને. સંતિ શાંતિ. વિહેઉ કરવા અથવા કરો. =મને. ૧૨. રાસાનંદિઅયં રાસાનંદિક છંદ: સં સંતિ “સંતિ-કરં, સંતિષ્ણ “સવ્ય-ભયાા 'સંતિ પુણામિ જિર્ણ, અસંતિ વિહેઉ મે ૧૨ રાસાનંદિઅયો Page #738 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો શાન્તિરૂપ, “શાંતિ કરનારા, સર્વ ભયોને તરી ગયેલા, તે શાન્તિનાથ જિનેશ્વરની મારી શાંતિ માટે "સ્તુતિ કરું છું, અથવા મને શાંતિ કરો. ૧૨. રામાનંદિક છંદ. વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ ઈકબાગ ! હે ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ ! વિદેહ-નરીસર ! હે વિદેહ દેશના રાજા ! નર-વસહા != હે મનુષ્યોમાં ઋષભ સમાન ! મુણિ-વસહા != હે મુનિઓમાં વૃષભ સમાન ! નવ-સાર-સસિ-સકલાણણ != હે શરદ ઋતુના નવીન ઉગેલા ચંદ્રમાના જેવા મુખવાળા ! વિગતમાં ! હે અજ્ઞાન રૂપ મેલ વગરના ! વિહુઅ-રયા ! હે કર્મ રૂપ મેલ વગરના ! ઉત્તમ-તેઅ!= હે ઉત્તમ તેજવાળા ! ગુગેહિં ગુણો વડે. મહા-મુણિ ! મહામુનિ ! અમિઅ-બલાહે અમાપ બળવાળા ! વિઉલ-કુલા ! હે મોટા કુળવાળા. પણમામિ હું પ્રણામ કરું છું. તે તમને. ભવ-ભય-મૂરણ!= હે સંસારનો ભય નાશ કરનારા ! જગ-સરણા !=હે જગના શરણરૂપ! મમ મને. સરગં=શરણ રૂપ થાઓ. ૧૩. ચિત્તલેહા ચિત્રલેખા છંદ. 'ઇફખાગ. *વિદેહ-નરસર ! નર વસહા! મુણિ-વસહા!, નવ-સાય-સસિ-સક્લાસણ! વિગય-તમા ! વિહુઅરયા | "અજિઉત્તમ-તેઅ! ગુણહિં "મહા-મુણિ"અમિઅ-બલા વિલિ કુલા !, પણમામિ ભવ ભય-મૂરણ ! જગ-સરણા! મમ સરણ ૧૩ ચિત્તલેહતા હે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ ! હે વિદેહ દેશના રાજા ! હે મનુષ્યોમાં ઋષભ સમાન ! હે મુનિઓમાં વૃષભ સમાન ! હેમ શરદ ઋતુના નવીન ઉગેલા પૂર્ણચંદ્રમાના જેવા મુખવાળા ! હે અજ્ઞાન રૂપી મેલ વગરના ! હે કર્મ રૂપી મેલનો નાશ કરનારા ! હે ઉત્તમ તેજવાળા ! હે ગુણો વડે મહામુનિ ! હે" અમાપ બળવાળા ! હે મોટા કુળવાળા ! અને “હે સંસારનો ભય નાશ કરનારા ! હે" અજિતનાથ પ્રભુ! "તમને પ્રણામ કરું છું. અને તે જગતને શરણરૂપ ! “મને “શરણ રૂપ થાઓ. ૧૩. ચિત્રલેખા છન્દ. વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ. દેવ-દાણવિંદ-ચંદ-સૂર-વંદ ! હે દેવોના અને ભવનપતિઓના ઈન્દ્રોને તથા ચંદ્ર અને સૂર્યને વંદન કરવા લાયક ! હઠ-તુઠ-જિઠ-પરમ-લઠવ!=હે હર્ષ યુક્ત-સંતોષ યુકત-અને પુષ્ટિ યુક્ત Page #739 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો બહુ-સુંદર ! રૂપવાળા ! ધંત-રુષ્પ-પટ્ટ-સેઅ! હે ઇમેલી-તપાવેલી રૂપાની પાટની શુદ્ધ ધોળાશ જેવી ધોળાશવાળા ! સુદ્ધ-નિ-ધવલ-દંત-પતિ ! હે શુદ્ધ ચીકણા ચકચકિત સફેદ દાંતની પંકિતવાળા! સંતિ ! હે શાંતિનાથ ! સત્તિ-કિરૂિ-મુનિ-જુત્તિ-ગુત્તિ-૫વર ! હે ઉત્તમ શકિત-કીર્તિ-મુકિત-અને ગુણોવાળા ! દિન-તેઅ! હે દેદીપ્યમાન તેજવાળા. વંદ! વંદ્ય-વંદન કરવા યોગ્ય ! ધેઅ હે ધ્યાન ધરવા યોગ્ય! સબ-લોઅ-ભાવિઅ-પભાવ! હે સર્વલોક વડે આશ્ચર્યપૂર્વક વિચારાયેલા પ્રભાવવાળા! ણે ! હે જાણવા યોગ્ય ! પઇસ આપો. મે મને. સમાહિં સમાધિ-શુદ્ધ ચારિત્ર. ૧૪. નારાયઓ=નારાચક છંદ. દેવ-દાણવિંદ-ચંદ-સૂર-વંદા હઠ-તુઠ-જિઠ-પરમ લઠ-રવ ! ધંત-રુષ્પ-પટ્ટ-સે ! સુદ્ધ-નિદ્ધ-ધવલ દંત-પતિ!"સંતિ! “સત્તિ-કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-પવર ! દિત્ત-તેઅ! વંદ! ધેઅ! સવ્ય-લોઅ-ભાવિઅ-પભાવ! ણે! ઈસમે સમાહિ૧૪ નારાયઓ. ! દેવોના અને ભવનપતિઓના ઈંદ્રોને તથા ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય ! હે હર્ષયુક્ત-સંતોષયુકત-પુષ્ટિયુકત અને બહુ સુંદર રૂપવાળા ! હે ધમેલી-તપાવેલી-રૂપાની પાટની જેવી શુદ્ધ ધોળાશવાળા ! હે શુદ્ધ, ચીકણા અને ચકચકિત ધોળા દાંતની પંકિતવાળા ! હે ઉત્તમ શકિત-કીર્તિ-નિમર્મત્વ-યુક્તિ-અને ગુપ્તિવાળા ! હે દેદીપ્યમાન તેજવાળા ! હે વંદન કરવા યોગ્ય ! હે ધ્યાન ધરવા યોગ્ય ! હે સર્વ લોકો વડે આશ્ચર્યપૂર્વક વિચારાયેલા પ્રભાવવાળા ! અને હું જાણવા યોગ્ય ! શાંતિનાથ પ્રભો!*મને સમાધિ-શુદ્ધ ચારિત્ર "આપો. ૧૪. અજિતનાથ પ્રભુની સ્તુતિ. (ઊંચા પ્રકારનાં શાંતિ, તેજ, રૂપ, પરાક્રમ, સત્વ, શારીરિક બળ, તપ અને સંયમમાં અજેયપણું) વિમલ-સસિ-કલા-ઈરઅ-સોમ=ચોખ્ખા ચંદ્રમાની કળા કરતાંયે વધારે શાંત. વિ-તિમિરસુર-કરા-sઈ-રેઅનેતેઅંબિલકુલ અંધકાર ન રહેવા દે તેવા મધ્યાહુનના સૂર્ય કરતાંયે વધારે તેજવાળા. તિઅસ-વઈ- ગણા-ઈરઅ-રૂવં ઘણા ઈન્દ્રો કરતાં યે વધારે રૂપવાળા. ધરણિધર-પ્પવરા-ઈરાસારે મોટામાં મોટા ધરણિધર-ચક્રવર્તી રાજ કરતાં યે વધારે પરાક્રમવાળા. ૧૫. કુસુમલયા-કુસુમલતા છંદ. Page #740 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો 'વિમલ-સસિ-કલા-ડઈરેઅ-સોમ, *વિ-તિમિર-સૂર-કરા-ડઈરેઅનેતેઅં તિ-અસ-વઈ-ગણ-sઈરેઅરવું., ધરણિ-ધર-પ્પવરાડ-ઈરા-સારં ૧પો કુસુમલયાણા 'ચોખ્ખા ચંદ્રમાની કળા કરતાંયે વધારે શાંત, બિલકુલ અંધકાર ન રહેવા દે તેવા મધ્યાહનના સૂર્ય કરતાંયે વધારે તેજવાળા, ઘણા ઈદ્રો કરતાં વધારે રૂપવાળા અને મોટામાં મોટા ધરણીધર-ચક્રવર્તી રાજા કરતાંયે વધારે પરાક્રમવાળા: ૧૫. કુસુમાતા છંદ: સને પરાક્રમમાં. સયા=હંમેશાં. અજિઅં=ન જિતાય તેવા. સારીર શરીરનાં. અ=પણ. બલે બળમાં. અજિએન જિતાય તેવા. તવ-સંજમે તપમાં અને સંયમમાં. અપણ. અજિન જિતાય તેવા. એસઆ []. થાણામિ સ્તુતિ કરું છું. જિગંજિનેશ્વર પ્રભુની. અજિઅજિતનાથ. ૧૬. ભુઅગ-પરિરિરિએ=ભુજંગ-પરિ-રિંગિત છંદ: સત્તે અ સયા અજિએ, ‘સારીરે અબલે 'અજિ *તવ સંજયે 'અ'અજિએ, એસ ધુણામિ “જિર્ણ અજિસં ૧૬ ભાગ-પરિ-રિંગિઅં | પરાક્રમમાં હંમેશાં ન જિતાય તેવા, શરીરના બળમાં યે હંમેશાં "જિતાય તેવા તપમાં અને સંયમમાં પણ ન જિતાય તેવા, “અજિતનાથ જિનેશ્વર" પ્રભુની આ હું સ્તુતિ કરું છું. ૧૬. ભુજંગપરિરિચિત છંદ: ઉપર પ્રમાણેના ગુણોથી જ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ સોમ-ગોહિશાન્ત ગુણે કરીને. પાવઇ પહોંચી શકતો. ન=નથી. તે તેમને. નવ-સરયસસી-શરદઋતુનો ચંદ્રમા. તેઅ-ગુPહિંન્તજના ગુણે કરીને. પાવઈ પહોંચી શકતો. ન નથી. તંતેને. નવ-સરય-રવી શરદ ઋતુનો સૂર્ય પણ. રૂવ-ગુPહિં રૂપના ગુણે કરીને. તિ-અસ-ગણવઈ દેવોના ઈંદ્ર પણ. સાર-ગુણેહિં= પરાક્રમના ગુણે કરીને. ધરણિ-ધરવઈ ચક્રવર્તી રાજા પણ. ૧૭. ખિજિજઅયંખિધતક છંદ: Page #741 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો 'સોમગુણહિં પાવઈ નત, નવ-સરય-સસી, અ-ગુણેહિં પાવઈ ને “ત, નવ-સચ-રવી "રૂવ-ગુણેહિ અપાઈપ , અતિઅસ-ગણ-વઈ, સાર-ગુણહિં “પાવઈન “ત, ધરણિ-ધર-વઈ ૧ણા ખિજ્જિયો 'શાન્તિના ગુણે કરીને શરદ ઋતુનો ચંદ્રમા પણ તેમને પહોંચી શકતો નથી, તેજના ગુણે કરીને શરદ ઋતુનો સૂર્ય પણ તેમને પહોંચી શકતો નથી. પરૂપના ગુણે કરીને દેવોનો ઈન્દ્ર પણ તેમને પહોંચી શકતો નથી. પરાક્રમના*ગુણે કરીને ચક્રવર્તી રાજા પણ તેમને પહોંચી શકતો નથી. ૧૭. ખિધતક છંદ: વિશેષાર્થ :- ૧૫મી અને ૧૭મી ગાથા અર્થથી સમાન છતાં શબ્દરચનાથી જુદી પડી જાય છે. - તિથ-વર-પવત્તાં ઉત્તમ તીર્થને પ્રવર્તાવનારા. તમ-ર-રહિએ અજ્ઞાન અને કર્મ મેલથી રહિત. ધીર-જાણ થઅસ્થિભંગધીર પુરુષોએ સ્તુતિ કરાયેલા અને પૂજાયેલા. ચુઅ-કવિ-કલુસંકજિયા અને પાપ વગરના. સંતિ-સુત-પવયં શાંતિ અને સુખ ફેલાવનારા. તિ-ગરણ-પયઓકત્રિકરણ-મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક સંતિ શાંતિનાથ પ્રભુને. અહંકહું. મહામુણિ મહામુનિને. સરણશરણે. ઉવાગમે=જાઉ . ૧૮. લલિઅય લલિતક છંદ. 'તિત્ય-વર-પવાય તમ-ય-રહિઅં, ધીર-જણ-યુઅશ્ચિમં ચુઅ-કલિ-કલુસ “સંતિ-સુત-પત્તયં “તિ-ગરણ-પયઓ, સંતિમહં મહા-મુર્ણિ “સરણમુવણમે"n૧૮ લલિઅયો 'ઉત્તમ તીર્થને પ્રવર્તાવનારા, અજ્ઞાન અને કર્મ મેલથી રહિત, ધીર પુરુષોએ સ્તુતિ કરાયેલા અને પૂજેલા, કજિયા અને પાપ વગરના, "શાંતિ અને સુખ ફેલાવનારા શાંતિનાથ પ્રભુ મહામુનિને શરણે “ત્રિકરણ-મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક, હું જાઉં છું. લલિતક છંદ. દેવકૃત ભક્તિ વર્ણનથી અજિતનાથ જિન સ્તુતિ વિણણય-સિર-ઈઅંજલિ-રિસિ-ગણ-સંથઅંગવિનયપૂર્વક નમાવેલા મસ્તક ઉપર હાથની અંજલી જોડીને ઋષિઓનાં મંડળો વડે સ્તુતિ કરાયેલા. થિમિઅં સ્થિર ઊભા રહેલા. વિબુહા-ઝહિવ-ધાણ Page #742 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વઇ-નર-વઇ-થુઅ-મહિઅર્ચિઅં-દેવોના ઇન્દ્રો, કુબેર, ચક્રવર્તીઓએ સ્તુતિ કરાયેલા-નમન કરાયેલા–અને પૂજા કરાયેલા. બહુસો-ઘણી વાર. અઇરુર્ગાય-સરય-દિવા-યર-સમહિઅ-સપ્પભ્રં-ઊગીને ઊંચે ચઢેલા શરદઋતુના સૂર્ય કરતાંયે વધારે તેજવાળા. તવસા-તપે કરીને. ગયણું-ગણવિયરણ-સમુઇઅ-ચારણ-öદિઅં-આકાશ રૂપી આંગણામાં વિચરતા વિચરતા એકઠા થઈ ગયેલા ચારણ મુનિઓ વડે વંદન કરાયેલા. સિરસા=મસ્તક નમાવીને. ૧૯. કિસલયમાલા=કિસલય માલા છંદ : રવિણઓણય-સિર-રઇઅંજલિ-રિસિ-ગણ `સંથુઅ થિમિઅં, જૈવિબુહા-ઽહિવ-ધણ-વઇ-નર-વઇ- યુઅ-મહિ-અસ્થિમં *બહુસો । અઇરુગ્ગય-સરય-દિવા-યર-સમહિઅ-સર્પભં ‘તવસા, ‘ગયણંગણ-વિચરણ-સમુઇઅ-ચારણ-વંદિઅં સિરસા. ।।૧૯। કિસલય-માલા।। `સ્થિર ઊભા રહેલા, 'વિનયપૂર્વક નમાવેલા મસ્તક ઉપર હાથની અંજલિ જોડીને ઋષિઓનાં મંડળો વડે સ્તુતિ કરાયેલા, દેવોના ઇંદ્રો, કુબેરો, અને ચક્રવર્તીઓએ *ઘણીવાર સ્તુતિ કરાયેલા, નમન કરાયેલા અને પૂજા કરાયેલા, ‘તપે કરીને-ઊગીને° ઊંચે ચડેલા શરદ ઋતુના સૂર્ય કરતાંયે ઘણા વધારે તેજવાળા, આકાશ રૂપી આંગણામાં વિચરતાં વિચરતાં એકઠા થઈ ગયેલા ચારણમુનિઓએ “મસ્તક નમાવીને વંદન કરાયેલા. ૧૯. કિસલય-માલા છંદ : ૬૬૯ અસુર-ગરુલ-પરિ-વંદિઅં=ભવન પતિઓ, સુવર્ણ કુમારો વડે વંદન કરાયેલા. કિન્નર-ઉરગનમંસિઅં=કિન્નરો અને મહોરગ નામના વ્યંતરો વડે નમસ્કાર કરાયેલા. દેવ-કોડિ-સય-સંઘુઅકરોડો દેવોએ સ્તુતિ કરાયેલા. સમણ-સંઘ-પરિવંદિઅં=શ્રમણ સંઘોએ સારી રીતે વંદન કરાયેલા. ૨૦. સુમુહં=સુમુખ છંદ : '°અસુર-ગરુલ-પરિ-મંદિઅં, ``કિન્નરોરગ-નમંસિઅં દેવ-કોડિ-સય-સંયુઅં, 'કૈસમણ-સંઘ-પરિવદિ ॥૨૦॥ સુમુહ।। `ભવનપતિઓ અને સુવર્ણકુમારો વડે વંદન કરાયેલા, ``કિન્નર અને મહોરગ જાતના વ્યંતરો વડે નમસ્કાર કરાયેલા, 'કરોડો દેવોએ સ્તુતિ કરાયેલા અને શ્રી શ્રમણ સંઘોએ સારી રીતે વંદન કરાયેલા. ર૦. સુમુખ છંદ. અભયં=નિર્ભય. અણહં=નિષ્પાપી. અરયં=નિરપેક્ષ. અનીરોગી. અજિઅં=ન જિતાયેલા. અજિઅં“અજિતનાથ ભગવંતને. પયઓ-પ્રયત્નપૂર્વક. પણમે પ્રણામ કરું છું. ૨૧ વિ′વિલસિö-વિદ્યુત્ વિલસિત છંદ: Page #743 -------------------------------------------------------------------------- ________________ pos ૧૪અભયં ``અણહું, `‘અરયં ''અનુષં -અજિઅં ‰અજિઅં, ૨॰પયઓ `પણમે ॥૨૧॥ વિ-વિલસિ નિર્ભય, "નિષ્પાપી, 'નિરપેક્ષ, નીરોગી અને ન જિતાયેલા “અજિતનાથ ભગવંતને પ્રયત્નપૂર્વક `પ્રણામ કરું છું. ૨૧. દેવ કૃત ભકિત વર્ણનથી શાંતિનાથ જિન સ્તુતિ પંચ પ્રતિક્રમણસૂત્રો આગયા=આવી પહોંચેલા. વર-વિમાણ-દિવ્ય-કણગ-રહ-તુરય-પહકર-સએહિં–ઉત્તમ વિમાન, દિવ્ય સોનાનો રથ અને ઘોડાઓના સેંકડો સમૂહે કરીને.હુલિઅં-જલદી-જલદી. સસંભમોઅરણ-ખુભિય-લુલિય-ચલ-કુંડલંગય-તિરીડ-સોહંત-મઉલિ-માલા-એકદમ ઉતાવળથી ઊતરી આવવાને લીધે ખસી-પડતા-લટકી પડતા અને કંપતાં કુંડળો-બાજુબંધ-મુકુટ અને શોભતી મુકુટની માળાઓ વાળા. ૨૨. વેડ્યુઓ-વેષ્ટક છંદ: આગયા 'વર-વિમાણ-દિવ્ય-કણગ-રહ તુય-પહકર-સએહિં `હુલિઅં । ૪સસંભમોઅરણ-પ્રુભિઅ-લુલિઅ-ચલ-કુંડલંગય તિરીડ-સોહંત-મઉલિ-માલા ।।૨૨।। વેઢઓII 'ઉત્તમ વિમાન, દિવ્ય સોનાના રથ, અને ઘોડાઓના સેંકડો સમૂહોએ કરીને જલદી જલદી આવી પહોંચેલા, ‘એકદમ ઉતાવળથી ઊતરી આવવાને લીધે ખસી પડતા લટકી પડતા, અને કંપતાં કુંડળો, બાજુબંધો, મુકુટો, અને શોભિત મુકુટની માળાઓવાળા. ૨૨ વેષ્ટક છંદ: જંજે. સુરસંઘા દેવોના સંઘો. સા-સુર-સંઘા=ભવન પતિઓના સંઘો સાથે. વેર-વિઉત્તા વૈરભાવ વગરના. ભત્તિ-સુ-જુત્તા ભકિતભાવથી ભરેલા. આયર-ભૂસિઅ-સંભમપિંડિઅ-સુટ્ઠ-સુવિદ્મિઅ-સવ્વ- બલોઘા-આદરને લીધે શોભતા-ઉતાવળા ઉતાવળા ટોળે વળી For Private & Perscohal Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો જતાં-ખૂબ સારી રીતે આશ્ચર્યમાં પડેલા-સર્વ પ્રકારના લશ્કરના સમૂહવાળા. ઉત્તમ-કંચણરયાણ-પરુલિય-ભાસુર-ભેસાણ-ભાચુરિઅંગા=ઊંચા પ્રકારના સોનાના અને રત્નના ઓપેલા ઓપેલા ચકચક થતા દાગીનાઓ વડે ઝગમગતા શરીરવાળા, ગાય-સમાગયભનિ-વસા-જ્ઞયપંજલિ-પેસિયસીસ-પણામા=શરીરના અવયવો નમાવીને-ભક્તિને લીધે આવી પહોંચતાં જ હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરનારા. ૨૩ રણ-માલા રત્નમાલા છંદ. જં"સુર-સંઘા“સાસુર-સંઘા, “વેર-વિઉત્તા 'ભત્તિ-સુ-જુત્તા, આયર-ભૂસિઅ-સંભમ-પિંડિઅ સુદ્ધ-સુ-વિધિઅ-સલ્વ-બપોઘા ‘ઉત્તમ-કંચણ-ચણ-પવિ ભાસુર-ભૂસણ ભાસુરિઅંગા, ગાય-સમોણય-ભત્તિ-વસા ગડગય-પંજલિ-પેસિયસીસ-પણામા રમા રયણ-માલા | પરિભાવ વગરના, ભક્તિભાવથી ભરેલા, આદરને લીધે શોભતા ઉતાવળા ઉતાવળા ટોળે વળી જતાં અને ખૂબ સારી રીતે આશ્ચર્યમાં પડેલા સર્વ પ્રકારના લશ્કરના સમૂહોવાળા, “ઊંચા પ્રકારના સોનાના અને રત્નના ઓપેલા ચકચક થતા દાગીનાઓ વડે ઝગમગતા શરીરવાળા, શરીરના અવયવો નમાવીને, ભક્તિને લીધે આવી પહોંચતાં જ હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરનારા, ભવનપતિઓના સંઘો સાથેના દેવોના સંઘો. ૨૩ રત્નમાલા છંદ. Page #745 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો વંદિઊણ વંદન કરીને. થોઊણસ્તુતિ કરીને. તો પછી. જિર્ણ જિનેશ્વર પ્રભુને તિ-ગુણં ત્રણ વાર. અને પુણો ફરીથી પણ. પાહિણં પ્રદક્ષિણા દેવાયેલા. પણમિઉણપ્રણામ કરીને. ય અને. જિગંગજિનેશ્વર પ્રભુને. સુરા-સુરા દેવો અને ભવનપતિઓ. પમુઇઆખુશખુશ થતાં. સ-ભવણાઈ પોતપોતાને ઘેર. તો પછી. ગયા ગયા. ૨૪. ખિયંક્ષિપ્તક છંદ. વંદિઊણપોકણ ''તો જિર્ણ, તિ-ગુણમેવ ચ પુણો ઉપયોહિણી પણમિઉણય જિર્ણ અસુરા-ડસુરા, મુઇઆ "સ-ભવાઈ તો ગયા ૨૪ ખિત્તયં | જે જિનેશ્વર પ્રભુને "વંદન કરીને સ્તુતિ કરીને પછી અને ત્રણ વાર પ્રદક્ષિણા દેવાયેલા જિનેશ્વર પ્રભુને ફરીથી પણ પ્રણામ કરીને ખુશખુશ થતા તે દેવો અને ભુવનપતિઓ પછી પોતપોતાને ઘેર ગયા. ૨૪ ક્ષિપ્તક છંદ: તંતે. મહા-મુર્ણિમહામુનિને. અહંકહું. પિ પણ. પંજલી હાથ જોડીને. રાગ-દોસભય-મોહ-વજિયે રાગ, દ્વેષ, ભય, મોહ વગરના. દેવ-દાણવ-નરિદ-વંદિએ દેવોના, દાનવોના અને મનુષ્યોના રાજાઓએ વંદન કરાયેલા. સંતિમ શાંતિનાથ પ્રભુને. ઉત્તમ ઉત્તમ. મહા-તવં મહા તપસ્વીને. નમે નમસ્કાર કરું છું. ૨૫. ખિયંક્ષિપ્તક છંદ. ‘ત મહા-મુણિ-મહંપિક અંજલી9, રાગ-દોસ-ભય-મોહ-વજિ . દેવ-દાણવ-નરિંદ-વંદિત્યં, સંતિ “મુત્તમ-"મહા-તવં “નમે ૨પા ખિત્તયં | તે, “રાગ-દ્વેષ-ભય-મોહ વગરના દેવોના, દાનવોના અને મનુષ્યોના રાજાઓએ વંદન કરાયેલા, મહા મૃતપસ્વી અને “ઉત્તમ, મહા મુનિ શ્રી શાંતિનાથ ભગવંતને હું પણ હાથ છોડીને નમસ્કાર કરું છું. ૨૫ ક્ષિપ્તક છંદ: દેવાંગનાઓની ભક્તિના વર્ણન સાથે અજિતનાથ જિન સ્તુતિ અંબરંતર વિઆરણિઆહિં આકાશની વચ્ચે વિચરતી. લલિઅ-હસ-વહુ-ગામિણિ-આહિંગ લટકાળી હંસણીની જેવી ચાલવાળી. પીણ-સોણિ-થાણ-સાલિણિઆહિં મોટાં પેડુ અને સ્તનો વડે Page #746 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૬૭૩ શોભતી. સકલ-કમલ-દલ-લોઅગિઆહિં આખા કમળના પાંદડા જેવી આંખોવાળી. ૨૬. દીવયં દીપક છંદ : "અંબરંતર-વિઆરણિઆહિં, લલિએ-હંસ-વહુ-ગામિણિઅહિં પીણ-સોણિ-થણ-સાલિણિઆહિં. *સક્લ-મલ-દલ-લોઅણિઆહિં રજા દીવયં "આકાશ વચ્ચે વિચરતી, લટકાળી હંસણીની જેવી ચાલવાળી, મોટાં પેડુ અને સ્તનો વડે શોભતી, *આખા કમળના પાંદડા જેવી આંખોવાળી. ૨૬. દીપક છંદ: પીણ-નિરંતર-થાણ-ભર-વિણમિઅ-ગાય-લયા હિંમોટાં અને પાસે પાસે આવી ગયેલાં સ્તનોના ભારે કરીને નમી ગયેલ શરીર-વેલડીવાળી. મણિ-કંચણ-પસિઢિલ-મેહલ-સોહિએ-સોણિતડાહિં મણિ અને સોનાના લટકતા કંદોરા વડે શોભતી કેડોના કંદોરાવાળી. વર-ખિંખિણિ-નેઉરસતિલય-વલય- વિભૂસરિઆહિં=સરસ ઘૂઘરીવાળા ઝાંઝર અને ટીલડીઓવાળી ચૂડલીઓથી શણગારાયેલી. રઈ-કર-ચઉર-મારોહર-સુંદર-દંસણિ-અહિં પ્રેમ ઉપજાવનાર ચતુરાઈ વાળા-મનગમતાં-અને સુંદર દેખાવવાળી. ૨૭. ચિત્તખરા ચિત્રાક્ષરા છંદ. “પીણ-નિરંતર-થણ-ભર-વિણમિય-ગાય-લયાહિં, મણિ-ચણ-પસિઢિલ-મેહલ-સોહિએ-સોણિ-તડાહિં વર-ખિખિણિ-નેઉર-સ-તિલય-વલય-વિભૂસણિઆહિં. ‘રઈ-કર-ચરિ-મોહર-સુંદર-દસણિઆહિં રણા ચિત્તખરા | મોટાં અને પાસે પાસે આવી ગયેલાં સ્તનોના ભાર વડે કરીને નમી ગયેલ શરીર વેલડીવાળી, “મણિએ જડેલા સોનાના ઢીલા લટકતા કંદોરા વડે શોભતા કેડના કંદોરાવાળી, "સરસ ઘૂઘરીઓવાળા ઝાંઝર અને ટીલડીઓવાળી ચંડલીઓથી શણગારાયેલી, ‘પ્રેમ ઉપજાવનાર-ચતુરાઈવાળા મનગમતા અને સુંદર-દેખાવવાળી. ૨૭ ચિત્રાક્ષરા છંદ: દેવ-સુંદરીહિં દેવાંગના વડે. પાય-વંદિઆહિં પગે લાગેલી. વંદિઆ વંદન કરાયેલા છે. જસ્સ= જેનાં. સુ-વિક્કમાસારા પરાક્રમવાળા. કમ=ચરણો. અપ્પણો પોતાના જ. નિડાલએહિં=લલાટેકરીને. મંડાણોણ-પગારએહિં વિવિધ શણગારો દેખાડવાપૂર્વક. કેહિ કેવા. કેહિં કેવા. વીયે. અવંગ તિલય-પત્તલેહ-નામઅહિં આંખના ખૂણા તરફ કરેલી ટીલડીઓ અને પત્રલેખા નામની વેલ વડે. Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચિલએહિંઝગમગતા. સંગર્યા ગયા હિંગટોળે મળેલી. ભત્તિ-સંનિવિઠ- વંદણાગમાહિં ભક્તિપૂર્વક વંદન કરવા માટે જ આવેલી. હુંતિ છે. તે તે બન્ને ચરણો. વંદિઆ વંદન કરાયેલાં. પુણોપુણો વારંવાર. ૨૮. નારાયઓ=નારાચક છંદ. દવ-સુંદરી હિંપાય-વંદિઆહિં જવંદિઆયજસ્મતે સુ-વિકકમાઇકમા, “અપ્પણો નિડાલએહિંમંડણોણ-પગારએહિં કહિં કહિં જવી | "અવંગ-તિલય-પત્ત-લેહ-નામએહિં "ચિલ્લએહિં “સંગચંગાહિં, “ભત્તિ-સનિવિઠ-વંદણા-ડડગયાહિં, “હુતિ તે વંદિઆ પુણો પુણો ૨૮ાા નાસયઓ . એવી ભકિતપૂર્વક વંદન કરવા માટે જ આવેલી, “ટોળે મળેલી, "આંખના ખૂણા તરફ કરેલી ટીલડીઓ અને પત્રલેખા નામની વેલોવાળી, કેવાં કેવાં કે ઝગમગતા વિવિધ શણગારો" વડે ઓળખાતી, પગે પડેલી દવાંગનાઓ વડે જેનાં સારાં પરાક્રમી "ચરણો પોતાના લલાટ વડે વંદન કરાયેલાં છે, તે ચરણો વારંવાર વંદન કરાયેલાં છે. ૨૮. વેદક છંદ: તંત્રતે. અહં હું. જિાણ-ચંદ જિન-ચંદ્રને અજિએ અજિતનાથને. જિઅ-મોહંમોહ જીતનાર. ધુ-સબ-કિલેસં=સર્વ ફલેશોનો નાશ કરનાર. પયઓ=પ્રયત્નપૂર્વક. પણમામિ નમસ્કાર કરું છું. ૨૯. નંદિઅયંત્રનંદિતક છંદ. તમહ૪ જિણ-ચંદ, અજિએ, જિઅ-મોહી "ધુય-સવ્ય-કિલેસ પયઓ *પણમામિારા નંદીઅયો. તે મોહ જીતનારા, સર્વફલેશોનો નાશ કરનારા શ્રી અજિતનાથ જિનચંદ્રને "હું *પ્રયત્નપૂર્વક પ્રણામ* કરું છું. ૨૯. નંદિતક છંદ. યુઅ-વંદિઅયસ્સા સ્તુતિ કરાયેલા અને વંદન કરાયેલા. રિસિ-ગણ-દેવ-ગણેહિંઋષિઓના સંઘો અને દેવોના સંઘો વડે. તો અને પછી. દેવ-વહુહિં દેવાંગનાઓએ. પયઓ આદરપૂર્વક. પાણમિઅસ્સા=પ્રણામ કરાયેલા. જસ્સ-જગતમ-સાસણઅસ્સાજાસ્ય-મોક્ષ આપવામાં સમર્થ અને જગતમાં ઉત્તમ ધર્મશાસનવાળા. ભત્તિ-વસા-ઋગય-હિંડિયઆહિં કેવળ ભક્તિને લીધે જ એકઠી થયેલી. દેવ-વર-ચ્છરસા-બહઆહિં દેવોની ઘણી અને ઉત્તમ-અપ્સરાઓ રૂ૫. સુર-વર-રઈ-ગણ-પંડિઅયા હિંsઉત્તમ દેવોને લાયક સુંદર પ્રકારના રતિ ગુણમાં પારંગત થયેલી, ચતુર. ૩૦. ભાસુરય ભાસુરક છંદ. Page #748 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૭૫ “પુઅ-વંદિઅયસ્સા 'રિસિ-ગણ-દેવ-ગણેહિં, તો દેવ-વહુહિ “પયઓ પણમિઅસા. જસ્સ-જગુત્તમ-સાસણઅસ્સા, ભત્તિ-વસા-ડડગય-પિંડિઅયાહિં. દેવ-વચ્છરસા-બહુઆહિં, સુર-જવર-રઈ-ગુણ-પંડિઅયાહિં ૩૦મી ભાસુરર્ય શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ વંસ-સદ-નંતિ-તાલ-મેલિએ વાંસળીના શબ્દની અને વીણા તથા તાલની મિલાવટ થયે. તિઉફખર-અભિરામ-સદ-મિસએ ત્રિપુષ્કર નામના વાજિંત્રને સુંદર શબ્દનું મિશ્રણ. કએ કર્યું. અ અને. સુઇ-સમાણ-ગેમ-સુદ્ધ-સજ-ગીઅ-પાયજાલ ઘંટિઆહિં સ્વરોની યુતિઓની જેમ બરાબર ઓળખી શકાય તેવું શુદ્ધ પ૪ [ગ્રામનું ગીત અને પગની જાળીવાળી ઘૂઘરીઓ સાથે. વલય-મેહલા- કલાવ-નેઉર-અભિરામ-સ-મીસએચૂડીઓ કંદોરાઓના સમૂહ તથા ઝાંઝરના સુંદર રણકારનું મિશ્રણ. કએ કર્યું. દેવનઢિઆહિં દેવનર્તકીઓએ. હાવ-ભાવ-વિક્યુમ-પગારએહિં વિવિધ પ્રકારના હાવ, ભાવ અને શૃંગારિક ચેષ્ટાઓવાળા. નચ્ચિઉણનાચીને. અંગ-હારએહિં અંગમરોડપૂર્વક. વંદિત્યવંદન કરેલું છે. જસ્સજેના. તે તે. સુ-વિકકમા=સારા પરાક્રમવાળા. કમા=બે ચરણોને. તયંતે. તિ-લોય-સબ-સત્ત-સંતિ-કારયંત્રણ લોકનાં સર્વ પ્રાણીઓને શાંતિ કરનારા. પરંત સત્ર-પાવ-દોસંસર્વ પાપ અને દોષોને શાંત કરનારા. એસઆ. હં હું. નમામિ નમસ્કાર કરું છું. સંતિ શ્રી શાંતિનાથને. ઉત્તમ ઉત્તમ એવા. જિર્ણજિનેશ્વરને. ૩૧. નારાયઓનારાચક છન્દ. *વંસ-સ૬-તંતિ-તાલ-મેલિએ, તિઉખરા-ડભિરામ-સે-મિસએ "કએ "અ, "સુઈ-સમાણ-ણેઅ-સુદ્ધ-સજજ ગીય-પાયજાલ-ઘંટિઆહિં, વલય-મેહલા-કલાવ-નેઉરા-ડભિરામ સદ્-મિસએ કએ આ દેવનષ્ક્રિઆહિં Page #749 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો “હાવ-ભાવ-વિષ્ણમ-પગારએહિં, નશ્ચિ9ણ અંગ-હાર-એહિં, અવંદિઆ ય જર્સ તે સુ-વિકમા-"કમાં તયંતિ -લોય-સવ્ય-સત્ત-સંતિ-કારયું, પસંત-સવ-પાવ-દોસએસ હું, નમામિ સંતિમુત્તમ જિર્ણ* ૧૩૫ નારાયઓ . ''ઋષિઓના સંઘો અને દેવોના સંઘોએ સ્તુતિ કરાયેલા અને વંદન કરાયેલા, પછી દેવાંગનાઓ વડે આદરપૂર્વક પ્રણામ કરાયેલા, મોક્ષ પમાડવાને સમર્થ એવા, જગમાં ઉત્તમ ધર્મ-શાસનવાળા, જે [તીર્થંકર પરમાત્મા]ના-સારા પરાક્રમી તે “ચરણકમળો વાંસળીના શબ્દની સાથે વીણા તથા તાલની મિલાવટ થઈ ત્યારે ત્રિપુષ્કર નામના વાજિંત્રના સુંદર શબ્દનું મિશ્રણ કર્યું અને સ્વરોની કૃતિઓની જેમ બરાબર ઓળખી શકાય તેવું શુદ્ધ પ૪ [ગ્રામનું] ગીત અને પગની જાળીવાળી ઘૂઘરીઓ સાથે ચૂડલીઓ અને કંદોરાના સમૂહના તથા ઝાંઝરના સુંદર રણકારનું મિશ્રણ કર્યું ત્યારે હાવભાવ અને વિશ્વમના જુદા જુદા પ્રકારોવાળા અંગમરોડપૂર્વક ભક્તિને લીધે જ આવીને ટોળે મળેલી, ઉત્તમ દેવોને લાયક રતિગુણ ઉત્પન્ન કરવામાં ચતુર, સુંદર અને ઘણી અપ્સરાઓ રૂપ દેવ આનર્તકીઓ વડે નાચ કરીને વંદન કરાયેલા છે. તે, ત્રણ લોકનાં સર્વ પ્રાણીઓને શાંતિ કરનારા, “સર્વ પાપ અને દોષોને શાંત કરનારા અને “ઉત્તમ શ્રી શાંતિનાથ જિનેશ્વરને આ હું પોતે પણ "નમસ્કાર કરું છું. ૩૦-૩૧. ભાસુરક અને નારાચક છંદો. અજિતનાથ પ્રભુ તથા શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ છત્ત-ચામર-પડાગ જૂઓ-જવ-મંડિઆ છત્ર, ચામર, પતાકા, યૂપ-થાંભલો, જવ વડે શોભતા. ઝયવર-મગર-તુરય-સિરિવચ્છ-સુ-લંછણામોટો ધ્વજ, મગર, ઘોડા, શ્રીવત્સ વગેરે સારાં લક્ષણવાળા. દીવ સમુદ્ર-મંદર-દિમાગય-સોહિઆન્નાદ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત, દિગ્ગજ-હાથી વડે શોભતા. સWિઅ-વસહ-સીહ રહ-ચક્ક-વર-અંકિયા સ્વસ્તિક, ઋષભ, સિંહ, રથ, સુંદર ચક્ર વડે શોભતા. ૩૨. લલિઅયં=લલિતક છન્દ: 'છત્ત-ચામર-પડાગ-જૂઓ-જવ-મંડિઆ, *ઝય-વર-મગર-તુરય-સિરિ-વચ્છ-સુ-લંકણા Page #750 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો જૈદીવ-સમુદ્-મંદર-દિસા-ગય-સોહિઆ, TMસત્યિઅ-વસહ-સીહ-રહ-ચક-વડિયા ।।૩૨।। લલિઅયં ૧ 'છત્ર, ૭ મગર, ૧૩ દિગ્ગજો વડે શોભતા, ૨ ચામર, ૩ પતાકા, ૪ ધૂપથાંભલો અને ૫ જવ વડે શોભતા, ૬ મોટો ધ્વજ, ૮ ઘોડો, ૯ શ્રી વત્સ વગેરે સારાં લક્ષણવાળા, ૧૦ દ્વીપ, ૧૧ સમુદ્ર, ૧૨ મેરુપર્વત, ૧૪ ‘સ્વસ્તિક, ૧૫ વૃષભ, ૧૬ સિંહ, ૧૭ રથ અને ૧૮ સુંદર ચક્ર વડે શોભતા: ૩૨ લલિતકું છંદ: ૬૭૭ સહાવ-લઠ્ઠા=સ્વભાવે કરીને શોભાયમાન. સમ-પઇટ્ટા-સરખી પ્રતિષ્ઠાવાળા, અથવા શાંતિમાં રહેલા અથવા સમભાવમાં રહેલા. અ-દોસ-દુઠ્ઠા-દોષ વડે કરીને દુષ્ટ નહીં થયેલ. ગુગેહિંગુણોએ કરીને. જિટ્ટા=શ્રેષ્ઠ મોટા. પસાય-સિટ્ઠા=કૃપા વડે શ્રેષ્ઠ. તવેણ તપે કરીને. પુઠ્ઠા-પુષ્ટ. ઘણું તપ કરનારા. સિરીહિં=લક્ષ્મીએ. જુઠ્ઠા-ઇચ્છાયેલા. ૩૩. વાણવાસિઆ=વાનવાસિકા છન્દ: “સહાય-લઠ્ઠા ‘સમ-પઇટ્યા, “અદોસ-દુઠ્ઠા, ગુણેહિં “જિટ્સા। `°પસાય-સિટ્ના ``તવેણ ``પુઠ્ઠા, સિરીહિં ``ઇટ્ના``રિસીહિં `‘જુટ્ઠા।।૩૩।। વાણ-વાસિઆ ૧૩ સ્વભાવે કરીને શોભાયમાન, ‘સરખી પ્રતિષ્ઠાવાળા, દોષ વડે કરીને દુષ્ટ નહીં થયેલા, ગુણોએ કરીને વડીલ, કૃપા વડે શ્રેષ્ઠ, ``ઘણું તપ ``કરનારા, લક્ષ્મીએ ઇચ્છાયેલા, ``ઋષિઓ વડે ''સેવાયેલા:- ૩૩. વાનવાસિકા છંદ. તે-તે. તવેણ તપે કરીને. ધુઅ-સવ્ય-પાવયા=સર્વ પાપોનો નાશ કરનાર. સવ્વ-લોઅ-હિઅ-ભૂલ-પાવયા=સર્વ લોકના હિતના મૂળમાં પહોંચાડનારા. સંથુઆ=સ્તુતિ કરી છે. અજિઅ-સંતિ-પાયયા--પૂજ્ય શ્રી અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનાં ચરણોની. હુંતુ=થાઓ. મેમને. સિવ-સુહાણ-મોક્ષનું સુખ. દાયયા આપનારા. ૩૪. અપરાંતિકા-અપરાન્તિકા છન્દ: ૨૫ કરતે ''તવેણ 'ધુઅ-સવ્વ-પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવચા 'સંથુઆ “અજિઅ-સંતિ-પાયચા, ‘'હું તુ ૧૭મે TMસિવ-સુહાણ “દાયયા ॥૩૪॥ અપરાંતિકા || ૧૯ તપે કરીને સર્વ પાપોનો નાશ કરનારા, સર્વ લોકોનાં હિતના મૂળમાં પહોંચાડનારા, પૂજ્ય શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં ચરણોની `સ્તુતિ કરી છે. તે મને “મોક્ષનું સુખ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ પંચ પ્રતિકમાણસૂત્રો "આપનારા થાઓ. ૩૪. ઉપરાંતિકા છંદ: ઉપસંહાર એવં એ પ્રકારે. તવ-બલ-વિઉલંઘણા તપોબળવાળા. થઅં-સ્તુતિ કરી છે. મએ મેં. અજિઅ-સંતિ-જિ-જુઅલં=શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની એકીસાથે. વવનય કમ્પ-ર-મલે કમરૂપી રજ અને મેલ વગરના. ગઈમોક્ષ ગતિમાં. ગયે પહોંચી ચૂકેલા. સાસયશાશ્વત. વિઉલમોટી. ૩૫. ગાહાગાથા છન્દ. 'એવં તવ-બલ-વિલિ, યુએમએ “અજિઅ-સંતિ-જિણ-જુઅલા વડગય-કમ્મરય-મલ, ગઈ ગયં સાસય વિલિ રૂપા ગાહા.. 'એ પ્રકારે- ઘણાં તપ બળવાળા, કર્મ રૂપી રજ અને મેલ વગરના, મોટી એવી "શાશ્વતી'-મોક્ષગતિમાં પહોંચી ચૂકેલા ‘શ્રી અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની એકીસાથે મેં સ્તુતિ કરી છે. ૩૫. ગાથા છંદ. સ્તુતિ કરવાનું ફળ તે બનેય. બહુગુણ-પસાયં અનેક ગુણી કૃપાવાળા. મુકુખ-સુહણ મોક્ષના સુખે કરીને. પરમેણ ઉત્તમ. અવિસાયંસદા આનંદમાં રહેલા. નાસેઉ=નાશ કરો. મે મારો. વિસાય ખેદ. કુઉ કરો. અ અને. પરિસાકસભા ઉપર. વિ=પણ. પસાય કૃપા. ૩૬. ગાહાગાથા છન્દ. બહુ-ગુણ-પસાય, મુખ-સુહેણ પરમેણ અવિસાય. ‘નાસેઉમે વિસાયં, કુણઉ“અપરિસાવિ અખસાય૩૬ ગાહા. અનેક ઘણી કૃપાવાળાં અને ઉત્તમ મોક્ષના સુખે કરીને સદા આનંદમાં રહેલા તે બન્નેય, *મારો ખેદનાશ કરો, અને સભા ઉપર "પણ કૃપા કરો. ૩૬. ગાથા. અંતિમ આશીર્વાદ તંતે બનેય. મોએઉ આનંદ આપો. નંદિ મંગળ. પાવેઉઆપો. અઅને. નંદિસેગમનંદિષેણ મુનિને. અભિનંદિખૂબ-આનંદ. પરિણાસભા. વિ-પણ. સુહ-નંદિસુખ અને Page #752 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૭૯ આનંદ, મમ મને. ય= પણ. દિસઉ આપો. સંજમે સંયમમાં. નંદિ આનંદ. ૩૭. ગાથા. 'તમોએ અનંદિ, પાવે અ“નંદિસેણમભિનંદિ, પરિસાવિ અ સુહ-નંદિ, "મમય દિસઉસંજમે નંદિ ૩ળા ગાહા. તે બન્નેય આનંદ આપો. મંગળ *આપો અને મંદિર મુનિને પણ ખૂબ આનંદ આપો. સભા પણ આનંદ પામો. અને મને પણ સંયમમાં આનંદ આપે. ૩૭. ગાથા આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો પબિઅ-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ પાક્ષિક, ચૌમાસી, અને સાંવત્સરિક [પ્રતિક્રમણ]માં. અવસ્ટ અવશ્ય. ભણિઅવ્યો બોલવું. સોઅવ્યો સાંભળવું. સલૅહિં બીજાઓએ. ઉવસગ્નનિવારણ કષ્ટોનો નાશ કરનાર. એસો=આ. ૩૮. પકિખા-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ અવસભણિઅવ્યો સોઅવ્યો સલૅહિં, ઉવસગ્ન-નિવારણો એસો ૩૮ાા પાક્ષિક-ચૌમાસી-અને સાંવત્સરિક [પ્રતિક્રમણ]માં [આ સ્તોત્ર] અવશ્ય બોલવું. *બીજાઓએ સારી રીતે સાંભળવું, કેમકે, “આ કોનું નાશ કરનાર છે. ૩૮. રોજ બનેય વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ બેન જે. પઢઈ ભણે છે. જો જે. અઅને. નિસુણઈ સાંભળે. ઉભઓ બન્નેય. કાલે વખત. પિપણ. અજિઅ-સંતિ-થએ અજિતનાથ પ્રભુ અને શાન્તિનાથ પ્રભુનું આ સ્તવન. ન=નહીં. હુતો. હતિ થાય. તસ્સ તેને રોગાવોગો. પુલ્વપન્ના પ્રથમ ઉત્પન્ન થયેલા હોય, તે. વિ=પરંતુ. નાસંતિ નાશ પામી જાય છે. ૩૯ જો પઢઈ જો અનિરુણઈ ઉભઓ-કાલંપિ” અજિઅ સંતિ-થયા હુહુતિ તસ્સ રોગા પુત્રુપના વિનાસંતિ પારૂલા અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનું આ સ્તવન જે બન્નેય વખત “ભણે અને જે સાંભળે, “તેને રોગો થાય તો નહીં, પરંતુ "પ્રથમ ઉત્પન્ન થયેલા હોય, તે પણ નાશ પામી Page #753 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો જાય છે. ૩૯. અંતિમ ઉપદેશ જઇ=જે. ઇચ્છહ તમે ઈચ્છતા હો, ઈચ્છા રાખતા હો. પરમ-૫ય મોક્ષ. અહવા અથવા. કિત્તિ કીર્તિની સુવિથ વિશાળ. ભુવાણે આ જગતમાં. તાતો. તે-લુકદ્ધરણે ત્રણ લોકનો ઉદ્ધાર કરવાને સમર્થ. જિગ-વિયણે જિનેશ્વર પ્રભુના ઉપદેશમાં. આયર આદર. કુણહ રાખો. ૪૦ જઈ ઇચ્છહ પરમ-પય, 'અહવા કિત્તિ સુ-વિત્થભુવણી ‘તા તે-લુફદ્ધરણે, 'જિણ-વયણે આયરંકુણહાસના 'જે તમે મોક્ષ ઈચ્છતા હો, અથવા તો આ જગતમાં વિશાળ કીર્તિની ઈચ્છા રાખતા હો, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરવાને સમર્થ શ્રી "જિનેશ્વર પ્રભુના ઉપદેશમાં “આદર રાખો. ૪૦ विशे षार्थ પ્રાકૃત ભાષામાં વિવિધ છંદોની સુંદર ગૂંથણીવાળું આ રસિક સ્તોત્ર છે. આ સ્તોત્ર નવસ્મરણમાંનું એક સ્મરણ છે. તેમાં બે ગાથાઓ વધારાની જોવામાં આવે છે. પરંતુ તે પ્રક્ષિપ્ત મનાતી હોવાથી ચાલુ પાઠમાં ન આપતાં અહીં આપવામાં આવેલી છે, વડગય-કલિ-લુસાણં વવય-નિદ્ધત-રાગ-દોષાણ વવગય-પુણ-ભવાણં નમોજુ તે દેવા-ડાહિદેવાણં III સવું પસમાં પાવં પુર્ણ વઢઇ નમસમાણસ્મા સંપુણ-ચંદવયણસ્સ કિરણે અજિય-સંતિસ રા નાશ પામ્યાં છે કલેશ અને મલિનતા જેનાં એવા, નિમૅળપણે નાશ પામ્યા છે રાગદ્વેષ જેના એવા, ગયા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો. ૧ સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનનું કીર્તન કરવાથી વંદન કરનારનાં સર્વપાપ વિશેષ શાંત થાય છે અને પુણ્ય વધે છે. ૨ આ સ્તોત્રના રચનાર શ્રી નંદિણ મુનિ, ૩૭મી ગાથામાં આવતા નંદિણ શબ્દ ઉપરથી Page #754 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૮૧ માનવામાં આવે છે. તે નંદિ મુનિ ક્યા? તે પ્રશ્નનો સ્પષ્ટ નિકાલ આવેલ નથી. તેથી શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં એક મંદિર મુનિ થયા છે. તેઓ આ સ્તોત્રના કર્યા છે, એમ કેટલાક ઉલ્લેખો ઉપરથી જણાય છે. અને કોઈ ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા નંદિણ મુનિને ટેકો આપે છે. શ્રી શત્રુંજયગિરિની ૬ ગાઉની પ્રદક્ષિણાએ જતાં ચિલ્લાણા તલાવડીની પાસે શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી અજિતનાથ પ્રભુની બે દેરીઓ છે. તે પ્રથમ સામસામી હતી, ત્યારે એકનું ચૈત્યવંદન કરવા બેસવા જતાં બીજાને પૂંઠ પડે, ને આશાતના થાય તેવી સ્થિતિ હતી, ત્યારે આ સ્તોત્રકારે આ સ્તોત્ર એવી ભકિતભાવથી ગાયું કે બન્નેય દેરીઓ પાસે પાસે જોડાઈ ગઈ જેથી ચૈત્યવંદન કરવાને હરકત આવી નહીં. આટલો હેવાલ આ સ્તોત્ર વિષે પરંપરાથી ચાલ્યો આવે છે, તેથી વિશેષ કાંઈ પણ જાણવામાં નથી. આ સ્તોત્રની કઈ ગાથામાં બેમાંના કયા ભગવંતની સ્તુતિ છે તે દરેક સ્થળે બતાવેલ છે, તે ઉપરથી બન્નેયની સાથે સ્તુતિ હોય, તે અને એક એકની જુદી સ્તુતિઓ હોય, તે સર્વ એકસાથે વાંચવાથી બન્નેયની સ્તુતિઓના સ્વરૂપનો ખ્યાલ આવશે. પ્રથમની ગાથા મંગળાચરણ રૂપ છે. બીજી ગાથા વિષય નિર્દેશરૂપ છે, અને ત્રીજીથી માંડીને છઠ્ઠી સુધી બન્નેને લાગુ પડે તેવું બનેયનું માહાભ્ય બતાવ્યું છે. પછી ૨. એક એકથી, પછી-૪. બબ્બેથી, પછી૨. એક એકથી, પછી–૪. બબ્બેથી, પછી૭. ત્રણથી અને ચારથી સ્તુતિ કરેલી છે. પછી૬. ચારથી અને બેથી, પછી ૩. ૩ર ગાથાથી ૩૪ સુધી બન્નેની સાથે સ્તુતિ છે. પછી ઉપસંહાર, આશીર્વાદ, કર્તાનું નામ, સ્તોત્ર ભણવાના ખાસ પ્રસંગો, અનુકૂળ વખત તથા અંતિમ ઉપદેશને લગતી ૬ ગાથાઓ છે. એમ મૂળ ૪૦ ગાથામાં રસિક રીતે પ્રભુસ્તુતિ કરવામાં આવેલ છે. અજિતનાથ પ્રભુના દેશ, શહેર, શારીરિક ગુણો, માનસિક ગુણો, નૈતિક ગુણો, સામર્થ્ય, પ્રભાવ, તીર્થંકરપણું, ઋષિ-પૂજ્યતા વગેરે વર્ણન કર્યું છે. અને એ જ પ્રમાણે શાંતિનાથ પ્રભુના પણ ગુણો એ જ રીતે વર્ણવ્યા છે. વિશેષતા માત્ર ચક્રવર્તી તરીકેના વર્ણન પૂરતી છે. બન્નેયના જુદી જુદી ગાથાઓમાં રાગ અને શબ્દરચના જુદી જુદી છતાં ઘણે સ્થળે એક જ મુદ્દાનું વર્ણન કરવામાં આવેલ છે. (જુઓ ૧૫ અને ૧૭મી ગાથા). તથા આગળ પણ દેવો કેવી રીતે વંદન કરવા આવેલા ? તે ૧૯ થી ૨૧ ગાથા સુધીમાં અજિતનાથ પ્રભુની સ્તુતિ બતાવી છે. અને ૨૨ થી ૨૫ સુધીમાં અજિતનાથ પ્રભુને વંદન કરવા આવેલા દેવોનું Page #755 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો વર્ણન છે, તે બન્ને પ્રસંગનું ચિત્ર બહુ જ સુંદર આપ્યું છે. એ કુશળ ચિત્રકાર ચિત્રમાં ઝીલી લે, તો તેના ચિત્ર પણ બહુ જ આકર્ષક બનવા સંભવ છે. એ જ પ્રમાણે ૨૬ થી ૨૯ સુધી, અને ૩૦ થી ૩૧ સુધી, દેવાંગનાઓએ કહેલી વંદનાના વર્ણનનું ચિત્ર પણ એવું જ આબેહૂબ આકર્ષક થાય તેવું ચીતરી શકાય તેમ છે. વર્ણનનું સ્વરૂપ લગભગ સરખું છતાં છંદભેદ અને શબ્દભેદ તથા રચનાભેદથી ઘણી જ સુંદરતા ઉત્પન્ન કરી છે. અસાધારણ કુશળતાથી ભકિતરસનું સ્વરૂપ બહુ જ સુંદર રજૂ કર્યું છે. આમાંના છંદો, પ્રાકૃત છંદ શાસ્ત્રને અનુસારે છે, તેમાં કેટલાક એક જ જાતના છતાં રચનામાં ફરક આવે છે, જેમ કે, વેષ્ટક નારાચક, ક્ષિપ્તક અને લલિતક. તે જુદી જુદી જાતના પણ આપ્યા છે. સુંદર કંઠવાળા ગાનારા પ્રતિક્રમણ વખતે સુંદર રાગમાં ગાઈને શ્રોતાઓને આનંદ આપે છે. બનતાં સુધી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ સ્તોત્રના છંદો ગાવાથી તેની ગંભીરતા વધારે સારી રીતે જળવાય છે, અને તે જાળવવા પ્રયત્ન કરવો. કોઈ કોઈ છંદ આજે નાટકી રાગમાં ગાવાથી જોઈએ તેવી ગંભીરતા જળવાતી નથી. આ સ્તોત્રમાં વપરાયેલા છંદો પ્રાકૃત છંદ શાસ્ત્ર અનુસાર નીચે પ્રમાણે આપવામાં આવેલા છે. છંદમાં - ગુરુ અને લઘુ અક્ષરોની ખાસ જરૂર પડે છે, ગુરુ - દીર્ધસ્વર કે તે સાથેનો કોઈપણ વ્યંજન, તથા અનુસ્વાર, વિસર્ગ કે જોડાયેલો અક્ષર જેની પછી આવેલો હોય, તેવા હસ્વ સ્વર કે તે સાથેનો વ્યંજન-ગુરુ અક્ષર કહેવાય છે. (ડ) ગુરુની નિશાની છે. ગુરુની માત્રા છે. લઘુ - હસ્વ સ્વર કે તે સાથેનો વ્યંજન લઘુ અક્ષર કહેવાય છે. [1] લઘુની નિશાની છે, લઘુની માત્રા એક. પૂર્વાર્ધ - કવિતાનો આગલો અર્ધો ભાગ પૂર્વાર્ધ ઉત્તરાર્ધ - પાછલો અર્ધો ભાગ ઉત્તરાર્ધ પાદ - કવિતાના એક ભાગને પાદ કહે છે. પતિ - કવિતામાં જે ઠેકાણે વિસામો લેવાનો હોય, તેને પતિ કહે છે, ગણ - કવિતામાં ત્રણ ત્રણ અક્ષરોને ગાણ હોય છે. ગુરુ અને લઘુ અક્ષરોની મેળવણીથી ગણો થાય છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૮૩ સ ભા જ માતા-રા-જ-ભા-ન-સવ તારાજ તગણ જભાન ભાનસ ડા નસય સયમાં આ સૂત્રને મોઢે કરવું, ને તે આ પ્રમાણે વાંચવાથી ગણોના અક્ષરોનું સ્વરૂપ સમજાશે. માતારા SSS મગણ SS1 રાજભા SIS રગણ ISI જીગણ ભગણ નગણ IIS સગણ યમાતા ISS વગણ લઘુ ગુરુ ખુલાસો - આ ગણો અક્ષર મેળના છંદોમાં વપરાય છે. કોઈ પણ એક અક્ષર લઈ તેની સાથે પછીના બે અક્ષરો વાંચવાથી ત્રણ અક્ષરનો ગણ થશે. પેલા અક્ષર સાથે ગણ શબ્દ જોડવાથી તે ગણનું નામ મળશે. અને તે ગણના ત્રણ અક્ષરમાં ગુરુ અને લઘુ કયા કયા લેવા? તે પણ સમજાશે. - ક-ચ-ર-ત-૫- ગણો-એ પાંચ પણ બે-ત્રણ-ચાર-પાંચ અને છ માત્રાના બીજા પાંચ ગણો પણ વપરાય છે, તે દરેકના અનુક્રમે લઘુ અને ગુરુની મેળવણીથી ૨-૩-૫-૮-૧૩ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે :કગણ - ચગણ ડિ-ડા ગા Page #757 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ટગણ ડડ-ડ-ડા-ડા-lતગણ ડિડ-ડાડ-liડ-ડડા-liડા-ડા-sill-|| | | પગણ ડડડડડ-ડાડ-ડાડ-II IIS-ISSI-ડાડા-II ડા-ડડા-liડલા-ડિ-ડા-u. ખુલાસો - આ ગણી માત્રા મેળના છંદોમાં ખાસ વપરાય છે. ગાથાક્રમ છંદનું નામ છંદનું લક્ષણ (૧) ગાથા-પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ- ૭ ટગણ અને ૧ ગુરુ ૩૦ માત્રા. પૂર્વાર્ધ-૧-૩-૫-૭માં ટગારમાં જગાણ ન હોવો જોઈએ. ૬ કી ટગણ મધ્યમાં કગણવાળો જોઈએ. ઉત્તરાર્ધ-૫ ટગણ, ૬ હો લઘુ ટગણ, ૭મો ટગણ-ગુ. પૂર્વાર્ધ-૬ શ્રી ટગારમાં બીજા લઘુની પહેલાં યતિ. છ મા ટગરમાં પહેલા લઘુની પહેલાં યતિ. ઉત્તરાર્ધ-પમા ટગરમાં પહેલા લઘુની પહેલાં યતિ. (૨) ગાથા-પૂર્વાધ અને ઉત્તરાર્ધ- ૭ ટગણ અને ૧ ગુરુ. ૩૦ માત્રા. પૂર્વાર્ધ-૧-૩-૫-૭માં ટગાણમાં જગાણ ન હોવો જોઈએ. ૬ કો ટગાણ મધ્યમાં કગણવાળો જોઈએ. ઉત્તરાર્ધ-પ ટગણ, ૬ કો લઘુ ટગણ, ૭ મો ટગણ-ગુર પૂર્વાર્ધ-૬ કા ટગણમાં બીજા લઘુની પહેલાં યતિ. ૭ મા ટગણમાં પહેલા લઘુની પહેલાં યતિ. ઉત્તરાર્ધ-પમા ટગરમાં પહેલા લઘુની પહેલાં યતિ. (૩) શ્લોક - ૪ પાદ. ૮ અક્ષર. દરેકમાં ૫ મો અક્ષર લઘુ, ૨-૪ માં સાતમો લઘુ અને ૬ કો ગુરુ. (૪) માગધિકા - ૪ પાદ. ૧૪-૧૬ માત્રા. ૧-૩ માં ૨- ટગણ. લઘુ કગણ લઘુ કગણ=૧૪. ૨-૪ માં-૧ પગણ, ૧ ટગણ, લઘુ કગણ લઘુ કગણ=૧૬. (૫) આલિંગનક - ૪ પાદ, ૨૪, ૨૪, ૨૪, ૨૪. દરેક પદમાં ૨ લઘુ અને ૧ ગુરુવાળા ૬ ટગણ, એટલું વિશેષ કે ૧ લા અને ૩ જાનો, તથા ૨ જા અને ૪ થાનો યમક (અંત્ય વ્યંજનોનો મેળો હોવો જોઈએ. (૬) માગધિકા - ગાથા ૪ થી પ્રમાણે લક્ષણો જોઈ લેવાં. (૭) સંગતક-૪ પાદ. ૨૨, ૨૨, ૨૨, ૨૫. અનુપ્રાસ સહિત. ૧-૨-૩માં ૪ લઘુતગણ, ગુરુ-૨૨-૨૨-૨૨. - ૪ માં ૨ લઘુ તગણ, ૨ ટગણ, ૧ લઘુ તગણ, ૧ ગુરુ-૨૫. (૮) સોપાનક - ૪ પાદ. ૧૬ દરેક પદમાં. દરેક પદમાં ૨-લઘુવાળા ટબણ-૫ અને ૧ ગુરુ. (૯) વેષ્ટક - (૧) ૧૭૭-માત્રા-૧ તગણ, ૧ ચગણ, ૧ પગણ, ૧ તગણ, ૨ ટગણ, ૨ નગણ, ૧ પગણ, ૪ ટગણ, ૧ તગણ, ૧ ચગણ, ૩ તગણ, ૧ ગુરુ, ૧ લઘુ, ૨ ચગણ, ૧ ટગણ, ૪ ચગણ, ૧ ટગણ, ૨ ચગણ, ૧ તગણ, ૩ ચગણ, ૧૧ ટગણ, ૧ ગુરુ, Page #758 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૮૫, (૧૦) રાસાલુબ્ધક – ૪ પાદ. ૧૧, ૧૫, ૧૨, ૧૫, માત્રા. ૧-૨ ટગણ, ૧ લઘુ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૧ ૨-૩ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ- ૧૫. ૩-૩ ગણ-૧૨ ૪-૩ ગણ ૧ લધુ, ૧ ગુરુ-૧૫. (૧૧) વેક ૨-૧૮૯ માત્રા ૧ પગણ, ૨ તગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૬ ટગણ, ૨ ગુર, ૭ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧ પગણ, ૨ ટગણ, ૧ તગણ, ૨ ચગણ, ૧ ગુરુ, ૯ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૪ ટગણ, ૨ ગુરુ, ૨ ટગણ૧ ચગણ, ૩ ગુરુવાળા ટગણ ૨ લઘુ, ૧ ગુરુ, (૧૨) રાસાનંદિતક - ૪ પાદ. ૧૨, ૧૨, ૧૧, ૧૦ માત્રા. ૧-૨-૨ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૩-૨ ટિગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૪-૨ ટગણ, ૧ ગુરુ(૧૩) ચિત્ર-લેખા - ૪ પાદ. ૧૬ અક્ષર, ૨૬-૨૬-૩૦-૨૭ માત્રા ૧-૨. ૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૨ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ, ૨૬-૨૬. માત્રા. ૩-૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૩ ટગણ, ૨ લઘુ, ૧ ગુરુ. ૩૦ માત્રા. ૪-૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૨ ટગણ. ૧ ચગણ, ૧ ગુરુ. ર૭ માત્રા. (૧૪) ૧ નારાચક – ૩૦-૭-ર૭-૪૦ માત્રા કુલ ૧૨૪. ૧-૯ ગુરુ લઘુરૂપ ચગણ, ૧ નગણ, ૨-૮ ચગણ, ૧ નગણ, ૩-૮ ચગણ, ૧ નગણ, ૪-૧૦ ચગણ, ૧ નગણ, ૧ ચગણ, ૨ ગુરુ. ૪ પાદ, ૧૬-૧૮-૧૬-૧૮. માત્રા. (૧૫) કુસુમ-લતા-૧-૩. ૬ લઘુમાત્રા [૧, ગણને ૮ લઘુમાં એકાદ ગુરુ, ર-૪. ૮ લઘુ માત્રા ૧૧, ય ગણ હોય તો પણ ચાલશે. [૪ લઘુ, ૧ ગુરુ, ૨ લઘુ,] આને ઔપ છંદ-સિક છંદ પણ કહે છે. (૧૬) ભુજંગે પરિરિગિત - ૪ પાદ ૧૨-૧૪, ૧૨-૧૪. માત્રા ૧-૩. ૧ તગણ, ૧ ટગણ, ૧ લઘુ ૧ ગુરુ ૧૨-૧૨ ૨-૪. ૧ પગણ ૧ ટગણ ૧ લઘુ ૧ ગુરુ-૧૪-૧૪. (૧૭) ખિદતક - ૪ પાદ. ૧૭ અક્ષર, ૧૦ મે યતિ. અંત્ય અક્ષરમાં યમક. ૧ ભગાણ, ૧ રગણ, ૧ નગણ, ૧ ભગણ, ૧ નગણ, ૧ લઘુ. ૧ ગુર, આને વંશપત્રપતિત પણ કહે છે. (૧૮) ૧ લલિતક - ૪ પાદ, ૧૯, ૧૯, ૧૯, ૧૭. માત્રા ૧-૨-૩ ૪ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ=૧૯. ૪-૧ ટગણ, ૨ તગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૭. (૧૯) કિસલય માલા - ૪ પાદ. ૨૭, ૨૭, ૨૭, ૨૭. માત્રા. ૫ ટગણ, ૧ જગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ર૭. (૨૦) સુમુખ - ૪ પાદ. ૧૩, ૧૩, ૧૩, ૧૩. માત્રા, ૧-૨ લઘુવાળા ચગણ, ૧ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩-૨-૨ તગણ, ૧ લધુ, ૧ ગુરુ, ૧૩-૩-૧ પગણ. ૨ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩-૪-૨ ચગણ, ૧ ટગણ, ૧ લઘુ, ૧ ગુરુ, ૧૩. (૨૧) વિશુદ્ધિલસિત - ૪ પાદ. ૮, ૮, ૮, ૮, માત્રા ૨ લધુ, ૧ ગુરુ, ૨ લઘુ; ૧ ગુરુ=૮. Page #759 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો (૨૨) ૩-જો વેષ્ટક - ૭૬ માત્રા ૩૫, ૪૧, ૨ તગણ, ૪ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૪ તગણ, ૧ લઘુ, ૧ ગુરુ, 1 પગણ, ૨ ટગણ, ૨ ગુરુ. (૨૩) રત્ન-માલા - ૪ પાદ. ૩૨, ૩૨, ૩૨, ૩ર માત્રા. ૧. ૧ ટગણ, ૨ ગુરુ, ચાર વખત ૩૨. ૨-૩-૪. ૭ ટગણ, ૨ ગુરુ-૩૨. (૨૪) ૧-ક્ષિપ્તક - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, ૧ પગણ, ૨ ટગણ, ૧ ગુરુ, (૨૫) ૨-જ ક્ષિપ્તક – ૪ પાદ, ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા. (રથોદ્ધતા) ૧ રગણ, ૧ નગણ, ૧ રગણ, ૧ લધુ, ૧ ગુરુ. (૨૬) દીપક - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા યમક મય પહેલો ક્ષિપ્તક તેજ દીપક મંડલ પણ નામ છે. (૨૭) ચિત્રાક્ષરા - ૪ પાદ. યમકવાળા, ૨૪, ૨૬, ૨૬, ૨૪ માત્રા ૧-૪. ૫ ટગણ, ૨ ગુરુ. ૨-૩ ૬ ટગણ, ૧ ગુરુ (૨૮) ૨ જો નારાચક - ૧૧ ચગણ, ૧ ગુરુ, ૧૪ ચગણ, ૧ નગણ, ૧૬ ચગણ, ૧ ટગણ, ૩ ચગણ. (૨૯) નન્દિતક - ૪ પાદ. ૧૦, ૧૦, ૧૦, ૧૦, માત્રા ૨ લઘુ, ૧ ગુરુ, ૨ લઘુ, ૧ ગુરુ, ૧ ગુરુ, દરેક પાદમાં આવે છે. (૩૦) ભાસુરક - સારા યતિ, અને અનુપ્રાસવાળો છંદ-૧૦૪ માત્રા. ૧ તગણ, ૧ પગણ, ૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૧ તગણ, ૧ ટગણ, ૧ ગુરુ, ૧ પગણ, ૨ ટગણ, ૧ ગુરુ, ૧૨ ટગણ. (૩૧) ૩ જો નારાચક - ૨૧૮ માત્રા. ૧૩ ચગણ, ૧ નગણ, ૯ ચગણ, ૧ નગણ, ૩૦ ચગણ, ૧ ગુરુ, ૧૮ ચગણ. (૩૨) લલિતક - ૪ પાદ. ર૧, ૨૧, ૨૧, ૨૧ માત્રા. ૧ ચગણ, ૪ ટગણ, ૧ ગુરુ, દરેક પદમાં હોય. (૩૩) વાન-વાસિકા - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬, માત્રા. ૪ ટગણ ૯મી ૧૨ મી લઘુ દરેકમાં. (૩૪) અપરાન્તિકા - ૪ પાદ. ૧૬, ૧૬, ૧૬, ૧૬ માત્રા. ૮ માત્રા, ૧ રગણ, ૧ લઘુ, ૧ ગુરુ. (૩૫) ગાથા ૧ લી પ્રમાણે. વિશેષાર્થીઓએ પ્રાકૃત પિંગળ લક્ષણ જોવું. પાક્ષિકાદિ પ્રતિ માં દેવસિક કાયોત્સર્ગાવશ્યકની શરૂઆત અઢાઈજેસુ સુધીમાં છ આવશ્યકમય પ્રતિક્રમણ બાદ દિવસમાં કરવાના કાયોત્સર્ગ આવશ્યક બે રીતે આ છેલ્લે દેવસિક કાયોત્સર્ગમાં જોવામાં આવે છે. ૧. દેવસિક પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ નિમિત્તે અને ૨. બીજો શ્રી સકળસંઘમાં શાંતિ પુષ્ટિ માટે દુ:ખ ક્ષય કર્મક્ષય નિમિત્તે કાયોત્સર્ગ આવે છે. Page #760 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૮૭ એ બન્નેની વચ્ચે દેવસિક સ્વાધ્યાય ધ્યાનમાં પાક્ષિકાદિને દિવસે ઉવસગ્ગહરને સંસારદાવા બોલાય છે. પછી દુઃખ ક્ષયાદિના કાયોત્સર્ગ પછી શાન્તિસ્તોત્ર તરીકે બ્રહચ્છાતિ સ્તોત્ર બોલાય છે. આથી અજિતશાંતિસ્તવનું સ્તવન, સક્ઝાયમાં ઉવસગ્ગહર અને સંસારદાવા શાંતિપાઠમાં બૃહચ્છાતિ બોલવાથી પાછલી બધી ક્રિયાનું પાક્ષિકાદિ પ્રતિક્રમણ માટેનું સ્વરૂપ બની જાય છે. ७४-श्री गृहय्छान्तिः ८ ૧. આહતોમાં શાંતિ હો - ભો ભો! હે. ભવ્યા=ભવ્ય લોકો!કૃણત=સાંભળો. વચન-વાત. પ્રસ્તુતમ પ્રસંગને અનુસરતું. સર્વમબધી. એન. પે=જે. યાત્રામાં યાત્રામાં. ત્રિભુવનગુરો ત્રણ ભુવનના ગુરુ - તીર્થંકર પરમાત્માના. આહતા: અરિહંત ભગવંતના ભકતો. ભક્તિ-ભાજ: ભકિત ધરાવનારા. તેષાંતેઓનું. શાન્તિરશાન્તિ. ભવતુ થાઓ. ભવતામઆપને. અહદાદિ-પ્રભાવાત અરિહંત પ્રભુ વગેરેની કૃપાથી આરોગ્ય - શ્રી - ધૃતિ મતિ - કરી આરોગ્ય - મોક્ષ, લક્ષ્મી, ધીરજ, અને મતિ કરનાર. કલેશ વિધ્વંસ હેતુ કર્માદિકનો ફલેશ નાશ કરનાર. ૧. ભો ઉભો ભવ્યા: ! કૃણુત વચને પ્રસ્તુત સર્વમેત, યે "યાત્રામાં "ત્રિ – ભુવન - ગુરોરાહતા! ભક્તિ -ભાજ: ! તેષાં “શાનિર્ભવતુભવતામહદાદિ - પ્રભાવા - "ારોગ્ય - શ્રીધૃતિ-મતિ - કરી ફલેશ -વિધ્વંસ - હેતુ: પા (મદાક્રાન્તા) 'ગાથાર્થ : હે ભવ્ય લોકો ! [મારી] આ બધી - "પ્રસંગને અનુસરતી – “વાત સાંભળો. અરિહંત પ્રભુના જે ભકતો, ત્રણ ભુવનના સ્વામી તીર્થંકર પરમાત્માની યાત્રામાં ભક્તિ ધરાવો છો, તે આપ સર્વને, અરિહંત "પ્રભુ વગેરેની કૃપાથી આરોગ્ય, સંપત્તિ, ધીરજ અને બુદ્ધિ આપનારી તથા કલેશોનો નાશ કરનારી “શાન્તિ થાઓ.” ૨. શાન્તિની ઉદ્દઘોષણા સાંભળો ભો ભોગહે! ભવ્ય લોકા=ભવ્ય લોકો ! ઈહ અહીં. હિ જ. ભરત રાવત - વિદેહ-સંભવાનાંભરતક્ષેત્ર - ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામેલા. સમસ્ત - તીર્થ - કૃતાં સઘળા તીર્થંકર Page #761 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ પંચ પ્રતિકમાણસૂત્રો ભગવંતોના. જન્મનિઃજન્મમાં. આસન - પ્રકમ્પાડનત્તરમ આસન ધૂજ્યા પછી. અવધિના=અવધિ જ્ઞાન વડે. વિજ્ઞાય જાણીને. સૌધર્મા-ધિપતિ =સૌધર્મદિવ લોકના ઈન્દ્ર, સુઘોષાઘટા ચાલના-ડાન્તર સુઘોષા ઘંટા વગડાવ્યા પછી. સકલ-સુરા-સુરેન્દ્રદરેક દેવેન્દ્રો અને ભવનપતિઓના ઈન્દ્રોની. સહ સાથે. સમાગ આવીને. સવિનયમ વિનયપૂર્વક. અહંદુ-ભટ્ટાર પૂજ્ય અરિહંત ભગવંતને. ગૃહીવાલેઈ, લઈને. ગત્વા=જઈને. કનકા-દ્રિથગે મેરુ પર્વતના શિખર ઉપર. વિહિત-જન્મા-ડભિષેક: જન્માભિષેક કરી ચૂકેલા, તે ઈન્દ્ર. શાન્તિઃ શાન્તિ. ઉઘોષથતિ ઉદ્દઘોષણા કરે છે. યથા=જેમ. તતો તેથી. અહમ હું કૃતા-નુકાર કર્યાનું અનુકરણ. ઈતિ-કૃત્વા એમ વિચારીને. મહાજનો મોટા લોકો યેન જે. ગત: ગયેલ હોય. સ: તે. પત્થા: માર્ગ છે. ઇતિ એમ વિચારીને). ભવ્ય-જને ભવ્ય લોકોની. સહ સાથે. સમય મળીને. સ્નાત્રપીઠસ્નાન કરવાના પાટલા ઉપર. સ્નાત્ર સ્નાત્ર-સ્નાન. વિધાય કરીને. શાન્તિમ શાન્તિ કરનાર શાન્ત પાઠની. ઉઘોષયામિ ઉદ્દઘોષણા કરું છું. તતતે માટે. પૂજા-યાત્રા-સ્નાત્રા-ડદિમહોત્સવા-ડાન્તર-પૂજા, યાત્રા, સ્નાત્ર વગેરે મહોત્સવો પૂરા થયા હોય ત્યાર પછી. ઇતિ-કૃત્વા એમ સમજીને. કર્ણ કાન. દવા દઈને. નિશમતાં સાંભળો. સ્વાહામન્ત્રશાસ્ત્ર પ્રસિદ્ધ મંગળમય અવ્યય છે. ભો 'ભો ભવ્ય ? લોકા: ? ઇહ અહિ – “ભરતૈરાવત - વિદેહ – સંભવાનાં સમસ્તતીર્થ - કૃતાં જન્મ ‘ચાસન - પ્રકમ્મા - ડનરમવધિના "વિજ્ઞાય, “સૌધર્માધિપતિ: "સુઘોષા - ઘટા - ચાલના - ડનત્તરં સકલ સુરા – ડસુરેન્દ્ર: "સહ "સમાગટ્ય, સવિનયમહદ્ ભટ્ટાર ગૃહીત્યા, *ગત્વા કનકા - sદ્રિકૃડગે વિહિત - જન્મા - ડભિષેક: શાન્તિમુદ્દોષયતિ યથા તતોડ'હમ્પ “કતાનુકાર ઉમિતિ "કુવા. મહા - જનો “યેન ગત:, સપન્યા”અતિ ભવ્ય – જન: સહ સમેત્ય “સ્નાત્ર-પીઠે સ્નાત્રવિધાય, શાન્તિમુ-ઘોષયામિ-તત્ "પૂજા યાત્રા સ્નાત્રાદિ-મહોત્સવા-ડાન્તર'મિતિ કૃત્વાકર્ણ “દત્તા - “નિશમ્યતાં "નિશમ્યતાં સ્વાહા. “હે ભવ્ય – લોકો ! અહીં જ “ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહા-વિદેહ ક્ષેત્રમાં જન્મ લેતા સઘળા તીર્થંકર પરમાત્માઓના જન્મ વખતે આસન કંપ્યા બાદ, અવધિ "જ્ઞાનથી જાણ થતાં જ - સુઘોષા નામની દિવ્ય ઘંટા વગડાવ્યા પછી, “સૌધર્મ દેવલોકના ઈંદ્ર - સર્વ દેવેન્દ્રો, અને ભવનપતિઓ વગેરેના ઈંદ્રોની સાથે આવી, વિનયપૂર્વક પૂજ્ય અરિહંત દેવોને “તેડીને Page #762 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૬૮૯ “મેરુ પર્વતના શિખર ઉપર જઈ 'જન્માભિષેક - સ્નાત્ર મહોત્સવ - સમાપ્ત કર્યા પછી, જે પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તે પ્રમાણે – “કર્યાનું અનુકરણ કરવું જોઈએ. એમ, એને - મહાપુરુષો જે રસ્તે જાય, તે રસ્તે જવું જોઈએ." એમ વિચારીને, "પણ – ભવ્ય *લોકોની સાથે એકત્ર “થઈને સ્નાત્ર પીઠ ઉપર સ્નાત્ર કરીને શાંતિની ઉઘોષણા કરું છું.” માટે - ““પૂજાનો, યાત્રાનો અને સ્નાનાદિનો મહોત્સવ પૂરો થયો છે, એમ ધ્યાનમાં લઈને, “કાન “ઈને [એક ચિત્ત] સાંભળો, સાંભળો. સ્વાહા. ૩-૪. શાન્તિની ઉઘોષણાનો પ્રારંભ : જગતની વ્યવસ્થા અને પવિત્રતાનો મુખ્ય આધાર તીર્થંકર પરમાત્માઓ ઉપર છે =મંત્રાક્ષર છે. પુણ્યા-ડાંક પવિત્ર દિવસ. પ્રયત્તાં ખુશ થાઓ. ભગવન્ત =ભગવાનો. અન્ત: અરિહન્ત:. સર્વજ્ઞા=સર્વ જાણનારા. સર્વ-દર્શિન: સર્વ જોનારા. ત્રિ-લોક-નાથા:=ત્રણ લોકના નાથ. ત્રિ-લોક-મહિતા ત્રણ લોક વડે પૂજાયેલા. ત્રિ-લોક-પૂજ્યા:= ત્રણ લોકમાં પૂજ્ય. ત્રિ-લકેશ્વરા =ત્રણ લોકના સ્વામી. ત્રિલોકોદ્યોત-કરા:=ત્રણ લોકમાં ઉદ્યોત કરનારા. ‘પુણ્યા-ડહં પુણ્યા -ડહમ્. પ્રીયન્તાં પ્રીયન્તા. 'ભગવન્તો - Sઈન્ત: 'સર્વ - જ્ઞા: સર્વ-દર્શિનસ્ત્રિ "લોક-નાથાત્રિલોક - મહિતાસ્ત્રિ - લોકપૂજ્યાસ્ત્રિ - લોકેશ્વરાત્રી* - લોકોદ્યોત – કરા:. " આજનો દહાડો પવિત્ર છે! આજનો દહાડો પવિત્ર છે !! ખુશ થાઓ ! ખુશ થાઓ ! 'સર્વજ્ઞ અને સર્વ દશ અરિહંત, *ભગવંતો – ત્રણેય લોકના નાથ છે, “ત્રણેય લોકોએ પૂજેલા છે, ત્રણેય લોકોને પૂજ્ય છે, “ત્રણેય લોકના સ્વામી, અને ત્રણ લોકમાં પ્રકાશ કરનારા છે. ૫. શાન્તિના ભંડાર ચોવીસ તીર્થંકર પરમાત્માઓ ઋષભ - અજિત - સમ્ભવ - અભિનન્દન - સુમતિ - પદ્મપ્રભ - સુપાર્થ - ચન્દ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્ય - વિમલ - અનન્ત – ધર્મ - શાન્તિ - કુન્થ - અર – મલિ મુનિસુવ્રત - નમિ - નેમિ – પાર્થ - વર્ધમાનાન્તા = કષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનન્દન, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ પ્રભુ, ચન્દ્રપ્રભ સ્વામી, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમળનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વર્ધમાન સ્વામી Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ પંચ પ્રતિકમાણસૂત્રો સુધીના. શાન્તા:કશાન્ત. શાન્તિ-કરા:=શાંતિ કરનારા. ભવનુaહો. ' અષભ - અજિત - સંભવ - અભિનન્દન - સુમતિ - પદ્મપ્રભ - સુપાર્થ – ચન્દ્રપ્રભ - સુવિધિ – શીતલ - શ્રેયાંસ – વાસુપૂજ્ય – વિમલ - અનન્ત – ધર્મ – શાન્તિ- કુન્ય – અર – મલ્લિ મુનિસુવ્રત – નમિ -- નેમિપાર્થ – વર્ધમાના - Sત્તા જિના: શાન્તા: “શાનિ કરા ભવન્તુ સ્વાહા. ' અષભદેવ - અજિતનાથ - સંભવનાથ - અભિનન્દન - સુમતિનાથ - પદ્મપ્રભુસ્વામી - સુપાર્શ્વનાથ – ચન્દ્રપ્રભ સ્વામી - સુવિધિનાથ - શીતળનાથ – શ્રેયાંસનાથ - વાસુપૂજ્ય સ્વામી - વિમળનાથ - અનન્તનાથ - ધર્મનાથ – શાન્તિનાથ - કુંથુનાથ - અરનાથ - મલ્લિનાથ - મુનિસુવ્રતસ્વામી - નમિનાથ - નેમિનાથ – પાર્શ્વનાથ - વર્ધમાન સ્વામી સુધીના શાન્ત તીર્થકર *પરમાત્માઓ શાન્તિ કરનારા હો. સ્વાહા. ૬. ભાવના બળથી – સદાના રક્ષક મુનિ મહાત્માઓ મુનયો મુનિ મહારાજાઓ. મુનિ-પ્રવરા =મુનિઓમાં શ્રેષ્ઠ. રિપુ - વિજય - દુર્મિક્ષ - કાત્તાપુત્રશત્રુ ઉપરની જીત, દુકાળ અને ભયંકર જંગલોમાં. દુર્ગ-માર્ગીપુ ભયંકર ભાગમાં. રાજુ રક્ષણ કરો. તમારું. નિત્ય હમેશાં. ' મુનયો મુનિ - પ્રવરા રિપુ - વિજય - દુર્ભિક્ષ - કાન્તાપુ દુર્ગ-માર્ગીપુ રક્ષતુ વો નિત્ય “સ્વાહા. ' મુનિઓના અગ્રેસર મુનિમહાત્માઓ – "શત્રુઓ ઉપર વિજય મેળવવામાં, દુષ્કાળમાં અને ભયંકર અરણ્યોમાં તથા “વિકટ રસ્તાઓમાં હમેશાં તમારું રક્ષણ કરો. “સ્વાહા. ૭. જિનેશ્વર પરમાત્માઓના નામ માત્રથી જ વિવિધ કાર્યોમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. હીં માયા બીજ મંત્રાક્ષર છે. શ્રી લક્ષ્મી બીજ મંત્રાક્ષર છે. ધૃતિ - મતિ - કીર્તિ - કાન્તિ - બુદ્ધિ લક્ષ્મી - મેધા - વિદ્યા - સાધન - પ્રવેશ - નિવેશ - મેષ ધીરજ, વિચારશકિત, કીર્તિ, તેજ, બુદ્ધિ, ધનસંપત્તિ, સૂક્ષ્મ વિચારની શક્તિ, શાસ્ત્રજ્ઞાનનાં સાધનોમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં. સૂ- ગૃહીત - નામાન: સારી રીતે નામ લેવાતા. જયન્ત વિજય પામો. તે તેઓ. Page #764 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૬૯૧ 'ઓ હ શ્રી વૃતિ'- મતિ - કીર્તિ - કાન્તિ-બુદ્ધિ - લક્ષ્મી- મેધા - વિદ્યા - સાધન - પ્રવેશ – નિવેશનેષુ સુ - ગૃહીત - નામાનો જયન્ત તે જિનેન્દ્રા. ' હીં શ્રી ધીરજ, વિચારણા, કીર્તિ, તેજ, સફળ પરિણામ લાવનારી બુદ્ધિ, ધન-સંપત્તિ, સૂક્ષ્મ બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાન મેળવવાનાં સાધનોમાં પ્રવેશ કરવામાં તથા તે પૂરું થયે તેમાંથી પસાર થઈને નીકળવામાં સારી રીતે નામસ્મરણ કરાયેલા તે જિનેશ્વર પરમાત્માઓ વિજય પામે છે – પરમાત્માઓનું નામ લઈને કરવાથી તે કામો સફળ થાય જ છે.] ૮. સોળ વિદ્યા દેવીઓ તરફનું રક્ષણ રોહિણી - પ્રજ્ઞપ્તિ -વજશૂખલા - વજાલ્કશી - અપ્રતિચકા -પુરુષદત્તા - કાલી – મહાકાલી - ગૌરી - ગાધારી સર્વાચ્યા - મહા - જ્વાલા - માનવી - વૈરોટયા - અચ્છતા - માનસી - મહામાનસી - પોડશ - વિદ્યા - દેવ:=ોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વૃજાડકુશી, અપ્રતિચક્રા, પુરુષ – દત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાત્રા – મહાવાલા, માનવી, વૈરોટયા, અછુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. 'ઓ રોહિણી - પ્રજ્ઞપ્તિ - વજશૂખલા – વજકુશી – અપ્રતિચકા - પુરુષદત્તા - કાલી – મહાકાલી - ગૌરી - ગાધારી સર્વાત્રા - મહા – જવાલા - માનવી - વૈરોટયા - અચ્છખા - માનસી - મહામાનસી -પોડશ - વિદ્યા - દેવ્યો રક્ષતુ વો "નિત્યં “સ્વાહા. » રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજખલા, વ્રજાકુશી, અપ્રતિચક, પુરુષ-દત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્ના - મહાજવાલા, માનવી, વૈરુટ્યા, અષ્ણુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ હમેશાં તમારું રક્ષણ કરો. ‘સ્વાહા. ૯. શ્રી સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ હો. આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્ય આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચતુર્વર્ણ રૂપ. શ્રી-શ્રમણસંઘસ્ય શ્રી શ્રમણ પ્રધાન સંઘને. Page #765 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ પંચ પ્રતિકમાણસૂત્રો 'ઓ આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્યસ્ય શ્રી - શ્રમણ - સદ્દસ્ય શાનિર્ભવતુ તુષ્ટિર્ભવતુ “પુષ્ટિર્ભવતુ. ' '» ‘આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો વગેરે ચાર વર્ણના થી શ્રમણ મહાત્માઓની પ્રધાનતાવાળા શ્રી સંઘમાં શાન્તિ હો, સંતોષ હો, “વૃદ્ધિ હો. ૧૦. વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા ગ્રહો:=ગ્રહો. ચન્દ્ર-સૂર્યાગારક બુધ - બૃહસ્પતિ - શુક્ર - શનૈશ્ચર - રાહુ- કેતુ - સહિતા: ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સહિત. સ - લોકપાલા: લોકપાળ દેવો સહિત, સોમ - યમ - વરુણ - કુબેર – વાસવા - દિત્ય - સ્કન્દ - વિનાયકોન્ડપેતા: સોમ, યમ, વરુણ, કુબેર, વાસવ, આદિત્ય, સ્કન્દ અને વિનાયક યુકત. ગામ - નગર - ક્ષેત્ર - દેવતા - દય:=ગામ, નગર અને ક્ષેત્રના દેવો વગેરે. અક્ષણ - કોશ - કોકા - ગારા:=ભરપૂર ભંડારો અને કોઠારો ધરાવનારા. નર-પતય:=રાજાઓ. " ગ્રહાથન્દ્ર - સૂર્યા - દ્ગારક – બુધ – બૃહસ્પતિ – શુક - શનૈશ્ચર - રાહુ – કેતુ – સહિતા: - "સ – લોક - પાલા: સોમ – યમ – વરુણ – કુબેર - વાસવા - ડદિત્ય - સ્કન્દ- વિનાયકોપેતા: ‘યે ચાડચેડપિ ‘ગ્રામ - નગર - ક્ષેત્ર - દેવતા - ડડદયતે'' ''સર્વે પ્રયત્નો પ્રયન્તા, અ - ક્ષીણ - કોશ - કોષ્ઠા - ડગારા "નર - પતય ભવતુ“સ્વાહા. '3. ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્ચર, રાહુ અને કેતુ - ગ્રહો 'લોકપાળો - સોમ, યમ, વરુણ, કુબેર – વાસવ, આદિત્ય, સ્કન્દ અને વિનાયક એ સર્વે અને બીજા -“ગામડાના - શહેરના - અને ક્ષેત્રના – દેવો વગેરે જે હોય, તે સર્વે પ્રસન્ન થાઓ ! પ્રસન્ન થાઓ !! “અને "રાજાઓ ભરપૂર ભંડારો અને કોઠારોવાળા હો.“સ્વાહા. ૧૧. કુટુંબોમાં આનંદ અને પ્રમોદ ઓં પુત્ર - મિત્ર - ભ્રાતૃ - કલત્ર - સુહદ્ - સ્વ - જન - સંબન્ધી - બધુ - વર્ગ – સહિતા:, નિત્યં ચા - આમોદ – પ્રમોદ – કારિણ: ; Page #766 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૯૩ અસ્મિથ ભૂ - મણ્ડલ આયતન – નિવાસિ - સાધુ-સાધ્વી - શ્રાવક - શ્રાવિકાણાં રોગોપસર્ગ - વ્યાધિ - દુઃખ - દુર્ભિક્ષ - દૌર્મનસ્યોપશમનાય ''શાન્તિર્ભવતુ. છે' પુત્ર, મિત્ર, ભાઈ, પત્ની, સુમિત્ર, પોતાના કુટુંબીજનો, સગાં-સંબંધીઓ અને ભાયાત વર્ગ હમેશાં આનંદપ્રમોદ કરો. અને આ પૃથ્વી મંડળમાં આવેલાં આયતનો[ધર્મસ્થાનોમાં રહેલા સાધુ, સાધ્વીઓ, શ્રાવક, અને શ્રાવિકાઓના રોગો, મુશ્કેલીઓ, વ્યાધિઓ, દુઃખો, દુષ્કાળ કે ભિક્ષા મળવાની અગવડો, મનનો કંટાળો દૂર થવા માટે "શાંતિ સ્થપાઓ. ૧૨. એકંદર ઋદ્ધિ, વૃદ્ધિ વધો અને કષ્ટો, પાપો અને શત્રુઓ ન હો તુષ્ટિ - પુષ્ટિ - અદ્ધિ - વૃદ્ધિ માર્ગોત્સવાદ=સંતોષ, પોષણ, આબાદી, વધારો, મંગળ અને ઉત્સવો. સદા હમેશાં. પ્રાદુર્ભુતાનિ=પ્રગટ થયેલાં. પાપાનિ=પાપો:. શાસ્તુ શાન્ત થાઓ. દુરિતાનિ=કષ્ટો. શત્રવ: શત્રુઓ. પરાક્ખા : અવળા મોઢાવાળા, નાસી ગયેલા. " તુષ્ટિ - પુષ્ટિ-દ્ધિ - વૃદ્ધિ-માલ્યોત્સવ:સદા, પ્રાદુભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ; “શત્રવ: “પરમ્ભખાભવન્ત 'સ્વાહા. છે' સંતોષ, પોષણ, અદ્ધિ, વૃદ્ધિ, માંગલિક કામો અને ઉત્સવો હમેશાં પ્રવર્તી ઉત્પન્ન “થયેલાં પાપો અને કષ્ટો શાંત થાઓ. શત્રુઓ મોઢું ફેરવી લો"[ચાલ્યા જાઓ], "સ્વાહા. ૧૩. શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ શ્રીમતે લક્ષ્મીવાળા. શાન્તિ - નાથાયથી શાતિનાથને. નમ:=નમસ્કાર હો. શાન્તિ - વિધાયિને શાન્તિ કરનારા. 2 - લયસ્વ=ત્રણ લોકના. અમરાધીશ - મુકુટા - mર્ચિતા - ઘ=ઈન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા ચરણ કમળવાળા. શાન્તિઃ શાન્તિનાથ પ્રભુ. શાનિ કર =શાન્તિ કરનાર. દિશતુ આપો. ઉત્કૃષ્ટ - રિટ - દુષ્ટ - ગ્રહ ગતિ - દુ:સ્વપ્ન - દુર્નિમિત્તાદિ =કષ્ટ, દુષ્ટ, ગ્રહ, દુષ્ટ, ગતિ, ખરાબ સ્વપ્ન અને ખરાબ નિમિત્તો વગેરેનો નાશ કરનાર. સમ્પાદિત - હિત - સમ્પત હિત અને સંપત્તિ કરનાર. નામ - ગ્રહણં નામ લેવું તે. Page #767 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો "શ્રીમતે - શાન્તિ - નાથાય, નમ: શાન્તિ - વિધાયિને - લોર્ચસ્યા -ડમરા - Sધીશ - મુકુટા - ડભૂચિંતા - ડઘયે ૧ શાન્તિ: શાન્તિ - કર: 'શ્રીમાન, શાન્તિ દિશતુ મે ગુરુ શાન્તિદેવ" સદા તેષાં, એષાંશાન્તિગૃહે°ગૃહેરા *ઉચૂટ - રિષ્ટ - દુર - ગ્રહ - ગતિ - દુ:સ્વપ્ન - દુર્નિમિત્તાદિ સંપાદિત – હિત – સંપન્નામ* - ગ્રહણ 'જયતિ શાન્ત: Ra 'ત્રણેય લોકના દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા ચરણકમળવાળા અને શાંતિ કરનાર શ્રીમાન ! શાંતિનાથ પ્રભુને નમસ્કાર હો - ૧ શાન્તિ કરનારા મારા ગુરુ શ્રી શાંતિનાથ પ્રભુ શાંતિ આપો. અને “જેઓને ઘેર ઘેર "શાંતિનાથ પ્રભુ બિરાજે છે, તેમને હમેશાં “શાન્તિ જ હો. ૨ "શ્રી શાંતિનાથ ભગવાનનો – કષ્ટ આપનાર અને દુષ્ટ ગ્રહોની ગતિ, ખરાબ સ્વપ્નાંઓ અને ખરાબ નિમિત્તોનો નાશ કરનાર અને હિતકારક સંપત્તિઓનો આપનાર 'નામોચ્ચાર - વિજય'પામે છે. ૧૪. શાંતિનો જુદાં જુદાં નામો લઈ ઉચ્ચાર કરવો શ્રી સંઘ - જગજનપદ - રાજા - ધિ૫ - રાજ - સન્નિવેશનામ શ્રી સંઘ, જગદેશ રાજાના રાજા, રાજાઓના રહેઠાણો. ગોષ્ટિક - પુર - મુખ્યામાં ગાયોના વાડા અથવા ગોષ્ઠી કરનારા, શહેરના આગેવાનો. વ્યાહરÁ: બોલવા વડે.બાહરત બોલવી. શ્રીસદ્ઘ' - જગજ્જન - પદ - રાજા - ડધિપ - રાજ - સનિશાનામ્ | *ગોષ્ઠિક - પુર - મુખ્યાણાં, વ્યાહરૌવ્યહરે' - ચ્છાન્તિ૪ શ્રી સંઘ, જગત્ જનપદ - દેશ, રાજાઓના રાજા, રાજાઓના રહેઠાણ, ગોકસભાના (અથવા ગાયોના વાડાઓના) અધિષ્ઠાતાઓ, શહેરના અગ્રેસરોનાં નામો લઈ લઈને શાંતિનો ઉચ્ચાર કરવો. ૪ ૧૫. નામો લઈને શાંતિનો ઉચ્ચાર શ્રી - શ્રમાણ સંઘસ્ય શ્રમણ પ્રધાન સંઘને. શ્રી - જન - પદાનાં દેશોને. શ્રી - રાજા - ધિપાનાં રાજાઓના રાજાને. શ્રી રાજ - સન્નિવેશાન=રાજનાં રહેઠાણોને. શ્રી-ગોષ્ઠિકા નામ ગાયોના Page #768 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વાડાને અથવા ગોષ્ઠિ કરનારાઓને. શ્રી-પાર- મુખ્યાણાં=શહેરના આગેવાનોને. થ્રી-પૌર-જનસ્ય-શહેરવાસી લોકોને. શ્રી-બહ્મલોકસ્ય-બ્રહ્મ-જ્ઞાની-આત્માર્થી લોકોને; સકલ વિશ્વને. શ્રી - 'શ્રમણ - - સડ્વસ્ય – “શાન્તિર્ભવતુ ં શ્રી - 'જન પદાનાં ‘શાન્તિÉવતુ' શ્રી - 'રાજા - ઽધિપાનાં શાન્તિર્ણવતુ, શ્રી - 'રાજ - સન્નિવેશાનાં શાન્તિ ર્ભવતુ, શ્રી 'ગોષ્ઠિકાનાં શાન્તિર્ણવતુ, શ્રી `પૌર મુખ્યાણાં “શાન્તિર્ણવતુ, શ્રી `પૌર - જનસ્ય ‘શાન્તિîર્ભવતુ, શ્રી - 'બ્રહ્મ લોકસ્ય શાન્તિ ર્ભવતુ. ઓં સ્વાહા ઔં સ્વાહા - આઁ પત્રી - પાર્શ્વ† - નાથાય સ્વાહા. શ્રી 'શ્રમણ સંઘને શાંતિ હો. થી 'જનપદો - દેશોમાં શાંતિ હો.' શ્રી રાજાઓના રાજાઓને રંશાન્તિ હો, શ્રી રાજાઓનાં રહેઠાણોમાં શાંતિ હો. શ્રી ગોષ્ઠીસભાના (અથવા શ્રી ગાયોના વાડાઓના) અધિષ્ઠાતાઓ અથવા ધર્મસભાના સભ્યોને શાંતિ હો. થી શહેરના અગ્રેસરોને શાંતિ હો. શ્રી શહેરવાસીઓને ‘શાંતિ હો. શ્રી બ્રહ્મ [સમસ્ત જીવ લોક] 'લોકને શાન્તિ હો. 'ૐ ‘સ્વાહા: ૐ ‘સ્વાહા - ૐo શ્રી ‘પાર્શ્વનાથ પ્રભુને “સ્વાહા. ૧૯. શાંતિની ઉદ્ઘોષણા કયારે ? અને કોણે કરવી ? - એષા-આ. શાન્તિ:-શાન્તિપાઠ. પ્રતિષ્ઠા - યાત્રા - સ્નાત્રાઘવસાનેષુ=પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્ર વગેરે પૂરા થયા પછી. શાન્તિ-કલશં=શાન્તિ કળશ. ગૃહીત્વા-લઈને. કુંકમ ચંદન - કર્પૂરા ગર્ - ધૂપ વાસ - કુસુમાડાલિ - સમેત:-કેસર, ચંદન, કપૂર, અગરનો ધૂપ, અત્તર, ફૂલની અંજલિ સહિત. સ્નાત્ર ચતુષ્ટિકાયાં=સ્નાત્રની ચોકી, માંડવી. શ્રી - સંઘ - સમેત:=સંઘ સાથે. શુચિ - શુચિ - વપુ:=પવિત્રમાં પવિત્ર શરીરવાળો. પુષ્પ-વસ્ત્ર-ચન્દના-ભરણા-લકૃત:-ફૂલ, વસ્ત્ર, ચંદન, દાગીનાથી શોભાયમાન. પુષ્પમાલાં=ફૂલની માળા. કઠે=ગળામાં. કૃત્વા=પહેરીને. ઉદ્ઘોષયિત્વા=ઉદ્ઘોષણા કરીને, ઊંચેથી બોલીને. શાન્તિપાનીયું=શાંતિજળ. મસ્તકે માથા ઉપર. દાતવ્યસ્=ચડાવવું, છાંટવું. ઇતિ=બસ. " ૬૯૫ - એષા શાન્તિ: પ્રતિષ્ઠા યાત્રા સ્નાત્રા ઘવસાનેપુ રશાન્તિ લશેં ``ગૃહીત્વા ``ડુકુમ – ચન્દન - કર્પૂરા – ડગરુ - ધૂપ-વાસ – - - - Page #769 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કુસુમા ન્જલિ સમેત: ૧°સ્નાત્ર w řચિચિ – વપુ: પુષ્પ - વસ્ત્ર - ચન્દના માલાં ઠે કૃત્વા, ``શાન્તિમુદ્દોષયિત્વા` દાતવ્યમિતિ. - - - - પંચ પ્રતિક્રમણસૂત્રો ચતુષ્ટિકાયાં શ્રી-સંઘ-સમેત: ડડભરણા – લક્રૃત: ‘પુષ્પ શાન્તિ - પાનીયું `મસ્તકે ૧૭ 'આ ‘શાંતિ પાઠ [ની ઉદ્ઘોષણા] – પ્રતિષ્ઠા, યાત્રા, મહોત્સવ વગેરે પૂરા થયા પછી, અત્યન્ત પવિત્રમાં પવિત્ર શરીરવાળા', પુષ્પો, વસ્ત્રો, ચંદન અને દાગીનાઓથી શોભતા, ફૂલની માળા ગળામાં પહેરેલા અને શ્રી સંઘ સાથે સ્નાત્ર 'ભણાવવાના મંડપમાં ``કેસર, ચંદન, કપૂર – બરાસ, અગરુનો ધૂપ, વાસચૂર્ણ અને ફૂલની અંજલિ ભરી અને શાંતિ કળશ *લઈને [ઊભા રહેલા] એ ઉદ્ઘોષવો. શાંતિની '‘ઉદ્ઘોષણા કરીને શાન્તિ જળ મસ્તકે `ચડાવવું. બસ. ૧૭ ૧૭. અભિષેક વખતે જિનેશ્વરના ભકતોની ભકિતના પ્રકારો નૃત્યન્તિ=નાચે છે. નૃત્યં=નાચ. મણિ - પુષ્પ - વર્ષ=રત્નો અને ફૂલો વરસાવતાં વરસાવતાં. સૃજન્તિ-રચે છે. ગાયન્તિ ગાય છે. મઙ્ગલાનિ-મંગળ ગીતો. સ્તોત્રાણિ=સ્તુતિઓ. ગોત્રાણિ જીવનચરિત્રો. પઠન્તિ-ભણે છે. મન્ત્રાન્=મંત્રોને. કલ્યાણ-ભાજ=ભાગ્યશાળીઓ. હિ=જ. જિનાઽભિષેકે=જિનેશ્વર પ્રભુનો અભિષેક કરતી વખતે. ‘નૃત્યન્તિ નૃત્ય મણિ – ૪પુષ્પ - વર્ષ, (સૃજન્તિ “ગાયન્તિ ચ “મઙ્ગલાનિ । ૧°સ્તોત્રાણિ ''ગોત્રાણિ `પઠન્તિ ``મન્ત્રાન્, - કલ્યાણ – ભાજો હિ જિના - ઽભિષેકે ||૧|| ભાગ્યશાળી `જીવો ખરે ખરેખર, ંજિનેશ્વર પ્રભુના સ્નાત્ર અભિષેક વખતે કેંરત્નો અને ફૂલોની વૃષ્ટિ કરતાં કરતાં નાચ નાચે છે, મંગળો આલેખે છે, મંગળ ગીતો ગાય છે અને સ્તોત્રો, ચરિત્રો તથા ``મંત્રોના પાઠ કરે છે. ૧૮. ઉપસંહાર શિવમ્=કલ્યાણ. અસ્તુ=હો. સર્વ - જગત:=આખી દુનિયાનું. પર - હિત - નિરતા:=પરોપકારમાં લાગેલા. ભવન્તુ-હો. ભૂત-ગણા:-પ્રાણીઓ. દોષા: દુ:ખો, પાપો. પ્રયાન્જી=નાસી જાઓ. Page #770 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૯૭ લોક =લોકો; જગતુ. અહં હું. નિત્ય - યર - માયા તીર્થંકરની માતા. શિવા - દેવી-શિવાદેવી – કલ્યાણ દેવી નામની. તુ તમારા. નયર-નિવાસિની નગરમાં રહેનારી. અસ્તુ અમારું, તુમ્હતમારું. અસિવોસમં દુઃખ દૂર થવા પૂર્વક. શિવમસ્તુ સર્વ- “જગત:, પર- હિત - નિરતા ભવન્તુ ભૂત-ગણા: | દોષા: “પ્રયાન્ત નાશ, “સર્વત્ર સુખી ભવન્તુ""લોકા: રા અહં તિત્ય - યર - માયા, 'સિવા - દેવી સુનયર - નિવાસિની અહ“સિવં તુહ સિવું, એ -''સિવોસમFસિવંભવતુ"સ્વાહા . આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણી માત્ર 'પરોપકારમાં તત્પર રહો, દોષો નાશ પામો, જગતના જીવમાત્ર પંદરેક ઠેકાણે સુખી "હો. ૨ [બાવીસમા તીર્થંકર પરમાત્માશ્રીનેમિનાથ પ્રભુની માતા હું શિવાદેવી "તમારા શહેરમાં જ રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ !"કષ્ટોના નાશ થવા પૂર્વક કલ્યાણ થાઓ !! “સ્વાહા. ૩ ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિબ-વલ્લય: મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે મારા સર્વ -મલ - માલ્ય, સર્બ - કલ્યાણ - કારણમ્ પ્રધાન સર્ઘ - ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ //પા. | ઇતિ બૃહચ્છાન્તિ છે [છેલ્લી બે ગાથાઓના અર્થ લઘુશાંતિના અર્થમાંથી જોઈ લેવા] विशे षार्थ આ મોટી શાંતિના પ્રાચીન પ્રતિઓમાં કોઈ કોઈ પાઠભેદ જોવામાં આવે છે. આ શાંતિના કર્તા કોણ હતા તે જાણવામાં આવેલ નથી તેમજ આની ટીકા પણ જોવામાં Page #771 -------------------------------------------------------------------------- ________________ ૬૯. આવી નથી. બેત્રણ ઠેકાણે શબ્દો પ્રમાણે અર્થ કરવો મુશ્કેલ પડે છે. છતાં બહુ-શ્રુતો પાસેથી તે સમજી લેવો. પંચ પ્રતિક્રમણસૂત્રો નાનપણમાં એક દંતકથા નીચે પ્રમાણે સાંભળવામાં આવી છે, તે કોણે કહી ? કયારે કહી ? તે યાદ નથી. તેમાં કાંઈ તથ્યાંશ હોય કે નહિ. તો પણ એક જૂની વાત તરીકે તેનો સંગ્રહ કરી લેવો અત્રે ઉચિત લાગવાથી તે કરી લેવામાં આવે છે. ‘‘૧૪૪૪ ગ્રંથના નિર્માતા શ્રી હરિભદ્રસૂરીશ્વરના સંસારી અવસ્થાના ભાણેજો અને પછીથી તેમના શિષ્યો થયેલા હંસ અને પરમહંસ કે જેઓ બૌદ્વશાળામાં ભણવા ગયેલા. પરંતુ પછીથી જૈન જાણીને તેઓને મારી નાંખવાની ગોઠવણ કરવામાં આવી. તેઓ ત્યાંથી નાઠા, રસ્તામાં એકને મારી નાંખવામાં આવ્યા અને બીજા બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય પાસે આવી પહોંચતાં તેમની પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેંકી દીધું. ને બૌદ્ધ ભિક્ષુઓએ તેમનેયે મારી નાંખ્યા. પછી તો હરિભદ્રસૂરિની બીકથી નાઠા. [પછીની બધી વાતો જાહેર છે] તે પુસ્તકમાંથી આ બૃહચ્છાન્તિ સ્તોત્ર મળી આવેલ હતું.” આ સ્તોત્ર શાન્તિ-સ્નાત્ર, બૃહદ્ સ્નાત્ર, શાન્તિ સ્નાત્ર વગેરેને અંતે બોલાય છે. શાન્તિ કલશ કરતી વખતે બોલાય છે, તેમજ નવ સ્મરણ તથા સાત સ્મરણ ગણવાના પ્રતિષ્ઠા જળયાત્રામાં વગેરે પ્રસંગે બોલાય છે. તેમજ પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક એ ત્રણ પ્રતિક્રમણને અંતે દુ:ખ ક્ષય કર્મ ક્ષય નિમિત્તના કાયોત્સર્ગ પછી તેમજ ચોમાસી દેવવંદન પછી પણ, તથા એવા બીજા પ્રસંગમાં સંઘમાં શાંતિ કરવાને નિમિત્તે શાન્તિપાઠ બોલવામાં આ બૃહચ્છાન્તિ બોલાય છે. લઘુશાન્તિ કરતાં રચના વિસ્તૃત તેમજ ાહેર જનતામાં બોલવા લાયક પ્રૌઢ અને ભવ્ય છાપ પાડે તેવી રચના શૈલીની સંગ્રાહિકા હોવાથી બૃહચ્છાન્તિ કહેવાય છે, તેનું ગદ્ય એટલું બધું મનોહર છે કે આવું સુંદર જાહેરમાં બોલવા લાયક ગદ્ય સંસ્કૃત સાંભળવામાં આવ્યું નથી. તેમાં વચ્ચે વચ્ચે જે શ્લોકો મૂકવામાં આવેલા છે, તે સંભવ છે કે પ્રક્ષિપ્ત હોય. પહેલો શ્લોક તો સ્તોત્રના સંદર્ભની સાથે સંબંધ ધરાવતો જ છે. પરંતુ શાન્તિનાથ પ્રભુની સ્તુતિના શ્લોકો જોકે બંધબેસતા છે છતાં સંભવ છે કે બીજા કોઈ સંદર્ભના હશે. પરંતુ શ્રી શ્રમણ સંઘાદિકના નામ વ્યાહરણ પૂર્વક શાંતિ ઉચ્ચાર કરવાની શ્લોકમાંની ભલામણ અને પછી તે નામ લઈને શાંતિનો ઉચ્ચાર, એ બધું તો આ મૂળ સન્દર્ભનું લાગે છે. અથવા પ્રાચીનકાળમાં બીજા કોઈ શાન્તિ પાઠ હોય કે શ્રી શાન્તિનાથપ્રભુના સ્તોત્ર હોય, તેમાંથી એ શ્લોકો બંધબેસતા હોવાથી મૂકયા હોય, અથવા પદ્યમાંથી ચાલુ આ સ્તોત્ર ગદ્યમાં બનાવ્યું હોય. જેમ લઘુશાન્તિ ગદ્યમાં પૂર્વેમાં હતું, જે હાલ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીની નિર્વાણકલિકામાં મળે છે, જે શ્રી માનદેવસૂરીશ્વરજીએ પદ્યમાં બનાવી આપ્યું છે, તેમ આમાં કદાચ બન્યું હોય. તે વખતે અમુક ભાગ શ્લોકોમાં કાયમ રાખ્યો હોય. શિવમસ્તુ સર્વ જગત: આ શ્લોક કયાંનો હશે ? તે ચોકકસ કહી શકાતું નથી. આ શ્લોક ભવભૂતિકવિ કૃત માલતી-માધવ નાટકના અંતમાં ભરતવાકયના અંતિમ આશીર્વાદમાં આ જ શ્લોક લગભગ જેમનો Page #772 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૬૯૯ તેમજ છે. આ આખા સ્તોત્રમાં માત્ર એક જ ગાથા ઘણું જ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. આ ગાથા કયાંની હશે ? અહીં કેમ મુકાઈ હશે ? તેની પાછળ શો ઈતિહાસ હશે ? તે કાંઈ કલ્પના કરી શકાતી નથી. ગાથાના સંદર્ભ ઉપરથી માત્ર એટલું જ સમજાય છે કે આ શાંતિ સ્તોત્રના રચનારા કોઈ પણ આચાર્ય મહારાજાએ આ સ્તોત્ર ઉદ્ધરીને જ્યારે જાહેરમાં મૂક્યું હશે ત્યારે તે સાંભળીને, બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી અરિષ્ટનેમિ ભગવંતનાં માતા શિવાદેવી દેવી રૂપે એ શહેરમાં હાજર હશે, તે બહુ જ ખુશી થયા હશે, ને શ્રી સંઘને આશીર્વાદ આપીને ગયાં હશે. તે વખતની આ ગાથા અહીં ઉદ્વરી લીધી હશે. અથવા કોઈ બીજા સંદર્ભમાં એ ગાથા હશે. પરંતુ શિવાદેવી શબ્દ, શિવ થવાનો આશીર્વાદ, અશિવની શાંતિ વગેરે શબ્દો આ શાંતિપાઠના ઉદ્દેશને બંધબેસતા જોઈને શિવમસ્તુ શ્લોકની પેઠે પણ તેનો અહીં સંગ્રહ કર્યો હોય. એવો પણ અભિપ્રાય છે કે તીર્થંકર પદ સવિજીવ કરું શાસનરસી ભાવનાથી બંધાય છે અને એ ભાવના તીર્થંકરની માતા છે અને અમારું તમારું શિવ થાય, અશિવ જાય તેમ કહી અહીં આ ભાવના મૂકી હોય અથવા કેટલાકનું કહેવું એવું છે કે, “આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું, અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયાં.” ખરેખર માનવાને કારણ પણ મળે છે કે, આ સ્તોત્રમાં કોઈપણ ઠેકાણે સ્તોત્રકર્તાનું નામનિશાન નથી. અને કોઈનું નામ મળતું હોય, તો માત્ર આ શિવાદેવીનું જ મળે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આખું સ્તોત્ર સંસ્કૃતમાં અને માત્ર કર્તાની ગાથા જ પ્રાકૃતમાં કેમ ? તેથી એ સંભવ છે કે, બીજી કોઈ સંકલનાની એ ગાથા હોય. છેલ્લી બે ગાથાઓ લઘુશાંતિને અંતે પણ છે, તે અહીંથી ત્યાં ગઈ હશે કે ત્યાંથી અહીં આવી હશે એ પ્રશ્ન રહે છે. લઘુશાન્તિ અને બૃહચ્છાન્તિ પહેલાં શ્રી સંઘે માન્ય કરેલા કોઈપણ બીજા શાન્તિ પાઠો બોલાતા હશે, કેમ કે સ્તવન, સ્તોત્ર-સઝાય, સ્તુતિ-થોય, આલોચન પાઠ, ચૈત્યવંદન વગેરેની માફક શાન્તિ પાઠ ઐચ્છિક છે. ૭૫-અથ સંતિ-કર સ્તવનમ-૯ ૧. મંગળાચરણ અને વિષયનિર્દેશ સંતિ કરે = શાન્તિ કરનાર. સંતિ-જિગં=શાતિજિનેશ્વર. જગ-સરગં=જગતને શરણ રૂપ. જય-સિરીઈ વિજયલક્ષ્મીને. દાયા આપનાર. સમરામિ=સ્મરણ કરું છું. ભત્ત-પાલગ-નિવાણી-ગરુડ-કય સેવં = ભકતોનું પાલન કરનાર. નિર્વાણી દેવી અને ગરુડયક્ષ વડે સેવાયેલા. ૧ Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો સંતિ-કર સંતિ- જિર્ણ, જગ-સરણ જય સિરિઇ દાયારી સમરામિ-ભત્ત-પાલગ-નિવ્વાણી-ગરુડ-ક્ય-સેવાના શાંતિ કરનારા, જગતને શરણ રૂપ, વિજય લક્ષ્મી અપાવનાર અને ભક્તોનું પાલન કરનારા નિવૃત્તિ દેવી અને ગરુડ યક્ષ વડે સેવા કરાયેલા શ્રી શાંતિનાથ પ્રભુનું હું સ્મરણ કરું છું. ૧. ૨. સૂરિમ–-ગતમ–ાક્ષરોપૂર્વક શ્રી શાન્તિનાથપ્રભુની સ્તુતિ સ-નમો નમસ્કાર સહિત. વિષ્પોસહિ-પત્તાસંવિપુડૌષધિપણું પામેલા - ઘૂંક જ ઔષધિ રૂપે બનાવી ચૂકેલા. સંતિ-સામિ પાયાણં શાંતિનાથનાં ચરણો. ગૌ-સ્વાહા-અંતેગં= સ્વાહા એ મંત્ર વડે. સવા-ડસિવ-દુરિઅ-હરણાસંસર્વ પ્રકારનાં અપમંગળો અને કષ્ટો દૂર કરનાર, ૨ સંતિ નમુક્કારો શાન્તિનાથ પ્રભુને નમસ્કાર, ખેલોસહિમાઇ-લદ્ધિ-પાણ- ખેલૌષધિ વગેરે લબ્ધિ મેળવી ચૂકેલા. સૌ હીં નમ: અને હીં સાથે નમસ્કાર, સવ્યોસહિ-પરાણે= સર્વોપધિ લબ્ધિ પામેલા. દેઈ આપે છે. સિરિ જ્ઞાનાદિ લક્ષ્મી. ૩ “સ-નમો 'વિપોસહિ-પત્તાર 'સંતિ-સામિ-પાયાણી *ઝ સ્વાહા-મંતેણં, સવ્વા-ડસિવ-દુરિઅ-હરણાર્ણ રા . 'સંતિ-નમુક્કારો, ખેલોસહિમાઈ-લદ્ધિ-પત્તાણા સૌ હ“નમો સવ્યો સહિ-પત્તાણં ચ દેઈ સિરિ શા 'વિપુડષધિપણું ઘૂંક જ ઔષધ] પામેલા અને સ્વાહા મને કરીને સર્વ પ્રકારનાં અપમંગળો અને કષ્ટો દૂર કરનાર શ્રી શાન્તિનાથ પ્રભુનાં ચરણકમળોને “નમ: સ્વાહા'. ૨. સહિત શ્રી શાન્તિનાથ પ્રભુને કરેલો નમસ્કાર – લેમ વગેરે ઔષધિ-પણે પરિણાવી ચૂકેલાઓને અને છહ સહિત કરેલો નમસ્કાર - સર્વ પ્રકારની ઔષધિપણે પરિણમાવી ચૂકેલાઓને, “લક્ષ્મી આપો. ૩ Uો વિષ્ણોદ-ત્તિ સ્વાહા. મંત્રાક્ષર ॐ ह्रीं नमो खेलोसहि-पत्ताणं. ॐ हीं नमो सव्वोसहि-पत्ताणं બે ગાથામાં સૂરિ મંત્રનાં આ પદો છે. Page #774 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. એકંદર જૈનશાસનના સર્વ રક્ષકો તરફ્થી રક્ષા. વાણી શ્રુતદેવી. તિ-હુઅણ-સામિણી-ત્રિભુવનસ્વામિની દેવી. સિરિદેવી લક્ષ્મીદેવી. જક્ષ્મ-રાય-યક્ષરાજ. િિણ-પિડગા-ગણિપિટક-દ્વાદશાંગી કે તેનાં અધિષ્ઠાયક યક્ષ. ગૃહ-દિસિપાલ-સુરિદા=ગ્રહો, દિગ્પાલો અને દેવેન્દ્રો. જિણ-ભત્તે-જિનભકતોને. ૪ `વાણી તિહુઅણ -સામિણી, સિરિ-દેવી- જક્ષ્મ-રાય ગણિ-`પિડગા । ‘ગહ-દિસિ-પાલ-સુરિંદા, “સયા ``વિ ``રખંતુ જિણ- ભત્તે ॥૪॥ 'શ્રુતદેવી, 'ત્રિભુવન સ્વામિની દેવી, લક્ષ્મી દેવી, યક્ષરાજ, ગણિપટિક, ‘ગ્રહો, દિક્પાલો અને દેવેન્દ્રો, જિનેશ્વરોના ‘ભકતોની હમ્મેશાં 'ચે રક્ષા ``કરો. ૪ ૭૦૧ ૪. સોળ વિદ્યાદેવીઓનું રક્ષણ રખંતુ-રક્ષણ કરો. મમ-મારું. રોહિણી-રોહિણી દેવી. પન્નત્તિ=પ્રજ્ઞપ્તિ દેવી. વજ્રસિંખલા=વજ્રશૃંખ઼લા દેવી. વજ્જાંસિ-વજ્રાંકુશી. ચક્કેસરી-ચક્રેશ્વરી દેવી. નરદત્તા-નરદત્તા દેવી. કાલી=કાલી દેવી. મહાકાલી મહાકાલી દેવી. ગોરી ગૌરી દેવી. તહ-તથા. ગંધારી-ગાંધારી દેવી. મહ-જાલા-મહા જ્વાલા દેવી. માણવી=માનવી દેવી. વઇટ્ટાવૈરોટ્યા દેવી. અચ્છત્તા=અચ્છુપ્તા દેવી. માસિઆ=માનસી દેવી. મહા-માણસિઆઓ-મહામાનસી દેવી. ૫-૬ ૐ°રક્ષંતુ 'મમ 'રોહિણી, પન્નત્તી વજ-સિંખલા ય `સયા । “વાંસિ “ચક્કેસરી, ‘નર-દત્તા કાલી મહા-કાલી ॥૫॥ ગોરી તહ '°ગંધારી, ''મહ-જાલા ``માણવી એ `જૈવઇરુટ્ટા । ``અચ્છુત્તા ``માણસિઆ, ''મહા-માણસિઆઓ `દેવીઓ ।૬।। રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રાંકુશી, 'ચક્રેશ્વરી, ‘નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, 'ગાંધારી, ''મહાજ્વાલા, ``માનવી, વૈરોટ્યા, 'અચ્છુપ્તા, ``માનસી, ''મહા-માનસી એ ``દેવીઓ મારું “હમ્મેશાં રક્ષણ કરો. ૫-૬ Page #775 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૫. ચોવીસ તીર્થંકર પરમાત્માઓના શાસનના અધિષ્ઠાયક યક્ષો અને દેવીઓ તરફનું રક્ષણ જક્ષા=યક્ષો. ગોમુહગોમુખ. મહ-જÐમહાયક્ષ. તિમુહ=ત્રિમુખ. જખેસ=યક્ષેશ. તુંબરૂ=તુંબરુ. કુસુમો કુસુમ. માયંગ-વિજય- અજિઆ#માતંગ, વિજય અને અજિત. બંભો-બ્રહ્મ. મણુઓ=મનુજ. સુર-કુમારો=સુરકુમાર. છમ્મુહ=છ મુખ, ષભુખ. પયાલ=પાતાલ. કિન્નર=કિન્નર. ગઝ્લોગરુડ. ગંધવ-ગંધર્વ. જમ્પિંદો યક્ષેન્દ્ર. કુબર કુબેર. વરુણો-વરુણ. ભિઉડી=ભ્રૂકુટી. ગોમેહો-ગોમેધ. પાસ=પાર્શ્વ. માયગો=માતંગ. ૭-૮ ૭૦૨ 'જક્ખા- `ગોમુહ- મહ-જ′′ તિમુહ– જખ્મેસ- ‘તુંબરુ-‘કુસુમો । માયંગ – ‘વિજય – “અજિઆ, ``ખંભો- ``મણુઓ ``સુકુમારો IIII ‰છમ્મુહ 'પંચાલ ``કિન્નર, ``ગરૂલો 'ગંધવ્ય તહ ચ૨૪ ૧૯જખિંદો । 'કુબર “વરૂણો ``ભિઉડી, ગોમેહો પાસ ``માયંગો ।।૮।। ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, ‘યજ્ઞેશ, તુંબરુ, ‘કુસુમ, “માતંગ, ‘વિજય, “અજિત, બ્રહ્મ, ''મનુજ, ``સુરકુમાર, વૈષમ્મુખ-છ મુખ, જપાતાલ, ``કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, “કુબર, વરુણ, ``ભ્રકુટી, ''ગોમેધ, પાર્શ્વ ་અને “માતંગ એ યક્ષો : દેવીઓ દેવીઓ. ચક્કેસરિ=ચક્રેશ્વરી. અજિઆ#અજિતા. દુરિઆરિ=દુરિતારિ. કાલિ=કાળી. મહાકાલી=મહાકાળી. અચ્યુઅ=અચ્યુતા. સંતા=શાન્તા. જલા=જવાલા. સુતારયા=સુતારા. અસોય-અશોકા. સિરિવચ્છા શ્રીવત્સા. ચંડા-ચંડા. વિજયા=વિજયા. અંકુસી અંકુશી. પન્નઇત્તિ-પ્રજ્ઞપ્તિ. નિવ્વાણી-નિર્વાણી. અચ્છુઆ-અચ્યુતા. ધરણી-ધારણી. વઇટ્ટ=વૈરોયા. અછુત્ત=અચ્છુપ્તા. ગંધારિ=ગાંધારી, અંબ=અંબા. પઉમાવઈ=પદ્માવતી. સિદ્ધા=સિદ્ધાયિકા. ૯-૧૦, દેવીઓ 'ચક્કેસરી, અજિઆ દુરિઆરી કાલી મહા-કાલી ‘અચ્યુઅ ‘સંતા જાલા, “સુતારયા- `°સોઅ- સિરિ− ``વચ્છા ।। ``ચંડા `વિજયં ``કુસિ- ``પન્નઇત્તિ ''નિવ્વાણી `અશ્રુઆ `ધરણી । 'વઈરુટ્ટછુત્ત॰ 'ગંધારી, ‘અંબ ૭૫ઉમાવઈ ૨૪સિદ્ધા ||૧૦|| ચક્રેશ્વરી, 'અજિતા, દુરિતારી, 'કાળી, મહાકાળી, ‘અચ્યુતા, શાન્તા, જ્વાલા, સુતારકા, 1°અશોકા, ''શ્રીવત્સા, ચંડા, વિજયા, અંકુશા, ``પ્રજ્ઞપ્તિ, 'નિર્વાણી, 'અચ્યુતા, ધારિણી, વૈરોટ્યા, “અચ્છુપ્તા, ``ગાંધારી, “અંબા, પદ્માવતી, “સિદ્ધાયિકા દેવીઓ :- ૯-૧૦ Page #776 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૭૦૩ ઇઅએ પ્રમાણે. તિથ-રફખાણ રયા=શાસનની રક્ષા કરવામાં તૈયાર. અન્ને બીજા. સુરા દેવો. સુરી- દેવીઓ. ચઉહા ચાર પ્રકાર. વંતર-જોઈણી-પમુહાવ્યંતર, યોગિની વગેરે. કુણંતુ કરો. અમખું અમારું. ૧૧ ઈઅ તિત્ય' રખણ-રયા, અનેવિ સુરાસુરી “ચઉહાવિ વંતર-જોઇણી પમુહા, કુર્ણતરફખસયા 'અહં ૧૧ 'પ્રભુના શાસનનું રક્ષણ કરવામાં તૈયાર રહેલા એ [ઉપર કહેલા તથા બીજા પણ ચારેય *પ્રકારના દેવો અને દેવીઓ તથા વ્યંતરો, યોગિનીઓ વગેરે હંમેશાં અમારું રક્ષણ કરો. ૧૧ - ૬. ઉપસંહાર એવં એ પ્રકારે સુ-દિઠિ-સુર-ગણ-સહિઓ સમ્યગ્રષ્ટિ દેવોથી વીંટાયેલા સંઘસ્સથી સંઘનું સંતિ-જિણ-ચંદોથી શાંતિનાથ જિનેશ્વર. મઝ મારું. કરેઉ કરો. રફખંરક્ષણ. મુણિ-સુંદરસૂરિ-યુઓ-મહિમા શ્રી મુનિચંદ્રસૂરિએ વખણાયેલા મહિમાવાળા. ૧૨ 'એવં સુદિઠિ-સુર-ગણ-સહિઓ સંઘમ્સ સંતિ-જિણ-ચંદો! મઝવિકરેઉ “રફખં, મુણિ-સુંદરસૂરિ યુઅ-મહિમા ૧૨ા 'એ પ્રકારે સમ્યગૃષ્ટિ દેવોથી વીંટાયેલા અને શ્રી મુનિચંદ્રસૂરિથી વખણાયેલા મહિમાવાળા થી શાન્તિનાથ” જિનેશ્વર પ્રભુ શ્રી સંઘનું અને મારું કે “રક્ષણ કરો. ૧૨ છે. આ સ્તોત્ર ગણવાનું ફળ ઇઅએ પ્રમાણે. સંતિનાહ-સન્મ-દિરિફખં=શ્રી શાંતિનાથ પ્રભુની સમ્યગ્દષ્ટિ-જીવોની રક્ષા કરનારી-સ્તુતિ. સરઈ સ્મરણ કરે. તિ કાલ ત્રણેય વખત. જો જે. સવવદવ રહિઓ દરેક પ્રકારનાં દુઃખ વિનાનો. લહઈ=પામે છે. સુહ-સંપકૅ સુખ અને સંપત્તિ, પરમ સારામાં સારા. ૧૩. 'ઇઅ સંતિ-નાહ-સન્મ-દિદ્ધિ-રફખં સરઈ તિ-કાલ જો 'સવ્યોવવ-રહિઓ “સ લહઈ સુહ-સંપાયં પરમ ૧૩ એ પ્રમાણે શ્રી શાન્તિનાથ પ્રભુની સમ્યગ્દષ્ટિ જીવોની રક્ષા કરનારી સ્તુતિનું જે ત્રણેય Page #777 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો વખત સ્મરણ કરે છે, તે દરેક પ્રકારનાં દુ:ખ રહિત થઈને સારામાં સારા ‘સુખ અને સંપત્તિઓ પામે છે. ૧૩. ૭૦૪ ૮. પ્રશસ્તિ તવ-ગચ્છ-ગયણ દિણ-યર-જુગ-વર-સિરિ-સોમ-સુંદર-ગુરુર્ણ તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદર ગુરુમહારાજની. સુ-પસાય-લદ્ર-ગણ-હર-વિજ્જા-સિદ્ધી=ઉત્તમ કૃપાથી ગણધર વિદ્યાની સિદ્ધિ પામેલા. ભાણઇ-કહે છે. સીસો-શિષ્યો. ૧૪. 'તવ-ગચ્છ ગણય-દિણ-યર-જુગ વર-સિરિ-સોમ-સુંદર-ગુરુર્ણ । ‘સુ-પસાય-લ-ગણ-હર-વિજજા-સિદ્ધા ’ભણઇ કૈસીસો ।।૧૪।।જ ‘તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદર સૂરીશ્વર ગુરુ મહારાજની ‘ઉત્તમ કૃપાથી ગણધર વિદ્યાની સિદ્ધિ પામેલા શિષ્યે ‘રચ્યું છે. ૧૪ विशेषार्थ આ સ્તોત્ર શ્રી સોમસુંદર સૂરીશ્વરના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજાએ મેવાડમાં આવેલા ઉદેપુરમાં ઉદેપુર પાસેના દેલવાડાના સંઘમાં મરકીનો ઉપદ્રવ શાંત કરવા માટે રચેલું છે. તેઓ સહસ્રાવધાની હતા. અને અધ્યાત્મ કલ્પદ્રુમ વગેરે ગ્રંથો તેમણે રચેલા છે. આ સ્તોત્રમાં શ્રી શાંતિનાથ પ્રભુની ખાસ સ્તુતિ કરવામાં આવી છે. શાંતિ માટેનાં સ્તોત્રોમાં શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ વધારે જોવામાં આવે છે. સંતિકર સ્તોત્ર - લઘુશાંતિ - બૃહચ્છાન્તિ અને અજિત શાંતિ એ ચારમાં શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ છે. અને ઉવસગ્ગહરં, કલ્યાણ-મંદિર અને નમિણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. તિજ્ય-પહુત્ત-માં ૧૭૦ જિનેશ્વર પ્રભુની સ્તુતિ છે. અને ભક્તામર સ્તોત્રમાં શ્રી આદીશ્વર પ્રભુની સ્તુતિ છે. માત્ર નવકાર મંત્ર પરમ મંગળ સ્મરણ રૂપ છે. આ સ્તોત્રમાં જે મંત્રાક્ષરો લેવામાં આવ્યા છે તે સૂરિમન્ત્રામ્હાયમાંથી લેવામાં આવ્યા છે. ॐ नमो विप्पोसहि पत्ताणं झीँ स्वाहा ॐ ह्रीं नमो खेलोसहि पत्ताणं ૐ હ્રીં નમો સબ્યોહિ-વત્તામાંં એ ખાસ મંત્રાક્ષરો છે. તથા સૂરિમંત્રના જુદા જુદા વિભાગોના અધિષ્ઠાયક દેવો તથા વિદ્યાદેવીઓ તથા ચોવીસેય Page #778 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તીર્થંકર પરમાત્માઓના-શાસનાધિષ્ઠાયક દેવો અને દેવીઓ તથા અન્ય સમ્યગ્દષ્ટ દેવદેવીઓની શાંતિકાર્યમાં અનુકૂળતા ખેંચવામાં આવી છે. આ સ્તોત્રની ૧૨મી ગાથામાં કર્તાનું નામ આવી જાય છે જેથી ૧૪મી ગાથા બોલાતી નથી તેને પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે. કેટલેક ઠેકાણે આ સ્તોત્ર-પાક્ષિક-ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે બોલાય છે. આ સ્તોત્રની અસર ઘણી જ ત્વરાથી થાય છે. એટલે તેની સિદ્ધિ બહુ જ સરળતાથી થાય, તેવા મંત્રાક્ષરો આ સ્તોત્રમાં ગોઠવેલા છે. તેમાં બીજી અને ત્રીજી ગાથા ખાસ મહત્ત્વની છે. વિશેષ વિસ્તાર સમજવા જેવો છે, તે ટીકામાંથી સમજી લેવો. ૭૦૫ શ્રી પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ ૧. પ્રથમ, દૈવસિક પ્રતિક્રમણમાં “વંદિત્તુ” કહી રહિએ, તિહાં સુધી સર્વ કહેવું. પણ ચૈત્યવંદન ‘‘સકલાર્હત્’’નું કહેવું, અને થોયો ‘‘સ્નાતસ્યા’’ની કહેવી. ૨. પછી ખમા-સમણ દઈને દેવિસઅ આલોઇઅ પડિકંતા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પખિમુહપત્તિ પડિલેહુ ?’’ [ગુરુ- “પડિલેહેહ.’”] “ઇચ્છું,’’ એમ કહી મુહપત્તિ પડિલેહવી. ૩. પછી “વાંદણાં” બે દેવાં. ૪. પછી ‘ઇચ્છાકારેણ- સંદિ૰ ભગ- અભુટ્ઠિઓહં સંબુદ્ધા-ખામણેણં અભિંતર પખિએં ખામે ? [ગુરુ- - ‘“ખામેહ.”] ‘‘ઇચ્છું ખામેમિ પખિઅં, એક પક્ખસ્સુ પનરસ દિવસાણું, પનરસ રાઇઆણં, જંકિંચિ અપત્તિઅંદ’' ૫. ‘ઇચ્છાકારેણ. સં. ભગ- કિખરું આલોઉ ? [ગુરુ- “આલો એહ.'’] “ઇચ્છું. આલોએમિ. જો મે કિઓ અઇયારો કઓ.” કહી. “ઇચ્છાકારણ. સં. ભ. પખિ અતિચાર આલોઉં ?'' [ગુરુ ‘“આલોએહ.”] ‘‘ઇચ્છું’’ એમ કહી અતિચાર કહેવા. મુનિ મહારાજ હોય તો વિશેષત:થી કહેવા. પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમકિત મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચાર માંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં'' કહેવું. ૬. ‘‘સવ્વવિ પખ઼િઅ દુષ્ચિતિઅ, દુમ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! [ગુરુ--‘“પડિક્કમેહ.’’] ‘“ઇચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડં’’ ૭. ‘ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી ખિ તપ પ્રસાદ કરશોજી,' એમ ઉચ્ચાર કરીને, આવી રીતે ગુરુએ કે વડીલે કહેવું, ‘‘ચઉત્થગં-એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બે હજાર સજ્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો.'' પછી જો પ્રવેશ કર્યો Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો હોય, તો પઇઠિઓ' કહેવું. અને કરવાનો હોય, તો-તહત્તિ' કહેવું. તથા ન કરવાના હોઈએ તો અણબોલ્યા રહેવું. ૮. પછી “વાંદણાં” બે દેવાં. ૯. પછી “ઇચ્છાકાર અભુટિઓ હેપઅ-ખામાણેણં અભિંતર-પખિએ ખામેઉ?"ઇચ્છે[ગુરુ ખામહ.”] ખામેમિ પખિએ એક પખસ્સ પનરસ દિવસાણં પનરસ રાઈઆણ કિંચિ અપત્તિ” કહી, સકલ સંઘને “મિચ્છામિ દુક્કકહેવું. ૧૦. “વાંદણાં” બે દેવાં. ૧૧. પછી, “દેવસિઅ આલોઇએ પડિકંતા ઇચ્છાકાર સંદિર ભગવન પખિએ પડિકશું ? ગુિરુ પડિકમેહ."] “સમ્મ પડિકનમામિ.” એમ કહી, “કરેમિ ભંતે! સામાઇઅં “ઇચ્છામિ પડિકમિઉ જો મે પખિઓ.” કહેવું. ૧૨. પછી “ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિર ભટ પખિસૂત્ર કયું?” [ગુરુ “કહેહ.”] “ઇચ્છે” [ગુરુ કહેવાના હોય, તો-શિષ્ય- “સાંભળું?' કહી, સાંભળવાનો આદેશ માંગે.] કહી-ત્રણ નવકાર ગણી સાધુ હોય, તો પખિસૂત્ર કહે, અને સાધુ ન હોય, તો ત્રણ નવકાર ગણીને શ્રાવકે “વંદિg” સૂત્ર કહેવું. પછી સુઅદેવયાની થોય કહેવી. ૧૩. પછી હેઠા બેસી જમણો ઢીંચણ ઊભો રાખી, એક “નવકાર" ગણી, “કરેમિ ભંતે! ઈચ્છામિ પડિ.” કહી “વંદિનું સૂત્ર કહેવું. ૧૪. પછી “કરેમિ ભંતે ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ મે પખિઓ. તસ્સ ઉત્તરી. અન્નત્ય કહીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. તે લોગસ્સ “ચસુ નિમ્મલયરા” સુધી કહેવા. અથવા અડતાળીસ નવકાર નો કાઉસગ્ગ કરી પારવો, પારીને પ્રગટ “લોગસ્સ” કહેવો. ૧૬. મુહપત્તિ પડિલેહીને “વાંદણાં બે દેવાં. ૧૭. પછી “ઇચ્છાકા. સં. ભ. અભુઠિઓહ સમરખામણેણં અભિંતર પખિએ ખામેઉ ? ગિરઃ ખાહ"] “ઇચ્છે' ખામેમિ પકિખ, એક પખસ્સ, પનરસ દિવસાણં, પનરસ રાઈઆણં, જેકચિ અપત્તિ.” ૧૮. પછી “ખમાસમણ” દઈને “ઇચ્છાકાર સં ભક પખિ ખામણાં ખાણું?" [ગુરુઃ- “ખામહ”] ઇચ્છે” કહી “ખામણાં” ચાર ખામવા. ૧૯. મુનિ મહારાજ “ખામણા” કહે. અને મુનિરાજ ન હોય, તો “ખમાસમણ ” દઈ “ઇચ્છામિ ખમા-સમણો !” કહી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી, એક “નવકાર" કહી, “સિરસા માણસા મFણ વંદામિ” કહેવું. માત્ર ત્રીજા “ખામણાને અંતે “તસ્સ મિચ્છામિ દુક્કડ” કહેવું. પછી ઇચ્છામ ! આગુસટિકં કહી “પકિ સમ્મન” દેવસિઅં પડિક્કમામિ" કહેવું. Page #780 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૦૭ ૨૦. પછી દેવસિઅ પ્રતિક્રમણમાં “દિનું સૂત્ર કહ્યા પછી, બે “વાંદણાં” દઈએ તિહાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઅ પ્રતિકમણના વિધિ પ્રમાણે જાણવું. પરંતુ - સુદેવયાની થોયને ઠેકાણે “જ્ઞાનાદિ.”ની થોય, અને “જિગ્ને ખિજો.” ની થોયને ઠેકાણે “યસ્યા: ક્ષેત્ર” ની થોય કહેવી. સ્તવન “અજિતશાંતિનું કહેવું. સજઝાયને ઠેકાણે “ઉવસગ્ગહર” તથા “સંસારદાવા"ની સ્તુતિ ચાર કહેવી. તેમાં ચોથી સ્તુતિનાં છેલ્લાં ત્રણ પાદો સકળ સંઘે એકીસાથે ઉચ્ચ સ્વરે કહેવાં. અને “લઘુશાંતિને ઠેકાણે “મોટી શાંતિ” કહેવી. પછી કેટલેક ઠેકાણે સંતિકર બોલવાનો રિવાજ જોવામાં આવે છે. ગુરુ મહારાજ હોય, ત્યારે જેમ તેઓ સ્થાપનાચાર્ય ભગવંતને વંદન કરી આદેશ માગે છે, તેઓ કાઉસ્સગ્ગ પારે ત્યારે આપણે પારીએ છીએ, કંઈ સૂત્ર કહેવું હોય ત્યારે, તેઓની પાસે તે કહેવાનો આદેશ માગીએ છીએ, તે જ પ્રકારે તેમના અભાવે કરેમિ ભંતે !' ઉચ્ચરાવનાર જ્ઞાન-ચારિત્રાદિ વડે વૃદ્ધ સાધર્મિક પ્રત્યે પણ પ્રતિક્રમણ કરતી વખતે વિનયથી વર્તવું યોગ્ય છે. શ્રી ચઉમાસી પ્રતિક્રમણનો વિધિ એમાં ઉપર કહ્યા મુજબ પકિખના વિધિ પ્રમાણે કરવું, પરંતુ એટલું વિશેષ છે કે, બાર લોગસ્સના કાઉસ્સગ્નને ઠેકાણે વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. અને પકિખ શબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો. તથા તપને ઠેકાણે “છઠેણં, બે ઉપવાસ, ચાર આંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોલ બેઆસણાં, ચાર હજાર સજઝાય.” એ રીતે કહેવું. શ્રી સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ પખિના વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ છે કે, બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે ચાળીસ લોગસ્સ અને એક નવકાર, અથવા એકસોને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે “અઠમભત્ત, ત્રણ ઉપવાસ, છ આંબિલ, નવ નીવિ, બાર એકાસામાં, ચોવીસ બેઆસણાં, અગર છ હજાર સઝાય.” એ રીતે કહેવું અને પકિખના શબ્દને ટેકાણે સંવચ્છરીનો શબ્દ કહેવો. છીંક આવે તો પખિ-ઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં જો છીંક અતિચાર પહેલાં આવે, તો ચૈત્યવંદનથી Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ફરીથી શરૂઆત કરવી જોઈએ. અને દફખ-ફખય કમ્મખિયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો, અને માંગલિક માટે શ્રી સકલચંદ ઉપાધ્યાયની રચેલી સત્તર ભેદી પૂજા ભણાવવી. અતિચાર પછી છીંક આવે, તો માત્ર છીંકનો કાઉસ્સગ્ન કરવો, અને સત્તર ભેદી પૂજા ભણાવવી. છીંકના કાઉસ્સગ્નની વિધિ ઇરિયાવહિયાથી કાઉસ્સગ્ન કરી લોગર ઇચ્છા સંદિસહ ભ. શુદ્રોપદ્રવ હરાવણહ્યું કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છે” [ગુરુદ- “કરેહ”] શુદ્રોપદ્રવ અન્નત્ય કહી, ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીર સુધીનો લોગસ્સ ન આવડે તો સોળ નવકાર ગણવા ને પછી નીચેની થાય કહેવી. સર્વે યક્ષાઅમ્બિકાદ્યા, યે વૈયાવૃત્ય-કરા જિને ! શુદ્રોપદ્રવ-સંઘાત, તે દ્રુતં દ્રાવયન્ત ન: ૧૫ પછી “લોગસ્સ" કહી, પ્રતિક્રમણનો દુઃખ-ફખયનો આગળનો વિધિ કરવો. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના વિધિના હેતુઓ. ૧. શ્રાવકને લગતા-પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક, છ આવશ્યકો અને તે ત્રણેયના-પ્રતિક્રમણ આવશ્યકના-પેટા-છ આવશ્યકો, ત્રણ ગમ, આલોચન – પ્રતિક્રમણ - તપ - કાયોત્સર્ગ – વગેરે પ્રાયશ્ચિત્તો. પાંચ આચાર, મુનિઓનાં પાંચ મહાવ્રત, શ્રાવકોનાં બાર વ્રત, બન્નયના અતિચારો, વિવિધ ગુરુવંદનો, મહા ક્ષમાપના વગેરેનો વિચાર આ પ્રસંગે કરવો પડશે. ૨. હવે પછી આગળ બતાવ્યા અનુસાર, શ્રાવકને તથા મુનિને પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક છ આવશ્યકો કરવાનાં હોય છે. તે, જેમણે તે તે પ્રસંગે કદાચ ન કર્યા હોય, તો પણ તે પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં થઈ જાય, તેવી ગોઠવણવાળા આ વિધિઓ છે. તથા તે જ દિવસે દિવસનું દેવસિઅપ્રતિક્રમણ કરવાનું હોય, તેનો પણ વિધિ સાથે જ થાય છે. એ મોટા ત્રણ પ્રતિક્રમણના પેટા જ આવશ્યકો પણ તે ત્રણેયના મુખ્ય વિધિઓમાં જ ગોઠવાયેલા છે, તે નીચે સમજાવીએ છીએ : ૩. દેવસિસ પ્રમાણે મુખ્ય છ આવશ્યકો નીચે પ્રમાણે છે : ૧. સામાયિક લેવું તેથી સામાયિકાવશ્યક સચવાય છે. ૨. બે વાંદણા દેવા, તેથી ગુરુવંદનાવશ્યક સચવાય છે. ૩. અને પચ્ચખાણ લેવું. પછી ઓછામાં ઓછું કે એક ઉપવાસ, છઠ્ઠ અને અમને Page #782 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૦૯ લેવાથી પ્રત્યાખાનાવશ્યક સચવાય છે. ૪. સલાહ બોલીને ચોવીસ તીર્થંકરો તથા તીર્થોના ચૈત્યવંદનથી ચતુર્વિશતિ સ્તવાવશ્યક સચવાય છે, ૫. “દેવસિઅ પ્રતિક્રમણે ઠાઉ ?” થી અઢાઇજેસુ સુધી પ્રતિક્રમણાવશ્યક સચવાય છે. ૬. પછી – દેવસિઅ પ્રાયશ્ચિત્ત અને દુખફખય કમ્મફખયના એમ બે કાઉસ્સગ્ગોથી કાયોત્સર્ગાવશ્યક સચવાય છે. ત્રીજામાં પ્રત્યાખ્યાન - પાક્ષિક - ચોમાસી કે સાંવત્સરિક તપનું લેવાનું હોય છે. ચોથા ચતુર્વિશતિ સ્તવમાં - સકલાર્વત બોલીને ચોવીસ તીર્થકરોનું ચૈત્યવંદન થાય છે અને સ્નાતસ્યાની જ સ્તુતિ બોલાય છે, કેમકે, શ્રી સંઘે તેવો નિર્ણય કરેલો છે. પાંચમાં પ્રતિક્રમણ આવશ્યકમાં ત્રણ વિશેષતાઓ છે. ૧. દેવસિઅ-વંદિત્ત પછી પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશનો આખો પૂરો વિધિ અને સૂત્રો. ૨. દેવસિઅની શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિને બદલે પાક્ષિકની બે ભુવનદેવતા અને ક્ષેત્રદેવતાની જુદી સ્તુતિઓ બોલાય છે. ૩. સ્તવનમાં અજિતશાંતિ સ્તવ બોલાય છે. છઠ્ઠામાં ૧ સજ્જાય તરીકે ઉસ્સગ્ગહર અને સંસાર-દાવાનલ બોલાય છે. ૨. અને કર્મક્ષય અને શ્રી સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ માટે લઘુશાંતિને બદલે બૃહશાંતિ સ્તોત્ર બોલાય છે. જ. એટલે પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં ખરા જ આવશ્યકો-દેવસિઅ વંદિનું સૂત્ર પછીથી, તે ઠેઠ દેવસિએ અદ્ભુટિઓ ખામવા પહેલા સુધીમાં સચવાય છે. તે નીચે પ્રમાણે : ૧. પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ કરવા આજ્ઞા મેળવવા માટે પ્રથમ ગુરુવંદન. ૨. પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ નીચે પ્રમાણે થાય છે : ૧. પ્રતિક્રમણમાં આલોચન, પ્રતિક્રમણ અને તપ એ ત્રણેય પ્રાયશ્ચિત્તો હોય છે. ૧. આલોચન પ્રાયશ્ચિત્ત-અતિચાર બોલવાથી. ૨. તપ પ્રાયશ્ચિત્ત-તપનો ઉચ્ચાર અને વંદન કરવાથી. ૩. પ્રતિક્રમણ – સબસ્તવિ અને શ્રી સકળ સંઘને ખમતખામણા કરવાથી. ૧. આચારોની સમજ રૂપ પાક્ષિક સામાયિક રૂપે પખિસૂત્ર બોલવા છતાં ગર્ભિત રીતે પાંચ આચારોમાં જાગૃતિ રાખવા અને તેના અતિચારોથી દૂર રહેવાથી. ર, અતિચારોની આલોચના કરી મિચ્છામિ દુક્કડંદેવારૂપ પાક્ષિક પગામ સઝાય ને વદિનુ કહેવાથી પ્રતિક્રમણ. ૨-૩. પખિસૂત્ર અને કરેમિ ભંતે ! સૂત્રો સામાયિક અને પ્રત્યાખ્યાન રૂપે હોય છે. ૪. બાર લોગસ્સનો કાયોત્સર્ગ તે કાયોત્સર્ગાવશ્યક. ૫. પછીનો પ્રગટ લોગસ્સ રૂપ ચતુર્વિશતિ સ્તવ. ૬. ત્રણેય અભુઠિઆ ચાર વાંદણાંઓ તથા ખામણાં વગેરે સપ્રતિક્રમણ ગુરુવંદન. એ પ્રમાણે મધ્યમ પાક્ષિક પ્રતિક્રમણ રૂપ આવશ્યકમાયે પેટા છે આવશ્યકો સમાય છે. તે પ્રમાણે વિસ્તારથી વિચારીએ : (૧) દેવસિસ આલોચન અને વંદિનુસૂત્રથી દેવસિઅ પ્રતિક્રમણ શરૂ કર્યા પછી વચ્ચે પાક્ષિક પ્રતિક્રમણાવશ્યક કરી લેવા માટે - પાક્ષિક મુખ વસ્ત્રિકાના પ્રતિલેખનનો આદેશ માંગવામાં Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો આવે છે. આપણે એક વખત નકકી કરી ગયા છીએ કે મુહપત્તિનું પ્રતિલેખન ચાલુ ક્રિયા કરતાં બીજી મહત્ત્વની ક્રિયામાં પ્રવેશ કરવાની પ્રાર્થના અને પ્રતિલેખનાની સૂચના કરવા માટે હોય છે. જે ક્રિયાને લગતું મુહપત્તિ પ્રતિલેખન કર્યું એટલે તે ક્રિયામાં પ્રવેશ કરવાની રીતસર સહી કરી આપ્યા બરાબર તે સમજવાનું છે. કેમકે જે વ્યક્તિએ મુહપત્તિ પડિલેહવી હોય, તે વ્યક્તિ તે ક્રિયાની માંડલીમાં ગણાય છે, બીજી ગણાતી નથી. આજ ઉદ્દેશથી-મુહપત્તિ ન પડિલેહી હોય. તે વ્યકિતને છીંક આવે, તો તેનો બાધ ગણવામાં આવતો નથી. (૨) ત્યાર પછી બે વાંદરાં - પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ કરવા માટે ગુરુની આજ્ઞા મેળવવા, તથા ગુરુનો વિનય કરી તેમાં સહાનુભૂતિ મેળવવા માટે દેવાય છે. અહીંથી દેવસિઅને બદલે દરેક ઠેકાણે પખિઆ શબ્દ વાપરવાની શરૂઆત થાય છે. (૩) પછી સંબુદ્ધા ખામણાં પાક્ષિક અભુટિક ખામવામાં આવે છે. અહીં સંબુદ્ધ એટલે જ્ઞાન અને ચારિત્રમાં સમૃદ્ધ આચાર્યાદિક શાસનના કે સમુદાયના ત્રણ મહંત પુરુષોને - અને જે પછી બે જ બાકી રહેતા હોય, તો પાંચેયને - પ્રથમ અભુઠિઓ ખામીને પાક્ષિક પ્રતિક્રમણ જેવા મહત્વકાર્યમાં પ્રવેશ કરવામાં આવે છે. (૪) આલોચના એ પ્રતિક્રમણનું એક અનિવાર્ય અંગ છે. એ વાત આગળ જણાવી છે. તેથી પ્રથમ પાક્ષિક આલોચના શરૂ કરે છે. અને સંક્ષેપમાં પ્રથમ ઈચ્છે આલોએમિ. થી આલોચના સૂત્ર બોલી ગુરુ મહારાજનો આદેશ મેળવી પાક્ષિક અતિચાર બોલે છે. અને છેવટે ગુરુ આજ્ઞાથી ૧૨૪ અતિચાર આલોચીને મિચ્છામિ દુકકડ દેવામાં આવે છે. પાંચ આચારના, અને તેમાંના ચારિત્રાચારમાં અંતર્ગત શ્રાવકને લગતા – સમ્યકત્વના તથા ૧૨ વ્રતના અને સંલેખનાના, અતિચાર પછી એકંદર ૧. જિનેશ્વર પરમાત્માઓએ પ્રતિષિદ્ધ કર્યું હોય, તેનું આચરણ કર્યું હોય. ૨. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ વિહિતકર્તવ્યનું અનાચરણ કર્યું હોય. ૩. જૈન ધર્મ ઉપર અશ્રદ્ધા રાખી હોય, અને ૪. જિનોપદેશથી વિપરીત પ્રરૂપણા કરી હોય. એ ચાર વ્યાપક આલોચનાના તથા એકંદર મુખ્ય મુદ્દાઓના અતિચારોનું ઉપસંહારમાં મિચ્છામિ દુકાં દેવાથી સંપૂર્ણ પ્રકારનું મિચ્છામિ દુકકડું દેવાય છે. ચૈત્યવંદન, સ્તવન, સજઝાય, સ્તુતિ, આલોચના પાઠ અને શાંતિ પાઠ એ છ ઐચ્છિક હોવાથી અતિચાર ભાષામાં છે. સાત લાખ, અઢાર પાપસ્થાનિક ભાષામાં છે અને તે કોઈ વ્યક્તિ આડા અવળા ન બોલે’ માટે બાળ જીવોની સગવડ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસાર જે રચી આપ્યા છે, તે જ બોલાય છે. આલોચના એટલે ગુરુમહારાજ સમક્ષ દોષો ખુલ્લા કરવા. પક્ષ દરમ્યાન જે જે ભૂલો થઈ હોય, તે તે યાદ કરીને શ્રી ગુરુમહારાજ આગળ પ્રગટ કરતા હોઈએ, તેવી ઢબે અને ભાવવાહી ભાષામાં તે બોલવા જોઈએ. ૫. આ પ્રમાણે ગુરુ આગળ દોષોનું આલોચન કર્યા પછી, તેનું પ્રાયશ્ચિત કરવું, તે પ્રતિક્રમણ. તે કરવાની સવ્યસ્સ વિ- સૂત્રથી તૈયારી બતાવાય છે, અને ગુરુ પાસે પાક્ષિક પ્રાયશ્ચિત્ત મંગાય Page #784 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૭૧૧ છે, તેના જવાબમાં ગરમહારાજ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાની પડિકકમેહ કહીને આજ્ઞા આપે છે. શિષ્ય ઇચ્છ-તસ્સ મિચ્છામિ દુકકડું કહીને તે સ્વીકારી સંક્ષેપમાં પ્રતિક્રમણ કરે છે. છતાં દોષોનું નિવારણ કરવાની વિશેષ તાકાત તપમાં છે. એટલે તપ સાથે પ્રતિક્રમણ થાય તો જ બળવાન પ્રાયશ્ચિત્ત થાય, અને તો જ દોષોની સંગીન શુદ્ધિ થાય. આ દૃષ્ટિથી પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક તપની માંગણી ગુરુ પાસે શિષ્ય કરે છે. ગુરુમહારાજ એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ અનુક્રમે તપ જણાવે છે. અને તે ન બની શકે તેને માટે પાત્રની શકિત પ્રમાણે જુદા જુદા વિકલ્પો બતાવીને એમ કહેવા માંગે છે કે, “જૈન તરીકેની ઓછામાં ઓછી ફરજ બજાવનાર તરીકે દરેક જૈને એમાંના કોઈપણ પ્રકારે એટલું તપ અવશ્ય કરવું જ જોઈએ.” પક્ષાદિમાં કોઈપણ દિવસે પક્ષાદિને ઉદ્દેશીને તપ કર્યો હોય, કે પકિખ ચોમાસી કે સંવચ્છરીને દિવસે કર્યો હોય, તો તે પણ ચાલી શકે છે. અથવા ભવિષ્યમાં કરી આપવાનો હોય, તો પણ ચાલી શકે, આટલી બધી સગવડો આપવાથી જણાય છે કે, “એ તપ અવશ્ય કરવા જોઈએ જ.” વળી એકલી માફી માંગવી, મિચ્છામિ દુકક દેવા વગેરે કેવળ શાબ્દિક પણ ગણાય. એટલે સાથે તપ હોય, તો એકદમ વેગથી શુદ્ધિ થાય છે, અને “આલોચક ખરેખર આલોચના માટે પ્રયત્નશીલ પણ છે.” એ પણ સ્પષ્ટ જ થાય. તપ તીવ્રમાં તીવ્ર શીધ્ર શુદ્ધિ કરવાનું સાધન છે, એ પ્રસિદ્ધ જ છે. આ ઉપરથી “દરેક જૈન ક્રિયાઓ સહેતુક, આબાદ પરિણામજનક અને સુસંગત હોય છે, વ્યવહારુ હોય છે, કેવળ ભાવના-પ્રધાન કે શાબ્દિક નથી હોતી” એ સ્પષ્ટ થાય છે. ૬. આ પ્રમાણે આલોચનાથી શુદ્ધિની શરૂઆતમાં ફરી ગુરુ-વંદન અને દરેક પૂજ્યોને અભુટિકાઓ ખામવાની જરૂરિયાત એટલા માટે છે કે, સંઘની પ્રત્યેક વ્યકિત સાથે પણ મન દુઃખના બનેલા પ્રસંગો યાદ કરીને આલોચના કરી, પરસ્પર ખમતખામણાં કરવાં, [પ્રત્યેકના] દરેકના પરસ્પરના દોષના મિચ્છામિ દુકક દેવાનો પ્રસંગ આવી લાગ્યો છે, એટલે તે ખમાવી, સકળ સંઘને મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે. એટલે જ ગુરુ મહારાજ પણ દરેક મુનિ મહારાજાઓનાં નામ લઈ લઈ ખમાવે છે જેથી બીજા સાધુઓ પણ દરેકને ભેદભાવ વિના જ અંત:કરણના અપરાધ ખાસ ખમાવે. સકલ સંઘને મિચ્છામિ દુકક દઈ ખમાવાય છે. [સાંવત્સરિકમાં સકલ જીવોને ખમાવાય છે (?)] ૭. ત્યાર પછી વિસ્તારથી પાક્ષિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવા માટે ગુરુ મહારાજને બે વાંદણાં દેવામાં આવે છે. ૮. હવે પછીથી વિસ્તારપૂર્વક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવામાં આવે છે, તેનાં બે મુખ્ય અંગો છે. ૧. પાક્ષિક સામાયિક અને પાક્ષિક પ્રત્યાખ્યાનનું સ્મરણ. ૨. પછી પાક્ષિક પ્રતિક્રમણથી દોષોની નિંદા, ગહ અને મિચ્છામિ દુક્કડં. પહેલા વિભાગમાં પખિસૂત્ર આવે છે, જે મુનિમહારાજાઓ ન હોય, તો પખિસૂત્રને Page #785 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો બદલે શ્રાવકો વંદિત્તુ સૂત્ર બોલે છે.] અને બીજામાં મુનિઓને બોલવાનું શ્રમણસૂત્ર અને શ્રાવકોને બોલવાનું વંદિત્તુ સૂત્ર આવે છે. ૭૧૨ પકિખસૂત્ર બોલતાં પહેલાં ખાસ પ્રકારના પક્ખિ પ્રતિક્રમણમાં [શરૂ કરેલા પખિ પ્રતિક્રમણાવશ્યકના પેટા પ્રતિક્રમણ આવશ્યકમાં] પ્રવેશવા ફરીથી સ્પષ્ટ આજ્ઞા માંગે છે. અને સારી રીતે સનં પ્રતિક્રમણ કરવાની ઇચ્છા બતાવે છે. પછી સામાયિકમાં નિષ્ઠા માટે કરેમિ ભંતે ! સૂત્ર બોલવામાં આવે છે. ને સંક્ષિપ્ત પ્રતિક્રમણ તરીકે ઇચ્છામિ પડિકમિઉં સૂત્ર બોલીને પખિસૂત્ર કહેવાની શરૂઆત કરે છે. ૯. સૂિત્રમાં મુનિ મહારાજાઓનાં પાંચ મહાવ્રતોના પાલનનું અને છઠ્ઠા રાત્રિભોજનના ત્યાગનું વર્ણન આવે છે. જો કે પાંચ મહાવ્રતો પ્રત્યાખ્યાનાવશ્યક સ્વરૂપ છે, છતાં દરેક આવશ્યકો ઇતર આવશ્યકોમય પણ હોય છે, એ ન્યાયે પાંચ મહાવ્રતો અને છઠ્ઠા રાત્રિભોજન ત્યાગને એવી ખૂબીથી આચાર સ્વરૂપે અને અનેકવિધ ભાવનાઓથી વાસિત થઈને પાળવાની ભલામણ રૂપે ખ્યાલ આપવા આજુબાજુ જે વાકયો મૂકયાં છે, તેથી તે સૂત્ર એક પાક્ષિકાદિ સામાયિક સૂત્ર અને પાક્ષિકાદિ પ્રત્યાખ્યાન સૂત્ર એમ ગર્ભિત બે સ્વરૂપે એ સ્થળે પોતાનું સ્થાન લઈ શકે છે. સાથે તેને મુનિજીવનની અનેકવિધ ભાવનાઓથી વાસિત કરવામાં આવેલ છે. આગમાદિ જૈન શ્રુતની ભકિત વગેરેથી મુનિજીવનનો આદર્શ બહુ જ ઉત્તમ રીતે તેમાં બતાવવામાં આવેલો છે, તેથી તેને સામાયિકમય પણ કહેવાને હરકત નથી. ત્યાર પછી શ્રુતદેવતાની સ્તુતિ - સુયદેવઆ - બોલીને તે સૂત્ર પૂરું કરવામાં આવે છે. સામાન્ય રીતે કાર્યોત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને, પરમ ભાવનાઓથી વાસિત અંત:કરણે વીતરાગ ધર્મના પરમ પ્રતીક જેવા આ સૂત્ર સાંભળવાનો વિધિ છે, તે વાજબી છે. કેમકે, પ્રતિક્રમણ કરતાં પહેલાં શાનું પ્રતિક્રમણ કરવામાં આવે છે ? તે વસ્તુ સમજાવવા અને પક્ષે, ચાર માસે કે વર્ષમાં સાધુજીવનની – વીતરાગધર્મની વાસના જાગ્રત રાખવા, વૈરાગ્ય સતેજ કરવા, પોતાના જીવનની પ્રતિજ્ઞાનું વારંવાર સ્મરણ કરાવવા આ સૂત્ર બોલવાની ગોઠવણ આ પ્રસંગે ઘણી જ યથાર્થ લાગે છે. આ પ્રમાણે સામાયિક અને પ્રત્યાખ્યાનથી વાસિત થઈને તેમાં લાગેલા દોષોના પ્રતિક્રમણ માટે તુરત જ લગોલગ મુનિઓ પાક્ષિક ક્ષમણસૂત્ર - પગામ સજ્ઝાય અને શ્રાવક શ્રાવિકાઓ પાક્ષિક વંદિત્તુ સૂત્ર બોલીને મિચ્છામિ દુક્કડં દેઈ પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરે છે. - પòિ સૂત્રને બદલે શ્રાવકો વંદિત્તુ કહે છે, તેમાં જો કે વંદિત્તુ સૂત્ર પ્રતિક્રમણ સૂત્ર રૂપ છે, છતાં તેમાંયે એવી ખૂબી ગોઠવેલી છે કે પ્રતિક્રમણ તો તેમાં આવે છે, પરંતુ સાથે વ્રતો તેમજ શ્રાવકને લગતા તમામ ધાર્મિક કૃત્યો, આચારો અને ફરજોનું પણ રચનાત્મક વર્ણન તેમાં છે. એટલે પòિસૂત્રને સ્થાને તે બોલતી વખતે - તેના યે સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપની મુખ્યતાએ – તે તે ફરજોનું સ્મરણ કરીને ઊભા ઊભા તે બોલવાનું છે. અને પછી તેમાંની સ્ખલનાઓનું Page #786 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્ર ૭૧૩ પ્રતિક્રમણ કરવા માટે નિંદા, ગહ અને શુદ્ધિ કરવાની દૃષ્ટિથી વીરાસને બેસીને તે વંદિતુ બોલવાનું છે. ભાવનામય સંગીત પણ વીરાસને બોલાય છે. આસનની સ્થિરતા પણ એક જાતનું કાય-પ્રણિધાન છે. અને તે કાયોત્સર્ગ પણ ગણાય છે. માટે તથાવિધ ભાવનાની સિદ્ધિમાં મદદગાર થાય તેવી બેઠક આસન એ પણ આરાધનાનું પરમ અંગ છે. આમ પબિ સૂત્ર અને વંદિતુ સૂત્ર સામાયિક અને પ્રત્યાખ્યાન રૂપ હોવાથી તેની પૂર્વે મંગળાચરણ તરીકે ત્રણ નવકાર બોલવામાં આવે છે. જો કે આ બન્નેય સૂત્રો પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં અંગો જ છે, છતાં આ કારણે તે સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપ બને છે. પછીનું વંદિતુ અને શ્રમણ સૂત્ર સાક્ષાતુ પ્રતિક્રમણ બને છે. અહીં એક શંકા થશે કે, “અતિચારમાં આ જ રીતે મિચ્છામિ દુકાં દીધા છે, તો ફરીથી પ્રતિક્રમણમાં મિચ્છામિ દુકકડું દેવાની શી જરૂર છે ?” તેનો ખુલાસો એમ કરી શકાય છે, કે અહીં ગૌણ મુખ્ય ન્યાય છે. ૧. અતિચારમાં આલોચનાની મુખ્યતા છે. અને પ્રતિક્રમણની - મિચ્છામિ દુકકર્ડ - ની ગૌણતા છે. ૨. ત્યારે વંદિનુ બોલીને પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિક્રમણ – પ્રાયશ્ચિત્તમાં મુખ્ય છે અને આલોચના ગૌણ છે. એટલે કે અતિચારમાં ગુરુમહારાજ આગળ યાદ આવેલા દોષોનું માત્ર ઉઘાટન મુખ્યપણે થાય છે. અને પ્રતિક્રમણમાં તે દોષોની શુદ્ધિ માટે પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત, નિંદા, ગહ, શુદ્ધિ, તપ ફરી ન કરવાનો નિશ્ચય, શુદ્ધિની તીવ્રતા વગેરે તત્ત્વો મુખ્ય હોય છે. વિશેષ દેવસિઅના વિધિના હેતુઓમાંથી જાણવું. ૧૦. આ રીતે પ્રતિક્રમણ કરવા છતાં તેની ઉત્તર ક્રિયા તરીકે વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ જરૂરનો હોય છે. પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ સાથે જોડાયેલો જ હોય છે, તેથી પાક્ષિકાદિ કાયોત્સર્ગ કરવાની શરૂઆત કરીને ૧૨-૨૦-૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે અને પછી પ્રગટ લોગસ્સ કહીને પ્રતિક્રમણના પાક્ષિકાદિક અંત્ય મંગળરૂપ ચતુર્વિશતિ સ્તવાવશ્યક સાચવવામાં આવે છે. અહીં સુધીમાં પાક્ષિક, ચાર માસના કે સાંવત્સરિક છ આવશ્યક પૂરાં થાય છે, ૧. પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં મુખ્ય છ આવશ્યકો - ૧-૨. સામાયિક અને પ્રત્યાખ્યાન - પકિખ સૂત્ર. ૨. અતિચારોની આલોચના, તપ: શ્રમણ સૂત્ર વંદિત્ત સૂત્ર પ્રતિક્રમણાવશ્યક ૪. ૧૨-૨૦-૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ન-કાયોત્સર્ગાવશ્યક ૫. અને પછીનો લોગસ્સ - Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચતુર્વિશતિસ્તવાવશ્યક. ૬. વાંદરાંઓ તથા અભુટિઝઆઓ વંદનાવશ્યક સ્પષ્ટ જ છે. અતિચારો અને તપ પ્રતિક્રમણ – આવશ્યકનાં અંગો છે. આમ છ આવશ્યકો પૂરા થયાં. ૧૧. અને તેની અંતર્ગત - ત્રણ ગમ પણ પૂરા થાય છે. ગામનો અર્થ એમ સમજાય છે કે જુદા જુદા પ્રસંગને ઉદ્દેશીને એક જ મહાદંડક સૂત્રપાઠ વારંવાર બોલવો, તે ગમ. અહીં પણ દેવસિસ અને રાઈના પ્રતિક્રમણની જેમ કરેમિ ભંતે ! મહાદંડક સૂત્ર ત્રણ વાર બોલાય છે.- ૧. પણિ સૂત્રની પહેલાં સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપે. ૨. વંદિત્ત સૂત્રની પહેલાં પ્રતિક્રમણના અંગ તરીકે. ૩. મોટો કાઉસ્સગ્ગ કરતાં પહેલાં કાયોત્સર્ગાવશ્યકના અંગ તરીકે. અમારી સમજ પ્રમાણે દેવવંદન અને ગુરુવંદનમાં એ સૂત્રની જરૂર જણાતી નથી. જે કે બંનેય ભંતે ! થી તેની સૂચના તો તે સૂત્રમાં છે. પરંતુ વિગતવાર ચતુર્વિશતિ સ્તવ અને વિગતવાર વાંદણામાં તેની જરૂર જણાતી નથી, કેમ કે તે બે આવશ્યક સાક્ષાત્ સૂત્રોથી કરવામાં આવે છે. એટલે માત્ર ત્રણ જ વખત તે કરેમિ ભંતે ! સૂત્ર બોલાય છે. દેવસિઅમાં પણ પ્રતિક્રમણ ઠાયા પછી વંદિત્તની પહેલાં અને આયરિઅઉવઝાય પછી આવે છે. એ જ રીતે રાઇઅપ્રતિકમાણમાં પણ ડાયા પછી નમુત્થાણ બાદ વંદિત્ત પહેલાં અને આયરિય ઉવઝાય પછી તપચિંતવાણીના કાઉસ્સગ્ન પહેલાં એમ ત્રણ કરેમિ ભંતે બોલી ત્રણ ગમ સચવાય છે. આ પ્રમાણે લોગસ્સ સુધીમાં ત્રણ ગમ અને આવશ્યક અહીં પાક્ષિકાદિ ત્રણેય પ્રતિક્રમણમાં પૂરાં થાય છે. સામાયિક લેવાથી માંડીને અઢાઈજેસુ સુધીમાં પાક્ષિકાદિ પ્રતિ માં ૭ કરેમિ ભંતે થાય છે :- ૧. સામાયિકનું + ૩. દેવસિઅ પ્રતિ ના + ૩. પાક્ષિકાદિક પ્રતિ ના. = 0 ૧૨. જ્ઞાનાદિ ગુણવાન અને સંબુદ્રોને અભુટિઓ ખામવામાં જ્ઞાનાચાર ચોવીસ તીર્થકરોની સ્તુતિઓ રૂપ લોગસ્સ કાયોત્સર્ગોમાં અને પછી પ્રગટ બોલાય તેથી દર્શનાચાર, અતિચાર, પાક્ષિકસૂત્ર, પગામસઝાય સૂત્ર, વંદિત્ત વગેરેથી ચારિત્રાચાર ચઉત્થણ વગેરેથી તપાચાર અને અપ્રમત્તભાવ-આસન, મુદ્રા વગેરે સાચવીને સાવચેતપણે પાક્ષિક આરાધના, તે વીર્યાચાર એમ પાંચ આચારનું પાલન આ વિધિમાં સમાય છે. ૧૩. જેમ પ્રવેશની મુહપત્તિ પડિલેહી હતી તેમાં સમાપ્તિ માટે મુહપત્તિ પડિલેહી ગુરૂવંદન કરી બે વાંદણા દીધા અને સમાપ્તિનો પાક્ષિક અભુઠિઓ ગુરુમહારાજને ખમાવ્યો. આ દષ્ટાન્તથી એમ પણ સમજવાનું છે કે, અભુદ્ધિઓ પ્રતિક્રમણનું અંગ હોય છે, તેથી ત્યાં સુધી અવાક્તર પ્રતિક્રમણાવશ્યક લંબાયેલું હોય છે. ૧૪. પાક્ષિકાદિકમાં ત્રણ વાર અભુઠિઓ સૂત્ર આવે છે. તેમાં પહેલો અભુદ્ધિઓ પાક્ષિક પ્રતિક્રમણમાં Page #788 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રવેશ કરવા વડીલોને ખામવા માટે છે. બીજો દરેકે પોતપોતાનાં અંત:કરણોમાં સર્વ જીવો પ્રત્યે ખમાવવા માટેનો છે, અને ત્રીજો ચાલતા પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરવામાં કે આખો પક્ષ સમાપ્ત થવામાં થયેલા અપરાધોની ક્ષમાપના માટે છે. ૧૫. અહીં ચાર ખામણા ખામવામાં આવે છે. તેનો ભાવ એ જણાય છે કે, પંદરે દિવસે, ચાર માસે કે વર્ષે ગુરુ-શિષ્યના હમ્મેશના અંગત સંબંધની અને તેમાં બનતા પ્રસંગોની અહીં ફરી સ્મૃતિ કરવામાં આવે છે. તે વિષે તે બન્નેય ફરી ચર્ચા કરે છે. “હવેથી હું કેમ વર્તીશ ?'' તેની ગુરુ મહારાજને ખાતરી આપે છે, ને વારંવાર વંદન કરે છે. ભૂલોની માફી માંગે છે. ગુરુ આશીર્વાદો આપે છે. ૭૧૫ આ ખામણા ગુરુ-શિષ્ય પૂરતા જ છે. એટલે શ્રાવકો તેને સ્થાને નવકાર મંત્ર બોલી વિધિ સાચવે છે. પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ થયેલ શિષ્ય વિશેષ આગળ વધવા તત્પર થાય છે, અને આવા શુદ્ધ શિષ્ય તરફ ગુરુની અનુમોદના વધતાં સહર્ષે તેને આગળ વધારવા ગુરુ મહારાજ નિમ્નાર પારગ થવાની શુભાશિષોથી પ્રેરે છે. બસ, પ્રતિક્રમણનું છ આવશ્યકમય પાક્ષિક પ્રતિક્રમણ અંગ પૂરું થાય છે, ને પછી બાકીના દેવસિઅ પ્રતિક્રમણની શરૂઆત થાય છે. ૧૬. અહીં પાક્ષિકને ઉદ્દેશીને જે લખેલું હોય, તે ચોમાસી અને સાંવત્સરિક માટે પણ સમજવું. પાક્ષિકાદિક એટલે પણ આ ત્રણ જ સમજવાં. ૧. દેવસિય અજ્જુટ્ઠિઓ સુધી દેવસિઅ પ્રતિક્રમણનું પેટા પ્રતિક્રમણ આવશ્યક પહોંચે છે. તેથી વંદિત્તુ પહેલાના નવકારથી આ અદ્ભુદ્ઘિઓ સુધી દેવસિઞ પ્રતિક્રમણાવશ્યક ચાલુ છે, એમ સમજવું. ૨. દેવસિઅ કાયોત્સર્ગ પ્રસંગે પણ ક્ષેત્ર દેવતા અને ભુવન દેવતાના કાયોત્સર્ગો પાક્ષિકાદિને ઉદ્દેશીને શાંતિ તુષ્ટિપુષ્ટિ માટે હોય છે. સુદેવયાની સ્તુતિ પòિસૂત્રને અંતે બોલાઈ જાય છે અને ક્ષેત્રદેવતાની સ્તુતિ રોજ પ્રમાણે બોલાય છે. ભુવન દેવતા જો કે ક્ષેત્રદેવતામાં સમાય, છતાં ભુવન દેવતાની સ્તુતિપર્વ દિવસ નિમિત્તે ખાસ તે સ્થાનના ભુવનના દેવતાની તુષ્ટિ પુષ્ટિ માટે સ્તુતિ બોલાય છે. ૩. નમોસ્તુ વર્ધમાનાય ગુરુ મહારાજને પૂરું બોલવા દેવામાં આવે છે, તેનું કારણ પરમ વિનય બતાવવા માટે છે. ૪. સ્તવન અજિતશાંતિનું બોલવાની સ્તોત્રકારે જ ભલામણ કરી છે. મધુર, કાવ્યમય અને અદ્ભુત ભકિતરસથી ભરેલું આ સ્તોત્ર મીઠી અને પ્રાસાદિક પ્રાકૃત રચનામાં અન્તિમ મંગળ તરીકે અને સ્તવન તરીકે યોગ્ય જ છે. વરકનકથી સમસ્ત તીર્થંકર ભગવંતોનું સંક્ષિપ્ત સ્તવન સચવાય છે. એ વાત તો આગળ આવી ગઈ છે. ૫. અઢાઇજેસુથી મુનિવંદન કર્યાં સુધીમાં, દેવસિઅ પ્રતિક્રમણ ઠાઉથી શરૂ કરેલ દેવસઅમાં Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ગર્ભિત પાક્ષિકાદિ છ આવશ્યકમય પ્રતિક્રમણ આવશ્યક પૂરું થાય છે. ૬. સક્ઝાયમાં ઉવસગ્ગહર અને સંસારદાવા શા માટે બોલાય છે ? તેની સમજ અમોને બરાબર નથી. ગુરગમથી જાણી લેવું. ઝંકારાથી ઉચ્ચ સ્વરે કેમ બોલાય છે ? તેનું કારણ સંસારદાવાના અર્થમાં અમોએ વિચારેલ છે, ત્યાંથી જોઈ લેવું. છે. બૃહસ્થતિ - સંઘમાં પાક્ષિકાદિ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ખાસ મજબૂત રૂપમાં કરવા માટે બોલાય છે. ત્યાર પછી લોગસ્સ અંતિમ મંગળ તરીકે બોલાય છે. ૮. પછી સંતિક ખાસ વિશેષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઉદ્દેશીને ઉપદ્રવોની શાંતિ માટે કોઈ ઠેકાણે નિયમિત રોજ, કોઈ ઠેકાણે પાક્ષિકાદિ પ્રતિક્રમણ પછી, અને કોઈ ઠેકાણે પ્રસંગ પડયે ત્રણ કે સાત વાર પણ બોલવાની પરિપાટી છે. તેનાં કારણો ગુરુગમથી જાણવાં. પરંતુ એ પ્રતિક્રમણનું અંગ નથી. ૯. સાંવત્સરિકમાં ૪૦ લોગસ્સ પછી ૧ નવકાર ગણવામાં આવે છે, તેનું કારણ “મંગળ માટે છે.” એમ જણાવેલ છે. પરંતુ અમારી સમજ પ્રમાણે શ્વાસોચ્છવાસોની ગણતરી પૂરી કરવા માટે પણ કદાચ હોય છતાં ગુરુગમથી સમજવું. ૧૦. કેટલાકને છીંકના કાયોત્સર્ગ માટે ઘણું જ આશ્ચર્ય થાય છે. પરંતુ તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે, નિમિત્તશાસ્ત્રની દૃષ્ટિથી વિજ્ઞાનસિદ્ધ ભલામણ છે. અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં અનેક મંગળ તથા અમંગળનાં નિમિત્તો ગણાવ્યાં છે. તેમાં છીંકને અમંગળનું નિમિત્ત પણ બતાવ્યું છે, એટલે તે દૂર કરવા તપશ્ચર્યા, કાયોત્સર્ગ વગેરે બળવાન સાધનો છે. એટલે નિમિત્તશાસ્ત્રનું વિજ્ઞાન તદ્દન ખોટું હોય, તો છીંકનો કાયોત્સર્ગ વગેરે ખોટા ગણાય. પરંતુ નિમિત્તશાસ્ત્રને ખોટું ઠરાવવું એ રેતમાંથી તેલ કાઢવા બરાબર છે. સાંગોપાંગશાસ્ત્રને વૈજ્ઞાનિક કસોટી ઉપર વૈદકશાસ્ત્રની માફક કસી જેવું જોઈએ, અને જે કસોટીમાં પાર ઊતરે, તો પછી છીંકના કાયોત્સર્ગને માટે આશ્ચર્ય પામવા જેવું નથી. છીંકનો કાયોત્સર્ગ નિમિત્તશાસ્ત્રને આધીન છે. માટે જ્યાં સુધી નિમિત્તશાસ્ત્રનું વિજ્ઞાન ખોટું કરે નહીં, ત્યાં સુધી છીંકના કાયોત્સર્ગ સામે ચર્ચા નકામી છે. અને બાળ જીવોએ તેવી ચર્ચા ન કરતાં મહાપુરુષોની આજ્ઞાને અનુસરવું જોઈએ. દુ:ખક્ષય કર્મક્ષયના માત્ર શાંતિ તુષ્ટિ પુષ્ટિના કાયોત્સર્ગ પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરી લેવાય છે. તે ઉપરથી તે પડાવશ્યકનું અંગ નથી, પણ તે છેલ્લા શાંતિના કાયોત્સર્ગનું અંગ બની શકે છે, એમ જણાશે. છીંકના નિવારણ માટે ઈરિયાવહિયા પ્રતિક્રમણ, ખમાસમણ, સત્તરભેદી પૂજા અને છેવટે કાયોત્સર્ગ, ભાવશુદ્ધિ રૂપ સામાયિક અને અપમંગલનું પ્રત્યાખ્યાન એમ છ આવશ્યકો સચવાય છે. સત્તરભેદી પૂજા માંગલિક છે. અને સકળ સંઘે કરેલો કાયોત્સર્ગ પણ દોષનું મહાનિવારણ છે. ૧૧. હવે પાક્ષિક - ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણના આગલા દિવસે, તેમજ મુનિમહારાજાઓ વિહાર કરીને આવે તે દિવસે, ચૈત્યવંદન - હીં પાર્શ્વનાથને કરે છે, સ્તુતિ કલ્લાકંદની બોલે છે, સ્તવન સંતિકરનું અને સક્ઝાય - મુનિમહારાજાઓ - ધોમંગલ અને શ્રાવકો મહજિગાણું Page #790 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૭ બોલે છે. તેનાં કારણ આદિ મંગળ તરીકે બોલવા માટેનું હોય, તેમ જણાય છે. અને સઝાય સામાન્ય બોલવાને બદલે ખાસ શાસ્ત્રીય - સાધુ કે શ્રાવકનાં – કર્તવ્યોની ભાવના જગાડનાર બોલાય છે, એમ સમજાય છે. ૧૨. આઠમને દિવસે સંસાર દાવાનલની જ થાય બોલાય છે, તેનું કારણ બરાબર સમજવામાં નથી. ૧૩. આ પરથી વિશેષ સૂક્ષ્મ હેતુઓ પણ હોય છે. તે ગુરુગમથી તથા શાસ્ત્રાભ્યાસથી તથા સામાચારી વિશેષથી જાણવા. ૧૪. ત્રીજા વૈદ્યના ઔષધ સમાન આ પાક્ષિકાદિ પ્રતિક્રમણોનું આવશ્યક આરાધન કરવું. ૧૫. રોજ કચરો વાળનારને પણ મોટા દિવસે અને દિવાળીને દિવસે આખું ઘર સાફસૂફ કરીને લીંપવું ગૂંપવું પડે છે, તેમ રોજ દેવસિઅ વગેરે પ્રતિક્રમણ કરનારને પણ વિશેષ - વિશેષ શુદ્ધિ માટે પાક્ષિક - ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની જરૂર છે. દેવસિઅના, રાઈના, પાક્ષિકના, ચાતુર્માસિકના અને સાંવત્સરિકના આચારો અને તેના દોષોનાં પ્રતિક્રમણો સામાયિક ધર્મની આરાધના એ મોક્ષમાર્ગ છે. સમગદર્શન જ્ઞાન ચારિત્ર તેમાં સમાય છે. સામાયિકના ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે. ૧. સમ્યકત્વ સામાયિક. ૨. શ્રુત સામાયિક. ૩. દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક: તે દરેકના દિવસના, રાત્રિના, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક તથા ક્ષણેક્ષણના, જીવનભરના અને ભવાન્સરના એવા ભેદ પડે છે. તેમાંના પાંચ સામુદાયિક અને બાકીના ત્રણ વ્યકિતગત છે. તે દરેકના બાળ મધ્યમ અને બુધ પાત્રને ઉદ્દેશીને ત્રણ ત્રણ ભેદ પડે છે. તે દરેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ત્રણ ભેદ પડે છે. અને તેમાં પણ સામુદાયિક સકળ સંઘ સાથેના અને વ્યક્તિગત ભેદો પડે છે. અને તે દરેક જ આવશ્યકમય હોય છે એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે દરેકના અનેક ભેદો પડે છે. પ્રત્યેક આવશ્યક પણ બાકીના પાંચ આવશ્યકમય પણ હોય છે, એટલે કે પ્રત્યેક આવશ્યક પણ છ છ આવશ્યકમય હોય છે. ઉપર પ્રમાણેનાં દરેક દષ્ટિબિંદુઓનો સમાવેશ થાય, તે પ્રકારે અનેક વિધિઓ, અનુષ્ઠાનો અને કર્તવ્યો જૈન શાસ્ત્રોમાં બતાવ્યાં છે. અને તે દરેકનો સંક્ષેપમાં પાંચેય પ્રતિક્રમણના વિધિઓમાં યથાયોગ્ય સમાવેશ કરેલો હોય છે. ૧. શાસ્ત્રાભ્યાસ કે દેશ કે સર્વવિરતિ વિનાના છતાં જૈન ધર્મના રાણી અને શ્રી સંઘના સભ્યો સમ્યકત્વ સામાયિકવાળા ગણાય છે. ૨. તેઓ જો શાસ્ત્રાભ્યાસ કરતા હોય, તો તેઓ- શ્રત સામાયિકવાળા Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ પંચ પ્રતિકમાણસૂત્રો ગણાય છે. ૩. શ્રાવનાં એકથી માંડીને સર્વ વ્રતો સુધીનાં વ્રતો ઉચ્ચરેલ હોય, તો તેઓ દેશવિરતિ સામાયિકવાળા કહેવાય છે. ૪. અને મુનિ મહારાજાઓ સર્વ વિરતિ સામાયિકવાળા ગણાય છે. ૧. સમ્યકત્વવાળાને પણ છ આવશ્યક રોજ દિવસમાં, રાત્રિમાં અને પાક્ષિકાદિમાં સાચવવાનાં હોય છે. અને તેમાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપા રાખે, તે અને તેવી બીજી ભાવનાઓ, તેનું સામાયિક આવશ્યક ગણાશે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાન “તમેવ સર્ચ નિસર્સકે જે જિગેહિં પઇય' વગેરે પ્રકારની શ્રદ્ધા. “જીવાઈ નવપયભે જો જાગઈ તસ્સ હોઈ સમ્મત્ત અયાણમાણે વિ- ૨. રોજ ત્રણ કાળ જિનદર્શન, પૂજા, મહોત્સવો વગેરે તેના ચતુર્વિશતિ સ્તવ આવશ્યક ગણાશે. ૩. ત્રણેય વખત ગુરુવંદન, ગુરુ મહારાજને ચોમાસામાં લાવવા વગેરે ઉત્કૃષ્ટ ગુરુવંદન આવશ્યક. ૪. મિથ્યાત્વનો ત્યાગ, તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ વગેરે પ્રત્યાખ્યાન આવશ્યક. ૫. ભૂલનો પશ્ચાત્તાપ વગેરે પ્રતિક્રમણ આવશ્યક. ૬. દેવ, ગુરુ, ધર્મ ખાતર ભોગ આપવો, તેના વહીવટ ચલાવવા, ઉજમણાં કરવાં, શાસનની જાહોજલાલી વધે તેવા પ્રયાસો કરવા, શાસન ખાતર કષ્ટ સહન કરવું વગેરે કાયોત્સર્ગ આવશ્યક ગણાશે. સમ્યકત્વ સામાયિકવાળાને – દેવ ગુરુ ધર્મ ઉપર દઢ શ્રદ્ધા [લૌકિક વ્યવહાર દૃષ્ટિથી પ્રશસ્તકષાય] તે સમગદર્શન, જ્ઞાન અને જ્ઞાનીઓની ભકિત તે સમગજ્ઞાન ચારિત્ર અને ચારિત્રપાત્રોની, તીર્થંકર પરમાત્માની, શાસનની ભકિતના કામમાં જાતે ભળવું તે સમ્યફચારિત્ર. આ પ્રમાણે શ્રુત સામાયિકવાળા માટે ૧. શાસ્ત્રાભ્યાસમાં લાગ્યા રહેવું, રોજ ભણવું, વાંચવું વિચારવું વગેરે પ્રકારે પંચવિધ સ્વાધ્યાય. જ્ઞાનારાધનની તપશ્ચર્યા, જ્ઞાનની ભક્તિ, લખવું, લખાવવું, ભણવા-ભણાવવાનાં સાધનો પૂરા પાડવાં, મેળવવા વગેરે, સામાયિક આવશ્યક. ૨. તેમાં ગુરુની પરતંત્રતા – ગુરુવંદન. ૩. ચોવીસ તીર્થંકર પરમાત્માની આજ્ઞાનુસારના શાસ્ત્રને માનવું, તે ચતુર્વિશતિ સ્તવ, જ્ઞાનપંચમી વગેરે જ્ઞાનને ઉદ્દેશીને દેવ વાંદવા વગેરે. ૪. ક્ષયોપશમ ખીલે તેવા પ્રયાસ કરવા, અવજ્ઞા આશાતના નિવારવા વગેરે પ્રત્યાખ્યાન. ૫. જ્ઞાનાચારના આઠ અતિચારો આલોવવા. તેનાં પ્રાયશ્ચિત્તો લેવાં વગેરે પ્રતિક્રમણ. ૬. અને જ્ઞાનાભ્યાસ, તેની સાર-સંભાળ, લખવું-લખાવવું, જાતે રચના કરવી. તે સર્વમાં એકાગ્રતા, પરિચય, ચિનાન, મહેનત વગેરે કાયોત્સર્ગ. શ્રુતસામાયિકવાળાને – શાસ્ત્રો પર શુદ્ધ શ્રદ્ધાન, તે સમ્યગદર્શન, શાસ્ત્રાભ્યાસ, તે સમગજ્ઞાન, તે પ્રમાણે વર્તવા પ્રાથમિક પ્રયાસ, તે ઉપધાન વગેરે સમ્યગચારિત્ર, એ પ્રમાણે પાંચ આચાર પણ ઘટાવી શકાય. તે પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ માટે પણ છ આવશ્યક ત્રણ રત્ન, પાંચ આચાર વગેરે ઘટાવી શકાય. તેનો ઘણો વિસ્તાર હોવાથી અત્રે આપતા નથી. લગભગ ર૭૫ પૃષ્ઠ જેટલી હાથનોટ Page #792 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૧૯ તેને માટે લેખક તરફથી કરાવાયેલી છે. પ્રસંગે તે બહાર પાડશે, તો વિધિઓને હેતુઓના ખપી જીવોને ઉપયોગી થશે. આ ઉપરથી જૈન સંઘમાં પ્રચલિત દરેક આચારો, ક્રિયાઓ, ધાર્મિક રૂઢિઓ, ઉદ્યાપનો સંઘો કાઢવા, ઉત્સવો, તપશ્ચર્યાઓ, વિવિધ વ્રતો વગેરે ઉપર જણાવેલ ધોરણોને અનુસરીને વિવિધ પ્રકારનાં છ આવશ્યકો જ હોય છે. તે તે માત્ર જીવોને તે તે પ્રસંગે વ્યકિતગત કે સામુદાયિક રૂપે કરવાનાં હોય છે. ચોમાસી દેવવંદન, ચોમાશી ચતુર્વિશતિ તવ છે. સંઘ કાઢવો એ જાહેર ચતુર્વિશતિ સ્તવ છે. ઉદ્યાનો કરવા એ દર્શનશુદ્ધિ છે. ચોખ્ખા વહીવટો કરવામાં પૂરતી કાળજી અને બિનસ્વાથ સેવાભાવ રાખવા, એ વીર્યાચાર છે, કાયોત્સર્ગ વગેરે છે. અનેક પ્રકારનાં વિજ્ઞાનોને લગતા પ્રામાણિક સિદ્ધાંતોની શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલી ગોઠવણી રૂપ શાસ્ત્રો, અને તેના સામુદાયાત્મક તત્ત્વજ્ઞાન શાસ્ત્ર અને તેનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ થાય તેવી ગોઠવણ, તે યુત સામાયિકનો વિષય છે. તેની આરાધના તે સમ્યગૃજ્ઞાન છે, જ્ઞાનાચાર છે. માટે યુત પણ સામાયિક બને છે. સર્વવિરતિ ચારિત્રનું જઘન્યઅધ્યવસાયસ્થાનક જઘન્ય સર્વવિરતિ સામાયિક અને શૈલેશીકરણના અધ્યવસાય સ્થાનક ઉત્કૃષ્ટ સર્વવિરતિ સામાયિક, આ પ્રમાણે પક્ષમાં, ચોમાસામાં અને વર્ષમાં જ આવશ્યકો કરવાનાં હોય છે. ચારેય સામાયિકવાળાઓમાં :- બાળ મધ્યમ, બુધ લોકોને માટે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કયા કયા આચાર દિવસમાં, પક્ષમાં, વર્ષમાં, જીવનમાં છ છ આવશ્યકો રૂપે કરવાનાં હોય ? હાલ જૈન સંઘમાં કયાં કયાં પ્રચારમાં છે ? પ્રાચીનકાળમાં કયાં કયાં હતાં ? અને હાલ પણ શાસ્ત્રાનુસાર કયા કયા કરી શકાય ? વગેરેને લગતો એક સ્વતંત્ર ગ્રંથ થાય છે. જે પ્રસંગે બહાર પાડવાથી જનસમાજને આ વિષે ઘણું જાણવાનું મળી શકે તેમ છે. અત્રે માત્ર તેનો સંક્ષેપથી નિર્દેશ માત્ર કરવામાં આવેલ છે. “પાંચ પ્રતિક્રમણો કરવા માત્રથી કર્તવ્ય પૂરું થાય છે,” એમ નથી, પરંતુ એ પ્રમાણે દિવસમાં, રાતમાં, પક્ષમાં, ચાર માસમાં અને સંવત્સરમાં, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટપણે જિન આજ્ઞા પ્રમાણે કાયમ છ આવશ્યકમય ધર્મારાધન કરવું જ જોઈએ, અને તેમાં ખામી આવે, તો તે સુધારવા માટે પ્રતિક્રમણ કરીને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું જોઈએ. છતાં કોઈ અનિવાર્ય કારણોથી તે પ્રમાણે આરાધના ન થઈ શકી હોય, તો પણ છેવટે આ પ્રતિક્રમણો કરીને પણ સાથે યથાશકિત આરાધના કરી લેવી જોઈએ. એટલે પણ પંચ પ્રતિક્રમણ તો ચારેય પ્રકારના સામાયિકવાળાઓ માટે અવશ્ય કર્તવ્ય તરીકે ઠરે છે. (૧) ઠાઉથી અઢાઇજેસુ સુધીમાં છ આવશ્યકમય મુખ્ય પ્રતિક્રમણાવશ્યક થાય છે. (૨) અને પાક્ષિકાદિ મુહપત્તિ પડિલેહણથી માંડીને ખામણા સુધી વચ્ચે જ છ આવશ્યકમય Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ પંચ પ્રતિકમાણસૂત્રો પાલિકાદિ પ્રતિક્રમણ થાય છે. (૩) તે બન્નેય સિવાયનો વિધિ દિવસમાં કે રાત્રિમાં કે પક્ષમાં જ આવશ્યકોની આરાધના કરી હોય, તો તે સંક્ષેપમાં કરી લેવા માટેનો છે. તે સ્પષ્ટ સમજાશે. આ રીતે વિચાર કરતાં વિધિઓના ઘણા સૂક્ષ્મ હેતુઓ પણ વિચારી શકાશે. પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયો (૧) મુદ્રા: મુદ્રા ત્રણ વપરાય છે : “યોગમુદ્રા, જિનમુદ્રા, અને મુક્તાશુક્તિમુદ્રા". બે હાથની દશ અંગુલિ માંહોમાંહે અંતરિત કરીને કમળના ડોડાને આકારે હાથ જોડી પેટની ઉપર કોણી સ્થાપવી તે “યોગમુદ્રા”. આ મુદ્રા વડે ચૈત્યવંદન, શક્રસ્તવ-નમુત્થણં, સ્તવન આદિ કહેવાય છે. આગળના ભાગમાં ચાર આંગળ અંતર રાખવું, પગના તથા પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું રાખવું, તે “જિનમુદ્રા' કાઉસ્સગ્ન વગેરે, ઊભા ઊભા કરવાની સર્વ ક્રિયા આ મુદ્રાએ કરવામાં આવે છે. તથા તેમાં યથાસંભવ યોગમુદ્રાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બે હાથ કમળના ડોડાની પેરે પોલા જોડી રાખીને લલાટે લગાડવા, તે “મુક્તાશુક્તિ' મુદ્રા. આ મુદ્રાએ “જાવંતિ ચેઇઆઈ “જાવંતિ કવિ સાહુ' અને “જયવીયરાય” કહેવા. તેમાં લલાટે હાથ રાખીને તો ફકત “આભવમખંડા” પર્યત “જય વિયરાય” કહેવા. વંદિતુ બોલતાં ધનુષ્યબાણ ખેંચનારની જેમ વરમુદ્રા કરવાની હોય છે. (૨) સ્થાપના : આચાર્ય મહારાજના ૩૬ ગુણે કરીને સહિત એવા ગુરુમહારાજની સમીપે ક્રિયા કરવી. તેમને અભાવે અક્ષાદિકની સ્થાપના કરવી. તે ન હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણોની સ્થાપના કરવી. અક્ષ [ગુરુમહારાજ સ્થાપનામાં રાખે છે તે]. વરાટક [કોડા] કાઈ, ડાંડા, પાટી વગેરે કાષ્ઠનાં ઉપકરણો, પુસ્તક, ચિત્રકર્મ [ચિવેલી ગુરુની મૂર્તિ વા જિનમૂર્તિ અથવા ગુરુની પ્રતિમા કે જિનપ્રતિમા] એટલા પ્રકારે સ્થાપના કરવી. જ્ઞાનનાં ઉપકરણો, પુસ્તક, નવકારવાળી, જિનપ્રતિમા વગેરે, દર્શનનાં ઉપકરણો તથા ચારિત્રનાં ઉપકરણો પાત્ર, કંબળ, રજોહરણ, મુહપત્તિ આદિ જાણવા વળી સદ્ભાવ સ્થાપના [ગુરુની મૂર્તિ તથા પ્રતિમાદિકની] તથા અસદ્ભાવ સ્થાપના [આકાર રહિત અક્ષાદિકની એમ બે ભેદે સ્થાપના જાણવી. વળી ઈ–રિક [થોડો કાળ રહે તે પુસ્તક તથા નવકારવાળીની) અને યાત્કથિક [ઘણો કાળ પર્યત રહે તે પ્રતિમા તથા અક્ષાદિકની] એમ પણ બે ભેદે સ્થાપના જાણવી. (૩) વાંદણાથી પ્રગટ થતા છ ગુણ : (૧) ગુરુમહારાજનો વિનય, (૨) અભિમાનનો નાશ, (૩) જિનાજ્ઞાનું પ્રતિપાલન, (૪)શ્રુત-ધર્મનું આરાધન. (૫) પૂજ્ય ગુર્નાદિકની પૂજા અને (૬) અક્રિયપણું (સિદ્ધત્વ) એમ છ ગુણ પ્રગટ થાય છે. (૪) પ્રતિકમાણને વિષે કિયા, કર્તાને કર્મનું વર્ણન કર્તા- પ્રતિક્રમણ કરનાર. કિયા - પાપશુદ્ધિને અનુકૂળ મન, વચન અને કાયાને પ્રવર્તાવવારૂપ. કર્મ - મિથ્યાત્વ, કષાયાદિ અથવા પાપ – રજરૂપનો Page #794 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૭૨૧ નાશ. (૫) રાઈ પ્રતિક્રમણ : મંદ સ્વરે કરવું, કારણ કે ઉચ્ચ સ્વરે બોલવાથી ગરોળી આદિ હિંસક જો હિંસા કરવા માંડે છે. મિથ્યાત્વી તથા હિંસક આદિ પાડોશી હોય તો કોઈ માછલાંની જાળ લઈને નદીએ જાય, કોઈ દળવા માંડે, કોઈ ખાંડવા ભરડવા તથા લીંપવા માંડે, કોઈ ચૂલો સળગાવે, ઈત્યાદિ ઘણા અનર્થ થાય છે, માટે મંદ સ્વરે કરવાનો ઉપયોગ રાખવો. (૬) પ્રતિક્રમણ સંબંધી સકળ ક્રિયા પ્રમાદ રહિત કરવાની છે માટે તેમાં જરૂર સિવાય કટાસણા ઉપર બેસી જવું નહિ. બનતાં સુધી કાઉસ્સગ્ન વંદનાદિ સર્વ આવશ્યકયતનાપૂર્વક ઊભા ઊભા સાચવવા. શરીરે બેચેની હોય તો તે વાત જુદી છે. પ્રતિક્રમણ ડાયા પછી જ આવશ્યક સુધી ઊભા ઊભા ક્રિયા કરવાની હોય છે માટે કટાસણું કાઢી નાંખવું. ફક્ત વંદિતુ તથા છ આવશ્યક પહેલાંની અને પછીની ક્રિયાઓ કટાસણા પર રહીને કરવી. (૭) ગુરુથી શિષ્ય અને શ્રાવક ૩ હાથ દૂર રહી ક્રિયા કરે, તે ગુરુના બહુમાનાર્થે સમજવું અને સાધ્વી કે શ્રાવિકા તેર હાથ દૂર રહે, તે મોહપ્રસંગ દૂર રાખવા અર્થે પણ જાણવું. તે જ પ્રમાણે સાધ્વીથી અન્ય સાધ્વી-શ્રાવિકાઓમાં બહુમાનાર્થે ૩ હાથનું અને સાધ્વીથી સાધુ-શ્રાવકને મોહપ્રસંગ નિવારણાર્થે તેર હાથ દૂર રહેવાનું સમજવું. આ ઉત્કૃષ્ટ અવગ્રહ જાણવો. (૮) મુહપત્તિ : એક વેંત અને ચાર અંગુલ લાંબી, પહોળી, તેમ જ ચરવળો બત્રીસ અંગુલ લાંબો – ૨૪ અંગુલ ડાંડી લાંબી તથા આઠ અંગુલ દશીનો ગુચ્છો લાંબો હોવો જોઈએ. (૯) પ્રતિક્રમણ કેમ કરવું? : કોઈ પણ સાધુ અથવા સાધ્વી અને શ્રાવક અથવા શ્રાવિકાએ તદ્રુપ ચિત્તવાળા થઈને, તન્મય થઈને તદ્રુપ તીવ્ર અધ્યવસાયવંત થઈને, તદર્થ ઉપયુકત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્ભાવના ભાવિત થઈને, અન્યત્ર કોઈ પણ સ્થાનકે મનને નહિ ફેરવતાં એક મનવાળા થઈને, વિમનપણા-રહિત થઈને, જિનવચન અને ધર્મમાર્ગને વિષે રકત મનવાળાં થઈને ઉભય કાળ આવશ્યક કરવું. આ પ્રમાણે આવશ્યક કરતાં છતાં ભવ્ય પ્રાણી સંસારસમુદ્રનો પાર પામે, એ નિ:સંદેહ જાણવું. (૧૦) તમસ્કાય : પૌષધ કે પ્રતિક્રમણમાં લઘુશંકા કે વડીલંકા નિવારવા જનારનો ઘણોખરો ભાગ આજકાલ કટાસણું માથે નાખી બહાર નીકળે છે. આ માથે નાંખવાનું કારણ ઉપરથી અપકાયના જીવો વરસે છે, તેની રક્ષા અર્થે છે. આપણા અંગના સ્પર્શથી તે જીવો હણાય છે, પણ અંગ ઉપર ઊનનું વસ્ત્ર હોય તો તેથી તેનો બચાવ થાય છે. માટે કટાસણું માથે નાંખવાથી બાકીનું બધું અંગ ખુલ્લું રહે તેથી તેમાં પૂરતો બચાવ થતો નથી, એટલું જ નહિ પણ કટાસણા પર જે જીવો પડે છે તેમાંના બચ્યા હોય તે જીવો પણ માતરું કરીને સ્વસ્થાને જનાર જ્યારે કટાસણું પાથરીને ઉપર બેસે છે, ત્યારે વિનાશ પામે છે. માટે આવે કારણે ઊનની કામળ આખે શરીરે ઓઢીને બહાર નીકળવાનું જરૂરનું છે. આ અગત્યની બાબત ઉપર ખાસ લક્ષ્ય આપવું અને પાછા આવીને તે કામળ ઉપરના જીવોને કિલામણા ન થાય તેમ તેને ઉપયોગપૂર્વક એક બાજુ ઊંચે મૂકવી. Page #795 -------------------------------------------------------------------------- ________________ ७२२ પંચ પ્રતિક્રમણ સૂત્રો (૧૧) ચાર પ્રકારનાં પાપકર્મ : (૧) સ્પષ્ટ પાપકર્મ - સોયના ઢગલાને હાથ વગેરે લાગવાથી વેરાઈ જાય છે તેમ નિંદા ગીંથી જે પાપ નાશ પામે તે, (૨) બદ્ધ પાપકર્મ - દોરા વડે બાંધેલી સોયો દોરો છોડીએ ત્યારે છૂટી છૂટી થઈ જાય છે, તેમ આલોચન - પ્રતિક્રમણથી જે પાપ ક્ષય થાય તે, (૩) નિધન પાપકર્મ - દોરે બાંધેલી સોયો કટાઈ ગઈ હોય તેને તેલ લગાડીને તાપ દેવાથી તથા અન્ય લોઢા સાથે ઘસવાથી મહામહેનતે જુદી થાય, તેમ જે પાપ તીવ્ર ગહ તથા આકરા તપથી ક્ષય થાય છે તે. (૪) નિકાચિત પાપકર્મ - તેજ સોયના સમૂહને અગ્નિમાં મૂકીને ધમવાથી (ટીપી નાખવાથી) એકાકાર થઈ જાય છે, પછી તે જુદી પડે જ નહીં, તેમ જે પાપ અત્યંત આકરામાં આકરા તપ વડે પણ મુશ્કેલીથી કદાચ ક્ષય પામે, પણ રસ - વિપાક વડે અવશ્ય વેદવું – ભોગવવું - અનુભવવું પડે જ છે તે. આ ચાર પ્રકારનાં પાપકર્મમાંથી પ્રતિક્રમણ કરતાં બે પ્રકારનાં પાપકર્મોનો ક્ષય થાય છે. (૧૨) તપચિંતવાણીના કાઉસ્સગ્નમાં તપનું ચિંતન જ કરવું જોઈએ, તેની વિધિ આ પ્રમાણે – શ્રી વીર ભગવંતે છ માસી તપ કર્યો, તે ચેતન ! તું તે કરી શકીશ ? (અત્રે ઉત્તર મનમાં ચિંતવવો કે) શકિત નથી, પરિણામ નથી. તો એક ઉપવાસ ઓછો કર ! શક્તિ નથી. પરિણામ નથી. તો બે ઉપવાસ ઓછા કર, એમ યાવતુ ર૯ ઉપવાસ ઓછા કરવા પર્યત ચિંતવવું. અને દરેક વખતે શકિત નથી, પ્રણામ નથી, એમ મનમાં બોલવું. પછી પંચમાસી કર, ચઉમાસી કર, ત્રિમાસી કર, દ્વિમાસી કર, માસક્ષમણ કર. અહીં પણ દરેક વખતે ઉત્તર ચિંતવતા જવું. પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન, એમ તેર દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ) સુધી વિચારવું. પછી ૩૪ ભકત (૧૬ ઉપવાસ) કરી શકીશ ? ૩ર ભકત કર, ૩૦ ભકત કર, એમ બબ્બે ભકત ઓછા કરતાં યાવતુ ચોથા ભકત સુધી કહેવું. પછી એક ઉપવાસ કર. આયંબિલ કર, નિવિ કર, એકાસણું કર, બેઆસણું કર, અવરૃદ્ર કર, પુરિમઢ કર, સાઢપોરિસિ કર, પોરિસિ કર, નમકકારસી મુટિકસહિએ કર. અહીં સર્વ સ્થાનકે શકિત નથી, પરિણામ નથી, એમ ચિંતવવું, પણ જે તપ કર્યો હોય પણ અત્યારે કરવો ન હોય, ત્યાંથી કહેવું કે “શકિત છે, પણ પરિણામ નથી, અને છેલ્લે જે તપ કરવો હોય ત્યાં શક્તિ પણ છે અને પરિણામ પણ છે,' એક કહી કાયોત્સર્ગ પારીને લોગસ્સ કહેવો. દ્રા અને ભાવ આવશ્યક. ૧. દ્રવ્ય આવશ્યક. દ્રવ્ય આવશ્યક - આવશ્યક સૂત્રના પાઠો શુદ્ધ ઉચ્ચારથી બોલવા. અથવા સૂત્રપાઠ વિના પાપ આલોવવા વગેરે. આવશ્યકાદિકનાં સૂત્રો સ્પષ્ટ અને અન્યૂનાધિક અક્ષરે બોલવા જોઈએ. જૂનાધિક બોલવાથી થતા અનર્થનું ભાન કરાવવા માટે થોડાંક શાસ્ત્રપ્રસિદ્ધ દષ્ટાંતો : Page #796 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૧. પાટલીપુત્ર નગરમાં મૌર્ય વંશના અશોકશ્રી નામે રાજાને એક રાણીથી કુણાલ નામે પુત્ર થયો. રાજાએ ઉજ્જયિની નગરી ખચીઁ માટે આપી. જ્યારે તે આઠેક વર્ષ ઉપરનો થયો, ત્યારે દૂતે આવી અશોકશ્રી રાજાને નિવેદન કર્યું કે, “આપનો પુત્ર હવે આઠેક વર્ષનો થયો છે.’' એ વાત સાંભળી અંતેઉરમાં બેઠેલા રાજાએ સ્વહસ્તથી પોતાને હાથે પુત્ર ઉપર એક કાગળ લખી તેમાં જણાવ્યું કે, ‘ફાનીમધીવતાં વુક્ષ્મ:’ ‘‘હવે યોગ્ય ઉમ્મર થવાથી કુમારને અભ્યાસ કરાવો.” તે કાગળ બીડયા વગર શરીરચિંતા ટાળવા રાજા ગયો. તેવામાં એક રાણીએ તે કાગળ લઈને વાંચી લીધો, અને મનમાં ચિંતવ્યું કે, “મારે પણ પુત્ર છે, પરંતુ તે હજુ નાનો છે. કુણાલ મોટો છે. જો કુણાલ રાજ્ય યોગ્ય થઈ જશે તો મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થઈ શકશે નહીં. તેથી એમ કરું કે જેથી કુણાલ રાજ્યને અયોગ્ય થાય. આ વખત પણ અનુકૂળ આવ્યો છે.’' એમ વિચારી હાથમાં રહેલી અંજનની સળીને થૂંક વડે ભીની કરી અકારની ઉપર બિંદુ કરી દીધું. એટલે -‘ગંધીવતાં માર: .' એમ થયું. પણ તે કાગળ રાણીએ જ્યાં હતો ત્યાં રાખી દીધો. રાજાએ પણ એ કાગળ ફરીને વાંચ્યા વગર જ બીડી દીધો. ૭૨૩ હવે પહોંચ્યા પછી કોઈ એક અધિકારીએ તે કાગળ વાંચી જોયો. પરંતુ જોખમકારક જાણીને કુમારને વંચાવ્યો નહીં. છેવટે અતિ આગ્રહથી તે કુમારે વાંચ્યો. કુમારે વિચાર્યું કે, “મૌર્યવંશના રાજાઓની આજ્ઞા કર્યાંય કોઈ પણ ખંડન કરતા નથી, તો હું જાતે જ પિતાશ્રીની આજ્ઞા ખંડિત કરું ? એમ બને જ નહિ.’’ એક કહીને તત્કાળ ધગાવેલી લોઢાની સળી લઈને હાહારવ કરતાં સહુ જનોએ વાર્યા છતાં તેણે પોતાની બન્નેય ચક્ષુઓને ડાંભી દીધી અને અંધ થયો. એ બધી હકીકત સાંભળીને રાજા ખેદ પામ્યો. એક બિંદુ વધવાથી કેટલો અનર્થ થયો ? માટે સૂત્રમાં અધિક પણ અક્ષર ન બોલવો. ૨. કોઈ એક અટવીમાં એક સરોવર હતું. તેને લોકો કામિકા તીર્થં કહે છે. તે સરોવરના તીરે એક વંજુલ નામે વૃક્ષ હતું, તેની “શાખા ઉપર ચઢી કોઈ તિર્યંચ એ સરોવરના જળમાં પડે, તો તે તીર્થના મહિમાથી માનવ થઈ જાય અને જો મનુષ્ય પડે તો તે દેવ રૂપ થઈ જાય. પરંતુ જો અધિક વાનરીના લોભથી તેમાં કોઈ બીજી વાર પડે, તો તે મૂળરૂપ પાછું પામે” એક દિવસ એક વાનર શ્વેતાં જોતાં એક મનુષ્ય અને મનુષ્યણી તે વૃક્ષની શાખા ઉપર ચઢ્યાં; ત્યાંથી તે સરોવરનાં જળમાં પડ્યાં અને દેદીપ્યમાન કાંતિવાળાં દેવદેવી થયાં. તે જોઈ તે વાનર-વાનરી પણ તેવી જ રીતે તે જળમાં પડ્યાં. તે શ્રેષ્ઠ રૂપવાળાં નર-નારી થયાં. પછી પેલા વાનરે કહ્યું કે, આપણે ફરી પડીએ તો દેવરૂપ થઈએ. તે વખતે તેની સ્રીએ તેને બહુ સમજાવ્યો છતાં તે તો પડ્યો જ અને પોતાના મૂળરૂપે વાનર થયો. - Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ પંચ પ્રતિકમાણસૂત્રો હવે ત્યાં આવી ચડેલા કોઈક રાજાએ તે શ્રેષ્ઠ રૂપવાળી નારીને પોતાની સાથે લઈ લીધી; તે તેની માનીતી રાણી થઈ. પેલા વાનરને કોઈ મદારી લોકોએ પકડી લીધો અને તેને નાચતાં શીખવ્યું. પછી તેને અંતેઉર સહિત બેઠેલા રાજા પાસે લઈ જવામાં આવ્યો. તે વાનરે રાણીને ઓળખી લીધી. તેમજ રાણીએ પણ વાનરને ઓળખ્યો. વારંવાર વાર્યા છતાં પણ તે વાનર રાણીની સન્મુખ તેને લેવા જાય છે, ત્યારે રાણીએ તેને કહ્યું કે, હે વાનર ! જેવો અવસર તેવું ચાલવું જોઈએ. તારી ભૂલ તને જ નડી છે, તે તું યાદ કર !” માટે અક્ષર માત્રાદિક અધિક ઉમેરીને બોલવાથી સૂત્ર પણ નુકસાન માટે થાય, એમ બુદ્ધિમાન જનોએ જાતે વિચારી જૂનાધિક ન થાય તેમ શુદ્ધ સૂત્રોચ્ચાર કરવો. હવે અક્ષર માત્રાદિક ન્યૂન સૂત્રપાઠ બોલતાં હાનિ થાય, તે બતાવવા માટે ઉદાહરણ આપે છે: ૩. રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સમવસર્યા. તેમની પાસે ધર્મદેશના સાંભળી સભા વિસર્જન થયા બાદ સ્વગૃહ પ્રતિ જતાં શ્રેણિક રાજાએ પાંખ વગરના થઈ પડેલા પંખીની પેરે આકાશમાં ઊંચા ચઢતા અને નીચા પડતા એક વિદ્યાધરને દૂરથી જોયો. તેનું કારણ જાણવાની ઈચ્છાથી રાજા ત્યાંથી પાછા ફરી સમવસરણમાં આવી પ્રભુને તે વ્યતિકર પૂછવા લાગ્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે, “એ વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે, તેથી તે વિદ્યા તેને બરાબર સંકુરતી નથી અને એથી જ એ ચઢે-પડે છે.” એ વાત અભયકુમાર સાંભળી અને તે વિદ્યાધર પાસે આવી કહેવા લાગ્યા કે, “તમે અક્ષર ભૂલી ગયા છો. જો તમે મને એ વિદ્યા આપવી કબૂલ કરો, તો હું તમને એ અક્ષર બતાવું.' વિદ્યાધરે તેમ કરવા કબૂલાત આપી. અભયકુમારે પદાનુસારિણી લબ્ધિ વડે તે અક્ષર તેને કહી બતાવ્યો. પછી વિદ્યાધરે તેને વિદ્યા આપી અને પોતે ક્ષેમકુશળ ઈષ્ટ સ્થાને જઈ પહોંચ્યો. જૂનાધિક અક્ષર ભણવ ભણાવવામાં આવે તો તે આશ્રયી પણ તેવું જ પરિણામ જાણવું. હીન તેમજ અધિક અક્ષર ઉભય પ્રકારની ભૂલ આશ્રયી ઉદાહરણ આપે છે. ૪-૫. રોગી માણસને તેનાં પિતામાતા કે વૈદ્ય પ્રમુખ જે તેની દયા ચિંતવીને તીખાં, કડવાં, કષાયેલાં ઔષધ ઓછા પ્રમાણમાં આપે, તો તે જલદી સાજો થઈ શકે નહિ. અને જે સ્વેચ્છાથી તેને અધિક પ્રમાણમાં આપવા માંડે તો તે મરી જાય. એટલે જેમ રોગી માણસને અન્યૂનાધિક ઔષધ અને આહાર વડે જ સુખ શાન્તિ રહે છે, તેમ સૂત્ર આથમી પણ સમજવું. કારણ - “અક્ષર માત્રાદિક હીનાધિક કરતાં સૂત્રનો ભેદ થાય છે, સૂત્રના ભેદથી અર્થનો ભેદ ફિરફારો થાય છે (અર્થમાં વિરોધ આવે છે), અર્થભેદથી ક્રિયા રૂપ ચારિત્રનો ભેદ-વિપર્યય થાય છે, ચારિત્રનો ભેદ થવાથી મોક્ષનો અભાવ (ગેરલાભ) થાય છે, અને મોક્ષનો અભાવ થવાથી દીક્ષાનું નિષ્ફળપણું સિદ્ધ થાય છે.” Page #798 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૨૫ તે લક્ષમાં લઈ ભવ્ય જનોએ આગમથી શુદ્ધ સૂત્રપાઠ કંઠે કરવા અધિક પ્રયત્ન સેવવો. ૨. ભાવ આવશ્યક ભાવ આવશ્યક : સૂત્રપાઠ સાથે દરેક ક્રિયા કરીને ફળ આપે તેવી આવશ્યક ક્રિયા કરવી તે. ભાવ આવશ્યક આગમથી (આવશ્યકના અર્થમાં ઉપયોગ) નોઆગમથી (જ્ઞાન અને ક્રિયામાં ઉપયોગ) 'કુપાવચનિક (મંત્રાદિપૂર્વક હોમાદિ ક્રિયા.) લૌકિક લોકોત્તર (મધ્યાહન પહેલાં ભારત અને (ઉપયોગવંત થઈને મુહપત્તિ પછી રામાયણ વાંચવું.) પડિલેહી વાંદણા દ્વાદશાવર્ત વગેરે સાચવી તે તે ઠરેલ વખતે શ્રાવકે કે શ્રમણે બરાબર પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવી, તે મોક્ષ સાધક હોવાથી શ્રેષ્ઠ છે.) આવશ્યકનાં ૧૦ અન્વર્થ નામો ૧. આવશ્યક : પાંચેય વખતે અવશ્ય કરવા યોગ્ય. આવસ્ય - ગુણોનો આધાર. ગુણોનો આવાસ. ગુણોથી આત્માને આચ્છાદક. ૨. અવશ્યકરણીય : અવશ્ય કરવા યોગ્ય. ૩. ધુવ : શાશ્વત હોવાથી. ૪. નિરહ : ભાવશત્રુઓને સજા કરનાર છે. અથવા અન્ય આચાર્યના મતે - અનાદિ ધ્રુવ કમનો નિગ્રહ કરે છે, માટે ધ્રુવ – નિગહ એવું બીજું નામ છે. ૫. વિશોધિ : કર્મ શોધનાર હોવાથી. ૬. અધ્યયન પક: સામાયિકાદિ છ અધ્યયનોમય હોવાથી. ૭. વર્ગ : રાગાદિ દોષોનું દૂરથી વર્જન થાય છે, તેથી. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૮. ન્યાય : મોક્ષાદિ ઈષ્ટ સિદ્ધિનો યોગ્ય માર્ગ હોવાથી અને જીવ અને કર્મનો આથયાથી ભાવ સંબંધ તોડનાર હોવાથી પણ ન્યાય. ૯. આરાધના: મોક્ષમાર્ગ મેળવવાની આરાધના સ્વરૂપ હોવાથી. ૧૦. માર્ગ : જગમાં મોક્ષ મેળવવાનો ધોરી માર્ગ હોવાથી. પણી Page #800 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણો સૂ ત્રા નું જ મ. કમ સ્મરણ નામ X ૧ નમસ્કાર મંત્ર મહામંગલ સૂત્ર X ૨ ઉવસગ્ગહર સ્તોત્ર સંતિકર સ્તોત્ર તિજયપહત્ત સ્તોત્ર ૫ નઊિણ અજિતશાંતિ સ્તોત્ર ૭ ભક્તામર સ્તોત્ર ૮ કલ્યાણ મંદિર સ્તોત્ર x૯ બૃહચ્છાન્તિ સ્તોત્ર ઉપર પ્રમાણેનો નવ સ્મરણોનો અનુકમ છે. તેમાં X આ નિશાનીવાળાં પાંચ સ્મરણોના અર્થ બાજુમાં જણાવેલા સૂવાનુક્રમ પ્રમાણે પૂર્વે આપવામાં આવેલા છે, તે ત્યાંથી જોઈ લેવા. બાકીનાં ૪ સ્મરણોના અર્થ હવે આપવામાં આવે છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૬. તિજય-પદુત્ત-સ્મરણ. ૪ શબ્દાર્થ :- તિ-જય-પહત્ત-પયાસય-અઠ-મહા-પાડિહેર-જુત્તાણં ત્રણ જગતનું સ્વામીપણું જાહેર કરનાર આઠ મહાપ્રાતિહાયથી યુકત – શોભતા. સમય-પિત્ત-આિણં=અઢીદ્વિીપમાં રહેલા. સરમિ=સ્મરણ કરું છું. ચક્ક=ચક્ર-સમૂહ. જિગિંદાણં જિનેશ્વર ભગવંતોનાં. ૧ તિ-જય-પહત્ત'- પયાસય-અઠ-મહા-પાડિહેર-જુત્તાણા સમય-ખિત્તષ્ઠિઆણં, "સરેમિચક જિબિંદાણં ના ગાથાર્થ :- ત્રણ જગતનું સ્વામીપણું જાહેર કરનાર આઠ મહાપ્રતિહાર્યોથી યુકત - શોભતા, “અઢીદ્વીપમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવંતોના સમૂહ(યંત્ર)નું સ્મરણ કરું છું. ૧ શબ્દાર્થ :- પાણવીસા=૨૫. ય=અને. અસીઆ ૮૦. પનરસ ૧૫. પન્નાસ૫૦. જિણ-વરસમૂહોજિનેશ્વરોનો સમૂહ. નાસેઉ=નાશ કરો. સયલ-દુરિઅંતમામ પાપોનો. ભવિઆણં= ભકતોનાં. ભત્તિ-જુત્તાણં ભકિતવાળા. ૨ પણવીસા ય અસીઆ, પનરસ પન્નાસ જિણ-વર-સમૂહો નાસેઉ‘સયલ-દુરિઅ, ભવિઆણું ભત્તિ-જુત્તાણારા ગાથાર્થ :- ૨૫, ૮૦, ૧૧૫, અને પ૦ જિનેશ્વરોનો સમૂહ ભક્તિવાળા ભકતોનાં તમામ “પાપોનો નાશ કરો. ૨ શબ્દાર્થ :- વીસા=૨૦. પાયાલા=૪૫. ય=અને. તીસા-૩૦. પન્નત્તરી ઉ૫. જિગ-વરિદા= જિનેશ્વરો. ગહ-ભૂઅ-રખ-સાઈણિ-ઘોરુવસગ્નગ્રહ, ભૂત, રાક્ષસ, શાકિનીનાં ઘોર કષ્ટોનો. પાણાસંતુનાશ કરો. ૩ 'વીસા પણયાલા ‘વિ ય, તીસા પન્નત્તરી જિણ-વરિંદા ગહ-ભૂ-રખ-સાઈણિ-ઘોરુવસગ્ગ પણાસંતુવા ગાથાર્થ :- '૨૦, ૪૫, ૩૦ અને ૭૫ જિનેશ્વરી-ગ્રહ, ભૂત, રાક્ષસ, શાકિનીનાં ઘોર કષ્ટોનો નાશ કરો. ૩ શબ્દાર્થ :- સત્તરિ ૭૦. પાણતીસા-૩૫. ય=અને. સઠી=૬૦. પંચેવ=પ. જિય-ગાગા= જિનેશ્વરોનો સમૂહ. એસો=આ. વાહિ-જલ-જવાબ-હરિ-કરિ-ચોરારિ-મહા-ભય વ્યાધિ, પાણી, Page #802 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૨૯ અગ્નિ, સિંહ, હાથી, ચોર, શત્રુનો મહાભય. હરઉ દૂર કરો૪ 'સત્તરી પણ-તીસા વિય, સઠી પંચેવ જિણ-ગણોએસો વાહિ-જલ-જલણ-હરિ-કરિ-ચોરારિ-મહા-ભયં-હરઉ° ૪ ગાથાર્થ :- '૭૦, ૩૫, ૪૦ અને ૫, જિનેશ્વરોનો આ સમૂહ વ્યાધિ, ઉપાણી, અગ્નિ, સિંહ, હાથી, ચોર, શત્રુનો મહાભય દૂર કરો. ૪ શબ્દાર્થ:- પણ-પન્ના=૫૫. દસેવ ૧૦. પન્નઠી=૬૫. અને. ચાલીસા ૪૦. રમુખતુ રક્ષણ કરો. મે મારા. સરીર શરીરનું. દેવા-ડસુર પણમિઆ દેવોએ અને ભવનપતિઓએ પ્રણામ કરાયેલ. સિદ્ધામોક્ષમાં ગયેલા (જિનેશ્વરો). ૫ પણ-પના યશસેવય, પન્નઠી રહય’ચેવ “ચાલીસા “રફખંતુ મે સરીરં, દેવા-ડસુર-પણમિઆ સિદ્ધાપા ગાથાર્થ :- ૫૫, ૧૦, ૧૬૫ અને ૪૦ દેવો અને ‘ભવનપતિઓ એ પ્રણામ કરાયેલા અને “મોક્ષમાં ગયેલા (જિનેરો) “મારા શરીરનું રક્ષણ કરો. ૫ શબ્દાર્થ :- હર-હું-હ હરહુંહ. સ-ર-સુ-સસરસ્સ. આલિહિય-નામ-ગર્ભવચ્ચે નામ ગોઠવીને - આલેખેલ. કિર ખરેખર, જ. ચક ચક્ર. સબઓ-ભદ્દે સર્વતોભદ્ર કહેવાય છે. ૬ '૩-૭-ર-હું-હસ-ર-સુ-સ: હર-હં-હુ તહય “ચેવસ-રસ્સ : આલિહિય - નામ-ગર્ભ, કર્ક કિર સવઓ-ભાડા ગાથાર્થ :- 'હર હ: સરસ્સ : હર હું હક અને સ ર 'સું સ- આ પ્રમાણે-વચ્ચે નામ ગોઠવીને-આલેખેલ ચ“સર્વતોભદ્ર જ કહેવાય છે. ૬ શબ્દાર્થ :- રોહિણિગોહિણી. પન્નતી પ્રજ્ઞપ્તિ. વજજ-સિંખલાવજશૂખલા. વજઅકુસિઆ= વજકુશિકા. ચફકેસરિ ચક્રેશ્વરી. નારદના નરદતા. કાલિકાલી. મહાકાલિમહાકાલી. ગોરી ગૌરી. ૭ ગંધારી ગાન્ધારી. મહાલા મહત્ત્વાલા. માણવિ=માનવી. વઇ વૈરોચ્યા. અને. અચ્છના અછુપ્તા. માણસિમાનસી. મહ-માણસિઆત્મહામાનસી. વિજા-દેવીઓ-દેવીદેવીઓ. રફખતુ રક્ષણ કરો. ૮ Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ પંચ પ્રતિકમાગસૂત્રો '» રોહિણી પન્નત્તિ વજ-સિંખલા તહય વજ્જ-અંકુસિઆના ચકેસરિનરદત્તા, “કાલિ "મહાકાલિ તહગૌરી IIણા ''ગંધારી મહાલા, માણવિ"વઈરુટ તહ "અચ્છત્તા ''માણસિ મહ-માણસિઆ, વિજ્યા-દેવીઓ રફખંતપાડા ગાથાર્થ:- ''રોહિણી, પ્રજ્ઞપ્તિ, *વજશૃંખલા, વજાડકશિકા, ‘ચક્રેશ્વરી, નરદત્તા, “કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, “મહાવાલા, માનવી, "રાધ્યા, "અછુપ્તા, "માનસી અને “મહામાનસી, વિદ્યાદેવીઓ રક્ષણ કરો. ૭-૮. શબ્દાર્થ - પંચ-દસ-કમ-ભૂમિસ-પંદર કર્મભૂમિઓમાં. ઉપન્ન ઉત્પન્ન થયેલા. સત્તરી=00. જિગાણ-જિનેશ્વર ભગવંતો. સયંસો. વિવિહરયાણાઇ-વોવ-સોહિએ જુદાં જુદાં રત્નો વગેરેના રંગ જેવા શોભતા. હર=દૂર કરો. દુરિઆઈ=પાપો. ૯ 'પંચ-દસ-કસ્મ-ભૂમિસ, ઉષ્પન્ન “સત્તરી જિણાણ સયા વિવિહ-યણાઈ-વનો, વ સોહિ હરઉદુરિઆઈ લા. ગાથાર્થ :- પંદર કર્મભૂમિઓમાં ઉત્પન્ન થયેલાં, જુદાં જુદાં રત્નો વગેરેના રંગ જેવા શોભતા “એકસો સિત્તેર જિનેશ્વર ભગવંતો પાપો દૂર કરો.૯ શબ્દાર્થ :- ચઉતીસ-અઇસય-જુઆ ૩૪ અતિશયો સહિત. અઠ-મહા-પાડિહેરક્ય-સોહા અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા. તિસ્થયરાતીર્થંકર ભગવંતોનું. ગય-મહાનિર્મોહી. ઝાએથવા ધ્યાન ધરવું જોઈએ. પયગં=ખાસ પ્રયત્નપૂર્વક. ૧૦ 'ચઉતીસ-અસય-જુઆ,- “અ-મહા- પાડિહેર-કય-સોહા *હિત્ય-ચરા ગય-મોહા,- “ઝાએઆવ્યા પયત્તેણં ૧ ગાથાર્થ :- ૩૪ 'અતિશય સહિત અને અષ્ટ મહાપ્રતિહાર્યથી શોભતા નિર્મોહી 'તીર્થંકર ભગવંતોનું ખાસ પ્રયત્નપૂર્વક ધ્યાન ધરવું જોઈએ. ૧૦ શબ્દાર્થ :- વર-કય-સંખ-વિદ્યુમ-મરણય-ઘણ-સંનિહaઉત્તમ-સોનું, પરવાલા, નીલમ અને વરસાદ જેવા રંગવાળા. વિગય-મોહ મોહ વગરના. સત્તરિ-ય=એકસો સિત્તેર, જિગાણ =જિનેશ્વર ભગવંતોને. સવામર-પૂઇઅં સર્વ દેવોએ પૂજેલા. વદે વંદન કરું છું. ૧૧ Page #804 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૩૧ વર-કણય-સંખ-વિદુમ-મરગય ઘણ-સનિહંગિય-મોહ. “સત્તરી-સયં-જિણાણં, સવ્વામર-પૂઈએ વંદે સ્વાહા ૧૧ ગાથાર્થ :- ' ઉત્તમ-સોનું, શંખ, પરવાળા, નીલમ અને વરસાદ જેવા રંગવાળા, મોહ વગરના અને સર્વ દેવોએ પૂજેલા એકસો સિત્તેર “જિનેશ્વર ભગવન્તોને વંદન કરું છું. “સ્વાહા. ૧૧ શબ્દાર્થ:-ભાવણ-વ-વાણમંતર-જોઇસ-વાસી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક. વિભાગવાસી વૈમાનિક. અઅને. જે=જે. કે કોઈ. વિહોય. દુર-દેવા દુષ્ટ દેવો. તે તે. સર્વેસર્વે. ઉવસગંતુ= શાંત થાઓ. મમ=મારા ઉપર. ૧૩ ૧૩ ભવણ-વ-વાણમંતર-જોઈસ-વાસી વિભાણ-વાસી અ “જે કેવિ દુ-દેવા તે સબ્બેઉવસંમતુમમ"સ્વાહા૧રા ગાથાર્થ :- ૪ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, માનિક અને [બીજ] જે કોઈ પણ “દુષ્ટ દેવો હોય, તે સર્વે મારા ઉપર શાંત થાઓ. સ્વાહા. ૧૨ શબ્દાર્થ:- ચંદણ-કપૂર્ણ ચંદન અને કપૂરે કરી. ફલએ-પાટિયા ઉપર વિહિઊણઆલેખીને. ખાલિ ધોઈને, પીએ=પીધેલ. એનંતરાઈ-ગણ-ભૂઅ-સાઈણિમએકાન્તરીયો તાવ, ગ્રહ, ભૂત, શાકિનીનો. ઉગે ભયંકરપાણાસઈ નાશ કરે છે. ૧૨. "ચંદણ-કપૂરેણં, ફલએ લિહિઊણખાલિએ પીએ * એનંતરાઈ-ગહ -ભુઅ-સાઈણિ-મુઞ પણાસેઈI૧૩ ગાથાર્થ :- ચંદન અને કપૂરે કરી પાટિયા ઉપર આલેખી ધોઈને પીધેલ [મંત્ર] ભયંકર એકાન્તરીઓ તાવ, ગ્રહ, ભૂત, શાકિનીનો નાશ કરે છે. ૧૩ શબ્દાર્થ - ઇઅએ પ્રમાણે. સત્તરિ-ય-જાં એકસો સિત્તેરનો યંત્ર. સમં ઉત્તમ. મંતમંત્રવાળો. દુવારિબારણા પર. પડિલિહિઅં આલેખીને. દુરિઆરિ વિજયવંતં પાપો અને શત્રુઓ ઉપર વિજય મેળવનાર. નિર્ભત નિ:શંકપણે. નિશ્ચમદરરોજ. અહ=પૂજો. ૧૪ *ઇઅ સત્તરિ-સર્યજંત, સમ્મ મતદુવારિ પડિલિહિ "દુરિઆરિ– વિજયવંત, નિર્ભતનિશ્ચમચ્ચેહi૧૪ Page #805 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ગાથાર્થ :- પાપો અને શત્રુઓ `ઉપર વિજય મેળવનાર ‘ઉત્તમ મંત્રવાળો એકસો સિત્તેરનો `યંત્ર એ ‘પ્રમાણે બારણામાં આલેખીને નિ:શંકપણે તેની ॰દરરોજ ``પૂજા કરો. ૧૪. વિશેષાર્થ :- આ સાથે આ સ્મરણમાં બતાવેલો સર્વતોભદ્ર યંત્ર આપવામાં આવેલ છે. આમાંના મંત્રાક્ષરો મંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે જુદા જુદા સંકેતો છે. મંત્રશાસ્ત્ર એટલે જુદા જુદા અક્ષરો સાથે કુદરતની જુદી જુદી શકિત અને દેવોના કાર્યસાધક અને પદ્ધતિસર સંકેતો. મંત્રશાસ્ત્રમાંથી તેના અર્થો જાણી લેવા. આ સ્તોત્ર ઉપરથી બીજા ઘણા મંત્રો થાય છે. તે ટીકા વગેરે યંત્રોવાળા ગ્રંથથી જાણવા. અજિતનાથ ભગવાનના વખતમાં વધારેમાં વધારે સંભવતાં ૧૭૦ તીર્થંકર ભગવંતો વિદ્યમાન હતા. પાંચ ભરતમાં, પાંચ ઐરવતમાં અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયોમાં એમ ૧૭૦ કુલ એકીસાથે વિદ્યમાન હતા. ૭૩૨ આ યંત્ર ગોરોચંદન, કપૂર, ચંદન, કસ્તૂરીનો સાત વાર કાંસાની થાળીમાં લેપ કરીને છાયામાં સૂકવી તેમાં સોનાની સળીથી આ યંત્ર લખી ધૂપ, દીપ, પુષ્પથી પૂજા કરી તે ધોઈને પીવાથી રોગ નાશ પામે છે. તાંબા અથવા ચાંદીના પતરા ઉપર લખીને કે કોતરાવીને પૂજા કરવી અને જરૂર પડે તો તે ધોઈને પીવાથી કાર્યસિદ્ધ થાય છે. Page #806 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૩૩ ૧૭૦નો સર્વતોભદ્ર યત્ર ૮૦ ॐ ह्रीं श्रीं રોહિયે ૪ શ્રી | |િ જ | ઝ શ્ર પ્રજ્ઞત્વે વજાગૃખલાયે વજાડકુંશિકાર્ય નમ: નમ: નમ: નમ: ou 9 | ॐ ह्रीं श्रीं ચક્રેશ્વર્ય નમ: છે ઈ 8 | નરદત્તાર્ય નમ: * ઈ શ્રી કાલ્ય નમ: ॐ ह्रीं श्रीं મહાકાલ્ય નમ: ગી નમ: ॐ ह्रीं श्रीं ગાન્ધાર્યું નમ: ॐ ह्रीं श्रीं મહાજવાલાયે નમ: માનર્થે નમ: : | ॐ ह्रीं श्रीं વૈરાધ્યાય १० હું શ્ર અછુપ્તા નમ: ॐ ह्रीं श्रीं | ॐ ह्रीं श्रीं માનસિકાર્ય મહામાનસિકાર્ય નમ: | નમ: નમ: આ યંત્ર આ ઉપરાંત પણ ઘણી રીતે પૂર્વાચાર્યોએ કરેલો છે, તે છપાયેલા તથા હસ્તલિખિત નવસ્મરણના ટીકાગ્રંથોમાંથી જાણી શકાશે. વિસ્તાર ભયથી અમે અહીં આપતા નથી. Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭. નમિણ સ્તોત્ર. ૫. શબ્દાર્થ :- નમિઊણનમસ્કાર કરી. પાણય-સુર-ગણ-ચુડામણિ-કિરણ-રંજિઅં=નમેલા દેવતાઓના મુગટોનાં કિરણોથી રંગાયેલા. મુણિમુનિના પાર્શ્વનાથ પ્રભુનાં]. ચલણ-જુઅલંબે ચરણોને. મહાભય-પગાસાણં મહાભયોનો નાશ કરનાર. સંવં સ્તોત્ર. વુડ્ઝ કહું છું. ૧ ‘નમિણ પણય-સુર-ગણ-ચૂડામણિ-કિરણ-રંજિએ મુણિણો ચલણ-જુઅલ ‘મહા-ભય-પણાસણ સંથર્વવુચ્છો. ગાથાર્થ :- નમેલા દેવતાઓના મુગટોનાં કિરણોથી રંગાયેલા મુનિના [શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં] બે ચરણોને નમસ્કાર કરી, “મહાભયોનો નાશ કરનાર સ્તોત્ર કહું છું. ૧ ૧. રોગના ભયનો નાશ. શબ્દાર્થ :- સડિય-કરણ-ચરણ-નહ-મુહ-નિબુ-નાસા સડી ગયેલા હાથ, પગ, નખ, મોઢાવાળા, બેસી ગયેલા નાકવાળા. વિવ-લાયન્ના નાશ પામેલા લાવણ્ય (શોભા) વાળા. કુઠ-મહા-રોગા- ડનલ-કુલિંગ-નિદિઢ-સબંગા-કોઢ મહારોગરૂપી અગ્નિના તણખા વડે આખા અંગે દાઝી ગયેલા. તે તેઓ. તુહત્તમારા. ચલાણા-છ-રાહણ સલિલંજલિ-સેય-વુઢિય-ચ્છાયા ચરણોની આરાધનારૂપી પાણીની અંજલી છાંટવાથી વધતી કાન્તિવાળા. વણ-દવ-દઢાવનના દાવાનળથી બળેલા. ગિરિ-પાયવ-પર્વત ઉપરનાં ઝાડોની પડે. પત્તાકપામે છે, થાય છે. પુણો ફરીથી. લચ્છેિ શોભા, નવપલ્લવ. ૨-૩ *સડિય-કર-ચરણ-નહ-મુહ-નિબુ-નાસા વિવન-લાયના •કુઠ-મહા-રોગાડશનલ-કુલિંગ-નિદ્રઢ-સર્વાંગારા તે તુહ ચલણા-ડડરાહણ-સલિલંજલિ-સેય-વુઢિય-છાયા વણ-દવ-દઢા ‘ગિરિ-પાયવ-વ્યપત્તા ‘પુણો "લચ્છિ3 ગાથાર્થ :- "સડી ગયેલા હાથ, પગ, નખ અને મોઢાવાળા, બેસી ગયેલા નાકવાળા, નાશ પામેલા લાવણ્ય [શોભા]વાળા, કોઢ, મહારોગરૂપી અગ્નિના તણખા વડે આખા અંગે દાઝી ગયેલા 'તેઓ, તમારાં ચરણોની આરાધના કરી પાણીની અંજલી છાંટવાથી વધતી કાન્તિવાળા થઈને વનના દાવાનળથી બળેલા “પર્વત ઉપરનાં ઝાડોની પેઠે ફરીથી શોભા પામે છે - નવપલ્લવિત થાય Page #808 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૩૫ છે. -૩ ૨. પાણીના ભયનો નાશ શબ્દાર્થ :- દુવ્યાય-બુભિય વંટોળિયાથી ખળભળેલાં. જલનિહિ- સમુદ્રમાં. ઉભડકલ્લોલભીસણા-રાવે મોટા મોટા તરંગોના ભયંકર અવાજવાળા. સંભંત-ભય-વિસંહુલ-નિઝામયમુક-વાવારે ગભરાયેલા અને ભયથી વ્યાકુલ ખલાસીઓએ મહેનત છોડી દીધી છે એવા. ૪ અ-વિદલિએ-જાગવત્તા અખંડ વહાણ સાથે. ખાણ ક્ષણ વારમાં. પાવંતિ પહોંચી જાય છે. ઇચ્છિઅંધારેલા. કુલ સ્થળે, કઠિ. પાસ-જિગ-ચલણ-જુઅલ પાર્શ્વનાથ પ્રભુના ચરણકમલને. નિચ્ચે હંમેશાં. ચિઅપણ. જે=જે. નમંતિ નમે છે. નરા માણસો. ૫ 'દુવ્વાય-બુભિય-જલ-નિહિ-ઉભડ-કલ્લોલ-ભીસણા-ડડરાવે સંભૂત-ભય-વિસંકુલ-નિઝામય-મુક-વાવારે જા "અ-વિદલિએ-જાણવત્તા, ખPણ અપાવંતિ ઇચ્છિકુલા ‘પાસ-જિણ-ચલણ-જુઅલ, નિર્ચ ચિએ જેનમંતિનરા પા ગાથાર્થ :- 'વંટોળિયાથી - ખળભળેલા, મોટા મોટા તરંગોના ભયંકર અવાવાળા અને જેમાં ગભરાટ અને ભયથી બેબાકળા નિરાશ ખલાસીઓ બેસી રહ્યા છે, એવા સમુદ્રમાં પણ 'જે માણસો શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણકમલને હંમેશાં નમે છે, [તેઓ] અખંડ “વહાણ સાથે "ક્ષણવારમાં ધારેલા “સ્થળે-કાંઠે પહોંચી જાય છે. ૪-૫ ૩. અગ્નિ ભયનો નાશ શબ્દાર્થ :- ખર-૫વણçય-વાણ-દવ-જાલાવલિ-મિલિય-સયલ-દુમ-ગણે આકરા પવનથી ચમક્તા વનદાવાનળની જ્વાલાઓથી એકાકાર થઈ ગયેલ જણાતા ઝાડની ઝુંડોવાળા. ડઝંત-મુદ્ધમય-વહુ-ભીસાગ-રવ ભીષાગમિત્રબળતી ભોળી મૃગલીઓની ચીસોથી ભયંકર બનેલા. વાગે વનમાં. ૬. જગ-ગુરણો =જગદ્ગુરુ [શ્રી પાર્શ્વનાથના]. કમ-જુઅલંબે ચરણોને. નિવ્યાવિઅસયલ-તિ-આણા-ભાઅં ત્રણેય લોકને શાંતિ આપનાર. જે=જે. સંભતિયાદ કરે છે. માણઆ= માણસો. ન=નથી. કુણઈ કરી શકતો. જલાણો અગ્નિ. ભયંકભય. તેસિંગતેઓને. ૭ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો 'ખર-પાવશુદ્ધઅ-વણ-દવ-જાલા-ડવલિ-મિલિય-સયલ-દુમ-ગણેT ઝંત-મુદ્ધ-મય-વહુ-ભીસણ-વ-ભીષણમિ વણે દો જગ-ગુરુણો-કમ-જુઅલ નિવ્યાવિઅ-સયલ-તિ-હુઅણા-ડડભો જેસંભતિ મણુઆ, નકુણઈ"જલણો ભયંસેસિંગા ગાથાર્થ:- આકરા પવનથી ભભકતા વન દાવાનળની જવાળાઓ ઉપર જ્વાળાઓથી એકાકાર થઈ ગયેલા જણાતા ઝાડનાં ઝુંડોવાળા અને બળતી ભોળી મૃગલીઓની ચીસોથી ભયંકર બનેલા વનમાં, ત્રણેય લોકને શાંતિ આપનાર જગદ્ગુરુ(શ્રી પાર્શ્વનાથ પ્રભુ)નાં બે ચરણોને જે “માણસો યાદ કરે છે, તેઓને "અગ્નિ કાંઈપણ “ભય કરી શકતો "નથી. ૬-૭ ૪. વિષના ભયનો નાશ શબ્દાર્થ :- વિલસંત-ભોગ-ભીસણ-કુરિઆ-ગ-નયણ-તરલ-જિહાલ ચમકતા શરીર વડે ભયંકર તગતગતાં લાલ નેત્રોવાળા અને લપલપતી જીભવાળા. ઉગ્ન-ભુજંગઝેરી નાગને. નવ-જલય-સત્યોં નવા મેઘ જેવો કાળો. ભીસણા-ક્યારં ભયંકર આકારનો. ૭. મન્નતિગણે છે. કીડ-સરિસં-નાના કીડા જેવો. દૂર-પરિષ્કૃઢ-વિસમ-વિસ વેગાગમે તેવું ભયંકર ઝેર ચડ્યું હોય, તો પણ તેને ઉતારી નાંખે છે. તુહતમારા. નામ-ફખર-ફુડ-સિદ્ધમત-ગુઆ નામાક્ષર રૂપી ચોખ્ખા સિદ્ધ મંત્ર વડે જબરા. નરા માણસો. લોએ લોકમાં. ૮ વિલસંત-ભોગ-ભીસણ-કુરિઆ-વરુણ-નયણ-તરલ-જિહાલા “ઉષ્ણ-ભૂજંગ નવ-જલય-સત્યહ ભીસણા-ડડયારા "મનંતિ "કીડ સરિસ, દૂર-પરિષ્કૃઢ-વિસમ-વિસ-વેગા 'તુહનામફખર ફુડ-સિદ્ધ-મત-ગુરુઆ નરા લોએ લા ગાથાર્થ :- 'તમારા નામાક્ષર રૂપી ચોખ્ખા સિદ્ધયંત્ર વડે લોકમાં જબરા થયેલા માણસો, ચમકતા શરીર વડે ભયંકર, 'તગતગતા લાલ નેત્રોવાળા અને લપલપતી જીભવાળા, નવા મેઘ જેવા કાળા અને ભયંકર “આકારના ઝેરી નાગને એક નાના કીડા જેવો "ગણીને ગમે તેવું ભયંકર ઝેર ચડ્યું હોય તો પણ તેને ઉતારી નાંખે છે. ૮-૯ Page #810 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૭૩૭ ૫. ચોરના ભયનો નાશ શબ્દાર્થ :- અડવીસુ ગાઢ જંગલમાં. ભિલ તકર-પુલિંદ-સલ-સદ-ભીમાસુ ભીલો, ચોર, શિકારીઓ અને સિંહોની ચિચિયારી અને ગર્જનાથી ભયંકર. ભય-વિહુર-ચુન્ન-કાયર-ઉલૂરિય-પહિઅને સત્યાસુ બીકથી ગભરાયેલા અને કંટાળેલા, બાપડા મુસાફરો તથા કાફલાઓ જેમાં લૂંટાઈ જાય છે. ૧૦ અ-વિદ્યુત્ત-વિહવ-સારા=કિંમતી વસ્તુઓ લૂંટાવ્યા વિના. તુહ તમને. નાહ! હે નાથ! પણામ-મન-વાવારા માત્ર પ્રણામ જ કરનારા. વવગય-વિશ્થા=નિર્વિઘ્ન. સિઘં જલદીથી. પત્તા પહોંચી ગયા છે. હિઅ-ઇચ્છિઅંધારેલા. ઠાણં=ઠેકાણે. ૧૧ “અડવીસુ ભિલ્લ-તફકર-પુલિંદ-સદૂલ-સદ્-ભીમાસુ *ભય-વિહુ-લુન-કાયર-ઉલુરિઅ-પતિ-સત્યાસુI૧ “અ-વિલુર-વિહવ-સારા, “તુહ*નાહાપણામ-મત્ત-વાવારા ‘વવગય-વિઘાસિગ્ધ, પત્તા ‘હિઆઈચ્છિયંઠાણ ૧૧૫ ગાથાર્થ :- 'ભીલો, ચોરો, શિકારીઓ અને સિંહોની ચિચિયારી અને ગર્જનાથી ભયંકર અને બીકથી ગભરાયેલા, અને કંટાળેલા બાપડા મુસાફરો તથા કાફલાઓ જેમાં લૂંટાઈ જાય છે તેવા ગાઢ જંગલમાં-હે! *નાથ ! માત્ર તમને પ્રણામ જ કરનારા કિંમતી વસ્તુઓ લૂંટાવ્યા વિના જ ‘નિર્વિદને ધારેલે ઠેકાણે "જલદી પહોંચી ગયા છે. ૧૦-૧૧ ૬. સિંહના ભયનો નાશ શબ્દાર્થ:- ૫જજલિઆનલ-નયાણં સળગતા અગ્નિ જેવી આંખોવાળા. દૂર-વિષારિય મુહં=ખૂબ ફાડેલા મોઢાવાળા. મહાકાય મોટા મોટા. નહ-કુલિસ-ઘાય-વિઅલિઅ-ગઈદકુંભWલાભો-નખરૂપી વજના ઘાથી મોટા મોટા હાથીઓનાં મોટાં મોટાં કુંભસ્થળોને. પણય-સરંભમ-પસ્થિવ-નહ-મણિ-માણિક-પડિઅ-પડિમસ્સજેના નખરૂપી મણિ અને માણેકમાં એકદમ આવીને પ્રણામ કરતા રાજાઓનાં પ્રતિબિંબો પડે છે. તુહ=આપના. વયાણ-પહરણ-ધરા વચન રૂપી હથિયારો ધારણ કરનારા. સીહં સિંહને. કુદ્ધ=ખિજાયેલા. પિય. , ન=નથી. ગણંતિગણકારતા. ૧૩ *પજ્જલિ-ડબલ-નયણું, દૂર-વિયારિય-મુહ ‘મહા-કાયા 'નહ-કુલિસ-ઘાય-વિઅલિઅ-ગઈદ-કુંભOલા-ડભોલેરા Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ પંચ પ્રતિક્રમણસૂત્રો 'પણય-સસંભમ-પથિવ-નહ-મણિ-માણિક-પડિઅ-પડિમસ્સ | “તુહ વયણ–પહરણ-ધરા, “સીહં યુદ્ધ `°પિ ``ન ``ગતિ ।।૧૩।। ગાથાર્થ :- જેના નખ રૂપી મણિ અને `માણેકમાં એકદમ આવીને પ્રણામ કરતા રાજાઓનાં પ્રતિબિંબો પડે છે, એવા આપના વચન રૂપી હથિયારને ધારણ કરનાર લોકો સળગતા અગ્નિ ‘જેવી આંખોવાળા ખૂબ ફાડેલા મોઢાવાળા, નખરૂપી ‘વજ્રના ઘાથી મોટા મોટા હાથીઓના મોટાં મોટાં કુંભસ્થળોને ચીરી નાંખનારા અને “ખિજાયેલા મોટા સિંહને ય ''ગણકારતા `નથી. ૧૨-૧૩ ૭. હાથીના ભયનો નાશ શબ્દાર્થ :- સિ-ધવલ-દંત-મુસલ-ચંદ્ર જેવા ધોળા અને મુસળ જેવા જાડા દાંતવાળા. દીહકરુલાલ વુદ્ધિ-ઉચ્છાહ=લાંબી સૂંઢ ઉછાળવામાં ઉત્સાહી. મહુ-પિંગ-નયણ-જુઅલં=મધ જેવી પિંગળી આંખોવાળા. સલિલ-નવજલ-હરા-ડડરાવ=પાણીથી ભરેલા શરૂઆતનાં મેઘની જેમ ગર્જના કરતા. ૧૪ ભીમ=ભયંકર. મહા-ગઇદં=મોટા હાથીને. અચ્ચાસત્રં-તદ્દન નજીક આવી પહોંચેલ હોય તેવા. તે તેઓ. ન=નથી. ગાંતિ ગણકારતા. જે જેઓ. તુમ્હ-તમારા. ચલણ-જુઅલંબે ચરણોમાં. મુણિ-વઇ !=હે મુનિપતિ ! તુંગં=મહાન્. સમલીણા-લપાય છે. ૧૫ સસિ-ધવલ-દંત-મુસલં, “દીહ કરુલ્લાલ-વુઢિઉચ્છાહ। `°મહુ-પિંગ-નયણ-જુઅલ, ``સ-સલિલ-નવજલ-હરા-ડરાવં॥૧૪॥ ભીમ મહા-૧૪ગઇંદું, અચ્ચાસનં પિ તે `ન વિ ગણંતિ । રજે તુમ્હે “ચલણ-જુઅલ, મુણિ- વઈ ! 'તુંગં ‘સમલ્લીણા ।।૧૫।। ગાથાર્થ :- હે `મુનિપતિ ! જેઓ ચૈતમારાં મહાન બે ચરણોમાં લપાય છે, તેઓ ચંદ્ર જેવા ધોળા અને મુસળ જેવા જાડા દાંતવાળા, લાંબી સૂંઢ ઉછાળવામાં ઉત્સાહી, મધ જેવી પિંગળી આંખોવાળો, પાણીથી ``ભરેલા શરૂઆતના મેઘની જેમ ગર્જના કરતા, ``ભયંકર અને નજીક આવી પહોંચેલા, મોટા `હાથીને ય ગણકારતા જ નથી. ૧૪-૧૫ ૮. યુદ્ધના ભયનો નાશ શબ્દાર્થ :- સમરમ્મિલડાઈઓમાં. તિક્ષ્મ-ખગ્ગા-ઽભિગ્યાય-પવિદ્ધ-ઉદ્ધય-કબંધે-તીક્ષ્ણ Page #812 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તલવારોના ઘાથી ઉછાળા મારતા માથા વગરનાં ઘડોવાળી. કુંત-વિણિભિન્ન-કરિ-કલહ-મુક્ક-સિક્કારપઉરમ્મિ=ભાલાંઓની અણીઓથી ઘેરાયેલા હાથીઓનાં બચ્ચાંઓની અનેક ચિચિયારીઓવાળી. નિજ઼િઅ-દપ્પુ-મ્બુર-રિઉ-નરિંદ-નિવહા-ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ શત્રુ રાજાઓને જીતી લઈને. ભડા=સુભટો. જસં-યશ. ધવલં=નિર્મલ. પાવંતિ મેળવે છે. પાવ-પતિમણ !=હે પાપોનો નાશ કરનારા ! પાસ-જિણ-પાર્શ્વનાથ પ્રભો ! તુહ“તમારા. પભાવેણ=પ્રભાવથી. ૧૬-૧૭ ૐસમરમ્મિ 'તિક્ષ્મ-ખગ્ગા-ઽભિગ્યાય-પવિદ્ધ-ઉય-બંધે કુંત-વિણિભિન્ન-કરિ-કલહ-મુક-સિકકાર-પઉરમ્મિ ||૧ ૬|| ‘નિજિય-દપુન્નુર-રિઉ-નરિંદ-નિવહા “ભડા ``જસં `°ધવલ | પાવંતિ પાવ-૪ પસમિણ ! પાસ-`જિણ ! ‘તુહ પભાવેણ ।।૧ળા ગાથાર્થ :- તીક્ષ્ણ તલવારોના ઘાથી ઉછાળા મારતા માથા વગરના ધડોવાળી, ભાલાઓની અણીઓથી ઘોંચાયેલા હાથીનાં બચ્ચાઓની ચિચિયારીઓવાળી લડાઇઓમાં પાપોનોનાશકરનારા ! હે “પાર્શ્વનાથ પ્રભુ ! ‘આપના પ્રભાવથી ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ શત્રુરાજાઓને જીતી લઈને “સુભટો નિર્મળ યશ મેળવે છે. ૧૬-૧૭ ૯. રોગાદિ આઠેય મહાભયોનો નાશ શબ્દાર્થ :- રોગ-જલ-જલણ-વિસ-હર-ચોરારિ-મêદ-ગય-રણ-ભયાŪ=રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચોર, શત્રુ, સિંહ, હાથી, લડાઇના ભયો. પાસ-જિણ-નામ-સંકિત્તણેણ-પાર્શ્વનાથ પ્રભુનું નામ લેવા માત્રથી જ. સવ્વાઇ=સર્વ. પસમંતિ શાંત થઈ જાય છે. ૧૮. રોગ-જલ-જલણ-વિસ-હર-ચોરારિ-મદ-ગય-રણ-ભચાઈ | પાસ-જિણ-નામ-સંકિત્તણેણ પસમંતિ સવ્વાઈ ।।૧૮। ગાથાર્થ :- `રોગ, પાણી, અગ્નિ, સર્પ, ચોર, સિંહ, હાથી અને લડાઈનાં સર્વ ભયો પાર્શ્વનાથ ભગવંતનું નામ લેવાથી જ ‘શાંત થઈ જાય છે. ૧૮ ૭૩૯ ૧૦. આ સ્તોત્રનું માહાત્મ્ય. શબ્દાર્થ :- એવું-એ પ્રકારે. મહા-ભય-હર્ર=મહા ભયોનો નાશ કરનાર. પાસ જિણિંદમ્સ પાર્શ્વનાથ ભગવંતનું. સંઘવTMસ્તવન. ઉઆર-ઉદાર. ભવિઅ-જણા-ડઽણંદ-પરં= Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભાવિક લોકોને આનંદ આપનાર. કલાણ-પરંપર-નિહાળં કલ્યાણ પરંપરાનો ભંડાર. ૧૯ રાય-ભય-જખ-રખસ-કુસુમિગ-દુલ્સગ-રિકખ-પીડાસુરરાજાનો ભય, યક્ષ, રાક્ષસ, કુસ્વપ્ન, ખરાબ શકુન અને ગ્રહની પીડા વખતે. સંઝાસુસંધ્યાઓએ. દોસુ બે પંથે રસ્તામાં. ઉવસગે કષ્ટ વખતે. ય=અને. રયાણીસુ=રાત્રિઓમાં. ૨૦ જોજે. પઢઇ-ભણે. જો જે. અઅને. નિસુણઈ સાંભળે. તાણં તેઓને. કાંણો કવિ. માણતુંગલ્સમાનતુંગસૂરિના. પાસો-પાર્શ્વનાથ પ્રભુ. પાવ પાપોને. પસમેઉ નાશ કરો. સયલ-ભુવાણ-ચ્ચિય-ચલણો ત્રણ ભુવનમાં પૂજાતાં ચરણોવાળા. ૨૧ 'એવું મહા-ભય-હર પાસ-જિણિંદસ સંઘવમુઆરં ભવિય-જણા-ડડણંદ-પર 'કલ્યાણ-પરંપર-નિહાણ Inલા ‘રાય-ભય-જખ-રફખસ-કુસુમિણ-દુસ્સઉણ-રિફખ-પીડાસા “સંઝાસુ દોસુ"પંથે, “ઉવસગ્ગતહાય જયણાસુરની જો "પઢઈ “જો અનિસુણઈ, તાણ કઇણો "માણ તુંગર્સ ઉપાસો અપાવે સમેઉ, "સયલ-ભુવણશ્ચિઅ-ચલણો ૨૧ ગાથાર્થ - 'આ પ્રકારે મહાભયોનો નાશ કરનાર, ભાવિક લોકોને આનંદ આપનાર અને કલ્યાણની પરંપરાનો ભંડાર, “પાર્શ્વનાથ ભગવંતનું ઉદાર સ્તવન, રાજાનો ભય, ‘યક્ષ, રાક્ષસ, કુસ્વપ્ન, અપશુકન અને ગ્રહની પીડા વખતે, બે સંધ્યાઓએ, રસ્તામાં, કષ્ટ વખતે અને "રાત્રિઓમાં “ભણે, અને “જેસાંભળે, તેઓના અનેકવિમાન,ગરિનાં પાપોનો ત્રણેય ભુવનમાં પૂજાયેલા ચરણવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ નાશ કરો. ૧૯-૨૦-૨૧ શબ્દાર્થ :- ઉવસગ્ગત ઉપસર્ગ પછી. કમઠા-સુરમિત્રકમઠ અસુરના. ઝાણાઉ ધ્યાનથી. જો=જે. ન=નથી. સંચલિઓ=ચલાયમાન થયા. સુર-નર-કિન્નર-જુવઈહિં દેવો, મનુષ્યો અને કિન્નરોની જુવાન સ્ત્રીઓ વડે. સંઓ સ્તુતિ કરાયેલ. જયઉ=જય પામો. પાસ-જિણો પાર્શ્વનાથ ભગવાન. ૨૨ ઉવસગ્મતે કમઠાન્ડરશ્મિ 'ઝાણાઉજો ન સંચલિઓ સુર-નર-કિન્નર-જુવઈહિં સંયુઓ“જયઉપાસ-જિણો મારા ગાથાર્થ :- કમઠ અસુરના ઉપસર્ગ પછી પણ જેઓ ધ્યાનથી ચલાયમાન થયા નથી, Page #814 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૧ તે-દેવો, મનુષ્ય અને કિન્નરોની જુવાન સ્ત્રીઓ વડે ‘સ્તુતિ કરાયેલા શ્રી પાર્શ્વનાથ ભગવંત જય પામો. ૨૨ શબ્દાર્થ :- એઅસ્સ=. મઝયાયરેકમાં, મધ્યમાં. અઢારસ-અફખરેહિં અઢાર અક્ષરનો. જોજે. મંતોમંત્ર. જો જે. જાણઇ=જાણે છે. સોનતે. ઝાયઇ ધ્યાન કરે છે. પરમ-૫યયંત્ર પરમપદ-મોક્ષમાં રહેલ. ફુડ સ્પષ્ટ. પાસે પાર્શ્વનાથ ભગવંતનું. ૨૩ 'એબસ્સ મજઝયારે, અઠારસ-અખરેહિં જો સંતો "જો જાણઈ સો ઝાયઈ, પરમ-“પયત્વે "ફડ પાસારા ગાથાર્થ :- આમાં અઢાર અક્ષરનો મંત્ર છે, તે, જે જાણે છે, તે-પરમ-પદ “મોક્ષમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનનું સ્પષ્ટ ધ્યાન ધરી શકે છે. ર૩ શબ્દાર્થ :- પાસણ=પાર્શ્વનાથ પ્રભુનું. સમરાણં સ્મરણ. જે=જે. કુણઈ કરે છે. સંતુ હિયણ પ્રસન્ન હૃદયથી. અદ્યુત્તર-સય-વાહિ-ભય-૧૮ રોગોની બીકે. નાસઈ નાસી જાય છે. તસ્ય તેના. દૂરણ દૂર. ૨૪ “પાસહ સમરણં જો, "કુણઈ સંતુષ્ઠ-હિયએણો અદ્યુત્તર-સય-વાહિ-ભય “નાસઈ તસ્સ દૂરણ રજા ગાથાર્થ :- જે પાર્શ્વનાથ પ્રભુનું પ્રસન્ન હૃદયથી સ્મરણ કરે છે, તેની ૧૮ રોગોની બીક દૂર નાસી જાય છે. વિશેષાર્થ :- નમિ પણ વિસર વરપુર્તિ આ અઢાર અક્ષરના ચિંતામણિ મંત્રનો જાપ અનેક પ્રકારે થાય છે, તથા આ સ્તોત્રમાં અનેક પ્રકારે મંત્રાસ્નાયો બતાવેલ છે. તે ટીકા ગ્રંથો વગેરેથી વિશેષાર્થીએ જાણી લેવું. ७८. लश्ताभर-स्तोत्र-७ મંગલાચરણ શબ્દાર્થ :- ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાગામ [પ્રણામ માટે] ભકતદેવોના ઢળેલા મુગટોમાં મણિઓની કાન્તિમાં. ઉદ્યોતક વધારે પ્રકાશ ઉમેરો કરતા. દલિત-પાપ-તો Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ પંચ પ્રતિકમણસૂત્રો વિતાનમ પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર. સમ્યફ બરાબર, પ્રણમ્ય પ્રણામ કરીને. જિન-પાદ-યુગ જિનેશ્વર પ્રભુનાં બે ચરણોને. યુગાદૌ યુગની શરૂઆતમાં. આલઅન ટેકા રૂપ. ભવ-જલે સંસાર સમુદ્રમાં. પતતા ડૂબતાં. જનાના લોકોને. ૧ ય:=જે. સંસ્તુત:સ્તુતિ કરી છે. સકલ-વાલ્મ-તત્ત્વબોધાત=સકલ શાસ્ત્રોના તત્વબોધથી. ઉદ્દભૂત-બુદ્ધિ-પટુભિઃ ઉત્પન્ન થયેલ બુદ્ધિથી ચતુર. સુર-લોક-નાપૈ: દેવેન્દ્રોએ. સ્તોત્ર સ્તોત્રોએ કરીને. જગત-ત્રિતય-ચિત્ત-હર: ત્રણ જગતને ગમે તેવા. ઉદરે ઉદાર આશયવાળા. સ્તોળે સ્તુતિ કરીશ. અહમ હું. અપિ =પણ. તંતે. પ્રથમ પહેલાં. જિનેન્દ્રમ તીર્થંકર પરમાત્મા [આદીશ્વર પ્રભુને. ૨ ભક્તા-ડમર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ “સમ્યફ પ્રણમ્ય જિન-પાદ-યુગે યુગાદા - “વાલમ્બનું ભવ-જલે પતતાં જનાનામ્ ના : સંસ્તુત:“સકલ-વાડ્મય-તત્ત્વ-બોધા દુભૂત-બુદ્ધિ-પટુભિઃ સુર-લોક-ના: I સ્તોત્ર ઊર્જગત્રિતય-ચિત્ત -હરદારે સ્તોષે “કિલામપિ તે પ્રથમ "જિનેન્દ્રમ્ રા. ગાથાર્થ :- [પ્રણામ માટે] ભકતદેવોના ઢળેલા મુગટોમાં [ઝગમગતા] મણિઓની કાંતિમાં વધારે પ્રકાશ ઉમેરનાર, પાપરૂપ અંધકારના સમૂહોનો નાશ કરનાર, સંસાર સમુદ્રમાં ડૂબતા લોકોને યુગની શરૂઆતમાં ટેકા “રૂપ, જિનેશ્વરપ્રભુનાં બે ચરણોને બરાબર-શ્રદ્ધા, સમજ અને મસ્તકાદિ નમાવવા[પ્રણિધાન]પૂર્વક પ્રણામ કરીને, પહેલાં તે તીર્થંકર પરમાત્માશ્રી આદિનાથ પ્રભુની "હું પણ “સ્તુતિ કરી શકે, જે [પરમાત્મા]ની “સકળશાસ્ત્રોના તત્વબોધથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી ચતુર દવેન્દ્રોએ પણ જગતને ગમી જાય તેવા ઉદાર આશયવાળા સ્તોત્રોએ સ્તુતિ કરી છે. ૧-૨ સ્તુતિ કરવામાં મારી અશક્તિ શબ્દાર્થ :- બુદ્ધયા=બુદ્ધિ. વિના વગરનો. અપિ = છતાં. વિબુધા-કર્ચિત-પાદ-પીઠ != દેવોએ કે વિદ્વાનોએ સેવાયેલા ચરણ મૂકવાના પાટલાવાળા. સ્તોતું=સ્તુતિ કરવા. સમુદત-મતિ: ઈચ્છું છું. Page #816 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૭૪૩ વિગત-ત્રપ: બેશરમ, બાલ-બાલક. વિહાય વિના, છોડીને. જલ-સંસ્થિતમ પાણીમાં પડતું. ઇન્દુ બિલ્બ ચંદ્રનું પ્રતિબિમ્બ. અન્ય =બીજે. કકકયો. ઇચ્છતિ ઈચ્છે છે. જન:=માણસ. સહસા=એકદમ. ચહીતમ=પકડવાને. ૩ "બુદ્ધયા વિના-ન્ડપિ વિબુધા-કર્ચિત-પાદ-પીઠ! સ્તોતું સમુદ્યત-મતિર્વિગત-પોહમ્ ‘બાલં વિહાય જલ-સંસ્થિતમિ"-બિમ્બ "મન્ય: ", 'ઇચ્છતિ 'જન: સહસા ગ્રહ તુમ? તેવા ગાથાર્થ:- દેવોએ – કે વિદ્વાનોએ સેવાયેલા ચરણ મૂકવાના પાટલાવાળા ! હે પ્રભુ ! બુદ્ધિ વગરનો છતાં 'બેશરમ "હું (આપની) સ્તુતિ કરવા ઇચ્છું છું. ખરેખર ! નાનાં બચ્ચાં ‘વિના પાણીમાં પડતું ચંદ્રનું પ્રતિબિમ્બ “એકદમ પકડવાને બીજે ક્યો “માણસ ઈચ્છે? ૩ આપના અગાધ ગુણો વર્ણવવાની કોઈની યે શક્તિ નથી શબ્દાર્થ:- વજું વર્ણન કરવાને. ગુણાનુ ગુણોનું. ગુણ-સમુદ્ર હે ગુણોના સાગર પ્રભુ! શશાકકાના ચંદ્ર જેવા ચમકતા. કા કોણ. તે આપના. ક્ષમા સમર્થ છે. સુર-ગુરુ-પ્રતિમા બૃહસ્પતિ જેવો. કલ્પા- કન્ત-કાલ-પવનોદ્ધત-ન-ચ કલ્પાન્તકાળના પવનથી ઉછાળા મારતા મગરમચ્છોનાં ટોળાવાળા. ક કોણ. તરતુમ તરી શકે. અબુ-નિધિં સમુદ્રને. ભુજાભ્યામ બે હાથથી. ૪ "વતું ગુણાનું ગુણ-સમુદ્રા!'શશાક-કાન્તાન “કસ્ત" "ક્ષમ: સુર-ગુરુ-પ્રતિમોડપિ બુદ્ધયા? . ''કલ્પા-ડઃ-કાલ-પવનોદ્ધત-નક-ચક્ર "કો વા "તરીતમલમબુ" - “નિધિં ભુજાભ્યામ્ ? જો ગાથાર્થ :- બુદ્ધિ વડે બૃહસ્પતિ જેવા છતાં પણ, ચંદ્ર જેવા ચમકતા આપના ગુણોનું વર્ણન કરવાને હે ગુણસાગર ! પ્રભો! કોણ સમર્થ છે? કલ્પાન્તકાળના 'પવનથી ઉછાળા મારતા મગરમચ્છોનાં ટોળાવાળા સમુદ્રને બે હાથથી કોણ "તરી શકે છે ? ૪. માત્ર ભક્તિને લીધે જ હું તૈયાર થઈ શક્યો છું શબ્દાર્થ :- સકતે. તથાપિતો પણ. તવતમારા ઉપરની. ભક્તિવશાત=ભકિતને લીધે. Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો મુનીશ!= હે મુનિઓના સ્વામી!કતું કરવા. સ્તવં સ્તુતિ. વિગત-શક્તિ =શક્તિ વગરનો. અપિ છતાં. પ્રવૃત્ત તૈયાર થયો છું. પ્રીયા-પ્રીતિથી, આત્મ-વીર્ય પોતાની શક્તિનો. અવિચાર્યવિચાર કર્યા વગર. મૃગ: મૃગ. મૃગેન્દ્ર સિંહની. અભેતિ હુમલો લઈ જાય છે. કિં=શું ? નિજશિશો પોતાનાં બાળકનાં. પરિપાલનાર્થ રક્ષણ માટે. ૫ સોડહં તથાપિ તવ ભક્તિ-વશાનુનીશ! "કતું સ્તવં વિગત-શક્તિરપિ''પ્રવૃત્ત: | “પ્રીત્યાત્મ- વીર્યમવિચાર્ય'મૃગો મૃગેન્દ્ર અના-ડભેતિ “ક નિજ-શિશો: અપરિપાલનાર્થમ્ ? પા ગાથાર્થ :- તો પણ તેવોયે હું શક્તિ વગરનો છતાં હે મુનિઓના સ્વામી ! તમારા ઉપરની ભક્તિને લીધે જ સ્તુતિ કરવા તૈયાર થઈ શકયો છું. પ્રીતિથી પોતાના બાળકના રક્ષણ માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વિના જ "સિંહની સામે “શું હરણ હુમલો નથી લઈ જતો ? ૫ મારામાં બોલવાની શક્તિ પણ આપના પ્રભાવે જ આવી છે શબ્દાર્થ:- અલ્પ-શ્રુતં થોડા જ્ઞાનવાળા. વ્યુતવતાં જ્ઞાનીઓની. પરિહાસ-ધામ મશ્કરીને પાત્ર. વદ્ભ ક્તિ તમારા ઉપરની ભકિત જ. મુખરી-કુરુતે બોલાવે છે. મામ=મને. યત =જે. કોકિલ: કોયલ. મધચૈત્ર મહિનામાં. મધુર મીઠાં, વિરોતિ ટહુકા કરે છે. તદ્દતે. ચારુ-ચૂત-કલિકા-નિકેરેક-હેતુ: સુંદર આંબાના ઘણા મહોરને લીધે. ૬ અલ્પ-શ્રુતં શ્રુતવતાં પરિહાસ-ધામ “સ્વભક્તિરેવ મુખરીતે બલાત્મામ્ . “યત્નો કિલ: કિલ મધી "મધુવિરૌતિ તથ્યા- “ચૂત-કલિકા-નિકરૅક-હેતુ: દા ગાથાર્થ :- 'જ્ઞાનીઓની મશ્કરીને પાત્ર અને થોડા જ્ઞાનવાળા મને, તમારા ઉપરની ભકિત જ હર્ષથી બોલાવે છે. ચૈત્ર મહિનામાં કોયલ જે "મીઠાં ટહુકા કરે છે, તે ખરેખર સુંદર "આંબાના ઘણા મહોરને લીધે જ હોય છે. ૬ Page #818 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૫ આપની સ્તુતિનો પ્રભાવ શબ્દાર્થ :- સંસ્તવન સ્તુતિથી. ભવ-સંતતિ-સન્નિબદ્ધ અનેક જન્મોની પરંપરાથી બંધાયેલું. પાપં પાપ. ક્ષણાત ક્ષણવારમાં. ક્ષય-નાશ. ઉપૈતિ પામી જાય છે. શરીર-ભાજા પ્રાણીઓનું. આકાન્ત-લોકમ=વિશ્વમાં ફેલાઈ ચૂકેલું. અલિ-નીલમ=ભમરા જેવું કાળું. અશેષમ આખા. આશુ એકદમ. સૂર્યાસુ-ભિન્નમસૂર્યનાં કિરણથી ભેદાયેલું. ઇવ=જેમ. શાર્વરમ રાત્રિનું. અન્ધકારમ=અંધારું. ૬ "વત્સસ્તવેન"ભવ-સન્તતિ- સનિબદ્ધ પાપં “ક્ષણાત્સય મુપૈતિ ''શરીર-ભાજામ્ આક્રાન્ત-લોકમલિ-'નીલમણે ઉપમા સૂર્યાસુ-ભિન્નમિવ શાર્વરમન્ત-ભકારમ્ ગા ગાથાર્થ :- ભમરા જેવું કાળું, આખા વિશ્વમાં ફેલાઈ ચૂકેલું છતાં બધુંયે રાત્રિનું અંધારું જેમ સૂર્યનાં કિરણોથી ભુકકો થઈ જઈ ‘એકદમ નાશ પામે છે, તેમ તમારી સ્તુતિથી અનેક જન્મોની પરંપરાથી બંધાયેલું પ્રાણીઓનું પાપ ક્ષણવારમાં નાશ પામી જાય છે. ૭ એ બધું વિચારીને પણ આપની સ્તુતિ કરી રહ્યો છું. શબ્દાર્થ - મા-વિચારીને. ઇતિએમ. નાથ ! હે નાથ ! સંસ્તવનં-સ્તુતિ. મયા=હું. ઈદ-એ. આરભ્યતે શરૂ કરું છું. તનુધિયા થોડી બુદ્ધિવાળો. પ્રભાવાતપ્રભાવથી. ચેત: મન. હરિષ્યતિ ગમશે. સતા સજ્જનોને. નલિની-દલેષકમળનાં પાંદડા ઉપર પડેલું. મુક્તાફલ-ઘુતિમ=મોતીની કાન્તિ જેવું. ઉપતિ ચમકે છે. ઉદ-બિન્દુ=પાણીનું ટીપું. ૮ મત્કૃતિનાથ! તવ સંસ્તવને મદ "મારભ્યતે તનુ- 'ધિયાડપિ તવ પ્રભાવાત્ ચેતો હરિષ્યતિ “સતાં અનલિની- "દલેષ "મુક્તા-ફલ-ઘુતિમુપૈતિ નન્દ-"બિન્દુ: ૮ ગાથાર્થ :- એમ વિચારીને, હે નાથ ! થોડી બુદ્ધિનો છતાં પણ હું આપની આ સ્તુતિ Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો આપના પ્રભાવથી જ શરૂ કરું છું. તે સજજનોને ગમશે જ. કમળનાં પાંદડા ઉપર પડેલું[કમળના પ્રભાવથી] "મોતી જેવું ચમતું પાણીનું ટીપું “ગમે છે ને ? ૮ સ્તુતિને બદલે આપનું નામસ્મરણ પણ પાપનો નાશ કરે છે શબ્દાર્થ:- આસ્તાં દૂર રહો: અસ્ત-સમસ્ત-દોષ તદ્દન નિદોંષ. વસંકથા તમારી વાત, નામ. જગતાં જગતનું. દુરિતાનિ=પાપ. હન્તિ નાશ કરે છે. દૂર-દૂર. સહ-કિરાણ: સૂર્ય. કુરુતે કરે છે. પ્રભા=પ્રભા. એવ=જ. પદ્મા-ડકરેપુ=પદ્મનાં વનોમાં. જલ-જાનિ=પોને. વિકાશભાબ્રિ વિકસિત. ૯ *આસ્તાં તવ સ્તવનમસ્ત-સ્મસ્ત-દોષ ત્યસંક્વાડપિ જગતાં દુરિતાનિ હન્તિા "દૂરે “સહસ્ર-કિરણ:"કુરુતે પ્રશૈવ પવા-ડકરેછુ જલ- "જાનિ વિકાશ- "ભાજ્જિ II ગાથાર્થ :- તમારી તદ્દન નિર્દોષ સ્તુતિ તો દૂર રહો, પરંતુ તમારું નામ પણ જગતનું પાપ નાશ કરે છે. સૂર્ય તો દૂર રહ્યો, [ પરંતુ તેની] પ્રભાવે પદ્મનાં વનોમાંનાં "પદ્મોને વિકસિત "કરે જ છે. આપના ગુણોની સ્તુતિથી આપના જેવા થવાય છે. શબ્દાર્થ :- અત્યભુતં બહુ આશ્ચર્ય. ભુવન-ભૂષણ-ભૂત-નાથ !=વિશ્વના શણગાર રૂપ પ્રાણીઓના સ્વામી !. ભુત:સારા. ગુણે: ગુણોથી. ભુવિ જગતમાં. ભવનમ આપની. અભિપ્રુવન્ત:સ્તુતિ કરનારા. તુલ્યા: આપ જેવા. ભવન્તિ થાય છે. ભવત: આપના. તેન=તે વડે. ભૂલ્યા આબાદી વડે. આશ્રિત=આશ્રયે રહેલાને. ય=જે. ઇહ આ દુનિયામાં જ. આત્મ-સમં પોતાના જેવો. કરોતિ બનાવે. ૧૦ ના-ડત્યદ્ભુત ભુવન-ભૂષણ-ભૂત-નાથ! ભૂર્તગુણ ભુવિ ભવન્તમભિદુર્વા: “તુલ્યા ભવન્તિ ભવતો"નનુતન કિવા ? "ભૂલ્યા-શ્રિત થઈહનાત્મ-સમં કરોતિ ૧ Page #820 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૭ ગાથાર્થ :- વિશ્વના શણગાર રૂપ હે નાથ ! આપના સાચા ગુણો દ્વારા ‘આપની સ્તુતિ કરનારા જગતમાં “આપના જેવા થાય છે, તેમાં કાંઈ "બહુ આશ્ચર્ય નથી. અથવા, આ "દુનિયામાં જ આથમે "રહેલાને “આબાદી વડે જે પોતાના જેવો જ બનાવે, "અરે ! તે વડે કરીને શું [તે સ્વામી શું કામનો]? ૧૦ આપનું દર્શન કર્યા પછી બીજું કાંઈ પણ જોવાનું મન થતું જ નથી , શબ્દાર્થ :- દફવા જોયા પછી. ભવન્તમ-આપને. અનિમેષ-વિલોકનીયમ એકી નજરે દર્શન કરવા લાયક. ન=નથી. અન્યત્ર=બીજે. તોપમ=સંતોષ. ઉપયાતિ પામતી. જનસ્વ=માણસની. ચક્ષુ આંખ. પીતા પીધા પછી. પય:= પાણી. શશિ-કર-ઘુતિ-દુગ્ધ-સિન્હો: ચંદ્રનાં કિરણ જેવી કાન્તિવાળા ક્ષીરસમુદ્રનું. ક્ષાર ખારું. જલમ-પાણી. જલ-નિધે દરિયાનું. અશિ,પીવાની. ઇચ્છત=ઈચ્છા કરે. ૧૧ દવા ભવન્તમ-નિમેષ-વિલોકનીયા ના-'sન્યત્ર તોષમુ પયાતિ જનસ્ય “ચહ્યું: પીત્યા પય: 'શશિ-કર-ઘુતિ-દુગ્ધ-સિન્ધો: "સારં જલ જલ- નિધેરશિતું કઇછે? ૧૧ ગાથાર્થ :- એકી નજરે દર્શન કરવા લાયક “આપને જોયા પછી માણસની આંખ “બીજે કયાંય સંતોષ પામતી જ નથી. ચંદ્રનાં કિરણ જેવી કાન્તિવાળા ક્ષીર સમુદ્રનું પાણી પીધા પછી, દરિયાનું ખારું પાણી પીવાની ઈચ્છા [૪] કોણ કરે ? ૧૧ આપની અપૂર્વ શાન્તિનું કારણ શબ્દાર્થ:-: જે. શાન્ત-રાગ-રુચિભિઃ શાન્ત રસથી ચમકતા. પરમાણુભિઃ=પરમાણુઓ વડે. તમતમારી. નિર્માપિત રચના થઈ છે. ત્રિભુવનેક-લલામ-ભૂત =હે ત્રણ ભુવનમાં અપૂર્વ તિલક સમાન !. તાવંત: તેટલાં જ. તે તેઓ. આણવ:= પરમાણુઓ. પૃથિવ્યાં પૃથ્વીમાં. વત કેમકે. સમાન જેવું. અપરં બીજું રૂપ રૂપ. અસ્તિ છે. ન=નહીં. હિજ. ૧૨ : શાન્ત-રાગ-રુચિભિઃ 'પરમાણુભિવં નિમપિતસ્ત્રિભુવનેક-લલામ-ભૂત !! WWW.jainelibrary.org Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ''તાવન્ત ``એવ ખલુ તેઽ ખણવ: પૃથિવ્યાં ૧૭ચત્તે૪ ''સમાનમપર'' ન હિ॰ 'રૂપમસ્તિ` ।।૧૨। ૧૯ ગાથાર્થ :- હે ત્રણ `ભુવનના અપૂર્વ તિલક સમાન ! પ્રભો ! 'શાંતરસથી ચમકતા જે પરમાણુઓ વડે તમારી 'રચના થઈ છે, તે પરમાણુઓ પણ 'જગતમાં ``તેટલા જ`` છે, કેમ કે, ``તમારા ``જેવું[પૃથ્વીમાં] ‘બીજું રૂપ નથી જ. ૧૨ ૧૯ ૨૦ વસ્ત્ર કવ તે સુર- નરોરગ-નેત્ર-હારિ ચંદ્ર કરતાંયે આપના મુખની શોભા અવર્ણનીય છે શબ્દાર્થ :- વક્ત્ર=મોં. કવ=કયાં. સુર-નરોરગ-નેત્ર-હારિ=દેવો, મનુષ્યો તથા નાગ લોકોની આંખોને ગમતું. નિ:શેષ-નિર્જિત-જગત્-ત્રિ-તયોપમાન-ત્રણેય જગતમાં દરેકે દરેક ઉપમાનોને જીતી લેનાર. બિમ્બં=બિમ્બ. કલંક-મલિનં-ડાઘથી મેલું. નિશા-કરસ્ય-ચંદ્રનું. ય=જે. વાસરે-દિવસે. ભવતિ=હોય છે. પાણ્ડ-પલાશ-કલ્પ-ખાખરાના પાંદડા જેવું ફિકકું. ૧૩ .. બિમ્બ ‘લંક-મલિન વ નિશા-કરસ્ય ? પંચ પ્રતિક્રમણસૂત્રો નિ:શેષ-નિર્જિત-જગત્ત્રિતયોપમાનમ્ ? । '°ચક્રાસરે'' 'વૈભવિત` પાડુ-પલાશ-લ્પમ્ ॥૧૩॥ ગાથાર્થ :- ત્રણેય `જગતનાં દરેકે દરેક ઉપમાનોને જીતી લેનારું અને દેવો, મનુષ્યો તથા નાગલોકોની આંખોને ગમેલું ‘આપનું 'મોં `કયાં ? અને ‘ડાઘાથી મેલું જણાતું “ચંદ્રનું બિમ્બ કયાં ? કેમ કે, દિવસે'' તે ખાખરાનાં પાંદડાં ``જેવું [ફિકકું] `હોય છે. ૧૩. આપ સર્વોત્તમ ગુણી છો શબ્દાર્થ :- સમ્પૂર્ણ-મણ્ડલ-શશાક-કલા-કલાપ-શુભ્રા:=સંપૂર્ણ ગોળ ખીલેલા ચંદ્રની દરેક કળાઓ જેવા સ્વચ્છ. ગુણા:-ગુણો. ત્રિ-ભુવનં-ત્રણ ભુવનને, લઘયન્તિ-ટપી જાય છે. યે=જેઓ. સંશ્રિતા:ઓથે રહ્યા હોય. ત્રિ-જગદીશ્વર-નાથ=ત્રણ જગતના નાથને. એકં=એક જ. તાન્—તેને. નિવારયતિ-રોકી શકે. સંચરત:=ફરતાં. યથેન્ન=મનમાં ફાવે તેમ. ૧૪. Page #822 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૯ 'સંપૂર્ણ-મણ્ડલ-શાશ્ક-કલા-કલાપ શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લઘયન્તિા “યે સંશ્રિતાસ્ત્રિ-જગદીશ્વર-નાથને કસ્તા° નિવારયતિ સંચરતો 'યથેષ્ટમ ? ૧૪ ગાથાર્થ :- સંપૂર્ણ ગોળ ખીલેલા ચંદ્રની 'સર્વ કળાઓ જેવા સ્વચ્છ તમારા ગુણો ત્રણ ભુવનને ટપી જાય છે, જેઓ ત્રણ જગતના ‘એક જ નાથને ઓથે રહ્યા હોય, તેને મનમાં "ફાવે તેમ ફરતાં કોણ “રોકી શકે છે? ૧૪. આપના મનની અડગતા મેરુ જેવી જ છે શબ્દાર્થ:- ચિત્રે=આશ્ચર્ય. કિશું ? ત્રિ-દશાહનાભિઅપ્સરાઓ. નીતં લઈ જવું. મનાગજરા પણ. મન =ચિત્તને. વિકાર-માર્ગમ=વિકારને રસ્તે. કલ્પા-ડન્સ-કાલ-મરુતા કલ્પાન્તકાળના પવન વડે કરીને. ચલિતા-ડચેલેન=પહાડોને ધ્રુજાવતા. મંદારા-દ્ધિ-શિખરં મેરુનું શિખર. ચલિતંગ કંપ્યું છે. કદાચિકોઈ દિવસ. ૧૫. ચિત્ર"મિત્ર યદિ તે ત્રિ-દશા-ડક્શનાભિ “નત "મનાગપિfમનો ‘ન વિકાર-માર્ગમ્ ? જલ્પા-ડા- *કાલ-મરુતા ચલિતા-ડચલેન" "૬િ મંદારા-ડદ્ધિ-શિખર “ચલિત "કદાચિત્ ? ૧પણા ગાથાર્થ :-અપ્સરાઓ પણ જે તમારા ચિત્તને જરા પણ વિકારને રસ્તે ન લઈ જઈ શકી, તો એમાં "શું આશ્ચર્ય છે ? પહાડોને કંપાવતા “પ્રલયકાળના પવન વડે કરીને પણ શું કોઈ પણ દિવસ મેરુનું શિખર ડોલ્યું છે કે ? ૧૫. આપ નવીન જ જાતના દીવા છો. શબ્દાર્થ:- નિધૂમ-વર્તિ: ધુમાડા અને દિવેટ વગરનો. અપવર્જિત-તૈલ-પુર: તેલ પૂર્યા વગરનો. કૃમ્ન=આખાયે. જગન્ઝયમ-ત્રણ જગતું. ઇદં આ. પ્રકટીકરોષિ બતાવી આપો છો. ગમ: આવતો. જાતુ કોઈ દિવસ. મરુતાં= પવનના. ચલિતા-ડચલાનાં પહાડ કંપાવનાર. દીપ:=દીવો. અપર: કોઈ જુદી જ જાતનો. જગત-પ્રકાશ=જગત આખામાં પ્રકાશ કરનારો. ૧૬. Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ પંચ પ્રતિક્રમાગસુત્રો 'નિધૂમ-વર્નિરપવર્જિત તેલ-પૂર; "કૃત્મ "જગત્રયમિદં પ્રકટીકરોષિા "ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ડલાનાં દીપો પરત્વમસિ નાથ ! જગત્રકાશ: I૧દા ગાથાર્થ :- 'ધુમાડા અને દિવેટ વગરના તેલ પૂર્યા વગરના અને જગત આખામાં પ્રકાશ કરતા, હે નાથ! "તમે કોઈ જુદી જ જાતના દીવા ‘છો. ‘આ ત્રણ જગત આખાને બતાવી આપી છે, છતાં પહાડો કંપાવનારા પવનના ઝપાટામાં કોઈ પણ દિવસ "આવતા નથી. ૧૬ આપ નવીન જ જાતના સૂર્ય છો શબ્દાર્થ:- અસ્ત-અસ્ત. કદાચિત કોઈ દિવસ. ઉપયાસિ પામે છે. ન=નથી. રાહુ-ગમ્ય =રાહુથી પકડાવું. સ્પષ્ટી-કરોષિ સ્પષ્ટ કરે છે. સહસા=એકદમ. યુગપત=એકીસાથે. જગત્તિત્રણ જગતને. અભ્ભો- ધરોદર-નિરુદ્ધ-મહા-પ્રભાવ: વાદળાંઓની વચ્ચે આવી જઈને જેનો પ્રભાવ રોકાતો નથી. સૂર્યા-વતિશાયિ-મહિમા સૂર્ય કરતાં ચઢિયાતા પ્રભાવવાળા. મુન != હે મુનિઓના સ્વામી ! લોકે લોકમાં. ૧૭. ૧ના-ડતં કદા-ચિદુપયાસિ' ન રાહુ-ગમ્ય: સ્પટી કરોષિ સહસા યુગપજગનિ. ''ના-ભ્યો-ધરોદર-નિરુદ્ધ-મહા-પ્રભાવ: સૂર્યા-ગતિશાયિ-મહિમા-'"sસિ મુનીન્દ્ર": "લોકે ૧ળા ગાથાર્થ :- કોઈ દિવસ અસ્ત પામતા નથી, રાહુ અપકડી શકતો નથી, એકી સાથે અને એકદમ જોઈ શકાય તેવી રીતે ત્રણેય જગતને બતાવી આપો છો, વાદળાંની વચ્ચે આવી જઈને આપનો પ્રભાવ રોકાતો નથી. માટે હે મુનિઓના સ્વામી ! સૂર્ય કરતાંયે તમે લોકમાં ચડિયાતા પ્રભાવવાળા "છો. ૧૭. આપ નવીન જ જાતના ચંદ્ર છો શબ્દાર્થ :- નિત્યોદય હંમેશાં ઊગતું. દલિત-મોહ-મહાત્વકાર મોહ રૂપી મહા અન્ધકારનો Page #824 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો નાશ કરી ચૂકેલું. ગમ્યું=સમાતું, ઘેરાતું. રાહુ-વદનસ્ય-રાહુના મોંમાં. વારિદાનામ્-વાદળાંથી. વિભ્રાજતે શોભી ઊઠે છે. મુખા-જં=મુખકમળ. અનલ્પ-કાન્તિ-અત્યંત તેજથી દીપતું. વિદ્યોતય-ઉદ્યોત કરતું. જગત્-જગતમાં. અપૂર્વ-શશાRs-બિમ્બ=જુદી જ જાતના ચંદ્રનાં બિમ્બ જેવું. ૧૮. 'નિત્યોદય દલિત-મોહ-મહા-ઽન્ધકાર પગમાં ન રાહુ- વદનસ્ય ન વારિ-‘દાનામ્ । ``વિભ્રાજતે ``તવ મુખા-་મન૫-કાન્તિ °વિદ્યોતયાઁ જગદ-પૂર્વ-શશાક-બિમ્બમ્`` ।।૧૮। ગાથાર્થ :- હમ્મેશાં 'ઊગતું, મોહ રૂપી મહા અંધકારનો નાશ કરી ચૂકેલું, રાહુના મોંમાં ‘ન 'સમાતું, ‘વાદળાંથી ન ઘેરાતું, અત્યંત તેજથી દીપતું અને જગતમાં ઉદ્યોત કરતું જુદી જ ``જાતના ચંદ્રના બિંબ જેવું ``તમારું મુખકમળ 'શોભી ઊઠે છે. ૧૮ આપના દર્શનથી જ પાપ અને અજ્ઞાન નાશ પામે છે શબ્દાર્થ :- શર્વરી-રાત્રિમાં. શશિના-ચંદ્રથી. અનિ=દિવસે. વિવસ્વતા=સૂર્યથી. યુષ્મન્મુખેન્દુ-દલિતેષુ=તમારા મુખ રૂપી ચંદ્રથી હઠી જતો હોય. તમસ્તુ=અંધકાર. નિષ્પન્ન-શાલિવન-શાલિનિ=પાકેલા ચોખાથી લચી પડતા વનોવાળી હોય તો. જીવ-લોકે દુનિયામાં. કાર્યે=જરૂર. કિય=શી ? જલ-ધરે:-વરસાદની. જલ-ભાર-નમ્ર:=પાણીના ભારથી નીચે આવતા. ૧૯ ‘કિં `શર્વરીયુ ‘શશિના-નિ “વિવસ્વતા “વા ? યુષ્મન્મ ખેન્દુ-’દલિતેષુ ‘તમસ્તુ 'નાથ ! | નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવ-°લોકે ૭૫૧ પકાર્ય ૧૪ક્રિયજલ' -ધરૈર્જલ-ભાર-નમૈ: ।૧૯।। ગાથાર્થ :- હે નાથ ! જો તમારા 'મુખ રૂપી ચંદ્રથી “અંધકાર હઠી જાય છે, તો પછી `રાત્રિમાં ‘ચંદ્રનું "શું કામ છે ? અને દિવસે “સૂર્યનું શું કામ છે ? 'દુનિયામાં ''પાકેલા ચોખાથી લચી પડતાં વનો હોય, તો પાણીના ``ભારથી નીચે ઊતરી આવતા વરસાદની “જરૂર જ શી છે ? ૧૯ Page #825 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ તમે જ સર્વજ્ઞ છો શબ્દાર્થ :- જ્ઞાનં-જ્ઞાન. યથા=જેવું. ત્વયિ-તમારામાં. વિભાતિ-શોભે છે. કૃતા-વકાશ-સ્થાન મેળવીને. તથા”તેવું. હરિ-હરા-ઽદિ=વિષ્ણુ અને શંકર વગેરે. નાયકેપુ=અગ્રેસર દેવોમાં. તેજ:=તેજ. સ્ફુરત્-મણિપુ=રત્નોમાં ચમકતું. યાતિ=પામે છે. મહત્ત્વ મહત્ત્વ. કાચ-શકલે=કાચના ટુકડામાં. કિરણા-કુલે=કિરણોથી ચકચકતા. ૨૦ 'જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ તા-ડવકાશ નવં ‘તથા હરિ-હરાદિષુ ‘નાયકેપુ । ''તેજ: '°સ્ફુરન્મણિપુ````ચાતિ 'યથા `મહત્ત્વ પંચ પ્રતિક્રમણસૂત્રો ૧૬ ૧૮ નવલ તુ કાચ-શલે॰ કિરણા-ડફુલેઽપિ ॥૨૦॥ ગાથાર્થ :- `જ્ઞાન તમારામાં સ્થાન મેળવીને જેવું શોભે છે, તેવું વિષ્ણુ અને શંકર વગેરે ‘અગ્રેસર દેવોમાં યે શોભતું નથી. `ચમકતું ``તેજ ``રત્નોમાં `જેટલી રીતે મહત્ત્વ પામે છે, ''પરંતુ તેટલી રીતે કિરણોથી 'ચળકતા કાચના ટુકડામાં પામતું જ નથી. ૨૦ ૧૯ હરિહરાદિકને જોવાથી અને આપનું દર્શન કરવાથી લાભ. શબ્દાર્થ :- મન્યે=હું માનું છું. વરં=સારું. હરિ-હરાદય:=વિષ્ણુ અને મહાદેવ વગેરેને. દૃષ્ટા:=જોઈ લીધા. છે!=જોયા ત્યારથી. યેષુ=જેઓને. હૃદય-દિલ. યિ=તમારામાં. વીક્ષિતેન=જોવામાં આવેલા. ભવતા=આપ વડે. ભુવિ=જગમાં. યેન=જેથી કરીને. અન્ય:=બીજો. કશ્ચિ=કોઈ પણ. મન:=મન. હરિત-લલચાવી શકે છે. ભવાન્તરે બીજા જન્મમાં. ૨૧. 'મન્યે 'વર હરિ-હરાદય “એવ દષ્ટા દશેષુ ‘ચેપુ હૃદય ત્વયિ '°તોષ''મેતિ । ૨૦ ``ડિં ``વીક્ષિતેન `ભવતા `îભુવિ ``ચેન નાન્ય: -થિન્મનો૨ ૨૪હરતિ નાથ ! “ભવાન્તરેડપિ ॥૨૧॥ ૨૧ ૧૭ ગાથાર્થ :- હું `માનું છું કે, વિષ્ણુ અને મહાદેવ વગેરેને [મેં] જોઈ લીધા, તે સારું જ થયું. કેમ કે, 'તેઓને "જોયા ત્યારથી દિલ “તમારામાં `ચોંટી ગયું છે. અને ``તમને આ ``જગતમાં ૧૯ Page #826 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૫૩ "ોવાથી શું [ફળ]? જેથી કરીને હે નાથ ! “બીજા જન્મોમાં પણ બીજો કોઈ પણ મારું મન ન જ જલલચાવી શકે. [એ ફળ છે.] ૨૧ [હરિહરાદિકને જોવાથી તમારામાં મન દઢ થયું છે, અને તમને જેવાથી જન્માન્તરમાં બીજાને જોવાનું મન થશે નહીં.] તમારી જ જનેતાને ધન્ય છે ! શબ્દાર્થ :- સ્ત્રીમાં સ્ત્રીઓ. શતાનિસેંકડો. શતશો સેંકડો. જનયત્તિ જન્મ આપે છે. પુત્રા પુત્રોને. અન્યા=બીજી. સુતં પુત્રને. તદુપમં=તમારા જેવા. જનની=મા. પ્રસૂતા=જન્મ આપનારી સર્વા: દરેક દિશ: દિશાઓ દધતિ ધારણ કરે છે. ભાનિ=નક્ષત્રો. સહરા-રશ્મિ-સૂર્યને. પ્રાચી પૂર્વ. દિગદિશા. જયતિ જન્મ આપે છે. ફુરદંશુ જાલમસ્કુરાયમાન કિરણોવાળા. ૨૨ "ીણાં શતાનિ શતશો જયન્તિ 'પુત્રાનું "નાન્યા સુત ત્વદુપમ "જનની પ્રસૂતા. સર્વા દિશ૩૧"દધતિ ભાનિ સહસ્ત્ર- રશ્મિ “પ્રાચ્ચેવ દિશ્વનયતિ° ફુરદંશુ" - જાલમ્ રિરા ગાથાર્થ :- સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, [પરંતુ] તમારા જેવા પુત્રને જન્મ ‘આપનારી બીજી કોઈ મા નથી જ. દરેક દિશાઓ નક્ષત્રો ધારણ કરે છે, પરંતુ સ્કુરાયમાન કિરણોના સમૂહવાળા હજાર કિરણોના સ્વામી સૂર્યને તો માત્ર “પૂર્વ “દિશા જ જન્મ આપે છે. ૨૨ પરમપુરુષ, આદિત્યવર્ણ, તમસ: પરસ્તાત, મૃત્યુંજય વગેરે તરીકે યોગીઓ જેને ઓળખે છે, તે આપ જ છો શબ્દાર્થ :- આમનનિ માને છે. મુન: મુનિઓ. પરમ=પરમ. પુમાંસમપુરુષ. આદિત્યવર્ણ સૂર્યના જેવા તેજવાળા. અમલં નિર્મળ, તમસ =અંધકારથી - અજ્ઞાનથી. પરસ્તા-પર. સમ્યગસારી રીતે. ઉપલભ્ય મેળવીને. જયત્તિ જીતે છે. મૃત્યુ મૃત્યુને. શિવ =કલ્યાણકારી. શિવ-પદસ્ય મોક્ષનો. મુનીન્દ્ર હે મુનીન્દ્ર! પત્થા=રસ્ત. ૨૩ Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ પંચ પ્રતિકમાણસૂત્રો ‘તામા મનક્તિ 'મુન: પરમ પુમાંસ માદિત્ય- "વર્ણમમલં તમસ: ‘પરસ્તા "ત્યામેવ"સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યુ “નાન્ય: 'શિવ: પશિવ-પદસ્ય મુનીન્દ્ર “પન્યા: મારવા ગાથાર્થ :- 'મુનિજનો આપને પરમપુરુષ "અંધકારથી – અજ્ઞાનથી પર, સૂર્યના જેવા તેજસ્વી અને નિર્મળ માને છે. “આપની જ સેવા મેળવીને મૃત્યુને જીતે છે, કેમ કે, હે મુનીન્દ્ર![આપ સિવાય] “મોક્ષનો “કલ્યાણકારી છબીજો “રસ્તો જ નથી. ૨૩ પરબ્રહ્મ અને ઈશ્વરનાં જે ગુણો અને નામો લેવાય છે, તે બધા આપને જ લાગુ પડે છે, માટે આપ જ ઈશ્વર છો શબ્દાર્થ :- અવ્યયં=ન નાશ પામે તેવા. વિભુમસર્વ વ્યાપી જ્ઞાનવાળા. અચિત્તમ અદ્દભુત. અસંખ્ય સંખ્યારહિત. આઘં સૌથી પહેલાં. બ્રહ્માગમ બ્રહ્મા. ઈશ્વરમ=સમર્થ. અનફ્ટ-કેતુમકામદેવનો નાશ કરનાર. યોગીશ્વર યોગીઓના ઉપરી. વિદિત-યોગમયોગના જ્ઞાતા. અનેકમ અનેક. એક-એક, જ્ઞાન-વ-રૂપજ્ઞાનમય. અ-મલં સ્વચ્છ, નિર્મળ. પ્રવદન્તિ કહે છે. સન્ત: સંત પુરુષો. ૨૪. *વામ-વ્યય વિભુમ-‘ચિત્યમ–સંખ્યમા-ડડડ્યું બ્રહ્માણી “શ્વરમન તમનફ્ટ-કતુમ યોગીશ્વરં વિદિત-યોગમ'નેકમેકપ જ્ઞાન-સ્વ-રૂપમ-મલે “પ્રવદન્તિ 'સન્ત: ૨૪ ગાથાર્થ :- 'સંત પુરુષો, ‘આપને જ અવ્યય, વિભુ, અચિન્ય, અસંખ્ય, "આઘ, “બ્રહ્મા, ‘ઈશ્વર, અનન્ત, 'અનંગકેતુ, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, એક "જ્ઞાનમય", અને નિર્મળ કહે “છે. ૨૪. બુદ્ધ, શંકર, બ્રહ્મા અને પુરુષોત્તમ-વિષ્ણુ પણ આપ જ છો. શબ્દાર્થ :- બુદ્ધ =બુદ્ધ. વિબુધા-વર્ચિત-બુદ્ધિ-બોધાત વિદ્વાનોએ આપની બુદ્ધિનું જ્ઞાન સત્કાર્યું Page #828 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૫૫ છે. શંકરદ=શંકર. ભુવન-ત્રય શંકરવા ત્રણ ભુવનમાં સુખ ફેલાવો છો માટે. ધાતા=વિધાતા. ધીર!= હે ધીર પુરુષ ! શિવ-માર્ગ-વિધે: મોક્ષનો માર્ગ. વિધાના સ્થાપન કરનાર હોવાથી. વ્યક્ત જગજાહેર. પુરુષોત્તમ:=પુરુષોત્તમ. ૨૫ બુદ્ધત્વમેવ વિબુધા-ડર્ચિત-બુદ્ધિ-બોધાત "વં શકરોડસિ ભુવન-ત્રય-શક્કરત્યાત્ "ધાતા-ડસિ “ધીર! શિવ-માર્ગ- વિધેવિંધાના વ્યક્તિત્વમેવ ભગવન્! પુરુષોત્તમોડસિ" iારપા ગાથાર્થ :- વિદ્વાનોએ આપનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન સત્કાર્યું છે, માટે આપ જ બુદ્ધ છો. ત્રણ ભુવનમાં સુખ ફેલાવો છો, માટે આપ જ “શંકર છો. હે ધીર પુરુષ ! મોક્ષનો માર્ગ સ્થાપન કરનારા હોવાથી, “આપ જ વિધાતા છો. અને હે ભગવાન! "આપ "પુરુષોત્તમ ઉછો, તે તો જગજાહેર છે. ૨૫ એટલે હવે હું ફકત આપને જ નમસ્કાર કરું છું. શબ્દાર્થ :- તુલ્ય=આપને. નમ:=નમસ્કાર હો. ત્રિભુવનાર્તિ-હરાય–ત્રણ ભુવનનાં દુઃખનો નાશ કરનાર. ક્ષિતિ-તલા-૩મલ-ભૂષણાય=પૃથ્વીનાં નિર્મળ આભૂષણ રૂ૫. ત્રિ-જગત:=ત્રણ જગતનાં. પરમેશ્વરાય પરમેશ્વરને. ભવોદધિ-શોષણાય=સંસાર રૂપી સમુદ્રને શોષી જનાર. ૨૬ તુલ્ય 'નમસ્ત્રિભુવન-ડર્તિ-હરાય 'નાથ ! "તુલ્ય નમ: ક્ષિતિ-તલા-“ડમલ-ભૂષણાયા. "તુલ્ય'નમન્નિ-જગત: પરમેશ્વરાય "તુલ્ય "નમો જિન ! ભવોદધિ-શોષણાયરા ગાથાર્થ :- 'હે નાથ ! ત્રણ ભુવનના દુઃખનો નાશ કરનારા આપને નમસ્કાર હો. પૃથ્વી પરના નિર્મળ આભૂષણ રૂપ આપને નમસ્કાર હો. ત્રણ “જગતના “પરમેશ્વર આપને "નમસ્કાર હો. અને તે જિનેશ્વર પ્રભુ! સંસાર રૂપી સમુદ્રને શોષી જનાર “આપને "નમસ્કાર હો. ૨૬ Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ પંચ પ્રતિકમાણસૂત્રો સકળ ગુણોના ભંડાર અને તદ્દન નિર્દોષ તો આપ જ છો. શબ્દાર્થ :- વિસ્મય: આશ્ચર્ય. ગૌ =ગુણોએ. અ-શે: તમામ. સંશ્રિત આશ્રય કર્યો છે. નિરવકાશયા=જગ્યા ન મળવાથી. મુનીશ =હે મુનિઓના સ્વામી ! દો.=દોષોએ. ઉપાર-વિવિધા-થ્વશ્રય- જાત-ગર્વે જુદાં જુદાં સ્થાનોમાં રહેવાથી ગર્વિષ્ઠ થયેલા.સ્વપ્નાંતરે= સ્વપ્નમાં. કદાચિત કદીક. ઇક્ષિત: જોઈ શકયા. ૨૭ કો°વિસ્મયોડત્રયદિનામગુૌર-શર્ષ સંશ્રિતો નિરવકાશતયા 'મુનીશ ! દોબૈરુપાર-વિવિધા-'ss-જાત-ગર્વે. સ્વપ્નાન્તરે' પિન કદાચિદપીક્ષિ' તોડસિ પારણા ગાથાર્થ :- હે મુનીશ ! મુનિઓના સ્વામી ! બીજે કયાંય જગ્યા ન મળવાથી તમામ ગુણોએ "આપનો જ આશ્રય લીધો છે. ખરેખર તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે, જુદાં જુદાં સ્થાનોમાં ફેલાઈને રહી જવાથી ગર્વિષ્ઠ “દોષો આપને સ્વપ્નમાં “પણ કદી જોઈ શકય જ નથી. ૨૭ અશોકવૃક્ષ પ્રાતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ :- ઉચ્ચ =ઊંચા. અશોક-તરુ-સંશ્રિત અશોક વૃક્ષની નીચે રહેલું. ઉન્મભૂખ ઊંચે છે - કિરણો જેનાં. આભાતિ ફેલાય છે. રૂપમ રૂપ. અમi=નિર્મળ. ભવત: આપનું. નિતાન્ત =જે. સ્પષ્ટોલ્લસત-કિરણ જેનાં કિરણો ચારે તરફ ફેલાય છે. અસ્ત-તમો-વિતાનં=અંધકારના સમૂહને દૂર કરનાર. બિલ્બ બિમ્બ ર =સૂર્યના. ઇવ જેવું જ. પયોધર-પાર્થ-વર્તિ-વાદળાની બાજુમાં રહેલ. ૨૮ ઉચ્ચેરશોક - તરુ-સંશ્રિતમુન્મયૂખ માભાતિ “રૂપમ - "મલે ભવતો નિતાન્તમ્ સ્પષ્ટોલ્લસસ્કિરણમસ્ત - તમો-“વિતાનું બિમ્બે વેરિવું પયોધર-' પાર્થ-વર્તિ ૨૮ ગાથાર્થ :- વાદળાંની બાજુમાં રહેલા, અંધકારના સમૂહને દૂર કરનાર અને જેનાં કિરણો ચારે તરફ ફેલાયેલા છે તેવા સૂર્યના "બિંબ જેવું જ ઊંચા “અશોકવૃક્ષની નીચે રહેલું અને જેનાં “કિરણો Page #830 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૫૭ ઊંચે ફેલાય છે, એવું આપનું "નિર્મળરૂપ શોભે છે. ૨૮ સિંહાસન પ્રાતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ :- સિંહાન્સને સિંહાસન ઉપર. મણિ-મયૂખ-શિખા-વિચિત્રે મણિઓનાં કિરણોની અણીઓથી વિચિત્ર લાગતા. વિભાજતે શોભે છે. વધુ શરીર. કનકા-ડવદાત=સોનેરી. બિમ્બ બિમ્બ વિય-વિલસદ્અંશુ-લતા-વિતાનું આકાશમાં કિરણો, વેલડીઓના ચંદરવાને ફેલાવતા. તુફ્યોદયા-દ્ધિ-શિરસિ ઊંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર. ઇવ=જે. સહસર: સૂર્યનાં. ૨૯ ‘સિંહા-ડસને 'મણિ-મયૂખ-શિખા-વિચિત્ર "વિભાજતે તવ "વપુ: કનકા-ડવદાતમાં *બિમ્બ વિયદ્વિલસદંશુ- લતા-વિતાનું તુદયા-ડદ્રિ-શિરસીવ-સહસ્ર-રમે: ૨૯ ગાથાર્થ :- આકાશમાં કિરણો રૂપી વેલડીઓના ચંદરવાને ફેલાવતા અને ઊંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર રહેલા, સૂર્યના બિમ્બની માફક, મણિઓનાં કિરણોની અણીઓથી વિચિત્ર લાગતા ‘સિંહાસન ઉપર તમારું સોનેરી શરીર શોભે છે. ૨૯ ચામર પ્રાતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ:- કુન્દા-ગ્ધદાત-ચલ-ચામર-ચારુ-શોભં=સોના જેવા નિર્મળ ઊછળતાં ચામરોથી સારી રીતે શોભતું. કલ-ધૌત-કાન્તમ=સોનેરી. ઉદ્યચ્છશાક-શુચિ-નિર્ઝર-વારિ-ધારમચંદ્ર જેવી સ્વચ્છ ઝરણાંની પાણીની ધારાઓ જેમાંથી નીકળી રહેલ છે. ઉચ્ચ =ઊંચા. તરતટની. સુરગિ:= મેરુના. શાત-કૌલ્મમ=સોનેરી. ૩૦ કુદા-ડવદાત-ચલ-ચામર-ચારુ-શોભે "વિશ્વાજતે તવ વપુ: કલ-ધૌત-કાન્તમ્ ઉદ્યચ્છશાશ્ક-'શુચિ-નિઝર-વારિ-ધાર મુચ્ચસ્તટે અસુર-ગિરેરિવ-શાત-કૌભ્યમ્ ૩ળા Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ પંચ પ્રતિક્રમાગસૂત્રો ગાથાર્થ :- ચંદ્ર જેવી'સ્વચ્છ ઝરણાંના પાણીની ધારાઓ જેમાંથી નીકળી રહે છે, એવા સોનેરી અને ઊંચા મેરુ પર્વતના શિખરની માફક, નિર્મળ-ઊછળતાં સોનેરી ચામરોથી સારી રીતે શોભતું ‘આપનું સોનેરી “શરીર શોભે છે. ૩૦ ત્રણ છત્ર પ્રતિહાર્ય વડે આપની શોભા શબ્દાર્થ:- છત્ર-ત્રયંત્રણ છત્રો. વિભાતિ=શોભે છે. શશાર્ક-કાન્તમચંદ્ર જેવા, ખૂબ મનોહર, સ્થિત=રહેલા. સ્થગિત-ભાનુ-કર-પ્રતાપ સૂર્યનાં કિરણોનો પ્રતાપ રોકતું. મુક્તા-ફલ-પ્રકર-જાલવિવૃદ્ધ-શોભમ=મોતીની જાળીથી ખૂબ શોભી ઉઠેલાં. પ્રખ્યાયિત્ર જાહેરાત કરતા. ત્રિ-ગત: ત્રણ ભુવનના. પરમેશ્વરત્વમ=સ્વામીપણાને. ૩૧ ૧છત્ર-ત્રયં તવ 'વિભાતિ શશાક-કાન્ત ‘મુસૈ: ‘સ્થિત સ્થગિત-ભાનુ-કર-પ્રતાપમ્ | મુક્તા-લ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભે પ્રખ્યાપત્રિ-જગત: પરમેશ્વરત્વમ્ ૩૧ ગાથાર્થ :- સૂર્યનાં કિરણોનો પ્રતાપ રોકતાં, ચંદ્ર જેવા મનોહર, ઘણાં મોતીઓની જાળીથી ખૂબ શોભી ઊઠેલાં અને [*આપનું ત્રણ ભુવનનું સ્વામીપણું જાહેરાત કરતાં, “ઊંચે રહેલાં ત્રણ છત્રો ખૂબ શોભે છે. ૩૧ દેવો આપનાં ચરણ નીચે કમળ ધરે છે શબ્દાર્થ :- ઉત્રિદ્ર-હેમ-નવ-પંકજ-પુન્નકાન્તિ-પર્યુલસન-નખ-મયૂખ-શિખા-ડભિરામૌ= ખીલેલા સોનેરી તાજાં કમળ જેવી કાન્તિવાળા ચમકતા નખનાં કિરણોની અણીઓથી શોભી ઊઠેલાં. પાદીબે ચરણો. પદાનિ=પગલાં. યત્ર=જ્યાં. જિનેન્દ્ર !=હે જિનેશ્વર પ્રભુ ! ધડકમાંડે છે. પદ્માનિ=કમળો. તત્ર=ન્યાં. વિબુધા: દેવો. પરિકલ્પત્તિ મૂકી દે છે. ૩૨ ઉન્નિદ્ર-હેમ-નવ-પજ-પુજ-કાન્તિ પર્યુલ્લસનખ-મયૂખ-શિખા-ભિરામ | પાદી' પદાનિ તવ યત્ર"જિનેન્દ્ર ! ધર: પવાનિ તત્ર વિબુધા:પરિકલ્પયક્તિ" IN૩રા Page #832 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૫૯ ગાથાર્થ :- હે જિનેશ્વર પ્રભુ! ખીલેલાં સોનેરી તાજાં કમળ જેવી કાન્તિવાળાં, ચમકતા નખનાં કિરણોની અણીઓથી શોભી ઊઠેલાં આપનાં બે ચરણો "જ્યાં પગલાં માંડે છે, “ત્યાં દેવો કમળો "ધરી જ દે છે. ૩૨ આવી આપના જેવી વિભૂતિ બીજાને છે જ નહીં શબ્દાર્થ :- ઈન્ચે આ રીતે. વિભૂતિ: વિભૂતિ. અભૂત હોય છે. જિનેન્દ્ર ! હે જિનેન્દ્ર દેવ ! ધર્મોપદેશન-વિધી ધર્મોપદેશ આપવામાં. પરચ=બીજાની. યાદફ જેવી. પ્રભા કાન્તિ. દિનકૃત:સૂર્યની. પ્રહતાંધકારા અંધકારનો નાશ કરવામાં. તાક=તેવી. કુત: શી રીતે. ચહ-ગણમ્ય= ગ્રહોની. વિકાશિન: ચમકતાં હોય. ૩૩ 'ઇત્યં યથાત “વિભૂતિર ભૂજિનેન્દ્ર! ઉધમપદેશન-વિધી ન તથા પરસ્યા યાદફ “પ્રભા દિન-કૃત:' પ્રહતા-ડધ-કાર" તાદફતો ગ્રહ-ગણર્ય* *વિકાશિનોડપિ ૫૨ ૩૩યા ગાથાર્થ :- 'આ રીતે હે જિનેન્દ્ર દેવ ! ધર્મોપદેશ આપવામાં તમારી જે "વિભૂતિ હોય છે, તેવી “બીજાની હોતી જ નથી. અંધકારનો નાશ કરવામાં સૂર્યની પકાંતિ જેવી ચમકતા '"હોવા છતાં ગ્રહોની કાન્તિ શી રીતે હોઈ શકે ? ૩૩ આપના ભકતોને હાથીનો ભય રહેતો નથી શબ્દાર્થ :- ઓત-મદા-ન્ડવિલ-વિલેલ-કપોલ-મૂલ-મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધકોપ ટપકતા મદથી ખરડાયેલા ચપળ લમણાના મૂળમાં ગાંડુંતૂર બનીને ઘૂમતા ભમરાઓના ઘોંઘાટથી વધુ ને વધુ ખિજાયેલા. ઐરાવતા-ડભમ ઐરાવત હાથી જેવા. ઇભમ હાથીઉદ્ધત ઉદ્ધત. આપતન્તસામે આવતો. દવા=જોઈને. ભયંક બીક. ભવતિ થતી, લાગતી. નો નથી. ભવદા...શ્રિતાના તમારા શરણાગતોને. ૩૪ ચ્યોતન્મદા-ડવિલ-વિલોલ-કપોલ-મૂલ મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધ-કોપમ્ Page #833 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો ઐરાવતા-'Sભમિભમુદ્ધત-માપતન્ત' દવા ભય ભવતિ નો ભવદા-'sષતિાનામ્ ૩૪ ગાથાર્થ :- 'તમારા શરણાગતોને, ટપકતા મદથી ખરડાયેલા, ચપળ, લમણાના મૂળમાં ગાંડુંતૂર બનીને ઘૂમતા ભમરાઓના ઘોંઘાટથી વધુ ને વધુ ખિાયેલા, ઐરાવત હાથી જેવા, સામે આવતા “ઉદ્ધત “હાથીને પણ જોઈને લગારેય બીક લાગતી જ નથી. ૩૪ આપના ભક્તોને સિંહનો ભય હોતો નથી શબ્દાર્થ:- ભિન્નભ-કુમ્ભ-ગલદુર્વલ-શોણિતા-ડક્ત-મુક્તા-ફલ-પ્રકર-ભૂષિત-ભૂમિ-ભાગ:= ચીરી નાંખેલા હાથીના કુંભસ્થળમાંથી નિંગળતા ચોખ્ખા લોહીથી ખરડાયેલાં મોતીઓના ઢગલાથી જમીન શણગારનારો. બદ્ધ-કમ: ફાળ ભરતો. ક્રમ-ગતં પંજામાં આવેલ છતાં. હરિણા-ડધિપ:= સિંહ. આકામતિ= હુમલો કરી શકતો. કમ-યુગા-ડચલ-સંશ્રિતં ચરણરૂપ અડગ પર્વતને ઓથે રહેલા ઉપર. તેeતમારા. ૩૫ ભિન્નભ-કુમ્ભ-ગલદુજ્જવલ-શોણિતા-ડક્ત મુક્તા-ફલ-પ્રકર-ભૂષિત-ભૂમિ-ભાગ: I બદ્ધ-ક્રમ: કમ-ગd હરિણા-ડધિપોકપિ “ નાડકામતિમ-યુગા-ચલ-સંશ્રિત તે રૂપા ગાથાર્થ :- ચીરી નાંખેલા હાથીના કુંભસ્થળમાંથી નિંગળતા ચોખ્ખા લોહીથી ખરડાયેલાં મોતીઓના ઢગલાથી જમીન શણગારનારો, ફાળ ભરતો સિંહ પંજામાં આવેલ “છતાં તમારા ચરણ રૂપ અડગ પર્વતને ઓથે રહેલા ઉપર હુમલો કરી જ શકતો નથી. ૩૫ આપના ભકતોને અગ્નિનો ભય હોતો નથી શબ્દાર્થ :- કલ્પા-ડન્સ-કાલ-પવનદ્રત-વનિ-કલ્પ કલ્પાન્ત કાળ(દુનિયાનો વિનાશકાળ)ના પવનના સપાટાથી ઉદ્ધત થઈ ગયેલા અગ્નિ જેવો. દાવા-ડલં દાવાનલને. જવલિતં ઝગઝગ સળગતો. ઉત્સુલિફ્સ=કણિઓને ઉછાળતો. વિશ્વ આખી દુનિયાને. જિઘન્સમ ખાવા મથતો. સન્મુખ સામે. આપતન્તધચ્ચે આવતો હોય તેવા. વન્નામ-કીર્તન-જલે આપના નામનું કીર્તનરૂપી પાણી. શમતિ=ઠારી નાંખે છે. અશેષમતમામ. ૩૬ Page #834 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો કલ્પા-ન્ત-કાલ પવનોદ્ધત-વનિ-કલ્પ *દાવા-ડનલ જવલિતમુવેલ પુલિગ્નમા વિશ્વ જિઘન્યુમિવ સંમુખમાપતન્ત” 'ત્વનામ-કિર્તન-જલ શમયત્ય-શેષમ્' ૩૬ ગાથાર્થ :- આપના નામનું 'કીર્તનરૂપી પાણી, કલ્પાન્તકાળ[દુનિયાના વિનાશક]ના પવનના સપાટાથી ઉદ્ધત થઈ ગયેલા અગ્નિ જેવા અને કણિઓને ઉછાળતા, 'ઝગમગ સળગતા કેમ જાણે “આખી દુનિયાને ખાવા મથતા સામે વચ્ચે આવતા હોય, તેવા તમામ દાવાનળને ઠારી નાંખે આપના ભકતોને સાપનો ભય હોતો નથી | શબ્દાર્થ:- રક્તક્ષણં લાલ આંખોવાળા. સ-મદ-કોકિલ-કpઠ-નીલકમદથી ભરેલા કોયલના ગળા જેવો કાળો. કોધોદ્ધાં ક્રોધથી ઉદ્ધત થયેલ. ફણિન સાપને. ઉત્ક્રાગમ ફેણ માંડીને. આપતન્ત સામે દોડ્યા આવતા. આકામતિ ઠોકર મારી શકે છે. કમ-યુગેન બન્ને પગથી. નિરસ્ત-શ=નિર્ભય થઈને. વન્નામ-નાગ દમની આપનું નામ રૂપી નાગદમની (વિદ્યા). હૃદિમનમાં. યસ્ય =જે. પુંસ:= પુરુષનાં. ૩૭ રકતેક્ષણ સ-મદ-કોલિં-કઠ-નીલ ફોધોદ્ધત "ફણિનમુન્હણ માપતન્તમ આકામતિ કમ-યુગેન નિરસ્ત-શક્ક: નામ- નાગ-દમની હદિ 'યસ્ય પુંસ://૩ળા ગાથાર્થ :- જે પુરુષના મનમાં આપના નામરૂપી નાગ દમની [વિદ્યા] હોય, તે પુરુષ લાલ આંખોવાળા, મદથી ભરેલા કોયલના ગળા જેવા કાળા, ક્રોધથી ઉદ્ધત થયેલ અને ફેણ માંડીને સામે “દોડ્યા આવતા સાપને "નિર્ભય થઈને બન્નેય પગથી ઠોકર મારી શકે છે. ૩૭ આપના ભક્તોને લડાઈનો ભય નથી હોતો શબ્દાર્થ :- વલ્થનુરજ્ઞ-ગજ-ગર્જિત-ભીમ-નાદમ ઊછળતા ઘોડા અને હાથીના ગર્જરવથી Page #835 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ભયંકર ગાજતું. આજ-રણસંગ્રામમાં. બલં-લશ્કર. બલવતામ્-બલવાન. ભૂ-પતીનાક્=રાજાઓનું. ઉદાત્-દિવા- કર-મયૂખ-શિખા પવિદ્ધમ્=ઊગતા સૂર્યનાં કિરણોની અણીઓથી વીંધાઈને. ઋત્-કીર્તનાત્ આપની સ્તુતિથી. તમ: અંધકાર. આશુ=જલદી. ભિદા=નાશ. ઉપતિ=પામે છે. ૩૮ ૭૬૨ વલ્ગ-``તુરડ્ગ-ગજ-ગર્જિત-ભીમ-નાદ માર્જો 'બલ બલવતામિપ`` ભૂ-પતીનામ્॰/ ઉદ્યદ્દિવા-કર કૈમયૂખ-શિખા-પવિó ત્વત્કીર્તના ત્તમ `ઇવા-ડઽશુ` `ભિદામુપૈતિ† ।।૩૮।। ગાથાર્થ :- જેમ` ઊગતા `સૂર્યનાં કિરણોની અણીઓથી વીંધાઈને અંધકાર “જલદી નાશ *પામે છે, તેમ આપની સ્તુતિથી રણસંગ્રામમાં બળવાન રાજાઓનું ``પણ ઊછળતા ``ઘોડા અને હાથીના ગજ્જૈરવથી ભયંકર ગાજતું લશ્કર જલદી નાશ પામે છે. ૩૮ આપના ભકતોને વિજય જ મળે છે શબ્દાર્થ : કુન્તા-ગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહ-વેગા-વતાર-તરણા-તુર-યોધ ભીમે=ભાલાઓની અણીઓ ઘોંચાવાથી ચિરાઈ પડેલા હાથીનાં લોહી રૂપી પાણીના પૂરના વેગમાં ઊતરીને તરી જવાને તૈયાર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલી. યુદ્ધે લડાઈમાં. જયં=જીત જ. વિજિત-દુર્જોય- જેય-પક્ષા:=ન જીતી શકાય તેવા શત્રુઓને જીતી લઈને પણ. સ્વત્પાદ-પંકજ-વના-ઽયિણો=તમારા ચરણ કમળના વનમાં છુપાયેલાઓ. લભન્તેમેળવે છે. ૩૯ 'કુન્તા-ગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહવેગા-ડવતાર-તરણા-ડઽતુર-યોધ-ભીમે । યુદ્ધે “જયં વિજિત-દુર્ગંચ-જેય-પક્ષા *સ્વત્પાદ-પoજ-વના-ઽથયિણો ‘લભન્તે ॥૩૯લા ગાથાર્થ :- ભાલાઓની અણીઓ ઘોંચાવાથી `ચિરાઈ પડેલા હાથીના લોહી રૂપી પાણીના પૂરના વેગમાં ઊતરીને, તે તરી જવાને તૈયાર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલી લડાઇમાં ન જીતી શકાય તેવા શત્રુઓને જીતી લઈને પણ તમારા ચરણકમળના વનમાં છુપાયેલાઓ જીત જ ‘મેળવે છે. ૩૯ Page #836 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૭૬૩ આપના ભકતોને દરિયામાં પણ ભય લાગતો નથી શબ્દાર્થ - અખ્ખો-નિધી સમુદ્રમાં. શ્રુતિ-ભીષણ-નક-ચક્ર-પાઠીન-પીઠ-ભય-દોબણવાડવા-ડગ્નૌ=ભયંકર મગરમચ્છોનાં ટોળાં, પાઠીને અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા. રદ્ઘત્તર-શિખર-સ્થિત-યાન-પાત્રા =ઊછળતાં કલ્લોલનાં શિખરે ચઢી જતાં વહાણવાળા લોકો. ત્રાસં ત્રાસ. વિહાય વિના, છોડીને. ભવત: આપનાં. સ્મરણાત=સ્મરણથી. વ્રજન્તિ ચાલ્યા જાય છે. ૪૦ ‘અભ્ભો-નિધૌ સુભિત-ભીષણ-નક-ચક્ર પાઠીન-પીઠ-ભયદોબણ-વાડવા-નૌ રજ્ઞત્તરડ્ય-શિખર-સ્થિત-યાન-પાવા ત્રાસ વિહાય *ભવત: સ્મરણાદ્ વ્રજન્તિાબા ગાથાર્થ :- 'ભયંકર મગરમચ્છોનાં ટોળાં તથા પાઠીન અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા સમુદ્રમાં, ઊછળતા કલ્લોલના શિખરે ચડી જતા વહાણવાળાયે લોકો આપના 'સ્મરણથી [કોઈ પણ પ્રકારના] ત્રાસ વિના “ચાલ્યા જાય છે. ૪૦ આપના ભકતોને રોગ હેરાન કરી શકતા નથી શબ્દાર્થ:- ઉદ્ભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુગ્રા:= પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા. શો દયા ઊપજે એવી. દશામદશાને. ઉપગતા =પામેલા. અત-જીવિતા- શા: જીવવાની આશા વગરનાં. તપાદ-પંકજ-રો-મૃત-દિગ્ધ-દેહા =આપનાં ચરણકમળની ધૂળ રૂપી અમૃતથી લેપાયેલા શરીરવાળા. મત્સ: લોકો. ભવત્તિ થઈ જાય છે. મકરધ્વજ-તુલ્ય-રૂપા: કામદેવ જેવા રૂપાળા. ૪૧ ઉભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુમા: શોચ્ચાં દશામુપગતા શ્રુત-વિતા-ડશા: તંત્પાદ-પક્કજ-રજો-ડમૃત-દિગ્ધ-દેહા મર્યા ભવન્તિમકર-ધ્વજ-તુલ્ય-રૂપા: ૪૧ ગાથાર્થ:- 'પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા, દયા ઊપજે એવી દશાને Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ પંચ પ્રતિકમાણસૂત્રો *પામેલા અને જીવવાની આશા વગરના લોકો, આપનાં ચરણકમળોની ધૂળ રૂપી અમૃતથી લેપાયેલા શરીરવાળા થાય છે, ત્યારે કામદેવ જેવા રૂપાળા થઈ જાય છે. ૪૧ આપના ભક્તોને કેદખાનાનાં બંધનો જલદી તૂટી જાય છે શબ્દાર્થ :- આ-પાદ-કાઠમ=પગથી માંડીને ગળા સુધી. ઉ ખલ-વેટિતા-જ્ઞા =મોટી સાંકળોથી આખા શરીરે બંધાયેલા. ગાઢ મજબૂત. બૃહત્રિગડ-કોટિ-નિવૃટ-ફઘા =મોટી હેડના કાંઠે જાંઘ ઘસાતી હોય છતાં. નામ-મન્ત્રમ-નામ રૂપી મન્ટનો જ. અનિશંકરાતદિવસ. મનુજા મનુષ્યો. સ્મરત્ત =જાપ જપે છે. સદ્ય: તરત જ. સ્વયં પોતાની મેળે. વિગત-બી ભયા=બંદીખાનાની બીકથી છૂટા. ભવન્તિ થઈ જાય છે. ૪૨ આ-“પાદ-કચ્છમુરુ-શૃંખલ’-વેટિતા-ડગા ગાઢ બૃહનિગડ-કોટિ-નિવૃષ્ટ-જડ્યા: 'ત્વનામ- મન્નમનિશ મનુજા:સ્મરા: ‘સદ્ય: “સ્વયં "વિગત-બન્ધ-ભયા *ભવન્તિ ૪રા. ગાથાર્થ :- આપના નામ રૂપ મંત્રનો જ રાત દિવસ જાપ જપતા મનુષ્યો, પગથી માંડીને ગળા સુધી મોટી સાંકળથી આખે શરીરે મજબૂત વીંટાયેલા હોય, અને તેઓની જાંઘ મોટી હેડને કાઠે ઘસાતી હોય, છતાં તરત જ પોતાની મેળે બંદીખાનાની બીકથી છૂટા થઈ જાય છે. ૪૨. આ સ્તોત્રથી આપની બરાબર સ્તુતિ કરનારને કોઈપણ જાતનો ભય રહેતો નથી શબ્દાર્થ :- મનદિપેન્દ્ર-મૃગરાજ-દવાલા -ઋહિ-સંગ્રામ-મહોદર-બંધનોથં મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, લડાઈ, સમુદ્ર, મોટું પેટ થવાનો જળોદર - રોગો અને બંદીખાનાં તરફથી થયેલ. નાશ નાશ પામી. ઉપયાતિ જાય છે. ભયં ભય. ભિયા=ભય પામ્યા હોય. તાવર્ક=આપનું. સ્તવ સ્તવન. મતિમાબુદ્ધિશાળી. અધીતે=ભણે છે. ૪૩ ‘મત્ત-દ્વિપેન્દ્ર-મૃગ-રાજ-દવાડનલા-ઋહિ સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોત્યમ્ તસ્યા... શુ નામુપયાતિ"ભય "ભિયેવ" 'યસ્તાવ "સ્તવમિમ મતિમાનધીત' I૪૩ Page #838 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૬૫ ગાથાર્થ :- જે બુદ્ધિશાળી આપનું આ સ્તવન ભણે છે, તેના-મદોન્મત્ત હાથી, ‘સિંહ, દાવાનળ, સર્પ, લડાઈ, સમુદ્ર, મોટું પેટ થવાનો જલોદર રોગ અને બંદીખાના તરફથી આવેલ ભયો કેમ જાણે ભય પામ્યા હોય, તેમ એકદમ નાશ પામી જાય છે. ૪૩ આ સ્તુતિથી આખર મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે શબ્દાર્થ :- સ્તોત્ર-સર્જ=સ્તુતિ રૂપ માળાને. ગુણે: ગુણો રૂપી દોરીથી. નિબદ્ધાં બાંધેલી. ભફત્યા=ભકિત- પૂર્વક. મયા મેં. રુચિર-વાર્ટ-વિચિત્ર-પુષ્પામસુંદર અક્ષર રૂપ-રંગોવાળા વિચિત્ર ફૂલોએ કરીને. ઘરે પહેરી રાખે છે. કચ્છ-ગામ પોતાના ગળામાં. અજાં કાયમ. માનતક્ષ્ણ માન-સન્માન વડે ઉન્નતિ પામેલ પુરુષને. (માનતુંગ સૂરિને). અવશા પોતાની મેળે. સમુપૈતિપ્રાપ્ત થાય છે. લક્ષ્મી: લક્ષ્મી. ૪૪ ‘સ્તોત્ર-સ્ત્રજંતવ 'જિનેન્દ્રા ગુણનિબદ્ધ ભઢ્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પા ધરે "જનો “ય ઈહ કઠ-ગતામજ "તે માન-તુઘ્રમવશાળ સમુપૈતિ લક્ષ્મી:“જા ગાથાર્થ :- એ 'જિનેશ્વર દેવ ! સુંદર અક્ષર રૂપી રંગીન વિચિત્ર ફૂલોએ કરીને ભક્તિપૂર્વક "આપનાગુણોરૂપી દોરાથી ગૂંથેલી સ્તુતિરૂપમાળાને આલોકમાં જેમાણસ કાયમ પોતાના ગળામાં પહેરી રાખે છે – યાદ કરે છે, તે માન-સન્માન વડે"ઉન્નતિ પામેલા પુરુષને [માનતુંગ સૂરિને] પોતાની મેળે “લક્ષ્મી પ્રાપ્ત થાય" છે. ૪૪ विशे षार्थ બૃહદ્ગચ્છીય માનદેવસૂરિના શિષ્ય શ્રીવીરપ્રભુની ૨૦મી પાટે થયેલા પહેલા માનતુંગસૂરિએ આ સ્તોત્ર ઉજજયનીમાં થઈ ગયેલા વૃદ્ધ ભોજની સભામાં, સૂરિશ્રીને, જૈન મંત્રશક્તિની અનેક વિવિધ શકિતનો પ્રભાવ જોવા લોઢાની સાંકળોથી બાંધી પૂર્યા, ત્યારે આ સ્તોત્ર રચી, તેઓ તોડીને બહાર આવ્યા અને જૈન ધર્મની પ્રભાવના થઈ. આ સ્તોત્રની કાવ્યરચના બહુ મનોહર છે. અમોએ તેના ભાવાર્થ ખાસ સમજાય તેવી રીતે આપેલ છે, તેથી શબ્દોના અર્થોને ખાસ વળગી રહેવામાં આવેલ નથી. આ સ્તોત્રના દરેક શ્લોક સાથે સંકળાયેલ મંત્ર અને વિદ્યાઓ તથા કથાઓ વગેરે વિષે ટીકા ગ્રંથો વગેરેમાંથી જાણી લેવું. વિસ્તાર ભયથી તે અહીં આપવામાં આવેલ નથી. Page #839 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ સ્તોત્રની ટીકા બાણભટ્ટની કાદંબરી કથાના ટીકાકાર શ્રી ભાનચંદ્ર ગણિના શિષ્ય-કે જેઓએ એ જ કાદંબરીના પાછળના ભાગના ટીકાકાર છે, તેઓશ્રી સિદ્ધચંદ્રગણિએ વિદ્વત્તાપૂર્ણ લખી છે, તે શ્રાવક ભીમસિંહ માણેક તરફથી ગુજરાતી અર્થ, ભાષા કાવ્યો તથા સંગીતમાં ગવાયેલાં કાવ્યો સાથે છપાયેલ છે. ૭૯. કલ્યEા મન્દિર સ્તોત્રમ-૮ (વસન્ત-તિલકા-વૃત્ત) મંગલાચરણ શબ્દાર્થ :- કલ્યાણ-મન્દિરં મંગળ ઘર જેવા. ઉદાર ઉદાર. અવદ્યભેદિકપાપનો નાશ કરનાર, ભીતા-ડભય-પ્રદં ભય પામેલાને નિર્ભય કરનાર. અનિતિ પવિત્ર. અઘિ-પદ્દમં બે ચરણોને. સંસાર-સાગર-નિમજજશેષ-જંતુ-પોતાયમાનં=સંસાર સમુદ્રમાં ડૂબતાં તમામ પ્રાણીઓને વહાણ જેવા. અભિનય = પ્રણામ કરીને. જિનેશ્વરસ્ય જિનેશ્વર પ્રભુનાં. ૧ 'કલ્યાણ- મન્દિરમુદારમવદ્ય-ભેદિ ભીતા-ભય-પ્રદમનિશ્વિતમડિઘ-પવી સંસાર-સાગર-નિમજ્જદશેષ-જન્તુ ‘પોતાયમાનમનિમ્ય જિનેશ્વરસ્ય 1 ગાથાર્થ - મંગળધર જેવા, ઉદાર, પાપનો નાશ કરનાર, ભય પામેલાને નિર્ભય કરનાર, પવિત્ર, સમુદ્રમાં ડૂબતાં તમામ પ્રાણીઓને વહાણ જેવા જિનેશ્વરપ્રભુનાં બે ચરણોને પ્રણામ કરીને.૧ શબ્દાર્થ :- યસ્ય =જેમની. સ્વયં પોતે. સુર-ગુરુ દેવોનો ગુરુ બૃહસ્પતિ. ગરિમા-ડબુરાશે: ગૌરવના સાગર જેવા. સ્તોત્ર-સ્તુતિ. સુવિસ્તૃત-મતિ:કવિશાળ બુદ્ધિનો ઘણી. ન=નથી. વિભુ સમર્થ. વિધાતું કરવાનું. તીર્થેશ્વરસ્ય તીર્થંકર પરમાત્માની. કમઠ-સ્મય-ધૂમકેતો:=કમઠના આનંદને નાશ કરવાને ધૂમકેતુ સરખા. તસ્યતે. અહંકહું. એષ આ. સંસ્તવન સ્તુતિ. કરિબે કરવાને. કિલ=જ. ૨ યસ્ય સ્વયં"સુર-ગુરુર્ગરિમા- બુ-રાશે: સ્તોત્ર સુ- "વિસ્તૃત-“મતિને વિભુર્વિધાતુમ Page #840 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો તીર્થેશ્વરસ્ય કમઠ- સ્મય-ધૂમ-કેતો સ્તસ્યા- ડહમેષ૨ કિલજસંસ્તવન કરિષ્ય યુગ્યમ્ ારા ગાથાર્થ :- વિશાળ બુદ્ધિનો ધણી દેવોનો ગુરુ બૃહસ્પતિ પોતે, ગૌરવના સાગર જેવા જેમની સ્તુતિ કરવાને સમર્થ નથી, તે કમઠના આનંદનો નાશ કરવાને ધૂમકેતુ સરખા (પાર્શ્વનાથ] “તીર્થંકર પરમાત્માની આ હું તો સ્તુતિ કરવાનો જ. ૨ આપની સ્તુતિ કરવામાં મુશ્કેલી શબ્દાર્થ :- સામાન્યત: સામાન્યથી. અપિ = પણ. તવ=તમારું. વર્ગયિતું વર્ણવવાને. સ્વરૂપ સ્વરૂપ. અસ્માદશા=અમારા જેવા. કર્થ શી રીતે ? અધીશ ! હે સ્વામી ! અધીશા શક્તિ ધરાવી શકે. ધૃષ્ટ =ચાલાક. અપિ છતાં. કૌશિક-શિશું ઘુવડનું બચ્ચું. યદિ-વાઅથવા. દિવાધો દિવસે આંધળું. રૂપં સ્વરૂપ. પ્રરૂપથતિ સમજાવી શકે. કિશું. ઘર્મ-ર: સૂર્યનું. ૩ સામાન્યતોગપિ તવ વર્ણયિતું સ્વ-રૂપ મસ્મા-દશા: કથમધીશ'! ભવન્યધીશા ? છૂટોપિકૌશિક-શિશુર્યદિવા દિવા-ખેડબ્ધો રૂપ “પ્રરૂપતિ “કિ કિલ ઘર્મ- રમે ? | ગાથાર્થ :- હે સ્વામી ! સામાન્યથી પણ ‘તમારું સ્વરૂપ “વર્ણવવાને મારા જેવા ‘શી રીતે શકિતમાન થાય ? અથવા “ચાલાક છતાં "દિવસે આંધળું "ઘુવડનું બચ્ચું "સૂર્યનું સ્વરૂપ “શું સમજાવી શકે? ૩ કેવળ જ્ઞાની પણ આપના ગુણોનું વર્ણન કરી શકતા નથી શબ્દાર્થ:- મોહ-ક્ષયાત મોહનો ક્ષય થયા પછી. અનુભવનઅનુભવી થવા છતાં. અપિ =પણ. નાથ !=હે નાથ ! મર્યો માણસ. ગુણાન-ગુણો. ગણયિતું ગણાવી. ન=નથી. તવતમારા. ક્ષમત=શકતો. કલ્પા-ડત્ત-વાજો- યસ: કલ્પકાળને અંતે બહાર નીકળી ગયેલ પાણીવાળા. પ્રકટ:=ખુલ્લો થયેલો. યસ્માતૃકેમકે. મીયત માપી શકે. કેન=કોણ. જલધે સમુદ્રનો. રત્ન-રાશિ:=રત્નનો ઢગલો. ૪ Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો મોહ-યાદનુભવને પિ નાથ! 'સત્ય “નૂનં ગુણાન ગણયિતું" તવ ક્ષમતા કલ્પા-ડન્ત-વાન્ત-પયસ:"પ્રકટોડપિ જયસ્માન અમીત કન "જલ-ધેર્નનું રત્ન-રાશિ: ? મજા ગાથાર્થ :- હે નાથ ! મોહનો ક્ષય થયા પછી અનુભવી [સંપૂર્ણ-કેવળ જ્ઞાની] થવા છતાં *પણ માણસ તમારા ગુણો ગણાવી શકતો જ નથી. કેમકે કલ્પકાળને અન્ને બહાર નીકળી ગયેલા પાણીવાળા “સમુદ્રનો ખુલ્લો થયેલો છતાં પણ "રત્નનો ઢગલો “કોણ માપીશકે છે ? ૪ છતાં હું આપની સ્તુતિ કરવાને ઘણો ઉત્સુક છું શબ્દાર્થ :- અભ્યઘત:=તૈયાર થયો. અસ્મિ છું. તવતમારા. નાથ !=હે નાથ જડાડશયો જડબુદ્ધિવાળો. અપિ છતાં. કતું કરવાને. સ્તવં સ્તુતિ. લસદસંખ્ય-ગુણા કરસ્ય ચમકતાં અસંખ્ય ગુણોની ખાણ સરખા. બાલો બાળક. અપિ પણ. કિં=શું. ન=નથી. નિજ-બાહુ-યુગ પોતાના બે હાથ. વિતત પહોળા કરીને. વિસ્તીર્ણતાં વિસ્તાર. કથતિ બતાવતો. સ્વ-ધિયા પોતાની બુદ્ધિ અનુસાર. અબુ-રાશે: સમુદ્રનો. ૫ ‘અભ્યઘતોડસ્મિતવ'નાથ ! જડા-'ઝશયોકપિ *કનું સ્તવં લસદસંખ્ય-ગુણા-ડકરસ્યા બાલોકપિ"'" દિન નિજ-બાહુ-યુગ ૫વિતત્ય વિસ્તીર્ણતાં કથતિ “સ્વ-ધિયા બુ" -રાશે: ૧ પા. ગાથાર્થ :- હે નાથ ! ચમકતા અસંખ્ય ગુણોની ખાણ સરખા આપની સ્તુતિ કરવાને જડ બુદ્ધિવાળો છતાં પણ હું તૈયાર થઈ ગયો છું. બાળક પણ પોતાની બુદ્ધિ અનુસાર પોતાના બે "હાથ પહોળા કરીને શું સમુદ્રનો વિસ્તાર નથી બતાવતો ? ૫ સ્તુતિ કરવાનો મારો યથાશકિત પ્રયાસ છે શબ્દાર્થ :- યે=જે. યોગિનામ=મહર્ષિઓના. અપિ પણ. ન=નથી. યાત્તિ આવી શકવું. Page #842 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૬૯ ગુણા: ગુણો. તવ=તમારા. ઈશ ! હે નાથ ! વક્તવર્ણવી. કર્થ શી રીતે. ભવતિ આવે, થાય. તેવુ તેઓમાં. મમ=મારો. અવકાશ લાગ. જાતા કામ થયું. ત=એટલે. એવં એ રીતે. અસમીક્ષિત-કારિતા=વગર વિચાર્યું જ. ઇયં–આ. જલ્પત્તિ બોલે છે. નિજ-ગિરા=પોતાની જ ભાષામાં. નનુ ખરેખર. પક્ષિણો પંખીડાં. અપિ પણ. ૬ યે “યોગિનામપિ'ન યાન્તિ ગુણાસ્તવેશ'! “વફતું કર્થ "ભવતિ તેવુ"મમા-ડવકાશ: ? જાતા મૃતદેવમ-સમીક્ષિત-કારિતેય' જજલ્પત્તિ નિજ-ગિરા નનું પક્ષિણો પિકા ગાથાર્થ :- હે સ્વામી ! તમારા જે *ગુણો "મહર્ષિઓ પણ વર્ણવી શકતા નથી, તો તેઓમાં મારો તો “લાગ જ શી રીતે ફાવે ? એટલે "આ રીતે તો મારું] આ કામ વગર વિચાર્યું જ “થયું. પરંતુ, અરે! પંખીડાં પણ પોતાની ભાષામાં તો “બોલે છે ને ? ૬ આપના નામનો પણ અત્યન્ત પ્રભાવ છે શબ્દાર્થ :- આસામ દૂર રહો. અચિન્ત-મહિમા અચિન્હ મહિમાવાળી. જિન કહે જિનેશ્વરદેવ. તે તમારી સંસ્તવ સ્તુતિ. નામ=નામ. અપિ પણ. પાતિ રક્ષણ કરે છે. ભવત: આપનું. ભવત: સંસારથી. જગત્તિ ત્રણ જગતનું. તીવ્રા-તપપહત-પાન્થ-જનાનખરા તાપથી ગભરાયેલા મુસાફરોને.નિદાથે ઉનાળામાં. પ્રણાતિ આનંદ આપે છે. પા-સરસ: પદ્મ સરોવરનો. સરસોડનિલ:સરસ પવન. અપિપણ. ૭ આસ્તામ-ચિન્ય-મહિમા 'જિન! *સંસ્તવસ્તુ નાના-ડપિ અપાતિ ભવતો ભવતો જગન્તિા તીવ્રા-ડતો-ડપહત-પાન્થ-જનાનિદાઘેર પ્રણાતિ પદ્ય-સરસ: “સરસોડનિલોડપિIળા ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! અચિન્ય મહિમાવાળી તમારી સ્તુતિ તો દૂર રહો, પરંતુ *આપનું નામ પણ ત્રણ જગતનું સંસારથી રક્ષણ કરે છે. “ઉનાળામાં ખરા તાપથી ગભરાયેલા મુસાફરોને પદ્મ- "સરોવરનો સરસ “પવન પણ આનંદ “આપે જ છે ને. ૭ Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ પંચ પ્રતિકમાણસૂત્રો પ્રભુના ધ્યાનનો પ્રભાવ શબ્દાર્થ:- હર્તિનિગહૃદયમાં વસો છો ત્યારે. વયિ=આપ. વિભોરહે વિભો!, પ્રભો! શિથિલીભવન્તિ વછૂટી જાય છે. જન્તો:=પ્રાણીઓના. ક્ષણે ક્ષણવારમાં. નિબિડાગાઢ. અપિ પણ. કર્મબન્ધાસ=કર્મબંધનો. સદ્ય =જલદીથી. ભુજદ્ગમયા=સમિય. ઇવ=જેમ. મધ્ય-ભાગવચ્ચે. અભ્યાગતે આવે ત્યારે. વન-શિખચ્છિનિ=જંગલનો મોર. ચન્દનમ્ય સુખડના ઝાડના. ૮ હર્તિનિ વયિ 'વિભો શિથિલીભવન્તિલ અજન્તો: “ક્ષણેન નિબિડા" અપિ'કર્મબન્ધા: સો ભુજદ્ગમયા 'ઇવ મધ્ય-ભાગ - *મભ્યાગતે વન-શિખણ્ડિનિ “ચન્દનસ્ય દા ગાથાર્થ :-જેમ જંગલનો મોર વનની અંદર આવે, 'સુખડના ઝાડનાં સર્ષમય ગાઢ બંધનો તરત જવછૂટી જાય છે, તેમ છે "વિભો! “આપ જ્યારે હદયમાં વસો છો, ત્યારે પ્રાણીનાં ગાઢ "પણ [નિકાચિત "કર્મબંધનો ક્ષણવારમાં વછૂટી જાય છે. ૮ પ્રભુદર્શનનો પ્રભાવ શબ્દાર્થ :- મુન્ને છોડી દેવાય છે, છોડી દે છે. એવ=જ. મનુજા = મનુષ્યો, મનુષ્યોને. સહસા=એકદમ. જિનેન્દ્ર !=હે જિનેન્દ્ર ! રૌદ ભયંકર. ઉપદ્રવ-શતૈ: સેંકડો પીડાઓથી. વયિ=આપના. વીક્ષિતે પિ=દર્શન થતાં જ. ગો-સ્વામિનિ સૂર્ય. ફુરિત-તેજસિરઝળહળતો. દરમાત્ર દર્શન થતાં જ. ચૌર: ચોરો. ઇવજેમ. આશુ જલદી. પશવ: પશુઓને. પ્રપલાયમાનં:નાસતાં. ૯ “મુચ્ચત્ત“એવ"મનુજા: સહસા "જિનેન્દ્રા "રીàરુપદ્રવ -શૌસ્વયિ" વીક્ષિતે પિ. ગો-સ્વામિનિ ફુરિત-તેજસિદર-માટે ચૌરેરિવાર -ડડશુ પશવ: પ્રપલાયમાન લા ગાથાર્થ :- 'ઝળહળતો સૂર્ય જોતાંની સાથે જ નાસતા ચોરો જેમ પશુઓને “જલદી Page #844 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૭૧ “છોડી દે છે, તેમણે"જિનેન્દ્રા આપના દર્શન થતાં એકદમ “છોડી જ દે છે. ૯ ભયંકર એવી સેંકડો પીડાઓ "મનુષ્યોને પ્રભુના ધ્યાનનો પ્રભાવ શબ્દાર્થ:- તમતમે. તારક:=તારનારા. જિન !=હે જિનેશ્વર દેવ. કથં=શી રીતે. ભવિનાં ભવ્ય પ્રાણીઓને. તે તેઓ. એવ=જ. વામ આપને. ઉદ્વહન્તિ ઉપાડી લે છે. હૃદયન છાતીએ. યત કેમકે. ઉત્તરન્તઃ=તરતી વખતે. યા=અથવા. દતિ =મસક તરતિeતરે છે. યત કે. જલં પાણી ઉપર. એષ=એ. નૂનમ જ. અન્તર્ગતમ્ય અંદર રહેલા. મરુત:=વાયરાનો જ. સ: તે. કિલ ખરેખર. અનુભાવ:= પ્રતાપ. ૧૦. વં'તારકો જિન કર્થ ભવિનાં? ત એવ "ત્યામુદ્રહન્તિ હૃદયન'યદુત્તરન્ત: જયદ્રા "દતિસ્તરતિ જ્જલમેષનૂન* મન્તર્ગતમ્ય મરુત: “સ અકિલા-ડનુભાવ: ૧. ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! ભવ્ય પ્રાણીઓને તમે જ ‘તારનાર શી રીતે ગણાઓ ? કેમ કે, તેઓ જ તરતી વખતે આપને જ પોતાની છાતીએ “ઉપાડે છે. અથવા બરાબર છે કે, મસક પાણી ઉપર તરે છે ખરી, પણ તે એ પ્રતાપ ખરેખર અંદર રહેલા વાયરાનો જ હોય છે ને ? ૧૦ પ્રભુએ કામદેવ ઉપર મેળવેલ વિજય શબ્દાર્થ :- વસ્મિન જેના ઉપર. હર-પ્રભૂતય:= મહાદેવ વગેરે. અપિ પણ. હતપ્રભાવા=પછડાઈ ભૂવા. સકતે. અપિ =જ. વયા આપે. રતિ-પતિ: કામદેવને. ક્ષપિત:= પછાડી નાંખ્યો. ક્ષાન=ચપટી માત્રમાં. વિધ્યાપિતા:કઠારી નાખ્યા. હુત-ભુજ.=અગ્નિને. પયસા=પાણીએ. પેન જે. પીતે પી જવું. ન=નથી. કિં=શું. તદ્દતે, પાણીને. દુર્બર-વાડવેન વડવાનળ. ૧૧ પસ્મિન્ હર-પ્રભૂતયોડપિ હત-પ્રભાવા: “સોડપિ' ત્વયા રતિ-પતિ:પિત: ક્ષણેના Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો "વિધ્યાપિતા હુત - "ભુજ: પયસાડથ"એન" પીત ન “કિ તદપિ દુર-વાડવેન? ૧૧ ગાથાર્થ :- જેના પર મહાદેવ વગેરે પણ પછડાઈ ભૂવા, "તે જ કામદેવનેય “આપે ચપટી માત્રમાં પછાડી નાંખ્યો," અથવા, જે પાણીએ અગ્નિને ઠારી નાંખ્યા, તે* પાણીને ય શું ભયંકર વડવાનળ નથી આપી જતો ? ૧૧ પ્રભુ જ સંસાર-સમુદ્રથી જલદી તારે છે શબ્દાર્થ :- સ્વામિન ! હે સ્વામી ! અનલ્પ-ગરિમાણમeઘણા ભારે. પ્રપન્ના=શરણાગત. વાં આપને. જન્તવ=પ્રાણીઓ. કથમ કેમ. અહો !=અરે ! હૃદયે છાતીએ. દવાના ઉપાડીને. જન્મોદધિ ભવસાગર. લઘુકજલદી. તરન્તિ તરી જતા હશે. અતિ-લાઘવેન હલકા ફૂલ થઈ ગયેલા. ચિન્ત:=શી રીતે સમજાય. મહતાં મોટાની. યદિ તો. વા અથવા. પ્રભાવ: મોટાઈ. ૧૨ સ્વામિનરલ્પ-ગરિમાણમપિપ્રપન્ના 'વાં જન્તવ: કામો હૃદયે દધાના: જન્મોર્ધિલઘુતરત્યંતિલાઘવેન ચિન્યો ન હન્ત મહેતાં યદિ જવા “પ્રભાવ: વરા ગાથાર્થ :- હે 'સ્વામી ! ઘણા ભારે છતાં આપને પછાતીએ ઉપાડીને અહા હલકા ફલ જેવા થઈ ગયેલાં “શરણાગત પ્રાણીઓ જલદી જલદી “ભવસાગર કેમ તરી જતા હશે ? અથવા તો " મોટાઓની “મોટાઈ ખરેખર સમજી શકાતી જ નથી. ૧૨ ક્રોધ ઉપર પ્રભુએ મેળવેલ વિજય શબ્દાર્થ :- ક્રોધ: ક્રોધનો. વયા આપે. વિભો ! હે વિભુ ! પ્રથમ પહેલાં. નિરસ્ત =નાશ કરી નાખ્યો. ધ્વસ્તા=મારી શકયા. તદા તો પછી. બતઅસંભવ બતાવે છે. કર્થ શી રીતે ? કર્મ-ચીરા: કર્મ રૂપી ચોરોને. પ્લોપતિ બાળી નાખતો – નાંખે છે. અમુત્ર–આ. શિશિરા ઠંડો. લોકે દુનિયામાં. નીલ-દ્રમાણિલીલાંછમ ઝાડોનાં વિપિનાનિ વનોને. ન=નથી. હિમાની હિમ. ૧૩ Page #846 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો 3 ક્રોધસ્ત્વયા યદિ વિભો ! ’પ્રથમ 'નિરસ્તો ૧૨ ૧૦ધ્વસ્તાસ્તદા બત કë 1લિ કર્મ- ચૌરા: ? । પ્લોષત્યમુત્ર પયદિ વા 'શિશિરાઽપિ‘લોકે ૨૦ ૨૨ નીલ દ્રુમાણિ ``વિપિનાનિ ન કિંÝ હિમાની ? ॥૧૩॥ ગાથાર્થ :- હે 'વિભુ ! જો કે આપે પહેલાં ક્રોધનો તો ‘નાશ કરી નાંખ્યો, પછી આશ્ચર્ય છે કે, કર્મરૂપી ચોરોને મારવાનું ''ખરેખર `કેમ બની જ શકે ? `Ôઅથવા, ``શું ``આ `‘દુનિયામાં ઠંડો છતાં પણ હિમ લીલાં ઝાડોનાં વનોને “નથી બાળી નાંખતો ? ૧૩ ૭૪ યોગીઓ આપનું જ ધ્યાન પોતાના હૃદયમાં ધરે છે શબ્દાર્થ :- ત્યાં આપને. યોગિન: યોગીઓ. જિન !=હે જિનેશ્વર ! પ્રભો. સદા=હંમેશાં. પરમા-ગઽત્મ-રૂપ-પરમાત્મ સ્વરૂપ. અન્વષયન્તિ શોધ્યા કરે છે. હૃદયા-મ્બુજ-કોશ-દેશે-પોતાના હ્રદય રૂપી કમળ નાળમાં. પૂતસ્ય પવિત્ર. નિર્મલ-રુચે:=ચકચકતા. વા=અથવા. કમ્=કર્યું. અન્ય-વિના, બીજું. અક્ષસ્ય=કમળનાં બીજનું. સંભવિ=સંભવે છે. પદ્મ ઠેકાણું. કર્ણિકાયા:-કર્ણિકા. ૧૪ ત્યાં યોગિનો `જિન ! `સદા પરમા- ડઽત્મ-રૂપ મન્યેષયન્તિ હૃદયા-'ડમ્બુજ - કોશ-દેશે । `°પૂતસ્ય “નિર્મલ-‘રુચેર્યદિવા `Yક્રિમન્ય ૧૩ ૭૭૩ ૧૨ ``દક્ષસ્ય ''સંભવિ પદં ``નનુ વૈકર્ણિકાયા: 2 ॥૧૪॥ ગાથાર્થ :- હે `જિનેશ્વર પ્રભો ! ‘પરમાત્મ સ્વરૂપ આપને યોગીઓ હમ્મેશાં પોતાના ‘હૃદયકમળના ડોડામાં જ શોધ્યા કરે છે, અથવા ચકચકતા પવિત્ર ``કમળના બીજનું `કર્ણિકા વિના બીજું 'કયું `ઠેકાણું ‘‘સંભવે છે ? ૧૪ આપના ધ્યાનથી જલદી મોક્ષ મળે છે શબ્દાર્થ :- ધ્યાનાત્≠ધ્યાનથી. જિનેશ !=હે જિનેશ્વર પ્રભો ! ભવત:=આપના. ભવિન:-ભવ્ય પ્રાણીઓ. ક્ષણેન=ક્ષણ વારમાં. દેહંશરીરનો. વિહાય-ત્યાગ કરીને. પરમા-ઽત્મ-દાં-પરમાત્મ Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો સ્વરૂપ. અન્વષયત્તિ શોધ્યા કરે છે. હૃદયા-ડબુજ-કોશ-દેશે પોતાના હૃદય રૂપી કમળ નાળમાં પૂત પવિત્ર. નિર્મલ-રૂચ =ચકચકતા. વા=અથવા. કિમ કર્યું. અન્ય =વિના, બીજું. અક્ષમ્ય કમળનાં બીજનું. સંભવિ=સંભવે છે. પદ્મ-ઠેકાણું. કર્ણિકાયા: કર્ણિકા. ૧૪ ત્યાં યોગિનો 'જિન! “સદા પરમાન્ડ ન્મ-રૂપ ' મન્વેષયન્તિ હૃદયા-ડબુજ - કોશ-દેશે ! “પૂતસ્ય “નિર્મલ- રુચેર્યદિવા "કિમન્ય 'દક્ષસ્ય સંભવિ પદં "નનુ કર્ણિકાયા: ? ૧૪ ગાથાર્થ :- હે 'જિનેશ્વર પ્રભો ! પરમાત્મ સ્વરૂપ આપને યોગીઓ હમેશાં પોતાના “હૃદયકમળના ડોડામાં જ શોધ્યા કરે છે, અથવા ‘ચકચકતા પવિત્ર "કમળના બીજનું “કર્ણિકા વિના બીજું કયું કાણું “સંભવે છે? ૧૪ આપના ધ્યાનથી જલદી મોક્ષ મળે છે શબ્દાર્થ :- ધ્યાના ધ્યાનથી. જિનેશ ! હે જિનેશ્વર પ્રભો ! ભવત: આપના. ભવિન:=ભવ્ય પ્રાણીઓ. ક્ષણેન=ક્ષણ વારમાં. દેહં=શરીરનો. વિહાયત્રત્યાગ કરીને. પરમા-હડત્મ-દશાં= પરમાત્મ સ્વરૂપ. વ્રજન્તિઃપ્રાપ્ત કરી લે છે. તીવા-નવા આકરા અગ્નિની આંચથી. ઉપલ-ભાવમ=પથ્થરપણું. અપાછોડીને. લોકે દુનિયામાં. ચામી-કરતં સોનાપણું. અચિરાત તરત જ. ઇવ=જેમ. ધાતુભેદા:=ખાણની એક જાતની ધાતુઓ. ૧૫ ધ્યાનાજિનેશ 'ભવતો ભવિન: સર્ણન હિં વિહાય પરમા-ડડત્મ-દશાં વ્રજન્તિા 'તીવ્રા-ડબલાદુપલ-ભાવમપાસ્ય લોકે' ‘ચામી-કરત્વમ ચિરાદિ ધાતુ-ભેદા: ૧ પા. ગાથાર્થ :- 'દુનિયામાં પણ જેમ ખાણમાંથી નીકળેલી એક જાતની ધાતુઓ આકરા અગ્નિની આંચથી પથ્થરપણું છોડીને તરત જ “સોનાપણું પામે છે, તેમ હે જિનેશ્વર પ્રભુ! ભવ્ય પ્રાણીઓ આપના ધ્યાનથી ક્ષણવારમાં શરીરનો ત્યાગ કરીને પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૧૫ Page #848 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭૫ આપના ધ્યાનથી શરીરનાં બંધન છૂટી જઈ મોક્ષ મળે છે શબ્દાર્થ :- અન્ત =અંદર. સદેવ હમેશાં. જિન !=હે જિનેશ્વર દેવ !. યસ્ય =જેમાંથી. વિભાવ્યસે=શોધી કાઢે છે. તંઆપને. ભવ્ય =ભવ્ય જીવો. તતeતે. અપિય. નાશયસે નાશ કરી નાંખો છો. શરીરમ=શરીરનો. એતત એવો. સ્વરૂપ સ્વભાવ જ. અથ=અથવા. મધ્ય-વિવર્તિન:=વચ્ચે પડેલાઓનો. હિનકે. જે. વિરહ=૧. શરીર અને ૨. લડાઈ. પ્રશમનિ શાંત જ કરે છે. મહાનુભાવા: પ્રભાવશાળી પુરુષો. ૧૬ 'અન્ત:સદૈવ 'જિન! “યસ્ય વિભાવ્યસે 'વં° ભવ્યું: ''કર્થ ‘તદપિ નાશયસે શરીરમ્ | એતસ્વ-રૂપમથ"મધ્ય-વિવર્તિનો હિ" “ચદ્વિગ્રહ પ્રશમયન્તિ મહા-ડનુભાવા:૧૬ ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! ભવ્ય જીવો હમેશાં જ આપનું જેની અંદર ચિંતન કરે છે, “તે શરીરનોય આપ કેમ નાશ કરી નાખો છો ? અથવા વચ્ચે પડેલાઓનો સ્વભાવ જ' એવો હોય છે, કે “પ્રભાવશાળી પુરુષ લડાઈ શાંત જ કરે છે. ૧૬ [મધ્યસ્થ પુરષ લડાઈ મટાડે છે, અને આપના જેવા સિદ્ધ પરમાત્માઓ શરીરનો નાશ જ કરે છે. વિરહ =શરીર અને લડાઈ.] આપનું ધ્યાન ધરનાર આપના જેવા જ પ્રભાવવાળો થાય છે શબ્દાર્થ :- આત્મા આત્મા. મનીષિભિઃ=મહર્ષિઓએ. અયં આ. વદભેદ-બુદ્ધયા તમારી સાથે અભેદબુદ્ધિ રાખીને. ધ્યાત:=ધ્યાનમાં ધ્યાપેલ. જિનેન્દ્ર ! હે જિનેન્દ્ર ! ભવતિ થઈ જાય છે. ઈહ અહીં. ભવપ્રભાવ:=આપના જેવો. પાનીયમ=પાણી. અપિ =પણ. અમૃતમ =આ અમૃત છે. ઇતિ=એવી. અનુચિત્તમાન ભાવનાથી વાસિત. કિનામ શું? નો નથી. વિષ-વિકારઝેરની અસર. અપાકરોતિ દૂર કરે છે. ૧૭ આત્મા મનીષિભિરયં ત્વદભેદ-બુદ્ધયા અધ્યાતો 'જિનેન્દ્ર ! “ભવતી ભવ–ભાવ: Page #849 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો પાનીયમપ્ય"મૃત" મિત્યનુ ચિન્તમાન કિપનામ “નો વિષ-વિકારમપાકરોતિi૧ળા ગાથાર્થ :- હે 'જિનેન્દ્ર ! તમારી સાથે અભેદબુદ્ધિ રાખીને અહીં *મહર્ષિઓએ ધ્યાનમાં ધ્યાયેલ તિઓનો જ] "એ આત્મા આપના જેવો જ થઈ જાય છે. “આ અમૃત છે એવી *ભાવનાથી વાસિત કરવામાં આવેલું પાણી પણ "શું ઝેરની અસર દૂર કરતું નથી કે? ૧૭ પરવાદીઓ હરિ હરાદિકની બુદ્ધિએ પણ આપની જ સેવા કરે છે શબ્દાર્થ :- વામ આપ. વીત-તમસં વીતરાગ પરમાત્માને. પર-વાદિન: બીજા વાદીઓ. અપિ= પણ. વિભો != પરમાત્મા ! હરિ હરા-દિ-ધિયા=વિષ્ણુ અને મહાદેવની બુદ્ધિથી, પ્રપન્ના:=શરણે આવ્યા છે. કાચ-કામલિભિ કમળાના રોગવાળો. ઈશ !=હે નાથ ! સિત: ધોળા, સફેદ. અપિય. શખ:=ાંખને. નો નથી. ગૃહ્યતે=જોતો. વિવિધ-વર્ણ-વિપર્યયણ આડા અવળા જુદા જુદા રંગે. ૧૮ ‘ત્યામેવ વીત-તમસંપર-વાદિનોકપિ *નૂન વિભો. “હરિ-હરા-ડડદિ-થિયા “પ્રપના: 'કિકાચ-કામલિભિરીશ! “સિતોડપિ"શો "નો ગૃહ્મતે વિવિધ-વર્ણ-વિપર્યયણ ? ૧૮ ગાથાર્થ :- ઓ 'પરમાત્મા ! પેલા બીજા વાદીઓ પણ ચોકકસ “વિષ્ણુ અને મહાદેવની બુદ્ધિથી આપ વીતરાગ પરમાત્માને જ શરણે આવ્યા છે. હે નાથ ! કમળાના રોગવાળો ધોળા સફેદ “શંખને ય આડા "અવળા જુદા જુદા રંગે શું "નથી જોતો ? ૧૮ પ્રભુના ઉપદેશના પ્રભાવપૂર્વક અશોક પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ધર્મોપદેશ સમયે ધર્મના ઉપદેશ વખતે. સ-વિધા-૩નુભાવા=સોબતની અસરને લીધે. આસ્તાં તે શું પણ. જન: માણસો. ભવતિ થાય છે. તે તમારા. તરુ =ઝાડવું. અપિ=પણ. અશોક =શોક વગરનું. અભ્યજ્ઞતે ઊગે ત્યારે. દિન-પતૌસૂર્ય. સ-મહી-રહ: ઝાડપાન સાથે જ. વિબોધજાગ્રત. ઉપયાતિ થવું. જીવ-લોકસર્વ જીવ લોક. ૧૯ Page #850 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭૭ “ધર્મોપદેશ-સમયે સ-વિધા-ન્ડનુભાવા "દાસ્તાં 'જનો ભવતિ તે તરુર અશોક અભ્યજ્ઞતે દિન- "પતી સ- મહી-હોડપિ* કિં વા વિબોધમુપયાતિનવ-લોક: ? ૧૯ ગાથાર્થ :- 'આપના ધર્મના ઉપદેશ વખતે આપની સોબતની અસરને લીધે માણસો તો શું ? પણ ઝાડવું પણ “શોક વગરનું ‘થાય છે. [તે વખતે અશોકનું ઝાડ પાસે જ હોય છે, ને અશોક= શોક વગરનું નામ ધારણ કરે છે.] “અથવા "સૂર્ય “ઊગે ત્યારે ઝાડપાન સાથે જ સર્વ જીવલોક "શું “જાગ્રત થતો નથી ? ૧૯ પ્રભુના પરિચયના પ્રભાવના વર્ણનપૂરક સુર-પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ચિન્ને આશ્ચર્ય. વિભો != પ્રભો. અવાફ મુખ-વૃત્ત નીચે ડિટિયાવાળા (ચત્તા) થઈન. વિશ્વફ ચારે તરફ. પતતિ પથરાઈ જાય છે. અ-વિરલા=ખૂબ. સુર-પુષ્પવૃષ્ટિ =દેવોએ વેરેલા ફૂલનો વરસાદ. વગોચરે તમારી હાજરીમાં. સુમનસાં=સુમનસો(ફૂલો અને સારા મનવાળા)ના. મુનીશ!–હે મુનિવર. ગચ્છત્તિ ચાલ્યા જાય છે. અધ: નીચે બન્યનાનિબંધનો. ૨૦ ચિત્ર 'વિભો! કથમવામુખ-વૃન્સમેવ ‘વિષ્યફ પતત્યવિરલા "સુર-પુષ્પવૃષ્ટિ: ? "વદ્ગોચરે સુ- મનસાં યદિ “વા “મુનીશ! ગચ્છનિ અનૂનમધ" એવ"હિ બન્ધનાનિ રબા ગાથાર્થ :- "પ્રભો ! આ તે કેવું આશ્ચર્ય ! કે દેવોએ વર્ષાવેલાં ફૂલો નીચે ડાટિયાવાળા [ચત્તા થઈને ચારે તરફ ખૂબ “પથરાઈ જાય છે, અથવા, હે મુનિવર ! તમારી હાજરીમાં “સુમનસો[ફૂલો અને સારા મનવાળા)નાં બંધનો "ખરેખર "નીચે જ* ચાલ્યાં જાય છે. ૨૦ પ્રભુના ઉપદેશનું મહત્ત્વ શબ્દાર્થ:- સ્થાને યોગ્ય જ છે. ગભીર-હૃદયોદધિ-સંભવાયા: હૃદયરૂપી ઊંડા સમુદ્રમાંથી બહાર આવતી. પીયૂષતાં અમૃત. તવ=આપની. ગિર:=વાણીને. સમુદીરયત્તિ કહે છે. પીતા પીને. યત: કારણ કે. પરમ-સંમદ-સદ્ગ-ભાજી=પરમ આનંદના સંગને ભોગવનાર. ભવ્યા=ભવ્ય જીવો. Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ વ્રજન્તિ=પામી જાય છે. તરસા=એકદમ. અજરા-ઽમરત્વમ્=અજરામરપણું. ૨૧ ઇસ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયા: *પીયૂષતાં ‘તવ ગિર: “સમુદીરયન્તિ । પીત્વા યત: પરમ-સંમદ-સફ્ળ-ભાજો ૧૧ ૧૦ ભવ્યા વ્રજન્તિ 'તરસા-ડપ્યજરા-મરત્વમ્ ॥૨૧॥ પંચ પ્રતિક્રમણસૂત્રો ગાથાર્થ :- હૃદય રૂપી ઊંડા `સમુદ્રમાંથી બહાર આવતી ‘આપની વાણીને અમૃત કહે છે, તે યોગ્ય ‘જ છે, કેમ કે-તે પીને પરમ આનંદના સંગને ભોગવનાર ભવ્ય જીવો ''એકદમ જ `અજરામરપણું [૧. દેવપણું, ૨. મોક્ષ] પામી જાય છે. ૨૧ [અમરો-દેવો વૃદ્ધાવસ્થા વગરના હોય છે, કેમ કે તેઓ અમૃત પીએ છે. તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓ આપની વાણી રૂપ અમૃત પીને વૃદ્ધાવસ્થા વગરનું અને મરણ વગરનું મોક્ષ મેળવે છે.] 'સ્વામિન્ ! 'સુ-દૂરમવનમ્ય સમુત્કૃતન્નો' ‘મન્યે વદન્તિ ‘શુચય: ‘સુર-ચામરૌઘા: । “ચેડઐ'' નહિં` વિધતે` ``મુનિપુઙ્ગવાય ૧૨ પ્રભુને કરવામાં આવતા નમસ્કારના મહત્ત્વપૂર્વક ચામર પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- સ્વામિન્ !=હે સ્વામી !. સુ-દૂર-ખૂબ. અવનમ્ય=નમીને. સમુત્પતા:-ઊંચે ઊછળે છે. મન્યુ=મને લાગે છે. વદન્તિ કહેતા હોય. શુચય:=પવિત્ર. સુર ચામરૌઘા: દેવોએ ઉછાળેલા ચામરો. યે=જે. અસ્મૈ આ. નહિં=નમસ્કાર. મુનિ-પુષ્ણવાય=મુનિપતિઓને. તે-તેઓ. ઊર્ધ્વગતય:=ઊંચી ગતિ પામે જ છે. શુદ્ધ-ભાવા:-શુદ્ધ અંત:કરણવાળા. ૨૨ "તે ''નૂનમૂર્છા-ગતય:'॰ ખલુ '॰શુદ્ધ-ભાવા:' ।।૨૨।। ગાથાર્થ :- હે `સ્વામી ! દેવોએ ઉછાળેલા પવિત્ર ચામરો′ ખૂબ નમીને પછી ઊંચે ‘ઊછળે છે, તે ઉપરથી તેઓ એમ કહેતા હોય એમ મને લાગે છે કે, “જે શુદ્ધ અંત:કરણવાળાઓ'' આ મુનિપતિને નમસ્કાર "કરે છે, ``તેઓ ચોકકસ ઊંચી ગતિ પામે જ છે.’’ ૨૨ Page #852 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રભુના દર્શનથી ભવ્યોને થતા આનંદ સાથેનું સિંહાસન પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- શ્યામં=શામળીઆ પ્રભુને. ગભીર-ગિર=ગંભીર વાણીવાળા. ઉજ્વલ-હેમ-રત્નસિંહા-ઽસન-સ્થ ચોખા સોનાના રત્નજડિત સિંહાસન પર બેઠેલા. ભવ્ય-શિખRsિન:= ભવ્ય જીવો રૂપી મોરલા. ત્યા=આપને. આલોકયન્તિ=ઓળખી કાઢે છે. રભસેન જલદી. નદન્ત=ગર્જના કરતાં. ઉચ્ચ:- ઊંચી. ચામી-કરા-ઽદ્ધિ-શિરસિ“મેરુ શિખર ઉપર રહેલા. ઇવ=તરીકે. નવામ્બુ-વાહ=નવાં વાદળાં. ૨૩ TMશ્યામ રંગભીર-ગિરમુજવલ-હેમ-રત્ન' – સિંહા-SSસન-સ્થમિહ “ભવ્ય-શિખÎિનત્સ્વામ્ । ૧૨આલોયન્તિ ''રભસેન નદન્તમુચ્ચું” – થામી-કરા-ઽદ્રિ-શિરસીવ નવા-ડમ્ભુ-વાહમ્ ॥૨૩॥ ૧૦ ૯ ગાથાર્થ :- ચોખા સોનાના રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા ગંભીર વાણીવાળા આપ *શામળીયા પ્રભુજીને `ભવ્ય જીવો રૂપી મોરલા મેરુ ‘શિખર ઉપર રહેલા `ઊંચી ‘ગર્જના કરતાં નવાં વાદળાં 'તરીકે જલદી ``ઓળખી કાઢે છે. [તરત જ નાચવા માંડે છે – ખુશ થાય છે.] ૨૩ ૭૭૯ પ્રભુની વીતરાગતાના વર્ણનપૂર્વક ભામણ્ડલ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ઉદ્ગચ્છતા ફેલાતા. તવ=તમારી. શિતિ-શ્રુતિ-મણ્ડલેન-ઠંડા [શ્યામ] પ્રકાશના મંડળ વડે. લુપ્ત-ચ્છદ-ચ્છવિ:-પાંદડા વિનાનું જ હોય એવું. અશોક-તરુ:-અશોકનું [શ્યામ] ઝાડ. બભૂવથઈ ગયું. સાંનિધ્યત:=સોબતથી. નીરાગતાંવીતરાગપણું-રંગ-રહિતપણું. વ્રજતિ પામવું. સ-ચેતન=સચેતન પ્રાણી. ૨૪ ૐઉદ્ગચ્છતા `તવ `શિતિ-વ્રુતિ-મણ્ડલેનTM ‘લુપ્ત-ચ્છદ-વિરશોક -તરુર્બભૂવ। '°સાંનિધ્યતોઽપિ યદિ વા તવ ‘વીત-રાગ ! ૧૩ નીરાગતાં ′વ્રજતિ ``કો ન`૫ રસ-ચેતનોપિ ? ॥૨૪॥ ગાથાર્થ :- 'તમારા ‘ઠંડા [શ્યામ] પ્રકાશના ફેલાતા 'મંડળ વડે અશોકનું [શ્યામ] ઝાડ જાણે પાંદડા ‘વિનાનું જ હોય એવું થઈ ગયું. હે વીતરાગ પરમાત્મા ! તમારી સોબતથી ''કયો Page #853 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ પંચ પ્રતિક્રમણસૂત્રો “સચેતન પ્રાણી વીતરાગપણું પામતો"નથી ? ૨૪ [૧૩-૧. રંગરહિતપણું. ૨.રાગદ્વેષરહિતપણું] ભગવાનને મોક્ષનગરીના સાર્થવાહ જણાવી દેવ-દુન્દુભિ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- પ્રમાદમઆળસ. અવધૂય છોડીને. ભજવ્વમ=સેવા કરો. એનમ એની. આગત્ય આવીને. નિવૃતિ-પુરી=મોક્ષ નગરીનાં. સાર્થ-વાહમ સાર્થવાહ સમાન પ્રભુ!. પ્રતિ તરફના. એતએ પ્રમાણે. નિવેદયતિ દાંડી પટિ છે, જાહેરાત કરે છે. દેવ !=હે પ્રભો ! જગત્રયાયત્રણ જગતમાં. મનેકમને લાગે છે. નદત વગાડતો. અભિ-નભ: આકાશમાં. સુર-દુન્દુભિ દેવ દુંદુભિ. તે=આપનો. ૨૫ ભો ભો: ‘પ્રમાદમવધૂયભજથ્વમેન - "માગત્ય નિવૃતિ-પુરી' પ્રતિ સાર્થ-વાહમ”! “એતનિવેદયતિ' દેવ! જગત્રયાય મજે નદન્નભિ-નભ: સુર-દુભિસ્તે રપા ગાથાર્થ :- હે પ્રભો! મને લાગે છે કે, આકાશમાં વગાડાતો દેવ-દૂભિ અરે ! “એય ! લોકો ! “આળસ છોડીને મોક્ષ "નગરી “તરફના સાર્થવાહ સમાન આ "પ્રભુને આવીને એની સેવા કરો.” ત્રણ જગતમાં એ "પ્રમાણે દાંડી પીટ છે. [જાહેરાત કરે છે.] ૨૫ પ્રભુના દિવ્ય પ્રકાશ સાથે છત્ર-ત્રય પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ:- ઉદ્યોતિષ પ્રકાશિત કરી દીધા. ભવતા આપે. ભુવનેષુ (ત્રણ) ભુવનોને. નાથ!= હે નાથ ?. તારા-ન્વિત: તારાઓ સાથે. વિધુ ચંદ્ર. અયં આ. વિહતા-ડધિકારી અધિકારથી ભ્રષ્ટ થઈ ચૂકેલો. મુક્તા-કલાપ-કલિતોષ્ણવસિતા-પત્ર-વ્યાજત-મોતીનાં ગુચ્છાઓથી શોભતા ઊંચા ખુલ્લાં ત્રણ છત્રને બહાને. ત્રિધા==ણ. ધૃત-તનુ =શરીર ધારણ કરીને અભ્યપેતા=હાજર થયેલો છે. ૨૬ ઉદ્યોતિતેપુભવતા ભુવનેષુ નાથ! “તારા-ડન્વિતો વિધુરયં “વિહતા-ડધિકાર: “મુક્તા-કલાપ-કલિતો વસિતા-ડડતપત્ર વ્યાપાત્રિધા ધૃત-તનુÉવમભુપેત: પારકા Page #854 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર ૭૮૧ ગાથાર્થ:- હે નાથ! આપે [ત્રણ] ભુવનોને પ્રકાશિત કરી દીધા હોવાથી પોતાના અધિકારથી ભ્રષ્ટ થઈ ચૂકેલો આ "ચંદ્ર જ “તારાઓ સાથે, મોતીના ગુચ્છાઓથી શોભતાં, ઊંચે રહેલાં, ખુલ્લાં, ત્રણ છત્રોને બહાને ત્રણ શરીર ધારણ કરીને આપની સેવામાં] હાજર થયેલો છે. ૨૬ પ્રભુનાં કાન્તિ, પ્રતાપ અને યશનાં વર્ણન સાથે સમવસરણના ત્રણ ગઢનું વર્ણન શબ્દાર્થ :- વેન=આપના જ. અપૂરિત-જગત્રય-પિંડિતેન==ણ જગત ભરી દીધા પછી બાકી રહેલા પડા રૂપ. કાન્તિ-પ્રતાપ-યશસામ-કાન્તિ, પ્રતાપ અને યશ. સન=ઢગલાબંધ. માણિક્ય-હેમ-રજત- પ્રવિનિમિતેન=માણેક, સોના અને રૂપાના બનાવેલા. સાલ-ત્રણ ત્રણ ગઢ વડે. ભગવન્!=હે ભગવાન! અભિત: આજુબાજુ. વિભાસિ=શોભો છો. ૨૭ 'સ્વેન પ્રપૂરિત-જગત્રય-પિષ્ઠિતેન કાન્તિ-પ્રતાપ-યશસામિવ સભ્યયેના "માણિક્ય-હેમ-રજત-પ્રવિનિર્મિતિન સાલ-ત્રણ ભગવન્નભિતો-વિભાસિ° iારણા ગાથાર્થ :- 'આપના ઢગલાબંધ કાન્તિ, પ્રતાપ અને યશ વડે કરીને ત્રણ જગત તો *ભરાઈ ગયા, છતાં બાકી રહેલા તેઓ જ, પીંડારૂપ બની જઈ માણેક, સોના અને રૂપાના બનાવેલા ત્રણ ગઢ રૂપે ગોઠવાયેલ હે ભગવન્આપની જ ‘આજુબાજુ શોભે છે. ૨૭ ઇન્દ્રોનાં મસ્તકોના મુકુટો કરતાં પ્રભુનાં ચરણોની વિશેષતા શબ્દાર્થ :- દિવ્ય-સજા ફલની માળાઓ. નમસ્ત્રિ-દશા-ડધિપાનામ નમસ્કાર કરતા ઈન્દ્રોનાં. ઉજૂજ્ય છોડી દઈને. રત્ન-રચિતાન રત્નજડિત. મૌલિ-બન્યા મુકુટોને. પાદૌ-પગમાં. શ્રયત્તિ આવીને પડે છે. ભવત:=આપનાં. પરત્ર બીજે. વસંગમે તમારો સંગ થયા પછી. સુમનસાસુમનસો [૧. ફૂલ, ૨. પવિત્ર મનવાળાં, ૩. દેવો]. રમત્તે રમે છે. ૨૮ ‘દિવ્ય-ગ્નજે 'જિન! નમત્રિ-દશા-ડધિપાના “મુસૂજ્ય રત્ન-રચિતાનપિ મૌલિ-બન્ધાનું Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ પંચ પ્રતિક્રમાગસૂત્ર પાઠી “શ્રયન્તિ ભવતો, યદિ વાપરત્ર "વસંગમે સુ-મનસો ન અરમન્ત એવ શારદા ગાથાર્થ:- હે જિનેશ્વર દેવ ! આપને નમસ્કાર કરવા આવેલા ઈદ્રોના રત્નજડિત મુકુટોનેય "છોડી દઈને ક્લની માળાઓ "આપના જ પગમાં આવીને પડે છે. અથવા ઠીક છે કેમ કે, "તમારો સંગ થયા પછી “સુમનસો ફૂલ, પવિત્ર મનવાળા અને દેવો.] ને બીજે "ગમતું જ નથી. ૨૮ વીતરાગ છતાં ભકતોને તારવાનું તમારું સામર્થ્ય શબ્દાર્થ :- વંઆપ. નાથ !=હે નાથ જન્મ-જલ =જન્મોના સમુદ્ર સંસાર સમુદ્રથી. વિપરાક્ષુખ:- મોઢું ફેરવી લીધું છે. તારયસિતારો છો. અસુમિત=પ્રાણીઓને. નિજ-પૃષ્ઠ-લગ્નાન=આપની પાછળ લાગેલા. યુક્ત યોગ્ય. પાર્થિવ-નિપસ્ય =૧. માટીનો ઘડો અને ૨. રાજાઓના સ્વામી. કર્મ-વિપાક-શૂન્ય =૧. બનાવવાની ક્રિયા અને પાક વિનાનાં. ૨. કર્મ વિપાકથી શૂન્ય. ૨૯ ત્વનાથ જન્મ-જલધર્વિપરામખોડપિ" “યત્તાય “સ્વસુ મતો નિજ-પૃષ્ઠ-લગ્નાનું યુક્ત હિપાર્થિવ-નિપસ્ય ''સતસ્તવૈવ "ચિત્ર "વિભો! "પદસિ કર્મ-વિપાક-શૂન્ય: સારા ગાથાર્થ :- હે નાથ ! [ઘડો બિચારો સમુદ્ર સન્મુખ મોટું રાખીને, અને] “આપ, જન્મોના સમુદ્ર [સંસાર]થી મોટું ફેરવી લીધું છે, છતાં પણ આપની પાછળ વળગેલાં પ્રાણીઓને [ઘડો ય તારે છે.] “તારો છો. કેમ કે, પાર્થિવનિપ માટીના ઘડાને અને રાજાઓના સ્વામી આપને [પ લાગેલાને તારવા] તો યોગ્ય જ છે. પરંતુ હે "વિભો ! એટલું તો "આશ્ચર્ય જરૂર છે કે – “આપ ક્રિયા અને પાક વિનાના છો એટલે કર્મના વિપાક વિનાના છો. [ત્યારે ઘડા ઉપર બનાવવાની ક્રિયા થાય છે, અને તેને પકવવો પણ પડે છે.] [બે આશ્ચર્ય થયાં. આપ પરીખ રહીને તારી છો, અને ક્રિયા તથા પાક રહિત છો. ઘડાને સન્મુખ રહેવું પડે છે અને તેના ઉપર ક્રિયા અને પાક કરવો પડે છે.] Page #856 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ્રભુનું વિશ્વેશ્વરપણું, નિર્લેપ પણું અને સર્વશપણું શબ્દાર્થ:- વિશ્વેશ્વર: વિશ્વના ઈશ્વર. અપિ છતાં. જન-પાલક! હે લોકોના રક્ષક! સ્વામી ! દુર્ગત: દુર્ગત-ગરીબ છો. વંઆ૫. અક્ષરપ્રકૃતિ:= અક્ષર સ્વરૂપવાળા, અવિનાશી સ્વરૂપવાળા. આપ=છતાં. અનલિપિ =લિપિ વિનાના, લેપ વિનાના. અજ્ઞાનપતિ-અજ્ઞાનવાળા, અજ્ઞોનું રક્ષણ કરો છો. કથંચિત કોઈક રીતે. જ્ઞાન-જ્ઞાન. ત્વયિ આપને વિશે. ફુરતિ છે. વિશ્વ-વિકાશ-હેતુ વિશ્વ પ્રકાશક. ૩૦ "વિશ્વેશ્વરોડ"પિ જન-પાલકા દુર્ગતત્વ કિં વાડેક્ષર- પ્રકૃતિરમ્ય - “લિપિસ્વમીશ ! 'અજ્ઞાનવત્યપિસદૈવ કશ્ચિદેવ* "જ્ઞાનં ત્વયિ ફુરતિ" વિશ્વ-વિકાશ-હેતુ: ૩. ગાથાર્થ :- હે! લોકોના રક્ષક સ્વામી ! આપ ‘વિશ્વના ઈશ્વર છતાં દુર્ગત છો – દુઃખી છો આપ વિશ્વના ઈશ્વર છે અને મુશ્કેલીથી જાણી શકાય, તેવા છો], "અક્ષર સ્વભાવના છતાં લિપિ ‘વિનાના છો, [નાશ ન પામવાના સ્વભાવવાળા છો, અને કર્મના લેપ વગરના છો.] હમેશાં "અજ્ઞાનવાળા “છતાં પણ આપને વિષે વિશ્વ પ્રકાશક "જ્ઞાન કોઈક રીતે જ ચમકે છે. આપ સ્કુરાયમાન થયે અજ્ઞાનીઓમાં કોઈ પણ રીતે રહેલું અલ્પ જ્ઞાન પણ વિશ્વ પ્રકાશક થાય છે, એટલે આપના ઉપદેશથી ઘણા કેવળજ્ઞાન પામે છે. અથવા કોઈને કોઈ રીતે અજ્ઞાનીઓનું રક્ષણ કરનારા આપને વિષે હંમેશાં વિશ્વપ્રકાશક – કેવળજ્ઞાન પ્રકાશે છે.] ૩૦ કમઠના ઉપસગોની નિષ્ફળતા શબ્દાર્થ :- પ્રાભાર-સંભૂત-નભસિ=આકાશમાં ખૂબ ફેલાઈ ગયેલી. રન્નસિકધૂળ. રોષાત ખિજાઈને. ઉસ્થાપિતાનિ ઉડાડી હતી. કમઠન કમઠે. શહેન લુચ્ચા. યાનિ જે. છાયા-છાંયડો. અપિ =પણ. તે તે. તવ આપનો. ન=નહીં. નાથ! હે નાથ!. હતા નાશ કરી શકવો. હતાશા-નિરાશ થયેલા. રસ્ત: ઘેરી લીધો. અમીભિ=એણે. પરં=પરંતુ. દુરાત્મા દુષ્ટને. ૩૧. *પ્રશ્નાર-સંભૂત-નભાંસિ “રજાંસિ રોષા - દુસ્થાપિતાનિ' કમઠન શહેન યાનિ Page #857 -------------------------------------------------------------------------- ________________ ७८४ પંચ પ્રતિકમાગસૂત્રો “છાયાડપિ' તૈસ્તવન નાથ! ઉહતા, હતાશો પ્રસ્તત્વમી ભિરયમેવપ ઉપર દુરાત્મા i૩૧૫ ગાથાર્થ :- લુચ્ચા 'કમઠે ખિજાઈને, આકાશમાં ખૂબ ફેલાઈ રહે તેમ જે ધૂળ ઉડાડી હતી, હે નાથ ! તે “ધૂળ આપના છાંયડાનોયે લેશ માત્ર “નાશ કરી શકી નહીં, પરંતુ નિરાશ “થયેલા એ “દુષ્ટને જ એણે રિજે] ઘેરી લીધો. [પાપ બાંધીને સંસારમાં રખડ્યો.] ૩૧ કમઠનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ થયો, અને તેને જ તેનું નુકસાન થયું શબ્દાર્થ :- ગર્જત ગર્જના કરતા. ઊર્જિતે-ઘનઘમ=મોટાં મોટાં વાદળાંવાળું. અદભ-ભીમ ઘણું જ ભયંકર. ભ્રશ્યત્તડિત પડતી વીજળીઓવાળું. મુસલ-માંસલ-ઘોર-ધારમ=મૂસળધાર (સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું). દૈત્યેનદર્ભે. મુક્ત વરસાવ્યું. દુસ્તર-વારિ=ન તરી શકાય તેવું પાણી. દધે કર્યું. તેનો. એવ=જ. તસ્ય તેને માટે દુસર-વારિ-કૃત્યન તરી શકાય તેવા પાણીનું કાર્ય, અથવા દુસ્તરવારિ-કૃત્ય ખરાબ તરવાનું કાર્ય. ૩૨ ચંદ્દ 'ગર્ભદૂર્જિત ઘનૌઘમદભ્ર-ભીમ ભશ્યત્તડિમ્મુસલ-માંસલ-ઘોર-ધારા દત્યેન મુક્તમથદુસ્તર-વારિ ઘે" તેનૈવતસ્ય જિન°!દુસ્તરવારિ-કૃત્યમ્ ૩રા ગાથાર્થ:- 'ગર્જના કરતાં મોટાં મોટાં વાદળાંઓવાળું, ઘણું જ ભયંકર, પડતી 'વીજળીઓવાળું, સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું - 'મુસળધાર અને ‘ન તરી શકાય તેવું પાણી કમઠ દેત્યે વરસાવ્યું “ખરું, પરંતુ, હે "જિનેશ્વર પ્રભો ! તે જ “પાણીએ તેના માટે ન કરી શકાય એવા પાણીનું કાર્ય બજાવ્યું. [સંસારરૂપી પાણી ન તરી શકે, તેવી તેની સ્થિતિ થઈ, અથવા ખરાબ તરવારનું કાર્ય બજાવ્યું, તેને સંસારમાં રખડાવી તેના આત્માનું ભાવ મરણ કરનાર તરવાર તરીકેનું કામ બજાવ્યું. ઉપયોગ કરનારને જ મારે તે ખરાબ તરવાર ગણાય.] ૩૨ કમઠનો ત્રીજો પ્રયત્ન પણ નિષ્ફળ અને તેને જ દુઃખદાયક થયો શબ્દાર્થ:- ધ્વસ્તોર્થ-કેશ-વિકૃતા-તિ-મ-મુણ્ડ-પ્રાલમ્બ-ભૂત-વિખરાયેલા ઊંચા વાળથી Page #858 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૮૫ ભયંકર લાગતી આકૃતિવાળી માણસની ખોપરીઓની લટકતી માળા ધારણ કરનાર ભય-દ-વત્ર-વિનિર્મદગ્નિ:=બિહામણાં મોઢાંમાંથી અગ્નિ કાઢતા. પ્રેત-બ્રજ:=ભૂતોનું ટોળું. પ્રતિ ઉપર. ભવન્તમઆપના. ઈરિત: છોડ્યું. અચ=એકમઠ)ને. અભવથઈ પડ્યું. પ્રતિભવં દરેક ભવમાં. ભવ-દુઃખ-હેતુ: સંસારનાં દુ:ખનું કારણ. ૩૩ 'ધ્વસ્તોર્થ-કેશ-વિકૃતા-ડકૃતિ-મર્ય-મુન્ડ પ્રાલમ્બ-ભૂભય-દ-વદ્ય-વિનિર્મદગ્નિ: પ્રેત-બ્રજ: “પ્રતિ ભવન્તમપીરિતો ય: “સોડ મ્યાડ ભવભ્રતિભવં ભવ-દુઃખ-હેતુ: ૩૩ ગાથાર્થ :- વિખરાયેલા ઊંચા વાળથી ભયંકર લાગતી આકૃતિવાળી માણસની ખોપરીઓની લટકતી માળા ધારણ કરનાર અને બિહામણા મોઢામાંથી અગ્નિ કાઢતાં ભૂતોનું ટોળું, ‘આપના “ઉપર ‘છોડ્યું, તે[૨. પંચભૂતોનું ટોળું જ એ[‘કમઠ ને દરેક ભવમાં“સંસારના દુ:ખનું કારણ થઈ પડ્યું. ૩૩ પ્રભુના ભકતોની ધન્યતા શબ્દાર્થ :- ધન્યા: ધન્ય છે. ભવના-ધિપ ! હે ભુવનના સ્વામી ! પ્રભુ! ત્રિ-સભ્ય ત્રણેય સંધ્યાએ. આરાધયન્તિ આરાધના કરે છે. વિધિવત વિધિપૂર્વક. વિધુતા-ન્ય-કૃત્યા:=બીજાં બધાં કામકાજ છોડીને. ઉલસ પુલક-પક્ઝલ-દેહ-દેશો: ખડાં થયેલા રોમાંચરૂપી પાંખોવાળા શરીરના ભાગો ધારણ કરતા. પાદ-દ્વયં બે ચરણકમળની. ભુવિ =જગતમાં. જન્મ-ભાજ:=પ્રાણીઓ. ૩૪ “ધન્યાસ્ત “એવ ભુવના-'sધિપ! "એ ત્રિ-સધ્ય મારાધયન્તિ વિધિવદ્વિધુતા-ન્ડન્ય-કલ્યા: ભત્સોલ્લસત્પલક-પક્ષ્મલ-દેહ-દેશા: પાદ-દ્વયં તવ* *વિભો! ભુવિ જન્મ ભાજ:* ૩૪ ગાથાર્થ :- હે ભુવનના સ્વામી પ્રભુ ! ભકિત વડે ખેડા થયેલા રોમાંચ રૂપી પાંખોવાળા શરીરના ભાગો ધારણ કરતા જે “પ્રાણીઓ આ જગત્માં બીજાં બધાં કામકાજ છોડીને “આપનાં ચરણકમળની ત્રણેય સંધ્યાએ વિધિપૂર્વક આરાધના કરે છે, તે જ "ધન્ય છે. ૩૪ Page #859 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો પ્રભુના નામસ્મરણથી પણ વિપત્તિઓનો નાશ થાય છે શબ્દાર્થ :- અસ્મિન. અપાર-ભવ-વારિ-નિધૌ=અપાર સંસાર સમુદ્રમાં. મુનીશ !=હે મુનિઓના સ્વામી ! મને મને લાગે છે. શ્રવાણ-ગોચરતાં સાંભળવામાં. આકર્ણિત સાંભળ્યા પછી. ગોત્ર-પવિત્ર-મન્ત્ર નામરૂપ પવિત્ર મન્ચ.વિપદ્રિષ-ધરી દુ:ખરૂપી સાપણ. સવિર્ધનનજીકસમેતિ? = આવી શકે ? ૩૫ અસ્મિન્નપાર-ભવ-વારિ-નિધૌમુનીશ'! મન્ચે ‘ન મે"શ્રવણ-ગોચરતાં ગતો‘ડસિ | આકર્ણિત તુ તવ ''ગોત્ર-પવિત્ર-મન્વે કિં વા વિપદ્રિષ-ધરી સવિધ સમેતિ ૧ ૩પા ગાથાર્થ :- હે મુનિઓના સ્વામી ! મને લાગે છે કે- આ અપાર “સંસારસમુદ્રમાં કદી પણ આપ મારા સાંભળવામાં આવ્યા નથી, કારણ કે – “આપના “નામરૂપી પવિત્ર મંત્ર સાંભળ્યા પછી, “શું દુ:ખરૂપી “સાપણ નજીક પણ આવી શકે ખરી કે ? ૩૫ પ્રભુનાં ચરણની સેવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે શબ્દાર્થ:- જન્મા-ડજોરે બીજા ભવમાં. તવ=આપના. પાદ યુગ બે ચરણની. મને= મને લાગે છે. મહિતમપૂજા કરવી. ઈહિત-દાન-દક્ષઈચ્છિત આપવામાં સમર્થ. જન્મનિઃજન્મમાં. પરાભવાના કષ્ટોને. જાત: થયો . નિકેતન પાત્ર. મથિતા-ન્ડશયાનામ-દુ:ખની લાગણીઓ જગાડે એવો. ૩૬ જન્મા-ડારે પિતવાદ-યુગન દેવ ! “મન્ય મયા મહિતમીહિત-દાન-દક્ષમ "તેનેહજન્મનિમુનીશ! પરાભવાનીપ જાતો નિકેતનમહેમથિતા-ડડશયાનામ્ ૩૬ ગાથાર્થ :- હે દેવ ! ઈચ્છિત આપવામાં સમર્થ આપના બે ચરણની પૂજા બીજા [પાછલા] "ભવોમાં મેં કરી નથી, એમ મને લાગે છે, તેથી જ હે મુનિરાજ ! આ જન્મમાં દુઃખની "લાગણીઓ જગાડે એવાં "કષ્ટોનું પાત્ર હું થયો “છું. ૩૬ Page #860 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૭૮૭ પ્રભુનાં દર્શન માત્રથી સકળ અનર્થોનો નાશ થાય છે શબ્દાર્થ :- મોહ-તિમિરા-ડવૃત-લોચન=મોહ રૂપી અંધકારથી ઘેરાયેલી આંખોને લીધે. શકૃત એક વાર. પ્રવિલોકિત જોઈ શક્યો. મર્મા-ઋવિધ: મર્મમાં ઘા કરનારા. વિધુરયન્તિ =હેરાન કરી શકે. મા મને. અનર્થો: અનર્થો. પ્રોદ્યત્મબન્ધ-ગ:=ઉદય પામતી પરંપરાની સ્થિતિવાળા. અન્યથા નહીંતર. ૩૭ નૂન ‘ન મોહ-તિમિરા-ડડવૃત-લોચન પૂર્વ વિભો! સદપિ પ્રવિલોકિતોગસિT મમ-ડડવિધવિધુરયન્તિ હિમામનાથ:13 'પ્રોસ્નબન્ધ-ગતય: કમિન્યથતે ગાથાર્થ :- હે વિભુ! મોહ રૂપી અંધકારથી ઘેરાયેલી આંખોને લીધે આપ એક વાર પણ "પહેલાં મારા જેવામાં આવ્યા નથી જ, નહીંતર, મર્મમાં ઘા કરનારા અને વધતી જતી પરંપરાની સ્થિતિવાળા [રોજરોજ વધતા જતા] “આ અનર્થો મને શી રીતે હેરાન કરી જ શકે? ૩૭ આપની ભાવપૂર્વક ભક્તિ કરવાથી જ ખરેખર સકળ દુઃખોનો નાશ થાય છે શબ્દાર્થ :- આકર્ણિત:=સાંભળવામાં. મહિત =પૂજવામાં. નિરીક્ષિત =દર્શન. ચેતસિહૃદયમાં. વિધૃત:=ધારણ કર્યા હશે. ભકત્યા=ભક્તિપૂર્વક જાત: બન્યો. અસ્મિ છું. જન-બાંધવાહે લોકબંધુ ! દુ:ખ-પાત્ર=દુ:ખનું પાત્ર. યસ્માત કેમ કે. ક્રિયા: ક્રિયા. પ્રતિલિક્તિ ફળતી. ભાવશૂન્યા:=ભાવ વિનાની. ૩૮ "આકર્ણિતોડપિ મહિતોડપિ નિરીક્ષિતોડપિ નૂન અને “ચેતશિ મયા "વિધૂતોડસિ' ભત્યા જાતોડસ્મિતેન* જન-બાન્ધવ દુઃખ-પાત્ર ૫ “યસ્માજ્યિા : 'પ્રતિફલત્તિ ન ભાવ-શૂન્યા:* ૩૮. ગાથાર્થ :- અને કદાચ આપ સાંભળવામાં આવ્યા હશો, પૂજવામાં પણ આવ્યા હશો, અને આપનું દર્શન પણ થયું હશે, છતાં પણ એટલું તો ચોકકસ છે કે – “ભકિતપૂર્વક આપને હૃદયમાં મેં ધારણ કર્યા નહીં હોય, તે લોકબંધુ! તેથી દુઃખનું પાત્ર બન્યો છું કેમ કે, ભાવ "વિનાની ક્રિયા પૂરેપૂરું ફળ આપતી નથી. ૮ Page #861 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો દુઃખોનાં મૂળ દૂર કરવા પ્રભુ પાસે શરણની યાચના શબ્દાર્થ :- દુ:ખિ-જન-વત્સલ =દુ:ખી લોકો ઉપર વહાલ કરનારા !. શરણ !=શરણ લેવા યોગ્ય. કારુણ્ય-પુણ્ય-વસતે ! દયાના પવિત્ર સ્થાનક સમા !. વશિનાં સંયમીઓમાં. વરેણ્ય !=શ્રેષ્ઠ ! મયિકમારા ઉપર. નતે નમેલા. મહેશ !=હે મોટા દેવ !. દયાં દયા. વિધાય કરીને. દુ:ખારોલન-તત્પરતાં દુઃખના અંકુરોનો નાશ કરવા તૈયારી. વિધેહિ કરો. ૩૯ – નાથ ! દુઃખિ-જન-વત્સલ ! હે શરણ્ય ! કારુણ્ય-પુણ્ય-વસતે! વશિનાં વરેણ્ય ! “ભત્યા નતે “મયિ મહેશ!"દયાંવિધાય દુઃખા-ડડકુરોલનતત્પરતાં વિઘેહિ ૩૯ ગાથાર્થ :- હે દુઃખી લોકો ઉપર વહાલ કરનારા ! હે નાથ ! હે શરણ લેવા યોગ્ય ! હે *દયાના પવિત્ર સ્થાનક સમા ! હે “સંયમીઓમાં હે શ્રેષ્ઠ ! હે મોટા દેવ ! “ભકિતથી “નમેલા મારા પર દયા કરી [મારા] દુઃખના અંકુરોનો નાશ કરવાની તૈયારી "કરો. ૩૯ પહેલાં પ્રભુનું ધ્યાન ન ધર્યું, તેનો પસ્તાવો શબ્દાર્થ :- નિ:સખ્ય-સાર-શરણં અસંખ્ય સારનું સ્થાન. શરણં શરણ શરણં શરણ કરવા યોગ્ય. આસાઘ=પામીને. સાદિત-રિપુ શત્રુઓનો નાશ કરનાર. પ્રથિતા-ડવદાતમ=પ્રસિદ્ધ પ્રભાવી. ત્પાદ-પકજમ આપનાં ચરણકમળનું. પ્રણિધાન-વધ્ધ=મન, વચન, કાયાની ભકિત વગરનો. વધ્ય: વધ કરવા લાયક. ભુવન-પાવન !=ભુવનને પવિત્ર કરનાર પ્રભુ! હા હાય ! હતા=મૂઓ પડ્યો. અસ્મિ છું. ૪૦ 'નિ:સખ્ય-સાર-શરણં શરણં શરણ્ય માસાદ્ય સાદિત-રિપુ પ્રથિતા-ડવરાતમ્ “વત્પાદ-પકજમપિ પ્રણિધાન-વધ્યો "વધ્યોડર્મિચે ભુવન-પાવન"હા"હતો સ્મિાજબી ગાથાર્થ :- અસંખ્ય 'સારના સ્થાનક, શરણ કરવા યોગ્ય, શત્રુઓનો નાશ કરનાર અને પ્રસિદ્ધ પ્રભાવી આપના ચરણકમળનું શરણ પામીને ‘પણ જે આપના તરફ પ્રણિધાન-મન, વચન, Page #862 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૮૯ કાયાની ભક્તિ વગરનો રહું, તો હું ખરેખર વધ કરવા લાયક છું. ને હું ત્રણ ભુવનને પવિત્ર કરનારા પ્રભુ! હાય ! હાય ! હું "મૂઓ પડ્યો છું, એમ જ સમજે. ૪૦ પોતાને દુઃખથી વિમુકત કરવા પ્રભુજીને વિજ્ઞપ્તિ શબ્દાર્થ :- દેવેન્દ્ર-વન્ધકહે ! દેવેન્દ્રોને પણ વંદન કરવા યોગ્ય. વિદિતા-ડખિલ-વસ્તુ-સાર != તમામ વસ્તુઓનો સાર જાણી ચૂકેલા. સંસાર-તારક ! સંસારથી તારનાર ! ભવના-ન્ડધિનાથ != ભુવનનાથ. ત્રાયસ્વબચાવો. કરુણા-હંદ !=હે દયાના કુંડ !. પુનીહિ=પાવન કરો, પવિત્ર કરો. સીદન્ત પીડા પામતા. અદ્ય આજે. ભય-દ-વ્યસન-ડબુનરાશે:=ભયંકર કષ્ટોના સમુદ્રથી, ૪૧ દેવેન્દ્ર-વન્દ ! વિદિતા-ડખિલ-વસ્તુ-સાર! “સંસાર-તારક! વિભો! ભુવના-'sધિનાથ ! વાયસ્વ દિવાકરુણા-હદ! “માં પુનહિ સીદન્તમદ્ય ભય-દ-વ્યસના- 'ડબુ-રાશે: ૪૧ ગાથાર્થ :- હે દેવેન્દ્રોને પણ વન્દન કરવા યોગ્ય ! હે પ્રભુ! તમામ વસ્તુઓનો સાર જાણી ચૂકેલા ! હે દેવ! સંસારથી 'તારનારા ! હે ભુવનનાથ ! હે દયાના કુંડ ! પીડા ‘પામતા મને ભયંકર કષ્ટોના "સમુદ્રથી બચાવો અને પવિત્ર કરો. ૪૧ ભવોભવમાં પ્રભુના શરણનો સ્વીકાર | શબ્દાર્થ :- ભવદડિઘ-સરો-રહાણાં આપનાં ચરણકમળની. ભક્ત: ભકિતનું. ફલંત્રફળ. કિમપિત્રકાંઈ પણ. સંતતિ-સંચિતાયા:કલાંબા વખતથી એકઠી થયેલી. ત્વદેક-શરણસ્ય તમારા સિવાયના બીજા કોઈ પણ શરણ વગરના. ભૂયા.કહો. અત્રઅહીંયાં. ભવા-ડજોરે બીજા ભવમાં. ૪૨ ધવસ્તિ નાથ ! ભવડિø- સરો-હાણાં ભક્ત: ફલં કિમપિ' સંતતિ-સંચિતાયા: | “તને ત્વદેક-શરણસ્ય શર! “ભૂયા: "સ્વામી ત્વમેવ ભુવનેડવ ભવાન્તરેડપિ" in૪રા ગાથાર્થ :- આપના ચરણકમળની લાંબા વખતથી એકઠી થયેલી ભક્તિનું હે નાથ !"કાંઈપણ "ફળ હોય, તો હું શરણ લેવા લાયક પ્રભુ! તમારા સિવાયના બીજા કોઈને પણ શરણે ન ગયેલા Page #863 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ પંચ પ્રતિકમાણસૂત્રો ''મારા આ લોકમાં અને "ભવોભવમાં "આપ જ "સ્વામી હો.” ૪૨ પ્રભુના પરમ ભકતોને પ્રાપ્ત થતું ભક્તિપૂર્વકની સ્તુતિનું અંતિમ ફળ શબ્દાર્થ:- ઇયં આ રીતે. સમાહિત-ધિયસમાધિમાં સ્થિર બુદ્ધિવાળા. વિધિવત વિધિપૂર્વક જિનેન્દ્ર != હે જિનેન્દ્ર! સાન્દ્રોદા-સત્પલક-કઝુકિતા--ભાગ:=ખૂબ ખડા થયેલા રોમાંચ રૂપી કંચવો ધારણ કરેલાં અંગોવાળા. તબિમ્બ-નિર્મલ-મુખા-ડબુ-જ-બદ્ધ-લક્યા.=આપના બિંબના નિર્મળ મુખકમળ સામે લક્ષ્ય બાંધીને, આપના મુખનું ધ્યાન કરીને. રચયન્તિ કરે છે. ૪૩ ‘ઇત્યે સમાણિત-ધિયો “વિધિવન્જિનેન્દ્ર સાન્દ્રોલ્લસત્પલક-કમ્યુક્તિા-ડગ-ભાગા: ત્વબિમ્બ-નિર્મલ-મુખા-ડબુજ-બદ્ધ-લક્ષ્યા “યે સંસ્તવ તવ વિભો ! ''રચયન્તિ ભવ્યા: ૪૩ ગાથાર્થ :- હે 'જિનેન્દ્ર ! ખૂબ ખડા થયેલા રોમાંચ રૂપી કંચવો ધારણ કરેલાં અંગોવાળા આપના બિંબના નિર્મળ મુખકમળ સામે લક્ષ્ય બાંધીને સમાધિમાં સ્થિર બુદ્ધિવાળા જે ભવ્ય પુરુષો આપની આ રીતે વિધિપૂર્વક સ્તુતિ કરે છે. ૪૩ શબ્દાર્થ:- જન-નયન-કુમુદ-ચન્દ્ર!=માણસોની આંખો રૂપી કમળોને ચંદ્ર સમાન. પ્રભાસ્વરા:= ઝળહળતા. સ્વર્ગ-સંપદા સ્વર્ગનાં સુખો. ભુફતા=ભોગવીને. તે તેઓ. વિચલિત-મલ-નિયા:કર્મમળનો નાશ કરીને. અચિરા-થોડા જ વખતમાં. મોક્ષ મોક્ષ. પ્રપદ્યન્તઃપામે છે. ૪૪ જન-નયન- કુમુદ-ચન્દ્ર! પ્રભાસ્વરા: "સ્વર્ગ-સંપદો ભૂત્વા, તે વિગલિત-મલ-નિચયા ૧૯અચિરા”ોક્ષ પ્રપદ્યન્ત' જો યુગ્યમ્ ગાથાર્થ :- માણસોની આંખોરૂપી કમળોને ચંદ્ર સમાન હે પ્રભુ! તેઓ, ઝળહળતા "સ્વર્ગનાં સુખો ભોગવીને કર્મ-મોહનો નાશ કરી થોડા જ વખતમાં મોક્ષ પામે છે. ૪૪ || શ્રી કલ્યાણ મન્દિર સ્તોત્ર સંપૂર્ણ Page #864 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૯૧ विशे षार्थ આ સ્તોત્રના રચનારા પૂ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂટ મની પ્રસિદ્ધ કથા બીજ ગ્રંથોમાંથી જાણી લેવી. પાર્શ્વનાથ પ્રભુનું આ સ્તોત્ર ભક્તામરના સ્તોત્ર કરતાં વધારે ગંભીર કાવ્યરચનાવાળું છે, તેથી તેનો અર્થ સમજવો એકાએક કઠણ પડે છે. કોઈ કોઈ ઠેકાણે વિરોધાભાસ-શ્લેષ વગેરે અલંકારો વધારે વાપરેલ હોવાથી સામાન્ય જનસમાજને અર્થ સમજવો મુશ્કેલ પડે તેમ છે. એટલે જો કે અમોએ સળંગ અર્થ સરળતામાં આપ્યા છે છતાં ભણનાર ભણાવનારને ખાસ કાળજી રાખી ભાવાર્થ સમજવા પ્રયત્ન કરવો. ૯ મું સ્મરણ બૃહચ્છાન્તિ ૭૧ નવસ્મરણ-પ્રતિષ્ઠા: શાંતિસ્નાત્ર: વગેરે મંગળમય પ્રસંગોમાં તથા પ્રાત:કાળે પ્રથમ પ્રહર સુધી નમિણ અને કલ્યાણ મંદિર સિવાયનાં સાત સ્મરાગ ગણાય છે. બાકીના પ્રસંગે નવે ય સ્મરણ ગણાય છે. પાઠાન્તરો, વિશેષ અર્થો, વ્યાખ્યાનાન્તરો મંત્રકલ્પ વગેરે ટીકા વગેરે વિશેષ ગ્રંથોથી જાણવા. I પંચ પ્રતિક્રમણ સૂત્રો અને નવસ્મરણ અર્થ સહિત સંપૂર્ણ Page #865 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર વિરચિત શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય હું નમ: પ્રસ્તાવ ને દૂહા શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરુ પસાય, હેતુગર્ભ પડિકકમણનો, કરયું સરસ સઝાય. ૧. સહજ-સિદ્ધ જિન વચન છે, હેતુ-રૂચિને હેતુ; દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન-કેતુ. ૨. જસ ગોઠે હિત ઉલ્લશે. તિહાં કહીજે હેતુ'; રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ “અહેતુ'. ૩. હેતુ યુક્તિ સમજાવીએ, જે છોડી સવિ ધંધ; તેહ જ હિ તમે જાણો, આ અપવર્ગ સંબંધ. ૪. પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર I ઢાલ પહેલી છે ઋષભનો વંશ રયણાયરો - એ દેશી. પડિકામણ તે આવશ્યક, રૂઢિ સામાન્ય પયન્થોરે; સામાયિક-ચઉવીસન્થો, વંદનપડિકકમણન્દોરે. ૧. શ્રુત-રસ ભવિયાં ! ચાખજે, રાખજે ગુરુકુલ-વાસોરે; ભાખજે સત્ય અસત્યને નાખજે, હિત એ અભ્યાસોરે. ૨. ધૃતરસ ભવિયાં! ચાખજે. - એ આંકણી. કાઉસ્સગ્ગ ને પચ્ચકખાણ છે, એહમાં પર્ અધિકારો રે, સાવધ યોગથી વિરમવું, જિન-ગણ-કીર્તન-સારો રે. વ્યુત ૩. ગુણવંતની પ્રતિપતિ તે, અતિક્રમ નિંદા ઘણેરી રે, વ્રત-ચિકિત્સા ગુણ-ધારણા, ધુરિ શુદ્ધિ ચારિત્ર કેરી રે. શ્રુત ૪. બીજે દર્શનના આચારની, જ્ઞાનાદિક તણી ત્રીજે રે, ચોથે અતિચાર અપનયનની, શેષ શુદ્ધિ પાંચમે લીજેરે. શ્રુત ૫. છઠે શુદ્ધિ તપ-આચારની, વિર્યાચારની સર્વેરે, અધ્યયને ઓગણત્રીશમે, ઉત્તરાધ્યયનને ગર્વે રે. ધૃત૬. અરધ નિબુ રવિ ગુરુ, સૂત્ર કહે કાલ પૂરો રે, દિવસનો રાત્રિનો જાણીયે, દસ પડિલેહણથી સૂરો રે. મૃત. ૭. મધ્યાહનથી અધરાતિતાઈ, હુએ દેવસી અપવાદે રે; અધરાત્રિથી મધ્યાહનતાઈ, રાઈય યોગ-વૃત્તિ નાદે રે. થુત૮. સફલ સકલ દેવ ગુરુ નતિ, ઈતિ બારે અધિકાર રે; ૧. હિત. Page #866 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૭૯૩ દેવ વાંદી ગુરુ ચાંદીએ, વર ખમાસમણ તે ચ્યારે રે. શ્રુત૯. સિદ્ધિ લોકે પણ કાર્યની, નૃપ-સચિવાદિક ભકતે રે; ગુરુ-સચિવાદિક થાનકે, નૃપ જિન સુજસ સુયુકત રે. ધૃત ૧૦. બાર અધિકાર ઢાલ બીજી રાગ મારૂણી. ગિરિમાં ગિરિઓ મેરૂ ગિરિવરૂપે- એ દેશી. પઢમ અહિગારે, વંદું ભાવ-જિPસરૂપે, બીજે દધ્વ-નિણંદ, ત્રીજે રે ત્રીજે રે, ઈગ ચેઈએ ઠવણા-જિણા રે. ૧. ચોથે નામ-જિણ, તિહુઅણ ઠવણ-જિના નમું રે, પંચમે છેકે તેમ; વંદું રે વંદું રે, વિહરમાન જિન કેવલી રે. ૨. સત્તમ અધિકારે, સુય નાણ વંદિએ રે, અઠમ થઈ સિદ્ધાણં; નવમેં રે નવ રે, થઈ તિસ્થાવિ વીરની રે. ૩. દશમેં ઉજજયંત થઇ, વલિય ઈગ્યારમેં રે, ચાર-આઠ-દસ દોઈ, વંદો રે વંદો રે, અષ્ટાપદ-જિન જિન કહ્યા રે. ૪. બારમેં સમ્યગૃષ્ટિ, સુરની સમરણા રે, એ બારે અધિકાર; ભાવો રે ભાવો રે, દેવ વાંદતાં ભવિજનાં ! રે. ૫. વાંદું છું ઈચ્છકારી સમસ્ત શ્રાવકો રે,'ખમાસમણ ચઉ દેઈ, શ્રાવક રે, ભાવિક સુજસ ઈચ્છું ભણે રે. ૬ અતિચાર-શુદ્ધિ અને પ્રતિક્રમણના આઠ પર્યાય. ઢાલ ત્રીજી . સાહિબા રંગીલા હમારા- એ દેશી. હવે અતિચારની શુદ્ધિ ઇચ્છાએ, અતિચાર - ભાર – ભરિત નત કાયે, ઉદ્યમી ! ઉપયોગ સંભાલો, સંયમી ! સવિ પાતિક ટાલો, - “સબ્યસ્તવિ દેવસિય ઈચ્ચાઈ', પ્રતિક્રમણ બીજક મન લાઈ. ૧. ઉદ્યમી! ઉપયોગ સંભાલો – એ આંકણી. જ્ઞાનાદિક માંહે ચારિત્રસાર, તદાચાર શુદ્ધિ અર્થ ઉદાર-ઉદ્યમી કરેમિ ભંતે' ઈત્યાદિક સૂત્ર, ભણી કાઉસ્સગ્ગ કરો પવિત્ર; ઉ. ૨. ચિંતવો અતિચાર તે પ્રાંત, પડિલેહણથી લાગા જે ભ્રાંત; ઉ. સયણાસણ' ઇત્યાદિક ગાથા, ભાવજો તિહાં મત હો જે થાંથા. ઉ. ૩. ઈમ મનસા ચિંતન ગુરુ સાખે, આલોવા અર્થે ગુરુ દાખે; ઉ શ્રાદ્ધ ભણે અડગાથા અત્થો, કાઉસ્સગ્ગ પારી ચઉવિસત્થો. ઉ૪. સાડા સાપડિલેહી બેસે, મુહપત્તિ તનુ પડિલેહે વિશેષ; ઉ, કાઉસ્સગ્ગ અવધારિત અતિચાર, આલોવા દે વંદન સાર. ઉ. ૫. અવગ્રહ માંહિ રહિઓ નત ૧. સમ સુશ્રાવકો રે. ૨. વાચક. Page #867 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ પંચ પ્રતિક્રમણ સૂત્ર અંગ, આલોએ દેવસીએ જે ભંગ; ઉ “સબસ્તવિ દેવસિય ઈચ્ચાઈ,” ઉચ્ચરતો ગુરુ સાખે અમાઈ. ઉ. ૬. મન-વચન-કાય સકલ અતિચાર, સંગ્રાહક એ છે સુવિચાર; ઉ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!', પાયછિત્ત તસ ભાગે તપાધન. ઉ૦ ૭. પડિકકમહ ઈતિ ગુરુ પણ ભાખે, પડિકકમણાખ્ય પાયચ્છિત દાખે; ઉ સ્વસ્થાનકથી જે બહિગમણ, ફિરી આવે તે છે પડિકકમણ' ઉ. ૮. પડિકકમણ, પડિઅરણ, પત્તિ, પરિહરણા, વારણા, નિવસ્તિ; ઉ નિંદા, ગરહા, સોહી અઠ, એ પર્યાય સુજસસુગરીઠ. ઉ. ૯. પ્રતિક્રમણ વિધિ ઢાલ ચોથી . પ્રથમ ગોવાલા તણે ભવે- એ દેશી. બેસી ‘નવકાર' કહી હવેઇ, કહે “સામાયિક સુત્ત; સફલ નવકારથી જીવને, પડિકકમવું સમચિત્ત. મહાજસ ! ભાવો મનમાં રે હેત એ આંકણી ૧. ‘ચત્તારિ મંગલ' મિત્કાદિકેજી, મંગલ અર્થ કહેઈ; ઈચ્છામિ પડિકકમિઉ ઇત્યાદિકેજી, દિન અતિચાર આલોઈ. મહાસ ! ૨. “ઇરિયાવહિ’ સુત્ત ભણેજી, વિભાગ આલોયણ અત્થ; “તસ્ય ધમસ્ય' લગે ભણેજી, શેષ વિશુદ્ધિ સમથ્થ મહાજન !. ૩. શ્રાવક - આચરણાદિકેજી, “નવકાર' સામાયિક સૂત્ર'; 'ઈચ્છામિ પડિકકમીઉ કહી કહેજી, શ્રાદ્ધ સૂત્ર સુપવિત્ર. મહ૦ ૪. અતિચાર-ભાર-નિવૃત્તિથીજી, હલુ હોઈ ઉઠઈ; “અભુઠિઓ મિ’ ઈત્યાદિકેજી, સૂવમુનિ શેષ' કહેઈ, મહાસ ૫. અવગ્રહ ખમાસમણ વંદણજી, તીન ખમાવેરે દેઈ, પંચાદિક મુનિ જે હુએ, કાઉસ્સગ્નાર્થ ફિરેઈ. મહાસ ૬. ભૂમિ પંજી અવગ્રહ વહીજી, પા પગે નિસરેઈ; આયરિય ઉવઝાય ભલે ભણેજી, અભિનય સુજસ કહેઈ. મહા ૭. દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ) છે ઢાલ પાંચમી | રસિયાની દેશી. આલોયણ પડિકકમણે અશુદ્ધ જે, ચારિત્રાદિક અતિચાર; ચતુર નર ! કાઉસ્સગ્ગ તેહની શુદ્ધિ અર્થે કહ્યો, પહિલો ચારિત્ર શુદ્ધિકાર. ચતુર નર ! ૧. પરીક્ષક હો તો હેતુને પરખજે, હરખજે હિયડલા માંહિ; ચ નિરખો રચના સદ્ગુરુ કેરડી, વરષો સુરસ ઉછાહિ. ચતુર ૨. પરીક્ષક હો તો હેતુને પરખજેએ આંકણી, ચારિત્ર કષાય-વિરહથી શુદ્ધ હોએ, જાસ કષાય ઉદગ્ર; ચ૦ ઉષ્ણુ પુષ્ક પરિ નિફલ તેહનું, માનું ચરણ સમગ્ર. ચ. પરી. ૩. તેણે કષાયતણા ઉપશમ ભણી, આયરિય ઉવઝાય ઈત્યાદિ, ચ, ૧. સૂત્રે નિ:શેષ. ૨. અભિનમ. Page #868 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૯૫ ગાથાત્રય ભણી કાઉસ્સગ્ગ કરો, લોગસ્સ' દોઈ અપ્રમાદિ ચપરી. ૪. “કરેમિભંતે' ઈત્યાદિ ત્રય કહી, ચારિત્રનો એ ઉસ્સગ્ગચ, “સામાયિક' ત્રય પાઠ તે જાણીએ, આદિ મધ્યાંત સુહલગ્ન. ચ૦ પરીક્ષક૫. પારી ઉર્જાય” ને “સવ્વલોએ” કહી, દર્શનાચાર શુદ્ધિસ; ચ એક “ચઉવિસત્થાનો કાઉસ્સગ્ગ કરે, પારી કહે, ‘મુફખરવરદીવઠ્ઠ'. ચ. પરીક્ષક ૬. “સુયસ્ત ભગવઓ' કહી “ચઉવીસન્થય', કાઉસ્સગ્ન કરિ પારે દંત; ચ સકલાચાર ફલ સિદ્ધ તણી ઘૂઈ, ‘સિદ્ધાણં બુદ્ધાણં' કહે મહંત. ચ૦ પરીક્ષક ૭. તિસ્થાધિપ વીરવંદન રેવતમંડન, શ્રી નેમિ નતિ તિર્થીસારચ, અષ્ટાપદ નતિ કરી સુયદેવયા, કાઉસ્સગ્ન નવકાર. ચ. પરીક્ષક, ૮. ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઈમ કરો, અવગ્રહ યાચન હેત; ચ, પંચ મંગલ કહી પુંછ સંડાસગ, મુહપત્તિ વંદન હેત. ચ. પરીક્ષક ૯. ‘ઈચ્છામો અણુસઠિ” કહી ભણે, સ્તુતિ ત્રય અર્થગંભીર, ૨આજ્ઞા કરણ નિવેદન વંદન, ગુરુ અનાદેશ શરીર. ચ. પરીક્ષક૧૦. દેવસિયે ગુરુ ઈક “થતિ’ જવ કહે, પકિખઆઈક કહે તીન; ચ, સાધુ શ્રાવક સહુ સાથે થઈ કહે, સુજસ ઉચ્ચ સ્વર લીન. ચ. પરીક્ષક, ૧૧. દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ) ઢાલ છઠ્ઠી . નમસ્કાર સ્વકૃત જગન્નાથ જેતા શ્લોકની દેશી. શ્રાદ્ધી સુસાધ્વી તે કહે ઉચ્છવાહા, “સંસાર દાવાનલ' તીને ગાહા; ન સંસસ્કૃત છે અધિકાર તાસ, કેહી કહે એકહી પૂર્વ ભાસ, ૧. અછે તીર્થ એ વીરનું તેણે હર્ષે, પ્રતિક્રમણ નિર્વિદન યુઈ તાસ કર્યું; કહી ‘શક્રસ્તવ' એક જિન-સ્તવન ભાખે, કૃતાંજલિ સુણઈ અપર “વરકનક' ભાખે ૨. “નમોહત થકી દેવ ગુરૂ ભજન એહ, ધુરિ અંતે વલી સફલતા કર અહ; યથા “નમુત્થણ” ધુરિ અંતે “નમો જિણાણં' જિણ વંદન ઈક ‘સકકન્વય' દુગ પમાણ. ૩. દુબદ્ધ સુબદ્ધ તિ લોગસ્સ ચાર, કાઉસ્સગ્ન કરે દેવસી શુદ્ધિકાર; મારી કહીય ‘લોગસ્સ' મંગલ ઉપાય, “ખમાસમણ દોઈ દેઈને કરે સક્ઝાય. ૪. જાવ પોરિસી મૂલવિધિ હોઈ સકાય, ઉત્કૃષ્ટ તે દ્વાદશાંગી અધ્યાય; પરિહાણિથી જાવ નમુકકાર હોઈ, સામાચારિ વશ પંચ ગાથા પલોઈ. ૫. કહી પડિકકમણે પંચ આચાર સહિ, તિહાં દીસે એ તિણહ દુહણ હોઈ, ઈશ્ય પભણિ તપ વીર્ય આચાર શુદ્ધિ, અવશ્ય હુઈ નો હોઈ ત્રિક વિશુદ્ધિ. ૬. પ્રતિક્રમણ-પચ્ચખાણ-ચઉવિહાર મુનિને, યથાશકિત પચ્ચખાણ શ્રાવક સુમનને; કાઉસ્સગ્ગ અંતરંગ તપનો આચાર, વલિ વીર્યનો ફોરવે શકિતસાર. ૭. પ્રતિક્રમણ પદથી ક્રિયા કર્વ કર્મ, જણાએ તિહાં પ્રતિક્રમણ ક્રિયા મર્મનું પ્રતિક્રમણ કર્તા તે સાધ્વાદિ કહીએ, સુદષ્ટિ સુઉપયુકત યતમાન લહિએ. ૮. ૧. મધ્યતે. ૨. સાથે. ૩. જિનવંદણે. Page #869 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ પંચ પ્રતિકમાણસૂત્ર પ્રતિક્રમ્ય તે કર્મ-ક્રોધાદિ જાણો, ટલે તે તો સર્વ લેખે પ્રમાણો; મલે જે સુજનસંગ દઢરંગ પ્રાણી, ફલે તો સકલ કજજ એ સુજસ વાણી. ૯. રાયસી પ્રતિક્રમણ છે ઢાલ સાતમી છે બ્રહ્મચર્યના દશ કહ્યા અથવા જુઓ જુઓ અચરજ અતિભલું - એ દેશી. દેવસી પડિકકમણ વિધિ કહ્યો,- કહિએ હવે રાઈનો તેહરે; ઈરિય’ પડિકમિય “ખમાસમણ મ્યું, “કુસુમિણ દુસુમિણ’ જેહ રે. ૧. ચતુર નર ! હેતુ મન ભાવ - એ આંકણી. તેહ ઉપશમ કાઉસ્સગ્ગ કરો, ચાર લોગસ્સ મનિ પાઠ રે; દિઠિ-વિપરિયાસ' સો ઉસ્સાસનો, “ધી-વિપરિયાસ' રાત આઠ રે. ચતુર. ૨. “ચિઈ વંદન’ કરિય સઝાય મુખ. ધર્મ વ્યાપાર કરે તાવરે, જાવ પડિકકમણ વેલા હુએ, ચઉ “ખમાસમણ દિએ ભાવરે. ચતુર. ૩. “રાઈ પડિકકમણ ઠાઉ ઈમ કહી, “સબૂસ્સવિ રાઈ કહેઈ રે; “સકકલ્થય ભણી “સામાયિક' કહી, “ઉસ્સગ્ગ” એક ચિંતઈ રે. ચતુર ૪. બીજે એક દર્શનાચારનો, ત્રીજે અતિચાર ચિતરે; ચરિત્રનો તિહાં એક હેતુ છે, અલ્પ વ્યાપાર નિસિ ચિત્તરે. ચતુર ૫. પારી “સિદ્ધસ્તવ' કહી પછે, જાવ કાઉસ્સગ્ન વિહિપુલ્વરે, પ્રત્યેક કાઉસ્સગ્ગ પડિકકમણથી, અશુદ્ધનો શોધ એ અપુવૅરે. ચતુર ૬. ઈહાં વીર છમાસી ત૫ ચિંતવે, હે જીવ ! તું કરી શકે તેહરે; ન શકું એ ગાઈ ઈગુણતિસતાં, પંચ માસાદિ પણ જેહરે. ચતુર છે. એક માસ જાવતેર ઊણડો, પછે ચઉતિસ માંહિ હાણ; જાવ ચઉથ આંબિલ પોરિસિં, -નમુકકારસી યોગ જાણી રે. ચતુર ૮. શક્તિ તાંઈ ચિત્ત ધરી પારીએ, મુહપત્તિ વંદન પચ્ચકખાણ રે; “ઈચ્છામો અણુસઠિ' કહી તિગ થઈ, થય-ચિઈવંદણ સુહજાણ રે. ચતુર. ૯. સાધુ વલી શ્રાદ્ધકૃત પૌષધો, માગે આદેશ ભગવન્નરે; “બહુવેલ સંદિસાઉ ‘બહુવેલ કરું, લઘુતર અનુમતિ મન્નરે. ચતુર. ૧૦. ચઉ ખમાસમણ વંદે મુનિ, “અઢાઈજેસુ' તે કહે સદ્યરે, કરે પડિલેહણ ભાવથી, સુજસ મુનિ વિદિત સુગુણરે ચ૦ ૧૧. પખી પ્રતિક્રમણ વિધિ ઢાલ આઠમી . મધુબિંદુઆની, અથવા સરસતી ! મુઝરે માતા ! દિયો બહુમાન રે – એ દેશી. હવે પપિયરે ચઉદસિ દિન સુધી પડિકમે પડિકમતારે નિત્ય, ન પર્વ અતિક્રમે; ગૃહશોધ્યું રે પ્રતિદિન તો પણ શોધીએ, ૫ખસંધિરે ઈમ મન ઈહાં અનુરોધિયે. Page #870 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૯૭ ગુટક અનુરોધિયે ગુરૂ કર્મ વિશેષ, ઉત્તર કરણ એ જાણીએ, જિમ ધૂમ લેપન વર વિભૂષણ, તૈલ ન્હાણે માણીએ; મુહપત્તી વંદણ સંબુદ્ર ખામણ, તીન પાંચ શેષ બે પકિખ આલોયણ અતિચારા, લોચના સુવિશેષ એ. ૨ ઢાલ સવ્યસ્સવિરે “પકિનયમ્સ ઈત્યાદિક ભણી, પાયચ્છિત્તરે ઉપવાસાદિક પડીસુણી'; વંદણ દેઈ રે પ્રત્યેક ખામણાં ખામીએ, દિવસિય આલોઈય' ઇત્યાદિક વિશ્વામિએ. ૩ ત્રુટક વિશ્રામિએ સામાયિક સૂવે, ખમાસમણ દઈ કરી, કહે એક પખી સૂત્ર બીજા, સુણે કાઉસ્સગ્ગ ધરી; પાખી પડિકમણ સૂત્ર કહીને, સામાયિક ત્રિક ઉચ્ચરી, “ઉન્ઝોએ” બાર કરે કાઉસ્સગ્ગ, હર્ષ નિજ હિઅડે ધરી. ૪ ઢાલ મુહપત્તિીરે પડિલેહી વંદણ દિએ, સમાપ્ત ખામણાં રે ખમાસમણ દઈ ખામિએ; ખમાસમણ ચ્યારે રે પાખી ખામણાં ખામજો, ઈચ્છામો અણુસઠિ' કહી દેવસી પરિણામો. ૫ ગુટક પરિણામો સવિ ભવનદેવી', “ક્ષેત્ર દેવી' માં ભલી; તો પણ વિશેષ ઈહાં સંભાર, અજિત-શાંતિ-સ્તવવલી. ઈહાં જ્ઞાનાચારની શુદ્ધિ, વંદન “સબુદ્ધ ખામણે જાણીયે; દર્શનાચારની ‘લોગસ્સ' પ્રગટે, કાઉસ્સગ્ગ પ્રમાણીયે. ૬ ઢાલ પ્રમાણે રે અતિચાર પ્રત્યેક ખામણ', પાખી સૂત્ર દુગે ચારિત્ર-શુદ્ધિ પાખી ખામણે; કાઉસ્સગેરે ત૫ આચારની ભાખજે, સઘલે આરાધ્ધ વીર્યાચારની દાખજો. ૭ ૧. પણી સુણી. Page #871 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચઉમાસી વરસી પ્રતિક્રમણ ત્રુટક દાખજે ચઉમાસ વરસી, પડિકકમણનો ભેદએ; ચઉમાસ વીસ દુવીસ મંગલ, ઉસગ્ગ વરસિ નિવેદ એક પાખી ચોમાસી પંચ વરસે, સગ દુશેષે ખામીએ; સઝાય ને ગુરૂ શાંતિ વિધિસ્યું, સુજસ લીલા પામીએ. ૮, પ્રતિકમણનો અર્થ ઢાલ નવમી છે મેરે લાલ અથવા લૂખો લલના વિષયનો - એ દેશી. નિજ થાનકથી પર થાનકે, મુનિ' જાએ પ્રમાદેજેહ, મેરે લાલ, ફિરિ પાછું થાનકે આવું, પડિકકમણું કહિયે તેહ, મેરે લાલ. ૧. પડિકકમજો આનંદ મોજમાં, ત્યજી ખેદાદિક અડ દોષ મેરે લાલ, જિમ જિમ અધ્યાતમ જાગશે, તિમ તિમ હોયે ગુણ. પોષ મે. પડિકકમને આનંદ મોજમાં એ આંકણી ૨. “પડિકામણું મૂલ પદે કહ્યું, અણકરવું પાપનું જેહ મેરે અપવાદે તેમનું હેતુએ અનુબંધ તે શમ-રસ-મેહ મેપડિ. ૩. પ્રતિક્રમકને પ્રતિક્રમણ કરી, અઘ-પ્રતિ કર્તવ્ય અન્નાહ મે શબ્દાર્થ સામાન્ય જાણીએ, નિંદા સ્વર પચ્ચક્ખાણ મે. પડિ ૪. પડિકકમણું ને પચ્ચખાણ છે, ફલથી વર આતમ નાણ મે. તિહાં સાધ્ય-સાધન વિધિ જાણજે, ભગવાઈ અંગ સુજસ પ્રમાણ મેરે લાલ પડિ. ૫. પ્રતિકમણનો દષ્ટાંતાર્થ I ઢાલ દશમી . નંદલાલ બજાવે વાંસલી અથવા તું મતવાલે સાજના - એ દેશી. પડિકકમણ પદારથ આસરી, કહું અધ્વતણો દિકુંતોઈક પુરે નૃપ છે તે બાહિરે, ઘર કરવાને સંબંતો રે. ૧. તુહે જોજેરે ભાવ સોહામણો, જે વેધક હુએ તે જાણે રે; મૂરખ તે ઔષધ કાનનું, આંખે ઘાલી નિજમતિ તાણે રે. ૨. તુહે જોજે રે ભાવ સોહામણો - એ આંકણી. તિહાં બાંધ્યું સૂત્ર ભલે દિને, રખવાલા મેલ્યા સારા રે; હણવો તેજ ઈહાં પેસશે', ઈસ્યા કીધા તેણે પૂકારા રે. ૧. મુનિ. ૨. સંભૂતો રે. Page #872 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો તુમ્હે ૩. ‘જે પાછે પગલે ઓસરે, રાખીજે તેના પ્રાણ રે‘ ઇમ કહી તે સજ્જ હુઈ રહ્યા, ધરી હાથમાં ધનુષ ને બાણ રે. તુમ્હે ૪. તસ વ્યાસંગે દોઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે; કહે ‘કાં તુમ્હે પેઠા પાપીયા !' તિહાં એક કહે કરી મન ધીઠા રે. તુમ્હે પ. ‘ઈહાં પેઠા શ્યો મુજ દોષ છે ?', તેણે તે હણીયો બાણે રે; પાછે પગલે બીજો ઓસર્યો, મૂકયો કહે ‘પેઠો અનાણે રે.' તુમ્હે ૬. તે ભોગનો આભોગી હૂઓ, બીજે ન લહ્યો ભોગ – સંયોગ રે; એ દ્રવ્યે ભાવે જાણો, ઈહાં ઉપનય ધરિ ઉપયોગ રે. તુમ્હે ૭. રાજા તીર્થંકર તેણે કહ્યો, મારગ સંયમ રહો રાખીરે; ચૂકયો તે રખવાણે હણ્યો, સુખ પામ્યો તે સત્ય ભાષીરે. તુમ્હે૦ ૮. પ્રતિક્રમણ પ્રમાદ અતિક્રમે, ઈહાં રાગાદિક રખવાલારે; તે જો રૂપ પ્રશસ્ત જોડીયે, તો હોયે સુજસ સુગાલારે. તુમ્હે ૯ - સંવાદ અરે દષ્ટાંતથી પ્રતિક્રમણ પર વિવેચન ॥ ઢાલ અગિયારમી ॥ કાંઈ જાણું મ્ભ ઘરે આવેલો ? અથવા પ્રીત પૂરવ પામીયે - એ દેશી. (પહેલાં મારવાડી ભાષાની છાંટ છે) ‘કાંઈ જાણું કિ બની આવેલો ? માહરા મોહનાગારાશું સંગ હે મિત્ત ! માહરા પ્રાણ પિયારારા રંગ હો મિત્ત ! કાંઈ ૧. નદિય હોએતો બાંધિએ, કાંઈ સમુદ્ર બાંધ્યો ન જાય હે મિત્ત ! લઘુ નગ હોએ તો ઓરોહિએ, મેરૂ આરોહ્યો ન જાઈ રે મિત્ત ! કાંઈ ૨. બાથ શરીરે ઘાલીએ, નગને ન બાથ ઘલાઈ હૈ મિત્ત ! સરોવર હોય તો તરી શકાં, સાહામી ગંગ ન તરાઈ હૈ મિત્ત ! કાંઈ ૩. વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય હે મિત્ત ! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ થાય હે મિત્ત ! કાંઈ ૪. એક સહજ મન પવનરો, જૂઠ કહે ગ્રંથકાર હે મિત્ત ! મનરી દોરે તે દૂર છે, જિહાં નહિ પવન પચાર હે મિત્ત ! કાંઈ ૫. મિત્ત કહે “મન ! ચલ સહી, તો પણ બાંધ્યો જાય હે મિત્ત ! અભ્યાસ વૈરાગ્યે કરી, આદર શ્રદ્ધા બનાય° હે મિત્ત ! ૬. હું જાણું ઈયું બની આવેલો. એ આંકણી. કિણહિ ન બાંધ્યો જલનિધિ, રામે બાંધ્યો સેત હે મિત્ત ! વાનર તેહી ઉપરિ ચાલ્યા, મેરૂ-ગંભીરતા લેત રે મિત્ત ! હું જાણું છ. શુભયોગે ભડ બાંધિએ, અનુભવે પાર લહાઈ હે મિત્ત ! પડિઅરણા પડિકકમણનો, ઈમજ કહ્યો પરયાય હે મિત્ત ! હું જાણું૦ ૮. પડિઅરણા ગતિ ગુણ તણી, અશુભથી તે પડિકંતિ હે મિત્ત ! તિહાં પ્રાસાદ દૃષ્ટાંત છે, સુણો ટાલી મન ભ્રાંતિ હૈ મિત્ત ! હું જાણું ૯. કોઈ પુરે એક વણિક હુઓ, રતને પૂર્ણ પ્રાસાદ હે મિત્ત ! સોંપી ભાર્યાંને તે ગયો, દિગયાત્રાયે અવિષાદ હૈ મિત્ત ! હું જાણું. ૧૦, સ્નાન વિલેપન ભૂષણે, કેશ નિવેશ ૧. બાથ ન ગગને. ૨. નદી સાહામી. ૩. શ્રદ્ધાવાન. ૭૯૯ Page #873 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો શૃંગાર હે મિત દર્પણ દર્શન વ્યગ્ર તે, લાગે બીજું અંગાર હે મિત્ત ! હું જાણું ૧૧. પ્રાસાદ તેણીયે ન જોઈઓ, ખૂણો પડિયો એક હે મિત્ત ! દેશ પડિં-મ્યું એહને ?' સા કહે ધરી અવિવેક હે મિત્ત! હું જાણું ૧૨. ભતિ પીંપલ અંકુર હુઓ, તે પણ ન ગણે સાઈ હે મિત્ત ! તેણે વધતે ઘર પાડીયું, જિમ નદી-પૂરે વનરાઈ હે મિત્ત ! હું જાણું ૧૩. દેસાઉરી આવ્યો ઘરધણી, તેણે દીઠો ભગ્ન પ્રાસાદ હે મિત્ત ! નીસારી ઘરથી ભામિની, તે પામીયો અતિથી વિષાદ હે મિત્ત ! હું જાણું ૧૪. તેણે ફરી પ્રાસાદ નવીન કર્યો, આણી બીજી ઘરનાર હે મિત્ત ! કહે “ જે પ્રાસાદ એ વિણસશે, તો પહિલીની ગતિ ધાર' હે મિત્ત ! હું જાણું. ૧૫. ફિરિ ગયો દેશાંતરે વાણીયો, તે ત્રિકું સંધ્યાએ જોઈ હે મિત્ત! ભાગું કાંઈ હોય તે સમારતાં, પ્રાસાદ તો સુંદર હોય છે મિત્ત ! હું જાણું ૧૬. ધણી આવ્યો દીઠો તેહવો, ઘર-સ્વામીની કીધી તેહ હે મિત્ત ! બીજી હુઈ દુઃખ-આભોગિની, ઉપનય સુણજે ધરિ નેહ રે મિત્ત ! હું જાણું. ૧૭. આચારય ગૃહ-પ્રભુ વાણીયો, પ્રાસાદ તે સંયમ રૂપ હે મિત્ત ! તેહને રે રાખવો ઉપદિશે ન કરે તે થાએ વિરૂપ હે મિત્ત ! હું જાણું ૧૮. પ્રાસાદ તે જેણે થિર કર્યો, તે પામ્યો, સુજસ જગીશ હે મિત્ત ! ઈહાં પૃચ્છક કથક તે એક છે, નય રચનાએ ગુરુ ને શિષ્ય હે મિત્ત ! હું જાણું. ૧૯. પ્રતિક્રમણનો ત્રીજો પર્યાય પડિહરણા ઢાલ બારમી છે . બન્યો રે વિદ્યારો કલ્પડો – એ દેશી. - હવે પડિહરણા - પડિકકમણનો, પર્યાય સુણો ઈણી રીતિ, હો મુણિંદ ! પરિહરણા સર્વથી વર્જના, આશાદિકની સુનીતિ, હો મુણિંદ ! ૧. પડિકકમણ તે અવિશદ યોગથી. એ આંકણી. એક ગામે એક કુલપુત્રની, ભગિની દોઈ ગ્રામે ઉઢ હો મુણિંદા પુત્રી એક તસ દોઈ બહિનના, હુઆ સુત યુવા ભાવ પ્રરૂઢ, હો મુણિંદ ! પડિ૨. પુત્રી અર્થે તે આવિયા, કહે સુવિવેકી કુલપુત્ર, હો મુણિંદ ! ‘તુમ સુત દોઈ મુજ એકજ સુતા, મોકલી દિઉ જે હોય પવિત્ર, હો મુણિંદ ! પડિ. ૩. તે ગઈ સુત દોઈ તે મોકલ્યા, ઘટ આપી કહ્યો “આણો દૂધ', હો મુણિંદ ! કાવડ ભરી દૂધ નિવર્તિયા, તિહાં દોઈ, મારગ અનુરૂદ્ધ, હો મુણિંદ ! પડિ. ૪. એક નિકટ તે અતિહિ વિષમ અછે, દૂરે તે સમ છે મગ, હો મુણિંદ ! સામે આવ્યો એક વિષમ ત્યજી, બીજો નિકટથી વિષમતે મગ્ન હો મુણિંદ ! પડિ ૫. ઘટ ભાગ્યે તસ ઈક પગ ખેલ્યો, બીજો પણ પડતો તેણ, હો મુણિંદ ! સામે આવ્યો તેણે પય રાખીયો, સુતા દીધી તેણ ગુણેશ, હો મુણિંદ! પડિટ ૬. ‘ગતિ ત્વરિતે આવજે નવિ કહ્યું, પય લાવજો” કહ્યું એમ, હો મુણિંદ ! કુલપુત્રે વક્ર તિરસ્ક ધરો ૧. તેણે જોઈયો. ૨. વિકટ. ૩. લગ્ન. Page #874 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમણસૂત્રો ૮૦૧ ભાવ એ ઉપનય પ્રેમ, હો મુણિંદ ! પડિ. તીર્થકર તે કુલપુત્ર છે, ચારિત્ર તે પય અભિરામ, હો મુણિંદ ! તે રાખે ચારિત્ર કન્યકા, પરણાવે તે નિર્મલ ધામ, હો મુણિંદ ! પડિ. ૮. ગોકુલ તે માનુષ જન્મ છે, મારગ તે તપજપ રૂપ, હો મુણિંદ ! તે થિવિરને દૂર નજીક છે, જિનકલ્પીને તો અનૂપ, હો મુણિંદ ! પડિ. ૯. નવિ અગીતાર્થ રાખી શકે, ચારિત્ર પણ ઉગ્રવિહાર, હો મુણિંદ ! નિવૃત્તિ દુર્લભ છે તેહને, બીજો પામે વહેલો પારહો, હો મુણિંદ! પડિ૧૦ દુગ્ધ-કાય દષ્ટાંત એ, દુધ-કાવડ તસ્સ અત્થ હો મુણિંદ! “પરિહરણા' પદ વર્ણવ્યું, ઈમ સુજસ સુહેતુ સમF, હો મુણિંદ ! પડિ ૧૧. પ્રતિક્રમણનો ચોથો પર્યાય વારણા ઢાલ તેરમી . આસણરારે યોગી - એ દેશી. વારણા તે પડિકકમણ પ્રગટ છે, મુનિને તે પ્રમાદથી જાણો રે, સુણો સંવરધારી ! ઈહાં વિષમુક્ત તલાવ ભાગો, દષ્ટાંત તે મન આણો રે. સુણો સંવરધારી ! ૧. એક પુરે એક રાજે છે રાજા, તેણે જાયું પરદલ આવ્યું રે, સુણો, ભક્ષ્ય ભોજને મીઠા જલમાં, ગામ ગામ વિષ ભર્યું રે. સુણો, ૨. પ્રતિ નૃપ પડહે ઈમ ઘોષાવે, “જે ભક્ષ્ય ભોજ્ય એ ખાયે રે, સુણો, પીયે મીઠા જલ હુઈ હોંશી, તે યમ-મંદિર જાયે રે. સુણો, ૩. દૂરથી આણી ભોજ્ય જે જમશે, ખારાં પાણી પીયે રે, સુણો. તે જીવી હોયે સુખ લહેશ્ય, જય-લચ્છિ એ વરયે રે.” સુણો. ૪. જેણે નૃપ આણ કરી તે જીવ્યા, બીજા નિધન લાંતરે, સુણો દ્રવ્ય વારણાં એ ઈહાં ભાવો, ભાવે ઉપનય સત રે ! સુણો, ૫. જિનવર નૃપતિ વિષય વિષમિશ્રિત, ભવિને ભોજ્યા નિવારે, સુણો ભવ ભમે રાગી ને તરે રે વૈરાગી, વાચક જસ તે સંભારે રે. સુણો, ૬. પ્રતિક્રમણનો પર્યાય પાંચમો નિવૃત્તિ ઢાલ ચૌદમી . માડી ! માને પરદેશીડાને કાં પરણાવ્યા રે અથવા ચંદ્રાવલાની - દેશી. પડિકામણ નિવૃત્તિ પ્રમાદથી રે, રાય કન્યા દિત; એક નગરે એક શાલાપતિ, ધૂર્ત સૂતા તસ રત, માડી ! માંને ભર યૌવનમાં કાંઈ ન દીધાં છે, માડી ! માંને મનમથ માચતે કાંઈ ન દીધાં ૧. કની. Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો હે, માંડી ! માંને અવસર છયલ છબીલાને કાંઈ ન દીધાં છે, માડી ! મને લાવણ્ય લહરે જાતે કાંઈ ન દીધાં છે. ભોલી માડલી! ૧. તે કહે “આપણ નાસિએરે', સા કહે “સખી મુઝ નૃપ-પુત્તિ; સંકેત તિણમ્યું છે કિઓરે; તેડી લાવીસી ઝત્તિ' માડી ! મને ભર૦ ૨. તેણે ગીત પરભાતે સુપ્યું રે, પાછી નિવર્તિ તામ; “આણું કરંડીયો રત્નનો' ઈમ વચને ભાંખી સ્યામ માડી ! માંને ભર. ૩. કુલ્યાં તો સ્ડ કણિઓરડાં રે !, અહિમાસ વેઠે અંબ; તુજ કુલવું જુગતું નહિ, જે નીચ કરે વિડંબ. માડી ! માંને ભર૦ ૪. કોલિક સુતા કણિઓરડી રે, હું લતા છું સહકાર) અધિ માસ ઘોષણ ગીતાએ, કાલ હરણ અશુભનું સાર. માડી મને ભર ૫. તસ તાત શરણે આવીયો, નૃપ ગોત્ર એક પવિત્ર પરણાવી પટરાણી કરી, નિજ રાજ્ય આપે જૈત્ર. માડી માને ભર૦ ૬. કન્યા થાનક મુનિ વિષય તે, ધૂરત સુભાષિત જીત; નિવર્તે તે જસ ને સુખ લહે, બીજી ન એ છે રીત. માડી ! માને ભર૦ ૭. છે ઢાલ પંદરમી છે જવઈરિ (ઝવેરી) સાચો રે જગમાં જાણીયે રે -એ દેશી. બીજે પણ દષ્ટાંત છે રે, એક ગચ્છે એક છે સાધરે, ગ્રહણ-ધારણ-ક્ષમ તેહને રે, આચાર્ય ભણાવે અગાધરે. ૧. ધારીરે ભાવ સોહામણો રે, તુહમે સારો રે આતમકાજ રે, વારે તેને પાપથી, સંભારો પામ્યું છે રાજ રે. ધારો રે ભાવ સોહામણો રે – એ આંકણી. પાપ કર્મ તસ અન્યદા જુઓ રે. ઉદયામત અતિ ઘોર રે; નીકલ્યો ગચ્છથી એકલો રે, જાણે વિષય ભોગવું જોરરે. ધારો રે ૨. કહે સુર તરૂણ મંગલ તદારે, ઉપયોગે સાંભલે તેહરે, જિમ તે ભટ પાછા ફર્યા રે, તિણે કિધો ચારિત્રસ્યું નેહ રે. ધારો રે, ૩. ગાથા तरियव्वा पइत्तिया मरियव्वं वा समरे समत्थेणं । असरि सज्जण उल्लावा नहु सहियव्वा कुलप्पसूएणं । સાધુ ચિંતવેરે સારાંશમરિ પ્રવ્રજ્યા હું ભગ્ન રે; લોક હલાથી નિવર્તિઓરે, હુઓ સુજસ ગુરૂ–પય-લગ્ન રે. ધારો રે, ૫. ૧. ઘુકે. ૨. તારો રે. ૩. સુત. ૪. રણસમારે. Page #876 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૮૦૩ પ્રતિક્રમણનો છઠ્ઠો પર્યાય નિંદા ઢાલ સોલમી છે અહોમત વાલે સાહિબા - એ દેશી. નિંદા તે પડિકકમણ છે, દષ્ટાંત ચિત્રકર - પુત્રી રે, એક નગરે એક નૃપતિ છે, તે સભા કરાવે સચિત્રી રે. ભવિ' ! સુભાષિત રસ ગ્રહો. ૧ એ આંકણી. આપી ચિત્રકાર સર્વને, તેણે ચિત્રવા ભૂ સમ-ભાગે રે; ચિત્રવા તે એકને દીવે ભાત આણી પુત્રી રાગે રે. ભવિ. ૨. રાજા આવે વેગે હયે, કષ્ટ નાઠી તે આવે રે ભાત આણી તેમ તે રહી, તાત દેહચિંતાયે જાવે રે. ભવિ. ૩. આલેખે શિખિ-પિચ્છ સા, વાને કરી કટ્ટિમ દેશે રે, ગત આગત કરતો તિહાં, નૃપ દેખે લલિત નિવેશે રે. ભવિ. ૪. તે ગ્રહવા કર વાહિયો, નખ ભાગ હસી સા બોલે રે; “મૂર્ખ મંચ ત્રિક પાદથો, તૂ હુઓ ચોથાને તોલે રે.’ ભવિ. ૫. નૃપ કહે “કિમ ? તવ સા કહે, ‘રાજ મારગે ઘોડો દોડાવે રે, જીવી પુણ્ય હું તેહથી, એ પહેલો પાયો મનિ આવેરે. ભવિ. ૬. બીજે પાયો નરપતિ, સમભાગ સભા જેણે આપર, વૃદ્ધ તરૂણ કોઈ નવિ ગણ્યો, ત્રીજો તાત તે જેણે મને થાપી રે. ભવિ. ૭. દેહ ચિંતાયે તે ગયો, અન્ન ટાઢું થાય તે ન જાણે રે; ચોથો તૂ શિખિ-પિચ્છ કયાં ? કિમ સંભવે ઈણે થાણે રે ?' ભવિ. ૮. ચિત્ત ચમકયો રાજા ગયો, ઘરિ સા ગઈ બાપ જિમાડી રે; સ્મર શર સમ” તાસ ગુણે હર્યું, નૃપ-ચિત્ત તે કયું ભગાડી રે. ભવિ. ૯. વેધક વયણે મારકે, પારકે વશ કીધો રાજા રે, વિણ માશુક ને આસકી, કહો કીમ કરી રહેવે તાજા રે ? ભવિ. ૧૦. હુઈ ત્રિયામા શત યામિની', તસ માત તે પ્રાત બોલાવી રે, કહે “તુમ્હ પુત્રી દીજીએ ‘કિમ દારિદ્ર વાત એ થાવી રે ?' ભવિ. ૧૧. રાજાએ ઘર તસ ધન ભરિઉ, મનોહરણી તે વિધિસ્યું પરણી રે; દાસી કહે “નૃપ જિહાં લગે, નાવે કથા કહો એક વરણી રે. ભવિ. ૧૨. સા કહે “એક પુત્રી તણા, સમકાલે ત્રણ વર આવ્યા રે; નિજ ઈચ્છાએ જૂઓ જૂઆ, માએ ભાઈએ બાપે વરાવ્યા રે. ભવિ. ૧૩. રાત્રે સા સાપે ડસી, તે સાથે બોલ્યો એક રે, અણસણ એક કરી રહ્યો, સુર આરાધે એક સુવિવેકરે. ભવિ૧૪. આપે સંજીવિની મંત્ર તે, જીવાડ્યાં તે બિહુ તેણે રે; ત્રણ્ય મિલિયા સામટા, કહેને દીજે કન્યા કેણે રે ? ભવિ. ૧૫. દાસી કહે જાણું નહિ, તું કહે જે જાણે સાચું રે'; સા કહે “અબ નિદ્રાલૂ છું, કાલે કહેછ્યું જાણું જે જાચું રે, ભવિ, ૧૬. રાજા પ્રચ્છન્ન તે સાંભલે, બીજે પણ દિન દિએ વારો રે, ગુણે કરી વેચાતો લીએ, ચીતારી કહે ઉત્તર સારો રે. ભવિ. ૧૭. “સાથે જીવ્યો તે ભ્રાતા હુ, જેણે જીવાડી તે તાતો રે; અનશનીયાને દીજીયે, એતો પ્રાણનું પણ વિખ્યાત રે ભવિ. ૧૮. દાસી કહે “બીજી કહો', સા કહે “એક નૃપ તે સારો રે; ઘડે આભરણ અંતેઉર, ભોયરમાં રહ્યા સોનારો રે. ભવિ ૧૯. તિહાંથી નીકળવું નથી, પણ દીપતણું અજુઆલું રે; 'કુણ વેલા' ! એકે પૂછયું કહે, તે રાતિ, અંધારું છે કાલું રે.” ભવિ૦ ૨૦. “કિમ જાણે ?' ૧. ભાવે. ૨. દિએ. ૩. ન. ૪. સ્મર શરમ્યા. ૫. શયયામસી. ૬, કરો. ૭. લીએ. ૮. ભૂધરમાં. Page #877 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ પંચ પ્રતિકમાણસૂત્રો દાસી કહે, “જે સૂર્ય ચંદ્ર ન દેખે રે'; “કાલે કહછ્યું આજે ઉઘડ્યું, મોજમાં કહિએ તે લેખે રે.” ભવિ. ર૧. બિજે દિન સા તિમ વદે, “રાચંધ તે જાણે વેલા રે'; અવર કથા પૂછી કહે “નૃપ એકને ચોર બે ભેલા રે. ભવિ૨૨. પેટીમાં ઘાલી સમુદ્રમાં વહી સા તટ કિહાં લાગી રે; કેણે ઉઘાડી દેખીયા, પૂછયું કે તે દિને ત્યાગી રે ?' ભવિ. ૨૩. “ચોથો દિન છે' એક કહે, દાસી કહે “તે કિમ જાણે રે ?' બીજે દિને સા હસી કહે, ‘તુર્યજ્વરને પરમાણું રે ભવિ૦ ૨૪. પૂછી કહે “દો શોકય છે, એક નગરે રત્નાવતી પહેલી રે; વિશ્વાસ બીજીનો નહિ કરે, ઘટે ઘાલે રતન તે પહેલી રે. ભવિ. ૨૫. લીંપી મુંદી ઘટ મુખ રહે, બીજી રતન લેઈ ઘટ મુદે રે; રતન ગયા તેણીએ” જાણીયા, દાસી કહે “ તે કિમ વિંદ રે ?"ભવિ. ૨૬. બીજે દિને કહે “ઘટ કાચનો છતાં દીસે હરિયાં ન દીસેરે; પૂછી કહે બીજી કથા, ‘ઈક નૃપ ને સેવક ચાર હસેરો. ભવિ. ર૭. સહસ્રયોથી, વૈદ્ય, રથકરૂ, ચોથો નિમિત્તવેદી છે સારો રે; પુત્રી એક છે મનહરૂ, કિહાં લઈ ગયો ખેચર પ્યારી રે. ભવિ. ર૮. જે આણે તસ નૃપ દિએ, ઈમ સુણી નિમિત્તિયો દિશિ દાખે રે, રથકાર તે રથ ખગ કરે, ચારે ચાલ્યા રથ આખેરે. ભવિ. ર૯. સહ ખેચર હણ્યો, તેણે મરતે, કન્યા મારી રે, વૈદ્ય જીવાડે ઔષધે, ચારેને દિએ નૃપ અવિચારીરે. ભવિ. ૩૦. કન્યા કહે “એક ચારની, નવિ થાઉ, જે પેસે આગેરે; હું તેહની છું સ્ત્રી “હવે કહે પેસશે તિહાં કુણ રાગેરે ?' ભવિ. ૩૧. દાસી કહે “બીજે કણ કહે ?' બીજે દિને કહે સા તે નિમિતી રે; જે નિમિત્તે જાણે મરે નહિ, ચય સાથે પિઠો સુચિત્તરે. ભવિ૩૨. રંગે સુરંગે નીકલી, અંગે સાજે પરણે કન્યા રે'; બીજી કથા કહે “એક સ્ત્રી, માગે હેમ-કટક દુગ ધન્યા રે. ભવિ. ૩૩. મૂળ રૂપક દઈ કોઈ દિએ, તેણે ઘાલ્યાં સુતાને હાથે રે; પ્રૌઢ થઈ તે ન નીસરે, માગે મૂળ રૂપક સાથે રે. ભવિ. ૩૪. બીજા દીધાં વાંછે નહિ” “શું કરવું?' કહે ઈહાં દાસી રે; સા કહે “અવર ન ચતુર છે, તું કહે ને કરે શું હાંસી રે ?' ભવિ. ૩૫. બીજે દિને કહે “તેહ જે, રૂપક દીયે કટક તો દીજે રે;” ભૂપ આખ્યાને એહવે, નિજ ઘરે પર્ માસ આસીજે રે. ભવિ. ૩૬. શોક્ય જૂવે છિદ્ર તેહનાં, ઓરડામાં રહી ચીતારી રે; પહેરી વસ્ત્રાદિક મૂલગાં, જીવને કહે સંભારી રે. ભવિ. ૩૭. રાજવંશ પત્ની ઘણી, રાજાને તું સીકારું રે; નૃપ માને જે પુણ્ય તે, બીજી મૂકી રૂપે વારૂ રે. ભવિ. ૮. ઈમ કરતી તે દેખી સદા, રાજાને શોક્ય જણાવે રે, કામણ એ તુઝને કરે, રાખો જીવને જે ચિત્ત ભાવે રે. ભવિ. ૩૯, આત્મનિંદા કરતી નૃપે, દેખી કીધી સા પટરાણી રે, દ્રવ્ય-નિંદા એ ભાવથી, કરે જે સંયત સુહાનાણી રે. ભવિ. ૪૦. દશ દષ્ટાંતે દોહિલો લહી, નરભવ ચારિત્ર જો લહિયું રે; તો બહુશ્રુત મદ મત કરો, બુધ કહેવું સુજસ તે કહિયું રે. ભવિ. ૪૧. ૧. જાણ સેટી રે. ૨. અવસર. ૩. નિ:સ્વાબીજી વિશ્વસે. ૪. તેણે. ૫. વંદે રે. ૬. છતાં હરિયા કેમ ન દીસે રે. ૭. હરી. ૮.નિસુણી. ૯. હલી. Page #878 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રતિક્રમણનો સાતમો પર્યાય ગઈ ॥ ઢાલ સત્તરમી ॥ રાજાજી હો રાણાજી અથવા રાણીજી હો જાતીરો' કારણ માહરે કોઈ નહિજી - એ દેશી. ગહ તે નિંદા પરસાખિસ્યુંજી, તે પડિકકમણ પરયાય; દૃષ્ટાંત તિહાં પતિ-મારિકાજી, વર્ણવ્યો ચિત્ત સુહાય. સાચલો' ભાવ મન ધારોજી. ૧. કિહાં એક અધ્યાપક વિપ્ર છેજી, છેરે તરૂણી તસ ભજ્જ; ‘કાક બલિ દેહિ પ્રિય !' ઈમ કહેજી, સા કહે ‘બિહું હું અજ્જ’ સાચલો ૨. ભીરૂ તે જાણી રાખે ભલેજી, વારે વારે ઘણા છાત્ર; ઉપાધ્યાયના રે આદેશથીજી, માન્ય છે તેહ ગુણપાત્ર. સાચલો ૩. મહાઠગ તે ઠગને ઠગ્રેજી, એક કહે ‘મુગ્ધ ન એહ: જોઉં હું ચરિત્ર સવિ એહનુંજી, સહજથી કપટ અòહ.’ સાચલો. ૪. નર્મદાના પર ફૂલમાંજી, ગોપજ્યું સા નિશિ આય; અન્યદા નર્મદા ઉતરેજી, કુંભે સા ચોર–પણે જાય. સાચલો ૫. ચોર એક ગ્રહ્યો રે જલજંતુએજી, રોઈ કહે સા દગ ઢાંકી; ‘તીરથ મેલ્હીને મ ઉતરોજી, જાઈ કુતીર્થ તે વાંકી.' સાચલો ૬. જોઈ ઈમ છાત્ર પાછો વલ્યોજી, બીજે દિને બલિ દેત; રાખતો છત્ર ભલી પરે કહેછ, શ્લોક એક જાણણ હેત. સાચલો ૭ શ્લોક. યત: ૮૦૫ दिवा बिभेषि काकेभ्यो रात्रौ तरसि नर्मदां । कुतीर्थानि च जानासि जलजंत्वक्षिरोधनं ।। ઢાલ પૂર્વલી સા કહે ‘શું કરૂં ઉપવરેજી, તુઝ સરિખા નવિ દક્ષ'; તે કહે ‘બીહું તુજ પતિ થકીજી', હુઈ તે પતિ મમારી વિલક્ષ. સાચલો ૮. પોટલે ઘાલી અટવી ગઈજી, થંભે શિરવ્યંતરી તેહ; વન ભમે માસ પર લગેજી, ભૂખ ને તૃષા રે અòહ. સાચ૰ ૯. ઘરિ ઘરિ ઈમજ ભિક્ષા ભમેજી, પતિ મારીને દિયો ભિખ; ઈમ ઘણે કાલે જાતે થકેજી, ચિત્તમાં લહિઅ સા દિફ્ન. સાચલો ૧૦. અન્યદા સંયતણી વંદતાંજી, શિરથકી પડીયો તે ભાર; વ્રત ગ્રહી તે હલુઈ થઈઝ, ગર્હાએ સુજસ સુખકાર. સાચલો ૧૧ પ્રતિક્રમણનો આઠમો પર્યાય શુદ્ધિ-શોધન ।। ઢાલ અઢારમી ॥ તે તરિયા રે ભાઈ તે તરિયા, જે વિષય ન સેવે વિરૂઆરે - એ દેશી. તે તરિયારે ભાઈ તે તરિયા, ક્રોધાદિકથી જે ઉતરીયા રે; સોહી-પડિકકમણે આદરિયા, વસ્ત્ર ૧. રણાજી હો નાતરો. ૨. સાંભલો. ૩. ખાય. ૪. ઉપવરેજી. ૫. અડી. ૬. મલેજી. ૭. સંયતી. Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ પંચ પ્રતિકમાણસૂત્રો દષ્ટાંત સાંભરીયા રે. તે વરિયા ૧. એ આંકણી વસ્ત્ર અમૂલ્ય રાજાદિક ધરિયા, મલિન જાણી પરિહરિયા રે; રજક લેઈ ગ્રંથિ બાંધિ ફરિયા, રાસભ ઉપરિ તે કરિયાં રે, તે તરિયા ૨. લેઈ જલે શિલકેટે પાથરિયા, પગે મર્દી ઉધરિયા રે; બાર દેઈ વર નીરે ઝરિયા, અગુરૂ-વાસ વિસ્તરિયારે. તે તરિયા ૩. ભૂપતિને ભૂપતિ પીતરિયા, તસ શિર પરિ સંચરિયા રે, એમ જે રાગાદિક ગણ વરીયા, ભ્રષ્ટ થઈ નીસરિયા રે. તે તરિયા, ૪. મહિમા મૂકી હુઆ ઠીકરીયા, વિરુદ્ધ કર્મ આચરિયાં રે, પ્રાયશ્ચિત્તે હુવાપાખરિયા, તે પણ ગુરૂ ઉદ્ધરિયા રે. તે તરિયા, ૫. તે ફરિ હુઆ મહિમાના દરિયા, શિષ્ટ-જને આદરિયા રે; પાલી જ્ઞાન સહિત વર કિરિયા, ભવવન તે નવિ ફરિયારે. તે તરિયા, ૬. ભીત તણા હુઆ તે વિહરિયા, ઘર રાખણ પિયરિયા રે'; અનુભવ ગુણના તે જાહરિયા, મુનિ મનના માહરિયા રે. તે તરિયા ૭. પાલે તેહ અચુઈ જાગરિયા, બુદ્ધ સમા વાગરિયા રે, “એમ શોધે બહુજન નિસ્તરિયા, સુજસે ગુણ ઉચ્ચરિયા રે. તે તરિયા, ૮. દોહા વલી આગે દષ્ટાંત છે, શોધિ તણે અધિકાર; પરદલેં પરપુર આવતે, અધિપતિ કરે વિચાર. ૧. વૈદ્ય તેડયા જલ નાશવા, વિષ દિયે જવમિત્ત એક; થોડું દેખી નૃપ કોપિયો, દાખે વૈદ્ય વિવેક. ૨. સહસ્ર વેધિ એકોપિમાં, કરિને મૂચ્છ દેઈ, તે વિષ હુઓ તદ્ ભક્ષિઓ, એમ સહી શાતા ધરેઈ°. ૩. રાજા કહે છે વાલના", વૈદ્ય કહે છે સાર'; ઔષધ લવ દેઈ વિષ હરે, વ્યાપક જીવ* હજાર. ૪. અતિચાર વિષ જે હુઓ, ઓસરે તેથી સાધ; નિંદા અગદં સુજસે ગુણ, સંવર અવ્યાબાધ. ૫. ઢાલ ઓગણીસમી . ટોડરમલ્લ જીત્યો રે – એ દેશી. હેતુ- ગર્ભ પૂરો હુઓ રે, પહોતા મનના કોડ, વૈરાગ – બલ જીતીયું રે". દલિત તે દુર્જન દેખતાં રે, વિનની કોડાકોડ, વૈરાગ-બલ છતીયું રે. ૧. ગઈ આપદા સંપદા રે આવી, હોડા હોડિ; વૈ. સજજન માંહે મલપતા રે, ચાલે મોડામોડિ. વૈર. જિમ જિન વરસીદાનમાં રે, નર કરે* ઓડાઓડિ; વૈ તિમ સદ્ગુરૂ ઉપદેશમાં રે, વચન વિચારનું છોડી હૈ૩. લીયો લીયો ઘેરમાં મોહરાય રે૫, હરવ્યો મુંછ મરોડ. વૈ. અશુભ પ્રકૃતિ સેના દલી રે, શુભની તો નહિ ખોડિ. વૈ. ૪. : ૧. ઉવરિયારે. ૨. ઠાકરીઆ. ૩. વાહરિયા. ૪. પાહરી આર. ૫. અછૂહઅબુદ્ધ. ૬. ચાગરિઆરે. ૭. અગદ. ૮. જવ મિત્ત એક. ૯. થોડું. ૧૦. ઈમ સહસતાંઈ ધરેઈ. ૧૧. ચાલના. ૧૨. જાવ. ૧૩. ઓસરે તે સાધ; તેહની હુઈ સમાધિ. ૧૪. જીત્યો રે. ૧૫ જીત્યો રે. ૧૬. ન કરે. ૧૭. જેડી. ૧૮. મોહરા રે. ૧૯, હરાવ્યો. Page #880 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૮૦૭ કર્મ વિવર વર પોલિઓ રે, પોલિદિએ છે છોડી; વૈ, તખત વખત હવે પામસુંરે, હુઈ રહી દોડાદોડી. વૈ૦ ૫. સૂરત ચોમાસું રહી રે, વાચક જસ કર જોડી; વૈ, યુગ યુગ મુનિ વિધુ વત્સરે રે, દેજે મંગલ કોડી. વૈ, ૬. ઇતિ શ્રી ઉપાધ્યાય શ્રી યશોવિજ્ય ગણિ વિરચિત પ્રતિકમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય. સંપૂર્ણ. ૧. પોલા. Page #881 -------------------------------------------------------------------------- ________________