SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૦૯ લેવાથી પ્રત્યાખાનાવશ્યક સચવાય છે. ૪. સલાહ બોલીને ચોવીસ તીર્થંકરો તથા તીર્થોના ચૈત્યવંદનથી ચતુર્વિશતિ સ્તવાવશ્યક સચવાય છે, ૫. “દેવસિઅ પ્રતિક્રમણે ઠાઉ ?” થી અઢાઇજેસુ સુધી પ્રતિક્રમણાવશ્યક સચવાય છે. ૬. પછી – દેવસિઅ પ્રાયશ્ચિત્ત અને દુખફખય કમ્મફખયના એમ બે કાઉસ્સગ્ગોથી કાયોત્સર્ગાવશ્યક સચવાય છે. ત્રીજામાં પ્રત્યાખ્યાન - પાક્ષિક - ચોમાસી કે સાંવત્સરિક તપનું લેવાનું હોય છે. ચોથા ચતુર્વિશતિ સ્તવમાં - સકલાર્વત બોલીને ચોવીસ તીર્થકરોનું ચૈત્યવંદન થાય છે અને સ્નાતસ્યાની જ સ્તુતિ બોલાય છે, કેમકે, શ્રી સંઘે તેવો નિર્ણય કરેલો છે. પાંચમાં પ્રતિક્રમણ આવશ્યકમાં ત્રણ વિશેષતાઓ છે. ૧. દેવસિઅ-વંદિત્ત પછી પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશનો આખો પૂરો વિધિ અને સૂત્રો. ૨. દેવસિઅની શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિને બદલે પાક્ષિકની બે ભુવનદેવતા અને ક્ષેત્રદેવતાની જુદી સ્તુતિઓ બોલાય છે. ૩. સ્તવનમાં અજિતશાંતિ સ્તવ બોલાય છે. છઠ્ઠામાં ૧ સજ્જાય તરીકે ઉસ્સગ્ગહર અને સંસાર-દાવાનલ બોલાય છે. ૨. અને કર્મક્ષય અને શ્રી સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ માટે લઘુશાંતિને બદલે બૃહશાંતિ સ્તોત્ર બોલાય છે. જ. એટલે પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં ખરા જ આવશ્યકો-દેવસિઅ વંદિનું સૂત્ર પછીથી, તે ઠેઠ દેવસિએ અદ્ભુટિઓ ખામવા પહેલા સુધીમાં સચવાય છે. તે નીચે પ્રમાણે : ૧. પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ કરવા આજ્ઞા મેળવવા માટે પ્રથમ ગુરુવંદન. ૨. પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રવેશ નીચે પ્રમાણે થાય છે : ૧. પ્રતિક્રમણમાં આલોચન, પ્રતિક્રમણ અને તપ એ ત્રણેય પ્રાયશ્ચિત્તો હોય છે. ૧. આલોચન પ્રાયશ્ચિત્ત-અતિચાર બોલવાથી. ૨. તપ પ્રાયશ્ચિત્ત-તપનો ઉચ્ચાર અને વંદન કરવાથી. ૩. પ્રતિક્રમણ – સબસ્તવિ અને શ્રી સકળ સંઘને ખમતખામણા કરવાથી. ૧. આચારોની સમજ રૂપ પાક્ષિક સામાયિક રૂપે પખિસૂત્ર બોલવા છતાં ગર્ભિત રીતે પાંચ આચારોમાં જાગૃતિ રાખવા અને તેના અતિચારોથી દૂર રહેવાથી. ર, અતિચારોની આલોચના કરી મિચ્છામિ દુક્કડંદેવારૂપ પાક્ષિક પગામ સઝાય ને વદિનુ કહેવાથી પ્રતિક્રમણ. ૨-૩. પખિસૂત્ર અને કરેમિ ભંતે ! સૂત્રો સામાયિક અને પ્રત્યાખ્યાન રૂપે હોય છે. ૪. બાર લોગસ્સનો કાયોત્સર્ગ તે કાયોત્સર્ગાવશ્યક. ૫. પછીનો પ્રગટ લોગસ્સ રૂપ ચતુર્વિશતિ સ્તવ. ૬. ત્રણેય અભુઠિઆ ચાર વાંદણાંઓ તથા ખામણાં વગેરે સપ્રતિક્રમણ ગુરુવંદન. એ પ્રમાણે મધ્યમ પાક્ષિક પ્રતિક્રમણ રૂપ આવશ્યકમાયે પેટા છે આવશ્યકો સમાય છે. તે પ્રમાણે વિસ્તારથી વિચારીએ : (૧) દેવસિસ આલોચન અને વંદિનુસૂત્રથી દેવસિઅ પ્રતિક્રમણ શરૂ કર્યા પછી વચ્ચે પાક્ષિક પ્રતિક્રમણાવશ્યક કરી લેવા માટે - પાક્ષિક મુખ વસ્ત્રિકાના પ્રતિલેખનનો આદેશ માંગવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy