SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પંચ પ્રતિક્ષ્મણ સૂત્રો કેટલીક વખત એક બાજુથી અર્થ અને બીજી સર્વ બાજુએથી અનર્થ થાય છે, એમ જ, એક બાજુથી અર્થ અને બીજી સર્વ બાજુથી અર્થ, અથવા સર્વ તરફથી અર્થ અને એક તરફથી અનર્થ. માટે ધર્માર્થી ગૃહસ્થોને ઘણો વિચાર કરીને પોતાના જીવનવ્યવહારો ચલાવવાના હોય છે. આ સૂક્ષ્મ વિચાર આપણને વારસાથી મળ્યો હોય છે. આપણા પૂર્વપુરુષો આ બાબતો બરાબર યુક્તિયુક્ત જાણતા હતા અને તે વિચારો આપણને વારસામાં મળેલા હતા. એમ કહેવાય છે કે-“વીશા શ્રીમાળીઓએ વિચાર કરતાં મણ ઘી બળવા દીધું” “પાઈનો મેળ મેળવવાને માટે પાંચ શેર તેલ બાળીએ.” વગેરે વાકયો, યોગ્ય વિચારશક્તિનાં સૂચક વાકયો છે. પરંતુ હાલમાં આપણી પ્રજાને પરંપરાનું શિક્ષણ મળતું અટકયું છે, તેને બદલે કેવળ પુસ્તકિયા શિક્ષણ પરદેશીઓના ચરણ આગળ બેસીને લેવું પડે છે, તેથી વારસામાં મળતી ઉપરની મહાન દીર્ઘ દષ્ટિવાળી પ્રેરક શકિતઓનો નાશ થતો જાય છે, ત્યારે એ શકિત યુરોપ પોતાનામાં વધારતું જાય છે. ઉપર જણાવેલા અર્થ અને અનર્થ વર્ગનો વિચાર રાજ્યના મુત્સદ્દીઓને ખાસ કરવાનો તો હોય છે, પરંતુ ધર્મગુરુઓને તો સૌથી સવિશેષ કરવાનો હોય છે, તે જ પ્રમાણે ગૃહસ્થ પણ પોતાના ગૃહરાજ્યનો વ્યવસ્થાપક છે, સમાજ અને પ્રજાકીય સંસ્થાનો સભ્ય છે, તથા ધર્મમાં પોતાનું સમગ્ર હિત સમાયેલું છે, માટે તેણે પણ તે વિચારો ઘણા જ હોશિયારીથી, ધરાવતા અને અમલ કરતાં શીખવું જરૂરનું છે. તેમાં વ્યક્તિના લાભ અને સામુદાયિક હિત, સામુદાયિક અને વ્યકિતનું નુકસાન વગેરે પણ ઘણું વિચારવાનું હોય છે. સર્વના સમુ ત્યત્તિ ઉત:' એ વગેરે આ અર્થના સૂચક છે. ઈંગ્લેંડના મુત્સદ્દીઓ આવા પ્રયોગો ઘણી વાર અજમાવીને આગળ આવી રહ્યા છે, તેવો જ એક પ્રયોગ હમણાં જ ત્યાંના પ્રધાન મંડળે અજમાવ્યો છે. શહેનશાહ આઠમા એડવર્ડના ગાદીત્યાગનું રહસ્ય વિચારવાથી એ વસ્તુ બરાબર સમજાશે. શહેનશાહ આઠમા એડવર્ડના ગાદીત્યાગથી ઈંગ્લેંડ અને ગોરી પ્રજામાં અમુક અસર થશે, અને ભારતમાં જુદી અસર થશે. આ આખી અસરનું માપ કાઢીને રાજાને ગાદી-ત્યાગ પ્રધાનોએ કરાવ્યો છે અને રાજાએ કર્યો છે. આ ગાદીત્યાગ જે નિમિત્તથી કરવામાં આવ્યો છે, તે પ્રસંગથી “સ્ત્રીઓની પવિત્રતા ઉપર ખાસ ભાર મૂકવો જોઈએ.” આ વાતની ઈંગ્લેંડ અને જગતની ગોરી પ્રજામાં વધારે મકકમતા ફેલાશે. આથી લાંબે કાળે ભારતની ઊંચ કોમની સ્ત્રીઓ માફક ત્યાં પણ કેળવણી વગેરે સાધનોની મદદથી સ્ત્રીઓમાં પવિત્રતા, સંયમી જીવન અને મર્યાદા વધશે. હમણાં જ ઈંગ્લેંડે એવો કાયદો કર્યો છે કે લગ્ન પછી પાંચ વર્ષ સુધીમાં છૂટાછેડા હવે ન આપવા, તથા જર્મનીમાં હિટલરે સ્ત્રીઓના ખાસ કાયદા કર્યા છે. ગોરી પ્રજાના હિતચિંતકો ત્યાંના સ્ત્રી-વર્ગને તાલીમ, વાતાવરણ, તથા કાયદાથી ભારતની ઉચ્ચ કોમની સ્ત્રીઓની કોટીમાં મૂકવા જે ઈચ્છાઓ રાખે છે, તેને આ પ્રસંગથી વેગ મળશે, અને ઈગ્લેંડની પ્રજા કે જે આર્ય ભાવનાઓથી પૂર્વકાળે રહિત હતી, તેને હવે તેનો લાભ પ્રજાના જીવનમાં સાક્ષાત મળવા લાગશે. એટલે સંસ્કારી થવાથી ત્યાંની પ્રજા આગળ વધશે. આ આદર્શ ઉત્પન્ન કરવામાં ત્યાંની પ્રજાનું હિત જોઈને રાજા ગાદીત્યાગ કરે, અને કહી શકે કે “મારી પ્રજાના ભલા માટે મેં ગાદીનો ત્યાગ કર્યો છે”- બધું બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy