SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાગસૂત્રો પર અગર તો ટાસણા કે જમીન ઉપર સ્થાપી પ્રતિક્રમણના બીજકરૂપ સવ્યસ્તવિ સૂત્ર કહેવું. ૨. વિસ્તારથી છ આવશ્યકમય મધ્યમ પ્રતિકમણાવશ્યક (૧) અહીં–પંચાચારમય સામાયિકાવશ્યકમાં પ્રવેશ કરવા પંચાચારની આઠ ગાથાઓનો નીચેની વિધિથી પ્રથમ કાઉસગ્ગ કરવો. ઊભા થઈ-૧. કરેમિભંતે સૂત્ર કહી, પ્રથમ ગમની શરૂઆત કરવી. ૨. પછી પ્રતિક્રમણ, કાઉસ્સગનું પ્રયોજન, હેતુ, આગાર વગેરે માટે ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ન જે મે દેવસિઓ, તસ્ય ઉત્તરી, અન્નત્ય કહી પંચાચારની આઠ ગાથાનો, ન આવડે તો આઠ નવકારનો, કાઉસ્સગ્ન કરીને નમો અરિહંતાણં કહી કાઉસ્સગ્ગ પારવો. (૨) પછી હાથ જોડી લોગસ્સ કહી ચઉવિસો આવશ્યક સાચવવું. (૩) પછી–દેવસિક આલોચના કરી પ્રતિક્રમણમાં પ્રવેશ કરતાં પહેલાં, ૨૫ બોલથી મુહપત્તિ અને ૨૫ બોલથી શરીરનું પડિલેહણ કરી, ઊભા થઈ ર૫ આવશ્યક સાચવી બે વાંદણાથી કાઉસ્સગમાં વિચારેલા અતિચારોની આલોચના કરવા માટે ગુરુવંદન કરવું. (૪) અહીંથી વિશેષ શુદ્ધિરૂપ પ્રતિક્રમણાવશ્યકની શરૂઆત થાય છે. પરંતુ તે કરતાં પહેલાં દિવસ સંબંધી સામાન્ય તાત્કાલિક દોષોની શુદ્ધિ માટે શરીર નમાવી અવગ્રહમાં રહીને જ આલોચના નીચે પ્રમાણે કરવી. દેવસિસ આલોચના-ઇચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઅં આલોઉં? ગુરુ મહારાજ હોય, તો-આલએહ કહે. ઈચ્છે કહી, આ શિર ચડાવવી, પ્રાર્થના કરી જોમે દેવસિઓ અઇઆરો. એ શાસ્ત્રીય આલોચનસૂત્ર કહી, સાત લાખ અને પહેલે પ્રાણાતિપાત કહી, બરાબર સ્મરણ અને સમજપૂર્વક આલોચના કરવી. દેવસિય પ્રતિકમાણ- વ્રતોના દિવસ સંબંધી અતિચારોના વિગતવાર પ્રતિક્રમણની શરૂઆત કરતાં પહેલાં – સંક્ષેપમાં નીચે પ્રમાણે પ્રતિક્રમણમાં પ્રવેશ કરવો. સબસવિ દેવસિઅ દુઐિતિએ દુક્લાસિએ દુશ્ચિઢિઓ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન કહી મન-વચન-કાયાના આલોચિત સકળ દોષો રૂપ અતિચારોનું ભાવપૂર્વક પ્રાયશ્ચિત્ત માગવું. ગુરુ મહારાજ હોય તો પડિક્કમેહ કહી પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે. પછી ટૂંકામાં - તસ્સ મિચ્છામિ દુક્કડે કહી સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવું. વીરાસને બેસી અથવા જમણો ઢીંચણ ઊભો રાખી હાથ જોડી નીચે પ્રમાણે વિગતવાર દેવસિઆ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવો. ૧. પ્રથમ-મંગળ નિમિત્તે એક નવકાર ગણવો, ૨. પછી-કરેમિ ભંતે સૂત્ર કહી બીજા ગામની શરૂઆત કરી પ્રતિક્રમણ આવશ્યક સામાયિકમય બનાવવું. અથવા સામાયિક આ ઠેકાણે પ્રતિક્રમણનું અંગ આ રીતે થાય છે. ૩. પછી ઇચ્છામિ કામિ પડિકમિઉ જો મે કહી સામાન્ય સંક્ષેપમાં પ્રતિક્રમણ કરવું. પછી-૪. (૧) વિસ્તારથી વ્રતવાર અતિચારોના આલોચના તથા પ્રતિક્રમણ કરવા માટે શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy