SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨. ૨૫ બોલ સાચવી મુહપત્તિની, અને ર૫ બોલ સાચવી શરીરની પડિલેહણા કરી. બે વંદનથી દિવસ ચરિમનું ગુરુવંદન, ૨પ આવશ્યક સાચવી કરવું. પછી૩. દિવસ ચરિમ વગેરેનું પચ્ચખાણ લેવું. ૪. પછી નીચે પ્રમાણે વિધિપૂર્વક આદેશ માગી, યોગમુદ્રાએ બાર અધિકાર મય, દેવવંદનરૂપ મંગળમય ચતુર્વિશતિ સ્તવાવશ્યક કરવું બાર અધિકાર – ૧ થી ૩. અધિકારમાં - ચેત્યવંદન “ચિ, નમુલ્યાણ, ઊભા થઈ અરિહંત ચેઈઆણં અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોડહતુ કહી અમુક એક તીર્થંકર વગેરેની સ્તુતિરૂપ પહેલી થોય કહેવી. ૪. પછી લોગસ્સ કહેવો. ૫. સવ્વલોએ અરિહંત ચેઇઆણંઅન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, સર્વ તીર્થંકર ભગવંતોની સ્તુતિરૂપ બીજી થોય કહેવી. ૬-૭. પુખરવરદી, સુઅસ્સે ભગવઓ, વંદાગરિઆએ, અન્નત્ય કહી, જ્ઞાન આરાધનાનો એક નવકારને કાઉસ્સગ કરી, પારી, જ્ઞાનની સ્તુતિમય ત્રીજી થોય કહેવી. ૮. સિદ્ધાણં બુદ્ધાગંની પહેલી ગાથા કહી સર્વ ભગવંતોની સ્તુતિ કરવી. ૯. આસન્નોપકારી શ્રી મહાવીર શાસનની સ્તુતિમય બીજી અને ત્રીજી ગાથા કહેવી. ૧૦. આપણા નજીકના શ્રી ગિરનાર તીર્થ ઉપર જે તીર્થકર ભગવંતના જ વધારેમાં વધારે કલ્યાણકો થયેલા છે, તે શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ રૂ૫ ચોથી ગાથા કહેવી. ૧૧. વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી સંખ્યામાં આવી રહેલા શાશ્વત-અશાશ્વત, સ્થાવર-જંગમ તીર્થોની સ્તુતિમય છેલ્લી ગાથા કહી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર પૂરું કરવું. ૧૨. શાસન ભકત દેવોની આરાધના માટે વેપાવચ્ચગરાણ, અન્નત્યં કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી નમોહે કહી શાસન કે શ્રુત દેવ કે દેવીની ચોથી થાય કહેવી. પછી યોગ મુદ્રાએ બેસી ફરીથી નમુત્થાણું કહી તીર્થકર ભગવંતને અંતિમ વંદન કરવું. પછી ચાર ખમાસમણ દઈ વચ્ચે વચ્ચે અનુક્રમે ભગવાન આચાર્યઉં, ઉપાધ્યાયાં, સર્વસાધુઈ, કહી વિદ્યમાન શ્રમણ સંઘને વંદન કરી ઇચ્છકારી સમસ્ત શ્રાવક વંદું કહી સર્વ શ્રાવક સાધર્મિકોને શ્રાવક - શ્રાવિકાઓએ હાથ જોડી પ્રણામ કરવો. ૫. પડાવશ્યકમય મહત્વના મધ્યમ પ્રતિકમાણાવશ્યકની શરૂઆત કરવી. ૧. સંક્ષેપમાં દેવસિઅ પ્રતિક્રમણમાં મન વચન કાયાની એકાગ્રતાની સ્થિર થવા, ઈચ્છાકારણ સંદિસહ ભગવન, દેવસિય પડિક્કમણે ઠાઉ? એમ કહી ગુરુની આજ્ઞા માગવી. ગુરુમહારાજ હાજર હોય, તો ડાહ કહે, ઈચ્છે કહી આજ્ઞા શિર ચઢાવવી. યોગમુદ્રાએ બેસી જમણો હાથ ચરવાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy