SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ પંચ પ્રતિક્રમણ સૂત્ર ન મંડાઈ હોત તો તે વખતની વૈજ્ઞાનિક લડાઈ કરતાં અનેક રીતે ચડિયાતા આજના વૈજ્ઞાનિક સાધનોવાળી ચાલુ લડાઈ થઈ શકત જ નહીં. એટલે જ આ ચાલુ લડાઈ ગોરી પ્રજાઓએ બે પક્ષોમાં વહેંચાઈને વધુ સત્તા જમાવવાને બનાવટી ઊભી કરી હોય એવો ભાસ કેટલેક અંશે થાય છે. કેમ કે, જો આવી રીતે વૈજ્ઞાનિક સાધનોની લડાઈ લડીને જગતને આવાં સાધનો બતાવવામાં ન આવે તો થથરાવી મૂકીને કાળી પ્રજાઓને હતાશ શી રીતે કરી શકાય ? કાળી પ્રજા તો હવે એમ જ સમજી લે કે, “હવે લડાઈમાં કોઈ પણ ગોરા લોકો સામે આપણે માથું ઊંચકવું અશકય જ છે અને લડાઈ કરવી પડે, તો પણ કોઈ પણ ગોરી પ્રજાના રાષ્ટ્રની મદદ વિના ચલાવી શકાય જ નહીં. અને કદાચ વૈજ્ઞાનિક સાધનો વસાવીને લડાઈ લડવાનો વિચાર રાખે તો પણ તેમાંય ગોરી પ્રજાનું શિષ્યત્વ સ્વીકારવું પડે. જે જાપાનને પણ ઈટાલી અને જર્મનીનું પીઠબળ મેળવવું પડ્યું છે અને ચીનને ઈગ્લેંડનું. બીજી પ્રજાઓની તો વાત શી? દુનિયાની કાળી પ્રજાને શાંતિના વખતમાં એવી સુંવાળી બનાવવાની છે, અને ગોરી પ્રજાઓએ પોતાની તૈયારીઓ એવા જબ્બર પાયા ઉપર કરી છે કે, કાળી પ્રજાનું કોઈ પણ રાજ્ય કોઈ પણ ગોરી પ્રજાની મદદ સિવાય આજે લડાઈ લડી શકે જ નહીં. આવી પામર સ્થિતિ થઈ છે ને થતી જાય છે. આવી લડાઈઓ સિવાય જૂના કોલકરારમાં ફેરફાર થઈ શકે નહીં અને નવી શરતો કરાવી સત્તા મજબૂત કરી શકાય નહીં. કોલકરારથી બંધાયેલ એક ભાઈ, પોતાના બીજા ભાઈની ઉદ્ધતાઈથી લાચાર બનવાનો દેખાવ કરીને પોતાના આશ્રિતોની પાસેથી નવા કોલકરારો કરાવી શકે ને પછી મદદ આપે, અથવા ઉદ્ધત ગણાતા પોતાના ભાઈના તાબામાં જાય, તો પણ આખરે તેમની સાથે મેળ થાય ત્યારે પણ પોતાના જ તાબામાં જ આવ્યા ગણાય. પરિણામે પોતાની કે પોતાના ભાઈની સત્તા વધારે જામી ગણાય. ગોરા રાષ્ટ્રો અંદર અંદર આ કામે ભાઈ તરીકે જોડાયેલાં છે. આ કૃત્રિમ લડાઈઓ કે વાદવિવાદ આપણા પ્રાચીન રાજ્યનીતિજ્ઞોએ પણ પ્રજાના ભલા માટે કરેલ હોવાના દાખલા જુદા ગ્રંથોમાંથી મળે છે. ચીન જાપાનની હાલની લડાઈમાં પણ એક તરફ ઈગ્લેંડનો પક્ષ છે અને બીજી તરફ જર્મની, ઈટાલીનો છે. અને બન્ને ય એશિયાવાસીઓ ખોખરા થાય છે. અને જેમ જેમ વખત જતો જશે, તેમ તેમ દરેક ગોરા રાષ્ટ્રો ખળભળશે અને આખરે આજુબાજુની કાળી પ્રજાઓને ખોખરી કરવાના કામમાં લાગશે. અમુક હદનું પરિણામ આવ્યા પછી શાંતિ થશે. વળી ફરી આવો પ્રયોગ શરૂ થશે.] આ તરફ રચનાત્મક કામ માટે તૈયારી કરવાના વખત પછી થોડાં જ વર્ષો બાદ ભારતની મૂળ કેળવણીની સંસ્થાઓ બંધ કરાવીને નવી વસાહતને લાયકના કાર્યક્રમમાં ઉપયોગી થાય તેવા વિચાર વાતાવરણવાળું શિક્ષણ શરૂ કરાવ્યું. એક બંગાળમાં જ ૮૦,૦૦૦ પાઠશાળાઓ હતી. તે ૧૮૫૭ સુધીમાં બંધ થઈને તદ્દન જૂજ રહેલ હતી. પ્રજામાંથી ધંધાઓ ગૂંટાવાને કારણે ગરીબી ફેલાય એટલે ધંધા માટે લોકોને બહાર નીકળવું પડે જ ત્યારે વચ્ચે કેળવણીનું બારણું ગોઠવ્યું, તેમાં તૈયાર થયેલાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy