SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૭૭ કેશ વાણિજ્યમાં દ્વિપદ, ચતુષ્પદ વગેરેને પરવશ રાખવા, બાંધી રાખવા, માર મારવો ભૂખ્યા તરસ્યા રાખવા, તથા બીજી પીડા થાય તેના નિમિત્તભૂત થવાય છે. વિષવાણિજ્યથી-વિષ જીવનો ઘાત કરનાર સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ જ છે. પલાળેલી હરતાળ ઉપર માખી તરત જ મરી જાય છે. સોમલ વગેરેથી તરત મરણ નીપજે છે. અને વખતે રાજ્યાદિકથી દંડ થવાનો સંભવ છે. ભૂલથી પોતાના કે પોતાના કુટુંબીના ખાવામાં આવી જાય તો પરઘાત તો દૂર રહ્યો, પણ સ્વઘાત પણ થઈ જાય છે. યંત્રપીડન કર્મ કરવાથી સ્પષ્ટ જંતુ ઘાત છે જ. નિલાંછનકર્મમાં પંચેન્દ્રિય જીવોને પીડા છે. દવદાહમાં અનેક કરોડો ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવોની હિંસા સ્પષ્ટ છે જ. ડેથ (મારક કિરણો)થી અનેક જંતુઓનો સંહાર કરવામાં આવે છે. તે પણ એક જાતના દવદાહ જેવું જ છે. સરોવર વગેરે સૂકવવામાં પણ છયે કાયના જીવોની ઘણી જ હિંસા થાય છે. અસતીપોષણમાં-તેઓનાં દુષ્ટ કાર્યોમાં પ્રેરણા-અનુમોદના વગેરેથી પાપની વૃદ્ધિ જ થાય છે. આ ઉપરાંત ક્રૂરતાભર્યા બીજાં પણ કામોનો આમાં સમાવેશ થાય છે. જેમ કે-કોટવાલ, ફોજદાર, લશ્કરી કે મુલ્કી સિપાઈ, સીમાપાલક, સેનાપતિપણું, હિંસક સંશોધનો, હાલના યંત્રવાદના આગ્રહમાંથી ઉત્પન્ન થયેલાં નાનાં મોટાં તમામ યંત્રો ઉત્પન્ન કરવા વેચવા, પ્રચારવા, તેનો ધંધા માટે ઉપયોગ કરવો, એ સર્વ મહાકર્માદાન છે. વાસ્તવિક રીતે તેની માનવ સમાજને ખાસ જરૂર નથી. તેના માનવસમાજનો તમામ જીવન-વ્યવહાર ચાલી શકે તેમ છે. યંત્રોનો એક પ્રજા બીજી પ્રજાનો સંહાર કરવા માટે ઉપયોગ કરે છે. ટૉલ્સ્ટોય વગેરે યુરોપના વિદ્વાનોએ પણ એમ સ્પષ્ટ કહ્યું છે કે, “આપણાં અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, યંત્રવાદ વગેરે આપણા સ્વાર્થ માટે અને બીજી પ્રજાઓના સંહાર માટે યોજાયા છે.” એરોપ્લેન, રેડિયો, સિનેમા, વગેરેથી સામાન્ય પ્રજાને આંજી નાંખીને હાલના વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી શકાય છે. તેવાં સાધનો માત્ર વિજ્ઞાન તરફ પ્રજાને આકર્ષવા માટે જ છે. પરંતુ વિજ્ઞાનનું એકંદર ધ્યેય બીજી પ્રજાઓ ઉપર સરસાઈ મેળવવી અને તેમના વસવાટો પડાવી લેવાનાં સાધનો મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરવા તરફ દોરાયેલું છે. વિજ્ઞાનના સંશોધકો ગમે તેવા સાદા ભોળા હોય, તેઓના મનમાં ગમે તે આશય હોય, પરંતુ શોધને ઉત્તેજન આપનાર સંસ્થાઓ, રાષ્ટ્રો, વિદ્યાપીઠો વગેરે તે તે રાજ્યો પોતપોતાના હેતુઓની સિદ્ધિ માટે ચલાવે છે. અને રોયલ સોસાયટી વગેરે વિજ્ઞાનને ઉત્તેજન આપનારી સંસ્થાઓ પણ પોતાના રાજ્ય અને પ્રજાના જ કેવળ હિતને ઉદ્દેશીને સ્થાપવામાં આવી હોય છે, તેમજ ચલાવવામાં આવે છે. એટલે સંશોધકની શુદ્ધ બુદ્ધિ હોવી પણ શંકિત જ છે. તેથી હાલનું વિજ્ઞાન મહાકર્માદાન ઉપર નિર્ભર છે. તેને જરા પણ ટેકો આપવામાં મહામહા સંહારોને ટેકો છે. તેથી સમ્યગુ દષ્ટિ વ્રતધારી શ્રાવક તેની ભભકથી મૂંઝાય નહીં, તેથી લલચાય નહીં, તેમજ તેને સારું માને નહીં, ઉત્તેજે નહીં, અનિવાર્ય સંજોગોમાં તેનો ઉપયોગ પડે, તો પણ તેની અનુમોદના ન કરતાં, ઊલટો તે બાબત હૃદયમાં પસ્તાવો હોવો જોઈએ. હાલનું આ કૃત્રિમ વિજ્ઞાન પરિણામે એટલું બધું સંહારક છે કે-તેને જે છેવટે બંધ પાડવામાં આવશે નહીં, તો દુનિયાની પીઠ ઉપર માણસ જાતને રહેવા દેશે જ નહીં, પણ તેને બંધ પાડવું પડશે જ. યુરોપના લોકોની હાલની કૃત્રિમ ધૂન એટલી બધી વ્યાપક થઈ પડી છે કે, સામાન્ય બુદ્ધિના લોકોને તે કુદરતી જેવી લાગે છે. અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy