SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૫૯૩ હિંસા તરફ કટાક્ષ કરી રહી છે અને અનંતકાળ સુધી કર્યા કરશે. કામ, ક્રોધ, લોભ, મોહ, લડાઈઓ એ સર્વ હિંસાનાં અંગો છે. ત્રણ રત્ન અનુસાર સંવર નિર્જરાની ક્રિયાઓ અહિંસા છે. તે જ્યાં સુધી જેટલે અંશે જગતમાં ગુપ્ત રીતે કે જાહેર રીતે રહેલ હશે, ત્યાં સુધી અહિંસાનો વિજય જ છે. માટે અહિંસાથી કોઈ પણ રીતે કોઈએ નિરાશ થવાનું છે જ નહીં. તેના પ્રતીક તરીકે જિન મંદિરો, ઉપાશ્રયો, મુનિસંસ્થા, જૈન આગમો, જૈન આચારો અને ઈતર ધર્મ સંસ્થાઓ વગેરે તેમાં સાધક છે, માટે તે સર્વને ટેકો આપવો, એ અહિંસાનો જ વિજય છે. મહાવીર જયંતી પર્વ નવા જમાના માટેના સ્વાધીન પર્વ તરીકે ઉપયોગ કરવા માટે છે. બીજા પવિત્ર પર્વો ઢીલા પાડવા માટે છે. આખા હિંદમાં તેની જયંતી ઊજવી તેને હિંદના મહાપુરુષ જાહેર કરવા માટે છે. પછી આખા એશિયામાં બુદ્ધની ઊજવવાની, લાઈટ ઑફ એશિયાની ભાવનાથી સફળ કરવા માટે છે. પછી આખા જગતમાં ઈસુ ખ્રિસ્તની જયંતી ઊજવી આખા જગતના મહાપુરુષ તરીકે આખા જગત પાસે કબૂલ કરાવવાનો પ્રયત્ન ગોઠવાઈ રહ્યો છે. જે મહાવીર પરમાત્મા જગતમાં શ્રેષ્ઠ છે, તેનો આમ ત્રીજો નંબર ગોઠવાઈ જાય. મહાવીર સ્વામીને આખા હિંદના મહાપુરુષ જાહેર કરવામાં જ્યારે બીજી પ્રજાઓ સહકાર આપે એટલે પછી, પછીનાઓને એશિયામાં અને જગતના મહાપુરુષ ઠરાવવામાં જૈનોએ સહકાર આપવો જ પડે ને ? સર આરનોલ્વે લાઇટ ઑફ એશિયામાં બુદ્ધનું ચરિત્ર ગાયું છે અને લાઇટ ઑફ વર્ડમાં ઈશુનું ચરિત્ર ગાયું છે. વિશ્વ ધર્મ પરિષદ જગતમાં એક ધર્મ કરવા માટે છે. એટલે કે બીજા ધર્મો તૂટે તો જ એક ધર્મ થાય. એટલે તે સંસ્થાને ટેકો આપતાં પોતપોતાના ધર્મને આગળ વધારવાની લાલચમાં તેને તોડવામાં જ વાસ્તવિક ટેકો આપ્યો ગણાય અને વિશ્વધર્મની યોજનામાં સહકાર લેવા જ હિંદમાં સર્વધર્મ પરિષદો અને સાંપ્રદાયિક એકતાની વાતો ચાલે છે. પહેલા સંપ્રદાય તૂટે પછી સર્વ ધર્મ તૂટે અને એક ધર્મ થાય. આ સંપ્રદાયો તોડવા એ એક ધર્મ કરવાનું વ્યાવહારિક પ્રાથમિક પગથિયું છે. માટે સુધારકો મારફત આજે સાંપ્રદાયિકતા ઉપર ટીકાઓ થાય છે. પછી જુદા જુદા ધર્મ ઉપર થશે. થિઓસોફિસ્ટ પોંડિચેરીના સંત, મુકિતફોજનો ઉપયોગ, હેર હિટલરનો નવો પંથ અને એવા બીજા પરચૂરણ પ્રયત્નો આ કાર્યના અંગ તરીકે ગોઠવાયેલ છે. કોંગ્રેસ મહાજનની સંસ્થાને તોડી નવા મહાજનની સંસ્થા સ્થાપવા માટે છે. ખેડૂતોની જાગૃતિ, મશીનરી ખેતી માટે અને આ દેશની હાલની પ્રજાના હાથમાંથી જમીન લઈ લેવા માટે છે. દૂધાળા ઢોરની હિલચાલ મોટા પાયા પર કતલખાનાં જન્માવશે અને ઢોર ઉછેરનાર પ્રજાના હાથમાં તે ધંધા રહેશે નહીં. પરદેશીઓ મોટી ડેરીઓ ચલાવશે. સ્વરાજ્યની હિલચાલ પરદેશીઓના લાભ માટે છે, અને સ્વદેશીની હિલચાલ અહીં નાંખવાના વધુ પરદેશી કારખાનાંઓના વકરાના ક્ષેત્ર ઉઘાડવા માટે જ છે. શિક્ષણ સંસ્થાઓ પ્રજાને સ્વરાજ્ય માટે અને નવી સંસ્કૃતિની તૈયારી માટે, તૈયાર કરવા માટે છે, જે જૂની પ્રજાનું સ્વરાજ્ય અને સંસ્કૃતિ તોડે જ વગેરે નવયુગનાં ચક્રો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy