SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો અવનતિ સમજવાની છે. પરદેશીઓને તો તેમ કરવા દેવામાં વાંધો નથી. ધંધાની લૂંટથી બેકારી ફેલાવવા અને બેકાર વર્ગને પોતાના ઉપયોગમાં લેવા પોતાનાં ખર્ચ અને મહેનત વિના જેટલો તૈયાર થાય, તેટલો જે રીતે થાય તે રીતે કરવામાં બને તેટલું પ્રચારકાર્ય કર્યા કરે, એ સ્વાભાવિક છે. અને તેને માટે તે કોમોનો અને સમાજોનો અભ્યાસ કરીને જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવે તેમાં નવાઈ શી ? અને તેવા કામમાં જે દેશીઓ મદદ કરે તેને મોટરો દોડાવવા આપવામાં વાંધો શો ? ટાઇટલો આપવામાં વાંધો શો ? લેખક અને વકતા તરીકે, વિચારક અને સમાજસેવક તરીકે પ્રતિષ્ઠા આપવામાં વાંધો શો ? પોતપોતાની કોમમાંથી પ્રતિષ્ઠિત થઈ સાધર્મિક વાત્સલ્યના નામે તેઓમાંથી અનેક ખાતાંઓમાં પૈસા કઢાવીને પરદેશીઓને મદદ કરે તેવા માણસો તૈયાર કરાવી આપે તેના બદલામાં એવું જે કાંઇ પરદેશીઓ આપે, તેથી આપણે અંજાવાનું નથી. સારાંશ કે, એ બિલકુલ સાધર્મિક વાત્સલ્ય નથી, પણ વિનાશના માર્ગમાં ફસાતાને અજાણમાં રાખવાની કળા છે. એટલેથી જ ન અટકતાં આજે તો તેમાં ઘણી રીતે વધારે આગળ વધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ૪૫૫ વેપારીની સ્કીમો પરદેશીઓના હાથમાં ચાલી જવાથી આપણા વર્ગમાં અમુક અંશે બેકારી ફેલાઈ ચૂકી છે, તે તો સર્વસમ્મત વાત છે. પણ હવે વકીલ બૅરિસ્ટર તરીકે પ્રસિદ્ધિ પામેલા, ભાષણોથી પ્રજાજનોને ઉશ્કેરી શકે તેવા કેળવાયેલા ગણાતા કેટલાક દેશી લોકોને દેશનેતા બનાવી તેઓ મારફત ખેડૂતોને ઉશ્કેરી, તાત્કાલીન અનેકવિધ લાલચો આપી, મોટા પાયા ઉપર યાંત્રિક ખેતી ખીલવી હાથ કરવાની હિલચાલ હાલમાં ચાલી રહી છે. એટલે દેશી લોકોના હાથમાંથી ખેતી જતાં મોટા પાયા ઉપર બેકારી આપણામાં પણ ફેલાશે. વેપાર ખીલ્યો પણ વેપારીઓ બેકાર થયા, તેમજ ખેતી ખીલશે પણ અહીંના મૂળ ખેડૂતો વખત જતાં ખેતીરહિત થશે. દેશી વેપારીઓ સામે ખેડૂતોને ઉશ્કેરવા તેમજ ધીરધારના ક્ષેત્રમાં શાહુકારોને કાઢી નાંખી પોતે ધીરધાર કરવા, શાહુકારોની ચૂસણનીતિનો દેશનાયકો મારફત મોટો પ્રચાર કરવામાં આવે છે જેથી ખેડૂતો તેઓના વિશ્વાસથી સહકારી મંડળીઓ મારફત નાણાંનો ઉપાડ કરે, અને અંતે પરદેશીઓની મૂડીની મોટી ધીરધાર થઈ શકે. શહેરોમાં આપણી અમુક સંખ્યા નવા ધંધાઓમાં મદદગાર થશે, ને કદાચ કરોડાધિપતિઓ પણ બનશે. પરંતુ શહેરો સિવાય ઠામઠામ જુદા જુદા ધંધાથી પ્રજા સાથે ગૂંથાયેલા આપણા ભાઈઓના ધંધાને દરેક ઠેકાણે મોટો ફટકો પડશે. જ્યાં સેંકડોની સંખ્યામાં ઘરો હશે, તેમાંથી થોડા સરકારી નોકર કે બહાર ગામ જઈને કે એવા કોઈ કોઈ ધંધા ચલાવીને ગુજરાન ચલાવશે. પરંતુ મોટો ભાગ બેકાર પડશે. ત્યારે એ બેકારીને પહોંચી વળવા માટે તેઓએ નવા નવા ધંધામાં દાખલ થવું જોઈએ. મૂળ ધંધા ન તૂટે તે માટે પ્રજાકીય હિલચાલ મોટા પાયા પર ચલાવવી જોઈએ. પ્રજા સાથે સહકાર સાધીને, વેપારીઓના વેપાર ન તૂટે અને ખેડૂતોની ખેતી ન તૂટે તેવા સક્રિય અને અસરકારક પ્રયત્નો કરવા જોઈએ. તેમાંનું કાંઈ પણ ન કરતાં કેળવણી લેવા દોડશે અને જુદે જ પાટે ચડી જશે. તેને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy