SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ગૃહસ્થોને બે પ્રકારની મિલકત હોય છે, એક કુટુંબની વારસાથી ચાલી આવતી મિલકત અને બીજી સ્વોપાર્જિત મિલક્ત. વારસાની મિલકત એ કુટુંબની મિલકત છે. ગૃહસ્થ ખરી રીતે વારસાની મિલકતનો વહીવટકર્તા છે. તેમણે પોતાનો ખર્ચ સ્વોપાર્જિત મિલકતમાંથી કરવો જોઈએ. પુરુષાર્થી ગૃહસ્થ માટે શાસ્ત્રકારોની આવી ભલામણ છે. છતાં અ૯૫પુરુષાર્થી, રોગી, અપંગ, વગેરે પ્રકારનો વારસદાર વારસાની મિલકતમાંથી ખર્ચ કરે તો તે ખોટું નથી. કેમ કે-વારસાની મિલકતની રક્ષાનું મુખ્ય પ્રયોજન એ પણ છે. ઉપરાંત, કુટુંબની આબરૂ, શાખ, સમજમાં મોભો વગેરે એકસરખા પેઢી દર પેઢી જળવાઈ રહે, સ્થાવર મિલકતો અખંડ જળવાઈ રહે, અને આર્ય કુટુંબ તૂટે નહીં, તેના સંસ્કારની પરંપરા અખંડ ચાલે, માટે પણ વારસાની મિલકતોની બરાબર રક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. તે કુટુંબમાંથી ભવિષ્યમાં પણ કોઈ યોગ્ય પુરુષો પાકે, તેથી ધર્મ-મર્યાદાને સારો ટેકો મળે પરંતુ કોઈ બ્રહ્મચારી પુરુષ પાકે, અથવા ત્યાગી થઈ જાય, તો તે વારસની મિલકત પણ ધર્મક્ષેત્રોમાં યોજી શકે. પરંતુ વારસાની મિલકત સાચવવા ખાતર બ્રહ્મચારી કે ત્યાગી ન થઈ શકે – એમ સમજવાનું નથી. જે તે બ્રહ્મચારી કે ત્યાગી ન થાય તો જ પછી તેણે વારસાની મિલકત ભવિષ્યની પ્રજા માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે બચાવી રાખવાની ફરજ બજાવવી જ જોઈએ, એ આશય છે. અને એ જ આશયમાં “ગપુરણ વિનતિ,'' વગેરે લૌકિક વાકયો સમજવાનાં છે. એટલે કે ત્યાગી કે બ્રહ્મચારી ન થાય તો, આર્ય કુટુંબનો ઉત્તમ વારસો આગળ લંબાવવા ગૃહસ્થને સંતાનની આવશ્યકતા છે. અનાર્ય સંતાનો જગતમાં વધે, તો પણ આર્યમર્યાદાને નુકસાન છે. અને જે આર્ય ગૃહસ્થ ત્યાગી કે બ્રહ્મચારી થાય, તો તેથી જ આર્ય મર્યાદાને ઘણો જ વેગ મળે છે. એટલે પછી તેને સંતાનોત્પત્તિની આવશ્યકતા રહેતી નથી. વળી તેનું વારસાનું ધન ધર્મક્ષેત્રોમાં વિનિયોજિત થતું હોવાથી પણ ધર્મમાર્ગને ઘણો જ વેગ મળે છે. બીજી એક એવી પણ દષ્ટિ છે કે-આર્ય ગૃહસ્થની તમામ મિલકત અને ધનસંચય કેવળ આયમર્યાદાના રક્ષણપૂર્વક ધર્મ ખાતર જ છે. એટલે કે એ બધું ધર્મનું જ છે. એટલે કે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ મૂળ તત્ત્વોની જ એ મિલકત છે. પોતે તેમાંથી નવું ઉત્પન્ન કરીને નિર્વાહ ચલાવે અને બાકીનું તેની ખાતર જ રહ્યું, એટલે કે પોતે ધર્મધનનો ટ્રસ્ટી જ છે. તેમાંથી એક પાઈ પણ આરોગ્ય રસ્તે, વધારે પડતી, વાપરવાની તેને છૂટ નથી. વારસદારોને પણ ધર્મમાર્ગના પ્રવર્તન, રક્ષા, પ્રચાર માટે જ સોંપી જવાની છે. વારસદાર બીજા જીવો પણ એ ધનના સંપર્કમાંથી ધર્મ આરાધે એવો તેમાં આશય છે. એવી જ રીતે ધંધા, ધંધાનાં સાધનો ધંધાની જાહેરાત, ધંધાનું જ્ઞાન પણ વારસે આવે છે. અને તે સ્થાયિતત્વ પણ ઉત્તરોત્તર વારસામાં લંબાવવું જોઈએ. ધંધો પણ કુટુંબની મિલકત છે જેથી આર્યસંતાનોની ઘણી હાડમારી ઓછી થાય છે. આજકાલ આર્યપ્રજાના કેટલાક સ્થાયી ધંધા તૂટી ગયા છે. તેથી લોકો બીજે ધંધે ચડતા જાય છે. તેમાં પૈસા સારા મળે છે. પરંતુ આખર મોટું નુકસાન છે. નવા ધંધા પેઢી દરપેઢી ઊતરતા નથી. એટલે ઘણાખરા ધંધાઓ પરદેશીઓના હાથમાં ગયા પછી ભવિષ્યના વારસદારોના હાથમાં એક પણ ધંધો આવી શકશે કે કેમ ? એ સંશય છે. દર વખતે નવી મહેનત, નવાં સાધનો, નવી તૈયારી, નવું જ્ઞાન સંપાદન કરવું, વગેરે મુશ્કેલીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy