SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧. સામાયિક લેવાથી માંડીને સામાયિક પારવા સુધી આખું દેવસિઅ પ્રતિક્રમણ ગણાય છે. કેમકે આખા દિવસના દેવવંદન-ગુરુવંદન વગેરે છ આવશ્યકોમાંનું સાંજે કરવામાં આવતું પ્રતિક્રમણ એ એક આખું દિવસનું પ્રતિકમણ નામનું આવશ્યક છે. તેમાં નીચે પ્રમાણે છ પેટા આવશ્યક છે. ૧. પ્રથમ સામાયિક લેવું, તે સામાયિક આવશ્યક ૨-૩. વાંદણા દઈ પચ્ચકખાણ લઈએ. એટલે વંદન અને પ્રત્યાખ્યાન આવશ્યક. ૪. પછી ૪ થોયો વડે ભગવાનહ સુધી ચતુર્વિશતિસ્તવાવશ્યક. ૫. સવ્યસ્તવિથી માંડીને અઢાઈજજેસુ સુધી મધ્ય પ્રતિક્રમણ આવશ્યક ૬. ૧૬ નવકારના બે કાઉસ્સગ્ગો: એ કાયોત્સર્ગ આવશ્યક. આખા દિવસમાં આ છમાંનું કાંઈ પણ જેણે ન કર્યું હોય, તેને આ રીતે એકીસાથે છએ ય આવશ્યક સચવાઈ જાય. પરંતુ જેણે દિવસમાં છએ ય આવશ્યકો જુદે જુદે પ્રસંગે કર્યા હોય તેને મુખ્ય પ્રતિક્રમણ સબસ્સવિથી અઢાઈ જજેસુ સુધીમાં મધ્ય પ્રતિક્રમણ થાય. પરંતુ આખા સંઘને માટે વિધિની અખંડતા જાળવવા માટે દરેક વિધિ તો અખંડ જ આચરવો જોઈએ. ૨. હવે, જે સવ્યસ્તવિથી અઢાઈજજેસુ સુધી મધ્ય પ્રતિક્રમણ આવશ્યક બતાવ્યું તેમાં સવ્યસ્તવિએ જઘન્ય દેવસિઅ પ્રતિક્રમણ છે. પછી મધ્યના ૬ આવશ્યકો શરૂ થઈ નમોસ્તુ પહેલાં પૂરા થાય છે. તે નીચે પ્રમાણે છ આવશ્યકો અને વિભાગો છે. ૧. સવ્યસ્તવિ પછી કરેમિ ભંતે! થી આઠ ગાથાના કાઉસગ્ગ સુધી સામાયિક આવશ્યક: ૨. પછી લોગસ્સ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક છે. ૩. પછી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં-ગુરુવંદના આવશ્યક છે. ૪. પછી પ્રતિક્રમણ આવશ્યક શરૂ થઈ આયરિઅ ઉવઝાએ સુધીમાં પૂરું થાય છે. પછી કાઉસ્સગ્ગ આવશ્યક શરૂ થઈ, એક નવકાર ગણીને બેસતા સુધીમાં તે પૂરું થાય છે. ૬. બે વાંદણા દઈ છેવટમાં પચ્ચખાણ લેવા સુધીમાં પચ્ચકખાણ આવશ્યક પૂરું થાય છે. પછી તો આનંદ, ઉલ્લાસ ભાવનારૂપે નમોસ્તુ સૂત્રથી મહાવીર પ્રભુની સ્તુતિ રૂપે ચેત્યવંદન, નમુત્થણ, સ્તવન વગેરે અંતિમ મંગળ થાય છે. તથા અઢાઈજજેસુમાં સર્વ મુનિરાજેને વંદન કરી મધ્ય પ્રતિક્રમણ પૂરું થાય છે. ૩. ઉપર પ્રમાણે મધ્ય પ્રતિક્રમણ આવશ્યકમાં જે જે પેટા આવશ્યકો બતાવ્યાં છે તેમાં જુદાં જુદાં સૂત્રો આવે છે. તે ઘણે ભાગે તેના પણ પેટા છે આવશ્યકો પૂરા કરવા માટે હોય છે. તે પ્રસંગે પ્રસંગે બતાવીશું. ૪. તે તે સૂત્રોમાં પણ છ છ પેટા આવશ્યકો ગૂંથાયેલા હોય છે. તે ગુરુગમથી સમજવા, કેમ કે તેનો વિસ્તાર આ ગ્રંથમાં કરી શકાશે નહીં. છતાં કવચિત્ કવચિત્ તે સૂચવવામાં આવેલ છે અને આવશે. મધ્ય પ્રતિક્રમણની દૃષ્ટિથી તેમાં આવતાં જ આવશ્યકોનાં સૂત્રોનો ક્રમ નીચે પ્રમાણે રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy