SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો મુહપત્તિ પડિલેહીને પણ ગુરુ મહારાજને વંદન, આલોચન, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન તેમની પાસે જ કરવું પડે છે. માટે પાંચેય પ્રતિક્રમણો ગુરુ મહારાજની પાસે અને જાહેરમાં કરવાની ક્રિયા છે. આ પ્રમાણે પાંચેયના સંબંધમાં વિગતવાર સમજી લેવું. ૧ ઉપવાસ, ૨ ઉપવાસ, અઠ્ઠમનો તપાચાર, ૧૨ લોગસ્સ, ર૦ લોગસ્સ, ૪૦ લોગસ્સ વગેરે કાઉસ્સગ્ન વગેરે પક્ષમાં, ચોમાસામાં, વર્ષમાં કરી આપવાને બદલે તે તે છેલ્લા દિવસે પણ કરી શકાય છે. તે પ્રમાણે બીજાં આવશ્યકો વિષે પણ સમજી લેવું. ત્રણ ગામની વ્યવસ્થા પણ પાંચેય પ્રતિક્રમણમાં હોય છે. કરેમિ ભંતે! સૂત્ર ત્રણેય ગમની શરૂઆતમાં આવે છે. પ્રથમ ગમ અતિચારોની ગાથાઓના કાઉસ્સગ્ગ માટે છે. બીજો પ્રતિક્રમણ માટે છે, અને ત્રીજે પ્રતિક્રમણ થયા પછી પણ વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવા માટે છે. આ પરથી એ પણ સમજવાનું છે કે, જેમ પહેલા ગમમાં અતિચારની આઠ ગાથાઓનું ચિંતન કાઉસગ્ન કરીને કરવાનું છે, તે જ પ્રમાણે પાક્ષિકના પહેલા ગામમાં પાક્ષિક સૂત્રનું શ્રવણ કાઉસ્સગ્ગ કરીને કરવાનું છે. પછી બીજા ગામમાં પાક્ષિક વંદિતુ કે પગામ સઝાયથી પ્રતિક્રમણ કરાય છે. ને પછી ત્રીજા ગમમાં ૧૨ લોગસ્સ વગેરેનો વિશેષ શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કરવામાં આવે ૩૫. આથી પંચ પ્રતિકમણ એટલે શું ? એ પ્રશ્નનો જવાબ હવે વાચક મહાશયો બરાબર સમજી શકયા હશો કે - ૧. છ આવશ્યકમાં સેંકડો વિધિઓમાંના૨. સંઘમાં – ખાસ સામુદાયિક જાહેર રીતે કરવાના છ આવશ્યકમય પ્રતિક્રમણાત્મક પાંચ વિધિઓ, તે પાંચ પ્રતિક્રમણ. ૩. એટલે પ્રતિક્રમણ વિધિમાં આવતાં સૂત્રો તે આવશ્યક સૂત્રો નથી, તેમજ છ આવશ્યક સૂત્રનું રૂઢ નામ પ્રતિક્રમણ સૂત્ર નથી. પરંતુ ૪. આવશ્યક સૂત્રમાંનાં સૂત્રોની જુદી જુદી ગોઠવણોવાળા સેંકડો વિધિઓ જૈનશાસનમાં પ્રચલિત છે. તે જ સૂત્રોની-ક્રિયાત્મક પાંચ જાહેર વિધિઓમાં-ગોઠવણપૂર્વકની રચના, તે જ પાંચ પ્રતિક્રમણ વિધિઓ. ૫. એટલે આ પાંચ પ્રતિક્રમણ વિધિઓ પણ શ્રાવક અને શ્રાવિકા માટે અને સાધુ-સાધ્વી માટે જુદા જુદા પણ થાય છે. ૬. ત્યારે આ પુસ્તકમાં શ્રાવક અને શ્રાવિકામાં પ્રચલિત પાંચ પ્રતિક્રમણ વિધિઓ અને તેમાં આવતાં આવશ્યક સૂત્રમાંનાં સૂત્રો અર્થ સહિત આપવામાં આવેલા છે. છે. ત્યારે સાધુ-સાધ્વી માટે પાંચ પ્રતિક્રમણમાં આવતાં કેટલાંક વિશેષ સૂત્રો સાધુ-સાધ્વી ક્રિયાની વિધિના જુદા ગ્રંથોમાં આપવામાં આવેલ હોય છે. ૮. અર્થાત્ શ્રાવકના આ પંચપ્રતિક્રમણ વિધિઓ બરાબર શીખ્યા પછી થોડાં વધુ સૂત્રો ભણી લેવાથી સાધુ-સાધ્વીના પંચ પ્રતિક્રમણ વિધિઓમાંનાં સૂત્રો પૂરાં આવડી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy