SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો એટલે જૈન ગૃહસ્થે આર્યમર્યાદાને અને માર્ગાનુસારિતાને અનુસરીને પોતાના વ્યાવહારિક જીવન-વ્યવહાર રાખવાનો શ્રી જૈન શાસ્ત્રકારોને સમ્મત છે. તેથી કૌટુંબિક વ્યવહાર વેશ, લગ્નપદ્ધતિ, ધંધામાં આગળ પડતાપણું, ઊંચા પ્રકારની પ્રતિષ્ઠા, આબરૂદારપણું, આર્ય મર્યાદાના નાના પણ ધંધાને વળગી રહેવું, કુટુંબનો મોભો, પૂર્વજોની પ્રતિષ્ઠા, આર્યપ્રજાનાં સમાજબંધારણો વગેરેમાં, તેમજ દુનિયાદારીના બીજા વ્યાવહારિક જીવનમાં શ્રાવકકુલોત્પન્નનું ધોરણ હમ્મેશ ઊંચું અને આગળ પડતું રહેવું જોઈએ અને તે સર્વ આર્યત્વ, માર્ગાનુસારિતા, સમ્યક્ત્વ, દેશથી ત્યાગ, સર્વત્યાગ વગેરે ભૂમિકાઓને પોષક રીતે, તેઓની વિશેષ શોભા માટે, તેમાં આગળ વધવાની ભાવનાથી, શાસન અને ધર્મ વગેરેની શોભા માટે, જગત્ અને ભવિષ્યની સંતતિમાં એ ગુણો આગળ વધે માટે, તેમજ બીજા બાળ જીવોને યોગ્ય આદર્શ મળે વગેરે કારણો ખાતર પણ. આથી અહીં એક ચર્ચાનો ઘણો જ સ્પષ્ટ ખુલાસો થઈ જાય છે કે ૧. મુનિમહારાજાઓ ત્યાગનો જ ઉપદેશ આપી શકે, પણ સાંસારિક ઉપદેશ ન આપી શકે, ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપે, તે પણ સર્વ ત્યાગની અશકિતવાળાને દેશત્યાગ રૂપ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપી શકે. એમ એક વર્ગની દલીલ છે. ૧૫૫ ૨. બીજો વર્ગ એમ કહે છે કે- ભગવાને સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બે ધર્મ ઉપદેશ્યા છે. માટે સાધુ મહારાજ ગૃહસ્થ ધર્મનો પણ ઉપદેશ આપી શકે છે. ગૃહસ્થપણું એ પહેલી ભૂમિકા છે. તેમજ ગૃહસ્થ-ધર્મ બરાબર નહીં પાળી શકનાર સાધુ ધર્મ બરાબર શી રીતે પાળી શકશે ? માટે પહેલી નિશાળ તરીકે તેનો ઉપદેશ આપવો જોઈએ. આ પ્રશ્નો છે :- તેના ખુલાસા આમ થઈ શકે છે ૧. જૈન મુનિમહારાજ મુખ્યપણે સર્વત્યાગનો જ ઉપદેશ આપે. તેમાં અશકત હોય તેને દેશત્યાગનો ઉપદેશ આપે, તેમાં અંશકતને સમત્વનો ઉપદેશ આપે, તેમાં અશકતને માર્ગાનુસારિતા, પ્રતિષ્ઠિત દુન્યવી સગૃહસ્થપણું આર્યપણું, સભ્ય માનવપણું, એ ક્રમે એક એકની અશકિતમાં ઉપદેશી શકે. એટલે બીજી તરફથી પશુતા, જંગલી માનવપણું, અનાર્યમાનવપણું, અપ્રતિષ્ઠિત પ્રજાજનપણું, માર્ગવિમુખતા, મિથ્યાત્વ, અત્યાગાવસ્થા, અને અલ્પ ત્યાગાવસ્થાના ત્યાગનો ઉપદેશ પ્રધાનપણે હોવાથી ત્યાગના ઉપદેશકપણાને વાંધો આવતો નથી. સારાંશ કે શ્રાવક દીક્ષા ન લઇ શકે, કે બ્રહ્મચર્ય ન પાળી શકે, તો લગ્ન કરે પણ આર્યમર્યાદાને અનુસરીને, નહીં કે સિવિલ મેરેજને ધોરણે. શ્રાવક આરંભનો ત્યાગી ન થઈ શકે, જો ઉત્તમ ધંધો ન મળે, તો ઊતરતો ધંધો પણ નછૂટકે કરે. પણ આર્યમર્યાદાને અનુસરતો તે ધંધો હોવો જ જોઈએ, પછી કદાચ તેમાં નછૂટકે કર્માદાનના અંશો પણ આવતા હોય. જેમ કે અનાજનો કે ખેતીનો ધંધો નછૂટકે કરવો. પરંતુ, કર્માદાન રહિત હોય તો પણ આર્યમર્યાદાથી વિરુદ્ધનો ધંધો ન કરવો વાજબી છે. કેમ કે- પરિણામે તેમાં વિશેષ કર્માદાન અને માર્ગ લોપનો સંભવ છે. દાખલા તરીકે-બેંક મૅનેજર કે મિલસ્ટોર મૅનેજર થવા કરતાં પેઢીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy