SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો ચતુર્વિશતિસ્તવાવશ્યક. ૬. વાંદરાંઓ તથા અભુટિઝઆઓ વંદનાવશ્યક સ્પષ્ટ જ છે. અતિચારો અને તપ પ્રતિક્રમણ – આવશ્યકનાં અંગો છે. આમ છ આવશ્યકો પૂરા થયાં. ૧૧. અને તેની અંતર્ગત - ત્રણ ગમ પણ પૂરા થાય છે. ગામનો અર્થ એમ સમજાય છે કે જુદા જુદા પ્રસંગને ઉદ્દેશીને એક જ મહાદંડક સૂત્રપાઠ વારંવાર બોલવો, તે ગમ. અહીં પણ દેવસિસ અને રાઈના પ્રતિક્રમણની જેમ કરેમિ ભંતે ! મહાદંડક સૂત્ર ત્રણ વાર બોલાય છે.- ૧. પણિ સૂત્રની પહેલાં સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપે. ૨. વંદિત્ત સૂત્રની પહેલાં પ્રતિક્રમણના અંગ તરીકે. ૩. મોટો કાઉસ્સગ્ગ કરતાં પહેલાં કાયોત્સર્ગાવશ્યકના અંગ તરીકે. અમારી સમજ પ્રમાણે દેવવંદન અને ગુરુવંદનમાં એ સૂત્રની જરૂર જણાતી નથી. જે કે બંનેય ભંતે ! થી તેની સૂચના તો તે સૂત્રમાં છે. પરંતુ વિગતવાર ચતુર્વિશતિ સ્તવ અને વિગતવાર વાંદણામાં તેની જરૂર જણાતી નથી, કેમ કે તે બે આવશ્યક સાક્ષાત્ સૂત્રોથી કરવામાં આવે છે. એટલે માત્ર ત્રણ જ વખત તે કરેમિ ભંતે ! સૂત્ર બોલાય છે. દેવસિઅમાં પણ પ્રતિક્રમણ ઠાયા પછી વંદિત્તની પહેલાં અને આયરિઅઉવઝાય પછી આવે છે. એ જ રીતે રાઇઅપ્રતિકમાણમાં પણ ડાયા પછી નમુત્થાણ બાદ વંદિત્ત પહેલાં અને આયરિય ઉવઝાય પછી તપચિંતવાણીના કાઉસ્સગ્ન પહેલાં એમ ત્રણ કરેમિ ભંતે બોલી ત્રણ ગમ સચવાય છે. આ પ્રમાણે લોગસ્સ સુધીમાં ત્રણ ગમ અને આવશ્યક અહીં પાક્ષિકાદિ ત્રણેય પ્રતિક્રમણમાં પૂરાં થાય છે. સામાયિક લેવાથી માંડીને અઢાઈજેસુ સુધીમાં પાક્ષિકાદિ પ્રતિ માં ૭ કરેમિ ભંતે થાય છે :- ૧. સામાયિકનું + ૩. દેવસિઅ પ્રતિ ના + ૩. પાક્ષિકાદિક પ્રતિ ના. = 0 ૧૨. જ્ઞાનાદિ ગુણવાન અને સંબુદ્રોને અભુટિઓ ખામવામાં જ્ઞાનાચાર ચોવીસ તીર્થકરોની સ્તુતિઓ રૂપ લોગસ્સ કાયોત્સર્ગોમાં અને પછી પ્રગટ બોલાય તેથી દર્શનાચાર, અતિચાર, પાક્ષિકસૂત્ર, પગામસઝાય સૂત્ર, વંદિત્ત વગેરેથી ચારિત્રાચાર ચઉત્થણ વગેરેથી તપાચાર અને અપ્રમત્તભાવ-આસન, મુદ્રા વગેરે સાચવીને સાવચેતપણે પાક્ષિક આરાધના, તે વીર્યાચાર એમ પાંચ આચારનું પાલન આ વિધિમાં સમાય છે. ૧૩. જેમ પ્રવેશની મુહપત્તિ પડિલેહી હતી તેમાં સમાપ્તિ માટે મુહપત્તિ પડિલેહી ગુરૂવંદન કરી બે વાંદણા દીધા અને સમાપ્તિનો પાક્ષિક અભુઠિઓ ગુરુમહારાજને ખમાવ્યો. આ દષ્ટાન્તથી એમ પણ સમજવાનું છે કે, અભુદ્ધિઓ પ્રતિક્રમણનું અંગ હોય છે, તેથી ત્યાં સુધી અવાક્તર પ્રતિક્રમણાવશ્યક લંબાયેલું હોય છે. ૧૪. પાક્ષિકાદિકમાં ત્રણ વાર અભુઠિઓ સૂત્ર આવે છે. તેમાં પહેલો અભુદ્ધિઓ પાક્ષિક પ્રતિક્રમણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy