SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૫૩ વગેરે, ગુરુ કે ધર્માચરણ પણ માનવા તે દર્શનાચારનો દોષ છે. સાંસારિક હેતુઓથી જૈન દેવ, ગુરુ, ધર્મની સેવાભકિત પણ અમુક અંશે વિપરીત આચરણરૂપ દર્શનાચારનો દોષ છે. જૈન ધર્મના અનુયાયી બાળજીવો આડે રસ્તે ન દોરવાય, તેની સંપૂર્ણ કાળજી રાખવી. તે ખાતર પણ જૈન શૈલી વિરુદ્ધના કે જૈન તત્વ જ્ઞાનના વિરુદ્ધનું પ્રતિપાદન કે દેવ, ગુરુ, ધર્મની સીધી યા આડકતરી નિંદા હોય, જૈન ધર્માચરણની નિંદા-ટીકા હોય, સંશય ઉત્પન્ન થાય તેવું લખાણ હોય કે બીજાની પ્રશંસામાં આડકતરી નિંદા છુપાઈ હોય તેવાં પુસ્તકો વાંચવાં, હાથમાં લેવાં, તેવાં વ્યાખ્યાનો સાંભળવાં, તેવા માણસોનો પરિચય કરવો, તેવાં સ્થાનોમાં જવું, તેવા ઉત્સવમાં ભાગ લેવો, તેમાં સહાનુભૂતિ આપવી, ધર્મના પ્રભાવને ઝાંખો થવામાં મદદ કરવી, ધર્મની નિંદા થાય તેવાં જાહેર કાર્યો કરવાં કે એવી કોઈ પ્રવૃત્તિ જાહેરમાં મૂકવી વગેરે આચરણરૂપ દર્શનાચારના દોષો છે. આધુનિક જડવાદની સંસ્કૃતિ કદાચ ભવિષ્યમાં આત્મવાદસ્વીકારે અને પોતાના ઉપરનું જડવાદી તરીકેનું કલંક દૂર કરે, જો કે એ અસંભવિત છે છતાં કદાચ માની લઈએ કે, ભવિષ્યમાં તે સંભવિત થાય અને તેઓ આત્મવાદી થાય, પરંતુ આત્મવાદી થયા પછી, તેઓના આત્મવાદની તેઓને હિસાબે બાલ્યાવસ્થા શરૂ થાય ત્યાં સુધીમાં ભારતમાં કંઈક કાળ જૂના પ્રખર આત્મવાદના રોપાયેલા ઊંડા પાયા ઉપર દઢ થયેલા આત્મવાદ ઉપર રચાયેલા અને ઓતપ્રોત વણાઈને રૂઢ થયેલા જીવનને તોડી નાંખવા માટે આજનો જડવાદ તનતોડ મહેનત કરી રહ્યો છે, અને તેથી પ્રાણી સમાજને નુકસાન થયું છે, થાય છે અને થશે. તે શી રીતે ભરપાઈ થઈ શકશે ? જડવાદનું જીવન જેટલું સહેલું અને જેટલું વિશેષ પ્રચારમાં આવી શકે છે તેટલું સહેલું આત્મવાદનું જીવન નથી. તેને જીવનમાં પ્રચારમાં આવતાં યુગોના યુગો ચાલ્યા જાય, એટલે એ કપરું છે. પરંતુ આજની સીવીલાઈઝની સંસ્કૃતિ જડવાદના પાયા પર જ પડી છે. તે પરભવમાં નથી માનતી, જન્માન્તર નથી માનતી, આત્માને તેનું નિત્યત્વ નથી માનતી, સર્વજ્ઞત્વ નથી માનતી, આધ્યાત્મિક જીવન સર્વથી ઉચ્ચ જીવન હોવાનું નથી માનતી, માત્ર નૈતિક જીવન માને છે, તે પણ માત્ર આ જીવનની સગવડ પૂરતું જ, આ જીવન પૂરતા આનંદ પૂરતું જ જીવવાનું માને છે. ન્યાયને પણ નીતિ પૂરતો જ બંધાયેલો માનવામાં આવે છે. નીતિ, વ્યવસ્થા, પ્રગતિ વગેરે કોઈ પણ ઉજજ્વળ નામ નીચે હાલની સંસ્કૃતિને હાર્દિક ટેકો આપવો એ આત્મવાદની સંસ્કૃતિને હરકત કરવા બરાબર હોવાથી તે દર્શનાચારનો દોષ છે. અને જડવાદની સંસ્કૃતિનાં સાધનોની મદદથી આત્મવાદની સંસ્કૃતિએ નભવું તે પણ દોષ જ છે. જે કે અનિવાર્ય સંજોગોમાં તે અતિચાર બનશે પરંતુ, તેના ઉપરના મમત્વને લીધે તેને સ્થાન આપવામાં તે જ પ્રવૃત્તિ દર્શનાચારને અનાચાર ગણાશે. એ દરેકને સમજાય તેવું જ છે. ન્યાય અને નીતિનું સ્પષ્ટીકરણ કરવું અત્રે જરૂરનું છે. દાખલા તરીકે - એક માણસે બીજા માણસ પાસેથી ૫૦= રૂપિયા કરજે લીધા. લેનાર અને આપનાર બન્નેય એવા સંજોગોમાં આવી ગયા કે, ન એક આપવા પ્રયત્ન કરી શક્યો કે ન એક લેવા પ્રયત્ન કરી શક્યો. પરિણામે કાયદાએ ઠરાવેલી મુદત વીતી ગઈ. ધીરધારનો નાણાં માંગવાનો અધિકાર ગયો. લેનારની આપવાની જવાબદારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy