SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ભાગ વગેરેમાં જુદી જુદી પૂર્વાન્તર્ગત ગાથાઓ છે. વળી-યોનિપ્રાભૃત. સિદ્ધપ્રાભૃત, નિમિત્તપ્રાભૃત શબ્દપ્રાભૃત, ગણિત પ્રાભૃત, વિદ્યાપ્રાભૃત, ચિકિત્સાપ્રાભૃત વગેરે પ્રાભૂતો પૂર્વમાંથી ઉદ્દત હોવાનો સંભવ છે જ, કેમ કે પૂર્વોમાંનાં અમુક પ્રકરણો પ્રાભૃત કહેવાય છે. હાલના આગમો તૂટક છે. છતાં જે ભાગ છે તે અસલનો છે, પણ નવી રચના નથી તેમજ સંપૂર્ણ જેટલા હતા તેટલા પ્રમાણમાં નથી. તદ્દન નવા જ છે એમ પણ નથી. માટે તે માન્ય છે. ત્યાગી પ્રભુએ જગતું શ્રેષ્ઠ રીતે ચારિત્ર પાળી મહાન ઉચ્ચ જીવન જીવી સર્વજ્ઞ થઈ કેવળ જગતના કલ્યાણ માટે નિ:સ્વાર્થ ભાવે ઉપદેશ આપ્યો છે, અને તેમના શિષ્યોએ પણ એવું જ જીવન ગાળી તેની રચના કરી છે. તેમજ પાછળના આચાર્યોએ પણ એવી જ રીતે સંપૂર્ણ ભોગો આપીને તેને કેવળ જગતના હિતને માટે ભયંકર કષ્ટો સહન કરીને ટકાવી રાખેલ છે. તેમાંના ઘણા ઋદ્ધિવંત કુટુંબના પુત્ર-પુત્રીઓ હતાં. અને જગતમાં ભોગવી શકાય તેવા ભોગો ભોગવવાની સગવડવાળા હતા તેમજ પોતે નવો ધર્મ ચલાવી શકે તેવા સમર્થ હતા. છતાં તેમાંનું કાંઈ ન કરતાં કેવળ આ આગમોને જ વળગી રહ્યા અને નિ:સ્વાર્થ ભાવે તેનું મનન કરતા રહ્યા અને ટકાવના ઉપાયો લેતા રહ્યા. તથા તેનો આશય સમજાવનારા અનેક ગ્રંથો જુદાં જુદાં પાત્રોને ઉદ્દેશીને રચ્યા. નિયુકિતઓ, ભાગ્યો, ચૂર્ણિ, ટીકાઓ, વૃત્તિઓ, અવચૂરિકાઓ, ટિપ્પણો, અવતરણો, નોંધો, ઉતારાઓ, ટબાઓ, વિવેચનો, સ્વતંત્ર ગ્રંથ, રાસાઓ વગેરે અનેક ગ્રંથો રચીને એક યા બીજી રીતે આગમો સમજાવવા, પાત્રોને તેનો રસ ચખાડવા જીવનનો મોટો ભાગ રોકયો છે. માણસને બીજો સ્વાર્થ ન હોય, પણ માન તો હોય જ, તે માન પણ મૂકીને પોતાની બુદ્ધિ કે વિચારણાને દૂર મૂકીને કેવળ પ્રભુના વચનઆજ્ઞાને અનુસરવામાં જ પોતાનું કર્તવ્ય માન્યું છે. એટલે સુવિહિત આચાર્યોની રચનાઓ પણ માન્ય અને વિશ્વાસપાત્ર ગણવા લાયક ઠરે છે. આગમોની ભાષાના શબ્દો જગના કોઈપણ સાહિત્યની ભાષાના શબ્દો કરતાં જુદો જ ધ્વનિ ઉત્પન્ન કરનારા છે. તેની પરિભાષાઓ ઘણી જ ગૂઢ છે. સ્યાદવાદને લીધે એક એક શબ્દ અનેક પ્રતિબિંબો ઊભાં કરે છે. રચના શૈલી કળામય અને અદ્ભુત છે જેની તુલના જગતના કોઈ પણ સાહિત્ય સાથે થઈ શકે તેમ નથી. આ તેની રચનાશલીનું જ્ઞાન સ્વતંત્ર અભ્યાસ સિવાય થઈ શકે તેમ નથી. તેનાં ટીકા વગેરે વિવેચનો પણ અમુક ભાગ જ સમજાવતાં હોય છે, છતાં ઘણી બાજુઓ બાકી રહી જાય છે. અનેક અનુયોગો અને અનેકનયનિક્ષેપો, અનુપૂર્વી અને અનાનુપૂર્વી વગેરે દષ્ટિબિંદુથી એક જ સૂત્રપાઠ અનેક સ્વરૂપ ધારણ કરી શકે છે. એક જ સૂત્ર કથાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની દષ્ટિથી વિવેચી શકાય છે. આવાં સૂત્રોનાં ભાષાંતર કરવામાં તેની ભયંકર આશાતના અને ભયંકર અપમાન છે. આજ આગમો છપાય તો અન્યથા યોજનાથી જડવાદની સંસ્કૃતિની અસર થવાથી યથાકથંચિત્ મિથ્યાત્વ વાસિત થઈ જાય છે. તે વાંચવા, ભણવા, ભણાવવાની સરણિ પણ આગમમાં બતાવી છે તે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy