SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૦૩ અનુસરીને તેના બીજ રૂપ તારા જેવી ધાર્મિક શ્રાવિકાથી પણ આવું કૃત્ય થઈ ગયું છે. કર્મની ગતિ વિચિત્ર છે.” વહાણો ભરી વેપાર માટે વિદેશ જતા પતિ સાથે નર્મદા સુંદરી પણ ગઈ. રસ્તામાં એક સુંદર સંગીત સાંભળવામાં આવ્યું, તે ઉપરથી નર્મદા સુંદરીએ પતિને કહ્યું કે, “આ ગાનારનું શરીર શ્યામ, હાથ-પગ અને વાળ જાડા, ચક્ષુ સ્નેહવાળા, તેના ગુહ્ય સ્થાન ઉપર મસા, પહોળી છાતી ઉપર લંછન, અને ઉમરે બત્રીસ વર્ષનો સાત્વિક પુરુષ છે.” આ સાંભળી મહેશ્વરદત્તને અનાચારની શંકા થઈ, ને તેને મારી નાખવાનો તેણે વિચાર કર્યો. તેવામાં રાક્ષસદ્વીપમાં આવતાં વહાણ થોભાવી માલમની સૂચનાથી પાણી વગેરે ભરી લેવા ઉતારુઓ ઊતરી પડ્યા. તેમાં ત્યાં આ દંપતી પણ ઊતરી એક બાજુએ ઠંડકમાં બેઠા, તેવામાં નર્મદા સુંદરીને નિદ્રા આવી. એટલે “તેને વાઘ ઉપાડી ગયો” કહી વહાણ હંકારીને તે આગળ ચાલ્યો ગયો. નર્મદા સુંદરીએ રુદન કરી કરીને પાંચ દિવસ ત્યાં કાઢ્યા. તેવામાં તેના કાકા વીરદાસ તે બંદરેથી બર્બર દેશ તરફ તેને લઈ ગયા. બર્બર દેશની વેશ્યાએ વરદાસને પોતાની પાસે બોલાવી તેની વીંટી યુક્તિથી કાઢી લઈ નર્મદા સુંદરીને બતાવી દાસી મારફત પોતાની પાસે બોલાવી, ને અડગ શ્રાવક વીરદાસને જતો કર્યો. નર્મદસુંદરીને ભોંયરામાં પૂરી દીધી. વીરદાસની શોધથી તે મળી નહીં. ત્યારે જિનદાસ નામના અંગત માણસને મૂકીને ભૃગુપુર ગયા. આ તરફ નર્મદા સુંદરીને મારીને મનાવવા મહેનત કરતાં અચાનક તે વેશ્યા જ મરી ગઈ. મંત્રીઓએ વેશ્યાનું પદ લેવા કહ્યું, ત્યારે તે પાલખીમાં બેસી રાજા પાસે ચાલી. તેવામાં એક ગટરની મોટી ખાઈમાં પડી. વિષ્ટા અને દુર્ગધથી ખરડાઈ ગાંડી થઈ ડાકણની જેમ ધૂણતી ધૂણતી ગામમાં ફરવા લાગી. લોકોને એટલી હદ સુધી કંટાળો આપ્યો કે રાજાએ તેને શહેર બહાર રહેવા કહ્યું. એટલે જિનદાસ સાથે પોતાની માતાનો દોહદ પૂરો કરવા નર્મદા નદીને કાંઠે પોતાના પિતાએ નર્મદાનગર વસાવ્યું હતું, ત્યાં પિયરમાં આવી, અને જિનદાસ ભૃગુપુર ગયો. આર્ય સુહસ્તિ નામના આચાર્ય મહારાજને પૂછવાથી “નર્મદા નદીની અધિષ્ઠાયક નર્મદા દેવીએ એક કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા મુનિને ઘણા ઉપસર્ગ કરેલા. તે દેવી તે તું નર્મદા સુંદરી. તું ગર્ભમાં આવ્યાથી પૂર્વના પરિચયને લીધે તારી માતાને નર્મદામાં નાહવાની ઈચ્છા થયેલી.” નર્મદાસુંદરીએ દીક્ષા લીધી અને અવધિજ્ઞાન પામી પ્રવર્તિની પદ પ્રાપ્ત કર્યું. વિહાર કરતાં ચંદ્રનગર જઈ પોતાના ગૃહસ્થાવસ્થાના પતિ વગેરેને ઓળખાણ આપી, બોધ આપી ધર્મ બેસાડ્યો. મહેશ્વરદત્તે ગુરુ પાસે અને ઋષિદનાએ પ્રવર્તિની પાસે દીક્ષા લીધી. અંતે મોક્ષમાં ગયા. ૭. સીતા : આ કથા પ્રસિદ્ધ છે, છતાં જૈન દષ્ટિએ જે ખાસ ફરક છે, તે અહીં બતાવ્યો છે. મિથિલા નગરીમાં હરિવંશના વાસુકિ રાજાની વિપુલા રાણીથી જન્મેલા જનક રાજાની વિદેહા નામની પત્નીએ ભામંડળ પુત્ર અને સીતા પુત્રીને જન્મ આપ્યો હતો. પિંગળ નામનો દેવ ભામંડળને પાડી જઈ દયા આવવાથી આભૂષણાદિ પહેરાવવી, વૈતાઢય પર્વત પર મૂકી ચાલ્યો ગયો. રથનપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy