SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પંચ પ્રતિકમાણસૂત્રો નગરના અપુત્ર ચંદ્રગતિ વિદ્યાધરને હાથ આવવાથી પુષ્પવતી રાણીને સોંપ્યો. આ તરફ સીતાએ નારદમુનિનું અપમાન કરેલ હોવાથી તેણે તેનું ચિત્ર ભામંડળને બતાવ્યું. તે સીતાને પરણવા તૈયાર થયો. પરંતુ ધનુષ્ય ભંગ કરવાથી સીતાનું લગ્ન રામ સાથે થયું. આકાશવાણીથી સીતાને પોતાની બહેન જાણી ભામંડળનું મન શાંત થયું, ને બહેનની માફી માંગી. આ તરફ રામ વનવાસ, રાવણ વધ, અયોધ્યામાં રાજશાસન ચલાવવું વગેરે હકીકતો લગભગ પ્રસિદ્ધ હોવાથી જાણી શકાશે. લોકોની શંકાથી રથમાં બેસાડી સીતાને રામે સેનાપતિ ભારત વનમાં મોકલાવી દીધા. પુંડરીકપુરનો વજકંધ રાજા તેને બહેન સમાન ગણી. પોતાને ત્યાં લઈ ગયો. સેનાપતિએ રામને સીતાના વિલાપની વાત કરી. રામ ગભરાયા અને ફરી શોધ કરવા આવ્યા પણ સીતા મળ્યાં નહીં. સીતાના પુત્રોનાં નામ લવ અને કુશ પાડ્યાં. વજજ લવને પોતાની શશિકલા અને બત્રીસ રાજાની કુમારીઓ પરણાવી. કુશ પણ પરાક્રમ બતાવી પૃથુરાજાની પુત્રીને પરણ્યો. બન્નેયનાં પરાક્રમોથી આશ્ચર્ય પામેલા પૃથુરાજાને લવ-કુશના માતાપિતાની વાત કહી. પછી લવ-કુશે વજઅંધ સાથે આવીને રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કર્યું. લક્ષમણે ચક્ર મૂક્યું, તે પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું, તે ઉપરથી કુટુંબી તરીકે ઓળખીને નારદ પાસેથી વિશેષ ખુલાસો મેળવી સૌ મળ્યા. સુગ્રીવ-બિભીયાણ તથા રામે સીતાને નગરમાં આવવા કહ્યું. સીતાએ પાંચદિવ્ય કરી આવવા જણાવ્યું. અગ્નિથી ભરેલી ખાઈ પાણીથી ભરાઈ ગઈ, તે તરીને સીતા સામે કાંઠે ગયાં. અગ્નિ પીધો, ઠંડો થઈ ગયો. તપાવેલા તેલમાંથી કોડી લીધી. તોલ થયો અને જીભથી ફળ લીધું. તેવામાં શ્રીશીલચંદ્ર આચાર્ય ચાર જ્ઞાન ધારક આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી સીતાએ પોતાની ઉપરના કલંકનું કારણ પૂછ્યું. “પૂર્વ ભવે ભરતક્ષેત્રમાં મૃણાલિની નગરીના શ્રીભૂતિ પુરોહિતની સરસ્વતી સ્ત્રીની પુત્રી વેગવતીના ભાવમાં તમે તપસ્વી મુનિને હલકા પાડવા કલંક દીધું હતું. શાસનદેવીએ વેગવતીને શિક્ષા કરી. વેગવતીએ માફી માંગી દીક્ષા લઈ તીવ્ર તપશ્ચર્યા કરી સ્વર્ગે ગઈ, ત્યાંથી વી તમે સીતા થયાં.” આ સાંભળી સીતા વગેરે ધર્મકાર્યમાં વિશેષ સાવધાન થયાં. પછી સંયમ આરાધી બારમા દેવલોકમાં ઈદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મને પ્રતિબોધ આપ્યો. રામે દીક્ષા લઈ મોક્ષ મેળવ્યો. સીતા પણ અનુક્રમે મોક્ષ પામશે. ૮. નંદા : રાજગૃહીના પ્રસેનજિત રાજાના પ્રસિદ્ધ ભંભાસાર અથવા શ્રેણિક નામના પુત્ર માતાપિતાથી રિસાઈ બેનાતટ નગરે ચાલ્યા ગયા હતા. ત્યાંના ધનપતિની સુનંદા નામની પુત્રીને તે પરણ્યા હતા. તેનાથી મહાબુદ્વિનિધાન અભયકુમારનો જન્મ થયો હતો. શ્રેણિક તેને સગર્ભા મૂકીને રાજગૃહ ગોપાલ, ધવળ ભીંત ઘર.” એટલા અક્ષર ભારોટીએ લખીને ગયા. જન્મ પછી ઉમ્મરમાં આવ્યું, તે અક્ષરો પરથી પુત્રે પોતાના પિતાની ઓળખાણ કરી લીધી. માતાને લઈને રાગૃહ ગયો. કૂવામાં નાંખેલી વીંટી તેણે કાંઠે ઊભા ઊભા પહેરી અને રાજાના સર્વ મંત્રીઓનો મુખ્ય મંત્રી થયો. રાજાએ માતા-પુત્રને પટ્ટ હસ્તી ઉપર બેસાડીને સન્માનથી પ્રવેશ કરાવ્યો. આવા બુદ્વિનિધાન પુત્રની માતા પરમ સતી અને ભાગ્યવતી હતી. સુનંદા તે જ આ નંદા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy