________________
૩૪૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મૂળદેવ - દેવદત્તા! કર્મની ગતિ જ ન્યારી છે. તારા જેવી કળા-નિધાન નારીના નસીબમાં કુળવતીના
કુળને બદલે વૈશિકકુળ જડાયું છે. શું એ અમારી હદયભૂમિને ધરતીકંપ સમાન નથી? દેવદત્તા :- મહારાજ ! હું સર્વથા નિરુપાય છું. મારા સર્વ પ્રયત્નો કુલવતીને ઉચિત જીવન-સૌભાગ્ય
પ્રાપ્ત કરવાના છે, પણ તે તો આજે મનોરથ રૂપે જ છે. પરંતુ આપ જે ધારો તો અમારા
હૃદયને આનંદપ્રકાશમાં ઝીલતાં કરી શકો તેમ છો. માધવી :- [જલદી આવીને] બા! મા આવે છે. મૂળદેવ :- [મનમાં] આ શાકિનીનું આ વખતે અત્રે શું કામ હતું? વિદત્તાને હવે હું મારા નિવાસ
તરફ જાઉં છું. દેવદત્તા :- ભલે સિધાવો. પરંતુ વહેલા દર્શન થાય તેવો પ્રયાસ કરશો. મૂળદેવ :- હા, અવકાશે તેમ કરીશું. [જાય છે.] દેવદત્તા :- માધવીને મા કયાં છે ? માધવી :- આ આવ્યાં. [અકકા આવે છે.] દેવદના :- પ્રણામ માજી ! અકા :- આનંદમાં છોને દીકરી ! દેવદત્તા :- આપના જેવા હિતચિંતક હોય ત્યાં આનંદની અવધિ શી હોય? અકકા :- કયાં ગયો પેલો નિર્ધન શિરોમણિ પરદેશી રખડતો રામ? દેવદત્તા :- માજી ! આપ કોને વિષે આમ રોષાગાર વર્ષાવો છો? અકા :- પેલા તારા મૂળિયા વિપે. બીજા કોના વિષે ? પાઈ આપવી નહીં, ને ઊલટું ઘર ખોદવું.
દીકરી ! મીઠા મોણ અચળ શેઠને બદલે આ ઝાંઝવાના જળથી ભરેલા રણમાં તું કયાં
અથડાવા લાગી ? છોડી દે એને, છોડી દે. સમુદ્રમાં પથ્થરના વહાણ સરખા એને છોડી દે. દેવદત્તા - માજી ! આપની ધન-લોલુપતા આપને એમ બોલવા દે, એ સ્વાભાવિક છે. અને મારી
ગુણલબ્ધતા એ ઝાંઝવાના જળ(2)ની પાછળ મને દોડાવે, એ પણ સ્વાભાવિક છે. અક્કા :- બહુ દોઢડાહી થઈ ગઈ જણાય છે. કર, ત્યારે બન્નેયની પરીક્ષા. દેવદત્તા - પરીક્ષા કરો કે ન કરે. મારા અભિપ્રાયમાં જરાયે ફેર પડવાનો નથી. માધવીને) માધવી !
જા, બન્નેયને કહે કે, “દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થઈ છે, માટે મોકલો.” માધવી :- આ ચાલી (જઈને પાછી આવી) માજી ! અચળ શેઠે મોકલેલું શેરડીનું આ ગાડું કયાં
ઉતરાવવું છે ? દેવદત્તા :- અરે ! પણ ગાડું શેરડીને શું કરવાની હતી ? શું હું હાથણી-બાથણી છું? કેવો મૂર્ણ ?
[ખૂબ હસે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org