SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો હોવી જોઇએ. તથા ઊતરતા કુળમાંથી કન્યા રત્ન લેવામાં ખાસ વાંધો નથી.'' વગેરે મંત્રીના સમજાવવાથી રાજાના મનનું સમાધાન થયું અને મહોત્સવપૂર્વક તે દંપતીને રાજમહેલે લાવ્યા. ચતુર પુરુષની સોબતથી તેને લોકવ્યવહારનું સારી રીતે જ્ઞાન કરાવ્યું તથા બીજી પણ ઘણી કન્યાઓ પરણાવી અને યૌવરાજ પદ આપ્યું. ૩૧૨ એમ સુખ ભોગવતાં બાર વર્ષ વીતી ગયાં. ત્યારે તેને પિતૃભકિત યાદ આવી, અને મોટા ભાઈ પાસે રજા માગી. બન્ને ભાઈઓ પિતાને મળવા આવ્યા. સોમચંદ્ર રાજર્ષિ પુત્રવિયોગથી દુ:ખી થયા હતા. તેની આંખે પડળ આવ્યા હતા. પરંતુ પ્રસન્નચંદ્રના કહેવરાવવાથી પાછળથી સંતોષમાં દિવસો ગાળતા હતા. આ વખતે પુત્ર મળવાના હર્ષાશ્રુથી તેની આંખનાં પડળ ખૂલી ગયાં અને પુત્રોને જોઈ હર્ષ પામ્યા. વલ્કલચીરી જઈ પોતાનાં મૂકેલાં વાસણો વગેરે પરથી ખેસથી ધૂળ ખંખેરવા લાગ્યા. એમ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વ ભવે આરાધેલ સંયમ યાદ આવ્યો. એમ ઊહાપોહ કરતાં છેવટે તેને કેવળજ્ઞાન થયું. દેવો આવ્યા. વેશ આપ્યો. સુવર્ણકમલ નિપજાવ્યું, એટલે સ્વયંબુદ્ધ કેવળી ભગવંતે દેશના આપી. રાજા તથા સોમચંદ્ર તાપસને વીતરાગ ધર્મનો બોધ થયો, ને સોમચંદ્ર તાપસે દીક્ષા લીધી. તેવામાં શ્રી વીરપરમાત્મા ત્યાં પોતનપુરના મનોહર ઉદ્યાનમાં સમોસર્યા. વલ્કલચીરી કેવળી ભગવંત વગેરે પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં પ્રભુને પ્રદક્ષિણા દઈ કેવળી ભગવંતોને વંદન કરી કેવળીની પર્ષદામાં દાખલ થયા. સોમચંદ્રમુનિને ક્રિયા વ્યવહાર શીખવવા બીજા સ્થવિરો પાસે મૂકયા. પ્રભુની દેશનાથી પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો, તેથી નાના બાળકને રાજ્ય સોંપી તેમણે દીક્ષા લીધી. દશપૂર્વી થયા. કર્મ ક્ષય નિમિત્તે પર્વત ગુફાઓ વગેરેમાં એકલા કાઉસ્સગ્ગ ધ્યાને રહી કર્મ નિર્જરા કરતા હતા. એક વખત તેઓ રાજગૃહી નગરીની પાસેના વનમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે, અને તે દિવસે પ્રભુ મહાવીર પરમાત્મા વૈભારગિરિ ઉપર સમવસર્યાં. તેને વાંદવા શ્રેણિક રાજા સપરિવાર ગયા, રસ્તામાં તેણે પ્રસન્નચંદ્ર મુનિને વંદના કરી. પ્રભુ પાસે જઈને પૂછ્યું કે, “ધ્યાનમાં લીન પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાળ કરે, તો-કઈ ગતિમાં જાય ?'' પ્રભુએ કહ્યું “સાતમી નરકે જાય.’’ થોડી વારે પૂછ્યું. તો કહે ‘‘છઠ્ઠીએ જાય.’’ ફરીથી પૂછતાં ‘‘પાંચમીએ જાય.’’ એક કરતાં ફરી ફરી પૂછતાં ‘‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય.” એવો જવાબ મળ્યો. આ વિવિધ જવાબથી શ્રેણિકને ઘણો જ વિસ્મય થયો. આ વિવિધ જવાબોનું કારણ પૂછવા જતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું, દેવદુંદુભિ વાગ્યાં. અને દેવો કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા લાગ્યા. પ્રભુએ શ્રેણિકના પ્રશ્નનો ખુલાસો કર્યો કે, ‘‘એ વિવિધ જવાબમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં હતા, છતાં તેના અધ્યવસાયની પડતી અને ચડતી શ્રેણિ જ ખાસ કારણભૂત છે. તારા સૈનિકોની વાતચીત ઉપરથી ‘પોતાના બાળ પુત્ર ઉપર શત્રુઓ ચડી આવ્યા છે.’’ એ સાંભળી તેમને ક્રોધ ચડેલો, એટલે ધ્યાનમાં ને ધ્યાનમાં શત્રુઓ સાથે લડવા લાગ્યા. લડાઈનાં બધાં સાધનો ખૂટી ગયાં ધારી માથેથી લોખંડી ટોપ ઉપાડી શત્રુઓ પર ફેંકવાના વિચારથી માથા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy