SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૪૭ કૃત્ય સાચવી શકાય છે. બીજાના સ્વાધ્યાયમાંથી અંતરાય દૂર કરવા, તેને સાનુકૂળ સાધનો આપી સ્વાધ્યાયમાં મદદ કરવી. તેથી પણ સ્વાધ્યાય કૃત્ય સચવાય છે. પરંતુ હાલમાં યુનિવર્સિટીના શિક્ષણને મદદ કરતી બોર્ડિંગ, સ્કૂલો, બાળાશ્રમો, ભવનો વગેરેમાં સ્વાધ્યાય નથી. પણ ધંધાની દષ્ટિથી તથા આર્ય સંસ્કૃતિ વિરુદ્ધ સંસ્કૃતિને ફેલાવવા માટે લેવાતી અને દેવાતી તાલીમનાં એ સ્થાનો છે. માટે એ શ્રાવકના સ્વાધ્યાય કૃત્યમાં સમાઈ શકશે નહીં. પરંતુ સૂક્ષ્મ રીતે તપાસી જોતાં તે અસ્વાધ્યાય અથવા સ્વાધ્યાય વિરોધી અથવા વિપરીત સ્વાધ્યાય છે. તેને સ્વાધ્યાયનું નામ આપવું જ ઉચિત નથી, તો પછી એક ખેડૂતનો છોકરે પોતાના બાપ પાસે હળ હાંકતાં શીખે, તેને પણ સ્વાધ્યાય ગણવો જોઈએ. પરંતુ તે જેમ સ્વાધ્યાય ગણાતો નથી, તેમ આ પણ સ્વાધ્યાય ગણી શકાય નહીં. ત્યાં અપાતું ધાર્મિક શિક્ષણ પણ ગૌણ અને પ્રજાને ભુલાવામાં નાંખનાર હોવાથી ગૌણ અને દ્રવ્ય ધર્મજ્ઞાન છે. ભાવ ધર્મશાન નથી. ૧૧. નમસ્કાર મંત્રનો જાપ : નમસ્કાર મંત્ર વિષે સમજાવતાં એક પુસ્તક થાય. પરંતુ અહીં સંક્ષિપ્તમાં એટલું તો કહી શકાય કે, નમસ્કાર મંત્ર ધર્મની સર્વ આરાધનાઓના કેન્દ્રરૂપ છે, સર્વ જૈનાગમના કેન્દ્રરૂપ છે. દેવ, ગુરુ, ધર્મરૂપ છે. વિશ્વમાં સારરૂપ છે. માટે બીજું કાંઈ પણ ન આવડતું કે આવડતું હોય, છતાં જ્યારે બીજું ધર્માચરણ ન આચરતા હોઈએ ત્યારે નમસ્કાર મંત્રનો જાપ : સ્મરણ : ચાલુ જ રહેવું જોઈએ, અને તેથી શ્રાવકની એક ક્ષણ પણ ધાર્મિક જીવન વિનાની રહી શકતી નથી. નવ લાખ મંત્રના જાપથી સિદ્ધિ મળે છે. એ વાતમાં જરા પણ અતિશયોક્તિ માનવાને કારણ નથી. એટલા બધા વખત સુધી એક ધારો જાપ કરવાનો આગ્રહ ટકી રહેવા પાછળ કેટલી આત્મપરિણતિ વિકસી હોવાનું અનુમાન કરી શકાય? અને એ જાપ દરમ્યાન બીજી પ્રવૃત્તિમાંથી જેટલા સહજ રીતે મન વચન કાયા રોકાઈ જાય, અને જેટલાં એકાગ્ર ટકી રહે, તેટલાથી આધ્યાત્મિક વિજ્ઞાનની દષ્ટિથી વિચારતાં તે આત્મામાં ઘણી આત્મિક પ્રગતિ થઈ હોવાનું માનવામાં હરકત નથી. અને એવા મજબૂત બીજમાંથી ધીરે ધીરે ભવાન્તરોમાં વધીને અંતિમ પરિણામ ઠેઠ મોક્ષ સુધી લઈ જાય, તેમાં શી નવાઈ ? આધ્યાત્મિક વિકાસ એવી વસ્તુ છે કે, આવા ધાર્મિક આચરણથી તે જીવમાં તે જ ભવમાં કાંઈ પણ બાહ્ય રહેણીકરણીમાં, સ્વભાવમાં ફેરફાર ન જણાય, છતાં તેના આત્મા ઉપર એવી અસર પડી હોય છે કે, ભવાન્તરમાં જરૂર તેની અસર જણાય છે. કેટલીક વખત આ જન્મમાં પ્રાણીના જીવનનું બંધારણ પૂર્વની તથા પ્રકારની સામગ્રીને લીધે બંધાયું હોવાથી લેયા કષાય, પરિણતિ, બાહ્ય વ્યવહાર વગેરેમાં ખાસ ફેરફાર થતો દેખાતો નથી હોતો. એટલા ઉપરથી તેના ધાર્મિક આચારોથી આત્માના ઊંડાણમાં કાંઈ પણ અસર નથી થતી, એમ માનવાને કારણ નથી. અને એ અસર કાળાન્તરે બહાર આવ્યા વિના પણ નથી રહેતી, કોઈને આ જન્મમાં તો કોઈને જન્માન્તરમાં પણ જણાય છે. તેથી નવ લાખ નવકાર મંત્રના જાપથી મોક્ષ જલદી મળે છે. એ ઉપદેશમાં અતિશયોકિત માનવાને લેશ પણ કારણ નથી. જપ વિધિ વગેરે ગુરુમહારાજના ઉપદેશથી જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy