SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો સમજી શકે તેવા ધર્માચરણના સર્વ સામાન્ય પ્રકારો છે. આ ચારની અંદર ધર્માચરણના બીજા દરેક પ્રકારો પણ સમાવી શકાય છે. અને ધર્માચરણના બીજા પ્રકારના સેવનમાં આ ચારનું પણ સેવન થાય છે. સામાન્ય રીતે ગૃહસ્થ જીવનમાં રહેલા સાધકને શિયળ, તપ અને ભાવના કેટલેક અંશે દુર્લભ હોય છે. પરંતુ સાત ક્ષેત્રમાં દાન કરીને તે ધર્મારાધન વધારે સહેલાઈથી કરી શકે છે. તેથી તે ગુણ ૪માં પહેલો મૂકવામાં આવ્યો છે. ધર્મનાં સાધક સાધનો, યોજનાઓ, શાસનના પાયારૂપ ધાર્મિક પ્રતીકોને પોષણ આપવા દાન મારફત ધનનો વ્યય કરનાર શ્રાવકનું સમકિત નિર્મળ થાય છે, કેમ કે- એ ધન મારફત એ દરેક પ્રવૃત્તિઓ, દરેક ધર્મસ્થાનો સારી રીતે આકર્ષણ સ્વરૂપમાં ચાલે, એટલે બીજા ઘણા જીવો તે મારફત ધર્મ પામી આત્મકલ્યાણ કરે. તેના ભાગીદાર દાનેશ્વરી શ્રાવક થાય છે. દાન ગુણ ઉપરાંત શિયળ, તપ, અને ભાવનામાં પણ આગળ વધેલા ઘણા શ્રાવક મહાનુભાવો હોય છે. નાની ઉમરમાં ચતુર્થવ્રત અથવા તે વિષેના અમુક પ્રકારના વિવિધ નિયમો ધારણ કરીને આજીવન બ્રહ્મચર્ય ઉપર કાબૂ રાખનારા ઘણા શ્રાવક બંધુઓ હોય છે તેમજ તપસ્વી પણ હોય છે. અને ઉત્તમ પ્રકારની આત્મ પરિણતિ-ભાવનાવાળા પણ ઘણા જોવામાં આવે છે. આ ચાર ગુણો ઉપર મનોવૃત્તિ કેન્દ્ર કરીને શ્રાવક પોતાનું જીવન જીવે તોય શોભાભર્યું જીવન જીવી શકે છે, અને બીજા ધર્માચરણોમાં પણ ઉજજ્વળતા લાવી શકે છે. દાનને પ્રત્યાખ્યાનમાં મૂકી શકાય. શિયળ અને ભાવનાને સામાયિક ગણી શકાય તથા તપને કાયોત્સર્ગમાં મૂકી શકાય. દેવની આજ્ઞા અને ગુરુના ઉપદેશ અને નિયમન વિના તો એક ડગલું પણ આગળ ચાલી શકાય જ નહીં. અને કંઈપણ સ્કૂલના પણ થયા વિના રહે નહીં. એટલે તે ખલનાનો ઉપાય કરવો જોઈએ તેમજ ભવિષ્યમાં ભૂલ ન થાય, તેને માટે સાવચેત પણ રહેવું જોઈએ. એમ આ ચારમાં છ આવશ્યકો સમાય છે. ૧૦. સ્વાધ્યાય : શ્રાવકે ધર્મમાં સ્થિર રહેવા, આગળ વધવા, તથા શુદ્ધ આત્મ પરિણતિ ટકાવી રાખવા, અવશ્ય સાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ; તેવા પ્રકારના વારંવાર કેટલાક નિત્યપાઠ કરવા જોઈએ, તત્વાર્થીદિક દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિમાં વિકાસ થાય છે, અને વિશ્વસ્વરૂપ સમજાય છે. આવશ્યક, તત્વાર્થસૂત્ર વગેરેના અભ્યાસથી આત્મપરિણતિ વધે છે. પંચસૂત્ર, ચતુદશરણ વગેરેના નિત્યપાઠથી આત્મપરિણતિ આર્ટ અને તાજી ને તાજી ટકી રહે છે. તથા કર્મગ્રંથાદિકની ગાથાઓ ભૂલી ન જવાય, માટે તેનું રોજ પુનરાવર્તન કરવું જોઈએ, કેમ કે તેમાંનો વિષય કઠણ હોવાથી મૂળ ગાથાઓ મારફત સારી રીતે યાદ રાખી શકાય છે. માટે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. તેમજ ભિન્ન ભિન્ન ધાર્મિક આચારોમાં ઉપયોગી, સ્તવન, ચૈત્યવંદનો સઝાયો, થયો વગેરે મુખ પાઠ કરવા, ભાવપૂર્વક બોલવા, તેમજ તેમાંના ભાવાર્થ સમજવા, પદ્ધતિસર ગાવા, તથા કેટલાક તાત્વિક સ્તવનો કે સક્ઝાયો ઉપરથી તત્ત્વજ્ઞાન મેળવી આગમાર્થનો પરમાર્થ સમજવો, હમેશ વ્યાખ્યાન શ્રવણ કરવું. ચિંતવવું, ચર્ચવું, બીજાને સમજાવવું, એ વગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy