SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પંચ પ્રતિકમાણસૂત્રો જમીન ઉપર સ્થાપી અઢીદ્વીપમાં સંભવતા સર્વમુનિ મહારાજાઓને અઢાઈજેસુ કહી વંદન કરવું. દેવસિઅ પડિકમાણે ઠાઉથી શરૂ કરેલું મધ્યમ પ્રતિક્રમણાવશ્યક અહીં પૂરું થયું. [૬] સામાયિક લેવાથી માંડીને શરૂ કરેલ દેવસિસ પ્રતિક્રમણ હજુ ચાલે છે. તેના છઠ્ઠા કાયોત્સર્ગ આવશ્યકની હવે નીચે પ્રમાણે શરૂઆત કરવી. ઉપર પ્રમાણે પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા દોષોની શુદ્ધિ માટે કાયોત્સર્ગ સબળ ઉપાય હોવાથી પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ દરેક વિધિમાં લગભગ હોય છે. એટલે હવે કાયોત્સર્ગ આવશ્યકનો વિધિ ઊભા થઈ ખમાસમણ દઈ નીચે પ્રમાણે કરવો. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઅપાયચ્છિર વિસોહણ€ કાઉસ્સગું કરું? ગુરુ મહારાજ હોય તો કહે કે-કરહ ઈચ્છે. કહી આજ્ઞા શિર ચડાવવી. પછી દેવસિઅ પાયચ્છિા વિસોહાગટ્ય કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય, કહી ચાર લોગસ્સ પૂરા અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી, ચતુર્વિશતિ સ્તવરૂપ લોગસ્સ કહેવો. પછી – અશુભ ભાવનાનુગત યોગોમાંથી ધ્યાન ખેંચી લઈ, શુભ ભાવનામાં જોડવા રૂપ સામાયિકમય સ્વાધ્યાય ધ્યાનમાં એકાગ્ર થવા સ્વભાષામાં ઈષ્ટ સઝાય નીચે પ્રમાણેના વિધિથી બે ખમાસમાણ દઈ કહેવી. ઇચ્છાકોરગ સંદિસહ ભગવદ્ સજઝાય સંદિસાહ. ગુરુમહારાજ હોય તો કહે-સંદિસાહમિ. પછી-ઇચ્છે, કહી આજ્ઞા શિર ચડાવવી. પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું? ગુરુ મહારાજ હોય, તો કહે કે-કહિ ઇચ્છે. કહી આજ્ઞા શિર ચડાવવી. અને સઝાયની શરૂઆત કરવી. પ્રથમ એક નવકાર કહીં મધુર ધ્વનિથી વૈરાગ્ય પોષક સઝાય કહેવી. પછી સઝાયની સૂત્રાત્મકતા માટે સક્ઝાય રૂપ એક નવકાર કહેવો. પ્રતિક્રમણ કર્યા પછી-રાત્રિના પ્રથમ ભાગમાં-આ ભાગ દિવસના છે આવશ્યકમાંનો ધ્યાન તથા કાયોત્સર્ગ વિભાગ જણાય છે. એટલે અહીં મુનિરાજે-સ્વાધ્યાય ધ્યાનમાં લીન થાય. એટલે જ્યાં સુધી સંથારા પૌરુષી ન ભણાવે ત્યાં સુધી સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહે. સ્વાધ્યાયમાં નવકાર સાથે સામાન્ય રીતે પાંચ ગાથાઓનો સઝાયનો સંપ્રદાય ચાલે છે. અથવા યાવતું ઉત્કૃષ્ટ દ્વાદશાંગી સુધી સ્વાધ્યાય કરવાનો મૂળ વિધિ છે. ત્યાર પછી દુફખખય કમખિયનો કાઉસગ્ગ કરતા હશે. પછી ચૈત્યવંદન કરી સંથારા પૌરુષી ભણાવી શયન કરતા હશે, જે વિધિ હાલમાં પ્રતિક્રમણમાં બધા સાથે કરવામાં આવે છે. દુફખફખય કમ્મફખય નિમિતે મહામાંગલિક કાઉસ્સગ્ગ નીચે પ્રમાણે કરવો ૧. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન દુખિફખય કફખય નિમિત્ત કાઉસ્સગ્ગ કરું? ગુરુ મહારાજ હોય તો કહે કે- કરેહ, ઇચ્છે, કહી આજ્ઞા શિર ચડાવવી. દુખફખય કમ્મખિય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી સંપૂર્ણ ચાર લોગસ્સ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી પારી એક જણાએ નમોહંત કહી મંગલનિમિત્તે લઘુશાંતિ સ્તોત્ર કહેવું. બીજાઓએ મંગલભાવનામય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy