SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્ર સંક્ષિપ્ત લેવામાં આવેલ છે. આ કથાઓમાં કાલક્રમની અસરથી થયેલ કોઈ કોઈ પાઠભેદ સિવાય લગભગ દરેક કથાઓ પ્રામાણિક જૈન ગ્રંથોક્ત કથાઓ છે. તેમાંની કેટલીક તો સર્વમાન્ય ઐતિહાસિક કથાઓ છે. જૈન શાસ્ત્રોમાં કથાનુયોગનું બીજા ત્રણ યોગ પ્રમાણે મહત્વનું સ્થાન છે. મોક્ષની સિદ્ધિ માટે ચરાણાનુયોગ પ્રધાન યોગ છે. પરંતુ ચરણાનુયોગનું આચરણ કરનારાં પાત્રોની જિજ્ઞાસા-શાંતિ અને વૈરાગ્યમાં સ્થિરતા માટે તત્વજ્ઞાનનો બોધ દ્રવ્યાનુયોગ મારફત કરાવી શકાય છે. દ્રવ્યાનુયોગના વિચારમાં ગણિત વિના ચોકકસાઈ સંભવે જ નહીં. એટલે ગણિતાનુયોગ જૈનશાસ્ત્રોનું પણ પ્રધાન અંગ છે. એટલે જૈનોનો દ્રવ્યાનુયોગ કલ્પિત નથી, પણ ગણિતના હિસાબ પ્રમાણે ગણિતના સિદ્ધાંતોથી ચોકકસ સ્વરૂપમાં આપવામાં આવેલો છે. અને તેવા દ્રવ્યાનુયોગમાંથી ફલિત થતો ચરણાનુયોગ મોક્ષનું પરમ અંગ છે એમ બતાવેલ છે. ચરાગાનુયોગમાં સ્થિર રાખવા માટે-માર્ગમાં ચાલવાથી લાભ દર્શાવનારી, અને તેથી વિપરીત ચાલવાથી નુકસાન દર્શાવનારી કથાઓ ખાસ ઉપયોગી હોવાથી અનેક પ્રકારની કથાઓ જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. એટલે કથાનુયોગ પણ જૈન શાસ્ત્રોનું એક પ્રધાન અંગ છે. ચારેય અનુયોગનું ફળ મોક્ષ છે. મોક્ષ માર્ગમાં જીવોને પ્રવર્તાવવાના ઉદ્દેશથી ચારેય અનુયોગમય જૈન શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. કથાઓ ઘણી ખરી આગમોક્ત છે. વર્તમાન કાળે વિદ્યમાન આગમોમાં જે કથાઓ નથી મળતી, તે કથાઓના આગમિક ભાગો લુપ્ત થયા છે. બીજા કથાગ્રંથોમાં જે કથાઓ મળે છે, તેનું પણ મૂળ તો થી આગમ જ છે. જૈન શાસ્ત્રોનો ઇતિહાસ જોતાં બારમા દષ્ટિવાદમાં અંતર્ગત પઢમાનુયોગમાંથી ઘણી કથાઓ ઉદ્ધત કરવામાં આવી છે. શ્રી હરિભદ્ર સૂરિકૃત આવશ્યક શિષ્યહિતાવૃત્તિ વગેરે ગ્રંથોમાં પઢમાનુયોગના કેટલાક ફકરા ઉદ્ધત કરેલા આપણે જોઈ શકીએ છીએ. પૂર્વ જન્મ વિષે નિ:સંદેહ અભિપ્રાય ધરાવનારાઓને આ કથામાં કશું અસંભવિત જણાતું નથી. આ કથાઓમાં પૂર્વ જન્મની અસરોનું પરિણામ ઘણી સુંદર રીતે જાણી શકાય છે. આપણું આ ચાલુ જીવન એકસ્માતું રૂપ ન હોય, પરંતુ કોઈ પણ કારણનું કાર્ય હોય, તો પુનર્જન્મ સિદ્ધ થઈ જાય છે, અને પુનર્જન્મ સિદ્ધ થઈ જાય, તો કર્મની વિચિત્ર અસર વિષે શંકા રાખવાને કશું કારણ જ રહેતું નથી. આ કથાઓમાં ઘણી ચોકકસાઈ હોય છે. તેમજ પૂર્વાપરના સંબંધો વિષે પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય છે. નળ-દમયંતી, વસુદેવ અને કનકવતીના સંબંધો કેવી ખૂબીથી કાળક્રમના બનાવો સાથે મળી જાય છે ? તે તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે. કેટલાક જૈનેતર લેખકો અન્ય સાહિત્ય સાથે મળતી આવતી આપણી કથાઓ જોઈ જૈન કથાઓને વૈદિક સાહિત્યમાંથી ઉતારેલી કહી, તે કથાઓના જૈનપણામાં સંદેહ ઉત્પન્ન કરે છે. પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. રામાયણ, મહાભારતને મળતી કેટલીક કથાઓ કેટલીક બાબતમાં મળતી આવે છે, તેમ ઘણી રીતે જુદી પણ પડે છે, એટલું જ નહીં પરંતુ વૈદિક સાહિત્યમાં આપેલી હકીકતો કરતાં વિશેષ હકીકતો વિસ્તૃત રૂપમાં આપણને જૈન સાહિત્યમાં મળે છે. દ્રૌપદી હરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy