SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો છે. તેથી પણ આગળ વધીને, તાજાં અને નવાં કર્મોનું પ્રતિક્રમણ થવા છતાં, તસ્સ ઉત્તરીથી આત્માને વિશેષ શુદ્ધ કરવાનું કામ અને દોષો તોડવાનું કામ આગળ વધે છે. એટલે કે, ત્રણ શલ્યો દૂર કરવા તથા જૂનાને તોડવા ઘાતી કર્મોનું જોર નરમ પાડી નાશ કરવા અથવા દરેક કર્મોનો નાશ કરવા કાયોત્સર્ગ જેવા આકરા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એમ કાયોત્સર્ગથી શુદ્ધિ થયા પછી તાજો અને જૂનાં કર્મોથી હલકો થયેલો, તથા માયા, મિથ્યાત્વ, તથા નિદાન : એ ત્રણ શલ્યથી રહિત થયેલો આત્મા સમ્યકત્વવંત થઈને નિષ્કપટ ભાવ અને નિ:સ્વાર્થપણે, કોઈ પણ જાતની સાંસારિક સ્વાર્થની લાલચ વિનાનો, પવિત્ર અને નિર્મળ થયેલો આત્મા ખુલ્લા મનથી ચોવીસ તીર્થંકર પ્રભુઓને ઓળખી શકે છે, તેમના ઉપર ભકિત જાગ્રત કરી શકે છે, તેમના ગુણો યાદ કરી શકે છે, તેમનું કીર્તન કરી શકે છે, તેમના પર પોતાના પારમાર્થિક લાભનો પણ દઢ વિશ્વાસ રાખીને કેવળ મોક્ષમાર્ગમાં તેઓની સહાયથી આગળ વધવા ઉત્સાહી થઈ શકે છે. અને એ રીતે પરમપ્રમોદમાં આવેલો આત્મા એ ચોવીસ તીર્થંકર ભગવંતોની નામસ્તવથી સ્તુતિ કરે છે. આ રીતે આ ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ યાવતું મોક્ષ અપાવી શકે તેવા સામર્થ્યવાળો છે, એ સહેજે સમજાશે. ૮. મોક્ષ અપાવવાના સામર્થ્યવાળો એ વિધિ બરાબર કરવામાં આવે તો અવશ્ય મોક્ષ આપે જ. તેમાં જરા પણ સંશય નથી. પરંતુ દરેક આત્માઓની તેવી ભૂમિકા પૂર્વ ભવોથી બંધાયેલી ન હોય તો તે એવાઓને મોક્ષને માટે ઘણા ભવો સુધી બીજા અનેક મોક્ષની સાધક ધાર્મિક વિધિઓનું આચરણ કરવાનું રહે છે. તેથી ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ કદાચ દરેક જીવને તરત મોક્ષ ન અપાવી શકે, તો પણ કોઈ પણ ક્રિયામાં પ્રવેશવા માટેની પ્રાથમિક શુદ્ધિ તો કરી જ આપે છે. માટે તેનું આચરણ નિષ્ફળ તો નથી જ. ધારો કે કોઈ બાળ જીવો તેટલી શુદ્ધિ પૂરતો પણ લાભ ન મેળવી શકતા હોય, તો પણ તે વિધિનું આચરણ તેઓને પ્રાથમિક શિક્ષા-તાલીમ-અભ્યાસરૂપ બને જ છે. તેથી ઉત્તરોત્તર કોઈ ને કોઈ ભવમાં પરમ વિશુદ્ધિનું નિમિત્ત અને છેવટે મોક્ષનું નિમિત્ત થાય છે. આમ વિચારતાં પણ આ વિધિના અત્યારના આચરણની કોઈ પણ કાળે અવશ્ય સફળતા સિદ્ધ થાય છે. ૯. ઈરિયાવહિયા પડિકકમવાના વિધિમાં-ઈચ્છામિ ખમાસમણ, ઈરિયા વહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અને લગ્નસ્સ સુધીનાં સૂત્રો આવે છે. તેમાં પણ ખમાસમાગ એ માત્ર વંદન સૂત્ર છે. ઈરિયાવહિયં એ આ વિધિનું મુખ્ય સૂત્ર છે. અહીં કાઉસગ્ગ પણ તેનું અંગ છે, તેથી તસ્સ ઉત્તરી સૂત્ર ઇયાવહિયંનું પેટા સૂત્ર છે. અને અન્નત્થ પણ તેની સાથે સંબંધ ધરાવે છે, કાઉસ્સગ્ન એક લોગસ્સ ન આવડે તો ચાર નવકારનો કરવાનો હોય છે. તેથી લોગસ્સ કાઉસ્સગ્નમાં ધ્યેય અને સ્મરણ તરીકે છે અને છેવટે ચતુર્વિશતિસ્તવ તરીકે પણ છે. વળી તસ્સઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ એ ત્રણેય સૂત્રો કાઉસ્સગ્ન વિધિમાં પણ છે. તથા લોગસ્સ ચતુર્વિશતિસ્તવ તરીકે સ્વતંત્ર સૂત્ર પણ છે, તેથી તસ્સ ઉત્તરીથી લોગસ્સનો કાઉસ્સગ્ન અંગ તરીકે ૧ થી ૩ આંકડા આપ્યા છે, અને ઈરિયાવહિયા પડિક્કમવાના વિધિના અંગ તરીકે ર-૩-૪ આંકડા છે. ચતુર્વિશતિસ્તવ સૂત્ર તરીકે લોગસ્સ ૧ નો આંકડો પણ અમોએ આપ્યો છે. અને ૯નો આંકડો સળંગ અનુક્રમનો આંકડો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy