SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો છે. ત્રીજામાં ગુરુ મહારાજ સંબંધી અપરાધોની ક્ષમાપના થાય છે. ૬. આ જગતમાં ગર મહારાજ વિના તીર્થકર ભગવંતોને, તેમજ તેમના ધર્મને તથા શાસ્ત્રોને ઓળખાવનાર બીજું કાંઈ પણ સાધન નથી જ. માટે તે ઉપકારના બદલામાં તન, મન, ધન અર્પણ કરવાથી પણ તેનો બદલો વળી શકતો નથી, તો પછી સાર સંભાળ અને બહુમાનના પ્રશ્નો પૂછી અગવડો દૂર કરવા પ્રયત્નો પણ કરવા જ જોઈએ. છે. (૧) ગુરુ તરફ વિનય બહુમાનપૂર્વક હૃદયની ભકિત રાખવી. (૨) ગુરુની સેવા-ચાકરી કરવી. (૩) ગુરુ સાથે સભ્યતા અને શાંતિથી વર્તવું. (૪) આહાર-પાણીમાં તેમની અનુકૂળતા જાળવવી. તેમના આસનથી નીચે આસન રાખવું. (૬) વાતચીતમાં વચ્ચે ન બોલવું. (૭) પોતાની વિશેષ હોશિયારી ન બતાવવી. (૮) પોતાના કે બીજાના નિમિત્તે તેમને નારાજ ન કરતાં હંમેશા રાજી રાખવા. (૯) નાની મોટી ભૂલ જણાય તો પશ્ચાત્તાપપૂર્વક તેની ક્ષમા માંગવી. એકંદર તેત્રીસ આશાતનાઓનો ત્યાગ કરવો. ૮. ૧૭ સંડાસા- પંચાંગ પ્રણિપાત વખતે પાંચ અંગોને ભૂમિ ઉપર સ્પર્શ કરાવતાં શરીરનાં જે જે અંગો સાણસીની માફક વળે છે, તે તે ઠેકાણે જીવોની વિરાધના અટકાવવા ૧૭ ઠેકાણે પ્રમાર્જના કરવી જોઈએ. તેથી તેનું પૂરું નામ ૧૭ સંડાસા પ્રમાર્જના છે. (સંદશંક-સાણસી) ૩ વખત પાછળ -જમણે પગે-વચ્ચે અને ડાબે પગે. ૩ વખત આગળ જમણે પગે વચ્ચે અને ડાબે પગે. ૩ અવરહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર ૧ જમણા કપાળેથી ડાબા હાથ ઉપર થઈ તેની કોણી સુધી. ૧ ડાબે કપાળેથી જમણા હાથ ઉપરથી તેની કોણી સુધી. ૩ ચરવળા ઉપર - મસ્તક નમાવવાને સ્થાને. અને ૩. ઊભા થતાં પહેલાં પગ મૂકવાના સ્થાને. પહેલાં નવ ચરવળાથી, પછીના પાંચ મુહપત્તિથી, અને છેલ્લા ત્રણ ચરવળાથી કરવાના છે. સંડાસાપમાર્જના એટલે સાણસી માફક વળતા શરીરના અવયવોની પ્રમાર્જના એવો અર્થ થાય છે. લઘુ ગુરુ વંદન વિધિ પ્રાત:કાળે શ્રી જિનેશ્વર પ્રભુના દર્શન કરી ઉત્તરીય વ તે ખેસ વિધિપૂર્વક ધારણ કરી, વંદનના ૩ર દોષ ટાળી સંડાસાની સત્તર પ્રમાર્જના સાચવી, પ્રથમ બે ખમાસમણ દેવા, પછી હાથ જોડી ઊભા રહી, ઈચ્છકાર કહી સુખસાતા પૂછવી. પછી (પદસ્થ હોય તો ખમાસમણ દઈ) સંડાસા પ્રમાઈ જમણો હાથ નીચે સ્થાપી, મુહપત્તિ અગર ખેસના છેડા સાથે ડાબો હાથ જયણા માટે મોં પાસે રાખી માથું નમાવી અભુઠિઓ સૂત્ર કહેવું. પછી ઊભા થઈ ખમાસમણ દઈ યથાશક્તિ પચ્ચકખાણ દેવા વિનંતિ કરવી, ને બે હાથ જોડી ઈચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશો? કહી પછી પચ્ચકખાણ લેવું. પછી ખમાસમણ દેવું. અહીં બપોર પહેલાં વંદન કરતાં “સુહરાઈ ?” બોલવું, અને બપોર પછી “સુહદેવસિ?" For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy