SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭૯ મોટરોનો ટ્રાફિક વધે તેમ ગાડાં, ઊંટ, બળદ, ઘોડાનો વપરાશ ઘટે. તે જાય કતલખાને અને તેના ચલાવનારા બેકાર થાય ને એ મિલમાં મજૂરો થવા જાય. દેશનાયક થર્ડ કલાસના ઉતારુઓના આશીર્વાદ લે અને છાપાંઓમાં વિવિધ માન પામે. જો કે તેમ કહેવાય કે, “તેઓને સારો ધંધો મળ્યો અને ઘોડાઓ વગેરેને ચાબુક ખાવા મટ્યા.” પણ મિલની શકિત વધી જાય અને મજૂરોની જરૂર ન હોય ત્યારે શું ? કરોડો વર્ષોનો કાયમી ધંધો ગયો અને ઘોડો બળદનું ચાબુકને બદલે કાયમી મરણ થયું. કેટલાક કહે છે કે, “અજ્ઞાન પ્રજાનો નાશ થયો જોઈએ માટે એમ નાશ ભલે થાય, દેશનો કચરો જાય છે.” તો પછી દેશનેતાઓ શા માટે કરાંજી કરાંજીને ગરીબો માટે ભાષણ કરે છે, અને દોડધામ કરીને દૂબળા બની રહ્યા છે ? એ પ્રશ્ન સહજ ઊભો થાય છે. ૨. અહીંની પ્રજાના જીવનનાં અંગો ધારો કે, ૧૦/- છે. તેમાંના આજ સુધી પરદેશી સત્તાએ ૫૦ કબજે કર્યા હોય, એટલે ૫૦ અંગો માટે પ્રજાને તેમના ઉપર આધાર રાખવો પડતો હોય, બાકીના ૫૦ હાથ કરી શકાયા ન હોય, ત્યારે દેશનાયકો સત્તા હાથમાં લેવાની ઝુંબેશ ચલાવે, પરિણામે જે ૫૦ની સત્તા પરદેશીઓના હાથમાં હતી, તેમાંની ઘણીખરી સંસ્થાઓની સત્તાઓ અમુક શરતો સાથે અને તે સંસ્થાઓ પરદેશીઓના આદર્શ પ્રમાણે કેમ ચલાવવી? તે ચલાવતા આવડે તેવી કેળવણી પામેલા પ્રધાનો અને બીજા દેશસેવકો ગણાતાના હાથમાં મૂકી દે. અને તેમની સાથે શરત કરે કે, “તમારે બીજી બાબતમાં ન પડવું. જેમ જેમ સોંપેલાં ખાતાં બરાબર ચલાવશો તેમ તેમ નવાં ખાતાં સોંપીશું. સરકારી રિઝર્વ ખાતાંઓમાં હાથ નાંખી શકાશે નહીં.” કબૂલાતમાં જે બીજી ૫૦ બાબતોમાં સરકારનો હાથ નહોતો, તેમાં હાથ નાંખવાનો સરકારનો હકક ગર્ભિત રીતે તે દેશનેતાઓએ કબૂલ કર્યો ગણાય છે અને પ્રથમનાં ૫૦ ખાતાં જે સરકાર હસ્તક હતાં, તે વધારે સારી રીતે સરકારને મદદ કરે તેવી રીતે લાગણીપૂર્વક ચલાવવાને આમ ટૂંક પગારે જવાબદારી પાડનારા માણસો તેમને મળી રહે છે. અને પ્રજા રાજી થાય છે તથા દેશની સેવાનો લહાવો લેવાનું માની શકાય છે, માટે જ નામદાર વાઈસરૉય અને નામદાર ગર્વનર સાહેબ પ્રધાનોની પ્રશંસાનાં પુષ્પ વેરતા હતા. એમ છાપામાં વાંચેલા છે અને હવે તેમણે જ તેમને છૂટા કર્યા, એટલે રાજદ્વારી કામોમાં નિંદા પ્રશંસા લાગણીને સ્પર્શતી હોતી નથી પણ કામ પુરતી જ શત્રુતા મિત્રતા હોય છે એમ આર્ય ચાણકયે પણ કહ્યું છે. એટલે દેશનેતાઓનો વાસ્તવિક રીતે વિરોધ પરદેશી સત્તા સામે નથી પરિણમતો, પરંતુ પ્રજા સામે જ પરિણમે છે. આ સૂક્ષ્મ કોયડો છે. ૩. ત્રીજે દાખલ – પ્રજાના જીવનના ધાર્મિક સામાજિક જે રિવાજો પરદેશી સત્તા, વ્યાપાર અને સંસ્કૃતિના ફેલાવાને આડે આવતા હોય તેને કુરિવાજ, કુરૂઢિ, બિનજરૂરી નિંદા વગેરે સાથે પ્રૌઢ ઉમરના થયેલા કેળવાયેલા દેશનેતાઓને જ પ્રજાની સામે ગોઠવીને તે તોડવાનો લાભ લઈ શકાય અને તે જાતના કાયદા કરવામાં તેઓની મદદ પણ લઈ શકાય. આ બધું લખીને અમો અમારા સાધર્મિક બંધુઓને આજની પરિસ્થિતિની આંટીઘૂંટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy