SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો આ રીતે નંખાઈ ગયાં છે. વળી, લડાઈ વખતે બન્ને પક્ષોને પોતપોતાનું બળ સંપૂર્ણ અજમાવવાનો હકક રહે છે. એટલે તે વખતે પરદેશીઓ લડાયક વાતાવરણના બહાના નીચે પોતાનું જેટલું બળ અજમાવવું હશે, અજમાવી શકાય તેટલું હશે, તેટલું કુલ અજમાવીને “આ દેશમાં પોતે કેટલા સ્થિર છે તે અહીંના વતનીઓને બતાવી આપશે અને દરેક મુખ્ય સંસ્થાઓમાં લાગવગ, મૂડી, કેળવણી વગેરેથી ચૂંટણીમાં પણ આગેવાનો ય તે થઈ ચૂક્યા હશે. ચૂંટણીથી તેઓ આગેવાનો થઈ શકે.” માટે જ સ્થાપિત હકકવાળા આગેવાનોને ધીમે ધીમે ખસેડવાની યુક્તિ ફેડરલ યોજનામાં ગોઠવાયેલી છે જ. દેશી રાજ્યોમાં મહાજનની પ્રજાકીય વ્યાપક સંસ્થાને બદલે ચૂંટણીના ધોરણે આગેવાનો ચૂંટાયા એ ગોઠવણ રાજકોટના નોટિફિકેશન અને બંધારણમાં ગોઠવાયેલ જોવાય છે. મ્યુનિસિપાલિટીના મેમ્બરોને જ નગરશેઠો બનાવી દેવાય અને ગ્રામપંચાયતોના પ્રમુખોને ગામડાના પટેલો ગોઠવી દેવાય એટલે જૂની રચના આપોઆપ બંધ પડી જાય અને આ બધું કોંગ્રેસ મારફત થાય. એટલે પ્રજા જ પોતાને હાથે પોતાના પગમાં કુહાડો મારે. કોંગ્રેસના પ્રમુખ સમસ્ત પ્રજાના પ્રમુખ એટલે પછી જગત શેઠની પણ સત્તા વગર કહ્યું જ ગઈ ગણાય. (પૂનામાં મ્યુના પ્રમુખને મેયર બનાવવાની યોજનામાં તે પદ જૈનને મળેલ હોવાથી તેની જાહેરાત અને તેને અભિનંદનનો મળે, તે જ્યાં જ્યાં જૈન નગરશેઠો હોય ત્યાં બીજાઓને મેયર બનાવાય, અને તેની કોમવાળા તેની પ્રશંસા કરે. અને જાહેરાત આપે તેનો કોઈથી વિરોધ થાય નહીં. એવા મેમ્બર મારફત નગરશેઠોને ખસેડવાની યુકિત ગોઠવાઈ છે. એટલે પૂનામાં મેમ્બરોને અભિનંદનમાં અન્યત્ર નગરશેઠોની સત્તા તોડવામાં સહાનુભૂતિ ગર્ભિત રીતે ગોઠવાયેલી છે. એ બહુ જ સૂક્ષ્મ વિચારથી સમજાય તેમ છે. દર ત્રણ વર્ષે મેયરો બદલાય. ભવિષ્યમાં ધનવાન અને લાગવગવાળા પરદેશીઓ જ મેમ્બરો થઈ શકે.) આ ઉપરથી દેશોદય અને સ્વરાજ્યનો શો અર્થ છે તે વાંચકોને સમજાયો હશે. આ દેશમાં તે પ્રજાઓનો ઉદય, આ દેશમાં તે પ્રજાઓનું સંસ્થાન, વસાહત સ્થાપવાની શરૂઆત કર્યા બાદ સ્વરાજ્ય આપવું. તેની તૈયારી કોંગ્રેસ અને આધુનિક કેળવાયેલા દેશનેતાઓ મારફત કરવી. તે કરાવવાની લાલચરૂપે એ શબ્દો છે. દેશનેતાઓ યદ્યપિ સરકારનો વિરોધ કરે છે, પરંતુ તેનાં પરિણામ વિચિત્ર વિચિત્ર આવે છે, જે વિરોધ આપણને નુકસાનકારક અને નકામો છે. સરકારનો વિરોધ કરવાની જરૂર નથી. કેમ કે, તે વિરોધ તેની સત્તાને વધુ આગળ વધારે છે. ૧. આ દેશની પ્રજામાં પરદેશી સત્તાને આગળ વધારવા જે કોઈ એક યોજના માત્ર કામચલાઉ કે સાદા સ્વરૂપમાં ગોઠવી હોય તેના કામચલાઉ કે સાદાપણાનો વિરોધ કરીને તેને વધુ મજબૂત બનાવરાવે. એટલે તે ખાતું સારું ચાલતું દેખાય. પરંતુ આ દેશની પ્રજાને નુકસાન થાય, તે દેશનેતા જોઈ શકે નહીં. દા.ત. થર્ડ કલાસના રેલવેના ડબ્બામાં સગવડ નથી માટે તેની સામે ઝુંબેશ ઉઠાવવી એટલે તેમાં ખૂબ સગવડ વધે. સારાંશ કે, રેલવેનું લૂલાપણું મટીને વધુ પગભર થાય તેવી માગણી ગર્ભિત ગણાય. લોકો તેને વિરોધ સમજે પણ વસ્તુત: તે તરફેણની હિલચાલ ગણાય. રેલવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy