SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૭૭ ને શિયાળની ભૂખ ભાગે નહીં” તે ન્યાયે વખત પસાર થાય, તેમાં તો આજની ગોરી પ્રજાઓ કેટલીયે હદ સુધી આગળ વધી ગઈ હોય. પછી જે ફટકો છેલ્લો મારે તે તો આ પ્રજાને અસહ્ય થઈ પડે. આમ અનેક રીતે આ લડાઈથી આપણને હાનિ જેવામાં આવે છે. અને કદાચ જર્મનો કે બીજા આ દેશ જીતે, તો પણ તેઓ આજ સુધી પરદેશીઓએ લઈ લીધેલું પાછું આપે જ નહીં. નવું કદાચ ધીમે ધીમે તે પણ આખર તો ગોરી પ્રજાના હાથમાં રહેવાનું. ઓલામાંથી ચૂલામાં. વળી તે પ્રજા હિંદની સંસ્કૃતિની અભ્યાસી હોવાથી આપણી પ્રજામાં ભળીને પ્રજા ભોળવવાનું કામ યુરોપને વધારે સહેલાઈથી કરી આપે એટલે એમ પણ આખરે ગોરી પ્રજાઓને અને તેમાં ઈંગ્લેંડને ય લાભ મળે જ. પ્રધાનોનાં રાજીનામાં સ્વીકારનાં બે પરિણામો ઉપજાવી શકાય છે. ૧. કોંગ્રેસના પ્રધાનો વિના પણ રાજ્ય ચલાવવાની સંપૂર્ણ શક્તિ બ્રિટિશ સરકાર ધરાવે છે, તે પ્રજા અને પ્રધાનો પણ જોઈ શકે અને કોંગ્રેસના પ્રધાનો છૂટા થઈને પ્રજામાં હિલચાલ કરવાના જ. અને લઘુમતી કોમોના લાભો કોંગ્રેસ સ્વીકારે છે, અને પ્રધાનો પણ સ્વીકારે છે. એમ જાહેર સભામાં બોલાય અને લોકોમાં એ વાત ફેલાવી લોકોને પણ તેમાં સંમત કરીને જાહેર લોકમત મેળવી શકાય. જાહેર પ્રજા પણ લઘુમતીના હકકોમાં સહાનુભૂતિ ઉમેરે. કોંગ્રેસના લઘુમતી કોમોના હકક રક્ષવાના વલણને પ્રજાનો પણ સંપૂર્ણ ટેકો છે. એમ જાહેર થાય એટલે કે, “લઘુમતી કોમોના હકકનું રક્ષણ કરવાનો સરકારે જે કાયદો કર્યો, તે પ્રજાની ઈચ્છા અને માગણીને માન આપીને કર્યો છે,” એમ દાખલો રાખી શકાય. કાયદો કેવા સ્વરૂપમાં તૈયાર કરવો ? તે તૈયાર જ છે. આ જાતનું વાતાવરણ પ્રધાનોને છૂટા કરવાથી જ ઉત્પન્ન કરી શકાય અને ભવિષ્યમાં વસાવવાના પરદેશીઓને લઘુમતી કોમોના રક્ષણના બહાના નીચે જે હકકો અપાય, અને તેથી અહીંની વતની પ્રજાને નુકસાન કદાચ થાય, પણ તેનો દોષ કાયદા ઘડનાર ઉપર નાંખી શકાય નહીં. પરંતુ “તમારી દરેક પ્રજાઓની માગણીથી અમારે એમ કરવું પડ્યું હતું અને તેમાં અમારા દેશના નેતાઓ પણ સામેલ હતા.” એમ કહી શકાય. આમ છતાં ભારતની મૂળ પ્રજાની સંખ્યા મોટી છે અને નવા વિચારમાં પણ હજુ જૂજ જ સંખ્યા ભળેલી છે. પરંતુ બહારથી જૂની પ્રજાનો પક્ષ કરીને આવનારી માટે પણ નવી કેળવાયેલીને ઉશ્કેરીને તેની પાસે માગણીઓ કરાવી અને તે માગણીઓ નછૂટકે સ્વીકારવાનો ડોળ કરીને ભવિષ્યમાં વસવા આવનારી વિદેશી પ્રજાઓને અનુકૂળ યોજનાઓ પસાર કરાવ્યે જાય છે. ભવિષ્યમાં પણ સંપૂર્ણ સ્વરાજ્ય જાહેર કરતાં પહેલાં એક લડાઈ જોઈશે જ. તેનું વાતાવરણ કોંગ્રેસ સુકાન ફેરવીને બીજી નીતિ ઉપર લઈ જવાની શરૂઆત સુભાષ બોઝના પક્ષ મારફત કરાવવાની થઈ ગઈ છે. તે પક્ષ બળમાં આવી જશે અને અસહકાર પક્ષ ધીમો ધીમો નબળો પડશે, બળમાં આવેલો નવો પક્ષ ધીમે ધીમે લડાઈની તૈયારી કરશે. કેમ કે, સંપૂર્ણ સ્વરાજ્યની યોજના અમલમાં મૂકતા પહેલાં ફેડરલ યોજનાને રદ કરવા વાતાવરણ કેળવવા લડાયક વાતાવરણ જોઈએ જ. તેનાં બીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy