SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૪૨૭ સવ્વસમાહિત્તિયાગારેણં પાણહાર- પોરિસી સાઢપોરિસ મુટિસહિઅં પચ્ચખાઈ, (શિ.- પચ્ચખામિ.) (ગુ.) અન્નત્ય- ડણાભોગેણં સહસાગારેણં પચ્છન્ન-કાલેણં, સિદામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સલેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા બહુલેવેણ વા, સસિત્થણ વા અસિત્યેણ વા, વોસિરઈ. (શિ- વોસિરામિ.) પચ્ચખાણોના સળંગ અથ [કયા પચ્ચખાણમાં કયા કયા આગારો હોય છે, તેના સામાન્ય અર્થો પહેલાં આપેલા છે, • તે પ્રમાણે અભ્યાસીઓએ યાદ રાખી નીચે પ્રમાણે અનુક્રમે અર્થો સમજવા. કેટલાંક પચ્ચકખાણોના અર્થ આપવામાં આવેલા છે તે જોવા.] પર. નમુક્કાર સહિઅ પચ્ચફખાણનો અર્થ-૧ ગુર૦ (૧) અજાણતાં-ભૂલથી મોંમાં નંખાઈ જાય કે એકાએક મોંમાં કાંઈપણ આવી પડે, તે પ્રસંગ સિવાય- (૨) સૂર્યોદયથી માંડીને બે ઘડી પછી તુરત જ નવકાર ગણીને પચ્ચકખાણ ન પાર, ત્યાં સુધી- (૩) ખોરાક, પાણી, મેવો વગેરે ખાદિમ તથા પાન, સોપારી વગેરે મુખવાસ રૂપ સ્વાદિમ એ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો. (શિષ્ય - હું એ ચાર પ્રકારના આહારનો તે રીતે ત્યાગ ગુરુવ- (૪) એ ત્યાગના પાલન માટે તમારે સર્વ પ્રકારે તત્પરતા બતાવવી. (શિષ્ય - હું એ પ્રકારે તત્પર કહેવાનો છું.) ૫૩. નમુકકાર સહિઅ મુદ્ધિસહિએના પચ્ચકખાણનો અર્થ-ર ગુરુઃ- (૧) અજાણતાં ભૂલથી મોંમાં નંખાઈ જાય, એકાએક આવીને પડે: સંઘ, ગુરુ, વગેરે વડીલોની આજ્ઞા થાય કે અસમાધિના નિમિત્ત સિવાય:- (૨) સૂર્યોદયથી માંડી બે ઘડી પછી મુઠ્ઠી વાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારે, ત્યાં સુધી- (૩) ઉપર જણાવેલા ચારેય આહારનો સાર કરવો. (શિષ્ય - એ ચારેય આહારનો એ પ્રમાણે ત્યાગ કરું છું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy