SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો ગુરુ - (૪) એ ત્યાગ ખાતર તમારે તત્પરતા રાખવી. (શિષ્ય - હું એ પ્રકારે તત્પર રહેવાનો ૫૪. પોરસી-સા પોરસી પચ્ચકખાણના અર્થ-૩ ગુરુઃ- (૧) ભૂલથી મોંમાં નંખાઈ જાય, એકદમ મોંમાં આવી પડે, વખતની સમજ ન પડે, દિશા ભુલાઈ જાય, મુનિનું “ઉઘાડા પોરિસી” વચન સંભળાય, સંઘ કે ગુરુની આજ્ઞા થાય અને અસમાધિના નિમિત્ત સિવાય- (૨) સૂર્યોદય પછી એક પૌરૂષી છાયા પ્રમાણ વખત થાય ત્યાર પછી અથવા એ વખતથી દોઢા વખત દોઢ પૌરુષી-પછી. મુઠી વાળી નવકાર ગણી-વગેરે ઉપર પ્રમાણે. ૫૫. પુરિમ-અવના પચ્ચખાણના અર્થ-૪ ગુરુ - બીજા વિભાગમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી કેમકે- ઉગ્ગએ સૂર પાકને બદલે સૂર ઉગ્ગએ પાઠ બોલાય છે. તેનો અર્થ માત્ર અમારી સમજ પ્રમાણે આ પ્રમાણે કર્યો છે. ફેરફાર હોય તો-ગુરુ ગમથી બરાબર ધારી લેવો: “દિવસના પૂર્વાર્ધ પછી પણ પ્રત્યાખ્યાન ચાલુ છે” એટલે કે-ઉતે સૂર્ય અને સૂર્ય ઉગતે શબ્દો એના એ છે, છતાં બપોર પહેલાંના વખતમાં પારવાના પચ્ચકખાણોમાં ઉદ્દગતે સૂર્યે વપરાય છે. અને બપોર પછી પણ જે પચ્ચફખાણ ચાલુ રાખવાના હોય છે, તેમાં સૂર્ય ઉદ્દગતે શબ્દ આવે છે. અહીં ઉન્નત શબ્દના બે અર્થ કરવામાં આવે, ૧. સૂર્યનો ઉદય અને બીજો નમતો સૂર્ય એમ બે પ્રકારના એ પાઠ ભેદનું કારણ સમજાય છે. દિવસના પૂર્વાર્ધ અથવા અપાઈ એટલે દિવસના ઉત્તરાર્ધના અરધા વખત પછી મઢી વાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારો ત્યાં સુધી :- બાકીના ૧-૩-૪ વિભાગ ઉપર પ્રમાણે સમજવા. ૫૬. એકાસણા, બેસણા અને એગલઠાણ, પચ્ચકખાણના અર્થ-૫ તમારે બે વખત અથવા એક જ વખત ખોરાક લેવો - અશન કરવું. તે સિવાય - અશન પહેલાં સૂર્ય ઊગ્યા પછી પૌરૂષી, અથા સાર્ધ પૌરુષી; થયા પછી- મુદ્દીવાળી નવકાર ગણી પચ્ચકખાણ ન પારો, ત્યાં સુધી અને યથાશક્તિ એકાદ વિગઈના ત્યાગ સાથે અને પાણી પ્રાસુક પીવા સાથે બે અશન કે એક અશન કર્યા બાદ ત્રણ આહારનો ત્યાગ કરવાનું પચ્ચકખાણ નીચે પ્રમાણે આરાધવું] ગુરુ - (૧) અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળ, દિશાનો મોહાણાં સાધુવચન, વડીલ-પૂજ્યની આજ્ઞા, સર્વ પ્રકારની અસમાધિના નિમિત્ત સિવાય- (૨) સૂર્યનો ઉદય થયા પછી પૌરુષી, સાર્ધ પૌરુષી પછી મુઠ્ઠીવાળી પ્રત્યાખ્યાન ન પારો ત્યાં સુધી- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારય આહારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy