SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો શ્રી સંઘે પૂર્ણ સન્માન કર્યું. મધ્યાહને શ્રી આર્યસમિત સાથે શ્રી ધનગિરિ મુનિ ગોચરચર્યાએ વિચરવા ગુરુ મહારાજ પાસે આજ્ઞા માગી-જ્ઞાની ગુરુ જ્ઞાન બળથી બોલ્યા, “આજે તમને મહાન લાભ થશે. સચિત્ત અચિત્તનો આજે વિચાર ન કરતાં જે મળે, તે લાવવું.” - સાધુઓ ફરતા ફરતા સુનંદા શ્રાવિકાને ત્યાં જઈ પહોંચ્યા. સુનંદા દુઃખના ભારથી બોલવા લાગ્યાં કે- “લો આ તમારો છોકરો. મને હેરાન હેરાન કરી નાંખી. મારાથી આ દુ:ખ સહન થતું નથી. આ છોકરો હવે મને કાળ જેવો લાગે છે, માટે કૃપા કરીને લઈ જાઓ તમે તમારે.” ભલે, જેવી તમારી ઈચ્છા. પાછળથી પસ્તાવો કરશો નહીં. અમને આપ્યા પછી પાછો મળી શકશે નહીં." એમ શ્રી ધનગિરિ મુનિએ જવાબ આપ્યો. સુનંદાથી કહેવાઈ ગયું- “આ મારી સખીઓ સાક્ષી છે. ફરીથી નહીં માગું, કૃપા કરીને લઈ જાઓ.” શ્રી ધનગિરિ મુનિએ તુરત જ પસારેલી કપડાંની જેળીમાં તેને લઈ લીધા. ભારથી નમી પડતા શ્રી ધનગિરિ મુનિને દૂરથી આવતા જોઈ, ગુરુએ વજ જેવા ભારવાળા બાળકને જાણીને વજ એવું તેનું નામ પાડ્યું, ગુરુએ તેને ખોળામાં લઈ તેની સામે જોયું, કે બાળક આનંદથી હસવા લાગ્યું. રુદન કયાંય ચાલ્યું ગયું. તેનું પાલન કરવા સાધ્વીઓ મારફત શય્યાતરીઓ[સાધ્વીઓને ઉપાશ્રય આવનારી શ્રાવિકાઓ ને સોંપ્યા. ત્યાં ધાવમાતાઓ રાખીને પાલન કરવામાં આવ્યું, સાધ્વીઓ અગિયાર અંગો ભણે છે, તે સાંભળીને વજકુમાર પણ પારણામાં જ અગિયાર અંગના મુખપાઠી થઈ ગયા. ત્રણ વર્ષના થયા એટલે ધર્મોપકરણોને રમકડાં બનાવીને સરખી ઉમરનાં બાળકો સાથે રમવા લાગ્યા. તે પહેલાં, પ્રસંગે પ્રસંગે સુનંદા પણ ત્યાં વખતોવખત જુદા જુદા બહાને આવી જઈને પોતાના બાળકને ધવરાવી જતા હતા. આ પ્રસંગે જૈન શાસનમાં વજસ્વામીના સંસારી મામા શ્રી આર્ય સમિત આચાર્યના પ્રભાવથી બ્રહ્મદીપના તાપસી જૈન ધર્મની દીક્ષા લે છે. ત્યારથી બહાદ્વીપ શાખા જૈન શાસનમાં પ્રસિદ્ધ થાય છે. વગેરે હકીકત બીજા ગ્રંથોથી જાણવી. ત્રણ વર્ષના વજસ્વામીને લઈ પાછા શ્રી ધનગિરિમુનિ વિહાર કરતા ફરીથી એ જ ગામમાં આવ્યા. સુનંદા પણ તેમની પાસે આવ્યા, અને પુત્ર પાછો આપવાની માંગણી કરી. મુનિએ ના પાડી. સુનંદાએ આગ્રહથી માંગણી ચાલુ રાખી. છેવટે સંઘ વચ્ચે પડ્યો. પણ સુનંદા એક ના બે ન થયા. રાજચેરી સુધી વાત પહોંચી. રાજાએ તોડ કાઢ્યો કે-“એ બાળક જેને ચાહે, તેને સોંપવામાં આવશે.” આ પ્રમાણેની શરત બન્નેએ કબૂલ કરી. માતાએ વિવિધ જાતનાં મનોહર રમકડાં અને ખાવાના પદાર્થો આગળ ધર્યા અને વહાલભર્યા અનેક વાકયોથી તેનું પોતાની તરફ આકર્ષણ કરવા માતૃ શકિતનો સંપૂર્ણ પ્રયોગ કરી જોયો, પણ તે નિષ્ફળ ગયો. ત્યારે શ્રી ધનગિરિ મુનિએ માત્ર ઓઘો આગળ ધર્યો, તરત જ તેને લઈ બાળક વજ નાચવા લાગ્યા ને રજોહરણ લઈ પિતાના ખોળામાં જઈ બેઠા. રાજાનો ન્યાય પૂરો થયો. આથી સુનંદાના દિલમાં પણ વૈરાગ્ય વાસનાએ અસર કરી ને તેમણે છેવટ સિંહગિરિ ગુરુ મહારાજ હસ્તક દીક્ષા લીધી.ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy