SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૨૫૯ સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય.- વોસિરામિ. અર્થ લગભગ સરખા જેવા છે. પાણાહારના પચ્ચખાણમાં કેવળ પાણીનો આહાર છૂટો હતો એટલે તેનું જ પચ્ચકખાણ આવે છે. ચોવિહારમાં ચારેયનો ત્યાગ હોય છે, તિવિહારમાં પાણી છૂટું રહે છે, ને ત્રણેયનો ત્યાગ થાય છે. દુવિહારમાં ખોરાક અને મેવા વગેરે ખાદિમનો ત્યાગ રહે છે. પરંતુ પાણી, અને પાનસોપારી વગેરે સ્વાદિમની છૂટી રહે છે. દેશાવગાશિક પ્રત્યાખ્યાનમાં-માત્ર થોડા થોડા છૂટા રાખેલા સિવાયના ઘણા ઉપભોગ અને પરિભોગનો ત્યાગ થાય છે. ઉપભોગ એટલે ફળ, અત્તર વગેરે એકાદ વાર ભોગવાતી વસ્તુઓ અને પરિભોગ એટલે શય્યાદિક વારંવાર ભોગવાતી વસ્તુઓ પરંતુ, અહીં ખાસ કરીને ૧૪ નિયમમાં આવતી ચીજોનું ઉપલક્ષણ ઉપભોગ પરિભોગ શબ્દથી સમજવાનું છે. દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ ૧. પ્રથમ સામાયિક લેવું. ૨. પછી-પાણી વાપર્યું હોય તો મુહપત્તિ પડિલેહવી. ૩. આહાર વાપર્યો હોય તો “વાંદાણા” બે દેવાં. તેમાં બીજા “વાંદણામાં”- આસિયાએ" એ પદ ન કહેવું. ૪. યથાશકિત દિવસ ચરિમ પચ્ચકખાણ કરવું. પછી૫. “ખમાસમણ” દઈ, “ઈચ્છાકારીગર શૈત્યવંદન કરું?” ગુરુ કહે-“કહ” “ઇચ્છે", કહી, વડેરા અથવા પોતે યોગમુદ્રાએ “શ્ચયવંદન” કહીને “ર્જકચિ કહેવું પછી૬. “નકલ્યાણ” કહી, ઊભા થઈને “અરિહંત ચેઈઆગ” કહી, એક “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારી, નમોહતક” કહીને પ્રથમ “હાય” કહેવી પછીછે. “લોગસ્સ" કહેવો. સવ્વલોએ અરિહંત-ચેઈઆણ” કહીને, એક “નવકારનો” કાઉસ્સગ્ન કરી, પારીને બીજી “થોય” કહેવી. પછી૮. “પુખરવરદી" કહી સુઅસ્સે ભગવઓ કરેમિકાઉસ્સગ્ગ વંદણ” કહી એક “નવકારનો” કાઉસગ્ગ કરી, પારીને ત્રીજી “થય" કહેવી. પછી૯. “સિદ્ધાણં બુદ્ધાણં' કહી “વૈયાવચ્ચગરાણં કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ.” કહી, એક નવકારનો" કાઉસ્સગ કરી, પારીને “નમોડર્ષત” કહી ચોથી “થય” કહેવી. પછી૧૦. યોગમુદ્રાએ બેસીને “નમુત્યુગ કહેવું. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy