SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૬. જમણો હાથ ઉપધિ-ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી વિધિ કરતાં જે કોઈ અવિધિ હુવા હોય, તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. જુદી જુદી જાતનાં દેવવંદનોની તિથિઓ. દેવસિઅ-રાઈએ પ્રતિક્રમણમાં દેવવંદનની વિધિઓ ૧. દેવસિઅ પ્રતિક્રમણમાં - ચૈત્યવંદન, કિંચિ, નમુત્થામાં, અરિહંત ચેઇઆણંથી ઉપર બીજી કલમ પ્રમાણે ચાર થાય પૂરી. નમુત્યુાં. ચાર ખમાસમણા ને ભગવાન હું આદિ ચાર વંદન. ઈચ્છકારિ સમસ્ત શ્રાવક વંદું. ૨. રાઇઅ પ્રતિક્રમણમાં: વિશાલલોચન પછી, નમુત્થામાં, અરિહંત ચેઇઆણં, અન્નત્થથી ઉપર બીજી કલમમાં જણાવ્યા પ્રમાણે ચાર થાય પૂરી. પરંતુ વિશેષતા એટલી જ કે તેમાં જેકચિ સૂત્ર નથી આવતું. અને થોયો કલ્લાકંદની જ કહેવાય છે. પછી નમુત્થાં, ભગવાનાં આદિ ચાર થોભવંદન પછી અઢાઈજજે. ૩. પકખિ, ઉમાસી, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં : દેવસિઅ પ્રતિક્રમણની પેઠે જ શરૂઆતમાં દેવવંદન થાય છે. પણ ચૈત્યવંદનમાં સકલાર્વત અને સ્તુતિમાં સ્નાતસા બોલાય છે. . हेववंधन विधिनो विशेषार्थ ખાસ પૂર્વાચાર્ય વિરચિત પ્રાચીન ચૈત્યવંદન પછી કિચિ બોલવામાં આવતું જોવામાં આવતું નથી. પરંતુ તે સિવાયને, ચૈત્યવંદનનો પાઠ બોલ્યા પછી તો જકંચિ બોલાય છે. નમોડસ્તુ વર્ધમાનાથ, વિશાલલોચન, કે ચઉક્કસાય પછી જેકચિ સૂત્ર આવતું નથી. આ ઉપરથી સમજાય છે કે કિંચિ સૂત્ર પૂર્વાચાર્ય વિરચિત ટૂંકામાં ખાસ ચૈત્યવંદન છે. કેટલીક વખત અરધા કે પૂરા જ વિયરાય સુધીમાં જ ચૈત્યવંદન પૂરું થાય છે. ઉપરના પ્રથમ દેવવંદન વિધિમાં નમુલ્યાણ પછી અરધા જયવીયરાય આવે છે. રાઈઅ પ્રતિક્રમણમાં શરૂઆતમાં ચૈત્યવંદન આવે છે. તથા દેવસિઅ પ્રતિક્રમણમાં ચઉકસાય પછી, સ્નાત્ર પૂજામાં, પચ્ચકખાણ પારતાં, એકાસણું કર્યા પછી પોસહમાં જયવીયરાય પૂરા સુધી જ ચૈત્યવંદન થાય છે. ચોમાસી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરેના દેવવંદનમાં પણ કાંઈક વિવિધતાઓ છે. આઠ થોઈના દેવવંદનમાં બે વાર ચાર ચાર થીઈઓ આવે છે, તેનું કારણ વિશેષ બહુમાન સૂચવવા બે વાર બાર અધિકારથી દેવવંદન કરવામાં આવે છે. બાર અધિકારોમાં મુખ્ય વિષય તો પરંપરાએ તીર્થંકર ભગવંતોની સ્તુતિ, સ્તવના સ્વરૂપ વર્ણના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy